15-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - આ તમારો
બહુજ અમૂલ્ય જન્મ છે , આ જન્મમાં તમારે મનુષ્ય થી દેવતા બનવા માટે પાવન બનવાનો
પુરુષાર્થ કરવાનો છે ”
પ્રશ્ન :-
ઈશ્વરીય સંતાન
કહેવડાવવાળા બાળકોની મુખ્ય ધારણા કઈ હશે?
ઉત્તર :-
તેઓ પરસ્પર બહુજ-બહુજ ક્ષીરખંડ થઈને રહેશે. ક્યારેય લુણપાણી નહીં થશે. જે
દેહ-અભિમાની મનુષ્ય છે તે ઉલટું-સુલટું બોલે, લડે ઝઘડે છે. આપ બાળકોમાં તે આદત ન
હોઈ શકે. અહીંયા તમારે દૈવી ગુણ ધારણ કરવાનાં છે, કર્માતીત અવસ્થા ને પામવાની છે.
ઓમ શાંતિ!
પહેલાં-પહેલાં
બાપ બાળકોને કહે છે દેહી-અભિમાની ભવ. સ્વયંને આત્મા સમજો. ગીતા વગેરે માં ભલે કંઈ
પણ છે પરંતુ તે બધાં છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર. બાપ કહે છે હું જ્ઞાન નો સાગર છું.
આપ બાળકોને જ્ઞાન સંભળાવું છું. કયું જ્ઞાન સંભળાવે છે? સૃષ્ટિનું અથવા ડ્રામાનાં
આદિ-મધ્ય-અંતનું નોલેજ સંભળાવે છે. આ છે ભણતર. હિસ્ટ્રી અને જોગ્રાફી છે ને.
ભક્તિમાર્ગ માં કોઈ હિસ્ટ્રી-જોગ્રાફી નથી ભણતાં. નામ પણ નહીં લેશે. સાધુ-સંત વગેરે
બેસી શાસ્ત્ર વાંચે છે. આ બાપ તો કોઈ શાસ્ત્ર વાંચીને નથી સંભળાવતાં. તમને આ ભણતર
થી મનુષ્ય થી દેવતા બનાવે છે. તમે આવો છો જ મનુષ્ય થી દેવતા બનવાં. છે તે પણ મનુષ્ય,
આ પણ મનુષ્ય. પરંતુ આ બાપને બોલાવે છે કે હેં પતિત-પાવન આવો. આ તો જાણો છો દેવતાઓ
પાવન છે. બાકી તો બધાં અપવિત્ર મનુષ્ય છે, તે દેવતાઓ ને નમન કરે છે. તેમને પાવન,
પોતાને પતિત સમજે છે. પરંતુ દેવતાઓ પાવન કેવી રીતે બન્યાં, કોણે બનાવ્યાં-આ કોઈ
મનુષ્ય માત્ર નથી જાણતું. તો બાપ સમજાવે છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાં-આમાં
જ મહેનત છે. દેહ-અભિમાન ન હોવું જોઈએ. આત્મા અવિનાશી છે, સંસ્કાર પણ આત્મા માં રહે
છે. આત્મા જ સારા કે ખરાબ સંસ્કાર લઈ જાય છે એટલે હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો.
પોતાની આત્માને પણ કોઈ જાણતું નથી. જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે તો અંધકાર માર્ગ
શરુ થાય છે. દેહ-અભિમાની બની જાય છે.
બાપ બેસી સમજાવે છે કે આપ બાળકો અહીંયા કોની પાસે આવ્યાં છો? આમની પાસે નહીં. મેં
આમના માં પ્રવેશ કર્યો છે. આમનાં અનેક જન્મોનાં અંત નો આ પતિત જન્મ છે. અનેક જન્મ
કયા? તે પણ બતાવ્યું, અડધોકલ્પ છે પવિત્ર જન્મ, અડધોકલ્પ છે પતિત જન્મ. તો આ પણ
પતિત થઈ ગયાં. બ્રહ્મા પોતાને દેવતા કે ઇશ્વર નથી કહેતાં. મનુષ્ય સમજે છે પ્રજાપિતા
બ્રહ્મા દેવતા હતાં ત્યારે કહે છે બ્રહ્મ દેવતાય નમઃ. બાપ સમજાવે છે બ્રહ્મા જે
પતિત હતાં, અનેક જન્મોનાં અંતમાં તે પછી પાવન બની દેવતા બને છે. તમે છો બી.કે. તમે
પણ બ્રાહ્મણ, આ બ્રહ્મા પણ બ્રાહ્મણ. આમને દેવતા કોણ કહે છે? બ્રહ્મા ને બ્રાહ્મણ
કહેવાય છે ન કે દેવતા. આ જ્યારે પવિત્ર બને છે તો પણ બ્રહ્માને દેવતા નહિં કહેશું.
જ્યાં સુધી વિષ્ણુ (લક્ષ્મી-નારાયણ) ન બને ત્યાં સુધી દેવતા નહીં કહેવાશે. તમે
બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. તમને પહેલાં-પહેલાં શુદ્ર થી બ્રાહ્મણ, બ્રાહ્મણ થી દેવતા
બનાવું છું. આ તમારો અમૂલ્ય હીરા જેવો જન્મ કહેવાય છે. ભલે કર્મભોગ તો હોય જ છે. તો
હવે બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરતાં રહો. આ પ્રેક્ટિસ હશે
ત્યારે જ વિકર્મ વિનાશ થશે. દેહધારી સમજ્યાં તો વિકર્મ વિનાશ નહીં થશે. આત્મા
બ્રાહ્મણ નથી, શરીર સાથે છે ત્યારે જ બ્રાહ્મણ પછી દેવતા...શુદ્ર વગેરે બને છે. તો
હવે બાપને યાદ કરવાની મહેનત છે. સહજયોગ પણ છે. બાપ કહે છે સહજ થી સહજ પણ છે.
કોઈ-કોઈને પછી ડિફિકલ્ટ (કઠિન) પણ બહુજ ભાસે છે. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવીને બાપ
ને ભૂલી જાય છે. સમય તો લાગે છે ને દેહી-અભિમાની બનવામાં. એવું થઈ ન સકે કે હમણાં
તમે એકરસ થઇ જાઓ અને બાપ ની યાદ સ્થાઈ રહી જાય. ના. કર્માતીત અવસ્થાને પામી લો પછી
તો શરીર પણ રહી ન શકે. પવિત્ર આત્મા હલ્કી થઈ એકદમ શરીરને છોડી દે. પવિત્ર આત્માની
સાથે અપવિત્ર શરીર રહી ન શકે. એવું નથી કે આ દાદા કોઈ પાર પહોંચી ગયાં છે. આ પણ કહે
છે-યાદની ખુબજ મહેનત છે. દેહ-અભિમાન માં આવવાથી ઉલટું-સુલટું બોલવાનું, લડવાનું,
ઝઘડવાનું વગેરે ચાલે છે. આપણે બધાં આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી આત્માને કાંઈ નહિ થશે.
દેહ-અભિમાન થી જ રોલા પડે છે. હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. જેમ દેવતાઓ
ક્ષીરખંડ છે એમ તમારે પણ પરસ્પર બહુજ ક્ષીરખંડ થઇને રહેવું જોઇયે છે. તમારે ક્યારેય
લુણ-પાણી નથી થવાનું. જે દેહ-અભિમાની મનુષ્ય છે તે ઉલટું-સુલટું બોલે, લડે-ઝઘડે છે.
આપ બાળકોમાં તે આદત ન હોઈ શકે. અહીંયા તો તમારે દેવતા બનવા માટે દૈવીગુણ ધારણ કરવાનાં
છે. કર્માતીત અવસ્થાને પામવાની છે. જાણો છો આ શરીર, આ દુનિયા જૂની તમોપ્રધાન છે.
જૂની વસ્તુ થી, જૂનાં સંબંધ થી નફરત કરવી પડે છે. દેહ-અભિમાન ની વાતો ને છોડી
સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે તો પાપ વિનાશ થશે. ઘણાં બાળકો યાદ માં ફેલ
(નપાસ) થાય છે. જ્ઞાન સમજાવવા માં બહુજ આગળ જાય છે પરંતુ યાદની મહેનત ખુબ ઊંચી છે.
ઊંચી પરીક્ષા છે. અડધાકલ્પ નાં જૂનાં ભક્ત જ સમજી શકે છે. ભક્તિ માં જે પાછળ થી
આવ્યાં છે તે એટલું સમજી નહિ શકે.
બાપ આ શરીરમાં આવીને કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. મારો ડ્રામામાં પાર્ટ
છે અને હું એક જ વખત આવું છું. આ તે જ સંગમયુગ છે. લડાઈ પણ સામે ઉભી છે. આ ડ્રામા
છે જ ૫ હજાર વર્ષનો. કળયુગ ની આયુ હમણાં ૪૦ હજાર વર્ષ હજી હોય તો ખબર નહિ શું થઈ
જાય. તેઓ તો કહે છે ભલે ભગવાન પણ આવી જાય તો પણ અમે શાસ્ત્રો ની રાહ નહીં છોડીએ. આ
પણ ખબર નથી કે ૪૦ હજાર વર્ષ પછી કયા ભગવાન આવશે. કોઈ સમજે કૃષ્ણ ભગવાન આવશે. થોડા જ
આગળ ચાલી તમારું નામ પ્રસિદ્ધ થશે. પરંતુ તે અવસ્થા હોવી જોઈએ. પરસ્પર ખુબ-ખુબ
પ્રેમ હોવો જોઈએ. તમે ઈશ્વરીય સંતાન છો ને. તમે ખુદાઈ ખિદમતગાર ગવાયેલ છો. કહો છો
અમે બાબા નાં મદદગાર છીએ પતિત ભારત ને પાવન બનાવવાં. બાબા કલ્પ-કલ્પ અમે
આત્મ-અભિમાની બની તમારી શ્રીમત પર યોગબળ થી પોતાનાં વિકર્મ વિનાશ કરીએ છીએ. યોગબળ
છે સાઇલેન્સ (શાંતિ) બળ. સાઈલેન્સ બળ અને સાયન્સ (વિજ્ઞાન) બળ માં રાત-દિવસનો ફરક
છે. આગળ ચાલીને તમને બહુજ સાક્ષાત્કાર થતાં રહેશે. શરુમાં કેટલાં બાળકોએ
સાક્ષાત્કાર કર્યા, પાર્ટ ભજવ્યાં. આજે તે છે નહીં. માયા ખાઈ ગઈ. યોગમાં ન રહેવાથી
માયા ખાઈ જાય છે. જ્યારે કે બાળકો જાણે છે ભગવાન આપણને ભણાવે છે તો પછી કાયદેસર ભણવું
જોઈએ. નહીં તો બહુજ-બહુજ ઓછું પદ પામશો. સજાઓ પણ બહુજ ખાશો. ગાએ પણ છે ને -
જન્મ-જન્માતર નો પાપી છું. ત્યાં (સતયુગમાં) તો રાવણ નું રાજ્ય જ નથી તો વિકારનું
નામ પણ કેવી રીતે હોઈ શકે છે. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી રાજ્ય. તે રામ રાજ્ય, આ
છે રાવણ રાજ્ય. આ સમયે બધાં તમોપ્રધાન છે. દરેક બાળકએ પોતાની સ્થિતિની તપાસ કરવી
જોઈએ કે અમે બાપની યાદ માં કેટલો સમય રહી શકીએ છે? દૈવીગુણ ક્યાં સુધી ધારણ કર્યા
છે? મુખ્ય વાત, અંદર જોવાનું છે અમારા માં કોઈ અવગુણ તો નથી? અમારું ખાન-પાન કેવું
છે? આખાં દિવસ માં કોઈ ફાલતું વાત કે જુઠ્ઠું તો નથી બોલતાં? શરીર નિર્વાહ અર્થ પણ
જુઠ્ઠું વગેરે બોલવું પડે છે ને. પછી મનુષ્ય ધર્માઉ નીકાળે છે તો પાપ હલકુ થઈ જાય.
સારા કર્મ કરે છે તો તેનું પણ રિટર્ન (વળતર) મળે છે. કોઈએ હોસ્પિટલ બનાવડાવ્યું તો
આવતાં જન્મમાં સારી હેલ્થ (સ્વાસ્થ્ય) મળશે. કોલેજ બનાવડાવી તો સારું ભણશે. પરંતુ
પાપનું પ્રાયશ્ચિત શું છે? તેનાં માટે પછી ગંગાસ્નાન કરવા જાય છે. બાકી જે ધન દાન
કરે છે તો તેનું બીજા જન્મમાં મળી જાય છે. તેમાં પાપ કપાવાની વાત નથી રહેતી. તે હોય
છે ધનની લેણ-દેણ, ઈશ્વર અર્થ આપ્યું, ઈશ્વરે અલ્પકાળ માટે આપી દીધું. અહીંયા તો
તમારે પાવન બનવાનું છે સિવાય બાપની યાદ બીજો કોઈ ઉપાય નથી. પાવન પછી પતિત દુનિયા
માં થોડી રહેશે. તેઓ ઈશ્વર અર્થ કરે છે ઇનડાયરેક્ટ (પરોક્ષ). હવે તો ઈશ્વર કહે
છે-હું સમ્મુખ આવ્યો છું પાવન બનાવવાં. હું તો દાતા છું, મને તમે આપો છો તો હું
રિટર્નમાં આપું છું. હું થોડી પોતાની પાસે રાખીશ. આપ બાળકો માટે જ મકાન વગેરે
બનાવ્યાં છે. સંન્યાસી લોકો તો પોતાનાં માટે મોટાં-મોટાં મહેલ વગેરે બનાવે છે.
અહીંયા શિવબાબા પોતાની માટે તો કાંઈ નથી બનાવતાં. કહે છે આનું રિટર્ન તમને ૨૧
જન્મોનાં માટે નવી દુનિયા માં મળશે કારણ કે તમે સમ્મુખ લેણ-દેણ કરો છો. પૈસા જે આપો
છો તે તમારા જ કામ લાગે છે. ભક્તિમાર્ગ માં પણ દાતા છું તો હમણાં પણ દાતા છું. તે
છે ઇનડાયરેક્ટ, આ છે ડાયરેક્ટ (પ્રત્યક્ષ). બાબા તો કહી દે છે જે કાંઈ છે તેનાથી
જઈને સેવાકેન્દ્ર ખોલો. બીજાનું કલ્યાણ કરો. હું પણ તો સેવાકેન્દ્ર ખોલું છું ને.
બાળકોનું આપેલું છે, બાળકોને જ મદદ કરું છું. હું થોડી પોતાની સાથે પૈસા લઈ આવું
છું. હું તો આવીને આમનામાં પ્રવેશ કરું છું, આમનાં દ્વારા કર્તવ્ય કરાવું છું. મારે
તો સ્વર્ગમાં આવવાનું નથી. આ બધુંજ તમારાં માટે છે, હું તો અભોક્તા છું. કાંઈ પણ નથી
લેતો. એવું પણ નથી કહેતો કે પગે પડો. હું તો આપ બાળકોનો મોસ્ટ ઓબીડિયન્ટ સર્વેન્ટ (આજ્ઞાકારી
સેવક) છું. આ પણ તમે જાણો છો એજ, તમે માતા-પિતા…..બધુંજ છે. તે પણ નિરાકાર છે. તમે
કોઈ ગુરુ ને ક્યારેય ત્વમેવ માતા-પિતા નહીં કહેશો. ગુરુ ને ગુરુ, શિક્ષક ને શિક્ષક
કહેશે. આમને માતા-પિતા કહો છો. બાપ કહે છે હું કલ્પ-કલ્પ એક જ વખત આવું છું. તમે જ
૧૨ મહિના પછી જયંતી મનાવો છો. પરંતુ શિવબાબા ક્યારે આવ્યાં, શું કર્યુ, આ કોઈને પણ
ખબર નથી. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નાં પણ ઓક્યુપેશન (કર્તવ્ય) ની ખબર નથી કારણ કે ઉપર
શિવનું ચિત્ર ઉડાવી દીધું છે. નહીં તો શિવબાબા કરન-કરાવનહાર છે. બ્રહ્મા દ્વારા
કરાવે છે. આ પણ આપ બાળકો જાણો છો, કેવી રીતે આવીને પ્રવેશ કરી અને કરીને દેખાડે છે.
એટલે પોતે કહે છે તમે પણ આમ કરો. એક તો સારી રીતે ભણો. બાપ ને યાદ કરો, દૈવીગુણ
ધારણ કરો. જેમ આમની આત્મા કહે છે. આ પણ કહે છે હું બાબા ને યાદ કરું છું. બાબા પણ
જાણે સાથે છે. તમારી બુદ્ધિમાં છે આપણે નવી દુનિયાનાં માલિક બનવાવાળા છીએ. તો
ચાલ-ચલન, ખાન-પાન વગેરે બધું બદલવાનું છે. વિકારોને છોડવાનાં છે. સુધરવાનું તો છે.
જેમ-જેમ સુધારશો પછી શરીર છોડશો તો ઊંચ કુળમાં જન્મ લેશો. નંબરવાર કુળનાં પણ હોય
છે. અહીંયા પણ ખુબ સારા-સારા કુળ હોય છે. ૪-૫ ભાઈ બધાં પરસ્પર ભેગાં રહે છે, કોઈ
ઝઘડા વગેરે નથી થતાં. હમણાં આપ બાળકો જાણો છો આપણે અમરલોક માં જઈએ છીએ, જ્યાં કાળ
નથી ખાતો. ડર ની કોઈ વાત નથી. અહીંયા તો દિવસ-પ્રતિદિવસ ડર વધતો જશે. બહાર નીકળી નહિં
શકો. આ પણ જાણે છે આ ભણતર કોટો માં કોઈ જ ભણશે. કોઈ તો સારી રીતે સમજે છે, લખે પણ
છે બહુજ સારું છે. એવાં બાળકો પણ આવશે જરૂર. રાજધાની તો સ્થાપન થવાની છે ને. બાકી
થોડો સમય બચ્યો છે.
બાપ એ પુરુષાર્થી બાળકોની બહુજ-બહુજ મહિમા કરે છે જે યાદની યાત્રામાં આગળ દોડ લગાડવા
વાળા છે. મુખ્ય છે યાદની વાત. આનાથી જૂનાં હિસાબ-કિતાબ ચૂકતું થાય છે. કોઈ-કોઈ બાળકો
બાબાને લખે છે-બાબા હું આટલાં કલાક રોજ યાદ કરું છું તો બાબા પણ સમજે છે આ બહુજ
પુરુષાર્થી છે. પુરુષાર્થ તો કરવાનો છે ને એટલે બાપ કહે છે પરસ્પર ક્યારેય પણ
લડવું-ઝઘડવું ન જોઈએ. આ તો જાનવરો નું કામ છે. લડવું-ઝઘડવું આ છે દેહ-અભિમાન. બાપનું
નામ બદનામ કરી દેશો. બાપ નાં માટે જ કહેવાય છે સદ્દગુરુ નો નિંદક ઠોર ન પામેં.
સાધુઓએ પછી પોતાનાં માટે કહી દીધું છે. તો માતાઓ તેમનાં થી બહુજ ડરે છે કે કોઈ
શ્રાપ ન લાગી જાય. હવે તમે જાણો છો આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. સાચી-સાચી
અમરકથા સાંભળી રહ્યાં છીએ. કહો છો અમે આ પાઠશાળામાં આવીએ છીએ શ્રી લક્ષ્મી-નારાયણનું
પદ પામવા માટે બીજા ક્યાંય એવું કહેતાં નથી. હવે આપણે જઈએ છે પોતાનાં ઘરે. આમાં
યાદનો પુરુષાર્થ જ મુખ્ય છે. અડધોકલ્પ યાદ નથી કર્યા. હવે એક જ જન્મમાં યાદ કરવાનું
છે. આ છે મહેનત. યાદ કરવાનાં છે, દૈવીગુણ ધારણ કરવાનાં છે, કોઈ પાપ કર્મ કર્યુ તો
સો ગુણા દંડ પડી જશે. પુરુષાર્થ કરવાનો છે, પોતાની ઉન્નતિ કરવાની છે. આત્મા જ શરીર
દ્વારા ભણીને બેરિસ્ટર કે સર્જન વગેરે બને છે ને. આ લક્ષ્મી-નારાયણ પદ તો ખુબ ઊંચું
છે ને. આગળ ચાલી તમને સાક્ષાત્કાર બહુજ થશે. તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુલ ભૂષણ,
સ્વદર્શન ચક્રધારી. કલ્પ પહેલાં પણ આ જ્ઞાન તમને સંભળાવ્યું હતું. ફરી તમને સંભળાવું
છું. તમે સાંભળીને પદ પામો છો. પછી આ જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. બાકી આ શાસ્ત્ર
વગેરે બધાં છે ભક્તિમાર્ગ નાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર પોતાની
તપાસ કરવાની છે - અમે બાપની યાદ માં કેટલો સમય રહીએ છે? દૈવી ગુણ ક્યાં સુધી ધારણ
કર્યા છે? અમારા માં કોઈ અવગુણ તો નથી? અમારું ખાન-પાન, ચાલ-ચલન રોયલ છે? ફાલતુ વાતો
નથી કરતાં? જુઠ્ઠું તો નથી બોલતાં?
2. યાદ નો ચાર્ટ
વધારવા માટે અભ્યાસ કરવાનો છે - આપણે બધાં આત્માઓ ભાઈ-ભાઈ છીએ. દેહ-અભિમાનથી દૂર
રહેવાનું છે. પોતાની એકરસ સ્થિતિ જમાવવાની છે, એનાં માટે સમય આપવાનો છે.
વરદાન :-
બાપ સમાન
સ્થિતિ દ્વારા સમયને સમીપ લાવવા વાળા તતત્વમ્ નાં વરદાની ભવ
હુંપણું ને નીકાળવું
અર્થાત્ બાપ સમાન સ્થિતિમાં સ્થિત થઈને સમય ને સમીપ લાવવો. જ્યાં પોતાની દેહમાં અથવા
પોતાની કોઈ પણ વસ્તુમાં મારાંપણું છે ત્યાં સમાનતા માં પર્સન્ટેજ (ટકાવારી) છે,
પર્સન્ટેજ એટલે ડિફેક્ટ (ખામી), આવાં ડિફેક્ટ વાળા ક્યારેય પરફેક્ટ નથી બની શકતાં.
પરફેક્ટ બનવા માટે બાપનાં લવ (પ્રેમ) માં સદા લવલીન (મગન) રહો. સદા લવ માં લવલીન
રહેવાથી સહજ જ બીજાને પણ આપ-સમાન અને બાપ-સમાન બનાવી શકશો. બાપદાદા પોતાનાં લવલી અને
લવલીન રહેવાવાળા બાળકોને સદા તતત્વમ્ નું વરદાન આપે છે.
સ્લોગન :-
એકબીજાનાં
વિચારોને રીગાર્ડ (આદર) આપો તો સ્વયંનો રેકોર્ડ સારો બની જશે.