21-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
તમને ભણાવી રહ્યાં છે સુંદર દેવી દેવતા બનાવવાં , સુંદરતા નો આધાર છે પવિત્રતા ”
પ્રશ્ન :-
રુહાની શમા પર
જે પરવાના ફિદા થવાવાળા છે, તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
ફિદા થવા વાળા પરવાના :- ૧. શમા જે છે જેવી છે તેને યથાર્થ રુપ થી જાણી અને યાદ કરે
છે, ૨. ફિદા થવું એટલે બાપ સમાન બનવું, ૩. ફિદા થવું એટલે બાપ થી પણ ઉંચ રાજાઈ નાં
અધિકારી બની જવું.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા …….
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ આ ગીતની લાઈન સાંભળી. આ કોણ સમજાવે છે? રુહાની બાપ. એ શમા પણ છે. નામ
અનેકાનેક રાખ્યાં છે. બાપ ની સ્તુતિ પણ ખુબ કરે છે. આ પણ પરમપિતા પરમાત્મા ની સ્તુતિ
છે ને. બાપ શમા બનીને આવ્યાં છે પરવાનાઓ માટે. પરવાના જ્યારે શમા ને જુએ છે તો તેનાં
પર ફિદા થઈ શરીર છોડી દે છે. અનેક પરવાના હોય છે જે શમા પર પ્રાણ આપે છે. તેમાં પણ
ખાસ જ્યારે દિવાળી હોય છે, બત્તીઓ ખુબ પ્રગટે છે તો નાનાં-નાનાં જીવ અનેક મોડી રાતનાં
મરી જાય છે. હવે આપ બાળકો જાણો છો આપણા બાબા છે સુપ્રીમ રુહ. એમને હુસૈન પણ કહેવાય
છે, ખુબ સુંદર છે કારણ કે તે એવર પ્યોર (સદા પવિત્ર) છે. આત્મા પ્યોર બની જાય છે તો
તેને શરીર પણ પ્યોર, નેચરલ સુંદર મળે છે. શાંતિધામ માં આત્માઓ પવિત્ર રહે છે પછી
જ્યારે અહીંયા આવે છે પાર્ટ ભજવવા તો સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે. પછી
સુંદર થી શ્યામ અર્થાત્ કાળી ઈમ્પ્યોર (અપવિત્ર) બની જાય છે. આત્મા જ્યારે પવિત્ર
છે તો ગોલ્ડન એજેડ (સતોપ્રધાન) કહેવાય છે. તેને પછી શરીર પણ ગોલ્ડન એજેડ મળે છે.
દુનિયા પણ જૂની અને નવી થાય છે. એજ હસીન પરમપિતા પરમાત્મા, જેમને ભક્તિ માર્ગમાં
બોલવતા રહીએ છીએ-હેં શિવબાબા, એ નિરાકાર પરમપિતા પરમાત્મા આવેલાં છે. આત્માઓ ને
ઈમ્પ્યોર (અપવિત્ર) થી પ્યોર (પવિત્ર) હસીન બનાવવાં. એવું નહીં, આજકાલ જે ખુબ સુંદર
છે, તેમની આત્મા પવિત્ર છે. ના. ભલે શરીર સુંદર છે છતાં પણ આત્મા તો પતિત છે ને.
વિલાયત (વિદેશ) માં કેટલાં સુંદર બને છે. જાણો છો આ લક્ષ્મી-નારાયણ છે સતયુગી સુંદર
અને અહીંયા છે હેલ નાં સુંદર. મનુષ્ય આ વાતો ને નથી જાણતાં. બાળકોને જ સમજાવાય છે આ
છે નર્કની ખૂબસૂરતી. આપણે હમણાં સ્વર્ગનાં માટે નેચરલ સુંદર બની રહ્યાં છીએ. ૨૧
જન્મનાં માટે આવાં સુંદર બનીશું. અહીંયા ની ખૂબસૂરતી તો એક જન્મનાં માટે છે. અહીંયા
બાબા આવેલાં છે, આખી દુનિયાનાં મનુષ્ય માત્ર તો શું દુનિયાને પણ સુંદર બનાવે છે.
સતયુગ નવી દુનિયામાં હતાં જ સુંદર દેવી-દેવતાઓ. તે બનવાનાં માટે હમણાં તમે ભણો છો.
બાપ ને શમા પણ કહે છે પરંતુ છે પરમ આત્મા. જેમ તમને આત્મા કહે છે તેમ એમને પરમ આત્મા
કહે છે. આપ બાળકો બાપની મહિમા ગાઓ છો, બાપ પછી બાળકો ની મહિમા કરે છે, તમને આવાં
બનાવું છું, જે મારાથી પણ તમારું પદ ઉંચ છે. હું જે છું, જેવો છું, જેમ હું પાર્ટ
ભજવું છું આ બીજું કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો જાણો છો કેવી રીતે આપણે આત્માઓ
પાર્ટ ભજવવા માટે પરમધામ થી આવીએ છીએ. આપણે શુદ્ર કુળમાં હતાં પછી હવે બ્રાહ્મણ
કુળમાં આવ્યાં છીએ. આ પણ તમારો વર્ણ છે બીજા કોઈ ધર્મ વાળા માટે આ વર્ણ નથી. તેમનાં
વર્ણ નથી હોતાં. તેમનો તો એક જ વર્ણ છે, ક્રિશ્ચિયન જ ચાલ્યાં આવે છે. હાં, તેમનામાં
પણ સતો-રજો-તમો માં આવે છે. બાકી આ વર્ણ તમારા માટે છે. સૃષ્ટિ પણ સતો-રજો-તમો માં
આવે છે. આ સૃષ્ટિ ચક્ર બેહદનાં બાપ બેસી સમજાવે છે. જે બાપ જ્ઞાનનાં સાગર,
પવિત્રતાનાં સાગર છે, સ્વયં કહે છે હું પુનર્જન્મ નથી લેતો. ભલે શિવ જયંતી મનાવે છે
પરંતુ મનુષ્યોને આ ખબર નથી કે ક્યારે આવે છે. એમની જીવન કહાની ને પણ નથી જાણતાં.
બાપ કહે છે હું જે છું, જેવો છું, મારા માં શું પાર્ટ છે, સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે
છે - આ આપ બાળકોને હું કલ્પ-કલ્પ સમજાવું છું. તમે જાણો છો, આપણે સીડી ઉતરતાં-ઉતરતાં
તમોપ્રધાન બન્યાં છીએ. ૮૪ જન્મ પણ તમે લો છો. અંતમાં જે આવે છે તેમને પણ સતો-રજો-તમો
માં આવવાનું જ છે. તમે તમોપ્રધાન બનો છો તો આખી દુનિયા તમોપ્રધાન બની જાય છે. પછી
તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું છે. આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. હમણાં
છે કળયુગ તેનાં પછી ફરી સતયુગ આવશે. કળયુગ ની આયુ પૂરી થઈ. બાપ કહે છે મેં સાધારણ
તન માં હૂબહૂ કલ્પ પહેલાં માફક પ્રવેશ કર્યો છે ફરી થી આપ બાળકોને રાજ્યોગ શીખવાડવાં.
યોગ તો આજકાલ બહુજ છે. બેરિસ્ટરી યોગ, એન્જિનિયરી યોગ….બેરિસ્ટરી ભણવા માટે
બેરિસ્ટર ની સાથે બુદ્ધિ નો યોગ લગાવવાનો હોય છે. અમે બેરિસ્ટર બની રહ્યાં છીએ તો
ભણાવવા વાળા ને યાદ કરીએ છીએ. તેમને તો પોતાનાં બાપ અલગ છે, ગુરુ પણ હશે તો તેમને
પણ યાદ કરશે. તો પણ બેરિસ્ટર ની સાથે બુદ્ધિનો યોગ રહે છે. આત્મા જ ભણે છે. આત્મા જ
શરીર દ્વારા જજ બેરિસ્ટર વગેરે બને છે.
હમણાં આપ બાળકો આત્મ-અભિમાની બનવાનાં સંસ્કાર પોતાનામાં પાડો છો. અડધોકલ્પ
દેહ-અભિમાની રહ્યાં. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. આત્મામાં જ ભણતર નાં સંસ્કાર
છે. મનુષ્ય આત્મા જ જજ બને છે, હવે આપણે વિશ્વનાં માલિક દેવતા બની રહ્યાં છીએ,
ભાણાવવા વાળા છે શિવબાબા, પરમ આત્મા. એજ જ્ઞાનનાં સાગર, શાંતિ, સંપત્તિનાં સાગર છે.
આ પણ દેખાડે છે સાગર થી રત્નોની થાળીઓ નીકળે છે. આ છે ભક્તિમાર્ગ ની વાતો. બાપે
દૃષ્ટાંત આપવું પડે છે. બાપ સમજાવે છે આ છે અવિનાશી જ્ઞાન રત્ન. આ જ્ઞાન રત્નો થી
તમે ખુબ સાહૂકાર બનો છો અને પછી હીરા ઝવેરાત પણ તમને ખુબ મળે છે. આ એક-એક રત્ન લાખો
રુપિયાનાં છે જે તમને આટલાં સાહૂકાર બનાવે છે. તમે જાણો છો ભારત જ વાઈસલેસ (નિર્વિકાર)
વર્લ્ડ હતું. એમાં પવિત્ર દેવતાઓ રહેતાં હતાં. હવે શ્યામ અપવિત્ર બની ગયાં છે.
આત્માઓ અને પરમાત્મા નો મેળો થાય છે. આત્મા શરીરમાં છે ત્યારે જ સાંભળી શકે છે.
પરમાત્મા પણ શરીરમાં આવે છે. આત્માઓ અને પરમાત્મા નું ઘર શાંતિધામ છે. ત્યાં ચુરપુર
(હલચલ) કાંઈ પણ નથી હોતી. અહીંયા પરમાત્મા બાપ આવીને બાળકો થી મળે છે. શરીર સહિત મળે
છે. ત્યાં તો ઘર છે, ત્યાં વિશ્રામ પામે છે. હમણાં આપ બાળકો પુરુષોત્તમ સંગમયુગ પર
છો. બાકી દુનિયા કળયુગ માં છે. બાપ બેસી સમજાવે છે ભક્તિમાર્ગ માં ખર્ચો ખુબ કરે
છે, ચિત્ર પણ ખુબ બનાવે છે. મોટાં-મોટાં મંદિર બનાવે છે. નહિં તો કૃષ્ણનું ચિત્ર
ઘરમાં પણ તો રાખી શકે છે. ખુબ સસ્તા ચિત્ર હોય છે પછી આટલાં દૂર-દૂર મંદિરો માં કેમ
જાય. આ છે ભક્તિમાર્ગ. સતયુગમાં આ મંદિર વગેરે હોતાં નથી. ત્યાં છે જ પૂજ્ય. કળયુગ
માં છે પૂજારી. તમે હમણાં સંગમયુગ પર પૂજ્ય દેવતા બની રહ્યાં છો. હમણાં તમે
બ્રાહ્મણ બન્યાં છો. આ સમયે તમારું આ અંતિમ પુરુષાર્થી શરીર મોસ્ટ વેલ્યુબુલ (સૌથી
કિમતી) છે. આમાં તમે ખુબ કમાણી કરો છો. બેહદનાં બાપ ની સાથે તમે ખાવો પીવો છો.
પોકારો પણ એમને છો. એવું નથી કહેતા - કૃષ્ણ થી ખાઉં. બાપ ને યાદ કરે છે - તુમ
માત-પિતા...બાળક તો બાપની સાથે રમતા રહે છે. કૃષ્ણનાં આપણે બધાં બાળક છીએ, એવું નહીં
કહેશે. બધી આત્માઓ પરમપિતા પરમાત્મા નાં બાળકો છે. આત્મા શરીર દ્વારા કહે છે - તમે
આવશો તો અમે તમારી સાથે રમીશું, ખાઈશું બધું કરીશું. તમે કહો જ છો બાપદાદા. તો જેમ
ઘર થઈ ગયું. બાપદાદા અને બાળકો. આ બ્રહ્મા છે બેહદનાં રચયિતા. બાપ આમનામાં પ્રવેશ
કરી આમને એડોપ્ટ કરે છે. આમને કહે છે તમે મારા છો. આ છે મુખ વંશાવલી. જેમ સ્ત્રીને
પણ એડોપ્ટ કરે છે ને. તે પણ મુખ વંશાવલી થઇ. કહેશે તું મારી છે. પછી એનાથી કુખ
વંશાવલી બાળકો પેદા થાય છે. આ રીવાજ ક્યાંથી ચાલ્યો? બાપ કહે છે મેં આમને એડોપ્ટ
કર્યા છે ને. આમનાં દ્વારા તમને એડોપ્ટ કરું છું. તમે મારા બાળકો છો. પરંતુ આ છે
મેલ (પુરુષ). તમને બધાને સંભાળવા માટે પછી સરસ્વતીને પણ એડોપ્ટ કરી. તેને માતાનું
ટાઈટલ (શીર્ષક) મળ્યું. સરસ્વતી નદી. આ નદી માતા થઈ ને. બાપ સાગર છે. આ પણ સાગર થી
નીકળેલી છે. બ્રહ્મપુત્રા નદી અને સાગર નો ખુબ મોટો મેળો લાગે છે. આવો મેળો બીજે
ક્યાંય લાગતો નથી. તે છે નદીઓ નો મેળો. આ છે આત્માઓ અને પરમાત્મા નો મેળો. તે પણ
જ્યારે શરીર માં આવે છે ત્યારે મેળો લાગે છે. બાપ કહે છે હું હુસૈન છું. હું આમનામાં
કલ્પ-કલ્પ પ્રવેશ કરું છું. આ ડ્રામા માં નોંધ છે. તમારી બુદ્ધિમાં આખાં સૃષ્ટિનું
ચક્ર છે, આની આયુ ૫ હજારો વર્ષ છે. આ બેહદ ની ફિલ્મ થી પછી હદની ફિલ્મ બનાવે છે. જે
પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું સો પ્રેઝન્ટ (વર્તમાન) હોય છે. પ્રેઝન્ટ પછી ફ્યુચર (ભવિષ્ય)
બને છે, જેને પછી પાસ્ટ કહેવાશે. પાસ્ટ થવામાં કેટલો સમય લાગી ગયો. નવી દુનિયામાં
આવે કેટલો સમય પસાર થયો? ૫ હજાર વર્ષ. તમે હમણાં દરેક સ્વદર્શન ચક્રધારી છો. તમે
સમજાવો છો આપણે પહેલાં બ્રાહ્મણ હતાં પછી દેવતા બન્યાં. આપ બાળકોને હમણાં બાપ દ્વારા
શાંતિધામ સુખધામ નો વારસો મળે છે. બાપ આવીને ત્રણ ધર્મ સાથે સ્થાપન કરે છે. બાકી
બધાનો વિનાશ કરાવી દે છે. પાછાં લઈ જવાવાળા તમને સદ્દગુરુ બાપ મળ્યાં છે. બોલવે પણ
છે અમને સદ્દગતિ માં લઇ જાઓ. શરીરને ખલાસ કરાવો. એવી યુક્તિ બતાવો જે અમે શરીર છોડી
શાંતિધામ ચાલ્યાં જઈએ. ગુરુની પાસે પણ મનુષ્ય એટલે જાય છે. પરંતુ તે ગુરુ શરીર થી
છોડાવીને સાથે લઇ નથી જઈ શકતાં. પતિત પાવન છે જ એક બાપ. તો એ જ્યારે આવે છે તો પાવન
જરુર બનવું પડે. બાપને જ કહેવાય છે કાળો નાં કાળ, મહાકાળ. બધાને શરીર થી છોડાવીને
સાથે લઈ જાય છે. આ છે સુપ્રીમ ગાઈડ (સર્વોચ્ચ માર્ગદર્શક). બધી આત્માઓને પાછાં લઈ
જાય છે. આ છી-છી શરીર છે, તેના બંધન થી છૂટવા ઈચ્છે છે. ક્યાં શરીર છૂટે તો બંધન
છૂટે. હવે તમને આ બધાં આસુરી બંધનો થી છોડાવીને સુખ નાં દેવી સંબંધ માં લઈ જાય છે.
તમે જાણો છો આપણે સુખધામ માં આવીશું વાયા શાંતિધામ. પછી દુઃખધામ માં કેવી રીતે આવો
છો તે પણ તમે જાણો છો. બાબા આવે જ છે શ્યામ થી સુંદર બનાવવાં. બાપ કહે છે હું તમારો
ઓબીડીયન્ટ (વફાદાર) સાચો ફાધર (પિતા) પણ છું. ફાધર હંમેશા ઓબીડીયન્ટ હોય છે. સેવા
ખુબ કરે છે. ખર્ચો કરી ભણાવીને પછી બધી ધન સંપત્તિ બાળકોને આપીને પોતે જઈ સાધુઓનો
સંગ કરે છે. પોતાનાં થી પણ બાળકોને ઉંચ બનાવે છે. આ બાપ પણ કહે છે હું તમને ડબલ
માલિક બનાવું છું. તમે વિશ્વનાં પણ માલિક છો તો બ્રહ્માંડ નાં પણ માલિક બનો છો.
તમારી પૂજા પણ ડબલ થાય છે. આત્માઓની પણ પૂજા થાય છે. દેવતા વર્ણ માં પણ પૂજા થાય
છે. મારી તો સિંગલ ફક્ત શિવલિંગ નાં રુપની પૂજા થાય છે. હું રાજા તો બનતો નથી. તમારી
કેટલી સેવા કરું છું. આવાં બાપ ને પછી તમે ભૂલો કેમ છો! હેં આત્મા સ્વયંને આત્મા
સમજી મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે કોની પાસે આવ્યાં છો? પહેલાં બાપ
પછી દાદા. હમણાં ફાધર પછી ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર આદિ દેવ એડમ કારણ કે અનેક
સંપ્રદાય બને છે ને. શિવબાબા ને કાંઈ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેશું શું? દરેક
વાતમાં તમને ખુબ ઉંચા બનાવે છે. આવાં બાબા મળે છે પછી એમને તમે ભૂલો કેમ છો? ભૂલશો
તો પાવન કેવી રીતે બનશો! બાપ પાવન બનાવવાની યુક્તિ બતાવે છે. આ યાદ થી જ ખાદ નીકળશે.
બાપ કહે છે-મીઠા-મીઠા લાડલા બાળકો, દેહ-અભિમાન છોડી આત્મ-અભિમાની બનવાનું છે,
પવિત્ર પણ બનાવાનું છે. કામ મહાશત્રુ છે. આ એક જન્મ મારા ખાતર પવિત્ર બનો. લૌકિક
બાપ પણ કહે છે ને - કોઈ ગંદુ કામ નહીં કરો. મારી દાઢી ની લાજ રાખો. પારલૌકિક બાપ પણ
કહે છે હું પાવન બનાવવા આવ્યો છું, હવે કાળું મોઢું નહીં કરો. નહીં તો ઇજ્જત ગુમાવશો.
બધાં બ્રાહ્મણોની અને બાપની પણ ઇજ્જત ગુમાવી દેશો. લખે છે બાબા અમે પડી ગયાં. કાળું
મોઢું કરી દીધું. બાબા કહે છે હું તમને હસીન (સુંદર) બનાવવા આવ્યો છું, તમે પછી કાળું
મોઢું કરો છો. તમારે તો સદા હસીન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ
પુરુષાર્થી શરીર ખુબ વેલ્યુબલ (કિમતી) છે, આમાં ખુબ કમાણી કરવાની છે. બેહદ નાં બાપ
ની સાથે ખાતા, પીતા…...સર્વ સંબંધોની અનુભૂતિ કરવાની છે.
2. કોઈ પણ એવું કર્મ
નથી કરવાનું જેનાંથી બ્રાહ્મણ પરિવારની કે બાપ ની ઈજ્જત જાય. આત્મ અભિમાની બની પૂરા
પવિત્ર બનવાનું છે. યાદ થી જૂની ખાદ કાઢવાની છે.
વરદાન :-
કળયુગી
દુનિયાનાં દુઃખ અશાંતિનાં દ્રશ્યો જોતા સદા સાક્ષી અને બેહદ નાં વૈરાગી ભવ
આ કળયુગી દુનિયામાં
કંઈ પણ થાય છે પરંતુ તમારી સદા ચઢતી કળા છે. દુનિયાનાં માટે હાહાકાર છે અને તમારા
માટે જયજયકાર છે. તમે કોઈ પણ પરિસ્થિતિ થી ગભરાતા નથી કારણ કે તમે પહેલે થી જ તૈયાર
છો. સાક્ષી થઈને દરેક પ્રકારની રમત જોઈ રહ્યાં છો. કોઈ રડે છે, બુમો પાડે છે, સાક્ષી
થઈને જોવા માં મજા આવે છે. જે કળયુગી દુનિયાનાં દુઃખ અશાંતિ નાં દ્રશ્યો સાક્ષી થઈને
જુએ છે તે સહજ જ બેહદ નાં વૈરાગી બની જાય છે.
સ્લોગન :-
કેવી પણ ધરણી
તૈયાર કરવી છે તો વાણી ની સાથે વૃત્તિ થી સેવા કરો.