16-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - બાપ
તમને પુરુષોત્તમ બનાવવા માટે ભણાવી રહ્યાં છે , તમે હમણાં કનિષ્ટ થી ઉત્તમ પુરુષ બનો
છો , સૌથી ઉત્તમ છે દેવતાઓ .”
પ્રશ્ન :-
અહીંયા આપ
બાળકો કઈ મહેનત કરો છો જે સતયુગમાં નહીં હશે?
ઉત્તર :-
અહીંયા દેહ સહિત દેહનાં સર્વ સંબંધોને ભૂલી આત્મ-અભિમાની થઈ શરીર છોડવામાં ખૂબ
મહેનત કરવી પડે છે. સતયુગ માં વગર મહેનત બેઠાં-બેઠાં શરીર છોડી દઈશું. હમણાં આજ
મહેનત કે અભ્યાસ કરો છો કે અમે આત્મા છીએ, અમારે આ જૂની દુનિયા જૂનાં શરીરને છોડવાનું
છે, નવું લેવાનું છે. સતયુગ માં અભ્યાસની જરૂર નથી.
ગીત :-
દૂર દેશ કા
રહને વાલા……..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો જાણે છે ફરીથી એટલે કલ્પ-કલ્પ બાદ. આને કહેવાય છે ફરી થી દૂર દેશનાં
રહેવાવાળા આવ્યાં છે દેશ પરાયા. આ ફક્ત એ એકનાં માટે જ ગાયન છે, એમને જ બધાં યાદ કરે
છે, એ છે વિચિત્ર. એમનું કોઇ ચિત્ર નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને દેવતા કહેવાય છે.
શિવ ભગવાનુવાચ કહેવાય છે, એ રહે છે પરમધામ માં. એમને સુખધામ માં ક્યારે બોલાવતાં નથી,
દુઃખધામમાં જ બોલાવે છે. એ આવે પણ છે સંગમયુગ પર. આ તો બાળકો જાણે છે સતયુગમાં આખાં
વિશ્વ પર તમે પુરુષોત્તમ રહો છો. મધ્યમ, કનિષ્ટ ત્યાં નથી હોતાં. ઉત્તમ થી ઉત્તમ
પુરુષ આ શ્રી લક્ષ્મી-નારાયણ છે ને. એમને આવાં બનાવવા વાળા શ્રી શ્રી શિવબાબા કહેશું.
શ્રી-શ્રી એ શિવબાબા ને જ કહેવાય છે. આજકાલ તો સંન્યાસી વગેરે પણ પોતાને શ્રી-શ્રી
કહી દે છે. તો બાપ જ આવીને આ સૃષ્ટિને પુરુષોત્તમ બનાવે છે. સતયુગમાં આખી સૃષ્ટિમાં
ઉત્તમ થી ઉત્તમ પુરુષ રહે છે. ઉત્તમ થી ઉત્તમ અને કનિષ્ટ થી કનિષ્ટ નો ફરક આ સમયે
તમે સમજો છો. કનિષ્ટ મનુષ્ય પોતાની નીચાઈ દેખાડે છે. હમણાં તમે સમજો છો આપણે શું હતાં,
હવે ફરી થી આપણે સ્વર્ગવાસી પુરુષોત્તમ બની રહ્યાં છીએ. આ છે જ સંગમયુગ. તમને ખાતરી
છે કે આ જૂની દુનિયા નવી બનવાની છે. જૂની થી નવી, નવી થી જૂની જરૂર બને છે. નવી ને
સતયુગ, જૂની ને કળયુગ કહેવાય છે. બાપ છે જ સાચું સોનુ, સાચું કહેવાવાળા. એમને ટ્રુથ
(સત્ય) કહે છે. બધું જ સત્ય બતાવે છે. આ જે કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, આ જુઠ્ઠું
છે. હવે બાપ કહે છે જુઠ્ઠું નહીં સાંભળો. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ…..રાજ-વિદ્યા ની
વાત અલગ છે. એ તો છે જ અલ્પકાળ સુખનાં માટે. બીજો જન્મ લીધો પછી નવેસર થી ભણવું પડે.
તે છે અલ્પકાળનું સુખ. આ છે ૨૧ જન્મ, ૨૧ પેઢીનાં માટે. પેઢી ઘરડાં ને કહેવાય છે.
ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. અહીંયા તો જુઓ કેવી રીતે અકાળે મૃત્યુ થતું
રહે છે. જ્ઞાનમાં પણ મરી જાય છે. તમે હમણાં કાળ પર જીત પહેરી રહ્યાં છો. જાણો છો તે
છે અમરલોક, આ છે મૃત્યુલોક. ત્યાં તો જ્યારે વૃદ્ધ થાય છે તો સાક્ષાત્કાર થાય છે-અમે
આ શરીર છોડી જઈને બાળક બનશું. ઘડપણ પૂરું થશે અને શરીર છોડી દેશે. નવું શરીર મળે તો
તે સારું જ છે ને. બેઠાં-બેઠાં ખુશી થી શરીર છોડી દે છે. અહીંયા તો તે અવસ્થામાં
રહેતાં શરીર છોડવા માટે મહેનત લાગે છે. અહીંયા ની મહેનત ત્યાં પછી સામાન્ય થઇ જાય
છે. અહીંયા દેહ સહિત જે કાંઈ છે બધાને ભૂલી જવાનું છે. સ્વયં ને આત્મા સમજવાનું છે,
આ જૂની દુનિયાને છોડવાની છે. નવું શરીર લેવાનું છે. આત્મા સતોપ્રધાન હતી તો સુંદર
શરીર મળ્યું. પછી કામ ચિંતા પર બેસવાથી કાળા તમોપ્રધાન થઈ ગયાં, તો શરીર પણ શ્યામ
મળે છે, સુંદર થી શ્યામ બની ગયાં. કૃષ્ણનું નામ તો કૃષ્ણ જ છે પછી તેમને શ્યામ
સુંદર કેમ કહે છે? ચિત્રોમાં પણ કૃષ્ણનાં ચિત્રને શ્યામ બનાવી દીધું છે પરંતુ અર્થ
નથી સમજતાં. હવે તમે સમજો છો સતોપ્રધાન હતાં તો સુંદર હતાં. હવે તમોપ્રધાન શ્યામ
બન્યાં છે. સતોપ્રધાન ને પુરુષોત્તમ કહેશું, તમોપ્રધાન ને કનિષ્ટ કહેશું. બાપ તો
એવર પ્યોર (સદા પવિત્ર) છે. એ આવે જ છે હસીન બનાવવાં. મુસાફર છે ને. કલ્પ-કલ્પ આવે
છે, નહીં તો જૂની દુનિયાને નવી કોણ બનાવશે! આ તો પતિત છી-છી દુનિયા છે. આ વાતોને
દુનિયામાં કોઈ નથી જાણતું. હવે તમે જાણો છો બાપ આપણને પુરુષોત્તમ બનાવવા માટે ભણાવી
રહ્યાં છે. ફરી થી દેવતા બનવા માટે આપણે બ્રાહ્મણ બન્યાં છીએ. તમે છો સંગમયુગી
બ્રાહ્મણ. દુનિયા આ નથી જાણતી કે હવે સંગમયુગ છે. શાસ્ત્રોમાં લાખો વર્ષ કલ્પની આયુ
લખી દીધી છે તો સમજે છે કળયુગ તો હમણાં બાળક છે. હવે તમે દિલમાં સમજો છો-અમે અહીંયા
આવ્યા છીએ ઉત્તમ થી ઉત્તમ, કળયુગી પતિત થી સતયુગી પાવન, મનુષ્ય થી દેવતા બનવા માટે.
ગ્રંથ માં પણ મહિમા છે-મૂત પલીતી કપડ ધોયે. પરંતુ ગ્રંથ વાંચવા વાળા પણ અર્થ નથી
સમજતાં. આ સમયે તો બાપ આવીને આખી દુનિયાનાં મનુષ્ય માત્રને સાફ કરે છે. તમે એ બાપની
સામે બેઠાં છો. બાપ જ બાળકો ને સમજાવે છે. આ રચતા અને રચનાનું નોલેજ બીજું કોઈ જાણતું
નથી. બાપ જ જ્ઞાનનાં સાગર છે. એ સત છે, ચૈતન્ય છે, અમર છે. પુનર્જન્મ રહીત છે.
શાંતિનાં સાગર, સુખનાં સાગર, પવિત્રતાનાં સાગર છે. એમને જ બોલાવે છે કે આવીને આ
વારસો આપો. તમને હવે બાપ ૨૧ જન્મોનાં માટે વારસો આપી રહ્યાં છે. આ છે અવિનાશી ભણતર.
ભણાવવા વાળા પણ અવિનાશી બાપ છે. અડધોકલ્પ તમે રાજ્ય પામો છો પછી રાવણરાજ્ય થાય છે.
અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણરાજ્ય.
પ્રાણો થી પ્રિય એક બાપ જ છે કારણ કે એજ આપ બાળકોને સર્વ દુઃખોથી છોડાવી અપાર સુખમાં
લઈ જાય છે. તમે નિશ્ચય થી કહો છો એ અમારાં પ્રાણો થી પ્રિય પારલૌકિક બાપ છે. પ્રાણ
આત્મા ને કહેવાય છે. બધાં મનુષ્ય-માત્ર એમને યાદ કરે છે કારણ કે અડધા કલ્પ માટે
દુ:ખ થી છોડાવી શાંતિ અને સુખ આપવાવાળા બાપ જ છે. તો પ્રાણો થી પ્રિય થયા ને. તમે
જાણો છો સતયુગમાં આપણે સદા સુખી રહીએ છે. બાકી બધાં શાંતિધામમાં ચાલ્યા જશે. પછી
રાવણ રાજ્યમાં દુ:ખ શરુ થાય છે. દુઃખ અને સુખ ની રમત છે. મનુષ્ય સમજે છે અહીંયા જ
હમણાં-હમણાં સુખ છે, હમણાં-હમણાં દુઃખ છે. પરંતુ નહિ, તમે જાણો છો સ્વર્ગ અલગ છે,
નર્ક અલગ છે. સ્વર્ગની સ્થાપના બાપ રામ કરે છે, નર્કની સ્થાપના રાવણ કરે છે, જેને
વર્ષો-વર્ષ બાળે છે. પરંતુ કેમ બાળે છે? શું ચીજ છે? કાંઈ નથી જાણતાં. કેટલો ખર્ચો
કરે છે. કેટલી વાર્તાઓ બેસીને સંભળાવે, રામની સીતા ભગવતીને રાવણ લઈ ગયો. મનુષ્ય પણ
સમજે છે એવું થયું હશે.
હવે તમે બધાનું ઓક્યૂપેશન (કર્તવ્ય) જાણો છો. આ તમારી બુદ્ધિમાં નોલેજ છે. આખાં
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ને કોઈ પણ મનુષ્ય માત્ર નહીં જાણતાં હશે. બાપ જ જાણે
છે. તેમને વર્લ્ડનાં રચયિતા પણ નહીં કહેશું. વર્લ્ડ તો છે જ, બાપ ફક્ત આવીને નોલેજ
આપે છે કે આ ચક્ર કેવી રીતે ફરે છે. ભારતમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી
શું થયું? દેવતાઓ એ કોઈની સાથે લડાઈ કરી? કાંઈ પણ નહીં. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય શરુ
થવાથી દેવતાઓ વામમાર્ગ માં ચાલ્યા જાય છે. બાકી એવું નથી કે યુદ્ધમાં કોઈએ હરાવ્યાં.
લશ્કર વગેરેની કોઈ વાત નથી. ન લડાઇથી રાજ્ય લે છે, નથી ગુમાવતાં. આ તો યોગમાં રહી
પવિત્ર બની પવિત્ર રાજ્ય તમે સ્થાપન કરો છો. બાકી હાથમાં કોઈ ચીજ નથી. આ છે ડબલ
અહિંસા. એક તો પવિત્રતા ની અહિંસા, બીજું તમે કોઈને દુઃખ નથી આપતા. સૌથી ખરાબ હિંસા
છે કામ કટારી ની. જે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. રાવણનાં રાજ્યમાં જ દુઃખ શરુ થાય
છે. બિમારીઓ શરુ થઈ જાય છે. કેટલી બધી બિમારીઓ છે. અનેક પ્રકારની દવાઓ નીકળતી રહે
છે. રોગી બની ગયાં છે ને. તમે આ યોગબળ થી ૨૧ જન્મોનાં માટે નિરોગી બનો છો. ત્યાં
દુઃખ અથવા બિમારીનું નામ-નિશાન નથી રહેતું. તેનાં માટે તમે ભણી રહ્યાં છો. બાળકો
જાણે છે ભગવાન આપણને ભણાવીને ભગવાન ભગવતી બનાવી રહ્યાં છે. ભણતર પણ કેટલું સહજ છે.
અડધા-પોણા કલાકમાં આખાં ચક્રનું નોલેજ સમજાવી દે છે. ૮૪ જન્મ પણ કોણ-કોણ લે છે-આ તમે
જાણો છો.
ભગવાન આપણને ભણાવે છે, એ છે જ નિરાકાર. સાચું-સાચું એમનું નામ છે શિવ. કલ્યાણકારી
છે ને. સર્વનાં કલ્યાણકારી, સર્વનાં સદ્દગતિ દાતા છે ઊંચેથી ઊંચા બાપ. ઊંચેથી ઊંચા
મનુષ્ય બનાવે છે. બાપ ભણાવી ને હોશિયાર બનાવી હવે કહે છે જઈને ભણાવો. આ
બ્રહ્માકુમાર-કુમારીઓને ભણાવવા વાળા શિવબાબા છે. બ્રહ્મા દ્વારા તમને અડોપ્ટ કર્યા
છે. પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવ્યાં? આ વાતમાં જ મૂંઝાય છે. આમને એડોપ્ટ કર્યા,
કહે છે અનેક જન્મોનાં અંતમાં….હવે અનેક જન્મ કોણે લીધાં? આ લક્ષ્મી-નારાયણ એ જ પુરા
૮૪ જન્મ લીધા છે એટલે કૃષ્ણનાં માટે કહી દે છે શ્યામ સુંદર. આપણે જ સુંદર હતાં પછી
૨ કળા ઓછી થઈ. કળા ઓછી થતાં-થતાં હવે નો કળા થઈ ગયાં છીએ. હવે તમોપ્રધાન થી પછી
સતોપ્રધાન કેવી રીતે બનીએ? બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો. આ પણ જાણો
છો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. હવે યજ્ઞમાં જોઈએ બ્રાહ્મણ. તમે સાચાં બ્રાહ્મણ છો સાચ્ચી
ગીતા સાંભળવા વાળા એટલે તમે લખો પણ છો સાચ્ચી ગીતા પાઠશાળા. એ ગીતામાં તો નામ જ બદલી
દીધું છે. હાં જેમણે જેમ કલ્પ પહેલાં વારસો લીધો હતો તે આવીને લેશે. પોતાનાં દિલથી
પૂછો-અમે પૂરો વરસો લઈ શકશું? મનુષ્ય શરીર છોડે છે તો ખાલી હાથે જાય છે, તે વિનાશી
કમાણી તો સાથે આવવાની નથી. તમે શરીર છોડશો તો ભરતું હાથે કારણ કે ૨૧ જન્મો માટે તમે
પોતાની કમાણી જમા કરી રહ્યાં છો. મનુષ્યોની તો બધી કમાણી માટીમાં મળી જશે. એનાથી તો
આપણે કેમ નહિ ટ્રાન્સફર કરી બાબા ને આપી દઈએ. જે બહુજ દાન કરે છે તે તો બીજા જન્મમાં
સાહૂકાર બને છે, ટ્રાન્સફર કરે છે ને. હમણાં તમે ૨૧ જન્મોનાં માટે નવી દુનિયામાં
ટ્રાન્સફર કરો છો. તમને રિટર્ન (વળતર) માં ૨૧ જન્મોનાં માટે મળે છે. તેઓ તો એક જન્મ
માટે અલ્પકાળ માટે ટ્રાન્સફર કરે છે. તમે તો ટ્રાન્સફર કરો છો ૨૧ જન્મોનાં માટે.
બાપ તો છે જ દાતા. આ ડ્રામામાં નોંધ છે. જે જેટલું કરે છે, તે પામે છે. તેઓ
ઇનડાયરેક્ટ દાન-પુણ્ય કરે છે તો અલ્પકાળનાં માટે રિટર્ન મળે છે. આ છે ડાયરેક્ટ. હમણાં
બધું નવી દુનિયામાં ટ્રાન્સફર કરવાનું છે. આમને (બ્રહ્માને) જુઓ કેટલી બહાદુરી કરી.
તમે કહો છો બધુંજ ઈશ્વરે આપેલું છે. હવે બાપ કહે છે આ બધુંજ મને આપો. હું તમને
વિશ્વની બાદશાહી આપું છું. બાબાએ તો ફટ થી આપી દીધું, વિચાર્યુ નહીં. ફુલ પાવર (સંપૂર્ણ
સત્તા) આપી દીધી. મને વિશ્વની બાદશાહી મળે છે, એ નશો ચઢી ગયો. બાળકો વગેરેનો કાંઈ
પણ વિચાર નહીં કર્યો. આપવા વાળા ઈશ્વર છે તો પછી કોઈનાં રેસ્પોન્સિબુલ (જવાબદાર)
થોડી રહિયે. ૨૧ જન્મનાં માટે ટ્રાન્સફર કેવી રીતે કરવાનું હોય છે-આ બાપને (બ્રહ્મા
બાબાને) જુઓ, ફાલો ફાધર. પ્રજાપિતા બ્રહ્માએ કર્યુ ને. ઈશ્વર તો દાતા છે. એમણે
આમનાથી કરાવ્યું. તમે પણ જાણો છો આપણે આવ્યાં છે બાપથી બાદશાહી લેવાં.
દિવસ-પ્રતિદિવસ સમય થોડો થતો જાય છે. આફતો એવી આવશે વાત નહીં પૂછો. વ્યાપારીઓનો
શ્વાસ તો મુઠ્ઠી માં રહે છે. કોઈ જમઘટ ન આવી જાય. સિપાઈનું મુખ જોઈ મનુષ્ય બેહોશ થઈ
જાય છે. આગળ ચાલીને ખૂબ હેરાન કરશે. સોનુ વગેરે કાંઈ પણ રાખવા નહીં દેશે. બાકી તમારી
પાસે શું રહેશે! પૈસા જ નહીં રહે જે કંઈ ખરીદી કરી શકો. નોટ વગેરે પણ ચાલી ન શકે.
રાજ્ય બદલાઈ જાય છે. અંતમાં ખૂબ દુઃખી થઈ મરે છે. બહુજ દુઃખનાં પછી ફરી સુખ હશે. આ
છે ખૂને નાહક ખેલ. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. તેનાં પહેલાં બાપથી પૂરો
વારસો તો લઈ લેવો જોઈએ. ભલે હરો ફરો, ફક્ત બાપ ને યાદ કરતાં રહો તો પાવન બની જશો.
બાકી આફતો ખૂબ આવશે. ખૂબ હાય-હાય કરતાં રહેશે. આપ બાળકોએ હવે એવી પ્રેક્ટિસ (અભ્યાસ)
કરવાની છે જે અંતમાં એક શિવબાબા જ યાદ રહે. એમની યાદમાં જ રહીને શરીર છોડીએ બીજું
કોઈ મિત્ર-સંબંધી વગેરે યાદ ન આવે. આ પ્રેક્ટિસ કરવાની છે. બાપને જ યાદ કરવાનાં છે
અને નારાયણ બનવાનું છે. આ પ્રેક્ટિસ ખૂબ કરવી પડે. નહીં તો ખૂબ પસ્તાવું પડશે. બીજા
કોઈની યાદ આવી તો નપાસ થયાં. જે પાસ થાય છે તેજ વિજય માળામાં પરોવાશે. પોતાનાં થી
પૂછવું જોઈએ બાપને કેટલાં યાદ કરીએ છે? કાંઈ પણ હાથમાં હશે તો તે અંતકાળે યાદ આવશે.
હાથમાં નહીં હોય તો યાદ પણ નહીં આવે. બાપ કહે છે મારી પાસે તો કાંઈ પણ નથી. આ મારી
ચીજ નથી. તે નોલેજનાં બદલે આ લો તો ૨૧ જન્મ માટે વારસો મળી જશે. નહીં તો સ્વર્ગની
બાદશાહી ગુમાવી દેશો. તમે અહીંયા આવો જ છો બાપ થી વારસો લેવાં. પાવન તો જરુર બનવું
પડે. નહીં તો સજા ખાઈને હિસાબ-કિતાબ ચૂકતું કરી જશો. પદ કાંઈ નહીં મળશે. શ્રીમત પર
ચાલશો તો કૃષ્ણ ને ખોળામાં લેશો. કહે છે ને કૃષ્ણ જેવો પતિ મળે અથવા બાળક મળે. કોઈ
તો સારી રીતે સમજે છે, કોઈ તો પછી ઊલટું- સુલટું બોલી દે છે. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બ્રહ્મા
બાબાએ પોતાનું બધુંજ ટ્રાન્સફર કરી ફુલ પાવર બાપ ને આપી દીધી, વિચાર્યુ નહીં, એમ
ફોલો ફાધર કરી ૨૧ જન્મોની પ્રાલબ્ધ જમા કરવાની છે.
2. પ્રેક્ટિસ કરવાની
છે અંતકાળ માં એક બાપનાં સિવાય બીજી કોઈ પણ ચીજ યાદ ન આવે. અમારું કંઈ નથી, બધું
બાબાનું છે. અલ્ફ અને બે, આ સ્મૃતિ થી પાસ થઈ વિજય માળામાં આવવાનું છે.
વરદાન :-
લવ અને લવલીન
સ્થિતિ નાં અનુભવ દ્વારા બધુંજ ભૂલવા વાળા સદા દેહી - અભિમાની ભવ
કર્મ માં, વાણી માં,
સંપર્ક માં અથવા સંબંધ માં લવ (પ્રેમ) અને સ્મૃતિ કે સ્થિતિમાં લવલીન રહો તો બધુંજ
ભૂલીને દેહી-અભિમાની બની જશો. પ્રેમ જ બાપ નાં સમીપ સંબંધમાં લાવે છે, સર્વસ્વ
ત્યાગી બનાવે છે. આ લવ ની વિશેષતા થી કે લવલીન સ્થિતિમાં રહેવાથી જ સર્વ આત્માઓ નાં
ભાગ્ય કે લક્ક ને જગાડી શકો છો. આ લવ જ લક્કનાં લોક ની ચાવી છે. આ માસ્ટર-કી છે.
એનાથી કેવી પણ દુર્ભાગ્યશાળી આત્માને ભાગ્યશાળી બનાવી શકો છો.
સ્લોગન :-
સ્વયંનાં
પરિવર્તન ની ઘડી નિશ્ચિત કરો તો વિશ્વ પરિવર્તન સ્વતઃ થઇ જશે.