23-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સાચાં
સૈલવેશન આર્મી ( મુક્તિ સેના ) બની સૌને આ પાપની દુનિયા થી પુણ્યની દુનિયા માં લઈ
જવાનાં છે , સૌનાં ડૂબેલાં બેડા ને પાર લગાવાનો છે”
પ્રશ્ન :-
કયો નિશ્ચય
દરેક બાળકની બુદ્ધિમાં નંબરવાર બેસે છે?
ઉત્તર :-
પતિત-પાવન આપણા મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા, આપણને સ્વર્ગ નો વારસો આપી રહ્યાં
છે, આ નિશ્ચય દરેકની બુદ્ધિમાં નંબરવાર બેસે છે. જો પૂરો નિશ્ચય કોઇ ને પણ થઈ જાય
તો માયા સામે ઉભી છે. બાપ ને ભૂલી જાય છે, ફેલ થઇ જાય છે. જેમને નિશ્ચય બેસી જાય છે
તે પાવન બનવાનાં પુરુષાર્થમાં લાગી જાય છે. બુદ્ધિ માં રહે છે, હવે તો ઘરે જવાનું
છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકિલધા બાળકો પ્રતિ ગુડમોર્નિંગ. બાળકો આ તો જાણે છે કે સતયુગ માં સદૈવ
ગુડમોર્નિંગ, ગુડ ડે, ગુડ એવરીથીંગ, ગુડનાઈટ, બધું ગુડ જ ગુડ (શુભ) છે. અહીંયા તો ન
ગુડ મોર્નિંગ છે, ન ગુડનાઈટ છે. સૌથી ખરાબ છે નાઈટ (રાત્રી). તો સૌથી સારું શું છે?
સવાર. જેને અમૃતવેલા કહેવાય છે. તમારો દરેક સમય શુભ જ શુભ છે. બાળકો જાણે છે કે આ
સમયે અમે યોગ યોગેશ્વર અને યોગ યોગેશ્વરી છીએ. ઈશ્વર જે તમારા બાપ છે, તે આવીને યોગ
શીખવાડે છે અર્થાત્ આપ બાળકો નો એક ઈશ્વરનાં સાથે યોગ છે. આપ બાળકો ને યોગેશ્વરનાં
પછી જ્ઞાન યોગેશ્વર બાપ ની ખબર પડે છે. યોગ લગાવ્યો પછી બાપ તમને આખાં ચક્ર નું
જ્ઞાન સમજાવે છે, જેનાથી તમે પણ જ્ઞાન જ્ઞાનેશ્વર બનો છો. ઈશ્વર બાપ, બાળકોને આવીને
જ્ઞાન અને યોગ શીખવાડે છે. કયાં ઈશ્વર? નિરાકાર બાપ. હવે બુદ્ધિથી કામ લો. ગુરુ
લોકોની તો અનેક મત છે. કોઈ કહેશે કૃષ્ણ થી યોગ લગાવો, પછી તેમનું ચિત્ર પણ આપશે.
કોઈ સાઈ બાબા, કોઈ મહર્ષિ બાબા, કોઈ મુસલમાન નાં, કોઈ પારસી નાં, બધાને બાબા-બાબા
કહેતા રહે છે. કહેશે બધાં ભગવાન જ ભગવાન છે. હવે તમે જાણો છો મનુષ્ય ભગવાન હોઈ ન શકે.
આ લક્ષ્મી-નારાયણ ને પણ ભગવાન ભગવતી ન કહી શકાય. ભગવાન તો એક નિરાકાર છે. તે આપ સૌ
બાળકોનાં બાપ છે, એમને કહેવાય છે શિવબાબા. તમે જ જન્મ જન્માંતર સતસંગ કરતાં આવ્યાં.
કોઈ ને કોઈ સંન્યાસી સાધુ પંડિત વગેરે જરુર હશે. લોકો જાણે છે કે આ અમારા ગુરુ છે.
અમને કથા સંભળાવી રહ્યાં છે. સતયુગ માં કથાઓ વગેરે હોતી નથી. બાપ બેસી સમજાવે છે
ફક્ત ભગવાન કે ઈશ્વર કહેવાથી રસના નથી આવતી. એ બાપ છે તો બાબા કહેવાથી સંબંધ સ્નેહ
પૂર્ણ થઈ જાય છે. આપ જાણો છો આપણે બાબા મમ્માનાં બાળકો બન્યાં છીએ, જેનાથી આપણને
સ્વર્ગનું સુખ મળે છે. આવો કોઈ પણ સતસંગ હશે નહીં, જે સમજે છે કે અમે આ સતસંગ થી
મનુષ્ય થી દેવતા કે નર્કવાસી થી સ્વર્ગવાસી બનીએ છીએ. હમણાં તમારો સત બાપનાં સાથે
સંગ છે બીજા બધાનો અસત્ય નાં સાથે સંગ કહેવાય છે. ગવાય પણ છે સતસંગ તારે…. શરીરધારી
સંગ ડુબાડે. બાપ કહે છે આત્મ-અભિમાની, દેહી-અભિમાની બનો. હું આપ બાળકો, આત્માઓને
શીખવાડું છું. આ રુહાની નોલેજ રુહો પ્રતિ સુપ્રીમ રુહ આવીને આપે છે. બાકી બધાં છે
ભક્તિમાર્ગ. તે કોઈ જ્ઞાન માર્ગ નથી. બાપ કહે છે હું બધાં વેદો, શાસ્ત્રો નો,
સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંત ને જાણવા વાળો છું. ઓથોરિટી (સત્તા) હું છું. તે છે
ભક્તિમાર્ગ ની ઓથોરિટી. ખુબ શાસ્ત્ર વગેરે વાંચે છે તો એમને કહે છે શાસ્ત્રો ની
ઓથોરિટી. તમને બાપ સાચું આવીને સંભળાવે છે. હમણાં તમે જાણો છો સત નો સંગ તારે….જુઠ્ઠ
નો સંગ ડુબાડે. હવે બાપ આપ બાળકો દ્વારા ભારત ને સૈલવેજ (મુક્ત) કરી રહ્યાં છે. તમે
છો રુહાની મુક્તિ સેના. મુક્ત કરો છો. બાપ કહે છે કે ભારત જે સ્વર્ગ હતું તે હવે
નર્ક બન્યું છે. ડૂબેલું છે. બાકી કોઈ એવું સાગરનાં નીચે નથી. તમે સતોપ્રધાન થી
તમોપ્રધાન બનો છો. સતયુગ ત્રેતા છે સતોપ્રધાન. આ મોટું સ્ટીમર છે. તમે સ્ટીમર માં
બેઠાં છો. આ પાપની નગરી છે કારણ કે બધી પાપ આત્માઓ છે. હકીકત માં ગુરુ એક છે. એમને
કોઈ જાણતું નથી. હંમેશા કહે છે - ઓ ગોડ ફાધર. એવું નથી કહેતાં ગોડ ફાધર કમ
પ્રીસેપ્ટર. ના, ફક્ત ફાધર કહે છે. એ પતિત-પાવન છે, તો ગુરુ પણ થઈ ગયાં. સર્વ નાં
પતિત-પાવન સદ્દગતિ દાતા એક છે. આ પતિત દુનિયામાં કોઈ પણ મનુષ્ય સદ્દગતિ દાતા કે
પતિત-પાવન હોઈ ન શકે. બાપ કહે છે કેટલી એડલટ્રેશન (ભેળસેળ), કરપ્શન (ભ્રષ્ટાચાર)
છે. હવે મારે કન્યાઓ માતાઓનાં દ્વારા બધાનો ઉદ્ધાર કરવાનો છે.
તમે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઈ-બહેન થઈ ગયાં. નહીં તો દાદાનો વારસો કેવી રીતે
મળે. દાદાથી વારસો મળે છે ૨૧ પેઢી અર્થાત્ સ્વર્ગની રાજાઈ. કમાણી કેટલી મોટી છે. આ
છે સાચી કમાણી, સાચાં બાપ દ્વારા. બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે.
પ્રેક્ટિકલ કરીને દેખાડવા વાળા છે. એવું નહીં કે ગુરુ મરી ગયા તો ચેલા ને ગાદી મળે.
તે છે શરીરધારી ગુરુ. આ છે રુહાની ગુરુ. સારી રીતે આ વાત ને સમજવાનું છે, આ બિલકુલ
નવી વાતો છે. તમે જાણો છો આપણને કોઈ મનુષ્ય નથી ભણાવતાં, આપણને શિવબાબા જ્ઞાનનાં
સાગર પતિત-પાવન આ શરીર દ્વારા ભણાવે છે. તમારી બુદ્ધિ શિવબાબા તરફ છે. તે સતસંગો
માં મનુષ્ય તરફ બુદ્ધિ જશે. તે બધા છે ભક્તિમાર્ગ. હવે તમે ગાઓ છો તુમ માતા-પિતા હમ
બાલક તેરે... આ તો એક છે ને. પરંતુ બાબા કહે છે કે હું કેવી રીતે આવીને તમને પોતાનાં
બનાવું. હું તમારો પિતા છું. તો એમનાં તન નો આધાર લઉં છું. તો આ (બ્રહ્મા) મારી
સ્ત્રી પણ છે, તો બાળક પણ છે. આમનાં દ્વારા શિવબાબા બાળકો ને એડોપ્ટ કરે છે તો આ
મોટી મમ્મા થઈ ગઈ. આમની કોઈ માતા નથી. સરસ્વતી ને જગત અંબા કહેવાય છે. એને તમારી
સંભાળ કરવા માટે મુકરર (નિમિત્ત) કરી. સરસ્વતી જ્ઞાન જ્ઞાનેશ્વરી, આ છે નાની મમ્મા.
આ બહુજ ગુહ્ય વાતો છે. તમે હમણાં આ ગુહ્ય ભણતર ભણી રહ્યાં છો, તમારે સમ્માન સાથે
પાસ થવાનું છે. આ લક્ષ્મી-નારાયણ સમ્માન સાથે પાસ થયાં છે. એમને સૌથી મોટી
સ્કોલરશીપ મળી છે. કોઈ સજા ખાવી ન પડી. બાપ કહે છે જેટલું થઈ શકે યાદ કરો. આને
ભારતનો પ્રાચીન યોગ કહેવાય છે. બાપ કહે છે તમને બધાં વેદો, શાસ્ત્રો નો સાર સંભળાવું
છું. મેં તમને રાજયોગ શીખવાડયો, જેનાથી તમેં પ્રાલબ્ધ મેળવી. પછી જ્ઞાન ખલાસ થઈ ગયું,
પછી પરંપરા કેવી રીતે ચાલી શકે. ત્યાં કોઈ શાસ્ત્ર વગેરે હોતાં નથી બીજા ધર્મ વાળા
ઈસ્લામી, બૌદ્ધિ વગેરે જે છે એમનું જ્ઞાન ગુમ નથી થતું. એમની પરંપરા ચાલે છે. બધાને
ખબર છે. પરંતુ બાપ કહે છે હું તમને જે જ્ઞાન સંભળાવું છું તે કોઈ જાણતું નથી. ભારત
દુઃખી બની જાય છે, એને આવીને સદા સુખી બનાવું છું. બાપ કહે છે - હું સાધારણ તન માં
બેઠો છું. તમારો બુદ્ધિયોગ બાપની સાથે રહે. આત્માઓનાં બાપ છે પરમપિતા પરમાત્મા.
સર્વ બાળકોનાં એ બાપ છે, એમના સૌ બાળકો થયાં ને. બધી આત્માઓ આ સમયે પતિત છે. બાપ કહે
છે - હું પ્રેક્ટિકલ માં આવ્યો છું. વિનાશ સામે ઉભો છે. જાણો છો આગ લાગશે. બધાનાં
શરીર ખતમ થઈ જશે. બધી આત્માઓએ જવાનું છે પાછું ઘરે. એવું નહીં કે બ્રહ્મ માં લીન થઇ
જશે કે જ્યોતિ માં સમાઈ જશે. બ્રહ્મ સમાજ પછી જ્યોતિ પ્રગટાવે છે. એને બ્રહ્મ મંદિર
કહી દે છે. હકીકતમાં છે બ્રહ્મ મહતત્વ, જ્યાં બધી આત્માઓ રહે છે. આપણું પહેલું
મંદિર તે છે. પવિત્ર આત્માઓ ત્યાં રહે છે. આ વાતો કોઈ મનુષ્ય સમજતું નથી. જ્ઞાનનાં
સાગર બાપ બેસી આપ બાળકોને સમજાવે છે કે હવે છો તમે જ્ઞાન જ્ઞાનેશ્વર પછી બનો છો
રાજ-રાજેશ્વર. તમારી બુદ્ધિમાં છે કે પતિત-પાવન મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા
આવીને અમને સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે. ઘણાની બુદ્ધિ માં આ પણ બેસતું નથી. આટલાં
બેઠા છે, આમાં કોઈ ૧૦૦ ટકા નિશ્ચયબુદ્ધિ નથી. કોઈ ૮૦ ટકા છે, કોઈ ૫૦ ટકા છે, કોઈ તે
પણ નથી. તે તો બિલકુલ નપાસ થયાં. નંબરવાર જરુર છે. ઘણાં છે જેમને નિશ્ચય નથી. કોશિશ
કરે છે કે નિશ્ચય થઈ જાય. સારું નિશ્ચય થઈ પણ જાય પરંતુ માયા કડક છે. બાબા ને ભૂલી
જાય છે. આ બ્રહ્મા પોતે કહે છે કે હું પૂરો ભગત હતો. ૬૩ જન્મ ભક્તિ કરી છે, તત્
ત્વમ્. તમે પણ ૬૩ જન્મ ભક્તિ કરી છે. ૨૧ જન્મ સુખ પામ્યું પછી ભગત બન્યાં છો.
ભક્તિનાં પછી છે વૈરાગ્ય. સન્યાસી લોકો પણ આ અક્ષર બધાં કહે છે કે જ્ઞાન, ભક્તિ અને
વૈરાગ્ય. તેમને વૈરાગ્ય આવે છે ઘરબાર થી. તેને હદનો વૈરાગ્ય કહેવાય છે અને તમારો છે
બેહદ નો વૈરાગ્ય. સન્યાસી ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જતાં હતાં. હવે તો કોઈ જંગલમાં
છે જ નહીં. બધી ઝુપંડીઓ ખાલી પડી છે કારણ કે પહેલાં સતોપ્રધાન હતાં, હવે તે
તમોપ્રધાન થઈ ગયાં છે. હવે એમનામાં કોઈ તાકાત નથી. લક્ષ્મી-નારાયણ ની રાજધાની માં
જે તાકાત હતી, તે પુનર્જન્મ લેતાં-લેતાં હવે જુવો તે ક્યાં આવીને પહોંચ્યા છે. કંઈ
પણ તાકાત નથી. અહીંયા ની ગવર્મેન્ટ પણ કહે છે અમે ધર્મ ને નથી માનતાં. ધર્મમાં જ
ખૂબ નુકસાન છે, લડતાં-ઝઘડતાં, કોન્ફરન્સ (સંમેલન) કરતાં રહે કે બધાં ધર્મ વાળા એક
મત થઈ જાય. પરંતુ પૂછો એક કેવી રીતે થઇ શકશે. હવે તો બધાં પાછા જવાનાં છે. બાબા
આવ્યાં છે, આ દુનિયા હવે કબ્રિસ્તાન બનવાની છે. બાકી આ તો વિવિધતા નું ઝાડ છે. તો
એક કેવી રીતે થશે, કંઈ પણ સમજતાં નથી. ભારત માં એક ધર્મ હતો, એને કહેવાય અદ્વૈત મત
વાળા દેવતાઓ. દ્વૈત એટલે દૈત્ય. બાબા કહે તમારો આ ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. તમે
જાણો છો કે પુનર્જન્મ લઈ આપણે ફરી ૮૪ જન્મ ભોગવવાનાં છે. નિશ્ચય થાય કે આપણે જ ૮૪
જન્મ ભોગવ્યાં છે. આપણે જ જવાનું છે અને ફરી આવવાનું છે. ભારતવાસીઓને જ સમજાવે છે
કે તમે ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે તમારો આ અનેક જન્મોનાં અંત નો જન્મ છે. ફક્ત એક
ને નથી કહેતાં, પાંડવ સેના ને સમજાવે છે કે તમે પન્ડા છો. તમે રુહાની યાત્રા શીખવાડો
છો એટલે પાંડવ સેના કહેવાય છે. રાજ્ય હવે ન કૌરવો નું, ન પાંડવો નું છે. તે પણ પ્રજા
તમે પણ પ્રજા છો. કહે છે કૌરવ પાંડવ ભાઈ-ભાઈ, પાંડવોની તરફ છે પરમપિતા પરમાત્મા.
બાપ જ આવીને માયા પર જીત પહેરતાં શીખવાડે છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાળા
અહિંસક છો. અહિંસા પરમો ધર્મ. મુખ્ય વાત છે કામ કટારી નહીં ચલાવવી. ભારતવાસી સમજે
છે કે ગાય નો વધ ન કરવો - આ જ અહિંસા છે, પરંતુ બાબા કહે છે- કામ કટારી ચલાવો નહીં,
આને જ મોટામાં મોટી હિંસા કહેવાય છે. સતયુગમાં ન કામ કટારી, ન લડાઈ-ઝઘડા ચાલે છે.
અહીંયા તો બંને છે. કામ કટારી જ આદિ મધ્ય અંત દુઃખ આપે છે. તમે સીડી ઉતરો છો. ૮૪
જન્મ આપ ભારતવાસીઓએ લીધાં છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી પુનર્જન્મ લો
છો. એક-એક જન્મ એક-એક સીડી છે. અહીંયા થી તમે એકદમ જમ્પ મારો છો ઉપર. ૮૪ સીડી
ઉતરવામાં તમને ૫ હજાર વર્ષ લાગે છે અને અહિંયાથી પછી તમે સેકન્ડ માં ચઢી જાઓ છો.
સેકન્ડમાં જીવનમુક્તિ કોણ આપે? બાપ. હમણાં બધાં એકદમ રસ્તા માં પડ્યાં છે. હવે બાપ
કહે છે ફક્ત મને યાદ કરો. આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે હવે નાટક પૂરું થયું, આપણે
પાછા ઘરે જવાનું છે. આપણે પોતાનાં બાપ ને અને ઘર ને યાદ કરવાનાં છે. પહેલાં બાબા ને
યાદ કરો, એજ તમને ઘરનો રસ્તો બતાવે છે. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. બ્રહ્મ ને
યાદ કરવાથી એક પણ પાપ કપાશે નહીં. પતિત-પાવન પરમાત્મા જ છે. એ કેવી રીતે પાવન બનાવે
છે - આ દુનિયામાં કોઈ સમજી નથી શકતું. બાપ ને આવીને સ્વર્ગની સ્થાપના જરુર કરવાની
છે. બાપ આવ્યાં છે તો આપ બાળકો જયંતી મનાવો છો. ક્યારે આવ્યાં, આ કહી ન શકાય કે આ
ઘડી, આ તિથિ-તારીખે આવ્યાં. શિવબાબા ક્યારે આવ્યાં, કેવી રીતે કહી શકાય.
સાક્ષાત્કાર ખૂબ થાય છે. પહેલાં આપણે સર્વવ્યાપી સમજતા હતાં અથવા કહી દેતા હતાં
આત્મા એજ પરમાત્મા છે. હવે યથાર્થ ખબર પડી છે. બાબા દિવસ-પ્રતિ દિવસ ગુહ્ય વાતો
સંભળાવતાં રહે છે. આપ સાધારણ બાળકો કેટલું મોટું જ્ઞાન ભણી રહ્યાં છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સન્માન સાથે
પાસ થવા માટે સજાઓથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદ માં રહેવાથી જ સ્કોલરશીપ
લેવાનાં અધિકારી બની શકશો.
2. સાચાં-સાચાં પાંડવ બની બધાને રુહાની યાત્રા કરાવવાની છે. કોઈ પણ પ્રકાર ની હિંસા
નથી કરવાની.
વરદાન :-
માસ્ટર
સર્વશક્તિમાન ની સ્મૃતિ દ્વારા માયાજીત સો જગતજીત , વિજયી ભવ
જે બાળકો ખૂબ વિચારે
છે કે ખબર નહીં માયા કેમ આવી ગઈ, તો માયા પણ ગભરાયેલાં જોઈ વધારે વાર કરી લે છે એટલે
વિચારવાનાં બદલે સદા માસ્ટર સર્વ શક્તિમાન ની સ્મૃતિ માં રહો - તો વિજયી બની જશો.
વિજયી રત્ન બનાવવાનાં નિમિત્ત જ આ માયાનાં નાનાં-નાનાં રુપ છે એટલે સ્વયં ને
માયાજીત, જગતજીત સમજી માયા પર વિજય પ્રાપ્ત કરો, કમજોર નહીં બનો. ચેલેન્જ (પડકાર)
કરવા વાળા બનો.
સ્લોગન :-
દરેક આત્માથી
શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાં છે તો બેહદની શુભ ભાવના અને શુભ કામના માં સ્થિત રહો.