05-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જેવી રીતે બાપદાદા બંને નિરહંકારી છે , દેહી અભિમાની છે , એવી રીતે ફોલો ફાધર કરો , તો સદા ઉન્નતિ થતી રહેશે ”

પ્રશ્ન :-
ઉંચ પદની પ્રાપ્તિનાં માટે કઈ ખબરદારી રાખવી જરુરી છે?

ઉત્તર :-
ઉંચ પદ પામવું છે તો ખબરદારી રાખો કે મન્સા થી પણ કોઈને મારા દ્વારા દુઃખ ન થાય, ૨. કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ ન આવે, ૩. બાપનાં બની ને બાપનાં કાર્યમાં, આ રુદ્ર યજ્ઞ માં વિઘ્ન રુપ ન બનો. જો કોઈ મુખ થી બાબા-બાબા કહે અને ચલન રોયલ ન હોય તો ઉંચ પદ નથી મળી શકતું.

ઓમ શાંતિ!
બાળકો સારી રીતે થી જાણે છે કે બાપ થી વારસો પામવાનો છે જરુર. કેવી રીતે? શ્રીમત પર. બાપે સમજાવ્યું છે એક જ ગીતા શાસ્ત્ર છે જેમાં શ્રીમત ભગવાનુવાચ છે. ભગવાન તો બધાનાં બાપ છે. શ્રીમત ભગવાનુવાચ. તો જરુર ભગવાને આવીને શ્રેષ્ઠ બનાવ્યાં હશે, ત્યારે તો એમની મહિમા છે. શ્રીમત ભગવત ગીતા અર્થાત્ શ્રીમત ભગવાનુવાચ. ભગવાન તો જરુર ઊંચે થી ઊંચા થયાં. શ્રીમત પણ એ જ એક શાસ્ત્ર માં ગવાયેલી છે બીજા શાસ્ત્રમાં શ્રીમત ભગવાનુવાચ નથી. શ્રીમત કોની હોવી જોઈએ, તે લખવાવાળા પણ સમજી ન શકે. તેમાં ભૂલ કેમ થઇ છે? તે પણ બાપ આવી ને સમજાવે છે. રાવણ રાજ્ય શરું થવાથી જ રાવણ મત પર ચાલી પડે છે. પહેલાં મોટામાં મોટી ભૂલ આ રાવણ મત વાળાઓએ કરી છે. રાવણ ની ચમાટ લાગે છે. જેવી રીતે કહેવાય છે શંકર પ્રેરક છે, બોમ્બસ વગેરે બનાવડાવ્યાં છે. એવી રીતે ૫ વિકારો રુપી રાવણ પ્રેરક છે મનુષ્ય ને પતિત બનાવવાં, ત્યારે તો પોકારે છે પતિત-પાવન આવો. તો પતિત-પાવન એક જ થયાં ને. આનાથી સિદ્ધ છે કે પતિત બનાવવાળા બીજા છે, પાવન બનાવવાળા બીજા છે. બંને એક હોઈ ન શકે. આ વાતો તમે જ સમજો છો - નંબરવારવાર પુરુષાર્થ અનુસાર. એવું નહીં સમજતાં કે બધાને નિશ્ચય છે. નંબરવાર છે. જેટલો નિશ્ચય છે એટલી ખુશી વધે છે. બાપની મત પર ચાલવાનું હોય છે. શ્રીમત પર આપણે આ સ્વરાજ્ય પદ પામવાનું છે. મનુષ્ય થી દેવતા બનવામાં વાર નથી લાગતી. તમે પુરુષાર્થ કરો છો. મમ્મા બાબા ને ફોલો (અનુસરણ) કરો છો. જેવી રીતે તેઓ આપ સમાન બનાવવાની સર્વિસ કરી રહ્યાં છે, તમે પણ સમજો છો અમે શું સર્વિસ કરી રહ્યાં છીએ અને મમ્મા બાબા શું સર્વિસ કરી રહ્યાં છે. બાબાએ સમજાવ્યું હતું કે શિવબાબા અને બ્રહ્મા દાદા બંને ભેગાં છે. તો સમજવું જોઈએ કે સૌથી નજીક છે. આમનું જ સંપૂર્ણ રુપ સૂક્ષ્મવતન માં જુઓ છો તો જરુર આ આગળ હશે. પરંતુ જેવી રીતે બાપ નિરહંકારી છે, દેહી-અભિમાની છે તેવી રીતે આ દાદા પણ નિરહંંકારી છે. કહે છે કે શિવબાબા જ સમજાવતા રહે છે. જ્યારે મુરલી ચાલે છે તો બાબા પોતે કહે છે કે સમજો કે શિવબાબા આમનાં દ્વારા સંભળાવી રહ્યાં છે. આ બ્રહ્મા પણ જરુર સાંભળતાં હશે. આ ન સાંભળે અને ન સંભળાવે તો ઉંચ પદ કેવી રીતે પામે. પરંતુ પોતાનું દેહ-અભિમાન છોડી કહે છે કે એવું સમજો કે શિવબાબા જ સંભળાવે છે. હું પુરુષાર્થ કરતો રહું છું. શિવબાબા જ સમજાવે છે. આમણે તો પતિતપણું ઓળંગેલું છે. મમ્મા તો કુમારી હતી. તો મમ્મા ઉંચી ચાલી ગઈ. તમે પણ કુમારીઓ મમ્મા ને ફોલો કરો. ગૃહસ્થીઓએ બાબાને ફોલો કરવા જોઈએ. દરેકે સમજવાનું છે કે હું પતિત છું, મારે પાવન બનવાનું છે. મુખ્ય વાત બાપે યાદની યાત્રા શીખવાડી છે. આમાં દેહ-અભિમાન ન રહેવું જોઈએ. અચ્છા કોઈ મુરલી નથી સંભળાવી શકતું તો યાદની યાત્રા પર રહો. યાદમાં રહેતાં મુરલી ચલાવી શકો છો. પરંતુ યાત્રા ભૂલી જાય છે તો પણ વાંધો નહીં. મુરલી ચલાવીને ફરી યાત્રા પર લાગી જાઓ કારણ કે તે વાણી થી પરે વાનપ્રસ્થ અવસ્થા છે. મૂળ વાત છે દેહી-અભિમાની થઈ બાપ ને યાદ કરતા રહે અને ચક્ર ને યાદ કરતાં રહે. કોઈ ને દુઃખ નહીં આપે. આ જ સમજાવતાં રહે બાપ ને યાદ કરો. આ છે યાત્રા. મનુષ્ય જ્યારે મરે છે તો કહે છે - સ્વર્ગ પધાર્યા. અજ્ઞાન કાળમાં કોઈ સ્વર્ગ ને યાદ નથી કરતું. સ્વર્ગ ને યાદ કરવું એટલે અહીંયાથી મરવું. એવું તો કોઈ યાદ નથી કરતાં. હમણાં આપ બાળકો જાણો છો આપણે પાછા જવાનું છે. બાપ કહે છે-જેટલું તમે યાદ કરશો એટલો ખુશી નો પારો ચઢશે, વારસો યાદ રહેશે. જેટલું બાપ ને યાદ કરશો એટલાં હર્ષિત પણ રહેશો. બાપ ને યાદ ન કરવાથી મૂંઝાય છે. ઘુટકા ખાતાં રહે છે. તમે એટલો સમય યાદ કરી નથી શકતાં. બાબાએ આશિક માશૂક નું ઉદાહરણ બતાવ્યું છે. તે ભલે ધંધો કરે છે અને તે ભલે ચરખો ચલાવતી રહે તો પણ તેની સામે માશૂક આવીને ઉભો રહી જશે. આશિક માશૂક ને યાદ કરશે, માશૂક પછી આશિક ને યાદ કરશે. અહીંયા તો ફક્ત તમારે એક બાપ ને યાદ કરવાનાં છે. બાપ ને તો તમને યાદ નથી કરવાનાં. બાપ બધાનાં માશૂક છે. આપ બાળકો લખો છો કે બાબા તમે અમને યાદ કરો છો? અરે જે બધાનાં માશૂક છે એ પછી તમને આશિકો ને યાદ કેવી રીતે કરે? થઇ ન શકે. એ છે જ માશૂક. આશિક બની ન શકે. તમારે જ યાદ કરવાનાં છે. તમારે દરેકે આશિક બનવાનું છે, તે એક માશૂક નું. જો એ આશિક બને તો કેટલાને યાદ કરે. આ તો થઇ ન શકે. કહે છે કે મારા ઉપર પાપો નો બોજો થોડી છે જો કોઈને યાદ કરું. તમારી ઉપર બોજો છે. બાપ ને યાદ નહીં કરશો તો પાપનો બોજો નહીં ઉતરશે. બાકી મારે કેમ કોઈને યાદ કરવાં પડે. યાદ કરવાનું છે આપ આત્માઓએ. જેટલું યાદ કરશો એટલાં પુણ્ય આત્મા બનશો, પાપ કપાતા જશે. મોટી મંઝિલ છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. આ નોલેજ બધું તમને મળી રહ્યું છે. તમે ત્રિકાળદર્શી બનો છો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આખું ચક્ર તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ. બાપ સમજાવે છે તમે લાઈટ હાઉસ છો ને. દરેક ને રસ્તો બતાવવા વાળા છો, શાંતિધામ અને સુખધામ નો. આ બધી નવી વાતો તમે સાંભળો છો. જાણો છો કે બરોબર આપણે આત્માઓ શાંતિધામની રહેવાસી છીએ. અહીંયા પાર્ટ ભજવવા આવીએ છીએ. આપણે એક્ટર છીએ. આ જ ચિંતન બુદ્ધિમાં ચાલતું રહે તો મસ્તી ચઢી જાય. બાપે સમજાવ્યું છે આદિ થી લઈને અંત સુધી તમારો પાર્ટ છે. હવે કર્માતીત અવસ્થા માં જરુર જવાનું છે પછી ગોલ્ડન એજ (સતયુગ) માં આવવાનું છે. આ ધૂન માં રહેતાં પોતાનું કલ્યાણ કરવાનું છે. ફક્ત પંડિત નથી બનવાનું. બીજાઓને શીખવાડતાં રહેશો, સ્વયં તે અવસ્થામાં નહીં રહેશો તો અસર પડશે નહીં. પોતાનો પણ પુરુષાર્થ કરવાનો છે. બાપ પણ બતાવે છે કે હું પણ યાદ કરવાની કોશિશ કરું છું. ક્યારેક માયાનું તોફાન એવું આવે છે જે બુદ્ધિનો યોગ તોડી દે છે. ઘણાં બાળકો ચાર્ટ મોકલી દે છે. વન્ડર લાગે છે કે આ તો અમારાથી પણ આગળ જાય છે. કદાચ વેગ આવે છે તો ચાર્ટ લખવામાં લાગી જાય છે પરંતુ આવી જો તીવ્ર દોડ લગાવે તો નંબરવન માં ચાલ્યાં જાય. પરંતુ ના, તે ફક્ત ચાર્ટ લખવા સુધી છે. એવું નથી લખતાં કે બાબા આટલા ને આપ સમાન બનાવ્યાં. અને તે પણ લખે બાબા અમને આમણે આ રસ્તો બતાવ્યો છે. એવાં સમાચાર નથી આવતાં. તો બાબા શું સમજશે? ફક્ત ચાર્ટ મોકલવાથી કામ નથી ચાલતું. આપ સમાન પણ બનાવવાનાં છે. રુપ અને વસંત બંને બનવાનું છે. નહીં તો બાપ સમાન ન થયાં. રુપ પણ વસંત પણ એક્યુરેટ બનવાનું છે, આમાં જ મહેનત છે. દેહ-અભિમાન મારી નાખે છે. રાવણે દેહ-અભિમાની બનાવ્યાં છે. હમણાં તમે દેહી-અભિમાની બનો છો. પછી અડધાકલ્પ નાં બાદ માયા રાવણ દેહ-અભિમાની બનાવે છે. દેહી-અભિમાની તો ખુબ મીઠા બની જાય છે. સંપૂર્ણ તો હમણાં કોઈ પણ બન્યાં નથી એટલે બાબા હંમેશા કહે છે કે કોઈનાં પણ દિલ ને રંજ નથી કરવાનું, દુઃખ નથી આપવાનું. બધાને બાપ નો પરિચય આપો. બોલવા કરવાની પણ ખુબ રોયલ્ટી જોઈએ. ઈશ્વરીય સંતાન નાં મુખ થી સદૈવ રત્ન નીકળવાં જોઈએ. તમે મનુષ્ય ને જીવદાન આપો છો. રસ્તો બતાવવાનો છે અને સમજાવવાનું છે. તમે પરમાત્માનાં બાળકો છો ને. એમનાથી તમને સ્વર્ગની રાજાઈ મળવી જોઈએ. પછી હવે તે કેમ નથી. યાદ કરો બરાબર બાપ થી વારસો મળ્યો હતો ને. તમે ભારતવાસી દેવી દેવતાઓ હતાં, તમે જ ૮૪ જન્મ લીધાં. તમે સમજો કે આપણે જ લક્ષ્મી-નારાયણ નાં કુળનાં હતાં. પોતાને ઓછાં કેમ સમજો છો. જો કહે છે કે બાબા બધાં થોડી બનશે. તો બાબા સમજી જાય કે આ તે કુળનાં નથી. હમણાંથી જ થિરકવા લાગી જાય છે. તમે ૮૪ જન્મ લીધાં છે. બાપે ૨૧ જન્મોની પ્રાલબ્ધ જમા કરાવી તે ખાધું પછી સમાપ્ત થવાનું શરુ થઇ ગયું. કટ ચઢતાં-ચઢતાં તમોપ્રધાન કૌડી જેવાં બની ગયાં છો. ભારત જ ૧૦૦ ટકા સોલવેન્ટ હતું. આમને આ વારસો ક્યાંથી મળ્યો? એક્ટર્સ જ બતાવી શકે ને. મનુષ્ય જ એક્ટર છે. તેમને આ ખબર હોવી જોઈએ કે આ લક્ષ્મી-નારાયણ ને બાદશાહી મળી ક્યાંથી? કેટલી સારી-સારી પોઇન્ટ્સ છે. જરુર આગલા જન્મમાં જ આ રાજ્ય ભાગ્ય પામ્યું હશે.

બાપ જ પતિત-પાવન છે. બાપ કહે છે કે હું તમને કર્મ, અકર્મ અને વિકર્મ ની ગતિ સમજાવું છું. રાવણ રાજ્ય માં મનુષ્યનાં કર્મ વિકર્મ થઈ જાય છે, ત્યાં તમારા કર્મ અકર્મ થાય છે. તે છે દેવી સૃષ્ટિ. હું રચતા છું તો જરુર મારે સંગમ પર આવવું પડે. આ છે રાવણ રાજ્ય. તે છે ઇશ્વરીય રાજ્ય. ઈશ્વર હમણાં સ્થાપના કરાવી રહ્યાં છે. તમે બધાં ઈશ્વરનાં બાળકો છો, તમને વારસો મળી રહ્યો છે. ભારતવાસી જ સોલવેન્ટ હતાં, હવે ઇનસોલવેન્ટ (કંગાળ) બની ગયાં છે. આ બન્યો-બનેલ ડ્રામા છે, આમાં ફર્ક નથી થઈ શકતો. બધાં નું ઝાડ પોત-પોતાનું છે. વેરાઈટી ઝાડ છે ને. દેવતા ધર્મ વાળા જ ફરી દેવતા ધર્મ માં આવશે. ક્રિશ્ચિયન ધર્મ વાળા પોતાનાં ધર્મમાં ખુશ છે બીજાઓને પણ પોતાનાં ધર્મમાં ખેંચી લીધાં છે. ભારતવાસી પોતાનાં ધર્મ ને ભૂલવાનાં કારણે તે ધર્મ સારો સમજી ચાલ્યાં જાય છે. વિલાયતમાં નોકરી માટે કેટલાં જાય છે કારણ કે ત્યાં કમાણી ખુબ છે. ડ્રામા ખુબ વન્ડરફુલ બનેલો છે. આને સમજવાની સારી બુદ્ધિ જોઈએ. વિચાર સાગર મંથન કરવાથી બધું સમજમાં આવી જાય છે. આ બન્યો બનેલ અનાદિ ડ્રામા છે. તો આપ બાળકોએ આપ સમાન સદા સુખી બનાવવાનાં છે. આ તમારો ધંધો છે પતિતો થી પાવન બનાવવાં. જેમ બાપનો ધંધો તેમ તમારો. તમારું મુખડું સદૈવ દેવતાઓ જેવું હર્ષિત હોવું જોઈએ ખુશીમાં. તમે જાણો છો આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ. તમે છો લવલી ચિલ્ડ્રન (મીઠા બાળકો). ક્રોધ પર ખુબ ખબરદારી રાખવાની છે. બાપ આવ્યાં છે બાળકોને સુખ નો વારસો આપવાં. સ્વર્ગ નો રસ્તો બધાને બતાવવાનો છે. બાપ સુખકર્તા દુઃખહર્તા છે. તો તમારે પણ સુખકર્તા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. દુઃખ આપશો તો તમારી સજા ૧૦૦ ગુણા વધી જશે. કોઈ પણ સજા થી બચી નથી શકતાં. બાળકોનાં માટે તો ખાસ ટ્રીબ્યુનલ બેસે છે. બાપ કહે છે કે તમે વિઘ્ન નાખશો તો ખુબ સજા ખાશો. કલ્પ-કલ્પાન્તર તમે સાક્ષાત્કાર કરશો કે ફલાણા આ બનશે. પહેલાં જ્યારે જોતા હતાં તો બાબા ના પાડતાં હતાં કે ન સંભળાવો. અંતમાં તો એક્યુરેટ ખબર પડતી જશે. આગળ ચાલી જોર થી સાક્ષાત્કાર થશે. વૃદ્ધિ તો થતી જશે. આબુ સુધી લાઈન લાગી જશે. બાબા થી કોઈ પણ મળી નહીં શકશે. કહેશે અહો પ્રભુ તારી લીલા. આપણ ગવાયેલું તો છે ને. વિદ્વાન, પંડિત વગેરે પણ પાછળ થી આવશે. તેમનાં સિંહાસન પણ હલશે. આપ બાળકો તો ખુબ ખુશી માં રહેશો. અચ્છા!

મીઠા-મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર. આવો યાદપ્યાર એક જ વાર મળે છે. જેટલું તમે યાદ કરો છો એટલો તમે પ્રેમ પામો છો. વિકર્મ વિનાશ થાય છે અને ધારણા પણ થાય છે. બાળકો ને ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. જે પણ આવે તેમને રસ્તો બતાવે. બેહદ નો વારસો બેહદ નાં બાપ થી પામવાનો છે. ઓછી વાત છે શું? એવો પુરુષાર્થ કરવો જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બોલવા-ચાલવામાં ખુબ રોયલ બનવાનું છે. મુખ થી સદૈવ રત્ન નીકાળવાનાં છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. કોઈનાં દિલ ને રંજ નથી કરવાનું.

2. ક્રોધ પર ખુબ ખબરદારી રાખવાની છે. મુખડું સદૈવ દેવતાઓ જેવું હર્ષિત રાખવાનું છે. સ્વયં ને જ્ઞાન યોગબળ થી દેવતા બનાવવાનાં છે.

વરદાન :-
સદા પશ્ચાતાપ થી પરે પ્રાપ્તિ સ્વરુપ સ્થિતિ નો અનુભવ કરવા વાળા સદ્દ - બુદ્ધિવાન ભવ

જે બાળકો બાપને પોતાનાં જીવનની નૈયા આપીને હું-પણા ને મિટાવી દે છે. શ્રીમત માં મનમત મિક્સ નથી કરતાં તે સદા પશ્ચાતાપ થી પરે પ્રાપ્તિ સ્વરુપ સ્થિતિ નો અનુભવ કરે છે. તેમને જ સદ્દ-બુદ્ધિવાન કહેવાય છે. એવાં સદ્દ-બુદ્ધિ વાળા તોફાનો ને તોફા (ભેટ) સમજી, સ્વભાવ-સંસ્કાર ની ટક્કર ને આગળ વધવાનો આધાર સમજી, સદા બાપ ને સાથી બનાવી સાક્ષી થઈ દરેક પાર્ટ જોતાં સદા હર્ષિત થઈને ચાલે છે.

સ્લોગન :-
જે સુખદાતા બાપનાં સુખદાયી બાળકો છે તેમની પાસે દુઃખ ની લહેર આવી નથી સકતી.