02-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આપ રુહો થી રુહરિહાન કરે છે , તમે આવ્યાં છો બાપની પાસે ૨૧ જન્મોનાં માટે પોતાની
લાઈફ ( જીવન ) ઈનશ્યોર ( સલામત ) કરવાં , તમારી લાઈફ એવી ઇનશ્યોર થાય છે જે તમે અમર
બની જાઓ છો ”
પ્રશ્ન :-
મનુષ્ય પણ
પોતાની લાઇફ ઇનશ્યોર કરાવે છે અને આપ બાળકો પણ, બંન્નેમાં અંતર શું છે?
ઉત્તર :-
મનુષ્ય પોતાની લાઇફ ઇનશ્યોર કરાવે છે કે મરી જઈએ તો પરિવારવાળાઓ ને પૈસા મળે. આપ
બાળકો ઇનશ્યોર કરો છો કે ૨૧ જન્મ આપણે મરીએ જ નહીં. અમર બની જઈએ. સતયુગમાં કોઈ
ઇનશ્યોરન્સ કંપનીઓ હોતી નથી. હવે તમે પોતાની લાઇફ ઇનશ્યોર કરી દો છો પછી ક્યારેય
મરશો નહીં, આ ખુશી રહેવી જોઈએ.
ગીત :-
યહ કોન આજ આયા
સવેરે…..
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો થી રુહરિહાન કરે છે, આપ બાળકો જાણો છો બાપ આપણને હમણાં ૨૧ જન્મ
તો શું ૪૦-૫૦ જન્મો માટે ઇનશ્યોર કરી રહ્યાં છે. તે લોકો ઇનશ્યોર કરે છે કે મરી જઈએ
તો તેમનાં પરિવારને પૈસા મળે. તમે ઇનશ્યોર કરો છો ૨૧ જન્મોનાં માટે મરીએ જ નહીં.
અમર બનાવે છે ને. તમે અમર હતાં, મૂળવતન પણ અમરલોક છે. ત્યાં મરવા જીવવાની વાત નથી
રહેતી. એ છે આત્માઓનું નિવાસ સ્થાન. હવે આ રુહરિહાન બાપ પોતાનાં બાળકો થી કરે છે
બીજા કોઈથી નથી કરતાં. જે રુહ પોતાને જાણે છે એનાથી જ વાત કરે છે. બાકી બીજા કોઈ
બાપની ભાષાને સમજશે નહીં. પ્રદર્શની માં આટલાં આવે છે, તમારી ભાષાને સમજે છે શું.
કોઈ મુશ્કિલ થોડું સમજે છે. તમને પણ સમજાવતાં-સમજાવતાં કેટલાં વર્ષ થઈ ગયાં છે તો
પણ કેટલાં થોડા સમજે છે. છે પણ સેકન્ડમાં સમજવાની વાત. આપણે આત્માઓ જે પાવન હતી તે
પતિત બની છે ફરી આપણે પાવન બનવાનું છે. એનાં માટે સ્વીટ ફાધર (મીઠા પિતા) ને યાદ
કરવાનાં છે. એમનાથી સ્વીટ (મીઠી) બીજી કોઈ વસ્તુ હોતી નથી. આ યાદ કરવામાં જ માયાનાં
વિઘ્નો પડે છે. આ પણ જાણો છો બાબા આપણને અમર બનાવવા આવ્યાં છે. પુરુષાર્થ કરી અમર
બની, અમરપુરી નાં માલિક બનવાનું છે. અમર તો બધાં બનશે. સતયુગ ને કહેવાય જ છે અમરલોક.
આ છે મૃત્યુલોક. આ અમરકથા છે, એવું નહીં કે ફક્ત શંકરે પાર્વતીને અમરકથા સંભળાવી. એ
તો બધી છે ભક્તિમાર્ગની વાતો. આપ બાળકો ફક્ત મુજ એક થી સાંભળો. મામેકમ્ યાદ કરો.
જ્ઞાન હુંજ આપી શકું છું. ડ્રામા પ્લાન અનુસાર આખી દુનિયા તમોપ્રધાન બની છે. અમરપુરી
માં રાજ્ય કરવું - એને જ અમર પદ કહેવાય છે. ત્યાં ઇનશ્યોરન્સ કંપનીઓ વગેરે હોતી નથી.
હમણાં તમારી લાઇફ ઇનશ્યોર કરી રહ્યાં છે. તમે ક્યારેય મરશો નહીં. આ બુદ્ધિમાં ખુશી
રહેવી જોઈએ. આપણે અમરપુરી નાં માલિક બનીએ છીએ, તો અમરપુરી ને યાદ કરવું પડે. વાયા
મૂળવતન જ જવાનું હોય છે. આ પણ મનમનાભવ થઈ જાય. મૂળવતન છે મનમનાભવ, અમરપુરી છે
મધ્યાજી ભવ. દરેક વાતમાં બે અક્ષર જ આવે છે. તમને કેટલાં પ્રકાર થી અર્થ સમજાવે છે.
તો બુદ્ધિ માં બેસે. સૌથી વધારે મહેનત છે જ આમાં. પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે.
આપણે આત્માએ આ જન્મ લીધો છે. ૮૪ જન્મમાં ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, કાળ ફરતાં આવ્યાં
છીએ. સતયુગમાં આટલાં જન્મ, ત્રેતામાં આટલાં….આ પણ ઘણાં બાળકો ભૂલી જાય છે. મુખ્ય
વાત છે પોતાને આત્મા સમજી સ્વીટ બાપ ને યાદ કરવાં. ઉઠતાં-બેસતાં આ બુદ્ધિમાં રહેવાથી
ખુશી રહેશે. ફરીથી બાબા આવ્યાં છે, જેને આપણે અડધોકલ્પ યાદ કરતા હતાં કે આવો આવીને
પાવન બનાવો. પાવન રહીએ છીએ મૂળવતન માં અને અમરપૂરી સતયુગ માં. ભક્તિમાં મનુષ્ય
પુરુષાર્થ કરે છે મુક્તિમાં કે કૃષ્ણપુરી માં જવાં માટે. મુક્તિ કહો અથવા
નિર્વાણધામ કહો, વાનપ્રસ્થ અક્ષર કરેક્ટ સાચો છે. વાનપ્રસ્થી તો શહેર માં જ રહે છે.
સન્યાસી લોકો તો ઘરબાર છોડી જંગલમાં જાય છે. આજકાલ નાં વાનપ્રસ્થીઓ માં કોઈ દમ નથી.
સન્યાસી તો બ્રહ્મને ભગવાન કહી દે છે. બ્રહ્મલોક નથી કહેતાં. હવે આપ બાળકો જાણો છો
પુનર્જન્મ તો કોઈનો પણ બંધ નથી થતો. પોત-પોતાનો પાર્ટ બધાં ભજવે છે. આવાગમન થી
ક્યારેય છૂટવાનું નથી. આ સમયે કરોડો મનુષ્ય છે હજુ પણ આવતા રહેશે, પુનર્જન્મ લેતા
રહેશે. પછી ફર્સ્ટ ફ્લોર (પહેલો માળ) ખાલી થશે. મૂળવતન છે ફર્સ્ટ ફ્લોર, સૂક્ષ્મવતન
છે સેકન્ડ ફ્લોર. આ છે થર્ડ ફ્લોર અથવા આને ગ્રાઉન્ડ ફ્લોર કહો. બીજો કોઈ ફ્લોર છે
નહીં. તેઓ સમજે છે તારાઓમાં પણ દુનિયા છે. એવું છે નહીં. ફર્સ્ટ ફ્લોર માં આત્માઓ
રહે છે. બાકી મનુષ્યોનાં માટે તો આ દુનિયા છે.
તમે બેહદનાં વૈરાગી બાળકો છો, તમારે આ જૂની દુનિયામાં રહેતાં પણ આંખો થી બધુંજ જોતાં
નથી જોવાનું. આ છે મુખ્ય પુરુષાર્થ; કારણકે આ બધું ખતમ થઈ જશે. એવું નથી કે સંસાર
બન્યો જ નથી. બનેલો છે પરંતુ એનાથી વૈરાગ્ય થઈ જાય અર્થાત્ આખી જૂની દુનિયાથી
વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિનાં પછી છે જ્ઞાન, પછી ભક્તિનો વૈરાગ્ય થઈ
જાય. બુદ્ધિ થી સમજો છો કે આ જૂની દુનિયા છે. આ આપણો અંતિમ જન્મ છે, હવે બધાએ પાછું
જવાનું છે. નાના બાળકોને પણ શિવબાબા ની યાદ અપાવવાની છે. ઉલટુ-સુલટું ખાન-પાન વગેરે
ની કોઈ આદત ન પાડવી જોઈએ. નાનપણ થી જેવી આદત પાડો તેવી આદત પડી જાય છે. આજકાલ સંગ
નો દોષ ખૂબ ગંદો છે. સંગ તારે કુસંગ બોરે….આ વિષય સાગર વેશ્યાલય છે. સત તો એક જ
પરમપિતા પરમાત્મા છે. ગોડ ઈજ વન કહેવાય છે. એ આવીને સત્ય વાત સમજાવે છે. બાપ કહે છે
હેં રુહાની બાળકો, હું તમારો બાપ તમારા થી રુહરિહાન કરી રહ્યો છું. મને તમે બોલાવો
છો ને. એજ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. નવી સૃષ્ટિનાં રચયિતા છે. જૂની સૃષ્ટિ નો
વિનાશ કરાવે છે. આ ત્રિમૂર્તિ તો પ્રસિદ્ધ છે. ઊંચેથી ઊંચા છે શિવ. અચ્છા, પછી
સૂક્ષ્મવતન માં છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર. એમનાં સાક્ષાત્કાર પણ થાય છે કારણ કે
પવિત્ર છે ને. એમને ચૈતન્યમાં આ આંખો થી જોઈ નથી શકાતું. અતિ નૌધા ભક્તિથી જોઈ શકે
છે. સમજો કોઈ હનુમાન નાં ભક્ત હશે તો એમનો સાક્ષાત્કાર થશે. શિવનાં ભક્ત ને તો
જુઠ્ઠું બતાવાયું છે કે પરમાત્મા અખંડ જ્યોતિ સ્વરુપ છે. બાપ કહે છે હું તો આટલું
નાનું એવું બિંદુ છું, તેઓ કહે છે અખંડ જ્યોતિ સ્વરુપ અર્જુનને દેખાડયો. તેણે કહ્યું
બસ હું સહન નથી કરી શકતો. તેને દીદાર થયો તો આ ગીતામાં લખેલું છે. મનુષ્ય સમજે છે
અખંડ જ્યોતિ નો સાક્ષાત્કાર થયો. હવે બાપ કહે છે આ બધી ભક્તિમાર્ગ ની વાતો દિલ ખુશ
કરવાની છે. હું તો કહેતો જ નથી કે હું અખંડ જ્યોતિ-સ્વરુપ છું. જેમ બિંદુ માફક તમારી
આત્મા છે એમ હું છું. જેમ તમે ડ્રામાનાં બંધનમાં છો એમ જ હું પણ ડ્રામાનાં બંધનમાં
બંધાયેલો છું. બધી આત્માઓને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. પુનર્જન્મ તો બધાએ લેવાનો જ
છે. નંબરવાર બધાએ આવવાનું જ છે. પહેલાં નંબરવાળો પછી નીચે જાય છે. કેટલી વાતો બાપ
સમજાવે છે. આ સમજાવ્યું છે કે સૃષ્ટિ રુપી ચક્ર ફરતું રહે છે. જેમ દિવસનાં બાદ રાત
આવે છે તેમ કળયુગનાં બાદ સતયુગ, પછી ત્રેતા…પછી સંગમયુગ આવે છે. સંગમયુગ પર જ બાપ
ચેન્જ (પરિવર્તન) કરે છે. જે સતોપ્રધાન હતાં હવે તેજ તમોપ્રધાન બન્યાં છે. તેજ ફરી
સતોપ્રધાન બનશે. બોલાવે પણ છે હેં પતિત-પાવન આવો. તો હવે બાપ કહે છે મનમનાભવ. હું
આત્મા છું, મારે બાપ ને યાદ કરવાનાં છે. આ યથાર્થ રીતે કોઈ મુશ્કેલ સમજે છે. આપણાં
આત્માઓનાં બાપ કેટલાં મીઠા છે. આત્મા જ મીઠી છે ને. શરીર તો ખતમ થઈ જાય છે પછી તેમની
આત્મા ને બોલાવે છે. પ્રેમ તો આત્મા થી જ હોય છે ને. સંસ્કાર આત્મા માં રહે છે.
આત્મા જ ભણે, સાંભળે છે, દેહ તો ખતમ થઈ જાય છે. હું આત્મા અમર છું. પછી તમે મારાં
માટે રડો છો કેમ? આ તો દેહ-અભિમાન છે ને. તમારો દેહમાં પ્રેમ છે, હોવો જોઈએ આત્મા
માં પ્રેમ. અવિનાશી ચીજ માં પ્રેમ હોવો જોઈએ. વિનાશી ચીજમાં પ્રેમ હોવાથી જ
લડતાં-ઝઘડતાં રહે છે. સતયુગમાં છે દેહી-અભિમાની, એટલે ખુશી થી એક શરીર છોડી બીજું
લે છે. રડવાનું-પીટવાનું કાંઈ પણ હોતું નથી.
આપ બાળકોને પોતાની આત્મ-અભિમાની અવસ્થા બનાવવાં માટે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે - હું
આત્મા છું, પોતાનાં ભાઈ (આત્મા) ને બાપ નો સંદેશ સંભળાવું છું, મારાં ભાઈ આ ઓર્ગન્સ
(અવયવો) દ્વારા સાંભળે છે, એવી અવસ્થા બનાવો. બાપ ને યાદ કરતાં રહો તો વિકર્મ વિનાશ
થતાં રહેશે. સ્વયંને પણ આત્મા સમજો, તેમને પણ આત્મા સમજો, ત્યારે પાક્કી આદત થઈ જાય,
આ છે ગુપ્ત મહેનત. અંતર્મુખ થઈ તે અવસ્થા ને પાક્કી કરવાની છે. જેટલો સમય નીકાળી શકો
એટલો આમાં લગાવો. ૮ કલાક તો ધંધો વગેરે ભલે કરો. નિંદ્રા પણ કરો. બાકી આમાં લગાવો.
૮ કલાક સુધી પહોંચવાનું છે, ત્યારે તમને ખૂબ ખુશી રહેશે. પતિત-પાવન બાપ કહે છે મને
યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થાય. જ્ઞાન તમને હમણાં જ સંગમ પર મળે છે. મહિમા બધી
આ સંગમયુગ ની છે, જ્યારે બાપ બેસી તમને જ્ઞાન સમજાવે છે. આમાં સ્થૂળ કોઈ વાત નથી.
આજે તમે લખો છો તે બધું ખતમ થઈ જશે. નોંધ પણ એટલે કરે છે તો પોઈન્ટ (વાત) નોંધ થવાથી
યાદ રહેશે. કોઈની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે તો બુદ્ધિ માં યાદ રહે છે. નંબરવાર તો છે
ને. મુખ્ય વાત, બાપ ને યાદ કરવાનાં છે અને સૃષ્ટિ ચક્રને યાદ કરવાનું છે. કોઇ
વિકર્મ નથી કરવાનું. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. પવિત્ર જરુર બનવાનું છે.
ઘણાં ગંદા ખ્યાલાત વાળા બાળકો સમજે છે-અમને આ ફલાણી બહું સારી લાગે છે, એનાથી અમે
ગંધર્વ વિવાહ કરી લઈએ. પરંતુ આ ગંધર્વ વિવાહ તો ત્યારે કરાવે છે જ્યારે મિત્ર-સંબંધી
વગેરે ખૂબ હેરાન કરે છે, તો તેમને બચાવવા માટે. એવું થોડી બધાં કહેશે અમે ગંધર્વ
વિવાહ કરશું. તેઓ ક્યારેય રહી નહી શકશે. પહેલાં દિવસે જ જઇને ગટરમાં પડશે. નામરુપ
માં દિલ લાગી જાય છે. આ તો બહુજ ખરાબ વાત છે. ગંધર્વ વિવાહ કરવાં કોઈ માસીનું ઘર નથી.
એક-બીજાથી દિલ લાગે તો કહી દે છે ગંધર્વ વિવાહ કરીએ. આમાં સંબંધીઓએ ખૂબ ખબરદાર રહેવું
જોઈએ. સમજવું જોઈએ આ બાળકો કામ નાં નથી. જેનાથી દિલ લાગ્યું છે તેમનાથી હટાવી દેવાં
જોઈએ. નહીં તો વાતો કરતાં રહેશે. આ સભામાં ખુબ ખબરદારી રાખવાની છે. આગળ ચાલીને ખુબ
કાયદેસર સભા લાગશે. આવાં-આવાં ખ્યાલાતવાળા ને આવવા નહીં દેશે.
જે બાળકો રુહાની સર્વિસ (સેવા) પર તત્પર રહે છે, જે યોગ માં રહીને સર્વિસ કરે છે,
તેજ સતયુગી રાજધાની સ્થાપન કરવામાં મદદગાર બને છે. સર્વિસેબુલ (સેવાધારી) બાળકોને
બાપનું ડાયરેક્શન (માર્ગદર્શન) છે - આરામ હરામ છે. જે ખૂબ સર્વિસ કરે છે તે જરુર
રાજા-રાણી બનશે. જે-જે મહેનત કરે છે, આપ સમાન બનાવે છે, એમનામાં તાકાત પણ રહે છે.
સ્થાપના તો ડ્રામા અનુસાર થવાની જ છે. સારી રીતે બધાં પોઇન્ટ (વાતો) ધારણ કરી પછી
સર્વિસમાં લાગી જવું જોઈએ. આરામ પણ હરામ છે. સર્વિસ જ સર્વિસ, ત્યારે ઉચ્ચ પદ પામશે.
વાદળ આવ્યાં અને રીફ્રેશ થઈને ગયા સર્વિસ પર. સર્વિસ તો તમારી ખૂબ નીકળશે. જાત-જાતનાં
ચિત્ર નીકળશે, જે મનુષ્ય ઝટ સમજી જાય. આ ચિત્ર વગેરે પણ ઈમ્પ્રુવ (સુધારતા) થતાં જશે.
આમાં પણ જે આપણાં બ્રાહ્મણ કુળનાં હશે તે સારી રીતે સમજશે. સમજાવવા વાળા પણ સારા છે
તો કંઈક સમજશે. જે સારી રીતે ધારણા કરે છે, બાપ ને યાદ કરે છે - તેમનાં ચહેરા થી જ
ખબર પડી જાય છે. બાબા અમે તો તમારાં થી પૂરો વારસો લઈશું તો તેમની અંદર ખુશીનાં ઢોલ
વાગતાં રહેશે, સર્વિસ નો ખુબજ શોખ હશે. રિફ્રેશ થયાં અને આ ભાગ્યાં. સર્વિસનાં માટે
દરેક સેવાકેન્દ્ર થી ખૂબ તૈયાર થવાં જોઈએ. તમારી સર્વિસ તો ખૂબ ફેલાતી જશે. તમારી
સાથે મળતાં જશે. છેવટે એક દિવસ સન્યાસી પણ આવશે. હમણાં તો તેમની રાજાઈ છે. તેમનાં
પગમાં પડે છે, પૂજે છે. બાપ કહે છે આ ભૂત પૂજા છે. મારા તો પગ છે નહીં, એટલે પૂજવાં
પણ નહીં દેશે. મેં તો આ તન લોન લીધેલું છે એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે.
આ સમયે આપ બાળકો ખૂબ સૌભાગ્યશાળી છો કારણ કે તમે અહીંયા ઈશ્વરીય સંતાન છો. ગાયન પણ
છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ...તો જે બહુકાળ થી અલગ રહ્યાં છે તેજ આવે છે,
તેમને જ આવીને ભણાવું છું. કૃષ્ણનાં માટે થોડી કહી શકશે. એ તો પુરા ૮૪ જન્મ લે છે.
આ છે તેમનો અંતિમ જન્મ, એટલે નામ પણ આ એક નું શ્યામ-સુંદર પડ્યું છે. શિવ ની તો
કોઈને ખબર જ નથી કે શું ચીજ છે. આ વાત બાપ જ આવી ને સમજાવે છે. હું છું પરમ આત્મા,
પરમધામ માં રહેવાવાળો છું. તમે પણ ત્યાંના રહેવાવાળા છો. હું સુપ્રીમ પતિત-પાવન
છું. તમે હમણાં ઈશ્વરીય બુદ્ધિવાળા બન્યાં છો. ઈશ્વરની બુદ્ધિમાં જે જ્ઞાન છે એ તમને
સંભળાવી રહ્યાં છે. સતયુગમાં ભક્તિની વાત નથી હોતી. આ જ્ઞાન તમને હમણાં મળી રહ્યું
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
થઈને પોતાની અવસ્થાને જમાવવાની છે, અભ્યાસ કરવાનો છે - હું આત્મા છું, પોતાનાં ભાઈ
(આત્મા) ને બાપનો સંદેશ આપું છું... આમ આત્મ-અભિમાની બનવાની ગુપ્ત મહેનત કરવાની છે.
2. રુહાની સર્વિસ નો શોખ રાખવાનો છે. આપ સમાન બનાવવાની મહેનત કરવાની છે. સંગ નો દોષ
ખૂબ ગંદો છે, તેનાથી પોતાને સંભાળવાનું છે. ઉલટા ખાન-પાન ની આદત નથી પાડવાની.
વરદાન :-
ખુદાઈ
ખિદમતગાર ની સ્મૃતિ દ્વારા સહજ યાદ નો અનુભવ કરવાવાળા સહજયોગી ભવ
ખુદાઈ ખિદમતગાર
અર્થાત્ જે ખુદા અથવા બાપએ ખિદમત (સેવા) આપી છે, તેજ સેવામાં સદા તત્પર રહેવાવાળા.
સદા એજ નશો રહે કે અમને સ્વયં ખુદાએ ખિદમત આપી છે. કાર્ય કરતાં, જેમણે કાર્ય આપ્યું
છે એમને ક્યારેય ભુલાતું નથી. તો કર્મણા સેવામાં પણ આ સ્મૃતિ રહે કે બાપનાં
ડાયરેક્શન અનુસાર કરી રહ્યાં છીએ તો સહજ યાદ નો અનુભવ કરતાં સહજયોગી બની જશો.
સ્લોગન :-
સદા ગોડલી
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) લાઈફ (જીવન) ની સ્મૃતિ રહે તો માયા સમીપ ન આવી શકે.