09-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ચુપ
રહેવું પણ ખુબ મોટો ગુણ છે , તમે ચુપ રહીને બાપને યાદ કરતાં રહો તો ખુબ કમાણી જમા
કરી લેશો ”
પ્રશ્ન :-
કયા બોલ કર્મ
સન્યાસ ને સિદ્ધ કરે છે, તે બોલ તમે નથી બોલી શકતાં?
ઉત્તર :-
ડ્રામા માં હશે તો કરી લઈશું, બાબા કહે આ તો કર્મ સન્યાસ થઈ ગયો. તમારે કર્મ તો
અવશ્ય કરવાનાં છે. વગર પુરુષાર્થનાં તો પાણી પણ નથી મળી શકતું, એટલે ડ્રામા કહીને
છોડી નથી દેવાનું. નવી રાજધાની માં ઉંચ પદ પામવું છે તો ખુબ પુરુષાર્થ કરો.
ઓમ શાંતિ!
પહેલાં-પહેલાં
બાળકો ને સાવધાની મળે છે - બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો. મનમનાભવ. આ અક્ષર
પણ વ્યાસે લખ્યાં છે. સંસ્કૃતમાં તો બાપે સમજાવ્યું નથી. બાપ તો હિન્દીમાં જ સમજાવે
છે. બાળકો ને કહે છે કે બાપ ને અને વારસા ને યાદ કરો. આ સહજ અક્ષર છે કે હેં બાળકો
મુજ બાપ ને યાદ કરો. લૌકિક બાપ એવું નહીં કહેશે કે હેં બાળકો મુજ પોતાનાં બાપ ને
યાદ કરો. આ છે નવી વાત. બાપ કહે છે હેં બાળકો મુજ પોતાનાં નિરાકાર બાપ ને યાદ કરો.
આ પણ બાળકો સમજે છે રુહાની બાપ રુહો થી વાત કરે છે. ઘડી-ઘડી બાળકોને કહેવું કે બાપ
ને યાદ કરો, આ શોભતું નથી. જ્યારે કે બાળકો જાણે છે આપણી ફરજ છે બાપ ને યાદ કરવાની,
ત્યારે જ વિકર્મ વિનાશ થશે. બાળકોએ નિરંતર યાદ કરવાની કોશિશ કરવી પડે. આ સમયે કોઈ
નિરંતર યાદ કરી ન શકે, સમય લાગે છે. આ બાબા કહે છે હું પણ નિરંતર યાદ નથી કરી શકતો.
તે અવસ્થા અંતમાં રહેશે. આપ બાળકોએ પહેલો પુરુષાર્થ બાપ ને યાદ કરવાનો જ કરવાનો છે.
શિવબાબા થી વારસો મળે છે. ભારતવાસીઓની જ વાત છે. આ સ્થાપના થાય છે, દૈવી રાજધાની
ની, બીજા જે ધર્મ સ્થાપન કરે તેમાં કોઈ મુશ્કિલ નથી થતી, તેમની પાછળ આવતાં જ રહે
છે. અહિંયા દેવી-દેવતા ધર્મ વાળા જે છે તેમને જ્ઞાન થી ઉઠાવવા પડે છે. મહેનત લાગે
છે. ગીતા, ભાગવત, શાસ્ત્રો માં આ નથી કે બાપ સંગમ પર રાજધાની સ્થાપન કરે છે. ગીતામાં
લખ્યું છે કે પાંડવ પહાડો પર ચાલ્યા ગયાં, પ્રલય થઈ વગેરે વગેરે…. હકીકત માં આ વાત
તો છે નહીં. તમે હમણાં ભણી રહ્યાં છો ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે. બીજી સ્કૂલોમાં
અહીંયાનાં માટે જ ભણાવે છે. સાધુ સંત વગેરે જે પણ છે તે ભવિષ્યનાં માટે જ ભણે છે
કારણ કે તે સમજે છે અમે શરીર છોડી મુક્તિધામમાં ચાલ્યાં જઈશું, બ્રહ્મમાં લીન જ થઈ
જઈશું. આત્મા પરમાત્મા માં મળી જશે. તો તે પણ થયું ભવિષ્યનાં માટે. પરંતુ ભવિષ્ય
માટે ભણાવવા વાળા એક જ રુહાની બાપ છે. બીજું કોઈ નથી. ગવાયેલું પણ છે સર્વનાં
સદ્દગતિ દાતા એક જ છે. તે તો બધાં અયથાર્થ થઈ જાય છે. આ બાપ જ આવી ને સમજાવે છે.
તેઓ પણ સાધના કરતાં રહે છે. બ્રહ્મામાં લીન થવાની સાધના છે અયથાર્થ. લીન તો કોઈએ
થવાનું નથી. બ્રહ્મ મહતત્વ કોઈ ભગવાન નથી. આ બધું છે જુઠ્ઠું. જુઠ્ઠખંડ માં છે બધાં
જુઠ્ઠું બોલવા વાળા. સચખંડ માં છે બધાં સત્ય બોલવા વાળા. તમે જાણો છો સચખંડ ભારતમાં
હતો, હવે જુઠ્ઠખંડ છે. બાપ પણ ભારત માં જ આવે છે. શિવ જયંતી મનાવે છે પરંતુ આ થોડું
જાણે છે કે શિવએ આવીને ભારત ને સચખંડ બનાવ્યું છે. તેઓ સમજે છે આવતાં જ નથી. એ નામ
રુપથી ન્યારા છે. ફક્ત મહિમાં જે ગાએ છે પતિત-પાવન, જ્ઞાનનાં સાગર. તે એમ જ પોપટ
માફક કહી દે છે. બાપ જ આવી ને સમજાવે છે. કૃષ્ણ જયંતી મનાવે છે, ગીતા જયંતી પણ છે.
કહે છે કૃષ્ણએ આવીને ગીતા સંભળાવી. શિવ જયંતી નાં માટે કોઈને ખબર નથી કે શિવ આવીને
શું કરે છે. આવશે પણ કેવી રીતે? જ્યારે કહે છે નામ રુપ થી ન્યારા છે. બાપ કહે છે
હું જ બેસી બાળકો ને સમજાવું છું પછી આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. બાપ સ્વયં બતાવે
છે કે હું આવીને ભારત ને ફરી થી સ્વર્ગ બનાવું છું. કોઈ તો પતિત-પાવન હશે ને. મુખ્ય
ભારત ની જ વાત છે. ભારત જ પતિત છે. પતિત-પાવન ને પણ ભારતમાં જ પોકારે છે. સ્વયં કહે
છે - વિશ્વમાં શૈતાન નું રાજ્ય ચાલી રહ્યું છે. બોમ્બસ વગેરે બનાવતાં રહે છે. તેનાથી
વિનાશ થવાનો છે. તૈયારીઓ કરી રહ્યાં છે. જેવી રીતે તે રાવણ નાં પ્રેરિત કરેલાં છે.
રાવણનું રાજ્ય ક્યારે ખલાસ થશે? ભારતવાસી કહેશે જ્યારે કૃષ્ણ આવશે. તમે સમજાવો છો
શિવબાબા આવેલાં છે. એ જ સર્વનાં સદ્દગતિ દાતા છે. બાપ કહે છે મને યાદ કરો. આ અક્ષર
બીજું કોઈ કહી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરો તો ખાદ નીકળશે. તમે સતોપ્રધાન હતાં,
હવે તમારી આત્મા માં ખાદ પડી છે. તે યાદ થી જ નીકળશે, આને યાદ ની યાત્રા કહેવાય છે.
હું જ પતિત-પાવન છું. મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે, આને યોગ અગ્નિ કહેવાય
છે. સોના ને આગમાં નાખી તેમાંથી કચરો કાઢે છે. પછી સોનામાં ખાદ નાખવા માટે પણ આગ
માં નાખે છે. બાપ કહે છે તે છે કામ ચિતા. આ છે જ્ઞાન ચિતા. આ યોગ અગ્નિ થી ખાદ
નીકળશે અને તમે કૃષ્ણપુરી માં જવાનાં લાયક બનશો. કૃષ્ણ જયંતી પર કૃષ્ણ ને બોલાવે
છે. તમે જાણો છો કૃષ્ણ ને પણ બાપ થી વારસો મળે છે. કૃષ્ણ સ્વર્ગનાં માલિક હતાં. બાપે
કૃષ્ણ ને આ પદ આપ્યું. રાધા-કૃષ્ણ જ ફરી લક્ષ્મી-નારાયણ બને છે. રાધા-કૃષ્ણ નો જન્મ
દિવસ મનાવે છે. લક્ષ્મી-નારાયણ ની કોઈને ખબર નથી. મનુષ્ય બિલકુલ મૂંઝાયેલાં છે. હવે
આપ બાળકો સમજો છો તો બીજાઓને સમજાવવાનું છે. પહેલાં-પહેલાં પૂછવાનું છે ગીતા માં જે
કહ્યું છે - મામેકમ્ યાદ કરો, આ કોણે કહ્યું છે? તેઓ સમજે છે કૃષ્ણએ કહ્યું છે. તમે
સમજો છો ભગવાન નિરાકાર છે. એમનાથી જ ઉંચ અર્થાત્ શ્રેષ્ઠ મત મળે છે. ઊંચે થી ઊંચા
પરમપિતા પરમાત્મા જ છે. એમની જ જરુર શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત થઈ. એ એક ની શ્રીમત થી જ
સર્વની સદ્દગતિ થાય છે. ગીતાનાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ નથી કહી શકાતું.
તે પછી શરીરધારી શ્રીકૃષ્ણ ને કહી દે છે. તો આનાથી સિદ્ધ છે ક્યાંક ભૂલ છે જરુર. તમે
સમજો છો મનુષ્યની મોટી ભૂલ છે. રાજ્યોગ તો બાપે શીખવાડ્યો છે, એ જ પતિત-પાવન છે.
ખુબ ભારે-ભારે જે ભૂલો છે તેના પર જોર આપવાનું છે. એક તો ઈશ્વર ને સર્વવ્યાપી કહેવું,
બીજું પછી ગીતાનાં ભગવાન કૃષ્ણ ને કહેવું, કલ્પ લાખો વર્ષ નું કહેવું - આ મોટી ભારે
ભૂલો છે. કલ્પ લાખો વર્ષ નું હોઈ ન શકે. પરમાત્મા સર્વવ્યાપી હોઈ ન શકે. કહે છે એ
પ્રેરણાથી બધું કરે છે, પરંતુ ના. પ્રેરણાથી થોડી પાવન બનાવી દેશે. આ તો બાપ બેસી
સમ્મુખ સમજાવે છે મામેકમ્ યાદ કરો. પ્રેરણા અક્ષર ખોટો છે. ભલે કહેવાય છે શંકર ની
પ્રેરણા થી બોમ્બસ વગેરે બનાવે છે. પરંતુ આ ડ્રામામાં બધી નોંધ છે. આ યજ્ઞ થી જ આ
વિનાશ જ્વાળા નીકળી છે. પ્રેરણા નથી કરતાં. આ તો વિનાશ અર્થ નિમિત્ત બન્યાં છે.
ડ્રામા માં નોંધ છે. શિવબાબા નો જ આખો પાર્ટ છે. એમનાં પછી પાર્ટ છે બ્રહ્મા વિષ્ણુ
શંકર નો. બ્રહ્મા બ્રાહ્મણ રચે છે. એ જ પછી વિષ્ણુપુરી નાં માલિક બને છે. પછી ૮૪
જન્મોનું ચક્ર લગાવી તમે આવીને બ્રહ્મા વંશી બનો છો. લક્ષ્મી-નારાયણ તે પછી આવીને
બ્રહ્મા સરસ્વતી બને છે. આ પણ સમજાવ્યું છે કે આમનાં દ્વારા એડોપ્ટ કરે છે એટલે આમને
મોટી મમ્મા કહે છે. તે પછી નિમિત્ત બનેલી છે. કળશ માતાઓ ને અપાય છે. સૌથી મોટી વીણા
સરસ્વતી ને આપી છે. સૌથી હોશિયાર છે. બાકી વીણા કે વાજું વગેરે કંઈ છે નહીં. સરસ્વતી
ની જ્ઞાન મુરલી સારી હતી. મહિમા તેમની સારી હતી. નામ તો ખુબ નાખી દીધાં છે. દેવીઓની
પુજા થાય છે. તમે હમણાં જાણો છો આપણે જ અહીંયા પુજ્ય બનીએ છીએ પછી પુજારી બની પોતાની
પૂજા કરીશું. હમણાં આપણે બ્રાહ્મણ છીએ પછી આપણે જ પુજ્ય દેવી-દેવતા બનીશું, યથા રાજા
રાની તથા પ્રજા. દેવીઓમાં જે ઉંચ પદ પામે છે તો મંદિર પણ તેમનાં અનેક બને છે. નામ
પ્રસિદ્ધ પણ એમનું જ થાય છે જે સારી રીતે ભણે, ભણાવે છે. તો હવે તમે જાણો છો પૂજ્ય
પુજારી આપણે જ બનીએ છીએ. શિવબાબા તો સદૈવ પૂજ્ય છે. સૂર્યવંશી દેવી-દેવતા જે હતાં
તે જ પુજારી ફરી ભગત બને છે. જાતેજ પૂજ્ય જાતેજ પુજારી ની સીડી ખુબ સારી રીતે સમજાવે
છે. વગર ચિત્ર પણ તમે કોઈ ને સમજાવી શકો છો. જે શીખીને જાય છે તેમની બુદ્ધિમાં બધું
નોલેજ છે. ૮૪ જન્મો ની સીડી ભારતવાસી ચઢે ઉતરે છે. તેમનાં ૮૪ જન્મ છે. પૂજ્ય હતાં
પછી આપણે પુજારી બન્યાં. હમ સો, સો હમ નો અર્થ પણ તમે ખુબ સારી રીતે સમજ્યો છે.
આત્મા સો પરમાત્મા હોઈ ન શકે. બાપ એ હમ સો, સો હમ નો અર્થ સમજાવ્યો છે. હમ સો દેવતા,
સો ક્ષત્રિય…. બન્યાં. હમ સો નો બીજો કોઈ અર્થ છે નહીં. પૂજ્ય, પુજારી પણ ભારતવાસી
જ બને છે બીજા ધર્મમાં કોઈ પૂજ્ય પુજારી નથી બનતાં. તમે જ સૂર્યવંશી, ચંદ્રવંશી બનો
છો. સમજણ કેટલી સારી મળી છે. આપણે જ દેવી દેવતા હતાં. આપણે આત્મા નિર્વાણધામ માં
રહેવા વાળા છીએ. આ ચક્ર ફરતું રહે છે. જ્યારે દુઃખ સામે આવે છે તો બાપ ને યાદ કરે
છે. બાપ કહે છે હું દુઃખનાં સમયે જ આવીને સૃષ્ટિ ને બદલું છું. એવું નથી કે નવી
સૃષ્ટિ રચું છું. ના, જૂની ને નવી બનાવવામાં હું આવું છું. બાપ આવે જ છે સંગમ પર.
હવે નવી દુનિયા બની રહી છે. જૂની ખલાસ થવાની છે. આ છે બેહદ ની વાત.
તમે તૈયાર થઈ જશો તો આખી રાજધાની તૈયાર થઈ જશે. કલ્પ-કલ્પ જેમણે જે પદ પામ્યું છે
તે અનુસાર પુરુષાર્થ ચાલતો રહે છે. એવું નહીં ડ્રામા માં જે પુરુષાર્થ કર્યો હશે તે
થશે. પુરુષાર્થ કરવાનો હોય છે પછી કહેવાય છે કલ્પ પહેલાં પણ એવો પુરુષાર્થ કર્યો હતો.
હંમેશા પુરુષાર્થ ને મોટો રખાય છે. પ્રાલબ્ધ પર બેસી નથી જવાનું. પુરુષાર્થ વગર
પ્રાલબ્ધ મળી ન શકે. પુરુષાર્થ કર્યા વગર પાણી પણ ન પી શકાય. કર્મ સંન્યાસ અક્ષર
ખોટો છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં પણ રહો. બાબા બધાને અહીંયા તો નહીં બેસાડી
દેશે. શરણાગતિ ગવાયેલી છે. ભઠ્ઠી બનવાની હતી કારણ કે તેમને હેરાન કરાયાં. તો આવીને
બાપ ની પાસે શરણ લીધી. શરણ તો દેવી પડે ને. શરણ એક પરમપિતા પરમાત્મા ની જ લેવાય છે.
ગુરુ વગેરેની શરણ નથી લેવાતી. જ્યારે ખુબ દુઃખ હોય છે તો હેરાન થઈ આવી ને શરણ લે
છે. ગુરુઓની પાસે કોઈ હેરાન થઈને નથી જતાં. ત્યાં તો એમ જ જાય છે. તમે રાવણ થી ખુબ
હેરાન થયાં છો. હવે રામ આવ્યાં છે રાવણ થી છોડાવવાં. એ તમને શરણ માં લે છે. તમે કહો
છો બાબા અમે તમારા છીએ. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ શરણ શિવબાબા ની લીધેલી છે.
બાબા અમે તમારી જ મત પર ચાલશું.
બાબા શ્રીમત આપે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં મને યાદ કરો બીજા બધાની યાદ છોડી
દો. મારી યાદ થી જ વિકર્મ વિનાશ થશે. ફક્ત શરણ લેવાની વાત નથી. બધો આધાર યાદ પર છે.
બાપનાં સિવાય એવું કોઈ સમજાવી ન શકે. બાળકો સમજે છે બાપ ની પાસે આટલાં લાખો ક્યાં
આવીને રહેશે. પ્રજા પણ પોત-પોતાનાં ઘરે રહે છે, રાજાની પાસે થોડી રહે છે. તો તમને
ફક્ત કહેવાય છે એક ને યાદ કરો. બાબા અમે તમારા છીએ. તમે જ સેકન્ડમાં સદ્દગતિ નો
વારસો આપવા વાળા છો. રાજ્યોગ શીખવાડી રાજાઓનાં રાજા બનાવો છો. બાપ કહે છે જેમણે
કલ્પ પહેલાં બાપ થી વારસો લીધો છે તે જ આવીને લેશે. અંત સુધી બધાએ આવીને બાપ થી
વારસો લેવાનો છે. હમણાં તમે પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી નથી શકતાં. બાપ બધી
વાતો સમજાવે છે. કહે છે મારા નૂરે રતન, જ્યારે તમે સતયુગ માં આવો છો તો તમે વન-વન
થી રાજાઈ કરો છો. બીજાઓની તો જ્યારે વૃદ્ધિ થાય, લાખોનાં અંદાજ માં થાય ત્યારે
રાજાઈ ચાલે. તમને લડવા કરવાની દરકાર નથી. તમે યોગબળ દ્વારા બાપ થી વારસો લો છો. ચુપ
રહીને ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરો. અંત માં તમે ચુપ રહેશો પછી આ ચિત્ર વગેરે
કામ નહીં આવશે. તમે હોશિયાર થઈ જશો. બાપ કહે છે - ફક્ત મને યાદ કરો તો વિકર્મ વિનાશ
થશે. હવે કરો, ન કરો તમારી મરજી. કોઈ દેહધારી નાં નામ રુપમાં નથી ફસાવાનું. બાપ ને
યાદ કરો તો અંત મતી સો ગતિ થઈ જશે. તમે મારી પાસે આવી જશો. ફુલ પાસ થવા વાળા ને
રાજાઈ મળશે. બધો આધાર યાદની યાત્રા પર છે. આગળ ચાલી નવાં પણ ખુબ આગળ નીકળતાં જશે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ દેહધારી
નાં નામ રુપમાં નથી ફસાવવાનું. એક બાપની શ્રીમત પર ચાલીને સદ્દગતિ પામવાની છે. ચૂપ
રહેવાનું છે.
2. ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે સારી રીતે ભણવાનું અને બીજાઓને પણ ભણાવવાનું છે. ભણવાં
અને ભણાવવાથી જ નામ પ્રસિદ્ધ થશે.
વરદાન :-
પોતાનાં સ્વ -
સ્વરુપ અને સ્વદેશ નાં સ્વમાન માં સ્થિત રહેવાવાળા માસ્ટર લિબરેટર ( મુક્તિદાતા )
ભવ
આજકાલનાં વાતાવરણ માં
દરેક આત્મા કોઈ ને કોઈ વાત નાં બંધન વશ છે. કોઈ તન નાં દુઃખનાં વશીભૂત છે, કોઈ
સંબંધનાં, કોઈ ઈચ્છાઓનાં, કોઈ પોતાનાં દુઃખદાઈ સંસ્કાર-સ્વભાવ નાં, કોઈ પ્રભુ
પ્રાપ્તિ ન મળવાનાં કારણે, પોકારવાનાં ચિલ્લાવાનાં દુઃખનાં વશીભૂત…. એવી દુઃખ-અશાંતિ
નાં વશીભૂત આત્માઓ પોતાને લિબરેટ કરવા ઈચ્છે છે તો તેમને દુઃખમયી જીવન થી લિબરેટ
કરવા માટે પોતાનાં સ્વ-સ્વરુપ અને સ્વદેશ નાં સ્વમાન માં સ્થિત રહી, રહેમદિલ બની
માસ્ટર લિબરેટર બનો.
સ્લોગન :-
સદા અચળ અડોલ
રહેવા માટે એકરસ સ્થિતિ નાં આસન પર વિરાજમાન રહો.