31-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - એક બાપ જ નંબરવન એક્ટર છે જે પતિતો ને પાવન બનાવવાની એક્ટ કરે છે , બાપ જેવી એક્ટ કોઈ કરી નથી શકતાં”

પ્રશ્ન :-
સંન્યાસીઓ નો યોગ શારીરિક યોગ છે, રુહાની યોગ બાપ જ શીખવાડે છે, કેવી રીતે?

ઉત્તર :-
સંન્યાસી બ્રહ્મ તત્વ થી યોગ રાખવાનું શીખવાડે છે. હવે તે તો રહેવાનું સ્થાન છે. તો તે શારીરિક યોગ થઈ ગયો. તત્વ ને સુપ્રીમ નથી કહેવાતું. આપ બાળકો સુપ્રીમ રુહ થી યોગ લગાવો છો એટલે તમારો યોગ રુહાની યોગ છે. આ યોગ બાપ જ શીખવાડી શકે, બીજું કોઈ પણ શીખવાડી ન શકે કારણ કે એ જ તમારા રુહાની બાપ છે.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ ...

ઓમ શાંતિ!
બાળકો, ઘણાં લોકો કહે છે ઓમ્ શાંતિ અર્થાત્ પોતાની આત્માની ઓળખ આપે છે. પરંતુ પોતે સમજી નથી શકતાં. ઓમ્ શાંતિ નો અર્થ ઘણાં નીકાળે છે. કોઈ કહે છે ઓમ્ એટલે ભગવાન. પરંતુ ના, આ આત્મા કહે છે ઓમ્ શાંતિ. અહમ્ આત્માનો સ્વધર્મ છે જ શાંત એટલે કહે છે હું શાંત સ્વરુપ. આ મારું શરીર છે જેનાથી હું કર્મ કરું છું. કેટલું સહજ છે. તેમ બાપ પણ કહે છે ઓમ્ શાંતિ. પરંતુ હું બધાનો બાપ હોવાનાં કારણે, બીજરુપ હોવાનાં કારણે પણ જે રચના રુપી ઝાડ છે, કલ્પવૃક્ષ તેનાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. જેમ તમે કોઈ પણ ઝાડ જુઓ તો તેનાં આદિ મધ્ય અંત ને જાણી જાઓ, તે બીજ તો જડ છે. તો બાપ સમજાવે છે આ કલ્પવૃક્ષ છે, આનાં આદિ મધ્ય અંત ને તમે જાણી નથી શકતાં, હું જાણું છું. મને કહે જ છે જ્ઞાનનાં સાગર. હું આપ બાળકોને બેસી આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવી રહ્યો છું. આ જે નાટક છે, જેને ડ્રામા કહેવાય, જેનાં તમે એક્ટર્સ છો બાપ કહે છે હું પણ એક્ટર છું. બાળકો કહે છે હેં બાબા પતિત-પાવન એક્ટર બની આવો, આવીને પતિતો ને પાવન બનાવો. હવે બાપ કહે છે હું એક્ટ કરી રહ્યો છું. મારો પાર્ટ ફક્ત આ સંગમ સમયે જ છે. તે પણ મને પોતાનું શરીર નથી. હું આ શરીર દ્વારા એક્ટ કરું છું. મારું નામ શિવ છે. બાળકોને જ તો સમજાવશે ને. પાઠશાળા કોઈ વાંદરા કે જનાવરો ની નથી હોતી. પરંતુ બાપ કહે છે કે આ ૫ વિકારોનાં હોવાનાં કારણે શકલ (ચહેરો) તો મનુષ્ય જેવી છે પરંતુ કર્તવ્ય વાંદરા જેવાં છે. બાળકોને બાપ સમજાવે છે કે પતિતો તો બધાં પોતાને કહેવડાવે જ છે. પરંતુ આ જાણતાં નથી કે અમને પતિત કોણ બનાવે છે અને પાવન પછી કોણ આવીને બનાવે છે? પતિત-પાવન કોણ? જેમને બોલાવે છે, કાંઈ પણ સમજી નથી શકતાં. આ પણ નથી જાણતાં આપણે બધાં એક્ટર્સ છીએ. આપણે આત્મા આ વસ્ત્ર લઈને પાર્ટ ભજવીએ છીએ. આત્મા પરમધામ થી આવે છે, આવીને પાર્ટ ભજવે છે. ભારતનાં ઉપર જ આખો ખેલ બનેલો છે. ભારત પાવન, ભારત પતિત કોણે બનાવ્યું? રાવણએ. ગાયન પણ છે કે રાવણનું લંકા પર રાજ્ય હતું. બાપ બેહદ માં લઈ જાય છે. હેં બાળકો, આ આખી સૃષ્ટિ બેહદ નો ટાપુ છે. તે તો હદ ની લંકા છે. આ બેહદનાં ટાપુ પર રાવણ નું રાજ્ય છે. પહેલાં રામરાજ્ય હતું હવે રાવણ રાજ્ય છે. બાળકો કહે છે બાબા રામ રાજ્ય ક્યાં હતું? બાપ કહે છે બાળકો તે તો અહીંયા હતું ને, જેને બધાં ઈચ્છે છે.

તમે ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છો, હિંદુ ધર્મનાં નથી. મીઠા-મીઠા સિકીલધા લાડલા બાળકો, તમે જ પહેલાં-પહેલાં ભારત માં હતાં. તમને તે સતયુગ નું રાજ્ય કોણે આપ્યું હતું? જરુર હેવનલી ગોડફાધર જ આ વારસો આપશે. બાપ સમજાવે છે કે કેટલાં બીજા-બીજા ધર્મો માં કન્વર્ટ (બદલી) થઈ ગયાં છે. મુસલમાનો નું જ્યારે રાજ્ય હતું તો અનેકો ને મુસલમાન બનાવ્યાં. ક્રિશ્ચિયન નું રાજ્ય હતું તો અનેકો ને ક્રિશ્ચિયન બનાવ્યાં, બૌદ્ધિયો નું તો અહીંયા રાજ્ય પણ નહોતું તો પણ અનેકો ને બૌદ્ધિ બનાવ્યાં. કન્વર્ટ કર્યા છે પોતાનાં ધર્મ માં. આદિ સનાતન ધર્મ જ્યારે પ્રાય:લોપ થઈ જાય ત્યારે તો પછી તે ધર્મની સ્થાપના થાય. તો બાપ આપ સર્વ ભારતવાસીઓ ને કહે છે કે મીઠા-મીઠા બાળકો, તમે બધાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમે ૮૪ જન્મ લીધાં. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય…. વર્ણ માં આવ્યાં. હવે ફરી બ્રાહ્મણ વર્ણ માં આવ્યાં છો દેવતા વર્ણ માં જવા માટે. ગાયન પણ છે બ્રાહ્મણ દેવતાય નમઃ, પહેલાં બ્રાહ્મણો નું નામ લે છે. બ્રાહ્મણોએ જ ભારતને સ્વર્ગ બનાવ્યું છે. આ છે ભારતનો પ્રાચીન યોગ. પહેલાં-પહેલાં જે રાજયોગ હતો, જેનું ગીતામાં વર્ણન છે. ગીતાનો યોગ કોણે શીખવાડ્યો હતો? આ ભારતવાસી ભૂલી ગયાં છે. બાપ સમજાવે છે કે બાળકો યોગ તો મેં શીખવાડ્યો હતો. આ છે રુહાની યોગ. બાકી બધાં છે શારીરિક યોગ. સંન્યાસી વગેરે શારીરિક યોગ શીખવાડે છે કે બ્રહ્મ થી યોગ લગાવો. તે તો ખોટું થઈ જાય છે. બ્રહ્મ તત્વ તો રહેવાનું સ્થાન છે. તે કોઈ સુપ્રીમ રુહ ન થયું. બાપ ને ભૂલી ગયાં છે. તમે પણ ભૂલી ગયાં હતાં. તમે પોતાનાં ધર્મને ભૂલી ગયાં છો. આ પણ ડ્રામામાં નોંધ છે. વિલાયતમાં યોગ હતો નહીં. હઠયોગ અને રાજયોગ અહીંયા જ છે. તે નિવૃત્તિ માર્ગવાળા સંન્યાસી ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. શીખવાડે એ જે જાણતાં હોય. સંન્યાસી લોકો તો રાજાઈ પણ છોડી દે છે. ગોપીચંદ રાજા નું ઉદાહરણ છે ને. રાજાઈ છોડી જંગલમાં ચાલ્યાં ગયાં. તેમની પણ વાર્તા છે. સંન્યાસી તો રાજાઈ છોડાવવા વાળા છે, તે પછી રાજયોગ કેવી રીતે શીખવાડી શકે. આ સમયે આખું ઝાડ જડજડીભૂત થઈ ગયું છે. હમણાં પડ્યું કે પડ્યું. કોઈ પણ ઝાડ જ્યારે જડજડીભૂત થઈ જાય છે તો અંત માં તેને પાડવું પડે છે. તેમ આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ પણ તમોપ્રધાન છે, આમાં કોઈ સાર નથી. આનો જરુર વિનાશ થશે. એનાં પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના અહીંયા કરવાની હશે. સતયુગમાં કોઈ દુર્ગતિ વાળા હોતાં નથી. આ વિલાયત માં જઇને યોગ શીખવાડે છે પરંતુ તે છે હઠયોગ. જ્ઞાન બિલકુલ નથી. અનેક પ્રકાર નાં હઠયોગ છે. આ છે રાજયોગ, આને રુહાની યોગ કહેવાય છે. તે બધાં છે શારીરિક. મનુષ્ય, મનુષ્ય ને શીખવાડવા વાળા છે. બાપ બાળકો ને સમજાવે છે કે હું તમને એક જ વખત આ રાજયોગ શીખવાડું છું બીજા કોઈ કદાચ શીખવાડી ન શકે. રુહાની બાપ રુહાની બાળકો ને શીખવાડે છે કે મામેકમ્ યાદ કરો તો તમારા બધાં પાપ મટી જશે. હઠયોગી ક્યારેય એવું કહી ન શકે. બાપ આત્માઓને સમજાવે છે. આ નવી વાત છે. બાપ તમને હવે દેહી-અભિમાની બનાવી રહ્યાં છે. બાપ ને દેહ છે નહીં. આમનાં તન માં આવે છે, આમનું નામ બદલી દે છે કારણ કે મરજીવા બન્યાં છે. જેમ ગૃહસ્થી જ્યારે સંન્યાસી બને છે તો તે મરજીવા બની, ગૃહસ્થ આશ્રમ છોડી નિવૃત્તિ માર્ગ લઈ લીધો. તો તમારું પણ મરજીવા બનવાથી નામ બદલાઈ જાય છે. પહેલાં શરુમાં બધાનાં નામ લાવ્યાં હતાં પછી જે આશ્ચર્યવત સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ ગયાં તો નામ આવવાનું બંધ થઈ ગયું એટલે હવે બાપ કહે છે કે હું નામ આપું અને પછી ભાગી જાય તો ફાલતુ થઈ જાય છે. પહેલાં આવવા વાળાનાં જે નામ રાખ્યાં, તે ખૂબ રમણીક હતાં. હવે નથી રાખતાં. એમનું રાખે જે સદા કાયમ પણ રહે. અનેકો નાં નામ રાખ્યાં પછી બાપ ને ફારકતી (દગો) આપી ચાલ્યા ગયાં એટલે હવે નામ બદલતા નથી. બાપ સમજાવે છે કે આ જ્ઞાન ક્રિશ્ચિયન ની બુદ્ધિ માં પણ બેસશે. એટલું સમજશે કે ભારત નો યોગ નિરાકાર બાપે જ આવીને શીખવાડ્યો હતો. બાપ ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે અને અમે પોતાનાં ઘર ચાલ્યાં જઈશું. જે આ ધર્મનાં હશે અને કન્વર્ટ (બદલી) થઇ ગયાં હશે તો તે આવી જશે. તમે જાણો છો કે મનુષ્ય, મનુષ્યની સદ્દગતિ કરી નથી શકતાં. આ દાદા પણ મનુષ્ય છે, આ કહે છે કે હું કોઈની સદ્દગતિ કરી નથી શકતો. આ તો બાબા આપણને શીખવાડે છે કે તમારી સદ્દગતિ પણ યાદ થી થશે. બાપ કહે છે હેં બાળકો, હેં આત્માઓ મારી સાથે યોગ લગાવો તો તમારાં વિકર્મ વિનાશ થશે. તમે પહેલાં ગોલ્ડન એજેડ પ્યોર (સતોપ્રધાન પવિત્ર) હતાં પછી ખાદ પડી ગઈ છે. જે પહેલાં દેવી-દેવતા ૨૪ કેરેટ સોનું હતાં, હવે આયરન એજ (કળયુગ) માં આવીને પહોંચ્યાં છે. આ યોગ કલ્પ-કલ્પ તમારે શીખવો પડે છે. તમે જાણો છો આમાં પણ કોઈ પૂરું જાણે, કોઈ ઓછું જાણે. કોઈ તો એમ જ જોવાં આવે છે કે અહીંયા શું શીખવાડે છે. બ્રહ્માકુમાર કુમારીઓ આટલાં અસંખ્ય બાળકો છે. જરુર પ્રજાપિતા બ્રહ્મા હશે ને જેમનાં આટલાં બાળકો આવીને બન્યાં છે, જરુર કાંઈ હશે તો જઈને તેમનાથી પૂછે તો ખરા. તમને પ્રજાપિતા બ્રહ્મા થી શું મળે છે? પૂછવું જોઈએ ને! પરંતુ આટલી બુદ્ધિ પણ નથી. ભારત માટે ખાસ કહે છે. ગવાયેલું પણ છે પથ્થરબુદ્ધિ સો પારસબુદ્ધિ. પારસબુદ્ધિ સો પથ્થરબુદ્ધિ. સતયુગ ત્રેતા માં પારસબુદ્ધિ ગોલ્ડન એજ હતાં પછી સિલ્વર એજ બે કળા ઓછી થઈ એટલે નામ પડ્યું ચંદ્રવંશી કારણ કે નાપાસ થયાં છે. આ પણ પાઠશાળા છે. ૩૩ માર્ક્સ થી જે નીચે હોય છે તે નપાસ થઈ જાય છે. રામ-સીતા, તેમની ડિનાયસ્ટી (વંશજ) સંપૂર્ણ નથી એટલે સૂર્યવંશી બની ન શકે. નપાસ તો કોઈ થશે ને કારણ કે પરીક્ષા પણ ખુબ મોટી છે. આગળ ગવર્મેન્ટ ની આઈ.સી.એસ. ની મોટી પરીક્ષા થતી હતી. બધાં થોડી ભણી શકતાં હતાં. કોટો માં કોઈ નીકળે છે. કોઈ ઈચ્છે તો અમે સૂર્યવંશી મહારાજા મહારાણી બનીએ તો એમનામાં પણ ખૂબ મહેનત જોઈએ. મમ્મા બાબા પણ ભણી રહ્યાં છે શ્રીમત થી. તે પહેલાં નંબર માં ભણે છે પછી જે માત-પિતા ને ફોલો કરે એ જ એમનાં તખ્ત પર બેસશે. સૂર્યવંશી ૮ ડિનાયસ્ટી ચાલે છે. જેમ એડવર્ડ ધ ફસ્ટ, ધ સેકન્ડ ચાલે છે. તમારું કનેક્શન આ ક્રિશ્ચિયન્સ થી વધારે છે. ક્રિશ્ચિયન વંશજે ભારતની રાજાઈ હપ કરી. ભારતનું અથાહ ધન લઈ ગયાં પછી વિચાર કરો તો સતયુગમાં કેટલું અથાહ ધન હશે. ત્યાંની તુલનામાં તો અહીંયા કાંઇ પણ નથી. ત્યાં બધી ખાણો ભરતું થઈ જાય છે. હવે તો દરેક વસ્તુ ની ખાણો ખાલી થતી જાય છે. પછી ચક્ર રિપીટ થશે તો પછી બધી ખાણો ભરતું થઈ જશે. મીઠા-મીઠા બાળકો તમે હવે રાવણ પર જીત પામીને રાજાઈ લઈ રહ્યાં છો પછી અડધોકલ્પ બાદ આ રાવણ આવશે પછી તમે રાજાઈ ગુમાવી બેસશો. હમણાં ભારતવાસી તમે કોડી માફક બની ગયાં છો. મેં તમને હીરા જેવાં બનાવ્યાં. રાવણએ તમને કોડી જેવા બનાવ્યાં છે. સમજતાં નથી કે આ રાવણ ક્યારે આવ્યો? અમે કેમ તેમને બાળીએ છીએ. કહે છે કે આ રાવણ તો પરંપરા થી ચાલ્યો આવે છે. બાપ સમજાવે છે કે અડધાકલ્પ બાદ આ રાવણ રાજ્ય શરું થાય છે. વિકારી બનવાનાં કારણે પોતાને દેવી દેવતા કહી નથી શકતાં. હકીકત માં તમે દેવી દેવતા ધર્મનાં હતાં. તમારા જેટલું સુખ કોઈ નથી જોઈ શકતું. સૌથી અધિક ગરીબ પણ તમે બનો છો. બીજા ધર્મવાળા પાછળ થી વૃદ્ધિને પામે છે. ક્રાઈસ્ટ આવ્યાં, પહેલાં તો ખૂબ થોડા હતાં. જયારે ઘણાં થઈ જાય ત્યારે તો રાજાઈ કરી શકે. તમને તો પહેલાં રાજાઈ મળે છે. આ તો બધી જ્ઞાનની વાતો છે. બાપ કહે છે હેં આત્માઓ મુજ બાપ ને યાદ કરો. અડધોકલ્પ તમે દેહ-અભિમાની રહ્યાં છો. હવે દેહી-અભિમાની બનો. ઘડી-ઘડી આ ભૂલી જાઓ છો કારણ કે અડધાકલ્પ ની કટ (કાટ) ચઢેલી છે. આ સમયે તમે બ્રાહ્મણ ચોટી છો. તમે છો સૌથી ઉંચ. સંન્યાસી બ્રહ્મ થી યોગ લગાવે છે એનાથી વિકર્મ વિનાશ નથી થતાં. દરેકે સતો રજો તમો માં આવવાનું જરુર છે. પાછું કોઈ પણ જઈ નથી શકતું. જ્યારે બધાં તમોપ્રધાન બની જાય છે ત્યારે બાપ આવીને બધાને સતોપ્રધાન બનાવે છે અર્થાત્ બધાની જ્યોતિ જાગી જાય છે. દરેક આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. તમે છો હીરો-હીરોઇન પાર્ટધારી. આપ ભારતવાસી સૌથી ઉંચ છો જે રાજ્ય લો છો પછી ગુમાવો છો બીજું કોઈ રાજ્ય નથી લેતું. તેઓ રાજ્ય લે છે બાહુબળ થી. બાબાએ સમજાવ્યું છે જે વિશ્વનાં માલિક હતાં એજ બનશે. તો સાચ્ચો રાજયોગ બાપનાં સિવાય કોઈ શીખવાડી ન શકે. જે શીખવાડે છે તે બધાં અયથાર્થ યોગ છે. પાછું તો કોઈ પણ જઈ નથી શકતું. હમણાં છે અંત. બધાં દુઃખ થી છૂટે છે પછી નંબરવાર આવવાનું છે. પહેલાં સુખ જોવાનું છે પછી દુઃખ જોવાનું છે. આ બધી સમજવાની વાતો છે. કહેવાય છે કે હથ કાર ડે દિલ યાર ડે. કામ કરતાં રહો બાકી બુદ્ધિ યોગ બાપ થી હોય.

તમે આત્માઓ આશિક છો એક માશૂક ની. હમણાં એ માશૂક આવેલાં છે. બધી આત્માઓ (સજનીઓ) ને ગુલ-ગુલ બનાવી લઈ જશે. બેહદનાં સાજન બેહદની સજનીઓ છે. કહે છે હું બધાને લઈ જઈશ. પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર જઈને પદ પામશો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, બાળકો ને સંભાળો. હેં આત્મા તમારું દિલ બાપની તરફ હોય. આ જ યાદ ની પ્રેક્ટિસ (અભ્યાસ) કરતાં રહો. બાળકો જાણે છે હમણાં અમે સ્વર્ગવાસી બનીએ છીએ, બાપ ને યાદ કરવાથી. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને તો ખુબ ખુશી માં રહેવું જોઈએ. આ તો ખૂબ સહજ છે. ડ્રામા અનુસાર બધાને રસ્તો બતાવવાનો છે. કોઈ થી ડિબેટ (દલીલ) કરવાની દરકાર નથી. હમણાં તમારી બુદ્ધિ માં બધું નોલેજ આવી ગયું છે. મનુષ્ય બીમારી થી છૂટે છે તો શુભેચ્છાઓ આપે છે. અહીંયા તો આખી દુનિયા રોગી છે. થોડા સમય માં જયજયકાર થઇ જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચ્ચા-સાચ્ચા આશિક બની હાથે થી કામ કરતાં બુદ્ધિ થી માશૂક ને યાદ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. બાપની યાદ થી આપણે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ, આ ખુશીમાં રહેવાનું છે.

2. સૂર્યવંશી ડિનાયસ્ટી માં તખ્તનશીન બનવાનાં માટે માત-પિતા ને પૂરે-પૂરું ફોલો કરવાનું છે. બાપ સમાન નોલેજફુલ બની બધાને રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
અટૂટ કનેક્શન દ્વારા કરંટ નો અનુભવ કરવા વાળા સદા માયાજીત , વિજયી ભવ

જેમ વીજળી ની શક્તિ એવો કરંટ લગાવે છે જે મનુષ્ય દૂર જઈને પડે છે, શૉક આવી જાય છે. એવી રીતે ઈશ્વરીય શક્તિ માયાને દૂર ફેંકી દે, એવી કરંટ હોવી જોઈએ પરંતુ કરંટ નો આધાર કનેક્શન (સંબંધ) છે, ચાલતાં ફરતાં દરેક સેકન્ડ બાપની સાથે કનેક્શન જોડાયેલું હોય. એવું અટૂટ કનેક્શન હોય તો કરંટ આવશે અને માયાજીત, વિજયી બની જશો.

સ્લોગન :-
તપસ્વી તે છે જે સારા ખોટા કર્મ કરવા વાળાનાં પ્રભાવ નાં બંધન થી મુક્ત છે.