31-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપ થી ઓનેસ્ટ ( વફાદાર ) રહો , પોતાનો સાચો - સાચો ચાર્ટ રાખો , કોઈને પણ દુઃખ ન આપો , એક બાપ ની શ્રેષ્ઠ મત પર ચાલતાં રહો ”

પ્રશ્ન :-
જે પૂરા ૮૪ જન્મ લેવા વાળા છે, તેમનો પુરુષાર્થ શું હશે?

ઉત્તર :-
તેમનો વિશેષ પુરુષાર્થ નર થી નારાયણ બનવાનો હશે. પોતાની કર્મેન્દ્રિયો પર તેમનું પૂરું નિયંત્રણ હશે. તેમની આંખો ક્રિમિનલ (અપવિત્ર) નહીં હશે. જો હજું સુધી પણ કોઈને જોવાથી વિકારી ખ્યાલાત આવે છે, ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) થાય છે તો સમજો પૂરા ૮૪ જન્મ લેવા વાળી આત્મા નથી.

ગીત :-
ઈસ પાપ કી દુનિયા સે ….

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો જાણે છે કે આ પાપ ની દુનિયા છે. પુણ્યની દુનિયા ને પણ મનુષ્ય જાણે છે. મુક્તિ અને જીવનમુક્તિ પુણ્યની દુનિયા ને કહેવાય છે. ત્યાં પાપ હોતું નથી. પાપ હોય છે દુઃખધામ રાવણ રાજ્ય માં. દુઃખ આપવા વાળા રાવણ ને પણ જોયો છે, રાવણ કોઈ વસ્તુ નથી છતાં પણ એફીજી બાળે છે. બાળકો જાણે છે અમે આ સમયે રાવણ રાજ્ય માં છીએ, પરંતુ કિનારો કરેલો છે. આપણે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. બાળકો જ્યારે અહીંયા આવે છે તો બુદ્ધિ માં આ છે-અમે એ બાપનાં પાસે જઈએ છીએ જે અમને મનુષ્ય થી દેવતા બનાવે છે. સુખધામ નાં માલિક બનાવે છે. સુખધામનાં માલિક બનાવવા વાળા કોઈ બ્રહ્મા નથી, કોઈ પણ દેહધારી નથી. એ છે જ શિવબાબા, જેમને દેહ નથી. દેહ તમને પણ નહોતી, પરંતુ તમે પછી દેહ લઈને જન્મ-મરણ માં આવો છો તો તમે સમજો છો અમે બેહદનાં બાપ પાસે જઈએ છીએ. એ અમને શ્રેષ્ઠ મત આપે છે. તમે આવો પુરુષાર્થ કરવાથી સ્વર્ગનાં માલિક બની શકશો. સ્વર્ગને તો બધાં યાદ કરે છે. સમજે છે નવી દુનિયા જરુર છે. તે પણ જરુર કોઈ સ્થાપન કરવા વાળા છે. નર્ક પણ કોઈ સ્થાપન કરે છે. તમારો સુખ ધામ નો પાર્ટ ક્યારે પૂરો થાય છે, તે પણ તમે જાણો છો. પછી રાવણ રાજ્યમાં તમે દુઃખી થવા લાગો છો. આ સમયે આ છે જ દુઃખધામ. ભલે કેટલાં પણ કરોડપતિ, પદમપતિ હોય પરંતુ પતિત દુનિયા તો જરુર કહેશે ને. આ કંગાળ દુનિયા, દુઃખી દુનિયા છે. ભલે કેટલાં પણ મોટાં-મોટાં મકાન છે, સુખ નાં બધાં સાધન છે તો પણ કહેશે પતિત જૂની દુનિયા છે. વિષય વૈતરણી નદી માં ગોતા ખાતાં રહે છે. આ પણ નથી સમજતાં કે વિકાર માં જવું પાપ છે. કહે છે આનાં વગર સૃષ્ટિ વૃદ્ધિ ને કેવી રીતે પામશે. બોલાવે પણ છે-હેં ભગવાન, હેં પતિત-પાવન આવીને આ પતિત દુનિયાને પાવન બનાવો. આત્મા કહે છે શરીર દ્વારા. આત્મા જ પતિત બની છે ત્યારે તો પોકારે છે. સ્વર્ગ માં એક પણ પતિત હોતાં નથી.

આપ બાળકો જાણો છો કે સંગમયુગ પર જે સારા પુરુષાર્થી છે એ જ સમજે છે કે અમે ૮૪ જન્મ લીધાં છે પછી આ લક્ષ્મી-નારાયણ ની સાથે જ અમે સતયુગ માં રાજ્ય કરીશું. એકે તો ૮૪ જન્મ નથી લીધાં ને. રાજાની સાથે પ્રજા પણ જોઈએ. આપ બ્રાહ્મણોમાં પણ નંબરવાર છે. કોઈ રાજા-રાણી બને છે, કોઈ પ્રજા. બાપ કહે છે બાળકો હમણાં જ તમારે દૈવીગુણ ધારણ કરવાનાં છે. આ આંખો ક્રિમિનલ (અપવિત્ર) છે, કોઈને જોવાથી વિકાર ની દૃષ્ટિ જાય છે તો તેમનાં ૮૪ જન્મ નહીં હશે. તે નર થી નારાયણ બની નહીં શકે. જ્યારે આ આંખો પર જીત પામી લેશે ત્યારે કર્માતીત અવસ્થા થશે. બધો આધાર આંખો પર છે, આંખો જ દગો આપે છે. આત્મા આ બારીઓ થી જુએ છે, આમાં તો ડબલ આત્મા છે. બાપ પણ આ બારીઓથી જોઈ રહ્યાં છે. મારી પણ દૃષ્ટિ આત્મા પર જાય છે. બાપ આત્મા ને જ સમજાવે છે. કહે છે મેં પણ શરીર લીધું છે, ત્યારે બોલી શકે છે. તમે જાણો છો બાબા આપણને સુખની દુનિયામાં લઈ જાય છે. આ છે રાવણ રાજ્ય. તમે આ પતિત દુનિયાથી કિનારો કરી લીધો છે. કોઈ ખુબ આગળ વધી ગયાં, કોઈ અંત માં હટી ગયાં. દરેક કહે પણ છે પાર લગાવો. હવે પાર તો જશે સતયુગ માં. પરંતુ ત્યાં પદ ઊંચું પામવું છે તો પવિત્ર બનવાનું છે. મહેનત કરવાની છે. મુખ્ય વાત છે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ છે જ પહેલો વિષય.

તમે હમણાં જાણો છો આપણે આત્મા એક્ટર છીએ. પહેલાં-પહેલાં આપણે સુખધામ માં આવ્યાં પછી હવે દુઃખધામ માં આવ્યાં છીએ. હવે બાપ ફરી સુખધામ માં લઇ જવા આવ્યાં છે. કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો. કોઈને પણ દુઃખ ન આપો. એક-બીજાને ખુબ દુઃખ આપતા રહે છે. કોઈમાં કામ નું ભૂત આવ્યું, કોઇમાં ક્રોધ આવ્યો, હાથ ચલાવ્યાં. બાપ કહેશે આ તો દુઃખ આપવા વાળી પાપ આત્મા છે. પુણ્ય આત્મા કેવી રીતે બનશે. હજું સુધી પાપ કરતા રહે છે. આ તો નામ બદનામ કરે છે. બધાં શું કહેશે! કહે છે અમને ભગવાન ભણાવે છે! અમે મનુષ્ય થી દેવતા વિશ્વનાં માલિક બનીએ છીએ! તે પછી આવું કામ કરે છે શું! એટલે બાબા કહે છે રોજ રાત્રે સ્વયંને જુઓ. જો સપૂત બાળક છે તો ચાર્ટ મોકલે. ભલે કોઈ ચાર્ટ લખે છે, પરંતુ સાથે આ લખતા નથી કે અમે કોઈને દુઃખ આપ્યું કે આ ભૂલ કરી. યાદ કરતા રહે અને કર્મ ઉલ્ટા કરતા રહે, આ પણ ઠીક નથી. ઉલ્ટા કર્મ કરે ત્યારે છે જ્યારે દેહ-અભિમાની બની જાય છે.

આ ચક્ર કેવી રીતે ફરે છે - આ તો ખુબ સહજ છે. એક દિવસ માં પણ ટીચર (શિક્ષક) બની શકે છે. બાપ તમને ૮૪ નું રહસ્ય સમજાવે છે, ટીચ કરે (ભણાવે) છે. પછી જઈને તેનાં પર મનન કરવાનું છે. અમે ૮૪ જન્મ કેવી રીતે લીધાં? એ શીખવાડવા વાળા શિક્ષક થી દૈવીગુણ પણ વધારે ધારણ કરી લે છે. બાબા સિદ્ધ કરી બતાવી શકે છે. દેખાડે છે બાબા અમારો ચાર્ટ જુઓ. અમે જરા પણ કોઈને દુઃખ નથી આપ્યું. બાબા કહેશે આ બાળક તો ખુબ મીઠો છે. સારી સુગંધ નીકાળી રહ્યાં છે. શિક્ષક બનવું તો સેકન્ડ નું કામ છે. શિક્ષક થી પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) યાદની યાત્રા માં આગળ નીકળી જાય છે. તો શિક્ષક થી પણ ઊંચ પદ પામશે. બાબા તો પૂછે છે, કોઈને ભણાવો છો? રોજ શિવનાં મંદિરમાં જઈને ટીચ કરો. શિવબાબા કેવી રીતે આવીને સ્વર્ગ ની સ્થાપનાં કરે છે? સ્વર્ગનાં માલિક બનાવે છે. સમજાવવું ખુબ જ સહજ છે. બાબાને ચાર્ટ મોકલી દે છે-બાબા અમારી અવસ્થા આવી છે. બાબા પૂછે છે બાળકો કોઈ વિકર્મ તો નથી કરતાં? ક્રિમિનલ આંખ ઉલટા-સુલ્ટા કામ તો નથી કરાવતી? પોતાનાં મેનર્સ (શિષ્ટાચાર), કેરેક્ટર્સ (ચરિત્ર) જોવાનાં છે. ચાલ-ચલન નો આખો આધાર આંખો પર છે. આંખો અનેક પ્રકાર થી દગો આપે છે. જરા પણ વગર પૂછે વસ્તુ ઉઠાવીને ખાધી તો તે પણ પાપ બની જાય છે કારણ કે વગર રજાએ ઉઠાવી ને. અહીંયા કાયદા ખુબ છે. શિવબાબા નો યજ્ઞ છે ને. ચાર્જ વાળી (ભંડારી) નાં વગર પૂછે વસ્તુ ખાઈ ન શકાય. એક ખાશે તો બીજા પણ એવું કરવા લાગી જશે. વાસ્તવ માં અહીંયા કોઈ વસ્તુ તાળા ની અંદર રાખવાની દરકાર નથી. લો (કાયદો) કહે છે આ ઘર ની અંદર, કિચન ની સામે કોઈ પણ અપવિત્ર આવવા ન જોઈએ. બહાર તો અપવિત્ર-પવિત્ર નો સવાલ જ નથી. પરંતુ પતિત તો પોતાને કહે છે ને. બધાં પતિત છે. કોઈ વલ્લભાચારી ને કે શંકરાચાર્ય ને હાથ લગાવી ન શકે કારણ કે તેઓ સમજે છે અમે પાવન, આ પતિત છે. ભલે અહીંયા બધાનાં શરીર પતિત છે તો પણ પુરુષાર્થ અનુસાર વિકારો નો સન્યાસ કરે છે. તો નિર્વિકારી ની આગળ વિકારી મનુષ્ય માથું ટેકવે છે. કહે છે આ ખુબ સ્વચ્છ ધર્માત્મા મનુષ્ય છે. સતયુગ માં તો મલેચ્છ હોતાં નથી. છે જ પવિત્ર દુનિયા. એક જ કેટેગરી (શ્રેણી) છે. તમે આ બધાં રહસ્ય ને જાણો છો. શરુથી લઈને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બુદ્ધિ માં રહેવું જોઈએ. અમે બધુંજ જાણીએ છીએ. બાકી કાંઈ પણ જાણવાનું રહેતું જ નથી. રચતા બાપ ને જાણ્યાં, સૂક્ષ્મ વતન ને જાણ્યું, ભવિષ્ય પદને જાણ્યું, જેનાં માટે જ પુરુષાર્થ કરો છો પછી જો ચલન એવી થઈ જાય છે તો ઉંચ પદ પામી નહી શકશે. કોઈને દુઃખ આપે, વિકારમાં જાય છે કે ખરાબ દૃષ્ટિ રાખે છે, તો આ પણ પાપ છે. દૃષ્ટિ બદલાઈ જાય, ખુબ મહેનત છે. દૃષ્ટિ ખુબ જ સારી જોઈએ. આંખો જુએ છે-આ ક્રોધ કરે છે તો પોતે પણ લડી પડે છે. શિવબાબા માં જરા પણ પ્રેમ નથી, યાદ જ નથી કરતાં. બલિહારી શિવબાબા ની છે. બલિહારી ગુરુ આપકી…...બલિહારી તે સદ્દગુરુ ની જેમણે ગોવિંદ શ્રી કૃષ્ણ નો સાક્ષાત્કાર કરાવ્યો. ગુરુ દ્વારા તમે ગોવિંદ બનો છો. સાક્ષાત્કાર થી ફક્ત મુખ મીઠું નથી થતું. મીરા નું મુખ મીઠું થયું શું? સાચે સ્વર્ગમાં તો ગઈ નહીં. તે છે ભક્તિ માર્ગ, તેને સ્વર્ગનું સુખ નહીં કહેશું. ગોવિંદ ને ફક્ત જોવાનાં નથી, એવાં બનવાનું છે. તમે અહીંયા આવ્યાં જ છો એવાં બનવાં. આ નશો રહેવો જોઈએ અમે એમની પાસે જઈએ છીએ જે અમને એવાં બનાવે છે. તો બાબા બધાને આ સલાહ આપે છે ચાર્ટ માં આ પણ લખો-આંખોએ દગો તો નથી આપ્યો? પાપ તો નથી કર્યુ? આંખો કોઈ ન કોઈ વાત માં દગો જરુર આપે છે. આંખો બિલકુલ શીતળ થઈ જવી જોઈએ. પોતાને અશરીરી સમજો. આ કર્માતીત અવસ્થા અંત માં થશે એ પણ જ્યારે બાબાને પોતાનો ચાર્ટ મોકલી દેશો. ભલે ધર્મરાજ નાં રજીસ્ટરમાં બધું જમા થઈ જાય છે ઓટોમેટિકલી (આપોઆપ). પરંતુ જ્યારે કે બાપ સાકાર માં આવ્યાં છે તો કહે છે સાકાર ને ખબર પડવી જોઈએ. તો ખબરદાર કરશે. ક્રિમિનલ આંખ કે દેહ-અભિમાન વાળા હશે તો વાયુમંડળ ને અશુદ્ધ કરી દેશે. અહીંયા બેઠા પણ બુદ્ધિયોગ બહાર ચાલ્યો જાય છે. માયા ખુબ દગો આપે છે. મન ખુબ તોફાની છે. કેટલી મહેનત કરવી પડે છે - આ બનવા માટે. બાબાની પાસે આવે છે, બાબા જ્ઞાનનો શ્રુંગાર કરાવે છે આત્માને. સમજે છે અમે આત્મા જ્ઞાન થી પવિત્ર થઈશું. પછી શરીર પણ પવિત્ર મળશે. આત્મા અને શરીર બંને પવિત્ર સતયુગ માં હોય છે. પછી અડધાકલ્પ પછી રાવણ રાજ્ય થાય છે. મનુષ્ય કહેશે ભગવાને આવું કેમ કર્યુ? આ અનાદિ ડ્રામા બનેલો છે. ભગવાને થોડી કંઈ કર્યુ. સતયુગમાં હોય છે જ - એક દેવી-દેવતા ધર્મ. કોઈ-કોઈ કહે છે આવાં ભગવાનને અમે યાદ જ કેમ કરીએ. પરંતુ તમારો બીજો ધર્મ થી કોઈ મતલબ નથી. જે કાંટા બન્યાં છે એ જ આવીને ફૂલ બનશે. મનુષ્ય કહેશે શું ભગવાન ફક્ત ભારતવાસીઓ ને જ સ્વર્ગમાં લઈ જશે, અમે માનીશું નહીં, ભગવાનને પણ બે આંખો છે શું! પરંતુ આ તો ડ્રામા બનેલો છે. બધાં સ્વર્ગમાં આવે તો પછી અનેક ધર્મો નો પાર્ટ કેવી રીતે ચાલે? સ્વર્ગમાં આટલાં કરોડ હોતા નથી. પહેલી-પહેલી મુખ્ય વાત ભગવાન કોણ છે, એમને તો સમજો. આ નથી સમજ્યું તો અનેક પ્રશ્ન કરતાં રહેશે. સ્વયંને આત્મા સમજશે તો કહેશે આ તો વાત ઠીક છે. આપણે પતિત થી પાવન જરુર બનવાનું છે. યાદ કરવાનાં છે એ એકને. બધાં ધર્મો માં ભગવાનને યાદ કરે છે.

આપ બાળકો ને હમણાં આ જ્ઞાન મળી રહ્યું છે. તમે સમજો છો આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. તમે કેટલું પ્રદર્શની માં પણ સમજાવો છો. નીકળે બિલકુલ થોડાં છે. પરંતુ એવું થોડી કહેશે કે એટલે કરવી ન જોઈએ. ડ્રામા માં હતું, કર્યુ, ક્યાંક નીકળે પણ છે પ્રદર્શની થી. ક્યાંક નથી નીકળતાં. આગળ ચાલી આવશે, ઉંચ પદ પામવાનો પુરુષાર્થ કરશે. કોઈને ઓછું પદ પામવાનું હશે તો એટલો પુરુષાર્થ નહીં કરશે. બાપ બાળકોને તો પણ સમજાવે છે, વિકર્મ કોઈ નહીં કરો. આ પણ નોંધ કરો કે અમે કોઈને દુઃખ તો નથી આપ્યું? કોઈથી લડ્યા-ઝઘડયા તો નથી? ઉલટું-સુલટું તો નથી બોલ્યાં? કોઈ અકર્તવ્ય કાર્ય તો નથી કર્યુ? બાબા કહે છે વિકર્મ જે કર્યા છે તે લખો. આ તો જાણો છો દ્વાપર થી લઈને વિકર્મ કરતા હવે ખુબ વિકર્મી બની ગયાં. બાબા ને લખીને આપવાથી બોજો હલકો થઈ જશે. લખે છે અમે કોઈને દુઃખ નથી આપતાં. બાબા કહેશે સારું, ચાર્ટ લઈને આવજો તો જોશે. બાબા બોલાવશે પણ એવાં સારા બાળકોને અમે જોઈએ તો ખરા. સપૂત બાળકો ને બાપ ખુબ પ્રેમ કરે છે. બાબા જાણે છે હમણાં કોઈ સંપૂર્ણ બન્યાં નથી. બાબા દરેક ને જુએ છે, કેવી રીતે પુરુષાર્થ કરે છે. બાળકો ચાર્ટ નથી લખતાં તો જરુર કંઈક ખામીઓ છે, જે બાબા થી છૂપાવે છે. સાચાં ઓનેસ્ટ બાળકો તેમને જ સમજુ છું જે ચાર્ટ લખે છે. ચાર્ટ ની સાથે પછી મેનર્સ પણ જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં નો બોજ હલકો કરવા માટે જે વિકર્મ થયાં છે, તે બાપ ને લખી ને આપવાનાં છે. હવે કોઈને પણ દુઃખ નથી આપવાનું. સપૂત બનીને રહેવાનું છે.

2. પોતાની દૃષ્ટિ ખુબ સારી બનાવવાની છે. આંખો દગો ન આપે-તેની સંભાળ કરવાની છે. પોતાનાં મેનર્સ ખુબ-ખુબ સારા રાખવાનાં છે. કામ-ક્રોધ નાં વશ થઈ કોઈ પાપ નથી કરવાનાં.

વરદાન :-
વિતેલાં ને ચિંતન માં ન લાવી ને ફુલસ્ટોપ ( પૂર્ણવિરામ ) લગાવવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

હમણાં સુધી જે કાંઈ થયું-તેને ફુલસ્ટોપ લગાવો. વિતેલાં ને ચિંતનમાં ન લાવવું-આ જ તીવ્ર પુરુષાર્થ છે. જો કોઈ વિતેલાં નું ચિંતન કરે છે તો સમય, શક્તિ, સંકલ્પ બધું વેસ્ટ (વ્યર્થ) થઈ જાય છે. હમણાં વેસ્ટ કરવાનો સમય નથી કારણ કે સંગમયુગ ની બે ઘડી અર્થાત્ બે સેકન્ડ પણ વેસ્ટ કરી તો અનેક વર્ષ વેસ્ટ કરી દીધાં એટલે સમયનાં મહત્વ ને જાણી હવે વિતેલાં ને ફુલ સ્ટોપ લગાવો. ફુલ સ્ટોપ લગાવવું અર્થાત્ સર્વ ખજાનાંથી ફુલ (ભરપૂર) બનવું.

સ્લોગન :-
જ્યારે દરેક સંકલ્પ શ્રેષ્ઠ હશે ત્યારે સ્વયં નું અને વિશ્વનું કલ્યાણ થશે.