30-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - “ તન - મન - ધન અથવા મન્સા - વાચા - કર્મણા એવી સર્વિસ ( સેવા ) કરો જે ૨૧ જન્મો નું બાપ થી ફળ મળે પરંતુ સર્વિસ માં ક્યારેય આપસ માં પણ અણબનાવ ન થવો જોઈએ ”

પ્રશ્ન :-
ડ્રામા અનુસાર બાબા જે સર્વિસ કરાવી રહ્યાં છે તેમાં વધારે તીવ્રતા લાવવાની વિધિ કઈ છે?

ઉત્તર :-
આપસ માં એકમત હોય, ક્યારેય કોઈ ખિટ-પિટ ન થાય. જો ખિટ-પિટ થશે તો સર્વિસ શું કરશો એટલે આપસ માં મળીને સંગઠન બનાવી સલાહ કરો, એકબીજા નાં મદદગાર બનો. બાબા તો મદદગાર છે જ પરંતુ “હિંમતે બચ્ચે મદદે બાપ……” આનાં અર્થ ને યથાર્થ સમજી ને મોટા કાર્યમાં મદદગાર બનો.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકો અહીંયા આવે છે રુહાની બાપનાં પાસે રિફ્રેશ થવાં. જ્યારે રિફ્રેશ થઈને પાછાં જાય છે તો જરુર જઈને કંઈક કરીને દેખાડવાનું છે. એક-એક બાળકએ સર્વિસ નું સબૂત આપવાનું છે. જેમ કોઇ-કોઇ બાળક કહે છે અમારું સેવાકેન્દ્ર ખોલવાનું દિલ છે. ગામડામાં પણ સર્વિસ કરે છે ને. તો બાળકોને સદૈવ આ ખ્યાલ રહેવો જોઈએ કે અમે મન્સા-વાચા-કર્મણા, તન-મન-ધન થી એવી સર્વિસ કરીએ જે ભવિષ્ય ૨૧ જન્મોનું ફળ બાપ થી મળે. આ જ ફિકર છે. અમે કંઇક કરીએ છીએ? કોઈને જ્ઞાન આપીએ છીએ? આખો દિવસ આ ખ્યાલાત આવવાં જોઈએ. ભલે સેવાકેન્દ્ર ખોલો પરંતુ ઘર માં સ્ત્રી-પુરુષ નો અણબનાવ ન થવો જોઈએ. કોઈ ઘમસાણ ન જોઈએ. સન્યાસી લોકો ઘરનાં ઘમસાણ થી નીકળી જાય છે. પરવા કર્યા વગર ચાલ્યાં જાય છે. પછી ગવર્મેન્ટ તેમને રોકે છે શું? તે તો ફક્ત પુરુષ જ નીકળે છે. હવે કોઈ-કોઈ માતાઓ નીકળે છે, જેમનાં કોઈ ધણી-ધોરી નથી હોતાં અથવા વૈરાગ્ય આવી જાય છે, તેમને પણ તે સન્યાસી પુરુષ લોકો બેસી શીખવાડે છે. તેમનાં દ્વારા પોતાનો ધંધો કરે છે. પૈસા વગેરે બધાં તેમની પાસે રહે છે. હકીકત માં ઘરબાર છોડ્યું તો પછી પૈસા રાખવાની દરકાર નથી રહેતી. તો હવે બાપ આપ બાળકોને સમજાવી રહ્યાં છે. દરેક ની બુદ્ધિમાં આવવું જોઈએ - અમારે બાપ નો પરિચય આપવાનો છે. મનુષ્ય તો કંઈ નથી જાણતાં, બેસમજ છે. આપ બાળકોનાં માટે બાપ નું ફરમાન છે - મીઠા-મીઠા બાળકો, તમે પોતાને આત્મા સમજો, ફક્ત પંડિત નથી બનવાનું. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. યાદ થી સતોપ્રધાન બનવાનું છે. ખુબ પુરુષાર્થ કરવાનો છે. નહીં તો ખુબ પછતાવું પડશે. કહે છે બાબા અમે ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. સંકલ્પ આવી જાય છે. બાબા કહે છે તે તો આવશે જ. તમારે બાપની યાદ માં રહી સતોપ્રધાન બનવાનું છે. આત્મા જે અપવિત્ર છે, તેમણે પરમપિતા પરમાત્મા ને જ યાદ કરી પવિત્ર બનવાનું છે. બાપ જ બાળકોને ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે - હેં ફરમાનબરદાર બાળકો - તમને ફરમાન કરું છું, મને યાદ કરો તો તમારા પાપ કપાશે. પહેલી-પહેલી વાત જ આ સંભળાવો કે નિરાકાર શિવબાબા કહે છે મને યાદ કરો - હું પતિત-પાવન છું. મારી યાદ થી જ વિકર્મ વિનાશ થશે બીજો કોઈ ઉપાય નથી. ન કોઈ બતાવી શકે છે. અસંખ્ય સન્યાસી વગેરે છે, નિમંત્રણ આપે છે - યોગ કોન્ફરન્સ (સંમેલન) માં આવો. હવે તેમનાં હઠયોગ થી કોઈનું કલ્યાણ થવાનું નથી. અસંખ્ય યોગાશ્રમ છે જેમને આ રાજયોગ ની બિલકુલ ખબર જ નથી. બાપ ને જ નથી જાણતાં. બેહદ નાં બાપ જ આવીને સાચો-સાચો યોગ શીખવાડે છે. બાપ આપ બાળકો ને આપસમાન બનાવે છે. જેમ હું નિરાકાર છું. અલ્પકાળ માટે આ તન માં આવું છું. ભાગ્યશાળી રથ તો જરુર મનુષ્યનો હશે. બળદ ને તો નહીં કહેશું. બાકી કોઈ ઘોડાગાડી વગેરેની વાત નથી. ન લડાઈ ની કોઈ વાત છે. તમે જાણો છો આપણે માયા થી જ લડાઈ કરવાની છે. ગવાય પણ છે માયા થી હારે હાર……. તમે ખુબ સારી રીતે સમજાવી શકો છો - પરંતુ હમણાં શીખી રહ્યાં છો. કોઈ શીખતા-શીખતા પણ એકદમ ઘરતી પર પડી જાય છે. કોઈ ખિટખિટ થઈ જાય છે. બે બહેનો ની પણ આપસમાં નથી બનતી, લૂણપાણી થઇ જાય છે. તમારી આપસમાં કોઈ પણ ખિટખિટ ન હોવી જોઈએ. ખિટખિટ હશે તો બાબા કહેશે આ શું સર્વિસ કરશે. ખુબ સારા-સારા ની પણ એવી હાલત થઈ જાય છે. હમણાં માળા બનાવાય તો કહેશું ડિફેક્તેડ (ખામીયુક્ત) માળા છે. આમાં હજું આ-આ અવગુણ છે. ડ્રામા પ્લાન અનુસાર બાબા સર્વિસ પણ કરાવતાં રહે છે. ડાયરેક્શન આપતાં રહે છે. દિલ્લી માં ચારે બાજુ સેવા નો ઘેરાવ નાખો. આ ફક્ત એકે થોડી કરવાનું છે, આપસ માં મળીને સલાહ કરવાની છે. બધાં એક મત હોવાં જોઈએ. બાબા એક છે પરંતુ મદદગાર બાળકો વગર કામ થોડી કરશે. તમે સેવાકેન્દ્ર ખોલો છો, મત લો છો. બાબા પૂછે છે મદદ કરવાવાળા છો? કહે છે - હાં બાબા, જો મદદ આપવા વાળા નહીં હશે તો કંઈ કરી નહીં શકીએ. ઘરમાં પણ મિત્ર-સંબંધી વગેરે આવે છે ને. ભલે ગાળ આપે, તે તમને કાપતાં રહેશે. તમારે તેની પરવા નથી કરવાની.

આપ બાળકોએ આપસ માં બેસીને સલાહ કરવી જોઈએ. જેમ સેવાકેન્દ્ર ખોલે છે તો પણ બધાં મળીને લખો છો - બાબા અમે બ્રાહ્મણી ની સલાહ થી આ કામ કરીએ છીએ. સિંધી ભાષામાં કહે છે - બ ત બારા (૧ ની સાથે ૨ મળવાથી ૧૨ થઈ જાય) ૧૨ હશે તો વધારે જ સારી સલાહ નીકળશે. ક્યાંક-ક્યાંક એકબીજા ની સલાહ નથી લેતાં. હવે આમ કોઈ કામ થઈ શકે છે શું? બાબા કહેશે જ્યાં સુધી તમારું આપસમાં સંગઠન જ નથી તો તમે આટલું મોટું કાર્ય કેવી રીતે કરી શકશો. નાની દુકાન મોટી દુકાન પણ હોય છે ને. આપસમાં મળીને સંગઠન કરે છે. એવું કોઈ નથી કહેતાં બાબા તમે મદદ કરો. પહેલાં તો મદદગાર બનાવવાં જોઈએ. પછી બાબા કહે છે - હિંમતે બચ્ચે મદદ બાપ. પહેલાં તો પોતાનાં મદદગાર બનાવો. બાબા અમે આટલું કરીએ છીએ બાકી તમે મદદ કરો. એવું નહીં, પહેલાં તમે મદદ કરો. હિમ્મતે મર્દા……. તેનો પણ અર્થ નથી સમજતાં. પહેલાં તો બાળકોની હિંમત જોઈએ. કોણ-કોણ શું મદદ આપે છે? પોતામેલ આખો લખશે - ફલાણા-ફલાણા આ મદદ આપે છે. કાયદેસર લખીને આપશે. બાકી એવું થોડી એક-એક કહેશે અમે સેવાકેન્દ્ર ખોલીએ છીએ મદદ આપો. આમ તો બાબા નથી ખોલી શકતાં શું? પરંતુ એવું તો થઇ ન શકે. કમિટી (સંગઠન) ને આપસમાં મળવાનું હોય છે. તમારામાં પણ નંબરવાર છે ને. કોઈ તો બિલકુલ કંઈ પણ નથી સમજતાં. કોઈ ખુબ હર્ષિત થતાં રહે છે. બાબા તો સમજે છે આ જ્ઞાનમાં ખુબ ખુશી રહેવી જોઈએ. એક જ બાપ, શિક્ષક, ગુરુ મળે છે તો ખુશી હોવી જોઈએ ને. દુનિયામાં આ વાતો કોઈ નથી જાણતું. શિવબાબા જ જ્ઞાનસાગર, પતિત-પાવન, સર્વનાં સદ્દગતિ દાતા છે. બધાનાં ફાધર (પિતા) પણ એક છે. આ બીજા કોઈની બુદ્ધિમાં નથી. હમણાં આપ બાળકો જાણો છો એ જ નોલેજફુલ, લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. તો બાપની મત પર ચાલવું પડે. આપસમાં મળીને સલાહ કરવાની છે. ખર્ચો કરવાનો છે. એક ની મત પર તો ન ચાલી શકાય. મદદગાર બધાં જોઈએ. આ પણ બુદ્ધિ જોઈએ ને. આપ બાળકોએ ઘર-ઘર માં સંદેશ આપવાનો છે. પૂછે છે - લગ્ન માં નિમંત્રણ મળે છે, જઈએ? બાબા કહે છે - કેમ નહીં, જાઓ, જઈને પોતાની સર્વિસ કરો. અનેકોનું કલ્યાણ કરો. ભાષણ પર કરી શકો છો. મોત સામે ઊભું છે, બાબા કહે છે મામેકમ્ યાદ કરો. અહીંયા બધી પાપ આત્માઓ છે. બાપને જ ગાળ આપતાં રહે છે. બાપ થી તમને બેમુખ કરી દે છે. ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કોણે કહ્યું? બાપે સ્વયં કહ્યું છે - મારાથી પ્રીત બુદ્ધિ નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. મને જાણતાં જ નથી. જેમની પ્રીત બુદ્ધિ છે, જે મને યાદ કરે છે, તે જ વિજય પામશે. ભલે પ્રીત છે પરંતુ યાદ નથી કરતાં તો પણ ઓછું પદ પામી લેશે. બાપ બાળકો ને ડાયરેક્શન આપે છે. મૂળ વાત બધાને સંદેશ આપવાનો છે. બાપ ને યાદ કરો તો પાવન બની, પાવન દુનિયાનાં માલિક બનો. ડ્રામા અનુસાર બાબા ને લેવું પણ વૃદ્ધ શરીર પડે છે. વાનપ્રસ્થ માં પ્રવેશ કરે છે. મનુષ્ય વાનપ્રસ્થ અવસ્થા માં જ ભગવાન થી મળવા માટે મહેનત કરે છે. ભક્તિ માં તો સમજે છે - જપ-તપ વગેરે કરવાં આ બધાં ભગવાન થી મળવાનાં રસ્તા છે. ક્યારે મળશે તે કંઈ ખબર નથી. જન્મ-જન્માંતર ભક્તિ કરતાં આવ્યાં છે. ભગવાન તો કોઈને મળતાં જ નથી. આ નથી સમજતાં બાબા આવશે જ ત્યારે, જ્યારે દુનિયા ને નવી બનાવવાની હશે. રચયિતા બાપ જ છે, ચિત્ર છે પરંતુ ત્રિમૂર્તિ માં શિવ ને નથી દેખાડતાં. શિવબાબા વગર બ્રહ્મા-વિષ્ણુ-શંકર દેખાડયાં છે, જેમ ગળું કપાયેલું છે. બાપનાં વગર નિધન નાં બની ગયાં છે. બાપ કહે છે હું આવીને તમને ધણીનાં બનાવું છું. ૨૧ જન્મ તમે ધણીનાં બની જાઓ છો. કોઈ તકલીફ નથી રહેતી. તમે પણ કહેશો - જ્યાં સુધી બાપ નથી મળ્યાં, તો અમે પણ બિલકુલ નિધન નાં તુચ્છ બુદ્ધિ હતાં. પતિત-પાવન કહે છે પરંતુ એ ક્યારે આવશે, આ નથી જાણતાં. પાવન દુનિયા છે જ નવી દુનિયા. બાપ કેટલું સિમ્પલ (સરળ) સમજાવે છે. તમને પણ સમજ માં આવે છે, અમે બાપનાં બન્યાં છીએ, સ્વર્ગ નાં માલિક જરુર બનશું. શિવબાબા છે બેહદ નાં માલિક. બાપે જ આવીને સુખ-શાંતિનો વારસો આપ્યો હતો. સતયુગમાં સુખ હતું - બાકી બધી આત્માઓ શાંતિધામ માં હતી. હવે આ વાતોને તમે સમજો છો. શિવબાબા કેમ આવ્યાં હશે? જરુર નવી દુનિયા રચવાં. પતિત ને પાવન બનાવવા આવ્યાં હશે. ઊંચ કાર્ય કર્યું હશે, મનુષ્ય બિલકુલ ઘોર અંધારામાં છે. બાપ કહે છે આ પણ ડ્રામા માં નોંધ છે. આપ બાળકોને બાપ બેસી જગાડે છે. તમને હવે આ આખાં ડ્રામા ની ખબર છે - કેવી રીતે નવી દુનિયા પછી જૂની થાય છે. બાપ કહે છે બીજું બધું છોડી એક બાપ ને યાદ કરો. આપણને કોઈ થી નફરત નથી આવતી. આ સમજાવવું પડે છે. ડ્રામા અનુસાર માયાનું રાજ્ય પણ હોય છે. હવે ફરી બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો, હવે આ ચક્ર પૂરું થાય છે. હવે તમને ઈશ્વરીય મત મળે છે, તેનાં પર ચાલવાનું છે. હવે ૫ વિકારો ની મત પર નથી ચાલવાનું. અડધોકલ્પ તમે માયા ની મત પર ચાલી તમોપ્રધાન બન્યાં છો. તો હવે હું તમને સતોપ્રધાન બનાવવાં આવ્યો છું. સતોપ્રધાન, તમોપ્રધાન ની આ રમત છે. ગ્લાનિ ની કોઈ વાત નથી. કહે છે ભગવાને આ આવાગમન નું નાટક જ કેમ રચ્યું? કેમ નો સવાલ જ નથી ઉઠતો. આ તો ડ્રામા નું ચક્ર છે, જે ફરી રિપીટ થતું રહે છે. ડ્રામા અનાદિ છે. હમણાં છે કળયુગ. સતયુગ ભૂતકાળ થઈ ગયું છે. હવે ફરી બાપ આવ્યાં છે. બાબા-બાબા કહેતાં રહો તો કલ્યાણ થતું રહેશે. બાપ કહે છે આ અતિ ગુહ્ય રમણીક વાતો છે. કહે છે સિહણનાં દૂધ માટે સોનાનું વાસણ જોઈએ. સોનાની બુદ્ધિ કેવી રીતે બનશે? આત્મા માં જ બુદ્ધિ છે ને. આત્મા કહે છે - મારી બુદ્ધિ હવે બાબા તરફ છે. હું બાબા ને ખુબ યાદ કરું છું. બેઠા-બેઠા બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે ને. બુદ્ધિમાં ધંધાધોરી યાદ આવતાં રહેશે. તો તમારી વાત જાણે સાંભળશે નહીં. મહેનત છે. જેટલું-જેટલું મોત નજીક આવતું જશે - તમે યાદ માં ખુબ રહેશો. મરવાં સમયે બધાં કહે છે ભગવાન ને યાદ કરો. હવે બાપ સ્વયં કહે છે મને યાદ કરો. આપ સર્વની વાનપ્રસ્થ અવસ્થા છે. પાછાં જવાનું છે એટલે હવે મને યાદ કરો. બીજી કોઈ વાત નહીં સાંભળો. જન્મ-જન્માંતર નાં પાપનો બોજો તમારા માથા પર છે. શિવબાબા કહે છે આ સમયે બધાં અજામિલ છે. મૂળ વાત છે યાદ ની યાત્રા જેનાથી તમે પાવન બનશો પછી આ આપસ માં પ્રેમ પણ હોવો જોઈએ. એક-બીજાથી સલાહ લેવી જોઈએ. બાપ પ્રેમનાં સાગર છે ને. તો તમે પણ આપસ માં ખુબ પ્રેમાળ હોવા જોઈએ. દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાનાં છે. બહેન-ભાઈ નો સંબંધ પણ તોડવો પડે છે. ભાઈ-બહેન થી પણ યોગ નહીં રાખો. એક બાપ થી જ યોગ રાખો. બાપ આત્માઓને કહે છે - મને યાદ કરો તો તમારી વિકારી દૃષ્ટિ ખલાસ થઈ જાય. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન કરવું જોઈએ. મન્સા માં તોફાન જરુર આવશે. આ ઊંચી મંઝિલ છે. બાબા કહે છે જુઓ કર્મેન્દ્રિયો દગો આપે છે તો ખબરદાર થઈ જાઓ. જો ઊલટું કામ કરી લીધું તો ખલાસ. ચઢે તો ચાખે વૈકુંઠ કા માલિક…. મહેનત નાં સિવાય થોડી કંઈ થાય છે. ખુબ મહેનત છે. દેહ સહિત દેહ નાં…...કોઈ-કોઈ ને તો બંધન નથી તો પણ ફસાયેલાં રહે છે. બાપની શ્રીમત પર નથી ચાલતાં. લાખ બે છે, ભલે મોટું કુટુંબ છે તો પણ બાબા કહેશે વધારે ધંધા વગેરેમાં નહીં ફસાઓ. વાનપ્રસ્થી બની જાઓ. ખર્ચો વગેરે ઓછો કરી લો. ગરીબ લોકો કેટલું સાધારણ ચાલે છે. હમણાં શું-શું ચીજો નીકળી છે, વાત નહીં પૂછો. ખર્ચા જ ખર્ચા સાહુકારોનાં ચાલે છે. નહીં તો પેટ ને શું જોઈએ? એક પા લોટ. બસ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપસ માં ખુબ-ખુબ પ્રેમાળ બનવાનું છે પરંતુ ભાઈ-બહેન થી યોગ નથી રાખવાનો. કર્મેન્દ્રિયો થી કોઈપણ વિકર્મ નથી કરવાનાં.

2. એક ઈશ્વરીય મત પર ચાલી સતોપ્રધાન બનવાનું છે. માયાની મત છોડી દેવાની છે. આપસમાં સંગઠન મજબૂત કરવાનું છે, એકબીજા નાં મદદગાર બનવાનું છે.

વરદાન :-
અમૃતવેલા નું મહત્વ જાણી ખુલ્લા ભંડાર થી પોતાની જોલી ભરપૂર કરવાવાળા તકદીરવાન ભવ

અમૃતવેલાએ વરદાતા, ભાગ્ય વિધાતા થી જે તકદીર ની રેખા ખેંચવા ઈચ્છો ખેંચી લો કારણ કે તે સમયે ભોળા ભગવાનનાં રુપમાં લવફુલ (પ્રેમાળ) છે એટલે માલિક બનો અને અધિકાર લો. ખજાના પર કોઈ પણ તાળા-ચાવી નથી. તે સમયે ફક્ત માયાની બહાનાબાજી ને છોડી એક સંકલ્પ કરો કે જે પણ છું, જેવી પણ છું, તમારી છું. મન બુદ્ધિ બાપનાં હવાલે કરી તખ્તનશીન બની જાઓ તો બાપ નાં સર્વ ખજાના પોતાનાં ખજાના અનુભવ થશે.

સ્લોગન :-
સેવામાં જો સ્વાર્થ મિક્સ છે તો સફળતા પણ મિક્સ થઈ જશે એટલે નિ:સ્વાર્થ સેવાધારી બનો.