20-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાની
સેફટી ( સુરક્ષા ) માટે વિકારો રુપી માયા નાં ચંબા થી સદા બચીને રહેવાનું છે , દેહ
- અભિમાન માં ક્યારેય નથી આવવાનું ”
પ્રશ્ન :-
પુણ્ય આત્મા
બનવા માટે બાપ બધાં બાળકોને કઈ મુખ્ય શિક્ષા આપે છે?
ઉત્તર :-
બાબા કહે - બાળકો, પુણ્યાત્મા બનવું છે તો ૧. શ્રીમત પર સદા ચાલતા રહો. યાદ ની
યાત્રા માં ગફલત નહીં કરો. ૨. આત્મ-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરી કામ
મહાશત્રુ પર જીત પ્રાપ્ત કરો. આ જ સમય છે - પુણ્યાત્મા બની આ દુઃખધામ થી પાર સુખધામ
માં જવાનો.
ઓમ શાંતિ!
બાપ જ રોજ
બાળકો ને પૂછે છે. શિવબાબા નાં માટે એવું નહીં કહેશે કે બચડેવાળા છે. આત્માઓ તો
અનાદિ છે જ. બાપ પણ છે. આ સમયે જ્યારે કે બાપ અને દાદા બંને છે ત્યારે જ બાળકોની
સંભાળ કરવાની હોય છે. કેટલાં બાળકો છે જેમની સંભાળ કરવાની હોય છે. એક-એક નો પોતામેલ
રાખવાનો હોય છે. જેમ લૌકિક બાપ ને પણ ફૂરના રહે છે ને. સમજે છે - મારો બાળક પણ આ
બ્રાહ્મણ કુળમાં આવી જાય તો સારું છે. મારાં બાળકો પણ પવિત્ર બની પવિત્ર દુનિયા માં
ચાલે. ક્યાંય આ જૂનાં માયાનાં નાળામાં વહી ન જાય. બેહદનાં બાપ ને બાળકો ની ફૂરના રહે
છે. કેટલાં સેવાકેન્દ્ર છે, કયા બાળક ને ક્યાં મોકલવાનાં છે જે સેફટી (સુરક્ષિત)
માં રહે. આજ કાલ સેફટી પણ મુશ્કેલ છે. દુનિયામાં કોઈ પણ સેફટી નથી. સ્વર્ગ માં તો
દરેક ની સેફટી છે. અહીંયા કોઈ ની સેફટી નથી. ક્યાંય ને ક્યાંય વિકારો રુપી માયાનાં
ચંબા માં ફસાઇ જાય છે. હમણાં આપ આત્માઓને અહીંયા ભણતર મળી રહ્યું છે. સત નો સંગ પણ
અહીંયા છે. અહીંયા જ દુઃખધામ થી પાર સુખધામ માં જવાનું છે કારણ કે હવે બાળકોને ખબર
પડી છે દુઃખધામ શું છે, સુખધામ શું છે. બરાબર હમણાં દુઃખધામ છે. આપણે પાપ બહુજ કર્યા
છે અને ત્યાં પુણ્ય આત્માઓ જ રહે છે. આપણે હવે પુણ્ય આત્મા બનવાનું છે. હમણાં તમે
દરેક પોતાનાં ૮૪ જન્મોની હિસ્ટ્રી-જોગ્રોફી જાણી ગયાં છો. દુનિયામાં કોઈ પણ ૮૪ જન્મો
ની હિસ્ટ્રી-જોગ્રોફી નથી જાણતાં. હમણાં બાપે આવીને આખી જીવનકહાની સમજાવી છે. હમણાં
તમે જાણો છો આપણે પૂરું પુણ્યઆત્મા બનવાનું છે - યાદની યાત્રાથી. આમાં બહુ ધોકો ખાય
છે ગફલત કરવાથી. બાપ કહે છે આ સમયે ગફલત સારી નથી. શ્રીમત પર ચાલવાનું છે. એમાં પણ
મુખ્ય વાત કહે છે એક તો યાદ ની યાત્રા માં રહો, બીજું કામ મહાશત્રુ પર જીત પામવાની
છે. બાપ ને બધાં પોકારે છે કારણ કે એમનાથી શાંતિ અને સુખનો વારસો મળે છે આત્માઓને.
પહેલાં દેહ-અભિમાની હતાં તો કંઈ ખબર નહોતી પડતી. હમણાં બાળકોને આત્મ-અભિમાની બનાવાય
છે. નવાં ને પહેલાં-પહેલાં એક હદ નાં, બીજા બેહદ નાં બાપ નો પરિચય આપવાનો છે. બેહદ
નાં બાપ થી સ્વર્ગ (બહિશ્ત) નસીબ થાય છે. હદનાં બાપ થી દોજક (નર્ક) નસીબ થાય છે.
બાળક જ્યારે બાલિગ (ઉંમરલાયક) બને છે તો પ્રોપર્ટી નો હકદાર બને છે. જ્યારે સમજ આવે
છે પછી ધીરે-ધીરે માયા નાં અધીન બની જાય છે. તે બધી છે રાવણ રાજ્ય (વિકારી દુનિયા)
ની રીત-રિવાજ. હમણાં આપ બાળકો જાણો છો આ દુનિયા બદલાઇ રહી છે. આ જૂની દુનિયાનો
વિનાશ થઈ રહ્યો છે. એક ગીતામાં જ વિનાશ નું વર્ણન છે બીજા કોઈ શાસ્ત્રમાં મહાભારત
મહાભારી લડાઈ નું વર્ણન નથી. ગીતાનો છે જ આ પુરૂષોત્તમ સંગમયુગ. ગીતાનો યુગ એટલે આદિ
સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના. ગીતા છે જ દેવી-દેવતા ધર્મનું શાસ્ત્ર. તો આ ગીતા
નો યુગ છે, જ્યારે કે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. મનુષ્યો ને પણ બદલવાનું છે.
મનુષ્ય થી દેવતા બનવાનું છે. નવી દુનિયામાં જરુર દૈવીગુણો વાળા મનુષ્ય જોઈએ ને. આ
વાતોને દુનિયા નથી જાણતી. એમણે કલ્પની આયુ નો સમય લાંબો આપી દીધો છે. હમણાં આપ
બાળકોને બાપ સમજાવી રહ્યાં છે - તમે સમજો છો બરાબર બાબા અમને ભણાવે છે. કૃષ્ણ ને
ક્યારેય બાપ, શિક્ષક અથવા ગુરુ નથી કહી શકાય. કૃષ્ણ શિક્ષક હોય તો શીખ્યા ક્યાંથી?
તેમને જ્ઞાન સાગર નથી કહેવાતું.
હમણાં આપ બાળકોએ મોટા-મોટા ને સમજાવવાનું છે, પરસ્પર મળીને સલાહ કરવાની છે કે
સર્વિસ (સેવા) ની વૃદ્ધિ કેવી રીતે થાય. વિહંગ માર્ગ ની સર્વિસ કેવી રીતે થાય.
બ્રહ્માકુમારીઓ માટે જે આટલો હંગામો કરે છે પછી સમજશે આ તો સાચાં છે. બાકી દુનિયા
તો છે જ જુઠ્ઠી, એટલે સત્ય ની નાવ ને હલાવતા રહેશે. તોફાન તો આવે છે ને. તમે નાવ છો
જે પાર જાઓ છો. તમે જાણો છો આપણે માયાવી દુનિયા થી પાર જવાનું છે. સૌથી પહેલાં નંબર
માં તોફાન આવે છે દેહ-અભિમાન નું. તે છે સૌથી ખરાબ. આણે જ બધાને પતિત બનાવ્યાં છે.
ત્યારે તો બાપ કહે તે કામ મહાશત્રુ છે. આ જેમ ખુબ ઝડપી તોફાન છે. કોઈ તો આનાં પર
જીત પામેલાં પણ છે. ગૃહસ્થ વ્યવહારમાં ગયેલાં છે પછી કોશિશ કરે છે બચવાની.
કુમાર-કુમારીઓનાં માટે તો ખુબ સહજ છે એટલે નામ પણ ગવાયેલું છે કનૈયા. આટલી કન્યાઓ
જરુર શિવબાબા ની હશે. દેહધારી કૃષ્ણની તો આટલી કન્યાઓ હોઈ ન શકે. હમણાં તમે આ ભણતર
થી પટરાણી બની રહ્યાં છો, આમાં પવિત્રતા પણ મુખ્ય જોઈએ. પોતે પોતાને જોવાનું છે કે
યાદ નો ચાર્ટ ઠીક છે? બાબા ની પાસે કોઈનો ૫ કલાક નો, કોઈનો ૨-૩ કલાકનો પણ ચાર્ટ આવે
છે. કોઈ તો લખતાં જ નથી. બહુ ઓછાં યાદ કરે છે. બધાં ની યાત્રા એકરસ હોઈ ન શકે. હજું
અનેક બાળકો વૃદ્ધિ ને પામશે. દરેકે પોતાનો ચાર્ટ જોવાનો છે - હું ક્યાં સુધી પદ પામી
શકીશ? ક્યાં સુધી ખુશી છે? આપણને સદૈવ ખુશી કેમ ન હોવી જોઈએ. જ્યારે કે ઊંચે થી ઊંચા
બાપનાં બન્યાં છીએ? ડ્રામા અનુસાર તમે ભક્તિ ખુબ કરી છે. ભક્તો ને ફળ આપવા માટે જ
બાપ આવ્યાં છે. રાવણ રાજ્ય માં તો વિકર્મ થાય જ છે. તમે પુરુષાર્થ કરો છો-સતોપ્રધાન
દુનિયા માં જવાનો. જે પૂરો પુરુષાર્થ નહીં કરશે તો સતો માં આવશે. બધાં થોડી આટલું
જ્ઞાન લેશે. સંદેશ જરુર સાંભળશે. પછી ક્યાંય પણ હશે એટલે ખૂણા-ખૂણામાં જવું જોઈએ.
વિલાયતમાં પણ મિશન (સંસ્થાએ) જવું જોઈએ. જેમ બૌદ્ધિઓનું, ક્રિશ્ચનનું અહીંયા મિશન
છે ને. બીજા ધર્મ વાળા ને પોતાના ધર્મ માં લાવવાનું મિશન હોય છે. તમે સમજાવો છો કે
આપણે અસલ માં દેવી-દેવતા ધર્મનાં હતાં. હવે હિન્દુ ધર્મનાં બની ગયાં છીએ. તમારા પાસે
વધારે કરીને હિંદુ ધર્મવાળા જ આવશે. એમાં પણ જે શિવનાં, દેવતાઓનાં પૂજારી હશે તે
આવશે. જેમ બાબાએ કહ્યું-રાજાઓ ની સેવા કરો. તે ખાસ કરીને દેવતાઓનાં પૂજારી હોય છે.
તેમનાં ઘર માં મંદિર હોય છે. તેમનું પણ કલ્યાણ કરવાનું છે. તમે પણ સમજો અમે બાપની
સાથે દૂરદેશ થી આવ્યાં છીએ. બાપ આવ્યાં જ છે નવી દુનિયા સ્થાપન કરવાં. તમે પણ કરી
રહ્યાં છો. જે સ્થાપના કરશે તે પાલના પણ કરશે. અંદર માં નશો રહેવો જોઈએ-અમે શિવબાબા
ની સાથે આવ્યાં છીએ દૈવી રાજ્ય સ્થાપન કરવાં, આખાં વિશ્વને સ્વર્ગ બનાવવાં. આશ્ચર્ય
લાગે છે આ દેશમાં શું-શું કરતા રહે છે. પૂજા કેવી રીતે કરે છે. નવરાત્રિમાં દેવીઓની
પૂજા થાય છે ને. રાત છે તો દિવસ પણ છે. તમારું એક ગીત પણ છે ને- શું કૌતુક જોયું…….
માટી નાં પુતળા બનાવી, શ્રુંગાર કરી એમની પૂજા કરે છે. એમનાથી પછી દિલ એટલું લાગી
જાય છે જે જ્યારે ડૂબાડવાં જાય છે તો રડી પડે છે. મનુષ્ય જયારે મરે છે તો અર્થી ને
પણ લઈ જાય છે. હરી બોલ, હરી બોલ કરી ડુબાડી દે છે. જાય તો ઘણાં છે ને. નદી તો સદૈવ
છે. તમે જાણો છો આ જમુના નો કાંઠો હતો, જ્યાં રાસ વિલાસ વગેરે કરતા હતાં. ત્યાં તો
મોટા-મોટા મહેલ હોય છે. તમારે જ જઈને બનાવવાનાં છે. જ્યારે કોઈ મોટી પરીક્ષા પાસ કરે
છે તો એમની બુદ્ધિમાં ચાલે છે-પાસ થઈને પછી આ કરીશું, મકાન બનાવીશું. આપ બાળકોએ પણ
ખ્યાલ રાખવાનો છે-આપણે દેવતા બનીએ છીએ. હવે આપણે પોતાનાં ઘરે જઈશું. ઘર ને યાદ કરી
ખુશ થવું જોઈએ. મનુષ્ય મુસાફરી કરી ઘરે પાછાં આવે છે તો ખુશી થાય છે. અમે હવે ઘરે
જઈએ છીએ. જ્યાં જન્મ થયો હતો. આપણું આત્માઓનું પણ ઘર છે મૂળવતન. કેટલી ખુશી થાય છે.
મનુષ્ય આટલી ભક્તિ કરે જ છે મુક્તિનાં માટે. પરંતુ ડ્રામા પાર્ટ એવો છે જે પાછું જવાં
કોઈ ને મળતું નથી. તમે જાણો છો તેમણે અડધોકલ્પ પાર્ટ જરુર ભજવવાનો છે. આપણા હવે ૮૪
જન્મ પૂરા થાય છે. હવે પાછાં જવાનું છે અને પછી રાજધાની માં આવીશું. બસ ઘર અને
રાજધાની યાદ છે. અહીંયા બેઠાં પણ કોઈ-કોઈને પોતાનાં કારખાના વગેરે યાદ રહે છે. જેમ
જુઓ બિરલા છે, કેટલાં એમનાં કારખાના વગેરે છે. આખો દિવસ તેમને વિચાર રહેતાં હશે.
એમને કહો બાબા ને યાદ કરો તો કેટલી તેમને અટક પડશે. ઘડી-ઘડી ધંધો યાદ આવતો રહેશે.
સૌથી સહજ છે માતાઓને, એનાથી પણ કન્યાઓને. જીવતે જીવ મરવાનું છે, આખી દુનિયા ને ભૂલી
જવાનું છે. તમે પોતાને આત્મા સમજી શિવબાબા નાં બનો છો, આને જીવતે જીવ મરવું કહેવાય
છે. દેહ સહિત દેહનાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજી શિવબાબા નાં બની જવાનું છે.
શિવબાબા ને જ યાદ કરતા રહેવાનું છે કારણ કે પાપો નો બોજો માથા પર ખુબજ છે. દિલ તો
બધાનું થાય છે, અમે જીવતે જીવ મરીને શિવબાબાનાં બની જઈએ. શરીર નું ભાન ન રહે. આપણે
અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી બનીને જવાનું છે. બાપ નાં બન્યાં છે તો બાપનાં સિવાય
બીજું કોઈ યાદ ન રહે. એવું જલ્દી થઈ જાય તો પછી લડાઈ પણ જલ્દી લાગે. બાબા કેટલું
સમજાવે છે આપણે તો શિવબાબા નાં છીએ ને. આપણે ત્યાનાં રહેવાવાળા છીએ. અહીંયા તો કેટલું
દુઃખ છે. હવે આ અંતિમ જન્મ છે. બાપે બતાવ્યું છે તમે સતોપ્રધાન હતાં તો બીજું કોઈ
નહોતું. તમે કેટલાં સાહૂકાર હતાં. ભલે આ સમયે પૈસા કોડી છે પરંતુ આ તો કાંઈ છે નહીં.
કોડીઓ છે. આ બધું અલ્પકાળ સુખ માટે છે. બાપે સમજાવ્યું છે - પાસ્ટ (ભૂતકાળ) માં
દાન-પુણ્ય કર્યા છે તો પૈસા પણ ખુબ મળે છે. ફરી દાન કરે છે. પરંતુ આ છે એક જન્મ ની
વાત. અહીંયા તો જન્મ-જન્માંતર નાં માટે સાહૂકાર બને છે. જેટલું મોટું કહેવું, એટલું
મોટું દુઃખ પામવું. જેમને ખુબ ધન છે તે પછી ખુબ ફસાયેલાં છે. ક્યારેય રહી ન શકે.
કોઈ સાધારણ ગરીબ જ સરેન્ડર (સમર્પિત) થશે. સાહૂકાર ક્યારે નહીં થશે. તે કમાય છે જ
પુત્ર-પૌત્ર નાં માટે કે અમારો કુળ ચાલતો રહે. પોતે તે ઘરમાં આવવા વાળા નથી. પુત્ર
પૌત્ર આવ્યાં, જેમણે સારા કર્મ કર્યા છે. જેમ ખુબ દાન જે કરે છે તો તે રાજા બને છે.
પરંતુ એવરહેલ્દી (સદાસ્વસ્થ) તો નથી. રાજાઈ કરી તો શું થયું, અવિનાશી સુખ નથી.
અહીંયા કદમ-કદમ પર અનેક પ્રકાર નાં દુઃખ હોય છે. ત્યાં આ બધાં દુઃખ દૂર થઈ જાય છે.
બાપને પોકારો છો કે અમારા દુઃખ દૂર કરો. તમે સમજો છો દુઃખ દૂર બધાં થવાનાં છે. ફક્ત
બાપ ને યાદ કરતાં રહો. સિવાય એક બાપનાં બીજા કોઈ થી વારસો મળી નથી શકતો. બાપ આખાં
વિશ્વનું દુઃખ દૂર કરે છે. આ સમયે તો જનાવર વગેરે પણ કેટલાં દુઃખી છે. આ છે જ
દુઃખધામ. દુઃખ વધતું જાય છે, તમોપ્રધાન બનતાં જાય છે. હમણાં આપણે સંગમયુગ પર બેઠાં
છીએ. તે બધાં કળયુગ માં છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. બાબા આપણને પુરુષોત્તમ બનાવી
રહ્યાં છે. આ યાદ રહે તો પણ ખુશી રહે. ભગવાન ભણાવે છે, વિશ્વનાં માલિક બનાવે છે. આ
ભલું યાદ કરો. એમનાં બાળકો ભગવાન-ભગવતી હોવાં જોઈએ ને ભણતર થી. ભગવાન તો સુખ આપવા
વાળા છે પછી દુઃખ કેવી રીતે મળે છે? તે પણ બાપ બેસી સમજાવે છે. ભગવાન નાં બાળકો પછી
દુઃખ માં કેમ છે, ભગવાન દુઃખહર્તા સુખકર્તા છે તો જરુર દુઃખ માં આવે છે ત્યારે તો
ગાએ છે. તમે જાણો છો બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. આપણે પુરુષાર્થ કરી રહ્યાં
છે. આમાં સંશય થોડી થઈ શકે છે. આપણે બી. કે. રાજયોગ શીખી રહ્યાં છીએ. જૂઠું થોડું
બોલીશું. કોઈને આ સંશય આવે તો સમજાવું જોઈએ, આ તો ભણતર છે. વિનાશ સામે ઉભો છે. આપણે
છીએ સંગમયુગી બ્રાહ્મણ ચોટી. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર બ્રાહ્મણ પણ હોવાં જોઈએ.
તમને પણ સમજાવ્યું છે ત્યારે તો નિશ્ચય કર્યો છે. બાકી મુખ્ય વાત છે યાદ ની યાત્રા,
આમાં જ વિઘ્ન પડે છે. પોતાનો ચાર્ટ જોતા રહો-ક્યાં સુધી બાબા ને યાદ કરીએ છીએ, ક્યાં
સુધી ખુશીનો પારો ચઢે છે? આ આંતરિક ખુશી રહેવી જોઈએ કે અમને બાગવાન-પતિત પાવન નો
હાથ મળ્યો છે, અમે શિવબાબા થી બ્રહ્મા દ્વારા હેન્ડ-શેક કરીએ છીએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં ઘર
અને રાજધાની ને યાદ કરી અપાર ખુશીમાં રહેવાનું છે. સદા યાદ રહે-હવે આપણી મુસાફરી
પૂરી થઈ, આપણે જઈએ છીએ પોતાનાં ઘરે, પછી રાજધાની માં આવીશું.
2. અમે શિવબાબા થી બ્રહ્મા દ્વારા હેન્ડ શેક કરીએ છીએ, એ બાગવાન આપણને પતિત થી પાવન
બનાવી રહ્યાં છે. અમે આ ભણતર થી સ્વર્ગ ની પટરાણી બનીએ છીએ- આ જ આંતરિક ખુશીમાં
રહેવાનું છે.
વરદાન :-
અવ્યભિચારી અને
નિર્વિઘ્ન સ્થિતિ દ્વારા પહેલા જન્મ ની પ્રાલબ્ધ પ્રાપ્ત કરવાવાળા સમીપ અને સમાન ભવ
જે બાળકો અહીંયા બાપનાં
ગુણ અને સંસ્કારોનાં સમીપ છે, સર્વ સંબંધો થી બાપનાં સાથ નો કે સમાનતા નો અનુભવ કરે
છે એ જ ત્યાં રોયલ કુળ માં ફર્સ્ટ જન્મનાં સંબંધ માં સમીપ આવે છે. ૨- પહેલા એજ આવશે
જે આદિ થી આજ સુધી અવ્યભિચારી અને નિર્વિઘ્ન રહ્યાં છે. નિર્વિઘ્ન નો અર્થ એ નથી કે
વિઘ્ન આવે જ નહીં પરંતુ વિઘ્ન વિનાશક અથવા વિઘ્નો નાં ઉપર સદા વિજયી રહે. આ બંને
વાતો જો આદિ થી અંત સુધી ઠીક છે તો ફર્સ્ટ જન્મ માં સાથી બનશે.
સ્લોગન :-
સાઇલેન્સ (શાંતિ)
ની પાવર (શક્તિ) થી નેગેટિવ (નકારાત્મક) ને પોઝિટિવ (સકારાત્મક) માં પરિવર્તન કરો.