21-04-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - હમણાં
તમે પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરો છો , પુરુષોત્તમ છે દેવતાઓ , કારણકે તેઓ છે
પાવન , તમે પાવન બની રહ્યાં છો ”
પ્રશ્ન :-
બેહદનાં બાપે
આપ બાળકોને શરણ કેમ આપી છે?
ઉત્તર :-
કારણકે આપણે બધાં રિફ્યુજનાં (કાદવ) ડબ્બામાં પડેલા હતાં. બાપ આપણને કાદવનાં
ડબ્બામાંથી નીકાળીને ગુલ-ગુલ બનાવે છે. આસુરી ગુણ વાળાઓને દૈવી ગુણવાન બનાવે છે.
ડ્રામા અનુસાર બાપે આવીને આપણને કાદવમાંથી નીકાળી એડોપ્ટ કરી પોતાનાં બનાવ્યાં છે.
ગીત :-
યહ કૌન આયા આજ
સવેરે-સવેરે……...
ઓમ શાંતિ!
રાત ને દિવસ
બનાવવા માટે બાપને આવવું પડે છે. હમણાં આપ બાળકો જાણો છો કે બાપ આવેલાં છે. પહેલાં
આપણે શૂદ્ર વર્ણનાં હતાં, શુદ્ર બુદ્ધિ હતાં. વર્ણોવાળું ચિત્ર પણ સમજાવવાં માટે
ખૂબ સારું છે. બાળકો જાણે છે આપણે આ વર્ણોમાં કેવી રીતે ચક્ર લગાવીએ છીએ. હવે આપણને
પરમપિતા પરમાત્માએ શુદ્ર થી બ્રાહ્મણ બનાવ્યાં છે. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે
આપણે બ્રાહ્મણ બનીએ છીએ. બ્રાહ્મણોને પુરુષોત્તમ નહીં કહેશે. પુરુષોત્તમ તો દેવતાઓને
કહેશું. બ્રાહ્મણ અહીંયા પુરુષાર્થ કરે છે પુરુષોત્તમ બનવા માટે. પતિત થી પાવન બનવા
માટે જ બાપને બોલાવે છે. તો સ્વયંથી પૂછવું જોઈએ અમે પાવન ક્યાં સુધી બની રહ્યાં
છીએ? સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ ભણવાં માટે વિચાર સાગર મંથન કરે છે ને. સમજે છે આ
ભણતર થી અમે આ બનશું. આપ બાળકોને બુદ્ધિમાં છે કે હમણાં આપણે બ્રાહ્મણ બન્યાં છીએ
દેવતા બનવા માટે. આ છે અમૂલ્ય જીવન કારણ કે તમે ઈશ્વરીય સંતાન છો. ઈશ્વર તમને
રાજયોગ શીખવાડી રહ્યાં છે, પતિત થી પાવન બનાવી રહ્યાં છે. પાવન દેવતા બને છે. વર્ણો
પર સમજાવવું ખૂબ સરસ છે. સન્યાસી વગેરે આ વાત પર નહીં માનશે. બાકી ૮૪ જન્મોનો હિસાબ
સમજી શકે છે. આ પણ સમજી શકે છે કે અમે સન્યાસ ધર્મવાળા ૮૪ જન્મ નથી લેતાં. ઈસ્લામી
બૌદ્ધિ વગેરે પણ સમજશે અમે ૮૪ જન્મ નથી લેતાં. હાં પુનર્જન્મ લે છે. પરંતુ ઓછાં.
તમારાં સમજાવવાથી ઝટ સમજી જશે. સમજાવાની પણ યુક્તિ જોઈએ. આપ બાળકો અહીંયા સમ્મુખ
બેઠાં છો તો બાબા બુદ્ધિને રિફ્રેશ કરે છે જેમ બીજા બાળકો પણ અહીંયા આવે છે રિફ્રેશ
થવાં માટે. તમને તો રોજ બાબા રિફ્રેશ કરે છે કે આ ધારણા કરો. બુદ્ધિમાં આજ ખ્યાલાત
ચાલતાં રહે, અમે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? કેવી રીતે શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં
છીએ? બ્રહ્માની સંતાન બ્રાહ્મણ. હવે બ્રહ્મા ક્યાંથી આવ્યાં? બાપ બેસી સમજાવે છે
મેં આમનું નામ બ્રહ્મા રાખ્યું છે. આ જે બ્રહ્માકુમાર-કુમારીઓ છે આ ફેમિલી (પરિવાર)
થઈ ગયાં. તો જરૂર અડોપ્ટેડ (દત્તક) છે. બાપ જ અડોપ્ટ કરશે. એમને બાપ કહેવાય છે, દાદા
નહીં કહેશું. બાપને બાપ જ કહેવાય છે. મિલકત મળે છે જ બાપથી. કોઈ કાકા, મામા કે
સમાજવાળા પણ અડોપ્ટ કરે છે. જેમ બાપે કહ્યું હતું એક બાળકી કાદવનાં ડબ્બામાં પડી હતી,
તે કોઈએ ઉપાડી, જઈને કોઈનાં ખોળામાં આપી કારણ કે તેમને પોતાનું બાળક નહોતું. તો
બાળકી જેમનાં ખોળામાં ગઈ તેમને જ મમ્મા-બાબા કહેવા લાગી જશે ને. આ પછી છે બેહદની
વાત. આપ બાળકો પણ જાણે કે બેહદનાં કાદવનાં ડબ્બામાં પડ્યાં હતાં. વિષય વૈતરણી નદીમાં
પડ્યાં હતાં. કેટલાં ગંદા થઈ ગયાં હતાં. ડ્રામા અનુસાર બાપે આવીને તે કાદવથી નીકાળી
તમને અડોપ્ટ કર્યા છે. તમોપ્રધાન ને કાદવ જ કહેશું ને. આસુરી ગુણવાળા મનુષ્ય છે
દેહ-અભિમાની. કામ, ક્રોધ પણ મોટાં વિકાર છે ને. તો તમે રાવણનાં મોટાં રિફ્યુજ માં
પડ્યાં હતાં. હકીકતમાં રિફ્યુજી (શરણાર્થી) પણ છો. હવે તમને બેહદનાં બાપની શરણ લીધી
છે, રિફ્યુજ થી નીકળી ગુલ-ગુલ દેવતા બનવાં. આ સમયે આખી દુનિયા રિફ્યુજ નાં મોટાં
ડબ્બામાં પડી છે. બાપ આવીને આપ બાળકોને કાદવ થી નીકાળી પોતાનાં બનાવે છે. પરંતુ
કાદવમાં રહેવાવાળા એવા ઘેરાયેલા છે, જે નીકળે છે છતાં પણ કાદવ જ સારું લાગે છે. બાપ
આવીને બેહદનાં કાદવથી નીકાળે છે. બોલાવે પણ છે કે બાબા આવીને અમને ગુલ-ગુલ બનાવો.
કાંટા નાં જંગલ થી નીકાળી ફ્લાવર (ફૂલ) બનાવો. ખુદાઈ (ભગવાન) બગીચા માં બેસાડો. હમણાં
અસુરોનાં જંગલ માં પડયાં છે. બાપ આપ બાળકોને ગાર્ડન (બગીચા) માં લઈ ચાલે છે. શુદ્ર
થી બ્રાહ્મણ બન્યાં છે પછી દેવતા બનશું. આ દેવતાઓની રાજધાની છે. બ્રાહ્મણો ની રાજાઈ
છે નહીં. ભલે પાંડવ નામ છે પરંતુ પાંડવોની રાજાઈ નથી. રાજાઈ પ્રાપ્ત કરવા માટે બાપની
સાથે બેઠાં છે. બેહદની રાત હવે પુરી થઈ બેહદનો દિવસ શરૂ થાય છે. ગીત સાંભળ્યું ને-કૌન
આયા સવેરે-સવેરે......સવારે-સવારે આવે છે રાતને બદલી દિવસ બનાવવા અર્થાત્ સ્વર્ગની
સ્થાપના, નર્કનો વિનાશ કરાવવાં. આ પણ બુદ્ધિ માં રહે તો ખુશી થાય. જે નવી દુનિયામાં
ઊંચ પદ પામવાવાળા છે તે ક્યારેય પોતાનો આસુરી સ્વભાવ નહીં દેખાડે. જે યજ્ઞથી આટલાં
ઊંચ બને છે, તે યજ્ઞની ખુબ પ્રેમ થી સેવા કરશે. આવાં યજ્ઞમાં તો હાડકાં પણ આપી દેવા
જોઈએ. પોતાને જોવું જોઈએ-આ ચલન થી અમે ઊંચું પદ કેવી રીતે પામશું! બેસમજ નાનાં બાળકો
તો નથી ને. સમજી શકો છો - રાજા કેવી રીતે, પ્રજા કેવી રીતે બનાય છે. બાબાએ રથ પણ
અનુભવી લીધો છે. જે રાજાઓ વગેરેને સારી રીતે જાણે છે. રાજાઓનાં દાસ-દાસીઓને પણ બહુજ
સુખ મળે છે. તે તો રાજાઓની સાથે જ રહે છે. પરંતુ કહેવાશે તો દાસ-દાસી. સુખ તો છે
ને. જે રાજા-રાણી ખાશે તે તેમને મળે. બહારવાળા થોડી ખાઈ શકે છે. દાસીઓમાં પણ
નંબરવાર હોય છે. કોઈ શ્રુંગાર કરવાવાળી, કોઈ બાળકોને સંભાળવા વાળી, કોઈ ઝાડું વગેરે
કાઢવાવાળી. અહિયાંનાં રાજાઓને આટલાં દાસ-દાસીઓ છે, તો ત્યાં કેટલાં અસંખ્ય હશે. બધાં
પર અલગ-અલગ પોતાનો ચાર્જ (ફરજ) હોય છે. રહેવાનું સ્થાન અલગ હશે. તે કોઈ રાજા-રાણી
જેવાં સજેલા નહીં હશે. જેમ સર્વન્ટ ક્વાટર્સ હોય છે ને. અંદર આવશે જરુર પરંતુ રહે
સર્વન્ટ ક્વાટર્સમાં છે. તો બાપ સારી રીતે સમજાવે છે પોતાનાં પર રહેમ કરો. અમે
ઊંચેથી ઊંચા બનીએ. આપણે હમણાં શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ. અહો સૌભાગ્ય. પછી દેવતા
બનશું. આ સંગમયુગ બહુજ કલ્યાણકારી છે. તમારી દરેક વાતમાં કલ્યાણ રહેલું છે. ભંડારામાં
પણ યોગમાં રહી ભોજન બનાવો તો અનેકોનું કલ્યાણ સમાયેલું છે. શ્રીનાથદ્વારા માં ભોજન
બનાવે છે બિલકુલ જ સાયલેન્સ (શાંતિ) માં. શ્રીનાથ જ યાદ રહે છે. ભક્ત પોતાની ભક્તિ
માં બહુજ મસ્ત રહે છે. તમારે પછી જ્ઞાનમાં મસ્ત રહેવાનું છે. કૃષ્ણની એવી ભક્તિ હોય
છે, વાત નહિં પૂછો. વૃંદાવનમાં બે બાળકીઓ છે, પૂરી ભક્તાણી છે, કહે છે બસ અમે અહીંયા
જ રહેશું. અહીંયા જ શરીર છોડશું, કૃષ્ણ ની યાદ માં. તેમને બહુજ કહે છે સારા મકાનમાં
જઈને રહો, જ્ઞાન લો, કહે છે અમે તો અહીંયા જ રહેશું. તો તેને કહેવાશે ભક્ત શિરોમણી.
કૃષ્ણ પર કેટલાં ન્યોછાવર થાય છે. હવે તમારે બાપ પર ન્યોછાવર થવાનું છે.
પહેલાં-પહેલાં શરુમાં શિવબાબા પર કેટલાં ન્યોછાવર થયાં. અનેકાનેક આવ્યાં. જ્યારે
ઇન્ડિયા (ભારત) માં આવ્યાં તો અનેકોને પોતાનાં ઘરબાર યાદ આવાં લાગ્યાં. કેટલાં
ચાલ્યાં ગયાં. ગ્રહ્ચારી તો અનેકો પર આવે છે ને. ક્યારેક કેવી દશા, ક્યારેક કેવી દશા
બેશે છે. બાબાએ સમજાવ્યું છે કોઈ પણ આવે છે તો બોલો ક્યાં આવ્યાં છો? બહાર બોર્ડ
જોયું-બ્રહ્માકુમાર-કુમારીઓ. આ તો પરિવાર છે ને. એક છે નિરાકાર પરમપિતા પરમાત્મા.
બીજા પછી પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાયેલા છે. આ બધાં એમનાં બાળકો છે, દાદા છે શિવબાબા.
વારસો એમનાથી મળે છે. એ સલાહ આપે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. કલ્પ
પહેલાં પણ આવી સલાહ આપી હતી. કેટલું ઊંચુ ભણતર છે. આ પણ તમારી બુદ્ધિમાં છે અમે
બાપથી વારસો લઇ રહ્યાં છીએ.
આપ બાળકો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણી રહ્યાં છો. તમારે જરુર દૈવી ગુણ ધારણ
કરવાનાં છે. તમારું ખાન-પાન, બોલ-ચાલ કેટલી રોયલ હોવી જોઈએ. દેવતાઓ કેટલું થોડું
ખાય છે. તેમનામાં કોઈ લાલચ થોડી હોય છે. ૩૬ પ્રકારનાં ભોજન બને છે, ખાય કેટલું થોડું
છે. ખાન-પાન ની લાલચ રાખવી-આને પણ આસુરી ચલન કહેવાય છે. દૈવી ગુણ ધારણ કરવાનાં છે
તો ખાન પાન બહુજ શુદ્ધ અને સાધારણ હોવું જોઈએ. પરંતુ માયા એવી છે જે એકદમ પથ્થર
બુદ્ધિ બનાવી દે છે તો પછી પદ પણ એવું મળશે. બાપ કહે છે પોતાનું કલ્યાણ કરવા માટે
દૈવી ગુણ ધારણ કરો. સારી રીતે ભણશો, ભણાવશો તો તમને જ ઇજાફો (ફળ) મળશે. બાપ નથી આપતાં,
તમે પોતાનાં પુરુષાર્થ થી પામો છો. સ્વયંને જોવું જોઈએ ક્યાં સુધી અમે સર્વિસ (સેવા)
કરીએ છીએ? અમે શું બનશું? આ સમયે શરીર છૂટી જાય તો શું મળશે? બાબા થી કોઈ પૂછે તો
બાબા ઝટ બતાવી દે કે આ એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજાય છે આ ફલાણું પદ પામશે.
પુરુષાર્થ જ નથી કરતાં તો કલ્પ-કલ્પાન્તર નાં માટે પોતાનું નુકશાન કરે છે. સારી
સર્વિસ કરવાવાળા જરૂર સારું પદ પામશે. અંદર માં ખબર રહે છે આ દાસ-દાસી જઈને બનશે.
બહાર થી કહી નથી શકતાં. સ્કૂલમાં પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજે છે અમે સિનિયર બનશું
કે જુનિયર? અહીંયા પણ આવું છે. સિનિયર જે હશે તે રાજા-રાણી બનશે, જુનિયર ઓછું પામશે.
સાહૂકારો માં પણ સિનિયર અને જુનિયર હશે. દાસ-દાસીઓમાં પણ સિનિયર અને જુનિયર હશે.
સિનિયર વાળાનો દરજ્જો ઊંચો હોય છે. ઝાડું કાઢવાવાળી દાસીને ક્યારેય અંદર મહેલમાં
આવવાનો હુકમ નથી હોતો. આ બધી વાતો ને આપ બાળકો સારી રીતે સમજી શકો છો. અંતમાં બીજા
પણ સમજતાં જશે. ઊંચ બનાવવાળા નો પછી રિગાર્ડ (સમ્માન) પણ રાખવાનું હોય છે. જુઓ
કુમારકા છે, તે સિનિયર છે તો રિગાર્ડ રાખવો જોઈએ.
બાપ બાળકોનું ધ્યાન ખેંચાવે છે - જે બાળકો મહારથી છે, તેમનો રિગાર્ડ રાખો. રિગાર્ડ
નથી રાખતાં તો પોતાનાં પર પાપનો બોજો ચઢાવે છે. આ બધી વાતો બાપ ધ્યાનમાં લાવે છે.
બહુજ ખબરદારી જોઈએ. નંબરવાર કોનો રિગાર્ડ કેવી રીતે રાખવો જોઈએ, બાબા તો દરેકને જાણે
છે ને. કોઈને કહે તો ટ્રેટર (દગાબાજ) બનવામાં વાર ન કરે. પછી કુમારીઓ, માતાઓ વગેરે
પર પણ બંધન આવી જાય છે. કષ્ટ સહન કરવાં પડે છે. વધારે કરીને માતાઓ જ લખે છે-બાબા
અમને આ ખુબ હેરાન કરે છે, અમે શું કરીએ? અરે, તમે કોઈ જાનવર થોડી છો જે જબરજસ્તી
કરશે. અંદરમાં દિલ છે ત્યારે પૂછો છો શું કરું! આમાં તો પૂછવાની પણ વાત નથી. આત્મા
પોતાનો મિત્ર છે, પોતાનો જ શત્રુ છે. જે ઈચ્છે તે કરે. પૂછવું એટલે દિલ છે. મુખ્ય
વાત છે યાદની. યાદથી જ તમે પાવન બનો છો. આ લક્ષ્મી-નારાયણ નંબરવન પાવન છે ને. મમ્મા
કેટલી સર્વિસ કરતી હતી. એવું તો કોઈ કહી ન શકે અમે મમ્માથી પણ હોશિયાર છીએ. મમ્મા
જ્ઞાનમાં સૌથી તીખી (હોશિયાર) હતી. યોગની કમી અનેકોમાં છે. યાદ માં રહી નથી શકતાં.
યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે! લો (કાયદો) કહે છે અંતમાં યાદમાં જ
શરીર છોડવાનું છે. શિવબાબા ની યાદમાં જ પ્રાણ તનથી નીકળે. એક બાપનાં સિવાય બીજું
કોઈ યાદ ન આવે. ક્યાંય પણ આસક્તિ ન હોય. આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની હોય છે. અમે
અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી થઈને જવાનું છે. બાળકોને વારંવાર સમજાવતાં રહે છે.
બહુજ મીઠા બનવાનું છે. દૈવી ગુણ પણ હોવાં જોઈએ. દેહ-અભિમાન નું ભૂત હોય છે ને.
પોતાનાં પર બહુજ ધ્યાન રાખવાનું છે. બહુજ પ્રેમથી ચાલવાનું છે. બાપ ને યાદ કરો અને
ચક્ર ને યાદ કરો. ચક્રનું રહસ્ય કોઈને સમજાવ્યું તો પણ વન્ડર ખાશે. ૮૪ જન્મોની જ
કોઈને યાદ નથી રહેતી તો ૮૪ લાખ પછી કેવી રીતે કોઈ યાદ કરી શકે? ખ્યાલમાં પણ આવી ન
શકે, આ ચક્રને જ બુદ્ધિમાં યાદ રાખો તો પણ અહો સૌભાગ્ય. હવે આ નાટક પૂરું થાય છે.
જૂની દુનિયાથી વૈરાગ્ય હોવો જોઈએ, બુદ્ધિયોગ શાંતિધામ-સુખધામમાં રહે. ગીતામાં પણ છે
મનમનાભવ. કોઈ પણ ગીતા પાઠી મનમનાભવ નો અર્થ નથી જાણતાં. આપ બાળકો જાણો છો-ભગવાનુવાચ,
દેહનાં સર્વ સંબંધ છોડી સ્વયંને આત્મા સમજો. કોણે કહ્યું? કૃષ્ણ ભગવાન થોડી છે. કોઈ
પછી કહે છે અમે તો શાસ્ત્રો ને જ માનીએ છીએ. ભલે ભગવાન આવે તો પણ નહીં માનશે. બરોબર
શાસ્ત્ર વાંચતા રહે છે. ભગવાન આવ્યાં છે, રાજયોગ શીખવાડી રહ્યાં છે, સ્થાપના થઇ રહી
છે, આ શાસ્ત્ર વગેરે બધાં છે જ ભક્તિમાર્ગનાં. ભગવાન પર નિશ્ચય હોય તો વારસો લેવા
લાગી જાય, પછી ભક્તિ પણ ઉડી જાય. પરંતુ જ્યારે નિશ્ચય હોય ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેવતા
બનવાનાં માટે બહુજ રોયલ સંસ્કાર ધારણ કરવાનાં છે. ખાન-પાન ખૂબ શુદ્ધ અને સાધારણ
રાખવાનું છે. લાલચ નથી કરવાની. પોતાનું કલ્યાણ કરવા માટે દૈવી ગુણ ધારણ કરવાનાં છે.
2. પોતાનાં ઉપર ધ્યાન
રાખતાં, બધાની સાથે બહુજ પ્રેમ થી ચાલવાનું છે. પોતાનાં થી જે સીનિયર છે, તેમનો
રિગાર્ડ જરૂર રાખવાનો છે. બહુજ-બહુજ મીઠા બનવાનું છે. દેહ-અભિમાનમાં નથી આવવાનું.
વરદાન :-
દાતાપણા ની
સ્થિતિ અને સમાવાની શક્તિ દ્વારા સદા વિઘ્ન વિનાશક , સમાધાન સ્વરુપ ભવ
વિઘ્ન-વિનાશક સમાધાન
સ્વરુપ બનવાનું વરદાન વિશેષ બે વાતોનાં આધાર થી પ્રાપ્ત થાય છે:- ૧- સદા સ્મૃતિ રહે
કે અમે દાતાનાં બાળકો છીએ એટલે મારે બધાંને આપવાનું છે. રિગાર્ડ મળે, સ્નેહ મળે
ત્યારે સ્નેહી બનું, નહીં. મારે આપવાનું છે. ૨-સ્વયંનાં પ્રતિ તથા સબંધ સંપર્કમાં
સર્વનાં પ્રતિ સમાવાની શક્તિ સ્વરુપ સાગર બનવાનું છે. આ બે વિશેષતાઓ થી શુભભાવના,
શુભકામના થી સંપન્ન સમાધાન સ્વરુપ બની જશો.
સ્લોગન :-
સત્યને પોતાનો
સાથી બનાવો તો તમારી નૌકા (નાવ) ક્યારેય ડૂબી નહિં શકે.