13-11-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ ભૂલ
- ભૂલૈયા નો ખેલ છે , તમે ઘડી - ઘડી બાપ ને ભૂલી જાઓ છો , નિશ્ચયબુદ્ધિ બનો તો આ
ખેલમાં ફસાશો નહીં ”
પ્રશ્ન :-
કયામત નાં
સમયને જોતાં આપ બાળકો નું કર્તવ્ય શું છે?
ઉત્તર :-
તમારું કર્તવ્ય છે - પોતાનાં અભ્યાસ માં સારી રીતે લાગી જવું, બીજી વાતોમાં નથી
જવાનું. બાપ તમને નયનો પર બેસાડીને, ગળાનો હાર બનાવીને સાથે લઈ જશે. બાકી તો બધાને
પોત-પોતાનો હિસાબ-કિતાબ ચૂકતું કરીને જવાનું જ છે. બાપ આવ્યાં છે બધાને પોતાની સાથે
ઘરે લઈ જવાં.
ગીત :-
દૂર દેશ કા
રહનેવાલા …
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને બેસી સમજાવે છે - ભારત ખાસ અને આમ દુનિયા, બધાં વિશ્વમાં શાંતિ ઈચ્છે
છે. હવે આ તો સમજવું જોઈએ - જરુર વિશ્વનાં માલિક જ વિશ્વમાં શાંતિ સ્થાપન કરે છે.
ગોડ ફાધર ને જ પોકારવાં જોઈએ કે આવીને વિશ્વમાં શાંતિ ફેલાવો. કોને પોકારીએ તે પણ
બિચારાઓને ખબર નથી. આખાં વિશ્વની વાત છે ને. આખાં વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. હવે
શાંતિ નું ધામ તો અલગ છે, જ્યાં બાપ અને આપ આત્માઓ રહો છો. આ પણ બેહદનાં બાપ જ
સમજાવે છે. હવે આ દુનિયામાં તો અસંખ્ય મનુષ્ય છે, અનેક ધર્મ છે. કહે છે - એક ધર્મ
થઈ જાય તો શાંતિ થાય. બધાં ધર્મ મળીને એક તો થઈ ન શકે. ત્રિમૂર્તિ ની મહિમા પણ છે.
ત્રિમૂર્તિ નાં ચિત્ર ખુબજ રાખે છે. આ પણ જાણે છે બ્રહ્મા દ્વારા સ્થાપના. કોની?
ફક્ત શાંતિની થોડી હશે. શાંતિ અને સુખ ની સ્થાપના થાય છે. આ ભારતમાં જ ૫ હજાર વર્ષ
પહેલાં જ્યારે આમનું રાજ્ય હતું તો જરુર બાકી બધી જીવાત્માઓ, જીવ ને છોડી પોતાના ઘરે
ગઈ હશે. હવે ઈચ્છે છે એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા. હવે આપ બાળકો જાણો છો - બાપ શાંતિ,
સુખ, સંપત્તિ ની સ્થાપના કરી રહ્યાં છે. એક રાજ્ય પણ જરુર અહીંયા જ હશે ને. એક
રાજ્યની સ્થાપના થઇ રહી છે - આ કોઇ નવી વાત નથી. અનેક વાર એક રાજ્ય સ્થાપન થયું છે.
પછી અનેક ધર્મોની વૃદ્ધિ થતાં-થતાં ઝાડ મોટું થઈ જાય છે પછી બાપને આવવું પડે છે.
આત્મા જ સાંભળે છે, ભણે છે, આત્મામાં જ સંસ્કાર છે. આપણે આત્મા ભિન્ન-ભિન્ન શરીર
ધારણ કરીએ છીએ. બાળકોને આ નિશ્ચયબુદ્ધિ થવામાં પણ બહુ મહેનત લાગે છે. કહે છે બાબા
ઘડી ઘડી ભુલી જઈએ છીએ. બાપ સમજાવે છે - આ ખેલ ભૂલ-ભૂલૈયા નો છે. આમાં તમે જેમ ફસાઈ
ગયાં છો, ખબર નથી આપણે પોતાનાં ઘરે અથવા રાજધાનીમાં કેવી રીતે જઈશું. હવે બાપે
સમજાવ્યું છે પહેલાં કંઈ નહોતાં જાણતાં. આત્મા કેટલી પથ્થર બુદ્ધિ બની જાય છે.
પથ્થર બુદ્ધિ અને પારસ બુદ્ધિ નું ભારતમાં જ ગાયન છે. પથ્થર બુદ્ધિ રાજાઓ અને પારસ
બુદ્ધિ રાજાઓ અહીંયા જ છે. પારસનાથ નું મંદિર પણ છે. હવે તમે જાણો છો આપણે આત્માઓ
ક્યાંથી આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. પહેલા તો કંઈ પણ નહોતાં જાણતાં. આને કહે છે
કાંટાઓનું જંગલ. આ આખી દુનિયા કાંટાઓનું જંગલ છે. ફૂલોના બગીચાને આગ લાગી, એવું
ક્યારેય સાંભળ્યું નહિં હશે. હંમેશા જંગલને આગ લાગે છે. આ પણ જંગલ છે, આને આગ
લાગવાની છે જરુર. ભંભોર ને આગ લાગવાની છે. આ આખી દુનિયાને જ ભંભોર કહેવાય છે. હમણાં
આપ બાળકોએ બાપને જાણી લીધાં છે. સમ્મુખ બેઠાં છે. જે ગાતા હતાં તુમ્હીં સે બેઠું…
તે બધું થઇ રહ્યું છે. ભગવાનુવાચ તો જરુર વાંચશે ને. ભગવાનુવાચ બાળકો પ્રતિ જ હશે
ને. તમે જાણો છો ભગવાન ભણાવે છે. ભગવાન કોણ છે? નિરાકાર શિવ ને જ કહેશે. ભગવાન શિવની
પૂજા પણ અહીંયા થાય છે. સતયુગમાં પૂજા વગેરે નથી હોતી. યાદ પણ નથી કરતાં. ભક્તો ને
સતયુગ ની રાજધાની નું ફળ મળે છે. તમે સમજો છો આપણે સૌથી વધારે ભક્તિ કરી છે એટલે
આપણે જ પહેલાં-પહેલાં બાપ ની પાસે આવ્યાં છીએ. પછી આપણે જ રાજધાનીમાં આવીશું. તો
બાળકોને પૂરો પુરુષાર્થ કરવો જોઈએ-નવી દુનિયામાં ઉંચ પદ પામવાં. બાળકોનું દિલ થાય
છે કે હવે અમે જલ્દી નવાં ઘરમાં જઇએ. શરું માં જ નવું ઘર હશે પછી જુનું થતું જશે.
ઘરમાં બાળકોની વૃદ્ધિ થતી જશે. પુત્ર, પોત્રા, પર-પોત્રા તે તો જૂના ઘર માં આવશે
ને. કહેશે અમારા દાદા પરદાદા નું મકાન છે. પાછળ આવવા વાળા પણ ઘણાં હોય છે ને. જેટલો
જોર થી પુરુષાર્થ કરશે તો પહેલાં નવાં ઘરમાં આવશે. પુરુષાર્થની યુક્તિ બાપ ખુબજ સહજ
સમજાવે છે. ભક્તિમાં પણ પુરુષાર્થ કરે છે ને. બહુજ ભક્તિ કરવાવાળા નું નામ પ્રસિદ્ધ
થાય છે. ઘણાં ભક્તોનો સ્ટેમ્પ (છાપ) પણ કાઢે છે. જ્ઞાનની માળાની તો કોઈ ને ખબર જ નથી.
પહેલા છે જ્ઞાન, પછી છે ભક્તિ. આ આપ બાળકોની બુદ્ધિ માં છે. અડધો સમય છે જ્ઞાન -
સતયુગ-ત્રેતા. હવે આપ બાળકો નોલેજફુલ બનતાં જાઓ છો. શિક્ષક સદૈવ નોલેજ વાળા હોય છે.
વિદ્યાર્થી માં નંબરવાર માર્ક્સ આવે છે. આ છે બેહદનાં શિક્ષક. તમે છો બેહદનાં
વિદ્યાર્થી, વિદ્યાર્થી તો નંબરવાર જ પાસ થશે. જેમ કલ્પ પહેલાં થયાં છે. બાપ સમજાવે
છે તમે જ ૮૪ જન્મ લીધાં છે. ૮૪ જન્મોમાં ૮૪ શિક્ષક હોય છે. પુનર્જન્મ તો જરુર લેવાનો
જ છે. પહેલા જરુર સતોપ્રધાન દુનિયા હોય છે પછી જૂની તમોપ્રધાન દુનિયા હોય છે.
મનુષ્ય પણ તમોપ્રધાન હશે ને. ઝાડ પણ પહેલાં નવું સતોપ્રધાન હોય છે. નવાં પત્તા બહુ
જ સારા-સારા હોય છે. આ તો બેહદ નું ઝાડ છે. અનેક ધર્મ છે. તમારી બુદ્ધિ હવે બેહદ
તરફ જશે. કેટલું મોટું ઝાડ છે. પહેલાં પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ હશે. પછી
વેરાયટી (વિવિધ) ધર્મ આવશે. તમે જ ૮૪ વેરાયટી જન્મ લીધાં છે. તે પણ અવિનાશી છે. તમે
જાણો છો કલ્પ-કલ્પ ૮૪ નું ચક્ર આપણે ફરતાં રહીએ છીએ. ૮૪ નાં ચક્ર માં આપણે જ આવીએ
છીએ. ૮૪ લાખ જન્મ કોઈ મનુષ્ય ની આત્મા નથી લેતી. તે તો વિવિધ જાનવર વગેરે અનેક છે.
તેની કોઈ ગણતરી પણ નથી કરી શકતાં. મનુષ્યની આત્માએ ૮૪ જન્મ લીધાં છે. તો આ પાર્ટ
ભજવતાં-ભજવતાં એકદમ જાણે થાકી ગયાં છે. દુઃખી બની ગયાં છે. સીડી ઉતરતા સતોપ્રધાન થી
તમોપ્રધાન બની ગયાં છે. બાપ ફરી તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. બાપ કહે છે - હું
તમોપ્રધાન શરીર તમોપ્રધાન દુનિયામાં આવું છું. હવે આખી દુનિયા તમોપ્રધાન છે. મનુષ્ય
તો એવું કહી દે છે - આખાં વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય. સમજતાં નથી કે વિશ્વમાં
શાંતિ ક્યારે હતી. બાપ કહે છે તમારા ઘરમાં તો ચિત્ર રાખ્યાં છે ને. આમનું રાજ્ય હતું
- તો આખાં વિશ્વમાં શાંતિ હતી, એને સ્વર્ગ કહેવાય છે. નવી દુનિયાને જ હેવન (સ્વર્ગ)
ગોલ્ડન એજ કહેવાય છે. હવે આ જૂની દુનિયા બદલવાની છે. તે રાજધાની સ્થાપન થઈ રહી છે.
વિશ્વમાં રાજ્ય તો આમનું જ હતું. લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં બહુજ મનુષ્ય જાય છે.
આ થોડી કોઈની બુદ્ધિમાં છે કે આ જ ભારતનાં માલિક હતાં - આમનાં રાજ્ય માં જરુર
સુખ-શાંતિ હતી. ૫ હજાર વર્ષની વાત છે - જ્યારે એમનું રાજ્ય હતું. અડધાકલ્પ પછી જૂની
દુનિયા કહેવાય છે એટલે ધંધાવાળા સ્વસ્તિક કરે છે ચોપડામાં. એનો પણ અર્થ છે ને. તે
તો ગણેશ કહી દે છે. ગણેશ ને પછી વિઘ્ન વિનાશક દેવતા સમજે છે. સ્વસ્તિકા માં પૂરા
ચાર ભાગ હોય છે. આ બધું છે ભક્તિમાર્ગ. હમણાં દિવાળી મનાવે છે, હકીકતમાં
સાચ્ચી-સાચ્ચી દિવાળી યાદની યાત્રા જ છે જેનાથી આત્માની જ્યોતિ ૨૧ જન્મો માટે જાગી
જાય છે. બહુ જ કમાણી થાય છે. આપ બાળકોને તો ખુબ જ ખુશી થવી જોઈએ. હવે તમારું નવું
ખાતું શરું થાય છે - નવી દુનિયા માટે. ૨૧ જન્મોનાં માટે ખાતુ હમણાં જમા કરવાનું છે.
હવે બાપ બાળકો ને સમજાવે છે, સ્વયંને આત્મા સમજી સાંભળી રહ્યાં છો. આત્મા સમજી
સાંભળશો તો ખુશી પણ રહેશે. બાપ આપણને ભણાવે છે. ભગવાનુવાચ પણ છે ને. ભગવાન તો એક જ
હોય છે. જરુર તે આવીને શરીર લેતાં હશે, ત્યારે ભગવાનુવાચ કહેવાય છે. આ પણ કોઈને ખબર
નથી ત્યારે નેતી-નેતી કરતા આવ્યાં છે. કહે પણ છે એ પરમપિતા પરમાત્મા છે. પછી કહી
દે-અમે નથી જાણતાં. કહે પણ છે શિવબાબા, બ્રહ્માને પણ બાબા કહે છે. વિષ્ણુ ને
ક્યારેય બાબા નહીં કહેશે. પ્રજાપિતા તો બાબા થયાં ને. તમે છો બી.કે., પ્રજાપિતા નામ
ન હોવાથી સમજતાં નથી. આટલાં અનેક બી.કે. છે તો જરુર પ્રજાપિતા જ હશે એટલે પ્રજાપિતા
અક્ષર જરુર નાખો. તો સમજશે પ્રજાપિતા તો અમારા જ બાપ થયાં. નવી સૃષ્ટિ જરુર
પ્રજાપિતા દ્વારા જ રચાય છે. આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી શરીર ધારણ કરી ભાઈ-બહેન
થઈ જઈએ. બાપનાં બાળકો તો અવિનાશી છે પછી સાકાર માં બહેન-ભાઈ જોઈએ. તો નામ છે
પ્રજાપિતા બ્રહ્મા. પરંતુ બ્રહ્મા ને કાંઈ આપણે યાદ નથી કરતાં. યાદ લૌકિક ને કરીએ
અને પારલૌકિકને કરીએ છીએ. પ્રજાપિતા બ્રહ્મા ને કોઈ યાદ નથી કરતું. દુઃખ માં બાપનું
સિમરણ કરે છે, બ્રહ્માનું નહીં. કહેશે હેં ભગવાન. હેં બ્રહ્મા નહીં કહેશે. સુખમાં
તો કોઈને પણ યાદ નથી કરતાં. ત્યાં સુખ જ સુખ છે. આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો આ
સમય છે ૩ બાપ. ભક્તિમાર્ગમાં લૌકિક અને પારલૌકિક બાપ ને યાદ કરે છે. સતયુગ માં ફક્ત
લૌકિક ને યાદ કરે છે. સંગમ પર ત્રણેવ ને યાદ કરે છે. લૌકિક પણ છે પરંતુ જાણે છે તે
છે હદનાં બાપ. તેમનાથી હદનો વારસો મળે છે. હમણાં આપણને બેહદનાં બાપ મળ્યાં છે જેનાથી
બેહદનો વારસો મળે છે. આ સમજવાની વાત છે. હવે બેહદનાં બાપ આવ્યાં છે બ્રહ્માનાં તન
માં - આપણને બાળકોને બેહદ નું સુખ આપવાં. એમનાં બનવાથી આપણે બેહદનો વારસો પામીએ છીએ.
આ જેમ દાદા નો વારસો મળે છે - બ્રહ્મા દ્વારા, તેઓ કહે છે વારસો તમને હું આપું છું.
ભણાવું હું છું. જ્ઞાન મારી પાસે છે. બાકી ન મનુષ્યમાં જ્ઞાન છે, ન દેવતાઓમાં.
જ્ઞાન છે મારામાં. જે હું આપ બાળકોને આપું છું. આ છે રુહાની જ્ઞાન.
તમે જાણો છો રુહાની બાપ દ્વારા આપણને આ પદ મળે છે. આવું-આવું વિચાર સાગર મંથન કરવું
જોઈએ. ગાયન છે મનનાં જીતે જીત, મન થી હારે હાર…. હકીકત માં કહેવું જોઈએ - માયા પર
જીત કારણ કે મનને તો જીતાતું નથી. મનુષ્ય કહે છે મનની શાંતિ કેવી રીતે થાય? બાપ કહે
છે આત્મા કેવી રીતે કહેશે કે મનની શાંતિ જોઈએ. આત્મા તો છે જ શાંતિધામ માં રહેવા
વાળી. આત્મા જ્યારે શરીરમાં આવે છે ત્યારે કાર્ય કરવા લાગી જાય છે. બાપ કહે છે તમે
હવે સ્વધર્મ માં સ્થિત થાઓ, સ્વયં ને આત્મા સમજો. આત્મા નો સ્વધર્મ છે શાંત. બાકી
શાંતિ ક્યાંથી શોધશો. આનાં પર રાણીનું પણ દૃષ્ટાંત છે હાર નું. સન્યાસી દૃષ્ટાંત આપે
છે અને પછી પોતે જંગલમાં જઈને શાંતિ શોધે છે. બાપ કહે છે કે આપ આત્માનો ધર્મ જ શાંતિ
છે. શાંતિધામ તમારું ઘર છે, જ્યાંથી પાર્ટ ભજવવા તમે આવો છો. શરીર થી પછી કર્મ કરવું
પડે છે. શરીર થી અલગ થવાથી સન્નાટો થઈ જાય છે. આત્માએ જઈને બીજું શરીર લીધું પછી
ચિંતા કેમ કરવી જોઈએ. પાછી થોડી આવશે. પરંતુ મોહ સતાવે છે. ત્યાં તમને મોહ નહીં
સતાવશે. ત્યાં ૫ વિકાર હોતાં નથી. રાવણરાજ્ય જ નથી. તે છે રામરાજ્ય. હંમેશા
રામરાજ્ય હોય તો પછી મનુષ્ય થાકી જાય. ક્યારે સુખ જોઈ ન શકે. હમણાં તમે આસ્તિક બન્યાં
છો અને ત્રિકાળદર્શી પણ બન્યાં છો. મનુષ્ય બાપને નથી જાણતાં એટલે નાસ્તિક કહેવાય
છે.
હમણાં આપ બાળકો જાણો છો કે આ શાસ્ત્ર વગેરે જે પાસ્ટ થઈ ગયાં છે, આ બધું છે
ભક્તિમાર્ગ. હમણાં તમે છો જ્ઞાનમાર્ગ માં. બાપ આપ બાળકોને કેટલાં પ્રેમ થી નયનો પર
બેસાડીને લઈ જાય છે. ગળાનો હાર બનાવી બધાને લઈ જાઉં છું. પોકારે પણ બધાં છે. જે કામ
ચિતા પર બેસી કાળા થઈ ગયાં છે એમને જ્ઞાન ચિતા પર બેસાડી, હિસાબ-કિતાબ ચૂકતું કરાવી
પાછાં લઈ જાય છે. હવે તમારું કામ છે ભણવાથી, બીજી વાતોમાં શું કરવાં જવું જોઈએ. કેવી
રીતે મરશે, શું થશે... આ વાતોમાં આપણે કેમ જઈએ. આ તો કયામત નો સમય છે, બધાં
હિસાબ-કિતાબ ચૂકતું કરી પાછાં ચાલ્યાં જશે. આ બેહદનાં ડ્રામાનું રહસ્ય આપ બાળકોની
બુદ્ધિમાં છે, બીજું કોઈ નથી જાણતું. બાળકો જાણે છે અમે બાબાની પાસે કલ્પ-કલ્પ આવીએ
છીએ, બેહદનો વારસો લેવાં. આપણે જીવ આત્માઓ છીએ. બાબાએ પણ દેહમાં આવીને પ્રવેશ કર્યો
છે. બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું, આમને પણ બેસી સમજાવું છું કે તમે પોતાનાં
જન્મો ને નથી જાણતાં. બીજું કોઈ એવું કહી ન શકે કે બાળકો, દેહી-અભિમાની બનો, બાપ ને
યાદ કરો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદની
યાત્રા માં રહીને સાચ્ચી-સાચ્ચી દિવાળી રોજ મનાવવાની છે. પોતાનું નવું ખાતું ૨૧
જન્મોનાં માટે જમા કરવાનું છે.
2. ડ્રામાનાં રહસ્ય
ને બુદ્ધિમાં રાખી ભણવાનાં સિવાય બીજી કોઇ પણ વાતમાં નથી જવાનું. બધાં હિસાબ-કિતાબ
ચૂકતું કરવાનાં છે.
વરદાન :-
લગન ની અગ્નિ
દ્વારા એક દીપ થી અનેક દીપ જગાડવા વાળા સાચાં સેવાધારી ભવ
જેમ દિવાળી પર એક દીપ
થી અનેક દીપક પ્રગટાવે, દીપમાળા મનાવે છે. દીપક માં અગ્નિ હોય છે એમ આપ દીપકો માં
લગન ની અગ્નિ છે. જો એક-એક દીપક ની એક દીપક સાથે લગન લાગી ગઈ તો આ સાચ્ચી દીપમાળા
છે. તો જોવાનું છે કે અમે દીપક લગન લગાવીને અગ્નિ રુપ બનવા વાળા, પોતાનાં પ્રકાશ થી
અજ્ઞાનતા નો અંધકાર મટાવવા વાળા જ સાચાં સેવાધારી છે.
સ્લોગન :-
એક બળ, એક
ભરોસો - આ પાઠ ને સદા પાક્કો રાખો તો અધ વચ્ચે નાં ભવર થી સહજ નીકળી જશો.