21-03-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  22.11.87    બાપદાદા મધુબન


“ મદદ નાં સાગર થી પદમગુણા મદદ લેવાની વિધિ”
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફનાં હિમ્મતવાન બાળકોને જોઈ રહ્યાં છે. આદિ થી હમણાં સુધી દરેક બ્રાહ્મણ આત્મા હિમ્મતનાં આધાર થી બાપદાદાની મદદનાં પાત્ર બન્યાં છે અને ‘હિમ્મતે બચ્ચે મદદે બાપ’ નાં વરદાન પ્રમાણે પુરુષાર્થમાં નંબરવાર આગળ વધતાં રહ્યાં છે. બાળકોની એક કદમ ની હિમ્મત અને બાપની પદમ કદમો ની મદદ દરેક બાળક ને પ્રાપ્ત થાય છે કારણ કે આ બાપદાદા નો વાયદો કહો, વારસો કહો બધું બાળકોનાં પ્રતિ છે અને આ જ શ્રેષ્ઠ સહજ પ્રાપ્તિનાં કારણે જ ૬૩ જન્મોની નિર્બળ આત્માઓ બળવાન બની આગળ વધતી જઈ રહી છે. બ્રાહ્મણ જન્મ લેતાં જ પહેલી હિમ્મત કઈ ધારણ કરી? પહેલી હિમ્મત - જે અસંભવ ને સંભવ કરીને દેખાડ્યું, પવિત્રતાની વિશેષતાની ધારણા કરી. હિમ્મત થી દૃઢ સંકલ્પ કર્યો કે અમારે પવિત્ર બનવું જ છે અને બાપે પદમગુણા મદદ આપી કે આપ આત્માઓ અનાદિ-આદિ પવિત્ર હતી, અનેક વખત પવિત્ર બની છો અને બનતી રહેશો. નવી વાત નથી. અનેક વખત ની શ્રેષ્ઠ સ્થિતિ ને ફરીથી ફક્ત રિપીટ કરી રહ્યાં છો. હમણાં પણ આપ પવિત્ર આત્માઓનાં ભક્ત તમારા જડ ચિત્રોની આગળ પવિત્રતાની શક્તિ માંગતા રહે છે, તમારી પવિત્રતાનાં ગીત ગાતાં રહે છે. સાથે-સાથે તમારી પવિત્રતાની નિશાની દરેક પૂજ્ય આત્માનાં ઉપર લાઈટ નો તાજ છે. આવી રીતે સ્મૃતિ દ્વારા સમર્થ બનાવ્યાં અર્થાત્ બાપની મદદ થી તમે નિર્બળ થી બળવાન બની ગયાં. એટલાં બળવાન બન્યાં જે વિશ્વને ચૈલેન્જ (પડકાર) કરવાનાં નિમિત્ત બન્યાં છો કે અમે વિશ્વ ને પાવન બનાવી જ દેખાડશું! નિર્બળ થી એટલાં બળવાન બન્યાં જે દ્વાપરનાં નામીગ્રામી ઋષિ-મુનિ મહાન્ આત્માઓ જે વાતને ખંડિત કરતાં રહે છે કે પ્રવૃત્તિમાં રહેતાં પવિત્ર રહેવું અસંભવ છે અને સ્વયં આજકાલ નાં સમય પ્રમાણે પોતાનાં માટે પણ કઠિન સમજે છે, અને તમે તેમની આગળ નેચરલ રુપમાં વર્ણન કરો છો કે આ તો આત્માનું અનાદિ, આદિ નિજ સ્વરુપ છે, આમાં મુશ્કિલ શું છે? આને કહે છે હિમ્મતે બચ્ચે મદદે બાપ. અસંભવ, સહજ અનુભવ થયું અને થઈ રહ્યું છે. જેટલું જ તે અસંભવ કહે છે, એટલું જ આપ અતિ સહજ કહો છો. તો બાપે નોલેજની શક્તિની મદદ અને યાદ દ્વારા આત્માની પાવન સ્થિતિની અનુભૂતિ ની શક્તિની મદદ થી પરિવર્તન કરી લીધાં. આ છે પહેલાં કદમ ની હિમ્મત પર બાપની પદમગુણા મદદ.

એવી રીતે જ માયાજીત બનવાનાં માટે ભલે કેટલાં પણ ભિન્ન-ભિન્ન રુપ થી માયા વાર કરવા માટે આદિ થી હમણાં સુધી આવતી રહે છે ક્યારેક રોયલ રુપ થી આવે, ક્યારેક પ્રખ્યાત રુપમાં આવે, ક્યારેક ગુપ્ત રુપમાં આવે અને ક્યારેક આર્ટિફિશિયલ (બનાવટી) ઈશ્વરીય રુપમાં આવે. ૬૩ જન્મ માયાનાં સાથી બની ને રહ્યાં છો. આવાં પાક્કાં સાથીઓને છોડવું પણ મુશ્કિલ થાય છે એટલે ભિન્ન-ભિન્ન રુપ થી તે પણ વાર કરવામાં મજબૂત છે અને તમે અહીંયા મજબૂત છો. આટલાં વાર હોવા છતાં જે હિંમત વાળા બાળકો છે અને બાપની પદમગુણા મદદનાં પાત્ર બાળકો છો, મદદનાં કારણે માયાનાં વાર ને ચેલેન્જ કરે છે કે તમારું કામ છે આવવું અને અમારું કામ છે વિજય પ્રાપ્ત કરવી. વાર ને ખેલ સમજો છો, માયાનાં સિંહ રુપને કીડી સમજો છો કારણ કે જાણો છો કે આ માયાનું રાજ્ય હવે સમાપ્ત થવાનું છે અને અમે અનેકવાર નાં વિજયી આત્માઓની વિજય ૧૦૦ ટકા નિશ્ચિત છે એટલે આ જ ‘નિશ્ચિત’ નો નશો બાપની પદમગુણા મદદ નો અધિકાર પ્રાપ્ત કરાવે છે. તો જ્યાં હિંમતે બાળકો મદદે સર્વશક્તિવાન બાપ છે, ત્યાં અસંભવ ને સંભવ કરવું કે માયા ને, વિશ્વ ને ચૈલેન્જ કરવી કોઈ મોટી વાત નથી. એવું સમજો છો ને?

બાપદાદા આ રિઝલ્ટ જોઈ રહ્યાં હતાં કે આદિ થી હમણાં સુધી દરેક બાળક હિમ્મતનાં આધાર પર મદદનાં પાત્ર બની ક્યાં સુધી સહજ પુરુષાર્થી બની આગળ વધ્યાં છે, ક્યાં સુધી પહોંચ્યા છે. તો શું જોયું? બાપ ની મદદ અર્થાત્ દાતા ની દેન, વરદાતાનાં વરદાન તો સાગરનાં સમાન છે. પરંતુ સાગર થી લેવા વાળા કોઈ બાળકો સાગર સમાન ભરપૂર બની બીજાઓને પણ બનાવી રહ્યાં છે અને કોઈ બાળકો મદદની વિધિને ન જાણી મદદ લેવાનાં બદલે પોતાની જ મહેનત માં ક્યારેક તીવ્રગતિ, ક્યારેક દિલશિકસ્ત નાં ખેલ માં નીચે-ઉપર થતાં રહે છે. અને કોઈ બાળકો ક્યારેક મદદ, ક્યારેક મહેનત. લાંબો સમય મદદ પણ છે પરંતુ ક્યાંક-ક્યાંક અલબેલાપણાનાં કારણે મદદની વિધિ ને પોતાનાં સમય પર ભૂલી જાય છે અને હિમ્મત રાખવાનાં બદલે અલબેલાપણાનાં કારણે અભિમાનમાં આવી જાય છે કે અમે તો સદા પવિત્ર છીએ જ, બાપ અમને મદદ નહીં કરશે તો કોને કરશે, બાપ બંધાયેલાં છે. આ અભિમાનનાં કારણે હિમ્મત દ્વારા મદદ ની વિધિ ને ભૂલી જાય છે. અલબેલાપણાનું અભિમાન અને સ્વયં પર અટેન્શન આપવાનું અભિમાન મદદ થી વંચિત કરી દે છે. સમજે છે હવે તો ખુબ યોગ લગાવી લીધો, જ્ઞાની તૂ આત્મા પણ બની ગયાં, યોગી તૂ આત્મા પણ બની ગયાં, સેવાધારી પણ ખુબ નામીગ્રામી બની ગયાં, સેવાકેન્દ્ર ઇન્ચાર્જ પણ બની ગયાં, સેવાની રાજધાની પણ બની ગઈ, પ્રકૃતિ પણ સેવા યોગ્ય બની ગઈ, આરામ થી જીવન વિતાવી રહ્યાં છીએ. આ છે અટેન્શન રાખવામાં અલબેલાપણું એટલે જ્યાં જીવવાનું છે ત્યાં સુધી ભણતર અને સંપૂર્ણ બનવાનું અટેન્શન, બેહદની વૈરાગ્ય વૃત્તિનું અટેન્શન આપવાનું છે - આને ભૂલી જાય છે. બ્રહ્મા બાપ ને જોયા, અંતિમ સંપૂર્ણ કર્માતીત સ્થિતિ સુધી સ્વયં પર, સેવા પર, બેહદની વૈરાગ્ય વૃત્તિ પર, વિદ્યાર્થી જીવનની રીત થી અટેન્શન આપીને નિમિત્ત બની દેખાડયું એટલે આદિ થી અંત સુધી હિમ્મત માં રહ્યાં, હિમ્મત અપાવવાનાં નિમિત્ત બન્યાં. તો બાપની નંબરવન મદદનાં પાત્ર બની નંબરવન પ્રાપ્તિ ને પ્રાપ્ત થયાં. ભવિષ્ય નિશ્ચિત હોવાં છતાં પણ અલબેલા ન રહ્યાં. સદા પોતાનાં તીવ્ર પુરુષાર્થ નાં અનુભવ બાળકોની આગળ અંત સુધી સંભળાવતાં રહ્યાં. મદદનાં સાગર માં એવાં સમાઈ ગયાં જે હમણાં પણ બાપ સમાન દરેક બાળકો ને અવ્યક્ત રુપ થી પણ મદદગાર છે. આને કહેવાય છે એક કદમ ની હિમ્મત અને પદમગુણા મદદ નાં પાત્ર બનવું.

તો બાપદાદા જોઈ રહ્યાં હતાં કે ઘણાં બાળકો મદદ નાં પાત્ર હોવા છતાં પણ મદદ થી વંચિત કેમ રહી જાય? આનું કારણ સંભળાવ્યું કે હિમ્મતની વિધિ ને ભૂલવાનાં કારણે, અભિમાન અર્થાત્ અલબેલાપણું અને સ્વ નાં ઉપર અટેન્શન ની કમીનાં કારણે. વિધિ નથી તો વરદાન થી વંચિત રહી જાય. સાગરનાં બાળકો હોવાં છતાં પણ નાનાં-નાનાં તળાવ બની જાય. જેમ તળાવ નું પાણી ઉભું હોય છે, એવી રીતે પુરુષાર્થ ની વચમાં ઉભાં રહી જાય છે એટલે ક્યારેક મહેનત, ક્યારેક મૌજ માં રહે છે. આજે જુઓ તો ખુબ મૌજ માં છે અને કાલે નાનાં રોડા (પથ્થર) નાં કારણે તેને હટાવવા ની મહેનત માં લાગેલાં છે. પહાડ પણ નહીં, નાનકડો પથ્થર છે. છે મહાવીર પાંડવસેના પરંતુ નાનકડો કાંકરો-પથ્થર પણ પહાડ બની જાય. એ જ મહેનત માં લાગી જાય છે. પછી ખુબ હસાવે છે. જો કોઈ તેમને કહે છે કે આ તો ખુબ નાનો કાંકરો છે, તો હસવાની વાત શું કહે છે? તમને શું ખબર, તમારા આગળ આવે તો ખબર પડે. બાપ ને પણ કહે - તમે તો છો જ નિરાકાર, તમને પણ શું ખબર. બ્રહ્મા બાબાને પણ કહે છે - તમને તો બાપની લિફ્ટ છે, તમને શું ખબર. ખુબ સારી-સારી વાતો કરે છે. પરંતુ આનું કારણ છે નાની એવી ભૂલ. હિમ્મતે બાળકો મદદે ખુદા - આ રહસ્ય ને ભૂલી જાય છે. આ એક ડ્રામા ની ગુહ્ય કર્મો ની ગતિ છે. હિમ્મતે બાળકો મદદે ખુદા, જો આ વિધિ વિધાન માં ન હોત તો બધાં વિશ્વનાં પહેલાં રાજા બની જાત. એક જ સમય પર બધાં તખ્ત પર બેસશે શું? નંબરવાર બનવાનું વિધાન આ વિધિ નાં કારણે જ બને છે. નહીં તો, બધાં બાપને ઉલ્હના (ફરિયાદ) આપે કે બ્રહ્માને જ કેમ પહેલો નંબર બનાવ્યાં, અમને પણ તો બનાવી શકત? એટલે આ ઈશ્વરીય વિધાન ડ્રામા અનુસાર બનેલું છે. નિમિત્ત માત્ર આ વિધાન નોંધાયેલું છે કે એક કદમ હિમ્મત નો અને પદમ કદમ મદદનાં, મદદનાં સાગર હોવા છતાં પણ આ વિધાન ની વિધિ ડ્રામા અનુસાર નોંધાયેલી છે. તો જેટલું ઈચ્છો હિમ્મત રાખો અને મદદ લો. આમાં કમી નથી રાખતાં. ભલે એક વર્ષનું બાળક હોય, ભલે ૫૦ વર્ષનું બાળક હોય, ભલે સરેન્ડર હોય, ભલે પ્રવૃત્તિ વાળા હોય - અધિકાર સમાન છે. પરંતુ વિધિ થી પ્રાપ્તિ છે. તો ઈશ્વરીય વિધાન ને સમજ્યાં ને?

હિમ્મત તો ખુબ સારી રાખી છે. અહીંયા સુધી પહોંચવાની પણ હિમ્મત રાખો છો ત્યારે તો પહોંચો છો ને. બાપનાં બન્યાં છો તો પણ હિમ્મત રાખી છે, ત્યારે બન્યાં છો. સદા હિમ્મત ની વિધિ થી મદદનાં પાત્ર બની ચાલવું અને ક્યારેક-ક્યારેક વિધિ થી સિદ્ધિ પ્રાપ્ત કરવી - આમાં અંતર થઈ જાય છે. સદા દરેક કદમ માં હિમ્મત થી મદદનાં પાત્ર બની નંબરવન બનવાનાં લક્ષ્ય ને પ્રાપ્ત કરો. નંબરવન એક બ્રહ્મા બનશે પરંતુ ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં સંખ્યા છે એટલે નંબરવન કહે છે. સમજ્યાં? ફર્સ્ટ ડિવિઝનમાં તો આવી શકો છો ને? આને કહેવાય છે નંબરવન માં આવવું. પછી ક્યારેક અલબેલાપણા ની લીલા બાળકોની સંભળાવશે. ખુબ સારી લીલા કરે છે. બાપદાદા તો સદા બાળકોની લીલા જોતાં રહે છે. ક્યારેક તીવ્ર પુરુષાર્થની લીલા પણ જોવે, ક્યારેક અલબેલાપણા ની લીલા પણ જોવે છે. અચ્છા.

કર્નાટક વાળાઓની વિશેષતા શું છે? દરેક ઝોનની પોત-પોતાની વિશેષતા છે. કર્ણાટક વાળાઓની પોતાની ખુબ સારી ભાષા છે - ભાવનાની ભાષામાં હોશિયાર છે. આમ તો હિન્દી ઓછું સમજે છે પરંતુ કર્ણાટક ની વિશેષતા છે ભાવનાની ભાષામાં નંબરવન એટલે ભાવના નું ફળ સદા મળે છે, બીજું કાંઈ નહીં બોલશે પરંતુ સદા બાબા-બાબા બોલતાં રહેશે. આ ભાવના ની શ્રેષ્ઠ ભાષા જાણે છે. ભાવના ની ધરતી છે ને. અચ્છા.

ચારેય તરફનાં હિમ્મત વાળા બાળકો ને, સદા બાપ ની મદદ પ્રાપ્ત કરવા વાળા પાત્ર આત્માઓ ને, સદા વિધાન ને જાણી વિધિ થી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બ્રહ્મા બાપ સમાન અંત સુધી ભણતર અને પુરુષાર્થ ની વિધિ માં ચાલવા વાળા શ્રેષ્ઠ, મહાન્ બાપ સમાન બાળકો ને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.

પાર્ટીઓથી અવ્યક્ત બાપદાદાની મુલાકાત

૧ . પોતાને ડબલ લાઈટ ફરિશ્તા અનુભવ કરો છો? ડબલ લાઈટ સ્થિતિ ફરિશ્તાપણાની સ્થિતિ છે. ફરિશ્તા અર્થાત્ લાઈટ. જ્યારે બાપનાં બની ગયાં તો બધો બોજ બાપ ને આપી દીધો ને? જ્યારે બોજ હલકો થઈ ગયો તો ફરિશ્તા થઈ ગયાં. બાપ આવ્યાં જ છે બોજ સમાપ્ત કરવા માટે. તો જ્યારે બાપ બોજ સમાપ્ત કરવા વાળા છે તો આપ સર્વે બોજ સમાપ્ત કર્યો છે ને? કોઈ નાની પોટલી છુપાવીને તો રાખી નથી? બધુંજ આપી દીધું કે થોડું-થોડું સમય માટે રાખ્યું છે? થોડા-થોડા જૂનાં સંસ્કાર છે કે તે પણ ખતમ થઈ ગયાં? જૂનો સ્વભાવ કે જૂનાં સંસ્કાર, આ પણ તો ખજાનો છે ને. આ પણ આપી દીધો છે? જો થોડો પણ રહેલો હશે તો તે ઉપર થી નીચે લઈ આવશે, ફરિશ્તા બની ઉડતી કળા નો અનુભવ કરવા દેશે નહીં. ક્યારેક ઊંચે તો ક્યારેક નીચે આવી જશો એટલે બાપદાદા કહે છે બધુંજ આપી દો. આ રાવણ ની પ્રોપર્ટી (મિલકત) છે ને. રાવણ ની પ્રોપર્ટી પોતાની પાસે રાખશો તો દુઃખ જ પામશો. ફરિશ્તા અર્થાત્ જરા પણ રાવણ ની પ્રોપર્ટી ન હોય, જૂનો સ્વભાવ કે સંસ્કાર આવે છે ને? કહો છો ને - ઇચ્છતાં તો નહોતાં પરંતુ થઈ ગયું, કરી લીધું કે થઈ જાય છે. તો આનાથી સિદ્ધ છે કે નાની જૂની પોટલી પોતાની પાસે રાખી લીધી છે. કિચડ-પટ્ટી ની પોટલી છે. તો સદાનાં માટે ફરિશ્તા બનવું - આ જ બ્રાહ્મણ જીવન છે. પાસ્ટ (ભૂતકાળ) ખતમ થઈ ગયું. જૂનાં ખાતા ભસ્મ કરી દીધાં. હવે નવી વાતો, નવાં ખાતા છે. જો થોડો પણ જૂનો કર્જો રહ્યો હશે તો સદા માયા નો મર્જ (માર) લાગતો રહેશે કારણ કે કર્જ ને મર્જ કહેવાય છે એટલે બધાં જ ખાતા સમાપ્ત કરો. નવું જીવન મળી ગયું તો જૂનું બધું સમાપ્ત.

૨ . સદા ‘વાહ-વાહ’ નાં ગીત ગાવા વાળા છો ને? ‘હાય-હાય’ નાં ગીત સમાપ્ત થઈ ગયાં અને ‘વાહ-વાહ’ નાં ગીત સદા મન થી ગાતાં રહો. જે પણ શ્રેષ્ઠ કર્મ કરો તો મન થી શું નીકળે? વાહ મારું શ્રેષ્ઠ કર્મ! અથવા વાહ શ્રેષ્ઠ કર્મ શિખવાડવા વાળા! અથવા વાહ શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ કર્મ કરાવવા વાળા! તો સદા ‘વાહ-વાહ!’ નાં ગીત ગાવા વાળી આત્માઓ છો ને? ક્યારેય ભૂલ થી પણ ‘હાય’ તો નથી નીકળતું? હાય, આ શું થઈ ગયું - ના. કોઈ દુઃખ નું દૃશ્ય જોઇ ને પણ ‘હાય’ શબ્દ ન નીકળવો જોઈએ. કાલે ‘હાય-હાય’ નાં ગીત ગાતા હતાં અને આજે ‘વાહ-વાહ’ નાં ગીત ગાઓ છો. આટલું અંતર થઈ ગયું! આ કોની શક્તિ છે? બાપની કે ડ્રામાની? (બાપ ની) બાપ પણ તો ડ્રામાનાં કારણે આવ્યાં ને. તો ડ્રામા પણ શક્તિશાળી થયો. જો ડ્રામામાં પાર્ટ ન હોત તો બાપ પણ શું કરત. બાપ પણ શક્તિશાળી છે અને ડ્રામા પણ શક્તિશાળી છે. તો બંને નાં ગીત ગાતાં રહો - વાહ ડ્રામા વાહ! જે સ્વપ્નમાં પણ નહોતું, તે સાકાર થઈ ગયું. ઘરે બેઠાં બધું મળી ગયું. ઘરે બેઠાં આટલું ભાગ્ય મળી જાય - આને કહેવાય છે ડાયમંડ લોટરી.

૩ . સંગમયુગી સ્વરાજ્ય અધિકારી આત્માઓ બન્યાં છો? દરેક કર્મેન્દ્રિયની ઉપર પોતાનું રાજ્ય છે? કોઈ કર્મેન્દ્રિય દગો તો નથી આપતી? ક્યારેક સંકલ્પ માં પણ હાર તો નથી થતી? કયારેક વ્યર્થ સંકલ્પ ચાલે છે? ‘સ્વરાજ્ય અધિકારી આત્માઓ છીએ - આ નશો અને નિશ્ચય થી સદા શક્તિશાળી બની માયાજીત થી જગતજીત બની જાઓ છો. સ્વરાજ્ય અધિકારી આત્માઓ સહજયોગી, નિરંતર યોગી બની શકે છે. સ્વરાજ્ય અધિકારીનાં નશા અને નિશ્ચય થી આગળ વધતાં ચાલો. માતાઓ નષ્ટોમોહા છો કે મોહ છે? પાંડવો ને પણ ક્યારેય ક્રોધનો અંશમાત્ર જોશ આવે છે? ક્યારેક કોઈ થોડું નીચે-ઉપર કરે તો ક્રોધ આવશે? થોડા સેવાનો ચાન્સ ઓછો મળે, બીજાઓને વધારે મળે તો બહેન પર થોડો જોશ આવશે કે આ શું કરે છે? જોજો, પેપર આવશે કારણ કે થોડું પણ દેહ-અભિમાન આવ્યું તો એમાં જોશ કે ક્રોધ સહજ આવી જાય છે એટલે સદા સ્વરાજ્ય અધિકારી અર્થાત્ સદા નિરહંકારી, સદા નિર્માણ બની સેવાધારી બનવાવાળા. મોહ નું બંધન પણ ખતમ. અચ્છા.

વરદાન :-
બાપ સમાન પોતાનાં દરેક બોલ અથવા કર્મ ને યાદગાર બનાવવા વાળા દિલતખ્તનશીન સો સ્વરાજ્ય તખ્તનશીન ભવ

જેમ બાપ દ્વારા જે પણ બોલ નીકળે છે તે યાદગાર બની જાય છે, એવી રીતે જે બાપ સમાન છે તે જે પણ બોલે છે તે બધાનાં દિલમાં સમાઇ જાય છે અર્થાત્ યાદગાર રહી જાય છે. તે જે આત્માનાં પ્રતિ સંકલ્પ કરે છે તો તેમનાં દિલને લાગે છે. તેમના બે શબ્દ પણ દિલ ને રાહત આપવા વાળા હોય છે, તેમનાથી સમીપતા નો અનુભવ થાય છે એટલે તેમને બધાં પોતાનાં સમજે છે. એવાં સમાન બાળકો જ દિલતખ્તનશીન સો રાજ્ય તખ્તનશીન બને છે.

સ્લોગન :-
પોતાની ઉડતી કળા દ્વારા દરેક સમસ્યા ને વગર કોઇ રુકાવટ થી પાર કરવા વાળા ઉડતા પંખી બનો.