08-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જેમ બાપ ગાઈડ ( માર્ગદર્શક ) છે , એમ ગાઈડ બની સૌને ઘર નો રસ્તો બતાવવાનો છે , આંધળાઓ ની લાઠી બનવાનું છે ”

પ્રશ્ન :-
આ બન્યો-બનાવેલ અનાદિ ડ્રામા નો રહસ્ય શું છે, જે આપ બાળકો જ જાણો છો?

ઉત્તર :-
આ બન્યો-બનાવેલ અનાદિ ડ્રામા છે આમાં ન તો કોઈ એક્ટર એડ (વધી) થઈ શકે છે, ન કોઈ ઓછું થઈ શકે છે. મોક્ષ કોઈને પણ મળતો નથી. કોઈ કહે કે અમે આ આવાગમન નાં ચક્ર માં આવીએ જ નહીં. બાબા કહે હાં થોડાં સમય માટે. પરંતુ પાર્ટ થી કોઈ બિલકુલ છૂટી નથી શકતું. આ ડ્રામા નું રહસ્ય આપ બાળકો જ જાણો છો .

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકો આ જાણે છે કે ભોળાનાથ કોને કહેવાય છે. આપ સંગમયુગી બાળકો જ જાણી શકો છો, કળયુગી મનુષ્ય રીંચક પણ નથી જાણતાં. જ્ઞાન નાં સાગર એક બાપ છે, એજ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સમજાવે છે. પોતાની ઓળખ આપે છે. આપ બાળકો હમણાં સમજો છો, પહેલાં કાંઈ નહોતા જાણતાં. બાપ કહે છે હું જ આવીને ભારતને સ્વર્ગ બનાવું છું, બેહદ નો વારસો આપું છું. જે તમે હમણાં લઈ રહ્યાં છો. જાણો છો આપણે બેહદનાં બાપ થી બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છીએ. આ બન્યો-બનાવેલ ડ્રામા છે, એક પણ એક્ટર ન એડ થઈ શકે, ન ઓછો થઇ શકે છે. બધાને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. મોક્ષ ને પામી નથી શકતાં. જે-જે જે ધર્મના છે ફરી એ ધર્મમાં જવાનાં છે. બૌદ્ધિ કે ક્રિશ્ચિયન વગેરે ઈચ્છા કરે અમે સ્વર્ગમાં જઈએ, પરંતુ જઈ નથી શકતાં. જ્યારે તેમનાં ધર્મ સ્થાપક આવે છે ત્યારે જ તેમનો પાર્ટ છે. આ આપ બાળકોની બુદ્ધિમાં છે. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર આ સમયે નાસ્તિક છે અર્થાત્ બેહદ નાં બાપને ન જાણવા વાળા છે. મનુષ્ય જ જાણશે ને. આ નાટકશાળા મનુષ્યો ની છે. દરેક આત્મા નિર્વાણધામ થી આવે છે પાર્ટ ભજવવાં. પછી પુરુષાર્થ કરે છે નિર્વાણધામ માં જવા માટે. કહે છે બુદ્ધ નિર્વાણ ગયાં. હવે બુદ્ધનું શરીર તો નથી ગયું, આત્મા ગઈ. પરંતુ બાપ સમજાવે છે, જાતું કોઈ પણ નથી. નાટક થી નીકળી જ નથી શકતાં. મોક્ષ પામી નથી શકતાં. બન્યો-બનાવેલ ડ્રામા છે ને. કોઈ મનુષ્ય સમજે છે મોક્ષ મળે છે, એટલે પુરુષાર્થ કરતાં રહે છે. જેમ જૈની લોકો પુરુષાર્થ કરતાં રહે છે, તેમની પોતાની રીત-રિવાજ છે, તેમનાં પોતાનાં ગુરુ છે, જેમને માને છે. બાકી મોક્ષ કોઈને પણ મળતો નથી. તમે તો જાણો છો આપણે પાર્ટધારી છીએ, આ ડ્રામામાં. આપણે ક્યારે આવ્યાં, પછી કેવી રીતે જઈશું, આ કોઈને પણ ખબર નથી . જાનવર તો નહિં જાણે ને. મનુષ્ય જ કહે છે અમે એક્ટર્સ પાર્ટધારી છીએ. આ કર્મક્ષેત્ર છે, જ્યાં આત્માઓ રહે છે. તેને કર્મક્ષેત્ર નથી કહેવાતું. તે તો નિરાકારી દુનિયા છે. તેમાં કોઈ ખેલ-પાલ નથી, એક્ટ (કર્મ) નથી. નિરાકારી દુનિયાથી સાકારી દુનિયામાં આવે છે પાર્ટ ભજવવાં, જે પછી રીપીટ (પુનરાવર્તન) થતું રહે છે. પ્રલય ક્યારેય થતો જ નથી. શાસ્ત્રોમાં દેખાડે છે - મહાભારત લડાઈ માં યાદવ અને કૌરવ મરી ગયાં, બાકી ૫ પાંડવો બચ્યાં, તે પણ પહાડો ઉપર ગળી મર્યા. બાકી કાંઈ રહ્યું નહીં. આનાથી સમજે છે પ્રલય થઈ ગયો. આ બધી વાતો બેસી બનાવી છે, પછી દેખાડે છે સમુદ્ર માં પીપળનાં પત્તા પર એક બાળક અંગૂઠો ચૂસતો આવ્યો. હવે એનાથી પછી દુનિયા કેવી રીતે પેદા થશે. મનુષ્ય જે કંઈ સાંભળે છે તે સત-સત કરતા રહે છે. હમણાં આપ બાળકો જાણો છો કે શાસ્ત્રો માં પણ શું-શું લખી દીધું છે. આ બધાં છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર. ભક્તોને ફળ આપવા વાળા એક ભગવાન બાપ જ છે. કોઈ મુક્તિ માં, કોઈ જીવનમુક્તિ માં ચાલ્યા જશે. દરેક પાર્ટધારી આત્માનો જ્યારે પાર્ટ આવશે ત્યારે ફરી આવશે. આ ડ્રામાનું રહસ્ય સિવાય આપ બાળકોનાં બીજું કોઈ નથી જાણતું. કહે છે અમે રચતા અને રચનાને નથી જાણતાં. ડ્રામાનાં એક્ટર્સ થઈને અને ડ્રામાનાં આદિ-મધ્ય-અંત, ડ્યુરેશન (અવધિ) વગેરેને ન જાણે તો બેસમજ કહીશું ને. સમજાવાથી પણ સમજતાં નથી. ૮૪ લાખ સમજવાનાં કારણે ડ્યુરેશન પણ લાખો વર્ષ આપી દે છે.

હવે તમે સમજો છો બાબા અમે તમારાથી કલ્પ-કલ્પ આવીને સ્વર્ગની બાદશાહી લઈએ છીએ. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને મળ્યાં હતાં, બેહદ નો વારસો લેવાં. યથા રાજા-રાણી તથા પ્રજા બધાં વિશ્વનાં માલિક બને છે. પ્રજા પણ કહેશે અમે વિશ્વનાં માલિક છીએ. તમે જ્યારે વિશ્વનાં માલિક બનો છો, તે સમયે ચંદ્રવંશી રાજ્ય નથી હોતું. આપ બાળકો ડ્રામાનાં પૂરા આદિ-મધ્ય-અંત ને જાણો છો. મનુષ્ય ભક્તિમાર્ગ માં જેમની પૂજા કરે છે એમને પણ જાણતાં નથી. જેમની ભક્તિ કરવાની હોય છે તો એમની બાયોગ્રાફી (જીવનકહાની) ને પણ જાણવું જોઈએ. આપ બાળકો હમણાં બધાની બાયોગ્રાફી જાણો છો બાપ નાં દ્વારા. તમે બાપનાં બન્યાં છો. બાપની બાયોગ્રાફી ની ખબર છે. એ બાપ છે પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક). તમને કહે છે પાંડવ. તમે સર્વનાં ગાઈડ બનો છો, આંધળાઓ ની લાઠી બનો છો સર્વ ને રસ્તો બતાવવા માટે. યથા બાપ ગાઈડ તથા આપ બાળકોને પણ બનવાનું છે. સર્વ ને રસ્તો બતાવવાનો છે. તમે આત્મા, એ પરમાત્મા છે, એમનાથી બેહદ નો વારસો મળે છે. ભારતમાં બેહદનું રાજ્ય હતું, હવે નથી. આપ બાળકો જાણો છો આપણે બેહદનાં બાપ થી બેહદ સુખ નો વારસો લઈએ છીએ અર્થાત્ મનુષ્ય થી દેવતા બનીએ છીએ. આપણે જ દેવતાઓ હતાં પછી ૮૪ જન્મ લઈને શુદ્ર બન્યાં છીએ. બાપ આવીને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. યજ્ઞ માં બ્રાહ્મણ જરુર જોઈએ. આ છે જ્ઞાન યજ્ઞ, ભારત માં યજ્ઞ ખુબ રચે છે. આમાં ખાસ આર્યસમાજી ખુબ યજ્ઞ રચે છે. હવે આ તો છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, જેમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. હવે બુદ્ધિ થી કામ લેવું પડે છે. કળિયુગ માં તો ઘણાં મનુષ્ય છે, આટલી આખી જૂની દુનિયા ખલાસ થઈ જશે. કોઈપણ વસ્તુ કામમાં નથી આવવાની. સતયુગમાં તો પછી બધુંજ નવું હશે. અહીંયા તો કેટલી ગંદકી છે. મનુષ્ય કેવાં ગંદા રહે છે. ધનવાન મોટા સારા મહેલો માં રહે છે. ગરીબ તો બિચારા ગંદકીમાં, ઝુંપડીઓમાં પડ્યાં છે. હવે આ ઝુંપડીઓ ને ડીસટ્રોય (નાશ) કરતા રહે છે. તેમને બીજી જગ્યા આપી તે જમીન પછી વેચતા રહે છે. નથી ઉઠતા તો જબરજસ્તી ઉઠાવે છે. ગરીબ દુઃખી બહુ જ છે, જે સુખી છે તે પણ સ્થાઈ સુખી નથી. જો સુખ હોત તો કેમ કહે છે કે આ કાગ વિષ્ટા સમાન સુખ છે.

શિવ ભગવાનુવાચ, હું આ માતાઓનાં દ્વારા સ્વર્ગનાં દ્વાર ખોલી રહ્યો છે. માતાઓ પર કળશ રાખ્યો છે. તે પછી સૌને જ્ઞાન અમૃત પીવડાવે છે. પરંતુ તમારો છે પ્રવૃત્તિ માર્ગ. તમે છો સાચાં-સાચાં બ્રાહ્મણ, તો બધાને જ્ઞાન ચિતા પર બેસાડો છો. હમણાં તમે બનો છો દેવી સંપ્રદાય. આસુરી સંપ્રદાય અર્થાત્ રાવણરાજ્ય. ગાંધી પણ કહેતા હતા રામરાજ્ય હોય. બોલાવે છે હેં પતિત-પાવન આવો પરંતુ પોતાને પતિત સમજે થોડી છે. બાપ બાળકો ને સજાગ કરે છે, તમે ઘોર અંધકાર થી સોજારા (અજવાળા) માં આવ્યાં છો. મનુષ્ય તો સમજે છે ગંગા સ્નાન કરવાથી પાવન બની જઈશું. આમ જ ગંગામાં હરિદ્વાર નો બધો કચરો પડે છે. ક્યાંક પછી તે કચરો બધો ખેતીમાં લઈ જાય છે. સતયુગમાં આવાં કામ હોતાં નથી. ત્યાં તો અનાજ ઢગલાં નાં ઢગલાં થાય છે. પૈસા થોડી ખર્ચ કરવા પડે છે. બાબા અનુભવી છે ને. પહેલાં કેટલું અનાજ સસ્તું હતું. સતયુગમાં ખુબ થોડા મનુષ્ય છે દરેક વસ્તુ સસ્તી હોય છે. તો બાપ કહે છે - મીઠા બાળકો, હમણાં તમારે પતિત થી પાવન બનવાનું છે. યુક્તિ ખુબ સહજ બતાવે છે, સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. આત્મા માં જ ખાદ પડવાથી મુલમ્માની બની ગઈ છે. જે પારસબુદ્ધિ હતાં એ જ હવે પથ્થરબુદ્ધિ બન્યાં છે. આપ બાળકો હમણાં બાપનાં પાસે પથ્થરનાથ થી પારસનાથ બનવા આવ્યાં છો. બેહદ નાં બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે, એ પણ ગોલ્ડન એજડ (સ્વર્ણિમયુગ) વિશ્વ નાં. આ છે આયરન એજડ (કળયુગ) વિશ્વ. બાપ બેસી બાળકોને પારસપુરી નાં માલિક બનાવે છે. તમે જાણો છો અહીંયાનાં આટલાં મહેલ-માડીઓ વગેરે કોઈ કામમાં નહીં આવશે. બધું ખતમ થઇ જશે. અહીંયા શું રાખ્યું છે! અમેરિકા નાં પાસે કેટલું સોનુ છે! અહીંયા તો થોડું-ઘણું સોનું જે માતાઓની પાસે છે, તે પણ લેતા રહે છે કારણ કે તેમને તો કર્જ માં સોનુ આપવાનું છે. તમારી પાસે ત્યાં સોનુ જ સોનુ હોય છે. અહીંયા કોડીઓ, ત્યાં હીરા હશે. આને કહેવાય છે આયરન એજ. ભારત જ અવિનાશી ખંડ છે, ક્યારેય વિનાશ નથી થતો. ભારત છે સૌથી ઊંચે થી ઊંચો. તમે માતાઓ આખાં વિશ્વ નો ઉદ્ધાર કરો છો. તમારાં માટે જરુર નવી દુનિયા જોઈએ. જૂની દુનિયાનો વિનાશ જોઈએ. કેટલી સમજવાની વાતો છે. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે પણ કરવાનો છે. છોડવાનું કાંઈ પણ નથી. બાબા કહે છે બધુંજ કરતા મને યાદ કરતાં રહો. ભક્તિમાર્ગ માં પણ તમે મુજ માશુક ને યાદ કરતા આવ્યાં છો કે અમને આવીને શ્યામ થી ગોરા (સુંદર) બનાવો. એમને મુસાફિર કહેવાય છે. તમે બધાં મુસાફિર છો ને. તમારું ઘર તે છે, જ્યાં બધી આત્માઓ રહે છે.

તમે બધાને જ્ઞાન ચિતા પર બેસાડો છો. બધાં હિસાબ-કિતાબ ચૂકતું કરી જવાનાં છે. પછી નવેસર તમે આવશો, જેટલું યાદમાં રહેશો એટલાં પવિત્ર બનશો અને ઉચ્ચ પદ પામશો. માતાઓને તો ફુરસદ રહે છે. મેલ્સ (પુરુષ) ની બુદ્ધિ ધંધા વગેરે તરફ ચક્ર લગાવતી રહે છે, એટલે બાપે કળશ પણ માતાઓ પર રાખ્યો છે. અહીંયા તો સ્ત્રીને કહે છે કે પતિ જ તમારો ઈશ્વર ગુરુ બધુંજ છે. તમે એમની દાસી છો. હમણાં ફરી બાપ આપ માતાઓને કેટલી ઉંચ બનાવે છે. તમે નારીઓ જ ભારત નો ઉદ્ધાર કરો છો. કોઈ-કોઈ બાબા થી પૂછે છે - આવાગમન થી છૂટી શકાય છે? બાબા કહે છે - હાં, થોડાં સમય માટે. આપ બાળકો તો ઓલરાઉન્ડ આદિ થી અંત સુધી પાર્ટ ભજવો છો. બીજા જે છે તે મુક્તિધામ માં રહે છે. તેમનો પાર્ટ જ થોડો છે. તે સ્વર્ગમાં તો જવાવાળા છે નહીં. આવાગમન થી મોક્ષ તેને કહેશું જે પાછળ થી આવ્યાં અને આ ગયાં. જ્ઞાન વગેરે તો સાંભળી ન શકે. સાંભળે એ જ છે જે શરુ થી અંત સુધી પાર્ટ ભજવે છે. કોઈ કહે છે - અમને તો આ જ પસંદ છે. અમે ત્યાં જ બેઠાં રહીએ. એવું થોડી થઈ શકે છે. ડ્રામા માં નોંધાયેલું છે, જઈને પાછળ માં આવશે જરુર. બાકી બધો સમય શાંતિધામ માં રહે છે. આ બેહદ નો ડ્રામા છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં-સાચાં બ્રાહ્મણ બની સૌને જ્ઞાન અમૃત પીવડાવવાનું છે. જ્ઞાન ચિતા પર બેસાડવાનાં છે.

2. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે બધુંજ કરતા પતિત થી પાવન બનવા માટે બાપની યાદ માં રહેવાનું છે અને બધાને બાપની યાદ અપાવવાની છે.

વરદાન :-
નિરંતર યાદ અને સેવાનાં બેલેન્સ ( સંતુલન ) થી બાળપણ નાં નાજ - નખરા સમાપ્ત કરવા વાળા વાનપ્રસ્થી ભવ

નાની-નાની વાતોમાં સંગમ નાં અમૂલ્ય સમયને ગુમાવવો બાળપણ નાં નાજ-નખરા છે. હવે આ નાજ-નખરા શોભતાં નથી, વાનપ્રસ્થ માં ફક્ત એક જ કાર્ય રહી જાય છે - બાપ ની યાદ અને સેવા. તેના સિવાય બીજા કોઈ પણ યાદ ન આવે, ઉઠો તો પણ યાદ અને સેવા, સૂવો તો પણ યાદ અને સેવા - નિરંતર આ બેલેન્સ બન્યું રહે. ત્રિકાળદર્શી બનીને બાળપણ ની વાતો કે બાળપણ નાં સંસ્કારો નો સમાપ્તિ સમારોહ મનાવો, ત્યારે કહેશે વાનપ્રસ્થી.

સ્લોગન :-
સર્વ પ્રાપ્તિઓથી સમ્પન્ન આત્મા ની નિશાની છે સંતુષ્ટતા, સંતુષ્ટ રહો અને સંતુષ્ટ કરો.