29-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારો
આ બ્રાહ્મણ કુળ બિલકુલ નિરાળો છે , આપ બ્રાહ્મણ જ નોલેજફુલ છો , તમે જ્ઞાન ,
વિજ્ઞાન અને અજ્ઞાન ને જાણો છો ”
પ્રશ્ન :-
કયા સહજ
પુરુષાર્થથી આપ બાળકોનું દિલ બધી વાતો થી હટતું જશે?
ઉત્તર :-
ફક્ત રુહાની ધંધામાં લાગી જાઓ, જેટલી-જેટલી રુહાની સર્વિસ (સેવા) કરતાં રહેશો એટલું
બીજી બધી વાતોથી સ્વતઃ દિલ હટતું જશે. રાજાઈ લેવાનાં પુરુષાર્થ માં લાગી જશો. પરંતુ
રુહાની સર્વિસ (સેવા) ની સાથે-સાથે જ રચના રચી છે તેની પણ સંભાળ કરવાની છે.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ.....
ઓમ શાંતિ!
પિયા કહેવાય
છે બાપ ને. હવે બાપની આગળ તો બાળકો બેઠાં છે. બાળકો જાણે છે આપણે કોઈ સાધુ સન્યાસી
વગેરેની આગળ નથી બેઠાં. એ બાપ જ્ઞાનનાં સાગર છે, જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. કહેવાય
છે જ્ઞાન, વિજ્ઞાન અને અજ્ઞાન. વિજ્ઞાન અર્થાત્ દેહી-અભિમાની બનવું, યાદની યાત્રામાં
રહેવું અને જ્ઞાન અર્થાત્ સુષ્ટિ ચક્રને જાણવું. જ્ઞાન, વિજ્ઞાન અને અજ્ઞાન-આનો
અર્થ મનુષ્ય બિલકુલ નથી જાણતાં. હમણાં તમે છો સંગમયુગી બ્રાહ્મણ. તમારો આ બ્રાહ્મણ
કુળ નિરાળો છે, આને કોઈ નથી જાણતું. શાસ્ત્રોમાં આ વાત તો છે નહીં કે બ્રાહ્મણ સંગમ
પર હોય છે. આ પણ જાણે છે પ્રજાપિતા બ્રહ્મા થઈને ગયાં છે, તેમને આદિ દેવ કહે છે. આદિ
દેવી જગતઅંબા, તે કોણ છે! આ પણ દુનિયા નથી જાણતી. જરુર બ્રહ્માની મુખ વંશાવલી જ હશે.
તે કોઈ બ્રહ્માની સ્ત્રી નથી. અડોપ્ટ (દત્તક) કરે છે ને. આપ બાળકોને પણ અડોપ્ટ કરે
છે. બ્રાહ્મણોને દેવતા નહીં કહેશે. અહીંયા બ્રહ્માનું મંદિર છે, તે પણ મનુષ્ય છે
ને. બ્રહ્મા ની સાથે સરસ્વતી પણ છે. પછી દેવીઓનાં પણ મંદિર છે. બધાં અહીંયાનાં જ
મનુષ્ય છે ને. મંદિર એક નું બનાવી દીધું છે. પ્રજાપિતા ની તો અસંખ્ય પ્રજા હશે ને.
હવે બની રહી છે. પ્રજાપિતા બ્રહ્માનો કુળ વૃદ્ધિને પામી રહ્યો છે. છે એડોપ્ટ ધર્મ
નાં બાળકો. હવે તમને બેહદનાં બાપે ધર્મનાં બાળક બનાવ્યાં છે. બ્રહ્મા પણ બેહદનાં
બાપનાં બાળક થયાં, આમને પણ વારસો એમનાથી મળે છે. તમને પૌત્ર પૌત્રીઓને પણ વારસો
એમનાથી મળે છે. જ્ઞાન તો કોઈની પાસે છે નહીં કારણ કે જ્ઞાનનાં સાગર એક છે, એ બાપ
જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈની સદ્દગતિ થતી નથી. હમણાં તમે ભક્તિ થી જ્ઞાનમાં
આવ્યાં છો, સદ્દગતિ માટે. સતયુગ ને કહેવાય છે સદ્દગતિ. કળયુગને દુર્ગતિ કહેવાય છે,
કારણ કે રાવણનું રાજ્ય છે. સદ્દગતિ ને રામરાજ્ય પણ કહે છે. સૂર્યવંશી પણ કહે છે.
યથાર્થ નામ સૂર્યવંશી, ચંદ્રવંશી છે. બાળકો જાણે છે આપણે જ સૂર્યવંશી કુળનાં હતાં,
પછી ૮૪ જન્મ લીધાં, આ નોલેજ કોઈ શાસ્ત્રોમાં હોઈ ન શકે કારણ કે શાસ્ત્ર છે જ
ભક્તિમાર્ગનાં માટે. તે તો બધું વિનાશ થઇ જશે. અહીંયા થી જે સંસ્કાર લઈ જશે ત્યાં
તે બધું બનાવવાં લાગી જશે. તમારામાં પણ સંસ્કાર ભરાય છે રાજાઈનાં. તમે રાજાઈ કરશો
તે (વૈજ્ઞાનિક) પછી તે રાજાઈ માં આવીને જે કળા શીખેલાં છે તે જ કરશે. જશે જરુર
સૂર્યવંશી, ચંદ્રવંશી રાજાઈ માં. તેમનામાં છે ફક્ત સાયન્સ (વિજ્ઞાન) નું નોલેજ. તેઓ
તેનાં સંસ્કાર લઈ જશે. તે પણ સંસ્કાર છે. તેઓ પણ પુરુષાર્થ કરે છે, તેમની પાસે તે
ઇલમ (વિદ્યા) છે. તમારી પાસે બીજી કોઈ વિદ્યા નથી. તમે બાપથી રાજાઈ લેશો. ધંધા
વગેરેમાં તો તે સંસ્કાર રહે છે ને. કેટલી ખીટપીટ રહે છે પરંતુ જ્યાં સુધી વાનપ્રસ્થ
અવસ્થા નથી થઈ તો ઘરબાર ની સંભાળ પણ કરવાની છે. નહીં તો બાળકોની કોણ સંભાળ કરશે.
અહીંયા તો નહી આવીને બેસશે. એવું કહે છે જ્યારે આ ધંધામાં પૂરી રીતે લાગી જશે પછી
તે છૂટી શકે છે. સાથે રચનાને પણ જરુર સંભાળવું પડે છે. હાં કોઈ સારી રીતે રુહાની
સર્વિસમાં લાગી જાય છે પછી તેમનાથી જેમ કે દિલ ઉઠી જાય છે. સમજશે જેટલો સમય આ રુહાની
સર્વિસમાં આપીએ, તેટલું સારું છે. બાપ આવ્યાં છે પતિત થી પાવન બનાવવા નો રસ્તો
બતાવવાં, તો બાળકોએ પણ આજ સર્વિસ કરવાની છે. દરેક નો હિસાબ જોવાય છે. બેહદનાં બાપ
તો ફક્ત પતિત થી પવન બનવાની મત આપે છે, એ પાવન બનવાનો જ રસ્તો બતાવે છે. બાકી આ
દેખ-રેખ કરવી, સલાહ આપવી આમનો ધંધો થઈ જાય છે. શિવબાબા કહે છે મારાથી કોઈ વાત ધંધા
વગેરેની નથી પૂછવાની. મને તો તમે બોલાવ્યો છે કે આવીને પતિત થી પાવન બનાવો, તો હું
આમનાં દ્વારા તમને બનાવી રહ્યો છું. આ પણ બાપ છે, આમની મત પર ચાલવું પડે. એમની
રુહાની મત, આમની જિસ્માની. આમનાં ઉપર પણ કેટલી રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) રહે છે.
આ પણ કહેતાં રહે છે કે બાપનું ફરમાન છે મામેકમ યાદ કરો. બાપની મત પર ચાલો. બાકી
બાળકોને કાંઈ પણ પૂછવું પડે છે, નોકરીમાં કેવી રીતે ચાલીએ, આ વાતોને આ સાકાર બાબા
સારી રીતે સમજાવી શકે છે, અનુભવી છે, આ બતાવતાં રહેશે. આમ-આમ હું કરું છું, આમને
જોઈ શીખવાનું છે, આ શીખવાડતાં રહેશે કારણ કે આ છે સૌથી આગળ. બધાં તોફાન પહેલાં આમની
પાસે આવે છે એટલે સૌથી રુસ્તમ આ છે, ત્યારે તો ઊંચું પદ પણ પામે છે. માયા રુસ્તમ
થઈને લડે છે. આમણે ફટ થી બધુંજ છોડી દીધું, આમનો પાર્ટ હતો. બાબા એ આમનાંથી આ કરાવી
દીધું. કરનકરાવનહર તો એ છે ને. ખુશી થી છોડી દીધું, સાક્ષાત્કાર થઈ ગયો. હવે હું
વિશ્વનો માલિક બનું છું. આ પાઈ પૈસા ની ચીજ હું શું કરીશ. વિનાશનો સાક્ષાત્કાર પણ
કરાવી દીધો. સમજી ગયાં, આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. મને ફરીથી રાજાઈ મળે છે તો
ફટ થી તે છોડી દીધું. હવે તો બાપની મત પર ચાલવાનું છે. બાપ કહે છે મને યાદ કરો.
ડ્રામા અનુસાર ભટ્ઠી બનવાની હતી. મનુષ્ય થોડી સમજે છે કે આટલાં બધાં કેમ ભાગ્યાં. આ
કોઈ સાધુ-સંત તો નથી. આ તો સાધારણ છે, આમણે કોઈને ભગાવ્યાં પણ નથી. કૃષ્ણનાં ચરિત્ર
કોઈ છે નહીં. મનુષ્ય માત્રની મહિમા કોઈ છે નહીં. મહિમા છે તો એક બાપની. બસ. બાપ જ
આવીને બધાને સુખ આપે છે. તમારાં થી વાત કરે છે. તમે અહીંયા કોની પાસે આવ્યાં છો?
તમારી બુદ્ધિ ત્યાં પણ જશે, અહીંયા પણ કારણ કે જાણો છો શિવબાબા રહેવાવાળા ત્યાંના
છે. હમણાં આમનામાં આવ્યાં છે. બાપ થી આપણને સ્વર્ગનો વારસો મળવાનો છે. કળયુગનાં પછી
જરુર સ્વર્ગ આવશે. કૃષ્ણ બાપ થી વારસો લઈને જઈ રાજાઈ કરે છે, આમાં ચરિત્રની વાત જ
નથી. જેમ રાજા ની પાસે પ્રિન્સ (રાજકુમાર) પેદા થાય છે, સ્કૂલમાં ભણીને પછી મોટો
થઈને ગાદી લેશે. આમાં મહિમા કે ચરિત્રની વાત નથી. ઊંચેથી ઊંચા એક બાપ જ છે. મહિમા
પણ એમની હોય છે! આ પણ એમનો પરિચય આપે છે. જો તેઓ કહે હું કહું છું તો મનુષ્ય સમજશે,
આ પોતાનાં માટે કહે છે. આ વાતો આપ બાળકો સમજો છો, ભગવાન ને ક્યારેય પણ મનુષ્ય ન કહી
શકાય. એ તો એક જ નિરાકાર છે. પરમધામ માં રહે છે. તમારી બુદ્ધિ ઉપર પણ જાય છે પછી
નીચે પણ આવે છે.
બાબા દૂરદેશ થી પારકા દેશમાં આવીને આપણને ભણાવી પછી ચાલ્યાં જાય છે. ખુદ કહે છે -
હું આવું છું સેકન્ડમાં. વાર નથી લાગતી. આત્મા પણ સેકન્ડમાં એક શરીર છોડી બીજામાં
જાય છે. કોઇ જોઇ ન શકે. આત્મા ખૂબ તીખી છે. ગવાયેલું પણ છે સેકન્ડમાં જીવનમુક્તિ.
રાવણ રાજ્યને જીવનબંધ રાજ્ય કહેશું. બાળક પેદા થયું અને બાપ નો વારસો મળ્યો. તમે પણ
બાપને ઓળખ્યાં અને સ્વર્ગનાં માલિક બન્યાં પછી તેમાં નંબરવાર પદ છે - પુરુષાર્થ
અનુસાર. બાપ ખુબ સરસ રીતે સમજાવતાં રહે છે, બે બાપ છે - એક લૌકિક અને એક પારલૌકિક.
ગાએ પણ છે દુઃખમાં સિમરણ સહું કરે, સુખમાં કરે ન કોઈ. તમે જાણો છો આપણને ભારતવાસીઓને
જ્યારે સુખ હતું તો સિમરણ નહોતાં કરતાં. પછી આપણે ૮૪ જન્મ લીધાં. આત્મામાં ખાદ પડે
છે તો ડિગ્રી ઓછી થતી જાય છે. ૧૬ કળા સંપૂર્ણ પછી ૨ કળા ઓછી થઈ જાય છે. ઓછા પાસ
થવાનાં કારણે રામને બાણ દેખાડ્યું છે. બાકી કોઈ ધનુષ્ય નથી તોડ્યું. આ એક નિશાની આપી
દીધી છે. આ બધી છે ભક્તિમાર્ગની વાતો. ભક્તિમાં મનુષ્ય કેટલાં ભટકે છે. હવે તમને
જ્ઞાન મળ્યું છે, તો ભટકવાનું બંધ થઈ જાય છે.
“હે શિવબાબા” કહેવું આ પોકાર નો શબ્દ છે. તમારે હેં શબ્દ નથી કહેવાનો. બાપ ને યાદ
કરવાનાં છે. બુમો પાડી તો ભક્તિ નો અંશ આવી ગયો. હેં ભગવાન કહેવું પણ ભક્તિ ની આદત
છે. બાબાએ થોડી કહ્યું છે - હેં ભગવાન કહીને યાદ કરો. અંતર્મુખ થઈ મને યાદ કરો.
સિમરણ પણ નથી કરવાનું. સિમરણ પણ ભક્તિમાર્ગનો અક્ષર છે. તમને બાપ નો પરિચય મળ્યો,
હવે બાપની શ્રીમત પર ચાલો. એવાં બાપને યાદ કરો જેમ લૌકિક બાળકો દેહધારી બાપને યાદ
કરે છે. સ્વયં પણ દેહ-અભિમાનમાં છે તો યાદ પણ દેહધારી બાપને કરે છે. પારલૌકિક બાપ
તો છે જ દેહી-અભિમાની. આમનામાં આવે છે તો પણ દેહ-અભિમાની નથી થતા. કહે છે મેં આ લોન
લીધી છે, તમને જ્ઞાન આપવાં માટે હું આ લોન લઉં છું. જ્ઞાન સાગર છું પરંતુ જ્ઞાન કેવી
રીતે આપું. ગર્ભમાં તમે જાઓ છો, હું થોડી ગર્ભમાં જાઉં છું. મારી ગતિ મત જ ન્યારી
છે. બાપ આમનામાં આવે છે. આ પણ કોઈ નથી જાણતું. કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના.
પરંતુ કેવી રીતે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે? શું પ્રેરણા આપશે! બાપ કહે છે હું
સાધારણ તનમાં આવું છું. તેમનું નામ બ્રહ્મા રાખું છું કારણ કે સંન્યાસ કરે છે ને.
આપ બાળકો જાણો છો હમણાં બ્રાહ્મણોની માળા નથી બની શકતી કારણ કે ટૂટતાં રહે છે.
જ્યારે બ્રાહ્મણ ફાઇનલ (પુરા) બની જાય છે ત્યારે રુદ્ર માળા બને છે, પછી વિષ્ણુ ની
માળામાં જાય છે. માળામાં આવવાં માટે યાદની યાત્રા જોઈએ. હમણાં તમારી બુદ્ધિ માં છે
કે આપણે તો પહેલાં-પહેલાં સતોપ્રધાન હતાં પછી સતો રજો તમો માં આવીએ છીએ. હમ સો નો
પણ અર્થ છે ને. ઓમ નો અર્થ અલગ છે, ઓમ એટલે આત્મા. પછી તે આત્મા કહે છે હમ સો દેવતા
ક્ષત્રિય...તે લોકો પછી કહી દે છે અમે આત્મા સો પરમાત્મા. તમારો ઓમ અને હમ સો નો
અર્થ બિલકુલ અલગ છે. આપણે આત્મા છીએ પછી આત્મા વર્ણો માં આવે છે, આપણે આત્મા સો
પહેલાં દેવતા ક્ષત્રિય બનીએ છીએ. એવું નહીં કે આત્મા સો પરમાત્મા, જ્ઞાન પૂરું ન
હોવાનાં કારણે અર્થ મુંઝાવી દીધો છે. અહમ બ્રહ્મસ્મિ કહે છે, આ પણ ખોટું છે. બાપ કહે
છે હું રચનાનો માલિક તો બનતો નથી. આ રચનાનાં માલિક તમે છો. વિશ્વનાં પણ માલિક તમે
બનો છો. બ્રહ્મ તો તત્વ છે. તમે આત્મા સો આ રચનાનાં માલિક બનો છો. હમણાં બાપ બધાં
વેદો શાસ્ત્રો નો યથાર્થ અર્થ બેસી સંભળાવે છે. હમણાં તો ભણતાં રહેવાનું છે. બાપ
તમને નવી-નવી વાતો સમજાવતાં રહે છે. ભક્તિ શું કહે છે, જ્ઞાન શું કહે છે.
ભક્તિમાર્ગ માં મંદિર બનાવ્યાં, જપ તપ કર્યા, પૈસા બરબાદ કર્યા. તમારાં મંદિરોને
અનેકોએ લૂંટ્યું છે. આ પણ ડ્રામામાં પાર્ટ છે પછી જરુર એમનાથી જ પાછું મળવાનું છે.
હમણાં જુઓ કેટલું આપી રહ્યાં છે. દિવસ-પ્રતિદિવસ વધારતાં રહે છે. આ પણ લેતાં રહે
છે. તેમણે જેટલું લીધું છે એટલો જ પૂરો હિસાબ આપશે. તમારાં પૈસા જે ખાધાં છે, તે હપ
નથી કર શકતાં. ભારત તો અવિનાશી ખંડ છે ને. બાપ નો બર્થ પ્લેસ (જન્મભૂમિ) છે. અહીં જ
બાપ આવે છે. બાપનાં ખંડ થી જ લઈ જાય છે તો પાછું આપવું પડે. સમય પર જુઓ કેવી રીતે
મળે છે. આ વાતો તમે જાણો છો. તેમને થોડી ખબર છે - વિનાશ કયા સમયે આવશે. ગવર્મેન્ટ (સરકાર)
પણ આ વાતો માનશે નહીં. ડ્રામામાં નોંધ છે, કર્જો ઉઠાવતાં જ રહે છે. રિટર્ન (વળતર)
થઈ રહ્યું છે. તમે જાણો છો આપણી રાજધાની થી બહુજ પૈસા લઈ ગયાં છે, તે પછી આપી રહ્યાં
છે. તમને કોઈ વાતની ફિકર નથી. ફિકર રહે છે ફક્ત બાપ ને યાદ કરવાની. યાદથી જ પાપ
ભસ્મ થશે. નોલેજ ખુબ સહજ છે. હવે જે જેટલો પુરુષાર્થ કરે. શ્રીમત તો મળતી રહે છે.
અવિનાશી સર્જન થી દરેક વાત માં મત લેવી પડે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેટલો સમય
મળે એટલો સમય આ રુહાની ધંધો કરવાનો છે. રુહાની ધંધાનાં સંસ્કાર ભરવાનાં છે. પતિતો
ને પાવન બનાવવાની સર્વિસ કરવાની છે. .
2. અંતર્મુખી બની
બાપને યાદ કરવાનાં છે. મુખ થી હેં શબ્દ નથી નીકાળવાનો. જેમ બાપને અહંકાર નથી, એવાં
નિરંહકારી બનવાનું છે.
વરદાન :-
સંગઠિત રુપમાં
એકરસ સ્થિતિનાં અભ્યાસ દ્વારા વિજય નાં નગાડા વગાડવા વાળા એવરરેડી ભવ
વિશ્વમાં વિજયનો નગાડો
ત્યારે વાગશે જ્યારે બધાનાં બધાં સંકલ્પ એક સંકલ્પમાં સમાઈ જશે. સંગઠિત રુપમાં
જ્યારે એક સેકન્ડમાં બધાં એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યારે કહેશે એવરરેડી. એક
સેકન્ડમાં એક મત, એકરસ સ્થિતિ અને એક સંકલ્પમાં સ્થિત થવાની જ નિશાની આંગળી દેખાડી
છે. જે આંગળીથી કળયુગી પર્વત ઉપડી જાય છે. એટલે સંગઠિત રુપમાં એકરસ સ્થિતિ બનાવવાનો
અભ્યાસ કરો ત્યારે જ વિશ્વની અંદર શક્તિ સેનાનું નામ રોશન થશે.
સ્લોગન :-
શ્રેષ્ઠ
પુરુષાર્થમાં થકાવટ આવવી - આ પણ આળસ ની નિશાની છે.