28-04-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - હવે આ નાટક પૂરું થાય છે , તમારે પાછાં ઘરે જવાનું છે , એટલે આ દુનિયાથી મમત્વ નિકાળી દો , ઘર ને અને નવાં રાજ્ય ને યાદ કરો ”

પ્રશ્ન :-
દાનનું મહત્વ ક્યારે છે, એનું રિટર્ન (વળતર) કયા બાળકોને પ્રાપ્ત થાય છે?

ઉત્તર :-
દાનનું મહત્વ ત્યારે છે જ્યારે દાન કરેલી વસ્તુમાં મમત્વ ન હોય. જો દાન કર્યુ પછી યાદ આવ્યું તો તેનું ફળ રિટર્નમાં પ્રાપ્ત નથી થઈ શકતું. દાન થાય છે જ બીજા જન્મનાં માટે એટલે આ જન્મમાં તમારી પાસે જે કાંઈ છે એનાથી મમત્વ નિકાળી દો. ટ્રસ્ટી થઈને સંભાળો. અહીંયા તમે જે ઈશ્વરીય સેવામાં લગાવો છો, હોસ્પિટલ કે કોલેજ ખોલો છો એનાથી અનેકોનું કલ્યાણ થાય છે, એનાં રિટર્ન માં ૨૧ જન્મોનાં માટે મળી જાય છે.

ઓમ શાંતિ!
બાળકોને પોતાનું ઘર અને પોતાની રાજધાની યાદ છે? અહીંયા જ્યારે બેસો છો તો બહારનાં ઘરબાર, ધંધા-ધોરી વગેરેનાં વિચાર ન આવવાં જોઈએ. બસ પોતાનું ઘર જ યાદ આવવું જોઈએ. હવે આ જૂની દુનિયાથી નવી દુનિયામાં રિટર્ન છીએ, આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. બધું સ્વાહા થઇ જશે આગ માં. જે કાંઈ આ આંખોથી જુઓ છો, મિત્ર-સંબંધી વગેરે આ બધું ખતમ થઈ જવાનું છે. આ જ્ઞાન બાપ જ રુહો ને સમજાવે છે. બાળકો, હવે પાછાં પોતાનાં ઘરે ચાલવાનું છે. નાટક પૂરું થાય છે. આ છે જ ૫ હજાર વર્ષ નું ચક્ર. દુનિયા તો છે જ, પરંતુ તેને ચક્ર લગાવવામાં ૫ હજાર વર્ષ લાગે છે. જે પણ આત્માઓ છે બધી પાછી ચાલી જશે. આ જૂની દુનિયા જ ખતમ થઇ જશે. બાબા ખૂબ સરસ રીતે દરેક વાત સમજાવે છે. કોઈ-કોઈ મનહૂસ હોય છે તો મફત પોતાની મિલકત ગુમાવી બેસે છે. ભક્તિમાર્ગ માં દાન-પુણ્ય તો કરે છે ને. કોઈએ ધર્મશાળા બનાવી, કોઈએ હોસ્પિટલ બનાવી, બુદ્ધિમાં સમજે છે આનું ફળ બીજા જન્મમાં મળશે. વગર કોઈ આશ, અનાસક્ત થઈ કોઈ કરે-એવું હોતું નથી. ઘણાં કહે છે ફળની ઈચ્છા અમે નથી રાખતાં. પરંતુ નહીં, ફળ અવશ્ય મળે છે. સમજો કોઈની પાસે પૈસા છે, એમાંથી ધર્માઉ આપી દીધાં તો બુદ્ધિમાં રહેશે અમને બીજા જન્મમાં મળશે. જો મમત્વ ગયું, મારી આ ચીજ છે એવું સમજ્યાં તો પછી ત્યાં નહીં મળે. દાન થાય છે જ બીજા જન્મનાં માટે. જયારે બીજા જન્મમાં મળે છે તો પછી આ જન્મમાં મમત્વ કેમ રાખવાનું, એટલે ટ્રસ્ટી બનાવે છે તો પોતાનું મમત્વ નીકળી જાય. કોઈ સારા સાહૂકારનાં ઘરમાં જન્મ લે છે તો કહેશે એમણે સારા કર્મ કર્યા છે. કોઈ રાજા-રાણી ની પાસે જન્મ લે છે, કારણ કે દાન-પુણ્ય કર્યુ છે પરંતુ તે છે અલ્પકાળ એક જન્મ ની વાત. હમણાં તો તમે આ ભણતર ભણો છો. જાણો છો આ ભણતરથી આપણે આ બનવાનું છે, તો દૈવી ગુણ ધારણ કરવાનાં છે. અહીંયા દાન જે કરો છો એનાથી આ રુહાની યુનિવર્સિટી, હોસ્પિટલ ખોલે છે. દાન કર્યુ તો પછી એમાંથી મમત્વ મટાવી દેવું જોઈએ કારણ કે તમે જાણો છો આપણે ભવિષ્ય ૨૧ જન્મનાં માટે બાપ થી લઈએ છીએ. આ બાપ મકાન વગેરે બનાવે છે. આ તો ટેમ્પરરી (અલ્પકાલીન) છે. નહિં તો આટલાં બધાં બાળકો ક્યાં રહેશે. આપે છે બધાં શિવબાબા ને. ધણી એ છે. એ આમનાં દ્વારા આ કરાવે છે. શિવબાબા તો રાજ્ય નથી કરતાં. પોતે છે જ દાતા. એમનું મમત્વ શેમાં હશે! હમણાં બાપ શ્રીમત આપે છે કે મોત સામે ઉભું છે. પહેલાં તમે કોઇને આપતાં હતાં તો મોતની વાત નહોતી. હવે બાબા આવ્યાં છે તો જૂની દુનિયા જ ખતમ થવાની છે. બાપ કહે છે હું આવ્યો જ છું આ પતિત દુનિયાને ખતમ કરવાં. આ રુદ્ર યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. જે કાંઈ પોતાનું ભવિષ્ય બનાવશો તો નવી દુનિયામાં મળશે. નહીં તો અહીંયા જ બધું ખતમ થઇ જશે. કોઈને કોઈ ખાઈ જશે. આજકાલ મનુષ્ય ઉધારી પણ આપે છે. વિનાશ થશે તો બધું ખતમ થઇ જશે. કોઈ કોઈને કાંઈ આપશે નહીં. બધું રહી જશે. આજે સારું છે, કાલે દેવાળું નીકાળી દેશે. કોઈ ને પણ કાંઈ પૈસા મળવાનાં નથી.કોઈ ને આપ્યાં, તે મરી ગયાં પછી કોણ બેસી રિટર્ન કરે છે. તો શું કરવું જોઈએ? ભારતનાં ૨૧ જન્મોનાં કલ્યાણ માટે અને પછી પોતાનાં ૨૧ જન્મોનાં કલ્યાણ માટે તેમાં લગાવી દેવાં જોઈએ. તમે પોતાનાં માટે જ કરો છો. જાણો છો શ્રીમત પર આપણે ઊંચ પદ પામીએ છીએ, જેનાથી ૨૧ જન્મ સુખ-શાંતિ મળશે. આને કહેવાય છે અવિનાશી બાબાની રુહાની હોસ્પિટલ અને યુનિવર્સિટી, જેનાંથી હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ (સંપત્તિ) અને હેપ્પીનેસ (ખુશી) મળે છે. કોઈને હેલ્થ છે, વેલ્થ નથી તો હેપ્પીનેસ રહી નથી શકતી. બંને છે તો હેપ્પી પણ રહે છે. બાપ તમને ૨૧ જન્મોનાં માટે બંનેવ આપે છે. તે ૨૧ જન્મોનાં માટે જમા કરવાનું છે. બાળકો નું કામ છે યુક્તિ રચવી. બાપનાં આવવાથી ગરીબ બાળકોની તકદીર ખુલી જાય છે. બાપ છે જ ગરીબ નિવાઝ. સાહૂકારો ની તકદીરમાં જ આ વાતો નથી. આ સમયે ભારત સૌથી ગરીબ છે. જે સાહૂકાર હતાં તેજ ગરીબ બન્યાં છે. આ સમયે બધી પાપ આત્માઓ છે. જ્યાં પુણ્ય આત્મા છે ત્યાં પાપ આત્મા એક પણ નથી. તે છે સતયુગ સતોપ્રધાન, આ છે કળયુગ તમોપ્રધાન. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો સતોપ્રધાન બનવાનો. બાપ આપ બાળકો ને સ્મૃતિ અપાવે છે તો તમે સમજો છો બરાબર અમે જ સ્વર્ગવાસી હતાં. પછી અમે ૮૪ જન્મ લીધાં છે. બાકી ૮૪ લાખ યોનિઓ તો ગપોડા છે. શું આટલાં જન્મ જાનાવર યોનિમાં રહ્યાં! આ પાછળનાં મનુષ્યનું મર્તબો છે? શું હવે પાછાં જવાનું છે?

હવે બાપ સમજાવે છે-મોત સામે ઉભું છે. ૪૦-૫૦ હજાર વર્ષ છે નહીં. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં છે એટલે કહેવાય છે પત્થરબુદ્ધિ. હમણાં તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. આ વાતો કોઈ સન્યાસી વગેરે થોડી જ બતાવી શકે છે. હવે તમને બાપ સ્મૃતિ અપાવે છે કે પાછાં જવાનું છે. જેટલું થઈ શકે પોતાનાં બેગ બેગેજ ટ્રાન્સફર કરી દો. બાબા, આ બધું લો, અમે સતયુગમાં ૨૧ જન્મનાં માટે પામી લઈશું. આ બાબા પણ તો દાન-પુણ્ય કરતાં હતાં. ખૂબ શોખ હતો. વ્યાપારી લોકો બે પૈસા ધર્માદા નીકાળે છે. બાબા એક આનો નીકાળતા હતાં. કોઈ પણ આવે તો દરવાજા થી ખાલી ન જાય. હમણાં ભગવાન સમ્મુખ આવ્યાં છે, આ કોઈને ખબર નથી. મનુષ્ય દાન-પુણ્ય કરતાં-કરતાં મરી જશે પછી શું મળશે? પવિત્ર બનતાં નથી, બાપ થી પ્રીત રાખતાં નથી. બાપએ સમજાવ્યું છે યાદવ અને કૌરવો ની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પાંડવો ની છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. યુરોપવાસી બધાં યાદવ છે જે મૂસળ વગેરે નીકાળતાં રહે છે. શાસ્ત્રોમાં શું-શું વાતો લખી દીધી છે. અનેક શાસ્ત્ર બનેલાં છે, ડ્રામા પ્લાન અનુસાર. આમાં પ્રેરણા વગેરેની વાત નથી. પ્રેરણા એટલે વિચાર. બાકી એવું થોડી કે બાપ પ્રેરણા થી ભણાવે છે. બાપ સમજાવે છે આ પણ એક વેપારી હતાં. સારું નામ હતું. બધાં ઈજ્જત આપતાં હતાં. બાપે પ્રવેશ કર્યો અને આમને ગાળો ખાવાની શરુ કરી દીધી. શિવબાબા ને જાણતાં નથી. ન તેમને ગાળ આપી શકાય છે. ગાળો આ ખાય છે. કૃષ્ણ એ કહ્યું ને-મેં નથી માખણ ખાધું. આ પણ કહે છે કામ તો બધું બાબાનું છે, હું કંઈ નથી કરતો. જાદુગર એ છે, હું થોડી છું. મફત આમને ગાળો આપી દે છે. મેં કોઈને ભગાવ્યાં શું? કોઈ ને પણ નથી કહ્યું કે તમે ભાગીને આવો. હું તો ત્યાં હતો, આ પોતે જ ભાગી ને આવ્યાં. મફતમાં દોષ નાખી દીધો છે. કેટલી ગાળો ખાધી. શું-શું વાતો શાસ્ત્રોમાં લખી દીધી છે. બાપ સમજાવે છે આ છતાં પણ થશે. આ છે બધી જ્ઞાનની વાત. કોઈ મનુષ્ય આ થોડી કરી શકે છે. તે પણ બ્રિટિશ ગવર્મેન્ટ (સરકાર) નાં રાજ્ય માં કોઈની પાસે આટલી કન્યાઓ-માતાઓ બેસી જાય. કોઈ કાંઈ કરી ન શકે. કોઈનાં સંબંધી આવતાં હતાં તો એકદમ ભગાવી દેતાં હતાં. બાબા તો કહેતા હતાં ભલે આમને સમજાવીને લઈ જાઓ. હું કોઈ મનાઈ થોડી કરું છું પરંતુ કોઇની હિંમત નહોતી થતી. બાપની તાકાત હતી ને. નથિંગ ન્યૂ. આ ફરી પણ બધું થશે. ગાળ પણ ખાવી પડશે. દ્રોપદીની પણ વાત છે. આ બધી દ્રૌપદીઓ અને દુશાસન છે, એકની વાત નહોતી. શાસ્ત્રોમાં આ ગપોળા કોણે લખ્યાં? બાપ કહે છે આ પણ ડ્રામામાં પાર્ટ છે. આત્માનું જ્ઞાન જ કોઈ માં નથી, બિલકુલ જ દેહ-અભિમાની બની ગયાં છે. દેહી-અભિમાની બનવામાં મહેનત છે. રાવણે બિલકુલ જ ઉલ્ટા બનાવી દીધાં છે. હવે બાપ સુલ્ટા બનાવે છે.

દેહી-અભિમાની બનવાથી સ્વતઃ સ્મૃતિ રહે છે કે આપણે આત્મા છીએ, આ દેહ વાજુ છે, વગાડવા માટે. આ સ્મૃતિ પણ રહે તો દૈવી ગુણ પણ આવી જાય છે. તમે કોઈને દુઃખ પણ નથી આપી શકતાં. ભારતમાં જ આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ૫ હજાર વર્ષની વાત છે. જે કોઈ લાખો વર્ષ કહે છે તો ઘોર અંધકાર માં છે. ડ્રામા અનુસાર જ્યારે સમય પૂરો થયો છે ત્યારે બાપ ફરીથી આવ્યાં છે. હવે બાપ કહે છે મારી શ્રીમત પર ચાલો. મોત સામે ઊભું છે. પછી અંદરની જે કંઈ આશ છે, તે રહી જશે. મરવાનું તો છે જરૂર. આ એજ મહાભારત લડાઈ છે. જેટલું પોતાનું કલ્યાણ કરી શકો એટલું સારું છે. નહીં તો તમે ખાલી હાથે જશો. આખી દુનિયા ખાલી હાથે જવાની છે. ફક્ત આપ બાળકો ભરતું હાથ અર્થાત્ ધનવાન થઇને જાઓ છો. આમાં સમજવાની ખુબ વિશાળ બુદ્ધિ જોઇએ. કેટલાં ધર્મનાં મનુષ્ય છે. દરેક ની પોતાની એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે. એકની એક્ટ ન મળે બીજા થી. બધાનાં ફીચર્સ પોત-પોતાનાં છે, કેટલાં બધાં ફીચર્સ છે, આ બધું ડ્રામામાં નોંધ છે. વન્ડરફુલ વાતો છે ને. હવે બાપ કહે છે સ્વયંને આત્મા સમજો. આપણે આત્મા ૮૪ નું ચક્ર લગાવીએ છે, આપણે આત્મા આ ડ્રામામાં એક્ટર છીએ, એમાંથી આપણે નીકળી નથી શકતાં, મોક્ષ પામી નથી શકતાં. પછી કોશિષ કરવી પણ ફાલતું છે. બાપ કહે છે ડ્રામાથી કોઈ નીકળી જાય, બીજા કોઈ આવી જાય- આ થઇ નથી શકતું. આટલું બધું જ્ઞાન બધાની બુદ્ધિમાં રહી નથી શકતું. આખો દિવસ આમ જ્ઞાનમાં રમણ કરવાનું છે. એક ઘડી અડધી ઘડી….આ યાદ કરો પછી તેને વધારતા જાઓ. ૮ કલાક ભલે સ્થૂળ સર્વિસ (સેવા) કરો, આરામ પણ કરો, આ રુહાની ગવર્મેન્ટની સર્વિસ માં પણ સમય આપો. તમે પોતાની જ સર્વિસ કરો છો, આ છે મુખ્ય વાત. યાદની યાત્રામાં રહો, બાકી જ્ઞાનથી ઊંચું પદ પામવાનું છે. યાદનો પોતાનો પૂરો ચાર્ટ રાખો. જ્ઞાન તો સહજ છે. જેમ બાપની બુદ્ધિમાં છે કે હું મનુષ્ય સૃષ્ટિ નો બીજરુપ છું, આનાં આદિ-મધ્ય-અંત ને જાણુ છું. આપણે પણ બાબાનાં બાળકો છીએ. બાબાએ આ સમજાવ્યું છે, કેવી રીતે આ ચક્ર ફરે છે. તે કમાણી માટે પણ તમે ૮-૧૦ કલાક આપો છો ને. સારા ગ્રાહક મળી જાય છે તો રાતનાં ક્યારેય બગાસા નથી આવતાં. બગાસા આવે તો સમજાય છે કે આ થાકેલો છે. બુદ્ધિ ક્યાંય બહાર ભટકતી હશે. સેવાકેન્દ્ર પર પણ ખુબજ ખબરદાર રહેવાનું છે. જે બાળકો બીજાનું ચિંતન નથી કરતાં, પોતાનાં ભણતરમાં જ મસ્ત રહે છે તેમની ઉન્નતિ સદા થતી રહે છે. તમારે બીજાનું ચિંતન કરી પોતાનું પદ ભ્રષ્ટ નથી કરવાનું. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ….કોઈ સારું નથી બોલતું તો એક કાન થી સાંભળી બીજા થી નીકાળી દો. હંમેશા પોતાને જોવું જોઈએ, ન કે બીજાઓને. પોતાનું ભણતર ન છોડવું જોઈએ. ઘણાં એવા રિસાઈ જાય છે. આવવાનું બંધ કરી દે છે, પછી આવી જાય છે. નહિં આવશે તો જશે ક્યાં? સ્કૂલ તો એક જ છે. પોતાનાં પગ પર કુહાડી નથી મારવાની. તમે પોતાનાં ભણતરમાં મસ્ત રહો. ખુબ ખુશી માં રહો. ભગવાન ભણાવે છે બાકી શું જોઈએ? ભગવાન આપણાં બાપ, શિક્ષક, સદ્દગુરુ છે, એમનાથી જ બુદ્ધિનો યોગ લગાવાય છે. એ છે આખી દુનિયાનાં નંબરવન માશૂક જે તમને નંબરવન વિશ્વનાં માલિક બનાવે છે.

બાપ કહે છે તમારી આત્મા ખુબ પતિત છે, ઉડી નથી શકતી. પાંખો કપાયેલી છે. રાવણે બધી આત્માઓની પાંખો કાપી દીધી છે. શિવબાબા કહે છે મારાં વગર કોઈ પાવન બનાવી નથી શકતું. બધાં એક્ટર્સ અહીંયા છે, વૃદ્ધિને પામતા રહે છે, પાછું કોઈ જતું નથી. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં નાં ચિંતન અને ભણતરમાં મસ્ત રહેવાનું છે. બીજાને નથી જોવાનાં. જો કોઈ સારું નથી બોલતું તો એક કાન થી સાંભળી બીજા થી નીકાળી દેવાનું છે. રિસાઈ જઈને ભણતર નથી છોડવાનું.

2. જીવતાં જીવ બધું દાન કરીને પોતાનું મમત્વ નિકાળી દેવાનું છે. પૂરું નામ કરીને ટ્રસ્ટી બની હલકાં રહેવાનું છે. દેહી-અભિમાની બની સર્વ દૈવી ગુણ ધારણ કરવાનાં છે.

વરદાન :-
પોતાનાં મૂળ સંસ્કારો નાં પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવાવાળા ઉદાહરણ સ્વરુપ ભવ

દરેક માં જે પોતાનાં મૂળ સંસ્કાર છે, જેને નેચર (સ્વભાવ) કહો છો, જે સમય પ્રતિ સમયે આગળ વધવામાં વિઘ્ન નાખે છે એ મૂળ સંસ્કારનું પરિવર્તન કરવાવાળા ઉદાહરણ સ્વરુપ બનો ત્યારે સંપૂર્ણ વિશ્વનું પરિવર્તન થશે. હવે એવું પરિવર્તન કરો જે કોઈ એ વર્ણન ન કરે કે આમનાં આ સંસ્કાર તો શરુથી જ છે. જ્યારે પર્સન્ટેજ (ટકાવારી) માં, અંશ માત્ર પણ જૂનાં કોઈ સંસ્કાર દેખાઈ ન આવે, વર્ણન ન થાય ત્યારે કહેશે આ સંપૂર્ણ પરિવર્તન નાં ઉદાહરણ સ્વરુપ છે.

સ્લોગન :-
હવે પ્રયત્ન નો સમય વીતી ગયો, એટલે દિલથી પ્રતિજ્ઞા કરી જીવન નું પરિવર્તન કરો.