07-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
પુરુષાર્થ કરી દેવીગુણ સારી રીતે ધારણ કરવાનાં છે , કોઈને પણ દુઃખ નથી આપવાનું ,
તમારી કોઈ પણ આસુરી એક્ટિવિટી ( પ્રવૃત્તિ ) ન જોઈએ ”
પ્રશ્ન :-
કયા આસુરી ગુણ
તમારા શ્રુંગારને બગાડી દે છે?
ઉત્તર :-
આપસમાં લડવું-ઝઘડવું, રીસાવવું, સેવાકેન્દ્ર પર ધમચક્ર મચાવવું, દુઃખ આપવું-આ આસુરી
ગુણ છે, જે તમારા શ્રુંગારને બગાડી દે છે. જે બાળકો બાપનાં બનીને પણ આ આસુરી ગુણોનો
ત્યાગ નથી કરતાં, ઉલ્ટા કર્મ કરે છે, તેમને ખુબ નુકશાન પડી જાય છે. હિસાબ જ હિસાબ
છે. બાપની સાથે ધર્મરાજ પણ છે.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…….
ઓમ શાંતિ!
રુહાની બાળકો
આ તો જાણી ચૂક્યા છે કે ઊંચે થી ઊંચા ભગવાન છે. મનુષ્ય ગાએ છે અને તમે જુઓ છો દિવ્ય
દૃષ્ટિ થી. તમે બુદ્ધિ થી પણ જાણો છો કે અમને એ ભણાવી રહ્યાં છે. આત્મા જ ભણે છે
શરીર થી. બધું આત્મા જ કરે છે શરીર થી. શરીર વિનાશી છે, જેને આત્મા ધારણ કરી પાર્ટ
ભજવે છે. આત્મા માં જ આખાં પાર્ટ ની નોંધ છે. ૮૪ જન્મો ની પણ આત્મા માં જ નોંધ છે.
પહેલાં-પહેલાં તો પોતાને આત્મા સમજવાનું છે. બાપ છે સર્વ શક્તિમાન. એમનાથી જ આપ
બાળકો ને શક્તિ મળે છે. યોગ થી શક્તિ વધારે મળે છે, જેનાથી તમે પાવન બનો છો. બાપ
તમને શક્તિ આપે છે વિશ્વ પર રાજ્ય કરવાની. એટલી મહાન શક્તિ આપે છે, તે સાયન્સ (વિજ્ઞાન)
ઘમંડી વગેરે આટલું બધું બનાવે છે વિનાશનાં માટે. તેમની બુદ્ધિ છે વિનાશને માટે,
તમારી બુદ્ધિ છે અવિનાશી પદ પામવાનાં માટે. તમને ખુબ જ શક્તિ મળે છે જેનાથી તમે
વિશ્વ પર રાજ્ય પામો છો. ત્યાં પ્રજાનું પ્રજા પર રાજ્ય નથી હોતું. ત્યાં છે જ
રાજા-રાણી નું રાજ્ય. ઊંચે થી ઊંચા છે ભગવાન. યાદ પણ એમને કરે છે. લક્ષ્મી-નારાયણ
નું ફક્ત મંદિર બનાવીને પૂજે છે. છતાં પણ ઊંચે થી ઊંચા ભગવાન ગવાય છે. હમણાં તમે
સમજો છો આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતાં. ઊંચે થી ઊંચી વિશ્વની બાદશાહી મળે
છે બેહદનાં બાપ થી. તમને કેટલું ઊંચ પદ મળે છે. તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ.
જેમનાથી કાંઈ મળે છે તેમને યાદ કરાય છે ને. કન્યા નો પતિ થી કેટલો પ્રેમ રહે છે,
કેટલો પતિ ની પાછળ પ્રાણ આપે છે. પતિ મરે છે તો યા-હુસેન મચાવી દે છે. આ તો પતિઓનાં
પતિ છે, તમને કેટલાં શ્રુંગારી રહ્યાં છે-આ ઊંચે થી ઊંચું પદ પ્રાપ્ત કરાવવા માટે.
તો આપ બાળકોમાં કેટલો નશો હોવો જોઈએ. દેવીગુણ પણ તમારે અહીંયા ધારણ કરવાનાં છે.
અનેકોમાં હમણાં સુધી આસુરી અવગુણ છે, લડવું-ઝઘડવું, રીસાવવું, સેવાકેન્દ્ર પર
ધમચક્ર મચાવવું….બાબા જાણે છે ખુબ રિપોર્ટ્સ (સમાચાર) આવે છે. કામ મહાશત્રુ છે તો
ક્રોધ પણ કોઈ ઓછો શત્રુ નથી. ફલાણા ની ઉપર પ્રેમ, મારા ઉપર કેમ નહીં! ફલાણી વાત
આનાથી પૂછી, મારાથી કેમ નથી પૂછી! એવું-એવું બોલવા વાળા સંશય બુદ્ધિ ખુબ છે. રાજધાની
સ્થાપન થાય છે ને. આવાં-આવાં શું પદ પામશે. પદ માં તો ફર્ક ખુબ રહે છે. મેહતર પણ
જુઓ સારા-સારા મહેલો માં રહે છે, કોઈ ક્યાં રહે. દરેક ને પોતાનો પુરુષાર્થ છે કરી
દેવીગુણ સારા ધારણ કરવાનાં છે. દેહ-અભિમાન માં આવવાથી આસુરી એક્ટિવિટી (પ્રવૃત્તિ)
થાય છે. જ્યારે દેહી-અભિમાની બની સારી રીતે ધારણા કરતાં રહો ત્યારે ઊંચ પદ પામો.
પુરુષાર્થ એવો કરવાનો છે, દેવીગુણ ધારણ કરવાનો, કોઈને દુઃખ નથી આપવાનું. આપ બાળકો
દુઃખહર્તા, સુખકર્તા બાપનાં બાળકો છો. કોઈને પણ દુઃખ ન આપવું જોઈએ. જે સેવાકેન્દ્ર
સંભાળે છે તેમનાં પર ખુબ રેસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે. જેમ બાપ કહે છે-બાળકો, જો
કોઈ ભૂલ કરે છે તો સોગુણા દંડ પડી જાય છે. દેહ-અભિમાન થવાથી મોટું નુકશાન થાય છે
કારણ કે તમે બ્રાહ્મણ સુધારવા માટે નિમિત્ત બનેલાં છો. જો પોતે જ નથી સુધરયાં તો
બીજાઓને શું સુધારશે. ખુબ નુકસાન થઇ જાય છે. પાંડવ ગવર્મેન્ટ છે ને. ઊંચે થી ઊંચા
બાપ છે એનાં સાથે ધર્મરાજ પણ છે. ધર્મરાજ દ્વારા ખુબ મોટી સજા થાય છે. એવું કંઈ
કર્મ કરે છે તો ખુબ ઘાટો પડી જાય છે. હિસાબ જ હિસાબ છે, બાબા ની પાસે પૂરો હિસાબ રહે
છે. ભક્તિમાર્ગ માં પણ હિસાબ જ હિસાબ છે. કહે પણ છે ભગવાન તમારો હિસાબ લેશે, અહીંયા
બાપ પોતે કહે છે ધર્મરાજ બધાં હિસાબ લેશે. પછી તે સમયે શું કરી શકશો! સાક્ષાત્કાર
થશે-અમે આ-આ કર્યુ. ત્યાં તો થોડી માર પડે છે, અહીંયા તો ખુબ માર ખાવો પડશે. આપ
બાળકોએ સતયુગમાં ગર્ભ જેલ માં નથી આવવાનું. ત્યાં તો ગર્ભ મહેલ છે. કોઈ પાપ વગેરે
કરતાં નથી. તો એવું રાજ્ય-ભાગ્ય પામવાનાં માટે બાળકોએ ખુબ ખબરદાર રહેવાનું છે. ઘણાં
બાળકો બ્રાહ્મણી (ટીચર) થી પણ હોશિયાર થઈ જાય છે. તકદીર બ્રાહ્મણી થી પણ ઊંચી થઇ
જાય છે. આ પણ બાપે સમજાવ્યું છે-સારી સર્વિસ (સેવા) નહીં કરશો તો જન્મ-જન્માન્તર
દાસ-દાસીઓ બનશો.
બાપ સમ્મુખ આવતા જ બાળકો થી પૂછે છે-બાળકો, દેહી-અભિમાની થઈને બેઠાં છો? બાપ નાં
બાળકો પ્રતિ મહાવાક્ય છે-બાળકો, આત્મ-અભિમાની બનવાનો ખુબ પુરુષાર્થ કરવાનો છે.
હરતાં-ફરતાં પણ વિચાર સાગર મંથન કરતાં રહેવાનું છે. ઘણાં બાળકો છે જે સમજે છે અમે
જલ્દી-જલ્દી આ નર્ક ની છી-છી દુનિયા થી જઈએ સુખધામ. બાપ કહે છે સારા-સારા મહારથી
યોગ માં બહુજ ફેલ (નપાસ) છે. તેમને પણ પુરુષાર્થ કરાવાય છે. યોગ નહીં હોય તો એકદમ
નીચે પડશે. નોલેજ તો ખુબ સહજ છે. હિસ્ટ્રી-જોગ્રોફી આખી બુદ્ધિમાં આવી જાય છે. ખુબ
સારી-સારી બાળકીઓ છે જે પ્રદર્શની સમજાવવામાં ખુબ તીખી છે. પરંતુ યોગ છે નહીં,
દેવીગુણ પણ નથી. ક્યારેક-ક્યારેક ખ્યાલ આવે છે, હજું કઈ-કઈ અવસ્થા છે બાળકોની.
દુનિયા માં કેટલાં દુઃખ છે. જલ્દી-જલ્દી આ ખતમ થઈ જાય. ઇન્તેઝાર માં બેઠાં છે, જલ્દી
જઈએ સુખધામ. તડપતા રહે છે. જેમ બાપ થી મળવા માટે તડપે છે, કારણ કે બાબા આપણને
સ્વર્ગ નો રસ્તો બતાવે છે. એવાં બાપને જોવા માટે તડપે છે. સમજે છે આવાં બાપનાં
સમ્મુખ જઈને રોજ મુરલી સાંભળીએ. હમણાં તો સમજો છો અહીંયા કોઈ ઝંઝટ ની વાત નથી રહેતી.
બહાર રહેવાથી તો બધાથી તોડ નિભાવવો પડે છે. નહીં તો ખીટપીટ થઈ જાય એટલે બધાને ધીરજ
આપે છે. આમાં ખુબ ગુપ્ત મહેનત છે. યાદની મહેનત કોઈથી પહોંચતી નથી. ગુપ્ત યાદ માં રહે
તો બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર પણ ચાલે. દેહ-અભિમાન નાં કારણે બાપનાં
ડાયરેક્શન પર ચાલતાં જ નથી. કહું છું ચાર્ટ બનાવો તો ખુબ ઉન્નતિ થશે. આ કોણે કહ્યું?
શિવબાબા એ. શિક્ષક કામ આપે છે તો કરીને આવે છે ને. અહીંયા સારા-સારા બાળકો ને પણ
માયા કરવાં નથી દેતી. સારા-સારા બાળકો નો ચાર્ટ બાબાની પાસે આવે તો બાબા બતાવે જુઓ
કેવી રીતે યાદમાં રહો છો. સમજે છે અમે આત્માઓ આશિક, એક માશૂક ની છીએ. તે શરીરધારી
આશિક-માશૂક તો અનેક પ્રકારનાં હોય છે. તમે ખુબ જૂનાં આશિક છો. હમણાં તમને
દેહી-અભિમાની બનવાનું છે. કાંઈને કાંઈ સહન કરવું જ પડશે. મિયા મિઠ્ઠુ નથી બનવાનું.
બાબા એવું થોડી કહે છે હડ્ડી આપી દો. બાબા તો કહે છે તંદુરસ્તી સારી રાખો તો સર્વિસ
પણ સારી રીતે કરી શકશો. બીમાર હશો તો પડ્યાં રહેશો. કોઈ-કોઈ હોસ્પિટલ માં પણ
સમજાવવાની સર્વિસ કરે છે તો ડોક્ટર લોકો કહે છે આ તો ફરિશ્તા છે. ચિત્ર સાથે લઈ જાય
છે. જો આવી-આવી સર્વિસ કરે છે તેમને રહેમદિલ કહેશું. સર્વિસ કરે છે તો કોઈ-કોઈ નીકળી
આવે છે. જેટલાં-જેટલાં યાદનાં બળમાં રહેશો એટલાં મનુષ્યને તમે ખેંચશો, આમાં જ તાકાત
છે. પ્યોરીટી ફર્સ્ટ (પવિત્રતા પ્રથમ). કહેવાય પણ છે પહેલાં પ્યોરિટી (પવિત્રતા),
પીસ (શાંતિ), પછી પ્રોસપર્ટી (સમૃદ્ધિ). યાદનાં બળ થી જ તમે પવિત્ર થાઓ છો. પછી છે
જ્ઞાન બળ. યાદમાં કમજોર નહીં બનો. યાદમાં જ વિઘ્ન પડશે. યાદમાં રહેવાથી તમે પવિત્ર
પણ બનશો અને દેવીગુણ પણ આવશે. બાપની મહિમા તો જાણો છો ને. બાપ કેટલું સુખ આપે છે.
૨૧ જન્મોનાં માટે તમને સુખનાં લાયક બનાવે છે. ક્યારેય પણ કોઈને દુઃખ ન આપવું જોઈએ.
ઘણાં બાળકો ડિસસર્વિસ (કુસેવા) કરી પોતે પોતાને જાણે શ્રાપિત કરે છે, બીજાઓને ખુબ
હેરાન કરે છે. કપૂત બાળક બને છે તો પોતે પોતાને જાતે જ શ્રાપિત કરી દે છે.
ડિસસર્વિસ કરવાથી એકદમ પટ પર પડી જાય છે. ઘણાં બાળકો છે જે વિકારમાં પડી જાય છે કે
ક્રોધમાં આવીને ભણતર છોડી દે છે. અનેક પ્રકારનાં બાળકો અહીંયા બેઠાં છે. અહીંયા થી
રિફ્રેશ થઈને જાય છે તો ભૂલનો પશ્ચાતાપ કરે છે. છતાં પણ પશ્ચાતાપ થી કઇ માફ નથી થઈ
શકતું. બાપ કહે છે ક્ષમા પોતાનાં પર પોતે જ કરો. યાદ માં રહો. બાપ કોઈને ક્ષમા નથી
કરતાં. આ તો ભણતર છે. બાપ ભણાવે છે, બાળકોએ પોતાનાં પર કૃપા કરી ભણવાનું છે. મેનર્સ
(શિષ્ટાચાર) સારા રાખવાનાં છે. બાબા બ્રાહ્મણીને કહે છે, રજીસ્ટર લઈ આવો. એક-એક નાં
સમાચાર સાંભળીને સમજણ અપાય છે. તો સમજે છે બ્રાહ્મણીએ રિપોર્ટ (સમાચાર) આપ્યા છે
વધારે જ ડિસસર્વિસ કરવાં લાગી જાય છે. ખુબ મહેનત લાગે છે. માયા મોટી દુશ્મન છે.
બંદર (વાંદરા) થી મંદિર બનવાં નથી દેતી. ઊંચ પદ પામવાને બદલે વધારે જ બિલકુલ નીચે
પડી જાય છે. પછી ક્યારેય ઉઠી ન શકે, મરી પડે છે. બાપ બાળકોને ઘડી-ઘડી સમજાવે છે, આ
બહુજ ઊંચી મંઝિલ છે, વિશ્વનાં માલિક બનવાનું છે. મોટાં વ્યક્તિનાં બાળકો મોટી
રોયલ્ટી થી ચાલે છે. ક્યાંક બાપ ની ઈજ્જત ન જાય. કહેશે તમારા બાપ કેટલાં સારા છે,
તમે કેટલાં કપૂત છો. તમે તમારાં બાપ ની ઈજ્જત ગુમાવી રહ્યાં છો! અહિયાં તો દરેક
પોતાની ઈજ્જત ગુમાવે છે. ખુબ સજાઓ ખાવી પડે છે. બાબા વોર્નિંગ (ચેતવણી) આપે છે, ખુબ
ખબરદાર થઈ ચાલો. જેલ બર્ડસ ન બનો. જેલ બર્ડસ પણ અહીંયા હોય છે, સતયુગ માં તો કોઈપણ
જેલ હોતી નથી. છતાં પણ ભણીને ઊંચ પદ પામવું જોઈએ. ગફલત નહીં કરો. કોઈને પણ દુઃખ નહીં
આપો. યાદ ની યાત્રા પર રહો. યાદ જ કામમાં આવશે. પ્રદર્શની માં પણ મુખ્ય વાત આ જ
બતાવો. બાપની યાદ થી જ પાવન બનશો. પાવન બનવા તો બધાં ઈચ્છે છે. આ છે જ પતિત દુનિયા.
સર્વની સદ્દગતિ કરવાં તો એક જ બાપ આવે છે. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે કોઈની સદ્દગતિ નથી
કરી શકતાં. પછી બ્રહ્મા નું પણ નામ લે છે. બ્રહ્માને પણ સદ્દગતિ દાતા નથી કહી શકાતું.
જે દેવી-દેવતા ધર્મનાં નિમિત્ત છે. ભલે દેવી-દેવતા ધર્મની સ્થાપના તો શિવબાબા કરે
છે છતાં પણ નામ તો છે ને-બ્રહ્મા-વિષ્ણુ-શંકર... ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. બાપ
કહે છે આ પણ ગુરુ નથી. ગુરુ તો એક જ છે, એમનાં દ્વારા તમે રુહાની ગુરુ બનો છો. બાકી
તે છે ધર્મ સ્થાપક. ધર્મ સ્થાપક ને સદ્દગતિ દાતા કેવી રીતે કહી શકો, આ ખુબ ડીપ (ગુહ્ય)
વાતો છે સમજવાની. અન્ય ધર્મ સ્થાપક તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે, જેની પાછળ બધાં આવી
જાય છે, તે કોઈ બધાને પાછાં નથી લઈ જઈ શકતાં. તેમને તો પુનર્જન્મમાં આવવાનું જ છે,
બધાનાં માટે આ સમજ છે. એક પણ ગુરુ સદ્દગતિ નાં માટે નથી. બાપ સમજાવે છે ગુરુ
પતિત-પાવન એક જ છે, એજ સર્વનાં સદ્દગતિ દાતા, લિબરેટર (મુક્તિદાતા) છે, બતાવવું
જોઈએ અમારા ગુરુ એક જ છે, જે સદ્દગતિ આપે છે, શાંતિધામ, સુખધામ લઈ જાય છે. સતયુગ આદિ
માં ખુબ થોડાં હોય છે. ત્યાં કોનું રાજ્ય હતું, ચિત્ર તો દેખાડશો ને. ભારતવાસી જ
માનશે, દેવતાઓનાં પૂજારી ઝટ માનશે કે બરાબર આ તો સ્વર્ગ નાં માલિક છે. સ્વર્ગમાં
એમનું રાજ્ય હતું. બાકી બધી આત્માઓ ક્યાં હતી? જરુર કહેશે નિરાકારી દુનિયા માં હતી.
આ પણ તમે હમણાં સમજો છો. પહેલાં કાંઈ પણ ખબર નહોતી. હમણાં તમારી બુદ્ધિ માં ચક્ર
ફરતું રહે છે. બરાબર ૫ હજાર વર્ષ પહેલાં ભારતમાં આમનું રાજ્ય હતું, જ્યારે જ્ઞાનની
પ્રાલબ્ધ પૂરી થાય છે તો પછી ભક્તિમાર્ગ શરું થાય છે પછી જોઈએ જૂની દુનિયા થી
વૈરાગ્ય. બસ હવે આપણે નવી દુનિયા માં જઈશું. જૂની દુનિયા થી દિલ ઉઠી જાય છે. ત્યાં
પતિ બાળકો વગેરે બધાં એવાં મળશે. બેહદ નાં બાપ તો આપણને વિશ્વનાં માલિક બનાવે છે.
જે વિશ્વનાં માલિક બનવા વાળા બાળકો છે, તેમના ખ્યાલાત ખુબ ઊંચા અને ચલન ખુબ રોયલ હશે.
ભોજન પણ ખુબ ઓછું, વધારે લાલચ ન હોવી જોઈએ. યાદ માં રહેવા વાળાનું ભોજન પણ ખુબ
સૂક્ષ્મ હશે. ઘણાં ઓની ખાવામાં પણ બુદ્ધિ ચાલી જાય છે. આપ બાળકોને તો ખુશી છે
વિશ્વનાં માલિક બનવાની. કહેવાય છે ખુશી જેવો ખોરાક નહીં. એવી ખુશીમાં સદૈવ રહો તો
ખાન-પાન પણ ખુબ થોડું થઈ જાય. ખુબ ખાવાથી ભારે થઈ જાઓ છો પછી ઝુટકા વગેરે ખાય છે.
પછી કહે બાબા નિંદ્ર આવે છે. ભોજન સદૈવ એકરસ હોવું જોઈએ, એવું નહીં કે સારું ભોજન
છે તો ખુબ ખાવું જોઈએ! અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે
દુખહર્તા સુખકર્તા બાપનાં બાળકો છીએ, આપણે કોઈને દુઃખ નથી આપવાનું. ડિસસર્વિસ કરી
પોતે પોતાને શ્રાપિત નથી કરવાનું.
2. પોતાનાં ખ્યાલાત ખુબ ઊંચા અને રોયલ રાખવાનાં છે. રહેમદિલ બની સર્વિસ (સેવા) પર
તત્પર રહેવાનું છે. ખાવા-પીવાની હબચ (લાલચ) ને છોડી દેવાની છે.
વરદાન :-
ડ્રામાનાં
નોલેજ થી અચળ સ્થિતિ બનાવવા વાળા પ્રકૃતિ અથવા માયાજીત ભવ
પ્રકૃતિ કે માયા
દ્વારા કેવું પણ પેપર આવે પરંતુ જરા પણ હલચલ ન થાય. આ શું, આ કેમ, આ ક્વેશ્ચન (પ્રશ્ન)
પણ ઊઠે, જરા પણ કોઈ સમસ્યા વાર કરવાવાળી બની ગઈ તો ફેલ (નપાસ) થઈ જશો એટલે કંઈ પણ
થાય પરંતુ અંદર થી આ અવાજ નીકળે કે વાહ મીઠો ડ્રામા વાહ! હાય શું થયું-આ સંકલ્પ પણ
ન આવે. એવી સ્થિતિ હોય જે કોઈ સંકલ્પમાં પણ હલચલ ન હોય. સદા અચળ, અડોલ સ્થિતિ રહે
ત્યારે પ્રકૃતિજીત કે માયાજીત નું વરદાન પ્રાપ્ત થશે.
સ્લોગન :-
ખુશખબરી
સંભળાવીને ખુશી અપાવવી આ જ સૌથી શ્રેષ્ઠ કર્તવ્ય છે.