02-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પુરુષોત્તમ સંગમયુગ છે , જૂની દુનિયા બદલાઈ હવે નવી બની રહી છે , તમારે હવે
પુરુષાર્થ કરી ઉત્તમ દેવ પદ પામવાનું છે ”
પ્રશ્ન :-
સર્વિસએબલ (સેવાધારી)
બાળકોની બુદ્ધિમાં કઈ વાત સદૈવ યાદ રહે છે?
ઉત્તર :-
તેમને યાદ રહે છે કે ધન દિયે ધન ન ખૂટે…..એટલે તે રાત-દિવસ નિંદ્રા નો પણ ત્યાગ કરી
જ્ઞાન ધન નું દાન કરતાં રહે છે, થાકતાં નથી. પરંતુ જો સ્વયં માં કોઈ અવગુણ હશે તો
સર્વિસ કરવાનો પણ ઉમંગ નથી આવી શકતો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ બાપ બેસી સમજાવે છે. બાળકો જાણે છે પરમપિતા રોજ-રોજ સમજાવે છે.
જેવી રીતે રોજ-રોજ શિક્ષક ભણાવે છે. બાપ ફક્ત શિક્ષા આપશે, સંભાળતાં રહેશે કારણ કે
બાપનાં તો ઘરમાં જ બાળકો રહે છે. માં-બાપ સાથે રહે છે. અહીંયા તો આ વન્ડરફુલ (અદ્દભુત)
વાત છે. રુહાની બાપનાં પાસે તમે રહો છો. એક તો રુહાની બાપનાં પાસે મૂળવતન માં રહો
છો. પછી કલ્પ માં એક જ વાર બાપ આવે છે - બાળકોને વારસો આપવાં કે પાવન બનાવવાં, સુખ
અથવા શાંતિ આપવાં. તો જરુર નીચે આવીને રહેતાં હશે. આમાં જ મનુષ્યો ને મૂંઝવણ છે.
ગાયન પણ છે - સાધારણ તન માં પ્રવેશ કરે છે. હવે સાધારણ તન ક્યાંથી ઉડી ને તો નથી
આવતું. જરુર મનુષ્યનાં તન માં જ આવે છે. તે પણ બતાવે છે - હું આ તનમાં પ્રવેશ કરું
છું. આપ બાળકો પણ હવે સમજો છો - બાપ આપણ ને સ્વર્ગ નો વારસો આપવાં આવ્યાં છે. જરુર
આપણે લાયક નથી, પતિત બની ગયાં છીએ. બધાં કહે પણ છે હેં પતિત-પાવન આવો, આવીને અમને
પતિતો ને પાવન બનાવો. બાપ કહે છે મને કલ્પ-કલ્પ પતિતો ને પાવન કરવાની ડ્યુટી (નોકરી)
મળેલી છે. હેં બાળકો, હવે આ પતિત દુનિયાને પાવન બનાવવાની છે. જૂની દુનિયાને પતિત,
નવી દુનિયાને પાવન કહેશું. એટલે જૂની દુનિયાને નવી બનાવવા બાપ આવ્યાં છે. કળયુગને
તો કોઈ પણ નવી દુનિયા નહીં કહેશે. આ તો સમજની વાત છે ને. કળયુગ છે જૂની દુનિયા. બાપ
પણ આવશે જરુર - જૂનાં અને નવાં નાં સંગમ પર. જ્યારે ક્યાંય પણ તમે આ સમજાવો છો તો
બોલો આ પુરુષોત્તમ સંગમયુગ છે, બાપ આવેલાં છે. આખી દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી
જેને આ ખબર હોય કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. જરુર તમે સંગમયુગ પર છો ત્યારે તો
સમજાવો છો. મુખ્ય વાત છે જ સંગમયુગ ની. તો પોઇન્ટ (જ્ઞાન) પણ ખુબ જરુરી છે. જે વાત
કોઈ નથી જાણતું તે સમજાવવી પડે એટલે બાબાએ કહ્યું હતું આ જરુર લખજો કે હવે પરષોતમ
સંગમયુગ છે. નવો યુગ અર્થાત્ સતયુગ નાં ચિત્ર પણ છે. મનુષ્ય કેવી રીતે સમજે કે આ
લક્ષ્મી-નારાયણ સતયુગી નવી દુનિયાનાં માલિક છે. તેનાં ઉપર અક્ષર જરુર જોઈએ -
પુરુષોત્તમ સંગમયુગ. આ જરુર લખવાનું છે કારણ કે આ જ મુખ્ય વાત છે. મનુષ્ય સમજે છે
કળયુગમાં હજી ખુબ વર્ષ બાકી છે. બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તો સમજાવવું પડે નવી
દુનિયાનાં માલિક આ લક્ષ્મી-નારાયણ છે. આ છે પૂરી નિશાની. તમે કહો છો આ રાજ્ય ની
સ્થાપના થઇ રહી છે. ગીત પણ છે નવયુગ આવ્યું, અજ્ઞાન નિંદ્રા થી જાગો. આ તમે જાણો છો
હવે સંગમયુગ છે, આને નવયુગ નહીં કહેશું. સંગમ ને સંગમયુગ જ કહેવાય છે. આ છે
પુરુષોત્તમ સંગમયુગ. જ્યારે કે જૂની દુનિયા ખતમ થઈ અને નવી દુનિયા સ્થાપન થાય છે.
મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો, રાજયોગ શીખી રહ્યાં છો. દેવતાઓમાં પણ ઉત્તમ પદ છે જ
આ લક્ષ્મી-નારાયણ નું. આ પણ છે તો મનુષ્ય, આમનામાં દૈવીગુણ છે એટલે દેવી-દેવતા
કહેવાય છે. સૌથી ઉત્તમ ગુણ છે પવિત્રતા નો ત્યારે તો મનુષ્ય દેવતાઓની આગળ જઈને માથું
નમાવે છે. આ બધી પોઇન્ટ્સ (વાત) બુદ્ધિમાં ધારણ તેમને થશે જે સર્વિસ (સેવા) કરતાં
રહે છે. કહેવાય છે ધન દિયે ધન ન ખુટે. ખુબ સમજણ મળતી રહે છે. નોલેજ તો ખુબ સહજ છે.
પરંતુ કોઈ માં ધારણા સારી હોય, કોઈમાં નથી હોતી. જેમનામાં અવગુણ છે તે તો
સેવાકેન્દ્ર સંભાળી પણ નથી શકતાં. તો બાપ બાળકો ને સમજાવે છે પ્રદર્શનીમાં પણ
સીધા-સીધા અક્ષર આપવાં જોઈએ. પુરુષોત્તમ સંગમયુગ તો મુખ્ય સમજાવવો જોઈએ. આ સંગમ પર
આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. જ્યારે આ ધર્મ હતો તો બીજો કોઈ
ધર્મ નહોતો. આ જે મહાભારત લડાઈ છે, તેની પણ ડ્રામા માં નોંધ છે. આ પણ હમણાં નીકળ્યાં
છે. પહેલાં થોડી હતાં. ૧૦૦ વર્ષ ની અંદર બધું ખલાસ થઈ જાય છે. સંગમયુંગ ને ઓછામાં
ઓછાં ૧૦૦ વર્ષ તો જોઈએ ને. આખી નવી દુનિયા બનવાની છે. ન્યુ દિલ્લી બનવામાં કેટલાં
વર્ષ લાગ્યાં.
તમે સમજો છો ભારત માં જ નવી દુનિયા થાય છે, પછી જૂની ખલાસ થઈ જશે. કંઇક તો રહે છે
ને. પ્રલય તો થતી નથી. આ બધી વાતો બુદ્ધિમાં છે. હમણાં છે સંગમયુગ. નવી દુનિયામાં
જરુર આ દેવી-દેવતા હતાં, ફરી આ જ હશે. આ છે રાજયોગ નું ભણતર. જો કોઈ વિસ્તાર માં નથી
સમજાવી શકતાં તો ફક્ત એક વાત કહો - પરમપિતા પરમાત્મા જે બધાનાં બાપ છે, એમને તો બધાં
યાદ કરે છે. એ આપણ ને બધાં બાળકોને કહે છે - તમે પતિત બની ગયાં છો. પોકારો પણ છો
હેં પતિત-પાવન આવો. બરાબર કળયુગ માં છે પતિત, સતયુગ માં પાવન હોય છે. હવે પરમપિતા
પરમાત્મા કહે છે દેહ સહિત આ બધાં પતિત સંબંધ છોડી મામેકમ્ યાદ કરો તો પાવન બની જશો.
આ ગીતાનાં જ અક્ષર છે. છે પણ ગીતાનો યુગ. ગીતા સંગમયુગ પર ગવાઈ હતી જ્યારે કે વિનાશ
થયો હતો. બાપે રાજયોગ શીખવાડ્યો હતો. રાજાઈ સ્થાપન થઈ હતી ફરી જરુર થશે. આ બધું
રુહાની બાપ સમજાવે છે ને. ચાલો આ તનમાં ન આવે બીજા કોઈમાં પણ આવે. સમજણ (જ્ઞાન) તો
બાપની છે ને. અમે આમનું તો નામ લેતાં નથી. અમે તો ફક્ત બતાવીએ છીએ - બાપ કહે છે મને
યાદ કરો તો તમે પાવન બની અને મારી પાસે ચાલ્યાં આવશો. કેટલું સહજ છે. ફક્ત મને યાદ
કરો અને ૮૪ નાં ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં હોય. જે ધારણા કરશે તે ચક્રવર્તી રાજા બનશે.
આ મેસેજ તો બધાં ધર્મ વાળાઓનાં માટે છે. ઘરે તો બધાએ જવાનું છે. હું પણ ઘરનો જ રસ્તો
બતાવું છું. પાદરી વગેરે કોઈ પણ હોય તમે એમને બાપનો સંદેશ આપી શકો છો. તમને ખુશી નો
પારો ખુબ ચઢવો જોઇએ - પરમપિતા પરમાત્મા કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ
વિનાશ થશે. બધાને આ જ યાદ કરાવો. બાપનો સંદેશ સંભળાવવો જ નંબરવન સર્વિસ છે. ગીતાનો
યુગ પણ હમણાં છે. બાપ આવ્યાં છે એટલે એ જ ચિત્ર શુરુ માં રાખવું જોઈએ. જે સમજે છે -
અમે બાપનો સંદેશ આપી શકીએ છીએ તો તૈયાર રહેવું જોઈએ. દિલ માં આવવું જોઈએ અમે પણ
આંધળાઓની લાઠી બનીએ. આ સંદેશ તો કોઈને પણ આપી શકો છો. બી.કે. નું નામ સાંભળીને જ ડરે
છે. બોલો અમે ફક્ત બાપનો સંદેશ આપીએ છીએ. પરમપિતા પરમાત્મા કહે છે - મને યાદ કરો બસ.
આપણે કોઈ ની ગ્લાનિ નથી કરતાં. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. હું ઊંચે થી ઊંચ
પતિત-પાવન છું. મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે. આ નોંધ કરો. આ ખુબ કામની
ચીજ છે. હાથ પર કે બાજુ પર અક્ષર લખાવે છે ને. આ પણ લખી દો. આટલું ફક્ત બતાવ્યું તો
પણ રહેમદિલ, કલ્યાણકારી બને. પોતાનાથી પ્રણ કરવું જોઈએ. સર્વિસ જરુર કરવાની છે પછી
આદત પડી જશે. અહીંયા પણ તમે સમજાવી શકો છો. ચિત્ર આપી શકો છો. આ છે સંદેશ આપવાની
ચીજ. લાખો બની જશે. ઘર-ઘરમાં જઈને સંદેશ આપવાનો છે. પૈસા કોઈ આપે ન આપે, બોલો-બાપ
તો છે જ ગરીબ નિવાઝ. આપણી ફરજ છે - ઘર-ઘરમાં સંદેશ આપવો. આ બાપદાદા, આમનાથી આ વારસો
મળે છે. ૮૪ જન્મ આ લેશે. આમનો આ અંતિમ જન્મ છે. આપણે બ્રાહ્મણ છીએ સો પછી દેવતા બનશું.
બ્રહ્મા પણ બ્રાહ્મણ છે. પ્રજાપિતા બ્રહ્મા એકલા તો નહીં હશે ને. જરુર બ્રાહ્મણ
વંશાવલી પણ હશે ને. બ્રહ્મા સો વિષ્ણુ દેવતા, બ્રાહ્મણ છે ચોટી. એ જ દેવતા,
ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બને છે. કોઈ જરુર નીકળશે જે તમારી વાતો ને સમજશે. પુરુષ પણ
સર્વિસ કરી શકે છે. સવારે ઉઠીને મનુષ્ય જ્યારે દુકાન ખોલે છે તો કહે છે સુબહ કા
સાંઈ…..તમે પણ સવારે-સવારે જઈને બાપનો સંદેશ સંભળાવો. બોલો તમારો ધંધો ખુબ સારો થશે.
તમે સાંઈ ને યાદ કરો તો ૨૧ જન્મ નો વારસો મળશે. અમૃતવેલા નો સમય સારો હોય છે. આજકાલ
કારખાનાઓ માં માતાઓ પણ બેસી કામ કરે છે. આ બૈજ પણ બનાવવો ખુબ સહજ છે.
આપ બાળકોએ તો રાત-દિવસ સર્વિસમાં લાગી જવું જોઈએ, નિંદર હરામ કરી દેવી જોઈએ. બાપ નો
પરિચય મળવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. તમે કોઈને પણ સંદેશ આપી શકો છો. તમારું
જ્ઞાન તો ખુબ ઉંચું છે. બોલો, અમે તો એક ને યાદ કરીએ છીએ. ક્રાઈસ્ટની આત્મા પણ એમનું
બાળક હતી. આત્માઓ તો બધી એમનાં બાળકો છે. એજ ગોડફાધર કહે છે કે બીજા કોઈપણ દેહધારી
ઓને યાદ નહીં કરો. તમે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થઇ જશે.
મારી પાસે આવી જશો. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઘરે જવા માટે. પરંતુ જતું કોઈ પણ નથી.
જોવાય છે બાળકો હજું ખુબ ઠંડા છે, એટલી મહેનત થતી નથી, બહાના કરતાં રહે છે, આમાં
ખુબ સહન પણ કરવું પડે છે. ધર્મસ્થાપક ને કેટલું સહન કરવું પડે છે. ક્રાઈસ્ટ નાં માટે
પણ કહે છે તેમને ક્રોસ (ચોકડી) પર ચઢાવ્યાં. તમારું કામ છે બધાને સંદેશ આપવો. તેનાં
માટે યુક્તિઓ બાબા બતાવતાં રહે છે. કોઈ સર્વિસ નથી કરતાં તો બાબા સમજે છે ધારણા નથી.
બાબા સલાહ આપે છે કેવી રીતે સંદેશ આપો. ટ્રેનમાં પણ તમે આ સંદેશ આપતાં રહો. તમે જાણો
છો આપણે સ્વર્ગમાં જઈએ છીએ. કોઈ શાંતિધામ માં પણ જશે ને. રસ્તો તો તમે જ બતાવી શકો
છો. આપ બ્રાહ્મણોએ જ જવું જોઈએ. છે તો ખુબ. બ્રાહ્મણોને ક્યાંક તો રાખશે ને.
બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય. પ્રજાપિતા બ્રહ્માની સંતાન તો જરુર હશે ને. આદિ માં છે
જ બ્રાહ્મણ. આપ બ્રાહ્મણ છો ઉંચે થી ઉંચ. તે બ્રાહ્મણ છે કુખ વંશાવલી. બ્રાહ્મણ તો
જરુર જોઈએ ને. નહીં તો પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ ક્યાં ગયાં. બ્રાહ્મણોને
તમે બેસી સમજાવો, તો તે ઝટ સમજી જશે. બોલો, તમે પણ બ્રાહ્મણ છો, અમે પણ પોતાને
બ્રાહ્મણ કહીએ છીએ. હવે બતાવો તમારો ધર્મ સ્થાપન કરવા વાળા કોણ? બ્રહ્માનાં સિવાય
કોઈ નામ જ નહીં લેશે. તમે ટ્રાયલ (કોશિશ) કરી જુઓ. બ્રાહ્મણો નાં પણ ખુબ મોટા-મોટા
કુળ હોય છે. પુજારી બ્રાહ્મણ તો અસંખ્ય છે. અજમેરમાં અસંખ્ય બાળકો જાય છે, ક્યારેય
કોઈએ સમાચાર નથી આપ્યાં કે અમે બ્રાહ્મણો થી મળ્યાં, તેમનાથી પૂછ્યું - તમારો ધર્મ
સ્થાપન કરવા વાળા કોણ? બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો? તમને તો ખબર છે, સાચાં
બ્રાહ્મણ કોણ છે. તમે અનેકોનું કલ્યાણ કરી શકો છો. યાત્રાઓ પર ભક્ત જ જાય છે. આ
ચિત્ર તો ખુબ સરસ છે - લક્ષ્મી-નારાયણનું. તમને ખબર છે જગદંબા કોણ છે? લક્ષ્મી કોણ
છે? આમ-આમ તમે નોકરો, ભીલડીઓ વગેરેને પણ સમજાવી શકો છો. તમારા વગર તો કોઈ છે નહીં
જે તેમને સંભળાવે. ખુબ રહેમદિલ બનવાનું છે. બોલો, તમે પણ પાવન બની પાવન દુનિયામાં
જઈ શકો છો. સ્વયં ને આત્મા સમજો, શિવબાબા ને યાદ કરો. શોખ ખુબ હોવો જોઈએ, કોઈને પણ
રસ્તો બતાવવાનો. જે સ્વયં યાદ કરતા હશે તે જ બીજાઓને યાદ કરાવવાનો પુરુષાર્થ કરશે.
બાપ તો જઈને વાત નહીં કરશે. આ તો આપ બાળકો નું કામ છે. ગરીબોનું પણ કલ્યાણ કરવાનું
છે. બિચારા ખુબ સુખી થઈ જશે. થોડું યાદ કરવાથી પ્રજામાં પણ આવી જાય, તે પણ સારું
છે. આ ધર્મ તો ખુબ સુખ દેવાવાળો છે. દિવસ-પ્રતિદિવસ તમારો અવાજ જોર થી નીકળશે. બધાને
આ જ સંદેશ આપતા રહો, સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આપ મીઠા-મીઠા બાળકો
પદમાપદમ ભાગ્યશાળી છો. જ્યારે કે મહિમા સાંભળો છો તો સમજો છો, છતાં પણ કોઇ વાત ની
ફિકર વગેરે કેમ રાખવી જોઈએ. આ છે ગુપ્ત જ્ઞાન, ગુપ્ત ખુશી. તમે છો ઈનકાગનીટો
વારિયર્સ (ગુપ્ત યોદ્ધા). તમને અનનોન વારિયર્સ કહેશું, બીજા કોઈ અનનોન વારિયર્સ હોઈ
નથી શકતાં. તમારું દેલવાડા મંદિર પૂરું યાદગાર છે. દિલ લેવાવાળા નો પરિવાર છે ને.
મહાવીર, મહાવીરની અને તેમની સંતાન આ પૂરે-પૂરું તીર્થ છે. કાશી થી પણ ઉંચી જગ્યા થઈ.
અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઘર-ઘર માં
જઈને બાપનો સંદેશ આપવાનો છે. સર્વિસ (સેવા) કરવાનું પ્રણ કરો, સર્વિસનાં માટે કોઈપણ
બહાનું નહીં આપો.
2. કોઈ પણ વાતની ફિકર નથી કરવાની, ગુપ્ત ખુશી માં રહેવાનું છે. કોઈપણ દેહધારી ને
યાદ નથી કરવાનાં. એક બાપ ની યાદ માં રહેવાનું છે.
વરદાન :-
પરિસ્થિતિઓ ને
ગુડલક સમજી પોતાનાં નિશ્ચયનાં ફાઉન્ડેશનને મજબૂત બનાવવા વાળા અચળ અડોલ ભવ
કોઈ પણ પરિસ્થિતિ આવે
તો તમે હાઈ જમ્પ (ઉંચી છલાંગ) આપી દો કારણ કે પરિસ્થિતિ આવવી પણ ગુડ-લક છે. આ
નિશ્ચયનાં ફાઉન્ડેશન ને મજબૂત કરવાનું સાધન છે. તમે જ્યારે એક વાર અંગદ નાં સમાન
મજબૂત થઈ જશો તો આ પેપર પણ નમસ્કાર કરશે. પહેલાં વિકરાળ રુપ માં આવશે અને પછી દાસી
બની જશે. ચેલેન્જ (પડકાર) કરો અમે મહાવીર છીએ. જેવી રીતે પાણીનાં ઉપર લીટી પડી નથી
શકતી, એવી રીતે મુજ માસ્ટર સાગર નાં ઉપર કોઈ પરિસ્થિતિ વાર કરી નથી શકતી. સ્વ-સ્થિતિ
માં રહેવાથી અચળ-અડોલ બની જશો.
સ્લોગન :-
નોલેજફુલ તે
છે જેમનું દરેક કર્મ શ્રેષ્ઠ અને સફળ હોય.