18-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - આ જૂની
પતિત દુનિયા થી તમારો બેહદનો વૈરાગ્ય જોઈએ કારણકે તમારે પાવન બનવાનું છે , તમારી
ચઢતી કળા થી સર્વનું ભલું થાય છે ”
પ્રશ્ન :-
કહેવાય છે,
આત્મા સ્વયંની જ શત્રુ, સ્વયંની જ મિત્ર છે, સાચ્ચી મિત્રતા શું છે?
ઉત્તર :-
એક બાપની શ્રીમત પર સદા ચાલતાં રહેવું-આ સાચ્ચી મિત્રતા છે. સાચ્ચી મિત્રતા છે એક
બાપ ને યાદ કરી પાવન બનવું અને બાપ થી પૂરો વારસો લેવો. આ મિત્રતા કરવાની યુક્તિ
બાપ જ બતાવે છે. સંગમયુગ પર જ આત્મા સ્વયંની મિત્ર બને છે.
ગીત :-
તૂને રાત ગવાઈ…….
ઓમ શાંતિ!
આમ તો આ ગીત
છે ભક્તિમાર્ગ નાં, આખી દુનિયામાં જે ગીત ગાએ છે અથવા શાસ્ત્ર વાંચે છે, તીર્થો પર
જાય છે, તે બધું છે ભક્તિમાર્ગ. જ્ઞાન માર્ગ કોને કહેવાય છે, ભક્તિ માર્ગ કોને
કહેવાય છે, આ આપ બાળકો જ સમજો છો. વેદ શાસ્ત્ર, ઉપનિષદ વગેરે આ બધું છે ભક્તિનું.
અડધોકલ્પ ભક્તિ ચાલે છે અને અડધોકલ્પ પછી જ્ઞાન ની પ્રાલબ્ધ ચાલે છે. ભક્તિ
કરતાં-કરતાં ઉતરવાનું જ છે. ૮૪ પુનર્જન્મ લેતાં નીચે ઉતરે છે. પછી એક જન્મમાં તમારી
ચઢતી કળા થાય છે. આને કહેવાય છે જ્ઞાન માર્ગ. જ્ઞાન ને માટે ગવાયેલું છે એક સેકન્ડમાં
જીવનમુક્તિ. રાવણ રાજ્ય જે દ્વાપર થી ચાલ્યું આવે છે, તે ખતમ થઇ પછી રામરાજ્ય
સ્થાપન થાય છે. ડ્રામા માં જ્યારે તમારાં ૮૪ જન્મ પુરા થાય છે ત્યારે ચઢતી કળા થી
બધાનું ભલું થાય છે. આ અક્ષર ક્યાંક ને ક્યાંક કોઈ શાસ્ત્રો માં છે. ચઢતી કળા સર્વનું
ભલું. સર્વની સદ્દગતિ કરવાવાળા તો એક જ બાપ છે ને. સંન્યાસી ઉદાસી તો અનેક પ્રકારનાં
છે. ખુબ મત-મતાંતર છે. જેમ શાસ્ત્રોમાં લખેલું છે કલ્પ ની આયુ લાખો વર્ષ, હવે
શંકરાચાર્ય ની મત નીકળી ૧૦ હજાર વર્ષ...કેટલો ફરક થઈ જાય છે. કોઈ પછી કહેશે આટલાં
હજાર. કળયુગ માં છે અનેક મનુષ્ય, અનેક મતો, અનેક ધર્મ. સતયુગમાં હોય છે જ એક મત. આ
બાપ બેસી આપ બાળકોને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું નોલેજ સંભળાવે છે. આને સંભળાવવામાં
પણ કેટલો સમય લાગે છે. સંભળાવતા જ રહે છે. એવું ન કહી શકાય પહેલાં કેમ નહિ આ બધું
સંભળાવ્યું. સ્કૂલમાં ભણતર નંબરવાર હોય છે. નાનાં બાળકોનાં ઓર્ગન્સ (અંગો) નાનાં
હોય છે તો એમને ઓછું શીખવાડે છે. પછી જેમ-જેમ ઓર્ગન્સ મોટા થતાં જશે, બુદ્ધિનું તાળું
ખુલતું જશે. ભણતર ધારણ કરતાં જશે. નાનાં બાળકો ની બુદ્ધિમાં કોઈ ધારણા થઈ ન શકે.
મોટા થાય છે તો પછી બેરિસ્ટર, જજ વગેરે બને છે, અહીં પણ એવું છે. કોઈની બુદ્ધિમાં
ધારણા સારી થાય છે. બાપ કહે છે હું આવ્યો છું પતિત થી પાવન બનાવવાં. તો હવે પતિત
દુનિયા થી વૈરાગ્ય થવો જોઈએ. આત્મા પાવન બને તો પછી પતિત દુનિયામાં રહી ન શકે. પતિત
દુનિયામાં આત્મા પણ પતિત છે, મનુષ્ય પણ પતિત છે. પાવન દુનિયામાં મનુષ્ય પણ પાવન,
પતિત દુનિયામાં મનુષ્ય પણ પતિત રહે છે. આ છે જ રાવણ રાજ્ય. યથા રાજા-રાણી તથા પ્રજા.
આ બધું જ્ઞાન છે બુદ્ધિથી સમજવાનું. આ સમયે બધાની બાપથી છે વિપરીત બુદ્ધિ. આપ બાળકો
તો બાપ ને યાદ કરો છો. અંદર માં બાપનાં માટે પ્રેમ છે. આત્મા માં બાપનાં માટે પ્રેમ
છે, રીગાર્ડ (આદર) છે કારણકે બાપને જાણે છે. અહીંયા તમે સમ્મુખ છો. શિવબાબા થી
સાંભળી રહ્યાં છો. એ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ, જ્ઞાનનાં સાગર, પ્રેમનાં સાગર, આનંદનાં
સાગર છે. ગીતા જ્ઞાન દાતા પરમપિતા ત્રિમૂર્તિ શિવ પરમાત્મા વાચ. ત્રિમૂર્તિ અક્ષર
જરૂર નાખવાનો છે કારણકે ત્રિમૂર્તિ નું તો ગાયન છે ને. બ્રહ્મા દ્વારા સ્થાપના તો
જરૂર બ્રહ્મા દ્વારા જ જ્ઞાન સંભળાવશે. કૃષ્ણ તો એવું નહિ કહેશે કે શિવ ભગવાનુવાચ.
પ્રેરણા થી તો કાંઈ થતું નથી. ન એમનામાં શિવબાબા ની પ્રવેશતા થઈ શકે છે. શિવબાબા તો
પારકા દેશમાં આવે છે. સતયુગ તો કૃષ્ણનો દેશ છે ને. તો બંનેની મહિમા અલગ-અલગ છે.
મુખ્ય વાત જ આ છે.
સતયુગમાં ગીતા તો કોઈ વાંચતું નથી. ભક્તિમાર્ગ માં તો જન્મ-જન્માંતર વાંચે છે.
જ્ઞાનમાર્ગ માં તો તે હોઈ ન શકે. ભક્તિમાર્ગ માં જ્ઞાનની વાતો હોતી નથી. હમણાં રચતા
બાપ જ રચનાનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. મનુષ્ય તો રચતા હોઈ ન શકે. મનુષ્ય કહી
ન શકે હું રચતા છું. બાપ સ્વયં કહે છે- હું મનુષ્ય સૃષ્ટિનો બીજરુપ છું. હું જ્ઞાનનો
સાગર, પ્રેમનો સાગર, સર્વ નો સદ્દગતિ દાતા છું. કૃષ્ણ ની મહિમા જ અલગ છે. તો આ પૂરો
કોન્ટ્રાસ્ટ (તફાવત) લખવો જોઈએ. જે મનુષ્ય વાંચવા થી ઝટ સમજી જાય કે ગીતાનાં જ્ઞાન
દાતા કૃષ્ણ નથી, આ વાતને સ્વીકાર કરે તો આ તમે જીત પહેરી. મનુષ્ય કૃષ્ણની પાછળ કેટલા
હેરાન થાય છે, જેમ શિવનાં ભક્ત શિવ પર ગળું કાપી નાંખવા તૈયાર થઈ જાય છે, બસ અમારે
શિવની પાસે જવું છે, એમ તેઓ સમજે છે કૃષ્ણની પાસે જવું છે. પરંતુ કૃષ્ણ ની પાસે જઈ
ન શકે. કૃષ્ણની પાસે બલી ચઢવાની વાત નથી હોતી. દેવીઓ પર બલી ચઢે છે. દેવતાઓ પર
ક્યારેય કોઈ બલી નહી ચઢે. તમે દેવીઓ છો ને. તમે શિવબાબાનાં બન્યાં છો તો શિવબાબા પર
પણ બલી ચઢે છે. શાસ્ત્રોમાં હિંસક વાતો લખી દીધી છે. તમે તો શિવબાબા નાં બાળકો છો.
તન-મન-ધન બલી ચઢાવો છો, બીજી કોઈ વાત નથી એટલે શિવ અને દેવીઓ ઉપર બલી ચઢાવે છે. હવે
ગવર્મેન્ટ એ (સરકારે) શિવ કાશી પર બલી ચઢાવવાનું બંધ કરી દીધું છે. હવે તે તલવાર જ
નથી. ભક્તિમાર્ગ માં જે આપઘાત કરે છે એ પણ જેમ પોતાની સાથે શત્રુતા કરવાનો ઉપાય છે.
મિત્રતા કરવાનો એક જ ઉપાય છે જે બાપ બતાવે છે-પાવન બનીને બાપથી પૂરો વારસો લો. એક
બાપની શ્રીમત પર ચાલતાં રહો, આજ મિત્રતા છે. ભક્તિમાર્ગ માં જીવાત્મા પોતાનાં જ
શત્રુ છે. પછી બાપ આવીને જ્ઞાન આપે છે તો જીવાત્મા પોતાનો મિત્ર બને છે, આત્મા
પવિત્ર બની બાપ થી વારસો લે છે, સંગમયુગ પર દરેક આત્મા ને બાપ આવીને મિત્ર બનાવે
છે.આત્મા પોતાની મિત્ર બને છે, શ્રીમત મળે છે તો સમજે છે અમે બાપની મત પર જ ચાલશું.
પોતાની મત પર અડધોકલ્પ ચાલ્યાં. હવે શ્રીમત પર સદ્દગતિ ને પામવાની છે, આમાં પોતાની
મત ચાલી ન શકે. બાપ તો ફક્ત મત આપે છે. તમે દેવતા બનવા આવ્યાં છો ને! અહીંયા સારા
કર્મ કરશો તો બીજા જન્મ માં પણ સારું ફળ મળશે, અમરલોક માં. આ તો છે જ મૃત્યુલોક. આ
રહસ્ય પણ આપ બાળકો જ જાણો છો. તે પણ નંબરવાર. કોઈની બુદ્ધિમાં સારી રીતે ધારણા થાય
છે, કોઇ ધારણા નથી કરી શકતાં તો એમાં શિક્ષક શું કરી શકે છે. શિક્ષક થી કૃપા કે
આશીર્વાદ માંગશો શું. શિક્ષક તો ભણાવીને પોતાનાં ઘરે ચાલ્યાં જાય છે. સ્કૂલમાં
પહેલાં-પહેલાં ખુદાની બંદગી (ઈશ્વરને પ્રાર્થના) આવીને કરે છે-હેં ખુદા અમને પાસ
કરાવો તો પછી અમે ભોગ લગાવશું. શિક્ષકને ક્યારેય નહીં કહેશે કે આશીર્વાદ કરો. આ સમયે
પરમાત્મા આપણાં બાપ પણ છે તો શિક્ષક પણ છે. બાપનાં આશીર્વાદ તો અન્ડરસ્ટુડ છે જ.
બાપ બાળકોને પ્રેમ કરે છે, બાળક આવે તો એમને ધન આપું. તો આશીર્વાદ થયાં ને. આ એક
કાયદો છે. બાળક ને તો બાપથી વારસો મળે છે. હમણાં તો તમોપ્રધાન જ થતાં જાય છે. જેવાં
બાપ તેવાં બાળકો. દિવસ-પ્રતિદિવસ દરેક ચીજ તમોપ્રધાન થતી જાય છે. તત્વ પણ તમોપ્રધાન
જ થતાં જાય છે. આ છે જ દુઃખધામ. ૪૦ હજાર વર્ષ હજી વધારે આયુ હોય તો શું હાલ થઈ જાય.
મનુષ્યોની બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન થઈ ગઈ છે.
હમણાં આપ બાળકોની બુદ્ધિમાં બાપનાં સાથે યોગ રાખવાથી પ્રકાશ આવી ગયો છે. બાપ કહે છે
જેટલાં યાદમાં રહેશો એટલી લાઈટ (પ્રકાશ) વધતી જશે. યાદ થી આત્મા પવિત્ર બને છે.
લાઈટ વધતી જાય છે. યાદ જ નહીં કરશો તો લાઈટ મળશે નહીં. યાદથી લાઈટ વૃદ્ધિને પામશે.
યાદ નહીં કરો અને કોઈ વિકર્મ કરી લીધું તો લાઈટ ઓછી થઈ જશે. તમે પુરુષાર્થ કરો છો
સતોપ્રધાન બનવાનો. આ ખૂબ સમજવાની વાતો છે. યાદ થી જ તમારી આત્મા પવિત્ર થતી જશે. તમે
લખી પણ શકો છો આ રચયિતા અને રચના નું જ્ઞાન શ્રીકૃષ્ણ આપી ન શકે. તે તો છે પ્રાલબ્ધ.
આ પણ લખી દેવું જોઈએ કે ૮૪માં અંતિમ જન્મમાં કૃષ્ણની આત્મા ફરીથી જ્ઞાન લઇ રહી છે
પછી ફર્સ્ટ નંબર માં જાય છે. બાપે આ પણ સમજાવ્યું છે સતયુગ માં ૯ લાખ જ હશે, પછી
એનાથી વૃદ્ધિ પણ થશે ને. દાસ-દાસીઓ પણ ખૂબ જ હશે ને, જે પુરા ૮૪ જન્મ લે છે. ૮૪
જન્મ જ ગણાય છે. જે સારી રીતે પરીક્ષા પાસ કરશે તે પહેલાં-પહેલાં આવશે. જેટલાં
મોડેથી જશે તો મકાન જુનું તો કહેવાશે ને. નવું મકાન બને છે પછી દિવસ-પ્રતિદિવસ આયુ
ઓછી થતી જશે. ત્યાં તો સોનાનાં મહેલ બને છે, તે તો જૂનાં થઈ ન શકે. સોનુ તો સદેવ
ચમકતું જ રહેશે. તો પણ સાફ જરૂર કરવું પડે. દાગીના પણ ભલે સાચાં સોનાનાં બનાવો તો
પણ છેવટે ચમક તો ઓછી થાય છે, પછી તેને પોલીશ જોઈએ. આપ બાળકોને સદેવ એ ખુશી રહેવી
જોઈએ કે અમે નવી દુનિયામાં જઈએ છીએ. આ નરકમાં આ અંતિમ જન્મ છે. આ આંખોથી જે જુઓ છો,
જાણો છો આ જૂની દુનિયા, જૂનું શરીર છે. હવે આપણે સતયુગ નવી દુનિયામાં નવું શરીર
લેવાનું છે. ૫ તત્વ પણ નવાં હોય છે. એવું વિચાર સાગર મંથન ચાલવું જોઈએ. આ ભણતર છે
ને. અંત સુધી તમારું આ ભણતર ચાલશે. ભણતર બંધ થયું તો વિનાશ થઇ જશે. તો પોતાને
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજી આ ખુશીમાં રહેવું જોઈએ ને- ભગવાન આપણને ભણાવે છે. આ ખુશી
કોઈ ઓછી થોડી છે. પરંતુ સાથે-સાથે માયા પણ ઉલ્ટા કામ કરાવી લે છે. ૫-૬ વર્ષ પવિત્ર
રહે પછી માયા પાડી દે. એક વખત પડ્યાં તો પછી તે અવસ્થા થઈ ન શકે. આપણે પડ્યાં છીએ
તો તે ઘૃણા આવે છે. હવે આપ બાળકોએ બધી સ્મૃતિ રાખવાની છે. આ જન્મમાં જે પાપ કર્યા
છે, દરેક આત્માને પોતાનાં જીવનની તો ખબર જ છે ને. કોઇ મંદબુદ્ધિ, કોઈ વિશાળબુદ્ધિ
હોય છે. નાનપણ ની હિસ્ટ્રી (જૂની વાતો) યાદ તો રહે છે ને. આ બાબા પણ નાનપણ ની
હિસ્ટ્રી સંભળાવે છે ને. બાબાને તે મકાન વગેરે પણ યાદ છે. પરંતુ હમણાં તો ત્યાં પણ
બધાં નવાં મકાન બની ગયા હશે. ૬ વર્ષથી લઇને પોતાની જીવન કહાની યાદ રહે છે. જો ભૂલી
ગયાં તો ડલબુદ્ધિ કહેશું. બાપ કહે છે પોતાની જીવન કહાની લખો. લાઇફ (જીવન) ની વાત છે
ને. ખબર પડે છે લાઈફ માં કેટલાં ચમત્કાર હતાં. ગાંધી નેહરુ વગેરેને કેટલાં મોટા-મોટા
વોલ્યુમ (પુસ્તકો) બને છે. લાઈફ તો હકીકતમાં તમારી ખૂબ વેલ્યુબલ (મુલ્યવાન) છે.
વન્ડરફુલ લાઈફ આ છે. આ છે મોસ્ટ વેલ્યુબલ, અમૂલ્ય જીવન. આમનું મૂલ્ય કથન નથી કરી
શકાતું. આ સમયે તમે જ સર્વિસ (સેવા) કરો છો. આ લક્ષ્મી-નારાયણ કંઈ પણ સર્વિસ નથી
કરતાં. તમારી લાઈફ ખૂબ વેલ્યુબલ છે, જેમ કે બીજાઓનું પણ એવું જીવન બનાવવાની સર્વિસ
કરો છો. જો સારી સર્વિસ કરે છે તે ગાયન લાયક હોય છે. વૈષ્ણવ દેવીનું પણ મંદિર છે
ને. હમણાં તમે સાચાં-સાચાં વૈષ્ણવ બનો છો. વૈષ્ણવ એટલે જે પવિત્ર છે. હમણાં તમારું
ખાન-પાન પણ વૈષ્ણવ છે. પહેલા નંબર નાં વિકારમાં તો તમે વૈષ્ણવ (પવિત્ર) છો જ.
જગતઅંબાનાં આ બધાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ છે ને. બ્રહ્મા અને સરસ્વતી. બાકી
બાળકો છે એમનાં સંતાન. નંબરવાર દેવીઓ પણ છે, જેમની પૂજા થાય છે. બાકી આટલી ભુજાઓ
વગેરે આપી છે તે બધું છે ફાલતું. તમે અનેકોને આપ સમાન બનાવો છો તો ભુજાઓ આપી દીધી
છે. બ્રહ્મા ને પણ ૧૦૦ ભૂજા વાળા, હજાર ભુજા વાળા દેખાડે છે. આ બધી ભક્તિમાર્ગ ની
વાતો છે. તમને પછી બાપ કહે છે દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. કોઈને પણ દુઃખ નહીં આપો.
કોઈને ઉલટો-સુલટો રસ્તો બતાવી સત્યાનાશ નહિં કરો. એક જ મુખ્ય વાત સમજાવી જોઈએ કે
બાપ અને વારસાને યાદ કરો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ગાયન કે
પૂજન યોગ્ય બનવાનાં માટે પાક્કા વૈષ્ણવ બનવાનું છે. ખાન-પાન ની શુદ્ધિની સાથે-સાથે
પવિત્ર રહેવાનું છે. આ વેલ્યુબલ જીવનમાં સર્વિસ કરી અનેકોનું જીવન શ્રેષ્ઠ બનાવવાનું
છે.
2. બાપની સાથે એવો
યોગ રાખવાનો છે જે આત્માની લાઈટ વધતી જાય. કોઈ પણ વિકર્મ કરી લાઈટ ઓછી નથી કરવાની.
પોતાની સાથે મિત્રતા કરવાની છે.
વરદાન :-
દેહ અભિમાનનાં
રોયલ રુપ ને પણ સમાપ્ત કરવા વાળા સાક્ષી અને દૃષ્ટા ભવ
બીજાઓની વાતોને
રીગાર્ડ (સમ્માન) ન આપવું, વાતને કાપવી - આ પણ દેહ અભિમાનનું રોયલ રુપ છે જે પોતાનું
કે બીજાઓનું અપમાન કરાવે છે કારણ કે જે કાપે છે એને અભિમાન આવે છે અને જેમની વાતને
કટ કરે એને અપમાન લાગે છે એટલે સાક્ષી દૃષ્ટાનાં વરદાન ને સ્મૃતિમાં રાખી, ડ્રામાની
ઢાલ કે ડ્રામાનાં પટ્ટા પર દરેક કર્મ અને સંકલ્પ કરતાં, હું-પણ નાં આ રોયલ રુપને પણ
સમાપ્ત કરી દરેકની વાતને સમ્માન આપો, સ્નેહ આપો તો તે સદાનાં માટે સહયોગી બની જશે.
સ્લોગન :-
પરમાત્મ
શ્રીમત રુપી જળ નાં આધાર થી કર્મ રુપી બીજને શક્તિશાળી બનાવો.