15-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - કદમ - કદમ પર જે થાય છે તે કલ્યાણકારી છે , આ ડ્રામા માં સૌથી અધિક કલ્યાણ તેમનું થાય છે જે બાપ ની યાદ માં રહે છે ”

પ્રશ્ન :-
ડ્રામા ની કઈ નોંધ ને જાણવા વાળા બાળકો અપાર ખુશીમાં રહી શકે છે?

ઉત્તર :-
જે જાણે છે કે ડ્રામા અનુસાર હવે આ જુની દુનિયાનો વિનાશ થશે, નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. પરંતુ આપણી રાજધાની તો સ્થાપન થવાની જ છે, આમાં કોઈ કંઈ કરી નથી શકતું. ભલે અવસ્થાઓ નીચે-ઉપર થતી રહેશે, ક્યારેક ખુબ ઉમંગ, ક્યારેક ઠંડા ઠાર થઈ જશો, આમાં મુંઝાવાનું નથી. બધી આત્માઓનાં બાપ ભગવાન આપણને ભણાવી રહ્યાં છે, આ ખુશીમાં રહેવાનું છે .

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા ………

ઓમ શાંતિ!
મીઠા-મીઠા નંબરવાર પુરુષાર્થ અનુસાર ચૈતન્ય પરવાનાઓને બાબા યાદ-પ્યાર આપી રહ્યાં છે. તમે બધાં છો ચૈતન્ય પરવાના. બાપ ને શમા પણ કહે છે, પરંતુ એમને જાણતા બિલકુલ નથી. શમા કોઈ મોટી નથી, એક બિંદી છે. કોઈની પણ બુદ્ધિમાં નહીં હોય કે અમે આત્મા બિંદી છીએ. આપણી આત્મા માં આખો પાર્ટ છે. આત્મા અને પરમાત્મા નું નોલેજ બીજા કોઈની બુદ્ધિ માં નથી. આપ બાળકોને જ બાપે આવીને સમજાવ્યું છે. આત્મા નું રીયલાઈજેશન (અનુભૂતિ) આપ્યું છે. પહેલાં આ ખબર નહોતી કે આત્મા શું છે, પરમાત્મા શું છે! એટલે દેહ-અભિમાન નાં કારણે બાળકોમાં મોહ પણ છે, વિકાર પણ ખુબ છે. ભારત કેટલો ઊંચ હતો. વિકાર નું નામ પણ નહોતું. તે હતું વાઈસલેસ (નિર્વિકાર) ભારત, હમણાં છે વિશશ (વિકારી) ભારત. કોઈ પણ મનુષ્ય એવું નહીં કહેશે જેવું બાપ સમજાવે છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં મેં આને શિવાલય બનાવ્યું હતું. મેં જ શિવાલય સ્થાપન કર્યું હતું. કેવી રીતે? તે પણ તમે હમણાં સમજી રહ્યાં છો. તમે જાણો છો કદમ-કદમ પર જે થાય છે તે કલ્યાણકારી જ છે. એક-એક દિવસ વધારે કલ્યાણકારી તેમનો છે જે બાપને સારી રીતે યાદ કરી પોતાનું પણ કલ્યાણ કરતા રહે છે. આ છે જ કલ્યાણકારી પુરુષોત્તમ બનવાનો યુગ. બાપ ની કેટલી મહિમા છે. તમે જાણો છો હમણાં સાચી-સાચી ભાગવત ચાલી રહી છે. દ્વાપર માં જ્યારે ભક્તિમાર્ગ શરું થાય છે તો પહેલાં-પહેલાં તમે પણ હીરાનું લિંગ બનાવીને પૂજા કરો છો. હવે તમને સ્મૃતિ આવી છે, આપણે જ્યારે પૂજારી બન્યાં હતાં, ત્યારે મંદિર બનાવ્યાં હતાં. હીરા માણેક નાં બનાવતા હતાં. તે ચિત્ર તો હમણાં મળી ન શકે. અહીંયા તો આ લોકો ચાંદી વગેરેનું બનાવીને પૂજા કરે છે. એવાં પૂજારીઓ નું પણ માન જુઓ કેટલું છે. શિવની પૂજા તો બધાં કરે છે. પરંતુ અવ્યભિચારી પૂજા તો છે નહીં.

આ પણ બાળકો જાણે છે - વિનાશ પણ આવવાનો છે જરુર, તૈયારીઓ થઈ રહી છે. નેચરલ કેલામિટીઝ ની પણ ડ્રામા માં નોંધ છે. કોઈ કેટલું પણ માથું મારે, તમારી રાજધાની તો સ્થાપન થવાની જ છે. કોઈની પણ તાકાત નથી જે આમાં કંઈ કરી શકે. બાકી અવસ્થાઓ તો નીચે-ઉપર થશે જ. આ છે ખુબ મોટી કમાણી. ક્યારેક તમે ખુબ ખુશી માં સારા વિચારો માં રહેશો, ક્યારેક ઠંડા પડી જશો. યાત્રા માં પણ નીચે-ઉપર થાય છે, આમાં પણ એવું થાય છે. ક્યારેક તો સવારનાં ઉઠીને બાપ ને યાદ કરવાથી ખુબ ખુશી થાય છે ઓહો! બાબા અમને ભણાવી રહ્યાં છે. વન્ડર (અદ્દભુત) છે. બધી આત્માઓનાં બાપ ભગવાન અમને ભણાવી રહ્યાં છે. તેમણે પછી કૃષ્ણને ભગવાન સમજી લીધાં છે. આખી દુનિયામાં ગીતાનું માન ખુબ જ છે કારણકે ભગવાનુવાચ છે ને. પરંતુ આ કોઈને ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે. ભલે કેટલી પણ પોઝીશન (પદ) વાળા મોટાં-મોટાં વિદ્વાન, પંડિત વગેરે છે, કહે પણ છે ગોડફાધર ને યાદ કરીએ છીએ પરંતુ એ ક્યારે આવ્યાં, શું આવીને કર્યુ આ બધું ભૂલી ગયાં છે. બાપ બધી વાતો સમજાવતા રહે છે. ડ્રામા માં આ બધું નોંધ છે. આ રાવણ રાજ્ય ફરી પણ થશે અને આપણે આવવું પડશે. રાવણ તમને અજ્ઞાન નાં ઘોર અંધકાર માં સુવડાવી દે છે. જ્ઞાન તો ફક્ત એક જ્ઞાન સાગર જ બતાવે છે જેનાથી સદ્દગતિ થાય છે. સિવાય બાપનાં બીજું કોઈ સદ્દગતિ કરી ન શકે. સર્વનાં સદ્દગતિ દાતા એક છે. ગીતા નું જ્ઞાન જે બાપે સંભળાવ્યું હતું તે ફરી પ્રાયઃલોપ થઈ ગયું. એવું નથી આ જ્ઞાન કોઈ પરંપરા થી ચાલતું આવે છે. બીજાઓનાં કુરાન, બાઇબલ વગેરે ચાલ્યાં આવે છે, વિનાશ નથી થઈ જતાં. તમને તો જે જ્ઞાન હમણાં હું આપું છું, એનું કોઈ શાસ્ત્ર બનતું જ નથી. જે પરંપરા અનાદિ થઈ જાય. આ તો તમે લખો છો પછી ખતમ કરી દો છો. આ તો બધું નેચરલ બળીને ખતમ થઇ જશે. બાપે કલ્પ પહેલાં પણ કહ્યું હતું, હમણાં પણ તમને કહી રહ્યાં છે-આ જ્ઞાન તમને મળે છે પછી પ્રાલબ્ધ જઈને પામો છો પછી આ જ્ઞાનની દરકાર નથી રહેતી. ભક્તિમાર્ગ માં બધાં શાસ્ત્ર છે. બાબા તમને કોઈ ગીતા વાંચીને નથી સંભળાવતાં. એ તો રાજયોગની શિક્ષા આપે છે, જેનાં પછી ભક્તિમાર્ગ માં શાસ્ત્ર બનાવે છે તો અગડમ બગડમ કરી દે છે. તો તમારી મૂળ વાત છે કે ગીતા નું જ્ઞાન કોણે આપ્યું! એમનું નામ બદલી કરી દીધું છે, બીજા કોઈનાં પણ નામ બદલી નથી થયાં. બધાનાં મુખ્ય ધર્મ શાસ્ત્ર છે ને. આમાં મુખ્ય છે ડીટીઝમ, ઈસ્લામ, બૌદ્ધ. ભલે કરીને કોઈ કહે છે કે પહેલાંં બૌદ્ધ છે પછી ઈસ્લામ. બોલો, આ વાતોથી ગીતા નો કોઈ મતલબ નથી. આપણું તો કામ છે બાપ થી વારસો લેવાનું. બાપ કેટલું સારી રીતે સમજાવે છે-આ છે મોટું ઝાડ. સારું છે, જેમ ફૂલદાની હોય. ૩ ટ્યુબ્સ (શાખાઓ) નીકળે છે. કેટલી સારી સમજ થી બનાવેલું ઝાડ છે. કોઈ પણ ઝટ સમજી જશે કે અમે કયા ધર્મનાં છીએ. અમારો ધર્મ કોણે સ્થાપન કર્યો? આ દયાનંદ, અરવિંદ ઘોષ વગેરે તો હમણાં થઈને ગયાં છે. તે લોકો પણ યોગ વગેરે શીખવાડે છે. છે બધી ભક્તિ. જ્ઞાન નું તો નામ-નિશાન નથી. કેટલાં મોટાં-મોટાં ટાઈટલ (ખિતાબ) મળે છે. આ પણ બધું ડ્રામામાં નોંધ છે, ફરી પણ થશે - ૫ હજાર વર્ષ બાદ. શરું થી લઈને આ ચક્ર કેવી રીતે ચાલે છે, પછી કેવી રીતે રિપીટ થતું રહે છે? તમે જાણો છો. હમણાં નું પ્રેઝન્ટ (વર્તમાન) પછી પાસ્ટ (ભૂતકાળ) થઈ ફ્યુચર (ભવિષ્ય) થઈ જશે. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. જે પાસ્ટ થઈ જાય છે તે પછી ફ્યુચર થાય છે. આ સમયે તમને નોલેજ મળે છે પછી તમે રાજાઈ લો છો, આ દેવતાઓનું રાજ્ય હતું ને. તે સમયે બીજા કોઈનું રાજ્ય નહોતું. આ પણ એક વાર્તા ની જેમ બતાવો. ખુબ સુંદર વાર્તા બની જશે. ચિરકાળમાં ૫ હજાર વર્ષ પહેલાં આ ભારત સતયુગ હતું, કોઈ ધર્મ નહોતો, ફક્ત દેવી-દેવતાઓનું જ રાજ્ય હતું. તેને સૂર્યવંશી રાજ્ય કહેવાતું હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ચાલ્યું ૧૨૫૦ વર્ષ, પછી તેમને રાજ્ય આપ્યું બીજા ભાઈઓ ક્ષત્રિયો ને પછી તેમનું રાજ્ય ચાલ્યું. તમે સમજાવી શકો છો કે બાપે આવીને ભણાવ્યું હતું. જે સારી રીતે ભણ્યા તે સૂર્યવંશી બન્યાં. જે નપાસ થયા તેમનું નામ ક્ષત્રિય પડ્યું. બાકી લડાઈ વગેરે ની વાત નથી. બાબા કહે છે બાળકો તમે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. તમારે વિકારો પર જીત પામવાની છે. બાપે ઓર્ડિનેન્સ (કાયદો) નીકાળ્યો છે, જે કામ પર જીત પામશે તેજ જગતજીત બનશે. પાછળ અડધાકલ્પ બાદ ફરી વામમાર્ગ માં પડે છે. તેમનાં પણ ચિત્ર છે. શકલ (ચહેરો) દેવતાઓની બનેલી છે. રામરાજ્ય અને રાવણ રાજ્ય અડધું-અડધું છે. તેમની વાર્તા બેસી બનાવવી જોઈએ. પછી શું થયું, પછી શું થયું. આ જ સત્યનારાયણ ની વાર્તા છે. સત્ય તો એક જ બાપ છે, જે આ સમયે આવીને આદિ-મધ્ય-અંત નું તમને નોલેજ આપી રહ્યાં છે, જે બીજું કોઈ આપી ન શકે. મનુષ્ય તો બાપને જ નથી જાણતાં. જે ડ્રામા નાં એક્ટર છે, તેનાં ક્રિયેટર-ડાયરેક્ટર વગેરેને નથી જાણતાં. તો બાકી કોણ જાણશે! હમણાં તમને બાપ બતાવે છે-ડ્રામા અનુસાર આ ફરી પણ એવું થશે. બાપ આવીને આપ બાળકોને ફરી ભણાવશે. અહીંયા બીજા કોઈ આવી ન શકે. બાપ કહે છે હું બાળકોને જ ભણાવું છું. કોઈ નવાં ને અહીંયા બેસાડી ન શકાય. ઇન્દ્રપ્રસ્થ ની વાર્તા પણ છે ને. નીલમ પરી, પોખરાજ પરી નામ છે ને. તમારામાં પણ કોઈ હીરા જેવા રત્ન છે. જુઓ રમેશે એવી વાત નીકાળી પ્રદર્શની ની જે બધાનું વિચાર સાગર મંથન થયું. તો હીરા જેવું કામ કર્યુ ને. કોઈ પોખરાજ છે, કોઈ શું છે! કોઈ તો બિલકુલ કાંઈ નથી જાણતાં. આ પણ જાણો છો કે રાજધાની સ્થાપન થાય છે. તેમાં રાજાઓ-રાણીઓ વગેરે બધાં જોઈએ. તમે સમજો છો આપણે બ્રાહ્મણ શ્રીમત પર ભણીને વિશ્વનાં માલિક બનીએ છીએ. કેટલી ખુશી હોવી જોઈએ. આ મૃત્યુલોક ખતમ થવાનું છે. આ બાબા તો હમણાં જ સમજતા રહે છે કે હું જઈને બાળક બનીશ. બાળપણની તે વાતો હમણાં જ સામે આવી રહી છે, ચલન જ બદલાઈ જાય છે. એમ જ ત્યાં પણ જ્યારે વૃદ્ધ થશે તો સમજશે હવે આ વાનપ્રસ્થ શરીર છોડી અમે કિશોર અવસ્થામાં ચાલ્યા જઈશું. બાળપણ છે સતોપ્રધાન અવસ્થા. લક્ષ્મી-નારાયણ તો યુવા છે, લગ્ન કર્યા હોય તેને કિશોર અવસ્થા થોડી કહેશે. યુવા અવસ્થા ને રજો, વૃદ્ધ ને તમો કહે છે એટલે કૃષ્ણ પર પ્રેમ વધારે હોય છે. છે તો લક્ષ્મી-નારાયણ પણ એજ. પરંતુ મનુષ્ય આ વાતો નથી જાણતાં. કૃષ્ણને દ્વાપર માં, લક્ષ્મી-નારાયણ ને સતયુગમાં લઈ ગયાં છે. હમણાં તમે દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો.

બાપ કહે છે કુમારીઓએ તો બહુજ ઊભું થવું જોઈએ. કુવારી કન્યા, અધર કુમારી, દેલવાડા વગેરે જે પણ મંદિર છે, આ તમારા જ એક્યુરેટ યાદગાર છે. તે જડ, આ ચૈતન્ય. તમે અહીંયા ચૈતન્ય માં બેઠાં છો, ભારતને સ્વર્ગ બનાવી રહ્યાં છો. સ્વર્ગ તો અહીંયા જ હશે. મૂળવતન, સૂક્ષ્મવતન ક્યાં છે, આપ બાળકોને બધી ખબર છે. આખાં ડ્રામાને તમે જાણો છો. જે પાસ્ટ થઈ ગયું છે તો ફરી ફ્યુચર થશે પછી પાસ્ટ થશે. તમને કોણ ભણાવે છે, આ સમજવાનું છે. આપણને ભગવાન ભણાવે છે. બસ ખુશી માં ઠંડા ઠાર થઈ જવું જોઈએ. બાપની યાદથી બધાં ગોટાળા નીકળી જાય છે. બાબા આપણા બાપ પણ છે, આપણને ભણાવે પણ છે પછી આપણને સાથે પણ લઈ જશે. સ્વયંને આત્મા સમજી પરમાત્મા બાપ થી એવી વાતો કરવાની છે. બાબા અમને હમણાં ખબર પડી છે, બ્રહ્મા અને વિષ્ણુની પણ ખબર પડી છે. વિષ્ણુની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. હવે વિષ્ણુ દેખાડે છે ક્ષીરસાગર માં. બ્રહ્મા ને સૂક્ષ્મવતન માં દેખાડે છે. વાસ્તવમાં છે અહીંયા. વિષ્ણુ તો થયાં રાજ્ય કરવાવાળા. જો વિષ્ણુ થી બ્રહ્મા નીકળ્યા તો જરુર રાજ્ય પણ કરશે. વિષ્ણુ ની નાભી થી નીકળ્યાં તો જેમ કે બાળક થઈ ગયાં. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. બ્રહ્મા જ ૮૪ જન્મ પૂરા કરી હવે ફરી વિષ્ણુપુરી નાં માલિક બને છે. આ વાતો પણ કોઈ પૂરી રીતે સમજતાં નથી, ત્યારે તો તે ખુશીનો પારો નથી ચઢતો. ગોપ-ગોપીઓ તો તમે છો. સતયુગ માં થોડી હશે. ત્યાં તો હશે પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી). ગોપ-ગોપીઓનાં ગોપી વલ્લભ છે ને. પ્રજાપિતા બ્રહ્મા છે બધાનાં બાપ અને પછી બધી આત્માઓનાં બાપ છે નિરાકાર શિવ. આ બધું છે મુખ વંશાવલી. તમે બધાં બી.કે. ભાઈ-બહેન થઈ ગયાં. ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) હોઈ ન શકે, આમાં જ માયા હાર ખવડાવે છે. બાપ કહે છે હમણાં સુધી જે કાંઈ ભણ્યા છો એ બુદ્ધિ થી ભૂલી જાઓ. હું જે સંભળાવું છું તે ભણો. સીડી તો ખુબ ફર્સ્ટ ક્લાસ છે. આખો આધાર છે એક વાત પર. ગીતા નાં ભગવાન કોણ? કૃષ્ણ ને ભગવાન કહી ન શકાય. તે તો સર્વગુણ સંપન્ન દેવતા છે. તેમનું નામ ગીતા માં આપી દીધું છે. શ્યામ પણ તેમને બનાવ્યાં છે અને પછી લક્ષ્મી-નારાયણ ને પણ શ્યામ કરી દીધાં. કોઈ હિસાબ-કિતાબ જ નથી. રામચંદ્રને પણ કાળા કરી દીધાં. બાપ કહે છે કામ ચિતા પર બેસવાથી શ્યામ થયાં છો. નામ કરીને એક નું લેવાય છે. તમે બધાં બ્રાહ્મણ છો. હમણાં તમે જ્ઞાન ચિતા પર બેસો છો. શુદ્ર કામ ચિતા પર બેઠા છે. બાપ કહે છે-વિચાર સાગર મંથન કરી યુક્તિયો નીકાળો કે કેવી રીતે જગાડીએ? જાગશે પણ ડ્રામા અનુસાર. ડ્રામા ખુબ ધીમે-ધીમે ચાલે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એ જ સ્મૃતિ માં રહેવાનું છે અમે ગોપી વલ્લભનાં ગોપ-ગોપીઓ છીએ. આ જ સ્મૃતિ થી સદા ખુશી નો પારો ચઢ્યો રહે.

2. હમણાં સુધી જે કાંઈ ભણ્યા છીએ, તેને બુદ્ધિ થી ભૂલી બાપ જે સંભળાવે છે એ જ ભણવાનું છે. અમે ભાઈ-બહેન છીએ આ સ્મૃતિ થી ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) ને ખતમ કરવાની છે. માયા થી હાર નથી ખાવાની.

વરદાન :-
રીયલ્ટી ( સચ્ચાઈ ) દ્વારા રોયલ્ટી નું પ્રત્યક્ષ રુપ દેખાડવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ

હમણાં એવો સમય આવશે જ્યારે દરેક આત્મા પ્રત્યક્ષ રુપ માં પોતાની રીયલ્ટી દ્વારા રોયલ્ટી નો સાક્ષાત્કાર કરાવશે. પ્રત્યક્ષતા નાં સમયે માળાનાં મણકા નો નંબર અને ભવિષ્ય રાજ્યનું સ્વરુપ બંનેવ પ્રત્યક્ષ થશે. હમણાં જેમ રેસ કરતાં-કરતાં થોડીક રીસ ની ધૂળ નો પડદો ચમકતા હીરા ને છૂપાડી દે છે, અંતમાં આ પડદો હટી જશે પછી છૂપાયેલા હીરા પોતાનાં પ્રત્યક્ષ સમ્પન્ન સ્વરુપ માં આવશે, રોયલ ફેમિલી હમણાં થી પોતાની રોયલ્ટી દેખાડશે અર્થાત્ પોતાનાં ભવિષ્ય પદ ને સ્પષ્ટ કરશે એટલે રીયલ્ટી દ્વારા રોયલ્ટી નો સાક્ષાત્કાર કરાવો.

સ્લોગન :-
કોઈ પણ વિધિ થી વ્યર્થ ને સમાપ્ત કરી સમર્થ ને ઈમર્જ (જાગૃત) કરો.