20-04-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમારું આ નવું ઝાડ ખૂબ મીઠું છે , આ મીઠા ઝાડને જ કીડા લાગે છે , કીડાને સમાપ્ત કરવાની દવા છે મનમનાભવ ”

પ્રશ્ન :-
પાસ વિથ ઓનર થવાવાળા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની નિશાની શું હશે?

ઉત્તર :-
તેઓ ફક્ત એક વિષયમાં નહીં પરંતુ બધાં વિષય પર પૂરે-પૂરું ધ્યાન આપશે. સ્થૂળ સર્વિસ (સેવા) નો પણ વિષય સારો છે, અનેકોને સુખ મળે છે, એનાથી પણ માર્ક્સ (ટકા) જમા થાય છે પરંતુ સાથે-સાથે જ્ઞાન પણ જોઈએ તો ચલન પણ જોઈએ. દૈવી ગુણો પર પૂરું અટેન્શન (ધ્યાન) હોય. જ્ઞાન યોગ પૂરો હોય ત્યારે પાસ વિથ ઓનર થઈ શકશો.

ગીત :-
ન વો હમસે જુદા હોંગે....

ઓમ શાંતિ!
બાળકોએ શું સાંભળ્યું? બાળકોનું કોનાં થી દિલ લાગેલું છે? ગાઈડ (માર્ગદર્શક) થી. ગાઈડ શું-શું દેખાડે છે? સ્વર્ગમાં જવાનો ગેટ (દ્વાર) દેખાડે છે. બાળકોને નામ પણ આપ્યું છે ગેટ વે ટુ હેવન. સ્વર્ગનો ફાટક ક્યારે ખુલે છે? હમણાં તો હેલ (નર્ક) છે ને? હેવનનો ફાટક કોણ ખોલે છે અને ક્યારે? આ આપ બાળકો જ જાણો છો. તમને સદેવ ખુશી રહે છે. હેવન માં જવાનાં માટે રસ્તો તમે જાણો છો. મેળા પ્રદર્શની દ્વારા તમે આ દેખાડો છો કે મનુષ્ય સ્વર્ગનાં દ્વારે કેવી રીતે જઈ શકે છે. ચિત્ર તો તમેં ખૂબ બનાવ્યાં છે. બાબા પૂછે છે આ બધાં ચિત્રોમાં કયું એવું ચિત્ર છે જેનાથી આપણે કોઈને પણ સમજાવી શકીએ કે આ છે સ્વર્ગમાં જવાનો ગેટ? ગોળા (સૃષ્ટિ ચક્ર) નાં ચિત્રમાં સ્વર્ગ જવાનો ગેટ સિદ્ધ થાય છે. આજ રાઈટ (સત્ય) છે. ઉપરમાં તે તરફ છે નર્ક નો ગેટ, આ તરફ છે સ્વર્ગનો ગેટ. બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) છે. અહીંયા થી બધી આત્માઓ ભાગે છે શાંતિધામ પછી આવે છે સ્વર્ગમાં. આ ગેટ છે. આખાં ચક્રને પણ ગેટ નહીં કહેશું. ઉપરમાં જ્યાં સંગમ દેખાડ્યો છે તે છે પૂરો ગેટ. જેમાંથી આત્માઓ નીકળી જાય છે, પછી નવી દુનિયામાં આવે છે. બાકી બધાં શાંતિધામ માં રહે છે. કાંટો દેખાડે છે-આ નર્ક છે, તે સ્વર્ગ છે. સૌથી સારું ફર્સ્ટ ક્લાસ સમજાવવાનું આ ચિત્ર છે. બિલકુલ ક્લિયર છે, ગેટ વે ટુ હેવન. આ બુદ્ધિથી સમજવાની વાત છે ને. અનેક ધર્મો નો વિનાશ અને એક ધર્મની સ્થાપના થઇ રહી છે. તમે જાણો છો આપણે સુખધામ માં જઈશું, બાકી બધાં શાંતિધામ માં ચાલ્યા જશે. ગેટ તો ખૂબ ક્લિયર છે. આ ગોળો જ મુખ્ય ચિત્ર છે. આમાં નર્કનો દ્વાર, સ્વર્ગનો દ્વાર બિલકુલ ક્લિયર છે. સ્વર્ગનાં દ્વારમાં જે કલ્પ પહેલાં ગયા હતાં તેજ જશે, બાકી બધાં શાંતિ દ્વાર ચાલ્યા જશે. નર્કનો દ્વાર બંધ થઈ શાંતિ અને સુખનો દ્વાર ખૂલે છે. સૌથી ફર્સ્ટક્લાસ ચિત્ર આ છે. બાબા હંમેશા કહે છે ત્રિમૂર્તિ, બે ગોળા અને આ ચક્ર ફર્સ્ટક્લાસ ચિત્ર છે. જે પણ કોઈ આવે તેમને પહેલાં આ ચિત્ર પર દેખાડો સ્વર્ગમાં જવાનો આ ગેટ છે. આ નર્ક, આ સ્વર્ગ. નર્કનો હમણાં વિનાશ થાય છે. મુક્તિનો ગેટ ખુલે છે. આ સમયે આપણે સ્વર્ગમાં જઈશું બાકી બધાં શાંતિધામ માં જશે. કેટલું સહજ છે. સ્વર્ગ દ્વારે બધાં તો નહીં જશે. ત્યાં તો આ દેવી-દેવતાઓનું જ રાજ્ય હતું. તમારી બુદ્ધિમાં છે સ્વર્ગ દ્વાર ચાલવા માટે હમણાં આપણે લાયક બનીએ છીએ. જેટલું લખશો ભણશો બનશો નવાબ, રડશો પડશો તો થશો ખરાબ. સૌથી સારું ચિત્ર આ ગોળા નું છે, બુદ્ધિથી સમજી શકાય છે એક વખત ચિત્ર જોયાં પછી બુદ્ધિથી કામ લેવાય છે. આપ બાળકોને આખો દિવસ આ ખ્યાલાત ચાલવાં જોઈએ કે કયું ચિત્ર મુખ્ય છે, જેનાં પર આપણે સારી રીતે સમજાવી શકીએ છે. ગેટ વે ટુ હેવન - આ અંગ્રેજી અક્ષર ખૂબ સારો છે. હમણાં તો અનેક ભાષાઓ થઈ ગઈ છે. હિન્દી અક્ષર હિન્દુસ્તાન થી નીકળેલો છે. હિન્દુસ્તાન અક્ષર કોઈ રાઇટ (સાચો) નથી, આનું અસલ નામ તો ભારત જ છે. ભારતખંડ કહે છે. આ તો ગલીયો વગેરેનાં નામ બદલાય છે. ખંડ નું નામ થોડી જ બદલાવાય છે. મહાભારત અક્ષર છે ને. બધામાં ભારત જ યાદ આવે છે. ગાએ પણ છે ભારત અમારો દેશ છે. હિંદુ ધર્મ કહેવાથી ભાષા પણ હિન્દી કરી દીધી છે. આ છે અનરાઈટિયસ (ખોટું). સતયુગમાં હતું સાચું જ સાચું - સાચું પહેરવું, સાચું ખાવાનું, સાચું બોલવાનું. અહીંયા બધું જુઠ્ઠું થઈ ગયું છે. તો આ ગેટ વે ટુ હેવન અક્ષર ખૂબ સારો છે. ચાલો અમે તમને સ્વર્ગ જવાનો ગેટ બતાવીએ. કેટલી ભાષાઓ થઈ ગઈ છે. બાપ આપ બાળકોને સદ્દગતિ ની શ્રેષ્ઠ મત આપે છે. બાપની મત માટે ગાયન છે એમની ગત મત ન્યારી. આપ બાળકોને કેટલી સહજ મત આપે છે. ભગવાન ની શ્રીમત પર જ તમારે ચાલવાનું છે. ડોક્ટરની મત પર ડોક્ટર બનશો. ભગવાન ની મત ભગવાન ભગવતી બનવાનું હોય છે. છે પણ ભગવાનુવાચ એટલે બાબાએ કહ્યું હતું પહેલાં તો આ સિદ્ધ કરો ભગવાન કોને કહેવાય છે. સ્વર્ગના માલિક જરુર ભગવાન ભગવતી જ થયાં. બ્રહ્મમાં તો કંઈ છે નહીં. સ્વર્ગ પણ અહીંયા, નર્ક પણ અહીંયા હોય છે. સ્વર્ગ-નર્ક બંને બિલકુલ ન્યારા છે. મનુષ્યોની બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન થઈ ગઈ છે, કાંઈ પણ સમજતા નથી. સતયુગ ને લાખો વર્ષ આપી દીધાં છે. કળયુગ ને માટે કહે છે ૪૦ હજાર વર્ષ પડયાં છે. બિલકુલ જ ઘોર અંધકારમાં છે.

હવે આપ બાળકો જાણો છો બાપ આપણને હેવન લઈ જવાં માટે એવાં ગુણવાન બનાવે છે. મુખ્ય ફૂર્ણા (શોખ) જ આ રાખવાની છે કે આપણે સતોપ્રધાન કેવી રીતે બનીએ? બાપે કહ્યું છે મામેકમ્ યાદ કરો. ચાલતાં-ફરતાં કામ કરતાં બુદ્ધિમાં આ યાદ રહે. આશિક-માશૂક પણ કર્મ તો કરે છે ને. ભક્તિમાં પણ કર્મ તો કરે છે ને. બુદ્ધિમાં એમની યાદ રહે છે. યાદ કરવા માટે માળા ફેરવે છે. બાપ પણ ઘડી-ઘડી કહે છે મુજ બાપને યાદ કરો. સર્વવ્યાપી કહી દેવાથી તો પછી યાદ કોને કરશે? બાપ સમજાવે છે તમે કેટલાં નાસ્તિક બની ગયાં છો. બાપને જ નથી જાણતાં. કહો પણ છો ઓ ગોડ ફાધર. પરંતુ એ છે કોણ, આ જરા પણ ખબર નથી. આત્મા કહે છે ઓ ગોડ ફાધર. પરંતુ આત્મા શું છે, આત્મા અલગ છે, એમને કહેવાય છે પરમ આત્મા અર્થાત્ સુપ્રીમ (સર્વોચ્ચ), ઊંચેથી ઊંચા સુપ્રીમ સોલ પરમ આત્મા. એક પણ મનુષ્ય નથી જેમને પોતાની આત્માનું જ્ઞાન હોય. હું આત્મા છું, આ શરીર છે. બે ચીજ તો છે ને. આ શરીર ૫ તત્વોનું બનેલું છે. આત્મા તો અવિનાશી એક બિંદુ છે. તે શું ચીજ થી બનશે. આટલું નાનું બિંદુ છે, સાધુ-સંત વગેરે કોઈને ખબર નથી. આમણે તો ઘણાં ગુરુ કર્યા પરંતુ કોઈએ એ નથી સંભળાવ્યું કે આત્મા શું છે? પરમપિતા પરમાત્મા શું છે? એવું નથી ફક્ત પરમાત્માને નથી જાણતાં. આત્મા ને પણ નથી જાણતાં. આત્માને જાણી જાય તો પરમાત્માને ફટ થી જાણી જાય. બાળક પોતાને જાણે અને બાપને ન જાણે તો ચાલી કેવી રીતે શકે? તમે તો હમણાં જાણો છો આત્મા શું છે, ક્યાં રહે છે? ડોક્ટર લોકો પણ એટલું સમજે છે-તે સૂક્ષ્મ છે, આ આંખોથી જોઈ નથી શકાતી પછી કાચમાં પણ બંધ કરવાથી જોઈ કેવી રીતે શકશો? દુનિયામાં તમારાં જેવું નોલેજ કોઈને નથી. તમે જાણો છો આત્મા બિંદુ છે, પરમાત્મા પણ બિંદુ છે. બાકી આપણે આત્માઓ પતિત થી પાવન, પાવન થી પતિત બનીએ છે. ત્યાં તો પતિત આત્મા નથી રહેતી. ત્યાંથી બધાં પાવન આવે છે પછી પતિત બને છે. પછી બાપ આવીને પાવન બનાવે છે, આ ખૂબ સહજ થી સહજ વાત છે. તમે જાણો છો આપણી આત્મા ૮૪ નું ચક્ર લગાવી હવે તમેપ્રધાન બની ગઈ છે. આપણે જ ૮૪ જન્મ લઈએ છે. એકની વાત નથી. બાપ કહે છે હું સમજાવું આમને છું, સાંભળો તમે છો. મેં આમનામાં પ્રવેશ કર્યો છે, આમને સંભળાવું છું. તમે સાંભળી લો છો. આ છે રથ. તો બાબા એ સમજાવ્યું છે-નામ રાખવું જોઈએ ગેટ વે ટુ હેવન. પરંતુ આમાં પણ સમજાવવું પડે કે સતયુગ માં જે દેવી-દેવતા ધર્મ હતો તે હવે પ્રાયઃલોપ છે. કોઈને ખબર નથી. ક્રિશ્ચન પણ પહેલાં સતોપ્રધાન હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બને છે. ઝાડ પણ જુનું જરૂર થાય છે. આ વેરાઈટી ધર્મોનું ઝાડ છે. ઝાડનાં હિસાબ થી બીજા બધાં ધર્મવાળા આવે જ પાછળથી છે. આ ડ્રામા બન્યો-બનાવેલ છે. એમજ થોડી કોઈને ટર્ન (તક) મળી જશે સતયુગમાં આવવાનો. નહીં. આ તો અનાદિ ખેલ બનેલ છે. સતયુગ માં એક જ આદિ સનાતન પ્રાચીન દેવી-દેવતા ધર્મ હતો. હવે આપ બાળકોની બુદ્ધિમાં છે કે આપણે સ્વર્ગમાં જઈ રહ્યાં છીએ. આત્મા કહે છે અમે તમોપ્રધાન છીએ તો ઘરે કેવી રીતે જઈશું, સ્વર્ગમાં કેવી રીતે જઈશું? એનાં માટે સતોપ્રધાન બનવાની યુક્તિ પણ બાપે બતાવી છે. બાપ કહે છે મને જ પતિત-પાવન કહે છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. ભગવાનુવાચ લખેલું છે. આ પણ બધાં કહેતા રહે છે-ક્રાઈસ્ટ થી આટલાં વર્ષ પહેલા ભારત હેવન હતું. પરંતુ કેવી રીતે બન્યું પછી ક્યાં ગયું, આ કોઈ નથી જાણતું. તમે તો સારી રીતે જાણો છો. પહેલાં આ બધી વાતો થોડી જાણતા હતાં. દુનિયામાં આ પણ કોઈને ખબર નથી કે આત્મા જ સારી કે ખરાબ બને છે. બધી આત્માઓ બાળકો છે. બાપ ને યાદ કરે છે. બાપ બધાનાં માશૂક છે, બધાં આશિક છે. હમણાં આપ બાળકો જાણો છો એ માશૂક આવેલાં છે. ખૂબ મીઠા માશૂક છે. નહિ તો બધાં તેમને યાદ કેમ કરે? કોઈ પણ એવાં મનુષ્ય નહીં હશે જેમનાં મુખથી પરમાત્માનું નામ ન નીકળે. ફક્ત જાણતા નથી. તમે જાણો છો આત્મા અશરીરી છે. આત્માઓની પણ પૂજા થાય છે ને. આપણે જે પૂજ્ય હતાં તે પછી પોતાની જ આત્માને પૂજવાં લાગ્યાં. હોઈ શકે છે આગલાં જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય. શ્રીનાથ માં ભોગ લાગે છે, ખાય છે તો પૂજારી લોકો. આ બધું છે ભક્તિમાર્ગ.

આપ બાળકોએ સમજાવવાનું છે-સ્વર્ગનો ફાટક ખોલવા વાળા બાપ છે. પરંતુ ખોલે કેવી રીતે, સમજાવે કેવી રીતે? ભગવાનુવાચ છે તો જરૂર શરીર દ્વારા વાચ હશે ને. આત્મા જ શરીર દ્વારા બોલે છે, સાંભળે છે. આ બાબા રેજ્ગારી બતાવે છે. બીજ અને ઝાડ છે. આપ બાળકો જાણો છો આ નવું ઝાડ છે. ધીમે-ધીમે પછી વૃદ્ધિને પામે છે. તમારાં આ નવાં ઝાડને કીડા પણ ખૂબ લાગે છે કારણ કે આ નવું ઝાડ ખૂબ મીઠુ છે. મીઠા ઝાડને જ કીડા વગેરે કાંઈને કાંઈ લાગે છે પછી દવાઓ નાખે છે. બાપએ પણ મનમનાભવ ની દવા ખૂબ સરસ આપી છે. મનમનાભવ ન હોવાથી કીડા ખાઈ જાય છે. કીડા વાળી ચીજ શું કામમાં આવશે. તે તો ફેંકી દેવાય છે. ક્યાં ઊંચું પદ, ક્યાં નીચું પદ. ફરક તો છે ને. મીઠા બાળકોને સમજાવતાં રહે છે ખૂબ મીઠા-મીઠા બનો. કોઈ થી પણ લૂણપાણી નહીં બનો, ક્ષીરખંડ બનો. ત્યાં સિંહ-બકરી પણ ક્ષીરખંડ રહે છે. તો બાળકોએ પણ ક્ષીરખંડ બનવું જોઈએ. પરંતુ કોઈની તકદીરમાં જ નથી તો તદબીર પણ શું કરે! નપાસ થઈ જાય છે. શિક્ષક ભણાવે છે તકદીર ઊંચી બનાવવાં. શિક્ષક ભણાવે તો બધાને છે. ફરક પણ તમે જુઓ છો. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ક્લાસમાં જાણી શકે છે, કોણ કયા વિષયમાં હોશિયાર છે. અહીંયા પણ એવું છે. સ્થૂળ સર્વિસ ની પણ સબ્જેક્ટ (વિષય) તો છે ને. જેવા ભંડારી છે, અનેકોને સુખ મળે છે, કેટલું બધાં યાદ કરે છે. આ તો ઠીક છે, આ સબ્જેક્ટ થી પણ માર્કસ મળે છે. પરંતુ પાસ વિથ ઓનર થવા માટે ફક્ત એક સબ્જેક્ટમાં નહીં, બધાં સબજેક્ટમાં પૂરું ધ્યાન આપવાનું છે. જ્ઞાન પણ જોઈએ, ચલન પણ એવી જોઈએ, દૈવી ગુણ પણ જોઈએ. એટેન્શન (ધ્યાન) રાખવું સારું છે. ભંડારી ની પાસે પણ કોઈ આવે છે તો કહે મનમનાભવ. શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે સ્વર્ગનાં માલિક બની જશો. બાપને યાદ કરતાં બીજાઓને પણ પરિચય આપતાં રહો. જ્ઞાન અને યોગ જોઈએ. ખૂબ સહજ છે. મુખ્ય વાત જ છે આ. આંધળાઓ ની લાઠી બનવાનું છે. પ્રદર્શનીમાં પણ કોઇને લઇ જાઓ, ચાલો અમે તમને સ્વર્ગનો ગેટ દેખાડીએ. આ નરક છે, તે સ્વર્ગ છે. બાપ કહે છે મને યાદ કરો, પવિત્ર બનો તો તમે પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. મનમનાભવ. હૂબહૂ તમને ગીતા સંભળાવે છે એટલે બાબાએ ચિત્ર બનાવ્યાં છે-ગીતાનાં ભગવાન કોણ? સ્વર્ગનો ગેટ કોણ ખોલે છે? ખોલે છે શિવબાબા. કૃષ્ણ એનાથી પાર કરે છે અને પછી નામ રાખી દીધું છે કૃષ્ણનું. મુખ્ય ચિત્ર છે જ બે. બાકી તો રેજ્ગારી છે. બાળકોએ ખુબ મીઠા બનવાનું છે. પ્રેમ થી વાત કરવાની છે. મન્સા, વાચા, કર્મણા બધાને સુખ આપવાનું છે. જુઓ ભંડારી બધાને ખુશ કરે છે તો એનાં માટે સૌગાત (ભેટ) પણ લઈ આવે છે. આ પણ સબ્જેક્ટ છે ને. સૌગાત આવીને આપે છે, તે કહે છે હું તમારા થી શું લઉં, પછી તમારી યાદ રહેશે. શિવબાબાનાં ભંડારા થી મળશે તો મને શિવબાબાની યાદ રહેશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઊંચ તકદીર બનાવવા માટે આપસમાં ખૂબ-ખૂબ ક્ષીરખંડ, મીઠા થઇને રહેવાનું છે, ક્યારેય લૂણ-પાણી નથી થવાનું. બધાં સબજેક્ટ પર પૂરું અટેન્શન આપવાનું છે.

2. સદ્દગતિનાં માટે બાપની જે શ્રેષ્ઠ મત મળી છે, તેનાં પર ચાલવાનું છે અને બધાને શ્રેષ્ઠ મત જ સંભળાવવાની છે. સ્વર્ગમાં જવાનો રસ્તો દેખાડવાનો છે.

વરદાન :-
શુદ્ધ સંકલ્પો ની શક્તિનાં સ્ટોક દ્વારા મનસા સેવાનાં સહજ અનુભવી ભવ

અંતર્મુખી બની શુદ્ધ સંકલ્પોની શક્તિનો સ્ટોક જમા કરો. આ શુદ્ધ સંકલ્પ ની શક્તિ સહજ જ પોતાનાં વ્યર્થ સંકલ્પોને સમાપ્ત કરી દેશે અને બીજાઓને પણ શુભ ભાવના, શુભ કામના નાં સ્વરુપ થી પરિવર્તન કરી શકશે. શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરવા માટે મુરલીની દરેક પોઇન્ટ (વાત) ને સાંભળવાની સાથે-સાથે શક્તિ નાં રુપમાં દર સમય કાર્યમાં લગાવો. જેટલો શુદ્ધ સંકલ્પો ની શક્તિ નો સ્ટોક જમા હશે એટલાં મન્સા સેવા નાં સહજ અનુભવી બનતાં જશો.

સ્લોગન :-
મન થી સદાનાં માટે ઈર્ષ્યા-દ્વેષ ને વિદાઈ આપો ત્યારે વિજય થશો.