11-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારું
લક્ષ્ય - હેતુ છે વન્ડરફુલ રંગ - બેરંગી દુનિયા ( સ્વર્ગ ) નાં માલિક બનવું , તો સદા
આ જ ખુશી માં હર્ષિત રહો , મૂરઝાએલાં નહીં ”
પ્રશ્ન :-
તકદીર વાન
બાળકોને કયો ઉમંગ સદા બનેલો રહેશે?
ઉત્તર :-
આપણને બેહદનાં બાપ નવી દુનિયાનાં પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનાવવા
માટે ભણાવી રહ્યાં છે. તમે આ જ ઉમંગ થી બધાને સમજાવી શકો છો કે આ લડાઈ માં સ્વર્ગ
સમાયેલું છે. આ લડાઈનાં પછી સ્વર્ગ નાં દ્વાર ખુલવાનાં છે - આ જ ખુશી માં રહેવાનું
છે અને ખુશી-ખુશી થી બીજાઓ ને પણ સમજાવવાનું છે.
ગીત :-
દુનિયા રંગ
રંગીલી બાબા ………
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું
બાબાને, કે દુનિયા રંગ-બેરંગી છે. હવે આનો અર્થ બીજું કોઈ સમજી ન શકે. બાપે સમજાવ્યું
છે આ ખેલ રંગ-રંગીલો છે. કોઈ પણ બાઈસ્કોપ (ટી.વી) વગેરે હોય છે તો ખુબ રંગ-બેરંગી
સીન-સીનેરીઓ (દૃશ્યો) વગેરે હોય છે ને. હવે આ બેહદની દુનિયા ને કોઈ જાણતું જ નથી.
તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર આખા વિશ્વનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. તમે
સમજો છો સ્વર્ગ કેટલું રંગ-બેરંગી છે, સુંદર છે. જેને કોઈ પણ જાણતું નથી. કોઈની
બુદ્ધિમાં નથી, તે છે વન્ડરફુલ રંગ-બેરંગી દુનિયા. ગવાય છે વંડર ઓફ દી વર્લ્ડ (દુનિયાની
અજાયબી) - આને ફક્ત તમે જાણો છો. તમે જ વન્ડર ઓફ વર્લ્ડ નાં માટે પોત-પોતાની તકદીર
અનુસાર પુરુષાર્થ કરી રહ્યાં છો. લક્ષ્ય-હેતુ તો છે. તે છે વન્ડર ઓફ વર્લ્ડ, ખુબજ
રંગ-બેરંગી દુનિયા છે, જ્યાં હીરા-ઝવેરાતો નાં મહેલ હોય છે. તમે એક સેકન્ડમાં
વન્ડરફુલ વૈકુંઠ માં ચાલ્યા જાઓ છો. રમો છો, રાસ-વિલાસ વગેરે કરો છો. બરાબર
વન્ડરફુલ દુનિયા છે ને. અહીંયા છે માયા નું રાજ્ય. આ પણ કેટલું વન્ડરફુલ છે. મનુષ્ય
શું-શું કરતાં રહે છે. દુનિયામાં આ કોઈ પણ નથી સમજતાં કે અમે નાટકમાં ખેલ કરી રહ્યાં
છીએ. નાટક જો સમજે તો નાટકનાં આદિ-મધ્ય-અંત નું પણ જ્ઞાન હોય. આપ બાળકો જાણો છો બાપ
પણ કેટલાં સાધારણ છે. માયા બિલકુલ જ ભુલાવી દે છે. નાક થી પકડ્યાં, આ ભુલાવ્યું.
હમણાં-હમણાં યાદમાં છે, ખુબ હર્ષિત રહે છે. ઓહો! અમે વન્ડર ઓફ વર્લ્ડ સ્વર્ગનાં
માલિક બની રહ્યાં છીએ. પછી ભૂલી જાય છે તો મુરઝાઈ જાય છે. એવાં મુરઝાઈ જાય છે જે
ભીલ પણ એવો મૂરઝાયેલો ન હોય. જરા પણ જેમ કે સમજતા જ નથી કે અમે સ્વર્ગમાં જવા વાળા
છીએ. આપણને બેહદ નાં બાપ ભણાવી રહ્યાં છે. જેમ એકદમ મુર્દા બની જાય છે. તે ખુશી, નશો
નથી રહેતો. હમણાં વન્ડર ઓફ વર્લ્ડ ની સ્થાપના થઇ રહી છે. વન્ડર ઓફ વર્લ્ડ નાં
શ્રીકૃષ્ણ છે પ્રિન્સ. આ પણ તમે જાણો છો કૃષ્ણ જન્માષ્ટમી પર પણ જે પણ જ્ઞાનમાં
હોશિયાર છે તે સમજાવતાં હશે. શ્રી કૃષ્ણ વન્ડર ઓફ વર્લ્ડ નાં પ્રિન્સ હતાં. તે
સતયુગ પછી ક્યાં ગયું! સતયુગ થી લઈને સીડી કેવી રીતે ઉતર્યા. સતયુગ થી કળયુગ કેવી
રીતે થયું? ઉતરતી કળા કેવી રીતે થઈ? આપ બાળકોની બુદ્ધિ માં જ આવશે. તે ખુશી થી
સમજાવવું જોઈએ. શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. કૃષ્ણનું રાજ્ય ફરીથી સ્થાપન થઈ રહ્યું
છે. આ સાંભળીને ભારતવાસીઓને પણ ખુશી થવી જોઈએ. પરંતુ આ ઉમંગ તેમને આવશે જે તકદીરવાન
હશે. દુનિયાનાં મનુષ્ય તો રત્નો ને પણ પથ્થર સમજીને ફેંકી દેશે. આ અવિનાશી જ્ઞાન
રત્ન છે ને. આ જ્ઞાન રત્નો નાં સાગર છે બાપ. આ રત્નો ની ખુબ વેલ્યુ (કિંમત) છે. આ
જ્ઞાન રત્ન ધારણ કરવાનાં છે. હમણાં તમે જ્ઞાનસાગર થી ડાયરેક્ટ સાંભળો છો તો પછી બીજું
કાંઈ પણ સાંભળવાની દરકાર જ નથી. સતયુગમાં આ હોતા નથી. ન ત્યાં એલ.એલ.બી., ન સર્જન
વગેરે બનવાનું હોય છે. ત્યાં આ નોલેજ જ નથી. ત્યાં તો તમે પ્રાલબ્ધ ભોગવો છો. તો
જન્માષ્ટમી પર બાળકો એ સારી રીતે સમજાવવાનું છે. અનેક વખત મુરલી પણ ચાલી છે. બાળકોએ
વિચાર સાગર મંથન કરવાનું છે, ત્યારે જ પોઇન્ટ નીકળશે. ભાષણ કરવાનું છે તો સવારે
ઊઠીને લખવું જોઈએ, પછી વાચવું જોઈએ. ભૂલેલી પોઇન્ટ પછી એડ કરવી જોઈએ. આનાથી ધારણા
સારી થશે છતાં પણ લખાણ જેવું બધાં નહીં બોલી શકશે. કોઈ ને કોઈ પોઇન્ટ ભૂલી જશે. તો
સમજાવવાનું હોય છે, કૃષ્ણ કોણ છે, આ તો વન્ડર ઓફ વર્લ્ડ નાં માલિક હતાં. ભારત જ
પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. તે પેરેડાઇઝ નાં માલિક શ્રી કૃષ્ણ હતાં. અમે તમને સંદેશ
સંભળાવીએ છીએ કે શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. રાજયોગ ભગવાને જ શીખવાડયો છે. હમણાં પણ
શીખવાડી રહ્યાં છે. પવિત્રતાનાં માટે પણ પુરુષાર્થ કરાવી રહ્યાં છે, ડબલ સિરતાજ
દેવતા બનાવવા માટે. આ બધું બાળકોને સ્મૃતિમાં આવવું જોઈએ. જેમની પ્રેક્ટિસ (અભ્યાસ)
હશે તે સારી રીતે સમજાવી શકશે. કૃષ્ણનાં ચિત્રમાં પણ લખાણ ખુબ ફર્સ્ટ ક્લાસ છે. આ
લડાઈનાં પછી સ્વર્ગ નાં દ્વારા ખુલવાનાં છે. આ લડાઈમાં જેમ કે સ્વર્ગ સમાયેલું છે.
બાળકોએ પણ ખુબ ખુશી માં રહેવું જોઈએ, જન્માષ્ટમી પર મનુષ્ય કપડાં વગેરે નવાં પહેરે
છે. પરંતુ તમે જાણો છો કે હમણાં આપણે આ જુનું શરીર છોડી નવું કંચન શરીર લઈશું. કંચન
કાયા કહે છે ને અર્થાત્ સોનાની કાયા. આત્મા પણ પવિત્ર, શરીર પણ પવિત્ર. હમણાં કંચન
નથી. નંબરવાર બની રહી છે. કંચન બનશે જ યાદ ની યાત્રાથી. બાબા જાણે છે ઘણાં છે જેમને
યાદ કરવાની પણ અક્કલ નથી. યાદની જ્યારે મહેનત કરશે ત્યારે જ વાણી જોહરદાર (બળવાન)
હશે. હમણાં તે તાકાત ક્યાં છે. યોગ છે નહીં. લક્ષ્મી-નારાયણ બનવાની શકલ પણ જોઈએ ને.
ભણતર જોઇએ. કૃષ્ણ જન્માષ્ટમી પર સમજાવવું ખુબ સહજ છે. કૃષ્ણનાં માટે કહે છે
શ્યામ-સુંદર, કૃષ્ણ ને પણ કાળા, નારાયણ ને પણ કાળા, રામને પણ કાળા બનાવ્યાં છે. બાપ
સ્વયં કહે છે, મારા બાળકો જે પહેલાં જ્ઞાનની ચિતા પર બેસી સ્વર્ગનાં માલિક બન્યાં
પછી ક્યાં ચાલ્યા ગયાં. કામ ચિતા પર બેસી નંબરવાર ઉતરતાં આવ્યાં. સૃષ્ટિ પણ
સતોપ્રધાન, સતો, રજો, તમો બને છે. તો મનુષ્યો ની અવસ્થા પણ એવી હોય છે. કામ ચિતા પર
બેસી બધાં શ્યામ અર્થાત્ કાળા બની ગયાં છે. હવે હું આવ્યો છું સુંદર બનાવવાં. આત્મા
ને સુંદર બનાવાય છે. બાબા દરેક ની ચલનથી સમજી જાય છે - મન્સા, વાચા, કર્મણા કેવી
રીતે ચાલે છે. કર્મ કેવી રીતે કરે છે, એનાથી ખબર પડી જાય છે. બાળકોની ચલન તો ખુબ
ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ. મુખથી સદૈવ રત્ન નીકળવાં જોઈએ. કૃષ્ણ જયંતી પર સમજાવવું
ખુબ સારું છે. શ્યામ અને સુંદર નો ટોપીક (વિષય) હોય. કૃષ્ણને પણ કાળા તો નારાયણને
પણ પછી રાધે ને પણ કાળા કેમ બનાવે છે? શિવલિંગ પણ કાળો પથ્થર રાખે છે. હવે એ કોઈ
કાળા થોડી છે. શિવ શું છે, અને ચીજ શું બનાવે છે, આ વાતોને આપ બાળકો જાણો છો. કાળા
કેમ બનાવે છે - તમે આનાં પર સમજાવી શકશો. હવે જોશે બાળકો શું સર્વિસ (સેવા) કરે છે.
બાપ તો કહે છે - આ જ્ઞાન બધાં ધર્મ વાળાઓ માટે છે. તેમને પણ કહેવાનું છે બાપ કહે છે
મને યાદ કરો તો તમારા જન્મ-જન્માતર નાં પાપ કપાઈ જશે. પવિત્ર બનવાનું છે. કોઈને પણ
તમે રાખડી બાંધી શકો છો. યુરોપિયન ને પણ બાંધી શકો છો. કોઈ પણ હોય તેમને કહેવાનું
છે - ભગવાનુવાચ, જરુર કોઈ તન થી કહેશે ને. કહે છે મામેકમ યાદ કરો. દેહનાં સર્વ ધર્મ
છોડી સ્વયં ને આત્મા સમજો. બાબા કેટલું સમજાવે છે, છતાં પણ નથી સમજતાં તો બાપ સમજી
જાય છે એમની તકદીર માં નથી. આ તો સમજતાં હશે શિવબાબા ભણાવે છે. રથ વગર તો ભણાવી ન
શકે, ઈશારો આપવો જ બસ છે. કોઈ-કોઈ બાળકો ને સમજાવવાની પ્રેક્ટિસ સારી છે. બાબા-મમ્મા
નાં માટે તો સમજો છો આ ઊંચું પદ પામવા વાળા છે. મમ્મા પણ સર્વિસ કરતી હતી ને. આ
વાતોને પણ સમજાવવાનું હોય છે. માયાનાં પણ અનેક પ્રકારનાં રુપ હોય છે. ઘણાં કહે છે
અમારા માં મમ્મા આવે છે, શિવબાબા આવે છે પરંતુ નવાં-નવાં પોઇન્ટ (વાત) તો મુકરર તન
દ્વારા જ સંભળાવશે કે બીજા કોઈ દ્વારા સંભળાવશે. આ થઇ નથી શકતું. એમ તો બાળકીઓ પણ
અનેક પ્રકારનાં પોઇન્ટ પોતાનાં પણ સંભળાવે છે. મેગેઝિનમાં કેટલી વાતો આવે છે. એવું
નહીં કે મમ્મા-બાબા એમનામાં આવે, તે લખાવે છે. ના, બાપ તો અહીંયા ડાયરેક્ટ આવે છે,
ત્યારે તો અહીંયા સાંભળવા માટે આવો છો. જો મમ્મા-બાબા કોઈના માં આવે છે તો પછી ત્યાં
જ બેસી એમનાથી ભણો. ના, અહીંયા આવવાની બધાને કશિશ થાય છે. દૂર રહેવા વાળા ને ખુબ જ
વધારે કશિશ થાય છે. તો બાળકો જન્માષ્ટમી પર પણ ખુબ સર્વિસ કરી શકે છે. કૃષ્ણ નો
જન્મ ક્યારે થયો, આ પણ કોઈને ખબર નથી. તમારી હવે ઝોલી ભરાઈ રહી છે તો ખુશી રહેવી
જોઈએ. પરંતુ બાબા જુએ છે ખુશી કોઈ-કોઈ માં બિલકુલ છે નહીં. શ્રીમત પર ન ચાલવાની તો
જાણે કસમ ઉઠાવી લે છે. સર્વિસએબુલ (સેવાધારી) બાળકોને તો જેમ સર્વિસ જ સર્વિસ સુજતી
રહેશે. સમજે છે બાબાની સર્વિસ નથી કરી, કોઈને રસ્તો નથી બતાવ્યો તો અમે આંધળા રહ્યાં.
આ સમજવાની વાત છે ને. બેજ માં પણ કૃષ્ણનું ચિત્ર છે, આનાં પર પણ તમે સમજાવી શકો છો.
કોઈથી પણ પૂછો આમને કાળા કેમ દેખાડયાં છે, બતાવી નહીં શકે. શાસ્ત્રોમાં પણ લખી દીધું
છે રામ ની સ્ત્રી ચોરાઈ ગઈ. પરંતુ એવી કોઈ વાત ત્યાં હોતી નથી.
તમે ભારતવાસી જ પરીસ્તાની હતાં, હવે કબ્રસ્તાની બન્યાં છે પછી જ્ઞાન ચિતા પર બેસી
દૈવી ગુણ ધારણ કરી પરીસ્તાની બને છે. સર્વિસ તો બાળકોએ કરવાની છે. બધાને સંદેશ
આપવાનો છે. આમાં ખુબ સમજ જોઈએ. એટલો નશો જોઈએ-અમને ભગવાન ભણાવે છે. ભગવાનની સાથે
રહીએ છીએ. ભગવાન નાં બાળકો પણ છીએ તો પછી આપણે ભણીએ પણ છીએ. બોર્ડિગમાં રહે છે તો
પછી બહાર નો સંગ નથી લાગતો. અહીંયા પણ સ્કૂલ છે ને. ક્રિશ્ચિયનમાં તો પણ મેનર્સ (શિષ્ટાચાર)
હોય છે, હમણાં તો બિલકુલ નો મેનર્સ, તમોપ્રધાન પતિત છે. દેવતાઓની આગળ જઈને માથું
નમાવે છે. કેટલી તેમની મહિમા છે. સતયુગમાં બધાનાં દૈવી કેરેક્ટર (ચરિત્ર) હતાં, હમણાં
આસુરી કેરેક્ટર છે. એવાં-એવાં તમે ભાષણ કરો તો સાંભળીને ખુબ ખુશ થઈ જાય. મુખ નાનું
વાત મોટી - આ કૃષ્ણનાં માટે કહે છે. હમણાં તમે કેટલી મોટી વાતો સાંભળો છો, એટલા મોટાં
બનવા માટે. તમે રાખડી કોઈને પણ બાંધી શકો છો. આ બાપ નો સંદેશ તો બધાને આપવાનો છે. આ
લડાઈ સ્વર્ગનાં દ્વાર ખોલે છે. હવે પતિત થી પાવન બનવાનું છે. બાપ ને યાદ કરવાનાં
છે. દેહધારી ને નથી યાદ કરવાનાં. એક જ બાપ સર્વની સદ્દગતિ કરે છે. આ છે જ આયરન એજેડ
વર્લ્ડ (કળયુગી દુનિયા). આપ બાળકોની બુદ્ધિ માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા
થાય છે, સ્કૂલમાં પણ સ્કોલરશીપ લેવાનાં માટે ખુબ મહેનત કરે છે. અહીંયા પણ કેટલી મોટી
સ્કોલરશીપ છે. સર્વિસ (સેવા) ખુબ છે. માતાઓ પણ ખુબ સર્વિસ કરી શકે છે, ચિત્ર પણ બધાં
ઉઠાવો. કૃષ્ણ ને કાળા, નારાયણ ને કાળા, રામચંદ્રનાં પણ કાળા ચિત્ર ઉપાડો, શિવ નું
પણ કાળું….પછી બેસી સમજાવો. દેવતાઓને કાળા કેમ કર્યા છે? શ્યામ-સુંદર. શ્રીનાથ
દ્વારા જાઓ તો બિલકુલ કાળું ચિત્ર છે. તો એવાં-એવાં ચિત્ર ભેગાં કરવા જોઈએ. પોતાનું
પણ દેખાડવું જોઈએ. શ્યામ-સુંદર નો અર્થ સમજાવી ને કહો કે તમે પણ હવે રાખડી બાંધી,
કામ ચિતા થી ઉતરી જ્ઞાન ચિતા પર બેસશો તો ગોરા બની જશો. અહીંયા પણ તમે સર્વિસ કરી
શકો છો. ભાષણ ખુબ સારી રીતે કરી શકો છો કે આમને કાળા કેમ કર્યા છે! શિવલિંગને પણ
કાળા કેમ કર્યા છે! સુંદર અને શ્યામ કેમ કહે છે, અમે સમજાવીએ. આમાં કોઈ નારાજ નહીં
થશે. સર્વિસ તો ખુબ સહજ છે. બાપ તો સમજાવતા રહે છે-બાળકો, સારા ગુણ ધારણ કરો, કુળનું
નામ રોશન કરો. તમે જાણો છો હમણાં આપણે ઊંચેથી ઊંચા બ્રાહ્મણ કુળ નાં છીએ. પછી
રક્ષાબંધન નો અર્થ તમે કોઈને પણ સમજાવી શકો છો. વેશ્યાઓ ને પણ સમજાવી ને રાખડી બાંધી
શકો છો. ચિત્ર પણ સાથે હોય. બાબા કહે છે મામેકમ યાદ કરો-આ ફરમાન માનવાથી તમે ગોરા
બની જશો. ખુબ યુક્તિઓ છે. કોઈ પણ નારાજ નહીં થશે. કોઈ પણ મનુષ્ય માત્ર કોઈની સદ્દગતિ
કરી નથી શકતાં સિવાય એક નાં. ભલે રક્ષાબંધન નો દિવસ ન હોય, ક્યારેય પણ રાખડી બાંધી
શકો છો. આ તો અર્થ સમજવાનો છે. રાખડી જ્યારે ઈચ્છો ત્યારે બાંધી શકાય છે. તમારો ધંધો
જ આ છે. બોલો, બાપની સાથે પ્રતિજ્ઞા કરો. બાપ કહે છે મામેકમ યાદ કરો તો પવિત્ર બની
જશો. મસ્જિદમાં પણ જઈને તમે તેમને સમજાવી શકો છો. અમે રાખડી બાંધવા માટે આવ્યાં છીએ.
આ વાત તમને પણ સમજવાનો હક છે. બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જશે, પાવન બની
પાવન દુનિયાનાં માલિક બની જશો. હમણાં તો પતિત દુનિયા છે ને. ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ)
હતી જરુર, હવે આયરન એજ (કળયુગ) છે. તમારે ગોલ્ડન એજ માં ખુદાની પાસે નથી જવું? આવું
સંભળાવશો તો ઝટ આવીને ચરણો પર પડશે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન રત્નો
નાં સાગર થી જે અવિનાશી જ્ઞાન રત્ન પ્રાપ્ત થઈ રહ્યાં છે, તેની વેલ્યુ રાખવાની છે.
વિચાર સાગર મંથન કરી સ્વયં માં જ્ઞાન રત્ન ધારણ કરવાનાં છે. મુખ થી સદૈવ રત્ન
નિકાળવાનાં છે.
2. યાદ ની યાત્રા માં રહીને વાણીને જૌહરદાર (બળવાન) બનાવવાની છે. યાદ થી જ આત્મા
કંચન બનશે એટલે યાદ કરવાની અક્કલ શીખવાની છે.
વરદાન :-
જૂનાં દેહ અને
દુનિયા ને ભૂલવા વાળા બાપદાદા નાં દિલતખ્તનશીન ભવ
સંગમયુગી શ્રેષ્ઠ
આત્માઓનું સ્થાન છે જ બાપદાદા નું દિલતખ્ત. આવું તખ્ત આખા કલ્પમાં નથી મળી શકતું.
વિશ્વનાં રાજ્યનું કે સ્ટેટ નાં રાજ્ય નું તખ્ત તો મળતું રહેશે પરંતુ આ તખ્ત નહીં
મળશે-આ એટલું વિશાળ તખ્ત છે જે ચાલો, ફરો, ખાઓ-સૂવો પરંતુ સદા તખ્તનશીન રહી શકો છો.
જે બાળકો સદા બાપદાદાનાં દિલતખ્તનશીન રહે છે તે આ જૂનાં દેહ કે દેહની દુનિયા થી
વિસ્મૃત રહે છે, આને જોવા છતાં પણ નથી જોતાં.
સ્લોગન :-
હદ નાં નામ,
માન, શાન ની પાછળ દોડ લગાવવી અર્થાત્ પડછાયા ની પાછળ પડવું.