26-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સંગમ પર તમને નવું અને નિરાળું નોલેજ મળે છે , તમે જાણો છો આપણે બધી આત્માઓ એક્ટર્સ છીએ , એક નો પાર્ટ ન મળે બીજા થી ”

પ્રશ્ન :-
માયા પર જીત પામવા માટે આપ રુહાની યોદ્ધાઓ (ક્ષત્રિયો) ને કઈ યુક્તિ મળેલી છે?

ઉત્તર :-
હેં રુહાની ક્ષત્રિય, તમે સદા શ્રીમત પર ચાલતા રહો. આત્મ-અભિમાની બની બાપ ને યાદ કરો, રોજ સવારે-સવારે ઉઠી યાદમાં રહેવાનો અભ્યાસ કરો તો માયા પર વિજય પ્રાપ્ત કરી લેશો. ઉલ્ટા-સુલ્ટા સંકલ્પો થી બચી જશો. યાદની મીઠી યુક્તિ માયાજીત બનાવી દેશે.

ગીત :-
જિસકા સાથી હૈ ભગવાન …

ઓમ શાંતિ!
આ મનુષ્યોનાં બનાવેલાં ગીત છે. આનો અર્થ કોઈ કંઈ પણ નથી જાણતાં. ગીત ભજન વગેરે ગાએ છે, મહિમા કરે છે ભક્ત લોકો પરંતુ જાણતાં કંઈ નથી. મહિમા ખૂબ કરે છે. આપ બાળકોએ કોઈ મહિમા નથી કરવાની. બાળકો બાપની ક્યારેય મહિમા નથી કરતાં. બાપ જાણે છે આ મારા બાળકો છે. બાળકો જાણે છે આ અમારા બાબા છે. હમણાં આ બેહદની વાત છે. તો પણ સૌ બેહદનાં બાપ ને યાદ કરે છે. હમણાં સુધી પણ યાદ કરતાં રહે છે. ભગવાનને કહે છે - હેં બાબા, આમનું નામ શિવબાબા છે. જેમ આપણે આત્માઓ છીએ તેમ શિવબાબા છે. તે છે પરમ આત્મા, જેમને સુપ્રીમ કહેવાય છે, એમનાં આપણે બાળકો છે. એમને સુપ્રીમ સોલ (પરમ આત્મા) કહેવાય છે. એમનું નિવાસ સ્થાન ક્યાં છે? પરમધામ માં. બધી આત્માઓ ત્યાં રહે છે. એક્ટર્સ જ આત્માઓ છે. તમે જાણો છો નાટકમાં એક્ટર્સ નંબરવાર હોય છે. દરેકનાં પાર્ટ અનુસાર એટલો પગાર મળે છે. બધી આત્માઓ જે ત્યાં રહે છે, બધા પાર્ટધારી છે, પરંતુ નંબરવાર બધાને પાર્ટ મળેલો છે. રુહાની બાપ બેસી સમજાવે છે કે રુહો માં કેવી રીતે અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. બધી રુહો નો પાર્ટ એક જેવો નથી હોઈ શકતો. બધામાં તાકત એક જેવી નથી. તમે જાણો છો કે સૌથી સારો પાર્ટ એમનો છે જે પહેલા શિવ ની રુદ્ર માળા માં છે. નાટક માં જે ખૂબ સારા-સારા એક્ટર્સ હોય છે તેમની કેટલી મહિમા થાય છે. ફક્ત એમને જોવા માટે પણ લોકો જાય છે. તો આ બેહદનો ડ્રામા છે. આ બેહદનાં ડ્રામા માં પણ ઉંચ એક બાપ છે. ઉંચે થી ઉંચા એક્ટર, ક્રિયેટર, ડાયરેક્ટર પણ કહેવાય, તે બધા છે હદનાં એક્ટર્સ, ડાયરેકટર્સ વગેરે. તેમને પોતાનો નાનો પાર્ટ મળેલો છે. પાર્ટ આત્મા ભજવે છે પરંતુ દેહ-અભિમાન નાં કારણે કહી દે છે કે મનુષ્ય નો એવો પાર્ટ છે. બાપ કહે પાર્ટ બધો આત્માનો છે. આત્મ-અભિમાની બનવું પડે છે. બાપે સમજાવ્યું છે કે સતયુગ માં આત્મ-અભિમાની હોય છે. બાપ ને નથી જાણતાં. અહીંયા કળયુગમાં તો આત્મ-અભિમાની પણ નથી અને બાપ ને પણ નથી જાણતાં. હમણાં તમે આત્મ-અભિમાની બનો છો. બાપ ને પણ જાણો છો.

આપ બ્રાહ્મણો ને નિરાળું નોલેજ મળે છે. આપ આત્મા ને જાણી ગયાં છો કે આપણે બધી આત્માઓ એક્ટર્સ છીએ. સૌને પાર્ટ મળેલો છે, જે એક ન મળે બીજા થી. તે પાર્ટ બધો આત્મા માં છે. આમ તો જે નાટક બનાવે છે તે પણ પાર્ટ આત્મા જ ધારણ કરે છે. સારો પાર્ટ પણ આત્મા જ લે છે. આત્મા જ કહે છે હું ગવર્નર છું, ફલાણો છું. પરંતુ આત્મ-અભિમાની નથી બનતાં. સતયુગ માં સમજશે કે હું આત્મા છું. એક શરીર છોડી બીજું લેવાનું છે. પરમાત્મા ને ત્યાં કોઈ નથી જાણતું આ સમયે તમે બધુંજ જાણો છો. શૂદ્રો અને દેવતાઓ થી તમે બ્રાહ્મણ ઉત્તમ છો. આટલાં અસંખ્ય બ્રાહ્મણ ક્યાંથી આવશે, જે બનશે. લાખો આવે છે પ્રદર્શની માં. જેમણે સારી રીતે સમજ્યું, જ્ઞાન સાંભળ્યું તે પ્રજા બની ગયાં. એક-એક રાજા ની પ્રજા ખુબ હોય છે. તમે પ્રજા ખૂબ બનાવી રહ્યાં છો. પ્રદર્શની, પ્રોજેક્ટર થી કોઈ સમજી ને સારા પણ બની જશે. શીખશે, યોગ લગાવશે. હમણાં તે નીકળતા જશે. પ્રજા પણ નીકળશે પછી સાહૂકાર, રાજા-રાણી, ગરીબ વગેરે બધાં નીકળશે. પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) ખૂબ હોય છે. સતયુગ થી ત્રેતા સુધી પ્રિન્સ-પ્રિન્સેજ બનવાનાં છે. ફક્ત ૮ કે ૧૦૮ તો નહીં હશે. પરંતુ હમણાં બધાં બની રહ્યાં છે. તમે સર્વિસ કરતાં રહો છો. આ પણ નથિંગન્યુ. તમે કોઈ ફંકશન (કાર્યક્રમ) કર્યું, આ પણ નવી વાત નથી, અનેક વખત કર્યું છે પછી સંગમ પર એ જ ધંધો કરશો બીજું શું કરશો! બાપ આવશે પતિતો ને પાવન બનાવવાં. આને કહેવાય છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી. નંબરવાર તો દરેક વાતમાં હોય જ છે. તમારા માં જે સારું ભાષણ કરે છે તો બધાં કહેશે કે આમણે ખૂબ સારું ભાષણ કર્યું. બીજાઓનું સાંભળશે તો પણ કહેશે કે પહેલા વાળા સારું સમજાવતાં હતાં. ત્રીજા પછી એમનાથી હોશિયાર હશે તો કહેશે આ એનાથી પણ આગળ છે. દરેક વાતમાં પુરુષાર્થ કરવાનો હોય છે કે અમે તેમનાથી ઉપર જઈએ. હોશિયાર જે હોય છે તે ઝટ હાથ ઉઠાવશે, ભાષણ કરવા માટે. તમે બધાં પુરુષાર્થી છો, આગળ ચાલી મેલ ટ્રેન બની જશો. જેમ મમ્મા સ્પેશિયલ મેલ ટ્રેન હતી. બાબાની તો ખબર નહીં પડશે નહીં કારણ કે બંને સાથે છે. તમે સમજી નહીં શકશો કે કોણ કહે છે. તમે સદૈવ સમજો કે શિવબાબા સમજાવે છે. બાપ અને દાદા બંને જાણે છે પરંતુ એ અંતર્યામી છે. બાહર થી કહે છે આ તો ખૂબ હોશિયાર છે. બાપ પણ મહિમા સાંભળી ખુશ થાય છે. લૌકિક બાપનું પણ કોઈ બાળક સારી રીતે ભણી ને ઉંચ પદ પામે છે તો બાપ સમજે છે કે આ બાળક સારું નામ કાઢશે. આ પણ સમજે છે કે ફલાણો બાળક આ રુહાની સર્વિસમાં હોશિયાર છે. મુખ્ય તો ભાષણ છે, કોઈને બાપનો સંદેશ આપવો, સમજાવવું. બાબાએ દૃષ્ટાંત પણ બતાવ્યું હતું કે કોઈને ૫ બાળકો હતાં તો કોઈને પૂછ્યું કે તમને કેટલા બાળકો છે? તો બોલ્યા કે બે બાળકો છે. કહ્યું કે તમને તો ૫ બાળકો છે! કહ્યું સપૂત બે છે. અહીંયા પણ એવું છે. બાળકો તો ખૂબ છે. બાપ કહેશે કે આ ડોક્ટર નિર્મલા બાળકી ખૂબ સારી છે. ખૂબ પ્રેમથી લૌકિક બાપ ને સમજાવી સેવાકેન્દ્ર ખોલાવી દીધું છે. આ ભારતની સર્વિસ (સેવા) છે. તમે ભારત ને સ્વર્ગ બનાવો છો. આ ભારત ને નર્ક રાવણે બનાવ્યું. એક સીતા કેદ માં નહોતી પરંતુ આપ સીતાઓ રાવણ ની કેદ માં હતી. બાકી શાસ્ત્રોમાં બધી દંત કથાઓ છે. આ ભક્તિમાર્ગ પણ ડ્રામા માં છે. તમે જાણો છો સતયુગ થી લઈને જે પસાર થયું તે રિપીટ થશે. જાતે જ પૂજ્ય જાતે જ પૂજારી બને છે. બાપ કહે છે મારે આવીને પૂજારી થી પૂજ્ય બનાવવાનાં છે. પહેલા ગોલ્ડન એજડ (સતોપ્રધાન) પછી આયરન એજડ (તમોપ્રધાન) બનવાનું છે. સતયુગ માં સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. રામરાજ્ય તો ચંદ્રવંશી હતું.

આ સમયે તમે બધાં રુહાની ક્ષત્રિય (યોદ્ધા) છો. લડાઈ નાં મેદાનમાં આવવા વાળાને ક્ષત્રિય કહેવાય છે. તમે છો રુહાની ક્ષત્રિય. બાકી તે છે શરીરધારી ક્ષત્રિય. આને કહેવાય છે બાહુબળ થી લડવું-ઝઘડવું. શરું માં મલ્લ યુદ્ધ થતી હતી બાહો (ભુજાઓ) વગેરે થી. આપસમાં લડતા હતાં પછી વિજય ને પામતા હતાં. હમણાં તો જુઓ બોમ્બસ વગેરે બનેલાં છે. તમે પણ ક્ષત્રિય છો, તે પણ ક્ષત્રિય છે. તમે માયા પર જીત પામો છો, શ્રીમત પર ચાલી. તમે છો રુહાની ક્ષત્રિય. રુહ જ બધું કરી રહી છે આ શરીરની કર્મેન્દ્રિયો દ્વારા. રુહ ને બાપ આવીને શીખવાડે છે - બાળકો, મને યાદ કરવાથી પછી માયા ખાશે નહીં. તમારાં વિકર્મ વિનાશ થશે અને તમને ઉલ્ટા-સુલ્ટા સંકલ્પ નહીં આવશે. બાપ ને યાદ કરવાથી ખુશી પણ રહેશે એટલે બાપ સમજાવે છે કે સવારે ઉઠીને અભ્યાસ કરો. બાબા તમે કેટલાં મીઠા છો. આત્મા કહે છે-બાબા. બાપે પરિચય આપ્યો છે - હું તમારો બાપ છું, તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું નોલેજ સંભળાવવાં આવ્યો છું. આ મનુષ્ય સૃષ્ટિનું ઉલ્ટું ઝાડ છે. આ વેરાઈટી (વિવિધ) ધર્મોની મનુષ્ય સૃષ્ટિ છે, આને કહેવાય છે વિરાટ લીલા. બાપે સમજાવ્યું છે કે આ મનુષ્ય ઝાડનું હું બીજું રુપ છું. મને યાદ કરે છે. કોઈ કયા ઝાડનાં છે, કોઈ કયા ઝાડનાં છે. પછી નંબરવાર નીકળે છે. આ ડ્રામા બનેલો છે. કહેવત છે કે ફલાણા એ ધર્મ સ્થાપક પૈગંબર ને મોકલ્યાં. પરંતુ ત્યાંથી મોકલતાં નથી. આ ડ્રામા અનુસાર રીપીટ થાય છે. આ એક જ છે જે ધર્મ અને રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. આ દુનિયામાં કોઈ પણ નથી જાણતું. હમણાં છે સંગમ. વિનાશની જ્વાળા પ્રજ્જવલિત થવાની છે. આ છે શિવબાબાનો જ્ઞાન યજ્ઞ. તેમણે રુદ્ર નામ રાખી દીધું છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમે બ્રાહ્મણ પેદા થયાં છો. તમે ઉંચ થયાં ને. પાછળ બીજા સંપ્રદાય નીકળે છે. હકીકત માં તો બધાં બ્રહ્માનાં બાળકો છો. બ્રહ્મા ને કહેવાય છે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. સિજરો (વંશજ) છે, પહેલાં-પહેલાં બ્રહ્મા ઉંચ પછી સિજરો નીકળે છે. કહે છે ભગવાન સૃષ્ટિ કેવી રીતે રચે છે. રચના તો છે. જ્યારે તે પતિત થાય છે ત્યારે એમને બોલાવે છે. એ જ આવી ને દુઃખી સૃષ્ટિ ને સુખી બનાવે છે એટલે બોલાવે છે બાબા દુઃખહર્તા સુખકર્તા આવો. નામ રાખ્યું છે હરિદ્વાર. હરિદ્વાર અર્થાત હરિનો દ્વાર. ત્યાં ગંગા વહે છે. સમજે છે અમેં ગંગામાં સ્નાન કરવાથી હરિનાં દ્વાર ચાલ્યા જઈશું. પરંતુ હરિ નો દ્વાર છે ક્યાં? તે પછી કૃષ્ણ ને કહી દે છે. હરિનો દ્વાર તો શિવબાબા છે. દુઃખહર્તા સુખકર્તા. પહેલાં તમારે જવાનું છે પોતાનાં ઘરે. આપ બાળકો ને પોતાનાં બાપની અને ઘરની હમણાં ખબર પડી છે. બાપની ગાદ્દી થોડી ઊંચી છે. ફૂલ છે ઉપરમાં પછી યુગલ દાણો એનાથી નીચે. પછી રુદ્ર માળા કહે છે. રુદ્ર માળા સો વિષ્ણુ ની માળા. વિષ્ણુનાં ગળાનો હાર એ જ પછી વિષ્ણુપુરી માં રાજ્ય કરે છે. બ્રાહ્મણોની માળા નથી કારણ કે ઘડી-ઘડી તૂટી પડે છે. બાપ સમજાવે છે કે નંબરવાર તો છે ને. આજે ઠીક છે કાલે તોફાન આવી જાય છે, ગ્રહચારી આવવાથી ઠંડા થઈ જાય છે. બાપ કહે છે કે મારા બનન્તી, આશ્ચર્યવત સુનન્તી, કથન્તી, ધ્યાન માં જાવન્તી, માળામાં પિરવોન્તી … પછી એકદમ ભાગન્તી, ચંડાલ બનન્તી. પછી માળા કેવી રીતે બને? તો બાપ સમજાવે છે કે બ્રાહ્મણો ની માળા નથી બનતી. ભક્ત માળા અલગ છે. રુદ્ર માળા અલગ છે. ભક્ત માળા માં મુખ્ય છે ફિમેલ્સ (સ્ત્રી) માં મીરા અને મેલ (પુરુષ) માં નારદ. આ છે રુદ્ર માળા. સંગમ પર બાપ જ આવીને મુક્તિ-જીવન મુક્તિ આપે છે. બાળકો સમજે છે કે અમે જ સ્વર્ગનાં માલિક હતાં. હમણાં નર્ક માં છીએ. બાપ કહે છે કે નર્ક ને લાત મારો, સ્વર્ગ ની બાદશાહી લો, જે તમારી રાવણે છીનવી લીધી છે. આ તો બાપ જ આવીને બતાવે છે. એ આ બધાં શાસ્ત્રો, તીર્થો વગેરે ને જાણે છે. બીજરુપ છે ને. જ્ઞાનનાં સાગર, શાંતિનાં સાગર… આ આત્મા કહે છે.

બાપ સમજાવે છે કે આ લક્ષ્મી-નારાયણ સતયુગ નાં માલિક હતાં. એમની આગળ શું હતું? જરુર કળયુગ નો અંત હશે તો સંગમયુગ થયો હશે પછી હવે સ્વર્ગ બને છે. બાપ ને સ્વર્ગનાં રચયિતા કહેવાય છે, સ્વર્ગ સ્થાપન કરવા વાળા. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં. એમને વારસો ક્યાંથી મળ્યો? સ્વર્ગનાં રચતા બાપ થી. બાપ નો જ આ વારસો છે. તમે કોઈ ને પણ પૂછી શકો છો કે આ લક્ષ્મી-નારાયણ ને સતયુગ ની રાજધાની હતી. કેવી રીતે લીધી? કોઈ બતાવી નહીં શકશે. આ દાદા પણ કહે છે કે હું નહોતો જાણતો. પૂજા કરતો હતો પરંતુ જાણતો ન હતો. હવે બાપે સમજાવ્યું છે - આ સંગમ પર રાજયોગ શીખે છે. ગીતામાં જ રાજયોગ નું વર્ણન છે. સિવાય ગીતાનાં બીજા કોઈ પણ શાસ્ત્ર માં રાજયોગ ની વાત નથી. બાપ કહે છે કે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. ભગવાને જ આવીને નર થી નારાયણ બનવાનું નોલેજ આપ્યું છે. ભારતનું મુખ્ય શાસ્ત્ર છે ગીતા. ગીતા ક્યારે રચાઈ, આ જાણતાં નથી. બાપ કહે છે કલ્પ-કલ્પ સંગમ પર આવું છું. જેમને રાજ્ય આપ્યું હતું તે રાજ્ય ગુમાવીને પછી તમોપ્રધાન દુઃખી બની પડ્યાં છે. રાવણ નું રાજ્ય છે. બધી ભારતની જ કહાની છે. ભારત છે ઓલરાઉન્ડ, બીજા તો બધાં પછી થી આવે છે. બાપ કહે છે કે હું તમને ૮૪ જન્મોનું રહસ્ય બતાવું છું. ૫ હજાર વર્ષ પહેલાં તમે દેવી-દેવતા હતાં, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હેં ભારતવાસીઓ! બાપ આવે છે અંત માં. આદિ માં આવે તો આદિ-અંત નું નોલેજ કેવી રીતે સંભળાવે! સૃષ્ટિ ની વૃદ્ધિ થઈ નથી તો સમજાવે કેવી રીતે? ત્યાં તો નોલેજની દરકાર જ નથી. બાપ હમણાં સંગમ પર જ નોલેજ આપે છે. નોલેજફુલ છે ને. જરુર નોલેજ સંભળાવવા અંતમાં આવવું પડે. આદિ માં તમને શું સંભળાવશે! આ સમજવાની વાતો છે. ભગવાનુવાચ કે હું તમને રાજયોગ શીખવાડું છું. આ યુનિવર્સિટી છે પાંડવ ગવર્મેન્ટની. હમણાં છે સંગમ - યાદવ, કૌરવ અને પાંડવ, તેમણે બેસી સેનાઓ દેખાડી છે. બાપ સમજાવે છે યાદવ-કૌરવ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક-બીજા ને ગાળ આપતા રહે છે. બાપ થી પ્રીત નથી. કહી દે છે કે કુતરા-બિલાડી બધામાં પરમાત્મા છે. બાકી પાંડવો ની પ્રીત બુદ્ધિ હતી. પાંડવો નાં સાથી સ્વયં પરમાત્મા હતાં. પાંડવ એટલે રુહાની પન્ડા. તે છે જે શરીરધારી પન્ડા. તમે છો રુહાની પન્ડા. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મ-અભિમાની બની આ બેહદ નાટક માં હીરો પાર્ટ ભજવવાનો છે. દરેક એક્ટર નો પાર્ટ પોત-પોતાનો છે એટલે કોઈ નાં પાર્ટ થી રીસ નથી કરવાની.

2. સવારે-સવારે ઉઠીને પોતે પોતાના થી વાતો કરવાની છે, અભ્યાસ કરવાનો છે - હું આ શરીરની કર્મેન્દ્રિયો થી અલગ છું, બાબા તમે કેટલાં મીઠા છો, તમે અમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપો છો.

વરદાન :-
સદા દેહ - અભિમાન અને દેહ ની ગંદકી થી દૂર રહેવા વાળા ઇન્દ્રપ્રસ્થ નિવાસી ભવ

કહે છે ઇન્દ્રપ્રસ્થ માં સિવાય પરીઓનાં બીજા કોઈ પણ મનુષ્ય નિવાસ નથી કરી શકતાં. મનુષ્ય અર્થાત્ જે પોતાને આત્મા ન સમજી દેહ સમજે છે. તો દેહ-અભિમાન અને દેહની જૂની દુનિયા, જૂનાં સંબંધો થી સદા ઉપર ઉડતાં રહે. જરા પણ મનુષ્ય-પણા ની ગંદકી ન હોય. દેહી -અભિમાની સ્થિતિ માં રહો, જ્ઞાન અને યોગ ની પાંખો મજબૂત હોય ત્યારે કહેશે ઇન્દ્રપ્રસ્થ નિવાસી.

સ્લોગન :-
પોતાનાં તન, મન, ધન ને સફળ કરવા કે સર્વ ખજાનો ને વધારવા વાળા જ સમજદાર છે.