25-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જેમ
બાપ નો પાર્ટ છે સર્વનું કલ્યાણ કરવું , એમ બાપ સમાન કલ્યાણકારી બનો , પોતાનું અને
સર્વનું કલ્યાણ કરો”
પ્રશ્ન :-
બાળકો ની કઈ
એક વિશેષતા ને જોઈ બાપદાદા ખૂબ ખુશ થાય છે?
ઉત્તર :-
ગરીબ બાળકો બાબાનાં યજ્ઞમાં ૮ આના, એક રુપિયો મોકલી દે છે. કહે છે બાબા આનાં બદલે
અમને મહેલ આપજો. બાબા કહે બાળકો, આ એક રુપિયો પણ શિવબાબાનાં ખજાના માં જમા થઈ ગયો.
તમને ૨૧ જન્મોનાં માટે મહેલ મળી જશે. સુદામાનું દૃષ્ટાંત છે ને. વગર કોડી ખર્ચે આપ
બાળકોને વિશ્વની બાદશાહી મળી જાય છે. બાબા ગરીબ બાળકોની આ વિશેષતા પર બહુજ ખુશ થાય
છે.
ગીત :-
તુમ્હે પાકે હમને…
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
બાળકો સમજે છે કે બાબાથી હમણાં બેહદ નો વારસો લઇ રહ્યાં છીએ. બાળકો કહે છે કે બાબા
તમારી શ્રીમત અનુસાર અમે તમારાથી ફરી બેહદ નો વારસો પામી રહ્યાં છીએ. નવી વાત નથી.
બાળકો ને નોલેજ મળ્યું છે. જાણે છે સુખધામ નો વારસો અમે કલ્પ-કલ્પ પામતાં રહીએ છીએ.
કલ્પ-કલ્પ ૮૪ જન્મ તો લેવાં પડે છે. બરાબર આપણે બેહદનાં બાપ દ્વારા ૨૧ જન્મોનો વારસો
પામીએ છીએ પછી ધીરે-ધીરે ગુમાવીએ છીએ. બાપે સમજાવ્યું છે આ અનાદિ બન્યો-બનેલ ખેલ
છે. આપ બાળકોને ખાતરી થતી જાય છે. આ પણ જાણો છો ડ્રામામાં સુખ બહુજ છે. પાછળ થી
આવીને રાવણ દ્વારા દુઃખ પામે છે. હમણાં તમે હજું થોડા છો, આગળ ચાલીને ખૂબ વૃદ્ધિ થતી
જશે. મનુષ્ય થી દેવતા બને છે. જરુર દિલમાં સમજશે અમે કલ્પ-કલ્પ બાપ થી વારસો પામીએ
છીએ. જે જે આવીને નોલેજ લેશે તે સમજશે હમણાં જ્ઞાન સાગર બાપ દ્વારા સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નું નોલેજ પામ્યું છે. બાપ જ જ્ઞાનનાં સાગર, પતિતો ને પાવન બનાવવા વાળા
છે અર્થાત મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જવા વાળા છે. આ પણ તમે હમણાં જાણો છો. ગુરુ તો
અનેકો એ કર્યા છે ને. છેલ્લે ગુરુઓ ને પણ છોડી આવીને નોલેજ લેશે. તમને પણ હમણાં આ
નોલેજ મળ્યું છે. જાણો છો આનાં પહેલાં અજ્ઞાની હતાં. સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે
છે. શિવબાબા, બ્રહ્મા, વિષ્ણુ, શંકર કોણ છે, આ કંઈ પણ જાણતાં નહોતાં. હવે ખબર પડી
છે અમે વિશ્વનાં માલિક હતાં તો તમારી બુદ્ધિમાં ખુબ સારો નશો ચઢેલો રહેવો જોઈએ. બાપ
ને અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરતાં રહેવું જોઈએ. અલ્ફ અને બે. બાપ સમજાવે છે આનાથી
પહેલા તમે કંઈ નહોતાં જાણતાં. ન બાપ ને, ન તેમની રચના ને જાણતાં હતાં. આખી સૃષ્ટિ
નાં મનુષ્ય માત્ર ન બાપ ને, ન રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. હમણાં તમે શૂદ્ર
બ્રાહ્મણ બન્યાં છો. બાપ બધાં બાળકો થી વાત કરી રહ્યાં છે. કેટલાં બધાં બાળકો છે.
સેવાકેન્દ્રો કેટલાં છે. હવે તો સેવાકેન્દ્રો ખુલશે. તો બાપ સમજાવે છે આગળ તમે કાંઈ
નહોતાં જાણતાં. હવે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણી ચૂક્યાં છો. આ પણ જાણો છો હમણાં
આપણે બાપ દ્વારા પતિત થી પાવન બની રહ્યાં છીએ. બીજા તો પોકારતાં રહે છે, તમે છો
ગુપ્ત. બ્રહ્માકુમાર-કુમારી કહે છે પરંતુ સમજતાં નથી કે આમને ભણાવવા વાળા કોણ છે?
શાસ્ત્રોમાં ક્યાંય લખેલું નથી. તે જ ગીતા નાં ભગવાન શિવે આવીને બાળકો ને રાજયોગ
શીખવાડયો છે. આ તમારી બુદ્ધિ માં આવે છે ને. ગીતા પણ તમે વાંચી હશે. આ પણ હમણાં સમજો
છો - જ્ઞાન માર્ગ બિલકુલ અલગ છે. વિદુત મંડળી થી જે શાસ્ત્ર વગેરે વાંચી ને પદવી લે
છે તે બધાં ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે. આ નોલેજ તેમનામાં નથી. આ તો બાપ જ આવીને રચના
નાં આદિ-મધ્ય-અંતનું નોલેજ આપે છે. આ તો બાપે આવી ને તમારી બુદ્ધિ નું તાળું ખોલ્યું
છે.
તમે જાણો છો આગળ આપણે શું હતાં, હવે શું બન્યાં છીએ! બુદ્ધિમાં આખું ચક્ર આવી ગયું
છે. શરુંમાં થોડી સમજતાં હતાં. દિવસ-પ્રતિદિવસ જ્ઞાનનું ત્રીજું નેત્ર સારી રીતે
ખુલતું જાય છે. આ પણ કોઈને ખબર નથી કે ભગવાન ક્યારે આવ્યાં, એ કોણ હતાં - જેમણે આવી
ને ગીતાનું જ્ઞાન સંભળાવ્યું. આપ બાળકો હવે જાણી ગયા છો. બુદ્ધિમાં આખાં ચક્રનું
જ્ઞાન છે. ક્યાર થી આપણે હાર ખાઈએ છીએ અને કેવી રીતે વામમાર્ગ માં જઈએ છીએ, કેવી
રીતે સીડી ઉતરીએ છીએ. આ ચિત્રમાં કેટલું સહજ સમજાવેલું છે. ૮૪ જન્મો ની સીડી છે.
કેવી રીતે ઉતરીએ છીએ પછી ચઢીએ છીએ. પતિત-પાવન કોણ છે? પતિત કોણે બનાવ્યાં? આ તમે
હમણાં જાણો છો તે તો ફક્ત ગાતાં રહે છે - પતિત-પાવન. આ થોડી સમજે છે કે રાવણ રાજ્ય
ક્યારથી શરું થાય છે? પતિત ક્યારથી બન્યાં? આ નોલેજ છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
વાળાઓ માટે. બાપ કહે છે મેં જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી હતી. આ
વિશ્વની હિસ્ટ્રી-જોગ્રોફી બાપનાં સિવાય કોઈ સમજાવી ન શકે. તમારાં માટે જેમકે કથા
છે. કેવી રીતે રાજ્ય પામ્યું, કેવી રીતે ગુમાવીએ છીએ. તે આપણે હિસ્ટ્રી-જોગ્રોફી
ભણીએ છીએ. આ છે બેહદની વાત. આપણે ૮૪ નું ચક્ર કેવી રીતે લગાવીએ છીએ, આપણે વિશ્વનાં
માલિક હતાં પછી રાવણે રાજ્ય છીનવ્યું, આ નોલેજ બાપે આપ્યું છે. મનુષ્ય દશેરા વગેરે
તહેવાર મનાવે છે પરંતુ કાંઈ પણ નોલેજ નથી. જેમ તમને આ નોલેજ નહોતું, હવે નોલેજ મળી
રહ્યું છે તો તમે ખુશીમાં રહો છો. નોલેજ ખુશી આપે છે. બેહદનું નોલેજ બુદ્ધિ માં છે.
બાપ તમારી ઝોલી ભરી રહ્યાં છે. કહે છે ને - ઝોલી ભરી દે. કોને કહે છે? સાધુ-સંત
વગેરેને નથી કહેતાં. ભોળાનાથ શિવ ને કહે છે, એમનાથી જ ભીખ માંગે છે. તમારો તો હવે
ખુશીનો પારાવાર નથી. તમને ખૂબ ખુશી હોવી જોઈએ. બુદ્ધિમાં કેટલું નોલેજ આવી ગયું છે.
બેહદ બાપથી બેહદ નો વારસો મળે છે. તો હવે પોતાનું અને બીજાઓનું પણ કલ્યાણ કરવાનું
છે. બધાનું કલ્યાણ કરવાનું છે. પહેલાં તો એક-બે નું અકલ્યાણ જ કરતાં હતાં કારણ કે
આસુરી મત હતી. હમણાં તમે શ્રીમત પર છો તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. તમારી દિલ
થાય છે આ બેહદનું ભણતર બધાં ભણે, સેવાકેન્દ્ર ખુલતાં જાય. કહે છે બાબા પ્રદર્શની આપો,
પ્રોજેક્ટર આપો અમે સેવાકેન્દ્ર ખોલીએ. અમને જે નોલેજ મળ્યું છે, જેનાથી બેહદની ખુશી
નો પારો ચઢેલો છે તે બીજાઓ ને પણ અનુભવ કરાવીએ. ડ્રામા અનુસાર આ પણ પુરુષાર્થ ચાલતો
રહે છે. બાપ આવ્યાં છે ભારત ને ફરીથી સ્વર્ગ બનાવવાં. તમે જાણો છો આપણે આગળ નર્કવાસી
હતાં, હવે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. આ ચક્ર તમારી બુદ્ધિમાં સદૈવ ફરતું રહેવું
જોઈએ, જેનાથી સદૈવ તમે ખુશીમાં રહો. બીજાઓને સમજાવવાનો પણ નશો રહે. આપણે બાપ થી
નોલેજ લઇ રહ્યાં છીએ. તમારા બીજા બહેન-ભાઈ જે નથી જાણતાં એમને પણ રસ્તો બતાવવો તમારો
ધર્મ છે. જેમ બાપ નો પાર્ટ છે બધાનું કલ્યાણ કરવાનો તેમ આપણો પણ પાર્ટ છે બધાનાં
કલ્યાણકારી બનીએ. બાબાએ કલ્યાણકારી બનાવ્યાં છે તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે
બીજાઓનું પણ કરવાનું છે. બાપ કહે છે તમે ફલાણા સેવાકેન્દ્ર પર જાઓ, જઈને સર્વિસ (સેવા)
કરો. એક જગ્યાએ બેસી સર્વિસ નથી કરવાની. જેટલા જે હોશિયાર છે એટલો તેમને શોખ હોય
છે, જઈને અમે સર્વિસ કરીએ. ફલાણું નવું સેવાકેન્દ્ર ખુલ્યું છે, આ તો જાણે છે
કોણ-કોણ સેવાધારી છે, કોણ-કોણ આજ્ઞાકારી, વફાદાર, ફરમાનબરદાર છે. અજ્ઞાનકાળ માં પણ
કપૂત બાળકો પર બાપ નારાજ થાય છે. આ તો બેહદનાં બાપ કહે છે હું બિલકુલ સાધારણ રીતે
સમજાવું છું, આમાં ડરવાની કોઈ વાત નથી. આ તો જે કરશે તે પામશે. શ્રાપ કે નારાજ થવાની
વાત નથી. બાપ સમજાવે છે કેમ નહીં સારી સર્વિસ કરી પોતાનું પણ અને બીજાઓનું પણ
કલ્યાણ કરે. જેટલું જે અનેકોનું કલ્યાણ કરે છે એટલાં બાબા પણ ખુશ થાય છે. બગીચામાં
બાબા જોશે આ ફૂલ કેટલું સારું છે. આ આખો બગીચો છે. બગીચાને જોવા માટે કહે છે - બાબા
અમે સેવાકેન્દ્રનું ચક્ર લગાવીએ. કેવાં-કેવાં ફૂલ છે! કેવી સર્વિસ કરી રહ્યાં છે!
જવાથી ખબર પડે છે. કેવા ખુશીમાં નાચતાં રહે છે. બાબા ને પણ આવી ને કહેતાં હતાં બાબા
ફલાણા ને અમે આમ સમજાવ્યું. આજે મારા પતિ ને, ભાઈ ને લઈ આવી છું. સમજાવ્યું છે બાબા
આવેલાં છે, તે કેવી રીતે હીરા જેવું જીવન બનાવે છે. સાંભળે છે તો ઈચ્છે છે અમે પણ
જોઈએ. તો બાળકો માં ઉમંગ આવે છે, લઈ આવે છે. વિશ્વની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવું
જોઈએ. તમે જજ કરી શકો છો ભારત આખાં વિશ્વનું માલિક હતું. હવે તો શું હાલત છે.
સતયુગ-ત્રેતા માં કેટલું સુખ હતું. હવે ફરી બાબા વિશ્વનાં માલિક બનાવી રહ્યાં છે. આ
પણ જાણો છો દુનિયામાં પાછળથી ખૂબ હંગામા થવાનાં છે. લડાઈ કોઈ બંધ થોડી થાય છે.
ક્યાંક ને ક્યાંક લાગતી રહે છે. જ્યાં જુઓ ત્યાં ઝઘડા જ છે. કેટલું ઘમસાણ લાગેલું
છે. વિલાયતમાં શું-શું થઈ રહ્યું છે. સમજતાં નથી કે અમે શું કરી રહ્યાં છીએ. કેટલાં
તોફાન લાગતાં રહે છે. મનુષ્ય પણ મરતાં રહે છે. કેટલી દુઃખ ની દુનિયા છે. આપ બાળકો
જાણો છો - આ દુઃખની દુનિયાથી બસ હવે ગયાં કે ગયાં. બાબા તો ધીરજ આપી રહ્યાં છે. આ
છી-છી દુનિયા છે. થોડા દિવસોમાં આપણે વિશ્વ પર શાંતિ થી રાજ્ય કરીશું. આમાં તો ખુશી
થવી જોઈએ ને. સેવાકેન્દ્રો ખુલતાં રહે છે. હવે જુઓ સેવાકેન્દ્ર ખુલે છે, બાબા લખે
છે હવે સારા-સારા બાળકો જાઓ. નામ પણ લખી આપું છું, જે દિલ પર ચઢેલાં હોય છે. અનેકો
નું કલ્યાણ થાય છે. એવું ઘણાં લખે છે - બાબા અમે તો બાંધેલી છીએ. સારું સેવાકેન્દ્ર
ખુલી જાય તો અનેક આવીને વારસો પામે. આ પણ જાણો છો કે આ બધું વિનાશ થઈ જવાનું છે તો
કેમ નહીં અનેકોનાં કલ્યાણ અર્થ કામમાં લગાવી દો. ડ્રામામાં એમનો એવો પાર્ટ છે. દરેક
પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. તરસ પડે છે. બીજાઓને પણ બંધન મુક્ત કરવાની કંઇક
તો મદદ કરીએ. તે પણ વારસો લઈ લે. બાપ ને કેટલી ચિંતા રહે છે. બધાં કામ ચિતા પર બળી
ગયાં છે. આખું કબ્રિસ્તાન થઈ પડ્યું છે. કહે પણ છે - અલ્લાહ આવીને કબ્રિસ્તાન થી
જગાડી સૌને લઈ જાય છે.
તમે હમણાં સમજો છો રાવણે કેવી રીતે હરાવ્યાં છે. આગળ થોડી સમજતાં હતાં. અમે ઝવેરી
લખપતિ છીએ, આટલાં બાળકો છે, નશો તો રહે છે ને. હવે સમજે છે અમે પૂરા પતિત હતાં. ભલે
જૂની દુનિયામાં કેટલાં પણ લખપતિ, કરોડપતિ છે પરંતુ આ બધું છે કોડી જેવું. હવે ગયાં
કે ગયાં. માયા પણ કેટલી પ્રબળ છે. બાપ કહે છે બાળકો સેવાકેન્દ્ર ખોલો, અનેકોનું
કલ્યાણ થઈ જશે. ગરીબ જલ્દી જાગે છે, ધનવાન જરા મુશ્કેલ જાગે છે. પોતાની ખુશીમાં જ
મસ્ત રહે છે. માયાએ એકદમ પોતાનાં વશ માં કરી લીધાં છે. સમજવાથી સમજે પણ છે પરંતુ
છોડે કેવી રીતે? ડર લાગે છે આમની માફક બધું છોડવું પડશે. તકદીર માં નથી તો ચાલી નથી
શકતાં. જેમ કે છૂટકારો પામવો જ મુશ્કેલ છે. એ સમયે વૈરાગ્ય આવે છે - બરાબર છી-છી
દુનિયા છે. પછી ત્યાંની ત્યાં રહી. કોટો માં કોઈ નીકળે છે. બોમ્બે માં સેંકડો આવે
છે. કોઈ-કોઈ ને રંગ લાગે છે. સમજે છે ભવિષ્યનાં માટે કંઈક બનાવી લઈએ. કોડીનાં બદલે
અમને હીરા મળી જશે. બાપ સમજાવે છે ને - બેગ-બેગેજ બધું ટ્રાન્સફર કરો સ્વર્ગ માં.
ત્યાં ૨૧ જન્મનાં માટે તમને રાજ્ય-ભાગ્ય મળશે. કોઈ-કોઈ એક રુપિયો ૮ આના પણ મોકલી દે
છે. બાપ કહે છે એક રુપિયો પણ તમારો શિવબાબા નાં ખજાનામાં જમા થયો. તમને ૨૧ જન્મોનાં
માટે મહેલ મળી જશે. સુદામા નું દૃષ્ટાંત છે ને. એવાં-એવાં ને જોઈ બાબાને ખુબ ખુશી
થાય છે. વગર કોઈ ખર્ચે આપ બાળકો ને વિશ્વની બાદશાહી મળે છે. લડાઈ વગેરે કંઈ પણ નહીં.
તે તો થોડા ટુકડા માટે પણ કેટલાં લડે છે. તમને ફક્ત કહે છે મનમનાભવ. બસ અહીંયા
બેસવાની દરકાર નથી, ચાલતાં ફરતાં બાપ ને અને વારસા ને યાદ કરો. ખુશી માં રહો.
ખાન-પાન પણ શુદ્ધ રાખવાનું છે. તમે જાણો છો આપણી આત્મા ક્યાં સુધી પવિત્ર બની છે,
જે પછી જઈને પ્રિન્સ (રાજકુમાર) નો જન્મ લેશે. આગળ ચાલી દુનિયાની હાલત બિલકુલ ખરાબ
થવાની છે. ખાવા માટે અનાજ નહીં મળશે તો ઘાસ ખાવાં લાગશે. પછી એવું થોડી કહેશે માખણ
વગર અમે રહી નથી શકતાં. કંઈ પણ મળશે નહીં. હમણાં પણ કેટલીક જગ્યા પર મનુષ્ય ઘાસ
ખાઈને ગુજારો કરી રહ્યાં છે. તમે તો ખૂબ મોજમાં બાબા નાં ઘરમાં બેઠા છો. ઘરમાં બાપ
પહેલાં બાળકોને ખવડાવે છે ને. જમાનો બહુજ ખરાબ છે. અહીંયા તમે ખૂબ સુખી બેઠા છો.
ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરતાં રહો. પોતાનું અને સૌનું પણ કલ્યાણ કરવાનું છે.
આગળ ચાલી પોતે જ આવશે, તકદીર જાગશે. જાગવાની તો છે ને. બેહદની રાજધાની સ્થાપન થવાની
છે. દરેક કલ્પ પહેલાં માફક પુરુષાર્થ કરે છે. બાળકોએ તો બહુજ ખુશી માં રહેવું જોઈએ.
બાપદાદા નાં ચિત્ર જોતાં જ ખુશીમાં રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ. તે ખુશી નો પારો
સ્થાઈ રહેવો જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા અપાર
ખુશીમાં રહેવા માટે બેહદનું નોલેજ બુદ્ધિમાં રાખવાનું છે. જ્ઞાન રત્નો થી પોતાની
ઝોલી ભરીને પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું છે. નોલેજ માં ખુબ-ખુબ હોશિયાર
બનવાનું છે.
2. ભવિષ્ય ૨૧ જન્મો નાં રાજ્ય ભાગ્યનો અધિકાર લેવા માટે પોતાનાં બેગ-બેગેજ બધું
ટ્રાન્સફર કરી દેવાનું છે. આ છી-છી દુનિયાથી છૂટકારો પામવાની યુક્તિ રચવાની છે.
વરદાન :-
દરેક કર્મ રુપી
બીજ ને ફળદાયક બનાવવા વાળા યોગ્ય શિક્ષક ભવ
યોગ્ય શિક્ષક તેને
કહેવાય છે - જે સ્વયં શિક્ષા સ્વરુપ હોય કારણ કે શિક્ષા આપવાનું સૌથી સહજ સાધન છે
સ્વરુપ દ્વારા શિક્ષા આપવી. તે પોતાનાં દરેક કદમ દ્વારા શિક્ષા આપે છે, એમનાં દરેક
બોલ વાક્ય નહીં પરંતુ મહાવાક્ય કહેવાય છે. એમનું દરેક કર્મ રુપી બીજ ફળદાયક હોય છે,
નિષ્ફળ નહીં. આવાં યોગ્ય શિક્ષકનાં સંકલ્પ આત્માઓ ને નવી સૃષ્ટિ નાં અધિકારી બનાવી
દે છે.
સ્લોગન :-
મનમનાભવ ની
સ્થિતિ માં રહો તો અલૌકિક સુખ કે મનરસ સ્થિતિનો અનુભવ કરશો.