08-11-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  01.10.87    બાપદાદા મધુબન


“ ઈશ્વરીય સ્નેહ - જીવન પરિવર્તન નું ફાઉન્ડેશન ( પાયો ) છે ”
 


આજે સ્નેહનાં સાગર પોતાનાં સ્નેહી બાળકો થી મળવા આવ્યાં છે. બાપ અને બાળકોનો સ્નેહ વિશ્વને સ્નેહ સૂત્રમાં બાંધી રહ્યો છે. જ્યારે સ્નેહનાં સાગર અને સ્નેહ સમ્પન્ન નદીઓ નો મેળ થાય છે તો સ્નેહ-ભરી નદી પણ બાપ સમાન માસ્ટર સ્નેહ નો સાગર બની જાય છે. એટલે વિશ્વની આત્માઓ સ્નેહનાં અનુભવ થી સ્વતઃ સમીપ આવતી જઈ રહી છે. પવિત્ર પ્રેમ કે ઈશ્વરીય પરિવાર નાં પ્રેમ થી - કેટલી પણ અંજાણ આત્માઓ હોય, લાંબા સમય થી પરિવારનાં પ્રેમ થી વંચિત પથ્થર સમાન બનવાવાળી આત્માઓ હોય પરંતુ એવી પથ્થર સમાન આત્માઓ પણ ઈશ્વરીય પરિવાર નાં સ્નેહ થી પીગળી પાણી બની જાય છે. આ છે ઇશ્વરીય પરિવાર નાં પ્રેમ ની કમાલ. કેટલું પણ સ્વયં ને કિનારે કરે પરંતુ ઈશ્વરીય પ્રેમ ચુંબક ની સમાન સ્વતઃ જ સમીપ લઈ આવે છે. આને કહેવાય છે ઇશ્વરીય સ્નેહ નું પ્રત્યક્ષ ફળ. કેટલાં પણ કોઈ સ્વયં ને અલગ રસ્તા વાળા માને પરંતુ ઈશ્વરીય સ્નેહ સહયોગી બનાવી ‘પરસ્પર એક થઈ’ આગળ વધવાના સૂત્રમાં બાંધી દે છે. એવો અનુભવ કર્યો ને.

સ્નેહ પહેલાં સહયોગી બનાવે છે, સહયોગી બનાવતા-બનાવતા સ્વતઃ જ સમય પર સર્વને સહજયોગી પણ બનાવી દે છે. સહયોગી બનવાની નિશાની છે - આજે સહયોગી છે, કાલે સહજ-યોગી બની જશે. ઈશ્વરીય સ્નેહ પરિવર્તન નું ફાઉન્ડેશન (પાયો) છે અથવા જીવન-પરિવર્તન નું બીજ સ્વરુપ છે. જે આત્માઓમાં ઈશ્વરીય સ્નેહ ની અનુભૂતિ નું બીજ પડી જાય છે, તો આ બીજ સહયોગી બનવાનું વૃક્ષ સ્વતઃ જ પેદા કરતું રહેશે અને સમય પર સહજયોગી બનવાનું ફળ દેખાશે કારણ કે પરિવર્તનનું બીજ ફળ જરુર દેખાડે છે. ફક્ત કોઈ ફળ જલ્દી નીકળે છે, કોઈ ફળ સમય પર નીકળે છે. ચારે બાજુ જુઓ, તમે બધાં માસ્ટર સ્નેહનાં સાગર, વિશ્વ-સેવાધારી બાળકો શું કાર્ય કરી રહ્યાં છો? વિશ્વમાં ઈશ્વરીય પરિવારનાં સ્નેહ નું બીજું વાવી રહ્યાં છો. જ્યાં પણ જાઓ છો - ભલે કોઈ નાસ્તિક હોય કે આસ્તિક હોય, બાપને ન પણ જાણતાં હોય, ન પણ માનતાં હોય પરંતુ એટલો અવશ્ય અનુભવ કરે છે કે આવો ઈશ્વરીય પરિવારનો પ્રેમ જે આપ શિવવંશી બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ થી મળે છે, એ ક્યાંય પણ નથી મળતો અને આ પણ માને છે કે આ સ્નેહ અથવા પ્રેમ સાધારણ નથી, આ અલૌકિક પ્રેમ છે અથવા ઈશ્વરીય સ્નેહ છે. તો ઇનડાયરેક્ટ નાસ્તિક થી આસ્તિક થઈ ગયાં ને. ઈશ્વરીય પ્રેમ છે, તો તે ક્યાંથી આવ્યો? કિરણો સૂર્ય ને સ્વતઃ જ સિદ્ધ કરે છે. ઈશ્વરીય પ્રેમ, અલૌકિક સ્નેહ, નિઃસ્વાર્થ સ્નેહ સ્વતઃ જ દાતા બાપ ને સિદ્ધ કરે જ છે. ઇનડાયરેક્ટ ઈશ્વરીય સ્નેહનાં પ્રેમ દ્વારા સ્નેહનાં સાગર બાપ થી સંબંધ જોડાઈ જાય છે પરંતુ જાણતાં નથી કારણ કે બીજ પહેલાં ગુપ્ત રહે છે, વૃક્ષ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો ઈશ્વરીય સ્નેહ નું બીજ સર્વ ને સહયોગી સો સહજયોગી, પ્રત્યક્ષ રુપમાં સમય પ્રમાણે પ્રત્યક્ષ કરી રહ્યું છે અને કરતું રહેશે. તો બધાએ ઈશ્વરીય સ્નેહનાં બીજ નાખવાની સેવા કરી. સહયોગી બનાવવાની શુભભાવના અને શુભકામના નાં વિશેષ બે પત્તા પણ પ્રત્યક્ષ જોયા. હવે આ મૂળ વૃદ્ધિને પ્રાપ્ત કરતું પ્રત્યક્ષ ફળ દેખાડશે.

બાપદાદા સર્વ બાળકોનાં વેરાયટી (ભિન્ન-ભિન્ન) પ્રકારની સેવા ને જોઈ હર્ષિત થાય છે. ભલે ભાષણ કરવા વાળા બાળકો, ભલે સ્થૂળ સેવા કરવા વાળા બાળકો - સર્વનાં સહયોગ ની સેવાથી સફળતાનું ફળ પ્રાપ્ત થાય છે. ભલે રખવાળી આપવા વાળા હોય, ભલે વાસણ સંભાળવા વાળા હોય પરંતુ જેમ પાંચ આંગળીઓ નાં સહયોગ થી કેટલું પણ શ્રેષ્ઠ કાર્ય, મોટું કાર્ય સહજ થઈ જાય છે, એમ દરેક બ્રાહ્મણ બાળકોનાં સહયોગ થી જેટલું વિચાર્યું હતું કે આવું થશે, તે વિચાર થી હજાર ગુણા વધારે સહજ કાર્ય થઈ ગયું. આ કોની કમાલ છે? બધાની. જે પણ કાર્યમાં સહયોગી બન્યાં - ભલે સ્વચ્છતા પણ રાખી, ભલે ટેબલ સાફ કર્યુ પરંતુ સર્વનાં સહયોગ નું રીઝલ્ટ (પરિણામ) સફળતા છે. આ સંગઠનની શક્તિ મહાન્ છે. બાપદાદા જોઈ રહ્યાં હતાં - ન ફક્ત મધુવન માં આવવા વાળા બાળકો પરંતુ જે સાકાર માં પણ નહોતાં, ચારે બાજુનાં બ્રાહ્મણ બાળકોની, ભલે દેશ, ભલે વિદેશ - બધાનાં મન ની શુભભાવના અને શુભકામના નો સહયોગ રહ્યો. આ સર્વ આત્માઓ ની શુભભાવના, શુભકામના નો કિલ્લો આત્માઓને પરિવર્તન કરી લે છે. ભલે નિમિત્ત શક્તિઓ પણ રહી, પાંડવો પણ રહ્યાં. નિમિત્ત સેવાધારી વિશેષ દરેક કાર્યમાં બને જ છે પરંતુ વાયુમંડળ નો કિલ્લો સર્વ નાં સહયોગ થી જ બને છે. નિમિત્ત બનવા વાળા બાળકોને પણ બાપદાદા મુબારક આપે છે, પરંતુ સૌથી વધારે મુબારક બધાં બાળકોને. બાપને બાળકો મુબારક શું આપે કારણ કે બાપ તો અવ્યક્ત થઈ ગયાં. વ્યક્ત માં તો બાળકોને નિમિત્ત બનાવ્યાં એટલે, બાપદાદા સદા બાળકોનાં જ ગીત ગાએ છે. તમે બાપ નાં ગીત ગાઓ, બાપ તમારા ગીત ગાએ.

જે પણ કર્યુ, ખુબ સારું કર્યુ. ભાષણ કરવા વાળાએ ભાષણ સારા કર્યા, સ્ટેજ સજાવવા વાળા એ સ્ટેજ સારું સજાવ્યું અને વિશેષ યોગયુક્ત ભોજન બનાવવા વાળા, ખવડાવવા વાળા, શાક સમારવા વાળા રહ્યાં. પહેલાં ફાઉન્ડેશન તો શાક સમારાય છે. શાક નહીં સમારાય તો ભોજન શું બનશે? બધાં ડિપાર્ટમેન્ટ (વિભાગ) વાળા ઓલરાઉન્ડર (સર્વ પ્રકાર ની) સેવાનાં નિમિત્ત રહ્યાં. સંભળાવ્યું ને - જો સફાઈવાળા સફાઈ નહીં કરત તો પણ પ્રભાવ ન પડત. દરેક નો ચહેરો ઈશ્વરીય સ્નેહ સંપન્ન ન હોત તો સેવા ની સફળતા કેવી રીતે થાત. બધાએ જે પણ કાર્ય કર્યા, સ્નેહ ભરી ને કર્યા એટલે, તેમનામાં પણ સ્નેહ નું બીજ પડ્યું. ઉમંગ-ઉત્સાહ થી કર્યું, એટલે તેમનામાં પણ ઉમંગ-ઉત્સાહ રહ્યો. અનેકતા હોવા છતાં પણ સ્નેહનાં સૂત્ર નાં કારણે એકતા ની જ વાતો કરતા રહ્યાં. આ વાયુમંડળ ની છત્રછાયાની વિશેષતા રહી. વાયુમંડળ છત્રછાયા બની જાય છે. તો છત્રછાયા ની અંદર હોવાનાં કારણે કેવા પણ સંસ્કાર વાળા, સ્નેહનાં પ્રભાવમાં સમાયેલા હતાં. સમજ્યાં? બધાં ની મોટા માં મોટી ડ્યુટી (જવાબદારી) હતી. બધાએ સેવા કરી. કેટલું પણ તેઓ બીજું કંઈ બોલવા ઈચ્છે, તો પણ બોલી નથી શકતાં વાયુમંડળ નાં કારણે. મનમાં કાંઈ વિચારે પણ પરંતુ મુખ થી નીકળી નથી શકતું કારણ કે પ્રત્યક્ષ તમારા બધાનાં જીવન નું પરિવર્તન જોઈ તેમનામાં પણ પરિવર્તનની પ્રેરણા સ્વતઃ જ આવતી રહી. પ્રત્યક્ષ પ્રમાણ જોયું ને. શાસ્ત્ર પ્રમાણ થી પણ, સૌથી મોટું પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ ની આગળ બીજા બધાં પ્રમાણ સમાઈ જાય છે. આ રહ્યું સેવાનું પરિણામ. હમણાં પણ તે જ સ્નેહનાં સહયોગની વિશેષતા થી હજું સમીપ લાવતા રહેશો તો બીજા પણ સહયોગમાં આગળ વધતા જશે. તો પણ પ્રત્યક્ષતા નો અવાજ બુલંદ ત્યારે થશે, જ્યારે બધી સત્તાઓ નો સહયોગ હશે.

વિશેષ સર્વ સત્તાઓ જ્યારે મળીને એક અવાજ બુલંદ કરે, ત્યારે જ પ્રત્યક્ષતા નો પડદો વિશ્વ ની આગળ ખુલશે. વર્તમાન સમયે જે સેવા નો પ્લાન બનાવ્યો છે, તે એટલે જ બનાવ્યો છે ને. બધાં વર્ગવાળા અર્થાત્ સત્તા વાળા સંપર્ક માં, સહયોગ માં આવે, સ્નેહ માં આવે તો પછી સંબંધમાં આવી ને સહજયોગી બની જશે. જો કોઈ પણ સત્તા સહયોગ માં નથી આવતી તો સર્વનાં સહયોગનું જે કાર્ય રખાયું છે, તે સફળ કેવી રીતે થશે?

હમણાં ફાઉન્ડેશન પડ્યું છે વિશેષ સત્તા નું. ધર્મ સત્તા સૌથી મોટા માં મોટી સત્તા છે ને. તે વિશેષ સત્તા દ્વારા ફાઉન્ડેશન આરંભ થયું. સ્નેહનો પ્રભાવ જોયો ને. આમ લોકો શું કહેતા હતાં કે - આ આટલાં બધાં ભેગા કેવી રીતે બોલાવી રહ્યાં છો? એ લોકો પણ વિચારતા રહ્યાં ને. પરંતુ ઈશ્વરીય સ્નેહ નું સૂત્ર એક હતું, એટલે અનેકતા નો વિચાર હોવા છતાં પણ સહયોગી બનવાનો વિચાર એક જ રહ્યો. એવી રીતે હવે સર્વ સત્તાઓને સહયોગી બનાવો. બની પણ રહ્યાં છે પરંતુ હજું વધારે સમીપ, સહયોગી બનાવતા ચાલો. કારણ કે હમણાં ગોલ્ડન જુબલી (સુવર્ણ જયંતિ) સમાપ્ત થઈ, તો હવે થી, વધારે પ્રત્યક્ષતા ની સમીપ આવી ગયાં. ડાયમંડ જુબલી અર્થાત્ પ્રત્યક્ષતા નો નારો બુલંદ કરવો. તો આ વર્ષ થી પ્રત્યક્ષતા નો પડદો હમણાં ખુલવાનો આરંભ થયો છે. એક તરફ વિદેશ દ્વારા ભારતમાં પ્રત્યક્ષતા થઈ, બીજી તરફ નિમિત્ત મહામંડલેશ્વરો દ્વારા કાર્ય ની શ્રેષ્ઠતાની સફળતા. વિદેશમાં યૂ.એન. વાળા નિમિત્ત બન્યાં, તે પણ વિશેષ નામીગ્રામી અને ભારતમાં પણ નામીગ્રામી ધર્મ સત્તા છે. તો ધર્મ સત્તાવાળા દ્વારા ધર્મ-આત્માઓ ની પ્રત્યક્ષતા થાય - આ છે પ્રત્યક્ષતા નો પડદો ખુલવાનું આરંભ થવું. હજું ખુલવાનો આરંભ થયો છે. હવે ખુલવા વાળો છે. પૂરો નથી ખૂલ્યો, આરંભ થયો છે. વિદેશ નાં બાળકો જે કાર્ય નાં નિમિત્ત બન્યાં, એ પણ વિશેષ કાર્ય રહ્યું. પ્રત્યક્ષતા નાં વિશેષ કાર્ય માં આ કાર્યનાં કારણે નિમિત્ત બની ગયાં. તો બાપદાદા વિદેશનાં બાળકોને આ અંતિમ પ્રત્યક્ષતા નાં હીરો પાર્ટમાં નિમિત્ત બનવાની સેવાની પણ વિશેષ મુબારક આપી રહ્યાં છે. ભારતમાં હલચલ તો મચાવી દીધી ને. બધાનાં કાનો સુધી અવાજ ગયો. આ વિદેશ નો બુલંદ અવાજ ભારત નાં કુંભકર્ણો ને જગાડવાનાં નિમિત્ત તો બની ગયો. પરંતુ હમણાં ફક્ત અવાજ ગયો છે, હવે હજું જગાડવાનાં છે, ઉઠાડવાનાં છે. હમણાં ફક્ત કાન સુધી અવાજ પહોંચ્યો છે. જો સૂતેલાં નાં કાન માં અવાજ જાય છે તો થોડાં હલે છે ને, હલચલ તો કરે છે ને. તો હલચલ પેદા થઈ. હલચલ માં થોડાં જાગ્યાં છે, સમજે છે કે આ પણ કંઇક છે. હવે જાગશે ત્યારે જ્યારે હજું જોરથી અવાજ કરશો. હમણાં પહેલાં પણ થોડો જોરથી થયો. એવી જ કમાલ ત્યારે થાય જ્યારે બધી સત્તા વાળા એક સાથે સ્ટેજ પર સ્નેહ મિલન કરે. બધી સત્તાની આત્માઓ દ્વારા ઈશ્વરીય કાર્યની પ્રત્યક્ષતા આરંભ થાય, ત્યારે પ્રત્યક્ષતા નો પડદો પૂરો ખુલશે. એટલે, હમણાં જે પ્રોગ્રામ બનાવી રહ્યાં છો તેમાં આ લક્ષ્ય રાખજો કે બધી સત્તાઓનું સ્નેહ મિલન થાય. બધાં વર્ગોનું સ્નેહ મિલન તો થઈ શકે છે. જેમ સાધારણ સાધુઓને બોલાવો તો કોઈ મોટી વાત નથી, પરંતુ આ મહામંડલેશ્વરો ને બોલાવ્યાં ને. આમ તો શંકરાચાર્ય ની પણ આ સંગઠનમાં ખુબ જ શોભા થાત. પરંતુ હવે તેમનું પણ ભાગ્ય ખુલી જશે. અંદર થી તો છતાં પણ સહયોગી છે. બાળકોએ મહેનત પણ સારી કરી. પરંતુ તો પણ લોકલાજ તો રાખવી પડે છે. એ દિવસ પણ આવશે જ્યારે બધી સત્તાવાળા મળીને કહેશે કે શ્રેષ્ઠ સત્તા, ઈશ્વરીય સત્તા, આધ્યાત્મિક સત્તા છે તો એક પરમાત્મ-સત્તા જ છે એટલે લાંબા સમય નો પ્લાન બનાવ્યો છે ને. આટલો સમય એટલે મળ્યો છે કે બધાને સ્નેહનાં સૂત્રમાં બાંધી સમીપ લાવો. આ સ્નેહ ચુંબક બનશે જે બધાં એક સાથે સંગઠન રુપમાં બાપનાં સ્ટેજ પર પહોંચી જાય. એવો પ્લાન બનાવ્યો છે ને? સારું.

સેવાધારીઓ ને સેવાનું પ્રત્યક્ષફળ પણ મળી ગયું. નહીં તો, હમણાં નંબર નવાં બાળકોનો છે ને. તમે લોકો તો મિલન મનાવતા-મનાવતા હવે વાનપ્રસ્થ અવસ્થા સુધી પહોંચ્યા છો. હવે પોતાનાં નાનાં ભાઈ-બહેનો ને ટર્ન (તક) આપી રહ્યાં છો. સ્વયં વાનપ્રસ્થી બન્યાં ત્યારે બીજાઓને ચાન્સ આપ્યો. ઈચ્છા તો બધાની વધતી જ જશે. બધાં કહેશે - હમણાં પણ મળવાનો ચાન્સ મળવો જોઈએ . જેટલું મળશો, તેટલી ખુબ જ ઇચ્છા વધતી જશે. પછી શું કરશો? બીજાઓને ચાન્સ આપવો પણ સ્વયં તૃપ્તિનો અનુભવ કરવો છે કારણ કે જૂના તો અનુભવી છે, પ્રાપ્તિ-સ્વરુપ છે. તો પ્રાપ્તિ-સ્વરુપ આત્માઓ સદા સર્વ પર શુભભાવના રાખવા વાળા, બીજાઓને આગળ રાખવા વાળા છો. કે સમજો છો અમે તો મળી લઈએ? આમાં પણ નિઃસ્વાર્થી બનવાનું છે. સમજદાર છો. આદિ, મધ્ય, અંત ને સમજવા વાળા છો. સમય ને પણ સમજો છો. પ્રકૃતિ નાં પ્રભાવને પણ સમજો છો. પાર્ટ (ભૂમિકા) ને પણ સમજો છો. બાપદાદા પણ સદા જ બાળકો થી મળવા ઈચ્છે છે. જો બાળકો મળવા ઈચ્છે છે તો પહેલાં બાપ ઈચ્છે છે, ત્યારે બાળકો પણ ઈચ્છે છે. પરંતુ બાપને પણ સમય ને, પ્રકૃતિ ને જોવાં તો પડે છે ને. જ્યારે આ દુનિયામાં આવે છે તો દુનિયાની બધી વાતોને જોવી પડે છે. જ્યારે આનાથી દૂર અવ્યક્તવતન માં છે તો ત્યાં તો પાણી ની, સમય ની, રહેવા વગેરે ની પ્રોબ્લેમ (સમસ્યા) જ નથી. ગુજરાત વાળા સમીપ રહે છે. તો તેનું પણ ફળ મળે છે ને. આ પણ ગુજરાત વાળા ની વિશેષતા છે, સદા એવરરેડી રહે છે. ‘હા જી‘ નો પાઠ પાક્કો છે અને જ્યાં પણ રહેવાનું સ્થાન મળે, તો રહી પણ જાય છે. દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની પણ વિશેષતા છે. ગુજરાત માં વૃદ્ધિ પણ સારી થઇ રહી છે. સેવાનો ઉમંગ-ઉત્સાહ સ્વયં ને પણ નિર્વિઘ્ન બનાવે, બીજાઓનું પણ કલ્યાણ કરે છે. સેવાભાવની પણ સફળતા છે. સેવા-ભાવ માં જો અહમ-ભાવ આવી ગયો તો તેને સેવા-ભાવ નહીં કહેશે. સેવા-ભાવ સફળતા અપાવે છે. અહમ-ભાવ જો મિક્સ થાય છે તો મહેનત પણ વધારે, સમય પણ વધારે, તો પણ સ્વયં ની સંતુષ્ટિ નથી થતી. સેવાભાવ વાળા બાળકો સદા સ્વયં પણ આગળ વધે અને બીજાઓને પણ આગળ વધારે છે. સદા ઉડતી કળા નો અનુભવ કરે છે. સારી હિમ્મત વાળા છે. જ્યાં હિમ્મત છે ત્યાં બાપદાદા પણ દરેક સમયે કાર્યમાં મદદગાર છે.

મહારથી તો છે જ મહાદાની. જે પણ મહારથી સેવાનાં પ્રતિ આવ્યાં છે, મહાદાની વરદાની છો ને? બીજાઓને ચાન્સ આપવો - આ પણ મહાદાન, વરદાન છે. જેવો સમય, એવો પાર્ટ ભજવવામાં પણ બધાં સિકિલધા બાળકો સદા જ સહયોગી રહ્યાં છે અને રહેશે. ઈચ્છા તો થશે કારણ કે તે શુભ ઈચ્છા છે. પરંતુ તેને સમાવવાનું પણ જાણે છે એટલે બધાં સદા સંતુષ્ટ છે.

બાપદાદા પણ ઈચ્છે છે કે એક-એક બાળક થી મિલન મનાવે અને સમય ની સીમા પણ ન હોવી જોઈએ. પરંતુ તમારા લોકો ની દુનિયામાં આ બધી સીમાઓ જોવી પડે છે. નહીં તો, એક-એક રતન ની મહિમા જો ગાએ તો કેટલી મોટી છે. ઓછામાં ઓછું એક-એક બાળકની વિશેષતાનું એક-એક ગીત તો બનાવી શકે છે. પરંતુ…. એટલે જ કહે છે વતનમાં આવો જ્યાં કોઈ સીમા નથી. અચ્છા.

સદા ઈશ્વરીય સ્નેહ માં સમાયેલા, સદા દરેક સેકન્ડ સર્વ નાં સહયોગી બનાવવા વાળા, સદા પ્રત્યક્ષતા નાં પડદા ને હટાવી બાપને વિશ્વની આગળ પ્રત્યક્ષ કરવા વાળા, સદા સર્વ આત્માઓને પ્રત્યક્ષ-પ્રમાણ-સ્વરુપ બની આકર્ષિત કરવા વાળા, સદા બાપ અને સર્વ નાં દરેક કાર્યમાં સહયોગી બની એકનું નામ પ્રસિદ્ધ કરવાવાળા, એવાં વિશ્વનાં ઈષ્ટ બાળકોને, વિશ્વનાં વિશેષ બાળકોને બાપદાદા નાં અતિ સ્નેહ સમ્પન્ન યાદપ્યાર. સાથે-સાથે સર્વ દેશ-વિદેશ નાં સ્નેહ થી બાપની સામે પહોંચવા વાળા સર્વ સમીપ બાળકોને સેવાની મુબારક ની સાથે-સાથે બાપદાદા ની વિશેષ યાદપ્યાર સ્વીકાર થાય.

વરદાન :-
નોલેજફુલની વિશેષતા દ્વારા સંસ્કારો નાં ટક્કર થી બચવા વાળા કમળફૂલ સમાન ન્યારા અને સાક્ષી ભવ

સંસ્કાર તો અંત સુધી કોઈ નાં દાસી નાં રહેશે, કોઈનાં રાજા નાં. સંસ્કાર બદલાઈ જાય આ ઇન્તજાર નહીં કરો. પરંતુ મારા ઉપર કોઈ નો પ્રભાવ ન હોય કારણ કે એક તો દરેક નાં સંસ્કાર ભિન્ન છે, બીજું માયાનું પણ રુપ બની ને આવે છે એટલે કોઈ પણ વાતનો ફેંસલો મર્યાદા ની રેખાની અંદર રહીને કરો, ભિન્ન-ભિન્ન સંસ્કાર હોવા છતાં પણ ટક્કર ન થાય આનાં માટે નોલેજફુલ બની કમળફૂલ સમાન ન્યારા અને સાક્ષી રહો.

સ્લોગન :-
હઠ કે મહેનત કરવાનાં બદલે રમણીકતા થી પુરુષાર્થ કરો.