07-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બેહદ
બાપનાં સાથે વફાદાર રહો તો પૂરી માઈટ ( શક્તિ ) મળશે , માયા પર જીત થતી જશે ”
પ્રશ્ન :-
બાપનાં પાસે
મુખ્ય ઓથોરિટી (સત્તા) કઈ છે? તેની નિશાની શું છે?
ઉત્તર :-
બાપનાં પાસે મુખ્ય છે જ્ઞાન ની ઓથોરિટી. જ્ઞાન સાગર છે એટલે આપ બાળકોને ભણતર ભણાવે
છે. બાપ સમાન નોલેજફુલ બનાવે છે. તમારી પાસે ભણતરનું લક્ષ-હેતુ છે. ભણતરથી જ તમે
ઊંચ પદ પામો છો.
ગીત :-
બદલ જાએ દુનિયા……...
ઓમ શાંતિ!
ભક્ત ભગવાનની
મહિમા કરે છે. હવે તમે તો ભક્ત નથી. તમે તો એ ભગવાનનાં બાળકો બની ગયાં છો. તે પણ
વફાદાર બાળકો જોઈએ. દરેક વાતમાં વફાદાર રહેવાનું છે. સ્ત્રીની સિવાય પતિનાં અથવા
પતિની સિવાય સ્ત્રીનાં બીજા તરફ દૃષ્ટિ જાય તો તેને પણ બેવફા કહેવાશે. હવે અહીંયા
પણ છે બેહદ નાં બાપ. એમની સાથે બેવફાદાર અને વફાદાર બંને રહે છે. વફાદાર બનીને પછી
બેવફાદાર બની જાય છે. બાપ તો છે હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા). ઓલમાઈટી (સર્વશક્તિમાન)
છે ને. તો એમનાં બાળકો પણ એવાં હોવા જોઈએ. બાપમાં તાકાત છે, બાળકોને રાવણ પર જીત
પામવાની યુક્તિ બતાવે છે એટલે એમને કહેવાય પણ છે સર્વશક્તિમાન. તમે પણ શક્તિ સેના
છો ને. તમે પોતાને પણ ઓલમાઈટી કહેશો. બાપમાં જે માઈટ છે તે આપણને આપે છે, બતાવે છે
કે તમે માયા રાવણ પર જીત કેવી રીતે પામી શકો છો, તો તમારે પણ શક્તિવાન બનવાનું છે.
બાપ છે જ્ઞાનની ઓથોરિટી. નોલેજફુલ છે ને. જેમ તે લોકો ઓથોરિટી છે, શાસ્ત્રોની,
ભક્તિમાર્ગની, એમ હવે તમે ઓલમાઈટી ઓથોરિટી નોલેજફુલ બનો છો. તમને પણ નોલેજ મળે છે.
આ પાઠશાળા છે. આમાં જે નોલેજ તમે ભણો છો, તેનાથી ઊંચું પદ પામી શકો છો. આ એક જ
પાઠશાળા છે. તમારે તો અહીંયા ભણવાનું છે બીજી કોઈ પ્રાર્થના વગેરે નથી કરવાની. તમને
ભણવાથી વારસો મળે છે, લક્ષ-હેતુ છે. આપ બાળકો જાણો છો બાપ નોલેજફુલ છે, એમનું ભણતર
બિલકુલ ડિફરેન્ટ (અલગ) છે. જ્ઞાનનાં સાગર બાપ છે તો એજ જાણે. એજ આપણને સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંતનું નોલેજ આપે છે. બીજું કોઈ આપી ન શકે. બાપ સમ્મુખ આવીને જ્ઞાન આપી પછી
ચાલ્યાં જાય છે. આ ભણતરની પ્રાલબ્ધ શું મળે છે, એ પણ તમે જાણો છો. બાકી જે પણ સતસંગ
વગેરે છે કે ગુરુ ગોસાઈ છે તે બધાં છે ભક્તિમાર્ગનાં. હવે તમને જ્ઞાન મળી રહ્યું
છે. આ પણ જાણે છે કે એમાં પણ કોઈ અહીંયાનાં હશે તો નીકળી આવશે. આપ બાળકોએ સર્વિસની
ભિન્ન-ભિન્ન યુક્તિઓ નિકાળવાની છે. પોતાનો અનુભવ સંભળાવીને અનેકોનું ભાગ્ય બનાવવાનું
છે. આપ સર્વિસેબુલ બાળકોની અવસ્થા ખુબ નિર્ભય, અડોલ અને યોગયુક્ત જોઈએ. યોગમાં રહીને
સર્વિસ કરો તો સફળતા મળી શકે છે.
બાળકો, તમારે પોતાને પૂરું સંભાળવાનું છે. ક્યારેય આવેશ વગેરે ન આવે, યોગયુક્ત
પાક્કા જોઈએ. બાપ એ સમજાવ્યું છે હકીકતમાં તમે બધાં વાનપ્રસ્થી છો, વાણીથી પરે
અવસ્થાવાળા. વાનપ્રસ્થી અર્થાત્ વાણીથી પરે ઘરને અને બાપ ને યાદ કરવાવાળા. એનાં
સિવાય બીજી કોઈ તમન્ના નથી. અમને સારા કપડાં જોઈએ, આ બધી છે છી-છી તમન્નાઓ.
દેહ-અભિમાન વાળા સર્વિસ કરી નહિ સકે. દેહી-અભિમાની બનવું પડે. ભગવાનનાં બાળકોને તો
માઈટ જોઈએ. એ છે યોગની. બાબા તો બધાં બાળકોને જાણી શકે છે ને. બાબા ઝટ બતાવી દેશે,
આ-આ ખામીઓ નીકાળો. બાબા એ સમજાવ્યું છે શિવનાં મંદિરમાં જાઓ, ત્યાં ઘણાં તમને મળશે.
ઘણાં છે જે કાશીમાં જઈને વાસ કરે છે. સમજે છે કાશીનાથ અમારું કલ્યાણ કરશે. ત્યાં
તમને ખુબ ગ્રાહક મળશે, પરંતુ આમાં બહુજ શુરુડ બુદ્ધિ (હોશિયાર બુદ્ધિ) જોઈએ.
ગંગાસ્નાન કરવાવાળા ને પણ જઇને સમજાવી શકાય છે. મંદિરોમાં પણ જઈને સમજાવો. ગુપ્ત
વેશમાં જોઈ શકો છો. હનુમાનનું દૃષ્ટાંત. છો તો હકીકતમાં તમે ને. જૂત્તામાં બેસવાની
વાત નથી. આમાં ખૂબ સમજુ ચતુર જોઈએ. બાબા એ સમજાવ્યું છે હમણાં કોઈ પણ કર્માતીત નથી
બન્યાં. કોઈને કોઈ ખામીઓ જરૂર છે.
આપ બાળકોને નશો જોઈએ કે આ એક જ હટ્ટી છે, જ્યાં બધાને આવવાનું છે. એક દિવસ આ
સંન્યાસી વગેરે બધાં આવશે. એક જ હટ્ટી છે તો જશે ક્યાં. જે ખૂબ ભટકેલાં હશે, તેમને
જ રસ્તો મળશે. અને સમજશે આ એક જ હટ્ટી છે. સર્વનાં સદ્દગતિ દાતા એક બાપ છે ને. એવો
જ્યારે નશો ચઢે ત્યારે વાત છે. બાપને આજ ફિકર છે ને-હું આવ્યો છું પતિતો ને પાવન
બનાવવાં શાંતિધામ-સુખધામ નો વારસો આપવાં. તમારો પણ આજ ધંધો છે. બધાનું કલ્યાણ કરવાનું
છે. આ છે જૂની દુનિયા. આની આયુ કેટલી છે? થોડાં સમયમાં સમજી જશે, આ જૂની દુનિયા ખતમ
થવાની છે. બધી આત્માઓને આ બુદ્ધિમાં આવશે, નવી દુનિયાની સ્થાપના થાય ત્યારે તો જૂની
દુનિયાનો વિનાશ થાય. આગળ ચાલી પછી કહેશે બરાબર ભગવાન અહીંયા છે. રચયિતા બાપને જ ભૂલી
ગયાં છે. ત્રિમૂર્તિ માં શિવનું ચિત્ર ઉડાવી દીધું છે, તો કોઈ કામનું નથી રહ્યું.
રચયિતા તો એ છે ને. શિવનું ચિત્ર આવવાથી ક્લિયર (સ્પષ્ટ) થઈ જાય છે-બ્રહ્મા દ્વારા
સ્થાપના. પ્રજાપિતા બ્રહ્મા હશે તો જરૂર બી.કે. પણ હોવા જોઈએ. બ્રાહ્મણ કુળ સૌથી
ઊંચો હોય છે. બ્રહ્માની ઔલાદ છે. બ્રાહ્મણોને રચે કેવી રીતે છે, આ પણ કોઈ નથી જાણતું.
બાપ જ આવીને તમને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. આ ખુબ ગૂંચવાયેલી વાતો છે. બાપ જ્યારે
સમ્મુખ આવીને સમજાવે ત્યારે સમજે. જે દેવતાઓ હતાં તે શુદ્ર બન્યાં છે. હવે તેમને
કેવી રીતે શોધીએ તેનાં માટે યુક્તિઓ નિકાળવાની છે. જે સમજી જાય આ બી.કે. નું તો ભારે
કાર્ય છે. કેટલાં પર્ચા વગેરે વેંચે છે. બાબાએ એરોપ્લેન (વિમાન) થી પર્ચા નાખવા માટે
પણ સમજાવ્યું છે. ઓછામાં ઓછું સમાચાર પત્ર જેટલું એક કાગળ હોય, એમાં મુખ્ય પોઇન્ટ (વાત)
સીડી વગેરે પણ આવી શકે છે. મુખ્ય છે અંગ્રેજી અને હિન્દી ભાષા. તો બાળકોએ આખો દિવસ
ખ્યાલ રાખવો જોઈએ-સર્વિસ (સેવા) ને કેવી રીતે વધારાય? આ પણ જાણે છે ડ્રામા અનુસાર
પુરુષાર્થ થતો રહે છે. સમજાય છે આ સર્વિસ સારી કરે છે, તેમનું પદ પણ ઊંચું હશે.
દરેક એક્ટરનો પોતાનો પાર્ટ છે, આ પણ લાઈન (લીટી) જરૂર લખવાની છે. બાપ પણ આ ડ્રામામાં
નિરાકારી દુનિયા થી આવીને સાકારી શરીર નો આધાર લઇ પાર્ટ ભજવે છે. હમણાં તમારી
બુદ્ધિમાં છે, કોણ-કોણ કેટલો પાર્ટ ભજવે છે? તો આ લાઈન પણ મુખ્ય છે. સિદ્ધ કરી
બતાવવાનું છે, આ સૃષ્ટિ ચક્રને જાણવાથી મનુષ્ય સ્વદર્શન ચક્રધારી બની ચક્રવર્તી રાજા
વિશ્વનાં માલિક બની શકે છે. તમારી પાસે તો બધું નોલેજ છે ને. બાપ ની પાસે નોલેજ છે
જ ગીતાનું. જેનાથી મનુષ્ય નર થી નારાયણ બને છે. પૂરું નોલેજ બુદ્ધિમાં આવી ગયું તો
પછી પૂરી બાદશાહી જોઈએ. તો બાળકોએ એવાં-એવાં વિચાર કરી બાપની સર્વિસમાં લાગી જવું
જોઈએ.
જયપુરમાં પણ આ રુહાની મ્યુઝિયમ સ્થાઈ રહેશે. લખેલું છે-આને સમજવાથી મનુષ્ય વિશ્વનાં
માલિક બની શકે છે. જે જોશે એક-બીજાને સંભળાવતાં રહેશે. બાળકોએ સદા સર્વિસ પર રહેવાનું
છે. મમ્મા પણ સર્વિસ પર છે, તેમને મુકરર કરેલા હતાં. આ કોઈ શાસ્ત્રોમાં છે નહીં કે
સરસ્વતી કોણ છે? પ્રજાપિતા બ્રહ્માની ફક્ત એક પુત્રી હશે શું? અનેક પુત્રીઓ અનેક
નામવાળી હશે ને. તે તો પણ એડોપ્ટ (દત્તક) હતી. જેમ તમે છો. એક હેડ (મુખ્ય) ચાલ્યું
જાય છે તો પછી બીજું સ્થાપન કરાય છે. પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) પણ બીજા
સ્થાપન કરી લે છે. એબુલ સમજાય છે, ત્યારે તેમને પસંદ કરે છે પછી સમય પૂરો થઈ જાય
છે, તો પછી બીજાને ચૂંટવા પડે છે. બાપ બાળકોને પહેલાં મેનર્સ (શિસ્ત) આજ શીખવાડે છે
કે તમે કોઈનો રીગાર્ડ (આદર) કેવી રીતે રાખો! અભણ જે હોય છે તેમને રીગાર્ડ રાખતાં પણ
નથી આવડતું. જે વધારે હોશિયાર છે તો તેમનો બધાએ રીગાર્ડ રાખવાનો જ છે. મોટાઓનો
રીગાર્ડ રાખવાથી તે પણ શીખી જશે. અભણ તો બુદ્ધુ હોય છે. બાપે પણ અભણો ને આવીને
ઉઠાવ્યાં છે. આજકાલ ફીમેલ (સ્ત્રી) ને આગળ રાખે છે. આપ બાળકો જાણો છો આપણી આત્માઓની
સગાઈ પરમાત્માનાં સાથે થઈ છે. તમે ખુબજ ખુશ થાઓ છો-અમે તો વિષ્ણુપુરી નાં માલિક જઈને
બનશું. કન્યા નો વગર જોએ પણ બુદ્ધિયોગ લાગી જાય છે ને. આ પણ આત્મા જાણે છે-આ આત્મા
અને પરમાત્મા ની સગાઈ વન્ડરફુલ છે. એક બાપને જ યાદ કરવા પડે. તેઓ તો કહેશે ગુરુને
યાદ કરો, ફલાણા મંત્ર યાદ કરો. આ તો બાપ જ બધું છે. આમનાં દ્વારા આવીને સગાઈ કરાવે
છે. કહે છે હું તમારો બાપ પણ છું, મારાથી વારસો મળે છે. કન્યાની સગાઈ થાય છે તો પછી
ભૂલતી નથી. તમે પછી ભૂલી કેમ જાઓ છો? કર્માતીત અવસ્થા પામવામાં સમય લાગે છે.
કર્માતીત અવસ્થાને પામીને પાછું તો કોઈ જઈ ન શકે. જ્યારે સાજન પહેલાં ચાલે પછી જાન
જાય. શંકરની વાત નથી, શિવ ની બારાત (જાન) છે. એક છે સાજન બાકી બધી છે સજનીઓ. તો આ
છે શિવબાબા ની બારાત. નામ રાખી દીધું છે બાળકનું. દૃષ્ટાંત આપી સમજાવાય છે. બાપ
આવીને ગુલ-ગુલ બનાવીને બધાને લઈ જાય છે. બાળકો જે કામ ચિતા પર બેસી પતિત બની ગયાં
છે તેમને જ્ઞાન ચિતા પર બેસાડી ગુલ-ગુલ બનાવીને બધાને લઈ જાય છે. આ તો જૂની દુનિયા
છે ને. કલ્પ-કલ્પ બાપ આવે છે. આપણને છી-છી ને આવીને ગુલ-ગુલ બનાવી લઈ જાય છે. રાવણ
છી-છી બનાવે છે અને શિવબાબા ગુલ-ગુલ બનાવે છે. તો બાબા બહુજ યુક્તિઓ સમજાવતાં રહે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ખાવા પીવાની
છી-છી તમન્નાઓને છોડી દેહી-અભિમાની બની સર્વિસ કરવાની છે. યાદથી માઈટ (શક્તિ) લઈ
નિર્ભય અને અડોલ અવસ્થા બનાવવાની છે.
2. જે ભણવામાં તીખા હોશિયાર છે, તેમનો રીગાર્ડ રાખવાનો છે. જે ભટકી રહ્યાં છે, તેમને
રસ્તો બતાવાની યુક્તિ રચવાની છે. સર્વનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
પોતાનાં તપસ્વી
સ્વરુપ દ્વારા સર્વને પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર વિધાતા ભવ
જેમ સૂર્ય વિશ્વને
પ્રકાશની અનેક વિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે. એમ આપ તપસ્વી આત્માઓ પોતાનાં
તપસ્વી સ્વરુપ દ્વારા સર્વને પ્રાપ્તિનાં કિરણોની અનુભૂતિ કરાવો. એનાં માટે પહેલા
જમાનું ખાતું વધારો. પછી જમા કરેલાં ખજાના માસ્ટર વિધાતા બની દેતાં જાઓ.
તપસ્વીમૂર્ત નો અર્થ છે-તપસ્યા દ્વારા શાંતિની શક્તિની કિરણો ચારેય તરફ ફેલાતી
અનુભવ માં આવે.
સ્લોગન :-
સ્વયં નિર્માણ
બનીને સર્વને માન આપતા જાઓ - આજ સાચો પરોપકાર છે.