30-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
રુહાની પંડા બની બધાં ધર્મ વાળાઓ ને શાંતિધામ અને સુખધામ નો રસ્તો બતાવવાનો છે , તમે
છો સાચાં પંડા ”
પ્રશ્ન :-
બાપની યાદ થી
કયા બાળકોને પૂરું બળ પ્રાપ્ત થાય છે?
ઉત્તર :-
જે યાદની સાથે-સાથે બાપ થી પૂરે-પૂરા ઓનેસ્ટ (પ્રામાણિક) રહે છે, કાંઈ પણ છૂપાવતાં
નથી, સાચાં બાપની સાથે સાચાં રહે છે, કોઈ પાપ નથી કરતાં, એમને જ યાદ થી બળ પ્રાપ્ત
થાય છે. ઘણાં બાળકો ભૂલો કરતાં રહે છે, પછી કહે ક્ષમા કરો, બાબા કહે ક્ષમા હોતી નથી.
દરેક કર્મ નો હિસાબ-કિતાબ છે.
ગીત :-
હમારે તીર્થ
ન્યારે હૈ …..
ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત
સાંભળ્યું, બાળકોનાં નોલેજની પોઇન્ટ જોવા માટે કે કેવી રીતે અર્થ કરે છે, તો
આવાં-આવાં ગીત નીકાળી પછી એક-એક થી અર્થ કરાવવો જોઈએ કારણ કે આ ગીતોને પણ કરેક્ટ (સુધારાય)
કરાય છે ને. બાબા એ સમજાવ્યું છે ઘણાં એવા સારા ગીત છે જે ક્યારેક કોઈ ચિંતા માં
બેઠા હોવ તો એ ગીત ખુશીમાં લાવવામાં ખુબ મદદ કરશે. આ ખુબ કામની ચીજ છે. ગીત
સાંભળવાથી ઝટ સ્મૃતિ આવી જશે. આપ બાળકો જાણો છો બરોબર આપણે આ ધરતીનાં લકી (ભાગ્યશાળી)
સ્ટાર્સ (તારાઓ) છીએ. આપણા આ તીર્થ ભક્તિમાર્ગ વાળાઓથી બિલકુલ ન્યારા છે. તમે છો
પાંડવ સેના. તે તીર્થો ઉપર હોય છે પંડાઓની સેના. દરેક ગ્રુપ નાં અલગ-અલગ પંડા હોય
છે જે લઈ જાય છે. તેમની પાસે ચોપડા હોય છે. પૂછે છે કયા કુળનાં છો? દરેક પોતાનાં
કુળવાળા ને જ લેશે. કેટલાં પંડા લઈને જાય છે. તમે પણ રુહાની પંડા છો. તમારું નામ જ
છે પાંડવ સેના. પાંડવો ની રાજધાની નથી. પાંડવ પંડા ને કહેવાય છે. બાપ પણ બેહદ નાં
પંડા છે. ગાઈડ (માર્ગદર્શક) ને પંડા કહેશે. પંડા લઈ જાય છે તીર્થો પર. પૂજારી લોકો
જાણે છે આ પંડા યાત્રીઓને લઈ આવ્યાં છે. જ્ઞાન માર્ગમાં પણ તમે પંડા બનો છો. આમાં
ક્યાંય લઇ જવાની વાત નથી. ઘરે બેઠા-બેઠા પણ તમે કોઈને રસ્તો બતાવો છો પછી જેમને
બતાવો છો તે પણ પંડા બની જાય છે. એક-બીજા ને રસ્તો બતાવવાનો છે-મનમનાભવ. તમારામાં
પણ ઘણાં હશે જેમણે તીર્થ કર્યા હશે. બુદ્ધિ માં આવતું હશે-બદ્રીનાથ, અમરનાથ કેવી
રીતે જવાનું હોય છે. પંડા લોકો પણ જાણે છે, તમે છો રુહાની પંડા. આ તમે ભૂલો નહીં કે
આપણે પુરુષોત્તમ સંગમયુગી છીએ. આપ બાળકોને એક જ વાત બુદ્ધિ માં છે કે આપણે
મુક્તિ-જીવનમુક્તિ નાં પંડા છીએ. એવું નથી સ્વર્ગ નાં કોઈ અલગ પંડા છે, મુક્તિ નાં
અલગ છે. તમને આ નિશ્ચય છે, આપણે મુક્તિધામમાં જઈને પછી નવી દુનિયા માં આવીશું. તમે
નંબરવાર પુરુષાર્થ અનુસાર પંડા છો. પંડા પણ અનેક પ્રકાર નાં હોય છે. તમે ફર્સ્ટ
ક્લાસ પંડા છો, બધાને પવિત્રતા નો જ રસ્તો બતાવો છો. બધાને પવિત્ર રહેવાનું છે.
દૃષ્ટિ બદલાઈ જાય છે. તમે પ્રતિજ્ઞા કરી છે કે અમે સિવાય એક નાં બીજા કોઈને યાદ નહીં
કરીશું. બાબા અમે તમને જ યાદ કરીશું. તમારા બનવાથી અમારો બેડો પાર થાય છે. ભવિષ્યમાં
તો સુખ જ સુખ છે. બાપ આપણને સુખ નાં સંબંધમાં લઈ જાય છે. અહીંયા તો દુઃખ જ દુઃખ છે.
સુખ પણ કાગ વિષ્ટાનાં સમાન છે. તમે ભણો જ છો નવી દુનિયાનાં માટે. તમે જાણો છો
મુક્તિધામ જઈને પછી અહીંયા આવીશું. ઘરમાં તો જરુર જઈશું. આ યાત્રા છે યાદ બળ ની.
શાંતિધામ ને પણ યાદ કરવાનું હોય છે. બાપને પણ યાદ કરવાનાં હોય છે. બાપની સાથે
ઓનેસ્ટ (પ્રમાણિક) પણ હોવું જોઈએ. બાપ કહે છે એવું નથી કે હું તમારા અંદર ને જાણું
છું. નહીં, તમે જે એક્ટ (કર્મ) કરો છો તેનાં પર બાબા સમજાવે છે. પુરુષાર્થ કરાવે
છે. બાકી તમે કોઈ અવજ્ઞા અથવા પાપ કરો છો તો અહીંયા પૂછાય છે-કોઈ પાપ તો નથી કર્યું?
બાબા એ સમજાવ્યું છે આંખો ખુબ જ દગો આપે છે. આ પણ બતાવવું જોઈએ કે બાબા આજે આંખો એ
અમને ખુબ દગો આપ્યો. અહીંયા તો ડર રહે છે, ઘર માં જાઉં છું તો અમારી બુદ્ધિ ચલાયમાન
થાય છે. બાબા આ અમારી ખુબ ભારે ભૂલ છે, ક્ષમા કરો. બાબા કહે ક્ષમા ની આમાં વાત નથી,
આ તો દુનિયામાં મનુષ્ય કરે છે. કોઈએ ચમાટ માર્યો, અચ્છા માફી માંગી, કામ ખલાસ. એવી
માફી માંગવામાં વાર થોડી લાગે છે. ખોટા કર્મ કરતા રહો અને કહી દો આઈ એમ સોરી (મને
માફ કરો)-એવું થોડી ચાલી શકે છે. આ તો બધું જમા થઈ જાય છે. કોઈ પણ ઉલટું-સુલટું
કર્મ કરો છો, જમા થાય છે, જેનું સારું-ખોટું ફળ બીજા જન્મ માં મળે છે જરુર. ક્ષમાની
વાત નથી. જે જેવું કરે એવું પામે છે.
બાબા ઘડી-ઘડી સમજાવે છે એક તો કહે છે કામ મહાશત્રુ છે, આ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપે
છે. બાબા ને કહે જ છે પતિત-પાવન. પતિત વિકારમાં જવાવાળા ને જ કહેવાય છે. અહીંયા બાપ
સમજાવે છે, અહીંયા થી પછી બહાર જાઓ છો ત્યારે આટલી પરહેજ માં નથી રહી શકતા તો પછી
ઊંચું પદ પણ પામી નહીં શકે. બાબા સમાચાર તો સાંભળે છે ને. અહીંયા તો ખુબ સારું-સારું
કરે છે પછી બહાર જવાથી ધારણા નથી રહેતી. સતયુગમાં તો વિકાર ની વાતો હોતી નથી. હમણાં
તો ભારત નો આ હાલ છે. ત્યાં તો મોટા-મોટા મહેલો માં રહે છે. અથાહ સુખ છે. બાબા બાળકો
થી પણ બધી ઇન્કવાયરી (પુછતાછ) કરે છે, બાબાને સમાચાર તો આપવાનાં છે ને. કોઈ તો
જુઠ્ઠું પણ બોલે છે. વિચાર કરવો જોઈએ-અમે કેટલુ જુઠ્ઠું બોલીએ છીએ? આમનાથી તો
બિલકુલ જુઠ્ઠું ન બોલવું જોઈએ. બાપ તો ટ્રુથ (સત્ય) બનાવવા વાળા છે. ત્યાં જુઠ્ઠ
હોતું નથી. નામ-નિશાન નથી હોતું. અહીંયા પછી સાચાં નું નામ-નિશાન નથી. ફર્ક તો રહે
છે ને. બાપ કહે છે આ કાંટાઓનું જંગલ છે. પરંતુ પોતાને કાંટા સમજે થોડી છે. બાપ કહે
છે કામ કટારી ચલાવવી આ સૌથી મોટો કાંટો છે, આનાથી જ તમે દુઃખી થયા છો. બાબા હવે તમને
સુખ ઘનેરા આપવા આવ્યાં છે. તમે જાણો છો બરાબર સુખ ઘનેરા હતાં. સતયુગ ને કહેવાય જ છે
સુખધામ. ત્યાં બીમારીઓ વગેરે હોતી નથી. હોસ્પિટલ, જેલ વગેરે હોતા નથી. સતયુગ માં
દુઃખ નું નામ નથી. ત્રેતા માં બે કળા ઓછી થઈ જાય છે તો થોડું કાંઈ થાય છે, તો પણ
હેવન (સ્વર્ગ) કહેવાય છે ને. બાપ કહે છે-આપ બાળકોએ અથાહ અતીન્દ્રિય સુખ માં રહેવું
જોઈએ. ભણાવવા વાળા ને પણ યાદ કરવાનાં છે, ભગવાન આપણા શિક્ષક છે, શિક્ષક ને તો બધાં
યાદ કરે છે. અહીંયા રહેવા વાળા બાળકોનાં માટે તો ખુબ સહજ છે. અહીંયા કોઈ બંધન તો છે
નહીં. બિલકુલ જ બંધનમુક્ત છે. શરું માં ભઠ્ઠી બની તો બંધનમુક્ત થઈ ગયાં. ઓના (ફિકર)
ફૂરના (નશો) ફક્ત સર્વિસનો (સેવા) જ છે. સર્વિસ કેવી રીતે વધારીએ? બાબા ખુબ સમજાવતા
રહે છે. બાબાની પાસે આવે છે, મહિનો ડોઢ મહિનો ખુબ ઉમંગ માં રહે છે પછી જુઓ ઠંડા પડી
જાય છે. આવતા જ નથી સેવાકેન્દ્ર પર. અચ્છા, પછી શું કરવું જોઈએ? લખી ને પૂછી શકો
છો-કેમ નથી આવતાં? અમે સમજીએ છીએ કદાચ માયા એ તમારા પર વાર કર્યો છે અથવા કોઈ ના
સંગ માં ફસાયા છો અથવા કોઈ વિકર્મ કર્યું છે, પડી ગયા છો. પછી પણ ઉઠાવવું તો જોઈએ
ને. પુરુષાર્થ કરવો જોઈએ. દિલ લેવાનું હોય છે. તમે ચિઠ્ઠી લખી શકો છો. ઘણાને લજ્જા
આવે છે તો પછી ફાં થઈ જાય છે. અહીંયા થી પણ થઈને જાય છે, પછી સમાચાર આવે છે કે ઘરમાં
બેસી ગયાં. કહે છે મારું દિલ હટી ગયું છે. કોઈ ચિઠ્ઠીમાં પણ લખે છે-તમારું જ્ઞાન તો
ખુબ સરસ છે પરંતુ અમે પવિત્ર નથી રહી શકતા એટલે છોડી દીધું. મારા માં એટલી તાકાત નથી.
ફક્ત લખી દે છે. વિકાર જુઓ કેવાં પાડી દે છે. અહીંયા હાથ પણ ઉઠાવે છે કે અમે
સૂર્યવંશી નર થી નારાયણ બનીશું. આ નોલેજ જ છે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું.
બાબા કહે છે ગુડ જાણે ગુડ ની ગોથરી જાણે. આ બાબા ની બેગ (ગોથરી) છે ને. આ સારી રીતે
પૂછે છે, આમની પાસે સમાચાર પણ આવે છે, એ શિવબાબા તો કહે છે હું ભણાવવા આવું છું, જે
ભણશે લખશે બનશે નવાબ. બાપ કહે છે દૃષ્ટિને ખુબ બદલવાની છે. કદમ-કદમ પર ખબરદારી જોઈએ.
યાદ થી જ કદમ-કદમ માં પદમ છે. ઘણાં બાળકો ફેલ (નપાસ) થઈ જાય છે. સર્વિસએબુલ (સેવાધારી)
પંડા પણ ફેલ થઈ જાય છે. તમે જ્યાં સુધી યાત્રા પર છો, પવિત્ર રહો છો. કોઈ તો યાત્રા
પર પણ એવા શોખીન જાય છે, જે દારુ વગેરે પણ પોતાની સાથે ત્યાં લઈ જાય છે. છુપાવીને
રાખી દે છે. મોટા-મોટા માણસ એનાં વગર રહી નથી શકતાં. હવે તે તીર્થ શું કામના રહેશે.
લડાઈ વાળા પણ ખુબ દારુ પીવે છે. દારુ પી ને, જઈને એરોપ્લેન (વિમાન) સહિત સ્ટીમર નાં
ઉપર પડે છે. સ્ટીમર પણ ખતમ તો પોતે પણ ખતમ.
હમણાં તમને મળે છે જ્ઞાનઅમૃત. બાકી યાદની છે મુખ્ય વાત. જેનાથી જ તમે ૨૧ જન્મનાં
માટે એવરહેલ્દી-એવરવેલ્દી બનો છો. બાબાએ કહ્યું હતું આ પણ લખી દો ૨૧ જન્મ નાં માટે
એવરહેલ્દી, વેલ્દી કેવી રીતે બની શકો છો આવીને સમજો. ભારતવાસી જાણે છે બરોબર ભારત
માં મોટી આયુ હતી. સ્વર્ગમાં ક્યારેય કોઈ બીમાર નથી થતું. સ્વર્ગ માં દેવી-દેવતાઓની
આયુ ૧૫૦ વર્ષની હતી. ૧૬ કળા સંપૂર્ણ હતાં. કહે છે આ કેવી રીતે થઈ શકે. બોલો, ત્યાં
૫ વિકાર હોતા જ નથી. ત્યાં પણ જો આ વિકાર હોત તો પછી રામરાજ્ય કેવી રીતે હોત.
દેવતાઓ જ્યારે વામમાર્ગ માં જાય છે તે પણ ચિત્ર તમે જોયા છે. ખુબ ગંદા ચિત્ર હોય
છે. આ બાબા કહે છે મેં જે જોયું છે તે બતાવું છું. શિવબાબા કહે છે હું તો ફક્ત
નોલેજ આપું છું. શિવબાબા જ્ઞાન ની વાતો સંભળાવે, આ પોતાનાં અનુભવની વાત સંભળાવતા રહે.
બંને છે ને. આ પણ પોતાનો અનુભવ બતાવતા રહે છે. દરેક ને પોતાની લાઈફ (જીવન) ની ખબર
છે. તમે જાણો છો અડધાકલ્પ થી પાપ કરતા આવ્યાં છીએ. ત્યાં પછી કોઈ પાપ નહીં કરશે.
અહીંયા પાવન કોઈ છે નહીં.
આપ બાળકો જાણો છો હમણાં સાચી ભાગવત ચાલી રહી છે. ભગવાન બેસી બાળકોને નોલેજ સંભળાવે
છે. વાસ્તવમાં હોવી જોઈએ એક જ ગીતા. બાકી શિવબાબા ની બાયોગ્રાફી (જીવનકહાની) શું
લખીશું. આ પણ તમે જાણો છો. કોઈપણ પુસ્તક વગેરે કાંઈ પણ રહેશે નહીં કારણ કે વિનાશ
સામે ઊભો છે પછી આ પુરુષાર્થ નું નોલેજ પણ ખતમ થઇ જશે. પછી પ્રાલબ્ધ શરું થઈ જશે.
જેમ ડ્રામા માં જે પાર્ટ થયો, રીલ ફરતી જાય પછી નવેસર થી પ્રાલબ્ધ શરું થશે. આટલી
બધી આત્માઓમાં પોત-પોતાનો ડ્રામા નો પાર્ટ નોંધાયેલો છે. આ વાતો સમજવા વાળા સમજે. આ
છે બેહદનું નાટક. તમે કહેશો અમે તમને બેહદ નાં નાટક નું આદિ-મધ્ય-અંત નું રહસ્ય
બતાવીએ છીએ. એ છે નિરાકારી દુનિયા, આ છે સાકારી દુનિયા. હું તમને બધું રહસ્ય સમજાવું
છું. આ ચક્ર કેવી રીતે ફરે છે, જેમને તમે સમજાવશો તેમને ખુબ મજા આવશે. એવું નહીં
સમજો કોઈ સાંભળતું નથી. પ્રજા ખુબ બનવાની છે. હાર્ટફેલ નથી થવાનું, સર્વિસ (સેવા)
માં. તમે સમજાવતાં રહો. વ્યાપારીઓની પાસે ગ્રાહક તો ખુબ આવે છે, આવો અમે તમને બેહદ
નો સોદો આપીએ. ભારતમાં આ દેવતાઓનું રાજ્ય હતું પછી ક્યાં ગયું? કેવી રીતે ૮૪ જન્મ
લીધાં, અમે તમને સમજાવીએ. ભગવાનુવાચ, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. સર્વિસ ખુબ
કરી શકો છો. જ્યારે ફુરસદ મળે છે, બોલો અમે તમને વિશ્વની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવીએ.
સિવાય બાપનાં કોઈ સમજાવી ન શકે. આવો તો તમને રચતા અને રચના નું રહસ્ય સમજાવીએ. હમણાં
તમારો આ અંતિમ જન્મ છે. ભવિષ્યનાં માટે હમણાં કમાણી કરો. બાબા સમજાવે છે ને-બાળકો,
તમે આમ-આમ સર્વિસ કરો. તમારા ગ્રાહક આ વાતો સાંભળીને ખુબ ખુશ થશે. તમને પણ માથું
ટેકશે. ધન્યવાદ માનશે. વ્યાપારી લોકો તો હજું પણ વધારે સર્વિસ કરી શકે છે. વ્યાપારી
લોકો ધર્માઉ પણ નીકાળે છે. તમે તો મોટાં ધર્માત્મા બનો છો. બાપ આવી ને તમારી ઝોલી
ભરી દે છે અવિનાશી જ્ઞાન રત્નો થી. અનેક પ્રકારની સલાહ બાબા આપે છે, આમ-આમ કરો,
પૈગામ (સંદેશ) આપતા રહો, થાકો નહીં. અનેકોનું કલ્યાણ કરવામાં લાગી જાઓ. ઠંડા નહીં
બનો. પોતાની દૃષ્ટિ ને પણ ઠીક રાખો. ક્રોધ પણ નથી કરવાનો. યુક્તિ થી ચાલવાનું છે.
બાપ અનેક પ્રકારની યુક્તિયો સમજાવતા રહે છે. દુકાનદારોનાં માટે તો ખુબ સહજ છે. તે
પણ સોદો, આ પણ સોદો. કહેશે આ તો ખુબ સારો સોદો છે. ઝટ ગ્રાહક જામી જશે. કહેશે આવો
સોદો આપવાવાળા મહાપુરુષ ને તો ખુબ મદદ કરવી જોઈએ. બોલો આ તમારો અંતિમ જન્મ છે તમે
ફરી મનુષ્ય થી દેવતા બની શકો છો. જે જેટલું કરશે એટલું પામશે. પોતાની તપાસ કરો-
અમારી દૃષ્ટિએ ખોટું કામ તો નથી કર્યું? સ્ત્રી તરફ રગ તો નથી ગઈ? લજ્જા આવશે તો
છોડી દેશે. વિશ્વનાં માલિક બનવું ઓછી વાત છે શું! જેટલો જૂનાં ભક્ત હશે તે ખુબ ખુશ
થશે. થોડી ભક્તિ કરી હશે તે ઓછા ખુશ થશે. આ પણ હિસાબ છે સમજવાનો. બુદ્ધિ કહે છે હવે
અમે જઈશું ઘરે પછી નવી દુનિયામાં નવા કપડાં પહેરીને પાર્ટ ભજવશું. આ શરીર છોડશું અને
ગોલ્ડન સ્પુન ઈન માઉથ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દૃષ્ટિ થી
કોઈ પણ ખોટું કામ નથી કરવાનું, પોતાની દૃષ્ટિ ને જ પહેલાં બદલવાની છે. કદમ-કદમ પર
સાવધાની રાખતાં પદમો ની કમાણી જમા કરવાની છે.
2. જ્યારે પણ ફુરસદ મળે છે તો બેહદ નો સોદો કરવાનો છે, સર્વિસ માં દિલશિકસ્ત નથી
થવાનું, બધાને બાપ નો પૈગામ (સંદેશ) આપવાનો છે, થાકવાનું નથી.
વરદાન :-
સ્નેહ નાં
ખોળામાં આંતરિક સુખ કે સર્વ શક્તિઓનો અનુભવ કરવાવાળા યથાર્થ પુરુષાર્થી ભવ
જે યથાર્થ પુરુષાર્થી
છે તે ક્યારેય મહેનત કે થકાવટ નો અનુભવ નથી કરતાં, સદા મોહબ્બત માં મસ્ત રહે છે. તે
સંકલ્પ થી પણ સરેન્ડર (સમર્પિત) હોવાનાં કારણે અનુભવ કરે છે કે અમને બાપદાદા ચલાવી
રહ્યાં છે, મહેનત નાં પગ થી નહીં પરંતુ સ્નેહનાં ખોળામાં ચાલી રહ્યાં છે, સ્નેહનાં
ખોળામાં સર્વ પ્રાપ્તિઓની અનુભૂતિ હોવાનાં કારણે તે ચાલતા નથી પરંતુ સદા ખુશી માં,
આંતરિક સુખ માં, સર્વ શક્તિઓનાં અનુભવમાં ઉડતા રહે છે.
સ્લોગન :-
નિશ્ચય રુપી
ફાઉન્ડેશન (પાયો) પાક્કું છે તો શ્રેષ્ઠ જીવન નો અનુભવ સ્વતઃ થાય છે.