29-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે રુપ વસંત છો , તમારા મુખથી સદૈવ જ્ઞાન રત્ન જ નીકળવાં જોઈએ , જ્યારે પણ નવું કોઈ આવે તો તેમને બાપ નો પરિચય આપો”

પ્રશ્ન :-
પોતાની અવસ્થા ને એકરસ બનાવવાનું સાધન કયું છે?

ઉત્તર :-
સંગ ની સંભાળ કરો તો અવસ્થા એકરસ બનતી જશે. હંમેશા સારા સર્વિસેબલ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નો સંગ કરવો જોઈએ. જો કોઈ જ્ઞાન અને યોગનાં સિવાય ઉલ્ટી વાતો કરે છે, મુખ થી રત્નોનાં બદલે પથ્થર નીકાળે છે તો તેમનાં સંગ થી હંમેશા સાવધાન રહેવું જોઈએ.

ગીત :-
રાત કે રાહી ...

ઓમ શાંતિ!
જ્ઞાન અને વિજ્ઞાન. આને કહેશું અલ્ફ અને બે. બાપ જ્ઞાન આપે છે અલ્ફ અને બે નું. દિલ્હીમાં વિજ્ઞાન ભવન છે પરંતુ તે કોઈ અર્થ નથી જાણતાં. આપ બાળકો જાણો છો જ્ઞાન અને યોગ. યોગ થી આપણે પવિત્ર બનીએ છીએ, જ્ઞાન થી આપણું વસ્ત્ર રંગાય છે. આપણે આખા ચક્રને જાણી જઈએ છીએ. યોગ ની યાત્રા માટે પણ આ જ્ઞાન મળે છે. તેઓ કોઈ યોગનાં માટે જ્ઞાન નથી આપતાં. તેઓ તો સ્થૂળ માં ડ્રિલ (કસરત) વગેરે શીખવાડે છે. આ છે સૂક્ષ્મ અને મૂળ વાત. ગીત પણ તેનાથી સબંધ રાખે છે. બાપ કહે છે હેં બાળકો, હેં મૂળવતન નાં રાહી, પતિત-પાવન બાપ જ સર્વનાં સદ્દગતિ દાતા છે. એ જ બધાને રસ્તો બતાવશે ઘરે જવાનો. તમારી પાસે મનુષ્ય આવે છે સમજવા માટે. કોની પાસે આવે છે? પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારીઓની પાસે આવે છે તો તમારે એમને પૂછવું જોઈએ - તમે કોની પાસે આવ્યાં છો? મનુષ્ય સાધુ સંત મહાત્માની પાસે જાય છે. તેમનું નામ પણ હોય છે - ફલાણા મહાત્મા જી. અહીંયા તો નામ જ છે પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારી. બી.કે. તો અનેક છે. તમારે પૂછવાનું છે - કોની પાસે આવ્યાં છો? પ્રજાપિતા બ્રહ્મા તમારા શું લાગે છે? તે તો બધાનાં બાપ થયાં ને. કોઈ કહે છે તમારા મહાત્મા જી, ગુરુજી નાં દર્શન કરીએ. બોલો, તમે ગુરુ કેવી રીતે કહો છો. નામ જ રાખેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમારી તો એ બાપ થયાં ને, ન કે ગુરુ. પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારી એટલે જ તેમનાં કોઈ બાપ છે. એ તો તમારા પણ બાપ થયાં. બોલો, અમે બી.કે નાં બાપ થી મળવા ઇચ્છીએ છીએ. પ્રજાપિતા નું નામ ક્યારેય સાંભળ્યું છે? આટલાં બાળકો અને બાળકીઓ છે. બાપ ની ખબર પડે ત્યારે સમજે બેહદનાં બાપ છે. પ્રજાપિતા બ્રહ્માનાં પણ જરુર કોઈ બાપ હશે. તો કોઇ પણ આવે એમને પૂછવાનું છે કોની પાસે આવ્યાં છો? બોર્ડ પર શું લખેલું છે? જ્યારે કે આટલાં અસંખ્ય સેવાકેન્દ્રો છે. બ્રહ્માકુમાર કુમારી આટલાં છે તો જરુર બાપ હશે. ગુરુ હોઈ ન શકે. પહેલાં તો આ બુદ્ધિ થી નીકળે, સમજે કે આ ઘર છે, કોઈ ફેમિલી (પરિવાર) માં આવ્યો છું. અમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન છીએ તો જરુર તમે પણ હશો. સારું તે બ્રહ્મા પછી કોનો બાળક છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં રચયિતા તો પરમપિતા પરમાત્મા શિવ છે. એ છે જ બિંદૂ. એમનું નામ છે શિવ. એ આપણા દાદા છે. તમારી આત્મા પણ તેમની સંતાન છે. બ્રહ્માનાં તમે પણ સંતાન છો. તો તમે એવું કહો કે અમે બાપદાદા થી મળવા ઇચ્છીએ છીએ. તેમને એવું સમજાવવું જોઈએ જે તેમની બુદ્ધિ ચાલી જાય બાપ ની તરફ. સમજે હું કોની પાસે આવ્યો છું. પ્રજાપિતા બ્રહ્મા અમારા બાપ છે. એ છે બધી આત્માઓનાં બાપ. તો પહેલાં આ સમજો અમે કોની પાસે આવ્યાં છીએ. એવી યુક્તિ થી સમજાવાનું છે જે તેમને ખબર પડે કે આ શિવબાબા ની સંતાન છે. આ એક ફેમીલી છે. તેમને બાપ અને દાદા નો પરિચય થઈ જાય. તમે સમજાવી શકો છો - સર્વનાં સદ્દગતિ દાતા નિરાકાર બાપ છે. એ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સર્વ ની સદ્દગતિ કરે છે. એમને બધાં પોકારે છે. જુવો છો ને - કેટલાં બાળકો છે જે આવી ને બાપ થી વારસો લે છે. પહેલાં તેમને બાપ નો પરિચય મળે ત્યારે સમજે અમે બાપદાદા થી મળવા આવ્યાં છીએ. બોલો, અમે એમને બાપદાદા કહીએ છીએ. નોલેજફુલ, પતિત-પાવન એ શિવબાબા છે ને. પછી સમજાવવું જોઈએ - ભગવાન સર્વ નાં સદ્દગતિ દાતા નિરાકાર છે, એ જ્ઞાનનાં સાગર છે. બ્રહ્મા દ્વારા બેહદ નો વારસો લઇ રહ્યાં છીએ. તો તે સમજે આ બ્રહ્માકુમાર કુમારીઓ શિવબાબા ની સંતાન છે, એજ બધાનાં બાપ છે. ભગવાન એક છે. એજ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. એ સ્વર્ગનાં રચયિતા, સર્વનાં બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે અર્થાત્ ત્રિકાળદર્શી બનાવે છે. જે પણ જુઓ - સમજવા લાયક છે તો તેમને આ સમજાવવું જોઈએ. પહેલાં તો પૂછો - તમારા બાપ કેટલાં છે? લૌકિક અને પારલૌકિક. બાપ તો સર્વવ્યાપી હોઈ ન શકે. લૌકિક બાપ થી આ વારસો મળે છે, પારલૌકિક થી આ વારસો મળે છે. પછી એમને સર્વવ્યાપી કેવી રીતે કહી શકો છો. આ અક્ષર નોંધ કરી ધારણ કરો. આ સમજાવવું જરુર પડે છે. સમજવા વાળા તમે થયાં. આ ઘર છે, અમારા ગુરુ નથી. જુઓ છો આ બધાં બ્રહ્માકુમાર કુમારીઓ છે. વારસો અમને નિરાકાર શિવબાબા જ આપે છે જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. બ્રહ્મા ને સર્વનાં સદ્દગતિ દાતા પતિત-પાવન લિબરેટર (મુક્તિદાતા) નથી કહેવાતું. આ શિવબાબા ની જ મહિમા છે જે પણ આવે તેમને આ જ સમજાવો કે આ સર્વનાં બાપદાદા છે. એ જ બાપ સ્વર્ગનાં રચયિતા છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરે છે. આવી રીતે તમે કોઈને પણ સમજાવશો તો પછી બાપની પાસે આવવાની દરકાર જ નહીં રહેશે. તે તો ટેવાયેલાં છે, કહેશે ગુરુજી નાં દર્શન કરીએ... ભક્તિમાર્ગ માં ગુરુની ખૂબ મહિમા કરે છે. વેદ-શાસ્ત્ર યાત્રા વગેરે બધું ગુરુ જ શીખવાડે છે. તમારે સમજાવવાનું છે મનુષ્ય ગુરુ હોઈ ન શકે. આપણે બ્રહ્માને પણ ગુરુ નથી કહેતાં. સતગુરુ એક છે. કોઈ મનુષ્ય જ્ઞાનનાં સાગર હોઈ ન શકે. તે બધાં છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વાંચવા વાળા. તેમને શાસ્ત્રોનું જ્ઞાન કહેવાય છે, જેને ફિલોસોફી (તત્વજ્ઞાન) કહે છે. અહીંયા આપણને જ્ઞાન સાગર બાપ ભણાવે છે. આ સ્પ્રીચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) છે. જ્ઞાનસાગર બ્રહ્મા વિષ્ણુ શંકર ને નથી કહી શકાતું, તો મનુષ્ય ને કેવી રીતે કહી શકાય. જ્ઞાનની ઓથોરિટી મનુષ્ય હોઈ ન શકે. શાસ્ત્રો ની ઓથોરિટી પણ પરમપિતા પરમાત્મા ને કહેવાય છે. દેખાડે છે, પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધાં વેદો શાસ્ત્રો નો સાર આમનાં દ્વારા સમજાવે છે. બાપ કહે છે મને કોઈ જાણતું જ નથી તો વારસો ક્યાંથી મળે. બેહદ નો વારસો બેહદનાં બાપ દ્વારા જ મળે છે. હવે આ બાબા શું કરી રહ્યાં છે? આ હોળી અને ધુળેટી છે ને. જ્ઞાન અને વિજ્ઞાન અક્ષર ફક્ત બે છે. મનમનાભવ નું પણ જ્ઞાન આપે છે. મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તો આ જ્ઞાન વિજ્ઞાન છે - હોળી અને ધુળેટી, મનુષ્યો માં જ્ઞાન ન હોવાનાં કારણે તે તો એકબીજા નાં મુખમાં ધૂળ નાખે છે. છે પણ એવાં. ગતિ સદ્દગતિ કોઈની પણ થતી નથી. ધૂળ જ મુખમાં નાખે છે. જ્ઞાનનું ત્રીજું નેત્ર કોઈને પણ છે નહીં. દંતકથાઓ સાંભળતાં આવ્યાં છે. આને કહેવાય છે બ્લાઇન્ડ ફેથ (અંધવિશ્વાસ).

હમણાં આપ આત્માઓ ને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. આપ બાળકોએ બાપ થી વારસાની પ્રાપ્તિનાં માટે સલાહ આપવાની છે તો તેમને ખબર પડે. આ વારસો લઈ રહ્યાં છીએ બ્રહ્મા દ્વારા બીજા કોઈ દ્વારા મળી નથી શકતો. બધાં સેવાકેન્દ્રો પર નામ લખેલું છે - પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારીઓ. જો ગીતા પાઠશાળા લખે તો કોમન (સાધારણ) વાત થઇ જાય છે. હવે તમે પણ બી.કે. લખો ત્યારે તો બાપ નો પરિચય આપી શકો. મનુષ્ય બી.કે. નામ સાંભળીને ડરી જાય છે એટલે ગીતા પાઠશાળા નામ લખે છે. પરંતુ આમાં ડરવાની કોઈ વાત નથી. બોલો આ ઘર છે. તમે જાણો છો કોના ઘરે આવ્યાં છો? તે બધાનાં બાપ છે પ્રજાપિતા બ્રહ્મા. ભારતવાસી પ્રજાપિતા બ્રહ્મા ને માને છે. ક્રિશ્ચિયન પણ સમજે છે આદિ દેવ થઈને ગયાં છે, જેમની આ મનુષ્ય વંશાવલી છે. બાકી તે માનશે તો પોતાનાં ક્રાઈસ્ટ ને જ, ક્રાઈસ્ટ ને, બુદ્ધ ને ફાધર (પિતા) સમજે છે. વંશજ છે ને. અસલ માં બાપે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી છે. તે થઈ ગયાં ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. તે કહે અમે તમારા બાપ થી મળવા ઇચ્છીએ છીએ. બોલો, વારસો શિવબાબા થી મળે છે, ન કે બ્રહ્મા બાબા થી. તમારા બાપ કોણ છે? ગીતાનાં ભગવાન કોણ છે? આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કોણે કરી? બાપ નામ કહેવાથી સમજશે આ બધાં બ્રહ્માકુમાર કુમારીઓ શિવબાબાની સંતાન છે. વારસો મળે છે શિવ થી બ્રહ્મા દ્વારા ગતિ કે સદ્દગતિ નો. એ આ સમયે આપણને જીવનમુક્તિ આપી રહ્યાં છે. બાકી બધાં મુક્તિમાં ચાલ્યાં જશે. આ જ્ઞાન આપ બાળકોની બુદ્ધિ માં રહેવું જોઈએ. કોઈ પણ આવે તો તેમને સમજાવો, કોને મળવાં ઈચ્છો છો? એ તો અમારા પણ અને તમારા પણ બાપ છે. ગુરુ ગોસાઈ તો છે જ નહીં. આ તો તમે સમજો છો. જેમકે હોળી ધુળેટી કરાવો છો. નહીં તો હોળી ધુળેટી નો કોઈ અર્થ નથી નીકળતો. જ્ઞાન થી વસ્ત્ર રંગો છો. આત્મા આ વસ્ત્ર ની અંદર છે. આ પવિત્ર બનવાથી શરીર પણ પવિત્ર મળશે. આ તો પવિત્ર શરીર છે નહીં. આ ખલાસ થઈ જવાનું છે. ગંગા સ્નાન શરીરને કરાવે છે પરંતુ પતિત-પાવન બાપનાં સિવાય કોઈ છે નહીં. પતિત આત્મા બને છે તો આત્મા પાણી નાં સ્નાન થી પાવન થઈ નથી સકતી. આ કોઈને ખબર નથી. તે તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આત્મા નિર્લેપ છે. હમણાં જે સેન્સીબલ (સમજદાર) બને છે, તે જ ધારણ કરી અને કરાવી શકે છે. જે બાળકોનાં મુખ થી સદૈવ રત્ન જ નીકળે, તેમને રુપ-વસંત કહેવાય છે. સિવાય જ્ઞાન-વિજ્ઞાન નાં બાકી આપસમાં કાંઈ પણ લેણ-દેણ કરે છે એટલે પથ્થર જ મારે છે. સર્વિસનાં (સેવા) બદલે ડિસસર્વિસ (કુસેવા) કરે છે. ૬૩ જન્મ એકબીજા ને પથ્થર મારતાં આવ્યાં. હવે બાપ કહે છે તમારે જ્ઞાન-વિજ્ઞાન ની વાતો કરી દિલને ખુશ કરવાનું છે. ઝરમુઈ ઝગમુઈ ની વાતો સાંભળવી ન જોઈએ. આ જ્ઞાન છે ને. પથ્થર તો આખી દુનિયા એકબીજા ને મારે છે. આપ બાળકો તો રુપ-વસંત છો. તમારે જ્ઞાન-વિજ્ઞાનનાં સિવાય ન કાંઈ સાંભળવાનું છે, ન સંભળાવવાનું છે. જે ઉલટી વાતો કરે છે તેમનો સંગ જ ખરાબ છે. જે ખૂબ સર્વિસ કરવા વાળા છે, તેમનો સંગ તારે... કોઈ બ્રાહ્મણ રુપ વસંત છે, કોઈ બ્રાહ્મણ બનીને પછી ઉલ્ટી-સુલટી વાતો કરે છે. એવાં નો સંગ ન કરવો જોઈએ વધારે જ નુકશાન કરી દેશે. બાબા વારંવાર સાવધાની આપે છે. ઉલટી-સુલટી વાતો એકબીજા થી ક્યારેય નહીં કરો. નહીં તો પોતાનું પણ સત્યાનાશ, બીજાનું પણ સત્યાનાશ કરી દે છે તો પછી પદ ભ્રષ્ટ થઈ પડે છે. બાબા કેટલું સહજ સંભળાવે છે. શોખ હોવો જોઈએ, બાબા અમે જઈને અનેકો ને આ નોલેજ આપીએ છીએ. એ જ બાપ નાં સાચાં બાળકો છે. સર્વિસેબલ (સેવાધારી) બાળકોની બાપ પણ મહિમા કરે છે. તેમનો સંગ કરવો જોઈએ. કોણ સારા વિદ્યાર્થીનો સંગ રાખે છે, બાબા થી પૂછો તો બતાવી શકે છે, કોનો સંગ કરવો જોઈએ. કોણ બાબાનાં દિલ પર ચઢેલાં છે, તે ઝટ બતાવશે. સર્વિસ કરવા વાળાનો બાબા ને પણ રિગાર્ડ છે. કોઈ-કોઈ તો સર્વિસ પણ નથી કરી શકતાં. એવો અનેકો ને ખરાબ સંગ મળવાથી અવસ્થા નીચે ઉપર થઈ જાય છે. હાં કોઈ સ્થૂળ સર્વિસમાં સારા છે, તે પણ સારો વારસો પામી લે છે. અલ્ફ અને બે સમજવું તો ખૂબ સહજ છે. કોઈને પણ ફક્ત બોલો - બાપ ને અને વારસા ને યાદ કરો. બસ, અક્ષર જ બે છે - અલ્ફ અને બે. આ તો બિલકુલ સહજ છે. કોઈ પણ આવે તો તેમને ફક્ત કહો - બાબાનું ફરમાન છે મામેકમ્ યાદ કરો, બસ. સૌથી મોટી ખાતરી આ છે. બાપ કહે છે મને યાદ કરો તો તમને સ્વર્ગ નો વારસો મળી જશે. દરેક સેવાકેન્દ્ર માં એવાં નંબરવાર છે, કોઈ તો વિસ્તારમાં સમજાવી શકે છે. નથી સમજાવી શકતાં છે તો ફક્ત આ બતાવો. કલ્પ પહેલાં પણ બાપે કહ્યું હતું કે મામેકમ્ યાદ કરો બીજા કોઈ પણ દેહધારી દેવતા વગેરે ને પણ યાદ નહીં કરો. બાકી ઝરમુઈ ઝગમુઈ, ફલાણા આવું કહે છે, આ કરે છે... કાંઈ પણ નહીં કરો. આ બાબાએ તમને હોળી અને ધુળેટી રમાડી. બાકી રંગ વગેરે લગાવવો તો આસુરી મનુષ્યો નું કામ છે. કોઈ કોઈની ગ્લાની બેસી સંભળાવે તો ન સાંભળવી જોઈએ. બાબા કેટલી સારી વાતો સંભળાવે છે - મનમનાભવ, મધ્યાજી ભવ. કોઈ પણ આવે તો તેમને સમજાવો - શિવબાબા સર્વનાં બાપ છે, એ તો કહે છે મને યાદ કરો તો સ્વર્ગ નો વારસો મળશે. ગીતાનાં ભગવાન પણ એ છે. મોત સામે ઉભું છે. તો આપ બાળકો નું કામ છે સર્વિસ કરવી. બાપની યાદ અપાવવી. આ છે મહાન મંત્ર, જેનાથી રાજધાની નું તિલક મળી જશે. કેટલી સહજ વાત છે બાપ ને યાદ કરો અને કરાવો તો બેડો પાર થઈ જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સીબલ (સમજદાર) બની બધાં ને બાપ નો પરિચય આપવાનો છે. મુખ થી ક્યારેય પથ્થર નીકાળી ડિસસર્વિસ નથી કરવાની. જ્ઞાન-યોગ નાં સિવાય બીજી કોઈ ચર્ચા નથી કરવાની.

2. જે રુપ-વસંત છે, સર્વિસેબલ છે તેમનો જ સંગ કરવાનો છે. જે ઉલટી-સુલટી વાતો સંભળાવે તેમનો સંગ નથી કરવાનો.

વરદાન :-
પરતંત્રતા નાં બંધન ને સમાપ્ત કરી સાચ્ચી સ્વતંત્રતા નો અનુભવ કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ

વિશ્વ ને સર્વ શક્તિઓનું દાન આપવા માટે સ્વતંત્ર આત્મા બનો. સૌથી પહેલી સ્વતંત્રતા જૂની દેહ નાં અંદરનાં સંબંધ થી હોય કારણ કે દેહની પરતંત્રતા અનેક બંધનો માં ન ઇચ્છતાં પણ બાંધી દે છે. પરતંત્રતા હંમેશા નીચેની તરફ લઈ જાય છે. હેરાનગતિ કે નીરસ સ્થિતિનો અનુભવ કરાવે છે. તેમને કોઈ પણ સહારો સ્પષ્ટ દેખાતો નથી. ન દુઃખ નો અનુભવ, ન ખુશી નો અનુભવ, ચક્રવાત માં હોય છે. એટલે માસ્ટર સર્વશક્તિવાન બની સર્વ બંધનો થી મુક્ત બનો, પોતાનો સાચ્ચો સ્વતંત્રતા દિવસ મનાવો.

સ્લોગન :-
પરમાત્મ મિલન માં સર્વ પ્રાપ્તિઓની મૌજ નો અનુભવ કરી સંતુષ્ટ આત્મા બનો.