18-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદમાં
રહી ને બીજાઓને યાદ નો અભ્યાસ કરાવો , યોગ કરાવવા વાળા નો બુદ્ધિ યોગ અહીંયા - ત્યાં
ભટકવો ન જોઈએ ”
પ્રશ્ન :-
કયાં બાળકોનાં
ઉપર બહુજ મોટી રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે? એમણે કયું ધ્યાન જરુર આપવું જોઈએ?
ઉત્તર :-
જે બાળકો નિમિત્ત શિક્ષક બનીને બીજા ને યોગ કરાવે છે, એમનાં પર ખૂબ મોટી જવાબદારી
છે. જો યોગ કરાવતાં સમયે બુદ્ધિ બહાર ભટકે છે તો સર્વિસનાં બદલે ડિસસર્વિસ (કુસેવા)
કરે છે એટલે આ ધ્યાન રાખવાનું છે કે મારા દ્વારા પુણ્ય નું કામ થતું રહે.
ગીત :-
ઓમ્ નમો શિવાય …
ઓમ શાંતિ!
બાપ બધાં
બાળકોને પહેલાં-પહેલાં તો અહીંયા બેસી ને લક્ષ્ય માં સ્થિત થવા માટે દૃષ્ટિ આપે છે
કે જેમ હું શિવબાબાની યાદ માં બેઠો છું, તમે પણ શિવબાબાની યાદ માં બેસો. પ્રશ્ન ઉઠે
છે કે જે સામે બેઠા છે યોગ કરાવવા માટે, તે પૂરો સમય શિવબાબાની યાદ માં રહે છે? જે
બીજાઓને પણ કશિશ થાય. યાદ માં રહેવાથી ખૂબ શાંતિમાં રહેશે. અશરીરી થઈ શિવબાબાની યાદ
માં રહેશે તો બીજાઓને પણ શાંતિમાં લઈ જશે કારણ કે શિક્ષક થઈને બેસો છો ને. જો
શિક્ષક જ ઠીક રીતે યાદમાં નહીં હશે તો બીજા રહી નહીં શકશે. પહેલાં તો આ વિચાર કરવાનો
છે કે હું જે તે માશૂક બાબાનો આશિક છું, એમની યાદમાં બેઠો છું? દરેક એવું પોતાને
પૂછે. જો બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે, દેહ-અભિમાન માં આવી જાય છે તો એટલે તે
સર્વિસ નહીં, ડિસસર્વિસ કરવાં બેઠા છે. આ વાત સમજવાની છે ને. કંઈ સર્વિસ (સેવા) તો
કરી નહીં, એમ જ બેઠાં છે તો નુકસાન જ કરશે. શિક્ષક નો જ બુદ્ધિ યોગ ભટકતો હશે તો તે
મદદ શું કરશે. જે શિક્ષક થઈ બેસે છે તે પોતાને પૂછે કે હું પુણ્યનું કામ કરી રહ્યો/રહી
છું? જો પાપનું કામ કરશે તો દુર્ગતિ ને પામશે. પદ ભ્રષ્ટ થઈ જશે. જો એવાં ને ગાદી
પર બેસાડો છો તો તમે પણ જવાબદાર છો. શિવબાબા તો બધાને જાણે છે. આ બાબા પણ બધાની
અવસ્થા ને જાણે છે. શિવબાબા કહેશે આ શિક્ષક બની બેઠા છે અને એમનો બુદ્ધિયોગ તો ભટકતો
રહે છે. આ શું બીજાઓને મદદ કરશે. આપ બ્રાહ્મણ બાળકો નિમિત્ત બન્યાં છો, શિવબાબાનાં
બની ને એમનાથી વારસો લેવાં. બાબા કહે છે હેં આત્માઓ મામેકમ્ યાદ કરો. શિક્ષક બનીને
બેસો છો તો ખૂબ જ સારી રીતે તે અવસ્થા માં બેસો. આમ તો દરેકે બાપ ને યાદ કરવાનાં
છે. વિદ્યાર્થી પોતાની અવસ્થા ને સમજી શકે છે. જાણે છે કે અમે પાસ થઈશું કે નહીં.
શિક્ષક પણ જાણે છે. જો પ્રાઇવેટ શિક્ષક રાખે છે, તે પણ જાણે છે. તે ભણતર માં તો કોઈ
ખાસ શિક્ષક રાખવા ઈચ્છે તો રાખી શકે છે. અહીંયા જો કોઈ કહે અમને નિષ્ઠા (યોગ) માં
બેસાડો તો બાપની યાદમાં બેસવાનું છે. બાપનું ફરમાન જ છે મામેકમ્ યાદ કરો. આપ આશિક
છો, ચાલતાં-ફરતાં પોતાનાં માશૂક ને યાદ કરો. સન્યાસી બ્રહ્મ ને યાદ કરે છે. સમજે છે
કે અમે જઈને બ્રહ્મા માં લીન થઈશું. જે અધિક યાદ કરતાં હશે એમની અવસ્થા સારી હશે.
દરેક માં કોઈ ને કોઈ ખૂબી (વિશેષતા) તો રહે છે ને. કહે છે કે યાદ ની યાત્રા માં રહો.
પોતે પણ યાદ માં રહેવાનું છે. બાબા ની પાસે કોઈ તો સાચાં પણ છે, કોઈ જુઠ્ઠા પણ છે.
પોતે નિરંતર યાદ માં રહે, ખૂબ મુશ્કેલ છે. કોઈ તો બાપથી બિલકુલ સાચાં રહે છે. આ બાબા
પણ પોતાનો અનુભવ આપ બાળકોને બતાવે છે કે થોડો સમય યાદમાં રહું છું પછી ભૂલી જાઉં
છું કારણ કે આમનાં ઉપર તો ખૂબ બોઝ છે. કેટલાં અનેક બાળકો છે. આપ બાળકોને આ પણ ખબર
નથી પડતી કે આ મુરલી શિવબાબાએ ચલાવી કે બ્રહ્મા ચલાવે છે કારણ કે બંને સાથે છે ને.
આ કહે છે કે હું પણ શિવબાબા ને યાદ કરું છું. આ બાબા પણ બાળકો ને નેષ્ઠા કરાવે છે.
આ બેસે છે તો જુઓ છો સન્નાટો સારો થઈ જાય છે. અનેકો ને ખેંચે છે. બાપ છે ને. કહે છે
બાળકો યાદની યાત્રામાં રહો. પોતે પણ રહેવાનું છે, ફક્ત પંડિત નથી બનવાનું. યાદમાં
નહીં રહેશે તો અંત માં ફેલ (નપાસ) થઈ પડશે. બાબા મમ્મા નું તો ઊંચ પદ છે, બાકી તો
હમણાં માળા બની નથી. એક પણ દાણો કમ્પ્લીટ (સંપૂર્ણ) બનેલો નથી. આગળ માળા બનાવતાં હતાં
બાળકોને લિફ્ટ આપવા માટે. પરંતુ જોવાયું કે માયાએ અનેકો ને ખતમ કરી દીધાં. બધો આધાર
સર્વિસ પર છે. તો જે સામે નેષ્ઠા કરાવવા બેસે છે એમણે સમજવાનું છે કે હું સાચો
શિક્ષક થઈને બેસું. નહીં તો બોલવું જોઈએ કે અમારી બુદ્ધિ અહીંયા-ત્યાં ચાલી જાય છે.
હું અહીંયા બેસવા લાયક નથી. સ્વયં કહેવું જોઈએ. એવું નહીં કે જાતેજ કોઈ પણ આવીને
બેસે. કોઈ છે જે મુખ થી મુરલી ચલાવતા નથી, પરંતુ યાદ માં રહે છે. પરંતુ અહીંયા તો
બંનેમાં આગળ જવું જોઈએ. સાજન ખૂબ પ્રેમાળ છે, એમને તો ખૂબ યાદ કરવાં જોઈએ. મહેનત છે
આમાં. બાકી પ્રજા બનવું તો સહજ છે. દાસ દાસીઓ બનવું મોટી વાત નથી. જ્ઞાન ઉઠાવી નથી
શકતા. જેમ જુઓ યજ્ઞ ની ભંડારી છે, બધાને ખુબ ખુશ કરે છે, કોઈને દુઃખ નથી આપતી, બધાં
મહિમા કરે છે. તો વાહ, શિવબાબાની ભંડારી તો નંબરવન છે. અનેકોનાં દિલ ને ખુશ કરે છે.
બાબા પણ બાળકોનાં દિલને ખુશ કરતાં આવ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો અને આ ચક્ર
બુદ્ધિ માં રાખો. હવે દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. હડ્ડી સર્વિસ કરવી જોઈએ.
તમારે બહુજ રહેમદિલ બનવું જોઈએ. મનુષ્ય મુક્તિ જીવનમુક્તિ નાં માટે ખૂબ ધક્કા ખાય
છે. કોઈને પણ સદ્દગતિ ની ખબર જ નથી. સમજે છે કે જ્યાંથી આવ્યાં ત્યાં પાછા જવાનું
છે. નાટક પણ સમજે છે પરંતુ એનાં પર ચાલતા નથી. જુઓ ક્લાસમાં ક્યાંક-ક્યાંક મુસલમાન
પણ આવે છે. કહે છે અમે અસલ દેવી-દેવતા ધર્મ નાં છીએ પછી જઈને અમે મુસલમાન ધર્મ માં
કન્વર્ટ (બદલી) થઈ ગયાં છીએ. અમે ૮૪ જન્મ ભોગવ્યાં છે. સિંધમાં પણ ૫-૬ મુસલમાન આવ્યા
હતા. હમણાં પણ આવે છે, હવે આગળ ચાલી શકે છે કે નહીં, તે તો જોઈ લઈશું કારણ કે માયા
પણ તો પરીક્ષા લે છે. કોઈ તો પાક્કાં થઈ જાય છે, કોઈ પાક્કાં થઈ શકતાં નથી. જે અસલ
બ્રાહ્મણ ધર્મનાં હશે, જેમણે ૮૪ જન્મ લીધાં હશે તે તો ક્યારે હલશે નહિં. બાકી કોઈ
ને કોઈ કારણ, કારણે ચાલ્યાં જશે. દેહ-અભિમાન પણ ખૂબ આવી જાય છે. આપ બાળકોએ તો
અનેકોનું કલ્યાણ કરવાનું છે. નહીં તો શું પદ પામશે. ઘરબાર છોડ્યું છે, પોતાનાં
કલ્યાણ માટે. કોઈ બાપનાં ઉપર મહેરબાની નથી કરતાં. બાપનાં બન્યાં છો તો પછી સર્વિસ
પણ એવી કરવી જોઈએ. તમને તો રાજાઈ નું મેડલ મળે છે, ૨૧ જન્મ સદા સુખ ની રાજાઈ મળે
છે. માયા પર ફક્ત જીત પામવાની છે અને બીજાઓને પણ શીખવાડવાનું છે. ઘણાં ફેલ પણ થઈ
જાય છે. સમજે છે કે બાદશાહી લેવી તો મુશ્કેલ છે. બાપ કહે છે કે એવું સમજવું કમજોરી
છે. બાપ અને વારસો ને યાદ કરવું તો ખૂબ સહજ છે. બાળકોમાં હિમ્મત નથી આવતી રાજાઈ
લેવાની, તો કાયર થઈ બેસી જાય છે. ન પોતે લે, ન બીજાઓને લેવા દે છે. તો પરિણામ શું
થશે? બાપ સમજાવે છે કે રાત-દિવસ સર્વિસ કરો. કોંગ્રેસિઓ એ પણ મહેનત કરી. કેટલી
ખેંચતાણ કરી ત્યારે તો ફોરેનર્સ (વિદેશીઓ) થી રાજ્ય લીધું. તમારે રાવણ થી રાજ્ય
લેવાનું છે. તે તો બધાનો દુશ્મન છે. દુનિયાને ખબર નથી કે અમે રાવણની મત પર ચાલી
રહ્યાં છીએ ત્યારે દુ:ખી છે. કોઈને પણ સાચું સ્થાઈ દિલનું સુખ થોડી છે. શિવબાબા કહે
છે હું આપ બાળકોને સદા સુખી બનાવવા આવ્યો છું. હવે શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ બનવાનું
છે. જે પણ ભારતવાસી છે, તે પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છે. યથા રાજા રાણી તથા પ્રજા.
હવે આપ બાળકોને સમજ મળે છે - સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ચાલે છે. તે પણ ઘડી-ઘડી ભૂલી
જાય છે. બુદ્ધિ માં રહેતું જ નથી. ભલે બ્રાહ્મણ તો ખુબ બને છે પરંતુ ઘણાં કાચ્ચા
હોવાનાં કારણે વિકારમાં પણ જતા રહે છે. કહે છે કે અમે બી.કે.છીએ, પરંતુ છે નહીં.
બાકી જે પૂરી રીતે ડાયરેક્શન પર ચાલે છે, આપ સમાન બનાવતા રહે છે, તે જ ઊંચ પદ પામી
શકશે. વિઘ્ન તો પડશે. અમૃત પીતાં-પીતાં પછી જઈને વિઘ્ન નાખે છે. આ પણ ગાયન છે, એમનું
પદ શું હશે? ઘણી બાળકીઓ તો વિકારનાં કારણે માર પણ ખાય છે, કહે છે કે બાબા આ દુ:ખ
થોડું સહન કરી લઈશું. અમારા માશૂક તો બાબા છે ને. માર ખાતા પણ હું શિવબાબા ને યાદ
કરું છું. તે ખુશીમાં ખૂબ રહે છે. આ કાપારી ખુશીમાં રહેવું જોઈએ. બાપ થી આપણે વારસો
લઇ રહ્યાં છીએ બીજાઓ ને પણ આપણે આપ સમાન બનાવતાં રહીએ છીએ.
બાબાની બુદ્ધિ માં તો આ સીડી નું ચિત્ર બહુજ રહે છે. આને ખૂબ મહત્વ આપે છે. બાળકો
જે વિચાર સાગર મંથન કરી આવાં-આવાં ચિત્ર બનાવે છે, તો બાબા પણ એમને ધન્યવાદ કરે છે
અથવા તો એવું કહેશું કે બાબાએ તે બાળકોને ટચ કર્યું છે. સીડી ખૂબ સારી બનાવી છે. ૮૪
જન્મો ને જાણવાથી આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. આ ફર્સ્ટ ક્લાસ
ચિત્ર છે. ત્રિમૂર્તિ ગોળાનાં ચિત્ર થી પણ આમાં નોલેજ સારું છે. હમણાં આપણે ચઢી
રહ્યાં છીએ. કેટલું સહજ છે. બાપ આવી ને લિફ્ટ આપે છે. શાંતિ થી બાપથી વારસો લઇ રહ્યાં
છીએ. સીડી નું જ્ઞાન ખૂબ સારું છે. સમજવાનું છે કે તમે હિંદુ થોડી છો, તમે તો
દેવી-દેવતા ધર્મ નાં છો. જો કહે કે અમે ૮૪ જન્મ થોડી લીધાં છે. અરે કેમ નથી સમજતાં
કે આપણે ૮૪ જન્મ લીધાં છે. પછી યાદ કરો તો તમે ફરીથી પહેલા નંબરમાં આવી જશો. આપણા
કુળનાં હશે તો આવાં પ્રશ્ન કરશે નહીં કે બધાં થોડી ૮૪ જન્મ લેશે. અરે તમે કેમ સમજો
છો કે અમે મોડેથી આવ્યાં છીએ. બાપ બધાં બાળકોને કહે છે તમે ભારતવાસીઓએ ૮૪ જન્મ લીધાં
છે. હવે ફરીથી પોતાનો વારસો લો, સ્વર્ગ માં ચાલો. આપ બાળકો યોગમાં બેસો છો. સીડી ને
યાદ કરો તો ખૂબ મોજમાં રહેશો. આપણે ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે આપણે પાછાં જઈએ છીએ.
કેટલી ખુશી થાય છે. સર્વિસ કરવાનો પણ ઉલ્લાસ રહેવો જોઈએ. સમજાવવા ની રીત પણ ખૂબ મળી
રહી છે. સીડી નાં ઉપર સમજાવો. ચિત્ર તો બધાં જ જોઈએ ને. ત્રિમૂર્તિ પણ જોઈએ. બાબા
કહે પણ છે કે તમે જાઓ જ મારા ભક્તોની પાસે, તેમને આ જ્ઞાન સંભળાવો. તે મળશે જ મંદિરો
માં. મંદિરો માં પણ આ સીડી નાં ચિત્ર પર સમજાવી શકો છો. આખો દિવસ બુદ્ધિમાં આ રહે
કે અમે બાબા નો પરિચય આપીએ, કોઈનું કલ્યાણ કરીએ. દિવસ-પ્રતિદિવસ બુદ્ધિ નું તાળું
ખુલતું જશે. જેમને વારસો પામવો હશે - તે આવશે. દિવસ-પ્રતિદિવસ શીખતા પણ રહે છે.
ઘણાનાં પર ગ્રહચારી બેસે છે તો બાબાને સમજાવવું પડે છે. તેઓ નથી સમજતાં કે અમારા
ઉપર ગ્રહચારી છે એટલે અમારાથી સર્વિસ નથી થતી. બધી જવાબદારી આપ બાળકો પર છે. આપ
સમાન બ્રાહ્મણ બનાવતાં રહો. સર્વિસ પર રહેવાથી ખુબ ખુશી થાય છે. અનેકોનું કલ્યાણ
થાય છે. બાબા ને મુંબઈમાં સર્વિસ કરવાની ખુબ મજા આવતી હતી. ખૂબ નવાં-નવાં આવતાં હતાં.
બાબાનું તો ખુબ દિલ થાય છે કે સર્વિસ કરે. બાળકોએ પણ એવાં રહમદિલ બનવું જોઈએ.
સર્વિસ પર લાગી જવું જોઈએ. દિલમાં આ રહેવું જોઈએ કે જ્યાં સુધી અમે કોઈને આપ સમાન
બનાવતા નથી ત્યાં સુધી ભોજન નથી ખાવું. પહેલાં પુણ્ય તો કરું. પાપ આત્માઓને પુણ્ય
આત્મા બનાવી પછી રોટલી ખાઉં. તો સર્વિસ માં જોડાઈ રહેવું જોઈએ. કોઈનું જીવન સફળ
બનાવીએ ત્યારે રોટલી ખાઈએ. આપ સમાન બ્રાહ્મણ બનાવવાની કોશિશ કરવી જોઈએ.
બાળકોનાં માટે મેગેઝીન નીકળે છે પરંતુ બી.કે. એટલું વાંચતા નથી. સમજે છે કે અમારે
થોડી વાંચવાનું છે, આ બહાર વાળા માટે છે. બાબા કહે છે બાહર વાળા તો કંઈ સમજતાં નથી,
વગર શિક્ષકનાં. આ છે બ્રહ્માકુમાર કુમારીઓ માટે તો વાંચીને રિફ્રેશ થાય. પરંતુ તે
વાંચતા નથી. બધાં સેવાકેન્દ્રો વાળા ને પૂછે છે કે બધી મેગેઝીન કોણ વાંચે છે?
મેગેઝીન થી શું સમજે છે? ક્યાં સુધી ઠીક છે? મેગેઝીન નીકાળવા વાળાને પણ આફરીન આપવી
જોઈએ કે તમે બહુજ સારી મેગેઝીન લખી છે, તમને ધન્યવાદ કરીએ છીએ. મહેનત કરવાની છે,
મેગેઝીન વાંચવાની છે. આ છે બાળકોનાં રિફ્રેશ થવા માટે. પરંતુ બાળકો વાંચતા નથી.
જેમનું નામ પ્રખ્યાત છે એમને તો બધાં બોલાવે છે કે બાબા ભાષણ કરવાનાં માટે અમારી
પાસે ફલાણા ને મોકલો. બાબા પછી સમજાવે છે કે પોતે ભાષણ કરવું નથી જાણતાં ત્યારે તો
માંગણી કરે છે. તો સર્વિસએબલ (સેવાધારી) ને કેટલો રીગાર્ડ (સમ્માન) આપવો જોઈએ. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રાજાઈ નું
મેડલ લેવા માટે બધાનાં દિલ ને ખુશ કરવાનું છે. ખૂબ-ખૂબ રમહદિલ બની પોતાનું અને
સર્વનું કલ્યાણ કરવાનું છે. હડ્ડી સેવા કરવાની છે.
2. દેહ-અભિમાન માં આવીને ડિસસર્વિસ (કુસેવા) નથી કરવાની. સદા પુણ્યનું કામ કરવાનું
છે. આપ સમાન બ્રાહ્મણ બનાવવાની સેવા કરવાની છે. સર્વિસએબલ નો રિગાર્ડ રાખવાનો છે.
વરદાન :-
યાદ અને સેવાનાં
ડબલ લોક દ્વારા સદા સેફ ( સુરક્ષિત ), સદા ખુશ અને સદા સંતુષ્ટ ભવ
આખો દિવસ સંકલ્પ, બોલ
અને કર્મ બાપની યાદ અને સેવામાં લાગ્યાં રહે. દરેક સંકલ્પ માં બાપ ની યાદ હોય, બોલ
દ્વારા બાપે આપેલાં ખજાના બીજાઓને આપો, કર્મ દ્વારા બાપનાં ચરિત્રો ને સિદ્ધ કરો.
જો એવી યાદ અને સેવામાં સદા બીઝી (વ્યસ્ત) રહો તો ડબલ લોક લાગી જશે પછી માયા
ક્યારેય આવી શકતી નથી. જે આ સ્મૃતિ થી પાક્કું લોક લગાવે છે તે સદા સેફ (સુરક્ષિત),
સદા ખુશ અને સદા સંતુષ્ટ રહે છે.
સ્લોગન :-
“બાબા” શબ્દની
ડાયમંડ ચાવી સાથે હોય તો સર્વ ખજાનાઓ ની અનુભૂતિ થતી રહેશે.