06-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સવારે - સવારે ઉઠી આ જ ચિંતન કરો કે હું આટલી નાની એવી આત્મા કેટલાં મોટા શરીરને ચલાવી રહી છું , મુજ આત્મા માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે ”

પ્રશ્ન :-
શિવબાબા ને કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) છે, કઈ નથી ?

ઉત્તર :-
આત્માને જ્ઞાનરત્નો થી શ્રુંગાર કરવાની પ્રેક્ટિસ શિવબાબા ને છે, બાકી શરીરનો શ્રુંગાર કરવાની પ્રેક્ટિસ એમને નથી કારણ કે બાબા કહે મને તો પોતાનું શરીર છે નહીં. હું આમનું શરીર ભલે ભાડા પર લઉં છું પરંતુ આ શરીરનો શૃંગાર આ (બ્રહ્મા બાબા) આત્મા સ્વયં કરે, હું નથી કરતો. હું તો સદા અશરીરી છું.

ગીત :-
બદલ જાય દુનિયા ન બદલેંગે હમ ………

ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત સાંભળ્યું. કોણે સંભળાવ્યું? આત્મા એ આ શરીર નાં કાન દ્વારા સાંભળ્યું. બાળકોને પણ આ ખબર પડી કે આત્મા કેટલી નાની છે. જો આત્મા આ શરીરમાં ન હોય તો શરીર કોઈ કામનું નથી રહેતું. કેટલી નાની આત્મા નાં આધાર પર આ કેટલું મોટું શરીર ચાલે છે. દુનિયામાં કોઈને પણ ખબર નથી કે આત્મા શું ચીજ છે જે આ રથ પર વિરાજમાન થાય છે. અકાળમૂર્ત આત્માનું આ તખ્ત છે. બાળકોને પણ આ જ્ઞાન મળે છે. કેટલું રમણીક, રહસ્ય યુક્ત છે. જ્યારે કોઈ એવી રહસ્ય યુક્ત વાત સંભળાય છે તો ચિંતન ચાલે છે. આપ બાળકોને પણ આ જ ચિંતન ચાલે છે - આટલી નાની એવી આત્મા છે આટલાં મોટા શરીર માં. આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. શરીર તો વિનાશ થઈ જાય છે. બાકી આત્મા રહે છે. આ ખુબ વિચારવાની વાતો છે. સવારે ઉઠીને આ ખ્યાલ કરવો જોઈએ. બાળકો ને સ્મૃતિ આવી છે આત્મા કેટલી નાની છે, તેને અવિનાશી પાર્ટ મળેલો છે. હું આત્મા કેટલી વન્ડરફુલ (અદ્દભુત) છું. આ નવું જ્ઞાન છે. જે દુનિયા માં કોઈને પણ નથી. બાપ જ આવીને બતાવે છે, જે સિમરણ કરવાનું હોય છે. આપણે કેટલી નાની એવી આત્મા કેવી રીતે પાર્ટ ભજવીએ છીએ. શરીર પાંચ તત્વો નું બને છે. બાબા ને થોડી ખબર પડે છે. શિવબાબા ની આત્મા કેવી રીતે આવે-જાય છે. એવું પણ નથી, સદૈવ આમનામાં રહે છે. તો આ જ ચિંતન કરવાનું છે. આપ બાળકોને બાપ એવું જ્ઞાન આપે છે જે ક્યારેય કોઈને મળી ન શકે. તમે જાણો છો બરાબર આ જ્ઞાન આમની આત્મામાં નહોતું. બીજા સતસંગો માં આવી-આવી વાતો પર કોઈનો ખ્યાલ નથી રહેતો. આત્મા અને પરમાત્મા નું રીંચક પણ જ્ઞાન નથી. કોઈ પણ સાધુ-સન્યાસી વગેરે આ થોડી સમજે છે કે અમે આત્મા શરીર દ્વારા આમને મંત્ર આપીએ છે. આત્મા શરીર દ્વારા શાસ્ત્ર વાંચે છે. એક પણ મનુષ્ય માત્ર આત્મ-અભિમાની નથી. આત્મા નું જ્ઞાન કોઈને છે નહીં, તો પછી બાપ નું જ્ઞાન કેવી રીતે હશે.

આપ બાળકો જાણો છો આપણને આત્માઓને બાપ કહે છે મીઠા-મીઠા બાળકો! તમે કેટલાં સમજદાર બની રહ્યાં છો. એવાં કોઈ મનુષ્ય નથી જે સમજે કે આ શરીરમાં જે આત્મા છે, એને પરમપિતા પરમાત્મા બેસી ને ભણાવે છે. કેટલી સમજવાની વાતો છે. છતાં પણ ધંધા વગેરેમાં જવાથી ભૂલી જાય છે. પહેલાં તો બાપ આત્માનું જ્ઞાન આપે છે જે કોઈ પણ મનુષ્ય માત્રને નથી. ગાયન પણ છે ને - આત્માઓ-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… હિસાબ છે ને. આપ બાળકો જાણો છો આત્મા જ બોલે છે શરીર દ્વારા. આત્મા જ શરીર દ્વારા સારા અથવા ખોટા કામ કરે છે. બાપ આવીને આત્માઓને કેટલાં ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. પહેલાં-પહેલાં તો બાપ કહે છે સવારે-સવારે ઉઠીને આ જ પ્રેક્ટિસ કે ખ્યાલ કરો કે આત્મા શું છે? જે આ શરીર દ્વારા સાંભળે છે. આત્માનાં બાપ પરમપિતા પરમાત્મા છે, જેમને પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહે છે. પછી કોઈ મનુષ્ય ને સુખ નાં સાગર, શાંતિ નાં સાગર, કેવી રીતે કહી શકાય. શું લક્ષ્મી-નારાયણ ને કહેશે સદૈવ પવિત્રતા નાં સાગર? ના. એક બાપ જ સદૈવ પવિત્રતા નાં સાગર છે. મનુષ્ય તો ફક્ત ભક્તિમાર્ગ નાં શાસ્ત્રોનું બેસીને વર્ણન કરે છે. પ્રેક્ટીકલ અનુભવ નથી. એવું નહીં સમજશે અમે આત્મા શરીર થી બાપની મહિમા કરીએ છીએ. એ અમારા ખુબ મીઠા બાબા છે. એ જ સુખ આપવા વાળા છે. બાપ કહે છે - હેં આત્માઓ, હવે મારી મત પર ચાલો. આ અવિનાશી આત્માને અવિનાશી બાપ દ્વારા અવિનાશી મત મળે છે. તે વિનાશી શરીરધારીઓને વિનાશી શરીરધારીઓની જ મત મળે છે. સતયુગમાં તો તમે અહીંયાની પ્રાલબ્ધ પામો છો. ત્યાં ક્યારેય ઉલટી મત મળતી જ નથી. હમણાં ની શ્રીમત જ અવિનાશી બની જાય છે, જે અડધોકલ્પ ચાલે છે. આ નવું જ્ઞાન છે, કેટલી બુદ્ધિ જોઈએ આને ગ્રહણ કરવાની. અને એક્ટ (કર્મ) માં આવવું જોઈએ. જેમણે શરુથી ખુબ ભક્તિ કરી હશે એ જ સારી રીતે ધારણ કરી શકશે. આ સમજવું જોઈએ - જો અમારી બુદ્ધિ માં ઠીક રીતે ધારણા નથી થતી, તો જરુર શરુ થી અમે ભક્તિ નથી કરી. બાપ કહે છે કાંઈ પણ નથી સમજતા તો બાપ થી પૂછો કારણ કે બાપ છે અવિનાશી સર્જન. એમને સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા) પણ કહેવાય છે. આત્મા પવિત્ર બને છે તો તેની મહિમા થાય છે. આત્મા ની મહિમા છે તો શરીરની પણ મહિમા થાય છે. આત્મા તમોપ્રધાન છે તો શરીર ની પણ મહિમા નથી. આ સમયે આપ બાળકોને ખુબ ગુહ્ય બુદ્ધિ મળે છે. આત્માને જ મળે છે. આત્માએ કેટલું મીઠું બનવું જોઈએ. સૌને સુખ આપવું જોઈએ. બાબા કેટલાં મીઠા છે. આત્માઓને પણ ખુબ મીઠી બનાવે છે. આત્મા કોઈ પણ અકર્તવ્ય કાર્ય ન કરે-આ પ્રેક્ટિસ કરવાની છે. ચેક કરવાનું છે કે મારાથી કોઈ અકર્તવ્ય તો નથી થતું? શિવબાબા ક્યારેય અકર્તવ્ય કાર્ય કરશે? ના. એ આવે જ છે ઉત્તમ થી ઉત્તમ કલ્યાણકારી કાર્ય કરવાં. સર્વને સદ્દગતિ આપે છે. તો જે બાપ કર્તવ્ય કરે છે, બાળકોએ પણ એવું કર્તવ્ય કરવું જોઈએ. આ પણ સમજાવ્યું છે, જેમણે શરુ થી લઈને ખુબ ભક્તિ કરી છે, તેમની બુદ્ધિ માં આ જ્ઞાન રહેશે. હમણાં પણ દેવતાઓનાં અનેક ભક્ત છે. પોતાનું માથું આપવા માટે પણ તૈયાર હોય છે. ખુબ ભક્તિ કરવા વાળાની પાછળ, ઓછી ભક્તિ કરવાવાળા લટકતા રહે. તેમની મહિમા ગાએ છે. તેમનું તો સ્થૂળમાં બધું જોવામાં આવે છે. અહીંયા તમે છો ગુપ્ત. તમારી બુદ્ધિ માં સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું બધું જ્ઞાન છે. આ પણ બાળકોને ખબર છે-બાબા આપણને ભણાવવા આવ્યાં છે. હવે ફરી આપણે ઘરે જઈશું. જ્યાં બધી આત્માઓ આવે છે, તે આપણું ઘર છે. ત્યાં શરીર જ નથી તો અવાજ કેવી રીતે થાય. આત્માનાં વગર શરીર જડ બની જાય છે. મનુષ્યનો શરીર માં કેટલો મોહ રહે છે! આત્મા શરીર થી નીકળી ગઈ તો બાકી ૫ તત્વ, તેનાં પર પણ કેટલો પ્રેમ રહે છે. સ્ત્રી પતિની ચિતા પર ચઢવા માટે તૈયાર થઈ જાય છે. કેટલો મોહ રહે છે શરીર માં. હમણાં તમે સમજો છો નષ્ટોમોહા થવાનું છે, આખી દુનિયા થી. આ શરીર તો ખતમ થવાનું છે. તો એનાથી મોહ નીકળી જવો જોઈએ ને. પરંતુ ખુબ મોહ રહે છે. બ્રાહ્મણો ને ખવડાવે છે. યાદ કરે છે ને- ફલાણા નું શ્રાદ્ધ છે. હવે તે થોડી ખાઈ શકે છે. આપ બાળકોએ તો હવે આ વાતો થી અલગ થઈ જવું જોઈએ ડ્રામા માં દરેક પોતાનો પાર્ટ ભજવે છે. આ સમયે તમને જ્ઞાન છે, આપણે નષ્ટોમોહા બનવાનું છે. મોહજીત રાજાની પણ વાર્તા છે ને બીજો કોઇ મોહજીત રાજા હોતો નથી. આ તો કથાઓ ખુબ બનાવી છે ને. ત્યાં અકાળે મૃત્યુ થતી નથી. તો પૂછવાની પણ વાત નથી રહેતી. આ સમય તમને મોહજીત બનાવે છે. સ્વર્ગમાં મોહજીત રાજાઓ હતાં, યથા રાજા રાણી તથા પ્રજા એવાં છે. તે છે જ નષ્ટોમોહા ની રાજધાની. રાવણ રાજ્ય માં મોહ હોય છે. ત્યાં તો વિકાર હોતો નથી, રાવણ રાજ્ય જ નથી. રાવણ ની રાજાઈ ચાલી જાય છે. રામરાજ્ય માં શું થાય છે, કાંઈ પણ ખબર નથી. સિવાય બાપનાં બીજું કોઈ આ વાતો બતાવી ન શકે. બાપ આ શરીરમાં આવતા પણ દેહી-અભિમાની છે. લોન કે ભાડા પર મકાન લે છે તો એમાં પણ મોહ રહે છે. મકાન ને સારી રીતે ફર્નિશ કરે છે, આમને તો ફર્નિશ કરવાનું નથી કારણ કે બાપ તો અશરીરી છે ને. એમને કોઈ પણ શ્રુંગાર વગેરે કરવાની પ્રેક્ટિસ જ નથી. એમને તો અવિનાશી જ્ઞાન રત્નો થી બાળકોને શ્રુંગારવાની જ પ્રેક્ટિસ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. શરીર તો અપવિત્ર જ છે, આમને જ્યારે બીજું નવું શરીર મળશે તો પવિત્ર હશે. આ સમયે તો આ જૂની દુનિયા છે, આ ખતમ થઈ જવાની છે. આ પણ દુનિયા માં કોઈને ખબર જ નથી. ધીરે- ધીરે ખબર પડશે. નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ - આ તો બાપ નું જ કામ છે. બાપ જ આવીને બ્રહ્મા દ્વારા પ્રજા રચી નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છે. તમે નવી દુનિયામાં છો? ના, નવી દુનિયા સ્થાપન થાય છે. તો બ્રાહ્મણો ની ચોટી પણ ઊંચી છે. બાબા એ સમજાવ્યું છે, બાબાનાં સન્મુખ આવો છો તો પહેલાં આ યાદ કરવાનું છે કે અમે ઈશ્વર બાપનાં સન્મુખ જઈએ છીએ. શિવબાબા તો નિરાકાર છે. એમનાં સન્મુખ અમે કેવી રીતે જઈએ. તો એ બાપ ને યાદ કરી પછી બાપનાં સન્મુખ આવવાનું છે. તમે જાણો છો એ આમાં બેઠેલાં છે. આ શરીર તો પતિત છે. શિવબાબા ની યાદમાં ન રહી કોઈ કામ કરો તો પાપ લાગી જાય છે. આપણે શિવબાબા ની પાસે જઈએ છીએ. પછી બીજા જન્મમાં બીજા સંબંધી હશે. ત્યાં દેવતાઓનાં ખોળામાં જઈશું. આ ઈશ્વરીય ખોળો એક જ વખત મળે છે. મુખ થી કહે છે બાબા અમે તમારા થઈ ચૂક્યાં. ઘણાં છે જેમણે ક્યારેય જોયા પણ નથી. બહાર રહે છે, લખે છે શિવબાબા અમે તમારા ખોળાનાં બાળકો થઈ ચૂક્યાં છીએ. બુદ્ધિ માં જ્ઞાન છે. આત્મા કહે છે - અમે શિવબાબા નાં બની ચૂક્યાં. આમનાં પહેલાં અમે પતિતનાં ખોળાનાં હતાં. ભવિષ્ય માં પવિત્ર દેવતાનાં ખોળામાં જઈશું. આ જન્મ દુર્લભ છે. હીરા જેવાં તમે અહીંયા સંગમયુગ પર બનો છો. સંગમયુગ કોઈ તે પાણીનાં સાગર અને નદીઓને નથી કહેવાતો. રાત દિવસનો ફર્ક છે. બ્રહ્મપુત્રા મોટાં માં મોટી નદી છે, જે સાગર માં મળે છે. નદીઓ જઈને સાગર માં મળે છે. તમે પણ સાગર થી નીકળેલી જ્ઞાન નદી છો. જ્ઞાન સાગર શિવબાબા છે. મોટેથી મોટી નદી છે બ્રહ્મપુત્રા. આમનું નામ છે બ્રહ્મા. સાગર થી આમનો કેટલો મેળ છે. તમને ખબર છે નદીઓ ક્યાંથી નીકળે છે. સાગર થી જ નીકળે છે, પછી સાગરમાં મળે છે. સાગર થી મીઠું પાણી ખેંચે છે. સાગર નાં બાળકો પછી સાગર માં જઈને મળે છે. તમે પણ જ્ઞાન સાગર થી નીકળેલી છો પછી બધાં ત્યાં ચાલ્યા જશે, જ્યાં એ રહે છે, ત્યાં તમે આત્માઓ પણ રહો છો. જ્ઞાનસાગર આવીને તમને પવિત્ર મીઠા બનાવે છે. આત્માઓ જે ખારી બની ગઈ છે તેમને મીઠા બનાવે છે. ૫ વિકારો રુપી છી-છી ખારાશ તમારા થી નીકળી જાય છે, તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ છો. બાપ પુરુષાર્થ ખુબ કરાવે છે. તમે કેટલા સતોપ્રધાન હતાં, સ્વર્ગ માં રહેતા હતાં. તમે બિલકુલ છી-છી બની ગયા છો. રાવણે તમને શું બનાવ્યાં છે. ભારતમાં જ ગવાય છે હીરા જેવો જન્મ અમોલક.

બાબા કહેતા રહે છે તમે કોડીઓ પાછળ કેમ હેરાન થાઓ છો. કોડીઓ પણ વધારે થોડી જોઈએ. ગરીબ ઝટ સમજી જાય છે. સાહૂકાર તો કહે છે હમણાં અમારે માટે અહીંયા જ સ્વર્ગ છે. આપ બાળકો જાણો છો - જે પણ મનુષ્ય માત્ર છે બધાનો આ સમયે કોડી જેવો જન્મ છે. આપણે પણ એવાં હતાં. હમણાં બાબા આપણને શું બનાવે છે. લક્ષ્ય અને હેતુ તો છે ને. આપણે નર થી નારાયણ બનીએ છીએ. ભારત હવે કોડી જેવો કંગાળ છે ને. ભારતવાસી પોતે થોડી જાણે છે. અહીંયા તમે કેટલી સાધારણ અબળાઓ છો. કોઈ મોટો માણસ હશે તો તેમને અહીંયા બેસવાનું દિલ નહીં થશે. જ્યાં મોટા-મોટા માણસો સન્યાસી ગુરુ વગેરે લોકો હશે ત્યાંની મોટી-મોટી સભાઓમાં જશે. બાબા પણ કહે છે હું ગરીબ નિવાઝ છું. કહે છે ભગવાન ગરીબોની રક્ષા કરે છે. હમણાં તમે જાણો છો-આપણે કેટલાં સાહૂકાર હતાં. હમણાં ફરી બનીએ છીએ. બાબા લખે પણ છે તમે પદમાપદમપતિ બનો છો. ત્યાં મારામારી નથી થતી. અહીંયા તો જુઓ પૈસાનાં પાછળ કેટલી મારામારી છે. રિશ્વત (લાંચ) કેટલી મળે છે. પૈસા તો મનુષ્યોને જોઈએ ને. આપ બાળકો જાણો છો બાબા આપણો ખજાનો ભરપૂર કરી દે છે. અડધાકલ્પ માટે જેટલું જોઈએ એટલું ઘન લો, પરંતુ પુરુષાર્થ પૂરો કરો. ગફલત નહીં કરો. કહેવાય છે ને ફોલો ફાધર (અનુસરણ કરો). ફાધર ને ફોલો કરો તો આ જઈને બનશો. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી, ખુબ ભારે પરીક્ષા છે. આમાં જરા પણ ગફલત ન કરવી જોઈએ. બાપ શ્રીમત આપે છે તો પછી તેનાં પર ચાલવાનું છે. કાયદા કાનુન નું ઉલ્લંઘન નથી કરવાનું. શ્રીમત થી જ તમે શ્રી બનો છો. મંઝિલ ખુબ મોટી છે. પોતાનું રોજ નું ખાતુ રાખો. કમાણી કરી કે નુકસાન કર્યું ? બાપ ને કેટલાં યાદ કર્યા? કેટલાને રસ્તો બતાવ્યો? આંધળાઓ ની લાઠી તમે છો ને. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવાં બાપ મીઠા છે, એવાં મીઠા બની બધાને સુખ આપવાનું છે. કોઈ પણ અકર્તવ્ય કાર્ય નથી કરવાનું. ઉત્તમ થી ઉત્તમ કલ્યાણનું જ કાર્ય કરવાનું છે.

2. કોડીઓ ની પાછળ હેરાન નથી થવાનું. પુરુષાર્થ કરી પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે. ગફલત નથી કરવાની.

વરદાન :-
ચેલેન્જ ( પડકાર ) અને પ્રેક્ટિકલ ની સમાનતા દ્વારા સ્વયં ને પાપો થી સેફ ( સુરક્ષિત ) રાખવા વાળા વિશ્વ સેવાધારી ભવ

આપ બાળકો જે ચેલેન્જ (પડકાર) કરો છો તે ચેલેન્જ અને પ્રેક્ટિકલ જીવનમાં સમાનતા હોય, નહીં તો પુણ્ય આત્માનાં બદલે બોજ વાળી આત્મા બની જશો. આ પાપ અને પુણ્ય ની ગતિ ને જાણીને સ્વયં ને સેફ રાખો કારણ કે સંકલ્પ માં પણ કોઈ પણ વિકાર ની કમજોરી, વ્યર્થ બોલ, વ્યર્થ ભાવના, ઘૃણા કે ઈર્ષા ની ભાવના પાપ નાં ખાતા ને વધારે છે એટલે પુણ્ય આત્મા ભવ નાં વરદાન દ્વારા સ્વયં ને સેફ રાખી વિશ્વ સેવાધારી બનો. સંગઠિત રુપ માં એકમત, એકરસ સ્થિતિનો અનુભવ કરાવો.

સ્લોગન :-
પવિત્રતા ની શમા (પ્રકાશ) ચારે બાજુ પ્રગટાવો તો બાપ ને સહજ જોઈ શકશે.