07-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બધાને
આ ખુશખબરી સંભળાવો કે હવે દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે , જ્યારે નિર્વિકારી દુનિયા
હશે ત્યારે બાકી બધું વિનાશ થઇ જશે ”
પ્રશ્ન :-
રાવણ નો શ્રાપ
ક્યારે મળે છે, શ્રાપિત થવાની નિશાની શું છે?
ઉત્તર :-
જ્યારે તમે દેહ-અભિમાની બનો છો ત્યારે રાવણ નો શ્રાપ મળી જાય છે. શ્રાપિત આત્માઓ
કંગાળ વિકારી બનતી જાય છે, નીચે ઉતરતી જાય છે. હવે બાપ થી વારસો લેવા માટે
દેહી-અભિમાની બનવાનું છે. પોતાની દૃષ્ટિ-વૃત્તિ ને પાવન બનાવવાની છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને ૮૪ જન્મો ની કથા સંભળાવે છે. આ તો સમજો છો બધાં તો ૮૪ જન્મ નહીં
લેતાં હશે. તમે જ પહેલાં-પહેલાં સતયુગ આદિમાં પૂજ્ય દેવી-દેવતા હતાં. ભારતમાં પહેલાં
પૂજ્ય દેવી-દેવતા ધર્મનું જ રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું તો જરુર
રાજધાની હશે. રાજાઈ કુળનાં મિત્ર-સંબંધી પણ હશે. પ્રજા પણ હશે. આ જેમ એક કથા છે.
૫000 વર્ષ પહેલાં પણ આમનું રાજ્ય હતું-આ સ્મૃતિમાં લાવો છો. ભારતમાં આદિ સનાતન
દેવી-દેવતા ધર્મનું રાજ્ય હતું. આ બેહદનાં બાપ બેસી સમજાવે છે, જેમને જ નોલેજફુલ
કહેવાય છે. નોલેજ કઈ ચીજ નું? મનુષ્ય સમજે છે તે બધાનાં અંદર ને, કર્મ વિકર્મ ને
જાણવા વાળા છે. પરંતુ હમણાં બાપ સમજાવે છે - દરેક આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો
છે. બધી આત્માઓ પોતાનાં પરમધામ માં રહે છે. તેમાં બધો પાર્ટ ભરેલો છે. તૈયાર બેઠા
છે કે જઈને કર્મક્ષેત્ર પર પોતાનો પાર્ટ ભજવીએ. આ પણ તમે સમજો છો આપણે આત્માઓ બધુંજ
કરીએ છીએ. આત્મા જ કહે છે આ ખાટ્ટું છે આ ખારું છે. આત્મા જ સમજે છે - અમે હમણાં
વિકારી પાપ આત્માઓ છીએ. આસુરી સ્વભાવ છે. આત્મા જ અહીંયા કર્મક્ષેત્ર પર શરીર લઈને
બધો પાર્ટ ભજવે છે. તો આ નિશ્ચય કરવો જોઈએ ને! હું આત્મા જ બધું કરું છું. હવે બાપ
ને મળ્યાં છીએ પછી ૫૦૦૦ વર્ષ બાદ મળશું. આ પણ સમજો છો પૂજ્ય અને પૂજારી, પાવન અને
પતિત બનતા આવ્યાં છીએ. જ્યારે પૂજ્ય છીએ તો પતિત કોઈ હોઈ ન શકે. જ્યારે પુજારી છીએ
તો પાવન કોઈ હોઈ ન શકે. સતયુગ માં છે જ પાવન દુનિયા. જ્યારે દ્વાપર થી રાવણ રાજ્ય
શરું થાય છે ત્યારે બધાં પતિત પૂજારી બને છે. શિવબાબા કહે છે જુઓ શંકરાચાર્ય પણ મારો
પુજારી છે. મને પૂજે છે ને. શિવ નું ચિત્ર કોઈની પાસે હીરાનું, કોઈની પાસે સોનાનું,
કોઈની પાસે ચાંદીનું હોય છે. હવે જે પૂજા કરે છે, એ પૂજારીને પૂજ્ય તો કહી ન શકાય.
આખી દુનિયામાં આ સમયે પૂજ્ય એક પણ હોઈ ન શકે. પૂજ્ય પવિત્ર હોય છે પછી અપવિત્ર બને
છે. પવિત્ર હોય છે નવી દુનિયામાં. પવિત્ર જ પૂજાય છે. જેમ કુમારી જ્યારે પવિત્ર છે
તો પૂજવા લાયક છે, અપવિત્ર બને છે તો પછી બધાનાં આગળ માથું ઝુકાવું પડે છે. પૂજા ની
કેટલી સામગ્રી છે. ક્યાંય પણ પ્રદર્શની, મ્યુઝિયમ વગેરે ખોલો છો તો ઉપરમાં
ત્રિમૂર્તિ શિવ જરુર જોઈએ. નીચેમાં આ લક્ષ્મી-નારાયણ મુખ્ય લક્ષ્ય. આપણે આ પૂજ્ય
દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છીએ. ત્યાં પછી કોઈ બીજો ધર્મ નથી રહેતો. તમે
સમજાવી શકો છો, પ્રદર્શનીમાં તો ભાષણ વગેરે કરી નહીં શકશો. સમજાવવા માટે પછી અલગ
પ્રબંધ હોવો જોઈએ. મુખ્ય વાત જ આ છે - આપણે ભારતવાસીઓ ને ખુશખબરી સંભળાવીએ છીએ. અમે
આ રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. આ દૈવી રાજધાની હતી, હમણાં નથી ફરીથી એની સ્થાપના
થાય છે અને બધું વિનાશ થઇ જશે. સતયુગમાં જ્યારે આ એક ધર્મ હતો તો અનેક ધર્મ હતાં નહિં.
હવે આ અનેક ધર્મ મળીને એક થઈ જાય, તે તો થઇ ન શકે. તે આવે જ છે એક-બે નાં પાછળ અને
વૃદ્ધિ ને પામતાં રહે છે. પહેલો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ છે. કોઈ પણ નથી
જે પોતાને દેવી-દેવતા ધર્મ નાં કહેવડાવી શકે. આને કહેવાય જ છે વિકારી દુનિયા. તમે
કહી શકો છો અમે તમને ખુશ ખબરી સંભળાવીએ છીએ - શિવબાબા નિર્વિકારી દુનિયા સ્થાપન કરી
રહ્યાં છે. આપણે પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ ને.
પહેલાં-પહેલાં તો આપણે ભાઈ-ભાઈ છીએ પછી રચના થાય છે તો જરુર ભાઈ-બહેન હશે. બધાં કહે
છે બાબા અમે તમારાં બાળકો છીએ તો ભાઈ-બહેન ની ક્રિમિનલ આંખો (કુદૃષ્ટિ) જઈ ન શકે. આ
અંતિમ જન્મ પવિત્ર બનવાનું છે, ત્યારે જ પવિત્ર વિશ્વનાં માલિક બની શકશો. તમે જાણો
છો ગતિ સદ્દગતિ દાતા છે જ એક બાપ. જૂની દુનિયા બદલાઈ ને જરુર નવી દુનિયા સ્થાપન
થવાની છે. તે તો ભગવાન જ કરશે. હવે એ નવી દુનિયા કેવી રીતે રચશે, આ આપ બાળકો જ જાણો
છો. હમણાં જૂની દુનિયા પણ છે, આ કોઈ ખલાસ નથી થઈ. ચિત્રોમાં પણ છે બ્રહ્મા દ્વારા
સ્થાપના. આમનો આ અનેક જન્મોના અંત નો જન્મ છે. બ્રહ્માની જોડી નથી, બ્રહ્માનું તો
એડોપ્શન (દત્તક) છે. સમજાવાની બહુજ યુક્તિ જોઈએ. શિવબાબા બ્રહ્મામાં પ્રવેશ કરી
આપણને પોતાનાં બનાવે છે. શરીરમાં પ્રવેશ કરે ત્યારે તો કહે - હેં આત્મા, તમે મારાં
બાળકો છો. આત્માઓ તો છે જ, પછી બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચાશે તો જરુર
બ્રહ્માકુમાર-કુમારીઓ હશે ને, તો ભાઈ-બહેન થઈ ગયાં. બીજી દૃષ્ટિ નીકળી જાય છે. આપણે
શિવબાબા થી પાવન બનવાનો વારસો લઈએ છીએ. રાવણ થી આપણને શ્રાપ મળે છે. હમણાં આપણે
દેહી-અભિમાની બનીએ છીએ તો બાપ થી વારસો મળે છે. દેહ-અભિમાની બનવાથી રાવણનો શ્રાપ મળે
છે. શ્રાપ મળવાથી નીચે ઉતરતાં જઈએ છીએ. હમણાં ભારત શ્રાપિત છે ને. ભારતને આટલું
કંગાળ વિકારી કોણે બનાવ્યું? કોઈ નો તો શ્રાપ છે ને. આ છે રાવણ રુપી માયાનો શ્રાપ.
દર વર્ષે રાવણ ને બાળે છે તો જરુર દુશ્મન છે ને. ધર્મ માં જ તાકાત હોય છે. હવે આપણે
દેવતા ધર્મ નાં બનીએ છીએ. બાબા નવાં ધર્મની સ્થાપના કરવાનાં નિમિત્ત છે. કેટલી
તાકાત વાળો ધર્મ સ્થાપન કરે છે. આપણે બાબા થી તાકાત લઈએ છીએ, આખાં વિશ્વ પર વિજય
પામીએ છીએ. યાદની યાત્રાથી જ તાકાત મળે છે અને વિકર્મ વિનાશ થાય છે. તો આ પણ એક
ભીતરમાં લખી રાખવું જોઈએ. અમે ખુશ ખબરી સંભળાવીએ છીએ. હવે આ ધર્મની સ્થાપના થઈ રહી
છે જેને જ હેવન, સ્વર્ગ કહે છે. એવાં મોટાં-મોટાં અક્ષરોમાં લખી દો. બાબા સલાહ આપે
છે-સૌથી મુખ્ય છે આ. હવે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. પ્રજાપિતા
બ્રહ્મા પણ બેઠાં છે. આપણે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ શ્રીમત પર આ કાર્ય કરી
રહ્યાં છીએ. બ્રહ્માની મત નથી, શ્રીમત છે જ પરમપિતા પરમાત્મા શિવની, જે સર્વનાં બાપ
છે. બાપ જ એક ધર્મની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કરે છે. રાજયોગ શીખી આ બનીએ છીએ.
આપણે પણ આ બની રહ્યાં છીએ. આપણે બેહદનો સન્યાસ કર્યો છે કારણ કે જાણીએ છીએ - આ જુની
દુનિયા ભસ્મ થઈ જવાની છે. જેમ હદનો બાપ નવું ઘર બનાવે છે પછી જૂનાં થી મમત્વ ખલાસ
થઈ જાય છે. બાપ કહે છે આ જૂની દુનિયા ખતમ થવાની છે. હવે તમારા માટે નવી દુનિયા
સ્થાપન કરી રહ્યાં છે. તમે ભણો જ છો - નવી દુનિયાનાં માટે. અનેક ધર્મો નો વિનાશ, એક
ધર્મની સ્થાપના સંગમ પર જ થાય છે. લડાઈ લાગશે, કુદરતી આપત્તિઓ પણ આવશે. સતયુગમાં
જ્યારે આમનું રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ હતાં નહીં. બાકી બધાં ક્યાં હતાં? આ
જ્ઞાન બુદ્ધિ માં રાખવાનું છે. એવું નથી આ જ્ઞાન બુદ્ધિ માં રાખતાં બીજું કામ નથી
કરતાં, કેટલાં ખ્યાલાત રહે છે. ચિઠ્ઠીઓ લખવી, વાંચવી, મકાન નો ખ્યાલ કરવો, તો પણ
બાપ ને યાદ કરતો રહું છું. બાબા ને યાદ ન કરીએ તો વિકર્મ કેવી રીતે વિનાશ થશે.
હમણાં આપ બાળકોને જ્ઞાન મળ્યું છે, તમે અડધાકલ્પ માટે પૂજ્ય બની રહ્યાં છો.
અડધોકલ્પ છે પૂજારી તમોપ્રધાન પછી અડધોકલ્પ પૂજ્ય સતોપ્રધાન હોય છે. આત્મા પરમપિતા
પરમાત્મા થી યોગ લગાડવાથી જ પારસ બને છે. યાદ કરતાં-કરતાં કળયુગ થી સતયુગમાં જતી
રહેશે. પતિત-પાવન એકને જ કહેવાય છે. આગળ ચાલી તમારો અવાજ નીકળશે. આ તો બધાં ધર્મો
માટે છે. તમે કહો પણ છો, બાપ કહે છે કે પતિત-પાવન હું જ છું. મને યાદ કરો તો તમે
પાવન બની જશો. બાકી બધાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી જશે. ક્યાંય પણ મુંઝાવ છો તો પૂછી
શકો છો. સતયુગમાં હોય છે જ થોડાં. હમણાં તો અનેક ધર્મ છે. જરુર હિસાબ-કિતાબ ચૂકતું
કરી પછી એવાં બનશે, જેવાં હતાં. વિસ્તારમાં કેમ જવાનું. જાણો છો દરેક પોત-પોતાનો
પાર્ટ આવી ને ભજવશે. હમણાં બધાએ પાછું જવાનું છે કારણ કે આ બધાં સતયુગમાં હતાં જ નહીં.
બાપ આવે જ છે એક ધર્મની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કરવાં. હવે નવી દુનિયાની
સ્થાપના થઈ રહી છે. ફરી સતયુગ જરુર આવશે, ચક્ર જરુર ફરશે. વધારે પડતાં વિચારોમાં નહીં
જાઓ, મૂળ વાત આપણે સતોપ્રધાન બનીશું તો ઉંચ પદ પામીશું. કુમારીઓએ તો આમાં લાગી જવાનું
છે, કુમારીની કમાણી મા-બાપ નથી ખાતાં. પરંતુ આજકાલ ભૂખ્યા થઈ ગયાં છે તો કુમારીઓએ
પણ કમાવવું પડે છે. તમે સમજો છો હવે પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે.
આપણે રાજયોગી છીએ, બાપ થી વારસો જરુર લેવાનો છે.
હમણાં તમે પાંડવસેના નાં બન્યાં છો. પોતાની સર્વિસ કરતાં પણ આ ખ્યાલ રાખવાનો છે, અમે
જઈને બધાને રસ્તો બતાવીએ. જેટલું કરશો એટલું ઉંચ પદ પામશો. બાબા ને પૂછી શકો છો - આ
હાલતમાં મરી જઈએ તો અમને કયું પદ મળશે? બાબા ઝટ બતાવી દેશે. સર્વિસ નથી કરતાં એટલે
સાધારણ ઘરમાં જઈને જન્મ લેશો પછી આવીને જ્ઞાન લે, તે તો મુશ્કિલ છે કારણ કે નાનાં
બાળકો એટલું જ્ઞાન તો ઉઠાવી નથી શકતાં. સમજો બાકી બે-ત્રણ વર્ષ રહે તો શું ભણી શકશો?
બાબા બતાવી દેશે તમે કોઈ ક્ષત્રિય કુળમાં જઈને જન્મ લેશો. પાછળ થી ડબલ તાજ મળશે.
સ્વર્ગ નું પૂરું સુખ પામી નહીં શકે. જે પૂરી સેવા કરશે, ભણશે તે જ પૂરું સુખ પામશે.
નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ જ ફુરના રાખવાની છે-હમણાં નહીં બનશો તો કલ્પ-કલ્પ નહીં
બનશો. દરેક પોતાને જાણી શકે છે, અમે કેટલા ગુણાંક થી પાસ થઈશું. બધું જાણી જાઓ છો
પછી કહેવાય છે ભાવી (નસીબ). અંદર માં દુઃખ થશે ને. બેઠા-બેઠા અમને શું થઈ ગયું!
બેઠા-બેઠા મનુષ્ય મરી પણ જાય છે એટલે બાપ કહે છે સુસ્તી નહીં કરો. પુરુષાર્થ કરી
પતિત થી પાવન બનતાં રહો, રસ્તો બતાવતાં રહો. કોઈ પણ મિત્ર-સંબંધી વગેરે છે, એમના પર
તરસ આવવી જોઈએ. જુઓ છો આ વિકાર વગર, ગંદુ ખાધાં વગર રહી નથી શકતાં, તો પણ સમજાવતાં
રહેવું જોઈએ. નથી માનતા તો સમજો આપણા કુળનાં નથી. કોશિશ કરી પિયરઘર, સાસરાં ઘરનું
કલ્યાણ કરવાનું છે. એવી પણ ચલન ન હોય જે કહે આ તો અમારા થી વાત પણ નથી કરતાં, મોઢું
ફેરવી દીધું છે. નહીં બધાથી જોડાવાનું છે. આપણે એમનું પણ કલ્યાણ કરીએ. ખુબ જ
રહેમદિલ બનવાનું છે. આપણે સુખ તરફ જઈએ છીએ તો બીજાઓને પણ રસ્તો બતાવીએ. આંધળાઓની
લાઠી તમે છો ને. ગાએ છે આંધળાઓની લાઠી તૂ. આંખો તો બધાને છે તો પણ બોલાવે છે કારણ
કે જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી. શાંતિ-સુખ નો રસ્તો બતાવવા વાળા એક જ બાપ છે. આ આપ
બાળકોની બુદ્ધિ માં હમણાં છે. પહેલાં થોડી સમજતાં હતાં. ભક્તિમાર્ગ માં કેટલા મંત્ર
જપે છે. રામ-રામ કહી માછલી ને ખવડાવે, કીડીઓને ખવડાવે. હવે જ્ઞાનમાર્ગમાં તો કંઈ પણ
કરવાની દરકાર નથી. પક્ષી તો અસંખ્ય મરી જાય છે. એક જ તોફાન લાગે છે, કેટલાં મરી જાય
છે. કુદરતી આપત્તિઓ તો હવે બહુ જોર થી આવશે. આ બધું થતું રહેશે. આ બધો વિનાશ તો
થવાનો જ છે. અંદર માં આવે છે કે હવે અમે સ્વર્ગમાં જઈશું. ત્યાં પોતાના ફર્સ્ટ
ક્લાસ મહેલ બનાવશું. જેમ કલ્પ પહેલાં બનાવ્યાં છે. બનાવશે તો પણ તે જ જે કલ્પ પહેલાં
બનાવ્યાં હશે. તે સમયે એ બુદ્ધિ આવી જશે. એનો વિચાર હમણાં કેમ કરીએ, એનાથી તો બાપ
ની યાદમાં રહીએ. યાદની યાત્રા ને નહિં ભુલો. મહેલ તો બનશે જ કલ્પ પહેલાં જેવાં.
પરંતુ હમણાં યાદની યાત્રામાં તોડ નિભાવવાનો છે અને ખુબજ ખુશી માં રહેવાનું છે કે
અમને બાપ, શિક્ષક, સદ્દગુરુ મળ્યાં છે. એ ખુશીમાં તો રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. તમે
જાણો છો આપણે આવ્યાં જ છીએ અમરપુરી નાં માલિક બનવાં. આ ખુશી સ્થાઈ રહેવી જોઈએ.
અહીંયા રહેશે ત્યારે પછી ૨૧ જન્મ તે સ્થાઈ થઈ જશે. અનેકો ને યાદ કરાવતાં રહેશો તો
પોતાની પણ યાદ વધશે. પછી આદત પડી જશે. જાણો છો આ અપવિત્ર દુનિયાને આગ લાગવાની છે.
તમે બ્રાહ્મણ જ છો જેમને આ ખ્યાલ છે - આટલી આખી દુનિયા ખતમ થઇ જશે. સતયુગમાં આ કંઈ
પણ ખબર નહીં પડશે. હમણાં અંત છે, તમે યાદ માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પતિત થી
પાવન બનવાનાં પુરુષાર્થ માં સુસ્તી નથી કરવાની. કોઈ પણ મિત્ર સંબંધી વગેરે છે તેમનાં
પર તરસ રાખી સમજાવવાનું છે, છોડી નથી દેવાનાં.
2. એવી ચલન નથી રાખવાની જે કોઈ કહે કે આમણે તો મોઢું ફેરવી દીધું છે. રહેમદિલ બની
બધાનું કલ્યાણ કરવાનું છે બીજા બધાં ખ્યાલાતો છોડી એક બાપ ની યાદમાં રહેવાનું છે.
વરદાન :-
સમાવવાની શક્તિ
દ્વારા ખોટાં ને પણ સાચું બનાવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ .
બીજાની ભૂલો ને જોઈને
સ્વયં ભૂલ નહીં કરો. જો કોઈ ભૂલ કરે છે તો આપણે સાચાં માં રહીએ, એમના સંગ નાં
પ્રભાવમાં ન આવીએ, જો પ્રભાવમાં આવી જાય છે તે અલબેલા થઈ જાય છે. દરેક ફક્ત આ જ
જવાબદારી ઉઠાવી લો કે હું સચ્ચાઈનાં માર્ગ પર જ રહીશ, જો બીજા ખોટું કરે છે તો તે
સમયે સમાવવાની શક્તિ વાપરો. કોઈની ભૂલને નોંધ કરવાને બદલે તેનાં સહયોગની ગાંઠ બાંધો
અર્થાત્ સહયોગ થી ભરપૂર કરી દો તો વિશ્વ પરિવર્તનનું કાર્ય સહજ જ થઈ જશે.
સ્લોગન :-
નિરંતર યોગી
બનવું છે તો હદનાં હું અને મારાંપણું ને બેહદ માં પરિવર્તન કરો.