19-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 30.12.85
બાપદાદા મધુબન
“વિશાળ બુદ્ધિ ની નિશાની
”
આજે સર્વ સ્નેહી,
સહયોગી, સહજયોગી બાળકોથી સ્નેહ નાં સાગર, સર્વ ખજાના નાં વિધાતા, વરદાતા બાપ રુહાની
મિલન મનાવવા આવ્યાં છે. આ રુહાની સ્નેહ નું મિલન અર્થાત્ રુહોનું મિલન વિચિત્ર મિલન
છે. આખાં કલ્પમાં આવો રુહાની મેળો થઇ ન શકે. આ સંગમયુગ ને આ રુહાની મિલનનું વરદાન
મળેલું છે. આ વરદાની સમય પર વરદાતા બાપ દ્વારા વરાદાની બાળકો આ અવિનાશી વરદાનને
પ્રાપ્ત કરે છે. બાપનો પણ વિધાતા અને વરદાતા નો અવિનાશી પાર્ટ આ સમયે ચાલે છે. એવાં
સમય પર વરદાનોનાં અધિકારી આત્માઓ પોતાનો સદાકાળનો અધિકાર પ્રાપ્ત કરી રહ્યાં છો. આવાં
રુહાની મેળાને જોઇ બાપદાદા પણ હર્ષિત થાય છે. બાપદાદા જોઈ રહ્યાં છે કે આવી શ્રેષ્ઠ
પ્રાપ્તિ કરવાવાળી કેવી ભોળી સાધારણ આત્માઓ વિશ્વની આગળ નિમિત્ત બની છે કારણ કે બધાં
લોકો રાજ્ય વિદ્યા, સાયન્સ (વિજ્ઞાન) ની વિદ્યા, અલ્પકાળ નો રાજ્ય અધિકાર કે ધર્મ
નેતા નો અધિકાર આને જ આજની દુનિયામાં વિશેષ આત્માઓ માને છે. પરંતુ બાપદાદા કઈ
વિશેષતા જુએ છે? સૌથી પહેલાં સ્વયં સ્વયંને અને બાપને જાણવાની વિશેષતા જે આપ
બ્રાહ્મણ બાળકોમાં છે તે કોઈ પણ નામીગ્રામી આત્મા માં નથી એટલે ભોળા, સાધારણ હોવા
છતાં વરદાતા થી વરદાન લઈ જન્મ-જન્મનાં માટે વિશેષ પૂજ્ય આત્માઓ બની જાય છે. જે આજ
ની નામીગ્રામી આત્માઓ છે તે પણ પૂજ્ય આત્માઓની આગળ નમન-વંદન કરે છે. એવી વિશેષ
આત્માઓ બની ગયાં. એવો રુહાની નશો અનુભવ કરો છો? નાઉમ્મીદ આત્માઓ ને ઉમ્મીદવાર બનાવવાં
એજ બાપ ની વિશેષતા છે. બાપદાદા વતનમાં પણ બાળકોને જોઈ સ્મિત કરી રહ્યાં હતાં. જો
કોઈ પણ અજાણ આત્મા ને કહો કે આ આખી સભા વિશ્વનાં રાજ્ય અધિકારી આત્માઓની છે, તો
માનશે? આશ્ચર્યવત થઇ જશે. પરંતુ બાપદાદા જાણે છે કે બાપ ને દિલનાં સ્નેહ, દિલની
શ્રેષ્ઠ ભાવનાવાળી આત્માઓ પ્રિય છે. દિલનો સ્નેહ જ શ્રેષ્ઠ પ્રાપ્તિ કરાવવાનો મૂળ
આધાર છે. દિલનો સ્નેહ દૂર-દૂર થી મધુવન નિવાસી બનાવે છે. દિલારામ બાપ ને પસંદ જ
દિલનો સ્નેહ છે એટલે જે પણ છો જેવાં પણ છો પરંતુ પરમાત્માને પસંદ છો, એટલે પોતાનાં
બનાવી લીધાં. દુનિયાવાળા હમણાં ઇંતજાર (રાહ) જ કરી રહ્યાં છે. બાપ આવશે તે સમયે આવું
થશે તેવું થશે. પરંતુ તમારાં બધાનાં મુખ થી, દિલ થી શું નીકળે છે? “પામી લીધું”. તમે
સંપન્ન બની ગયાં અને તે બુદ્ધિવાન હજી સુધી પરખવામાં સમય સમાપ્ત કરી રહ્યાં છે એટલે
કહેવાયું છે ભોળાનાથ બાપ છે. ઓળખવાની વિશેષતાએ વિશેષ આત્મા બનાવી દીધાં. ઓળખી લીધાં,
પ્રાપ્ત કરી લીધું. હવે આગળ શું કરવાનું છે? સર્વ આત્માઓ પર રહેમ આવે છે? છે તો બધી
આત્માઓ, એક જ બેહદ નો પરિવાર છે. આપણાં પરિવારની કોઈ પણ આત્મા વરદાન થી વંચિત ન રહી
જાય. એવો ઉમંગ ઉત્સાહ દિલમાં રહે છે? કે પોતાની પ્રવૃત્તિઓમાં જ બીજી થઈ ગયાં છો?
બેહદનાં સ્ટેજ પર સ્થિત છો, બેહદની આત્માઓની સેવાનો શ્રેષ્ઠ સંકલ્પ જ સફળતાનું સહજ
સાધન છે.
હમણાં સેવાની ગોલ્ડન જુબલી (સ્વર્ણિમ જયંતી) મનાવી રહ્યાં છો ને! તેનાં માટે વિશાળ
પ્રોગ્રામ બનાવ્યાં છે ને! જેટલાં વિશાળ પ્રોગ્રામ બનાવ્યાં છે એટલું જ વિશાળ દિલ,
વિશાળ ઉમંગ અને વિશાળ રુપની તૈયારીઓ કરી છે? કે આ જ વિચારો છો - ભાષણ કરવાં મળશે તો
કરી લઈશું. નિમંત્રણ આપવા/વેંચવા મળશે તો વહેંચી લઈશું. આજ તૈયારીઓ કરી છે? આને જ
વિશાળ તૈયારીઓ કહેવાય છે? જે ડ્યુટી (સેવા) મળી તે પૂરી કરી લેવી આને જ વિશાળ ઉમંગ
નથી કહેવાતો. ડ્યુટી બજાવવી આ આજ્ઞાકારી બનવાની નિશાની તો છે પરંતુ બેહદની વિશાળ
બુદ્ધિ, વિશાળ ઉમંગ ઉત્સાહ ફક્ત આને જ નથી કહેવાતું. વિશાળતા ની નિશાની આ છે - દરેક
સમયે પોતાને મળેલી ડ્યુટી માં સેવા માં નવીનતા લાવવી. ભલે ભોજન ખવડાવવાની, ભલે ભાષણ
કરવાની ડ્યુટી હોય પરંતુ દરેક સેવામાં દરેક સમયે નવીનતા ભરવી - આને કહેવાય છે
વિશાળતા. જે એક વર્ષ પહેલાં કર્યુ એમાં કોઈને કોઈ રુહાનિયત ની એડિશન (માત્રા) જરુર
હોય. એવો ઉમંગ ઉત્સાહ દિલમાં આવે છે? કે વિચારો છો જેવું ચાલે છે તેવું જ થશે. દરેક
સમયે વિધિ અને વૃદ્ધિ બદલાતી રહે છે. જેમ સમય સમીપ આવી રહ્યો છે. તેમ દરેક આત્માને
બાપની, પરિવારની સમીપતા નો વિશેષ અનુભવ કરાવો. મનન કરો કે શું નવીનતા લાવવાની છે.
હમણાં કોન્ફરન્સ નું વિશાળ કાર્ય કરી રહ્યાં છો ને. બધાં કરી રહ્યાં છો કે જે મોટાં
છે તે કરી રહ્યાં છે? બધાં નું કાર્ય છે ને? દરેક ને વિચારવાનું છે - મારે નવીનતા
માટે સેવામાં આગળ વધવાનું છે. ભલે આગળ નિમિત્ત થોડાને જ બનાવવાનાં હોય છે - જેમ
ભાષણ કરશે તો થોડાં, આટલી બધી સભા કરશે શું! દરેક ની પોત-પોતાની ડ્યુટી વેચીને જ
કાર્ય સંપન્ન થાય છે. પરંતુ બધાએ નિમિત્ત બનવાનું છે. કઈ વાતમાં? ચારે બાજુ જ્યાં
પણ છો, જે પણ ડ્યુટીનાં નિમિત્ત છો, પરંતુ જે સમયે કોઈ વિશાળ કાર્ય જ્યાં પણ હોય છે
તે સમયે દૂર બેઠાં પણ એટલાં સમય સુધી સદા દરેકનાં મનમાં વિશ્વ કલ્યાણની શ્રેષ્ઠ
ભાવના અને શ્રેષ્ઠ કામના જરુર હોવી જોઈએ. જેમ આજકાલનાં વી.આઈ.પી. જો સ્વયં નથી
પહોંચી શકતા તો શુભકામનાઓ મોકલે છે ને. તો તમે તેમનાથી ઓછા છો શું. આપ સર્વ વિશેષ
આત્માઓની શુભભાવના, શુભકામના તે કાર્યને અવશ્ય સફળ બનાવશે.
આ વિશેષ દિવસે વિશેષ કંગન બાંધવું જોઇએ અને કોઈ પણ હદની વાતોમાં સંકલ્પ શક્તિ, સમયની
શક્તિ, વ્યર્થ ન ગુમાવીએ, દરેક સંકલ્પ થી, દરેક સમયે વિશાળ સેવાનાં નિમિત્ત બની
મન્સા શક્તિ થી પણ સહયોગી બનવાનું છે. એવું નહીં કે આબુમાં કોન્ફરન્સ થઇ રહી છે, અમે
તો ફલાણા દેશમાં બેઠાં છીએ, નહીં. આપ સર્વ વિશાળ કાર્યમાં સહયોગી છો. વાતાવરણ
વાયુમંડળ બનાવો. જ્યારે સાયન્સ (વિજ્ઞાન) ની શક્તિથી એક દેશથી બીજા દેશ સુધી રોકેટ
મોકલી શકાય છે તો શું સાયલેન્સ (શાંતિ) ની શક્તિથી તમે શુભભાવના, કલ્યાણની ભાવના
દ્વારા અહીંયા આબુમાં મન્સા દ્વારા સહયોગી નથી બની શકતાં? કોઈ સાકાર માં વાણીથી,
કર્મથી નિમિત્ત બનશે. કોઈ મન્સા સેવામાં નિમિત્ત બનશે. પરંતુ જેટલાં દિવસ પ્રોગ્રામ
ચાલે છે ભલે ૫ દિવસ ભલે ૬ દિવસ ચાલે, એટલો જ સમય દરેક બ્રાહ્મણ આત્માનું સેવાનું
કંગન બંધાયેલું હોય કે મુજ આત્માએ નિમિત્ત બની સફળતાને લાવવાની છે. દરેક પોતાને
જવાબદાર સમજે. આનો ભાવ એ નથી સમજવાનો કે બધાં જવાબદાર છે તો ભાષણની તક મળવી જોઈએ
અથવા વિશેષ કોઇ ડ્યુટી મળે ત્યારે જવાબદાર છીએ, તેને જવાબદારી ન કહેવાય. જ્યાં પણ
છો જે પણ ડ્યુટી મળી છે ભલે દૂર બેસવાની, ભલે સ્ટેજ પર આવવાની - મારે સહયોગી બનવાનું
જ છે. આને કહેવાય છે આખાં વિશ્વમાં સેવાની રુહાનિયત ની લહેર ફેલાવવી. ખુશીની
ઉમંગ-ઉત્સાહ ની લહેર ફેલાઈ જાય. એવાં સહયોગી છો? આ કોન્ફરન્સમાં નવીનતા દેખાડશો ને?
ગોલ્ડન જુબલી છે તો ચારેય તરફ ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) આવવાની છે, આ ખુશીની લહેર
ફેલાઈ જાય. ભયભીત આત્માઓ છે, નાઉમ્મીદ આત્માઓ છે તેમનામાં શ્રેષ્ઠ ભવિષ્ય ની ઉમ્મીદ
ઉત્પન્ન કરો. ભયભીત આત્માઓ માં ખુશીની લહેર ઉત્પન્ન થાય. આ છે ગોલ્ડન જુબલીની
ગોલ્ડન સેવા, આજ લક્ષ્ય રાખો. સ્વયં પણ દરેક કાર્યમાં મોલ્ડ (ઢળવું) થવાવાળા રીયલ
ગોલ્ડ બની ગોલ્ડન જુબલી મનાવવાની છે. સમજ્યાં. જે હમણાં સુધી નથી કર્યુ તે કરીને
દેખાડવાનું છે. એવી આત્માઓને નિમિત્ત બનાવો જે એક, અનેક આત્માઓ ની સેવાનાં નિમિત્ત
બની જાય. વિચારતાં જ રહેશો, પરંતુ કરશું, કરશું બોલતાં સમય વીતી જાય છે અને અંતમાં
જે પણ મળ્યું તેને જ લઈ આવો છો. સંખ્યા તો વધી જાય છે પરંતુ વિશાળ સેવાનો પ્રોગ્રામ
રખાય જ એટલે છે કે એવી આત્માઓ આવે જે એક અનેકોનાં નિમિત્ત બની જાય. ચારેય તરફ સેવા
ચાલતી રહે છે ને. પોત-પોતાનાં સ્થાન પર પણ એવી આત્માઓનું કાર્ય તો ચલાવતાં રહો છો
એટલે હવે થી ગોલ્ડન જુબલી ની, સ્વની સેવાની અને સ્વની સાથે અન્ય વિશેષ આત્માઓની સેવા
ની લહેર ફેલાવો. સમજ્યાં - શું કરવાનું છે?
મહોબ્બતથી મહેનત કરો. સ્નેહ એવી વસ્તુ છે જે સ્નેહ નાં વશ, ના વાળા પણ હાં કરી દે
છે. સમય ન હોવા છતાં પણ સમય નીકાળી દે છે. આ તો રુહાની સ્નેહ છે. તો ધરણી બનાવો. એવું
નહીં વિચારો કે આ ધરણી જ એવી છે. આ લોકો જ એવાં છે. તમે કેવાં હતાં? બદલાઈ ગયાં ને.
શુભભાવના નું સદેવ શ્રેષ્ઠ ફળ હોય છે. અચ્છા.
પોતાનાં ઘરમાં આવ્યાં છો આ તો બાપ ને પણ ખુશી છે પરંતુ સમય તો હદનો છે ને. જેટલી
સંખ્યા એટલું જ વેચાય છે ને. ચીજ ૪ હોય, લેવા વાળા ૮ હોય તો શું કરશો! તેજ વિધિ થી
કરશો ને! બાપદાદા ને પણ વિધિ પ્રમાણે ચાલવું જ પડે છે. બાપદાદા એવું તો કહી નથી શકતાં
કે આટલાં કેમ આવ્યાં છો? ભલે આવ્યાં. સ્વાગત છે પરંતુ સમય પ્રમાણે વિધિ બનાવવી પડે
છે. હાં અવ્યક્ત વતન માં સમયની સીમા નથી.
મહારાષ્ટ્ર પણ કમાલ કરીને દેખાડશે. કોઈ એવી મહાન આત્માને નિમિત્ત બનાવીને દેખાડે
ત્યારે કહેવાશે મહારાષ્ટ્ર. દિલ્હી તો નિમિત્ત છે જ. એવું નહીં કે હવે કોન્ફરન્સ તો
ખુબ કરી લીધી. હવે જીતવું પડશે. નહીં! દર વર્ષ આગળ વધવાનું છે. હજી તો અનેક આત્માઓ
છે જેમને નિમિત્ત બનાવી શકો છો. દિલ્લીવાળા એ પણ વિશેષ નિમિત્ત બનવાનું છે.
રાજસ્થાન શું કરશે? રાજસ્થાન સદા જ દરેક કાર્યમાં નંબરવન થવાનું છે કારણ કે
રાજસ્થાન માં નંબરવન હેડક્વોટર (મુખ્યાલય) છે. ભલે ક્વોલિટી (ગુણવત્તા) માં, ભલે
કોન્ટીટી (સંખ્યા) માં બંનેમાં નંબરવન થવાનું છે. ડબલ વિદેશી પણ નવીનતા દેખાડશે છે
ને. દરેક દેશમાં આ ખુશખબરી ની લહેર ફેલાઈ જાય તો બધાં તમને ખુબ દિલથી આશીર્વાદ આપશે.
લોકો ખૂબ ભયભીત છે ને! એવી આત્માઓને રુહાની ખુશી ની લહેર હોય, જે તેઓ સમજે કે આ
ફરિશ્તા બની શુભસંદેશ આપવાનાં નિમિત્ત બનેલી આત્માઓ છે. સમજ્યાં! હવે જોશું કયો ઝોન
નવીનતા કરે છે. સંખ્યા લાવે છે કે ક્વોલિટી લાવે છે. પછી બાપદાદા રીઝલ્ટ (પરિણામ)
સંભળાવશે. નવીનતા પણ લાવજો. નવીનતા નાં પણ નંબર મળશે. અચ્છા!
સર્વ સ્વરાજ્ય વિશ્વરાજ્ય નાં અધિકારી આત્માઓને, સદા બેહદની સેવામાં બેહદની વૃત્તિમાં
રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓને, દિલ વિશાળ, સદા વિશાળ બુદ્ધિ, વિશાળ ઉમંગ ઉત્સાહમાં
રહેવાવાળી વિશેષ આત્માઓને, સદા સ્વયંને દરેક સેવાનાં નિમિત્ત જાણી નિર્માણ કરવાવાળા,
સદા શ્રેષ્ઠ અને બાપ સમાન સેવામાં સફળતા ને પામવા વાળા, એવાં રુહાની આત્માઓને રુહાની
બાપનાં યાદપ્યાર અને નમસ્તે.
કુમારીઓથી :- સદા કુમારી જીવન નિર્દોષ જીવન ગવાયેલ છે. કુમારી જીવન સદા શ્રેષ્ઠ
ગવાય અને પૂજાય છે. એવી શ્રેષ્ઠ અને પૂજ્ય આત્મા સ્વયંને સમજો છો? બધી કુમારીઓ
વિશેષ કોઇ કમાલ કરીને દેખાડવા વાળી છો ને! કે ફક્ત ભણતર ભણવાવાળી છો. વિશ્વ સેવાધારી
બનશો કે હદની, ગુજરાતની સેવા કરવી છે કે મધ્યપ્રદેશની કે ફલાણા સ્થાનની સેવા કરવી
છે, એવું તો નથી. એવરરેડી (સદા તૈયાર) આત્માઓ બીજાઓને પણ એવરરેડી બનાવી દે છે. તો
તમે કુમારીઓ જો ઈચ્છો તે કરી શકો છો. આજ ની ગવર્મેન્ટ (સરકાર) જે કહે છે તે કરી નથી
શકતી? આવા રાજ્યમાં રહીને સેવા કરવાની છે તો એટલી શક્તિશાળી સેવા થશે ત્યારે સફળતા
થશે. આ જ્ઞાનનાં ભણતરમાં નંબર લીધો છે? લક્ષ્ય એજ રાખવાનું છે કે નંબરવન લેવાનો જ
છે. સદા વિશેષતા આ દેખાડો કે બોલો ઓછું પરંતુ જેમનાં પણ સામે જાઓ તે તમારાં જીવન થી
પાઠ ભણે. મુખ નો પાઠ તો ઘણાં સંભળાવવા વાળા છે, સાંભળવા વાળા પણ છે પરંતુ જીવન થી
પાઠ ભણે, આ છે વિશેષતા. તમારું જીવન જ શિક્ષક બની જાય. મુખનાં શિક્ષક નહીં, મુખથી
બતાવવું પડે છે પરંતુ મુખ થી બતાવ્યાં પછી પણ જો જીવનમાં નથી હોતું તો તે માનતા નથી.
કહે છે સંભળાવવા વાળા તો ઘણાં છે એટલે લક્ષ્ય રાખો કે જીવન દ્વારા કોઈને બાપનાં
બનાવવાનાં છે. આજકાલ સાંભળવાની રુચિ પણ નથી રાખતાં, જોવાં ઈચ્છે છે. જુઓ રેડીયો
સાંભળવાની ચીજ છે, ટી.વી. જોવાની ચીજ છે તો શું પસંદ કરશે? (ટી.વી.) સાંભળવા થી
જોવાનું પસંદ કરે છે. તો તમારાં જીવન માં પણ જોવા ઈચ્છે છે. કેવી રીતે ચાલે છે, કેવી
રીતે ઊઠે છે, કેવી રુહાની દૃષ્ટિ રાખે છે. એવું લક્ષ્ય રાખો. સમજ્યાં. સંગમયુગ પર
કુમારીઓ નું મહત્વ શું છે, તેને તો જાણો છો ને? સંગમ પર સૌથી મહાન કુમારીઓ છે. તો
પોતાને મહાન સમજી સેવામાં સહયોગી બની છો કે બનવાનું છે? શું લક્ષ્ય છે? ડબલ પાર્ટ
ભજવવાનું લક્ષ્ય છે? કઈ ટોકરી ઉપાડશો? અચ્છા.
વરદાન :-
બાળક અને
માલિકપણા નાં સમાનતા દ્વારા સર્વ ખજાના માં સમ્પન્ન ભવ
જેમ બાળકપણ નો નશો
બધામાં છે એમ બાળક સો માલિક અર્થાત્ બાપ સમાન સમ્પન્ન સ્થિતિનો અનુભવ કરો. માલિકપણા
ની વિશેષતા છે-જેટલાં જ માલિક એટલાં જ વિશ્વ સેવાધારી નાં સંસ્કાર સદા ઈમર્જ (જાગૃત)
રુપમાં રહે. માલિકપણા નો નશો અને વિશ્વ સેવાધારી નો નશો સમાન રુપમાં હોય ત્યારે
કહેવાશે બાપ સમાન. બાળક અને માલિક બંને સ્વરુપ સદા જ પ્રત્યક્ષ કર્મમાં આવી જાય
ત્યારે બાપ સમાન સર્વ ખજાના થી સમ્પન્ન સ્થિતિ નો અનુભવ કરી શકશો.
સ્લોગન :-
જ્ઞાન નાં
અખૂટ ખજાનાનાં અધિકારી બનો તો અધીનતા ખતમ થઇ જશે.
સુચના :-
આજે આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ બહેનો સંગઠિત
રુપમાં એકત્રિત થઈ યોગ અભ્યાસમાં અનુભવ કરે કે હું આત્મા બીજરુપ બાબા ની સાથે
કમ્બાઈન્ડ (જોડાયેલી) છું. હું સર્વ શક્તિઓ થી સમ્પન્ન માસ્ટર જ્ઞાન સૂર્ય છું. મારાં
થી સર્વ શક્તિઓની કિરણો નીકળીને ચારેય બાજુ ફેલાઈ રહી છે.