03-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
સાચાં - સાચાં સત્ય બાપ થી સત્ય કથા સાંભળી નર થી નારાયણ બનો છો , તમને ૨૧ જન્મનાં
માટે બેહદ નાં બાપ થી વારસો મળી જાય છે ”
પ્રશ્ન :-
બાપની કઈ
આજ્ઞાનું પાલન કરવાવાળા બાળકો જ પારસબુદ્ધિ બને છે?
ઉત્તર :-
બાપ ની આજ્ઞા છે - દેહ નાં બધાં સંબંધો ને ભૂલી બાપ ને અને રાજાઈ ને યાદ કરો. આ જ
સદ્દગતિ માટે સદ્દગુરુ ની શ્રીમત છે. જે આ શ્રીમત નું પાલન કરે અર્થાત્ દેહી-અભિમાની
બને છે તે જ પારસ બુદ્ધિ બને છે.
ગીત :-
આજ અંધેરે મેં હમ ઇન્સાન…….
ઓમ શાંતિ!
આ કળયુગી
દુનિયા છે. બધાં અંધકાર માં છે. આ જ ભારત અજવાળા માં હતું. જ્યારે આ ભારત સ્વર્ગ હતું.
આ જ ભારતવાસી જે હવે પોતાને હિન્દુ કહેવડાવે છે, આ અસલ દેવી-દેવતાઓ હતાં. ભારતવાસી
સ્વર્ગવાસી હતાં. જ્યારે કોઈ ધર્મ નહોતો, એક જ ધર્મ હતો. સ્વર્ગ, વૈકુંઠ, બહિશ્ત,
હેવન આ બધાં ભારત નાં નામ હતાં. ભારત પ્રાચીન પવિત્ર ખુબ-ખુબ ધનવાન હતું. હવે તો
ભારત કંગાળ છે કારણ કે હવે કળયુગી છે. તે સતયુગ હતો. તમે બધાં ભારતવાસી છો. તમે જાણો
છો આપણે અંધારામાં છીએ જ્યારે સ્વર્ગમાં હતાં તો અજવાળા માં હતાં. સ્વર્ગ નાં રાજ
રાજેશ્વર, રાજ-રાજેશ્વરી લક્ષ્મી-નારાયણ હતાં. તેને સુખધામ કહેવાય છે. નવાં-નવાં આવે
છે તો બાપ ફરી સમજાવે છે. બાપ થી જ તમારે સ્વર્ગ નો વારસો લેવાનો છે, જેને
જીવનમુક્તિ કહેવાય છે. હમણાં બધાં જીવનબંધ માં છે. ખાસ ભારત આમ દુનિયા, રાવણ ની જેલ
શોક વાટિકા માં છે. એવું નથી કે રાવણ ફક્ત લંકામાં હતો અને રામ ભારત માં હતાં અને
તેને આવીને સીતા ચોરી. આ બધી છે દંતકથાઓ. ગીત છે મુખ્ય, સર્વ શાસ્ત્રો માં શિરોમણિ
શ્રીમત અર્થાત્ ભગવાનની સંભળાવેલી ગીતા. મનુષ્ય તો કોઈને સદ્દગતિ કરી નથી શકતાં.
સતયુગમાં હતાં જીવનમુક્ત દેવી-દેવતાઓ, જેમણે આ વારસો કળયુગ અંતમાં પામ્યો હતો. ભારત
ને આ ખબર નહોતી, ન કોઈ શાસ્ત્રો માં છે. શાસ્ત્ર તો બધાં છે ભક્તિમાર્ગ નાં માટે.
તે બધું ભક્તિમાર્ગ નું જ્ઞાન છે. સદ્દગતિ માર્ગ નું જ્ઞાન મનુષ્યમાત્ર માં છે નહીં.
બાપ કહે છે કે મનુષ્ય, મનુષ્ય નાં ગુરુ બની નથી શકતાં. ગુરુ કોઈ સદ્દગતિ આપી નથી
શકતાં. તે ગુરુ કહેશે ભક્તિ કરો, દાન-પુણ્ય કરો. ભક્તિ દ્વાપર થી ચાલી આવી છે.
સતયુગ ત્રેતા માં છે જ્ઞાનની પ્રાલબ્ધ, એવું નથી ત્યાં આ જ્ઞાન ચાલ્યું આવે છે. આ
જે વારસો ભારત ને હતો, આ બાપ થી સંગમ પર જ મળ્યો હતો. જે ફરી હમણાં તમને મળી રહ્યો
છે. ભારતવાસી, નર્કવાસી મહાન દુઃખી બની જાય છે ત્યારે પોકારે છે હેં પતિત-પાવન
દુઃખહર્તા સુખકર્તા, કોના? સર્વનાં કારણ કે ખાસ ભારત આમ દુનિયામાં પાંચ વિકાર છે જ
છે. બાપ છે પતિત-પાવન. બાપ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર આવું છું અને
સર્વનો સદ્દગતિ દાતા બનું છું. અબળાઓ, અહીલ્યાઓ, ગણિકાઓ અને ગુરુ લોકો જે છે તેમનો
પણ ઉદ્ધાર મારે કરવાનો છે કારણ કે આ તો છે જ પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગ ને
કહેવાય છે. ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ ભારતવાસી નથી જાણતાં કે આ
સ્વર્ગ નાં માલિક હતાં. પતિત ખંડ એટલે જુઠ્ઠ ખંડ, પાવન ખંડ એટલે સચખંડ. ભારત પાવન
ખંડ હતો. આ લક્ષ્મી-નારાયણ ની સૂર્યવંશી ડીનાયસ્ટી (વંશજ) હતી. આ ભારત છે અવિનાશી
ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો. જ્યારે આમનું રાજ્ય હતું તો બીજા કોઈ ખંડ નહોતાં.
તે બધાં પછી આવે છે. શાસ્ત્રોમાં સૌથી મોટી ભૂલ તો આ કરી છે જે કલ્પ લાખો વર્ષનું
લખી દીધું છે. બાપ કહે છે ન તો કલ્પ લાખો વર્ષ નું હોય છે, ન સતયુગ લાખો વર્ષ નું
હોય છે. કલ્પની આયુ ૫ હજાર વર્ષ છે. આ પછી કહી દે કે મનુષ્ય ૮૪ લાખ જન્મ લે છે.
મનુષ્ય ને કુતરા-બિલાડી વગેરે બનાવી દીધાં છે. પરંતુ તેમનો જન્મ અલગ છે. ૮૪ લાખ
વેરાઈટી છે. મનુષ્યો ની વેરાઈટી એક છે, તેમનાં જ ૮૪ જન્મ છે.
બાપ કહે છે બાળકો તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મના હતાં. ભારતવાસી પોતાનાં ધર્મ ને
ડ્રામા પ્લાન અનુસાર ભૂલી ગયાં છે. કળયુગ અંત માં બિલકુલ પતિત બની પડ્યાં છે. પછી
બાપ આવીને સંગમ પર પાવન બનાવે છે, આને કહેવાય છે દુઃખધામ. પછી પાર્ટ સુખધામ માં હશે.
બાપ કહે છે - હેં બાળકો તમે ભારતવાસી જ સ્વર્ગવાસી હતાં. પછી તમે ૮૪ જન્મો ની સીડી
ઉતરો છો. સતો થી રજો, તમો માં જરુર આવવાનું છે. આપ દેવતાઓ જેટલાં ધનવાન એવરહેપ્પી (સદા
ખુશ), એવરહેલ્થી (સદા સ્વસ્થ) કોઈ નથી હોતાં. ભારત કેટલો સાહૂકાર હતો. હીરા ઝવેરાત
તો મોટા-મોટા પથ્થરો માફક હતાં, કેટલાં તો તૂટી ગયાં છે. બાપ આપ બાળકોને સ્મૃતિ
અપાવે છે કે તમને કેટલાં સાહૂકાર બનાવ્યાં હતાં. તમે સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા
સંપૂર્ણ હતાં. યથા રાજા રાણી…. આમને ભગવાન ભગવતી પણ કહી શકાય છે. પરંતુ બાપે
સમજાવ્યું છે કે ભગવાન એક છે, એ બાપ છે. ફક્ત ઈશ્વર કે પ્રભુ કહેવાથી પણ યાદ નથી
આવતું કે એ બધી આત્માઓનાં બાપ છે. આ તો છે બેહદ નાં બાપ. એ સમજાવે છે કે ભારતવાસી
તમે જયંતી મનાવો છો પરંતુ અસલ માં બાપ ક્યારે આવ્યાં હતાં, તે કોઈ પણ નથી જાણતું.
છે જ આઈરન એજેડ (કળયુગ), પથ્થરબુદ્ધિ. પારસનાથ હતાં, આ સમયે પથ્થરનાથ છે. નાથ પણ નહીં
કહેશું કારણ કે રાજા રાણી તો છે નહીં. પહેલાં અહીંયા દૈવી રાજસ્થાન હતું પછી આસુરી
રાજ્ય બની જાય છે. આ ખેલ છે. તે છે હદનો ડ્રામા. આ છે બેહદનો ડ્રામા. વર્લ્ડની
હિસ્ટ્રી-જોગ્રોફી આદિ થી અંત સુધી તમે હમણાં જાણો છો બીજું કોઈ પણ નથી જાણતું.
ભારત માં જ્યારે દેવી દેવતા હતાં તો આખી સૃષ્ટિનાં માલિક હતાં અને ભારતમાં જ હતાં.
બાપ ભારતવાસીઓ ને સ્મૃતિ અપાવે છે. સતયુગમાં આદિ સનાતન દેવી-દેવતા, આમનો શ્રેષ્ઠ
ધર્મ, શ્રેષ્ઠ કર્મ હતાં પછી ૮૪ જન્મ માં ઉતરવું પડે. આ બાબા બેસી કહાની સંભળાવે છે
કે હવે તમારા અનેક જન્મો નાં અંત નો જન્મ છે. એક ની વાત નથી. ન યુદ્ધનું મેદાન વગેરે
છે. ભારતવાસી આ પણ ભૂલી ગયાં છે કે આમનું (લક્ષ્મી-નારાયણ નું) રાજ્ય હતું. સતયુગની
આયુ લાંબી કરવાથી ખુબ દૂર લઈ ગયાં છે.
બાપ સમજાવે છે મનુષ્ય ને ભગવાન નથી કહી શકાતું. મનુષ્ય, મનુષ્ય ની સદ્દગતિ નથી કરી
શકતાં. કહેવત છે કે સર્વનાં સદ્દગતિ દાતા પતિતોનાં પાવન કર્તા એક છે. આ છે જુઠ્ઠખંડ.
સાચાં બાબા સચખંડ સ્થાપન કરવા વાળા છે. ભક્ત પૂજા કરે છે પરંતુ ભક્તિમાર્ગ માં જેમની
પણ પૂજા કરતા આવ્યાં છે, એક ની પણ બાયોગ્રાફી (જીવનકહાની) નથી જાણતાં. શિવ જયંતી તો
મનાવે છે. બાપ છે નવી દુનિયાનાં રચયિતા. હેવનલી ગોડફાધર. બેહદ સુખ દેવા વાળા.
સતયુગમાં સુખ હતું. તે કેવી રીતે અને કોણે સ્થાપન કર્યું? નર્કવાસીઓ ને સ્વર્ગવાસી
બનાવ્યાં. ભ્રષ્ટાચારીઓ ને શ્રેષ્ઠચારી દેવતા બનાવ્યાં. આ તો બાપ નું જ કામ છે. આપ
બાળકોને પાવન બનાવું છું. તમે સ્વર્ગ નાં માલિક બનો છો. પછી તમને પતિત કોણ બનાવે
છે? આ રાવણ. મનુષ્ય કહી દે છે - સુખ દુઃખ ઈશ્વર આપે છે. બાપ કહે છે હું તો બધાને
સુખ આપું છું. અડધોકલ્પ પછી તમે બાપનું સિમરણ નહીં કરશો પછી જ્યારે રાવણ રાજ્ય થાય
છે તો બધાની પૂજા કરવા લાગી જાય છે. આ તમારો અનેક જન્મોનાં અંત નો જન્મ છે. કહે છે
બાબા અમે કેટલાં જન્મ લીધાં છે? બાપ કહે છે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં.
તમે પૂરા ૮૪ જન્મ લીધાં છે. તમે ૨૧ જન્મ માટે બેહદ નાં બાપ થી વારસો લેવા આવ્યાં છો
અર્થાત્ સાચાં-સાચાં સત્ય બાબા થી સત્યકથા નર થી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ
છે જ્ઞાન, તે છે ભક્તિ. આ આધ્યાત્મિક નોલેજ સુપ્રીમ રુહ આવીને આપે છે. બાળકોએ
દેહી-અભિમાની બનવું પડે. પોતાને આત્મા નિશ્ચય કરી મામેકમ યાદ કરો. શિવબાબા તો બધી
આત્માઓનાં બાપ છે. આત્માઓ બધી પરમધામ થી પાર્ટ ભજવવા આવે છે, શરીર માં. આને
કર્મક્ષેત્ર કહેવાય છે. ખુબ ભારે ખેલ છે. આત્મામાં ખરાબ કે સારા સંસ્કાર રહે છે. જે
અનુસાર જ મનુષ્ય ને જન્મ મળે છે સારો કે ખરાબ. આ જે પાવન હતાં, હમણાં પતિત છે,
તતત્વમ્. મુજ બાપને આ જૂની રાવણ ની દુનિયા, પતિત શરીરમાં આવવું પડે છે. આવવાનું પણ
એમાં છે જે પહેલાં નંબર માં જાય છે. સૂર્યવંશી જ પૂરા ૮૪ જન્મ લે છે. આ છે બ્રહ્મા
અને બ્રાહ્મણ. બાપ સમજાવે છે રોજ, પરંતુ પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવાં માસીનું
ઘર નથી. હેં આત્માઓ હવે દેહી-અભિમાની બનો, હેં આત્માઓ એક બાપ ને યાદ કરો અને રાજાઈ
ને યાદ કરો. દેહ નાં સંબંધોને છોડો તો પારસબુદ્ધિ બની જશો. મરવાનું તો બધાએ છે.
બધાની હવે વાનપ્રસ્થ અવસ્થા છે. એક સદ્દગુરુ વગર સર્વનાં સદ્દગતિ દાતા કોઈ થઇ નથી
શકતાં. બાપ કહે છે હેં ભારતવાસી બાળકો તમે પહેલાં પારસબુદ્ધિ હતાં. ગવાયેલું છે કે
આત્મા-પરમાત્મા અલગ રહે….. તો પહેલાં-પહેલાં તમે ભારતવાસી દેવી-દેવતા ધર્મ વાળા
આવ્યાં છો બીજા ધર્મ વાળા પાછળ થી આવે છે તો તેમનાં જન્મ પણ થોડાં હોય છે. આખી
સૃષ્ટિ નું ઝાડ કેવી રીતે ફરે છે તે બાપ બેસી સમજાવે છે. જે ધારણા કરી શકે છે, તેનાં
માટે ખુબ સહજ છે. આત્મા ધારણ કરે છે. પુણ્ય આત્મા અને પાપ આત્મા તો આત્મા બને છે.
તમારો અંતિમ ૮૪ મો જન્મ છે. તમે વાન્પ્રસ્થ અવસ્થામાં છો. વાનપ્રસ્થ અવસ્થા વાળા
ગુરુ કરે છે - મંત્ર લેવા માટે. તમને હવે બહારનાં મનુષ્ય ગુરુ નથી કરવાનાં. આપ
સર્વનો હું બાપ શિક્ષક સદ્દગુરુ છું. મને કહે જ છે - હેં પતિત-પાવન શિવબાબા. હવે
સ્મૃતિ આવી છે, સર્વ આત્માઓનાં આ બાપ છે. આત્મા સત્ય છે, ચૈતન્ય છે કારણ કે અમર છે.
બધી આત્માઓ માં પાર્ટ ભરેલો છે. બાપ પણ સત્ય ચૈતન્ય છે. એ મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ
હોવાનાં કારણે કહે છે કે હું આખાં ઝાડનાં આદિ-મધ્ય-અંત ને જાણુ છું, એટલે મને
નોલેજફુલ કહેવાય છે. તમને પણ બધું નોલેજ છે કે બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે. ઝાડ
વધવામાં તો સમય લાગે છે. બાપ કહે છે કે હું બીજરુપ છું. અંતમાં આખું ઝાડ જડજડીભૂત
અવસ્થા ને પામે છે. હમણાં જુઓ દેવી-દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં. પ્રાયઃલોપ છે.
જ્યારે દેવી-દેવતા ધર્મ ગુમ થઈ જાય છે ત્યારે બાપે આવવું પડે. એક ધર્મની સ્થાપના કરી
બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ સ્થાપના કરાવી રહ્યાં
છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની. તમે આવ્યાં છો ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી દેવતા
બનવાં. આ ડ્રામા બનેલો છે, આનો અંત નથી થતો. બાપ આવે છે. આત્માઓ બધી બ્રધર્સ (ભાઈ-ભાઈ)
છે, મૂળ વતનમાં રહેવાવાળી. જે એ એક બાપ ને બધાં યાદ કરે છે. દુઃખમાં સિમરણ સૌ કરે….
રાવણ રાજ્યમાં દુઃખ છે. અહિયાં સિમરણ કરે છે તો બાપ સર્વનાં સદ્દગતિ દાતા એક છે.
એમની મહિમા છે. બાપ ન આવે તો પાવન કોણ બનાવે. ક્રિશ્ચિયન, ઈસ્લામી વગેરે જે પણ
મનુષ્ય છે આ સમયે બધાં તમોપ્રધાન છે. બધાએ પુનર્જન્મ જરુર લેવાનો છે. હમણાં
પુનર્જન્મ મળે છે નર્કમાં. એવું નથી કે સુખ માં ચાલ્યાં જાય છે. જેવી રીતે હિંદુ
ધર્મ વાળા કહે છે કે સ્વર્ગવાસી થયાં તો જરુર નર્ક માં હતાં ને. હવે સ્વર્ગમાં ગયાં,
તમારા મુખ માં ગુલાબ. જ્યારે સ્વર્ગવાસી થયાં પછી તેમને નર્કનાં આસુરી વૈભવ કેમ
ખવડાવો છો! પિતૃ ખવડાવો છો ને. બંગાળમાં માછલી, ઈંડા વગેરે ખવડાવે છે. અરે, તેમને આ
બધું ખાવાની દરકાર શું છે! પાછું કોઈ જઈ નથી શકતું. જ્યારે પહેલાં નંબર વાળા ને ૮૪
જન્મ લેવાં પડે છે. આ જ્ઞાનમાં કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગમાં કેટલી મહેનત છે.
રામ-રામ જપતા રોમાંચ ઉભાં થઈ જાય છે. આ બધું છે ભક્તિમાર્ગ. આ સૂર્ય ચાંદ વગેરે
પ્રકાશ કરવાવાળા છે, આ દેવતા થોડી છે. હકીકત માં જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા અને
જ્ઞાન તારાઓ અહીંયા ની મહિમા છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ
૮૪માં જન્મમાં કોઈ પણ પાપ કર્મ (વિકર્મ) નથી કરવાનું. પુણ્ય આત્મા બનવાનો પૂરે-પૂરો
પુરુષાર્થ કરવાનો છે. સંપૂર્ણ પાવન બનવાનું છે
2. પોતાની બુદ્ધિને પારસબુદ્ધિ બનાવવા માટે દેહ નાં બધાં સંબંધો ને ભૂલી
દેહી-અભિમાની બનવાનો અભ્યાસ કરવાનો છે.
વરદાન :-
કંપની અને
કમ્પેનિયન ને સમજીને સાથ નિભાવવા વાળા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ
ડ્રામાનાં ભાગ્ય
પ્રમાણે તમે થોડીક આત્માઓ છો જેમને સર્વ પ્રાપ્તિ કરાવવા વાળી શ્રેષ્ઠ બ્રાહ્મણો ની
કંપની મળી છે. સાચાં બ્રાહ્મણોની કંપની ચઢતી કળા વાળી હોય છે, તે ક્યારેય એવી કંપની
(સંગ) નહીં કરશે જે રુકતી કળામાં લઈ જાય. જે સદા શ્રેષ્ઠ કંપની માં રહે અને એક બાપ
ને પોતાનાં કમ્પેનિયન બનાવી એમનાથી જ પ્રીત ની રીતિ નિભાવવા વાળા છે એ જ શ્રેષ્ઠ
ભાગ્યવાન છે.
સ્લોગન :-
મન અને બુદ્ધિ
ને એક જ પાવરફુલ સ્થિતિ માં સ્થિત કરવી આ જ એકાંતવાસી બનવું છે.