06-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં ગોડલી સર્વિસ ( ઈશ્વરીય સેવા ) પર છો , તમારે બધાને સુખનો રસ્તો બતાવવાનો છે
, સ્કોલરશિપ લેવાનો પુરુષાર્થ કરવાનો છે ”
પ્રશ્ન :-
આપ બાળકોની
બુદ્ધિમાં જ્યારે જ્ઞાનની સારી ધારણા થઈ જાય છે તો કયો ડર નિકળી જાય છે?
ઉત્તર :-
ભક્તિમાં જે ડર રહેતો કે ગુરુ અમને શ્રાપ ન આપી દે, આ ડર જ્ઞાન માં આવવાથી, જ્ઞાન
ની ધારણા કરવાથી નીકળી જાય છે કારણ કે જ્ઞાનમાર્ગ માં શ્રાપ કોઈ આપી ન શકે. રાવણ
શ્રાપ આપે છે, બાપ વારસો આપે છે. રિદ્ધિ-સિદ્ધિ શીખવા વાળા આવું હેરાન કરવાનું,
દુઃખ આપવાનું કામ કરે છે, જ્ઞાનમાં તો આપ બાળકો બધાં ને સુખ પહોંચાડો છો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. તમે બધાં પહેલાં આત્મા છો. આ પાક્કો
નિશ્ચય રાખવાનો છે. બાળકો જાણે છે આપણે આત્માઓ પરમધામ થી આવીએ છીએ, અહીંયા શરીર લઈને
પાર્ટ ભજવવાં. આત્મા જ પાર્ટ ભજવે છે. મનુષ્ય પછી સમજે છે શરીર જ પાર્ટ ભજવે છે. આ
છે મોટાં માં મોટી ભૂલ. જેનાં કારણે આત્માને કોઈ જાણતું નથી. આ આવાગમનમાં આપણે
આત્માઓ આવીએ-જઈએ છીએ - આ વાતને ભૂલી જાય છે એટલે બાપને જ આવીને આત્મ-અભિમાની બનાવવાં
પડે છે. આ વાત પણ કોઈ નથી જાણતું. બાપ જ સમજાવે છે, આત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે.
મનુષ્ય નાં વધુમાં વધુ ૮૪ જન્મો થી લઈને ઓછાંમાં ઓછાં છે એક-બે જન્મ. આત્માએ
પુનર્જન્મ તો લેતાં રહેવાનું છે. આનાથી સિદ્ધ થાય છે, અનેક જન્મ લેવા વાળા વધારે
પુનર્જન્મ લે છે. થોડાં જન્મ લેવાવાળા ઓછા પુનર્જન્મ લે છે. જેવી રીતે નાટકમાં કોઈનો
શરું થી અંત સુધી પાર્ટ હોય છે, કોઈનો થોડો પાર્ટ હોય છે. આ કોઈ મનુષ્ય નથી જાણતું.
આત્મા પોતાને જ નથી જાણતી તો પોતાનાં બાપ ને કેવી રીતે જાણે. આત્મા ની વાત છે ને.
બાપ છે આત્માઓનાં. કૃષ્ણ તો આત્માઓનાં બાપ છે નહીં. કૃષ્ણ ને નિરાકાર તો નહીં કહેશું.
સાકાર માં જ તેમને ઓળખાય છે. આત્મા તો બધાની છે. દરેક આત્મા માં પાર્ટ તો નોંધાયેલ
છે. આ વાતો તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે, જે સમજાવી શકે છે. હમણાં આપ
બાળકો જાણો છો આપણે આત્માઓએ ૮૪ જન્મ કેવી રીતે લીધાં છે. એવું નથી કે આત્મા સો
પરમાત્મા. ના, બાપે સમજાવ્યું છે - આપણે આત્મા પહેલાં તો દેવતા બનીએ છીએ. હમણાં
પતિત તમોપ્રધાન છીએ પછી સતોપ્રધાન બનવાનું છે. બાપ આવે જ ત્યારે છે જ્યારે સૃષ્ટિ
જૂની થઈ જાય છે. બાપ આવીને જૂની ને નવી બનાવે છે. નવી સૃષ્ટિ સ્થાપન કરે છે. નવી
દુનિયામાં છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. તેમનાં માટે જ કહેશું પહેલાં કળયુગી
શુદ્ર ધર્મ વાળા હતાં. હવે પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી બની બ્રાહ્મણ બન્યાં
છો. બ્રાહ્મણ કુળમાં આવો છો. બ્રાહ્મણ કુળની ડિનાયસ્ટી (વંશજ) નથી હોતી. બ્રાહ્મણ
કુળ કોઈ રાજાઈ નથી કરતો. આ સમયે ભારતમાં ન બ્રાહ્મણ કુળ રાજાઈ કરે છે, ન શુદ્ર કુળ
રાજાઈ કરે છે. બંનેવ ને રાજાઈ નથી. છતાં પણ તેમનું પ્રજા પર પ્રજાનું રાજ્ય તો ચાલે
છે. આપ બ્રાહ્મણોનું કોઈ રાજ્ય નથી. તમે સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ભણો છો. બાપ તમને
જ સમજાવે છે. આ ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે. સતયુગ ત્રેતા….પછી હોય છે સંગમયુગ. આ
સંગમ જેવી મહિમા બીજા કોઈ યુગની છે નહીં. આ છે પુરુષોત્તમ સંગમયુગ. સતયુગ થી ત્રેતા
માં આવે છે, બે કળા ઓછી થાય છે તો તેની મહિમા શું કરશું! ઉતરવાની મહિમા થોડી થાય
છે. કળયુગ ને કહેવાય છે જૂની દુનિયા. હવે નવી દુનિયા સ્થાપન થવાની છે, જ્યાં
દેવી-દેવતાઓનું રાજ્ય હોય છે. તે પુરુષોત્તમ હતાં. પછી કળા ઓછી થતાં-થતાં કનિષ્ટ,
શૂદ્ર બુદ્ધિ બની જાય છે. તેમને પથ્થર બુદ્ધિ પણ કહેવાય છે. એવાં પથ્થર બુદ્ધિ બની
જાય છે જે જેની પૂજા કરે છે, તેની જીવન કહાની પણ નથી જાણતાં. બાળકો બાપનું જીવન ન
જાણે તો વારસો કેવી રીતે મળે. હમણાં આપ બાળકો બાપનાં જીવન ને જાણો છો. એમનાથી તમને
વારસો મળી રહ્યો છે. બેહદનાં બાપને યાદ કરો છો. તુમ માત-પિતા…..કહો છો તો જરુર બાપ
આવ્યાં હશે ત્યારે તો સુખ ઘનેરા આપ્યાં હશે ને. બાપ કહે છે - હું આવ્યો છું, અથાહ
સુખ આપ બાળકોને આપું છું. બાળકોની બુદ્ધિ માં આ નોલેજ સારી રીતે રહેવું જોઈએ, એટલે
તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. તમને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે જાણો
છો આપણે સો દેવતા બનીએ છીએ. હમણાં શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ. કળયુગી બ્રાહ્મણ
પણ છે તો ખરા ને. તે બ્રાહ્મણ લોકો જાણતાં નથી કે અમારો ધર્મ અથવા કુળ ક્યારે
સ્થાપન થયો કારણ કે તે છે જ કળયુગી. તમે હવે ડાયરેક્ટ પ્રજાપિતા બ્રહ્માની સંતાન
બન્યાં છો અને સૌથી ઉંચ કોટિ નાં છો. બાપ બેસી તમારા ભણતર ની સેવા, સંભાળવાની સેવા
અને શ્રુંગારવાની સેવા કરે છે. તમે પણ છો ઈશ્વરીય સેવા પર ફક્ત. ગોડફાધર પણ કહે છે
- હું આવ્યો છું બધાં બાળકોની સર્વિસ (સેવા) માં. બાળકોને સુખનો રસ્તો બતાવવાનો છે.
બાપ કહે છે હવે ઘરે ચાલો. મનુષ્ય ભક્તિ પણ કરે છે મુક્તિનાં માટે. જરુર જીવનમાં
બંધન છે. બાપ આવીને આ દુઃખો થી છોડાવે છે. આપ બાળકો જાણો છો ત્રાહિ-ત્રાહિ કરશે.
હાહાકાર નાં પછી જયજયકાર થવાની છે. હવે તમારી બુદ્ધિમાં છે - કેટલી હાય-હાય કરશે,
જ્યારે નેચરલ કેલેમિટીજ (કુદરતી આપદાઓ) વગેરે થશે. યૂરોપવાસી યાદવ પણ છે, બાપે
સમજાવ્યું છે - યૂરોપવાસીઓ ને યાદવ કહેવાય છે. દેખાડે છે પેટ થી મૂસળ નીકળ્યાં પછી
શ્રાપ આપ્યો. હવે શ્રાપ વગેરેની તો વાત જ નથી. આ તો ડ્રામા છે. બાપ વારસો આપે છે,
રાવણ શ્રાપ આપે છે. આ એક રમત બનેલી છે, બાકી શ્રાપ આપવા વાળા તો બીજા મનુષ્ય હોય
છે. તે શ્રાપ ને ઉતારવાવાળા પણ હોય છે. ગુરુ ગોસાઈ વગેરે થી પણ મનુષ્ય લોકો ડરે છે
કે કોઈ શ્રાપ ન આપે. હકીકત માં જ્ઞાનમાર્ગ માં શ્રાપ કોઈ આપી ન શકે. જ્ઞાન માર્ગ અને
ભક્તિ માર્ગ માં શ્રાપ ની કોઈ વાત નથી. જે રિદ્ધિ-સિદ્ધિ વગેરે શીખે છે, તે શ્રાપ
આપે છે, લોકોને ખુબ દુઃખી કરી દે છે, પૈસા પણ ખુબ કમાય છે. ભક્ત લોકો પણ આ કામ નથી
કરતાં.
બાબાએ આ પણ સમજાવ્યું છે - સંગમની સાથે પુરુષોત્તમ અક્ષર જરુર લખો. ત્રિમૂર્તિ
અક્ષર પણ જરુર લખવાનો છે અને પ્રજાપિતા અક્ષર પણ જરુરી છે કારણ કે બ્રહ્મા નામ પણ
અનેકોનું છે. પ્રજાપિતા અક્ષર લખશો તો સમજશે સાકારમાં પ્રજાપિતા થયાં. ફક્ત બ્રહ્મા
લખવાથી સૂક્ષ્મવતન વાળા સમજી લે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને ભગવાન કહી દે છે.
પ્રજાપિતા કહેશો તો સમજાવી શકો છો - પ્રજાપિતા તો અહીંયા છે. સૂક્ષ્મવતન માં કેવી
રીતે હોઈ શકે. વિષ્ણુ ને તો દેખાડે છે બ્રહ્માની નાભિથી નીકળ્યાં. આપ બાળકો ને પણ
જ્ઞાન મળ્યું છે. નાભિ વગેરે ની કોઈ વાત જ નથી. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો
બ્રહ્મા કેવીરીતે બને છે. આખાં ચક્રનું જ્ઞાન તમે આ ચિત્રો દ્વારા સમજાવી શકો છો.
ચિત્ર વગર સમજાવવામાં મહેનત લાગે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બને છે.
લક્ષ્મી-નારાયણ ૮૪ નું ચક્ર લગાવી પછી બ્રહ્મા-સરસ્વતી બને છે. બાબાએ પહેલાં થી નામ
આપી દીધાં છે, જ્યારે ભઠ્ઠી બની તો નામ આપ્યાં. પછી કેટલાં ચાલ્યાં ગયાં એટલે
સમજાવ્યું છે બ્રાહ્મણોની માળા હોતી નથી કારણ કે બ્રાહ્મણ છે પુરુષાર્થી. ક્યારેક
નીચે, ક્યારેક ઉપર થતાં રહે છે. ગ્રહચારી બેસે છે. બાબા તો ઝવેરી હતાં. મોતીઓ વગેરે
ની માળા કેવી રીતે બને છે, અનુભવી છે. બ્રાહ્મણ ની માળા અંત માં બને છે. આપણે જ
બ્રાહ્મણ દૈવીગુણ ધારણ કરી દેવતા બનીએ છીએ. પછી સીડી ઉતરવાની છે. નહીં તો ૮૪ જન્મ
કેવી રીતે લઈશું. ૮૪ જન્મ નાં હિસાબ થી આ નીકળી શકે છે. તમારો અડધો સમય પૂરો થાય છે
ત્યારે બીજા ધર્મવાળા આવે છે. માળા બનાવવામાં ખુબ મહેનત લાગે છે. ખુબ સંભાળ થી
મોતીઓ ને ટેબલ પર રખાય છે કે ક્યાંય હલે નહીં. પછી સોઈ થી પરોવાય છે. ક્યાંય ઠીક ન
બને તો માળા તોડવી પડે. આ તો ખુબ મોટી માળા છે. આપ બાળકો જાણો છો - આપણે ભણીએ છીએ
નવી દુનિયાનાં માટે. બાબાએ સમજાવ્યું છે કે સ્લોગન (સુવિચાર) બનાવો - આપણે શૂદ્ર સો
બ્રાહ્મણ, બ્રામણ સો દેવતા કેવી રીતે બનીએ છીએ, આવીને સમજો. આ ચક્ર ને જાણવાથી તમે
ચક્રવર્તી રાજા બનશો. સ્વર્ગનાં માલિક બની જશો. આવાં સ્લોગન બનાવીને બાળકોને
શીખવાડવું જોઈએ. બાબા યુક્તિઓ તો ખુબ બતાવે છે. હકીકત માં વેલ્યુ તમારી છે. તમને
હીરો-હિરોઈન નો પાર્ટ મળે છે. હીરા જેવા તમે બનો છો પછી ૮૪ નું ચક્ર લગાવી કોડી જેવા
બનો છો. હવે જ્યારે કે હીરા જેવો જન્મ મળે છે તો કોડીઓની પાછળ કેમ પડો છો. એવું પણ
નથી, કોઈ ઘરબાર છોડવાનું છે. બાબા તો કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળ ફૂલ
સમાન પવિત્ર રહો અને સૃષ્ટિ ચક્રનાં નોલેજ ને જાણી દૈવીગુણ પણ ધારણ કરો તો તમે હીરા
જેવા બની જશો. બરાબર ભારત ૫ હજાર વર્ષ પહેલાં હીરા જેવું હતું. આ છે લક્ષ્ય-હેતુ. આ
ચિત્ર ને (લક્ષ્મી-નારાયણ ને) ખુબ મહત્વ આપવાનું છે. આપ બાળકોએ ખુબ સર્વિસ કરવાની
છે પ્રદર્શની મ્યુઝિયમ માં. વિહંગ માર્ગની સેવા વગર તમે પ્રજા કેવી રીતે બનાવશો? ભલે
આ જ્ઞાન ને સાંભળો પણ છો પરંતુ ઉંચ પદ કોઈ વિરલા પામે છે. તેમનાં માટે જ કહેવાય છે
કોટો માં કોઈ. સ્કોલરશિપ પણ કોઈ લે છે ને. ૪૦-૫૦ બાળકો સ્કૂલમાં હોય છે, તેમાંથી
કોઈ એક સ્કોલરશીપ લે છે, કોઈ થોડા પ્લસ માં આવી જાય છે તો તેમને પણ આપે છે. આ પણ એવું
છે. પ્લસમાં ઘણાં છે. ૮ દાણા છે તે પણ નંબરવાર છે ને. તે પહેલાં-પહેલાં રાજગાદી પર
બેસશે. પછી કળા ઓછી થતી જશે, લક્ષ્મી-નારાયણનું ચિત્ર છે નંબરવન. તેમની પણ ડિનાયસ્ટી
ચાલે છે, પરંતુ ચિત્ર લક્ષ્મી-નારાયણનું જ આપેલું છે. અહીંયા તમે જાણો છો ચિત્ર તો
બદલાતાં જાય છે. ચિત્ર આપવાથી શું ફાયદો. નામ, રુપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે.
મીઠા-મીઠા રુહાની બાળકોને રુહાની બાપ બેસી સમજાવે છે. કલ્પ પહેલાં પણ બાપે સમજાવ્યું
હતું. એવું નથી કે કૃષ્ણએ ગોપ-ગોપીઓ ને સંભળાવ્યું. કૃષ્ણને ગોપ-ગોપીઓ હોતાં નથી. ન
તેમને જ્ઞાન શીખવાડાય છે. તે તો છે સતયુગ નો પ્રિન્સ (રાજકુમાર). ત્યાં કેવી રીતે
રાજયોગ શીખવાડશે કે પતિત ને પાવન બનાવશે. હવે તમે પોતાનાં બાપ ને યાદ કરો. બાપ પછી
શિક્ષક પણ છે. શિક્ષક ને વિદ્યાર્થી ક્યારેય ભૂલી ન શકે. બાપ ને બાળકો ભૂલી ન શકે,
ગુરુ ને પણ ભૂલી ન શકે. બાપ તો જન્મ થી જ હોય છે. શિક્ષક ૫ વર્ષ પછી મળે છે. પછી
ગુરુ વાનપ્રસ્થ માં મળે છે. જન્મ થી જ ગુરુ કરવાનો તો કોઈ ફાયદો નથી. ગુરુ નો ખોળો
લઈને પણ બીજા દિવસે મરી જાય છે. પછી ગુરુ શું કરે છે? ગાએ પણ છે સદ્દગુરુ વગર ગતિ
નથી. સદ્દગુરુ ને છોડી તે પછી ગુરુ કહી દે છે. ગુરુ તો અનેક છે. બાબા કહે છે - બાળકો,
તમારે કોઈ દેહધારી ગુરુ વગેરે કરવાની દરકાર નથી, તમારે કોઈથી પણ કાંઈ માંગવાનું નથી.
કહેવાય પણ છે - માંગવાથી મરવું ભલું. બધાને ચિંતા રહે છે અમે કેવી રીતે પોતાનાં પૈસા
ટ્રાન્સફર કરીએ. બીજા જન્મ માટે ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે તો તેમનું રિટર્ન (વળતર)
આ જ જૂની સૃષ્ટિમાં અલ્પકાળનાં માટે મળે છે. અહીંયા તમારું ટ્રાન્સફર થાય છે નવી
દુનિયામાં અને ૨૧ જન્મોનાં માટે. તન-મન-ધન પ્રભુનાં આગળ અર્પણ કરવાનું છે. તે તો
જ્યારે આવે ત્યારે અર્પણ કરશો ને. પ્રભુને કોઈ જાણતું જ નથી તો ગુરુ ને પકડી લે છે.
ધન વગેરે ગુરુની આગળ અર્પણ કરી દે છે. વારિસ નથી હોતાં તો બધું ગુરુ ને આપે છે.
આજકાલ કાયદા અનુસાર ઈશ્વર અર્થ પણ કોઈ આપતાં નથી. બાદ સમજાવે છે - હું ગરીબ નિવાઝ
છું એટલે આવું જ ભારતમાં છું. તમને આવીને વિશ્વનાં માલિક બનાવું છું. ડાયરેક્ટ અને
ઇનડાયરેક્ટ માં કેટલો ફરક છે. તે જાણતા કંઈ પણ નથી. ફક્ત કહી દે છે અમે ઈશ્વર અર્પણ
કરીએ છીએ. છે બધી બેસમજી. આપ બાળકોને હવે સમજ મળે છે તો તમે બેસમજ થી સમજદાર બન્યાં
છો. બુદ્ધિ માં જ્ઞાન છે - બાપ તો કમાલ કરે છે. જરુર બેહદનાં બાપ થી બેહદ નો વારસો
જ મળવો જોઈએ. બાપ થી તમે વારસો લો છો ફક્ત દાદા દ્વારા. દાદા પણ એમનાથી વારસો લઇ
રહ્યાં છે. વારસો આપવા વાળા એક જ છે. એમને જ યાદ કરવાનાં છે. બાપ કહે છે - બાળકો,
હું આમનાં અનેક જન્મોનાં અંતમાં આવું છું, આમનામાં પ્રવેશ કરી આમને પણ પાવન બનાવું
છું જે પછી આ ફરિશ્તા બની જાય છે. બૈજ પર તમે ખુબ સર્વિસ કરી શકો છો. તમારા આ બધાં
છે અર્થ સહિત બૈજ. આ તો જીવદાન આપવા વાળા ચિત્ર છે. આની વેલ્યુ ની કોઈને પણ ખબર નથી
અને બાબા ને હંમેશા મોટી ચીજ પસંદ આવે છે, જે કોઈપણ દૂર થી વાંચી શકે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી
બેહદનો વારસો લેવા માટે ડાયરેક્ટ પોતાનું તન-મન-ધન ઈશ્વરની આગળ અર્પણ કરવામાં
સમજદાર બનવાનું છે. પોતાનું બધુંજ ૨૧ જન્મોનાં માટે ટ્રાન્સફર (બદલી) કરી લેવાનું
છે.
2. જેમ બાપ ભણાવવાની, સંભાળવાની અને શ્રુંગારવાની સર્વિસ કરે છે, એવી રીતે બાપ સમાન
સર્વિસ કરવાની છે. જીવનબંધ થી નીકાળી બધાને જીવનમુક્તિ માં લઇ જવાનાં છે.
વરદાન :-
સર્વ ખજાનાઓની
ઇકોનોમી ( કરકસર ) નું બજેટ બનાવવા વાળા સુક્ષ્મ પુરુષાર્થી ભવ
જેમ લૌકિક રીત માં જો
ઇકોનોમી વાળું ઘર ન હોય તો ઠીક રીતે થી નથી ચાલી શકતું. એમ જ નિમિત્ત બનેલાં બાળકો
ઈકોનોમી વાળા નથી તો સેવાકેન્દ્ર ઠીક નથી ચાલતું. તે થઈ હદની પ્રવૃત્તિ, આ છે બેહદની
પ્રવૃત્તિ. તો ચેક કરવું જોઈએ કે સંકલ્પ, બોલ અને શક્તિઓમાં શું-શું એક્સ્ટ્રા ખર્ચ
કર્યુ? જે સર્વ ખજાનાઓની ઇકોનોમી નું બજેટ બનાવીને તે જ અનુસાર ચાલે છે તેમને જ
સુક્ષ્મ પુરુષાર્થી કહેવાય છે. તેમનાં સંકલ્પ, બોલ, કર્મ કે જ્ઞાનની શક્તિઓ કંઈ પણ
વ્યર્થ નથી જઈ સકતી.
સ્લોગન :-
સ્નેહ નાં
ખજાનાઓ થી માલામાલ બની બધાને સ્નેહ આપો અને સ્નેહ લો.