15-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - દરેકનાં પાપ ચૂસવા વાળા ફર્સ્ટ ક્લાસ બ્લોટિંગ પેપર એક શિવબાબા છે , એમને યાદ કરો તો પાપ ખતમ થાય ”

પ્રશ્ન :-
આત્મા પર સૌથી ઊંડા ડાઘ કયાં છે, તેને ભૂસવા માટે કઈ મહેનત કરો?

ઉત્તર :-
આત્મા પર દેહ-અભિમાન નાં ખુબ ઊંડા ડાઘ પડેલાં છે, ઘડી-ઘડી કોઈ દેહધારી નાં નામ-રુપ માં ફસાઇ જાય છે. બાપ ને યાદ ન કરી દેહધારીઓ ને યાદ કરતી રહે છે. એક-બીજાનાં દિલને દુઃખ આપે છે. આ ડાઘ ને ભૂસવા માટે દેહી-અભિમાની બનવાની મહેનત કરો.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બધાં સેવાકેન્દ્રોનાં બાળકોએ ગીત સાંભળ્યું. હવે પોતાને જોઈ લો કે કટલાં પુણ્ય છે અને કટલાં પાપ ખતમ થયાં છે. આખી દુનિયા સાધુ-સંત વગેરે પોકારે છે કે હેં પતિત-પાવન, એક જ પતિત થી પાવન બનાવવા વાળા બાપ છે. બાકી બધામાં છે પાપ. આ તો તમે જાણો છો કે આત્મામાં જ પાપ છે. પુણ્ય પણ આત્મામાં છે. આત્મા જ પાવન, આત્મા જ પતિત બને છે. અહીંયા બધી આત્માઓ પતિત છે. પાપો નાં ડાઘ લાગેલાં છે એટલે પાપ આત્મા કહેવાય છે. હવે પાપ નીકળે કેવી રીતે? જ્યારે કોઈ વસ્તુ પર શાહી અથવા તેલ પડી જાય છે તો બ્લોટિંગ પેપર રાખે છે. તે બધું ચૂસી લે છે. હવે બધાં મનુષ્ય યાદ કરે છે એક ને કારણ કે એ જ બ્લોટિંગ પેપર છે, પતિત-પાવન છે. સિવાય એ એક નાં બીજું કોઈ બ્લોટિંગ પેપર છે નહીં. તે તો જન્મ-જન્મ ગંગા સ્નાન કરતાં વધારે જ પતિત થયાં છે. પતિતો ને પાવન કરવા વાળા એક જ શિવબાબા બ્લોટિંગ પેપર છે. છે પણ નાનામાં નાનું એક બિંદુ. બધાનાં પાપ નષ્ટ કરે છે. કઈ યુક્તિ થી? ફક્ત કહે છે મુજ બ્લોટિંગ પેપર ને યાદ કરો. હું તો ચૈતન્ય છું ને. તમને બીજી કોઈ તકલીફ નથી આપતો. તમે પણ આત્મા બિંદુ, બાપ પણ બિંદુ છે. કહે છે - ફક્ત મને યાદ કરો તો તમારા બધાં પાપ ખતમ થઇ જશે. હવે દરેક પોતાની દિલ થી પૂછે કે યાદ થી કેટલાં પાપ ખતમ થયાં છે? અને કેટલાં અમે કર્યા છે? બાકી કેટલાં પાપ રહ્યાં છે? આ ખબર પડે કેવી રીતે? બીજાઓને પણ રસ્તો બતાવતાં રહો કે એક બ્લોટિંગ પેપર ને યાદ કરો. બધાને આ સલાહ આપવી તો સારી છે ને, આ પણ વન્ડર (અદ્દભુત) છે, જેમને સલાહ આપે છે તે તો બાપ ને યાદ કરવામાં લાગી જાય છે, અને સલાહ આપવાવાળા સ્વયં યાદ નથી કરતાં એટલે પાપ કપાતા નથી. પતિત-પાવન તો એક ને જ કહેવાય છે. અનેક પાપ લાગેલાં છે. કામનું પાપ, દેહ-અભિમાનનું તો પહેલો નંબર પાપ છે, જે સૌથી ખરાબ છે. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. જેટલું મામેકમ્ યાદ કરશો તો જે તમારા માં ખાદ પડી છે, તે ભસ્મ થશે. યાદ કરવાનું છે. બીજાઓને પણ આ રસ્તો બતાવવાનો છે. જેટલું બીજાઓને સમજાવશો તો તમારું પણ ભલું થશે. આ ધંધામાં જ લાગી જાઓ. બીજાઓ ને પણ આ સમજાવવાનું છે કે બાપ ને યાદ કરો તો પુણ્ય આત્મા બની જશો. તમારું કામ છે બીજાઓને પણ આ બતાવવાનું કે પતિત-પાવન એક છે. ભલે તમે જ્ઞાન નદીઓ અનેક છો પરંતુ તમે બધાં ને કહો છો કે એક ને યાદ કરો. એ એક જ પતિત-પાવન છે. એમની ખુબ મહિમા છે. જ્ઞાન નાં સાગર પણ એ છે. એ એક બાપ ને યાદ કરવાં, દેહી-અભિમાની થઈ રહેવું - આ એક જ વાત ડિફિકલ્ટ (મુશ્કેલ) છે. બાપ ફક્ત તમારા માટે કહેતાં નથી, પરંતુ બાબાનાં ધ્યાનમાં તો બધાં સેવાકેન્દ્રો નાં બાળકો છે. બાપ તો બધાં બાળકોને જુવે છે ને. જ્યાં સારા સર્વિસેબલ બાળકો રહે છે, શિવબાબા ની ફૂલવાડી છે ને. જે સારી ફૂલવાડી હશે તેમને જ બાબા યાદ કરશે. સાહૂકાર વ્યક્તિ ને ૪-૫ બાળકો હશે તો જે મોટો બાળક હશે તેને યાદ કરશે. ફૂલોની વેરાઈટી હોય છે ને. તો બાબા પણ પોતાનાં મોટા બગીચા ને યાદ કરે છે. કોઈ ને પણ આ રસ્તો બતાવવાનું સહજ છે, શિવબાબા ને યાદ કરો. એ જ પતિત-પાવન છે. પોતે કહે છે મને યાદ કરવાથી તમારા પાપ ભસ્મ થશે. કેટલું ફસ્ટક્લાસ બ્લોટિંગ પેપર છે આખી દુનિયાનાં માટે. બધાં એમને યાદ કરે છે. કોઈને પણ આ રસ્તો બતાવવાનો સહજ છે, શિવબાબા ને યાદ કરો.

બાપે યુક્તિ બતાવી છે કે મને યાદ કરવાથી તમારા પર જે દેહ-અભિમાન નો ડાઘ છે તે ભુસાઈ જશે. મહેનત છે દેહી-અભિમાની બનવાની. બાબા ને કોઈ સાચું બતાવતા નથી. કોઈ-કોઈ ચાર્ટ લખીને મોકલે છે પછી થાકી જાય છે. ઊંચી મંઝિલ છે. માયા નશો એકદમ તોડી નાખે છે તો પછી લખવાનું પણ છોડી દે છે. અડધાકલ્પ નું દેહ-અભિમાન છે, તે છૂટતું નથી. બાપ કહે છે ફક્ત આ જ ધંધો કરતાં રહો. બાપ ને યાદ કરો અને બીજાઓને કરાવો. બસ સૌથી ઉંચો ધંધો છે આ. જે પોતે યાદ નથી કરતાં તે આ ધંધો કરશે જ નહીં. બાપ ની યાદ - આ છે યોગ અગ્નિ, જેનાથી પાપ ભસ્મ થશે એટલે પૂછાય છે ક્યાં સુધી પાપ ભસ્મ થયાં છે? જેટલું બાપને યાદ કરશો એટલી ખુશી નો પારો ચઢતો રહેશે. દરેક ની દિલ ને જાણી શકાય છે. બીજાને પણ તેમની સર્વિસ (સેવા) થી જાણી શકાય છે. બીજાઓ ને રસ્તો બતાવે છે - બાબા ને યાદ કરો. એ પતિત-પાવન છે. અહીંયા આ તો છે પતિત તમોપ્રધાન દુનિયા. હવે પાછા જવાનું છે. ત્યાં બધી આત્માઓ પવિત્ર રહે છે. જ્યારે પવિત્ર બને ત્યારે ઘરે જાય. બીજાઓને પણ આ જ રસ્તો દેખાડવો જોઈએ. બાપ યુક્તિ તો ખુબ સહજ બતાવે છે. શિવબાબા ને યાદ કરો. આ જ બ્લોટિંગ પેપર રાખો તો બધાં પાપ ચૂસાઈ જશે. તમારાં વિકર્મ વિનાશ થશે. મૂળ મોટી વાત છે પાવન બનવું. મનુષ્ય પતિત બને છે ત્યારે તો બોલાવે છે હેં પતિત-પાવન આવો, આવીને બધાને પાવન બનાવી સાથે લઈ જાઓ. લખેલું પણ છે. બધી આત્માઓને પાવન બનાવી લઈ જાય છે પછી કોઈ પણ પતિત આત્મા રહેતી નથી. આ પણ સમજાવ્યું છે પહેલાં-પહેલાં સ્વર્ગવાસી જ આવશે. બાપ જે દવા આપે છે - આ બધાનાં માટે છે. જે પણ મળે તેમને આ જ દવા આપવાની છે. તમે ફાધર પાસે જવા ઈચ્છો છો - પરંતુ આત્મા પતિત છે એટલે જઈ નથી સકતી. પાવન બને ત્યારે જઈ શકે. હેં આત્માઓ મને યાદ કરો તો હું લઈ જઈશ પછી ત્યાંથી તમને સુખમાં લઈ જઈશ પછી જ્યારે જૂની દુનિયા થાય છે ત્યારે તમે દુઃખ પામો છો. હું કોઈને દુઃખ નથી આપતો. દરેક પોતાને જુવે હું યાદ કરું છું? જેટલું યાદ કરશે એટલો ખુશી નો પારો ચઢશે. કેટલી સહજ દવા છે, બીજા કોઈ સાધુ-સંત વગેરે આ દવા ને જાણતાં નથી. ક્યાંય પણ લખેલું નથી. આ બિલકુલ નવી વાત છે. પાપો નું ખાતું કોઈ શરીરમાં લાગેલું નથી. આટલા નાની આત્મા બિંદુમાં જ આખો પાર્ટ ભરેલો છે. આત્મા પતિત હશે તો જીવ પર પણ અસર પડશે. આત્મા પાવન બની જાય છે - પછી શરીર પણ પવિત્ર મળે છે. દુઃખી, સુખી આત્મા બને છે. શરીરને માર લાગવાથી આત્માને દુઃખ અનુભવ થાય છે. કહેવાય પણ છે આ દુઃખી આત્મા છે, આ સુખી આત્મા છે. આટલી નાની આત્મા કેટલો પાર્ટ ભજવે છે, વન્ડર છે ને. બાપ છે જ સુખ આપવા વાળા, એટલે એમને યાદ કરે છે. દુઃખ આપવા વાળો રાવણ છે. સૌથી પહેલાં આવે છે દેહ-અભિમાન. હવે બાપ સમજાવે છે તમારે આત્મ-અભિમાની બનવાનું છે, આમાં ખુબ મહેનત છે. બાબા જાણે છે સાચાં દિલ થી જે યુક્તિ થી યાદ કરવા જોઈએ, કોઈ મુશ્કેલ યાદ કરે છે. અહીંયા રહેતાં પણ ઘણાં ભૂલી જાય છે. જો દેહી-અભિમાની હોત તો કોઈ પાપ ન કરત. બાપનું ફરમાન છે હિયર નો ઈવિલ (ખરાબ નહિં સાંભળો)….. વાંદરા માટે તો નથી. આ તો મનુષ્યનાં માટે છે. મનુષ્ય વાંદરા માફક છે તો વાંદરાનુ ચિત્ર બનાવ્યું છે. ઘણાં છે જે આખો દિવસ ઝરમુઈ-ઝગમુઈ કરે છે. તો બાપે સમજણ આપવાની હોય છે. બધાં સેવાકેન્દ્રો પર કોઈ ને કોઈ એવાં હોય છે જે એક બીજાને દુઃખ જ આપતાં રહે છે. કોઈ સારા પણ છે જે બાપ ની યાદ માં રહે છે. સમજે છે મન્સા, વાચા, કર્મણા કોઈ ને દુઃખ નથી આપવાનું. વાચા થી પણ કોઈ ને દુઃખ આપશો તો દુઃખી થઈને મરશો. બાપ કહે છે આપ બાળકોએ બધાને સુખ આપવાનું છે. બધાને કહેવાનું છે કે દેહી-અભિમાની બનો. બાપ ને યાદ કરો બીજા કોઈ પૈસાની લેણ-દેણ ની વાત નથી. ફક્ત પ્રેમાળ બાપ ને યાદ કરો તો તમારાં વિકર્મ ભસ્મ થઈ જશે. તમે વિશ્વનાં માલિક બની જશો. ભગવાનુવાચ - મનમનાભવ એક બાપ ને અને વારસા ને યાદ કરો. બીજું કંઈ પણ આપસમાં ન બોલો ફક્ત બાપ ને યાદ કરો. બીજાઓનું કલ્યાણ કરો. તમારી અવસ્થા એવી મીઠી હોય જે કોઈ પણ આવી ને જુવે, તો બોલે બાબાનાં બાળકો તો બ્લોટિંગ પેપર્સ છે. હમણાં તે અવસ્થા નથી. બાબા થી કોઈ પૂછે તો બ્લોટિંગ પેપર તો શું હમણાં કાગળ પણ નથી. બાબા બધાં સેવાકેન્દ્રો નાં બાળકો ને સમજાવે છે. મુંબઈ, કલકત્તા, દિલ્લી….. બધી જગ્યાએ બાળકો તો છે ને. રિપોર્ટ આવે છે બાબા ફલાણા ખુબ હેરાન કરે છે. પુણ્ય આત્મા બનવાનાં બદલે ખુબ જ પાપ આત્મા બનાવી દે છે. બાબા થી કોઈ પૂછે તો ઝટ બતાવી દેશે. શિવબાબા તો બધુંજ જાણે છે. એમની પાસે બધો હિસાબ-કિતાબ છે. આ બાબા પણ બતાવી શકે છે. ચહેરાથી જ બધી ખબર પડી જાય છે. આ બાબાની યાદ માં મસ્ત છે, તેમનો ચહેરો જ ખુશનુમા: દેવતાઓ જેવો છે. આત્મા ખુશ હશે તો શરીર પણ ખુશ જોવામાં આવશે. શરીરને દુઃખ થવાથી આત્માને દુઃખ અનુભવ થાય છે. એક વાત બધાને સંભળાવતાં રહો કે શિવબાબા કહે છે મને યાદ કરો તો તમારાં પાપ વિનાશ થશે. તેમણે લખી દીધું છે કૃષ્ણ ભગવાનુવાચ, કૃષ્ણને તો અનેક યાદ કરે છે પરંતુ પાપ તો ભુંસાતા જ નથી વધારે જ પતિત બની ગયાં છે. આ ખબર જ નથી કે યાદ કોને કરવાનાં છે, પરમાત્મા નું રુપ શું છે. જો સર્વવ્યાપી કહે તો પણ જેમ આત્મા સ્ટાર છે તેમ પરમાત્મા પણ સ્ટાર છે કારણ કે આત્મા સો પરમાત્મા કહી દે છે તો તે હિસાબ થી પણ બિંદુ થયાં. નાનું બિંદુ પ્રવેશ કરે છે. બધા બિન્દુઓ ને કહે છે બાળકો મામેકમ્ યાદ કરો. ઓર્ગન્સ (અવયવો) દ્વારા બોલે છે. ઓર્ગન્સ વગર તો આત્મા અવાજ કરી ન શકે. તમે કહી શકો છો આત્મા પરમાત્મા નું રુપ તો એક છે ને. પરમાત્માને મોટું લિંગ અથવા કંઈ કહી ન શકે. બાપ કહે છે હું પણ એવો બિંદુ છું પરંતુ હું પતિત-પાવન છું અને તમારાં બધાની આત્માઓ પતિત છે. કેટલી સીધી વાત છે. હવે દેહી-અભિમાની બની મુજ બાપ ને યાદ કરો, બીજાઓ ને પણ રસ્તો બતાવો. હું અક્ષર જ બે કહું છું - મનમનાભવ. પછી થોડું ડિટેલ (વિસ્તાર) માં બતાવું છું કે આપ સૌ ડાળ-ડાળિઓ છો. પહેલાં સતોપ્રધાન સતો, રજો, તમો... માં આવે છે. પાપ આત્મા બનવાથી કેટલાં ડાઘ લાગી જાય છે. તે ડાઘ ભૂસાય કેવી રીતે? તે સમજાવે છે ગંગા સ્નાન થી પાપ મટશે. પરંતુ તે તો શરીરનું સ્નાન છે. આત્મા બાપ ને યાદ કરવાથી જ પાવન બની શકે છે. આને યાદ ની યાત્રા કહેવાય છે. કેટલી સહજ વાત છે, જે રોજ-રોજ બાપ સમજાવતાં રહે છે. ગીતામાં પણ જોર આનાં પર છે - મનમનાભવ. વારસો તો મળશે જ. ફક્ત મને યાદ કરો તો પાપ મટે. બાપ અવિનાશી બ્લોટિંગ પેપર છે ને. બાપ કહે છે મને યાદ કરવાથી તમે પાવન બની જાઓ છો પછી રાવણ પતિત બનાવે છે તો એવાં બાપ ને યાદ કરવાં જોઈએ ને. એવાં પણ હોય છે જે યાદ નથી કરતાં, તેમની શું હાલત થશે. બાપ સમજાવે છે બાળકો બીજી બધી વાતો છોડી દો. ફક્ત એક વાત કે દેહી-અભિમાની બનો, મામેકમ્ યાદ કરો. બસ. આ તો જાણો છો આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા જ દુઃખ સુખ ભોગવે છે. ક્યારેય પણ એકબીજા નાં દિલ ને ન દુઃખાવું જોઈએ. એક બીજા ને સુખ પહોંચાડવું જોઈએ. તમારો ધંધો આ જ છે. ઘણાં છે જે એકબીજા ને દુઃખ આપતાં રહે છે. એકબીજા નાં દેહમાં ફસાતાં રહે છે. આખો દિવસ એકબીજા ને યાદ કરતાં રહે છે. માયા પણ હોશિયાર છે. બાબા નામ નથી લેતાં. એટલે બાબા કહે છે બાળકો દેહી-અભિમાની ભવ. જ્ઞાન તો ખુબ સહજ છે. યાદ જ મુશ્કેલ છે. તે નોલેજ તો છતાં પણ ૧૫-૨૦ વર્ષ ભણે છે. કેટલી સબ્જેક્ટ (વિષય) હોય છે. આ નોલેજ તો ખુબ સહજ છે. ડ્રામા ને જાણવું એક કહાની છે. મુરલી ચલાવવી મોટી વાત નથી. યાદ ની જ ખુબ મુશ્કેલાત છે. બાબા પછી કહી દે છે - ડ્રામા. છતાં પણ પુરુષાર્થ કરતાં રહો. બાપ ને યાદ કરો તો યોગ અગ્નિ થી તમારાં પાપ ભસ્મ થશે. સારા-સારા બાળકો આમાં નપાસ થઈ જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ કોઈનાં દિલ ને દુઃખી નથી કરવાનું. બધાને સુખ પહોચાડવાનું છે. એક બાપ ની યાદ માં રહેવાનું અને બધાને યાદ અપાવવાની છે.

2. પાપોનાં ડાઘ ભૂસવા માટે દેહી-અભિમાની બની અવિનાશી બ્લોટિંગ પેપર બાપ ને યાદ કરવાનાં છે. એવી મીઠી અવસ્થા બનાવવાની છે જે બધાનું કલ્યાણ થતું રહે.

વરદાન :-
પોતાનાં સહયોગ થી નિર્બળ આત્માઓને વારસાનાં અધિકારી બનાવવા વાળા વરદાની મૂર્ત ભવ

હવે વરદાની મૂર્ત દ્વારા સંકલ્પ શક્તિ ની સેવા કરી નિર્બળ આત્માઓ ને બાપનાં સમીપ લાવો. મેજોરીટી (અધિકાંશ) આત્માઓમાં શુભ ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે કે આધ્યાત્મિક શક્તિ જે કંઈ કરી શકે છે તે બીજા કોઈ કરી નથી શકતાં. પરંતુ આધ્યાત્મિકતા ની તરફ ચાલવા માટે પોતાને હિમ્મતહીન સમજે છે. તેમને પોતાની શક્તિ થી હિમ્મતનાં પગ આપો ત્યારે બાપનાં સમીપ ચાલીને આવશે. હવે વરદાની મૂર્ત બની પોતાનાં સહયોગ થી તેમને વારસા નાં અધિકારી બનાવો.

સ્લોગન :-
પોતાનાં પરિવર્તન દ્વારા સંપર્ક, બોલ અને સંબંધ માં સફળતા પ્રાપ્ત કરાવવા વાળા જ સફળતામૂર્ત છે.