25-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો -
સર્વોત્તમ યુગ આ સંગમ છે , આમાં જ તમે આત્માઓ પરમાત્મા બાપ થી મળો છો , આજ છે સાચો
- સાછો કુંભ ”
પ્રશ્ન :-
કયો પાઠ બાપ જ
ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવી શકતાં?
ઉત્તર :-
દેહી-અભિમાની બનવાનો પાઠ બાપ જ ભણાવે છે, આ પાઠ કોઈ દેહધારી નથી ભણાવી શકતાં.
પહેલાં-પહેલાં તમને આત્માનું જ્ઞાન મળે છે, તમે જાણો છો આપણે આત્માઓ પરમધામ થી
એક્ટર બની પાર્ટ ભજવવા આવ્યાં, હવે નાટક પૂરું થાય છે, આ ડ્રામા બન્યો-બનાવેલ છે,
આને કોઈએ બનાવ્યો નથી એટલે આનો આદિ અને અંત પણ નથી.
ગીત :-
જાગ સજનિયા
જાગ……
ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત
તો અનેક વાર સાંભળ્યું હશે. સાજન સજનીઓ થી કહે છે. એમને સાજન કહેવાય છે, જ્યારે
શરીરમાં આવે છે. નહીં તો એ બાપ છે, આપ બાળકો છો. તમે બધાં ભક્તિઓ છો. ભગવાનને યાદ
કરો છો. બ્રાઈડસ (વધુ), બ્રાઈડગ્રુમ (વર) ને યાદ કરે છે. બધાનાં માશૂક છે
બ્રાઈડગ્રુમ. એ બેસી બાળકો ને સમજાવે છે-હવે જાગો, નવો યુગ આવે છે. નવો અર્થાત્ નવી
દુનિયા સતયુગ. જૂની દુનિયા છે કળયુગ. હવે બાપ આવેલાં છે, તમને સ્વર્ગવાસી બનાવે છે.
કોઈ મનુષ્ય તો કહી ન શકે કે અમે તમને સ્વર્ગવાસી બનાવીએ છીએ. સન્યાસી તો સ્વર્ગ અને
નર્ક ને બિલકુલ નથી જાણતાં. જેમ બીજા ધર્મ છે તેમ સન્યાસીઓનો પણ એક હજી ધર્મ છે. તે
કોઈ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની ભગવાન જ આવીને
સ્થાપના કરે છે, જે નર્કવાસી છે તેજ પછી સતયુગી સ્વર્ગવાસી બને છે. હમણાં તમે
નર્કવાસી નથી. હમણાં તમે છો સંગમયુગ પર. સંગમ હોય છે વચ્ચેનો. સંગમ પર સ્વર્ગવાસી
બનવાનો તમે પુરુષાર્થ કરો છો, એટલે સંગમયુગ ની મહિમા છે. કુંભનો મેળો પણ હકીકતમાં
છે સર્વોત્તમ. આને જ પુરુષોત્તમ કહેવાય છે. તમે જાણો છો આપણે બધાં એક બાપનાં બાળકો
છીએ, બ્રધરહુડ (ભાઈચારો) કહે છે ને. બધી આત્માઓ આપસમાં ભાઈ-ભાઈ છે. કહે છે હિન્દુ
ચીની ભાઈ-ભાઈ, બધાં ધર્મનાં હિસાબ થી તો ભાઈ-ભાઈ છે - આ જ્ઞાન તમને હમણા મળ્યું છે.
બાપ સમજાવે છે તમે મુજ બાપનાં સંતાન છો. હમણાં તમે સમ્મુખ સાંભળો છો. તેઓ તો ફક્ત
કહેવા માત્ર કહી દે છે કે બધી આત્માઓનાં બાપ એક છે, એ એકને જ યાદ કરે છે. મેલ (પુરુષ)
કે ફીમેલ (સ્ત્રી) બંનેમાં આત્મા છે. આ હિસાબ થી ભાઈ-ભાઈ છે પછી ભાઈ-બહેન પછી
ત્યારબાદ સ્ત્રી-પુરુષ થઈ જાય છે. તો બાપ આવીને બાળકોને સમજાવે છે. ગવાય પણ છે
આત્માઓ-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ….એવું નથી કહેવાતું કે નદીઓ અને સાગર અલગ રહ્યાં
બહુકાળ...મોટી-મોટી નદીઓ તો સાગર થી મળતી રહે છે. આ પણ બાળકો જાણે છે, નદી સાગરની
બાળકી છે. સાગર થી પાણી નીકળે છે, વાદળો દ્વારા પછી વરસાદ પડે છે પહાડો પર. પછી
નદીઓ બની જાય છે. તો બધાં થઈ જાય છે સાગર નાં બાળકો અને બાળકીઓ. અનેકો ને આ પણ ખબર
નથી કે પાણી ક્યાંથી નીકળે છે. આ પણ શીખવાડાય છે. તો હવે બાળકો જાણે છે જ્ઞાન સાગર
એક જ બાપ છે. આ પણ સમજાવાય છે તમે બધાં આત્માઓ છો, બાપ એક છે. આત્મા પણ નિરાકાર છે,
પછી જ્યારે સાકારમાં આવો છો તો પુનર્જન્મ લો છો. બાપ પણ જ્યારે સાકાર માં આવે ત્યારે
આવીને મળે. બાપને મળવાનું એક જ વખત હોય છે. આ સમયે આવીને બધાને મળે છે. આ પણ જાણતાં
જશે કે ભગવાન છે. ગીતામાં કૃષ્ણ નું નામ નાખી દીધું છે પરંતુ કૃષ્ણ તો અહીંયા આવી ન
શકે. તે કેવી રીતે ગાળો ખાશે? આ તમે જાણો છો કૃષ્ણની આત્મા આ સમયે છે. પહેલાં-પહેલાં
તમને જ્ઞાન મળે છે આત્માનું. તમે આત્મા છો, પોતાને શરીર સમજી આટલો સમય ચાલ્યાં છો,
હવે બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે. સાધુ-સંત વગેરે ક્યારેય તમને દેહી-અભિમાની નથી
બનાવતાં. તમે બાળકો છો, તમને બેહદનાં બાપથી વારસો મળે છે. તમારી બુદ્ધિમાં છે કે
આપણે પરમધામમાં રહેવાવાળા છીએ પછી અહીંયા આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. હવે આ નાટક
પૂરું થાય છે. આ ડ્રામા કોઈએ બનાવ્યો નથી. આ બન્યો-બનાવેલ ડ્રામા છે. તમને પૂછે છે
આ ડ્રામા ક્યાર થી શરુ થયો? તમે બોલો આ તો અનાદિ ડ્રામા છે. આનો આદિ અંત નથી હોતો.
જૂનાં થી નવો, નવાં થી જુનો થાય છે. આ પાઠ આપ બાળકોને પાક્કો છે. તમે જાણો છો નવી
દુનિયા ક્યારે બને છે પછી જૂની દુનિયા ક્યારે થાય છે. આ પણ કોઈ-કોઈ ની બુદ્ધિમાં
પૂરી રીતે છે. તમે જાણો છો હવે નાટક પૂરું થાય છે પછી રિપીટ થશે. બરાબર આપણો ૮૪
જન્મો નો પાર્ટ પૂરો થયો. હવે બાપ આપણને લઈ જવાનાં માટે આવ્યાં છે. બાપ ગાઈડ (માર્ગદર્શક)
પણ છે ને. તમે બધાં પન્ડા છો. પન્ડા લોકો યાત્રીઓને લઈ જાય છે. તે છે શારીરિક પન્ડા,
તમે છો રુહાની પન્ડા એટલે તમારું નામ પાંડવ ગવર્મેન્ટ પણ છે, પરંતુ ગુપ્ત. પાંડવ,
કૌરવ, યાદવ શું કરી ગયાં. આ સમય ની વાત છે જ્યારે મહાભારત લડાઈ નો સમય પણ છે. અનેક
ધર્મ છે, દુનિયા પણ તમોપ્રધાન છે, વેરાઈટી (વિવિધ) ધર્મોનું ઝાડ આખું જૂનું થઈ ગયું
છે. તમે જાણો છો આ ઝાડનું પહેલું-પહેલું ફાઉન્ડેશન (પાયો) છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ. સતયુગમાં થોડાં હોય પછી વૃદ્ધિને પામે છે. આ કોઈને પણ ખબર નથી, તમારા માં પણ
નંબરવાર છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) માં કોઈ સારા સમજદાર હોય છે, સારી ધારણા કરે છે
અને કરાવવાનો શોખ હોય છે. કોઈ તો સારી રીતે ધારણ કરે છે. કોઈ મીડીયમ (મધ્યમ), કોઈ
થર્ડ (ત્રીજો), કોઇ ફોર્થ (ચોથો). પ્રદર્શનીમાં તો રિફાઇન કરી સમજાવવા વાળા જોઈએ.
પહેલાં બતાવો કે બે બાપ છે. એક બેહદનાં પારલૌકિક બાપ, બીજા છે હદનાં લૌકિક બાપ.
ભારતને બેહદનો વારસો મળ્યો હતો. ભારત સ્વર્ગ હતું જે પછી નર્ક બન્યું છે, આને આસુરી
રાજ્ય કહેવાય છે. ભક્તિ પણ પહેલાં-પહેલાં અવ્યભિચારી હોય છે. એક શિવબાબા ને જ યાદ
કરે છે.
બાપ કહે છે-બાળકો, પુરુષોત્તમ બનવું છે તો જે કનિષ્ઠ બનાવવા વાળી વાતો છે તેને નહીં
સાંભળો. એક બાપ થી સાંભળો. અવ્યભિચારી જ્ઞાન સાંભળો બીજા કોઈથી જે સાંભળશો એ છે
જુઠ્ઠું. બાપ હમણાં તમને સાચું સંભળાવીને પુરુષોત્તમ બનાવે છે. ઇવિલ વાતો તમે
સાંભળતાં-સાંભળતાં કનિષ્ઠ બની ગયાં છો. સોજરો (અજવાળું) છે બ્રહ્માનો દિવસ, અંધકાર
છે બ્રહ્માની રાત. આ બધાં પોઇન્ટ્સ (વાતો) ધારણ કરવાનાં છે. નંબરવાર તો દરેક વાતમાં
હોય જ છે. ડોક્ટર કોઈ ૧૦-૨૦ હજાર એક ઓપરેશનનાં લે છે, કોઈને ખાવા માટે પણ નથી.
બેરિસ્ટર પણ એવાં હોય છે. તમે પણ જેટલું ભણશો અને ભણાવશો એટલું ઊંચ પદ પામશો. ફરક
તો છે ને. દાસ-દાસીઓ માં પણ નંબરવાર હોય છે. બધો આધાર ભણતર પર છે. પોતાને પૂછવું
જોઈએ અમે કેટલું ભણીએ છીએ, ભવિષ્ય જન્મ-જન્માન્તર શું બનશું? જે જન્મ-જન્માન્તર બનશે
તે કલ્પ-કલ્પાન્તર બનશે એટલે ભણતર પર તો પૂરું અટેન્શન આપવું જોઈએ. વિષ પીવાનું તો
એકદમ છોડી દેવાનું હોય છે. સતયુગમાં તો એવું નહિં કહેવાશે-મૂત પલીતી કપડ ધોએ. આ સમય
બધાનો ચોલો (શરીર) સડેલો છે. તમોપ્રધાન છે ને. આ પણ સમજાવવાની વાત છે ને. સૌથી જુનો
ચોલો કોનો છે? આપણો. આપણે આ શરીરને બદલતાં રહીએ છીએ. આત્મા પતિત બનતી જાય છે. શરીર
પણ પતિત જુનું થતું જાય છે. શરીર બદલવાનું હોય છે. આત્મા તો નહિં બદલાશે. શરીર
વૃદ્ધ થયું, મૃત્યુ થયું-આ પણ ડ્રામા બનેલો છે. બધાનો પાર્ટ છે. આત્મા છે અવિનાશી.
આત્મા સ્વયં કહે છે-હું શરીર છોડું છું. દેહી-અભિમાની બનવું પડે. મનુષ્ય બધાં
દેહ-અભિમાની છે. અડધો કલ્પ છે દેહ-અભિમાની, અડધો કલ્પ છે દેહી-અભિમાની.
દેહી-અભિમાની હોવાનાં કારણ સતયુગી દેવતાઓને મોહજીતનું ટાઈટલ (શીર્ષક) મળેલું છે
કારણ કે ત્યાં સમજે છે અમે આત્મા છીએ, હવે આ શરીર છોડી બીજું લેવાનું છે. મોહજીત
રાજાની પણ કથા છે ને. બાપ સમજાવે છે દેવી-દેવતા મોહજીત હોય છે. ખુશી થી એક શરીર છોડી
બીજું લેવાનું છે. બાળકોને બધું નોલેજ બાપ દ્વારા મળી રહ્યું છે. તમે જ ચક્ર લગાવીને
હવે પાછાં આવીને મળ્યા છો. જે બીજા-બીજા ધર્મમાં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયાં છે તે
પણ આવીને મળશે. પોતાનો થોડો ઘણો વારસો લઈ લેશે. ધર્મ જ બદલાઈ ગયો ને. ખબર નથી કેટલો
સમયે તે ધર્મમાં રહ્યાં છે. ૨-૩ જન્મ લઈ શકે છે. કોઈને હિન્દુ થી મુસલમાન બનાવી દીધાં
તો તે ધર્મમાં આવતાં રહેશે પછી અહીંયા આવે છે. આ પણ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો.
બાપ કહે છે આટલી વાતો યાદ ન કરી શકો, અચ્છા પોતાને બાપનાં બાળક તો સમજો. સારાં-સારાં
બાળકો પણ ભૂલી જાય છે. બાપને યાદ નથી કરતાં. માયા આમાં ભુલાવી દે છે. તમે પણ પહેલાં
માયાનાં મુરીદ હતાં ને. હવે ઈશ્વરનાં બનો છો. તે ડ્રામા માં પાર્ટ છે. સ્વયં ને
આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે. જ્યારે તમે આત્મા પહેલાં-પહેલાં શરીરમાં આવી હતી
તો પવિત્ર હતી, પછી પુનર્જન્મ લેતાં-લેતાં પતિત બની છો. હવે ફરી બાપ કહે છે
નષ્ટોમોહા બનો. આ શરીરમાં પણ મોહ નહીં રાખો.
હમણાં આપ બાળકોને આ જૂની દુનિયા થી બેહદનો વૈરાગ્ય આવે છે કારણ કે આ દુનિયામાં બધાં
એક-બીજાને દુઃખ આપવાવાળા છે એટલે આ જૂની દુનિયાને જ ભૂલી જાઓ. આપણે અશરીરી આવ્યા હતાં
ફરી હવે અશરીરી થઈને પાછાં જવાનું છે. હવે આ દુનિયા જ ખતમ થવાની છે. તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવા માટે બાપ કહે છે-મામેકમ યાદ કરો. કૃષ્ણ તો કહી ન શકે કે મામેકમ યાદ
કરો. કૃષ્ણ તો સતયુગમાં હોય છે. બાપ જ કહે છે મને તમે પતિત-પાવન પણ કહો છો તો હવે
મને યાદ કરો, હું આ યુક્તિ બતાવું છું, પાવન બનવાની. કલ્પ-કલ્પ ની યુક્તિ બતાવું
છું જ્યારે જૂની દુનિયા થાય છે તો ભગવાને આવવું પડે છે. મનુષ્યોએ ડ્રામાની આયુ
લાંબી-પહોળી કરી દીધી છે. તો મનુષ્ય બિલકુલ જ ભૂલી ગયાં છે. હવે તમે જાણો છો આ
સંગમયુગ છે, આ છે પુરુષોત્તમ બનવાનો યુગ. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકારમાં પડ્યાં
છે. આ સમયે છે બધાં તમોપ્રધાન. હમણાં તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. તમે જ સૌથી
વધારે ભક્તિ કરી છે. હવે ભક્તિમાર્ગ ખતમ થાય છે. ભક્તિ છે મૃત્યુલોક માં. પછી આવશે
અમરલોક. તમે આ સમયે જ્ઞાન લો છો પછી ભક્તિનું નામનિશાન નહિં રહેશે. હેં ભગવાન, હેં
રામ-આ બધાં ભક્તિનાં અક્ષર છે. આમાં કોઈ અવાજ નથી કરવાનો. બાપ જ્ઞાનનાં સાગર છે,
અવાજ થોડી કરે છે. એમને કહેવાય જ છે સુખ-શાંતિનાં સાગર. તો સંભળાવવાં માટે પણ એમને
શરીર જોઈએ ને. ભગવાનની ભાષા શું છે, આ કોઈ જાણતું નથી. એવું તો નથી, બાબા બધી
ભાષાઓમાં બોલશે. ના, એમની ભાષા છે જ હિન્દી. બાબા એક જ ભાષામાં સમજાવે છે પછી
ટ્રાન્સલેટ (ભાષાંતર) કરી તમે સમજાવો છો. ફોરેનર્સ (વિદેશીઓ) વગેરે જે પણ મળે તેમને
બાપનો પરિચય આપવાનો છે. બાપ આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છે.
ત્રિમૂર્તિ પર સમજાવવું જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ
છે. કોઈ પણ આવે તો પહેલાં તેમને પૂછો કોની પાસે આવ્યાં છો? બોર્ડ લગાવેલું છે
પ્રજાપિતા…. તે તો રચવાવાળા થઇ ગયાં. પરંતુ તેમને ભગવાન નથી કહી શકાતું. ભગવાન
નિરાકાર ને જ કહેવાય છે. આ બ્રહ્માકુમાર-કુમારીઓ બ્રહ્માની સંતાન છે. તમે અહીંયા
શેનાં માટે આવ્યાં છો? અમારાં બાપ થી તમારે શું કામ! બાપ થી બાળકોને જ કામ હશે ને.
આપણે બાપ ને સારી રીતે જાણીએ છીએ. ગવાયેલું છે- સન શોજ ફાધર. આપણે એમનાં બાળકો
છીએ.અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પુરુષોત્તમ
બનવા માટે કનિષ્ઠ બનાવવાવાળી જે ઇવિલ (ખરાબ) વાતો છે તે નથી સાંભળવાની. એક બાપ થી જ
અવ્યભિચારી જ્ઞાન સાંભળવાનું છે.
2. નષ્ટોમોહા બનવા
માટે દેહી-અભિમાની બનવાનો પૂરો-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બુદ્ધિમાં રહે - આ જૂની
દુઃખ આપવાવાળી દુનિયા છે, આને ભૂલવાનું છે. એનાથી બેહદનો વૈરાગ્ય થાય.
વરદાન :-
ફોલો ફાધર નાં
પાઠ દ્વારા મુશ્કિલ ને સહજ બનાવવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
મુશ્કિલ ને સહજ બનાવવાં
કે લાસ્ટ (છેલ્લાં) પુરુષાર્થમાં સફળતા પ્રાપ્ત કરવાં માટે પહેલો પાઠ છે “ફોલો ફાધર”
આ પહેલો પાઠ જ લાસ્ટ સ્ટેજ ને સમીપ લાવવાવાળો છે. આ પાઠ થી અભૂલ, એકરસ અને તીવ્ર
પુરુષાર્થી બની જશો કારણ કે કોઈ પણ વાતમાં મુશ્કિલ ત્યારે લાગે છે જ્યારે ફોલો
કરવાનાં બદલે પોતાની બુદ્ધિ ચલાવો છો. આનાંથી પોતાનાં જ સંકલ્પો ની ઝાળમાં ફસાઈ જાઓ
છો પછી સમય પણ લાગે છે અને શક્તિ પણ લાગે છે. જો ફોલો કરતાં જાઓ તો સમય અને શક્તિ
બંને બચી જશે, જમા થઈ જશે.
સ્લોગન :-
સચ્ચાઈ, સફાઇને
ધારણ કરવાં માટે પોતાનાં સ્વભાવને સરળ બનાવો.