07-03-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  14.11.87    બાપદાદા મધુબન


“ પૂજ્ય દેવ આત્મા બનવાનું સાધન - પવિત્રતા ની શક્તિ ”
 


આજે રુહાની શમા પોતાનાં રુહાની પરવાનાઓ ને જોઈ રહ્યાં છે. દરેક રુહાની પરવાના પોતાની ઉમંગ-ઉત્સાહ ની પાંખો થી ઉડતાં-ઉડતાં આ રુહાની મહેફિલમાં પહોંચી ગયાં છે. આ રુહાની મહેફિલ વિચિત્ર અલૌકિક મહેફિલ છે જેમને રુહાની બાપ જાણે અને રુહાની બાળકો જાણે. આ રુહાની આકર્ષણની આગળ માયાની અનેક પ્રકારની આકર્ષણ તુચ્છ લાગે છે, અસાર અનુભવ થાય છે. આ રુહાની આકર્ષણ સદાનાં માટે વર્તમાન અને ભવિષ્ય અનેક જન્મોનાં માટે હર્ષિત બનાવવા વાળી છે, અનેક પ્રકારનાં દુઃખ-અશાંતિ ની લહેરો થી કિનારો કરાવવા વાળી છે એટલે બધાં રુહાની પરવાના આ મહેફિલ માં પહોંચી ગયાં છે.

બાપદાદા બધાં પરવાનાઓ ને જોઈ હર્ષિત થાય છે. બધાનાં મસ્તક પર પવિત્ર સ્નેહ, પવિત્ર સ્નેહનાં સંબંધ, પવિત્ર જીવન ની પવિત્ર દૃષ્ટિ, વૃત્તિ ની નિશાનીઓ ઝલકી રહી છે. બધાનાં ઉપર આ બધી પવિત્ર નિશાનીઓનાં ચિન્હ કે સૂચક ‘લાઈટ નો તાજ’ ચમકી રહ્યો છે. સંગમયુગી બ્રાહ્મણ જીવનની વિશેષતા છે - પવિત્રતાની નિશાની, આ લાઈટ નો તાજ જે દરેક બ્રાહ્મણ આત્મા ને બાપ દ્વારા પ્રાપ્ત થાય છે. મહાન્ આત્મા, પરમાત્મ-ભાગ્યવાન આત્મા, ઊંચેથી ઊંચી આત્માની આ તાજ નિશાની છે. તો તમે બધાં એવાં તાજધારી બન્યાં છો? બાપદાદા કે માતા-પિતા દરેક બાળક ને જન્મથી ‘પવિત્ર-ભવ’ નું વરદાન આપે છે. પવિત્રતા નથી તો બ્રાહ્મણ જીવન નથી. આદિ સ્થાપના થી લઈને હમણાં સુધી પવિત્રતા પર જ વિઘ્ન પડતાં આવ્યાં છે કારણ કે પવિત્રતાનું ફાઉન્ડેશન ૨૧ જન્મોનું ફાઉન્ડેશન છે. પવિત્રતા ની પ્રાપ્તિ આપ બ્રાહ્મણ આત્માઓને ઉડતી કળાની તરફ સહજ લઈ જવાનો આધાર છે.

જેવી રીતે કર્મો ની ગતિ ગહન ગવાયેલી છે, તો પવિત્રતાની પરિભાષા પણ અતિ ગુહ્ય છે. પવિત્રતા માયાનાં અનેક વિઘ્નો થી બચવાની છત્રછાયા છે. પવિત્રતા ને જ સુખ-શાંતિ ની જનની કહેવાય છે. કોઈ પણ પ્રકારની અપવિત્રતા દુઃખ અથવા અશાંતિ નો અનુભવ કરાવે છે. તો આખાં દિવસમાં ચેક કરો - કોઈ પણ સમયે દુઃખ અથવા અશાંતિ ની લહેર અનુભવ થાય છે? તેનું બીજ અપવિત્રતા છે. ભલે મુખ્ય વિકારોનાં કારણે હોય કે વિકારોનાં સૂક્ષ્મ રુપ ને કારણે હોય. પવિત્ર જીવન અર્થાંત્ દુઃખ અશાંતિ નું નામનિશાન નહીં. કોઈ પણ કારણ થી દુઃખ નો જરા પણ અનુભવ થાય છે તો સંપૂર્ણ પવિત્રતાની કમી છે. પવિત્ર જીવન અર્થાંત્ બાપદાદા દ્વારા પ્રાપ્ત થયેલ વરદાની જીવન છે. બ્રાહ્મણો નાં સંકલ્પ માં કે મુખમાં આ શબ્દ ક્યારેય ન હોવો જોઈએ કે આ વાતનાં કારણે કે આ વ્યક્તિનાં વ્યવહારનાં કારણે મને દુઃખ થાય છે. ક્યારેક સાધારણ રીતે એવાં બોલ, બોલી પણ દે છે કે અનુભવ પણ કરે છે. આ પવિત્ર બ્રાહ્મણ જીવનનાં બોલ નથી. બ્રાહ્મણ જીવન અર્થાંત્ દર સેકન્ડ સુખમય જીવન. ભલે દુઃખનાં દૃશ્યો પણ હોય પરંતુ જ્યાં પવિત્રતાની શક્તિ છે, તે ક્યારેય દુઃખનાં દૃશ્યોમાં દુઃખનો અનુભવ નહીં કરશે પરંતુ દુઃખ-હર્તા સુખ-કર્તા બાપ સમાન દુઃખનાં વાયુમંડળમાં દુઃખમય વ્યક્તિઓ ને સુખ શાંતિનાં વરદાની બની સુખ-શાંતિ ની અંચલી આપશે, માસ્ટર સુખ-કર્તા બની દુઃખ ને રુહાની સુખનાં વાયુમંડળ માં પરિવર્તન કરશે. આને જ કહેવાય છે દુઃખ-હર્તા સુખ-કર્તા.

જ્યારે સાયન્સ (વિજ્ઞાન) ની શક્તિ અલ્પકાળનાં માટે કોઈનું દુઃખ-દર્દ સમાપ્ત કરી લે છે, તો પવિત્રતાની શક્તિ અર્થાંત્ સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ દુઃખ-દર્દ સમાપ્ત નથી કરી શકતી? સાયન્સની દવામાં અલ્પકાળ ની શક્તિ છે તો પવિત્રતાની શક્તિ માં, પવિત્રતાની દુવામાં કેટલી મોટી શક્તિ છે? સમય પ્રમાણે જ્યારે આજ નાં વ્યક્તિ દવાઓથી કારણે-અકારણે હેરાન થશે ,બીમારીઓ અતિ માં જશે તો સમય પર આપ પવિત્ર દેવ કે દેવીઓની પાસે દુવા લેવા માટે આવશે કે અમને દુઃખ, અશાંતિ થી સદાનાં માટે દૂર કરો. પવિત્રતા ની દૃષ્ટિ-વૃત્તિ સાધારણ શક્તિ નથી. આ થોડા સમયની શક્તિશાળી દૃષ્ટિ કે વૃત્તિ સદાકાળ ની પ્રાપ્તિ કરાવવા વાળી છે. જેવી રીતે હમણાં શરીરધારી ડોક્ટર્સ અને શારીરિક હોસ્પિટલ્સ સમય પ્રતિ સમય વધતા પણ જાય છે, છતાં પણ ડોક્ટરો ને ફુરસદ નથી, હોસ્પિટલ્સ માં સ્થાન નથી. રોગીઓની સદા જ લાઈન લાગેલી હોય છે. એવી રીતે આગળ ચાલી હોસ્પિટલ્સ કે ડોક્ટર પાસે જવાનું, દવા કરવાનું, ઈચ્છવાં છતાં પણ જઈ નહીં શકશે. મેજોરીટી નિરાશ થઈ જશે તો શું કરશે? જ્યારે દવાથી નિરાશ થશે તો ક્યાં જશે? તમારા લોકોની પાસે પણ લાઈન લાગશે. જેવી રીતે હમણાં તમારા કે બાપનાં જડ ચિત્રો ની સામે ‘ઓ દયાળુ, દયા કરો’ કહીને દયા કે દુવા માંગતા રહે છે, એવી રીતે આપ ચેતન્ય, પવિત્ર, પૂજ્ય આત્માઓની પાસે (ઓ પવિત્ર દેવીઓ કે પવિત્ર દેવ! અમારી ઉપર દયા કરો’ - આ માંગવા માટે આવશે. આજકાલ નાં સિદ્ધિ વાળાઓ ની પાસે શફા (આશ્રય) લેવા કે સુખ-શાંતિની દયા લેવા માટે કેટલાં ભટકતાં રહે છે! સમજે છે - દૂર થી પણ દૃષ્ટિ પડી જાય. તો તમે પરમાત્મ-વિધિ દ્વારા સિદ્ધિ-સ્વરુપ બન્યાં છો. જયારે અલ્પકાળ નાં સહારા સમાપ્ત થઈ જશે તો ક્યાં જશે?

આ જે પણ અલ્પકાળ ની સિદ્ધિ વાળા છે, અલ્પકાળની કંઈ ન કંઈ પવિત્રતાની વિધિઓથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ સદા નથી ચાલી શકતી. આ પણ ગોલ્ડન એજેડ (સતોપ્રધાન) આત્માઓ ને અર્થાંત્ છેલ્લે ઉપર થી આવેલી આત્માઓ ને પવિત્ર મુક્તિધામ થી આવવાનાં કારણે અને ડ્રામાનાં નિયમ પ્રમાણ, સતોપ્રધાન સ્ટેજ (અવસ્થા) નાં પ્રમાણે, પવિત્રતાનાં ફળ સ્વરુપ અલ્પકાળની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ થોડા સમયમાં જ સતો, રજો, તમો - ત્રણેવ અવસ્થા પાર કરવાવાળી આત્માઓ છે એટલે સદાકાળની સિદ્ધિ નથી રહેતી. પરમાત્મા-વિધિ થી સિદ્ધિ નથી, એટલે ક્યાંક ને ક્યાંક સ્વાર્થ કે અભિમાન સિદ્ધિ ને સમાપ્ત કરી દે છે. પરંતુ આપ પવિત્ર આત્માઓ સદા સિદ્ધિ સ્વરુપ છો, સદાની પ્રાપ્તિ કરાવવા વાળા છો. ફક્ત ચમત્કાર દેખાડવા વાળા નથી પરંતુ ચમકતી જ્યોતિ સ્વરુપ બનાવવા વાળા છો, અવિનાશી ભાગ્ય નો ચમકતો તારો બનાવવા વાળા છો એટલે આ બધાં સહારા હવે થોડા સમયનાં માટે છે અને અંતમાં આપ પવિત્ર આત્માઓ ની પાસે જ અંચલી લેવાં આવશે. તો આટલી સુખ-શાંતિની જનની પવિત્ર આત્માઓ બન્યાં છો? એટલો દુવા નો સ્ટોક જમા કર્યો છે કે પોતાનાં માટે પણ હમણાં સુધી દુવા માંગતા રહો છો?

ઘણાં બાળકો હમણાં પણ સમય પ્રતિ સમય બાપ થી માંગતા રહે છે કે આ વાત પર થોડીક દુવા કરી દો, આશીર્વાદ આપી દો. તો માંગવા વાળા દાતા કેવી રીતે બનશે? એટલે પવિત્રતાની શક્તિની મહાનતા ને જાણી પવિત્ર અર્થાંત્ પૂજ્ય દેવ આત્માઓ હમણાં થી બનો. એવું નહીં કે અંતમાં બની જઈશું. આ લાંબાસમય ની જમા કરેલી શક્તિ અંતમાં કામમાં આવશે. તો સમજ્યાં, પવિત્રતાની ગુહ્ય ગતિ શું છે? સદા સુખ-શાંતિ ની જનની આત્મા - આ છે પવિત્રતા ની ગુહ્યતા! સાધારણ વાત નથી! બ્રહ્મચારી રહો છો, પવિત્ર બની ગયાં છો. પરંતુ પવિત્રતા જનની છે, ભલે સંકલ્પ થી, ભલે વૃત્તિ થી, વાયુમંડળ થી, વાણી થી, સંપર્ક થી સુખ-શાંતિની જનની બનવું - આને કહેવાય છે પવિત્ર આત્મા. તો ક્યાં સુધી બન્યાં છો - આ પોતે પોતાને ચેક કરો. અચ્છા.

આજે ઘણાં આવી ગયાં છે. જેવી રીતે પાણીનો બંધ તૂટી જાય છે તો આ કાયદા નો બંધ તોડી ને આવી ગયાં છે. છતાં પણ કાયદા માં ફાયદો તો છે જ. જે કાયદા થી આવે, તેમને વધારે મળે છે અને જે લહેર માં લહેરાઈ ને આવે છે, તો સમય પ્રમાણે પછી એટલું જ મળશે ને. છતાં પણ જુઓ, બંધનમુક્ત બાપદાદા પણ બંધન માં આવે છે! સ્નેહનું બંધન છે. સ્નેહની સાથે સમયનું પણ બંધન છે, શરીરનું પણ બંધન છે ને. પરંતુ પ્રિય બંધન છે, એટલે બંધન માં હોવાં છતાં પણ આઝાદ છે. બાપદાદા તો કહેશે - ભલે પધાર્યા, પોતાનાં ઘરે પહોંચી ગયાં. અચ્છા.

ચારેય તરફનાં સર્વ પરમ પવિત્ર આત્માઓ ને, સદા સુખ-શાંતિની જનની પાવન આત્માઓ ને, સદા પવિત્રતાની શક્તિ દ્વારા અનેક આત્માઓ ને દુઃખ-દર્દ દૂર કરવાવાળી દેવ આત્માઓ ને, સદા પરમાત્મ-વિધિ દ્વારા સિદ્ધિ-સ્વરુપ આત્માઓ ને બાપદાદાનો સ્નેહ સંપન્ન યાદપ્યાર અને નમસ્તે.

હોસ્ટેલ ની કુમારીઓથી - (ઇન્દોર ગ્રુપ) :- બધી પવિત્ર મહાન્ આત્માઓ છો ને? આજકાલ નાં મહાત્મા કહેવાવાળા થી પણ અનેક વાર શ્રેષ્ઠ છો. પવિત્ર કુમારીઓનું સદા પૂજન થાય છે. તો તમે બધાં પાવન, પૂજ્ય સદા શુદ્ધ આત્માઓ છો ને? કોઈ અશુદ્ધિ તો નથી? સદા આપસમાં એકમત, સ્નેહી, સહયોગી રહેવાવાળી આત્માઓ છો ને? સંસ્કાર મળાવતા આવડે છે ને કારણ કે સંસ્કાર મિલન કરવું - આ જ મહાનતા છે. સંસ્કારો ની ટક્કર ન હોય પરંતુ સદા સંસ્કાર મિલન ની રાસ કરતાં રહો. ખુબ સારું ભાગ્ય મળ્યું છે - નાનપણ માં મહાન્ બની ગયાં! સદા ખુશ રહો છો ને? ક્યારેય કોઈ મન થી રડતાં તો નથી? નિર્મોહી છો? ક્યારેય લૌકિક પરિવાર યાદ આવે છે? બંને ભણતર માં હોશિયાર છો? બંને ભણતર માં સદા નંબરવન રહેવાનું છે. જેવી રીતે બાપ વન છે, એવી રીતે બાળકો પણ નંબરવન માં. સૌથી નંબર વન - એવાં બાળકો સદા બાપ ને પ્રિય છે. સમજ્યાં? અચ્છા.

પાર્ટીઓથી અવ્યક્ત બાપદાદાની મુલાકાત :- સદા પોતાને શ્રેષ્ઠ ભાગ્યવાન સમજો છો? ઘરે બેઠાં ભાગ્યવિધાતા દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય મળી ગયું. ઘરે બેઠાં ભાગ્ય મળવું - આ કેટલી ખુશી ની વાત છે! અવિનાશી બાપ, અવિનાશી પ્રાપ્તિ કરાવે છે. તો અવિનાશી અર્થાંત્ સદા, ક્યારેક-ક્યારેક નહીં. તો ભાગ્ય ને જોઈને સદા ખુશ રહો છો? દર સમયે ભાગ્ય અને ભાગ્યવિધાતા - બંનેવ સ્વતઃ યાદ રહે. સદા ‘વાહ, મારું શ્રેષ્ઠ ભાગ્ય!’ - આ જ ગીત ગાતાં રહો. આ મન નું ગીત છે. જેટલું આ ગીત ગાશો એટલું સદા ઉડતી કળા નો અનુભવ કરતાં રહેશો. આખાં કલ્પમાં એવું ભાગ્ય પ્રાપ્ત કરવાનો આ એક જ સમય છે, એટલે સ્લોગન (સુવિચાર) પણ છે ‘અબ નહીં તો કબ નહીં’ (હમણાં નહિં તો કયારેય નહીં). જે પણ શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે, તે હમણાં કરવાનું છે. દરેક કાર્યમાં દર સમયે આ યાદ રાખો કે અબ નહીં તો કબ નહીં. જેમને આ સ્મૃતિમાં રહે છે તે ક્યારેય પણ સમય, સંકલ્પ કે કર્મ વ્યર્થ થવા નહીં દેશે, સદા જમા કરતાં રહેશે. વિકર્મ ની તો વાત જ નથી પરંતુ વ્યર્થ કર્મ પણ દગો આપી દે છે. તો દર સેકન્ડનાં દર સંકલ્પ નું મહત્વ જાણો છો ને. જમાનું ખાતું સદા ભરાતું રહે. જો દર સેકન્ડ કે દર સંકલ્પ શ્રેષ્ઠ જમા કરો છો, વ્યર્થ નથી ગુમાવતાં તો ૨૧ જન્મોનાં માટે પોતાનું ખાતું શ્રેષ્ઠ બનાવી લો છો. તો જેટલું જમા કરવું જોઈએ એટલું કરી રહ્યાં છો? આ વાત પર વધારે અન્ડરલાઇન કરજો - એક સેકન્ડ પણ, સંકલ્પ પણ વ્યર્થ ન જાય. વ્યર્થ ખતમ થઈ જશે તો સદા સમર્થ બની જશો. અચ્છા. આંધ્રપ્રદેશ માં ગરીબી ખુબ છે ને. છતાં તમે પછી એટલાં જ સાહૂકાર છો! ચારેય તરફ ગરીબી વધતી જાય છે અને તમારા અહીંયા સાહૂકારી વધી જાય છે કારણ કે જ્ઞાનનું ધન આવવાથી આ સ્થૂળ પણ સ્વતઃ જ દાળ-રોટલી મળવા જેટલું આવી જ જાય છે. કોઈ બ્રાહ્મણ ભૂખ્યાં રહે છે? તો સ્થૂળ ધનની ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે કારણ કે સમજદાર બની જાઓ છો. કામ કરી સ્વયં ને ખવડાવવા માટે કે પરિવાર ને ખવડાવવા માટે પણ સમજ આવી જાય છે એટલે ડબલ સાહૂકારી આવી જાય છે. શરીર ને પણ સારું અને મન ને પણ સારું. દાળ-રોટલી આરામ થી મળી રહી છે ને. બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી બનવાથી રોયલ પણ થઈ ગયાં, સાહૂકાર પણ થઇ ગયાં અને અનેક જન્મ માલામાલ રહેશો. જેવી રીતે પહેલાં ચાલતાં હતાં, રહેતાં હતાં, પહેરતાં હતાં... તેનાથી હમણાં કેટલાં રોયલ થઈ ગયાં છો! હમણાં સદા સ્વસ્થ રહો છો. પહેલાં કપડાં પણ મેલા પહેરશો, હવે અંદર બહાર બંને થી સ્વચ્છ થઈ ગયાં. તો બ્રહ્માકુમાર બનવાથી ફાયદો થઇ ગયો ને. બધું બદલાઈ જાય છે, પરિવર્તન થઈ જાય છે. પહેલાંં ની શકલ, અકલ જુઓ અને હમણાં પણ જુઓ તો ફરક ની ખબર પડશે. હમણાં રુહાનિયત ઝલક આવી ગઈ, એટલે સૂરત જ બદલાઈ ગઈ છે. તો સદા આવી રીતે જ ખુશી માં નાચતાં રહો. અચ્છા.

ડબલ વિદેશી ભાઈ - બહેનો થી :- ડબલ વિદેશી છો? આમ તો બધી બ્રાહ્મણ આત્માઓ આ જ ભારત દેશની છે. અનેક જન્મ ભારતવાસી રહ્યાં છો, આ તો સેવાનાં માટે અનેક સ્થાનો પર પહોંચ્યાં છો એટલે આ નિશાની છે કે જ્યારે ભારતમાં આવો છો અર્થાંત્ મધુબન ધરતી માં કે પરિવાર માં આવો છો તો પોતાપણું અનુભવ કરો છો. તેમ વિદેશની વિદેશી આત્માઓ કેટલી પણ નજીક સંપર્ક વાળી હોય, સંબંધ વાળી હોય પરંતુ જેવી રીતે અહીંયા આત્માને પોતાપણું લાગે છે, એવું નહીં લાગશે! જેટલી નજીક વાળી આત્મા હશે એટલી પોતાપણા ની વધારે મહેસૂસતા થશે. વિચારવું નહીં પડશે કે હું હતો કે હું હોઈ શકું છું. દરેક સ્થૂળ વસ્તુ પણ અતિ પ્રિય લાગશે. જેવી રીતે કોઈ પોતાની ચીજ હોય છે ને. પોતાની ચીજ હંમેશા પ્રિય લાગે છે. તો આ નિશાનીઓ છે. બાપદાદા જોઈ રહ્યાં છે કે દૂર રહેતા પણ દિલ થી સદા નજીક રહેવાવાળા છો. આખો પરિવાર તમને આ શ્રેષ્ઠ ભાગ્યવાન ની નજર થી જુએ છે. અચ્છા.

વરદાન :-
યુદ્ધ માં ડરવા કે પાછળ હટવાનાં બદલે બાપ નાં સાથ દ્વારા સદા વિજયી ભવ

સેનામાં યુદ્ધ કરવા વાળા જે યોધ્ધા હોય છે તેમનું સ્લોગન હોય કે હારવું કે પાછળ હટવું કમજોરો નું કામ છે, યોદ્ધા અર્થાંત્ મરવું અને મારવું. તમે પણ રુહાની યોદ્ધા ડરવા કે પાછળ હટવા વાળા નથી, સદા આગળ વધતા વિજયી બનાવવા વાળા છો. એવું ક્યારેય નહીં વિચારો કે ક્યાં સુધી યુદ્ધ કરીએ, આ તો આખી જિંદગી ની વાત છે પરંતુ ૫૦૦૦ વર્ષ ની પ્રાલબ્ધનાં હિસાબ થી આ સેકન્ડ ની વાત છે, ફક્ત વિશાળ બુદ્ધિ બનીને બેહદનાં હિસાબ થી જુઓ અને બાપની યાદ અને સાથ ની અનુભૂતિ દ્વારા વિજયી બનો.

સ્લોગન :-
સદા આશા અને વિશ્વાસ નાં આધાર પર વિજયી બનો.