14-03-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.11.87    બાપદાદા મધુબન


“ સાઈલેન્સ પાવર ( શાંતિની શક્તિ ) જમા કરવાનું સાધન - અંતર્મુખી અને એકાંતવાસી સ્થિતિ ”
 


આજે સર્વ શક્તિવાન બાપદાદા પોતાની શક્તિ સેના ને જોઈ રહ્યાં છે. આ રુહાની શક્તિ સેના વિચિત્ર સેના છે. નામ રુહાની સેના છે પરંતુ વિશેષ સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ છે, શાંતિ આપવા વાળી અહિંસક સેના છે. તો આજે બાપદાદા દરેક શાંતિદેવા બાળકો ને જોઈ રહ્યાં છે કે દરેકે શાંતિની શક્તિ ક્યાં સુધી જમા કરી છે? આ શાંતિની શક્તિ આ રુહાની સેનાનું વિશેષ શસ્ત્ર છે. છે બધાં શસ્ત્રધારી પરંતુ નંબરવાર છે. શાંતિની શક્તિ આખાં વિશ્વ ને અશાંત થી શાંત બનાવવા વાળી છે, ન ફક્ત મનુષ્ય આત્માઓને પરંતુ પ્રકૃતિને પણ પરિવર્તન કરવા વાળી છે. શાંતિની શક્તિને હજું ગુહ્ય રુપથી જાણવાની અને અનુભવ કરવાની છે. જેટલાં આ શક્તિમાં શક્તિશાળી બનશો, એટલું જ શાંતિની શક્તિનું મહત્વ, મહાનતા નો અનુભવ વધારે કરતાં જશો. હમણાં વાણીની શક્તિ થી સેવાનાં સાધનોની શક્તિ અનુભવ કરી રહ્યાં છો અને આ અનુભવ દ્વારા સફળતા પણ પ્રાપ્ત કરી રહ્યાં છો. પરંતુ વાણી ની શક્તિ અથવા સ્થૂળ સેવાનાં સાધનો થી વધારે સાઇલેન્સ ની શક્તિ અતિ શ્રેષ્ઠ છે. સાઈલેન્સ ની શક્તિ નાં સાધન પણ શ્રેષ્ઠ છે. જેમ વાણીની સેવા નાં સાધન ચિત્ર, પ્રોજેક્ટર અથવા વિડીઓ વગેરે બનાવો છો, એમ શાંતિની શક્તિનાં સાધન - શુભ સંકલ્પ, શુભ ભાવના અને નયનોની ભાષા છે. જેમ મુખની ભાષા દ્વારા બાપ નો અથવા રચના નો પરિચય આપો છો, એમ સાઈલેન્સની શક્તિનાં આધાર પર નયનો ની ભાષા થી નયનો દ્વારા બાપ નો અનુભવ કરાવી શકો છો. જેમ પ્રોજેક્ટર દ્વારા ચિત્ર દેખાડો છો, તેમ તમારા મસ્તકની વચ્ચે ચમકતું તમારું કે બાપ નું ચિત્ર સ્પષ્ટ દેખાડી શકો છો. જેમ વર્તમાન સમયે વાણી દ્વારા યાદની યાત્રાનો અનુભવ કરાવો છો, એમ સાઇલેન્સ ની શક્તિ દ્વારા તમારો ચહેરો (જેનો મુખ કહો છો) તમારા દ્વારા ભિન્ન-ભિન્ન યાદની સ્થિતિ નો સ્વતઃ જ અનુભવ કરાવશે. અનુભવ કરવા વાળાઓને સહજ મહેસૂસ થશે કે આ સમયે બીજરુપ સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે અથવા ફરીશ્તા રુપનો અનુભવ થઈ રહ્યો છે અથવા ભિન્ન-ભિન્ન ગુણો નો અનુભવ તમારા આ શક્તિશાળી ચહેરા થી સ્વતઃ જ થતો રહેશે.

જેમ વાણી દ્વારા આત્માઓને સ્નેહનાં સહયોગ ની ભાવના ઉત્પન્ન કરાવો છો, એમ જ્યારે તમે શુભ ભાવના, સ્નેહની ભાવનાની સ્થિતિમાં સ્વયં સ્થિત હશો તો જેવી તમારી ભાવના હશે તેવી ભાવના એમનામાં પણ ઉત્પન્ન થશે. તમારી શુભ ભાવના એમની ભાવનાને પ્રજ્જવલિત કરશે. જેમ દીપક, દીપકને પ્રગટાવે છે, એમ તમારી શક્તિશાળી શુભભાવના બીજાઓમાં પણ સર્વશ્રેષ્ઠ ભાવના સહજ જ ઉત્પન્ન કરાવશે. જેમ વાણી દ્વારા હમણાં બધાં સ્થૂળ કાર્ય કરતાં રહો છો, એમ સાઈલન્સ ની શક્તિ નું શ્રેષ્ઠ સાધન - શુભ સંકલ્પની શક્તિ થી સ્થૂળ કાર્ય પણ એમ જ સહજ કરી શકો છો અથવા કરાવી શકો છો. જેમ સાયન્સ ની શક્તિનાં સાધન ટેલીફોન, વાયરલેસ છે, એમ આ શુભ સંકલ્પ સમ્મુખ વાત કરવી અથવા ટેલિફોન, વાયરલેસ દ્વારા કાર્ય કરાવવાનો અનુભવ કરાવશે. એમ સાઇલેન્સની શક્તિ માં વિશેષતાઓ છે. સાઈલેન્સ ની શક્તિ ઓછી નથી. પરંતુ હમણાં વાણીની શક્તિ ને, સ્થૂળ સાધનો ને વધારે કાર્યમાં લગાવો છો, એટલે આ સહજ લાગે છે. સાઈલેન્સ ની શક્તિનાં સાધનો ને પ્રયોગ માં નથી લાવ્યાં, એટલે આનો અનુભવ નથી. તે સહજ લાગે છે, આ મહેનત નું લાગે છે. પરંતુ સમય પરિવર્તન પ્રમાણે આ શાંતિની શક્તિનાં સાધન પ્રયોગમાં લાવવાં જ પડશે એટલે, હેં શાંતિદેવા શ્રેષ્ઠ આત્માઓ! આ શાંતિની શક્તિ ને અનુભવ માં લાવો. જેમ વાણી ની પ્રેક્ટિસ કરતાં-કરતાં વાણી નાં શક્તિ શાળી થઈ ગયાં છો, એમ શાંતિની શક્તિનાં પણ અભ્યાસી બનતાં જાઓ. આગળ ચાલી વાણી કે સ્થૂળ સાધનોનાં દ્વારા સેવા નો સમય નહીં મળશે. એવાં સમય પર શાંતિની શક્તિનાં સાધન આવશ્યક હશે કારણ કે જેટલા જે મહાન શક્તિશાળી હોય છે તે અતિ સૂક્ષ્મ હોય છે. તો વાણી થી શુદ્ધ-સંકલ્પ સૂક્ષ્મ છે, એટલે સૂક્ષ્મનો પ્રભાવ શક્તિશાળી હશે. હમણાં પણ અનુભવી છો, જ્યાં વાણી દ્વારા કોઈ કાર્ય સિદ્ધ નથી થતું તો કહો છો - આ વાણી થી નહિં સમજશે, શુભ ભાવના થી પરિવર્તન થશે. જ્યાં વાણી કાર્ય ને સફળ નથી કરી સકતી, ત્યાં સાઈલેન્સ ની શક્તિનાં સાધન શુભ-સંકલ્પ, શુભ-ભાવના, નયનોની ભાષા દ્વારા રહેમ અને સ્નેહ ની અનુભૂતિ કાર્ય સિદ્ધ કરી શકે છે. જેમ હમણાં પણ કોઈ વાદ-વિવાદ વાળા આવે છે તો વાણી થી વધારે વાદ-વિવાદ માં આવી જાય છે. એમને યાદમાં બેસાડી સાઇલેન્સ ની શક્તિનો અનુભવ કરાવો છો ને. એક સેકન્ડ પણ જો યાદ દ્વારા શાંતિનો અનુભવ કરી લે છે તો સ્વયં જ પોતાની વાદ-વિવાદની બુદ્ધિને સાઇલેન્સ ની અનુભૂતિનાં આગળ સમર્પણ કરી દે છે. તો આ સાઇલેન્સની શક્તિનો અનુભવ વધારતાં જાઓ. હમણાં આ સાઇલેન્સ ની શક્તિની અનુભૂતિ બહુજ ઓછી છે. સાઇલેન્સની શક્તિ નો રસ હમણાં સુધી મેજોરીટી એ ફક્ત અંચલી માત્ર અનુભવ કર્યો છે. હેં શાંતિ-દેવા, તમારા ભક્ત તમારા જડ ચિત્રો થી શાંતિ જ વધારે માંગે છે કારણ કે શાંતિમાં જ સુખ સમાયેલું છે. તેઓ અલ્પકાળ નો અનુભવ પણ કરે છે. તો બાપદાદા જોઈ રહ્યાં હતા શાંતિની શક્તિની અનુભવી આત્મા ઓ કેટલી છે, વર્ણન કરવા વાળી કેટલી છે અને પ્રયોગ કરવા વાળી કેટલી છે. એના માટે - અંતર્મુખતા અને એકાંતવાસી બનવાની આવશ્યકતા છે. બાહરમુખતા માં આવવું સહજ છે પરંતુ અંતર્મુખી નો અભ્યાસ હમણાં સમય પ્રમાણે ખુબજ જોઈએ. ઘણાં બાળકો કહે છે - એકાન્તવાસી બનવાનો સમય નથી મળતો, અંતર્મુખી સ્થિતિ નો અનુભવ કરવાનો સમય નથી મળતો કારણ કે સેવાની પ્રવૃત્તિ, વાણીની શક્તિની પ્રવૃત્તિ બહુજ વધી ગઈ છે. પરંતુ એનાં માટે કોઈ એક સાથે અડધો અથવા એક કલાક કાઢવાની આવશ્યકતા નથી. સેવાની પ્રવૃત્તિ માં રહેતાં પણ વચ્ચે-વચ્ચે એટલો સમય મળી શકે છે જે એકાંતવાસી બનવાનો અનુભવ કરો.

એકાંતવાસી અર્થાત્ કોઈ પણ એક શક્તિશાળી સ્થિતિમાં સ્થિત થવું. ભલે બીજરુપ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ, ભલે લાઈટ-હાઉસ, માઇટ-હાઉસ આ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ અર્થાત્ વિશ્વને લાઈટ-માઇટ આપવા વાળા - આ અનુભૂતિમાં સ્થિત થઈ જાઓ. ભલે ફરિશ્તાપણા ની સ્થિતિ દ્વારા બીજાઓને પણ અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરાવો. એક સેકન્ડ અથવા એક મિનિટ જો આ સ્થિતિમાં એકાગ્ર થઈ સ્થિત થઈ જાઓ તો આ એક મિનિટની સ્થિતિ સ્વયં તમને અને બીજાઓને પણ બહુ જ લાભ આપી શકે છે. ફક્ત આની પ્રેક્ટિસ જોઈએ. હવે એવું કોણ છે જેને એક મિનિટ પણ ફુરસદ નથી મળી શકતી? જેમ પહેલાં ટ્રાફિક કંટ્રોલ નો પ્રોગ્રામ બન્યો તો ઘણાં વિચારતા હતાં - આ કેવી રીતે થઈ શકે? સેવા ની પ્રવૃત્તિ બહુ મોટી છે, વ્યસ્ત રહીએ છીએ. પરંતુ લક્ષ્ય રાખ્યું તો થઈ રહ્યું છે ને. પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને. સેવાકેન્દ્રો પર આ ટ્રાફિક કંટ્રોલ નો પ્રોગ્રામ ચલાવો છો કે ક્યારેક મિસ કરો, ક્યારેક ચલાવો? આ એક બ્રાહ્મણ કુળની રીત છે, નિયમ છે. જેમ બીજા નિયમ આવશ્યક સમજો છો, એમ આ પણ સ્વ-ઉન્નતિનાં માટે કે સેવાની સફળતાનાં માટે, સેવાકેન્દ્રનાં વાતાવરણ નાં માટે આવશ્યક છે. એવી રીતે અંતર્મુખી, એકાંતવાસી બનવાનાં અભ્યાસનાં લક્ષ્ય ને લઈને પોતાનાં દિલની લગન થી વચ્ચે-વચ્ચે સમય કાઢો. મહત્વ જાણવા વાળાને સમય સ્વતઃ જ મળી જાય છે. મહત્વ નથી તો સમય પણ નથી મળતો. એક પાવરફુલ સ્થિતિમાં પોતાનાં મન ને, બુદ્ધિ ને સ્થિત કરવું જ એકાંતવાસી બનવું છે. જેમ સાકાર બ્રહ્મા બાપ ને જોયાં, સંપૂર્ણતા નાં સમીપતાની નિશાની - સેવામાં રહેતાં, સમાચાર પણ સાંભળતાં-સાંભળતાં એકાંતવાસી બની જતાં હતાં. આ અનુભવ કર્યો ને. એક કલાકનાં સમાચાર ને પણ ૫ મિનિટમાં સાર સમજી બાળકોને પણ ખુશ કર્યા અને પોતાની અંતર્મુખી, એકાંતવાસી સ્થિતિ નો પણ અનુભવ કરાવ્યો. સંપૂર્ણતાની નિશાની - અંતર્મુખી, એકાંતવાસી સ્થિતિ ચાલતાં-ફરતાં, સાંભળતાં, કરતાં અનુભવ કર્યો. તો ફોલો ફાધર (બાપનું અનુસરણ) નથી કરી શકતાં? બ્રહ્મા બાપ થી વધારે જવાબદારી બીજા કોઈની છે શું? બ્રહ્મા બાપે ક્યારેય નથી કહ્યું કે હું બહુજ વ્યસ્ત છું. પરંતુ બાળકોની આગળ એક્ઝામ્પલ (ઉદાહરણ) બન્યાં. એમ હવે સમય પ્રમાણે આ અભ્યાસની આવશ્યકતા છે. બધાં સેવાનાં સાધન હોવા છતાં પણ સાઇલેન્સ ની શક્તિ ની સેવાની આવશ્યકતા હશે કારણ કે સાઇલેન્સ ની શક્તિ અનુભૂતિ કરાવવાની શક્તિ છે. વાણીની શક્તિનું તીર ખાસ કરીને દિમાગ સુધી પહોંચે છે અને અનુભૂતિ નું તીર દિલ સુધી પહોંચે છે. તો સમય પ્રમાણે એક સેકન્ડમાં અનુભૂતિ કરાવી લો - આ જ પોકાર હશે. સાંભળવા-સંભળાવવા થી થાકેલાં આવશે. સાઈલેન્સ ની શક્તિ નાં સાધનો દ્વારા નજર થી નિહાલ કરી દેશો. શુભ સંકલ્પ થી આત્માઓનાં વ્યર્થ સંકલ્પો ને સમાપ્ત કરી દેશો. શુભ ભાવના થી બાપની તરફ સ્નેહ ની ભાવના ઉત્પન્ન કરાવી લેશો. એમ એ આત્માઓ ને શાંતિ ની શક્તિ થી સંતુષ્ટ કરશો, ત્યારે આપ ચૈતન્ય શાંતિદેવ આત્માઓનાં આગળ ‘શાંતિ દેવા, શાંતિ દેવા’ કહીને મહિમા કરશે અને આ જ અંતિમ સંસ્કાર લઈ જવાનાં કારણે દ્વાપર માં ભક્ત આત્મા બની તમારાં જડ ચિત્રોની આ મહિમા કરશે. આ ટ્રાફિક કંટ્રોલનું પણ મહત્વ કેટલું મોટું છે અને કેટલું આવશ્યક છે - આ પછી સંભળાવશે. પરંતુ શાંતિની શક્તિનાં મહત્વ ને સ્વયં જાણો અને સેવામાં લગાવો. સમજ્યાં?

આજે પંજાબ આવ્યું છે ને. પંજાબમાં સેવાનું મહત્વ પણ સાઇલેન્સની શક્તિનું છે. સાઈલેન્સ ની શક્તિ થી હિંસક વૃત્તિવાળા ને અહિંસક બનાવી શકો છો. જેમ સ્થાપના નાં આદિનાં સમય માં જોયું - હિંસક વૃત્તિ વાળા રુહાની શાંતિની શક્તિનાં આગળ પરિવર્તન થઈ ગયાં ને. તો હિંસક વૃત્તિને શાંત બનાવવા વાળી શાંતિની શક્તિ છે. વાણી સાંભળવા માટે તૈયાર જ નથી થતાં. જ્યારે પ્રકૃતિની શક્તિ થી ગરમી કે ઠંડી ની લહેર ચારે બાજુ ફેલાઈ શકે છે તો પ્રકૃતિપતિ ની શાંતિ ની લહેર ચારે બાજુ નથી ફેલાઈ સકતી? સાયન્સ નાં સાધન પણ ગરમી ને ઠંડીનાં વાતાવરણ માં બદલી શકે છે, તો રુહાની શક્તિ રુહો ને નથી બદલી સકતી? તો પંજાબ વાળાઓ એ શું સાંભળ્યું? બધાને વાઇબ્રેશન આવે કે કોઈ શાંતિનું પુંજ, શાંતિ ની કિરણો આપી રહ્યાં છે. એવી સેવા કરવાનો સમય પંજાબ ને મળ્યો છે. ફંકશન (કાર્યક્રમ), પ્રદર્શની વગેરે આ તો કરો જ છો પરંતુ આ શક્તિ નો અનુભવ કરો અને કરાવો. ફક્ત પોતાનાં મનની એકાગ્ર વૃત્તિ, શક્તિશાળી વૃત્તિ જોઈએ. લાઈટ હાઉસ જેટલું શક્તિશાળી હોય છે, એટલું દૂર સુધી લાઈટ આપી શકે છે. તો પંજાબ વાળાઓ માટે આ સમય છે આ શક્તિ ને પ્રયોગમાં લાવવાનો. સમજ્યાં? અચ્છા.

આંધ્રપ્રદેશનું પણ ગ્રુપ છે. તે શું કરશે? તોફાન ને શાંત કરશે. આંધ્રા માં તોફાન બહુ જ આવે છે ને. તોફાનો ને શાંત કરવા માટે પણ શાંતિની શક્તિ જોઈએ. તોફાનોમાં મનુષ્ય આત્માઓ ભટકી જાય છે. તો ભટકેલી આત્માઓને શાંતિ નું ઠેકાણું આપવું - આ આંધ્રા વાળાઓ ની વિશેષ સેવા છે. જો શરીર થી પણ ભટકે છે તો પહેલાં મન ભટકે છે, પછી શરીર ભટકે છે. મનનાં ઠેકાણાં થી શરીરનાં ઠેકાણાં માટે પણ બુદ્ધિ કામ કરશે. જો મન નું ઠેકાણું નથી હોતું તો શરીર નાં સાધનો માટે પણ બુદ્ધિ કામ નથી કરતી, એટલે બધાનાં મનને ઠેકાણા પર લગાવવા માટે આ શક્તિ ને કાર્યમાં લગાવો. બંનેને તોફાનો થી બચાવવાનાં છે. ત્યાં હિંસાનું તોફાન છે, અહીંયા સમુદ્ર નું તોફાન છે. ત્યાં વ્યક્તિઓનું છે, ત્યાં પ્રકૃતિનું છે. પરતું છે બંને તરફ તોફાન. તોફાન વાળાઓ ને શાંતિ ની ભેટ આપો. ભેટ તોફાન ને બદલી લેશે. અચ્છા.

ચારે બાજુનાં શાંતિદેવા શ્રેષ્ઠ આત્માઓ ને, ચારે બાજુનાં અંતર્મુખી મહાન આત્માઓ ને, સદા એકાંતવાસી બની કર્મ માં આવવા વાળી કર્મયોગી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા શાંતિની શક્તિનો પ્રયોગ કરવા વાળી શ્રેષ્ઠ યોગી આત્માઓ ને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.

દાદીજી એક દિવસ ની રાજપીપળા ( ગુજરાત ) મેળામાં જવાની રજા લઇ રહ્યાં છે

વિશેષ આત્માઓનાં દરેક કદમ માં પદમોની કમાણી છે. મોટાઓનો સહયોગ પણ છત્રછાયા બની ચાર ચાંદ લગાવી દે છે. જ્યાં પણ જાઓ ત્યાં બધાને એક-એક નાં નામ થી યાદપ્યાર સ્વીકાર કરાવજો. નામની માળા તો ભક્તિમાં બાળકોએ બહુજ જપી. હમણાં બાપ આ માળા શરું કરશે તો મોટી માળા થઈ જશે. એટલે જે પણ જ્યાં પણ બાળકો (વિશેષ આત્માઓ) જાય છે - ત્યાં વિશેષ ઉમંગ-ઉત્સાહ વધી જાય છે. વિશેષ આત્માઓનું જવું અર્થાત્ સેવામાં વધારે વિશેષતા આવવી. અહીંયા થી શરું થાય છે - ફક્ત ધરણી માં ચરણ ફેરવી ને જજો. ચરણ ફરાવવાં એટલે ચક્ર લગાડવું. અહીંયા સેવામાં ચક્ર લગાવો છો, ત્યાં ભક્તિમાં તેમણે ચરણ રાખવાનું મહત્વ બનાવ્યું છે. પરંતુ શરું તો બધું અહીંયા થી જ થાય છે. ભલે અડધો કલાક, એક કલાક પણ ક્યાંય જાઓ છો તો બધાં ખુશ થઈ જાય છે. પરંતુ અહીંયા સેવા થાય છે. ભક્તિ માં ફક્ત ચરણ રાખવાથી ખુશી અનુભવ કરે છે. બધી સ્થાપના અહીંયા થી જ થઈ રહી છે. આખું ભક્તિમાર્ગ નું ફાઉન્ડેશન અહિયાંથી જ પડે છે, ફક્ત રુપ બદલાઈ જશે. તો જે પણ મેળા સેવાનાં નિમિત્ત બન્યાં છે અર્થાત્ મિલન મનાવવાની સેવાનાં નિમિત્ત બન્યાં છે, એ બધાને બાપદાદા, મેળાનાં પહેલાં મિલન-મેળો મનાવી રહ્યાં છે. આ બાપ અને બાળકો નો મેળો છે, તે સેવા નો મેળો છે. તો બધાને દિલ થી યાદપ્યાર. અચ્છા. દુનિયામાં રાત્રીક્લબ હોય છે આ અમૃતવેલા ક્લબ છે. (દાદીઓ થી) તમે બધાં અમૃતવેલાનાં ક્લબનાં મેમ્બર્સ છો. બધાં જોઈને ખુશ થાય છે. વિશેષ આત્માઓને જોઈને પણ ખુશી થાય છે. અચ્છા.

વિદાયનો સમય - સદ્દગુરુવાર ની યાદ પ્યાર ( પ્રાતઃ ૬ વાગે )

વૃક્ષપતિ દિવસ પર વૃક્ષનાં પહેલાં આદિ અમૂલ્ય પાંદડાઓ ને વૃક્ષપતિ બાપનાં યાદપ્યાર અને નમસ્તે. બૃહસ્પતિ ની દશા તો બધી શ્રેષ્ઠ આત્માઓ પર છે જ. રાહુની દશા અને અનેક દશાઓ સમાપ્ત થઈ. હમણાં એક જ વૃક્ષપતી ની, બૃહસ્પતિ ની દશા દરેક બ્રાહ્મણ આત્માની સદા રહે છે. તો બૃહસ્પતિ ની દશા પણ છે અને દિવસ પણ બૃહસ્પતિ નો છે અને વૃક્ષપતિ પોતાનાં વૃક્ષનાં આદિ પાંદડાઓ થી મિલન મનાવી રહ્યાં છે. તો સદા યાદ છે અને સદા યાદ રહેશે. સદા પ્રેમમાં સમાયેલા છો અને સદા પ્રેમ રહેશે. સમજ્યાં!

વરદાન :-
પાવરફુલ બ્રેક દ્વારા વરદાની રુપ થી સેવા કરવા વાળા લાઈટ - માઈટ હાઉસ ભવ

વરદાની રુપથી સેવા કરવા માટે પહેલાં સ્વયમાં શુદ્ધ સંકલ્પ જોઈએ તથા અન્ય સંકલ્પો ને સેકન્ડમાં કંટ્રોલ કરવાનો વિશેષ અભ્યાસ જોઈએ. આખો દિવસ શુભ સંકલ્પોનાં સાગર માં લહેરાતા રહો અને જે સમયે ઈચ્છો શુદ્ધ સંકલ્પોનાં સાગરનાં તટ માં જઈને સાઇલેન્સ નું સ્વરુપ થઈ જાઓ, એનાં માટે બ્રેક પાવરફુલ હોય, સંકલ્પો પર પૂરો કંટ્રોલ હોય અને બુદ્ધિ અને સંસ્કાર પર પૂરો અધિકાર હોય ત્યારે લાઇટ માઇટ હાઉસ બની વરદાની રુપ થી સેવા કરી શકશો.

સ્લોગન :-
સંકલ્પ, સમય અને બોલ ની ઇકોનોમી કરો તો બાબાની મદદ ને કેચ કરી શકશો.