01-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - મોટાં
- મોટાં સ્થાનો પર મોટી - મોટી દુકાન ( સેવાકેન્દ્ર ) ખોલો , સર્વિસ ( સેવા ) ને
વધારવા માટે પ્લાન બનાવો , મિટિંગ કરો , વિચાર ચલાવો ”
પ્રશ્ન :-
સ્થૂળ વન્ડર્સ
(અજાયબી) તો બધાં જાણે છે પરંતુ સૌથી મોટું વન્ડર કયું છે, જેને આપ બાળકો જ જાણો
છો?
ઉત્તર :-
સૌથી મોટું વન્ડર તો એ છે જે સર્વનાં સદ્દગતિ દાતા બાપ સ્વયં આવી ને ભણાવે છે. આ
વન્ડરફુલ વાત બતાવવા માટે તમારે પોતે-પોતાની દુકાનો નો ભપકો કરવો પડે છે કારણ કે
મનુષ્ય ભપકો (શો) જોઈને જ આવે છે. તો સૌથી સારી અને મોટી દુકાન કેપિટલ (રાજધાની)
માં હોવી જોઈએ, જેથી બધાં આવીને સમજે.
ગીત :-
મરના તેરી ગલી
મેં……...
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ.
રુદ્ર ભગવાનુવાચ પણ કહી શકાય છે કારણ કે શિવ માળા નથી ગવાતી. જે મનુષ્ય ભક્તિમાર્ગ
માં ખુબ ફેરવે છે તેનું નામ રાખેલું છે રુદ્રમાળા. વાત એક જ છે પરંતુ રાઈટ-વે (સાચી
રીતે) માં શિવબાબા ભણાવે છે. એ નામ જ હોવું જોઈએ, પરંતુ રુદ્રમાળા નામ ચાલ્યું આવે
છે. તો તે પણ સમજાવવાનું હોય છે. શિવ અને રુદ્ર માં કોઈ ફર્ક નથી. બાળકોની બુદ્ધિ
માં છે કે અમે સારી રીતે પુરુષાર્થ કરી બાબાની માળા માં નજીક આવી જઈએ. આ દૃષ્ટાંત
પણ બતાવાય છે. જેમ બાળકો દોડીને જાય છે, નિશાન સુધી જઈ પાછાં આવીને શિક્ષક પાસે ઉભા
રહે છે. આપ બાળકો પણ જાણો છો આપણે ૮૪ નું ચક્ર લગાવ્યું. હવે પહેલાં-પહેલાં જઈને
માળા માં પરોવાનું છે. તે છે હ્યુમન સ્ટુડન્ટ (મનુષ્ય વિદ્યાર્થી) ની રેસ. આ છે
રુહાની રેસ. તે રેસ તમે કરી ન શકો. આ તો છે જ આત્માઓની વાત. આત્મા તો ઘરડી, જવાન કે
નાની-મોટી થતી નથી. આત્મા તો એક જ છે. આત્માએ જ પોતાનાં બાપને યાદ કરવાનાં છે, આમાં
કોઈ તકલીફ ની વાત નથી. ભલે ભણતરમાં ઢીલાં પણ થઈ જાઓ પરંતુ આમાં શું તકલીફ છે, કાંઈ
પણ નહીં. બધી આત્માઓ ભાઈ-ભાઈ છે. તે રેસ માં જવાન તેજ દોડશે. અહીંયા તો તે વાત નથી.
આપ બાળકો ની રેસ છે રુદ્રમાળા માં પરોવાની. બુદ્ધિ માં છે આપણું આત્માઓનું પણ ઝાડ
છે. તે છે શિવબાબા ની બધાં મનુષ્ય-માત્ર ની માળા. એવું નથી કે ફક્ત ૧૦૮ અથવા ૧૬,૧૦૮
ની માળા છે. નહીં જે પણ મનુષ્ય માત્ર છે, બધાની માળા છે. બાળકો સમજે છે નંબરવાર
દરેક પોત-પોતાનાં ધર્મમાં જઈને વિરાજમાન થશે, જે પછી કલ્પ-કલ્પ એ જગ્યા પર જ આવતા
રહેશે. આ પણ વન્ડર (અદ્દભુત) છે ને. દુનિયા આ વાતોને નથી જાણતી. તમારામાં પણ જે
વિશાળ બુદ્ધિ વાળા છે તે આ વાતોને સમજી શકે છે. બાળકોની બુદ્ધિમાં આ જ વિચાર રહેવો
જોઈએ કે અમે બધાને રસ્તો કેવી રીતે બતાવીએ. આ છે વિષ્ણુ ની માળા. શરુથી લઈને સિજરો
શરુ થાય છે, ડાળ-ડાળીઓ બધું છે ને. ત્યાં પણ નાની-નાની આત્માઓ રહે છે. અહીંયા છે
મનુષ્ય. પછી બધી આત્માઓ એક્યુરેટ ત્યાં ઉભી હશે. આ વન્ડરફુલ વાતો છે. મનુષ્ય આ
સ્થૂળ વન્ડર્સ બધાં જુએ છે પરંતુ તે તો કાંઈ પણ નથી. અહીંયા કેટલું વન્ડર છે જે
સર્વનાં સદ્દગતિ દાતા પરમપિતા પરમાત્મા આવી ને ભણાવે છે. કૃષ્ણને સર્વનાં સદ્દગતિ
દાતા થોડી કહીશું. તમારે આ બધી પોઇન્ટ (વાત) પણ ધારણ કરવાની છે. મૂળ વાત છે જ ગીતા
નાં ભગવાનની. આનાં પર જીત પામી તો બસ. ગીતા છે જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી, ભગવાનની
ગવાયેલી. પહેલાં-પહેલાં આ કોશિશ કરવાની છે. આજકાલ તો મોટો ભપકો જોઈએ, જે દુકાનમાં
ખુબ શો હોય છે ત્યાં મનુષ્ય ખુબ જાય છે. સમજશે અહીંયા સારો માલ હશે. બાળકો ડરે છે,
આટલાં મોટાં-મોટાં સેવાકેન્દ્ર ખોલીએ તો લાખ બે લાખ સલામી આપે, ત્યારે દિલપસંદ મકાન
મળે. એક જ રોયલ મોટી દુકાન હોય, મોટી દુકાન મોટાં-મોટાં શહેરો માં જ નીકળે છે. તમારી
સૌથી મોટી દુકાન નીકળવી જોઈએ કેપિટલ (રાજધાની) માં. બાળકોએ વિચાર સાગર મંથન કરવું
જોઈએ કે કેવી રીતે સર્વિસ વધે. મોટી દુકાન નીકળશે તો મોટાં-મોટાં વ્યક્તિ આવશે. મોટાં
વ્યક્તિ નો અવાજ ઝટ ફેલાય છે. પહેલાં-પહેલાં તો આ કોશિશ કરવી જોઈએ. સર્વિસ માટે મોટાં
થી મોટું સ્થાન એવી જગ્યાએ બનાવો જ્યાં મોટાં-મોટાં વ્યક્તિ આવીને જોઈને વન્ડર ખાય
અને પછી ત્યાં સમજાવવા વાળા પણ ફર્સ્ટ ક્લાસ જોઈએ. કોઈ એક પણ સાધારણ બી.કે. સમજાવે
છે તો સમજે છે - કદાચ બધાં બી.કે. જ એવા છે એટલે દુકાન પર સેલ્સમેન પણ સારા ફર્સ્ટ
ક્લાસ જોઈએ. આ પણ ધંધો છે ને. બાપ કહે છે હિમ્મતે બચ્ચે મદદે બાપદાદા. તે વિનાશી ધન
તો કોઈ કામ નહીં આવશે. આપણે તો પોતાની અવિનાશી કમાણી કરવાની છે, આમાં અનેકો નું
કલ્યાણ થશે. જેમ આ બ્રહ્માએ પણ કર્યું. પછી કોઈ ભૂખ્યા થોડી મરે છે. તમે પણ ખાઓ છો,
આ પણ ખાય છે. અહીંયા જે ખાન-પાન મળે છે તે બીજે ક્યાંય નથી મળતું. આ બધું બાળકોનું
જ છે ને. બાળકોને પોતાની રાજાઈ સ્થાપન કરવાની છે, આમાં ખુબ વિશાળ બુદ્ધિ જોઈએ.
કેપિટલમાં નામ નીકળશે તો બધાં સમજી જશે. કહેશે બરાબર આ તો સાચું બતાવે છે, વિશ્વનાં
માલિક તો ભગવાન જ બનાવશે. મનુષ્ય, મનુષ્યને વિશ્વ નાં માલિક થોડી બનાવશે. બાબા
સર્વિસની વૃદ્ધિ માટે સલાહ આપતા રહે છે.
સર્વિસ ની વૃદ્ધિ ત્યારે થશે જ્યારે બાળકોનું ફ્રાકદિલ (વિશાળદિલ) હશે. જે પણ કાર્ય
કરો છો ફ્રાકદિલ થી કરો. કોઈ પણ શુભ કાર્ય જાતે જ કરવું-આ ખુબ સારું છે. કહેવાય પણ
છે જાતે જ કરે સો દેવતા, કહેવાથી કરે તે મનુષ્ય. કહેવાથી પણ ન કરે…..બાબા તો દાતા
છે. બાબા થોડી જ કોઈને કહેશે આ કરો. આ કાર્યમાં આટલું લગાવો. નહીં. બાબા એ સમજાવ્યું
છે મોટાં-મોટાં રાજાઓનાં હાથ ક્યારેય બંધ નથી હોતાં. રાજાઓ હંમેશા દાતા હોય છે. બાબા
સલાહ આપે છે-શું-શું જઈને કરવું જોઈએ. ખબરદારી પણ ખુબ જોઈએ. માયા પર જીત પામવાની
છે, ખુબ ઊંચું પદ છે. અંતમાં રીઝલ્ટ (પરિણામ) નીકળે છે પછી જે વધારે માર્ક્સ થી પાસ
થાય છે તેમને ખુશી પણ હોય છે. અંતમાં સાક્ષાત્કાર તો બધાને થશે ને, પરંતુ તે સમય
શું કરી શકશો. તકદીર માં જે છે એજ મળે છે. પુરુષાર્થ ની વાત અલગ છે. બાપ બાળકો ને
સમજાવે છે વિશાળ બુદ્ધિ બનો. હમણાં તમે ધર્મ આત્માઓ બનો છો. દુનિયામાં ધર્માત્મા તો
ખુબ થઈને ગયાં છે ને. ખુબ તેમનો નામાચાર થાય છે. ફલાણા બહુજ ધર્માત્મા મનુષ્ય હતાં.
કોઈ-કોઈ તો પૈસા ભેગા કરતાં-કરતાં અચાનક મરી જાય છે. પછી ટ્રસ્ટી બને છે. કોઈ બાળક
પણ નાલાયક હોય છે તો પછી ટ્રસ્ટી કરે છે. આ સમયે તો આ છે જ પાપ આત્માઓની દુનિયા.
મોટાં-મોટાં ગુરુઓ વગેરે ને દાન કરે છે. જેમ કાશ્મીર નાં મહારાજા હતાં, વિલ કરીને
ગયાં કે આર્ય સમાજીઓ ને મળે. તેમનો ધર્મ વૃદ્ધિને પામે. હમણાં તમારે શું કરવાનું
છે, કયા ધર્મને વૃદ્ધી માં લાવવાનાં છે? આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ છે. આ પણ કોઈને
ખબર નથી. હમણાં તમે ફરીથી સ્થાપન કરી રહ્યાં છો. બ્રહ્મા દ્વારા સ્થાપના. હવે
બાળકોને એક ની યાદ માં રહેવું જોઈએ. તમે યાદ નાં બળથી જ આખી સૃષ્ટિને પવિત્ર બનાવો
છો કારણ કે તમારાં માટે તો પવિત્ર સૃષ્ટિ જોઈએ. આને આગ લાગવાથી પવિત્ર બને છે. ખરાબ
વસ્તુ ને આગમાં પવિત્ર બનાવે છે. આમાં બધી જ અપવિત્ર વસ્તુ પડીને પછી સારી થઈને
નીકળશે. તમે જાણો છો આ ખુબ છી-છી તમોપ્રધાન દુનિયા છે. ફરી સતોપ્રધાન થવાની છે. આ
યજ્ઞ છે ને. તમે છો બ્રાહ્મણ. આ પણ તમે જાણો છો શાસ્ત્રો માં અનેક વાતો લખી દીધી
છે, યજ્ઞ પર પછી દક્ષ પ્રજાપિતા નું નામ દેખાડ્યું છે. પછી રુદ્ર જ્ઞાન યજ્ઞ કહેવાઈ
ગયો. તેનાં માટે પણ શું-શું વાર્તાઓ બેસી લખી છે. યજ્ઞ નું વર્ણન કાયદેસર છે જ નહીં.
બાપ જ આવીને બધું સમજાવે છે. હમણાં આપ બાળકોએ જ્ઞાન યજ્ઞ રચ્યો છે શ્રીમત થી. આ છે
જ્ઞાન યજ્ઞ અને પછી વિદ્યાલય પણ થઈ જાય છે. જ્ઞાન અને યજ્ઞ બંને અક્ષર અલગ-અલગ છે.
યજ્ઞમાં આહુતિ નાખવાની છે. જ્ઞાનસાગર બાપ જ આવીને યજ્ઞ રચે છે. આ ખુબ ભારી યજ્ઞ છે,
જેમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે.
તો બાળકોએ સર્વિસ નો પ્લાન બનાવવાનો છે. ભલે ગામડા વગેરેમાં પણ સર્વિસ કરો. તમને ઘણાં
કહે છે ગરીબોને આ નોલેજ (જ્ઞાન) આપવું જોઈએ. ફક્ત સલાહ આપે છે, પોતે કંઈ કામ નથી
કરતાં. સર્વિસ નથી કરતાં ફક્ત સલાહ આપે છે કે આવું કરો, ખુબ સારું છે. પરંતુ અમને
ફુરસદ નથી. નોલેજ ખુબ સરસ છે. બધાને આ નોલેજ મળવું જોઈએ. પોતાને મોટાં વ્યક્તિ, તમને
નાનાં વ્યક્તિ સમજે છે. તમારે ખુબ ખબરદાર રહેવાનું છે. તે ભણતરની સાથે પછી આ ભણતર
પણ મળે છે. ભણતર થી વાતચીત કરવાની અક્કલ આવી જાય છે. મેનર્સ (સભ્યતા) સારા થઈ જાય
છે. અભણ તો જેમ ભુટ્ટૂ (ડફોળ) હોય છે. કેવી રીતે વાત કરવી જોઈએ, અક્કલ નથી. મોટાં
વ્યક્તિ થી હંમેશા “આપ” કહી વાત કરવાની હોય છે. અહીંયા તો કોઈ-કોઈ એવાં પણ છે જે
પતિને પણ તમે-તમે કહી દેશે. આપ અક્ષર રોયલ છે. મોટાં વ્યક્તિને આપ કહેવાશે. તો બાબા
પહેલાં-પહેલાં સલાહ આપે છે કે દિલ્લી જે પરિસ્તાન હતું, ફરીથી તેને પરિસ્તાન
બનાવવાનું છે. તો દિલ્લી માં બધાને સંદેશ આપવો જોઈએ, એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાત) ખુબ
સારી કરવાની છે. ટોપિક્સ (વિષય) પણ બતાવતા રહે છે, ટોપિકનું લિસ્ટ બનાવો પછી લખતાં
જાઓ. વિશ્વમાં શાંતિ કેવી રીતે થઈ શકે છે આવીને સમજો, ૨૧ જન્મોનાં માટે નિરોગી કેવી
રીતે બની શકો છો, આવીને સમજો. એવી ખુશીની વાતો લખેલી હોય. ૨૧ જન્મોનાં માટે નિરોગી,
સતયુગી ડબલ સિરતાજ આવીને બનો. સતયુગી અક્ષર તો બધામાં નાખો. સુંદર-સુંદર અક્ષર હોય
તો મનુષ્ય જોઇને ખુશ થાય. ઘરમાં પણ એવાં બોર્ડ ચિત્ર વગેરે લગાવેલાં હોય. પોતાનો
ધંધો વગેરે ભલે કરો. સાથે-સાથે સર્વિસ પણ કરતાં રહો. ધંધામાં આખો દિવસ થોડી રહેવાનું
હોય છે. ઉપર થી ફક્ત દેખભાળ કરવાની હોય છે. બાકી કામ અસિસ્ટન્ટ મેનેજર ચલાવે છે.
કોઈ શેઠ લોકો ફ્રાકદિલ હોય છે તો અસિસ્ટન્ટ ને સારો પગાર (વેતન) આપીને પણ ગાદી પર
બેસાડી દે છે. આ તો બેહદની સર્વિસ છે. બીજી બધી છે હદની સર્વિસ. આ બેહદની સર્વિસ
માં કેટલી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. આપણે વિશ્વ પર જીત પામીએ છીએ. કાળ પર પણ આપણે
જીત પામીને અમર બની જઈએ છીએ. આવું-આવું લખાણ જોઈને આવશે અને સમજવાની કોશિશ કરશે.
અમરલોક નાં માલિક તમે કેવી રીતે બની શકો છો આવીને સમજો, ઘણાં ટોપિક્સ (વિષય) નીકળી
શકે છે. તમે કોઈને વિશ્વનાં માલિક બનાવી શકો છો. ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી રહેતું.
બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. બાબા આપણને ફરીથી શું બનાવવા આવ્યાં છે! બાળકો જાણે
છે જૂની સૃષ્ટિ થી નવી બનવાની છે, મોત પણ સામે ઊભું છે. જુઓ છો લડાઈ લાગતી રહે છે.
મોટી લડાઈ લાગી તો ખેલ જ ખલાસ થઈ જશે. તમે તો સારી રીતે જાણો છો. બાપ ખુબ પ્રેમ થી
કહે છે-મીઠા બાળકો, વિશ્વ ની બાદશાહી તમારે માટે છે. તમે વિશ્વનાં માલિક હતાં, ભારત
માં તમે અથાહ સુખ જોયું. ત્યાં રાવણ રાજ્ય જ નથી. તો એટલી ખુશી જોઈએ. બાળકોને આપસમાં
મળીને સલાહ કરવી જોઈએ. સમાચાર પત્રમાં નાખવું જોઈએ. દિલ્લી માં પણ એરોપ્લેન થી પરચા
નાખો. નિમંત્રણ આપે છે, ખર્ચો કાંઈ વધારે થોડી લાગે છે, મોટાં ઓફિસર સમજી જાય તો
મફત પણ કરી શકે છે. બાબા સલાહ આપે છે, જેમ કલકત્તા છે ત્યાં ચાર રસ્તા માં ફર્સ્ટ
ક્લાસ એક જ મોટી દુકાન હોય રોયલ, તો ગ્રાહક ખુબ આવશે. મદ્રાસ, બોમ્બે મોટાં-મોટાં
શહેરોમાં મોટી દુકાન હોય. બાબા બિઝનેસમેન પણ તો છે ને. તમારા થી કખપણું પાઈ પૈસા
લઈને એક્સચેન્જ (વળતર) માં શું આપુ છું! એટલે ગવાય છે રહેમદિલ. કોડી થી હીરા જેવા
બનાવવા વાળા, મનુષ્ય ને દેવતા બનાવવા વાળા. બલિહારી એક બાપની છે. બાપ ન હોત તો તમારી
શું મહિમા થાત.
આપ બાળકોને ફખુર (નશો) હોવો જોઇએ કે ભગવાન આપણને ભણાવે છે. લક્ષ્ય અને હેતુ નર થી
નારાયણ બનવાનો સામે ઉભો છે. પહેલાં-પહેલાં જેમણે અવ્યભિચારી ભક્તિ શરુ કરી છે, એજ
આવીને ઊંચું પદ પામવાનો પુરુષાર્થ કરશે. બાબા કેટલાં સારા-સારા પોઇન્ટસ સમજાવે છે,
બાળકોને ભુલાઈ જાય છે, ત્યારે બાબા કહે છે પોઇન્ટ્સ લખો. ટોપિક્સ લખતાં રહો. ડોક્ટર
લોકો પણ પુસ્તક વાંચે છે. તમે છો માસ્ટર રુહાની સર્જન. તમને શીખવાડે છે આત્માને
ઇન્જેક્શન કેવી રીતે લગાવવાનું છે. આ છે જ્ઞાન નું ઇન્જેક્શન. આમાં સોય વગેરે તો
કાંઈ નથી. બાબા છે અવિનાશી સર્જન, આત્માઓને આવી ને ભણાવે છે. એજ અપવિત્ર બની છે. આ
તો ખુબ ઈજી (સહજ) છે. બાપ આપણને વિશ્વનાં માલિક બનાવે છે, એમને આપણે યાદ નથી કરી
શકતાં! માયાનું અપોઝિશન (વિરોધ) ખુબ છે એટલે બાબા કહે છે-ચાર્ટ રાખો અને સર્વિસ નો
ખ્યાલ કરો તો ખુબ ખુશી થશે. કેટલી પણ સારી મુરલી ચલાવે છે પરંતુ યોગ છે નહીં. બાપ
થી સાચાં બનવું પણ ખુબ મુશ્કિલ છે. જો સમજે છે અમે ખુબ આગળ છીએ તો બાબા ને યાદ કરી
ચાર્ટ મોકલે તો બાબા સમજશે ક્યાં સુધી સાચું છે કે જુઠ્ઠું? અચ્છા, બાળકોને સમજાવ્યું
- સેલ્સમેન બનવાનું છે, અવિનાશી જ્ઞાન રત્નોનું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. લક્ષ્ય અને
હેતુ ને સામે રાખી ફખુર (નશા) માં રહેવાનું છે, માસ્ટર રુહાની સર્જન બની બધાને
જ્ઞાન ઇન્જેક્શન લગાવવાનું છે. સર્વિસ ની સાથે-સાથે યાદનો પણ ચાર્ટ રાખવાનો છે તો
ખુશી રહેશે.
2. વાતચીત કરવાનાં મેનર્સ સારા રાખવાનાં છે, ‘આપ’ કહી વાત કરવાની છે. દરેક કાર્ય
ફ્રાકદિલ બની કરવાનું છે.
વરદાન :-
સ્વ કલ્યાણનાં
પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વિશ્વ કલ્યાણની સેવામાં સદા સફળતામૂર્ત ભવ
જેમ આજકાલ શારીરિક
રોગ હાર્ટફેલનો વધારે છે તેમ આધ્યાત્મિક ઉન્નતિ માં દિલશિકસ્ત નો રોગ વધારે છે. એવી
દિલશિકસ્ત આત્માઓમાં પ્રેક્ટીકલ પરિવર્તન જોવાથી જ હિમ્મત કે શક્તિ આવી શકે છે.
સાંભળ્યું ખુબ જ છે હવે જોવાં ઈચ્છે છે. પ્રમાણ દ્વારા પરિવર્તન ઈચ્છે છે. તો વિશ્વ
કલ્યાણ માટે સ્વ-કલ્યાણ પહેલાં સેમ્પલ રુપમાં દેખાડો. વિશ્વ કલ્યાણની સેવામાં
સફળતામૂર્ત બનવાનું સાધન જ છે પ્રત્યક્ષ પ્રમાણ, આનાથી જ બાપની પ્રત્યક્ષતા થશે. જે
બોલો છો તે તમારા સ્વરુપ થી પ્રેક્ટીકલ દેખાય ત્યારે માનશે.
સ્લોગન :-
બીજાનાં
વિચારોને પોતાનાં વિચારો થી મળાવવા-આ જ છે રીગાર્ડ (સમ્માન) આપવો.