09-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારો આ સમય ખુબ - ખુબ મુલ્યવાન છે , એટલે આને વ્યર્થ નહીં ગુમાવો , પાત્ર ને જોઇને જ્ઞાન દાન કરો ”

પ્રશ્ન :-
ગુણોની ધારણા પણ થતી જાય અને ચલન પણ સુધરતી રહે એની સહજ વિધિ શું છે?

ઉત્તર :-
જે બાબા એ સમજાવ્યું છે - તે બીજાઓને સમજાવો. જ્ઞાન ધનનું દાન કરો તો ગુણોની ધારણા પણ સહજ થતી જશે, ચલન પણ સુધરતી રહેશે. જેની બુદ્ધિમાં આ નોલેજ નથી રહેતું, જ્ઞાન ધનનું દાન નથી કરતાં, તે છે મનહુસ (બદનસીબ). તે મફત પોતાનો ઘાટો (નુકશાન) કરે છે.

ગીત :-
બચપન કે દિન ભૂલા ન દેના …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ ગીત સાંભળ્યું, અર્થ તો સારી રીતે સમજ્યો. આપણે આત્મા છીએ અને બેહદ બાપનાં બાળકો છીએ-આ ભૂલી ન જાઓ. હમણાં-હમણાં બાપની યાદમાં હર્ષિત થાય છે, હમણાં-હમણાં પછી યાદ ભૂલી જવાથી દુઃખમાં પડી જાય છે. હમણાં-હમણાં જીવો છો હમણાં-હમણાં મરી પડો છો અર્થાત્ હમણાં-હમણાં બેહદનાં બાપ નાં બનો છો, હમણાં-હમણાં ફરી શરીરધારી પરિવાર તરફ ચાલ્યાં જાઓ છો. તો બાપ કહે છે આજે હસ્યા કાલે રડતાં નહીં. આ થયો ગીતનો અર્થ.

આપ બાળકો જાણો છો - વધારે કરીને મનુષ્ય શાંતિ માટે જ ધક્કા ખાય છે. તીર્થયાત્રા પર જાય છે. એવું નથી કે ધક્કા ખાવાથી કોઈ શાંતિ મળે છે. આ એક જ સંગમયુગ છે, જ્યારે બાપ આવી ને સમજાવે છે. પહેલાં-પહેલાં તો પોતાને ઓળખો. આત્મા છે જ શાંત સ્વરુપ. રહેવાનું સ્થાન પણ શાંતિધામ છે. અહીં આવે છે તો કર્મ જરુર કરવું પડે છે. જ્યારે પોતાનાં શાંતિધામમાં છે તો શાંત છે. સતયુગમાં પણ શાંતિ હોય છે. સુખ પણ છે, શાંતિ પણ છે. શાંતિધામ ને સુખધામ નહીં કહેશું. જ્યાં સુખ છે એને સુખધામ, જ્યાં દુઃખ છે એને દુઃખધામ કહીશું. આ બધી વાતો તમે સમજી રહ્યાં છો. આ બધું સમજાવવા માટે કોઈ ને સમ્મુખ જ સમજાવાય છે. પ્રદર્શની માં જ્યારે અંદર આવે છે તો પહેલાં-પહેલાં બાપનો જ પરિચય આપવો જોઈએ. સમજાવાય છે આત્માઓનાં બાપ એક જ છે. એ જ ગીતાનાં ભગવાન છે. બાકી આ બધી આત્માઓ છે. આત્મા શરીર છોડે અને લે છે. શરીર નાં નામ જ બદલાય છે. આત્મા નું નામ નથી બદલાતું. તો આપ બાળકો સમજાવી શકો છો - બેહદનાં બાપ થી જ સુખ નો વારસો મળે છે. બાપ સુખની સૃષ્ટિ સ્થાપન કરે છે. બાપ દુઃખની સૃષ્ટિ રચે એવું તો હોતું નથી. ભારતમાં લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું ને. ચિત્ર પણ છે-બોલો આ સુખ નો વારસો મળે છે. જે કહે આ તો તમારી કલ્પના છે તો એકદમ છોડી દેવું જોઈએ. કલ્પના સમજવા વાળા કંઈ પણ સમજશે નહીં. તમારો સમય તો બહુ જ મુલ્યવાન છે. આ આખી દુનિયામાં તમારા જેટલો મુલ્યવાન સમય કોઈનો છે નહીં. મોટા-મોટા મનુષ્યો નો સમય મુલ્યવાન હોય છે. બાપ નો સમય કેટલો મુલ્યવાન છે. બાપ સમજાવીને શું થી શું બનાવી દે છે. તો બાપ આપ બાળકોને જ કહે છે કે તમે પોતાનો મુલ્યવાન સમય નહીં ગુમાવો. જ્ઞાન પાત્રને જ આપવાનું છે. પાત્રને સમજાવવું જોઈએ - બધાં બાળકો તો સમજી નહીં શકે, એટલી બુદ્ધિ નથી જે સમજે. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. જ્યાં સુધી આ નથી સમજતાં કે આપણા આત્માઓનાં બાપ શિવ છે તો આગળ કંઈ પણ નહીં સમજી શકશે. ખુબ પ્રેમ, નમ્રતા થી સમજાવીને રવાના કરી દેવા જોઇએ કારણ કે આસુરી સંપ્રદાય ઝઘડા કરવામાં વાર નહીં કરશે. સરકાર વિદ્યાર્થી ની કેટલી મહિમા કરે છે. તેમનાં માટે કેટલાં પ્રબંધ રાખે છે. કૉલેજ નાં વિદ્યાર્થી જ પહેલાં-પહેલાં પત્થર મારવાનું શરું કરે છે. જોશ હોય છે ને. વૃદ્ધ કે માતાઓ તો પથ્થર એટલો જોર થી મારી ન શકે. વધારે કરીને વિદ્યાર્થીઓનો જ અવાજ હોય છે. એમને જ લડાઈ માટે તૈયાર કરે છે. હવે બાપ આત્માઓ ને સમજાવે છે-તમે ઉલ્ટા બની ગયાં છો. પોતાને આત્માનાં બદલે શરીર સમજી લો છો. હવે બાપ તમને સીધા કરી રહ્યાં છે. કેટલો રાત-દિવસનો ફર્ક થઈ જાય છે. સીધા થવાથી તમે વિશ્વનાં માલિક બની જાઓ છો. હમણાં તમે સમજો છો આપણે અડધોકલ્પ ઉલ્ટા હતાં. અડધાકલ્પ માટે સુલ્ટા બનાવે છે. અલ્લાહ નાં બાળકો થઈ જાઓ છો તો વિશ્વની બાદશાહી નો વારસો મળે છે. રાવણ ઉલ્ટા કરી દે છે તો કળા કાયા ચટ થઈ જાય પછી પડતાં જ રહે છે. રામરાજ્ય અને રાવણરાજ્યને આપ બાળકો જાણો છો. તમારે બાપની યાદ માં રહેવાનું છે. ભલે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે તો પણ સમય તો ખુબ મળે છે. કોઈ જિજ્ઞાસુ વગેરે નથી, કામ નથી તો બાપની યાદ માં બેસી જવું જોઈએ. તે તો છે અલ્પકાળ માટે કમાણી અને તમારી આ છે સદાકાળ માટે કમાણી, આમાં અટેન્શન (ઘ્યાન) વધારે આપવું પડે છે. માયા ઘડી-ઘડી બીજી તરફ વિચારોને લઈ જાય છે. આ તો થશે જ. માયા ભુલાવતી રહેશે. આનાં પર એક નાટક પર દેખાડે છે-પ્રભુ આવું કહેતા, માયા આવું કહેતી. બાળકો ને સમજાવે છે મામેકમ્ યાદ કરો, એમાં જ વિઘ્ન પડે છે. બીજી કોઇ વાતમાં આટલાં વિઘ્ન નથી પડતાં. પવિત્રતા પર કેટલો માર ખાય છે. ભાગવત વગેરેમાં આ સમય નું જ ગાયન છે. પૂતનાઓ, સુરપંણખાઓ પણ છે આ બધી આ સમયની વાતો છે જ્યારે બાપ આવીને પવિત્ર બનાવે છે. ઉત્સવ વગેરે પણ જે મનાવે છે, જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે, એનો પછી તહેવાર મનાવે છે. પાસ્ટ ની મહિમા કરતાં આવ્યાં છે. રામરાજ્યની મહિમા ગાએ છે કારણ કે પાસ્ટ થઈ ગયું છે. જેમ ક્રાઇસ્ટ વગેરે આવ્યાં, ધર્મ સ્થાપન કરી ને ગયાં. તિથિ તારીખ પણ લખી દે છે પછી એમનો જન્મદિવસ મનાવતા આવે છે. ભક્તિમાર્ગમાં પણ આ ધંધા અડધોકલ્પ ચાલે છે. સતયુગમાં આ હોતું નથી. આ દુનિયા જ ખતમ થઈ જવાની છે. આ વાતો તમારામાં પણ ખુબ થોડા છે જે સમજે છે. બાપે સમજાવ્યું છે બધી આત્માઓએ અંતમાં પાછું જવાનું છે. બધી આત્માઓ શરીર છોડી ચાલી જશે. આપ બાળકો ની બુદ્ધિ માં છે-બાકી થોડાં દિવસ છે. હવે ફરીથી આ બધું વિનાશ થઈ જવાનું છે. સતયુગમાં ફક્ત આપણે જ આવીશું. બધી આત્માઓ તો નહીં આવશે. જે કલ્પ પહેલાં આવ્યા હતાં તે જ નંબરવાર આવશે. તે જ સારી રીતે ભણીને પછી ભણાવી પણ રહ્યાં છે. જે સારું ભણે છે તે જ પછી નંબરવાર ટ્રાન્સફર થાય છે. તમે પણ ટ્રાન્સફર થાઓ છો. તમારી બુદ્ધિ જાણે છે જે આત્માઓ છે બધી નંબરવાર શાંતિધામ માં જઈને બેસશે પછી નંબરવાર આવતી રહેશે. બાપ છતાં પણ કહે છે મૂળ વાત છે બાપ નો પરિચય આપવો. બાપનું નામ સદૈવ મુખમાં હોય. આત્મા શું છે, પરમાત્મા શું છે? દુનિયામાં કોઈ પણ નથી જાણતું. ભલે ગાએ છે ભ્રકુટી નાં વચમાં ચમકતો છે અજબ તારો…….બસ વધારે કાંઈ નથી સમજતાં. તે પણ આ જ્ઞાન બહુજ થોડાક ની બુદ્ધિમાં છે. ઘડી-ઘડી ભૂલી જાય છે. પહેલાં-પહેલાં સમજાવવાનું છે કે બાપ જ પતિત-પાવન છે. વારસો પણ આપે છે, શહેનશાહ (રાજા) બનાવે છે. તમારી પાસે ગીત પણ છે - આખિર વહ દિન આયા આજ…….. જેનો રસ્તો ભક્તિમાર્ગમાં બહુજ તાકતાં હતાં. દ્વાપર થી ભક્તિ શરું થાય છે પછી અંતમાં બાપ આવીને રસ્તો બતાવે છે. કયામત નો સમય પણ આને જ કહેવાય છે. આસુરી બંધન નો બધો હિસાબ-કિતાબ ચુક્તું કરી પછી ફરી ચાલ્યા જાય છે. ૮૪ જન્મો નાં પાર્ટ ને તમે જાણો છો. આ પાર્ટ ભજવાતો જ રહે છે. શિવજયંતી મનાવે છે તો જરુર શિવ આવ્યાં હશે. જરુર કંઈક કર્યું હશે. એ જ નવી દુનિયા બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ માલિક હતાં, હમણાં નથી. ફરી બાપ રાજયોગ શીખવાડે છે. આ રાજયોગ શીખવાડ્યો હતો. તમારા સિવાય બીજા કોઈનાં મુખ માં આવી નહીં શકે. તમે જ સમજાવી શકો છો. શિવબાબા આપણને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. શિવોહમ્ નો જે ઉચ્ચારણ કરે છે તે પણ ખોટું છે. તમને હવે બાપે સમજાવ્યું છે - તમે જ ચક્ર લગાવી બ્રાહ્મણ કુળ થી દેવતા કુળમાં આવો છો. સો હમ, હમ સો (આપણે જ હતાં અને આપણે જ બનશું) નો અર્થ પણ તમે સમજાવી શકો છો. હમણાં આપણે બ્રાહ્મણ છીએ આ ૮૪ નું ચક્ર છે. આ કોઈ મંત્ર જપવાનો નથી. બુદ્ધિ માં અર્થ રહેવો જોઈએ. તે પણ સેકન્ડ ની વાત છે. જેમ બીજ અને ઝાડ સેકન્ડ માં આખું ધ્યાન માં આવી જાય છે. તેમ હમ સો નું રહસ્ય પણ સેકન્ડ માં આવી જાય છે. આપણે આમ ચક્ર લગાવીએ છીએ જેને સ્વદર્શન ચક્ર પણ કહેવાય છે. તમે કોઈ ને કહો અમે સ્વદર્શન ચક્રધારી છીએ તો કોઈ માનશે નહીં. કહેશે આ તો બધાં પોતાના ઉપર ટાઇટલ (શીર્ષક) રાખે છે. પછી તમે સમજાવશો કે આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ. આ ચક્ર ફરે છે. આત્માને પોતાના ૮૪ જન્મોનાં દર્શન થાય છે, આને જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. પહેલાં તો સાંભળીને ચમકી જાય છે. આ પછી શું ગપોડા લગાવે છે. જ્યારે તમે બાપનો પરિચય આપશો તો તેમને ગપોડા નહીં લાગશે. બાપ ને યાદ કરે છે. ગાએ પણ છે બાબા તમે આવશો તો અમે વારી જઈશું. તમને જ યાદ કરીશું. બાપ કહે છે તમે કહેતાં હતાં ને - હવે પછી તમને યાદ દેવડાવું છું. નષ્ટોમોહા થઈ જાઓ. આ દેહ થી પણ નષ્ટોમોહા થઈ જાઓ. પોતાને આત્મા સમજી મને જ યાદ કરો તો તમારા વિકાર્મો વિનાશ થઇ જશે. આ મીઠી વાત બધાને પસંદ આવશે. બાપ નો પરિચય નહીં હશે તો પછી કોઈને કોઈ વાતમાં સંશય ઉઠાવતાં રહેશે, એ પહેલાં તો ૨-૩ ચિત્ર આગળ રાખી દો, જેમાં બાપ નો પરિચય હોય. બાપનો પરિચય મળવાથી વારસા નો પણ મળી જશે.

બાપ કહે છે - હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. આ ચિત્ર બનાવો. ડબલ સિરતાજ રાજાઓનાં આગળ સિંગલ તાજવાળા માથું ટેકવે છે. પોતેજ પૂજ્ય પોતેજ પૂજારી નું પણ રહસ્ય સમજમાં આવી જાય. પહેલાં બાપ ની પૂજા કરે છે પછી પોતાનાં જ ચિત્રોની બેસી પૂજા કરે છે. જે પાવન થઈને ગયાં છે તેમનાં ચિત્ર બનાવી બેસી પૂજે છે. આ પણ તમને હમણાં જ્ઞાન મળ્યું છે. પહેલાં તો ભગવાનનાં માટે જ કહી દેતા હતાં પોતેજ પૂજ્ય પોતેજ પુજારી. હવે તમને સમજાવાયું છે-તમે જ આ ચક્રમાં આવો છો. બુદ્ધિ માં આ નોલેજ સદૈવ રહે છે અને પછી સમજાવવાનું પણ છે. ધન દિયે ધન ન ખૂટે…. જે ધન દાન નથી કરતાં તેમને મનહૂસ (કમનસીબ) પણ કહે છે. બાપે જે સમજાવ્યું છે તે પછી બીજાઓને સમજાવવાનું છે. નહીં સમજાવશો તો મફત માં પોતાનું નુકશાન કરશો. ગુણ પણ ધારણ નહીં થશે. ચલન જ એવી થઈ જશે. દરેક પોતાને સમજી તો શકે છે ને. તમને હવે સમજ મળી છે. બાકી બધાં છે બેસમજ. તમે બધું જ જાણો છો. બાપ કહે છે આ તરફ છે દૈવી સંપ્રદાય, તે તરફ છે આસુરી સંપ્રદાય. બુદ્ધિ થી તમે જાણો છો હમણાં આપણે સંગમયુગ પર છીએ. એક જ ઘરમાં એક સંગમયુગ નાં, એક કળયુગ નાં, બન્ને સાથે રહે છે. પછી જોવાય છે હંસ બનવાનાં લાયક નથી તો યુક્તિ રચાય છે. નહીં તો વિઘ્ન નાખતાં રહેશે. કોશિશ કરવાની છે આપ સમાન બનાવવાની. અહીં તો હેરાન કરતાં રહેશે પછી યુક્તિ થી કિનારો કરવો પડે છે. વિઘ્ન તો પડશે. આવું જ્ઞાન તો તમે જ આપો છો. મીઠા પણ ખુબજ બનવાનું છે. નષ્ટોમોહા પણ થવું પડે. એક વિકાર ને છોડ્યો તો પછી બીજા વિકાર ખિટ-ખિટ મચાવે છે. સમજાય છે જે કંઈ થાય છે કલ્પ પહેલાં માફક. એવું સમજી શાંત રહેવું પડે છે. ભાવી સમજાય છે. સારા-સારા સમજાવવા વાળા બાળકો પણ નીચે પડી જાય છે. બહુ જોર થી થપ્પડ ખાઈ લે છે. પછી કહેવાય છે કલ્પ પહેલાં પણ થપ્પડ ખાધી હશે. દરેક પોતાના અંદર સમજી શકે છે. લખે પણ છે બાબા અમે ક્રોધમાં આવી ગયાં, ફલાણા ને માર્યુ આ ભૂલ થઈ. બાપ સમજાવે છે જેટલું થઈ શકે કંટ્રોલ (નિયંત્રણ) કરો. કેવા-કેવા મનુષ્ય છે, અબળાઓ ઉપર કેટલાં અત્યાચાર કરે છે. પુરુષ બળવાન હોય છે, સ્ત્રી અબળા હોય છે. બાપ ફરી તમને આ ગુપ્ત લડાઈ શીખવાડે છે જેનાથી તમે રાવણ પર જીત પામો છો. આ લડાઈ કોઈની બુદ્ધિ માં નથી. તમારામાં પણ નંબરવાર છે જે સમજી શકે છે. આ છે બિલકુલ નવી વાત. હમણાં તમે ભણી રહ્યાં છો - સુખધામ માટે. આ પણ હમણાં યાદ છે પછી ભૂલી જશો. મૂળ વાત છે જ યાદ ની યાત્રા. યાદ થી આપણે પાવન બની જઈશું. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કંઈ પણ થાય છે તો ભાવી સમજી શાંત રહેવાનું છે. ક્રોધ નથી કરવાનો. જેટલું થઈ શકે પોતે પોતાને કંટ્રોલ (નિયંત્રણ) કરવાનું છે. યુક્તિ રચી આપ સમાન બનાવવાની કોશિશ કરવાની છે.

2. બહુજ પ્રેમ અને નમ્રતા થી બધાને બાપ નો પરિચય આપવાનો છે. બધાને આ જ મીઠી-મીઠી વાત સંભળાવો કે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો, આ દેહ થી નષ્ટોમોહા થઈ જાઓ.

વરદાન :-
નમ્રતા રુપી કવચ દ્વારા વ્યર્થ નાં રાવણને બાળવા વાળા સાચાં સ્નેહી , સહયોગી ભવ

કોઈ કેટલું પણ તમારા સંગઠન માં ખામીઓ શોધવાની કોશિશ કરે પરંતુ જરા પણ સંસ્કાર સ્વભાવ ની ટક્કર દેખાઈ ન આવે. જો કોઈ ગાળ પણ આપે, ઈન્સલ્ટ (અપમાન) પણ કરે, તમે સેંટ બની જાઓ. જો કોઈ ખોટું પણ કરે તો તમે સાચાં રહો. કોઈ ટક્કર લે છે તો પણ તમે તેમને સ્નેહ નું પાણી આપો. આ કેમ, આવું કેમ-આ સંકલ્પ કરી આગ પર તેલ નહીં નાખો. નમ્રતાનું કવચ પહેરીને રહો. જ્યાં નમ્રતા હશે ત્યાં સ્નેહ અને સહયોગ પણ અવશ્ય હશે.

સ્લોગન :-
મારાંપણા ની અનેક હદની ભાવનાઓ એક “મારા બાબા” માં સમાવી દો.