04-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - અકાળ
મૂર્ત બાપ નું બોલતું - ચાલતું તખ્ત આ ( બ્રહ્મા ) છે , જ્યારે તે બ્રહ્મા માં આવે
છે ત્યારે આપ બ્રાહ્મણો ને રચે છે ”
પ્રશ્ન :-
અક્કલમંદ બાળકો
કયા રહસ્ય ને સમજીને ઠીક રીતે થી સમજાવી શકે છે?
ઉત્તર :-
બ્રહ્મા કોણ છે અને તે બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે. પ્રજાપિતા બ્રહ્મા
અહીંયા છે, તે કોઈ દેવતા નથી. બ્રહ્માએ જ બ્રાહ્મણો દ્વારા જ્ઞાન યજ્ઞ રચ્યો છે……આ
બધું રહસ્ય અક્કલ મંદ બાળકો જ સમજી ને સમજાવી શકે છે. ઘોડે સવાર અને પ્યાદા તો આમાં
મૂંઝાઈ જશે .
ગીત :-
ઓમ નમો શિવાય
……...
ઓમ શાંતિ!
ભક્તિમાં મહિમા
કરે છે એક ની. મહિમા તો ગાએ છે ને. પરંતુ ન એમને જાણે છે, ન એમનાં યથાર્થ પરિચય ને
જાણે છે. જો યથાર્થ મહિમા જાણતા હોત તો વર્ણન જરુર કરે. આપ બાળકો જાણો છો ઊંચે થી
ઊંચા છે ભગવાન. ચિત્ર મુખ્ય છે એમનું. બ્રહ્માની સંતાન પણ હશે ને. તમે બધાં
બ્રાહ્મણ થયાં. બ્રહ્માને પણ બ્રાહ્મણ જાણશે બીજા કોઈ નથી જાણતાં, એટલે મૂંઝાય છે.
આ બ્રહ્મા કેવી રીતે હોઈ શકે. બ્રહ્મા ને દેખાડયા છે સૂક્ષ્મવતનવાસી. હવે પ્રજાપિતા
સૂક્ષ્મવતન માં હોઈ ન શકે. ત્યાં રચના હોતી નથી. આનાં પર તમારી સાથે ખુબ વાદ-વિવાદ
પણ કરે છે. સમજાવવું જોઈએ - બ્રહ્મા અને બ્રાહ્મણ છે તો ખરા ને. જેમ ક્રાઈસ્ટ થી
ક્રિશ્ચન અક્ષર નીકળ્યો છે. બુદ્ધ થી બૌદ્ધિ, ઈબ્રાહમ થી ઈસ્લામી. તેમ પ્રજાપિતા
બ્રહ્મા થી બ્રાહ્મણ નામીગ્રામી છે. આદિ દેવ બ્રહ્મા. વાસ્તવમાં બ્રહ્મા ને દેવતા ન
કહી શકાય. આ પણ રોંગ (ખોટું) છે. બ્રાહ્મણ જે પોતાને કહેવડાવે છે એમનાથી પૂછવું
જોઈએ બ્રહ્મા ક્યાંથી આવ્યાં? આ કોની રચના છે. બ્રહ્મા ને કોણે ક્રિયેટ કર્યા?
ક્યારેય કોઈ બતાવી ન શકે, જાણતા જ નથી. આ પણ આપ બાળકો જાણો છો - શિવાબાબા નો જે રથ
છે, જેમાં પ્રવેશ કરે છે. આ છે જ તે, જે આત્મા કૃષ્ણ પ્રિન્સ (રાજકુમાર) બન્યાં હતાં.
૮૪ જન્મો નાં બાદ આ (બ્રહ્મા) આવીને બન્યાં છે. જન્મપત્રીનું નામ તો એમનું પોતાનું
અલગ હશે ને કારણ કે છે તો મનુષ્યને. પછી આમનામાં પ્રવેશ કરવાથી આમનું નામ બ્રહ્મા
રાખી દે છે. આ પણ બાળકો જાણે છે - એજ બ્રહ્મા, વિષ્ણુ નું રુપ છે. નારાયણ બને છે
ને. ૮૪ જન્મોના અંતમાં પણ સાધારણ રથ છે ને. આ (શરીર) બધી આત્માઓનો રથ છે. અકાળમૂર્ત
નો બોલતો-ચાલતો તખ્ત છે. સિક્ખ લોકો એ પછી તે તખ્ત બનાવી દીધો છે. તેને અકાળતખ્ત કહે
છે. આ તો અકાળતખ્ત બધાં છે. આત્માઓ બધી અકાળમૂર્ત છે. ઊંચે થી ઊંચા ભગવાન ને આ રથ
તો જોઈએ ને. રથ માં પ્રવેશ થઈ બેસી નોલેજ આપે છે. એમને જ નોલેજફુલ કહેવાય છે. રચતા
અને રચના નાં આદિ-મધ્ય-અંત નું નોલેજ આપે છે. નોલેજફુલ નો અર્થ કોઈ અંતર્યામી કે
જાની-જાનનહાર નથી. સર્વવ્યાપી નો અર્થ બીજો છે, જાની-જાનનહાર નો અર્થ બીજો છે.
મનુષ્ય તો બધાને મળાવીને જેમ ફાવે છે તે બોલતા જાય છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે
બધાં બ્રાહ્મણ બ્રહ્માની ઓલાદ (સંતાન) છીએ. આપણો કુળ સૌથી ઊંચો છે. તે લોકો દેવતાઓને
ઉંચા રાખે છે કારણ કે સતયુગ આદિમાં દેવતા થયાં છે. પ્રજાપિતા બ્રહ્મા ની ઓલાદ
બ્રાહ્મણ હોય છે - આ કોઈ જાણતું નથી સિવાય આપ બાળકોનાં. તેમને ખબર પણ કેવી રીતે પડે.
જ્યારે કે બ્રહ્મા ને સૂક્ષ્મવતન માં સમજી લે છે. તે શરીરધારી બ્રાહ્મણ અલગ છે જે
પૂજા કરે છે, ધામા ખાય છે. તમે તો ધામા વગેરે નથી ખાતાં. બ્રહ્મા નું રહસ્ય હમણાં
સારી રીતે સમજાવવું પડે છે. બોલો બીજી વાતો ને છોડી બાપ જેમનાથી પતિત થી પાવન બનવાનું
છે, પહેલાં એમને તો યાદ કરો. પછી આ વાતો પણ સમજી જશે. થોડી વાતમાં સંશય પડવાથી બાપને
જ છોડી દે છે. પહેલી મુખ્ય વાત છે અલ્ફ અને બે. બાપ કહે છે મામેકમ યાદ કરો. હું
જરુર કોઈનામાં તો આવીશ ને. તેમનું નામ પણ હોવું જોઈએ. તેમને આવીને રચું છું.
બ્રહ્માને માટે તમને સમજાવવાની ખુબ અક્કલ જોઈએ. પ્યાદા, ઘોડેસવાર મુંઝાય જાય છે.
અવસ્થા અનુસાર સમજાવે છે ને. પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા છે. બ્રાહ્મણો દ્વારા
જ્ઞાન યજ્ઞ રચે છે તો જરુર બ્રાહ્મણ જ જોઈએ ને. પ્રજાપિતા બ્રહ્મા પણ અહીંયા જોઈએ,
જેનાથી બ્રાહ્મણ થાય. બ્રાહ્મણ લોકો કહે પણ છે અમે બ્રહ્માની સંતાન છીએ. સમજે છે
પરંપરા થી અમારો કુળ ચાલતો આવે છે. પરંતુ બ્રહ્મા ક્યારે હતાં તે ખબર નથી. હમણાં તમે
બ્રાહ્મણ છો. બ્રાહ્મણ તે જે બ્રહ્માની સંતાન હોય. તેઓ તો બાપનાં ઓક્યુપેશન (કર્તવ્ય)
ને જાણતા જ નથી. ભારતમાં પહેલાં બ્રાહ્મણ જ હોય છે. બ્રાહ્મણો નો છે ઊંચે થી ઉંચો
કુળ. તે બ્રાહ્મણ પણ સમજે છે અમારો કુળ જરુર બ્રહ્મા થી જ નીકળ્યો હશે. પરંતુ કેવી
રીતે, ક્યારે... તે વર્ણન નથી કરી શકતાં. તમે સમજો છો-પ્રજાપિતા બ્રહ્મા જ બ્રાહ્મણો
ને રચે છે. જે બ્રાહ્મણોએ જ પછી દેવતા બનવાનું છે. બ્રાહ્મણોને આવીને બાપ ભણાવે છે.
બ્રાહ્મણો ની પણ ડિનાયસ્ટી (વંશજ) નથી. બ્રાહ્મણો નો કુળ છે, ડિનાયસ્ટી ત્યારે
કહેવાય જ્યારે રાજા-રાણી બને. જેમ સૂર્યવંશી ડિનાયસ્ટી. આપ બ્રાહ્મણોમાં રાજા તો
બનતા નથી. તેઓ જે કહે છે કૌરવો અને પાંડવો નું રાજ્ય હતું, બંને રોંગ (ખોટું) છે.
રાજાઈ તો બંને ને નથી. પ્રજાનું પ્રજા પર રાજ્ય છે, એને રાજધાની નહીં કહીશું. તાજ
છે નહીં. બાબાએ સમજાવ્યું હતું - પહેલાં ડબલ સિરતાજ ભારતમાં હતાં, પછી સિંગલ તાજ. આ
સમય તો તાજ નથી. આ પણ સારી રીતે સિદ્ધ કરીને બતાવવાનું છે, જે બિલકુલ સારી ધારણા
વાળા હશે તે સારી રીતે સમજાવી શકશે. બ્રહ્મા પર જ વધારે વાત સમજાવવાની હોય છે.
વિષ્ણુને પણ નથી જાણતાં. આ પણ સમજાવવાનું હોય છે. વૈકુંઠ ને વિષ્ણુપુરી કહેવાય છે
અર્થાત્ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. કૃષ્ણ, પ્રિન્સ હશે તો કહેશે ને - અમારા
બાબા (પિતા) રાજા છે. એવું નહીં કે કૃષ્ણ નાં પિતા રાજા નથી હોઈ શકતાં. કૃષ્ણ
પ્રિન્સ કહેવાય છે તો જરુર રાજા ની પાસે જન્મ થયો છે. સાહૂકાર પાસે જન્મ લે તો
પ્રિન્સ થોડી કહેવાશે. રાજા નાં પદ અને સાહૂકાર નાં પદ માં રાત-દિવસ નો ફર્ક થઈ જાય
છે. કૃષ્ણના પિતા રાજાનું નામ જ નથી. કૃષ્ણ નું કેટલું નામ પ્રસિદ્ધ છે. બાપનું ઊંચું
પદ નહીં કહેશે. તે સેકન્ડ ક્લાસ નું પદ છે જે ફક્ત નિમિત્ત બને છે કૃષ્ણ ને જન્મ
આપવાં. એવું નથી કે કૃષ્ણ ની આત્મા થી તે ઊંચું ભણેલા હોય છે. ના. કૃષ્ણ જ પછી
નારાયણ બને છે. બાકી બાપનું નામ જ ગુમ થઈ જાય છે. છે જરુર બ્રાહ્મણ. પરંતુ ભણતર માં
કૃષ્ણ થી ઓછા છે. કૃષ્ણની આત્મા નું ભણતર તેમનાં બાપ થી ઊંચું હતું, ત્યારે તો આટલું
નામ થાય છે. કૃષ્ણનાં બાપ કોણ હતાં - આ જેમ કોઈને ખબર નથી. આગળ જઈને ખબર પડશે.
બનવાનું તો અહીંયા થી જ છે. રાધે નાં પણ મા-બાપ તો હશે ને. પરંતુ એમનાથી રાધાનું
નામ વધારે છે કારણ કે મા-બાપ ઓછું ભણેલાં છે. રાધે નું નામ એમનાથી ઊંચું થઈ જાય છે.
આ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો-બાળકોને સમજાવવા માટે. બધો આધાર ભણતર પર છે. બ્રહ્મા
પર પણ સમજાવવાની અક્કલ જોઈએ. એ જ કૃષ્ણ જે છે એમની આત્મા જ ૮૪ જન્મ ભોગવે છે. તમે
પણ ૮૪ જન્મ લો છો. બધાં સાથે તો નહીં આવશે. જે ભણતર માં પહેલાં-પહેલાં હોય છે, ત્યાં
પણ તે પહેલાં આવશે. નંબરવાર તો આવે છે ને. આ ખુબ મહીન વાતો છે. ઓછી બુદ્ધિ વાળા તો
ધારણા કરી ન શકે. નંબરવાર જાય છે. તમે ટ્રાન્સફર થાઓ છો નંબરવાર. કેટલી મોટી લાઈન
છે, જે અંત માં જશે. નંબરવાર પોત-પોતાનાં સ્થાન પર જઈને નિવાસ કરશે. બધાનું સ્થાન
બનેલું છે. આ ખુબ વન્ડરફુલ રમત છે. પરંતુ કોઈ સમજતા નથી. આને કહેવાય છે કાંટાઓનું
જંગલ. અહીંયા બધાં એક-બીજા ને દુઃખ આપતાં રહે છે. ત્યાં તો નેચરલ (કુદરતી) સુખ છે.
અહિયાં છે આર્ટિફિશિયલ (બનાવટી) સુખ. સાચું સુખ એક બાપ જ આપવા વાળા છે. અહીંયા છે
કાગ વિષ્ટાનાં સમાન સુખ. દિવસ-પ્રતિદિવસ તમોપ્રધાન બનતાં જાય છે. કેટલું દુઃખ છે.
કહે છે - બાબા માયાનાં તોફાન ખુબ આવે છે. માયા ઉલજાવી દે છે, દુઃખ ની ફીલિંગ બહુજ
આવે છે. સુખદાતા બાપ નાં બાળકો બનીને પણ જો દુઃખ ની ફીલિંગ આવે છે તો બાપ કહે -
બાળકો, આ તમારું મોટું કર્મભોગ છે. જ્યારે બાપ મળ્યાં તો દુઃખની ફીલિંગ ન આવવી જોઈએ.
જે જૂનાં કર્મભોગ છે તેને યોગબળ થી ચૂકતું કરો. જો યોગબળ નહીં હોય તો મોચરા (સજાઓ)
ખાઈને ચૂકતું કરવા પડશે. મોચરા અને માની તો સારું નથી. (સજા ખાઈને પદ પામવું સારું
નહીં ) પુરુષાર્થ કરવો જોઈએ નહીં તો પછી ટ્રિબ્યુનલ બેસે છે. પ્રજા તો અનેક છે. આ
તો ડ્રામા અનુસાર બધાં ગર્ભજેલ માં ખૂબ સજાઓ ખાય છે. આત્માઓ ભટકે પણ ખુબ છે.
કોઈ-કોઈ આત્મા ખુબ નુકસાન કરે છે-જ્યારે કોઈ માં અશુદ્ધ આત્માનો પ્રવેશ થાય છે તો
કેટલાં હેરાન થાય છે. નવી દુનિયામાં આ વાતો હોતી નથી. હમણાં તમે પુરુષાર્થ કરો છો-અમે
નવી દુનિયામાં જઈએ. ત્યાં જઈને નવાં-નવાં મહેલ બનાવવા પડશે. રાજાઓની પાસે જન્મ લો
છો, જેમ કૃષ્ણ જન્મ લે છે. પરંતુ આટલાં મહેલ વગેરે બધાં પહેલેથી થોડી હોય છે. તે તો
પછી બનાવવાં પડે. કોણ રચે છે, જેમની પાસે જન્મ લે છે. ગવાયેલું પણ છે - રાજાઓની પાસે
જન્મ થાય છે. શું થાય છે એ તો આગળ ચાલીને જોવાનું છે. હમણાં થોડી બાબા બતાવશે. તે
પછી આર્ટિફિશિયલ નાટક થઈ જાય, એટલે બતાવતા કાંઈ પણ નથી. ડ્રામામાં બતાવવાની નોંધ નથી.
બાપ કહે છે હું પણ પાર્ટધારી છું. આગળની વાત પહેલેથી જ જાણતા હોત તો ઘણું બધું
બતાવત. બાબા અંતરયામી હોત તો પહેલે થી બતાવત. બાપ કહે છે - નહીં, ડ્રામા માં જે થાય
છે, તેને સાક્ષી થઈને જોતા ચાલો અને સાથે-સાથે યાદની યાત્રામાં મસ્ત રહો. આમાં જ
ફેલ (નપાસ) થાય છે. જ્ઞાન ક્યારેય ઓછું-વધારે નથી હોતું. યાદની યાત્રા જ ક્યારેક ઓછી,
ક્યારેક વધારે હોય છે. જ્ઞાન તો જે મળ્યું છે તે છે જ. યાદની યાત્રામાં ક્યારેક
ઉમંગ રહે છે, ક્યારેક ઢીલા. નીચે-ઉપર યાત્રા થાય છે. જ્ઞાન માં તમે સીડી નથી ચઢતાં.
જ્ઞાન ને યાત્રા નથી કહેવાતી. યાત્રા છે યાદ ની. બાપ કહે છે યાદમાં રહેવાથી તમે
સેફટી (સુરક્ષિત) માં રહેશો. દેહ-અભિમાન માં આવવાથી તમે ખુબ ધોકો ખાઓ છો. વિકર્મ કરી
દો છો. કામ મહાશત્રુ છે, તેમાં ફેલ થઈ જાય છે. ક્રોધ વગેરેની બાબા એટલી વાત નથી કરતાં.
જ્ઞાન થી અથવા તો છે સેકન્ડમાં જીવનમુક્તિ અથવા તો પછી કહે સાગર ને શાહી બનાવો તો
પણ પૂરું ન થાય. અથવા તો ફક્ત કહે છે અલફ ને યાદ કરો. યાદ કરવાનું કોને કહેવાય, આ
થોડી જાણે છે. કહે છે કળયુગ થી અમને સતયુગમાં લઈ ચાલો. જૂની દુનિયામાં છે દુઃખ. જુઓ
છો વરસાદ માં કેટલા મકાન પડતાં રહે છે, કેટલાં ડૂબી જાય છે. વરસાદ વગેરે આ નેચરલ
કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. આ બધું અચાનક થતું રહેશે. કુંભકરણ ની નિંદ્રામાં
સૂતેલાં હોય છે. વિનાશનાં સમય જાગશે પછી શું કરી શકશે! મરી જશે. ધરતી પણ જોર થી હલે
છે. તોફાન વરસાદ વગેરે બધું થાય છે. બોમ્બસ પણ ફેંકે છે. પરંતુ અહીંયા એડિશન છે
સિવિલવોર….. લોહીની નદીઓ ગવાયેલી છે. અહીંયા મારામારી થાય છે. એક-બીજા પર કેસ કરતા
રહે છે. તો લડશે પણ જરુર. બધાં છે નિધનનાં, તમે છો ધણી નાં. કોઈ લડાઈ વગેરે તમારે
નથી કરવાની. બ્રાહ્મણ બનવાથી તમે ધણીનાં બની ગયાં. ધણી બાપને અથવા પતિને કહે છે.
શિવબાબા તો પતિઓનાં પતિ છે. સગાઈ થઈ જાય છે તો પછી કહે છે અમે એવા પતિ ની સાથે
ક્યારે મળીશું. આત્માઓ કહે છે - શિવબાબા, અમારી તો તમારા થી સગાઈ થઈ ગઈ. હવે તમને
અમે કેવી રીતે મળીએ? કોઈ તો સાચું લખે છે, કોઈ તો ઘણું જ છુપાવે છે. સચ્ચાઈ થી લખતા
નથી કે બાબા અમારાથી આ ભૂલ થઇ ગઈ. ક્ષમા કરો. જો કોઈ વિકાર માં પડ્યું તો બુદ્ધિમાં
ધારણા થઈ નથી શકતી. બાબા કહે છે તમે એવી આકરી ભૂલ કરશો તો ચકનાચૂર થઈ જશો. તમને હું
ગોરા બનાવવા માટે આવ્યો છું, પછી તમે કાળું મોઢું કેમ કરો છો. ભલે સ્વર્ગ માં આવશો,
પાઈ પૈસા નું પદ પામશો. રાજધાની સ્થાપન થઈ રહી છે ને. કોઈ તો હાર ખાઈને
જન્મ-જન્માતર નું પદ ભ્રષ્ટ થઈ જાય છે. કહેશે બાપ થી તમે આ પદ પામવા આવ્યા છો, બાપ
આટલા ઊંચા બન્યાં, અમે બાળકો પછી પ્રજા થોડી બનીશું. બાપ ગાદી પર હોય અને બાળક
દાસ-દાસી બને, કેટલી લજ્જા ની વાત છે. અંતમાં તમને બધાં સાક્ષાત્કાર થશે. પછી ખુબ
પસ્તાશે. નકામું આવું કર્યું. સન્યાસી પણ બ્રહ્મચર્ય માં રહે છે, તો વિકારી બધાં
તેમને માથું ટેકવે છે. પવિત્રતા નું માન છે. કોઈની તકદીરમાં નથી તો બાપ આવીને ભણાવે
તો પણ ગફલત કરતા રહે છે. યાદ જ નથી કરતાં. ખુબ વિકર્મ બની જાય છે. આપ બાળકો પર હવે
છે બ્રહસ્પતિ ની દશા. આનાથી ઊંચી દશા બીજી કોઈ હોતી નથી. દશાઓ ચક્ર લગાવતી રહે છે
આપ બાળકો પર. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ડ્રામાનાં
દરેક સીન (દૃશ્ય) ને સાક્ષી થઈને જોવાનું છે, એક બાપની યાદ માં મસ્ત રહેવાનું છે.
યાદ ની યાત્રા માં ક્યારેય ઉમંગ ઓછો ન થાય .
2. ભણતરમાં ક્યારેય ગફલત નથી કરવાની, પોતાની ઊંચી તકદીર બનાવવા માટે પવિત્ર જરુર
બનવાનું છે. હાર ખાઈને જન્મ-જન્માંતર નાં માટે પદ ભ્રષ્ટ નથી કરવાનું.
વરદાન :-
મનમનાભવ નાં
મહામંત્ર દ્વારા સર્વ દુઃખો થી પાર રહેવા વાળા સદા સુખ સ્વરુપ ભવ
જ્યારે કોઈ પણ પ્રકાર
નું દુઃખ આવે તો મંત્ર લઈ લો જેનાથી દુઃખ ભાગી જશે. સ્વપ્ન માં પણ જરા પણ દુઃખનો
અનુભવ ન થાય, તન બીમાર થઈ જાય, ધન નીચે ઉપર થઈ જાય, કાંઈ પણ થાય પરંતુ દુઃખની લહેર
અંદર ન આવવી જોઈએ. જેમ સાગરમાં લહેરો આવે છે અને ચાલી જાય છે પરંતુ જેમને તે લહેરોમાં
લહેરાતાં આવડે છે તે તેમાં સુખનો અનુભવ કરે છે, લહેર ને છલાંગ આપીને એવી ક્રોસ (પાર)
કરે છે જેમ રમત કરી રહ્યાં છે. તો સાગર નાં બાળકો સુખ સ્વરુપ હોય, દુઃખ ની લહેર પણ
ન આવે.
સ્લોગન :-
દરેક સંકલ્પ
માં દૃઢતા ની વિશેષતા ને પ્રેકટીકલ માં લાવો તો પ્રત્યક્ષતા થઈ જશે.