ઓમ શાંતિ ! ગીત કોઈ આપ બાળકો માટે નથી, નવાં-નવાં ને સમજાવવા માટે છે. એવું પણ નથી કે અહીંયા બધાં સમજદાર જ છે. ના, બેસમજ ને સમજદાર બનાવાય છે. બાળકો સમજે છે આપણે કેટલાં બેસમજ બની ગયાં હતાં, હવે બાપ આપણને સમજદાર બનાવે છે. જેમ સ્કૂલમાં ભણીને બાળકો કેટલાં સમજદાર બની જાય છે. દરેક પોત-પોતાની સમજ થી બેરિસ્ટર, એન્જિનિયર વગેરે બને છે. આ તો આત્માને સમજદાર બનાવવાની છે. ભણે પણ આત્મા છે શરીર દ્વારા. પરંતુ બહાર જે પણ શિક્ષા મળે છે, તે છે અલ્પકાળ માટે શરીર નિર્વાહ અર્થ. ભલે કોઈ કનવર્ટ (બદલી) પણ કરે છે, હિન્દુઓને ક્રિશ્ચન બનાવી દે છે - શા માટે? થોડું સુખ પામવા માટે. પૈસા નોકરી વગેરે સહજ મળવા માટે, આજીવિકા માટે. હવે આપ બાળકો જાણો છો આપણે પહેલાં-પહેલાં તો આત્મ-અભિમાની બનવું પડે. આ છે મુખ્ય વાત કારણ કે આ છે જ રોગી દુનિયા. એવું કોઈ મનુષ્ય નથી જે રોગી ન બનતું હોય. કાંઈને કાંઈ થાય છે જરુર. આ આખી દુનિયા મોટામાં મોટી હોસ્પિટલ છે, જેમાં બધાં મનુષ્ય પતિત રોગી છે. આયુ પણ બહુ જ ઓછી હોય છે. અચાનક મૃત્યુ ને પામી લે છે. કાળ નાં પંજા માં આવી જાય છે. આ પણ આપ બાળકો જાણો છો. આપ બાળકો ફક્ત ભારત ની જ નહીં, આખાં વિશ્વની સેવા કરો છો ગુપ્ત રીતે. મૂળ વાત છે કે બાપ ને કોઈ નથી જાણતું. મનુષ્ય થઈને અને પારલૌકિક બાપને નથી જાણતાં, એમનાથી પ્રેમ નથી રાખતાં. હવે બાપ કહે છે મારી સાથે પ્રેમ રાખો. મારી સાથે પ્રેમ રાખતાં-રાખતાં તમારે મારી સાથે જ પાછું જવાનું છે. જ્યાં સુધી પાછાં જાઓ ત્યાં સુધી આ છી-છી દુનિયામાં રહેવું પડે છે. પહેલાં-પહેલાં તો દેહ-અભિમાની થી દેહી-અભિમાની બનો ત્યારે તમે ધારણા કરી શકો છો અને બાપ ને યાદ કરી શકો છો. જો દેહી-અભિમાની નથી બનતાં તો કોઈ કામ નાં નથી. દેહ-અભિમાની તો બધાં જ છે. તમે સમજો પણ છો કે અમે આત્મ-અભિમાની નથી બનતાં, બાપ ને યાદ નથી કરતાં તો અમે તે જ છીએ જે પહેલાં હતાં. મૂળ વાત જ છે દેહી-અભિમાની બનવાની. ન કે રચનાને જાણવાની. ગવાય પણ છે રચતા અને રચનાનું જ્ઞાન. એવું નહિં કે પહેલાં રચના પછી રચતાનું જ્ઞાન કહેશે. ના, પહેલાં રચતા, એ જ બાપ છે. કહેવાય પણ છે - હેં ગોડ ફાધર (પરમપિતા). તે આવીને આપ બાળકોને આપ સમાન બનાવે છે. બાપ તો સદૈવ આત્મ-અભિમાની છે જ એટલે એ સુપ્રીમ છે. બાપ કહે છે હું તો આત્મ-અભિમાની છું. જેમાં પ્રવેશ કર્યો છે એમને પણ આત્મ-અભિમાની બનાવું છું. આમનામાં પ્રવેશ કરું છું આમને કન્વર્ટ (બદલી) કરવાં, કારણ કે આ પણ દેહ-અભિમાની હતાં, આમને પણ કહું છું સ્વયંને આત્મા સમજી મને યથાર્થ રીતે યાદ કરો. એવાં બહુ જ મનુષ્ય છે જે સમજે છે આત્મા અલગ છે, જીવ અલગ છે. આત્મા દેહ થી નીકળી જાય છે તો બે ચીજ થઈ ને. બાપ સમજાવે છે તમે આત્મા છો. આત્મા જ પુનર્જન્મ લે છે. આત્મા જ શરીર લઈને પાર્ટ ભજવે છે. બાબા વારંવાર સમજાવે છે પોતાને આત્મા સમજો, આમાં ખુબ મહેનત જોઈએ. જેમ વિદ્યાર્થી ભણવા માટે એકાંત માં, બગીચા વગેરે માં જઈને ભણે છે. પાદરી લોકો પણ ફરવા જાય છે તો એકદમ શાંત રહે છે. તે કોઈ આત્મ-અભિમાની નથી રહેતાં. ક્રાઈસ્ટ ની યાદ માં રહે છે. ઘરમાં રહીને પણ યાદ તો કરી શકે છે પરંતુ ખાસ એકાંતમાં જાય છે ક્રાઈસ્ટ ને યાદ કરવાં બીજી કોઈ તરફ જોતાં પણ નથી. જે સારા-સારા હોય છે, સમજે છે અમે ક્રાઈસ્ટ ને યાદ કરતાં-કરતાં એમની પાસે ચાલ્યાં જઈશું. ક્રાઈસ્ટ હેવન (સ્વર્ગ) માં બેઠાં છે, અમે પણ હેવન માં ચાલ્યા જઈશું. આ પણ સમજે છે ક્રાઈસ્ટ હેવનલી ગોડફાધર ની પાસે ગયાં. અમે પણ યાદ કરતાં-કરતાં એમની પાસે જઈશું. બધાં ક્રિશ્ચન તે એક નાં બાળકો થયાં. એમનામાં કંઈક જ્ઞાન ઠીક છે. પરંતુ તમે કહેશો કે આ એમની સમજ પણ ખોટી છે કારણ કે ક્રાઈસ્ટ ની આત્મા તો ઉપર ગઈ જ નથી. ક્રાઈસ્ટ નામ તો શરીર નું છે, જેમને ફાંસી પર ચઢાવ્યાં. આત્મા તો ફાંસી પર નથી ચઢતી. હવે ક્રાઈસ્ટની આત્મા ગોડ ફાધર ની પાસે ગઈ, આ કહેવું પણ ખોટું થઈ જાય છે. પાછું કોઈ કેવી રીતે જશે? દરેકે સ્થાપના પછી પાલના જરુર કરવાની હોય છે. મકાન નું સારકામ વગેરે કરાય છે, આ પણ પાલના છે ને.
હવે બેહદનાં બાપને તમે યાદ કરો. આ નોલેજ બેહદનાં બાપ સિવાય કોઈ આપી ન શકે. પોતાનું જ કલ્યાણ કરવાનું છે. રોગી થી નિરોગી બનવાનું છે. આ રોગીઓની મોટી હોસ્પિટલ છે. આખું વિશ્વ રોગીઓની હોસ્પિટલ છે. રોગી જરુર જલ્દી મરી જશે, બાપ આવીને આ આખાં વિશ્વને નિરોગી બનાવે છે. એવું નથી કે અહીંયા જ નિરોગી બનશે. બાપ કહે છે - નિરોગી હોય છે જ નવી દુનિયામાં. જૂની દુનિયામાં નિરોગી હોઈ ન શકે. આ લક્ષ્મી-નારાયણ નિરોગી, એવરહેલ્થી (સદા સ્વસ્થ) છે. ત્યાં આયુ પણ મોટી હોય છે, રોગી વિકારી હોય છે. નિર્વિકારી રોગી નથી હોતાં. તેઓ છે જ સંપૂર્ણ નિર્વિકારી. બાપ સ્વયં કહે છે આ સમયે આખું વિશ્વ ખાસ ભારત રોગી છે. આપ બાળકો પહેલાં-પહેલાં નિરોગી દુનિયામાં આવો છો, નિરોગી બનો છો યાદની યાત્રા થી. યાદ થી તમે ચાલ્યાં જશો પોતાનાં સ્વીટ હોમ. આ પણ એક યાત્રા છે. આત્મા ની યાત્રા છે, બાપ પરમાત્મા ની પાસે જવાની. આ છે આધ્યાત્મિક યાત્રા. આ અક્ષર કોઈ સમજી નહિં શકે. તમે પણ નંબરવાર જાણો છો, પરંતુ ભૂલી જાઓ છો. મૂળ વાત છે આ, સમજાવવું પણ ખુબજ સહજ છે. પરતું સમજાવે તે જે પોતે પણ રુહાની યાત્રા પર હોય. પોતે હશે નહીં, બીજાને બતાવશે તો તીર નહીં લાગશે. સત્યતાનું બળ જોઈએ. અમે બાબા ને એટલું યાદ કરીએ છે જે બસ. સ્ત્રી પતિને કેટલું યાદ કરે છે. આ છે પતિઓનાં પતિ, બાપોનાં બાપ, ગુરુઓનાં ગુરુ. ગુરુ લોકો પણ એ બાપને જ યાદ કરે છે. ક્રાઈસ્ટ પણ બાપ ને જ યાદ કરતાં હતાં. પરંતુ એમને કોઈ જાણતું નથી. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાની ઓળખ આપે. ભારતવાસીઓને જ બાપ ની ખબર નથી તો બીજાઓને ક્યાંથી મળી શકે. વિદેશ થી પણ અહીંયા આવે છે, યોગ શીખવા માટે. સમજે છે પ્રાચીન યોગ ભગવાને શીખવાડ્યો. આ છે ભાવના. બાપ સમજાવે છે સાચો-સાચો યોગ તો હું જ કલ્પ-કલ્પ આવીને શીખવાડું છું, એક જ વાર. મુખ્ય વાત છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો, આને જ રુહાની યોગ કહેવાય છે. બાકી બધાનો છે શારીરિક યોગ. બ્રહ્મ થી યોગ રાખે છે. એ પણ બાપ તો નથી. એ તો મહતત્વ છે, રહેવાનું સ્થાન. તો સત્ય એક જ બાપ છે. એક બાપ ને જ સત્ય કહેવાય છે. આ પણ ભારતવાસીઓને ખબર નથી કે બાપ જ સત્ય કેવી રીતે છે. એ જ સચખંડ ની સ્થાપના કરે છે. સચખંડ અને જૂઠખંડ. તમે જ્યારે સચખંડ માં રહો છો તો ત્યાં રાવણરાજ્ય જ નથી હોતું. અડધા કલ્પ બાદ રાવણરાજ્ય જૂઠખંડ શરું થાય છે. સચખંડ આખાં સતયુગ ને કહેશું. પછી જૂઠખંડ આખાં કળયુગ નો અંત. હમણાં તમે સંગમ પર બેઠાં છો. ન અહીંયા છો, ન ત્યાં છો. તમે યાત્રા કરી રહ્યાં છો. આત્મા યાત્રા કરી રહી છે, શરીર નહીં. બાપ આવીને યાત્રા કરવાનું શીખવાડે છે. અહીંયાથી ત્યાં જવાનું છે. તમને આ શીખવાડે છે. તે લોકો પછી ચાંદ, તારા વગેરે તરફ જવાની યાત્રા કરે છે. હવે તમે જાણો છો એમાં કોઈ ફાયદો નથી. આ વસ્તુઓથી જ બધો વિનાશ થવાનો છે. બાકી જે પણ આટલી મહેનત કરે છે તે બધું વ્યર્થ. તમે જાણો છો આ બધી ચીજો જે સાયન્સ (વિજ્ઞાન) થી બને છે તે ભવિષ્ય માં તમારા જ કામમાં આવશે. આ ડ્રામા બનેલો છે. બેહદનાં બાપ આવીને ભણાવે છે તો કેટલો રિગાર્ડ (આદર) રાખવો જોઈએ. શિક્ષકનો આમ પણ બહુજ આદર રાખે છે. શિક્ષક ફરમાન કરે છે - સારી રીતે ભણી ને પાસ થઈ જાઓ. જો ફરમાન ને નહીં માનશો તો નપાસ થઈ જશો. બાપ પણ કહે છે તમને પણ ભણાવું છું વિશ્વનાં માલિક બનાવવાં. આ લક્ષ્મી-નારાયણ માલિક છે. ભલે પ્રજા પણ માલિક છે, પરંતુ પદ તો બહુ જ છે ને. ભારતવાસી પણ બધાં કહે છે ને - અમે માલિક છીએ. ગરીબ પણ ભારતનાં માલિક પોતાને સમજશે. પરંતુ રાજા અને એમનામાં ફરક કેટલો છે. નોલેજ થી પદ માં અંતર થઈ જાય છે. નોલેજ માં પણ હોશિયારી જોઈએ. પવિત્રતા પણ જરુરી છે તો હેલ્થ-વેલ્થ પણ જોઈએ. સ્વર્ગમાં બધું છે ને. બાપ લક્ષ્ય-હેતુ સમજાવે છે. દુનિયામાં બીજાં કોઈની બુદ્ધિ માં આ લક્ષ્ય-હેતુ હશે નહીં. તમે ફટ થી કહેશો અમે આ બનીએ છીએ. આખાં વિશ્વમાં આપણી રાજધાની હશે. આ તો હમણાં પંચાયતી રાજ્ય છે. પહેલાં હતાં ડબલ તાજધારી પછી એક તાજ હવે તાજ નથી. બાબાએ મુરલીમાં કહ્યું હતું - આ પણ ચિત્ર હોય - ડબલ સિરતાજ રાજાઓની આગળ સિંગલ તાજવાળા માથા ઝુકાવે છે. હમણાં બાપ કહે છે હું તમને રાજાઓનાં રાજા ડબલ સિરતાજ બનાવું છું. તે છે અલ્પકાળ માટે, આ છે ૨૧ જન્મોની વાત. પહેલી મુખ્ય વાત છે પાવન બનવાની. બોલાવે પણ છે કે આવીને પતિત થી પાવન બનાવો. એવું નથી કહેતાં કે રાજા બનાવો. હમણાં આપ બાળકો નો છે બેહદ નો સન્યાસ. આ દુનિયામાંથી જ ચાલ્યાં જશો પોતાનાં ઘરે. પછી સ્વર્ગમાં આવશો. અંદર માં ખુશી રહેવી જોઇએ જ્યારે કે સમજો છો આપણે ઘરે જઈશું પછી રાજાઈ માં આવીશું પછી મુરઝાઈશ, દુઃખ વગેરે આ બધું કેમ થવું જોઈએ. આપણે આત્મા ઘરે જઈશું પછી પુનર્જન્મ નવી દુનિયામાં લઈશું. બાળકોને સ્થાઈ ખુશી કેમ નથી રહેતી? માયાનો વિરોધ ખુબ છે એટલે ખુશી ઓછી થઈ જાય છે. પતિત-પાવન પોતે કહે છે મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થઈ જશે. તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. જાણો છો પછી આપણે આપણા રાજસ્થાન માં ચાલ્યાં જઈશું. અહીં ભિન્ન-ભિન્ન પ્રકારનાં રાજાઓ થયાં છે, હવે ફરી રુહાની રાજસ્થાન બનવાનું છે. સ્વર્ગનાં માલિક બની જશો. ક્રિશ્ચન લોકો હેવન નો અર્થ નથી સમજતાં. તેઓ મુક્તિધામ ને હેવન કહી દે છે. એવું નથી કે હેવિનલી ગોડફાધર કોઈ હેવન માં રહે છે. તે તો રહે છે જ શાંતિધામ માં.હમણાં તમે પુરુષાર્થ કરો છો તો પેરેડાઇઝ (વૈકુંઠ) માં જવા માટે. આ ફરક બતાવવાનો છે. ગોડફાધર છે મુક્તિધામ માં રહેવા વાળા. હેવન નવી દુનિયાને કહેવાય છે. ત્યાં તો ક્રિશ્ચન નથી હોતાં. ફાધર (પિતા) જ આવીને પેરેડાઇઝ સ્થાપન કરે છે. તમે જેને શાંતિધામ કહો છો એને તે લોકો હેવન સમજે છે. આ બધી સમજવાની વાતો છે.
બાપ કહે છે નોલેજ તો ખુબ સહજ છે. આ છે પવિત્ર બનવાનું નોલેજ, મુક્તિ-જીવનમુક્તિમાં જવાનું નોલેજ, જે બાપ જ આપી શકે છે. જ્યારે કોઈને ફાંસી અપાય છે તો અંદર માં આ જ રહે છે કે અમે ભગવાન પાસે જઈએ છીએ. ફાંસી આપવા વાળા પણ કહે છે ભગવાન ને યાદ કરો. ભગવાન ને બંનેવ નથી જાણતાં. તેમને તો તે સમયે મિત્ર સંબંધી વગેરે યાદ આવે છે. ગાયન પણ છે અંતકાળે જે સ્ત્રી સિમરે…. કોઈને કોઈ યાદ જરુર રહે છે. સતયુગમાં જ મોહજીત રહે છે. ત્યાં જાણે છે એક ખાલ છોડી બીજી લઈ લેશે. ત્યાં યાદ કરવાની દરકાર જ નથી એટલે કહે છે દુઃખ માં સિમરણ સૌ કરે…. અહીં દુઃખ છે એટલે યાદ કરે છે ભગવાન થી કંઇક મળે. ત્યાં તો બધું મળેલું જ છે. તમે કહી શકો છો અમારો ઉદ્દેશ છે મનુષ્યને આસ્તિક બનાવવાં, ધણી નાં બનાવવાં. હમણાં બધાં નિધન નાં છે. આપણે ધણીનાં બનીએ છીએ. સુખ, શાંતિ, સંપત્તિ નો વારસો આપવા વાળા બાપ જ છે. આ લક્ષ્મી-નારાયણ ની કેટલી મોટી આયુ હતી. આ પણ જાણે છે ભારતવાસીઓની પહેલાં-પહેલાં આયુ બહુ જ મોટી રહેતી હતી. હમણાં નાની છે. કેમ નાની થઈ છે - આ કોઈ પણ નથી જાણતું. તમારા માટે તો બહુ જ સહજ થઈ ગયું છે સમજવું અને સમજાવવું. તે પણ નંબરવાર છે. સમજણ દરેકની પોત-પોતાની છે, જે જેવી ધારણ કરે છે એવી સમજાવે છે.અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- જેમ બાપ સદૈવ આત્મ-અભિમાની છે, તેમ આત્મ-અભિમાની રહેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. એક બાપ ને દિલ થી પ્રેમ કરતાં-કરતાં બાપની સાથે ઘરે જવાનું છે.
- બેહદનાં બાપ નો પૂરે-પૂરો રિગાર્ડ (આદર) રાખવાનો છે અર્થાત્ બાપનાં ફરમાન પર ચાલવાનું છે. બાપ નું પહેલું ફરમાન છે - બાળકો સારી રીતે ભણી ને પાસ થઈ જાઓ. આ ફરમાન નું પાલન કરવાનું છે.