22-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
ને આપ બાળકો જ પ્રિય છો , બાપ તમને જ સુધારવા માટે શ્રીમત આપે છે , સદા ઈશ્વરીય મત
પર ચાલી સ્વયં ને પવિત્ર બનાવો ”
પ્રશ્ન :-
વિશ્વ માં
શાંતિ ની સ્થાપના ક્યારે અને કઈ વિધિ થી થાય છે?
ઉત્તર :-
તમે જાણો છો વિશ્વ માં શાંતિ તો મહાભારત લડાઈ નાં પછી જ થાય છે. પરંતુ તેનાં માટે
તમારે પહેલે થી જ તૈયાર થવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની મહેનત કરવાની
છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સિમરણ કરી બાપની યાદ થી સંપૂર્ણ પાવન બનવાનું
છે ત્યારે આ સૃષ્ટિ નું પરિવર્તન થશે.
ગીત :-
આજ અંધેરે મેં
હૈ ઇન્સાન …
ઓમ શાંતિ!
આ ગીત છે
ભક્તિમાર્ગ નું ગવાયેલું. કહે છે અમે અંધકાર માં છીએ, હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર
આપો. જ્ઞાન માંગે છે જ્ઞાન સાગર થી. બાકી છે અજ્ઞાન. કહેવાય છે કળયુગ માં બધાં
અજ્ઞાન ની આસુરી નિંદ્રામાં સૂતેલાં કુંભકરણ છે. બાપ કહે છે જ્ઞાન તો ખુબ જ સિમ્પલ
(સહજ) છે. ભક્તિ માર્ગ માં કેટલાં વેદ-શાસ્ત્ર વગેરે વાંચે છે, હઠયોગ કરે છે, ગુરુ
વગેરે કરે છે. હવે તે બધાને છોડવું પડે છે કારણ કે તે ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે.
બાપ જ તો રાજાઈ આપશે. મનુષ્ય, મનુષ્ય ને આપી ન શકે. પરંતુ તેના માટે જ સન્યાસી કહે
છે કાગ વિષ્ટા સમાન સુખ છે કારણ કે પોતે ઘરબાર છોડી ભાગે છે. આ જ્ઞાન સિવાય જ્ઞાન
સાગર બાપનાં બીજું કોઈ આપી ન શકે. આ રાજ્યોગ ભગવાન જ શીખવાડે છે. મનુષ્ય, મનુષ્ય ને
પાવન બનાવી ન શકે. પતિત-પાવન એક જ બાપ છે. મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલાં ફસાયેલાં
છે. જન્મ-જન્માન્તર થી ભક્તિ કરતાં આવ્યાં છે. સ્નાન કરવાં જાય છે. એવું પણ નથી
ફક્ત ગંગા માં સ્નાન કરે છે. જ્યાં પણ પાણીનું તળાવ વગેરે જોશે તો તેને પણ
પતિત-પાવન સમજે છે. અહીંયા પણ ગૌમુખ છે. ઝરણા થી પાણી આવે છે. જેમ કૂવામાં પાણી આવે
છે તો તેને પતિત-પાવની ગંગા થોડી કહીશું. મનુષ્ય સમજે છે આ પણ તીર્થ છે. ઘણાં
મનુષ્ય ભાવના થી ત્યાં જઈને સ્નાન વગેરે કરે છે. આપ બાળકોને હમણાં જ્ઞાન મળ્યું છે.
તમે કહો છો તો પણ માનતાં નથી. પોતાનો દેહ-અહંકાર ખુબજ છે. અમે આટલાં શાસ્ત્ર વાંચ્યા
છે….! બાપ કહે છે આ ભણેલું બધું ભૂલો. હવે તે બધી વાતોની મનુષ્યો ને કેવી રીતે ખબર
પડે એટલે બાબા કહે છે એવાં-એવાં પોઈન્ટ્સ (વાત) લખીને એરોપ્લેન (વિમાન) દ્વારા નાખો.
જેમ આજકાલ કહે છે-વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? કોઈએ સલાહ આપી તો તેમને ઇનામ મળતું
રહે છે. હવે તે શાંતિની સ્થાપના તો કરી ન શકે. શાંતિ છે ક્યાં? જુઠ્ઠી પ્રાઈઝ (ઇનામ)
આપતા રહે છે.
હવે તમે જાણો છો વિશ્વમાં શાંતિ તો થાય છે લડાઈ નાં પછી. આ લડાઈ તો કોઈ પણ સમયે લાગી
શકે છે. એવી તૈયારી છે. ફક્ત આપ બાળકો ની જ વાર છે. જ્યારે આપ બાળકો કર્માતીત
અવસ્થાને પામો, આમાં જ મહેનત છે. બાપ કહે છે મામેકમ યાદ કરો અને ગૃહસ્થ વ્યવહાર માં
રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનો અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સિમરણ કરતાં
રહો. તમે લખી પણ શકો છો-ડ્રામા અનુસાર કલ્પ પહેલાં માફક વિશ્વમાં શાંતિ સ્થાપન થઈ
જશે. તમે આ પણ સમજાવી શકો છો કે વિશ્વ માં શાંતિ તો સતયુગ માં જ હોય છે. અહીંયા જ
જરુર અશાંતિ રહેશે. પરંતુ ઘણાં છે જે તમારી વાતો પર વિશ્વાસ નથી કરતાં કારણ કે તેમને
સ્વર્ગમાં આવવાનું જ નથી તો શ્રીમત પર ચાલશે નહીં. અહીંયા પણ ઘણાં છે જે શ્રીમત પર
પવિત્ર રહી નથી શકતાં. ઊંચે થી ઊંચા ભગવાન ની તમને મત મળે છે. કોઈની ચલન સારી નથી
હોતી તો કહે છે ને તમને ઈશ્વર સારી મત આપે. હવે તમારે ઈશ્વરીય મત પર ચાલવું જોઈએ.
બાપ કહે છે ૬૩ જન્મ તમે વિષય સાગર માં ગોતા ખાધાં છે. બાળકો થી વાત કરે છે. બાળકો
ને જ બાપ સુધારશે ને. આખી દુનિયા ને કેવી રીતે સુધારશે. બહાર વાળાઓ ને કહેશે બાળકો
થી સમજો. બાપ બાહર વાળાઓ થી વાત નથી કરી શકતાં. બાપ ને બાળકો જ પ્રિય લાગે છે.
સોતેલા (સાવકા) બાળકો થોડી લાગશે. લૌકિક બાપ પણ સપૂત બાળકો ને ધન આપે છે. બધાં બાળકો
સમાન તો નહીં હશે. બાપ પણ કહે છે જે મારા બને છે, તેમને જ હું વારસો આપું છું. જે
મારા નથી બનતાં, તે હજમ નહીં કરી શકે. શ્રીમત પર ચાલી નહીં શકશે. તે છે ભગત. બાબાએ
ઘણાં જ જોયેલાં છે. કોઈ મોટા સંન્યાસી આવે છે તો બહુજ એમનાં ફોલોઅર્સ (અનુયાયી) હોય
છે. ફંડ (મૂડી) ભેગો કરે છે. પોત-પોતાની તાકાત અનુસાર ફંડ્સ મેળવે છે. અહીંયા બાપ
તો એવું નહીં કહેશે-ફંડ ભેગો કરો. નહીં, અહીંયા તો જે બીજ વાવશે ૨૧ જન્મ એનું ફળ
પામશે. મનુષ્ય દાન કરે છે તો સમજે છે ઈશ્વર અર્થ અમે કરીએ છીએ. ઈશ્વર સમર્પણમ્ કહે
છે અથવા તો કહેશે કૃષ્ણ સમર્પણમ્. કૃષ્ણનું નામ કેમ લે છે? કારણ કે ગીતાનો ભગવાન
સમજે છે. શ્રી રાધે અર્પણમ્ ક્યારેય નહીં કહેશે. ઈશ્વર અથવા કૃષ્ણ અર્પણમ્ કહે છે.
જાણે છે ફળ આપવા વાળા ઈશ્વર જ છે. કોઈ સાહૂકાર નાં ઘરમાં જન્મ લે છે તો કહે છે ને,
આગલાં જન્મ માં બહુજ દાન-પુણ્ય કર્યા છે ત્યારે આ બન્યાં છે. રાજા પણ બની શકે છે.
પરંતુ તે છે અલ્પકાળ કાગ વિષ્ટા સમાન સુખ. રાજાઓને પણ સન્યાસી લોકો સન્યાસ કરાવે છે
તો તેમને કહે છે સ્ત્રી તો સર્પણી છે, પરંતુ દ્રોપદીએ તો પોકાર્યા છે, દુઃશાસન મને
નંગન કરે છે. હમણાં પણ અબળાઓ કેટલું પોકારતી રહે છે - અમારી લાજ રાખો. બાબા આ અમને
ખુબ મારે છે. કહે છે વિષ આપો નહીં તો ખુન કરું છું. બાબા આ બંધનો થી છોડાવો. બાપ કહે
છે બંધન તો ખલાસ થવાના જ છે પછી ૨૧ જન્મ ક્યારેય નંગન નહીં થશો. ત્યાં વિકાર હોતાં
નથી. આ મૃત્યુલોક માં આ અંતિમ જન્મ છે. આ છે જ વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા).
બીજી વાત, બાપ સમજાવે છે કે આ સમયે મનુષ્ય કેટલાં બેસમજ બની ગયાં છે. જ્યારે કોઈ મરે
છે તો કહે છે સ્વર્ગ પધાર્યા. પરંતુ સ્વર્ગ છે ક્યાં. આ તો નર્ક છે. સ્વર્ગવાસી થયાં
તો જરુર નર્ક માં હતાં. પરંતુ કોઈને સીધું કહો-તમે નર્કવાસી છો તો ક્રોધ માં આવીને
બગડી જશે. આવાં-આવાં ને તમારે લખવું જોઈએ. ફલાણા સ્વર્ગવાસી થયાં તો એનો અર્થ તમે
નર્કવાસી છો ને. અમે તમને એવી યુક્તિ બતાવીએ જે તમે સાચેજ સ્વર્ગમાં જાઓ. આ જૂની
દુનિયા તો હવે ખતમ થવાની છે. સમાચાર માં નાખો કે આ લડાઈનાં પછી વિશ્વમાં શાંતિ થવાની
છે, ૫ હજાર વર્ષ પહેલાં માફક. ત્યાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. તે લોકો
પછી કહે ત્યાં પણ કંસ, જરાસંધી વગેરે અસુર હતાં, ત્રેતા માં રાવણ હતો. હવે તેમનાથી
માથું કોણ મારે. જ્ઞાન અને ભક્તિ માં રાત-દિવસનો ફર્ક છે. આટલી સહજ વાત પણ મુશ્કેલ
કોઈની બુદ્ધિ માં બેસે છે. તો એવાં-એવાં સ્લોગન (સુવિચાર) બનાવવાં જોઈએ. આ લડાઈનાં
પછી વિશ્વમાં શાંતિ થવાની છે ડ્રામા અનુસાર. કલ્પ-કલ્પ વિશ્વ માં શાંતિ થાય છે પછી
કળયુગ અંત માં અશાંતિ થાય છે. સતયુગમાં જ શાંતિ હોય છે. આ પણ તમે લખી શકો છો, ગીતા
માં ભૂલ કરવાથી જ ભારતનો આ હાલ થયો છે. પૂરા ૮૪ જન્મ લેવા વાળા શ્રી કૃષ્ણ નું નામ
નાખી દીધું છે. શ્રી નારાયણ નું પણ નથી નાખ્યું. તેમનાં છતાં પણ ૮૪ જન્મ થી કંઈક ઓછા
દિવસ કહેશું ને. કૃષ્ણનાં પૂરા ૮૪ જન્મ હોય છે. શિવબાબા આવે છે બાળકો ને હીરા જેવાં
બનાવવાં, તો એમનાં માટે પછી ડબ્બી પણ એવી સોનાની જોઈએ, જેમાં બાપ આવીને પ્રવેશ કરે.
હવે આ સોનાનાં કેવી રીતે બને તો ફટ થી તેમને સાક્ષાત્કાર કરાવ્યો-તમે તો વિશ્વનાં
માલિક બનો છો. હવે મામેકમ યાદ કરો, પવિત્ર બનો તો ઝટ પવિત્ર થવા લાગી ગયાં. પવિત્ર
બન્યાં વગર તો જ્ઞાન ની ધારણા થઈ ન શકે. સિંહણ નાં દૂધ માટે સોનાનું વાસણ જોઈએ. આ
જ્ઞાન તો છે - પરમપિતા પરમાત્મા નું. આને ધારણ કરવા માટે પણ સોનાનું વાસણ જોઈએ.
પવિત્ર જોઈએ, ત્યારે ધારણા થાય. પવિત્રતા ની પ્રતિજ્ઞા કરીને પછી નીચે પડે છે તો
યોગ ની યાત્રા જ ખતમ થઇ જાય છે. જ્ઞાન પણ ખતમ થઇ જાય છે. કોઈને કહી ન શકે -
ભગવાનુવાચ, કામ મહાશત્રુ છે. તેમનું તીર લાગશે નહીં. તે પછી કુકડ જ્ઞાની થઈ જાય.
કોઈપણ વિકાર ન હોય. રોજ પોતામેલ રાખો. જેમ બાપ સર્વશક્તિમાન છે તેમ માયા પણ
સર્વશક્તિમાન છે. અડધોકલ્પ રાવણ નું રાજ્ય ચાલે છે. આનાં પર જીત બાપ વગર કોઈ પહેરાવી
ન શકે. ડ્રામા અનુસાર રાવણ રાજ્ય પણ થવાનું જ છે. ભારતની જ હાર અને જીત પર આ ડ્રામા
બનેલો છે. આ બાપ આપ બાળકોને જ સમજાવે છે. મુખ્ય છે પવિત્ર થવાની વાત. બાપ કહે છે
હું આવું જ છું પતિતો ને પાવન બનાવવાં. બાકી શાસ્ત્રો માં પાંડવો અને કૌરવો ની લડાઈ,
જુગાર વગેરે બેસીને દેખાડયાં છે. એવી વાત હોઈ કેવી રીતે શકે. રાજયોગ નું ભણતર એવું
હોય છે શું? યુદ્ધ નાં મેદાન માં ગીતા પાઠશાળા હોય છે શું? ક્યાં જન્મ-મરણ રહિત
શિવબાબા, ક્યાં પૂરા ૮૪ જન્મ લેવાવાળા કૃષ્ણ. તેમનાં જ અંતિમ જન્મ માં બાપ આવીને
પ્રવેશ કરે છે. કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર પણ
બનવાનું છે. સન્યાસી તો કહે છે - બંને ભેગાં રહી પવિત્ર નથી રહી શકતાં. કહો તમને તો
કોઈ પ્રાપ્તિ નથી, તો કેવી રીતે રહેશો. અહીંયા તો વિશ્વ ની બાદશાહી મળે છે. બાપ કહે
છે મારા ખાતર કુળની લાજ રાખો. શિવબાબા કહે છે આમની દાઢી ની લાજ રાખો. આ એક અંતિમ
જન્મ પવિત્ર રહો તો સ્વર્ગ નાં માલિક બનશો. પોતાનાં માટે જ મહેનત કરે છે. બીજું કોઈ
સ્વર્ગ માં આવી નથી શકતું. આ તમારી રાજધાની સ્થાપન થઈ રહી છે. આમાં બધાં જોઈએ ને.
ત્યાં વજીર તો હોતાં નથી. રાજાઓને સલાહ ની દરકાર નથી. પતિત રાજાઓને પણ એક વજીર હોય
છે. અહીંયા તો જુઓ કેટલા મિનિસ્ટર્સ (મંત્રી) છે. પરસ્પર લડતાં રહે છે. બાપ બધી
ઝંઝટો થી છોડાવી દે છે. ૩ હજાર વર્ષ સુધી કોઈ લડાઈ નહીં થશે. જેલ વગેરે નહીં હશે.
કોર્ટ વગેરે કાંઈ નહીં હશે. ત્યાં તો સુખ જ સુખ છે. આનાં માટે પુરુષાર્થ કરવાનો છે.
મોત માથા પર ઉભું છે. યાદની યાત્રા થી વિકર્માજીત બનવાનું છે. તમે જ મેસેન્જર્સ (સંદેશવાહક)
છો જે બધાં ને બાપ નો મેસેજ (સંદેશ) આપો છો કે મનમનાભવ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ની
ધારણા કરવા માટે પવિત્ર બની બુદ્ધિ રુપી વાસણ ને સ્વચ્છ બનાવવાનું છે. ફક્ત કુકડ
જ્ઞાની નથી બનવાનું.
2. ડાયરેક્ટ બાપની આગળ પોતાનું બધુંજ અર્પણ કરી શ્રીમત પર ચાલીને ૨૧ જન્મો નાં માટે
રાજાઈ પદ લેવાનું છે.
વરદાન :-
શુદ્ધિ ની વિધિ
દ્વારા કિલ્લા ને મજબૂત કરવાવાળા સદા વિજયી અને નિર્વિઘ્ન ભવ
આ કિલ્લા માં દરેક
આત્મા સદા વિજયી અને નિર્વિઘ્ન બની જાય એનાં માટે વિશેષ સમય પર ચારે બાજુ એક સાથે
યોગ નાં પ્રોગ્રામ રાખો. પછી કોઈ પણ આ તાર ને કાપી નહીં શકશે કારણ કે જેટલી સેવા
વધારતા જશો એટલી માયા પોતાનાં બનાવવાની કોશિશ પણ કરશે એટલે જેમ કોઈ પણ કાર્ય શરું
કરતાં સમયે શુદ્ધિ ની વિધિઓ અપનાવો છો, એમ સંગઠિત રુપમાં આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓનો
એક જ શુદ્ધ સંકલ્પ હોય - વિજયી, આ છે શુદ્ધિ ની વિધિ-જેનાથી કિલ્લો મજબૂત થઈ જશે.
સ્લોગન :-
યુક્તિયુક્ત
કે યથાર્થ સેવા નું પ્રત્યક્ષફળ છે ખુશી.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય :-
“ હવે વિકર્મ
બનાવવાની કોમ્પિટિશન ( હરીફાઈ ) નથી કરવાની ”
પહેલાં-પહેલાં તો પોતાની પાસે આ લક્ષ્ય અવશ્ય રાખવાનું છે કે અમારે કોઈ પણ રીતે થી
પોતાનાં વિકારો ને વશ કરવાનાં છે, ત્યારે જ ઈશ્વરીય સુખ-શાંતિમાં રહી શકાય છે.
પોતાનો મુખ્ય પુરુષાર્થ છે પોતે શાંતિમાં રહીને બીજાઓને શાંતિમાં લાવવાં, આમાં
સહનશક્તિ જરુર જોઈએ. બધો પોતાનાં પર આધાર છે. એવું નહિં કોઈએ કંઈક કહ્યું તો
અશાંતિમાં આવી જવું જોઈએ, ના. જ્ઞાન નો પહેલો ગુણ છે સહન શક્તિ ધારણ કરવી. જુઓ
અજ્ઞાનકાળ માં કહે છે ભલે કોઈ કેટલી પણ ગાળ આપે, એવું સમજો કે મને ક્યાં લાગી? ભલે
જેમણે ગાળ આપી તે પોતે તો અશાંતિ માં આવી ગયાં, તેમનો હિસાબ-કિતાબ પોતાનો બન્યો.
પરંતુ આપણે પણ અશાંતિમાં આવીએ, કાંઈ કહી દીધું તો પછી આપણાં વિકર્મ બનશે, તો વિકર્મ
બનાવવાની કોમ્પિટિશન નથી કરવાની. આપણે તો વિકર્મો ને ભસ્મ કરવાનાં છે, ન કે બનાવવાનાં
છે, આવાં વિકર્મ તો જન્મ જન્માંતર બનાવતા આવ્યા અને દુઃખ ઉઠાવતાં આવ્યાં. હવે તો
નોલેજ મળી રહ્યું છે આ પાંચ વિકારો ને જીતો. વિકારો નો પણ મોટો વિસ્તાર છે, ખુબ જ
સૂક્ષ્મ રીતે થી આવે છે. ક્યારેક ઈર્ષા આવી જાય છે તો વિચારે છે આમણે આવું કર્યુ તો
હું કેમ ન કરું? આ છે મોટી ભૂલ. પોતાને તો અભૂલ બનાવવાનાં છે, જો કોઈએ કાંઈ કહ્યું
તો એવું સમજો આ પણ મારી પરીક્ષા છે, કેટલાં સુધી મારી અંદર સહનશક્તિ છે? જો કોઈ કહે
મેં ખૂબ સહન કર્યુ, એક વખત પણ જોશ આવી ગયો તો છેવટે ફેલ (નપાસ) થઈ ગયાં. જેણે કહ્યું
એને પોતાનું બગાડ્યું પરંતુ આપણે તો બનાવવાનું છે, ન કે બગાડવાનું છે એટલે સારો
પુરુષાર્થ કરી જન્મ જન્માંતર નાં માટે સારી પ્રાલબ્ધ બનાવવાની છે. બાકી જે વિકારોનાં
વશ છે સમજો તેમનામાં ભૂત પ્રવેશ છે, ભૂતો ની ભાષા જ એવી નીકળે છે પરંતુ જે દૈવી
આત્મા છે, તેમની ભાષા દૈવી જ નીકળશે. તો પોતાને દૈવી બનાવવાનાં છે ન કે આસુરી.
અચ્છા-ઓમ શાંતિ.