10-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનાં
સ્વધર્મ ને ભૂલવું જ સૌથી મોટી ભૂલ છે , હવે તમારે અભુલ બનવાનું છે , પોતાનાં ઘર અને
રાજ્ય ને યાદ કરવાનું છે ”
પ્રશ્ન :-
આપ બાળકોની કઈ
અવસ્થા જ સમય ની સમીપતા ની નિશાની છે?
ઉત્તર :-
આપ બાળકો જ્યારે યાદ ની યાત્રા માં સદા મસ્ત રહેશો, બુદ્ધિ નું ભટકવાનું બંધ થઈ જશે,
વાણીમાં યાદનું જોહર (બળ) આવી જશે, અપાર ખુશીમાં રહેશો, ઘડી-ઘડી પોતાની સતયુગી
દુનિયાનાં દૃશ્યો સામે આવતાં રહેશે ત્યારે સમજો સમય સમીપ છે. વિનાશ માં સમય નથી
લાગતો, આનાં માટે યાદ નો ચાર્ટ વધારવાનો છે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને જહાન પા લિયા હૈ ……
ઓમ શાંતિ!
રુહાની બાળકો
આ ગીતનો અર્થ તો સમજતા હશે. હવે બેહદનાં બાપને તો પામી લીધાં છે. બેહદનાં બાપ થી
સ્વર્ગ નો વારસો મળે છે, જે વારસાને કોઈ પણ છીનવી નથી શકતું. વારસા નો નશો ત્યારે
ચાલ્યો જાય છે, જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે. આ પણ ડ્રામા બનેલો છે. બાળકોને
સૃષ્ટિ ડ્રામા નું પણ જ્ઞાન છે. આ ચક્ર કેવી રીતે ફરે છે. આને નાટક પણ કહેવાય,
ડ્રામા પણ કહેવાય. બાળકો સમજે છે બરાબર બાપ આવીને સૃષ્ટિનું ચક્ર પણ સમજાવે છે. જે
બ્રાહ્મણ કુળનાં છે, તેમને જ સમજાવે છે. બાળકો તમે પોતાનાં જન્મોને નથી જાણતાં, હું
તમને સમજાવું છું. પહેલાં તમે સાંભળતા હતાં ૮૪ લાખ જન્મ લીધા બાદ પછી એક જન્મ
મનુષ્ય નો મળે છે. એવું નથી. હમણાં તમે બધી આત્માઓ નંબરવાર આવો જાઓ છો. બુદ્ધિ માં
આવ્યું છે - પહેલાં-પહેલાં આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મના પૂજ્ય હતાં, પછી આપણે
જ પૂજારી બન્યાં છીએ. પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી-આ પણ ગાયન છે. મનુષ્ય પછી ભગવાનનાં
માટે સમજે છે કે પોતે જ પૂજ્ય પોતે જ પૂજારી બને છે. તમારા જ આ બધાં રુપ છે. અનેક
મત-મતાંતર છે ને. તમે હમણાં શ્રીમત પર ચાલો છો. તમે સમજો છો આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
પહેલાં તો કાંઈ નહોતા જાણતાં પછી ભણીને ઉચ્ચ પરીક્ષા પાસ કરતાં જઈએ છીએ. તે
સ્ટુડન્ટ પણ શરુ માં તો કાંઈ પણ નથી જાણતાં, પછી પરીક્ષા પાસ કરતાં-કરતાં સમજે છે
કે હમણાં અમે બેરિસ્ટરી પાસ કરી લીધી છે. તમે પણ હવે જાણો છો - આપણે ભણીને મનુષ્ય
થી દેવતા બની રહ્યાં છીએ તે પણ વિશ્વ નાં માલિક. ત્યાં તો છે જ એક ધર્મ, એક રાજ્ય.
તમારું રાજ્ય કોઈ છીનવી ન શકે. ત્યાં તમને પવિત્રતા-સુખ-શાંતિ-સંપત્તિ બધું જ છે.
ગીતમાં પણ સાંભળ્યું ને. હવે આ ગીત તમે તો નથી બનાવ્યાં. અનાયાસ જ ડ્રામા અનુસાર આ
સમય માટે આ બનેલાં છે. મનુષ્ય નાં બનાવેલા ગીતો નો અર્થ બાપ બેસી સમજાવે છે. હમણાં
તમે અહીંયા શાંતિ માં બેસી બાપ થી વારસો લઈ રહ્યાં છો, જે કોઈ છીનવી ન શકે.
અડધોકલ્પ સુખ નો વારસો રહે છે. બાપ સમજાવે છે મીઠા-મીઠા બાળકો અડધાકલ્પ થી પણ વધારે
તમે સુખ ભોગવો છો. પછી રાવણ રાજ્ય શરું થાય છે. મંદિર પણ એવાં છે જ્યાં ચિત્ર દેખાડે
છે - દેવતાઓ વામમાર્ગ માં કેવી રીતે જાય છે. ડ્રેસ તો એજ છે. ડ્રેસ પછી બદલાય છે.
દરેક રાજાની પોત-પોતાની ડ્રેસ, તાજ વગેરે બધું અલગ-અલગ હોય છે.
હવે બાળકો જાણે છે અમે શિવબાબા થી બ્રહ્મા દ્વારા વારસો લઇ રહ્યાં છીએ. બાપ તો
બાળકો-બાળકો જ કહે છે. બાળકો તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. સાંભળે તો આત્મા છે
ને. આપણે આત્મા છીએ, ન કે શરીર. બીજા જે પણ મનુષ્ય માત્ર છે તેમને પોતાનાં શરીરનાં
નામ નો નશો છે કારણકે દેહ-અભિમાની છે. આપણે આત્મા છીએ એ જાણતા જ નથી. તે તો આત્મા
સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા કહી દે છે. હમણાં તમને બાપે સમજાવ્યું છે તમે આત્મા
સો વિશ્વનાં માલિક દેવી-દેવતા બની રહ્યાં છો. આ જ્ઞાન હમણાં છે, હમ સો દેવતા પછી
ક્ષત્રિય વર્ણ માં આવશું. ૮૪ જન્મો નો હિસાબ પણ જોઈએ ને. બધાં તો ૮૪ જન્મ નહીં લેશે.
બધાં એક સાથે થોડી આવી જાય છે. તમે જાણો છો કયા ધર્મ કેવી રીતે આવતાં રહે છે.
હિસ્ટ્રી (ઈતિહાસ) જૂની પછી નવી થાય છે. હમણાં આ છે જ પતિત દુનિયા. તે છે પાવન
દુનિયા. પછી બીજા-બીજા ધર્મ આવે છે, અહીંયા કર્મક્ષેત્ર પર આ એક જ નાટક ચાલે છે.
મુખ્ય છે ૪ ધર્મ. આ સંગમ પર બાપ આવીને બ્રાહ્મણ સંપ્રદાય સ્થાપન કરે છે. વિરાટ રુપ
નું ચિત્ર બનાવે છે, પરંતુ તેમાં આ ભૂલ છે. બાપ આવીને બધી વાતો સમજાવી અભુલ બનાવે
છે. બાપ તો ન ક્યારેય શરીરમાં આવે છે, ન ભૂલ કરે છે. તે તો થોડાં સમયનાં માટે આપ
બાળકોને સુખધામ નો અને પોતાનાં ઘરનો રસ્તો બતાવવા માટે આમનાં રથમાં આવે છે. ન ફક્ત
રસ્તો બતાવે છે પરંતુ લાઈફ (જીવન) પણ બનાવે છે. કલ્પ-કલ્પ તમે ઘરે જાઓ છો પછી સુખ
નો પાર્ટ પણ ભજવો છો. બાળકો ને ભૂલાઈ ગયું છે - આપણો આત્માઓનો સ્વધર્મ છે જ શાંત. આ
દુઃખની દુનિયામાં શાંતિ કેવી રીતે હશે - આ બધી વાતોને તમે સમજી ગયાં છો. તમે બધાં
ને સમજાવો પણ છો. ધીરે-ધીરે બધાં આવતા જશે, વિલાયત વાળાઓ ને પણ ખબર પડશે - આ સૃષ્ટિ
ચક્ર કેવી રીતે ફરે છે, આની આયુ કેટલી છે. ફોરેનર્સ (વિદેશી) પણ તમારી પાસે આવશે કે
બાળકો ત્યાં જઈને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવશે. તેઓ સમજે છે કે ક્રાઇસ્ટ ગોડ (ભગવાન)
ની પાસે જઈ પહોંચ્યાં. ક્રાઈસ્ટ ને ગોડ (ભગવાન) નાં બાળકો સમજે છે. ઘણાં પછી આ સમજે
છે કે ક્રાઇસ્ટ પણ પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં બેગર (ગરીબ) છે. જેમ તમે પણ બેગર છો
ને. બેગર અર્થાત્ તમોપ્રધાન. સમજે છે ક્રાઈસ્ટ પણ અહીંયા છે, પછી ક્યારે આવશે, આ નથી
જાણતાં. તમે સમજાવી શકો છો-તમારા ધર્મ સ્થાપક પછી પોતાનાં સમય પર ધર્મ સ્થાપન કરવા
આવશે. તેમને ગુરુ નથી કહી શકાતું. તે ધર્મ સ્થાપન કરવા આવે છે. સદ્દગતિ દાતા ફક્ત
એક છે, તે જે પણ ધર્મ સ્થાપન કરવા આવે છે તે બધાં પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં આવીને
તમોપ્રધાન બન્યાં છે. અંતમાં આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને પામી લે છે. હમણાં તમે
જાણો છો - આખું ઝાડ ઉભું છે, બાકી દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન છે નહીં. (વડ નો
દૃષ્ટાંત ) આ વાતો બાપ જ બાળકોને બેસી સમજાવે છે. આપ બાળકોને તો ખુબ ખુશી હોવી જોઈએ.
તમને ખબર પડી છે હમ સો દેવી-દેવતા હતાં ફરી હવે બનીએ છીએ. અહીંયા તમે આવો જ છો
સત્યનારાયણની કથા સાંભળવાં, જેનાથી નર થી નારાયણ બનશો. નારાયણ બનશો તો જરુર લક્ષ્મી
પણ હશે. લક્ષ્મી-નારાયણ હશે તો જરુર તેમની રાજધાની પણ હશે ને. એકલાં લક્ષ્મી-નારાયણ
તો નહીં બનશે. લક્ષ્મી બનવાની અલગ કથા થોડી છે. નારાયણ ની સાથે લક્ષ્મી પણ બને છે.
લક્ષ્મી પણ ક્યારેક નારાયણ બને છે. નારાયણ પછી ક્યારેક લક્ષ્મી બને છે. કોઈ-કોઈ ગીત
ખુબ સરસ છે. માયા નાં ઘુટકા આવવા પર ગીત સાંભળવા થી હર્ષિતપણું આવી જશે. જેમ તરતા
શીખવાનું હોય છે તો પહેલાં ઘુટકા આવે છે પછી તેમને પકડી લે છે. અહીંયા પણ માયાનાં
ઘુટકા ખુબ ખાય છે. તરવા વાળા તો ઘણાં હોય છે. તેમની પણ રેસ (હરીફાઈ) હોય છે તો તમારી
પણ રેસ હોય છે - તે પાર જવાની. મામેકમ યાદ કરવાનું છે. યાદ નથી કરતાં તો ઘુટકા ખાય
છે. બાપ કહે છે - યાદ ની યાત્રા થી જ બેડો પાર થશે. તમે તે પાર ચાલ્યાં જશો. તરવૈયો
કોઈ ખુબ આગળ હોય છે, કોઈ પાછળ. અહીંયા પણ એવું છે. બાબાની પાસે ચાર્ટ મોકલી દે છે.
બાબા તપાસ કરે છે. યાદ નાં ચાર્ટ ને આ સાચી રીતે સમજે છે કે ખોટું સમજે છે. કોઈ-કોઈ
દેખાડે છે - અમે આખો દિવસમાં ૫ કલાક યાદમાં રહ્યાં. હું વિશ્વાસ નથી કરતો, જરુર ભૂલ
થઈ છે. કોઈ સમજે છે અમે જેટલો સમય અહીંયા ભણીએ છીએ એટલો સમય તો ચાર્ટ ઠીક રહે છે.
પરંતુ ના. ઘણાં છે અહીંયા બેઠેલા પણ, સાંભળતા પણ બુદ્ધિ બહાર ક્યાંય-ક્યાંક ચાલી
જાય છે. પૂરું સાંભળતા પણ નથી. ભક્તિમાર્ગ માં આવું-આવું થાય છે. સન્યાસી લોકો કથા
સંભળાવે છે પછી વચ્ચે-વચ્ચે પૂછે છે, અમે શું સંભળાવ્યું? જુએ છે આ તવાઈ થઈને બેઠા
છે તો પૂછે છે પછી બતાવી નથી શકતાં. બુદ્ધિ ક્યાંય ને ક્યાંય ચાલી જાય છે. એક અક્ષર
પણ નથી સાંભળતાં. અહીંયા પણ એવું છે. બાબા જોતાં રહે છે - સમજાય જાય છે આમની બુદ્ધિ
ક્યાંય બહાર ભટકતી રહે છે. અહીંયા-ત્યાં જોતાં રહે છે. એવાં-એવાં પણ કોઈ-કોઈ નવાં
આવે છે. બાબા સમજી જાય છે પૂરું સમજ્યા નથી એટલે બાબા કહે છે નવાં-નવાં ને જલ્દી
અહીંયા ક્લાસ માં આવવાની રજા નહીં આપો. નહીં તો વાયુમંડળ ને બગાડે છે. આગળ ચાલી તમે
જોશો જે સારા-સારા બાળકો હશે અહીંયા બેઠા-બેઠા વૈકુંઠમાં ચાલ્યાં જશે. ખુબ ખુશી થતી
રહેશે. ઘડી-ઘડી ચાલ્યાં જશે-હવે સમય નજીક છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર તમારી અવસ્થા
એવી થઈ જશે. ઘડી-ઘડી સ્વર્ગમાં પોતાનાં મહેલ જોતા રહેશે. જે કાંઈ બતાવવાનું કરવાનું
હશે તેનો સાક્ષાત્કાર થતો રહેશે. સમય તો જોઈ રહ્યાં છો. કેવી-કેવી તૈયારીઓ થઈ રહી
છે. બાપ કહે છે - જોજો કેવી રીતે એક સેકન્ડમાં આખી દુનિયાનાં મનુષ્ય ખાક માં મળી જશે.
બોમ્બ લગાવ્યો અને આ ખલાસ થયાં.
આપ બાળકો જાણો છો હમણાં આપણી રાજાઈ સ્થાપન થઈ રહી છે. હમણાં તો યાદની યાત્રા માં
મસ્ત રહેવાનું છે. તે જોહર (બળ) ભરવાનું છે જે કોઈને પણ દૃષ્ટિ થી તીર લાગી જાય.
અંતમાં ભીષ્મ પિતામહ વગેરે જેવા ને તમે જ જ્ઞાનનાં બાણ માર્યા છે. ઝટ સમજી જશે, આ
તો સાચું કહે છે. જ્ઞાનનાં સાગર પતિત-પાવન તો નિરાકાર ભગવાન છે. કૃષ્ણ હોઈ ન શકે.
તેમનો તો જન્મ દેખાડે છે. કૃષ્ણ નો એજ ચહેરો ફરી ક્યારેય મળી ન શકે. પછી સતયુગમાં એ
જ ચહેરો મળશે. દરેક જન્મમાં, દરેક નાં ચહેરા અલગ-અલગ હોય છે. આ ડ્રામા નો પાર્ટ એવો
બનેલો છે. ત્યાં તો નેચરલ બ્યુટીફુલ (કુદરતી સૌંદર્ય) ફીચર્સ હોય છે. હવે તો
દિવસ-પ્રતિદિવસ તન પણ તમોપ્રધાન થતાં જાય છે. પહેલાં-પહેલાં સતોપ્રધાન પછી
સતો-રજો-તમો થઇ જાય છે. અહીંયા તો જુઓ કેવા-કેવા બાળકો જન્મ લે છે. કોઈનાં પગ નથી
ચાલતાં, કોઈ જામડા હોય છે. શું-શું થઈ જાય છે. સતયુગ માં આવું થોડી હોય છે. ત્યાં
દેવતાઓને દાઢી વગેરે પણ નથી હોતી. ક્લીનશેવ હોય છે. નૈન-ચેન થી ખબર પડે છે આ મેલ (પુરુષ)
છે, આ ફિમેલ (સ્ત્રી) છે. આગળ ચાલી તમને ખુબજ સાક્ષાત્કાર થતાં રહેશે. આપ બાળકોને
કેટલી ખુશી હોવી જોઈએ. બાબા કલ્પ-કલ્પ આવીને આપણને રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા
બનાવે છે. આ પણ આપ બાળકો જાણો છો કે બીજા જે પણ ધર્મવાળા છે બધાં પોત-પોતાનાં
સેક્શન (વિભાગ) માં ચાલ્યાં જશે. આત્માઓ નું ઝાડ પણ દેખાડે છે ને. ચિત્રોમાં બહુજ
કરેક્શન (સુધાર) કરતાં, બદલાતાં જશે. જેમ બાબા સૂક્ષ્મવતન નાં માટે સમજાવે છે, સંશય
બુદ્ધિ તો કહેશે આ શું! પહેલાં આ કહેતા હતાં, હવે આ કહે છે! લક્ષ્મી-નારાયણ નાં બે
રુપને મળાવી ને વિષ્ણુ કહે છે. બાકી ૪ ભુજા વાળા મનુષ્ય થોડી હોય છે. રાવણ નાં ૧૦
શીશ દેખાડે છે. એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. દર વર્ષે બેસી ને બાળે છે. જેમ ગુડીયો
ની રમત.
મનુષ્ય કહે છે - શાસ્ત્રો વગર અમે જીવી નથી શકતાં. શાસ્ત્ર તો અમારા પ્રાણ છે.
ગીતાનું જુઓ માન કેટલું છે. અહીંયા તો તમારી પાસે મુરલીઓનો ઢગલો ભેગો થઈ જાય છે. તમે
રાખીને શું કરશો! દિવસ-પ્રતિદિવસ નવાં-નવાં પોઇન્ટ (વાત) સાંભળતાં રહો છો. હાં
પોઇન્ટસ નોંધ કરવાં સારું છે. ભાષણ કરતાં સમયે રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) કરશે. આ-આ
પોઇન્ટસ સમજાવશું. ટોપીક (વિષય) ની લિસ્ટ હોવી જોઈએ. આજે આ ટોપિક પર સમજાવશું. રાવણ
કોણ છે, રામ કોણ છે? સાચું શું છે, તે અમે તમને બતાવીએ છીએ. આ સમયે રાવણ રાજ્ય આખી
દુનિયામાં છે. ૫ વિકાર તો બધામાં છે. બાપ આવીને પછી રામરાજ્યની સ્થાપના કરે છે. આ
હાર અને જીત ની રમત છે. હાર કેવી રીતે થાય છે! ૫ વિકારો રુપી રાવણ થી. પહેલાં
પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો તે હવે પતિત બની ગયાં છે. લક્ષ્મી-નારાયણ સો પછી
બ્રહ્મા-સરસ્વતી. બાપ પણ કહે છે હું આમનાં અનેક જન્મોનાં અંત માં પ્રવેશ કરું છું.
તમે કહેશો અમે પણ અનેક જન્મોનાં અંત માં બાપ થી જ્ઞાન લઇ રહ્યાં છીએ. આ બધી સમજવાની
વાતો છે. કોઈ ની ડલહેડ (મંદ) બુદ્ધિ છે તો સમજતાં નથી. આ તો રાજધાની સ્થાપન થઈ રહી
છે. ઘણાં આવ્યા પછી ચાલ્યા ગયાં, તે ફરી આવી જશે. પ્રજામાં પાઈ પૈસા નું પદ પામી
લેશે. તે પણ તો જોઈએ ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ જ
નશામાં રહેવાનું છે કે આપણે હમણાં ભણતર પૂરું કરી મનુષ્ય થી દેવતા સો વિશ્વનાં
માલિક બનીશું. આપણા રાજ્ય માં પવિત્રતા-સુખ-શાંતિ બધું હશે. તેને કોઈ છીનવી નથી શકતું.
2. આ પાર થી તે પાર જવાનાં માટે યાદની યાત્રા માં સારા તરવૈયા બનવાનું છે. માયાનાં
ઘુટકા નથી ખાવાનાં. પોતાની તપાસ કરવાની છે, યાદનાં ચાર્ટ ને યથાર્થ સમજીને લખવાનું
છે.
વરદાન :-
શ્રેષ્ઠ વેળાનાં
આધાર પર સર્વ પ્રાપ્તિઓનાં અધિકાર નો અનુભવ કરવાવાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ
જે શ્રેષ્ઠ વેળામાં
જન્મ લેવાવાળા ભાગ્યશાળી બાળકો છે, તે કલ્પ પહેલા ની ટચિંગ (શિક્ષા) નાં આધાર પર
જન્મતા જ પોતાપણા નો અનુભવ કરે છે. તે જન્મતા જ સર્વ પ્રોપર્ટી (ખજાના) નાં અધિકારી
હોય છે. જેમ બીજ માં આખાં ઝાડનો સાર સમાયેલો છે તેમ નંબરવન વેળાવાળી આત્માઓ સર્વ
સ્વરુપની પ્રાપ્તિ નાં ખજાના નાં આવતા જ અનુભવી બની જાય છે. તે ક્યારેય એવું નહીં
કહેશે કે સુખનો અનુભવ થાય, શાંતિ નો નહીં, શાંતિ નો થાય સુખનો કે શક્તિ નો નહીં.
સર્વ અનુભવો થી સમ્પન્ન હોય છે.
સ્લોગન :-
પોતાની
પ્રસન્નતા ની છાયા થી શીતળતા નો અનુભવ કરાવવા માટે નિર્મળ અને નિર્માન બનો.