20-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારો
ધંધો છે મનુષ્યો ને સજાગ ( જાગૃત ) કરવાં , રસ્તો બતાવવો , જેટલાં તમે દેહી -
અભિમાની બની ને બાપ નો પરિચય સંભળાવશો એટલું કલ્યાણ થશે”
પ્રશ્ન :-
ગરીબ બાળકો
પોતાની કઈ વિશેષતા નાં આધાર પર સાહૂકારો થી આગળ જાય છે?
ઉત્તર :-
ગરીબોમાં દાન-પુણ્યની બહુજ શ્રદ્ધા રહે છે. ગરીબ ભક્તિ પણ લગન થી કરે છે.
સાક્ષાત્કાર પણ ગરીબો ને થાય છે. સાહૂકારો ને પોતાનાં ધનનો નશો રહે. પાપ વધારે થાય
એટલે ગરીબ બાળકો એમના થી આગળ ચાલ્યાં જાય છે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
તુમ માત-પિતા
હમ બાલક તેરે….. આ તો જરુર પરમપિતા પરમાત્મા ની મહિમા ગવાઈ છે. આ તો સ્પષ્ટ મહિમા
છે કારણ કે તે રચયિતા છે. લૌકિક મા-બાપ પણ બાળકોનાં રચયિતા છે. પારલૌકિક બાપ ને પણ
રચતા કહેવાય છે. બંધૂ, સહાયક… ખૂબ મહિમા ગાઈ છે. લૌકિક બાપની એટલી મહિમા નથી.
પરમપિતા પરમાત્માની મહિમા જ અલગ છે. બાળકો પણ મહિમા કરે છે જ્ઞાનનાં સાગર છે,
નોલેજફુલ છે. એમનામાં બધું જ્ઞાન છે. નોલેજ કોઈ શરીર નિર્વાહનું ભણતર નથી. એમને
જ્ઞાનનાં સાગર નોલેજફુલ કહેવાય છે. તો જરુર એમની પાસે જ્ઞાન છે પરંતુ કયું જ્ઞાન? આ
સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, એનું જ્ઞાન છે. તો એ જ જ્ઞાન સાગર પતિત નાં-પાવન છે.
કૃષ્ણ ને ક્યારેય પતિત-પાવન કે જ્ઞાનનાં સાગર નથી કહેતાં. એમની મહિમા બિલકુલ ન્યારી
છે. બંને છે ભારતનાં નિવાસી. શિવબાબા ની પણ ભારતમાં મહિમા છે. શિવ જયંતી પણ અહીંયા
મનાવે છે. કૃષ્ણની જયંતી પણ મનાવે છે. ગીતાની પણ જયંતી મનાવે છે. ૩ જયંતી મુખ્ય છે.
હવે પ્રશ્ન ઉઠે છે કે પહેલાં જયંતી કોની થઈ હશે? શિવ ની કે કૃષ્ણ ની? મનુષ્ય તો
બિલકુલ જ બાપ ને ભૂલેલાં છે. કૃષ્ણ ની જયંતી ખૂબ જ ધૂમધામ થી, પ્રેમ થી મનાવે છે.
શિવજયંતી ની એટલી કોઈને ખબર નથી, ન ગાયન છે. શિવે શું આવીને કર્યું? એમની બાયોગ્રાફી
(જીવનકથા) ની કોઈને ખબર નથી. કૃષ્ણની તો ખૂબ વાતો લખી દીધી છે. ગોપીઓ ને ભગાવી, આ
કર્યું. કૃષ્ણનાં ચરિત્રોની ખાસ એક મેગેઝીન પણ નીકળેલી છે. શિવનાં ચરિત્ર વગેરે
કાંઈ છે નહીં. કૃષ્ણની જયંતી ક્યારે થઇ પછી ગીતાની જયંતી ક્યારે થઈ? કૃષ્ણ જ્યારે
મોટા થાય ત્યારે તો જ્ઞાન સંભળાવે. કૃષ્ણનાં બાળપણ ને તો દેખાડે છે, ટોકરી માં
નાખીને પાર લઈ ગયાં. યુવાનીનું દેખાડે છે, રથ પર ઉભાં છે. ચક્ર ચલાવે છે. ૧૬-૧૭
વર્ષનાં હશે. બાકી ચિત્ર નાનપણ નાં દેખાડ્યાં છે. હવે ગીતા ક્યારે સંભળાવી. એજ સમયે
તો નહીં સંભળાવી હશે. જ્યારે લખે છે ફલાણીને ભગાવી, આ કર્યુ. એ સમયે તો જ્ઞાન શોભે
પણ નહીં. જ્ઞાન તો જ્યારે અનુભવી થાય ત્યારે સંભળાવે. ગીતા પણ થોડાં સમય પછી સંભળાવી
હશે. હવે શિવે શું કર્યું, કાંઈ ખબર નથી. અજ્ઞાન નીંદર માં સૂતેલાં છે. બાપ કહે છે
મારી બાયોગ્રાફી ની કોઈને ખબર નથી. મેં શું કર્યું? મને જ પતિત-પાવન કહે છે. હું આવું
છું તો સાથે ગીતા છે. હું સાધારણ વૃદ્ધ અનુભવી તન માં આવું છું. શિવ જયંતી તમે
ભારતમાં જ મનાવો છો. કૃષ્ણ જયંતી, ગીતા જયંતી આ ૩ મુખ્ય છે. રામ ની જયંતી તો પછી
થાય છે. આ સમયે જે કંઇ થાય છે તે પછી મનાવાય છે. સતયુગ ત્રેતા માં જયંતી વગેરે હોતી
નથી. સૂર્યવંશી થી ચંદ્રવંશી વારસો લે છે બીજા કોઈની મહિમા નથી. ફક્ત રાજાઓનો
કોરોનેશન (રાજ્યભિષેક) મનાવતાં હશે. બર્થ ડે (જન્મદિવસ) તો આજકાલ બધાં મનાવે છે. તો
તે કોમન (સાધારણ) વાત થઈ. કૃષ્ણએ જન્મ લીધો મોટા થઈને રાજધાની ચલાવી, એમાં મહિમાની
તો વાત જ નથી. સતયુગ-ત્રેતા માં સુખ નું રાજ્ય ચાલ્યું આવ્યું છે. તે રાજ્ય ક્યારે,
કેવી રીતે સ્થાપન થયું! આ આપ બાળકોની બુદ્ધિમાં છે. બાપ કહે છે બાળકો હું કલ્પ-કલ્પ,
કલ્પનાં સંગમયુગ પર આવું છું. કળયુગ નો અંત છે પતિત દુનિયા. સતયુગ આદિ પાવન દુનિયા.
હું બાપ પણ છું. આપ બાળકો ને વારસો પણ આપીશ. કલ્પ પહેલાં પણ તમને વારસો આપ્યો હતો
એટલે તમે મનાવતાં આવ્યાં છો. પરંતુ નામ ભૂલી જવાથી કૃષ્ણનું નામ નાખી દીધું છે.
મોટામાં મોટા શિવ છે ને. પહેલાં તો જ્યારે એમની જયંતી હોય ત્યાર પછી સાકાર મનુષ્ય
ની હોય. આત્માઓ તો બધી હકીકતમાં ઉપર થી ઉતરે છે. મારું પણ અવતરણ છે. કૃષ્ણએ તો
માતાનાં ગર્ભ થી જન્મ લીધો, પાલના લીધી. બધાએ પુનર્જન્મ માં આવવાનું જ છે. શિવબાબા
પુનર્જન્મ નથી લેતાં. આવે તો છે ને. તો આ બધું બાપ બેસી સમજાવે છે. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર ની ત્રિમૂર્તિ દેખાડે છે ને. બ્રહ્મા દ્વારા સ્થાપના, કારણ કે શિવ ને તો પોતાનું
શરીર છે નહીં. પોતે બેસી બતાવે છે હું આમનાં વૃદ્ધ તન માં આવું છું. આ પોતાનાં
જન્મોને નથી જાણતાં. આમનાં અનેક જન્મોનાં અંત નો આ જન્મ છે. તો પહેલાં-પહેલાં
સમજાવવું પડે. શિવ જયંતી મોટી કે શ્રીકૃષ્ણ જયંતી મોટી? જો કૃષ્ણએ ગીતા સંભળાવી તો
ગીતા જયંતી તો શ્રી કૃષ્ણનાં અનેક વર્ષોનાં પછી હોઈ શકે, જ્યારે કૃષ્ણ મોટા હોય. આ
બધી સમજવાની વાતો છે ને. પરંતુ હકીકત માં શિવ જયંતી નાં પછી થઈ તરત ગીતા જયંતી. આ
પણ પોઈન્ટ્સ (વાત) બુદ્ધિમાં રાખવાની છે. પોઇન્ટ તો અનેક છે. નોંધ કર્યા વગર યાદ રહી
ન શકે. બાબા આટલાં નજીક છે, એમનો રથ છે, તે પણ કહે છે બધાં પોઇન્ટ્સ સમય પર યાદ આવી
જાય, મુશ્કેલ છે. બાબા એ સમજાવ્યું છે બધાને બે બાપનું રહસ્ય સમજાવો. શિવબાબા ની
જયંતી મનાવે છે, જરુર આવતાં હશે. જેમ ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે આવીને પોતાનો ધર્મ
સ્થાપન કરે છે. તે પણ આત્મા આવીને પ્રવેશ કરી ધર્મ સ્થાપન કરે છે. એ છે હેવનલી ગોડ
ફાધર, સૃષ્ટિનાં રચયિતા. તો જરુર નવી સૃષ્ટિ રચશે. જૂની થોડી રચશે. નવી સૃષ્ટિ ને
સ્વર્ગ કહેવાય છે, હમણાં છે નર્ક. બાબા કહે છે હું કલ્પ-કલ્પ નાં સંગમ પર આવીને આપ
બાળકો ને રાજયોગ નું જ્ઞાન આપું છું. આ છે ભારતનો પ્રાચીન યોગ. કોણે શીખવાડ્યો?
શિવબાબાનું નામ તો ગુમ કરી દીધું છે. એક તો કહે ગીતાનાં ભગવાન શ્રીકૃષ્ણ અને વિષ્ણુ
વગેરેનાં નામ આપી દે છે. શિવબાબાએ રાજ્યોગ શીખવાડ્યો હતો. કોઈને ખબર નથી. શિવ જયંતી
નિરાકાર ની જયંતી જ દેખાડે છે. એ કેવી રીતે આવ્યાં, શું આવીને કર્યું? એ તો સર્વનાં
સદ્દગતિ દાતા, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. હમણાં સર્વ આત્માઓ ને
ગાઈડ જોઈએ પરમાત્મા. તે પણ આત્મા છે. જેમ મનુષ્યોનાં ગાઈડ પણ મનુષ્ય હોય છે, તેમ
આત્માઓનાં ગાઈડ પણ આત્મા જોઈએ. એ તો સુપ્રીમ આત્મા જ કહેશું. મનુષ્ય તો બધાં
પુનર્જન્મ લઈ પતિત બને છે. પછી પાવન બનાવી પાછું કોણ લઈ જાય? બાપ કહે છે હું જ આવીને
પાવન થવાની યુક્તિ બતાવું છું. તમે મને યાદ કરો. કૃષ્ણ તો કહી ન શકે કે દેહનાં સબંધ
છોડો. તે તો ૮૪ જન્મ લે છે. બધાં સંબંધો માં આવે છે. બાપ ને પોતાનું શરીર નથી. તમને
આ રુહાની યાત્રા બાપ શીખવાડે છે. આ છે રુહાની બાપનું રુહાની બાળકો પ્રતિ રુહાની
નોલેજ. કૃષ્ણ કોઇ નાં રુહાની બાપ થોડી છે. બધાનો રુહાની બાપ હું છું. હું જ ગાઈડ બની
શકું છું. લિબરેટર, ગાઈડ, બ્લિસફુલ, પીસફુલ, એવરપ્યોર બધું મારા માટે કહે છે. હમણાં
આપ આત્માઓ ને નોલેજ આપી રહ્યો છું. બાપ કહે છે હું આ શરીર દ્વારા તમને આપી રહ્યો
છું. તમે પણ શરીર દ્વારા નોલેજ લઈ રહ્યાં છો. એ છે ગોડફાધર. એમનું રુપ પણ બતાવ્યું
છે. જેમ આત્મા બિંદી છે, તેમ પરમાત્મા પણ બિંદી છે. આ કુદરત છે ને. હકીકતમાં મોટી
કુદરત તો આ છે. આટલાં નાના સ્ટાર (તારા) માં ૮૪ જન્મો નો પાર્ટ છે. આ છે કુદરત.
બાપનો પણ ડ્રામામાં પાર્ટ છે. ભક્તિમાર્ગ માં પણ તમારી સેવા કરે છે. તમારી આત્મામાં
૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી છે, આને કહેવાય છે કુદરત, આનું વર્ણન કેવી રીતે કરે. આટલી
નાની આત્મા છે. આ વાતો સાંભળીને વન્ડર (આશ્ચર્ય) ખાય છે. આત્મા છે પણ સ્ટાર માફક.
૮૪ જન્મ એક્યુરેટ ભોગવે છે. સુખ પણ તે એક્યુરેટ ભોગવશે. આ છે કુદરત. બાપ પણ છે આત્મા,
પરમ આત્મા. એમનામાં બધું નોલેજ ભરેલું છે, જે બાળકો ને સમજાવે છે. આ છે નવી વાતો,
નવાં મનુષ્ય સાંભળીને કહેશે આમનું જ્ઞાન તો કોઈ શાસ્ત્ર વગેરેમાં પણ નથી. છતાં પણ
જેમણે કલ્પ પહેલા સાંભળ્યું છે, વારસો લીધો છે એ જ વૃદ્ધિ ને પામતાં રહે છે. સમય
લાગે છે. પ્રજા અનેક બને છે. તે તો સહજ છે. રાજા બનવામાં મહેનત છે. મનુષ્ય જે ખૂબ
ધન દાન કરે છે તો રાજાઈ ઘરમાં જન્મ લે છે. ગરીબ પણ પોતાની હિમ્મત અનુસાર જે કંઈ દાન
કરતાં હશે તો તે પણ રાજા બને છે. જે પૂરા ભગત હોય છે તે દાન પુણ્ય પણ કરે છે.
સાહૂકારો થી પાપ વધારે થતાં હશે. ગરીબોમાં શ્રદ્ધા ખૂબ રહે છે. તે ખૂબ પ્રેમ થી થોડું
પણ દાન કરે છે તો ખૂબ મળે છે. ગરીબ ભક્તિ પણ ખૂબ કરે છે. દર્શન આપો નહીં તો અમે ગળુ
કાપી નાખીએ. સાહૂકારો એવું નહીં કરશે. સાક્ષાત્કાર પણ ગરીબો ને થાય છે. તે જ
દાન-પુણ્ય કરે છે, રાજાઓ પણ તે બને છે. પૈસા વાળા ને અહંકાર રહે છે. અહીંયા પણ ગરીબો
ને ૨૧ જન્મો નું સુખ મળે છે. ગરીબ વધારે છે. સાહૂકાર અંતમાં આવશે. તો ભારત જે આટલો
ઊંચ હતો તો પછી આટલો ગરીબ કેવી રીતે થયો, તમે સમજો છો. અર્થક્વેક (ધરતીકંપ) વગેરેમાં
બધાં મહેલ વગેરે ચાલ્યાં જશે તો ગરીબ થઇ જશે. રાવણ રાજ્ય હોવાથી હાહાકાર થઈ જાય છે
તો પછી એવી વસ્તુ રહી ન શકે. દરેક વસ્તુની આયુ તો હોય છે ને. ત્યાં જેમ મનુષ્યો ની
આયુ મોટી હોય છે તેમ મકાન ની પણ આયુ મોટી હોય છે. સોના નાં, માર્બલ નાં મોટાં-મોટાં
મકાન બનતાં જશે. સોના નાં તો વધારે જ મજબૂત હશે. નાટકમાં પણ દેખાડે છે ને - લડાઈ
થાય છે, મકાન તૂટી-ફૂટી જાય છે. પછી બની જાય છે. એમની બનાવટ એવી હોય છે. આ જે
સ્વર્ગનાં મહેલ વગેરે બનાવશે, એવું તો નહીં દેખાડશે મિસ્ત્રી લોકો કેવી રીતે મકાન
બનાવે છે. હાં સમજે છે એ જ મકાન હશે. આગળ ચાલી તમને સાક્ષાત્કાર થશે. એવું વિવેક કહે
છે. આ વાતો થી બાળકો ને મતલબ નથી. બાળકોએ તો ભણતર ભણવાનું છે. સ્વર્ગનાં માલિક
બનવાનું છે. સ્વર્ગ અને નર્ક અનેક વખત પસાર થયું છે. હમણાં બંને પસાર થયાં છે. હમણાં
છે સંગમ. સતયુગમાં આ નોલેજ નહીં હશે. આ સમયે આપ બાળકો ને પુરું નોલેજ છે.
લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કોણે આપ્યું હતું. હમણાં આપ બાળકો ને ખબર છે. આમણે આ
વારસો ક્યાંથી પામ્યો. અહીંયા ભણતર ભણીને સ્વર્ગનાં માલિક બને છે. પછી ત્યાં જઈને
મહેલ વગેરે બનાવે છે. સર્જન પણ મોટી-મોટી હોસ્પિટલ બનાવે છે ને.
બાપ આપ બાળકોને દિવસ પ્રતિદિવસ સારી-સારી પોઇન્ટ્સ સંભળાવી રહ્યાં છે. તમારો ધંધો જ
છે - મનુષ્યો ને સજાગ કરવાં, રસ્તો બતાવવો. જેમ બાપ કેટલાં પ્રેમ થી બેસી સમજાવે
છે. દેહ-અભિમાન ની દરકાર નથી. બાપ ને ક્યારેય દેહ-અભિમાન નથી હોઈ શકતું. તમને મહેનત
બધી દેહી-અભિમાની થવામાં લાગે છે. જે દેહી-અભિમાની બની બાપનો બેસી પરિચય આપે છે,
એટલે અનેકોનું કલ્યાણ કરે છે. પહેલાં દેહ-અભિમાન આવવાથી પછી બીજા વિકાર આવે છે. લડવું,
ઝઘડવું, નવાબી થી ચાલવું, દેહ-અભિમાન છે. ભલે પોતાનો રાજયોગ છે, તો પણ ખૂબ સાધારણ
રહેવાનું છે. થોડી વસ્તુમાં અહંકાર આવી જાય છે. ઘડિયાળ ફેશનેબલ (ફેન્સી) જોઈ તો દિલ
થશે આ પહેરું. વિચાર ચાલતાં રહેશે. આને પણ દેહ-અભિમાન કહેવાય છે. સારી ઊંચી વસ્તુ
હશે તો સંભાળવી પડશે. ખોવાઈ થશે તો વિચાર ચાલશે. અંત સમયે કાંઈ પણ યાદ આવ્યું તો પદ
ભ્રષ્ટ થઈ જશે. આ દેહ-અભિમાન ની આદતો છે. પછી સર્વિસનાં બદલે ડિસસર્વિસ પણ જરુર કરશે.
રાવણે તમને દેહ-અભિમાની બનાવ્યાં છે. જુઓ છો બાબા કેટલાં સાધારણ ચાલે છે. દરેકની
સર્વિસ જોવાય છે. મહારથી બાળકોએ પોતાનો શો કરવાનો છે. મહારથીઓ ને જ લખાય છે તમે
ફલાણી જગ્યા જઈને ભાષણ કરો. એક બે ને બોલાવે છે. પરંતુ બાળકોમાં દેહ-અભિમાન ખૂબ રહે
છે. ભાષણમાં ભલે સારા છે પરંતુ આપસમાં રુહાની સ્નેહ નથી. દેહ-અભિમાન લૂણપાણી બનાવી
દે છે. કોઈ વાતમાં ઝટ બગડી જવું આ પણ થવું ન જોઈએ એટલે બાબા કહે છે કોઈ ને પણ પૂછવું
છે તો બાબાને આવીને પૂછે. કોઈ કહે બાબા તમને કેટલાં બાળકો છે? કહેશે બાળકો તો
અનગિણત છે પરંતુ કોઈ કપૂત, કોઇ સપૂત સારા-સારા છે. આવાં બાપનું તો ફરમાનવરદાર,
વફાદાર બનવું જોઈએ ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન
માં આવી ને કોઈ પણ પ્રકાર ની ફેશન નથી કરવાની. વધારે શોખ નથી રાખવાનાં. બહુજ-બહુજ
સાધારણ થઈને ચાલવાનું છે.
2. આપસમાં ખૂબ-ખૂબ રુહાની સ્નેહ થી ચાલવાનું છે, ક્યારેય પણ લૂણપાણી નથી થવાનું.
બાબાનાં સપૂત બાળક બનવાનું છે. અહંકાર માં ક્યારેય નથી આવવાનું.
વરદાન :-
સમર્પણતા
દ્વારા બુદ્ધિ ને સ્વચ્છ બનાવવા વાળા સર્વ ખજાનાઓ થી સંપન્ન ભવ
જ્ઞાન નો, શ્રેષ્ઠ
સમય નો ખજાનો જમા કરવો કે સ્થૂળ ખજાના ને એક થી લાખ ગણો બનાવવો અર્થાત્ જમા કરવું….
આ બધાં ખજાનાઓમાં સંપન્ન બનવાનો આધાર છે સ્વચ્છ બુદ્ધિ અને સાચું દિલ. પરંતુ બુદ્ધિ
સ્વચ્છ ત્યારે બને છે જ્યારે બુદ્ધિ દ્વારા બાપને જાણીને, તેને બાપનાં આગળ સમર્પણ
કરી દો. શૂદ્ર બુદ્ધિ ને સમર્પણ કરવી અર્થાત્ આપવી એ જ દિવ્ય બુદ્ધિ લેવી છે.
સ્લોગન :-
“એક બાપ બીજું
ન કોઈ” આ વિધિ દ્વારા સદા વૃદ્ધિ ને પ્રાપ્ત કરતાં રહો.