07-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - શ્રીમત પર ચાલી બધાને મુક્તિ - જીવનમુક્તિ પામવાનો રસ્તો બતાવો , આખો દિવસ આ જ ધંધો કરતાં રહો ”

પ્રશ્ન :-
બાપે કઈ સૂક્ષ્મ વાતો સંભળાવી છે જે ખુબ સમજવાની છે?

ઉત્તર :-
સતયુગ અમરલોક છે, ત્યાં આત્મા એક વસ્ત્ર બદલી બીજું લે છે પરંતુ મૃત્યુ નું નામ નથી એટલે તેને મૃત્યુલોક નથી કહેવાતું. ૨. શિવબાબાની બેહદ રચના છે, બ્રહ્માની રચના આ સમયે ફક્ત આપ બ્રાહ્મણ છો. ત્રિમૂર્તિ શિવ કહેશું, ત્રિમૂર્તિ બ્રહ્મા નહીં. આ બધી ખુબ સૂક્ષ્મ વાતો બાપે સંભળાવી છે. આવી-આવી વાતો પર વિચાર કરી બુદ્ધિ નાં માટે સ્વયં જ ભોજન તૈયાર કરવાનું છે.

ઓમ શાંતિ!
ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. હવે તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે. બાપ કહે છે-ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. ત્રિમૂર્તિ બ્રહ્મા ભગવાનુવાચ નથી કહેતાં. તમે ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ કહી શકો છો. તે લોકો તો શિવ-શંકર કહી મળાવી દે છે. આ તો સીધું છે. ત્રિમૂર્તિ બ્રહ્માનાં બદલે ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. મનુષ્ય તો કહી દે છે-શંકર આંખ ખોલે છે તો વિનાશ થઈ જાય છે. આ બધું બુદ્ધિ થી કામ લેવાય છે. ત્રણ નો જ મુખ્ય પાર્ટ છે. બ્રહ્મા અને વિષ્ણુ નો તો મોટો પાર્ટ છે ૮૪ જન્મો નો. વિષ્ણુ નો અને પ્રજાપિતા બ્રહ્મા નો અર્થ પણ સમજ્યો છે, પાર્ટ છે આ ત્રણ નો. બ્રહ્માનું તો નામ ગવાયેલું છે આદિ દેવ, એડમ. પ્રજાપિતા નું મંદિર પણ છે. આ છે વિષ્ણુ નો અથવા કૃષ્ણનો અંતિમ ૮૪ મો જન્મ, જેમનું નામ બ્રહ્મા રાખ્યું છે. સિદ્ધ તો કરવાનું જ છે - બ્રહ્મા અને વિષ્ણુ. હવે બ્રહ્મા ને તો એડોપ્ટેડ (દત્તક) કહેશું. આ બંને બાળકો છે શિવનાં. વાસ્તવમાં બાળક એક છે. હિસાબ કરશું તો બ્રહ્મા છે શિવનો બાળક. બાપ અને દાદા. વિષ્ણુ નું નામ જ નથી આવતું. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા શિવબાબા સ્થાપના કરી રહ્યાં છે. વિષ્ણુ દ્વારા સ્થાપના નથી કરાવતાં. શિવનાં પણ બાળકો છે, બ્રહ્માનાં પણ બાળકો છે. વિષ્ણુ નાં બાળકો નથી કહી શકાતું. ન લક્ષ્મી-નારાયણ ને જ વધારે બાળકો હોઈ શકે છે. આ છે બુદ્ધિનાં માટે ભોજન. પોતેજ ભોજન બનાવવું જોઈએ. સૌથી વધારે પાર્ટ કહીશું વિષ્ણુ નો. ૮૪ જન્મો નું વિરાટ રુપ પણ વિષ્ણુ નું દેખાડે છે, ન કે બ્રહ્મા નું. વિરાટ રુપ વિષ્ણુ નું જ બનાવે છે કારણ કે પહેલાં-પહેલાં પ્રજાપિતા બ્રહ્માનું નામ ધરે છે. બ્રહ્મા નો તો ખુબ થોડો પાર્ટ છે, એટલે વિરાટ રુપ વિષ્ણુ નું દેખાડે છે. ચતુર્ભુજ પણ વિષ્ણુ નું બનાવે છે વાસ્તવ માં આ અલંકાર તો તમારા છે. આ પણ ખુબ સમજવાની વાતો છે. કોઈ મનુષ્ય સમજાવી ન શકે. બાપ નવી-નવી રીત થી સમજાવતાં રહે છે. બાપ કહે છે ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ રાઈટ (સાચું) છે ને. વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. આમાં પણ પ્રજાપિતા બ્રહ્મા જ બાળક છે. વિષ્ણુને બાળક નહીં કહીશું. ભલે ક્રિયેશન (રચના) કહે છે પરંતુ રચના તો બ્રહ્માની હશે ને. જે પછી ભિન્ન નામ રુપ લે છે. મુખ્ય પાર્ટ તો એમનો છે. બ્રહ્મા નો પાર્ટ પણ ખુબ જ થોડો છે આ સમયનો. વિષ્ણુ નું રાજ્ય કેટલો સમય છે! આખા ઝાડનાં બીજ રુપ છે શિવબાબા. એમની રચનાને સાલિગ્રામ કહેશું. બ્રહ્માની રચનાને બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ કહેશે. હવે જેટલી શિવ ની રચના છે એટલી બ્રહ્માની નથી. શિવ ની રચના તો ખુબ જ છે. બધી આત્માઓ એમની સંતાન છે. બ્રહ્માની રચના તો ફક્ત તમે બ્રાહ્મણ જ બનો છો. હદમાં આવી ગયાં ને. શિવબાબાની છે બેહદ ની રચના - બધી આત્માઓ. બેહદની આત્માઓનું કલ્યાણ કરે છે. બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરે છે. તમે બ્રાહ્મણ જઈને સ્વર્ગવાસી બનશો. બીજા તો કોઈ ની સ્વર્ગવાસી નહીં કહીશું, નિર્વાણવાસી અથવા શાંતિધામ વાસી તો બધાં બને છે. સૌથી ઊંચી સર્વિસ શિવબાબા ની હોય છે. બધી આત્માઓને લઈ જાય છે. બધાનો પાર્ટ અલગ-અલગ છે. શિવબાબા પણ કહે છે મારો પાર્ટ અલગ છે. બધાનો હિસાબ-કિતાબ ચૂકતું કરાવી તમને પતિત થી પાવન બનાવી લઈ જાઉં છું. તમે અહીંયા મહેનત કરી રહ્યાં છો પાવન બનવાનાં માટે. બીજા બધાં કયામતનાં સમયે હિસાબ-કિતાબ ચૂકતું કરી જશે. પછી મુક્તિધામ માં બેઠા રહેશે. સૃષ્ટિનું ચક્ર તો ફરવાનું છે.

આપ બાળકો બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બની પછી દેવતા બની જાઓ છો. તમે બ્રાહ્મણ શ્રીમત પર સેવા કરો છો. ફક્ત મનુષ્યો ને રસ્તો બતાવો છો-મુક્તિ અને જીવનમુક્તિ ને પામવી છે તો આવી રીતે પામી શકો છો. બંને ચાવી હાથ માં છે. આ પણ જાણો છો કોણ-કોણ મુક્તિ માં, કોણ-કોણ જીવનમુક્તિ માં જશે. તમારો આખો દિવસ આ જ ધંધો છે. કોઈ અનાજ વગેરે નો ધંધો કરે છે તો બુદ્ધિ માં આખો દિવસ એ જ રહે છે. તમારો ધંધો છે રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણવું અને કોઈને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવવો. જે આ ધર્મનાં હશે તે નીકળી આવશે. એવાં ઘણાં ધર્મનાં છે જે બદલાઈ નથી શકતાં. જેમ ઇન્ગલો ક્રિશ્ચિયન કાળા હોય છે. રુપ તો નથી બદલાતું. ફક્ત એમ જ બદલી દેશે. એવું નહીં કે ફીચર્સ (ચહેરો) બદલાઈ જાય છે. ફક્ત ધર્મ ને માની લે છે. ઘણાં બૌદ્ધ ધર્મ ને માને છે કારણ કે દેવી-દેવતા ધર્મ તો પ્રાયઃલોપ છે ને. એક પણ એવું નથી જે કહે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છીએ. દેવતાઓનાં ચિત્ર કામમાં આવે છે, આત્મા તો અવિનાશી છે, તે ક્યારેય મરતી નથી. એક શરીર છોડી પછી બીજું લઇને પાર્ટ ભજવે છે. તેને મૃત્યુલોક નથી કહેવાતું. તે છે જ અમરલોક. વસ્ત્ર ફક્ત બદલે છે. આ વાતો ખુબ સૂક્ષ્મ સમજવાની છે. મુટ્ટા (થોક) નથી. જેમ લગન હોય છે તો કોઈને રેજગારી, કોઈને મુટ્ટા (દહેજ) આપે છે. કોઈ બધું દેખાડીને આપે છે, કોઈ બંધ પેટી જ આપે છે. જાત-જાતનાં હોય છે. તમને તો વારસો મળે છે મુટ્ટા, કારણ કે તમે બધાં બ્રાઈડસ (સજનીઓ) છો. બાપ છે બ્રાઈડગ્રુમ (સાજન). આપ બાળકોનો શ્રુંગાર કરી વિશ્વની બાદશાહી મુટ્ટા (દહેજ) માં આપે છે. વિશ્વનાં માલિક તમે બનો છો.

મુખ્ય વાત છે યાદ ની. જ્ઞાન તો ખુબ સહજ છે. ભલે છે તો ફક્ત અલફ ને યાદ કરવાનાં. પરંતુ વિચાર કરાય છે યાદ જ ઝટ વિસરાય જાય છે. ખાસ કરીને કહે છે બાબા યાદ ભૂલાઈ જાય છે. તમે કોઈને પણ સમજાવો તો હંમેશા યાદ અક્ષર બોલો. યોગ અક્ષર રોંગ (ખોટો) છે. શિક્ષક ને સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની યાદ રહે છે. ફાધર છે સુપ્રીમ સોલ. તમે આત્મા સુપ્રીમ નથી. તમે છો પતિત. હવે બાપ ને યાદ કરો. શિક્ષકને, બાપને, ગુરુને યાદ કરાય છે. ગુરુ લોકો બેસી શાસ્ત્ર સંભળાવશે, મંત્ર આપશે. બાબા નો મંત્ર એક જ છે-મનમનાભવ. પછી શું થશે? મધ્યાજીભવ. તમે વિષ્ણુપુરી માં ચાલ્યા જશો. તમે બધાં તો રાજા-રાણી નહીં બનશો. રાજા-રાણી અને પ્રજા હોય છે. તો મુખ્ય છે ત્રિમૂર્તિ. શિવબાબાનાં પછી છે બ્રહ્મા જે ફરી મનુષ્ય સૃષ્ટિ અર્થાત્ બ્રાહ્મણ રચે છે. બ્રાહ્મણોને બેસી પછી ભણાવે છે. આ નવી વાત છે ને. તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બહેન-ભાઈ થયાં. ઘરડા પણ કહેશે અમે ભાઈ-બહેન છીએ. આ અંદરમાં સમજવાનું છે. કોઈને ફાલતું એમ જ કહેવાનું નથી. ભગવાને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચી તો ભાઈ-બહેન થયાં ને. જ્યારે કે એક પ્રજાપિતા બ્રહ્માનાં બાળક છીએ, આ સમજવાની વાત છે. આપ બાળકો ને તો ખુબ ખુશી થવી જોઈએ - આપણને ભણાવે કોણ છે? શિવબાબા. ત્રિમૂર્તિ શિવ. બ્રહ્માનો પણ ખુબ થોડો સમય પાર્ટ છે. વિષ્ણુનો સતયુગી રાજધાની માં ૮ જન્મ પાર્ટ ચાલે છે. બ્રહ્માનો તો એક જન્મ નો પાર્ટ છે. વિષ્ણુ નો પાર્ટ મોટો કહીશું. ત્રિમૂર્તિ શિવ છે મુખ્ય. પછી આવે છે બ્રહ્મા નો પાર્ટ જે આપ બાળકોને વિષ્ણુપુરી નાં માલિક બનાવે છે. બ્રહ્મા થી બ્રાહ્મણ સો પછી દેવતા બને છે. તો આ થઈ ગયાં અલૌકિક ફાધર (પિતા). થોડો સમય આ ફાધર છે જેમને હમણાં માને છે. આદિ દેવ, આદમ અને બીબી. એમનાં વગર સૃષ્ટિ કેવી રીતે રચશે. આદિ દેવ અને આદિ દેવી છે ને. બ્રહ્મા નો પાર્ટ પણ ફક્ત સંગમ સમય નો છે. દેવતાઓનો પાર્ટ તો છતાં પણ ખુબ ચાલે છે. દેવતાઓ પણ ફક્ત સતયુગ માં કહેશું. ત્રેતામાં ક્ષત્રિય કહેવાય. આ ખુબ ગુહ્ય-ગુહ્ય પોઈન્ટ (જ્ઞાન) મળે છે. બધું તો એક જ સમયે વર્ણન નથી કરી શકાતું. તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે. શિવ ને ઉડાવી દીધાં છે. આપણે પછી ત્રિમૂર્તિ શિવ કહીએ છીએ. આજ ચિત્ર વગેરે બધું છે ભક્તિમાર્ગ નું. પ્રજા રચે છે બ્રહ્મા દ્વારા પછી તમે દેવતા બનો છો. વિનાશનાં સમયે નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ આવે છે. વિનાશ તો થવાનો જ છે, કળયુગ નાં પછી ફરી સતયુગ થશે. આટલાં બધાં શરીરો નો વિનાશ તો થવાનો જ છે. બધુંજ પ્રેક્ટીકલ માં જોઈએ ને. ફક્ત આંખો ખોલવાથી થોડી થઈ શકે. જ્યારે સ્વર્ગ લોપ થાય છે તો તે સમયે પણ અર્થકવેક (ધરતીકંપ) વગેરે થાય છે. તો શું તે સમયે પણ શંકર આંખ એવી મીચે છે. ગાએ છે ને દ્વારિકા અથવા લંકા પાણીની નીચે ચાલી ગઈ.

હવે બાપ સમજાવે છે - હું આવ્યો છું પથ્થરબુદ્ધિઓ ને પારસબુદ્ધિ બનાવવાં. મનુષ્ય પોકારે છે-હેં પતિત-પાવન આવો, આવીને પાવન દુનિયા બનાવો. પરંતુ આ નથી સમજતા છે કે હમણાં કળયુગ છે આનાં પછી સતયુગ આવશે. આપ બાળકોએ ખુશીમાં નાચવું જોઈએ. બેરિસ્ટર વગેરે પરીક્ષા પાસ કરે છે તો અંદર માં વિચાર કરે છે ને-અમે પૈસા કમાઈશું, પછી મકાન બનાવીશું. આ કરીશું. તો તમે હમણાં સાચી કમાણી કરી રહ્યાં છો. સ્વર્ગમાં તમને બધો નવો માલ મળશે. વિચાર કરો સોમનાથનું મંદિર શું હતું! એક મંદિર તો નહીં હશે. તે મંદિર ને ૨૫૦૦ વર્ષ થયાં. બનાવવામાં સમય તો લાગ્યો હશે. પૂજા કરી હશે તેનાં પછી તેઓ લૂંટી ને લઈ ગયાં. તરત તો નહીં આવ્યાં હશે. ઘણાં મંદિર હશે. પૂજાનાં માટે બેસીને મંદિર બનાવ્યાં છે. હમણાં તમે જાણો છો બાપ ને યાદ કરતાં-કરતાં આપણે ગોલ્ડન એજ (સતયુગ) માં ચાલ્યા જઈશું. આત્મા પવિત્ર બની જશે. મહેનત કરવી પડે છે. મહેનત વગર કામ નહીં ચાલશે. ગવાય પણ છે-સેકન્ડમાં જીવનમુક્તિ. પરંતુ એમ જ થોડી મળી જાય છે, આ સમજાય છે-બાળકો બનશે તો મળશે જરુર. તમે હમણાં મહેનત કરી રહ્યાં છો મુક્તિધામ માં જવાનાં માટે. બાપ ની યાદ માં રહેવું પડે છે. દિવસ-પ્રતિદિવસ બાપ આપ બાળકોને રિફાઇન (શુદ્ધ) બુદ્ધિ બનાવે છે. બાપ કહે છે તમને ખુબ-ખુબ ગુહ્ય વાતો સંભળાવું છું. પહેલાં થોડી આ સંભળાવ્યું હતું કે આત્મા પણ બિંદી છે, પરમાત્મા પણ બિંદી છે. કહેશે પહેલાં કેમ નહીં આ બતાવ્યું. ડ્રામા માં નહોતું. પહેલાં જ તમને આ સંભળાવે તો તમે સમજી ન શકો. ધીરે-ધીરે સમજાવતાં રહે છે. આ છે રાવણ રાજ્ય. રાવણ રાજ્યમાં બધાં દેહ-અભિમાની બની જાય છે. સતયુગમાં હોય છે આત્મ-અભિમાની. પોતાને આત્મા જાણે છે. આપણું શરીર વૃદ્ધ થયું છે, હવે આ છોડીને પછી નાનું લેવાનું છે. આત્માનું શરીર પહેલાં નાનું હોય કે પછી વૃદ્ધ થાય છે. અહીંયા તો કોઈ ની કેટલી આયુ, કોઈની કેટલી. કોઈની અકાળે મૃત્યુ થઈ જાય છે. કોઈ-કોઈ ની ૧૨૫ વર્ષ ની પણ આયુ હોય છે. તો બાપ સમજાવે છે તમને ખુશી ખુબ હોવી જોઈએ - બાપ થી વારસો લેવાની. ગંધર્વ વિવાહ કર્યા આ કોઈ ખુશીની વાત નથી, આ તો કમજોરી છે. કુમારી જો કહે અમે પવિત્ર રહેવા ઇચ્છીએ છીએ તો કોઈ મારી થોડી શકે છે. જ્ઞાન ઓછું છે તો ડરે છે. નાની કુમારીને પણ જો કોઈ મારે, લોહી વગેરે નીકળે તો પોલીસ માં રિપોર્ટ કરે તો તેની સજા મળી શકે છે. જનાવર ને પણ જો કોઈ મારે છે તો તેના પર કેસ થાય છે, દંડ મળે છે. આપ બાળકોને પણ મારી નથી શકતાં. કુમારને પણ મારી નથી શકતાં. તેઓ તો પોતાનું કમાઈ શકે છે. શરીર નિર્વાહ કરી શકે છે. પેટ કોઈ વધારે નથી ખાતું - એક મનુષ્ય નું પેટ ૪-૫ રુપિયા, એક મનુષ્ય નું પેટ ૪૦૦-૫૦૦ રુપિયા. પૈસા ખુબ છે તો હબચ (લાલચ) થઈ જાય છે. ગરીબો ને પૈસા જ નથી તો હબચ પણ નથી. તે સૂકી રોટલીમાં જ ખુશ થાય છે. બાળકોએ વધારે ખાન-પાનનાં હંગામા માં પણ નહીં જવું જોઈએ. ખાવાનો શોખ ન રહેવો જોઈએ.

તમે જાણો છો ત્યાં આપણને શું નહીં મળે! બેહદની બાદશાહી, બેહદ નું સુખ મળે છે. ત્યાં કોઈ બીમારી વગેરે થતી નથી. હેલ્થ (સ્વાસ્થ્ય) વેલ્થ (સંપત્તિ) હેપ્પીનેસ (આનંદ) બધું રહે છે. ઘડપણ પણ ત્યાં ખુબ સારું રહે છે. ખુશી રહે છે. કોઈ પ્રકાર ની તકલીફ નથી રહેતી. પ્રજા પણ એવી બને છે. પરંતુ એવું પણ નહીં - અચ્છા, પ્રજા તો પ્રજા. પછી તો એવું થશે જેમ અહીંયાનાં ભીલ. સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ બનવું છે તો પછી એટલો પુરુષાર્થ કરવો જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અમે બ્રહ્મા ની નવી રચના આપસ માં ભાઈ-બહેન છીએ, આ અંદર સમજવાનું છે કોઈને કહેવાની દરકાર નથી. સદા આ જ ખુશી માં રહેવાનું છે કે અમને શિવબાબા ભણાવે છે.

2. ખાન-પાન નાં હંગામા માં વધારે નથી જવાનું. હબચ (લાલચ) છોડી બેહદ બાદશાહીનાં સુખો ને યાદ કરવાનાં છે.

વરદાન :-
માયાનાં સંબંધો ને ડાયવોર્સ ( છૂટાછેડા ) આપી બાપ નાં સબંધ થી સોદો કરવા વાળા માયાજીત , મોહજીત ભવ

હવે સ્મૃતિથી જૂનો સોદો કેન્સલ કરી સિંગલ બનો. આપસ માં એકબીજાનાં સહયોગી ભલે રહો પરંતુ કમ્પેનિયન (સાથી) નહીં. કમ્પેનિયન એક ને બનાવો તો માયાનાં સંબંધો થી ડાયવોર્સ થઈ જશે. માયાજીત, મોહજીત વિજયી રહેશે. જો જરા પણ કોઈ માં મોહ હશે તો તીવ્ર પુરુષાર્થી નાં બદલે પુરુષાર્થી બની જશો એટલે કાંઈ પણ હોય, કંઈ પણ થાય ખુશી માં નાચતાં રહો, મિરુઆ મોત મલૂકા શિકાર - આને કહે છે નષ્ટોમોહા. આવાં નષ્ટોમોહા રહેવા વાળા જ વિજયમાળા નાં દાણા બને છે.

સ્લોગન :-
સત્યતા ની વિશેષતા થી ડાયમંડ ની ચમક ને વધારો.