13-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ઉંચ પદ પામવું છે તો સાચાં બાપ ની સાથે સદા સાચાં રહો , કોઈ પણ ભૂલ થાય તો બાપ થી ક્ષમા લઈ લો , પોતાની મત પર નહીં ચાલો ”

પ્રશ્ન :-
કયા લાલ ક્યારેય છૂપાઈ નથી શકતાં?

ઉત્તર :-
જેમનો ઈશ્વરીય પરિવાર થી પ્રેમ છે, જેમને રાત-દિવસ સર્વિસ (સેવા) નો જ શોખ રહે છે, એવાં સર્વિસેબલ (સેવાધારી) જે ફરમાનબરદાર અને વફાદાર છે, ક્યારેય પણ મનમત પર નથી ચાલતાં, બાપ થી સાચાં અને સાફ દિલ છે તે ક્યારેય પણ છૂપાઈ નથી શકતાં.

ગીત :-
તુમ્હીં હો માતા પિતા …

ઓમ શાંતિ!
ગીતમાં ગેરેન્ટી (ખાતરી) કોની હતી? માતા-પિતાની સાથે બાળકોની ગેરેન્ટી છે કે અમારા તો એક તમે છો બીજું ન કોઈ. કેટલી ઊંચી મંઝિલ છે. આવાં શ્રેષ્ઠ બાપની શ્રીમત પર કોઈ ચાલે તો ગેરેન્ટી છે, વારસો જરુર ઉંચ પામશે. પરંતુ બુદ્ધિ કહે છે ખુબ ઉંચી મંજિલ જોવામાં આવે છે. જે કોટો માં કોઈ, કોઈ માં કોઈ ફક્ત માળાનાં દાણા બને છે. કહે પણ છે તુમ માત-પિતા, પરંતુ માયા એટલી દુસ્તર છે જે કોઈ મુશ્કિલ જ ગેરેન્ટી પર ચાલી શકે. દરેક પોતાનાથી પૂછી શકે છે કે સાચ્ચે-સાચ્ચે હું માતા-પિતા નો બન્યો છું. બાપ કહે છે ના. ખુબ થોડા છે ત્યારે તો જુઓ માળા કેટલાની બને છે? કેટલાં કોટો માં ફક્ત ૮ ની વૈજયંતી માળા બને છે, કોઈ કહે એક છે, કરે બીજું છે એટલે બાપ પણ કહે છે - જુઓ કેવું વન્ડર (આશ્ચર્ય) છે. બાપ કેટલાં પ્રેમ થી સમજાવે છે પરંતુ સપૂત બાળકો ખુબ થોડા નીકળે છે, (માળાનાં દાણા). બાળકોમાં એટલી તાકાત નથી જે શ્રીમત પર ચાલી શકે, તો જરુર રાવણ મત પર છે એટલે એટલું પદ નથી પામી શકતાં. કોઈ વિરલા જ માળાનાં દાણા બને છે, તે પણ લાલ છૂપાઈ નથી રહેતાં. તે દિલ પર ચઢેલા રહે છે. રાત દિવસ સર્વિસનો જ શોખ રહે છે. ઈશ્વરીય સંબંધ થી પ્રેમ રહે છે. બહારમાં તેમની બુદ્ધિ ક્યાંય નથી જતી. એવો પ્રેમ દૈવી પરિવાર થી રાખવાનો છે. અજ્ઞાનકાળ માં પણ બાળકોનો બાપ થી, બહેન-ભાઈઓનો આપસમાં ખુબજ પ્રેમ હોય છે. અહીંયા તો કોઈ-કોઈ નો રીંચક માત્ર પણ બાપ થી યોગ નથી. ગેરેન્ટી તો ખુબ કરે છે. ભક્તિમાર્ગમાં ગાએ છે, હમણાં તો બાળકો સમ્મુખ છે. વિચારાય છે ભક્તિમાર્ગ માં જે ગાતા રહે છે, કેટલાં પ્રેમ થી યાદ કરે છે. અહીંયા તો યાદ જ નથી કરતાં. બાબાનાં બનવાથી માયા દુશ્મન બની જાય છે. બુદ્ધિ બહાર ચાલી જાય છે તો માયા સારી રીતે પાડી દે છે. તે પોતે નથી સમજતાં કે અમે જે કંઈ કરીએ છીએ તે પડવા માટે જ કરીએ છીએ. પોતાની મત પર પડતા રહે છે. તેમને ખબર જ નથી પડતી કે અમે શું કરી રહ્યાં છીએ. કંઇક તો ખામીઓ બાળકોમાં છે ને. કહે એક છે કરે બીજું છે. નહીં તો બાપ થી વારસો કેટલો ઉંચ મળે છે. સચ્ચાઈ થી કેટલી બાપની સર્વિસમાં લાગી જવું જોઈએ. પરંતુ માયા કેટલી દુસ્તર છે. કોટો માં કોઈ બાપ ને પૂરા ઓળખે છે. બાપ કહે છે, કલ્પ-કલ્પ એવી રીતે જ થાય છે. પૂરા વફાદાર, ફરમાનબરદાર ન હોવાનાં કારણે તે બિચારાઓનું પદ એવું થઇ જાય છે. કહે પણ છે બાબા અમે રાજયોગ શીખી નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીશું. રામ સીતા નહીં બનીશું. હાથ પણ ઉઠાવે છે પરંતુ ચલન પણ તો એવી જોઈએ ને. બેહદનાં બાપ વારસો આપવા માટે આવ્યાં છે, એમની શ્રીમત પર કેટલું ચાલવું જોઈએ. ઘણાં છે જેમણે કસમ ખાધેલી છે અમે શ્રીમત પર નહીં ચાલીશું. તે છૂપાયેલાં નથી રહેતાં. કોઈની તકદીરમાં નથી તો દેહ-અભિમાન પહેલાં થપ્પડ મારે છે પછી છે કામ. કામ નથી તો ક્રોધ, લોભ છે. છે તો બધાં દુશ્મન. મોહ પણ એવી ચીજ છે જે બિલકુલ જ સત્યાનાશ કરી દે છે. લોભ પણ ઓછો નથી. ખુબ કઠોર દુશ્મન છે. પાઈ-પૈસાની ચીજ ચોરી કરી લેશે. આ પણ લોભ છે ને. ચોરીની ખુબ ગંદી આદત છે. અંદરમાં દિલ ખાવું જોઈએ કે અમે પાપ કરતા રહીએ છીએ તો શું પદ પામીશું. શિવબાબાનાં યજ્ઞ માં આવીને બાબાની પાસે અમે આવા કામ કેવી રીતે કરી શકીએ છીએ. માયા ખુબ ઉલ્ટા કામ કરાવે છે. કેટલું પણ સમજાવો છતાં પણ આદત મટતી નથી. કોઈ નામ રુપ માં ફસાઇ પડે છે. દેહ-અભિમાન નાં કારણે નામ રુપમાં પણ આવી જાય છે. દરેક સેવાકેન્દ્ર ની બાબા ને બધી ખબર રહે છે ને. બાબા પણ શું કરે, સમજાવવું તો પડે. કેટલાં સેવાકેન્દ્રો છે. કેટલાં બાબાની પાસે સમાચાર આવે છે. ફીકર તો રહે છે ને. પછી સમજાવવું પડે છે, માયા ઓછી નથી. ખુબ હેરાન કરે છે. સારા-સારા બાળકોને કહેવાય છે મોટા બનવું મોટું દુઃખ પામવું. આ તો દુઃખની કોઈ વાત નથી. જાણે છે કલ્પ પહેલાં પણ એવું થયું હતું. ઈશ્વરનાં બનીને પછી પણ માયાનાં વશ થઈ જાય છે. કોઈને કોઈ વિકર્મ કરી લે છે, ત્યારે બાપ કહે છે પ્રતિજ્ઞા તો ઘણાં બાળકો કરે છે કે બાબા અમેં તમારી શ્રીમત પર જરુર ચાલશું, પરંતુ ચાલતાં નથી એટલે માળા જુઓ કેટલી નાની બને છે, બાકી તો છે પ્રજા. કેટલી મોટી છે મંઝિલ છે, આમાં દિલની ખુબ સફાઈ જોઈએ. કહેવત પણ છે - સચ તો બિઠો નચ. જો બાપની સાથે સાચાં ચાલતાં રહે તો સતયુગમાં કૃષ્ણની સાથે જઈને ડાન્સ કરશે. સતયુગમાં કૃષ્ણ નો ડાન્સ જ પ્રસિદ્ધ છે. રાસલીલા, રાધા કૃષ્ણ ની જ દેખાડે છે. પાછળ થી રામલીલા દેખાડે છે. પરંતુ નંબરવન માં રાધા કૃષ્ણની રાસલીલા છે કારણ કે આ સમયે તે બાપ થી ખુબ જ સાચાં બને છે તો કેટલું ઊંચ પદ પામે છે. હાથ તો ઘણાં ઉઠાવે છે, પરંતુ માયા કેવી છે. પ્રતિજ્ઞા કરે છે તો તેનાં પર ચાલવું પડે ને. માયાનાં ભૂતોને ભગાડવાનાં છે. દેહ-અભિમાન ની પાછળ બધાં ભૂત ચટકી જાય છે. બાપ કહે છે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો. તેમાં પણ સવારે-સવારે બેસી વાતો કરો. બાબાની મહિમા કરો. ભક્તિમાર્ગમાં ભલે યાદ કરે છે પરંતુ મહિમા તો કોઈની છે નહીં. કૃષ્ણ ને યાદ કરશે. મહિમા કરશે - માખણ ચોર્યું, તેમને ભગાવ્યાં. અકાસુર, બકાસુર ને માર્યા, આ કર્યું. બસ બીજું શું કહેશે. આ છે બધું જુઠ્ઠું. સાચાં ની રત્તી નથી. પછી રસ્તો શું બતાવશે! મુક્તિને જ નથી જાણતાં. આ સમયે આખાં વિશ્વ પર રાવણનું જ રાજ્ય છે. બધાં આ સમયે પતિત છે. મનુષ્ય ભ્રષ્ટાચારી નો અર્થ પણ નથી સમજતાં. આ પણ નથી જાણતાં કે સતયુગમાં નિર્વિકારી દેવતાઓ હતાં. ગાએ પણ છે સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ. પરંતુ પછી કહી દે - ત્યાં પણ રાવણ, કંસ જરાસંધિ વગેરે હતાં. કહેવાય છે પવિત્ર બનો, તો કહે છે દેવતાઓને પણ તો બાળકો વગેરે હતાં. અરે, તમે ગાઓ છો સર્વગુણ સંપન્ન… સંપૂર્ણ નિર્વિકારી પછી વિકારની વાત કેવી રીતે હોઈ શકે. તમે પણ નિર્વિકારી બનો તો કહે છે સૃષ્ટિ કેવી રીતે વધશે. બાળકો કેવી રીતે પેદા થશે. મંદિરમાં જઈને મહિમા ગાએ છે. ઘરમાં આવીને તે મહિમા પણ ભૂલી જાય છે. ભલે તમે તપાસ કરીને જુઓ, ઘરમાં જઈને સમજાવો તો માનશે નહીં, ત્યાંની વાત ત્યાં જ રહી. પવિત્ર બનવા માટે કહો તો કહેશે વાહ! આનાં વગર દુનિયા કેવી રીતે ચાલશે. તેમને ખબર જ નથી કે વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા કેવી રીતે ચાલે છે.

બાળકોએ ગીત પણ સાંભળ્યું. પ્રતિજ્ઞા કરે છે - તમારી મત પર ચાલશું કારણ કે શ્રીમત પર ચાલવામાં કલ્યાણ છે. બાપ તો કહેતાં રહે છે શ્રીમત પર ચાલો, નહીં તો છેલ્લે મોત આવી જશે. પછી ટ્રિબ્યુનલમાં બધું બતાવવું પડશે. તમે જ આ પાપ કર્યા છે. પોતાની મત પર ચાલીને પછી કલ્પ-કલ્પ નો ડાઘ લાગી જશે. એવું નથી કે એક વાર ફેલ (નપાસ) થયાં તો બીજા ત્રીજા વર્ષમાં ભણશે. ના. હમણાં નપાસ થયાં તો કલ્પ-કલ્પ થતાં રહેશે, એટલે પુરુષાર્થ ખુબ કરવાનો છે. કદમ-કદમ શ્રીમત પર ચાલો. અંદર કાંઈ પણ ગંધ ન રહે. હૃદયને શુદ્ધ બનાવવાનું છે. નારાદ ને પણ કહ્યું ને - પોતાની શકલ અરીસા માં જુઓ. તો જોયું હું તો વાંદરા માફક છું. આ એક ઉદાહરણ છે. પોતાનાથી પૂછવાનું છે કે અમે ક્યાં સુધી શ્રીમત પર ચાલી રહ્યાં છીએ. બુદ્ધિયોગ ક્યાંય બહાર તો નથી ભટકતો? દેહ-અભિમાન માં તો નથી? દેહી-અભિમાની તો સર્વિસમાં લાગેલાં રહેશે. બધો આધાર યોગ પર છે. ભારતનો યોગ પ્રસિદ્ધ છે. એ તો નિરાકાર બાપ જ નિરાકાર બાળકો ને સમજાવે છે. આને કહેવાય છે સહજ રાજયોગ. લખેલું પણ છે નિરાકાર બાપે સહજ રાજયોગ શીખવાડ્યો. ફક્ત કૃષ્ણનું નામ નાખી દીધું છે. તમે જાણો છો આપણે એવાં લક્ષ્મી-નારાયણ બનવાનું છે. પુણ્ય આત્મા બનવાનું છે. પાપની કોઈ વાત નથી. બાપ ની યાદ માં જ રહીને એમની સર્વિસ માં રહેવાનું છે. આટલું ઉંચ પદ પામવાનું છે તો કંઈક તો મહેનત કરશો ને. સન્યાસી વગેરે તો કહી દે છે ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળફૂલ સમાન રહે, આ થઇ નથી શકતું. સંપૂર્ણ બનવામાં ઘણાં ફેલ થઈ જાય છે કારણ કે યાદ નથી કરી શકતાં. હમણાં પ્રાચીન યોગ બાપ શીખવાડી રહ્યાં છે. બાપ કહે છે યોગ તો હું સ્વયં જ આવીને શીખવાડું છું, હવે મને યાદ કરો. તમારે મારી પાસે આવવાનું છે. આ છે યાદ ની યાત્રા. તમારું સ્વીટ સાઈલેન્સ ઘર તે છે. આ પણ જાણો છો કે આપણે ભારતવાસી જ આવીશું ભારતમાં અને પૂરો વારસો પામશું. તો બાપ વારંવાર સમજાવે છે, પ્રતિજ્ઞા પર પૂરા રહો. ભૂલ થઈ જાય છે તો બાપ થી ક્ષમા લેવી જોઈએ.

જુવો, આ બાળક ક્ષમા લેવા માટે ખાસ બાબાની પાસે એક દિવસ માટે આવ્યો છે. થોડી ભૂલ થઈ છે તો ભાગ્યો છે કારણ કે દિલ અંદર ખાય છે તો સમજ્યો સમ્મુખ જઈને બાબાને સંભળાવું. કેટલો બાપનાં પ્રતિ રિગાર્ડ (સમ્માન) છે. ઘણાં બાળકો છે જે આનાથી પણ વધારે વિકર્મ કરતાં રહે છે, ખબર પણ નથી પડતી. હું તો કહીશ વાહ બાળક, ખુબ સારો છે. થોડી એવી ભૂલની ક્ષમા લેવા આવ્યો છે. બાબાનું હંમેશા કહેવાનું છે કે ભૂલ બતાવી ને ક્ષમા લઈ લો. નહીં તો તે પાપ વૃદ્ધિ ને પામતું રહેશે. પછી નીચે પડી જશો. મુખ્ય યોગ થી જ બચી શકશો. જે યોગની ખુબ કમી છે. જ્ઞાન તો ખુબ સહજ છે. આ તો જેવી રીતે એક વાર્તા છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં કોનું રાજ્ય હતું, કેવી રીતે રાજ્ય કર્યું. કેટલો સમય કર્યું પછી રાજ્ય કરતાં-કરતાં કેવી રીતે વિકારો માં ફસાયાં. કોઈએ ચઢાઈ નથી કરી. ચઢાઈ તો પછી જ્યારે વૈશ્ય બનો ત્યારે થાય છે. તેમનાથી તો રાવણે રાજ્ય છીનવ્યું. તમે પછી રાવણ પર જીત પામીને રાજ્ય લો છો, આ પણ કોઈની બુદ્ધિમાં મુશ્કિલ બેસે છે. જે બાપ થી પૂરા વફાદાર, ફરમાનબરદાર છે. અજ્ઞાનકાળ માં પણ કોઈ વફાદાર, ફરમાનબરદાર હોય છે. કોઈ નોકર પણ ખુબ ઈમાનદાર હોય છે. લાખો રુપિયા પડ્યાં રહે, ક્યારેય એક પણ ઉઠાવશે નહીં. કહે છે - શેઠજી તમે ચાવીઓ છોડી ગયાં હતાં, અમે સંભાળીને બેઠા છીએ. એવાં પણ હોય છે. બાપ તો ખુબ સારી રીતે સમજાવતાં રહે છે. વિવેક કહે છે કે આ કારણ થી માળાનાં દાણા નથી બનતાં. પછી ત્યાં જઈને દાસ-દાસીઓ બનશે. નહીં ભણવાથી જરુર આ હાલત થતી હશે. શ્રીમત પર નથી ચાલતાં. બાપ સમજાવે છે તમારી મંઝિલ આખી છે યોગ ની. માયા એકદમ નાક થી પકડી યોગ લગાવવા નથી દેતી. યોગ હોય તો સર્વિસ ખુબ સારી કરે. પાપો નો ડર રહે. જેમ આ બાળક તો ખુબ સારો છે. સચ્ચાઇ હોય તો આવી. સારા-સારા બાળકો થી આનું પણ સારું છે. અને જે સર્વિસ કરતાં રહે છે, તે ક્યાંય ન ક્યાંય ફસાયેલાં રહે છે. કાંઈ પણ બતાવતાં નથી. કહેવાથી છોડતાં પણ નથી. ગીતમાં તો જોયું, પ્રતિજ્ઞા કરે છે કે કંઈ પણ થઈ જાય, ક્યારેય એવી ભૂલ નહીં કરીશું. મૂળ વાત છે દેહ-અભિમાનની. દેહ-અભિમાન થી જ ભૂલો થાય છે. ખુબ ભૂલો કરે છે એટલે સાવધાની અપાય છે. બાપનું કામ છે સમજાવવાનું. ન સમજાવે તો કહેશે અમને કોઈએ સમજાવ્યું થોડી. આનાં પર એક વાર્તા પણ છે. બાપ પણ કહે છે બાળકો ખબરદાર રહો. નહીં તો ખુબ સજા ખાવી પડશે. પછી એવું નહીં કહેતાં કે અમને સમજાવ્યું કેમ નહીં. બાપ સ્પષ્ટ સમજાવે છે થોડું પણ પાપ કરવાથી ખુબ વૃદ્ધિ થઈ જાય છે. પછી બાપ ની આગળ માથું પણ નહીં ઉઠાવી શકશે. જુઠ્ઠું બોલવાથી તો તોબા-તોબા કરવું જોઈએ. એવું નહીં સમજો કે શિવબાબા અમને થોડી જુએ છે. અરે અજ્ઞાનકાળ માં પણ એ બધું જાણે છે ત્યારે તો પાપ અને પુણ્યનું ફળ આપે છે. સ્પષ્ટ કહે છે કે તમે પાપ કરશો તો તમારા માટે ખુબ કઠોર સજા છે. બાપ થી વારસો લેવા આવ્યાં છો, તો તેનાં બદલે બંને કાન તો ન કપાવવાં જોઈએ ને. કહે એક છે અને યાદ કરે છે બીજાઓને. બાપ ને યાદ નથી કરતાં તો બતાવો તેમની ગતિ શું થશે? સાચું ખાવું, સાચું બોલવું, સાચું પહેરવું…. આ પણ હમણાંની વાત છે. જ્યારે કે બાપ આવીને શીખવાડે છે તો એમની દરેક વાતમાં સાચું રહેવું જોઈએ. અચ્છા.

એવાં સાચાં વફાદાર, ફરમાનબરદાર બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સચ્ચાઈ થી બાપની સર્વિસમાં લાગી જવાનું છે. પૂરા વફાદાર, ફરમાનબરદાર બનવાનું છે. ઇશ્વરીય પરિવાર થી સાચ્ચો પ્રેમ રાખવાનો છે.

2. શ્રીમત માં મનમત કે રાવણની મત મિક્સ નથી કરવાની. એક બાપ બીજું ન કોઈ આ ગેરેન્ટી માં પાક્કું રહેવાનું છે. હૃદયને શુદ્ધ પવિત્ર બનાવવાનું છે.

વરદાન :-
આ હીરા તુલ્ય યુગમાં હીરો જોવાં અને હીરો પાર્ટ ભજવવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

જેવી રીતે ઝવેરી ની નજર સદા હીરા પર રહે છે, તમે બધાં પણ ઝવેરી છો, તમારી નજર પથ્થર ની તરફ ન જાય, હીરાને જુઓ. દરેક ની વિશેષતા પર જ નજર જાય. સંગમયુગ છે પણ હીરાતુલ્ય યુગ. પાર્ટ પણ હીરો, યુગ પણ હીરા તુલ્ય, તો હીરો જ જુઓ ત્યારે તમારી શુભ ભાવનાની કિરણો બધી બાજુ ફેલાવી શકશો. વર્તમાન સમયે આ જ વાતનું વિશેષ અટેન્શન જોઈએ. આવાં પુરુષાર્થી ને જ તીવ્ર પુરુષાર્થી કહેવાય છે.

સ્લોગન :-
વાયુમંડળ કે વિશ્વ ને પરિવર્તન કરવાનાં પહેલાં સ્વ પરિવર્તન કરો.