16-08-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  07.03.86    બાપદાદા મધુબન


“ ભણતર ની ચારેવ સબ્જેક્ટ ( વિષય ) ની યથાર્થ યાદગાર - મહા - શિવરાત્રી ”
 


આજે જ્ઞાન દાતા, ભાગ્ય વિધાતા, સર્વ શક્તિઓનાં વરદાતા, સર્વ ખજાનાઓ થી ભરપૂર કરવાવાળા ભોળાનાથ બાપ પોતાનાં અતિ સ્નેહી સદા સહયોગી, સમીપ બાળકો થી મળવા માટે આવ્યાં છે. આ મિલન જ સદાકાળ ના ઉત્સવ મનાવવાનું યાદગાર બની જાય છે. જે પણ ભિન્ન-ભિન્ન નામો થી સમય પ્રતિ સમય ઉત્સવ મનાવે છે - તે બધું આ સમયે બાપ અને બાળકોનાં મધુર મિલન, ઉત્સાહ ભર્યુ મિલન, ભવિષ્ય નાં માટે ઉત્સવ નાં રુપ માં બની જાય છે. આ સમયે આપ સર્વ શ્રેષ્ઠ બાળકોનો દરેક દિવસ, દરેક ઘડી સદા ખુશીમાં રહેવાની ઘડીઓ અથવા સમય છે. તો આ નાનકડા સંગમયુગનાં અલૌકિક જીવન, અલૌકિક પ્રાપ્તિઓ, અલૌકિક અનુભવો ને દ્વાપર થી ભક્તોએ ભિન્ન-ભિન્ન નામ થી યાદગાર બનાવી દીધાં છે. એક જન્મનું તમારું આ જીવન ભક્તિ નાં ૬૩ જન્મોનાં માટે યાદ નું સાધન બની જાય છે. આટલી મહાન આત્માઓ છો! આ સમય ની સૌથી વન્ડરફુલ વાત આજ જોઈ રહ્યાં છો - જે પ્રેક્ટીકલ પણ મનાવી રહ્યાં છો અને નિમિત્ત તે યાદગાર ને પણ મનાવી રહ્યાં છો. ચૈતન્ય પણ છો અને ચિત્ર પણ સાથે-સાથે છે.

૫ હજાર વર્ષ પહેલાં દરેકે શું-શું પ્રાપ્ત કર્યુ, શું બન્યાં, કેવી રીતે બન્યાં, આ ૫ હજાર વર્ષ નું પૂરું પોતાનું યાદગાર ચિત્ર અને જન્મ-પત્રી બધાં સ્પષ્ટ રુપ માં જાણી ગયાં છો. સાંભળી રહ્યાં છો અને જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યાં છો કે આ અમારું જ ગાયન પૂજન અમારા જીવનની કથાઓ વર્ણન કરી રહ્યાં છે. ઓરીજનલ (અસલી) તમારું ચિત્ર તો બનાવી નથી શકતા એટલે ભાવના પૂર્વક જે પણ ટચ (સ્પર્શ) થયું તે ચિત્ર બનાવી દીધાં છે. તો પ્રેક્ટીકલ શિવ-જયંતી તો રોજ મનાવો જ છો કારણકે સંગમયુગ છે જ અવતરણ નો યુગ, શ્રેષ્ઠ કર્તવ્ય, શ્રેષ્ઠ ચરિત્ર કરવાનો યુગ. પરંતુ બેહદ યુગ નાં વચમાં આ યાદગાર દિવસ પણ મનાવી રહ્યાં છો. આપ સર્વ નું મનાવવું છે - મિલન મનાવવું અને એમનું મનાવવું છે આહવાન કરવું. એમનું છે પોકારવું અને તમારું છે પામી લેવું. તેઓ કહેશે “આવો” અને તમે કહેશો “આવી ગયા”, મળી ગયાં. યાદગાર અને પ્રેક્ટિકલ માં કેટલું રાત-દિવસ નું અંતર છે. વાસ્તવમાં આ દિવસ ભોળાનાથ બાપ નો દિવસ છે, ભોળાનાથ અર્થાત્ વગર હિસાબનાં અઢળક આપવા વાળા. તેમ જેટલાં અને એટલાં નો હિસાબ હોય છે, જે કરશે એ પામશે. એટલું જ પામશે. આ હિસાબ છે. પરંતુ ભોળાનાથ કેમ કહે છે? કારણ કે આ સમયે આપવામાં જેટલાં અને એટલાં નો હિસાબ નથી રાખતાં. એક નો પદમગુણા હિસાબ છે. તો અઢળક થઈ ગયું ને. ક્યાં એક ક્યાં પદમ. પદમ પણ છેલ્લો શબ્દ છે એટલે પદમ કહે છે. અઢળક આપવાવાળા ભોળા ભંડારી નો દિવસ યાદગાર રુપ માં મનાવે છે. તમને તો એટલું મળ્યું છે જે હમણાં તો ભરપૂર છો જ પરંતુ ૨૧ જન્મ, ૨૧ પેઢી સદા ભરપૂર રહેશો.

આટલાં જન્મોની ગેરંટી (ખાતરી) બીજું કોઈ નથી કરી શકતું. કેટલાં પણ કોઈ મોટા દાતા હોય પરંતુ અનેક જન્મનો ભરપૂર ભંડારો હોવાની ગેરંટી કોઈ પણ નથી આપી શકતું. તો ભોળાનાથ થયાં ને. નોલેજફુલ હોવા છતાં પણ ભોળા બને છે…. એટલે ભોળાનાથ કહેવાય છે. આમ તો હિસાબ કરવામાં, એક-એક સંકલ્પ નો પણ હિસાબ જાણી શકે છે. પરંતુ જાણવાં છતાં પણ આપવામાં ભોળાનાથ જ બને છે. તો આપ સર્વ ભોળાનાથ બાપનાં ભોળાનાથ બાળકો છો ને! એક તરફ ભોળાનાથ કહે બીજી તરફ ભરપૂર ભંડારી કહે છે. યાદગાર પણ જુઓ કેટલું સરસ મનાવે છે. મનાવવા વાળા ને ખબર નથી પરંતુ તમે જાણો છો. જે મુખ્ય આ સંગમયુગ નું ભણતર છે, જેનાં વિશેષ ૪ વિષય છે તે ચારેવ વિષય યાદગાર દિવસ પર મનાવતા આવે છે. કેવી રીતે? પહેલાં પણ સંભળાવ્યું હતું કે વિશેષ આ ઉત્સવનાં દિવસે બિંદુ નું અને બુંદ (ટીપું) નું મહત્વ હોય છે. તો બિંદુ આ સમય ની યાદ અર્થાત્ યોગનાં વિષય ની નિશાની છે. યાદમાં બિંદુ સ્થિતિમાં જ સ્થિત થાઓ છો ને! તો બિંદુ યાદ ની નિશાની અને બુંદ-જ્ઞાનની ભિન્ન-ભિન્ન બુંદ. આ જ્ઞાનનાં વિષય ની નિશાની બુંદનાં રુપમાં દેખાડી છે. ધારણા ની નિશાની, આ જ દિવસે વિશેષ વ્રત રાખે છે. તો વ્રત ધારણ કરવું. ધારણા માં પણ તમે દૃઢ સંકલ્પ કરો છો. તો વ્રત રાખો છો કે એવાં સહનશીલ અથવા અંતર્મુખ અવશ્ય બનીને જ દેખાડશું. તો આ વ્રત ધારણ કરો છો ને! આ વ્રત ધારણાની નિશાની છે અને સેવાની નિશાની છે જાગરણ. સેવા કરો જ છો કોઈને જગાડવાનાં માટે. અજ્ઞાન નિંદ્રા થી જગાડવું, જાગરણ કરાવવું, જાગૃતિ અપાવવી - આ જ તમારી સેવા છે. તો આ જાગરણ સેવા ની નિશાની છે. તો ચારેવ વિષય આવી ગયાં ને. પરંતુ ફક્ત રુપરેખા એમણે સ્થૂળ રુપમાં બદલી દીધી છે. છતાં પણ ભક્ત ભાવનાવાળા હોય છે અને સદા જ સાચાં ભક્તો ની આ નિશાની હશે કે જે સંકલ્પ કરશે એમાં દૃઢ રહેશે, એટલે ભક્તો થી પણ બાપનો સ્નેહ છે. તો પણ તમારા યાદગાર ને દ્વાપર થી પરંપરાથી તો ચલાવી રહ્યાં છે અને વિશેષ આ દિવસે જેમ તમે લોકો અહીંયા સંગમયુગ પર વારંવાર સમર્પણ સમારોહ મનાવો છો, અલગ-અલગ પણ મનાવો છો, એમ જ તમારા આ ફંકશન (પ્રોગ્રામ) નું પણ યાદગાર તે સ્વયંને સમર્પણ નથી કરતાં પરંતુ બકરાને કરે છે. બલી ચઢાવી દે છે. આમ તો બાપદાદા પણ હસવામાં કહે છે કે આ હું-હું પણા નું સમર્પણ થાય ત્યારે સમર્પણ અર્થાત સંપૂર્ણ બનો. બાપ સમાન બનો. જેમ બ્રહ્મા બાપે પહેલો-પહેલો કદમ શું ઉઠાવ્યો? હું અને મારાપણું નો સમર્પણ સમારોહ એટલે કોઈ પણ વાતમાં હું નાં બદલે સદા નેચરલ ભાષા માં સાધારણ ભાષા માં પણ બાપ શબ્દ સાંભળ્યો. હું શબ્દ નહીં.

બાબા કરાવી રહ્યાં છે, હું કરી રહ્યો છું, નહીં. બાબા ચલાવી રહ્યાં છે, હું કહું છું, નહીં. બાબા કહે છે. હદ નાં કોઈ પણ વ્યક્તિ અથવા વૈભવ થી લગાવ આ મારાપણું છે. તો મારાપણા ને અને હુંપણા ને સમર્પણ કરવું આને જ કહે છે બલી ચઢવું. બલી ચઢવું અર્થાત્ મહાબલી બનવું. તો આ સમર્પણ થવાની નિશાની છે.

તો બાપદાદા ભક્તોને એક વાતની આફરીન આપે છે-કોઈ પણ રુપથી ભારતમાં અથવા દરેક દેશમાં ઉત્સાહ ની લહેર ફેલાવવા માટે ઉત્સવ બનાવ્યાં તો સારા છે ને. ભલે બે દિવસનાં માટે હોય અથવા એક દિવસનાં માટે હોય પરંતુ ઉત્સાહની લહેર તો ફેલાઈ જાય છે ને, એટલે ઉત્સવ કહે છે. તો પણ અલ્પકાળ નાં માટે વિશેષ રુપ થી બાપની તરફ મેજોરીટી (અધિકાંશ) નું અટેન્શન (ધ્યાન) તો જાય છે ને. તો આ વિશેષ દિવસ પર શું વિશેષ કરશો? જેમ ભક્તિમાં કોઈ સદાકાળ માટે વ્રત લે છે અને કોઈમાં હિમ્મત નથી હોતી તો એક મહિના માટે, એક દિવસ માટે અથવા થોડા સમય માટે લે છે. પછી તે વ્રત છોડી દે છે. તમે તો એવું નથી કરતાં ને! મધુબનમાં તો ધરણી પર પગ નથી અને પછી જ્યારે વિદેશમાં જશો તો ધરણી પર આવશો કે ઉપર જ રહેશો! સદા ઉપર થી નીચે આવીને કર્મ કરશો કે નીચે રહીને કર્મ કરશો? ઉપર રહેવું અર્થાત્ ઉપરની સ્થિતિમાં રહેવું. ઉપર કોઈ છાપરા પર નથી લટકવાનું . ઉંચી સ્થિતિમાં સ્થિત થઈ કોઈ પણ સાધારણ કર્મ કરવું અર્થાત્ નીચે આવવું, પરંતુ સાધારણ કર્મ કરતાં પણ સ્થિતિ ઉપર અર્થાત્ ઉંચી હોય. જેમ બાપ પણ સાધારણ તન લે છે ને. કર્મ તો સાધારણ જ કરશે ને, જેમ તમે લોકો બોલશો એવું જ બોલશે. તેમ જ ચાલશે, તો કર્મ સાધારણ છે, તન જ સાધારણ છે, પરંતુ સાધારણ કર્મ કરતાં પણ સ્થિતિ ઊંચી રહે છે. એવી તમારી પણ સ્થિતિ સદા ઊંચી હોય.

જેમ આ દિવસ ને અવતરણ નો દિવસ કહો છો ને, તો રોજ અમૃતવેલા એવું જ વિચારો કે નિંદ્રા થી નહીં શાંતિધામ થી કર્મ કરવા માટે અવતરિત થયા છીએ. અને રાત નાં કર્મ કરીને શાંતિધામ માં ચાલ્યા જાઓ. તો અવતાર અવતરિત થાય જ છે શ્રેષ્ઠ કર્મ કરવા માટે. એને જન્મ નથી કહેતાં, અવતરણ કહે છે. ઉપર ની સ્થિતિ થી નીચે આવે છે - આ છે અવતરણ. તો એવી સ્થિતિમાં રહીને કર્મ કરવાથી સાધારણ કર્મ પણ અલૌકિક કર્મમાં બદલાઈ જાય છે. જેમ બીજા લોકો પણ ભોજન ખાએ છે અને તમે કહો છો બ્રહ્મા ભોજન ખાઈએ છીએ. ફર્ક થઈ ગયો ને. ચાલો છો પરંતુ તમે ફરિશ્તાની ચાલ ચાલો, ડબલ લાઈટ સ્થિતિ માં ચાલો. તો અલૌકિક ચાલ અલૌકિક કર્મ થઈ ગયાં. તો ફક્ત આજ નો દિવસ અવતરણ નો દિવસ નથી પરંતુ સંગમયુગ જ અવતરણ દિવસ છે.

આજ નાં દિવસે તમે લોકો બાપદાદાને મુબારક આપો છો પરંતુ બાપદાદા કહે છે “પહેલાં તમે”. જો બાળકો ન હોત તો બાપ કોણ કહેત. બાળકો જ બાપ ને બાપ કહે છે એટલે પહેલાં બાળકોને મુબારક. તમે બધાં બર્થ ડે (જન્મદિવસ) નું ગીત ગાઓ છો ને-હેપ્પી બર્થ ડે ટૂ યૂ…. બાપદાદા પણ કહે છે હેપ્પી બર્થ ડે ટૂ યૂ. બર્થ ડે ની મુબારક તો બાળકોએ બાપને આપી દીધી. બાપે બાળકોને આપી. અને મુબારક થી જ ઉછરી રહ્યાં છો. આપ સર્વની પાલના જ શું છે? બાપની, પરિવાર ની શુભેચ્છાઓથી જ ઉછરી રહ્યાં છો. શુભેચ્છા થી જ નાચતાં, ગાતાં, ઉછરતાં, ઉડતાં જઈ રહ્યાં છો. આ પાલના પણ વન્ડરફુલ છે. એક-બીજાને દર ઘડી શું આપો છો? શુભેચ્છાઓ છે અને આ જ પાલના ની વિધિ છે. કોઈ કેવું પણ છે, તે તો બાપદાદા પણ જાણે છે, તમે પણ જાણો છો કે નંબરવાર તો હશે જ. જો નંબરવાર ન બને તો પછી સતયુગમાં ઓછા માં ઓછા દોઢ લાખ તખ્ત બનાવવા પડે એટલે નંબરવાર તો થવાના જ છે. તો નંબરવાર થવાનું છે પરંતુ ક્યારેય કોઈને જો તમે સમજો છો કે આ ખોટા છે, આ સારું કામ નથી કરી રહ્યાં, તો રોંગ (ખોટા) ને રાઈટ (સાચું) કરવાની વિધિ અથવા યથાર્થ કર્મ ન કરવા વાળાને યથાર્થ કર્મ શીખવાડવાની વિધિ-ક્યારેય પણ એમને સીધું નહીં કહો કે તમે તો ખોટા છો. આવું કહેવાથી તે ક્યારેય નહીં બદલાશે. જેમ આગ બુઝાવવા માટે આગ નથી પ્રગટાવાતી, તેનાં પર ઠંડુ પાણી નખાય છે એટલે ક્યારેય પણ તેમને પહેલાં જ કહ્યું કે તમે રોંગ છો, તમે રોંગ છો તો ખૂબ જ દિલશિશક્ત થઈ જશે. પહેલાં તેમને સારું-સારું કહીને થમાવો તો ખરા, પહેલાં પાણી તો નાખો પછી તેમને સંભળાવો કે આગ કેમ લાગી. પહેલાં આ નહીં કહો કે તમે આવાં છો, તમે આ કર્યુ, આ કર્યુ. પહેલાં ઠંડું પાણી નાખો. પછી તે પણ મહેસૂસ કરશે કે હાં આગ લાગવાનું કારણ શું છે અને આગ બુઝાવવાનું સાધન શું છે. જો ખરાબ ને ખરાબ કહી દો છો તો આગમાં તેલ નાખો છો. એટલે ખુબ સરસ, ખુબ સરસ કહી ને પછી તેમને કોઇ પણ વાત આપો તો તેમનામાં સાંભળવાની, ધારણ કરવાની હિમ્મત આવી જાય છે એટલે કહી રહ્યાં હતાં કે ખુબ સરસ, ખુબ સરસ આ જ શુભેચ્છાઓ છે. જેમ બાપદાદા પણ ક્યારેય કોઈને ડાયરેક્ટ રોંગ નહિં કહેશે, મુરલીમાં સંભળાવી દેશે - રાઈટ (સાચું) શું છે, રોંગ (ખોટું) શું છે. પરંતુ જો કોઇ સીધું આવીને પૂછશે પણ કે હું રોંગ છું! તો કહેશે નહીં તમે તો એકદમ રાઇટ છો કારણ કે તેમનામાં તે સમયે હિમ્મત નથી હોતી. જેમ પેશન્ટ (દર્દી) જઈ પણ રહ્યો હોય છે, છેલ્લો શ્વાસ હોય છે તો પણ ડોક્ટર થી જો પૂછશે કે હું જઈ રહ્યો છું તો ક્યારેય નહીં કહેશે હાં જઈ રહ્યાં છો કારણ કે તે સમયે હિમ્મત નથી હોતી. કોઈનું દિલ કમજોર હોય અને તમે જો તેને એવી વાત કહી દો તો તે હાર્ટ ફેલ થઈ જ જશે અર્થાત્ પુરુષાર્થ માં પરિવર્તન કરવાની શક્તિ નહીં આવશે. તો સંગમયુગ છે જ શુભેચ્છાઓ થી વૃદ્ધિને પામવાનો યુગ. આ શુભેચ્છાઓ જ શ્રેષ્ઠ પાલના છે. એટલે તમારી આ શુભેચ્છાઓની પાલના નું યાદગાર જ્યારે પણ કોઇ દેવી-દેવતાનો દિવસ મનાવે છે તો તેને મોટો દિવસ કહી દે છે. દિવાળી હશે, શિવરાત્રી હશે તો કહેશે આજે મોટો દિવસ છે. જે પણ ઉત્સવ હશે તેને મોટો દિવસ કહેશે કારણ કે તમારું મોટું દિલ છે તો તેમને મોટો દિવસ કહી દીધો છે. તો એક-બીજા ને શુભેચ્છાઓ આપવી આ મોટું દિલ છે. સમજ્યાં - એવું નહીં કે રોંગ ને રોંગ સમજાવશો નહીં, પરંતુ થોડું ધૈર્ય રાખો, ઈશારો તો આપવો પડશે પરંતુ સમય તો જુઓ ને. તે મરી રહ્યાં છે અને તેને કહો મરી જાઓ, મરી જાઓ... તો સમય જુઓ, તેની હિમ્મત જુઓ. ખુબ સરસ, ખુબ સરસ કહેવાથી હિમ્મત આવી જાય છે. પરંતુ દિલ થી કહો - એવું નહીં બહાર થી કહો તો તે સમજે કે મને એમ જ કહી રહ્યાં છે. આ ભાવના ની વાત છે. દિલ નો ભાવ રહેમ નો હોય તો તેમનાં દિલને રહેમ નો ભાવ લાગશે. એટલે સદા શુભેચ્છાઓ આપતાં રહો. શુભેચ્છાઓ લેતાં રહો. આ શુભેચ્છા વરદાન છે. જેમ આજ નાં દિવસ નું ગાયન કરે છે - શિવ નાં ભંડારા ભરપૂર…..તો તમારું ગાયન છે, ફક્ત બાપનું નહીં. સદા ભંડારા ભરપૂર હોય. દાતા નાં બાળકો દાતા બની જાઓ. સંભળાવ્યું હતું ને - ભક્ત છે ‘લેવતા’ અને તમે છો આપવાવાળા ‘દેવતા’ તો દાતા એટલે આપવા વાળા. કોઈને પણ કંઈક થોડું પણ આપીને પછી તમે તેમનાથી કંઈક લઈ લો તો તેમને ફીલ નહીં થશે. પછી કાંઈ પણ તેમને મનાવી શકો છો. પરંતુ પહેલાં તેમને આપો. હિમ્મત આપો, ઉમંગ અપાવો, ખુશી અપાવો પછી તેનાથી કાંઈ પણ વાત મનાવવા ઈચ્છો તો મનાવી શકો છો, રોજ ઉત્સવ મનાવતાં રહો, રોજ બાપ થી મિલન મનાવવું આજ ઉત્સવ મનાવવો છે. તો રોજ ઉત્સવ છે. અચ્છા!

ચારેબાજુ નાં બાળકોને, સંગમયુગનાં દરેક દિવસનાં અવતરણ દિવસ ની અવિનાશી શુભેચ્છા છે. સદા બાપ સમાન દાતા અને વરદાતા બની દરેક આત્મા ને ભરપુર કરવાવાળા, માસ્ટર ભોળાનાથ બાળકો ને, સદા યાદમાં રહી દરેક કર્મ ને યાદગાર બનાવવા વાળા બાળકોને સદા સ્વ ઉન્નતિ અને સેવા ની ઉન્નતિ માં ઉમંગ-ઉત્સાહ થી આગળ વધવાવાળા શ્રેષ્ઠ બાળકો ને, વિશેષ આજનાં યાદગાર દિવસ શિવજયંતી સો બ્રાહ્મણ જયંતી હીરાતુલ્ય જયંતી, સદા સર્વ ને સુખી બનાવવાની, સંપન્ન બનાવવાની જયંતી ની મુબારક અને યાદ-પ્યાર નમસ્તે.

વરદાન :-
દરેક શક્તિ ને ઓર્ડર પ્રમાણે ચલાવવા વાળા માસ્ટર રચયિતા ભવ

કર્મ શરું કરવાનાં પહેલાં જેવું કર્મ તેવી શક્તિ નું આહવાન કરો. માલિક બનીને ઓર્ડર કરો કારણ કે આ સર્વ શક્તિઓ તમારી ભૂજા સમાન છે, તમારી ભૂજાઓ તમારા ઓર્ડર વગર કાંઈ કરી નથી શકતી. ઓર્ડર કરો સહનશક્તિ, કાર્ય સફળ કરો તો જુઓ સફળતા થયેલી છે. પરંતુ ઓર્ડર કરવાનાં બદલે ડરો છો-કરી શકીશું કે નહીં કરી શકીશું. આવાં પ્રકાર નો ડર છે તો ઓર્ડર ચાલી નથી શકતો એટલે માસ્ટર રચયિતા બની દરેક શક્તિ ને ઓર્ડર પ્રમાણે ચલાવવા માટે નિર્ભય બનો.

સ્લોગન :-
સહારે દાતા બાપ ને પ્રત્યક્ષ કરી બધાને કિનારે લગાવો.
 


સુચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ બહેનો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં પૂર્વજપણા નાં સ્વમાન માં સ્થિત રહી, કલ્પવૃક્ષ ની જડો માં બેસી આખાં વૃક્ષ ને શક્તિશાળી યોગનું દાન આપતા, પોતાની વંશાવલી ની દિવ્ય પાલના કરો.