22-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારે
હવે નામ રુપની બીમારી થી બચવાનું છે , ઉલટું ખાતુ નથી બનાવવાનું , એક બાપ ની યાદ
માં રહેવાનું છે ”
પ્રશ્ન :-
ભાગ્યવાન બાળકો
કયા મુખ્ય પુરુષાર્થ થી પોતાનું ભાગ્ય બનાવી દે છે?
ઉત્તર :-
ભાગ્યવાન બાળકો બધાને સુખ આપવાનો પુરુષાર્થ કરે છે. મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ
નથી આપતાં. શીતળ થઈને ચાલે છે તો ભાગ્ય બનાવતાં જાય છે. તમારી આ સ્ટુડન્ટ (વિધાર્થી)
લાઈફ (જીવન) છે, તમારે હવે ઘુટકા નથી ખાવાનાં, અપાર ખુશીમાં રહેવાનું છે.
ગીત :-
તુમ્હી હો
માતા-પિતા…….
ઓમ શાંતિ!
બધાં બાળકો
મુરલી સાંભળે છે, જ્યાં પણ મુરલી જાય છે, બધાં જાણે છે કે જેમની મહિમા ગવાય છે તે
કોઈ સાકાર નથી, નિરાકારની મહિમા છે. નિરાકાર સાકાર દ્વારા હમણાં સમ્મુખ મુરલી
સંભળાવી રહ્યાં છે. એવું પણ કહેશે હમણાં અમે આત્મા એમને જોઇ રહ્યાં છીએ! આત્મા ખૂબ
સૂક્ષ્મ છે, આ આંખોથી જોવામાં નથી આવતી. ભક્તિમાર્ગ માં પણ જાણે છે કે અમે આત્મા
સૂક્ષ્મ છીએ. પરંતુ પૂરું રહસ્ય બુદ્ધિમાં નથી કે આત્મા છે શું, પરમાત્માને યાદ કરે
છે પરંતુ તે છે શું! આ દુનિયા નથી જાણતી. તમે પણ નહોતાં જાણતાં. હમણાં આપ બાળકોને આ
નિશ્ચય છે કે આ કોઈ લૌકિક શિક્ષક કે સંબંધી પણ નથી. જેમ સૃષ્ટિમાં બીજા મનુષ્ય છે
તેમ આ દાદા પણ હતાં. તમે જ્યારે મહિમા ગાતાં હતાં ત્વમેવ માતાશ્ચ પિતા... તો સમજતા
હતાં ઉપરમાં છે. હવે બાપ કહે છે મેં આમનામાં પ્રવેશ કર્યો છે, હું એજ આમનામાં છું.
પહેલાં તો ખૂબ પ્રેમથી મહિમા ગાતા હતાં, ડર પણ રાખતાં હતાં. હમણાં તો એ અહીંયા આ
શરીરમાં આવ્યાં છે. જે નિરાકાર હતાં એ હવે સાકારમાં આવી ગયાં છે. એ બેસીને બાળકો ને
શીખવાડે છે. દુનિયા નથી જાણતી કે એ શું શીખવાડે છે. એ તો ગીતાનાં ભગવાન કૃષ્ણ સમજે
છે. કહી દે છે-એ રાજયોગ શીખવાડે છે. અચ્છા, બાકી બાપ શું કરે છે? ભલે ગાતાં હતાં
તુમ માત-પિતા પરંતુ એમનાથી શું અને ક્યારે મળે છે, આ કાંઈ નથી જાણતાં. ગીતા સાંભળતા
હતાં તો સમજતા હતાં કૃષ્ણ દ્વારા રાજયોગ શીખ્યા હતાં પછી એ ક્યારે આવીને શીખવાડશે.
તે પણ ધ્યાનમાં આવતું હશે. આ સમયે આ તેજ મહાભારત લડાઈ છે તો જરૂર કૃષ્ણ નો સમય હશે.
જરૂર તેજ હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ (પુનરાવૃત્તિ) થવી જોઈએ. દિવસ-પ્રતિદિવસ સમજતાં
જશે. જરૂર ગીતાનાં ભગવાન હોવાં જોઈએ. બરાબર મહાભારત લડાઈ પણ જોવામાં આવે છે. જરૂર આ
દુનિયાનો અંત થશે. દેખાડે છે પાંડવ પહાડ પર ચાલ્યા ગયાં. તો એમની બુદ્ધિમાં આ આવતું
હશે, બરાબર વિનાશ તો સામે ઊભો છે. હવે કૃષ્ણ છે ક્યાં? શોધતાં રહેશે, જ્યાં સુધી
તમારાથી સાંભળે કે ગીતાનાં ભગવાન કૃષ્ણ નથી, શિવ છે. તમારી બુદ્ધિમાં તો આ વાત
પાક્કી છે. આ તમે ક્યારેય ભૂલી નથી શકતાં. કોઈને પણ તમે સમજાવી શકો છો ગીતાનાં
ભગવાન કૃષ્ણ નથી, શિવ છે. દુનિયામાં તો કોઈ પણ નહીં કહેશે સિવાય આપ બાળકો નાં. હવે
ગીતાનાં ભગવાન રાજયોગ શીખવાડતા હતાં તો જરૂર એનાથી સિદ્ધ થાય છે નર થી નારાયણ બનાવતાં
હતાં. આપ બાળકો જાણો છો ભગવાન આપણને ભણાવે છે. બરાબર નર થી નારાયણ બનાવે છે. આ
લક્ષ્મી-નારાયણ નું સ્વર્ગમાં રાજ્ય હતું ને. હમણાં તો તે સ્વર્ગ પણ નથી, તો નારાયણ
પણ નથી, દેવતાઓ પણ નથી. ચિત્ર છે જેનાથી સમજે છે આ થઈને ગયાં છે. હમણાં તમે સમજો છો
એમને કેટલાં વર્ષ થયાં? તમને પાક્કી ખબર છે, આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આમનું રાજ્ય
હતું. હવે તો છે અંત. લડાઈ પણ સામે ઉભી છે. જાણો છો બાપ આપણને ભણાવી રહ્યાં છે. બધાં
સેવાકેન્દ્રમાં ભણે પણ છે તો ભણાવે પણ છે. ભણાવવાની યુક્તિ ખૂબ સરસ છે. ચિત્રો
દ્વારા સમજણ સારી મળી શકશે. મુખ્ય વાત છે ગીતાનાં ભગવાન શિવ કે કૃષ્ણ? ફરક તો ખૂબ
છે ને. સદ્દગતિ દાતા સ્વર્ગની સ્થાપના કરવાવાળા અથવા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની
ફરીથી સ્થાપના કરવાવાળા શિવ કે શ્રીકૃષ્ણ? મુખ્ય છે જ ૩ વાતોનો ફેસલો. આનાં પર જ
બાબા જોર આપે છે. ભલે ઓપિનિયન (અભિપ્રાય) લખીને આપે છે કે આ ખૂબ સરસ છે પરંતુ એનાથી
કાંઈ પણ ફાયદો નથી. તમારી જે મુખ્ય વાત છે તેનાં પર જોર આપવાનું છે. તમારી જીત પણ
છે આમાં. તમે સિદ્ધ કરી બતાવો છો ભગવાન એક હોય છે. એવું નથી કે ગીતા સંભળાવવા વાળા
પણ ભગવાન થઈ ગયાં. ભગવાને આ રાજ્યોગ અને જ્ઞાન દ્વારા દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી.
બાબા સમજાવે છે-બાળકો પર માયાનો વાર થતો રહે છે. હજી સુધી કર્માતીત અવસ્થાને કોઈ
પામ્યું નથી. પુરુષાર્થ કરતાં-કરતાં અંતમાં તમે એક બાબાની યાદમાં સદેવ હર્ષિત રહેશો.
કોઈ મુરઝાઈશ નહીં આવે. હમણાં તો માથા પર પાપોનો બોજો ખૂબ છે. તે યાદથી જ ઉતરશે.
બાપએ પુરુષાર્થની યુક્તિઓ બતાવેલી છે. યાદથી જ પાપ કપાય છે. ઘણાં બુધ્ધુ છે જે યાદમાં
ન રહેવાનાં કારણે પછી નામ-રુપ વગેરેમાં ફસાઇ જાય છે. હર્ષિતમુખ થઈ કોઈને જ્ઞાન
સમજાવે, તે પણ મુશ્કેલ છે. આજે કોઈને સમજાવ્યું, કાલે પછી ઘુટકા આવવાથી ખુશી ગુમ થઈ
જાય છે. સમજવું જોઈએ આ માયાનો વાર થાય છે એટલે પુરુષાર્થ કરી બાપ ને યાદ કરવાનાં
છે. બાકી રડવાનું, પીટવાનું કે બેહાલ નથી થવાનું. સમજવું જોઈએ માયા પાદર (જૂત્તા)
મારે છે એટલે પુરુષાર્થ કરી બાપ ને યાદ કરવાનાં છે. બાપની યાદથી ખુબ ખુશી રહેશે.
મુખથી ઝટ વાણી નીકળશે. પતિત-પાવન બાપ કહે છે કે મને યાદ કરો. મનુષ્ય તો એક પણ નથી
જેમને રચતા બાપનો પરિચય હોય. મનુષ્ય થઈ અને બાપને ન જાણે તો જાનવર થી પણ બદતર થયાં.
ગીતામાં કૃષ્ણનું નામ નાખી દીધું છે તો બાપને યાદ કેવી રીતે કરે! આજ મોટી ભૂલ છે,
જે તમારે સમજાવવાની છે. ગીતાનાં ભગવાન શિવબાબા છે, એજ વારસો આપે છે.
મુક્તિ-જીવનમુક્તિ દાતા એજ છે, બીજા ધર્મવાળાઓની બુદ્ધિમાં બેસતું નથી. તે તો
હિસાબ-કિતાબ ચૂકતું કરી પાછાં ચાલ્યાં જશે. અંતમાં થોડો પરિચય મળશે તો પણ જશે પોતાનાં
ધર્મમાં. તમને બાપ સમજાવે છે તમે દેવતા હતાં, હવે પછી બાપને યાદ કરવાથી તમે દેવતા
બની જશો. વિકર્મ વિનાશ થઇ જશે. તો પણ ઉલ્ટા-સુલ્ટા ધંધા કરી લે છે. બાબા ને લખે છે
આજે અમારી અવસ્થા મુરઝાયેલી છે, બાપને યાદ નથી કર્યા. યાદ નહીં કરો તો જરૂર મુરઝાશો.
આ છે જ મુર્દાઓની દુનિયા. બધાં મરી પડેલાં છે. તમે બાપનાં બન્યાં છો તો બાપનું
ફરમાન છે-મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. આ શરીર તો જુનું તમોપ્રધાન છે. અંત
સુધી તો કાંઈ ને કાંઈ થતું રહેશે. જ્યાં સુધી બાપની યાદમાં રહી કર્માતીત અવસ્થાને
પામે, ત્યાં સુધી માયા હલાવતી રહેશે, કોઈને પણ છોડશે નહીં. તપાસ કરતાં રહેવું જોઈએ
કે માયા કેવી ધક્કા ખવડાવે છે. ભગવાન આપણને ભણાવે છે, આ ભૂલવું કેમ જોઈએ. આત્મા કહે
છે-અમને પ્રાણો થી પ્રિય એ બાપ જ છે. એવાં બાપને પછી તમે ભૂલો છો કેમ! બાપ ધન આપે
છે, દાન કરવાં માટે. પ્રદર્શની-મેળામાં તમે અનેકોને દાન કરી શકો છો. જાતે જ શોખથી
ભાગવું જોઈએ. હમણાં તો બાબાએ તાકીદ કરવી પડે છે, (ઉમંગ અપાવો પડે છે) જઈને સમજાવો.
એમાં પણ સારા સમજેલા હોવાં જોઈએ. દેહ-અભિમાનીનું તીર લાગશે નહીં. તલવારો પણ અનેક
પ્રકારની હોય છે ને. તમારી પણ યોગની તલવાર ખૂબ ધારદાર જોઈએ. સર્વિસનો ઉલ્લાસ જોઈએ.
અનેકોનું જઈને કલ્યાણ કરીએ. બાપને યાદ કરવાની એવી પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ જાય જે
અંતમાં સિવાય બાપનાં બીજા કોઈ યાદ ન આવે, ત્યારે જ તમે રાજાઈ પદ પામશો. અંતકાળ જે
અલફ ને સિમરે અને પછી નારાયણને સિમરે. બાપ અને નારાયણ (વારસો) જ યાદ કરવાનાં છે.
પરંતુ માયા ઓછી નથી. કાચાં તો એકદમ ઢગલો થઈ જાય છે. ઉલ્ટા કર્મોનું ખાતુ ત્યારે બને
છે જ્યારે કોઈનાં નામ રુપમાં ફસાઇ જાય છે. એક-બીજાને પ્રાઇવેટ (ખાનગી) ચિઠ્ઠીઓ લખે
છે. દેહધારીઓ થી પ્રીત થઈ જાય છે તો ઉલ્ટા કર્મોનું ખાતુ બની જાય છે. બાબા ની પાસે
સમાચાર આવે છે. ઉલ્ટા-સુલ્ટા કામ કરી પછી કહે છે બાબા થઈ ગયું! અરે, ખાતુ ઉલટુ તો
થઈ ગયું ને! આ શરીર તો પલીત છે, એને તમે યાદ કેમ કરો છો. બાપ કહે છે મને યાદ કરો તો
સદેવ ખુશી રહે. આજે ખુશીમાં છે, કાલે પછી મુર્દા બની જાય છે. જન્મ-જન્માંતર
નામ-રુપમાં ફસાતાં આવે છે ને. સ્વર્ગમાં આ બીમારી નામ-રુપ ની હોતી નથી. ત્યાં તો
મોહજીત કુટુંબ હોય છે. જાણે છે અમે આત્મા છીએ, શરીર નથી. તે છે જ આત્મ-અભિમાની
દુનિયા. અહિયાં છે દેહ-અભિમાની દુનિયા. પછી અડધોકલ્પ તમે દેહી-અભિમાની બની જાઓ છો.
હવે બાપ કહે છે દેહ-અભિમાન છોડો. દેહી-અભિમાની થવાથી ખૂબ મીઠા શીતળ થઈ જશો. એવાં
ખૂબ થોડાં છે, પુરુષાર્થ કરાવતાં રહે છે કે બાપની યાદ ન ભૂલો. બાપ ફરમાન કરે છે મને
યાદ કરો, ચાર્ટ રાખો. પરંતુ માયા ચાર્ટ પણ રાખવા નથી દેતી. આવાં મીઠા બાપને તો કેટલાં
યાદ કરવાં જોઈએ. આ તો પતિઓનાં પતિ, બાપોનાં બાપ છે ને. બાપને યાદ કરી અને પછી
બીજાઓને પણ આપ સમાન બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે, તેમાં દિલચસ્પી ખૂબ સારી રાખવી
જોઈએ. સર્વિસેબુલ બાળકોને તો બાપ નોકરી થી છોડાવી દે છે. પરિસ્થિતિ જોઈ કહેશે હવે આ
ધંધામાં લાગી જાઓ. લક્ષ-હેતુ તો સામે ઉભો છે. ભક્તિમાર્ગમાં પણ ચિત્રોનાં આગળ યાદમાં
બેસે છે ને. તમારે તો ફક્ત આત્મા સમજી પરમાત્મા બાપને યાદ કરવાનાં છે. વિચિત્ર બની
વિચિત્ર બાપ ને યાદ કરવાનાં છે. આ મહેનત છે. વિશ્વનાં માલિક બનવું, કોઈ માસીનું ઘર
નથી. બાપ કહે છે-હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને બનાવું છું. કેટલું માથું મારવું
પડે છે. સપૂત બાળકોને તો પોતાનેજ ફિકર લાગેલી રહેશે, રજા લઈને પણ સર્વિસમાં લાગી જવું
જોઈએ. ઘણાં બાળકોને બંધન પણ છે, મોહ પણ રહે છે. બાપ કહે છે તમારી બધી બિમારીઓ બહાર
નીકળશે. તમે બાપ ને યાદ કરતાં રહો. માયા તમને હટાવવાની કોશિશ કરે છે. યાદ જ મુખ્ય
છે, રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન મળ્યું, બાકી બીજું શું જોઈએ. ભાગ્યવાન
બાળકો બધાને સુખ આપવાનો પુરુષાર્થ કરે છે, મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપતાં,
શીતળ થઈને ચાલે છે તો ભાગ્ય બનતું જાય છે. જો કોઈ નથી સમજતું તો સમજાય છે તેમનાં
ભાગ્યમાં નથી. જેમનાં ભાગ્યમાં છે તે સારી રીતે સાંભળે છે. અનુભવ પણ સંભળાવે છે ને
- શું -શું કરતાં હતાં. હવે ખબર પડી છે, જે કઈ કર્યુ તેનાથી દુર્ગતિ થઈ. સદ્દગતિ ને
ત્યારે પામે જ્યારે બાપને યાદ કરે. ખૂબ મુશ્કિલ કોઈ કલાક, અડધો કલાક યાદ કરતાં હશે.
નહીં તો ઘુટકા ખાતાં રહે છે. બાપ કહે છે અડધો કલ્પ ઘુટકા ખાધાં હવે બાપ મળ્યાં છે,
સ્ટુડન્ટ લાઈફ છે તો ખુશી હોવી જોઈએ ને. પરંતુ બાપને ઘડી-ઘડી ભૂલી જાય છે.
બાપ કહે છે તમે કર્મયોગી છો. તે ધંધો વગેરે તો કરવાનું જ છે. નિંદ્રા પણ ઓછી કરવી
સારી છે. યાદ થી કમાણી થશે, ખુશી પણ રહેશે. યાદમાં બેસવું જરૂરી છે. દિવસમાં તો
ફુર્સત નથી મળતી એટલે રાતનાં સમય નીકાળવો જોઈએ. યાદથી ખુબ ખુશી રહેશે. કોઈને બંધન
છે તો કહી શકે છે અમારે તો બાપથી વારસો લેવાનો છે, તેમાં કોઇ રોકી નથી શકતું. ફક્ત
ગવર્મેન્ટ (સરકાર) ને જઈ સમજાવો કે વિનાશ સામે ઊભો છે, બાપ કહે છે મને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. અને આ અંતિમ જન્મ તો પવિત્ર રહેવાનું છે એટલે અમે પવિત્ર બનીએ
છીએ. પરંતુ કહેશે તે જેમને જ્ઞાનની મસ્તી હશે. એવું નથી કે અહીંયા આવીને પછી
દેહધારીને યાદ કરતાં રહે. દેહ-અભિમાન માં આવી ને લડવું-ઝઘડવું જેમ ક્રોધનું ભૂત થઈ
જાય છે. બાબા ક્રોધ કરવાવાળા ની તરફ ક્યારેય જોતાં પણ નથી. સર્વિસ કરવાવાળા થી
પ્રેમ હોય છે. દેહ-અભિમાનની ચલન દેખાઈ આવે છે. ગુલ-ગુલ ત્યારે બનશે જ્યારે બાપ ને
યાદ કરશે. મૂળ વાત છે આ. એક-બીજાને જોતાં બાપને યાદ કરવાનાં છે. સર્વિસમાં તો
હડ્ડીયાં આપવી જોઈએ. બ્રાહ્મણોએ આપસમાં ક્ષીરખંડ હોવું જોઈએ. લૂણપાણી ન થવું જોઈએ.
સમજ ન હોવાનાં કારણે એક-બીજાથી નફરત, બાપથી પણ નફરત કરતાં રહે છે. આમ શું પદ પામશે!
તમને સાક્ષાત્કાર થશે પછી તે સમયે સ્મૃતિ આવશે - આ અમે ગફલત કરી. બાપ પછી કહી દે છે
તકદીરમાં નથી તો શું કરી શકે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. નિર્બંધન
બનવા માટે જ્ઞાનની મસ્તી હોય. દેહ-અભિમાનની ચલન ન હોય. આપસમાં લૂણપાણી થવાનાં
સંસ્કાર ન હોય. દેહધારીઓ થી પ્રેમ છે તો બંધનમુક્ત થઇ નથી શકતાં.
2. કર્મયોગી બનીને
રહેવાનું છે, યાદમાં બેસવું જરૂરી છે. આત્મ-અભિમાની બની ખૂબ મીઠા અને શીતળ બનવાનો
પુરુષાર્થ કરવાનો છે. સર્વિસમાં હડ્ડીઓ આપવાની છે.
વરદાન :-
એકનામી અને
ઈકોનોમી નાં પાઠ દ્વારા હલચલ માં પણ અચળ - અડોલ ભવ
સમય પ્રમાણે વાયુમંડળ
અશાંતિ અને હલચલનું વધતું જઈ રહ્યું છે, આવાં સમય પર અચળ અડોલ રહેવા માટે બુદ્ધિની
લાઈન ખૂબ ક્લિયર (સ્પષ્ટ) હોવી જોઈએ. આનાં માટે સમય પ્રમાણ ટચિંગ અને કૈચિંગ પાવર
ની આવશ્યકતા છે આને વધારવા માટે એકનામી અને ઈકોનોમી વાળા બનો. એકનામી અને ઇકોનોમી
કરવાવાળા બાળકોની લાઈન ક્લિયર હોવાનાં કારણે બાપદાદાનાં ડાયરેક્શન ને સહજ કેચ કરી
હલચલ માં પણ અચળ-અડોલ રહે છે.
સ્લોગન :-
સ્થૂળ સૂક્ષ્મ
કામનાઓ નો ત્યાગ કરો ત્યારે કોઈ પણ વાતનો સામનો કરી શકશો.