08-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
શ્રીમત પર કલ્યાણકારી બનવાનું છે , સૌને સુખનો રસ્તો બતાવવાનો છે ”
પ્રશ્ન :-
કોઈ પણ પ્રકાર
ની ગફલત થવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
દેહ-અભિમાન. દેહ-અભિમાન નાં કારણે જ બાળકો થી બહુજ ભૂલો થાય છે. તે સર્વિસ (સેવા)
પણ નથી કરી શકતાં. એમનાથી એવાં કર્મ થાય છે જે બધાં નફરત કરે છે. બાબા કહે - બાળકો
આત્મ-અભિમાની બનો. કોઈ પણ અકર્તવ્ય નહીં કરો. ક્ષીરખંડ થઈ સર્વિસ નાં સારા-સારા
પ્લાન બનાવો. મુરલી સાંભળી ને ધારણ કરો, એમાં બેપરવાહ નહીં બનો.
ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન ….
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ રુહાની બાપ ની શ્રીમત. હમણાં હું બધાં સેવાકેન્દ્રોનાં બાળકો થી વાત કરી રહ્યો
છું. હવે જે ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ, સીડી, લક્ષ્મી-નારાયણ નું ચિત્ર અને કૃષ્ણનું
ચિત્ર - આ ૬ ચિત્ર છે મુખ્ય. આ જેમ કે આખી પ્રદર્શની છે, આમાં બધો સાર આવી જાય છે.
જેમ નાટકનાં પડદા બનાવાય છે, જાહેરાત નાં માટે. તે ક્યારેય વરસાદ વગેરે માં ખરાબ નથી
થતાં. એમ આ મુખ્ય ચિત્ર બનાવવાં જોઈએ. બાળકો ને શ્રીમત મળે છે રુહાની સર્વિસ વધારવા
માટે, ભારતવાસી મનુષ્યોનું કલ્યાણ કરવા માટે. ગાએ પણ છે - કલ્યાણકારી બેહદનાં બાપ
છે તો જરુર કોઈ અકલ્યાણકારી પણ હશે. જેનાં કારણે બાપે આવીને પછી કલ્યાણ કરવું પડે
છે. રુહાની બાળકો જેમનું કલ્યાણ થઈ રહ્યું છે, તે એ વાતો ને સમજી શકે છે. જેમ અમારું
કલ્યાણ થયું છે તો અમે પછી બીજાઓનું પણ કલ્યાણ કરીએ. જેમ બાપ ને પણ ચિંતન ચાલે છે
કે કેવી રીતે કલ્યાણ કરે. યુક્તિઓ બતાવી રહ્યાં છે. ૬ બાઈ ૯ સાઈઝ ની સીટ પર આ ચિત્ર
બનાવવું જોઈએ. દિલ્લી જેવાં શહેરો માં ખાસ કરીને બહુજ મનુષ્ય આવે છે. જ્યાં
ગવર્મેન્ટની એસેમ્બલી (સરકાર નું સંગઠન) વગેરે હોય છે. મનોચિકિત્સક તરફ ઘણાં લોકો
આવે છે, ત્યાં આ ચિત્ર રાખવાં જોઈએ. અનેકોનું કલ્યાણ કરવાં અર્થ બાપ મત આપે છે. એવાં
ટીન પર ખુબ ચિત્ર બની શકે છે. દેહી-અભિમાની બની બાપની સર્વિસમાં લાગવાનું છે. બાપ
સલાહ આપે છે - આ ચિત્ર હિન્દી અને અંગ્રેજી માં બનાવવું જોઈએ. આ ૬ ચિત્ર મુખ્ય જગ્યા
પર લાગી જાય. જો એવાં મુખ્ય સ્થાન ઉપર લાગી જાય તો તમારી પાસે સેંકડો સમજવા માટે
આવશે. પરતું બાળકોમાં દેહ-અભિમાન હોવાનાં કારણે બહુજ ભૂલો થાય છે. એવું કોઈ ન સમજે
કે હું પાક્કો દેહી-અભિમાની છું. ભૂલો તો ઘણી થાય છે, સાચું નથી બતાવતાં. સમજાવાય
છે, એવું કોઈ કર્તવ્ય નહીં કરો જે કોઈ ખરાબ નફરત લાવે કે આમનામાં દેહ -અભિમાન છે.
તમે સદૈવ યુદ્ધનાં મેદાન માં છો. બીજી જગ્યાએ તો ૧૦-૨૦ વર્ષ સુધી યુદ્ધ ચાલે છે.
તમારું માયા થી અંત સુધી યુદ્ધ ચાલવાનું છે. પરંતુ છે ગુપ્ત, જેને કોઈ જાણી નથી શકતું.
ગીતામાં જે મહાભારત લડાઈ છે, તે શારીરિક દેખાડી છે, પરંતુ છે આ રુહાની. રુહાની
યુદ્ધ છે પાંડવોનું. તે શારીરિક યુદ્ધ છે જે પરમપિતા પરમાત્મા થી વિપરીત બુદ્ધિ છે.
આપ બ્રાહ્મણ કુલભૂષણ ઓની છે પ્રીત બુદ્ધિ. તમે બીજા સંગ તોડી એક બાપનો સંગ જોડ્યો
છે. અનેકવાર દેહ-અભિમાન આવવાનાં કારણે ભૂલી જાય છે પછી પોતાનું જ પદભ્રષ્ટ કરી લે
છે. પછી અંતમાં બહુજ પસ્તાવું પડશે. કંઈ કરી નહીં શકે. આ કલ્પ-કલ્પ ની બાજી છે. આ
સમયે કોઈ અકર્તવ્ય કાર્ય કરે છે તો કલ્પ-કલ્પાંતર નાં માટે પદ ભ્રષ્ટ થઈ જાય છે.
ખૂબ નુકસાન થઈ જાય છે.
બાપ કહે છે - પહેલાં તમે ૧૦૦ ટકા નુકશાન માં હતા. હવે બાપ ૧૦૦ ટકા ફાયદા માં લઈ જાય
છે. તો શ્રીમત પર ચાલવાનું છે. દરેક બાળકે કલ્યાણકારી બનવાનું છે. બધાને સુખનો રસ્તો
બતાવવાનો છે. સુખ છે જ સ્વર્ગ માં, નર્ક માં છે દુઃખ. કેમ? આ છે વિકારી દુનિયા, તે
છે નિર્વિકારી હતી, હવે વિકારી દુનિયા બની છે, ફરી બાપ નિર્વિકારી બનાવે છે. એ વાતો
ને દુનિયામાં કોઈ નથી જાણતું. તો મુખ્ય આ ચિત્ર સ્થાઈ સ્થાનો પર લાગવાં જોઈએ. પહેલો
નંબર દિલ્લી મુખ્ય, બીજું બોમ્બે અને કલકત્તા, કોઈને ઓર્ડર આપવાથી શીટ પર બનાવી
શકાય છે. આગ્રા માં પણ ફરવા માટે ઘણાં જાય છે. બાળકો સર્વિસ તો બહુ સારી કરી રહ્યાં
છે બીજા પણ કંઈ કર્તવ્ય કરીને દેખાડે. આ ચિત્ર બનાવવામાં કોઈ તકલીફ નથી. ફક્ત અનુભવ
જોઈએ. સારાં મોટા ચિત્ર હોય જે કોઈ દૂર થી પણ વાંચી શકે. ગોળો પણ મોટો બની શકે છે.
ધ્યાન થી રાખવા પડે, જે કોઈ ખરાબ ન કરે. યજ્ઞ માં અસુરોનાં વિઘ્ન પડે છે કારણ કે આ
છે નવી વાતો. આ દુકાન કાઢી બેઠાં છે. અંતમાં બધાં સમજી જશે કે આપણે ઉતરતાં આવ્યાં
છીએ, જરુર કંઇક ખામી છે. બાપ છે જ કલ્યાણકારી. એ જ બતાવી શકે છે કે ભારતનું કલ્યાણ
કેવી રીતે અને ક્યારે થયું છે. ભારત ને તમોપ્રધાન કોણ બનાવે છે પછી સતોપ્રધાન કોણ
બનાવે છે, આ ચક્ર કેવી રીતે ફરે છે, કોઈ નથી જાણતું. સંગમયુગ ને પણ નથી જાણતાં. સમજે
છે ભગવાન યુગે-યુગે આવે છે. ક્યારેક કહે છે ભગવાન તો નામ રુપ થી ન્યારા છે. ભારત
પ્રાચીન સ્વર્ગ હતું. આ પણ કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં દેવતાઓનું રાજ્ય
હતું પછી કલ્પની આયુ લાંબી આપી દીધી છે, તો બાળકો ને દેહી-અભિમાની બનવાની બહુ મહેનત
કરવાની છે. અડધો કલ્પ સતયુગ અને ત્રેતામાં તમે આત્મ-અભિમાની હતાં. અહીંયા તો પછી તમે
દેહ-અભિમાની બની પડ્યાં છો. પછી દેહી-અભિમાની બનવું પડે. યાત્રા અક્ષર પણ છે, પરંતુ
અર્થ નથી સમજતાં. મનમનાભવ નો અર્થ છે રુહાની યાત્રા પર રહો. હેં આત્માઓ મુજ બાપને
યાદ કરો. કૃષ્ણ તો આવું કહી ન શકે. તે ગીતાનાં ભગવાન કેવી રીતે હોઈ શકે. તેનાં પર
કોઈ કલંક લગાવી ન શકે. આ પણ બાપે સમજાવ્યું છે સીડી જ્યારે ઉતરે છે તો અડધો કલ્પ
કામ ચિતા પર બેસી કાળા થઈ જાય છે. હવે છે જ આયરન એજ (કળયુગ). તેમની સંપ્રદાય કાળી જ
હશે. પરંતુ બધાનું સાંવરુ (શ્યામ) રુપ કેવી રીતે બનાવે. ચિત્ર વગેરે જે પણ બનાવ્યાં
છે તે બધાં બેસમજ નાં. તેને જ શ્યામ પછી સુંદર કહેવું…. આ કેવી રીતે હોઈ શકે. એમને
કહેવાય છે અંધશ્રદ્ધા થી ગુડ્ડીઓની પૂજા કરવા વાળા. ગુડ્ડીઓનું નામ રુપ ધંધો વગેરે
હોઈ ન શકે. તમે પણ પહેલા ગુડ્ડીઓની પૂજા કરતાં હતાં ને. અર્થ કંઈ પણ સમજતાં નહોતાં.
તો બાબાએ સમજાવ્યું છે - પ્રદર્શનીનાં ચિત્ર મુખ્ય બની જાય. કમિટી (સંગઠન) બને જે
પ્રદર્શની પાછળ પ્રદર્શની કરતાં રહે. બંધનમુક્ત તો ઘણાં છે. કન્યાઓ બંધનમુક્ત છે.
વાનપ્રસ્થી પણ બંધનમુક્ત છે. તો બાળકોએ ડાયરેક્શન અમલ માં લાવવું જોઈએ. આ છે ગુપ્ત
પાંડવ. કોઈને પણ ઓળખમાં આવી ન શકે. બાપ પણ ગુપ્ત, જ્ઞાન પણ ગુપ્ત. ત્યાં મનુષ્ય,
મનુષ્ય ને જ્ઞાન આપે છે. અહીંયા પરમાત્મા બાપ જ્ઞાન આપે છે આત્માઓ ને. તો આ નથી
સમજતાં કે આત્મ જ્ઞાન લે છે કારણ કે તે આત્મા ને નિર્લેપ કહી દે છે. હકીકતમાં આત્મા
જ બધું કરે છે. પુનર્જન્મ આત્મા લે છે, કર્મો નાં અનુસાર. બાપ આ બધાં પોઇન્ટ સારી
રીતે બુદ્ધિમાં નાખે છે. બધાં સેવાકેન્દ્રોમાં નંબરવાર દેહી-અભિમાની છે. જે સારી
રીતે સમજે અને પછી સમજાવે છે. દેહ-અભિમાની ન કંઇ સમજે ન સમજાવી શકે છે. હું કંઈ
સમજતી નથી, આ પણ દેહ-અભિમાન છે. અરે તમે તો આત્મા છો. બાપ આત્માઓ ને બેસી સમજાવે
છે. દિમાગ જ ખુલી જવું જોઈએ. તકદીરમાં નથી તો ખુલતું જ નથી. તો બાપ તદબીર કરાવે છે
પરંતુ તકદીર માં નથી તો પુરુષાર્થ પણ નથી કરતાં. છે બહુજ સહજ, અલ્ફ અને બે સમજવાનું
છે. બેહદનાં બાપ થી વારસો મળે છે. તમે ભારતવાસી બધાં દેવી-દેવતા હતાં. પ્રજા પણ એવી
હતી. આ સમયે પતીત બની ગયાં છે. કેટલું સમજાવાય છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો.
બાપ કહે છે બાળકો મેં તમને દેવી-દેવતા બનાવ્યાં. તમે હવે શું બની ગયાં છો. આ છે
કુંભી પાક નર્ક. વિષય વૈતરણી નદીમાં મનુષ્ય જાનવર પક્ષી વગેરે બધાં એક સમાન દેખાડે
છે. અહીંયા તો મનુષ્ય વધારે જ ખરાબ થઈ ગયાં છે. મનુષ્યો માં ક્રોધ પણ કેટલો છે. લાખો
ને મારી દે છે. ભારત જે વેશ્યાલય બન્યું છે પછી આને શિવાલય શિવબાબા જ બનાવે છે. બાપ
કેટલું સારી રીતે સમજાવે છે. ડાયરેક્શન આપે છે આમ-આમ કરો. ચિત્ર બનાવો. પછી જે
મોટા-મોટા મનુષ્ય છે એમને સમજાવો. આ પ્રાચીન યોગ, પ્રાચીન નોલેજ બધાએ સાંભળવું જોઈએ.
હોલ લઈને પ્રદર્શનની લગાડવાની છે. એમણે તો પૈસા વગેરે કંઈ પણ ન લેવું જોઈએ. છતાં પણ
જો ઠીક સમજો તો ભાડું લો. ચિત્ર તો તમે જુઓ, ચિત્ર જોશો તો પછી જ પૈસા પાછાં કરી
દેશે. ફક્ત યુક્તિ થી સમજાવવું જોઈએ. ઓથોરિટી તો હાથમાં રહે છે ને. ઈચ્છે તો બધું
કરી શકે છે. તે થોડી સમજે છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ તો વિનાશ ને પ્રાપ્ત થઈ ગયાં.
પાંડવોએ તો ભવિષ્યમાં પદ પામ્યું. તે પણ રાજ્ય પાછળ ભવિષ્ય માં હશે. હમણાં થોડી હશે.
આ મકાન વગેરે બધું તૂટી જશે. હવે બાપે સમજાવ્યું છે પ્રદર્શની પણ કરવી જોઈએ. ખૂબ
સારી રીતે થી કાર્ડ પર નિમંત્રણ આપવાનું છે. આ પહેલાં મોટાઓને સમજાવો તો મદદ પણ કરશે.
બાકી સૂતા નથી રહેવાનું. ઘણાં બાળકો દેહ-અભિમાન માં સૂતા રહે છે. કમિટી બનાવી
ક્ષીરખંડ થઈ પ્લાન બનાવવાં જોઈએ. બાકી મુરલી નહીં વાંચશો તો ધારણા કેવી રીતે થશે.
એવાં ઘણાં બેપરવાહ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
દેહી-અભિમાની બનીને સર્વિસ ની ભિન્ન-ભિન્ન યુક્તિઓ કાઢવાની છે. આપસ માં ક્ષીરખંડ
થઈને સર્વિસ કરવાની છે. જેમ બાપ કલ્યાણકારી છે એમ કલ્યાણકારી બનવાનું છે.
2. પ્રીતબુદ્ધિ બની બીજા સંગ તોડી એક સંગ જોડવાનો છે. કોઈ એવું અકર્તવ્ય નથી કરવાનું
જે કલ્પ-કલ્પાંતર નાં માટે નુકસાન થઈ જાય.
વરદાન :-
સદા ઉમંગ ,
ઉત્સાહ માં રહી ચઢતી કળા નો અનુભવ કરવા વાળા મહાવીર ભવ
મહાવીર બાળકો દરેક
સેકંડ દરેક સંકલ્પ માં ચઢતી કળા નો અનુભવ કરે છે. એમની ચઢતી કળા સર્વ નાં પ્રતિ ભલું
અર્થાત્ કલ્યાણ કરવાનાં નિમિત્ત બનાવી દે છે. એમને રુકવાની કે થાકવાની અનુભૂતિ નથી
હોતી, તે સદા અથક, સદા ઉમંગ-ઉત્સાહ માં રહેવા વાળા હોય છે. રુકવાવાળા ને ઘોડે સવાર,
થાકવા વાળા ને પ્યાદા અને જે સદા ચાલવાવાળા છે એમને મહાવીર કહેવાય છે. એમની માયાનાં
કોઈ પણ રુપમાં આંખ નથી ડૂબતી.
સ્લોગન :-
શક્તિશાળી તે
છે જે પોતાની સાધના દ્વારા જ્યારે ઈચ્છે શીતળ સ્વરુપ અને જ્યારે ઈચ્છે જ્વાળા રુપ
ધારણ કરી લે.
માતેશ્વરી જી નાં
અણમોલ મહાવાક્ય :-
આત્મા ક્યારેય
પરમાત્મા નો અંશ નથી હોઈ શકતી :-
ઘણાં મનુષ્ય એવું સમજે
છે, અમે આત્માઓ પરમાત્મા નો અંશ છીએ, હવે અંશ તો કહેવાય છે ટુકડાને. એક તરફ કહે છે
પરમાત્મા અનાદિ અને અવિનાશી છે, તો એવાં અવિનાશી પરમાત્મા ને ટુકડામાં કેવી રીતે
લાવે છે! હવે પરમાત્મા કપાઈ કેવી રીતે શકે, આત્મા જ અજર-અમર છે, તો અવશ્ય આત્માને
પેદા કરવા વાળા અમર થયાં. એવાં અમર પરમાત્મા ને ટુકડામાં લઈ આવવાં એટલે પરમાત્મા ને
પણ વિનાશ કરી દીધાં પરંતુ આપણે તો જાણીએ છીએ કે આપણે આત્મા પરમાત્માની સંતાન છીએ.
તો આપણે એમનાં વંશજ થયાં અર્થાત્ બાળકો થયાં તે પછી અંશ કેવી રીતે હોઈ શકે છે? એટલે
પરમાત્માનાં મહાવાક્ય છે કે બાળકો, હું પોતે તો ઈમોર્ટલ (અવિનાશી) છું, જાગતી જ્યોત
છું, હું દીવો છું, ક્યારેય બુઝાતો નથી બીજી બધી મનુષ્ય આત્માઓનો દિપક જાગે પણ છે
તો બુઝાય પણ છે. એ બધાને જગાડવાવાળો પછી હું છું કારણ કે લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ)
આપવાવાળો હું છું, બાકી એટલું જરુર છે મુજ પરમાત્માની લાઈટ અને આત્માની લાઈટ બંનેમાં
ફરક અવશ્ય છે. કેમ બલ્બ હોય છે કોઇ વધારે પાવર વાળો, કોઈ ઓછા પાવર વાળો હોય છે, તેમ
આત્મા પણ કોઈ વધારે પાવર વાળી ઓછા પાવરવાળી છે. બાકી પરમાત્માની પાવર કોઈ થી ઓછી
વધારે નથી હોતી ત્યારે તો પરમાત્મા માટે કહે છે. પરમાત્મા સર્વ શક્તિવાન અર્થાત્
સર્વ આત્માઓથી એમાનામાં શક્તિ વધારે છે. એ જ સૃષ્ટિના અંત માં આવે છે, જો કોઈ સમજે
પરમાત્મા સૃષ્ટિની વચમાં આવે છે અર્થાત્ યુગે યુગે આવે છે તો સમજો પરમાત્મા વચમાં
આવી ગયાં તો પછી પરમાત્મા સર્વ થી શ્રેષ્ઠ કેવી રીતે થયાં. જો કોઈ કહે પરમાત્મા યુગે
યુગે આવે છે તો શું એવું સમજે કે પરમાત્મા ઘડી ઘડી પોતાની શક્તિ ચલાવે છે. એવાં
સર્વશક્તિમાન ની શક્તિ એટલે સુધી છે, જો વચમાં જ પોતાની શક્તિ થી બધાને શક્તિ અથવા
સદ્દગતિ આપી દે તો પછી એમની શક્તિ કાયમ હોવી જોઈએ પછી દુર્ગતિ ને કેમ પ્રાપ્ત કરો
છો? તો આનાથી સાબિત (સિદ્ધ) છે કે પરમાત્મા યુગે યુગે નથી આવતાં અર્થાત્ વચમાં-વચમાં
નથી આવતાં. એ આવે છે કલ્પના અંત સમયે અને એક જ વાર પોતાની શક્તિ થી સર્વની સદ્દગતિ
કરે છે. જ્યારે પરમાત્માએ આટલી મોટી સર્વિસ (સેવા) કરી છે ત્યારે એમનો યાદગાર મોટું
શિવલિંગ બનાવે છે અને એટલી પૂજા કરે છે, તો અવશ્ય પરમાત્મા સત્ પણ છે ચૈતન્ય પણ છે
અને આનંદ સ્વરુપ પણ છે. અચ્છા - ઓમ્ શાંતિ.