30-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 13.03.86
બાપદાદા મધુબન
“ સહજ પરિવર્તન નો આધાર -
અનુભવ ની ઓથોરિટી ”
બાપદાદા પોતાનાં સર્વ
આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બાળક આજનાં વિશ્વ ને
શ્રેષ્ઠ સમ્પન્ન બનાવવાનાં આધારમૂર્ત છે. આજે વિશ્વ પોતાનાં આધારમૂર્ત શ્રેષ્ઠ
આત્માઓને ભિન્ન-ભિન્ન રુપ થી, ભિન્ન-ભિન્ન વિધિ થી પોકારી રહ્યું છે, યાદ કરી રહ્યું
છે. તો એવાં સર્વ દુઃખી અશાંત આત્માઓને સહારો (આધાર) આપવા વાળા, અંચલી આપવા વાળા,
સુખ-શાંતિ નો રસ્તો બતાવવા વાળા, જ્ઞાન-નેત્રહીન ને દિવ્ય નેત્ર આપવા વાળા, ભટકતી
આત્માઓને ઠેકાણું આપવા વાળા, અપ્રાપ્ત આત્માઓને પ્રાપ્તિની અનુભૂતિ કરાવવા વાળા,
ઉદ્ધાર કરવા વાળા આપ શ્રેષ્ઠ આત્માઓ છો. વિશ્વની ચારેબાજુ કોઈને કોઈ પ્રકારની હલચલ
છે. ક્યાંક ધન નાં કારણે હલચલ છે, ક્યાંક મન નાં અનેક ટેન્શન ની હલચલ છે, ક્યાંક
પોતાના જીવન થી અસંતુષ્ટ હોવાનાં કારણે હલચલ છે, ક્યાંક પ્રકૃતિ નાં તમોપ્રધાન
વાયુમંડળ નાં કારણે હલચલ છે, ચારે બાજુ હલચલની દુનિયા છે. આવાં સમય પર વિશ્વનાં ખૂણા
માં આપ અચળ-અડોલ આત્માઓ છો. દુનિયા ભય નાં વશ છે અને તમે નિર્ભય બની સદા ખુશીમાં
નાચતાં-ગાતાં રહો છો. જો દુનિયા અલ્પકાળ નાં માટે ખુશીનાં સાધન નાચવું-ગાવું કે બીજા
પણ અનેક સાધન અપનાવે છે તો તે અલ્પકાળનાં સાધન વધારે જ ચિંતા ની ચિતા પર લઈ જઈ રહ્યાં
છે. આવી વિશ્વની આત્માઓને હમણાં શ્રેષ્ઠ અવિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ નો આધાર જોઈએ.
બધાં આધાર જોઈ લીધાં, બધાનો અનુભવ કરી લીધો અને બધાનાં મન નો આજ અવાજ ન ઇચ્છતાં પણ
નીકળે છે કે આનાથી કંઈક બીજું જોઈએ. આ સાધન આ વિધિઓ સિદ્ધિ ની અનુભૂતિઓ કરાવવા વાળી
નથી. કંઈક નવું જોઈએ, કંઈક બીજું જોઈએ. આ બધાનાં મન નો અવાજ છે. જે પણ સહારા
અલ્પકાળ નાં બન્યાં છે, આ બધાં તણખલા સમાન સહારા છે. વાસ્તવિક સહારો શોધી રહ્યાં
છે, અલ્પકાળ નાં આધાર થી, અલ્પકાળ ની પ્રાપ્તિઓ થી, વિધીઓ થી હવે જોઈ-જોઈ થાકી ગયાં
છે. હવે એવી આત્માઓને યથાર્થ સહારો, વાસ્તવિક સહારો, અવિનાશી સહારો બતાવવા વાળા કોણ?
આપ સર્વ છો ને!
દુનિયાનાં અંતર માં આપ સર્વ અલ્પ છો, ખુબ થોડાં છો પરંતુ કલ્પ પહેલાં નાં યાદગાર
માં પણ અક્ષૌણી નાં સામે ૫ પાંડવ જ દેખાડયાં છે. સૌથી મોટાં માં મોટી ઓથોરિટી (સત્તા)
તમારી સાથે છે. સાયન્સ (વિજ્ઞાન) ની ઓથોરિટી, શાસ્ત્રો ની ઓથોરિટી, રાજનીતિ ની
ઓથોરિટી, ધર્મ નીતિ ની ઓથોરિટી, અનેક ઓથોરિટી વાળા પોત-પોતાની ઓથોરિટી પ્રમાણે
દુનિયાને પરિવર્તન કરવાની ટ્રાયલ (કોશિશ) કરી ચૂક્યાં. કેટલાં પ્રયત્ન કર્યા છે
પરંતુ આપ સૌ પાસે કઈ ઓથોરિટી છે? સૌથી મોટી પરમાત્મ અનુભૂતિ ની ઓથોરિટી છે. અનુભવની
ઓથોરિટી થી શ્રેષ્ઠ અને સહજ કોઈને પણ પરિવર્તન કરી શકો છો. તો આપ સૌ પાસે આ જ વિશેષ
અનુભવની ઓથોરિટી છે એટલે ફલક થી, નિશ્ચય થી, નશા થી, નિશ્ચિત ભાવ થી કહો છો અને
કહેશો કે સહજ રસ્તો, યથાર્થ રસ્તો એક છે. એક દ્વારા જ પ્રાપ્ત થાય છે અને સર્વ ને
એક બનાવે છે. આજ બધાને સંદેશ આપો છો ને એટલે બાપદાદા આજે આધાર-મૂર્ત, વિશ્વ ઉદ્ધાર
મૂર્ત બાળકોને જોઈ રહ્યાં છે. જુવો-બાપદાદાની સાથે નિમિત્ત કોણ બન્યાં છે. છે
વિશ્વનાં આધાર પરંતુ બન્યાં કોણ છે? સાધારણ. જે દુનિયાનાં લોકોની નજરો માં છે તે
બાપની નજરો માં નથી અને જે બાપની નજરો માં છે તે દુનિયા વાળા ની નજરો માં નથી. તમને
જોઇને પહેલાં તો હસશે કે આ છે. પરંતુ જે દુનિયા વાળા કરે તે બાપ નથી કરતાં. તેમને
નામીગ્રામી જોઈએ અને બાપ ને, જેમનું નામ-નિશાન ખતમ કરી દીધું, એમનું જ નામ પ્રસિદ્ધ
કરવાનું છે. અસંભવને સંભવ કરવાનું છે, સાધારણ ને મહાન બનાવવાં, નિર્બળ ને મહાન
બળવાન બનાવવાં, દુનિયાનાં હિસાબ થી જે અભણ છે, એમને નોલેજફુલ બનાવવાં- આ જ બાપ નો
પાર્ટ (ભૂમિકા) છે એટલે બાપદાદા બાળકો ની સભા ને જોઈ ને હર્ષાય પણ છે કે સૌથી
શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરવા વાળા આ જ સિકિલધા બાળકો નિમિત્ત બની ગયાં. હવે દુનિયા
વાળાઓની પણ નજર ધીરે-ધીરે બીજા બધાં તરફ થી હટી ને એક તરફ આવી રહી છે. હવે સમજે છે
કે જે અમે નથી કરી શક્યાં, તે બાપ ગુપ્ત રુપમાં કરાવી રહ્યાં છે. હમણાં કુંભમેળા
માં શું જોયું? આ જ જોયું ને! બધાં કેવી રીતે સ્નેહ ની નજર થી જોવે છે. આ ધીરે-ધીરે
પ્રત્યક્ષ થવાનું જ છે. ધર્મનેતા, રાજનેતા અને વૈજ્ઞાનિક આ વિશેષ ત્રણેય ઓથોરિટી
છે. હમણાં ત્રણેય સાધારણ રુપમાં પરમાત્મ ઝલક જોવાની શ્રેષ્ઠ આશા થી સમીપ આવી રહ્યાં
છે. હજું પણ ઘૂંઘટ (પડદો) ની અંદર થી જોઈ રહ્યાં છે, ઘૂંઘટ નથી ખોલ્યો. ઘૂંઘટ ની
અંદર થી જોવાનાં કારણે હમણાં દુવિધા માં છે. દુવિધા નો ઘૂંઘટ છે. આ જ છે કે બીજું
કોઈ છે. પરંતુ છતાં પણ નજર ગઈ છે. હવે ઘૂંઘટ પણ નીકળી જશે. અનેક પ્રકારનાં ઘૂંઘટ
છે. એક પોતાનાં નેતાપણા નો, ગાદી નો અથવા ખુરશી નો ઘૂંઘટ પણ તો ખુબ મોટો છે. એજ
ઘૂંઘટ થી નીકળવું આમાં થોડોક હમણાં સમય લાગશે પરંતુ આંખો ખોલી છે ને. કુંભકરણ હમણાં
થોડા જાગ્યાં છે.
બાપદાદા વિશ્વની સર્વ આત્માઓને અર્થાત્ બાળકોને બાપનો વારસો પ્રાપ્ત કરાવવાનાં
અધિકારી જરુર બનાવશે. ભલે કેવાં પણ છે પરંતુ છે તો બાળકો જ. તો બાળકોને ભલે મુક્તિ
ભલે જીવનમુક્તિ બંનેવ વારસો જ છે. વારસો આપવાનાં માટે જ બાપ આવ્યાં છે. અજાણ છે ને!
તેમનો પણ દોષ નથી એટલે આપ સૌને પણ રહેમ આવે છે ને. રહેમ પણ આવે છે, ઉમંગ પણ આવે છે
કે કેવી રીતે પણ વારસાનો અધિકાર સર્વ આત્માઓ લઈ જ લે. અચ્છા! આજે કેરેબિયન નો ટર્ન
છે. છે તો બધાં બાપદાદાનાં અતિ લાડલા. દરેક સ્થાન ની પોત-પોતાની વિશેષતા બાપદાદાનાં
આગળ સદા જ પ્રત્યક્ષ રહે છે. આમ તો બાપદાદાની પાસે દરેક બાળક નો પૂરો પોતામેલ રહે જ
છે. પરંતુ બાપદાદાને બધાં બાળકોને જોઈ ખુશી છે, કઈ વાત ની? બધાં બાળકો પોત-પોતાની
શક્તિ પ્રમાણે સેવાનાં ઉમંગ માં સદા રહે છે. સેવા, બ્રાહ્મણ જીવન નું વિશેષ
ઓક્યુપેશન (કર્તવ્ય) બની ગયું છે. સેવાનાં વગર આ બ્રાહ્મણ જીવન ખાલી જેવું લાગે છે.
સેવા નથી તો જેમ ફ્રી-ફ્રી છે. તો સેવામાં બીઝી (વ્યસ્ત) રહેવાનનો ઉમંગ જોઈ બાપદાદા
વિશેષ ખુશ થાય છે. કેરેબિયન ની વિશેષતા શું છે? સદા કરીબ અર્થાત્ નજીક રહેવા વાળા
છે. બાપદાદા સ્થૂળ ને નથી જોતાં, એ તો શરીર થી કેટલાં પણ દૂર હોય પરંતુ મન થી નજીક
છો ને. જેટલાં શરીર થી દૂર રહે છે તેટલો જ વિશેષ બાપનાં સાથ નો અનુભવ કરવાની લિફ્ટ
મળે છે કારણ કે બાપની સદા ચારે બાજુ નાં બાળકોની તરફ નજર રહે છે. નજરમાં સમાયેલાં
રહે છે. તો નજરમાં સમાયેલાં ક્યાં હશે? દૂર હશે કે નજીક હશે? તો બધાં નજીક રત્ન છો.
કોઈ પણ દૂર નથી. નિયર (નજીક) અને ડિયર (વ્હાલાં) બંનેવ છે. જો નિયર ન હોત તો
ઉમંગ-ઉત્સાહ આવી નથી શકતો. સદા બાપ નો સાથ શક્તિશાળી બનાવી આગળ વધારી રહ્યો છે.
આપ સૌને જોઈ બધાં ખુશ થઇ રહ્યાં છે કે કેટલી હિમ્મત રાખી સેવા ની વૃદ્ધિને પ્રાપ્ત
કરી રહ્યાં છે. બાપદાદા જાણે છે કે બધાનો એક જ સંકલ્પ છે કે સૌથી મોટામાં મોટી માળા
અમારે તૈયાર કરવાની છે. અને જે પણ જ્યાં પણ માળાનાં મણકા વિખરાયેલાં છે એ મણકાને
ભેગાં કરી માળા બનાવી બાપનાં સામે લઈ આવે છે. આખું વર્ષ જ આ ઉમંગ રહે છે કે હવે આ
ગુલદસ્તો કે માળા બાપની આગળ લઈ જઈએ. તો એક વર્ષ પૂરી તૈયારી કરતાં રહે છે. આ વર્ષે
બાપદાદા બધાં વિદેશ નાં સેવાકેન્દ્રોની વૃદ્ધિ નું રીઝલ્ટ (પરિણામ) સારું જોઈ રહ્યાં
છે. દરેકે કોઈને કોઈ ભલે નાનો ગુલદસ્તો ભલે મોટો ગુલદસ્તો પરંતુ પ્રત્યક્ષ ફળનાં
રુપમાં લાવ્યાં છે. તો બાપદાદા પણ પોતાનાં કલ્પ પહેલાં વાળા સ્નેહી બાળકો ને જોઈ
ખુશ થાય છે. પ્રેમ થી મહેનત કરી છે. પ્રેમ થી મહેનત, મહેનત નથી લાગતી. તો દરેક તરફ
થી સારું ગ્રુપ આવ્યું છે. બાપદાદાને સૌથી સારી વાત આ જ લાગે છે કે સદા જ સેવામાં
અથક બની આગળ વધી રહ્યાં છે. અને આ જ સેવા ની સફળતા ની વિશેષતા છે કે ક્યારેય પણ
દિલશિકસ્ત નહીં થતાં. આજે થોડાં છે કાલે વધારે થવાનાં જ છે - આ નિશ્ચિત છે, એટલે
જ્યાં બાપ નો પરિચય મળ્યો છે બાપ નાં બાળકો નિમિત્ત બન્યાં છે, ત્યાં અવશ્ય બાપનાં
બાળકો છુપાયેલાં છે જે સમય પ્રમાણે પોતાનો હક લેવા માટે પહોંચી રહ્યાં છે, અને
પહોંચતાં રહેશે. તો બધાં ખુશીમાં નાચવા વાળા છે. સદા ખુશ રહેવા વાળા છે. અવિનાશી
બાપ અવિનાશી બાળકો છે તો પ્રાપ્તિ પણ અવિનાશી છે. ખુશી પણ અવિનાશી છે. તો સદા ખુશ
રહેવા વાળા, સદા જ બેસ્ટ થી બેસ્ટ છે. વેસ્ટ (વ્યર્થ) ખતમ થઈ ગયું તો બાકી બેસ્ટ (સારું)
જ રહ્યું. બાબાના બનવું અર્થાત્ સદાનાં માટે અવિનાશી ખજાના નાં અધિકારી બનવું. તો
અધિકારી જીવન બેસ્ટ જીવન છે ને.
કેરેબિયન માં સેવાનું ફાઉન્ડેશન વિશેષ-વિશેષ આત્માઓનું રહ્યું. ગવર્મેન્ટ (સરકાર)
ની સેવાનું ફાઉન્ડેશન તો ગયાના માં જ પડ્યું ને, અને ગવર્મેન્ટ સુધી રાજ્યોગ ની
વિશેષતા નો અવાજ ફેલાવવો, આ પણ વિશેષતા છે. ગવર્મેન્ટ પણ ત્રણ મિનિટ માટે સાઇલેન્સ
(શાંતિ) નો પ્રયત્ન કરી તો રહીને. ગવર્મેન્ટ નાં સમીપ આવવાનો ચાંસ (તક) અહીંયા જ શરું
થયો અને રિઝલ્ટ પણ સારું નીકળ્યું છે અને હમણાં પણ નીકળી રહ્યું છે. કેરેબિયને
સેવામાં વિશેષ વી.આઈ.પી.પણ તૈયાર કર્યા. જે એક થી અનેકો ની સેવા થઈ રહી છે તો આ પણ
વિશેષતા છે ને. નિમંત્રણ જ એવું વિધિપૂર્વક વી.આઈ.પી. રુપ થી મળ્યું આ પણ ફર્સ્ટ
નિમિત્ત તો કેરેબિયન જ બન્યું. આજે ચારે બાજુ એક્ઝામ્પલ (ઉદાહરણ) બની અનેકો ને ઉમંગ
પ્રેરણા આપવાની સેવામાં લાગેલાં છે. આ પણ ફળ બધાને મળશે ને. હમણાં પણ ગવર્મેન્ટ નાં
કનેક્શન માં છે. આ પણ એક સમીપ કનેક્શન માં આવવાની વિધિ છે. આ વિધિ ને હજું પણ થોડાક
જ્ઞાન યુક્ત કનેક્શન માં આવતા ન્યારાપણા ની સેવા નો અનુભવ કરાવી શકો છો. કોઈ પણ
મિટિંગ માં જે સમયે પણ સેવા કરવાનાં નિમિત્ત બનો છો, ભલે લૌકિક વાતો હોય પરંતુ
લૌકિક વાતોમાં પણ એવા ઢંગ થી પોતાનાં બોલ બોલો જેનાથી ન્યારાપણું પણ અનુભવ થાય અને
પ્યારાપણું પણ અનુભવ થાય. તો આ પણ એક ચાન્સ છે કે બધાનાં સાથે હોવા છતાં પણ પોતાનું
ન્યારા અને પ્યારાપણું દેખાડી શકે છે એટલે આ વિધિને હજું પણ થોડું અટેન્શન (ધ્યાન)
આપી સેવાનું સાધન શ્રેષ્ઠ બનાવી શકો છો. આ પણ ગયાના વાળા ને ચાન્સ મળ્યો છે. આદિ થી
જ સેવાનાં ચાન્સ ની લોટરી મળેલી છે. બધાં સ્થાન ની વૃદ્ધિ સારી છે. હવે બીજી એક
વિશેષતા કરો - જે ત્યાંના નામીગ્રામી પંડિત છે, એમાંથી તૈયાર કરો. ટ્રીનીડાડ, ગયાના
માં પંડિત ઘણાં છે. તે તો પણ નજીક વાળા થઈ ગયાં. ભારતની જ ફિલોસોફી (આધ્યાત્મિક) ને
માનવાવાળા છે ને. તો હવે પંડિતોનું ગ્રુપ તૈયાર કરો. જેમ હમણાં હરિદ્વાર માં સાધુઓનું
સંગઠન તૈયાર થઈ રહ્યું છે, એમ પછી અહીંયા થી પંડિતોનું ગ્રુપ તૈયાર કરો. સ્નેહ થી
તેમને પોતાનાં બનાવી શકો છો. પહેલાં સ્નેહ થી તેમને સમીપ લાવો. હરિદ્વાર માં પણ
સ્નેહનું જ રીઝલ્ટ છે. સ્નેહ મધુબન સુધી પહોંચાડી દે છે. તો મધુબન સુધી આવ્યાં તો
નોલેજ સુધી પણ આવી જશે. ક્યાં જશે. તો હવે આ કરીને દેખાડો. અચ્છા.
યુરોપ શું કરશે? સંખ્યા થી નાના નથી કહેવાતાં. સંખ્યા કંઈ પણ હોય, ક્વોલિટી (ગુણવત્તા)
સારી છે તો નંબરવન છો. જે કોઈ નથી લાવ્યું છે તે તમે લાવી શકો છો. કોઈ મોટી વાત નથી
“હિમ્મતે બાળકો મદદ બાપ”. બાળકો ની હિમ્મત અને આખાં પરિવારની, બાપદાદા ની મદદ છે
એટલે કોઈ પણ મોટી વાત નથી. જે ઈચ્છો તે કરી શકો છો. છેલ્લે તો બધાને આવવાનું તો એક
જ ઠેકાણા પર છે. કોઈને હમણાં આવવાનું છે, કોઈને થોડું પાછળ આવવાનું છે. આવવાનું તો
છે જ. કેટલાં પણ ખુશ હોય પરંતુ છતાં પણ કોઈને કોઈ પ્રાપ્તિની ઇચ્છા તો હોય છે ને.
ભલે વાતાવરણ ઠીક છે તેનાં માટે હેરાન પણ નથી પરંતુ તો પણ જ્યાં સુધી જ્ઞાન નથી તો
વિનાશી ઇચ્છાઓ ક્યારેય પણ પૂરી થતી નથી. એ ઈચ્છા નાં પછી બીજી ઈચ્છા ઉત્પન્ન થતી રહે
છે. તો ઈચ્છા પણ સદા સંતુષ્ટતા નો અનુભવ નથી કરાવતી. તો જે દુઃખી નથી તેમને ઈશ્વરીય
નિઃસ્વાર્થ સ્નેહ શું છે, સ્નેહી જીવન શું હોય છે, આત્મ સ્નેહ, પરમાત્મ સ્નેહ નો તો
અનુભવ જ નથી. કેટલો પણ સ્નેહ હોય પરંતુ નિઃસ્વાર્થ સ્નેહ તો ક્યાંય છે જ નહીં. સાચો
સ્નેહ તો છે જ નહીં. તો સાચાં દિલનો સ્નેહ પરિવાર નો સ્નેહ સૌને જોઇએ. આવો પરિવાર
ક્યાંય મળી શકે? તો જે વાતની અપ્રાપ્તિની અનુભૂતિ હોય, તે પ્રાપ્તિ નાં આકર્ષણ થી
તેમને સમજાવો. અચ્છા.
બધાં વિશેષ આત્માઓ છો. જો વિશેષતા ન હોત તો બ્રાહ્મણ આત્મા ન બની શકત. વિશેષતાએ જ
બ્રાહ્મણ જીવન અપાવ્યું છે. સૌથી મોટી વિશેષતા તો આ જ છે કે કોટો માં કોઈ માં કોઈ
આપ છો. તો દરેક ની પોત-પોતાની વિશેષતા છે. આખો દિવસ બાપ અને સેવા આ જ લગન રહે છે
ને! લૌકિક કાર્ય તો નિમિત્ત માત્ર કરવું જ પડે છે પરંતુ દિલમાં લગન યાદ અને સેવાની
રહે. અચ્છા!
વરદાન :-
સદા નિજધામ અને
નિજ સ્વરુપ ની સ્મૃતિ થી ઉપરામ , ન્યારા પ્યારા ભવ
નિરાકારી દુનિયા અને
નિરાકારી રુપ ની સ્મૃતિ જ સદા ન્યારા અને પ્યારા બનાવી દે છે. અમે છીએ જ નિરાકારી
દુનિયાનાં નિવાસી, અહીંયા સેવા અર્થ અવતરિત થયાં છીએ. અમે આ મૃત્યુલોક નાં નથી પરંતુ
અવતાર છીએ ફક્ત આ નાનકડી વાત યાદ રહે તો ઉપરામ થઈ જશો. જો અવતાર ન સમજી ગૃહસ્થી સમજો
છો તો ગૃહસ્થી ની ગાડી કાદવમાં ફસાયેલી રહે છે, ગૃહસ્થી છે જ બોજ ની સ્થિતિ અને
અવતાર બિલકુલ હલકા છે. અવતાર સમજવાથી પોતાનું નિજ ધામ, નિજ સ્વરુપ યાદ રહેશે અને
ઉપરામ થઈ જશો.
સ્લોગન :-
બ્રાહ્મણ તે
છે જે શુદ્ધિ અને વિધિ પૂર્વક દરેક કાર્ય કરે.