08-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - બાપ
આવ્યાં છે તમને કરંટ ( શક્તિ ) આપવાં , તમે દેહી - અભિમાની હશો , બુદ્ધિયોગ એક બાપથી
હશે તો કરંટ મળતો રહેશે ”
પ્રશ્ન :-
સૌથી મોટો
આસુરી સ્વભાવ કયો છે, જે આપ બાળકોમાં ન હોવો જોઈએ?
ઉત્તર :-
અશાંતિ ફેલાવવી, આ છે સૌથી મોટો આસુરી સ્વભાવ. અશાંતિ ફેલાવવા વાળાથી મનુષ્ય હેરાન
થઈ જાય છે. તેઓ જ્યાં જશે ત્યાં અશાંતિ ફેલાવી દેશે એટલે ભગવાન થી બધાં શાંતિનું
વરદાન માગે છે.
ગીત :-
યહ કહાની હૈ
દિયે ઔર તુફાન કી ………
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા બાળકોએ આ ગીતની લાઇન સાંભળી. ગીત તો આ ભક્તિમાર્ગનું છે પછી તેને જ્ઞાનમાં
ટ્રાન્સફર કરાય છે બીજું કોઈ ટ્રાન્સફર કરી ન શકે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર જાણી શકે છે, દીવો શું છે, તોફાન શું છે! બાળકો જાણે છે આત્માની જ્યોત ઓજાઈ
ગઈ છે. હવે બાપ આવ્યાં છે જ્યોત જગાડવા માટે. કોઈ મરે છે તો પણ દીવો પ્રગટાવે છે.
એનું ખુબ ધ્યાન રાખે છે. સમજે છે દીવો જો બુઝાઈ ગયો તો આત્મા ને અંધારા થી જવું પડશે
એટલે દીવો પ્રગટાવે છે. હવે સતયુગમાં તો આ વાતો હોતી નથી. ત્યાં તો સોજરા (અજવાળા)
માં હશો. ભૂખ વગેરેની વાત જ નથી, ત્યાં તો ખુબ માલ મળે છે. અહીંયા છે ઘોર અંધકાર.
છી-છી દુનિયા છે ને. બધી આત્માઓની જ્યોત ઓજાએલી છે. સૌથી વધારે જ્યોત તમારી ઓજાએલી
છે. ખાસ તમારાં માટે જ બાપ આવે છે. તમારી જ્યોત ઓજાઈ ગઈ છે, હવે કરંટ ક્યાંથી મળે?
બાળકો જાણે છે કરંટ તો બાપ થી જ મળશે. કરંટ માં જોર હોય છે તો બલ્બ માં પ્રકાશ તેજ
થઇ જાય છે. તો હમણાં તમે કરંટ લઈ રહ્યાં છો, મોટા મશીનથી. જુઓ, બોમ્બે જેવાં શહેરમાં
કેટલાં અસંખ્ય માણસો રહે છે, કેટલો વધારે કરંટ જોઈએ. જરુર એટલું મોટું મશીન હશે. આ
છે બેહદની વાત. આખી દુનિયાની આત્માઓની જ્યોત ઓજાએલી છે. તેમને કરંટ આપવાનો છે. મૂળ
વાત બાપ સમજાવે છે, બુદ્ધિયોગ બાપથી લગાવો. દેહી-અભિમાની બનો. કેટલાં મોટા બાપ છે,
આખી દુનિયાનાં પતિત મનુષ્યને પાવન કરવાવાળા સુપ્રીમ બાપ આવ્યાં છે બધાની જ્યોત
જગાડવાં. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ની જ્યોત જગાડે છે. બાપ કોણ છે, કેવી રીતે
જ્યોત જગાડે છે, આ તો કોઇ નથી જાણતું. એમને જ્યોતિ સ્વરુપ પણ કહે છે પછી સર્વવ્યાપી
પણ કહી દે છે. જ્યોતિ સ્વરુપ ને બોલાવે છે કારણ કે જ્યોત ઓજાઈ ગઈ છે. સાક્ષાત્કાર
પણ થાય છે, અખંડ જ્યોતિ નો. દેખાડે છે અર્જુને કહ્યું હું તેજ સહન નથી કરી શકતો.
ખૂબ કરંટ છે. તો હવે આ વાતોને આપ બાળકો હમણાં સમજો છો. બધાને સમજાવાનું પણ આ છે કે
તમે આત્મા છો. આત્માઓ ઉપરથી અહીં આવે છે. પહેલાં આત્મા પવિત્ર છે, તેનામાં કરંટ છે.
સતોપ્રધાન છે. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં પવિત્ર આત્માઓ છે પછી તેમને અપવિત્ર પણ
બનવાનું છે. જ્યારે અપવિત્ર બને છે ત્યારે ગોડફાધર ને બોલાવે છે કે આવીને લિબરેટ (મુક્ત)
કરો અર્થાત્ દુઃખ થી મુક્ત કરો. લિબરેટ કરવું અને પાવન બનાવવું બંનેનો અર્થ અલગ-અલગ
છે. જરુર કોઈ થી પતિત બન્યાં છે ત્યારે કહે છે બાબા આવો, આવીને લિબરેટ પણ કરો, પાવન
પણ બનાવો. અહીંયા થી શાંતિધામ લઈ જાઓ. શાંતિનું વર આપો. હવે બાપએ સમજાવ્યું છે-અહીંયા
શાંતિમાં તો રહી નથી શકતાં. શાંતિ તો છે જ શાંતિધામ માં. સતયુગમાં એક ધર્મ, એક
રાજ્ય છે તો શાંતિ રહે છે. કોઈ ધમાલ નથી. અહીંયા મનુષ્ય હેરાન થાય છે અશાંતિ થી. એક
જ ઘરમાં કેટલાં ઝઘડા થઈ જાય છે. સમજો સ્ત્રી-પુરુષ નો ઝઘડો છે તો માં, બાપ, બાળકો,
ભાઈ-બહેન વગેરે બધાં હેરાન થઈ જાય છે. અશાંતિવાળો મનુષ્ય જ્યાં જશે અશાંતિ જ ફેલાવશે
કારણ કે આસુરી સ્વભાવ છે ને. હવે તમે જાણો છો સતયુગ છે સુખધામ. ત્યાં સુખ અને શાંતિ
બંન્ને છે. અને ત્યાં (પરમધામ માં) તો ફક્ત શાંતિ છે, તેને કહેવાય છે સ્વીટ
સાઈલેન્સ હોમ. મુક્તિધામ વાળાને ફક્ત એટલું જ સમજાવાનું હોય છે તમને મુક્તિ જોઇએ છે
ને તો બાપ ને યાદ કરો.
મુક્તિનાં પછી જીવનમુક્તિ જરુર છે. પહેલાં જીવનમુક્ત હોય છે પછી જીવનબંધ માં આવે
છે. અડધું-અડધું છે ને. સતોપ્રધાન થી પછી સતો, રજો, તમો માં જરુર આવવાનું છે. પાછળથી
જે એકાદ જન્મ માટે આવતા હશે, તે શું સુખ-દુઃખનો અનુભવ કરતાં હશે. તમે તો બધો અનુભવ
કરો છો. તમે જાણો છો આટલાં જન્મ આપણે સુખમાં રહીએ છીએ પછી આટલાં જન્મ દુઃખમાં હોઈએ
છે. ફલાણા-ફલાણા ધર્મ નવી દુનિયામાં આવી નથી શકતાં. એમનો પાર્ટ જ પછી છે, ભલે નવો
ખંડ છે, એમનાં માટે જેમ કે તે નવી દુનિયા છે. જેમ બૌદ્ધિ ખંડ, ક્રિશ્ચન ખંડ નવો થયો
ને. એમને પણ સતો, રજો, તમો પસાર થવાનું છે. ઝાડમાં પણ એવું હોય છે ને. ધીમે-ધીમે
વૃદ્ધિ થતી જાય છે. પહેલાં જે નીકળ્યાં તે નીચે જ રહે છે. જોયું છે ને - નવાં-નવાં
પાંદડા કેવી રીતે નીકળે છે. નાનાં-નાનાં લીલા પાંદડા નીકળતાં રહે છે પછી ફૂલ નીકળે
છે, નવું ઝાડ ખૂબ નાનું છે. નવું બીજ નખાય છે, તેની પૂરી પરવરિશ નથી થતી તો સડી જાય
છે. તમે પણ પૂરી પરવરિશ નથી કરતાં તો સડી જાય છે. બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે
છે પછી તેમાં નંબરવાર બને છે. રાજધાની સ્થાપન થાય છે ને. ઘણાં ફેલ (નપાસ) થઈ જાય
છે.
બાળકોની જેવી અવસ્થા છે, એવો પ્રેમ બાપ થી મળે છે. ઘણાં બાળકોને બહાર થી પણ પ્રેમ
કરવાનો હોય છે. કોઈ-કોઈ લખે છે બાબા અમે ફેલ થઈ ગયાં. પતિત બની ગયાં. હવે તેમને કોણ
હાથ લગાવશે! તેઓ બાપની દિલ પર ચઢી નથી શકતાં. પવિત્ર ને જ બાબા વારસો આપી શકે છે.
પહેલા એક-એક થી પુરા સમાચાર પૂછી પોતામેલ લે છે. જેવી અવસ્થા તેવો પ્રેમ. બહાર થી
ભલે પ્રેમ કરશે અંદર જાણે છે આ બિલકુલ જ બુદ્ધુ છે, સર્વિસ (સેવા) કરી નથી શકતાં.
ખ્યાલ તો રહે છે ને. અજ્ઞાનકાળ માં બાળક સારું કમાવવા વાળો હોય છે તો બાપ પણ ખૂબ
પ્રેમથી મળશે. કોઈ એટલું કમાવવા વાળા નહીં હશે તો બાપનો પણ એટલો પ્રેમ નથી રહેતો.
તો અહીંયા પણ એવું છે. બાળકો બહાર માં પણ સર્વિસ કરે છે ને. ભલે કોઈ પણ ધર્મ વાળા
હોય, એમને સમજાવવું જોઈએ. બાપને લિબરેટર કહેવાય છે ને. લિબરેટર અને ગાઈડ (માર્ગદર્શક)
કોણ છે, એમનો પરિચય આપવાનો છે. સુપ્રીમ ગોડ ફાધર (પરમપિતા) આવે છે, બધાને લિબરેટ કરે
છે. બાપ કહે છે તમે કેટલાં પતિત બની ગયાં છો. પ્યોરિટી (પવિત્રતા) છે નહીં. હવે મને
યાદ કરો. બાપ તો એવર પ્યોર (સદા પવિત્ર) છે. બાકી બધાં પવિત્ર થી અપવિત્ર જરુર બને
છે. પુનર્જન્મ લેતાં-લેતાં ઉતરતાં આવે છે. આ સમયે બધાં પતિત છે એટલે બાપ સલાહ આપે
છે-બાળકો, તમે મને યાદ કરો તો પાવન બની જશો. હવે મોત તો સામે ઊભું છે. જૂની દુનિયાનો
હવે અંત છે. માયાનો પામ્પ (દેખાડો) કેટલો છે એટલે મનુષ્ય સમજે છે આ તો સ્વર્ગ છે.
એરોપ્લેન (વિમાન), વીજળીઓ વગેરે શું-શું છે, આ છે બધું માયા નો પામ્પ. આ હવે ખતમ
થવાનું છે. પછી સ્વર્ગની સ્થાપના થઇ જશે. આ વીજળીઓ વગેરે બધું સ્વર્ગમાં તો હોય છે.
હવે આ બધું સ્વર્ગમાં કેવી રીતે આવશે. જરુર જાણકારી વાળા જોઈએ ને. તમારી પાસે ખૂબ
સારા-સારા કારીગર લોકો પણ આવશે. તેઓ રાજાઈમાં તો આવશે નહીં તો પણ તમારી પ્રજા માં
આવી જશે. એન્જિનિયર વગેરે શીખેલાં સારા-સારા કારીગર આવશે. આ ફેશન બધી બહાર વિલાયત (વિદેશ)
થી આવતી જાય છે. તો બહાર વાળા ને પણ તમારે શિવબાબા નો પરિચય આપવાનો છે. બાપ ને યાદ
કરો. તમારે પણ યોગમાં રહેવાનો જ પુરુષાર્થ ખૂબ કરવાનો છે. આમાં જ માયાનાં તોફાન ખૂબ
આવે છે. બાપ ફક્ત કહે છે મામેકમ યાદ કરો. આ તો સારી વાત છે ને. ક્રાઈસ્ટ પણ તેમની
રચના છે, રચયિતા સુપ્રીમ સોલ (પરમ આત્મા) તો એક છે. બાકી બધી છે રચના. વારસો રચતા
થી જ મળે છે. આવાં-આવાં સારા પોઇન્ટ (વાતો) જે છે તે નોંધ કરવાં જોઈએ.
બાપનું મુખ્ય કર્તવ્ય છે સર્વને દુ:ખથી લિબરેટ કરવાં. એ સુખધામ અને શાંતિધામનાં ગેટ
(દ્વાર) ખોલે છે. એમને કહે છે-હે લિબરેટર દુઃખ થી લિબરેટ કરી અમને શાંતિધામ-સુખધામ
લઈ જાઓ. જ્યારે અહીંયા સુખધામ છે તો બાકી આત્માઓ શાંતિધામ માં રહે છે. હેવિન (સ્વર્ગ)
નો ગેટ બાપ જ ખોલે છે. એક ગેટ ખુલે છે નવી દુનિયા નો, બીજો શાંતિધામ નો. હવે જે
આત્માઓ અપવિત્ર થઈ ગઈ છે એમને બાપ શ્રીમત આપે છે સ્વયંને આત્મા સમજો, મને યાદ કરો
તો તમારાં પાપ કપાય જાય. હવે જે-જે પુરુષાર્થ કરશે તો પછી પોતાનાં ધર્મમાં ઊંચ પદ
પામશે. પુરુષાર્થ નહીં કરશે તો ઓછું પદ પામશે. સારા-સારા પોઇન્ટસ નોટ કરો તો સમય પર
કામ આવી શકે છે. બોલો, શિવબાબાનું ઓક્યૂપેશન (કર્તવ્ય) અમે બતાવશું તો મનુષ્ય કહેશે
આ પછી કોણ છે જે ગોડફાધર શિવ નું ઓક્યૂપેશન બતાવે છે. બોલો, તમે આત્માનાં રુપમાં તો
બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છો. પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચે છે તો ભાઈ-બહેન
થાય છે. ગોડફાધર જેમને લિબરેટર, ગાઈડ કહે છે, એમનું ઓક્યૂપેશન અમે તમને બતાવીએ છીએ.
જરુર અમને ગોડફાધરએ બતાવ્યું છે ત્યારે તમને બતાવીએ છીએ. સન શોજ ફાધર. આ પણ સમજાવવું
જોઈએ. આત્મા બિલકુલ નાનો સ્ટાર (તારો) છે, આ આંખોથી તેને જોઈ ન શકાય. દિવ્ય દૃષ્ટિથી
સાક્ષાત્કાર થઈ શકે છે. બિંદુ છે, જોવાથી ફાયદો થોડી થઈ શકે છે. બાપ પણ એવું જ બિંદુ
છે, એમને સુપ્રીમ સોલ (સર્વ શ્રેષ્ઠ આત્મા) કહે છે. સોલ એક જેવી જ છે પરંતુ એ
સુપ્રીમ છે, નોલેજફુલ છે, બ્લીસફુલ છે, લિબરેટર અને ગાઈડ છે. એમની ખૂબ મહિમા કરવી
પડે. જરુર બાપ આવશે ત્યારે તો સાથે લઈ જશે ને. આવીને નોલેજ આપશે. બાપ જ બતાવે છે
આત્મા આટલી નાની છે, હું પણ આટલો છું. નોલેજ પણ જરુર કોઈ શરીરમાં પ્રવેશ કરીને આપશે.
આત્માની બાજુમાં આવીને બેસીશ. મારામાં પાવર (શક્તિ) છે, ઓર્ગન્સ મળી ગયા તો હું ધણી
થઇ ગયો. આ ઓર્ગન્સ દ્વારા બેસી સમજાવું છું, આમને એડમ પણ કહેવાય છે. એડમ છે
પહેલો-પહેલો માણસ. મનુષ્યોનો સીજરો છે ને. આ માતા-પિતા પણ બને છે, એમનાથી પછી રચના
થાય છે, છે જૂનાં પરંતુ એડોપ્ટ કર્યા છે, નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યાં. બ્રહ્માનાં
બાપનું નામ કોઈ બતાવે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ કોઈની રચના તો હશે ને! રચયિતા તો એક
જ છે, બાપએ તો આમને એડોપ્ટ કર્યા છે, આ આટલાં નાના બાળકો બેસી સંભળાવે તો કહેશે આ
તો ખૂબ શ્રેષ્ઠ નોલેજ છે.
જે બાળકોને સારી ધારણા હોય છે એમને ખુબ ખુશી રહેશે, ક્યારેય બગાસા નહીં આવશે. કોઈ
સમજવા વાળા નહીં હશે તો બગાસા મારતા રહેશે. અહીંયા તો તમને ક્યારેય બગાસું ન આવવું
જોઈએ. કમાણીનાં સમયે ક્યારેય બગાસા નથી આવતાં. ગ્રાહક નહીં હશે, ધંધો ઠંડો હશે તો
બગાસા આવતા રહેશે. અહીંયા પણ ધારણા નથી થતી. કોઈ તો બિલકુલ સમજતા નથી કારણ કે
દેહ-અભિમાન છે. દેહી-અભિમાની થઈ બેસી નહિં શકશે. કોઈને કોઈ બહાર ની વાતો યાદ આવી જશે.
પોઇન્ટ વગેરે પણ નોંધ નહીં કરી શકશે. શુરુડ બુદ્ધિ ઝટ નોંધ કરશે- આ પોઈન્ટ્સ ખૂબ
સારો છે. સ્ટુડન્ટસ (વિદ્યાર્થી) ની ચલન પણ શિક્ષકને જોવામાં આવે છે ને. સેન્સીબુલ
(સમજદાર) શિક્ષકની નજર બધી બાજુ ફરતી રહે છે ત્યારે તો સર્ટિફિકેટ આપે છે ભણતરનું.
મેનર્સ (સભ્યતા) નું સર્ટીફીકેટ નીકાળે છે. કેટલું ગેરહાજર રહ્યાં, એ પણ નીકાળે છે.
અહીંયા તો ભલે હાજર હોય છે પરંતુ સમજતા કાંઈ નથી, ધારણા થતી નથી. કોઈ કહે છે બુદ્ધિ
ડલ છે, ધારણા નથી થતી, બાબા શું કરશે! આ તમારાં કર્મો નો હિસાબ-કિતાબ છે. બાપ તો
તદબીર એક જ કરાવે છે. તમારી તકદીરમાં નથી તો શું કરશે. સ્કૂલમાં પણ કોઈ પાસ, કોઈ
નપાસ થાય છે. આ છે બેહદનું ભણતર, જે બેહદનાં બાપ ભણાવે છે. બીજા ધર્મવાળા ગીતાની
વાત નહીં સમજશે. દેશ જોઈ સમજાવવું પડે છે. પહેલાં-પહેલાં ઊંચેથી ઊંચા બાપનો પરિચય
આપવો પડે છે. એ કેવી રીતે લિબરેટર, ગાઈડ છે! હેવિન (સ્વર્ગ) માં આ વિકાર હોતાં નથી.
આ સમયે આને કહેવાય છે શૈતાની રાજ્ય. જૂની દુનિયા છે ને, આને ગોલ્ડન એજડ (સતયુગ) નહીં
કહેવાશે. નવી દુનિયા હતી, હવે જુની દુનિયા થઈ છે. બાળકો માં, જેમને સર્વિસ નો શોખ
છે તો પોઇન્ટસ નોંધ કરવાં જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતરમાં
ખૂબ-ખૂબ કમાણી છે એટલે કમાણી ખુશી-ખુશી થી કરવાની છે. ભણતા સમય ક્યારેય બગાસા વગેરે
ન આવે, બુદ્ધિયોગ અહીંયા-ત્યાં ન ભટકે. પોઇન્ટસ નોંધ કરી ધારણા કરતાં રહો.
2. પવિત્ર બની બાપનાં
દિલનો પ્રેમ પામવાનાં અધિકારી બનવાનું છે. સર્વિસમાં હોશિયાર બનવાનું છે, સારી કમાણી
કરવાની અને કરાવવાની છે.
વરદાન :-
સ્વ - કલ્યાણ
નાં સાથે - સાથે પર - ઉપકારી બનવાવાળા માયાજીત , વિજયી ભવ
હમણાં સુધી સ્વ
કલ્યાણ માં ખૂબ સમય જઈ રહ્યો છે. હવે પર ઉપકારી બનો. માયાજીત વિજયી બનવાનાં
સાથે-સાથે સર્વ ખજાના નાં વિધાતા બનો અર્થાત્ દરેક ખજાનાને કાર્યમાં લગાવો. ખુશીનો
ખજાનો, શાંતિનો ખજાનો, શક્તિઓનો ખજાનો, જ્ઞાનનો ખજાનો, ગુણોનો ખજાનો, સહયોગ આપવાનો
ખજાનો વહેંચો અને વધારો. જ્યારે હમણાં વિધાતાપણા ની સ્થિતિનો અનુભવ કરશો અર્થાત્ પર
ઉપકારી બનશો ત્યારે અનેક જન્મ વિશ્વ રાજ્ય અધિકારી બનશો.
સ્લોગન :-
વિશ્વ
કલ્યાણકારી બનવું છે તો પોતાની સર્વ કમજોરીઓને સદાકાળ નાં માટે વિદાય આપો.