26-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાબા
આવ્યાં છે તમને કિંગ ઓફ ફ્લાવર ( ફૂલોનાં રાજા ) બનાવવાં , એટલે વિકારોની કોઈ પણ
દુર્ગંધ ન હોવી જોઈએ ”
પ્રશ્ન :-
વિકારો નો અંશ
સમાપ્ત કરવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે?
ઉત્તર :-
નિરંતર અંતર્મુખી રહેવાનો પુરુષાર્થ કરો. અંતર્મુખ અર્થાત્ સેકન્ડ માં શરીર થી
ડિટેચ (ન્યારા). આ દુનિયાની સુધ-બુધ બિલકુલ ભૂલી જવાય. એક સેકન્ડમાં ઉપર જવું અને
આવવું. આ અભ્યાસ થી વિકારો નો અંશ સમાપ્ત થઈ જશે. કર્મ કરતાં-કરતાં વચ્ચે-વચ્ચે
અંતર્મુખી થઈ જાઓ, એવું લાગે જાણે બિલકુલ સન્નાટો છે. કોઈ પણ ચુરપુર (હલચલ) નહીં. આ
સૃષ્ટિ તો જેમ કે છે જ નહીં.
ઓમ શાંતિ!
અહીંયા દરેક
ને બેસાડાય છે કે અશરીરી થઈ બાપની યાદ માં બેસો અને સાથે-સાથે આ જે સૃષ્ટિ ચક્ર છે
તેને પણ યાદ કરો. મનુષ્ય ૮૪ નાં ચક્ર ને સમજતાં નથી. સમજશે જ નહીં. જે ૮૪ નું ચક્ર
લગાવે છે એ જ સમજવાં આવશે. તમારે આ જ યાદ કરવું જોઈએ, આને સ્વદર્શન ચક્ર કહેવાય છે,
જેનાથી આસુરી ખ્યાલાત ખતમ થઇ જશે. એવું નથી કે કોઈ અસુર બેઠા છે જેમનું ગળું કપાઈ
જશે. મનુષ્ય સ્વદર્શન ચક્ર નો પણ અર્થ નથી સમજતાં. આ જ્ઞાન આપ બાળકોને અહીંયા મળે
છે. કમળફૂલ સમાન ગૃહસ્થ વ્યવહાર માં રહી પવિત્ર બનો. ભગવાનુવાચ છે ને. આ એક જન્મ
પવિત્ર બનવાથી ભવિષ્ય ૨૧ જન્મ તમે પવિત્ર દુનિયાનાં માલિક બનશો, સતયુગ ને કહેવાય છે
શિવાલય. કળયુગ છે વેશ્યાલય. આ દુનિયા બદલાય છે. ભારતની જ વાત છે. બીજાઓની વાતમાં જવું
જ ન જોઈએ. બોલે જનાવરો નું શું થશે? બીજા ધર્મોનું શું થશે? બોલો, પહેલાં પોતાનું
તો સમજો, પછી બીજાની વાત. ભારતવાસી જ પોતાનાં ધર્મને ભૂલી દુઃખી થયાં છે. ભારત માં
જ પોકારે છે તુમ માતા-પિતા…..વિલાયત (વિદેશ) માં માતા-પિતા અક્ષર નથી કહેતાં. તે
ફક્ત ગોડફાધર કહે છે. બરાબર ભારતમાં જ સુખ ઘનેરા હતાં, ભારત સ્વર્ગ હતું-આ પણ તમે
જાણો છો. બાપ આવીને કાંટાઓને ફૂલ બનાવે છે. બાપ ને બાગવાન કહે છે. બોલાવે છે - આવીને
કાંટાઓ ને ફૂલ બનાવો. બાપ ફૂલોનો બગીચો બનાવે છે. માયા પછી કાંટાઓનું જંગલ બનાવે
છે. મનુષ્ય તો કહી દે છે-ઈશ્વર તારી માયા ખુબ પ્રબળ છે. ન ઈશ્વર ને, ન માયા ને સમજે
છે. કોઈએ અક્ષર કહ્યો બસ રીપીટ કરતાં રહે છે. અર્થ કાંઈ નથી. આપ બાળકો સમજો છો આ
ડ્રામા ની રમત છે-રામરાજ્ય ની અને રાવણ રાજ્ય ની. રામ રાજ્ય માં સુખ, રાવણ રાજ્ય
માં દુઃખ છે. અહીંયા ની જ વાત છે. આ કોઈ પ્રભુ ની માયા નથી. માયા કહેવાય છે ૫ વિકારો
ને, જેને રાવણ કહે છે. બાકી મનુષ્ય તો પુનર્જન્મ લઈ ૮૪ નાં ચક્ર માં આવે છે. સતોગુણી
થી તમોપ્રધાન બનવાનું છે. આ સમયે બધાં વિકાર થી પેદા થાય છે - એટલે વિકારી કહેવાય
છે. નામ પણ છે વિશશ (વિકારી) દુનિયા પછી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા અર્થાત્ જૂની
દુનિયા થી નવી કેવી રીતે બને છે, આ તો સમજવાની કોમન (સાધારણ) વાત છે. ન્યુ વર્લ્ડ
માં પહેલાં હેવન (સ્વર્ગ) હતું. બાળકો જાણે છે સ્વર્ગ ની સ્થાપના કરવાવાળા પરમપિતા
પરમાત્મા છે, એમાં સુખ ઘનેરા હોય છે. જ્ઞાન થી દિવસ, ભક્તિ થી રાત કેવી રીતે થાય છે
- આ પણ કોઈ સમજતાં નથી. કહેશે બ્રહ્મા તથા બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો નો દિવસ
પછી એજ બ્રાહ્મણો ની રાત. દિવસ અને રાત અહીંયા થાય છે, આ કોઈ નથી સમજતું. પ્રજાપિતા
બ્રહ્માની રાત, તો જરુર તેમનાં બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ની પણ રાત હશે.
અડધોકલ્પ દિવસ, અડધોકલ્પ રાત.
હવે બાપ આવ્યાં છે નિર્વિકારી દુનિયા બનાવવાં. બાપ કહે છે-બાળકો, કામ મહાશત્રુ છે,
તેનાં પર જીત પામવાની છે. સંપૂર્ણ નિર્વિકારી પવિત્ર બનવાનું છે. અપવિત્ર બનવાથી તમે
પાપ ખુબ કર્યા છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. પાપ જરુર શરીર ની સાથે કરશે, ત્યારે
પાપ આત્મા બનશે. દેવતાઓની પવિત્ર દુનિયામાં પાપ થતાં નથી. અહીંયા તમે શ્રીમત થી
શ્રેષ્ઠ પુણ્ય આત્મા બની રહ્યાં છો. શ્રી શ્રી ૧૦૮ ની માળા છે. ઉપર માં છે ફૂલ, એને
કહેશે શિવ. એ છે નિરાકારી ફૂલ. પછી સાકાર માં મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) છે, તેમની
માળા બનેલી છે. શિવબાબા દ્વારા આ પૂજન સિમરણ લાયક બને છે. આપ બાળકો જાણો છો-બાબા
આપણને વિજય માળા નાં દાણા બનાવે છે. આપણે વિશ્વ પર વિજય પામી રહ્યાં છીએ યાદનાં બળ
થી, યાદ થી જ વિકર્મ વિનાશ થશે. પછી તમે સતોપ્રધાન બની જશો. તે લોકો તો વગર સમજે કહી
દે છે પ્રભુ તારી માયા પ્રબળ છે. કોઈની પાસે ધન હશે કહેશે આમની પાસે માયા ખુબ જ છે.
વાસ્તવ માં માયા ૫ વિકારોને કહેવાય છે, જેને રાવણ પણ કહેવાય છે. તેમણે પછી રાવણ નું
ચિત્ર બનાવી દીધું છે. ૧૦ માથા વાળું. હવે ચિત્ર છે તો સમજાવાય છે. જેમ અંગદ નાં
માટે પણ દેખાડે છે, તેને રાવણે હલાવ્યો પરંતુ હલાવી ન શક્યો. દૃષ્ટાંત બનાવી દીધાં
છે. બાકી કોઈ વસ્તુ છે નહીં. બાપ કહે છે માયા તમને કેટલું પણ હલાવે પરંતુ તમે સ્થિર
રહો. રાવણ, હનુમાન, અંગદ વગેરે આ બધાં દૃષ્ટાંત બનાવી દીધાં છે, જેનો અર્થ આપ બાળકો
જાણો છો. ભ્રમરી નું પણ દૃષ્ટાંત છે. ભ્રમરી અને બ્રાહ્મણી રાશિ મળે છે. તમે વિષ્ટા
નાં કીડા ને જ્ઞાન-યોગ ની ભૂ-ભૂ કરી પતિત થી પાવન બનાવો છો. બાપ ને યાદ કરો તો
સતોપ્રધાન બની જશો. કાચબા નું પણ દૃષ્ટાંત છે. ઇન્દ્રિયો ને સમેટી ને અંતર્મુખ થઈ
બેસી જાય છે. તમને પણ બાપ કહે છે ભલે કર્મ કરો પછી અંતર્મુખ થઈ જાઓ. જેમ કે આ સૃષ્ટિ
છે જ નહીં. ચુરપુર (હલચલ) બંધ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં બાહરમુખી બની જાય છે. ગીત
ગાવું, આ કરવું, કેટલો હંગામો, કેટલાં ખર્ચા થાય છે. કેટલાં મેળા લાગે છે. બાપ કહે
છે આ બધું છોડી અંતર્મુખ થઈ જાઓ. જેમ કે આ સૃષ્ટિ છે નહીં. પોતાને જુઓ અમે લાયક
બન્યાં છીએ? કોઈ વિકાર તો નથી સતાવતો? અમે બાપ ને યાદ કરીએ છીએ? બાપ જે વિશ્વનાં
માલિક બનાવે છે, આવાં બાપને દિવસ-રાત યાદ કરવાં જોઈએ. આપણે આત્મા છીએ, આપણા એ બાપ
છે. અંદર માં આ ચાલતું રહે-અમે હવે નવી દુનિયાનાં ફૂલ બની રહ્યાં છીએ. અક નું કે
ટગર નું ફૂલ નથી બનવાનું. આપણે તો એકદમ કિંગ ઓફ ફ્લાવર (ફૂલોનાં રાજા) બિલકુલ
સુગંધિત બનવાનું છે. કોઈ દુર્ગંધ ન રહે. ગંદા ખ્યાલાત નીકળી જવાં જોઈએ. માયાનાં
તોફાન, પાડવા માટે ખુબ આવશે. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ નથી કરવાનાં. આમ-આમ પોતાને
પાક્કા કરવાનાં છે. પોતાને સુધારવાનાં છે. કોઈ પણ દેહધારી ને મારે યાદ નથી કરવાનાં.
બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો, શરીર નિર્વાહ અર્થ કર્મ પણ ભલે કરો.
એનાથી પણ સમય નીકાળી શકો છો. ભોજન ખાતાં સમયે પણ બાપની મહિમા કરતા રહો. બાબા ને યાદ
કરી ખાવાથી ભોજન પણ પવિત્ર થઈ જાય છે. જ્યારે બાપને નિરંતર યાદ કરશો ત્યારે યાદ થી
જ અનેક જન્મો નાં પાપ કપાશે અને તમે સતોપ્રધાન બનશો. જોવાનું છે કેટલું સાચું સોનું
બન્યો છું? આજે કેટલાં કલાક યાદમાં રહ્યો? કાલે ૩ કલાક યાદમાં રહ્યો, આજે ૨ કલાક
રહ્યો-આ તો આજે ઘાટો થઈ ગયો. ઉતરવાનું અને ચઢવાનું થતું રહેશે. યાત્રા પર જાય છે તો
ક્યાંક ઉંચે, ક્યાંક નીચે હોય છે. તમારી અવસ્થા પણ નીચે-ઉપર થતી રહેશે. પોતાનું ખાતું
જોવાનું છે. મુખ્ય છે યાદ ની યાત્રા.
ભગવાનુવાચ છે તો જરુર બાળકોને જ ભણાવશે. આખી દુનિયાને કેવી રીતે ભણાવશે. હવે ભગવાન
કોને કહેવાય? કૃષ્ણ તો શરીરધારી છે. ભગવાન તો નિરાકાર પરમપિતા પરમાત્મા ને કહેવાય
છે. સ્વયં કહે છે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું. બ્રહ્માનું પણ વૃદ્ધ તન
ગવાયેલું છે. સફેદ દાઢી મૂછ તો વૃદ્ધ ની જ હોય છે ને. જોઈએ પણ જરુર અનુભવી રથ. નાના
રથ માં થોડી પ્રવેશ કરશે. પોતે જ કહે છે મને કોઈ જાણતું નથી. એ છે સુપ્રીમ ગોડફાધર
અથવા સુપ્રીમ સોલ. તમે પણ ૧૦૦ ટકા પવિત્ર હતાં. હમણાં ૧૦૦ ટકા અપવિત્ર બન્યાં છો.
સતયુગ માં ૧૦૦ ટકા પ્યોરિટી (પવિત્રતા) હતી તો પીસ એન્ડ પ્રોસપર્ટી (શાંતિ અને
સમૃદ્ધિ) પણ હતી. મુખ્ય છે પ્યોરિટી. જુઓ પણ છો પવિત્રતા વાળા ને અપવિત્ર માથું
ટેકવે છે, તેમની મહિમા ગાએ છે. સંન્યાસીઓની આગળ એવું ક્યારેય નહીં કહેશે કે આપ
સર્વગુણ સમ્પન્ન…... અમે પાપી નીંચ છીએ. દેવતાઓની આગળ એવું કહે છે. બાબા એ સમજાવ્યું
છે-કુમારી ને બધાં માથું ટેકવે છે તો પછી લગ્ન કરે છે તો બધાં આગળ માથું ટેકવે છે
કારણ કે વિકારી બને છે ને. હમણાં બાપ કહે છે તમે નિર્વિકારી બનશો તો અડધોકલ્પ
નિર્વિકારી થઈ રહેશો. હમણાં ૫ વિકારોનું રાજ્ય જ ખતમ થાય છે. આ છે મૃત્યુલોક, તે છે
અમરલોક. હમણાં આપ આત્માઓને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. બાપ જ આપે છે. તિલક પણ
મસ્તક પર આપે છે. હમણાં આત્માને જ્ઞાન મળી રહ્યું છે, શેનાં માટે ? તમે પોતાને પોતે
જ રાજતિલક આપો. જેમ બેરિસ્ટરી ભણે છે તો ભણીને પોતાને પોતે જ બેરિસ્ટરી નું તિલક આપે
છે. ભણશે તો તિલક મળશે. આશીર્વાદ થી થોડું મળશે. પછી તો બધાં ઉપર શિક્ષક કૃપા કરે,
બધાં પાસ થઈ જાય. બાળકોને પોતાને પોતે જ રાજતિલક આપવાનું છે. બાપ ને યાદ કરશો તો
વિકર્મ વિનાશ થશે અને ચક્રને યાદ કરવાથી ચક્રવર્તી મહારાજા બની જશો. બાપ કહે છે તમને
રાજાઓનો રાજા બનાવું છું. દેવી-દેવતાઓ ડબલ સિરતાજ બને છે. પતિત રાજાઓ પણ તેમની પૂજા
કરે છે. તમને પુજારી રાજાઓથી પણ ઊંચા બનાવે છે. જે ખુબ દાન-પુણ્ય કરે છે તો રાજાઓની
પાસે જન્મ લે છે કારણ કે કર્મ સારા કર્યા છે. હમણાં અહીંયા તમને મળ્યું છે અવિનાશી
જ્ઞાન ધન, તે ધારણ કરી પછી દાન કરવાનું છે. આ સોર્સ ઓફ ઇન્કમ (આવકનું સાધન) છે.
શિક્ષક પણ વિદ્યા નું દાન કરે છે. તે ભણતર છે અલ્પકાળ નાં માટે. વિલાયત થી ભણીને આવે
છે, આવવાથી જ હાર્ટ ફેલ થઈ જાય છે તો ભણતર ખતમ. વિનાશી થઈ ગઈ ને. મહેનત બધી મફત માં
ગઈ. તમારી મહેનત આમ નથી જઈ શકતી. તમે જેટલું સારું ભણશો એટલું ૨૧ જન્મ તમારું ભણતર
કાયમ રહેશે. ત્યાં અકાળે મૃત્યુ થતી જ નથી. આ ભણતર સાથે લઈ જશો.
હવે જેમ બાપ કલ્યાણકારી છે તેમ આપ બાળકોએ પણ કલ્યાણકારી બનવાનું છે. બધાને રસ્તો
બતાવવાનો છે. બાબા તો સલાહ ખુબ સારી આપે છે. એક જ વાત સમજાવો કે સર્વશ્રેષ્ઠ શિરોમણી
શ્રીમદ્ ભગવત ગીતાની આટલી મહિમા કેમ છે? ભગવાનની જ શ્રેષ્ઠ મત છે. હવે ભગવાન કોને
કહેવાય? ભગવાન તો એક જ હોય છે. એ છે નિરાકાર, સર્વ આત્માઓનાં બાપ, એટલે આપસમાં
ભાઈ-ભાઈ કહે છે પછી જ્યારે બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચે છે તો બહેન-ભાઈ થઈ જાય
છે. આ સમયે તમે ભાઈ-બહેન છો તો પવિત્ર રહેવું પડે. આ છે યુક્તિ. ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ)
એકદમ નીકળી જાય. સંભાળ રાખવાની છે, અમારી આંખો ક્યાં ચંચળ તો નથી બની? બજારમાં ચણા
જોઈ દિલ તો નથી થયું? આવું દિલ અનેકો નું થાય છે, પછી ખાઈ પણ લે છે. બ્રાહ્મણી છે,
કોઈ ભાઈની સાથે જાય છે તે કહે છે ચણા ખાઈશ, એક વખત ખાવાથી પાપ થોડું લાગી જશે! જે
કાચ્ચા હોય છે તે ઝટ ખાઈ લે છે. આનાં પર શાસ્ત્રો માં પણ અર્જુન નું દૃષ્ટાંત છે. આ
વાર્તાઓ બેસી બનાવી છે. બાકી છે બધી આ સમય ની વાતો.
તમે બધી સીતાઓ છો. તમને બાપ કહે છે એક બાપ ને યાદ કરો તો પાપ કપાઈ જશે. બાકી બીજી
કોઈ વાતો છે નહીં. હમણાં તમે સમજો છો રાવણ કોઈ એવો મનુષ્ય નથી. આ તો વિકારો ની
પ્રવેશતા થઈ જાય છે તો રાવણ સંપ્રદાય કહેવાય છે. જેમ કોઇ-કોઈ એવું કામ કરે છે તો કહે
છે-તમે તો અસુર છો. ચલન આસુરી છે. વિકારી બાળકોને કહેશે તમે કુળ કલંકિત બનો છો. આ
પછી બેહદ નાં બાપ કહે છે તમને હું કાળા થી ગોરા બનાવું છે પછી કાળુ મોઢું કરો છો.
પ્રતિજ્ઞા કરી પછી વિકારી બની જાઓ છો. કાળા થી પણ કાળા બની જાય છે એટલે પથ્થરબુદ્ધિ
કહેવાય છે. ફરી હવે તમે પારસબુદ્ધિ બનો છો. તમારી ચઢતી કળા થાય છે. બાપ ને ઓળખ્યાં
અને વિશ્વનાં માલિક બન્યાં. સંશય ની વાત હોઈ ન શકે. બાપ છે હેવનલી ગોડફાધર. તો જરુર
હેવન સૌગાત માં લાવશે ને, બાળકોનાં માટે. શિવજયંતી પણ મનાવે છે-શું કરતાં હશે? વ્રત
વગેરે રાખતાં હશે. વાસ્તવ માં વ્રત રાખવું જોઇએ વિકારો નું. વિકારમાં નથી જવાનું.
આનાથી જ તમે આદિ-મધ્ય-અંત દુઃખ પામ્યું છે. હવે આ એક જન્મ પવિત્ર બનો. જૂની દુનિયાનો
વિનાશ સામે ઉભો છે. તમે જોજો ભારત માં ૯ લાખ જઈને રહેશે, પછી શાંતિ થઈ જશે. બીજા
ધર્મ જ નહીં રહેશે જે તાળી વાગે. એક ધર્મ ની સ્થાપના બાકી અનેક ધર્મ વિનાશ થઈ જશે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન ધન સ્વયં માં ધારણ કરી પછી દાન કરવાનું છે. ભણતર થી પોતે પોતાને સ્વયં જ
રાજતિલક આપવાનું છે. જેમ બાપ કલ્યાણકારી છે તેમ કલ્યાણકારી બનવાનું છે.
2. ખાવાની-પીવાની પૂરે-પૂરી પરહેજ રાખવાની છે. ક્યારેય પણ આંખો દગો ન આપે-આ સંભાળ
રાખવાની છે. પોતાને સુધારવાનું છે. કર્મેન્દ્રિયો થી કોઈ પણ વિકર્મ નથી કરવાનું.
વરદાન :-
બીજરુપ સ્થિતિ
દ્વારા આખાં વિશ્વને લાઈટ નું પાણી આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
બીજરુપ સ્ટેજ સૌથી
પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી અવસ્થા) છે આ જ સ્ટેજ લાઈટ હાઉસ નું કાર્ય કરે છે, આનાથી
આખા વિશ્વમાં લાઈટ ફેલાવવાનાં નિમિત્ત બનો છો. જેમ બીજ દ્વારા સ્વતઃ જ આખા વૃક્ષને
પાણી મળી જાય છે એમ જ્યારે બીજરુપ સ્ટેજ પર સ્થિત રહો છો તો વિશ્વને લાઈટ નું પાણી
મળે છે. પરંતુ આખા વિશ્વ સુધી પોતાની લાઈટ ફેલાવવા માટે વિશ્વ કલ્યાણકારી ની
પાવરફુલ સ્ટેજ જોઈએ. તેનાં માટે લાઈટ હાઉસ બનો ન કે બલ્બ. દરેક સંકલ્પ માં સ્મૃતિ
રહે કે આખા વિશ્વનું કલ્યાણ થાય.
સ્લોગન :-
એડજેસ્ટ થવાની
શક્તિ નાજુક સમય પર પાસ વિદ ઓનર બનાવી દેશે.