17-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
નોલેજફુલ છે , એમને જાની જાનનહાર કહેવું , આ ઉંધી મહિમા છે , બાપ આવે જ છે તમને
પતિત થી પાવન બનાવવાં ”
પ્રશ્ન :-
બાપનાં
સાથે-સાથે સૌથી વધારે મહિમા બીજા કોની છે અને કેવી રીતે?
ઉત્તર :-
૧. બાપનાં સાથે ભારતની મહિમા પણ ખુબજ છે. ભારત જ અવિનાશી ખંડ છે. ભારત જ સ્વર્ગ બને
છે. બાપએ ભારતવાસીઓને જ ધનવાન સુખી અને પવિત્ર બનાવ્યાં છે. ૨. ગીતાની પણ અપરમઅપાર
મહિમા છે, સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે. ૩. આપ ચૈતન્ય જ્ઞાન ગંગાઓની પણ ખુબ મહિમા
છે. તમે ડાયરેક્ટ જ્ઞાન સાગર થી નીકળેલી છો.
ઓમ શાંતિ!
ઓમ શાંતિ નો
અર્થ તો નવાં કે જૂનાં બાળકોએ સમજ્યો છે. આપ બાળકો જાણી ગયાં છો-આપણે સર્વ આત્માઓ
પરમાત્મા ની સંતાન છીએ. પરમાત્મા ઊંચે થી ઊંચા અને ખુબ પ્રિય થી પ્રિય સર્વનાં
માશૂક છે. બાળકોને જ્ઞાન અને ભક્તિનું રહસ્ય તો સમજાવ્યું છે. જ્ઞાન એટલે
દિવસ-સતયુગ-ત્રેતા, ભક્તિ એટલે રાત-દ્વાપર-કળયુગ. ભારતની જ વાત છે. પહેલાં-પહેલાં
તમે ભારતવાસી આવો છો. ૮૪ નું ચક્ર પણ આપ ભારતવાસીઓનાં માટે છે. ભારત જ અવિનાશી ખંડ
છે. ભારતખંડ જ સ્વર્ગ બને છે, બીજા કોઈ ખંડ સ્વર્ગ નથી બનતાં. બાળકોને સમજાવેલું
છે-નવી દુનિયા સતયુગમાં ભારત જ હોય છે. ભારત જ સ્વર્ગ કહેવાય છે. ભારતવાસી જ ફરી ૮૪
જન્મ લે છે, નર્કવાસી બને છે. તેઓ જ પછી સ્વર્ગવાસી બનશે. આ સમયે બધાં નર્કવાસી છે
છતાં પણ બીજા બધાં ખંડ વિનાશ થઇ બાકી ભારત રહેશે. ભારતખંડ ની મહિમા અપરમઅપાર છે.
ભારતમાં જ બાપ આવીને તમને રાજયોગ શીખવાડે છે. આ ગીતાનો પુરુષોત્તમ સંગમયુગ છે. ભારત
જ પછી પુરુષોત્તમ બનવાનો છે. હમણાં તે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પણ નથી, રાજ્ય પણ
નથી તો તે યુગ પણ નથી. આપ બાળકો જાણો છો વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (વિશ્વની
સર્વશક્તિવાન સત્તા) એક ભગવાનને જ કહેવાય છે. ભારતવાસી આ બહુજ ભૂલ કરે છે જે કહે છે
એ અંતર્યામી છે. બધાના અંદર ને એ જાણે છે. બાપ કહે છે હું કોઈનાં પણ અંદર ને નથી
જાણતો. મારું તો કામ જ છે પતિતો ને પાવન બનાવવાનું. ઘણાં કહે છે શિવબાબા તમે તો
અંતર્યામી છો. બાબા કહે છે હું છું નહીં, હું કોઈનાં પણ દિલને નથી જાણતો. હું તો
ફક્ત આવીને પતિતો ને પાવન બનાવું છું. મને બોલાવે જ પતિત દુનિયા માં છે. અને હું એક
જ વખત આવું છું જ્યારે જૂની દુનિયાને નવી બનાવવાની છે. મનુષ્યને એ ખબર નથી કે આ જે
દુનિયા છે તે નવી થી જૂની, જૂની થી નવી ક્યારે થાય છે? દરેક ચીજ નવાં થી જૂની સતો,
રજો, તમો માં જરૂર આવે છે. મનુષ્ય પણ આમ જ હોય છે. બાળક સતોપ્રધાન છે પછી યુવા થાય
છે પછી વૃદ્ધ થાય છે અર્થાત્ રજો, તમો માં આવે છે. વૃદ્ધ શરીર થાય છે તો તે છોડીને
પછી બાળક બનશે. બાળકો જાણે છે નવી દુનિયામાં ભારત કેટલું ઉંચ હતું. ભારતની મહિમા
અપરમપાર છે. આટલો સુખી, ધનવાન, પવિત્ર બીજો કોઈ ખંડ છે નહીં. ફરી સતોપ્રધાન બનાવવા
બાપ આવ્યાં છે. સતોપ્રધાન દુનિયાની સ્થાપના થઇ રહી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ,
શંકર ને ક્રિયેટ (બનાવ્યાં) કોણે કર્યા? ઊંચેથી ઊંચાં તો શિવ છે. કહે છે ત્રિમૂર્તિ
બ્રહ્મા, અર્થ તો સમજતાં નથી. હકીકતમાં કહેવું જોઈએ ત્રિમૂર્તિ શિવ, ન કે બ્રહ્મા.
હવે ગાએ છે દેવ-દેવ મહાદેવ. શંકરને ઊંચા રાખે છે તો ત્રિમૂર્તિ શંકર કહો ને. પછી
ત્રિમૂર્તિ બ્રહ્મા કેમ કહો છો? શિવ છે રચયિતા. ગાયન પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા
દ્વારા સ્થાપના કરે છે બ્રાહ્મણોની. ભક્તિમાર્ગ માં નોલેજફુલ બાપ ને જાની-જાનનહાર
કહી દે છે, હવે તે મહિમા અર્થ સહિત નથી. આપ બાળકો જાણો છો બાપ દ્વારા આપણને વારસો
મળે છે, એ સ્વયં આપણને બ્રાહ્મણો ને ભણાવે છે કારણ કે એ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક
પણ છે, વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે ચક્ર લગાવે છે, તે પણ સમજાવે છે, એજ
નોલેજફુલ છે. બાકી એવું નથી કે એ જાની-જાનનહાર છે. આ ભૂલ છે. હું તો ફક્ત આવીને
પતિતો ને પાવન બનાવું છું, ૨૧ જન્મનાં અને માટે રાજ્ય-ભાગ્ય આપું છું. ભક્તિમાર્ગમાં
છે અલ્પકાળ નું સુખ, જેને સંન્યાસી હઠયોગી જાણતાં જ નથી. બ્રહ્મને યાદ કરે છે. હવે
બ્રહ્મ તો ભગવાન નથી. ભગવાન તો એક નિરાકાર શિવ છે, જે સર્વ આત્માઓનાં બાપ છે. આપણું
આત્માઓનું રહેવાનું સ્થાન બ્રહ્માંડ સ્વીટ હોમ છે. ત્યાંથી આપણે આત્માઓ અહીંયા
પાર્ટ ભજવવા આવીએ છીએ. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું-ત્રીજુ લઉં છું. ૮૪
જન્મ પણ ભારતવાસીઓનાં જ છે, જેમણે બહુજ ભક્તિ કરી છે તેજ પછી જ્ઞાન પણ વધારે ઉપાડશે.
બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં ભલે રહો પરંતુ શ્રીમત પર ચાલો. તમે બધી આત્માઓ આશિક
છો એક પરમાત્મા માશૂકની. ભક્તિમાર્ગ થી લઇને તમે યાદ કરતાં આવ્યાં છો. આત્મા બાપ ને
યાદ કરે છે. આ છે જ દુઃખધામ. આપણે આત્માઓ અસલ શાંતિધામની નિવાસી છે. પછી આવ્યાં
સુખધામમાં પછી આપણે ૮૪ જન્મ લીધાં. “હમ સો, સો હમ” નો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ તો
કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. હવે બાપે સમજાવ્યું છે-હમ સો દેવતા,
ક્ષત્રિય, વૈશ્ય, સો શુદ્ર. હમણાં આપણે સો બ્રાહ્મણ બન્યાં છીએ સો દેવતા બનવા માટે.
આ છે યથાર્થ અર્થ. તે છે બિલકુલ ખોટું. સતયુગમાં એક દેવી-દેવતા ધર્મ, અદ્વૈત ધર્મ
હતો. પછી બીજા ધર્મ આવ્યાં છે તો દ્વૈત થયો. દ્વાપર થી આસુરી રાવણ રાજ્ય શરુ થઈ જાય
છે. સતયુગમાં રાવણ રાજ્ય જ નથી તો ૫ વિકાર પણ ન હોઈ શકે. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી.
રામ-સીતા ને પણ ૧૪ કળા સંપૂર્ણ કહેવાય છે. રામને બાણ કેમ આપ્યું છે-આ પણ કોઈ મનુષ્ય
નથી જાણતાં. હિંસાની તો વાત નથી. તમે છો ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી). તો આ
ફાધર પણ થયાં, સ્ટુડન્ટ છો તો શિક્ષક પણ થયાં. પછી આપ બાળકોને સદ્દગતિ આપી, સ્વર્ગમાં
લઈ જાય છે. તો બાપ શિક્ષક ગુરુ ત્રણેય થઈ ગયાં. એમનાં તમે બાળકો બન્યાં છો તો તમને
કેટલી ખુશી હોવી જોઈએ. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં, રાવણ રાજ્ય છે ને. દર વર્ષ
રાવણને બાળતા આવ્યાં છે પરંતુ રાવણ છે કોણ, આ નથી જાણતાં. આપ બાળકો જાણો છો-આ રાવણ
ભારતનો સૌથી મોટો દુશ્મન છે. આ નોલેજ આપ બાળકોને જ નોલેજફુલ બાપ થી મળે છે. એ બાપ જ
જ્ઞાનનાં સાગર, આનંદનાં સાગર છે. જ્ઞાન સાગર થી તમે વાદળ ભરીને પછી જઈને વર્ષા
વરસાવો છો. જ્ઞાનગંગા તમે છો, તમારી જ મહિમા છે. બાપ કહે છે હું તમને હમણાં પાવન
બનાવવા આવ્યો છું, આ એક જન્મ પવિત્ર બનો, મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી
સતોપ્રધાન બની જશો. હું જ પતિત-પાવન છું, જેટલું થઇ શકે યાદને વધારો. મુખ થી શિવબાબા
કહેવાનું પણ નથી. જેમ આશિક માશૂક ને યાદ કરે છે, એક વખત જોયાં, બસ પછી બુદ્ધિમાં
તેમની જ યાદ રહેશે. ભક્તિમાર્ગ માં જે, જે દેવતા ને યાદ કરે છે, પૂજા કરે, તેમનો
સાક્ષાત્કાર થઈ જાય છે. તે છે અલ્પકાળ માટે. ભક્તિ કરતાં નીચે ઉતરતા આવ્યાં છો. હવે
તો મોત સામે ઊભું છે. હાય-હાય નાં પછી ફરી જય-જયકાર થવાનો છે. ભારતમાં જ રક્તની નદી
વહેવાની છે. સિવિલવોર (ગૃહયુદ્ધ) નાં આસાર પણ દેખાઈ રહ્યાં છે. તમોપ્રધાન બની ગયાં
છે. હવે તમે સતોપ્રધાન બની રહ્યાં છો. જે કલ્પ પહેલાં દેવતા બન્યાં છે, તે આવીને
બાપથી વારસો લેશે. ઓછી ભક્તિ કરી હશે તો જ્ઞાન થોડું ઉપાડશે. પછી પ્રજામાં પણ
નંબરવાર પદ પામશે. સારા પુરુષાર્થી શ્રીમત પર ચાલી સારું પદ પામશે. મેનર્સ (શિષ્ટાચાર)
પણ સારા જોઈએ. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે તે પછી ૨૧ જન્મ ચાલશે. હમણાં છે બધાનાં
આસુરી ગુણ. આસુરી દુનિયા, પતિત દુનિયા છે ને. આપ બાળકોને વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી
પણ સમજાવેલી છે. આ સમયે બાપ કહે છે યાદ કરવાની મહેનત કરો તો તમે સાચું સોનુ બની જશો.
સતયુગ છે ગોલ્ડન એજ, સાચું સોનું પછી ત્રેતામાં ચાંદીની અલાઈ (કટ) પડે છે. કળા ઓછી
થતી જાય છે. હમણાં તો કોઈ કળા નથી, જ્યારે આવી હાલત થઈ જાય છે ત્યારે બાપ આવે છે, આ
પણ ડ્રામામાં નોંધ છે.
આ રાવણ રાજ્યમાં બધાં બેસમજ બની ગયાં છે, જે બેહદ ડ્રામાનાં પાર્ટધારી થઈને પણ
ડ્રામાનાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. તમે એક્ટર્સ છો ને. તમે જાણો છો આપણે અહીંયા
પાર્ટ ભજવવા આવ્યાં છીએ. પરંતુ પાર્ટીધારી થઈને જાણતા નથી. તો બેહદનાં બાપ કહેશે ને
કે તમે કેટલાં બેસમજ બની ગયાં છો. હવે હું તમને સમજદાર હીરા જેવાં બનાવું છું. પછી
રાવણ કોડી જેવાં બનાવી દે છે. હું જ આવીને બધાને સાથે લઇ જાઉં છું પછી આ પતિત દુનિયા
પણ વિનાશ થાય છે. મચ્છરો સદૃશ્ય બધાને લઈ જાઉં છું. તમારો લક્ષ્ય-હેતુ સામે ઊભો છે.
એવાં તમારે બનવાનું છું ત્યારે તો તમે સ્વર્ગવાસી બનશો. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ આ
પુરુષાર્થ કરી રહ્યાં છો. મનુષ્યોની બુદ્ધિ તમોપ્રધાન છે તો સમજતાં નથી. આટલાં બી.કે.
છે તો જરુર પ્રજાપિતા બ્રહ્મા પણ હશે. બ્રાહ્મણ છે ચોટી, બ્રાહ્મણ પછી દેવતા…..ચિત્રોમાં
બ્રાહ્મણોને અને શિવને લોપ કરી દીધાં છે. તમે બ્રાહ્મણ હમણાં ભારતને સ્વર્ગ બનાવી
રહ્યાં છો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ માટે
શ્રીમત પર ચાલી સારા મેનર્સ ધારણ કરવાનાં છે
2. સાચાં આશિક બની એક માશૂક ને જ યાદ કરવાનાં છે. જેટલું થઇ શકે યાદનો અભ્યાસ વધારતા
જવાનું છે.
વરદાન :-
સ્થૂળ દેશ અને
શરીર ની સ્મૃતિ થી પરે સૂક્ષ્મ દેશનાં વેશધારી ભવ
જેમ આજકાલ ની દુનિયામાં
જેવું કર્તવ્ય એવો વેશ ધારણ કરી લે છે, એમ તમે પણ જે સમયે જેવું કર્મ કરવાં ઈચ્છો
છો તેવો વેશ ધારણ કરી લો. હમણાં-હમણાં સાકારી અને હમણાં-હમણાં આકારી. એવાં બહુરુપી
બની જાઓ તો સર્વ સ્વરુપોનાં સુખો નો અનુભવ કરી શકશો. આ પોતાનું જ સ્વરુપ છે. બીજાનાં
વસ્ત્ર ફીટ થાય કે ન થાય પરંતુ પોતાનાં વસ્ત્ર સહજ જ ધારણ કરી શકાય છે એટલે આ વરદાન
ને પ્રેક્ટિકલ અભ્યાસ માં લાવો તો અવ્યક્ત મિલન નાં વિચિત્ર અનુભવ કરી શકશો.
સ્લોગન :-
બધાનો આદર
કરવાવાળા જ આદર્શ બની શકે છે. સન્માન આપો ત્યારે સન્માન મળશે.
માતેશ્વરીજી નાં
મહાવાક્ય
૧) “ મનુષ્ય
આત્મા પોતાની પૂરી કમાણી અનુસાર ભવિષ્ય પ્રાલબ્ધ ભોગવે છે ”
જુઓ, ઘણાં મનુષ્ય એવું સમજે છે અમારા પૂર્વજન્મની સારી કમાણી થી હમણાં આ જ્ઞાન
પ્રાપ્ત થયું છે પરંતુ એવી વાત છે જ નહિં, પૂર્વ જન્મનું સારું ફળ છે આ તો આપણે
જાણીએ છીએ. કલ્પ નું ચક્ર ફરતું રહે છે સતો, રજો, તમો બદલી થતું રહે છે પરંતુ ડ્રામા
અનુસાર પુરુષાર્થ થી પ્રાલબ્ધ બનાવવાની માર્જિન (જગ્યા) રાખી છે ત્યારે તો ત્યાં
સતયુગમાં કોઈ રાજા-રાણી, કોઈ દાસી, કોઈ પ્રજા પદ પામે છે. તો આજ પુરુષાર્થની સિદ્ધિ
છે ત્યાં દ્વૈત, ઈર્ષ્યા હોતી નથી, ત્યાં પ્રજા પણ સુખી છે. રાજા-રાણી પ્રજા ની એવી
સંભાળ કરે છે જેમ મા-બાપ પોતાનાં બાળકોની સંભાળ કરે છે, ત્યાં ગરીબ, સાહૂકાર બધાં
સંતુષ્ટ છે. આ એક જન્મનાં પુરુષાર્થ થી ૨૧ પેઢીનાં માટે સુખ ભોગવશે, આ છે અવિનાશી
કમાણી, જે આ અવિનાશી કમાણીમાં અવિનાશી જ્ઞાનથી અવિનાશી પદ મળે છે, હમણાં આપણે સતયુગી
દુનિયામાં જઈ રહ્યાં છીએ આ પ્રેક્ટિકલ રમત ચાલી રહી છે, અહીંયા કોઈ છૂ મંત્ર ની વાત
નથી.
૨) “ ગુરુ મત
, શાસ્ત્રો ની મત કોઈ પરમાત્મા ની મત નથી ”
પરમાત્મા કહે છે બાળકો, આ ગુરુ મત, શાસ્ત્ર મત કાંઈ મારી મત નથી, આ તો ફક્ત મારા
નામની મત આપે છે પરંતુ મારી મત તો હું જાણું છું, મારાં મળવાની ખબર હું આવીને આપું
છું, એનાં પહેલાં મારું એડ્રેસ (ઠેકાણું) કોઈ નથી જાણતું. ગીતામાં ભલે ભગવાનુવાચ છે
પરંતુ ગીતા પણ મનુષ્યોએ બનાવેલી છે, ભગવાન તો સ્વયં જ્ઞાનનાં સાગર છે, ભગવાને જે
મહાવાક્ય સંભળાવ્યાં છે તેની યાદગાર પછી ગીતા બની છે. આ વિદ્વાન, પંડિત, આચાર્ય કહે
છે પરમાત્મા એ સંસ્કૃતમાં મહાવાક્ય ઉચ્ચારણ કર્યા, તેને શીખ્યા વગર પરમાત્મા મળી નહિ
શકે. આ તો વધારે જ ઉલટા કર્મકાંડ માં ફસાવે છે, વેદ, શાસ્ત્ર વાંચી જો સીડી ચઢી જાય
તો પછી એટલું જ ઉતરવું પડે અર્થાત્ તેને ભૂલી એક પરમાત્મા થી બુદ્ધિયોગ જોડવો પડે
કારણ કે પરમાત્મા સ્પષ્ટ કહે છે આ કર્મકાંડ, વેદ, શાસ્ત્ર વાંચવાથી મારી પ્રાપ્તિ
નથી થતી. જુઓ ધ્રુવ, પ્રહલાદ, મીરાએ શું શાસ્ત્ર વાંચ્યા? અહીંયા તો વાંચેલું પણ બધું
ભૂલવું પડે છે. જેમ અર્જુને વાંચ્યું હતું તો તેને પણ ભૂલવું પડ્યું. ભગવાનનાં સચોટ
મહાવાક્ય છે - શ્વાસો-શ્વાસ મને યાદ કરો એમાં કાંઈ પણ કરવાની જરૂર નથી. જ્યાં સુધી
આ જ્ઞાન નથી તો ભક્તિમાર્ગ ચાલે છે પરંતુ જ્ઞાનનો દીપક જાગી જાય છે તો કર્મકાંડ છૂટી
જાય છે કારણ કે કર્મકાંડ કરતાં-કરતાં જો શરીર છૂટી જાય તો ફાયદો શું થયો? પ્રાલબ્ધ
તો બની નહીં, કર્મબંધન નાં હિસાબ-કિતાબ થી તો મુક્તિ મળી નહીં. લોકો તો સમજે છે
જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી, કોઈને દુઃખ ન આપવું...આ સારા કર્મ છે. પરંતુ અહીંયા
તો સદાકાળ માટે કર્મોની બંધાયમાની થી છૂટવાનું છે અને વિકર્મો ની જડ ને નીકળવાની
છે. આપણે તો હવે ઈચ્છીએ છે, એવાં બીજ વાવીએ જેનાથી સારા કર્મોનું ઝાડ નીકળે, એટલે
મનુષ્ય જીવનનાં કાર્યને જાણી શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. અચ્છા- ઓમ શાંતિ.