25-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ક્યારેય થાકી ને યાદની યાત્રાને છોડતાં નહીં , સદા દેહી - અભિમાની રહેવાનો પ્રયત્ન કરો , બાપનો પ્રેમ ખેંચવા અથવા મીઠા બનવા માટે યાદ માં રહો ”

પ્રશ્ન :-
૧૬ કળા સંપૂર્ણ અથવા પરફેક્ટ બનવા માટે કયો પુરુષાર્થ જરુર કરવાનો છે?

ઉત્તર :-
જેટલું થઇ શકે સ્વયંને આત્મા સમજો. પ્રેમ નાં સાગર બાપ ને યાદ કરો તો પરફેક્ટ બની જશો. જ્ઞાન ખુબ સહજ છે પરંતુ ૧૬ કળા સંપૂર્ણ બનવા માટે યાદ થી આત્મા ને પરફેક્ટ બનાવવાની છે. આત્મા સમજવાથી મીઠા બની જશો. બધી ખિટખિટ સમાપ્ત થઈ જશે.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ …

ઓમ શાંતિ!
પ્રેમનાં સાગર પોતાનાં બાળકોને પણ એવાં પ્રેમનાં સાગર બનાવે છે. બાળકોનો લક્ષ્ય-હેતુ જ એ છે કે અમે એવાં લક્ષ્મી-નારાયણ બનીએ. આમને બધાં કેટલો પ્રેમ કરે છે. બાળકો જાણે છે બાબા અમને આમનાં જેવા મીઠા બનાવે છે. મીઠા અહીંયા જ બનવાનું છે અને બનશો યાદ થી. ભારત નો યોગ ગવાયેલો છે, આ છે યાદ. આ યાદ થી જ તમે આમનાં જેવા વિશ્વનાં માલિક બનો છો. આ જ બાળકોએ મહેનત કરવાની છે. તમે આ ઘમંડ માં નહીં આવો કે અમને જ્ઞાન ખુબ છે. મૂળ વાત છે યાદ. યાદ જ પ્રેમ આપે છે. ખુબ મીઠા, ખુબ પ્રિય બનવા ઈચ્છો છો, ઉંચ પદ પામવા ઈચ્છો છો તો મહેનત કરો. નહીં તો ખુબ જ પસ્તાસો કારણ કે ઘણાં બાળકો છે જેમનાથી યાદમાં રહેવાનું પહોચતું નથી, થાકી જાય છે તો છોડી દે છે. એક તો દેહી-અભિમાની બનવા માટે ખુબ પ્રયત્ન કરો. નહીં તો ખુબ ઓછું પદ પામી લેશો. એટલાં સ્વીટ ક્યારેય નહીં થશો. ખુબ જ થોડાં બાળકો છે જે ખેંચે છે કારણ કે યાદમાં રહે છે. ફક્ત બાપની યાદ જોઈએ. જેટલું યાદ કરશો એટલાં ખુબ જ મીઠા બનશો. આ લક્ષ્મી-નારાયણે પણ આગલા જન્મ માં ખુબ જ યાદ કર્યા છે. યાદ થી સ્વીટ બન્યાં છે. સતયુગ નાં સૂર્યવંશી પહેલાં નંબર માં છે, ચંદ્રવંશી સેકન્ડ નંબર થઈ ગયાં. આ લક્ષ્મી-નારાયણ ખુબ પ્રિય લાગે છે. આ લક્ષ્મી-નારાયણનાં ફીચર્સ અને રામ-સીતાનાં ફીચર્સ માં ખુબ ફર્ક છે. આ લક્ષ્મી-નારાયણ પર ક્યારેય કલંક નથી લગાવ્યાં. કૃષ્ણ પર ભૂલ થી કલંક લગાવ્યાં છે, રામ-સીતા પર પણ લગાવ્યાં છે.

બાપ કહે છે ખુબ મીઠા ત્યારે બનશો જ્યારે સમજશો કે અમે આત્મા છીએ. આત્મા સમજી બાપ ને યાદ કરવામાં ખુબ મજા છે. જેટલું યાદ કરશો એટલાં સતોપ્રધાન, ૧૬ કળા સંપૂર્ણ બનશો. ૧૪ કળા તો પણ ડિફેક્ટડ (ખામીયુક્ત) થયાં પછી વધારે ડિફેક્ટ થતાં જાય છે. ૧૬ કળા પરફેક્ટ બનવાનું છે. જ્ઞાન તો બિલકુલ સહજ છે. કોઈ પણ શીખી જશે. ૮૪ જન્મ કલ્પ-કલ્પ લેતાં આવ્યાં છે. હવે પાછું તો કોઈ નથી જઈ શકતું, જ્યાં સુધી પૂરા પવિત્ર ન બને. નહીં તો સજાઓ ખાવી પડે. બાબા વારંવાર સમજાવે છે, જેટલું થઈ શકે પહેલાં-પહેલાં આ એક વાત પાક્કી કરો કે હું આત્મા છું. આપણે આત્મા પોતાનાં ઘર માં રહીએ છીએ તો આપણે સતોપ્રધાન છીએ પછી અહીંયા જન્મ લઈએ છીએ. કોઈ કેટલાં જન્મ, કોઈ કેટલાં જન્મ લે છે. અંત માં તમોપ્રધાન બને છે. દુનિયા ની તે ઈજ્જત ઓછી થતી જાય છે. નવું મકાન હોય છે તો તેમાં કેટલો આરામ મળે છે. પછી ડિફેક્ટડ થઈ જાય છે કળાઓ ઓછી થતી જાય છે. જો આપ બાળકો ઈચ્છો છો પરફેક્ટ દુનિયામાં જઈએ તો પરફેક્ટ બનવાનું છે. ફક્ત નોલેજ ને પરફેક્ટ નથી કહેવાતું. આત્માએ પરફેક્ટ બનવાનું છે. જેટલું થઇ શકે કોશિશ કરો- હું આત્મા છું, બાબા નો બાળક છું. અંદર માં ખુબ ખુશી રહેવી જોઈએ. મનુષ્ય પોતાને દેહધારી સમજી ખુશ થાય છે. હું ફલાણા નો બાળક છું...... તે છે અલ્પકાળ નો નશો. હવે આપ બાળકોએ બાપની સાથે પૂરો બુદ્ધિયોગ લગાડવાનો છે, આમાં મુંઝાવાનું નથી. ભલે વિલાયતમાં (વિદેશ) ક્યાંય પણ જાઓ ફક્ત એક વાત પાક્કી રાખો, કે બાબા ને યાદ કરવાનાં છે. બાબા પ્રેમ નાં સાગર છે. આ મહિમા કોઈ મનુષ્ય ની નથી. આત્મા પોતાનાં બાપની મહિમા કરે છે. આત્માઓ બધી આપસ માં ભાઈ-ભાઈ છે. બધાનાં બાપ એક છે. બાપ બધાને કહે છે - બાળકો, તમે સતોપ્રધાન હતાં સો હવે તમોપ્રધાન બન્યાં. તમોપ્રધાન બનવાથી તમે દુઃખી બન્યાં છો. હવે મુજ આત્મા ને પરમાત્મા બાપ કહે છે તમે પહેલાં પરફેક્ટ હતાં. બધી આત્માઓ ત્યાં પરફેક્ટ જ છે. ભલે પાર્ટ અલગ-અલગ છે, પરંતુ પરફેક્ટ તો છે ને. પ્યોરિટી (પવિત્રતા) વગર તો ત્યાં કોઈ જઈ ન શકે. સુખધામ માં તમને સુખ પણ છે તો શાંતિ પણ છે, એટલે તમારો ઊંચે થી ઊંચો ધર્મ છે. અથાહ સુખ હોય છે. વિચાર કરો આપણે શું બનીએ છીએ. સ્વર્ગનાં માલિક બનીએ છીએ. તે છે હીરા જેવો જન્મ. હમણાં તો કોડી જેવો જન્મ છે. હવે બાપ ઈશારો આપે છે યાદમાં રહેવાનો. તમે બોલાવો જ છો અમને આવીને પતિત થી પાવન બનાવો. સતયુગ માં છે સંપૂર્ણ નિર્વિકારી. રામ-સીતા ને પણ સંપૂર્ણ નહીં કહેશું. તે સેકન્ડ ગ્રેડ (બીજી શ્રેણી) માં ચાલ્યાં ગયાં. યાદ ની યાત્રા માં પાસ નથી થયાં. નોલેજ માં ભલે કેટલાં પણ હોશિયાર હોય, ક્યારેય પણ બાપને મીઠા નહીં લાગશે. યાદમાં રહેશે ત્યારે જ મીઠા બનશે. પછી બાપ પણ તમને મીઠા લાગશે. ભણતર તો બિલકુલ કોમન (સાધારણ) છે, પવિત્ર બનવાનું છે, યાદમાં રહેવાનું છે. આ સારી રીતે નોંધ કરી લો પછી આ જે ક્યાંક-ક્યાંક ખિટ-ખિટ થાય છે, અહંકાર આવી જાય છે, તે ક્યારેય નહીં થશે - યાદ ની યાત્રા માં રહેવાથી. મૂળ વાત સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. દુનિયા માં મનુષ્ય કેટલાં લડે-ઝઘડે છે. જીવન જ ઝેર જેવું કરી દે છે. આ અક્ષર સતયુગ માં નહીં હશે. આગળ ચાલી અહીંયા તો મનુષ્યનું જીવન વધારે જ ઝેર જેવું થતું જશે. આ છે જ વિષય સાગર. રોરવ નર્ક માં બધાં પડ્યાં છે, ખુબ ગંદકી છે. દિવસ-પ્રતિદિવસ ગંદકી વૃદ્ધિ ને પામતી રહેશે. આને કહેવાય છે ડર્ટી વર્લ્ડ (ગંદી દુનિયા). એક-બીજા ને દુઃખ જ આપતા રહે કારણ કે દેહ-અભિમાનનું ભૂત છે. કામ નું ભૂત છે. બાપ કહે છે આ ભૂતો ને ભગાવો. આ ભૂત જ તમારું કાળું મોઢું કરે છે. કામ ચિતા પર બેસી કાળા બની જાય છે ત્યારે બાપ કહે છે પછી હું આવીને જ્ઞાન અમૃત ની વર્ષા કરું છું. હમણાં તમે શું બનો છો! ત્યાં તો હીરા નાં મહેલ હોય છે, બધાં પ્રકાર નાં વૈભવ હોય છે. અહીંયા તો બધી મિલાવટી વસ્તુઓ છે. ગાયોનું ખાવાનું જુઓ, બધાથી તન્ત (સાર) કાઢી બાકી આપી દે છે. ગાય ને ખાવાનું પણ ઠીક નથી મળતું. કૃષ્ણની ગાયો જુઓ કેવી ફર્સ્ટ ક્લાસ દેખાડે છે. સતયુગ માં ગાયો એવી હોય છે, વાત નહીં પૂછો. જોવાથી જ ફરહત (આનંદ) આવી જાય છે. અહીંયા તો દરેક વસ્તુ થી એસેન્સ (સાર) નીકાળી દે છે. આ ખુબ છી-છી ગંદી દુનિયા છે. તમારે આનાથી દિલ નથી લગાડવાનું. બાપ કહે છે તમે કેટલાં વિકારી બની ગયાં છો. લડાઈમાં કેવી રીતે એક-બીજાને મારતાં રહે છે. એટોમિક બોમ્બ્સ બનાવવા વાળા નું પણ માન કેટલું છે, આનાથી બધાનો વિનાશ થઈ જાય છે. બાપ બેસી બતાવે છે - આજ નાં મનુષ્ય શું છે, કાલ નાં શું હશે. હમણાં તમે છો વચમાં. સંગ તારે કુસંગ બોરે. તમે પુરુષોત્તમ બનવા માટે બાપનો હાથ પકડો છો. કોઈ તરતા શીખે છે તો શીખવાડવા વાળા નો હાથ પકડવાનો હોય છે. નહીં તો ડૂબી જવાય, આમાં પણ હાથ પકડવાનો છે. નહીં તો માયા ખેંચી લે છે. તમે આ આખાં વિશ્વને સ્વર્ગ બનાવો છો. પોતાને નશામાં લાવવું જોઈએ. આપણે શ્રીમત થી પોતાની રાજાઈ સ્થાપન કરી રહ્યાં છીએ. બધાં મનુષ્ય માત્ર દાન તો કરે જ છે. ફકીરો ને આપે છે. તીર્થ યાત્રા પર પન્ડા ને દાન આપે છે, ચોખા મુઠ્ઠી પણ દાન જરુર કરશે. તે બધું ભક્તિમાર્ગ માં ચાલ્યું આવે છે. હમણાં બાબા આપણને ડબલ દાની બનાવે છે. બાપ કહે છે ત્રણ પગ પૃથ્વી પર તમે આ ઈશ્વરીય યુનિવર્સિટી, ઈશ્વરીય હોસ્પિટલ ખોલો જેમાં મનુષ્ય ૨૧ જન્મો નાં માટે આવીને શફા (આશ્રય) પામશે. અહીંયા તો કેવી-કેવી બીમારીઓ થાય છે. બીમારી માં કેટલી વાસ આવી જાય છે. હોસ્પિટલ માં જુઓ તો નફરત આવે છે. કર્મ ભોગ કેટલાં છે. આ બધાં દુઃખો થી છૂટવા માટે બાપ કહે છે-ફક્ત યાદ કરો બીજી કોઈ તકલીફ તમને નથી આપતો. બાબા જાણે છે બાળકોએ ખુબ તકલીફ જોઈ છે. વિકારી મનુષ્યો ની શકલ જ બદલાઈ જાય છે. એકદમ મડદલ બની જાય છે. જેમ દારુડિયો દારુ વગર રહી નથી શકતો. દારુ થી ખુબ નશો ચઢે છે પરંતુ અલ્પકાળ નાં માટે. આનાથી વિકારી મનુષ્યો ની આયુ પણ કેટલી નાની થઈ જાય છે. નિર્વિકારી દેવતાઓ ની આયુ સરેરાશ ૧૨૫-૧૫૦ વર્ષ હોય છે. એવરહેલ્દી (સદાસ્વસ્થ) બનશો તો આયુ પણ તો વધશે ને. નિરોગી કાયા થઈ જાય છે. બાપને અવિનાશી સર્જન પણ કહેવાય છે. જ્ઞાન ઇન્જેક્શન સદ્દગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ. બાપ ને જાણતા નથી એટલે અજ્ઞાન અંધકાર કહેવાય છે, ભારતવાસીઓની જ વાત છે. ક્રાઈસ્ટ ને તો જાણે છે ફલાણા સંવત માં આવ્યાં. તેઓની આખી લિસ્ટ છે. કેવી રીતે નંબરવાર પોપ ગાદી પર બેસે છે. એક જ ભારત છે જે કોઈ ની બાયોગ્રાફી (જીવનકહાની) નથી જાણતું. બોલાવે પણ છે જ દુઃખહર્તા સુખકર્તા પરમાત્મા, હેં માત-પિતા……. અચ્છા, માત-પિતા ની બાયોગ્રાફી તો બતાવો. કાંઈ પણ ખબર નથી.

તમે જાણો છો-આ છે પુરુષોત્તમ સંગમયુગ. આપણે હમણાં પુરુષોત્તમ બની રહ્યાં છીએ તો પૂરું ભણવું જોઈએ. લોક-લાજ કુળ ની મર્યાદામાં પણ ખુબ ફસાયેલાં રહે છે. આ બાબા એ તો કોઈ ની પણ પરવાહ નથી કરી. કેટલી ગાળો વગેરે ખાધી, ન મન ન ચિત. રસ્તે ચાલતા-ચાલતા બ્રાહ્મણ ફસાઈ ગયો. બાબાએ બ્રાહ્મણ બનાવ્યાં તો ગાળો ખાવા લાગ્યાં. આખી પંચાયત હતી એક તરફ, દાદા બીજી તરફ. આખી સિંધી પંચાયત કહે કે આ શું કરો છો! અરે ગીતામાં ભગવાનુવાચ છે ને-કામ મહાશત્રુ છે, આનાં પર જીત પામવાથી વિશ્વનાં માલિક બનશો. આ તો ગીતા નાં અક્ષર છે. મારા થી પણ કોઈ કહેવડાવે છે કે કામ વિકાર ને જીતવાથી તમે જગતજીત બનશો. આ લક્ષ્મી-નારાયણે પણ જીત પામી છે ને. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. તમને સ્વર્ગની બાદશાહી આપવા આવ્યો છું. હવે પવિત્ર બનો અને બાપ ને યાદ કરો. સ્ત્રી કહે હું પાવન બનીશ, પતિ કહે હું નહીં બનીશ. એક હંસ એક બગલો થઈ જાય. બાપ આવીને જ્ઞાન રત્ન વીણવા વાળા હંસ બનાવે છે. પરંતુ એક બને, બીજા નથી બનતા તો ઝઘડો થાય છે. શરુઆત માં તો ખુબ તાકાત હતી. હમણાં એટલી હિમ્મત કોઈનામાં નથી. ભલે કહે છે અમે વારીસ છીએ, પરંતુ વારીસ બનવાની વાત બીજી છે. શરું માં તો કમાલ હતી. મોટાં-મોટાં ઘરો વાળા ફટ થી છોડી આવ્યાં વારસો પામવાં. તો તે લાયક બની ગયાં. પહેલાં-પહેલાં આવવા વાળાઓએ તો કમાલ કરી. હમણાં એવાં કોઈ વિરલા નીકળશે. લોક-લાજ ખુબ છે. પહેલાં જે આવ્યાં તેમણે ખુબ હિમ્મત દેખાડી. હમણાં કોઈ એટલું સાહસ રાખે-ખુબ મુશ્કેલ છે. હાં, ગરીબ રાખી શકે છે. માળાનાં દાણા બનવું છે તો પુરુષાર્થ કરવો પડે. માળા તો ખુબ મોટી છે. ૮ ની પણ છે, ૧૦૮ ની પણ છે, પછી ૧૬૧૦૮ ની પણ છે. બાપ સ્વયં કહે છે ખુબ-ખુબ મહેનત કરો. સ્વયંને આત્મા સમજો. સાચું કહેતાં નથી. સારા-સારા જે પોતાને સમજે છે, તેમનાથી પણ વિકર્મ થઈ જાય છે. ભલે જ્ઞાની તૂ આત્મા છે. સમજાવાનું સારું છે, પરંતુ યોગ છે નહીં, દિલ પર નથી ચઢતાં. યાદમાં જ નથી રહેતાં તો દિલ પર પણ નથી ચઢતાં. યાદ થી જ યાદ મળશે ને. શરું માં ફટ થી વારી ગયાં. હવે વારી જવું માસીનું ઘર નથી. મૂળ વાત છે યાદ, ત્યારે જ ખુશી નો પારો ચઢશે. જેટલી કળાઓ ઓછી થતી ગઈ એટલું દુઃખ વધતું ગયું છે. હવે ફરી જેટલી કળાઓ વધશે એટલો ખુશી નો પારો ચઢશે. અંતમાં તમને બધો સાક્ષાત્કાર થશે. વધારે યાદ કરવા વાળાને શું પદ મળે છે. ખુબ અંત માં સાક્ષાત્કાર થશે. જ્યારે વિનાશ થશે ત્યારે તમે સ્વર્ગ નાં સાક્ષાત્કાર નો હલવો ખાશો. બાબા વારંવાર સમજાવે છે-યાદને વધારો. કોઈને થોડું સમજાવ્યું-આમાં બાબા ખુશ નથી થતાં. એક પંડિત ની પણ કથા છે ને. બોલ્યો રામ-રામ કહેવાથી સાગર પાર થઈ જશો. આ દેખાડે છે-નિશ્ચય માં જ વિજય છે. બાપ માં સંશય આવવાથી વિનશન્તી થઈ જાય છે. બાપની યાદ થી જ પાપ કપાય છે, રાત-દિવસ કોશિશ કરવી જોઈએ. પછી કર્મેન્દ્રિયો ની ચંચળતા બંધ થઈ જશે. આમાં ખુબ મહેનત છે. ઘણાં છે જેમની યાદ નો ચાર્ટ છે નહીં. એટલે ફાઉન્ડેશન નથી. જેટલું થઈ શકે, કેવી રીતે પણ યાદ કરવાનું છે ત્યારે જ સતોપ્રધાન, ૧૬ કળા બનશો. પવિત્રતા ની સાથે યાદ ની યાત્રા પણ જોઈએ. પવિત્ર રહેવાથી જ યાદ માં રહી શકશો. આ પોઇન્ટ સારી રીતે ધારણ કરો. બાપ કેટલાં નિરંહકારી છે. આગળ ચાલી તમારા ચરણો માં બધાં ઝુકશે. કહેશે બરાબર આ માતાઓ સ્વર્ગનાં દ્વાર ખોલે છે. યાદ નું બળ હમણાં ઓછું છે. કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવામાં જ મહેનત છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પતિત છી-છી દુઃખદાયી દુનિયા થી દિલ નથી લગાડવાનું. એક બાપ નો હાથ પકડી આનાથી પાર જવાનું છે.

2. માળાનો દાણો બનવા માટે ખુબ સાહસ રાખી પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન રત્ન વીણવા વાળા હંસ બનવાનું છે. કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
બાપ અને સેવા ની સ્મૃતિ થી એકરસ સ્થિતિનો અનુભવ કરવાવાળા સર્વ આકર્ષણ મુક્ત ભવ

જેમ સર્વન્ટ (સેવક) ને સદા સેવા અને માસ્ટર યાદ રહે છે. એમ વર્લ્ડ સર્વન્ટ (વિશ્વ સેવાધારી), સાચાં સેવાધારી બાળકો ને પણ બાપ અને સેવા નાં સિવાય કાંઈ પણ યાદ નથી રહેતું, આનાથી જ એકરસ સ્થિતિ માં રહેવાનો અનુભવ થાય છે. તેમને એક બાપ નાં રસ સિવાય બધાં રસ નીરસ લાગે છે. એક બાપ નાં રસ નો અનુભવ થવાનાં કારણે ક્યાંય પણ આકર્ષણ નથી જઈ શકતું, આ એકરસ સ્થિતિ નો તીવ્ર પુરુષાર્થ જ સર્વ આકર્ષણો થી મુક્ત બનાવી દે છે. આ જ શ્રેષ્ઠ મંઝિલ છે.

સ્લોગન :-
નાજુક પરિસ્થિતિઓનાં પેપર માં પાસ થવું છે તો પોતાની નેચર (સ્વભાવ) ને શક્તિશાળી બનાવો.