03-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાની
અવસ્થા જુઓ મારું એક બાપથી જ દિલ લાગે છે કે કોઈ કર્મ સંબંધો થી દિલ લાગેલું છે ”
પ્રશ્ન :-
પોતાનું
કલ્યાણ કરવા માટે કઈ બે વાતો નો પોતામેલ દરરોજ જોવો જોઈએ?
ઉત્તર :-
“યોગ અને ચલન” નો પોતામેલ રોજ જુઓ. તપાસ કરો કોઈ ડિસ-સર્વિસ (કુસેવા) તો નથી કરી?
સદેવ પોતાનાં દિલથી પૂછો અમે કેટલું બાપને યાદ કરીએ છીએ? પોતાનો સમય કયા પ્રકારે
સફળ કરીએ છીએ? બીજાને તો નથી જોતાં? કોઈનાં નામ-રુપથી દિલ તો નથી લાગેલું?
ગીત :-
મુખડા દેખ
લે………..
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું?
બેહદનાં બાપએ કહ્યું હેં આત્માઓ. પ્રાણી એટલે આત્મા. કહે છે ને - આત્મા નીકળી ગઈ
એટલે પ્રાણ નીકળી ગયાં. હવે બાપ સમ્મુખ બેસી સમજાવે છે, હેં આત્માઓ યાદ કરો, ફક્ત આ
જન્મને નથી જોવાનો પરંતુ જ્યાર થી તમે તમોપ્રધાન બન્યાં છો, તો સીડી નીચે ઉતરતાં
પતિત બન્યાં છો. તો જરુર પાપ કર્યા હશે. હવે સમજણ ની વાત છે. કેટલાં જન્મ-જન્માંતર
નાં પાપ માથા પર રહેલાં છે, આ કેવી રીતે ખબર પડે. પોતાને જોવાનું છે અમારો યોગ કેટલો
લાગે છે! બાપની સાથે જેટલો યોગ સારો લાગશે એટલાં વિકર્મ વિનાશ થશે. બાબાએ કહ્યું છે
મને યાદ કરો તો ગેરંટી (ખાતરી) છે તમારાં વિકર્મ વિનાશ થશે. પોતાનાં દિલમાં અંદર
દરેક જુએ અમારો બાપની સાથે કેટલો યોગ રહે છે? જેટલો આપણે યોગ લગાવશું, પવિત્ર બનશું,
પાપ કપાતાં જશે, યોગ વધતો જશે. પવિત્ર નહીં બનો તો યોગ પણ લાગશે નહીં. એવાં પણ ઘણાં
છે જે આખાં દિવસમાં ૧૫ મિનિટ પણ યાદ માં નથી રહેતાં. પોતાનાં થી પૂછવું જોઈએ-મારું
દિલ શિવબાબા થી છે કે દેહધારી થી? કર્મ સંબંધીઓ વગેરે થી છે? માયા તોફાનમાં તો
બાળકોને જ લાવશે ને! સ્વયં પણ સમજી સકે છે મારી અવસ્થા કેવી છે? શિવબાબાથી દિલ લાગે
છે કે કોઈ દેહધારીથી છે? કર્મ સંબંધીઓ વગેરે થી છે તો સમજવું જોઈએ અમારાં વિકર્મ
બહુજ છે, જે માયા ખાડામાં નાખી દે છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) અંદરમાં સમજી શકે છે,
અમે પાસ થઈશું કે નહીં? સારી રીતે ભણીએ છે કે નહીં? નંબરવાર તો હોય છે ને. આત્માને
પોતાનું કલ્યાણ કરવાનું છે. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે, જો તમે પુણ્ય આત્મા
બની ઊંચુ પદ પામવા ઈચ્છો છો તો તેમાં પવિત્ર છે ફર્સ્ટ (પ્રથમ). આવ્યાં પણ પવિત્ર
પાછાં જવાનું પણ પવિત્ર બનીને છે, પતિત ક્યારેય ઊંચ પદ પામી ન શકે. સદેવ પોતાનાં
દિલથી પૂછવું જોઈએ-અમે કેટલું બાપ ને યાદ કરીએ છીએ, અમે શું કરીએ છીએ? આ તો જરુર છે
પાછળમાં બેઠેલાં વિદ્યાર્થીઓનું દિલ ખાય છે. પુરુષાર્થ કરે છે ઊંચ પદ પામવાં માટે.
પરંતુ ચલન પણ જોઈએ ને. બાપ ને યાદ કરી પોતાનાં માથા થી પાપોનો બોજો ઉતારવાનો છે.
પાપોનાં બોજો સિવાય યાદનાં આપણે ઉતારી જ નથી શકતાં. તો કેટલો બાપની સાથે યોગ હોવો
જોઈએ. ઊંચેથી ઊંચા બાપ આવીને કહે છે મુજ બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. સમય
નજીક આવતો જાય છે. શરીર પર ભરોસો નથી. અચાનક જ કેવાં-કેવાં એક્સિડન્ટ (અકસ્માત) થઈ
જાય છે. અકાળે મૃત્યુની તો ફુલ સીઝન છે. તો દરેક ને પોતાની તપાસ કરી પોતાનું કલ્યાણ
કરવાનું છે. આખાં દિવસ નો પોતામેલ જોવો જોઈએ-યોગ અને ચલનનો. અમે આખાં દિવસમાં કેટલા
પાપ કર્યા? મન્સા, વાચા માં પહેલાં આવે છે પછી કર્મણા માં આવે છે. હવે બાળકોને
રાઈટિયસ (સત્ય) બુદ્ધિ મળી છે કે આપણે સારા કામ કરવાનાં છે. કોઈને દગો તો નથી આપ્યો?
ફાલતું જુઠ્ઠું તો નથી બોલ્યાં? ડિસ સર્વિસ તો નથી કરી? કોઈ કોઈનાં નામ-રુપમાં ફસાય
છે તો યજ્ઞ પિતા ની નિંદા કરે છે.
બાપ કહે છે કોઈને પણ દુઃખ ન આપો. એક બાપની યાદ માં રહો. આ બહુજ જબરજસ્ત ફિકરાત મળેલી
છે. જો આપણે યાદમાં નથી રહી શકતાં તો શું ગતિ થશે! આ સમયે ગફલતમાં રહેશો તો અંતમાં
બહુજ પસ્તાવું પડશે. આ પણ સમજે છે જે હલકું પદ પામવા વાળા છે, તે હલકું પદ જ પામશે.
બુદ્ધિ થી સમજી શકે છે આપણે શું કરવાનું છે. બધાને આજ મંત્ર આપવાનો છે કે બાપ ને
યાદ કરો. લક્ષ્ય તો બાળકોને મળેલું છે. આ વાતોને દુનિયાવાળા સમજી નથી શકતાં.
પહેલી-પહેલી મુખ્ય વાત જ છે બાપને યાદ કરવાની. રચયિતા અને રચનાની નોલેજ તો મળી ગઈ.
રોજ-રોજ કોઈને કોઈ નવી-નવી પોઇન્ટસ (વાતો) સમજાવા માટે અપાય છે. જેમ વિરાટ રુપ નું
ચિત્ર છે, આનાં પર પણ તમે સમજાવી શકો છો. કેવી રીતે વર્ણોમાં આવો છો-આ પણ સીડી ની
બાજુમાં રાખવાનું ચિત્ર છે. આખો દિવસ બુદ્ધિમાં આજ ચિંતન રહે કે કેવી રીતે કોઈને
સમજાવું? સર્વિસ (સેવા) કરવાથી પણ બાપ ની યાદ રહેશે. બાપની યાદ થી જ વિકર્મ વિનાશ
થશે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. બાપ એ સમજાવ્યું છે તમારાં પર ૬૩ જન્મોનાં પાપ
છે. પાપ કરતાં-કરતાં સતોપ્રધાન થી તમોપ્રધાન બની ગયાં છો. હવે મારાં બનીને પછી કોઈ
પાપ કર્મ નહીં કરો. જુઠ્ઠ, શેતાની, ઘર તોડાવવું, સાંભળેલી સંભળાવેલી વાતો પર
વિશ્વાસ કરવો-આ ધૂતપણું ખૂબ નુકસાનકારક છે. બાપથી યોગ જ તોડાવી દે છે, તો કેટલું
પાપ થઈ ગયું. ગવર્મેન્ટ (સરકાર) નાં પણ ધૂત હોય છે, ગવર્મેન્ટ ની વાત કોઈ દુશ્મનને
સંભળાવી ખુબ નુકસાન કરે છે. તો પછી તેમને બહુજ આકરી સજા મળે છે. તો બાળકોનાં મુખથી
સદેવ જ્ઞાન રત્ન નીકળવાં જોઈએ. ઉલટા-સુલટા સમાચાર પણ એકબીજા થી પૂછવા ન જોઈએ.
જ્ઞાનની વાતો જ કરવી જોઈએ. તમે કેવી રીતે બાપથી યોગ લગાવો છો? કેવી રીતે કોઈને
સમજાવો છો? આખો દિવસ આજ ખ્યાલ રહે. ચિત્રો ની આગળ જઈને બેસી જવું જોઈએ. તમારી
બુદ્ધિમાં તો નોલેજ છે ને. ભક્તિમાર્ગ માં તો અનેક પ્રકારનાં ચિત્રોને પૂજતાં રહે
છે. જાણતાં કંઈ પણ નથી. બ્લાઇન્ડ ફેથ (અંધવિશ્વાસ), આઈડલ વર્સીપ (મૂર્તિપૂજા) આ
વાતોમાં ભારત પ્રખ્યાત છે. હમણાં તમે આ વાતો સમજાવવા માં કેટલી મહેનત કરો છો.
પ્રદર્શની માં કેટલાં મનુષ્ય આવે છે. ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે, કોઈ તો સમજે
છે, આ જોવાં, સમજવાં યોગ્ય છે. જોઈ લેશે, પછી સેવાકેન્દ્ર પર ક્યારેય નથી જતાં.
દિવસ-પ્રતિદિવસ દુનિયાની હાલત પણ ખરાબ થતી જાય છે. ઝઘડા ખૂબ છે, વિલાયતમાં શું-શું
થઈ રહ્યું છે - વાત નહિં પૂછો. કેટલાં મનુષ્ય મરે છે. તમોપ્રધાન દુનિયા છે ને. ભલે
કહે છે બોમ્બ્સ ન બનાવવાં જોઈએ. પરંતુ તેઓ કહે છે તમારી પાસે ઘણાં રાખેલાં છે તો પછી
અમે કેમ ન બનાવીએ. નહીં તો ગુલામ થઈને રહેવું પડે. જે કાંઈ મત નીકળે છે વિનાશનાં
માટે. વિનાશ તો થવાનો જ છે. કહે છે શંકર પ્રેરક છે પરંતુ આમાં પ્રેરણા વગેરેની તો
વાત નથી. આપણે તો ડ્રામા પર ઉભાં છીએ. માયા બહુજ તેજ છે. મારાં બાળકોને પણ વિકારોમાં
પાડી દે છે. કેટલું સમજાવાય છે કે દેહની સાથે પ્રીત નહિં રાખો, નામ-રુપમાં નહીં
ફસાઓ. પરંતુ માયા પણ તમોપ્રધાન એવી છે, દેહ માં ફસાવી દે છે. એકદમ નાક થી પકડી લે
છે. ખબર નથી પડતી. બાપ કેટલું સમજાવે છે-શ્રીમત પર ચાલો, પરંતુ ચાલતાં નથી. રાવણની
મત ઝટ બુદ્ધિ માં આવી જાય છે. રાવણ જેલ થી છોડતો નથી.
બાપ કહે છે સ્વયંને આત્મા સમજો, બાપ ને યાદ કરો. બસ હવે તો આપણે ગયાં. અડધાકલ્પ નાં
રોગથી આપણે છૂટીએ છીએ. ત્યાં તો છે જ નિરોગી કાયા. અહીંયા તો કેટલાં રોગી છે. આ
રૌરવ નર્ક છે ને. ભલે તે લોકો ગરુડ પુરાણ વાંચે છે પરંતુ વાંચવા અથવા સાંભળવા
વાળાઓને સમજ કાંઈ પણ નથી. બાબા સ્વયં કહે છે પહેલાં ભક્તિ નો કેટલો નશો હતો. ભક્તિથી
ભગવાન મળશે, આ સાંભળીને ખુશ થઈ ભક્તિ કરતાં હતાં. પતિત બને છે ત્યારે તો પોકારે છે
- હેં પતિત-પાવન આવો. ભક્તિ કરો છો આ તો સારું છે પછી ભગવાનને યાદ કેમ કરો છો! સમજે
છે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે. શું ફળ આપશે-તે કોઈને ખબર નથી. બાપ કહે છે ગીતા
વાંચવાવાળા ને સમજાવવું જોઈએ, તેજ આપણાં ધર્મનાં છે. પહેલી મુખ્ય વાત જ છે ગીતામાં
ભગવાનુવાચ. હવે ગીતાનાં ભગવાન કોણ? ભગવાન નો તો પરિચય જોઈએ ને. તમને ખબર પડી ગઈ છે
- આત્મા શું છે, પરમાત્મા શું છે? મનુષ્ય જ્ઞાનની વાતો થી કેટલાં ડરે છે. ભક્તિ
કેટલી સારી લાગે છે. જ્ઞાનથી ૩ કોસ દૂર ભાગે છે. અરે પાવન બનવું તો સારું છે, હવે
પાવન દુનિયાની સ્થાપના, પતિત દુનિયાનો વિનાશ થવાનો છે. પરંતુ બિલકુલ સાંભળતાં નથી.
બાપનું ડાયરેક્શન છે-હિયર નો ઈવિલ…..માયા પછી કહે છે હિયર નો બાબાની વાતો (બાબાની
વાતો નહિં સાંભળો). માયાનું ડાયરેક્શન છે શિવબાબાનું જ્ઞાન નહીં સાંભળો. એટલાં જોરથી
માયા ચમાટ મારે છે જે બુદ્ધિમાં રહેતું નથી. બાપને યાદ કરી જ નથી શકતાં.
મિત્ર-સંબંધી, દેહધારી યાદ આવી જાય છે. બાબાની આજ્ઞા નથી માનતાં. બાપ કહે છે મામેકમ્
યાદ કરો અને પછી નાફરમાનદાર બની કહે છે અમને ફલાણા ની યાદ આવે છે. યાદ આવશે તો નીચે
પડશો. આ વાતોથી તો નફરત આવી જોઈએ. આ બિલકુલ જ છી-છી દુનિયા છે. આપણાં માટે તો નવું
સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે. આપ બાળકોને બાપનો અને સૃષ્ટિ ચક્ર નો પરિચય મળ્યો છે
તો તે ભણતરમાં જ લાગી જવું જોઈએ. બાપ કહે છે પોતાનાં અંદર ને જુઓ. નારદનું પણ
દૃષ્ટાંત છે ને. તો બાપ પણ કહે છે-પોતાને જુઓ, અમે બાપ ને યાદ કરીએ છીએ? યાદથી જ
પાપ ભસ્મ થશે. કોઈ પણ હાલત માં યાદ શિવબાબા ને કરવાનાં છે, બીજા કોઈ થી લવ (પ્રેમ)
નથી રાખવાનો. અંતમાં શિવબાબા ની યાદ હોય ત્યારે પ્રાણ તનથી નીકળે. શિવબાબા ની યાદ
હોય સ્વદર્શન ચક્ર નું જ્ઞાન હોય. સ્વદર્શન ચક્રધારી કોણ છે, આ પણ કોઈને ખબર થોડી
છે. બ્રાહ્મણો ને પણ આ નોલેજ કોણે આપ્યું? બ્રાહ્મણો ને આ સ્વદર્શન ચક્રધારી કોણ
બનાવે છે? પરમપિતા પરમાત્મા બિંદુ. તો શું એ પણ સ્વદર્શન ચક્રધારી છે? હાં, પહેલાં
તો એજ છે. નહીં તો આપણને બ્રાહ્મણો ને કોણ બનાવે. આખી રચનાનાં આદિ, મધ્ય, અંતનું
નોલેજ એમનામાં છે. તમારી આત્મા પણ બને છે, એ પણ આત્મા છે. ભક્તિમાર્ગ માં વિષ્ણુને
ચક્રધારી બનાવી દીધાં છે. આપણે કહીએ છે પરમાત્મા ત્રિકાળદર્શી, ત્રિમૂર્તિ,
ત્રિનેત્રી છે. એ આપણને સ્વદર્શન ચક્રધારી બનાવે છે. એ પણ જરુર મનુષ્ય તનમાં આવીને
સંભળાવશે. રચનાનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન જરુર રચતા જ સંભળાવશે ને. રચતા ની જ કોઈને
ખબર નથી તો રચના નું જ્ઞાન ક્યાંથી મળે. હમણાં તમે સમજો છો શિવબાબા જ સ્વદર્શન
ચક્રધારી છે, જ્ઞાન નાં સાગર છે. એ જાણે છે આપણે કેવી રીતે આ ૮૪ નાં ચક્ર માં આવીએ
છીએ. સ્વયં તો પુનર્જન્મ લેતાં નથી. એમને નોલેજ છે, જે આપણને સંભળાવે છે. તો
પહેલાં-પહેલાં તો શિવબાબા સ્વદર્શન ચક્રધારી થયાં. શિવબાબા જ આપણને સ્વદર્શન
ચક્રધારી બનાવે છે. પાવન બનાવે છે કારણ કે પતિત-પાવન એ છે. રચતા પણ એ છે. બાપ
બાળકોનાં જીવનને જાણે છે ને. શિવબાબા બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે. કરનકરાવનહાર
છે ને. તમે પણ શીખો, શીખવાડો. બાપ ભણાવે છે પછી કહે છે બીજાઓને પણ ભણાવો. તો શિવબાબા
જ તમને સ્વદર્શન ચક્રધારી બનાવે છે. કહે છે મને સૃષ્ટિ ચક્રનું નોલેજ છે ત્યારે તો
સંભળાવું છું. તો ૮૪ જન્મ કેવી રીતે લો છો-આ ૮૪ જન્મોની કહાની (કથા) બુદ્ધિમાં રહેવી
જોઈએ. આ બુદ્ધિમાં રહે તો પણ ચક્રવર્તી રાજા બની સકે છે. આ છે જ્ઞાન. બાકી યોગથી જ
પાપ કપાય છે. આખાં દિવસ નો પોતામેલ નીકાળો. યાદ જ નથી કરતાં તો પોતામેલ પણ શું
નીકાળશે! આખાં દિવસ માં શું-શું કર્યુ - આ તો યાદ રહે છે ને. એવાં પણ મનુષ્ય છે,
પોતાનો પોતામેલ નીકાળે છે-કેટલાં શાસ્ત્ર વાંચ્યા, કેટલાં પુણ્ય કર્યા? તમે તો
કહેશો-કેટલો સમય યાદ કર્યા? કેટલી ખુશી માં આવી ને બાપ નો પરિચય આપ્યો?
બાપ દ્વારા જે પોઇન્ટસ (વાત) મળી છે, તેનું ઘડી-ઘડી મંથન કરો. જે જ્ઞાન મળ્યું છે
તે બુદ્ધિમાં યાદ રાખો, રોજ મુરલી વાંચો. તે પણ ખુબ સારું છે. મુરલીમાં જે પોઇન્ટસ
છે તેનું ઘડી-ઘડી મંથન કરવું જોઈએ. અહીંયા રહેવાવાળા થી પણ બહાર વિલાયતમાં રહેવાવાળા
વધારે યાદ માં રહે છે. કેટલી બાંધેલીઓ છે, બાબા ને ક્યારેય જોયા પણ નથી, યાદ કેટલું
કરે છે, નશો ચઢ્યો રહે છે. ઘરે બેઠાં સાક્ષાત્કાર થાય છે અથવા અનાયાસ
સાંભળતા-સાંભળતા નિશ્ચય થઈ જાય છે.
તો બાપ કહે છે અંદરમાં પોતાની તપાસ કરતા રહો કે અમે કેટલું ઊંચ પદ પામશું? અમારી
ચલન કેવી છે? કોઈ ખાન-પાન ની લાલચ તો નથી? કોઈ આદત ન રહેવી જોઈએ. મૂળ વાત છે
અવ્યભિચારી યાદમાં રહેવું. દિલ થી પૂછો-હું કોને યાદ કરું છું? કેટલો સમય બીજાને
યાદ કરું છું? નોલેજ પણ ધારણ કરવાનું છે, પાપ પણ કાપવાનાં છે. કોઈ-કોઈએ એવાં પાપ
કર્યા છે જે વાત નહીં પૂછો. ભગવાન કહે છે આ કરો પરંતુ કહી દે છે પરવશ છીએ અર્થાત્
માયાનાં વશમાં છીએ. અચ્છા, માયાનાં વશ જ રહો. તમારે શ્રીમત પર ચાલવાનું છે અથવા તો
પોતાની મત પર. જોવાનું છે આ હાલતમાં અમે ક્યાં સુધી પાસ થઈશું? શું પદ પામશું? ૨૧
જન્મોનો ઘાટો પડી જાય છે. જ્યારે કર્માતીત અવસ્થા થઇ જશે તો પછી દેહ-અભિમાન નું નામ
નહીં રહેશે એટલે કહેવાય છે દેહી-અભિમાની બનો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
કર્તવ્ય એવું નથી કરવાનું જેનાથી યજ્ઞ પિતા ની નિંદા થાય. બાપ દ્વારા જે રાઇટિયસ
બુદ્ધિ મળી છે તે બુદ્ધિથી સારા કર્મ કરવાનાં છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.
2. એક-બીજા થી ઉલટા-સુલટા સમાચાર નથી પૂછવાનાં, આપસ માં જ્ઞાનની જ વાતો કરવાની છે.
જુઠ્ઠ, શૈતાની, ઘર તોડવાવાળી વાતો આ બધું છોડી મુખ થી સદેવ રત્ન નીકળાવાનાં છે.
ઈવિલ (ખરાબ) વાતો ન સાંભળવાની છે, ન સંભળાવવાની છે.
વરદાન :-
ખુશીઓનાં અખૂટ
ખજાના થી ભરપુર સદા બેફિકર બાદશાહ ભવ
ખુશીઓનાં સાગર દ્વારા
રોજ ખુશીનો અખૂટ ખજાનો મળે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ખુશી ગાયબ ન થઈ શકે. કોઈ
પણ વાતની ફિકર હોઈ ન શકે. એવું નહીં પ્રોપર્ટી નું શું થશે, પરિવાર નું શું થશે.
પરિવર્તન જ થશે ને. જૂની દુનિયામાં કેટલું પણ શ્રેષ્ઠ હોય પરંતુ બધું જૂનું જ છે
એટલે બેફિકર બની ગયાં. જે થશે સારું થશે. બ્રાહ્મણોનાં માટે બધું સારું છે, કંઈ પણ
ખોટું નથી. તમારી પાસે આ એવી બાદશાહી છે જેને કોઈ પણ છીનવી નથી શકતું.
સ્લોગન :-
આ સંસારને એક
અલૌકિક રમત અને પરિસ્થિતિઓને રમકડાં માનીને ચાલો તો ક્યારેય નિરાશ નહીં થાઓ.