26-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - પોતાનું કેરેક્ટર ( ચરિત્ર ) સુધારવાનાં માટે યાદની યાત્રા માં રહેવાનું છે , બાપ ની યાદ જ તમને સદા સૌભાગ્યશાળી બનાવશે ”

પ્રશ્ન :-
અવસ્થા ની પરખ કયા સમયે થાય છે? સારી અવસ્થા કોની કહેશું?

ઉત્તર :-
અવસ્થાની પરખ બીમારી નાં સમયે થાય છે. બીમારી માં પણ ખુશી કાયમ રહે અને ખુશમિજાજ ચહેરા થી બધાને બાપની યાદ અપાવતાં રહો, આ છે સારી અવસ્થા. જો સ્વયં રડશો, ઉદાસ થશો તો બીજાઓને ખુશમિજાજ કેવી રીતે બનાવશો? કંઈ પણ થઈ જાય - રડવાનું નથી.

ઓમ શાંતિ!
બે અક્ષર ગવાય છે - દુર્ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી. સૌભાગ્ય ચાલ્યું જાય છે તો દુર્ભાગ્ય કહેવાય છે. સ્ત્રી નો પતિ મરી જાય છે તો તે પણ દુર્ભાગ્ય કહેવાય છે. એકલી થઈ જાય છે. હવે તમે જાણો છો આપણે સદાનાં માટે સૌભાગ્યશાળી બનીએ છીએ. ત્યાં દુઃખની વાત નથી. મૃત્યુ નું નામ નથી હોતું. વિધવા નામ જ નથી હોતું. વિધવા ને દુઃખ થાય છે, રડતી રહે છે. ભલે સાધુ-સંત છે, એવું નથી કે તેમને કોઈ દુઃખ નથી હોતું. કોઈ પાગલ બની જાય છે, બીમાર રોગી પણ હોય છે. આ છે જ રોગી દુનિયા. સતયુગ છે નિરોગી દુનિયા. આપ બાળકો સમજો છો આપણે ભારત ને ફરીથી શ્રીમત પર નિરોગી બનાવીએ છીએ. આ સમયે મનુષ્યોનાં ચરિત્ર ખુબ ખરાબ છે. હવે ચરિત્ર સુધારવાનો પણ જરુર ડિપાર્ટમેન્ટ (વિભાગ) હશે. સ્કૂલોમાં પણ સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) નું રજીસ્ટર રખાય છે. તેમનાં કેરેક્ટર્સ (ચરિત્ર) ની ખબર પડે છે એટલે બાબાએ પણ રજીસ્ટર રખાવ્યું હતું. દરેક પોતાનું રજીસ્ટર રાખો. કેરેક્ટર જોવાનું છે કે અમે કોઈ ભૂલ તો નથી કરતાં. પહેલી વાત તો બાપ ને યાદ કરવાનાં છે, એમનાથી જ તમારું કેરેક્ટર સુધરે છે. આયુ પણ મોટી થાય છે એક ની યાદ થી. આ તો છે જ્ઞાન રત્ન. યાદ ને રત્ન નથી કહેવાતું. યાદ થી જ તમારા કેરેક્ટર સુધરે છે. આ ૮૪ જન્મોનું ચક્ર તમારા સિવાય બીજા કોઈ સમજાવી ન શકે. આનાં પર જ સમજાવાનું છે - વિષ્ણુ અને બ્રહ્મા. શંકરનું તો કેરેક્ટર નહીં કહેશું. આપ બાળકો જાણો છો બ્રહ્મા અને વિષ્ણુ નો આપસમાં શું સંબંધ છે. વિષ્ણુનાં બે રુપ છે આ લક્ષ્મી-નારાયણ. તે જ પછી ૮૪ જન્મ લે છે. ૮૪ જન્મોમાં જાતે જ પૂજ્ય અને જાતે જ પૂજારી બને છે. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીંયા જ જોઈએ ને. સાધારણ તન જોઈએ. ખાસ કરીને આમાં જ મુંઝાય છે. બ્રહ્મા તો છે જ પતિત-પાવન બાપ નો રથ. કહે પણ છે - દૂરદેશ કા રહનેવાલા આયા દેશ પરાયે …….. પાવન દુનિયા બનાવવાવાળા પતિત-પાવન બાપ પતિત દુનિયામાં આવ્યાં. પતિત દુનિયામાં એક પણ પાવન ન હોઈ શકે. હવે આપ બાળકોએ સમજ્યું છે કે ૮૪ જન્મ આપણે કેવી રીતે લઈએ છીએ. કોઈ તો લેતાં હશે ને. જે પહેલાં-પહેલાં આવતાં હશે તેમનાં જ ૮૪ જન્મ હશે. સતયુગમાં દેવી-દેવતા જ આવે છે. મનુષ્યોનાં જરા પણ વિચાર નથી ચાલતાં, ૮૪ જન્મ કોણ લેશે. સમજની વાત છે. પુર્નજન્મ તો બધાં માને છે. ૮૪ પુનર્જન્મ થયાં આ ખુબ યુક્તિ થી સમજાવવાનું છે. ૮૪ જન્મ તો બધાં નહીં લેશે ને. એક સાથે બધાં થોડી આવશે અને શરીર છોડશે. ભગવાનુવાચ પણ છે કે તમે પોતાનાં જન્મોને નથી જાણતાં, ભગવાન જ બેસી સમજાવે છે. તમે આત્માઓ ૮૪ જન્મ લો છો. ૮૪ ની કથા બાપ બાળકોને બેસી સંભળાવે છે. આ પણ એક ભણતર છે. ૮૪ નું ચક્ર તો જાણવું ખુબ સહજ છે. બીજા ધર્મ વાળા આ વાતોને સમજશે નહીં. તમારામાં પણ કોઈ બધાં ૮૪ જન્મ નથી લેતાં. બધાનાં ૮૪ જન્મ હોય તો બધાં ભેગાં આવી જાય. આ પણ નથી થતું. બધો આધાર ભણતર અને યાદ પર છે. એમાં પણ નંબરવન છે યાદ. મુશ્કિલ વિષય પર ગુણાંક વધારે મળે છે. તેનો પ્રભાવ પણ હોય છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ વિષય હોય છે ને. આમાં છે બે મુખ્ય. બાપ કહે છે મને યાદ કરો તો સંપૂર્ણ નિર્વિકારી બની જશો અને પછી વિજય માળામાં પરોવાઈ જશો. આ છે હરીફાઈ. પહેલાં તો સ્વયંને જોવાનું છે કે હું ક્યાં સુધી ધારણ કરું છું? કેટલું યાદ કરું છું? મારું કેરેક્ટર કેવું છે? જો મારામાં જ રડવાની આદત છે તો બીજાઓને ખુશમિજાજ કેવી રીતે બનાવી શકું છું? બાબા કહે છે જે રડે છે તે ખોવે છે. કંઈ પણ થઈ જાય પરંતુ રડવાની દરકાર નથી. બીમારીમાં પણ ખુશી થી એટલું તો કહી શકો છો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. બીમારીમાં જ અવસ્થા ની પરખ થાય છે. તકલીફમાં થોડું કુડકવાનો અવાજ ભલે નીકળે છે પરંતુ પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. બાપે પૈગામ (સંદેશ) આપ્યો છે. પેગંબર- મેસેન્જર એક શિવબાબા છે, બીજા કોઈ છે નહીં. બાકી જે પણ સંભળાવે છે બધી ભક્તિમાર્ગની વાતો. આ દુનિયાની જે પણ ચીજો છે બધું વિનાશી છે, હવે તમને ત્યાં લઈ જાય છે, જ્યાં તોડ-ફોડ નથી. ત્યાં તો ચીજો જ એવી સારી બનશે જે તૂટવાનું નામ જ નહીં હશે. અહીંયા સાયન્સ (વિજ્ઞાન) થી કેટલી ચીજો બને છે, ત્યાં પણ તો સાયન્સ જરુર હશે કારણ કે તમારા માટે ખુબ સુખ જોઈએ. બાપ કહે છે આપ બાળકોને કંઈ પણ ખબર નહોતી. ભક્તિમાર્ગ ક્યારે શરું થયો, કેટલું તમે દુઃખ જોયું - આ બધી વાતો હમણાં તમારી બુદ્ધિમાં છે. દેવતાઓને કહેવાય જ છે - સર્વગુણ સંપન્ન……. પછી તે કળાઓ કેવી રીતે ઓછી થઈ? હમણાં તો કોઈ કળા નથી રહી. ચંદ્રની પણ ધીરે-ધીરે કળા ઓછી થાય છે ને.

તમે જાણો છો કે આ દુનિયા પણ પહેલાં નવી છે તો ત્યાં દરેક ચીજ સતોપ્રધાન ફર્સ્ટક્લાસ હોય છે. પછી જૂની થતાં કળાઓ ઓછી થતી જાય છે. સર્વગુણ સંપન્ન આ લક્ષ્મી-નારાયણ છે ને. હવે બાપ તમને સાચી-સાચી સત્યનારાયણ ની કથા સંભળાવી રહ્યાં છે. હમણાં છે રાત પછી દિવસ થાય છે. તમે સંપૂર્ણ બનો છો તો તમારી માટે પછી સૃષ્ટિ પણ એવી જ જોઈએ. ૫ તત્વ પણ સતોપ્રધાન (૧૬ કળા સંપૂર્ણ) બની જાય છે એટલે શરીર પણ તમારા નેચરલ બ્યુટીફુલ (કુદરતી સુંદર) હોય છે. સતોપ્રધાન હોય છે. આ આખી દુનિયા ૧૬ કળા સંપૂર્ણ બની જાય છે. હમણાં તો કોઈ કળા નથી, જે પણ મોટા થી મોટા લોકો છે અથવા મહાત્મા વગેરે છે, આ બાપનું નોલેજ તેમની તકદીર માં જ નથી. તેમને તો પોતાનો જ ઘમંડ છે. ખાસ કરીને છે જ ગરીબોની તકદીર માં. કોઈ કહે છે આટલાં ઊંચા બાપ છે, એમને તો કોઈ મોટા રાજા અથવા પવિત્ર ઋષિ વગેરે નાં તન માં આવવું જોઈએ. પવિત્ર હોય જ છે સન્યાસી. પવિત્ર કન્યા નાં તનમાં આવે. બાપ બેસી સમજાવે છે હું કોનામાં આવું છું. હું આવું જ તેમાં છું જે પૂરા ૮૪ જન્મ લે છે. એક દિવસ પણ ઓછો નહીં. કૃષ્ણ પેદા થયાં તે સમય થી ૧૬ કળા સંપૂર્ણ થયાં. પછી સતો, રજો, તમો માં આવે છે. દરેક ચીજ પહેલાં સતોપ્રધાન પછી સતો, રજો, તમો માં આવે છે. સતયુગમાં પણ એવું હોય છે. બાળક સતોપ્રધાન છે પછી મોટો થશે તો કહેશે હવે આપણે આ શરીર છોડી સતોપ્રધાન બાળક બનીએ છીએ. આપ બાળકોને એટલો નશો નથી. ખુશી નો પારો નથી ચઢતો. જે સારી મહેનત કરે છે, ખુશી નો પારો ચઢતો રહે છે. શક્લ પણ ખુશનુમ: રહે છે. આગળ ચાલીને તમને સાક્ષાત્કાર થતાં રહેશે. જેમ ઘરની નજીક આવીને પહોંચો છો તો પછી તે ઘરબાર મકાન વગેરે યાદ આવે છે ને. આ પણ એવું છે. પુરુષાર્થ કરતાં-કરતાં તમારી પ્રાલબ્ધ જ્યારે નજીક હશે તો પછી ખુબ સાક્ષાત્કાર થતા રહેશે. ખુશી માં રહેશો. જે નપાસ થાય છે તે શરમ નાં મારે ડૂબી મરે છે. તમને પણ બાબા બતાવી દે છે પછી ખુબ પસ્તાવું પડશે. પોતાનાં ભવિષ્ય નો સાક્ષાત્કાર કરશો, અમે શું બનશું? બાબા દેખાડશે આ-આ વિકર્મ વગેરે કર્યા છે. પૂરું ભણ્યા નથી, ટ્રેટર (દગાબાજ) બન્યાં, એટલે આ સજા મળે છે. બધો સાક્ષાત્કાર થશે. વગર સાક્ષાત્કારે સજા કેવી રીતે આપશે? કોર્ટમાં પણ બતાવે છે - તમે આ-આ કર્યુ છે, તેની સજા છે. જ્યાં સુધી કર્માતીત અવસ્થા થઈ જાય ત્યાં સુધી કાંઈ ને કાંઈ નિશાની રહેશે. આત્મા પવિત્ર થઇ જાય છે પછી તો શરીર છોડવું પડે. અહીંયા રહી ન શકે. તે અવસ્થા તમારે ધારણ કરવાની છે. હવે તમે પાછાં જઈ પછી નવી દુનિયામાં આવવાનાં માટે તૈયારી કરો છો. તમારો પુરુષાર્થ જ આ છે કે અમે જલ્દી-જલ્દી જઈએ, પછી જલ્દી-જલ્દી આવીએ. જેમ બાળકોને રમત માં દોડાવે છે ને. નિશાના સુધી જઈને પછી પાછા આવવાનું છે. તમારે પણ જલ્દી-જલ્દી જવાનું છે, પછી પહેલાં નંબરમાં નવી દુનિયામાં આવવાનું છે. તો તમારી રેસ છે આ. સ્કૂલમાં પણ રેસ કરાવે છે ને. તમારો છે આ પ્રવૃત્તિ માર્ગ. તમારો પહેલાં-પહેલાં પવિત્ર ગૃહસ્થ ધર્મ હતો. હમણાં છે વિશશ (વિકારી) પછી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા બનશે. આ વાતો ને તમે સિમરણ કરતાં રહો તો પણ ખુબ ખુશી રહેશે. આપણે જ રાજય લઈએ છીએ પછી ગુમાવીએ છીએ. હીરો-હીરોઇન કહે છે ને. હીરા જેવો જન્મ લઈને પછી કોડી જેવાં જન્મ માં આવે છે.

હવે બાપ કહે છે - તમે કોડીઓ પાછળ સમય વેસ્ટ નહીં કરો. આ કહે છે હું પણ સમય વેસ્ટ કરતો હતો. તો મને પણ કહ્યું હવે તો તું મારો બનીને આ રુહાની ધંધો કર. તો ઝટ બધુંજ છોડી દીધું. પૈસા કોઈ ફેંકી તો નહીં દેશે. પૈસા તો કામમાં આવે છે. પૈસા વગર કોઈ મકાન વગેરે થોડી મળી શકે. આગળ ચાલી મોટા-મોટા ધનવાન આવશે. તમને મદદ આપતાં રહેશે. એક દિવસ તમારે મોટી-મોટી કોલેજ, યુનિવર્સિટી માં પણ જઈને ભાષણ કરવાનું હશે કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. હિસ્ટ્રી રિપીટ થાય છે આદિ થી અંત સુધી. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) થી આયરન એજ (કળયુગ) સુધી સૃષ્ટિની હિસ્ટ્રી-જોગ્રોફી આપણે બતાવી શકીએ છીએ. કેરેક્ટર્સ (ચરિત્ર) ની ઉપર તો તમે ખુબ સમજાવી શકો છો. આ લક્ષ્મી-નારાયણની મહિમા કરો. ભારત કેટલું પાવન હતું, દૈવી કેરેક્ટર હતાં. હવે તો વિશશ કેરેક્ટર્સ છે. જરુર ફરી ચક્ર રિપીટ થશે. આપણે વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવી શકીએ છીએ. ત્યાં જવાનું પણ સારા-સારા ને જોઈએ. જેવી રીતે થિયોસોફિકલ સોસાયટી છે, ત્યાં તમે ભાષણ કરો. કૃષ્ણ તો દેવતા હતાં, સતયુગમાં હતાં. પહેલાં-પહેલાં છે શ્રીકૃષ્ણ જે ફરી નારાયણ બને છે. અમે તમને શ્રીકૃષ્ણનાં ૮૪ જન્મો ની કહાની સંભળાવીએ, જે બીજું કોઈ સંભળાવી ન શકે. આ ટોપીક (વિષય) કેટલો મોટો છે. હોશિયારે ભાષણ કરવું જોઈએ.

હવે તમારાં દિલમાં આવે છે, આપણે વિશ્વનાં માલિક બનીશું, કેટલી ખુશી થવી જોઈએ. અંદર બેસી આ જાપ જપો પછી તમને આ દુનિયામાં કંઈ ભાસશે નહીં. અહીંયા તમે આવો જ છો - વિશ્વનાં માલિક બનવાં - પરમપિતા પરમાત્મા દ્વારા. વિશ્વ તો આ દુનિયા ને જ કહેવાય છે. બ્રહ્મલોક કે સૂક્ષ્મવતન ને વિશ્વ નહીં કહીશું. બાપ કહે છે હું વિશ્વનો માલિક નથી બનતો. આ વિશ્વનાં માલિક આપ બાળકોને બનાવું છું. કેટલી ગુહ્ય વાતો છે. તમને વિશ્વનાં માલિક બનાવું છું. પછી તમે માયાનાં દાસ બની જાઓ છો. અહીંયા જ્યારે સામે યોગમાં બેસાડો છો તો પણ યાદ અપાવવાની છે - આત્મા અભિમાની થઈ બેસો, બાપ ને યાદ કરો. ૫ મિનિટ પછી ફરી બોલો. તમારા યોગ નાં પ્રોગ્રામ ચાલે છે ને. અનેકોની બુદ્ધિ બહાર ચાલી જાય છે એટલે ૫-૧૦ મિનિટ પછી ફરી સાવધાન કરવાં જોઈએ. પોતાને આત્મા સમજી બેઠાં છો? બાપ ને યાદ કરો છો? તો પોતાનું પણ અટેન્શન (ધ્યાન) રહેશે. બાબા આ બધી યુક્તિઓ બતાવે છે. ઘડી-ઘડી સાવધાન કરો. પોતાને આત્મા સમજી શિવબાબા ની યાદ માં બેઠાં છો? તો જેમનો બુદ્ધિયોગ ભટકતો હશે તે ઉભાં થઇ જશે. ઘડી-ઘડી આ યાદ અપાવવી જોઈએ. બાબા ની યાદ થી જ તમે તે પાર ચાલ્યાં જશો. ગાએ પણ છે ખેવૈયા, નૈયા મારી પાર લગાવો. પરંતુ અર્થ ને નથી જાણતાં. મુક્તિધામમાં જવાનાં માટે અડધોકલ્પ ભક્તિ કરી છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો મુક્તિધામમાં ચાલ્યાં જશો. તમે બેસો જ છો પાપ કાપવા માટે પછી પાપ કરવાં થોડી જોઈએ. નહીં તો પછી પાપ રહી જશે. નંબરવન આ પુરુષાર્થ છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. એમ સાવધાન કરતા રહેવાથી પોતાનું પણ અટેન્શન રહેશે. પોતાને પણ સાવધાન કરવાનું છે. સ્વયં પણ યાદમાં બેસે ત્યારે બીજાઓને બેસાડે. આપણે આત્મા છીએ, જઈએ છીએ પોતાનાં ઘરે. પછી આવીએ રાજ્ય કરશું. પોતાને શરીર સમજવું-આ પણ એક મોટી બીમારી છે એટલે જ બધાં રસાતળ માં ચાલ્યા ગયાં છે. તેમને પછી સૈલવેજ (મુક્ત) કરવાનાં છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનો સમય રુહાની ધંધા માં સફળ કરવાનો છે. હીરા જેવું જીવન બનાવવાનું છે. પોતાને સાવધાન કરતા રહેવાનું છે. શરીર સમજવાની મોટી બીમારી થી બચવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. ક્યારેય પણ માયાનાં દાસ નથી બનવાનું, અંદર માં બેસી જાપ જપવાનો છે કે આપણે આત્મા છીએ. ખુશી રહે આપણે બેગર થી પ્રિન્સ બની રહ્યાં છીએ.

વરદાન :-
વાઇસલેસ ( નિર્વિકારી ) ની શક્તિ દ્વારા સૂક્ષ્મવતન અથવા ત્રણેયલોક નાં અનુભવ કરવાવાળા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ

જે બાળકો ની પાસે વાઈસલેસ ની શક્તિ છે, બુદ્ધિયોગ બિલકુલ રિફાઇન (શુદ્ધ) છે-એવાં ભાગ્યવાન બાળકો સહજ ત્રણેયલોક ની યાત્રા કરી શકે છે. સૂક્ષ્મવતન સુધી પોતાનાં સંકલ્પ પહોંચાડવાં માટે સર્વ સંબંધોનાં સાર વાળી સુક્ષ્મ યાદ જોઈએ. આ જ સૌથી પાવરફુલ તાર છે, આની વચમાં માયા ઇન્ટરફિયર (ખલેલ) નથી કરી શકતી. તો સૂક્ષ્મવતન ની રોનક નો અનુભવ કરવાનાં માટે સ્વયં ને વાઈસલેસ ની શક્તિ થી સંપન્ન બનાવો.

સ્લોગન :-
કોઈ વ્યક્તિ, વસ્તુ કે વૈભવનાં પ્રતિ આકર્ષણ થવું જ કમ્પેનિયન (સાથી) બાપને સંકલ્પ થી તલાક આપવાં છે.