10-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
ભણતર થી પોતાનાં સુખધામ જાઓ છો વાયા શાંતિધામ , આજ તમારો લક્ષ - હેતુ છે , આ
ક્યારેય ન ભૂલવું જોઈએ ”
પ્રશ્ન :-
આપ બાળકો
સાક્ષી થઈને આ સમયે ડ્રામા નો કયો સીન (દૃશ્ય) જોઈ રહ્યાં છો?
ઉત્તર :-
આ સમયે ડ્રામામાં ટોટલ દુઃખ નો સીન (દૃશ્ય) છે. જો કોઈને સુખ છે તો પણ અલ્પકાળ કાગ
વિષ્ટા સમાન. બાકી દુઃખ જ દુઃખ છે. આપ બાળકો હમણાં પ્રકાશ માં આવ્યાં છો. જાણો છો
સેકન્ડ પછી સેકન્ડ બેહદ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે, એક દિવસ ન મળે બીજાથી. આખી
દુનિયાની એક્ટ (પ્રવૃત્તિ) બદલાતી રહે છે. નવાં દૃશ્ય ચાલતાં રહે છે.
ઓમ શાંતિ!
ડબલ ઓમ શાંતિ !
એક-બાપ સ્વ-ધર્મમાં સ્થિત છે, બીજું-બાળકોને પણ કહે છે પોતાનાં સ્વધર્મ માં સ્થિત
રહો અને બાપ ને યાદ કરો. બીજું કોઈ આવું કહી ન શકે કે સ્વધર્મમાં સ્થિત રહો. આપ
બાળકોની બુદ્ધિમાં નિશ્ચય છે. નિશ્ચયબુદ્ધિ વિજ્યન્તી. તેજ વિજય પામશે. શેની વિજય
પામશે? બાપ નાં વારસાની. સ્વર્ગ માં જવું - આ છે બાપનાં વારસાની વિજય પામવી. બાકી
છે પદનાં માટે પુરુષાર્થ. સ્વર્ગમાં જવાનું તો જરુર છે. બાળકો જાણે છે આ છી-છી
દુનિયા છે. ખુબજ અથાહ દુઃખ આવવાનું છે. ડ્રામાનાં ચક્ર ને પણ તમે જાણો છો. અનેક વખત
બાબા આવેલા છે પાવન બનાવી બધી આત્માઓ ને મચ્છરો સદૃશ્ય લઈ જવા, પછી પોતે પણ
નિર્વાણધામ માં જઈને નિવાસ કરશે. બાળકો પણ જશે! આપ બાળકોને તો આ ખુશી રહેવી જોઈએ-આ
ભણતર થી અમે પોતાનાં સુખધામ જઈશું વાયા શાંતિધામ. આ છે તમારો લક્ષ-હેતુ. આ ભુલવું ન
જોઈએ. રોજ-રોજ સાંભળો છો, સમજો છો આપણને પતિત થી પાવન બનાવવા માટે બાપ ભણાવે છે.
પાવન બનવાનો સહજ ઉપાય બતાવે છે યાદ નો. આ પણ નવી વાત નથી. લખેલું છે ભગવાને રાજયોગ
શીખવાડ્યો. ફક્ત ભૂલ એ કરી દીધી છે જે કૃષ્ણનું નામ નાખી દીધું છે. એવું પણ નથી
બાળકોને જે નોલેજ મળી રહ્યું છે, તે ગીતાનાં સિવાય બીજા કોઈ શાસ્ત્ર માં હશે. બાળકો
જાણે છે કોઈ પણ મનુષ્યની મહિમા છે નહિં જેમ બાપની છે. બાપ ન આવે તો સૃષ્ટિનું ચક્ર
જ ન ફરે. દુઃખધામ થી સુખધામ કેવી રીતે બને? સૃષ્ટિનું ચક્ર તો ફરવાનું જ છે. બાપને
પણ જરુર આવવાનું જ છે. બાપ આવે છે બધાને લઈ જવા પછી ચક્ર ફરે છે. બાપ ન આવે તો
કળયુગ થી સતયુગ કેવી રીતે બને? બાકી આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. રાજ્યોગ છે જ
ગીતામાં. જો સમજે ભગવાન આબૂમાં આવ્યા છે તો એકદમ ભાગે મળવા માટે. સન્યાસી પણ ઈચ્છે
તો છે ને કે ભગવાન ને મળીએ. પતિત-પાવન ને યાદ કરે છે પાછાં જવા માટે. હમણાં આપ બાળકો
પદમાપદમ ભાગ્યશાળી બની રહ્યાં છો. ત્યાં અથાહ સુખ હોય છે. નવી દુનિયા માં જે
દેવી-દેવતા ધર્મ હતો, તે હમણાં નથી. બાપ દૈવી રાજ્ય ની સ્થાપના કરે જ છે બ્રહ્મા
દ્વારા. આ તો ક્લિયર (સ્પષ્ટ) છે. તમારો લક્ષ-હેતુ જ આ છે. આમાં સંશય ની વાત જ નથી.
આગળ ચાલીને સમજી જ જશે, રાજધાની જરુર સ્થાપન થાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે.
જ્યારે તમે સ્વર્ગમાં રહો છો તો તેનું નામ જ ભારત રહે છે પછી જ્યારે તમે નર્કમાં આવો
છો ત્યારે હિન્દુસ્તાન નામ પડે છે. અહીંયા કેટલું દુઃખ જ દુઃખ છે. પછી આ સૃષ્ટિ
બદલાય છે પછી સ્વર્ગમાં છે જ સુખધામ. આ નોલેજ આપ બાળકોને છે. દુનિયા માં મનુષ્ય
કાંઈ પણ નથી જાણતાં. બાપ પોતે કહે છે હમણાં છે અંધારી રાત. રાતમાં મનુષ્ય ધક્કા ખાતા
રહે છે. આપ બાળકો પ્રકાશ માં છો. આ પણ સાક્ષી થઈ બુદ્ધિ માં ધારણ કરવાનું છે.
સેકન્ડ પછી સેકન્ડ બેહદ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. એક દિવસ ન મળે બીજાથી. આખી
દુનિયાની એક્ટ બદલાતી રહે છે. નવાં સીન (દૃશ્ય) ચાલતાં રહે છે. આ સમયે ટોટલ છે જ
દુઃખનાં સીન. જો સુખ છે તો પણ કાગ વિષ્ટા સમાન. બાકી દુઃખ જ દુઃખ છે. આ જન્મમાં સુખ
હશે પછી બીજા જન્મમાં દુઃખ. હવે આપ બાળકોની બુદ્ધિ માં આ રહે છે-હવે આપણે જઈએ છે
પોતાનાં ઘરે. આમાં મહેનત કરવાની છે પાવન બનવાની. શ્રી-શ્રી એ શ્રીમત આપી છે શ્રી
લક્ષ્મી-નારાયણ બનવાની. બેરિસ્ટર મત આપશે-બેરિસ્ટર ભવ. હવે બાપ પણ કહે છે શ્રીમત થી
આ બનો.
પોતાનાં થી પૂછવું જોઈએ-મારામાં કોઈ અવગુણ તો નથી? આ સમયે ગાએ પણ છે મુજ નિર્ગુણ
હારે મેં કોઈ ગુણ નાહી, આપેહી તરસ પરોઈ. તરસ અર્થાત્ રહેમ. બાબા કહે-બાળકો હું તો
કોઈ પર રહેમ કરતો જ નથી. રહેમ તો દરેકે પોતાનાં પર કરવાનો છે. આ ડ્રામામાં બનેલો
છે. બેરહેમી રાવણ તમને દુઃખ માં લઈ આવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આમાં રાવણનો
પણ કોઈ દોષ નથી. બાપ આવીને ફક્ત સલાહ આપે છે. આજ એમનો રહેમ છે. બાકી આ રાવણ રાજ્ય
તો પછી પણ ચાલશે. ડ્રામા અનાદિ છે. ન રાવણ નો દોષ છે, ન મનુષ્યનો દોષ છે. ચક્ર ને
ફરવાનું જ છે. રાવણ થી છોડાવવા માટે બાપ યુક્તિઓ બતાવતા રહે છે. રાવણ મત પર તમે
કેટલાં પાપ આત્મા બન્યાં છો. હમણાં જૂની દુનિયા છે. પછી જરુર નવી દુનિયા આવશે. ચક્ર
તો ફરશે ને. સતયુગ ને પછી જરુર આવવાનું છે. હમણાં છે સંગમયુગ. મહાભારત લડાઈ પણ આ
સમયની છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશન્તી. આ થવાનું છે. અને આપણે વિજ્યન્તી
સ્વર્ગનાં માલિક હોઈશું. બાકી બધાં હશે જ નહીં. આ પણ સમજો છો - પવિત્ર થયા વગર દેવતા
બનવું મુશ્કેલ છે. હવે બાપ થી શ્રીમત મળે છે શ્રેષ્ઠ દેવતા બનવાની. આવી મત ક્યારેય
મળી ન શકે. શ્રીમત આપવાનો એમનો પાર્ટ છે પણ સંગમ પર. બીજા કોઈ માં તો આ જ્ઞાન જ નથી.
ભક્તિ એટલે ભક્તિ. એને જ્ઞાન નહીં કહીશું. રુહાની જ્ઞાન, જ્ઞાન-સાગર રુહ જ આપે છે.
એમની જ મહિમા છે જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર. બાપ પુરુષાર્થ ની યુક્તિઓ પણ બતાવે
છે. આ ખ્યાલ રાખવો જોઈએ કે હમણાં ફેલ (નપાસ) થયા તો કલ્પ-કલ્પાન્તર ફેલ થઈશું, ખુબ
ચોટ (માર) લાગી જશે. શ્રીમત પર ન ચાલવાથી ચોટ (માર) લાગી જાય છે. બ્રાહ્મણો નું ઝાડ
વધવાનું પણ જરુર છે. એટલું જ વધશે જેટલું દેવતાઓનું ઝાડ છે. તમારે પુરુષાર્થ કરવાનો
છે અને કરાવવાનો છે. સેપલિંગ (કલમ) લાગતી રહેશે. ઝાડ મોટું થઈ જશે. તમે જાણો છો હમણાં
આપણું કલ્યાણ થઈ રહ્યું છે. પતિત દુનિયા થી પાવન દુનિયામાં જવાનું કલ્યાણ થાય છે.
આપ બાળકોની બુદ્ધિ નું તાળુ હમણાં ખુલ્યું છે. બાપ બુદ્ધિવાનો ની બુદ્ધિ છે ને. હમણાં
તમે સમજી રહ્યાં છો પછી આગળ ચાલી જોજો કોનું- કોનું તાળું ખુલે છે. આ પણ ડ્રામા ચાલે
છે. ફરી સતયુગ થી રિપીટ (પુનરાવર્તન) થશે. લક્ષ્મી-નારાયણ જ્યારે તખ્ત (ગાદી) પર
બેસે છે ત્યારે સવંત શરું થાય છે. તમે લખો પણ છો વન (એક) થી ૧૨૫૦ વર્ષ સુધી સ્વર્ગ,
કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. કથા છે સત્યનારાયણ ની. કથા અમરનાથની છે ને. તમે હમણાં
સાચી-સાચી અમરનાથ ની કથા સાંભળો છો તેનું પછી ગાયન ચાલે છે. તહેવાર વગેરે બધાં આ
સમયનાં છે. નંબરવન પર્વ છે શિવબાબાની જયંતી. કળયુગ નાં પછી જરુર બાપને આવવું પડે
દુનિયાને ચેન્જ (પરિવર્તન) કરવાં. ચિત્રો ને કોઈ સારી રીતે થી જુએ, કેટલો પૂરો
હિસાબ બનેલો છે. તમને આ ખાતરી છે, જેટલો કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે એટલો કરશે
જરુર. સાક્ષી થઈ બીજાઓને પણ જોશે. પોતાનાં પુરુષાર્થ ને પણ જાણે છે. તમે પણ જાણો
છો. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પોતાનાં ભણતરને નહીં જાણતા હશે? મન ખાશે જરુર કે અમે આ
સબ્જેક્ટ (વિષય) માં ખુબ કાચાં છીએ. પછી નપાસ થઈ જાય છે. પરીક્ષા નાં સમય જે કાચા
હશે તેમનું દિલ ધડકતું રહેશે. આપ બાળકો પણ સાક્ષાત્કાર કરશો. પરંતુ નપાસ તો થઈ જ ગયાં,
કરી શું શકે છે! સ્કૂલ માં નપાસ થાય છે તો સંબંધી પણ નારાજ, શિક્ષક પણ નારાજ થાય
છે. કહેશે અમારા સ્કૂલ થી ઓછા પાસ થયા તો સમજી જશે કે શિક્ષક એટલાં સારા નથી એટલે
ઓછા પાસ થયાં. બાબા પર જાણે છે સેવાકેન્દ્ર પર કોણ-કોણ સારા શિક્ષક છે, કેવી રીતે
ભણાવે છે. કોણ-કોણ સારી રીતે ભણાવીને લઈ આવે છે. બધી ખબર પડે છે. બાબા કહે-વાદળોને
લાવવાનાં છે. નાનાં બાળકોને લઇ આવશે તો તેમાં મોહ રહેશે. એકલા નીકળીને આવવું જોઈએ
તો બુદ્ધિ સારી રીતે લાગી રહે. બાળકોને તો ત્યાં પણ જોતાં રહે છે.
બાબા કહે છે આ જૂની દુનિયા તો કબ્રિસ્તાન (શમશાન) થવાની છે. નવું મકાન બનાવે છે તો
બુદ્ધિમાં રહે છે ને-અમારું નવું મકાન બની રહ્યું છે. ધંધો વગેરે તો કરતાં રહે છે.
પરંતુ બુદ્ધિ નવાં મકાન તરફ રહે છે. ચુપ રહી ને તો નથી બેસી જતાં. તે છે હદ ની વાત,
આ છે બેહદ ની વાત. દરેક કાર્ય કરતાં સ્મૃતિ રહે કે હમણાં આપણે ઘરે જઈને પછી પોતાની
રાજધાની માં જઈશું તો અપાર ખુશી રહેશે. બાપ કહે છે-બાળકો, પોતાનાં બાળકો વગેરેની
સંભાળ પણ કરવાની છે. પરંતુ બુદ્ધિ ત્યાં લાગી રહે. યાદ ન કરવાથી પછી પવિત્ર પણ નથી
બની શકતાં. યાદ થી પવિત્ર, જ્ઞાન થી કમાણી. અહીંયા તો બધાં છે પતિત. બે કિનારા છે.
બાબા ને ખેવૈયા કહે છે, પરંતુ અર્થ નથી સમજતાં. તમે જાણો છો બાપ પેલા કિનારે લઈ જાય
છે. આત્મા જાણે છે અમે હવે બાપ ને યાદ કરી ખુબ નજીક જઇ રહ્યા છીએ. ખેવૈયા નામ પણ
અર્થ સહિત રાખ્યું છે ને. આ બધી મહિમા કરે છે-નૈયા મારી પાર લગાવો. સતયુગમાં એવું
કહેશે શું? કળયુગ માં જ પોકારે છે. આપ બાળકો સમજો છો બેસમજ ને તો અહીંયા આવવાનું જ
નથી. બાપ ની સખત મનાઈ છે. નિશ્ચય નથી તો ક્યારેય ન લઈને આવવું જોઈએ. કાંઈ પણ સમજશે
નહીં. પહેલાં તો ૭ દિવસ નો કોર્સ કરાવો. કોઈ ને તો ૨ દિવસ માં પણ તીર લાગી જાય છે.
સારું લાગી ગયું તો પછી છોડશે થોડી. કહેશે અમે ૭ દિવસ હજું પણ શીખશું. તમે ઝટ સમજી
જશો આ આજ કુળનાં છે. તીક્ષ્ણ બુદ્ધિ જે હશે તે કોઈ વાતની પરવા નહિં કરશે. અચ્છા, એક
નોકરી છૂટી જશે બીજી મળશે, બાળકો દિલવાળા જે હોય છે તેમની નોકરી વગેરે છૂટતી જ નથી.
પોતે જ વન્ડર (આશ્ચર્ય) ખાય છે. બાળકીયો કહે છે અમારા પતિની બુદ્ધિ ફેરવો. બાબા કહે
છે મને નહીં કહો. તમે યોગબળ માં રહી પછી બેસી જ્ઞાન સમજાવો. બાબા થોડી બુદ્ધિ ને
ફેરવશે. પછી તો બધાં એવો ધંધો કરતા રહેશે. જે રિવાજ નીકળે છે તેને પકડી લે છે. કોઈ
ગુરુ થી કોઈને ફાયદો થયો, સાંભળ્યું, તો બસ તેમની પાછળ પડી જાય છે. નવી આત્મા આવે
છે તો તેમની મહિમા તો નીકળશે ને. પછી ખુબ ફોલોઅર્સ (અનુયાયી) બની જાય છે એટલે આ બધી
વાતોને જોવાનું નથી. તમારે જોવાનું છે પોતાને-અમે ક્યાં સુધી ભણીયે છીએ? આ તો બાબા
ડીટેલ (વિસ્તાર) માં જેમ ચિટચેટ (વાતચીત) કરે છે. બાકી ફક્ત કહી દેવું બાપ ને યાદ
કરો આ તો ઘરમાં પણ રહીને કરી શકો છો. પરંતુ જ્ઞાનનાં સાગર છે તો જરુર જ્ઞાન પણ આપશે
ને. આ છે મુખ્ય વાત-મનમનાભવ. સાથે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય પણ સમજાવે છે.
ચિત્ર પણ તો આ સમયે ખુબ સારા-સારા નીકળ્યાં છે. તેનો પણ અર્થ બાપ સમજાવે છે. વિષ્ણુ
ની નાભીમાંથી બ્રહ્માને દેખાડયાં છે. ત્રિમૂર્તિ પણ છે પછી વિષ્ણુ ની નાભી થી
બ્રહ્મા આ પછી શું છે? બાપ બેસી સમજાવે છે-આ રાઈટ (સાચું) છે કે રોંગ (ખોટું) છે?
મનોમય ચિત્ર પણ ખુબ બનાવે છે ને. કોઈ-કોઈ શાસ્ત્રો માં ચક્ર પણ દેખાડયું છે. પરંતુ
કોઈએ કેટલી આયુ લખી દીધી છે, કોઈએ કેટલી. અનેક મત છે ને. શાસ્ત્રોમાં તો હદ ની વાતો
લખી દીધી છે, બાપ બેહદ ની વાત સમજાવે છે કે આખી દુનિયામાં છે રાવણ રાજ્ય. આ તમારી
બુદ્ધિ માં જ્ઞાન છે-અમે કેવી રીતે પતિત બન્યાં પછી પાવન કેવી રીતે બનીએ છીએ. પાછળ
પછી બીજા ધર્મ આવે છે. અનેક વેરાયટી (વિવિધતા) છે. એક ન મળે બીજાથી. એક જેવાં
ફીચર્સ (ગુણવત્તા) વાળા બે હોઈ ન શકે. આ બન્યો-બનેલ ખેળ છે જે રિપીટ થતો રહે છે.
બાપ બાળકોને બેસી સમજાવે છે. સમય ઓછો થતો જાય છે. પોતાની તપાસ કરો-અમે ક્યાં સુધી
ખુશીમાં રહીએ છીએ? આપણે કોઈ વિકર્મ નથી કરવાનાં. તોફાન તો આવશે. બાપ સમજાવે છે-બાળકો,
અંતર્મુખ થઈને પોતાનો ચાર્ટ રાખો તો જે ભૂલો થાય છે તેનો પશ્ચાતાપ કરી શકશો. આ જેમકે
યોગબળ થી પોતાને માફ કરો છો. બાબા કોઈ ક્ષમા અથવા માફ નથી કરતાં. ડ્રામા માં ક્ષમા
અક્ષર જ નથી. તમારે પોતાની મહેનત કરવાની છે. પાપો નો દંડ મનુષ્ય પોતે જ ભોગવે છે.
ક્ષમા ની વાત જ નથી. બાપ કહે છે દરેક વાતમાં મહેનત કરો. બાપ બેસી યુક્તિ બતાવે છે
આત્માઓને. બાપ ને બોલાવો છે જૂનાં રાવણનાં દેશમાં આવો, અમને પતિતો ને આવીને પાવન
બનાવો. પરંતુ મનુષ્ય સમજતા નથી. તે છે આસુરી સંપ્રદાય. તમે છો બ્રાહ્મણ સંપ્રદાય,
દૈવી સંપ્રદાય બની રહ્યાં છો. પુરુષાર્થ પણ બાળકો નંબરવાર કરે છે. પછી કહી દે છે
એમની તકદીરમાં આટલું જ છે. પોતાનો સમય ખોટી કરે છે. જન્મ-જન્માન્તર, કલ્પ-કલ્પાન્તર
ઉચ્ચ પદ પામી નહીં સકે. પોતાનો ઘાટો ન નાખવો જોઈએ કારણ કે હમણાં જમા થાય છે પછી ઘાટા
માં ચાલ્યા જાઓ છો. રાવણ રાજ્યમાં કેટલો ઘાટો થાય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
બની પોતાની તપાસ કરવાની છે, જે પણ ભૂલો થાય છે તેનો દિલથી પશ્ચાત્તાપ કરી યોગબળ થી
માફ કરવાની છે. પોતાની મહેનત કરવાની છે.
2. બાપની જે સલાહ મળે
છે તેનાં પર પૂરું ચાલીને પોતાનાં ઉપર પોતે જ રહેમ કરવાનો છે. સાક્ષી થઈ પોતાનાં કે
બીજાનાં પુરુષાર્થ ને જોવાનો છે. ક્યારે પણ પોતે પોતનો ઘાટો નથી નાખવાનો.
વરદાન :-
નિરંતર યાદ
દ્વારા અવિનાશી કમાણી જમા કરવાવાળા સર્વ ખજાના નાં અધિકારી ભવ
નિરંતર યાદ દ્વારા
દરેક કદમ માં કમાણી જમા કરતા રહો તો સુખ, શાંતિ, આનંદ, પ્રેમ…. આ બધાં ખજાના નાં
અધિકાર નો અનુભવ કરતા રહેશો. કોઈ કષ્ટ, કષ્ટ અનુભવ નહીં થશે. સંગમ પર બ્રાહ્મણો ને
કોઈ કષ્ટ થઇ નથી શકતું. જો કોઈ કષ્ટ આવે પણ છે તો બાપની યાદ અપાવવા માટે, જેમ
ગુલાબનાં પુષ્પો ની સાથે કાંટા તેનાં બચાવ નું સાધન હોય છે. તેમ આ તકલીફો વધારે જ
બાપની યાદ અપાવવાનાં નિમિત્ત બને છે.
સ્લોગન :-
સ્નેહ રુપનો
અનુભવ તો સંભળાવો છો હવે શક્તિ રુપ નો અનુભવ સંભળાવો.