26-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સૌથી
મોટી બીમારી દેહ - અભિમાન ની છે , આનાંથી જ ડાઉન ફોલ ( પતન ) થયું છે , એટલે હવે
દેહી - અભિમાની બનો”
પ્રશ્ન :-
આપ બાળકો ની
કર્માતીત અવસ્થા ક્યારે થશે?
ઉત્તર :-
જ્યારે યોગબળ થી કર્મભોગ પર વિજય પ્રાપ્ત કરશો. પૂરે-પુરા દેહી-અભિમાની બનશો. આ
દેહ-અભિમાન નો જ રોગ સૌથી મોટો છે, આનાથી દુનિયા પતિત થઈ છે. દેહી-અભિમાની બનો તો
તે ખુશી, તે નશો રહે, ચલન પણ સુધરે.
ગીત :-
રાત કે રાહી થક મત જાના ...
ઓમ શાંતિ!
રાહી નો અર્થ
તો બાળકોએ સાંભળ્યો. બીજા તો કોઈ સમજાવી ન શકે સિવાય આપ બ્રહ્મા મુખ વંશાવલી
બ્રાહ્મણોનાં. તમે જે દેવી-દેવતા હતાં, હતાં તો મનુષ્ય પરંતુ તમારી ચલન ખૂબ સારી હતી.
તમે સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ હતાં. તમે વિશ્વનાં માલિક હતાં. હીરા જેવાં થી
કોડી જેવાં કેવી રીતે બન્યાં, આ કોઈ મનુષ્ય નથી જાણતું. તમે પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર પરિવર્તન થયાં છો. હમણાં તમે દેવતા બન્યાં નથી. રિજ્યુવનેટ (પરિવર્તન) થઈ
રહ્યાં છો. કોઈ થોડા બદલાયાં છે, કોઈની ૫ ટકા, કોઈની ૧૦ ટકા…. ચલન બદલાતી જાય છે.
દુનિયાને આ ખબર નથી ભારત જ હેવન હતું, કહે પણ છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં
ભારત માં દેવી-દેવતા હતાં, એમનામાં એવાં ગુણ હતાં જે એમને ભગવાન ભગવતી કહેતા હતાં.
હમણાં તો તે ગુણ છે નહીં. મનુષ્યની સમજમાં નથી આવતું, ભારત જે આટલું સાહૂકાર હતું,
એનું પછી ડાઉન ફોલ (પતન) કેવી રીતે થયું. તે પણ બાપ જ બેસી સમજાવે છે. તમે પણ સમજાવી
શકો છો, જેમની ચલન સુધરી છે. બાપ કહે છે બાળકો તમે દેવી-દેવતા હતાં તો આત્મ-અભિમાની
હતાં પછી જ્યારે રાવણ રાજ્ય શરું થયું તો દેહ-અભિમાની બની ગયાં છો. આ દેહ-અભિમાન ની
સૌથી મોટી બીમારી તમને લાગી ગઈ છે. સતયુગમાં તમે આત્મ-અભિમાની હતાં, બહુજ સુખી હતાં,
કોણે તમને આવાં બનાવ્યાં? આ કોઈ પણ નથી જાણતું. બાપ બેસી સમજાવે છે તમારું ડાઉન ફોલ
કેમ થયું. પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છો. ભારત કોડીતુલ્ય બની ગયું. તેનું મૂળ કારણ
શું છે? દેહ-અભિમાન. આ પણ ડ્રામા બનેલો છે. મનુષ્ય આ નથી જાણતાં કે ભારત આટલો
સાહૂકાર હતો પછી ગરીબ કેવી રીતે બન્યો, આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં પછી
આપણે કેવી રીતે ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બન્યાં. બાપ સમજાવે છે, રાવણ રાજ્ય થવાથી
તમે દેહ-અભિમાની બન્યાં, તો તમારી આ હાલત થવા લાગી. સીડી પણ દેખાડી છે - કેવી રીતે
ડાઉન ફોલ થયું, કોડીતુલ્ય નું પણ મુખ્ય કારણ દેહ-અભિમાન છે. આ પણ બાપ બેસી સમજાવે
છે. શાસ્ત્રોમાં કલ્પની આયુ લાખો વર્ષ લગાવી દીધી છે. આજકાલ સમજદાર છે ક્રિશ્ચિયન
લોકો. તે પણ કહે છે - ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઇઝ હતું, ભારતવાસી આ
સમજી નથી શકતાં કે પ્રાચીન ભારત જ હતું જેને સ્વર્ગ, હેવન કહેવાય છે. આજકાલ તો
ભારતની પૂરી હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણતાં જ નથી, થોડા બાળકોમાં થોડું જ્ઞાન છે તો
દેહ-અભિમાન આવી જાય છે. સમજે છે અમારાં જેવું કોઈ છે નહીં. બાપ સમજાવે છે ભારતની આવી
દુર્દશા કેમ થઈ? બાપુ ગાંધી પણ કહેતાં હતાં - પતિત-પાવન આવો, આવીને રામરાજ્ય સ્થાપન
કરો. આત્મા ને જરુર ક્યારેક બાપ થી સુખ મળ્યું છે, તો પતિત-પાવન ને યાદ કરે છે.
બાપ સમજાવે છે મારા બાળકો જે શુદ્ર થી બદલાઈ બ્રાહ્મણ બને છે તે પણ પૂરા
દેહી-અભિમાની નથી બનતાં. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાય છે. આ છે સૌથી જૂનો રોગ,
જેનાથી આ હાલ થયો છે. દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. જેટલાં દેહી-અભિમાની બનશો
એટલું બાપ ને યાદ કરશો. પછી અથાહ ખુશી રહેવી જોઈએ. ગવાય છે - પરવા હતી પાર બ્રહ્મમાં
રહેવા વાળા પરમેશ્વર ની તે મળી ગયાં, એમનાથી ૨૧ જન્મ નો વારસો મળે છે. બાકી શું
જોઈએ. તમે ફક્ત દેહી-અભિમાની બનો, મામેકમ્ યાદ કરો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો. આખી
દુનિયા દેહ-અભિમાન માં છે. ભારત જે આટલો ઊંચ હતો એનું ડાઉન ફોલ થયું છે.
હિસ્ટ્રી-જોગ્રોફી શું છે, આ કોઈ બતાવી ન શકે. આ વાતો કોઈ પણ શાસ્ત્રો માં નથી.
દેવતાઓ આત્મ-અભિમાની હતાં. જાણતા હતાં એક દેહને છોડી બીજું લેવાનું છે.
પરમાત્મ-અભિમાની નહોતાં. તમે જેટલું બાપ ને યાદ કરશો, દેહી-અભિમાની રહેશો એટલાં ખૂબ
મીઠા બનશો. દેહ-અભિમાન માં આવવાથી જ લડવું, ઝઘડવું, વાંદરાપણું આવી જાય છે, આ બાપ
સમજાવે છે. આ બાબા પણ સમજી રહ્યાં છે. બાળકો દેહ-અભિમાન માં આવીને શિવબાબા ને ભૂલી
જાય છે. સારા-સારા બાળકો દેહ-અભિમાન માં રહે છે. દેહી-અભિમાની બનતાં જ નથી. તમે
કોઈને પણ આ બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવી શકો છો. બરાબર સૂર્યવંશી-ચંદ્રવંશી
રાજધાની હતી. ડ્રામાની કોઈને પણ ખબર નથી. ભારત જે આટલું પડ્યું, ડાઉન ફોલ ની જડ છે
દેહ-અભિમાન. બાળકોમાં પણ દેહ-અભિમાન આવી જાય છે. આ નથી સમજતાં કે અમને ડાયરેક્શન (માર્ગદર્શન)
કોણ આપે છે. હંમેશા સમજો - શિવબાબા કહે છે. શિવબાબાને યાદ ન કરવાથી જ દેહ-અભિમાન
માં આવી જાય છે. આખી દુનિયા દેહ-અભિમાની બની ગઈ છે ત્યારે બાપ કહે છે મામેકમ્ યાદ
કરો, પોતાને આત્મા સમજો. આત્મા આ દેહ દ્વારા સાંભળે છે, પાર્ટ ભજવે છે. બાપ કેટલું
સારી રીતે સમજાવે છે. ભલે ભાષણ તો ખૂબ સારું કરી લે છે પરંતુ ચલન પણ તો સારી જોઈએ
ને. દેહ-અભિમાન હોવાનાં કારણે નાપાસ થઈ જાય છે. તે ખુશી કે નશો નથી રહેતો. પછી મોટા
વિકર્મ પણ એમનાથી થાય છે, જેનાં કારણે મોટા દંડ નાં ભાગી બની જાય છે. દેહ-અભિમાની
બનવાથી બહુજ નુકશાન ભોગવે છે. ખુબ સજા ખાવી પડે છે. બાપ કહે છે આ ગોડલી વર્લ્ડ
ગવર્મેન્ટ (ઈશ્વરીય વિશ્વ સરકાર) છે ને. મુજ ઈશ્વરીય સરકારનો રાઈટ હેન્ડ છે ધર્મરાજ.
તમે સારા કર્મ કરો છો તો એનું ફળ સારું મળે છે. ખોટા કર્મ કરો છો તો એની સજા ખાઓ
છો. બધાં ગર્ભ જેલમાં પણ સજાઓ ખાય છે. એનાં પર પણ એક કથા છે. આ બધી વાતો આ સમય ની
છે. મહિમા એક બાપની છે. બીજા કોઈની મહિમા છે નહીં એટલે લખાય છે ત્રિમૂર્તિ શિવ જયંતી
હીરાતુલ્ય. બાકી બધાં છે કોડીતુલ્ય. સિવાય શિવબાબા નાં પાવન કોઈ બનાવી ન શકે. પાવન
બને છે પછી રાવણ પતિત બનાવે છે. જેનાં કારણે બધાં દેહ-અભિમાની બની ગયાં છે. હવે તમે
દેહી-અભિમાની બનો છો. આ દેહી-અભિમાની અવસ્થા ૨૧ જન્મ ચાલે છે. તો બલિહારી એક ની
ગવાય છે. ભારતને સ્વર્ગ બનાવવા વાળા શિવબાબા છે, આ કોઈ ને ખબર નથી કે શિવબાબા ક્યારે
આવ્યાં, એમની હિસ્ટ્રી તો પહેલાં-પહેલાં જોઈએ. શિવ કહેવાય જ છે પરમપિતા પરમાત્મા
ને.
તમે જાણો છો દેહ-અભિમાન નાં કારણે પતન થાય છે. એવું થાય ત્યારે તો બાપ આવે રાઈઝ (ઉત્થાન)
કરવાં. ઉત્થાન અને પતન, દિવસ અને રાત, જ્ઞાન સૂર્ય પ્રગટ્યાં, અજ્ઞાન અંધકાર વિનાશ.
સૌથી વધારે અજ્ઞાન છે આ દેહ-અભિમાન. આત્મા ની તો કોઈને ખબર નથી. આત્મા સો પરમાત્મા
કહી દે છે તો કેટલાં પાપ આત્મા થઈ ગયાં છે એટલે પતન થયું છે. ૮૪ જન્મ લીધાં છે, સીડી
નીચે ઉતરતાં આવ્યાં છો. આ ખેલ બનેલો છે. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી આપ બાળકો
જાણો છો બીજું કોઈ નથી જાણતું. વિશ્વનું પતન કેવી રીતે થયું. તેઓ તો સમજે છે કે
વિજ્ઞાન થી ખૂબ પ્રગતી થઈ છે. આ નથી સમજતાં કે દુનિયા વધારે જ પતિત નર્ક બની ગઈ છે.
દેહ-અભિમાન ખૂબ છે. બાપ કહે છે હમણાં જ તમારે દેહી-અભિમાની બનવાનું છે. સારા-સારા
મહારથી અનેક છે. જ્ઞાન ખૂબ સારું સંભળાવે છે પરંતુ દેહ-અભિમાન પૂરું તૂટ્યું નથી.
દેહ-અભિમાનનાં કારણે કોઈમાં ક્રોધ નો અંશ, કોઈમાં મોહ નો અંશ, કંઈ ને કંઈ છે. ચલન
સુધારવી જોઈએ ને. ખૂબ-ખૂબ મીઠા બનવું જોઈએ. ત્યારે દૃષ્ટાંત આપે છે - વાઘ બકરી ભેગાં
જળ પીવે છે. ત્યાં કોઈ એવું દુઃખ આપવા વાળા જાનવર પણ હોતાં નથી. આ વાતો ને પણ
મુશ્કેલ કોઈ સમજે છે. નંબરવાર સમજવા વાળા છે. કર્મભોગ નીકળી જાય, કર્માતીત અવસ્થા
થઈ જાય, આ મુશ્કેલ થાય છે. ખુબ દેહ-અભિમાન માં આવે છે. ખબર નથી પડતી - અમને આ મત
કોણ આપે છે. શ્રીમત, શ્રીકૃષ્ણ નાં દ્વારા કેવી રીતે મળશે. શિવબાબા કહે છે આમનાં
વગર શ્રીમત કેવી રીતે આપું. સ્થાઈ રથ મારો આ છે. દેહ-અભિમાન માં આવીને ઉલ્ટા-સુલ્ટા
કાર્ય કરીને મફતમાં પોતાની બરબાદી નહીં કરો. નહીં તો પરિણામ શું થશે! ખૂબ ઓછું પદ
પામશો. ભણેલા નાં આગળ અભણ ભરી ઢોશે. ઘણાં કહે છે ભારતની હિસ્ટ્રી-જોગ્રોફી જે પૂરી
હોવી જોઈએ તે નથી. તો એમને સમજાવવું પડે. તમારા સિવાય તો કોઈ સમજાવી ન શકે. પરંતુ
દેહી-અભિમાની સ્થિતિ જોઈએ, એજ ઉંચ પદ પામી શકે છે. હમણાં તો કર્માતીત અવસ્થા કોઈની
થઈ નથી. આમનાં (બાબાના) ઉપર તો ખૂબ જ ઝંઝટ છે. કેટલી ફિકર રહે છે. ભલે સમજે છે કે
બધું ડ્રામા અનુસાર થાય છે. છતાં પણ સમજાવા માટે યુક્તિઓ તો રચવાની હોય છે ને એટલે
બાબા કહે છે તમે વધારે દેહી-અભિમાની બની શકો છો. તમારા ઉપર કોઈ બોજો નથી, બાપ પર તો
બોજો છે. મુખ્ય તો આ છે ને - પ્રજાપિતા બ્રહ્મા. પરંતુ આ કોઈને ખબર નથી કે આમનામાં
શિવબાબા બેઠા છે. તમારામાં પણ કોઈ મુશ્કેલ આ નિશ્ચય માં રહે છે. તો આ વર્લ્ડની
હિસ્ટ્રી-જોગ્રોફી જાણવી જોઈએ ને. ભારતમાં સ્વર્ગ ક્યારે હતું, પછી ક્યાં ગયું? કેવી
રીતે પતન થયું? આ કોઈને ખબર નથી. જ્યાં સુધી તમે નહીં સમજાવો ત્યાં સુધી કોઈ સમજી ન
શકે એટલે બાબા ડાયરેક્શન આપે છે. લખાણ કરો તો સ્કૂલોમાં વર્લ્ડ ની હિસ્ટ્રી-
જોગ્રોફી બતાવવી જોઈએ. પતન પર ભાષણ કરવું જોઈએ. ભારત હીરા જેવું હતું તે પછી કોડી
જેવું કેવી રીતે બન્યું? કેટલાં વર્ષ લાગ્યાં? અમે સમજાવીએ છીએ. એવાં પરચા વિમાન
દ્વારા નાખી શકાય છે. સમજાવવા વાળા ખૂબ હોશિયાર જોઈએ. ગવર્મેન્ટ ઈચ્છે છે તો
ગવર્મેન્ટનો જે હોલ વિજ્ઞાન ભવન, જે દિલ્લીમાં છે ત્યાં બધાને બોલાવવા જોઈએ. સમાચાર
પત્ર માં પણ નાખવું જોઈએ. કાર્ડ પણ બધાને મોકલી દો. અમે તમને આખાં વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી આદિ થી અંત સુધી સમજાવીએ છીએ. જાતેજ આવશે, જશે. પૈસાની તો વાત જ
નથી. સમજો આપણને કોઈ મળ્યું, પ્રેઝન્ટ (ભેટ) કરે છે તો આપણે લઈ ન શકીએ. સર્વિસ કરવાં
માટે કામ માં લાવીશું, બાકી આપણે લઈ ન શકાય બાપ કહે છે હું તમારાથી દાન લઈને શું
કરીશ જે પછી ભરીને આપવું પડે. હું પાક્કો શરાફ (વેપારી) છું. અચ્છા-
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન
માં આવી ને કોઈ પણ ઉલ્ટા-સુલ્ટા કાર્ય નથી કરવાનાં. દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો
પુરુષાર્થ કરવાનો છે. પોતાની સીરત (ચલન) સુધારતા રહેવાનું છે.
2. ખુબ-ખુબ મીઠા, શીતળ બનવાનું છે. અંદરમાં ક્રોધ મોહનું જે ભૂત છે, એને કાઢી
નાખવાનું છે.
વરદાન :-
સમય નાં
શ્રેષ્ઠ ખજાના ને સફળ કરી સદા અને સર્વ સફળતામૂર્ત ભવ
જે બાળકો સમયનાં ખજાના
ને સ્વયંનાં કે સર્વનાં કલ્યાણ પ્રતિ લગાવે છે એમનાં સર્વ ખજાના સ્વતઃ જમા થઈ જાય
છે. સમયનાં મહત્વ ને જાણીને એને સફળ કરવા વાળા સંકલ્પનો ખજાનો, ખુશીનો ખજાનો,
શક્તિઓનો ખજાનો, જ્ઞાનનો ખજાનો અને શ્વાસોનો ખજાનો...આ બધાં ખજાના સ્વતઃ જમા કરી લે
છે. ફક્ત અલબેલાપણા ને છોડી સમયનાં ખજાના ને સફળ કરો તો સદા અને સર્વ સફળતામૂર્ત બની
જશો.
સ્લોગન :-
એકાગ્રતા
દ્વારા સાગરનાં તળિયા માં જઈને અનુભવોનાં હીરા-મોતી પ્રાપ્ત કરવા જ અનુભવી મૂર્ત
બનવું છે.
માતેશ્વરી જી નાં
અનમોલ મહાવાક્ય :-
૧ ) તમોગુણી માયા નો વિસ્તાર :-
સતોગુણી, રજોગુણી, તમોગુણી આ ત્રણ શબ્દ કહે છે આને યથાર્થ સમજવું જરુરી છે. મનુષ્ય
સમજે છે આ ત્રણે ગુણ સાથે ચાલતાં રહે છે, પરંતુ વિવેક શું કહે છે - શું આ ત્રણેય
ગુણ સાથે ચાલ્યાં આવે છે કે ત્રણેય ગુણો નો પાર્ટ અલગ-અલગ યુગમાં હોય છે? વિવેક તો
એવું જ કહે છે કે આ ત્રણેય ગુણ સાથે ચાલતાં નથી જ્યારે સતયુગ છે તો સતોગુણ છે,
દ્વાપર છે તો રજોગુણ છે અને કળયુગ છે તો તમોગુણ છે. જ્યારે સતો છે તો તમો રજો નથી,
જ્યારે રજો છે તો પછી સતો ગુણ નથી. આ મનુષ્ય તો એવું સમજીને બેસે છે કે આ ત્રણેય
ગુણ સાથે ચાલતાં આવે છે. આ વાત કહેવી ખરેખર ભૂલ છે, તેઓ સમજાવે છે જ્યારે મનુષ્ય
સાચું બોલે છે, પાપકર્મ નથી કરતાં તો સતોગુણી હોય છે પરંતુ વિવેક કહે છે જ્યારે આપણે
કહીએ છીએ સતોગુણ, તો આ સતોગુણ નો અર્થ છે સંપૂર્ણ સુખ એટલે આખી સૃષ્ટિ સતોગુણી છે.
બાકી એવું નહીં કહેશું કે જે સાચું બોલે છે તો તે સતોગુણી છે અને જુઠ્ઠું બોલે છે
તે કળયુગી તમોગુણી છે, આમ જ દુનિયા ચાલતી આવી છે. હવે જ્યારે આપણે સતયુગ કહીએ છીએ
તો એનો અર્થ છે આખી સૃષ્ટિ પર સતોગુણ સતોપ્રધાન જોઈએ. હાં, કોઈ સમય એવો સતયુગ હતો
જ્યાં આખો સંસાર સતોગુણી હતો. હવે તે સતયુગ નથી, હમણાં તો છે કળયુગી દુનિયા એટલે આખી
સૃષ્ટિ પર તમોપ્રધાનતા નું રાજ્ય છે. આ તમોગુણી સમય પછી સતોગુણ ક્યાંથી આવ્યાં! હવે
છે ઘોર અંધકાર જેને બ્રહ્માની રાત કહે છે. બ્રહ્માનો દિવસ છે સતયુગ અને બ્રહ્માની
રાત છે કળયુગ, તો આપણે બન્નેને મળાવી ન શકીએ.
૨ ) કળયુગી અસાર સંસાર થી સતયુગી સાર વાળી દુનિયામાં લઇ ચાલવું , એક પરમાત્માનું જ
કામ છે :- આ કળયુગી સંસારને અસાર સંસાર કેમ કહે છે? કારણ કે આ દુનિયામાં કોઈ સાર નથી
એટલે કોઈ પણ વસ્તુમાં તે તાકાત નથી રહી અર્થાત્ સુખ-શાંતિ પવિત્રતા નથી, જે આ સૃષ્ટિ
પર કોઈ સમયે સુખ-શાંતિ પવિત્રતા હતી. હવે તે તાકાત નથી કારણ કે આ સૃષ્ટિમાં ૫ ભૂતોની
પ્રવેશતા છે એટલે જ આ સૃષ્ટિ ને ભય નો સાગર અથવા કર્મબંધન નો સાગર કહે છે એટલે જ
મનુષ્ય દુઃખી થઈ પરમાત્માને પોકારી રહ્યાં છે, પરમાત્મા અમને ભવસાગર થી પાર કરો
આનાથી સિદ્ધ છે કે જરુર કોઈ અભય અર્થાત્ તો નિર્ભયતા નો પણ સંસાર છે જેમાં ચાલવા
ઈચ્છે છે એટલે આ સંસારને પાપ નો સાગર કહે છે, જેનાથી પાર કરી પુણ્ય આત્માવાળી
દુનિયામાં ચાલવા ઈચ્છે છે. તો દુનિયાઓ બે છે, એક સતયુગી સાર વાળી દુનિયા બીજી છે
કળયુગી અસાર ની દુનિયા. બંને દુનિયા આ સૃષ્ટિ પર હોય છે. હમણાં પરમાત્મા તે સાર વાળી
દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. અચ્છા - ઓમ શાંતિ.