13-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમને કોણ ભણાવવા આવ્યું છે , વિચાર કરો તો ખુશીમાં રોમાંચ ઉભાં થઈ જશે , ઊંચે થી ઊંચા બાપ ભણાવે છે , આવું ભણતર ક્યારેય છોડવાનું નથી ”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો ને કયો નિશ્ચય થયો છે? નિશ્ચયબુદ્ધિ ની નિશાની શું હશે?

ઉત્તર :-
તમને નિશ્ચય થયો અમે હમણાં એવું ભણતર ભણી રહ્યાં છીએ, જેનાથી ડબલ સિરતાજ રાજાઓનાં રાજા બનીશું. સ્વયં ભગવાન ભણાવીને અમને વિશ્વનાં માલિક બનાવી રહ્યાં છે. હમણાં આપણે એમનાં બાળક બન્યાં છીએ તો પછી આ ભણતરમાં લાગી જવાનું છે. જેમ નાનાં બાળકો પોતાનાં મા-બાપનાં સિવાય કોઈની પાસે પણ નથી જતાં. એવાં બેહદ નાં બાપ મળ્યાં છે તો બીજું કોઈ પણ પસંદ ન આવે. એક ની જ યાદ રહે.

ગીત :-
કોન આયા આજ સવેરે - સવેરે ……

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ ગીત સાંભળ્યું-કોણ આવ્યું છે અને કોણ ભણાવે છે? આ સમજવાની વાત છે. કોઈ ખુબ બુદ્ધિશાળી હોય છે, કોઈ ઓછા બુદ્ધિશાળી હોય છે. જે ખુબ ભણેલા-ગણેલા હોય છે, તેમને ખુબ બુદ્ધિશાળી કહેશે. શાસ્ત્ર વગેરે જે પણ ભણેલા-ગણેલા હોય છે, તેમનું માન હોય છે. ઓછું ભણેલા ને ઓછું માન મળે છે. હવે ગીતનાં અક્ષર સાંભળ્યાં-કોણ આવ્યું ભણાવવાં! શિક્ષક આવે છે ને. સ્કૂલમાં ભણવા વાળા જાણે છે શિક્ષક આવ્યાં. અહીંયા કોણ આવ્યું છે? એકદમ રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. ઊંચે થી ઊંચા બાપ ફરીથી ભણાવવા આવ્યાં છે. સમજવાની વાત છે ને! તકદીર ની પણ વાત છે. ભણાવવા વાળા કોણ છે? ભગવાન. એ આવી ને ભણાવે છે. વિવેક કહે છે-ભલે કોઈ કેટલું પણ ઊંચે થી ઊચું ભણતર ભણતા હોય, ફટ થી તે ભણતર છોડી ને આવી ભગવાન થી ભણે. એક સેકન્ડમાં બધુંજ છોડી બાપની પાસે ભણવા આવે.

બાબાએ સમજાવ્યું છે - હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગી બન્યાં છો. ઉત્તમ થી ઉત્તમ પુરુષ છે આ લક્ષ્મી-નારાયણ. દુનિયા માં કોઈને પણ ખબર નથી કે કયા એજ્યુકેશન (ભણતર) થી તેમણે આ પદ પામ્યું છે. તમે ભણો છો-આ પદ પામવા માટે. કોણ ભણાવે છે? ભગવાન. તો બીજા બધાં ભણતર ને છોડીને આ ભણતર માં લાગી જવું જોઈએ કારણ કે બાપ આવે જ છે કલ્પ નાં બાદ. બાપ કહે છે-હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું સમ્મુખ ભણાવવાં. વન્ડર (અદ્દભુત) છે ને. કહે પણ છે ભગવાન અમને ભણાવે છે, આ પદ પ્રાપ્ત કરાવવાં. છતાં પણ ભણતા નથી. તો બાપ કહેશે ને આ સમજુ નથી. બાપ નાં ભણતર પર પૂરું ધ્યાન નથી આપતાં. બાપ ને ભૂલી જાય છે. તમે કહો છો કે બાબા અમે ભૂલી જઈએ છીએ. શિક્ષક ને પણ ભૂલી જાય છે. આ છે માયાનાં તોફાન. પરંતુ ભણતર તો ભણવું જોઈએ ને. વિવેક કહે છે ભગવાન ભણાવે છે તો આ ભણતરમાં એકદમ લાગી જવું જોઈએ. નાનાં બાળકોને જ ભણવાનું હોય છે. આત્મા તો બધાની છે. બાકી શરીર નાનું-મોટું થાય છે. આત્મા કહે છે હું તમારો નાનો બાળક બન્યો છું. સારું, મારા બન્યાં છો તો હવે ભણો. દૂધ-પાક તો નથી. ભણતર પહેલાં. આમાં ખુબ અટેન્શન (ધ્યાન) આપવાનું છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પછી આવે છે અહીંયા સુપ્રીમ શિક્ષક ની પાસે. એ ભણાવવા વાળા શિક્ષકો પણ મુકરર છે. તો પણ સુપ્રીમ શિક્ષક તો છે ને. ૭ દિવસ ની ભઠ્ઠી પણ ગવાયેલી છે. બાપ કહે છે પવિત્ર રહો અને મને યાદ કરો. દૈવીગુણ ધારણ કર્યા તો તમે આ બની જશો. બેહદ નાં બાપ ને યાદ કરવાં પડે. નાનાં બાળકોને પણ મા-બાપનાં સિવાય બીજા કોઈ ઉપાડે છે તો તેમની પાસે જતાં નથી. તમે પણ બેહદનાં બાપ નાં બન્યાં છો તો બીજા કોઈ ને જોવાનું પસંદ પણ નહીં આવશે, પછી કોઈ પણ હોય. તમે જાણો છો આપણે ઊંચે થી ઊંચા બાપનાં છીએ. એ આપણને ડબલ સિરતાજ રાજાઓનાં રાજા બનાવે છે. લાઈટ નો તાજ મનમનાભવ અને રતન જડિત તાજ મધ્યાજીભવ. નિશ્ચય થઈ જાય છે અમે આ ભણતર થી વિશ્વનાં માલિક બનીએ છીએ. ૫ હજાર વર્ષ પછી હિસ્ટ્રી રિપીટ થાય છે ને. તમને રાજાઈ મળે છે. બાકી બધી આત્માઓ શાંતિધામ પોતાનાં ઘરે ચાલી જાય છે. હમણાં આપ બાળકોને ખબર પડી છે-અસલ માં આપણે આત્માઓ બાપની સાથે પોતાનાં ઘરમાં રહીએ છીએ. બાપનાં બનવાથી હમણાં તમે સ્વર્ગ નાં માલિક બનો છો પછી બાપ ને ભૂલી ઓરફન (અનાથ) બની જાઓ છો. ભારત આ સમયે ઓરફન છે. ઓરફન એમને કહેવાય છે જેમનાં મા-બાપ નથી હોતાં. ધક્કા ખાતા રહે છે. તમને તો હવે બાપ મળ્યાં છે, તમે આખા સૃષ્ટિ ચક્ર ને જાણો છો તો ખુશીમાં ગદ્દગદ્દ થવું જોઈએ. આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ. પરમપિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ બ્રાહ્મણોની રચે છે. આ તો ખુબ સહજ સમજવાની વાત છે. તમારા ચિત્ર પણ છે, વિરાટ રુપ નું ચિત્ર પણ બનાવ્યું છે. ૮૪ જન્મો ની વાર્તા દેખાડી છે. હમ સો દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીએ છીએ. આ કોઈ પણ મનુષ્ય નથી જાણતા કારણ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણોને ભણાવવા વાળા બાપનું, બંનેનું નામ-નિશાન ગુમ કરી દીધું છે. ઈંગ્લીશ માં પણ તમે લોકો સારી રીતે સમજાવી શકો છો. જે ઈંગ્લીશ જાણે છે તો ટ્રાન્સલેશન (અનુવાદ) કરી પછી સમજાવું જોઈએ. ફાધર નોલેજફુલ છે, એમને જ આ નોલેજ છે કે સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. આ છે ભણતર. યોગ ને પણ બાપ ની યાદ કહેવાય છે, જેને અંગ્રેજી માં કમ્યુનિયન કહેવાય છે. બાપ થી કમ્યુનિયન, ટીચર થી કમ્યુનિયન, ગુરુ થી કમ્યુનિયન. આ છે ગોડફાધર થી કમ્યુનિયન. સ્વયં બાપ કહે છે મને યાદ કરો બીજા કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. મનુષ્ય ગુરુ વગેરે કરે છે, શાસ્ત્ર વાંચે છે. લક્ષ્ય-હેતુ કાંઈ પણ નથી. સદ્દગતિ તો થતી નથી. બાપ તો કહે છે હું આવ્યો છું બધાને પાછાં લઈ જવાં. હમણાં તમારે બાપની સાથે બુદ્ધિ નો યોગ રાખવાનો છે, તો તમે ત્યાં જઈ પહોંચશો. સારી રીતે યાદ કરવાથી વિશ્વનાં માલિક બનશો. આ લક્ષ્મી-નારાયણ પેરેડાઇઝ (વૈકુંઠ) નાં માલિક હતાં ને. આ કોણ સમજાવવા વાળું છે. બાપને કહેવાય છે નોલેજફુલ. મનુષ્ય પછી કહી દે છે અંતર્યામી. વાસ્તવમાં અંતર્યામી નો અક્ષર છે નહીં. અંદર રહેવા વાળી, નિવાસ કરવા વાળી તો આત્મા છે. આત્મા જે કામ કરે છે, તે તો બધાં જાણે છે. બધાં મનુષ્ય અંતર્યામી છે. આત્મા જ શીખે છે. બાપ આપ બાળકોને આત્મ-અભિમાની બનાવે છે. તમે આત્મા છો મૂળવતન ની રહેવાવાળી. તમે આત્મા કેટલી નાની છો. અનેકવખત તમે આવ્યાં છો પાર્ટ ભજવવાં. બાપ કહે છે હું બિંદી છું. મારી પૂજા તો કરી નથી શકતાં. કેમ કરશે, દરકાર જ નથી. હું આપ આત્માઓને ભણાવવા આવું છું. તમને જ રાજાઈ આપું છું પછી રાવણ રાજ્યમાં ચાલ્યા જાઓ છો તો મને જ ભૂલી જાઓ છો. પહેલાં-પહેલાં આત્મા આવે છે પાર્ટ ભજવવાં. મનુષ્ય કહે છે ૮૪ લાખ જન્મ લઈએ છીએ. પરંતુ બાપ કહે છે મેક્સિમમ (વધુમાં વધુ) છે જ ૮૪ જન્મ. ફોરેન માં જઈને આ વાતો સંભળાવશો તેઓ કહેશે આ નોલેજ તો અમને અહીંયા બેસી ભણાવો. તમને ત્યાં ૧૦૦૦ રુપિયા મળે છે, અમે તમને ૧૦-૨૦ હજાર રુપિયા આપશું. અમને પણ નોલેજ સંભળાવો. ગોડફાધર આપણને આત્માઓને ભણાવે છે. આત્મા જ જજ (ન્યાયાધીશ) વગેરે બને છે. બાકી મનુષ્ય તો બધાં છે દેહ-અભિમાની. કોઈને પણ જ્ઞાન નથી. ભલે મોટાં-મોટાં ફિલોસોફર (તત્વજ્ઞાની) વગેરે ઘણાં છે, પરંતુ આ નોલેજ કોઈને પણ નથી. ગોડફાધર (પરમપિતા) નિરાકાર ભણાવવા આવે છે. આપણે એમનાથી ભણીએ છીએ, આ વાતો સાંભળીને ચક્રિત થઇ જશે. આ વાતો તો ક્યારેય સાંભળી વાંચી નથી. એક બાપ ને જ કહો છો લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) જ્યારે કે એજ લિબરેટર છે તો પછી ક્રાઈસ્ટ ને કેમ યાદ કરો છો? આ વાતો સારી રીતે સમજાવો તો તે ચક્રિત થઈ જશે. કહેશે આ અમે સાંભળીયે તો ખરા. પેરેડાઇઝ ની સ્થાપનાં થઈ રહી છે, એનાં માટે આ મહાભારત લડાઈ પણ છે. બાપ કહે છે હું તમને રાજાઓનો રાજા ડબલ સિરતાજ બનાવું છું. પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રાસપર્ટી (સમૃદ્ધિ) બધું હતું. વિચાર કરો, કેટલાં વર્ષ થયાં? ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં એમનું રાજ્ય હતું ને. કહેશે આ તો સ્પ્રીચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ છે. આ તો ડાયરેક્ટ એ સુપ્રીમ ફાધર નાં બાળક છે, એમનાં થી રાજયોગ શીખી રહ્યાં છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપિટ (પુનરાવૃત્તિ) થાય છે, આ બધું નોલેજ છે. આપણી આત્માઓ માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. આ યોગ ની તાકાત થી આત્મા સતોપ્રધાન બની ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) માં ચાલી જશે, પછી તેનાં માટે રાજ્ય જોઈએ. જૂની દુનિયાનો વિનાશ પણ જોઈએ. તે સામે ઉભો છે પછી એક ધર્મનું રાજ્ય હશે. આ પાપ આત્માઓની દુનિયા છે ને. હમણાં તમે પાવન બની રહ્યાં છો, બોલો આ યાદનાં બળ થી અમે પવિત્ર બનીએ છીએ બીજા બધાનો વિનાશ થઇ જશે. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) પણ આવવાની છે. મારું રીયલાઈઝ (અનુભવ) કરેલું છે અને દિવ્ય દૃષ્ટિ થી જોયેલું છે. આ બધું ખલાસ થવાનું છે. બાપ આવ્યાં છે ડીટી વર્લ્ડ (દેવી દુનિયા) સ્થાપન કરવાં. સાંભળીને કહેશે ઓહો! આ તો ગોડફાધર નાં બાળકો છે. આપ બાળકો જાણો છો આ લડાઈ લાગશે, નેચરલ કેલામિટીઝ થશે. શું હાલ થશે? આ મોટાં-મોટાં મકાન વગેરે બધાં પડવા લાગી જશે. તમે જાણો છો આ બોમ્બ્સ વગેરે ૫ હજાર વર્ષ પહેલાંં પણ બનાવ્યાં હતાં પોતાનાં જ વિનાશ નાં માટે. હમણાં પણ બોમ્બ્સ તૈયાર છે. યોગબળ શું ચીજ છે, જેનાંથી તમે વિશ્વ પર વિજય પામો છો, બીજા કોઈ થોડી જાણે. બોલો, સાયન્સ (વિજ્ઞાન) તમારો જ વિનાશ કરે છે. અમારો બાપની સાથે યોગ છે તો તે સાઈલેન્સ (શાંતિ) નાં બળ થી અમે વિશ્વ પર જીત પામીને સતોપ્રધાન બની જઈએ છીએ. બાપ જ પતિત-પાવન છે. પાવન દુનિયા જરુર સ્થાપન કરીને જ છોડશે. ડ્રામા અનુસાર નોંધ છે. બોમ્બ્સ જે બનાવ્યાં છે તે રાખી દેશે શું! આવું-આવું સમજાવશો તો સમજશે આતો કોઈ ઓથોરિટી (સત્તા) છે, આમનાં માં ભગવાને આવીને પ્રવેશ કર્યો છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આવી-આવી વાતો બતાવતા રહેશો તો તેઓ ખુશ થશે. આત્મા માં કેવી રીતે પાર્ટ છે, આ પણ અનાદિ બન્યો-બનેલ ડ્રામા છે. તમારાં ક્રાઈસ્ટ પણ પુનર્જન્મ લેતા-લેતા હવે તે તમોપ્રધાન અવસ્થા માં છે. પછી પોતાનાં સમય પર ક્રાઈસ્ટ આવીને તમારો ધર્મ સ્થાપન કરશે. એવી ઓથોરિટી થી બોલશો તો તેઓ સમજશે બાપ બધાં બાળકોને બેસી સમજાવે છે. તો આ ભણતરમાં બાળકોએ લાગી જવું જોઈએ. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેવ એક જ છે. એ કેવી રીતે નોલેજ આપે છે, આ પણ તમે સમજો છો. બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે. ડીટી ડિનાયસ્ટી (દેવી વંશજ) હતી તો પવિત્ર હતાં. ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી) હતાં. વાત કરવાવાળા ખુબ હોશિયાર હોય, સ્પીડ પણ સારી હોય. બોલો બાકી બધી આત્માઓ સ્વીટહોમ માં રહે છે. બાપ જ લઈ જાય છે, સર્વનાં સદ્દગતિ દાતા એ બાપ છે. તેમનું બર્થ પ્લેસ (જન્મભૂમી) છે ભારત. આ કેટલું મોટું તીર્થ થઈ ગયું.

તમે જાણો છો બધાએ તમોપ્રધાન બનવાનું જ છે. પુનર્જન્મ બધાને લેવાનો છે, પાછું કોઈ પણ જઈ નથી શકતું. એડમ (આદિદેવ) જ ૮૪ જન્મ લે છે તો જરુર ક્રાઈસ્ટ પણ પુનર્જન્મ લેતાં-લેતાં પછી જઈને તે બનશે. આવી-આવી વાતો સમજાવવાથી ખુબ વન્ડર (આશ્ચર્ય) ખાશે. બાબા તો કહે છે જોડી હોય તો ખુબ સારું સમજાવી શકાય છે. ભારત માં પહેલાં પવિત્રતા હતી. પછી અપવિત્ર કેવી રીતે થાય છે. આ પણ બતાવી શકો છો. પૂજ્ય જ પૂજારી બની જાય છે. ઇમપ્યોર (અપવિત્ર) બનવાથી પછી પોતાની જ પૂજા કરવા લાગે છે. રાજાઓ નાં ઘરમાં પણ આ દેવતાઓનાં ચિત્ર હોય છે, જે પવિત્ર ડબલ સિરતાજ હતાં તેમને વગર તાજવાળા અપવિત્ર પૂજે છે. તે થઈ ગયાં પૂજારી રાજાઓ. તેમને તો ગોડ-ગોડેજ નહીં કહીશું કારણ કે આ દેવતાઓની પૂજા કરે છે. પોતેજ પૂજ્ય, પોતેજ પુજારી, પતિત બની જાય છે તો રાવણ રાજ્ય શરું થઈ જાય છે. આ સમયે રાવણ રાજ્ય છે. આવું-આવું બેસીને સમજાવો તો કેટલી મજા કરી દેખાડો. ગાડીનાં બે પૈડા યુગલ હોય તો ખુબ વન્ડર કરી દેખાડે. અમે યુગલ જ ફરી સો પૂજ્ય બનીશું. અમે પ્યોરિટી, પીસ, પ્રાસપર્ટી નો વારસો લઈ રહ્યાં છીએ. તમારા ચિત્ર પણ નીકળતા રહે છે. આ છે ઇશ્વરીય પરિવાર. બાપ નાં બાળકો છે, પૌત્ર અને પૌત્રીઓ છે, બસ બીજો કોઈ સંબંધ નથી. નવી સૃષ્ટિ આને કહેવાય છે પછી દેવી-દેવતા તો થોડાં બનશે. પછી ધીમે-ધીમે વૃદ્ધિ થાય છે. આ નોલેજ કેટલું સમજવાનું છે. આ બાબા પણ ધંધામાં જેમ નવાબ હતાં. કોઈ વાતની પરવા નહોતી રહેતી. જ્યારે જોયું આ તો બાપ ભણાવે છે, વિનાશ સામે ઉભો છે તો ફટ થી છોડી દીધું. આ જરુર સમજ્યું અમને બાદશાહી મળે છે તો પછી ગદાઈ શું કરીશું. તો તમે પણ સમજો છો ભગવાન ભણાવે છે, આ તો પૂરી રીતે ભણવું જોઈએ ને. એમની મત પર ચાલવું જોઈએ. બાપ કહે છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ ને તમે ભૂલી જાઓ છો, લજ્જા નથી આવતી, તે નશો નથી ચઢતો. અહીંયા થી ખુબ સારા રિફ્રેશ થઈ જાય છે પછી ત્યાં સોડાવોટર થઈ જાય છે. હવે આપ બાળકો પુરુષાર્થ કરો છો - ગામડા-ગામડા માં સર્વિસ (સેવા) કરવાનો. બાબા કહે છે પહેલાં-પહેલાં તો આ બતાવો કે આત્માઓનાં બાપ કોણ છે. ભગવાન તો નિરાકાર જ છે. એ જ આ પતિત દુનિયાને પાવન બનાવશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ભગવાન સુપ્રીમ શિક્ષક બનીને ભણાવી રહ્યાં છે એટલે સારી રીતે ભણવાનું છે, એમની મત પર ચાલવાનું છે.

2. બાપ ની સાથે એવો યોગ રાખવાનો છે જેનાથી સાઈલેન્સ નું બળ જમા થાય. સાઈલેન્સ બળ થી વિશ્વ પર જીત પામવાની છે, પતિત થી પાવન બનવાનું છે.

વરદાન :-
એકમત અને એકરસ અવસ્થા દ્વારા ધરણી ને ફળદાયક બનાવવા વાળા હિમ્મતવાન ભવ

જ્યારે આપ બાળકો હિમ્મતવાન બનીને સંગઠન માં એકમત અને એકરસ અવસ્થા માં રહો અથવા એક જ કાર્ય માં લાગી જાઓ છો તો સ્વયં પણ સદા પ્રફુલ્લિત રહો અને ધરણી ને પણ ફળદાયક બનાવો છો. જેમ આજકાલ સાયન્સ દ્વારા હમણાં-હમણાં બીજ નાખ્યું હમણાં-હમણાં ફળ મળ્યું, તેમ જ સાઈલેન્સ નાં બળ થી સહજ અને તીવ્રગતિ થી પ્રત્યક્ષતા જોશે. જ્યારે સ્વયં નિર્વિઘ્ન એક બાપની લગન માં મગન, એકમત અને એકરસ રહેશે તો અન્ય આત્માઓ પણ સ્વતઃ સહયોગી બનશે અને ધરણી ફળદાયક થઈ જશે.

સ્લોગન :-
જે અભિમાન ને શાન સમજી લે, તે નિર્માન નથી રહી શકતાં.