18-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાની
સતોપ્રધાન તકદીર બનાવવા માટે યાદ માં રહેવાનો ખુબ પુરુષાર્થ કરો , સદા યાદ રહે હું
આત્મા છું , બાપ થી પૂરો વારસો લેવાનો છે ”
પ્રશ્ન :-
બાળકો ને યાદ
નો ચાર્ટ રાખવો મુશ્કેલ કેમ લાગે છે ?
ઉત્તર :-
કારણ કે ઘણાં બાળકો યાદ ને યથાર્થ સમજતા જ નથી. બેસે છે યાદમાં અને બુદ્ધિ બહાર ભટકે
છે. શાંત નથી થતી. તે પછી વાયુમંડળ ને ખરાબ કરે છે. યાદ કરતાં જ નથી તો ચાર્ટ પછી
કેવી રીતે લખે. જો કોઈ જુઠ્ઠું લખે છે તો ખુબ જ દંડ પડી જાય છે. સાચાં બાપ ને સાચું
બતાવવું પડે.
ગીત :-
તકદીર જગાકર
આઈ હૂં …
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
છતાં પણ રુહાની બાપ રોજ-રોજ સમજાવે છે કે જેટલું થઈ શકે દેહી-અભિમાની બનો. પોતાને
આત્મા નિશ્ચય કરો અને બાપ ને યાદ કરો કારણ કે તમે જાણો છો આપણે એ બેહદનાં બાપ થી
બેહદ સુખની તકદીર બનાવવા આવ્યાં છીએ. તો જરુર બાપ ને યાદ કરવાં પડે. પવિત્ર
સતોપ્રધાન બન્યાં વગર સતોપ્રધાન તકદીર બનાવી ન શકાય. આ તો સારી રીતે યાદ કરો. મૂળ
વાત છે જ એક. આ તો પોતાની પાસે લખી દો. બાજુ (હાથ) પર નામ લખે છે ને. તમે પણ લખી
દો-અમે આત્મા છીએ, બેહદનાં બાપ થી અમે વારસો લઈ રહ્યાં છીએ કારણ કે માયા ભૂલાવી દે
છે એટલે લખેલું હશે તો ઘડી-ઘડી યાદ રહેશે. મનુષ્ય ઓમ નું કે કૃષ્ણ વગેરે નાં ચિત્ર
પણ લગાડે છે યાદનાં માટે. આ તો છે નવાં થી નવી યાદ. આ ફક્ત બેહદ નાં બાપ જ સમજાવે
છે. આને સમજવાથી તમે સૌભાગ્યશાળી તો શું પદમ ભાગ્યશાળી બનો છો. બાપને ન જાણવાનાં
કારણે, યાદ ન કરવાનાં કારણે કંગાળ બની ગયાં છે. એક જ બાપ છે જે સદૈવ નાં માટે જીવન
ને સુખી બનાવવા આવ્યાં છે. ભલે યાદ પણ કરે છે પરંતુ જાણતા બિલકુલ નથી. વિલાયત વાળા
પણ સર્વવ્યાપી કહેવાનું ભારતવાસીઓ થી શીખ્યાં છે. ભારત ઉતર્યું, તો બધાં ઉતર્યા છે.
ભારત રેસપોન્સિબલ (જવાબદાર) છે પોતાને પાડવા અને બધાને પાડવા. બાપ કહે છે હું પણ
અહીંયા જ આવીને ભારતને સ્વર્ગ સચખંડ બનાવું છું. એવું સ્વર્ગ બનાવવા વાળાની કેટલી
ગ્લાનિ કરી દીધી છે. ભૂલી ગયા છે એટલે લખેલું છે યદા યદાહિ………. આનો પણ અર્થ બાપ જ
આવી ને સમજાવે છે. બલિહારી એક બાપ ની છે. હમણાં તમે જાણો છો બાપ આવે છે જરુર,
શિવ-જયંતી મનાવે છે. પરંતુ શિવ-જયંતી ની કદર બિલકુલ નથી. હમણાં આપ બાળકો સમજો છો
જરુર થઈને ગયાં છે, જેમની જયંતી મનાવે છે. સતયુગી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની
સ્થાપના એ જ કરે છે. બીજા બધાં જાણે છે કે અમારો ધર્મ ફલાણાએ ફલાણાં સમયે સ્થાપન
કર્યો. તેનાં પહેલાં છે જ દેવી-દેવતા ધર્મ. તેને બિલકુલ જ નથી જાણતા કે આ ધર્મ ક્યાં
લોપ થઈ ગયો. હમણાં બાપ આવી ને સમજાવે છે - બાપ જ સૌથી ઊંચા છે, બીજા કોઈની મહિમા છે
નહીં. ધર્મસ્થાપક ની મહિમા શું હશે. બાપ જ પાવન દુનિયાની સ્થાપના અને પતિત દુનિયાનો
વિનાશ કરાવે છે અને તમને માયા પર જીત પહેરાવે છે. આ બેહદ ની વાત છે. રાવણ નું રાજ્ય
આખી બેહદની દુનિયા પર છે. હદની લંકા વગેરે ની વાત નથી. આ હાર-જીત ની વાર્તા પણ આખાં
ભારતની જ છે. બાકી તો બાયપ્લૉટ છે. ભારતમાં જ ડબલ સિરતાજ અને સિંગલ તાજ રાજાઓ બને
છે અને જે પણ મોટા-મોટા બાદશાહ થઈને ગયા છે, કોઈનાં પર પણ લાઈટ નો તાજ નથી હોતો
સિવાય દેવી-દેવતાઓ નાં. દેવતાઓ તો છતાં પણ સ્વર્ગનાં માલિક હતા ને. હવે શિવબાબા ને
કહેવાય જ છે પરમપિતા, પતિત-પાવન. એમને લાઈટ કયાં આપશો. લાઈટ ત્યારે આપે જ્યારે વગર
લાઈટ વાળા પતિત પણ હોય. તે ક્યારેય વગર લાઈટ વાળા થતાં જ નથી. બિંદી પર લાઈટ કેવી
રીતે આપી શકશો. થઈ ન શકે. દિવસ-પ્રતિદિવસ તમને ખુબ ગુહ્ય-ગુહ્ય વાતો સમજાવતા રહે
છે, જે જેટલું બુદ્ધિમાં બેસાડી શકે. મુખ્ય છે જ યાદ ની યાત્રા. આમાં માયાનાં વિઘ્ન
ખુબ પડે છે. ભલે કોઈ યાદનાં ચાર્ટમાં ૫૦-૬૦ ટકા પણ લખે છે પરંતુ સમજતાં નથી કે યાદ
ની યાત્રા કોને કહેવાય છે. પૂછતાં રહે છે - આ વાતને યાદ કહીએ? ખુબ મુશ્કેલ છે. તમે
અહીંયા ૧૦-૧૫ મિનિટ બેસો છો, તેમાં પણ તપાસ કરો- યાદ માં સારી રીતે રહો છો? ઘણાં છે
જે યાદ માં રહી નથી શકતાં પછી તે વાયુમંડળ ને ખરાબ કરી દે છે. ઘણાં છે જે યાદમાં ન
રહેવાથી વિઘ્ન નાખે છે. આખો દિવસ બુદ્ધિ બહાર ભટકતી રહે છે. તો અહીંયા થોડી શાંતિ
હશે, એટલે યાદ નો ચાર્ટ પણ રાખતા નથી. જુઠ્ઠું લખવાથી તો વધારે જ દંડ પડે. ઘણાં
બાળકો ભૂલ કરે છે, છૂપાવે છે. સાચું બતાવતા નથી. બાપ કહે અને સાચું ન બતાવે તો કેટલો
દોષ થઈ જાય. કેટલું પણ મોટું ગંદુ કામ કર્યુ હશે તો પણ સાચું બતાવવામાં લજ્જા આવશે.
વધારે કરીને બધાં જુઠ્ઠું બતાવશે. જુઠી માયા, જુઠી કાયા…… છે ને. એકદમ દેહ-અભિમાનમાં
આવી જાય છે. સાચું સંભળાવવું તો સારું જ છે બીજા પણ શીખશે. અહીંયા સાચું બતાવવાનું
છે. નોલેજ ની સાથે-સાથે યાદ ની યાત્રા પણ જરુરી છે કારણ કે યાદની યાત્રાથી જ પોતાનું
અને વિશ્વનું કલ્યાણ થવાનું છે. નોલેજ સમજાવવા માટે ખુબ સહજ છે. યાદમાં જ મહેનત છે.
બાકી બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે, તે તો બધાને ખબર રહે છે. બુદ્ધિ માં ૮૪ નું
ચક્ર છે, બીજ અને ઝાડ નું નોલેજ હશે ને. બાપ તો સત્ય છે, ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર
છે. એમનામાં નોલેજ છે સમજાવવા માટે. આ છે બિલકુલ અનકોમન (અસાધારણ) વાત. આ મનુષ્ય
સૃષ્ટિ નું ઝાડ છે. આ પણ કોઈ નથી જાણતું. બધાં નેતી-નેતી કરતા ગયાં. ડયુરેશન (સમયગાળા)
ને જ નથી જાણતા તો બાકી શું જાણશે. તમારામાં પણ ખુબ થોડાં છે જે સારી રીતે જાણે છે,
એટલે સેમીનાર પણ બોલાવે છે. પોતાની-પોતાની સલાહ આપો. સલાહ તો કોઈ પણ આપી શકે છે. એવું
નહીં કે જેમનાં નામ છે એમને જ આપવાની છે. અમારું નામ નથી અમે કેવી રીતે આપીએ. ના,
કોઈને પણ સર્વિસ (સેવા) અર્થ કોઈ સલાહ હોય, એડવાઇઝ હોય લખી શકો છો. બાપ કહે છે કોઈ
પણ સલાહ હોય તો લખવું જોઈએ. બાબા આ યુક્તિથી સર્વિસ ખુબ વધી શકે છે. કોઈ પણ સલાહ આપી
શકે છે. જોશે કયા-કયા પ્રકારની સલાહ આપી છે. બાબા તો કહેતાં રહે છે - કઈ યુક્તિ થી
અમે ભારતનું કલ્યાણ કરીએ, સૌને સંદેશ આપીએ, પરસ્પર વિચાર નીકાળો, લખીને મોકલો. માયા
એ બધાને સુવડાવી દીધાં છે. બાપ આવે જ છે જ્યારે મોત સામે હોય છે. હવે બાપ કહે છે
બધાની વાનપ્રસ્થ અવસ્થા છે, ભણો ન ભણો, મરવાનું જરુર છે. તૈયારી કરો ન કરો, નવી
દુનિયા જરુર સ્થાપન થવાની છે. સારા-સારા બાળકો જે છે તે પોતાની તૈયારી કરી રહ્યાં
છે. સુદામા નું પણ દૃષ્ટાંત ગવાયેલું છે-ચોખા મુઠ્ઠી લઈ આવ્યાં. બાબા અમને પણ મહેલ
મળવાં જોઈએ, છે જ એમની પાસે ચોખા મુઠ્ઠી તો શું કરશે. બાબાએ મમ્મા નું દૃષ્ટાંત
બતાવ્યું છે-ચોખા મુઠ્ઠી પણ નથી લઈ આવી. પછી કેટલું ઉચ્ચ પદ પામી લીધું, આમાં પૈસા
ની વાત નથી. યાદમાં રહેવાનું છે અને આપ સમાન બનાવવાનાં છે. બાબા ની તો કોઈ ફી વગેરે
નથી. સમજે છે અમારી પાસે પૈસા પડ્યાં છે તો કેમ નહી યજ્ઞ માં સ્વાહા કરી દઈએ. વિનાશ
તો થવાનો જ છે. બધું વ્યર્થ થઈ જશે. આમાં કાંઈ તો સફળ કરીએ. દરેક મનુષ્ય કાંઈને
કાંઈ દાન-પુણ્ય વગેરે જરુર કરે છે. તે છે પાપ આત્માઓનું પાપ આત્માઓને દાન-પુણ્ય. તો
પણ તેનું અલ્પકાળ માટે ફળ મળી જાય છે. સમજો કોઈ યુનિવર્સિટી, કોલેજ વગેરે બનાવે છે,
પૈસા વધારે છે, ધર્મશાળા વગેરે બનાવી દે છે તો તેમને મકાન વગેરે સારા મળી જશે. તો
પછી પણ બીમારી વગેરે તો થશે ને. સમજો કોઈએ હોસ્પિટલ વગેરે બનાવી હશે તો તેમની
તંદુરસ્તી સારી રહેશે. પરંતુ તેનાથી બધી કામનાઓ તો સિદ્ધ થતી નથી. અહીંયા તો બેહદનાં
બાપ દ્વારા તમારી બધી કામનાઓ પૂરી થઈ જાય છે.
તમે બનો છો પાવન તો બધાં પૈસા વિશ્વને પાવન બનાવવામાં લગાવવા સારું છે ને.
મુક્તિ-જીવનમુક્તિ આપો છો તે પણ અડધાકલ્પ માટે. બધાં કહે છે અમને શાંતિ કેવી રીતે
મળે. એ તો શાંતિધામ માં મળે છે અને સતયુગમાં એક ધર્મ હોવાનાં કારણે ત્યાં અશાંતિ
હોતી નથી. અશાંતિ હોય છે રાવણ રાજ્ય માં. ગાયન પણ છે ને - રામ રાજા રામ પ્રજા…...
તે છે અમરલોક. ત્યાં અમરલોક માં મરવાનો અક્ષર હોતો નથી. અહીંયા તો બેઠા-બેઠા અચાનક
મરી જાય છે, આને મૃત્યુલોક તેને અમરલોક કહેવાય છે. ત્યાં મરવાનું હોતું નથી. જૂનું
એક શરીર છોડી પછી બાળક બની જાય છે. રોગ થતાં નથી. કેટલો ફાયદા થાય છે. શ્રી શ્રી ની
મત પર તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ) બનો છો. તો આવાં રુહાની સેવાકેન્દ્ર કેટલાં ખુલવા
જોઈએ. થોડાં પણ આવે છે તે ઓછું છે શું. આ સમયે કોઈ પણ મનુષ્ય ડ્રામાનાં ડયુરેશન (અવધિ)
ને નથી જાણતાં. પૂછશે તમને પછી આ કોણે શીખવાડ્યું છે. અરે, અમને બતાવવા વાળા બાપ
છે. આટલાં બધાં બી.કે. છે. તમે પણ બી.કે. છો. શિવબાબા નાં બાળકો છો. પ્રજાપિતા
બ્રહ્મા નાં પણ બાળકો છો. આ છે હ્યુમેનીટી (મનુષ્ય) નાં ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર.
આનાથી અમે બી.કે. નીકળ્યાં છીએ. સંપ્રદાય હોય છે ને. તમારો દેવી-દેવતાઓનો કુળ બહુજ
સુખ આપવાવાળો છે. અહીંયા તમે ઉત્તમ બનો છો પછી ત્યાં જ રાજ્ય કરો છો. આ કોઈની બુદ્ધિ
માં રહી ન શકે. આ પણ બાળકોને સમજાવ્યું છે દેવતાઓનાં પગ આ તમોપ્રધાન દુનિયામાં પડી
ન શકે. જડ ચિત્ર નો પડછાયો પડી શકે છે, ચૈતન્ય નો નથી પડી શકતો. તો બાપ સમજાવે છે -
બાળકો, એક તો યાદ ની યાત્રા માં રહો, કોઈ પણ વિકર્મ ન કરો અને સર્વિસ ની યુક્તિયો
નીકાળો. બાળકો કહે છે - બાબા, અમે તો લક્ષ્મી-નારાયણ જેવાં બનીશું. બાબા કહે તમારા
મુખ માં ગુલાબ પરંતુ તેના માટે મહેનત પણ કરવાની છે. ઉંચ પદ પામવું છે તો આપ સમાન
બનાવવાની સેવા કરો. તમે એક દિવસ જોશો - એક-એક પન્ડા પોતાની સાથે ૧૦૦-૨૦૦ યાત્રી પણ
લઈ આવશે. આગળ ચાલી જોતાં રહેશો. પહેલે થી થોડી કઈ કહી શકે છે. જે થતું રહેશે તે જોતાં
રહેશો.
આ બેહદ નો ડ્રામા છે. તમારો છે સૌથી મુખ્ય પાર્ટ બાપની સાથે, તે તમે જૂની દુનિયાને
નવી બનાવો છો. આ છે પુરુષોત્તમ સંગમયુગ. હવે તમે સુખધામ નાં માલિક બનો છો. ત્યાં
દુઃખનું નામ-નિશાન નહીં હશે. બાપ છે જ દુઃખહર્તા, સુખકર્તા. દુઃખ થી આવીને લિબરેટ (મુક્ત)
કરે છે. ભારતવાસી પછી સમજે છે આટલું ધન છે, મોટા-મોટા મહેલ છે, વીજળીઓ છે, બસ આ જ
સ્વર્ગ છે. આ બધો છે માયા નો પામ્પ. સુખનાં માટે સાધન ઘણાં કરે છે. મોટા-મોટા મહેલ
મકાન બનાવે છે પછી મોત કેવી રીતે અચાનક થઇ જાય છે, ત્યાં મરવાનો ડર નથી. અહીંયા તો
અચાનક મરી જાય છે પછી કેટલો શોક કરે છે. પછી સમાધિ પર જઈને આંસુ વહાવે છે. દરેક ની
પોત-પોતાની રીત-રિવાજ છે. અનેક મત છે. સતયુગ માં આવી વાત હોતી નથી. ત્યાં તો એક
શરીર છોડી બીજું લઈ લે છે. તો તમે કેટલાં સુખમાં જાઓ છો. તેનાં માટે કેટલો
પુરુષાર્થ કરવો જોઈએ. કદમ-કદમ પર મત લેવી જોઈએ. ગુરુ ની કે પતિ ની મત લે છે ત્યાં
તો પોતાની મત થી ચાલવાનું હોય છે. આસુરી મત શું મદદ આપશે. આસુરી તરફ જ ધકેલશે. હમણાં
તમને મળે છે ઇશ્વરીય મત, ઊંચે થી ઉંચી એટલે ગવાયેલ પણ છે - શ્રીમત ભગવાનુવાચ. આપ
બાળકો શ્રીમત થી આખાં વિશ્વ ને હેવન (સ્વર્ગ) બનાવો છો. તે હેવન નાં તમે માલિક બનો
છો એટલે તમારે દરેક કદમ પર શ્રીમત લેવાની છે પરંતુ કોઈની તકદીરમાં નથી તો પછી મત પર
ચાલતા નથી. બાબાએ સમજાવ્યું છે કોઈને પણ પોતાની કંઈ અક્કલ હોય, સલાહ હોય તો બાબાને
મોકલી દો. બાબા જાણે છે કોણ-કોણ સલાહ આપવા લાયક છે. નવાં-નવાં બાળકો નીકળતાં રહે
છે. બાબા તો જાણે છે ને કયા સારા-સારા બાળકો છે. દુકાનદારોએ પણ સલાહ નીકાળવી
જોઈએ-એવાં યત્ન કરીએ જે બાપ નો પરિચય મળે. દુકાનમાં પણ બધાને યાદ કરાવતા રહીએ.
ભારતમાં જ્યારે સતયુગ હતું તો એક ધર્મ હતો. આમાં નારાજ થવાની તો વાત જ નથી. બધાનાં
એક બાપ છે. બાપ કહે છે મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. સ્વર્ગ નાં
માલિક બની જશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
ચાલીને આખા વિશ્વને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે, અનેકો ને આપ સમાન બનાવવાનાં
છે. આસુરી મત થી પોતાની સંભાળ કરવાની છે.
2. યાદની મહેનત થી
આત્માને સતોપ્રધાન બનાવવાની છે. સુદામા ની જેમ જે પણ ચોખા મુઠ્ઠી છે તે બધું સફળ કરી
પોતાની સર્વ કામનાઓ સિદ્ધ કરવાની છે.
વરદાન :-
પરીક્ષાઓ અને
સમસ્યાઓ માં મુરઝાવાનાં બદલે મનોરંજન નો અનુભવ કરવાવાળા સદા વિજયી ભવ
આ પુરુષાર્થી જીવન
માં ડ્રામા અનુસાર સમસ્યાઓ કે પરિસ્થિતિઓ તો આવવાની જ છે. જન્મ લેતાં જ આગળ વધવાનું
લક્ષ્ય રાખવું અર્થાત્ પરીક્ષાઓ અને સમસ્યાઓનું આહવાન કરવું. જ્યારે રસ્તો નક્કી
કરવાનો છે તો રસ્તા નાં દૃશ્યો ન હોય આ હોઇ કેવી રીતે શકે. પરંતુ તે દૃશ્યો ને પાર
કરવાનાં બદલે જો કરેક્શન (સુધાર) કરવા લાગી જાઓ છો તો બાપની યાદ નું કનેક્શન (જોડાણ)
લૂઝ (ઢીલું) થઈ જાય છે અને મનોરંજન નાં બદલે મનને મુરઝાવી દો છો. એટલે વાહ દૃશ્યો
વાહ નાં ગીત ગાતા આગળ વધો અર્થાત્ સદા વિજયી ભવ નાં વરદાની બનો.
સ્લોગન :-
મર્યાદા ની
અંદર ચાલવું એટલે મર્યાદા પુરુષોત્તમ બનવું.