29-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
અવિનાશી જ્ઞાન રત્ન ધારણ કરી હવે તમારે ફકીર થી અમીર બનવાનું છે , તમે આત્મા છો રુપ
- વસંત ”
પ્રશ્ન :-
કઈ શુભ ભાવના
રાખી પુરુષાર્થ માં સદા તત્પર રહેવાનું છે?
ઉત્તર :-
સદા આ જ શુભ ભાવના રાખવાની છે કે આપણે આત્મા સતોપ્રધાન હતી, આપણે જ બાપ થી શક્તિ નો
વારસો લીધો હતો હવે ફરીથી લઈ રહ્યાં છીએ. આ જ શુભ ભાવના થી પુરુષાર્થ કરી સતોપ્રધાન
બનવાનું છે. એવું નથી વિચારવાનું કે બધાં સતોપ્રધાન થોડી બનશે. ના, યાદ ની યાત્રા
પર રહેવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે, સર્વિસ (સેવા) થી તાકાત લેવાની છે.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે ……..
ઓમ શાંતિ!
આ છે ભણતર.
દરેક વાત સમજવાની છે બીજા જે પણ સતસંગ વગેરે છે, તે બધાં છે ભક્તિનાં. ભક્તિ
કરતાં-કરતાં બેગર (કંગાળ) બની ગયાં છો. તે બેગર્સ ફકીર બીજા છે, તમે બીજા પ્રકાર
નાં બેગર્સ છો. તમે અમીર હતાંં, હમણાં ફકીર બન્યાં છો. આ કોઈને પણ ખબર નથી કે આપણે
અમીર હતાંં, તમે બ્રાહ્મણ જાણો છો - આપણે વિશ્વનાં માલિક અમીર હતાંં. અમીરચંદ થી
ફકીરચંદ બન્યાં છે. હવે આ છે ભણતર, જેને સારી રીતે ભણવાનું છે, ધારણ કરવાનું છે અને
ધારણ કરાવવાની કોશિશ કરવાની છે. અવિનાશી જ્ઞાન રત્ન ધારણ કરવાનાં છે. આત્મા રુપ
વસંત છે ને. આત્મા જ ધારણ કરે છે, શરીર તો વિનાશી છે. કામની જે વસ્તુ નથી હોતી, તેને
બાળવામાં આવે છે. શરીર પણ કામનું નથી રહેતું તો તેને આગમાં બાળે છે. આત્માને તો નથી
બાળતાં. આપણે આત્મા છીએ, જ્યાર થી રાવણ રાજ્ય થયું છે તો મનુષ્ય દેહ-અભિમાન માં આવી
ગયાં છે. હું શરીર છું, આ પાક્કું થઇ જાય છે. આત્મા તો અમર છે. અમરનાથ બાપ આવીને
આત્માઓને અમર બનાવે છે. ત્યાં તો પોતાનાં સમય પર પોતાની મરજી થી એક શરીર છોડી બીજું
લે છે કારણ કે આત્મા માલિક છે. જ્યારે ઈચ્છે શરીર છોડે. ત્યાં શરીર ની આયુ મોટી હોય
છે. સાપ નું દૃષ્ટાંત છે. હમણાં તમે જાણો છો આ તમારા અનેક જન્મોનાં અંત નાં જન્મ ની
જૂની ખાલ છે. ૮૪ જન્મ પૂરા લીધાં છે. કોઈ નાં ૬૦-૭૦ જન્મ પણ છે, કોઈ નાં ૫૦ છે,
ત્રેતામાં જરુર આયુ કંઈ ને કંઈ ઓછી થઈ જાય છે. સતયુગ માં ફુલ (પૂરી) આયુ હોય છે. હવે
પુરુષાર્થ કરવાનો છે કે અમે પહેલાં-પહેલાં સતયુગમાં આવીએ ત્યાં તાકાત રહે છે તો
અકાળે મૃત્યુ નથી થતી. તાકાત ઓછી થાય છે તો પછી આયુ પણ ઓછી થઈ જાય છે. હવે જેમ બાપ
સર્વ શક્તિમાન છે, તમારી આત્માને પણ શક્તિવાન બનાવે છે. એક તો પવિત્ર બનવાનું છે અને
યાદ માં રહેવાનું છે ત્યારે શક્તિ મળે છે. બાપ થી શક્તિ નો વારસો લો છો. પાપા આત્મા
તો શક્તિ લઈ ન શકે. પુણ્ય આત્મા બને છે તો શક્તિ મળે છે. આ ખ્યાલ કરો-અમારી આત્મા
સતોપ્રધાન હતી. હંમેશા શુભ ભાવના રાખવી જોઈએ. એવું નહીં કે બધાં થોડી સતોપ્રધાન હશે.
કોઈ તો સતો પણ હશે ને. નહીં, પોતાને સમજવું જોઈએ અમે પહેલાં-પહેલાં સતોપ્રધાન હતાંં.
નિશ્ચય થી જ સતોપ્રધાન બનશો. એવું નહીં કે અમે કેવી રીતે સતોપ્રધાન બની શકશું. પછી
ખસી જાય છે. યાદ ની યાત્રા પર નથી રહેતાં. જેટલું થઈ શકે પુરુષાર્થ કરવો જોઈએ. સ્વયં
ને આત્મા સમજી સતોપ્રધાન બનવાનું છે. આ સમયે બધાં મનુષ્ય માત્ર તમોપ્રધાન છે. તમારી
આત્મા પણ તમોપ્રધાન છે. આત્માને હવે સતોપ્રધાન બનવાનું છે બાપની યાદ થી. સાથે-સાથે
સર્વિસ પણ કરશો તો તાકાત મળશે. સમજો કોઈ સેવાકેન્દ્ર ખોલે છે તો અનેકોનાં આશીર્વાદ
તેમનાં માથા પર આવશે. મનુષ્ય ધર્મશાળા બનાવે છે કે કોઈ પણ આવે વિશ્રામ પામે. આત્મા
ખુશ થશે ને. રહેવાવાળાને આરામ મળે છે. તો તેનાં આશીર્વાદ બનાવવા વાળા ને મળે છે. પછી
પરિણામ શું થશે? બીજા જન્મ માં તે સુખી રહેશે. મકાન સારું મળશે. મકાન નું સુખ મળશે.
એવું નહીં કે ક્યારેય બીમાર નહીં થશે. ફક્ત મકાન સારું મળશે. હોસ્પિટલ ખોલી હશે તો
તંદુરસ્તી સારી રહેશે. યુનિવર્સિટી ખોલી હશે તો ભણતર સારું રહેશે. સ્વર્ગ માં તો આ
હોસ્પિટલ વગેરે હોતી નથી. અહીંયા તમે પુરુષાર્થ થી ૨૧ જન્મો નાં માટે પ્રાલબ્ધ બનાવો
છો. બાકી ત્યાં હોસ્પિટલ, કોર્ટ, પોલીસ વગેરે કાંઈ નહીં હશે. હમણાં તમે ચાલો છો
સુખધામ માં. ત્યાં વજીર પણ હોતાં નથી. ઊંચેથી ઊંચા પોતે મહારાજા-મહારાણી, તે વજીર
ની સલાહ થોડી લેશે. સલાહ ત્યારે મળે છે જ્યારે બેઅક્કલ બને છે, જ્યારે વિકારો માં
પડે છે. રાવણ રાજ્ય માં બિલકુલ જ બેઅક્કલ તુચ્છબુદ્ધિ બની જાય છે એટલે વિનાશ નો
રસ્તો શોધતાં રહે છે. સ્વયં સમજે છે અમે વિશ્વ ને ખુબ ઉંચ બનાવીએ છીએ પરંતુ તે ખુબ
જ નીચે પડતા જાય છે. હવે વિનાશ સામે ઉભો છે.
આપ બાળકો જાણો છો આપણે ઘરે જવાનું છે. આપણે ભારતની સેવા કરી દૈવી રાજ્ય સ્થાપન કરીએ
છીએ. પછી આપણે રાજ્ય કરીશું. ગવાય પણ છે ફોલો ફાધર (બાપનું અનુસરણ કરો). ફાધર શોઝ
સન, સન શોઝ ફાધર. બાળકો જાણે છે-આ સમયે શિવબાબા બ્રહ્માનાં તન માં આવીને અમને ભણાવે
છે. સમજાવવાનું પણ આવી રીતે છે. અમે બ્રહ્માને ભગવાન કે દેવતા વગેરે નથી માનતાં. આ
તો પતિત હતાંં, બાપે પતિત શરીર માં પ્રવેશ કર્યો છે. ઝાડ માં જુઓ ઉપર માં ચોટી માં
ઉભાં છે ને. પતિત છે પછી નીચે પાવન બનવા માટે તપસ્યા કરી પછી દેવતા બને છે. તપસ્યા
કરવા વાળા છે બ્રાહ્મણ. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ બધાં રાજ્યોગ શીખી રહ્યાં છો.
કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. આમાં યોગ ખુબ સારો જોઈએ. યાદમાં નહીં રહેશે તો મુરલી
માં પણ તે તાકાત નહીં રહેશે. તાકાત મળે છે શિવબાબાની યાદ માં. યાદ થી જ સતોપ્રધાન
બનશે નહીં તો સજાઓ ખાઈને પછી ઓછું પદ પામી લેશે. મૂળ વાત છે યાદ ની, જેને જ ભારતનો
પ્રાચીન યોગ કહેવાય છે. નોલેજ ની કોઈને ખબર નથી. પહેલાં નાં ઋષિ-મુનિ કહેતા
હતાંં-રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને અમે નથી જાણતાં. તમે પણ પહેલાંં કંઈ
નહોતાં જાણતાં. આ ૫ વિકારોએ જ તમને બિલકુલ વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવ્યાંં
છે. હવે આ જૂની દુનિયા બળીને બિલકુલ ખતમ થઈ જવાની છે. કાંઈ પણ રહેવાનું નથી. તમે બધાં
નંબરવાર પુરુષાર્થ અનુસાર ભારતને સ્વર્ગ બનાવવાની તન-મન-ધન થી સેવા કરો છો.
પ્રદર્શની માં પણ તમને પૂછે છે તો બોલો અમે બી.કે. પોતાનાં જ તન-મન-ધન થી શ્રીમત પર
સેવા કરી રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ગાંધીજી તો એવું નહોતાં કહેતાં કે શ્રીમત
પર અમે રામરાજ્ય સ્થાપન કરીએ છીએ. અહીંયા તો આમનામાં શ્રી શ્રી ૧૦૮, બાપ બેઠાં છે.
૧૦૮ ની માળા પણ બનાવે છે. માળા તો મોટી બને છે. એમાં ૮-૧૦૮ સારી મહેનત કરે છે.
નંબરવાર તો ઘણાં છે, જે સારી મહેનત કરે છે. રુદ્ર યજ્ઞ હોય છે તો સાલિગ્રામો ની પણ
પૂજા થાય છે. જરુર કંઈક સર્વિસ કરી છે ત્યારે તો પૂજા થાય છે. તમે બ્રાહ્મણ રુહાની
સેવાધારી છો. બધાની આત્માઓને જગાડવા વાળા છો. હું આત્મા છું, આ ભૂલવાથી દેહ-અભિમાન
આવી જાય છે. સમજે છે હું ફલાણો છું. કોઈને પણ આ ખબર થોડી છે-હું આત્મા છું, ફલાણું
નામ તો આ શરીર નું છે. આપણે આત્મા ક્યાંથી આવીએ છીએ-આ જરા પણ કોઇને ખ્યાલ નથી.
અહીંયા પાર્ટ ભજવતા-ભજવતા શરીર નું ભાન પાક્કું થઈ ગયું છે. બાપ સમજાવે છે-બાળકો,
હવે ગફલત છોડો. માયા ખુબ જબરજસ્ત છે, તમે યુદ્ધ નાં મેદાનમાં છો. તમે આત્મ-અભિમાની
બનો. આત્માઓ અને પરમાત્માનો આ મેળો છે. ગાયન છે આત્મા-પરમાત્મા અલગ રહે બહુકાલ. આનો
પણ અર્થ તે નથી જાણતાં. તમે હમણાં જાણો છો-આપણે આત્માઓ બાપની સાથે રહેવાવાળી છીએ.
તે આત્માઓનું ઘર છે ને. બાપ પણ ત્યાં છે, એમનું નામ છે શિવ. શિવ જયંતી પણ ગવાય છે,
બીજું કોઈ નામ આપવું જ ન જોઈએ. બાપ કહે છે-મારું અસલી નામ છે કલ્યાણકારી શિવ.
કલ્યાણકારી રુદ્ર નહીં કહેશે. કલ્યાણકારી શિવ કહે છે. કાશીમાં પણ શિવનું મંદિર છે
ને. ત્યાં જઈને સાધુ લોકો મંત્ર જપે છે. શિવ કાશી વિશ્વનાથ ગંગા. હવે બાપ સમજાવે છે
શિવ જે કાશી નાં મંદિર માં બેસાડ્યાં છે, એમને કહે છે - વિશ્વનાથ. હવે હું તો
વિશ્વ-નાથ નથી. વિશ્વનાં નાથ તમે બનો છો. હું બનતો જ નથી. બ્રહ્મ તત્વ નાં નાથ પણ
તમે બનો છો. તમારું એ ઘર છે. તે રાજધાની છે. મારું ઘર તો એક જ બ્રહ્મ તત્વ છે. હું
સ્વર્ગમાં આવતો નથી. ન હું નાથ બનું છું. મને કહે જ છે શિવબાબા. મારો પાર્ટ જ છે
પતિતો ને પાવન બનાવવાનો. સિક્ખ લોકો પણ કહે છે મૂત પલીતી કપડ ધોયે….પરંતુ અર્થ નથી
સમજતાં. મહિમા પણ ગાએ છે એકોઅંકાર…...અજોની એટલે જન્મ-મરણ રહિત. હું તો ૮૪ જન્મ લેતો
નથી. હું આમનામાં પ્રવેશ કરું છું. મનુષ્ય ૮૪ જન્મ લે છે. આમની આત્મા જાણે છે-બાબા
મારી સાથે ભેગાં બેઠેલાં છે તો પણ ઘડી-ઘડી યાદ ભૂલી જાય છે. આ દાદા ની આત્મા કહે છે
મારે બહુજ મહેનત કરવી પડે છે. એવું નથી કે મારી સાથે બેઠાં છે તો યાદ સારી રહે છે.
ના. એકદમ સાથે છીએ. જાણું છું મારી પાસે છે. આ શરીરનાં જેમ એ માલિક છે. છતાં પણ ભૂલી
જાઉં છું. બાબાને આ (શરીર) મકાન આપ્યું છે રહેવા માટે. બાકી એક ખૂણામાં હું બેઠો
છું. મોટાં માણસ થયાં ને. વિચાર કરું છું, બાજુમાં માલિક બેઠાં છે. આ રથ એમનો છે. એ
આની સંભાળ કરે છે. મને શિવબાબા ખવડાવે પણ છે. હું એમનો રથ છું. કંઈક તો ખાતરી કરશે.
આ ખુશીમાં ખાવું છું. બે-ચાર મિનિટ પછી ભૂલી જાઉં છું, ત્યારે સમજુ છું બાળકોને
કેટલી મહેનત થશે એટલે બાબા સમજાવતાં રહે છે-જેટલું થઈ શકે બાપ ને યાદ કરો. ખુબ-ખુબ
ફાયદો છે. અહીંયા તો થોડી વાતમાં હેરાન થઈ જાય છે પછી ભણવાનું છોડી દે છે. બાબા-બાબા
કહી ફારકતી આપી દે છે. બાપ ને પોતાની બનાવન્તી, જ્ઞાન સુનાવન્તી, પશન્તી, દિવ્ય
દૃષ્ટી થી સ્વર્ગ દેખન્તી, રાસ કરન્તી, ઓહો મમ માયા મને ફારકતી દેવન્તી, ભાગન્તી.
જે વિશ્વનાં માલિક બનાવે એમને ફારકતી આપી દે છે. મોટાં-મોટાં નામીગ્રામી પણ ફારકતી
આપી દે છે.
હમણાં તમને રસ્તો બતાવાય છે. એવું નહીં કે હાથ થી પકડીને લઈ જશે. આ આંખો થી તો આંધળા
નથી. હાં જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને મળે છે. તમે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણો
છો. આ ૮૪ નું ચક્ર બુદ્ધિ માં ફરવું જોઈએ. તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી. એક બાપ
ને જ યાદ કરવાનાં છે. બીજા કોઈની યાદ ન રહે. અંત માં આ અવસ્થા રહે. જેમ સ્ત્રી નો
પુરુષ થી પ્રેમ રહે છે. તેમનો છે શારીરિક પ્રેમ, અહીંયા તમારો છે રુહાની પ્રેમ.
તમારે ઉઠતાં-બેસતાં, પતિઓનાં પતિ, બાપો નાં બાપ ને યાદ કરવાનાં છે. દુનિયામાં એવાં
ઘણાં ઘર છે જ્યાં સ્ત્રી-પુરુષ તથા પરિવાર આપસ માં ખુબ પ્ર્રેમ થી રહે છે. ઘર માં
જેમ સ્વર્ગ લાગે છે. ૫-૬ બાળકો એકસાથે રહે, સવારનાં જલ્દી ઉઠી પૂજામાં બેસે, કોઈ
ઝઘડો વગેરે ઘર માં નહીં. એકરસ રહે છે. ક્યાંક તો પછી એક જ ઘરમાં કોઈ રાધાસ્વામી નાં
શિષ્ય હશે તો કોઈ પછી ધર્મને જ નથી માનતાં. થોડી વાત પર નારાજ થઈ જાય. તો બાપ કહે
છે-આ અંતિમ જન્મ માં પૂરો પુરુષાર્થ કરવાનો છે. પોતાનાં પૈસા પણ સફળ કરી પોતાનું
કલ્યાણ કરો. તો ભારત નું પણ કલ્યાણ થશે. તમે જાણો છો-આપણે પોતાની રાજધાની શ્રીમત પર
ફરીથી સ્થાપન કરીએ છીએ. યાદની યાત્રા થી અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણવાથી આપણે
ચક્રવર્તી રાજા બની જઈશું પછી ઉતરવાનું શરું થશે. પછી અંતમાં બાબાની પાસે આવી જઈશું.
શ્રીમત પર ચાલવાથી જ ઉંચ પદ પામશું. બાપ કોઈ ફાંસી પર નથી ચઢાવતાં. એક તો કહે છે
પવિત્ર બનો અને બાપ ને યાદ કરો. સતયુગ માં પતિત કોઈ હોતું નથી. દેવી-દેવતાઓ પણ ખુબ
થોડાં હોય છે. પછી ધીરે-ધીરે વૃદ્ધિ થાય છે. દેવતાઓનું છે નાનું ઝાડ. પછી કેટલી
વૃદ્ધિ થઈ જાય છે. આત્માઓ બધી આવતી રહે છે, આ બન્યો-બનાવેલ ખેલ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
સેવાધારી બની આત્માઓને જગાડવાની સેવા કરવાની છે. તન-મન-ધન થી સેવા કરી શ્રીમત પર
રામરાજ્ય ની સ્થાપના નાં નિમિત્ત બનવાનું છે.
2. સ્વદર્શન ચક્રધારી બની ૮૪ નું ચક્ર બુદ્ધિ માં ફરાવવાનું છે. એક બાપ ને જ યાદ
કરવાનાં છે. બીજા કોઈની યાદ ન રહે. ક્યારેય કોઈ વાત થી હેરાન થઈ ભણતર નથી છોડવાનું.
વરદાન :-
બાપ અને
પ્રાપ્તિ ની સ્મૃતિ થી સદા હિમ્મત - હુલ્લાસ માં રહેવા વાળા એકરસ , અચળ ભવ
બાપ દ્વારા જન્મ થી જ
જે પ્રાપ્તિઓ થઈ છે તેની લિસ્ટ સદા સામે રાખો. જ્યારે પ્રાપ્તિ અટલ, અચળ છે તો
હિમ્મત અને હુલ્લાસ પણ અચળ હોવો જોઈએ. અચળ નાં બદલે જો મન ક્યારેક ચંચળ થઈ જાય છે
અથવા સ્થિતિ ચંચળતા માં આવી જાય છે તો તેનું કારણ છે કે બાપ અને પ્રાપ્તિ ને સદા
સામે નથી રાખતાં. સર્વ પ્રાપ્તિઓનો અનુભવ સદા સામે અથવા સ્મૃતિ માં રહે તો બધાં
વિઘ્ન ખતમ થઇ જશે, સદા નવો ઉમંગ, નવો હુલ્લાસ રહેશે. સ્થિતિ એકરસ અને અચળ રહેશે.
સ્લોગન :-
કોઈ પણ પ્રકાર
ની સેવા માં સદા સંતુષ્ટ રહેવું જ સારા માર્ક્સ (ગુણાંક) લેવાં છે.