13-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બધાને
આ ખુશખબરી સંભળાવો કે હવે ફરીથી વિશ્વ માં શાંતિ સ્થાપન થઈ રહી છે , બાપ આવ્યાં છે
એક આદિ સનાતન દેવી - દેવતા ધર્મ સ્થાપન કરવાં ”
પ્રશ્ન :-
આપ બાળકોને
ઘડી-ઘડી યાદ માં રહેવાનો ઈશારો કેમ અપાય છે?
ઉત્તર :-
કારણ કે એવર હેલ્દી (સદા સ્વસ્થ) અને સદા પાવન બનવાના માટે છે જ યાદ એટલે જ્યારે પણ
સમય મળે યાદ માં રહો. સવારે-સવારે સ્નાન વગેરે કરી પછી એકાંત માં ચક્ર લગાવો અથવા
બેસી જાઓ. અહીંયા તો કમાણી જ કમાણી છે. યાદ થી જ વિશ્વનાં માલિક બની જશો.
ઓમ શાંતિ!
મીઠા બાળકો
જાણે છે કે આ સમયે બધાં વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. આ અવાજ સાંભળતા રહીએ છીએ કે
વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી જે પછી હવે ઈચ્છે
છે-આ કોઈ નથી જાણતું. આપ બાળકો જ જાણો છો વિશ્વમાં શાંતિ હતી જ્યારે આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં સુધી પણ લક્ષ્મી-નારાયણનાં મંદિર બનાવતા રહે
છે. તમે કોઈને પણ આ બતાવી શકો છો વિશ્વમાં શાંતિ ૫ હજાર વર્ષ પહેલાં હતી, હવે ફરીથી
સ્થાપન થઈ રહી છે. કોણ સ્થાપન કરે છે? આ મનુષ્ય નથી જાણતાં. આપ બાળકોને બાપે
સમજાવ્યું છે, તમે કોઈને પણ સમજાવી શકો છો. તમે લખી શકો છો. પરંતુ હમણાં સુધી કોઈની
હિમ્મત નથી જે કોઈને લખે. સમાચાર માં અવાજ સાંભળો તો છો-બધાં કહે છે વિશ્વમાં શાંતિ
થાય. લડાઈ વગેરે થશે તો મનુષ્ય વિશ્વમાં શાંતિનાં માટે યજ્ઞ રચશે. કયો યજ્ઞ? રુદ્ર
યજ્ઞ રચશે. હમણાં બાળકો જાણે છે આ સમયે બાપ જેમને રુદ્ર શિવ પણ કહેવાય છે, એમણે
જ્ઞાન યજ્ઞ રચ્યો છે. વિશ્વમાં શાંતિ હવે સ્થાપન થઈ રહી છે. સતયુગ નવી દુનિયામાં
જ્યાં શાંતિ હતી જરુર રાજ્ય કરવાવાળા પણ હશે. નિરાકારી દુનિયાનાં માટે તો નહીં કહેશે
કે વિશ્વમાં શાંતિ હોય. ત્યાં તો છે જ શાંતિ. વિશ્વ મનુષ્ય નું હોય છે. નિરાકારી
દુનિયાને વિશ્વ નહીં કહેશું. તે છે શાંતિધામ. બાબા ઘડી-ઘડી સમજાવતા રહે છે છતાં પણ
કોઈ ભૂલી જાય છે, કોઈ-કોઈની બુદ્ધિમાં છે એ સમજાવી શકે છે. વિશ્વમાં શાંતિ કેવી રીતે
હતી, હવે ફરી કેવી રીતે સ્થાપન થઈ રહી છે-આ કોઈને સમજાવવું ખુબ સહજ છે. ભારતમાં
જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું રાજ્ય હતું તો એક જ ધર્મ હતો. વિશ્વમાં શાંતિ
હતી, આ ખુબ સહજ સમજાવવાની અને લખવાની વાત છે. મોટાં-મોટાં મંદિર બનાવવા વાળા ને પણ
તમે લખી શકો છો-વિશ્વમાં શાંતિ આજ થી ૫ હજાર વર્ષ પહેલાં હતી, જ્યારે આમનું રાજ્ય
હતું, જેમનાં જ તમે મંદિર બનાવો છો. ભારતમાં જ એમનું રાજ્ય હતું બીજો કોઈ ધર્મ નહોતો.
આ તો સહજ છે અને સમજવાની વાત છે. ડ્રામા અનુસાર આગળ ચાલી બધાં સમજી જશે. તમે આ
ખુશખબરી બધાને સંભળાવી શકો છો, છપાવી પણ શકો છો, બ્યુટીફુલ (સુંદર) કાર્ડ પર.
વિશ્વમાં શાંતિ આજ થી ૫ હજાર વર્ષ પહેલાં હતી, જ્યારે નવી દુનિયા નવું ભારત હતું.
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હવે ફરીથી વિશ્વમાં શાંતિ સ્થાપન થઈ રહી છે. આ વાતો
સિમરણ કરવાથી પણ આપ બાળકોને અતિ ખુશી થવી જોઈએ. તમે જાણો છો બાપને યાદ કરવાથી જ આપણે
વિશ્વનાં માલિક બનવા વાળા છીએ. બધો આધાર આપ બાળકોનાં પુરુષાર્થ પર છે. બાબા એ
સમજાવ્યું છે જે પણ સમય મળે બાબાની યાદ માં રહો. સવાર માં સ્નાન કરી પછી એકાંતમાં
ચક્ર લગાવો કે બેસી જાઓ. અહીંયા તો કમાણી જ કમાણી કરવાની છે. એવર હેલ્દી અને સદા
પાવન બનવાનાં માટે જ યાદ છે. અહીંયા ભલે સન્યાસી પવિત્ર છે, તો પણ બીમાર જરુર થાય
છે. આ છે જ રોગી દુનિયા. તે છે નિરોગી દુનિયા. આ પણ તમે જાણો છો. દુનિયામાં કોઈને
શું ખબર કે સ્વર્ગમાં બધાં નિરોગી હોય છે. સ્વર્ગ કોને કહેવાય છે, કોઈને ખબર નથી.
તમે હમણાં જાણો છો. બાબા કહે છે-કોઈ પણ મળે તમે સમજાવી શકો છો. સમજો કોઈ રાજા-રાણી
પોતાને કહેવડાવે છે. હવે રાજા-રાણી તો કોઈ છે નહીં. બોલો તમે હમણાં રાજા-રાણી તો છો
નહીં. આ બુદ્ધિ થી પણ નીકાળવું પડે. મહારાજા-મહારાણી શ્રી લક્ષ્મી-નારાયણ ની રાજધાની
તો હવે સ્થાપન થઈ રહી છે. તો જરુર અહીંયા કોઈ પણ રાજા-રાણી ન હોવા જોઈએ. અમે
રાજા-રાણી છીએ આ પણ ભૂલી જાઓ. ઓર્ડિનરી (સામાન્ય) મનુષ્યની જેમ ચાલો. એમની પાસે પણ
પૈસા સોનું વગેરે રહે તો છે ને. હમણાં કાયદા પાસ થઈ રહ્યાં છે, આ બધું લઈ લેશે. પછી
કોમન (સામાન્ય) મનુષ્યની જેમ થઈ જશે. આ પણ યુક્તિઓ રચાઇ રહી છે. ગાયન પણ છે ને,
કિસકી દબી રહે ધૂલ મેં , કિસકી રાજા ખાએ….હવે રાજા કોઈનું ખાતા નથી. રાજાઓ તો છે નહીં.
પ્રજા જ પ્રજાનું ખાઈ રહી છે. આજકાલનનું રાજ્ય બહુજ વન્ડરફુલ (અદ્દભુત) છે. જ્યારે
બિલકુલ રાજાઓનું નામ નીકળી જાય છે તો પછી રાજધાની સ્થાપન થાય છે. હમણાં તમે જાણો
છો-આપણે ત્યાં જઈ રહ્યાં છીએ જ્યાં વિશ્વમાં શાંતિ હોય છે. છે જ સુખધામ, સતોપ્રધાન
દુનિયા. આપણે ત્યાં જવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. બાળકીઓ ભપકા થી બેસીને
સમજાવે, બહારનો ફક્ત આર્ટિફિશિયલ (બનાવટી) ભપકો ન જોઈએ. આજ કાલ તો આર્ટિફિશિયલ પણ
ખુબ નીકળ્યાં છે ને. અહીંયા તો પાક્કા બ્રહ્માકુમાર-કુમારીઓ જોઈએ.
તમે બ્રાહ્મણ બ્રહ્મા બાપની સાથે વિશ્વમાં શાંતિની સ્થાપના નું કાર્ય કરી રહ્યાં
છો. આવી શાંતિ સ્થાપન કરવાવાળા બાળકો ખુબ શાંતચિત્ત અને ખુબ મીઠા જોઈએ કારણ કે જાણે
છે-આપણે નિમિત્ત બન્યાં છીએ વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાં. તો પહેલાં આપણામાં ખુબ
શાંતિ જોઈએ. વાતચીત પણ ખુબ ધીમે-ધીમે બહુજ રોયલ્ટી થી કરવાની છે. તમે બિલકુલ ગુપ્ત
છો. તમારી બુદ્ધિમાં અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો ભરેલો છે. બાપનાં તમે વારીસ છો
ને. જેટલો બાપ ની પાસે ખજાનો છે, તમારે પણ પૂરું ભરવું જોઇએ. બધી મિલકત તમારી છે,
પરંતુ તે હિંમત નથી તો લઈ નથી શકતાં. લેવાવાળા જ ઊંચ પદ પામશે. કોઈને સમજાવવાનો બહુ
શોખ જોઈએ. આપણે ભારતને ફરીથી સ્વર્ગ બનાવવાનું છે. ધંધો વગેરે કરતાં સાથે આ પણ
સર્વિસ (સેવા) કરવાની છે એટલે બાબા જલ્દી-જલ્દી કરે છે. છતાં પણ થાય તો ડ્રામા
અનુસાર જ છે. દરેક પોતાનાં સમય પર ચાલી રહ્યાં છે, બાળકોને પણ પુરુષાર્થ કરાવી રહ્યાં
છે. બાળકોને નિશ્ચય છે કે હવે બાકી થોડો સમય છે. આ આપણો અંતિમ જન્મ છે પછી આપણે
સ્વર્ગ માં હોઈશું. આ દુઃખધામ છે પછી સુખધામ થઈ જશે. બનવામાં સમય તો લાગે છે ને. આ
વિનાશ નાનો થોડી છે. જેમ નવું ઘર બને છે તો પછી નવાં ઘરની જ યાદ આવે છે. તે છે હદ
ની વાત, તેમાં કોઈ સંબંધ વગેરે થોડી બદલાય જાય છે. આ તો જૂની દુનિયા જ બદલાવાની છે
પછી જે સારી રીતે ભણશે તે રાજાઈ કુળ માં આવશે. નહીં તો પ્રજામાં ચાલ્યાં જશે.
બાળકોને ખુબ ખુશી હોવી જોઈએ. બાબા એ સમજાવ્યું છે ૫૦-૬૦ જન્મ તમે સુખ પામો છો.
દ્વાપરમાં પણ તમારી પાસે ખુબ ધન રહે છે. દુઃખ તો પછી હોય છે. રાજાઓ જ્યારે આપસમાં
લડે છે, ફૂટ પડે છે ત્યારે દુઃખ શરું થાય છે. પહેલાં તો અનાજ વગેરે પણ ખુબ સસ્તા
હોય છે. ફેમન (અકાળ) વગેરે પણ પછી પડે છે. તમારી પાસે ખુબ ધન રહે છે. સતોપ્રધાન થી
તમોપ્રધાન માં ધીરે-ધીરે આવો છો. તો આપ બાળકોને અંદર માં ખુબ ખુશી રહેવી જોઈએ.
પોતાને જ ખુશી નહીં હોય, શાંતિ નહીં હોય તો તે વિશ્વમાં શાંતિ શું સ્થાપન કરશે!
ઘણાઓની બુદ્ધિમાં અશાંતિ રહે છે. બાપ આવે જ છે શાંતિ નું વરદાન આપવાં. કહે છે મને
યાદ કરો તો તમોપ્રધાન બનવાનાં કારણે જે આત્મા અશાંત થઈ ગઈ છે તે યાદ થી સતોપ્રધાન
શાંત બની જશે. પરંતુ બાળકો થી યાદની મહેનત પહોંચતી જ નથી, યાદમાં ન રહેવાનાં કારણે
જ પછી માયાનાં તોફાન આવે છે. યાદ માં રહીને પૂરા પાવન નહીં બનશો તો સજા ખાવી પડશે.
પદ પણ ભ્રષ્ટ થશે. એવું ન સમજવું જોઈએ સ્વર્ગમાં તો જઈશું ને. અરે, માર ખાઈને પાઈ
પૈસાનું સુખ પામવું આ કંઈ સારું છે કે. મનુષ્ય ઊંચ પદ પામવા માટે કેટલો પુરુષાર્થ
કરે છે. એવું નહીં કે જે મળ્યું તે સારું છે. એવું કોઈ નહીં હોય જે પુરુષાર્થ નહીં
કરશે. ભીખ માંગવા વાળા ફકીર લોકો પણ પોતાની પાસે પૈસા ભેગાં કરે છે. પૈસાનાં તો બધાં
ભૂખ્યાં હોય છે. પૈસાથી દરેક વાત નું સુખ હોય છે. આપ બાળકો જાણો છો આપણે બાબા થી
અથાહ ધન લઈએ છીએ. પુરુષાર્થ ઓછો કરશો તો ધન પણ ઓછું મળશે. બાપ ધન આપે છે ને. કહે પણ
છે-ધન છે તો અમેરિકા વગેરે નું ચક્ર લગાવો. તમે જેટલું બાપ ને યાદ કરશો અને સર્વિસ
(સેવા) કરશો એટલું સુખ પામશો. બાપ દરેક વાતમાં પુરુષાર્થ કરાવે, ઊંચ બનાવે છે. સમજે
છે બાળકો નામ રોશન કરશે અમારા કુળ નું. આપ બાળકોએ પણ ઈશ્વરીય કુળનું, બાપનું નામ
રોશન કરવાનું છે. આ સત બાપ, સત શિક્ષક, સદ્દગુરુ થયાં. ઊંચે થી ઊંચા બાપ ઊંચે થી
ઊંચા સાચાં સદ્દગુરુ પણ થયાં. આ પણ સમજાવ્યું છે કે ગુરુ એક જ હોય છે, બીજા ન કોઈ.
સર્વ નાં સદ્દગતિ દાતા એક. આ પણ તમે જાણો છો. હમણાં તમે પારસબુદ્ધિ બની રહ્યાં છો.
પારસપુરીનાં પારસનાથ રાજા-રાણી બનો છો. કેટલી સહજ વાત છે. ભારત ગોલ્ડન એજ્ડ (સ્વર્ણિમ
યુગ) હતું, વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી-આ તમે આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પણ
સમજાવી શકો છો. હેવન (સ્વર્ગ) માં શાંતિ હતી. હમણાં છે હેલ (નરક). આમાં અશાંતિ છે.
સ્વર્ગમાં આ લક્ષ્મી-નારાયણ રહે છે ને. કૃષ્ણ ને લોર્ડ કૃષ્ણ પણ કહે છે. કૃષ્ણ
ભગવાન પણ કહે છે. હવે લોર્ડ તો ઘણાં છે, જેમની પાસે લેન્ડ (જમીન) વધારે હોય છે તેમને
પણ કહે છે-લેન્ડલોર્ડ (જમીનદાર). કૃષ્ણ તો વિશ્વનાં પ્રિન્સ (રાજકુમાર) હતાં, જે
વિશ્વમાં શાંતિ હતી. આ પણ કોઈને ખબર નથી રાધે-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ બને છે.
તમારા માટે લોકો કેટલી વાતો કરે છે, હંગામો મચાવે છે, કહે છે આ તો ભાઈ-બહેન બનાવે
છે. સમજાવાય છે પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી બ્રાહ્મણ, જેમનાં માટે જ ગવાય છે
બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. બ્રાહ્મણ પણ તેઓને નમસ્તે કરે છે કારણકે તે સાચાં
ભાઈ-બહેન છે. પવિત્ર રહે છે. તો પવિત્ર ની કેમ નહીં ઈજ્જત કરશે. કન્યા પવિત્ર છે તો
તેનાં પણ પગે પડે છે. બહારનાં વિઝીટર (અતિથી) આવશે, તે પણ કન્યાને નમન કરશે. આ સમયે
કન્યાનું આટલું માન કેમ છે? કારણ કે તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો ને. મેજોરીટી (મોટી
સંખ્યા) તમારી કન્યાઓની છે. શિવ શક્તિ પાંડવસેના ગવાયેલી છે. આમાં મેલ (ભાઈ) પણ છે,
મેજોરીટી માતાઓની છે એટલે ગવાય છે. તો જે સારી રીતે ભણે છે તે ઊંચ બને છે. હમણાં તમે
આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી જાણી ગયાં છો. ચક્ર પર પણ સમજાવવું ખુબ સહજ છે.
ભારત પારસપુરી હતું, હમણાં છે પથ્થરપુરી. તો બધાં પથ્થરનાથ થયાં ને. આપ બાળકો આ ૮૪
નાં ચક્ર ને પણ જાણો છો. હમણાં જવાનું છે ઘરે તો બાપને પણ યાદ કરવાનાં છે, જેનાથી
પાપ કપાય છે. પરંતુ બાળકોથી યાદની મહેનત થતી નથી કારણ કે અલબેલાપણું છે. સવારે ઉઠતાં
નથી. જો ઊઠે છે તો મજા નથી આવતી. ઊંઘ આવવા લાગે છે તો પછી સૂઈ જાય છે. હોપલેસ (નિરાશ)
થઈ જાય છે. બાબા કહે છે-બાળકો, આ યુદ્ધનું મેદાન છે ને. આમાં હોપલેસ ન થવું જોઈએ.
યાદનાં બળ થી જ માયા પર જીત પામવાની છે. આમાં મહેનત કરવી જોઈએ. ખુબ સારા-સારા બાળકો
જે યથાર્થ રીતે યાદ નથી કરતાં, ચાર્ટ રાખવાથી નફા-નુકસાન ની ખબર પડી જાય છે. કહે છે
ચાર્ટ એ તો મારી અવસ્થામાં કમાલ કરી દીધી છે. આમ વિરલા કોઈ ચાર્ટ રાખે છે. આ પણ ખુબ
મહેનત છે. ઘણાં સેવાકેન્દ્ર માં જુઠ્ઠા પણ જઈને બેસે છે, વિકર્મ કરતાં રહે છે. બાપનાં
ડાયરેક્શન (માર્ગદર્શન) પર અમલ ન કરવાથી ખુબ નુકસાન કરી દે છે. બાળકોને ખબર થોડી પડે
છે-નિરાકાર બોલે છે કે સાકાર? બાળકોને ઘડી-ઘડી સમજાવાય છે-હંમેશા સમજો શિવબાબા
ડાયરેક્શન આપે છે. તો તમારી બુદ્ધિ ત્યાં લાગી રહેશે.
આજકાલ સગાઈ થાય છે તો ચિત્ર દેખાડે છે, સમાચાર પત્રમાં પણ નાખે છે કે આમનાં માટે
આવાં-આવાં સારા ઘરનાં જોઈએ. દુનિયાની શું હાલત થઈ ગઈ છે, શું થવાનું છે! આપ બાળકો
જાણો છો અનેક પ્રકાર ની મતો છે. આપ બ્રાહ્મણ ની છે એક મત. વિશ્વમાં શાંતિ સ્થાપન
કરવાની મત. તમે શ્રીમત થી વિશ્વમાં શાંતિ સ્થાપન કરો છો તો બાળકોએ પણ શાંતિ માં
રહેવું જોઈએ. જે કરશે તે પામશે. નહીં તો ખુબ ઘાટો છે. જન્મ-જન્માન્તર નો ઘાટો છે.
બાળકોને કહે છે પોતાનો ઘાટો અને ફાયદો જુઓ. ચાર્ટ જુઓ અમે કોઈને દુઃખ તો નથી આપ્યું?
બાપ કહે છે તમારો આ સમય એક-એક સેકન્ડ મોસ્ટ વેલ્યુએબલ (ખુબ મુલ્યવાન) છે, મોચરા (સજા)
ખાઈને માની (રોટલી) ટુકડો ખાવો તે શું મોટી વાત છે. તમે તો ખુબ ધનવાન બનવાં ઈચ્છો
છો ને. પહેલાં-પહેલાં જે પૂજ્ય છે તેમણે જ પુજારી બનવાનું છે. એટલું ધન હશે,
સોમનાથનું મંદિર બનાવે ત્યારે તો પૂજા કરે. આ પણ હિસાબ છે. બાળકોને છતાં પણ સમજાવે
છે ચાર્ટ રાખો તો ખુબ જ ફાયદો થશે. નોંધ કરવી જોઈએ. બધાને પૈગામ આપતાં જાઓ, ચુપ થઈને
નહીં બેસો. ટ્રેનમાં પણ તમે સમજાવીને લિટરેચર (સાહિત્ય) આપી દો. બોલો, આ કરોડોની
મિલકત છે. લક્ષ્મી-નારાયણનું ભારતમાં જ્યારે રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી. હવે
બાપ ફરીથી તે રાજધાની સ્થાપન કરવાં આવ્યાં છે, તમે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ
થાય અને વિશ્વમાં શાંતિ થાય. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે
વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનાં નિમિત્ત બ્રાહ્મણ છીએ, આપણે ખુબ-ખુબ જ શાંતચિત
રહેવાનું છે. વાતચીત ખુબ ધીમે અને રોયલ્ટી થી કરવાની છે.
2. અલબેલાપણું છોડી
યાદની મહેનત કરવાની છે. ક્યારેય પણ હોપલેસ (નિરાશ) નથી બનવાનું.
વરદાન :-
વિકારો રુપી
સાપ ને પણ શૈયા બનાવવા વાળા વિષ્ણુ ની સમાન સદા વિજયી , નિશ્ચિંત ભવ
જે વિષ્ણુની શેષ શૈયા
દેખાડે છે આ આપ વિજયી બાળકોનાં સહજયોગી જીવનનું યાદગાર છે. સહજ્યોગ દ્વારા વિકારો
રુપી સાપ પણ અધીન થઈ જાય છે. જે બાળકો વિકારો રુપી સાપો પર વિજય પ્રાપ્ત કરી તેમને
આરામની શૈયા બનાવી દે છે તે સદા વિષ્ણુ ની સમાન હર્ષિત અને નિશ્ચિંત રહે છે. તો સદા
આ ચિત્ર પોતાની સામે જુઓ કે વિકારો ને અધીન કરેલો અધિકારી છું. આત્મા સદા આરામ ની
સ્થિતિમાં નિશ્ચિંત છે.
સ્લોગન :-
બાળક અને
માલિકપણા નાં બેલેન્સ (સંતુલન) થી પ્લાન ને પ્રેકટીકલ (વ્યવહાર) માં લાવો.