25-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ઊંચે થી ઊંચું પદ પામવું છે તો યાદ ની યાત્રા માં મસ્ત રહો - આ જ છે રુહાની ફાંસી , બુદ્ધિ પોતાના ઘરમાં લટકતી રહે ”

પ્રશ્ન :-
જેમની બુદ્ધિમાં જ્ઞાન ની ધારણા નથી હોતી, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે નાની-નાની વાતો માં નારાજ થતાં રહેશે. જેમની બુદ્ધિમાં જેટલું જ્ઞાન ધારણ હશે એટલી તેમને ખુશી રહેશે. બુદ્ધિમાં જો આ જ્ઞાન રહે કે હવે દુનિયાએ નીચે જવાનું જ છે, આમાં નુકસાન જ થવાનું છે, તો ક્યારેય રંજ(ઉદાસ) નહીં થશે. સદા ખુશી રહેશે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. બાળકો સમજે છે ઊંચે થી ઊંચા ભગવાન કહેવાય છે. આત્માનો બુદ્ધિયોગ ઘર તરફ જવો જોઈએ. પરંતુ એવો એક પણ મનુષ્ય દુનિયામાં નથી, જેને આ બુદ્ધિ માં આવતું હોય. સન્યાસી લોકો પણ બ્રહ્મ ને ઘર નથી સમજતાં, તેઓ તો કહે છે અમે બ્રહ્મમાં લીન થઈ જઈશું, તો ઘર થોડી થયું. ઘરમાં રહેવાનું હોય છે. આપ બાળકોની બુદ્ધિ ત્યાં રહેવી જોઈએ. જેમ કોઇ ફાંસી પર ચઢે છે ને - આપ હવે રુહાની ફાંસી પર ચઢેલાં છો. અંદર છે અમને ઊંચે થી ઊંચા બાપ આવી ને ઊંચે થી ઊંચા ઘરે લઈ જાય છે. હવે આપણે ઘરે જવાનું છે. ઊંચે થી ઊંચા બાબા આપણને ફરી ઊંચે થી ઊંચું પદ પ્રાપ્ત કરાવે છે. રાવણ રાજ્યમાં બધાં નીંચ છે. તે ઊંચા આ નીંચા. તેમને તો ઊંચ ની ખબર જ નથી. ઊંચા વાળા ને પણ નીંચની ખબર જ નથી રહેતી. હમણાં તમે સમજો છો ઊંચે થી ઊંચા એક ભગવાન ને જ કહેવાય છે. બુદ્ધિ ઉપર માં ચાલી જાય છે. એ છે જ પરમધામ માં રહેવાવાળા. આ કોઈ પણ નથી સમજતાં, આપણે આત્માઓ પણ ત્યાંની રહેવાવાળી છીએ. અહીંયા આવીએ છીએ ફક્ત પાર્ટ ભજવવાં. આ કોઈનાં ખ્યાલ માં નથી રહેતું. પોતાનાં જ ધંધાધોરી માં લાગ્યાં રહે છે. હવે બાપ સમજાવે છે ઊંચે થી ઉંચા ત્યારે બનશે જ્યારે યાદની યાત્રામાં મસ્ત રહેશે. યાદ થી જ ઉંચ પદ પામવાનું છે. નોલેજ જે તમને શીખવાડાય છે, તે ભૂલવાનું નથી. નાનાં બાળકો પણ વર્ણન કરશે. બાકી યોગની વાત ને બાળકો નહીં સમજશે. ઘણાં બાળકો છે જે યાદ ની યાત્રા પૂરી રીતે સમજતાં નથી. આપણે કેટલાં ઊંચે થી ઉંચા જઈએ છીએ. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન….. ૫ તત્વ અહીંયા છે. સૂક્ષ્મવતન મૂળવતન માં આ (પાંચ તત્વ) નથી હોતાં. આ નોલેજ બાપ જ આપે છે એટલે એમને જ્ઞાનનાં સાગર કહેવાય છે. મનુષ્ય સમજે છે - અધિક શાસ્ત્ર વગેરે વાંચવા જ જ્ઞાન છે. કેટલા પૈસા કમાય છે. શાસ્ત્ર વાંચવા વાળા ને કેટલું માન મળે છે. પરંતુ હવે તમે સમજો છો આમાં કોઈ ઊંચાઈ તો છે નહીં. ઊંચે થી ઊંચા તો છે જ એક ભગવાન. એમનાં દ્વારા આપણે ઊંચ થી ઊંચ સ્વર્ગમાં રાજ્ય કરવાવાળા બનીએ છીએ. સ્વર્ગ શું છે, નર્ક શું છે? ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? આ સિવાય તમારા આ સૃષ્ટિમાં કોઈ પણ નથી જાણતું, કહી દે છે આ બધું કલ્પના છે. એવાં માટે સમજવાનું છે - આ અમારા કુળનાં નથી. દિલશિકસ્ત (હતાશ) ન થવું જોઈએ. સમજાય છે - આમનો પાર્ટ નથી, તો કંઈ પણ સમજી નહીં શકશે. હમણાં આપ બાળકો નું માથું બહુજ ઊંચું છે. જ્યારે તમે ઉંચી દુનિયામાં હશો તો નીંચ દુનિયાને નહિં જાણશો. નીંચ દુનિયા વાળા પછી ઊંચ દુનિયાને નહીં જાણે. એને કહેવાય જ છે સ્વર્ગ. વિદેશવાળા ભલે સ્વર્ગ માં જતાં નથી તો પણ નામ તો લે છે, હેવન પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. મુસલમાન લોકો પણ બહિશ્ત કહે છે. પરંતુ આ એમને ખબર નથી કે ત્યાં કેવી રીતે જવાનું હોય છે. હમણાં તમને કેટલી સમજ મળે છે, ઊંચે થી ઊંચા બાપ કેટલું જ્ઞાન આપે છે. આ ડ્રામા કેવો વન્ડરફુલ (અદ્દભુત) બનેલ છે. જે ડ્રામાનાં રહસ્ય ને નથી જાણતાં તે કલ્પના કહી દે છે.

આપ બાળકો જાણો છો - આ તો છે જ પતિત દુનિયા, એટલે બૂમો પાડે છે - હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે દર પાંચ હજાર વર્ષ પછી હિસ્ટ્રી રિપીટ થાય છે. જૂની દુનિયા થી નવી બને છે એટલે મારે આવવું પડે છે. કલ્પ-કલ્પ આવીને આપ બાળકો ને ઊંચ થી ઊંચ બનાવું છું. પાવન ને ઊંચ અને પતિત ને નીંચ કહેવાય છે. આ જ દુનિયા નવી પાવન હતી, હવે તો પતિત છે. આ વાતો તમારામાં પણ નંબરવાર છે જે સમજે છે. જેમની બુદ્ધિ માં આ વાતો રહે છે તે સદા ખુશ રહે છે. બુદ્ધિમાં નથી તો કોઈ એ કંઈ કહ્યું, કંઈ નુકસાન થયું તો નારાજ થઈ જાય છે. બાબા કહે છે હવે આ નીંચ દુનિયાનો અંત આવવાનો છે. આ છે જૂની દુનિયા. મનુષ્ય કેટલાં નીંચ બની જાય છે. પરતું આ કોઈ સમજે થોડી છે કે અમે નીંચ છીએ. ભક્ત લોકો હંમેશા માથું ઝુકાવે છે, નીંચ નાં આગળ માથું ઝુકાવાનું થોડી હોય છે. પવિત્રની આગળ માથું ઝુકાવવાનું હોય છે. સતયુગ માં ક્યારેય એવું નથી હોતું. ભક્ત લોકો જ એવું કરે છે. બાપ તો એવું નથી કહેતાં - માથું ઝુકાવીને ચાલો. ના, આ તો ભણતર છે. ગોડ ફાધરલી યુનિવર્સિટી માં તમે ભણી રહ્યાં છો. તો કેટલો નશો રહેવો જોઈએ. એવું નહીં, ફક્ત યુનિવર્સિટી માં નશો રહે, ઘરમાં ઉતરી જાય. ઘર માં નશો રહેવો જોઈએ. અહીંયા તો આપ બાળકો જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. આ તો કહે છે કે હું થોડી જ્ઞાન સાગર છું. આ બાબા પણ જ્ઞાનનાં સાગર નથી. સાગર થી નદી નીકળે છે ને. સાગર તો એક છે, બ્રહ્મપુત્રા સૌથી મોટી નદી છે. બહુ જ મોટાં સ્ટીમર આવે છે. નદીઓ તો બહાર પણ ઘણી છે. પતિત-પાવની ગંગા આ ફક્ત અહીંયા જ કહે છે. બહાર કોઈ પણ નદી ને આવું નહીં કહેશે. પતિત-પાવની નદી છે પછી તો ગુરુની કોઈ દરકાર નથી. નદીઓમાં, તળાવ માં કેટલાં ભટકે છે. ક્યાંક તો તળાવ એવાં ગંદા હોય છે, વાત નહીં પૂછો. એની માટી ઉપાડીને રગડતા રહે છે. હવે બુદ્ધિમાં આવ્યું છે - આ બધાં નીચે ઉતરવાનાં રસ્તા છે. તે લોકો કેટલાં પ્રેમ થી જાય છે. હવે તમે સમજો છો કે આ જ્ઞાન થી અમારી આંખો જ ખૂલી ગઈ. તમારી જ્ઞાનની ત્રીજી આંખ ખુલી છે. આત્માને ત્રીજું નેત્ર મળે છે એટલે ત્રિકાળદર્શી કહે છે. ત્રણેય કાળો નું જ્ઞાન આત્મા માં આવે છે. આત્મા તો બિંદી છે, એમાં નેત્ર કેવી રીતે હશે. આ બધી સમજવાની વાતો છે. જ્ઞાનનાં ત્રીજા નેત્ર થી તમે ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ બનો છો. નાસ્તિક થી આસ્તિક બની જાઓ છો. પહેલાં તમે રચયિતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને નહોતાં જાણતાં. હવે બાપ દ્વારા રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણવાથી તમને વારસો મળી રહ્યો છે. આ જ્ઞાન છે ને. હિસ્ટ્રી-જોગ્રાફી પણ છે, હિસાબ-કિતાબ છે ને. સારા, હોશિયાર બાળકો હોય તો હિસાબ કરે, આપણે કેટલાં જન્મ લઈએ છીએ, આ હિસાબ થી બીજા ધર્મ વાળાઓનાં કેટલાં જન્મ હશે. પરંતુ બાપ કહે છે આ બધી વાતો માં વધારે માથું મારવાની દરકાર નથી. સમય વેસ્ટ થઈ જશે. અહીંયા તો બધું ભુલવાનું છે. આ સંભળાવવાની દરકાર નથી. તમે તો રચતા બાપનો પરિચય આપો છો, જેને કોઈ જાણતું નથી. શિવબાબા ભારત માં જ આવે છે. જરુર કઈ કરીને જાય છે ત્યારે તો જયંતી મનાવે છે ને. ગાંધી અથવા કોઈ સાધૂ વગેરે થઈને ગયાં છે તેમનાં સ્ટેમ્પ (છાપ) બનાવતાં રહે છે. ફેમિલી પ્લાનિંગ ની સ્ટેમ્પ બનાવે છે. હવે તમને તો નશો છે - અમે તો પાંડવ ગવર્મેન્ટ છીએ. ઓલમાઈટી બાબાની ગવર્મેન્ટ છીએ. તમારો આ કોર્ટ ઓફ આર્મસ (કુળ ચિહ્ન) છે. બીજા કોઈ આ કોર્ટ ઓફ આર્મસ ને જાણતું જ નથી. તમે સમજો છો કે વિનાશ કાળે પ્રીત બુદ્ધિ આપણી જ છે. બાપ ને આપણે બહુજ યાદ કરીએ છીએ. બાપ ને યાદ કરતાં-કરતાં પ્રેમ માં આંસુ આવી જાય છે. બાબા તમે અમને અડધા કલ્પ માટે બધાં દુઃખો થી દૂર કરી દો છો. બીજા કોઈ ગુરુ કે મિત્ર સંબંધી વગેરે કોઈને પણ યાદ કરવાની દરકાર નથી. એક બાપ ને જ યાદ કરો. સવાર નો સમય બહુ જ સારો છે. બાબા તમારી તો ખુબ જ કમાલ છે. દર પાંચ હજાર વર્ષ પછી અમને આપ જગાડો છો. બધાં મનુષ્ય માત્ર કુંભકર્ણ ની આસુરી નિંદ્રામાં સૂતેલાં છે અર્થાત્ અજ્ઞાન અંધારા માં છે. હવે તમે સમજો છો - ભારતનો પ્રાચીન યોગ તો આ છે, બાકી જે પણ આટલાં હઠયોગ વગેરે શીખવાડે છે, તે બધી છે - એક્સરસાઇઝ (કસરત), શરીરને તંદુરસ્ત રાખવા માટે. હમણાં તમારી બુદ્ધિ માં બધું જ્ઞાન છે તો ખુશી રહે છે. અહીંયા આવો છો, સમજો છો બાબા રિફ્રેશ કરે છે. કોઈ તો અહીંયા રિફ્રેશ થઈ બહાર નીકળે છે, તે નશો ખલાસ થઈ જાય છે. નંબરવાર તો છે ને. બાબા સમજાવે છે - આ છે પતિત દુનિયા. બોલાવે પણ છે - હેં પતિત-પાવન આવો પરંતુ પોતાને પતિત સમજે થોડી છે, એટલે પાપ ધોવા જાય છે. પરંતુ શરીર ને થોડી પાપ લાગે છે. બાપ તો આવીને તમને પાવન બનાવે છે અને કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે. ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. આપ બાળકો તો હમણાં સંગમ પર છો. કોઈ વિકાર માં પડે છે તો ફેલ (નપાસ) થાય છે તો જેમ કે નર્ક માં જઈ ને પડી જાય છે. ૫ માં માળા થી પડે છે, પછી ૧૦૦ ગુણા સજા ખાવી પડે છે. તો બાપ સમજાવે છે કે ભારત કેટલું ઊંચ હતું, હવે કેટલું નીચું છે. હવે તમે કેટલા સમજદાર બનો છો. મનુષ્ય તો કેટલાં બેસમજ છે. બાબા તમને અહીંયા કેટલો નશો ચઢાવે છે, બહાર નીકળવાથી નશો ઓછો થઈ જાય છે, ખુશી ઉડી જાય છે. વિદ્યાર્થી કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો ક્યારેય નશો ઓછો થાય છે શું? ભણીને પાસ થાય છે પછી શું-શું બની જાય છે. હમણાં જુઓ દુનિયાનાં શું હાલ છે. તમને ઊંચ થી ઊંચ બાપ આવીને ભણાવે છે. તે પણ છે નિરાકાર. તમે આત્માઓ પણ નિરાકાર છો. અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છો. આ ડ્રામાનું રહસ્ય બાપ જ આવી ને સમજાવે છે. આ સૃષ્ટિ ચક્ર ને ડ્રામા પણ કહેવાય છે. તે નાટક માં તો કોઈ બીમાર પડે છે તો નીકળી જાય છે. આ છે બેહદનું નાટક. યથાર્થ રીતે આપ બાળકોની બુદ્ધિ માં છે, તમે જાણો છો આપણે અહીંયા પાર્ટ ભજવવા માટે આવીએ છીએ. આપણે બેહદનાં એક્ટર્સ છીએ. અહીંયા શરીર લઈને પાર્ટ ભજવીએ છીએ, બાબા આવેલાં છે-આ બધું બુદ્ધિ માં હોવું જોઈએ. બેહદ નો ડ્રામા કેટલો બુદ્ધિ માં રહેવો જોઈએ. બેહદ વિશ્વની બાદશાહી મળે છે તો તેનાં માટે પુરુષાર્થ પણ એવો સારો કરવો જોઈએ ને. ગૃહસ્થ વ્યવહાર માં પણ ભલે રહો પરંતુ પવિત્ર બનો. વિદેશ માં એવા ઘણાં છે જ્યારે વૃદ્ધ થાય છે તો પછી કમ્પેનિયનશિપ (સથવારા) માટે લગ્ન કરે છે…... સંભાળવા માટે પછી વિલ (નામે) કરે છે. કંઇક તેમને કંઇક ચેરિટી ને. વિકાર ની વાત નથી રહેતી. આશિક માશૂક પણ વિકાર માટે ફિદા નથી થતાં. શરીર નો ફક્ત પ્રેમ હોય છે. તમે છો રુહાની આશિક, એક માશૂક ને યાદ કરો છો. બધાં આશિકોના એક માશૂક છે. બધાં એક ને જ યાદ કરે છે. એ કેટલાં શોભનિક છે. આત્મા ગોરી છે ને. એ છે સદા ગોરા. તમે તો શ્યામ બની ગયા છો, તમને એ (બાબા) શ્યામ થી ગોરા બનાવે છે. આ તમે જાણો છો કે બાપ આપણને ગોરા બનાવે છે. અહીંયા ઘણાં છે જે ખબર નહિં કયા-કયા વિચારો માં બેઠાં રહે છે. સ્કૂલમાં એવું થાય છે - બેઠા-બેઠા ક્યાંય બુદ્ધિ સિનેમા તરફ, મિત્રો વગેરે તરફ ચાલી જાય છે. સતસંગ માં પણ એવું થાય છે. અહીંયા પણ એવું છે, બુદ્ધિ માં નથી બેસતું તો નશો જ નથી ચઢતો, ધારણા જ નથી થતી - જે બીજાને કરાવે. ઘણી બાળકીઓ આવે છે, જેમનું દિલ થાય છે કે સર્વિસ (સેવા) માં ક્યાંક લાગી જઈએ પરંતુ નાનાં-નાનાં બાળકો છે. બાબા કહે છે બાળકોને સંભાળવા માટે કોઈ માતા ને રાખી દો. આ તો અનેકોનું કલ્યાણ કરશે. હોશિયાર છે તો કેમ નહિં રુહાની સર્વિસમાં લાગી જાય. ૫-૬ બાળકોને સંભાળવા માટે કોઈ માતા ને રાખી દો. આ માતાઓનો હવે વારો છે ને. નશો ખુબ જ રહેવો જોઈએ. આગળ થશે, પુરુષો જોશે કે અમારી સ્ત્રીએ તો સંન્યાસીઓ ને પણ જીતી લીધાં છે. આ માતાઓ લૌકિક, પારલૌકિક નું નામ રોશન કરીને દેખાડશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તમારે બુદ્ધિ થી બધું જ ભૂલવાનું છે. જે વાતો માં સમય વેસ્ટ થાય છે, તે સાંભળવાની-સંભળાવવાની દરકાર નથી.

2. ભણવાનાં સમયે બુદ્ધિયોગ એક બાપ થી લાગ્યો રહે, ક્યાંય પણ બુદ્ધિ ભટકવી ન જોઈએ. નિરાકાર બાપ આપણને ભણાવી રહ્યાં છે, આ નશામાં રહેવાનું છે.

વરદાન :-
બેહદની સ્થિતિમાં સ્થિત રહી , સેવા નાં લગાવ થી ન્યારા અને પ્યારા વિશ્વ સેવાધારી ભવ

વિશ્વ સેવાધારી અર્થાત્ બેહદની સ્થિતિમાં સ્થિત રહેવા વાળા. એવાં સેવાધારી સેવા કરતાં પણ ન્યારા અને સદા બાપનાં પ્યારા રહે છે. સેવાનાં લગાવ માં નથી આવતા કારણ કે સેવાનો લગાવ પણ સોનાની સાંકળ છે. આ બંધન બેહદ થી હદમાં લઈ આવે છે એટલે દેહ ની સ્મૃતિ થી, ઈશ્વરીય સંબંધ થી, સેવાનાં સાધનો નાં લગાવ થી ન્યારા અને બાપનાં પ્યારા બનો તો વિશ્વ સેવાધારી નું વરદાન પ્રાપ્ત થઈ જશે અને સદા સફળતા મળતી રહેશે.

સ્લોગન :-
વ્યર્થ સંકલ્પો ને એક સેકન્ડ માં સ્ટોપ કરવાની રિહર્સલ (અભ્યાસ) કરો તો શક્તિશાળી બની જશો.