21-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્ઞાન
ને બુદ્ધિ માં ધારણ કરી આપસ માં મળીને ક્લાસ ચલાવો , પોતાનું અને બીજાઓનું કલ્યાણ
કરી સાચી કમાણી કરતાં રહો ”
પ્રશ્ન :-
આપ બાળકોમાં
કયો અહંકાર ક્યારેય ન આવવો જોઈએ?
ઉત્તર :-
ઘણાં બાળકો માં અહંકાર આવે છે કે આ નાની-નાની બાળકીઓ અમને શું સમજાવશે. મોટી બહેન
ચાલી ગઈ તો રિસાઈ ને ક્લાસમાં આવવાનું બંધ કરી દેશે. આ છે માયા નાં વિઘ્ન. બાબા કહે
- બાળકો, તમે સંભળાવવા વાળી શિક્ષક નાં નામ-રુપ ને નહીં જુઓ, બાપની યાદ માં રહી
મુરલી સાંભળો. અહંકાર માં નહીં આવો.
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે. હવે બાપ જ્યારે કહેવાય છે તો આટલાં બાળકોનાં એક શરીરધારી બાપ તો હોઈ
ન શકે. આ છે રુહાની બાપ. એમનાં અસંખ્ય બાળકો છે, બાળકોનાં માટે આ ટેપ મુરલી વગેરે
સામગ્રી છે. બાળકો જાણે છે હમણાં આપણે સંગમયુગ પર બેઠા છીએ પુરુષોત્તમ બનવા માટે. આ
પણ ખુશીની વાત છે. બાપ જ પુરુષોત્તમ બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ પુરુષોત્તમ છે ને.
આ સૃષ્ટિમાં જ ઉત્તમ પુરુષ, મધ્યમ અને કનિષ્ઠ હોય છે. આદિમાં છે ઉત્તમ, વચમાં છે
મધ્યમ, અંતમાં છે કનિષ્ટ. દરેક વસ્તુ પહેલાં નવી ઉત્તમ પછી મધ્યમ પછી કનિષ્ટ અર્થાત્
જૂની બને છે. દુનિયાનું પણ એવું છે. તો જે-જે વાતો પર મનુષ્યો ને સંશય આવે છે, તેનાં
પર તમારે સમજાવવાનું છે. ખાસ કરીને બ્રહ્માનાં માટે જ કહે છે કે આમને કેમ બેસાડ્યાં
છે? તો તેમને ઝાડ નાં ચિત્ર પર લઈ આવવાં જોઈએ. જુઓ નીચે પણ તપસ્યા કરી રહ્યાં છે અને
ઉપરમાં એકદમ અંતમાં અનેક જન્મોનાં અંત નાં જન્મ માં ઉભાં છે. બાપ કહે છે હું આમનામાં
પ્રવેશ કરું છું. આ વાતો સમજાવવા વાળા ખુબ અક્કલમંદ જોઈએ. એક પણ બે અક્કલ નીકળે છે,
તો બધાં બી.કે. નું નામ બદનામ થઈ જાય છે. પૂરું સમજાવતા આવડતું નથી. ભલે કમ્પલેટ (પૂરા)
પાસ તો અંતમાં જ થાય છે. આ સમયે ૧૬ કળા સંપૂર્ણ કોઈ બની ન શકે પરંતુ સમજાવવામાં
નંબરવાર જરુર હોય છે. પરમપિતા પરમાત્મા થી પ્રીત નથી તો વિપરીત બુદ્ધિ થયાં ને. આનાં
પર તમે સમજાવી શકો છો જે પ્રીત બુદ્ધિ છે તે વિજ્યન્તી અને જે વિપરીત બુદ્ધિ છે તે
વિનશન્તી થઈ જાય છે. આનાં પર પણ ઘણાં મનુષ્ય બગડે છે, પછી કોઈને કોઈ આરોપ લગાવી દે
છે. ઝઘડા-કંકાશ કરવામાં વાર નથી કરતાં. કોઈ કરી જ શું શકે છે. ક્યારેક ચિત્રોને આગ
લગાડવામાં પણ વાર નહીં કરશે. બાબા સલાહ પણ આપે છે - ચિત્રોને ઇન્શ્યોર કરાવી દો.
બાળકોની અવસ્થાને પણ બાપ જાણે છે, ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) પર પણ બાબા રોજ સમજાવતાં
રહે છે. લખે છે-બાબા, તમે જે ક્રિમિનલ આંખ પર સમજાવ્યું છે આ બિલકુલ ઠીક કહ્યું છે.
આ દુનિયા તમોપ્રધાન છે ને. દિવસ-પ્રતિદિવસ તમોપ્રધાન બનતાં જાય છે. તેઓ તો સમજાવે
છે કળયુગ હજું રેગડી પહેરી રહ્યું છે (ઘૂંટણે ચાલી રહ્યું છે) અજ્ઞાન નિંદ્રામાં
બિલકુલ સૂતેલાં ક્યારેક-ક્યારેક કહે પણ છે આ મહાભારત લડાઈ નો સમય છે તો જરુર ભગવાન
કોઈ રુપમાં હશે. રુપ તો બતાવતાં નથી. એમને જરુર કોઈ માં પ્રવેશ થવાનું છે. ભાગ્યશાળી
રથ ગવાય છે. રથયાત્રા તો આત્માનો પોતાનો હશે ને. તેમાં આવીને પ્રવેશ કરશે. તેમને
કહેવાય છે ભાગ્યશાળી રથ. બાકી એ જન્મ નથી લેતાં. એમની જ બાજુમાં બેસી જ્ઞાન આપે છે.
કેટલું સારી રીતે સમજાવાય છે. ત્રિમૂર્તિ ચિત્ર પણ છે. ત્રિમૂર્તિ તો
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને કહેશે. જરુર આ કંઈક કરીને ગયાં છે. જે પછી રસ્તા પર, મકાન
પર પણ ત્રિમૂર્તિ નામ રાખ્યું છે. જેમ આ રોડ ને સુભાષ માર્ગ નામ આપ્યું છે. સુભાષ
ની હિસ્ટ્રી તો બધાં જાણે છે. તેમની પછી બેસી હિસ્ટ્રી લખે છે. પછી તેમને બનાવીને
મોટાં કરી દે છે. કેટલી પણ મોટી બડાઇ બેસી લખે. જેમ ગુરુનાનક નું પુસ્તક કેટલું મોટું
બનાવ્યું છે. એટલું તેમણે તો લખ્યું નથી. જ્ઞાન નાં બદલે ભક્તિની વાતો બેસી લખી છે.
આ ચિત્ર વગેરે તો બનાવાય છે સમજાવવા માટે. આ તો જાણો છો આ આંખો થી જે કાંઈ દેખાય છે
આ બધું ભસ્મ થઈ જવાનું છે. બાકી આત્મા તો અહીંયા રહી ન શકે. જરુર ઘરે ચાલી જશે.
આવી-આવી વાતો કોઈ બધાની બુદ્ધિમાં બેસે થોડી છે. જો ધારણા હોય છે તો ક્લાસ કેમ નથી
ચલાવતાં. ૭-૮ વર્ષમાં એવાં કોઈ તૈયાર નથી થતાં જે ક્લાસ ચલાવી શકે. ઘણી જગ્યાએ આમ
ચલાવે પણ છે. તો પણ સમજાવે છે માતાઓનું પદ ઉંચું છે. ચિત્ર તો ઘણાં છે પછી મુરલી
ધારણ કરી તેના પર થોડું સમજાવે છે. આ તો કોઈ પણ કરી શકે છે. ખુબ સહજ છે. પછી ખબર નહીં
કેમ બ્રાહ્મણી ની માગણી કરે છે. બ્રાહ્મણી ક્યાંય ગઈ તો બસ રિસાઈ ને બેસી જાય છે.
ક્લાસમાં નથી આવતાં, આપસમાં ખીટપીટ થઈ જાય છે. મુરલી તો કોઈ પણ બેસી સંભળાવી શકે છે
ને. કહેશે ફુરસત નથી. આ તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે તો બીજાઓનું પણ કલ્યાણ
કરવાનું છે. ખુબ ભારે કમાણી છે. સાચી કમાણી કરાવવાની છે જે મનુષ્યો નું હીરા જેવું
જીવન બની જાય. સ્વર્ગમાં બધાં જશે ને. ત્યાં સદૈવ સુખી રહે છે. એવું નહીં, પ્રજાની
આયુ ઓછી હોય છે. નહીં, પ્રજાની પણ આયુ મોટી હોય છે. તે છે જ અમરલોક. બાકી પદ
ઓછું-વધારે હોય છે. તો કોઈ પણ ટોપીક (વિષય) પર ક્લાસ કરાવવો જોઈએ. એવું કેમ કહો છો
સારી બ્રાહ્મણી જોઈએ. આપસમાં ક્લાસ ચલાવી શકો છો. રડીઓ ન મારવી જોઈએ. કોઈ-કોઈ ને
અહંકાર આવી જાય છે - આ નાની-નાની બાળકીઓ શું સમજાવશે? માયાનાં વિઘ્ન પણ ખુબ આવે છે.
બુદ્ધિમાં નથી બેસતું.
બાબા તો રોજ સમજાવતાં રહે છે, શિવબાબા તો ટોપિક પર નહીં સમજાવશે ને. એ તો સાગર છે.
ઉછાળો મારતાં રહેશે. ક્યારેક બાળકોને સમજાવે, ક્યારેક બહાર વાળાઓ માટે સમજાવે. મુરલી
તો બધાને મળે છે. અક્ષર નથી જાણતા તો શીખવું જોઈએ ને-પોતાની ઉન્નતિ માટે પુરુષાર્થ
કરવો જોઈએ. પોતાનું પણ અને બીજાઓનું પણ કલ્યાણ કરવાનું છે. આ બાપ (બ્રહ્મા બાબા) પણ
સંભળાવી શકે છે ને, પરંતુ બાળકોનો બુદ્ધિયોગ શિવબાબા તરફ રહે એટલે કહે છે હંમેશા
સમજો શિવબાબા સંભળાવે છે. શિવબાબા ને જ યાદ કરો. શિવબાબા પરમધામ થી આવ્યાં છે, મુરલી
સંભળાવી રહ્યાં છે. આ બ્રહ્મા તો પરમધામ થી નથી આવીને સંભળાવતાં. સમજો શિવબાબા આ તન
માં આવીને અમને મુરલી સંભળાવી રહ્યાં છે. આ બુદ્ધિ માં યાદ હોવું જોઈએ. યથાર્થ રીતે
આ બુદ્ધિ માં રહે તો પણ યાદ ની યાત્રા રહેશે ને. પરંતુ અહીંયા બેઠાં પણ અનેકો નો
બુદ્ધિયોગ અહીંયા-ત્યાં ચાલ્યો જાય છે. અહીંયા તમે યાત્રા પર સારી રીતે રહી શકો છો.
નહીં તો ગામ યાદ આવશે. ઘરબાર યાદ આવશે. બુદ્ધિ માં આ યાદ રહે છે-શિવબાબા અમને આમનામાં
બેસી ભણાવે છે. અમે શિવબાબા ની યાદમાં મુરલી સાંભળી રહ્યાં હતાં પછી બુદ્ધિયોગ
ક્યાંક ભાગી ગયો. આવો અનેકો નો બુદ્ધિયોગ ચાલ્યો જાય છે. અહીંયા તમે યાત્રા પર સારી
રીતે રહી શકો છો. સમજો છો શિવબાબા પરમધામ થી આવ્યાં છે. બહાર ગામડા વગેરેમાં રહેવાથી
આ વિચાર નથી રહેતો. કોઈ-કોઈ સમજે છે શિવબાબા ની મુરલી આ કાનો થી સાંભળી રહ્યાં છીએ
પછી સાંભળવા વાળા નું નામ-રુપ યાદ ન રહે. આ જ્ઞાન બધું અંદર નું છે. અંદર માં વિચાર
રહે શિવબાબા ની મુરલી અમે સાંભળીએ છીએ. એવું નહીં, ફલાણી બહેન સંભળાવી રહી છે.
શિવબાબા ની મુરલી સાંભળી રહ્યાં છીએ. આ પણ યાદ માં રહેવાની યુક્તિયો છે. એવું નહીં
કે જેટલો સમય અમે મુરલી સાંભળીએ છીએ, યાદમાં છીએ. ના, બાબા કહે છે-અનેકો ની બુદ્ધિ
ક્યાંક-ક્યાંક બહાર ચાલી જાય છે. ખેતીવાડી વગેરે યાદ આવતું રહેશે. બુદ્ધિ યોગ
ક્યાંય બહાર ભટકવો ન જોઈએ. શિવબાબા ને યાદ કરવામાં કોઈ તકલીફ થોડી છે. પરંતુ માયા
યાદ કરવા નથી દેતી. પૂરો સમય શિવબાબા ની યાદ રહી નથી શકતી, બીજા-બીજા વિચાર આવી જાય
છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર છે ને. જે ખુબ નજીક વાળા હશે તેમની બુદ્ધિ માં સારી
રીતે બેસશે. બધાં થોડી ૮ ની માળા માં આવી શકશે. જ્ઞાન, યોગ, દૈવીગુણ આ બધું પોતાનામાં
જોવાનું છે. અમારામાં કોઈ અવગુણ તો નથી? માયા નાં વશ કોઈ વિકર્મ તો નથી થતું?
કોઈ-કોઈ ખુબ લાલચી બની જાય છે. લાલચ નું પણ ભૂત હોય છે. તો માયાની પ્રવેશતા એવી થાય
છે જે ભૂખ-ભૂખ કરતા રહે છે - ખાઉં-ખાઉં પેટ મેં બલાઉં…..કોઈના માં ખાવાની ખુબ આસક્તિ
હોય છે. ખાવાનું પણ કાયદા અનુસાર હોવું જોઈએ. અસંખ્ય બાળકો છે. હવે ખુબ બાળકો બનવાનાં
છે. કેટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બનશે. બાળકોને પણ કહું છું-તમે બ્રાહ્મણ બની બેસો.
માતાઓને આગળ રખાય છે. શિવ શક્તિ ભારત માતાઓની જય.
બાપ કહે છે સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો.
સ્વદર્શન ચક્રધારી તમે બ્રાહ્મણ છો. આ વાતો નવાં કોઈ આવે તો સમજી ન શકે. તમે છો
સર્વોત્તમ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. નવાં કોઈ
સાંભળે તો કહેશે સ્વદર્શન ચક્ર તો વિષ્ણુ ને છે. આ, પછી આ બધાને કહેતાં રહે છે,
માનશે નહીં એટલે નવાં-નવાં ને સભામાં એલાઉ (પરવાનગી) નથી કરતાં. સમજી નહીં શકે.
કોઈ-કોઈ પછી બગડી જાય છે-શું અમે બેસમજ છીએ જે આવવા નથી દેવાતું કારણ કે બીજા-બીજા
સતસંગો માં તો એવી રીતે કોઈ પણ જતાં હોય છે. ત્યાં તો શાસ્ત્રો ની જ વાતો સંભળાવતાં
રહે છે. તે સાંભળવાનો દરેક નો હક છે. અહીંયા તો સંભાળ રાખવી પડે છે. આ ઈશ્વરીય
જ્ઞાન બુદ્ધિ માં નથી બેસતું તો બગડી જાય છે. ચિત્રોની પણ સંભાળ રાખવી પડે છે. આ
આસુરી દુનિયામાં પોતાનાં દૈવી રાજધાની સ્થાપન કરવાની છે. જેમ ક્રાઈસ્ટ આવ્યાં પોતાનો
ધર્મ સ્થાપન કરવાં. આ બાપ દૈવી રાજધાની સ્થાપન કરે છે. આમાં હિંસાની કોઈ વાત નથી.
તમે ન કામ કટારી ની અને ન સ્થૂળ હિંસા કરી શકો છો. ગવાય પણ છે મૂત પલીત કપડ ધોએ.
મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકાર માં છે. બાપ આવીને ઘોર અંધકાર થી ઘોર અજવાળું કરે છે.
તો પણ કોઈ-કોઈ બાબા કહીને પછી મોઢું ફેરવી દે છે. ભણતર છોડી દે છે. ભગવાન વિશ્વનાં
માલિક બનાવવા માટે ભણાવે છે. આવાં ભણતર ને છોડી દે તો તેમને કહેવાય છે મહામૂર્ખ.
કેટલો જબરજસ્ત ખજાનો મળે છે. એવાં બાપ ને થોડી ક્યારેય છોડવાં જોઈએ. એક ગીત પણ છે-આપ
પ્યાર કરો યા ઠુકરાઓ, હમ આપ કા દર કભી નહીં છોડેંગે. બાપા આવ્યાં જ છે-બેહદની
બાદશાહી આપવાં. છોડવા ની તો વાત જ નથી. હાં, લક્ષણ સારા ધારણ કરવાનાં છે. સ્ત્રીઓ
પણ રિપોર્ટ લખે છે - આ અમને ખુબ હેરાન કરે છે. આજ કાલ લોકો ખુબ-ખુબ ખરાબ છે. ખુબ
સંભાળ રાખવી જોઈએ. ભાઈઓએ બહેનો ની સંભાળ રાખવાની છે. આપણે આત્માઓએ કોઈપણ હાલત માં
બાપ થી વારસો જરુર લેવાનો છે. બાપને છોડવાથી વારસો ખલાસ થઈ જાય છે. નિશ્ચયબુદ્ધિ
વિજયન્તી, સંશયબુદ્ધિ વિનશન્તી. પછી પદ ખુબ ઓછું થઈ જાય છે. જ્ઞાન એક જ જ્ઞાન સાગર
બાપ આપી શકે છે. બાકી બધી છે ભક્તિ. ભલે કોઈ કેટલાં પણ પોતાને જ્ઞાની સમજે પરંતુ
બાપ કહે છે બધાની પાસે શાસ્ત્રો અને ભક્તિ નું જ્ઞાન છે. સાચું જ્ઞાન કોને કહેવાય
છે, આ પણ મનુષ્ય નથી જાણતાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ધ્યાન
રાખવાનું છે કે મુરલી સાંભળતા સમયે બુદ્ધિયોગ બાહર ભટકતો તો નથી? સદા સ્મૃતિ રહે કે
અમે શિવબાબા નાં મહાવાક્ય સાંભળી રહ્યાં છીએ. આ પણ યાદ ની યાત્રા છે.
2. સ્વયં સ્વયંને જોવાનું છે કે અમારા માં જ્ઞાન-યોગ અને દૈવીગુણ છે? લાલચ નું ભૂત
તો નથી? માયા નાં વશ કોઈ વિકર્મ તો નથી થતું?
વરદાન :-
દિવ્ય બુદ્ધિ
ની લિફ્ટ દ્વારા ત્રણેય લોકો ની સેર ( યાત્રા ) કરવા વાળા સહજયોગી ભવ
સંગમયુગ પર બધાં
બાળકોને દિવ્ય બુદ્ધિની લિફ્ટ મળે છે. આ વન્ડરફુલ લિફ્ટ દ્વારા ત્રણેય લોકોમાં જ્યાં
ઈચ્છો ત્યાં પહોંચી શકો છો. ફક્ત સ્મૃતિ ની સ્વીચ ઓન (બટન ચાલુ) કરો તો સેકન્ડમાં
પહોંચી જશો અને જેટલો સમય જે લોક નો અનુભવ કરવા ઈચ્છો તેટલો સમય ત્યાં સ્થિત રહી શકો
છો. આ લિફ્ટ ને યુઝ (ઉપયોગ) કરવા માટે અમૃતવેલા કેયરફુલ (સાવધાન) બની સ્મૃતિની
સ્વીચ ને યથાર્થ રીતે થી સેટ કરો. ઓથોરિટી થઈને આ લિફ્ટ ને કાર્યમાં લગાવો તો
સહજયોગી બની જશો. મહેનત સમાપ્ત થઈ જશે.
સ્લોગન :-
મન ને સદા મોજ
માં રાખવું-આ જ જીવન જીવવાની કળા છે.