04-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
સદૈવ યાદની ફાંસી પર ચઢ્યા રહેવાનું છે , યાદ થી જ આત્મા સાચું સોનું બનશે ”
પ્રશ્ન :-
કયું બળ
ક્રિમિનલ આંખો (કુદૃષ્ટિ) ને તરત જ બદલી દે છે?
ઉત્તર :-
જ્ઞાનનાં ત્રીજા નેત્ર નું બળ જ્યારે આત્મામાં આવી જાય છે તો ક્રિમિનલપણું સમાપ્ત
થઈ જાય છે. બાપ ની શ્રીમત છે - બાળકો, તમે બધાં આપસ માં ભાઈ-ભાઈ છો, ભાઈ-બહેન છો,
તમારી આંખો ક્યારેય પણ ક્રિમિનલ થઈ ન શકે. તમે સદૈવ યાદની મસ્તી માં રહો. વાહ તકદીર
વાહ! આપણ ને ભગવાન ભણાવે છે. એવાં વિચાર કરો તો મસ્તી ચઢેલી રહેશે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. બાળકો જાણે છે કે રુહાની બાપ જે
પણ આત્મા જ છે, એ પરફેક્ટ છે એમનામાં કોઈ પણ કાટ નથી લાગેલો. શિવબાબા કહેશે મારામાં
કાટ છે? બિલકુલ નથી. આ દાદા માં તો પૂરો કાટ હતો. આમનામાં બાપે પ્રવેશ કર્યો છે તો
મદદ પણ મળે છે. મૂળ વાત છે ૫ વિકારોનાં કારણે આત્મા પર કાટ ચઢવાથી અપવિત્ર થઈ ગઈ
છે. તો જેટલું-જેટલું બાપ ને યાદ કરશો, કાટ ઉતરતો જશે. ભક્તિમાર્ગની કથાઓ તો
જન્મ-જન્માન્તર સાંભળતા આવ્યાં છો. આ તો વાત જ નિરાળી છે. તમને હવે જ્ઞાન સાગર થી
જ્ઞાન મળી રહ્યું છે. તમારી બુદ્ધિમાં લક્ષ્ય-હેતુ છે બીજા કોઈપણ સતસંગ વગેરે માં
લક્ષ્ય-હેતુ નથી. ઈશ્વર સર્વવ્યાપી કહી મારી ગ્લાનિ કરતાં રહે છે, ડ્રામા પ્લાન
અનુસાર. મનુષ્ય આ પણ નથી સમજતાં કે આ ડ્રામા છે. આમાં ક્રિયેટર (રચયિતા), ડાયરેક્ટર
(નિર્દેશક) પણ ડ્રામાનાં વશ છે. ભલે સર્વશક્તિમાન્ ગવાય છે - પરંતુ તમે જાણો છો એ
પણ ડ્રામાની પટરી પર ચાલી રહ્યાં છે. બાબા જે સ્વયં આવી ને બાળકો ને સમજાવે છે, કહે
છે મારી આત્મામાં અવિનાશી પાર્ટ નોંધાયેલ છે તે અનુસાર ભણાવું છું. જે કંઈ સમજાવું
છું, ડ્રામામાં નોંધ છે. હવે તમારેઆ પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનું છે.
ભગવાનુવાચ છે ને. બાપ કહે છે આપ બાળકોએ પુરુષાર્થ કરી આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે.
એવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે કે તમારે વિશ્વનાં માલિક બનવાનું છે. તમે જાણો છો
આપણે આવ્યાં જ છીએ વિશ્વનાં માલિક, નર થી નારાયણ બનવાં. ભક્તિમાર્ગ માં તો
જન્મ-જન્માંતર કથાઓ સાંભળતા આવ્યાં હતાં, સમજ કાંઈ પણ નહોતી. હવે સમજો છો - બરાબર આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્વર્ગ માં હતું, હમણાં નથી. ત્રિમૂર્તિનાં માટે પણ
બાળકોને સમજાવ્યું છે. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે.
સતયુગમાં આ એક ધર્મ હતો, બીજા કોઈ ધર્મ નહોતાં. હવે તે ધર્મ નથી ફરીથી સ્થાપના થઇ
રહ્યો છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ નાં સંગમયુગ પર આવીને આપ બાળકોને ભણાવું છું. આ
પાઠશાળા છે ને. અહીંયા બાળકોએ કેરેક્ટર (ચરિત્ર) પણ સુધારવાનાં છે. ૫ વિકારોને
નીકાળવાનાં છે. તમે જ દેવતાઓની આગળ જઈને ગાતાં હતાં - આપ સર્વગુણ સંપન્ન....અમે પાપી
છીએ. ભારતવાસી જ દેવતા હતાં. સતયુગમાં આ લક્ષ્મી-નારાયણ પૂજ્ય હતાં પછી કળયુગ માં
પૂજારી બન્યાં. હવે ફરી પૂજ્ય બની રહ્યાં છે, પૂજ્ય સતોપ્રધાન આત્માઓ હતી. તેમનાં
શરીર પણ સતોપ્રધાન હતાં. જેવી આત્મા તેવો દાગીનો. સોના માં ખાદ મેળવે છે તો તેનો
ભાવ કેટલો ઓછો થઈ જાય છે. તમારો પણ ભાવ ખુબ ઊંચો હતો. હવે કેટલો ઓછો ભાવ થઈ ગયો છે.
તમે પૂજ્ય હતાં, હવે પૂજારી બન્યાં છો. હવે જેટલાં યોગ માં રહેશો એટલો કાટ ઉતરશે અને
બાપ થી પ્રેમ થતો જશે, ખુશી પણ થશે. બાબા સ્પષ્ટ કહે છે - બાળકો, ચાર્ટ રાખો કે આખાં
દિવસમાં અમે કેટલો સમય યાદ કરીએ છીએ? યાદની યાત્રા, આ અક્ષર સાચાં છે. યાદ
કરતાં-કરતાં કાટ નીકળતા-નીકળતા અંત મતિ સો ગતિ થઈ જશે. તે તો પંડા લોકો યાત્રા પર
લઇ જાય છે. અહીંયા તો આત્મા સ્વયં યાત્રા કરે છે. પોતાનાં પરમધામ જવાનું છે કારણ કે
ડ્રામાનું ચક્ર હવે પૂરું થાય છે. આ પણ તમે જાણો છો કે આ ખુબ ગંદી દુનિયા છે.
પરમાત્મા ને તો કોઈ પણ નથી જાણતું, નહીં જાણે એટલે કહેવાય છે વિનાશકાળે વિપરીત
બુદ્ધિ. તેમનાં માટે તો આ નરક જ સ્વર્ગ નાં સમાન છે. તેમની બુદ્ધિમાં આ વાતો બેસી ન
શકે. આપ બાળકોને આ બધું વિચાર સાગર મંથન કરવાનાં માટે ખુબ એકાંત જોઈએ. અહીંયા તો
એકાંત ખુબ સરસ છે એટલે મધુબન ની મહિમા છે. બાળકોને ખુબ ખુશી થવી જોઈએ. આપણને
જીવાત્માઓ ને પરમાત્મા ભણાવી રહ્યાં છે. કલ્પ પહેલાં પણ આવી રીતે ભણાવ્યું હતું.
કૃષ્ણની વાત નથી. તે તો નાનો બાળક હતો. તે આત્મા, આ પરમાત્મા. પહેલાં નંબર ની આત્મા
શ્રીકૃષ્ણ સો પછી છેલ્લાં નંબર માં આવી ગઈ છે. તો નામ પણ અલગ થઈ ગયું. અનેક જન્મોનાં
અંતનાં જન્મમાં નામ તો બીજું હશે ને. કહે છે આ તો દાદા લેખરાજ છે. આ છે જ અનેક
જન્મોનાં અંત નો જન્મ. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી તમને રાજયોગ શીખવાડી રહ્યો
છું. બાપ કોઈનામાં તો આવશે ને. શાસ્ત્રોમાં આ વાતો છે નહીં. બાપ આપ બાળકોને ભણાવે
છે, તમે જ ભણો છો. પછી સતયુગમાં આ જ્ઞાન હશે નહીં. ત્યાં છે પ્રાલબ્ધ. બાપ સંગમ પર
આવીને આ નોલેજ સંભળાવે છે પછી તમે પદ પામી લો છો. આ સમય જ છે બેહદ નાં બાપ થી બેહદ
નો વારસો પામવાં માટે એટલે બાળકોએ ગફલત ન કરવી જોઈએ. માયા ગફલત ખુબ કરાવે છે પછી
સમજાય છે તેમની તકદીર માં નથી. બાપ તો તદબીર કરાવે છે. તકદીર માં કેટલો ફરક પડી જાય
છે. કોઈ પાસ, કોઈ નપાસ થઈ જાય છે. ડબલ સિરતાજ બનવા માટે પુરુષાર્થ કરવો પડે.
બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. લૌકિક બાપ નો કર્જો પણ બાળકોએ ઉતારવાનો છે.
લો ફુલ (કાયદેસર) ચાલવાનું છે. અહીંયા તો બધાં છે બેકાયદા. તમે જાણો છો આપણે જ આટલાં
ઉંચ પવિત્ર હતાં, પછી પડતા આવ્યાં છીએ. હવે ફરી પવિત્ર બનવાનું છે. પ્રજાપિતા
બ્રહ્માનાં બાળકો બધાં બી.કે. છો તો ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) થઈ ન શકે કારણ કે
તમે ભાઈ-બહેન થયાં ને. આ બાપ યુક્તિ બતાવે છે. તમે બધાં બાબા-બાબા કહેતાં રહો છો તો
ભાઈ-બહેન થઈ ગયાં. ભગવાન ને બધાં બાબા કહે છે ને. આત્માઓ કહે છે અમે શિવબાબાનાં
બાળકો છીએ. પછી શરીરમાં છે તો ભાઈ-બહેન થયાં. પછી આપણી ક્રિમિનલ આંખ કેમ થાય. તમે
મોટી-મોટી સભામાં આ સમજાવી શકો છો. તમે બધાં ભાઈ-ભાઈ છો પછી પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા રચના રચાઈ, તો ભાઈ-બહેન થઈ ગયાં, બીજો કોઈ સંબંધ નથી. આપણે બધાં એક બાપ નાં
બાળકો છીએ. એક બાપ નાં બાળકો પછી વિકારમાં કેવી રીતે જઈ શકે છે. ભાઈ-ભાઈ પણ છીએ તો
ભાઈ-બહેન પણ છીએ. બાપે સમજાવ્યું છે આ આંખો ખુબ દગો આપવા વાળી છે. આંખો જ સારી ચીજ
જુએ છે તો દિલ થાય છે. જો આંખ જોશે નહીં તો તૃષ્ણા પણ નહીં ઉઠશે. આ ક્રિમિનલ આંખોને
બદલવી પડે છે. ભાઈ-બહેન વિકારમાં તો જઈ ન શકે. તે દૃષ્ટિ નીકળી જવી જોઈએ. જ્ઞાન નાં
ત્રીજા નેત્ર નું બળ જોઈએ. અડધોકલ્પ આ આંખો થી કામ કર્યું છે, હવે બાપ કહે છે આ બધો
કાટ નીકળે કેવી રીતે? આપણે આત્મા જે પવિત્ર હતી, તેમાં કાટ લાગ્યો છે. જેટલું બાપ
ને યાદ કરશો એટલો બાપ થી પ્રેમ જોડાશે. ભણતર થી નહીં, યાદ થી પ્રેમ જોડાશે. ભારત નો
છે જ પ્રાચીન યોગ, જેનાથી આત્મા પવિત્ર બની પોતાનાં ધામ ચાલી જશે. બધાં ભાઈઓએ પોતાનાં
બાપ નો પરિચય આપવાનો છે. સર્વવ્યાપી નાં જ્ઞાન થી તો બિલકુલ પડી ગયાં છો જોર થી. હવે
બાપ કહે છે ડ્રામા અનુસાર તમારો પાર્ટ (ભૂમિકા) છે. રાજધાની અવશ્ય સ્થાપન થવાની છે.
જેટલો કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે, એટલો જ તે કરશે જરુર. તમે સાક્ષી થઈને જોતાં
રહો છો. આ પ્રદર્શનીઓ વગેરે તો ખુબ જોતાં રહેશે. તમારી ઈશ્વરીય મિશન છે. આ છે
ઇનકારપોરિયલ ગોડ ફાધરલી મિશન (નિરાકાર પરમપિતા પરમાત્મ સંપ્રદાય). તે હોય છે
ક્રિશ્ચિયન મિશન, બૌદ્ધિ મિશન. આ છે ઇનકારપોરિયલ ઈશ્વરીય મિશન. નિરાકાર તો જરુર કોઈ
શરીરમાં આવશે ને. તમે પણ નિરાકાર આત્માઓ મારી સાથે રહેવા વાળા હતાં ને. આ ડ્રામા
કેવો છે? આ કોઈની બુદ્ધિમાં નથી. રાવણરાજ્ય માં બધાં વિપરીત બુદ્ધિ બની ગયાં છે. હવે
બાપ થી પ્રીત લગાડવાની છે. તમારો વાયદો છે મારાં તો એક બીજું ન કોઇ. નષ્ટોમોહા
બનવાનું છે. ખુબ મહેનત છે. આ જેમ કે ફાંસી પર ચઢવાનું છે. બાપ ને યાદ કરવાં એટલે
ફાંસી પર ચઢવું. શરીર ને ભૂલી આત્માએ ચાલ્યું જવાનું છે બાપની યાદ માં. બાપની યાદ
ખુબ જરુરી છે. નહીં તો કાટ કેવી રીતે ઉતરશે? બાળકોની અંદર માં ખુશી રહેવી જોઈએ -
શિવબાબા આપણને ભણાવે છે. કોઈ સાંભળશે તો કહેશે આ શું કહે છે કારણ કે તેઓ તો કૃષ્ણ
ને ભગવાન સમજે છે.
આપ બાળકોને તો હમણાં ખુબ ખુશી થાય છે કે અમે હવે કૃષ્ણની રાજધાનીમાં જઈએ છીએ. અમે
પણ પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બની શકીએ છીએ. તે છે ફર્સ્ટ પ્રિન્સ. નવાં
મકાન માં રહે છે. પછી જે બાળકો જન્મ લેશે તે તો મોડે થી આવ્યાં છે ને. જન્મ સ્વર્ગમાં
જ થશે. તમે પણ સ્વર્ગમાં પ્રિન્સ બની શકો છો. બધાં તો પહેલાં નંબર માં નહીં આવશે.
નંબરવાર માળા બનશે ને. બાપ કહે છે - બાળકો, ખુબ પુરુષાર્થ કરો. અહીંયા તમે આવ્યાં
છો નર થી નારાયણ બનવાં. કથા પણ સત્ય નારાયણ ની છે. સત્ય લક્ષ્મી ની કથા ક્યારેય નહીં
સાંભળી હશે. પ્રેમ પણ બધાનો કૃષ્ણ પર છે. કૃષ્ણ ને જ ઝૂલા માં ઝુલાવે છે. રાધા ને
કેમ નહીં? ડ્રામા પ્લાન અનુસાર તેમનું નામ ચાલ્યું આવે છે. તમારી હમજીન્સ તો રાધા
છે છતાં પણ પ્રેમ કૃષ્ણ થી છે. તેમનો ડ્રામા માં પાર્ટ પણ એવો છે. બાળકો હંમેશા
પ્રેમાળ હોય છે. બાપ બાળકોને જોઈ કેટલાં ખુશ થાય છે. બાળક આવશે તો ખુશી થશે, બાળકી
આવશે તો ઘુટકા ખાતાં રહેશે. ઘણાં તો મારી પણ દે છે. રાવણ નાં રાજ્યમાં કેરેક્ટર્સ (ચરિત્ર)
નો કેટલો ફરક થઈ જાય છે. ગાએ પણ છે આપ સર્વગુણ સંપન્ન…..છો. અમે નિર્ગુણ છીએ. હવે
બાપ કહે છે ફરીથી એવાં ગુણવાન બનો. હવે સમજો છો આપણે અનેકવાર આ વિશ્વનાં માલિક બન્યાં
છીએ. હવે ફરી બનવાનું છે. બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. ઓહો! શિવબાબા આપણને ભણાવે
છે. આ જ બેસીને ચિંતન કરો. ભગવાન આપણને ભણાવે છે, વાહ તકદીર વાહ! એવાં-એવાં વિચાર
કરી મસ્તાના થઈ જવું જોઈએ. વાહ તકદીર વાહ! બેહદનાં બાપ આપણને મળ્યાં છે, આપણે બાબા
ને જ યાદ કરીએ છીએ. પવિત્રતા ધારણ કરવાની છે. આપણે આ બનીએ છીએ, દૈવીગુણ ધારણ કરીએ
છીએ. આ પણ મનમનાભવ છે ને. બાબા આપણને આ બનાવે છે. આ તો પ્રેક્ટિકલ અનુભવ ની વાત છે.
બાપ મીઠા-મીઠા બાળકોને સલાહ આપે છે - ચાર્ટ લખો અને એકાંત માં બેસી એવી પોતાની સાથે
વાતો કરો. આ બૈજ તો છાતી થી લગાવી દો. ભગવાન ની શ્રીમત પર આપણે આ બની રહ્યાં છીએ.
આને જોઈને એમને પ્રેમ કરતા રહો. બાબાની યાદ થી આપણે આ બનીએ છીએ. બાબા તમારી તો કમાલ
છે, બાબા અમને પહેલા થોડી ખબર હતી કે તમે અમને વિશ્વનાં માલિક બનાવશો. નૌધા ભક્તિમાં
દર્શન માટે ગળું કાપવા, પ્રાણ ત્યાગ કરવા લાગે છે ત્યારે દર્શન થાય છે. એવાં-એવાં
ની જ ભક્ત માળા બનેલી છે. ભક્તોનું માન પણ છે. કળયુગ નાં ભક્ત તો જેમ બાદશાહ છે.
હમણાં આપ બાળકોની બેહદનાં બાપ થી પ્રીત છે. એક બાપનાં સિવાય બીજું કોઈ યાદ ન રહે.
એકદમ લાઈન ક્લિયર હોવી જોઈએ. હવે આપણાં ૮૪ જન્મ પૂરા થયાં. હવે આપણે બાપનાં ફરમાન
પર પૂરા ચાલશું. કામ મહાશત્રુ છે, તેનાથી હાર નથી ખાવાની. હાર ખાઈને પછી પશ્ચાતાપ
કરી શું કરશું? એકદમ હાડકે-હાડકાં ટુટી જાય છે. ખુબ આકરી સજા મળી જાય છે. કાટ
ઉતરવાના બદલે વધારે જોર થી ચઢી જાય છે. યોગ લાગશે નહીં. યાદ માં રહેવું ખુબ મહેનત
છે. ખુબ ગપ્પા પણ મારે છે-અમે તો બાપ ની યાદ માં રહીએ છીએ. બાબા જાણે છે, રહી નથી
શકતાં. આમાં માયાનાં મોટા તોફાન આવે છે. સ્વપ્ન વગેરે એવાં આવશે, એકદમ હેરાન કરી
દેશે. જ્ઞાન તો ખુબ સહજ છે. નાનું બાળક પણ સમજાવી લેશે. બાકી યાદની યાત્રામાં જ મોટી
ગડબડ છે. ખુશ ન થવું જોઈએ-અમે ખુબ સર્વિસ (સેવા) કરીએ છીએ. ગુપ્ત સર્વિસ પોતાની (યાદની)
કરતાં રહો. આમને તો નશો રહે છે - હું શિવબાબા નો બાળક એકલો છું. બાબા વિશ્વનાં
રચયિતા છે તો જરુર આપણે પણ સ્વર્ગનાં માલિક બનશું. પ્રિન્સ બનવા વાળો છું, આ આંતરિક
ખુશી રહેવી જોઈએ. પરંતુ જેટલું આપ બાળકો યાદમાં રહી શકો છો, એટલો હું નહીં. બાબાએ
તો ખુબ ખ્યાલ કરવો પડે છે. બાળકોને ક્યારેય ઈર્ષા પણ ન થવી જોઈએ કે બાબા મોટા
વ્યક્તિઓની ખાતરી કેમ કરે છે. બાપ દરેક બાળકોની નાડી જોઈ તેમનાં કલ્યાણ અર્થ દરેકને
તે અનુસાર ચલાવે છે. શિક્ષક જાણે છે દરેક વિદ્યાર્થી ને કેવી રીતે ચલાવવાનાં છે.
બાળકોએ આમાં સંશય ન લાવવો જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એકાંતમાં
બેસી પોતે પોતાનાથી વાતો કરવાની છે. આત્મા પર જે કાટ ચઢેલો છે તેને ઉતારવા માટે
યાદની યાત્રા પર રહેવાનું છે.
2. કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો, ઈર્ષા નથી કરવાની. આંતરિક ખુશી માં રહેવાનું
છે. પોતાની ગુપ્ત સર્વિસ (સેવા) કરવાની છે.
વરદાન :-
સેવા કરતા
ઉપરામ સ્થિતિ માં રહેવા વાળા યોગ્યયુક્ત , યુક્તિયુક્ત સેવાધારી ભવ
જે યોગયુક્ત,
યુક્તિયુક્ત સેવાધારી છે તે સેવા કરતાં પણ સદા ઉપરામ રહે છે. એવું નહીં સેવા વધારે
છે એટલે અશરીરી નથી બની શકતાં. પરંતુ યાદ રહે કે મારી સેવા નથી, બાપે આપી છે તો
નિર્બન્ધન રહેશો. ટ્રસ્ટી છું, બંધનમુક્ત છું એવી પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. અતિ નાં
સમયે અંત ની અવસ્થા, કર્માતીત અવસ્થાનો અભ્યાસ કરો. જેવી રીતે વચ-વચમાં સંકલ્પોનાં
ટ્રાફિક ને કંટ્રોલ કરો છો એવી રીતે અતિ નાં સમય અંત ની અવસ્થા નો અનુભવ કરો ત્યારે
અંત નાં સમયે પાસ વિથ ઓનર બની શકશો.
સ્લોગન :-
શુભ ભાવના,
કારણ ને નિવારણ માં પરિવર્તન કરી દે છે.