11-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો -
વૈજયન્તિ માળામાં આવવાં માટે નિરંતર બાપ ને યાદ કરો , પોતાનો સમય ખોટી નહીં કરો ,
ભણતર પર પુરે - પુરું ધ્યાન આપો ”
પ્રશ્ન :-
બાપ પોતાનાં
બાળકો થી કઈ એક રિક્વેસ્ટ (વિનંતી) કરે છે?
ઉત્તર :-
મીઠા બાળકો, બાપ રિક્વેસ્ટ કરે છે-સારી રીતે ભણતાં રહો. બાપની દાઢી ની લાજ રાખો. એવું
કોઈ ગંદુ કામ નહીં કરો જેનાથી બાપનું નામ બદનામ થાય. સત બાપ, સત શિક્ષક, સતગુરુ ની
ક્યારેય નિંદા નહીં કરાવો. પ્રતિજ્ઞા કરો-જ્યાં સુધી ભણવાનું છે ત્યાં સુધી પવિત્ર
જરુર રહેશું.
ગીત :-
તુમ્હે પાકે
હમને જહાં પા લિયા હૈ……...
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું
કે તમને પામીને આખાં જગત ની રાજાઈ પામીએ છીએ? હમણાં તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ
છો તો બાળકો પણ છો. તમે જાણો છો બેહદનાં બાપ આપણને બાળકોને વિશ્વનાં માલિક બનાવવા
માટે આવ્યાં છે. એમની સામે આપણે બેઠાં છીએ અને આપણે રાજ્યોગ શીખી રહ્યાં છીએ અર્થાત્
વિશ્વનો ક્રાઉન (તાજ) પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનવાં તમે અહીંયા ભણવા
આવ્યાં છો અથવા ભણો છો. આ ગીત તો ભક્તિમાર્ગનું ગવાયેલું છે. બુદ્ધિથી બાળકો જાણે
છે આપણે વિશ્વનાં મહારાજા-મહારાણી બનશું. બાપ છે જ્ઞાનનાં સાગર, સુપ્રીમ રુહાની
શિક્ષક રુહો ને બેસી ભણાવે છે. આત્મા આ શરીર રુપી કર્મેન્દ્રિયો દ્વારા જાણે છે કે
આપણે બાપથી વિશ્વ ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેજ બનવાં માટે પાઠશાળામાં બેઠાં છીએ. કેટલો
નશો હોવો જોઈએ. પોતાનાં દિલથી પૂછો-એટલો નશો મુજ વિદ્યાર્થી માં છે? આ કોઈ નવી વાત
પણ નથી. આપણે કલ્પ-કલ્પ વિશ્વનાં ક્રાઉન પ્રિન્સ અને પ્રિન્સેજ બનવાં માટે બાપની
પાસે આવ્યાં છીએ. જે બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે. બાપ પૂછે છે તો બધાં કહે છે અમે
તો સૂર્યવંશી ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેજ કે લક્ષ્મી-નારાયણ બનશું. પોતાનાં દિલથી
પૂછવું જોઈએ અમે એવો પુરુષાર્થ કરીએ છે? બેહદનાં બાપ જે સ્વર્ગ નો વારસો આપવા આવ્યાં
છે એ આપણા બાપ-શિક્ષક-ગુરુ પણ છે, તો જરુર વારસો પણ એટલો ઊંચેથી ઊંચો આપશે. જોવું
જોઈએ આપણને એટલી ખુશી છે કે આપણે આજે ભણીએ છીએ, કાલે ક્રાઉન પ્રિન્સ બનશું? કારણ કે
આ સંગમ છે ને. હમણાં આ પાર છો, તે પાર સ્વર્ગ માં જવાં માટે ભણો છો. ત્યાં તો
સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપન્ન બનીને જ જઈશું. અમે એવાં લાયક બન્યાં છીએ-પોતાનાં થી
પૂછવાનું હોય છે. એક નારદ ભગત ની વાત નથી. તમે બધાં ભક્ત હતાં, હવે બાપ ભક્તિથી
છોડાવે છે. તમે જાણો છો આપણે બાપનાં બાળક બન્યાં છીએ એમનાથી વારસો લેવા, વિશ્વનું
ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યાં છો. બાપ કહે છે ભલે પોતાનાં ગૃહસ્થ વ્યવહારમાં રહો.
વાનપ્રસ્થ અવસ્થા વાળાને ગૃહસ્થ વ્યવહાર નથી રહેવાનું હોતું અને કુમાર-કુમારીઓ પણ
ગૃહસ્થ વ્યવહાર નથી. તેમની પણ સ્ટુડન્ટ લાઈફ છે. બ્રહ્મચર્ય માં જ ભણતર ભણે છે. હવે
આ ભણતર છે ખૂબ ઉંચું, આમાં પવિત્ર બનવાનું છે હંમેશા માટે. તેઓ તો બ્રહ્મચર્ય માં
ભણી ને પછી વિકારમાં જાય છે. અહીંયા તમે બ્રહ્મચર્ય માં રહીને પૂરું ભણતર ભણો છો.
બાપ કહે છે હું પવિત્રતા નો સાગર છું, તમને પણ બનાવું છું. તમે જાણો છો અડધોકલ્પ
આપણે પવિત્ર રહેતા હતાં. બરાબર બાપથી પ્રતિજ્ઞા કરી હતી-બાબા અમે કેમ નહીં પવિત્ર
બની અને પવિત્ર દુનિયાનાં માલિક બનશું. કેટલાં મોટા બાપ છે, ભલે છે સાધારણ તન, પરંતુ
આત્માને નશો ચઢે છે ને. બાપ આવ્યાં છે પવિત્ર બનાવવાં. કહે છે તમે વિકારમાં જતાં-જતાં
વેશ્યાલય માં આવીને પડ્યાં છો. તમે સતયુગમાં પવિત્ર હતાં, આ રાધે-કૃષ્ણ પવિત્ર
પ્રિન્સ-પ્રિન્સેજ છે ને. રુદ્ર માળા પણ જુઓ, વિષ્ણુની માળા પણ જુઓ. રુદ્ર માળા પછી
વિષ્ણુની માળા બનશે. વૈજયન્તી માળામાં આવવા માટે બાપ સમજાવે છે - પહેલાં તો નિરંતર
બાપ ને યાદ કરો, પોતાનો સમય ખોટી નહીં કરો. આ કોડીઓ પાછળ વાંદરા નહીં બનો. વાંદરા
ચણા ખાય છે. હમણાં તમને બાપ રત્ન આપી રહ્યાં છે. પછી કોડીઓ કે ચણા ની પાછળ જશો તો
શું હાલ થશે! રાવણની કેદમાં ચાલ્યાં જશો. બાપ આવીને રાવણની કેદ થી છોડાવે છે. કહે
છે દેહ સહિત દેહનાં બધાં સંબંધોથી બુદ્ધિનો ત્યાગ કરો. સ્વયંને આત્મા નિશ્ચય કરો.
બાપ કહે છે હું કલ્પ-કલ્પ ભારતમાં જ આવું છું. ભારતવાસી બાળકોને વિશ્વનું ક્રાઉન
પ્રિન્સ-પ્રિન્સેજ બનાવું છું. કેટલું સહજ ભણાવે છે, એવું પણ નથી કહેતાં કોઈ ૪-૮
કલાક આવીને બેસો. ના, ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં સ્વયંને આત્મા સમજી મને યાદ કરો તો
તમે પતિત થી પાવન બની જશો. વિકારમાં જવાવાળા ને પતિત કહેવાય છે. દેવતાઓ પાવન છે એટલે
તેમની મહિમા ગવાય છે. બાપ સમજાવે છે તે છે અલ્પકાળ ક્ષણભંગુર નું સુખ. સન્યાસી ઠીક
કહે છે કાગ વિષ્ટા સમાન સુખ છે. પરંતુ તેમને આ ખબર નથી કે દેવતાઓને કેટલું સુખ છે.
નામ જ સુખધામ છે. આ છે દુઃખધામ. આ વાતોની દુનિયામાં કોઈને પણ ખબર નથી. બાપ જ આવીને
કલ્પ-કલ્પ સમજાવે છે, દેહી-અભિમાની બનાવે છે. સ્વયંને આત્મા સમજો. તમે આત્મા છો, ન
કે દેહ. દેહનાં તમે માલિક છો, દેહ તમારો માલિક નથી. ૮૪ જન્મ લેતાં-લેતાં હવે તમે
તમોપ્રધાન બની ગયાં છો. તમારી આત્મા અને શરીર બન્ને પતિત બન્યાં છે. દેહ-અભિમાની
બનવાથી તમારાં થી પાપ થયાં છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. મારી સાથે પાછાં
ઘરે ચાલવાનું છે. આત્મા અને શરીર બન્નેવ ને શુદ્ધ બનાવવા માટે બાપ કહે છે મનમનાભવ.
બાપે તમને રાવણ થી અડધોકલ્પ ફ્રીડમ (સ્વતંત્રતા) અપાવી હતી, હવે પછી ફ્રીડમ અપાવી
રહ્યાં છે. અડધોકલ્પ તમે ફ્રીડમ રાજ્ય કરો. ત્યાં ૫ વિકારોનું નામ નથી. હવે શ્રીમત
પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે. પોતાનાં થી પૂછો-અમારા માં વિકાર ક્યાં સુધી છે? બાપ
કહે છે એક તો મામેકમ્ યાદ કરો અને કોઈ લડાઈ-ઝઘડા પણ નથી કરવાનાં. નહિં તો તમે
પવિત્ર કેવી રીતે બનશો. તમે અહીંયા આવ્યાં જ છો પુરુષાર્થ કરી માળા માં પરોવાવાં.
નપાસ થશો તો પછી માળા માં પરોવાઈ નહીં શકો. કલ્પ-કલ્પ ની બાદશાહી ગુમાવી દેશો. પછી
અંતમાં ખૂબ પસ્તાવું પડશે. તે ભણતરમાં પણ રજિસ્ટર રહે છે. લક્ષણ પણ જુએ છે. આ પણ
ભણતર છે, સવારે ઊઠીને તમે જાતે જ આ ભણો. દિવસમાં તો કર્મ કરવાનું જ છે. ફુર્સત નથી
મળતી તો ભક્તિ પણ મનુષ્ય સવારે ઊઠીને કરે છે. આ તો છે જ્ઞાન માર્ગ. ભક્તિમાં પણ પૂજા
કરતાં-કરતાં પછી બુદ્ધિમાં કોઈ ને કોઈ દેહધારી ની યાદ આવી જાય છે. અહીંયા પણ તમે
બાપ ને યાદ કરો છો તો પછી ધંધો વગેરે યાદ આવી જાય છે. જેટલાં બાપ ની યાદ માં રહેશો
એટલાં પાપ કપાતાં જશે.
આપ બાળકો જ્યારે પુરુષાર્થ કરતાં-કરતાં બિલકુલ પવિત્ર બની જશો ત્યારે આ માળા બની જશે.
પૂરો પુરુષાર્થ નથી કર્યો તો પ્રજામાં ચાલ્યાં જશો. સારી રીતે યોગ લગાવશો, ભણશો,
પોતાનું બેગ-બેગેજ ભવિષ્ય માટે ટ્રાન્સફર કરી દેશો તો રિટર્ન (વળતર) માં ભવિષ્યમાં
મળી જશે. ઈશ્વર અર્થ આપો છો તો બીજા જન્મમાં તેનું રિટર્ન મળે છે ને. હવે બાપ કહે
છે હું ડાયરેક્ટ (પ્રત્યક્ષ) આવું છું. હમણાં તમે જે કંઈ કરો છો તે પોતાનાં માટે.
મનુષ્ય દાન-પુણ્ય કરે છે તે છે ઇનડાયરેક્ટ (પરોક્ષ). આ સમયે તમે બાપને ખૂબ મદદ કરો
છો. જાણો છો આ પૈસા તો બધાં ખતમ થઇ જશે. એનાથી સારું કેમ નહિ બાપને મદદ કરીએ. બાપ
રાજાઈ કેવી રીતે સ્થાપન કરશે. ન કોઈ લશ્કર કે સેના વગેરે છે, ન હથિયાર વગેરે છે. બધું
છે ગુપ્ત. કન્યા ને દહેજ કોઈ-કોઈ ગુપ્ત આપે છે. પેટી બંધ કરી ચાવી હાથમાં આપી દે
છે. કોઈ બહુજ શો (દેખાવ) કરે છે, કોઈ ગુપ્ત આપે છે. બાપ પણ કહે છે તમે સજનીઓ છો,
તમને હું વિશ્વનાં માલિક બનાવવાં આવ્યો છું. તમે ગુપ્ત મદદ કરો છો. આ આત્મા જાણે
છે, બહાર નો ભપકો કંઈ નથી. આ છે જ વિકારી પતિત દુનિયા. સૃષ્ટિની વૃદ્ધિ થવાની જ છે.
આત્માઓને આવવાનું છે જરુર. જન્મ તો હજી વધારે થવાનાં છે. કહે પણ છે આ હિસાબ થી અનાજ
પૂરું નહીં પડે. આ છે જ આસુરી બુદ્ધિ. આપ બાળકોને હવે ઈશ્વરીય બુદ્ધિ મળી છે. ભગવાન
ભણાવે છે તો એમનો કેટલો રીગાર્ડ રાખવો જોઈએ. કેટલું ભણવું જોઈએ. ઘણાં બાળકો છે જેમને
ભણવાનો શોખ નથી. આપ બાળકોને આ તો બુદ્ધિમાં રહેવું જોઈએ ને-આપણે બાબા દ્વારા ક્રાઉન
પ્રિન્સ-પ્રિન્સેજ બની રહ્યાં છીએ. હવે બાપ કહે છે મારી મત પર ચાલો, બાપ ને યાદ કરો.
ઘડી-ઘડી કહે છે અમે ભૂલી જઈએ છીએ. સ્ટુડન્ટ કહે અમે શબ્ક (પાઠ) ભૂલી જઈએ છે, તો
શિક્ષક શું કરશે! યાદ નહીં કરો તો વિકર્મ વિનાશ નહીં થશે. શું શિક્ષક બધાં પર કૃપા
કે આશીર્વાદ કરશે કે આ પાસ થઈ જાય. અહીં આ આશીર્વાદ કૃપા ની વાત નથી. બાપ કહે છે ભણો.
ભલે ધંધો વગેરે કરો, પરંતુ ભણવું જરુરી છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનો, બીજાઓને પણ
રસ્તો બતાવો. દિલથી પૂછવું જોઈએ અમે બાપની ખિદમત માં કેટલાં છીએ? કેટલાંને આપ સમાન
બનાવીએ છીએ? ત્રિમૂર્તિ ચિત્ર તો સામે રાખ્યું છે. આ શિવબાબા છે, આ બ્રહ્મા છે. આ
ભણતર થી આ બનાય છે. ફરી ૮૪ જન્મનાં બાદ આ બનશું. શિવબાબા બ્રહ્મા તનમાં પ્રવેશ કરી
બ્રાહ્મણોને આ બનાવી રહ્યાં છે. તમે બ્રાહ્મણ બન્યાં છો. હવે પોતાનાં દિલથી પૂછો અમે
પવિત્ર બન્યાં છીએ? દૈવીગુણ ધારણ કરીએ છીએ? જૂનાં દેહને ભૂલ્યા છીએ? આ જૂની જુત્તી
છે ને. આત્મા પવિત્ર બની જશે તો જુત્તી પણ ફર્સ્ટ ક્લાસ મળશે. આ જુનું વસ્ત્ર છોડી
નવું વસ્ત્ર પહેરશું, આ ચક્ર ફરતું રહે છે. આજે જૂની જુત્તી માં છે, કાલે આ દેવતા
બનવા ઈચ્છે છે. બાપ દ્વારા ભવિષ્ય અડધાકલ્પ માટે વિશ્વનું ક્રાઉન પ્રિન્સ બને છે.
આપણી તે રાજાઈ ને કોઈ પણ છીનવી નહિં શકશે. તો બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને.
સ્વયંથી પૂછો અમે કેટલું યાદ કરીએ છે? કેટલાં સ્વદર્શન ચક્રધારી બનીએ અને બનાવીએ
છીએ? જે કરશે તે પામશે. બાપ રોજ ભણાવે છે. બધાની પાસે મુરલી જાય છે. અચ્છા, ન પણ મળે,
૭ દિવસનો કોર્સ તો મળી ગયો ને, બુદ્ધિમાં નોલેજ આવી ગયું. શરુ માં તો ભઠ્ઠી બની પછી
કોઈ પાક્કા, કોઈ કાચાં નીકળી ગયાં કારણ કે માયાનું તોફાન પણ તો આવે છે ને. ૬-૮ મહિના
પવિત્ર બની પછી દેહ-અભિમાનમાં આવીને પોતાનો ઘાત કરી લે છે. માયા બહુજ દુશ્તર છે.
અડધોકલ્પ માયાથી હાર ખાધી છે. હજુ પણ હાર ખાશો તો પોતાનું પદ ગુમાવી દેશો. નંબરવાર
પદ તો બહુજ છે ને. કોઈ રાજા-રાણી, કોઈ વજીર, કોઈ પ્રજા, કોઈને હીરા-ઝવેરાતો નાં
મહેલ. પ્રજામાં પણ કોઈ બહુજ સાહૂકાર હોય છે. હીરા-ઝવેરાતો નાં મહેલ હોય છે, અહીંયા
પણ જુઓ પ્રજા થી દેવુ ઉપાડે છે ને. તો પ્રજા સાહૂકાર થઇ કે રાજા? અંધેર નગરી….આ હમણાં
ની વાતો છે. હવે આપ બાળકોને આ નિશ્ચય રહેવો જોઈએ કે આપણે વિશ્વનનું ક્રાઉન પ્રિન્સ
બનવાં માટે ભણીએ છીએ. આપણે બેરિસ્ટર કે એન્જિનિયર બનશું, આ ક્યારેક સ્કૂલ માં ભૂલી
જવાય છે શું! ઘણાં તો ચાલતાં-ચાલતાં માયાનું તોફાન લાગવાથી ભણતર પણ છોડી દેછે.
બાપ પોતાનાં બાળકો થી એક રીક્વેસ્ટ કરે છે - મીઠા બાળકો, સારી રીતે ભણો તો સારું પદ
પામશો. બાપની દાઢી ની લાજ રાખો. તમે એવું ગંદુ કામ કરશો તો નામ બદનામ કરી દેશો. સત
બાપ, સત શિક્ષક, સત ગુરુ નિંદા કરવાવાળા ઊંચ પદ પામી નથી શકતાં. આ સમયે તમે હીરા
જેવાં બનો છો તો કોડીઓ પાછળ થોડી પડવું જોઈએ. બાબાને સાક્ષાત્કાર થયો અને ઝટ કોડીઓ
ને છોડી દીધી. અરે, ૨૧ જન્મ માટે બાદશાહી મળે છે તો પછી આ શું કરશું! બધું આપી દીધું.
આપણે તો વિશ્વની બાદશાહી લઇ લઈએ છીએ. આ પણ જાણો છો વિનાશ થવાનો છે. હમણાં નહિં ભણ્યાં
તો ટુ લેટ (ખુબ મોડું) થઈ જશે, પસ્તાવું પડશે. બાળકોને બધાં સાક્ષાત્કાર થઇ જશે.
બાપ કહે છે તમે બોલવો પણ છો કે હેં પતિત-પાવન આવો. હવે હું પતિત દુનિયા માં તમારાં
માટે આવ્યો છું અને તમને કહું છું પાવન બનો. તમે પછી ઘડી-ઘડી ગંદકીમાં પડો છો. હું
તો કાળોનો કાળ છું. બધાને લઈ જઈશ. સ્વર્ગમાં જવા માટે બાપ આવીને રસ્તો બતાવે છે.
નોલેજ આપે છે કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. આ છે બેહદનું નોલેજ. જેમણે કલ્પ
પહેલાં ભણ્યું છે તેજ આવીને ભણશે, તે પણ સાક્ષાત્કાર થતો રહે છે. નિશ્ચય થઈ જાય કે
બેહદનાં બાપ આવ્યાં છે, જે ભગવાનને મળવા માટે આટલી ભક્તિ કરી તે અહીંયા આવીને ભણાવી
રહ્યાં છે. એવાં ભગવાન બાપથી આપણે મુલાકાત તો કરીએ. કેટલાં ઉલ્લાસ ખુશીથી ભાગીને
આવીને મળે, જો પાક્કો નિશ્ચય હોય તો. ઠગી ની વાત નથી. એવાં પણ ઘણાં છે પવિત્ર બનતાં
નથી, ભણતાં નથી, બસ ચાલો બાબાની પાસે. એમ જ હરવાં-ફરવાં પણ આવી જાય છે. બાપ બાળકો
ને સમજાવે છે-આપ બાળકોએ ગુપ્ત પોતાની રાજધાની સ્થાપન કરવાની છે. પવિત્ર બનશો તો
તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. આ રાજયોગ બાપ જ શીખવાડે છે. બાકી તેઓ તો છે હઠયોગી.
બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. આ નશો રાખો-આપણે બેહદનાં બાપથી
વિશ્વનું ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યાં છીએ તો શ્રીમત પર ચાલવું જોઈએ. માયા એવી છે જે
બુદ્ધિનો યોગ તોડી દે છે. બાપ સમર્થ છે, તો માયા પણ સમર્થ છે. અડધો કલ્પ છે રામનું
રાજ્ય, અડધો કલ્પ છે રાવણનું રાજ્ય. આ પણ કોઈ નથી જાણતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા નશો રહે
કે આપણે આજે ભણીએ છીએ કાલે ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેજ બનશું. પોતાનાં દિલથી પૂછવાનું
છે-અમે એવો પુરુષાર્થ કરીએ છીએ? બાપનો એટલો રીગાર્ડ છે? ભણવાનો શોખ છે?
2. બાપનાં કર્તવ્યમાં
ગુપ્ત મદદગાર બનવાનું છે. ભવિષ્યનાં માટે પોતાનાં બેગ-બેગેજ ટ્રાન્સફર કરી દેવાનાં
છે. કોડીઓ ની પાછળ સમય ન ગુમાવી હીરા જેવાં બનવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
સંતુષ્ટતા ની
વિશેષતા દ્વારા સેવામાં સફળતા મૂર્ત બનવાવાળા સંતુષ્ટમણી ભવ
સેવાનો વિશેષ ગુણ
સંતુષ્ટતા છે. જો નામ સેવા હોય અને સ્વયં પણ ડિસ્ટર્બ હોય અથવા બીજાઓને પણ ડિસ્ટર્બ
કરે તો એવી સેવા ન કરવી સારું છે. જ્યાં સ્વયંનાં પ્રતિ કે સંપર્ક વાળાઓ થી
સંતુષ્ટતા નથી તે સેવા ન સ્વયંને ફળની પ્રાપ્તિ કરાવે છે ન બીજાઓને એટલે પહેલાં
એકાંતવાસી બની સ્વ-પરિવર્તન દ્વારા સંતુષ્ટમણી નું વરદાન પ્રાપ્ત કરી પછી સેવામાં
આવો ત્યારે સફળતામૂર્ત બનશો.
સ્લોગન :-
વિઘ્નો રુપી
પથ્થરને તોડવામાં સમય ન ગુમાવતાં તેને હાઈ જમ્પ (ઊંચી છલાંગ) મારીને પાર કરો.