24-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
સમયે બાપની સાથે સેવામાં મદદગાર બનો છો એટલે તમારું સિમરણ થાય છે , પૂજન નહીં ,
કારણ કે શરીર અપવિત્ર છે”
પ્રશ્ન :-
કયો નશો આપ
બાળકો ની બુદ્ધિ માં નિરંતર રહેવો જોઈએ?
ઉત્તર :-
આપણે શિવબાબાનાં બાળકો છીએ, એમનાથી રાજયોગ શીખી સ્વર્ગ ની રાજાઈ નો વારસો લઈએ છીએ,
આ નશો તમને નિરંતર રહેવો જોઈએ. વિશ્વનાં માલિક બનવું છે તો ખૂબ ખબરદારી થી ભણવાનું
અને ભણાવવાનું છે. ક્યારેય પણ બાપની નિંદા નથી કરાવવાની. કોઈનાથી પણ લડવાનું ઝઘડવાનું
નથી. તમે કોડી થી હીરા જેવા બનો છો તો સારી રીતે ધારણા કરવાની છે.
ગીત :-
જો પિયા કે સાથ હૈ…
ઓમ શાંતિ!
બાળકોએ સમજ્યું.
જે બાપની સાથે છે તે બાપદાદાની સાથે છે. હમણાં તો ડબલ છે ને. આ સારી રીતે સમજાવાય
છે - બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા શિવ સ્થાપના કેવી રીતે કરશે? તેઓ તો જાણતાં
નથી. આપ બાળકો જ જાણો છો એમને પોતાનું શરીર છે નહીં. કૃષ્ણ ને તો પોતાનું શરીર છે.
એવું તો કહી નથી શકાતું કે પરમાત્મા શ્રી કૃષ્ણનાં શરીર દ્વારા….. ના. કૃષ્ણ તો છે
સતયુગનાં રાજકુમાર. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે તો જરુર
બ્રહ્મામાં પ્રવેશ કરવો પડે. બીજો કોઈ ઉપાય છે નહીં. પ્રેરણા વગેરેની વાત નથી. બાપ
બ્રહ્મા દ્વારા બધું સમજાવી દે છે. વિજય માળા જેને રુદ્રમાળા કહેવાય છે. જે મનુષ્ય
પૂજે છે, સિમરે છે. આપ બાળકો સમજો છો આ રુદ્ર માળા આ ફક્ત સિમરણ થાય છે. મેરુ તો
કહેવાય છે બ્રહ્મા સરસ્વતી ને. બાકી માળા થઈ બાળકો ની. વિષ્ણુ ની માળા તો એક છે,
પૂજી શકાય છે. આ સમય તમે પુરુષાર્થી છો. તમારું સિમરણ થાય છે અંત માં. આત્માઓની માળા
છે કે જીવ આત્માઓની? પ્રશ્ન ઉઠશે ને. વિષ્ણુની માળા તો કહેશે ચૈતન્ય જીવ આત્માઓની
માળા. લક્ષ્મી નારાયણ પૂજાય છે ને કારણ કે એમની આત્મા અને શરીર બંને પવિત્ર છે.
રુદ્ર માળા તે તો ફક્ત આત્માઓની છે કારણ કે શરીર તો અપવિત્ર છે. તે તો પૂજાય ન શકે.
આત્મા કેવી રીતે પૂજાય છે? તમે કહો છો રુદ્ર માળા પૂજાય છે. પરંતુ ના, પૂજાતી નથી.
જ્યારે નામ જ સિમરણ. જે પણ દાણા છે તે આપ બાળકોનું સિમરણ થાય છે, જ્યારે શરીરમાં
છે. દાણા તો બ્રાહ્મણો નાં છે. સિમરણ કોને કરે છે? આ તો કોઈને ખબર નથી. આ છે
બ્રાહ્મણ જે ભારતની સેવા કરે છે. એમને યાદ કરે છે. જગત અંબા, દેવીઓ વગેરે અનેક છે,
એમને યાદ કરવું જોઈએ? પૂજવા લાયક લક્ષ્મી-નારાયણ બને છે. તમે નહીં, કારણ કે તમારું
શરીર પતિત છે. આત્મા પવિત્ર છે પરંતુ તે પૂજી નથી શકાતી, સિમરણ થઈ શકે છે. કોઈ પણ
તમને પૂછે તો સમજેલું હોવું જોઈએ. તમે છો બ્રાહ્મણીઓ. તમારું યાદગાર દેવીઓનાં રુપમાં
છે. તમે શ્રીમત પર જાતે પાવન બનો છો આ માળા ફર્સ્ટ બ્રાહ્મણોની સમજાય પછી દેવતાઓની.
વિચાર સાગર મંથન કરવાથી પરિણામ નીકળશે. જ્યારે આત્માઓ સાલિગ્રામ રુપમાં છે ત્યારે
પૂજાય છે. શિવ ની પૂજા થાય છે તો સાલિગ્રામ ની પણ થાય છે કારણ કે આત્મા પવિત્ર છે,
શરીર નહીં. સિમરણ ફક્ત તમારું કરાય છે કેમ? તમે શરીર નાં સાથે સેવા કરો છો. તમારી
પૂજા નથી થઇ શકતી પછી જ્યારે શરીર છોડો છો તો તમે પણ શિવ ની સાથે પૂજાઓ છો. વિચાર
કરાય છે ને. તમે આ સમયે બ્રાહ્મણ છો. શિવબાબા પણ બ્રહ્મામાં આવે છે તો બ્રહ્મા પણ
સાકાર માં છે. તમે મહેનત કરો છો. આ માળા જેમ કે સાકારી છે. બ્રહ્મા સરસ્વતી અને તમે
જ્ઞાન ગંગાઓ. તમે ભારતને સ્વર્ગ બનાવ્યું, આ રુદ્ર યજ્ઞ રચ્યો. જે પૂજા કરે છે એમાં
ફક્ત શિવ અને સાલિગ્રામ હોય છે. એમાં બ્રહ્મા સરસ્વતીનું અથવા આપ બાળકોનું નામ નથી.
અહીંયા તો બધાનું નામ છે. તમારું સિમરણ કરે છે. કોણ-કોણ જ્ઞાન ગંગાઓ હતી. એ તો છે
જ્ઞાન સાગર. આ છે બ્રહ્મપુત્રા મોટી નદી. આ બ્રહ્મા માતા પણ છે. સાગર એક છે, બાકી
ગંગાઓ તો અલગ-અલગ અનેક પ્રકારની હોય છે. નંબરવાર જેમનામાં સારું જ્ઞાન છે, એમને
સરોવર કહેવાય છે. મહિમા પણ છે. કહે છે માનસરોવર માં સ્નાન કરવાથી પરીજાદા (પરી) બની
જાય છે. તો તમારી માળા સિમરણ થાય છે. સિમરણ કહે છે ને. સિમરણ કરો, તે તો ફક્ત
રામ-રામ કહે છે. પરંતુ તમે જાણો છો સિમરણ કોનું થશે? જે વધારે સર્વિસ કરે છે. પહેલા
તો બાબા છે ફૂલ પછી મેરુ, જે ખૂબ મહેનત કરે છે પછી રુદ્ર માળા સો વિષ્ણુની માળા બને
છે. તમારી ફક્ત આત્મા પૂજાય છે. તમે હમણાં સિમરણ લાયક છો. સિમરણ તમારું છે. બાકી
પૂજા થઈ નથી શકતી કારણ કે આત્મા પવિત્ર, શરીર અપવિત્ર છે. અપવિત્ર વસ્તુ ક્યારે
પૂજાતી નથી. જ્યારે રુદ્ર માળા બનવાનાં લાયક બની જાઓ છો પછી અંતમાં તમે શુદ્ધ બની
જાઓ છો. તમને સાક્ષાત્કાર થશે પાસ વિથ ઓનર કોણ-કોણ થાય છે. સર્વિસ કરવાથી નામાચાર
ખૂબ જ થઈ જાય છે. ખબર પડતી જશે - વિજય માળામાં નંબર વાર કોણ-કોણ આવશે! આ વાતો બહુજ
ગુહ્ય છે.
મનુષ્ય તો ફક્ત રામ-રામ કહે છે. ક્રિશ્ચિયન લોકો ક્રાઈસ્ટ ને યાદ કરે છે. માળા કોની
હશે? ગોડ (ભગવાન) તો એક છે. બાકી જે પાસે બેઠા છે એમની માળા બનતી હશે. આ માળા ને તમે
હમણાં ફક્ત સમજી શકો છો. પોતાનાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જ સમજી નથી શકતાં
તો બીજા કેવી રીતે સમજશે. બધાને પતિત થી પાવન બનાવવા વાળા તો એક જ બાપ છે. ક્રાઈસ્ટ
માટે એવું નહીં કહેશે કે તે પતિત ને પાવન બનાવવા વાળા છે. એમને જન્મ-મરણ માં આવી ને
નીચે ઉતરવાનું જ છે. હકીકતમાં એમને ગુરુ પણ નહીં કહેશે કારણ કે સર્વનાં સદ્દગતિ દાતા
એક જ બાપ છે. એ તો જ્યારે અંત હોય, ઝાડ જડજડીભૂત હોય ત્યારે બાપ આવીને બધાને સદ્દગતિ
આપે છે. આત્મા ઉપર થી આવે છે ધર્મ ની સ્થાપના કરવાં. એમને તો જન્મ-મરણ માં આવવાનું
છે. સદ્દગુરુ એક જ છે. તે સર્વનાં સદ્દગતિ દાતા છે. સાચાં સદ્દગુરુ મનુષ્ય કોઈ હોઈ
ન શકે. એ તો ફક્ત આવે જ છે ધર્મ સ્થાપન કરવાં, એમની પાછળ બધાં આવવા લાગે છે પાર્ટ
ભજવવાં. જ્યારે બધાંં તમોપ્રધાન અવસ્થાને પામે છે ત્યારે હું આવીને સર્વની સદ્દગતિ
કરાવું છું. બધાં પાછા જાય છે પછી નવેસર ચક્ર શરું થાય છે. તમે રાજયોગ શીખો છો. તે
જ રાજાઈ પામશે પછી રાજા બને કે પ્રજા બને. પ્રજા તો અનેક બને છે. મહેનત છે રાજાઈ પદ
પામવાની. અંતમાં બધું ખબર પડશે. કોણ વિજય માળામાં પરોવાય છે. અભણ ભણેલાનાં આગળ ભરી
ઢોશે. સતયુગમાં આવશે પરંતુ નોકર ચાકર બનવું પડશે. આ બધાંને ખબર પડી જશે. જેમ
પરીક્ષાનાં દિવસોમાં બધાને ખબર પડી જાય છે કોણ-કોણ પાસ થશે. ભણતર પર અટેન્શન નથી
હોતું તો નપાસ થઈ જાય છે. તમારું આ છે બેહદનું ભણતર. ઇશ્વરીય વિશ્વ-વિદ્યાલય તો એક
છે, જ્યાં મનુષ્ય થી દેવતા બનવાનું છે, આમાં નંબરવાર પાસ થાય છે. ભણતર એક જ રાજયોગ
નું છે, રાજાઈ પદ પામવામાં મહેનત છે અને સર્વિસ (સેવા) પણ કરવાની છે. રાજા જે બનશે
એમને પછી પોતાની પ્રજા પણ બનાવવી પડે. સારી-સારી બાળકીઓ મોટા-મોટા સેવાકેન્દ્રો
સંભાળે છે, મોટી પ્રજા બનાવે છે. બાબા પણ કહે છે મોટો બગીચો બનાવો તો બાબા પણ આવી
ને જુએ. હમણાં તો ખૂબ નાનો છે. બોમ્બે માં તો લાખો થઈ જશે. સૂર્યવંશી તો આખું વંશજ
હોય છે તો અનેક થઇ જશે. જે મહેનત કરે છે તે રાજા બને છે બાકી તો પ્રજા બનતી જશે.
ગવાયું પણ છે હેં પ્રભુ તારી સદ્દગતિ ની લીલા. તમે કહો છો વાહ બાબા! તમારી ગતિ મત...
સર્વ ની સદ્દગતિ કરવાની શ્રીમત, આ સૌથી ન્યારી છે. બાપ સાથે લઈ જાય છે, છોડી નથી જતાં.
નિરાકારી, આકારી, સાકારી લોક ને પણ જાણતાં નથી. ફક્ત સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને
જાણવું તે પણ પૂર્ણ નોલેજ નથી. પહેલાં તો મૂળવતન ને જાણવું પડે. જ્યાં આપણે આત્માઓ
રહીએ છીએ. આ આખાં સૃષ્ટિ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. આ બધી કેટલી
સમજવાની વાતો છે. તે તો કહી દે શિવ નામ રુપ થી ન્યારા છે. ચિત્ર પણ છે પછી પણ કહે
છે નામ રુપથી ન્યારા. પછી કહી દે સર્વવ્યાપી છે. એક એમ.પી. એ કહ્યું હતું કે આ હું
માનતો નથી કે ઈશ્વર સર્વવ્યાપી છે. મનુષ્ય એક બીજા ને મારે છે, શું આ ઈશ્વરનું કામ
છે? આગળ ચાલીને આ વાતોને સમજશે. જ્યારે તમારી પણ વૃદ્ધિ થશે. બાબાએ રાત્રે પણ
સમજાવ્યું જે પોતાને હોશિયાર સમજે છે તે એવાં-એવાં પત્ર લખે. આ પૂરું નોલેજ શું છે,
તેમને સમજાવવું જોઈએ. લખી શકો છો અમે પૂરું નોલેજ આપી શકીએ છીએ. મૂળવતન નું નોલેજ
આપી શકીએ છીએ. નિરાકાર બાપનો પણ પરિચય આપી શકીએ છીએ પછી પ્રજાપિતા બ્રહ્મા અને એમનાં
બ્રાહ્મણ ધર્મનાં માટે પણ સમજાવી શકીએ છીએ. લક્ષ્મી-નારાયણ પછી રામ સીતા એમની
રાજધાની કેવી રીતે ચાલે છે, પછી એમની રાજાઈ કોણ છીનવે છે, તે સ્વર્ગ ક્યાં ગયું.
જેમ કહેવાય છે નર્ક ક્યાં ગયું? ખતમ થઈ ગયું. સ્વર્ગ પણ ખતમ થઇ જશે. એ સમયે પણ
ધરતીકંપ વગેરે થાય છે. તે હીરા ઝવેરાત નાં મહેલ વગેરે એવાં ચાલ્યાં ગયાં જે કોઈ કાઢી
ન શકે. સોના હીરા ઝવેરાત નાં મહેલ ક્યારેય નીચેથી નીકળ્યાં નથી. સોમનાથ વગેરે નાં
મંદિર તો પાછળ થી બન્યાં છે, એનાથી તો એમનાં ઘર ઊંચા હશે. લક્ષ્મી-નારાયણનું ઘર કેવું
હશે? તે બધી મિલકત ક્યાં ગઈ? આવી-આવી વાતો જ્યારે વિદ્વાન સાંભળશે તો વન્ડર (આશ્ચર્ય)
ખાશે, તો આમની નોલેજ જબરજસ્ત છે. મનુષ્ય તો કાંઈ પણ જાણતાં નથી ફક્ત સર્વવ્યાપી કહી
દે છે. આ બધું સમજવાની અને સમજાવવાની વાતો છે. તમને ધન મળે છે પછી દાન કરવાનું છે.
બાબા તમને આપતાં જાય છે, તમે પણ આપતાં જાઓ. આ અખૂટ ખજાનો છે, બધો આધાર ધારણા પર છે.
જેટલી ધારણા કરશો એટલું ઉંચ પદ પામશો. વિચાર કરો ક્યાં કોડી, ક્યાં હીરા. હીરાનું
મૂલ્ય સૌથી વધારે. કોડી નું મૂલ્ય સૌથી ઓછું. હમણાં તમે કોડી થી હીરા બનો છો. આ વાતો
ક્યારેય કોઈનાં સ્વપ્નમાં પણ ન આવે. ફક્ત સમજશે બરાબર લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું,
જે થઈને ગયાં છે. બાકી આ રાજ્ય ક્યારે કોણે આપ્યું, આ કંઈ નથી જાણતાં. રાજાઈ કોણે
આપી? અહીંયા તો કાંઈ પણ નથી. રાજયોગ થી સ્વર્ગની રાજાઈ મળે છે. આ વન્ડર છે ને. સારી
રીતે બાળકોની બુદ્ધિમાં નશો રહેવો જોઈએ. પરંતુ માયા પછી તે સ્થાઈ નશો રહેવા નથી દેતી.
આપણે શિવબાબાનાં બાળકો છીએ. આ નોલેજ ભણીને આપણે વિશ્વનાં માલિક બનીશું. આ ક્યારેય
કોઈની બુદ્ધિમાં આવતું હશે શું! તો બાપ સમજાવે છે બાળકોએ કેટલી મહેનત કરવી જોઈએ.
ગુરુકા નિંદક ઠોર ન પાયે. આ અહીંયા ની વાત છે. એમનું તો લક્ષ્ય-હેતુ જ નથી. તમારું
તો લક્ષ્ય-હેતુ છે. બાપ શિક્ષક ગુરુ ત્રણેય છે. તમે જાણો છો આ ભણતર થી આપણે વિશ્વનાં
માલિક બનીએ છીએ. કેટલી ખબરદારી થી ભણવું અને ભણાવવું જોઈએ. એવી કોઈ વાત ન થાય જે
નિંદા કરાવી દો. ન કોઈનાથી લડવાનું-ઝઘડવાનું છે. સૌથી મીઠું બોલવાનું છે. બાપનો
પરિચય આપવાનો છે. બાબા કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. નંબરવન દાન છે દેહ-અભિમાન. આ
સમયે તો તમે આત્મ-અભિમાની છો અને પરમાત્મ-અભિમાની બનો છો. આ અમૂલ્ય જીવન છે. બાપ કહે
છે કલ્પ-કલ્પ હું તમને આમ ભણાવવા આવું છું પછી તમે ભૂલી જાઓ છો. આ પણ ડ્રામામાં
નોંધ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા, જ્ઞાન રત્ન ધારણ કરવા વાળા અને સર્વિસ કરવા વાળા બાળકો પ્રતિ
માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને
નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સૌ થી મીઠું
બોલવાનું છે, એવી કોઈ વાત નથી કરવાની, જેનાથી બાપની નિંદા થાય. દેહ-અભિમાન નું દાન
કરી આત્મ-અભિમાની અને પરમાત્મ-અભિમાની બનવાનું છે.
2. જે જ્ઞાન ધન મળે છે, એનું દાન કરવાનું છે, ભણતર થી રાજાઈ મળે છે તે નશામાં સ્થાઈ
રહેવાનું છે. અટેન્શન આપીને ભણતર ભણવાનું છે.
વરદાન :-
એકાગ્રતાનાં
અભ્યાસ દ્વારા અનેક આત્માઓની ઇચ્છાઓને પૂર્ણ કરવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ
સર્વ આત્માઓની ઈચ્છા
છે કે ભટકતી બુદ્ધિ અથવા મન ચંચળતા થી એકાગ્ર થઈ જાય. તો એમની આ ઇચ્છાને પુર્ણ કરવા
માટે પહેલા તમે સ્વયં પોતાનાં સંકલ્પો ને એકાગ્ર કરવાનો અભ્યાસ વધારો, નિરંતર એકરસ
સ્થિતિ માં કે એક બાપ બીજું ન કોઈ…. આ સ્થિતિ માં સ્થિત રહો, વ્યર્થ સંકલ્પો ને
શુદ્ધ સંકલ્પો માં પરિવર્તન કરો ત્યારે વિશ્વ કલ્યાણકારી ભવ નું વરદાન પ્રાપ્ત થશે.
સ્લોગન :-
બ્રહ્મા બાપ
સમાન ગુણ સ્વરુપ, શક્તિ સ્વરુપ અને યાદ સ્વરુપ બનવા વાળા જ સાચાં બ્રાહ્મણ છે.