14-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે તમારો જ્ઞાન રત્નો થી શ્રુંગાર કરી પાછાં ઘરે લઈ જવાં , પછી રાજાઈ માં
મોકલી દેશે તો અપાર ખુશી માં રહો , એક બાપ થી જ પ્રેમ કરો ”
પ્રશ્ન :-
પોતાની ધારણા
ને મજબૂત (પાક્કી) બનાવવાનો આધાર શું છે?
ઉત્તર :-
પોતાની ધારણાને મજબૂત બનાવવા માટે સદૈવ આ પાક્કું કરો કે આજ નાં દિવસ જે પસાર થયો
સારો થયો પછી કલ્પ બાદ થશે. જે કંઈ થયું કલ્પ પહેલાં પણ આવું થયું હતું, નથીંગ ન્યુ.
આ લડાઈ પણ ૫ હજાર વર્ષ પહેલાં થઇ હતી, પછી લાગશે જરુર. આ ભંભોર નો વિનાશ થવાનો જ
છે. આમ દરેક પળ ડ્રામા ની સ્મૃતિ માં રહો તો ધારણા મજબૂત થતી જશે.
ગીત :-
દૂરદેશ કા રહનેવાલા …
ઓમ શાંતિ!
બાળકો પહેલાં
પણ દૂરદેશ થી પારકા દેશ માં આવ્યાં છે. હવે આ પારકા દેશમાં દુઃખી છે એટલે પોકારે છે
પોતાનાં દેશ ઘરે લઈ ચાલો. તમારી પોકાર છે ને. લાંબા સમય થી યાદ કરતા આવ્યાં છો તો
બાપ પણ ખુશી થી આવે છે. જાણે છે હું જાઉં છું બાળકો ની પાસે. જે બાળકો કામ ચિતા પર
બેસી બળી ગયા છે તેમને પોતાના ઘરે પણ લઈ જાઉં અને પછી રાજાઈ માં મોકલી દઉં. તેનાં
માટે જ્ઞાન થી શ્રુંગાર પણ કરું. બાળકો પણ બાપ થી વધારે ખુશ થવા જોઈએ. બાપ જ્યારે
આવે છે તો એમનું બની જવું જોઈએ. એમને ખુબ પ્રેમ કરવો જોઈએ. બાબા રોજ સમજાવે છે,
આત્મા વાત કરે છે ને. બાબા ૫ હજાર વર્ષ પછી ડ્રામા અનુસાર તમે આવ્યાં છો, અમને ખુબ
ખુશીનો ખજાનો મળી રહ્યો છે. બાબા તમે અમારી ઝોલી ભરી રહ્યાં છો, અમને પોતાનાં ઘર
શાંતિધામ માં લઈ જાય છે પછી રાજધાનીમાં મોકલી દેશે. કેટલી અપાર ખુશી હોવી જોઈએ. બાપ
કહે છે મારે આ પારકી રાજધાનીમાં જ આવવાનું છે. બાપ નો ખુબ મીઠો અને વન્ડરફુલ (અદ્દભુત)
પાર્ટ છે. ખાસ જ્યારે આ પારકા દેશમાં આવ્યાં છે. આ વાતો તમે હમણાં જ સમજો છો પછી આ
જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. ત્યાં દરકાર જ નથી રહેતી. બાબા કહે છે તમે કેટલાં બે
સમજ બની ગયાં છો. ડ્રામાનાં એક્ટર હોવા છતાં પણ બાપને નથી જાણતાં! જે બાપ જ
કરનકરાવનહાર છે, શું કરે શું કરાવે-આ ભૂલી ગયા છો. આખી જૂની દુનિયાને હેવન બનાવવા
આવે છે અને જ્ઞાન આપે છે. એ જ્ઞાન નાં સાગર છે, તો જરુર જ્ઞાન આપવાનું કર્તવ્ય કરશે
ને. પછી તમારા થી કરાવે પણ છે કે બીજાઓને પણ મેસેજ (સંદેશ) આપો કે બાપ બધાનાં માટે
કહે છે કે હવે દેહ નું ભાન છોડી મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હું શ્રીમત આપું
છું. પાપ આત્માઓ તો બધી છે. આ સમયે આખું ઝાડ તમોપ્રધાન, જડજડિતભૂત અવસ્થા ને પામેલું
છે. જેમ વાસ નાં જંગલ ને આગ લાગી જાય છે તો એકદમ બધું જ બળીને ખતમ થઇ જાય છે. જંગલ
માં પાણી ક્યાંથી આવશે જે આગ ને બુઝાવાય. આ જે પણ જૂની દુનિયા છે એને આગ લાગી જશે.
બાપ કહે છે-નથિંગ ન્યુ. બાપ સારા-સારા પોઇન્ટસ (મુદ્દાઓ) આપતા રહે છે જે નોંધ કરવાં
જોઈએ. બાપે સમજાવ્યું છે બીજા ધર્મ સ્થાપક ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરવા આવે છે,
તેમને પેગંબર કે મેસેન્જર વગેરે કાંઈ પણ નથી કહી શકાતું. આ પણ ખુબ યુક્તિ થી લખવાનું
છે. શિવબાબા બાળકોને સમજાવી રહ્યાં છે- બાળકો તો બધાં છે ઓલ બ્રધર્સ (ભાઈ-ભાઈ). તો
દરેક ચિત્રમાં, દરેક લખાણ માં આ જરુર લખવાનું છે - શિવબાબા આવું સમજાવે છે. બાપ કહે
છે - બાળકો, હું આવીને સતયુગી આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું, જેમાં
૧૦૦ ટકા સુખ-શાંતિ-પવિત્રતા બધું છે એટલે તેને હેવન (સ્વર્ગ) કહેવાય છે. ત્યાં દુઃખ
નું નામ નથી. બાકી જે પણ બધાં ધર્મ છે તે બધાનો વિનાશ કરાવવાનાં નિમિત્ત બનું છું.
સતયુગ માં હોય જ એક ધર્મ છે. તે છે નવી દુનિયા. જૂની દુનિયાને ખતમ કરાવું છું. આવો
ધંધો તો બીજું કોઈ નથી કરતું. કહેવાય છે શંકર દ્વારા વિનાશ. વિષ્ણુ પણ
લક્ષ્મી-નારાયણ જ છે. પ્રજાપિતા બ્રહ્મા પણ તો અહીંયા છે. આજ પતિત થી પાવન ફરિશ્તા
બને છે એટલે પછી બ્રહ્મા દેવતા કહેવાય છે. જેનાથી દેવી-દેવતા ધર્મ સ્થાપન થાય છે. આ
બાબા પણ દેવી-દેવતા ધર્મ નાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર) બને છે. તો બ્રહ્મા દ્વારા
સ્થાપના, શંકર દ્વારા વિનાશ. ચિત્ર તો આપવા પડે ને. સમજાવવા માટે આ ચિત્ર બનાવ્યાં
છે. આનો અર્થ કોઈ ને પણ ખબર નથી. સ્વદર્શન ચક્રધારી નું પણ સમજાવ્યું - પરમપિતા
પરમાત્મા સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એમનામાં બધું જ્ઞાન છે તો સ્વદર્શન
ચક્રધારી થયાં ને. જાણે છે હું જ આ જ્ઞાન સંભળાવું છું. બાબા તો એવું નહીં કહેશે કે
મારે કમળપુષ્પ સમાન બનવાનું છે. સતયુગમાં તમે કમળફૂલ સમાન જ રહો છો. સંન્યાસીઓનાં
માટે આ નહીં કહેશું. તે તો જંગલમાં ચાલ્યાં જાય છે. બાપ પણ કહે છે પહેલાં તે પવિત્ર
સતોપ્રધાન હોય છે. ભારત ને થમાવે છે, પવિત્રતા નાં બળ થી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ
હોતો જ નથી. જેમ બાપની મહિમા છે તેમ ભારતની પણ મહિમા છે. ભારત હેવન હતું, આ
લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં પછી ક્યાં ગયાં. આ હવે તમે જાણો છો બીજા કોઈની
બુદ્ધિમાં થોડી હશે કે આ દેવતાઓ જ ૮૪ જન્મ લઇ પછી પૂજારી બને છે. હમણાં તમને બધું
જ્ઞાન છે, આપણે હમણાં પૂજ્ય દેવી-દેવતા બનીએ છીએ પછી પૂજારી મનુષ્ય બનીશું. મનુષ્ય
તો મનુષ્ય જ હોય છે. આ જે ચિત્ર જાત-જાતનાં બનાવે છે, એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. આ
બધાં ભક્તિમાર્ગ નાં અનેક ચિત્ર છે. તમારું જ્ઞાન તો છે ગુપ્ત. આ જ્ઞાન બધાં નહીં
લેશે. જે આ દેવી-દેવતા ધર્મ નાં પત્તા હશે એજ લેશે. બાકી જે બીજાઓને માનવા વાળા છે
તે સાંભળશે નહીં. જે શિવ અને દેવતાઓની ભક્તિ કરે છે એ જ આવશે. પહેલાં-પહેલાં મારી
પણ પૂજા કરે છે પછી પૂજારી બની પોતાની પણ પૂજા કરે છે. તો હવે ખુશી થાય છે કે અમે
પૂજ્ય થી પૂજારી બન્યાં, હવે ફરી પૂજ્ય બનીએ છીએ. કેટલી ખુશી મનાવીએ છીએ. અહીંયા તો
અલ્પકાળ નાં માટે ખુશી મનાવે છે. ત્યાં તો તમને સદૈવ ખુશી રહે છે. દિવાળી વગેરે
લક્ષ્મી ને બોલાવવા માટે નથી હોતી. દિવાળી હોય છે કોરોનેશન (રાજ્યાભિષેક) પર. બાકી
આ સમય જે ઉત્સવ મનાવાય છે તે ત્યાં હોતા નથી. ત્યાં તો સુખ જ સુખ છે. આ એક જ સમય છે
જ્યારે કે તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ બધાં પોઇન્ટ (વાતો) લખો. સંન્યાસીઓનો છે
હઠયોગ. આ છે રાજ્યોગ. બાબા કહે છે એક-એક પાના પર જ્યાં-ત્યાં શિવ બાબાનું નામ જરુર
હોય. શિવબાબા આપણને બાળકોને સમજાવે છે. નિરાકાર આત્માઓ હમણાં સાકાર માં બેઠી છે. તો
બાપ પણ સાકાર માં સમજાવશે ને. એ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો. શિવ
ભગવાનુવાચ બાળકો પ્રતિ. સ્વયં અહીંયા પ્રેઝન્ટ (હાજર) છે ને. મુખ્ય-મુખ્ય પોઇન્ટ
પુસ્તક માં એવાં ક્લિયર (સ્પષ્ટ) લખેલાં હોય જે વાંચવાથી જાતે જ જ્ઞાન આવી જાય. શિવ
ભગવાનુવાચ હોવાથી ભણવામાં મજા આવી જશે. આ બુદ્ધિ નું કામ છે ને. બાબા પણ શરીર ને
લોન લઈને પછી સંભળાવે છે ને, આમની આત્મા પણ સાંભળે છે. બાળકોને નશો ખુબ રહેવો જોઈએ
બાપ પર ખુબ પ્રેમ હોવો જોઈએ. આ તો એમનો રથ છે, આ અનેક જન્મોનાં અંત નો જન્મ છે. આમના
માં પ્રવેશ કર્યો છે. બ્રહ્મા દ્વારા આ બ્રાહ્મણ બને છે પછી મનુષ્ય થી દેવતા બને
છે. ચિત્ર કેટલાં ક્લિયર છે. ભલે પોતાનાં પણ ચિત્ર આપો ઉપર અથવા બાજુમાં ડબલ સિરતાજ
વાળા. યોગબળ થી અમે આવાં બનીએ છીએ. ઉપર માં શિવબાબા. એમને યાદ કરતાં-કરતાં મનુષ્ય
થી દેવતા બની જઈએ છીએ. બિલકુલ સ્પષ્ટ છે. રંગીન ચિત્ર ની પુસ્તક એવી હોય જે મનુષ્ય
જોઈને ખુશ થઈ જાય. એનાથી પછી થોડું હલકુ પણ છપાવી શકો છો ગરીબોનાં માટે. મોટાં થી
નાનું, નાનાં થી મોટું કરી શકો છો, રહસ્ય તેમાં આવી જાય. ગીતાના ભગવાન વાળું ચિત્ર
છે મુખ્ય. આ ગીતા પર કૃષ્ણનુ ચિત્ર, તે ગીતા પર ત્રિમૂર્તિનું ચિત્ર હોવાથી મનુષ્યને
સમજાવવા માં સહજ થાય છે. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ અહીંયા છે. પ્રજાપિતા
બ્રહ્મા સૂક્ષ્મવતન માં તો હોઈ ન શકે. કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ
હવે દેવતા કોણ થયાં! દેવતાઓ તો અહીંયા રાજ્ય કરતા હતાં. ડીટીઝમ તો છે ને. તો આ બધું
સારી રીતે સમજાવવું પડે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બંને અહીંયા છે.
ચિત્ર છે તો સમજાવાય છે. પહેલાં-પહેલાં અલફ ને સિદ્ધ કરો તો બધી વાતો સિદ્ધ થઈ જશે.
પોઇન્ટસ તો ઘણાં છે બીજા બધાં ધર્મ સ્થાપન કરવાં આવે છે. બાપ તો સ્થાપના અને વિનાશ
બંને કરાવે છે. થાય છે બધું ડ્રામા અનુસાર જ. બ્રહ્મા બોલી શકે, વિષ્ણુ બોલી શકે
છે? સૂક્ષ્મ વતનમાં શું બોલશે. આ બધી સમજવાની વાતો છે. અહીંયા તમે સમજી ને પછી
ટ્રાન્સફર (બદલી) થાઓ છો, ઉપર નાં ક્લાસમાં. ઓરડો જ બીજો મળે છે. મૂળવતનમાં કાંઈ
બેસી તો નથી જવાનું. પછી ત્યાંથી નંબરવાર આવવાનું હોય છે. પહેલાં-પહેલાં મૂળ વાત એક
જ છે તેનાં પર જોર આપવું જોઈએ. કલ્પ પહેલાં પણ આવું થયું હતું. આ સેમીનાર વગેરે પણ
આમ જ કલ્પ પહેલાં થયાં હતાં. આવાં પોઇન્ટસ નીકળ્યાં હતાં. આજનો દિવસ જે પસાર થયો
સારો થયો ફરી કલ્પ બાદ એવો જ જશે. આવી-આવી પોતાની ધારણા કરતાં પાક્કા થતા જાઓ.
બાબાએ કહ્યું હતું મેગેઝીનમાં પણ નાખો - આ લડાઈ લાગી, નથિંગ ન્યુ. ૫ હજાર વર્ષ પહેલાં
પણ આવું થયું હતું. આ વાતો તમે જ સમજો છો. બહાર વાળા સમજી ન શકે. ફક્ત કહેશે વાતો
તો વન્ડરફુલ (અદ્દભુત) છે. સારું, ક્યારેક જઈને સમજી લઈશું. શિવ ભગવાનુવાચ બાળકો
પ્રતિ. આવાં-આવાં અક્ષર હશે તો આવીને સમજશે પણ. નામ લખેલું છે પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ. પ્રજાપિતા બ્રહ્મા થી જ બ્રાહ્મણ રચાય છે. બ્રાહ્મણ
દેવી-દેવતા નમઃ કહો છે ને. કયા બ્રાહ્મણ? તમે બ્રાહ્મણો ને પણ સમજાવી શકો છો
બ્રહ્માની સંતાન કોણ છે? પ્રજાપિતા બ્રહ્માનાં આટલાં બાળકો છે, તો જરુર અહીંયા
એડોપ્ટ થતાં હશે. જે પોતાનાં કુળનાં હશે તે સારી રીતે સમજશે. તમે તો બાપનાં બાળકો
થઈ ગયાં. બાપ બ્રહ્માને પણ એડોપ્ટ કરે છે. નહીં તો શરીર વાળી વસ્તુ આવી ક્યાંથી.
બ્રાહ્મણ આ વાતોને સમજશે, સન્યાસી નહીં સમજશે. અજમેર માં બ્રાહ્મણ હોય છે અને
હરિદ્વાર માં સન્યાસી જ સન્યાસી છે. પન્ડા બ્રાહ્મણ હોય છે. પરંતુ તે તો ભૂખ્યા હોય
છે. બોલો તમે હમણાં શરીરધારી પન્ડા છો. હવે રુહાની પન્ડા બનો. તમારું પણ નામ પન્ડા
છે. પાંડવ સેના ને પણ સમજતા નથી. બાબા છે પાંડવોનાં સિરમોર. કહે છે હે બાળકો મામેકમ
યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ચાલ્યાં જશો પોતાનાં ઘરે. પછી મોટી યાત્રા હશે
અમરપુરી ની. મૂળવતન ની કેટલી મોટી યાત્રા હશે. બધે બધી આત્માઓ જશે. જેમ મકોડા નું
ઝુંડ જાય છે ને. માખીઓની પણ રાણી ભાગે છે તો તેનાં પાછળ બધાં ભાગે છે. વન્ડર છે ને.
બધી આત્માઓ પણ મચ્છરો માફક જશે. શિવની બારાત છે ને. તમે બધાં છો બ્રાઈડસ (સજનીઓ).
હું બ્રાઈડગ્રુમ (સાજન) આવ્યો છું બધાને લઈ જવાં. તમે છી-છી થઈ ગયા છો એટલે
શ્રુંગાર કરી સાથે લઈ જઈશ. જે શ્રુંગાર નહીં કરશે તો સજા ખાશે. જવાનું તો છે જ. કાશી
કલવટ માં પણ મનુષ્ય મરે છે તો સેકન્ડમાં કેટલી સજાઓ ભોગવી લે છે. મનુષ્ય બૂમો પાડતા
રહે છે. આ પણ એવું છે, સમજે છે અમે જેમ કે જન્મ-જન્માન્તર નું દુઃખ સજા ભોગવી રહ્યાં
છીએ. તે દુઃખ ની ફીલિંગ (અનુભૂતિ) એવી હોય છે. જન્મ-જન્માંતરનાં પાપો ની સજા મળે
છે. જેટલી સજાઓ ખાશો એટલું પદ ઓછું થઈ જશે એટલે બાબા કહે છે યોગબળ થી હિસાબ-કિતાબ
ચૂકતું કરો. યાદ થી જમા કરતા જાઓ. નોલેજ તો ખુબ સહજ છે. હવે દરેક કર્મ જ્ઞાનયુક્ત
કરવાનું છે. દાન પણ પાત્રને આપવાનું છે. પાપ આત્માઓને આપવાથી પછી આપવાવાળા પર તેની
અસર પડી જાય છે. તે પણ પાપ આત્માઓ બની જાય છે. એવા ને ક્યારેય ન આપવું જોઈએ, જે તે
પૈસાથી જઈને પછી કોઈ પાપ વગેરે કરે. પાપ આત્માઓને આપવાવાળા તો દુનિયામાં ઘણાં બેઠાં
છે. હવે તમારે તો આવું નથી કરવાનું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં દરેક
કર્મ જ્ઞાનયુક્ત કરવાનું છે, પાત્રને જ દાન આપવાનું છે. પાપ આત્માઓથી હવે કોઈ પૈસા
વગેરે ની લેણ-દેણ નથી કરવાની. યોગબળ થી બધાં જૂનાં હિસાબ-કિતાબ ચૂકતું કરવાનાં છે.|
2. અપાર ખુશી માં રહેવા માટે પોતે પોતાના થી વાતો કરવાની છે - બાબા, તમે આવ્યા છો
અમને અપાર ખુશી નો ખજાનો આપવાં, તમે અમારી ઝોલી ભરી રહ્યાં છો, તમારી સાથે પહેલાં
અમે શાંતિધામ જઈશું પછી પોતાની રાજધાનીમાં આવીશું
વરદાન :-
કલ્પ - કલ્પ
નાં વિજય ની સ્મૃતિ નાં આધાર પર માયા દુશ્મન નું આહવાન કરવાવાળા મહાવીર વિજયી ભવ
મહાવીર વિજયી બાળકો
પેપર ને જોઈને ગભરાતા નથી કારણ કે ત્રિકાળદર્શી હોવાનાં કારણે જાણે છે કે અમે
કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. મહાવીર ક્યારેય એવું નથી કહી શકતા કે બાબા અમારી પાસે
માયાને ન મોકલો-કૃપા કરો, આશીર્વાદ કરો, શક્તિ આપો, શું કરું કોઈ રસ્તો આપો...આ પણ
કમજોરી છે. મહાવીર તો દુશ્મન નું આહવાન કરે છે કે આવો અને અમે વિજયી બનીએ.
સ્લોગન :-
સમયની સૂચના
છે - સમાન બનો સંપન્ન બનો.