04-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ઉચ્ચ
બનવું છે તો પોતાનો પોતામેલ રોજ જુઓ , કોઈ પણ કર્મેન્દ્રિય દગો ન આપે , આંખો ખુબ જ
દગાબાજ છે એનાથી સંભાળ કરો ”
પ્રશ્ન :-
સૌથી ખરાબ આદત
કઈ છે, એનાથી બચવાનો ઉપાય શું છે?
ઉત્તર :-
સૌથી ખરાબ આદત છે-જીભ નો સ્વાદ. કોઈ સારી વસ્તુ જોઈ તો છૂપાવીને ખાઈ લેશે. છૂપાવવું
અર્થાત્ ચોરી. ચોરી રુપી માયા પણ અનેકો ને નાક કાન થી પકડી લે છે. એનાથી બચવાનું
સાધન જ્યારે પણ ક્યાંય બુદ્ધિ જાય તો પોતે જ પોતાને સજા આપો. ખરાબ આદતોને નીકાળવા
માટે પોતે પોતાને ખુબ ફટકાર લગાવો.
ઓમ શાંતિ!
આત્મ-અભિમાની
થઈને બેઠા છો? દરેક વાત પોતે સ્વયં થી પૂછવાની હોય છે. અમે આત્મા-અભિમાની થઈને બેઠા
છીએ અને બાપ ને યાદ કરી રહ્યાં છીએ? ગવાયેલું પણ છે શિવ શક્તિ પાંડવ સેના. આ શિવબાબા
ની સેના બેઠી છે ને. એ શારીરિક સેનામાં ફક્ત જવાન હોય છે, વૃદ્ધ કે બાળક વગેરે નહીં.
આ સેનામાં તો ઘરડા, બાળકો, જવાન વગેરે બધાં બેઠા છે. આ છે માયા પર જીત પામવા માટે
સેના. દરેકે માયા પર જીત પામીને બાપ થી વારસો લેવાનો છે. બાળકો જાણે છે માયા ખુબ
પ્રબળ છે. કર્મેન્દ્રિઓ જ સૌથી વધારે દગો આપે છે. ચાર્ટ માં આ પણ લખો કે આજે કઈ
કર્મેન્દ્રિયે દગો આપ્યો? આજે ફલાણી ને જોઈ તો દિલ થયું આમને હાથ લગાવું, આ કરું?
આંખો ખુબ જ નુકસાન કરે છે. દરેક કર્મેન્દ્રિય જુઓ, કઈ કર્મેન્દ્રિય ખુબ નુકસાન કરે
છે? સૂરદાસ નું પણ આના પર દૃષ્ટાંત આપે છે. પોતાની તપાસ રાખવી જોઈએ. આંખો ખુબ દગો
આપવા વાળી છે. સારા-સારા બાળકોને પણ માયા દગો આપી દે છે. ભલે સર્વિસ (સેવા) સારી કરે
છે પરંતુ આંખો દગો આપે છે. આનાં પર ખુબજ તપાસ રાખવાની હોય છે કારણ કે દુશ્મન છે ને.
આપણા પદને ભ્રષ્ટ કરી દે છે. જે સેન્સિબલ (સમજદાર) બાળકો છે, તેમણે સારી રીતે નોંધ
કરવી જોઈએ. ડાયરી પાકીટ માં પડેલી હોય. જેમ ભક્તિમાર્ગમાં બુદ્ધિ બીજી તરફ ભાગે છે
તો પોતાને ચૂંટલી ભરે છે. તમારે પણ સજા આપવી જોઈએ. ખુબ ખબરદારી રાખવી જોઈએ.
કર્મેન્દ્રિઓ દગો તો નથી આપતી! કિનારો કરી લેવો જોઈએ. ઉભાં રહીને જોવું પણ ન જોઈએ.
સ્ત્રી-પુરુષનાં જ ખુબ હંગામા છે. જોવાથી કામ વિકાર ની દૃષ્ટિ જાય છે એટલે સન્યાસી
લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ-કોઈ સન્યાસી તો સ્ત્રીને પીઠ આપીને બેસે છે. તે
સન્યાસીઓ વગેરેને શું મળે છે? કરીને ૧૦-૨૦ લાખ, કરોડ ભેગાં કરશે. મરી ગયા તો ખલાસ.
પછી બીજા જન્મમાં ભેગું કરવું પડે. આપ બાળકોને તો જે કાંઈ મળે છે તે અવિનાશી વારસો
થઈ જાય છે. ત્યાં ધનની લાલચ હોતી જ નથી. એવી કોઈ અપ્રાપ્તિ હોતી નથી, જેનાં માટે
માથું મારવું પડે. કળયુગ અંત અને સતયુગ આદિમાં રાત-દિવસનો ફરક છે. ત્યાં તો અપાર
સુખ હોય છે. અહીંયા કાંઇ પણ નથી. બાબા હંમેશા કહે છે-સંગમ અક્ષરનાં સાથે પુરુષોત્તમ
અક્ષર જરુર લખો. સાફ-સાફ અક્ષર બોલવા જોઈએ. સમજાવા માં સહજ થાય છે. મનુષ્ય થી દેવતા
કિયે….તો જરુર સંગમ પર જ આવશે ને દેવતા બનાવવા, નર્કવાસી ને સ્વર્ગવાસી બનાવવા.
મનુષ્ય તો ઘોર અંધકારમાં છે. સ્વર્ગ શું હોય છે, ખબર જ નથી. બીજા ધર્મવાળા તો
સ્વર્ગને જોઈ પણ નથી સકતા એટલે બાબા કહે છે તમારો ધર્મ ખુબ સુખ આપવા વાળો છે. એને
કહે જ છે હેવન. પરંતુ આ થોડી સમજે છે કે અમે પણ હેવન માં જઈ શકીએ છીએ. કોઈને પણ ખબર
નથી. ભારતવાસી આ ભૂલી ગયાં છે. હેવન ને લાખો વર્ષ કહી દે છે. ક્રિશ્ચન લોકો પોતે કહે
છે ૩ હજાર વર્ષ પહેલાં હેવન હતું. લક્ષ્મી-નારાયણ ને કહે જ છે ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી).
જરુર ગોડ જ ગોડ-ગોડેજ બનાવશે. તો મહેનત કરવી જોઈએ. રોજ પોતાનો પોતામેલ જોવો જોઈએ.
કઈ કર્મેન્દ્રિએ દગો આપ્યો? જીભ પણ કંઈ ઓછી નથી. કોઈ સારી વસ્તુ જોઈ તો છૂપાવીને
ખાઈ લેશે. સમજે થોડી છે કે આ પણ પાપ છે. ચોરી થઇ ને. તે પણ શિવબાબાનાં યજ્ઞ થી ચોરી
કરવી ખુબ ખરાબ છે. કખ નો ચોર તે લખ નો ચોર કહેવાય છે. અનેકો ને માયા નાક થી પકડતી
રહે છે. આ બધી ખોટી આદતો નીકાળવાની છે. પોતાનાં પર ફટકાર કરવી જોઈએ. જ્યાં સુધી
ખરાબ આદતો છે ત્યાં સુધી ઊંચું પદ પામી નહીં શકશે. સ્વર્ગમાં જવું તો મોટી વાત નથી.
પરંતુ ક્યાં રાજા-રાણી ક્યાં પ્રજા! તો બાપ કહે છે કર્મેન્દ્રિઓ ની ખુબ તપાસ કરવી
જોઈએ. કઈ કર્મેન્દ્રિઓ દગો આપે છે? પોતામેલ નીકાળવો જોઈએ. વ્યાપાર છે ને. બાપ સમજાવે
છે મારા થી વ્યાપાર કરવાનો છે, ઊંચ પદ પામવું છે તો શ્રીમત પર ચાલો. બાપ ડાયરેક્શન
(માર્ગદર્શન) આપશે, એમાં પણ માયા વિઘ્ન નાખશે. કરવા નહીં દેશે. બાપ કહે છે આ ભૂલો
નહીં. ગફલત કરવાથી પછી ખૂબ પસ્તાશો. ક્યારેય ઉચ્ચ પદ નહિં પામશો. હમણાં તો ખુશી થી
કહો છો અમે નર થી નારાયણ બનીશું પરંતુ પોતાનાથી પૂછતા રહો - ક્યાંય કર્મેન્દ્રિઓ દગો
તો નથી આપતી?
પોતાની ઉન્નતિ કરવી છે તો બાપ જે ડાયરેક્શન આપે છે તેને અમલમાં લાવો. આખાં દિવસનો
પોતામેલ જુઓ. ભૂલો તો ખૂબ થતી રહે છે. આંખો બહુ દગો આપે છે. તરસ પડશે-આમને ખવડાવું,
ભેટ આપું. પોતાનો સમય બહુજ વેસ્ટ કરી લે છે. માળાનાં દાણા બનવામાં ખુબ મહેનત છે. ૮
રત્ન છે મુખ્ય. ૯ રત્ન કહે છે. એક તો બાબા, બાકી છે ૮, બાબા ની નિશાની તો જોઈએ ને
વચમાં, કોઈ ગ્રહચારી વગેરે આવે છે તો ૯ રત્ન ની વીંટી વગેરે પહેરાવે છે. આટલાં બધાં
પુરુષાર્થ કરવાવાળા માંથી ૮ નીકળે છે-પાસ વિદ ઓનર્સ. ૮ રત્નોની ખુબ મહિમા છે.
દેહ-અભિમાન માં આવવાથી કર્મેન્દ્રિઓ ખુબ જ દગો આપે છે. ભક્તિ માં પણ ચિંતા રહે છે
ને, માથા પર પાપ ખુબજ છે - દાન-પુણ્ય કરે તો પાપ મટી જાય. સતયુગમાં કોઈ ચિંતાની વાત
નથી કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી. ત્યાં પણ એવી વાતો હોય પછી તો નરક અને સ્વર્ગ
માં કાંઈ ફરક જ ન રહે. તમને આટલું ઉચ્ચ પદ પામવા માટે ભગવાન બેસી ભણાવે છે. બાબા
યાદ નથી આવતાં, સારું ભણાવવા વાળા શિક્ષક તો યાદ આવે. અચ્છા, ભલે આ યાદ કરો કે અમારા
એક જ બાબા સદ્દગુરુ છે. મનુષ્યો એ આસુરી મત પર બાપ નો કેટલો તિરસ્કાર કર્યો છે. બાપ
હવે બધાં પર ઉપકાર કરે છે. આપ બાળકોએ પણ ઉપકાર કરવો જોઈએ. કોઈ પર પણ અપકાર નહીં,
કુદ્રષ્ટિ પણ નહીં. પોતાનું જ નુકસાન કરે છે. તે વાયબ્રેશન પછી બીજા ઉપર પણ અસર કરે
છે. બાપ કહે છે ખુબ મોટી મંજિલ છે. રોજ પોતાનો પોતામેલ જુઓ-કોઈ વિકર્મ તો નથી
બનાવ્યાં? આ છે જ વિકર્મી દુનિયા, વિકર્મી સવંત. વિકર્માજીત દેવતાઓના સવંતની કોઈને
પણ ખબર નથી. બાપ સમજાવે છે, વિકાર્માજીત સવંત ને ૫ હજાર વર્ષ થયા પછી પાછળ થી
વિકર્મ સવંત શરુ થાય છે. રાજાઓ પણ વિકર્મ જ કરતા રહે છે, ત્યારે બાપ કહે છે
કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ હું તમને સમજાવું છું. રાવણ રાજ્યમાં તમારા કર્મ વિકર્મ
બની જાય છે. સતયુગમાં કર્મ અકર્મ થાય છે. વિકર્મ બનતા નથી. ત્યાં વિકારનું નામ જ નથી.
આ જ્ઞાનનું ત્રીજું નેત્ર હમણાં તમને મળ્યું છે. હમણાં આપ બાળકો બાપનાં દ્વારા
ત્રિનેત્રી-ત્રિકાળદર્શી બન્યાં છો. મનુષ્ય કોઈ બનાવી ન શકે. તમને બનાવવા વાળા છે
બાપ. પહેલાં જ્યારે આસ્તિક બનો ત્યારે ત્રિનેત્રી-ત્રિકાળદર્શી બનો. આખું ડ્રામા
નું રહસ્ય બુદ્ધિ માં છે. મૂળવતન, સૂક્ષ્મવતન, ૮૪ નું ચક્ર બધું બુદ્ધિ માં છે. પછી
પાછળ થી બીજા ધર્મ આવે છે. વૃદ્ધિ ને પામતા રહે છે. તે ધર્મ સ્થાપકો ને ગુરુ નહીં
કહેશું. સર્વના સદ્દગતિ કરવા વાળા સદ્દગુરુ એક જ છે. બાકી તે કોઈ સદ્દગતિ કરવા થોડી
આવે છે. તેઓ ધર્મ સ્થાપક છે. ક્રાઈસ્ટ ને યાદ કરવાથી સદ્દગતિ થોડી થશે. વિકર્મ
વિનાશ થોડી થશે. કાંઈ પણ નહીં. તે બધાને ભક્તિની હરોળમાં કહેવાશે. જ્ઞાનની લાઈન માં
ફક્ત તમે છો. તમે પન્ડા છો. બધાને શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવો છો. બાપ પણ
લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. એ બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ
થશે.
હમણાં આપ બાળકો પોતાનાં વિકર્મ વિનાશ કરવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો તો તમારે
ધ્યાન રાખવાનું છે કે એક તરફ પુરુષાર્થ, બીજી તરફ વિકર્મ ન થતાં રહે. પુરુષાર્થ ની
સાથે-સાથે વિકર્મ પણ કર્યા તો સો ગુણા થઈ જશે. જેટલું થઈ શકે એટલાં વિકર્મ ન કરો.
નહીં તો વધારો પણ થશે. નામ પણ બદનામ કરશો. જ્યારે કે જાણો છો ભગવાન આપણને ભણાવે છે
તો પછી કોઈ વિકર્મ ન કરવું જોઈએ. નાની ચોરી અથવા મોટી ચોરી, પાપ તો થઈ જાય છે ને. આ
આંખો ખુબ જ દગો આપે છે. બાપ બાળકોની ચલન થી સમજી જાય છે, ક્યારેય વિચાર પણ ન આવે કે
આ અમારી સ્ત્રી છે, આપણે બ્રહ્માકુમાર-કુમારી છીએ, શિવબાબાનાં પૌત્ર છીએ. આપણે
બાબાથી પ્રતિજ્ઞા કરી છે, રાખડી બાંધી છે, પછી આંખો કેમ દગો આપે છે? યાદનાં બળ થી
કોઈપણ કર્મેન્દ્રિઓ નાં દગા થી છૂટી શકો છો. ખુબ મહેનત જોઈએ. બાપનાં ડાયરેક્શન પર
અમલ કરી ચાર્ટ લખો. સ્ત્રી-પુરુષ પણ આપસમાં આ વાતો કરો-અમે તો બાબાથી પૂરો વારસો
લઈશું, શિક્ષક થી પૂરું ભણીશું. આવાં શિક્ષક ક્યારેય મળી ન શકે, જે બેહદનું નોલેજ
આપે. લક્ષ્મી-નારાયણ જ નથી જાણતાં તો તેમની પાછળ આવવાવાળા કેવી રીતે જાણી શકે. બાપ
કહે છે આ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન ફક્ત તમે જાણો છો સંગમ પર. બાબા ખુબ
સમજાવે છે-આ કરો, આમ કરો. પછી અહીંયા થી ઉઠ્યાં તો ખલાસ. આ નથી સમજતા કે શિવબાબા
આપણને કહે છે. હંમેશા સમજો શિવબાબા કહે છે, એમનો ફોટો પણ નહીં રાખો. આ રથ તો લોન
લીધેલી છે. આ પણ પુરુષાર્થી છે, આ પણ કહે છે હું બાબા થી વારસો લઈ રહ્યો છું. તમારા
માફક આ પણ સ્ટુડન્ટ લાઇફમાં છે. આગળ જતાં તમારી મહિમા થશે. હમણાં તો તમે પૂજ્ય દેવતા
બનવાનાં માટે ભણો છો. પછી સતયુગમાં તમે દેવતા બનશો. આ બધી વાતો સિવાય બાપનાં કોઈ
સમજાવી ન શકે. તકદીર માં છે નથી તો સંશય ઊઠે છે-શિવબાબા કેવી રીતે આવીને ભણાવશે!
હું નથી માનતો. માનતા નથી તો પછી શિવબાબા ને યાદ પણ કેવી રીતે કરશે. વિકર્મ વિનાશ
થઈ નહીં શકે. આ આખી નંબરવાર રાજધાની સ્થાપન થઈ રહી છે. દાસ-દાસીઓ પણ તો જોઈએ ને.
રાજાઓને દાસીઓ પણ દહેજ માં મળે છે. અહીંયા જ આટલી દાસીઓ રાખે છે તો સતયુગમાં કેટલી
હશે. એવો થોડી ઢીલો પુરુષાર્થ કરવો જોઈએ છે દાસ-દાસી જઈને બનીએ. બાબા ને પૂછી શકો
છો-બાબા હમણાં મરી જઈએ તો શું પદ મળશે? બાબા ઝટ બતાવી દેશે. પોતાનો પોતામેલ પોતે જ
જુઓ. અંતમાં નંબરવાર કર્માતીત અવસ્થા થઈ જવાની છે. આ છે સાચી કમાણી. તે કમાણીમાં
રાત-દિવસ કેટલા બીઝી (વ્યસ્ત) રહો છો. સટ્ટા વાળા જે હોય છે તે એક હાથ થી ખાવાનું
ખાય છે, બીજા હાથે થી ફોન પર કારોબાર ચલાવતા રહે છે. હવે બતાવો આવાં વ્યક્તિ જ્ઞાનમાં
ચાલી શકશે? કહે છે અમને ફૂરસદ ક્યાં. અરે, સાચ્ચી રાજાઈ મળે છે. બાપ ને ફક્ત યાદ કરો
તો વિકર્મ વિનાશ થશે. અષ્ટ દેવતા વગેરે ને પણ યાદ કરે છે ને. એમની યાદ થી તો કાંઈ
પણ મળતું નથી. બાબા ઘડી-ઘડી દરેક વાત પર સમજાવતા રહે છે. જે પછી એવું કોઈ ન કહે કે
ફલાણી વાત પર તો સમજાવ્યું નહીં. આપ બાળકોએ પેગામ (સંદેશ) પણ બધાને આપવાનો છે.
એરોપ્લેન (વિમાન) થી પણ પરચા નાખવા માટે કોશિશ કરવી જોઈએ. એમાં લખો શિવબાબા આવું કહે
છે. બ્રહ્મા પણ શિવબાબા નો બાળક છે. પ્રજાપિતા છે તો તે પણ બાપ, આ પણ બાપ. શિવબાબા
કહેવાથી પણ ઘણાં બાળકોને પ્રેમ નાં આંસુ આવી જાય છે. ક્યારેય જોયા પણ નથી. લખે છે
બાબા ક્યારે આવીને આપને મળશું, બાબા બંધનથી છોડાવો. અનેકો ને બાબા નો, પછી પ્રિન્સ
(રાજકુમાર) નો પણ સાક્ષાત્કાર થાય છે. આગળ જતાં અનેકો ને સાક્ષાત્કાર થશે તો પણ
પુરુષાર્થ તો કરવો પડે. મનુષ્યને મરવાના સમયે પણ કહે છે ભગવાનને યાદ કરો. તમે પણ
જોશો પાછળ થી ખુબ પુરુષાર્થ કરશે. યાદ કરવા લાગશે.
બાપ સલાહ આપે છે-બાળકો, જે સમય મળે એમાં પુરુષાર્થ કરી મેકઅપ કરી લો. બાપની યાદ માં
રહી વિકર્મ વિનાશ કરો તો પાછળ આવતાં પણ આગળ જઈ શકો છો. જેમ ટ્રેન લેટ હોય છે તો
મેકઅપ કરી લે છે ને. તમને પણ અહીંયા સમય મળે છે તો મેકઅપ કરી લો. અહીંયા આવીને કમાણી
કરવા લાગી જાઓ. બાબા સલાહ પણ આપે છે-આમ-આમ કરો, પોતાનું કલ્યાણ કરો. બાપની શ્રીમત
પર ચાલો. એરોપ્લેન થી પરચા નખાવો, જે મનુષ્ય સમજે કે આ તો બરાબર ઠીક સંદેશ આપતા રહે
છે. ભારત કેટલું મોટું છે, બધાને ખબર પડવી જોઈએ જે પછી એવું ન કહે કે બાબા અમને તો
ખબર જ ન પડી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સીબલ (સમજદાર)
બની પોતાની તપાસ કરવાની છે કે આંખો દગો તો નથી આપતી. કોઈ પણ કર્મેન્દ્રિય નાં વશ થઈ
ઊલટું કર્મ નથી કરવાનું. યાદનાં બળ થી કર્મેન્દ્રિઓ નાં દગા થી છૂટવાનું છે.
2. આ સાચ્ચી કમાણી માટે સમય કાઢવાનો છે, પાછળ થી આવતા પણ પુરુષાર્થ થી મેકઅપ કરી
લેવાનું છે. આ વિકર્મ વિનાશ કરવાનો સમય છે એટલે કોઈ પણ વિકર્મ નથી કરવાનું.
વરદાન :-
દરેક કન્ડિશન
( પરિસ્થિતિ ) માં સેફ ( સુરક્ષિત ) રહેવાવાળા એરકન્ડિશન ની ટિકિટનાં અધિકારી ભવ .
એરકન્ડિશન ની ટિકિટ એ
જ બાળકોને મળે છે જે અહીંયા દરેક કન્ડિશનમાં સેફ રહે છે. કોઈ પણ પરિસ્થિતિ આવી જાય,
કેવી પણ સમસ્યાઓ આવી જાય પરંતુ દરેક સમસ્યા ને સેકન્ડમાં પાર કરવાનું સર્ટિફિકેટ
જોઇએ. જેમ એ ટિકિટ માટે પૈસા આપો છો એમ અહીંયા “સદા વિજયી” બનવાની મની (પૈસા) જોઈએ
- જેનાથી ટિકિટ મળી શકે. આ મની પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરુરત નથી, ફક્ત
બાપનાં સાથે રહો તો અગણિત કમાણી જમા થતી રહેશે.
સ્લોગન :-
કેવી પણ
પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ચાલી જાય પરંતુ ખુશી ન જાય.