06-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
મહાવીર છો , તમારે માયાનાં તોફાનો થી ડરવાનું નથી , એક બાપ નાં સિવાય બીજી કોઈ પણ
પરવાહ ન કરતાં પવિત્ર જરુર બનવાનું છે ”
પ્રશ્ન :-
બાળકો માં કઈ
હિમ્મત બની રહે તો બહુજ ઉંચ પદ પામી શકે છે?
ઉત્તર :-
શ્રીમત પર ચાલીને પવિત્ર બનવાની. ભલે કેટલા પણ હંગામા થાય, સિતમ (અત્યાચાર) સહન કરવા
પડે પરંતુ બાપે જે પવિત્ર બનવાની શ્રેષ્ઠ મત આપી છે એનાં પર નિરંતર ચાલતાં રહે તો
બહુજ ઉંચ પદ પામી શકે છે. કોઈ પણ વાતમાં ડરવાનું નથી, કંઈ પણ થાય છે-નથિંગ ન્યુ.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા …
ઓમ શાંતિ!
આ છે
ભક્તિમાર્ગ વાળાઓનું ગીત. જ્ઞાનમાર્ગ માં ગીત વગેરેની કોઈ જરુરત નથી કારણ કે ગવાયેલું
છે બાપ થી આપણને બેહદ નો વારસો મળવાનો છે. જે ભક્તિમાર્ગ ની રીત-રિવાજ છે, તે આમાં
નથી આવી શકતી. બાળકો કવિતા વગેરે બનાવે છે તે બીજાઓ ને સંભળાવવા માટે. એનો પણ અર્થ
જ્યાં સુધી તમે ન સમજાવો ત્યાં સુધી કોઈ સમજી ન શકે. હવે આપ બાળકોને બાપ મળ્યાં છે
તો ખુશી નો પારો ચઢવો જોઇએ. બાપે ૮૪ જન્મોનાં ચક્રનું નોલેજ પણ સંભળાવ્યું છે. ખુશી
થવી જોઈએ - અમે હમણાં સ્વદર્શન ચક્રધારી બન્યાં છીએ. બાપ થી વિષ્ણુપુરી નો વારસો લઈ
રહ્યાં છીએ. નિશ્ચયબુદ્ધિ જ વિજયન્તી. જેમને નિશ્ચય હોય છે તે સતયુગમાં તો જશે જ.
તો બાળકોને સદૈવ ખુશી રહેવી જોઈએ - ફોલો ફાધર. બાળકો જાણે છે નિરાકાર શિવબાબાએ
જ્યારથી આમનામાં પ્રવેશ કર્યો છે તો મોટા હંગામા થયાં. પવિત્રતા પર મોટા ઝઘડા ચાલ્યાં.
બાળકો મોટા થાય, કહેશે જલ્દી લગ્ન કરો, લગ્ન વગર કામ કેવી રીતે ચાલશે. ભલે મનુષ્ય
ગીતા વાંચે છે પરંતુ એનાથી સમજતાં કાંઈ નથી. સૌથી વધારે બાબા ને અભ્યાસ હતો. એક
દિવસ પણ ગીતા વાંચવાની છોડતાં નહોતાં. જ્યારે ખબર પડી ગીતા નાં ભગવાન શિવ છે, નશો
ચઢી ગયો અમે તો વિશ્વનાં માલિક બનીએ છીએ. આ તો શિવ ભગવાનુવાચ છે પછી પવિત્રતાનો પણ
મોટો હંગામો થયો. આમાં બહાદુરી જોઈએ ને. તમે છો જ મહાવીર-મહાવીરની. સિવાય એક નાં
બીજા કોઈની પરવાહ નથી. પુરુષ છે રચતા, રચતા પોતે પાવન બને છે તો રચના ને પણ પાવન
બનાવે છે. બસ આ વાત પર જ અનેકો નાં ઝઘડા ચાલ્યાં. મોટા-મોટા ઘરો થી નીકળી આવ્યાં.
કોઈ ની પરવાહ ન કરી. જેમની તકદીર માં નથી તો સમજે પણ કેવી રીતે. પવિત્ર રહેવું છે
તો રહો, નહીં તો જઇને પોતાનો પ્રબંધ કરો. એટલી હિમ્મત જોઈએ ને. બાબાની સામે કેટલા
હંગામા થયાં. બાબા ને ક્યારેય રંજ થયો જોયો? અમેરિકા સુધી સમાચાર પત્રમાં નીકળી ગયું.
નથિંગન્યુ. આ તો કલ્પ પહેલાં માફક થાય છે, આમાં ડરવાની શું વાત છે. આપણે તો પોતાનાં
બાપ થી વારસો લેવાનો છે. પોતાની રચનાને બચાવવાની છે. બાપ જાણે છે બધી રચના આ સમયે
પતિત છે. મારે જ બધાને પાવન બનાવવાનાં છે. બાપ ને જ બધાં કહે છે હેં પતિત-પાવન,
લિબરેટર (મુક્તિદાતા) આવો, તો એમને જ તરસ પડે છે. રહેમદિલ છે ને. તો બાપ સમજાવે છે
- બાળકો, કોઈ પણ વાત માં ડરો નહીં. ડરવાથી આટલું ઉંચ પદ પામી નહીં શકો. માતાઓ પર જ
અત્યાચાર થાય છે. આ પણ નિશાની છે - દ્રોપદી ને નંગન કરતાં હતાં. બાપ ૨૧ જન્મો માટે
નંગન થવાથી બચાવે છે. દુનિયા આ વાતોને નથી જાણતી. પતિત તમોપ્રધાન જૂની સૃષ્ટિ પણ
બનવાની જ છે. દરેક વસ્તુ નવી થી પછી જૂની જરુર થવાની છે. જૂના ઘર ને છોડવું જ પડે
છે. નવી દુનિયા ગોલ્ડન એજ (સતયુગ), જૂની દુનિયા આયરન એજ (કળયુગ)….. સદૈવ તો રહી ન
શકે. તમે બાળકો જાણો છો - આ સૃષ્ટિ ચક્ર છે. દેવી-દેવતાઓનાં રાજ્ય ની ફરીથી સ્થાપના
થઈ રહી છે. બાપ પણ કહે છે ફરીથી તમને ગીતા જ્ઞાન સંભળાવું છું. અહીંયા રાવણ રાજ્ય
માં દુ:ખ છે. રામરાજ્ય કોને કહેવાય છે, આ પણ કોઈ સમજતાં નથી. બાપ કહે છે હું સ્વર્ગ
અથવા રામરાજ્ય ની સ્થાપના કરવા આવ્યો છું. આપ બાળકોએ અનેક વખત રાજ્ય લીધું અને પછી
ગુમાવ્યું છે. આ બધાની બુદ્ધિ માં છે. ૨૧ જન્મ સતયુગ માં આપણે રહીએ છીએ, એને કહેવાય
છે ૨૧ પેઢી અર્થાત્ જ્યારે વૃદ્ધ અવસ્થા થાય છે ત્યારે શરીર છોડે છે. અકાળે મૃત્યુ
ક્યારેય થતું નથી. હવે તમે જાણે ત્રિકાળદર્શી બની ગયાં છો. તમે જાણો છો - શિવબાબા
કોણ છે? શિવ નાં મંદિર પણ અનેક બનાવ્યાં છે. મૂર્તિ તો ઘરમાં પણ રાખી શકો છો ને.
પરંતુ ભક્તિમાર્ગ ની પણ ડ્રામામાં નોંધ છે. બુદ્ધિ થી કામ લેવાય. કૃષ્ણ ની અથવા શિવ
ની મૂર્તિ ઘરમાં પણ રાખી શકાય છે. વસ્તુ તો એક જ છે. પછી આટલાં દૂર-દૂર કેમ જાય છે?
શું એમની પાસે જવાથી કૃષ્ણપૂરી નો વારસો મળશે. હમણાં તમે જાણો છો જન્મ-જન્માંતર આપણે
ભક્તિ કરતાં આવ્યાં છીએ. રાવણ રાજ્ય નો પણ ભપકો જુઓ કેટલો છે. આ છે પાછળ નો ભપકો.
રામરાજ્ય તો સતયુગ માં હતું. ત્યાં આ વિમાન વગેરે બધું હતું પછી આ બધું ગુમ થઈ ગયું.
ફરી આ સમયે આ બધું નીકળ્યું છે. હમણાં આ બધાં શીખી રહ્યાં છે, જે શીખવા વાળા છે તે
સંસ્કાર લઇ જશે. ત્યાં જઈને પછી વિમાન બનાવશે. આ ભવિષ્ય માં તમને સુખ આપવા વાળી
વસ્તુઓ છે. આ વિજ્ઞાન પછી તમને કામ આવશે. હમણાં આ વિજ્ઞાન દુઃખ માટે છે પછી ત્યાં
સુખ માટે હશે. હમણાં સ્થાપના થઈ રહી છે. બાપ નવી દુનિયા માટે રાજધાની સ્થાપન કરે છે
તો આપ બાળકોએ મહાવીર બનવાનું છે. દુનિયામાં આ થોડી કોઈ જાણે છે કે ભગવાન આવેલાં છે.
બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો, આમા ડરવાની વાત નથી.
કરીને ગાળ આપશે. ગાળ તો આમને પણ ખૂબ મળી છે. કૃષ્ણએ ગાળ ખાધી - એવું દેખાડે છે. હવે
કૃષ્ણ તો ગાળો ખાઈ ન શકે. ગાળ તો કળયુગ માં ખાય છે. તમારું રુપ જે હમણાં છે પછી
કલ્પ પછી આ સમયે થશે, વચમાં ક્યારેય થઇ ન શકે. જન્મ પછી જન્મ ફીચર્સ (રુપ) બદલાતાં
જાય છે, આ ડ્રામા બનેલો છે. ૮૪ જન્મમાં જે ફીચર્સ વાળા જન્મ લીધાં છે એ જ લેશે. હવે
તમે જાણો છો આ જ ફીચર્સ બદલાઈ બીજા જન્મ માં આ લક્ષ્મી-નારાયણ નાં ફીચર્સ થઈ જશે.
તમારી બુદ્ધિ નું હમણાં તાળુ ખૂલેલું છે. આ છે નવી વાત. બાબા પણ નવાં, વાતો પણ નવી.
આ વાતો કોઈ ની સમજ માં જલ્દી નથી આવતી. જ્યારે તકદીર માં હોય ત્યારે કંઈ સમજે. બાકી
મહાવીર એને કહેવાય જાય છે જે કેટલાં પણ તોફાન આવે, હલે નહીં. હમણાં તે અવસ્થા થઇ ન
શકે. થવાની છે જરુર. મહાવીર કોઈ તોફાન થી ડરશે નહીં. તે અવસ્થા અંતમાં થવાની છે એટલે
ગવાયેલું હોય છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓથી પૂછો. બાપ આવ્યાં છે આપ બાળકોને સ્વર્ગ
નાં લાયક બનાવવાં. કલ્પ પહેલાં માફક નર્ક નો વિનાશ તો થવાનો જ છે. સતયુગ માં તો એક
જ ધર્મ હશે. ઈચ્છે પણ છે વનનેસ (એકતા), એક ધર્મ હોવો જોઈએ. આ પણ કોઈને ખબર નથી કે
રામરાજ્ય, રાવણરાજ્ય અલગ-અલગ છે. હવે બાપ માં પૂરો નિશ્ચય છે તો શ્રીમત પર ચાલવું
પડે. દરેક ની નાડી જોવાય છે. તે અનુસાર પછી સલાહ પણ અપાય છે. બાબાએ પણ બાળકો ને
કહ્યું - જો લગ્ન કરવાં હોય તો જઈને કરો. ઘણાં મિત્ર-સંબંધી વગેરે બેઠા છે, એમનાં
લગ્ન કરાવી દેશે. પછી કોઈ ને કોઈ નીકળી પડયાં. તો દરેક ની નાડી જોવાય છે. પૂછે છે
બાબા આ હાલત છે, અમે પવિત્ર રહેવાં ઇચ્છીએ છે, અમારા સંબંધી અમને ઘરે થી કાઢે છે,
હવે શું કરવાનું છે? અરે આ પણ પૂછો છો? પવિત્ર રહેવાનું છે, જો નથી રહી શકતાં તો
જઈને લગ્ન કરો. અચ્છા, સમજો કોઇની સગાઇ થઇ છે, રાજી કરવાનાં છે, વાંધો નહીં. ગાંઠ
જ્યારે બાંધે છે તો એ સમયે કહે છે આ પતિ તમારો ગુરુ છે. સારું તમે એમનાથી લખાવી લો.
તમે માનો છો હું તમારો ગુરુ ઈશ્વર છું, લખો. સારું હવે હું હુકમ આપું છું પવિત્ર
રહેવાનું છે. હિમ્મત જોઈએ ને. મંઝિલ ખુબ ઉંચી છે. પ્રાપ્તિ ખુબ જબરજસ્ત છે. કામ ની
આગ ત્યારે લાગે છે જ્યારે પ્રાપ્તિ ની ખબર નથી. બાપ કહે છે આટલી મોટી પ્રાપ્તિ થાય
છે તો જો એક જન્મ પવિત્ર રહે તો શું મોટી વાત છે. હું આપનો પતિ ઈશ્વર છું. મારી
આજ્ઞા પર પવિત્ર રહેવું પડશે. બાબા યુક્તિઓ બતાવી દે છે. ભારત માં આ કાયદો છે -
સ્ત્રી ને કહે છે તમારો પતિ ઈશ્વર છે. તેમની આજ્ઞા માં રહેવાનું છે. પતિ નાં પગ
દબાવવાનાં છે કારણ કે સમજે છે ને, લક્ષ્મીએ પણ નારાયણ નાં પગ દબાવ્યાં હતાં. આ આદત
ક્યાંથી નીકળી? ભક્તિમાર્ગ નાં ચિત્રો થી. સતયુગમાં તો આવી વાત હોતી નથી. નારાયણ
ક્યારેય કંઈ થાકે છે શું જે લક્ષ્મી પગ દબાવશે. થકાવટ ની વાત હોઈ ન શકે. આ તો દુઃખ
ની વાત થઈ જાય છે. ત્યાં દુઃખ-દર્દ ક્યાંથી આવ્યું. ત્યારે બાબાએ ફોટા થી લક્ષ્મીનું
ચિત્ર જ ઉડાવી દીધું. નશો તો ચઢે છે ને. નાનપણ થી જ વૈરાગ્ય હતો એટલે ભક્તિ ખૂબ કરતાં
હતાં. તો બાબા યુક્તિ ખૂબ બતાવે છે. તમે જાણો છો આપણે એક બાપનાં બાળક છીએ તો આપસમાં
ભાઈ-બહેન થઈ ગયાં. દાદા થી વારસો લઈએ છીએ. બાપ ને બોલાવે જ છે પતિત દુનિયા માં. હેં
પતિત-પાવન બધી સીતાઓનાં રામ. બાપને કહેવાય જાય છે ટુથ (સત્ય), સચ ખંડ સ્થાપન કરવા
વાળા. એજ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું સત્ય જ્ઞાન તમને આપે છે. તમારી આત્મા હમણાં
જ્ઞાન સાગર બની રહી છે.
મીઠા બાળકો એ હિમ્મત રાખવી જોઈએ, અમારે બાબા ની શ્રીમત પર ચાલવાનું છે. બેહદનાં બાપ
બેહદ ની રચના ને સ્વર્ગનાં માલિક બનાવે છે. તો પુરુષાર્થ કરી પૂરો વારસો લેવાનો છે.
વારી જવાનું છે. તમે એમને પોતાનાં વારિસ બનાવશો તો તે તમને ૨૧ જન્મોનાં માટે વારસો
આપશે. બાપ બાળકોનાં ઉપર વારી જાય છે. બાળકો કહે છે બાબા આ તન-મન-ધન બધુંજ તમારું
છે. તમે બાપ પણ છો તો બાળક પણ છો. ગાએ પણ છે ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ……એકની મહિમા
કેટલી મોટી છે. એમને કહેવાય જ જાય છે સર્વ નાં દુઃખહર્તા, સુખકર્તા. સતયુગ માં ૫
તત્વ પણ સુખ આપવા વાળા હોય છે. કળયુગ માં ૫ તત્વ પણ તમોપ્રધાન હોવાનાં કારણે દુઃખ
આપે છે. ત્યાં તો છે જ સુખ. આ ડ્રામા બનેલો છે. તમે જાણો છો આ એ જ ૫ હજાર વર્ષ પહેલા
વાળી લડાઈ છે. હમણાં સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ સદૈવ ખુશી માં રહેવું
જોઈએ. ભગવાને તમને એડોપ્ટ કર્યા છે પછી આપ બાળકો ને બાપ શ્રૃંગારે પણ છે, ભણાવે પણ
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા બાપ
સમાન બનવાની હિમ્મત રાખવાની છે. બાપ પર પૂરું વારી જવાનું છે.
2. કોઈ પણ વાત માં ડરવાનું નથી. પવિત્ર જરુર બનવાનું છે.
વરદાન :-
સદા રહેમ અને
કલ્યાણ ની દૃષ્ટિ થી વિશ્વ ની સેવા કરવા વાળા વિશ્વ પરિવર્તક ભવ
વિશ્વ પરિવર્તક અથવા
વિશ્વ સેવાધારી આત્માઓનાં મુખ્ય લક્ષણ છે - પોતાની રહેમ અને કલ્યાણ ની દૃષ્ટિ દ્વારા
વિશ્વ ને સંપન્ન કે સુખી બનાવવું. જે અપ્રાપ્ત વસ્તુ છે, ઈશ્વરીય સુખ, શાંતિ અને
જ્ઞાન નાં ધન થી, સર્વ શક્તિઓથી સર્વ આત્માઓ ને ભિખારી થી અધિકારી બનાવવાં. આવાં
સેવાધારી પોતાની દરેક સેકન્ડ, બોલ અને કર્મ, સંબંધ, સંપર્ક સેવામાં જ લગાવે છે. એમનાં
જોવાં, ચાલવાં, ખાવાં બધામાં સેવા સમાયેલી હોય છે.
સ્લોગન :-
માન, શાન નો
ત્યાગ કરી પોતાનાં સમય ને બેહદ સેવામાં સફળ કરવો જ પરોપકારી બનવું છે.
માતેશ્વરી જી નાં
અણમોલ મહાવાક્ય
પરમાર્થ થી
વ્યવહાર સ્વતઃ જ સિદ્ધ થાય છે
ભગવાનુવાચ છે કે તમે મારા દ્વારા પરમ અર્થ ને જાણવાથી મારા પરમ પદ ને પ્રાપ્ત કરશો
અર્થાત્ પરમાર્થ ને જાણવાથી વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. જુઓ, દેવતાઓનાં આગળ પ્રકૃતિ
તો ચરણો ની દાસી થઈને રહે છે, આ પાંચ તત્વ સુખ-સ્વરુપ બની મન ઇચ્છિત સેવા કરે છે. આ
સમયે જુઓ મન ઇચ્છિત સુખ ન મળવાનાં કારણે મનુષ્ય ને દુઃખ, અશાંતિ પ્રાપ્તિ થતી રહે
છે. સતયુગ માં તો આ પ્રકૃતિ આદેશાનુસાર રહે છે. જુઓ, દેવતાઓનાં જડ ચિત્રો પર પણ એટલાં
હીરા-ઝવેરાત લગાવે છે, તો જ્યારે ચૈતન્ય માં પ્રત્યક્ષ હશે તો એમનાં પર કેટલાં વૈભવ
હશે? આ સમયે મનુષ્ય ભૂખે મરે છે અને જડ ચિત્રો પર કરોડો રુપિયા ખર્ચ કરી રહ્યાં છે.
તો આ શું ફરક છે! જરુર એમણે એવાં શ્રેષ્ઠ કર્મ કર્યા છે ત્યારે તો તેમનાં યાદગાર
બનાવેલાં છે. તેમનું પૂજન પણ કેટલું થાય છે. તે નિર્વિકારી પ્રવૃત્તિ માં રહેતાં પણ
કમળફૂલ સમાન અવસ્થા માં હતાં, પરંતુ હવે તો નિર્વિકારી પ્રવૃત્તિ નાં બદલે વિકારી
પ્રવૃત્તિ માં ચાલ્યા ગયાં છે, જેનાં કારણે બધાં પરમાર્થ ને ભૂલી વ્યવહાર નાં તરફ
લાગી ગયાં છે, એટલે રીઝલ્ટ ઉલ્ટું જઈ રહ્યું છે. હવે આપણને સ્વયં પરમાત્મા આવી
વિકારી પ્રવૃત્તિ થી નીકાળી નિર્વિકારી પ્રવૃત્તિ શીખવાડે છે, જેનાથી આપણું જીવન
સદાકાળ માટે સુખી બને છે એટલે પહેલાં જોઈએ પરમાર્થ પછી વ્યવહાર. પરમાર્થ માં રહેવાથી
વ્યવહાર ઓટોમેટિકલી (સ્વત:) સિદ્ધ થઈ જાય છે. ઓમ્ શાંતિ.