23-08-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 10.03.86
બાપદાદા મધુબન
“ બેફિકર બાદશાહ બનવાની
યુક્તિ ”
આજે બાપદાદા બેફિકર
બાદશાહોની સભા જોઈ રહ્યાં છે. આ રાજ્યસભા આખાં કલ્પમાં વિચિત્ર સભા છે. બાદશાહ તો
ઘણાં થયા છે પરંતુ બેફિકર બાદશાહ આ વિચિત્ર સભા આ સંગમયુગ પર જ થાય છે. આ બેફિકર
બાદશાહોની સભા સતયુગની રાજ્યસભા થી પણ શ્રેષ્ઠ છે કારણ કે ત્યાં તો ફિકર (ચિંતા) અને
ફખુર (નશો) બંને નાં અંતર નું જ્ઞાન ઈમર્જ (જાગૃત) નથી રહેતું. ફિકર શબ્દની ખબર નથી
હોતી. પરંતુ હમણાં જ્યારે કે આખી દુનિયા કોઈને કોઈ ફિકર માં છે - સવાર થી ઉઠતા
પોતાની, પરિવારની, કાર્ય વ્યવહારની, મિત્ર સંબંધીઓની કોઈ ને કોઈ ફિકર હશે પરંતુ આપ
સર્વ અમૃતવેલા થી બેફિકર બાદશાહ બની દિવસ આરંભ કરો અને બેફિકર બાદશાહ બની દરેક
કાર્ય કરો છો. બેફિકર બાદશાહ બની આરામની નીંદર કરો. સુખની નીંદર, શાંતિની નીંદર કરો
છો. એવાં બેફિકર બાદશાહ બની ગયાં. એવાં બન્યાં છો કે કોઈ ફિકર છે? બાપની ઉપર
જવાબદારી આપી દીધી તો બેફિકર થઈ ગયાં. પોતાનાં ઉપર જવાબદારી સમજવાથી ફિકર થાય છે.
જવાબદારી બાપની છે અને હું નિમિત્ત સેવાધારી છું. હું નિમિત્ત કર્મયોગી છું.
કરાવનહાર બાપ છે, નિમિત્ત કરનહાર હું છું. જો આ સ્મૃતિ દર સમયે સ્વતઃ જ રહે છે તો
સદા જ બેફિકર બાદશાહ છે. જો ભૂલ થી પણ કોઈ પણ વ્યર્થ ભાવ નો પોતાનાં ઉપર બોજ ઉઠાવી
લો છો તો તાજ નાં બદલે ફિકર નાં અનેક ટોકરા માથા પર આવી જાય છે. નહીં તો સદા લાઈટ
નાં તાજધારી બેફિકર બાદશાહ છો. બસ બાપ અને હું ત્રીજું ન કોઈ. આ અનુભૂતિ સહજ બેફિકર
બાદશાહ બનાવી દે છે. તો તાજધારી છો કે ટોકરાધારી છો? ટોકરા ઉઠાવવા અને તાજ પહેરવો
કેટલો ફર્ક થઈ ગયો. એક તાજધારી સામે ઉભો કરો અને એક બોજવાળો , ટોકરા વાળો ઉભો કરો
તો શું પસંદ આવશે! તાજ કે ટોકરો? અનેક જન્મોનાં અનેક બોજ નાં ટોકરા તો બાપ આવીને
ઉતારીને હલકા બનાવી દે. તો બેફિકર બાદશાહ અર્થાત્ સદા ડબલ લાઈટ રહેવા વાળા. જ્યાં
સુધી બાદશાહ નથી બન્યાં ત્યાં સુધી આ કર્મેન્દ્રિયો પણ પોતાનાં વશ માં નથી રહી શકતી.
રાજા બનો છો ત્યારે જ માયાજીત, કર્મેન્દ્રિય-જીત, પ્રકૃતિ જીત બનો છો. તો રાજ્ય
સભામાં બેઠા છો ને! અચ્છા-
આજે યુરોપ નો ટર્ન છે. યુરોપે સારો વિસ્તાર કર્યો છે. યુરોપે પોતાનાં પાડોશનાં દેશો
નો કલ્યાણ નો પ્લાન (યોજના) સારો બનાવ્યો છે. જેમ બાપ સદા કલ્યાણકારી છે તેમ બાળકો
પણ બાપ સમાન કલ્યાણ ની ભાવના રાખવા વાળા છે. હમણાં કોઈ ને પણ જોશો તો રહેમ આવે છે
ને કે આ પણ બાપનાં બની જાય. જુઓ બાપદાદા સ્થાપના નાં સમય થી લઈને વિદેશ નાં બધાં
બાળકોને કોઈ ન કોઈ રુપ થી યાદ કરતા રહે છે. અને બાપદાદાની યાદ થી સમય આવવા પર ચારે
બાજુનાં બાળકો પહોંચી ગયાં છે. પરંતુ બાપદાદાએ આહવાન ખુબ સમય થી કર્યુ છે. આહવાન
નાં કારણે તમે લોકો પણ ચુંબક ની જેમ આકર્ષિત થઈ પહોંચી ગયાં છો. એવું લાગે છે ને કે
ખબર નહીં કેવી રીતે અમે બાપનાં બની ગયાં. બની ગયાં આ તો સારું લાગે જ છે, પરંતુ શું
થઈ ગયું, કેવી રીતે થઈ ગયું આ ક્યારેક બેસીને વિચારો, ક્યાંથી ક્યાં આવીને પહોંચી
ગયાં છો, તો વિચારવા થી વિચિત્ર પણ લાગે છે ને! ડ્રામામાં નોંધ નોંધાયેલી હતી.
ડ્રામાની નોંધે બધાને ખૂણે-ખૂણા થી શોધીને એક પરિવાર માં પહોંચાડી દીધાં. હમણાં આજ
પરિવાર પોતાનો લાગવાનાં કારણે અતિ પ્રિય લાગે છે. બાપ પ્રિય થી પ્રિય છે તો તમે બધાં
પણ પ્રિય બની ગયાં છો. તમે પણ ઓછા નથી. તમે બધાં પણ બાપદાદાનાં સંગ નાં રંગમાં અતિ
પ્રિય બની ગયાં છો. કોઈને પણ જુઓ તો દરેક એક-બીજા થી પ્રિય લાગે છે. દરેક નાં ચહેરા
પર રુહાનીયત નો પ્રભાવ દેખાય છે. ફોરેનર્સ (વિદેશીઓ) ને મેકપ કરવો સારો ગમે છે! તો
આ ફરિશ્તાપણા નો મેકપ કરવાનું સ્થાન છે. આ મેકપ એવો છે જે ફરિશ્તા બની જાય છે. જેમ
મેકપ નાં પછી કોઈ કેવું પણ હોય પરંતુ બદલાઈ જાય છે ને. મેકપ થી ખુબ સુંદર લાગે છે.
તો અહીંયા પણ બધાં ચમકતા ફરિશ્તા લાગો છો કારણ કે રુહાની મેકપ કરી લીધો છે. તે મેકપ
માં તો નુકસાન પણ થાય છે. આમાં કોઈ નુકસાન નથી. તો બધાં જ ચમકતા સર્વનાં સ્નેહી
આત્માઓ છો ને. અહીંયા સ્નેહ નાં વગર બીજું કંઈ છે જ નહીં. ઉઠો તો પણ સ્નેહ થી ગુડ
મોર્નિંગ કરો, ખાઓ તો પણ સ્નેહ થી બ્રહ્મા ભોજન ખાઓ છો. ચાલો છો તો પણ સ્નેહ થી
બાપની સાથે હાથમાં હાથ મળાવી ને ચાલો છો ને! ફોરેનર્સ ને હાથમાં હાથ મળાવી ને ચાલવું
સારું ગમે છે ને. તો બાપદાદા પણ કહે છે કે સદા બાપનાં હાથ માં હાથ આપી પછી ચાલો.
એકલા નહી ચાલો. એકલાં ચાલશો તો ક્યારેક હતાશ થઈ જશો અને ક્યારેક કોઈની નજર પણ પડી
જશે. બાપની સાથે ચાલશો તો એક તો ક્યારેય પણ માયાની નજર નહીં પડશે અને બીજું સાથ
હોવાનાં કારણે સદા જ ખુશી-ખુશી થી મોજ થી ખાતાં-ચાલતાં મોજ મનાવતાં જશો. તો સાથી
બધાને પસંદ છે ને! કે બીજું કોઇ જોઈએ છે! બીજા કોઈ કમ્પેનિયન (સાથી) ની જરુર તો નથી
ને! ક્યારેક થોડું દિલ બહેલાવવા માટે કોઈ બીજું જોઈએ છે? દગો આપવાવાળા સબંધ થી છૂટી
ગયાં. તેમાં દગો પણ છે અને દુઃખ પણ છે. હવે એવાં સંબંધ માં આવી ગયાં ન ધોકો છે, ન
દુઃખ છે. બચી ગયાં. સદા નાં માટે બચી ગયાં. એવાં પાક્કા છો? કોઈ કાચ્ચા તો નથી? એવું
તો નહીં ત્યાં જઈને પત્ર લખશે કે શું કરીએ, કેવી રીતે કરીએ, માયા આવી ગઈ?
યુરોપ વાળાઓએ વિશેષ કઈ કમાલ કરી છે? બાપદાદા સદા જોતાં રહે છે કે બાપ જે કહે છે કે
દર વર્ષે બાપનાં આગળ ગુલદસ્તો લઈને આવજો, તે બાપનાં બોલ પ્રેક્ટીકલ (વ્યવહાર) માં
લાવવા માટે બધાએ સારું અટેન્શન (ધ્યાન) રાખ્યું છે. આ ઉમંગ સદા જ રહ્યો છે અને હમણાં
પણ છે કે દર વર્ષે નવાં-નવાં વિખૂટાં પડેલા બાપનાં બાળકો પોતાનાં ઘરમાં પહોંચે,
પોતાનાં પરિવારમાં પહોંચે. તો બાપદાદા જોઈ રહ્યાં છે કે યુરોપે પણ આ લક્ષ્ય રાખી ને
વૃદ્ધિ સારી કરી છે. તો બાપનાં મહાવાક્યો નું, આજ્ઞા નું પાલન કરવાવાળા આજ્ઞાકારી
કહેવાય છે અને જે આજ્ઞાકારી બાળકો હોય છે તેમનાં પર વિશેષ બાપનાં આશીર્વાદ સદા જ રહે
છે. આજ્ઞાકારી બાળકો સ્વતઃ જ આશીર્વાદ નાં પાત્ર આત્માઓ હોય છે. સમજ્યાં! થોડાંક
વર્ષ પહેલાં કેટલાં થોડાં હતાં પરંતુ દર વર્ષે વૃદ્ધિને પ્રાપ્ત કરતાં મોટેથી મોટો
પરિવાર બની ગયો. તો એક થી બે, બે થી ત્રણ હમણાં કેટલાં સેવાકેન્દ્ર થઈ ગયાં છે.
યુ.કે. તો અલગ મોટું છે જ, કનેક્શન (સંબંધ) તો બધાનો યુ.કે. થી છે જ કારણ કે વિદેશનું
ફાઉન્ડેશન (પાયો) તો એજ છે. કેટલી પણ શાખાઓ નીકળી જાય, ઝાડ વિસ્તાર ને પ્રાપ્ત કરતું
રહે પરંતુ કનેક્શન તો ફાઉન્ડેશન થી હોય જ છે. જો ફાઉન્ડેશન થી કનેક્શન ન રહે તો પછી
વિસ્તાર વૃદ્ધિ ને કેવી રીતે પ્રાપ્ત કરે. લન્ડન માં વિશેષ અનન્ય રત્નો ને નિમિત્ત
બનાવ્યાં કારણ કે ફાઉન્ડેશન છે ને. તો બધાં નું કનેક્શન ડાયરેક્શન (માર્ગદર્શન) સહજ
મળવાથી પુરુષાર્થ અને સેવા બંને માં સહજ થઈ જાય છે. બાપદાદા તો છે જ. બાપદાદાનાં
વગર તો એક સેકન્ડ પણ નથી ચાલી શકતાં, એવાં કમ્બાઇન્ડ છો. છતાં પણ સાકાર રુપ માં,
સેવા નાં સાધનો માં, સેવાનાં પ્રોગ્રામ્સ પ્લાનમાં અને સાથે-સાથે પોતાની સ્વ-ઉન્નતિ
નાં માટે પણ કોઈને પણ કોઈ પણ ડાયરેક્શન જોઈએ તો કનેક્શન રાખેલું છે. આ પણ નિમિત્ત
બનાવેલા માધ્યમ છે, જેનાથી સહજ જ હલ મળી શકે. ઘણી વખત એવાં માયાનાં તોફાન આવે છે જે
બુદ્ધિ ક્લિયર ન હોવાનાં કારણે બાપદાદાનાં ડાયરેક્શન ને, શક્તિ ને કેચ નથી કરી શકતાં.
એવાં સમય નાં માટે પછી સાકાર માધ્યમ નિમિત્ત બનાવેલાં છે. જેમને તમે લોકો કહો છો
દીદીઓ, દાદીઓ, આ નિમિત્ત છે, જેનાથી સમય વ્યર્થ ન જાય. બાકી બાપદાદા જાણે છે કે
હિમ્મત વાળા છે. ત્યાંથી જ નીકળીને અને ત્યાંજ સેવાનાં નિમિત્ત બની ગયાં છો તો
ચેરિટી બિગન્સ એટ હોમ નો પાઠ સારો પાક્કો કર્યો છે, ત્યાંનાં જ નિમિત્ત બની વૃદ્ધિને
પ્રાપ્ત કરાવવી આ ખુબ સારું છે. કલ્યાણની ભાવના થી આગળ વધી રહ્યાં છો. તો જ્યાં દૃઢ
સંકલ્પ છે ત્યાં સફળતા છે જ. કાંઈ પણ થઈ જાય પરંતુ સેવામાં સફળતા પામવાની જ છે - આ
શ્રેષ્ઠ સંકલ્પે આજે પ્રત્યક્ષ ફળ આપ્યું છે. હમણાં પોતાનાં શ્રેષ્ઠ પરિવાર ને જોઈ
વિશેષ ખુશી થાય છે અને વિશેષ પાંડવ જ શિક્ષક છે. શક્તિઓ સદા મદદગાર તો છે જ. પાંડવો
થી સદા સેવાની વિશેષ વૃદ્ધિ નું પ્રત્યક્ષફળ મળે છે. અને સેવા થી પણ વધારે
સેવાકેન્દ્ર ની રીમઝીમ, સેવાકેન્દ્ર ની રોનક શક્તિઓથી થાય છે. શક્તિઓની પોતાની
ભૂમિકા છે, પાંડવોની પોતાની ભૂમિકા છે એટલે બંને આવશ્યક છે. જે સેવાકેન્દ્ર પર ફક્ત
શક્તિઓ હોય અને પાંડવ નથી તો પાવરફુલ નથી હોતાં એટલે બંનેવ જ જરુરી છે. હમણાં તમે
લોકો જાગ્યા છો તો એકબીજા થી સહજ જ અનેક જાગતાં જશે. મહેનત અને સમય તો લાગ્યો પરંતુ
હમણાં સારી વૃદ્ધિ ને પામી રહ્યાં છો. દૃઢ સંકલ્પ ક્યારેય સફળ ન થાય, આ થઇ નથી શકતું.
આ પ્રેક્ટીકલ પ્રૂફ જોઈ રહ્યાં છે. જો થોડાં પણ દિલશિકસ્ત થઈ જાય કે અહીંયા તો થવાનું
જ નથી. તો પોતાનો થોડોક કમજોર સંકલ્પ સેવામાં પણ ફર્ક લઈ આવે છે. દૃઢતા નું પાણી ફળ
જલદી નીકાળે છે. દૃઢતા જ સફળતા લાવે છે.
“ પરમાત્મ દુવાઓ
લેવાની છે તો આજ્ઞાકારી બનો ” ( અવ્યક્ત મુરલીયો થી )
જેમ બાપે કહ્યું એવું કર્યુ, બાપ નું કહેવું અને બાળકોનું કરવું - આને કહે છે
નંબરવન આજ્ઞાકારી. બાપનાં દરેક ડાયરેક્શન ને, શ્રીમત ને યથાર્થ સમજી ને પાલન કરવું
- આને કહે છે આજ્ઞાકારી બનવું. શ્રીમત માં સંકલ્પ માત્ર પણ મનમત કે પરમત મિક્સ (ભેળસેળ)
ન હોય. બાપ ની આજ્ઞા છે ‘મુજ એક ને યાદ કરો’. જો આ આજ્ઞાનું પાલન કરે છે તો
આજ્ઞાકારી બાળકો ને બાપ ની દુઆઓ મળે છે અને બધું સહજ થઈ જાય છે.
બાપદાદાએ અમૃતવેલા થી લઈને રાત્રે સુવા સુધી મનસા-વાચા-કર્મણા અને સંબંધ-સંપર્ક માં
કેવી રીતે ચાલવાનું છે કે રહેવાનું છે - બધાં માટે શ્રીમત અર્થાત્ આજ્ઞા આપેલી છે.
દરેક કર્મ માં મન્સા ની સ્થિતિ કેવી હોય તેનું પણ ડાયરેક્શન કે આજ્ઞા મળેલી છે. તેજ
આજ્ઞા પ્રમાણે ચાલતાં ચાલો. આજ પરમાત્મા દુવાઓ પ્રાપ્ત કરવાનો આધાર છે. આ જ દુવાઓનાં
કારણે આજ્ઞાકારી બાળકો સદા ડબલ લાઈટ, ઉડતી કળા નો અનુભવ કરે છે. બાપદાદાની આજ્ઞા છે
- કોઈ પણ આત્માને ન દુઃખ આપો, ન દુઃખ લો. તો ઘણાં બાળકો દુઃખ આપતાં નથી, પરંતુ લઈ
લે છે. આ પણ વ્યર્થ સંકલ્પ ચાલવાનું કારણ બની જાય છે. કોઈ વ્યર્થ વાત સાંભળીને દુઃખી
થઈ ગયાં, આવી નાની-નાની અવજ્ઞાઓ પણ મન ને ભારે બનાવી દે છે અને ભારે થવાનાં કારણે
ઊંચી સ્થિતિ ની તરફ ઉડી નથી શકતાં.
બાપદાદાની આજ્ઞા મળેલી છે - બાળકો ન વ્યર્થ વિચારો, ન જુઓ, ન વ્યર્થ સાંભળો, ન
વ્યર્થ બોલો, ન વ્યર્થ કર્મ માં સમય ગુમાવો. તમે વિકર્મો થી તો પાર થઈ ગયાં. હવે એવાં
આજ્ઞાકારી ચરિત્ર નું ચિત્ર બનાવો તો પરમાત્મા દુવાઓનાં અધિકારી બની જશો. બાપ ની
આજ્ઞા છે બાળકો અમૃતવેલા વિધિપૂર્વક શક્તિશાળી યાદ માં રહો, દરેક કર્મ કર્મયોગી
બનીને, નિમિત્ત ભાવ થી, નિર્માણ બનીને કરો. એવી દૃષ્ટિ-વૃત્તિ બધાનાં માટે આજ્ઞા
મળેલી છે. જો તે આજ્ઞાઓનું વિધિપૂર્વક પાલન કરતા ચાલો તો સદા અતીન્દ્રિય સુખ કે ખુશી
સંપન્ન શાંત સ્થિતિ અનુભવ કરતાં રહેશો.
બાપ ની આજ્ઞા છે બાળકો તન-મન-ધન અને જન - આ બધાને બાપની અમાનત સમજો. જે પણ સંકલ્પ
કરો છો તે પોઝિટિવ (સકારાત્મક) હોય, પોઝિટિવ વિચારો, શુભભાવના નાં સંકલ્પ કરો.
બોડીકાન્સેસ (દેહ-અભિમાન) નાં “હું અને મારાપણા થી” દૂર રહો આ જ બે માયાનાં દરવાજા
છે. સંકલ્પ, સમય અને શ્વાસ બ્રાહ્મણ જીવન નાં અમૂલ્ય ખજાનાં છે, આને વ્યર્થ નહીં
ગુમાવો. જમા કરો. સમર્થ રહેવાનો આધાર છે - સદા અને સ્વતઃ આજ્ઞાકારી બનવું. બાપદાદાની
મુખ્ય પહેલી આજ્ઞા છે - પવિત્ર બનો, કામજીત બનો. આ આજ્ઞા ને પાલન કરવામાં મેજોરીટી
(અધિકાંશ) પાસ થઈ જાય છે. પરંતુ તેનો બીજો ભાઈ ક્રોધ - એમાં ક્યારેક-ક્યારેક અડધા
ફેલ (નપાસ) થઈ જાય છે. ઘણાં કહે છે - ક્રોધ નથી કર્યો પરંતુ થોડો રોબ તો દેખાડવો જ
પડે છે, તો આપ પણ અવજ્ઞા થઈ, જે ખુશી નો અનુભવ કરવા નહીં દેશે.
જે બાળકો અમૃતવેલા થી રાત સુધી આખા દિવસ ની દિનચર્યા નાં દરેક કર્મ માં આજ્ઞા
પ્રમાણે ચાલે છે તે ક્યારેય મહેનત નો અનુભવ નથી કરતાં. તેમને આજ્ઞાકારી બનવાનું
વિશેષ ફળ બાપનાં આશીર્વાદ ની અનુભૂતિ થાય છે, તેમનાં દરેક કર્મ ફળદાયી થઈ જાય છે.
જે આજ્ઞાકારી બાળકો છે તે સદા સંતુષ્ટતાનો અનુભવ કરે છે. તેમને ત્રણેવ પ્રકારની
સંતુષ્ટતા સ્વતઃ અને સદા અનુભવ થાય છે. ૧- તે સ્વયં પણ સંતુષ્ટ રહે. ૨- વિધિપૂર્વક
કર્મ કરવાનાં કારણે સફળતા રુપી ફળની પ્રાપ્તિ થી પણ સંતુષ્ટ રહે. ૩- સંબંધ-સંપર્ક
માં પણ તેમનાથી બધાં સંતુષ્ટ રહે છે. આજ્ઞાકારી બાળકોનું દરેક કર્મ આજ્ઞા પ્રમાણે
હોવાનાં કારણે શ્રેષ્ઠ હોય છે એટલે કોઈ પણ કર્મ બુદ્ધિ કે મન ને વિચલિત નથી કરતું,
ઠીક કર્યુ કે ન કર્યુ. આ સંકલ્પ પણ નથી આવી શકતો. તેઓ આજ્ઞા પ્રમાણે ચાલવાનાં કારણે
સદા હલકા રહે છે કારણ કે તે કર્મ નાં બંધન વશ કોઈ કર્મ નથી કરતાં. દરેક કર્મ આજ્ઞા
પ્રમાણે કરવાનાં કારણે પરમાત્મ આશીર્વાદ નાં પ્રાપ્તિનાં ફળ સ્વરુપ તે સદા જ આંતરિક
વિલપાવર નો, અતીન્દ્રિય સુખ નો અને ભરપૂરતા નો અનુભવ કરે છે. અચ્છા.
વરદાન :-
સાચાં સાથી નો
સાથ લેવાવાળા સર્વ થી ન્યારા , પ્યારા નિર્મોહી ભવ
રોજ અમૃતવેલા સર્વ
સંબંધોનું સુખ બાપદાદા થી લઈને બીજાઓને દાન કરો. સર્વ સુખોનાં અધિકારી બની બીજાઓને
પણ બનાવો. કોઈ પણ કામ છે એમાં સાકાર સાથી યાદ ન આવે, પહેલાં બાપ ની યાદ આવે કારણ કે
સાચાં મિત્ર બાપ છે. સાચાં સાથીનો સાથ લેશો તો સહજ જ સર્વથી ન્યારા અને પ્યારા બની
જશો. જે સર્વ સંબંધો થી દરેક કાર્યમાં એક બાપ ને યાદ કરે છે તે સહજ જ નિર્મોહી બની
જાય છે. તેમનો કોઈ પણ તરફ લગાવ અર્થાત્ ઝુકાવ નથી રહેતો એટલે માયા થી હાર પણ નથી થઈ
શકતી.
સ્લોગન :-
માયા ને જોવા
કે જાણવા માટે ત્રિકાળદર્શી અને ત્રિનેત્રી બનો ત્યારે વિજયી બનશો.