19-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હમણાં તમારી સુનવાઈ થઈ છે , છેવટે તે દિવસ આવી ગયો જ્યારે તમે ઉત્તમ થી ઉત્તમ પુરુષ આ પુરુષોત્તમ સંગમયુગ પર બની રહ્યાં છો ”

પ્રશ્ન :-
હાર અને જીત થી સંબંધિત કયું એવું એક ભ્રષ્ટ કર્મ છે જે મનુષ્ય ને દુઃખી કરે છે?

ઉત્તર :-
“જુગાર”. ઘણાં મનુષ્યમાં જુગાર રમવાની આદત હોય છે, આ ભ્રષ્ટ કર્મ છે કારણ કે હારવાથી દુઃખ, જીતવાથી ખુશી થશે. આપ બાળકોને બાપનું ફરમાન છે - બાળકો, દૈવી કર્મ કરો. એવું કોઈ પણ કર્મ નથી કરવાનું છે જેનાથી સમય ખોટી થાય. સદા બેહદની જીત પામવાનો પુરુષાર્થ કરો.

ગીત :-
આખિર વહ દિન આયા આજ ……

ઓમ શાંતિ!
ડબલ ઓમ શાંતિ. આપ બાળકોએ પણ કહેવું પડશે ઓમ શાંતિ. અહીંયા પછી છે ડબલ ઓમ શાંતિ. એક સુપ્રીમ આત્મા (શિવબાબા) કહે છે ઓમ શાંતિ, બીજા આ દાદા કહે છે ઓમ શાંતિ. પછી આપ બાળકો પણ કહો છો અમે આત્મા શાંત સ્વરુપ છીએ, રહેવા વાળા પણ શાંતિ દેશ નાં છીએ. અહીંયા આ સ્થૂળદેશ માં પાર્ટ ભજવવા આવ્યાં છીએ. આ વાતો આત્માઓ ભૂલી ગઈ છે પછી છેવટે તે દિવસ તો જરુર આવ્યો છે, જ્યારે સુનવાઈ થાય છે. કઈ સુનવાઈ? કહે છે બાબા દુઃખ હરીને સુખ આપો. દરેક મનુષ્ય સુખ-શાંતિ જ પસંદ કરે છે. બાપ છે પણ ગરીબ નિવાઝ. આ સમયે ભારત બિલકુલ ગરીબ છે. બાળકો જાણે છે આપણે બિલકુલ સાહૂકાર હતાંં. આ પણ આપ બ્રાહ્મણ બાળકો જાણો છો, બાકી તો બધાં જંગલમાં છે. આપ બાળકોને પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર નિશ્ચય છે. તમે જાણો છો આ છે શ્રી શ્રી, એમની મત પણ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ છે. ભગવાનુવાચ છે ને. મનુષ્ય તો રામ-રામની એવી ધૂન લગાવે છે જેમ વાજું વાગે છે. હવે રામ તો ત્રેતા નાં રાજા હતાંં, તેમની મહિમા ખુબ હતી. ૧૪ કળા હતી. બે કળા ઓછી, તેમનાં માટે પણ ગવાય છે રામ રાજા, રામ પ્રજા…..તમે સાહૂકાર બનો છો ને. રામ થી વધારે સાહૂકાર પછી લક્ષ્મી-નારાયણ હશે. રાજા ને અન્નદાતા કહે છે. બાપ પણ દાતા છે, તે બધુંજ આપે છે, બાળકોને વિશ્વનાં માલિક બનાવે છે. ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ હોતી નથી, જેનાં માટે પાપ કરવું પડે. ત્યાં પાપ નું નામ નથી હોતું. અડધોકલ્પ છે દૈવી રાજ્ય પછી અડધોકલ્પ છે આસુરી રાજ્ય. અસુર અર્થાત્ જેમનામાં દેહ-અભિમાન છે, ૫ વિકાર છે.

હમણાં તમે આવ્યાં છો ખેવૈયા અથવા બાગવાન ની પાસે. તમે જાણો છો આપણે ડાયરેક્ટ તેમની પાસે બેઠા છીએ. આપ બાળકો પણ બેઠા-બેઠા ભૂલી જાઓ છો. ભગવાન જે ફરમાવે છે તે માનવું જોઈએ ને. પહેલાં તો એ શ્રીમત આપે છે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવવાં માટે. તો મત પર ચાલવું જોઈએ ને. પહેલી-પહેલી મત આપે છે - દેહી-અભિમાની બનો. બાબા આપણને આત્માઓને ભણાવે છે. આ પાક્કું-પાક્કું યાદ કરો. આ અક્ષર યાદ કર્યા તો બેડો પાર છે. બાળકોને સમજાવાયું છે, તમે જ ૮૪ જન્મ લો છો. તમે જ તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. આ દુનિયા તો પતિત દુઃખી છે. સ્વર્ગ ને કહેવાય છે સુખધામ. બાળકો જાણે છે શિવબાબા, ભગવાન આપણને ભણાવે છે. એમનાં આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, તો ભણવું પણ સારી રીતે જોઈએ. દૈવી કર્મ પણ જોઈએ. કોઈ ભ્રષ્ટ કર્મ ન કરવું જોઈએ. ભ્રષ્ટ કર્મ માં જુગાર પણ આવી જાય છે. આ પણ દુઃખ આપે છે. હારે તો દુઃખ થશે, જીતે તો ખુશી થશે. હમણાં આપ બાળકોએ માયા થી બેહદ ની હાર ખાધી છે. આ છે પણ બેહદ ની હાર અને જીત ની રમત. ૫ વિકારો રુપી રાવણ થી હાર્યે હાર છે, તેનાં પર જીત પામવાની છે. માયા થી હારે હાર છે. હવે આપ બાળકોની જીત થવાની છે. હમણાં તમારે પણ જુગાર વગેરે બધું છોડી દેવું જોઈએ. હવે બેહદ ની જીત પામવા પર પૂરું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. કોઈ પણ એવું કર્મ નથી કરવાનું, સમય વેસ્ટ નથી કરવાનો. બેહદની જીત પામવા માટે પુરુષાર્થ કરવાનો છે. કરાવવા વાળા બાપ સમર્થ છે. એ છે સર્વશક્તિમાન. આ પણ સમજાવ્યું છે ફક્ત બાપ સર્વશક્તિમાન નથી. રાવણ પણ સર્વશક્તિમાન છે. અડધોકલ્પ રાવણરાજ્ય, અડધોકલ્પ રામરાજ્ય ચાલે છે. હમણાં તમે રાવણ પર જીત પામો છો. હવે તે હદની વાતો છોડી બેહદ માં લાગી જવાનું છે. ખેવૈયા આવ્યાં છે. છેવટે તે દિવસ આવ્યો તો છે ને. પોકાર ની સુનાવણી થાય છે ઊંચે થી ઊંચા બાપ ની પાસે. બાપ કહે છે - બાળકો, તમને અડધોકલ્પ ખુબ ધક્કા ખાધાં છે. પતિત બન્યાં છો. પાવન ભારત શિવાલય હતું. તમે શિવાલયમાં રહેતા હતાંં. હમણાં તમે વેશ્યાલય માં છો. તમે શિવાલયમાં રહેવાવાળા ને પૂજો છો. અહીંયા આ અનેક ધર્મો નું કેટલું ઘમાસણ છે. બાપ કહે છે આ બધાને હું ખલાસ કરી દઉં છું. બધાનો વિનાશ થવાનો છે બીજા ધર્મ-સ્થાપક વિનાશ નથી કરતાં. તે સદ્દગતિ આપવા વાળા ગુરુ પણ નથી. સદ્દગતિ જ્ઞાન થી જ થાય છે. સર્વનાં સદ્દગતિ દાતા જ્ઞાન-સાગર બાપ જ છે. આ અક્ષર સારી રીતે નોંધ કરો. ઘણાં છે જે અહીંયા સાંભળીને બહાર ગયાં તો અહીંયાનું અહીં જ રહી જાય છે. જેમ ગર્ભજેલ માં કહે છે-અમે પાપ નહીં કરીશું. બહાર નીકળ્યાં, બસ ત્યાનું ત્યાં રહ્યું. થોડા મોટાં થયા પાપ કરવા લાગી જાય છે. કામ કટારી ચલાવે છે. સતયુગમાં તો ગર્ભ પણ મહેલ રહે છે. તો બાપ બેસી સમજાવે છે - આખિર વહ દિન આયા આજ. કયો દિવસ? પુરુષોત્તમ સંગમયુગ નો. જેની કોઈ ને ખબર નથી. બાળકો ફીલ (અનુભવ) કરે છે અમે પુરુષોત્તમ બનીએ છીએ. ઉત્તમ થી ઉત્તમ પુરુષ અમે જ હતાંં, શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ ધર્મ હતો. કર્મ પણ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ હતાંં. રાવણ રાજ્ય જ નથી હોતું. છેવટે તે દિવસ આવ્યો જે બાપ આવ્યાં છે ભણાવવાં. એજ પતિત-પાવન છે. તો એવાં બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને. હમણાં છે કળયુગ નો અંત. થોડો સમય પણ જોઈએ ને, પાવન બનવા માટે. ૬૦ વર્ષ પછી વાનપ્રસ્થ કહે છે. ૬૦ તો લાગી લાઠ. હમણાં તો જુઓ ૮૦ વર્ષ વાળા પણ વિકારો ને છોડતા નથી. બાપ કહે છે હું આમની વાનપ્રસ્થ અવસ્થા માં પ્રવેશ કરી આમને સમજાવું છું. આત્મા જ પવિત્ર બની પાર જાય છે. આત્મા જ ઉડે છે. હમણાં આત્માની પાંખો કપાયેલી છે. ઉડી નથી શકતી, રાવણે પાંખો કાપી દીધી છે. પતિત બની ગઈ છે. કોઈ એક પણ પાછું જઈ ન શકે. પહેલાં તો બાપે જવું જોઈએ. શિવ ની બારાત કહે છે ને. શંકર ની બારાત હોતી નથી. બાપ ની પાછળ આપણે બધાં બાળકો જઈએ છીએ. બાબા આવેલા છે લેવાં માટે. શરીર સહિત તો નહીં લઈ જશે ને. આત્માઓ બધી પતિત છે. જ્યાં સુધી પવિત્ર ન બને ત્યાં સુધી પાછી જઈ નથી શકતી. પ્યોરિટી (પવિત્રતા) હતી તો પીસ (શાંતિ) અને પ્રોસપર્ટી (સમૃદ્ધિ) હતી. ફક્ત તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા જ હતાંં. હમણાં બીજા બધાં ધર્મવાળા છે. ડીટીજમ (દૈવીધર્મ) છે નહીં. આને જ કલ્પવૃક્ષ કહેવાય છે. વડ નાં ઝાડ થી આની ભેંટ કરાય છે. થડ છે નહીં. બાકી આખું ઝાડ ઊભું છે. તેમ આ પણ દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન (પાયો) છે નહીં. બાકી આખું ઝાડ ઊભું છે. હતું જરુર પરંતુ પ્રાયઃલોપ થઈ ગયું છે ફરી રિપીટ (પુનરાવર્તન) થશે. બાપ કહે છે હું ફરી આવું છું એક ધર્મની સ્થાપના કરવાં, બાકી બધાં ધર્મ નો વિનાશ થઈ જાય છે. નહીં તો સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે? કહેવાય પણ છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ. હમણાં જૂની દુનિયા છે ફરી નવી દુનિયાને રિપીટ થવાનું છે. આ જૂની દુનિયા બદલાઈ નવી દુનિયા સ્થાપન થશે. આ જ ભારત નવાં થી જુનું બને છે. કહે છે જમુનાનાં કાંઠા પર પરિસ્તાન હતું. બાબા કહે છે તમે કામ ચિતા પર બેસી કબ્રસ્તાન બની ગયાં છો. ફરી તમને પરિસ્તાની બનાવે છે. શ્રીકૃષ્ણ ને શ્યામ-સુંદર કહે છે-કેમ? કોઈની પણ બુદ્ધિ માં નહીં હશે. નામ તો સારું છે ને. રાધે અને કૃષ્ણ - આ છે ન્યુ વર્લ્ડ નાં પ્રિન્સ-પ્રિન્સેજ (નવી દુનિયાનાં રાજકુમાર-રાજકુમારી). બાપ કહે છે કામ ચિતા પર બેસવાથી આયરન એજ (કળયુગ) માં છે. ગવાયેલું પણ છે, સાગર નાં બાળકો કામ ચિતા પર બળી મર્યા. હવે બાપ બધાં પર જ્ઞાન વર્ષા કરે છે. પછી બધાં ચાલ્યાં જશે ગોલ્ડન એજ (સતયુગ) માં. હમણાં છે સંગમયુગ તમને અવિનાશી જ્ઞાન રત્નો નું દાન મળે છે, જેનાથી તમે સાહૂકાર બનો છો. આ એક-એક રત્ન લાખો રુપિયાનાં છે. તે લોકો પછી સમજે છે-શાસ્ત્રોનાં વરશન્સ (સંસ્કરણ) લાખો રુપિયાનાં છે. આપ બાળકો આ ભણતર થી પદમપતિ બનો છો. સોર્સ ઓફ ઈનકમ (આવક નું સાધન) છે ને. આ જ્ઞાન રત્નો ને તમે ધારણ કરો છો. ઝોલી ભરો છો. તે પછી શંકરનાં માટે કહે છે-હેં બમ બમ મહાદેવ, ભર દો ઝોલી. શંકર પર કેટલાં કલંક લગાવ્યાં છે. બ્રહ્મા અને વિષ્ણુ નો પાર્ટ અહીંયા છે. આ પણ તમે જાણો છો ૮૪ જન્મ વિષ્ણુનાં માટે પણ કહેશે, લક્ષ્મી-નારાયણનાં માટે પણ. તમે બ્રહ્માનાં માટે પણ કહેશો. બાપ બેસી સમજાવે છે-રાઈટ (સાચું) શું છે, રોંગ (ખોટું) શું છે, બ્રહ્મા અને વિષ્ણુ નો પાર્ટ શું છે. તમે જ દેવતા હતાંં, ચક્ર લગાવી બ્રાહ્મણ બન્યાં ફરી હવે દેવતા બનો છો. પાર્ટ આખો અહીંયા ભજવાય છે. વૈકુંઠનાં ખેલ-પાલ જુઓ છો. અહીંયા તો વૈકુંઠ છે નહીં. મીરા ડાન્સ (નૃત્ય) કરતી હતી. તે બધો સાક્ષાત્કાર કહીશું. કેટલું તેમનું માન છે. સાક્ષાત્કાર કર્યો, કૃષ્ણ સાથે ડાન્સ કર્યો. તો શું, સ્વર્ગમાં તો નથી ગઈ ને. ગતિ-સદ્દગતિ તો સંગમ પર જ મળી શકે છે. આ પુરુષોત્તમ સંગમયુગ ને તમે સમજો છો. આપણે બાબા દ્વારા હવે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. વિરાટ રુપ નું પણ નોલેજ જોઈએ ને. ચિત્ર રાખે છે, સમજતા કાંઈ પણ નથી. અકાસુર-બકાસુર આ બધાં સંગમ નાં નામ છે. ભસ્માસુર પણ નામ છે. કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયાં છે. હવે બાપ કહે છે-હું બધાને ફરી થી જ્ઞાન ચિતા પર બેસાડી લઈ જાઉં છું. આત્માઓ બધી ભાઈ-ભાઈ છે. કહે પણ છે હિન્દુ-ચીની ભાઈ-ભાઈ, હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ છે. હવે ભાઈ-ભાઈ પણ આપસ માં લડતા રહે છે. કર્મ તો આત્મા કરે છે ને. શરીર દ્વારા આત્મા લડે છે. પાપ પણ આત્મા પર લાગે છે, એટલે પાપ આત્મા કહેવાય છે. બાપ કેટલાં પ્રેમ થી બેસી સમજાવે છે. શિવબાબા અને બ્રહ્મા બાબા બંને ને હક છે બાળકો-બાળકો કહેવાનો. બાપ, દાદા દ્વારા કહે છે-હેં બાળકો! સમજો છો ને, આપણે આત્મા અહીંયા આવીને પાર્ટ ભજવીએ છીએ. પછી અંતમાં બાપ આવીને બધાને પવિત્ર બનાવી સાથે લઈ જાય છે. બાપ જ આવીને નોલેજ આપે છે. આવે પણ અહીંયા જ છે. શિવ જયંતી પણ મનાવે છે. શિવ જયંતી નાં પછી હોય છે કૃષ્ણ જયંતી. શ્રીકૃષ્ણ જ પછી શ્રી નારાયણ બને છે. પછી ચક્કર લગાવી અંત માં શ્યામ (પતિત) બને છે. બાપ આવીને પછી ગોરા બનાવે છે. તમે બ્રાહ્મણ સો દેવતા બનશો. પછી સીડી ઉતરશો. આ ૮૪ જન્મ નો હિસાબ બીજા કોઈની બુદ્ધિ માં નહીં હશે. બાપ જ બાળકો ને સમજાવે છે. ગીત પણ સાંભળ્યું - છેવટે ભક્તોની સુનવાઈ થાય છે. બોલાવે પણ છે - હેં ભગવાન આવીને અમને ભક્તિ નું ફળ આપો. ભક્તિ ફળ નથી આપતી. ફળ ભગવાન આપે છે. ભક્તો ને દેવતા બનાવે છે. બહુજ ભક્તિ તમે કરી છે. પહેલાં-પહેલાં તમે જ શિવની ભક્તિ કરી. જે સારી રીતે આ વાતોને સમજશે, તમે ફીલ (અનુભવ) કરશો આ અમારા કુળનાં છે. કોઈની બુદ્ધિ માં બેસતું નથી તો સમજો ભક્તિ વધારે કરી નથી, પાછળ આવ્યાં છે. અહીંયા પણ પહેલાં નહીં આવશે. આ હિસાબ છે. જેમણે બહુજ ભક્તિ કરી છે તેમને બહુજ ફળ મળશે. થોડી ભક્તિ થોડું ફળ. તે સ્વર્ગ નું સુખ ભોગવી નથી શકતાં કારણ કે શરું માં શિવની ભક્તિ થોડી કરી છે. તમારી બુદ્ધિ હવે કામ કરે છે. બાબા ભિન્ન-ભિન્ન યુક્તિઓ ખુબ સમજાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક-એક અવિનાશી જ્ઞાન રત્ન જે પદમો નાં સમાન છે, એનાથી પોતાની ઝોલી ભરી, બુદ્ધિ માં ધારણ કરી પછી દાન કરવાનું છે.

2. શ્રી શ્રી ની શ્રેષ્ઠ મત પર પૂરે-પૂરું ચાલવાનું છે. આત્માને સતોપ્રધાન બનાવવા માટે દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
મનમનાભવ ની વિધિ દ્વારા બંધનો નાં બીજ ને સમાપ્ત કરવાવાળા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ ભવ

બંધનો નું બીજ છે સંબંધ. જ્યારે બાપ ની સાથે સર્વ સંબંધ જોડી લીધાં તો બીજા કોઈમાં પણ મોહ કેવી રીતે હોઈ શકે. વગર સંબંધ નો મોહ નથી હોતો અને મોહ નથી તો બંધન નથી. જ્યારે બીજ ને જ ખતમ કરી દીધું તો વગર બીજ નાં વૃક્ષ કેવી રીતે પેદા થશે. જો હમણાં સુધી બંધન છે તો સિદ્ધ છે કે કંઈક તોડ્યું છે, કંઈક જોડ્યું છે એટલે મનમનાભવ ની વિધિ થી મનનાં બંધનો થી પણ મુક્ત નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનો પછી આ ફરિયાદો સમાપ્ત થઈ જશે કે શું કરીએ બંધન છે, કપાતા નથી.

સ્લોગન :-
બ્રાહ્મણ જીવન નો શ્વાસ ઉમંગ-ઉત્સાહ છે એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઉમંગ-ઉત્સાહ પ્રવાહ ઓછું ન થાય.