29-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પહેલાં
- પહેલાં બધાને બાપ નો સાચો પરિચય આપીને ગીતાનાં ભગવાન સિદ્ધ કરો પછી તમારું નામ
પ્રસિદ્ધ થશે ”
પ્રશ્ન :-
આપ બાળકોએ
ચારેય યુગોમાં ચક્ર લગાવ્યું છે, તેની રીત ભક્તિમાં ચાલી રહી છે, તે કઈ?
ઉત્તર :-
તમે ચારેય યુગોમાં ચક્ર લગાવ્યું તેઓ પછી બધાં શાસ્ત્રો, ચિત્રો વગેરેને ગાડીમાં
રાખી ચારે બાજુ પરિક્રમા લગાવે છે. પછી ઘર માં આવીને સુવડાવી દે છે. તમે બ્રાહ્મણ,
દેવતા, ક્ષત્રિય….બન્યાં. આ ચક્ર નાં બદલે તેમણે પરિક્રમા અપાવવાનું શરું કર્યું
છે. આ પણ રીત છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને સમજાવે છે, જ્યારે કોઈને સમજાવો છો તો પહેલાં આ ક્લિયર (સ્પષ્ટ)
કરી દો કે બાપ એક છે, પૂછવાનું નથી કે બાપ એક છે કે અનેક છે. એમ તો પછી અનેક કહી
દેશે. કહેવાનું જ છે બાપ રચતા ગોડફાધર એક છે. એ બધી આત્માઓનાં બાપ છે. પહેલાં-પહેલાં
એવું પણ ન કહેવું જોઈએ કે એ બિંદી છે, આમાં પછી મૂંઝાઈ જશે. પહેલાં-પહેલાં તો આ સારી
રીતે સમજાવો કે બે બાપ છે - લૌકિક અને પારલૌકિક. લૌકિક તો દરેક નાં હોય જ છે પરંતુ
એમને કોઈ ખુદા, કોઈ ગોડ કહે છે. છે એક જ. બધાં એક ને જ યાદ કરે છે. પહેલાં-પહેલાં આ
પાક્કો નિશ્ચય કરાવો કે ફાધર છે સ્વર્ગની રચના કરવાવાળા. એ અહીંયા આવશે સ્વર્ગનાં
માલિક બનાવવાં, જેને શિવજયંતી પણ કહે છે. આ પણ આપ બાળકો જાણો છો સ્વર્ગનાં રચતા
ભારતમાં જ સ્વર્ગ રચે છે, જેમાં દેવી-દેવતાઓનું જ રાજ્ય હોય છે. તો પહેલાં-પહેલાં
બાપનો જ પરિચય આપવાનો છે. એમનું નામ છે શિવ. ગીતામાં ભગવાનુવાચ છે ને. પહેલાં-પહેલાં
તો આ નિશ્ચય કરાવી લખાવી લેવું જોઈએ. ગીતામાં છે ભગવાનુવાચ-હું તમને રાજયોગ શીખવાડું
છું અર્થાત્ નર થી નારાયણ બનાવું છું. આ કોણ બનાવી શકે છે? જરુર સમજાવવું પડે.
ભગવાન કોણ છે પછી આ પણ સમજાવવાનું હોય છે. સતયુગમાં પહેલાં નંબર માં જે
લક્ષ્મી-નારાયણ છે, જરુર એજ ૮૪ જન્મ લેતાં હશે. પાછળ પછી બીજા-બીજા ધર્મવાળા આવે
છે. તેમનાં આટલાં જન્મ હોઈ ન શકે. પહેલાં આવવા વાળાનાં જ ૮૪ જન્મ હોય છે. સતયુગમાં
તો કાંઈ શીખતાં નથી. જરુર સંગમ પર જ શીખતાં હશે. તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય
આપવાનો છે. જેમ આત્મા જોવામાં નથી આવતી, સમજી શકાય છે, એમ પરમાત્માને પણ જોઈ નથી
શકાતું. બુદ્ધિ થી સમજે છે એ અમારી આત્માઓનાં બાપ છે. એમને કહેવાય છે પરમ આત્મા. એ
સદૈવ પાવન છે. એમને આવીને પતિત દુનિયાને પાવન બનાવવાની હોય છે. તો પહેલાં બાપ એક
છે, આ સિદ્ધ કરી બતાવવાથી ગીતાનાં ભગવાન કૃષ્ણ નથી, તે પણ સિદ્ધ થઈ જશે. આપ બાળકોએ
સિદ્ધ કરી બતાવવાનું છે, એક બાપ ને જ ટ્રુથ (સત્ય) કહેવાય છે. બાકી કર્મકાંડ કે
તીર્થ વગેરેની વાતો બધી ભક્તિનાં શાસ્ત્રોમાં છે. જ્ઞાનમાં આનું કોઈ વર્ણન જ નથી.
અહીંયા કોઈ શાસ્ત્ર નથી. બાપ આવીને બધું રહસ્ય સમજાવે છે. પહેલાં-પહેલાં આપ બાળકો આ
વાત પર જીત પામશો કે ભગવાન એક નિરાકાર છે, ન કે સાકાર. પરમપિતા પરમાત્મા શિવ
ભગવાનુવાચ, જ્ઞાન નાં સાગર સર્વ નાં બાપ એ છે. શ્રીકૃષ્ણ તો બધાનાં બાપ થઇ નથી શકતાં
તે કોઈને કહી નથી શકતા કે દેહ નાં બધાં ધર્મ છોડી મામેકમ યાદ કરો. છે ખુબ સહજ વાત.
પરંતુ મનુષ્ય શાસ્ત્ર વગેરે વાંચીને ભક્તિ માં પાક્કા થઈ ગયાં છે. આજકાલ શાસ્ત્રો
વગેરેને ગાડીમાં રાખી પરિક્રમા કરે છે. ચિત્રો ને, ગ્રંથો ને પણ પરિક્રમા કરાવે છે
પછી ઘરે લઈ આવીને સૂવડાવે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે દેવતા થી ક્ષત્રિય,
વૈશ્ય, શુદ્ર બનીએ છીએ, આ ચક્ર લગાવીએ છીએ. ચક્ર નાં બદલે તેઓ પછી પરિક્રમા કરાવીને
ઘરમાં જ રાખે છે. તેમનો એક નિશ્ચિત દિવસ હોય છે, જ્યારે પરિક્રમા કરાવે છે. તો
પહેલાં-પહેલાં આ સિદ્ધ કરી બતાવવાનું છે કે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ નથી પરંતુ શિવ
ભગવાનુવાચ છે. શિવ જ પુનર્જન્મ રહિત છે. એ આવે જરુર છે, પરંતુ એમનો દિવ્ય જન્મ છે.
ભાગીરથ પર આવીને સવાર થાય છે. પતિતો ને આવીને પાવન બનાવે છે. રચતા અને રચના નાં
આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે, જે નોલેજ બીજું કોઈ નથી જાણતું. બાપ ને પોતે જ
આવીને પોતાનો પરિચય આપવાનો છે. મુખ્ય વાત છે જ બાપનાં પરિચય ની. એજ ગીતાનાં ભગવાન
છે, આ તમે સિદ્ધ કરી બતાવશો તો તમારું નામ ખુબ બાલા થઈ જશે. તો એવાં પરચા બનાવીને
તેમાં ચિત્ર વગેરે પણ લગાવીને પછી એરોપ્લેન (વિમાન) થી નાખવાં જોઈએ. બાપ
મુખ્ય-મુખ્ય વાતો સમજાવતા રહે છે. તમારી મુખ્ય એક વાતમાં જીત થઈ તો બસ તમે જીત પામી.
આમાં તમારું નામ ખુબ પ્રખ્યાત થયું છે, આમાં કોઈ ખીટ-પીટ નહીં કરશે. આ ખુબ ક્લિયર
વાત છે. બાપ કહે છે હું સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકું છું. હું તો આવીને બાળકોને
નોલેજ સંભળાવું છું. પોકારે પણ છે-આવીને પાવન બનાવો. રચતા અને રચના નું જ્ઞાન
સંભળાવો. મહિમા પણ બાપની અલગ, કૃષ્ણની અલગ છે. એવું નહીં શિવબાબા આવીને પછી કૃષ્ણ
કે નારાયણ બને છે, ૮૪ જન્મો માં આવે છે! નહીં. તમારી બુદ્ધિ, આખી આ વાતો સમજાવવામાં
લાગી રહેવી જોઈએ. મુખ્ય છે જ ગીતા. ભગવાનુવાચ છે, તો જરુર ભગવાનનું મુખ જોઈએ ને.
ભગવાન તો છે નિરાકાર. આત્મા મુખ વગર બોલે કેવી રીતે. ત્યારે કહે છે હું સાધારણ તન
નો આધાર લઉં છું. જે પહેલાં લક્ષ્મી-નારાયણ બને છે, એજ ૮૪ જન્મ લેતા-લેતા અંતમાં આવે
છે તો પછી તેમનાં જ તન માં આવે છે. કૃષ્ણ નાં અનેક જન્મો નાં અંતમાં આવે છે.
એવું-એવું વિચાર સાગર મંથન કરો કે કેવી રીતે કોઈને સમજાવીએ. એક જ વાતથી તમારું નામ
બાલા થઈ જશે. રચતા બાપ ની બધાને ખબર પડી જશે. પછી તમારી પાસે ઘણાં આવશે. તમને
બોલાવશે કે અહીંયા આવીને ભાષણ કરો એટલે પહેલાં-પહેલાં અલફ સિદ્ધ કરી સમજાવો. આપ
બાળકો જાણો છો-બાબા થી આપણે સ્વર્ગનો વારસો લઇ રહ્યાં છીએ. બાબા દર ૫ હજાર વર્ષ પછી
ભારતમાં જ ભાગ્યશાળી રથ પર આવે છે. આ છે સૌભાગ્યશાળી, જે રથમાં ભગવાન આવી બેસે છે.
કાંઈ ઓછું છે શું. ભગવાન આમનામાં બેસી બાળકો ને સમજાવે છે કે હું અનેક જન્મો નાં
અંતમાં આમનામાં પ્રવેશ કરું છું. શ્રીકૃષ્ણની આત્મા નો રથ છે ને. તે પોતે કૃષ્ણ તો
નથી. અનેક જન્મોનાં અંત નો છે. દરેક જન્મમાં ફિચર્સ (ચહેરો), ઓક્યુપેશન (કર્તવ્ય)
વગેરે બદલાતું રહે છે. અનેક જન્મોનાં અંતમાં જેમાં પ્રવેશ કરું છું તે પછી કૃષ્ણ બને
છે. આવે છે સંગમયુગ માં. હું પણ બાપ નો બનીને બાપથી વારસો લઉં છું. બાપ ભણાવીને સાથે
લઈ જાય છે બીજી કોઈ તકલીફ ની વાત નથી. બાપ ફક્ત કહે છે મામેકમ યાદ કરો, તો આ સારી
રીતે વિચાર કરવો જોઈએ કે કેવું-કેવું લખીએ. આજ મુખ્ય મિસ્ટેક (ભૂલ) છે જેનાં કારણે
જ ભારત અનરાઈટીયસ ઈરિલીજ્સ (અસત્ય, અધાર્મિક), ઇનસાલવેન્ટ (કંગાળ) બન્યું છે. બાપ
પછી આવીને રાજયોગ શીખવાડે છે. ભારત ને રાઈટીયસ (સચખંડ), સાલવેન્ટ (ભરપુર) બનાવે છે.
આખી દુનિયાને રાઈટીયસ બનાવે છે. તે સમયે આખા વિશ્વનાં માલિક તમે જ છો. કહે છે ને-વિશ
યુ લોન્ગ લાઈફ એન્ડ પ્રોસપર્ટી. બાબા આશીર્વાદ નથી આપતા કે સદા જીવતા રહો. આ સાધુ
લોકો કહે છે-અમર રહો. આપ બાળકો સમજો છો અમર તો જરુર અમરપુરી માં હોઈશું. મૃત્યુલોકમાં
પછી અમર કેવી રીતે કહીશું. તો બાળકો જ્યારે મીટીંગ વગેરે કરે છે તો બાપ થી સલાહ પૂછે
છે. બાબા એડવાન્સ (પહેલા) સલાહ આપે છે બધાં પોત-પોતાની સલાહ લખી મોકલો પછી ભલે સાથે
પણ હોય. સલાહ તો મુરલી માં લખવાથી બધાની પાસે પહોંચી શકે છે. ૨-૩ હજાર ખર્ચો બચી
જાય. આ ૨-૩ હજાર થી તો ૨-૩ સેવાકેન્દ્ર ખોલી શકાય છે. ગામડા-ગામડા માં જવું જોઈએ,
ચિત્ર વગેરે લઈને.
આપ બાળકોનો વધારે ઈન્ટ્રેસ્ટ (રુચિ) સૂક્ષ્મવતન ની વાતો માં ન હોવો જોઈએ. બ્રહ્મા,
વિષ્ણુ, શંકર વગેરે ચિત્ર છે તો આનાં પર થોડું સમજાવાય છે. એમનો વચમાં થોડો પાર્ટ
છે. તમે જાઓ છો, મળો છો બાકી બીજું કાંઈ છે નહીં એટલે આમાં વધારે ઈન્ટ્રેસ્ટ નથી
લેવાતો. અહીંયા આત્માને બોલાવાય છે, તેમને દેખાડે છે. કોઈ-કોઈ આવીને રડે પણ છે. કોઈ
પ્રેમથી મળે છે. કોઈ દુઃખનાં આંસુ વહાવે છે. આ બધો ડ્રામામાં પાર્ટ છે, જેને
ચિટ-ચેટ (વાતચીત) કહેવાય. તે લોકો તો બ્રાહ્મણ માં કોઈ ની આત્મા ને બોલાવે છે પછી
તેમને કપડાં વગેરે પહેરાવશે. હવે શરીર તો તે ખતમ થઈ ગયું, બાકી પહેરશે કોણ? તમારી
પાસે તે રીવાજ નથી. રડવા વગેરે ની તો વાત જ નથી. તો ઊંચે થી ઊંચું બનવાનું છે, તે
કેવી રીતે બનાય. જરુર વચમાં સંગમયુગ છે જ્યારે પવિત્ર બને છે. તમે એક વાત સિદ્ધ કરશો
તો કહેશે આ તો બિલકુલ ઠીક બતાવે છે. ભગવાન ક્યારેય જુઠ્ઠું થોડી બતાવી શકે છે. પછી
અનેકો નો પ્રેમ પણ હશે, ઘણાં આવશે. સમય પર બાળકોને બધાં પોઇન્ટસ (જ્ઞાન) પણ મળતાં
રહે છે. અંતમાં શું-શું થવાનું છે. તે પણ જોશો, લડાઈ લાગશે ,બોમ્બસ છૂટશે. પહેલાં
મોત છે તે તરફ. અહીંયા તો લોહીની નદીઓ વહેવાની છે પછી ઘી-દૂધ ની નદી. પહેલાં-પહેલો
ધુમાડો વિલાયત (વિદેશ) થી નીકળશે. ડર પણ ત્યાં છે. કેટલાં મોટાં-મોટાં બોમ્બસ બનાવે
છે. શું-શું તેમાં નાખે છે. જે એકદમ શહેર ને ખલાસ કરી દે છે. આ પણ બતાવવાનું છે,
કોણે સ્વર્ગની રાજાઈ સ્થાપન કરી. હેવનલી ગોડફાધર જરુર સંગમ પર જ આવે છે. તમે જાણો
છો હમણાં સંગમ છે. તમને મુખ્ય વાત સમજાવાય છે બાપની યાદ ની, જેનાથી જ પાપ કપાશે.
ભગવાન જ્યારે આવ્યાં હતાં તો કહ્યું હતું મામેકમ યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો.
મુક્તિધામ માં જશો. ફરી પહેલે થી લઈને ચક્ર રિપીટ થશે. દેવીધર્મ, ઈસ્લામ ધર્મ,
બૌદ્ધ ધર્મ....આપ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની બુદ્ધિમાં આ બધું નોલેજ હોવું જોઈએ ને.
ખુશી રહે છે, અમે કેટલી કમાણી કરીએ છીએ, આ અમરકથા અમરબાબા તમને સંભળાવે છે. તમારા
અનેક નામ રાખી દીધાં છે. મુખ્ય પહેલાં-પહેલાં દેવીધર્મ, પછી બધાની વૃદ્ધિ થતાં-થતાં
ઝાડ વધતું જાય છે. અનેકાનેક ધર્મ, અનેક મત થઈ જાય છે. આ એક ધર્મ એક શ્રીમત થી
સ્થાપન થાય છે. દ્વેત ની વાત નથી. આ રુહાની નોલેજ રુહાની બાપ બેસી સમજાવે છે. આપ
બાળકોએ ખુશીમાં પણ રહેવું જોઈએ.
તમે જાણો છો બાપ આપણને ભણાવે છે, તમે અનુભવ થી કહો છો તો આ શુદ્ધ અહંકાર રહેવો જોઈએ
કે ભગવાન આપણને ભણાવી રહ્યાં છે બીજું શું જોઈએ! જ્યારે કે આપણે વિશ્વનાં માલિક
બનીએ છીએ તો ખુશી કેમ નથી રહેતી અથવા નિશ્ચય માં ક્યાં સંશય છે. બાપ માં સંશય ન
લાવવો જોઈએ. માયા સંશયમાં લાવીને ભુલાવી દે છે. બાબા એ સમજાવ્યું છે માયા આંખો
દ્વારા ખુબ દગો આપે છે. સારી વસ્તુ જોશે તો દિલ ઘડી-ઘડી કરશે ખાઈએ, આંખોથી જુએ છે
ત્યારે ક્રોધ આવે છે મારવા માટે. જોવે જ નહીં તો મારે કેવી રીતે. આંખોથી જોવે છે
ત્યારે લોભ, મોહ પણ થાય છે. મુખ્ય દગો આપવાવાળી આંખો છે. એનાં પર પૂરી નજર રાખવી
જોઈએ. આત્મા ને જ્ઞાન મળે છે, તો પછી ક્રિમિનલપણું (અપવિત્રતા) છૂટી જાય છે. એવું
પણ નથી આંખો ને કાઢી નાખવાની છે. તમારે તો ક્રિમિનલ આઈ (કુદૃષ્ટિ) ને સિવિલઆઈ (પવિત્ર
દૃષ્ટિ) બનાવવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ જ નશા
કે ખુશી માં રહેવાનું છે કે આપણને ભગવાન ભણાવે છે. કોઈ પણ વાતમાં સંશય બુદ્ધિ નથી
થવાનું. શુદ્ધ અહંકાર રાખવાનો છે.
2. સૂક્ષ્મવતન ની વાતો માં વધારે ઈન્ટ્રેસ્ટ (રુચિ) નથી રાખવાનો. આત્માને સતોપ્રધાન
બનાવવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. આપસમાં સલાહ કરી બધાને બાપ ની સાચી ઓળખ
આપવાની છે.
વરદાન :-
સંગમયુગ નાં
મહત્વ ને જાણી એક નું અગણિત વખત રિટર્ન ( વળતર ) પ્રાપ્ત કરવાવાળા સર્વ પ્રાપ્તિ
સમ્પન્ન ભવ
સંગમયુગ પર બાપદાદાનો
વાયદો છે-એક આપો લાખ લો. જેમ સર્વ શ્રેષ્ઠ સમય, સર્વ શ્રેષ્ઠ જન્મ, સર્વ શ્રેષ્ઠ
ટાઈટલ આ સમયનાં છે તેમ સર્વ પ્રાપ્તિઓ નો અનુભવ હમણાં જ થાય છે. હમણાં એક નું ફક્ત
લાખ ગુણા નથી મળતું પરંતુ જ્યારે ઈચ્છો જેમ ઈચ્છો, જે ઈચ્છો બાપ સર્વન્ટ રુપમાં
બંધાયેલા છે. એકનું અગણિત વખત રિટર્ન મળી જાય છે કારણ કે વર્તમાન સમયે વરદાતા જ
તમારા છે. જ્યારે બીજ તમારાં હાથમાં છે તો બીજ દ્વારા જે ઈચ્છો તે સેકન્ડમાં લઈને
સર્વ પ્રાપ્તિઓ થી સમ્પન્ન બની શકો છો.
સ્લોગન :-
કેવી પણ
પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ચાલી જાય પરંતુ ખુશી ન જાય.