15-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
સાચાં - સાચાં વૈષ્ણવ બનવાનું છે , સાચાં વૈષ્ણવ ભોજન ની પરહેજ ની સાથે - સાથે
પવિત્ર પણ રહે છે ”
પ્રશ્ન :-
કયો અવગુણ ગુણ
માં પરિવર્તન થઈ જાય તો બેડો પાર થઈ શકે છે?
ઉત્તર :-
સૌથી મોટો અવગુણ છે મોહ. મોહ નાં કારણે સંબંધીઓ ની યાદ સતાવતી રહે છે. (વાંદરા નું
દૃષ્ટાંત) કોઈનું કોઈ સંબંધી મરે છે તો ૧૨ મહિના સુધી તેને યાદ કરતાં રહે છે. મોઢું
ઢાંકી રોતા રહેશે, યાદ આવતી રહેશે. એવી જ જો બાપની યાદ સતાવે, દિવસ-રાત તમે બાપ ને
યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. જેમ લૌકિક સબંધી ને યાદ કરો એમ બાપ ને યાદ કરો
તો અહો સૌભાગ્ય….
ઓમ શાંતિ!
બાપ રોજ-રોજ
બાળકો ને સમજાવે છે કે સ્વયંને આત્મા સમજી બાપ ની યાદ માં બેસો. આજે એમાં ઉમેરો કરે
છે-ફક્ત બાપ નહીં બીજું પણ સમજવાનું છે. મુખ્ય વાત જ આ છે-પરમપિતા પરમાત્મા શિવ,
એમને ગોડફાધર પણ કહે છે, જ્ઞાન સાગર પણ છે. જ્ઞાન સાગર હોવાનાં કારણે શિક્ષક પણ છે,
રાજયોગ શીખવાડે છે. આ સમજાવવા થી સમજશે કે સત્ય બાપ આમને ભણાવી રહ્યાં છે.
પ્રેક્ટીકલ વાત આ સંભળાવે છે. એ સર્વનાં બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગતિ દાતા પણ
છે અને પછી એમને નોલેજફુલ કહેવાય છે. બાપ, શિક્ષક, પતિત-પાવન, જ્ઞાન સાગર છે.
પહેલાં-પહેલાં તો બાપ ની મહિમા કરવી જોઈએ. એ આપણને ભણાવી રહ્યાં છે. આપણે છીએ
બ્રહ્માકુમાર-કુમારીઓ. બ્રહ્મા પણ રચના છે શિવબાબા ની અને હમણાં છે પણ સંગમયુગ.
લક્ષ-હેતુ પણ રાજયોગ નું છે, આપણને રાજયોગ શીખવાડે છે. તો શિક્ષક પણ સિદ્ધ થયાં. અને
આ ભણતર છે જ નવી દુનિયાનાં માટે. અહીંયા બેસી આ પાક્કું કરો-અમારે શું-શું સમજાવવાનું
છે. આ અંદર ધારણા હોવી જોઈએ. આ તો જાણો છો કોઈની વધારે ધારણા હોય છે, કોઈની ઓછી.
અહીંયા પણ જે જ્ઞાન માં વધારે આગળ જાય છે તેમનું નામ થાય છે. પદ પણ ઊંચું થાય છે.
પરહેજ પણ બાબા બતાવતા રહે છે. તમે પૂરા વૈષ્ણવ બનો છો. વૈષ્ણવ અર્થાત્ જે
વેજિટેરિયન (શાકાહારી) હોય છે. માસ-મદિરા વગેરે નથી ખાતાં. પરંતુ વિકારમાં તો જાય
છે, બાકી વૈષ્ણવ બન્યાં તો શું થયું. વૈષ્ણવ કુળનાં કહેવાય છે અર્થાત્ કાંદા વગેરે
તમોગુણી વસ્તુ નથી ખાતાં. આપ બાળકો જાણો છો-તમોગુણી વસ્તુ કઈ-કઈ હોય છે. કોઈ સારા
મનુષ્ય પણ હોય છે, જેમને રિલીજસ માઈન્ડેડ અથવા ભક્ત કહેવાય છે. સંન્યાસીઓ ને કહેશે
પવિત્ર આત્મા અને જે દાન વગેરે કરે છે તેમને કહેશે પુણ્ય આત્મા. આનાથી પણ સિદ્ધ થાય
છે-આત્મા જ દાન-પુણ્ય કરે છે એટલે પુણ્ય આત્મા, પવિત્ર આત્મા કહેવાય છે. આત્મા કોઈ
નિર્લેપ નથી. એવાં સારા-સારા અક્ષર યાદ કરવાં જોઈએ. સાધુઓ ને પણ મહાન આત્મા કહે છે.
મહાન પરમાત્મા નથી કહેવાતું. તો સર્વવ્યાપી કહેવું રોંગ (ખોટું) છે. સર્વ આત્માઓ
છે, જે પણ છે બધામાં આત્મા છે. ભણેલાં-ગણેલાં જે છે તે સિદ્ધ કરી બતાવે છે ઝાડમાં
પણ આત્મા છે. કહે છે ૮૪ લાખ યોનિઓ જે છે તેમાં પણ આત્મા છે. આત્મા ન હોય તો વૃદ્ધિને
કેવી રીતે પામત! મનુષ્યની જે આત્મા છે તે તો જડ માં જઈ નથી શકતી. શાસ્ત્રોમાં
એવી-એવી વાતો લખી દીધી છે. ઇન્દ્રપ્રસ્થ થી ધક્કો આપ્યો તો પથ્થર બની ગયાં. હવે બાપ
બેસી સમજાવે છે, બાપ બાળકોને કહે છે દેહ નાં સંબંધ તોડી સ્વયંને આત્મા સમજો. મામેકમ
યાદ કરો. બસ તમારા ૮૪ જન્મ હવે પૂરા થયાં. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે.
દુઃખધામ છે અપવિત્ર ધામ. શાંતિધામ અને સુખધામ છે પવિત્ર ધામ. આ તો સમજો છો ને.
સુખધામ માં રહેવાવાળા દેવતાઓ ની આગળ માથું નમાવે છે. સિદ્ધ થાય છે ભારતમાં નવી
દુનિયામાં પવિત્ર આત્માઓ હતી, ઊંચ પદ વાળા હતાં. હમણાં તો ગાએ છે મુજ નિર્ગુણ હારે
મેં કોઈ ગુણ નાહી. છે પણ એવું. કોઈ ગુણ નથી. મનુષ્યો માં મોહ પણ ખુબ હોય છે, મરેલા
ની પણ યાદ રહે છે. બુદ્ધિ માં આવે છે આ મારા બાળકો છે. પતિ અથવા બાળક મરે તો તેમને
યાદ કરતાં રહે. સ્ત્રી ૧૨ મહિના સુધી તો સારી રીતે યાદ કરે છે, મોઢું ઢાંકી રોતી રહે
છે. એવું મોઢું ઢાંકી જો તમે બાપ ને યાદ કરો દિવસ-રાત તો બેડો જ પાર થઈ જાય. બાપ કહે
છે-જેમ પતિ ને તમે યાદ કરતી રહો છો એવું મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય.
બાપ યુક્તિઓ બતાવે છે આમ-આમ કરો.
પોતામેલ જુએ છે આજે આટલો ખર્ચો થયો, આટલો ફાયદો થયો, બેલેન્સ (હિસાબ) રોજ નીકાળે
છે. કોઈ મહિને-મહિને નીકાળે છે. અહીંયા તો આ ખુબ જરુરી છે, બાપે ઘડી-ઘડી સમજાવ્યું
છે. બાપ કહે છે આપ બાળકો સૌભાગ્યશાળી, હજાર ભાગ્યશાળી, કરોડ ભાગ્યશાળી, પદમ, અરબ,
ખરબ ભાગ્યશાળી છો. જે બાળકો પોતાને સૌભાગ્યશાળી સમજે છે, તે જરુર સારી રીતે બાપ ને
યાદ કરતાં રહેશે. એ જ ગુલાબનાં ફૂલ બનશે. આ તો નટશેલ (સાર) માં સમજાવવાનું હોય છે.
બનવાનું તો સુગંધિત ફૂલ છે. મુખ્ય છે યાદ ની વાત. સન્યાસીઓએ યોગ અક્ષર કહી દીધો છે.
લૌકિક બાપ એવું નહીં કહે કે મને યાદ કરો અથવા પૂછે કે મને યાદ કરો છો? બાપ બાળકો
ને, બાળક બાપ ને યાદ છે જ. આ તો કાયદો છે. અહીંયા પૂછવું પડે છે કારણ કે માયા ભુલાવી
દે છે. અહીંયા આવે છે, સમજે છે અમે બાપની પાસે જઈએ છે તો બાપ ની યાદ રહેવી જોઈએ એટલે
બાબા ચિત્ર પણ બનાવે છે તો તે પણ સાથે હોય. પહેલાં-પહેલાં હંમેશા બાપની મહિમા શરું
કરો. આ અમારા બાબા છે, આમ તો બધાનાં બાપ છે. સર્વનાં સદ્દગતિ દાતા, જ્ઞાનનાં સાગર
નોલેજફુલ છે. બાબા આપણને સૃષ્ટિ ચક્રનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. જેનાથી આપણે
ત્રિકાળદર્શી બની જઈએ છીએ. ત્રિકાળદર્શી આ સૃષ્ટિ પર કોઈ મનુષ્ય હોઈ નથી શકતો. બાપ
કહે છે આ લક્ષ્મી-નારાયણ પણ ત્રિકાળદર્શી નથી. આ ત્રિકાળદર્શી બની શું કરશે! તમે બનો
છો અને બનાવો છો. આ લક્ષ્મી-નારાયણમાં જ્ઞાન હોત તો પરંપરા થી ચાલત. વચમાં તો વિનાશ
થઈ જાય છે એટલે પરંપરા તો ચાલી ન શકે. તો બાળકોએ આ ભણતર નું સારી રીતે સિમરણ કરવાનું
છે. તમારુ પણ ઊંચે થી ઊંચું ભણતર સંગમ પર જ થાય છે. તમે યાદ નથી કરતાં, દેહ-અભિમાન
માં આવી જાઓ છો તો માયા થપ્પડ મારી દે છે. ૧૬ કળા સંપૂર્ણ બનશો ત્યારે વિનાશની પણ
તૈયારી થશે. તેઓ વિનાશનાં માટે અને તમે અવિનાશી પદનાં માટે તૈયારી કરી રહ્યાં છો.
કૌરવ અને પાંડવો ની લડાઈ થઈ નથી, કૌરવો અને યાદવો ની થાય છે. ડ્રામા અનુસાર
પાકિસ્તાન પણ થઈ ગયું. તે પણ શરું ત્યારે થયું જ્યારે તમારો જન્મ થયો. હવે બાપ આવ્યાં
છે તો બધું પ્રેક્ટીકલ થવું જોઈએ ને. અહીંયાનાં માટે જ કહે છે લોહીની નદીઓ વહે છે
ત્યાર પછી ઘી ની નદીઓ વહેશે. હમણાં પણ જુઓ લડતાં રહે છે. ફલાણું શહેર આપો નહીં તો
લડાઈ કરીશું. અહીંયા થી પસાર ન થાઓ, આ અમારો રસ્તો છે. હવે તે શું કરે. સ્ટીમર કેવી
રીતે જશે! પછી સલાહ કરે છે. જરુર સલાહ પૂછતાં હશે. મદદની ઉમ્મીદ મળી હશે, તેઓ આપસમાં
જ ખતમ કરી દેશે. અહીંયા પછી સિવિલવોર (ગૃહ યુદ્ધ) ની ડ્રામા માં નોંધ છે.
હવે બાપ કહે છે - મીઠા બાળકો, ખુબ-ખુબ સમજદાર બનો. અહીંયા થી બાહર ઘરમાં જવાથી પછી
ભૂલી નહીં જાઓ. અહીંયા તમે આવો છો કમાણી જમા કરવાં. નાનાં-નાનાં બાળકોને લઈ આવો છો
તો તેમના બંધનમાં રહેવું પડે છે. અહીંયા તો જ્ઞાન સાગર નાં કાંઠા પર આવો છો, જેટલી
કમાણી કરશો એટલું સારું છે. આમાં લાગી જવું જોઈએ. તમે આવો જ છો અવિનાશી જ્ઞાન
રત્નોની ઝોલી ભરવાં. ગાએ પણ છે ને ભોલેનાથ ભર દે ઝોલી. ભક્ત તો શંકરની આગળ જઈને કહે
છે ઝોલી ભરી દો. તેઓ પછી શિવ-શંકર ને એક સમજી લે છે. શિવ-શંકર મહાદેવ કહી દે છે. તો
મહાદેવ ઊંચા થઈ જાય. આવી નાની-નાની વાતો ખુબ સમજવાની છે.
આપ બાળકોને સમજાવાય છે - હમણાં તમે બ્રાહ્મણ છો, નોલેજ મળી રહ્યું છે. ભણતર થી
મનુષ્ય સુધરે છે. ચાલ-ચલન પણ સારી થાય છે. હમણાં તમે ભણો છો. જે સૌથી વધારે ભણે અને
ભણાવે છે, તેમનાં મેનર્સ (શિષ્ટાચાર) પણ સારા હોય છે. તમે કહેશો સૌથી સારા
મમ્મા-બાબાનાં મેનર્સ છે. આ પછી થઈ ગઈ મોટી મમ્મા, જેમાં પ્રવેશ કરી બાળકો ને રચે
છે. માત-પિતા કમ્બાઈન્ડ (ભેગાં) છે. કેટલી ગુપ્ત વાતો છે. જેમ તમે ભણો છો તેમ મમ્મા
પણ ભણતી હતી. એમને એડોપ્ટ કરી. સમજુ હતી તો ડ્રામા અનુસાર સરસ્વતી નામ પડ્યું.
બ્રહ્મપુત્રા મોટી નદી છે. મેળો પણ લાગે છે સાગર અને બ્રહ્મપુત્રા નો. આ મોટી નદી
થઇ તો માં પણ થઇ ને. આપ મીઠા-મીઠા બાળકોને કેટલા ઊંચે લઈ જાય છે. બાપ આપ બાળકોને જ
જુએ છે. એમને તો કોઈને યાદ કરવાના નથી. આમની આત્માને તો બાપ ને યાદ કરવાનાં છે. બાપ
કહે છે અમે બન્ને, બાળકોને જોઈએ છીએ. મુજ આત્મા ને તો સાક્ષી થઈ નથી જોવાનું, પરંતુ
બાપનાં સંગમાં હું પણ એમ જોવું છું. બાપની સાથે રહું તો છું ને. એમનો બાળક છું તો
સાથે જોવું છું. હું વિશ્વ નો માલિક બની ફરું છું, જેમ કે હું જ આ કરું છું. હું
દૃષ્ટિ આપું છું. દેહ સહિત બધુંજ ભૂલવાનું હોય છે. બાકી બાળક અને બાપ જેમ એક થઈ જાય
છે. તો બાપ સમજાવે છે ખુબ પુરુષાર્થ કરો. બરાબર મમ્મા-બાબા સૌથી વધારે સર્વિસ (સેવા)
કરે છે ને. ઘરમાં પણ મા-બાપ ખુબ સર્વિસ કરે છે ને. સર્વિસ કરવા વાળા જરુર પદ પણ ઊંચ
પામશે તો પછી ફોલો (અનુકરણ) કરવું જોઈએ ને. જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે, એમ
તમે પણ ફોલો ફાધર કરો. આનો પણ અર્થ સમજવાનો છે. બાપ કહે છે મને યાદ કરો બીજા કોઈને
પણ નહીં સાંભળો. કોઈ કાંઈ બોલે, સાંભળ્યું-અણસાંભળ્યું કરી દો. તમે હસતાં રહો તો તે
સ્વયં જ ઠંડા થઈ જશે. બાબાએ કહ્યું હતું કોઈ ક્રોધ કરે તો તમે તેનાં પર ફૂલ ચઢાવો,
બોલો તમે અપકાર કરો છો, અમે ઉપકાર કરીએ છીએ. બાપ સ્વયં કહે છે આખી દુનિયાનાં મનુષ્ય
મારા અપકારી છે, મને સર્વવ્યાપી કહીને કેટલી ગાળો આપે છે હું તો બધાનો ઉપકારી છું.
આપ બાળકો પણ બધાનો ઉપકાર કરવા વાળા છો. તમે વિચાર કરો-આપણે શું હતાં, હમણાં શું
બનીએ છીએ! વિશ્વ નાં માલિક બનીએ છીએ. વિચાર-સ્વપ્નમાં પણ ન હોતું. ઘણાને ઘરે બેસી
સાક્ષાત્કાર થયાં છે. પરંતુ સાક્ષાત્કારથી કઈ થતું થોડી છે. ધીરે-ધીરે ઝાડ વૃદ્ધિને
પામતું રહેશે. આ નવું દેવી ઝાડ સ્થાપન થઈ રહ્યું છે ને. બાળકો જાણે છે અમારા દેવી
ફૂલોનો બગીચો બની રહ્યો છે. સતયુગમાં દેવતાઓ જ રહે છે તો ફરી આવવાનાં છે, ચક્ર ફરતું
રહે છે. ૮૪ જન્મ પણ એજ લેશે. બીજી આત્માઓ પછી ક્યાંથી આવશે. ડ્રામા માં જે પણ
આત્માઓ છે, કોઈપણ પાર્ટ થી છૂટી નથી શકતાં. આ ચક્ર ફરતું જ રહે છે. આત્મા ક્યારે
ઘટતી નથી. નાની-મોટી થતી નથી.
બાપ બેસી મીઠાં બાળકો ને સમજાવે છે, કહે છે બાળકો સુખદાયી બનો. મા કહે છે ને-આપસમાં
લડો-ઝઘડો નહીં. બેહદનાં બાપ પણ બાળકોને કહે છે યાદની યાત્રા ખુબ સહજ છે. તે યાત્રા
તો જન્મ-જન્માન્તર કરતાં આવ્યાં છો છતાં પણ સીડી નીચે ઉતરતા પાપ આત્મા બનતાં જાઓ
છો. બાપ કહે છે આ છે રુહાની યાત્રા. તમારે આ મૃત્યુલોક માં પાછા નથી આવવાનું. તે
યાત્રા થી તો પાછાં આવે છે પછી એવાં ને એવાં બની જાય છે. તમે તો જાણો છો આપણે
સ્વર્ગમાં જઈએ છીએ. સ્વર્ગ હતું ફરી થશે. આ ચક્ર ફરવાનું છે. દુનિયા એક જ છે બાકી
તારાઓ વગેરેમાં કોઈ દુનિયા છે નહીં. ઉપર જઈને જોવા માટે કેટલું માથું મારતા રહે છે.
માથું મારતાં-મારતાં મોત સામે આવી જશે. આ બધું છે સાયન્સ (વિજ્ઞાન). ઉપર જશે પછી
શું થશે. મોત તો સામે ઉભું છે. એક તરફ ઉપર જઈને શોધ કરે છે. બીજી તરફ મોતનાં માટે
બોમ્બ્સ બનાવી રહ્યાં છે. મનુષ્યો ની બુદ્ધિ જુઓ કેવી છે. સમજે પણ છે કોઈ પ્રેરક
છે. પોતે કહે છે વર્લ્ડ વોર (વિશ્વયુદ્ધ) જરુર થવાનું છે. આ તેજ મહાભારત લડાઈ છે.
હવે આપ બાળકો પણ જેટલો પુરુષાર્થ કરશો, એટલું જ કલ્યાણ કરશો. ખુદાનાં બાળકો તો છો
જ. ભગવાન પોતાનાં બાળક બનાવે છે તો તમે ભગવાન-ભગવતી બની જાઓ છો. લક્ષ્મી-નારાયણ ને
ગોડ-ગોડેઝ કહે છે ને. કૃષ્ણ ને ગોડ (ભગવાન) માને છે, રાધે ને એટલું નહીં. સરસ્વતી
નું નામ છે, રાધાનું નથી. કળશ પછી લક્ષ્મીને દેખાડે છે. આ પણ ભૂલ કરી દીધી છે.
સરસ્વતી નાં પણ અનેક નામ રાખી દીધાં છે. તે તો તમે જ છો. દેવીઓની પણ પૂજા થાય છે તો
આત્માઓની પણ પૂજા થાય છે. બાપ બાળકોને દરેક વાત સમજાવતા રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ
અપકારી પર પણ ઉપકાર કરે છે, એમ ફોલો ફાધર (બાપનું અનુકરણ) કરવાનું છે. કોઈ કાંઈ બોલે
તો સાંભળ્યું-અણસાંભળ્યું કરી દેવાનું છે,હસતાં રહેવાનું છે. એક બાપ થી જ સાંભળવાનું
છે.
2. સુખદાયી બની બધાને સુખ આપવાનું છે, આપસમાં લડવાનું-ઝઘડવાનું નથી. સમજદાર બની
પોતાની ઝોલી અવિનાશી જ્ઞાન રત્નો થી ભરપૂર કરવાની છે.
વરદાન :-
શુદ્ધ સંકલ્પનાં
વ્રત દ્વારા વૃત્તિ નું પરિવર્તન કરવા વાળા દિલતખ્તનશીન ભવ
બાપદાદાનું દિલતખ્ત
એટલું પ્યોર (પવિત્ર) છે જે આ તખ્ત પર સદા પ્યોર આત્માઓ જ બેસી શકે છે. જેમનાં
સંકલ્પ માં પણ અપવિત્રતા અથવા અમર્યાદા આવી જાય છે તે તખ્તનશીન નાં બદલે ઉતરતી કળામાં
નીચે આવી જાય છે એટલે પહેલાં શુદ્ધ સંકલ્પ નાં વ્રત દ્વારા પોતાની વૃત્તિ નું
પરિવર્તન કરો. વૃત્તિ પરિવર્તન થી ભવિષ્ય જીવન રુપી સૃષ્ટિ બદલાઈ જશે. શુદ્ધ સંકલ્પ
કે દૃઢ સંકલ્પ નાં વ્રત નું પ્રત્યક્ષ ફળ છે જ સદાકાળનાં માટે બાપદાદાનું દિલતખ્ત.
સ્લોગન :-
જ્યાં
સર્વશક્તિઓ સાથે છે ત્યાં નિર્વિઘ્ન સફળતા છે જ.