17-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
બુદ્ધિ માં હમણાં આખા જ્ઞાનનો સાર છે , એટલે તમારે ચિત્રોની પણ દરકાર નથી , તમે બાપ
ને યાદ કરો અને બીજાને કરાવો”
પ્રશ્ન :-
અંત સમયે આપ
બાળકોની બુદ્ધિ માં કયું જ્ઞાન રહેશે?
ઉત્તર :-
તે સમયે બુદ્ધિ માં આ જ રહેશે કે હવે અમે જઈએ છે પાછાં ઘરે. પછી ત્યાંથી ચક્રમાં
આવશું. ધીરે-ધીરે સીડી ઉતરશું પછી બાપ આવશે ચઢતી કળામાં લઈ જવાં. હવે તમે જાણો છો
પહેલાંં આપણે સૂર્યવંશી હતાં, પછી ચંદ્રવંશી બન્યાં...આમાં ચિત્રોની દરકાર નથી.
ઓમ શાંતિ!
બાળકો
આત્મ-અભિમાની થઈને બેઠાં છો? ૮૪ નું ચક્ર બુદ્ધિમાં છે અર્થાત્ પોતાનાં વેરાયટી (અનેક)
જન્મોનું જ્ઞાન છે. વિરાટ રુપ નું પણ ચિત્ર છે ને. આનું જ્ઞાન પણ બાળકો માં છે કે
કેવી રીતે આપણે ૮૪ જન્મ લઈએ છીએ. મૂળવતન થી પહેલાંં-પહેલાંં દેવી-દેવતા ધર્મમાં
આવીએ છીએ. આ જ્ઞાન બુદ્ધિમાં છે, આમાં ચિત્રની કોઈ દરકાર નથી. આપણે કોઈ ચિત્ર વગેરે
યાદ નથી કરવાનાં. અંતમાં યાદ ફક્ત આ રહેશે કે અમે આત્મા છીએ, મૂળવતન નાં રહેવાવાળા
છીએ, અહીંયા અમારો પાર્ટ છે. આ ભૂલવું ન જોઈએ. આ મનુષ્ય સૃષ્ટિનાં ચક્રની જ વાતો છે
અને ખુબ સિમ્પલ (સહજ) છે. આમા ચિત્રોની બિલકુલ દરકાર નથી કારણ કે આ ચિત્ર વગેરે બધાંં
છે ભક્તિમાર્ગ ની વસ્તુઓ. જ્ઞાન માર્ગમાં તો છે ભણતર. ભણતરમાં ચિત્રોની દરકાર નથી.
આ ચિત્રો ને ફક્ત કરેક્ટ (સુધારેલાં) કરેલાં છે. જેમ તેઓ કહે છે ગીતાનાં ભગવાન
કૃષ્ણ છે, આપણે કહીએ છીએ શિવ છે. આ પણ બુદ્ધિ થી સમજવાની વાત છે. બુદ્ધિમાં આ નોલેજ
રહે છે, આપણે ૮૪નું ચક્ર લગાવ્યું છે. હવે આપણે પવિત્ર બનવાનું છે. પવિત્ર બની ફરી
નવેસર થી ચક્ર લગાવશું. આ છે સાર જે બુદ્ધિમાં રાખવાનો છે. જેમ બાપની બુદ્ધિમાં છે
વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી અથવા ૮૪ જન્મોનું ચક્ર કેવી રીતે ફરે છે, તેમ તમારી
બુદ્ધિમાં છે પહેલાંં આપણે સૂર્યવંશી પછી ચંદ્રવંશી બનીએ છીએ. ચિત્રોની દરકાર નથી.
ફક્ત મનુષ્યો ને સમજાવવા માટે આ બનાવ્યાં છે. જ્ઞાનમાર્ગ માં તો ફક્ત બાપ કહે છે-મનમનાભવ.
જેમ આ ચતુર્ભુજનું ચિત્ર છે, રાવણનું ચિત્ર છે, આ બધું સમજાવવા માટે દેખાડવું પડે
છે. તમારી બુદ્ધિમાં તો યથાર્થ જ્ઞાન છે. તમે વગર ચિત્રનાં પણ સમજાવી શકો છો. તમારી
બુદ્ધિમાં ૮૪ નું ચક્ર છે. ચિત્રો દ્વારા ફક્ત સહજ કરીને સમજાવાય છે, આની દરકાર નથી.
બુદ્ધિમાં છે પહેલાંં આપણે સૂર્યવંશી કુળનાં હતાં પછી ચંદ્રવંશી ઘરાનાનાં બન્યાં.
ત્યાં ખુબ સુખ છે, જેને સ્વર્ગ કહેવાય છે, આ ચિત્રો પર સમજાવે છે. અંતમાં તો
બુદ્ધિમાં આ જ્ઞાન રહેશે. હવે આપણે જઈએ છીએ, ફરી ચક્ર લગાવશું. સીડી પર સમજાવાય છે,
તો મનુષ્યોને સહજ થઈ જાય. તમારી બુદ્ધિમાં આ પણ બધું જ્ઞાન છે કે કેવી રીતે આપણે
સીડી ઉતરીએ છીએ. પછી બાપ ચઢતી કળામાં લઈ જાય છે. બાપ કહે છે હું તમને આ ચિત્રો નો
સાર સમજાવું છું. જેમ ગોળો છે તો તેનાં પર સમજાવી શકાય છે-આ ૫ હજાર વર્ષનું ચક્ર
છે. જો લાખો વર્ષ હોત તો સંખ્યા કેટલી વધી જાત. ક્રિશ્ચિયનનું દેખાડે છે ૨ હજાર
વર્ષ. આમાં કેટલાં મનુષ્ય હોય છે. ૫ હજાર વર્ષમાં કેટલાં મનુષ્ય હોય છે. આ બધો
હિસાબ તમે બતાવો છો. સતયુગ માં પવિત્ર હોવાનાં કારણે થોડાં મનુષ્ય હોય છે. હમણાં તો
કેટલાં બધાંં છે. લાખો વર્ષની આયુ હોત તો સંખ્યા પણ અગણિત થઈ જાય. ક્રિશ્ચિયનની
ભેંટમાં આદમશુમારી (જનસંખ્યા) નો હિસાબ તો નીકાળે છે ને. હિન્દુઓની આદમશુમારી ઓછી
દેખાડે છે. ક્રિશ્ચિયન ખુબજ બની ગયાં છે. જે સારા સમજદાર બાળકો છે, વગર ચિત્રોનાં
પણ સમજાવી શકે છે. વિચાર કરો આ સમયે કેટલાં અસંખ્ય મનુષ્ય છે. નવી દુનિયામાં કેટલાં
થોડાં મનુષ્ય હશે. હમણાં તો જૂની દુનિયા છે, જેમાં આટલાં મનુષ્ય છે. પછી નવી દુનિયા
કેવી રીતે સ્થાપન થાય છે. કોણ સ્થાપન કરે છે, એ બાપ જ સમજાવે છે. એ જ જ્ઞાનનાં સાગર
છે. આપ બાળકોએ ફક્ત આ ૮૪નું ચક્ર જ બુદ્ધિમાં રાખવાનું છે. હમણાં આપણે નર્ક થી
સ્વર્ગમાં જઈએ છીએ, તો અંદર ખુશી હશે ને. સતયુગમાં દુઃખની કોઈ વાત હોતી નથી. એવી
કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેની પ્રાપ્તિનાં માટે પુરુષાર્થ કરે. અહીંયા પુરુષાર્થ કરવો
પડે છે. આ મશીન જોઈએ, આ જોઈએ….. ત્યાં તો બધું સુખ ઉપલબ્ધ છે. જેમ કોઇ મહારાજા હોય
છે તો તેમની પાસે બધું સુખ પ્રાપ્ત હોય છે. ગરીબ ની પાસે તો બધાંં સુખ પ્રાપ્ત નથી
હોતાં. પરંતુ આ તો છે કળયુગ, તો બીમારીઓ વગેરે બધુંજ છે. હમણાં તમે પુરુષાર્થ કરો
છો નવી દુનિયામાં જવાનાં માટે. સ્વર્ગ-નર્ક અહીંયા જ હોય છે.
આ સૂક્ષ્મ વતનની જે રમત-ગમત છે, આ પણ સમય પસાર કરવા માટે છે. જ્યાં સુધી કર્માતીત
અવસ્થા થાય સમય પસાર કરવા માટે આ ખેલપાલ છે. કર્માતીત અવસ્થા આવી જશે, બસ. તમને આ જ
યાદ રહેશે કે મુજ આત્માએ હવે ૮૪ જન્મ પૂરા કર્યા, હવે આપણે જઈએ છીએ ઘરે. પછી આવીને
સતોપ્રધાન દુનિયામાં સતોપ્રધાન પાર્ટ ભજવીશું. આ જ્ઞાન બુદ્ધિમાં લીધેલું છે, આમાં
ચિત્રો વગેરેની દરકાર નથી. જેમ બૅરિસ્ટર કેટલું ભણે છે, બૅરિસ્ટર બની ગયાં, બસ જે
પાઠ ભણ્યાં તે ખલાસ. રીઝલ્ટ (પરિણામ) નીકળ્યું પ્રાલબ્ધનું. તમે પણ ભણીને પછી જઈને
રાજાઈ કરશો. ત્યાં નોલેજની દરકાર નથી. આ ચિત્રોમાં પણ રોંગ-રાઈટ (સાચું-ખોટું) શું
છે, આ હમણાં તમારી બુદ્ધિમાં છે. બાપ બેસી સમજાવે છે, લક્ષ્મી-નારાયણ કોણ છે? આ
વિષ્ણુ શું છે? વિષ્ણુનાં ચિત્રમાં મનુષ્ય મૂંઝાઈ જાય છે. વગર સમજણે પૂજા પણ જેમ કે
નકામી થઈ જાય છે, સમજતા કાંઈ પણ નથી. જેમ વિષ્ણુને નથી સમજતાં, લક્ષ્મી-નારાયણ ને
પણ નથી સમજતાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ નથી સમજતાં. બ્રહ્મા તો અહીંયા છે, એ
પવિત્ર બની શરીર છોડી ચાલ્યાં જશે. આ જૂની દુનિયાથી વૈરાગ્ય છે. અહીંયાનું કર્મબંધન
દુઃખ આપવાવાળું છે. હવે બાપ કહે છે પોતાનાં ઘરે ચાલો. ત્યાં દુઃખનું નામ-નિશાન નહીં
હશે. પહેલાંં તમે પોતાનાં ઘરમાં હતાં પછી રાજધાનીમાં આવ્યાં, હવે બાપ ફરી આવ્યાં છે
પાવન બનાવવાં. આ સમયે મનુષ્યોનું ખાન-પાન વગેરે કેટલું ગંદુ છે. શું-શું વસ્તુ ખાતા
રહે છે. ત્યાં દેવતાઓ એવી ગંદી વસ્તુ થોડી ખાય છે. ભક્તિ માર્ગ જુઓ કેવો છે,
મનુષ્યની પણ બલિ ચઢે છે. બાપ કહે છે-આ પણ ડ્રામા બનેલો છે. જૂની દુનિયા થી પછી નવી
જરુર બનવાની છે. હમણાં તમે જાણો છો-આપણે સતોપ્રધાન બની રહ્યાં છીએ. આ તો બુદ્ધિ સમજે
છે ને, આમાં તો ચિત્ર ન હોય તો ખુબ જ સારું. નહીં તો મનુષ્ય ખુબ જ પ્રશ્ન પૂછે છે.
બાપે ૮૪ જન્મોનું ચક્ર સમજાવ્યું છે. આપણે આવાં સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્યવંશી
બનીએ છીએ, આટલાં જન્મ લઈએ છીએ. આ બુદ્ધિમાં રાખવાનું હોય છે. આપ બાળકો સૂક્ષ્મવતન
નું રહસ્ય પણ સમજો છો, ધ્યાનમાં સૂક્ષ્મવતન માં જાઓ છો, પરંતુ આમાં ન યોગ છે, ન
જ્ઞાન છે. આ ફક્ત એક રીવાજ છે. સમજાવાય છે, કેવી રીતે આત્માને બોલાવાય છે પછી જ્યારે
આવે છે તો રડે છે, પશ્ચાતાપ થાય છે અમે બાબાનું કહ્યું નહીં માન્યું. આ બધું છે
બાળકોને સમજાવવા માટે કે પુરુષાર્થમાં લાગી જાય, ગફલત ન કરે. બાળકો સદા આ અટેન્શન
રાખો કે આપણો પોતાનો સમય સફળ કરવાનો છે, વેસ્ટ (ખોટી) નથી કરવાનો તો માયા ગફલત ન
કરાવી શકે. બાબા પણ સમજાવતા રહે છે - બાળકો સમય ખોટી નહીં કરો. અનેકો ને રસ્તો
બતાવવાનો પુરુષાર્થ કરો. મહાદાની બનો. બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જે પણ
આવે છે તેમને આ સમજાવો અને ૮૪ નું ચક્ર બતાવો. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી
રીતે રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે, નટશેલ માં આખું ચક્ર બુદ્ધિમાં રહેવું જોઈએ.
આપ બાળકો ને ખુશી રહેવી જોઈએ કે હવે અમે આ ગંદી દુનિયાથી છૂટીએ છીએ. મનુષ્ય સમજે છે
સ્વર્ગ-નર્ક અહીંયા જ છે. જેમને ખુબ ધન છે તે સમજે છે અમે સ્વર્ગમાં છીએ. સારા કર્મ
કર્યા છે એટલે સુખ મળ્યું છે. હમણાં તમે ખુબ સારા કર્મ કરો છો જે ૨૧ જન્મનાં માટે
તમે સુખ પામો છો. તેઓ તો એક જન્મનાં માટે સમજે છે કે અમે સ્વર્ગમાં છીએ. બાપ કહે છે
તે છે અલ્પકાળ નું સુખ, તમારું છે ૨૧ જન્મોનું. જેનાં માટે બાપ કહે છે બધાને રસ્તો
બતાવતા જાઓ. બાપની યાદથી જ નિરોગી બનશો અને સ્વર્ગ નાં માલિક બની જશો. સ્વર્ગમાં છે
રાજાઈ. તેને પણ યાદ કરો. રાજાઈ હતી, હમણાં નથી. ભારતની જ વાત છે. બાકી તો છે
બાઈપ્લાટસ. અંતમાં બધાંં ચાલ્યાં જશે પછી આપણે આવીશું નવી દુનિયામાં. હવે આ
સમજાવવામાં ચિત્રોની દરકાર થોડી છે. આ ફક્ત સમજાવવા માટે મૂળવતન, સૂક્ષ્મવતન દેખાડે
છે. સમજાવાય છે બાકી આ તો ભક્તિમાર્ગ વાળાએ ચિત્રો વગેરે બનાવ્યાં છે. તો આપણે પણ
પછી કરેક્ટ (સુધાર) કરી બનાવવા પડે છે. નહીં તો કહેશે તમે તો નાસ્તિક છો એટલે
કરેક્ટ કરી બનાવ્યાં છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ…..હકીકત માં આ
પણ ડ્રામામાં નોંધ છે. કોઈ કાંઈ કરે થોડી છે. સાયન્સ દાન (વૈજ્ઞાનિક) પણ પોતાની
બુદ્ધિથી આ બધું બનાવે છે. ભલે કેટલું પણ કોઈ કહે કે બોમ્બ્સ નહીં બનાવો પરંતુ જેમની
પાસે ઢગલો છે તે સમુદ્રમાં નાખે તો પછી બીજું કોઈ ન બનાવે. તેઓ રાખે છે તો જરુર બીજા
પણ બનાવશે. હમણાં આપ બાળકો જાણો છો સૃષ્ટિનો વિનાશ તો જરુર થવાનો જ છે. લડાઈ પણ
જરુર થવાની છે. વિનાશ થાય છે, પછી તમે પોતાનું રાજ્ય લો છો. હવે બાપ કહે છે - બાળકો,
સર્વનાં કલ્યાણકારી બનો.
બાળકોને પોતાની ઉંચ તકદીર બનાવવા માટે બાપ શ્રીમત આપે છે-મીઠા બાળકો, પોતાનું બધું
જ ધણી નાં નામ પર સફળ કરી લો. કિનકી દબી રહેગી ધૂલ મેં, કિનકી રાજા ખાએ…… ધની (બાપ)
સ્વયં કહે છે - બાળકો, આમાં ખર્ચ કરો, આ રુહાની હોસ્પિટલ, યુનિવર્સિટી ખોલો તો અનેકો
નું કલ્યાણ થઈ જશે. ધણી નાં નામે તમે ખર્ચો છો જેનું પછી ૨૧ જન્મનાં માટે તમને
રિટર્ન (વળતર) માં મળે છે. આ દુનિયા જ ખતમ થવાની છે એટલે ધણીનાં નામે જેટલું થઈ શકે
સફળ કરો. ધણી શિવબાબા છે ને. ભક્તિમાર્ગ માં પણ ધણીનાં નામે કરતાં હતાં. હવે તો છે
ડાયરેક્ટ. ધણીનાં નામે મોટી-મોટી યુનિવર્સિટી ખોલતાં જાઓ તો અનેકોનું કલ્યાણ થઈ જશે.
૨૧ જન્મ માટે રાજ્ય-ભાગ્ય પામી લેશો. નહીં તો આ ધન-દોલત વગેરે બધું ખતમ થઈ જશે.
ભક્તિમાર્ગ માં ખતમ નથી થતું. હવે તો ખતમ થવાનું છે. તમે ખર્ચો, પછી તમને જ રિટર્ન
મળશે. ધણીનાં નામ પર બધાનું કલ્યાણ કરો તો ૨૧ જન્મો નો વારસો મળશે. કેટલું સારું
સમજાવે છે પછી જેમની તકદીરમાં છે તે ખર્ચ કરતાં રહે છે. પોતાનું ઘરબાર પણ સંભાળવાનું
છે. આમનો (બાબાનો) પાર્ટ જ એવો હતો. એકદમ જોરથી નશો ચઢી ગયો. બાબા બાદશાહી આપે છે
પછી ગદાઈ શું કરશું. તમે બધાંં બાદશાહી લેવા માટે બેઠાં છો તો ફોલો (અનુકરણ) કરો
ને. જાણો છો આમણે કેવી રીતે બધું છોડી દીધું. નશો ચઢી ગયો, ઓહો! રાજાઈ મળે છે, અલફ
ને અલ્લાહ મળ્યાં તો બે (ભાગીદાર) ને પણ રાજાઈ આપી દીધી. રાજાઈ હતી, ઓછું નહોતું.
સારો ફર્ટાઈલ (ફળદાયી) ધંધો હતો. હવે તમને આ રાજાઈ મળી રહી છે, તો અનેકોનું કલ્યાણ
કરો. પહેલાંં ભઠ્ઠી બની પછી કોઈ પાકીને તૈયાર થયા, કોઈ કાચ્ચા રહી ગયાં. ગવર્મેન્ટ
નોટ (પૈસા) બનાવે છે પછી ઠીક નથી બનતી તો ગવર્મેન્ટ ને બાળી દેવી પડે છે. પહેલાંં
તો ચાંદીનાં રુપિયા ચાલતાં હતાં. સોનું અને ચાંદી ખુબ હતું. હમણાં તો શું થઈ રહ્યું
છે. કોઈનું રાજા ખાઈ જાય, કોઈનું ડાકુ ખાઈ જાય, લૂંટ પણ જુઓ કેટલી થાય છે. ફેમન (અકાળ)
પણ થશે. આ છે જ રાવણ રાજ્ય. રામ રાજ્ય સતયુગ ને કહેવાય છે. બાપ કહે છે તમને આટલાં
ઉંચ બનાવ્યાં પછી કંગાળ કેવી રીતે બન્યાં! હવે આપ બાળકો ને આટલું નોલેજ મળ્યું છે
તો ખુશી હોવી જોઈએ. દિવસ-પ્રતિદિવસ ખુશી વધતી જશે. જેટલી યાત્રા નજીક હશે એટલી ખુશી
થશે. તમે જાણો છો શાંતિધામ-સુખધામ સામે ઊભું છે. વૈકુંઠનાં ઝાડ દેખાઈ રહ્યાં છે. બસ,
હવે પહોંચ્યાં કે પહોંચ્યાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનો સમય
સફળ કરવાનું અટેન્શન (ધ્યાન) રાખવાનું છે. માયા ગફલત ન કરાવી શકે-એનાં માટે મહાદાની
બની અનેકોને રસ્તો બતાવવામાં બીઝી (વ્યસ્ત) રહેવાનું છે.
2. પોતાની ઉંચી તકદીર બનાવવા માટે ધણીનાં નામ પર બધુંજ સફળ કરવાનું છે. રુહાની
યુનિવર્સિટી ખોલવાની છે.
વરદાન :-
આકરા નિયમ અને
દૃઢ સંકલ્પ દ્વારા અલબેલાપણા ને સમાપ્ત કરવાવાળા બ્રહ્મા બાપ સમાન અથક ભવ
બ્રહ્મા બાપ સમાન અથક
બનવાના માટે અલબેલાપણા ને સમાપ્ત કરો. એનાં માટે કોઈ કડક નિયમ બનાવો. દૃઢ સંકલ્પ કરો,
અટેન્શન રુપી ચોકીદાર સદા એલર્ટ રહે તો અલબેલાપણું સમાપ્ત થઈ જશે. પહેલાંં સ્વ નાં
ઉપર મહેનત કરો પછી સેવામાં, ત્યારે ધરણી પરિવર્તન થશે. હમણાં ફક્ત “કરી લઈશું, થઈ
જશે” આ આરામનાં સંકલ્પોનાં ડનલપ ને છોડો. કરવાનું જ છે, આ સ્લોગન મસ્તકમાં યાદ રહે
તો પરિવર્તન થઈ જશે.
સ્લોગન :-
સમર્થ બોલ ની
નિશાની છે-જે બોલ માં આત્મિક ભાવ અને શુભ ભાવના હોય.