23-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે દેહી - અભિમાની બનો તો બધી બીમારીઓ ખતમ થઇ જશે અને તમે ડબલ સિરતાજ વિશ્વનાં માલિક બની જશો ”

પ્રશ્ન :-
બાપની સમ્મુખ કયા બાળકોએ બેસવું જોઈએ?

ઉત્તર :-
જેમને જ્ઞાન ડાન્સ કરતાં આવડે છે. જ્ઞાન ડાન્સ કરવા વાળા બાળકો જ્યારે બાપ નાં સમ્મુખ હોય છે તો બાબાની મુરલી પણ એવી ચાલે છે. જો કોઈ સામે બેસી અહીંયા-ત્યાં જુએ છે તો બાબા સમજે છે આ બાળક કંઈ પણ સમજતો નથી. બાબા બ્રાહ્મણીઓને પણ કહેશે તમે આ કોને લાવ્યાં છો, જે બાબા ની સામે પણ બગાસા ખાય છે. બાળકોને તો એવાં બાપ મળ્યાં છે, જે ખુશી માં ડાન્સ કરવો જોઈએ.

ગીત :-
દૂર દેશ કા રહનેવાલા ...

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો સમજે છે કે રુહાની બાબા જેમને અમે યાદ કરતા આવ્યા છીએ, દુ:ખહર્તા, સુખકર્તા અથવા તુમ માત પિતા….ફરી થી આવીને અમને સુખ ઘનેરા આપો, અમે દુ:ખી છીએ, આ આખી દુનિયા દુ:ખી છે કારણ કે આ છે કળયુગી જૂની દુનિયા. જૂની દુનિયા અથવા જૂના ઘરમાં એટલું સુખ ન હોઈ શકે, જેટલું નવી દુનિયા, નવા ઘરમાં હોય છે. આપ બાળકો સમજો છો આપણે વિશ્વનાં માલિક આદિ સનાતન દેવી દેવતા હતાં, આપણે જ ૮૪ જન્મ લીધાં છે. બાપ કહે છે બાળકો તમે પોતાના જન્મો ને નથી જાણતાં કે કેટલાં જન્મ પાર્ટ ભજવ્યો છે. મનુષ્ય સમજે છે ૮૪ લાખ પુનર્જન્મ છે. એક-એક પુનર્જન્મ કેટલાં વર્ષનો હોય છે. ૮૪ લાખનાં હિસાબ થી તો સૃષ્ટિ ચક્ર ખુબ જ મોટું થઈ જાય. આપ બાળકો જાણો છો આપણા આત્માઓનાં બાપ આપણને ભણાવવા આવ્યાં છે. આપણે પણ દૂર દેશના રહેવા વાળા છીએ. આપણે કોઈ અહીંયાનાં રહેવાવાળા નથી. અહીંયા આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. બાપને પણ આપણે પરમધામમાં યાદ કરીએ છીએ. હમણાં આ પારકા દેશમાં આવ્યા છીએ. શિવને બાબા કહેશે. રાવણને બાબા નહીં કહેશે. ભગવાનને બાબા કહેશે. બાપની મહિમા અલગ છે, ૫ વિકારો ની કોઈ મહિમા કરશે શું! દેહ-અભિમાન તો ખુબ મોટી બીમારી છે. આપણે દેહી-અભિમાની બનશું તો કોઈ બીમારી નહીં રહેશે અને આપણે વિશ્વનાં માલિક બની જઈશું. આ વાતો તમારી બુદ્ધિમાં છે. તમે જાણો છો શિવબાબા આપણને આત્માઓને ભણાવે છે. જે પણ બીજા આટલાં સતસંગ વગેરે છે, ક્યાંય પણ એવું નહીં સમજશે કે અમને બાબા આવીને રાજયોગ શીખવાડશે. રાજાઈ માટે ભણાવશે. રાજા બનાવવા વાળા તો રાજા જ જોઈએ ને. સર્જન ભણાવીને આપ સમાન સર્જન બનાવશે. અચ્છા, ડબલ સિરતાજ બનાવવા વાળા ક્યાંથી આવશે, જે આપણને ડબલ સિરતાજ બનાવે એટલે મનુષ્યોએ પછી ડબલ સિરતાજ કૃષ્ણ ને રાખી દીધાં છે. કૃષ્ણ કેવી રીતે ભણાવશે! જરુર બાપ સંગમ પર આવ્યાં હશે, આવીને રાજાઈ સ્થાપન કરી હશે. બાપ કેવી રીતે આવે છે, આ તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે. દૂરદેશ થી બાપ આવીને આપણને ભણાવે છે, રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે મને કોઈ લાઈટ (પ્રકાશ) કે રત્નજડિત તાજ છે નહીં. એ ક્યારેય રાજાઈ પામતાં નથી. ડબલ સિરતાજ બનતા નથી, બીજાઓને બનાવે છે. બાપ કહે છે હું જો રાજા બનત તો પછી રંક (ગરીબ) પણ બનવું પડત. ભારતવાસી રાવ હતાં, હમણાં રંક છે. તમે પણ ડબલ સિરતાજ બનો છો તો તમને બનાવવા વાળા પણ ડબલ સિરતાજ હોવાં જોઈએ, જે પછી તમારો યોગ પણ લાગે. જે જેવાં હશે એવાં આપ સમાન બનાવશે. સન્યાસી કોશિશ કરી સન્યાસી બનાવશે. તમે ગૃહસ્થી, તે સન્યાસી તો પછી તમે ફોલોઅર્સ (અનુયાયી) તો થયાં નહીં. કહે છે ફલાણા શિવાનંદનાં ફોલોઅર્સ છે. તો તે સન્યાસી માથું મુંડાવવા વાળા છે, તમે તો ફોલો કરતાં નથી! તો તમે પછી ફોલોઅર્સ કેમ કહો છો! ફોલોઅર્સ તો તે જે ઝટ કપડાં ઉતારી કફની પહેરી લે. તમે તો ગૃહસ્થ માં વિકારો વગેરેમાં રહો છો પછી શિવાનંદ નાં ફોલોઅર્સ કેવી રીતે કહેવડાવો છો. ગુરુ નું તો કામ છે સદ્દગતિ કરવી. ગુરુ એવું તો નહીં કહેશે ફલાણા ને યાદ કરો. પછી તો પોતે ગુરુ ન થયાં. મુક્તિધામમાં જવા માટે પણ યુક્તિ જોઈએ.

આપ બાળકો ને સમજાવાય છે, તમારું ઘર છે મુક્તિધામ અથવા નિરાકારી દુનિયા. આત્માને કહેવાય છે નિરાકારી આત્મા. શરીર છે ૫ તત્વોનું બનેલું. આત્માઓ ક્યાંથી આવે છે? પરમધામ નિરાકારી દુનિયા થી. ત્યાં અસંખ્ય આત્માઓ રહે છે. એને કહેશું સ્વીટ સાઇલેન્સ હોમ. ત્યાં આત્માઓ દુઃખ સુખ થી ન્યારી રહે છે. આ સારી રીતે પાકું કરવાનું છે. આપણે છીએ સ્વીટ સાઈલેન્સ હોમનાં રહેવા વાળા. અહીંયા આ નાટકશાળા છે જ્યાં આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ. આ નાટકશાળા માં સૂર્ય ચાંદ-તારા વગેરે બત્તીઓ છે. કોઈ ગણતરી કરી ન શકે કે આ નાટકશાળા કેટલા માઇલ્સ ની છે. એરોપ્લેનમાં ઉપર જાય છે પરંતુ એમાં પેટ્રોલ વગેરે એટલું નથી નાખી શકતાં જે જઈને પછી પાછાં પણ આવે. એટલાં દૂર નથી જઈ શકતાં. તેઓ સમજે છે આટલાં માઇલ્સ સુધી છે, પાછાં નહીં આવે તો નીચે પડી જશે. સમુદ્ર કે આકાશ તત્વ નો અંત પામી નથી શકતાં. હમણાં બાપ તમને પોતાનો અંત આપે છે. આત્મા આ આકાશ તત્વ થી પાર ચાલી જાય છે. કેટલું મોટું રોકેટ છે. આપ આત્માઓ જ્યારે પવિત્ર બની જશો તો પછી રોકેટ માફક તમે ઉડવા લાગી જશો. કેટલું નાનું રોકેટ છે. સૂર્ય-ચંદ્ર થી પણ પેલે પાર મૂળવતન માં ચાલ્યાં જશો. સૂર્ય-ચંદ્ર નો અંત પામવાની બહુ જ કોશિશ કરે છે. દૂરથી તારા વગેરે કેટલાં નાનાં જોવામાં આવે છે. છે ખુબજ મોટા. જેમ તમે પતંગ ઉડાવો છો તો ઉપર કેટલી નાની-નાની દેખાય છે. બાપ કહે છે તમારી આત્મા તો સૌથી આગળ છે. સેકન્ડમાં એક શરીર થી નીકળી બીજા ગર્ભમાં જઈ પ્રવેશ કરે છે. કોઈનાં કર્મોનો હિસાબ-કિતાબ લંડન માં છે તો સેકન્ડમાં લંડન જઈ જન્મ લેશે. સેકન્ડમાં જીવનમુક્તિ પણ ગવાયેલી છે ને. બાળક ગર્ભ થી નીકળ્યો અને માલિક બન્યો, વારીસ થઈ જ ગયો. આપ બાળકોએ પણ બાપને જાણ્યાં એટલે વિશ્વનાં માલિક બની ગયા. બેહદનાં બાપ જ આવીને તમને વિશ્વ નાં માલિક બનાવે છે. સ્કૂલ માં બેરિસ્ટરી ભણે તો બેરિસ્ટર બનશો. અહીંયા તમે ડબલ સિરતાજ બનવા માટે ભણો છો. જો પાસ થશો તો ડબલ સિરતાજ જરુર બનશો. પછી પણ સ્વર્ગમાં તો જરુર આવશો. તમે જાણો છો બાપ તો સદૈવ ત્યાં જ રહે છે. ઓ ગોડફાધર કહેશે તો પણ દૃષ્ટિ જરુર ઉપર જશે. ગોડફાધર છે તો જરુર કંઇક તો એમનો પાર્ટ હશે ને. હમણાં પાર્ટ ભજવી રહ્યાં છે. એમને બાગવાન પણ કહે છે. કાંટાઓ થી આવીને ફૂલ બનાવે છે. તો આપ બાળકો ને ખુશી હોવી જોઈએ. બાબા આવેલાં છે આ પારકા દેશમાં. દૂર દેશના રહેવા વાળા આવ્યાં પારકા દેશમાં. દૂર દેશ નાં રહેવા વાળા તો બાપ જ છે. બીજી આત્માઓ પણ ત્યાં રહે છે. અહીં પછી પાર્ટ ભજવવા આવે છે. દેશ પરાયા - આ અર્થ કોઈ નથી જાણતું. મનુષ્ય તો ભક્તિમાર્ગમાં જે સાંભળે છે તે સત-સત કહેતાં રહે છે. આપ બાળકોને બાપ કેટલું સારી રીતે સમજાવે છે. આત્મા અપવિત્ર હોવાથી ઉડી નથી સકતી. પવિત્ર બન્યાં વગર પાછું જઈ ન શકે. પતિત-પાવન એક જ બાપને કહેવાય છે. એમને આવવાનું પણ છે સંગમ પર. તમને કેટલી ખુશી થવી જોઈએ. બાબા આપણને ડબલ સિરતાજ બનાવી રહ્યાં છે, આનાથી ઊંચો દરજ્જો (પદ) કોઈનો હોતો નથી. બાપ કહે છે હું ડબલ સિરતાજ બનતો નથી. હું આવું જ છું એક વાર. પરાયા દેશ, પરાયા શરીર માં. આ દાદા પણ કહે છે હું શિવ થોડી છું. મને તો લખીરાજ કહેતાં હતાં પછી સરન્ડર (સમર્પણ) થયો તો બાબાએ બ્રહ્મા નામ રાખ્યું. આમનામાં પ્રવેશ કરી આમને કહ્યું કે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ૮૪ જન્મો નો પણ હિસાબ હોવો જોઈએ ને. તે લોકો તો ૮૪ લાખ કહી દે છે, જે બિલકુલ જ અસંભવ છે. ૮૪ લાખ જન્મોનું રહસ્ય સમજાવવામાં જ સેંકડો વર્ષ લાગી જાય. યાદી પણ રહી ન શકે. ૮૪ લાખ યોનિઓમાં તો પશુ પક્ષી વગેરે બધાં આવી જાય છે. મનુષ્યોનો જ જન્મ દુર્લભ ગવાય છે. જાનવર થોડી નોલેજ સમજી શકશે. તમને બાપ આવીને જ્ઞાન ભણાવે છે. પોતે કહે છે હું આવું છું રાવણ રાજ્ય માં. માયાએ તમને કેટલાં પથ્થર બુદ્ધિ બનાવી દીધાં છે. હવે ફરી બાપ તમને પારસ બુદ્ધિ બનાવે છે. ઉતરતી કળામાં તમે પથ્થર બુદ્ધિ બની ગયાં. હવે ફરી બાપ ચઢતી કળા માં લઈ જાય છે, નંબરવાર તો હોય છે ને. દરેકે પોતાનાં પુરુષાર્થ થી સમજવાનું છે. મુખ્ય વાત છે યાદની. રાત્રે જયારે સૂતા હોવ છો તો પણ આ વિચાર કરો. બાબા અમે તમારી યાદમાં સુઈ જઈએ છીએ. એટલે આપણે આ શરીરને છોડી દઈએ છીએ. તમારી પાસે આવી જઈએ છીએ. આમ બાબા ને યાદ કરતાં-કરતાં સુઈ જાઓ તો પછી જુઓ કેટલી મજા આવે છે. થઇ શકે છે સાક્ષાત્કાર પણ થઈ જાય. પરંતુ આ સાક્ષાત્કાર વગેરે માં ખુશ નથી થવાનું. બાબા અમે તો તમને જ યાદ કરીએ છીએ. તમારી પાસે આવવા ઇચ્છીએ છીએ. બાપ ને તમે યાદ કરતાં-કરતાં ખુબ આરામ થી ચાલ્યાં જશો. થઇ શકે છે સૂક્ષ્મવતન માં પણ ચાલ્યાં જાઓ. મૂળવતન માં તો જઈ નહીં શકો. હમણાં પાછાં જવાનો સમય ક્યાં આવ્યો છે. હાં, સાક્ષાત્કાર થયો બિંદુનો પછી નાની-નાની આત્માઓનું ઝાડ દેખાશે. જેમ તમને વૈકુંઠ નો સાક્ષાત્કાર થાય છે ને. એવું નથી, સાક્ષાત્કાર થયો તો તમે વૈકુંઠમાં ચાલ્યાં જશો. ના, એનાં માટે તો પછી મહેનત કરવી પડે. તમને સમજાવાય છે કે તમે પહેલાં-પહેલાં જશો સ્વીટ હોમ. બધી આત્માઓ પાર્ટ ભજવવાથી મુક્ત થઈ જશે. જ્યાં સુધી આત્મા પવિત્ર નથી બની ત્યાં સુધી જઈ ન શકે. બાકી સાક્ષાત્કાર થી મળતું કંઈ પણ નથી. મીરાં ને સાક્ષાત્કાર થયો, વૈકુંઠમાં ચાલી થોડી ગઈ. વૈકુંઠ તો સતયુગ માં જ હોય છે. હમણાં તમે તૈયારી કરી રહ્યાં છો વૈકુંઠ નાં માલિક બનવાનાં માટે. બાબા ધ્યાન વગેરેમાં એટલું જવા નથી દેતાં કારણ કે તમારે તો ભણવાનું છે ને. બાપ આવીને ભણાવે છે, સર્વની સદ્દગતિ કરે છે. વિનાશ પણ સામે ઉભો છે. બાકી અસુરો અને દેવતાઓની લડાઈ તો છે જ નહીં. તે પરસ્પર લડે છે તમારા માટે કારણ કે તમારા માટે નવી દુનિયા જોઈએ. બાકી તમારી લડાઈ છે માયા ની સાથે. તમે ખુબ નામીગ્રામી યોદ્ધા છો. પરંતુ કોઈ જાણતું નથી કે દેવીઓ આટલી કેમ ગવાય છે. હમણાં તમે ભારત ને યોગબળ થી સ્વર્ગ બનાવો છો. તમને હવે બાપ મળી ગયાં છે. તમને સમજાવતાં રહે છે - જ્ઞાન થી નવી દુનિયા જિંદાબાદ થાય છે. આ લક્ષ્મી-નારાયણ નવી દુનિયાનાં માલિક હતાં ને. હમણાં જૂની દુનિયા છે. જૂની દુનિયાનો વિનાશ આગળ પણ મૂસળો (બોંબ) દ્વારા થયો હતો. મહાભારત લડાઈ લાગી હતી. એ સમયે બાપ રાજ્યોગ પણ શીખવાડી રહ્યા હતાં. હવે પ્રેક્ટિકલ માં બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે ને. બાપ જ તમને સાચું બતાવે છે. સાચાં બાબા આવે છે તો તમે સદૈવ ખુશીમાં ડાન્સ કરો છો. આ છે જ્ઞાન ડાન્સ. તો જે જ્ઞાન ડાન્સનાં શોખીન છે, તેમણે જ સામે બેસવું જોઈએ. જે નહીં સમજવા વાળા હશે, તેમને બગાસા આવશે. સમજાય છે, આ કાંઈ પણ સમજતાં નથી. જ્ઞાન ને કંઈ પણ સમજશે નહીં તો અહીંયા-ત્યાં જોતાં રહેશે. બાબા પણ બ્રાહ્મણી ને કહેશે તમે કોને લાવ્યાં છો. જે શીખે છે અને શીખવાડે છે તેમણે સામે બેસવું જોઈએ. તેમને ખુશી થતી રહેશે. અમને પણ ડાન્સ કરવો છે. આ છે જ્ઞાન ડાન્સ. કૃષ્ણએ તો ન જ્ઞાન સંભળાવ્યું, ન ડાન્સ કર્યો. મુરલી તો આ જ્ઞાનની છે ને. તો બાપે સમજાવ્યું છે- રાત્રે સૂતા સમયે બાબા ને યાદ કરતાં, ચક્ર ને બુદ્ધિ માં યાદ કરતાં રહો. બાબા અમે હવે આ શરીરને છોડી તમારી પાસે આવીએ છીએ. આમ યાદ કરતાં-કરતાં સુઈ જાઓ પછી જુઓ શું થાય છે. પહેલાં કબ્રિસ્તાન બનાવતાં હતાં પછી કોઈ શાંત માં ચાલ્યાં જતા હતાં, કોઈ રાસ કરવાં લાગતાં હતાં. જે બાપને જાણતાં જ નથી, તો તે યાદ કેવી રીતે કરી શકશે. મનુષ્ય માત્ર બાપને જાણતાં જ નથી તો બાપ ને યાદ કેવી રીતે કરે, ત્યારે બાપ કહે છે હું જે છું, જેવો છું, મને કોઈ પણ નથી જાણતું.

હમણાં તમને કેટલી સમજ આવી છે. તમે છો ગુપ્ત યોદ્ધા. યોદ્ધા નામ સાંભળીને દેવીઓને પછી તલવાર, બાણ વગેરે આપી દીધાં છે. તમે યોદ્ધા છો યોગબળ નાં. યોગબળ થી વિશ્વનાં માલિક બનો છો. બાહુબળ થી ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે પરંતુ જીત પામી ન શકે. ભારતનો યોગ પ્રસિદ્ધ છે. આ બાપ જ આવીને શીખવાડે છે. આ પણ કોઈને ખબર નથી. ઉઠતાં-બેસતાં બાપ ને જ યાદ કરતાં રહો. કહે છે યોગ નથી લાગતો. યોગ અક્ષર ઉડાવી દો. બાળકો તો બાપ ને યાદ કરે છે ને. શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો. હું જ સર્વશક્તિમાન્ છું, મને યાદ કરવાથી તમે સતોપ્રધાન બની જશો. જ્યારે સતોપ્રધાન બની જશો ત્યારે પછી આત્માઓની બારાત નીકળશે. જેમ માખીઓની બારાત હોય છે ને. આ છે શિવબાબા ની બારાત. શિવબાબાની પાછળ બધી આત્માઓ મચ્છરો સદૃશ્ય ભાગશે. બાકી શરીર બધાં ખતમ થઇ જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રાતનાં સૂતાં પહેલાં બાબા થી મીઠી-મીઠી વાતો કરવાની છે. બાબા અમે આ શરીરને છોડી તમારી પાસે આવીએ છીએ, આમ યાદ કરીને સૂવાનું છે. યાદ જ મુખ્ય છે, યાદ થી જ પારસબુદ્ધિ બનશો.

2. ૫ વિકારો ની બીમારી થી બચવા માટે દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. અથાહ ખુશીમાં રહેવાનું છે, જ્ઞાન ડાન્સ કરવાનો છે. કલાસ માં સુસ્તી નથી ફેલાવવાની.

વરદાન :-
ત્રિકાળદર્શી સ્ટેજ દ્વારા વ્યર્થનું ખાતું સમાપ્ત કરવા વાળા સદા સફળતામૂર્ત ભવ

ત્રિકાળદર્શી સ્ટેજ પર સ્થિત થવું અર્થાત્ દરેક સંકલ્પ, બોલ કે કર્મ કરવાનાં પહેલા ચેક કરવું કે આ વ્યર્થ છે કે સમર્થ છે! વ્યર્થ એક સેકન્ડમાં પદ્મોનું નુકસાન કરાવે છે, સમર્થ એક સેકન્ડ માં પદ્મોની કમાણી કરાવે છે. સેકન્ડનું વ્યર્થ પણ કમાણી માં બહુ જ નુકશાન કરાવી દે છે જેનાથી કરેલી કમાણી પણ છુપાઈ જાય છે એટલે એક કાળદર્શી થઇ કર્મ કરવાનાં બદલે ત્રિકાળદર્શી સ્થિતિ પર સ્થિત થઈ ને કરો તો વ્યર્થ સમાપ્ત થઈ જશે અને સદા સફળતા મૂર્ત બની જશો.

સ્લોગન :-
માન, શાન અને સાધનો નો ત્યાગ જ મહાન ત્યાગ છે.