22-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ખુબ રોયલ સ્ટુડન્ટ ( વિદ્યાર્થી ) છો , તમારે બાપ , શિક્ષક અને સદ્દગુરુ ની યાદ માં
રહેવાનું છે , અલૌકિક ખિદમત ( સેવા ) કરવાની છે ”
પ્રશ્ન :-
જે સ્વયં
પોતાને બેહદ નાં પાર્ટધારી સમજીને ચાલે છે, તેમની નિશાની સંભળાવો?
ઉત્તર :-
તેમની બુદ્ધિમાં કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ દેહધારી ની યાદ નહીં હશે. તેઓ એક બાપને અને
શાંતિધામ ઘર ને યાદ કરતાં રહેશે કારણકે બલિહારી એક ની છે. જેમ બાપ આખી દુનિયાની
ખિદમત કરે છે, પતિતો ને પાવન બનાવે છે. એમ બાળકો પણ બાપ સમાન ખિદમતગાર બની જાય છે.
ઓમ શાંતિ!
પહેલાં-પહેલાં
બાપ બાળકોને સાવધાની આપે છે. અહીંયા બેસો છો તો પોતાને આત્મા સમજી બાપનાં આગળ બેઠા
છો? આ પણ બુદ્ધિમાં લાવો કે અમે બાપના આગળ પણ બેઠા છીએ, શિક્ષક ની આગળ પણ બેઠા છીએ.
નંબરવન વાત છે-આપણે આત્મા છીએ, બાપ પણ આત્મા છે, શિક્ષક પણ આત્મા છે, ગુરુ પણ આત્મા
છે. એક જ છે ને. આ નવી વાત તમે સાંભળો છો. તમે કહેશો બાબા અમે તો કલ્પ-કલ્પ આ
સાંભળીએ છીએ. તો બુદ્ધિમાં આ યાદ રહે, બાપ ભણાવે છે, આપણે આત્મા આ ઓર્ગન્સ (અવયવો)
દ્વારા સાંભળીયે છીએ. આ જ્ઞાન આ સમયે જ આપ બાળકોને મળે છે ઊંચેથી ઉંચા ભગવાન દ્વારા.
તે સર્વ આત્માઓનાં બાપ છે, જે વારસો આપે છે. કયું જ્ઞાન આપે છે? સર્વ ની સદ્દગતિ કરે
છે એટલે ઘરે લઈ જાય છે. કેટલાને લઈ જશે? આ બધું તમે જાણો છો. મચ્છરો સદૃશ્ય બધી
આત્માઓને જવાનું છે. સતયુગ માં એક જ ધર્મ, પવિત્રતા-સુખ-શાંતિ બધું રહે છે. આપ
બાળકોને ચિત્ર પર સમજાવવું ખુબ સહજ છે. બાળકો પણ નકશા પર સમજી જાય છે ને. ઇંગ્લેન્ડ
છે, આ છે પછી તે યાદ આવી જાય છે. આ પણ એવું છે. એક-એક વિદ્યાર્થીને સમજાવવાનું હોય
છે, મહિમા પણ એક ની જ છે-શિવાય નમઃ ઊંચેથી ઊંચા ભગવાન. રચતા બાપ ઘરનાં મોટા હોય છે
ને. તે હદનાં, આ છે આખા બેહદનાં ઘરનાં બાપ. આ પછી શિક્ષક પણ છે. તમને ભણાવે છે. તો
આપ બાળકોને ખુબ ખુશી હોવી જોઈએ. તમે સ્ટુડન્ટ પણ રોયલ છો. બાપ કહે છે હું સાધારણ
તનમાં આવું છું. પ્રજાપિતા બ્રહ્મા પણ જરુર અહીંયા જોઈએ. તેમનાં વગર કામ કેવી રીતે
ચાલી શકે. અને જરુર વૃદ્ધ જ જોઈએ કારણ કે એડોપ્ટડ છે ને. તો વૃદ્ધ જોઈએ. કૃષ્ણ તો
બાળકો-બાળકો બોલી ન શકે. વૃદ્ધ શોભે છે. બાળકને થોડી કોઈ બાબા કહેશે. તો બાળકોને પણ
બુદ્ધિમાં આવવું જોઈએ અમે કોની આગળ બેઠા છીએ. અંદરમાં ખુશી પણ હોવી જોઈએ. વિદ્યાર્થી
ક્યાંય પણ બેઠા હશે તેમની બુદ્ધિ માં બાપ પણ યાદ આવે છે. શિક્ષક પણ યાદ આવે છે.
તેમને તો બાપ અલગ, શિક્ષક અલગ હોય છે. તમારાં તો એક જ બાપ-શિક્ષક-ગુરુ છે. આ બાબા
પણ તો વિદ્યાર્થી છે. ભણી રહ્યાં છે. ફક્ત લોન (ઉધાર) પર રથ આપેલો છે બીજો કોઈ ફર્ક
નથી. બાકી તમારા માફક જ છે. આમની આત્મા પણ આ જ સમજે છે જે તમે સમજો છો. બલિહારી છે
જ એક ની. એમને જ પ્રભુ ઈશ્વર કહે છે. આ પણ કહે છે પોતાને આત્મા સમજી એક પરમાત્મા ને
યાદ કરો, બાકી બધાં સૂક્ષ્મ અને સ્થૂળ દેહધારીઓને ભૂલી જાઓ. તમે શાંતિધામ નાં
રહેવાવાળા છો. તમે છો બેહદનાં પાર્ટધારી. આ વાતો બીજું કોઈ પણ નથી જાણતું. દુનિયાભર
માં કોઈને ખબર નથી, અહીંયા જે આવે છે તે સમજતાં જાય છે. અને બાપ ની સર્વિસ (સેવા)
માં આવતાં જાય છે. ઈશ્વરીય ખિદમતગાર થયાં ને. બાપ પણ આવ્યાં છે ખિદમત કરવાં. પતિતો
ને પાવન બનાવવાની ખિદમત કરે છે. રાજ્ય ગુમાવીને પછી જ્યારે દુઃખી થાય છે તો બાપ ને
બોલાવે છે. જેમણે રાજ્ય આપ્યું છે, તેમને જ બોલાવશે.
આપ બાળકો જાણો છો બાપ સુખધામ નાં માલિક બનાવવા આવ્યાં છે. દુનિયામાં કોઈને ખબર નથી.
છે તો બધાં ભારતવાસી એક ધર્મનાં. આ છે જ મુખ્ય ધર્મ. તો જરુર જ્યારે ન હોય ત્યારે
તો બાપ આવીને સ્થાપન કરે. બાળકો સમજે છે ભગવાન જેમને આખી દુનિયા અલ્લાહ ગોડ કહી
પોકારે છે, તે અહીંયા ડ્રામા અનુસાર કલ્પ પહેલાં માફક આવ્યાં છે. આ છે ગીતાનો
એપિસોડ, જેમાં બાપ આવીને સ્થાપન કરે છે. ગવાય પણ છે બ્રાહ્મણ અને દેવી-દેવતા…..ક્ષત્રિય
નથી કહેતાં. બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ કહે છે કારણ કે ક્ષત્રિય તો છતાં પણ ૨ કળા ઓછી
થઈ ગઈ ને. સ્વર્ગ કહેવાય જ છે નવી દુનિયા ને. ત્રેતાને નવી દુનિયા થોડી કહીશું.
પહેલાં-પહેલાં સતયુગમાં છે એકદમ નવી દુનિયા. આ છે જૂનામાં જૂની દુનિયા. પછી નવામાં
નવી દુનિયા માં જઈશું. આપણે હવે એ દુનિયામાં જઈએ છીએ ત્યારે તો બાળકો કહે છે અમે નર
થી નારાયણ બનીએ છીએ. કથા પણ આપણે સત્યનારાયણની સાંભળીએ છીએ. પ્રિન્સ (રાજકુમાર)
બનવાની કથા નથી કહેતાં. સત્યનારાયણ ની કથા છે. તેઓ નારાયણ ને અલગ સમજે છે. પરંતુ
નારાયણ ની કોઈ જીવન કહાની તો છે નહીં. જ્ઞાનની વાતો તો ઘણી છે ને એટલે ૭ દિવસ આપવામાં
આવે છે. ૭ દિવસ ભઠ્ઠી માં રહેવું પડે. પરંતુ એવું પણ નથી અહીંયા ભઠ્ઠી માં રહેવાનું
છે. એમ તો પછી ભઠ્ઠીનું બહાનું કરી ઘણાં બધાં આવી જાય. ભણતર સવારે અને સાંજે હોય
છે. બપોર માં વાયુમંડળ ઠીક નથી હોતું. રાત્રિનાં પણ ૧૦ થી ૧૨ ખરાબ સમય છે. અહીંયા
આપ બાળકોએ પણ મહેનત કરવાની છે, યાદમાં રહી સતોપ્રધાન બનવાની. ત્યાં તો આખો દિવસ
કામ-ધંધામાં રહો છો. એવાં પણ ઘણાં હોય છે જે ધંધા-ધોરી કરતા ભણે પણ છે વધારે સારી
નોકરી કરવાનાં માટે. અહીંયા પણ તમે ભણો છો તો શિક્ષક ને યાદ કરવા પડે જે ભણાવે છે.
અચ્છા, શિક્ષક સમજી ને યાદ કરો તો પણ ત્રણેવ સાથે યાદ આવી જાય છે - બાપ, શિક્ષક,
ગુરુ, તમારા માટે ખુબ સહજ છે તો ઝટ યાદ આવવાં જોઈએ. આ આપણા બાબા પણ છે, શિક્ષક અને
ગુરુ પણ છે. ઊંચેથી ઊંચા બાપ છે જેમનાથી આપણે સ્વર્ગનો વારસો લઇ રહ્યાં છીએ. આપણે
સ્વર્ગ માં જરુર જઈશું. સ્વર્ગની સ્થાપના જરુર થવાની છે. તમે પુરુષાર્થ ફક્ત કરો છો
ઉંચ પદ પામવા માટે. આ પણ તમે જાણો છો. મનુષ્યોને પણ ખબર પડશે, તમારો અવાજ ફેલાતો
રહેશે. આપ બ્રાહ્મણો નો અલૌકિક ધર્મ છે-શ્રીમત પર અલૌકિક સેવામાં તત્પર રહેવું. આ
પણ મનુષ્યોને ખબર પડી જશે કે તમે શ્રીમત પર કેટલું ઊંચું કામ કરી રહ્યાં છો. તમારા
જેવી અલૌકિક સર્વિસ (સેવા) કોઈ કરી ન શકે. તમે બ્રાહ્મણ ધર્મવાળા જ આવાં કર્મ કરો
છો. તો આવાં કર્મમાં લાગી જવું જોઈએ, આમાં જ બીઝી (વ્યસ્ત) રહેવું જોઈએ. બાપ પણ બીઝી
રહે છે ને. તમે રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. તે તો પંચાયત મળીને ફક્ત પાલના કરતી
રહે છે. અહીંયા તમે ગુપ્ત વેશમાં શું કરી રહ્યાં છો. તમે છો ઈન્કાગનીટો (ગુપ્ત),
અનનોન વારિયર્સ,(અજાણ્યાં યોદ્ધાઓ) નોન-વાયોલેન્સ (અહિંસક). આનો અર્થ પણ કોઈ સમજતા
નથી. તમે છો ડબલ અહિંસક સેના. મોટી હિંસા તો આ વિકારની છે, જે પતિત બનાવે છે. આને જ
જીતવાનું છે. ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, આનાં પર જીત પામવાથી જ તમે જગતજીત બનશો. આ
લક્ષ્મી-નારાયણ જગતજીત છે ને. ભારત જગતજીત હતું. આ વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં!
આ પણ બહાર વાળા સમજી ન શકે. આ સમજવામાં બુદ્ધિ ખુબ વિશાળ જોઈએ. મોટી-મોટી પરીક્ષા
ભણવાવાળા ની વિશાળ બુદ્ધિ હોય છે ને. તમે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરો છો.
તમે કોઈને પણ સમજાવી શકો છો વિશ્વમાં શાંતિ હતી ને, બીજું કોઈ રાજ્ય નહોતું.
સ્વર્ગમાં શાંતિ હોઈ ન શકે. બહિશ્ત ને કહેવાય જ છે ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો).
ફક્ત બગીચો થોડી હશે. મનુષ્ય પણ જોઈએ ને. હવે આપ બાળકો જાણો છો આપણે બહિશ્ત નાં
માલિક બની રહ્યાં છીએ. આપ બાળકોને કેટલો નશો રહેવો જોઈએ અને ઉચ્ચ વિચાર હોવાં જોઈએ.
તમે બહારનાં કોઈ પણ સુખ ને નથી ઇચ્છતાં. આ સમયે તમારે બિલકુલ સિમ્પલ રહેવાનું છે.
હવે તમે સસુર ઘર જાઓ છો. આ છે પિયર ઘર. અહીંયા તમને ડબલ પિતા મળ્યાં છે. એક નિરાકાર
ઊંચેથી ઊંચા, બીજા પછી સાકાર તે પણ ઊંચેથી ઊંચા. હમણાં તમે સસુર ઘર વિષ્ણુપુરી માં
જાઓ છો. એને કૃષ્ણપુરી નહીં કહેશું. બાળક ની પુરી નથી હોતી. વિષ્ણુપુરી અર્થાત્
લક્ષ્મી-નારાયણ ની પુરી. તમારો છે રાજયોગ. તો જરુર નર થી નારાયણ બનશો.
આપ બાળકો છો સાચાં-સાચાં ખુદાઈ-ખિદમતગાર. બાબા સાચાં ખુદાઈ ખિદમતગાર તેને કહે છે જે
ઓછામાં ઓછા ૮ કલાક આત્મ-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે. કોઈ કર્મ-બંધન ન રહે
ત્યારે ખિદમતગાર બની શકો છો અને કર્માતીત અવસ્થા થઈ શકે છે. નર થી નારાયણ બનવું છે
તો કર્માતીત અવસ્થા જરુર જોઈએ. કર્મબંધન હશે તો સજા ખાવી પડશે. બાળકો સ્વયં સમજે
છે-યાદની મહેનત ખુબ કઠીન છે. યુક્તિ ખુબ સહજ છે, ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. ભારતનો
પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. યોગનાં માટે જ નોલેજ છે, જે બાપ આવીને શીખવાડે છે. કૃષ્ણ
કોઈ યોગ થોડી શીખવાડે છે. કૃષ્ણને પછી સ્વદર્શન ચક્ર આપી દીધું છે. તે પણ ચિત્ર
કેટલું ખોટું છે. હમણાં તમારે કોઈ ચિત્ર વગેરે પણ યાદ નથી કરવાનાં. બધુંજ ભૂલો. કોઈ
માં બુદ્ધિ ન જાય, લાઈન ક્લિયર જોઈએ. આ છે ભણતર નો સમય. દુનિયાને ભૂલી પોતાને આત્મા
સમજી અને બાપને યાદ કરવાનાં છે, ત્યારે જ પાપ નાશ થશે. બાપ કહે છે પહેલાં-પહેલાં તમે
અશરીરી આવ્યા હતાં, ફરી તમારે જવાનું છે. તમે ઓલરાઉન્ડર છો. તે હોય છે હદ નાં
એક્ટર્સ, તમે છો બેહદનાં. હવે તમે સમજો છો આપણે અનેક વખત પાર્ટ ભજવ્યો છે. અનેક વખત
તમે બેહદ નાં માલિક બનો છો. આ બેહદનાં નાટક માં પછી નાનાં-નાનાં નાટક પણ અનેક વખત
ચાલતાં રહે છે. સતયુગ થી કળયુગ સુધી જે કંઈ થયું છે તે રીપીટ થતું રહેશે. ઉપર થી
લઈને અંત સુધી તમારી બુદ્ધિમાં છે. મૂળવતન, સૂક્ષ્મવતન અને સૃષ્ટિનું ચક્ર, બસ, બીજા
કોઈ ધામ થી તમારું કામ નથી. તમારો ધર્મ ખુબ સુખ આપવાવાળો છે. તેમનો સમય જ્યારે આવશે
ત્યારે તે આવશે. નંબરવાર જેમ-જેમ આવ્યાં છે, એમ જ પછી જશે. આપણે બીજા ધર્મનું શું
વર્ણન કરીશું. તમને ફક્ત એક બાપની જ યાદ રહેવી જોઈએ છે. ચિત્ર વગેરે આ બધું ભૂલીને
એક બાપ ને યાદ કરવાનાં છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ નહીં, ફક્ત એક ને. તેઓ સમજે
છે પરમાત્મા લિંગ છે. હવે લિંગ સમાન કોઈ વસ્તુ હોય કેવી રીતે શકે. તે ભલા જ્ઞાન કેવી
રીતે સંભળાવશે. શું પ્રેરણા થી કોઈ લાઉડ સ્પીકર રાખશે જે તમે સાંભળશો. પ્રેરણાથી તો
કાંઈ થતું નથી. એવું નહીં, શંકર ને પ્રેરિત કરે છે. આ બધું ડ્રામામાં પહેલે થી જ
નોંધ છે. વિનાશ તો થવાનો છે જ. જેમ તમે આત્માઓ શરીર દ્વારા વાત કરો છો, તેમ પરમાત્મા
પણ આપ બાળકો થી વાત કરે છે. એમનો પાર્ટ જ દિવ્ય અલૌકિક છે. પતિતો ને પાવન બનાવવા
વાળા એક જ બાપ છે. કહે છે મારો પાર્ટ સૌથી ન્યારો છે. કલ્પ પહેલાં જે આવ્યા હશે તે
આવતા રહેશે. જે કંઈ પણ પાસ્ટ (ભૂતકાળ) થયું ડ્રામા, આમાં જરા પણ ફરક નથી. પછી
પુરુષાર્થ નો ખ્યાલ રાખવાનો છે. એવું નહીં ડ્રામા અનુસાર અમારો ઓછો પુરુષાર્થ ચાલે
છે પછી તો પદ પણ ખુબ ઓછું થઈ જશે. પુરુષાર્થ ને ઝડપી કરવો જોઈએ. ડ્રામા પર છોડી નથી
દેવાનું. પોતાનાં ચાર્ટ ને જોતાં રહો. વધારતાં રહો. નોંધ રાખો અમારો ચાર્ટ વધતો જાય
છે, ઓછો તો થતો નથી. ખુબ ખબરદારી જોઈએ. અહીંયા તમારો છે બ્રાહ્મણો નો સંગ. બાહરમાં
બધાં છે કુસંગ. તે બધાં ઊંધું જ સંભળાવે છે. હવે બાપ તમને કુસંગ થી નીકાળે છે.
મનુષ્યોએ કુસંગ માં આવીને પોતાનું રહન-સહન, પોતાનો પહેરવેશ વગેરે બધું બદલી દીધું
છે, દેશ-વેશ જ બદલી દીધો છે, આ પણ જેમ પોતાનાં ધર્મની ઇન્સલ્ટ (અપમાન) કરે છે. જુવો
કેવા-કેવા વાળ ઓળાવે છે. દેહ-અભિમાન થઈ જાય છે. ૧૦૦-૧૫૦ રુપિયા આપે છે ફક્ત વાળ
બનાવવા માટે. આને કહેવાય છે અતિ દેહ-અભિમાન. તે પછી ક્યારેય જ્ઞાન ઉઠાવી ન શકે. બાબા
કહે છે બિલકુલ સિમ્પલ બનો. ઊંચી (મોંઘી) સાડી પહેરવાથી પણ દેહ-અભિમાન આવે છે.
દેહ-અભિમાન તોડવા માટે બધું હલકુ કરી દેવું જોઈએ. સારી વસ્તુ દેહ-અભિમાન માં લઈ આવે
છે. તમે આ સમયે વનવાહ માં છો ને. દરેક વસ્તુ થી મોહ હટાવાનો છે. બહુજ સાધારણ રહેવાનું
છે. લગ્ન વગેરે માં ભલે રંગીન કપડાં વગેરે પહેરીને જાઓ, સંબંધ નિભાવવા અર્થ પહેરો,
પછી ઘરમાં આવી ને ઉતારી દો. તમારે તો વાણી થી પરે જવાનું છે. વાનપ્રસ્થી સફેદ પોશાક
માં હોય છે. તમે એક-એક નાનાં-મોટાં બધાં વાનપ્રસ્થી છો. નાનાં બાળકોને પણ શિવબાબાની
જ યાદ અપાવવાની છે. આમાં જ કલ્યાણ છે. બસ આપણે હવે જવાનું છે શિવબાબાની પાસે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ધ્યાન
રહે કે આપણી કોઈ પણ ચલન દેહ-અભિમાન વાળી ન હોય. ખુબ જ સિમ્પલ રહેવાનું છે. કોઈ પણ
વસ્તુ માં મમત્વ નથી રાખવાનું. કુસંગ થી પોતાની સંભાળ રાખવાની છે.
2. યાદની મહેનત થી સર્વ કર્મબંધનનો ને તોડી કર્માતીત બનવાનું છે. ઓછામાં ઓછા ૮ કલાક
આત્મ-અભિમાની રહી સાચાં-સાચાં ખુદાઈ ખિદમતગાર બનવાનું છે.
વરદાન :-
સદા બેહદ ની
સ્થિતિમાં સ્થિત રહેવાવાળા બંધનમુક્ત , જીવનમુક્ત ભવ
દેહ-અભિમાન હદની
સ્થિતિ છે અને દેહી-અભિમાની બનવું-આ છે બેહદની સ્થિતિ. દેહમાં આવવાથી અનેક કર્મનાં
બંધનોમાં, હદમાં આવવું પડે છે પરંતુ જ્યારે દેહી બની જાઓ છો તો આ બધાં બંધન ખતમ થઇ
જાય છે. જેમ કહેવાય છે બંધનમુક્ત જ જીવનમુક્ત છે, એમ જે બેહદની સ્થિતિમાં સ્થિત રહે
છે તે દુનિયાનાં વાયુમંડળ, વાયબ્રેશન, તમોગુણી વૃત્તિઓ, માયાનાં વાર આ બધાથી મુક્ત
થઈ જાય છે. આને જ કહેવાય છે જીવનમુક્ત સ્થિતિ, જેનો અનુભવ સંગમયુગ પર જ કરવાનો છે.
સ્લોગન :-
નિશ્ચય બુદ્ધિ
ની નિશાની-નિશ્ચિત વિજયી અને નિશ્ચિંત, તેમની પાસે વ્યર્થ આવી નથી શકતું.