01-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
ભણતર થી પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની છે . સાથે - સાથે પતિત થી પાવન બનાવવાનો
રસ્તો પણ બતાવવાનો છે , રુહાની સર્વિસ ( સેવા ) કરવાની છે ”
પ્રશ્ન :-
કયો મંત્ર યાદ
રાખો તો પાપ કર્મો થી બચી જશો?
ઉત્તર :-
બાપે મંત્ર આપ્યો છે-હિયર નો ઈવિલ (ખરાબ ન સાંભળો), સી નો ઈવિલ (ખરાબ ન જુઓ)…. આ જ
મંત્ર યાદ રાખો. તમારે પોતાની કર્મેન્દ્રિયો થી કોઈ પાપ નથી કરવાનું. કળયુગ માં બધાં
થી પાપ કર્મ જ થાય છે એટલે બાબા આ યુક્તિ બતાવે છે, પવિત્રતા નો ગુણ ધારણ કરો - આ જ
નંબરવન ગુણ છે.
ઓમ શાંતિ!
બાળકો કોની
સામે બેઠા છે. બુદ્ધિમાં જરુર ચાલતું હશે કે અમે પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા,
પોતાનાં બેહદનાં બાપની સામે બેઠા છીએ. ભલે બ્રહ્માનાં તન માં છે તો પણ યાદ એમને
કરવાનાં છે. મનુષ્ય કોઈ સર્વની સદ્દગતિ નથી કરી શકતાં. મનુષ્ય ને પતિત-પાવન નથી
કહેવાતું. બાળકોએ સ્વયં ને આત્મા સમજવું પડે. આપણે સૌ આત્માઓનાં બાપ એ છે. એ બાપ
આપણને સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છે. આ બાળકોએ જાણવું જોઈએ અને પછી ખુશી પણ થવી
જોઈએ. આ પણ બાળકો જાણે છે અમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. ખુબ સહજ રસ્તો
મળી રહ્યો છે. ફક્ત યાદ કરવાનાં છે અને પોતાનામાં દેવી ગુણ ધારણ કરવાનાં છે. પોતાની
જાંચ (તપાસ) કરવાની છે. નારદ નું દૃષ્ટાંત પણ છે. આ બધાં દૃષ્ટાંત, જ્ઞાનનાં સાગર
બાપે જ આપ્યાં છે. જે પણ સન્યાસી વગેરે દૃષ્ટાંત આપે છે, તે બધાં બાપનાં આપેલા છે.
ભક્તિમાર્ગ માં ફક્ત ગાતા રહે છે. કાચબા નું, સાપ નું, ભ્રમરી નું દૃષ્ટાંત આપશે.
પરંતુ પોતે કાંઈ પણ નથી કરી શકતાં. બાપનાં આપેલા દૃષ્ટાંત ભક્તિમાર્ગ માં પછી રીપીટ
(પુનરાવર્તન) કરે છે. ભક્તિમાર્ગ છે જ પાસ્ટ (ભૂતકાળ) નો. આ સમય જે પ્રેક્ટીકલ થાય
છે તેનું પછી ગાયન થાય છે. ભલે દેવતાઓનો જન્મદિવસ અથવા ભગવાનનો જન્મ દિવસ મનાવે છે
પરંતુ જાણતાં કાંઈ પણ નથી. હમણાં તમે સમજતા જાઓ છો. બાપ થી શિક્ષા લઈને પતિત થી
પાવન પણ બનો છો અને પતિતો ને પાવન બનાવવાનો રસ્તો પણ બતાવો છો. આ છે તમારી મુખ્ય
રુહાની સર્વિસ. પહેલાં-પહેલાં કોઈને પણ આત્માનું જ્ઞાન આપવાનું છે. તમે આત્મા છો.
આત્મા ની પણ કોઈને ખબર નથી. આત્મા તો અવિનાશી છે. જ્યારે સમય થાય છે આત્મા શરીરમાં
આવીને પ્રવેશ કરે છે તો પોતાને ઘડી-ઘડી આત્મા સમજવાનું છે. આપણા આત્માઓનાં બાપ
પરમપિતા પરમાત્મા છે. પરમ શિક્ષક પણ છે. આ પણ હંમેશા બાળકોને યાદ રહેવું જોઈએ. આ
ભૂલવું ન જોઈએ. તમે જાણો છો હવે પાછાં જવાનું છે. વિનાશ સામે ઊભો છે. સતયુગ માં દેવી
પરિવાર ખુબ નાનો હોય છે. કળયુગ માં તો કેટલાં અસંખ્ય મનુષ્ય છે. અનેક ધર્મ, અનેક મતો
છે. સતયુગ માં આ કંઈ પણ હોતું નથી. બાળકોએ આખો દિવસ બુદ્ધિમાં આ વાતો લાવવાની છે. આ
ભણતર છે ને. તે ભણતરમાં તો કેટલાં પુસ્તકો વગેરે હોય છે. દરેક ક્લાસ (ધોરણ) માં
નવાં-નવાં પુસ્તકો ખરીદી કરવા પડે છે. અહીંયા તો કોઈ પણ પુસ્તક કે શાસ્ત્રો વગેરેની
વાત નથી. આમાં તો એક જ વાત, એક જ ભણતર છે. અહીંયા જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ (અંગ્રેજ
સરકાર) હતી, રાજાઓનું રાજ્ય હતું, તો સ્ટેમ્પ માં પણ રાજા-રાણી નાં સિવાય બીજા કોઈ
નો ફોટો નહોતાં નાખતાં. આજ કાલ તો જુઓ ભક્ત વગેરે જે પણ થઈને ગયાં છે તેમનાં પણ
સ્ટેમ્પ બનાવતા રહે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે તો ચિત્ર પણ એક જ
મહારાજા-મહારાણી નું હશે. એવું નહીં જે પાસ્ટ દેવતાઓ થઈને ગયાં છે તેમનાં ચિત્ર
લુપ્ત ગયાં છે. નહીં, જૂનામાં જૂનાં દેવતાઓનાં ચિત્ર ખુબ દિલ થી લે છે કારણ કે
શિવબાબા નાં પછી નેક્સ્ટ છે દેવતાઓ. આ બધી વાતો આપ બાળકો ધારણ કરી રહ્યાં છો બીજાઓને
રસ્તો બતાવવા. આ છે બિલકુલ નવું ભણતર. તમે જ આ સાંભળ્યું હતું અને પદ પામ્યું હતું.
બીજા કોઈ નથી જાણતાં. તમને રાજયોગ પરમપિતા પરમાત્મા શીખવાડી રહ્યાં છે. મહાભારત
લડાઈ પણ પ્રખ્યાત છે. શું થાય છે તે તો આગળ ચાલી જોઈશું. કોઈ શું કહે, કોઈ શું કહે.
દિવસ-પ્રતિદિવસ મનુષ્ય ને અનુભવ થતું જાય છે. કહે પણ છે વર્લ્ડ વોર (વિશ્વયુદ્ધ)
લાગી જશે. એનાથી પહેલાં આપ બાળકોએ પોતાનાં ભણતર થી કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવાની
છે. બાકી અસુરો અને દેવતાઓની કોઈ લડાઈ નથી થતી. આ સમયે તમે બ્રાહ્મણ સંપ્રદાય છો જે
પછી જઈને દેવી સંપ્રદાય બનો છો એટલે આ જન્મ માં દેવીગુણ ધારણ કરી રહ્યાં છો. નંબરવન
દેવીગુણ છે પવિત્રતા નો. તમે આ શરીર દ્વારા કેટલાં પાપ કરતા આવ્યાં છો. આત્માને જ
કહેવાય છે પાપ આત્મા, આત્મા આ કર્મેન્દ્રિયો થી કેટલાં પાપ કરતી રહે છે. હવે હિયર
નો ઈવિલ…. કોને કહેવાય છે? આત્મા ને. આત્મા જ કાનો થી સાંભળે છે. બાપે આપ બાળકોને
સ્મૃતિ અપાવે છે કે તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા હતાં, ચક્ર મારીને આવ્યાં હવે
ફરી તમારે એજ બનવાનું છે. આ મીઠી સ્મૃતિ આવવાથી પવિત્ર બનવાની હિમ્મત આવે છે. તમારી
બુદ્ધિ માં છે અમે કેવી રીતે ૮૪ નો પાર્ટ ભજવ્યો છે. પહેલાં-પહેલાં અમે આ હતાં. આ
વાર્તા છે ને. બુદ્ધિમાં આવવું જોઈએ ૫ હજાર વર્ષ પહેલાં હમ સો દેવતા હતાં. આપણે
આત્મા મૂળવતન ની રહેવાવાળી છીએ. પહેલાં આ જરા પણ ખ્યાલ નહોતો-આપણું આત્માઓનું એ ઘર
છે. ત્યાંથી આપણે આવીએ છીએ પાર્ટ ભજવવાં. સૂર્યવંશી-ચંદ્રવંશી....બન્યાં. હમણાં તમે
બ્રહ્માની સંતાન બ્રાહ્મણ વંશી છો. તમે ઈશ્વરીય ઓલાદ બન્યાં છો. ઈશ્વર બેસી તમને
શિક્ષા આપે છે. આ સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક, સુપ્રીમ ગુરુ પણ છે. આપણે એમની મત
થી બધાં મનુષ્યને શ્રેષ્ઠ બનાવીએ છીએ. મુક્તિ-જીવનમુક્તિ બંને શ્રેષ્ઠ છે. આપણે
પોતાનાં ઘરે જઈશું પછી પવિત્ર આત્માઓ આવીને રાજ્ય કરશે. આ ચક્ર છે ને. આને કહેવાય
છે સ્વદર્શન ચક્ર. આ જ્ઞાન ની વાત છે. બાપ કહે છે તમારું આ સ્વદર્શન ચક્ર રુકવું ન
જોઈએ. ફરતું રહેવાથી વિકર્મ વિનાશ થઇ જશે. તમે આ રાવણ પર જીત પામી લેશો. પાપ મટી જશે.
હવે સ્મૃતિ આવી છે, સિમરણ કરવાનાં માટે. એવું નહીં, માળા બેસી સિમરણ કરવાની છે.
આત્મામાં અંદર જ્ઞાન છે જે આપ બાળકોએ બીજા ભાઈ-બહેનો ને સમજાવવાનું છે. બાળકો પણ
મદદગાર તો બનશે ને. આપ બાળકોને જ સ્વદર્શન ચક્રધારી બનાવું છું. આ જ્ઞાન મારા માં
છે એટલે મને જ્ઞાનનાં સાગર મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ કહે છે. એમને બાગવાન કહેવાય છે.
દેવી-દેવતા ધર્મ નું બીજ શિવબાબા એ જ લગાવ્યું છે. હમણાં તમે દેવી-દેવતા બની રહ્યાં
છો. આ આખો દિવસ સિમરણ કરતા રહો તો પણ તમારું ખુબ કલ્યાણ છે. દેવીગુણ પણ ધારણ કરવાનાં
છે. પવિત્ર પણ બનવાનું છે. સ્ત્રી-પુરુષ બંને સાથે રહેતા પવિત્ર બનો છો. આવો ધર્મ
તો હોતો નથી. નિવૃત્તિ માર્ગવાળા તો તે ફક્ત પુરુષ બને છે. કહે છે ને -
સ્ત્રી-પુરુષ બંને સાથે પવિત્ર રહી ન શકે, મુશ્કેલ છે. સતયુગ માં હતાં ને.
લક્ષ્મી-નારાયણ ની મહિમા પણ ગવાય છે.
હમણાં તમે જાણો છો બાબા આપણને શુદ્ર થી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે. આપણે જ
પૂજ્ય થી પુજારી બનીશું. પછી જ્યારે વામમાર્ગ માં જઈશું તો શિવ નાં મંદિર બનાવી પૂજા
કરીશું. આપ બાળકોને પોતાનાં ૮૪ જન્મ નું જ્ઞાન છે. બાપ જ કહે છે તમે પોતાનાં જન્મો
ને નથી જાણતાં, હું બતાવું છું. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. તમને હવે બાપ
સ્વદર્શન ચક્રધારી બનાવે છે. તમે આત્મા પવિત્ર બની રહી છો. શરીર તો અહીંયા પવિત્ર
બની ન શકે. આત્મા પવિત્ર બની જાય છે તો પછી અપવિત્ર શરીર ને છોડવું પડે છે. બધી
આત્માઓએ પવિત્ર થઈને જવાનું છે. પવિત્ર દુનિયા હવે સ્થાપન થઈ રહી છે. બાકી બધાં
સ્વીટ હોમ માં ચાલ્યા જશે. આ યાદ રાખવું જોઈએ.
બાપની યાદની સાથે-સાથે ઘરની પણ યાદ જરુર જોઈએ કારણ કે હવે પાછું ઘરે જવાનું છે. ઘરમાં
જ બાપ ને યાદ કરવાનાં છે. ભલે તમે જાણો છો બાબા આ તનમાં આવીને આપણને સંભળાવી રહ્યાં
છે પરંતુ બુદ્ધિ પરમધામ સ્વીટ હોમ થી તૂટવી ન જોઈએ. શિક્ષક ઘર છોડીને આવે છે, તમને
ભણાવવાં. ભણાવીને પછી ખુબ દૂર ચાલ્યાં જાય છે. સેકન્ડમાં ક્યાંય પણ જઈ શકે છે. આત્મા
કેટલી નાની બિંદી છે. વન્ડર (આશ્ચર્ય) ખાવું જોઈએ. બાપે આત્માનું પણ જ્ઞાન આપ્યું
છે. આ પણ તમે જાણો છો સ્વર્ગમાં કોઈ ગંદી વસ્તુ હોતી નથી, જેમાં હાથ-પગ અથવા કપડાં
વગેરે મેલા થાય. દેવતાઓની કેવી સુંદર પહેરવેશ છે. કેટલાં ફર્સ્ટ ક્લાસ કપડા હશે.
ધોવાની પણ દરકાર નથી. તેમને જોઈને કેટલી ખુશી થવી જોઈએ. આત્મા જાણે છે ભવિષ્ય ૨૧
જન્મ અમે આ બનીશું. બસ જોતાં રહેવું જોઈએ. આજ ચિત્ર બધાની પાસે હોવા જોઈએ. આમાં ખુબ
ખુશી જોઈએ-અમને બાબા આ બનાવે છે. એવાં બાબાનાં આપણે બાળકો પછી રડીએ કેમ છીએ! આપણને
કોઈ ફિકર થોડી હોવી જોઈએ. દેવતાઓનાં મંદિરમાં જઈને મહિમા ગાએ છે- સર્વગુણ સંપન્ન…..
અચતમ કેશવમ…. કેટલાં નામ બોલતા જાય છે. આ બધું શાસ્ત્રોમાં લખેલું હોય છે જે યાદ કરે
છે. શાસ્ત્રો માં કોણે લખ્યું? વ્યાસે. અથવા કોઈ નવાં-નવાં પણ બનાવતા રહે છે. ગ્રંથ
પહેલાં ખુબ નાનાં હતાં હાથે થી લખેલા હતાં. હમણાં તો કેટલાં મોટાં બનાવી દીધાં છે.
જરુર એડિસન (ઉમેરો) કર્યું હશે. હવે ગુરુનાનક તો આવે જ છે ધર્મની સ્થાપના કરવાં.
જ્ઞાન આપવા વાળા તો એક જ છે. ક્રાઈસ્ટ પણ આવે છે ફક્ત ધર્મની સ્થાપન કરવા માટે.
જ્યારે બધાં આવી જાય છે તો પછી પાછાં જશે. ઘરે મોકલવા વાળા કોણ? શું ક્રાઈસ્ટ? ના.
તે તો ભિન્ન નામ-રુપમાં તમોપ્રધાન અવસ્થા માં છે. સતો, રજો, તમો માં આવે છે ને. આ
સમયે બધાં તમોપ્રધાન છે. બધાની જડજડીભૂત અવસ્થા છે ને. પુનર્જન્મ લેતા-લેતા આ સમયે
બધાં ધર્મવાળા આવીને તમોપ્રધાન બન્યાં છે. હવે બધાને પાછાં જવાનું છે જરુર. ફરીથી
ચક્ર ફરવું જોઈએ. પહેલાં નવો ધર્મ જોઈએ જે સતયુગમાં હતો. બાપ જ આવીને આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. પછી વિનાશ પણ થવાનો છે. સ્થાપના, વિનાશ પછી પાલના.
સતયુગ માં એક જ ધર્મ હશે. આ સ્મૃતિ આવે છે ને આખું ચક્ર સ્મૃતિ માં લાવવાનું છે.
હમણાં આપણે ૮૪ નું ચક્ર પૂરું કરી પાછાં ઘરે જઈશું. તમે બોલતાં ચાલતાં સ્વદર્શન
ચક્રધારી છો. તેઓ પછી કહે કૃષ્ણ ને સ્વદર્શન ચક્ર હતું, તેનાથી બધાં ને માર્યા.
અકાસુર બકાસુર વગેરેનાં ચિત્ર દેખાડયાં છે. પરંતુ એવી કોઈ વાત છે નહીં.
આપ બાળકોએ હમણાં સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે કારણે કે સ્વદર્શન ચક્ર થી
તમારા પાપ કપાય છે. આસુરીપણું ખતમ થાય છે. દેવતાઓ અને અસુરો ની લડાઈ તો થઈ ન શકે.
અસુર છે કે કળયુગ માં, દેવતાઓ છે સતયુગ માં. વચમાં છે સંગમયુગ. શાસ્ત્ર છે જ
ભક્તિમાર્ગ નાં. જ્ઞાનનું નામ નિશાન નથી. જ્ઞાન સાગર એક જ બાપ છે સર્વ નાં માટે.
સિવાય બાપનાં કોઈ પણ આત્મા પવિત્ર બની પાછી જઈ નથી શકતી. પાર્ટ જરુર ભજવવાનો છે, તો
હવે પોતાનાં ૮૪ નાં ચક્રને પણ યાદ કરવાનું છે. હવે આપણે સતયુગી નવાં જન્મ માં જઈએ
છીએ. આવો જન્મ પછી ક્યારેય નથી મળતો. શિવબાબા પછી બ્રહ્મા બાબા. લૌકિક, પારલૌકિક અને
આ છે અલૌકિક બાબા. આ સમયની જ વાત છે, આમને અલૌકિક કહેવાય છે. આપ બાળકો શિવબાબા નું
સિમરણ કરો છો. બ્રહ્માનું નહીં. ભલે બ્રહ્માનાં મંદિરમાં જઈને પૂજા કરે છે, તે પણ
ત્યારે પૂજાય છે જ્યારે સૂક્ષ્મવતન માં સંપૂર્ણ અવ્યકત મૂર્ત છે. આ શરીરધારી પૂજા
નાં લાયક નથી. આ તો મનુષ્ય છે ને. મનુષ્યની પૂજા થતી નથી. બ્રહ્મા ને દાઢી દેખાડે
છે તો ખબર પડે આ અહીંયાનાં છે. દેવતાઓને દાઢી હોતી નથી. આ બધી વાતો બાળકોને સમજાવી
દીધી છે. તમારું નામ પ્રસિદ્ધ છે એટલે તમારું મંદિર પણ બનાવેલું છે. સોમનાથનું
મંદિર કેટલું ઊંચે થી ઊંચું છે. સોમરસ પીવડાવ્યો પછી શું થયું? પછી અહીંયા પણ
દેલવાડા મંદિર જુઓ. મંદિર હૂબહૂ યાદગાર બનાવેલું છે. નીચે તમે તપસ્યા કરી રહ્યાં
છો, ઉપરમાં છે સ્વર્ગ. મનુષ્ય સમજે છે સ્વર્ગ ક્યાંક ઉપર છે. મંદિર માં પણ નીચે
સ્વર્ગ કેવી રીતે બનાવે! તો ઉપર છત માં બનાવી દીધું છે. બનાવવા વાળા કોઈ સમજતાં નથી.
મોટા-મોટાં કરોડપતિ છે તેમને આ સમજાવવાનું છે. તમને હમણાં જ્ઞાન મળ્યું છે તો તમે
અનેકોને આપી શકો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર થી
આસુરીપણા ને સમાપ્ત કરવા માટે ચાલતાં-ફરતાં સ્વદર્શન ચક્રધારી થઇને રહેવાનું છે. આખું
ચક્ર સ્મૃતિ માં લાવવાનું છે.
2. બાપની યાદ નાં સાથે-સાથે બુદ્ધિ પરમધામ ઘર માં પણ લાગી રહે. બાપે જે સ્મૃતિઓ
અપાવી છે તેનું સિમરણ કરી પોતાનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
સંપૂર્ણ આહુતી
દ્વારા પરિવર્તન સમારોહ મનાવવા વાળા દૃઢ સંકલ્પધારી ભવ
જેમ કહેવત છે “ધરત
પરીએ ધર્મ ન છોડીયે”, તો કોઈ પણ સરકમસ્ટાંશ (પરિસ્થિતિ) આવી જાય, માયાનું મહાવીર
રુપ સામે આવી જાય પરંતુ ધારણાઓ ન છૂટે. સંકલ્પ દ્વારા ત્યાગ કરેલ નકામી વસ્તુઓ
સંકલ્પ માં પણ સ્વીકાર ન થાય. સદા પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન, શ્રેષ્ઠ સ્મૃતિ અને
શ્રેષ્ઠ જીવન નાં સમર્થી સ્વરુપ દ્વારા શ્રેષ્ઠ પાર્ટધારી બની શ્રેષ્ઠતા ની રમત રમતાં
રહો. કમજોરીઓની બધી રમત સમાપ્ત થઈ જાય. જ્યારે અવી સંપૂર્ણ આહુતી નો સંકલ્પ દૃઢ હશે
ત્યારે પરિવર્તન સમારોહ થશે. આ સમારોહ ની તારીખ હવે સંગઠિત રુપ માં નિશ્ચિત કરો.
સ્લોગન :-
રિયલ ડાયમન્ડ
(સાચો હીરો) બનીને પોતાનાં વાયબ્રેશન (પ્રકંપન) ની ચમક વિશ્વ માં ફેલાવો.