22-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 21.01.87
બાપદાદા મધુબન
“ સ્વ - રાજ્ય અધિકારી જ
વિશ્વ - રાજ્ય અધિકારી ”
આજે ભાગ્યવિધાતા બાપ
પોતાનાં સર્વ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકોને જોઈ રહ્યાં છે. બાપદાદાની આગળ હમણાં પણ ફક્ત
આ સંગઠન નથી પરંતુ ચારેય તરફનાં ભગ્યવાન બાળકો સામે છે. ભલે દેશ-વિદેશનાં કોઈ પણ
ખૂણામાં છે પરંતુ બેહદનાં બાપ બેહદ બાળકોને જોઈ રહ્યાં છે. આ સાકાર વતનની અંદર
સ્થાન ની હદ આવી જાય છે, પરંતુ બેહદ બાપની દૃષ્ટિની સૃષ્ટિ બેહદ છે. બાપની દૃષ્ટિમાં
સર્વ બ્રાહ્મણ આત્માઓની સૃષ્ટિ સમાયેલી છે. તો દૃષ્ટિની સૃષ્ટિ માં સર્વ સમ્મુખ છે.
સર્વ ભાગ્યવાન બાળકોને ભાગ્યવિધાતા ભગવાન જોઈ-જોઈ હર્ષિત થાય છે. જેમ બાળકો બાપ ને
જોઈ હર્ષિત થાય છે, બાપ પણ સર્વ બાળકોને જોઈ હર્ષિત થાય છે. બેહદનાં બાપ ને બાળકોને
જોઈ રુહાની નશો અથવા ફખુર છે કે એક-એક બાળક આ વિશ્વની આગળ વિશેષ આત્માઓની યાદી માં
છે! ભલે ૧૬૦૦૦ ની માળા નો છેલ્લો મણકો પણ છે, છતાં પણ, બાપ ની આગળ આવવાથી, બાપનાં
બનવાથી વિશ્વની આગળ વિશેષ આત્મા છે એટલે ભલે બીજા કાંઈ પણ જ્ઞાનનાં વિસ્તાર ને જાણી
નથી શકતાં પરંતુ એક શબ્દ ‘બાબા’ દિલથી માન્યો અને દિલથી બીજાઓને સંભળાવ્યો તો વિશેષ
આત્મા બની ગયાં, દુનિયાની આગળ મહાન્ આત્મા બની ગયાં, દુનિયાની આગળ મહાન્ આત્માનાં
સ્વરુપ માં ગાયન યોગ્ય બની ગયાં. આટલું શ્રેષ્ઠ અને સહજ ભાગ્ય છે, સમજો છો? કારણ કે
બાબા શબ્દ છે ‘ચાવી’. કોની? સર્વ ખજાનાઓની, શ્રેષ્ઠ ભાગ્યની. ચાવી મળી ગઈ તો ભાગ્ય
અથવા ખજાનો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. તો બધી માતાઓ અથવા પાંડવ ચાવી પ્રાપ્ત કરવાના
અધિકારી બન્યાં છો? ચાવી લગાવતાં પણ આવડે છે કે ક્યારેક લાગતી નથી? ચાવી લગાડવાની
વિધિ છે - દિલથી જાણવું અને માનવું. ફક્ત મુખ થી કહ્યું, તો ચાવી હોવા છતાં લાગશે
નહીં. દિલથી કહ્યું તો ખજાના સદા હાજર છે. અખુટ ખજાના છે ને. અખુટ ખજાનાઓ હોવાનાં
કારણે જેટલાં પણ બાળકો છે બધાં અધિકારી છે. ખુલ્લા ખજાના છે, ભરપૂર ખજાનાઓ છે. એવું
નથી કે જે પાછળ આવ્યાં છે, તો ખજાના ખતમ થઈ ગયાં હોય. જેટલાં પણ હમણાં સુધી આવ્યાં
છો અર્થાત્ બાપનાં બન્યાં છો અને ભવિષ્યમાં પણ જેટલાં બનવા વાળા છો, તે બધાથી
ખજાનાઓ અનેકાનેક ગુણા વધારે છે એટલે બાપદાદા દરેક બાળકને ગોલ્ડન ચાંસ (સ્વર્ણિમ તક)
આપે છે કે જેટલો જેને ખજાનો લેવો છે, તે ખુલ્લા દિલ થી લઈ લો. દાતા ની પાસે ખોટ નથી,
લેવાવાળા ની હિંમત કે પુરુષાર્થ પર આધાર છે. એવાં કોઈ બાપ આખાં કલ્પ માં નથી જે આટલાં
બાળકો હોય અને દરેક ભાગ્યવાન હોય! એટલે સંભળાવ્યું કે રુહાની બાપદાદા ને રુહાની નશો
છે.
બધાની મધુબન માં આવવાની, મળવાની આશા પૂરી થઈ. ભક્તિ-માર્ગ ની યાત્રા કરતા મધુબન માં
આરામ થી બેસવાની, રહેવાની જગ્યા તો મળી છે ને. મંદિરો માં તો ઉભા-ઉભા ફક્ત દર્શન કરે
છે. અહીંયા આરામ થી બેઠાં તો છો ને. ત્યાં તો ‘ભાગો-ભાગો’, ‘ચાલો-ચાલો’ કહે છે અને
અહીંયા આરામ થી બેસો, આરામ થી, યાદની ખુશી થી મોજ મનાવો. સંગમયુગ માં ખુશી મનાવવા
માટે આવ્યાં છો. તો દરેક સમયે હરતાં-ફરતાં, ખાતાં-પીતાં ખુશીનો ખજાનો જમા કર્યો?
કેટલો જમા કર્યો છે? એટલો કર્યો જે ૨૧ જન્મ આરામ થી ખાતા રહો? મધુબન વિશેષ સર્વ
ખજાનાઓ જમા કરવાનું સ્થાન છે કારણ કે ‘અહીંયા એક બાપ બીજું ન કોઈ’ - આ સાકાર રુપમાં
પણ અનુભવ કરો છો. ત્યાં બુદ્ધિ દ્વારા અનુભવ કરો છો પરંતુ અહીંયા પ્રત્યક્ષ સાકાર
જીવનમાં પણ સિવાય બાપ અને બ્રાહ્મણ પરિવાર નાં બીજું કોઈ નજર આવે છે શું? એક જ લગન,
એક જ વાતો, એક જ પરિવાર નાં અને એકરસ સ્થિતિ, બીજો કોઈ રસ છે જ નહીં. ભણવું અને
ભણતર દ્વારા શક્તિશાળી બનવું, મધુબનમાં આ જ કામ છે ને. કેટલાં ક્લાસ કરો છો? તો
અહીંયા વિશેષ જમા કરવાનું સાધન મળે છે એટલે બધાં ભાગી-ભાગીને પહોંચી ગયાં છે.
બાપદાદા બધાં બાળકો ને વિશેષ આ જ સ્મૃતિ અપાવે છે કે સદા સ્વરાજ્ય અધિકારી સ્થિતિ
માં આગળ વધતાં ચાલો. સ્વરાજ્ય અધિકારી - આ જ નિશાની છે વિશ્વ-રાજ્ય અધિકારી બનવાની.
ઘણાં બાળકો રુહ-રુહાન કરતા બાપ ને પૂછે છે કે ‘અમે ભવિષ્ય માં શું બનીશું, રાજા
બનીશું કે પ્રજા બનીશું?’ બાપદાદા બાળકોને રેસપોન્ડ (ઉત્તર આપે) કરે છે કે પોતે
પોતાને એક દિવસ પણ ચેક કરો તો ખબર પડી જશે કે હું રાજા બનીશ કે સાહૂકાર બનીશ કે
પ્રજા બનીશ. પહેલાં અમૃતવેલા થી પોતાનાં મુખ્ય ત્રણ કારોબાર નાં અધિકારી, પોતાનાં
સહયોગી, સાથીઓને ચેક કરો. તે કોણ? ૧- મન અર્થાત્ સંકલ્પ શક્તિ. ૨- બુદ્ધિ અર્થાત્
નિર્ણય શક્તિ. ૩- પાછલાં અથવા વર્તમાન શ્રેષ્ઠ સંસ્કાર. આ ત્રણેય વિશેષ કારોબારી
છે. જેમ આજકાલ નાં જમાના માં રાજા ની સાથે મહામંત્રી કે વિશેષ મંત્રી હોય છે, તેમનાં
જ સહયોગ થી રાજ્ય કારોબાર ચાલે છે. સતયુગ માં મંત્રી નહીં હશે પરંતુ સમીપનાં સંબંધી,
સાથી હશે. કોઈ પણ રુપમાં, સાથી સમજો કે મંત્રી સમજો. પરંતુ આ ચેક કરો - આ ત્રણેય
સ્વ નાં અધિકાર થી ચાલે છે? આ ત્રણેય પર સ્વ નું રાજ્ય છે કે તેમનાં અધિકાર થી આપ
ચાલો છો? મન તમને ચલાવે છે કે તમે મનને ચલાવો છો? જે ઈચ્છો, જ્યારે ઈચ્છો તેવાં જ
સંકલ્પ કરી શકો છો? જ્યાં બુદ્ધિ લગાવવા ઈચ્છો, ત્યાં લગાવી શકો છો કે બુદ્ધિ આપ
રાજાઓને ભટકાવે છે? સંસ્કાર તમારા વશ છે કે તમે સંસ્કારો નાં વશ છો? રાજ્ય અર્થાત્
અધિકાર. રાજ્ય-અધિકારી જે શક્તિ ને જે સમયે જે ઓર્ડર કરે, તે એજ વિધિપૂર્વક કાર્ય
કરે અથવા તમે કહો એક વાત, તે કરે બીજી વાત? કારણ કે નિરંતર યોગી અર્થાત્ સ્વરાજ્ય
અધિકારી બનવાનું વિશેષ સાધન જ મન અને બુદ્ધિ છે. મંત્ર જ મનમનાભવ નો છે. યોગ ને
બુદ્ધિયોગ કહે છે. તો જો આ વિશેષ આધાર સ્તંભ પોતાનાં અધિકાર માં નથી કે ક્યારેક છે,
ક્યારેક નથી. હમણાં-હમણાં છે, હમણાં-હમણાં નથી; ત્રણેવ માંથી એક પણ ઓછા અધિકારમાં
છે તો તેનાથી જ ચેક કરો કે અમે રાજા બનીશું કે પ્રજા બનીશું? લાંબાકાળ નાં રાજ્ય
અધિકારી બનવાનાં સંસ્કાર લાંબાકાળ નાં ભવિષ્ય રાજ્ય-અધિકારી બનાવશે. જો ક્યારેક
અધિકારી, ક્યારેક વશીભૂત થઈ જાઓ છો તો અડધોકલ્પ અર્થાત્ પૂરા રાજ્ય-ભાગ્યનો અધિકાર
પ્રાપ્ત નહીં કરી શકો. અડધા સમયનાં પછી ત્રેતાયુગી રાજા બની શકો છો, પૂરો સમય રાજ્ય
અધિકારી અર્થાત્ રાજ્ય કરવાવાળા રોયલ ફેમિલીનાં સમીપ સંબંધ માં નહીં રહી શકો. જો
વશીભૂત વારંવાર થાઓ છો તો સંસ્કાર અધિકારી બનવાના નથી પરંતુ રાજ્ય અધિકારીઓ નાં
રાજ્યમાં રહેવાનાં છે. તેઓ કોણ થઈ ગયાં? તે થઈ પ્રજા. તો સમજ્યાં, રાજા કોણ બનશે,
પ્રજા કોણ બનશે? પોતાનાં જ દર્પણ માં પોતાની તકદીર ની સૂરત ને જુઓ. આ જ્ઞાન અર્થાત્
નોલેજ દર્પણ છે. તો બધાની પાસે દર્પણ છે ને. તો પોતાની સૂરત જોઈ શકો છો ને. હવે
લાંબા સમય નાં અધિકારી બનવાનો અભ્યાસ કરો. એવું નથી કે અંત માં તો બની જ જઈશું. જો
અંતમાં બનશો તો અંત નો એક જન્મ થોડુંક રાજ્ય કરી લેશો. પરંતુ એ પણ યાદ રાખજો કે જો
લાંબા સમય નો હમણાં થી અભ્યાસ નહીં હશે અથવા આદિ થી અભ્યાસી નથી બન્યાં, આદિ થી હમણાં
સુધી આ વિશેષ કાર્યકર્તા તમને પોતાનાં અધિકારમાં ચલાવે છે કે ડગમગ સ્થિતિ કરતાં રહે
છે અર્થાત્ દગો આપતા રહે છે, દુઃખ ની લહેર નો અનુભવ કરાવતા રહે છે તો અંત માં પણ દગો
મળી જશે. દગો અર્થાંત્ દુઃખની લહેર જરુર આવશે. તો અંત માં પણ પશ્ચાતાપ ની દુઃખની
લહેર આવશે એટલે બાપદાદા બધાં બાળકોને ફરી થી સ્મૃતિ અપાવે છે કે રાજા બનો અને પોતાનાં
વિશેષ સહયોગી કર્મચારી કે રાજ્ય કારોબારી સાથીઓ ને પોતાનાં અધિકાર થી ચલાવો. સમજ્યાં?
બાપદાદા આ જ જુએ છે કે કોણ-કોણ કેટલાં સ્વરાજ્ય-અધિકારી બન્યાં છે? અચ્છા. તો બધાં
શું બનવા ઇચ્છો છો? રાજા બનવા ઇચ્છો છો? તો હમણાં સ્વરાજ્ય-અધિકારી બન્યાં છો કે આ
જ કહો છો બની રહ્યાં છીએ, બની તો જઈશું? ‘શું-શું’ નથી કરવાનું. ‘બની જઈશું’, તો
બાપ પણ કહેશે - સારું, રાજ્ય-ભાગ્ય આપવા માટે પણ જોઈશું. સંભળાવ્યું ને - લાંબાસમય
નાં સંસ્કાર હમણાં થી જોઈએ. આમ તો લાંબોકાળ નથી, થોડોક સમય છે. પરંતુ છતાં પણ આટલાં
સમયનો પણ અભ્યાસ નહીં હશે તો પછી છેલ્લાં સમયે આ ફરિયાદ નહીં કરતાં - અમે તો સમજ્યા
હતાં, અંતમાં જ થઈ જઈશું એટલે કહેવાય છે કે - ક્યારેક નહીં, હમણાં. ક્યારેક થઈ જઈશું
નહીં, હમણાં થવાનું જ છે. બનવાનું જ છે. પોતાનાં ઉપર રાજ્ય કરો, પોતાનાં સાથીઓનાં
ઉપર રાજ્ય કરવાનું શરું નહીં કરવાનું. જેમનું સ્વ પર રાજ્ય છે, તેમની આગળ હમણાં પણ
સ્નેહનાં કારણે સર્વ સાથી પણ ભલે લૌકિક, ભલે અલૌકિક બધાં ‘જી હજૂર’, ‘હા-જી’ કહેતાં
સાથી બનીને રહે છે, સ્નેહી અને સાથી બની ‘હા-જી’ નો પાઠ પ્રેક્ટિકલમાં દેખાડે છે.
જેમ પ્રજા રાજાની સહયોગી હોય છે, સ્નેહી હોય છે, એમ તમારી આ સર્વ કર્મેન્દ્રિયો,
વિશેષ શક્તિઓ સદા તમારી સ્નેહી, સહયોગી રહેશે અને તેનો પ્રભાવ સાકાર માં તમારા
સેવાનાં સાથીઓ અથવા લૌકિક સંબંધીઓ, સાથીઓમાં પડશે. દૈવી પરિવાર માં અધિકારી બની
ઓર્ડર (હુકમ) ચલાવવો, એ ન ચાલી શકે. સ્વયં પોતાની કર્મન્દ્રિયો ને ઓર્ડર માં રાખો
તો સ્વતઃ તમારા ઓર્ડર કરવાનાં પહેલાં જ સર્વ સાથી તમારા કાર્ય માં સહયોગી બનશે.
સ્વયં સહયોગી બનશે, ઓર્ડર કરવાની આવશ્યકતા નથી. સ્વયં પોતાનાં સહયોગ ની ઓફર કરશે
કારણ કે તમે સ્વરાજ્ય અધિકારી છો. જેમ રાજા અર્થાત્ દાતા, તો દાતા ને કહેવું નથી
પડતું અર્થાત્ માંગવું નથી પડતું. તો એવાં સ્વરાજ્ય અધિકારી બનો. અચ્છા. આ મેળો પણ
ડ્રામા માં નોંધ હતો. ‘વાહ ડ્રામા’ કહી રહ્યાં છે ને. બીજા લોકો ક્યારેક ‘હાય ડ્રામા’
કહેશે, ક્યારેક ‘વાહ ડ્રામા’ અને તમે સદા શું કહો છો? વાહ ડ્રામા! વાહ! જ્યારે
પ્રાપ્તિ થાય છે ને, તો પ્રાપ્તિની આગળ કાંઈ મુશ્કેલ નથી લાગતું. તો એવી રીતે જ,
જ્યારે આટલાં શ્રેષ્ઠ પરિવાર થી મળવાની પ્રાપ્તિ થઇ રહી છે તો કોઈ મુશ્કેલી,
મુશ્કેલ નહીં લાગશે. મુશ્કેલ લાગે છે? ખાવાં માટે ઉભાં રહેવું પડે છે. ખાઓ તો પણ
પ્રભુનાં ગુણ ગાઓ અને લાઈન માં ઉભાં રહો તો પણ પ્રભુ નાં ગુણ ગાઓ. આ જ કામ કરવાનું
છે ને. આ પણ રિહર્સલ (અભ્યાસ) થઈ રહી છે. હમણાં તો કાંઈ પણ નથી. હજું તો ખુબ જ
વૃદ્ધિ થશે ને. એવી રીતે પોતાને મોલ્ડ (વાળવાની) કરવાની આદત પાડો, જેવો સમય તેમ પોતે
પોતાને ચલાવી શકો. તો પટ (જમીન) માં સુવાની પણ આદત પડી ગઈ ને. એવું તો નહીં-ખાટલો
નથી મળ્યો તો ઊંઘ નથી આવી? ટેન્ટ (તંબુ) માં પણ રહેવાની આદત પડી ગઈ ને. સારું લાગ્યું?
ઠંડી તો નથી લાગતી? હવે આખાં આબુમાં ટેન્ટ લગાડે? ટેન્ટમાં સુવાનું સારું લાગ્યું
કે ઓરડો જોઈએ? યાદ છે, પહેલાં-પહેલાં જ્યારે પાકિસ્તાન માં હતાં તો મહારથીઓ ને જ પટ
માં સુવાડાવતાં હતાં. જે નામીગ્રામી મહારથી હતાં, તેમને હોલ માં પટ માં ત્રણ ફૂટ
આપીને સુવડાવતા હતાં. અને જ્યારે બ્રાહ્મણ પરિવાર ની વૃદ્ધિ થઈ તો પણ ક્યાંથી શરુઆત
કરી? ટેન્ટ થી જ શરું કર્યુ ને. પહેલાં-પહેલાં જે નીકળ્યાં, તે પણ ટેન્ટ માં જ રહ્યાં.
ટેન્ટ માં રહેવા વાળા સેન્ટ (મહાત્મા) થઈ ગયાં. સાકાર પાર્ટ હોવા છતાં પણ ટેન્ટ માં
જ રહ્યાં. તો તમે લોકો પણ અનુભવ કરશો ને. તો બધાં દરેક રીતે ખુશ છે? સારું, પછી બીજા
૧૦,૦૦૦ ટેન્ટ મંગાવીને આપીશું, પ્રબંધ કરીશું. બધાં નાહવાનાં પ્રબંધ નું વિચારો છો,
તે પણ થઈ જશે. યાદ છે, જ્યારે આ હોલ બનાવ્યો હતો તો બધાએ શું કહ્યું હતું? આટલાં
નાહવાનાં સ્થાન શું કરીશું? એ જ લક્ષ્ય થી આ બનાવ્યાં, હવે ઓછા પડી ગયાં ને. જેટલાં
બનાવશો એટલાં ઓછા જ પડવાનાં છે કારણ કે છેવટે તો બેહદમાં જ જવાનું છે. અચ્છા.
બધી તરફનાં બાળકો પહોંચી ગયાં છે. તો આ પણ બેહદ નાં હોલ નો શ્રુંગાર થઈ ગયો છે. નીચે
પણ બેઠાં છે. (ભિન્ન-ભિન્ન સ્થાનો પર મુરલી સાંભળી રહ્યાં છે) આ વૃદ્ધિ થવી પણ તો
ખુશનસીબી ની નિશાની છે. વૃદ્ધિ તો થઈ પરંતુ વિધિપૂર્વક ચાલજો. એવું નહીં, અહીંયા
મધુબનમાં તો આવી ગયાં, બાબા ને પણ જોયા, મધુબન પણ જોયું, હવે જેમ ઈચ્છીએ તેમ ચાલીએ.
એવું નથી કરવાનું, કારણ કે ઘણાં બાળકો એવું કરે છે-જ્યાં સુધી મધુબનમાં આવવાં નથી
મળતું, ત્યાં સુધી પાક્કાં રહે છે, પછી જ્યારે મધુબન જોઈ લીધું તો થોડાં અલબેલા થઈ
જાય છે. તો અલબેલા નહીં બનતાં. બ્રાહ્મણ અર્થાત્ બ્રાહ્મણ જીવન છે, તો જીવન તો સદા
જ્યાં સુધી છે, ત્યાં સુધી છે. જીવન બનાવ્યું છે ને. જીવન બનાવ્યું છે કે થોડાં સમય
માટે બ્રાહ્મણ બન્યાં છો? સદા પોતાનાં બ્રાહ્મણ જીવનની વિશેષતાઓ સાથે રાખજો કારણ કે
આ જ વિશેષતાઓથી વર્તમાન પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્ય પણ શ્રેષ્ઠ છે. અચ્છા. બાકી શું
રહ્યું? ટોલી. વરદાન તો વરદાતા નાં બાળકો જ બની ગયાં. જે છે જ વરદાતા નાં બાળકો,
તેમને દરેક કદમ માં વરદાતા થી વરદાન સ્વતઃ જ મળતાં રહે છે. વરદાન જ તમારી પાલના છે.
વરદાનો ની પાલના થી જ પાલન થઇ રહ્યું છું. નહીં તો, વિચારો, આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ
અને મહેનત શું કરી. વગર મહેનતે જે પ્રાપ્તિ થાય છે, તેને જ વરદાન કહેવાય છે. તો
મહેનત શું કરી અને પ્રાપ્તિ કેટલી શ્રેષ્ઠ! જન્મ-જન્મ પ્રાપ્તિનાં અધિકારી બની ગયાં.
તો દરેક કદમ પર વરદાતા નું વરદાન મળી રહ્યું છે અને સદા જ મળતું રહેશે. દૃષ્ટિ થી,
બોલ થી, સંબંધ થી વરદાન જ વરદાન છે. અચ્છા.
હમણાં તો ગોલ્ડન જુબલી (સુવર્ણ જયંતિ) મનાવવાની તૈયારી કરી રહ્યાં છો. ગોલ્ડન જુબલી
અર્થાત્ સદા ગોલ્ડન સ્થિતિ માં સ્થિત રહેવાની જુબલી મનાવી રહ્યાં છો. સદા રીયલ
ગોલ્ડ (સાચું સોનું), જરા પણ એલાઈ (ખાદ) મિક્સ નહીં. એને કહેવાય છે ગોલ્ડન જુબલી.
તો દુનિયાની આગળ સોના ની સ્થિતિમાં સ્થિત થવાવાળા સાચું સોનું પ્રત્યક્ષ થાય, એનાં
માટે આ બધી સેવાના સાધન બનાવી રહ્યાં છે કારણ કે તમારી ગોલ્ડન સ્થિતિ ગોલ્ડન એજ (સ્વર્ણિમ
યુગ) ને લાવશે, સ્વર્ણિમ સંસારને લાવશે, જેની ઈચ્છા બધાને છે કે હવે કંઈક દુનિયા
બદલાવી જોઈએ. તો સ્વ-પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન કરવા વાળી વિશેષ આત્માઓ છો. તમને
બધાને જોઈ આત્માઓને આ નિશ્ચય થાય, શુભ આશાઓ થાય કે ખરેખર, સ્વર્ણિમ દુનિયા આવી કે
આવી! સેમ્પલ ને જોઈને નિશ્ચય થાય છે ને-હા, સારી વસ્તુ છે. સ્વર્ણિમ સંસારનાં
સેમ્પલ તમે છો. સ્વર્ણિમ સ્થિતિવાળા છો. તો આપ સેમ્પલને જોઈ તેમને નિશ્ચય થાય કે
હા, જ્યારે સેમ્પલ તૈયાર છે તો અવશ્ય એવો જ સંસાર આવ્યો કે આવ્યો. એવી સેવા ગોલ્ડન
જુબલી માં કરશો ને. ના ઉમ્મીદ ને ઉમ્મીદ આપવા વાળા બનજો. અચ્છા.
સર્વ સ્વરાજ્ય અધિકારી, સર્વ લાંબાકાળ નો અધિકાર પ્રાપ્ત કરવાનાં અભ્યાસી આત્માઓ
ને, સર્વ વિશ્વની વિશેષ આત્માઓ ને, સર્વ વરદાતા નાં વરદાનો થી પાલના લેવા વાળી
શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નો યાદ પ્યાર અને નમસ્તે.
વરદાન :-
ભટકતી આત્માઓને
યથાર્થ મંજિલ દેખાડવા વાળા ચૈતન્ય લાઈટ - માઈટ હાઉસ ભવ
કોઈપણ ભટકતી આત્મા ને
યથાર્થ મંઝિલ દેખાડવા માટે ચૈતન્ય લાઈટ-માઈટ હાઉસ બનો. આનાં માટે બે વાતો ધ્યાન પર
રહે: ૧ - દરેક આત્માની ઇચ્છાને પારખવી, જેવી રીતે યોગ્ય ડોક્ટર તેને કહેવાય છે જે
નાડી ને જાણે છે, એવી રીતે પારખવાની શક્તિને સદા યુઝ કરવી. ૨- સદા પોતાની પાસે સર્વ
ખજાનાઓનો અનુભવ કાયમ રાખવો. સદા આ લક્ષ્ય રાખવાનું કે સંભળાવવાનું નથી પરંતુ સર્વ
સંબંધો નો, સર્વ શક્તિઓ નો અનુભવ કરાવવાનો છે.
સ્લોગન :-
બીજાઓનું
કરેક્શન (સુધાર) કરવાનાં બદલે એક બાપ થી ઠીક કનેક્શન (સંબંધ) રાખો.