30-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
શ્રીમત પર તત્વો સહિત આખી દુનિયા ને પાવન બનાવવાની સેવા કરવાની છે , બધાને સુખ અને
શાંતિ નો રસ્તો બતાવવાનો છે”
પ્રશ્ન :-
આપ બાળકો
પોતાનાં દેહને પણ ભૂલવાનો પુરુષાર્થ કરો છો એટલે તમને કઈ વસ્તુની દરકાર નથી?
ઉત્તર :-
ચિત્રો ની. જ્યારે આ ચિત્ર (દેહ) જ ભૂલવાનું છે તો તે ચિત્રોની શું દરકાર છે. સ્વયં
ને આત્મા સમજી વિદેહી બાપ ને અને સ્વીટ હોમ ને યાદ કરો. આ ચિત્ર તો છે નાનાં બાળકોનાં
માટે અર્થાત્ નવાં નાં માટે. તમારે તો યાદમાં રહેવાનું છે અને બધાને યાદ કરાવવાનું
છે. ધંધો વગેરે કરતાં સતોપ્રધાન બનવા માટે યાદમાં જ રહેવાનો અભ્યાસ કરો.
ગીત :-
તકદીર જગાકર આઈ હું…
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
બાળકોએ આ અક્ષર સાંભળ્યાં અને તરત જ ખુશીમાં રોમાંચ ઉભાં થઈ ગઈ ગયાં હશે. બાળકો જાણે
છે અહીંયા આવ્યાં છીએ પોતાનું સૌભાગ્ય, સ્વર્ગની તકદીર લેવાં. આવું બીજે ક્યાંય પણ
નહીં કહેશે. તમે જાણો છો આપણે બાપ થી સ્વર્ગ નો વારસો લઇ રહ્યાં છીએ અર્થાત્ સ્વર્ગ
બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. ફક્ત સ્વર્ગવાસી બનવાનો નહીં પરંતુ સ્વર્ગ માં
ઉંચ થી ઉંચ પદ પામવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. સ્વર્ગનો સાક્ષાત્કાર કરાવવા વાળા
બાપ આપણ ને ભણાવી રહ્યાં છે. આ પણ બાળકોને નશો ચઢવો જોઈએ. ભક્તિ હવે ખતમ થવાની છે.
કહેવાય છે ભગવાન ભક્તો નો ઉદ્ધાર કરવા આવે છે કારણ કે રાવણ ની જંજીરો માં ફસાયેલાં
છે. અનેક મનુષ્યોની અનેક મતો છે. તમે તો જાણી ગયાં છો. સૃષ્ટિ નું ચક્ર આ અનાદિ ખેલ
બનેલો છે. આ પણ ભારતવાસી સમજે છે, બરાબર અમે પ્રાચીન નવી દુનિયાનાં વાસી હતાં, હવે
જૂની દુનિયાનાં વાસી બન્યાં છીએ. બાપે સ્વર્ગ નવી દુનિયા બનાવી, રાવણએ પછી નર્ક
બનાવ્યું છે. બાપદાદા ની મત પર તમે હવે પોતાનાં માટે નવી દુનિયા બનાવી રહ્યાં છો.
નવી દુનિયાનાં માટે ભણી રહ્યાં છો. કોણ ભણાવે છે? જ્ઞાનનાં સાગર, પતિત-પાવન જેમની
મહિમા છે. એકનાં સિવાય બીજા કોઈની મહિમા નથી ગવાતી. એ જ પતિત-પાવન છે. આપણે બધાં
પતિત છીએ. પાવન દુનિયાની યાદ કોઈને નથી. હમણાં તમે જાણો છો બરાબર ૫ હજાર વર્ષ પહેલાં
પાવન દુનિયા હતી. આ ભારત જ હતું. બાકી બધાં ધર્મ શાંતિ માં હતાં. આપણે ભારતવાસી
સુખધામ માં હતાં. મનુષ્ય શાંતિ ઈચ્છે છે પરંતુ અહીંયા તો કોઈ શાંત રહી ન શકે. આ કોઈ
શાંતિધામ નથી. શાંતિધામ છે નિરાકારી દુનિયા, જ્યાંથી આપણે આવીએ છીએ. બાકી સતયુગ છે
સુખધામ, તેને શાંતિધામ નહીં કહેશું. ત્યાં તમે પવિત્રતા-સુખ-શાંતિ માં રહો છો. કોઈ
હંગામા નથી હોતાં. ઘરમાં બાળકો ઝઘડો વગેરે કરે છે તો તેમને કહેવાય છે શાંત રહો. તો
બાપ કહે છે તમે આત્માઓ તે શાંતિ દેશ નાં હતાં. હવે ઝઘડાળું દેશમાં આવીને બેઠાં છો.
આ વાત તમારી બુદ્ધિમાં છે. તમે બાપ દ્વારા ફરીથી ઉંચ થી ઉંચ પદ પામવાનો પુરુષાર્થ
કરી રહ્યાં છો. આ સ્કુલ કોઈ ઓછી થોડી છે. ગોડફાધર ની યુનિવર્સિટી (પરમાત્માનું
વિશ્વવિદ્યાલય) છે. આખી દુનિયામાં આ મોટામાં મોટી યુનિવર્સિટી છે. આમાં બધાં બાપ થી
શાંતિ અને સુખ નો વારસો પામે છે. સિવાય એક બાપ નાં બીજા કોઈની મહિમા નથી. બ્રહ્માની
મહિમા થોડી છે? બાપ જ આ સમયે આવીને વારસો આપે છે. પછી તો સુખ જ સુખ છે. સુખ-શાંતિ
આપવા વાળા એક બાપ છે. એમની જ મહિમા છે. સતયુગ-ત્રેતા માં કોઈની મહિમા હોતી નથી. ત્યાં
તો રાજધાની ચાલતી રહે છે. તમે વારસો પામી લો છો, બાકી બધાં શાંતિધામ માં રહે છે.
મહિમા કોઈ ની નથી. ભલે ક્રાઈસ્ટ ધર્મ સ્થાપન કરે છે, તે તો કરવાનાં જ છે. ધર્મ
સ્થાપન કરે છે છતાં પણ નીચે ઉતરતાં જાય છે. મહિમા શું થઈ? મહિમા ફક્ત એક ની જ છે,
જેમને પતિત-પાવન લિબરેટર કહી બોલાવે છે. એવું તો નહીં તેમને ક્રાઈસ્ટ બુદ્ધ વગેરે
યાદ આવતાં હશે. યાદ છતાં પણ એકને કરે છે ઓ ગોડ ફાધર. સતયુગમાં તો કોઈની મહિમા હોતી
નથી. પાછળ આ ધર્મ શરું થાય છે તો બાપ ની મહિમા ગાએ છે અને ભક્તિ શરું થાય છે. ડ્રામા
કેવી રીતે બનેલો છે. કેવી રીતે ચક્ર ફરે છે તો જે બાપનાં બાળકો બન્યાં છે, એ જ જાણે
છે. બાપ છે રચતા. નવી સૃષ્ટિ રચે છે સ્વર્ગ. પરંતુ બધાં તો સ્વર્ગમાં આવી નથી શકતાં.
ડ્રામા નાં રહસ્ય ને પણ સમજવાનું છે. બાપ થી સુખ નો વારસો મળે છે. આ સમયે બધાં દુઃખી
છે. બધાએ પાછું જવાનું છે પછી આવશું સુખ માં. આપ બાળકોને ખૂબ સરસ પાર્ટ મળેલો છે.
જે બાપની આટલી મહિમા છે એ હવે આવી ને સમ્મુખ બેઠેલા છે અને બાળકો ને સમજાવે છે. બધાં
બાળકો છે ને. બાપ તો એવર હેપ્પી (સદાખુશ) છે. હકીકત માં બાપ માટે આ કહી ન શકાય. જો
એ હેપ્પી બને તો અનહેપ્પી પણ બનવું પડે. બાબા તો આ બધાથી ન્યારા છે. જે બાપની મહિમા
છે એ જ આ સમયે તમારી મહિમા છે પછી ભવિષ્ય માં તમારી મહિમા અલગ હશે. જેમ બાપ જ્ઞાનનાં
સાગર છે, તમે પણ છો. તમારી બુદ્ધિ માં સૃષ્ટિ ચક્રનું જ્ઞાન છે. જાણો છો બાપ સુખનાં
સાગર છે, એમનાથી અથાહ સુખ મળે છે. આ સમય તમે બાપ થી વારસો લઈ રહ્યાં છો. બાપ બાળકો
ને હમણાં શ્રેષ્ઠ કર્મ શીખવાડી રહ્યાં છે. જેમ આ લક્ષ્મી-નારાયણ છે, આમણે જરુર આગળ
જન્મમાં સારા કર્મ કર્યા છે જે આ પદ પામ્યું છે. દુનિયામાં આ કોઈ સમજતું નથી કે આમણે
રાજ્ય કેવી રીતે પામ્યું?
બાપ કહે છે આપ બાળકો હવે આ બની રહ્યાં છો. તમારી બુદ્ધિમાં આવે છે અમે આ હતાં પછી આ
બનીએ છીએ. બાપ બેસી કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવે છે જેનાથી આપણે આ બનીએ છીએ.
શ્રીમત આપે છે તો શ્રીમત જાણવી જોઈએ ને. શ્રીમત થી આખી દુનિયા તત્વો વગેરે બધાને
શ્રેષ્ઠ બનાવે છે. સતયુગ માં બધાં શ્રેષ્ઠ હતાં. ત્યાં કોઈ હંગામા કે તોફાન વગેરે
હોતા નથી. ન વધારે ઠંડી, ન ગરમી. વસંતઋતુ હોય છે. ત્યાં તમે કેટલાં સુખી રહો છો. તે
લોકો ગાએ પણ છે ખુદા બહિશ્ત અથવા હેવન સ્થાપન કરે છે. તો આમાં ઉંચ પદ પામવાનો
પુરુષાર્થ કરવો જોઈએ. હંમેશા ગવાયેલું છે ફોલો મધર ફાધર (માત-પિતાનું અનુસરણ કરો).
બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. અને પછી ફાધરની સાથે આપણે આત્માઓ સાથે જઈશું.
શ્રીમત પર ચાલીને દરેક ને રસ્તો બતાવવાનો છે.
બેહદનાં બાપ છે સ્વર્ગનાં રચતા. હમણાં તો હેલ (નરક) છે. જરુર હેલ માં હેવન (સ્વર્ગ)
નો વારસો આપ્યો હશે. હવે ૮૪ જન્મ પૂરા થાય છે પછી આપણે પહેલો જન્મ સ્વર્ગમાં લેવાનો
છે. તમારું લક્ષ્ય-હેતુ સામે ઉભું છે. આ બનવાનું છે. આપણે જ લક્ષ્મી-નારાયણ બનીએ
છીએ, હકીકત માં આ ચિત્રો ની દરકાર નથી. જે કાચાં છે, ઘડી-ઘડી ભૂલી જાય છે, એટલે
ચિત્ર રખાય છે. કોઈ કૃષ્ણનું ચિત્ર રાખે છે. કૃષ્ણ ને જોયા વગર યાદ નથી કરી શકતાં.
બધાની બુદ્ધિ માં ચિત્ર તો હોય છે. તમારે કોઈ ચિત્ર લગાવવાની દરકાર નથી. તમે પોતાને
આત્મા સમજો છો, તમારે પોતાનું ચિત્ર પણ ભૂલવાનું છે. દેહ સહિત બધાં સંબંધ ભૂલી જવાનાં
છે. બાપ કહે છે તમે છો આશિક, એક માશૂકનાં. માશૂક બાપ કહે છે મને યાદ કરતાં રહો તો
વિકર્મ વિનાશ થઇ જાય. એવી અવસ્થા રહે જે શરીર, જે સમયે છૂટે તો સમજે અમે આ જૂની
દુનિયાને છોડી હવે બાપની પાસે જઈએ છીએ. ૮૪ જન્મ પૂરા થયાં હવે જવાનું છે. બાબા એ
ફરમાન કર્યુ છે મને યાદ કરો. બસ બાપ અને સ્વીટ હોમ ને યાદ કરો. બુદ્ધિમાં છે કે હું
આત્મા વગર શરીર હતી પછી અહીંયા પાર્ટ ભજવવા માટે શરીર ધારણ કર્યું છે. પાર્ટ
ભજવતા-ભજવતા પતિત બની ગયાં છીએ. આ શરીર તો છે જૂની જુત્તી. આત્મા પવિત્ર થઈ રહી છે.
શરીર પવિત્ર તો અહીંયા મળી ન શકે. હવે આપણે આત્મા જઈશુ પાછાં ઘરે. પહેલાં
પ્રિન્સ-પ્રિન્સેઝ બનીશું પછી સ્વયંવર બાદ લક્ષ્મી-નારાયણ બનીશું. મનુષ્યોને આ ખબર
નથી કે રાધે-કૃષ્ણ કોણ છે? બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી તેમનો સ્વયંવર થાય
છે. આપ બાળકોએ ધ્યાન માં સ્વયંવર જોયો છે. શરુમાં ખૂબ સાક્ષાત્કાર થતા હતાં કારણ કે
પાકિસ્તાન માં તમને ખુશી માં રાખવા માટે આ બધા પાર્ટ ચાલતાં હતાં. અંત માં તો છે જ
મારામારી. અર્થક્વેક (ધરતીકંપ) વગેરે ખૂબ થશે. તમને સાક્ષાત્કાર થતાં રહેશે. દરેક
ને ખબર પડી જશે અમે કયું પદ પામીશું. પછી જે ઓછા ભણેલા હશે તે ખૂબ પસ્તાશે. બાપ
કહેશે તમે નથી ભણ્યાં, ન બીજા ને ભણાવ્યાં, ન યાદ માં રહેતાં હતાં. યાદ થી જ
સતોપ્રધાન બની શકો છો. પતિત-પાવન તો બાપ જ છે. તે કહે છે મામેકમ્ યાદ કરો તો તમારી
ખાદ નીકળી જશે. પુરુષાર્થ કરવાનો છે - યાદ ની યાત્રા નો. ધંધો વગેરે ભલે કરો. કર્મ
તો કરવાનું જ છે ને. પરંતુ બુદ્ધિનો યોગ ત્યાં રહે. તમોપ્રધાન થી સતોપ્રધાન અહીંયા
બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં તમે મને યાદ કરો ત્યારે જ તમે નવી દુનિયાનાં
માલિક બનશો. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતાં. તમને ખૂબ સહજ ઉપાય બતાવે છે. સુખધામ નાં
માલિક બનવાં મામેકમ્ યાદ કરો. હમણાં તમે યાદ કરો - બાબા પણ સ્ટાર (બિંદુ) છે.
મનુષ્ય તો સમજે છે એ સર્વશક્તિમાન છે, ખૂબ તેજવાન છે. બાપ કહે છે મનુષ્ય સૃષ્ટિનો
ચૈતન્ય બીજરુપ છું. બીજ હોવાનાં કારણે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. તમે
તો બીજ નથી, હું બીજ છું એટલે મને જ્ઞાન સાગર કહે છે. મનુષ્ય સૃષ્ટિનાં ચૈતન્ય બીજ
છે એમને જરુર ખબર હશે કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. ઋષિ-મુનિ કોઈ રચતા અને
રચનાનાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. બાળકો જો જાણત તો તેમનાં પાસે જવામાં વાર ન
લાગત. પરંતુ બાપની પાસે જવાનો રસ્તો કોઈ પણ જાણતું નથી. પાવન દુનિયામાં પતિત જઈ જ
કેવી રીતે શકે એટલે બાપ કહે છે કામ મહાશત્રુ પર જીત પહેરો. આ જ તમને આદિ-મધ્ય-અંત
દુઃખ આપે છે. આપ બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે. કોઈ તકલીફ નથી. ફક્ત બાપ અને
વારસા ને યાદ કરવાનું છે. બાપની યાદ અર્થાત્ યોગ થી પાપ ભસ્મ થશે. સેકન્ડ માં બાપ
થી જ બાદશાહી મળે છે. બાળકો ભલે સ્વર્ગમાં તો આવશે પરંતુ સ્વર્ગ માં પણ ઉંચ પદ પામવું
તેનો પુરુષાર્થ કરવાનો છે. સ્વર્ગમાં તો જવાનું જ છે. થોડું પણ સાંભળવાથી સમજી જશે
બાપ આવ્યાં છે. હમણાં પણ કહે છે આ એ જ મહાભારત લડાઈ છે. જરુર બાપ પણ હશે જે બાળકોને
રાજયોગ શીખવાડે છે. તમે બધાને જગાડતાં રહો છો. જે અનેકો ને જગાડશે તે ઉંચ પદ પામશે.
પુરુષાર્થ કરવાનો છે. બધાં એક જેવાં પુરુષાર્થી હોઈ ન શકે. સ્કૂલ ખુબ ભારે છે. આ છે
વર્લ્ડની યુનિવર્સિટી. આખાં વર્લ્ડને સુખધામ અને શાંતિધામ બનાવવાનું છે. એવાં
શિક્ષક ક્યારેય હોય છે શું? યુનિવર્સ આખી દુનિયાને કહેવાય છે. બાપ જ આખાં યુનિવર્સનાં
મનુષ્યમાત્ર ને સતોપ્રધાન બનાવે છે અર્થાત્ સ્વર્ગ બનાવે છે.
ભક્તિમાર્ગ માં જે પણ તહેવાર મનાવે છે તે બધાં હમણાં સંગમયુગ નાં છે. સતયુગ-ત્રેતા
માં કોઈ તહેવાર હોતાં નથી. ત્યાં તો પ્રાલબ્ધ ભોગવે છે. તહેવાર બધાં અહીંયા મનાવે
છે. હોળી અને ધુળેટી આ જ્ઞાનની વાતો છે. ભૂતકાળ જે થયું તેનાં બધાં જ તહેવાર મનાવતાં
આવ્યાં છે. છે બધાં આ સમય નાં. હોળી પણ આ સમયની છે. આ ૧૦૦ વર્ષની અંદર બધાં કામ થઈ
જાય છે. સૃષ્ટિ પણ નવી બની જાય છે. તમે જાણો છો આપણે અનેક વખત સુખ નો વારસો લીધો છે
પછી ગુમાવ્યો છે. ખુશી થાય છે અમે ફરીથી બાપ થી વારસો લઇ રહ્યાં છીએ. બીજાઓને પણ
રસ્તો બતાવવાનો છે. ડ્રામા અનુસાર સ્વર્ગની સ્થાપના થવાની છે જરુર. જેમ દિવસ પછી
રાત, રાત પછી દિવસ થાય છે તેમ કળયુગ પછી જરુર સતયુગ થવાનો છે. મીઠા-મીઠા બાળકો ની
બુદ્ધિ માં ખુશીનાં નગારાં વાગવાં જોઈએ. હવે સમય પૂરો થાય છે, આપણે જઈએ છીએ
શાંતિધામ. આ અંતિમ જન્મ છે. કર્મભોગ ની ભોગનાં પણ ખુશીમાં હલકી થઈ જાય છે. કંઈક
ભોગનાથી, કંઈક યોગબળ થી હિસાબ-કિતાબ ચૂકતું થવાનો છે. બાપ બાળકો ને ધૈર્ય આપે છે,
તમારા સદા સુખનાં દિવસો આવી રહ્યાં છે. ધંધો વગેરે પણ કરવાનો છે. શરીર નિર્વાહ અર્થ
પૈસા તો જોઈએ ને. બાબાએ સમજાવ્યું છે ધંધા વાળા લોકો ધર્માઉ નીકાળે છે. સમજે છે
વધારે ધન ભેગું થશે તો ખૂબ દાન કરશું. અહીંયા પણ બાપ સમજાવે છે કોઈ બે પૈસા પણ આપે
છે તો તેના રિટર્ન (વળતર) માં ૨૧ જન્મોનાં માટે ખૂબ મળી જાય છે. આગળ જે તમે દાન
પુણ્ય કરતાં હતાં તેનું રિટર્ન બીજા જન્મમાં મળતું હતું. હવે તો ૨૧ જન્મોનાં માટે
વળતર મળે છે. પહેલાં સાધુ-સંત વગેરેને આપતાં હતાં. હવે તો તમે જાણો છો આ બધું ખતમ
થઈ જવાનું છે. હવે હું સમ્મુખ આવ્યો છું તો આ કાર્યમાં લગાવો. તો તમને ૨૧ જન્મોનાં
માટે વારસો મળી જશે. આગળ તમે ઇનડાયરેક્ટ આપતા હતાં, આ છે ડાયરેક્ટ. બાકી તો તમારું
બધું ખતમ થઇ જશે. બાબા કહેતાં રહે છે - પૈસા છે તો સેવાકેન્દ્ર ખોલતાં જાઓ. અક્ષર
લખી દો - સાચ્ચી ગીતા પાઠશાળા. ભગવાનુવાચ મામેકમ્ યાદ કરો અને વારસાને યાદ કરો.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
મહિમા યોગ્ય બનવાનાં માટે ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે.
2. આ અંતિમ જન્મ છે, હવે ઘરે જવાનું છે એટલે ખુશીમાં અંદર જ અંદર નગારાં વાગતાં રહે.
કર્મભોગ ને કર્મયોગ થી અર્થાત્ બાપની યાદ થી ખુશી-ખુશી ચૂકતું કરવાનાં છે.
વરદાન :-
પોતાની સ્મૃતિ
ની જ્યોતિ થી બ્રાહ્મણ કુળ નું નામ રોશન કરવા વાળા કુળ દીપક ભવ
આ બ્રાહ્મણ કુળ સૌથી
મોટામાં મોટો છે, આ કુળનાં તમે બધાં દીપક છો. કુળ દીપક અર્થાત્ સદા પોતાની સ્મૃતિની
જ્યોતિ થી બ્રાહ્મણ કુળનું નામ રોશન કરવા વાળા. અખંડ જ્યોતિ અર્થાત્ સદા સ્મૃતિ
સ્વરુપ અને સમર્થી સ્વરુપ. જો સ્મૃતિ રહે કે હું માસ્ટર સર્વશક્તિમાન છું તો સમર્થ
સ્વરુપ સ્વતઃ રહેશે. આ અખંડ જ્યોતિ નું યાદગાર તમારા જડ ચિત્રોની આગળ અખંડ જ્યોતિ
પ્રગટાવે છે.
સ્લોગન :-
જે સર્વ
આત્માઓનાં પ્રતિ શુદ્ધ સંકલ્પ રાખે છે એ જ વરદાની મૂર્ત છે.