24-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ જ
ખુશી માં રહો કે અમે ૮૪ નું ચક્ર પૂરું કર્યુ , હવે જઈએ છીએ પોતાનાં ઘરે , બાકી થોડાં
દિવસ આ કર્મભોગ છે ”
પ્રશ્ન :-
વિકર્માજીત
બનવા વાળા બાળકોએ વિકર્મો થી બચવા માટે કઈ વાત પર બહુજ ધ્યાન આપવાનું છે?
ઉત્તર :-
જે સર્વ વિકર્મો ની જડ દેહ-અભિમાન છે, તે દેહ-અભિમાનમાં ક્યારેય ન આવીએ, આ ધ્યાન
રાખવાનું છે. તેનાં માટે વારંવાર દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાનાં છે. સારા અને
ખોટા નું ફળ જરુર મળે છે, અંત માં વિવેક ખાય છે. પરંતુ આ જન્મ નાં પાપો નાં બોજ ને
હલકો કરવા માટે બાપ ને સાચું-સાચું સંભળાવવાનું છે.
ઓમ શાંતિ!
મોટા માં મોટી
મંઝિલ છે યાદની. અનેકો ને ફકત સાંભળવાનો શોખ રહે છે. જ્ઞાન ને સમજવું તો ખુબ સહજ
છે. ૮૪ નાં ચક્ર ને સમજવાનું છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. વધારે કંઈ નથી. આપ
બાળકો સમજો છો આપણે બધાં સ્વદર્શન ચક્રધારી છીએ. સ્વદર્શન ચક્ર થી કોઈનું ગળું નથી
કાપતાં. જેમ કૃષ્ણ નાં માટે દેખાડ્યું છે. હવે આ લક્ષ્મી-નારાયણ વિષ્ણુ નાં બે રુપ
છે. શું તેમને સ્વદર્શન ચક્ર છે? પછી કૃષ્ણ ને ચક્ર કેમ દેખાડે છે? એક મેગેઝિન (પત્રિકા)
કાઢે છે, જેમાં કૃષ્ણનાં એવા ઘણાં ચિત્ર દેખાડે છે. બાપ તો આવીને તમને રાજયોગ
શીખવાડે છે, ન કે ચક્ર થી અસુરો નો ઘાત કરે છે. અસુર તેમને કહેવાય, જેમનો આસુરી
સ્વભાવ છે. બાકી મનુષ્ય તો મનુષ્ય છે ને. એવું નહિં સ્વદર્શન ચક્ર થી બેસી બધાને
મારે છે. ભક્તિમાર્ગ માં શું-શું ચિત્ર બેસી બનાવ્યાં છે. રાત-દિવસ નો ફર્ક છે. આપ
બાળકોએ આ સૃષ્ટિ ચક્ર અને આખાં ડ્રામાને જાણવાનો છે કારણ કે બધાં એક્ટર્સ છે. તે હદ
નાં એક્ટર્સ તો ડ્રામાને જાણે છે. આ છે બેહદ નો ડ્રામા. આમાં ડિટેલ (વિસ્તાર) માં
નહીં સમજી શકશે. ત્યાં તો બે કલાકનો ડ્રામા હોય છે. ડિટેલ માં પાર્ટ જાણે છે. આ તો
૮૪ જન્મો ને જાણવાનું હોય છે.
બાપે સમજાવ્યું છે - હું બ્રહ્મા નાં રથ માં પ્રવેશ કરું છું. બ્રહ્માની પણ ૮૪ જન્મો
ની કહાની જોઈએ. મનુષ્યો ની બુદ્ધિ માં આ વાતો આવી ન શકે. આ પણ નથી સમજતાં કે ૮૪ લાખ
જન્મ છે કે ૮૪ જન્મ છે? બાપ કહે છે તમારા ૮૪ જન્મો ની કહાની સંભળાવું છું. ૮૪ લાખ
જન્મ હોય તો કેટલાં વર્ષ સંભળાવવામાં લાગી જાય. તમે તો સેકન્ડમાં જાણી જાઓ છો-આ ૮૪
જન્મો ની કહાની છે. આપણે ૮૪ નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે, ૮૪ લાખ હોય તો સેકન્ડ
માં થોડી સમજી શકાય. ૮૪ લાખ જન્મ છે જ નહીં. આપ બાળકોને પણ ખુશી હોવી જોઈએ. આપણું
૮૪ નું ચક્ર પૂરું થયું. હવે આપણે ઘરે જઈએ છીએ. બાકી થોડાં દિવસ આ કર્મભોગ છે.
વિકર્મ ભસ્મ થઇ કર્માતીત અવસ્થા કેવી રીતે થઈ જાય, આને માટે આ યુક્તિ બતાવી છે. બાકી
સમજાવે છે આ જન્મ માં જે પણ વિકર્મ કરેલાં છે તે લખીને આપો તો બોજ હલકો થઈ જાય.
જન્મ-જન્માન્તર નાં વિકર્મ તો કોઈ લખી ન શકે. વિકર્મ તો થતાં આવ્યાં છે. જ્યાર થી
રાવણ રાજ્ય શરુ થયું છે તો કર્મ વિકર્મ થઇ જાય છે. સતયુગ માં કર્મ અકર્મ થાય છે.
ભગવાનુવાચ-તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ને સમજાવું છું. વિકર્માજીત નું સવંત
લક્ષ્મી-નારાયણ થી શરું થાય છે. સીડી માં બહુજ ક્લિયર (સ્પષ્ટ) છે. શાસ્ત્રો માં
કાંઈ આ વાતો નથી. સૂર્યવંશી, ચંદ્રવંશીનું રહસ્ય પણ આપ બાળકોએ સમજયું છે કે આપણે જ
હતાં. વિરાટ રુપ નું ચિત્ર પણ ખુબ બનાવે છે પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતાં. બાપ વગર
કોઈ સમજાવી નથી શકતું. આ બ્રહ્માની ઉપર પણ કોઈ છે ને, જેમણે શીખવાડયું હશે. જો કોઈ
ગુરુ એ શીખવાડ્યું હોત તો એ ગુરુનો ફક્ત એક શિષ્ય તો ન હોઈ શકે. બાપ કહે છે-બાળકો,
તમારે પતિત થી પાવન, પાવન થી પતિત બનવાનું જ છે. આ પણ ડ્રામા માં નોંધ છે. અનેક વખત
આ ચક્ર પસાર કર્યુ છે. પસાર કરતાં જ રહેશો. તમે છો ઓલરાઉન્ડર પાર્ટધારી. આદિ થી અંત
સુધી પાર્ટ બીજા કોઈ નો છે નહીં. તમને જ બાપ સમજાવે છે. પછી તમે આ પણ સમજો છો કે
બીજા ધર્મવાળા ફલાણા-ફલાણા સમય પર આવે છે. તમારો તો ઓલરાઉન્ડર પાર્ટ છે. ક્રિશ્ચન
નાં માટે તો નહિં કહેશે કે સતયુગ માં હતાં. તે તો દ્વાપર નાં પણ વચમાં આવે છે. આ
નોલેજ આપ બાળકોની જ બુદ્ધિ માં છે. કોઈ ને સમજાવી પણ શકો છો. બીજા કોઈ સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. રચયિતા ને જ નથી જાણતાં તો રચના ને કેવી રીતે જાણશે.
બાબાએ સમજાવ્યું છે જે રાઇટયસ (સત્ય) વાતો છે તે છપાવીને એરોપ્લેન (વિમાન) થી બધી
જગ્યાએ નાખવાની છે. તે પોઇન્ટ (વાત) અથવા ટોપીકસ (વિષય) બેસી લખવાં જોઈએ. બાળકો કહે
છે કામ નથી. બાબા કહે છે આ સર્વિસ તો ખુબજ છે. અહીંયા એકાંતમાં બેસી આ કામ કરો. જે
પણ મોટી-મોટી સંસ્થાઓ છે, ગીતા પાઠશાળાઓ વગેરે છે, એ બધાને જગાડવાનાં છે. બધાને
સંદેશ આપવાનો છે. આ પુરુષોત્તમ સંગમયુગ છે. જે સમજદાર હશે તે ઝટ સમજશે, જરુર સંગમ
પર જ નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થાય છે. સતયુગ માં પુરુષોત્તમ
મનુષ્ય હોય છે. અહીંયા છે આસુરી સ્વભાવવાળા પતિત મનુષ્ય. આ પણ બાબા એ સમજાવ્યું છે,
કુંભ નો મેળો વગેરે જે લાગે છે. બહુજ મનુષ્ય જાય છે સ્નાન કરવાં. કેમ સ્નાન કરવા
જાય છે? પાવન થવા ઈચ્છે છે. તો જ્યાં-જ્યાં મનુષ્ય સ્નાન કરવા જાય છે ત્યાં જઈને
સર્વિસ (સેવા) કરવી જોઈએ. મનુષ્યો ને સમજાવવું જોઈએ, આ પાણી કોઈ પતિત-પાવની નથી.
તમારી પાસે ચિત્ર પણ છે. ગીતા પાઠશાળાઓમાં જઈને આ પરચા વેચવા જોઈએ. બાળકો સર્વિસ
માંગે છે. આ બેસીને લખો-ગીતાનાં ભગવાન પરમપિતા પરમાત્મા શિવ છે, ન કે શ્રીકૃષ્ણ. પછી
તેમની બાયોગ્રાફી (જીવનકહાની) ની મહિમા લખો. શિવબાબા ની બાયોગ્રાફી લખો. પછી પોતે જ
જજ (નિર્ણય) કરશે. આ પોઈન્ટ પણ લખવાનો છે કે પતિત-પાવન કોણ? પછી શિવ અને શંકર નો
ભેદ પણ દેખાડવાનો છે. શિવ અલગ છે, શંકર અલગ છે. આ પણ બાબાએ સમજાવ્યું છે-કલ્પ ૫
હજાર વર્ષ નું છે. મનુષ્ય ૮૪ જન્મ લે છે, ન કે ૮૪ લાખ. આ મુખ્ય-મુખ્ય વાતો શોર્ટ (સંક્ષિપ્ત)
માં લખવી જોઈએ. જે એરોપ્લેન થી પણ નાખી શકાય છે, સમજાવી પણ શકાય છે. આ જેમ ગોળો છે,
એમાં ક્લિયર છે ફલાણાં-ફલાણાં ધર્મ ફલાણાં-ફલાણાં સમય પર સ્થાપન થાય છે. તો આ ગોળો
પણ હોવો જોઈએ એટલે મુખ્ય ૧૨ ચિત્રો નાં કેલેન્ડર્સ પણ છપાવી શકો છો જેમાં બધું
જ્ઞાન આવી જાય અને સર્વિસ સહજ થઈ શકે. આ ચિત્ર બિલકુલ જરુરી છે. કયા ચિત્ર બનાવવાનાં
છે, કયા-કયા પોઇન્ટ લખવાં જોઈએ. તે બેસી લખો.
તમે ગુપ્ત વેશમાં આ જૂની દુનિયા નું પરિવર્તન કરી રહ્યાં છો. અનનોન (ગુપ્ત)
વારિયર્સ (યોદ્ધાઓ) છો. તમને કોઈ નથી જાણતું. બાબા પણ ગુપ્ત, નોલેજ પણ ગુપ્ત. આનું
કોઈ શાસ્ત્ર વગેરે બનતું નથી, બીજા ધર્મ સ્થાપક નાં બાઇબલ વગેરે છપાય છે જે વાંચતા
આવે છે. દરેકનાં છપાય છે. તમારું પછી ભક્તિમાર્ગ માં છપાય છે. હમણાં નથી છપાવવાનું
કારણ કે હમણાં તો આ શાસ્ત્ર વગેરે બધું ખતમ થઇ જવાનું છે. હમણાં તમારે બુદ્ધિ માં
ફક્ત યાદ કરવાનાં છે. બાપનાં પાસે પણ બુદ્ધિ માં જ્ઞાન છે. કોઈ શાસ્ત્ર વગેરે થોડી
જ ભણે. તે તો નોલેજફુલ છે. નોલેજફુલ નો અર્થ પછી મનુષ્ય સમજે છે બધાનાં દિલ ને જાણવા
વાળા છે. ભગવાન જોવે છે ત્યારે તો કર્મો નું ફળ આપે છે. બાપ કહે છે આ ડ્રામા માં
નોંધ છે. ડ્રામા માં જે વિકર્મ કરે છે તો તેની સજા થતી જાય છે. સારા કે ખોટા કર્મો
નું ફળ મળે છે. તેનું લખાણ તો કોઈ છે નહીં. મનુષ્ય સમજી શકે છે જરુર કર્મો નું ફળ
બીજા જન્મ માં મળે છે. અંત ઘડી વિવેક પછી ખુબ ખાય છે. અમે આ-આ પાપ કર્યા છે. બધું
યાદ આવે છે. જેવાં કર્મ તેવો જન્મ મળશે. હમણાં તમે વિકર્માજીત બનો છો તો કોઈ પણ એવું
વિકર્મ ન કરવું જોઈએ. મોટા માં મોટું વિકર્મ છે દેહ-અભિમાની બનવું. બાબા વારંવાર કહે
છે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો, પવિત્ર તો રહેવાનું જ છે. સૌથી મોટું પાપ છે
કામ કટારી ચલાવવી. આ જ આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળું છે એટલે સન્યાસી પણ કહે છે કાગ
વિષ્ટા સમાન સુખ છે. ત્યાં દુઃખ નું નામ નથી હોતું. અહીંયા દુઃખ જ દુઃખ છે, એટલે
સંન્યાસીઓને વૈરાગ્ય આવે છે. પરંતુ તેઓ જંગલ માં ચાલ્યાં જાય છે. તેમનો છે હદનો
વૈરાગ્ય, તમારો છે બેહદનો વૈરાગ્ય. આ દુનિયા જ છી-છી છે. બધાં કહે છે બાબા આવીને
અમારા દુઃખ હરીને સુખ આપો. બાપ જ દુઃખહર્તા સુખકર્તા છે. આપ બાળકો જ સમજો છો કે નવી
દુનિયામાં આ દેવતાઓનું રાજ્ય હતું. ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. જ્યારે કોઈ
શરીર છોડે છે તો મનુષ્ય કહે છે સ્વર્ગવાસી થયાં. પરંતુ આ થોડી સમજે છે કે અમે નર્ક
માં છીએ. અમે જ્યારે મરીએ ત્યારે સ્વર્ગમાં જઈએ. પરંતુ તે પણ સ્વર્ગમાં ગયાં કે
અહીંયા નર્ક માં આવ્યાં? કાંઈ પણ સમજતાં નથી. આપ બાળકો 3 બાપનું રહસ્ય પણ બધાને
સમજાવી શકો છો. બે બાપ તો બધાં સમજે છે લૌકિક અને પારલૌકિક અને આ અલૌકિક પ્રજાપિતા
બ્રહ્મા પછી છે અહીંયા સંગમયુગ પર. બ્રાહ્મણ પણ જોઈએ ને. તે બ્રાહ્મણ કોઈ બ્રહ્માનાં
મુખ વંશાવલી થોડી છે. જાણે છે બ્રાહ્મણ હતા એટલે બ્રાહ્મણ દેવી-દેવતા નમઃ કહે છે. આ
નથી જાણતા કે કોને કહે છે, કયા બ્રાહ્મણ? તમે છો પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ. તે
છે કળયુગી. આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે તમે મનુષ્ય થી દેવતા બનો છો. દેવી-દેવતા
ધર્મની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ બધાં પોઇન્ટસ (વાતો) ધારણ કરવાનાં છે અને પછી
સર્વિસ કરવાની છે. પૂજા કરવાં કે શ્રાદ્ધ ખાવાં બ્રાહ્મણ લોકો આવે છે. તેમનાથી પણ
તમે ચિટચેટ (વાતચીત) કરી શકો છો. તમને સાચાં બ્રાહ્મણ બનાવી શકીએ છીએ. હમણાં ભાદરવો
મહિનો આવે છે, બધાં પિતૃઓને ખવડાવે છે. તે પણ યુક્તિ થી કરવું જોઈએ, નહીં તો કહેશે
કે બ્રહ્માકુમારીઓ ની પાસે જઈને બધુંજ છોડી દીધું છે. એવું કાંઈ નથી કરવાનું, જેનાથી
નારાજ થાય. યુક્તિ થી તમે જ્ઞાન આપી શકો છો. જરુર બ્રાહ્મણ લોકો આવશે, ત્યારે તો
જ્ઞાન આપશો ને. આ મહિનામાં તમે બ્રાહ્મણોની ખુબ સર્વિસ કરી શકો છો. તમે બ્રાહ્મણ તો
પ્રજાપિતા બ્રહ્માની સંતાન છો. બતાવો બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો? તમે તેમનું
પણ કલ્યાણ કરી શકો છો ઘરે બેઠાં. જેમ અમરનાથની યાત્રા પર જાય છે તો તે ફક્ત લખાણ થી
એટલું નહિં સમજશે. ત્યાં બેસી સમજાવવું જોઈએ. અમે તમને સાચ્ચી અમરનાથ ની કથા
સંભળાવીએ. અમરનાથ તો એકને જ કહેવાય છે. અમરનાથ અર્થાત્ જે અમરપુરી સ્થાપન કરે. તે
છે સતયુગ. આવી સર્વિસ કરવી પડે. ત્યાં પગપાળા જવું પડે છે. જે સારા-સારા મોટા-મોટા
માણસ હોય તેમને જઈને સમજાવવું જોઈએ. સંન્યાસીઓને પણ તમે જ્ઞાન આપી શકો છો. તમે આખી
સૃષ્ટિનાં કલ્યાણકારી છો. શ્રીમત પર આપણે વિશ્વનું કલ્યાણ કરી રહ્યાં છીએ-બુદ્ધિ
માં આ નશો રહેવો જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યારે
એકાંત કે ફુરસદ મળે છે તો જ્ઞાન નાં સારા-સારા પોઇન્ટસ પર વિચાર સાગર મંથન કરી
લખવાનું છે. બધાને સંદેશ પહોંચાડવાં અથવા બધાનું કલ્યાણ કરવાની યુક્તિ રચવાની છે.
2. વિકર્મો થી બચવાનાં માટે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાનાં છે. હમણાં કોઈ પણ
વિકર્મ નથી કરવાનાં, આ જન્મનાં કરેલા વિકર્મ બાપદાદા ને સાચા-સાચા સંભળાવવાનાં છે.
વરદાન :-
સંપન્નતા
દ્વારા સંતુષ્ટતા નો અનુભવ કરવાવાળા સદા હર્ષિત , વિજયી ભવ
જે સર્વ ખજાનાઓ થી
સંપન્ન છે એ જ સદા સંતુષ્ટ છે. સંતુષ્ટતા અર્થાત સંપન્નતા. જેમ બાપ સંપન્ન છે એટલે
મહિમા માં સાગર શબ્દ કહે છે, તેમ આપ બાળકો પણ માસ્ટર સાગર અર્થાત્ સંપન્ન બનો તો સદા
ખુશી માં નાચતાં રહેશો. અંદર ખુશી નાં સિવાય બીજું કાંઈ આવી નથી શકતું. સ્વયં
સમ્પન્ન હોવાનાં કારણે કોઈ થી પણ હેરાન નહીં થશે. કોઈ પણ પ્રકારની સમસ્યા કે વિઘ્ન
એક રમત અનુભવ થશે, સમસ્યા મનોરંજન નું સાધન બની જશે. નિશ્ચય બુદ્ધિ હોવાનાં કારણે
સદા હર્ષિત અને વિજયી હશે.
સ્લોગન :-
નાજુક
પરિસ્થિતિઓથી ગભરાઓ નહીં, એનાથી પાઠ ભણીને સ્વયંને પરિપક્વ બનાવો.