02-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
સદ્દગતિ ની સૌથી ન્યારી મત મળી છે કે દેહ નાં સર્વ ધર્મ ત્યાગ આત્મા અભિમાની ભવ ,
મામેકમ્ યાદ કરો ”
પ્રશ્ન :-
જે પરમાત્મા
ને નામ રુપ થી ન્યારા કહે છે, એમને તમે કયો પ્રશ્ન પૂછી શકો છો?
ઉત્તર :-
એમને પૂછો - ગીતામાં જે દેખાડે છે અર્જુન ને અખંડ જ્યોતિ સ્વરુપ નો સાક્ષાત્કાર થયો,
કહ્યું બસ કરો હું સહન નથી કરી શકતો. તો પછી નામ રુપ થી ન્યારા કેવી રીતે કહો છો.
બાબા કહે છે હું તો તમારો બાપ છું. બાપનું રુપ જોઈને બાળકો ખુશ થશે, તે કેવી રીતે
કહેશે હું સહન નથી કરી શકતો.
ગીત :-
તેરે દ્વાર ખડા …
ઓમ શાંતિ!
ભક્ત કહે છે
અમે બહુ જ કંગાળ બની ગયાં છીએ. હેં બાબા અમારી સૌની ઝોલી ભરી દો. ભગત ગાતા રહે છે
જન્મ પછી જન્મ. સતયુગ માં ભક્તિ હોતી નથી. ત્યાં પાવન દેવી દેવતા હોય છે. ભક્તો ને
ક્યારેય દેવતા નથી કહેવાતું. જે સ્વર્ગવાસી દેવી દેવતા હોય છે તે પછી પુનર્જન્મ
લેતાં-લેતાં નર્કવાસી, પુજારી ભગત, કંગાળ બને છે. બાપ બેસી બાળકો ને સમજાવે છે. બાપ
ને એક પણ મનુષ્ય નથી જાણતાં. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાનો પરિચય આપે. ભગવાન
ને જ બાબા કહેવાય છે. બધાં ભક્તોનાં છે એક ભગવાન. બાકી બધાં છે ભગત. ચર્ચ વગેરે માં
જાય છે તો જરુર ભક્ત થયાં ને. આ સમયે બધાં પતિત તમોપ્રધાન છે, એટલે બધાં પોકારે છે
હેં પતિતો ને પાવન બનાવવા વાળા આવો. હેં બાબા અમારી ભક્તો ની ઝોલી ભરી દો. ભક્ત
ભગવાન થી ધન માંગે છે. આપ બાળકો શું માંગો છો? તમે કહો છો બાબા અમને સ્વર્ગ નાં
માલિક બનાવો. ત્યાં તો અથાહ ધન હોય છે. હીરા ઝવેરાત નાં મહેલ હોય છે. હવે તમે જાણો
છો આપણે ભગવાન દ્વારા રાજાઈ નો વારસો પામી રહ્યાં છીએ. આ સાચી ગીતા છે. તે ગીતા નથી.
તે તો પુસ્તક વગેરે ભક્તિમાર્ગ નાં માટે બનાવ્યાં છે. તેમને ભગવાને જ્ઞાન નથી આપ્યું.
ભગવાન તો આ સમયે નર થી નારાયણ બનાવવા માટે રાજયોગ શીખવાડે છે. રાજાની સાથે પ્રજા પણ
જરુર હશે. ફક્ત લક્ષ્મી-નારાયણ તો નહીં બનશે. આખી રાજધાની બને છે. હવે આપ બાળકો જાણો
છો કે ભગવાન કોણ છે બીજા કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. બાપ કહે છે તમે કહો છો ઓ
ગોડફાધર, તો બતાવો તમારા ગોડફાધર નું નામ, રુપ, દેશ કાળ શું છે? ન ભગવાન ને જાણે
છે, ન એમની રચનાને જાણે છે. બાપ આવીને કહે છે કલ્પ-કલ્પ નાં સંગમ પર આવું છું. આખી
રચનાનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય હું “રચતા” જ આવીને સમજાવું છું. ઘણાં તો કહે છે -
એ નામ રુપ થી ન્યારા છે, તે આવી નથી શકતાં. તમે જાણો છો બાપ આવ્યાં છે. શિવ જયંતી
પણ નિરાકાર ની ગવાય છે તો કૃષ્ણ જયંતી પણ ગવાય છે. હવે શિવ જયંતી ક્યારે હોય છે, તે
ખબર હોવી જોઈએ ને. જેમ ક્રિશ્ચન ને ખબર છે ક્રાઇસ્ટ નો જન્મ ક્યારે થયો, ક્રિશ્ચિયન
ધર્મ ક્યારે સ્થાપન થયો. આ તો છે ભારતની વાત. ભગવાન ભારત ની ઝોલી ક્યારે ભરે છે?
ભગત પોકારે છે હેં ભગવાન ઝોલી ભરી દો. સદ્દગતિ માં લઈ જાઓ કારણકે અમે દુર્ગતિ માં
પડ્યાં છીએ, તમોપ્રધાન છીએ. આત્મા જ શરીર ની સાથે ભોગવે છે. ઘણાં મનુષ્ય સાધુ સંત
વગેરે કહે છે કે આત્મા નિર્લેપ છે. કહે પણ છે કે સારા કે ખરાબ સંસ્કાર આત્મા માં
હોય છે. એ આધાર પર આત્મા જન્મ લે છે. પછી કહે છે આત્મા તો નિર્લેપ છે. કોઈ પણ
બુદ્ધિવાન મનુષ્ય નથી જે સમજાવે. એમાં પણ અનેક મત છે. જે ઘર થી રિસાય તે શાસ્ત્ર
બનાવી દે. શ્રીમત ભગવદગીતા છે એક. વ્યાસે જે શ્લોક વગેરે બનાવ્યાં તે કોઈ ભગવાને નથી
ગાયાં. ભગવાન નિરાકાર જે જ્ઞાનનાં સાગર છે, તે બેસી બાળકોને સમજાવે છે કે ભગવાન એક
છે. ભારતવાસીઓને આ ખબર નથી. ગાએ પણ છે ઈશ્વરની ગત મત ન્યારી છે. અચ્છા કઈ ગત મત
ન્યારી છે? ઈશ્વરની ગત મત ન્યારી છે આ કોણે કહ્યું? આત્મા કહે છે, એમની સદ્દગતિ માટે
જે મત છે, એને શ્રીમત કહેવાય છે. કલ્પ-કલ્પ તમને આવીને સમજાવું છું - મનમનાભવ. દેહ
નાં સર્વ ધર્મ ત્યાગ આત્મ-અભિમાની ભવ. મામેકમ્ યાદ કરો. હમણાં તમે મનુષ્ય થી દેવતા
બની રહ્યાં છો. આ રાજયોગ નું લક્ષ્ય-હેતુ છે જ લક્ષ્મી-નારાયણ બનવાનું. ભણતર થી કોઈ
રાજા બનતાં નથી. એવી કોઈ શાળા નથી. ગીતામાં જ છે, આપ બાળકોને રાજયોગ શીખવાડું છું.
આવું પણ ત્યારે છું જ્યારે કોઈ પણ રાજા નું રાજ્ય નથી રહેતું. મને એક પણ મનુષ્ય
બિલકુલ નથી જાણતાં. બાબા કહે છે કે આપ બાળકોએ આટલું મોટું લિંગ જે બનાવ્યું છે, તે
મારું કોઈ આ રુપ નથી. મનુષ્ય કહી દે છે કે અખંડ જ્યોતિ રુપ પરમાત્મા, તેજોમય છે.
અર્જુને જોઈને કહ્યું બસ કરો, હું સહન નથી કરી શકતો. અરે બાળક બાપ નું રુપ જોઇ સહન
ન કરી શકે, આ કેવી રીતે થઈ શકે છે. બાળક તો બાપ ને જોઈ ખુશ થશે ને. બાપ કહે છે કે
મારું કોઈ એવું રુપ થોડી છે. હું છું જ પરમપિતા અર્થાત્ પરે થી પરે રહેવા વાળો પરમ
આત્મા એટલે પરમાત્મા. પછી ગાએ છે પરમાત્મા મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ છે. એમની ભગત
મહિમા કરે છે. સતયુગ ત્રેતા માં કોઈ મહિમા નથી કરતું કારણ કે ત્યાં તો છે સુખ. ગાએ
પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે, સુખ માં કરે ન કોઈ. આનો પણ અર્થ નથી સમજતાં. પોપટ
માફક બધાં કહેતાં રહે છે. સુખ ક્યારે હોય છે, દુઃખ ક્યારે હોય છે. ભારતની જ તો વાત
છે ને. ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું પછી ત્રેતામાં બે કળા ઓછી થઈ. સતયુગ ત્રેતા
માં દુઃખ નું નામ નથી રહેતું. છે જ સુખધામ. સ્વર્ગ કહેવાથી જ મુખ મીઠું થાય છે.
સ્વર્ગ માં પછી દુઃખ ક્યાંથી આવ્યું. કહે છે ત્યાં પણ કંસ જરાસંધી વગેરે હતાં, પરંતુ
આ હોઈ ન શકે.
ભક્ત સમજે છે કે અમે નૌધા ભક્તિ કરીએ છીએ તો દીદાર થાય છે. દીદાર થવો એટલે અમને
ભગવાન મળ્યાં. લક્ષ્મી ની પૂજા કરી, એમનાં દર્શન થયાં બસ અમે તો પાર થઈ ગયાં, એમાં
જ ખુશ થઈ જાય છે. પરંતુ છે કંઈ પણ નહીં. અલ્પકાળ નાં માટે સુખ મળે છે. દર્શન થયાં
ખલાસ. એવું તો નથી મુક્તિ જીવન મુક્તિ ને પામે લીધું, કંઈ પણ નહીં. બાબાએ સીડી પર
પણ સમજાવ્યું છે- ભારત ઊંચ થી ઊંચ હતું. ભગવાન પણ ઊંચે થી ઊંચા છે. ભારતમાં ઊંચે થી
ઊંચો વારસો છે આ લક્ષ્મી-નારાયણ નો. જ્યારે સ્વર્ગ હતું, સતોપ્રધાન હતાં પછી કળયુગ
અંતમાં બધાં તમોપ્રધાન હોય છે. પોકારે છે અમે બિલકુલ પતિત થઈ ગયાં છીએ. બાપ કહે છે
કે હું કલ્પ નાં સંગમયુગ પર આવું છું, તમને રાજયોગ શીખવાડવાં. હું જે છું જેવો છું
મને યથાર્થ રીતે કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે.
સીડી વાળું ચિત્ર દેખાડવાનું છે. આ ભારત ની સીડી છે. સતયુગ માં દેવી દેવતા હતાં. ૫
હજાર વર્ષ પહેલાં ભારત આવું હતું. શાસ્ત્રોમાં લાખો વર્ષ નું કલ્પ લખી દીધું છે.
બાપ કહે છે કે લાખો વર્ષ નું નહીં, કલ્પ પાંચ હજાર વર્ષનું છે. સતયુગ ત્રેતા નવી
દુનિયા, દ્વાપર કળયુગ જૂની દુનિયા. અડધું અડધું હોય છે ને. નવી દુનિયામાં તમે
ભારતવાસી હતાં. બાપ સમજાવે છે મીઠા બાળકો હમણાં તમે પોતાનાં જન્મો ને જાણો છો બાકી
કોઈ રથ વગેરે ની વાત નથી. કૃષ્ણ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે. કૃષ્ણનું તે
રુપ સિવાય દિવ્ય દૃષ્ટિ થી દેખાતું નથી. આ ચૈતન્ય રુપ થી તો સતયુગ માં હતાં પછી
ક્યારેય તે રુપ મળી નથી શકતું. પછી તો નામ રુપ દેશ કાળ બદલાઈ જાય છે. ૮૪ જન્મ લે
છે. ૮૪ જન્મો માં ૮૪ મા-બાપ મળે છે. ભિન્ન-ભિન્ન નામ રુપ ધંધો હોય છે. હવે આ ભારતની
જ સીડી છે. તમે છો હમણાં બ્રાહ્મણ કુલભૂષણ. બાપે કલ્પ પહેલાં પણ આવીને તમને
દેવી-દેવતા બનાવ્યાં હતાં. ત્યાં તમે સર્વોત્તમ કર્મ કરતાં હતાં. તમે સદા સુખી હતા
૨૧ જન્મ. પછી તમને આ દુર્ગતિ માં કોણે પહોંચાડયાં? મેં કલ્પ પહેલાં તમને સદ્દગતિ આપી
હતી પછી ૮૪ જન્મ લેતાં જરુર ઉતરવું પડે. સૂર્યવંશી માં ૮ જન્મ, ચંદ્રવંશી માં ૧૨
જન્મ પછી એમ ઉતરતાં આવ્યાં છો. તમે જ તો પૂજ્ય દેવતાં હતાં, તમે જ પૂજારી પતિત બન્યાં
છો. ભારત હમણાં કંગાળ છે. ભગવાનુવાચ, તમે જે ૧૦૦ ટકા પવિત્ર અને સોલવેન્ટ, એવરહેલ્થી
(સદા સ્વસ્થ), એવરવેલ્થી (સદા સંપન્ન) હતાં. કોઈ રોગ દુઃખ ની વાત નહોતી, સુખધામ હતું.
એને કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો). અલ્લાહએ બગીચો સ્થાપન કર્યો. જે દેવી
દેવતા હતાં તે હવે કાંટા બન્યાં છે. હવે જંગલ બની ગયું છે. જંગલ માં કાંટા લાગે છે.
બાપ કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત પહેરો. એણે આદિ-મધ્ય-અંત તમને દુઃખ આપ્યું
છે. એક-બે પર કામ કટારી ચલાવવી આ સૌથી મોટું પાપ છે. બાપ બેસી પોતાનો પરિચય આપે છે
કે હું પરમધામ માં રહેવા વાળો પરમ આત્મા છું. મને કહે છે હું સૃષ્ટિનો બીજરુપ પરમ
આત્મા, હું સૌનો બાપ છું. બધી આત્માઓ બાપ ને પોકારે છે કે હેં પરમપિતા પરમાત્મા.
જેમ તમારી આત્મા સ્ટાર માફક છે, બાબા પણ પરમ આત્મા સ્ટાર છે. નાના-મોટા નથી. બાપ કહે
છે હું અંગૂઠા માફક પણ નથી. હું પરમ આત્મા છું. તમારા બધાનો બાપ છું. એમને કહેવાય
છે સુપ્રિમ સોલ, નોલેજફુલ. બાપ સમજાવે છે હું નોલેજફુલ, મનુષ્ય સૃષ્ટિ નાં ઝાડ નું
બીજું રુપ છું. મને ભક્ત લોકો કહે છે કે પરમાત્મા સત્, ચિત્ અને આનંદ સ્વરુપ છે, એ
જ્ઞાનનાં સાગર છે, સુખનાં સાગર છે. મહિમા કેટલી છે. જો નામ રુપ દેશ કાળ નથી તો
પોકારશે કોને. સાધુ સંત વગેરે બધાં તમને ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર સંભળાવે છે. હું
તમને આવીને રાજયોગ શીખવાડું છું.
બાપ સમજાવે છે કે તમે પતિત પાવન મુજ જ્ઞાન સાગર બાપ ને કહો છો. તમે પણ માસ્ટર જ્ઞાન
સાગર બનો છો. જ્ઞાન થી સદ્દગતી મળી જાય છે. ભારત ને સદ્દગતિ બાપ જ આપશે. સર્વના
સદ્દગતિ દાતા એક છે. સર્વની દુર્ગતિ પછી કોણ કરે છે? રાવણ. હવે તમને આ કોણ સમજાવી
રહ્યું છે? આ છે પરમ આત્મા. આત્મા તો એક સ્ટાર માફક અતિ સૂક્ષ્મ છે. પરમાત્મા પણ
ડ્રામામાં પાર્ટ ભજવે છે. ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર છે. બાપ સમજાવે છે કે
ઊંચ થી ઊંચ પાર્ટધારી કોણ છે? ઊંચ થી ઊંચ ભગવાન. જેમની સાથે આપ આત્માઓ બાળકો બધાં
રહો છો. કહે પણ છે કે પરમાત્મા બધાને મોકલવા વાળા છે. આ પણ સમજવાની વાત છે. ડ્રામા
તો અનાદિ બનેલો છે. બાપ કહે છે કે મને તમે કહો છો જ્ઞાનનાં સાગર, આખી સૃષ્ટિ નાં આદિ
મધ્ય અંત ને જાણવા વાળા. હમણાં આ (બ્રહ્મા) જે શાસ્ત્ર વગેરે વાંચે છે, એમને બાપ
જાણે છે. બાપ કહે છે કે હું પ્રજાપિતા બ્રહ્મા નાં દ્વારા બધાં શાસ્ત્રો નો સાર
આવીને બતાવું છું. દેખાડે છે કે વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. તો ક્યાં
નિકળ્યાં? મનુષ્ય તો જરુર અહીંયા જ હશે ને. એમની નાભિ થી બ્રહ્મા નીકળ્યા પછી ભગવાને
બેસી એમનાં દ્વારા બધાં વેદો શાસ્ત્રો નો સાર સંભળાવ્યો. પોતાનું પણ નામ રુપ
દેશ-કાળ સમજાવ્યું છે. મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ છે ને. આ વૃક્ષ ની ઉત્પત્તિ, પાલના,
વિનાશ કેવી રીતે થાય છે, તે કોઈ પણ નથી જાણતું. આને વેરાયટી ઝાડ કહેવાય છે. બધાં
નંબરવાર પોતાનાં સમય પર આવે છે. પહેલાં નંબર માં દેવી-દેવતા ધર્મની સ્થાપના કરાવું
છું જ્યારે તે ધર્મ નથી. બાપ કહે છે કે કેટલી તુચ્છ બુદ્ધિ થઈ ગયાં છે. દેવતાઓની,
લક્ષ્મી નારાયણ ની પૂજા કરે છે પરંતુ એમનું રાજ્ય સૃષ્ટિ પર ક્યારે હતું તે કંઈ નથી
જાણતાં. હમણાં ભારત નો તે દેવતા ધર્મ જ નથી, ફક્ત ચિત્ર રહી ગયું છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માસ્ટર
જ્ઞાન સાગર બની પતિત થી પાવન બનવાની સેવા કરવાની છે. બાપે જે બધાં શાસ્ત્રોનો સાર
સંભળાવ્યો છે તે બુદ્ધિમાં રાખી સદા હર્ષિત રહેવાનું છે.
2. એક બાપની શ્રીમત દરેક પળ પાલન કરવાની છે. દેહ નાં સર્વ ધર્મ ત્યાગ આત્મ અભિમાની
બનવાની મહેનત કરવાની છે.
વરદાન :-
પોતાનાં દિવ્ય
, અલૌકિક જન્મ ની સ્મૃતિ દ્વારા મર્યાદા ની રેખા ની અંદર રહેવા વાળા મર્યાદા
પુરુષોત્તમ ભવ
જેમ દરેક કુળની
મર્યાદાની રેખા હોય છે એમ બ્રાહ્મણ કુળની મર્યાદાની રેખા છે, બ્રાહ્મણ અર્થાત્
દિવ્ય અને અલૌકિક જન્મ વાળા મર્યાદા પુરુષોત્તમ. તે સંકલ્પ માં પણ કોઈ આકર્ષણ વશ
મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરી શકતાં. જે મર્યાદા ની રેખાનું સંકલ્પ માં પણ ઉલ્લંઘન
કરે છે તે બાપનાં સહારા નો અનુભવ નથી કરી શકતાં. બાળક નાં બદલે માંગવા વાળા ભક્ત બની
જાય છે. બ્રાહમણ અર્થાત્ પોકારવું, માંગવું બંધ, ક્યારેય પણ પ્રકૃતિ કે માયાનાં
મોહતાજ નહીં, તે સદા બાપના સિરતાજ હોય છે.
સ્લોગન :-
શાંતિ દૂત બની
પોતાની તપસ્યા દ્વારા વિશ્વમાં શાંતિની કિરણો ફેલાવો.