10-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - હવે
નાટક પૂરું થાય છે , પાછાં ઘરે જવાનું છે , કળયુગ અંત નાં પછી ફરી સતયુગ રિપીટ (
પુનરાવર્તન ) થશે , આ રહસ્ય બધાને સમજાવો ”
પ્રશ્ન :-
આત્મા પાર્ટ
ભજવતાં-ભજવતાં થાકી ગઈ છે, થકાવટ નું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
ખૂબ ભક્તિ કરી, અનેક મંદિરો બનાવ્યાં, પૈસા ખર્ચ કર્યા, ધક્કા ખાતાં-ખાતાં
સતોપ્રધાન આત્મા તમોપ્રધાન બની ગઈ. તમોપ્રધાન હોવાનાં કારણે જ દુઃખી થઈ. જ્યારે કોઇ
વાતથી કોઈ હેરાન થાય છે ક્યારે થકાવટ થાય છે. હમણાં બાપ આવ્યાં છે બધી થકાવટ મટાડવાં.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી બાળકો ને સમજાવે છે, એમનું નામ શું છે? શિવ. અહીંયા જે બેઠાં છે તો બાળકોને
સારી રીતે યાદ રહેવું જોઈએ. આ ડ્રામામાં જે બધાનો પાર્ટ છે, તે હવે પૂરો થાય છે.
નાટક જયારે પૂરું થવાં પર હોય છે તો બધાં એક્ટર્સ સમજે છે કે અમારો પાર્ટ હવે પૂરો
થાય છે. હવે જવાનું છે ઘરે. આપ બાળકોને પણ બાપે હમણાં સમજ આપી છે, આ સમજ બીજા કોઈમાં
નથી. હમણાં તમને બાપે સમજદાર બનાવ્યાં છે. બાળકો, હવે નાટક પૂરું થાય છે, હવે ફરી
નવેસર ચક્ર શરુ થવાનું છે. નવી દુનિયામાં સતયુગ હતું. હવે જૂની દુનિયામાં આ કળયુગનો
અંત છે. આ વાતો તમે જ જાણો છો, જેમને બાપ મળ્યાં છે. નવાં જે આવે છે તો તેમને પણ આ
સમજાવવાનું છે-હવે નાટક પૂરું થાય છે. કળયુગ અંત નાં પછી ફરી સતયુગ રીપીટ થવાનું
છે. આટલાં બધાં જે છે તેમને પાછું જવાનું છે પોતાનાં ઘરે. હવે નાટક પૂરું થાય છે,
આનાથી મનુષ્ય સમજી લે છે કે પ્રલય થાય છે. હવે તમે જાણો છો જૂની દુનિયાનો વિનાશ કેવી
રીતે થાય છે. ભારત તો અવિનાશી ખંડ છે, બાપ પણ અહીંયા જ આવે છે. બાકી બીજા બધાં ખંડ
ખલાસ થઈ જશે. આ ખ્યાલાત બીજા કોઈની બુદ્ધિમા આવી ન શકે. બાપ આપ બાળકોને સમજાવે છે,
હવે નાટક પૂરું થાય છે ફરી રીપીટ કરવાનું છે. પહેલાં નાટકનું નામ પણ તમારી બુદ્ધિમાં
નહોતું. કહેવા માત્ર કહેતા હતાં, આ સૃષ્ટિ નાટક છે, જેમાં આપણે એક્ટર્સ છીએં. પહેલાં
જ્યારે આપણે કહેતા હતાં તો શરીરને સમજતા હતાં. હવે બાપ કહે છે સ્વયંને આત્મા સમજો
અને બાપને યાદ કરો. હવે આપણે પાછાં ઘરે જવાનું છે, એ છે સ્વીટ હોમ. એ નિરાકારી
દુનિયામાં આપણે આત્માઓ રહીએ છે. આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્રમાં નથી. હમણાં તમે
સંગમ પર છો. જાણો છો હવે આપણે પાછાં જવાનું છે. જૂની દુનિયા ખતમ થાય તો ભક્તિ પણ
ખતમ થાય. પહેલાં-પહેલાં કોણ આવે છે, કેવી રીતે આ ધર્મ નંબરવાર આવે છે, આ વાતો કોઈ
શાસ્ત્રોમાં નથી. આ બાપ નવી વાતો સમજાવે છે. આ બીજું કોઈ સમજાવી ન શકે. બાપ પણ એક જ
વખત આવીને સમજાવે છે. જ્ઞાન સાગર બાપ આવે જ છે એક વખત જ્યારે નવી દુનિયાની સ્થાપના,
જૂની દુનિયાનો વિનાશ કરવાનો છે. બાપની યાદની સાથે આ ચક્ર પણ બુદ્ધિમાં રહેવું જોઈએ.
હવે નાટક પૂરું થાય છે, આપણે જઈએ છે ઘરે. પાર્ટ ભજવતાં-ભજવતાં આપણે થાકી ગયાં છીએં.
પૈસા પણ ખર્ચ કર્યા, ભક્તિ કરતાં-કરતાં આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બની ગયાં છીએ.
દુનિયા જ જૂની થઈ ગઈ છે. નાટક જુનું કહેશું? નહીં. નાટક તો ક્યારેય જુનૂં થતું નથી.
નાટક તો નિત્ય નવું છે. આ ચાલતું જ રહે છે. બાકી દુનિયા જૂની થાય છે, આપણે એક્ટર્સ
તમોપ્રધાન દુઃખી થઈ જઈએ છે, થાકી જઈએ છે. સતયુગમાં થોડી જ થાકશું. કોઈ વાતમાં થાકવા
કે હેરાન થવાની વાત નથી. અહીંયા તો અનેક પ્રકારની હેરાનગતિ જોવી પડે છે. તમે જાણો
છો આ જુની દુનિયા ખતમ થવાની છે. સંબંધી વગેરે કંઈ પણ યાદ ન આવવું જોઈએ. એક બાપ ને જ
યાદ કરવાં જોઈએ, જેનાથી વિકર્મ વિનાશ થાય છે, વિકર્મ વિનાશ થવાનો બીજો કોઈ ઉપાય નથી.
ગીતામાં પણ મનમનાભવ અક્ષર છે. પરંતુ અર્થ કોઈ સમજી ન શકે. બાપ કહે છે-મને યાદ કરો
અને વારસાને યાદ કરો. તમે વિશ્વનાં વારીસ અર્થાત્ માલિક હતાં. હવે તમે વિશ્વનાં
વારીસ બની રહ્યાં છો. તો કેટલી ખુશી હોવી જોઈએ. હમણાં તમે કોડી થી હીરા જેવાં બની
રહ્યાં છો. અહીંયા તમે આવ્યાં જ છો બાપ થી વારસો લેવાં.
તમે જાણો છો જ્યારે કળાઓ ઓછી થાય છે ત્યારે ફૂલોનો બગીચો મૂરઝાય જાય છે. હમણાં તમે
બનો છો ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો). સતયુગ ગાર્ડન છે તો કેવું સુંદર છે પછી
ધીરે-ધીરે કળા ઓછી થતી જાય છે. બે કળા ઓછી થઈ, ગાર્ડન મુરઝાઈ ગયું. હવે તો કાંટાનું
જંગલ થઈ ગયું છે. હમણાં તમે જાણો છો દુનિયાને કાંઈ પણ ખબર નથી. આ નોલેજ તમને મળી
રહ્યું છે. આ છે નવી દુનિયાનાં માટે નવું નોલેજ. નવી દુનિયા સ્થાપન થાય છે. કરવાવાળા
છે બાપ. સૃષ્ટિનાં રચયિતા બાપ છે. યાદ પણ બાપને જ કરે છે કે આવીને હેવિન (સ્વર્ગ)
રચો. સુખધામ રચો તો જરૂર દુઃખધામ નો વિનાશ થશે ને. બાબા રોજ-રોજ સમજાવતાં રહે છે,
તેને ધારણ કરી પછી સમજાવવાનું છે. પહેલાં-પહેલાં તો મુખ્ય વાત સમજાવાની છે - આપણાં
પિતા કોણ છે, જેમનાં થી વારસો પામવાનો છે. ભક્તિમાર્ગ માં પણ ગોડફાધર ને યાદ કરતાં
રહે છે કે અમારાં દુઃખ હરો સુખ આપો. તો આપ બાળકોને બુદ્ધિમાં પણ સ્મૃતિ રહેવી જોઈએ.
સ્કૂલમાં સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ની બુદ્ધિમાં નોલેજ રહે છે, ન કે ઘરબાર. સ્ટુડન્ટ
લાઇફ માં ધંધા-ધોરી ની વાત રહેતી નથી. સ્ટડી (ભણવાનું) જ યાદ રહે છે. અહીંયા તો પછી
કર્મ કરતાં, ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં, બાપ કહે છે આ સ્ટડી કરો. એવું નથી કહેતાં કે
સંન્યાસીઓની જેમ ઘરબાર છોડો. આ છે જ રાજ્યોગ. આ પ્રવૃત્તિ માર્ગ છે. સંન્યાસીઓને પણ
તમે કહી શકો છો કે તમારો છે હઠયોગ. તમે ઘરબાર છોડો છો, અહીંયા તે વાત નથી. આ દુનિયા
જ કેવી ગંદી છે. શું લાગી પડ્યું છે! ગરીબ વગેરે કેવી રીતે રહી રહ્યાં છે. જોવાથી જ
નફરત આવે છે. બહાર થી જે વિઝીટર (મહેમાન) વગેરે આવે છે એમને તો સારાં-સારાં સ્થાન
દેખાડે છે, ગરીબ વગેરે કેવાં ગંદામાં રહી રહ્યાં છે, તે થોડી દેખાડે છે. આ તો છે જ
નર્ક પરંતુ એમાં પણ ફરક તો ખૂબ છે ને. સાહૂકાર લોકો ક્યાં રહે છે, ગરીબ ક્યાં રહે
છે, કર્મોનો હિસાબ છે ને. સતયુગમાં આવી ગંદગી હોઈ ન શકે. ત્યાં પણ ફરક તો રહે છે
ને. કોઈ સોનાનાં મહેલ બનાવશે, કોઈ ચાંદીનાં, કોઈ ઇંટોનાં. અહીંયા તો કેટલાં ખંડ છે.
એક યુરોપ ખંડ જ કેટલો મોટો છે. ત્યાં તો ફક્ત આપણે જ હોઈશું. આ પણ બુદ્ધિમાં રહે તો
હર્ષિતમુખ અવસ્થા હોય. સ્ટુડન્ટની બુદ્ધિમાં સ્ટડી જ યાદ રહે છે-બાપ અને વારસો. આ
તો સમજાવ્યું છે બાકી થોડો સમય છે. તેઓ તો કહી દે છે લાખો-હજારો વર્ષ. અહીં તો વાત
જ ૫ હજાર વર્ષની છે. આપ બાળકો સમજી શકો છો હમણાં આપણી રાજધાની ની સ્થાપના થઇ રહી
છે. બાકી આખી દુનિયા ખતમ થવાની છે. આ ભણતર છે ને. બુદ્ધિમાં આ યાદ રહે આપણે
સ્ટુડન્ટ છીએ, આપણને ભગવાન ભણાવે છે. તો પણ કેટલી ખુશી રહે. આ કેમ ભૂલી જવાય છે!
માયા ખૂબ પ્રબળ છે, તે ભૂલાવી દે છે. સ્કૂલમાં બધાં સ્ટુડન્ટ્સ ભણી રહ્યાં છે. બધાં
જાણે છે કે અમને ભગવાન ભણાવે છે, ત્યાં તો અનેક પ્રકાર ની વિદ્યા ભણાવાય છે. અનેક
શિક્ષક હોય છે. અહિયાં તો એક જ શિક્ષક છે, એક જ ભણતર છે. બાકી નાયબ શિક્ષક તો જરૂર
જોઈએ. સ્કૂલ છે એક, બાકી બધી છે શાખાઓ છે, ભણાવવા વાળા એક બાપ છે. બાપ આવીને બધાને
સુખ આપે છે. તમે જાણો છો-અડધોકલ્પ આપણે સુખી રહેશું. તો આ પણ ખુશી રહેવી જોઈએ,
શિવબાબા આપણને ભણાવે છે. શિવબાબા રચના રચે જ છે સ્વર્ગની. આપણે સ્વર્ગનાં માલિક બનવા
માટે ભણીએ છીએ. કેટલી ખુશી અંદરમાં રહેવી જોઈએ. તે સ્ટુડન્ટ પણ ખાતાં-પીતાં બધું
ઘરનું કામ વગેરે કરે છે. હાં, કોઈ હોસ્ટેલમાં રહે છે કે વધારે ભણવામાં ધ્યાન રહે.
સર્વિસ કરવા માટે બાળકીઓ બહાર રહે છે. કેવાં-કેવાં મનુષ્ય આવે છે. અહીંયા તો તમે
કેટલા સેફ (સુરક્ષિત) બેઠાં છો. કોઈ અંદર ઘૂસી ન શકે. અહીંયા કોઈ નો સંગ નથી. પતિત
થી વાત કરવાની દરકાર નથી. તમારે કોઈનું મુખ જોવાની પણ દરકાર નથી. તો પણ બહાર
રહેવાવાળા આગળ ચાલ્યાં જાય છે. કેવું વન્ડર છે, બહાર રહેવાવાળા કેટલાઓને ભણાવીને,
આપ સમાન બનાવીને લઇ આવે છે. બાબા સમાચાર પૂછે છે-કેવાં પેશન્ટને (દર્દી) લઈ આવ્યાં
છો, કોઈ બહું ખરાબ પેશન્ટ છે તો તેમને ૭ દિવસ ભટ્ઠીમાં રખાય છે. અહીંયા કોઈ પણ
શૂદ્ર ને નથી લઈ આવવાનાં. આ મધુબન છે જેમકે આપ બ્રાહ્મણોનું એક ગામ. અહીંયા બાપ આપ
બાળકોને બેસી સમજાવે છે, વિશ્વનાં માલિક બનાવે છે. કોઈ શુદ્રને લઈ આવશો તો તે
વાઈબ્રેશન ખરાબ કરશે. આપ બાળકોની ચલન પણ ખૂબ રોયલ જોઈએ.
આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થતાં રહેશે - ત્યાં શું-શું હશે. જનાવર પણ કેવા
સારાં-સારાં હશે. બધી સારી ચીજ હશે. સતયુગની કોઈ ચીજ અહીંયા હોઈ ન શકે. ત્યાં પછી
અહીંયા ની ચીજ હોઈ ન શકે. તમારી બુદ્ધિમાં છે આપણે સ્વર્ગનાં માટે પરીક્ષા પાસ કરી
રહ્યાં છીએ. જેટલું ભણશો અને પછી ભણાવશો. શિક્ષક બની બીજાઓને રસ્તો બતાવો છો. બધાં
શિક્ષક છે. બધાને ભણાવવાનું છે. પહેલાં-પહેલાં તો બાપ ની ઓળખ આપી બતાવવાનું છે કે
બાપથી આ વારસો મળે છે. ગીતા બાપે સંભળાવી છે. કૃષ્ણએ બાપથી સાંભળીને આ પદ પામ્યું
છે. પ્રજાપિતા બ્રહ્મા છે તો બ્રાહ્મણ પણ અહીંયા જોઈએ. બ્રહ્મા પણ શિવબાબા થી ભણતાં
રહે છે. તમે હમણાં ભણો છો વિષ્ણુપુરી માં જવાં માટે. આ છે તમારું અલૌકિક ઘર. લૌકિક,
પારલૌકિક અને પછી અલૌકિક. નવી વાત છે ને. ભક્તિમાર્ગ માં ક્યારેય બ્રહ્માને યાદ નથી
કરતાં. બ્રહ્મા બાબા કોઈને કહેવાં આવતાં નથી. શિવબાબા ને યાદ કરે છે કે દુઃખથી
છોડાવો. એ છે પારલૌકિક બાપ, આ પછી છે અલૌકિક. આમને તમે સૂક્ષ્મવતન માં પણ જુઓ છો.
પછી અહીંયા પણ જુઓ છો. લૌકિક બાપ તો અહીંયા જોવામાં આવે છે, પારલૌકિક બાપ તો પરલોકમાં
જ જોઈ શકાય. આ પછી છે અલૌકિક વન્ડરફુલ બાપ. આ અલૌકિક બાપ ને સમજવામાં જ મુંઝાય છે.
શિવબાબા ની માટે તો કહેશે નિરાકાર છે. તમેં કહેશો તે બિંદુ છે. તેઓ અખંડ જ્યોતિ કે
બ્રહ્મ કહી દે છે. અનેક મત છે. તમારી તો એક જ મત છે. એક દ્વારા બાપે મત આપવાનું શરુ
કર્યુ પછી વૃદ્ધિ કેટલી થાય છે. તો આપ બાળકોની બુદ્ધિમાં આ રહેવું જોઈએ-આપણને
શિવબાબા ભણાવી રહ્યાં છે. પતિત થી પાવન બનાવી રહ્યાં છે. રાવણ રાજ્યમાં જરૂર પતિત
તમોપ્રધાન બનવાનું જ છે. નામ જ છે પતિત દુનિયા. બધાં દુઃખી પણ છે ત્યારે તો બાપ ને
યાદ કરે છે કે બાબા અમારા દુઃખ દૂર કરી અમને સુખ આપો. બધાં બાળકો નાં બાપ એક જ છે.
એ તો બધાને સુખ આપશે ને. નવી દુનિયામાં તો સુખ જ સુખ છે. બાકી બધાં શાંતિધામમાં રહે
છે. આ બુદ્ધિ માં રહેવું જોઈએ-હવે આપણે જઈશું શાંતિધામ. જેટલાં નજીક આવતા જશો તો
આજની દુનિયા શું છે, કાલની દુનિયા શું હશે, બધું જોતાં રહેશો. સ્વર્ગની બાદશાહી
નજીક જોતાં રહેશો. તો બાળકોને મુખ્ય વાત સમજાવે છે-બુદ્ધિમાં આ યાદ રહે કે અમે
સ્કૂલમાં બેઠાં છીએ. શિવબાબા આ રથ પર સવાર થઈ આવ્યાં છે આપણને ભણાવવાં. આ ભાગીરથ
છે. બાપ આવશે પણ જરૂર એક વખત. ભાગીરથ નું નામ શું છે, આ પણ કોઈને ખબર નથી.
અહીંયા આપ બાળકો જ્યારે બાપનાં સમ્મુખ બેસો છો તો બુદ્ધિમાં યાદ રહે કે બાબા આવેલાં
છે-આપણને સૃષ્ટિ ચક્રનું રહસ્ય બતાવી રહ્યાં છે. હવે નાટક પૂરું થાય છે, હવે આપણે
જવાનું છે. આ બુદ્ધિમાં રાખવું કેટલું સહજ છે પરંતુ આ પણ યાદ કરી નથી શકતાં. હવે
ચક્ર પૂરું થાય છે, હવે આપણે જવાનું છે પછી નવી દુનિયામાં આવીને પાર્ટ ભજવવાનો છે,
પછી આપણી પાછળ ફલાણા-ફલાણા આવશે. તમે જાણો છો આ ચક્ર આખું કેવી રીતે ફરે છે. દુનિયા
વૃદ્ધિને કેવી રીતે પામે છે. નવાં થી જૂની પછી જૂનાં થી નવી થાય છે. વિનાશ માટે
તૈયારીઓ પણ જોઈ રહ્યાં છો. નેચરલ કેલામીટિઝ (કુદરતી આપદાઓ) પણ થવાની છે. આટલાં
બોમ્બ્સ બનાવીને રાખ્યાં છે તો કામમાં તો આવવાનાં છે ને. બોમ્બ્સ થી જ એટલું કામ થશે
જે પછી મનુષ્યને લડાઈની દરકાર નહીં રહેશે. લશ્કરને પછી છોડતાં જશે. બોમ્બ્સ ફેકતાં
જશે. પછી આટલાં બધાં મનુષ્ય નોકરી થી છુટી જશે તો ભૂખે મરશે ને. આ બધું થવાનું છે.
પછી સૈનિક વગેરે શું કરશે. અર્થક્વેક (ધરતીકંપ) થતો રહેશે, બોમ્બસ પડતાં રહેશે.
એક-બીજાને મારતા રહેશે. ખૂને-નાહક ખેલ તો થવાનો છે ને. તો અહીંયા જ્યારે આવીને બેસો
છો તો આ વાતોમાં રમણ કરવું જોઈએ. શાંતિધામ, સુખધામ ને યાદ કરતાં રહો. દિલથી પૂછો
અમને શું યાદ આવે છે. જો બાપની યાદ નથી તો જરૂર બુદ્ધિ ક્યાંક ભટકે છે. વિકર્મ પણ
વિનાશ નહીં થશે, પદ પણ ઓછું થઈ જશે. અચ્છા, બાપની યાદ નથી રહેતી તો ચક્રનું સિમરણ
કરો તો પણ ખુશી ચઢે. પરંતુ શ્રીમત પર નથી ચાલતાં, સર્વિસ નથી કરતાં તો બાપદાદાનાં
દિલ પર પણ નથી ચઢી શકતાં. સર્વિસ નથી કરતાં તો અનેકોને હેરાન કરતાં રહે છે. કોઈ તો
અનેકોને આપ સમાન બનાવી અને બાપની પાસે લઈ આવે છે. તો બાબા જોઇને ખુશ થાય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા હર્ષિત
રહેવાનાં માટે બુદ્ધિમાં ભણતર અને ભણાવવા વાળા બાપની યાદ રહે. ખાતાં-પીતાં બધું કામ
કરતાં ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે.
2. બાપદાદાનાં દિલ પર
ચઢવાં માટે શ્રીમત પર અનેકોને આપ સમાન બનાવવાની સર્વિસ કરવાની છે. કોઈને પણ હેરાન
નથી કરવાનાં.
વરદાન :-
કોઈ પણ આત્માને
પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવવા વાળા યથાર્થ સેવાધારી ભવ .
યથાર્થ સેવાભાવ
અર્થાત્ સદા દરેક આત્માનાં પ્રતિ શુભભાવના, શ્રેષ્ઠ કામના નો ભાવ. સેવા ભાવ અર્થાત્
દરેક આત્માને ભાવના પ્રમાણે ફળ આપવું. સેવા અર્થાત્ કોઈ પણ આત્માને પ્રાપ્તિનાં મેવા
અનુભવ કરાવવાં. આવી સેવામાં તપસ્યા સાથે-સાથે છે. જ્યાં યથાર્થ સેવા ભાવ છે ત્યાં
તપસ્યા નો ભાવ અલગ નથી. જે સેવામાં ત્યાગ તપસ્યા નથી તે નામધારી સેવા છે એટલે ત્યાગ
તપસ્યા અને સેવા નાં કમ્બાઈન્ડ રુપ દ્વારા સાચાં યથાર્થ સેવાધારી બનો.
સ્લોગન :-
નમ્રતા અને
ધૈર્યતા નો ગુણ ધારણ કરો તો ક્રોધાગ્નિ પણ શાંત થઇ જશે.