27-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે ડ્રામા નાં ખેલને જાણો છો એટલે આભાર માનવાની પણ વાત નથી ”

પ્રશ્ન :-
સર્વિસેબલ (સેવાધારી) બાળકોમાં કઈ આદત બિલકુલ ન હોવી જોઈએ?

ઉત્તર :-
માંગવાની. તમારે બાપ થી આશીર્વાદ કે કૃપા વગેરે માંગવાની જરુરત નથી. તમે કોઈ થી પૈસા પણ ન માંગી શકો. માંગવાથી મરવું ભલું. તમે જાણો છો ડ્રામા અનુસાર કલ્પ પહેલાં જેમણે બીજ વાવ્યું હશે તે વાવશે, જેમને પોતાનું ભવિષ્ય પદ ઉંચ બનાવવું હશે તે જરુર સહયોગી બનશે. તમારું કામ જ છે સેવા કરવી. તમે કોઈ થી કંઈ માંગી ન શકો. ભક્તિમાં માગવાનું હોય, જ્ઞાન માં નહીં.

ગીત :-
મુજકો સહારા દેને વાલે દિલ …

ઓમ શાંતિ!
આ બાળકોનાં અંદર થી શુક્રિયા (આભાર) અક્ષર બાપ-શિક્ષક-ગુરુ નાં માટે નથી નીકળી શકતો કારણ કે બાળકો જાણે છે આ ખેલ બનેલો છે. શુક્રિયા વગેરેની વાત જ નથી. આ પણ બાળકો જાણે છે ડ્રામા અનુસાર. ડ્રામા અક્ષર પણ આપ બાળકોની બુદ્ધિમાં આવે છે. ખેલ અક્ષર કહેવાથી જ આખો ખેલ તમારી બુદ્ધિ માં આવી જાય છે. એટલે સ્વદર્શન ચક્રધારી તમે જાતે જ બની જાઓ છો. ત્રણેવ લોક પણ તમારી બુદ્ધિમાં આવી જાય છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન. આ પણ જાણો છો હવે ખેલ પૂરો થાય છે. બાપ આવીને તમને ત્રિકાળદર્શી બનાવે છે. ત્રણેય કાળ, ત્રણેય લોક, આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. કાળ સમયને કહેવાય છે. આ બધી વાતો નોંધ કર્યા વગર યાદ નથી રહી શકતી. આપ બાળકો તો ઘણાં પોઇન્ટ (વાતો) ભૂલી જાઓ છો. ડ્રામા નાં સમયગાળા ને પણ તમે જાણો છો. તમે ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બનો છો, જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી જાય છે. સૌથી મોટી વાત છે કે તમે આસ્તિક બની જાઓ છો, નહિં તો નિધનનાં હતાં. આ જ્ઞાન આપ બાળકોને મળી રહ્યું છે. વિદ્યાર્થી ની બુદ્ધિ માં સદૈવ જ્ઞાન મંથન થાય છે. આ પણ જ્ઞાન છે ને. ઊંચે થી ઊંચા બાપ જ જ્ઞાન આપે છે, ડ્રામા અનુસાર. ડ્રામા અક્ષર પણ તમારા મુખ થી નીકળી શકે છે. તે પણ જે બાળકો સર્વિસ (સેવા) માં તત્પર રહે છે. હવે તમે જાણો છો - આપણે ઓરફન (અનાથ) હતાં. હવે બેહદનાં બાપ ધણી મળ્યાં છે તો ધણીનાં બન્યાં છીએ. પહેલાં તમે બેહદનાં અનાથ હતાં, બેહદનાં બાપ બેહદ નું સુખ આપવા વાળા છે બીજા કોઈ બાપ નથી જે આવું સુખ આપતાં હોય. નવી દુનિયા અને જૂની દુનિયા આ બધું આપ બાળકોની બુદ્ધિમાં છે. પરંતુ બીજાઓને પણ યથાર્થ રીતે સમજાવો, આ ઈશ્વરીય ધંધામાં લાગી જાઓ. દરેકની પરિસ્થિતિ પોત-પોતાની હોય છે. સમજાવી પણ તે શકશે જે યાદની યાત્રા માં હશે. યાદ થી બળ મળે છે ને. બાપ છે જ - ધારદાર તલવાર. આપ બાળકો ને ધાર ભરવાની છે. યોગબળ થી વિશ્વની બાદશાહી પામો છો. યોગ થી બળ મળે છે, જ્ઞાન થી નહીં. બાળકોને સમજાવ્યું છે - નોલેજ સોર્સ ઓફ ઇનકમ (આવકનું સાધન) છે. યોગ ને બળ કહેવાય છે. રાત દિવસ નો ફર્ક છે. હવે યોગ સારો કે જ્ઞાન સારું? યોગ જ નામીગ્રામી છે. યોગ અર્થાત્ બાપ ની યાદ. બાપ કહે છે આ યાદ થી જ તમારા પાપ કપાઈ જશે. આનાં પર જ બાપ જોર આપે છે. જ્ઞાન તો સહજ છે. ભગવાનુવાચ - હું તમને સહજ જ્ઞાન સંભળાવું છું. ૮૪ નાં ચક્રનું જ્ઞાન સંભળાવું છું. એમાં બધું આવી જાય છે. હિસ્ટ્રી-જોગ્રાફી છે ને. જ્ઞાન અને યોગ બંને છે સેકન્ડ નું કામ. બસ આપણે આત્મા છીએ, આપણે બાપ ને યાદ કરવાનાં છે. એમાં મહેનત છે. યાદની યાત્રા માં રહેવાથી શરીર ની જેમ વિસ્મૃતિ થતી જાય છે. કલાક સુધી પણ આમ અશરીરી થઇને બેસો તો કેટલાં પાવન થઈ જાઓ. મનુષ્ય રાત્રે કોઈ ૬, કોઈ ૮ કલાક નિંદર કરે છે તો અશરીરી થઈ જાય છે ને. તે સમયમાં કોઈ વિકર્મ નથી થતાં. આત્મા થાકીને સૂઈ જાય છે. એવું પણ નથી કે કોઈ પાપ વિનાશ થાય છે. ના, તે છે નિંદ્રા. વિકર્મ કોઈ થતાં નથી. નિંદર ન કરે તો પાપ જ કરતાં રહેશે. તો નિંદર પણ એક બચાવ છે. આખો દિવસ સેવા કરી આત્મા કહે છે હું હવે સૂવું છું, અશરીરી બની જાઉં છું. તમારે શરીર હોવા છતાં અશરીરી બનવાનું છે. આપણે આત્મા આ શરીર થી ન્યારી, શાંત સ્વરુપ છીએ. આત્મા ની મહિમા ક્યારેય નહીં સાંભળી હશે. આત્મા સત્ ચિત આનંદ સ્વરુપ છે. પરમાત્માની મહિમા ગાએ છે કે સત્ છે, ચૈતન્ય છે. સુખ-શાંતિ નાં સાગર છે. હવે તમને પછી કહેશે માસ્ટર, બાળક ને માસ્ટર પણ કહે છે. તો બાપ યુક્તિઓ પણ બતાવતાં રહે છે. એવું પણ નથી કે આખો દિવસ નિંદર કરવાની છે. ના, તમારે તો યાદ માં રહી પાપો નો વિનાશ કરવાનો છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરવાનાં છે. એવું પણ નથી કે બાપ આપણા ઉપર રહેમ કે કૃપા કરે છે. ના, આ એમનું ગાયન છે-રહેમદિલ બાદશાહ. આ પણ એમનો પાર્ટ છે, તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવું. ભક્ત લોકો મહિમા ગાએ છે - તમારે ફક્ત મહિમા નથી ગાવાની. આ ગીત વગેરે પણ દિન-પ્રતિદિન બંધ થતાં જાય છે. સ્કૂલ માં ક્યારેય ગીત હોય છે શું? બાળકો શાંતિ માં બેઠાં રહે છે. શિક્ષક આવે છે તો ઊઠીને ઉભાં થાય છે, પછી બેસે છે. આ બાપ કહે છે મને તો પાર્ટ મળેલો છે ભણાવવાનો, તો ભણાવવાનું જ છે. આપ બાળકો ને ઉઠવાની દરકાર નથી. આત્માએ બેસીને સાંભળવાનું છે. તમારી વાત જ આખી દુનિયા થી ન્યારી છે. બાળકો ને કહેશે શું, તમે ઉઠો. ના, તે તો ભક્તિમાર્ગ માં કરે, અહીંયા નહીં. બાપ તો પોતે ઉઠીને નમસ્તે કરે છે. સ્કૂલમાં જો બાળકો મોડે થી આવે છે તો શિક્ષક કાં તો ફૂટપટ્ટી મારશે અથવા બહાર ઉભાં કરી દેશે એટલે ડર રહે છે સમય પર પહોંચવાનો. અહીંયા તો ડર ની વાત જ નથી. બાપ સમજાવતાં રહે છે - મુરલીઓ મળતી રહે છે. તે નિયમિત વાંચવાની છે. મુરલી વાંચો તો તમારી હાજરી લાગે. નહીં તો ગેરહાજરી પડી જશે કારણ કે બાપ કહે છે તમને ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. તમે જો મુરલી મિસ કરશો તો તે પોઇન્ટ (વાત) મિસ થઈ જશે. આ છે નવી વાતો, જે દુનિયામાં કોઈ નથી જાણતું. તમારા ચિત્ર જોઈને જ ચકિત થઈ જાય છે. કોઈ શાસ્ત્રો માં પણ નથી. ભગવાને ચિત્ર બનાવ્યાં હતાં. તમારી આ ચિત્રશાળા છે નવી. બ્રાહ્મણ કુળનાં જે દેવતા બનવા વાળા હશે તેમની બુદ્ધિમાં જ બેસશે. કહેશે આ તો ઠીક છે. કલ્પ પહેલાં પણ અમે ભણ્યા હતાં, જરુર ભગવાન ભણાવે છે.

ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો માં પહેલા નંબર માં ગીતા જ છે કારણ કે પહેલો ધર્મ જ આ છે. પછી અડધાકલ્પ બાદ તેનાં પણ ખુબ પાછળ બીજા શાસ્ત્ર બને છે. પહેલાં ઈબ્રાહમ આવ્યાં તો એકલા હતાં. પછી એક થી બે, બે થી ચાર થયાં. જ્યારે ધર્મની વૃદ્ધિ થતાં-થતાં લાખ ડોઢ લાખ થઈ જાય તો શાસ્ત્ર વગેરે બને છે. તેનાં પણ અડધા સમય પછી જ બનતાં હશે, હિસાબ કરાય છે ને. બાળકોને તો બહુજ ખુશી થવી જોઈએ. બાપ થી આપણને વારસો મળે છે. તમે જાણો છો બાપ આપણને બધું જ્ઞાન સૃષ્ટિ ચક્ર નું સમજાવે છે. આ છે બેહદની હિસ્ટ્રી-જોગ્રાફી. બધાં ને કહો અહીંયા વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવાય છે જે બીજું કોઈ શીખવાડી ન શકે. ભલે દુનિયાનો નકશો કાઢે છે. પરંતુ એમાં આ ક્યાં દેખાડે છે કે લક્ષ્મી-નારાયણનું રાજ્ય ક્યારે હતું, કેટલો સમય ચાલ્યું. દુનિયા તો એક જ છે ને. ભારત માં જ રાજ્ય કરીને ગયાં છે, હમણાં નથી. આ વાતો કોઈની પણ બુદ્ધિ માં નથી. તે તો કલ્પની આયુ જ લાંબી લાખો વર્ષ કહી દે છે. આપ મીઠા-મીઠા બાળકોને કોઈ વધારે તકલીફ નથી આપતાં. બાપ કહે છે પાવન બનવાનું છે. પાવન બનવા માટે તમે ભક્તિમાર્ગ માં કેટલા ધક્કા ખાઓ છો. હવે સમજો છો ધક્કા ખાતાં-ખાતાં ૨૫૦૦ વર્ષ વીતી ગયાં. હવે ફરી બાબા આવ્યાં છે ફરીથી રાજ્ય-ભાગ્ય આપવાં. તમને આ જ યાદ છે. જૂનાં થી નવી અને નવાં થી જૂની દુનિયા જરુર થાય છે. હમણાં તમે જૂનાં ભારત નાં માલિક છો ને. પછી નવાં નાં માલિક બનશો. એક તરફ ભારત ની ખુબ મહિમા ગાતા રહે, બીજી તરફ પછી ખુબ ગ્લાની કરતાં રહે. તે પણ તમારી પાસે ગીત છે. તમે સમજાવો છો - હવે શું-શું થઈ રહ્યું છે. આ બંને ગીત પણ સંભળાવવાં જોઈએ. તમે બતાવી શકો છો - ક્યાં રામરાજ્ય, ક્યાં આ!

બાપ છે ગરીબ નિવાઝ. ગરીબોની જ બાળકીઓ મળશે. સાહૂકારો ને તો પોતાનો નશો રહે છે. કલ્પ પહેલાં જે આવ્યાં હશે તે જ આવશે. ફિકર ની કોઈ વાત નથી. શિવબાબા ને ક્યારેય કોઈ ફિકર નથી હોતી, દાદા ને હશે. આમને પોતાની પણ ફિકર છે, મારે નંબરવન પાવન બનવાનું છે. આમાં છે ગુપ્ત પુરુષાર્થ. ચાર્ટ રાખવાથી સમજમાં આવે છે, આમનો પુરુષાર્થ વધારે છે. બાપ હંમેશા સમજાવતાં રહે છે ડાયરી રાખો. ઘણાં બાળકો લખે પણ છે, ચાર્ટ લખવાથી સુધારો ખુબજ થયો છે. આ યુક્તિ બહુ સરસ છે, તો બધાએ કરવું જોઈએ. ડાયરી રાખવાથી તમને બહુ જ ફાયદો થશે. ડાયરી રાખવી અર્થાત્ બાપ ને યાદ કરવાં. એમાં બાપ ની યાદ લખવાની છે. ડાયરી પણ મદદગાર બનશે, પુરુષાર્થ થશે. ડાયરીઓ કેટલી લાખો, કરોડો બને છે, નોંધ વગેરે કરવા માટે. સૌથી મુખ્ય વાત તો આ છે નોંધ કરવાની. આ ક્યારેય ભુલવું ન જોઈએ. એ જ સમયે ડાયરી માં લખવું જોઈએ. રાત નાં હિસાબ-કિતાબ લખવો જોઈએ. પછી ખબર પડશે આ તો અમને ઘાટો પડી રહ્યો છે કારણ કે જન્મ-જન્માંતર નાં વિકર્મ ભસ્મ કરવાનાં છે.

બાપ રસ્તો બતાવે છે - પોતાનાં ઉપર રહેમ અથવા કૃપા કરવાની છે. શિક્ષક તો ભણાવે છે, આશીર્વાદ નહીં કરશે. આશીર્વાદ, કૃપા, રહેમ વગેરે માંગવાથી મરવું ભલું. કોઈ થી પૈસા પણ ન માંગવા જોઈએ. બાળકોને સખ્ત મનાઈ છે. બાપ કહે છે ડ્રામા અનુસાર જેમણે કલ્પ પહેલાં બીજ વાવ્યું છે, વારસો પામ્યો છે તે જાતે જ કરશે. આપ કોઈ કામ માટે માંગો નહીં. નહીં કરશે તો નહીં પામશે. મનુષ્ય દાન-પુણ્ય કરે છે તો રિટર્ન (વળતર) માં મળે છે ને. રાજાનાં ઘરે અથવા સાહૂકાર નાં પાસે જન્મ થાય છે. જેમને કરવું હશે તે જાતે જ કરશે, તમારે માગવાનું નથી. કલ્પ પહેલાં જેમણે જેટલું કર્યુ છે, ડ્રામા એમનાથી કરાવશે. માંગવાની શું દરકાર છે. બાબા તો કહેતાં રહે છે હૂંડી ભરાતી રહે છે, સર્વિસ નાં માટે. આપણને બાળકો ને થોડી કહેશે પૈસા આપો. ભક્તિમાર્ગ ની વાત જ્ઞાનમાર્ગ માં નથી હોતી. જેમણે કલ્પ પહેલાં મદદ કરી છે, તે કરતાં રહેશે, પોતે ક્યારેય માંગવાનું નથી. બાપ કહે બાળકો ચંદો (ડોનેશન) વગેરે તમે ભેગો ન કરી શકો. આ તો સંન્યાસી લોકો કરે છે. ભક્તિમાર્ગ માં થોડું પણ આપે છે, એનાં રિટર્ન માં એક જન્મ માટે મળે છે. આ પછી છે જન્મ-જન્માંતર માટે. તો જન્મ-જન્માંતર નાં માટે બધુંજ આપી દેવું સારું છે ને. આમનું તો નામ ભોળા ભંડારી છે. તમે પુરુષાર્થ કરો તો વિજય માળા માં પરોવાઇ શકો છો, ભંડારા ભરપૂર કાળ કંટક દૂર છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. અહીંયા મનુષ્ય કાળ થી કેટલાં ડરે છે. થોડું કંઈ થાય છે તો મોત યાદ આવી જાય. ત્યાં આ ખ્યાલ જ નથી, તમે અમરપુરી માં ચાલો છો. આ છી-છી મૃત્યુલોક છે. ભારત જ અમરલોક હતું, હમણાં મૃત્યુલોક છે.

તમારો અડધોકલ્પ બહુજ છી-છી પસાર થયો છે. નીચે પડતાં આવ્યાં છો. જગન્નાથપુરીમાં બહુ જ ગંદા-ગંદા ચિત્ર છે. બાબા તો અનુભવી છે ને. ચારેય તરફ ફરેલાં છે. ગોરા થી શ્યામ બન્યાં છે. ગામડા માં રહેવા વાળા હતાં. હકીકત માં આ આખું ભારત ગામ છે. તમે ગામડા નાં છોકરા છો. હવે તમે સમજો છો કે આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ. એવું નહીં સમજતાં અમે તો બોમ્બે માં રહેવા વાળા છીએ. બોમ્બે પણ સ્વર્ગ ની આગળ શું છે! કંઈ પણ નથી, એક પથ્થર પણ નથી. આપણે ગામડા નાં છોકરા નિધનનાં બની ગયાં છીએ હવે ફરી આપણે સ્વર્ગનાં માલિક બની રહ્યાં છીએ તો ખુશી રહેવી જોઈએ. નામ જ છે સ્વર્ગ. કેટલાં હીરા-ઝવેરાત મહેલો માં લાગેલાં હોય છે. સોમનાથ નું મંદિર જ કેટલું હીરા-ઝવેરાતો થી ભરેલું હતું. પહેલાં-પહેલાં શિવનું મંદિર જ બનાવે છે. કેટલાં સાહૂકાર હતાં. હમણાં તો ભારત ગામ છે. સતયુગ માં બહુજ માલામાલ હતું. આ વાતો દુનિયામાં તમારા સિવાય કોઈ પણ નથી જાણતું. તમે કહેશો કાલે અમે બાદશાહ હતાં, આજે ફકીર છીએ. ફરી વિશ્વનાં માલિક બનીએ છીએ. આપ બાળકોએ પોતાનાં ભાગ્ય પર શુક્રિયા માનવું જોઈએ. અમે પદ્માપદમ ભાગ્યશાળી છીએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકર્મો થી બચવા માટે આ શરીર માં રહેતાં અશરીરી બનવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદની યાત્રા એવી હોય જે શરીર ની વિસ્મૃતિ થતી જાય.

2. જ્ઞાનનું મંથન કરી આસ્તિક બનવાનું છે. મુરલી ક્યારેય પણ મિસ નથી કરવાની. પોતાની ઉન્નતિ માટે ડાયરીમાં યાદ નો ચાર્ટ નોંધ કરવાનો છે.

વરદાન :-
જ્ઞાન રુપી ચાવી દ્વારા ભાગ્યનો અખૂટ ખજાનો પ્રાપ્ત કરવા વાળા માલામાલ ભવ

સંગમયુગ પર બધાં બાળકો ને ભાગ્ય બનાવવા માટે જ્ઞાન રુપી ચાવી મળે છે. એ ચાવી લગાવો અને જેટલું ઈચ્છો એટલો ભાગ્ય નો ખજાનો લો. ચાવી મળી અને માલામાલ બની ગયાં. જે જેટલાં માલામાલ બને છે એટલી ખુશી સ્વત: રહે છે. એવો અનુભવ થાય છે જેમ ખુશી નું ઝરણુ અખૂટ અવિનાશી વહેતું જ રહે છે. તેઓ સર્વ ખજાનાઓથી ભરપૂર માલામાલ દેખાઈ આવે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની અપ્રાપ્તિ નથી રહેતી.

સ્લોગન :-
બાપ થી કનેક્શન (સંબંધ) ઠીક રાખો તો સર્વ શક્તિઓનો કરંટ (પ્રવાહ) આવતો રહેશે.