18-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હમણાં
તમે સત્ય બાપ દ્વારા સત્ય દેવતા બની રહ્યાં છો , એટલે સતયુગ માં સતસંગ કરવાની જરુરત
નથી ”
પ્રશ્ન :-
સતયુગ માં
દેવતાઓથી કોઈપણ વિકર્મ નથી થઈ શકતાં, કેમ?
ઉત્તર :-
કારણ કે તેમને સત્ય બાપનું વરદાન મળેલું છે. વિકર્મ ત્યારે થાય છે જ્યારે રાવણ નો
શ્રાપ મળે છે. સતયુગ-ત્રેતામાં છે જ સદ્દગતિ, તે સમયે દુર્ગતિ નું નામ નથી. વિકારો
જ નથી જે વિકર્મ થાય. દ્વાપર-કળયુગ માં બધાની દુર્ગતિ થઈ જાય એટલે વિકર્મ થતાં રહે
છે. આ પણ સમજવાની વાતો છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ બાપ બેસી સમજાવે છે - આ સુપ્રીમ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ
છે, સુપ્રીમ સદ્દગુરુ પણ છે. બાપની આવી મહિમાં બતાવવાથી આપોઆપ સિદ્ધ થઈ જાય છે કે
કૃષ્ણ કોઈનાં બાપ હોઈ ન શકે. તે તો નાનો બાળક, સતયુગ નો પ્રિન્સ છે. તે શિક્ષક પણ ન
હોઈ શકે. સ્વયં જ બેસીને શિક્ષક થી ભણે છે. ગુરુ તો ત્યાં હોતાં નથી કારણ કે ત્યાં
બધાં સદ્દગતિ માં છે. અડધોકલ્પ છે સદ્દગતિ, અડધોકલ્પ છે દુર્ગતિ. તો ત્યાં છે
સદ્દગતિ, એટલે જ્ઞાન ની ત્યાં દરકાર નથી રહેતી. નામ પણ નથી કારણ કે જ્ઞાન થી ૨૧
જન્મોનાં માટે સદ્દગતિ મળે છે પછી દ્વાપર થી કળયુગ અંત સુધી છે દુર્ગતિ. તો કૃષ્ણ
પછી દ્વાપર માં કેવી રીતે આવી શકે. આ પણ કોઈને ધ્યાનમાં નથી આવતું. એક-એક વાતમાં
ખુબ જ ગુહ્ય રહસ્ય ભરાયેલું છે, જે સમજાવવું ખુબ જરુરી છે. એ સુપ્રીમ બાપ, સુપ્રીમ
શિક્ષક છે. અંગ્રેજી માં સુપ્રીમ જ કહેવાય છે. અંગ્રેજી અક્ષર કોઈ-કોઈ સારા હોય છે.
જેમ ડ્રામા અક્ષર છે. ડ્રામા ને નાટક નહીં કહેશું, નાટક માં તો અદલી-બદલી થાય છે. આ
સૃષ્ટિનું ચક્ર ફરે છે-એવું કહે પણ છે, પરંતુ કેવી રીતે ફરે છે, હૂબહૂ ફરે છે કે
પરિવર્તન થાય છે, આ કોઈને પણ ખબર નથી. કહે પણ છે બની-બનાઈ બન રહી…. જરુર કોઈ ખેલ છે
જે ફરી થી ચક્ર ખાતું રહે છે. આ ચક્રમાં મનુષ્યો ને જ ચક્ર લગાડવું પડે છે. સારું,
આ ચક્રની આયુ કેટલી છે? કેવી રીતે રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે? આને ફરવામાં કેટલો
સમય લાગે છે? આ કોઈ નથી જાણતું. ઈસ્લામી-બૌદ્ધિ વગેરે આ બધાં છે વંશજ, જેમનો
ડ્રામામાં પાર્ટ છે.
આપ બ્રાહ્મણો ની ડિનાયસ્ટી નથી, આ છે બ્રાહ્મણ કુળ. સર્વોત્તમ બ્રાહ્મણ કુળ કહેવાય
છે. દેવી-દેવતાઓનો પણ કુળ છે. આ તો સમજાવવું ખુબ સહજ છે. સૂક્ષ્મવતન માં ફરિશ્તા રહે
છે. ત્યાં હાડ-માંસ હોતાં નથી. દેવતાઓને તો હાડ-માંસ છે ને. બ્રહ્મા સો વિષ્ણુ,
વિષ્ણુ સો બ્રહ્મા. વિષ્ણુ ની નાભિ કમળમાંથી બ્રહ્માને કેમ દેખાડ્યાં છે?
સૂક્ષ્મવતનમાં તો આ વાતો હોતી નથી. ન ઝવેરાત વગેરે હોઈ શકે, એટલે બ્રહ્મા ને સફેદ
પોશધારી બ્રાહ્મણ દેખાડ્યાં છે. બ્રહ્મા, સાધારણ મનુષ્ય અનેક જન્મોનાં અંતમાં ગરીબ
થયાં ને. આ સમયે છે જ ખાદીનાં કપડા. તે બિચારાઓ સમજતાં નથી સૂક્ષ્મ શરીર શું હોય
છે. તમને બાપ સમજાવે છે - ત્યાં છે જ ફરિશ્તાઓ, જેમને હાડ-માંસ હોતાં નથી.
સૂક્ષ્મવતન માં તો આ શ્રુંગાર વગેરે હોવાં ન જોઈએ. પરંતુ ચિત્રોમાં દેખાડ્યું છે તો
બાબા તેમનો જ સાક્ષાત્કાર કરાવી પછી અર્થ સમજાવે છે. જેમ હનુમાન નો સાક્ષાત્કાર
કરાવે છે. હવે હનુમાન જેવાં કોઈ મનુષ્ય હોતાં નથી. ભક્તિમાર્ગ માં અનેક પ્રકારનાં
ચિત્ર બનાવ્યાં છે, જેમનો વિશ્વાસ બેસી ગયો છે તેમને એવું કંઈ બોલો તો બગડી જશે.
દેવીઓ વગેરેની કેટલી પૂજા કરે છે પછી ડૂબાડી દે છે. આ બધું છે ભક્તિમાર્ગ.
ભક્તિમાર્ગ માં દલદલ માં ગળા સુધી ડૂબેલાં છે તો પછી નીકાળી કેવી રીતે શકશે. નીકાળવાં
જ મુશ્કેલ થઈ જાય છે. કોઈ-કોઈ તો બીજાઓને નીકળવાનાં નિમિત્ત બની પોતે જ ડૂબી જાય
છે. પોતે ગળા સુધી દુબન (દલદલ) માં ફસાય અર્થાત્ કામ વિકાર માં પડી પડે છે. આ છે
સૌથી મોટું દુબન (દલદલ). સતયુગ માં આ વાતો હોતી નથી. હમણાં તમે સત્ય બાપ દ્વારા
સત્ય દેવતા બની રહ્યાં છો. પછી ત્યાં સતસંગ હોતાં નથી. સતસંગ અહીંયા ભક્તિમાર્ગ માં
કરતાં રહે છે, સમજે છે બધાં ઈશ્વરનાં રુપ છે. કંઈ પણ નથી સમજતાં. બાપ બેસી સમજાવે
છે-કળયુગમાં છે બધી પાપ આત્માઓ, સતયુગમાં હોય છે પુણ્ય આત્માઓ. રાત-દિવસનો ફરક છે.
તમે હમણાં સંગમ પર છો. કળયુગ અને સતયુગ બંનેવ ને જાણો છો. મૂળ વાત છે આ પાર થી તે
પાર જવાની. ક્ષીરસાગર અને વિષયસાગર નું ગાયન પણ છે પરંતુ અર્થ કંઈ નથી સમજતાં. હવે
બાપ બેસી કર્મ-અકર્મ નું રહસ્ય સમજાવે છે. કર્મ તો મનુષ્ય કરે જ છે પછી કોઈ કર્મ
અકર્મ થાય છે, કોઈ વિકર્મ થાય છે. રાવણરાજ્ય માં બધાં કર્મ વિકર્મ થઈ જાય છે, સતયુગ
માં વિકર્મ થતાં નથી કારણ કે ત્યાં છે રામરાજ્ય. બાપ થી વરદાન પામેલાં છે. રાવણ આપે
છે શ્રાપ. આ સુખ અને દુઃખ નો ખેલ છે ને. દુઃખમાં બધાં બાપ ને યાદ કરે છે. સુખ માં
કોઈ યાદ નથી કરતા. ત્યાં વિકાર હોતાં નથી. બાળકોને સમજાવ્યું છે - સૈપલિંગ (કલમ)
લગાવે છે. આ સૈપલિંગ લગાવવાનો રીવાજ પણ હમણાં પડ્યો છે. બાપે સૈપલિંગ લગાવવાનું શરુ
કર્યુ છે. પહેલાં જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો ક્યારેય સમાચાર પત્ર માં નહોતું
આવતું કે ઝાડોની સૈપલીંગ (કલમ) લગાવે છે. હવે બાપ બેસી દેવી-દેવતા ધર્મની સૈપલિંગ
લગાવે છે, બીજી કોઈ સૈપલિંગ નથી લગાવતાં. અનેક ધર્મ છે, દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ
છે. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ થવાનાં કારણે નામ જ ઉલટું-સુલટું રાખી દીધું છે. જે
દેવતા ધર્મનાં છે તેમણે ફરી તે જ દેવી-દેવતા ધર્મ માં આવવાનું છે. દરેકે પોતાનાં
ધર્મમાં જ જવાનું છે. ક્રિશ્ચિયન ધર્મનાં નીકળીને પછી દેવી-દેવતા ધર્મમાં આવી નહીં
શકશે. મુક્તિ તો થઈ ન શકે. હાં, કોઈ દેવી-દેવતા ધર્મનાં બદલી થઈને ક્રિશ્ચિયન ધર્મ
માં ચાલ્યાં ગયાં હશે તો તે ફરી પાછાં પોતાનાં દેવી-દેવતા ધર્મમાં આવી જશે. તેમને આ
જ્ઞાન અને યોગ ખુબ સારો લાગશે, એનાથી સિદ્ધ થાય છે કે આ આપણા ધર્મનાં છે. આમાં ખુબ
વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની અને સમજાવવાની. ધારણા કરવાની છે, પુસ્તક વાંચીને નથી
સંભળાવવાનું. જેમ કોઇ ગીતા સંભળાવે છે, મનુષ્ય બેસીને સાંભળે છે. કોઈ તો ગીતાનાં
શ્લોક એકદમ કંઠસ્થ કરી લે છે. બાકી તો એનો અર્થ દરેક પોત-પોતાનો બેસીને નીકાળે છે.
શ્લોક બધાં સંસ્કૃત માં છે. અહીંયા તો ગાયન છે કે સાગર ને શાહી બનાવી દો, આખા જંગલ
ને કલમ બનાવી દો, તો પણ જ્ઞાન નો અંત નથી થતો. ગીતા તો ખુબ નાની છે. ૧૮ અધ્યાય છે.
આટલી નાની ગીતા બનાવીને ગળા માં પહેરે છે. ખુબ પાતળા અક્ષર હોય છે. ગળા માં પહેરવાની
પણ આદત હોય છે. કેટલું નાનું લોકેટ બને છે. હકીકત માં છે તો સેકન્ડ ની વાત. બાપ નાં
બન્યાં જેમ કે વિશ્વનાં માલિક બન્યાં. બાબા હું તમારો એક દિવસનો બાળક છું, એવું પણ
લખવાનું શરું કરશે. એક દિવસમાં નિશ્ચય થયો અને ફટ થી પત્ર લખશે. બાળક બન્યાં તો
વિશ્વનાં માલીક થયાં. આ પણ કોઈની બુદ્ધિમાં મુશ્કેલ બેસે છે. તમે વિશ્વનાં માલિક બનો
છો ને. ત્યાં બીજો કોઈ ખંડ નથી રહેતો, નામ-નિશાન ગુમ થઈ જાય છે. કોઈને ખબર પણ નથી
રહેતી કે આ ખંડ હતાં. જો હશે તો જરુર તેમની હિસ્ટ્રી-જોગ્રોફી જોઈએ. ત્યાં આ હોતાં
જ નથી એટલે કહેવાય છે તમે વિશ્વનાં માલિક બનવા વાળા છો. બાબાએ સમજાવ્યું છે - હું
તમારો બાપ પણ છું, જ્ઞાનનો સાગર છું. આ તો ખુબ ઊંચે થી ઊંચું જ્ઞાન છે જેનાથી આપણે
વિશ્વનાં માલિક બનીએ છીએ. આપણા બાપ સુપ્રીમ છે, સત્ય બાપ, સત્ય શિક્ષક છે, સત્ય
સંભળાવે છે. બેહદ ની શિક્ષા આપે છે. બેહદનાં ગુરુ છે, સર્વ ની સદ્દગતિ કરે છે. એક
ની મહિમા કરી તો તે મહિમા પછી બીજાની થઇ નથી શકતી. પછી એ આપ સમાન બનાવે ત્યારે થઈ
શકે. તો તમે પણ પતિત-પાવન થયાં. સત નામ લખે છે. પતિત-પાવની ગંગાઓ આ માતાઓ છે. શિવ
શક્તિ કહો શિવવંશી કહો. શિવવંશી બ્રહ્મા કુમાર-કુમારીઓ. શિવવંશી તો બધાં છે. બાકી
બ્રહ્મા દ્વારા રચના રચે છે તો સંગમ પર જ બ્રહ્માકુમાર-કુમારીઓ હોય છે. બ્રહ્મા
દ્વારા એડોપ્ટ (દત્તક લે) કરે છે. પહેલાં-પહેલાં હોય છે બ્રહ્માકુમાર-કુમારીઓ. કોઈ
પણ વાંધો ઉઠાવે છે તો તેમને કહો, આ પ્રજાપિતા છે, આમનામાં પ્રવેશ કરે છે. બાપ કહે
છે કે અનેક જન્મોનાં અંતમાં હું પ્રવેશ કરું છું. દેખાડે છે વિષ્ણુની નાભીમાંથી
બ્રહ્મા નીકળ્યાં. સારું વિષ્ણુ પછી કોની નાભિથી નીકળ્યાં? તેમાં તીર નું નિશાન આપી
શકો છો કે બંને ઓત-પ્રોત છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ તેમાંથી, તે
આમાંથી ઉત્પન્ન થયાં છે. આમને લાગે છે એક સેકન્ડ, તેમને લાગે છે કે ૫ હજાર વર્ષ. આ
વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે ને. તમે બેસી સમજાવશો. બાપ કહે છે લક્ષ્મી-નારાયણ ૮૪
જન્મ લે છે પછી તેમનાં જ અનેક જન્મોનો અંતમાં હું પ્રવેશ કરી આ બનાવું છું. સમજવાની
વાત છે ને. બેસો તો સમજાવે કે આમને બ્રહ્મા કેમ કહે છે. આખી દુનિયા ને દેખાડવા માટે
આ ચિત્ર બનાવ્યાં છે. આપણે સમજાવી શકીએ છીએ, સમજાવવા વાળા જ સમજશે. નહીં સમજવા
વાળાનાં માટે કહે શું આ આપણા કુળનાં નથી. બિચારા ભલે ત્યાં આવશે પરંતુ પ્રજામાં.
આપણા માટે તો બધાં બિચારા છે ને - ગરીબ ને બિચારા કહેવાય છે. કેટલી પોઇન્ટ્સ (વાતો)
બાળકોએ ધારણ કરવાની છે. ભાષણ કરવાનું હોય છે વિષય પર. આ વિષય કાંઈ ઓછો છે શું.
પ્રજાપિતા બ્રહ્મા અને સરસ્વતી, ૪ ભુજાઓ દેખાડે છે. તો ૨ ભુજા બાળકીની થઈ જાય છે.
યુગલ તો છે નહીં. યુગલ તો હકીકત માં બસ વિષ્ણુ જ છે. બ્રહ્માની બાળકી છે સરસ્વતી.
શંકર ને પણ યુગલ નથી, આ કારણે શિવ-શંકર કહી દે છે. હવે શંકર શું કરે છે? વિનાશ તો
એટોમિક બૉમ્બસ થી થાય છે. બાપ કેવી રીતે બેસી બાળકો નું મોત કરાવશે, આ તો પાપ થઇ
જાય. બાપ તો બધાને શાંતિધામ પાછાં લઈ જાય છે, વગર મહેનતે. હિસાબ-કિતાબ ચૂકતું કરી
બધાં ઘરે જાય છે કારણ કે કયામત નો સમય છે. બાપ આવે જ છે સર્વિસ (સેવા) પર. બધાને
સદ્દગતિ આપી દે છે. તમે પણ પહેલાં ગતિમાં પછી સદ્દગતિ માં આવશો. આ વાતો સમજવાની છે.
આ વાતોને જરા પણ કોઈ નથી જાણતું. તમે જુઓ છો કોઈ તો બહુજ માથું ખપાવે છે, બિલકુલ
સમજતાં નથી. જે કંઈક સારું સમજવા વાળા હશે, તે આવીને સમજશે. બોલો, એક-એક વાત પર
સમજવું છે તો સમય આપો. અહીંયા તો ફક્ત હુકમ છે, બધાને બાપ નો પરિચય આપો. આ છે જ
કાટાઓનું જંગલ કારણ કે એક-બીજાને દુઃખ આપતાં રહે છે, આને દુઃખધામ કહેવાય છે. સતયુગ
છે સુખધામ. દુઃખધામ થી સુખધામ કેવી રીતે બને છે આ તમને સમજાવીએ. લક્ષ્મી-નારાયણ
સુખધામમાં હતાં પછી આ ૮૪ જન્મ લઇ દુઃખધામ માં આવે છે. આ બ્રહ્મા નું નામ પણ કેવી
રીતે રાખ્યું. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી બેહદનો સન્યાસ કરાવું છું. ફટ થી
સન્યાસ કરાવી દે છે કારણ કે બાપે સેવા કરાવવાની છે, એ જ કરાવે છે. આમની પાછળ ખુબ
નીકળ્યાં જેમનું નામ બેસી ને રાખ્યું. તે લોકો પછી બિલાડીનાં પુંગરા પર બેસી દેખાડે
છે. આ બધી છે દંતકથાઓ. બિલાડી નાં પુંગરા હોય કેવી રીતે શકે. બિલાડી થોડી બેસી
જ્ઞાન સાંભળશે. બાબા યુક્તિઓ ખુબ બતાવતા રહે છે. કોઈ વાત કોઇને સમજમાં ન આવે તો
તેમને કહો-જ્યાં સુધી અલ્ફ ને નથી સમજ્યાં તો બીજું કંઈ સમજી નહીં શકશો. એક વાત
નિશ્ચય કરો અને લખો, નહીં તો ભૂલી જવાશે. માયા ભૂલાવી દેશે. મુખ્ય વાત છે બાપનાં
પરિચયની. આપણા બાપ સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક છે જે આખાં વિશ્વનાં આદિ-મધ્ય-અંત
નું રહસ્ય સમજાવે છે, જેની કોઇને ખબર નથી, આ સમજાવવામાં સમય જોઈએ. જ્યાં સુધી બાપને
નથી સમજ્યાં ત્યાં સુધી પ્રશ્ન ઉઠતાં જ જશે. અલ્ફ નથી સમજ્યાં તો બે ને કંઈ નહીં
સમજશે. મફત સંશય ઉઠાવતાં રહેશે- આવું કેમ, શાસ્ત્ર માં તો આવું કહે છે એટલે પહેલાં
બધાં ને બાપ નો પરિચય આપો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મ,
અકર્મ અને વિકર્મ ની ગુહ્ય ગતિને બુદ્ધિમાં રાખી હવે કોઈ વિકર્મ નથી કરવાનાં, જ્ઞાન
અને યોગની ધારણા કરી બીજાઓને સંભળાવવાનું છે.
2. સત્ય બાપનું સત્ય જ્ઞાન આપીને મનુષ્યો ને દેવતા બનાવવાની સેવા કરવાની છે. વિકારો
નાં દલદલ થી બધાને નીકાળવાનાં છે.
વરદાન :-
પોતાની
પાવરફુલ સ્થિતિ દ્વારા મન્સા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાવાળા સ્વ અભ્યાસી ભવ
વિશ્વને લાઈટ અને
માઇટ નું વરદાન આપવા માટે અમૃતવેલાએ યાદનાં સ્વ અભ્યાસ દ્વારા પાવરફુલ વાયુમંડળ
બનાવો ત્યારે મન્સા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. અંતિમ સમયમાં મન્સા દ્વારા જ
નજર થી નિહાલ કરવાની, પોતાની વૃત્તિ દ્વારા તેમની વૃત્તિઓને બદલવાની સેવા કરવાની
છે. પોતાની શ્રેષ્ઠ સ્મૃતિ થી બધાને સમર્થ બનાવવાનાં છે. જ્યારે એવો લાઈટ માઈટ
આપવાનો અભ્યાસ હશે ત્યારે નિર્વિઘ્ન વાયુમંડળ બનશે અને આ કિલ્લો મજબૂત થશે.
સ્લોગન :-
સમજદાર તે છે
જે મન્સા-વાચા-કર્મણા ત્રણેય સેવાઓ સાથે-સાથે કરે છે.