28-03-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 27.11.87
બાપદાદા મધુબન
“ બેહદનાં વૈરાગી જ સાચાં
રાજઋષિ”
આજે બાપદાદા સર્વ
રાજઋષિઓની દરબાર ને જોઈ રહ્યાં છે. આખાં કલ્પમાં રાજાઓનો દરબાર અનેક વાર લાગે છે
પરંતુ આ રાજઋષિઓ નો દરબાર આ સંગમયુગ પર જ લાગે છે. રાજા પણ છો અને ઋષિ પણ છો. આ
વિશેષતા આ સમયની આ દરબાર ની ગવાયેલી છે. એક તરફ રાજાઈ અર્થાત્ સર્વ પ્રાપ્તિઓનાં
અધિકારી અને બીજી તરફ ઋષિ અર્થાત્ બેહદની વૈરાગ્ય વૃત્તિ વાળા. એક તરફ સર્વ
પ્રાપ્તિનાં અધિકારી નો નશો અને બીજી તરફ બેહદનાં વૈરાગ્ય નો અલૌકિક નશો. જેટલું જ
શ્રેષ્ઠ ભાગ્ય એટલો જ શ્રેષ્ઠ ત્યાગ. બંનેવ નું બેલેન્સ (સંતુલન). આને કહેવાય છે
રાજઋષિ. એવાં રાજઋષિ બાળકોનું બેલેન્સ જોઈ રહ્યાં હતાં. હમણાં-હમણાં અધિકારીપણા નો
નશો અને હમણાં-હમણાં વૈરાગ્ય વૃત્તિ નો નશો - આ પ્રેક્ટિસ માં ક્યાં સુધી સ્થિત થઈ
શકો છો અર્થાત્ બંને સ્થિતિઓ નો સમાન અભ્યાસ ક્યાં સુધી કરી રહ્યાં છો? આ ચેક કરી
રહ્યાં હતાં. નંબરવાર અભ્યાસી તો બધાં બાળકો છે જ. પરંતુ સમય પ્રમાણે આ બંને અભ્યાસ
ને હજું પણ વધારે થી વધારે વધારતાં ચાલો. બેહદની વૈરાગ્ય વૃતિ નો અર્થ જ છે -
વૈરાગ્ય અર્થાત્ કિનારો નહીં કરવો, પરંતુ સર્વ પ્રાપ્તિ હોવા છતાં પણ હદનાં આકર્ષણ
મન ને કે બુદ્ધિ ને આકર્ષણમાં ન લાવે. બેહદ અર્થાત્ હું સંપૂર્ણ સમ્પન્ન આત્મા બાપ
સમાન સદા સર્વ કર્મેન્દ્રિયોની રાજ્ય અધિકારી. આ સુક્ષ્મ શક્તિઓ મન-બુદ્ધિ-સંસ્કાર
નાં પણ અધિકારી. સંકલ્પ માત્ર પણ અધીનતા ન હોય. આને કહેવાય છે રાજઋષિ અર્થાત્ બેહદની
વૈરાગ્ય વૃત્તિ. આ જુનું દેહ કે દેહ ની જૂની દુનિયા કે વ્યક્ત ભાવ, વૈભવ નો ભાવ - આ
બધાં આકર્ષણો થી સદા અને સહજ દૂર રહેવા વાળા.
જેમ વિજ્ઞાનની શક્તિ ધરણીનાં આકર્ષણ થી પરે કરી લે છે, એમ શાંતી ની શક્તિ આ બધાં
હદનાં આકર્ષણો થી દૂર લઇ જાય છે. આને કહેવાય છે સંપૂર્ણ સંપન્ન બાપ સમાન સ્થિતિ. તો
એવી સ્થિતિનાં અભ્યાસી બન્યાં છો? સ્થૂળ કર્મેન્દ્રિઓ - આ તો ખૂબ મોટી વાત છે.
કર્મેન્દ્રિય-જીત બનવું, આ તો પણ સહજ છે. પરંતુ મન-બુદ્ધિ-સંસ્કાર, આ સુક્ષ્મ
શક્તિઓ પર વિજયી બનવું - આ સૂક્ષ્મ અભ્યાસ છે. જે સમયે જે સંકલ્પ, જે સંસ્કાર ઈમર્જ
(જાગૃત) કરવા ઈચ્છે તે જ સંકલ્પ, તે જ સંસ્કાર સહજ અપનાવી શકે - આને કહેવાય છે
સુક્ષ્મ શક્તિઓ પર વિજય અર્થાત્ રાજઋષિ સ્થિતિ. જેમ સ્થૂળ કર્મેન્દ્રિયો ને ઓર્ડર
કરો છો કે આ કરો, આ ન કરો. હાથ નીચે કરો, ઉપર કરો, તો ઉપર થઈ જાય છે ને. એમ સંકલ્પ
અને સંસ્કાર અને નિર્ણયશક્તિ ‘બુદ્ધિ’ એમ જ ઓર્ડર પર ચાલે. આત્મા અર્થાત્ રાજા, મન
ને અર્થાત્ સંકલ્પ શક્તિ ને ઓર્ડર કરે કે હમણાં-હમણાં એકાગ્રચિત થઈ જાઓ, એક સંકલ્પ
માં સ્થિત થઈ જાઓ. તો રાજા નો ઓર્ડર એજ ઘડી એજ પ્રકાર થી માનવો. આ છે રાજ-અધિકારી
ની નિશાની. એવું નહીં કે ત્રણ ચાર મિનિટ નાં અભ્યાસ પછી મન માને અથવા એકાગ્રતા નાં
બદલે હલચલનાં પછી એકાગ્ર બને, આને શું કહેશો? અધિકારી કહેશો? તો એવી ચેકિંગ કરો
કારણ કે, પહેલાથી જ સંભળાવ્યું છે કે અંતિમ સમયનાં અંતિમ પરિણામ નો સમય એક સેકન્ડ
નો પ્રશ્ન એક જ હશે. આ સુક્ષ્મ શક્તિઓનાં અધિકારી બનવાનો અભ્યાસ જો નહીં હશે અર્થાત્
તમારું મન આપ રાજા નો ઓર્ડર એક ઘડીનાં બદલે ત્રણ ઘડીમાં માને છે તો રાજ્ય અધિકારી
કહેવાશો? કે એક સેકન્ડનાં અંતિમ પેપરમાં પાસ થશો? કેટલા માર્ક્સ મળશે?
એમ જ બુદ્ધિ અર્થાત્ નિર્ણય શક્તિ પર પણ અધિકાર હોય અર્થાત્ જે સમય જે પરિસ્થિતિ છે
એનાં પ્રમાણે, એજ ઘડી નિર્ણય કરવો - આને કહેશું બુદ્ધિ પર અધિકાર. એવું નહીં કે
પરિસ્થિતિ કે સમય વીતી જાય, પછી નિર્ણય થાય કે આ ન થવું જોઈતું હતું, જો આ નિર્ણય
કરત તો ખૂબ સારું હોત. તો સમય પર અને યથાર્થ નિર્ણય થવો - આ નિશાની છે રાજ્ય અધિકારી
આત્માની. તો ચેક કરો કે આખાં દિવસમાં રાજ્ય અધિકારી અર્થાત્ આ સુક્ષ્મ શક્તિઓ ને પણ
ઓર્ડરમાં ચલાવવા વાળા ક્યાં સુધી રહ્યાં? રોજ પોતાનાં કર્મચારીઓ નો દરબાર લગાવો.
ચેક કરો કે સ્થૂળ કર્મેન્દ્રિયો કે સુક્ષ્મ શક્તિઓ - આ કર્મચારી કંટ્રોલ (નિયંત્રણ)
માં રહ્યાં કે ન રહ્યાં? હમણાં થી રાજ્ય-અધિકારી બનવાનાં સંસ્કાર અનેક જન્મ
રાજ્ય-અધિકારી બનાવશે. સમજ્યાં? આ જ પ્રકારે સંસ્કાર ક્યાંક દગો તો આપતા નથી? આદિ,
અનાદિ સંસ્કાર; અનાદિ શુદ્ધ, શ્રેષ્ઠ પાવન સંસ્કાર છે, સર્વગુણ સ્વરુપ સંસ્કાર છે
અને આદિ દેવ આત્માનાં રાજ્ય અધિકારીપણા નાં સંસ્કાર સર્વ પ્રાપ્તિ-સ્વરુપ નાં
સંસ્કાર છે, સમ્પન્ન, સંપૂર્ણ નાં નેચરલ સંસ્કાર છે. તો સંસ્કાર શક્તિનાં ઉપર રાજ્ય
અધિકારી અર્થાત્ સદા અનાદિ આદિ સંસ્કાર ઈમર્જ હોય. નેચરલ સંસ્કાર હોય. મધ્ય અર્થાત્
દ્વાપર થી પ્રવેશ થવા વાળા સંસ્કાર પોતાની તરફ આકર્ષિત ન કરે. સંસ્કારોનાં વશ મજબૂર
ન બને. જેમ કહો છો ને કે મારા જૂનાં સંસ્કાર છે. હકીકતમાં અનાદિ અને આદિ સંસ્કાર જ
જૂનાં છે. આ તો મધ્ય, દ્વાપર થી આવેલાં સંસ્કાર છે. તો જૂનાં સંસ્કાર આદિનાં થયાં
કે મધ્યનાં થયાં? કોઈ પણ હદનાં આકર્ષણ નાં સંસ્કાર જો આકર્ષિત કરે છે તો સંસ્કારો
પર રાજ્ય અધિકારી કહેશો? રાજ્ય નાં અંદર એક શક્તિ એક કર્મચારી ‘કર્મેન્દ્રિય’ પણ જો
ઓર્ડર પર નથી તો તેને સંપૂર્ણ રાજ્ય અધિકારી કહેશો? આપ સર્વ બાળકો ચેલેન્જ (પડકાર)
કરો છો કે અમે એક રાજ્ય, એક ધર્મ, એક મત સ્થાપન કરવા વાળા છીએ. આ ચેલેન્જ બધાં
બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ કરો છો ને; તો તે ક્યારે સ્થાપન થશે? ભવિષ્ય માં
સ્થાપન થશે? સ્થાપનાનાં નિમિત્ત કોણ છે? બ્રહ્મા છે કે વિષ્ણુ છે? બ્રહ્મા દ્વારા
સ્થાપના થાય છે ને. જ્યાં બ્રહ્મા છે તો બ્રાહ્મણ પણ સાથે છે જ. બ્રહ્મા દ્વારા
અર્થાત્ બ્રાહ્મણો દ્વારા સ્થાપના, તે ક્યારે થશે? સંગમ પર કે સતયુગ માં? ત્યાં તો
પાલના હશે ને. બ્રહ્મા કે બ્રાહ્મણો દ્વારા સ્થાપના, આ હમણાં થવાની છે. તો પહેલાં
સ્વ નાં રાજ્ય માં જુઓ કે એક રાજ્ય, એક ધર્મ (ધારણા) એક મત છે? જો એક કર્મેન્દ્રિય
પણ માયાની બીજી મત પર છે તો એક રાજ્ય, એક મત નહીં કહેશે. તો પહેલાં આ ચેક કરો કે એક
રાજ્ય, એક ધર્મ સ્વ નાં રાજ્યમાં સ્થાપન કર્યું છે કે ક્યારેક માયા તખ્ત પર બેસી
જાય, ક્યારેક આપ બેસી જાઓ છો? ચેલેન્જ ને પ્રેક્ટિકલમાં લાવ્યાં છો કે નહીં - આ ચેક
કરો. આપ ઈચ્છો અનાદિ સંસ્કાર અને ઈમર્જ થઈ જાય મધ્ય નાં સંસ્કાર, તો આ અધિકારીપણું
ન થયું ને.
તો રાજઋષિ અર્થાત્ સર્વનાં રાજ્ય અધિકારી. રાજ્ય અધિકારી સદા અને સહજ ત્યારે થશે
જ્યારે ઋષિ અર્થાત્ બેહદની વૈરાગ્ય વૃત્તિનાં અભ્યાસી હશે. વૈરાગ્ય અર્થાત્ લગાવ નહીં.
સદા બાપ નાં પ્રિય. આ પ્યારાપણું જ ન્યારું બનાવે છે. બાપ નાં પ્યારા બની, ન્યારા
બની કાર્ય માં આવવું - આને કહેવાય છે બેહદ નાં વૈરાગી. બાપ નાં પ્યારા નથી તો ન્યારા
પણ બની નહીં શકે, લગાવ માં આવી જશે. બાપનાં પ્યારા બીજા કોઈ વ્યક્તિ કે વૈભવ નાં
પ્યારા હોઈ ન શકે. તે સદા આકર્ષણ થી પરે અર્થાત ન્યારા હશે. આને કહેવાય છે નિર્લેપ
સ્થિતિ. કોઈ પણ હદનાં આકર્ષણ નાં લેપ માં આવવા વાળા નહીં. રચના કે સાધનો ને નિર્લેપ
થઈને કાર્ય માં લાવશે. એવાં બેહદનાં વૈરાગી, સાચાં રાજઋષિ બન્યાં છો? એવું નહિં
વિચારતાં કે ફક્ત એક કે બે કમજોરી રહી ગઈ છે, ફક્ત એક સૂક્ષ્મ શક્તિ કે
કર્મેન્દ્રિય કંટ્રોલ માં ઓછી છે, બાકી બધું ઠીક છે. પરંતુ જ્યાં એક પણ કમજોરી છે
તો તે માયા નો દરવાજો છે. ભલે નાનો, ભલે મોટો દરવાજો હોય પરંતુ દરવાજો તો છે ને. જો
દરવાજો ખૂલ્લો રહી ગયો તો માયાજીત, જગતજીત કેવી રીતે બની શકશો?
એક તરફ એક રાજ્ય, એક ધર્મની સોનેરી દુનિયાનું આહવાન કરી રહ્યાં છો અને સાથે-સાથે પછી
કમજોરી અર્થાત્ માયાનું પણ આહવાન કરી રહ્યા છો તો રીઝલ્ટ શું થશે? દુવિધા માં રહી
જશો. એટલે આ નાની વાત નહીં સમજો. સમય પડયો છે, કરી લઈશું. બીજાઓમાં પણ તો ઘણી ખામી
છે, મારામાં તો ફક્ત એક જ વાત છે. બીજા ને જોતાં-જોતાં સ્વયં ન રહી જાઓ. ‘જુઓ
બ્રહ્મા બાપ’ કહ્યું છે. ફોલો ફાધર (બાપનું અનુસરણ કરો) કહેલું છે. સર્વ નાં સહયોગી,
સ્નેહી જરુર બનો, ગુણગ્રાહક જરુર બનો પરંતુ ફોલો ફાધર. બ્રહ્મા બાપ ની અંતિમ અવસ્થા
રાજઋષિ ની જોઈ એટલાં બાળકોનાં પ્યારા હોવાં છતાં પણ, સામે જોવાં છતાં પણ ન્યારાપણું
જ જોયું ને. બેહદનાં વૈરાગ્ય - આ જ સ્થિતિ પ્રેક્ટિકલમાં જોઈ. કર્મભોગ હોવાં છતાં
પણ કર્મેન્દ્રિય પર અધિકારી બની અર્થાત્ રાજઋષિ બની સંપૂર્ણ સ્થિતિનો અનુભવ કરાવ્યો
એટલે કહે છે ફોલો ફાધર. તો પોતાનાં રાજ્ય અધિકારીઓ, રાજ્ય કારોબારીઓ ને સદા જોવાનાં
છે. કોઈ પણ રાજ્ય કારોબારી ક્યાંય દગો ન આપે. સમજ્યાં? અચ્છા.
આજે ભિન્ન-ભિન્ન સ્થાનો થી એક સ્થાન પર પહોંચી ગયાં છે. આને જ નદી સાગર નો મેળો
કહેવાય છે. મેળામાં મળવાનું પણ થાય અને માલ પણ મળે છે એટલે બધાં મેળામાં પહોંચી ગયાં
છે. નવા બાળકોની સિઝન નું આ લાસ્ટ ગ્રુપ છે. જૂનાં ને પણ નવા ની સાથે તક મળી ગઈ છે.
પ્રકૃતિ પણ હમણાં સુધી પ્રેમથી સહયોગ આપી રહી છે. પરંતુ આનો એડવાન્ટેજ (ફાયદો) નહીં
લેતાં. નહીં તો પ્રકૃતિ પણ હોશિયાર છે. અચ્છા.
ચારે બાજુનાં સદા રાજઋષિ બાળકો ને, સદા સ્વ પર રાજ્ય કરવાવાળા સદા વિજયી બની
નિર્વિઘ્ન રાજ્ય કારોબાર ચલાવવા વાળા રાજ્ય અધિકારી બાળકો ને, સદા બેહદની વૈરાગ્ય
વૃત્તિમાં રહેવા વાળા સર્વ ઋષિકુમાર, કુમારીઓ ને, સદા બાપનાં પ્યારા બની ન્યારા થઈ
કાર્ય કરવા વાળા ન્યારા અને પ્યારા બાળકો ને, સદા બ્રહ્મા બાબા ને ફોલો કરવા વાળા
વફાદાર બાળકો ને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ થી અવ્યક્ત
બાપદાદાની મુલાકાત
૧ ) અનેક વખતનાં વિજયી આત્માઓ છીએ, એવો અનુભવ કરો છો? વિજયી બનવું મુશ્કેલ લાગે છે
કે સહજ? કારણ કે જે સહજ વાત હોય છે તે સદા થઈ શકે છે, મુશ્કેલ વાત સદા નથી થતી. જે
અનેક વખત કાર્ય કરેલું હોય છે, તે સ્વતઃ જ સહજ થઈ જાય છે. ક્યારેય કોઈ નવું કામ
કરાય છે તો પહેલાં મુશ્કેલ લાગે છે પરંતુ જ્યારે કરી લેવાય છે તો એજ મુશ્કેલ કામ
સહજ લાગે છે. તો આપ સર્વ આ એક વખતનાં વિજયી નથી, અનેક વખત નાં વિજયી છો. અનેક વખત
નાં વિજયી અર્થાત્ સદા સહજ વિજય નો અનુભવ કરવા વાળા. જે સહજ વિજયી છે એમને દરેક કદમ
માં એવો જ અનુભવ થાય કે આ બધું કાર્ય થયેલું જ છે, દરેક કદમ માં વિજય થયેલ છે. થશે
કે નહીં - આ સંકલ્પ પણ ઉઠી ન શકે. જ્યારે નિશ્ચય છે કે અનેક વખત નાં વિજયી છીએ તો
થશે કે નહીં થશે- આ પ્રશ્ન નથી. નિશ્ચયની નિશાની છે નશો અને નશાની નિશાની છે ખુશી.
જેમને નશો હશે તે સદા ખુશીમાં રહેશે. હદનાં વિજયી માં પણ કેટલી ખુશી હોય છે. જ્યારે
પણ ક્યાંય વિજય પ્રાપ્ત કરે છે, તો વાજા-ગાજા વગાડે છે ને. તો જેમને નિશ્ચય અને નશો
છે તો ખુશી જરુર હશે. તે સદા ખુશીમાં નાચતાં રહેશે. શરીર થી તો કોઈ નાચી શકે છે,
કોઈ નથી પણ નાચી શકતું પરંતુ મનમાં ખુશી નું નાચવું - આ તો પથારી પર બીમાર પણ નાચી
શકે છે. કોઈ પણ હોય, આ નાચવાનું બધાનાં માટે સહજ છે કારણ કે વિજયી થવું અર્થાત્
સ્વતઃ ખુશી નાં વાજા વગાડવાં. જ્યારે વાજા વાગે છે તો પગ પોતે જ નાચતાં રહે છે. જે
નહીં પણ જાણતાં હશે, તે પણ બેઠાં-બેઠાં નાચતાં રહેશે. પગ હલાવશે, ખભા હલાવશે. તો આપ
સર્વ અનેક વખત નાં વિજયી છો - આવી ખુશી માં સદા આગળ વધતાં ચલો. દુનિયામાં બધાને
આવશ્યકતા જ છે ખુશી ની. ભલે બધી પ્રાપ્તિઓ હોય પરંતુ ખુશીની પ્રાપ્તિ નથી. તો જે
અવિનાશી ખુશી ની આવશ્યકતા દુનિયા ને છે, તે ખુશી સદા વહેંચતાં રહો.
૨ ) પોતાને ભાગ્યવાન સમજી દરેક કદમમાં શ્રેષ્ઠ ભાગ્ય નો અનુભવ કરો છો? કારણ કે આ
સમયે બાપ ભાગ્યવિધાતા બની ભાગ્ય આપવા માટે આવ્યાં છે. ભાગ્યવિધાતા ભાગ્ય વહેંચી
રહ્યાં છે. વહેંચવાનાં સમયે જે જેટલું લેવા ઇચ્છે એટલું લઇ શકે છે. સૌને અધિકાર છે.
જે લે, જેટલું લે. તો આવાં સમય પર કેટલું ભાગ્ય બનાવ્યું છે, આ ચેક કરો કારણ કે હમણાં
નહીં તો પછી ક્યારેય નહીં એટલે દરેક કદમમાં ભાગ્ય ની લકીર ખેંચવાની કલમ બાપે બધાં
બાળકોને આપી છે. કલમ હાથમાં છે અને છુટ છે - જેટલી રેખા ખેંચવા ઇચ્છો એટલી ખેંચી શકો
છો. કેટલી સુંદર તક છે! તો સદા આ ભાગ્યવાન સમયનાં મહત્વ ને જાણી એટલું જ જમા કરો છો
ને? એવું ન થાય કે ઈચ્છતા તો ખૂબ હતાં પરંતુ કરી ન શક્યાં, કરવું તો ઘણું હતું પરંતુ
કર્યું આટલું. આ પોતાનાં પ્રતિ ઉલ્હના (ફરિયાદ) રહી ન જાય. સમજ્યાં? તો સદા ભાગ્યની
રેખા શ્રેષ્ઠ બનાવતાં ચાલો અને બીજાઓને પણ આ શ્રેષ્ઠ ભાગ્યનો પરિચય આપતા જાઓ. ‘વાહ
મારું શ્રેષ્ઠ ભાગ્ય!’ આજ ખુશી નાં ગીત સદા ગાતાં રહો.
૩ ) સદા પોતાને સ્વદર્શન-ચક્રધારી શ્રેષ્ઠ આત્માઓ અનુભવ કરો છો? સ્વદર્શન-ચક્ર
અર્થાત્ સદા માયાનાં અનેક ચક્રો થી છોડાવવા વાળું. સ્વદર્શન-ચક્ર સદાનાં માટે
ચક્રવર્તી રાજ્ય ભાગ્યનું અધિકારી બનાવી દે છે. આ સ્વદર્શન-ચક્ર નું જ્ઞાન આ
સંગમયુગ પર જ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ આત્માઓ છો, એટલે સ્વદર્શન-ચક્રધારી છો.
બ્રાહ્મણો ને સદા ચોટી પર દેખાડે છે. ચોટી અર્થાત ઊંચા. બ્રાહ્મણ અર્થાત્ સદા
શ્રેષ્ઠ કર્મ કરવા વાળા, બ્રાહ્મણ અર્થાત્ સદા શ્રેષ્ઠ ધર્મ (ધારણાઓ) માં રહેવા વાળા
- એવાં બ્રાહ્મણ છો ને? નામધારી બ્રાહ્મણ નહીં, કામ કરાવવા વાળા બ્રાહ્મણ કારણ કે
બ્રાહ્મણોનું હમણાં અંતમાં પણ કેટલું નામ છે! આપ સાચાં બ્રાહ્મણો નું જ યાદગાર હમણાં
સુધી ચાલી રહ્યું છે. કોઈ પણ શ્રેષ્ઠ કામ હશે તો બ્રાહ્મણોને જ બોલાવશે કારણ કે
બ્રાહ્મણ જ એટલાં શ્રેષ્ઠ છે. તો કયા સમયે એટલાં શ્રેષ્ઠ બન્યાં છો? હમણાં બન્યા
છો, એટલે હમણાં સુધી પણ શ્રેષ્ઠ કાર્યનું યાદગાર ચાલી આવી રહ્યું છે. દરેક સંકલ્પ,
દરેક બોલ, દરેક કર્મ શ્રેષ્ઠ કરવા વાળા, એવાં સ્વદર્શન-ચક્રધારી શ્રેષ્ઠ બ્રાહ્મણ
છીએ - સદા આ જ સ્મૃતિ માં રહો. અચ્છા.
વરદાન :-
પોતાનાં પૂજન
ને સ્મૃતિ માં રાખી દરેક કર્મ પૂજનીય બનાવવા વાળા પરમ પૂજ્ય ભવ
આપ બાળકોની દરેક
શક્તિનું પૂજન દેવી-દેવતાઓનાં રુપમાં થાય છે. સૂર્ય દેવતા, વાયુ દેવતા, પૃથ્વી દેવી…
એમ જ નિર્ભયતા ની શક્તિ નું પૂજન કાળી દેવીનાં રુપમાં છે, સામનો કરવાની શક્તિ નું
પૂજન દુર્ગાનાં રુપમાં છે. સંતુષ્ટ રહેવા અને કરવાની શક્તિ નું પૂજન સંતોષી માતાનાં
રુપમાં છે. વાયુ સમાન હલકા બનવાની શક્તિ નું પૂજન પવનપુત્ર નાં રુપમાં છે. તો પોતાનાં
આ પૂજન ને સ્મૃતિમાં રાખી દરેક કર્મ પૂજનીય બનાવો ત્યારે પરમ પૂજ્ય બનશો.
સ્લોગન :-
જીવન માં
સંતુષ્ટતા અને સરળતા નું સંતુલન રાખવું જ સૌથી મોટી વિશેષતા છે.