12-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 23.12.85
બાપદાદા મધુબન
“કામજીત - સર્વ હદની
કામનાઓ થી પરે ”
બાપદાદા પોતાનાં
નાનકડાં શ્રેષ્ઠ સુખી સંસારને જોઈ રહ્યાં છે. એક તરફ છે ખૂબ મોટો અસાર સંસાર. બીજી
તરફ છે નાનકડો સુખી સંસાર. આ સુખી સંસાર માં સદા સુખ-શાંતિ સંપન્ન બ્રાહ્મણ આત્માઓ
છે કારણ કે પવિત્રતા, સ્વચ્છતા નાં આધાર પર આ સુખ-શાંતિમય જીવન છે. જ્યાં પવિત્રતા
કે સ્વચ્છતા છે ત્યાં કોઈ પણ દુઃખ અશાંતિ નું નામ નિશાન નથી. પવિત્રતા નાં કિલ્લાની
અંદર આ નાનકડો સુખી સંસાર છે. જો પવિત્રતા નાં કિલ્લાનાં સંકલ્પ દ્વારા પણ બહાર જાઓ
છો ત્યારે દુઃખ અને અશાંતિનો પ્રભાવ અનુભવ કરો છો. આ બુદ્ધિ રુપી પગ કિલ્લાની અંદર
રહે તો સંકલ્પ તો શું સ્વપ્નમાં પણ દુઃખ અશાંતિની લહેર નથી આવી શકતી. દુઃખ અને
અશાંતિ નો જરા પણ અનુભવ થાય છે તો અવશ્ય કોઈને કોઈ અપવિત્રતા નો પ્રભાવ છે. પવિત્રતા,
ફક્ત કામજીત જગતજીત બનવું આ નથી. પરંતુ કામ વિકારનો વંશ સર્વ હદની કામનાઓ છે.
કામજીત અર્થાત્ સર્વ કામનાઓ જીત કારણ કે કામનાઓ અનેક વિસ્તાર પૂર્વક છે. કામના એક
છે વસ્તુઓની, બીજી - વ્યક્તિ દ્વારા હદની પ્રાપ્તિની કામના છે. ત્રીજી - સંબંધ
નિભાવવામાં પણ હદની કામનાઓ અનેક પ્રકારની ઉત્પન્ન થાય છે. ચોથી - સેવા ભાવનામાં પણ
હદની કામના નો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. આ ચારેવ પ્રકારની કામનાઓને સમાપ્ત કરવું
અર્થાત્ સદા માટે દુઃખ અશાંતિ ને જીતવું. હવે સ્વયં સ્વયં થી પૂછો આ ચારેવ પ્રકારની
કામનાઓને સમાપ્ત કરી છે? કોઈ પણ વિનાશી વસ્તુ જો બુદ્ધિ ને પોતાની તરફ આકર્ષિત કરે
છે તો જરુર કામનાનું રુપ લગાવ હોય થયું. રોયલ રુપ માં શબ્દને પરિવર્તન કરીને કહો છો
- ઈચ્છા નથી પરંતુ સારું લાગે છે. ભલે વસ્તુ હોય કે વ્યક્તિ હોય પરંતુ કોઈનાં પ્રતિ
પણ વિશેષ આકર્ષણ છે, તે જ વસ્તુ કે તે વ્યક્તિ જ સારી લાગે છે અર્થાત્ કામના છે.
ઈચ્છા છે. બધું સારું લાગે છે આ છે યથાર્થ. પરંતુ આ જ સારું લાગે છે આ છે અયથાર્થ.
આ ઈચ્છાનું રોયલ રુપ છે. ભલે કોઈની સેવા સારી લાગે, કોઈની પાલના સારી લાગે, કોઈનાં
ગુણ સારા લાગે, કોઈની મહેનત સારી લાગે, કોઈનો ત્યાગ સારો લાગે, કોઈનો સ્વભાવ સારો
લાગે પરંતુ સારાઈ ની સુગંધ લેવી અથવા સારાઈ ને સ્વયં પણ ધારણ કરવી અલગ વાત છે. પરંતુ
આ સારાઈ નાં કારણે આજ સારી છે-આ સારું કહેવું ઈચ્છામાં બદલાઈ જાય છે. આ કામના છે.
જે દુઃખ અને અશાંતિનો સામનો નથી કરી શકતાં. એક છે સારાઈ નાં પાછળ પોતાને સારા બનવાથી
વંચિત કરવું. બીજું - દુશ્મની ની કામના પણ નીચે લઇ આવે છે. એક છે પ્રભાવિત થવાની
કામના. બીજી છે કોઈ થી વેર અથવા ઈર્ષ્યાની ભાવનાની કામના. તે પણ સુખ અને શાંતિ ને
સમાપ્ત કરી દે છે. સદા જ મન હલચલ માં આવી જાય છે. પ્રભાવિત થવાનાં લક્ષણ લગાવ અને
ઝુકાવ છે. એમ જ ઈર્ષ્યા કે દુશ્મનીનો ભાવ, તેની નિશાની છે-જીદ કરવી અને સિદ્ધ કરવું.
બંનેવ ભાવમાં કેટલી એનર્જી (શક્તિ), કેટલો સમય ખતમ કરી દે છે, આ ખબર નથી પડતી.
બંનેવ ખૂબ નુકશાન કરવાવાળા છે. સ્વયં પણ ચિંતિત અને બીજાઓને પણ ચિંતિત કરવાવાળા છે.
આવી સ્થિતિ નાં સમયે આવી આત્માઓનો આ જ નારો હોય છે - દુઃખ લેવું અને દુ:ખ આપવું જ
છે. કાંઈ પણ થઈ જાય-પરંતુ કરવું જ છે. આ કામના તે સમયે બોલે છે. બ્રાહ્મણ આત્મા નથી
બોલતી, એટલે શું થાય છે સુખ અને શાંતિનાં સંસાર થી બુદ્ધિ રુપી પગ બહાર નીકળી જાય
છે, એટલે આ રોયલ કામનાઓનાં ઉપર પણ વિજયી બનો. આ ઇચ્છાઓ થી પણ ઈચ્છા માત્રમ્ અવિદ્યા
ની સ્થિતિમાં આવો.
આ જે સંકલ્પ કરો છો બંનેવ ભાવમાં કે હું આ વાત કરીને જ દેખાડીશ, કોને દેખાડશો? બાપ
ને કે બ્રાહ્મણ પરિવાર ને? કોને દેખાડશો? એવું સમજો આ કરીને દેખાડશું નહીં, પરંતુ
પડીને દેખાડશું. આ કમાલ છે શું જે દેખાડશો! પડવું દેખાડવાની વાત છે શું! આ હદની
પ્રાપ્તિ નો નશો - હું સેવા કરીને દેખાડીશ. હું નામ રોશન કરીને દેખાડીશ, આ શબ્દ ચેક
કરો રોયલ છે? કહો છો શેર (સિંહ) ની ભાષા પરંતુ બનો છો બકરી. જેમ આજ કાલ કોઈ સિંહનાં,
કોઈ હાથીનાં, કોઈ રાવણનાં, કોઈ રામનાં મુખોટા નાખી દે છે ને. તો આ માયા સિંહનો ફેસ
લગાવી દે છે. હું આ કરીને દેખાડીશ, આ કરીશ, પરંતુ માયા પોતાનાં વશ કરી બકરી બનાવી
દે છે. હું-પણું આવવું અર્થાત્ કોઈને કોઈ હદની કામના નાં વશીભૂત થવું. આ ભાષા
યુક્તિયુક્ત બોલો અને ભાવના પણ યુક્તિયુક્ત રાખો. આ હોશિયારી નથી પરંતુ દરેક કલ્પ
માં - સૂર્યવંશી થી ચંદ્રવંશી બનવાની હાર ખાવી છે. કલ્પ-કલ્પ ચંદ્રવંશી બનવું જ પડશે.
તો આ હાર થઈ કે હોશિયારી થઈ? તો એવી હોશિયારી નહીં દેખાડો. ન અભિમાન માં આવો, ન
અપમાન કરવામાં આવો. બંનેવ ભાવનાઓ શુભભાવના શુભકામના થી દૂર કરી દે છે. તો તપાસ કરો
- જરા પણ સંકલ્પ માત્ર પણ અભિમાન કે અપમાનની ભાવના રહી તો નથી ગઈ? જ્યાં અભિમાન અને
અપમાન ની ભાવના છે ત્યાં ક્યારેય કોઈ પણ સ્વમાન ની સ્થિતિમાં સ્થિત થઇ નથી શકે.
સ્વમાન સર્વ કામનાઓ થી કિનારો કરાવી દેશે અને સદા સુખ નાં સંસારમાં, સુખનાં શાંતિનાં
ઝૂલામાં ઝૂલતાં રહેશો. આને જ કહેવાય છે સર્વ કામનાજીત, જગતજીત. તો બાપદાદા જોઈ રહ્યાં
હતાં નાનકડાં સુખી સંસાર ને. સુખનાં સંસાર થી, પોતાનાં સ્વદેશ થી પારકા દેશમાં
બુદ્ધિ રુપી પગ દ્વારા કેમ ચાલ્યાં જાઓ છો. પર-ધર્મ, પરદેશ દુઃખ આપવાવાળો છે.
સ્વધર્મ, સ્વદેશ સુખ આપવાવાળો છે. તો સુખનાં સાગર બાપનાં બાળકો છો, સુખનાં સંસાર ની
અનુભવી આત્માઓ છો. અધિકારી આત્માઓ છો તો સદા સુખી રહો, શાંત રહો. સમજ્યાં.
દેશ-વિદેશનાં બન્ને સ્નેહી બાળકો પોતાનાં ઘર કે બાપનાં ઘરમાં પોતાનો અધિકાર લેવા
માટે પહોંચી ગયાં છો. તો અધિકારી બાળકોને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. જેમ ખુશીમાં
આવ્યાં છો એમ જ સદા ખુશ રહેવાની વિધિ, આ બંને વાતોનો સંકલ્પ થી પણ ત્યાગ કરી સદાનાં
માટે ભાગ્યવાન બનીને જજો. ભાગ્ય લેવા આવ્યાં છો પરંતુ ભાગ્ય લેવાની સાથે મન થી કોઈ
પણ કમજોરી જે ઉડતી કળા માં વિઘ્નરુપ બને છે તે છોડીને જજો. આ છોડવું જ લેવું છે.
અચ્છા!
સદા સુખનાં સંસાર માં રહેવાવાળા સર્વ કામનાજીત, સદા સર્વ આત્માઓનાં પ્રતિ શુભભાવના
અને શુભકામના કરવાવાળી શ્રેષ્ઠ આત્માઓને, સદા સ્વમાનની સીટ પર સ્થિત રહેવાવાળી
વિશેષ આત્માઓને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.
“ મધુરતા
દ્વારા કડવી ધરણી ને મધુર બનાવો ”
આજે મોટાથી મોટા બાપ, ગ્રાન્ડ ફાધર પોતાનાં ગ્રાન્ડ ચિલ્ડ્રન લવલી બાળકોને મળવા
આવ્યાં છે. ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર બ્રહ્મા ગવાયેલા છે. નિરાકાર બાપ એ સાકાર
સૃષ્ટિની રચનાનાં નિમિત્ત બ્રહ્માને બનાવ્યાં. મનુષ્ય સૃષ્ટિનાં રચયિતા હોવાનાં
કારણે, મનુષ્ય સૃષ્ટિનાં યાદગાર વૃક્ષનાં રુપમાં દેખાડયાં છે. બીજ ગુપ્ત હોય છે,
પહેલાં બે પત્તા, જેનાથી મૂળ નીકળે છે - તે જ વૃક્ષનાં આદિ દેવ આદિ દેવી માતા-પિતાનાં
સ્વરુપમાં વૃક્ષનાં ફાઉન્ડેશન (મૂળ) બ્રહ્મા નિમિત્ત બને છે. એમનાં દ્વારા બ્રાહ્મણ
મૂળ પ્રગટ થાય છે અને બ્રાહ્મણ મૂળ થી અનેક શાખાઓ ઉત્પન્ન થાય છે એટલે ગ્રેટ-ગ્રેટ
ગ્રાન્ડ ફાધર બ્રહ્મા ગવાયેલા છે. બ્રહ્માનું અવતરણ થવું અર્થાત્ ખરાબ દિવસ ખતમ થઈ
મોટા દિવસ શરુ થવાં. રાત ખતમ થઈ બ્રહ્મા મુહૂર્ત શરુ થઈ જાય, હકીકતમાં છે બ્રહ્મા
મુહૂર્ત, કહેવામાં બ્રહ્મ મુહૂર્ત આવે છે એટલે બ્રહ્માનું વૃદ્ધ રુપ દેખાડે છે.
ગ્રાન્ડ ફાધર નિરાકારી બાપ ગ્રાન્ડ ચિલ્ડ્રનને એટલી સૌગાત/ભેટ આપે છે જે ૨૧ જન્મનાં
માટે ખાતાં રહીએ. દાતા પણ છે તો વિધાતા પણ છે. જ્ઞાન રત્નોની થાળીઓ ભરી ભરીને આપી
દે છે. શક્તિઓની ગોલ્ડન ભેટ અનગણિત સ્વરુપમાં આપી દે છે. ગુણોનાં ઘરેણાં બોક્સ
ભરી-ભરીને આપે છે. કેટલાં શ્રુંગાર નાં બોક્સ છે તમારી પાસે! રોજ નવો શ્રુંગાર કરો
તો પણ અનગણિત છે. આ ભેટ સદા સાથે ચાલવાવાળી છે. તે સ્થૂળ ભેટ તો અહીંયા જ રહી જાય,
પરંતુ આ સાથે ચાલશે. એટલાં ગોડલી ભેટ થી સંપન્ન થઈ જાઓ છો જો કમાવાની દરકાર જ નહીં
પડશે. ભેટ થી જ ખાતાં રહેશો. મહેનત થી છુટી જશો.
બધાં વિશેષ ક્રિસમસ ડે મનાવવા આવ્યાં છો ને. બાપદાદા કિસમિસ ડે કહે છે. કિસમિસ ડે
અર્થાત્ મધુરતાનો દિવસ. સદા મીઠા બનવાનો દિવસ. મીઠુ જ વધારે ખાઓ અને ખવડાવો છો ને.
મુખ મીઠુ તો થોડાં સમય માટે થાય છે પરંતુ સ્વયં જ મીઠા બની જાઓ તો સદા જ મુખ થી
મધુર બોલ રહે. જેમ મીઠુ ખાવાથી અને ખવડાવાથી ખુશ થાઓ છો ને, એમ મધુર બોલ સ્વયં ને
પણ ખુશ કરે, બીજાઓને પણ ખુશ કરે. તો એનાથી સદા સર્વનું મુખ મીઠુ કરતાં રહો. સદા મીઠી
દૃષ્ટિ, મીઠા બોલ, મીઠા કર્મ. આજ કિસમિસ ડે મનાવવાનું થયું. મનાવવું અર્થાત્ બનાવવું.
કોઈને પણ બે ઘડી મીઠી દૃષ્ટિ આપી દો. મીઠા બોલ બોલી દો તો તે આત્માને સદાનાં માટે
ભરપૂર કરી દેશો. આ બે ઘડીની મધુર દૃષ્ટિ, બોલ તે આત્માની સૃષ્ટિ બદલી દેશે. આ બે
મધુર બોલ સદાનાં માટે બદલવાનાં નિમિત્ત બની જશે. મધુરતા એવી વિશેષ ધારણા છે જે કડવી
ધરણી ને પણ મધુર બનાવી દે છે. આપ સર્વને બદલવાનો આધાર બાપનાં બે મધુર બોલ હતાં ને.
મીઠા બાળકો તમે મીઠી શુદ્ધ આત્મા છો. આ બે મધુર બોલે બદલી દીધાં ને. મીઠી દૃષ્ટિ એ
બદલી દીધાં. એવી રીતે જ મધુરતા દ્વારા બીજાઓને પણ મધુર બનાવો. આ મુખ મીઠુ કરો.
સમજ્યાં-ક્રિસમસ ડે મનાવ્યો ને. સદા આ ભેટ થી પોતાની ઝોલી ભરપૂર કરી લીધી? સદા
મધુરતા ની સૌગાતને સાથે રાખજો. આનાથી જ સદા મીઠા રહેજો અને મીઠા બનાવજો. અચ્છા-
સદા જ્ઞાન રત્નોથી બુદ્ધિ રુપી ઝોલી ભરવાવાળા, સદા સર્વ શક્તિઓથી શક્તિશાળી આત્મા
બની શક્તિઓથી સદા સંપન્ન બનવાવાળા, સર્વ ગુણોનાં ઘરેણાથી સદા શ્રુંગારેલા, શ્રેષ્ઠ
આત્માઓને, સદા મધુરતા થી મુખ મીઠુ કરવાવાળા મીઠા બાળકોને બાપદાદાનાં યાદપ્યાર અને
નમસ્તે.
અવ્યક્ત બાપદાદાની કુમારો થી મુલાકાત :- કુમાર અર્થાત્ તીવ્રગતિ થી આગળ વધવાવાળા.
થોભવું-ચાલવું, થોભવું-ચાલવું એવું નહીં. કેવી પણ પરિસ્થિતિઓ હોય પરંતુ સ્વયંને સદા
શક્તિશાળી આત્મા સમજી આગળ વધતાં ચાલો. પરિસ્થિતિ કે વાયુમંડળ નાં પ્રભાવમાં આવવાવાળા
નહીં, પરંતુ પોતાનો શ્રેષ્ઠ પ્રભાવ બીજા ઉપર નાખવાવાળા. શ્રેષ્ઠ પ્રભાવ અર્થાત્
રુહાની પ્રભાવ. બીજુ નહીં. એવાં કુમાર છો? પેપર આવે તો હલવાવાળા તો નથી. પેપર માં
પાસ થવાવાળા છો ને! સદા હિમ્મતવાન છો ને! જ્યાં હિમ્મત છે ત્યાં બાપની મદદ છે જ.
હિમ્મતે બાળકો મદદે બાપ. દરેક કાર્ય માં સ્વયં ને આગળ રાખી બીજાઓને પણ શક્તિશાળી
બનાવતાં જાઓ.
કુમાર છે ઉડતી કળાવાળા. જે સદા નિર્બંધન છે તેજ ઉડતી કળાવાળા છે. તો નિર્બંધન કુમાર
છો. મનનું પણ બંધન નહીં. તો સદા બંધનોને સમાપ્ત કરી નિર્બંધન બની ઉડતી કળાવાળા
કુમાર છો? કુમાર પોતાનાં શરીરની શક્તિ અને બુદ્ધિની શક્તિ બન્ને ને સફળ કરી રહ્યાં
છો? લૌકિક જીવનમાં પોતાનાં શરીરની શક્તિને અને બુદ્ધિની શક્તિને વિનાશકારી કાર્યોમાં
લગાડતાં રહ્યાં. અને હવે શ્રેષ્ઠ કાર્ય માં લગાડવા વાળા. હલચલ મચાવવા વાળા નહીં.
પરંતુ શાંતિ સ્થાપન કરવાવાળા. એવાં શ્રેષ્ઠ કુમાર છો? ક્યારેક લૌકિક જીવન નાં
સંસ્કાર ઈમર્જ (જાગૃત) તો નથી થતાં? અલૌકિક જીવનવાળા અર્થાત્ નવાં જન્મવાળા. તો નવાં
જન્મમાં જૂની વાતો નથી રહેતી. આપ સર્વ નવાં જન્મવાળી શ્રેષ્ઠ આત્માઓ છો. ક્યારેય પણ
પોતાને સાધારણ ન સમજો શક્તિશાળી સમજો. સંકલ્પમાં પણ હલચલ માં નથી આવવાનું. આમ તો
પ્રશ્ન નથી કરતાં કે વ્યર્થ સંકલ્પ આવે છે શું કરું? ભાગ્યવાન કુમાર છો. ૨૧ જન્મ
ભાગ્યનું ખાતાં રહેશો. સ્થૂળ સૂક્ષ્મ બન્ને કમાણી થી છૂટી જશો. અચ્છા.
વિદાયના સમયે યાદપ્યાર :- બધાં દેશ-વિદેશ બંને તરફનાં બાળકોનાં આ વિશેષ દિવસનાં
પ્રતિ કાર્ડ પણ મળ્યાં, પત્ર પણ મળ્યાં અને યાદ પણ મળી. બાપદાદા બધાં મીઠાથી મીઠા
બાળકોને આ મોટા દિવસ પર સદા મધુરતા થી શ્રેષ્ઠ બનો અને શ્રેષ્ઠ બનાવો, આજ વરદાનની
સાથે સ્વયં પણ વૃદ્ધિ ને પ્રાપ્ત થતાં રહો અને સેવાને પણ વૃદ્ધિમાં લાવતા રહો. બધાં
બાળકો ને મોટા-મોટા બાપની મોટી-મોટી યાદ-પ્યાર અને સાથે-સાથે સ્નેહભરી મુબારક છે.
ગુડમોર્નિંગ. સદા મીઠા બનવાની શુભેચ્છા છે.
વરદાન :-
સહનશક્તિ
દ્વારા અવિનાશી અને મધુર ફળ પ્રાપ્ત કરવાવાળા સર્વનાં સ્નેહી ભવ
સહન કરવું મરવું નથી
પરંતુ બધાનાં દિલમાં સ્નેહ થી જીવવું છે. કેવો પણ વિરોધી હોય, રાવણ થી પણ તેજ હોય,
એક વખત નહીં ૧૦ વખત સહન કરવું પડે તો પણ સહનશક્તિ નું ફળ અવિનાશી અને મધુર છે. ફક્ત
એ ભાવના નહીં રાખો કે મેં આટલું સહન કર્યુ તો આ પણ કંઈ કરે. અલ્પકાળનાં ફળ ની ભાવના
નહીં રાખો. રહેમ ભાવ રાખો-આજ છે સેવાભાવ. સેવાભાવ વાળા સર્વની કમજોરીઓ ને સમાવી લે
છે. તેમનો સામનો નથી કરતાં.
સ્લોગન :-
જે વીતી ચૂક્યુ
એને ભૂલી જાઓ, વીતેલી વાતો થી શિક્ષા લઈ ને આગળનાં માટે સદા સાવધાન રહો.