01-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સુખ
અને દુઃખની રમતને તમે જ જાણો છો , અડધોકલ્પ છે સુખ અને અડધોકલ્પ છે દુઃખ , બાપ દુઃખ
હરવાં સુખ આપવાં આવે છે ”
પ્રશ્ન :-
ઘણાં બાળકો કઈ
એક વાતમાં પોતાનાં દિલને ખુશ કરી મિયામીટ્ઠૂ બને છે.
ઉત્તર :-
ઘણાં સમજે છે અમે સંપૂર્ણ બની ગયાં, અમે કમ્પલેટ (સંપન્ન) તૈયાર થઈ ગયાં. એવું સમજી
પોતાનાં દિલને ખુશ કરી લે છે. આ પણ મિયામીઠ્ઠું બનવું છે. બાબા કહે છે - મીઠા બાળકો
હજી ખુબ જ પુરુષાર્થ કરવાનો છે. તમે પાવન બની જશો તો પછી દુનિયા પણ પાવન જોઈએ.
રાજધાની સ્થાપન થવાની છે, એક તો જઈ ન શકે.
ગીત :-
તુમ્હીં હો
માતા, તુમ્હીં પિતા હો...
ઓમ શાંતિ!
આ બાળકોને
પોતાની ઓળખ મળે છે. બાપ પણ એવું કહે છે, આપણે બધાં આત્માઓ છીએ, બધાં મનુષ્ય જ છે.
મોટા હોય કે નાનાં હોય, પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ), રાજા-રાણી બધાં મનુષ્ય છે. હવે
બાપ કહે છે બધી આત્માઓ છે, હું પછી બધી આત્માઓનો પિતા છું એટલે મને કહે છે પરમપિતા
પરમાત્મા એટલે સુપ્રીમ (સર્વોચ્ચ). બાળકો જાણે છે આપણી આત્માઓનાં એ બાપ છે, આપણે બધાં
બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. પછી બ્રહ્મા દ્વારા ભાઇ-બહેનોનું ઉંચ નીચ કુળ થાય છે.
આત્માઓ તો બધી આત્મા છે. આ પણ તમે સમજો છો. મનુષ્ય તો કાંઈ નથી સમજતાં. તમને બાપ
બેસી સમજાવે છે - બાપ ને તો કોઈ જાણતાં નથી. મનુષ્ય ગાએ છે - હેં ભગવાન, હેં
માતા-પિતા કારણકે ઊંચેથી ઊંચા તો એક હોવા જોઈએ ને. એ છે બધાનાં બાપ, બધાંને સુખ
આપવાવાળા. સુખ અને દુઃખની રમતને પણ તમે જાણો છો. મનુષ્ય તો સમજે છે, હમણા-હમણાં સુખ
છે, હમણાં-હમણાં દુઃખ છે. એ નથી સમજતાં અડધોકલ્પ સુખ, અડધોકલ્પ દુઃખ છે. સતોપ્રધાન
સતો રજો તમો છે ને. શાંતિધામમાં આપણે આત્માઓ છીએ, તો ત્યાં બધાં સાચું સોનું છે.
અલાઈ (ખાદ) તેમાં હોઈ ન શકે. ભલે પોત-પોતાનો પાર્ટ ભરેલો છે પરંતુ આત્માઓ બધી
પવિત્ર હોય છે. અપવિત્ર આત્મા રહી ન સકે. આ સમયે કોઈ પણ પવિત્ર આત્મા અહીંયા હોઈ ન
શકે. તમે બ્રાહ્મણ કુલ ભૂષણ પણ પવિત્ર બની રહ્યાં છો. તમે હમણાં પોતાને દેવતા નથી
કહી શકતાં. તે છે સંપૂર્ણ નિર્વિકારી. તમને થોડી સંપૂર્ણ નિર્વિકારી કહેશે. ભલે
શંકરાચાર્ય હોય કે કોઈ પણ હોય સિવાય દેવતાઓને બીજા કોઈને કહી ન શકાય. આ વાતો પણ તમે
જ સાંભળો છો - જ્ઞાન સાગર નાં મુખથી. આ પણ જાણો છો જ્ઞાન સાગર એક જ વાર આવે છે.
મનુષ્ય તો પુનર્જન્મ લઈ ફરી આવે છે. કોઈ-કોઈ જ્ઞાન સાંભળીને ગયાં છે, સંસ્કાર લઈ ગયાં
છે તો ફરી આવે છે, આવીને સાંભળે છે. સમજો ૬-૮ વર્ષ વાળા હશે તો કોઈ-કોઈમાં સારી
સમજણ પણ આવી જાય છે. આત્મા તો તેજ છે ને. સાંભળીને તેમને સારું લાગે છે. આત્મા સમજે
છે અમને ફરીથી બાપનું તેજ જ્ઞાન મળી રહ્યું છે. અંદરમાં ખુશી રહે છે, બીજાઓને પણ
શીખવાડવા લાગી જાય છે. ફુર્ત (જાગૃત) થઈ જાય છે. જેમ લડાઈવાળા તે સંસ્કાર લઈ જાય છે
તો નાનપણમાં જ તે કામમાં ખુશીથી લાગી જાય છે. હવે તમારે તો પુરુષાર્થ કરી નવી
દુનિયાનાં માલિક બનવાનું છે. તમે બધાને સમજાવી શકો છો અથવા નવી દુનિયાનાં માલિક બની
શકો છો અથવા તો શાંતિધામનાં માલિક બની શકો છો. શાંતિધામ તમારું ઘર છે-જ્યાંથી તમે
અહીંયા આવ્યા છો પાર્ટ ભજવવાં. આ પણ કોઈ જાણતાં નથી કારણ કે આત્માની જ ખબર નથી. તમને
પણ પહેલાં આ થોડી ખબર હતી કે આપણે નિરાકારી દુનિયાથી અહીં આવ્યાં છીએ. આપણે બિંદુ
છીએ. સન્યાસી લોકો ભલે કહે છે ભ્રકુટી ની મધ્યમાં આત્મા સ્ટાર (તારો) રહે છે છતાં
પણ બુદ્ધિમાં મોટું રુપ આવી જાય છે. સાલિગ્રામ કહેવાથી મોટું રુપ સમજી લે છે. આત્મા
સાલિગ્રામ છે. યજ્ઞ રચે છે તો તેમાં પણ સાલિગ્રામ મોટાં-મોટાં બનાવે છે. પૂજાનાં
સમયે સાલિગ્રામ મોટું રુપ જ બુદ્ધિમાં રહે છે. બાપ કહે છે આ બધું અજ્ઞાન છે. જ્ઞાન
તો હું જ સંભળાવું છું બીજું કોઈ દુનિયાભર માં સંભળાવી ન શકે. આ કોઈ સમજવતું નથી કે
આત્મા પણ બિંદુ છે, પરમાત્મા પણ બિંદુ છે. તેઓ તો અખંડ જ્યોતિ સ્વરુપ બ્રહ્મ કહી દે
છે. બ્રહ્મ ને ભગવાન સમજી લે છે અને પછી પોતાને ભગવાન કહી દે છે. કહે છે અમે પાર્ટ
ભજવવા માટે નાની આત્માનું રુપ ધરીએ છીએ. પછી મોટી જ્યોતિ માં લીન થઈ જઈએ છીએ. લીન
થઇ જાય પછી શું! પાર્ટ પણ લીન થઇ જાય. કેટલું ખોટું થઈ જાય છે.
હવે બાપ આવીને સેકન્ડમાં જીવનમુક્તિ આપે છે પછી અડધાકલ્પ બાદ સીડી ઉતરતાં જીવન-બંધમાં
આવે છે. પછી બાપ આવીને જીવનમુક્ત બનાવે છે, એટલે એમને સર્વનાં સદ્દ્ગતિ દાતા કહેવાય
છે. તો જે પતિત-પાવન બાપ છે એમને જ યાદ કરવાનાં છે, એમની યાદથી જ તમે પાવન બનશો. નહીં
તો બની નથી શકતાં. ઊંચેથી ઊંચા એક જ બાપ છે. ઘણાં બાળકો સમજે છે અમે સંપૂર્ણ બની ગયાં.
અમે કમ્પ્લેટ તૈયાર થઈ ગયાં. એવું સમજી પોતાનાં દિલને ખુશ કરી લે છે. આ પણ
મિયામીઠ્ઠું બનવું છે. બાબા કહે છે મીઠા બાળકો, હજી ખૂબ પુરુષાર્થ કરવાનો છે. પાવન
બની જશો તો પછી દુનિયા પણ પાવન જોઈએ. એક તો જઈ ન શકે. કોઈ કેટલી પણ કોશિશ કરે કે અમે
જલ્દી કર્માતીત બની જઇએ - પરંતુ થશે નહીં. રાજધાની સ્થાપન થવાની છે. ભલે કોઈ
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ભણવામાં ખૂબ હોશિયાર થઈ જાય છે. પરંતુ પરીક્ષા તો સમય પર જ
થશે ને. પરીક્ષા તો જલદી થઈ ન શકે. આ પણ એવું છે. જ્યારે સમય થશે ત્યારે તમારાં
ભણતરનું રીઝલ્ટ (પરિણામ) નીકળશે. કેટલો પણ સારો પુરુષાર્થ હોય, એવું કહી ન શકાય -
અમે કમ્પ્લેટ તૈયાર છીએ. નહીં, ૧૬ કળા સંપૂર્ણ કોઈ આત્મા હમણાં બની નથી શકતી. ખુબજ
પુરુષાર્થ કરવાનો છે. પોતાનાં દિલને ફક્ત ખુશ નથી કરવાનું કે અમે સંપૂર્ણ બની ગયાં.
નહીં, સંપૂર્ણ બનવાનું જ છે અંતમાં. મિયામીઠ્ઠું નથી બનવાનું. આ તો આખી રાજધાની
સ્થાપન થવાની છે. હાં એટલું સમજે છે બાકી થોડો સમય છે. મુશળ પણ નીકળી ગયાં છે. તેને
બનાવવામાં પણ પહેલા સમય લાગે છે પછી પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ જાય છે તો પછી ઝટ બનાવી
લે છે. આ પણ બધું ડ્રામામાં નોંધ છે. વિનાશનાં માટે બોમ્બ બનાવતા રહે છે. ગીતામાં
પણ મુશળ અક્ષર છે. શાસ્ત્રોમાં પછી લખી દીધું છે પેટથી લોહ નીકળ્યું, પછી આ થયું. આ
બધી જુઠ્ઠી વાતો છે ને. બાપ આવીને સમજાવે છે - તેને જ મિસાઈલ (મુશળ) કહેવાય છે. હવે
આ વિનાશનાં પહેલાં આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાળકો જાણે છે આપણે આદિ
સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં. સાચું સોનુ હતાં. ભારતને સચખંડ કહેવાય છે. હવે
જૂઠખંડ બની ગયું છે. સોનુ પણ સાચું અને જુઠ્ઠું હોય છે ને. હમણાં આપ બાળકો જાણી ગયાં
છો - બાપની મહિમા શું છે! એ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે, સત છે, ચૈતન્ય છે. પહેલાં
તો ફક્ત ગાયન કરતાં હતાં. હમણાં તમે સમજો છો કે બાપ બધાં ગુણ આપણા માં ભરી રહ્યાં
છે. બાપ કહે છે કે પહેલાં-પહેલાં યાદ ની યાત્રા કરો, મને યાદ કરો તો તમારાં વિકર્મ
વિનાશ થઈ જાય. મારું નામ જ છે પતિત-પાવન. ગાએ પણ છે હેં પતિત-પાવન આવો પરંતુ એ શું
આવીને કરશે, એ નથી જાણતાં. એક સીતા તો નહીં હોય. તમે બધી સીતાઓ છો.
બાપ આપ બાળકોને બેહદમાં લઈ જવાં માટે બેહદની વાતો સંભળાવે છે. તમે બેહદની બુદ્ધિથી
જાણો છો કે મેલ (પુરુષ) અને ફીમેલ (સ્ત્રી) બધી સીતાઓ છે. બધાં રાવણની કેદમાં છે.
બાપ (રામ) આવીને બધાંને રાવણની કેદ થી નીકાળે છે. રાવણ કોઈ મનુષ્ય નથી. આ સમજાવાય
છે - દરેકમાં ૫ વિકાર છે, એટલે રાવણ રાજ્ય કહેવાય છે. નામ જ છે વિશશ વર્લ્ડ (વિકારી
દુનિયા), તે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), બન્ને અલગ-અલગ નામ છે. આ
વેશ્યાલય અને તે છે શિવાલય. નિર્વિકારી દુનિયાનાં આ લક્ષ્મી-નારાયણ માલિક હતાં. એમની
આગળ વિકારી મનુષ્ય જઈને માથું નમાવે છે. વિકારી રાજાઓ તે નિર્વિકારી રાજાઓની આગળ
માથું નમાવે છે. આ પણ તમે જાણો છો. મનુષ્યને કલ્પની આયુની જ ખબર નથી તો સમજી કેવી
રીતે શકે કે રાવણ રાજ્ય ક્યારે શરુ થાય છે. અડધું-અડધું હોવું જોઈએ ને. રામ રાજ્ય,
રાવણ રાજ્ય ક્યાર થી શરુ કરે, મૂંઝવણ કરી દીધી છે.
હવે બાપ સમજાવે છે આ ૫ હજાર વર્ષનું ચક્ર ફરતું રહે છે. હમણાં તમને ખબર પડી છે કે
આપણે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. પછી આપણે જઈએ છીએ ઘરે. સતયુગ ત્રેતામાં પણ પુનર્જન્મ
લઈએ છીએ. તે છે રામ રાજ્ય પછી રાવણ રાજ્ય માં આવવાનું છે. હાર-જીતની રમત છે. તમે
જીત પામો છો તો સ્વર્ગ નાં માલિક બનો છો. હાર ખાઓ છો તો નર્ક નાં માલિક બનો છો.
સ્વર્ગ અલગ છે, કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા. હમણાં તમે થોડી કહેશો કારણ કે
તમે જાણો છો સ્વર્ગ ક્યારે હશે. તે તો કહી દે છે જ્યોતિ જ્યોત સમાઈ અથવા નિર્વાણ ગયાં.
તમે કહેશો જ્યોતિ જ્યોત તો કોઈ સમાઈ નથી શકતું. સર્વનાં સદ્દગતિ દાતા એક જ ગવાય છે.
સ્વર્ગ સતયુગને કહેવાય છે. હમણાં છે નર્ક. ભારતની જ વાત છે. બાકી ઉપરમાં કાંઈ નથી.
દેલવાડા મંદિરમાં ઉપરમાં સ્વર્ગ દેખાડ્યું છે તો મનુષ્ય સમજે છે બરાબર ઉપર જ સ્વર્ગ
છે. અરે ઉપર છાપરાં પર મનુષ્ય કેવી રીતે હશે, બુદ્ધુ થયાં ને. હવે તમે ક્લિયર (સ્પષ્ટ)
કરી સમજાવો છો. તમે જાણો છો અહીં જ સ્વર્ગવાસી હતાં, અહીં જ પછી નર્કવાસી બને છે.
હવે ફરી સ્વર્ગવાસી બનવાનું છે. આ નોલેજ છે જ નર થી નારાયણ બનવાનું. કથા પણ
સત્યનારાયણ બનાવવાની જ સંભળાવે છે. રામ સીતાની કથા નથી કહેતાં, આ છે નર થી નારાયણ
બનવાની કથા. ઊંચેથી ઊંચું પદ લક્ષ્મી-નારાયણનું છે. તે તો પણ બે કળા ઓછી થઈ જાય છે.
પુરુષાર્થ ઊંચું પદ પામવાનો કરાય છે પછી જો નથી કરતાં તો જઈને ચંદ્રવંશી બને છે.
ભારતવાસી પતિત બને છે તો પોતાનાં ધર્મને ભૂલી જાય છે. ક્રિશ્ચિયન ભલે સતો થી
તમોપ્રધાન બને છે છતાં પણ ક્રિશ્ચિયન સંપ્રદાયનાં તો છે ને. આદિ સનાતન દેવી-દેવતા
સંપ્રદાયવાળા તો પોતાને હિન્દુ કહી દે છે. આ પણ નથી સમજતાં કે આપણે અસલ દેવી-દેવતા
ધર્મનાં છીએ. વન્ડર છે ને. તમે પૂછો છો હિંદુ ધર્મ કોણે સ્થાપન કર્યો? તો મૂંઝાય
જાય છે. દેવતાઓની પૂજા કરે છે તો દેવતા ધર્મનાં થયાં ને. પરંતુ સમજતાં નથી. આ પણ
ડ્રામામાં નોંધ છે. તમારી બુદ્ધિમાં બધું નોલેજ છે. તમે જાણો છો આપણે પહેલાં
સૂર્યવંશી હતાં પછી બીજા ધર્મમાં આવીએ છીએ. આપણે પુનર્જન્મ લેતાં આવીએ છીએ. તમારામાં
પણ કોઈ યથાર્થ રીતે જાણે છે. સ્કૂલમાં પણ કોઈ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની બુદ્ધિમાં
સારી રીતે બેસે છે, કોઈની બુદ્ધિમાં ઓછું બેસે છે. અહીંયા પણ જે નપાસ થાય છે તેમને
ક્ષત્રિય કહેવાય છે. ચંદ્રવંશીમાં ચાલ્યાં જાય છે. બે કળા ઓછી થઈ ગઈ ને. સંપૂર્ણ બની
ન સકે. તમારી બુદ્ધિમાં હવે બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી છે. તે સ્કૂલમાં તો હદની
હિસ્ટ્રી-જોગ્રોફી ભણે છે. તે કોઈ મૂળવતન, સૂક્ષ્મવતન ને થોડી જાણે છે. સાધુ સંત
વગેરે કોઈની પણ બુદ્ધિમાં નથી. તમારી બુદ્ધિમાં છે - મૂળવતન માં આત્માઓ રહે છે. આ
છે સ્થૂળવતન. તમારી બુદ્ધિ માં બધું નોલેજ છે. આ સ્વદર્શન ચક્રધારી સેના બેઠી છે. આ
સેના બાપને અને ચક્રને યાદ કરે છે. તમારી બુદ્ધિ માં જ્ઞાન છે. બાકી કોઈ હથિયાર
વગેરે નથી. જ્ઞાન થી સ્વ નું દર્શન થયું છે. બાપ, રચયિતાનું અને રચનાનું આદિ મધ્ય
અંત નું જ્ઞાન આપે છે. હવે બાપનું ફરમાન છે કે રચયિતા ને યાદ કરો તો વિકર્મ વિનાશ
થશે. જેટલાં જે સ્વર્શન ચક્રધારી બને છે, બીજાઓને બનાવે છે, જે વધારે સર્વિસ (સેવા)
કરે છે તેમને ઊંચું પદ મળશે. આ તો સામાન્ય વાત છે. બાપને ભૂલ્યા જ છે ગીતામાં
કૃષ્ણનું નામ નાખવાથી. કૃષ્ણને ભગવાન કહી ન શકાય. તેમને બાપ નહીં કહેશે. વારસો બાપ
થી મળે છે. પતિત-પાવન બાપને કહેવાય છે, એ જ્યારે આવે ત્યારે આપણે પાછાં શાંતિધામ
જઈએ. મનુષ્ય મુક્તિ માટે કેટલું માથુ મારે છે. તમે કેટલું સહજ સમજાવો છો. બોલો -
પતિત-પાવન બાપ તો પરમાત્મા છે પછી ગંગામાં સ્નાન કરવાં કેમ જાઓ છો! ગંગા કાંઠે જઈને
બેસે છે કે ત્યાંજ અમે મરીએ. પહેલાં બંગાળમાં જ્યારે કોઈ મરવાનાં સમય પર આવતાં તો
ગંગામાં જઈને હરીબોલ કરતા હતાં. સમજતા હતાં આ મુક્ત થઈ ગયાં. હવે આત્મા તો નીકળી ગઈ.
તે તો પવિત્ર બની નહીં. આત્માને પવિત્ર બનાવવા વાળા બાપ જ છે, એમને જ પોકારે છે. હવે
બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાપ આવીને જૂની દુનિયાને નવી બનાવે
છે. બાકી નવી રચતા નથી. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપમાં જે
ગુણ છે, તે સ્વયંમાં ભરવાનાં છે. પરીક્ષાનાં પહેલાં પુરુષાર્થ કરી સ્વયંને કમ્પ્લેટ
પાવન બનાવવાનાં છે, આમાં મિયામીઠ્ઠું નથી બનવાનું.
2. સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનાં છે. બાપ અને ચક્રને યાદ કરવાનું છે.
બેહદ બાપ દ્વારા બેહદની વાતો સાંભળીને પોતાની બુદ્ધિ બેહદમાં રાખવાની છે. હદમાં નથી
આવવાનું.
વરદાન :-
સ્વીટ
સાઈલેન્સ ( શાંતિ ) ની લવલીન સ્થિતિ દ્વારા નષ્ટોમોહા સમર્થ સ્વરુપ ભવ
દેહ, દેહનાં સંબંધ,
દેહનાં સંસ્કાર, વ્યક્તિ કે વૈભવ, વાયુમંડળ, વાયબ્રેશન બધું હોવા છતાં પણ પોતાની
પાસે આકર્ષિત ન કરે. લોકો બૂમો પાડતા રહે અને આપ અચળ રહો. પ્રકૃતિ, માયા બધાં લાસ્ટ
(છેલ્લો) દાવ લગાડવાં માટે પોતાની તરફ કેટલું પણ ખેંચે પરંતુ આપ ન્યારા બાપનાં
પ્યારા બનવાની સ્થિતિ માં લવલીન રહો-આને કહેવાય છે જોવા છતાં પણ નહીં જુઓ, સાંભળવા
છતાં પણ નહીં સાંભળો. આજ સ્વીટ સાઈલેન્સ સ્વરુપની લવલીન સ્થિતિ છે, જ્યારે આવી
સ્થિતિ બનશે ત્યારે કહેવાશે નષ્ટોમોહા સમર્થ સ્વરુપ ની વરદાની આત્મા.
સ્લોગન :-
હોલીહંસ બની
અવગુણ રુપી પથ્થર ને છોડી સારાઈ રુપી મોતી વીણતાં જાઓ.