16-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - શિવબાબા નાં આ રચેલાં રુદ્ર યજ્ઞ ની તમારે ખૂબ - ખૂબ સંભાળ કરવાની છે , આ છે બેહદ નો યજ્ઞ સ્વરાજ્ય પામવા માટે ”

પ્રશ્ન :-
આ રુદ્ર યજ્ઞ ની રિસ્પેક્ટ (સમ્માન) કયા બાળકો ને રહે છે?

ઉત્તર :-
જે આની વિશેષતાઓ ને જાણે છે. તમને ખબર છે કે આ રુદ્ર યજ્ઞ થી આપણે કોડી થી હીરા જેવાં બનીએ છીએ, આમાં આખી જૂની દુનિયા સ્વાહા થાય છે, આ જૂનાં શરીરને પણ સ્વાહા કરવાનું છે. કોઈ પણ એવું બેકાયદેસર કર્મ ન થાય, જેનાથી યજ્ઞમાં વિઘ્ન પડે. જ્યારે એવું ધ્યાન રહે ત્યારે સમ્માન રાખી શકે છે.

ગીત :-
માતા ઓ માતા …

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. જેમણે બનાવ્યું છે તે તો બિચારા માતા ને જાણતાં જ નથી. નામ સાંભળ્યું છે જગત અંબા. પરંતુ તે કોણ હતી, શું કરીને ગઈ, આ કોઈને પણ ખબર નથી, સિવાય આપ બાળકોનાં. જગત અંબા છે તો જરુર બાપ પણ છે. બાળકીઓ પણ છે અને બાળકો પણ છે. જે જગત અંબા ની પાસે જાય છે, એમની બુદ્ધિ માં આ સમજ નથી, ફક્ત બુત (મૂર્તિ) પૂજારી છે. દેવીનાં આગળ જઈને ભીખ માંગે છે. હવે આ રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. આનાં ક્રિયેટર (રચયિતા) છે માત પિતા, તતત્વમ્. તમે પણ યજ્ઞનાં ક્રિયેટર છો. આપ સૌ બાળકોએ આ યજ્ઞની ખૂબ સંભાળ કરવાની છે. યજ્ઞનાં માટે ખૂબ સમ્માન રહેવું જોઈએ. યજ્ઞની પુરી સંભાળ કરાય છે. આ છે હેડ ઓફિસ (મુખ્યાલય), બીજી પણ શાખાઓ છે. મમ્મા બાબા અને આપ બાળકો પોતાનું ભવિષ્ય હીરા જેવું બનાવી રહ્યાં છો - આ યજ્ઞ નાં દ્વારા. તો એવાં યજ્ઞની કેટલી સંભાળ અને ઈજ્જત રાખવી જોઈએ. કેટલો પ્રેમ હોવો જોઈએ. આ આપણી મમ્મા, જગત અંબા નો યજ્ઞ છે. મમ્મા બાબા નો યજ્ઞ તો આપણો યજ્ઞ. યજ્ઞની વૃદ્ધિ કરવાની હોય છે કે યજ્ઞમાં આવીને ઘણાં બાળકો પોતાના બાપ થી વારસો લે. ભલે પોતે નથી લઈ શકતાં, પોતાને ફુરસદ નથી તો સારું બીજાઓને નિમંત્રણ આપવું જોઈએ. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેધ જ્ઞાન યજ્ઞ, જેનાથી સ્વરાજ્ય મળે છે. આ યજ્ઞ માં જૂનાં શરીરને પણ સ્વાહા કરવાનું હોય છે. બાપનું બની જવાનું છે. યજ્ઞ કોઈ મકાન નથી, આ છે બેહદની વાત. જે યજ્ઞ માં આખું વિશ્વ સ્વાહા થવાનું છે. આગળ ચાલી તમે જોજો આ યજ્ઞનું કેટલું સમ્માન રાખે છે. અહીંયા ઘણાંઓને સમ્માન નથી. આટલા બધાં યજ્ઞનાં બાળકો છે. બાળકો આવતાં રહે છે તો આ યજ્ઞની કેટલી ઈજ્જત રાખવી જોઈએ. પરંતુ ઘણાં છે જેમને કદર જ નથી. આ એટલો મોટો યજ્ઞ છે જેનાથી મનુષ્ય કોડી થી હીરા જેવાં, ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી બને છે એટલે બાબા કહે છે ભલે યજ્ઞ રચતાં રહો, એક પણ શ્રેષ્ઠાચારી બન્યું તો અહો સૌભાગ્ય. આટલાં લાખો મંદિર વગેરે છે, ત્યાં કોઈ શ્રેષ્ઠચારી નથી બનતાં. અહીંયા તો ફક્ત ૩ પગ પૃથ્વી નાં જોઈએ. કોઈ આવે તો એકદમ જીવન સુધરી જાય. કેટલી ઈજ્જત હોવી જોઈએ યજ્ઞ ની. બાબા ને ઘણાં લખે છે બાબા અમે અમારા ઘરમાં ખોલીએ. સારું બાળકો, ભલે યજ્ઞ ભૂમિ બનાવો. કોઈ ને કોઈ નું કલ્યાણ થશે. આ યજ્ઞની ખુબ ભારે મહિમા છે. યજ્ઞ ની ભૂમી છે જ્યાં બાળકીઓ બીજાઓનું કલ્યાણ કરતી રહે છે. આવાં યજ્ઞ નું ખૂબ માન જોઈએ. પરંતુ જ્ઞાન પૂરું ન હોવાનાં કારણે એટલું સમ્માન નથી. યજ્ઞ માં વિઘ્ન નાખવા વાળા ઘણાં છે. આ શિવબાબા નો યજ્ઞ છે. તો માત-પિતા સાથે છે. આ મમ્મા બાબા થી તો કંઈ પણ નથી મળતું. બેહદનાં બાપ થી જ બધું મળે છે. એ એક છે. મમ્મા બાબા કહેવાય છે શરીરધારી ને. નિરાકાર ને તો શરીર છે નહીં. તો બાપ કહે છે કે સાકારનાં પણ મુરીદ (ભગત) નહીં બનો. મામેકમ્ યાદ કરો. આ બાબા પણ મને યાદ કરે છે. ચિત્રોમાં દેખાડે છે રામ, કૃષ્ણ, બ્રહ્મા વગેરે બધાં એમને યાદ કરે છે. એવું છે નહીં. ત્યાં તો કોઈ યાદ કરતાં નથી. તેમને પ્રાલબ્ધ મળી ગઈ. એમને યાદ કરવાની શું દરકાર છે. આપણે પતિત બન્યાં છીએ, આપણે જ પાવન બનવાનાં માટે યાદ કરવાનાં છે. મહિમા એક ની જ છે. એમનાં લીધે આમનું માન છે. તમારે કોઈ પણ દેહધારી ને યાદ કરવાનાં નથી. દેહધારી થી એમનો પરિચય મળે છે પરંતુ યાદ એમને કરવાનાં છે. બાબા પણ દેહધારી છે, બધો પરિચય આપે છે. પરંતુ ઘણાં એવાં પણ બેસમજ બાળકો છે જે કહે છે અમે તો ડાયરેક્ટ શિવબાબાની પ્રેરણા થી જ્ઞાન લઈ શકીએ છીએ. જો એવું હોત તો પછી આ રથમાં એમને આવવાની શું જરુરત પડી છે. એવાં પણ છે જે સમજે છે આ સાકાર થી અમારે શું કામ. બાપ કહે છે મનમનાભવ. એમને યાદ કરો પરંતુ દ્વારા તો આમનાં કહે છે ને. પછી નંબરવાર રિગાર્ડ (આદર) રાખવાનો હોય છે. રિગાર્ડ એ જ રાખશે જે નંબરવાર ગાદી પર બેસવા વાળા હશે. મમ્મા બાબા પહેલા બેસશે રાજગાદી પર. પછી તેમને ફોલો (અનુસરણ) કરવાનું છે. બહુજ પ્રજા બનાવવી પડે. પદ પણ બહુજ ઊંચ છે. ડરવાની કોઈ વાત નથી. એરોપ્લેન (વિમાન) માં કોઈ નવાં ચઢે છે તો જેમ કે ડરે છે. કોઈ તો જુઓ ચંદ્રમાં ઉપર જતાં રહે છે. પ્રેક્ટિસ (અભ્યાસ) ની વાત છે ને. પરંતુ એનાથી ફાયદો કાંઈ પણ થવાનો નથી, આ તમે જાણો છો. તેઓ સમજે છે કે ચંદ્રનાં ઉપર પણ રાજધાની બનાવશે. પરંતુ આ કંઈ પણ થવાનું નથી. નીચે ઉતરે છે ને. નીચે ઉતરવું અને ચઢવું પણ બાળકો સમજે છે. ચિત્ર પણ છે, આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતાં હતાં.

આજે તો જુઓ ભારત કેટલું ગરીબ છે. આ તો સાચી વાત છે. આમણે તો પોતે જ લખ્યું છે તો અહીંયા સીડી માં દેખાડવું જોઈએ. ત્યાં હીરાનાં મહેલ ચમકે છે, અહીંયા પછી કોડીઓ દેખાડવી જોઇએ. પહેલાં કોડીઓ ચાલતી હતી. ગુરુદ્વારાઓ માં કોડીઓ રાખતા હતાં. હવે તો કોઈ પૈસા પણ રાખતા નહીં હશે. સીડી તો ખૂબ સારી છે, આમાં ખુબજ લખી શકો છો. મમ્મા બાબા સાથે બાળકો નાં પણ ચિત્ર હોય અને ઉપરમાં આત્માઓનું ઝાડ પણ. નવાં-નવાં ચિત્ર તૈયાર થતાં જશે. સમજાવવા માં પણ સહજ થશે. નીચે ઉતરવાનું કેવી રીતે હોય છે પછી ઉપર ચઢવાનું કેવી રીતે હોય છે. આપણે નિરાકારી દુનિયામાં જઈને પછી સાકારી દુનિયામાં આવીએ છીએ, સમજાવવામાં ખૂબ સહજ છે. સમજતાં નથી તો સમજાય છે તકદીર માં નથી. ડ્રામાને સાક્ષી થઈ જોવાય છે. બાળકોને યજ્ઞ ની ખૂબ કદર હોવી જોઈએ. યજ્ઞનો એક પૈસો પણ વગર પૂછે ઉઠાવવો કે માત-પિતા ની રજા વગર કોઈને આપવો, આ મહાન પાપ છે. તમે તો બાળકો છો, કોઈ સમયે પણ કોઈ પણ વસ્તુ મળી શકે છે. વધારે લઈને કેમ રાખવી જોઈએ. વિચારે છે ખબર નહીં ન મળે, તો અંદર રાખવાથી તે પછી દિલ ખાય છે કારણ કે બેકાયદેસર કામ છે ને. વસ્તુ તો તમને ક્યારેય પણ મળી શકે છે. બાપે કહ્યું છે અંતકાળ અચાનક કોઈ પણ મરી તો શકે છે. તો અંત સમયે જે પાપ કર્યા હશે તે કીચડપટ્ટી બધી સામે આવશે એટલે બાબા હંમેશા સમજાવે છે અંદરમાં કોઈ દુવિધા ન રહેવી જોઈએ. દિલ સાફ હશે તો અંત ઘડી કંઈ પણ સામે નહીં આવશે. યજ્ઞ થી તો બધુંજ મળતું રહે છે. અનેક બાળકો છે જેમની પાસે પૈસા અઢળક છે. એમને કહે છે જ્યારે જરુરત હશે ત્યારે મંગાવી લઈશું. કહે છે બાબા ક્યારેય પણ જરુરત હોય તો અમે બેઠાં છીએ. ભલે પવિત્ર રહેતાં નથી. ખાન-પાન ની પણ પરહેજ રાખતાં નથી. પરંતુ આ પ્રણ કરે છે - બાબા અમારી પાસે ખુબ પૈસા પડ્યાં છે, એમ જ ગુમ થઈ જશે. વચ્ચ માં કોઈ ખાઈ જશે એટલે જ્યારે જોઇએ મંગાવી લેજો. બાબા કહે છે અમે પણ શું કરીશું. મકાન બનાવવાનાં હોય છે તો જાતે જ આવી જાય છે. તો અનેક બાળકો બેઠાં છે પોતાનાં ઘર માં. તો એવાં બાળકો પણ ઊંચ પદ પામી લે છે. પ્રજામાં પણ કોઈ ઓછું પદ નથી. રાજાઓ થી પણ કોઈ સાહૂકાર ખૂબ ધનવાન હોય છે એટલે અંદર કોઈ એવાં વિચાર ન કરવાં જોઇએ. તમારો અંજામ છે બાબા તમે જે ખવડાવશો…. પછી પણ એનાં પર નથી ચાલતાં તો દુર્ગતિ થઈ જાય છે. બાપ આવ્યાં છે સદ્દગતિ આપવાં. જો ઊંચ પદ નહીં પામશે તો દુર્ગતિ કહેશો ને. ત્યાં પણ ઘણાં સાહૂકાર, કોઈ ઓછું પદ, કોઈ ઊંચ પદ વાળા તો છે ને. બાળકોએ શ્રીમત પર પુરુષાર્થ કરવાનો છે. પોતાની મત પર ચાલવાથી પોતાને દગો આપે છે. આ શિવબાબાનો રચેલો જ્ઞાન યજ્ઞ છે. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવબાબા આવીને સ્વરાજ્ય આપે છે. કોઈની તકદીરમાં નથી, નામ પ્રખ્યાત નથી થવાનું તો મુખ થી સારી-સારી પોઇન્ટ (વાત) નીકળતી નથી. કોઈને સમજાવતા નથી તો કહેશે - નામ નીકાળવામાં હમણાં વાર છે, જેનાં કારણે સમજાવતાં સમયે મુખ્ય-મુખ્ય પોઈન્ટ્સ ભૂલી જાય છે. આ પણ સમજાવવું જોઈએ - આ રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ છે, સ્વરાજ્ય પામવા માટે. બોર્ડ પર પણ લખી શકો છો. આ યજ્ઞમાં જૂની દુનિયા આખી સ્વાહા થઇ જાય છે, જેનાં માટે આ મહાભારત લડાઈ ઊભી થઇ છે. વિનાશ નાં પહેલા આ સ્વરાજ્ય પદ લેવું હોય તો આવીને લો. બોર્ડ પર તો ઘણું લખી શકો છો. લક્ષ્ય-હેતુ પણ આવી જાય. નીચે લખવું જોઈએ - સ્વરાજ્ય પદ મળે છે. જેટલું થઈ શકે સ્પષ્ટ લખાણ હોવું જોઈએ જે કોઈ પણ વાંચવા થી સમજી જાય. બાબા ડાયરેક્શન આપે છે આવાં-આવાં બોર્ડ બનાવો. આ અક્ષર જરુર લખો. આગળ ચાલી આ યજ્ઞ નો પ્રભાવ ખુબ નીકળશે. તોફાન તો બહુ આવશે. કહે છે સત્ય ની નાવ હલશે ડોલશે પરંતુ ડૂબશે નહીં. ક્ષીરસાગર તરફ જવું છે તો વિષય સાગર તરફ દિલ ન રાખવું જોઈએ. જે જ્ઞાન નથી લેતાં એમની પાછળ પડીને પોતાનો સમય વેસ્ટ ન કરવો જોઈએ. સમજણ તો બહુજ-બહુજ સહજ છે.

તમે જ પૂજ્ય દેવી-દેવતા હતાં, હવે પૂજારી બન્યાં છો. પછી બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો ખાદ નીકળી જશે. તમારા પાપ ભસ્મ થઈ જશે બીજો કોઈ ઉપાય નથી. આ જ સાચો-સાચો ઉપાય છે. પરંતુ યોગ માં રહેતાં નથી. દેહ-અભિમાન ખુબ છે. દેહ-અભિમાન જ્યારે નીકળે ત્યારે યોગમાં રહી શકે, પછી કર્માતીત અવસ્થા થાય. અંતમાં કોઈ પણ વસ્તુ યાદ ન આવવી જોઈએ. કોઈ-કોઈ બાળકોને કોઈ વસ્તુમાં એટલો મોહ પડી જાય છે જે વાત નહીં પૂછો. શિવબાબા ને ક્યારેય યાદ નથી કરતાં. આવાં બાપ ને ખાસ યાદ કરવાનાં છે. કહેવાય છે હથ કાર ડે દિલ યાર ડે… આવું ખૂબ મુશ્કેલ કોઈને યાદ રહે છે. ચલન થી જ ખબર પડી જાય છે. યજ્ઞ નો રિગાર્ડ નથી હોતો. આ યજ્ઞની ખુબ સંભાળ રાખવી જોઈએ. સંભાળ કરી એટલે બાબા ને ખુશ કર્યા. દરેક વાતમાં સંભાળ જોઈએ. ગરીબો ની પાઈ-પાઈ આ યજ્ઞમાં આવે છે જેનાથી તે પદમપતિ બને છે. માતાઓ જેમની પાસે કાંઈ પણ નથી, એક બે રુપિયા, આઠ આના યજ્ઞમાં આપે છે તે પદમ પતિ બની જાય છે કારણ કે ખૂબ ભાવના થી ખુશી થી લાવે છે. બાપ કહે છે હું છું જ ગરીબ નિવાઝ. આપ બાળકોનાં માટે જ આવ્યો છું. કોઈ ૮ આના લઈ આવે છે. બાબા મકાનમાં એક ઈંટ લગાવી દો. ક્યારેક બે મુઠ્ઠી અનાજ પણ લઈ આવે છે. એમનું તો બહુજ થઈ જાય છે. કણ-કણ મોહર બરાબર થઈ જાય છે. એવું થોડી કે તમારે ગરીબોને બેસી દાન આપવાનું છે. ગરીબ ને તો તે લોકો દાન આપે છે. એવાં તો દુનિયામાં ઘણાં ગરીબ છે. બધાં આવી ને અહીંયા બેસી જાય તો માથું જ ખરાબ કરી દે. એમ તો ઘણાં કહે છે અમે યજ્ઞમાં સમર્પણ થઈએ. પરંતુ સંભાળ કરી લેવાનાં હોય છે. એવું ન થાય કે યજ્ઞ માં આવીને ઉધમ મચાવે. યજ્ઞ માં તો ખૂબ પુણ્ય આત્મા બનવું જોઈએ. ખૂબ સંભાળ કરવી જોઈએ. રિગાર્ડ રહેવો જોઈએ યજ્ઞનાં માટે. જે ઈશ્વરીય યજ્ઞ થી આપણે પોતાના શરીર નિર્વાહ કરીએ છીએ. યજ્ઞ નો પૈસો કોઈને આપવો મોટું પાપ છે. એવા પૈસા છે જ એમનાં માટે જે કોડી થી હીરા જેવાં બને છે, ઈશ્વરીય સર્વિસ (સેવા) માં છે, બાકી ગરીબો વગેરે ને આપવું આ દાન પુણ્ય તો જન્મ-જન્માંતર કરતાં આવ્યાં છો. ઉતરતાં-ઉતરતાં પાપ આત્મા જ બનતાં ગયાં.

આપ બાળકો સૌને બાપ નો પરિચય આપવા માટે નાનાં-નાનાં ગામડા માં પણ પ્રદર્શની કરતાં રહો. એક ગરીબ પણ નીકળી આવે તો તે પણ સારું છે, આમાં કોઈ ખર્ચો તો છે નહીં. લક્ષ્મી-નારાયણે આ રાજાઈ પામી, શું ખર્ચો કર્યો. કંઈ પણ નહીં. વિશ્વ ની બાદશાહી પામવા માટે ખર્ચો તો કાંઈ પણ કર્યો નથી. તે લોકો આપસમાં કેટલું લડે છે. બારુદ વગેરે પર કેટલો ખર્ચો કરે છે. અહીંયા તો ખર્ચાની કોઈ વાત જ નથી. વગર કોડી ખર્ચે, સેકન્ડ માં વિશ્વ ની બાદશાહી લો. અલ્ફ ને યાદ કરો. બે બાદશાહી છે જ. બાપ કહે છે જેટલું થઈ શકે સાચાં દિલ થી સાચાં સાહેબ ને રાજી કરો, તો સચખંડ નાં માલિક બનશો. જુઠ્ઠું અહીંયા ચાલશે નહીં. યાદ કરવાનાં છે. એવું નહીં કે અમે તો બાળકો છીએ જ. યાદ કરવામાં ખૂબ મહેનત છે. કોઈ વિકર્મ કર્યુ તો મોટા ગોટાળા માં આવી જશો. બુદ્ધિ સ્થિર રહેશે નહિં. બાબા તો અનુભવી છે ને. બાબા બતાવતાં રહે છે. ઘણાં બાળકો પોતાને મિયા મિઠ્ઠૂં સમજે છે પરંતુ બાબા કહે છે ખૂબ મહેનત છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાના આ રુદ્ર યજ્ઞ ની ખૂબ-ખૂબ રિસ્પેક્ટ રાખવાની છે. યજ્ઞ નું વાતાવરણ ખૂબ શુદ્ધ પાવરફુલ બનાવવા માં સહયોગી બનવાનું છે. આની પ્રેમ થી સંભાળ કરવાની છે.

2. પોતાની પાસે કાંઈ પણ છુપાવીને નથી રાખવાનું. દિલ સાફ તો મુરાદ હાસિલ. આ યજ્ઞની કોડી-કોડી અમૂલ્ય છે એટલે એક કોડી પણ વ્યર્થ નથી ગુમાવવાની. આની વૃદ્ધિમાં સહયોગ આપવાનો છે.

વરદાન :-
કારણ ને નિવારણ માં પરિવર્તન કરી સદા આગળ વધવા વાળા સમર્થી સ્વરુપ ભવ

જ્ઞાનમાર્ગ માં જેટલાં આગળ વધશો એટલી માયા ભિન્ન-ભિન્ન રુપ થી પરીક્ષા લેવા આવશે કારણ કે આ પરીક્ષાઓ જ આગળ વધવાનું સાધન છે ન કે પાડવાનું. પરંતુ નિવારણ નાં બદલે કારણ વિચારો છો તો સમય અને શક્તિ વ્યર્થ જાય છે. કારણનાં બદલે નિવારણ વિચારો એક બાપની યાદની લગન માં મગન રહો તો સમર્થી સ્વરુપ બની નિર્વિઘ્ન થઈ જશો.

સ્લોગન :-
મહાદાની તે છે જે પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિ ની શક્તિ થી શાંતિ નો અનુભવ કરાવી દે.