03-08-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમને સર્વિસની ખુબ ઉછળ આવવી જોઈએ , જ્ઞાન અને યોગ છે તો બીજાઓને પણ શીખવાડો , સર્વિસ ( સેવા ) ની વૃદ્ધિ કરો ”

પ્રશ્ન :-
સર્વિસ માં ઉછળ ન આવવાનું કારણ શું છે? કયા વિઘ્ન નાં કારણે ઉછળ નથી આવતી?

ઉત્તર :-
સૌથી મોટું વિઘ્ન છે ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ). આ બીમારી સર્વિસ માં ઉછળવા નથી દેતી. આ ખુબ જટિલ બીમારી છે. જો ક્રિમિનલ આંખ શીતળ નથી થઈ, ગૃહસ્થ વ્યવહાર માં બંને પૈડા ઠીક નથી ચાલતા તો ગૃહસ્થી નો બોજ થઈ જાય, પછી હલકા થઇ સર્વિસ માં ઉછળી નથી શકતાં.

ગીત :-
જાગ સજનીયા જાગ ………

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ આ ગીત સાંભળ્યું. આવાં-આવાં બે-ચાર સારા ગીત છે તે બધાની પાસે હોવા જોઈએ અથવા ટેપ માં ભરવા જોઇએ. હવે આ તો ગીત મનુષ્યોએ બનાવેલા કહેશું. ડ્રામા અનુસાર ટચ કરેલું હોય છે જે પછી બાળકોને કામ આવી જાય છે. આવાં-આવાં ગીત બાળકોને સાંભળવાથી નશો ચઢે છે. બાળકોને તો નશો ચઢેલો રહેવો જોઈએ કે હમણાં અમે નવી રાજાઈ સ્થાપન કરી રહ્યાં છીએ. રાવણ થી લઇ રહ્યાં છીએ. જેમ કોઇ લડે છે તો ખ્યાલ રહે છે ને-એમની રાજાઈ હપ (કબજો) કરી લઈએ. એમનું ગામ અમે પોતાનાં હાથમાં લઈએ. હવે તે બધાં હદનાં માટે લડે છે. આપ બાળકો ની લડાઈ છે માયા થી, જેની સિવાય આપ બ્રાહ્મણોનાં બીજા કોઈને ખબર નથી. તમે જાણો છો આપણે આ વિશ્વ પર ગુપ્ત રીતે રાજ્ય સ્થાપન કરવાનું છે અથવા બાપ થી વારસો લેવાનો છે. આને વાસ્તવ માં લડાઈ પણ નહીં કહીશું. ડ્રામા અનુસાર તમે જે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છો તે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમે પોતાનાં જન્મો ને નહોતા જાણતાં. હવે બાપે સમજાવ્યું છે. બીજા જે પણ ધર્મ છે તેમને આ નોલેજ મળવાની છે નહીં. બાપ આપ બાળકોને જ બેસી સમજાવે છે. ગવાય પણ છે કે ધર્મમાં જ તાકાત છે. ભારતવાસીઓને આ ખબર નથી કે આપણો ધર્મ કયો છે. તમને બાપ દ્વારા ખબર પડી છે કે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. બાપ આવીને પછી તમને એ ધર્મમાં ટ્રાન્સફર (બદલી) કરે છે. તમે જાણો છો આપણો ધર્મ કેટલો સુખ આપવા વાળો છે. તમારે કોઈ થી લડાઈ વગેરે નથી કરવાની. તમારે તો પોતાનાં સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે અને બાપ ને યાદ કરવાનાં છે, આમાં પણ સમય લાગે છે. એવું નથી કે ફક્ત કહેવાથી ટકી જઈએ છીએ. અંદરમાં આ સ્મૃતિ રહેવી જોઈએ - હું આત્મા શાંત સ્વરુપ છું. આપણે આત્મા હમણાં તમોપ્રધાન પતિત બન્યાં છીએ. આપણે આત્માઓ જ્યારે શાંતિધામ માં હતી તો પવિત્ર હતી, પછી પાર્ટ ભજવતા-ભજવતા તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી પવિત્ર બની આપણે પાછાં ઘરે જવાનું છે. બાપ થી વારસો લેવા માટે સ્વયં ને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરવાનાં છે. તમને નશો ચઢશે આપણે ઈશ્વરનાં સંતાન છીએ. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે. કેટલું સહજ છે - યાદ થી આપણે પવિત્ર બની પછી શાંતિધામ માં ચાલ્યા જઈશું. દુનિયા આ શાંતિધામ, સુખધામ ને પણ નથી જાણતી. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી, જ્ઞાન સાગર ની છે જ એક ગીતા, જેમાં ફક્ત નામ બદલી દીધું છે. સર્વનાં સદ્દગતિ દાતા, જ્ઞાનનાં સાગર એ પરમપિતા પરમાત્માને કહેવાય છે. બીજા કોઈને જ્ઞાનવાન કહી ન શકાય. જ્યારે એ જ્ઞાન આપે ત્યારે તમે જ્ઞાનવાન બનો. હમણાં બધાં છે ભક્તિવાન. તમે પણ હતાં. હવે ફરી જ્ઞાનવાન બનતા જઈ રહ્યાં છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ્ઞાન કોઈ માં છે, કોઈ માં નથી. તો શું કહેશો? તે હિસાબ થી ઊંચું પદ પામી ન શકે. બાપ સર્વિસનાં માટે કેટલું ઉછળે છે. બાળકોમાં પણ હજું એ તાકાત આવી નથી જે કોઈ ને સારી રીતે સમજાવે. એવી-એવી યુક્તિયો રચે. ભલે બાળકો મહેનત કરી કોન્ફરન્સ (સંમેલન) વગેરે કરી રહ્યાં છે, ગોપો માં કંઈક તાકાત છે, તેમને વિચાર રહે છે કે સંગઠન હોય, જેમાં યુક્તિઓ નીકાળીએ. સર્વિસ વૃદ્ધિ ને કેવી રીતે પામે? માથા મારી રહ્યાં છે. નામ ભલે શક્તિ સેના છે પરંતુ ભણેલી ગણેલી નથી. કોઈ પછી અભણ પણ ભણેલા-ગણેલા ને સારું ભણાવે છે. બાબા એ સમજાવ્યું છે ક્રિમિનલ આંખો ખુબ નુકસાન કરે છે. આ બીમારી ખુબજ જટિલ છે એટલે ઉછળતા નથી. તો બાબા પૂછે છે તમે યુગલ બંને પૈડા ઠીક ચાલી રહ્યાં છો? તે તરફ કેટલી મોટી-મોટી સેનાઓ છે, સ્ત્રીઓનું પણ ઝુંડ છે, ભણેલા ગણેલા છે. તેમને મદદ પણ મળે છે. તમે તો છો ગુપ્ત. કોઈ પણ નથી જાણતું કે આ બ્રહ્માકુમાર-કુમારીઓ શું કરે છે. તમારામાં પણ નંબરવાર છે. ગૃહસ્થ વ્યવહાર નો બોજો માથા પર રહેવાથી ઝૂકેલા છે. બ્રહ્માકુમાર-કુમારી કહેવાય છે પરંતુ તે ક્રિમિનલ આખો શીતળ થતી નથી. બંને પૈડા એક જેવા હોય ખુબ મુશ્કેલ છે. બાબા બાળકોને સર્વિસ કરાવવા માટે સમજાવતા રહે છે. કોઈ ધનવાન છે - તો પણ ઉછળતા નથી. ધન નાં ભૂખ્યાં છે, બાળક નહીં હોય તો પણ ખોળે (દત્તક) લે છે. ઉછળ નથી આવતી, બાબા અમે બેઠા છીએ. અમે મોટું મકાન લઈ ને આપીએ.

બાબાની નજર દિલ્હી પર વિશેષ છે કારણ કે દિલ્હી છે કેપિટલ (રાજધાની), હેડ ઓફિસ (મુખ્યાલય). બાબા કહે છે દિલ્હી માં વિશેષ સેવા નો ઘેરાવ નાખો. કોઈને સમજાવવા માટે અંદર ઘૂસવું જોઈએ. ગવાયેલું પણ છે કે પાંડવોને કૌરવો થી ૩ પગ પૃથ્વીનાં પણ નહોતાં મળતાં. આ કૌરવ અક્ષર તો ગીતાનાં છે. ભગવાને આવીને રાજયોગ શીખવાડયો, તેનું નામ ગીતા રાખ્યું છે. પરંતુ ગીતાનાં ભગવાનને ભૂલી ગયાં છે એટલે બાબા ઘડી-ઘડી કહેતા રહે છે મુખ્ય આ પોઇન્ટ (વાત) ને જ ઉઠાવવાનું છે. આગળ બાબા કહેતા હતાં બનારસનાં વિદુત મંડળી વાળા ને સમજાવો. બાબા યુક્તિઓ તો બતાવતા રહે છે. પછી સારી રીતે કોશિશ કરવાની છે. બાપ વારંવાર સમજાવતા રહે છે. નંબરવન દિલ્હીમાં યુક્તિ રચો. સંગઠન માં પણ આ વિચાર કરો. મૂળ વાત કે મોટો મેળો વગેરે દિલ્હીમાં કેવી રીતે કરાય. તે લોકો તો દિલ્હીમાં ખુબ જ ભૂખ હડતાલ વગેરે કરે છે. તમે તો એવું કોઈ કામ નથી કરતાં. લડવું-ઝઘડવું કાંઈ નહીં. તમે તો ફક્ત સૂતેલાં ને જગાડો છો. દિલ્હીવાળા ને જ મહેનત કરવાની છે. તમે તો જાણો છો આપણે બ્રહ્માંડનાં પણ માલિક પછી કલ્પ પહેલાં માફક સૃષ્ટિનાં પણ માલિક બનીશું. આ પાક્કું છે જરુર. વિશ્વનાં માલિક બનવાનું જ છે. હમણાં તમને ૩ પગ પૃથ્વીનાં પણ કેપિટલ (રાજધાની) માં જ જોઈએ, જેથી ત્યાં જ્ઞાનનાં ગોળા છોડીએ. નશો જોઈએ ને! મોટાઓનો અવાજ જોઈએ ને. આ સમયે ભારત આખું ગરીબ છે. ગરીબોની સેવા કરવા માટે જ બાપ આવે છે. દિલ્હીમાં તો ખુબ સારી સર્વિસ થવી જોઈએ. બાબા ઈશારો આપતા રહે છે. દિલ્હી વાળા સમજે છે બાબા અમારું અટેન્શન (ધ્યાન) ખેંચાવે છે. આપસમાં ક્ષીરખંડ થવું જોઈએ. પોતાનો પાંડવો નો કિલ્લો તો બનાવો. દિલ્હીમાં જ બનાવવો પડશે. આમાં દિમાગ ખુબ સારું જોઈએ. ઘણું બધું કરી શકો છો. તે લોકો ગાએ તો ખુબ જ છે ભારત અમારો દેશ છે, અમે આમ કરીશું. પરંતુ પોતાનામાં કાંઈ દમ નથી. સિવાય વિદેશની મદદ ઉઠી નથી શકતાં. તમને તો ખુબ મદદ મળી રહી છે બેહદનાં બાપ થી. આટલી મદદ કોઈ આપી ન શકે. હવે જલ્દી કિલ્લો બનાવવાનો છે. આપ બાળકોને બાપ વિશ્વની બાદશાહી આપે છે તો હોસલો ખુબ જોઈએ. ઝરમુઈ ઝગમુઈ માં અનેકોની બુદ્ધિ અટકી રહે છે. બંધનોની આફત છે માતાઓ પર.ભાઈઓ પર કોઈ બંધન નથી. માતાઓને અબળા કહેવાય છે. પુરુષ બળવાન હોય છે. પુરુષ લગ્ન કરે છે તો તેમને બળ અપાય છે - તમે જ ગુરુ ઈશ્વર બધું છો. સ્ત્રી તો જેમ પૂંછ છે. પાછળ માં લટકવા વાળી તો સાચે જ પુછડી થઈને જ લટકી પડે છે. પતિ માં મોહ, બાળકો માં મોહ, પુરુષો ને એટલો મોહ નથી રહેતો. તેમને તો એક જુત્તી ગઈ તો બીજી ત્રીજી લઈ લે છે. આદત પડી ગઈ છે. બાબા તો સમજાવતા રહે છે - આ-આ સમાચાર-પત્ર માં નાખો. બાળકોએ બાપનો શો (પ્રત્યક્ષ) કરવાનો છે. આ સમજાવવાનું તમારું કામ છે. બાબાની સાથે તો દાદા પણ છે. તો આ જઈ નથી શકતાં. કહેશે શિવબાબા આ બતાવો, આ અમારા ઉપર આફતો આવી છે, આમાં તમે સલાહ આપો. એવી-એવી વાતો પૂછે છે. બાપ તો આવ્યાં છે પતિતો ને પાવન બનાવવાં. બાપ કહે છે આપ બાળકો ને બધું નોલેજ મળે છે. કોશિશ કરી આપસમાં મળીને સલાહ કરો. આપ બાળકોએ હમણાં વિહંગ માર્ગની સેવા નો તમાશો દેખાડવો જોઈએ. કીડી માર્ગની સર્વિસ તો ચાલતી આવી રહી છે. પરંતુ એવો તમાશો દેખાડો જે અનેકોનું કલ્યાણ થઈ જાય. બાબાએ આ કલ્પ પહેલાં પણ સમજાવ્યું હતું, હમણાં પણ સમજાવે છે. અનેકોની બુદ્ધિ ક્યાંય ને ક્યાંય ફસાયેલી છે. ઉમંગ નથી. ઝટ દેહ-અભિમાન આવી જાય છે. દેહ-અભિમાને જ સત્યાનાશ કર્યું છે. હવે બાપ સત્યા ઉંચ કરવાની કેટલી સહજ વાત બતાવે છે. બાપ ને યાદ કરો તો શક્તિ આવે. નહીં તો શક્તિ આવતી નથી. ભલે સેવાકેન્દ્ર સંભાળે છે. પરંતુ નશો નથી કારણ કે દેહ-અભિમાન છે. દેહી-અભિમાની બને તો નશો ચઢે. આપણે કયા બાપનાં બાળકો છીએ. બાપ કહે છે જેટલાં તમે દેહી-અભિમાની થશો એટલું બળ આવશે. અડધોકલ્પ નો દેહ-અભિમાન નો નશો છે તો દેહી-અભિમાની બનવામાં ખુબ મહેનત લાગે છે. એવું નહીં બાબા જ્ઞાનનાં સાગર છે, અમે પણ જ્ઞાન ઉઠાવ્યું છે, અનેકોને સમજાવીએ છીએ પરંતુ યાદ નું જૌહર (બળ) પણ જોઈએ. જ્ઞાનની તલવાર છે. યાદની પછી યાત્રા છે. બંને અલગ વસ્તુ છે. જ્ઞાન માં યાદની યાત્રાનું જૌહર જોઈએ. તે નથી તો કાઠ ની તલવાર થઈ જાય છે. સિક્ખ લોકો તલવાર નું કેટલું માન રાખે છે. તે તો હિંસક હતી, જેનાથી લડાઈ કરી. વાસ્તવમાં ગુરુ લોકો લડાઈ થોડી કરી શકે છે. ગુરુ તો અહિંસક જોઈએ ને. લડાઇ થી થોડી સદ્દગતિ થાય છે. તમારી તો છે યોગ ની વાત. યાદનાં બળ વગર જ્ઞાન તલવાર કામ નહીં કરશે. ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) ખુબ નુકસાન કરવાવાળી છે. આત્મા કાનો થી સાંભળે છે. બાપ કહે છે તમે યાદમાં મસ્ત રહો તો સર્વિસ વધતી જશે. ક્યારેક-ક્યારેક કહે છે બાબા સંબંધી સાંભળતા નથી. બાબા કહે છે યાદની યાત્રા માં કાચાં છો એટલે જ્ઞાન તલવાર કામ નથી કરતી. યાદ ની મહેનત કરો. આ છે ગુપ્ત મહેનત. મુરલી ચલાવવી તો પ્રત્યક્ષ છે. યાદ જ ગુપ્ત મહેનત છે. જેનાથી શક્તિ મળે છે. જ્ઞાન થી શક્તિ નથી મળતી. તમે પતિત થી પાવન યાદનાં બળ થી બનો છો. કમાણી નો જ પુરુષાર્થ કરવાનો છે.

બાળકોને યાદ જ્યારે એકરસ રહે છે, અવસ્થા સારી છે તો ખુબ ખુશી રહે છે અને જ્યારે યાદ ઠીક નથી, કોઈ વાતમાં ઘુટકા ખાય છે તો ખુશી ગાયબ થઈ જાય છે. શું સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને શિક્ષક યાદ નહિં આવતા હશે. અહીંયા તો ઘરમાં રહેતા, બધુંજ કરતા શિક્ષક ને યાદ કરવાનાં છે. આ શિક્ષક થી તો ખુબ-ખુબ ઊંચું પદ મળે છે. ગૃહસ્થ વહેવાર માં પણ રહેવાનું છે. શિક્ષક ની યાદ રહે તો પણ બાપ અને ગુરુ જરુર યાદ આવશે. કેટલાં પ્રકાર થી સમજાવતા રહે છે. પરંતુ ઘરમાં પછી ધન-સંપત્તિ, બાળ-બચ્ચા વગેરે જોઈ ભૂલી જાય છે. સમજાવે તો ખુબ છે. તમારે રુહાની સર્વિસ કરવાની છે. બાપની યાદ જ છે ઊંચે થી ઊંચી સેવા. મનસા-વાચા-કર્મણા બુદ્ધિમાં બાપની યાદ રહે. મુખ થી પણ જ્ઞાન ની વાતો સંભળાવો. કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ અકર્તવ્ય નથી કરવાનું. પહેલી વાત અલફ ન સમજવાથી બીજું કંઈ પણ સમજશે નહીં. પહેલાં અલફ પાક્કું કરાવો ત્યાં સુધી આગળ વધવું ન જોઈએ. શિવબાબા રાજયોગ શીખવાડીને વિશ્વનાં માલિક બનાવે છે. આ છી-છી દુનિયામાં માયા નો શો (ભપકો) ખુબ છે. કેટલી ફેશન થઇ ગઇ છે. છી-છી દુનિયાથી નફરત આવવી જોઈએ. એક બાપને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે. પવિત્ર બની જશો. સમય વ્યર્થ નહીં કરો. સારી રીતે ધારણ કરો. માયા દુશ્મન અનેકોની અક્કલ ચટ કરી દે છે. કમાન્ડર ગફલત કરે છે તો તેમને ડિસમિસ (કાઢી મુકે) પણ કરે છે. ખુદ કમાન્ડરને પણ લજ્જા આવે છે પછી રીઝાઇન (રાજીનામું) પણ કરી દે છે. અહીંયા પણ એવું થાય છે. સારા-સારા કમાન્ડર્સ ક્યારેક ફાં થઈ જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદની ગુપ્ત મહેનત કરવાની છે. યાદની મસ્તી માં રહેવાથી સર્વિસ સ્વતઃ જ વધતી રહેશે. મનસા-વાચા-કર્મણા યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. મુખ થી જ્ઞાન ની જ વાતો સંભળાવવાની છે. કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ પણ અકર્તવ્ય નથી કરવાનું. દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે.

વરદાન :-
વિજયીપણા નાં નશા દ્વારા સદા હર્ષિત રહેવા વાળા સર્વ આકર્ષણો થી મુક્ત ભવ

વિજયી રત્નો નું યાદગાર-બાપનાં ગળાનો હાર આજ સુધી પૂજાય છે. તો સદા આ જ નશો રહે કે અમે બાબાનાં ગળાનો હાર વિજયી રત્ન છીએ, અમે વિશ્વનાં માલિકનાં બાળક છીએ. અમને જે મળ્યું છે તે કોઈને પણ મળી નથી શકતું-આ નશો અને ખુશી સ્થાઈ રહે તો કોઈ પણ પ્રકાર નાં આકર્ષણ થી પરે રહેશો. જે સદા વિજયી છે તે સદા હર્ષિત છે. એક બાપની યાદ નાં જ આકર્ષણ માં આકર્ષિત છે.

સ્લોગન :-
એક નાં અંત માં ખોવાઈ જવું અર્થાત્ એકાંતવાસી બનવું.