17-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જ્ઞાન સાગર બાપ આવ્યાં છે જ્ઞાન વર્ષા કરી આ ધરતી ને સબ્જ ( સુખમય ) બનાવવાં , હમણાં સ્વર્ગ ની સ્થાપનાં થઈ રહી છે , આમાં જવાં માટે દૈવી સંપ્રદાય નાં બનવાનું છે ”

પ્રશ્ન :-
સર્વોત્તમ કુળ વાળા બાળકો નું મુખ્ય કર્તવ્ય શું છે?

ઉત્તર :-
સદા ઉંચી રુહાની સેવા કરવી. અહીંયા બેઠાં કે હરતાં-ફરતાં ખાસ ભારત અને આમ આખાં વિશ્વ ને પાવન બનાવવું, શ્રીમત પર બાપ નાં મદદગાર બનવું-આ જ સર્વોત્તમ બ્રાહ્મણો નું કર્તવ્ય છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ ………

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે જે રુહાની બાપ ની સાથે છે કારણ કે બાપ છે જ્ઞાન નાં સાગર. કયા બાપ? શિવબાબા. બ્રહ્મા બાબા ને જ્ઞાન નાં સાગર નહીં કહેશે. શિવબાબા જેમને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે. એક છે લૌકિક શરીરધારી પિતા, બીજા છે પારલૌકિક રુહાની પિતા. તે શરીર નાં પિતા, એ આત્માઓ નાં પિતા. આ ખુબ સારી રીતે સમજવાની વાતો છે અને આ જ્ઞાન સંભળાવવા વાળા છે જ્ઞાન સાગર. જેમ ભગવાન સૌનાં એક છે, એમ જ્ઞાન પણ એક આપી શકે છે. બાકી જે શાસ્ત્ર ગીતા વગેરે વાંચે છે, ભક્તિ કરે છે તે કોઈ જ્ઞાન નથી, તેનાથી જ્ઞાન વર્ષા નથી થતી, એટલે ભારત બિલકુલ જ સુકાઈ ગયું છે. કંગાળ થઈ ગયું છે. તે વરસાદ પણ નથી પડતો તો જમીન વગેરે બધું સુકાઈ જાય છે. તે છે ભક્તિમાર્ગ. તેને જ્ઞાન માર્ગ નહીં કહેશું. જ્ઞાન થી સ્વર્ગ ની સ્થાપનાં થાય છે. ત્યાં હંમેશા ધરણી સબ્જ રહે છે, ક્યારેય સુકાતી નથી. આ છે જ્ઞાન નું ભણતર. ઈશ્વર બાપ જ્ઞાન આપીને દૈવી સંપ્રદાય બનાવે છે. બાપે સમજાવ્યું છે હું આપ સર્વ આત્માઓનો બાપ છું. પરંતુ મને અને મારા કર્તવ્યને ન જાણવાનાં કારણે જ મનુષ્ય આટલાં પતિત દુઃખી નિધન નાં બની ગયાં છે. પરસ્પર લડતાં રહે છે. ઘર માં બાપ નથી હોતાં, બાળકો લડે છે તો કહે છે ને કે તમારા બાપ છે કે નથી? આ સમયે પણ આખી દુનિયા બાપ ને જાણતી નથી. ન જાણવાનાં કારણે આટલી દુર્ગતિ થઈ છે. જાણવાથી સદ્દગતિ થાય છે. સર્વનાં સદ્દગતિ દાતા એક છે. એમને બાબા કહેવાય છે. એમનું નામ શિવ જ છે. એમનું નામ ક્યારેય બદલાઈ નથી શકતું. જ્યારે સન્યાસ કરે છે તો નામ બદલે છે ને. લગ્નમાં પણ કુમારી નું નામ બદલાય છે. આ અહીંયા ભારતમાં રિવાજ છે. બહાર આવું નથી હોતું. આ શિવબાબા બધાનાં મા-બાપ છે. ગવાય પણ છે તુમ માત-પિતા… ભારતમાં જ પોકારે છે- તુમ્હરી કૃપા સે સુખ ઘનેરે. એવું નથી કે ભક્તિમાર્ગ માં ભગવાન કૃપા કરતા આવ્યાં છે. ના, ભક્તિ માં સુખ ઘનેરા હોતાં જ નથી. બાળકો જાણે છે સ્વર્ગ માં બહુજ સુખ છે. તે નવી દુનિયા છે. જૂની દુનિયામાં દુઃખ જ હોય છે. જે જીવતે જીવ સારી રીતે મરેલા છે એમનાં નામ બદલી શકાય છે. પરંતુ માયા જીતી લે છે તો બ્રાહ્મણ થી બદલાઇ શુદ્ર બની જાય છે એટલે બાબા નામ નથી રાખતાં. બ્રાહ્મણો ની માળા તો હોતી નથી. આપ બાળકો સર્વોત્તમ ઉંચ કુળ વાળા છો. ઉંચી રુહાની સેવા કરો છો. અહીંયા બેઠાં કે હરતાં-ફરતાં તમે ભારતની ખાસ અને આમ વિશ્વની સેવા કરો છો. વિશ્વને તમે પવિત્ર બનાવો છો. તમે છો બાપ નાં મદદગાર. બાપ ની શ્રીમત પર ચાલી તમે મદદ કરો છો. આ ભારત જ પાવન બનવાનું છે. તમે કહેશો અમે કલ્પ-કલ્પ ભારતને પવિત્ર બનાવી પવિત્ર ભારત પર રાજ્ય કરીએ છીએ. બ્રાહ્મણ થી પછી અમે ભવિષ્ય દેવી-દેવતા બનીએ છીએ. વિરાટ રુપ નું ચિત્ર પણ છે. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ જ થયાં. બ્રાહ્મણ ત્યારે હશે જ્યારે પ્રજાપિતા સમ્મુખ હશે. હમણાં તમે સમ્મુખ છો. તમે દરેક પ્રજાપિતા બ્રહ્માની સંતાન પોતાને સમજો છો. આ યુક્તિ છે. સંતાન સમજવાથી ભાઈ-બહેન થઈ જાય છે. ભાઈ-બહેન ની ક્યારેય ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) ન હોવી જોઈએ. હમણાં બાપ ઓર્ડીનન્સ (કાયદો) નીકાળે છે કે તમે ૬૩ જન્મ પતિત રહ્યાં છો, હવે પાવન દુનિયા સ્વર્ગ માં ચાલવા ઈચ્છો છો તો પવિત્ર બનો. ત્યાં પતિત આત્મા જઈ નથી શકતી એટલે જ મુજ બેહદનાં બાપ ને તમે બોલાવો છો. આ આત્મા શરીર દ્વારા વાત કરે છે. શિવબાબા પણ કહે છે હું આ શરીર દ્વારા વાત કરું છું. નહીં તો હું કેવી રીતે આવું? મારો જન્મ દિવ્ય છે. સતયુગમાં છે દૈવી ગુણોવાળા દેવતાઓ. આ સમયે છે આસુરી ગુણોવાળા મનુષ્ય. અહીંયાનાં મનુષ્યોને દેવતા નહીં કહેશે. પછી ભલે કોઈ પણ હોય નામ તો ખુબ મોટાં-મોટાં રાખી દે છે. સાધુ પોતાને શ્રી શ્રી કહે છે અને મનુષ્યો ને શ્રી કહે છે કારણ કે પોતે પવિત્ર છે એટલે શ્રી શ્રી કહે છે. છે તો મનુષ્ય. ભલે વિકારમાં નથી જતા પરંતુ વિકારી દુનિયામાં તો છે ને. તમે ભવિષ્યમાં નિર્વિકારી દૈવી દુનિયામાં રાજ્ય કરશો. હશે ત્યાં પણ મનુષ્ય પરંતુ દૈવી ગુણોવાળા હશે. આ સમયે મનુષ્ય આસુરી ગુણોવાળા પતિત છે. ગુરુનાનકે પણ કહ્યું છે મૂત પલીતી કપડ ધોયે….. ગુરુનાનક પણ બાપની મહિમા કરે છે.

હવે બાપ આવ્યાં છે સ્થાપના અને વિનાશ કરવાં. બીજા જે પણ ધર્મ સ્થાપક છે તે ફક્ત ધર્મ સ્થાપન કરે છે બીજા ધર્મોનો વિનાશ નથી કરતાં, તેમની તો વૃદ્ધિ થતી રહે છે. હવે બાપ વૃદ્ધિને બંધ કરે છે. એક ધર્મની સ્થાપના અને અનેક ધર્મોનો વિનાશ કરાવી દે છે. ડ્રામા અનુસાર આ થવાનું જ છે. બાપ કહે છે હું આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરાવું છું, જેનાં માટે તમને ભણાવી રહ્યો છું, સતયુગમાં અનેક ધર્મ હોતા જ નથી. ડ્રામામાં આ બધાં ની પાછાં જવાની નોંધ છે. આ વિનાશને કોઈ ટાળી નથી શકતું. વિશ્વમાં શાંતિ ત્યારે થાય છે જ્યારે વિનાશ થાય છે. આ લડાઈ દ્વારા જ સ્વર્ગનાં ગેટ (દ્વાર) ખુલે છે. આ પણ તમે લખી શકો છો કે આ મહાભારી લડાઈ કલ્પ પહેલાં પણ થઇ હતી. તમે પ્રદર્શની નું ઉદ્દઘાટન કરાવો છો તો આ લખો. બાપ પરમધામ થી આવ્યાં છે-હેવન નું ઉદ્દઘાટન કરવાં. બાપ કહે છે હું હેવનલી ગોડફાધર હેવન નું ઉદ્દઘાટન કરવા આવ્યો છું. બાળકોની જ મદદ લઉં છું, સ્વર્ગવાસી બનાવવા માટે. આટલી બધી આત્માઓને પાવન નહીં તો કોણ બનાવે. અનેક આત્માઓ છે. ઘર-ઘરમાં તમે આ સમજાવી શકો છો. ભારતવાસી તમે સતોપ્રધાન હતાંં પછી ૮૪ જન્મો બાદ તમોપ્રધાન બન્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનો. મનમનાભવ. એવું નહીં કહો કે અમે શાસ્ત્રોને નથી માનતાં. બોલો, શાસ્ત્રોને અને ભક્તિમાર્ગ ને તો અમે માનતા હતાંં પરંતુ હમણાં આ ભક્તિમાર્ગની રાત પૂરી થાય છે. જ્ઞાન થી દિવસ શરું થાય છે. બાપ આવ્યાં છે સદ્દગતિ કરવાં. સમજાવાની ખુબ યુક્તિ જોઈએ. કોઈ સારી રીતે ધારણા કરે છે, કોઈ ઓછું કરે છે. પ્રદર્શની માં પણ જે સારા-સારા બાળકો છે-તે સારું સમજાવે છે. જેમ બાપ શિક્ષક છે તો બાળકોએ પણ શિક્ષક બનવું પડે. ગવાય પણ છે સદ્દગુરુ તારે, બાપને કહેવાય છે સચખંડ ની સ્થાપના કરાવવા વાળા સાચાં બાબા. જુઠ્ઠખંડ સ્થાપન કરવા વાળો છે રાવણ. હવે જ્યારે કે સદ્દગતિ કરવા વાળા મળ્યા છે તો પછી આપણે ભક્તિ કેવી રીતે કરીશું? ભક્તિ શીખવાડવા વાળા છે અનેક ગુરુ લોકો. સદ્દગુરુ તો એક જ છે. કહે પણ છે સદ્દગુરુ અકાળ…..છતાં પણ અનેક ગુરુ બનતા રહે છે. સન્યાસી, ઉદાસી અનેક પ્રકારનાં ગુરુ લોકો હોય છે. સિક્ખ લોકો પોતે જ કહે છે સદ્દગુરુ અકાળ…... અર્થાત્ જેમને કાળ નથી ખાતો. મનુષ્યો ને તો કાળ ખાઈ જાય છે. બાપ સમજાવે છે મનમનાભવ. તેમનું પછી છે જપ સાહેબ કો તો સુખ મિલે... મુખ્ય બે અક્ષર છે. બાપ કહે છે મને યાદ કરો - જપ સાહેબને. સાહેબ તો એક છે. ગુરુનાનકે પણ એમનાં માટે ઇશારો કર્યો છે કે એમને જપો. વાસ્તવમાં તમારે જપવાનું નથી, યાદ કરવાનાં છે. આ છે અજપાજાપ. મુખ થી કાંઈ બોલો નહીં. શિવ-શિવ પણ કહેવાનું નથી. તમારે તો જવાનું છે શાંતિધામ. હવે બાપ ને યાદ કરો. અજપાજાપ પણ એક જ હોય છે જે બાપ શીખવાડે છે. તે કેટલાં ઘંટ વગાડે, અવાજ કરે, મહિમા કરે છે. કહે છે અચતમ કેશવમ….. પરંતુ એક પણ અક્ષર ને સમજતાં નથી. સુખ આપવા વાળા તો એક જ બાપ છે. વ્યાસ પણ એમને જ કહેશું. એમનામાં નોલેજ છે જે આપે છે. સુખ પણ એ જ આપે છે. આપ બાળકો સમજો છો - હવે આપણી ચઢતી કળા થાય છે. સીડી માં કળાને પણ દેખાડી છે. આ સમયે કોઈ કળા નથી, મુજ નિર્ગુણ હારે મેં……. એક નિર્ગુણ સંસ્થા પણ છે. હવે બાપ કહે છે-બાળક તો મહાત્મા જેવું હોય છે. એમનામાં કોઈ અવગુણ નથી, તેમનું પછી નામ રાખી દે છે નિર્ગુણ બાળક. જો બાળક માં ગુણ નથી તો બાપ માં પણ નથી. બધામાં અવગુણ છે. ગુણવાન ફક્ત દેવતાઓ બને છે. નંબરવન અવગુણ છે જે બાપને નથી જાણતાં. બીજો અવગુણ છે જે વિષય સાગર માં ગોતા ખાય છે. બાપ કહે છે અડધોકલ્પ તમે ગોતા ખાધાં છે. હવે હું જ્ઞાન સાગર તમને ક્ષીરસાગર માં લઈ જાઉં છું, હું તો ક્ષીરસાગર માં જવા માટે તમને શિક્ષા આપું છું. હું આમનાં બાજુમાં આવીને બેસું છું, જ્યાં આત્મા રહે છે. હું સ્વતંત્ર છું. ક્યાંય પણ આવી જઈ શકું છું. તમે પિતૃ ને ખવડાવો છો તો આત્મા ને ખવડાવો છો ને. શરીર તો ભસ્મ થઈ જાય છે. તેને જોઈ પણ નથી શકતાં. સમજો છો ફલાણા ની આત્મા નું શ્રાદ્ધ છે. આત્માને બોલાવાય છે-આ પણ ડ્રામા માં પાર્ટ છે. ક્યારેક આવે છે, ક્યારેક નથી પણ આવતી. કોઈ બતાવે છે, કોઈ નથી પણ બતાવતાં. અહીંયા પણ આત્મા ને બોલાવે છે, આવીને બોલે છે. પરંતુ એવું નથી બતાવતી કે ફલાણી જગ્યાએ જન્મ લીધો છે. ફક્ત એટલું કહેશે કે હું ખુબ સુખી છું, સારા ઘરમાં જન્મ લીધો છે. સારા જ્ઞાન વાળા બાળકો સારા ઘર માં જશે. ઓછું જ્ઞાનવાળા ઓછું પદ પામશે. બાકી સુખ તો છે. રાજા બનવું સારું છે કે દાસી બનવું સારું? રાજા બનવું છે તો આ ભણતર માં લાગી જાઓ. દુનિયા તો ખુબ ગંદી છે. દુનિયાનાં સંગ ને કહેશું કુસંગ. એક સત નો સંગ જ પાર કરે છે, બાકી બધાં ડુબાડે છે. બાપ તો બધાની જન્મપત્રી જાણે છે ને. આ પાપ ની દુનિયા છે, ત્યારે તો પોકારે છે-બીજે ક્યાંય લઈ જાઓ. હવે બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો, મારા બનીને પછી મારી મત પર ચાલો. આ ખુબ ગંદી દુનિયા છે. કરપ્શન (ભ્રષ્ટાચાર) છે. લાખો-કરોડો રુપિયા ની ઠગી થાય છે. હવે બાપ આવ્યાં છે બાળકો ને સ્વર્ગનાં માલિક બનાવવાં તો અથાહ ખુશી હોવી જોઈએ ને. વાસ્તવમાં આ છે સાચી ગીતા. પછી આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જશે. હમણાં તમને આ જ્ઞાન છે પછી બીજો જન્મ લેશો તો જ્ઞાન ખલાસ. પછી છે પ્રાલબ્ધ. તમને પુરુષોત્તમ બનાવવા માટે બાપ ભણાવે છે. હમણાં તમે બાપ ને જાણ્યાં છે. હવે અમરનાથ ની યાત્રા થાય છે. બોલો, જેને સૂક્ષ્મવતન માં દેખાડો છો તે પછી સ્થૂળવતન માં ક્યાંથી આવ્યાં? પહાડ વગેરે તો અહીંયા છે ને. ત્યાં પતિત હોઈ કેવી રીતે શકે? જે પાર્વતી ને જ્ઞાન આપે છે. બરફ નું લિંગ બેસી હાથે થી બનાવે છે. તે તો ક્યાંય પણ બનાવી શકાય છે. મનુષ્ય કેટલાં ધક્કા ખાય છે. સમજતા નથી કે શંકર ની પાસે પાર્વતી ક્યાંથી આવી જે તેમને પાવન બનાવશે. શંકર કોઈ પરમાત્મા નથી, તે પણ દેવતા છે. મનુષ્યને કેટલું સમજાવાય છે છતાં પણ સમજતાં નથી. પારસબુદ્ધિ બની નથી શકતાં. પ્રદર્શનીમાં કેટલાં આવે છે. કહેશે નોલેજ તો ખુબ સરસ છે. બધાએ લેવું જોઈએ. અરે તમે તો લો. કહેશે અમને ફુરસદ નથી. પ્રદર્શનીમાં આ પણ લખવું જોઈએ કે આ લડાઈનાં પહેલાં સ્વર્ગનું ઉદ્દઘાટન કરી રહ્યાં છીએ. વિનાશનાં પછી સ્વર્ગનાં દ્વાર ખુલી જશે. બાબાએ કહ્યું હતું દરેક ચિત્રમાં લખો-પારલૌકિક પરમપિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. ત્રિમૂર્તિ ન લખવાથી કહેશે શિવ તો નિરાકાર છે, એ કેવી રીતે જ્ઞાન આપશે? સમજાવાય છે આ જ પહેલાં ગોરા હતાંં, કૃષ્ણ હતાંં પછી હવે શ્યામ મનુષ્ય બન્યાં છે. હવે તમને મનુષ્ય થી દેવતા બનાવે છે. ફરી હિસ્ટ્રી રિપીટ (પુનરાવૃત્તિ) થવાની છે. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કિયે….. ફરી સીડી ઉતરી મનુષ્ય બને છે. ફરી બાપ આવીને દેવતા બનાવે છે. બાપ કહે છે મારે આવવું પડે છે. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું. યુગે-યુગે કહેવું રોંગ (ખોટું) છે. હું સંગમયુગ પર આવીને તમને પુણ્ય આત્મા બનાવું છું. પછી રાવણ તમને પાપ આત્મા બનાવે છે. બાપ જ જૂની દુનિયા ને નવી દુનિયા બનાવે છે. આ સમજવાની વાતો છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન શિક્ષક બનવાનું છે, ખુબ યુક્તિ થી બધાને આ જુઠ્ઠખંડ થી નીકાળી સચખંડ માં ચાલવા લાયક બનાવવાનાં છે.

2. દુનિયા નો સંગ કુસંગ છે, એટલે કુસંગ થી કિનારો કરી એક સત નો સંગ કરવાનો છે. ઉંચ પદ માટે આ ભણતર માં લાગી જવાનું છે. એક બાપ ની મત પર જ ચાલવાનું છે.

વરદાન :-
સંતુષ્ટતા દ્વારા સર્વ થી પ્રશંસા પ્રાપ્ત કરવા વાળા સદા પ્રસન્નચિત્ત ભવ

સંતુષ્ટતા ની નિશાની પ્રત્યક્ષ રુપ માં પ્રસન્નતા દેખાશે. અને જે સદા સંતુષ્ટ કે પ્રસન્ન રહે છે તેમની દરેક વ્યક્તિ પ્રશંસા અવશ્ય કરે છે. તો પ્રશંસા, પ્રસન્નતા થી જ પ્રાપ્ત કરી શકો છો એટલે સદા સંતુષ્ટ અને પ્રસન્ન રહેવાનું વિશેષ વરદાન સ્વયં પણ લો અને બીજાઓને પણ આપો કારણ કે આ યજ્ઞ ની અંતિમ આહુતિ-સર્વ બ્રાહ્મણો ની સદા પ્રસન્નતા છે. જ્યારે બધાં સદા પ્રસન્ન રહેશે ત્યારે પ્રત્યક્ષતા નો અવાજ ગુંજશે અર્થાત્ વિજય નો ઝંડો લહેરાશે.

સ્લોગન :-
ડાયમંડ બની ડાયમંડ બનવાનો સંદેશ આપવો જ ડાયમંડ જુબલી મનાવવી છે.