05-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 19.12.85
બાપદાદા મધુબન
આજે સર્વ સ્નેહી
બાળકોનાં સ્નેહનો રેસપોન્ડ (જવાબ) આપવાનાં માટે બાપદાદા મિલન મનાવવાં માટે આવ્યાં
છે. વિદેહી બાપદાદા ને દેહનો આધાર લેવો પડે છે. શા માટે? બાળકોને પણ વિદેહી બનાવવાં
માટે. જેમ બાપ વિદેહી, દેહમાં આવવાં છતાં પણ વિદેહી સ્વરુપમાં, વિદેહીપણા નો અનુભવ
કરાવે છે. એમ તમે બધાં જીવન માં રહેતાં, દેહમાં રહેતાં વિદેહી આત્મા-સ્થિતિમાં
સ્થિત થઈ આ દેહ દ્વારા કરાવનહાર બનીને કર્મ કરાવો. આ દેહ કરનહાર છે. આપ દેહી
કરાવનહાર છો. આજ સ્થિતિને “વિદેહી સ્થિતિ” કહે છે. આને જ ફોલો ફાધર કહેવાય છે. સદા
ફોલો ફાધર કરવા માટે પોતાની બુદ્ધિને બે સ્થિતિઓ માં સ્થિત રાખો. બાપ ને ફોલો કરવાની
સ્થિતિ છે સદા અશરીરી ભવ, વિદેહી ભવ, નિરાકારી ભવ! દાદા અર્થાત્ બ્રહ્મા બાપને ફોલો
કરવા માટે સદા અવ્યક્ત સ્થિતિ ભવ, ફરિશ્તા સ્વરુપ ભવ, આકારી સ્થિતિ ભવ. આ બંને
સ્થિતિમાં સ્થિત રહેવું ફોલો ફાધર કરવું છે. આનાંથી નીચે વ્યક્ત ભાવ, દેહ ભાન,
વ્યક્તિ ભાવ, આમાં નીચે નહીં આવો. વ્યક્તિ ભાવ કે વ્યક્ત ભાવ નીચે લઈ આવવાનો આધાર
છે એટલે સૌથી પરે આ બંને સ્થિતિઓમાં સદા રહો. ત્રીજા માટે બ્રાહ્મણ જન્મ થતાં જ
બાપદાદાની શિક્ષા મળેલી છે કે આ ઉતરવા ની સ્થિતિમાં સંકલ્પ થી અથવા સ્વપન માં પણ નહિં
જતાં, આ પારકી સ્થિતિ છે. જેમ જો કોઈ વિના આજ્ઞાએ પરદેશ ચાલ્યો જાય તો શું થશે?
બાપદાદાએ પણ આ આજ્ઞાની લકીર (રેખા) ખેંચી દીધી છે, આનાથી બહાર નથી જવાનું. જો અવજ્ઞા
કરે છે તો હેરાન પણ થાય છે, પશ્ચાતાપ પણ કરે છે, એટલે સદા શાનમાં રહેવાનું, સદા
પ્રાપ્તિ સ્વરુપ સ્થિતિમાં સ્થિત થવાનું સહજ સાધન છે “ફોલો ફાધર”. ફોલો કરવું તો
સહજ હોય છે ને! જીવનમાં બાળપણ થી ફોલો કરવાનાં અનુભવી છો. બાળપણ માં પણ બાપ બાળકને
આંગળી પકડીને ચાલવામાં, ઉઠવા-બેસવામાં ફોલો કરાવે છે. પછી જ્યારે ગૃહસ્થી બને છે તો
પણ પતિ-પત્નીને એક-બીજાની પાછળ ફોલો કરી ચાલવાનું શીખવાડે છે. પછી આગળ વધી ગુરુ કરે
છે તો ગુરુનાં ફોલોઅર્સ (અનુયાયી) જ બને છે અર્થાત્ ફોલો કરવાવાળા. લૌકિક જીવનમાં
પણ આદિ અને અંત માં ફોલો કરવાનું હોય છે. અલૌકિક, પારલૌકિક બાપ પણ એક જ સહજ વાત નું
સાધન બતાવે છે - શું કરું, કેવી રીતે કરું, આમ કરુ કે તેમ કરું આ વિસ્તારથી છોડાવી
દે છે. બધાં પ્રશ્નોનો જવાબ એક જ વાત છે “ફોલો ફાધર”.
સાકાર રુપમાં પણ નિમિત્ત બની કર્મ શીખવાડવા માટે પુરા ૮૪ જન્મ લેવાવાળી બ્રહ્માની
આત્મા નિમિત્ત બની. કર્મમાં, કર્મબંધનો થી મુક્ત થવામાં, કર્મ સંબંધ નિભાવવામાં,
દેહમાં રહેતાં વિદેહી સ્થિતિમાં સ્થિત રહેવામાં, તન નાં બંધનોને મુક્ત કરવામાં, મનની
લગનમાં મગન રહેવાની સ્થિતીમાં, ધનનો એક-એક નવો પૈસો સફળ કરવામાં, સાકાર બ્રહ્મા
સાકાર જીવનમાં નિમિત્ત બન્યાં. કર્મબંધની આત્મા, કર્માતિત બનવાનું એક્ઝામ્પલ (દૃષ્ટાંત)
બન્યાં. તો સાકાર જીવનને ફોલો કરવું સહજ છે ને. આજ પાઠ થયો ફોલો ફાધર. પ્રશ્ન પણ ભલે
તનનાં પૂછો, સંબંધનાં પૂછો કે ધનનાં પૂછો છો. બધાં પ્રશ્નોનાં જવાબ બ્રહ્મા બાપનું
જીવન છે. જેમ આજકાલનાં વિજ્ઞાનવાળા, દરેક પ્રશ્નનો જવાબ કોમ્પ્યુટર થી પૂછે છે
કારણકે સમજે છે મનુષ્યની બુદ્ધિ થી આ કોમ્પ્યુટર એક્યુરેટ (સચોટ) છે. બનાવવા વાળાથી
પણ બનેલી વસ્તુ ને એક્યુરેટ સમજી રહ્યાં છે. પરંતુ આપ શાંતિવાળા માટે બ્રહ્માનું
જીવન જ એકયુરેટ કોમ્પ્યુટર છે એટલે શું, કેવી રીતે નાં બદલે જીવનનાં કોમ્પ્યુટર થી
જુઓ. કેવું અને કેમ નાં પ્રશ્ન આવી રીતે માં બદલી જશે. પ્રશ્નચિત નાં બદલે
પ્રસન્નચિત થઈ જશો. પ્રશ્નચિત હલચલ બુદ્ધિ છે એટલે પ્રશ્નનું ચિન્હ પણ વાંકુ છે.
પ્રશ્ન લખો તો વાંકાચૂકો છે ને. અને પ્રસન્નચિત છે બિંદુ. તો બિંદુમાં કોઈ વાંકા પણું
છે? ચારેય તરફ થી એક જ છે. બિંદુને કોઈ પણ તરફથી જુઓ તો સીધુ જ દેખાશે. અને એક જેવું
જ દેખાશે. ભલે ઉલટું કે ભલે સીધું જુઓ. પ્રસન્નચિત્ત અર્થાત્ એકરસ સ્થિતિમાં એક
બાપને ફોલો કરવાવાળા. તો પણ સાર શું નીકળ્યો? ફોલો બ્રહ્મા સાકાર રુપ ફાધર અથવા ફોલો
આકાર રુપ બ્રહ્મા ફાધર. ભલે બ્રહ્મા બાપ ને ફોલો કરો કે શિવ બાપ ને ફોલો કરો. પરંતુ
શબ્દ એજ છે ફોલો ફાધર, એટલે બ્રહ્માની મહિમા “બ્રહ્મા વંદે જગતગુરુ” કહે છે કારણ કે
ફોલો કરવા માટે સાકાર રુપમાં બ્રહ્મા જ સાકાર જગતનાં માટે નિમિત્ત બન્યાં. તમે બધાં
પણ પોતાને શિવકુમાર, શિવકુમારી નથી કહેવડાવતા. બ્રહ્માકુમાર, બ્રહ્માકુમારી કહેવડાઓ
છો. સાકાર રચનાનાં નિમિત્ત સાકાર શ્રેષ્ઠ જીવનનું સેમ્પલ બ્રહ્મા જ બને છે, એટલે
સદગુરુ શિવ બાપને કહે છે, ગુરુ શિખવાડવા વાળાને પણ કહે છે. જગતની આગળ શિખવાડવા વાળા
બ્રહ્મા જ નિમિત્ત બને છે. તો દરેક કર્મમાં ફોલો કરવાનું છે. બ્રહ્મા ને આ હિસાબ થી
જગતગુરુ કહે છે, એટલે જગત બ્રહ્માની વંદના કરે છે. જગતપિતાનું ટાઈટલ (શીર્ષક) પણ
બ્રહ્માનું છે. વિષ્ણુને કે શંકરને પ્રજાપિતા નથી કહેતાં. તેઓ માલિકનાં હિસાબ થી પતિ
કહી દે છે પરંતુ છે પિતા. જેટલાં જગતનાં પ્રિય એટલાં જગત થી ન્યારા બની હવે અવ્યક્ત
રુપ માં ફોલો અવ્યક્ત સ્થિતિ ભવ નો પાઠ ભણાવી રહ્યાં છે. સમજ્યાં, કોઈ પણ આત્માનું
આવું આટલું ન્યારાપણું નથી હોતું. આ ન્યારાપણા ની બ્રહ્મા ની વાર્તા પછી સંભળાવશે.
આજે તો શરીરને પણ સંભાળવાનું છે. જ્યારે લોન લે છે તો સારો માલિક તેજ હોય છે જે
શરીર ને, સ્થાન ને શક્તિ પ્રમાણે કાર્યમાં લગાવે. તો પણ બાપદાદા બંનેવ નાં શક્તિશાળી
પાર્ટને રથ ચલાવવાનાં નિમિત્ત બન્યાં છે. આ પણ ડ્રામા માં વિશેષ વરદાન નો આધાર છે.
ઘણાં બાળકોને પ્રશ્ન પણ ઊઠે છે કે આજ રથ નિમિત્ત કેમ બન્યો. બીજાને તો શું આમને (ગુલજાર
દાદીને) પણ ઉઠે છે. પરંતુ જેમ બ્રહ્મા પણ પોતાનાં જન્મોને નહોતા જાણતાં ને, આ પણ
પોતાનાં વરદાન ને ભૂલી ગઈ છે. આ વિશેષ સાકાર બ્રહ્માનાં આદિ સાક્ષાત્કાર નાં પાર્ટ
સમયનું બાળકીને વરદાન મળેલું છે. બ્રહ્મા બાપની સાથે આદિ સમય એકાંતનાં તપસ્વી સ્થાન
પર આ આત્માનાં વિશેષ સાક્ષાત્કારનાં પાર્ટ ને જોઈ બ્રહ્મા બાપએ બાળકીનાં સરળ સ્વભાવ,
ઈનોસેન્ટ (નિર્દોષ) જીવનની વિશેષતા ને જોઈ આ વરદાન આપ્યું હતું કે જેમ હમણાં આ
પાર્ટમાં આદિમાં બ્રહ્મા બાપની સાથી પણ બની અને સાથે પણ રહી, એવી રીતે આગળ ચાલી
બાપની સાથી બનવાની, સમાન બનવાની ડ્યુટી (ફરજ) પણ સંભાળશે. બ્રહ્મા બાપનાં સમાન
સેવામાં પાર્ટ ભજવશે. તો તેજ વરદાન તકદીરની લકીર બની ગયાં. અને બ્રહ્મા બાપ સમાન રથ
બનવાનો પાર્ટ ભજવવો આ નોંધ નોંધાઈ ગઈ. તો પણ બાપદાદા આ પાર્ટ ભજવવા માટે બાળકીને પણ
શુભેચ્છા આપે છે. આટલો સમય આટલી શક્તિને એડજેસ્ટ કરવી, આ એડજેસ્ટ કરવાની વિશેષતાની
લિફ્ટ ને કારણ એક્સ્ટ્રા ગિફ્ટ છે. તો પણ બાપદાદાએ શરીરનું બધું જોવું પડે છે. વાજું
જૂનું છે અને ચલાવવા વાળા શક્તિશાળી છે. તો પણ હાં જી, હાં જી નાં પાઠ ને કારણે સારું
ચાલી રહ્યું છે. પરંતુ બાપદાદા પણ વિધિ અને યુક્તિપૂર્વક જ કામ ચલાવી રહ્યાં છે.
મળવાનો વાયદો તો છે પરંતુ વિધિ, સમય પ્રમાણ પરિવર્તન થતી રહેશે. હવે તો અઢારમાં
વર્ષમાં બધું સંભળાવશે. ૧૭ તો પૂરું કરવાનું જ છે. અચ્છા!
સર્વ ફોલો ફાધર કરવાવાળા સહજ પુરુષાર્થી બાળકોને સદા પ્રસન્નચિત્ત વિશેષ આત્માઓને,
સદા કરાવનહાર બની દેહથી કર્મ કરાવવા વાળા માસ્ટર રચયિતા બાળકોને, આવાં બાપદાદાનાં
સ્નેહનાં, જીવન દ્વારા રેસપોન્ડ આપવાવાળા બાળકોને સ્નેહ સંપન્ન યાદ પ્યાર અને નમસ્તે.
ટીચર્સ બહેનોથી
- અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
૧) ટીચર્સ સદા સ્વસ્થિતિ થી સ્વયં પણ આગળ વધવાવાળી અને બીજાઓને પણ આગળ વધારવાવાળી,
વધવાનું છે અને વધારવાનું છે, આજ ટીચર્સનું વિશેષ લક્ષ્ય છે અને લક્ષણ પણ છે. સદા
બાપ સમાન માસ્ટર સર્વશક્તિવાન આત્મા બની આગળ વધતાં અને વધારતાં ચાલો. ત્યાગ થી
ભાગ્ય પ્રાપ્ત કરવાવાળી શ્રેષ્ઠ આત્મા છો, સદા ત્યાગ જ ભાગ્ય છે. શ્રેષ્ઠ ભાગ્ય,
શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ ફળ...સદા આ પ્રત્યક્ષ ફળ થી સ્વયં અને બીજાઓને ઉડાવતા ચાલો.
પોતાને દરેક કર્મમાં નિમિત્ત સમજવું આજ શ્રેષ્ઠ બનવાનું સહજ સાધન છે. સેવાધારી
બનવાનું આ પણ સંગમયુગ પર વિશેષ ભાગ્યની નિશાની છે. સેવા કરવી અર્થાત્ જન્મ-જન્મનાં
માટે સંપન્ન બનવું કારણ કે સેવાથી જમા થાય છે અને જમા થયેલું અનેક જન્મ ખાતાં રહેશો.
જો સેવામાં જમા થઈ રહ્યું છે, આ સ્મૃતિ રહે તો સદા ખુશી માં રહેશો. અને ખુશીનાં
કારણે ક્યારેય થાકશો નહીં. સેવા અથક બનાવવાવાળી છે. ખુશીનો અનુભવ કરાવવાવાળી છે.
સેવાધારી અર્થાત્ બાપ સમાન. તો સમાનતા ની તપાસ કરતાં બાપ સમાન બની બીજાઓને પણ બાપ
સમાન બનાવતાં ચાલો. સેવાકેન્દ્રનાં વાયુમંડળને શક્તિશાળી બનાવવા માટે એકબીજા ચક્ર
લગાવતાં શક્તિશાળી યાદની અનુભૂતિઓનો પ્રોગ્રામ બનાવો. શક્તિશાળી વાતાવરણ ઘણી વાતો
થી સ્વતઃ દૂર કરી દે છે. હવે સ્વયં ક્વોલિટી (ગુણવત્તા) વાળા બની ક્વોલિટીવાળા
બનાવતાં ચાલો. અચ્છા.
૨ - બધાં સ્વયંને કઈ મણી સમજો છો? (સંતુષ્ટમણી) આજનાં સમયમાં વિશેષ સંતુષ્ટતાની જ
આવશ્યકતા છે. પૂજા પણ વધારે કઈ દેવી ની થાય છે? સંતોષીની. અને સંતોષી ને રાજી કરવું
પણ સહજ હોય છે. સંતોષી સંતુષ્ટ જલદી થઈ જાય છે. સંતોષી ની પૂજા કેમ થાય છે? કારણ કે
આજનાં સમયમાં ટેન્શન (ચિંતા) ખુબ છે, ચિંતિત ખુબ છે આ કારણે અસંતુષ્ટતા વધતી જઈ રહી
છે, એટલે સંતુષ્ટ રહેવાનું સાધન બધાં વિચારે છે. પરંતુ કરી નથી શકતાં. તો આવાં સમય
પર તમે બધાં સંતુષ્ટ મણિયો બની સંતુષ્ટતાનો પ્રકાશ આપો. પોતાનાં સંતુષ્ટતાનાં
પ્રકાશ થી બીજાને પણ સંતુષ્ટ બનાવો. પહેલાં સ્વયં થી સ્વયં સંતુષ્ટ રહો પછી સેવામાં
સંતુષ્ટ રહો, પછી સંબંધમાં સંતુષ્ટ રહો ત્યારે જ સંતુષ્ટમણી કહેવાશો. સંતુષ્ટતા નાં
પણ ત્રણ સર્ટિફિકેટ જોઇએ. સ્વયં સ્વયંથી, સેવાથી, પછી સાથીઓ થી. આ ત્રણેય
સર્ટીફીકેટ લીધાં છે ને. સારું છે તો પણ દુનિયાની હલચલ થી નીકળી અચલ ઘરમાં પહોંચી
ગઈ. આ બાપનું સ્થાન અચલ ઘર છે. તો અચલ ઘરમાં પહોંચવું આ પણ મોટા ભાગ્ય ની નિશાની
છે. ત્યાગ કર્યો તો અચલઘર પહોંચી. ભાગ્યવાન બની ગઇ પરંતુ ભાગ્ય ની રેખા હજી પણ જેટલી
લાંબી ખેંચવા ઈચ્છો એટલી ખેંચી શકો છો. લિસ્ટ (યાદી) માં તો આવી ગઈ ભાગ્યવાન ની
કારણ કે ભગવાનની બની ગઈ તો ભાગ્યવાન થઈ ગઈ. બીજા બધાથી કિનારો કરી એક ને પોતાનાં
બનાવ્યાં - તો ભાગ્યવાન થઈ ગઈ. બાપદાદા બાળકોની આ હિંમત ને જોઈ ખુશ છે. કાંઈ પણ છે
છતાં પણ ત્યાગ અને સેવાની હિંમતમાં શ્રેષ્ઠ છે. નાના છે કે નવાં છે પરંતુ બાપદાદા
ત્યાગ અને હિંમત ની શુભેચ્છા આપે છે. એજ રિગાર્ડ (સમ્માન) થી જ બાપદાદા જુએ છે.
નિમિત્ત બનવાનું પણ મહત્વ છે. આજ મહત્વ થી સદા આગળ વધતાં વિશ્વમાં મહાન આત્માઓ બની
પ્રસિદ્ધ થઈ જશો. તો પોતાની મહાનતા ને તો જાણો છો ને! જેટલાં મહાન એટલાં નિર્માણ.
જેમ ફળદાયક વૃક્ષની નિશાની છે-ઝુકવું. એવી રીતે જે નિર્માણ છે તેજ પ્રત્યક્ષ ફળ
ખાવાવાળા છે. સંગમયુગ ની વિશેષતા જ આ છે. અચ્છા.
કુમારો થી
અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
કુમાર અર્થાત્ કમજોરીને સદા નાં માટે તલાક દેવાવાળા. અડધાકલ્પ નાં માટે કમજોરીને
તલાક દઈ દીધો ને. કે હજી નથી દીધો? જે સદા સમર્થ આત્માઓ છે એમની આગળ કમજોરી આવી નથી
શકતી. સદા સમર્થ રહેવું અર્થાત્ કમજોરીને સમાપ્ત કરવી. એવી સમર્થ આત્માઓ બાપને પણ
પ્રિય છે. પરિવારને પણ પ્રિય છે. કુમાર અર્થાત્ પોતાનાં દરેક કર્મ દ્વારા અનેકોનાં
શ્રેષ્ઠ કર્મોની રેખા ખેંચવાવાળા. સ્વયંનાં કર્મ બીજાઓનાં કર્મની રેખા બનાવવાનાં
નિમિત્ત બની જાય. એવાં સેવાધારી છો. તો દરેક કર્મમાં આ તપાસ કરો કે દરેક કર્મ એવું
સ્પષ્ટ છે જો બીજાઓને પણ કર્મની રેખા સ્પષ્ટ દેખાય. એવાં શ્રેષ્ઠ કર્મોનાં શ્રેષ્ઠ
ખાતાને સદા જમા કરવાવાળી વિશેષ આત્માઓ - આને કહેવાય છે સાચાં સેવાધારી. યાદ અને સેવા
આજ સદા આગળ વધવાનું સાધન છે. યાદ શક્તિશાળી બનાવે છે અને સેવા ખજાનાઓથી સંપન્ન બનાવે
છે. યાદ અને સેવા થી આગળ વધતાં રહો અને વધારતાં રહો. અચ્છા.
વરદાન :-
બ્રહ્મા બાપ
સમાન શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ છબી બનાવવાવાળા પરોપકારી ભવ
શ્રેષ્ઠ સ્મૃતિ અને
શ્રેષ્ઠ કર્મ દ્વારા તકદીર ની તસ્વીર (છબી) તો બધાં બાળકોએ બનાવી છે હવે ફક્ત લાસ્ટ/છેલ્લી
ટચિંગ છે સંપૂર્ણતાની અથવા બ્રહ્મા બાપ સમાન શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવાની, આનાં માટે
પરોપકારી બનો અર્થાત્ સ્વાર્થ ભાવ થી સદા મુક્ત રહો. દરેક પરિસ્થિતિમાં, દરેક
કાર્યમાં, દરેક સહયોગી સંગઠનમાં જેટલું નિઃસ્વાર્થપણું હશે એટલાં જ પર-ઉપકારી બની
શકશો. સદા સ્વયંને ભરપૂર અનુભવ કરશો. સદા પ્રાપ્તિ સ્વરુપની સ્થિતિમાં સ્થિત રહેશો.
સ્વનાં પ્રતિ કાંઈ પણ સ્વીકાર નહીં કરશો.
સ્લોગન :-
સર્વસ્વ ત્યાગી
બનવાથી જ સરળતા કે સહનશીલતા નો ગુણ આવશે.