04-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા મીઠા સર્વિસેબલ બાળકો - એવું કોઈ પણ કામ નહીં કરતાં જેનાથી સર્વિસ માં કોઈ પણ વિઘ્ન પડે ”

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકોએ બિલકુલ એક્યુરેટ બનવાનું છે, એક્યુરેટ કોણ બની શકે છે?

ઉત્તર :-
જે સાચાં બાપની સાથે સદા સાચાં રહે છે, અંદર એક, બાહર બીજું - એવું ન હોય. ૨. જે શિવબાબા નાં સિવાય બીજી વાતોમાં નથી જતાં. ૩. દરેક કદમ શ્રીમત પર ચાલે છે, કોઈ પણ ગફલત નથી કરતાં, તે જ એક્યુરેટ બને છે.

ગીત :-
બચપન કે દિન ભુલા ન દેના …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીતનાં બે અક્ષર સાંભળ્યાં આ તો નિશ્ચય કરો છો - બેહદનાં બાપ હમણાં બેહદનાં સુખ નો વારસો આપી રહ્યાં છે. એવાં બાપનાં આપણે આવીને બાળકો બન્યાં છીએ તો બાપની શ્રીમત પર પણ ચાલવાનું છે. નહીં તો શું થશે! હમણાં-હમણાં હસો છો, કહો છો અમે મહારાજા મહારાણી બનીશું અને જો હાથ છોડી દીધો તો પછી જઈને સાધારણ પ્રજા બનશો. સ્વર્ગ માં તો જરુર આવશો. એવું પણ નથી કે બધાં સ્વર્ગમાં આવવા વાળા છે. જે સતયુગ ત્રેતામાં આવવા વાળા હશે, તે જ આવશે. સતયુગ અને ત્રેતા બંનેવ મળીને સ્વર્ગ કહેવાય છે. છતાં પણ જે પહેલાં-પહેલાં નવી દુનિયામાં આવે છે તે સારું સુખ પામે છે બાકી જે પછી થી આવવાવાળા છે તે કોઈ આવીને જ્ઞાન નહીં લેશે. જ્ઞાન લેવાવાળા સતયુગ-ત્રેતા માં આવશે. બાકી આવે જ છે રાવણ રાજ્ય માં. તે થોડુંક સુખ પામી શકશે. સતયુગ-ત્રેતા માં તો બહુ જ સુખ છે ને એટલે પુરુષાર્થ કરીને બાપ થી બેહદ સુખ નો વારસો પામવો જોઈએ અને આ મહાન ખુશખબરી લખો - કાર્ડસ જે છપાવો છો એમાં પણ આ લખવું જોઈએ - ઊંચે થી ઊંચા બેહદ બાપની ખુશખબરી. પ્રદર્શની માં તમે દેખાડો છો નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે. તો આ સ્પષ્ટ અને મોટા અક્ષરો માં લખવું જોઈએ. બેહદનાં બાપ જ્ઞાનનાં સાગર, પતિત-પાવન, સદ્દગતિ દાતા ગીતાનાં ભગવાન શિવ કેવી રીતે બ્રહ્માકુમાર કુમારીઓ દ્વારા ફરી થી કળયુગી સંપૂર્ણ વિકારી, ભ્રષ્ટાચારી પતિત દુનિયા ને સતયુગી સંપૂર્ણ નિર્વિકારી પાવન શ્રેષ્ઠાચારી દુનિયા બનાવી રહ્યાં છે. તે ખુશખબરી આવીને સાંભળો અને સમજો. ગવર્મેન્ટ (સરકાર) થી પણ તમારી આ પ્રતિજ્ઞા છે કે અમે ભારતમાં ફરી થી સતયુગી શ્રેષ્ઠાચારી ૧૦૦ ટકા પવિત્રતા સુખ-શાંતિ નું દૈવી સ્વરાજ્ય કેવી રીતે સ્થાપન કરી રહ્યાં છીએ અને આ વિકારી દુનિયાનો વિનાશ કેવી રીતે થશે તે આવી ને સમજો. આવું ક્લિયર (સ્પષ્ટ) લખવું જોઈએ. કાર્ડમાં એવું લખો જે મનુષ્ય સારી રીતે સમજી શકે. આ પ્રજાપિતા બ્રહ્માકુમારી કુમારીઓ કલ્પ પહેલા માફક ડ્રામા પ્લાન અનુસાર પરમપિતા પરમાત્મા શિવની શ્રીમત પર સહજ રાજ્યોગ અને પવિત્રતાનાં બળ થી, પોતાનાં તન-મન-ધન થી ભારત ને એવાં શ્રેષ્ઠાચારી પાવન કેવી રીતે બનાવી રહ્યાં છે, તે આવી ને સમજો. ક્લિયર કરીને કાર્ડમાં છપાવવું જોઈએ, જે કોઈ પણ સમજી જાય. આ બી.કે. શિવબાબા ની મત પર રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છે, જે ગાંધીજી ની ઈચ્છા હતી. સમાચાર માં પણ આવું પૂરું નિમંત્રણ છપાઈ જાય. આ જરુર સમજાવાનું છે કે પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારીઓ પોતાનાં તન-મન-ધન થી આ કરી રહ્યાં છે. તો મનુષ્ય એવું ક્યારેય ન સમજે કે આ કોઈ ભીખ કે દાન વગેરે માંગે છે. દુનિયામાં તો બધું દાન પર જ ચાલે છે. અહીંયા તમે કહો છો કે અમે બી.કે. પોતાનાં તન-મન-ધન થી કરી રહ્યાં છીએ. તે પોતે જ સ્વરાજ્ય લે છે તો જરુર પોતાનો જ ખર્ચો કરશે. જે મહેનત કરે છે એમને જ ૨૧ જન્મોનાં માટે વારસો મળે છે. ભારતવાસી જ ૨૧ જન્મોનાં માટે શ્રેષ્ઠચારી ડબલ સિરતાજ બને છે. આ લક્ષ્મી-નારાયણ ડબલ સિરતાજ છે ને. હમણાં તો કોઈ તાજ નથી રહ્યો. તો આ સારી રીતે સમજાવવું પડે. બાપ સમજાવે છે આવું-આવું લખો તો બિચારાઓને ખબર પડે કે બી.કે. શું કરી રહ્યાં છે. મોટાઓનો અવાજ થશે તો પછી ગરીબોનું પણ સાંભળશે. નહીં તો ગરીબ ની કોઈ વાત નથી સાંભળતાં. સાહૂકાર નો અવાજ ઝટ થાય છે. તમે સિદ્ધ કરીને બતાડો છો અમે ખાસ ભારત ને સ્વર્ગ બનાવીએ છીએ. બાકી બધાને શાંતિધામ માં મોકલી દેશે. સમજાવવાનું પણ એવું છે. ભારત ૫ હજાર વર્ષ પહેલાં આવું સ્વર્ગ હતું. હમણાં તો કળયુગ છે, તે સતયુગ હતું. હવે બતાવો સતયુગ માં કેટલાં મનુષ્ય હતાં. હમણાં કળયુગ નો અંત છે. આ એ જ મહાભારત મહાભારી લડાઈ છે. બીજા કોઈ સમયે તો આવી લડાઈ લાગી જ નથી. આપણ ત્રીજું યુદ્ધ પાછળ થી થયું છે. ટ્રાય (કોશિશ) કરે છે ને. હવે તો ઓટોમેટીક બોમ્બસ બનાવતાં રહે છે. કોઈનું પણ સાંભળતા નથી. તેઓ કહે છે જે બોમ્બસ બનાવેલાં છે તે બધાં સમુદ્રમાં નાખી દો તો અમે પણ ન બનાવીએ. તમે રાખો અને અમે ન બનાવીએ આ કેવી રીતે થઈ શકે. પરંતુ આપ બાળકો જાણો છો આ તો ભાવી બનેલી છે. કેટલી પણ એમને મત આપો, સમજશે નહીં. વિનાશ ન થાય તો રાજ્ય કેવી રીતે કરશે. આપ બાળકોને તો નિશ્ચય છે ને. સંશય બુદ્ધિ જે છે તે ભાગન્તી થઇ જાય છે. બાપનાં બનીને પછી ટ્રેટર (દગાબાજ) નથી બનવાનું. તમારે તો યાદ કરવાનાં છે શિવબાબા ને બીજી વાતો થી શું ફાયદો. સાચાં બાપની સાથે સાચાં બનવાનું છે. અંદર એક બહાર બીજું રાખશો તો પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશો. પોતાનું જ નુકસાન કરશો. કલ્પ-કલ્પાંતર માટે ક્યારેય પણ ઉંચ પદ પામી નહી શકશો એટલે આ સમયે બહુજ એક્યુરેટ બનવાનું છે. કોઈ ગફલત ન કરવી જોઈએ. જેટલું થઈ શકે શ્રીમત પર રહેવાનું છે. નિરંતર યાદ તો અંતમાં રહેશે. સિવાય એક બાપનાં બીજા કોઈની યાદ ન રહે. ગવાય પણ છે અંતકાળ જે સ્ત્રી સીમરે…… જેમાં મોહ હશે તો તે યાદ આવી જશે. આગળ ચાલી જેટલાં તમે નજીક આવતાં જશો, સાક્ષાત્કાર થતો જશે. બાબા દરેક ને દેખાડશે કે તમે આવાં-આવાં કામ કર્યા છે. શરું-શરું માં પણ તમે સાક્ષાત્કાર કર્યા છે. સજાઓ જે ભોગવતાં હતાં તે ખુબજ ચિલ્લાવતા હતાં. બાબા કહે છે તમને દેખાડવા માટે એમની સો ગણી સજાઓ કાપી દીધી. તો એવા કામ નથી કરવાનાં જે બાબાની સર્વિસ માં વિઘ્ન પડે. અંતમાં પણ તમને બધાં સાક્ષાત્કાર થશે. આમ-આમ તમે બાપની સર્વિસ માં વિઘ્ન બહુજ નાખી નુકસાન કર્યુ છે. આસુરી સંપ્રદાય છે ને. જેમણે વિઘ્ન નાખ્યાં છે એમને બહુ જ સજા મળે છે. શિવબાબા ની બહુજ મોટી દરબાર છે. જમણી બાજુ માં ધરમરાજ પણ છે. તે છે હદની સજાઓ. અહીંયા તો ૨૧ જન્મનું નુકસાન થઈ જાય છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે. દરેક વાતમાં બાપ સમજાવતાં રહે છે. તો એવું કોઈ ન કહે કે અમને ખબર નથી એટલે બાબા બધી સાવધાની આપતા રહે છે. જુવે છે દરેક સેવાકેન્દ્ર માં કેટલાં ભાગન્તી થાય છે. હેરાન કરે છે. વિકારી બની જાય છે. સ્કૂલમાં તો પૂરી રીતે ભણવું જોઈએ. નહીં તો શું પદ પામશે. પદ નો બહુજ ફરક પડી જાય છે. જેમ અહીં દુઃખધામ માં કોઈ પ્રધાનમંત્રી છે, કોઈ સાહૂકાર છે, કોઇ ગરીબ છે તેમ ત્યાં સુખધામ માં પણ પદ તો નંબરવાર હશે. જે રોયલ બુદ્ધિવાન બાળકો હશે, તે બાપ થી પૂરો વારસો લેવાની કોશિશ કરશે. માયાની બોક્સિંગ (યુદ્ધ) છે ને. માયા બહુ જ પ્રબળ છે હાર જીત થતી રહે છે. કેટલાં આવે છે પછી ટ્રેટર (દગાબાજ) બની ચાલી જાય છે. ચાલતાં-ચાલતાં ફેલ (નપાસ) થઈ જાય છે. ઘણાં કહે છે આ થઈ કેવી રીતે શકે. આ તો ક્યારેય નથી સાંભળ્યું કે ગૃહસ્થ વ્યવહાર માં રહીને પવિત્ર રહી શકાય છે. અરે ભગવાનુવાચ છે ને - કામ મહાશત્રુ છે. ગીતામાં પણ અક્ષર છે ને. તમે જાણો છો સતયુગ માં છે દૈવીગુણો વાળા મનુષ્ય અને કળયુગમાં છે આસુરી અવગુણો વાળા. આસુરી ગુણોવાળા દૈવી ગુણવાળા ની મહિમા ગવાય છે. કેટલો ફરક છે. હમણાં તમે સમજો છો આપણે શું હતાં, શું બની રહ્યાં છીએ. અહીંયા તમારે બધાં ગુણ ધારણ કરવાનાં છે. ખાન-પાન વગેરે માં પણ સતોગુણી ખાવાનું છે. જોવાનું છે, દેવતાઓને શું ખવડાવે છે. શ્રીનાથ દ્વારામાં જઈને જુઓ - કેટલો માલ અથવા શુદ્ધ ભોજન બને છે. ત્યાં છે જ વૈષ્ણવ. અને ત્યાં જગન્નાથપુરીમાં જુઓ શું મળે છે? ચોખા. ત્યાં છે વામમાર્ગ નાં બહુ જ ગંદા ચિત્ર. જ્યારે રાજાઈ હતી તો ૩૬ પ્રકારનાં ભોજન મળતાં હતાં. તો શ્રીનાથ દ્વારામાં બહુ જ માલ બને છે. પુરી અને શ્રીનાથ નું અલગ-અલગ છે. પુરીનાં મંદિરમાં બહુ જ ગંદા ચિત્ર છે, દેવતાઓનાં ડ્રેસમાં. તો ભોગ પણ વિશેષ ચોખા નો લાગે છે. એમાં ઘી પણ નથી નાખતાં. આ ફરક દેખાડે છે. ભારત શું હતું પછી શું બની ગયું. હમણાં તો જુઓ શું હાલત છે. પૂરું અનાજ પણ નથી મળતું. એમના પ્લાન અને શિવબાબા નાં પ્લાન માં રાત દિવસ નો ફરક છે. તે બધાં પ્લાન માટી માં મળી જશે. કુદરતી આપદાઓ થશે. અનાજ વગેરે કંઈ નહીં મળશે. વરસાદ ક્યાંક જુઓ તો બહુ જ પડશે. ક્યાંક બિલકુલ પડતો નથી. કેટલું નુકસાન કરી દે છે. આ સમયે તત્વ પણ તમોપ્રધાન છે તો વરસાદ પણ ઉલટા-સુલટા સમય પર પડતો રહે છે. તોફાન પણ તમોપ્રધાન, સૂર્ય પણ તાપ કેવો કરશે જે વાત નહીં પૂછો. આ કુદરતી આપદાઓ ડ્રામામાં નોંધ છે. તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તમારી છે બાપ ની સાથે પ્રીતબુદ્ધિ. જ્ઞાનકાળ માં પણ સપૂત બાળકો પર મા-બાપનો પ્રેમ રહે છે એટલે બાબા કહે પણ છે નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદપ્યાર… જેટલી જેટલી સર્વિસ કરશે... ખિદમત (સેવા) તો કરવાની છે ને. ભારતની ખાસ અને દુનિયાની આમ ભારત ને સ્વર્ગ બનાવવાનું છે. બાકી બધાને મોકલી દેવાનાં છે શાંતિધામ. ભારતને સ્વર્ગ નો વારસો મળે છે બાકી બધાને મુક્તિ નો વારસો મળે છે. બધાં ચાલ્યાં જશે. હાહાકાર નાં પછી જય જયકાર થઈ જશે. કેટલો હાહાકાર મચશે. આ છે જ ખૂને નાહેક ખેલ. કુદરતી આપદાઓ પણ આવશે. મૌત તો બધાનું થવાનું જ છે.

બાપ બાળકો ને સમજાવે છે પૂરો પુરુષાર્થ કરી લો. બાપ ની સાથે સદૈવ ફરમાનબરદાર, વફાદાર બનવાનું છે. સર્વિસેબલ (સેવાધારી) બનવાનું છે. જેમણે કલ્પ પહેલાં જેવી સેવા કરી છે એનો સાક્ષાત્કાર થતો રહેશે. તમે સાક્ષી થઇ જોતાં રહેશો. તમે હમણાં સ્વદર્શન ચક્રધારી બન્યાં છો. સદૈવ બુદ્ધિમાં સ્વદર્શન ચક્ર ફરતું રહેવું જોઈએ. આપણે ૮૪ જન્મ આમ-આમ લીધાં છે. હમણાં આપણે ફરી થી ઘરે જઈએ છીએ. બાપ પણ યાદ રહે, ઘર પણ યાદ રહે, સતયુગ પણ યાદ રહે. આખો દિવસ બુદ્ધિમાં આ જ ચિંતન કરવાનું છે. હવે આપણે વિશ્વ નાં મહારાજ કુમાર બનીશું. આપણે શ્રી લક્ષ્મી કે શ્રીનારાયણ બનીશું. નશો ચઢવો જોઇએ ને. બાબા ને નશો રહે છે. બાબા રોજ આ (લક્ષ્મી-નારાયણ નાં) ચિત્ર ને જુએ છે, અંદર માં નશો રહે છે ને. બસ કાલે હું જઈને આ શ્રીકૃષ્ણ બનીશું. ફરી સ્વયંવર પછી શ્રી નારાયણ બનીશ. તત્વમ્. તમે પણ તો બનશો ને. આ છે જ રાજ્યોગ. પ્રજા યોગ નથી. આત્માઓ ને ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય મળે છે. બાળકોએ રાજ્ય ગુમાવ્યું હતું. હવે ફરી રાજ્ય લઇ રહ્યાં છે. બાબા આ ચિત્ર વગેરે બનાવે જ એટલે છે કે આપ બાળકોને જોઈને ખુશી થાય. ૨૧ જન્મ માટે આપણે સ્વર્ગનું રાજ્ય ભાગ્ય પામી રહ્યાં છીએ. કેટલું સહજ છે. આ શિવબાબા, આ પ્રજાપિતા બ્રહ્મા આમનાં દ્વારા આ રાજયોગ શીખવાડે છે. પછી આપણે આ જઈને બનીશું. જોવાથી જ ખુશી નો પારો ચઢી જાય છે. આપણે બાપની યાદમાં રહેવાથી વિશ્વનાં રાજકુમાર બનીશું. કેટલી ખુશી રહેવી જોઈએ. હું પણ ભણી રહ્યો છું, તમે પણ ભણી રહ્યાં છો. આ ભણતર પછી આપણે જઈને આ બનીશું. બધું પદ ભણતર પર છે. જેટલું ભણશો એટલી કમાણી થશે ને. બાબાએ બતાવ્યું છે કોઈ સર્જન તો એટલાં હોશિયાર હોય છે જે લાખ રુપિયા પણ એક કેસ પર કમાય છે. બેરીસ્ટર માં પણ એવાં હોય છે. કોઈ તો બહુ જ કમાય છે, કોઈ ને જુઓ તો કોટ પણ ફાટેલો હશે. આ પણ એવું છે એટલે બાબા વારંવાર કહે છે બાળકો, કોઈ પણ ગફલત નહીં કરો. સદૈવ શ્રીમત પર ચાલો. શ્રી શ્રી શિવબાબા થી તમે શ્રેષ્ઠ બનો છો. આપ બાળકોએ બાપ થી અનેકવાર વારસો લીધો છે અને ગુમાવ્યો છે. ૨૧ જન્મો નો વારસો અડધા કલ્પ માટે મળે છે. અડધો કલ્પ ૨૫૦૦ વર્ષ સુખ પામો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર બહાર સાચાં રહેવાનું છે. ભણતર માં ક્યારેય પણ ગફલત નથી કરવાની. ક્યારેય પણ સંશય બુદ્ધિ બની ભણતર નથી છોડવાનું. સર્વિસ માં વિઘ્ન રુપ નથી બનવાનું.

2. બધાને આ જ ખુશખબરી સંભળાવો કે અમે પવિત્રતા નાં બળ થી, શ્રીમદ પર પોતાના તન-મન-ધન નાં સહયોગ થી ૨૧ જન્મોનાં માટે ભારત ને શ્રેષ્ઠચારી ડબલ સિરતાજ બનાવવાની સેવા કરી રહ્યાં છીએ.

વરદાન :-
સેકન્ડમાં સંકલ્પો ને સ્ટોપ કરી પોતાનાં ફાઉન્ડેશન ને મજબૂત બનાવવા વાળા પાસ વિથ ઓનર ભવ

કોઈ પણ પેપર પરિપક્વ બનાવવા માટે, ફાઉન્ડેશન ને મજબૂત કરવા માટે આવે છે, એમાં ગભરાઓ નહીં. બહાર ની હલચલમાં એક સેકન્ડમાં સ્ટોપ કરવાનો અભ્યાસ કરો, કેટલો પણ વિસ્તાર હોય એક સેકન્ડમાં સમેટી લો. ભૂખ તરસ, ઠંડી, ગરમી બધું હોવા છતાં સંસ્કાર પ્રગટ ન થાય, સમેટવાની શક્તિ દ્વારા સ્ટોપ લગાવી દો. આ જ બહુ સમય નો અભ્યાસ પાસ વિથ ઓનર બનાવી દેશે.

સ્લોગન :-
પોતાનાં સુખ શાંતિ નાં વાઈબ્રેશન થી લોકોને સુખ ની અનુભૂતિ કરાવવી જ સાચી સેવા છે.