04-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - આ
રુહાની હોસ્પિટલ તમને અડધાકલ્પ માટે એવર હેલ્થી ( સદા સ્વસ્થ ) બનાવવાવાળી છે ,
અહીંયા તમે દેહી - અભિમાની થઈને બેસો ”
પ્રશ્ન :-
ધંધો વગેરે
કરતાં પણ કયું ડાયરેક્શન (માર્ગદર્શન) બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ?
ઉત્તર :-
બાપનું ડાયરેક્શન છે તમે કોઈ સાકાર કે આકાર ને યાદ નહીં કરો, એક બાપ ની યાદ રહે તો
વિકર્મ વિનાશ થાય. આમાં કોઈ એ નથી કહી શકતું કે ફુર્સત નથી. બધુંજ કરતાં પણ યાદમાં
રહી શકો છો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ બાપની ગુડમોર્નિંગ. ગુડમોર્નિંગ નાં બાદ બાળકોને કહેવાય છે બાપ
ને યાદ કરો. બોલાવે પણ છે-હેં પતિત-પાવન આવીને પાવન બનાવો તો બાપ પહેલાં-પહેલાં જ
કહે છે - રુહાની બાપ ને યાદ કરો. રુહાની બાપ તો બધાનાં એક જ છે. ફાધર (પિતા) ને
ક્યારેય સર્વવ્યાપી નથી મનાતું. તો જેટલું થઈ શકે બાળકો પહેલાં-પહેલાં બાપ ને યાદ
કરો, કોઈ પણ સાકાર કે આકાર ને યાદ નહીં કરો, સિવાય એક બાપનાં. આ તો બિલકુલ સહજ છે
ને. મનુષ્ય કહે છે અમે બીઝી રહીએ છે, ફુર્સત નથી. પરંતુ આમાં તો ફુર્સત સદેવ છે.
બાપ યુક્તિ બતાવે છે આ પણ જાણો છો બાપને યાદ કરવાથી જ આપણાં પાપ ભસ્મ થશે. મુખ્ય
વાત છે આ. ધંધા વગેરેની કોઈ મનાઈ નથી. તે બધું કરવાં છતાં ફક્ત એક બાપ ને યાદ કરો
તો વિકર્મ વિનાશ થાય. આ તો સમજે છે અમે પતિત છીએ, સાધુ-સંત ઋષિ-મુની વગેરે બધાં
સાધના કરે છે. સાધના કરાય છે ભગવાનથી મળવાની. તો જ્યાં સુધી એમનો પરિચય ન હોય ત્યાં
સુધી તો મળી નથી શકતાં. તમે જાણો છો બાપનો પરિચય દુનિયામાં કોઈને પણ નથી. દેહનો
પરિચય તો બધાને છે. મોટી ચીજનો પરિચય ઝટ થઈ જાય છે. આત્મા નો પરિચય તો જ્યારે બાપ
આવે ત્યારે સમજાવે. આત્મા અને શરીર બે ચીજો છે. આત્મા એક સ્ટાર (તારો) છે અને ખૂબ
સૂક્ષ્મ છે. એને કોઇ જોઇ નથી શકતું. તો અહીંયા જ્યારે આવીને બેસો છો તો દેહી-અભિમાની
થઈને બેસવાનું છે. આ પણ એક હોસ્પિટલ છે ને-અડધાકલ્પ માટે એવરહેલ્થી બનવાની. આત્મા
તો છે અવિનાશી, ક્યારેય વિનાશ નથી થતી. આત્માનો જ બધો પાર્ટ છે. આત્મા કહે છે હું
ક્યારેય વિનાશને નથી પામતી. આટલી બધી આત્માઓ અવિનાશી છે. શરીર છે વિનાશી. હવે તમારી
બુદ્ધિમાં આ બેઠેલું છે એ આપણે આત્મા અવિનાશી છીએ. આપણે ૮૪ જન્મ લઈએ છે, આ ડ્રામા
છે. આમાં ધર્મ સ્થાપક કોણ-કોણ ક્યારે આવે છે, કેટલાં જન્મ લેતા હશે, આ તો જાણો છો.
૮૪ જન્મ જે ગવાય છે જરૂર કોઇ એક ધર્મનાં હશે. બધાનાં તો હોઈ ન શકે. બધાં ધર્મ એક
સાથે તો આવતાં નથી. આપણે બીજાઓનો હિસાબ કેમ બેસીને નીકાળીએ? જાણીએ છીએ ફલાણા-ફલાણા
સમય પર ધર્મ સ્થાપન કરવા આવે છે. એની પછી વૃદ્ધિ થાય છે. બધાં સતોપ્રધાન થી
તમોપ્રધાન તો થવાનાં જ છે. દુનિયા જ્યારે તમોપ્રધાન હોય છે ત્યારે પછી બાપ આવીને
સતોપ્રધાન સતયુગ બનાવે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે ભારતવાસી જ ફરી નવી દુનિયામાં
આવીને રાજ્ય કરશું, બીજા કોઈ ધર્મ નહીં હશે. આપ બાળકોમાં પણ જેમને ઊંચું પદ લેવું
છે તે વધારે યાદમાં રહેવાનો પુરુષાર્થ કરે છે અને સમાચાર પણ લખે છે કે બાબા અમે આટલો
સમય યાદમાં રહીએ છીએ. ઘણાં તો પુરા સમાચાર લજ્જાનાં માર્યા આપતા નથી. સમજે છે બાબા
શું કહેશે? પરંતુ ખબર તો પડે છે ને. સ્કૂલમાં શિક્ષક સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને તો
કહેશે ને કે તમે જો ભણશો નહીં તો ફેલ (નપાસ) થઈ જશો. લૌકિક માં-બાપ પણ બાળકનાં ભણતર
થી સમજી જાય છે, આ તો ખૂબ મોટી સ્કૂલ છે. અહીંયા તો નંબરવાર નથી બેસાડતાં. બુદ્ધિ
થી સમજાય છે, નંબરવાર તો હોય જ છે ને. હવે બાબા સારા-સારા બાળકોને ક્યાં મોકલી દે
છે, તે પછી ચાલ્યાં જાય છે તો બીજા લખે છે અમને મહારથી જોઈએ, તો જરૂર સમજે છે તે
અમારા થી હોશિયાર નામીગ્રામી છે. નંબરવાર તો હોય છે ને. પ્રદર્શની માં પણ અનેક
પ્રકારનાં આવે છે તો ગાઈડસ પણ ઉભાં રહેવા જોઈએ તપાસ કરવાનાં માટે. રિસીવ કરવાવાળા
તો જાણે છે આ કયા પ્રકારનાં વ્યક્તિ છે. તો તેમણે પછી ઇશારો કરવો જોઈએ કે આમને તમે
સમજાવો. તમે પણ સમજી શકો છો ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ બધાં છે. ત્યાં
તો બધાની સર્વિસ કરવાની જ છે. કોઈ મોટો વ્યક્તિ છે તો જરૂર મોટા વ્યક્તિ ની ખાતરી
તો બધાં કરે જ છે. આ કાયદો છે. બાપ અથવા શિક્ષક બાળકો ની ક્લાસમાં મહિમા કરે છે, આ
પણ સૌથી મોટી ખાતરી છે. નામ કરવાવાળા બાળકોની મહિમા અથવા ખાતરી કરાય છે. આ ફલાણા
ધનવાન છે, ધાર્મિક વૃતિનાં છે, આ પણ ખાતરી છે ને. હવે આપ આ જાણો છો ઊંચેથી ઊંચા
ભગવાન છે. કહે પણ છે બરાબર ઊંચેથી ઊંચા છે, પરંતુ પછી બોલો એમની બાયોગ્રાફી બતાવો
તો કહી દેશે સર્વવ્યાપી છે. બસ એકદમ નીચે કરી દે છે. હવે તમે સમજાવી શકો છો સૌથી
ઊંચેથી ઊંચા છે ભગવાન, એ છે મૂળવતનવાસી. સૂક્ષ્મવતન માં છે દેવતાઓ. અહીં રહે છે
મનુષ્ય. તો ઊંચેથી ઊંચા ભગવાન એ નિરાકાર થયાં.
હમણાં તમે જાણો છો આપણે જે હીરા જેવાં હતાં તે પછી કોડી જેવાં બની ગયાં છીએ પછી
ભગવાનને પોતાનાં થી પણ વધારે નીચે લઇ ગયાં છે. ઓળખતા જ નથી. આપ ભારતવાસીઓને જ ઓળખ
મળી છે પછી ઓળખ ઓછી થઈ જાય છે. હવે તમે બાપની ઓળખ બધાને આપતા જાઓ છો. અનેકો ને બાપ
ની ઓળખ મળશે. તમારું મુખ્ય ચિત્ર છે જ આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ. આમાં કેટલો પ્રકાશ
છે. આ તો કોઈ પણ કહેશે આ લક્ષ્મી-નારાયણ સતયુગનાં માલિક હતાં. અચ્છા, સતયુગનાં પહેલાં
શું હતું? આ પણ હવે તમે જાણો છો. હમણાં છે કળયુગનો અંત અને છે પણ પ્રજાનું પ્રજા પર
રાજ્ય. હમણાં રાજાઈ તો છે નહીં, કેટલો ફરક છે. સતયુગનાં આદિમાં રાજાઓ હતાં અને હવે
કળયુગમાં પણ રાજાઓ છે. ભલે કાંઈ તે પાવન નથી પરંતુ કોઈ પૈસા આપીને પણ ટાઇટલ (ખિતાબ)
લઈ લે છે. મહારાજા તો કોઈ છે નહીં, ટાઈટલ ખરીદ કરી લે છે. જેમ પટિયાલા નાં મહારાજા,
જોધપુર, બિકાનેર નાં મહારાજા….નામ તો લે છે ને. આ નામ અવિનાશી ચાલ્યું આવે છે. પહેલાં
પવિત્ર મહારાજાઓ હતાં, હવે છે અપવિત્ર. રાજા, મહારાજા અક્ષર ચાલ્યો આવે છે. આ
લક્ષ્મી-નારાયણનાં માટે કહેશે આ સતયુગનાં માલિક હતાં, કોણે રાજ્ય લીધું? હવે તમે
જાણો છો રાજાઈની સ્થાપના કેવી રીતે થાય છે. બાપ કહે છે હું તમને હમણાં ભણાવું
છું-૨૧ જન્મોનાં માટે. તેઓ તો ભણીને આ જન્મમાં જ બેરિસ્ટર વગેરે બને છે. તમે હમણાં
ભણીને મહારાજા-મહારાણી બનો છો. ડ્રામા પ્લાન અનુસાર નવી દુનિયાની સ્થાપના થઇ રહી
છે. હમણાં છે જૂની દુનિયા. ભલે કેટલાં પણ સારા-સારા મોટા મહેલ છે પરંતુ હીરા-ઝવેરાતો
નાં મહેલ તો બનાવવાની કોઈ માં તાકાત નથી. સતયુગમાં આ બધાં હીરા-ઝવેરાતો નાં મહેલ
બનાવે છે ને. બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે. અહીંયા પણ અર્થકવેક (ધરતીકંપ) વગેરે
થાય છે તો ખૂબ કારીગર લગાવી દે છે, એક-બે વર્ષમાં આખું શહેર ઊભું કરી દે છે. નવી
દિલ્હી બનાવવામાં ૮ -૧૦ વર્ષ લાગ્યાં પરંતુ અહીંયા નાં મજુર ત્યાંના મજુર માં તો
ફરક રહે છે ને. આજકાલ તો નવી-નવી ઇન્વેન્શન (શોધ) પણ નીકાળતાં રહે છે. મકાન બનાવવાનાં
સાયન્સ (વિજ્ઞાન) નું પણ જોર છે, બધુંજ તૈયાર મળે છે, ઝટ ફ્લેટ તૈયાર. ખૂબ
જલ્દી-જલ્દી બને છે તો આ બધું ત્યાં કામમાં તો આવે છે ને. આ બધાં સાથે ચાલવાનાં છે.
સંસ્કાર તો રહે છે ને. આ વિજ્ઞાનનાં સંસ્કાર પણ ચાલશે. તો હવે બાપ બાળકોને સમજાવતાં
રહે છે, પાવન બનવું છે તો બાપને યાદ કરો. બાપ પણ ગુડમોર્નિંગ કરી પછી શિક્ષા આપે
છે. બાળકો બાપની યાદ માં બેઠાં છો? હરતાં-ફરતાં બાપ ને યાદ કરો કારણ કે
જન્મ-જન્માંતરનો માથા પર બોજો છે. સીડી ઉતરતાં-ઉતરતાં ૮૪ જન્મ લો છો. હવે પછી એક
જન્મ માં ચઢતી કળા થાય છે. જેટલું બાપ ને યાદ કરતાં રહેશો એટલી ખુશી પણ થશે, તાકાત
મળશે. ઘણાં બાળકો છે જેમને આગળ નંબરમાં રખાય છે પરંતુ યાદમાં બિલકુલ રહેતાં નથી. ભલે
જ્ઞાનમાં આગળ છે પરંતુ યાદ ની યાત્રા છે નહીં. બાપ તો બાળકોની મહિમા કરે છે. આ પણ
નંબરવન માં છે તો જરૂર મહેનત પણ કરતાં હશે ને. તમે હંમેશા સમજો કે શિવબાબા સમજાવે
છે તો બુદ્ધિયોગ ત્યાં લાગ્યો રહેશે. આ પણ શીખતા તો હશે ને. તો પણ કહે છે બાબા ને
યાદ કરો. કોઈને પણ સમજાવવાં માટે ચિત્ર છે. ભગવાન કહેવાય જ છે નિરાકાર ને. એ આવીને
શરીર ધારણ કરે છે. એક ભગવાનનાં બાળકો બધી આત્માઓ ભાઈ-ભાઈ છે. હમણાં આ શરીરમાં
વિરાજમાન છે. બધાં અકાળમૂર્ત છે. આ અકાળમૂર્ત (આત્મા) નું તખ્ત છે. અકાળતખ્ત બીજી
કોઈ ખાસ વસ્તુ નથી. આ તખ્ત છે અકાળમૂર્તનું. ભ્રકુટીની વચમાં આત્મા વિરાજમાન હોય
છે, આને કહેવાય છે અકાળતખ્ત. અકાળતખ્ત, અકાળમૂર્તનું. આત્માઓ બધી અકાળ છે, કેટલી અતિ
સૂક્ષ્મ છે. બાપ તો છે નિરાકાર. એ પોતાનું તખ્ત ક્યાંથી લાવે. બાપ કહે છે મારું પણ
આ તખ્ત છે. હું આવીને આ તખ્તની લોન લઉં છું. બ્રહ્માનાં સાધારણ વૃદ્ધ તનમાં અકાળ
તખ્ત પર આવીને બેસું છું. હવે તમે જાણી ગયાં છો બધી આત્માઓનું આ તખ્ત છે. મનુષ્યોની
જ વાત કરાય છે, જાનવરોની તો વાત નથી. પહેલાં જે મનુષ્ય જાનવર થી પણ બદતર થઈ ગયાં
છે, એ તો સુધરે. કોઈ જાનવર ની વાત પૂછે, બોલો પહેલાં પોતાનો તો સુધાર કરો. સતયુગમાં
તો જાનવર પણ ખૂબ સારા ફર્સ્ટ ક્લાસ હશે. કાદવ વગેરે કાંઈ પણ નહીં હોય. રાજાનાં
મહેલમાં કબુતર વગેરેનું કાદવ હોય તો દંડ લગાવી દે. જરા પણ કાદવ નહિં. ત્યાં બહું
ખબરદારી રહે છે. પહેરા પર રહે છે, ક્યારેય કોઈ જાનવર વગેરે અંદર ઘૂસી ન શકે. ખૂબ
સફાઈ રહે છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં પણ કેટલી સફાઈ રહે છે. શંકર-પાર્વતી નાં
મંદિરમાં કબુતર પણ દેખાડે છે. તો જરૂર મંદિરને પણ ખરાબ કરતાં હશે. શાસ્ત્રો માં ખૂબ
દંતકથાઓ લખી દીધી છે.
હવે બાપ બાળકો ને સમજાવે છે, તેમાં પણ થોડા છે જે ધારણા કરી શકે છે. બાકી તો કાંઈ
નથી સમજતાં. બાપ બાળકોને કેટલા પ્રેમ થી સમજાવે છે - બાળકો, ખૂબ-ખૂબ મીઠા બનો. મુખ
થી સદેવ રત્ન નીકળતાં રહે. તમે છો રુપ-વસંત. તમારાં મુખ થી પથ્થર ન નીકળવા જોઈએ.
આત્માની જ મહિમા થાય છે. આત્મા કહે છે-હું પ્રેસિડેન્ટ છું, ફલાણો છું…. મારાં શરીર
નું નામ આ છે. અચ્છા, આત્માઓ કોનાં બાળકો છે? એક પરમાત્મા નાં. તો જરુર એમનાથી વારસો
મળતો હશે. એ પછી સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે! તમે સમજો છો આપણે પણ પહેલાં કાંઈ
નહોતા જાણતાં. હવે કેટલી બુદ્ધિ ખુલી છે. તમે કોઈ પણ મંદિરમાં જશો, સમજશો આ તો બધાં
જુઠ્ઠા ચિત્ર છે. ૧૦ ભુજાઓ વાળા, હાથીની સૂંઢ વાળા કોઈ ચિત્ર હોય છે શું! આ બધી છે
ભક્તિમાર્ગની સામગ્રી. હકીકતમાં ભક્તિ હોવી જોઇએ એક શિવબાબા ની, જે સર્વનાં સદ્દગતિ
દાતા છે. તમારી બુદ્ધિમાં છે - આ લક્ષ્મી-નારાયણ પણ ૮૪ જન્મ લે છે. પછી ઊંચેથી ઊંચા
બાપ જ આવીને બધાને સદ્દગતિ આપે છે. એમનાથી મોટું કોઈ છે નહીં. આ જ્ઞાનની વાતો
તમારામાં પણ નંબરવાર ધારણ કરી શકે છે. ધારણા નથી કરી શકતાં તો બાકી શું કામ નાં
રહ્યાં. કોઈ તો આંધળાની લાઠી બનવાનાં બદલે આંધળા બની જાય છે. ગાય જે દૂધ નથી આપતી
તો તેને પાંજરાપોળ માં રાખે છે. આ પણ જ્ઞાનનું દૂધ નથી આપી શકતાં. ઘણાં છે જે કંઈ
પુરુષાર્થ નથી કરતાં. સમજતાં નથી કે અમે કાંઈ તો કોઈનું કલ્યાણ કરીએ. પોતાની તકદીરનો
ખ્યાલ જ નથી રહેતો. બસ જે કંઈ મળ્યું તે સારું. તો બાપ કહેશે તેમની તકદીરમાં નથી.
પોતાની સદ્દગતિ કરવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ. દેહી-અભિમાની બનવાનું છે. બાપ કેટલાં
ઊંચેથી ઊંચા છે અને આવે જુઓ કેવી પતિત દુનિયા, પતિત શરીર માં છે. એમને બોલાવે જ
પતિત દુનિયામાં છે. જ્યારે રાવણ બિલકુલ જ ભ્રષ્ટ કરી દે છે, ત્યારે બાપ આવીને
શ્રેષ્ઠ બનાવે છે. જે સારો પુરુષાર્થ કરે છે તે રાજા-રાણી બની જાય છે, જે પુરુષાર્થ
નથી કરતાં તે ગરીબ બની જાય છે. તકદીરમાં નથી તો તદબીર કરી નથી શકતાં. કોઈ તો ખૂબ
સારી તકદીર બનાવી લે છે. દરેક પોતાને જોઈ શકે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત
બની મુખ થી સદેવ રત્ન નીકાળવાનાં છે, ખૂબ-ખૂબ મીઠા બનવાનું છે. ક્યારેય પણ પથ્થર (કટુવચન)
નથી નીકાળવાના.
2. જ્ઞાન અને યોગમાં
હોશિયાર બની પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે. પોતાની ઉચ્ચ તકદીર બનાવાનો
પુરુષાર્થ કરવાનો છે. આંધળાઓની લાઠી બનવાનું છે.
વરદાન :-
માયા કે વિઘ્નો
થી સેફ ( સુરક્ષિત ) રહેવાવાળા બાપદાદા ની છત્રછાયા નાં અધિકારી ભવ
જે બાપદાદાનાં સિકીલધા
લાડકાં છે એમને બાપદાદાની છત્રછાયા અધિકાર રુપમાં પ્રાપ્ત હોય છે. જે છત્રછાયામાં
માયા ને આવવાની તાકાત નથી. તેઓ સદા માયા પર વિજયી બની જાય છે. આ યાદ રુપી છત્રછાયા
સર્વ વિઘ્નો થી સેફ કરી દે છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન છત્રછાયામાં રહેવાવાળા ની
પાસે આવી નથી શકતું. છત્રછાયા માં રહેવાવાળાઓ માટે મુશ્કેલ થી મુશ્કેલ વાત પણ સહજ
થઈ જાય છે. પહાડ સમાન વાતો રુ સમાન અનુભવ થાય છે.
સ્લોગન :-
પ્રભુ પ્રિય,
લોક પ્રિય અને સ્વયં પ્રિય બનવાનાં માટે સંતુષ્ટતા નો ગુણ ધારણ કરો.