25-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - દેહ -
અભિમાન છોડી દેહી - અભિમાની બનો , દેહી - અભિમાનીઓને જ ઈશ્વરીય સંપ્રદાય કહેવાય છે
”
પ્રશ્ન :-
આપ બાળકો હમણાં
જે સતસંગ કરો છો આ બીજા સત્સંગો થી નિરાળો છે, કેવી રીતે?
ઉત્તર :-
આ જ એક સતસંગ છે જેમાં તમે આત્મા અને પરમાત્મા નું જ્ઞાન સાંભળો છો. અહીંયા ભણવાનું
હોય છે. લક્ષ્ય-હેતુ પણ સામે છે. બીજા સતસંગો માં ન ભણવાનું હોય, ન કોઈ લક્ષ્ય-હેતુ
છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. રુહાની બાળકો સાંભળી રહ્યાં છે. પહેલાં-પહેલાં
બાપ સમજાવે છે જ્યારે પણ બેસો તો સ્વયંને આત્મા સમજીને બેસો. દેહ ન સમજો.
દેહ-અભિમાની ને આસુરી સંપ્રદાય કહેવાય છે. દેહી-અભિમાનીઓ ને ઈશ્વરીય સંપ્રદાય
કહેવાય છે. ઈશ્વર ને દેહ છે નહીં. એ સદૈવ આત્મ-અભિમાની છે. એ છે સુપ્રીમ આત્મા,
સર્વ આત્માઓનાં બાપ. પરમ આત્મા અર્થાત્ ઊંચે થી ઊંચા. મનુષ્ય જ્યારે ઊંચે થી ઊંચા
ભગવાન કહે છે તો બુદ્ધિ માં આવે છે એ નિરાકાર લિંગ રુપ છે. નિરાકારી લિંગ ની પૂજા
પણ થાય છે. એ છે પરમાત્મા એટલે સર્વ આત્માઓથી ઊંચા. છે એ પણ આત્મા પરંતુ ઊંચ આત્મા.
એ જન્મ-મરણ માં નથી આવતાં. બાકી બધાં પુનર્જન્મ લે છે બીજી બધી છે રચના. રચતા તો એક
જ બાપ છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ રચના છે. મનુષ્ય સૃષ્ટિ પણ આખી છે રચના. રચતા ને
બાપ કહેવાય છે. પુરુષને પણ રચતા કહેવાય છે. સ્ત્રી ને એડોપ્ટ કરે છે પછી એનાથી
ક્રિયેટ કરે (રચના રચે) છે, પાલના કરે છે. બસ વિનાશ નથી કરતાં. બીજા જે ધર્મ સ્થાપક
હોય છે તે પણ ક્રિયેટ કરે છે, પછી તેમની પાલના કરે છે. વિનાશ કોઈ પણ નથી કરતાં.
બેહદનાં બાપ જેમને પરમ આત્મા કહેવાય છે, જેમ આત્મા નું રુપ બિંદી છે તેમ જ પરમપિતા
પરમાત્મા નું પણ રુપ બિંદી છે. બાકી આટલું મોટું જે લિંગ બનાવે છે તે બધું
ભક્તિમાર્ગ માં પૂજાનાં કારણે. બિંદી ની પૂજા કેવી રીતે થઈ શકે. ભારત માં રુદ્ર
યજ્ઞ રચે છે તો માટીનાં શિવલિંગ અને સાલિગ્રામ બનાવીને પછી તેમની પૂજા કરે છે. તેને
રુદ્ર યજ્ઞ કહેવાય છે. હકીકતમાં અસલી નામ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર ગીતા
જ્ઞાન યજ્ઞ. જે શાસ્ત્રોમાં પણ લખેલું છે. હવે બાપ બાળકોને કહે છે સ્વયં ને આત્મા
સમજો. બીજા જે પણ સતસંગ છે તેમાં આત્મા અથવા પરમાત્મા નું જ્ઞાન ન કોઈ માં છે, ન આપી
શકે છે. ત્યાં તો કોઈ લક્ષ્ય-હેતુ હોતો નથી. આપ બાળકો તો હમણાં ભણવાનું ભણી રહ્યાં
છો. તમે જાણો છો આત્મા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે.
શરીર દ્વારા પાર્ટ ભજવે છે. આત્મા તો અશરીરી છે ને. કહે પણ છે નગ્ન આવ્યાં છીએ,
નગ્ન જવાનું છે. શરીર ધારણ કર્યું પછી શરીર છોડીને નગ્ન જવાનું છે. આ બાપ આપ બાળકોને
જ બેસી સમજાવે છે. આ પણ બાળકો જાણે છે ભારતમાં સતયુગ હતું તો દેવી-દેવતાઓનું રાજ્ય
હતું, એક જ ધર્મ હતો. આ પણ ભારતવાસી નથી જાણતાં. બાપને જેણે નથી જાણ્યાં તેમણે કાંઈ
નથી જાણ્યું. પ્રાચીન ઋષિ- મુનિ પણ કહેતા હતાં-અમે રચતા અને રચનાને નથી જાણતાં.
રચયિતા છે બેહદ નાં બાપ, એજ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. આદિ કહેવાય છે શરું
ને, મધ્ય વચ્ચે ને. આદિ છે સતયુગ, જેને દિવસ કહેવાય છે, પછી મધ્ય થી અંત સુધી છે
રાત. દિવસ છે સતયુગ-ત્રેતા, સ્વર્ગ છે વંડર ઓફ વર્લ્ડ. ભારત જ સ્વર્ગ હતું, જેમાં
લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં, આ ભારતવાસી નથી જાણતાં. બાપ હમણાં સ્વર્ગની સ્થાપના
કરી રહ્યાં છે.
બાપ કહે છે તમે સ્વયંને આત્મા સમજો. આપણે ફર્સ્ટક્લાસ આત્મા છીએ. આ સમયે મનુષ્ય
માત્ર બધાં દેહ-અભિમાની છે. બાપ આત્મ-અભિમાની બનાવે છે. આત્મા શું ચીજ છે, આ પણ બાપ
બતાવે છે. મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. ભલે કહે પણ છે ભ્રકુટી ની મધ્ય માં ચમકે છે
અજબ તારો પરંતુ તે શું છે, કેવી રીતે તેમાં પાર્ટ ભરાયેલો છે, તે કાંઈ પણ નથી જાણતાં.
હમણાં તમને બાપે સમજાવ્યું છે, આપ ભારતવાસીઓને ૮૪ જન્મો નો પાર્ટ ભજવવાનો હોય છે.
ભારત જ ઊંચ ખંડ છે, જે પણ મનુષ્ય માત્ર છે, તેમનું આ તીર્થ છે, સર્વ ની સદ્દગતિ કરવા
બાપ અહીંયા આવે છે. રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત) કરી ગાઈડ (માર્ગદર્શક) બની લઈ જાય
છે. મનુષ્ય તો એમ જ કહી દે છે, અર્થ કંઈ પણ નથી જાણતાં. ભારતમાં પહેલાં દેવી-દેવતા
હતાં. તેમને જ ફરી પુનર્જન્મ લેવો પડે છે. ભારતવાસી જ સો દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય,
શુદ્ર બને છે. પુનર્જન્મ લે છે ને. આ નોલેજ ને પૂરી રીતે સમજવામાં ૭ દિવસ લાગે છે.
પતિત બુદ્ધિ ને પાવન બનાવવાની છે. આ લક્ષ્મી-નારાયણ પાવન દુનિયામાં રાજ્ય કરતાં હતાં
ને. તેમનું જ રાજ્ય ભારતમાં હતું તો બીજા કોઈ ધર્મ નહોતા. એક જ રાજ્ય હતું. ભારત
કેટલું સોલવેન્ટ (ભરપુર) હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં પછી રાવણ રાજ્ય માં
પૂજારી બન્યાં છે. પછી ભક્તિમાર્ગમાં આ મંદિર વગેરે બનાવ્યાં છે. સોમનાથ નું મંદિર
હતું ને. એક મંદિર તો નહીં હશે. અહીંયા પણ શિવનાં મંદિરમાં એટલાં તો હીરા-ઝવેરાત હતાં
જે મોહમદ ગઝનવી ઊંટ ભરીને લઈ ગયો. એટલો માલ હતો, ઊંટ તો શું કોઈ લાખો ઊંટ લઈ આવે તો
પણ ભરી ન શકે. સતયુગમાં સોના, હીરા-ઝવેરાત નાં તો અનેક મહેલ હતાં. મોહમદ ગઝનવી તો
હમણાં આવ્યો છે. દ્વાપરમાં પણ કેટલાં મહેલ વગેરે હોય છે. તે પછી અર્થકવેક (ધરતીકંપ)
માં અંદર ચાલ્યાં જાય છે. રાવણની કોઈ સોનાની લંકા હોતી નથી. રાવણ રાજ્ય માં તો ભારત
નો આ હાલ થઈ જાય છે. ૧૦૦ ટકા ઈરિલીજસ (અધાર્મિક), અનરાઈટયસ (અસત્ય), ઇનસાલવેન્ટ (કંગાળ),
પતિત વિશશ (વિકારી), નવી દુનિયાને કહેવાય છે વાઈસલેસ (નિર્વિકારી). ભારત શિવાલય હતું,
જેને વંડર ઓફ વર્લ્ડ કહેવાય છે. ખુબ થોડાં મનુષ્ય હતાં. હમણાં તો કરોડો મનુષ્ય છે.
વિચાર કરવો જોઈએ ને. હમણાં આપ બાળકોનાં માટે આ પુરુષોત્તમ સંગમયુગ છે, જ્યારે કે
બાપ તમને પુરુષોત્તમ, પારસબુદ્ધિ બનાવી રહ્યાં છે. બાપ મનુષ્ય થી દેવતા બનાવવાની
તમને સુમત (શ્રીમત) આપે છે. બાપની મત માટે જ ગવાય છે તમારી ગત-મત ન્યારી….આનો પણ
અર્થ કોઈ નથી જાણતાં. બાપ સમજાવે છે હું એવી શ્રેષ્ઠ મત આપું છું જે તમે દેવતા બની
જાઓ છો. હવે કળયુગ પૂરો થાય છે, જૂની દુનિયા નો વિનાશ સામે ઊભો છે. મનુષ્ય બિલકુલ જ
ઘોર અંધકાર માં કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલાં પડ્યાં છે કારણ કે કહે છે શાસ્ત્રો
માં લખ્યું છે-કળયુગ તો હજી બાળક છે, ૪૦ હજાર વર્ષ પડયાં છે. ૮૪ લાખ યોનિઓ સમજવાનાં
કારણે કલ્પની આયુ પણ લાંબી-પહોળી કરી દીધી છે. હકીકતમાં છે ૫ હજાર વર્ષ. બાપ સમજાવે
છે તમે ૮૪ જન્મ લો છો ન કે ૮૪ લાખ. બેહદ નાં બાપ તો આ બધાં શાસ્ત્રો વગેરેને જાણે
છે ત્યારે તો કહે છે આ બધું છે ભક્તિ માર્ગ નું, જે અડધોકલ્પ ચાલે છે, આનાંથી કોઈ
મને નથી મળતું. આ પણ વિચાર કરવાની વાત છે કે જો કલ્પ ની આયુ લાખો વર્ષ આપે પછી તો
સંખ્યા વધારે હોવી જોઈએ. જ્યારે કે ક્રિશ્ચિયન ની સંખ્યા ૨ હજાર વર્ષમાં આટલી થઈ
છે. ભારતનો અસલ ધર્મ દેવી-દેવતા ધર્મ છે, તે ચાલ્યો આવવો જોઈએ પરંતુ આદિ સનાતન
દેવી-દેવતા ધર્મને ભૂલી જવાનાં કારણે કહી દે છે અમારો હિંદુ ધર્મ છે. હિંદુ ધર્મ તો
હોતો જ નથી. ભારત કેટલું ઊંચુ હતું. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો વિષ્ણુપુરી
હતી. હવે છે રાવણપુરી. એ જ દેવી-દેવતાઓ ૮૪ જન્મ નાં બાદ શું બની ગયાં છે. દેવતાઓને
વાઈસલેસ (નિર્વિકારી) સમજી, પોતાને વિશશ (વિકારી) સમજી તેમની પૂજા કરે છે. સતયુગ
માં ભારત વાઈસલેસ હતું, નવી દુનિયા હતી, જેને નવું ભારત કહે છે. આ છે જુનું ભારત.
નવું ભારત શું હતું, જુનું ભારત શું છે, નવી દુનિયામાં ભારત જ નવું હતું, હવે જૂની
દુનિયામાં ભારત પણ જૂનું છે. શું ગતિ થઈ ગઈ છે. ભારત જ સ્વર્ગ હતું, હમણાં નર્ક છે.
ભારત મોસ્ટ સોલવેન્ટ (સૌથી ભરપુર) હતું, ભારત જ મોસ્ટ ઈનસોલ્વેન્ટ (સૌથી કંગાળ) છે,
સર્વ થી ભીખ માંગી રહ્યાં છે. પ્રજા થી પણ ભીખ માંગે છે. આતો સમજ ની વાત છે ને. આજ
નાં દેહ-અભિમાની મનુષ્યો ને થોડાં પૈસા મળ્યાં તો સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠાં
છીએ. સુખધામ (સ્વર્ગ) ને બિલકુલ જાણતાં નથી કારણ કે પથ્થરબુદ્ધિ છે. હવે તેમને
પારસબુદ્ધિ બનાવવા માટે ૭ દિવસ ની ભઠ્ઠીમાં બેસાડો કારણકે પતિત છે ને. પતિત ને
અહીંયા તો બેસાડી ન શકાય. અહીંયા પાવન જ રહી શકે છે. પતિત ને એલાઉ (બેસાડી) ન કરી
શકાય.
તમે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર બેઠાં છો. જાણો છો બાબા આપણને આવાં પુરુષોત્તમ
બનાવે છે. આ સાચી સત્ય નારાયણ ની કથા છે. સત્ય બાપ તમને નર થી નારાયણ બનવાનો રાજયોગ
શીખવાડી રહ્યાં છે. જ્ઞાન ફક્ત એક બાપ ની પાસે છે, જેમને જ્ઞાનનાં સાગર કહેવાય છે.
શાંતિનાં સાગર, પવિત્રતાનાં સાગર, આ એ એક ની જ મહિમા છે. બીજા કોઈની મહિમા થઈ નથી
શકતી. દેવતાઓની મહિમા અલગ છે, પરમપિતા પરમાત્મા શિવ ની મહિમા અલગ છે. એ છે બાપ,
કૃષ્ણ ને બાપ નહીં કહેશું. હવે ભગવાન કોણ થયાં? હજું પણ ભારતવાસી મનુષ્યોને ખબર નથી.
કૃષ્ણ ભગવાનુવાચ કહી દે છે. તે તો પૂરા ૮૪ જન્મ લે છે. સૂર્યવંશી સો ચંદ્રવંશી સો
વૈશ્યવંશી….. મનુષ્ય હમ સો નો અર્થ પણ સમજતાં નથી. હમ આત્મા સો પરમાત્મા કહી દે છે.
કેટલું રોંગ (ખોટું) છે. હમણાં તમે સમજાવો છો કે ભારતની ચઢતી કળા અને ઉતરતી કળા કેવી
રીતે થાય છે. આ છે જ્ઞાન, તે બધું છે ભક્તિ. સતયુગ માં બધાં પાવન હતાં, રાજા-રાણી
નું રાજ્ય ચાલતું હતું. ત્યાં વજીર પણ નથી હોતા કારણ કે રાજા-રાણી પોતે જ માલિક છે.
બાપ થી વારસો લીધેલો છે. તેમના માં અક્કલ છે, લક્ષ્મી-નારાયણ ને કોઈ થી સલાહ લેવાની
દરકાર નથી. ત્યાં વજીર હોતાં નથી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ હોતો નહીં. મહાન પવિત્ર
દેશ હતો. નામ જ હતું સ્વર્ગ, હમણાં છે નર્ક. નર્ક થી ફરી સ્વર્ગ બાપ જ બનાવશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ ની
સુમત પર ચાલીને મનુષ્ય થી દેવતા બનવાનું છે. આ સુખદ સંગમયુગ પર સ્વયં ને પુરુષોત્તમ
પારસબુદ્ધિ બનાવવાનાં છે.
2. ૭ દિવસ ની ભઠ્ઠીમાં બેસી પતિત બુદ્ધિ ને પાવન બુદ્ધિ બનાવવાની છે. સત્ય બાપ થી
સત્ય નારાયણ ની સાચ્ચી કથા સાંભળી નર થી નારાયણ બનવાનું છે.
વરદાન :-
ફરિશ્તાપણા ની
સ્થિતિ દ્વારા બાપ નાં સ્નેહનું રિટર્ન ( વળતર ) આપવા વાળા સમાધાન સ્વરુપ ભવ
ફરિશ્તા પણા ની
સ્થિતિમાં સ્થિત થવું-આ જ બાપનાં સ્નેહ નું રિટર્ન છે, આવું રીટર્ન આપવા વાળા
સમાધાન સ્વરુપ બની જાય છે. સમાધાન સ્વરુપ બનવાથી સ્વયં ની કે અન્ય આત્માઓની સમસ્યાઓ
સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. તો હવે એવી સેવા કરવાનો સમય છે, લેવાની સાથે આપવાનો સમય
છે. એટલે હવે બાપ સમાન ઉપકારી બની, પોકાર સાંભળીને પોતાનાં ફરિશ્તા રુપ દ્વારા તે
આત્માઓની પાસે પહોંચી જાઓ અને સમસ્યાઓથી થાકેલી આત્માઓનો થાક ઉતારો.
સ્લોગન :-
વ્યર્થ થી
બેપરવાહ બનો, મર્યાદાઓમાં નહીં.