17-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્ઞાન
સાગર બાપ દ્વારા તમે માસ્ટર જ્ઞાન સાગર બન્યાં છો , તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર
મળ્યું છે , એટલે તમે છો ત્રિનેત્રી , ત્રિકાળદર્શી અને ત્રિલોકીનાથ ”
પ્રશ્ન :-
વિશ્વ ની
રુહાની સેવા આપ બાળકોનાં સિવાય કોઈ નથી કરી શકતું - કેમ?
ઉત્તર :-
કારણ કે તમને જ સુપ્રીમ રુહ (શિવબાબા) ની શક્તિ મળે છે. પહેલાં આપ આત્માઓ ને
સુપ્રીમ રુહ દ્વારા જ્ઞાન નું ઇન્જેક્શન લાગે છે, જેનાથી તમે ૫ વિકારો પર સ્વયં પણ
વિજય પ્રાપ્ત કરો અને બીજાઓને પણ કરાવો છો. આવી સેવા બીજું કોઈ કરી ન શકે.
કલ્પ-કલ્પ આપ બાળકો જ આ રુહાની સેવા કરો છો.
ઓમ શાંતિ!
બાપની યાદમાં
બેસવાનું છે બીજા કોઈપણ દેહધારી ની યાદમાં નથી બેસવાનું. નવાં-નવાં જે આવે છે બાપને
તો જાણતાં જ નથી. એમનું નામ તો ખુબ સહજ છે શિવબાબા. બાપને બાળકો નથી જાણતાં, કેટલું
વન્ડર (આશ્ચર્ય) છે. શિવબાબા ઊંચે થી ઊંચા, સર્વનાં સદ્દગતિ દાતા છે. સર્વ પતિતો
નાં પાવનકર્તા, સર્વ નાં દુઃખહર્તા પણ કહે છે પરંતુ એ કોણ છે, આ કોઈ નથી જાણતું,
સિવાય આપ બી.કે. નાં. તમે છો એમનાં પૌત્ર પૌત્રીઓ. તે તો જરુર પોતાનાં બાપ અને એમની
રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણશે. બાપ દ્વારા બાળકો જ બધું જાણી જાય છે. આ છે જ પતિત
દુનિયા. સર્વ કળયુગી પતિતો ને સતયુગી પાવન કેવી રીતે બનાવે છે તે તો બી.કે. નાં
સિવાય દુનિયામાં કોઈ જાણતું નથી. કળયુગી દુર્ગતિ થી નીકાળવા વાળા સતયુગી સદ્દગતિ
દાતા બાપ જ છે. શિવજયંતી પણ ભારતમાં જ થાય છે. જરુર એ આવે છે પરંતુ ભારત ને શું
આવીને આપે છે, આ ભારતવાસી નથી જાણતાં. દર વર્ષે શિવજયંતી મનાવે છે પરંતુ જ્ઞાનનું
ત્રીજું નેત્ર નથી એટલે બાપ ને જાણતાં નથી.
ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ………
આ મનુષ્યોનું જ બનાવેલું ગીત છે કે અમે બધાં નયનહીન છીએ. આ સ્થૂળ નયન તો બધાને છે
પરંતુ પોતાને નયનહીન કેમ કહે છે? તે બાપ બેસી સમજાવે છે કે જ્ઞાનનું ત્રીજું નેત્ર
કોઈને છે નહીં. બાપ ને ન જાણવાં આ થયું અજ્ઞાન. બાપ ને બાપ દ્વારા જાણવાં આને
કહેવાય છે જ્ઞાન. બાપ જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી તમે આખી રચના નાં આદિ
મધ્ય અંત ને જાણો છો. જ્ઞાન સાગર નાં બાળકો તમે માસ્ટર જ્ઞાનસાગર બની જાઓ છો. ત્રીજું
નેત્ર એટલે જ ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ બની જાઓ છો. ભારતવાસી આ નથી
જાણતાં કે આ લક્ષ્મી-નારાયણ જે સતયુગનાં માલિક હતાંં, તેમને આ વારસો કેવી રીતે મળ્યો?
તે ક્યારે આવ્યાં? પછી ક્યાં ગયાં? પછી કેવી રીતે રાજ્ય લીધું? કાંઈ પણ નથી જાણતાં.
આ દેવતાઓ પાવન છે ને. પાવન તો જરુર બાપ જ બનાવશે. આપ ભારતવાસીઓ ને બાપ બેસી સમજાવે
છે. જે દેવતાઓ ને, શિવ ને માને છે. શિવ નો જન્મ પણ ભારત માં થયો છે. ઊંચે થી ઊંચા
છે ભગવાન. શિવજયંતી પણ અહીંયા મનાવે છે. જગત અંબા, જગત પિતા બ્રહ્મા અને સરસ્વતી નો
પણ જન્મ અહીંયા જ છે. ભારતમાં જ મનાવે છે. અચ્છા લક્ષ્મી-નારાયણ નો જન્મ પણ અહીંયા
જ થાય છે, એ જ રાધા-કૃષ્ણ છે. આ પણ ભારતવાસી નથી જાણતાં. કહે છે પતિત-પાવન આવો તો
જરુર બધાં પતિત છે. સાધુ સંત ઋષિ-મુનિ વગેરે બધાં પોકારે છે કે અમને પાવન બનાવવાં
આવો. બીજી તરફ કુંભ નાં મેળા વગેરેમાં જાય છે પાપ ધોવાં. સમજે છે ગંગા પતિત-પાવની
છે. પોકારે છે કે પતિત-પાવન આવો તો મનુષ્ય કોઈને કેવી રીતે પાવન બનાવી શકે? બાપ
સમજાવે છે તમે પહેલાં દેવી-દેવતા ધર્મ નાં હતાંં તો બધાં પાવન હતાંં. હમણાં પતિત
છો. કહે છે કે રાહ બતાવો પ્રભુ. તો ક્યાં ની રાહ? કહે છે બાબા જીવનમુક્તિ ની રાહ
બતાવો. અમારા માં ૫ વિકાર છે. બાબા અમે બધાં સ્વર્ગમાં હતાંં તો નિર્વિકારી હતાંં.
હમણાં વિકારી પતિત બની ગયાં છીએ, આનું કંઈ રહસ્ય તો સમજાવો. આ કોઈ દંતકથાઓ નથી. બાપ
સમજાવે છે - શ્રીમત ભાગવત ગીતા અથવા પરમાત્માની સંભળાવેલી ગીતા છે. પતિતો ને પાવન
બનાવવા વાળા છે નિરાકાર ભગવાન. મનુષ્ય ને ભગવાન ન કહી શકાય. બાપ કહે - આટલાં
મોટા-મોટા ગુરુ હોવા છતાં પણ ભારત આટલું પતિત કોડી જેવું કેમ બન્યું છે. કાલની વાત
છે કે ભારત સ્વર્ગ હતું. બાબાએ ભારતને સ્વર્ગની સૌગાત (ભેટ) આપી હતી. ભારતવાસી પતિતો
ને આવીને રાજયોગ શીખવાડી પાવન બનાવ્યાં હતાંં. હવે ફરી બાપ બાળકો ની પાસે આવ્યાં છે
સેવાધારી બની. બાપ છે રુહાની સેવાધારી. બાકી તો બધાં મનુષ્ય માત્ર છે શરીરધારી
સેવાધારી. સન્યાસી પણ શરીરધારી સેવાધારી છે. તે પુસ્તક વગેરે બેસી સંભળાવે છે. બાપ
કહે છે હું નિરાકાર સાકાર સાધારણ ઘરડા તનમાં પ્રવેશ કરી બાળકોને આવીને સમજાવું છું.
હેં ભારતવાસી બાળકો, જુઓ રુહાની બાપ રુહો ને બેસી સમજાવે છે. આ બ્રહ્મા નથી સંભળાવતા
પરંતુ એ નિરાકાર બાપ આ તન નો આધાર લે છે. શિવને તો પોતાનું શરીર નથી. સાલિગ્રામ
આત્માઓ ને તો પોત-પોતાનું શરીર છે. પુનર્જન્મ માં આવતાં-આવતાં પતિત બની જાય છે. હમણાં
તો આખી દુનિયા પતિત છે. પાવન એક પણ નથી. તમે સતોપ્રધાન હતાંં પછી ખાદ પડવાથી સતો થી
રજો, તમો માં આવ્યાં છો. આપ ભારતવાસીઓની પાસે શિવબાબા આવીને શરીર ધારણ કરે છે જેને
ભાગીરથ પણ કહે છે. મંદિરોમાં શંકર નું ચિત્ર દેખાડે છે કારણ કે તે શિવશંકર સાથે સમજી
લે છે. આ સમજતાં નથી કે શિવ તો નિરાકાર છે, શંકર તો આકારી છે. શિવશંકર સાથે કેવી
રીતે કહે છે. સારું પછી બળદ પર સવારી કોણ કરે છે. શિવ કે શંકર? સૂક્ષ્મવતન માં બળદ
ક્યાંથી આવ્યો? શિવ રહે છે મૂળવતન માં, શંકર સૂક્ષ્મવતન માં. મૂળવતન માં બધી આત્માઓ
છે. સૂક્ષ્મવતન માં ફક્ત બ્રહ્મા વિષ્ણુ શંકર છે, ત્યાં જાનવર હોતાં નથી. બાપ કહે
છે હું સાધારણ ઘરડા તન માં પ્રવેશ કરી તમને સમજાવું છું. આપ બાળકો પોતાનાં જન્મોને
નથી જાણતાં. સતયુગ થી લઈને તમે કેટલાં જન્મ લીધાં છે? ૮૪ જન્મ લીધાં. હમણાં આ છે
અંત નો જન્મ. ભારત જે અમરલોક પાવન હતું, તે હવે મૃત્યુલોક પતિત છે. સર્વનાં સદ્દગતિ
દાતા તો એક છે ને. રુદ્ર માળા છે જ પરમપિતા પરમાત્મા નિરાકાર શિવ ની. શ્રી શ્રી ૧૦૮
રુદ્ર માળા કહેવાય છે. બધાં શિવનાં ગળા નાં હાર છે. બાપ તો છે પતિત-પાવન સર્વનાં
સદ્દગતિ દાતા, સર્વ ને વારસો આપવા વાળા. લૌકિક બાપ થી હદ નો વારસો મળે છે જેમને
સન્યાસી કાગ વિષ્ટા સમાન સુખ સમજે છે. બાપ કહે છે કે બરાબર આ તમારું સુખ કાગ વિષ્ટા
સમાન છે. બાપ જ આવીને પતિતો ને પાવન અથવા કાંટાઓ ને ફૂલ બનાવે છે નોલેજ થી. આ ગીતાનું
નોલેજ છે. આ જ્ઞાન કોઈ મનુષ્ય નથી સમજાવી શકતું. જ્ઞાન નાં સાગર પતિત-પાવન બાપ જ
સમજાવી શકે છે. બાપ થી જ વારસો મળે છે જે તમે લઈ રહ્યાં છો. તમે જ ફક્ત સદ્દગતિ તરફ
જઈ રહ્યાં છો. હમણાં તો સંગમ પર છો, તે તો કળયુગ માં છે. હમણાં છે કળયુગ નો અંત.
મહાભારત લડાઈ પણ સામે ઉભી છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ જ્યારે તમે રાજ્યોગ શીખતા હતાંં
તો ભંભોર ને આગ લાગી હતી. હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો, આ લક્ષ્મી-નારાયણ બનવાનાં
માટે. બાકી તો છે ભક્તિ માર્ગ. બાપ જ્યારે આવે છે તો આવીને સ્વર્ગનાં દ્વાર ખોલે
છે. બાપ કહે છે કે આ શિવશક્તિ ભારત માતાઓ તો ભારત ને સ્વર્ગ બનાવે છે શ્રીમત પર. તમે
છો શિવશક્તિ ભારત માતાઓ, જે ભારત ને સ્વર્ગ બનાવો છો. તમે છો જ શિવની સંતાન, એમને જ
યાદ કરો છો. શિવ થી શક્તિ લઈને ૫ વિકારો રુપી શત્રુઓ પર જીત પામો છો. આપ બાળકોએ ૫
હજાર વર્ષ પહેલાં પણ ભારતની રુહાની સેવા કરી હતી. તે સોશિયલ વર્કર્સ (સમાજ સેવક) કરે
છે શારીરિક સેવા. આ છે રુહાની સેવા. સુપ્રીમ રુહ આવીને આત્મા ને ઇન્જેક્શન લગાવે
છે, ભણાવે છે. આત્મા જ સાંભળે છે. તમે આત્માઓ છો. તમે જ ૮૪ જન્મ લો છો. એક શરીર છોડી
બીજું લો છો. ૮૪ જન્મ લઇ ૮૪ મા-બાપ બનાવ્યાં છે. સતયુગ-ત્રેતા માં તમે સ્વર્ગનાં
સુખ પામ્યાં, હવે ફરી બેહદનાં બાપ દ્વારા સુખનો વારસો લઈ રહ્યાં છો. બરાબર ભારત ને
આ વારસો હતો. ભારતમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ત્યાં દૈત્ય વગેરે કોઈ નહોતાં.
તમે જાણો છો હવે આ જૂની દુનિયા ને આગ લાગવાની છે. હું આવીને જ્ઞાન યજ્ઞ રચું છું.
તમે બધાં પવિત્ર દેવતા બનો છો. હજારો છે જે દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે.
બાપ આવ્યાં છે બાળકોની સદ્દગતિ કરવાં. આપ બાળકોને કાંટા થી ફૂલ બનાવી રહ્યાં છે.
તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપી રહ્યાં છે જેનાથી તમે આખાં ડ્રામા ને, શિવબાબા નો
શું પાર્ટ ભજવાય છે, બધું જાણો છો. બ્રહ્મા અને વિષ્ણુ નું કનેક્શન (સંબંધ) શું છે,
તે પણ જાણો છો. તેઓ દેખાડે છે કે વિષ્ણુની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. બ્રહ્મા જ જઈને
વિષ્ણુ બને છે. બ્રાહ્મણ સો પછી દેવતા. વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ
લાગ્યાં. આ તમને જ્ઞાન છે. આપ બ્રાહ્મણોની નાભી કમળ થી વિષ્ણુપુરી પ્રગટ થઈ રહી છે.
તેમણે તો ચિત્ર બનાવ્યાં છે કે વિષ્ણુની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. પછી બધાં વેદો
શાસ્ત્રોનો સાર સંભળાવ્યો. હવે તમે બ્રહ્મા દ્વારા આખો સાર સમજો છો. બાપ કહે છે
મુખ્ય ધર્મ શાસ્ત્ર છે ૪, પહેલાં દૈવી ધર્મ નું શાસ્ત્ર છે ગીતા. ગીતા કોણે ગાઈ?
શિવબાબાએ. જ્ઞાનસાગર પતિત-પાવન, સુખનાં સાગર શિવબાબા છે. એમણે બેસી ભારતને સ્વર્ગ
બનાવ્યું, ન કે કૃષ્ણએ. કૃષ્ણ તો મારા દ્વારા જ્ઞાન સાંભળી ને પછી કૃષ્ણ બન્યાં. તો
આ ગુપ્ત વાત થઈ ને. નવાં-નવાં બાળકો આ વાતો ને સમજી ન શકે, આને કહેવાય છે નર્ક. તેને
કહેવાય છે સ્વર્ગ. શિવબાબાએ સ્વર્ગની સ્થાપના કરી, તેમાં આ લક્ષ્મી-નારાયણ રાજ્ય
કરતાં હતાંં. હવે તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. બાપ કહે છે આ મૃત્યુલોક,
દુઃખધામ માં તમારો અંતિમ જન્મ છે. ભારત અમરલોક હતું. ત્યાં દુઃખ નું નામ નહોતું.
ભારત પરીસ્તાન હતું, હવે કબ્રિસ્તાન બન્યું છે, ફરી પરીસ્તાન થશે. આ બધી સમજવાની
વાતો છે. આ છે મનુષ્ય થી દેવતા બનવાની પાઠશાળા. આ કોઈ સંન્યાસીઓનો સતસંગ નથી, જ્યાં
શાસ્ત્ર બેસી સંભળાવે છે. આ વાતોને નવાં કોઈ સમજી ન શકે જ્યાં સુધી ૭ દિવસનો કોર્સ
નથી કર્યો. આ સમયે ભક્ત તો બધાં મનુષ્ય માત્ર છે, તેમની આત્મા પણ યાદ કરે છે.
પરમાત્મા એક માશૂક નાં બધાં આશિક છે.
બાપ આવીને સચખંડ બનાવે છે. અડધાકલ્પ નાં પછી રાવણ આવીને જુઠ્ઠખંડ બનાવે છે. હમણાં
છે સંગમ. આ બધી સમજવાની વાતો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપની
શ્રીમત પર ભારત ની સાચ્ચી-સાચ્ચી રુહાની સેવા કરવાની છે. સર્વશક્તિમાન બાપ થી શક્તિ
લઈ ૫ વિકારો રુપી શત્રુઓ પર વિજય પામવાની છે.
2. મનુષ્ય થી દેવતા બનવાનાં માટે પવિત્ર જરુર બનવાનું છે. નોલેજ ને ધારણ કરી કાંટા
થી ફૂલ બનવાનું અને બનાવવાનાં છે.
વરદાન :-
શ્રીમત દ્વારા
સદા ખુશી કે હલકાપણા નો અનુભવ કરવા વાળા મનમત અને પરમત થી મુક્ત ભવ
જે બાળકોનો દરેક કદમ
શ્રીમત પ્રમાણે છે તેમનું મન સદા સંતુષ્ટ હશે, મન માં કોઈ પણ પ્રકારની હલચલ નહીં હશે,
શ્રીમત પર ચાલવાથી નેચરલ ખુશી રહેશે, હલકાપણા નો અનુભવ થશે, એટલે જ્યારે પણ મન માં
હલચલ હોય, જરાક પણ ખુશીની ટકાવારી ઓછી થાય તો ચેક કરો - જરુર શ્રીમત ની અવજ્ઞા હશે
એટલે સૂક્ષ્મ ચેકિંગ કરી મનમત કે પરમત થી સ્વયં ને મુક્ત કરી લો.
સ્લોગન :-
બુદ્ધિ રુપી
વિમાન દ્વારા વતન માં પહોંચીને જ્ઞાન સૂર્યની કિરણો નો અનુભવ કરવો જ શક્તિશાળી યોગ
છે.
માતેશ્વરી જી નાં
અનમોલ મહાવાક્ય
૧ ) આત્મા પરમાત્મા માં અંતર , ભેદ :- આત્મા અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ સુંદર
મેળો કરી દીધો જયારે સદ્દગુરુ મળ્યાં દલાલ….. જ્યારે આપણે આ શબ્દ કહીએ છીએ તો આનો
યથાર્થ અર્થ છે કે આત્મા, પરમાત્મા થી લાંબાકાળ થી વિખુટી પડી છે. લાંબાકાળ નો અર્થ
છે - લાંબા સમયથી આત્મા પરમાત્મા થી વિખુટી પડી છે, તો આ શબ્દ સાબિત (સિદ્ધ) કરે છે
કે આત્મા અને પરમાત્મા અલગ-અલગ બે વસ્તુ છે, બંને માં આંતરિક ભેદ છે પરંતુ દુનિયાવી
મનુષ્યો ને પરિચય ન હોવાનાં કારણે તે આ શબ્દનો અર્થ એવો જ નીકાળે છે કે હું આત્મા જ
પરમાત્મા છું, પરંતુ આત્માની ઉપર માયાનું આવરણ ચઢેલું હોવાનાં કારણે પોતાનાં અસલી
સ્વરુપ ને ભૂલી ગયાં છે, કહે છે જ્યારે માયાનું આવરણ ઉતરી જશે પછી આત્મા એ જ
પરમાત્મા છે. તો તે આત્માને અલગ આ અર્થ થી કહે છે અને બીજા લોકો પછી આ અર્થ થી કહે
છે કે હું આત્મા સો પરમાત્મા છું, પરંતુ આત્મા પોતે પોતાને ભૂલવાનાં કારણે દુઃખી બની
ગઈ છે. જ્યારે આત્મા ફરી પોતે પોતાને ઓળખી શુદ્ધ બને છે તો પછી આત્મા પરમાત્મા માં
મળી એક જ થઈ જશે. તો તે આત્માને અલગ આ અર્થ થી કહે છે પરંતુ આપણે તો જાણીએ છીએ કે
આત્મા પરમાત્મા બંને અલગ વસ્તુ છે. ન આત્મા, પરમાત્મા થઈ શકે છે અને ન આત્મા
પરમાત્મા થી મળી એક જ થઈ શકે છે અને ન પછી પરમાત્માની ઉપર આવરણ ચઢી શકે છે.
૨ ) “ મન ની અશાંતિ નું કારણ છે કર્મબંધન અને શાંતિનો આધાર છે કર્માતીત ’’ હકીકત
માં દરેક મનુષ્યની આ ઈચ્છા અવશ્ય રહે છે કે અમને મનની શાંતિ પ્રાપ્ત થાય એટલે અનેક
પ્રયત્ન કરતાં આવ્યાં છે પરંતુ મન ને શાંતિ હજું સુધી પ્રાપ્ત થઈ નથી, આનું યથાર્થ
કારણ શું છે? હવે પહેલાં તો આ વિચાર ચાલવો જરુરી છે કે મનની અશાંતિ ની પહેલી જડ (મૂળ)
શું છે? મનની અશાંતિ નું મુખ્ય કારણ છે - કર્મબંધન માં ફસાવવું. જ્યાં સુધી મનુષ્ય
આ પાંચ વિકારોનાં કર્મબંધન માંથી નથી છૂટ્યાં ત્યાં સુધી મનુષ્ય અશાંતિ થી છૂટી નથી
શકતાં. જ્યારે કર્મબંધન તૂટી જાય છે ત્યારે મનની શાંતિ અર્થાત્ જીવનમુક્તિ ને
પ્રાપ્ત કરી શકે છે. હવે વિચાર કરવાનો છે - આ કર્મબંધન તૂટે કેવી રીતે? અને તેનો
છુટકારો આપવા વાળા કોણ છે? આ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ મનુષ્ય આત્મા કોઈ પણ
મનુષ્ય આત્મા ને છુટકારો આપી નથી શકતી. આ કર્મ બંધન નો હિસાબ-કિતાબ તોડવા વાળા એક
પરમાત્મા છે, એ જ આવીને આ જ્ઞાન યોગબળ થી કર્મબંધન થી છોડાવે છે એટલે જ પરમાત્મા ને
સુખદાતા કહેવાય છે. જ્યાં સુધી પહેલાં આ જ્ઞાન નથી કે હું આત્મા છું, અસલ માં હું
કોની સંતાન છું, મારો અસલી ગુણ શું છે? જ્યારે આ બુદ્ધિ માં આવી જાય ત્યારે જ
કર્મબંધન તૂટે. હવે આ નોલેજ આપણને પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે એટલે પરમાત્મા
દ્વારા જ કર્મબંધન તૂટે છે. અચ્છા - ઓમ્ શાંતિ.