10-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળ ફૂલ સમાન પવિત્ર બનવાનું છે , એક બાપની મત પર ચાલવાનું છે , કોઈ પણ ડિસ - સર્વિસ ( કુસેવા ) નથી કરવાની ”

પ્રશ્ન :-
કયા બાળકો ને માયા જોર થી પોતાનો પંજો મારે છે? મોટી મંઝિલ કઈ છે?

ઉત્તર :-
જે બાળકો દેહ-અભિમાનમાં રહે છે એમને માયા જોર થી પંજો મારી દે છે, પછી નામ રુપ માં ફસાઈ જાય છે. દેહ-અભિમાન આવ્યું અને થપ્પડ લાગ્યો, એનાથી પદ ભ્રષ્ટ થઈ જાય છે. દેહ-અભિમાન તોડવું આ જ મોટી મંઝિલ છે. બાબા કહે છે બાળકો દેહી-અભિમાની બનો. જેમ બાપ ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છે, કેટલા નિરંહકારી છે, એવાં નિરહંકારી બનો, કોઈ પણ અહંકાર ન હોય.

ગીત :-
ન વહ હમ સે જુદા હોંગે …

ઓમ શાંતિ!
બાળકો એ ગીત સાંભળ્યું. બાળકો કહે છે અમે બાબાનાં હતાં અને બાબા અમારા હતાં, જ્યારે મૂળવતન માં હતાં. આપ બાળકો ને જ્ઞાન તો સારી રીતે મળ્યું છે. તમે જાણો છો આપણે ચક્ર લગાવ્યું છે. હવે ફરી આપણે એમનાં બન્યાં છીએ. એ આવ્યાં છે રાજયોગ શીખવાડીને સ્વર્ગનાં માલિક બનાવવાં. કલ્પ પહેલાં માફક ફરી આવ્યાં છે. હવે બાપ કહે છે હેં બાળકો, તો બાળક થઈને અહીંયા મધુબન માં નથી બેસી જવાનું. તમે પોતાનાં ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. કમળનું ફૂલ પાણીમાં રહે છે પરંતુ પાણી થી ઉપર રહે છે. તેનાં પર પાણી લાગતું નથી. બાપ કહે છે તમારે રહેવાનું ઘરમાં જ છે ફક્ત પવિત્ર બનવાનું છે. આ તમારો અનેક જન્મોનાં અંત નો જન્મ છે. જે પણ મનુષ્ય માત્ર છે એ સૌને પાવન બનાવવા હું આવ્યો છું. પતિત-પાવન સર્વનાં સદ્દગતિ દાતા એક જ છે. એમનાં સિવાય પાવન કોઈ બનાવી નથી શકતું. તમે જાણો છો અડધાકલ્પ થી આપણે સીડી ઉતરતા આવ્યાં છીએ. ૮૪ જન્મ તમારે જરુર પૂરા કરવાનાં છે અને ૮૪ નું ચક્ર પૂરું કરી જ્યારે ફરી જડજડીભૂત અવસ્થા ને પામો છો ત્યારે મારે આવવું પડે છે. વચમાં બીજું કોઈ પતિત થી પાવન બનાવી નથી શકતું. કોઈ પણ ન બાપ ને, ન રચના ને જાણે છે. ડ્રામા અનુસાર સૌને કળયુગ માં પતિત તમોપ્રધાન બનવાનું જ છે. બાપ આવીને બધાને પાવન બનાવી શાંતિધામ લઈ જાય છે. અને તમે બાપ થી સુખધામ નો વારસો પામો છો. સતયુગ માં કોઈ દુઃખ હોતું નથી. હમણાં તમે જીવતે જીવ બાપનાં બન્યાં છો. બાપ કહે છે તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું છે. બાબા ક્યારેય કોઈને કહી નથી શકતા કે તમે ઘરબાર છોડો. ના. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં ફક્ત અંતિમ જન્મ પવિત્ર બનવાનું છે. બાબાએ ક્યારેય કહ્યું છે શું કે તમે ઘરબાર છોડો. ના. તમે ઈશ્વરીય સેવા અર્થ જાતેજ છોડ્યું છે. ઘણાં બાળકો છે ઘર ગૃહસ્થ માં રહેતાં પણ ઈશ્વરીય સેવા કરે છે. છોડાવાતું નથી. બાબા કોઈને પણ છોડાવતાં નથી. તમે તો જાતે જ સર્વિસ પર નીકળ્યાં છો. બાબાએ કોઈને છોડાવ્યું નથી. તમારા લૌકિક બાપ લગ્ન માટે કહે છે. તમે નથી કહેતાં કારણ કે તમે જાણો છો કે હવે મૃત્યુલોક નો અંત છે. લગ્ન બરબાદી જ થશે પછી આપણે પાવન કેવી રીતે બનીશું. આપણે કેમ નહીં ભારત ને સ્વર્ગ બનાવવાની સેવામાં લાગી જઈએ. બાળકો ઈચ્છે છે કે રામરાજ્ય હોય. પોકારે છે ને - હેં પતિત-પાવન સીતારામ. હેં રામ આવીને ભારત ને સ્વર્ગ બનાવો. કહે પણ છે પરંતુ સમજતાં કંઈ નથી. સન્યાસી લોકો કહે છે કે આ સમયનું સુખ કાગ વિષ્ટાનાં સમાન છે. બરોબર છે પણ એમ. અહીંયા સુખ તો છે જ નહીં. કહેતાં રહે છે પરંતુ કોઈની બુદ્ધિમાં નથી. બાપ કોઈ દુઃખ માટે આ સૃષ્ટિ થોડી રચે છે. બાપ કહે છે શું તમે ભૂલી ગયાં છો - સ્વર્ગમાં દુઃખનું નામનિશાન નથી રહેતું. ત્યાં કંસ વગેરે ક્યાંથી આવ્યાં.

હવે બેહદનાં બાપ જે સંભળાવે છે એમની મત પર ચાલવાનું છે. પોતાની મનમત પર ચાલવાથી બરબાદી કરી દે છે. આશ્ચર્યવત સુનન્તી, કથન્તી, ભાગન્તી અથવા ટ્રેટર (દગાબાજ) બનન્તી. કેટલી જઈને ડિસસર્વિસ કરે છે. એમનું પછી શું થશે? હીરા જેવું જીવન બનાવવાનાં બદલે કોડી ની માફક બનાવી દે છે. પાછળ થી તમને બધો પોતાનો સાક્ષાત્કાર થશે. આવી ચલનનાં કારણે આ પદ પામ્યું. અહીંયા તો તમારે કોઈ પણ પાપ નથી કરવાનાં કારણ કે તમે પુણ્યાત્મા બનો છો. પાપનું પછી સો ગુણા દંડ થઈ જાય છે. ભલે સ્વર્ગમાં તો આવશે પરંતુ બિલકુલ જ ઓછું પદ. અહીંયા તમે રાજયોગ શીખવા આવ્યા છો પછી પ્રજા બની જાય છે. પદમાં તો બહુજ ફરક છે ને. આ પણ સમજાવ્યું છે - યજ્ઞમાં કંઈક આપે છે પછી પાછું લઈ જાય છે તો ચંડાળ નો જન્મ મળે છે. ઘણાં બાળકો પછી ચલન પણ એવી ચાલે છે, જે પદ ઓછું થઈ જાય છે.

બાબા સમજાવે છે એવાં કર્મ નહીં કરો જે રાજા-રાણી નાં બદલે પ્રજા માં પણ ઓછું પદ મળે. યજ્ઞ માં સ્વાહા થઈને ભાગન્તી થાય તો શું જઈને બનશે. આ પણ બાપ સમજાવે છે, બાળકો, કોઈ પણ વિકર્મ નહીં કરો, નહીં તો સો ગુણા સજાઓ મળશે. પછી કેમ નુકસાન કરવું જોઈએ. અહીંયા રહેવાવાળા થી પણ જે ઘર ગૃહસ્થ માં રહે છે, સર્વિસ માં રહે છે તે બહુજ ઊંચ પદ પામે છે. એવાં ખુબ ગરીબ છે, ૮ આના કે રુપિયો મોકલી દે છે અને જે ભલે અહીંયા હજાર પણ આપે તો પણ ગરીબ નું ઊંચ પદ થઈ જાય છે કારણ કે તે કોઈ પાપ કર્મ નથી કરતાં. પાપ કરવાથી સો ગુણા બની જશે. તમારે પુણ્યાત્મા બની સૌને સુખ આપવાનું છે. દુઃખ આપ્યું તો પછી ટ્રીબ્યુનલ (ગ્રહદશા) બેસશે. સાક્ષાત્કાર થાય છે કે તમે આ-આ કર્યું, હવે ખાઓ સજા. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. સાંભળતાં પણ રહે છે તો પણ ઘણાં બાળકો ઉલ્ટી ચલન ચાલતાં રહે છે. બાપ કહે છે હંમેશા ક્ષીરખંડ થઈને રહો. જો લૂણપાણી થઈને રહે છે તો બહુ જ ડિસસર્વિસ કરે છે. કોઈનાં નામ રુપ માં ફસાઇ જાય છે તો આ પણ બહુજ પાપ થઈ જાય છે. માયા જેમ કે એક ઉંદર છે, ફૂંકે પણ છે, કોતરે પણ છે, લોહી પણ નીકળી આવે, ખબર પણ નથી પડતી. માયા પણ લોહી નીકાળી દે છે. એવાં કર્મ કરાવી દે છે જે ખબર પણ નથી પડતી. ૫ વિકાર એકદમ માથું મુંડાવી દે છે. બાબા સાવધાની તો આપશે ને. એવું ન થાય જે પછી ટ્રીબ્યુનલ નાં સામે કહે કે અમને સાવધાન થોડી કર્યાં હતાં. તમે જાણો છો ઈશ્વર ભણાવે છે. પોતે કેટલા નિરંહકારી છે. કહે છે હું ઓબિડીયન્ટ સર્વન્ટ છું. કોઈ-કોઈ બાળકો માં કેટલો અહંકાર રહે છે. બાબાનાં બનીને પછી એવાં-એવાં કર્મ કરે છે જે વાત ન પૂછો. આનાથી તો જે બહાર ગૃહસ્થ વ્યવહાર માં રહે છે તે ખુબ ઉંચા ચાલ્યાં જાય છે. દેહ-અભિમાન આવતાં જ માયા જોર થી પંજો મારી દે છે. દેહ-અભિમાન તોડવું મોટી મંઝિલ છે. દેહ-અભિમાન આવ્યું અને થપ્પડ લાગ્યો. તો દેહ-અભિમાન આવવું જ શા માટે જોઈએ જે પદ ભ્રષ્ટ થઈ જાય. એવું ન થાય ત્યાં જઈને ઝાડુ લગાવવું પડે. હવે જો બાબાથી કોઈ પૂછે તો બાબા બતાવી શકે છે. પોતે પણ સમજી શકે છે કે હું કેટલી સેવા કરું છું. અમે કેટલા ને સુખ આપ્યું છે. બાબા, મમ્મા બધાને સુખ આપે છે. કેટલાં ખુશ થાય છે. બાબા બોમ્બે માં કેટલો જ્ઞાનનો ડાન્સ કરતાં હતાં, ચાત્રક બહુજ હતાં ને. બાપ કહે છે બહુજ ચાત્રક ની સામે જ્ઞાનનો ડાન્સ કરું છું તો સારી-સારી પોઈન્ટ (વાત) નીકળે છે. ચાત્રક ખેંચે છે. તમારે પણ આવું બનવાનું છે ત્યારે તો ફોલો (અનુકરણ) કરશો. શ્રીમત પર ચાલવાનું છે. પોતાની મત પર ચાલીને બદનામી કરી દે છે તો બહુજ નુકસાન થઇ જાય છે. હમણાં બાપ તમને સમજદાર બનાવે છે. ભારત સ્વર્ગ હતું ને. હવે એવું કોઈ થોડી સમજે છે. ભારત જેવો પાવન કોઈ દેશ નથી. કહે છે પરંતુ સમજતાં નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતાં, ત્યાં અથાહ સુખ હતું. ગુરુનાનકે ભગવાનની મહિમા ગાઈ છે કે એ આવીને મુત પલીતી કપડાં ધોવે છે. જેમની જ મહિમા છે એકોઓમકાર…. શિવલિંગ નાં બદલે અકાળતખ્ત નામ રાખી દીધું છે. હવે બાપ તમને આખી સૃષ્ટિ નું રહસ્ય સમજાવે છે. બાળકો એક પણ પાપ નહીં કરતાં, નહીં તો સો ગુણા થઈ જશે. મારી નિંદા કરાવી તો પદ ભ્રષ્ટ થઈ જશે. બહુજ સંભાળ કરવાની છે. પોતાનું જીવન હીરા જેવું બનાવો. નહીં તો બહુ જ પસ્તાશો. જે કંઈ ઉલ્ટું કર્યું છે તે અંદર માં ખાતું રહેશે. શું કલ્પ-કલ્પ અમે આવું કરીશું જેનાથી નીંચ પદ પામશું. બાપ કહે છે માત-પિતા ને ફોલો કરવા ઇચ્છો છો તો સચ્ચાઈ થી સર્વિસ કરો. માયા તો ક્યાંય ને ક્યાંય થી ઘૂસીને આવશે. સેવાકેન્દ્રનાં હેડ્સ (મુખ્ય) ને બિલકુલ નિરંહકારી થઇને રહેવાનું છે. બાપ જુઓ કેટલાં નિરંહકારી છે. ઘણાં બાળકો બીજાઓથી સેવા લે છે. બાપ કેટલાં નિરંહકારી છે. ક્યારેક કોઈ પર ગુસ્સો નથી કરતાં. બાળકો જો નાફરમાન બરદાર હોય તો બાપ એમને સમજાવી તો શકે છે. તમે શું કરો છો, બેહદનાં બાપ જ જાણે છે. બધાં બાળકો એક સમાન સપૂત નથી હોતાં, કપૂત પણ હોય છે. બાબા સમજણ આપે છે. અનેક બાળકો છે. આ તો વૃદ્ધિ ને પામતાં હજારોનાં અંદાજ માં થઈ જશે. તો બાપ બાળકો ને સાવધાની પણ આપે છે, કોઈ ગફલત નહીં કરો. અહીંયા પતિત થી પાવન બનવા આવ્યાં છો તો કોઈ પણ પતિત કામ નહીં કરો. ન નામ રુપ માં ફસાવાનું છે, ન દેહ-અભિમાન માં આવવાનું છે. દેહી-અભિમાની થઈ બાપ ને યાદ કરતાં રહો. શ્રીમત પર ચાલતાં રહો. માયા બહુજ પ્રબળ છે. બાબા બધું જ સમજાવી દે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન નિરંહકારી બનવાનું છે. કોઈનાથી સેવા નથી લેવાની. કોઈને દુઃખ નથી આપવાનું. એવું કોઈ પાપ કર્મ ન થાય, જેની સજા ખાવી પડે. આપસ માં ક્ષીરખંડ થઇને રહેવાનું છે.

2. એક બાપ ની શ્રીમત પર ચાલવાનું છે, પોતાની મત પર નહીં.

વરદાન :-
દિવ્ય બુદ્ધિનાં વિમાન દ્વારા વિશ્વની દેખ - રેખ કરવા વાળા માસ્ટર રચયિતા ભવ

જેની બુદ્ધિ જેટલી દિવ્ય છે, દિવ્યતા નાં આધાર પર એટલી સ્પીડ તેજ (તીવ્ર ગતિ) છે. તો દિવ્ય બુદ્ધિનાં વિમાન દ્વારા એક સેકન્ડમાં સ્પષ્ટ રુપ થી વિશ્વ પરિક્રમા કરી સર્વ આત્માઓની દેખ-રેખ કરો. તેમને સંતુષ્ટ કરો. જેટલું તમે ચક્રવર્તી બનીને ચક્ર લગાવશો એટલો ચારે બાજુ નો અવાજ નીકળશે કે અમે લોકોએ જ્યોતિ જોઈ, ચાલતાં ફરીશ્તા જોયાં. એનાં માટે સ્વયં કલ્યાણી નાં સાથે વિશ્વ કલ્યાણી માસ્ટર રચતા બનો.

સ્લોગન :-
માસ્ટર દાતા બની અનેક આત્માઓ ને પ્રાપ્તિઓનો અનુભવ કરાવવો જ બ્રહ્મા બાપ સમાન બનવું છે.


માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય :-

૧ ) ઈશ્વર સર્વવ્યાપી નથી , એનું પ્રમાણ શું છે ? શિરોમણી ગીતામાં જે ભગવાનુવાચ છે, બાળકો, જ્યાં જીત છે ત્યાં હું છું, આ પણ પરમાત્માનાં મહાવાક્ય છે. પહાડો માં જે હિમાલય પહાડ છે એમાં હું છું અને સાપો માં કાળો નાગ હું છું એટલે પર્વતો માં ઉંચો પર્વત કૈલાસ પર્વત દેખાડે છે અને સાપો માં કાળો નાગ, તો આનાથી સિદ્ધ છે કે પરમાત્મા જો સર્વ સાપો માં કેવળ કાળા નાગ માં છે, તો સર્વ સાપો માં એમનો વાસ ન થયો ને. જો પરમાત્મા ઊંચેથી ઊંચા પહાડ માં છે એટલે નીચે પહાડો માં નથી અને પછી કહે છે કે જ્યાં જીત ત્યાં મારો જન્મ, એટલે હાર માં હું નથી. હવે આ વાતો સિદ્ધ કરે છે કે પરમાત્મા સર્વવ્યાપી નથી. એક તરફ એવું પણ કહે છે અને બીજી તરફ એમ પણ કહે છે કે પરમાત્મા અનેક રુપ માં આવે છે, જેમ પરમાત્મા ને ૨૪ અવતારો માં દેખાડયાં છે, કહે છે કચ્છ મચ્છ વગેરે બધાં રુપ પરમાત્મા નાં છે. હવે આ છે એમનું જ મિથ્યા જ્ઞાન, એમ જ પરમાત્મા ને સર્વત્ર સમજી બેઠાં છે જ્યારે કે આ સમયે કળયુગ માં સર્વત્ર માયા જ વ્યાપક છે તો પછી પરમાત્મા વ્યાપક કેવી રીતે થયાં? ગીતામાં પણ કહે છે કે હું પછી માયામાં વ્યાપક નથી, એનાથી સિદ્ધ છે કે પરમાત્મા સર્વત્ર નથી.

૨ ) નિરાકારી દુનિયા - આત્મા અને પરમાત્મા નાં રહેવાનું સ્થાન :- હવે આ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે નિરાકારી દુનિયા કહીએ છીએ તો નિરાકાર નો અર્થ આ નથી કે એમનો કોઈ આકાર નથી, જેમ આપણે નિરાકારી દુનિયા કહીએ છીએ તો એનો અર્થ જરુર કોઈ દુનિયા છે, પરંતુ એનન સ્થૂળ સૃષ્ટિ માફક આકાર નથી, એમ પરમાત્મા નિરાકાર છે પરંતુ એમનું પોતાનું સૂક્ષ્મ રુપ અવશ્ય છે. તો આપણું આત્મા અને પરમાત્મા નું ધામ નિરાકારી દુનિયા છે. તો જ્યારે આપણે દુનિયા અક્ષર કહીએ છીએ, તો એનાથી સિદ્ધ છે તે દુનિયા છે અને ત્યાં રહે છે ત્યારે તો દુનિયા નામ પડ્યું, હવે દુનિયાવી લોકો તો સમજે છે કે પરમાત્માનું રુપ પણ અખંડ જ્યોતિ તત્વ છે, તે થયું પરમાત્માનું રહેવાનું ઠેકાણું, જેને રિટાયર્ડ હોમ (નિર્વાણધામ) કહે છે. તો આપણે પરમાત્માના ઘર ને પરમાત્મા નથી કહી શકતાં. હવે બીજી છે આકારી દુનિયા, જ્યાં બ્રહ્મા વિષ્ણુ શંકર દેવતાઓ આકારી રુપમાં રહે છે અને આ છે સાકારી દુનિયા, જેનાં બે ભાગ છે - એક છે નિર્વિકારી સ્વર્ગની દુનિયા જ્યાં અડધોકલ્પ સૌને સુખ છે, પવિત્રતા અને શાંતિ છે. બીજી છે વિકારી કળયુગી દુઃખ અને અશાંતિની દુનિયા. હવે તે બે દુનિયાઓ કેમ કહે છે? કારણ કે આ જે મનુષ્ય કહે છે સ્વર્ગ અને નર્ક બંને પરમાત્માની રચેલી દુનિયા છે, આનાં પર પરમાત્માનાં મહાવાક્ય છે બાળકો, મેં કોઈ દુઃખની દુનિયા નથી રચી, જે મેં દુનિયા રચી છે તે સુખની રચી છે. હવે આ જે દુઃખ અને અશાંતિ ની દુનિયા છે તે મનુષ્ય આત્માઓ પોતે સ્વયં ને અને મુજ પરમાત્મા ને ભૂલવાનાં કારણે આ હિસાબ-કિતાબ ભોગવી રહ્યાં છે. બાકી એવું નથી જે સમયે સુખ અને પુણ્ય ની દુનિયા છે ત્યાં કોઈ સૃષ્ટિ નથી ચાલતી. હાં, અવશ્ય જ્યારે આપણે કહીએ છીએ કે ત્યાં દેવતાઓનું નિવાસ સ્થાન હતું, તો ત્યાં બધી પ્રવૃત્તિ ચાલતી હતી પરંતુ એટલું જરુર હતું ત્યાં વિકારી પૈદાઈશ નહોતી જેનાં કારણે આટલાં કર્મબંધન નહોતાં. તે દુનિયાને કર્મબંધન રહીત સ્વર્ગની દુનિયા કહે છે. તો એક છે નિરાકારી દુનિયા, બીજી છે આકારી દુનિયા, ત્રીજી છે સાકારી દુનિયા. અચ્છા - ઓમ્ શાંતિ.