29-11-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  23.01.87    બાપદાદા મધુબન


“ સફળતા નાં તારાઓની વિશેષતાઓ ”
 


આજે જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમાં પોતાનાં ચમકતાં તારામંડળ ને જોઈ રહ્યાં છે. તે આકાશ નાં તારાઓ છે અને આ ધરતી નાં તારાઓ છે. તે પ્રકૃતિ ની સત્તા છે, આ પરમાત્મ-તારાઓ છે, રુહાની તારાઓ છે. તે તારાઓ પણ રાતનાં જ પ્રગટ થાય છે, આ રુહાની તારાઓ, જ્ઞાન-તારાઓ, ચમકતાં તારાઓ પણ બ્રહ્મા ની રાતમાં જ પ્રગટ થાય છે. તે તારાઓ રાત ને દિવસ નથી બનાવતાં, ફક્ત સૂર્ય રાત ને દિવસ બનાવે છે. પરંતુ આપ તારાઓ જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમાની સાથે સાથી બની રાત ને દિવસ બનાવો છો. જેમ પ્રકૃતિ નાં તારામંડળ માં અનેક પ્રકાર નાં તારાઓ ચમકતાં દેખાય છે, તેમ પરમાત્મ-તારામંડળ માં પણ ભિન્ન-ભિન્ન પ્રકાર નાં તારાઓ ચમકતાં દેખાઈ રહ્યાં છે. કોઈ સમીપ નાં તારાઓ છે અને કોઈ દૂર નાં તારાઓ પણ છે. કોઈ સફળતા નાં તારાઓ છે તો કોઈ ઉમ્મીદવાર તારાઓ છે. કોઈ એક સ્થિતિ વાળા છે અને કોઈ સ્થિતિ બદલવા વાળા છે. તે સ્થાન બદલે, અહીં સ્થિતિ બદલે. જેમ પ્રકૃતિ નાં તારામંડળ માં પૂછડિયા (પૂંછડી વાળા) તારાઓ પણ છે અર્થાત્ દરેક વાત માં, દરેક કાર્ય માં “આ કેમ”, “આ શું” - આ પૂછવાનાં પૂંછવાળા અર્થાત્ ક્વેશ્ચન માર્ક (પ્રશ્ન) કરવા વાળા પૂછડિયા તારાઓ છે. જેમ પ્રકૃતિ નાં પૂછડિયા તારા નો પ્રભાવ પૃથ્વી પર ભારે મનાય છે, એમ વારંવાર પૂછવા વાળા, આ બ્રાહ્મણ પરિવાર માં વાયુમંડળ ભારે કરી દે છે. બધાં અનુભવી છો. જ્યારે સ્વયં નાં પ્રતિ પણ સંકલ્પ માં ‘શું’ અને ‘કેમ’ ની પૂંછ લાગી જાય છે તો મન અને બુદ્ધિની સ્થિતિ સ્વયં પ્રતિ ભારે બની જાય છે. સાથે-સાથે જો કોઈ પણ સંગઠનની વચ્ચે કે સેવા નાં કાર્ય પ્રતિ કેમ, શું, આવું, કેવું,...આ ક્વેશ્ચન માર્ક ની કયું (લાઈન) ની પૂંછ લાગી જાય છે તો સંગઠન નું વાતાવરણ અથવા સેવા ક્ષેત્ર નું વાતાવરણ તરંત ભારે બની જાય છે. તો સ્વયં પ્રતિ, સંગઠન અથવા સેવા પ્રતિ પ્રભાવ પડી જાય છે ને. સાથે-સાથે ઘણાં પ્રકૃતિનાં તારાઓ ઉપર થી નીચે પડે પણ છે, તો શું બની જાય છે? પથ્થર. પરમાત્મ-તારાઓ માં પણ જ્યારે નિશ્ચય, સંબંધ અથવા સ્વ-ધારણા ની ઊંચી સ્થિતિ થી નીચે આવી જાય છે તો પથ્થરબુદ્ધિ બની જાય છે. કેવી રીતે પથ્થર બુદ્ધિ બની જાય છે? જેમ પથ્થર ને કેટલું પણ પાણી નાખો પરંતુ પથ્થર પીગળશે નહીં, રુપ બદલાઈ જાય છે પરંતુ પીગળશે નહીં. પથ્થર ને કાંઈ પણ ધારણ થતું નથી. એમ જ જ્યારે પથ્થર બુદ્ધિ બની જાય છે તો તે સમયે કેટલી પણ, કોઈ પણ સારી વાત મહેસૂસ કરાવો તો મહેસૂસ નથી કરતાં. કેટલું પણ જ્ઞાનનું પાણી નાખો પરંતુ બદલાશે નહીં. વાતો બદલતાં રહેશે પરંતુ સ્વયં બદલાશે નહિં. આને કહે છે પથ્થરબુદ્ધિ બની જાય છે. તો પોતે સ્વયં ને પૂછો-આ પરમાત્મ-તારામંડળ નાં તારાઓ વચ્ચે હું કયો તારો છું?

સૌથી શ્રેષ્ઠ તારો છે સફળતા નો તારો. સફળતા નો તારો અર્થાત્ જે સદા સ્વયંની પ્રગતિમાં સફળતા નો અનુભવ કરતાં રહે અર્થાત્ પોતાનાં પુરુષાર્થ ની વિધિ માં સદૈવ સહજ સફળતા અનુભવ કરતાં રહે. સફળતા નાં તારાઓ સંકલ્પ માં પણ સ્વયંના પુરુષાર્થ પ્રતિ પણ ક્યારેય “ખબર નહીં આ થશે કે નહીં થશે”, “કરી શકશું કે નહીં કરી શકશું” - આ અસફળતા નો અંશ માત્ર પણ નહીં હશે. જેમ સ્લોગન છે - સફળતા જન્મ-સિદ્ધ અધિકાર છે, એમ તે સ્વયં પ્રતિ સદા સફળતા અધિકાર નાં રુપમાં અનુભવ કરશે. અધિકાર ની પરિભાષા જ છે વગર મહેનતે, માંગ્યા વગર પ્રાપ્ત થાય. સહજ અને સ્વતઃ પ્રાપ્ત થાય - આને કહેવાય છે અધિકાર. એમ જ એક - સ્વયં પ્રતિ સફળતા, બીજું - પોતાનાં સંબંધ-સંપર્ક માં આવતાં, ભલે બ્રાહ્મણ આત્માઓનાં, ભલે લૌકિક પરિવાર અથવા લૌકિક કાર્યનાં સંબંધમાં, સર્વ સબંધ-સંપર્કમાં, સંબંધ માં આવતાં, સંપર્કમાં આવતાં કેટલી પણ મુશ્કેલ વાત ને સફળતા નાં અધિકાર નાં આધાર થી સહજ અનુભવ કરશે અર્થાત્ સફળતા ની પ્રગતિમાં આગળ વધતાં જશે. હાં, સમય લાગી શકે છે પરંતુ સફળતાનો અધિકાર પ્રાપ્ત થઈ ને જ રહેશે. આમ, સ્થૂળ કાર્ય અથવા અલૌકિક સેવા નું કાર્ય અર્થાત્ બંનેવ ક્ષેત્રમાં કર્મમાં સફળતા નાં નિશ્ચયબુદ્ધિ વિજયી રહેશે. ક્યાંક-ક્યાંક પરિસ્થિતિ નો સામનો પણ કરવો પડશે, વ્યક્તિઓ દ્વારા સહન પણ કરવું પડશે પરંતુ તે સહન કરવું ઉન્નતિ નો રસ્તો બની જશે. પરિસ્થિતિ નો સામનો કરતાં, પરિસ્થિતિ સ્વસ્થિતિ ની ઉડતી કળા નું સાધન બની જશે અર્થાત્ દરેક વાતમાં સફળતા સ્વતઃ સહજ અને અવશ્ય પ્રાપ્ત થશે.

સફળતા નાં તારાઓ, એની વિશેષ નિશાની છે - ક્યારેય પણ સ્વની સફળતાનું અભિમાન નહીં હશે, વર્ણન નહીં કરશે, પોતાનાં ગીત નહીં ગાશે પરંતુ જેટલી સફળતા એટલાં નમ્રચિત્, નિર્માણ, નિર્મળ સ્વભાવ હશે. અને (બીજા) એમના ગીત ગાશે પરંતુ તે સ્વયં સદા બાપ નાં ગુણ ગાશે. સફળતા નાં તારાઓ ક્યારેય પણ ક્વેશ્ચન માર્ક નહિં કરશે. સદા બિંદી રુપમાં સ્થિત રહી દરેક કાર્યમાં બીજાઓને પણ ‘ડ્રામા ની બિંદી’ સ્મૃતિ માં અપાવી, વિઘ્ન-વિનાશક બનાવી, સમર્થ બનાવી સફળતાની મંજિલ ની સમીપ લાવતાં રહેશે. સફળતાનાં તારાઓ ક્યારેય પણ હદની સફળતાની પ્રાપ્તિને જોઈ પ્રાપ્તિ ની સ્થિતિ માં બહુજ ખુશી અને પરિસ્થિતિ આવી અથવા પ્રાપ્તિ થોડી ઓછી થઈ તો ખુશી પણ ઓછી થઈ જાય - એવી સ્થિતિ પરિવર્તન કરવાવાળા નહીં હશે. સદા બેહદનાં સફળતામૂર્ત હશે. એકરસ, એક શ્રેષ્ઠ સ્થિતિ પર સ્થિત હશે. ભલે બહારની પરિસ્થિતિ અથવા કાર્ય માં બહારનાં રુપ થી બીજાઓને અસફળતા અનુભવ થાય પરંતુ સફળતાનાં તારાઓ અસફળતા ની સ્થિતિ નાં પ્રભાવમાં ન આવીને, સફળતાની સ્વસ્થિતિ થી અસફળતા ને પણ પરિવર્તન કરી લેશે. આ છે સફળતા નાં તારાઓની વિશેષતાઓ. હવે સ્વયં થી પૂછો-હું કોણ છું? ફક્ત ઉમ્મીદવાર છું કે સફળતા સ્વરુપ છું? ઉમ્મીદવાર બનવું પણ સારું છે, પરંતુ ફક્ત ઉમ્મીદવાર બની ચાલવું, પ્રત્યક્ષ સફળતાનો અનુભવ ન કરવો, આમાં ક્યારેક શક્તિશાળી, ક્યારેક દિલશિકસ્ત….આ નીચે-ઉપર થવાનો વધારે અનુભવ કરે છે. જેમ કોઇ પણ વાતમાં જો વધારે નીચે-ઉપર થતું રહે તો થકાવટ થઈ જાય છે ને. તો આમાં પણ ચાલતાં-ચાલતાં થકાવટ નો અનુભવ દિલશિકસ્ત બનાવી દે છે. તો નાઉમ્મીદવાર થી ઉમ્મીદવાર સારું છે, પરંતુ સફળતા-સ્વરુપ નો અનુભવ કરવા વાળા સદા શ્રેષ્ઠ છે. સારું. સાંભળી - તારામંડળ ની કહાની? ફક્ત મધુબન નો હોલ તારામંડળ નથી, બેહદ બ્રાહ્મણ સંસાર તારામંડળ છે. અચ્છા.

બધાં આવવા વાળા નવાં બાળકો, નવાં પણ છે અને જૂનાં પણ ખૂબ છે કારણ કે અનેક કલ્પ નાં છો, તો અતિ જૂનાં પણ છો. તો નવાં બાળકો નો નવો ઉમંગ-ઉત્સાહ મિલન મનાવવાનો ડ્રામાની નોંધ પ્રમાણે પૂરો થયો. ખૂબ ઉમંગ રહ્યો ને. જઈએ-જઈએ...એટલો ઉમંગ રહ્યો જે ડાયરેક્શન (માર્ગદર્શન) પણ ન સાંભળ્યું. મિલન ની મસ્તી માં મસ્ત હતાં ને. કેટલું કહ્યું-ઓછાં આવો, ઓછાં આવો, તો કોઇએ સાંભળ્યું? બાપદાદા ડ્રામા નાં દરેક દૃશ્ય ને જોઈ હર્ષિત થાય છે કે આટલાં બધાં બાળકોને આવવાનું જ હતું, એટલે આવી ગયાં છે. બધું સહજ મળી રહ્યું છે ને? મુશ્કેલિ તો નથી ને? આ પણ ડ્રામા અનુસાર, સમય પ્રમાણ રિહર્સલ (પૂર્વતૈયારી) થઈ રહી છે. બધાં ખુશ છો ને? મુશ્કેલિ ને સહજ બનાવવા વાળા છો ને ? દરેક કાર્યમાં સહયોગ આપવો, જે ડાયરેક્શન મળે છે એમાં સહયોગી બનવું અર્થાત્ સહજ બનાવવું. જો સહયોગી બને છે તો ૫૦૦૦ પણ સમાઈ જાય છે અને સહયોગી નથી બનતાં અર્થાત્ વિધિપૂર્વક નથી ચાલતાં તો ૫૦૦ પણ સમાવવાં મુશ્કેલ છે, એટલે, દાદીઓ ને એવો પોતાનો રેકોર્ડ દેખાડીને જજો જે બધાનાં દિલ થી આ જ નીકળે કે ૫૦૦૦, પાંચસો નાં બરાબર સમાયેલાં હતાં. આને કહે છે મુશ્કેલિ ને સહજ કરવું. તો બધાએ પોતાનો રેકોર્ડ સારો ભર્યો છે ને? સર્ટીફીકેટ (પ્રમાણ-પત્ર) સારું મળી રહ્યું છે. એમ જ સદા ખુશ રહેજો અને ખુશ કરજો, તો સદા જ તાળીઓ વગાડતાં રહેશે. સારો રેકોર્ડ છે, એટલે જુઓ, ડ્રામા અનુસાર બે વાર મળવાનું થયું છે! આ નવાઓની પાલના ડ્રામા અનુસાર થઈ ગઈ છે. અચ્છા.

સદા રુહાની સફળતા નાં શ્રેષ્ઠ તારાઓ ને, સદા એકરસ સ્થિતિ દ્વારા વિશ્વ ને રોશન કરવા વાળા, જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમાની સદા સાથે રહેવા વાળા, સદા અધિકાર નાં નિશ્ચય થી નશા અને નમ્રચિત્ત સ્થિતિ માં રહેવા વાળા, આવાં પરમાત્મ-તારામંડળ નાં સર્વ ચમકતા તારાઓને જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમા બાપદાદાની રુહાની સ્નેહ સંપન્ન યાદપ્યાર અને નમસ્તે .

પાર્ટીઓથી મુલાકાત :-

(૧) પોતાને સદા નિર્વિઘ્ન, વિજયી રત્ન સમજો છો? વિઘ્ન આવવું, એ તો સારી વાત છે પરંતુ વિઘ્ન હાર ન ખવડાવે. વિઘ્નોનો નું આવવું અર્થાત્ સદાનાં માટે મજબુત બનાવવાં. વિઘ્ન ને પણ એક રમત સમજી પાર કરવું - આને કહે છે નિર્વિઘ્ન વિજયી. તો વિઘ્નો થી ગભરાતા તો નથી? જ્યારે બાપ નો સાથ છે તો ગભરાવા ની કોઈ વાત જ નથી. એકલા કોઈ હોય છે તો ગભરાય છે. પરંતુ જો કોઈ સાથે હોય છે તો ગભરાતા નથી, બહાદુર બની જાય છે. તો જ્યાં બાપ નો સાથ છે, ત્યાં વિઘ્ન ગભરાશે કે તમે ગભરાશો? સર્વશક્તિવાન ની આગળ વિઘ્ન શું છે? કાંઈ પણ નથી એટલે વિઘ્ન રમત લાગે, મુશ્કેલ નહીં લાગશે. વિઘ્ન અનુભવી અને શક્તિશાળી બનાવી દે છે. જે સદા બાપની યાદ અને સેવામાં લાગેલા છે, બીઝી (વ્યસ્ત) છે, તે નિર્વિઘ્ન રહે છે. જો બુદ્ધિ બીઝી નથી રહેતી તો વિઘ્ન અથવા માયા આવે છે. જો બીઝી રહે તો માયા પણ કિનારો કરી લેશે. આવશે નહીં, ચાલી જશે. માયા પણ જાણે છે કે આ મારા સાથી નથી, હમણાં પરમાત્મા નાં સાથી છે. તો કિનારો કરી લેશે. અનગણિત વાર વિજયી બન્યાં છો, એટલે વિજય પ્રાપ્ત કરવી મોટી વાત નથી. જે કામ અનેક વાર કરેલું હોય છે, તે સહજ લાગે છે. તો અનેકવાર નાં વિજયી. સદા રાજી રહેવા વાળા છો ને ? માતાઓ સદા ખુશ રહો છો? ક્યારેય રડતી તો નથી? ક્યારેલ કોઈ પરિસ્થિતિ એવી આવી જાય તો રડશો? બહાદુર છો. પાંડવ મનમાં તો નથી રડતાં? આ “કેમ થયું”, “શું થયું” - એવું રડવાનું તો નથી રડતાં? બાપ નાં બનીને પણ જો સદા ખુશ નહીં રહો તો ક્યારે રહેશો? બાપ નું બનવું એટલે સદા ખુશી માં રહેવું. ન દુઃખ છે, ન દુઃખમાં રડશો. બધાં દુઃખ દૂર થઈ ગયાં. તો પોતાનાં આ વરદાનને સદા યાદ રાખજો. અચ્છા.

(૨) પોતાને આ રુહાની બગીચાનાં રુહાની રુહે ગુલાબ સમજો છો? જેમ બધાં ફૂલોમાં ગુલાબનું પુષ્પ સુગંધ નાં કારણે પ્રિય લાગે છે. તો તે છે ગુલાબ અને તમે બધાં છો રુહે ગુલાબ. રુહે ગુલાબ અર્થાત્ જેમાં સદા રુહાની સુગંધ હોય. રુહાની સુગંધવાળા જ્યાં પણ જુઓ, જેમને પણ જુઓ તો રુહ ને જુઓ, શરીર ને નહીં જુઓ. સ્વયં પણ સદા રુહાની સ્થિતિ માં રહેશે અને બીજાઓ ને પણ રુહ ને જોશે. આને કહે છે રુહાની ગુલાબ. આ બાપનો બગીચો છે. જેમ બાપ ઊંચે થી ઉંચા છે, એમ બગીચો પણ ઊંચે થી ઊંચો છે જે બગીચાનો વિશેષ શૃંગાર રુહે ગુલાબ - તમે બધાં છો અને આ રુહાની સુગંધ અનેક આત્માઓનું કલ્યાણ કરવા વાળી છે.

આજે વિશ્વમાં જે પણ મુશ્કેલીઓ છે, એનું કારણ જ છે કે એક બીજાને રુહ નથી જોતાં. દેહ-અભિમાન ને કારણે બધી સમસ્યાઓ છે. દેહી-અભિમાની બની જાય તો બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય. તો આપ રુહાની ગુલાબ વિશ્વ પર રુહાની સુગંધ ફેલાવવાનાં નિમિત્ત છો, એવો સદા નશો રહે છે? ક્યારેક એક, ક્યારેક બીજો નહીં. સદા એકરસ સ્થિતિ માં શક્તિ હોય છે. સ્થિતિ બદલવાથી શક્તિ ઓછી થઈ જાય છે. સદા બાપની યાદ માં રહી જ્યાં પણ સેવાનું સાધન છે, ચાન્સ (તક) લઈને આગળ વધતાં જાઓ. પરમાત્મ-બગીચાનાં રુહાની ગુલાબ સમજી રુહાની સુગંધ ફેલાવતાં રહો. કેટલી મીઠી રુહાની સુગંધ છે જે સુગંધ ને બધાં ઈચ્છે છે. આ રુહાની સુગંધ અનેક આત્માઓની સાથે-સાથે પોતાનું પણ કલ્યાણ કરી લે છે. બાપદાદા જુએ છે કે કેટલી રુહાની સુગંધ ક્યાં-ક્યાં સુધી ફેલાવતાં રહે છે? જરા પણ ક્યાંય દેહ-અભિમાન મિક્સ થયું તો રુહાની સુગંધ સાચી નહીં હશે. સદા આ રુહાની સુગંધ થી બીજાઓને પણ સુગંધિત બનાવતાં ચાલો. સદા અચળ છો? કોઈ પણ હલચલ હલાવતી તો નથી? કંઈ પણ થાય છે, સાંભળતાં, જોતાં થોડા પણ હલચલ માં તો નથી આવી જતાં? જ્યારે નથીંગ-ન્યુ (કાંઈ જ નવું નથી) છે તો હલચલ માં કેમ આવો? કોઈ નવી વાત હોય તો હલચલ થાય. આ ‘શું’, ‘કેમ’ અનેક કલ્પ થયું છે, આને કહે છે ડ્રામાનાં ઉપર નિશ્ચયબુદ્ધિ. સર્વ શક્તિવાનનાં સાથી છે, એટલે બેપરવા બાદશાહ છે. બધી ફિકર બાપ ને આપી દીધી તો સ્વયં સદા બેફિકર બાદશાહ. સદા રુહાની સુગંધ ફેલાવતાં રહો તો બધાં વિઘ્ન ખતમ થઈ જશે.

વરદાન :-
પ્રત્યક્ષ નાં સમય ને સમીપ લાવવા વાળા સદા શુભ ચિંતક અને સ્વ ચિંતક ભવ

સેવામાં સફળતાનો આધાર છે શુભચિંતક વૃત્તિ, કારણ કે તમારી આ વૃત્તિ આત્માઓની ગ્રહણશક્તિ અથવા જીજ્ઞાશા ને વધારે છે, આનાથી વાણીની સેવા સહજ સફળ થઈ જાય છે. અને સ્વનાં પ્રતિ સ્વ ચિંતન કરવા વાળી સ્વચિંતક આત્મા સદા માયા પ્રૂફ, કોઈની પણ કમજોરીઓ ને ગ્રહણ કરવાથી, વ્યક્તિ કે વૈભવ નાં આકર્ષણ થી પ્રૂફ થઇ જાય છે. તો જ્યારે આ બંને વરદાન પ્રેક્ટીકલ જીવન માં લાવો ત્યારે પ્રત્યક્ષતા નો સમય સમીપ આવે.

સ્લોગન :-
પોતાનાં સંકલ્પો ને પણ અર્પણ કરી દો તો સર્વ કમજોરીઓ સ્વતઃ દૂર થઈ જશે.