19-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
ભણતર સોર્સ ઓફ ઇન્કમ ( આવકનું સાધન ) છે , આનાથી તમે મનુષ્ય થી દેવતા બનો છો , ૨૧
જન્મોનાં માટે સાચ્ચી કમાણી થઈ જાય છે ”
પ્રશ્ન :-
બાપ જે
મીઠી-મીઠી વાતો સંભળાવે છે તે ધારણ ક્યારે થશે?
ઉત્તર :-
જ્યારે બુદ્ધિ પર પરમત કે મનમત નો પ્રભાવ નહીં હશે. જે બાળકો સાંભળેલી-સંભળાવેલી
વાતો પર ચાલે છે, તેમની બુદ્ધિમાં ધારણા થઈ નથી શકતી. સિવાય જ્ઞાનનાં બીજું કાંઈ પણ
કોઈ સંભળાવે છે તો તે જેમકે દુશ્મન છે. જુઠ્ઠી વાતો સાંભળવા વાળા ખુબ છે એટલે હિયર
નો ઇવિલ (ખરાબ નહીં સાંભળો), સી નો ઈવિલ (ખરાબ નહીં જુઓ), મનુષ્ય થી દેવતા બનવાનાં
માટે એક બાપ ની શ્રીમત પર જ ચાલવાનું છે.
ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં …
ઓમ શાંતિ!
આ ગીતમાં જેમ
કે પોતાની મહિમા કરે છે. પોતાની મહિમા હકીકત માં કરાતી નથી. આ તો બધી સમજવાની વાતો
છે જે ભારતવાસી ખુબ સમજદાર હતાં, હમણાં બેસમજ બન્યાં છે. હવે પ્રશ્ન ઉઠે છે, સમજદાર
કોણ હતાં? આ ક્યાંય પણ લખેલું નથી. તમે છો ગુપ્ત. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો
છે. એક તો બાપ કહે છે મારા દ્વારા જ બાળકો મને જાણી શકે છે. પછી મારા દ્વારા બધુંજ
જાણી જાય છે. સૃષ્ટિનાં આદિ મધ્ય અંત નો જે ખેલ છે, તેને સમજી જાય છે. બીજું કોઈ પણ
નથી જાણતું અને એક મુખ્ય ભૂલ કરી છે જે નિરાકાર પરમપિતા પરમાત્મા શિવનાં બદલે
કૃષ્ણનું નામ નાખી દીધું છે. પહેલાં નંબરનું શાસ્ત્ર જેને શ્રીમત ભગવત ગીતા કહે એ જ
ખોટું થઈ ગયું છે એટલે પહેલાં-પહેલાં સિદ્ધ કરવાનું છે કે ભગવાન એક છે. પછી પૂછવાનું
છે ગીતાનાં ભગવાન કોણ? ભારત નો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. જો નવો ધર્મ કહે તો
બ્રાહ્મણ ધર્મ જ કહેશે. પહેલાં ચોટી છે બ્રાહ્મણ પછી દેવતાઓ. ઊંચે થી ઉંચો બ્રાહ્મણ
ધર્મ છે. જે બ્રાહ્મણ બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા રચે છે, એજ બ્રાહ્મણ પછી
દેવતા બને છે. મુખ્ય વાત છે ભગવાન બધાનાં બાપ છે, નવી દુનિયાનાં રચયિતા. જરુર નવી
દુનિયા જ રચશે ને. નવી દુનિયામાં નવું ભારત હોય છે. જન્મ પણ ભારતમાં લીધો છે. ભારતને
જ સ્વર્ગ બનાવી રહ્યાં છે બ્રહ્મા દ્વારા. તમને પોતાનાં બનાવીને પછી ભણાવે છે
મનુષ્ય થી દેવતા બનાવવાં. પહેલાં તમે શૂદ્ર વર્ણ નાં હતાં પછી આવ્યાં બ્રાહ્મણ વર્ણ
માં પછી દૈવી વર્ણ માં. પાછળ વૃદ્ધિ થતી રહે છે. એક ધર્મ થી અનેક ધર્મ થઈ જાય છે.
ડાળ ડાળીઓ પણ બધાં ધર્મોની બની જાય છે, દરેક ધર્મ થી નીકળે છે. ત્રણ ટ્યુબ્સ (શાખાઓ)
હોય છે ને. આ છે મુખ્ય. દરેક થી પોત-પોતાની શાખાઓ નીકળે છે. મુખ્ય છે ફાઉન્ડેશન પછી
ત્રણ ટ્યુબ્સ છે મુખ્ય. થડ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું. જે હમણાં બધાં રાજયોગ
શીખી રહ્યાં છો. દેલવાડા મંદિર ખુબ સરસ બનાવેલું છે, તેમાં બધી સમજણ છે. બાળકો
અહીંયા બેઠાં છે કલ્પ પહેલાં પણ તમે રાજયોગ ની તપસ્યા કરી હતી. જેમ ક્રાઈસ્ટની
યાદગાર ક્રિશ્ચિયન દેશમાં છે. એમ આપ બાળકોએ અહીંયા તપસ્યા કરી ત્યારે તમારી પણ
યાદગાર અહીંયા છે. છે ખુબ સહજ. પરંતુ કોઈ પણ જાણતાં નથી. સન્યાસી લોકો તો કહી દે છે
આ બધી કલ્પના છે, જેવી જે કલ્પના કરે. તમારા માટે પણ કહે છે આ ચિત્ર વગેરે બધાં
કલ્પના થી બનાવ્યાં છે. જ્યા સુધી બાપને જાણે, કલ્પના જ સમજે છે. નોલેજફુલ તો એક
બાપ છે ને. તો મુખ્ય છે બાપ નો પરિચય આપવો. એ બાપ સ્વર્ગનો વારસો આપે છે, કલ્પ પહેલાં
પણ આપ્યો હતો. પછી ૮૪ જન્મ લેવાં પડે. ભારતવાસીઓનાં જ ૮૪ જન્મ હોય છે. પછી સંગમયુગ
પર બાપ આવીને રાજધાની ની સ્થાપના કરે છે. આપ બાળકોએ બાપ દ્વારા સમજ્યું છે. જ્યારે
સારી રીતે સમજે, બુદ્ધિ માં બેસે ત્યારે ખુશી પણ રહે.
આ ભણતર ખુબ સોર્સ ઓફ ઇન્કમ (આવકનું સાધન) છે. ભણતર થી જ મનુષ્ય બેરિસ્ટર વગેરે બને
છે. પરંતુ આ ભણતર મનુષ્ય થી દેવતા બનવાનું છે. પ્રાપ્તિ કેટલી ભારે છે. આનાં જેવી
પ્રાપ્તિ કોઈ કરાવી ન શકે. ગ્રંથ માં ગવાયેલું છે - મનુષ્ય થી દેવતા કિયે કરત ન લાગી
વાર. પરંતુ મનુષ્યોની બુદ્ધિ ચાલતી નથી. જરુર તે દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો
છે, ત્યારે તો લખે છે મનુષ્ય થી દેવતા બન્યાં. દેવતાઓ સતયુગમાં હતાં. એમને જરુર
ભગવાને સંગમ પર રચ્યા હશે. કેવી રીતે રચ્યાં? આ નથી જાણતાં. ગુરુનાનકે પણ પરમાત્મા
ની મહિમા ગાઈ છે. તેમનાં જેવી મહિમા કોઈએ ગાઈ નથી એટલે ગ્રંથ ને ભારત માં વાંચે છે.
ગુરુનાનક નો કળયુગમાં અવતાર થાય છે. તે છે ધર્મ સ્થાપક. રાજાઈ તો પાછળ થઇ છે. બાપે
તો આ દેવી-દેવતા ધર્મ સ્થાપન કર્યો છે. હકીકત માં નવી દુનિયા બ્રાહ્મણોની જ કહેવાય.
ચોટી ભલે બ્રામણોની છે પરંતુ રાજધાની દેવી દેવતાઓથી શરું થાય છે. તમે બ્રાહ્મણ રચેલાં
છો. તમારી રાજધાની નથી. તમે પોતાનાં માટે રાજધાની સ્થાપન કરો છો. ખુબ વન્ડરફુલ વાતો
છે. મનુષ્ય તો કંઈ નથી જાણતાં. પહેલાં-પહેલાં પોતાને ખબર પડી તો પોતાનાં દ્વારા
બીજાઓને ખબર પડે છે. તમે શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. બ્રહ્માને પણ હમણાં બાપ
દ્વારા ખબર પડે છે. એક ને કહ્યું તો બાળકોને પણ કહેવાનું હોય છે. એમનાં તન દ્વારા
આપ બાળકોને બેસી સમજાવે છે. આ છે અનુભવની વાતો. શાસ્ત્રો થી તો કોઈ કાંઈ પણ સમજી ન
શકે. બાપ કહે છે આખાં કલ્પમાં એક જ વખત હું આવી રીતે જ આવીને સમજાવું છું. બીજા
અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મની સ્થાપના કરાવું છું. આ ૫ હજાર વર્ષનો ખેલ છે. આપ
બાળકો જાણો છો આપણે ૮૪ જન્મ લીધાં છે. વિષ્ણુની નાભી થી બ્રહ્મા દેખાડે છે. બ્રહ્મા
અને વિષ્ણુ આ કોના બાળકો છે? બંને બાળકો થયાં શિવ નાં. એ છે રચયિતા, તે રચના. આ
વાતોને કોઈ સમજી ન શકે. બિલકુલ નવી વાત છે. બાબા પણ કહે છે આ નવી વાતો છે. કોઈ
શાસ્ત્રોમાં આ વાતો હોઈ ન શકે. જ્ઞાનનાં સાગર બાપ છે, એજ ગીતાનાં ભગવાન છે.
ભક્તિમાર્ગ માં શિવજયંતી પણ મનાવે છે. સતયુગ ત્રેતામાં નથી મનાવતાં. તો જરુર સંગમ
પર જ આવતાં હશે. આ વાતો તમે સમજી જાઓ છો અને સમજાવતાં રહો છો. જે સમજાવવા વાળા બાપની
મહિમા છે, તે બાળકોની હોવી જોઈએ. તમારે પણ માસ્ટર જ્ઞાનનાં સાગર બનવાનું છે. પ્રેમનાં
સાગર, સુખનાં સાગર અહીંયા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. ખુબ મીઠા બનવાનું
છે. તમે જે કડવા એકદમ ઝેર જેવાં હતાં, તે તમે વાઈસલેસ (નિર્વિકારી) બ્રાહ્મણ બની
રહ્યાં છો. ઈશ્વરની સંતાન બની રહ્યાં છો. વિશશ (વિકારી) થી વાઈસલેસ દેવતા બની રહ્યાં
છો. અડધોકલ્પ તમે પતિત બનતાં-બનતાં હમણાં બિલકુલ જડજડીભૂત અવસ્થા ને પામેલાં છો.
સડેલા કપડાને ફટકો લગાવવાથી ફાટીને ચીર-ચીર થઈ જાય છે. અહીંયા પણ જ્ઞાનનાં ફટકા
લગાવો તો પુર્જા-પુર્જા થઈ જાય છે. કોઈ કપડાં એવાં મેલા હોય છે જે સાફ કરવામાં ખુબ
સમય લાગે છે. પછી ત્યાં પણ હલકું પદ મળી જાય છે. બાબા ધોબી છે. તમે પણ સાથે મદદગાર
છો. ધોબી પણ નંબરવાર હોય છે. અહીંયા પણ નંબરવાર છે. ધોબી સારા કપડા સાફ ન કરે તો
કહશે ને કે આ તો જેમ કે હજામ છે. આજકાલ કપડા સાફ ધોવડાવતાં શીખ્યાં છે. પહેલાં
ગામડામાં તો ખુબ મેલા કપડા ધોવાતાં હતાં. આ કળા પણ બહાર વાળા થી આવી છે. બાહર વાળા
કંઈક ઈજ્જત આપે છે. પૈસા વગેરેની મદદ કરે છે. જાણે છે આ ખુબ મોટી સંપ્રદાય વાળા છે.
હવે નીચે પડ્યાં છે. પડવા વાળા પર તરસ પડે છે ને. બાપ કહે છે તમને કેટલાં ધનવાન
બનાવ્યાં હતાં. માયાએ શું હાલત કરી દીધી છે. તમે હમણાં સમજો છો આપણે વિજય માળા નાં
હતાં, પછી ૮૪ જન્મ લઈને શું જઈને બન્યાં છીએ. વન્ડર છે ને. તમે સમજાવી શકો છો, તમે
ભારતવાસી તો સ્વર્ગવાસી હતાં. ભારત જ સ્વર્ગ હતું પછી નીચે પડતાં-પડતાં નર્કવાસી પણ
બનવું પડે. હવે બાપ કહે છે - પવિત્ર બની સ્વર્ગવાસી બનો. મનમનાભવ. શિવ ભગવાનુવાચ
મામેકમ્ યાદ કરો. યાદની યાત્રાથી તમારા બધાં પાપ નષ્ટ થઈ જશે. શાસ્ત્રો માં લખેલું
છે - કૃષ્ણએ ભગાવી, પટરાણી બનાવવાં. તમે બધાં ભણી રહ્યાં છો, પટરાણી બની રહ્યાં છો.
પરંતુ આ વાતોને કોઈ સમજી નથી શકતાં. હવે બાપે આવીને બાળકોને સમજાવ્યું છે. બાપ કહે
છે હું કલ્પ-કલ્પ તમને સમજાવવા આવું છું તો પહેલાં ભગવાન એક છે, આ સિદ્ધ કરી પછી
બતાવો ગીતાનાં ભગવાન કોણ છે. રાજયોગ કોણે શીખવાડ્યો છે? ભગવાન જ બ્રહ્મા દ્વારા
સ્થાપના કરાવે છે અને વિનાશ પછી પાલના કરાવે છે. આ જે બ્રાહ્મણ છે એ જ પછી દેવતા બને
છે. આ વાતો પણ સમજ માં તેમને આવશે જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે. સેકન્ડ પછી સેકન્ડ
જે થયું તે આ સમય સુધી સમજશે. ડ્રામામાં તમારે ખુબ પુરુષાર્થ કરવાનો છે. આ તો બાળકો
સમજે છે હમણાં અમારી તે અવસ્થા થઈ નથી. સમય લાગશે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી
બધાં નંબરવન પાસ થઈ જાય પછી તો લડાઈ પણ લાગી જાય. આપસ માં ખીટપીટ ચાલતી જ રહેશે. તમે
જાણો છો જ્યાં-ત્યાં જુઓ લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. બધી તરફ તૈયારીઓ કરી રહ્યાં
છે. તમે જે કાંઈ દિવ્ય દૃષ્ટીથી જોયું છે તે પછી આ આંખોથી જોવાનું છે. વિનાશનો
સાક્ષાત્કાર કર્યો છે પછી તે આંખો થી જોશો. સ્થાપનાનો પણ સાક્ષાત્કાર કર્યો છે પછી
પ્રેક્ટિકલ માં રાજાઈ પણ જોશો. આપ બાળકોને તો ખુબ ખુશી થવી જોઈએ. આ તો જૂનું તન છે.
યોગ થી આત્મા પવિત્ર બની જશે, પછી આ જૂનું શરીર પણ છોડવાનું છે. ૮૪ જન્મોનું ચક્ર
પૂરું થાય છે પછી જરુર બધાને નવાં શરીર મળશે. આ પણ સમજવાની ખુબ સહજ વાતો છે. સમજાવી
પણ શકો છો, કળયુગ પછી સતયુગ જરુર આવશે. અનેક ધર્મો નો વિનાશ જરુર થશે. પછી આદિ
સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના અર્થ બાપે આવવું પડે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં
છો દેવતા બનવા માટે. બીજા કોઈ હોઈ ન શકે. તમે જાણો છો આપણે શિવબાબાનાં બન્યાં છીએ,
શિવબાબા આપણ ને વારસો આપી રહ્યાં છે.
શિવ જયંતી એટલે જ ભારતને વારસો મળ્યો. શિવબાબા આવ્યાં, શું આવીને કર્યુ. ઈસ્લામી,
બૌદ્ધિ વગેરેએ તો આવીને પોતાનો ધર્મ સ્થાપન કર્યો. બાપે આવીને શું કર્યુ? જરુર
સ્વર્ગની સ્થાપના કરી. કેવી રીતે સ્થાપના કરી, કેવી રીતે સ્થાપના થાય છે તે તમે હવે
જાણો છો. પછી સતયુગમાં આ બધું ભૂલી જશો. આ પણ સમજો છો ૨૧ જન્મો નો વારસો હમણાં આપણે
લઈએ છીએ. આ ડ્રામામાં નોંધ છે. ભલે ત્યાં સમજશે આ બાપ છે, આ બાળક છે. બાળક ને વારસો
મળે છે. પરંતુ આ પ્રાલબ્ધ છે હમણાંની. સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મોનાં માટે તમે વારસો
હમણાં પામી રહ્યાં છો. ૮૪ જન્મ તો લેવાનાં જ છે. સતોપ્રધાન થી પછી સતો રજો તમો માં
આવશો. આ સારી રીતે યાદ કરવાથી પછી ખુશી માં પણ રહેશો. સમજાવવામાં ખુબ મહેનત લાગે
છે. જ્યારે સમજી જાય છે તો તેમને ખુબ ખુશી થાય છે. જે બાળકો સારી રીતે સમજે છે તે
પછી અનેકો ને સમજાવતાં રહે છે. કાંટા ને ફૂલ બનાવતાં રહે છે. આ છે બેહદનું ભણતર.
વારસો પણ બેહદ નો મળે છે. પછી આમાં ત્યાગ પણ બેહદનો છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં
આખી દુનિયા નો ત્યાગ કરવાનો છે કારણ કે તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે. હવે
નવી દુનિયામાં જવાનું છે એટલે બેહદનો સન્યાસ કરાવે છે, સંન્યાસીઓનો છે હદનો સંન્યાસ
અને તેમનો છે હઠયોગ. આમાં હઠ ની વાત નથી હોતી. આ તો ભણતર છે. પાઠશાળા માં ભણવાનું
છે, મનુષ્ય થી દેવતા બનવા માટે. શિવ ભગવાનુવાચ - કૃષ્ણ હોઈ ન શકે. કૃષ્ણ ક્યારેય નવી
દુનિયા બનાવી ન શકે. તેમને હેવનલી ગોડફાધર નહીં કહેશું. હેવનલી પ્રિન્સ કહેશું તો
કેટલી મીઠી-મીઠી વાતો સમજાવવાની અને ધારણ કરવાની છે. દૈવી લક્ષણ પણ જોઈએ. ક્યારેય
પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ન લાગવું જોઈએ. વ્યાસ ની લખેલી વાતો પર લાગતાં-લાગતાં
ખોટી ગતિ થઈ ગઈ છે ને. સિવાય જ્ઞાનનાં બીજું કાંઈ સાંભળાવે છે તો સમજો આ અમારો
દુશ્મન છે. દુર્ગતિ માં લઈ જાય છે. ક્યારેય પણ પરમત પર ન લાગવું જોઈએ. મનમત, પરમત
પર ચાલ્યાં તો આ મર્યા. બાપ સમજાવતાં રહે છે જૂઠ્ઠી વાતો બોલવા વાળા તો ઘણાં છે.
તમારે બાપ થી જ સાંભળવાનું છે. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ…... બાપદાદા આવ્યાં જ છે
મનુષ્ય થી દેવતા બનાવવા તો તેમની શ્રીમત પર ચાલવું જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અહીંયા બાપ
સમાન સુખનાં સાગર, પ્રેમનાં સાગર બનવાનું છે. સર્વગુણ ધારણ કરવાનાં છે. કોઈને પણ
દુઃખ નથી આપવાનું.
2. સાંભળેલી-સંભળાવેલી વાતો પર ક્યારેય વિશ્વાસ નથી કરવાનો, પરમત પર નથી ચાલવાનું.
હિયર નો ઈવિલ, સી નો ઈવિલ…….
વરદાન :-
બ્રાહ્મણ જીવન
ની નીતિ અને રીતી પ્રમાણે સદા ચાલવા વાળા વ્યર્થ સંકલ્પ મુક્ત ભવ
જે બ્રાહ્મણ જીવનની
નીતિ, રીતી પ્રમાણે ચાલતાં સદા શ્રીમત ની આજ્ઞાઓ સ્મૃતિ માં રાખે છે અને આખો દિવસ
શુદ્ધ પ્રવૃત્તિમાં બીઝી (વ્યસ્ત) રહે છે તેમનાં પર વ્યર્થ સંકલ્પ રુપી રાવણ વાર નથી
કરી શકતો. બુદ્ધિ ની પ્રવૃત્તિ છે શુદ્ધ સંકલ્પ કરવાં, વાણી ની પ્રવૃત્તિ છે બાપ
દ્વારા જે સાંભળેલું તે સંભળાવવું, કર્મ ની પ્રવૃત્તિ છે કર્મયોગી બની દરેક કર્મ
કરવાં - આવી પ્રવૃત્તિમાં બીઝી રહેવા વાળા વ્યર્થ સંકલ્પો થી નિવૃત્તિ પ્રાપ્ત કરી
લે છે.
સ્લોગન :-
પોતાનાં દરેક
નવાં સંકલ્પ થી, નવી દુનિયા ની નવી ઝલક નો સાક્ષાત્કાર કરાવો.