30-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - બાપની
શ્રીમત તમને સદા સુખી બનાવવા વાળી છે , એટલે દેહધારીઓ ”
પ્રશ્ન :-
કયા બાળકોની
બુદ્ધિનું ભટકવાનું હજી સુધી બંધ નથી થયું?
ઉત્તર :-
જેમને ઊંચેથી ઊંચા બાપની મત ઉપર કે ઈશ્વરીય મત ઉપર ભરોસો નથી, તેમનું ભટકવાનું હજી
સુધી બંધ નથી થયું. બાપમાં પૂરો નિશ્ચય ન હોવાનાં કારણે બંને તરફ પગ રાખે છે. ભક્તિ,
ગંગા સ્નાન વગેરે પણ કરશે અને બાપની મત પર પણ ચાલશે. એવા બાળકોનો શું હાલ થશે!
શ્રીમત પર પૂરું નથી ચાલતાં એટલે ધક્કા ખાય છે.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે……..
ઓમ શાંતિ!
બાળકોએ આ
ભક્તોનું ગીત સાંભળ્યું. હવે તમે આવું નથી કહેતાં. તમે જાણો છો આપણને ઊંચેથી ઊંચા
બાપ મળ્યાં છે, એ એક જ ઊંચેથી ઊંચા છે. બાકી જે પણ આ સમયનાં મનુષ્ય માત્ર છે, બધાં
નીચેથી નીચાં છે. ઊંચેથી ઊંચા મનુષ્ય પણ ભારતમાં આ દેવી-દેવતાઓ જ હતાં. તેમની મહિમા
છે-સર્વગુણ સમ્પન્ન…..હવે મનુષ્યોને આ ખબર નથી કે આ દેવતાઓને આટલાં ઊંચા કોણે
બનાવ્યાં. હમણાં તો બિલકુલ જ પતિત થઈ ગયાં છે. બાપ છે ઊંચેથી ઊંચા. સાધુ-સંત વગેરે
બધાં તેમની સાધના કરે છે. આવાં સાધુઓ પાછળ મનુષ્ય અડધો કલ્પ ભટક્યાં છે. હમણાં તમે
જાણો છો બાપ આવેલાં છે, આપણે બાપની પાસે જઈએ છે. એ આપણને શ્રીમત આપીને શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ, સદા સુખી બનાવે છે. રાવણની મત પર તમે કેટલાં તુચ્છબુદ્ધિ બન્યાં છો. હવે
તમે બીજા કોઈની મત પર નહીં ચાલો. મુજ પતિત-પાવન બાપને બોલાવ્યાં છે છતાં પણ ડુબાડવા
વાળાનાં પાછળ કેમ પડો છો! એકની મત ને છોડી અનેકોની પાસે ધક્કા કેમ ખાતાં રહો છો? ઘણાં
બાળકો જ્ઞાન પણ સાંભળતા રહેશે પછી જઈને ગંગાસ્નાન પણ કરશે, ગુરુઓ ની પાસે પણ જશે…..
બાપ કહે છે તે ગંગા કોઈ પતિત-પાવની તો છે નહીં. તો પણ તમે મનુષ્યની મત પર જઈ સ્નાન
વગેરે કરશો તો બાપ કહેશે-મુજ ઊંચેથી ઊંચા બાપની મત ઉપર પણ ભરોસો નથી. એક તરફ છે
ઈશ્વરીય મત, બીજી તરફ છે આસુરી મત. તેમનો હાલ શું થશે. બંને તરફ પગ રાખ્યાં તો
ચિરાઈ જશો. બાપમાં પણ પૂરો નિશ્ચય નથી રાખતાં. કહે પણ છે બાબા અમે તમારાં છીએ. તમારી
શ્રીમત પર અમે શ્રેષ્ઠ બનશું. આપણે ઊંચેથી ઊંચા બાપની મત પર પોતાનાં પગલાં રાખવાનાં
છે. શાંતિધામ, સુખધામ નાં માલિક તો બાપ જ બનાવશે. પછી બાપ કહે છે-જેમનાં શરીરમાં
મેં પ્રવેશ કર્યો એમણે તો ૧૨ ગુરુ કર્યા, તો પણ તમોપ્રધાન જ બન્યાં છે, ફાયદો કાંઈ
નહીં થયો. હવે બાપ મળ્યાં છે તો બધાને છોડી દીધાં. ઊંચેથી ઉંચા બાપ મળ્યાં, બાપે
કહ્યું-હિયર નો ઈવીલ, સી નો ઈવીલ….પરંતુ મનુષ્ય છે બિલકુલ પતિત તમોપ્રધાન બુદ્ધિ.
અહીંયા પણ ઘણાં છે, શ્રીમત પર ચાલી નથી શકતાં. તાકાત નથી. માયા ધક્કા ખવડાવતી રહે
છે કારણ કે રાવણ છે દુશ્મન, રામ છે મિત્ર. કોઈ રામ કહે, કોઈ શિવ કહે. અસલ નામ છે
શિવબાબા. હું પુનર્જન્મ માં નથી આવતો. મારું ડ્રામામાં નામ શિવ જ રાખેલું છે. એક
ચીજ નાં ૧૦ નામ રાખવાથી મનુષ્ય મૂંઝાયેલાં છે, જેમને જે આવ્યું નામ રાખી દીધું. અસલ
મારું નામ શિવ છે. હું આ શરીરમાં પ્રવેશ કરું છું. હું કોઈ કૃષ્ણ વગેરેમાં નથી આવતો.
તેઓ સમજે છે વિષ્ણુ તો સૂક્ષ્મ વતનમાં રહેવાવાળા છે. હકીકતમાં તે છે યુગલ રુપ,
પ્રવૃત્તિ માર્ગનું. બાકી ૪ ભૂજા કોઈ હોતી નથી. ચાર ભુજા એટલે પ્રવૃત્તિ માર્ગ, બે
ભુજા છે નિવૃત્તિ માર્ગ. બાપે પ્રવૃત્તિ માર્ગનો ધર્મ સ્થાપન કર્યો છે. સન્યાસી
નિવૃત્તિમાર્ગ નાં છે. પ્રવૃત્તિ માર્ગ વાળા જ પછી પાવન થી પતિત બને છે એટલે સૃષ્ટિ
ને થમાવવા માટે સન્યાસીઓ નો પાર્ટ છે પવિત્ર બનવાનો. તે પણ લાખો-કરોડો છે. મેળો
જ્યારે લાગે છે તો ખૂબ આવે છે, તેઓ જમવાનું બનાવતાં નથી, ગૃહસ્થિયો ની પાલના પર ચાલે
છે. કર્મ સન્યાસ કર્યા પછી ભોજન ક્યાંથી ખાય. તો ગૃહસ્થિયો થી ખાય છે. ગૃહસ્થી લોકો
સમજે છે-આ પણ અમારું દાન થયું. આ પણ પૂજારી પતિત હતાં, ફરી હમણાં શ્રીમત પર ચાલી
પાવન બની રહ્યાં છે. બાપ થી વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે, ત્યારે કહે છે
ફાલો ફાધર કરો. માયા દરેક વાતમાં પછાડે છે. દેહ-અભિમાનથી જ મનુષ્ય ગફલત કરે છે. ભલે
ગરીબ હોય કે સાહૂકાર હોય પરંતુ દેહ-અભિમાન જ્યારે તૂટે ત્યારે. દેહ-અભિમાન તૂટવું જ
ખૂબ મહેનત છે. બાપ કહે છે તમે પોતાને આત્મા સમજી દેહ થી પાર્ટ ભજવો. તમે દેહ-અભિમાન
માં કેમ આવો છો! ડ્રામા અનુસાર દેહ-અભિમાનમાં પણ આવવાનું જ છે. આ સમયે તો પાક્કા
દેહ-અભિમાની બની ગયાં છે. બાપ કહે છે તમે તો આત્મા છો. આત્મા જ બધું કરે છે. આત્મા
શરીર થી અલગ થઈ જાય પછી શરીરને કાપો, અવાજ કંઈ નીકળશે? ના, આત્મા જ કહે છે-મારાં
શરીરને દુઃખ નહિં આપો. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. સ્વયંને આત્મા સમજી મુજ
બાપને યાદ કરો. દેહ-અભિમાન છોડો.
આપ બાળકો જેટલાં દેહી-અભિમાની બનશો એટલાં તંદુરસ્ત અને નિરોગી બનતાં જશો. આ યોગબળ
થી જ તમે ૨૧ જન્મ નિરોગી બનશો. જેટલાં બનશો એટલું પદ પણ ઊંચું મળશે. સજાઓથી બચશો.
નહીં તો સજાઓ ખૂબ ખાવી પડશે. તો કેટલાં દેહી-અભિમાની બનવાનું છે. ઘણાં ની તકદીરમાં
આ જ્ઞાન છે નહીં. જ્યાં સુધી તમારા કુળમાં ન આવે અર્થાત્ બ્રહ્મા મુખ વંશાવલી ન બને
તો બ્રાહ્મણ બન્યાં વગર દેવતા કેવી રીતે બનશે. ભલે આવે ઘણાં છે, બાબા-બાબા લખે અથવા
કહે પણ છે પરંતુ ફક્ત કહેવા માત્ર. એક-બે ચિઠ્ઠી લખી પછી ગુમ. તે પણ સતયુગમાં આવશે
પરંતુ પ્રજામાં. પ્રજા તો ખૂબ બને છે ને. આગળ ચાલી જ્યારે ખૂબ દુઃખ હશે તો ખૂબ ભાગશે.
અવાજ થશે - ભગવાન આવ્યાં છે. તમારાં પણ ખૂબ સેવાકેન્દ્ર ખુલી જશે. આપ બાળકોમાં કમી
છે, દેહી-અભિમાની બનતાં નથી. હજી ખૂબ દેહ-અભિમાન છે. અંતમાં કાંઈ પણ દેહ-અભિમાન હશે
તો પદ પણ ઓછું થઇ જશે. પછી આવીને દાસ-દાસીઓ બનશે. દાસ-દાસીઓ પણ નંબરવાર અનેક હોય
છે. રાજાઓ ને દાસીઓ દહેજ માં મળે છે, સાહૂકારો ને નથી મળતી. બાળકોએ જોયું છે રાધા
કેટલી દાસીઓ દહેજ માં લઈ આવે છે. આગળ ચાલી તમને ખૂબ સાક્ષાત્કાર થશે. સાધારણ દાસી
બનવાથી તો સાહૂકાર પ્રજા બનવું સારું છે. દાસી અક્ષર ખરાબ છે. પ્રજામાં સાહૂકાર બનવું
તો પણ સારું છે.બાપનાં બનવાથી માયા વધારે જ સારી ખાતરી કરે છે. રુસતમ થી રુસતમ થઈને
લડે છે. દેહ-અભિમાન આવી જાય છે. શિવબાબા થી પણ મુખ ફેરવી લે છે. બાબા ને યાદ કરવાનું
જ છોડી દે છે. અરે, ખાવાની ફુરસત છે અને આવાં બાબા જે વિશ્વનાં માલિક બનાવે છે એમને
યાદ કરવાની ફુરસત નથી. સારા-સારા બાળકો શિવબાબાને ભૂલી દેહ-અભિમાન માં આવી જાય છે.
નહીં તો આવાં બાપ જે જીવનદાન આપે છે, એમને યાદ કરીને પત્ર તો લખે. પરંતુ અહીંયા વાત
નહિં પૂછો. માયા એકદમ નાક થી પકડી ઉડાવી દે છે. કદમ-કદમ શ્રીમત પર ચાલો તો કદમ માં
પદમ છે. તમે અનગણિત ધનવાન બનો છો. ત્યાં ગણતરી હોતી નથી. ધન-સંપત્તિ, ખેતી-વાડી બધું
મળે છે. ત્યાં તાંબુ, લોખંડ, પિત્તળ વગેરે હોતું નથી. સોનાનાં જ સિક્કા હોય છે.
મકાન જ સોનાનાં બનાવે છે તો શું નહીં હશે. અહીંયા તો છે જ ભ્રષ્ટાચારી રાજ્ય, યથા
રાજા-રાણી તથા પ્રજા. સતયુગ માં યથા રાજા-રાણી તથા પ્રજા બધાં શ્રેષ્ઠચારી હોય છે.
પરંતુ મનુષ્યો ની બુદ્ધિ માં બેસે થોડી છે. તમોપ્રધાન છે. બાપ સમજાવે છે-તમે પણ એવાં
જ હતાં. આ પણ એવાં હતાં. હવે હું આવીને દેવતા બનાવું છું, તો પણ બનતાં નથી. આપસમાં
લડતાં-ઝઘડતાં રહે છે. હું બહું સારો છું, આવો છું….. આ કોઈ સમજે થોડી છે કે આપણે
દોજક (નરક) માં પડયાં છીએ, આપણે રૌરવ નર્કમાં પડયાં છીએ. આ પણ તમે બાળકો જાણો છો
નંબરવાર પુરુષાર્થ અનુસાર. મનુષ્ય બિલકુલ નર્કમાં પડ્યાં છે-રાત-દિવસ ચિંતાઓ માં
પડ્યાં રહે છે. જ્ઞાન માર્ગ માં જે આપ સમાન બનાવવાની સેવા નથી કરી શકતાં, તારા-મારાં
ની ચિંતામાં રહે છે તે બીમાર રોગી છે. બાપનાં સિવાય બીજા કોઈને યાદ કર્યા તો
વ્યભિચારી થયા ને. બાપ કહે છે બીજા કોઈનું નહીં સાંભળો, મારાથી જ સાંભળો. મને યાદ
કરો. દેવતાઓને યાદ કરો તો પણ સારું છે, મનુષ્યને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. અહીંયા
તો બાપ કહે છે તમે માથું પણ કેમ ઝુકાવો છો! તમે આ બાબાની પાસે પણ જ્યારે આવો છો તો
શિવબાબાને યાદ કરીને આવો. શિવબાબાને યાદ નથી કરતાં તો પાપ કરો છો. બાબા કહે-પહેલાં
તો પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરો. શિવબાબા ને યાદ કરો. ખુબ પરહેજ છે. ખૂબ મુશ્કેલ
કોઈ સમજે છે. એટલી બુદ્ધિ નથી. બાપ થી કેવી રીતે ચાલવાનું છે, એમાં તો ખૂબ મહેનત
જોઈએ. માળાનાં દાણા બનવું-કોઈ માસીનું ઘર થોડી છે. મુખ્ય છે બાપ ને યાદ કરવું. તમે
બાપને યાદ નથી કરી શકતાં. બાપની સર્વિસ, બાપની યાદ કેટલી જોઈએ. બાબા રોજ કહે છે
પોતામેલ નીકાળો. જે બાળકોને પોતાનું કલ્યાણ કરવાનો વિચાર રહે છે-તે દરેક પ્રકાર થી
પૂરે-પૂરી પરહેજ કરતાં રહેશે. તેમનું ખાન-પાન ખૂબ સાત્વિક હશે.
બાબા બાળકોનાં કલ્યાણ માટે કેટલું સમજાવે છે. બધાં પ્રકારની પરહેજ જોઈએ. તપાસ કરવી
જોઈએ-અમારું ખાન-પાન એવું તો નથી? લોભ તો નથી? જ્યાં સુધી કર્માતીત અવસ્થા નથી થઈ
તો માયા ઉલ્ટા-સુલ્ટા કામ કરાવતી રહેશે. એમાં સમય બાકી છે, પછી ખબર પડશે-હવે તો
વિનાશ સામે છે. આગ ફેલાઇ ગઇ છે. તમે જોશો કેવાં બોમ્બસ પડે છે. ભારતમાં તો લોહીની
નદીઓ વહેવાની છે. ત્યાં બોમ્બસ થી એક-બીજાને ખતમ કરી દેશે. નેચરલ કેલામીટીઝ (કુદરતી
આપદાઓ) થશે. મુસીબત સૌથી વધારે ભારત પર છે. પોતાનાં ઉપર ખૂબ નજર રાખવાની છે, અમે
શું સર્વિસ કરીએ છે? કેટલાં ને આપ-સમાન નર થી નારાયણ બનાવીએ છીએ? કોઈ-કોઈ ભક્તિમાં
ખૂબ ફસાયેલાં છે તો સમજે છે-આ બાળકીઓ શું ભણાવશે. સમજતાં નથી કે આમને ભણાવવા વાળા
બાપ (ભગવાન) છે. થોડું ભણેલાં છે અથવા ધન છે તો લડવા લાગી જાય છે. આબરું જ ગુમાવી
દે છે. સદ્દગુરુ ની નિંદા કરાવવા વાળા ઠોર ન પામે. પછી પાઈ-પૈસાનું પદ જઈને પામશે.
અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. તારા-મારાં
ની ચિંતાઓને છોડી આપસમાન બનાવવાની સેવા કરવાની છે. એક બાપ થી જ સાંભળવાનું છે, બાપને
જ યાદ કરવાનાં છે, વ્યભિચારી નથી બનવાનું.
2. પોતાનાં કલ્યાણ
માટે ખાન-પાન ની ખૂબ પરહેજ રાખવાની છે-કોઈ પણ ચીજ માં લોભ નથી રાખવાનો. ધ્યાન રહે
માયા કોઈ પણ ઉલટું કામ ન કરાવી દે.
વરદાન :-
પ્રેક્ટિકલ (
વ્યવહારિક ) જીવન દ્વારા પરમાત્મ જ્ઞાનનું પ્રુફ ( પ્રમાણ ) આપવા વાળા ધર્મયુદ્ધ
માં વિજયી ભવ
હમણાં ધર્મયુદ્ધ નાં
સ્ટેજ પર આવવાનું છે. તે ધર્મયુદ્ધમાં વિજયી બનવાનું સાધન છે તમારું પ્રેક્ટિકલ
જીવન કારણકે પરમાત્મ જ્ઞાનનું પ્રુફ જ પ્રેક્ટિકલ જીવન છે. તમારાં મૂર્ત થી જ્ઞાન
અને ગુણ પ્રેક્ટિકલ માં દેખાય કારણ કે આજકાલ ડીસકસ (ચર્ચા) કરવાથી પોતાનાં મૂર્ત ને
સિદ્ધ નથી કરી શકતાં પરંતુ પોતાનાં પ્રેક્ટિકલ ધારણા મૂર્ત થી એક સેકન્ડ માં કોઈને
પણ શાંત કરાવી શકો છો.
સ્લોગન :-
આત્મા ને
ઉજ્જવળ બનાવવા માટે પરમાત્મ સ્મૃતિ થી મનની ઉલઝન (ગુંચવણ) ને સમાપ્ત કરો.