12-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સંગદોષ થી બચીને ભણતર પર પૂરે - પૂરું ધ્યાન આપો તો કોઈ પણ તોફાન ન આવી શકે , બાકી માયાને દોષી નહીં બનાવો ”

પ્રશ્ન :-
કઈ એક વાત સદા ધ્યાન પર રાખો તો બેડો પાર થઈ જશે?

ઉત્તર :-
“બાબા આપનો જે હુકમ”,આમ સદા બાપ નાં હુકમ પર ચાલતાં રહો તો તમારો બેડો પાર થઈ જશે. હુકમ પર ચાલવા વાળા માયાનાં વાર થી બચી જાય છે, બુદ્ધિ નું તાળું ખુલી જાય છે. અપાર ખુશી રહે છે. કોઈ પણ ઉલટું કામ નથી થતું.

ગીત :-
તુમ્હેં પાકે હમને …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બધાં સેવાકેન્દ્રોનાં બાળકો એ ગીત સાંભળ્યું. બધાં જાણે છે કે બેહદનાં બાપ થી ફરી થી ૫ હજાર વર્ષ પહેલાં માફક આપણે વિશ્વની બાદશાહી લઇ રહ્યાં છીએ. કલ્પ-કલ્પ આપણે લેતાં આવ્યાં છીએ. બાદશાહી લે છે પછી ગુમાવે છે. બાળકો જાણે છે હમણાં આપણે બેહદનાં બાપ ની ગોદ લીધી છે અથવા એમનાં બાળકો બન્યાં છીએ. છે પણ બરાબર. ઘરે બેઠાં પુરુષાર્થ કરે છે. બેહદનાં બાપ થી ઉંચ પદ પામવા માટે ભણતર ચાલી રહ્યું છે. તમે જાણો છો જ્ઞાન સાગર, પતિત-પાવન સર્વનાં સદ્દગતિ દાતા શિવબાબા જ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે.એમનાથી આપણે વારસો લઈએ છીએ તો એમાં કેટલો પુરુષાર્થ કરવો જોઈએ - ઉંચ પદ પામવા માટે. અજ્ઞાનકાળ માં પણ સ્કૂલમાં ભણે છે તો નંબરવાર માર્ક્સ થી પાસ થાય છે, પોતાનાં ભણતર અનુસાર. ત્યાં એવું તો કોઈ નહીં કહેશે કે માયા અમને વિઘ્ન નાખે છે કે તોફાન આવે છે. ઠીક રીતે થી ભણતા નથી અથવા ખરાબ સંગમાં જઇને ફસાઇ જાય છે. રમત-ગમત માં લાગી જાય છે એટલે ભણતાં નથી. નપાસ થઈ જાય છે. બાકી આને માયાનાં તોફાન નહીં કહેશું. ચલન ઠીક નથી રહેતી તો શિક્ષક પણ સર્ટિફિકેટ આપે છે કે આમની બદચલન છે. કુસંગ માં ખરાબ થયાં છે, એમાં માયા રાવણ ને દોષી બનાવવાની વાત નથી. મોટા-મોટા સારા વ્યક્તિઓનાં બાળકો કોઈ તો સારા ચઢી જાય છે, કોઈ દારુ વગેરે પીવા લાગી જાય છે. ગંદી તરફ ચાલ્યાં જાય છે તો બાપ પણ કહે છે કે કપૂત થઈ ગયાં છે. તે ભણતર માં તો ઘણાં વિષય હોય છે. આ તો એક જ પ્રકાર નું ભણતર છે. ત્યાં મનુષ્ય ભણાવે છે. અહીંયા બાળકો જાણે છે કે અમને ભગવાન ભણાવે છે. અમે સારી રીતે ભણીએ તો વિશ્વનાં માલિક બની શકીએ છીએ. બાળકો તો ઘણાં છે પછી કોઈ ભણી નથી શકતું, સંગદોષ માં આવીને. આને માયાનું તોફાન કેમ કહે? સંગદોષ માં કોઈ ભણતું નથી તો એમાં માયા કે શિક્ષક કે બાપ શું કરશે! નથી ભણી શકતાં તો ચાલ્યાં ગયાં પોતાનાં ઘરે. આ તો ડ્રામા અનુસાર પહેલાં ભઠ્ઠીમાં પડવાનું જ હતું. શરણ આવીને લીધી. કોઈને પતિ એ માર્યું, હેરાન કર્યા તો કોઈને વૈરાગ્ય આવી ગયો. ઘરમાં ચાલી નહીં શક્યાં પછી કોઈ અહીંયા આવી ને પણ ચાલ્યાં ગયાં, નથી બની શકતાં તો જઈને નોકરી વગેરેમાં લાગ્યાં કે લગ્ન કર્યા. આ તો એક બહાનું છે માયાના તોફાન થી ભણી નથી શકતાં. આ નથી સમજતા કે સંગદોષ નાં કારણે આ હાલ થયો અને અમારામાં વિકાર જબરજસ્ત છે. આ કેમ કહો છો કે માયા નું તોફાન લાગ્યું ત્યારે પડી ગયાં. આ તો પોતાનાં ઉપર આધાર છે.

બાપ, શિક્ષક, સદ્દગુરુ ની જે શિક્ષા મળે છે, એનાં પર ચાલવું જોઈએ. નથી ચાલતાં તો કોઈ ખરાબ સંગ છે અથવા કામનો નશો અથવા દેહ-અભિમાન નો નશો છે. બધાં સેવાકેન્દ્ર વાળા જાણે છે કે અમે બેહદનાં બાપ થી વિશ્વની બાદશાહી લેવા માટે ભણી રહ્યાં છીએ. નિશ્ચય નથી તો બેઠા જ કેમ છે બીજા પણ અનેક આશ્રમ છે. પરંતુ ત્યાં તો કંઈ પ્રાપ્તિ નથી. લક્ષ્ય-હેતુ નથી. તે બધાં નાનાં-નાનાં મઠ પંથ, ટાળ ટાળીઓ છે. ઝાડ વૃદ્ધિને પામવાનું જ છે. અહીંયા તો આ બધું કનેક્શન છે. મીઠા દૈવી ઝાડ નાં જે હશે તે નીકળી આવશે. સૌથી મીઠા કોણ હશે? જે સતયુગ નાં મહારાજા મહારાણી બને છે. હમણાં તમે સમજો છો જે પહેલા નંબરમાં આવે છે, એમણે જરુર સારું ભણતર ભણ્યું હશે. તે જ સૂર્યવંશી ઘર માં ગયાં. એવું પણ છે જે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં અર્પણમય જીવન છે. ખૂબક જ સેવા કરી રહ્યાં છે. ફરક છે ને. ભલે અહીંયા પણ રહે છે પરંતુ ભણાવી નથી શકતાં તો બીજી સેવામાં લાગી જાય છે. અંતમા થોડું રાજાઈ પદ પામી લેશે. જોવાય છે બહાર ગૃહસ્થ વ્યવહાર માં રહેવાવાળા બહુ આગળ થઈ જાય છે, ભણવા અને ભણાવવા માં. બધાં તો ગૃહસ્થી નથી. કન્યા કે કુમારને ગૃહસ્થી નહીં કહેશું અને જે વાનપ્રસ્થી છે તે ૬૦ વર્ષનાં પછી બધું બાળકોને આપી પોતે કોઈ સાધુ વગેરે નાં સંગ માં જઈને રહે છે. આજકાલ તો તમોપ્રધાન છે તો મરવા સુધી પણ ધંધો વગેરે છોડતા નથી. પહેલાં ૬૦ વર્ષમાં વાનપ્રસ્થ અવસ્થા માં ચાલ્યાં જતાં હતાં. બનારસ માં જઈને રહેતાં હતાં. આ બાાળકોએ સમજ્યું છે કે પાછું કોઈ જઈ નથી શકતું. સદ્દગતિ ને પામી નથી શકતાં.

બાપ જ મુક્તિ- જીવનમુક્તિ દાતા છે. તે પણ બધાં જીવનમુક્તિ ને નથી પામતાં. કોઈ તો મુક્તિમાં ચાલ્યાં જાય છે. હવે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે, પછી જે જેટલો પુરુષાર્થ કરે. એમાં પણ કુમારીઓ ને સારો ચાન્સ (તક) છે. પારલૌકિક બાપની વારિસ બની જાય છે. અહીંયા તો બધાં બાળકો બાપ થી વારસો લેવાનાં હકદાર છે. ત્યાં તો બાળકીઓ ને વારસો નથી મળતો. બાળકો ને લાલચ રહે છે. ભલે એવાં પણ છે જે સમજે છે કે આ પણ વારસો મળશે, તે પણ લઈએ, આને કેમ છોડીએ. બંને તરફ ભણે છે. એવા જાત-જાતનાં છે. હવે આ તો સમજે છે સારું જે ભણે છે તે ઉંચ પદ પામી લે છે. પ્રજામાં બહુજ સાહૂકાર બની જાય છે. અહીંયા રહેવા વાળાઓ ને અંદર જ રહેવું પડે છે. દાસ દાસીઓ બની જાય છે. પછી ત્રેતા નાં અંતમાં ૩-૪-૫ જન્મ કરીને રાજાઈ પદ મળશે, એમનાથી તો તે સાહૂકાર સારા છે જે સતયુગ થી લઈને એમની સાહૂકારી કાયમ રહે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહીને સાહૂકારી પદ કેમ ન લેવું જોઈએ. કોશિશ કરે છે અમે રાજાઈ પદ પામીએ. પરંતુ જો ખસી જાય છે તો પ્રજામાં સારું પદ પામવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તે પણ તો ઉંચ પદ થયું ને. અહીંયા રહેવા વાળા થી બહાર રહેવા વાળા બહુજ ઉંચું પદ પામી શકે છે. બધો આધાર પુરુષાર્થ પર છે. પુરુષાર્થ ક્યારે છુપાઈ નથી શકતો. પ્રજામાં જે મોટામાં મોટા સાહૂકાર બનશે, તે પણ છૂપા નહીં રહે. એવું નથી કે બહાર વાળા ને કોઈ ઓછું પદ મળે છે. પાછળ થી રાજાઈ પદ પામવું સારું કે પ્રજામાં શરું થી લઈને ઊંચ પદ પામવું સારું? ગૃહસ્થ વ્યવહાર માં રહેવા વાળાને એટલાં માયાનાં તોફાન નથી આવતાં. અહીંયા વાળાને તોફાન ખુબ આવે છે. હિંમત કરે છે અમે શિવબાબા ની શરણ માં બેઠા છીએ પરંતુ સંગદોષ માં ભણતાં નથી. પાછળ થી બધી ખબર પડી જાય છે. સાક્ષાત્કાર થશે, કોણ શું પદ પામશે. નંબરવાર ભણે છે ને. કોઈ તો સેવાકેન્દ્ર ને પોતે જ ચલાવે છે. ક્યાંક તો સેવાકેન્દ્ર ચલાવવા વાળા થી પણ ભણવા વાળા આગળ થઈ જાય છે. બધું પુરુષાર્થ પર છે. એવું નહીં કે માયાનાં તોફાન આવે છે. ના. પોતાની ચલન ઠીક નથી. શ્રીમત પર નથી ચાલતાં. લૌકિક માં પણ આવું થાય છે. શિક્ષક કે મા-બાપ ની મત પર નથી ચાલતાં. તમે તો એવાં બાપ નાં બાળકો બન્યાં છો જેમને કોઈ બાપ જ નથી. ત્યાં તો બહાર બહુજ જવું પડે છે. ઘણાં બાળકો સંગદોષ માં ફસાઇ જાય છે તો નપાસ થઈ જાય છે. એવું કેમ કહેશો કે માયાનાં તોફાન આવે છે. આ પોતાની મૂર્ખતા છે. ડાયરેક્શન પર નથી ચાલતાં. એવી ચલન થી નપાસ થઈ જાય છે. ઘણાને તો લાલચ હોય છે, કોઈ માં ક્રોધ, કોઈ માં ચોરી ની આદત, અંતમાં ખબર તો પડી જાય છે. ફલાણા-ફલાણા આવી-આવી ચલન નાં કારણે ચાલ્યાં ગયાં. સમજાય છે શૂદ્ર કુળ નાં બની ગયાં. એમને પછી બ્રાહ્મણ નહીં કહેશું. પછી જઈને શૂદ્ર બની ગયાં. ભણતર છોડી દીધું. થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો પ્રજા માં આવી જશે. મોટું ઝાડ છે. ક્યાં-ક્યાંથી નીકળી આવશે. દેવી-દેવતા ધર્મ નાં બીજા ધર્મ માં કન્વર્ટ (બદલી) થઇ ગયા હશે તે પણ નીકળી આવશે. અનેક આવશે તો બધાં વન્ડર (આશ્ચર્ય) ખાશે. બીજા ધર્મ વાળા પણ મુક્તિ નો વારસો તો લઈ શકે છે ને. અહીંયા કોઈ પણ આવી શકે છે. પોતાનાં કુળમાં ઊંચ પદ પામવું હશે તો તે પણ આવીને લક્ષ્ય લઈને જશે. બાબાએ તમને સાક્ષાત્કાર કરાવ્યો હતો કે તે પણ આવી ને લક્ષ્ય લઈને જાય છે. એવું નહીં કે અહીંયા રહીને જ લક્ષ્ય માં રહી શકશે. કોઈ પણ ધર્મ વાળા લક્ષ્ય લઈ શકે છે. લક્ષ્ય મળે છે - બાપ ને યાદ કરો. શાંતિધામ ને યાદ કરો તો પોતાનાં ધર્મમાં ઊંચ પદ પામી લેશે. એમને જીવનમુક્તિ તો મળવાની નથી, ન ત્યાં આવશે. દિલ લાગશે નહીં. સાચું દિલ એમનું લાગે છે જે અહીંયાનાં છે. અંત માં આત્માઓ પોતાનાં બાપને તો જાણી જાય. ઘણાં સેવાકેન્દ્રો પર એવાં પણ છે જેમનું ભણતર પર અટેન્શન (ધ્યાન) નથી. તો સમજાઈ જાય છે ઊંચ પદ નહીં પામી શકશે. નિશ્ચય હોય તો એમ ન કહી શકે કે ફુરસદ નથી. પરંતુ તકદીરમાં નથી તો કહે છે ફુરસદ નથી, આ કામ છે. તકદીરમાં હશે તો દિવસ-રાત પુરુષાર્થ કરવાં લાગી જશે. ચાલતાં-ચાલતાં સંગમાં પણ ખરાબ થઇ જાય છે. એને ગ્રહચારી પણ કહી શકાય છે. બૃહસ્પતિની દશા બદલાઈને મંગળ ની દશા થઇ જાય છે. કદાચ આગળ ચાલીને ઉતરી જાય. કોઈનાં માટે બાબા કહે છે રાહુ ની દશા બેઠી છે. ભગવાનનું પણ નથી માનતાં. સમજે છે આ બ્રહ્મા કહે છે. બાળકોને આ નથી ખબર પડતી કે કોણ છે જે ડાયરેક્શન આપે છે. દેહ-અભિમાન હોવાનાં કારણે સાકારનાં માટે સમજી લે છે. દેહી-અભિમાની હોય તો સમજે કે શિવબાબા જે પણ કહે છે તે અમારે કરવાનું છે. જવાબદારી શિવબાબા પર છે. શિવબાબા ની મત પર તો ચાલવું જોઈએ ને. દેહ-અભિમાન માં આવવાથી શિવબાબા ને ભૂલી જાય છે પછી શિવબાબા ની જવાબદારી નથી રહેતી. એમનો ઓર્ડર તો માથા પર ધારણ કરવો જોઈએ. પરંતુ સમજતાં નથી કે કોણ સમજાવે છે. તે પણ બીજું તો કોઈ ઓર્ડર નથી કરતું ફક્ત બાપ કહે છે હું તમને શ્રીમત આપું છું . એક તો મને યાદ કરો અને જે જ્ઞાન હું સંભળાવુ છું તે ધારણ કરો અને કરાવો. બસ આ જ ધંધો કરો. અચ્છા બાબા જે હુકમ. રાજાઓનાં આગળ જે રહે છે તે એવું કહે છે - “જે હુકમ”. તે રાજાઓ હુકમ કરતાં હતાં. આ શિવબાબા નો હુકમ છે. ઘડી-ઘડી કહેવું જોઈએ - “જે હુકમ શિવબાબા”. તો તમને ખુશી પણ રહેશે. સમજશે શિવબાબા હુકમ આપે છે. યાદ રહેશે શિવબાબાની, તો બુદ્ધિ નું તાળું ખુલી જશે. શિવબાબા કહે છે આ પ્રેક્ટિસ (અભ્યાસ) પડી જવી જોઈએ તો બેડો પાર થઈ જાય. પરંતુ આ જ મુશ્કિલ છે. ઘડી-ઘડી ભૂલી જાય છે. એવું કેમ કહેવું જોઈએ કે માયા ભુલાવે છે. આપણે ભૂલી જઈએ છીએ એટલે ઉલ્ટાં કામ થતાં રહે છે.

ઘણી બાળકીઓ છે, જ્ઞાન તો બહુ સારું આપે છે પરંતુ યોગ નથી, જેનાથી વિકર્મ વિનાશ થાય. એવાં બહુ જ સારા-સારા બાળકો છે, યોગ બિલકુલ નથી. ચલન થી સમજાય છે - યોગમાં નથી રહેતાં પછી પાપ રહી જાય છે જે ભોગવવાં પડે છે. આમાં તોફાનની તો વાત જ નથી. સમજો આ મારી ભૂલ છે, હું શ્રીમત પર ચાલતો નથી. અહીંયા તમે આવ્યા છો રાજયોગ શીખવાં. પ્રજાયોગ નથી શીખવાડાતો. માત પિતા તો છે જ. એમને ફોલો કરો તો તમે પણ ગદ્દી નશીન બનશો. આમનું તો સર્ટેન (નિશ્ચિત) છે ને. આ શ્રી લક્ષ્મી-નારાયણ બને છે તો ફોલો મધર ફાધર. બીજા ધર્મ વાળા મધર ફાધર ને ફોલો નથી કરતાં. તે તો ફાધર ને જ માને છે. અહીંયા તો બંને છે. ગોડ તો છે ક્રિયેટર (રચયિતા). મધર નું પછી ગુપ્ત રહસ્ય છે. મા-બાપ ભણાવતાં રહે છે. સમજાવે છે આવું નહીં કરો, આ કરો. શિક્ષક કોઈ પણ સજા આપશે તો સ્કૂલ ની વચમાં જ આપશે ને. એવું થોડી બાળક કહેશે કે મારી ઈજ્જત લો છો. બાપ ૫-૬ બાળકોનાં આગળ થપ્પડ મારશે. તો એવું બાળક થોડી કહેશે કે ૫-૬ નાં આગળ કેમ માર્યો. ના. અહીંયા તો બાળકોને શિક્ષા અપાય છે તો પણ નથી ચાલી શકતાં તો સારું ગૃહસ્થ વ્યવહાર માં રહી ને પછી પુરુષાર્થ કરો. જો અહીંયા બેસી ડિસસર્વિસ કરી તો જે કંઈ પણ થોડું હશે તે પણ ખતમ થઇ જશે. નથી ભણવું તો છોડી દો. બસ અમે ચાલી નથી શકતાં. ગ્લાની કેમ કરવી જોઈએ. અનેક બાળકો છે. કોઈ ભણશે કોઈ છોડી દેશે. દરેકે પોતાનાં ભણતરમાં મસ્ત રહેવું જોઈએ.

બાપ કહે છે એક-બે થી સેવા નહીં લો. કોઈ અહંકાર ન આવવો જોઈએ. બીજાથી સેવા લેવી આ પણ દેહ અહંકાર છે. બાબાએ સમજાવું તો પડે ને. નહીં તો જ્યારે ટ્રીબ્યુનલ બેસશે ત્યારે કહેશે - અમને થોડી ખબર હતી કાયદા કાનુન ની એટલે બાપ સમજાવી દે છે પછી સાક્ષાત્કાર કરાવી સજા આપશે. વગર પ્રૂફ (પ્રમાણ) સજા થોડી જ મળી શકે છે. અચ્છા, સમજાવે તો ખુબ છે કલ્પ પહેલાં માફક. દરેક ની તકદીર જોવાય છે. ઘણાં સર્વિસ કરી પોતાનું જીવન હીરા જેવું બનાવે છે, ઘણાં છે જે તકદીર ને લકીર લગાવી દે છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ, શિક્ષક, સદ્દગુરુ દ્વારા જે શિક્ષાઓ મળે છે એનાં પર ચાલવાનું છે. માયાને દોષ ન આપી પોતાની કમીઓની તપાસ કરી તેને કાઢવાની છે.

2. અહંકાર નો ત્યાગ કરી પોતાનાં ભણતર માં મસ્ત રહેવાનું છે. ક્યારેય બીજાઓથી સેવા નથી લેવાની. સંગદોષ થી બહુજ-બહુજ સંભાળ કરવાની છે.

વરદાન :-
નિશ્ચય નાં આધાર પર સદા એકરસ અચળ સ્થિતિમાં સ્થિત રહેવા વાળા નિશ્ચિંત ભવ

નિશ્ચયબુદ્ધિ ની નિશાની છે જ સદા નિશ્ચિંત. તે કોઇ પણ વાતમાં ડગમગ નથી થઈ શકતાં, સદા અચળ રહેશે એટલે કંઈ પણ હોય વિચારો નહીં - શું, શા માટે, માં ક્યારેય નહીં જાઓ, ત્રિકાળદર્શી બની નિશ્ચિંત રહો કારણ કે દરેક કદમમાં કલ્યાણ છે. જ્યારે કલ્યાણકારી બાપનો હાથ પકડ્યો છે તો તે અકલ્યાણ ને પણ કલ્યાણ માં બદલી દેશે એટલે સદા નિશ્ચિંત રહો.

સ્લોગન :-
જે સદા સ્નેહી છે તે દરેક કાર્ય માં સ્વત: સહયોગી બને છે.