27-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - પોતાની
ઉન્નતિનાં માટે રોજ પોતામેલ નીકાળો , આખાં દિવસમાં ચલન કેવી રહી , તપાસ કરો - યજ્ઞ
નાં પ્રતિ ઓનેસ્ટ ( ઈમાનદાર ) રહ્યાં ”
પ્રશ્ન :-
કયા બાળકોનાં
પ્રતિ બાપનો બહુજ રિગાર્ડ (આદર) છે? તે રિગાર્ડ ની નિશાની શું છે?
ઉત્તર :-
જે બાળકો બાપની સાથે સાચાં, યજ્ઞનાં પ્રતિ ઈમાનદાર છે, કાંઈ પણ છુપાડતાં નથી, તે
બાળકો પ્રતિ બાપનો બહુજ રિગાર્ડ છે. રિગાર્ડ હોવાનાં કારણે પુચકાર આપી ઉઠાવતાં રહે
છે. સર્વિસ પર પણ મોકલી દે છે. બાળકોએ સાચું સંભળાવીને શ્રીમત લેવાની અક્કલ હોવી
જોઈએ.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા……
ઓમ શાંતિ!
હવે આ ગીત તો
થયું રોંગ (ખોટું) કારણકે તમે શમા તો છો નહીં. આત્માને હકીકતમાં શમા નથી કહેવાતું.
ભક્તોએ અનેક નામ રાખી દીધાં છે. ન જાણવાનાં કારણે કહે પણ છે - નેતિ-નેતિ, અમે નથી
જાણતાં, નાસ્તિક છીએ. તો પણ જે નામ આવ્યું તે કહી દે છે. બ્રહ્મ, શમા, ઠીક્કર,
ભિત્તર માં પણ પરમાત્મા કહી દે છે કારણકે ભક્તિમાર્ગ માં કોઈ પણ બાપને યથાર્થ રીતે
ઓળખી નથી શકતાં. બાપે જ આવીને પોતાનો પરિચય આપવાનો છે. શાસ્ત્ર વગેરે કોઇમાં પણ બાપ
નો પરિચય નથી એટલે તેમને નાસ્તિક કહેવાય છે. હવે બાળકોને બાપએ પરિચય આપ્યો છે, પરંતુ
સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાં, આમાં બહુજ બુદ્ધિનું કામ છે. આ સમયે છે
પથ્થરબુદ્ધિ. આત્મા માં બુદ્ધિ છે. ઓર્ગન્સ (અંગો) દ્વારા ખબર પડે છે - આત્માની
બુદ્ધિ પારસ છે કે પથ્થર છે? બધો આધાર આત્મા પર છે. મનુષ્ય તો કહી દે છે આત્મા જ
પરમાત્મા છે. એ તો નિર્લેપ છે એટલે જે ઈચ્છો કરતાં રહો. મનુષ્ય થઈને બાપને જ નથી
જાણતાં. બાપ કહે છે માયા રાવણે બધાની પથ્થરબુદ્ધિ બનાવી દીધી છે. દિવસ-પ્રતિદિવસ
તમોપ્રધાન વધારે થતાં જાય છે. માયા નું બહુજ જોર છે, સુધરતાં જ નથી. બાળકોને
સમજાવાય છે રાત્રે આખાં દિવસનો પોતામેલ નીકાળો-શું કર્યુ? અમે ભોજન દેવતાઓ જેમ ખાધું?
ચલન કાયદેસર ચાલ્યાં કે અનાડીયો ની જેમ? રોજ પોતાનો પોતામેલ નહીં સંભાળો તો તમારી
ઉન્નતી ક્યારેય નહીં થશે. અનેકોને માયા થપ્પડ મારતી રહે છે. લખે છે કે આજે અમારો
બુદ્ધિયોગ ફલાણા નાં નામ-રુપ માં ગયો, આજે આ પાપ કર્મ થયાં. આવું સાચું લખવાવાળા
કોટોમાં કોઈ જ છે. બાપ કહે છે હું જે છું, જેવો છું મને બિલકુલ નથી જાણતાં. સ્વયંને
આત્મા સમજી અને બાપને યાદ કરે ત્યારે કંઈક બુદ્ધિમાં બેશે. બાપ કહે છે ભલે સારા-સારા
બાળકો છે, બહુજ સારું જ્ઞાન સંભળાવે છે, યોગ કાંઈ નથી. ઓળખ પૂરી છે નહીં, સમજી નથી
શકતાં એટલે કોઈ ને સમજાવી નથી શકતાં. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર રચતા અને રચનાને
બિલકુલ જાણતાં નથી તો કાંઈ પણ નથી જાણતાં. આ પણ ડ્રામામાં નોંધ છે. છતાં પણ થશે. ૫
હજાર વર્ષ પછી ફરી આ સમય આવશે અને મારે આવીને સમજાવવું પડશે. રાજાઈ લેવી ઓછી વાત નથી!
બહુજ મહેનત છે. માયા એકદમ જ વાર કરે છે, મોટું યુદ્ધ ચાલે છે. બોક્સિંગ થાય છે ને.
બહુજ હોશિયાર જે હોય છે, તેમની જ બોક્સિંગ થાય છે. છતાં પણ એક-બીજાને બેહોશ કરી દે
છે ને. કહે છે બાબા માયાનાં બહુજ તોફાન આવે છે, આ થાય છે. તે પણ બહુજ થોડાં સાચું
લખે છે. ઘણાં છે જે છૂપાવી લે છે. સમજણ નથી કે મારે બાબાને કેવી રીતે સાચું
સંભળાવવાનું છે? શું શ્રીમત લેવાની છે? વર્ણન નથી કરી શકાતું. બાપ જાણે છે માયા
બહુજ પ્રબળ છે. સાચું બતાવવામાં બહુજ લજ્જા આવે છે, તેમનાથી કર્મ એવાં થઈ જાય છે જે
બતાવવામાં લજ્જા આવે છે. બાપ તો બહુજ રિગાર્ડ આપી ઉઠાવે છે. આ બહુજ સારા છે, આમને
ઓલરાઉન્ડર સર્વિસ પર મોકલી દઈશ. બસ દેહ-અહંકાર આવ્યો, માયાનો થપ્પડ ખાધો, આ પડ્યાં.
બાબા તો ઉઠાવવા માટે મહિમા પણ કરે છે. પુચકાર આપીને ઉઠાવશે. તમે તો બહુજ સારા છો.
સ્થૂળ સેવામાં પણ સારા છો. પરંતુ યથાર્થ રીતે બેસી બતાવે છે કે મંઝિલ બહુજ ઊંચી છે.
દેહ અને દેહનાં સંબંધને છોડી સ્વયંને અશરીરી આત્મા સમજવું-આ પુરુષાર્થ કરવો બુદ્ધિનું
કામ છે. બધાં પુરુષાર્થી છે. કેટલી મોટી રાજાઈ સ્થાપન થઈ રહી છે. બાપનાં બધાં બાળકો
પણ છે, સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ છે તો ફલોઅર્સ (અનુયાયી) પણ છે. આ આખી દુનિયાનાં
બાપ છે. બધાં એ એકને બોલાવે છે. એ આવીને બાળકોને સમજાવતાં રહે છે. તો પણ એટલો
રિગાર્ડ થોડી રહે છે. મોટાં-મોટાં વ્યક્તિ આવે છે, કેટલાં રિગાર્ડ થી તેમની સંભાળ
કરાય છે. કેટલો ભભકો હોય છે. આ સમયે તો છે બધાં પતિત. પરંતુ પોતાને સમજે થોડી છે.
માયાએ બિલકુલ જ તુચ્છબુદ્ધિ બનાવી દીધાં છે. કહી દે છે સતયુગની આયુ આટલી લાંબી છે
તો બાપ કહે છે ૧૦૦ ટકા બેસમજ થયાં ને. મનુષ્ય થઈને બીજું શું કામ કરતાં રહે છે. ૫
હજાર વર્ષ ની વાત ને લાખો વર્ષ કહી દે છે! આ પણ બાપ આવી ને સમજાવે છે. ૫ હજાર વર્ષ
પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ દૈવી ગુણવાળા મનુષ્ય હતાં એટલે તેમને
દેવતા, આસુરી ગુણવાળાને અસુર કહેવાય છે. અસુર અને દેવતા માં રાત-દિવસનો ફરક છે.
કેટલી મારામારી ઝઘડા ચાલી રહ્યાં છે. ખુબ તૈયારીઓ થતી રહે છે. આ યજ્ઞમાં આખી દુનિયા
સ્વાહા થવાની છે. આમનાં માટે આ બધી તૈયારીઓ જોઈએ ને. બોમ્બ્સ નીકળ્યાં તો નીકળ્યાં
પછી બંધ થોડી થઈ શકે. થોડા સમયની અંદર બધાં ની પાસે ઢગલો થઇ જશે કારણ કે વિનાશ તો
ફટાફટ થવો જોઈએ ને. પછી હોસ્પિટલ વગેરે થોડી રહેશે. કોઈને ખબર પણ નહીં પડે. માસીનું
ઘર થોડી છે. વિનાશ-સાક્ષાત્કાર કોઈ પાઈ-પૈસાની વાત નથી. આખી દુનિયાની આગ જોઈ શકશો!
સાક્ષાત્કાર થાય છે-ફક્ત આગ જ આગ લાગેલી છે. આખી દુનિયા ખતમ થવાની છે. કેટલી મોટી
દુનિયા છે. આકાશ તો નહીં બળશે. આની અંદર જે કાંઈ છે, બધું વિનાશ થવાનું છે. સતયુગ
અને કળયુગ માં રાત-દિવસ નો ફરક છે. કેટલા અસંખ્ય મનુષ્ય છે, જાનવર છે, કેટલી સામગ્રી
છે. આ પણ બાળકોની બુદ્ધિમાં મુશ્કેલ બેશે છે. વિચાર કરો-૫ હજાર વર્ષની વાત છે. દેવી-
દેવતાઓનું રાજ્ય હતું ને! કેટલાં થોડાં મનુષ્ય હતાં. હવે કેટલાં મનુષ્ય છે. હમણાં
છે કળયુગ, આનો જરુર વિનાશ થવાનો છે.
હવે બાપ આત્માઓને કહે છે મામેકમ યાદ કરો. આ પણ સમજ થી યાદ કરવાનું છે. એમજ શિવ-શિવ
તો ઘણાં કહેતાં રહે છે. નાનાં બાળકો પણ કહી દે છે પરંતુ બુદ્ધિમાં સમજ કાંઈ નથી.
અનુભવ થી નથી કહેતાં કે એ બિંદુ છે. આપણે પણ આટલું નાનું બિંદુ છીએ. આમ સમજ થી યાદ
કરવાનું છે. પહેલાં તો હું આત્મા છું-આ પાક્કું કરો પછી બાપ નો પરિચય બુદ્ધિમાં સારી
રીતે ધારણ કરો. અંતર્મુખી બાળકો જ સારી રીતે સમજી શકે છે કે આપણે આત્મા બિંદુ છીએ.
આપણી આત્મા ને હમણાં નોલેજ મળી રહ્યું છે કે આપણાં માં ૮૪ જન્મો નો પાર્ટ કેવો ભરેલો
છે, પછી કેવી રીતે આત્મા સતોપ્રધાન બને છે. આ બધી બહુજ અંતર્મુખી થઈ સમજવાની વાતો
છે. આમાં જ સમય લાગે છે. બાળકો જાણે છે આપણો આ અંતિમ જન્મ છે. હવે આપણે જઈએ છે ઘરે.
આ બુદ્ધિમા પાક્કું હોવું જોઈએ કે આપણે આત્મા છીએ. શરીરનું ભાન ઓછું હોય ત્યારે
વાતચીત કરવામાં સુધાર થાય. નહિં તો ચલન બિલકુલ જ બદતર થઈ જાય છે કારણ કે શરીર થી
અલગ થતાં નથી. દેહ-અભિમાનમાં આવીને કાંઈને કાંઈ કહી દે છે. યજ્ઞ થી તો બહુજ ઓનેસ્ટ
જોઈએ. હમણાં તો બહુજ અલબેલા છે. ખાન, પાન, વાતાવરણ કાંઈ સુધાર્યુ નથી. હજી તો ખુબ
સમય જોઈએ. સર્વિસેબુલ બાળકોને જ બાબા યાદ કરે છે, પદ પણ તેજ પામી શકશે. એમ જ પોતાને
ફક્ત ખુશ કરવાં, તે તો ચણા ચાવવાં જેવું છે. આમાં બહુજ અંતર્મુખતા જોઈએ. સમજાવાની
પણ યુક્તિ જોઈએ. પ્રદર્શની માં કોઈ સમજે થોડી છે. ફક્ત કહી દે છે કે તમારી વાતો ઠીક
છે. અહીંયા પણ નંબરવાર છે. નિશ્ચય છે આપણે બાળક બન્યાં છીએ, બાપ થી સ્વર્ગ નો વારસો
મળે છે. જો આપણે બાપની પૂરી સર્વિસ (સેવા) કરતાં રહેશું તો આપણો તો આ જ ધંધો છે. આખો
દિવસ વિચાર સાગર મંથન ચાલતું રહેશે. આ બાબા પણ વિચાર સાગર મંથન કરતાં હશે ને. નહીં
તો આ પદ કેવી રીતે પામશે! બાળકોને બંને ભેગાં સમજાવતાં રહે છે. બે એંજીન મળી છે
કારણ કે ચઢાણ ઊંચું છે ને. પહાડ પર જાય છે તો ગાડીને બે એંજીન લગાડે છે.
ક્યારેક-ક્યારેક ચાલતાં-ચાલતાં ગાડી ઉભી રહી જાય છે તો ખસીને નીચે ચાલ્યાં આવે છે.
મારાં બાળકોનું પણ એવું છે. ચઢતાં-ચઢતાં મહેનત કરતાં-કરતાં પછી ચઢાણ ચઢી નથી શકતાં.
માયાનું ગ્રહણ અથવા તોફાન લાગે છે તો એકદમ નીચે પડીને પુર્જા-પુર્જા (તૂટી) થઈ જાય
છે. થોડી જ સર્વિસ કરી તો અહંકાર આવી જાય છે, નીચે પડી જાય છે. સમજતાં નથી કે બાપ
છે, સાથે ધર્મરાજ પણ છે. જો કંઈ એવું કરે છે તો અમારા ઉપર બહુજ ભારે દંડ પડે છે.
આનાંથી તો બહાર રહે તે સારું છે. બાપનાં બનીને પછી વારસો લેવો, માસીનું ઘર નથી.
બાપનાં બનીને અને પછી એવું કંઈક કરે છે તો નામ બદનામ કરી દે છે. બહુજ માર લાગી જાય
છે. વારિસ બનવું કોઈ માસીનું ઘર થોડી છે. પ્રજામાં કોઈ એટલાં સાહૂકાર બને છે, વાત
નહીં પૂછો. અજ્ઞાનકાળ માં કોઈ સારા હોય છે, કોઈ કેવાં! નાલાયક બાળકોને તો કહી દેશે
અમારાં સામેથી હટી જાઓ. અહીંયાં એક-બે બાળકોની તો વાત નથી. અહીંયા માયા બહુજ
જબરજસ્ત છે. આમાં બાળકોએ બહુજ અંતર્મુખ થવાનું છે. ત્યારે તમે કોઈની સમજાવી શકશો.
તમારાં પર બલિહાર જશે અને પછી બહુજ પસ્તાશે-અમે બાપનાં માટે આટલી ગાળો આપતા આવ્યાં.
સર્વવ્યાપી કહેવું કે પોતાને ઈશ્વર કહેવું, તેમનાં માટે સજા ઓછી થોડી છે. એમજ થોડી
ચાલ્યાં જશે. તેમનાં માટે તો વધારે જ મુસીબત છે. જ્યારે સમય આવશે તો બાપ આ બધાથી
હિસાબ લેશે. કયામતનાં સમયે બધાનો હિસાબ-કિતાબ ચૂકતું થાય છે ને, આમાં જ બહુજ
વિશાળબુદ્ધિ જોઈએ.
મનુષ્ય તો જુઓ કોને-કોને પીસ પ્રાઈઝ આપતાં રહે છે. હવે હકીકતમાં પીસ (શાંતિ)
કરવાવાળા તો એક જ છે ને. બાળકોએ લખવું જોઈએ-દુનિયામાં પ્યોરિટી (પવિત્રતા)-પીસ (શાંતિ)-પ્રોસપર્ટી
(સમૃદ્ધિ) ભગવાનની શ્રીમત સ્થાપન થઈ રહી છે. શ્રીમત તો પ્રખ્યાત છે. શ્રીમત ભાગવત
ગીતા શાસ્ત્રને કેટલો રિગાર્ડ આપે છે. કોઇએ કોઇનાં શાસ્ત્ર કે મંદિરને કાંઈ કર્યુ
તો કેટલાં લડી પડે છે. હમણાં તમે જાણો છો આ આખી દુનિયા જ બળીને ભસ્મ થઈ જશે. આ
મંદિર-મસ્જિદ વગેરે ને બાળતાં રહેશે. આ બધું થવાનાં પહેલાં પવિત્ર થવાનું છે. ફિકર
લાગેલી રહે. ઘરબાર પણ સંભાળવાનું છે. અહીંયા આવે તો અનેકાનેક છે. અહીંયા બકરીઓની
જેમ તો નથી રાખવાનાં ને કારણ કે અહીંયા તો અમૂલ્ય જીવન છે, આમને તો ખુબ સંભાળથી
રાખવાનાં છે. બાળકો વગેરેને લઈ આવવું-આ બંધ કરી દેવું પડશે. આટલાં બાળકોને ક્યાં
બેસીને સંભાળશે. બાળકોને રજાઓ મળી તો સમજે છે બીજા ક્યાં જઈએ, ચલો મધુબન માં બાબાની
પાસે જઈએ. આ તો જાણે ધર્મશાળા થઈ જાય. પછી યુનિવર્સિટી કેવી રીતે થઈ! બાબા તપાસ કરી
રહ્યાં છે પછી ક્યારે ઓર્ડર (આદેશ) કરી દેશે-બાળકો કોઇ પણ ન લઈ આવે. આ બંધન પણ ઓછું
થઈ જશે. માતાઓ ઉપર તરસ પડે છે. આ પણ બાળકો જાણે છે, શિવબાબા તો છે ગુપ્ત. આમનો પણ
કોઈને રિગાર્ડ થોડી છે. સમજે છે અમારું તો શિવબાબાથી કનેક્શન (સંબંધ) છે. એટલું પણ
સમજતાં નથી-શિવબાબા જ તો આમનાં દ્વારા સમજાવે છે ને. માયા નાક થી પકડી ઉલટું કામ
કરાવતી રહે છે, છોડતી જ નથી. રાજધાની માં તો બધાં જોઈએ ને. આ બધો પાછળ માં
સાક્ષાત્કાર થશે. સજાઓનાં પણ સાક્ષાત્કાર થશે. બાળકોને પહેલાં પણ આ બધાં
સાક્ષાત્કાર થયાં છે. છતાં પણ કોઈ-કોઈ પાપ કરવાનું છોડતાં નથી. ઘણાં બાળકોએ જેમ
ગાંઠ બાંધી લીધી છે કે અમારે તો બનવાનું જ થર્ડ ક્લાસ છે, એટલે પાપ કરવાનું છોડતા જ
નથી. હજી સારી રીતે પોતાની સજાઓ તૈયાર કરી રહ્યાં છે. સમજાવવું તો પડે છે ને. આ ગાઠ
નહીં બાંધો કે અમારે તો થર્ડ ક્લાસ જ બનવાનું છે. હમણાં ગાંઠ બાંધો અમારે આવાં
લક્ષ્મી-નારાયણ બનવાનું છે. કોઈ તો સારી ગાંઠ બાંધે છે, ચાર્ટ લખે છે-આજનાં દિવસ અમે
કાંઈ કર્યું તો નથી! આવાં ચાર્ટ પણ બહુજ રાખતા હતાં, તે આજ છે નહીં. માયા બહુજ પછાડે
છે. અડધોકલ્પ હું સુખ આપું છું તો અડધોકલ્પ પછી માયા દુઃખ આપે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતર્મુખી
બનીને શરીરનાં ભાન થી પરે રહેવાનો અભ્યાસ કરવાનો છે, ખાન-પાન, ચાલ-ચલન સુધારવાની છે
ફક્ત પોતાને ખુશ કરીને અલબેલા નથી થવાનું.
2. ચઢાણ બહુજ ઊંચું
છે, એટલે બહુજ-બહુજ ખબરદાર થઈને ચાલવાનું છે. કોઈ પણ કર્મ સંભાળીને કરવાનું છે.
અહંકારમાં નથી આવવાનું. ઉલટા કર્મ કરીને સજાઓ નથી તૈયાર કરવાની. ગાંઠ બાંધવાની છે
કે અમારે આ લક્ષ્મી-નારાયણ જેવાં બનવાનું જ છે.
વરદાન :-
કર્મભોગ રુપી
પરિસ્થિતિ નાં આકર્ષણને પણ સમાપ્ત કરવાવાળા સંપૂર્ણ નષ્ટોમોહા ભવ
હમણાં સુધી પ્રકૃતિ
દ્વારા બનેલી પરિસ્થિતિઓ અવસ્થાને પોતાની તરફ કંઈક ને કંઈક આકર્ષિત કરે છે. સૌથી
વધારે પોતાનાં દેહનાં હિસાબ-કિતાબ, રહેલાં કર્મભોગ નાં રુપમાં આવવાવાળી પરિસ્થિતિ
પોતાની તરફ આકર્ષિત કરે છે-જ્યારે આ પણ આકર્ષણ સમાપ્ત થઈ જાય ત્યારે કહેવાશે
સંપૂર્ણ નષ્ટોમોહા. કોઈ પણ દેહની કે દેહની દુનિયાની પરિસ્થિતિ સ્થિતિને હલાવી ન
શકે-આજ સંપૂર્ણ સ્ટેજ છે. જ્યારે આવી સ્ટેજ સુધી પહોંચી જશો ત્યારે સેકન્ડમાં પોતાનાં
માસ્ટર સર્વશક્તિમાન સ્વરુપમાં સહજ સ્થિત થઇ શકશો.
સ્લોગન :-
પવિત્રતા નું
વ્રત સૌથી શ્રેષ્ઠ સત્યનારાયણનું વ્રત છે-આમાં જ અતીન્દ્રિય સુખ સમાયેલું છે.