08-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
ભણતરનું ફાઉન્ડેશન ( પાયો ) છે પ્યોરિટી ( પવિત્રતા ), પ્યોરિટી છે ત્યારે યોગનું
બળ ભરાઈ શકશે , યોગ નું બળ છે તો વાણીમાં શક્તિ હશે ”
પ્રશ્ન :-
આપ બાળકોએ હમણાં
કયો પ્રયત્ન પૂરે-પૂરો કરવાનો છે?
ઉત્તર :-
માથા પર જે વિકર્મો નો બોજો છે તેને ઉતારવાનો પૂરે-પૂરો પ્રયત્ન કરવાનો છે. બાપનાં
બનીને કોઈ વિકર્મ કર્યુ તો ખૂબ જોરથી નીચે પડશો. બી.કે.ની જો નિંદા કરાવી, કોઈ
તકલીફ આપી તો બહુજ પાપ થઈ જશે. પછી જ્ઞાન સાંભળવા-સંભળાવવા થી કોઈ ફાયદો નથી.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકોને સમજાવી રહ્યાં છે કે તમે પતિત થી પાવન બની પાવન દુનિયાનાં માલિક કેવી રીતે
બની શકો છો! પાવન દુનિયાને સ્વર્ગ અથવા વિષ્ણુપુરી, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
કહેવાય છે. વિષ્ણુ અર્થાત્ લક્ષ્મી-નારાયણનું કમ્બાઈન્ડ (ભેગું) ચિત્ર એવું બનાવ્યું
છે, એટલે સમજાવાય છે. બાકી વિષ્ણુ ની જ્યારે પૂજા કરે છે તો સમજી નથી શકતા કે આ કોણ
છે? મહાલક્ષ્મીની પૂજા કરે છે પરંતુ સમજતા નથી કે આ કોણ છે? બાબા હમણાં આપ બાળકોને
ભિન્ન-ભિન્ન રીતે થી સમજાવે છે. સારી રીતે ધારણ કરો. કોઈ-કોઈની બુદ્ધિ માં રહે છે
કે પરમાત્મા તો બધું જ જાણે છે. અમે જે કંઈ સારું કે ખોટું કરીએ છીએ એ બધું જાણે
છે. હવે આને અંધશ્રદ્ધાનો ભાવ કહેવાય છે. ભગવાન આ વાતોને જાણતા જ નથી. આપ બાળકો જાણો
છો ભગવાન તો છે પતિતો ને પાવન બનાવવા વાળા. પાવન બનાવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે
પછી જે સારી રીતે ભણશે તે ઊંચું પદ પામશે. બાકી એવું નથી સમજવાનું કે બાપ બધાનાં
દિલોને જાણે છે. આ પછી બેસમજી કહેવાશે. મનુષ્ય જે કર્મ કરે છે તેમનું પછી સારું અથવા
ખરાબ ડ્રામા અનુસાર તેમને મળે જ છે. આમાં બાપનું કોઈ કનેક્શન (સંબંધ) જ નથી. આ
વિચાર ક્યારેય નથી કરવાનો કે બાબા તો બધું જાણે જ છે. ઘણાં છે જે વિકાર માં જતાં,
પાપ કરતા રહે છે અને પછી અહીંયા અથવા સેવાકેન્દ્ર પર આવી જાય છે. સમજે છે બાબા તો
જાણે છે. પરંતુ બાબા કહે હું આ ધંધો જ નથી કરતો. જાની જાનનહાર અક્ષર પણ ખોટો છે. તમે
બાપને બોલાવો છો કે આવીને પતિત થી પાવન બનાવો, સ્વર્ગ નાં માલિક બનાવો કારણ કે
જન્મ-જન્માંતર નાં પાપ માથા પર બહુજ છે. આ જન્મનાં પણ છે. આ જન્મનાં પાપ બતાવે પણ
છે. અનેકો એ એવા પાપ કર્યા છે જે પાવન બનવું ખુબ મુશ્કેલ લાગે છે. મુખ્ય વાત છે જ
પાવન બનવાની. ભણતર તો ખુબ સહજ છે, પરંતુ વિકર્મો નો બોજો કેવી રીતે ઉતરે તેનો
પ્રયત્ન કરવો જોઈએ. એવાં ઘણાં છે અથાહ પાપ કરે છે, ખુબ ડિસ-સર્વિસ (કુસેવા) કરે છે.
બી.કે. આશ્રમને તકલીફ આપવાની કોશિશ કરે છે. એનું ખુબ પાપ ચઢે છે. તે પાપ વગેરે કોઈ
જ્ઞાન આપવાથી નથી મટી શકતું. પાપ મટશે તો પણ યોગથી. પહેલાં તો યોગ નો પુરો
પુરુષાર્થ કરવો જોઈએ, ત્યારે કોઈને તીર પણ લાગી શકશે. પહેલાં પવિત્ર બને, યોગ હોય
ત્યારે વાણીમાં પણ બળ ભરાશે. નહીં તો ભલે કોઈને કેટલું પણ સમજાવશો, કોઈની બુદ્ધિમાં
બેસશે નહીં, તીર લાગશે નહીં. જન્મ-જન્માન્તર નાં પાપ છે ને. હમણાં જે પાપ કરે છે,
તે તો જન્મ-જન્માન્તર થી પણ અધિક થઈ જાય છે એટલે ગવાય છે સદ્દગુરુ નાં નિંદક... આ
સત બાબા, સત શિક્ષક, સદ્દગુરુ છે. બાપ કહે છે બી.કે. ની નિંદા કરાવવા વાળાનાં પણ
પાપ બહુજ ભારે છે. પહેલાં પોતે તો પાવન બને. કોઈને સમજાવવાનો ખુબ શોખ રાખે છે. યોગ
પાઈ નો પણ નથી, આનાથી ફાયદો શું? બાબા કહે છે મુખ્ય વાત છે જ યાદ થી પાવન બનવાની.
પોકારે પણ પાવન બનવાનાં માટે છે. ભક્તિ માર્ગ માં એક આદત પડી ગઈ છે, ધક્કા ખાવાની,
ફાલતુ અવાજ કરવાની. પ્રાર્થના કરે છે પરંતુ ભગવાનને કાન ક્યાં છે, વગર કાન, વગર મુખ,
સાંભળશે, બોલશે કેવી રીતે? એ તો અવ્યક્ત છે. આ બધું છે અંધશ્રદ્ધા.
તમે બાપને જેટલાં યાદ કરશો એટલાં પાપ નાશ થશે. એવું નથી કે બાપ જાણે છે- આ ખુબજ યાદ
કરે છે, આ ઓછું યાદ કરે છે, આ તો પોતાનો ચાર્ટ પોતે જ જોવાનો છે. બાપે કહ્યું છે
યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે. બાબા પણ તમને જ પૂછે છે કે કેટલું યાદ કરો છો?
ચલન થી પણ ખબર પડે છે. સિવાય યાદનાં પાપ કપાઈ નથી શકતાં. એવું નહીં, કોઇને જ્ઞાન
સંભળાવો છો તો તમારા કે એમનાં પાપ કપાઈ જશે. નહીં, જ્યારે પોતે યાદ કરે ત્યારે પાપ
કપાય. મૂળ વાત છે પાવન બનવાની. બાપ કહે છે મારા બન્યા છો તો કોઈ પાપ નહીં કરો. નહીં
તો ખુબ જોરથી નીચે પડશો. ઉમ્મીદ પણ નથી રાખવાની કે અમે સારું પદ પામી શકશું.
પ્રદર્શની માં અનેકોને સમજાવે છે તો બસ ખુશ થઈ જાય છે, અમે ખુબ સર્વિસ કરી. પરંતુ
બાપ કહે છે પહેલાં તમે તો પાવન બનો. બાપ ને યાદ કરો. યાદમાં ખુબ ફેલ (નપાસ) થાય છે.
જ્ઞાન તો ખુબ સહજ છે, ફક્ત ૮૪ નાં ચક્ર ને જાણવાનું છે, તે ભણતરમાં કેટલાં
હિસાબ-કિતાબ ભણે છે, મહેનત કરે છે. કમાશે શું? ભણતાં-ભણતાં મરી જાય તો ભણતર ખતમ. આપ
બાળકો તો જેટલું યાદમાં રહેશો એટલી ધારણા થશે. પવિત્ર નહિં બનશો, પાપ નહિં મટાવશો
તો ખુબ સજા ખાવી પડશે. એવું નહીં, અમારી યાદ તો બાબાને પહોંચે જ છે. બાબા શું કરશે!
તમે યાદ કરશો તો તમે પાવન બનશો, બાબા એમાં શું કરશે, શું શાબાશી આપશે. ઘણાં બાળકો
છે જે કહે છે અમે તો સદૈવ બાપ ને યાદ કરતાં જ રહીએ છીએ, એમના વગર અમારું છે જ કોણ?
આ પણ ગપોડા મારતા રહે છે. યાદમાં તો ખુબ મહેનત છે. અમે યાદ કરીએ છે કે નહીં, આ પણ
સમજી નથી શકતાં. અજાણતા કહી દે છે અમે તો યાદ કરીએ જ છીએ. મહેનત વગર કોઈ વિશ્વનો
માલિક થોડી બની શકે. ઊંચું પદ પામી ન શકે. યાદનું બળ જ્યારે ભરે ત્યારે સર્વિસ કરી
શકે. પછી જોવાય કેટલી સર્વિસ કરી પ્રજા બનાવી. હિસાબ જોઈએ ને. અમે કેટલાને આપ સમાન
બનાવીએ છીએ. પ્રજા બનાવવી પડે ને, ત્યારે રાજાઈ પદ પામી શકશો. તે તો હમણાં કાંઈ છે
નહીં. યોગમાં રહે, બળ ભરે ત્યારે કોઈને પૂરું તીર લાગે. શાસ્ત્રોમાં પણ છે ને-અંત
માં ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય વગેરેને જ્ઞાન આપ્યું. જ્યારે તમારું પતિતપણું નીકળી
સતોપ્રધાન સુધી આત્મા આવી જાય છે ત્યારે બળ ભરાય છે તો ઝટ તીર લાગી જાય છે. આ
ક્યારેય વિચાર નહીં કરો કે બાબા તો બધુંજ જાણે છે. બાબા ને જાણવાની શું દરકાર છે,
જે કરશે તે પામશે. બાબા સાક્ષી થઈ જોતા રહે છે. બાબા ને લખે છે અમે ફલાણી જગ્યાએ
જઈને સર્વિસ કરી, બાબા પૂછશે પહેલાં તમે યાદની યાત્રા પર તત્પર છો? પહેલી વાત જ આ
છે - બીજા સંગ તોડી એક બાપનો સંગ જોડો. દેહી-અભિમાની બનવું પડે. ઘરમાં રહેતાં પણ
સમજવાનું છે આ તો જૂની દુનિયા જુનું દેહ છે. આ બધું ખલાસ થવાનું છે. આપણું કામ છે
બાપ અને વારસાથી.બાબા એવું નથી કહેતા કે ગૃહસ્થ વ્યવહાર માં નહીં રહો, કોઈથી વાત ન
કરો. બાબા થી પૂછે છે લગ્ન પર જઈએ? બાબા કહેશે ભલે જાઓ. ત્યાં પણ જઈને સર્વિસ કરો.
બુદ્ધિનો યોગ શિવબાબા થી હોય. જન્મ-જન્માન્તર નાં વિકર્મ યાદ બળ થી જ ભસ્મ થશે.
અહીંયા પણ જો વિકર્મ કરે છે તો ખુબ સજાઓ ભોગવવી પડશે. પાવન બનતાં-બનતાં વિકાર માં
પડ્યા તો મર્યા. એકદમ પૂરજો-પૂરજો (ભુક્કો-ભુક્કો) થઈ જાય. શ્રીમત પર ન ચાલી ખુબ જ
નુકસાન કરે છે. કદમ-કદમ પર શ્રીમત જોઈએ. એવાં-એવાં પાપ કરે છે જે યોગ લાગી ન શકે.
યાદ કરી ન શકે. કોઈને જઈને કહેશે-ભગવાન આવ્યાં છે, એમનાથી વારસો લો, તો તે માનશે નહીં.
તીર લાગશે નહીં. બાબાએ કહ્યું છે ભક્તોને જ્ઞાન સંભળાવો, વ્યર્થ કોઈને ન આપો, નહીં
તો ખુબ જ નિંદા કરાવશે.
ઘણાં બાળકો બાબા થી પૂછે છે-બાબા અમને દાન કરવાની આદત છે, હવે તો જ્ઞાન માં આવી ગયા
છીએ, હવે શું કરીએ? બાબા સલાહ આપે છે-બાળકો, ગરીબોને દાન આપવા વાળા તો ઘણાં છે.
ગરીબ કોઈ ભૂખે નથી મરતાં, ફકીરો ની પાસે ખુબ પૈસા પડ્યા હોય છે એટલે આ બધી વાતોથી
તમારી બુદ્ધિ હટી જવી જોઈએ. દાન વગેરેમાં પણ ખુબ ખબરદારી જોઈએ. ઘણાં એવાં-એવાં કામ
કરે છે, વાત નહીં પૂછો અને પછી પોતે સમજતાં નથી કે અમારા માથા પર બોજો ખુબ ભારે થતો
જાય છે. જ્ઞાન માર્ગ કોઈ હસીમજાક નો માર્ગ નથી. બાપનાં સાથે તો પછી ધર્મરાજ પણ છે.
ધર્મરાજ નાં મોટા-મોટા દંડા ખાવા પડે છે. કહે છે ને જ્યારે અંતમાં ધર્મરાજ લેખા લેશે
ત્યારે ખબર પડશે. જન્મ-જન્માન્તર ની સજાઓ ખાવામાં કોઈ સમય નથી લાગતો. બાબાએ કાશી
કલવટ નું પણ દ્રષ્ટાંત સમજાવ્યું છે. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ.
મનુષ્યોની પણ બલિ ચઢાવે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. આ બધી વાતોને સમજવાનું છે, એવું
નહીં કે આ ડ્રામા બનાવ્યો જ કેમ? ચક્ર માં લાવ્યાં જ કેમ? ચક્ર માં તો આવતાં જ રહેશો.
આ તો અનાદિ ડ્રામા છે ને. ચક્રમાં ન આવો તો પછી દુનિયા જ ન રહે. મોક્ષ તો હોતો નથી.
મુખ્ય નો પણ મોક્ષ નથી થઈ શકતો. ૫ હજાર વર્ષ પછી આમ જ ચક્ર લગાવશે. આ તો ડ્રામા છે
ને. ફક્ત કોઈને સમજાવવા, વાણી ચલાવવા થી પદ નહીં મળી જશે, પહેલાં તો પતિત થી પાવન
બનવાનું છે. એવું નહીં બાબા તો બધું જાણે છે. બાબા જાણી ને પણ શું કરશે, પહેલાં તો
તમારી આત્મા જાણે છે શ્રીમત પર અમે શું કરીએ છીએ, ક્યાં સુધી બાબા ને યાદ કરીએ છીએ?
બાકી બાબા આ બેસીને જાણે, આનાથી ફાયદો જ શું? તમે જે કંઈ કરો છો તે તમે પામશો. બાબા
તમારી એક્ટ (ચલન) અને સર્વિસ થી જાણે છે - આ બાળક સારી સર્વિસ કરે છે. ફલાણાએ બાબાનાં
બનીને ખુબ વિકર્મ કર્યા છે તો તેમની મુરલી માં બળ ભરાઈ ન શકે. આ જ્ઞાન તલવાર છે.
તેમાં યાદ બળ નું જોહર જોઈએ. યોગબળ થી તમે વિશ્વ પર વિજય પ્રાપ્ત કરો છો, બાકી
જ્ઞાન થી નવી દુનિયામાં ઉચ્ચ પદ પામશો. પહેલાં તો પવિત્ર બનવાનું છે, પવિત્ર બન્યા
વગર ઉચ્ચ પદ મળી ન શકે. અહીંયા આવે છે નર થી નારાયણ બનવાનાં માટે. પતિત થોડી નર થી
નારાયણ બનશે. પાવન બનવાની પૂરી યુક્તિ જોઈએ. અનન્ય બાળકો જે સેવાકેન્દ્ર સંભાળે છે
એમને પણ ખુબ મહેનત કરવી પડે, એટલી મહેનત નથી કરતાં એટલે તે બળ નથી ભરાતું, તીર નથી
લાગતું, યાદ ની યાત્રા ક્યાં! ફક્ત પ્રદર્શની માં અનેકો ને સમજાવે છે, પહેલાં યાદ
થી પવિત્ર બનવાનું છે પછી છે જ્ઞાન. પાવન થશે તો જ્ઞાન ની ધારણા થશે. પતિત ને ધારણા
થશે નહીં. મુખ્ય સબ્જેક્ટ (વિષય) છે યાદની. એ ભણતર માં પણ સબ્જેક્ટ હોય છે ને. તમારી
પાસે પણ ભલે બી.કે. બને છે પરંતુ બ્રહ્માકુમાર-કુમારી, ભાઈ-બહેન બનવું માસીનું ઘર
નથી. ફક્ત કહેવા માત્ર નથી બનવાનું. દેવતા બનવાનાં માટે પહેલાં પવિત્ર જરુર બનવાનું
છે. પછી છે ભણતર. ફક્ત ભણતર હશે પવિત્ર નહીં હોય તો ઉચ્ચ પદ નહીં પામી શકશે. આત્મા
પવિત્ર જોઈએ. પવિત્ર હોય ત્યારે પવિત્ર દુનિયામાં ઉચ્ચ પદ પામી શકે. પવિત્રતા પર જ
બાબા જોર આપે છે. વગર પવિત્રતા કોઈને જ્ઞાન આપી ન શકાય. બાકી બાબા જોતા કાંઈ પણ નથી.
પોતે બેઠા છે ને, બધી વાતો સમજાવે છે. ભક્તિ માર્ગમાં ભાવના નું ભાડું મળી જાય છે.
તે પણ ડ્રામામાં નોંધ છે, શરીર વગર બાપ વાત કેવી રીતે કરશે? સાંભળશે કેવી રીતે?
આત્માને શરીર છે ત્યારે સાંભળે, બોલે છે. બાબા કહે છે મને ઓર્ગન્સ (અવયવો) જ નથી તો
સાંભળું, જાણું કેવી રીતે? સમજે છે બાબા તો જાણે છે અમે વિકારમાં જઈએ છીએ. જો નથી
જાણતાં તો ભગવાન જ નહીં માનશે. એવાં પણ ઘણાં હોય છે. બાપ કહે છે હું આવ્યો છું તમને
પાવન બનાવવાનો રસ્તો બતાવવાં. સાક્ષી થઈ જોવું છું. બાળકો ની ચલન થી ખબર પડી જાય
છે-આ કપૂત છે કે સપૂત છે? સર્વિસનું પણ સબૂત જોઈએ ને. આ પણ જાણે છે જે કરે છે તે
પામે છે. શ્રીમત પર ચાલશે તો શ્રેષ્ઠ બનશે. નહીં ચાલશે તો પોતે જ ગંદા બનીને પડશે.
કોઈ પણ વાત છે તો ક્લિયર (સ્પષ્ટ) પૂછો. અંધશ્રદ્ધા ની વાત નથી. બાબા ફક્ત કહે છે
યાદનું બળ નહીં હોય તો પાવન કેવી રીતે બનશો? આ જન્મમાં પણ પાપ એવાં-એવાં કરે છે વાત
નહીં પૂછો. આ છે જ પાપ આત્માઓની દુનિયા, સતયુગ છે પુણ્ય આત્માઓની દુનિયા. આ છે સંગમ.
કોઈ તો ડલહેડ (બુદ્ધુ) છે તો ધારણા કરી નથી શકતાં. બાબા ને યાદ નથી કરી શકતાં. પછી
ટૂ લેટ (બહુ મોડું) થઈ જશે, ભંભોરને આગ લાગી જશે પછી યોગમાં પણ રહી નહીં શકે. તે
સમયે તો હાહાકાર મચી જાય છે. બહુજ દુઃખ નાં પહાડ પડવાનાં છે. આ જ ફૂરના રહેવી જોઈએ
કે અમે પોતાનું રાજ્ય-ભાગ્ય તો બાપ થી લઈ લઈએ. દેહ-અભિમાન છોડી સર્વિસ માં લાગી જવું
જોઈએ. કલ્યાણકારી બનવાનું છે. ધન વ્યર્થ નથી ગુમાવવાનું. જે લાયક જ નથી એવાં પતિત
ને ક્યારેય દાન ન આપવું જોઈએ, નહીં તો દાન આપવા વાળા પર પણ આવી જાય છે. એવું નહીં
કે ઢંઢેરો પીટવાનો છે કે ભગવાન આવ્યાં છે. આવાં ભગવાન કહેવડાવવા વાળા ભારતમાં ઘણાં
છે. કોઈ માનશે નહીં. આ તમે જાણો છો તમને પ્રકાશ મળ્યો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતરની
સાથે-સાથે પવિત્ર જરુર બનવાનું છે. એવાં લાયક કે સપૂત બાળક બની સર્વિસ નું સબૂત
આપવાનું છે. શ્રીમત પર સ્વયંને શ્રેષ્ઠ બનાવવાનું છે.
2. સ્થૂળ ધન પણ
વ્યર્થ નથી ગુમાવવાનું. પતિતો ને દાન નથી કરવાનું. જ્ઞાન ધન પણ પાત્ર ને જોઈને
આપવાનું છે.
વરદાન :-
સદા મોલ્ડ
થવાની વિશેષતા થી સંપર્ક અને સેવા માં સફળ થવાવાળા સફળતામૂર્ત ભવ .
જે બાળકોમાં સ્વયંને
મોલ્ડ કરવાની વિશેષતા છે તે સહજ જ ગોલ્ડન એજ ની સ્ટેજ સુધી પહોંચી શકે છે. જેવો સમય,
જેવાં સરકમસ્ટાંશ (પરિસ્થિતિ) હોય એજ પ્રમાણે પોતાની ધારણાઓને પ્રત્યક્ષ કરવા માટે
મોલ્ડ થવું પડે છે. મોલ્ડ થવાવાળા જ રીયલ ગોલ્ડ છે. જેમ સાકર બાપ ની વિશેષતા
જોઈ-જેવો સમય, જેવાં વ્યક્તિ એવું રુપ-એવું ફોલો ફાધર કરો તો સેવા અને સંપર્ક બધામાં
સહજ જ સફળતામૂર્ત બની જશો.
સ્લોગન :-
જ્યાં સર્વ
શક્તિઓ છે ત્યાં નિર્વિઘ્ન સફળતા સાથે છે.