09-04-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમારો આ મોસ્ટ વેલ્યુબુલ ( સૌથી મુલ્યવાન ) સમય છે , આમાં તમે બાપનાં પૂરે - પુરા મદદગાર બનો , મદદગાર બાળકો જ ઊંચ પદ પામે છે ”

પ્રશ્ન :-
સર્વિસેબુલ (સેવાધારી) બાળકો કઈ બહાનાબાજી ન કરી શકે?

ઉત્તર :-
સર્વિસેબુલ બાળકો એ બહાનુ નહીં કરે કે બાબા અહીંયા ગરમી છે, અહીંયા ઠંડી છે એટલે અમે સર્વિસ નથી કરી શકતાં. થોડી ગરમી થઈ કે ઠંડી પડી તો નાજુક નથી બનવાનું. એવું નહીં, અમે તો સહન જ ન કરી શકીએ. આ દુઃખધામમાં દુઃખ-સુખ, ગરમી-શર્દી, નિંદા-સ્તુતિ બધું સહન કરવાનું છે. બહાનાબાજી નથી કરવાની.

ગીત :-
ધીરજ ધર મનુવા ……

ઓમ શાંતિ!
બાળકો જ જાણે છે કે સુખ અને દુઃખ કોને કહેવાય છે. આ જીવનમાં સુખ ક્યારે મળે છે અને દુઃખ ક્યારે મળે છે તે ફક્ત તમે બ્રાહ્મણ જ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. આ છે જ દુઃખ ની દુનિયા. આમાં થોડા સમય માટે દુઃખ-સુખ, સ્તુતિ-નિંદા બધુંજ સહન કરવું પડે છે. આ બધાથી પાર થવાનું છે. કોઈને થોડી ગરમી લાગે છે તો કહે અમે ઠંડીમાં રહીએ. હવે બાળકોને તો ગરમીમાં અથવા ઠંડીમાં સર્વિસ કરવાની છે ને. આ સમયે થોડું-ઘણું દુઃખ પણ હોય તો નવી વાત નથી. આ છે જ દુઃખધામ. હવે આપ બાળકોએ સુખધામ માં જવા માટે પૂરો પુરુષાર્થ કરવાનો છે. આ તો તમારો મોસ્ટ વેલ્યુબલ સમય છે. આમાં બહાનુ ચાલી ન શકે. બાબા સર્વિસેબુલ બાળકો માટે કહે છે, જે સર્વિસ જાણતાં જ નથી, તે તો કોઈ કામના નથી. અહીંયા બાપ આવ્યાં છે ભારતને તો શું વિશ્વને સુખધામ બનાવવાં. તો બ્રાહ્મણ બાળકોએ જ બાપનું મદદગાર બનવાનું છે. બાપ આવેલા છે તો એમની મત પર ચાલવું જોઈએ. ભારત જે સ્વર્ગ હતું તે હવે નર્ક છે, તેને ફરી સ્વર્ગ બનાવવાનું છે. આ પણ હવે ખબર પડી છે. સતયુગમાં આ પવિત્ર રાજાઓનું રાજ્ય હતું, બહુજ સુખી હતાં, પછી અપવિત્ર રાજાઓ પણ બને છે, ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરવાથી, તો તેમને પણ તાકાત મળે છે. હમણાં તો છે જ પ્રજાનું રાજ્ય. પરંતુ આ કોઈ ભારતની સેવા નથી કરી શકતાં. ભારતની અથવા દુનિયાની સેવા તો એક બેહદનાં બાપ જ કરે છે. હવે બાળકોને કહે છે-મીઠા બાળકો, હવે અમારી સાથે મદદગાર બનો. કેટલાં પ્રેમથી સમજાવે છે, દેહી-અભિમાની બાળકો સમજે છે. દેહ-અભિમાની શું મદદ કરી શકશે કારણ કે માયાની સાંકળમાં ફસાયેલાં છે. હવે બાપે ડાયરેક્શન આપ્યું છે કે બધાને માયાની સાંકળોથી, ગુરુઓની સાંકળોથી છોડાવો. તમારો ધંધો જ આ છે. બાપ કહે છે મારા જે સારા મદદગાર બનશે, પદ પણ તે પામશે. બાપ સ્વયં સમ્મુખ કહે છે-હું જે છું, જેવો છું, સાધારણ હોવાનાં કારણે મને પૂરું નથી જાણતાં. બાપ આપણને વિશ્વનાં માલિક બનાવે છે-આ નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતાં, આ પણ કોઈને ખબર નથી. હવે તમે સમજો છો કે કેવી રીતે એમણે રાજ્ય પામ્યું પછી કેવી રીતે ગુમાવ્યું. મનુષ્યોની તો બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. હવે બાપ આવ્યાં છે બધાની બુદ્ધિનું તાળું ખોલવાં, પથ્થરબુદ્ધિથી પારસબુદ્ધિ બનાવવાં. બાબા કહે છે હવે મદદગાર બનો. લોકો ખુદાઈ ખિદમતગાર કહે છે પરંતુ મદદગાર તો બનતાં જ નથી. ખુદા આવીને જેમને પાવન બનાવે છે તેમને જ કહે છે કે હવે બીજાઓને આપ સમાન બનાવો. શ્રીમત પર ચાલો. બાપ આવ્યા જ છે પાવન સ્વર્ગવાસી બનાવવાં.

આપ બ્રાહ્મણ બાળકો જાણો છો આ છે મૃત્યુલોક. બેઠાં-બેઠાં અચાનક મૃત્યુ થતી રહે છે તો કેમ નહીં આપણે પહેલાં થી જ મહેનત કરી બાપ થી પૂરો વારસો લઇ પોતાનું ભવિષ્ય જીવન બનાવી લઈએ. મનુષ્યોની જ્યારે વાનપ્રસ્થ અવસ્થા હોય છે તો સમજે છે હવે ભક્તિમાં લાગી જઈએ. જ્યાં સુધી વાનપ્રસ્થ અવસ્થા નથી ત્યાં સુધી ખૂબ ધન વગેરે કમાય છે. હમણાં તમારાં બધાની તો છે જ વાનપ્રસ્થ અવસ્થા. તો કેમ નહિ બાપનાં મદદગાર બની જવું જોઈએ. દિલથી પૂછવું જોઈએ અમે બાપનાં મદદગાર બનીએ છીએ. સર્વિસેબુલ બાળકો તો નામીગ્રામી છે. સારી મહેનત કરે છે. યોગમાં રહેવાથી સર્વિસ કરી શકશે. યાદની તાકાત થી આખી દુનિયાને પવિત્ર બનાવવાનું છે. આખાં વિશ્વને તમે પાવન બનાવવાનાં નિમિત્ત બનેલાં છો. તમારાં માટે પછી પવિત્ર દુનિયા પણ જરૂર જોઈએ, એટલે પતિત દુનિયાનો વિનાશ થવાનો છે. હમણાં બધાને એજ બતાવતા રહો કે દેહ-અભિમાન છોડો. એક બાપને જ યાદ કરો. એજ પતિત-પાવન છે. બધાં યાદ પણ એમને કરે છે. સાધુ-સંત વગેરે બધાં આંગળી થી એવો ઇશારો કરે છે કે પરમાત્મા એક છે, એજ બધાને સુખ આપવાવાળા છે. ઈશ્વર અથવા પરમાત્મા કહી દે છે પરંતુ એમને જાણતું કોઈ પણ નથી. કોઈ ગણેશને, કોઈ હનુમાનને, કોઈ પોતાનાં ગુરુને યાદ કરતાં રહે છે. હવે તમે જાણો છો તે બધું છે ભક્તિમાર્ગનું. ભક્તિમાર્ગ પણ અડધોકલ્પ ચાલવાનો છે. મોટા-મોટા ઋષિ-મુની બધાં નેતી-નેતી કરતાં આવ્યાં છે. રચતા અને રચનાને અમે નથી જાણતાં. બાપ કહે છે તેઓ ત્રિકાળદર્શી તો છે નહીં. બીજરુપ, જ્ઞાનનાં સાગર તો એક જ છે. એ આવે પણ છે ભારતમાં. શિવજયંતી પણ મનાવે છે અને ગીતાજયંતી પણ મનાવે છે. તો કૃષ્ણને યાદ કરે છે. શિવ ને તો જાણતાં નથી. શિવબાબા કહે છે પતિત-પાવન જ્ઞાનનો સાગર તો હું છું. કૃષ્ણની માટે તો કહી ન શકાય. ગીતાનાં ભગવાન કોણ? આ બહુજ સરસ ચિત્ર છે. બાપ આ ચિત્ર વગેરે બધાં બનાવડાવે છે, બાળકોનાં જ કલ્યાણ માટે. શિવબાબા ની મહિમા તો કમ્પલેટ (પૂરી) લખવાની છે. બધો આધાર આનાં પર છે. ઉપર થી જે પણ આવે છે તે પવિત્ર જ છે. પવિત્ર બન્યાં વગર કોઈ જઈ ન શકે. મુખ્ય વાત છે પવિત્ર બનવાની. એ છે જ પવિત્રધામ, જ્યાં બધી આત્માઓ રહે છે. અહીંયા તમે પાર્ટ ભજવતા-ભજવતા પતિત બન્યાં છો. જે સૌથી વધારે પાવન તેજ ફરી પતિત બન્યાં છે. દેવી-દેવતા ધર્મનું નામ-નિશાન જ ગુમ થઈ ગયું છે. દેવતા ધર્મ બદલી હિંદુ ધર્મ નામ રાખી દીધું છે. તમે જ સ્વર્ગનું રાજ્ય લો છો અને પછી ગુમાવો છો. હાર અને જીત ની રમત છે. માયા થી હારે હાર છે, માયા થી જીતે જીત છે. મનુષ્ય તો રાવણનું આટલું મોટું ચિત્ર કેટલો ખર્ચો કરી બનાવે છે પછી એક જ દિવસમાં ખલાસ કરી દે છે. દુશ્મન છે ને. પરંતુ આ તો ગુડીઓ ની રમત થઇ ગઇ. શિવબાબાનું પણ ચિત્ર બનાવી પૂજા કરી પછી તોડી નાખે છે. દેવીઓનાં ચિત્ર પણ એવાં બનાવી પછી જઈને ડુબાડે છે. કાંઈ પણ સમજતાં નથી. હવે આપ બાળકો બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણો છો કે આ દુનિયાનું ચક્ર કેવી રીતે ફરે છે. સતયુગ-ત્રેતા ની કોઈને પણ ખબર નથી. દેવતાનાં ચિત્ર પણ ગ્લાનિ નાં બનાવી દીધાં છે.

બાપ સમજાવે છે-મીઠા બાળકો, વિશ્વનાં માલિક બનવા માટે બાપે તમને જે પરહેજ બતાવી છે તે પરહેજ કરો, યાદમાં રહીને ભોજન બનાવો, યોગમાં રહીને ખાઓ. બાપ ખુદ કહે છે મને યાદ કરો તો તમે વિશ્વનાં માલિક ફરીથી બની જશો. બાપ પણ ફરીથી આવેલાં છે. હવે વિશ્વનાં માલિક પુરા બનવાનું છે. ફોલો ફાધર-મધર (બાબા-મમ્માનું અનુકરણ કરો). ફક્ત ફાધર (પિતા) તો હોઈ ન શકે. સન્યાસી લોકો કહે છે અમે બધાં ફાધર છીએ. આત્મા સો પરમાત્મા છે, તે તો રોંગ (ખોટું) થઇ જાય છે. અહીંયા મધર ફાધર બંને પુરુષાર્થ કરે છે. ફોલો મધર ફાધર, આ અક્ષર પણ અહીંયાનાં છે. હવે તમે જાણો છો જે વિશ્વનાં માલિક હતાં, પવિત્ર હતાં, હવે તે અપવિત્ર છે. ફરીથી પવિત્ર બની રહ્યાં છે. અમે પણ તેમની શ્રીમત પર ચાલી આ પદ પ્રાપ્ત કરીએ છીએ. એ આમનાં દ્વારા ડાયરેક્શન આપે છે તેનાં પર ચાલવાનું છે, ફોલો નથી કરતાં તો ફક્ત બાબા-બાબા કહી મુખ મીઠું કરે છે. ફોલો કરવાવાળા ને જ સપૂત બાળકો કહેશે ને. જાણો છો મમ્મા-બાબા ને ફોલો કરવાથી આપણે રાજાઈ માં જઈશું. આ સમજની વાત છે બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. બસ બીજા કોઈને પણ આ સમજાવો - તમે કેવી રીતે ૮૪ જન્મ લેતાં-લેતાં અપવિત્ર બન્યાં છો. હવે ફરી પવિત્ર બનવાનું છે. જેટલું યાદ કરશો તો પવિત્ર બનતાં જશો. બહુજ યાદ કરવાવાળા જ નવી દુનિયામાં પહેલાં-પહેલાં આવશે. પછી બીજાઓને પણ આપ સમાન બનાવવાનાં છે. પ્રદર્શનીમાં બાબા-મમ્મા સમજાવવાં માટે જઈ ન શકે. બહારથી કોઇ મોટું વ્યક્તિ આવે છે તો કેટલાં અનેક મનુષ્ય જાય છે, તેમને જોવા માટે કે આ કોણ આવ્યાં છે. આ તો કેટલું ગુપ્ત છે. બાપ કહે છે હું આ બ્રહ્મા તન થી બોલું છું, હું જ આ બાળકનો રેસપોન્સિબલ (જવાબદાર) છું. તમે હંમેશા સમજો શિવબાબા બોલે છે, એ ભણાવે છે. તમારે શિવબાબા ને જ જોવાનાં છે, આમને નથી જોવાનાં. સ્વયંને આત્મા સમજો અને પરમાત્મા બાપ ને યાદ કરો. અમે આત્મા છીએ. આત્મામાં આખો પાર્ટ ભરેલો છે. આ નોલેજ બુદ્ધિ માં ચક્ર લગાવવું જોઈએ. ફક્ત દુનિયાવી વાતો જ બુદ્ધિમાં હશે તો કાંઈ નથી જાણતાં. બિલકુલ જ બદતર છે. પરંતુ એવાં-એવાં નું પણ કલ્યાણ તો કરવાનું જ છે. સ્વર્ગમાં તો જશે પરંતુ ઊંચ પદ નહીં. સજાઓ ખાઈને જશે. ઊંચ પદ કેવી રીતે પામશું, તે તો બાપ એ સમજાવ્યું છે. એક તો સ્વદર્શન ચક્રધારી બનો અને બનાવો. યોગી પણ પાક્કા બનો અને બનાવો. બાપ કહે છે મને યાદ કરો. તમે પછી કહો છો બાબા અમે ભૂલી જઈએ છે. લાજ નથી આવતી! ઘણાં છે જે સાચું બતાવતા નથી, ભૂલે તો બહુજ છે. બાપે સમજાવ્યું છે કોઈ પણ આવે તો તેમને બાપ નો પરિચય આપો. હવે ૮૪ નું ચક્ર પૂરું થાય છે, પાછાં જવાનું છે. રામ ગયો રાવણ ગયો….આનો પણ અર્થ કેટલો સહજ છે. જરૂર સંગમયુગ હશે જ્યારે રામનો અને રાવણનો પરિવાર છે. આ પણ જાણો છો બધાં વિનાશ થઇ જશે, બાકી થોડાં રહેશે. કેવી રીતે તમને રાજ્ય મળે છે, તે પણ થોડું આગળ ચાલી બધી ખબર પડતી જશે. પહેલાંથી જ તો બધું નહિં બતાવશે ને. પછી તે તો રમત હોઈ ન શકે. તમારે સાક્ષી થઈ જોવાનું છે. સાક્ષાત્કાર થતાં જશે. આ ૮૪ નાં ચક્ર ને દુનિયાનાં કોઈ પણ નથી જાણતું.

હમણાં આપ બાળકોની બુદ્ધિમાં છે અમે પાછાં જઈએ છીએ. રાવણ રાજ્ય થી હવે છુટ્ટી મળે છે. પછી પોતાની રાજધાની માં આવશું. બાકી થોડો સમય છે. આ ચક્ર ફરતું રહે છે ને. અનેક વખત આ ચક્કર લગાવ્યું છે, હવે બાપ કહે છે જે કર્મબંધન માં ફસાયેલા છો તેને ભુલો. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાં છતાં ભૂલતા જાઓ. હવે નાટક પૂરું થાય છે, પોતાનાં ઘરે જવાનું છે, આ મહાભારત લડાઈ પછી જ સ્વર્ગનાં ગેટ્સ (દ્વાર) ખુલે છે એટલે બાબાએ કહ્યું છે આ નામ ખૂબ સારું છે, ગેટ વે ટુ હેવિન. કોઈ કહે છે લડાઇઓ ચાલતી આવી છે. બોલો, મુસળોની લડાઈ ક્યારે લાગી છે, આ મુસળોની અંતિમ લડાઇ છે. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ જ્યારે લડાઈ લાગી હતી તો આ યજ્ઞ પણ રચાયો હતો. આ જૂની દુનિયાનો હવે વિનાશ થવાનો છે. નવી રાજધાનીની સ્થાપના થઇ રહી છે.

તમે આ રુહાની ભણતર ભણો છો રાજાઈ લેવાં માટે. તમારો ધંધો છે રુહાની. શારીરિક વિદ્યા તો કામ આવવાની નથી, શાસ્ત્ર પણ કામ નહીં આવે તો કેમ નહિં આ ધંધામાં લાગી જવું જોઈએ. બાપ તો વિશ્વનાં માલિક બનાવે છે. વિચાર કરવો જોઈએ-ક્યાં ભણતરમાં લાગીએ. તેઓ તો થોડી ડીગ્રીઓ માટે ભણે છે. તમે તો ભણો છો રાજાઈ માટે. કેટલો રાત-દિવસ નો ફરક છે. તે ભણતર ભણવાથી ભૂગરા (ચણા) પણ મળશે કે નહીં, ખબર થોડી છે. કોઈનું શરીર છૂટી જાય તો ભૂગરા પણ ગયાં. આ કમાણી તો સાથે જવાની છે. મૃત્યુ તો માથા પર ઉભું છે. પહેલાં આપણે પોતાની પૂરી કમાણી કરી લઈએ. આ કમાણી કરતાં-કરતાં દુનિયા વિનાશ થઈ જવાની છે. તમારું ભણતર પૂરું થશે ત્યારે જ વિનાશ થશે. તમે જાણો છો જે પણ મનુષ્ય-માત્ર છે, તેમની મુઠ્ઠીમાં છે ભૂગરા. એને જ વાંદરાની જેમ પકડીને બેઠાં છે. હવે તમે રત્ન લઈ રહ્યાં છો. આ ભૂગરા થી મમત્વ છોડો. જ્યારે સારી રીતે સમજે છો ત્યારે ભૂગરા ની મુઠ્ઠી ને છોડે છે. આ તો બધું ખાખ થઈ જવાનું છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે. અવિનાશી જ્ઞાન રત્નોથી પોતાની મુઠ્ઠી ભરવાની છે. ચણાની પાછળ સમય નથી ગુમાવવાનો.

2. હવે નાટક પૂરું થાય છે, એટલે સ્વયંને કર્મબંધનો થી મુક્ત કરવાનાં છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનાં છે. મધર-ફાધર ને ફોલો કરી રાજાઈ પદ નાં અધિકારી બનવાનું છે.

વરદાન :-
હદની સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવાવાળા સાચાં તપસ્વી મૂર્ત ભવ

હદની ઈચ્છાઓનો ત્યાગ કરી સાચાં-સાચાં તપસ્વી મૂર્ત બનો. તપસ્વી મૂર્ત અર્થાત્ હદની ઈચ્છા માત્રમ્ અવિદ્યા રુપ. જે લેવાનો સંકલ્પ કરે છે તે અલ્પકાળનાં માટે લે છે પરંતુ સદાકાળનાં માટે ગુમાવે છે. તપસ્વી બનવામાં વિશેષ વિઘ્નરુપ આજ અલ્પકાળની ઇચ્છાઓ છે એટલે હવે તપસ્વી મૂર્ત બનવાનું પ્રમાણ આપો અર્થાત્ હદનાં માન શાન નાં લેવતાપણા નો ત્યાગ કરી વિધાતા બનો. જ્યારે વિધાતાપણા નાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) થશે ત્યારે અન્ય બધાં સંસ્કાર સ્વતઃ દબાઈ જશે.

સ્લોગન :-
કર્મનાં ફળની સૂક્ષ્મ કામના રાખવી પણ ફળને પાકવા પહેલાં જ ખાઈ લેવું છે.