14-04-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમારો પ્રેમ વિનાશી શરીરો થી ન હોવો જોઈએ , એક વિદેહી થી પ્રેમ કરો , દેહ ને જોવાં છતાં નહીં જુઓ ”

પ્રશ્ન :-
બુદ્ધિ ને સ્વચ્છ બનાવવાનો પુરુષાર્થ શું છે? સ્વચ્છ બુદ્ધિ ની નિશાની શું હશે?

ઉત્તર :-
દેહી-અભિમાની બનવાથી જ બુદ્ધિ સ્વચ્છ બને છે. એવાં દેહી-અભિમાની બાળકો પોતાને આત્મા સમજી એક બાપને પ્રેમ કરશે. બાપ થી જ સાંભળશે. પરંતુ જે મૂઢમતી છે તે દેહને પ્રેમ કરે છે, દેહ ને જ શ્રુંગારતાં રહે છે.

ઓમ શાંતિ!
ઓમ શાંતિ કોણે કહ્યું અને કોણે સાંભળ્યું? બીજા સત્સંગોમાં તો જિજ્ઞાસુ સાંભળે છે. મહાત્મા કે ગુરુ વગેરેએ સંભળાવ્યું, એવું કહેશે. અહીંયા પરમાત્માએ સંભળાવ્યું અને આત્માએ સાંભળ્યું. નવી વાત છે ને. દેહી-અભિમાની થવું પડે. ઘણાં અહીં પણ દેહ-અભિમાની થઈને બેસે છે. આપ બાળકોએ દેહી-અભિમાની થઈ બેસવું જોઈએ. હું આત્મા આ શરીર માં વિરાજમાન છું. શિવબાબા આપણને સમજાવે છે, આ બુદ્ધિમાં સારી રીતે યાદ રહેવું જોઈએ. મુજ આત્માનું કનેક્શન (સંબંધ) છે પરમાત્મા ની સાથે. પરમાત્મા આવીને આ શરીર દ્વારા સંભળાવે છે, આ દલાલ થઈ ગયાં. તમને સમજાવવા વાળા એ (શિવબાબા) છે. આમને (બ્રહ્મા બાબાને) પણ વારસો એ આપે છે. તો બુદ્ધિ એ તરફ જવી જોઈએ. સમજો બાપને ૫-૭ બાળકો છે, એમનો બુદ્ધિયોગ બાપ તરફ રહેશે ને કારણ કે બાપથી વારસો મળવાનો છે. ભાઈ થી વારસો નથી મળતો. વારસો હંમેશા બાપ થી મળે છે. આત્મા ને આત્મા થી વારસો નથી મળતો. તમે જાણો છો આત્માનાં રુપ માં આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આપણું સર્વ આત્માઓનું કનેક્શન એક પરમપિતા પરમાત્મા ની સાથે છે. એ કહે છે મામેકમ્ યાદ કરો. મુજ એકની સાથે જ પ્રીત રાખો. રચના ની સાથે નહીં રાખો. દેહી-અભિમાની બનો. મારાં સિવાય બીજા કોઈ દેહધારી ને યાદ કરો છો, તો તેને કહેવાય છે દેહ-અભિમાન. ભલે આ દેહધારી તમારી સામે છે પરંતુ તમે તેમને નહીં જુવો. બુદ્ધિમાં યાદ એમની રહેવી જોઈએ. તેઓ તો ફક્ત કહેવા માત્ર ભાઈ-ભાઈ કહી દે છે, હવે તમે જાણો છો આપણે આત્મા છીએ પરમપિતા પરમાત્મા ની સંતાન છીએં. વારસો પરમાત્મા બાપ થી મળે છે. એ બાપ કહે છે તમારો લવ (પ્રેમ) મુજ એક ની સાથે હોવો જોઈએ. હું જ પોતે આવીને આપ આત્માઓ ની પોતાની સાથે સગાઈ કરાવું છું. દેહધારી થી સગાઈ નથી. બીજા જે પણ સંબંધ છે તે દેહનાં, અહિયાં નાં સંબંધ છે. આ સમયે તમારે દેહી-અભિમાની બનવાનું છે. આપણે આત્મા બાપથી સાંભળીએ છીએ, બુદ્ધિ બાપ તરફ જવી જોઈએ. બાપ આમની બાજુમાં બેસી આપણને નોલેજ આપે છે. એમણે શરીરને લોન લીધેલું છે. આત્મા આ શરીર રુપી ઘરમાં આવીને પાર્ટ ભજવે છે. જેમ કે તે પોતાને અંડર-હાઉસ (ઘર ની અંદર) અરેસ્ટ (કેદ) કરી દે છે-પાર્ટ ભજવવા માટે. છે તો ફ્રી. પરંતુ આમાં પ્રવેશ કરી પોતાને આ ઘરમાં બંધ કરી પાર્ટ ભજવે છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે, પાર્ટ ભજવે છે. આ સમય જે જેટલું દેહી-અભિમાની રહેશે તેઓ ઊંચ પદ પામશે. બાબા નાં શરીરમાં પણ તમારો પ્રેમ ન હોવો જોઈએ, રિંચક માત્ર પણ નહીં. આ શરીર તો કોઈ કામનું નથી. હું આ શરીરમાં પ્રવેશ કરું છું, ફક્ત તમને સમજાવવાં માટે. આ છે રાવણ નું રાજ્ય, પારકો દેશ. રાવણને બાળે છે પરંતુ સમજતાં નથી. ચિત્ર વગેરે જે પણ બનાવે છે, તેને જાણતાં નથી. બિલકુલ જ મુઢમતી છે. રાવણ રાજ્યમાં બધાં મુઢમતી થઈ જાય છે. દેહ-અભિમાન છે ને. તુચ્છ બુદ્ધિ બની ગયાં છે. બાપ કહે છે મુઢમતી જે હશે તે દેહ ને યાદ કરતા રહેશે, દેહ થી પ્રેમ રાખશે. સ્વચ્છ બુદ્ધિ જે હશે તે તો પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરી પરમાત્મા થી જ સાંભળતાં રહેશે, આમાં જ મહેનત છે. આ તો બાપ નો રથ છે. અનેકોને આમનાં થી પ્રેમ થઇ જાય છે. જેમ હુસેન નો ઘોડો, એને કેટલો સજાવે છે. હવે મહિમા તો હુસેનની છે ને. ઘોડાની તો નથી. જરૂર મનુષ્યનાં તનમાં હુસેન ની આત્મા આવી હશે ને. તેઓ આ વાતોને નથી સમજતાં. હવે આને કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. અશ્વ નામ સાંભળીને તેમણે પછી ઘોડો સમજી લીધું છે, તેને સ્વાહા કરે છે. આ બધી વાર્તાઓ છે ભક્તિમાર્ગ ની. હમણાં તમને હસીન બનાવવાવાળો મુસાફિર તો આ છે ને.

હવે તમે જાણો છો આપણે પહેલાં ગોરા હતાં પછી શ્યામ બન્યાં છીએ. જે પણ આત્માઓ પહેલાં-પહેલાં આવે છે તો પહેલાં સતોપ્રધાન છે પછી સતો, રજો, તમો માં આવે છે. બાપ આવીને બધાને હસીન (સુંદર) બનાવી દે છે. જે પણ ધર્મ સ્થાપન અર્થ આવે છે, તે બધી હસીન આત્માઓ હોય છે, પાછળ થી કામ ચિતા પર બેસી કાળી થઈ જાય છે. પહેલાં સુંદર પછી શ્યામ બને છે. આ નંબરવન માં પહેલાં-પહેલાં આવે છે તો સૌથી વધારે સુંદર બને છે. આ (લક્ષ્મી-નારાયણ) જેવું નેચરલ (કુદરતી) સુંદર તો કોઈ હોઈ ન શકે. આ જ્ઞાન ની વાત છે. ભલે ક્રિશ્ચન લોકો ભારતવાસિયો થી સુંદર (ગોરા) છે કારણ કે તે તરફનાં રહેવાવાળા છે પરંતુ સતયુગમાં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) છે. આત્મા અને શરીર બંને સુંદર છે. આ સમયે બધાં પતિત શ્યામ છે પછી બાપ આવીને બધાને સુંદર બનાવે છે. પહેલાં સતોપ્રધાન પવિત્ર હોય છે પછી ઉતરતાં-ઉતરતાં કામ ચિતા પર બેસી કાળા થઈ જાય છે. હવે બાપ આવ્યાં છે બધી આત્માઓને પવિત્ર બનાવવાં. બાપને યાદ કરવાથી જ તમે પાવન બની જશો. તો યાદ કરવાનાં છે એકને. દેહધારી થી પ્રીત નથી રાખવાની. બુદ્ધિમાં આ રહે કે, અમે એક બાપનાં છીએ, એજ સર્વસ્વ છે. આ આંખો થી જોવાવાળા જે પણ છે, તે બધાં વિનાશ થઈ જશે. આ આંખો પણ ખતમ થઇ જશે. પરમપિતા પરમાત્માને તો ત્રિનેત્રી કહેવાય છે. એમને જ્ઞાનનું ત્રીજું નેત્ર છે. ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ આ ટાઈટલ (શીર્ષક) એમને મળ્યાં છે. હમણાં તમને ત્રણે લોકોનું જ્ઞાન છે પછી આ લોપ થઈ જાય છે, જેમનાં માં જ્ઞાન છે એજ આવીને આપે છે. તમને બાપ ૮૪ જન્મોનું જ્ઞાન સંભળાવે છે. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો. હું આ શરીરમાં પ્રવેશ કરી આવ્યો છું તમને પાવન બનાવવાં. મને યાદ કરવાથી જ પાવન બનશો બીજા કોઈ ને યાદ કર્યા તો સતોપ્રધાન બની નહિં શકો. પાપ કપાશે નહીં તો કહેશે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશન્તી. મનુષ્ય ખૂબ અંધશ્રદ્ધા માં છે. દેહધારીઓમાં જ મોહ રાખે છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. એકમાં જ મોહ રાખવાનો છે. બીજા કોઈમાં મોહ છે તો બાપ થી વિપરીત બુદ્ધિ છે. બાપ કેટલું સમજાવે છે મુજ બાપને જ યાદ કરો, આમાં જ મહેનત છે. તમે કહો પણ છો અમને પતીતો ને આવીને પાવન બનાવો. બાપ જ પાવન બનાવે છે. આપ બાળકોને ૮૪ જન્મોની હિસ્ટ્રી-જોગ્રોફી બાપ જ સમજાવે છે. તે તો સહજ છે ને. બાકી યાદ જ ડિફિકલ્ટ તે ડિફિકલ્ટ (કઠિન માં કઠિન) સબ્જેક્ટ (વિષય) છે. બાપનાં સાથે યોગ રાખવામાં કોઈ પણ હોશિયાર નથી.

જે બાળકો યાદમાં હોશિયાર નથી તે જેમ કે પંડિત છે. જ્ઞાનમાં ભલે કેટલાં પણ હોશિયાર હોય, યાદમાં નથી રહેતાં તો તે પંડિત છે. બાબા પંડિતની એક વાર્તા સંભળાવે છે ને. જેમને સંભળાવી તે તો પરમાત્માને યાદ કરી પાર થઈ ગયાં. પંડિતનું દૃષ્ટાંત પણ તમારાં માટે છે. બાપ ને તમે યાદ કરો તો પાર થઈ જશો. ફક્ત મુરલીમાં હોશિયાર હશો તો પાર જઈ નહીં શકો. યાદનાં સિવાય વિકર્મ વિનાશ નહીં થશે. આ બધાં દૃષ્ટાંત બનાવ્યાં છે. બાપ બેસી યથાર્થ રીતે સમજાવે છે. તેમને નિશ્ચય બેસી ગયો. એક જ વાત પકડી લીધી કે પરમાત્માને યાદ કરવાથી પાર થઇ જઈશું. ફક્ત જ્ઞાન હશે, યોગ નહીં તો ઊંચ પદ પામી નહિં શકો. એવાં ઘણાં છે, યાદમાં નથી રહેતાં, મૂળ વાત છે જ યાદની. ખૂબ સારી-સારી સર્વિસ (સેવા) કરવાવાળા છે, પરંતુ બુદ્ધિયોગ ઠીક નહીં હોય તો ફસાઈ જશે. યોગવાળા ક્યારેય દેહ-અભિમાન માં નહીં ફસાશે. અશુદ્ધ સંકલ્પ નહિ આવશે. યાદમાં કાચાં હશે તો તોફાન આવશે. યોગ થી કર્મેન્દ્રિયો એકદમ વશ થઈ જાય છે. બાપ રાઈટ (ખરું) અને રોંગ (ખોટું) ને સમજાવવાની બુદ્ધિ પણ આપે છે. બીજાનાં દેહ તરફ બુદ્ધિ જવાથી વિપરીત બુદ્ધિ વિનશન્તી થઇ જશે. જ્ઞાન અલગ છે, યોગ અલગ છે. યોગ થી હેલ્થ (સ્વાસ્થ્ય), જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ) મળે છે. યોગ થી શરીર ની આયુ વધે છે, આત્મા તો મોટી-નાની હોતી નથી. આત્મા કહેશે મારાં શરીર ની આયુ મોટી થાય છે. હમણાં આયુ નાની છે પછી અડધા કલ્પ માટે શરીરની આયુ મોટી થઈ જશે. આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈશું. આત્મા પવિત્ર બને છે, બધો આધાર આત્માને પવિત્ર બનાવવા પર છે. પવિત્ર નહીં બને તો પદ પણ નહીં પામશે.

માયા ચાર્ટ રાખવામાં બાળકોને સુસ્ત બનાવી દે છે. બાળકોએ યાદની યાત્રા નો ચાર્ટ ખૂબ શોખથી રાખવો જોઈએ. જોવું જોઈએ કે અમે બાપને યાદ કરીએ છીએ કે બીજા કોઇ મિત્ર-સંબંધી વગેરે તરફ બુદ્ધિ જાય છે. આખાં દિવસમાં યાદ કોની રહી અથવા પ્રીત કોની સાથે રહી, કેટલો સમય ખોટી કર્યો? પોતાનો ચાર્ટ રાખવો જોઈએ. પરંતુ કોઇનાં માં તાકાત નથી જે ચાર્ટ રેગ્યુલર (નિયમિત) રાખી શકે. કોઈ વિરલા રાખી શકે છે. માયા પૂરો ચાર્ટ રાખવા નથી દેતી. એકદમ સુસ્ત બનાવી દે છે. ચુસ્તી નીકળી જાય છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. હું તો બધાં આશિકો નો માશૂક છું. તો માશૂક ને યાદ કરવા જોઈએ ને. માશૂક બાપ કહે છે તમે અડધોકલ્પ યાદ કર્યા છે, હવે હું કહું છું મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. આવાં બાપ જે સુખ આપવાવાળા છે, કેટલાં યાદ કરવાં જોઈએ. બીજા તો બધાં દુઃખ આપવાવાળા છે. તે કોઈ કામ આવવાનાં નથી. અંત સમયે એક પરમાત્મા બાપ જ કામ આવે છે. અંત નો સમય એક હદનો હોય છે, એક બેહદનો હોય છે.

બાપ સમજાવે છે સારી રીતે યાદ કરતાં રહેશો તો અકાળે મૃત્યુ નહીં થશે. તમને અમર બનાવી દે છે. પહેલાં તો બાપની સાથે પ્રીત બુદ્ધિ જોઈએ. કોઈનાં પણ શરીરની સાથે પ્રીત હશે તો પડી જશો. ફેલ (નપાસ) થઈ જશો. ચંદ્રવંશી માં ચાલ્યા જશો. સ્વર્ગ સતયુગી સૂર્યવંશી રાજાઈ ને જ કહેવાય છે. ત્રેતા ને પણ સ્વર્ગ નહિં કહેશે. જેમ દ્વાપર અને કળયુગ છે તો કળયુગ ને રૌરવ નર્ક, તમોપ્રધાન કહેવાય છે. દ્રાપર ને એટલું નહીં કહેશે પછી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે યાદ જોઈએ. પોતે પણ સમજે છે અમારી ફલાણા થી ખૂબ પ્રીત છે, એનાં આધાર વગર અમારું કલ્યાણ નહીં થશે. હવે આવી હાલતમાં જો મરી જાય તો શું થશે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશન્તી. ધુળછાઈ પદ પામી લેશે.

આજકાલ દુનિયામાં ફેશનની પણ ખૂબ મોટી મુસીબત છે. પોતાનાં પર આશિક કરવા માટે શરીરને કેટલું ટીપટોપ કરે છે. હવે બાપ કહે છે બાળકો કોઈનાં પણ નામ-રુપમાં નહીં ફસાઓ. લક્ષ્મી-નારાયણનો ડ્રેસ જુઓ કેવો રોયલ છે. એ છે જ શિવાલય, આને કહેવાય છે વેશ્યાલય. આ દેવતાઓની આગળ જઈને કહે છે અમે વેશ્યાલય નાં રહેવાવાળા છીએ. આજકાલ તો ફેશન ની એવી મુસીબત છે, બધાની નજર ચાલી જાય છે, પછી પકડીને ભગાવીને લઈ જાય છે. સતયુગમાં તો કાયદેસર ચલન હોય છે. ત્યાં તો નેચરલ બ્યુટી છે ને. અંધશ્રદ્ધા ની વાત નથી. અહીંયા તો જોવાથી દિલ લાગી જાય છે તો પછી બીજા ધર્મવાળા થી પણ લગ્ન કરી લે છે. હવે તમારી છે ઈશ્વરીય બુદ્ધિ, પથ્થર બુદ્ધિ થી પારસબુદ્ધિ બાપનાં સિવાય કોઈ બનાવી ન શકે. તે છે જ રાવણ સંપ્રદાય. તમે હવે રામ સંપ્રદાય બન્યાં છો. પાંડવ અને કૌરવ એક જ સંપ્રદાય નાં હતાં, બાકી યાદવ છે યુરોપવાસી. ગીતા થી કોઈ પણ નથી સમજતાં કે યાદવ યુરોપવાસી છે. તેઓ તો યાદવ સંપ્રદાય પણ અહિયાં કહી દે છે. બાપ બેસી સમજાવે છે યાદવ છે યુરોપવાસી, જેમણે પોતાનાં વિનાશ માટે આ મુશળ વગેરે બનાવ્યાં છે. પાંડવોની વિજય થાય છે, તેઓ જઈને સ્વર્ગનાં માલિક બનશે. પરમાત્મા જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. શાસ્ત્રોમાં તો દેખાડ્યું છે પાંડવ ગળીને મર્યા પછી શું થયું? કાંઈ પણ સમજણ નથી. પથ્થર બુદ્ધિ છે ને. ડ્રામાનાં રહસ્ય ને જરા પણ કોઈ જાણતાં જ નથી. બાબાની પાસે બાળકો આવે છે, કહું છું ભલે દાગીના વગેરે પહેરો. કહે છે બાબા અહીંયા દાગીના ક્યાં શોભે છે! પતિત આત્મા, પતિત શરીર ને દાગીનો શું શોભશે! ત્યાં તો આપણે આ દાગીના વગેરે થી સજેલાં રહેશું. અથાહ ધન હોય છે. બધાં સુખી જ સુખી રહે છે. ભલે ત્યાં અનુભવ થાય છે આ રાજા છે, અમે પ્રજા છીએ. પરંતુ દુઃખની વાત નથી. અહીંયા અનાજ વગેરે નથી મળતું, તો મનુષ્ય દુઃખી થાય છે. ત્યાં તો બધુંજ મળે છે. દુઃખ અક્ષર મુખથી નીકળશે નહીં. નામ જ છે સ્વર્ગ. યુરોપિયન લોકો તેને પેરેડાઇઝ (વૈકુંઠ) કહે છે. સમજે છે ત્યાં ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી) રહેતા હતાં એટલે તેમનાં ચિત્રો પણ ખૂબ ખરીદી કરે છે. પરંતુ તે સ્વર્ગ પછી ક્યાં ગયું-આ કોઈને ખબર નથી. તમે હવે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે. નવાં થી જૂની, જૂનાં થી પછી નવી દુનિયા બને છે. દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. તમે દેહી-અભિમાની બનવાથી આ અનેક બીમારીઓ વગેરેથી છૂટી શકશો. બાપ ને યાદ કરવાથી ઊંચ પદ પામી લેશો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ દેહધારી ને પોતાનો આધાર નથી બનાવવાનો. શરીરો થી પ્રીત નથી રાખવાની. દિલ ની પ્રીત એક બાપ થી રાખવાની છે. કોઈ નાં નામ-રુપમાં નથી ફસાવાનું.

2. યાદનો ચાર્ટ શોખ થી રાખવાનો છે, એમાં સુસ્ત નથી બનવાનું. ચાર્ટ માં જોવાનું છે-મારી બુદ્ધિ કોની તરફ જાય છે? કેટલો સમય વેસ્ટ કરીએ છીએ? સુખ આપવાવાળા બાપ કેટલો સમય યાદ રહે છે?

વરદાન :-
વિશ્વ મહારાજન ની પદવી પ્રાપ્ત કરવાવાળા સર્વ શક્તિઓનાં સ્ટોક થી સંપન્ન ( ભરપૂર ) ભવ

જે વિશ્વ મહારાજન ની પદવી પ્રાપ્ત કરવાવાળી આત્માઓ છે તેમનો પુરુષાર્થ ફક્ત પોતાનાં પ્રતિ નહિં હશે. પોતાનાં જીવનમાં આવવાવાળા વિઘ્નો કે પરીક્ષાઓ ને પાસ કરવી - આ તો ખૂબ કૉમન (સામાન્ય) છે પરંતુ જે વિશ્વ મહારાજન બનવાવાળી આત્માઓ છે તેમની પાસે હમણાંથી જ સર્વ શક્તિઓનો સ્ટોક ભરપૂર હશે. એમની દરેક સેકન્ડ દરેક સંકલ્પ અન્ય પ્રતિ હશે. તન-મન-ધન સમય શ્વાસ બધું વિશ્વ કલ્યાણ માં સફળ થતું રહેશે.

સ્લોગન :-
એક પણ કમજોરી અનેક વિશેષતાઓને સમાપ્ત કરી દે છે એટલે કમજોરીઓને તલાક આપો.