28-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
દિલ થી બાબા - બાબા કહો તો ખુશી માં રોમાંચ ઉભાં થઈ જશે , ખુશી માં રહો તો માયાજીત
બની જશો ”
પ્રશ્ન :-
બાળકોને કઈ એક
વાત માં મહેનત લાગે છે પરંતુ ખુશી અને યાદ નો તે જ આધાર છે?
ઉત્તર :-
આત્મ-અભિમાની બનવામાં જ મહેનત લાગે છે પરંતુ આનાથી ખુશીનો પારો ચઢે છે, મીઠા બાબા
યાદ આવે છે. માયા તમને દેહ-અભિમાન માં લાવતી રહેશે, રુસ્તમ થી રુસ્તમ થઇને લડશે, આમાં
મુંઝાવાનું નથી. બાબા કહે બાળકો માયાનાં તોફાનો થી ડરો નહીં, ફક્ત કર્મેન્દ્રિયો થી
કોઈ વિકર્મ નહીં કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને સમજાવી રહ્યાં છે અથવા શિક્ષા આપી રહ્યાં છે, ભણાવી રહ્યાં છે. બાળકો
જાણે છે ભણાવવા વાળા બાપ સદૈવ દેહી-અભિમાની છે. એ છે જ નિરાકાર, દેહ લેતાં જ નથી.
પુનર્જન્મમાં નથી આવતાં. બાપ સમજાવે છે આપ બાળકોએ મારા સમાન પોતાને આત્મા સમજવાનું
છે. હું છું પરમપિતા. પરમપિતા ને દેહ હોતું નથી. એમને દેહી-અભિમાની પણ નહીં કહેશું.
એ તો છે જ નિરાકાર. બાપ કહે છે મને પોતાનું દેહ નથી. તમને તો દેહ મળતું આવ્યું છે.
હવે મારા સમાન દેહ થી ન્યારા થઈ પોતાને આત્મા સમજો. જો વિશ્વનાં માલિક બનવું છે તો
બીજી કોઈ મુશ્કિલ વાત છે નહીં. બાપ કહે છે દેહ-અભિમાન ને છોડી મારા સમાન બનો. સદૈવ
બુદ્ધિમાં યાદ રહે આપણે આત્મા છીએ, આપણને બાબા ભણાવી રહ્યાં છે. બાબા તો નિરાકાર
છે, પરંતુ આપણને ભણાવે કેવી રીતે? એટલે બાબા આ તન થી આવીને ભણાવે છે. ગૌમુખ દેખાડે
છે ને. હવે ગૌ નાં મુખથી તો જ્ઞાન ગંગા ન નીકળી શકે. માતા ને પણ ગૌ માતા કહેવાય છે.
તમે બધાં ગૌ છો. આ (બ્રહ્મા) તો ગૌ નથી. મુખ દ્વારા જ્ઞાન મળે છે. બાપ ની ગૌ તો નથી
ને - બળદ પર પણ સવારી દેખાડે છે. તેઓ તો શિવ-શંકર એક કહી દે છે. આપ બાળકો હવે સમજો
છો શિવ-શંકર એક નથી. શિવ તો છે ઊંચે થી ઊંચા પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બ્રહ્મા છે
સૂક્ષ્મવતન વાસી. આપ બાળકોએ વિચાર સાગર મંથન કરી પોઇન્ટ નીકાળી સમજાવવું પડે છે, અને
નિડર પણ બનવાનું છે. આપ બાળકોને જ ખુશી છે. તમે કહેશો અમે ઈશ્વરનાં વિદ્યાર્થી છીએ,
આપણને બાબા ભણાવે છે. ભગવાનુવાચ પણ છે-હેં બાળકો હું તમને રાજાઓનાં રાજા બનાવવા માટે
ભણાવું છું. ભલે ક્યાંય પણ જાઓ છો, સેવાકેન્દ્ર પર જાઓ છો, બુદ્ધિમાં છે કે બાબા
અમને ભણાવે છે. જે હમણાં અમે સેવાકેન્દ્ર પર સાંભળીએ છીએ, બાબા મુરલી ચલાવે છે.
બાબા-બાબા કરતાં રહો. આ પણ તમારી યાત્રા થઇ. યોગ અક્ષર શોભતો નથી. મનુષ્ય અમરનાથ,
બદ્રીનાથ યાત્રા કરવાં પગપાળા જાય છે. હવે આપ બાળકોએ તો જવાનું છે પોતાનાં ઘરે. તમે
જાણો છો હવે આ બેહદ નું નાટક પૂરું થાય છે. બાબા આવેલાં છે, આપણને લાયક બનાવી લઈ જવા
માટે. તમે સ્વયં કહો છો અમે પતિત છીએ. પતિત થોડી મુક્તિ ને પામશે. બાપ કહે છે - હેં
આત્માઓ, તમે પતિત બન્યાં છો. તેઓ શરીર ને પતિત સમજી ગંગા માં સ્નાન કરવાં જાય છે.
આત્માને તો તેઓ નિર્લેપ સમજી લે છે. બાપ સમજાવે છે - મૂળ વાત છે જ આત્માની. કહે પણ
છે પાપઆત્મા, પુણ્યઆત્મા. આ અક્ષર સારી રીતે યાદ કરો. સમજવાનું અને સમજાવવાનું છે.
તમારે જ ભાષણ વગેરે કરવાનું છે. બાપ તો ગામ-ગામ માં, ગલી-ગલીમાં નહીં જશે. તમે
ઘર-ઘર માં આ ચિત્ર રાખી દો. ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે. સીડી માં ખુબજ ક્લિયર (સ્પષ્ટ)
છે. હવે બાપ કહે છે - સતોપ્રધાન બનો. પોતાનાં ઘરે જવાનું છે, પવિત્ર બન્યાં વગર તો
ઘરે જશો નહીં. આ જ ફુરના (ફિકર) લાગી રહે. ઘણાં બાળકો લખે છે, બાબા અમને ખુબ તોફાન
આવે છે. મન્સા માં ખુબ ખરાબ વિચાર આવે છે. પહેલાં નહોતાં આવતાં.
બાપ કહે છે તમે આ વિચાર નહીં કરો. પહેલાં કોઈ તમે યુદ્ધનાં મેદાન માં થોડી હતાં. હવે
તમારે બાપની યાદ માં રહી માયા પર જીત પામવાની છે. આ ઘડી-ઘડી યાદ કરતાં રહો. ગાંઠ
બાંધી લો. જેમ માતાઓ ગાઠ બાંધી લે છે, પુરુષ લોકો પછી નોટબુક માં લખે છે. તમારો તો
આ બેજ સારી નિશાની છે. આપણે પ્રિન્સ (રાજકુમાર) બનીએ છીએ, આ છે જ બેગર ટૂ પ્રિન્સ
બનવાની ગોડલી યુનિવર્સિટી. તમે પ્રિન્સ હતાં ને. શ્રીકૃષ્ણ વર્લ્ડ નાં પ્રિન્સ હતાં.
જેમ ઇંગ્લેન્ડનાં પણ પ્રિન્સ ઓફ વેલ્સ કહેવાય છે. તે છે હદ ની વાતો, રાધા-કૃષ્ણ ખુબ
નામીગ્રામી છે. સ્વર્ગનાં પ્રિન્સ-પ્રિન્સેઝ હતાં ને એટલે તેમને બધાં પ્રેમ કરે છે.
શ્રીકૃષ્ણ ને તો ખુબ પ્રેમ કરે છે. કરવો તો બંનેવ ને જોઈએ. પહેલાં તો રાધા ને કરવો
જોઈએ. પરંતુ બાળક પર વધારે પ્રેમ રહે છે કારણ કે તે વારિસ બને છે. સ્ત્રી નો પણ પતિ
પર પ્રેમ રહે છે. પતિ માટે જ કહે છે આ તમારા ગુરુ ઈશ્વર છે. સ્ત્રી માટે એવું નહીં
કહેશે. સતયુગમાં તો માતાઓની મહિમા છે. પહેલાં લક્ષ્મી પછી નારાયણ. અંબા નો કેટલો
રિગાર્ડ (આદર) રાખે છે. બ્રહ્મા ની દીકરી છે. બ્રહ્માનો એટલો નથી, બ્રહ્માનું મંદિર
અજમેર માં છે. જ્યાં મેળા વગેરે લાગે છે. અંબાનાં મંદિરમાં પણ મેળો લાગે છે. હકીકતમાં
આ બધાં મેળા મેલા બનાવવા માટે જ છે. તમારો આ મેળો છે સ્વચ્છ બનવાનો. સ્વચ્છ બનવા
માટે તમારે સ્વચ્છ બાપને યાદ કરવાનાં છે. પાણી થી કોઈ પાપ નાશ નથી થતાં. ગીતામાં પણ
ભગવાનુવાચ છે મનમનાભવ. આદિ અને અંત માં આ અક્ષર છે. આપ બાળકો જાણો છો આપણે જ
પહેલાં-પહેલાં ભક્તિ શરું કરી છે. સતોપ્રધાન ભક્તિ પછી સતો-રજો-તમો ભક્તિ થાય છે.
હવે તો જુઓ માટી પથ્થર વગેરે બધાની કરે છે. આ બધી છે અંધશ્રદ્ધા. આ સમયે તમે સંગમ
પર બેઠાં છો. આ ઊલટું ઝાડ છે ને. ઉપર માં છે બીજ. બાપ કહે છે આ મનુષ્ય સૃષ્ટિ નું
બીજ રચતા હું છું. હમણાં નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છે. સૈપલીંગ લગાવે છે ને.
ઝાડ નાં જૂનાં પત્તા ખરી જાય છે. નવાં-નવાં પત્તા નીકળે છે. હવે બાપ દેવી-દેવતા
ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. ઘણાં પત્તા છે જે મિક્સ થઈ ગયાં છે. પોતાને હિન્દુ
કહેવડાવે છે. હકીકત માં હિન્દુ છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા. હિન્દુસ્તાન
નું હકીકત માં નામ જ છે ભારત, જ્યાં દેવતાઓ રહેતાં હતાં. બીજા કોઈ દેશનું નામ નથી
બદલાતું, આનું નામ બદલી દીધું છે. હિન્દુસ્તાન કહી દે છે. બૌદ્ધિ લોકો એવું નહીં
કહેશે કે અમારો ધર્મ જાપાની કે ચીની છે. તેઓ તો પોતાનાં ધર્મને બૌદ્ધિ જ કહેશે.
તમારામાં કોઈ પણ પોતાને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં નહિં કહેશે. જો કોઈ કહે પણ
તો બોલો તે ધર્મ ક્યારે અને કોણે સ્થાપન કર્યો? કંઈ પણ બતાવી નહીં શકશે. કલ્પ ની આયુ
જ લાંબી-પહોળી કરી દીધી છે, આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. એક તો પોતાનાં ધર્મની ખબર
નથી, બીજું લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ને ખુબ દુર લઇ ગયાં છે એટલે ઘોર અંધકાર કહેવાય
છે. જ્ઞાન અને અજ્ઞાન માં કેટલો ફરક છે. જ્ઞાન સાગર છે જ એક શિવબાબા. એમનાથી જેવી
રીતે એક લોટો આપે છે. ફક્ત કોઈને આ સંભળાવો કે શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ
થશે. આ જેમ કે ખોબો પાણી થયું ને. કોઈ તો સ્નાન કરે છે, કોઈ ઘડો ભરી લઈ જાય છે. કોઈ
નાની-નાની લોટી લઈ જાય છે. રોજ એક-એક ટીપું માટલામાં નાખી તેને જ્ઞાન જળ સમજી પીવે
છે. વિદેશમાં પણ વૈષ્ણવ લોકો ગંગાજળ નો ઘડો ભરી લઈ જાય છે. પછી મંગાવતા રહે છે. હવે
આ તો બધું પાણી પહાડો થી જ આવે છે. ઉપર થી જ પાણી પાડે છે. આજકાલ જુઓ મકાન પણ કેટલાં
ઉંચા ૧૦૦ માળ સુધીના બનાવે છે. સતયુગ માં તો આવું નહીં હશે. ત્યાં તો તમને જમીન એટલી
મળે છે વાત નહીં પૂછો. અહીંયા રહેવા માટે જમીન નથી, ત્યારે આટલાં માળ બનાવે છે. ત્યાં
અનાજ પણ અથાહ ઉત્પન્ન થાય છે. જેમ અમેરિકા માં ખુબ અનાજ થાય છે તો બાળી દે છે. આ છે
મૃત્યુલોક. તે છે અમરલોક. અડધોકલ્પ તમે સુખ માં રહો છો. કાળ અંદર ઘૂસી ન શકે. આનાં
પર એક કથા પણ છે. આ છે બેહદની વાત. બેહદની વાતો થી પછી હદ ની કથાઓ બેસી બનાવી છે.
ગ્રંથ પહેલાં કેટલાં નાનાં હતાં. હવે તો કેટલાં મોટા કરી દીધાં છે. શિવબાબા કેટલાં
નાનાં છે, એમની પણ કેટલી મોટી પ્રતિમા બનાવી દીધી છે. બુદ્ધનાં ચિત્ર, પાંડવોનાં
ચિત્ર મોટા-મોટા લાંબા બનાવ્યાં છે. એવાં તો કોઈ હોતાં નથી. આપ બાળકોએ તો આ
લક્ષ્ય-હેતુ નું ચિત્ર ઘર-ઘરમાં રાખવું જોઈએ. આપણે ભણીને આ બની રહ્યાં છીએ. પછી રડવું
થોડી જોઈએ. જે રડે છે તે ખોવે છે. દેહ-અભિમાન માં આવી જાય છે. આપ બાળકોએ તો
આત્મ-અભિમાની બનવાનું છે, આમાં જ મહેનત લાગે છે. આત્મ-અભિમાની બનવાથી જ ખુશી નો પારો
ચઢે છે. મીઠા બાબા યાદ આવે છે. બાબા થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. બાબા
આપણને આ ભાગ્યશાળી રથ માં આવીને ભણાવે છે. રાત-દિવસ બાબા-બાબા યાદ કરતાં રહો. તમે
અડધાકલ્પ નાં આશિક છો. ભક્ત ભગવાન ને યાદ કરે છે. ભક્ત છે અનેક. જ્ઞાનમાં બધાં એક
બાપ ને યાદ કરે છે. એ જ બધાનાં બાપ છે. જ્ઞાનસાગર બાપ આપણને ભણાવે છે, આપ બાળકોનાં
તો રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ. તોફાન તો માયાનાં આવશે જ. બાબા કહે છે - સૌથી વધારે
તોફાન તો મને આવે છે કારણ કે સૌથી આગળ હું છું. મારી પાસે આવે છે ત્યારે તો હું સમજુ
છું - બાળકો ની પાસે કેટલાં આવતાં હશે. મૂંઝાતા હશે. અનેક પ્રકારનાં તોફાન આવે છે
જે અજ્ઞાનકાળ માં પણ ક્યારે નહીં આવતાં હોય, તે પણ આવે છે. પહેલાં મને આવવાં જોઈએ,
નહીં તો હું બાળકોને સમજાવું કેવી રીતે. આ છે આગળ. રુસ્તમ છે તો માયા પણ રુસ્તમ થી
રુસ્તમ થઈને લડે છે. મલ્લયુદ્ધ માં બધાં એક જેવાં નથી હોતાં. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ
ગ્રેડ હોય છે. બાબા ની પાસે સૌથી વધારે તોફાન આવે છે, એટલે બાબા કહે છે આ તોફાનો થી
ડરો નહીં. ફક્ત કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ નહીં કરો. ઘણાં કહે છે - જ્ઞાન માં
આવ્યાં છીએ તો આવું કેમ થાય છે, આનાથી તો જ્ઞાન ન લેત તો સારું હતું. સંકલ્પ જ ન
આવત. અરે આ તો યુદ્ધ છે ને. સ્ત્રી ની સામે હોવા છતાં પણ પવિત્ર દૃષ્ટિ રહે, સમજવાનું
છે શિવબાબાનાં બાળકો આપણે ભાઈ-ભાઈ છીએ પછી પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન હોવાથી
ભાઈ-બહેન થઈ ગયાં. પછી વિકાર ક્યાંથી આવ્યાં. બ્રાહ્મણ છે ઉંચ ચોટી. જે ફરી દેવતા
બને છે તો આપણે બહેન-ભાઈ છીએ. એક બાપ નાં બાળકો કુમાર-કુમારી. જો બંને કુમાર-કુમારી
થઇને નથી રહેતાં તો પછી ઝઘડો થાય છે. અબળાઓ પર અત્યાચાર થાય છે. પુરુષ પણ લખે છે
અમારી સ્ત્રી તો જેમ પૂતના છે. ખુબ મહેનત છે. જવાનો ને તો ખુબ મહેનત લાગે છે. અને
જે ગંધર્વ વિવાહ કરી સાથે રહે, કમાલ છે તેમની. તેમનું ખુબ ઉંચ પદ થઈ શકે છે. પરંતુ
જ્યારે એવી અવસ્થા ધારણ કરે. જ્ઞાનમાં આગળ થઈ જાય. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં
તોફાનો થી ડરવાનું કે મુંઝાવાનું નથી. ફક્ત ધ્યાન રાખવાનું છે કર્મેન્દ્રિયો થી કોઈ
વિકર્મ ન થાય. જ્ઞાન સાગર બાબા આપણને ભણાવે છે - આ જ ખુશીમાં રહેવાનું છે.
2. સતોપ્રધાન બનવાનાં માટે આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે, જ્ઞાનનું વિચાર
સાગર મંથન કરવાનું છે, યાદની યાત્રા માં રહેવાનું છે.
વરદાન :-
શ્રેષ્ઠ
પુરુષાર્થ દ્વારા ફાઈનલ રિઝલ્ટ ( અંતિમ પરિણામ ) માં ફર્સ્ટ ( પ્રથમ ) નંબર લેવાવાળા
ઉડતા પંખી ભવ
ફાઈનલ રિઝલ્ટ માં
ફર્સ્ટ નંબર લેવા માટે :- ૧- દિલનાં અવિનાશી વૈરાગ્ય દ્વારા વિતેલી વાતો ને,
સંસ્કાર રુપી બીજ ને બાળી દો. ૨- અમૃતવેલા થી રાત સુધી ઈશ્વરીય નિયમો અને મર્યાદાઓ
સદા પાલન કરવાનું વ્રત લો અને ૩- મનસા દ્વારા, વાણી દ્વારા અથવા સંબંધ સંપર્ક દ્વારા
નિરંતર મહાદાની બની, પુણ્ય આત્મા બની દાન-પુણ્ય કરતાં રહો. જયારે આવો શ્રેષ્ઠ હાઈ
જમ્પ (ઉંચી છલાંગ) આપવાવાળો પુરુષાર્થ હોય ત્યારે ઉડતા પંખી બની ફાઈનલ રિઝલ્ટ માં
નંબરવન બની શકશો.
સ્લોગન :-
વૃત્તિ દ્વારા
વાયુમંડળ ને પાવરફુલ બનાવવું આ જ અંત નો પુરુષાર્થ અથવા સેવા છે.