27.08.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન
"મીઠા બાળકો - બાપ આવ્યાં છે આ વેશ્યાલય ને શિવાલય બનાવવાં . તમારું કર્તવ્ય છે - વેશ્યાઓ ને પણ ઈશ્વરીય સંદેશ આપી તેમનું પણ કલ્યાણ કરવાનું ”
પ્રશ્ન :-
કયા બાળકો પોતાનું ખુબ મોટું નુકસાન કરે છે?
ઉત્તર :-
જે કોઈ પણ કારણ થી મુરલી મિસ કરે (નથી વાંચતા) છે, તે પોતાનું ખુબ મોટું નુકસાન કરે છે. ઘણાં બાળકો તો આપસ માં રિસાઈ જવાનાં કારણે ક્લાસ માં જ નથી આવતાં. કોઈ ન કોઈ બહાનું બનાવીને ઘરમાં જ સૂઇ જાય છે, આનાથી તે પોતાનું જ નુકસાન કરે છે કારણકે બાબા તો રોજ કોઈ ન કોઈ નવી યુક્તિયો બતાવતાં રહે છે, સાંભળશે જ નહીં તો અમલ માં કેવી રીતે લાવશે.
ઓમ શાંતિ ! મીઠા-મીઠા રુહાની બાળકો આ તો જાણે છે કે હમણાં આપણે વિશ્વનાં માલિક બનવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. ભલે માયા પણ ભુલાવી દે છે. કોઈ-કોઈને તો આખો દિવસ ભુલાવી દે છે. ક્યારેય યાદ જ નથી કરતાં જે ખુશી પણ થાય. અમને ભગવાન ભણાવે છે આ પણ ભૂલી જાય છે. ભૂલી જવાનાં કારણે પછી કોઈ સર્વિસ (સેવા) નથી કરી શકતાં. રાતનાં બાબાએ સમજાવ્યું-અધમ થી અધમ જે વેશ્યાઓ છે તેમની સર્વિસ કરવી જોઈએ. વેશ્યાઓનાં માટે તમે એલાન (ઘોષણા) કરો કે તમે બાપનાં આ જ્ઞાનને ધારણ કરવાથી સ્વર્ગનાં વિશ્વની મહારાણી બની શકો છો, સાહૂકાર લોકો નથી બની શકતાં. જે જાણે છે, ભણેલા-ગણેલાં છે તે પ્રબંધ કરશે, તેમને જ્ઞાન આપવાનું, તો બિચારી ખુબ ખુશ થશે કારણ કે તે પણ અબલળાઓ છે, તેમને તમે સમજાવી શકો છો. યુક્તિઓ તો ખુબ જ બાપ સમજાવતાં રહે છે. બોલો, તમે જ ઊંચે થી ઉંચ, નીંચ થી નીંચ બનો છો. તમારા નામ થી જ ભારત વેશ્યાલય બન્યું છે. પછી તમે શિવાલયમાં જઇ શકો છો-આ પુરુષાર્થ કરવાથી. તમે હમણાં પૈસાનાં માટે કેટલું ગંદુ કામ કરો છો. હવે આ છોડો. આવું સમજાવવાથી તે ખુબ ખુશ થશે. તમને કોઈ રોકી નથી શકતું. આ તો સારી વાત છે ને. ગરીબોનો છે જ ભગવાન. પૈસાનાં કારણે ખુબ ગંદા કામ કરે છે. તેમનો જેમ ધંધો ચાલે છે. હમણાં બાળકો કહે છે અમે યુક્તિઓ નીકાળશું, સર્વિસ વૃદ્ધિને કેવી રીતે પામે. કોઈ બાળકો કોઈ ને કોઈ વાતમાં રિસાય પણ જાય છે. ભણતર પણ છોડી દે છે. આ નથી સમજતા કે અમે નહીં ભણીશું તો પોતાનું જ નુકસાન કરીશું. રિસાઈ ને બેસી જાય છે. ફલાણી એ આ કહ્યું, આવું કહ્યું એટલે આવતા નથી સપ્તાહ માં એક વખત મુશ્કેલ થી આવે છે. બાબા તો મુરલીઓ માં ક્યારેક શું સલાહ, ક્યારેક શું સલાહ આપતાં રહે છે. મુરલી સાંભળવી તો જોઈએ ને. ક્લાસ માં જ્યારે આવશે તો સાંભળશે. એવાં ઘણાં છે, કારણ-અકારણે બહાનુ બનાવી સૂઈ જશે. સારું, આજે નથી જવું. અરે, બાબા એવી સારી-સારી પોઇન્ટસ (વાત) સંભળાવે છે. સર્વિસ કરશે તો ઉંચ પદ પણ પામશે. આ તો છે ભણતર. બનારસ હિંદુ યુનિવર્સિટી વગેરે માં શાસ્ત્ર ખુબ ભણે છે. બીજો કોઈ ધંધો નહીં હશે તો બસ શાસ્ત્ર કંઠ કરી સતસંગ શરું કરી દે છે. તેમનો ઉદ્દેશ વગેરે તો કંઈ છે નહીં. આ ભણતર થી તો બધાનો બેડો પાર થાય છે. તો આપ બાળકોએ આવાં-આવાં અધમ ની સર્વિસ કરવાની છે. સાહૂકાર લોકો જ્યારે જોશે અહીંયા આવાં-આવાં આવે છે તો તેમનું આવવાનું દિલ નહીં થશે. દેહ-અભિમાન છે ને. તેમને લજ્જા આવશે. સારું, તો તેમની એક અલગ સ્કૂલ ખોલી દો. તે ભણતર તો છે પાઈ પૈસા નું, શરીર નિર્વાહ અર્થ. આ તો છે ૨૧ જન્મો નાં માટે. કેટલાઓનું કલ્યાણ થઈ જશે. ખાસ કરીને માતાઓ પણ પૂછે છે કે બાબા ઘરમાં ગીતા પાઠશાળા ખોલીએ? તેમને ઈશ્વરીય સેવા નો શોખ રહે છે. પુરુષ લોકો તો અહીંયા-ત્યાં ક્લબ વગેરે માં ફરતાં રહે છે. સાહૂકારોને માટે તો અહીંયા જ સ્વર્ગ છે. કેટલી ફેશન વગેરે કરતાં રહે છે. પરંતુ દેવતાઓની તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) જુઓ કેવી છે. કેટલો ફર્ક છે. એમ અહીંયા તમને સાચું સંભળાવાય છે તો કેટલાં થોડાં આવે છે. તે પણ ગરીબ. તે તરફ ઝટ ચાલ્યાં જાય છે. ત્યાં પણ શ્રુંગાર વગેરે કરીને જાય છે. ગુરુ લોકો સગાઈ પણ કરાવે છે. અહીંયા કોઈની સગાઈ કરાવાય છે તો પણ બચાવવાં માટે. કામ ચિતા પર ચઢવાથી બચી જાય. જ્ઞાન ચિતા પર બેસી પદમ ભાગ્યશાળી બની જાય. મા-બાપ ને કહે છે આ બરબાદી નો ધંધો છોડી ચાલો સ્વર્ગમાં. તો કહે છે શું કરીએ, આ દુનિયા વાળા અમારી ઉપર બગડશે કે કુળ નું નામ બદનામ કરે છે. લગ્ન ન કરાવવા કાયદા નાં વિરુદ્ધ છે. લોક લાજ, કુળ ની મર્યાદા છોડતા નથી. ભક્તિમાર્ગ માં ગાએ છે-મારાં તો એક, બીજું ન કોઈ. મીરા નાં પણ ગીત છે. ફીમેલ્સ (નારી) માં નંબરવન ભક્તણ મીરા, મેલ્સ (નર) માં નારદ ગવાયેલાં છે. નારદ ની પણ કથા છે ને. તમને કોઈ નવો માણસ કહે-હું લક્ષ્મી ને વરી શકું છું. તો બોલો, પોતાને જુવો લાયક છો? પવિત્ર સર્વગુણ સંપન્ન….છો? આ તો વિકારી પતિત દુનિયા છે. બાપ આવ્યાં છે આનાથી નીકાળી પાવન બનાવવાં. પાવન બનો ત્યારે તો લક્ષ્મીને વરવાનાં લાયક બની શકશો. અહીંયા બાબાની પાસે આવે છે, પ્રતિજ્ઞા કરી પછી ઘર માં જઈને વિકાર માં પડે છે. એવાં-એવાં સમાચાર આવે છે. બાબા કહે છે એવાં-એવાં ને જે બ્રાહ્મણી લઈ આવે છે તેમનાં ઉપર પણ અસર પડી જાય છે. ઇન્દ્રસભા ની વાર્તા પણ છે ને. તો લઈ આવવા વાળા પર પણ દંડ પડી જાય છે. બાબા બ્રાહ્મણીયો ને હંમેશા કહે છે કાચા-કાચા ને નહીં લઇ આવો. તમારી અવસ્થા પણ નીચે ઉતરશે કારણ કે બેકાયદેસર લઈ આવ્યાં. વાસ્તવ માં બ્રાહ્મણી બનવું છે ખુબ સહજ. ૧૦-૧૫ દિવસમાં બની શકે છે. બાબા કોઈને પણ સમજાવવાની ખુબ સહજ યુક્તિ બતાવે છે. તમે ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં, સ્વર્ગવાસી હતાં. હમણાં નર્કવાસી છો ફરી સ્વર્ગવાસી બનવાનું છે તો આ વિકાર છોડો. ફક્ત બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. કેટલું સહજ છે. પરંતુ કોઈ બિલકુલ સમજતાં નથી. પોતે જ નથી સમજતા તો બીજાઓને શું સમજાવશે. વાનપ્રસ્થ અવસ્થા માં પણ મોહ ની રગ જતી રહે છે. આજકાલ વાનપ્રસ્થ અવસ્થામાં એટલાં નથી જતાં. તમોપ્રધાન છે ને. અહીંયા જ ફસાઈ રહે છે. પહેલાં વાનપ્રસ્થીઓનાં મોટાં-મોટાં આશ્રમ હતાં. આજકાલ એટલાં નથી. ૮૦-૯૦ વર્ષનાં થઈ જાય છે તો પણ ઘર ને નથી છોડતાં. સમજતાં જ નથી કે વાણી થી પરે જવાનું છે. હવે ઈશ્વરને યાદ કરવાનાં છે. ભગવાન કોણ છે, આ બધાં નથી જાણતાં. સર્વવ્યાપી કહી દે છે તો યાદ કોને કરે. આ પણ નથી સમજતાં કે અમે પુજારી છીએ. બાપ તો તમને પૂજારી થી પૂજ્ય બનાવે છે તે પણ ૨૧ જન્મોનાં માટે. આને માટે પુરુષાર્થ તો કરવો પડશે.
બાબા એ સમજાવ્યું છે આ જૂની દુનિયા તો ખતમ થવાની છે. હવે આપણે જવાનું છે ઘરે-બસ આ જ લગન રહે. ત્યાં ક્રિમિનલ (વિકારી) વાત હોતી જ નથી. બાપ આવીને તે પવિત્ર દુનિયાનાં માટે તૈયારી કરાવે છે. સર્વિસએબુલ (સેવાધારી) લાડકા બાળકોને તો નયનો પર બેસાડીને લઈ જાય છે. તો અધમો નો ઉદ્ધાર કરવાનાં માટે બહાદુરી જોઈએ, તે ગવર્મેન્ટ (સરકાર) માં તો મોટાં-મોટાં ઝુંડ હોય છે. ટીપ-ટોપ થઈ જાય છે ભણેલાં-ગણેલાં. અહીંયા તો ઘણાં ગરીબ સાધારણ છે. તેમને બાપ બેસી એટલા ઉંચા ઉઠાવે છે. ચલન પણ ખુબ રોયલ જોઈએ. ભગવાન ભણાવે છે. તે ભણતર માં કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો કેટલા ટીપ-ટોપ થઈ જાય છે. અહીંયા તો બાપ ગરીબ નિવાઝ છે. ગરીબ જ કંઈ ને કંઈ મોકલી દે છે. એક-બે રુપિયા નો પણ મનીઓર્ડર મોકલી દે છે. બાપ કહે છે તમે તો મહાન ભાગ્યશાળી છો. રિટર્ન (વળતર) માં ખુબ મળી જાય છે. આ પણ કોઈ નવી વાત નથી. સાક્ષી થઈ ડ્રામા જુએ છે. બાપ કહે છે બાળકો સારી રીતે ભણો. આ ઈશ્વરીય યજ્ઞ છે જે ઈચ્છો તે લો. પરંતુ અહીંયાં લેશો તો ત્યાં ઓછું થઈ જશે. સ્વર્ગમાં તો બધુંજ મળવાનું છે. બાબા ને તો સર્વિસ માં ખુબ સ્ફૂર્તિવાળા બાળકો જોઈએ. સુદેશ જેવી, મોહિની જેવી, જેમને સર્વિસ નો ઉમંગ હોય. તમારું નામ ખુબ પ્રસિદ્ધ થઈ જશે. પછી તમને ખુબજ માન આપશે. બાબા બધું ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે. બાબા તો કહે છે અહીંયા બાળકોને જેટલો સમય મળે, યાદ માં રહો. પરીક્ષાનાં દિવસો નજીક હોય છે તો એકાંત માં જઇને ભણે છે. પ્રાઇવેટ (વ્યક્તિગત) શિક્ષક પણ રાખે છે. આપણી પાસે શિક્ષક તો ખુબ છે, ફક્ત ભણવાનો શોખ જોઈએ. બાપ તો ખુબ સહજ સમજાવે છે. ફક્ત સ્વયં ને આત્મા નિશ્ચય કરો. આ શરીર તો વિનાશી છે. તમે આત્મા અવિનાશી છો. આ જ્ઞાન એક જ વખત મળે છે પછી સતયુગ થી લઈને કળયુગ અંત સુધી કોઈને મળતું જ નથી. તમને જ મળે છે. આપણે આત્મા છીએ આ તો પાક્કો નિશ્ચય કરી લો. બાપ થી આપણને વારસો મળે છે. બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બસ. આ અંદર રટતા રહે તો પણ ખુબ કલ્યાણ થઈ શકે છે. પરંતુ ચાર્ટ રાખતાં જ નથી. લખતા-લખતા પછી થાકી જાય છે. બાબા ખુબ સહજ કરી બતાવે છે. હું આત્મા સતોપ્રધાન હતી, હવે તમોપ્રધાન બની છું. હવે બાપ કહે છે મને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. કેટલું સહજ છે છતાં પણ ભૂલી જાય છે. જેટલો સમય બેસો સ્વયં ને આત્મા સમજો. હું આત્મા બાબાનો બાળક છું. બાપ ને યાદ કરવાથી સ્વર્ગ ની બાદશાહી મળશે. બાપ ને યાદ કરવાથી અડધાકલ્પ નાં પાપ ભસ્મ થઈ જશે. કેટલી સહજ યુક્તિ બતાવે છે. બધાં બાળકો સાંભળી રહ્યાં છે. આ બાબા સ્વયં પણ પ્રેક્ટિસ (અભ્યાસ) કરે છે ત્યારે તો શીખવાડે છે ને. હું બાબા નો રથ છું, બાબા મને ખવડાવે છે. આપ બાળકો પણ એવું સમજો. શિવબાબા ને યાદ કરતાં રહો તો કેટલો ફાયદો થઈ જાય. પરંતુ ભૂલી જાય છે. ખુબ સહજ છે. ધંધામાં કોઈ ગ્રાહક નથી તો યાદ માં બેસી જાઓ. હું આત્મા છું, બાબા ને યાદ કરવાનાં છે. બીમારી માં પણ યાદ કરી શકો છો. બાંધેલી હોય તો ત્યાં બેઠા તમે યાદ કરતાં રહો તો ૧૦-૨૦ વર્ષ વાળાથી પણ ઊંચું પદ પામી શકો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- સર્વિસ માં ખુબ-ખુબ સ્ફૂર્તિવાળું બનવાનું છે. જેટલો સમય મળે એકાંત માં બેસી બાપ ને યાદ કરવાનાં છે. ભણતર નો શોખ રાખવાનો છે. ભણતર થી રિસાવાનું નથી.
- પોતાની ચલન ખુબ-ખુબ રોયલ રાખવાની છે, બસ હવે ઘરે જવાનું છે, જૂની દુનિયા ખતમ થવાની છે એટલે મોહ ની રગ તોડી દેવાની છે. વાનપ્રસ્થ (વાણી થી પરે) અવસ્થામાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. અધમો નો પણ ઉદ્ધાર કરવાની સેવા કરવાની છે.
વરદાન :-
બ્રહ્મા બાપ સમાન મહાત્યાગ થી મહાન ભાગ્ય બનાવવા વાળા નંબરવન ફરિશ્તા સો વિશ્વ મહારાજન ભવ
નંબરવન ફરિશ્તા સો વિશ્વ મહારાજન બનવાનું વરદાન એ જ બાળકોને પ્રાપ્ત થાય છે જે બ્રહ્મા બાપનાં દરેક કર્મ રુપી કદમ ની પાછળ કદમ ઉઠાવવા વાળા છે. જેમનું મન-બુદ્ધિ સાકાર માં સદા બાપની આગળ સમર્પિત છે. જેમ બ્રહ્મા બાપે આ જ મહાત્યાગ થી મહાન ભાગ્ય પ્રાપ્ત કર્યુ અર્થાત્ નંબરવન સંપૂર્ણ ફરિશ્તા અને નંબરવન મહારાજન બન્યાં એવાં ફોલો ફાધર કરવા વાળા બાળકો પણ મહાન ત્યાગી કે સર્વસ્વ ત્યાગી હશે. સંસ્કાર રુપ થી પણ વિકારો નાં વંશ નો ત્યાગ કરશે.
સ્લોગન :-
હવે બધાં આધાર તૂટવાનાં છે એટલે એક બાપ ને પોતાનો આધાર બનાવો.