09-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્યારે
સમય મળે તો એકાંત માં બેસી વિચાર સાગર મંથન કરો , જે પોઇન્ટસ ( વાત ) સાંભળો છો તેને
રિવાઇઝ ( પુનરાવર્તન ) કરો ”
પ્રશ્ન :-
તમારી યાદ ની
યાત્રા પૂરી ક્યારે થશે?
ઉત્તર :-
જ્યારે તમારી કોઈપણ કર્મેન્દ્રિયો દગો ન આપે, કર્માતીત અવસ્થા થઈ જાય ત્યારે યાદ ની
યાત્રા પૂરી થશે. હમણાં તમારે પૂરો પુરુષાર્થ કરવાનો છે, નાઉમ્મીદ નથી બનવાનું.
સર્વિસ (સેવા) પર તત્પર રહેવાનું છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો આત્મ-અભિમાની થઈને બેઠાં છો? બાળકો સમજે છે અડધોકલ્પ અમે દેહ-અભિમાની રહ્યાં
છીએ. હવે દેહી-અભિમાની થઈને રહેવા માટે મહેનત કરવી પડે છે. બાપ આવીને સમજાવે છે
સ્વયંને આત્મા સમજીને બેસો ત્યારે જ બાપ યાદ આવશે. નહીં તો ભૂલી જશો. યાદ નહીં કરશો
તો યાત્રા કેવી રીતે કરી શકશો! પાપ કેવી રીતે કપાશે! ઘાટો પડી જશે. આ તો ઘડી-ઘડી
યાદ કરો. આ છે મુખ્ય વાત. બાકી તો બાપ અનેક પ્રકારની યુક્તિયો બતાવે છે. રોંગ (ખોટું)
શું છે, રાઈટ (સાચું) શું છે - તે પણ સમજાવ્યું છે. બાપ તો જ્ઞાનનાં સાગર છે. ભક્તિ
ને પણ જાણે છે. બાળકોએ ભક્તિ માં શું-શું કરવું પડે છે. સમજાવે છે આ યજ્ઞ, તપ વગેરે
કરવું, આ બધું છે ભક્તિમાર્ગ. ભલે બાપની મહિમા કરે છે પરંતુ ઉલટી. હકીકતમાં કૃષ્ણની
મહિમા પણ પૂરી નથી જાણતાં. દરેક વાતને સમજવું જોઈએ ને. જેમ કૃષ્ણને વૈકુંઠનાથ
કહેવાય છે. અચ્છા, બાબા પૂછે છે, કૃષ્ણને ત્રિલોકીનાથ કહેવાય છે? ગવાય છે ને-ત્રિલોકીનાથ.
હવે ત્રિલોકી નાં નાથ અર્થાત્ ત્રણ લોક મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન. આપ બાળકોને
સમજાવાય છે તમે બ્રહ્માંડનાં પણ માલિક છો. કૃષ્ણ એવું સમજતાં હશે કે હું બ્રહ્માંડનો
માલિક છું? નહીં. તે તો વૈકુંઠમાં હતાં. વૈકુંઠ કહેવાય છે સ્વર્ગ નવી દુનિયાને. તો
વાસ્તવમાં ત્રિલોકીનાથ કોઈ પણ છે નહીં. બાપ સત્ય વાત સમજાવે છે. ત્રણે લોક તો છે.
બ્રહ્માંડનાં માલિક શિવબાબા પણ છે, તમે પણ છો. સૂક્ષ્મવતનની તો વાત જ નથી. સ્થૂળવતન
માં પણ એ માલિક નથી, ન સ્વર્ગ નાં, ન નર્કનાં માલિક છે. કૃષ્ણ છે સ્વર્ગનાં માલિક.
નર્ક નો માલિક છે રાવણ. આને રાવણ રાજ્ય, આસુરી રાજ્ય કહેવાય છે. મનુષ્ય કહે પણ છે
પરંતુ સમજતાં નથી. આપ બાળકોને બાપ બેસી સમજાવે છે. રાવણને ૧૦ શીશ આપે છે. ૫ વિકાર
સ્ત્રીનાં, ૫ વિકાર પુરુષનાં. હવે ૫ વિકાર તો બધાનાં માટે છે. બધાં છે જ રાવણ
રાજ્યમાં. હમણાં તમે શ્રેષ્ઠાચારી બની રહ્યાં છો. બાપ આવીને શ્રેષ્ઠાચારી દુનિયા
બનાવે છે. એકાંતમાં બેસવાથી એવાં-એવાં વિચાર સાગર મંથન ચાલશે. તે ભણતરનાં માટે પણ
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) એકાંતમાં પુસ્તક લઈ જઈને ભણે છે. તમારે પુસ્તક તો વાંચવાની
દરકાર નથી. હાં, તમે પોઇન્ટસ નોંધ કરો છો. આને ફરી રિવાઇઝ (પુનરાવર્તન) કરવું જોઈએ.
આ ખુબ ગુહ્ય વાત છે સમજવાની. બાપ કહે છે ને-આજે તમને ગુહ્ય થી ગુહ્ય નવી-નવી
પોઇન્ટસ સમજાવું છું. પારસપુરી નાં માલિક તો લક્ષ્મી-નારાયણ છે. એવું પણ નહીં કહેશું
કે વિષ્ણુ છે. વિષ્ણુ ને પણ સમજતાં નથી કે આ જ લક્ષ્મી-નારાયણ છે. હમણાં તમે શોર્ટ
(સંક્ષિપ્ત) માં લક્ષ્ય અને હેતુ સમજાવો છો. બ્રહ્મા-સરસ્વતી કોઈ આપસમાં મેલ-ફિમેલ
(સ્ત્રી-પુરુષ) નથી. આ તો પ્રજાપિતા બ્રહ્મા છે ને. પ્રજાપિતા બ્રહ્મા ને
ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહી શકાય છે, શિવબાબા ને ફક્ત બાબા જ કહેશું. બાકી બધાં
છે બ્રધર્સ (ભાઈ). આટલાં બધાં બ્રહ્માનાં બાળકો છે. બધાને ખબર છે-આપણે ભગવાન નાં
બાળકો બ્રધર્સ થઈ ગયાં. પરંતુ એ છે નિરાકારી દુનિયામાં. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં
છો. નવી દુનિયા સતયુગ ને કહેવાય છે. આનું નામ પછી પુરુષોત્તમ સંગમયુગ રાખ્યું છે.
સતયુગમાં હોય છે જ પુરુષોત્તમ. આ ખુબ વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. તમે નવી દુનિયાનાં
માટે તૈયાર થઈ રહ્યાં છો. આ સંગમયુગ પર જ તમે પુરુષોત્તમ બનો છો. કહે પણ છે અમે
લક્ષ્મી-નારાયણ બનીશું. આ છે સૌથી ઉત્તમ પુરુષ. તેઓ ને પછી દેવતા કહેવાય છે. ઉત્તમ
થી ઉત્તમ નંબરવન છે લક્ષ્મી-નારાયણ પછી નંબરવાર આપ બાળકો બનશો. સૂર્યવંશી વંશજ ને
ઉત્તમ કહેશું. નંબરવન તો છે ને. ધીમે-ધીમે કળા ઓછી થાય છે.
હમણાં આપ બાળકો નવી દુનિયા નું મુહૂર્ત કરો છો. જેમ નવું ઘર તૈયાર થાય છે તો બાળકો
ખુશ થાય છે. મુહૂર્ત કરે છે. આપ બાળકો પણ નવી દુનિયાને જોઇને ખુશ થાઓ છો. મુહૂર્ત
કરો છો. લખેલું પણ છે સોનાનાં ફૂલોની વર્ષા થાય છે. આપ બાળકોને કેટલો ખુશીનો પારો
ચઢવો જોઇએ. તમને સુખ અને શાંતિ બંને મળે છે. બીજા કોઈ નથી જેમને આટલું સુખ અને શાંતિ
મળે. બીજા ધર્મ આવે છે તો દ્વૈત થઈ જાય છે. આપ બાળકો ને અપાર ખુશી છે-અમે પુરુષાર્થ
કરી ઉંચ પદ પામીએ. એવું નહીં કે જે તકદીરમાં હશે તે મળશે, પાસ થવાનું હશે તો થઈશું.
નહીં, દરેક વાતમાં પુરુષાર્થ જરુર કરવાનો છે. પુરુષાર્થ નથી પહોંચતો તો કહી દે છે
જે નસીબમાં હશે. પછી પુરુષાર્થ કરવાનો જ બંધ થઈ જાય છે. બાપ કહે છે તમને માતાઓને
કેટલી ઉંચ બનાવું છું. ફીમેલ (નારી) નું માન બધી જગ્યાએ છે. વિલાયત (વિદેશ) માં પણ
માન છે. અહીંયા બાળકી પેદા જન્મે છે તો ઊલટો ખાટલો કરી દે છે. દુનિયા બિલકુલ જ ડર્ટી
(ગંદી) છે. આ સમયે આપ બાળકો જાણો છો ભારતમાં શું હતું, હવે શું છે. મનુષ્ય ભૂલી ગયાં
છે ફક્ત શાંતિ-શાંતિ માગતાં રહે છે. વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. તમે આ લક્ષ્મી-નારાયણ
નાં ચિત્ર દેખાડો. આમનું રાજ્ય હતું તો પવિત્રતા-સુખ-શાંતિ પણ હતી. તમને આવું રાજ્ય
જોઈએ છે ને. મૂળવતન માં તો વિશ્વની શાંતિ નહીં કહેશું. વિશ્વમાં શાંતિ તો અહીંયા હશે
ને. દેવતાઓનું રાજ્ય આખાં વિશ્વમાં હતું. મૂળવતન તો છે આત્માઓની દુનિયા. મનુષ્ય તો
તે પણ નથી જાણતાં કે આત્માઓની દુનિયા હોય છે. બાપ કહે છે હું તમને કેટલાં ઉંચ
પુરુષોત્તમ બનાવું છું. આ સમજાવવાની વાત છે. એવું નહીં, રડીયા (બૂમો મારવી)
મારશે-ભગવાન આવ્યાં છે, તો કોઈ માનશે નહીં. વધારે જ ગાળો ખાશે અને ખવડાવશે. કહેશે
બી.કે. પોતાનાં બાબાને ભગવાન કહે છે. આમ સર્વિસ નથી થતી. બાબા યુક્તિ બતાવતાં રહે
છે. ઓરડામાં ૮-૧૦ ચિત્ર દીવાલમાં સારી રીતે લગાવી દો અને બહાર લખી દો-બેહદ નાં બાપ
થી બેહદ સુખ નો વારસો લેવો છે અથવા મનુષ્ય થી દેવતા બનવું છે, તો આવો અમે તમને
સમજાવીએ. આમ ઘણાં આવવા લાગી જશે. જાતે જ આવતાં રહેશે. વિશ્વમાં શાંતિ તો હતી ને.
હમણાં આટલાં બધાં ધર્મ છે. તમોપ્રધાન દુનિયામાં શાંતિ કેવી રીતે હોઈ શકે છે. વિશ્વમાં
શાંતિ એ તો ભગવાન જ કરી શકે છે. શિવબાબા આવે છે જરુર કંઈક સૌગાત લાવતાં હશે. એક જ
બાપ છે જે આટલાં દૂર થી આવે છે અને આ બાબા એક જ વખત આવે છે. આટલાં ઊંચા બાબા ૫ હજાર
વર્ષ પછી આવે છે. મુસાફરી થી પાછાં આવે છે તો બાળકોનાં માટે સૌગાત લઈ આવે છે ને.
સ્ત્રીનો પતિ પણ, બાળકોનાં બાપ તો બને છે ને. પછી દાદા, પરદાદા, તરદાદા બને છે. આમને
તમે બાબા કહો છો પછી ગ્રાન્ડફાધર પણ થશે. ગ્રેટ ગ્રાન્ડ ફાધર પણ થશે. સંપ્રદાય છે
ને. એડમ, આદિ દેવ નામ છે પરંતુ મનુષ્ય સમજતાં નથી. આપ બાળકોને બાપ બેસી સમજાવે છે.
બાપ દ્વારા સૃષ્ટિ ચક્ર ની હિસ્ટ્રી-જોગ્રોફી ને તમે જાણીને ચક્રવર્તી રાજા બની
રહ્યાં છો. બાબા કેટલાં પ્રેમ અને રુચિ થી ભણાવે છે તો એટલું ભણવું જોઈએ ને. સવાર
નાં સમયે તો બધાં ફ્રી હોય છે. સવારનો ક્લાસ હોય છે - અડધો પોણો કલાક મુરલી સાંભળીને
પછી ચાલ્યાં જાઓ. યાદ તો ક્યાંય પણ રહી કરી શકો છો. રવિવાર નાં દિવસે તો રજા છે.
સવારે ૨-૩ કલાક બેસી જાઓ. દિવસની કમાણી ને મેકપ કરી લો. પૂરી ઝોલી ભરી દો. સમય તો
મળે છે ને. માયાનાં તોફાન આવવાથી યાદ નથી કરી શકતાં. બાબા બિલકુલ સહજ સમજાવે છે.
ભક્તિમાર્ગ માં કેટલાં સતસંગો માં જાય છે. કૃષ્ણનાં મંદિરમાં, પછી શ્રીનાથ નાં
મંદિરમાં, પછી બીજા કોઈનાં મંદિરમાં જશે. યાત્રામાં પણ કેટલાં વ્યભિચારી બને છે.
આટલી તકલીફ પણ લે છે, ફાયદો કાંઈ નથી. ડ્રામા માં આ પણ નોંધ છે ફરી પણ થશે. તમારી
આત્મા માં પાર્ટ ભરેલો છે. સતયુગ ત્રેતાં માં જે પાર્ટ કલ્પ પહેલાં ભજવ્યો છે એ જ
ભજવશે. મોટી બુદ્ધિ આ પણ નથી સમજતાં. જે શુરુડ બુદ્ધિ છે એજ સારી રીતે સમજીને સમજાવી
શકે છે. તેમને અંદર ભાસના આવે છે કે આ અનાદિ નાટક બનેલું છે. દુનિયામાં કોઈ નથી
સમજતા આ બેહદ નું નાટક છે. આને સમજાવવામાં પણ સમય લાગે છે. દરેક વાત ડિટેલ (વિસ્તાર)
માં સમજાવીને પછી કહેવાય છે-મુખ્ય છે યાદની યાત્રા. સેકન્ડમાં જીવનમુક્તિ પણ ગવાયેલું
છે. અને પછી આ પણ ગાયન છે કે જ્ઞાનનાં સાગર છે. આખો સાગર શાહી બનાવો, જંગલ ને કલમ
બનાવો, ધરતીને કાગળ બનાવો….તો પણ અંત નથી આવી શકતો. શરુ થી લઈને તમે કેટલું લખતાં
આવ્યાં છો. ઢગલો કાગળ થઈ જાય. તમારે કોઈ ધક્કા નથી ખાવાનાં. મુખ્ય છે જ અલફ. બાપ ને
યાદ કરવાનાં છે. અહીંયા પણ તમે આવો છો શિવબાબાની પાસે. શિવબાબા આમનામાં પ્રવેશ કરી
તમને કેટલાં પ્રેમ થી ભણાવે છે. કોઈ પણ મોટાઈ નથી. બાપ કહે છે હું આવું છું જૂનાં
શરીરમાં. કેવાં સાધારણ રીતે શિવબાબા આવીને ભણાવે છે. કોઈ અહંકાર નથી. બાપ કહે છે તમે
મને કહો જ છો બાબા પતિત દુનિયા, પતિત શરીરમાં આવો, આવીને અમને શિક્ષા આપો. સતયુગ
માં નથી બોલાવતાં કે આવીને હીરા-ઝવેરાત નાં મહેલ માં બેસો, ભોજન વગેરે ખાઓ….શિવબાબા
ભોજન ખાતાં જ નથી. પહેલા બોલાવતાં હતાં કે આવીને ભોજન ખાઓ. ૩૬ પ્રકારનાં ભોજન
ખવડાવતાં હતાં , આ ફરી પણ થશે. આ પણ ચરિત્ર જ કહેવાય. કૃષ્ણનાં ચરિત્ર શું છે? તે
તો સતયુગનો પ્રિન્સ (રાજકુમાર) છે. તેમને પતિત-પાવન નથી કહેવાતું. સતયુગમાં આ
વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં છે - આ પણ હમણાં તમે જાણો છો. મનુષ્ય તો બિલકુલ
ઘોર અંધકારમાં છે. હમણાં તમે ઘોર પ્રકાશ માં છો. બાપ આવીને રાત ને દિવસ બનાવી દે
છે. અડધોકલ્પ તમે રાજ્ય કરો છો તો કેટલી ખુશી થવી જોઈએ.
તમારી યાદની યાત્રા પૂરી ત્યારે થશે જ્યારે તમારી કોઈ પણ કર્મેન્દ્રિયો દગો ન આપે.
કર્માતીત અવસ્થા થઈ જાય ત્યારે યાદની યાત્રા પૂરી થશે. હમણાં પૂરી નથી થઈ. હમણાં
તમારે પૂરો પુરુષાર્થ કરવાનો છે. નાઉમ્મીદ નથી બનવાનું. સર્વિસ (સેવા) અને સર્વિસ.
બાપ પણ આવીને વૃદ્ધ તન થી સર્વિસ કરી રહ્યાં છે ને. બાપ કરનકરાવનહર છે. બાળકોનાં
માટે કેટલી ફિકર રહે છે-આ બનાવવાનું છે, મકાન બનાવવાનાં છે. જેમ લૌકિક બાપને હદનાં
વિચાર રહે છે, તેમ પારલૌકિક બાપ ને બેહદ નો ખ્યાલ રહે છે. આપ બાળકોએ જ સર્વિસ કરવાની
છે. દિવસ-પ્રતિદિવસ ખુબ સહજ થતું જાય છે. જેટલાં વિનાશ ની નજીક આવતાં જશો એટલી
તાકાત આવતી જશે. ગવાયેલું પણ છે ભીષ્મ પિતામહ વગેરેને અંતમાં તીર લાગ્યાં. હમણાં
તીર લાગી જાય તો ખુબ હંગામો થઈ જાય. એટલી ભીડ થઈ જાય જે વાત નહીં પૂછો. કહે છે ને-માથું
ખણવાની ફુરસદ નથી. એવું કોઈ છે નહીં. પરંતુ ભીડ થઈ જાય છે તો પછી એવું કહેવાય છે.
જ્યારે એમને તીર લાગી જાય તો પછી તમારો પ્રભાવ નીકળશે. બધાં બાળકોને બાપ નો પરિચય
મળવાનો તો છે.
તમે ૩ પગ પૃથ્વીમાં પણ આ અવિનાશી હોસ્પિટલ અને ગોડલી યુનિવર્સિટી ખોલી શકો છો. પૈસા
નથી તો પણ વાંધો નથી. ચિત્ર તમને મળી જશે. સર્વિસમાં માન-અપમાન, દુઃખ-સુખ, ઠંડી-ગરમી,
બધું સહન કરવાનું છે. કોઈને હીરા જેવાં બનાવવાં ઓછી વાત છે શું! બાપ ક્યારેય થાકે
છે શું? તમે કેમ થાકો છો? અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સવાર નાં
સમયે અડધો પોણો કલાક ખુબ પ્રેમ અથવા રુચિ થી ભણતર ભણવાનું છે. બાપ ની યાદ માં
રહેવાનું છે. યાદ નો એવો પુરુષાર્થ હોય જે બધી કર્મેન્દ્રિયો વશમા થઈ જાય.
2. સર્વિસમાં
દુઃખ-સુખ, માન-અપમાન, ગરમી-ઠંડી, બધું સહન કરવાનું છે. ક્યારેય પણ સર્વિસમાં થાકવાનું
નથી. ૩ પગ પૃથ્વી માં પણ હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલી હીરા જેવાં બનાવવાની સેવા
કરવાની છે.
વરદાન :-
સર્વ શક્તિઓની
લાઈટ દ્વારા આત્માઓને રસ્તો દેખાડવા વાળા ચૈતન્ય લાઈટ હાઉસ ભવ
જો સદા આ સ્મૃતિમાં
રહો કે હું આત્મા વિશ્વ કલ્યાણની સેવાનાં માટે પરમધામ થી અવતરિત થઈ છું તો જે પણ
સંકલ્પ કરશો, બોલ બોલશો તેમાં વિશ્વ કલ્યાણ સમાયેલું હશે. અને આ જ સ્મૃતિ લાઈટ હાઉસ
નું કાર્ય કરશે. જેમ તે લાઈટ હાઉસ થી એક રંગની લાઇટ નીકળે છે એવી રીતે આપ ચૈતન્ય
લાઈટ હાઉસ દ્વારા શક્તિઓની લાઈટ આત્માઓને દરેક કદમ માં રસ્તો દેખાડવાનું કાર્ય કરતી
રહેશે.
સ્લોગન :-
સ્નેહ અને
સહયોગ ની સાથે શક્તિરુપ બનો તો રાજધાનીમાં નંબર આગળ મળી જશે.