05-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપ આવ્યાં છે આપ બાળકોને શાંતિ અને સુખનો વારસો આપવાં , તમારો સ્વધર્મ જ શાંત છે , એટલે તમે શાંતિ માટે ભટકતાં નથી ”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો ૨૧ જન્મો માટે અખૂટ ખજાનામાં વજન કરવાનાં યોગ્ય બનો છો-શા માટે ?

ઉત્તર :-
કારણ કે બાપ જ્યારે નવી સૃષ્ટિ રચે છે, ત્યારે આપ બાળકો એમનાં મદદગાર બનો છો. પોતાનું સર્વસ્વ એમનાં કાર્યમાં સફળ કરો છો એટલે બાપ એનાં રિટર્ન (વળતર) માં ૨૧ જન્મોનાં માટે તમને અખૂટ ખજાનામાં એવાં વજન કરે છે જે ક્યારેય ધન પણ નથી ખૂટતું, દુઃખ પણ નથી આવતું, અકાળે મૃત્યુ પણ નથી થતું.

ગીત :-
મુજકો સહારા દેને વાલે …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોને ઓમ્ નો અર્થ તો સંભળાવ્યો છે. કોઈ-કોઈ ફકત ઓમ્ કહે છે, પરંતુ કહેવું જોઈએ ઓમ્ શાંતિ. ફક્ત ઓમ્ નો અર્થ નીકળે છે ઓમ્ ભગવાન. ઓમ્ શાંતિ નો અર્થ છે હું આત્મા શાંત સ્વરુપ છું. આપણે આત્મા છીએ, આ આપણું શરીર છે. પહેલા છે આત્મા, પાછળ છે શરીર. આત્મા શાંત સ્વરુપ છે, એનું નિવાસ સ્થાન છે શાંતિધામ. બાકી કોઈ જંગલમાં જવાથી સાચ્ચી શાંતિ નથી મળતી. સાચ્ચી શાંતિ મળે છે જ ત્યારે જ્યારે ઘરે જઈએ છીએ. બીજું શાંતિ ઈચ્છે છે જ્યાં અશાંતિ છે. આ અશાંતિનું દુઃખધામ વિનાશ થઇ જશે પછી શાંતિ થઈ જશે. આપ બાળકોને શાંતિ નો વારસો મળી જશે. ત્યાં ન ઘર માં, ન બહાર રાજધાનીમાં અશાંતિ હોય છે. તેને કહેવાય છે શાંતિ નું રાજ્ય, અહીંયા છે અશાંતિ નું રાજ્ય કારણ કે રાવણરાજ્ય છે. તે છે ઇશ્વર નું સ્થાપન કરેલું રાજ્ય. પછી દ્રાપરનાં પછી આસુરી રાજ્ય હોય છે, અસુરોને ક્યારેય શાંતિ હોતી નથી. ઘરમાં, દુકાનમાં જ્યાં-ત્યાં અશાંતિ જ અશાંતિ હશે. ૫ વિકાર રુપી રાવણ અશાંતિ ફેલાવે છે. રાવણ શું ચીજ છે, આ કોઈપણ વિદ્વાન પંડિત વગેરે નથી જાણતાં. સમજતાં નથી કે અમે વર્ષે-વર્ષે રાવણને કેમ મારીએ છીએ. સતયુગ-ત્રેતા માં આ રાવણ હોતો જ નથી. તે છે જ દૈવી રાજ્ય. ઈશ્વર, બાબા દૈવીરાજ્ય ની સ્થાપના કરે છે તમારાં દ્વારા. એકલા તો નથી કરતાં. તમે મીઠા-મીઠા બાળકો ઈશ્વર નાં મદદગાર છો. પહેલાં હતાં રાવણનાં મદદગાર. હવે ઈશ્વર આવીને સર્વની સદ્દગતિ કરી રહ્યાં છે. પવિત્રતા, સુખ શાંતિની સ્થાપના કરે છે. આપ બાળકો ને જ્ઞાનનું હવે ત્રીજું નેત્ર મળ્યું છે. સતયુગ-ત્રેતા માં દુઃખની વાત નથી. કોઈ ગાળ વગેરે નથી આપતાં, ગંદુ નથી ખાતાં. અહીંયા તો જુઓ ગંદુ કેટલું ખાય છે. દેખાડે છે કૃષ્ણ ને ગાયો બહુ પ્રિય હતી. એવું નથી કે કૃષ્ણ કોઈ ગોવાળ હતાં, ગાયો ની પાલના કરતા હતાં. ના, ત્યાંની ગાય અને અહીંયાની ગાયોમાં બહુજ-બહુજ ફરક છે. ત્યાંની ગાયો સતોપ્રધાન ખુબ સુંદર હોય છે. જેવા સુંદર દેવતાઓ, તેવી ગાયો. જોવાથી જ દિલ ખુશ થઈ જાય. તે છે જ સ્વર્ગ. આ છે નર્ક. બધાં સ્વર્ગ ને યાદ કરે છે. સ્વર્ગ અને નર્ક માં રાત-દિવસનો ફરક છે. રાત હોય છે અંધિયારી, દિવસ માં છે અજવાળું. બ્રહ્માનો દિવસ એટલે બ્રહ્માવંશીઓ નો પણ દિવસ થઈ જાય. પહેલા તમે પણ ઘોર અંધારી રાતમાં હતાં. આ સમયે ભક્તિનું કેટલું જોર છે, મહાત્મા વગેરે ને સોનામાં વજન કરતાં રહે કારણ કે શાસ્ત્રોનાં મોટાં વિદ્વાન છે. તેમનો આટલો પ્રભાવ કેમ છે? આ પણ બાબા એ સમજાવ્યું છે. ઝાડમાં નવાં-નવાં પત્તા નીકળે છે તો સતોપ્રધાન છે. ઉપર થી નવી આત્મા આવશે તો જરૂર તેમનો પ્રભાવ હશે ને અલ્પકાળ માટે. સોના અથવા હીરા માં વજન કરે છે, પરંતુ આ તો બધું ખલાસ થઈ જવાનું છે. મનુષ્યોનાં પાસે કેટલાં લાખો નાં મકાન છે. સમજે છે અમે તો બહુજ સાહૂકાર છીએ. આપ બાળકો જાણો છો આ સાહૂકારી થોડાં સમય માટે છે. આ બધું માટીમાં મળી જશે. કિનકી દબી રહી ધૂલ મેં…. બાપ સ્વર્ગની સ્થાપના કરે છે, એમાં જે લગાડે છે એમને ૨૧ જન્મોનાં માટે હીરા-ઝવેરાતો નાં મહેલ મળશે. અહીંયા તો એક જન્મનાં માટે મળે છે. ત્યાં તમારું ૨૧ જન્મ ચાલશે. આ આંખોથી જે કંઈ જુઓ છો શરીર સહિત બધું ભસ્મ થઈ જવાનું છે. આપ બાળકોને દિવ્ય દૃષ્ટિ દ્વારા સાક્ષાત્કાર પણ થાય છે. વિનાશ થશે પછી આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હશે. તમે જાણો છો આપણે પોતાનું રાજ્ય-ભાગ્ય ફરીથી સ્થાપન કરી રહ્યાં છીએ. ૨૧ પેઢી રાજ્ય કર્યું પછી રાવણનું રાજ્ય ચાલ્યું. હવે ફરી બાપ આવ્યાં છે. ભક્તિમાર્ગમાં બધાં બાપને જ યાદ કરે છે. ગાયન પણ છે દુઃખમાં સિમરણ સૌ કરે…. બાપ સુખ નો વારસો આપે છે, પછી યાદ કરવાની દરકાર નથી રહેતી. તમે માત પિતા…. હવે આ તો મા-બાપ હશે પોતાનાં બાળકો નાં. આ છે પારલૌકિક માત-પિતાની વાત. હવે તમે આ લક્ષ્મી-નારાયણ બનવાનાં માટે ભણો છો. સ્કૂલમાં બાળકો સારાં પાસ થાય છે તો પછી શિક્ષક ને ઇનામ આપે છે. હવે તમે એમને શું ઇનામ આપશો! તમે તો એમને પોતાનાં બાળક બનાવી લો છો, જાદુગરી થી. દેખાડે છે-કૃષ્ણનાં મુખમાં માતાએ એ જોયો માખણનો ગોળો. હવે કૃષ્ણએ તો જન્મ લીધો સતયુગ માં. તે તો માખણ વગેરે નહીં ખાશે. તે તો છે વિશ્વનાં માલિક. તો આ કયા સમયની વાત છે? આ છે હમણાં સંગમ ની વાત. તમે જાણો છો આપણે આ શરીર છોડી બાળક જઈ બનશું. વિશ્વનાં માલિક બનશું. બંને ક્રિશ્ચન આપસમાં લડે છે અને માખણ મળે છે આપ બાળકોને. રાજાઈ મળે છે ને. જેમ તે લોકો ભારતને લડાવીને માખણ પોતે ખાઈ ગયાં. ક્રિશ્ચન ની રાજધાની પોણા ભાગમાં હતી. પછી ધીરે-ધીરે છૂટી ગઈ છે. આખાં વિશ્વ પર સિવાય તમારા કોઈ રાજ્ય કરી ન શકે. તમે હમણાં ઈશ્વરીય સંતાન બન્યાં છો. હમણાં તમે બ્રહ્માંડ નાં માલિક અને વિશ્વ નાં માલિક બનો છો. વિશ્વમાં બ્રહ્માંડ નથી આવ્યું. સૂક્ષ્મવતન માં પણ રાજાઈ નથી. સતયુગ, ત્રેતા…. આ ચક્ર અહીં સ્થૂળવતન માં હોય છે. ધ્યાનમાં આત્મા ક્યાંય જતી નથી. આત્મા નીકળી જાય તો શરીર ખતમ થઈ જાય. આ બધું છે સાક્ષાત્કાર, રિદ્ધિ-સિદ્ધિ દ્વારા એવાં પણ સાક્ષાત્કાર થાય છે, જે અહીંયા બેઠા વિદેશની પાર્લામેન્ટ વગેરે જોઈ શકે છે. બાબાનાં હાથમાં પછી છે દિવ્ય દૃષ્ટિ ની ચાવી. તમે અહીંયા બેઠા લન્ડન જોઈ શકો છો. શસ્ત્ર વગેરે કંઈ નથી જે ખરીદ કરવા પડે. ડ્રામા અનુસાર એ સમય પર તે સાક્ષાત્કાર થાય છે, જે ડ્રામા માં પહેલાથી જ નોંધ છે. જેમ દેખાડે છે ભગવાને અર્જુનને સાક્ષાત્કાર કરાવ્યો. ડ્રામા અનુસાર તેમને સાક્ષાત્કાર થવાનો હતો. આ પણ નોંધ છે. કોઈની મોટાઈ નથી. આ બધું ડ્રામા અનુસાર થાય છે. કૃષ્ણ વિશ્વનો પ્રિન્સ બને છે, એટલે માખણ મળે છે. આ પણ કોઈ જાણતું નથી કે વિશ્વ કોને, બ્રહ્માંડ કોને કહેવાય છે. બ્રહ્માંડમાં આપ આત્માઓ નિવાસ કરો છો. સૂક્ષ્મવતન માં આવવું-જવું સાક્ષાત્કાર વગેરે આ સમયે થાય છે પછી ૫ હજાર વર્ષ સૂક્ષ્મવતન નું નામ નથી હોતું. કહેવાય છે બ્રહ્મા દેવાતાય નમઃ પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો સૌથી ઊંચા થઈ ગયાં ને. એમને કહેવાય છે ભગવાન. તે દેવતાઓ છે મનુષ્ય, પરંતુ દૈવીગુણ વાળા છે. બાકી ૪-૮ ભુજાવાળા મનુષ્ય હોતાં નથી. ત્યાં પણ બે ભુજાવાળા જ મનુષ્ય હોય છે, પરતું સંપૂર્ણ પવિત્ર, અપવિત્રતાની વાત નથી. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. તો આપ બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. અમે આત્મા આ શરીર દ્વારા બાબા ને તો જોઈએ. જોવામાં તો શરીર આવે છે, પરમાત્મા અથવા આત્મા ને તો જોઈ નથી શકતાં. આત્મા અને પરમાત્મા ને જાણવાનાં હોય છે. જોવાં માટે પછી દિવ્ય દૃષ્ટિ મળે છે. અને બધી ચીજો દિવ્ય દૃષ્ટિ થી મોટી જોવામાં આવશે. રાજધાની મોટી જોવામાં આવશે. આત્મા તો છે જ બિંદુ. બિંદુ ને જોવાથી તમે કંઈ પણ નહીં સમજશો. આત્મા તો ખુબ સૂક્ષ્મ છે. ઘણાં ડોક્ટર્સ વગેરેએ કોશિશ કરી છે આત્મા ને પકડવાની, પરંતુ કોઈને ખબર નથી પડતી. તે લોકો તો સોના-હીરા માં વજન કરે છે. તમે જન્મ-જન્માન્તર પદમ પતિ બનો છો. તમારો બહારનો શો (દેખાવ) જરા પણ નથી. સાધારણ રીતે આ રથમાં બેસી ભણાવે છે. એમનું નામ છે ભાગીરથ. આ છે પતિત જૂનો રથ, જેમાં બાપ આવીને ઊંચે થી ઉંચી સર્વિસ (સેવા) કરે છે. બાપ કહે છે મને તો પોતાનું શરીર છે નહીં. હું જે જ્ઞાનનો સાગર, પ્રેમનો સાગર….. છું, તો તમને વારસો કેવી રીતે આપું! ઉપર થી તો નહીં આપું. શું પ્રેરણા થી ભણાવીશ? જરુર આવવું પડશે ને. ભક્તિમાર્ગ માં મને પૂજે છે, બધાંને પ્રિય લાગું છું. ગાંધી, નહેરુ નાં ચિત્ર પ્રિય લાગે છે, તેમનાં શરીર ને યાદ કરે છે. આત્મા જે અવિનાશી છે તેને તો જઈને બીજો જન્મ લઈ લીધો. બાકી વિનાશી ચિત્ર ને યાદ કરે છે. તે ભૂત પૂજા થઈ ને. સમાધિ બનાવીને તેનાં પર ફૂલ વગેરે બેસી ચડાવે છે. આ છે યાદગાર. શિવ નાં કેટલાં મંદિર છે, સૌથી મોટું યાદગાર શિવનું છે ને. સોમનાથ મંદિર નું ગાયન છે. મોહમ્મદ ગઝનવી એ આવી ને લૂંટ્યું હતું. તમારી પાસે એટલું ધન રહેતું હતું. બાબા આપ બાળકોનું રત્નો માં વજન કરે છે. પોતાનું વજન નથી કરાવતો. હું એટલો ધનવાન બનતો નથી, તમને બનાવું છું. તેમનું તો આજે વજન કર્યું, કાલે મરી જશે. ધન કોઈ કામમાં નહીં આવે. તમને તો બાપ અખૂટ ખજાનામાં એવું વજન કરે છે જે ૨૧ જન્મ સાથે રહેશે. જો શ્રીમત પર ચાલશો તો ત્યાં દુઃખ નું નામ નથી, ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. મોત થી ડરશો નહીં. અહીંયા કેટલું ડરો છો, રડો છો. ત્યાં કેટલી ખુશી હોય છે - જઈને પ્રિન્સ બનશો. જાદુગર, સોદાગર, રત્નાગર આ શિવ પરમાત્મા ને કહેવાય છે. તમને પણ સાક્ષાત્કાર કરાવે છે. આવાં પ્રિન્સ બનશો. આજકાલ બાબાએ સાક્ષાત્કારનો પાર્ટ બંધ કરી દીધો છે. નુકસાન થઈ જાય છે. હમણાં બાપ જ્ઞાન થી તમારી સદ્દગતિ કરે છે. તમે પહેલાં જશો સુખધામ. હમણાં તો છે દુઃખધામ. તમે જાણો છો આત્મા જ જ્ઞાન ધારણ કરે છે, એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજો. આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે. શરીરમાં હોય તો શરીર ની સાથે સંસ્કાર ભસ્મ થઈ જાય. તમે કહો છો શિવબાબા, અમે આત્માઓ ભણીએ છીએ આ શરીર દ્વારા. નવી વાત છે ને. આપણને આત્માઓને શિવબાબા ભણાવે છે. આ તો પાકું-પાકું યાદ કરો. આપણા બધી આત્માઓનાં એ બાપ પણ છે, શિક્ષક પણ છે. બાપ પોતે કહે છે મને પોતાનું શરીર નથી. હું પણ છું આત્મા, પરંતુ મને પરમાત્મા કહેવાય છે. આત્મા જ બધું કરે છે. બાકી શરીર નાં નામ બદલાય છે. આત્મા તો આત્મા જ છે. હું પરમ આત્મા તમારા માફક પુનર્જન્મ નથી લેતો. મારો ડ્રામામાં પાર્ટ જ એવો છે, જે હું આમનામાં પ્રવેશ કરી તમને સંભળાવી રહ્યો છું એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. આમને જૂની જુત્તી પણ કહે છે. શિવબાબાએ પણ જૂનો લાંબો બુટ (જુત્તી) પહેર્યો છે. બાપ કહે છે મેં આમનામાં અનેક જન્મોનાં અંત માં પ્રવેશ કર્યો છે. પહેલાં-પહેલાં આ બને છે તત્ ત્વમ. બાબા કહે છે તમે તો જવાન છો. મારાથી વધારે ભણીને ઉંચ પદ પામવું જોઈએ, પરંતુ મારી સાથે બાબા છે તો મને ઘડી-ઘડી એમની યાદ આવે છે. બાબા મારી સાથે સૂવે પણ છે, પરંતુ બાબા મને ભાકી નથી પહેરી શકતાં (ભેટી નથી શકતાં). તમને ભેટી શકે છે. તમે ભાગ્યશાળી છો ને. શિવબાબાએ જે શરીર લોન લીધું છે તમે એમને ભેટી શકો છો. હું કેવી રીતે ભેટી શકું. મને તો આ પણ નસીબ નથી એટલે તમે લકી તારાઓ ગવાઓ છો. બાળકો હંમેશાં લક્કી (ભાગ્યશાળી) હોય છે. બાપ પૈસા બાળકોને આપી દે છે, તમે ભાગ્યશાળી તારાઓ થયાં ને. શિવબાબા પણ કહે છે તમે તમે મારાથી ભાગ્યશાળી છો, તમને ભણાવીને વિશ્વનાં માલિક બનાવું છું, હું થોડી બનું છું. તમે બ્રહ્માંડનાં પણ માલિક બનો છો. બાકી મારી પાસે વધારે દિવ્ય દૃષ્ટિ ની ચાવી છે. હું જ્ઞાન નો સાગર છું. તમને પણ માસ્ટર જ્ઞાન સાગર બનાવું છું. તમે આ આખાં ચક્રને જાણી ચક્રવર્તી મહારાજા મહારાણી બનો છો. હું થોડી બનું છું. વૃદ્ધ થાય છે તો પછી બાળકોને વિલ (નામે) કરી ખુદ વાનપ્રસ્થ માં ચાલ્યાં જાય છે. પહેલાં આવું થતું હતું. આજકાલ તો બાળકોમાં મોહ આવે છે. પારલૌકિક બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી આપ બાળકોને કાંટા થી ફૂલ, વિશ્વનાં માલિક બનાવી, અડધા કલ્પ માટે સદા સુખી બનાવી હું વાનપ્રસ્થ માં બેસી જાઉં છું. આ બધી વાતો શાસ્ત્રો માં થોડી છે. સન્યાસી, ઉદાસી શાસ્ત્રોની વાતો સંભળાવે છે. બાપ તો જ્ઞાનનાં સાગર છે. સ્વયં કહે છે વેદ-શાસ્ત્ર વગેરે બધું ભક્તિમાર્ગની સામગ્રી છે. જ્ઞાનસાગર તો હું જ છું. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આંખો થી શરીર સહિત જે દેખાય છે, આ બધું ભસ્મ થઈ જવાનું છે એટલે પોતાનું બધું જ સફળ કરવાનું છે.

2. બાપ થી પૂરો વારસો લેવા માટે ભણતર ભણવાનું છે. સદા પોતાનાં ભાગ્ય ને સ્મૃતિ માં રાખી બ્રહ્માંડ અથવા વિશ્વ નાં માલિક બનવાનું છે.

વરદાન :-
માયાનાં રોયલ રુપ નાં બંધનો થી મુક્ત , વિશ્વજીત , જગતજીત ભવ

મારો પુરુષાર્થ, મારું ઇન્વેંશન (શોધ), મારી સેવા, મારું ટચિંગ, મારા ગુણ સારા છે, મારી નિર્ણય શક્તિ ખુબજ સારી છે, આ મારાપણું જ રોયલ માયા નું રુપ છે. માયા એવો જાદુ મંત્ર કરી દે છે જે તારા ને પણ મારું બનાવી દે છે એટલે હવે એવાં અનેક બંધનો થી મુક્ત બની એક બાપ નાં સંબંધ માં આવી જાઓ તો માયાજીત બની જશો. માયાજીત જ પ્રકૃતિજીત, વિશ્વજીત કે જગતજીત બને છે. તે જ એક સેકન્ડનાં અશરીરી ભવ નાં ડાયરેક્શન ને સહજ અને સ્વતઃ કાર્યમાં લગાવી શકે છે.

સ્લોગન :-
વિશ્વ પરિવર્તક તે જ છે જે કોઈ નાં નેગેટિવ (નકારાત્મક) ને પોઝિટિવ માં બદલી દે.