13-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ હમણાં ઈશ્વરનાં ખોળામાં આવ્યાં છો , તમારે મનુષ્ય થી
દેવતા બનવાનું છે તો દૈવીગુણ પણ જોઈએ ”
પ્રશ્ન :-
બ્રાહ્મણ
બાળકોએ કઈ વાતમાં પોતાની ખુબ-ખુબ સંભાળ કરવાની છે અને કેમ?
ઉત્તર :-
આખાં દિવસની દિનચર્યામાં કોઈ પણ પાપ કર્મ ન થાય એની સંભાળ કરવાની છે કારણ કે તમારી
સામે બાપ ધર્મરાજનાં રુપમાં ઉભાં છે. તપાસ કરો કોઈને દુઃખ તો નથી આપ્યું? શ્રીમત પર
કેટલાં પર્સન્ટેજ (ટકા) ચાલીએ છીએ? રાવણ મત પર તો નથી ચાલતાં? કારણ કે બાપનાં બન્યાં
પછી કોઈ વિકર્મ થાય છે તો એકનું સો ગણું થઈ જાય છે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ. આ
તો બાળકોને સમજાવેલું છે, કોઈ મનુષ્યને કે દેવતાઓને ભગવાન ન કહી શકાય. અહીંયા જ્યારે
બેસીએ છીએ તો બુદ્ધિમાં આ રહે છે કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ પણ યાદ સદા કોઈને
રહેતી નથી. પોતાને સાચ્ચે જ બ્રાહ્મણ સમજે છે, એવું પણ નથી. બ્રાહ્મણ બાળકોને પછી
દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ, આપણે શિવબાબા દ્વારા
પુરુષોત્તમ બની રહ્યાં છીએ. આ યાદ પણ બધાને નથી રહેતું. ઘડી-ઘડી આ ભૂલી જાય છે કે
આપણે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ બુદ્ધિમાં યાદ રહે તો પણ અહો સૌભાગ્ય.
હંમેશા નંબરવાર તો હોય જ છે. બધાં પોત-પોતાની બુદ્ધિ અનુસાર પુરુષાર્થી છે. હમણાં
તમે સંગમયુગી છો. પુરુષોત્તમ બનવાવાળા છો. જાણો છો આપણે પુરુષોત્તમ ત્યારે બનશું
જ્યારે અબ્બા ને એટલે મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરશું. યાદથી જ પાપ નાશ
થશે. જો કોઈ પાપ કરે છે તો તેનો સો ગણો હિસાબ ચઢી જાય છે. પહેલાં જે પાપ કરતાં હતાં
તો તેનો ૧૦ પરસેન્ટ ચઢતું હતું. હવે તો ૧૦૦ પરસેન્ટ ચઢે છે કારણ કે ઈશ્વરનાં ખોળામાં
આવીને પછી પાપ કરે છે ને. આપ બાળકો જાણો છો બાપ આપણને ભણાવે છે પુરુષોત્તમ થી દેવતા
બનાવવાં. આ યાદ જેમને સ્થાઈ રહે છે તે અલૌકિક સર્વિસ પણ ખુબ કરતાં રહેશે. સદેવ
હર્ષિતમુખ બનવાં માટે બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. ભલે ક્યાંય પણ જાઓ છો, બુદ્ધિમાં
આ યાદ રહે કે આપણે સંગમયુગ પર છીએ. આ છે પુરુષોત્તમ સંગમયુગ. તેઓ પુરુષોત્તમ માસ કે
વર્ષ કહે છે. તમે કહો છો અમે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ છીએ. આ સારી રીતે
બુદ્ધિમાં ધારણ કરવાનું છે-હમણાં આપણે પુરુષોત્તમ બનવાની યાત્રા પર છીએ. આ યાદ રહે
તો પણ મનમનાભવ જ થઈ ગયું. તમે પુરુષોત્તમ બની રહ્યાં છો, પુરુષાર્થ અનુસાર અને કર્મો
અનુસાર. દૈવીગુણ પણ જોઈએ અને શ્રીમત પર ચાલવું પડે. પોતાની મત પર તો બધાં મનુષ્ય
ચાલે છે. તે છે જ રાવણ મત. એવું પણ નથી, તમે બધાં કાંઈ શ્રીમત પર ચાલો છો. ઘણાં છે
જે રાવણ મત પર પણ ચાલે છે. શ્રીમત પર કોઈ કેટલાં પરસેન્ટ ચાલે, કોઈ કેટલાં. કોઈ તો
૨ ટકા પણ ચાલતાં હશે. ભલે અહીંયા બેઠાં છે તો પણ શિવબાબા ની યાદમાં નથી રહેતાં.
ક્યાંય ને ક્યાંય બુદ્ધિયોગ ભટકતો હશે. રોજ પોતાને જોવાનું છે આજે કોઈ પાપ નું કામ
તો નથી કર્યુ? કોઈને દુઃખ તો નથી આપ્યું? પોતાનાં ઉપર ખુબ સંભાળ કરવાની હોય છે કારણ
કે ધર્મરાજ પણ ઉભાં છે ને. હમણાં નો સમય છે જ હિસાબ-કિતાબ ચૂકતું કરવા માટે. સજાઓ
પણ ખાવી પડે. બાળકો જાણે છે આપણે જન્મ-જન્માંતરનાં પાપી છીએ. ક્યાંય પણ કોઈ મંદિરમાં
કે ગુરુની પાસે કે કોઈ ઇષ્ટ દેવતા પાસે જાય છે તો કહે છે અમે તો જન્મ-જન્મનાં પાપી
છીએ, મારી રક્ષા કરો, રહેમ કરો. સતયુગ માં ક્યારેય આવાં અક્ષર નથી નીકળતાં. કોઈ સાચું
બોલે છે, કોઈ તો જુઠ્ઠું બોલે છે. અહીંયા પણ આવું છે. બાબા હંમેશા કહે છે પોતાની
જીવન કહાની બાબાને લખી મોકલો. કોઈ બિલકુલ સાચું લખે, કોઈ તો છુપાવે પણ છે. લજ્જા આવે
છે. આ તો જાણે છે-ખરાબ કર્મ કરવાથી તેનું ફળ પણ ખરાબ મળશે. તે તો છે અલ્પકાળ ની વાત.
આ તો લાંબાકાળ ની વાત છે. ખરાબ કર્મ કરશો તો સજાઓ પણ ખાશો પછી સ્વર્ગમાં પણ બહુજ
અંતમાં આવશો. હવે બધી ખબર પડે છે કે કોણ-કોણ પુરુષોત્તમ બને છે. તે છે પુરુષોત્તમ
દૈવી રાજ્ય. ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનો છો ને. બીજી કોઈ જગ્યાએ આમ કોઈની મહિમા નહિં
કરશે. મનુષ્ય તો દેવતાઓનાં ગુણોને પણ નથી જાણતાં. ભલે મહિમા ગાએ છે પરંતુ પોપટ ની
જેમ, એટલે બાબા પણ કહે છે ભક્તો ને સમજાવો. ભક્ત જ્યારે પોતાને નીચ પાપી કહે છે તો
તેમને પૂછો કે શું તમે જ્યારે શાંતિધામ માં હતાં તો ત્યાં પાપ કરતાં હતાં? ત્યાં તો
આત્મા બધી પવિત્ર રહે છે. અહીંયા અપવિત્ર બને છે કારણ કે તમોપ્રધાન દુનિયા છે. નવી
દુનિયામાં તો પવિત્ર રહે છે. અપવિત્ર બનાવવા વાળો છે રાવણ.
આ સમયે ભારત ખાસ અને આમ આખી દુનિયા પર રાવણનું રાજ્ય છે. યથા રાજા રાણી તથા પ્રજા.
હાઈએસ્ટ (સૌથી શ્રેષ્ઠ), લોએસ્ટ (સૌથી કનિષ્ટ). અહીંયા બધાં પતિત છે. બાબા કહે છે
હું તમને પાવન બનાવીને જાઉં છું પછી તમને પતિત કોણ બનાવે છે? રાવણ. હવે ફરી તમે મારી
મત થી પાવન બની રહ્યાં છો પછી અડધાકલ્પ બાદ રાવણની મત પર પતિત બનશો અર્થાત્
દેહ-અભિમાનમાં આવીને વિકારોનાં વશ થઇ જાઓ છો. તેને આસુરી મત કહેવાય છે. ભારત પાવન
હતું તો હવે પતિત બન્યું છે ફરી પાવન બનવાનું છે. પાવન બનાવવાં માટે પતિત-પાવન બાપએ
આવવું પડે છે. આ સમયે જુઓ કેટલાં અસંખ્ય મનુષ્યો છે. કાલે કેટલાં હશે! લડાઈ લાગશે,
મોત તો સામે ઊભું છે. કાલે આટલાં બધાં ક્યાં જશે? બધાનાં શરીર અને આ જૂની દુનિયા
વિનાશ થાય છે. આ રહસ્ય હમણાં તમારી બુદ્ધિમાં છે - નબરવાર પુરુષાર્થ અનુસાર. આપણે
કોના સમ્મુખ બેઠાં છીએ, તે પણ ઘણાં સમજતા નથી. ઓછામાં ઓછુ પદ પામવાવાળા છે. ડ્રામા
અનુસાર કરી જ શું શકાય છે, તકદીર માં નથી. હમણાં તો બાળકોએ સર્વિસ (સેવા) કરવાની
છે, બાપ ને યાદ કરવાનાં છે. તમે સંગમયુગી બ્રાહ્મણ છો, તમારે બાપ સમાન જ્ઞાન નાં
સાગર, સુખ નાં સાગર બનવાનું છે. બનાવવા વાળા બાપ મળ્યાં છે ને. દેવતાઓની મહિમા ગવાય
છે તે સર્વગુણ સંપન્ન…. હવે તો એ ગુણોવાળા કોઈ છે નહીં. પોતાનાં થી સદેવ પૂછતાં
રહો-અમે ઊંચ પદ પામવાનાં લાયક ક્યાં સુધી બન્યાં છીએ? સંગમયુગ ને સારી રીતે યાદ કરો.
આપણે સંગમયુગી બ્રાહ્મણ પુરુષોત્તમ બનવાવાળા છીએ. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે ને, નવી
દુનિયાનાં. બાળકો જાણે છે અમે બાબાનાં સમ્મુખ બેઠાં છીએ, તો હજી વધારે ભણવું જોઈએ.
ભણાવવાનું પણ છે. ભણાવતાં નથી તો સિદ્ધ થાય છે ભણતાં નથી. બુદ્ધિમાં બેસતું નથી. ૫
ટકા પણ નથી બેસતું. આ પણ યાદ નથી રહેતું કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ. બુદ્ધિમાં
બાપની યાદ રહે અને ચક્ર ફરતું રહે, સમજણ તો ખુબ સહજ છે. સ્વયંને આત્મા સમજી અને
બાપને યાદ કરવાનાં છે. તે છે સૌથી ઊંચા બાપ. બાપ કહે છે મને યાદ કરો તો તમારાં
વિકર્મ વિનાશ થાય. હમ સો પૂજ્ય , હમ સો પુજારી (અમેજ પૂજ્ય હતાં, અમેજ પુજારી બનીએ
છીએ), આ મંત્ર છે ખુબ સરસ. તેમણે પછી આત્મા સો પરમાત્મા કહી દીધું છે, જે કંઈ બોલે
છે બિલકુલ રોંગ (ખોટું). આપણે પવિત્ર હતાં, ૮૪ જન્મ ચક્ર લગાવીને હવે આવાં બન્યાં
છીએ. હવે આપણે જઈએ છે પાછાં. આજે અહીંયા, કાલે ઘરે જઈશું. આપણે બેહદ બાપનાં ઘરમાં
જઈએ છે. આ બેહદનું નાટક છે જે હવે રીપીટ (પુનરાવર્તન) થવાનું છે. બાપ કહે છે દેહ
સહિત દેહ નાં બધાં ધર્મ ભૂલી સ્વયંને આત્મા સમજો. હવે આપણે આ શરીરને છોડી ઘરે જઈએ
છીએ, આ પાક્કું યાદ કરી લો, અમે આત્મા છીએ-આ પણ યાદ રહે અને પોતાનું ઘર પણ યાદ રહે
તો બુદ્ધિ થી આખી દુનિયાનો સન્યાસ થઈ ગયો. શરીરનો પણ સંન્યાસ, તો બધાનો સન્યાસ. તે
હઠયોગી કોઈ આખી સૃષ્ટિનો સન્યાસ થોડી કરે છે, તેમનો છે અધુરો. તમારે તો આખી દુનિયાનો
ત્યાગ કરવાનો છે, સ્વયંને દેહ સમજે છે તો કામ પણ એવું જ કરે છે. દેહ-અભિમાની બનવાથી
ચોરી ચકારી, જુઠ્ઠું બોલવું, પાપ કરવું…..આ બધી આદતો પડી જાય છે. અવાજ થી બોલવાની
પણ આદત પડી જાય છે, પછી કહે છે અમારો અવાજ જ એવો છે. દિવસમાં ૨૫-૩૦ પાપ પણ કરી લે
છે. જુઠ્ઠું બોલવું પણ પાપ થયું ને. આદત પડી જાય છે. બાબા કહે છે-અવાજ ઓછો કરતા શીખો
ને. અવાજ ઓછો કરવામાં કોઈ વાર નથી લાગતી. કુતરા ને પણ પાળે છે તો સારું થઈ જાય છે,
વાંદરા કેટલાં તેજ હોય છે પછી કોઈની સાથે ઘેરાય જાય છે તો ડાન્સ વગેરે બેસીને કરે
છે. જાનવર પણ સુધરી જાય છે. જાનવરોને સુધારવા વાળા છે મનુષ્ય. મનુષ્યોને સુધારવા
વાળા છે બાપ. બાપ કહે છે તમે પણ જાનવર જેવાં છો. તો મને કચ્છ અવતાર, વરાહ અવતાર કહી
દો છો. જેવી તમારી એક્ટિવિટી (પ્રવૃત્તિ) છે, તેનાથી પણ બદતર મને કરી દીધો છે. આ પણ
તમે જાણો છો, દુનિયા નથી જાણતી. અંતમાં તમને સાક્ષાત્કાર થશે. કેવી-કેવી સજાઓ ખાય
છે, તે પણ તમને ખબર પડશે. અડધોકલ્પ ભક્તિ કરી છે, હવે બાપ મળ્યાં છે. બાપ કહે છે
મારી મત પર નહીં ચાલશો તો સજા વધારે જ વધતી જશે એટલે હવે પાપ વગેરે કરવાનું છોડો.
પોતાનો ચાર્ટ રાખો પછી સાથે ધારણા પણ જોઈએ. કોઈને સમજાવવાની પ્રેક્ટિસ પણ જોઈએ.
પ્રદર્શની નાં ચિત્રો પર વિચાર ચલાવો. કોઈને આપણે કેવી રીતે સમજાવીએ. પહેલી-પહેલી
વાત આ ઉઠાવો-ગીતાનાં ભગવાન કોણ? જ્ઞાનનાં સાગર તો પતિત-પાવન પરમપિતા પરમાત્મા છે
ને. આ બાપ છે બધી આત્માઓનાં બાપ. તો બાપનો પરિચય જોઈએ ને. ઋષિ-મુની વગેરે કોઈને પણ
ન બાપનો પરિચય છે, ન રચનાનાં આદિ-મધ્ય-અંત નો એટલે પહેલાં-પહેલાં તો આ સમજાવીને
લખાવો કે ભગવાન એક છે. બીજો કોઈ હોઈ ન શકે. મનુષ્ય પોતાને ભગવાન કહી ન શકે.
આપ બાળકોને હવે નિશ્ચય છે-ભગવાન નિરાકાર છે. બાપ આપણને ભણાવે છે. આપણે વિદ્યાર્થી
છીએ. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. એક ને યાદ કરશો તો શિક્ષક અને ગુરુ
બંનેવ ની યાદ આવશે. બુદ્ધિ ભટકવી ન જોઈએ. ફક્ત શિવ પણ નથી કહેવાનું, શિવ આપણાં બાપ
પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, આપણને સાથે લઈ જશે. એ એકની કેટલી મહિમા છે, એમને જ
યાદ કરવાનાં છે. કોઈ-કોઈ કહે છે આમણે તો બી.કે. ને જઈને ગુરુ બનાવ્યાં છે. તમે ગુરુ
તો બનો છો ને. પછી તમને બાપ નહિં કહેશે. શિક્ષક, ગુરુ કહેશે, બાપ નહીં. ત્રણેય પછી
તે એક બાપને જ કહેશે. એ સૌથી ઊંચા બાપ છે, આમનાં ઉપર પણ તે બાપ છે. આ સારી રીતે
સમજાવવાનું છે. પ્રદર્શનીમાં સમજાવવાની અક્કલ જોઈએ. પરંતુ પોતામાં એટલી હિંમત નથી
સમજતાં. મોટી-મોટી પ્રદર્શની થાય છે તો જે સારા-સારા સર્વિસેબુલ બાળકો છે, તેમણે
જોઈને સર્વિસ કરવી જોઈએ. બાબા ના થોડી કરે છે. આગળ ચાલી સાધુ-સંત વગેરે ને પણ તમે
જ્ઞાન બાણ મારતા રહેશો. જશે ક્યાં! એક જ હટ્ટી છે. સદ્દગતિ બધાની આ હટ્ટીથી થવાની
છે. આ હટ્ટી એવી છે, તમે બધાને પવિત્ર થવાનો રસ્તો બતાવો છો પછી બને, ન બને.
આપ બાળકોનું ધ્યાન વિશેષ સર્વિસ પર હોવું જોઈએ. ભલે બાળકો સમજદાર છે પરંતુ સર્વિસ
પૂરી નથી કરતાં તો બાબા સમજે છે રાહુની દશા બેઠી છે. દશાઓ તો બધાં પર ફરે છે ને.
માયાનો પડછાયો પડે છે પછી બે દિવસ પછી ઠીક થઈ જાય છે. બાળકોએ સર્વિસ નો અનુભવ કરીને
આવવું જોઈએ. પ્રદર્શની તો કરતાં રહો છો, કેમ મનુષ્ય સમજીને ઝટ નથી લખતાં કે બરાબર
ગીતા કૃષ્ણ ની નહીં, શિવ ભગવાન ની ગાયેલી છે. કોઈ તો ફક્ત કહી દે છે આ બહુજ સરસ છે.
મનુષ્યોનાં માટે બહુજ કલ્યાણકારી છે, બધાને દેખાડવું જોઈએ. પરંતુ હું પણ આ વારસો
લઈશ….આવું કોઈ કહેતાં નથી. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન
માં આવીને અવાજ થી વાત નથી કરવાની. આ આદતને મટાડવાની છે. ચોરી કરવી, જુઠ્ઠું બોલવું…...આ
બધું પાપ છે, આનાથી બચવા માટે દેહી-અભિમાની થઇને રહેવાનું છે.
2. મોત સામે છે એટલે
બાપની શ્રીમત પર ચાલીને પાવન બનવાનું છે. બાપનાં બન્યાં પછી કોઈ પણ ખોટું કર્મ નથી
કરવાનું. સજાઓથી બચવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
યાદનાં બળથી
પોતાનાં અથવા બીજાનાં શ્રેષ્ઠ પુરુષાર્થ ની ગતિ વિધિ ને જાણવાવાળા માસ્ટર
ત્રિકાળદર્શી ભવ
જેમ સાયન્સ (વિજ્ઞાન)
વાળા પૃથ્વી થી સ્પેસ (અંતરીક્ષ) માં જવા વાળાઓની દરેક ગતિ વિધિ ને જાણી શકે છે. એમ
આપ ત્રિકાળદર્શી બાળકો સાઈલેન્સ અર્થાત્ યાદનાં બળ થી પોતાનાં અથવા બીજાનાં શ્રેષ્ઠ
પુરુષાર્થ અથવા સ્થિતિ ની ગતિ વિધિને સ્પષ્ટ જાણી શકો છો. દિવ્ય બુદ્ધિ બનવાથી,
યાદનાં શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાથી ત્રિકાળદર્શી ભવનું વરદાન પ્રાપ્ત થઈ જાય છે
અને નવાં-નવાં પ્લાન (યોજના) પ્રેક્ટિકલમાં લાવવાં માટે સ્વતઃ ઈમર્જ (જાગૃત) થાય
છે.
સ્લોગન :-
સર્વ નાં
સહયોગી બનો તો સ્નેહ સ્વતઃ પ્રાપ્ત થતો રહેશે.