23-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સૌથી
સારો દૈવી ગુણ છે શાંત રહેવું , વધારે અવાજ માં ન આવવું , મીઠું બોલવું , આપ બાળકો
હવે ટોકી થી મુવી , મુવી થી સાઈલેન્સ ( શાંતિ ) માં જાઓ છો , એટલે વધારે અવાજ માં ન
આવો ”
પ્રશ્ન :-
કઈ મુખ્ય
ધારણાનાં આધાર થી સર્વ દૈવી ગુણ સ્વતઃ આવતાં જશે?
ઉત્તર :-
મુખ્ય છે પવિત્રતા ની ધારણા. દેવતાઓ પવિત્ર છે, એટલે એમનામાં દૈવી ગુણ છે. આ
દુનિયામાં કોઈના માં પણ દૈવી ગુણ ન હોઈ શકે. રાવણ રાજ્ય માં દૈવી ગુણ ક્યાંથી આવે?
આપ રોયલ બાળકો હવે દૈવી ગુણ ધારણ કરી રહ્યાં છો.
ગીત :-
ભોલેનાથ થી નિરાલા……….
ઓમ શાંતિ!
હવે બાળકો સમજે
છે કે બિગડી ને બનાવવા વાળા એક જ છે. ભક્તિમાર્ગ માં અનેકોની પાસે જાય છે. કેટલી
તીર્થ યાત્રાઓ વગેરે કરે છે. બિગડી ને બનાવવા વાળા, પતિતો ને પાવન બનાવવા વાળા તો
એક જ છે, સદ્દગતિ દાતા, ગાઈડ (માર્ગદર્શક), લિબરેટર (મુક્તિદાતા) પણ એ એક છે. હવે
ગાયન છે પરંતુ અનેક મનુષ્ય, અનેક ધર્મ, મઠ, પંથ, શાસ્ત્ર હોવાનાં કારણે અનેક રસ્તા
શોધતાં રહે છે. સુખ અને શાંતિ નાં માટે સતસંગો માં જાય છે ને. જો નથી જતાં તે માયાવી
મસ્તીમાં જ મસ્ત રહે છે. આ પણ આપ બાળકો જાણો છો કે હવે કળયુગ નો અંત છે. મનુષ્ય આ
નથી જાણતા કે સતયુગ ક્યારે હોય છે? હમણાં શું છે? આતો કોઈ બાળક પણ સમજી શકે છે. નવી
દુનિયામાં સુખ, જૂની દુનિયામાં જરુર દુઃખ હોય છે. આ જૂની દુનિયામાં અનેક મનુષ્ય છે,
અનેક ધર્મ છે. તમે કોઈને પણ સમજાવી શકો છો. આ છે કળયુગ, સતયુગ પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયો
છે. ત્યાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, બીજો કોઈ ધર્મ નહોતો. બાબા એ બહુજ
વખત સમજાવ્યું છે, પછી પણ સમજાવે છે, જે આવે તેમને નવી દુનિયા અને જૂની દુનિયાનો
ફરક દેખાડવો જોઈએ. ભલે તેઓ કાંઈ પણ કહે, કોઈ ૧૦ હજાર વર્ષ આયુ કહે છે, કોઈ ૩૦ હજાર
વર્ષ આયુ કહે છે. અનેક મતો છે ને. હવે તેમની પાસે છે જ શાસ્ત્રોની મત. અનેક શાસ્ત્ર,
અનેક મત. મનુષ્યની મત છે ને. શાસ્ત્ર પણ લખે છે તો મનુષ્ય છે ને. દેવતાઓ કોઈ
શાસ્ત્ર નથી લખતાં. સતયુગમાં દેવી-દેવતા ધર્મ હોય છે. તેમને મનુષ્ય પણ ન કહી શકાય.
તો જ્યારે કોઈ મિત્ર-સંબંધી વગેરે મળે છે તો તેમને બેસીને આ સંભળાવવું જોઈએ. વિચારની
વાત છે. નવી દુનિયામાં કેટલાં થોડાં મનુષ્ય હોય છે. જૂની દુનિયામાં કેટલી વૃદ્ધિ
થાય છે. સતયુગમાં ફક્ત એક દેવતા ધર્મ હતો. મનુષ્ય પણ થોડાં હતાં. દૈવી ગુણ હોય જ છે
દેવતાઓમાં. મનુષ્ય માં નથી હોતાં. ત્યારે તો મનુષ્ય જઈને દેવતાઓની આગળ નમસ્તે કરે
છે ને. દેવતાઓની મહિમા ગાએ છે. જાણે છે તેઓ સ્વર્ગવાસી છે, અમે નર્કવાસી કળયુગવાસી
છીએ. મનુષ્યમાં દૈવી ગુણ હોઈ ન શકે. કોઈ કહે ફલાણા માં ખૂબ સારા દૈવી ગુણ છે! બોલો
- નહિ, દૈવી ગુણ હોય છે જ દેવતાઓમાં કારણ કે તેઓ પવિત્ર છે. અહીંયા પવિત્ર ન હોવાનાં
કારણે કોઈના માં દૈવી ગુણ હોઈ ન શકે કારણ કે આસુરી રાવણ રાજ્ય છે ને. નવાં ઝાડમાં
દૈવી ગુણવાળા દેવતાઓ રહે છે, પછી ઝાડ જૂનું થાય છે. રાવણરાજ્ય માં દૈવી ગુણવાળા હોઈ
ન શકે. સતયુગમાં આદિ સનાતન દેવી-દેવતાઓનો પ્રવૃત્તિ માર્ગ હતો. પ્રવૃત્તિમાર્ગ
વાળાઓની મહિમા ગવાયેલી છે. સતયુગમાં આપણે પવિત્ર દેવી-દેવતા હતાં, સન્યાસ માર્ગ હતો
નહીં. કેટલાં પોઈન્ટસ (મુદ્દાઓ) મળે છે. પરંતુ બધાં પોઇન્ટ્સ કોઈની બુદ્ધિમાં રહી ન
શકે. પોઇન્ટસ ભૂલી જાય છે એટલે ફેલ (નપાસ) થાય છે. દૈવી ગુણ ધારણ નથી કરતાં. એક જ
દૈવી ગુણ સારો છે. વધારે કોઈથી ન બોલવું, મીઠું બોલવું, બહુજ ઓછું બોલવું જોઈએ કારણ
કે આપ બાળકો ને ટોકી થી મુવી, મુવી થી સાઈલેન્સ (શાંતિ) માં જવાનું છે. તો ટોકી ને
બહુજ ઓછું કરવું જોઈએ. જે બહુજ થોડું ધીરે થી બોલે છે તો સમજાય છે આ રોયલ ઘર નાં
છે. મુખ થી સદેવ રત્ન નીકળે.
સન્યાસી અથવા કોઈ પણ હોય તો તેમને નવી અને જૂની દુનિયાનો કોન્ટ્રાસ્ટ (તફાવત/અંતર)
બતાવવો જોઈએ. સતયુગમાં દૈવીગુણ વાળા દેવતાઓ હતાં, તે પ્રવૃત્તિ માર્ગ હતો. આપ
સંન્યાસીઓ નો ધર્મ જ અલગ છે. તો પણ આ તો સમજો છો ને-નવી સૃષ્ટિ સતોપ્રધાન હોય છે,
હમણાં તમોપ્રધાન છે. આત્મા તમોપ્રધાન હોય છે તો શરીર પણ તમોપ્રધાન મળે છે. હમણાં છે
જ પતિત દુનિયા. બધાને પતિત કહેશું. તે છે પાવન સતોપ્રધાન દુનિયા. તેજ નવી દુનિયા થી
હવે જૂની દુનિયા થાય છે. આ સમયે બધી મનુષ્ય આત્માઓ નાસ્તિક છે, એટલે જ હંગામા છે.
ધણી ને ન જાણવાનાં કારણે પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. રચયિતા અને રચનાને જાણવાવાળા
ને આસ્તિક કહેવાય છે. સન્યાસ ધર્મવાળા તો નવી દુનિયા ને જાણતાં જ નથી. તો ત્યાં આવતાં
જ નથી. બાપે સમજાવ્યું છે હમણાં બધી આત્માઓ તમોપ્રધાન બની છે પછી બધી આત્માઓને
સતોપ્રધાન કોણ બનાવે? તે તો બાપ જ બનાવી શકે છે. સતોપ્રધાન દુનિયામાં થોડાં મનુષ્ય
હોય છે. બાકી બધાં મુક્તિધામ માં રહે છે. બ્રહ્મ તત્વ છે, જ્યાં આપણે આત્માઓ નિવાસ
કરીએ છીએ. એને કહેવાય છે બ્રહ્માંડ. આત્મા તો અવિનાશી છે. આ અવિનાશી નાટક છે, જેમાં
બધી આત્માઓનો પાર્ટ છે. નાટક ક્યારે શરુ થયું? આ ક્યારેય કોઈ બતાવી ન શકે. આ અનાદિ
ડ્રામા છે ને. બાપએ ફક્ત જૂની દુનિયાને નવી બનાવવા આવવું પડે છે. એવું નથી કે બાપ
નવી સૃષ્ટિ રચે છે. જ્યારે પતિત થાય છે ત્યારે જ પોકારે છે. સતયુગમાં કોઈ પોકારતાં
નથી. છે જ પાવન દુનિયા. રાવણ પતિત બનાવે છે, પરમપિતા પરમાત્મા આવીને પાવન બનાવે છે.
અડધું-અડધું જરુર કહેવાશે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત અડધી-અડધી છે. જ્ઞાન
થી દિવસ થાય છે, ત્યાં અજ્ઞાન છે નહીં. ભક્તિ માર્ગને અંધકાર માર્ગ કહેવાય છે.
દેવતાઓ પુનર્જન્મ લેતાં-લેતાં પછી અંધકારમાં આવે છે એટલે આ સીડીમાં દેખાડ્યું છે-મનુષ્ય
કેવી રીતે સતો, રજો, તમો માં આવે છે. હમણાં બધાની જડજડીભૂત અવસ્થા છે. બાપ આવે છે
ટ્રાન્સફર કરવાં અર્થાત્ મનુષ્યને દેવતા બનાવવાં. જ્યારે દેવતા હતાં તો આસુરી
ગુણવાળા મનુષ્ય નહોતાં. હવે આ આસુરી ગુણ વાળાઓને પછી દૈવી ગુણવાળા કોણ બનાવે? હમણાં
તો અનેક ધર્મ, અનેક મનુષ્ય છે. લડતાં-ઝઘડતાં રહે છે. સતયુગમાં એક ધર્મ છે તો દુઃખની
કોઈ વાત નથી. શાસ્ત્રોમાં તો અનેક દંતકથાઓ છે જે જન્મ-જન્માંતર વાંચતા આવ્યાં છે.
બાપ કહે છે આ બધાં ભક્તિમાર્ગનાં શાસ્ત્ર છે, તેનાથી મને પ્રાપ્ત કરી નથી શકતાં.
મારે તો સ્વયં એક જ વખત આવીને બધાની સદ્દગતિ કરવાની છે. આવી રીતે પાછાં કોઈ જઈ ન શકે.
બહુજ ધૈર્ય થી બેસી સમજાવું જોઈએ, ધમાલ પણ ન થાય. તે લોકો ને પોતાનો અહંકાર તો રહે
છે ને. સાધુ-સંતોની સાથે ફોલોઅર્સ (અનુયાયી) પણ રહે છે. ઝટ કહી દેશે આમને પણ
બ્રહ્માકુમારીઓ નું જાદુ લાગ્યું છે. સમજદાર મનુષ્ય જે હશે તે કહેશે આ વિચાર કરવા
યોગ્ય વાતો છે. મેળા પ્રદર્શનીમાં અનેક પ્રકારનાં આવે છે ને. પ્રદર્શની વગેરેમાં
કોઈ પણ આવે તો તેમને ખૂબ ધૈર્ય થી સમજાવવું જોઈએ. જેમ બાબા ધીરજ થી સમજાવી રહ્યાં
છે. બહુજ જોરથી બોલવું ન જોઈએ. પ્રદર્શનીમાં તો બહુજ ભેગાં થઈ જાય છે ને. પછી કહી
દેવું જોઈએ-તમે થોડો સમય આપીને એકાંતમાં આવીને સમજશો તો તમને રચયિતા અને રચનાનું
રહસ્ય સમજાવશું. રચનાનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન રચયિતા બાપ જ સમજાવે છે. બાકી તો બધાં
નેતી-નેતી કરીને જાય છે. કોઈ પણ મનુષ્ય જઈ ન શકે. જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય પછી
જ્ઞાનની દરકાર નથી હોતી. આ નોલેજ સિવાય બાપનાં કોઈ સમજાવી ન શકે. સમજાવવા વાળા કોઈ
વૃદ્ધ હશે તો મનુષ્ય સમજશે આ પણ અનુભવી છે. જરુર સતસંગ વગેરે કર્યા હશે. કોઈ બાળક
સમજાવશે તો કહેશે આ શું જાણે. તો આવાં-આવાં ને વૃદ્ધની અસર પડી શકે છે. બાપ એક જ
વખત આવીને આ નોલેજ સમજાવે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. માતાઓ બેસી તેમને
સમજાવશે તો ખુશ થશે. બોલો જ્ઞાન સાગર બાપે જ્ઞાનનો કળશ અમને માતાઓને આપેલો છે જે અમે
પછી બીજાને આપીએ છીએ. બહુજ નમ્રતાથી બોલતાં રહેવાનું છે. શિવ જ જ્ઞાનનાં સાગર છે જે
આપણને જ્ઞાન સંભળાવે છે. કહે છે હું આપ માતાઓ દ્વારા મુક્તિ-જીવનમુક્તિ નો ગેટ (દ્વાર)
ખોલું છું, બીજા કોઈ ખોલી ન શકે. આપણે હમણાં પરમાત્મા દ્વારા ભણી રહ્યાં છીએ. આપણને
કોઈ મનુષ્ય નથી ભણાવતાં. જ્ઞાનનાં સાગર એક જ પરમપિતા પરમાત્મા છે. તમે બધાં ભક્તિનાં
સાગર છો. ભક્તિની ઓથોરિટી (સત્તા) છો, ન કે જ્ઞાનની. જ્ઞાનની ઓથોરીટી એક હું જ છું.
મહિમા પણ એક ની કરે છે. એજ ઊંચેથી ઊંચા છે. અમે એમને જ માનીએ છીએ. એ અમને બ્રહ્મા
તનથી ભણાવે છે એટલે બ્રહ્માકુમાર-કુમારીઓ ગવાયેલા છે. આમ બહુજ મીઠા રુપમાં બેસી
સમજાવો. ભલે કેટલું પણ ભણેલાં હોય. અનેક પ્રશ્ન કરે છે. પહેલાં-પહેલાં તો બાપ પર જ
નિશ્ચય કરાવવાનો છે. પહેલાં તમે આ સમજો રચતા બાપ છે કે નહીં. બધાનો રચયિતા એક જ
શિવબાબા છે, તેજ જ્ઞાનનાં સાગર છે. બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. પહેલાં તો એ નિશ્ચય
બુદ્ધિ હોય કે રચયિતા બાપ જ રચનાનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન આપે છે. એજ અમને સમજાવે
છે, એ તો જરુર રાઈટ (સત્ય) જ સમજાવશે. પછી કોઈ પ્રશ્ન ઉઠી ન શકે. બાપ આવે જ છે સંગમ
પર. ફક્ત કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય. મારું કામ જ છે પછી પતિત ને પાવન
બનાવવાનું. હમણાં તમોપ્રધાન દુનિયા છે. પતિત-પાવન બાપ વગર કોઈને જીવનમુક્તિ મળી ન
શકે. બધાં ગંગા સ્નાન કરવાં જાય છે તો પતિત થયાં ને. હું તો કહેતો નથી કે ગંગાસ્નાન
કરો. હું તો કહું છું મામેકમ યાદ કરો. હું આપ સર્વ આશિકો નો માશૂક છું. બધાં એક
માશૂક ને યાદ કરે છે. રચનાનાં ક્રિયેટર (રચયિતા) એક જ બાપ છે. એ કહે છે દેહી-અભિમાની
બની મને યાદ કરો તો આ યોગઅગ્નિ થી વિકર્મ વિનાશ થશે. આ યોગ બાપ હમણાં જ શીખવાડે છે
જ્યારે જૂની દુનિયા બદલાઇ રહી છે. વિનાશ સામે ઊભો છે. હમણાં આપણે દેવતા બની રહ્યાં
છીએ. બાપ કેટલું સહજ બતાવે છે. બાપની સામે ભલે સાંભળે છે પરંતુ એકરસ થઈ નથી સાંભળતાં.
બુદ્ધિ બીજી-બીજી તરફ ભાગતી રહે છે. ભક્તિમાં પણ એવું હોય છે. આખો દિવસ તો ખોટી થઈ
જાય છે, બાકી જે સમય નિશ્ચિત કરે છે, તેમાં પણ બુદ્ધિ ક્યાં-ક્યાં ચાલી જાય છે.
બધાનો એવો હાલ થતો હશે. માયા છે ને!
કોઈ-કોઈ બાળક બાપનાં સામે બેસી ધ્યાનમાં ચાલ્યાં જાય છે, આ પણ સમય વેસ્ટ થયો ને.
કમાણી તો નથી થઈ. બાપ તો કહે છે યાદમાં રહો, જેનાથી વિકર્મ વિનાશ થાય. ધ્યાનમાં
જવાથી બુદ્ધિમાં બાપની યાદ નથી રહેતી. આ બધી વાતોમાં ખૂબ ગોટાળા છે. તમારે તો આંખો
બંધ પણ નથી કરવાની. યાદમાં બેસવાનું છે ને. આંખો ખોલવાથી ડરવું ન જોઈએ. આંખો ખુલ્લી
હોય. બુદ્ધિમાં માશૂક જ યાદ હોય. આંખો બંધ કરીને બેસવું, આ કાયદો નથી. બાપ કહે છે
યાદમાં બેસો. એવું થોડી કહે છે આંખો બંધ કરો. આંખો બંધ કરી, ખભા આમ નીચે કરી બેસશો
તો બાબા કેવી રીતે જોશે. આંખ ક્યારેય બંધ ન કરવી જોઈએ. આંખો બંધ થઈ જાય છે તો કંઈ
દાળમાં કાળું હશે, બીજા કોઈને યાદ કરતાં હશે. બાપ તો કહે છે બીજા કોઈ મિત્ર-સંબંધીઓ
વગેરેને યાદ કર્યા તો તમે સાચાં આશિક ન થયાં. સાચાં આશિક બનશો તો ત્યારે જ ઊંચ પદ
પામશો. મહેનત બધી યાદમાં છે. દેહ-અભિમાનમાં બાપ ને ભૂલે છે, પછી ધક્કા ખાતાં રહે છે
અને બહુજ મીઠા પણ બનવું જોઈએ. વાતાવરણ પણ મીઠુ હોય, કોઈ અવાજ નહીં. કોઈ પણ આવે તો
જુએ-વાત કેટલી મીઠી કરે છે. બહુજ સાઈલેન્સ (શાંતિ) હોવી જોઈએ. કાંઈ પણ લડવાં-ઝઘડવાનું
નથી. નહીં તો જેમ બાપ, શિક્ષક, ગુરુ ત્રણેયની નિંદા કરાવે છે. તે પછી પદ પણ ખૂબ ઓછું
પામશે. બાળકો ને હવે સમજ તો મળી છે. બાપ કહે છે હું તમને ભણાવું છું ઊંચ પદ પામવાં.
ભણીને પછી બીજાઓને ભણાવવાનું છે. સ્વયં પણ સમજી શકે છે, અમે તો કોઈને સંભળાવતાં નથી
તો શું પદ પામશું! પ્રજા નહીં બનાવીએ તો શું બનશું! યોગ નથી, જ્ઞાન નથી પછી જરૂર
ભણેલાની આગળ ભરી ઢોવી પડશે. સ્વયંને જોવું જોઈએ આ સમયે નપાસ થયાં, ઓછું પદ પામ્યું
તો કલ્પ-ક્લ્પાન્તર ઓછું પદ થઇ જશે. બાપનું કામ છે સમજાવવાનું, નહીં સમજે તો પોતાનું
પદ ભ્રષ્ટ કરશે. કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ-તે પણ બાબા સમજાવતાં રહે છે. જેટલું
થોડું અને ધીરે બોલશો તેટલું સારું છે. બાબા સર્વિસ કરવાવાળા ની મહિમા પણ કરે છે
ને. ખુબ સારી સર્વિસ કરે છે તો બાબાનાં દિલ પર ચઢે છે. સર્વિસથી જ તો દિલ પર ચઢશે
ને. યાદની યાત્રા પણ જરુર જોઈએ ત્યારે જ સતોપ્રધાન બનશો. સજા વધારે ખાશો તો પદ ઓછું
થઈ જશે. પાપ ભસ્મ નથી થતાં તો સજા બહુજ ખાવી પડે છે, પદ પણ ઓછું થઈ જાય છે. બાબા
ઉન્નતિનાં માટે જાત-જાતની વાતો સંભળાવે છે, હવે જે કરશે તે પામશે. તમારે પરિસ્તાની
બનવાનું છે, ગુણ પણ એવાં ધારણ કરવાના છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ થી પણ
બહુજ નમ્રતા અને ધીરે થી વાતચીત કરવાની છે. બોલચાલ ખુબ મીઠી હોય. સાઈલેન્સ નું
વાતાવરણ હોય. કોઈ પણ અવાજ ન હોય ત્યારે સર્વિસ ની સફળતા થશે.
2. સાચાં-સાચાં આશિક બની એક માશૂક ને યાદ કરવાનાં છે. યાદમાં ક્યારેય આંખો બંધ કરી
ખભા નીચે કરીને નથી બેસવાનું. દેહી-અભિમાની થઇને રહેવાનું છે.
વરદાન :-
વિશાલ બુદ્ધિ
દ્વારા સંગઠન ની શક્તિને વધારવા વાળા સફળતા સ્વરુપ ભવ
સંગઠનની શક્તિ ને
વધારવી - આ બ્રાહ્મણ જીવનનું પહેલું શ્રેષ્ઠ કાર્ય છે. એનાં માટે જ્યારે કોઇ પણ વાત
મેજોરીટી (અધિકાંશ) વેરીફાઇ (ચકાસણી) કરે છે, તો જ્યાં મેજોરીટી છે ત્યાં હું-આ છે
સંગઠનની શક્તિને વધારવી. આમાં આ મોટાઈ નહીં દેખાડો કે મારો વિચાર તો બહુજ સારો છે.
ભલે કેટલો પણ સારો હોય પરંતુ જ્યાં સંગઠન તૂટે છે તે સારું પણ સાધારણ થઈ જશે. તે
સમયે પોતાનાં વિચાર ત્યાગવા પણ પડે તો ત્યાગમાં જ ભાગ્ય છે. એનાથી જ સફળતા સ્વરુપ
બનશો. સમીપ સંબંધ માં આવશો.
સ્લોગન :-
સર્વ સિદ્ધિઓ
પ્રાપ્ત કરવાનાં માટે મનની એકાગ્રતા ને વધારો.