27-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - યાદ ની યાત્રામાં રેસ કરો તો પુણ્ય આત્મા બની જશો , સ્વર્ગની બાદશાહી મળી જશે”

પ્રશ્ન :-
બ્રાહ્મણ જીવન માં જો અતીન્દ્રિય સુખ નો અનુભવ નથી થતો તો શું સમજવું જોઈએ?

ઉત્તર :-
જરુર સૂક્ષ્મમાં પણ કોઈ ને કોઈ પાપ થાય છે. દેહ-અભિમાન માં રહેવાથી જ પાપ થાય છે, જેનાં કારણે એ સુખની અનુભૂતિ નથી કરી શકતાં. પોતાને ગોપ-ગોપીઓ સમજવાં છતાં પણ અતીન્દ્રિય સુખની ભાસના નથી આવતી, જરુર કોઈ ભૂલ થાય છે માટે બાપને સાચું બતાવીને શ્રીમત લેતાં રહો.

ઓમ શાંતિ!
નિરાકાર ભગવાનુવાચ. હવે નિરાકાર ભગવાન કહેવાય જ છે શિવ ને, એમનાં નામ ભલે કેટલાં પણ ભક્તિમાર્ગમાં રાખ્યાં છે, અનેક નામ છે ત્યારે તો વિસ્તાર છે. બાપ પોતે આવીને બતાવે છે કે હેં બાળકો, મુજ પોતાનાં બાપ શિવ ને તમે યાદ કરતાં આવ્યાં છો - હેં પતિત-પાવન, નામ તો જરુર એક જ હશે. અનેક નામ ચાલી ન શકે. શિવાય નમઃ કહે છે તો એક જ શિવ નામ થયું. રચતા પણ એક થયાં. અનેક નામ થી તો મૂંઝાઈ જાય. જેમ તમારું નામ પુષ્પા છે એનાં બદલે તમને શીલા કહે તો તમે રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) કરશો? નહીં. સમજશો બીજા કોઈને બોલાવે છે. આ પણ એવી વાત થઈ ગઈ. એમનું નામ એક છે, પરંતુ ભક્તિમાર્ગ હોવાનાં કારણે, અનેક મંદિર બનાવવાનાં કારણે જાત-જાતનાં નામ રાખી દીધાં છે. નહીં તો નામ દરેકનું એક હોય છે. ગંગા નદીને જમુના નદી નહીં કહેશે. કોઈ પણ વસ્તુ નું એક નામ પ્રસિદ્ધ હોય છે. આ શિવ નામ પણ પ્રસિદ્ધ છે. શિવાય નમઃ ગવાયું છે. બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, પછી કહે છે શિવ પરમાત્માય નમઃ કારણ કે એ છે ઊંચે થી ઊંચા. મનુષ્યની બુદ્ધિમાં હોય છે કે ઊંચે થી ઊંચા નિરાકાર ને કહેવાય છે. એમનું નામ એક જ છે. બ્રહ્મા ને બ્રહ્મા, વિષ્ણુ ને વિષ્ણુ જ કહેશે. અનેક નામ રાખવાથી મુંજાઈ જશે. રેસ્પોન્સ જ નથી મળતો અને ન એમનાં રુપને પણ જાણે છે. બાપ બાળકો થી જ આવીને વાત કરે છે. શિવાય નમઃ કહે છે તો એક નામ ઠીક છે. શિવ શંકર કહેવું પણ ખોટું થઈ જાય છે, શિવ, શંકર નામ અલગ છે. જેમ લક્ષ્મી-નારાયણ નામ અલગ-અલગ છે. ત્યાં નારાયણ ને તો લક્ષ્મી-નારાયણ નહીં કહેશે. આજકાલ તો પોતાનાં ઉપર બે-બે નામ પણ રાખે છે. દેવતાઓનાં ઉપર આવાં ડબલ નામ નહોતાં. રાધાનું અલગ, કૃષ્ણનું અલગ, અહીંયા તો એકનું જ નામ રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ રાખી દે છે. બાપ બેસી સમજાવે છે ક્રિયેટર (રચયિતા) એક જ છે, એમનું નામ પણ એક છે. એમને જ જાણવાનાં છે. કહે છે આત્મા એક સ્ટાર જેવી છે, ભ્રુકુટી નાં મધ્યમાં ચમકે છે તારો પછી કહે આત્મા સો પરમાત્મા, તો પરમાત્મા પણ સ્ટાર થયાં ને. એવું નથી કે આત્મા નાની કે મોટી થાય છે. વાતો ખુબ સહજ છે.

બાપ કહે છે તમે પોકારતાં હતાં કે હેં પતિત-પાવન આવો. પરંતુ એ પાવન કેવી રીતે બનાવે છે, આ કોઈ પણ નથી જાણતું. ગંગા ને પતિત-પાવની સમજી લે છે. પતિત-પાવન તો એક જ બાપ છે. બાપ કહે છે મેં આગળ પણ કહ્યું હતું - મનમનાભવ, મામેકમ્ યાદ કરો. ફક્ત નામ બદલી દીધું છે. બાળકો સમજે છે કે બાપ ને યાદ કરવાથી વારસો સમજાય છે. મનમનાભવ કહેવાની પણ દરકાર નથી. પરંતુ બિલકુલ જ બાપ ને અને વારસા ને ભૂલી ગયાં છે એટલે કહું છું મુજ બાપ અને વારસા ને યાદ કરો. બાપ છે સ્વર્ગનાં રચયિતા તો જરુર બાપ ને યાદ કરવાથી આપણને સ્વર્ગ ની બાદશાહી મળશે. બાળક જન્મ્યો અને બાપ કહેશે વારિસ આવ્યો. બાળકીનાં માટે એવું કહેશે નહીં. આપ આત્માઓ તો બધાં બાળકો છો. કહે પણ છે આત્મા એક સ્ટાર છે. પછી અંગૂઠા માફક કેવી રીતે હોઈ શકે. આત્મા એટલી સૂક્ષ્મ વસ્તુ છે, આ આંખોથી જોવામાં નથી આવતી. હાં એને દિવ્ય દૃષ્ટિથી જોઈ શકાય છે કારણ કે અવ્યક્ત વસ્તુ છે. દિવ્ય દૃષ્ટિમાં ચૈતન્ય જોવામાં આવ્યા પછી ગુમ થઇ ગયાં. મળ્યું તો કંઈ પણ નહીં, ફક્ત ખુશ થઈ જાય છે. આને કહેશે ભક્તિ નું અલ્પ સુખ. આ છે ભક્તિ નું ફળ. જેમણે બહુજ ભક્તિ કરી છે એમને આપોઆપ કાયદા અનુસાર આ જ્ઞાનથી ફળ મળવાનું હોય છે. બ્રહ્મા અને વિષ્ણુ ભેગાં દેખાડે છે. બ્રહ્મા સો વિષ્ણુ, ભક્તિનું ફળ વિષ્ણુનાં રુપમાં મળી રહ્યું છે, રાજા નું. વિષ્ણુ કે કૃષ્ણનો સાક્ષાત્કાર તો ખૂબ કર્યો હશે. પરંતુ સમજાય છે - ભિન્ન-ભિન્ન નામ રુપમાં ભક્તિ કરી છે. સાક્ષાત્કાર ને યોગ કે જ્ઞાન નથી કહેવાતું. નૌધા ભક્તિ થી સાક્ષાત્કાર થયો. હમણાં સાક્ષાત્કાર ન પણ થાય તો વાંધો નહીં. લક્ષ્ય-હેતુ છે જ મનુષ્ય થી દેવતા બનવાનું. તમે દેવી-દેવતા ધર્મનાં બનો છો. બાકી પુરુષાર્થ કરવા માટે બાપ ફક્ત કહે છે બીજા સંગ બુદ્ધિનો યોગ હટાવો, દેહ થી પણ હટાવી બાપ ને યાદ કરો. જેમ આશિક માશૂક કામ પણ કરતાં રહે છે પરંતુ દિલ માશૂક થી લાગેલું રહે છે. બાપ પણ કહે છે મામેકમ્ યાદ કરો તો પણ બુદ્ધિ બીજા-બીજા તરફ ભાગી જાય છે. હમણાં તમે જાણો છો આપણને ઉતરવામાં એક કલ્પ લાગ્યો છે. સતયુગ થી લઈને સીડી ઉતરીએ છીએ. થોડી-થોડી ખાદ પડતી રહે છે. સતો થી તમો બની જઈએ છીએ. પછી હવે તમો થી સતો બનવા માટે બાપ જમ્પ કરાવે (છલાંગ મરાવે) છે. સેકન્ડમાં તમોપ્રધાન થી સતોપ્રધાન.

તો મીઠા-મીઠા બાળકોએ પુરુષાર્થ કરવો પડે. બાપ તો શિક્ષા આપતાં જ રહે છે. સારા-સારા સમજદાર બાળકો પોતે અનુભવ કરે છે - બરાબર ખૂબ મુશ્કેલ છે. કોઈ બતાવે છે, કોઈ તો બિલકુલ બતાવતાં નથી. પોતાની અવસ્થા નું બતાવવું જોઈએ. બાપ ને યાદ જ નથી કરતાં તો વારસો કેવી રીતે મળશે. કાયદેસર યાદ નથી કરતાં, સમજે છે અમે તો શિવબાબાનાં છીએ જ. યાદ ન કરવાથી નીચે પડે છે. બાપ ને નિરંતર યાદ કરવાથી ખાદ નીકળે છે, અટેન્શન (ધ્યાન) આપવું પડે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહેશે. બુદ્ધિ પણ કહે છે - યાદ ઘડી-ઘડી ભૂલી જાય છે. આ યોગબળ થી તમે બાદશાહી પ્રાપ્ત કરો છો. બધાં તો એક જેવું દોડી નથી શકતાં, કાયદો નથી. રેસ માં પણ જરાક એવો ફર્ક પડી જાય છે. નંબરવન, પછી પ્લસ માં આવી જાય છે. અહીંયા પણ બાળકોની રેસ છે. મુખ્ય વાત છે યાદ કરવાની. આ તો સમજો છો અમે પાપ આત્મા થી પુણ્ય આત્મા બનીએ છીએ. બાપે ડાયરેક્શન આપ્યું છે, હમણાં પાપ કરવાથી તે સો ગુણા થઈ જશે. ઘણાં છે જે પાપ કરે છે, બતાવતાં નથી. પછી વૃદ્ધિ થતી જાય છે. પછી અંતમાં ફેલ થઈ જાય છે. સંભળાવવામાં શરમ આવે છે. સાચું ન બતાવવાથી પોતાને દગો આપે છે. કોઈ ને ડર લાગે છે - બાબા અમારી આ વાત સાંભળશે તો શું કહેશે. કોઈ તો નાની ભૂલ પણ સંભળાવવા આવી જાય છે. પરંતુ બાબા એમને કહે છે, મોટી-મોટી ભૂલ તો ખૂબ સારા-સારા બાળકો કરે છે. સારા-સારા મહારથીઓ ને પણ માયા છોડતી નથી. માયા પહેલવાનો ને જ ચક્ર માં લાવે છે, આમાં બહાદુર બનવું પડે. જુઠ્ઠું તો ચાલી ન શકે. સાચું બતાવવાથી હલકા થઈ જશો. કેટલું પણ બાબા સમજાવે છે છતાં પણ કંઈ ને કંઈ ચાલતું જ રહે છે. અનેક પ્રકારની વાતો થાય છે. હવે જ્યારે બાપ થી રાજ્ય લેવાનું છે તો બાપ કહે છે કે બુદ્ધિ બીજા તરફ થી હટાવો. આપ બાળકોને હમણાં નોલેજ મળ્યું છે, ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. તમે પોતાનાં જન્મો ને પણ જાણી ગયાં છો. કોઈનો ઉલ્ટો-સુલ્ટો જન્મ થાય છે, આને ડિફેક્ટેડ (ખામીયુક્ત) કહેવાય છે. પોતાનાં કર્મો અનુસાર જ એવું થાય છે. બાકી મનુષ્ય તો મનુષ્ય જ હોય છે. તો બાપ સમજાવે છે કે એક તો પવિત્ર રહેવાનું છે, બીજું જુઠ્ઠું, પાપ કંઈ નથી કરવાનું. નહીં તો ખૂબ નુકશાન થઈ જશે. જુઓ એક થી થોડી ભૂલ થઇ, આવ્યો બાબાની પાસે. બાબા ક્ષમા કરજો. એવું કામ પછી ક્યારે નહીં કરું. બાબાએ કહ્યું આવી ભૂલો ઘણાં થી થાય છે, તમે તો સાચું બતાવો છો, ઘણાં તો સંભળાવતાં પણ નથી. કોઈ-કોઈ ફર્સ્ટ ક્લાસ બાળકીઓ છે, ક્યારેય પણ ક્યાંય બુદ્ધિ જતી નથી. જેમ મુંબઈમાં નિર્મલા ડોક્ટર છે, નંબરવન. બિલકુલ સાફ દિલ, ક્યારેય દિલમાં ઉલ્ટા વિચાર નહીં આવશે એટલે દિલ પર ચઢેલી છે. એવી બીજી પણ બાળકીઓ છે. તો બાપ સમજાવે છે ફક્ત સાચાં દિલ થી બાપ ને યાદ કરો. કર્મ તો કરવાનાં જ છે. બુદ્ધિયોગ બાપ થી લાગ્યો રહે. હાથ કામ તરફ દિલ યાર તરફ. તે અવસ્થા પાછળની છે. જેનાં માટે જ ગવાય છે - અતીન્દ્રિય સુખ ગોપી ગોપીઓ થી પૂછો જે આ અવસ્થાને પામે છે. જે પાપ કર્મ કરે છે એમની આ અવસ્થા થતી નથી. બાબા સારી રીતે જાણે છે ત્યારે તો ભક્તિમાર્ગ માં પણ સારા કે ખોટા કર્મનું ફળ મળે છે. આપવા વાળા તો બાપ છે ને. જે કોઈને દુઃખ આપશે તો જરુર દુઃખ ભોગવશે. જેવાં કર્મ કર્યા છે તો ભોગવવાં જ પડશે. અહીંયા તો બાપ પોતે હાજર છે, સમજાવતાં રહે છે છતાં પણ ગવર્મેન્ટ છે, ધર્મરાજ તો મારાં સાથે થયાં ને. આ સમયે મારા થી કાંઈ પણ છૂપાવો નહીં. એવું નહીં કે બાબા જાણે છે, આપણે શિવબાબા થી દિલની અંદર ક્ષમા લઈએ છીએ, કંઈ પણ ક્ષમા નહીં થશે. પાપ ક્યારેય પણ કોઈનું છુપું રહેશે નહીં. પાપ કરવાથી દિવસ-પ્રતિદિવસ પાપ આત્મા બનતા જાય છે. તકદીર માં નથી તો પછી એવું જ થાય છે. રજીસ્ટર ખરાબ થઈ જાય છે. એક વખત તો જુઠ્ઠું બોલે છે, સાચું બતાવતા નથી, સમજાય છે આવાં કામ કરતાં જ રહે છે. જુઠ્ઠું ક્યારેય છુપાઈ નથી શકતું. બાપ તો પણ બાળકો ને સમજાવે છે - કખ નો ચોર તે લખ નો ચોર કહેવાય છે એટલે કહેવું જોઈએ ને કે અમારાથી આ દોષ થયો. જ્યારે બાબા પૂછે છે ત્યારે કહે છે ભૂલ થઈ ગઈ, જાતે જ પોતે કેમ નથી બતાવતાં. બાબા જાણે છે ઘણાં બાળકો છુપાવે છે. બાપ ને સંભળાવવા થી શ્રીમત મળશે. ક્યાંય થી ચિઠ્ઠી આવે છે પૂછો શું જવાબ આપવાનો છે. સંભળાવવા થી શ્રીમત મળશે. અનેકોમાં કોઈ ગંદી આદત છે - તો તે છુપાવે છે. કોઈ ને લૌકિક ઘર થી મળે છે. બાબા કહે ભલે પહેરો તો પછી જવાબદાર બાબા થઈ ગયાં. અવસ્થા જોઈને કોઈને કહું છું યજ્ઞમાં મોકલી દો. તમને બદલી કરીને આપે તો ઠીક છે, નહીં તો તે યાદ રહેશે. બાબા ખૂબ ખબરદાર કરે છે. માર્ગ ખૂબ ઉંચો છે. કદમ-કદમ પર સર્જન ની સલાહ લેવાની છે. બાબા શિક્ષા જ આપશે કે આમ-આમ ચિઠ્ઠી લખો તો તીર લાગશે, પરંતુ દેહ-અભિમાન અનેકોમાં છે. શ્રીમત પર ન ચાલવાથી પોતાનું ખાતું ખરાબ કરે છે. શ્રીમત પર ચાલવાથી હર હાલત માં ફાયદો છે. રસ્તો કેટલો સહજ છે. ફક્ત યાદ થી તમે વિશ્વનાં માલિક બનો છો. વૃદ્ધ માતાઓનાં માટે કહે છે ફક્ત બાપ અને વારસા ને યાદ કરો. પ્રજા નથી બનાવતાં તો રાજા રાણી પણ બની નથી શકતાં. છતાં પણ જે છુપાવે છે, એનાથી તો ઊંચ પદ પામી શકે છે. બાપ ની ફરજ છે સમજાવવું. જે પછી એવું ન કહે કે અમને ખબર નહોતી. બાબા બધાં ડાયરેક્શન આપે છે. ભૂલ ને ઝટ બતાવવી જોઈએ. વાંધો નહીં, પછી નહીં કરતાં. આમાં ડરવાની વાત નથી. પ્રેમ થી સમજાવાય છે. બાપ ને બતાવવામાં કલ્યાણ છે. બાપ પુચકાર આપી પ્રેમ થી સમજાવશે. નહીં તો દિલ થી એકદમ નીચે પડે છે. આમની દિલથી પડ્યાં તો શિવબાબાનાં દિલથી પણ પડ્યાં. એવું નહીં કે અમે ડાયરેક્ટ લઈ શકીએ છીએ, કંઈ પણ થશે નહીં. જેટલું સમજાવાય છે - બાપ ને યાદ કરો, એટલી બુદ્ધિ બહાર તરફ ભાગતી રહે છે. આ બધી વાતો બાપ ડાયરેક્ટ બેસી સમજાવે છે, જેનાં પછી શાસ્ત્ર બને છે. આમાં ગીતા જ ભારતનું સર્વોત્તમ શાસ્ત્ર છે. ગવાયેલુ પણ છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા, જે ભગવાને ગાઈ. બાકી બધાં ધર્મ તો પાછળ થી આવે છે. ગીતા થઈ ગઈ માતા-પિતા, બાકી બધાં થયાં બાળકો. ગીતામાં જ ભગવાનુવાચ છે. કૃષ્ણ ને તો દૈવી સંપ્રદાય કહેશું. દેવતા તો ફક્ત બ્રહ્મા વિષ્ણુ શંકર છે. ભગવાન તો દેવતાઓથી પણ ઊંચ થયાં. બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય ને રચવા વાળા શિવ થયાં. બિલકુલ સ્પષ્ટ છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, એવું તો ક્યારેય કહેતાં નથી કૃષ્ણ દ્વારા સ્થાપના. બ્રહ્માનું રુપ દેખાડ્યું છે. કોની સ્થાપના? વિષ્ણુપુરી ની. આ ચિત્ર તો દિલમાં છપાઈ જવું જોઈએ. આપણે શિવબાબા થી એમનાં દ્વારા વારસો લઈએ છીએ. બાપ વગર દાદાનો વારસો મળી નથી શકતો. જ્યારે કોઈ પણ મળે છે તો આ બતાવો કે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મંઝિલ ખૂબ ઊંચી છે એટલે કદમ-કદમ પર સર્જન થી સલાહ લેવાની છે. શ્રીમત પર ચાલવામાં જ ફાયદો છે, બાપ થી કાંઈ પણ છુપાવવાનું નથી.

2. દેહ અને દેહધારીઓથી બુદ્ધિ નો યોગ હટાવી એક બાપ થી લગાવવાનો છે. કર્મ કરતાં પણ એક બાપ ની યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
શક્તિઓની કિરણો દ્વારા કમી , કમજોરી રુપી કચરા ને ભસ્મ કરવા વાળા માસ્ટર જ્ઞાન સૂર્ય ભવ

જે બાળકો જ્ઞાન સૂર્ય સમાન માસ્ટર સૂર્ય છે તે પોતાની શક્તિઓની કિરણો દ્વારા કોઈ પણ પ્રકારનો કચરો અર્થાત્ કમી કે કમજોરી, સેકન્ડ માં ભસ્મ કરી દે છે. સૂર્ય નું કામ છે કચરા ને એવો ભસ્મ કરી દેવો જે નામ, રુપ, રંગ સદાનાં માટે સમાપ્ત થઈ જાય. માસ્ટર જ્ઞાન સૂર્ય ની દરેક શક્તિ ખૂબ કમાલ કરી શકે છે પરંતુ સમય પર ઉપયોગ કરતા આવડતું હોય. જે સમયે જે શક્તિની આવશ્યકતા હોય તે સમયે તે શક્તિ થી કામ લો અને સર્વની કમજોરીઓ ને ભસ્મ કરો ત્યારે કહેશે માસ્ટર જ્ઞાન સૂર્ય.

સ્લોગન :-
ગુણમૂર્ત બની પોતાની જીવન રુપી ફૂલદાનીમાં દિવ્યતા ની સુગંધ ફેલાવો.