06-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - પુણ્યાત્મા બનવું છે તો એક બાપ ને યાદ કરો , યાદ થી જ ખાદ નીકળશે , આત્મા પાવન બનશે ”

પ્રશ્ન :-
કઈ સ્મૃતિ રહે તો ક્યારેય પણ કોઈ વાતમાં મૂંઝાઈ નહીં શકો?

ઉત્તર :-
ડ્રામા ની. બની બનાઈ બન રહી , અબ કુછ બનની નાહિ….. આ અનાદિ ડ્રામા ચાલતો જ રહે છે. આમાં કોઈ વાતમાં મૂંઝવાની જરુર નથી. ઘણાં બાળકો કહે છે ખબર નહીં આ અમારો અંતિમ ૮૪મો જન્મ છે કે નહીં, મૂંઝાઈ જાય છે. બાબા કહે છે મૂંઝાઓ નહીં, મનુષ્ય થી દેવતા બનવાનો પુરુષાર્થ કરો.

ઓમ શાંતિ!
બાળકોને ઓમ્ શાંતિ નો અર્થ તો ખબર છે કે હું આત્મા છું અને મુજ આત્માનો સ્વધર્મ છે શાંતિ. હું આત્મા શાંત સ્વરુપ, શાંતિધામની રહેવા વાળી છું. આ લેસન પાકું કરતાં જાઓ. આ કોણ સમજાવે છે? શિવબાબા. યાદ પણ કરવાનાં છે શિવબાબા ને. એમને પોતાનો રથ નથી એટલે એમને બળદ આપી દે છે. મંદિરમાં પણ બળદ રાખી દીધો છે. આને કહેવાય છે પૂરું અજ્ઞાન. બાપ સમજાવે છે બાળકો ને અથવા રુહો ને. આ છે રુહોનાં બાપ શિવ, આમનાં નામ તો અનેક છે. પરંતુ અનેક નામથી મુંઝાઈ ગયાં છે. હકીકતમાં આમનું નામ જ છે શિવ. શિવજયંતી પણ ભારતમાં મનાવાય છે. એ નિરાકાર બાબા છે, આવીને પતિતો ને પાવન બનાવે છે. કોઈએ ભાગીરથ, કોઈએ નંદીગણ કહી દીધું છે. બાપ જ બતાવે છે કે હું કયા ભાગ્યશાળી રથ માં આવું છું. હું બ્રહ્માનાં તન માં પ્રવેશ કરું છું. બ્રહ્મા દ્વારા ભારતને સ્વર્ગ બનાવું છું. તમે બધાં ભારતવાસી જાણો છો ને કે લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. તમે બધાં ભારતવાસી બાળકો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં. સ્વર્ગવાસી હતાં. ૫ હજાર વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો તો બધાને સતોપ્રધાન સ્વર્ગનાં માલિક બનાવ્યાં હતાં. પછી પુનર્જન્મ જરુર લેવો પડે. બાપ કેટલું સરળ બતાવે છે. હવે જયંતી મનાવો છો, (આ ૨૦૨૧ માં લખીશો ૮૫ મી શિવજયંતી), બાબાની પધરામણી થયે હમણાં ૮૫ વર્ષ થયાં. પછી સાથે-સાથે બ્રહ્મા વિષ્ણુ શંકર ની પણ પધરામણી છે. ત્રિમૂર્તિ બ્રહ્માની જયંતી કોઈ દેખાડતાં નથી, દેખાડવી જરુરી છે કારણ કે બાબા કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના ફરીથી કરું છું. બ્રાહ્મણ બનાવતો જાઉં છું. તો બ્રહ્મા અને બ્રાહ્મણ વંશીઓ નો પણ જન્મ થયો. પછી દેખાડું છું કે તમે જ વિષ્ણુપુરી નાં માલિક બનશો. બાપ ની યાદ થી જ તમારી ખાદ નીકળશે. ભલે ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે પરતું તે કોણે શીખવાડ્યો હતો, આ કોઈ નથી જાણતું. પોતે કહે છે કે હેં બાળકો તમે પોતાનાં બાપ ને યાદ કરો. વારસો તમને મારાથી મળે છે. હું તમારો બાપ છું. હું કલ્પ-કલ્પ આવું છું, આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવું છું કારણ કે તમે દેવી-દેવતા હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આવીને પતિત બન્યાં છો. રાવણ ની મત પર ચાલી રહ્યાં છો. ઈશ્વર મત થી તમે સ્વર્ગનાં માલિક બનો છો.

બાપ કહે છે હું કલ્પ પહેલાં પણ આવ્યો હતો. જે કંઈ પાસ (પસાર) થાય છે, તે કલ્પ-કલ્પ થતું જ રહેશે. બાપ ફરી પણ આવીને આમનામાં પ્રવેશ કરશે, આ દાદા ને છોડાવશે. પછી આ બધાની પરવરીશ કરાવશે. તમે જાણો છો કે આપણે જ સતયુગમાં હતાં. આપણે ભારતવાસીઓ એ જ ૮૪ જન્મ લેવાં પડે. પહેલાં-પહેલાં તમે સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ હતાં. યથા રાજા રાણી તથા પ્રજા નંબરવાર. બધાં તો રાજા નહીં બની શકે. તો બાપ સમજાવે છે સતયુગમાં તમારાં ૮ જન્મ, ત્રેતામાં ૧૨ જન્મ.... એમ જ પોતાને સમજો કે અમે આ પાર્ટ ભજવ્યો છે. પહેલાં સૂર્યવંશી રાજધાનીમાં પાર્ટ ભજવ્યો પછી ચંદ્રવંશી માં પછી નીચે ઉતરતાં વામમાર્ગમાં આવ્યાં. પછી આપણે ૬૩ જન્મ લીધાં. ભારતવાસીઓ એ જ પૂરા ૮૪ જન્મ લીધાં છે બીજા કોઈ ધર્મ વાળા આટલાં જન્મ નથી લેતાં. ગુરુનાનક ને ૫૦૦ વર્ષ થયાં, વધારે કરી એમનાં ૧૨ થી ૧૪ જન્મ હશે. આ હિસાબ કાઢવામાં આવે છે. ક્રિશ્ચને ૨ હજાર વર્ષમાં ૬૦ પુનર્જન્મ લીધાં હશે, વૃદ્ધિ થતી જાય છે. પુનર્જન્મ લેતા જાય છે. બુદ્ધિમાં આ વિચાર કરો તો આપણે જ ૮૪ જન્મ ભોગવ્યાં છે, પછી સતોપ્રધાન બનવાનું છે. જે કંઈ પસાર થયું ડ્રામા. જે ડ્રામા બનેલો છે તે ફરી રીપીટ થશે. બેહદની હિસ્ટ્રી માં તમને લઈ જાઉં છું. તમે પુનર્જન્મ લેતાં આવ્યાં છો. હમણાં તમે ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે ફરી બાપે યાદ અપાવી કે તમારું ઘર છે શાંતિધામ. આત્માનું રુપ શું છે? બિંદુ. ત્યાં જેમ કે બિંદુઓનું ઝાડ છે. આત્માઓનું પણ નંબરવાર ઝાડ છે. નંબરવાર નીચે આવવાનું હોય છે. પરમાત્મા પણ બિંદુ છે. એવું નથી કે આટલું મોટું લિંગ છે. બાપ કહે છે તમે મારા બાળકો બનો છો તો હું તમને સ્વર્ગનાં માલિક બનાવું છું, પહેલાં તમે મારા બન્યા પછી હું તમને ભણાવું છું. કહો છો બાબા અમે તમારા છીએ. સાથે-સાથે ભણવાનું પણ છે. મારા બન્યાં અને તમારું ભણવાનું શરું થઈ ગયું.

બાબા કહે છે કે આ તમારો અંતિમ જન્મ છે, કમળ ફૂલ સમાન પવિત્ર બનો. બાળકો વાયદો કરે છે કે બાબા અમે તમારાથી વારસો લેવા માટે ક્યારેય પતિત નહીં બનીશું. ૬૩ જન્મ તો પતિત બન્યાં છીએ. આ ૮૪ જન્મોની કહાની છે. બાબા આવીને સહજ કરી બતાવે છે. જેમ લૌકિક બાપ બતાવે છે ને. તો આ છે બેહદનાં બાપ. એ આવીને રુહો થી બાળકો-બાળકો કહી વાત કરે છે. શિવરાત્રી પણ મનાવે છે ને. આ છે અડધાકલ્પ નો દિવસ અને અડધાકલ્પ ની રાત. હમણાં છે રાતનો અંત અને દિવસનાં આદિ નો સંગમ. ભારત સતયુગ હતું તો દિવસ હતો. સતયુગ-ત્રેતા ને બ્રહ્માનો દિવસ કહેવાય છે. તમે બ્રાહ્મણ છો ને. તમે બ્રાહ્મણ જાણો છો કે અમારી હમણાં રાત્રિ છે. તમોપ્રધાન ભક્તિ છે. દર દર ધક્કા ખાતાં રહે છે, બધાની પૂજા કરતાં રહે છે. ટીવાટા (ત્રણ રસ્તા) ની પણ પૂજા કરે છે. મનુષ્યનાં શરીરની પણ પૂજા કરે છે. સન્યાસી લોકો પોતાને શિવોહમ્ કહી બેસી જાય છે પછી માતાઓ જઈને એમની પૂજા કરે છે. બાબા બહુજ અનુભવી છે. બાબા કહે છે મેં પણ બહુજ પૂજા કરી છે. પરંતુ એ સમયે જ્ઞાન તો હતું નહીં. ફળ ચઢાવતો હતો, લોટી ચઢાવતો હતો મનુષ્ય પર. આ પણ ઠગી થઈ ને. પરંતુ આ બધું પછી પણ થશે. ભક્તોનાં રક્ષક છે ભગવાન કારણ કે બધાં દુઃખી છે ને. બાપ સમજાવે છે કે દ્વાપર થી લઈને તમે ગુરુ કરતાં આવ્યાં છો અને ભક્તિમાર્ગ માં ઉતરતાં આવ્યાં છો. હમણાં સુધી પણ સાધુ લોકો તો સાધના કરે છે. બાપ કહે છે કે એમનો પણ હું ઉદ્ધાર કરું છું. સંગમ પર તમારી સદ્દગતિ થઈ જાય છે પછી તમે ૮૪ જન્મ લો છો. બાપ ને કહેવાય છે જ્ઞાનનાં સાગર, મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ. સત્ ચિત્ આનંદ સ્વરુપ છે. એ ક્યારેય વિનાશ નથી થતાં, એમાનામાં જ્ઞાન છે. જ્ઞાનનાં સાગર, પ્રેમનાં સાગર છે, જરુર એમનાથી વારસો મળવો જોઈએ. હમણાં આપ બાળકો ને વારસો મળી રહ્યો છે. શિવબાબા છે ને. એ પણ બાબા છે, આ પણ તમારા બાપ છે પછી શિવબાબા બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે એટલે પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારીઓ કહેવાય છે. કેટલાં અનેક બી.કે. છે. કહે છે કે અમને દાદા થી વારસો મળે છે. બાળકો કહે છે બાબા અમને નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે. કહે છે હેં બાળકો- મામેકમ્ યાદ કરો તો તમારા માથા પર જે પાપોનો બોજો છે તે ભસ્મ થઈ જશે. પછી તમે સતોપ્રધાન બની જશો. તમે સાચું સોનું, સાચું ઘરેણું હતાં. આત્મા અને શરીર બંને સતોપ્રધાન હતાં. આત્મા પછી સતો રજો તમો થાય છે તો શરીર પણ એવું તમોગુણી મળે છે. બાબા તમને સલાહ આપે છે કે બાળકો મને યાદ કરો. મને બોલાવો છો ને કે હેં પતિત-પાવન આવો. ભારતનો પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે. તે હવે તમને શીખવાડી રહ્યો છું કે મારી સાથે યોગ રાખો તો એનાથી તમારી ખાદ બળી જશે. જેટલું યાદ કરશો એટલી ખાદ નીકળતી જશે. યાદની જ મુખ્ય વાત છે. નોલેજ તો બાપે આપ્યું છે - સતયુગ માં યથા રાજા રાની તથા પ્રજા બધાં પવિત્ર હતાં, હમણાં બધાં પતિત છે. બાપ કહે છે કે આમનાં અનેક જન્મોનાં અંત નાં જન્મમાં હું પ્રવેશ કરું છું. આને કહેવાય છે ભાગ્યશાળી રથ. આ ભણીને પછી પહેલાં નંબર માં જાય છે. નંબરવાર તો બને છે ને. મુખ્ય એક નામ હોય છે. બાપે બાળકોને ૮૪ જન્મોનું રહસ્ય સારી રીતે સમજાવ્યું છે. તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છો, ન કે હિન્દુ ધર્મનાં. તમે કર્મ શ્રેષ્ઠ, ધર્મ શ્રેષ્ઠ હતાં. પછી રાવણ નો પ્રવેશ થવાથી ધર્મ ભ્રષ્ટ થઈ ગયાં છો. પોતાને દેવી-દેવતા કહેવામાં શરમ આવે છે એટલે હિંદુ નામ રાખી દીધું છે. હકીકતમાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં. તમે ૮૪ જન્મ લીધાં છે પછી પતિત બની ગયાં છો. ૮૪ નું ચક્ર ભારતવાસીઓ માટે છે. ફરી જવાનું તો બધાએ છે. પહેલાં તમે જશો. જેમ બારાત (જાન) જાય છે ને. શિવબાબા ને સાજન પણ કહે છે. તમે સજનીઓ આ સમયે છી-છી તમોપ્રધાન છો, એમને ગુલ-ગુલ બનાવીને લઈ જશે. આત્માઓ ને પાવન બનાવીને લઈ જશે. આમને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહેવાય છે. બેહદનાં બાપ લઈ જાય છે. એમનું નામ શું છે? શિવબાબા. નામ શરીર પર પડે છે પરંતુ પરમાત્મા નું શિવ જ નામ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું તો સૂક્ષ્મ શરીર છે. શિવબાબા ને તો કોઈ શરીર છે નહીં. એમને શિવબાબા જ કહે છે. બાળકો કહે છે હેં માત-પિતા અમે તમારા બાળક બન્યાં છીએ. બીજા તો પોકારતાં રહે છે કારણ કે એમને ખબર નથી. જો બધાને ખબર પડી જાય તો ખબર નહીં શું થઈ જાય. દૈવી ઝાડનું હમણાં સેપલિંગ (કલમ) લાગે છે. હીરા થી કોડી બનવામાં ૮૪ જન્મ લાગે છે. પછી નવેસર થી શરું થશે. વિશ્વની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થશે. બાપ સમજાવે છે કે તમે પૂરા ૮૪ જન્મ લીધાં છે. ૮૪ લાખ તો હોઈ ન શકે. આ મોટી ભૂલ છે. ૮૪ લાખ જન્મ સમજવાનાં કારણે કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. આ છે બિલકુલ જુઠ્ઠું. ભારત હમણાં જુઠ્ઠખંડ છે, સચખંડમાં તો તમે સદા સુખી હતાં. આ સમય તમે ૨૧ જન્મ નો વારસો લો છો. બધું તમારા પુરુષાર્થ પર છે. રાજધાનીમાં જે ઈચ્છો તે પદ લો, એમાં જાદુ વગેરેની કોઈ વાત નથી. હાં મનુષ્ય થી દેવતા જરુર બને છે. આ તો સારું જાદુ છે ને. તમે સેકન્ડ માં જાણી લો છો કે અમે બાબાનાં બાળકો બન્યાં છીએ. કલ્પ-કલ્પ બાબા અમને સ્વર્ગ નાં માલિક બનાવે છે. અડધો કલ્પ ભટકતાં આવ્યાં છો, સ્વર્ગવાસી તો કોઈ પણ થયાં નથી. બાપ આવીને આપ બાળકોને લાયક બનાવે છે. બરાબર અહીંયા મહાભારત લડાઈ લાગી હતી અને રાજયોગ શીખવાડ્યો હતો. શિવબાબા કહે છે કે હું જ આવીને તમને શીખવાડું છું, ન કે ક્રાઇસ્ટ. હમણાં તમારો અનેક જન્મોનાં અંત નો જન્મ છે, મૂંઝાઓ નહીં. તમે ભારતવાસી છો. તમારો ધર્મ બહુજ સુખ આપવા વાળો છે બીજા ધર્મવાળા તો વૈકુંઠમાં આવી ન શકે. આ પણ ડ્રામા અનાદિ ચાલતો રહે છે. ક્યારે બન્યો, આ કહી ન શકાય. આનો અંત નથી. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. આ છે સંગમયુગ, નાનો યુગ. ચોટી છે બ્રાહ્મણો ની. બાપ આપ બ્રાહ્મણોને દેવતા બનાવી રહ્યાં છે. તો બ્રહ્માનાં બાળકો જરુર બનવું પડે. તમને વારસો મળે છે દાદા થી. જ્યાં સુધી પોતાને બી.કે. ન સમજો ત્યાં સુધી વારસો કેવી રીતે મળે. છતાં પણ કંઈ ને કંઈ જ્ઞાન સાંભળે છે તો સાધારણ પ્રજામાં આવી જશે. આવવાનું તો જરુર છે. શિવબાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ ની સ્થાપના કરે છે. સિવાય ગીતાનાં બીજું કોઈ પણ શાસ્ત્ર છે નહીં. ગીતા છે જ સર્વોત્તમ દૈવી ધર્મનું શાસ્ત્ર જેનાથી ૩ ધર્મ સ્થાપન થાય છે. બ્રાહ્મણ પણ અહીંયા બનવાનું છે. દેવતા પણ અહીંયા જ બનશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેકનાં નિશ્ચિત પાર્ટ ને જાણી સદા નિશ્ચિંત રહેવાનું છે. બની બનાઈ બન રહી…. ડ્રામા પર અડોલ રહેવાનું છે.

2. આ નાનકડા સંગમયુગ પર બાપ થી પૂરો વારસો લેવાનો છે. યાદનાં બળ થી ખાદ નીકાળી સ્વયં ને કોડી થી હીરા જેવાં બનાવવાનું છે. મીઠા ઝાડ નાં સેપલિંગ (કલમ) માં ચાલવા માટે લાયક બનવાનું છે.

વરદાન :-
આશ્ચર્યજનક દૃશ્ય જોતા પહાડ ને રાઈ બનાવવા વાળા સાક્ષી દૃષ્ટા ભવ

સંપન્ન બનવામાં અનેક નવાં-નવાં કે આશ્ચર્યજનક દૃશ્ય સામે આવશે, પરંતુ તે દૃશ્ય સાક્ષી દૃષ્ટા બનાવે, હલાવે નહીં. સાક્ષીદૃષ્ટા ની સ્થિતિ ની સીટ પર બેસી ને જોવામાં કે નિર્ણય કરવાથી બહુજ મજા આવે છે. ભય નથી લાગતો. જેમ કે અનેક વાર જોયેલું દૃશ્ય ફરીથી જોઈ રહ્યાં છીએ. તે રાઝયુક્ત, યોગયુક્ત બની વાયુમંડળ ને ડબલ લાઈટ બનાવશે. એમને પહાડ સમાન પેપર પણ રાઈ નાં સમાન અનુભવ થશે.

સ્લોગન :-
પરિસ્થિતિઓમાં આકર્ષિત થવાનાં બદલે એને સાક્ષી થઈને ખેલ નાં રુપ માં જુઓ.