01-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
આપસ માં ખુબ - ખુબ રુહાની સ્નેહ થી રહેવાનું છે , ક્યારેય પણ મતભેદ માં નથી આવવાનું
”
પ્રશ્ન :-
દરેક બ્રાહ્મણ
બાળકે પોતાનાં દિલ થી કઈ વાત પૂછવી જોઈએ?
ઉત્તર :-
પોતાનાં દિલ થી પૂછો - ૧. હું ઈશ્વરનાં દિલ પર ચઢેલો છું! ૨. મારામાં દૈવીગુણોની
ધારણા ક્યાં સુધી છે? ૩. હું બ્રાહ્મણ ઈશ્વરીય સર્વિસમાં બાધા તો નથી નાખતો! ૪. સદા
ક્ષીરખંડ રહું છું! અમારી આપસ માં એક મત છે? ૫. હું સદા શ્રીમત નું પાલન કરું છું?
ગીત :-
ભોલેનાથ સે નિરાલા…
ઓમ શાંતિ!
આપ બાળકો છો
ઈશ્વરીય સંપ્રદાય. પહેલાં હતાં આસુરી સંપ્રદાય. આસુરી સંપ્રદાય ને આ ખબર નથી કે
ભોળાનાથ કોને કહેવાય છે. આ પણ નથી જાણતાં કે શિવ શંકર અલગ-અલગ છે. તે શંકર દેવતા
છે, શિવ બાપ છે. કંઈ પણ નથી જાણતાં. હવે તમે છો ઈશ્વરીય સંપ્રદાય અથવા ઈશ્વરીય
ફેમિલી. તે છે આસુરી ફેમિલી રાવણ ની. કેટલો ફરક છે. હવે તમે ઈશ્વરીય ફેમિલી માં
ઈશ્વર દ્વારા શીખી રહ્યાં છો કે એકબીજા માં રુહાની પ્રેમ કેવો હોવો જોઈએ. એકબીજા
માં બ્રાહ્મણ કુળમાં આ રુહાની પ્રેમ અહીંયાથી ભરવાનો છે. જેમનો પૂરો પ્રેમ નહીં હશે
તો પૂરું પદ પણ નહીં પામશે. ત્યાં તો છે જ એક ધર્મ એક રાજ્ય. આપસ માં કોઈ ઝઘડા નથી
થતાં. અહીંયા તો રાજાઈ છે નહીં. બ્રાહ્મણો માં પણ દેહ-અભિમાન હોવાનાં કારણે મતભેદ
માં આવી જાય છે. આવાં મતભેદમાં આવવાવાળા સજાઓ ખાઈને પછી પાસ થશે. પછી ત્યાં એક ધર્મ
માં રહે છે, તો ત્યાં શાંતિ હોય છે. હવે તે તરફ છે આસુરી સંપ્રદાય કે આસુરી ફેમિલી
જેવાં. અહીંયા છે ઇશ્વરીય ફેમિલી જેવાં. ભવિષ્યનાં માટે દૈવીગુણ ધારણ કરી રહ્યાં
છે. બાપ સર્વગુણ સંપન્ન બનાવે છે. બધાં તો નથી બનતાં. જે શ્રીમત પર ચાલે છે તે જ
વિજય માળાનાં દાણા બને છે. જે નહીં બનશે તે પ્રજા માં આવી જાય છે. ત્યાં તો ડીટી
ગવર્મેન્ટ (દૈવી સરકાર) છે. ૧૦૦ ટકા પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસ્પરીટી
(સમૃધ્ધિ) હોય છે. આ બ્રાહ્મણ કુળમાં હમણાં દૈવીગુણ ધારણ કરવાનાં છે કોઈ તો સારી
રીતે દૈવીગુણ ધારણ કરે, બીજાઓને કરાવતાં રહે છે. ઈશ્વરીય કુળમાં આપસ માં રુહાની
સ્નેહ પણ ત્યારે હશે જ્યારે દેહી-અભિમાની હશે, એટલે પુરુષાર્થ કરતાં રહે છે. અંતમા
પણ બધાની અવસ્થા એકરસ, એક જેવી તો નહીં હોઈ શકે. પછી સજાઓ ખાઈને પદ ભ્રષ્ટ થઈ પડશે.
ઓછું પદ પામી લેશે. બ્રાહ્મણોમાં પણ જો કોઈ આપસ માં ક્ષીરખંડ થઈને નથી રહેતાં, આપસમાં
લૂણપાણી થઈ રહે છે, દૈવીગુણ ધારણ નથી કરતાં તો ઊંચ પદ કેવી રીતે પામી શકશે. લૂણપાણી
થવાનાં કારણે ક્યાંક ઈશ્વરીય સર્વિસ માં પણ બાધા રાખતા રહે છે. જેનું પરિણામ શું
થાય છે તે આટલું ઉંચ પદ નથી પામી શકતાં. એક તરફ પુરુષાર્થ કરે છે ક્ષીરખંડ થવાનો.
બીજી તરફ માયા લૂણપાની બનાવી દે છે, જેનાં કારણે સર્વિસનાં બદલે ડીસસર્વિસ કરે છે.
બાપ બેસી સમજાવે છે તમે છો ઈશ્વરીય ફેમિલી. ઈશ્વર ની સાથે રહો પણ છો. કોઈ સાથે રહે
છે, કોઈ બીજા-બીજા ગામમાં રહે છે પરંતુ છો તો સાથે ને. બાપ પણ ભારત માં આવે છે
મનુષ્ય આ નથી જાણતાં, શિવબાબા ક્યારે આવે છે, શું આવીને કરે છે? તમને બાપ દ્વારા
હમણાં પરિચય મળ્યો છે. રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને હવે તમે જાણો છો. દુનિયા
ને ખબર નથી કે આ ચક્ર કેવી રીતે ફરે છે, હમણાં કયો સમય છે, બિલકુલ ધોર અંધારા માં
છે.
આપ બાળકો ને રચતા બાપે આવીને બધાં સમાચાર સંભળાવ્યાં છે. સાથે-સાથે સમજાવે છે કે
હેં સાલિગ્રામો મને યાદ કરો. આ શિવબાબા કહે છે પોતાનાં બાળકો ને. તમે પાવન બનવા
ઈચ્છો છો ને. પોકારતા આવ્યાં છો. હમણાં હું આવ્યો છું. શિવબાબા આવે જ છે - ભારત ને
ફરીથી શિવાલય બનાવવાં, રાવણે વેશ્યાલય બનાવ્યું છે. પોતે જ ગાએ છે કે અમે પતિત વિશશ
છીએ. ભારત સતયુગ માં સંપૂર્ણ નિર્વિકારી હતું. નિર્વિકારી દેવતાઓ ને વિકારી મનુષ્ય
પૂજે છે. પછી નિર્વિકારી જ વિકારી બને છે. આ કોઈને ખબર નથી. પૂજ્ય તો નિર્વિકારી હતાં
પછી પૂજારી વિકારી બને છે ત્યારે તો બોલાવે છે હેં પતિત-પાવન આવો, આવીને નિર્વિકારી
બનાવો. બાપ કહે છે આ અંતિમ જન્મ તમે પવિત્ર બનો. મામેકમ્ યાદ કરો તો તમારા પાપ કપાઈ
જશે અને તમે તમોપ્રધાન થી સતોપ્રધાન દેવતા બની જશો પછી ચંદ્રવંશી ક્ષત્રિય ફેમિલી
ટાઈપ માં આવશો. આ સમયે છો ઈશ્વરીય ફેમિલી ટાઈપ પછી દૈવી ફેમિલી માં ૨૧ જન્મ રહેશો.
આ ઈશ્વરીય ફેમિલી માં તમે અંતિમ જન્મ પસાર કરો છો. આમાં તમારે પુરુષાર્થ કરી પછી
સર્વગુણ સમ્પન્ન બનવાનું છે. તમે પૂજ્ય હતાં - બરાબર રાજ્ય કરતા હતાં પછી પૂજારી બનો
છો. આ સમજાવવું પડે ને. ભગવાન છે બાપ. આપણે એમનાં બાળકો છીએ તો ફેમિલી થઈ ને.
ગવાયેલું પણ છે તુમ માત-પિતા હમ બાલક તેરે... તો ફેમિલી થઇ ને. હવે બાપ થી સુખ ઘનેરા
મળે છે. બાપ કહે છે તમે મારી ફેમિલી બેશક છો. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર રાવણ
રાજ્યમાં આવ્યાં પછી ફરી તમે દુઃખમાં આવો છો તો પોકારો છો. આ સમયે તમે એક્યુરેટ
ફેમિલી છો. પછી તમને ભવિષ્ય ૨૧ જન્મ માટે વારસો આપું છું. આ વારસો પછી દૈવી ફેમિલી
માં ૨૧ જન્મ કાયમ રહેશે. દૈવી ફેમિલી સતયુગ ત્રેતા સુધી ચાલે છે. પછી રાવણ રાજ્ય
થવાથી ભૂલી જાય છે કે અમે દૈવી ફેમિલીનાં છીએ. વામમાર્ગ માં જવાથી આસુરી ફેમિલી થઈ
જાય છે. ૬૩ જન્મ સીડી ઉતરતા આવ્યાં છો. આ બધું નોલેજ તમારી બુદ્ધિમાં છે. કોઈને પણ
તમે સમજાવી શકો છો. અસલ તમે દેવી-દેવતા ધર્મ નાં છો. સતયુગ નાં પહેલાં હતું કળયુગ.
સંગમ પર તમને મનુષ્ય થી દેવતા બનાવાય છે. વચમાં છે આ સંગમ. તમને બ્રાહ્મણ ધર્મ થી
પછી દૈવી ધર્મ માં લઈ આવે છે. સમજાવાય છે લક્ષ્મી-નારાયણે આ રાજ્ય કેવી રીતે લીધું.
તેમનાં પહેલાં આસુરી રાજ્ય હતું પછી દૈવી રાજ્ય ક્યારે અને કેવી રીતે થયું. બાપ કહે
છે કલ્પ-કલ્પ સંગમ પર આવીને તમને બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ધર્મ માં લઈ આવું છું. આ
છે ભગવાન ની ફેમિલી. બધાં કહે છે ગોડફાધર. પરંતુ બાપને ન જાણવાનાં કારણે નિધનનાં બની
ગયાં છે એટલે બાપ આવે છે ઘોર અંધકાર થી અજવાળું કરવાં. હવે સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું
છે. આપ બાળકો ભણી રહ્યાં છો, દૈવીગુણ ધારણ કરી રહ્યાં છો. આ પણ ખબર હોવી જોઈએ - શિવ
જયંતી મનાવે છે, શિવ જયંતી નાં પછી ફરી શું થશે? જરુર દૈવી રાજ્યની જયંતી થઈ હશે
ને. હેવિનલી ગોડ ફાધર હેવન (સ્વર્ગ) ની સ્થાપના કરવા હેવન માં તો નહીં આવશે. કહે છે
હું હેલ (નર્ક) અને હેવન નાં વચમાં સંગમ પર આવું છું. શિવરાત્રી કહો છો ને. તો રાત
માં હું આવું છું. આ આપ બાળકો સમજી શકો છો. જે સમજે છે તે બીજાઓને પણ ધારણ કરાવે
છે. દિલ પર પણ તે ચઢે છે જે મન્સા-વાચા-કર્મણા સર્વિસ પર તત્પર રહે છે. જેવી-જેવી
સર્વિસ, એટલાં દિલ પર ચઢે છે. કોઈ ઓલરાઉન્ડર વર્કર્સ હોય છે. બધાં કામ શીખવા જોઈએ.
ખાવાનું બનાવવું, રોટલી બનાવવી, વાસણ માંજવા…. આ પણ સર્વિસ છે ને. બાપ ની યાદ છે
ફર્સ્ટ (પહેલાં). એમની યાદ થી જ વિકર્મ વિનાશ થાય છે. અહીંયાનો વારસો મળેલો છે. ત્યાં
સર્વગુણ સંપન્ન રહો છો. યથા રાજા રાણી તથા પ્રજા. દુઃખની વાત નથી હોતી. આ સમયે બધાં
નર્કવાસી છે. બધાની ઉતરતી કળા છે. પછી હવે ચઢતી કળા થશે. બાપ બધાને દુઃખ થી છોડાવી
સુખમાં લઈ જાય છે, એટલે બાપ ને લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે. અહીંયા તમને નશો રહે
છે અમે બાપ થી વારસો લઈ રહ્યાં છીએ, લાયક બની રહ્યાં છીએ. લાયક તો તેમને કહેશું જે
બીજાઓને રાજાઈ પદ પામવાનાં લાયક બનાવે છે. આ પણ બાબા એ સમજાવ્યું છે ભણવાવાળા તો ઘણાં
આવશે. એવું નથી કે બધાં ૮૪ જન્મ લેશે. જે થોડું ભણશે તે મોડે થી આવશે, તો જન્મ પણ
ઓછાં હશે ને. કોઈ ૮૦, કોઇ ૮૨, કોઈ જલદી આવે, કોઈ પાછળ થી આવે…. આખો આધાર ભણતર પર
છે. સાધારણ પ્રજા પાછળ થી આવશે. તેમનાં ૮૪ જન્મ હોઈ ન શકે. પાછળ થી આવતા રહે છે. જે
બિલકુલ અંતમાં હશે તે ત્રેતા અંત માં આવીને જન્મ લેશે. પછી વામમાર્ગ માં જાય છે.
ઉતરવાનું શરું થઈ જાય છે. ભારતવાસીઓએ કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે, તેમની આ સીડી છે.
આ ગોળો છે ડ્રામાનાં રુપમાં. જે પાવન હતાં તે જ હવે પતિત બન્યાં છે પછી પાવન દેવતા
બને છે. બાપ જ્યારે આવે છે તો બધાનું કલ્યાણ થાય છે એટલે આને ઓસ્પીશિયસ (પ્રાચીન)
યુગ કહેવાય છે. બલિહારી બાપની છે જે બધાનું કલ્યાણ કરે છે. સતયુગમાં બધાનું કલ્યાણ
હતું, કોઈ દુઃખ નહોતું, આ તો સમજવું પડે કે આપણે ઈશ્વરીય ફેમિલી-ટાઈપ નાં છીએ.
ઈશ્વર સર્વનાં બાપ છે. અહીંયા જ તમે માત-પિતા ગાઓ છો. ત્યાં તો ફક્ત ફાધર કહેવાય
છે. અહીંયા આપ બાળકોને મા-બાપ મળે છે. અહીંયા આપ બાળકોને એડોપ્ટ કરાય છે. ફાધર
ક્રિયેટર (રચયિતા) છે તો મધર પણ હશે. નહીં તો ક્રિયેશન (રચના) કેવી રીતે થશે. હેવનલી
ગોડફાધર કેવી રીતે હેવન સ્થાપન કરે છે, આ નથી ભારતવાસી જાણતાં, ન વિલાયત વાળા જ જાણે
છે. હવે તમે જાણો છો નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ, તો જરુર સંગમ
પર જ થશે. હમણાં તમે સંગમ પર છો. હવે બાપ સમજાવે છે મામેકમ્ યાદ કરો. આત્માએ યાદ
કરવાનાં છે - પરમપિતા પરમાત્મા ને. આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ…. સુંદર
મેળો ક્યાં હશે! સુંદર મેળો જરુર અહીંયા જ હશે. પરમાત્મા બાપ અહીંયા આવે છે, આને
કહેવાય છે કલ્યાણકારી સુંદર મેળો. જીવનમુક્તિ નો વારસો બધાને આપે છે. જીવનબંધન થી
છૂટી જાય છે. શાંતિધામ તો બધાં જશે - પછી જ્યારે આવે છે તો સતોપ્રધાન હોય છે. ધર્મ
સ્થાપન અર્થ આવે છે. નીચે જ્યારે તેમની સંખ્યા વધે ત્યારે રાજાઈનાં માટે પુરુષાર્થ
કરે ત્યાં સુધી કોઈ ઝઘડા વગેરે નથી હોતાં. સતોપ્રધાન થી રજો માં જ્યારે આવે છે
ત્યારે લડાઈ ઝઘડા શરું કરે છે. પહેલાં સુખ પછી દુઃખ. હવે બિલકુલ જ દુર્ગતિ ને પામેલાં
છે. આ કળયુગી દુનિયાનો વિનાશ પછી સતયુગી દુનિયાની સ્થાપના થવાની છે. વિષ્ણુપુરી ની
સ્થાપના કરી રહ્યાં છે બ્રહ્મા દ્વારા. જે જેવો પુરુષાર્થ કરે છે તે અનુસાર
વિષ્ણુપુરી માં આવીને પ્રાલબ્ધ પામે છે. આ સમજવાની ઘણી સારી-સારી વાતો છે. આ સમયે
આપ બાળકો ને ખુબ ખુશી થવી જોઈએ કે અમે ઈશ્વર થી ભવિષ્ય ૨૧ જન્મો નો વારસો પામી રહ્યાં
છીએ. જેટલો પુરુષાર્થ કરી પોતાને એક્યુરેટ બનાવશો... તમારે એક્યુરેટ બનવાનું
છે.ઘડિયાળ પણ લીવર અને સલેન્ડર હોય છે ને. લીવર ઘણું એક્યુરેટ હોય છે. બાળકોમાં કોઈ
એક્યુરેટ બની જાય છે. કોઈ અનએકયુરેટ બની જાય છે તો ઓછું પદ થઈ જાય છે. પુરુષાર્થ
કરીને એક્યુરેટ બનવું જોઈએ. હમણાં બધાં એક્યુરેટ નથી ચાલતાં. તદબીર કરાવવા વાળા તો
એક જ બાપ છે. તકદીર બનાવવાનાં પુરુષાર્થ માં કમી છે એટલે પદ ઓછું પામે છે. શ્રીમત
પર ન ચાલવાનાં કારણે આસુરી ગુણ ન છોડવાનાં કારણે, યોગમાં ન રહેવાનાં કારણે આ બધું
થાય છે. યોગમાં નથી તો પછી જેમ પંડિત. યોગ ઓછો છે એટલે શિવબાબા તરફ પ્રેમ નથી રહેતો.
ધારણા પણ ઓછી થાય છે, તે ખુશી નથી રહેતી. શકલ જ જેમ મુર્દા માફક રહે છે. તમારાં
ફીચર્સ તો સદૈવ હર્ષિત રહેવાં જોઈએ. જેમ દેવતાઓનાં હોય છે. બાપ તમને કેટલો વારસો આપે
છે. કોઈ ગરીબ નો બાળક સાહૂકાર ની પાસે જાય છે તો તેમને કેટલી ખુશી થશે. તમે ખુબ
ગરીબ હતાં. હવે બાપે એડોપ્ટ કર્યા છે તો ખુશી થવી જોઈએ. અમે ઈશ્વરીય સંપ્રદાય નાં
બન્યાં છીએ. પરંતુ તકદીરમાં નથી તો શું કરી શકાય. પદ ભ્રષ્ટ થઈ જાય છે. પટરાણી બનતાં
નથી. બાપ આવે જ છે પટરાણી બનાવવાં. આપ બાળકો કોઈને પણ સમજાવી શકો છો કે બ્રહ્મા
વિષ્ણુ શંકર ત્રણેવ છે શિવનાં બાળકો. ભારત ને ફરીથી સ્વર્ગ બનાવે છે બ્રહ્મા દ્વારા.
શંકર દ્વારા જૂની દુનિયાનો વિનાશ થાય છે, ભારતમાં જ બાકી થોડાં બચે છે. પ્રલય તો થતી
નથી, પરંતુ ઘણાં ખલાસ થઈ જાય છે તો જેમ કે પ્રલય થઈ જાય છે. રાત દિવસ નો ફરક પડી
જાય છે. તે બધાં મુક્તિધામમાં ચાલ્યાં જશે. આ પતિત-પાવન બાપ નું જ કામ છે. બાપ કહે
છે દેહી-અભિમાની બનો. નહીં તો જૂનાં સંબંધી યાદ આવતાં રહે છે. છોડ્યાં પણ છે છતાં
પણ બુદ્ધિ જાય છે. નષ્ટોમોહા છે નહીં, આને વ્યભિચારી યાદ કહેવાય છે. સદ્દગતિ ને પામી
નથી શકતાં કારણ કે દુર્ગતિ વાળા ને યાદ કરતાં રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપદાદાનાં
દિલ પર ચઢવા માટે મન્સા-વાચા-કર્મણા સેવા કરવાની છે. એક્યુરેટ અને ઓલરાઉન્ડર બનવાનું
છે.
2. એવાં દેહી-અભિમાની બનવાનું છે જે કોઈપણ જૂનાં સંબંધી યાદ ન આવે. આપસ માં ખુબ-ખુબ
રુહાની પ્રેમ થી રહેવાનું છે, લૂણપાણી નથી થવાનું.
વરદાન :-
સદા સાથ નાં
અનુભવ દ્વારા મહેનત ની અવિદ્યા કરાવવા વાળા અતીન્દ્રિય સુખ અને આનંદ સ્વરુપ ભવ
જેમ બાળક જો બાપનાં
ખોળામાં છે તો તેને થકાવટ નથી થતી. પોતાનાં પગ થી ચાલે તો થાકશે પણ, રડશે પણ. અહીંયા
પણ આપ બાળકો બાપનાં ખોળામાં બેસી ચાલી રહ્યાં છો. જરા પણ મહેનત કે મુશ્કેલી નો
અનુભવ નથી. સંગમયુગ પર જે આમ સદા સાથે રહેવા વાળી આત્માઓ છે તેના માટે મહેનત અવિદ્યા
માત્રમ્ હોય છે. પુરુષાર્થ પણ એક નેચરલ કર્મ થઈ જાય છે, એટલે સદા અતીન્દ્રિય સુખ કે
આનંદ સ્વરુપ બની જાય છે.
સ્લોગન :-
રુહે ગુલાબ બની
પોતાની રુહાની વૃત્તિ થી વાયુમંડળ માં રુહાની સુગંધ ફેલાવો.