12-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે આસુરી મત પર ચાલવાથી દરબદર થઈ ગયાં , હવે ઈશ્વરીય મત પર ચાલો તો સુખધામ ચાલ્યાં જશો ”

પ્રશ્ન :-
બાળકો એ બાપ થી કઈ ઉમ્મીદ રાખવાની છે, કઈ નહીં?

ઉત્તર :-
બાપ થી એ જ ઉમ્મીદ રાખવાની છે કે અમે બાપ દ્વારા પવિત્ર બની પોતાનાં ઘર અને ઘાટ (રાજધાની) માં જઈએ. બાબા કહે છે - બાળકો, મારામાં આ ઉમ્મીદ નહીં રાખો કે ફલાણા બીમાર છે, આશીર્વાદ મળે. અહીંયા કૃપા અથવા આશીર્વાદ ની વાત જ નથી. હું તો આવ્યો છું આપ બાળકોને પતિત થી પાવન બનાવવાં. હવે હું તમને એવાં કર્મ શીખવાડું છું જે વિકર્મ ન બને.

ગીત :-
આજ નહીં તો કલ બિખરેંગે યહ બાદલ ………

ઓમ શાંતિ!
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે હવે ઘરે ચાલવાનું છે. બાપ આવ્યાં છે લેવા માટે. આ યાદ પણ ત્યારે રહેશે જ્યારે આત્મ-અભિમાની હશો. દેહ-અભિમાન માં હશો તો યાદ પણ નહીં રહેશે. બાળકો જાણે છે બાબા મુસાફિર થઈને આવ્યાં છે. તમે પણ મુસાફિર થઈને આવ્યા હતાં. હવે પોતાનાં ઘરને ભૂલી ગયાં છો. ફરી બાપે ઘર યાદ દેવડાવ્યું છે અને રોજ-રોજ સમજાવે છે. જ્યાં સુધી સતોપ્રધાન નથી બન્યાં તો ચાલી નહી શકશો. બાળકો સમજે છે બાબા તો ઠીક કહે છે. બાપ પણ બાળકોને જે શ્રીમત આપે છે તો સપૂત બાળકો તેનાં પર ચાલી પડે છે. આ સમયે બીજા તો કોઈ એવા બાપ નથી જે સારી મત આપે એટલે દરબદર થઈ ગયાં છે. શ્રીમત આપવા વાળા એક જ બાપ છે. એ મત પર પણ કોઈ બાળકો નથી ચાલતાં. વન્ડર છે. લૌકિક બાપની મત પર ચાલી પડે છે. તે છે આસુરી મત. આ પણ છે તો ડ્રામા. પરંતુ બાળકો ને સમજાવે છે તમે આસુરી મત પર ચાલી આ ગતિને પામી લીધી છે. હવે ઈશ્વરીય મત પર ચાલવાથી તમે સુખધામ માં ચાલ્યાં જશો. તે છે બેહદ નો વારસો. રોજ સમજાવે છે. તો બાળકોએ કેટલું હર્ષિત રહેવું જોઈએ. બધાને અહીંયા તો નથી બેસાડી શકતાં. ઘરમાં રહીને પણ યાદ કરવાનું છે. હમણાં પાર્ટ પૂરો થવાનો છે, હવે પાછાં ઘરે ચાલવાનું છે. મનુષ્ય કેટલા ભૂલેલાં છે. કહેવાય છે ને-આ તો પોતાનું ઘર-ઘાટ જ ભૂલી ગયાં છે. હવે બાપ કહે છે ઘર ને પણ યાદ કરો. પોતાની રાજધાની પણ યાદ કરો. હમણાં પાર્ટ પૂરો થવાનો છે, હવે પાછાં ઘરે ચાલવાનું છે. શું તમે ભૂલી ગયાં છો?

આપ બાળકો કહી શકો છો-બાબા ડ્રામા અનુસાર અમારો પાર્ટ જ એવો છે, જો અમે ઘરબાર ને ભૂલી એકદમ ભટકી રહ્યાં છીએ. ભારતવાસી જ પોતાનાં શ્રેષ્ઠ ધર્મ, કર્મ ને ભૂલી ને દૈવી ધર્મ ભ્રષ્ટ, દૈવી કર્મ ભ્રષ્ટ થઈ ગયાં છે. હવે બાપે સાવધાની આપી છે, તમારો ધર્મ કર્મ તો આ હતો. ત્યાં તમે જે કર્મ કરતા હતાં તે અકર્મ થતા હતાં. કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ બાપે જ તમને સમજાવી છે. સતયુગમાં કર્મ, અકર્મ થઈ જાય છે. રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ થાય છે. હમણાં બાપ આવેલાં છે, ધર્મ શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ બનાવવાં. તો હવે શ્રીમત પર કર્મ શ્રેષ્ઠ કરવાં જોઈએ. કોઈ ભ્રષ્ટ કર્મ કરીને કોઈને દુઃખ ન આપવું જોઈએ. ઈશ્વરીય બાળકોનું આ કામ નથી. જે ડાયરેક્શન મળે છે તેનાં પર ચાલવાનું છે, દૈવી ગુણ ધારણ કરવાનાં છે. ભોજન પણ શુદ્ધ લેવાનું છે, જો લાચારી માં નથી મળતું તો સલાહ પૂછો. બાબા સમજાવે છે નોકરી વગેરેમાં ક્યાંક થોડું ખાવું પણ પડે છે. જ્યારે યોગબળ થી તમે રાજાઈ સ્થાપન કરો છો, પતિત દુનિયા ને પાવન બનાવો છો તો ભોજન ને શુદ્ધ બનાવવું શું મોટી વાત છે. નોકરી તો કરવાની જ છે. એવું તો નહીં બાપના બન્યાં તો બધુંજ છોડી અહીંયા આવીને બેસી જવાનું છે. કેટલાં બધાં બાળકો છે, આટલાં બધાં તો રહી ન શકે. રહેવાનું બધાએ ગૃહસ્થ વ્યવહાર માં છે. આ સમજવાનું છે - હું આત્મા છું, બાબા આવેલાં છે, આપણને પવિત્ર બનાવીને પોતાનાં ઘરે લઈ જાય છે પછી રાજધાનીમાં આવી જઈશું. આ તો પારકો રાવણનો છી-છી ઘાટ છે. તમે બિલકુલ જ પતિત બની ગયા છો, ડ્રામા પ્લેન અનુસાર. બાપ કહે છે હમણાં હું તમને સુજાગ કરવા આવ્યો છું તો શ્રીમત પર ચાલો. જેટલાં ચાલશો એટલાં શ્રેષ્ઠ બનશો.

હમણાં તમે સમજો છો આપણે બાપનાં, જે બાપ સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમને ભૂલી ગયાં. હવે બાબા સુધારવા આવ્યાં છે તો સારી રીતે સુધરવું જોઈએ ને. ખુશી માં આવવું જોઈએ. બેહદનાં બાપ મળ્યાં છે, બાળકોથી વાત એવી રીતે કરે છે જેમ તમે આત્માઓ પરસ્પર કરો છો. છે તો તે પણ આત્મા. પરમ આત્મા છે, એમનો પણ પાર્ટ છે. તમે આત્માઓ પાર્ટધારી છો. ઉંચે થી ઉંચો લઈને નીચે થી નીચે નો પાર્ટ છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય ગાએ છે ઈશ્વર જ બધું કરે છે. બાપ કહે છે મારો એવો પાર્ટ થોડી છે જે બીમાર ને સારા કરી દઉં. મારો પાર્ટ છે રસ્તો બતાવવો કે તમે પવિત્ર કેવી રીતે બનો? પવિત્ર બનવાથી જ તમે ઘરમાં પણ જઈ શકશો. રાજધાનીમાં પણ જઈ શકશો. બીજા કોઈ ઉમ્મીદ નહીં રાખો. ફલાણા બીમાર છે, આશીર્વાદ મળે. નહીં, આશીર્વાદ, કૃપા વગેરેની વાત મારી પાસે કાંઈ પણ નથી. તેનાં માટે સાધુ-સંતો વગેરે ની પાસે જાઓ. તમે મને બોલાવો જ છો કે હેં પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. પાવન દુનિયામાં લઈ ચાલો. તો બાપ પૂછે છે હું તમને વિષય સાગર થી નીકાળી પાર લઈ જાઉં છું, પછી તમે વિષય સાગરમાં કેમ ફસાઈ જાઓ છો? ભક્તિમાર્ગ માં તમારો આ હાલ થયો છે. જ્ઞાન, ભક્તિ તમારા માટે છે. સન્યાસી લોકો પણ કહે છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. પરંતુ તેનો અર્થ તેઓ નથી સમજતાં. હવે તમારી બુદ્ધિમાં છે જ્ઞાન, ભક્તિ પછી વૈરાગ્ય. તો બેહદ નો વૈરાગ્ય શીખવાડવા વાળા જોઈએ. બાપે સમજાવ્યું હતું આ કબ્રિસ્તાન છે, આનાં પછી પરિસ્તાન બનવાનું છે. ત્યાં દરેક કર્મ, અકર્મ હોય છે. હમણાં બાબા તમને એવાં કર્મ શીખવાડે છે જે કોઈ પણ વિકર્મ ન બને. કોઈને પણ દુઃખ ન આપો. પતિત નું અન્ન નહીં ખાઓ. વિકારમાં નહીં જાઓ. અબળાઓ પર અત્યાચાર જ આનાં પર થાય છે. જોતા રહો છો-માયાના વિઘ્ન કેવાં પડે છે. આ છે બધું ગુપ્ત. કહે છે દેવતાઓ અને અસુરો નું યુદ્ધ થયું. પછી કહે છે-પાંડવો અને કૌરવો નું યુદ્ધ થયું. હવે લડાઈ તો એક જ છે. બાપ સમજાવે છે હું તમને રાજયોગ શીખવાડી રહ્યો છું ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે. આ મૃત્યુલોક છે. મનુષ્ય સત્યનારાયણ ની કથા સાંભળતા આવ્યાં છે, ફાયદો કાંઈ નથી. હમણાં તમે સાચ્ચી ગીતા સાંભળો છો. રામાયણ પણ તમે સાચ્ચી સાંભળો છો. એક રામ-સીતા ની વાત નહોતી. આ સમયે તો આખી દુનિયા લંકા છે. ચારે બાજુ પાણી છે ને. આ છે બેહદ ની લંકા, જેમાં રાવણનું રાજ્ય છે. એક બાપ છે બ્રાઈડગ્રુમ (સાજન). બાકી બધાં છે બ્રાઈડસ (સજનીઓ). તમને હવે રાવણ રાજ્ય થી બાપ છોડાવે છે. આ છે શોક વાટિકા. સતયુગ ને કહેવાય છે અશોક વાટિકા. ત્યાં કોઈ શોક હોતો નથી. આ સમય તો શોક જ શોક છે. અશોક એક પણ નથી હોતું. નામ તો રાખી દે છે અશોકા હોટલ. બાપ કહે છે આખી દુનિયા આ સમયે બેહદની હોટલ જ સમજો. શોક ની હોટલ છે. ખાન-પાન મનુષ્ય નું જાનવરો માફક છે. તમને જુઓ બાપ ક્યાં લઇ જાય છે. સાચી-સાચી અશોક વાટિકા છે સતયુગ માં. હદ અને બેહદ નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બાપ જ બતાવે છે. આપ બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. જાણો છો બાબા આપણને ભણાવે છે. આપણો પણ એજ ધંધો છે - બધાને રસ્તો બતાવવો, આંધળાઓની લાઠી બનવું. ચિત્ર પણ તમારી પાસે છે. જેમ સ્કૂલમાં ચિત્રો પર સમજાવે છે, આ ફલાણો દેશ છે. તમે તો પછી સમજાવો છો તમે આત્મા છો, શરીર નથી. આત્માઓ ભાઈ-ભાઈ છે. કેટલી સહજ વાત સંભળાવો છે. કહે પણ છે આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. બાપ કહે છે તમે બધી આત્માઓ ભાઈ-ભાઈ છો ને. ગોડફાધર કહો છો ને. તો ક્યારેય પણ આપસ માં લડવું-ઝઘડવું ન જોઈએ. શરીરધારી બનો છો તો પછી ભાઈ-બહેન થઈ જાઓ. આપણે શિવબાબાનાં બાળકો બધાં ભાઈ-ભાઈ છીએ. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન છીએ, આપણે વારસો દાદા થી લેવાનો છે એટલે દાદાને જ યાદ કરીએ છીએ. આ બાળક (બ્રહ્મા) ને પણ મેં પોતાનો બનાવ્યો છે અથવા આમનામાં પ્રવેશ કર્યો છે. આ બધી વાતોને તમે હમણાં સમજો છો. બાપ કહે છે-બાળકો, હવે નવો દૈવી પ્રવૃત્તિ માર્ગ સ્થાપન થઈ રહ્યો છે. તમે બધાં બી.કે. શિવબાબા ની મત પર ચાલો છો. બ્રહ્મા પણ એમની મત પર ચાલે છે. બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો અને સર્વ સંબંધોને હલકા કરતા જાઓ. ૮ કલાક યાદ રાખવાની છે બાકી ૧૬ કલાક માં આરામ કે ધંધો વગેરે જે કરવું છે તે કરો. હું બાપનો બાળક છું, આ નહિં ભૂલો. એવું પણ નહિં અહીંયા આવીને હોસ્ટેલ માં રહેવાનું છે. ના, ગૃહસ્થ વ્યવહાર માં બાળ-બચ્ચાઓ ની સાથે રહેવાનું છે. બાબા પાસે આવો જ છે રિફ્રેશ (તરોતાજા) થવાં. મથુરા, વૃંદાવન માં જાય છો મધુબન નો દીદાર કરવાં. નાનાં મોડલ રુપ માં બનાવી રાખ્યું છે. હવે તો આ બેહદની વાતો સમજવાની છે. શિવબાબા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચી રહ્યાં છે. આપણે પ્રજાપિતા બ્રહ્માની સંતાન બી.કે. છીએ. વિકાર ની વાત થઈ ન શકે. સંન્યાસીઓનાં શિષ્ય બને છે, જો તે સન્યાસી કપડા પહેરી લે તો નામ બદલી થઈ જાય છે. અહીંયા પણ તમે બાબાનાં બની ગયા તો નામ રાખ્યું ને બાબાએ. કેટલાં ભઠ્ઠીમાં રહ્યા હતાં. આ ભઠ્ઠીની કોઈને ખબર નથી. શાસ્ત્રો માં તો શું-શું વાતો લખી છે, ફરી પણ આવું જ થશે. હવે તમારી બુદ્ધિ માં સૃષ્ટિ નું ચક્ર ફરે છે. બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બાબા ને તો શરીર પણ નથી. તમને તો સ્થૂળ શરીર છે. એ છે જ પરમ આત્મા. આત્મા જ સ્વદર્શન ચક્રધારી છે ને. હવે આત્મા ને અલંકાર કેવી રીતે અપાય? સમજણ ની વાત છે ને. આ કેટલી સુક્ષ્મ વાતો છે. બાપ કહે છે વાસ્તવમાં હું છું સ્વદર્શન ચક્રધારી. તમે જાણો છો-આત્મા માં આખાં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન આવી જાય છે. બાબા પણ પરમધામ માં રહેવાવાળા છે, આપણે પણ ત્યાં નાં રહેવાવાળા છીએ. બાપ આવીને પોતાનો પરિચય આપે છે - બાળકો હું પણ સ્વદર્શન ચક્રધારી છું. હું પતિત-પાવન આવ્યો છું તમારી પાસે. મને બોલાવ્યો જ છે કે આવીને પતિત થી પાવન બનાવો, લિબરેટ કરો. એમને શરીર તો છે નહીં. એ અજન્મા છે. ભલે જન્મ લે પણ છે પરંતુ દિવ્ય. શિવ જયંતી અથવા શિવરાત્રી મનાવે છે. બાપ કહે છે હું આવું જ છું ત્યારે જ્યારે રાત પૂરી થાય છે, તો દિવસ બનાવવા આવું છું. દિવસ માં ૨૧ જન્મ પછી રાતમાં ૬૩ જન્મ, આત્મા જ ભિન્ન-ભિન્ન જન્મ લે છે. હવે દિવસ થી રાતમાં આવી છે ફરી દિવસ માં જવાનું છે. સ્વદર્શન ચક્રધારી પણ તમને બનાવ્યાં છે. આ સમયે મારો પાર્ટ છે. તમને પણ સ્વદર્શન ચક્રધારી બનાવું છું. તમે પછી બીજાઓને બનાવો. ૮૪ જન્મ કેવી રીતે લીધાં છે, તે ૮૪ જન્મોનું ચક્ર તો સમજાવી દીધું છે. પહેલાં તમને આ જ્ઞાન હતું શું? બિલકુલ નહીં. અજ્ઞાની હતાં. બાબા મૂળ વાત સમજાવે છે કે બાબા છે સ્વદર્શન ચક્રધારી, એમને જ્ઞાનનાં સાગર કહેવાય છે. એ સત્ય છે, ચૈતન્ય છે. આપ બાળકોને વારસો આપી રહ્યાં છે. બાબા બાળકો ને સમજાવે છે, આપસમાં લડો-ઝઘડો નહીં. લૂણપાની નહીં બનો. સદૈવ હર્ષિત રહેવાનું છે અને બધાને બાપ નો પરિચય આપવાનો છે. બાપ ને જ બધાં ભૂલેલાં છે. હવે બાપ કહે છે મામેકમ યાદ કરો. નિરાકાર ભગવાનુવાચ-નિરાકારી આત્માઓ પ્રતિ. અસલ તમે નિરાકાર છો પછી સાકારી બનો છો. સાકાર વગર તો આત્મા કંઇ કરી જ નથી શકતી. આત્મા શરીર થી નીકળી જાય છે તો ચુરપુર (હલચલ) કાંઈ પણ થઇ નથી શકતી. આત્મા તરત જઈને બીજા શરીરમાં પોતાનો પાર્ટ ભજવે છે. આ વાતો ને સારી રીતે સમજો, અંદર ઘોટતા રહો. આપણે આત્મા બાબા થી વારસો લઈએ છીએ. વારસો મળે છે સતયુગ નો. જરુર બાપે જ ભારતને વારસો આપ્યું હશે. ક્યારે વારસો આપ્યો પછી શું થયું? આ મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી. હમણાં બાપ બધું બતાવે છે. આપ બાળકોને જ સ્વદર્શન ચક્રધારી બનાવ્યાં છે, પછી તમે ૮૪ જન્મ ભોગવ્યાં. હવે ફરી હું આવ્યો છું, કેટલું સહજ સમજાવતો રહું છું. બાપ ને યાદ કરો અને મીઠા બનો. લક્ષ્ય અને હેતુ સામે ઉભું છે. બાપ વકીલો નો વકીલ છે, બધાં ઝઘડાઓથી છોડાવી દે છે. આપ બાળકોને આંતરિક ખુશી ખુબ હોવી જોઈએ. આપણે બાબાનાં બાળક બન્યાં છીએ. બાપે આપણને એડોપ્ટ કર્યા છે વારસો આપવાં. અહીંયા તમે આવો જ છો વારસો લેવાં. બાપ કહે છે બાળ-બચ્ચા વગેરે જોતા બુદ્ધિ બાપ અને રાજધાની તરફ રહે. ભણતર કેટલું સહજ છે. બાપ જે તમને વિશ્વનાં માલિક બનાવે છે, એમને તમે ભૂલી જાઓ છો. પહેલાં પોતાને આત્મા જરુર સમજો. આ જ્ઞાન બાપ સંગમ પર જ આપે છે કારણ કે સંગમ પર જ તમારે પતિત થી પાવન બનવાનું છે. અચ્છા!

મીઠા-મીઠા રુહાની બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુલ ભૂષણ, આ દેવતાઓથી પણ ઊંચ કુળ છે. તમે ભારતની ખુબ ઉંચી સેવા કરો છો. હમણાં ફરી તમે પૂજ્ય બની જશો. હવે પુજારી ને પૂજ્ય, કોડી થી હીરા જેવાં બનાવી રહ્યાં છે. આવાં રુહાની બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર હવે દરેક કર્મ શ્રેષ્ઠ કરવાનાં છે, કોઈને પણ દુઃખ નથી આપવાનું, દૈવીગુણ ધારણ કરવાનાં છે. બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર જ ચાલવાનું છે.

2. સદૈવ હર્ષિત રહેવાનાં માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે, ક્યારેય લૂણપાની નથી બનવાનું. બધાને બાપ નો પરિચય આપવાનો છે. ખુબ-ખુબ મીઠા બનવાનું છે.

વરદાન :-
સદા સુખો નાં સાગર માં લવલીન રહેવાવાળા અંતર્મુખી ભવ

કહેવાય છે અંતર્મુખી સદા સુખી. જે બાળકો સદા અંતર્મુખી ભવ નું વરદાન પ્રાપ્ત કરી લે છે તે બાપ સમાન સદા સુખનાં સાગર માં લવલીન રહે છે. સુખદાતા નાં બાળકો સ્વયં પણ સુખદાતા બની જાય છે. સર્વ આત્માઓ ને સુખ નો જ ખજાનો વહેંચે છે. તો હવે અંતર્મુખી બની એવી સંપન્ન મૂર્તિ બની જાઓ જે તમારી પાસે કોઈ પણ કેવી પણ ભાવના થી આવે, પોતાની ભાવના સંપન્ન કરી ને જાય. જેમ બાપ નાં ખજાના માં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી, તેમ તમે પણ બાપ સમાન ભરપૂર બનો.

સ્લોગન :-
રુહાની શાન માં રહો તો ક્યારે પણ અભિમાન ની ફીલિંગ નહીં આવે.