05-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પુરુષોત્તમ સંગમયુગ કલ્યાણકારી યુગ છે , આમાં જ ભણતર થી તમારે શ્રીકૃષ્ણપુરી નાં
માલિક બનવાનું છે ”
પ્રશ્ન :-
બાપ માતાઓ પર
જ્ઞાન નો કળશ કેમ રાખે છે? કયો એક રિવાજ ભારતમાં જ ચાલે છે?
ઉત્તર :-
પવિત્રતાની રાખડી બાધી બધાંને પતિત થી પાવન બનાવવા માટે બાપ માતાઓ પર જ્ઞાન નો કળશ
રાખે છે. રક્ષાબંધન નો પણ ભારતમાં જ રિવાજ છે. બહેન ભાઈ ને રાખડી બાંધે છે. આ
પવિત્રતા ની નિશાની છે. બાપ કહે છે બાળકો તમે મામેકમ યાદ કરો તો પાવન બની પાવન
દુનિયાનાં માલિક બની જશો.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા …….
ઓમ શાંતિ!
આ છે ભોળાનાથ
ની મહિમા, જેના માટે કહે છે આપવા વાળા છે. આપ બાળકો જાણો છો શ્રી લક્ષ્મી-નારાયણને
આ રાજ્ય-ભાગ્ય કોણે આપ્યું. જરુર ભગવાને આપ્યું હશે કારણ કે સ્વર્ગની સ્થાપના તો એજ
કરે છે. સ્વર્ગની બાદશાહી ભોળાનાથે જેમ લક્ષ્મી-નારાયણ ને આપી તેમજ કૃષ્ણને આપી.
રાધે-કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ ની વાત તો એક જ છે. પરંતુ રાજધાની છે નહીં. તેમને
સિવાય પરમપિતા પરમાત્મા નાં કોઈ રાજ્ય આપી નથી શકતું. તેમનો જન્મ સ્વર્ગમાં જ કહેશું.
આ આપ બાળકો જ જાણો છો. આપ બાળકો જ જન્માષ્ટમી પર સમજાવશો. કૃષ્ણની જન્માષ્ટમી છે તો
રાધે ની પણ હોવી જોઈએ કારણ કે બંને સ્વર્ગનાં વાસી હતાં. રાધે-કૃષ્ણ જ સ્વયંવર નાં
પછી લક્ષ્મી-નારાયણ બને છે. મુખ્ય વાત કે તેમને આ રાજ્ય કોણે આપ્યું. આ રાજ્યોગ
ક્યારે અને કોણે શીખવાડયો? સ્વર્ગમાં તો નહીં શીખવાડ્યો હોય. સતયુગમાં તો તે છે જ
ઉત્તમ પુરુષ. કળયુગનાં પછી હોય છે સતયુગ. તો જરુર કળયુગનાં અંત માં રાજ્યોગ શીખ્યા
હશે. જે પછી નવાં જન્મમાં રાજાઈ પ્રાપ્ત કરી. જૂની દુનિયાથી નવી પાવન દુનિયા બને
છે. જરુર પતિત-પાવન જ આવ્યાં હશે. હવે સંગમયુગ પર કયો ધર્મ હોય છે, આ કોઈને ખબર નથી.
જૂની દુનિયા અને નવી દુનિયાનો આ છે પુરુષોત્તમ સંગમયુગ, જે ગવાયેલું છે. આ
લક્ષ્મી-નારાયણ છે નવી દુનિયાનાં માલિક. તેમની આત્માને આગળ નાં જન્મમાં પરમપિતા
પરમાત્માએ રાજયોગ શીખવાડ્યો. જે પુરુષાર્થ ની પ્રાલબ્ધ ફરી થી નવાં જન્મ માં મળે
છે, આનું નામ જ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમયુગ. જરુર અનેક જન્મોનાં અંતનાં જન્મમાં
જ તેમને કોઈએ રાજ્યોગ શીખવાડયો હશે. કળયુગમાં છે અનેક ધર્મ, સતયુગમાં હતો એક
દેવી-દેવતા ધર્મ. સંગમ પર કયો ધર્મ છે, જેનાંથી આ પુરુષાર્થ કરી રાજ્યોગ શીખ્યા અને
સતયુગ માં પ્રાલબ્ધ ભોગવી. સમજાય છે સંગમયુગ પર બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ જ પેદા થયાં.
ચિત્રમાં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપનાં, કૃષ્ણપુરી ની. વિષ્ણુપુરી અથવા નારાયણપુરી
કહો, વાત તો એક જ છે. હમણાં તમે જાણો છો આપણે કૃષ્ણપુરી નાં માલિક બનીએ છીએ, આ ભણતર
થી અને પાવન બનવાથી. શિવ ભગવાનુવાચ છે ને. કૃષ્ણની આત્મા જ અનેક જન્મોનાં અંતનાં
જન્મ માં ફરી આ બને છે. ૮૪ જન્મ લે છે ને. આ છે ૮૪ મો જન્મ, આમનું જ ફરી બ્રહ્મા
નામ રાખે છે. નહીં તો પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં. ઈશ્વરે રચના રચી તો
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ક્યાંથી આવ્યાં. કેવી રીતે રચ્યાં? શું છૂ મંત્ર કર્યો જેથી
પેદા થઈ ગયાં. બાપ જ તેમની હિસ્ટ્રી બતાવે છે. એડોપ્ટ કરાય છે તો નામ બદલે છે.
બ્રહ્મા નામ તો નહોતું ને. કહે છે અનેક જન્મોનાં અંતમાં….. તો જરુર પતિત મનુષ્ય થયાં.
બ્રહ્મા ક્યાંથી આવ્યાં, કોઈને પણ ખબર નથી. અનેક જન્મોનાં અંત નો જન્મ કોનો થયો? એ
તો લક્ષ્મી-નારાયણે જ અનેક જન્મ લીધાં છે. નામ, રુપ, દેશ, કાળ બદલાતો જાય છે. કૃષ્ણ
નાં ચિત્રમાં ૮૪ જન્મો ની કહાની ક્લિયર (સ્પષ્ટ) લખેલી છે. જન્માષ્ટમી પર કૃષ્ણનાં
ચિત્ર પણ ખુબ વેચાતા હશે કારણ કે કૃષ્ણ નાં મંદિરમાં તો બધાં જશે ને. રાધે-કૃષ્ણ
નાં મંદિરમાં જ જાય છે. કૃષ્ણની સાથે રાધે જરુર હશે. રાધે-કૃષ્ણ, પ્રિન્સ-પ્રિન્સેજ
જ લક્ષ્મી-નારાયણ મહારાજા-મહારાણી બને છે. તેમણે જ ૮૪ જન્મ લીધાં પછી અંતનાં જન્મ
માં બ્રહ્મા-સરસ્વતી બન્યાં. અનેક જન્મોનાં અંતમાં બાપે પ્રવેશ કર્યો. અને તેમને જ
કહે છે તમે પોતાનાં જન્મને નથી જાણતાં. તમે પહેલાં જન્મમાં લક્ષ્મી-નારાયણ હતાં. પછી
આ જન્મ લીધો તેઓએ અર્જુન નું નામ કહી દીધું છે. અર્જુન ને રાજયોગ શીખવાડયો. અર્જુન
ને અલગ કરી દીધો છે. પરંતુ તેમનું નામ અર્જુન છે નહીં. બ્રહ્મા નું જીવન ચરિત્ર
જોઈએ ને. પરંતુ બ્રહ્મા અને બ્રાહ્મણોનું વર્ણન ક્યાંય પણ છે નહીં. આ વાતો બાપ જ
બેસી સમજાવે છે. બધાં બાળકો સાંભળશે પછી બાળકો બીજાઓને સમજાવશે. કથા સાંભળી ને પછી
બીજાઓને બેસી સંભળાવે છે. તમે પણ સાંભળો છો પછી સંભળાવો છો. આ છે પુરુષોત્તમ
સંગમયુગ, લીપ યુગ. એક્સ્ટ્રા યુગ. પુરુષોત્તમ મહિનો આવે છે તો ૧૩ મહિનાં થઈ જાય છે.
આ સંગમયુગ નાં તહેવાર જ દર વર્ષે મનાવે છે. આ પુરુષોત્તમ સંગમયુગ ની કોઈને ખબર નથી.
આ સંગમયુગ પર જ બાપ આવીને પવિત્ર બનાવવાની પ્રતિજ્ઞા કરાવે છે. પતિત દુનિયા થી પાવન
દુનિયાની સ્થાપના કરાવે છે. રક્ષાબંધન નો પણ ભારતમાં જ રિવાજ છે. બહેન ભાઈ ને રાખડી
બાંધે છે. પરંતુ તે કુમારી પણ પછી અપવિત્ર બની જાય છે. હમણાં બાપે આપ માતાઓ પર
જ્ઞાનનો કળશ રાખ્યો છે. જે બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ બેસી પવિત્રતાની પ્રતિજ્ઞા
કરાવવાની રાખડી બાંધે છે. બાપ કહે છે મામેકમ યાદ કરો તો તમે પાવન બની પાવન દુનિયાનાં
માલિક બની જશો. બાકી કોઈ રાખડી વગેરે બાંધવાની દરકાર નથી. આ સમજાવાય છે. જેમ
સાધુ-સન્યાસી લોકો દાન માગે છે. કોઈ કહે છે ક્રોધ નું દાન આપો, કોઈ કહે છે કાંદા નહીં
ખાઓ. જે પોતે નથી ખાતા તે દાન લેતા હશે. આ બધાથી ભારે પ્રતિજ્ઞા તો બેહદનાં બાપ
કરાવે છે. તમે પાવન બનવા ઈચ્છો છો તો પતિત-પાવન બાપ ને યાદ કરો. દ્વાપર થી લઈને તમે
પતિત બનતા આવ્યાં છો, હવે આખી દુનિયા પાવન જોઈએ, એ તો બાપ જ બનાવી શકે છે. સર્વ નાં
ગતિ-સદ્દગતિ દાતા કોઈ મનુષ્ય હોઈ ન શકે. બાપ જ પાવન બનવાની પ્રતિજ્ઞા લે છે. ભારત
પાવન સ્વર્ગ હતું ને. પતિત-પાવન એ પરમપિતા પરમાત્મા જ છે. કૃષ્ણ ને પતિત-પાવન નહીં
કહીશું. તેમનો તો જન્મ થાય છે. તેમનાં તો મા-બાપ પણ દેખાડે છે. એક શિવ નો જ અલૌકિક
જન્મ છે. એ સ્વયં જ પોતાનો પરિચય આપે છે કે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું.
શરીર નો આધાર જરુર લેવો પડે. હું જ્ઞાનનો સાગર પતિત-પાવન, રાજયોગ શીખવાડવા વાળો
છું. બાપ જ સ્વર્ગ નાં રચયિતા છે અને નર્ક નો વિનાશ કરાવે છે. જ્યારે સ્વર્ગ છે તો
નર્ક નથી. હમણાં પૂરું રૌરવ નર્ક છે. જ્યારે બિલકુલ તમોપ્રધાન નર્ક બને છે ત્યારે જ
બાપ આવીને સતોપ્રધાન સ્વર્ગ બનાવે છે. ૧૦૦ ટકા પતિત થી ૧૦૦ ટકા પાવન બનાવે છે. પહેલો
જન્મ જરુર સતોપ્રધાન જ મળશે. બાળકોએ વિચાર સાગર મંથન કરી ભાષણ કરવાનું છે. સમજાવવાનું
પછી દરેક નું અલગ-અલગ હશે. બાપ પણ આજે એક વાત, કાલે પછી બીજી વાત સમજાવશે. એક જેવું
સમજાવવાનું તો હોઈ ન શકે. સમજો ટેપ થી કોઈ એક્યુરેટ સાંભળે પણ પરંતુ પછી એક્યુરેટ
સંભળાવી નહીં શકે, ફર્ક જરુર પડે છે. બાપ જે સંભળાવે છે, તમે જાણો છો ડ્રામા માં બધું
નોંધ છે. અક્ષરે-અક્ષર જે કલ્પ પહેલાં સંભળાવ્યું હતું તે પછી આજે સંભળાવે છે. આ
રેકોર્ડ ભરાયેલો છે. ભગવાન સ્વયં કહે છે મેં જે ૫ હજાર વર્ષ પહેલાંં હૂબહૂ
અક્ષરે-અક્ષર સંભળાવ્યું છે એ જ સંભળાવું છું. આ શૂટ કરેલો ડ્રામા છે. આમાં ફર્ક જરા
પણ નથી પડી શકતો. આટલી નાની આત્મામાં રેકોર્ડ ભરાયેલો છે. હવે કૃષ્ણ જન્માષ્ટમી
ક્યારે થઈ હતી, આ પણ બાળકો સમજે છે. આજ થી ૫ હજાર વર્ષ થી અમુક દિવસ ઓછા કહેશું
કારણ કે હમણાં ભણી રહ્યાં છે. નવી દુનિયા ની સ્થાપના થઈ રહી છે. બાળકોનાં દિલ માં
કેટલી ખુશી છે. તમે જાણો છો કૃષ્ણની આત્માએ ૮૪ નું ચક્ર લગાવ્યું છે. હવે ફરી
કૃષ્ણનાં નામ-રુપ માં આવી રહી છે. ચિત્રમાં દેખાડ્યું છે-જૂની દુનિયા ને લાત મારી
રહ્યાં છે. નવી દુનિયા હાથમાં છે. હમણાં ભણી રહ્યાં છે એટલે કહેવાય છે-શ્રીકૃષ્ણ આવી
રહ્યાં છે. જરુર બાપ અનેક જન્મોનાં અંતમાં જ ભણાવશે. આ ભણતર પૂરું થશે તો કૃષ્ણ
જન્મ લેશે. બાકી થોડો સમય છે ભણતર નો. જરુર અનેક ધર્મો નો વિનાશ થયા બાદ કૃષ્ણનો
જન્મ થયો હશે. તે પણ એક કૃષ્ણ તો નહીં, આખી કૃષ્ણપુરી હશે. આ બ્રાહ્મણ જ છે જે ફરી
આ રાજયોગ શીખી દેવતા પદ પામશે. દેવતાઓ બને જ છે નોલેજ થી. બાપ આવીને મનુષ્ય થી દેવતા
બનાવે છે - ભણતર થી. આ પાઠશાળા છે, આમાં સૌથી વધારે સમય લાગે છે. ભણતર તો સહજ છે.
બાકી યોગ માં છે મહેનત. તમે બતાવી શકો છો કૃષ્ણ ની આત્મા હવે રાજયોગ શીખી રહી છે -
પરમપિતા પરમાત્મા દ્વારા. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને આત્માઓને ભણાવી રહ્યાં છે,
વિષ્ણુપુરી નું રાજ્ય આપવાં. આપણે પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ
છીએ. આ છે સંગમયુગ. આ ખુબ નાનો-એવો યુગ છે. ચોટી સૌથી નાની હોય છે ને. પછી એનાથી
મોટું મુખ, એનાથી મોટી ભુજા, એનાથી મોટું પેટ, એનાથી મોટા પગ. વિરાટ રુપ દેખાડે છે,
પરંતુ તેની સમજણ કોઈ નથી આપતું. આપ બાળકોએ આ ૮૪ જન્મોનાં ચક્ર નુંરહસ્ય સમજાવવાનું
છે. શિવ જયંતી નાં પછી છે કૃષ્ણ જયંતી.
આપ બાળકોનાં માટે આ છે સંગમયુગ. તમારા માટે કળયુગ પૂરો થઈ ગયો. બાપ કહે છે - મીઠા
બાળકો, હવે હું આવ્યો છું તમને સુખધામ, શાંતિધામ લઈ જવા માટે. તમે સુખધામ નાં
રહેવાસી હતાં પછી દુઃખધામ માં આવ્યાં. પોકારો છો બાબા આવો, આ જૂની દુનિયામાં. તમારી
દુનિયા તો નથી. હમણાં તમે શું કરી રહ્યાં છો? યોગબળ થી પોતાની દુનિયા સ્થાપન કરી
રહ્યાં છો. કહેવાય પણ છે અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. તમારે અહિંસક બનવાનું છે. ન
કામ કટારી ચલાવવાની છે, ન લડવાનું-ઝઘડવાનું છે. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી
આવું છું. લાખો વર્ષની વાત જ નથી. બાપ કહે છે યજ્ઞ, તપ, દાન, પુણ્ય વગેરે કરતાં તમે
નીચે ઉતરતાં આવ્યાં છો. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. મનુષ્ય તો કુંભકરણ ની નિંદ્રામાં
સૂતેલાં છે, જે જાગતા જ નથી એટલે બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું, મારો પણ ડ્રામા
માં પાર્ટ છે. પાર્ટ વગર હું પણ કાંઈ નથી કરી શકતો. હું પણ ડ્રામાનાં બંધન માં છું.
પૂરા સમય પર આવું છું. ડ્રામાનાં પ્લાન અનુસાર હું આપ બાળકોને પાછાં લઈ જાઉં છું.
હવે કહું છું મનમનાભવ. પરંતુ આનો પણ અર્થ કોઈ નથી જાણતું. બાપ કહે છે દેહનાંં સર્વ
સંબધ છોડી મામેકમ યાદ કરો તો તમે પાવન બની જશો. બાળકો મહેનત કરતા રહે છે બાપ ને યાદ
કરવાની. આ છે ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, આખાં વિશ્વને સદ્દગતિ આપવાવાળું બીજું કોઈ
ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હોઈ ન શકે. ઈશ્વર બાપ સ્વયં આવીને આખાં વિશ્વને ચેન્જ (પરિવર્તન)
કરી દે છે. નર્ક થી સ્વર્ગ બનાવે છે. જેનાં પર પછી તમે રાજ્ય કરો છો. શિવ ને
બબુલનાથ પણ કહે છે કારણ કે એ આવીને તમને કામ કટારી થી છોડાવી પાવન બનાવે છે.
ભક્તિમાર્ગ માં તો ખુબ શો (ભપકો) છે. અહીંયા તો શાંતિમાં યાદ કરવાનાં છે. તેઓ અનેક
પ્રકાર નાં હઠયોગ વગેરે કરે છે. તેમનો તો નિવૃત્તિ માર્ગ જ અલગ છે. તેઓ બ્રહ્મને
માને છે. બ્રહ્મ યોગી તત્વ યોગી છે. તે તો થઈ ગયું આત્માઓનું રહેવાનું સ્થાન, જેને
બ્રહ્માંડ કહેવાય છે. તેઓ પછી બ્રહ્મને ભગવાન સમજી લે છે. તેમાં લીન થઇ જશે. એટલે
આત્માને મોર્ટલ (વિનાશી) બનાવી દે છે. બાપ કહે છે હું જ આવીને સર્વ ની સદ્દગતિ કરું
છું. શિવબાબા જ સર્વની સદ્દગતિ કરે, તો એ છે હીરા જેવાં. પછી તમને ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ)
માં લઈ જાય છે. તમારો પણ આ હીરા જેવો જન્મ છે પછી ગોલ્ડન એજ માં આવો છો. આ નોલેજ
તમને બાપ જ આવીને ભણાવે છે જેનાથી તમે દેવતા બનો છો. પછી આ નોલેજ પ્રાયઃ લોપ થઈ જાય
છે. આ લક્ષ્મી-નારાયણ માં પણ રચતા અને રચના નું નોલેજ નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયામાં રહેતા ડબલ અહિંસક બની યોગબળ થી પોતાની નવી દુનિયા સ્થાપન કરવાની છે.
પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે.
2. બાપ જે સંભળાવે છે
તેનાં પર વિચાર સાગર મંથન કરી બીજાઓને સંભળાવવાનું છે. સદા નશો રહે કે આ ભણતર પૂરું
થશે તો અમે કૃષ્ણપુરી માં જઈશું.
વરદાન :-
વ્યર્થ ને પણ
શુભ ભાવ અને શ્રેષ્ઠ ભાવના દ્વારા પરિવર્તન કરવા વાળા સાચાં મરજીવા ભવ
બાપદાદાની શ્રીમત છે
બાળકો વ્યર્થ વાતો ન સાંભળો, ન સંભળાવો અને ન વિચારો. સદા શુભ ભાવના થી વિચારો, શુભ
બોલ બોલો. વ્યર્થ ને પણ શુભ ભાવ થી સાંભળો. શુભચિંતક બની બોલ નાં ભાવ ને પરિવર્તન
કરી દો. સદા ભાવ અને ભાવના શ્રેષ્ઠ રાખો, સ્વયંને પરિવર્તન કરો ન કે અન્ય નાં
પરિવર્તન નું વિચારો. સ્વયંનું પરિવર્તન જ અન્ય નું પરિવર્તન છે. આમા પહેલાં હું-આ
મરજીવા બનવામાં જ મજા છે. આને જ મહાબલિ કહેવાય છે. આમાં ખુશીથી મરો-આ મરવું જ જીવવું
છે, આ જ સાચું જીવદાન છે.
સ્લોગન :-
સંકલ્પોની
એકાગ્રતા શ્રેષ્ઠ પરિવર્તન માં તીવ્ર ગતિ લઈ આવે છે.