27-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે તમને રાવણ રાજ્ય થી લિબરેટ ( મુક્ત ) કરી સદ્દગતિ આપવાં , નર્કવાસીઓ ને
સ્વર્ગવાસી બનાવવાં ”
પ્રશ્ન :-
બાપે આપ
ભારતવાસી બાળકો ને કઈ-કઈ સ્મૃતિ અપાવી છે?
ઉત્તર :-
હેં ભારતવાસી બાળકો! તમે સ્વર્ગવાસી હતાં. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું,
હીરા સોનાનાં મહેલ હતાં. તમે આખાં વિશ્વ માલિક હતાં. ધરતી આકાશ બધું તમારું હતું.
ભારત શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી. હવે ફરીથી એવું
ભારત બનવાનું છે.
ગીત :-
નયન હીન કો રાહ દિખાઓ પ્રભૂ …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો (આત્માઓ) એ આ ગીત સાંભળ્યું. કોણે કહ્યું? આત્માઓનાં રુહાની બાપે. તો
રુહાની બાપ ને રુહાની બાળકોએ કહ્યું કે હેં બાબા. એમને ઈશ્વર પણ કહેવાય છે, પિતા પણ
કહેવાય છે. કયા પિતા? પરમપિતા કારણ કે બાપ બે છે - એક લૌકિક, બીજા પારલૌકિક. લૌકિક
બાપ નાં બાળકો પારલૌકિક બાપ ને પોકારે છે - હેં બાબા. અચ્છા બાબાનું નામ? શિવ. એ તો
નિરાકાર પૂજાય છે. એમને કહેવાય છે સુપ્રીમ ફાધર (પરમપિતા). લૌકિક બાપ ને સુપ્રીમ નથી
કહેવાતું. ઉંચે થી ઉંચા બધી આત્માઓનાં બાપ એક જ છે. બધી જીવ આત્માઓ એ બાપ ને યાદ કરે
છે. આત્માઓ આ ભૂલી ગઈ છે કે અમારો બાપ કોણ છે? પોકારે છે ઓ ગોડ ફાધર અમને નયનહીન ને
નયન આપો તો અમે પોતાનાં બાપને ઓળખીએ. ભક્તિમાર્ગની ઠોકરો થી છોડાવો. સદ્દગતિ માટે
ત્રીજું નેત્ર લેવા માટે, બાપ થી મળવા માટે પોકારે છે કારણ કે બાપ જ કલ્પ-કલ્પ ભારત
માં આવીને ભારત ને સ્વર્ગ બનાવે છે. હમણાં કળયુગ છે, કળયુગ નાં પછી સતયુગ આવવાનો
છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. બેહદનાં બાપ આવીને જે પતિત ભ્રષ્ટાચારી બની ગયાં છે
તેમને પુરુષોત્તમ બનાવે છે. આ (લક્ષ્મી-નારાયણ) પુરુષોત્તમ ભારત માં હતાં.
લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી નું રાજ્ય હતું. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સતયુગ માં
શ્રી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ બાળકોને સ્મૃતિ અપાવે છે. તમે ભારતવાસી આજ
થી ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગવાસી હતાં. હવે તો બધાં નર્કવાસી છો. આજ થી ૫ હજાર
વર્ષ પહેલાં ભારત હેવન (વૈકુંઠ) હતું. ભારતની ખુબ મહિમા હતી, હીરા-સોના નાં મહેલ હતાં.
હમણાં તો કંઈ પણ છે નહીં. તે સમયે બીજા કોઈ ધર્મ હતાં નહીં, ફક્ત સૂર્યવંશી જ હતાં.
ચંદ્રવંશી પણ પાછળ આવે છે. બાપ સમજાવે છે તમે સૂર્યવંશી ડિનાયસ્ટી (વંશ) નાં હતાં.
હમણાં સુધી પણ આ લક્ષ્મી-નારાયણ નાં મંદીર બનાવતાં રહે છે. પરંતુ લક્ષ્મી-નારાયણ
નું રાજ્ય ક્યારે હતું, કેવી રીતે પામ્યું, તે કોઈ ને ખબર નથી. પૂજા કરે છે, જાણતાં
નથી. તો બ્લાઈન્ડફેથ (અંધવિશ્વાસ) થયો ને. શિવ ની, લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે,
બાયોગ્રાફી ને પણ જાણતાં નથી. હમણાં ભારતવાસી પોતે કહે છે - અમે પતિત છીએ. અમને
પતિતો ને પાવન બનાવવા વાળા બાબા આવો. આવીને અમને દુઃખો થી, રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત)
કરો, બાપ જ આવીને બધાને લિબરેટ કરે છે. બાળકો જાણે છે સતયુગ માં બરાબર એક રાજ્ય હતું.
બાપુજી પણ કહેતા હતાં કે અમને ફરીથી રામરાજ્ય જોઈએ, ગૃહસ્થ ધર્મ જે પતિત બની ગયો છે
તે પાવન જોઈએ. અમે સ્વર્ગવાસી બનવા ઇચ્છીએ છીએ. હમણાં નર્કવાસીઓની શું હાલત છે, જોઈ
રહ્યાં છો ને. આને કહેવાય છે હેલ, ડેવિલ વર્લ્ડ (નર્ક). આ જ ભારત ડીટી વર્લ્ડ (સ્વર્ગ)
હતું. બાપ બેસી સમજાવે છે તમે ૮૪ જન્મ લીધાં છે, ન કે ૮૪ લાખ. બાપ સમજાવે છે તમે
અસલ શાંતિધામનાં રહેવાવાળા છો. તમે અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છો. ૮૪ જન્મો નો
પાર્ટ ભજવ્યો છે. પુનર્જન્મ તો જરુર લેવા પડે ને. પુનર્જન્મ ૮૪ હોય છે.
હવે બેહદનાં બાપ આવ્યાં છે આપ બાળકોને બેહદનો વારસો આપવાં. બાપ આપ બાળકો (આત્માઓ)
થી વાત કરી રહ્યાં છે. બીજા સતસંગો માં મનુષ્ય, મનુષ્યો ને ભક્તિમાર્ગની વાતો
સંભળાવે છે. અડધોકલ્પ ભારત જ્યારે સ્વર્ગ હતું તો એક પણ પતિત નહોતાં. આ સમયે એક પણ
પાવન નથી. આ છે જ પતિત દુનિયા. ગીતામાં કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. તેમણે તો ગીતા
સંભળાવી નથી. તે લોકો પોતાનાં ધર્મશાસ્ત્ર ને પણ નથી જાણતાં. પોતાનાં ધર્મ ને જ ભૂલી
ગયાં છે. હિન્દુ કોઈ ધર્મ નથી. ધર્મ મુખ્ય છે ચાર. પહેલો છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ. સૂર્યવંશી અને ચંદ્રવંશી બંને ને મળાવીને કહેવાય છે દેવી-દેવતા ધર્મ, ડીટીજ્મ.
ત્યાં દુઃખ નું નામ નહોતું. ૨૧ જન્મ તો તમે સુખધામ માં હતાં પછી રાવણ રાજ્ય,
ભક્તિમાર્ગ શરું થાય છે. ભક્તિ માર્ગ છે જ નીચે ઉતરવાનો. ભક્તિ છે રાત, જ્ઞાન છે
દિવસ. હમણાં છે ઘોર અંધકાર ભરી રાત. શિવ જયંતી અને શિવરાત્રી, બંને અક્ષર આવે છે.
શિવબાબા ક્યારે આવે છે? જ્યારે રાત હોય છે. ભારતવાસી ઘોર અંધકારમાં આવી જાય છે
ત્યારે બાપ આવે છે. ગુડીઓની પૂજા કરતાં રહે છે, એક ની પણ બાયોગ્રાફી (જીવન કહાની)
નથી જાણતાં. આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો પણ બનવાના જ છે. આ ડ્રામા, સૃષ્ટિ ચક્ર ને
પણ સમજવાનું છે. શાસ્ત્રો માં આ નોલેજ છે નહી. તે છે ભક્તિ નું જ્ઞાન, ફિલોસોફી (તત્વજ્ઞાન).
તે કોઈ સદ્દગતિ માર્ગનું જ્ઞાન નથી. બાપ કહે છે - હું આવીને તમને બ્રહ્મા દ્વારા
યથાર્થ જ્ઞાન સંભળાવું છું. પોકારે પણ છે, અમને સુખધામ, શાંતિધામ નો રસ્તો બતાવો.
બાપ કહે છે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સુખધામ હતું. જેમાં તમે આખાં વિશ્વ પર રાજ્ય
કરતા હતાં. સૂર્યવંશી ડીનાયસ્ટી (વંશજ) નું રાજ્ય હતું. બાકી બધી આત્માઓ શાંતિધામ
માં હતી. ત્યાં ૯ લાખ ગવાય છે. આપ બાળકો ને આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ખુબ સાહૂકાર
બનાવ્યાં હતાં. આટલું ધન આપ્યું પછી તમે તે ક્યાં ગુમાવ્યું? તમે કેટલાં સાહૂકાર હતાં.
ભારત કોણ કહેવાય. ભારત સૌથી ઉંચે થી ઉંચો ખંડ છે. બધાનું હકીકત માં આ તીર્થ છે,
કારણ કે પતિત-પાવન બાપ નું જન્મસ્થાન છે. જે પણ ધર્મ વાળા છે, બધાની બાપ આવીને
સદ્દગતિ કરે છે. હમણાં રાવણનું રાજ્ય આખી સૃષ્ટિમાં છે, ફક્ત લંકામાં નહોતું. બધામાં
૫ વિકાર પ્રવેશ છે. જ્યારે સૂર્યવંશી રાજ્ય હતું તો આ વિકાર જ નહોતાં. ભારત વાઈસલેસ
(નિર્વિકારી) હતું. હમણાં વિશશ (વિકારી) છે. સતયુગ માં દૈવી સંપ્રદાય હતો. તે પછી
૮૪ જન્મ ભોગવી હમણાં આસુરી સંપ્રદાય બન્યાં છે પછી દૈવી સંપ્રદાય બને છે. ભારત ખુબ
સાહૂકાર હતું. હવે ગરીબ બન્યું છે એટલે ભીખ માગી રહ્યાં છે.
બાપ કહે છે તમે કેટલા સાહૂકાર હતાં. તમારા જેટલું સુખ કોઈને પણ મળી નથી શકતું. તમે
આખાં વિશ્વનાં માલિક હતાં, ધરતી આકાશ બધું તમારું હતું. બાપ સ્મૃતિ અપાવે છે. ભારત
શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી, તે નવી દુનિયામાં
દેવી-દેવતાઓ રાજ્ય કરતા હતાં. ભારતવાસી તો આ પણ નથી જાણતાં કે રાધા-કૃષ્ણ નો આપસ
માં શું સંબંધ છે? બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી સ્વયંવર નાં બાદ
લક્ષ્મી-નારાયણ બને છે. આ જ્ઞાન કોઈ મનુષ્ય માં નથી. પરમપિતા પરમાત્મા જ જ્ઞાનનાં
સાગર છે, એ જ તમને આ રુહાની જ્ઞાન આપે છે, આ સ્પ્રીચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન)
ફક્ત એક બાપ જ આપી શકે છે. હવે બાપ કહે છે - આત્મ-અભિમાની બનો. મુજ પોતાનાં પરમપિતા
પરમાત્મા શિવ ને યાદ કરો. યાદ થી જ સતોપ્રધાન બનશો. તમે અહીંયા આવો જ છો મનુષ્ય થી
દેવતા અથવા પતિત થી પાવન બનવાં. હમણાં આ છે રાવણ રાજ્ય. ભક્તિમાર્ગ માં રાવણ રાજ્ય
શરું થાય છે. રાવણે કોઈ એક સીતા ને નથી ચોરી. તમે બધાં ભક્તિ કરવા વાળા, રાવણનાં
ચંબા માં છો. આખી સૃષ્ટિ ૫ વિકારો રુપી રાવણ ની કેદમાં છે. બધાં શોક વાટિકા માં
દુઃખી છે. બાપ આવીને બધાને લિબરેટ કરે છે. હવે બાપ ફરીથી સ્વર્ગ બનાવી રહ્યાં છે.
એવું નથી કે હમણાં જેમને ધન ખુબ છે, તે સ્વર્ગ માં છે. ના, હમણાં છે જ નર્ક. બધાં
પતિત છે એટલે ગંગા માં જઈને સ્નાન કરે છે, સમજે છે ગંગા પતિત-પાવની છે. પરંતુ પાવન
તો કોઈ બનતું નથી. પતિત-પાવન તો બાપ ને જ કહેવાય છે, ન કે નદીઓ ને. આ બધું છે
ભક્તિમાર્ગ. બાપ જ આ વાતો આવી ને સમજાવે છે. હવે તમે આ તો જાણો છો એક છે લૌકિક બાપ,
બીજા પછી પ્રજાપિતા બ્રહ્મા છે અલૌકિક બાપ અને એ પારલૌકિક બાપ. ત્રણ બાપ છે. શિવબાબા,
પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણો ને દેવતા બનાવવા
ને માટે રાજયોગ શીખવાડે છે. એક જ વખત તો બાપ આવીને આત્માઓને રાજયોગ શીખવાડે છે.
આત્મા પુનર્જન્મ લે છે. આત્મા જ કહે છે - હું એક શરીર છોડી બીજું લઉં છું. બાપ કહે
છે પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો. કોઈ પણ દેહધારી ને યાદ
નહીં કરો. હમણાં આ છે મૃત્યુલોક નો અંત. અમરલોક ની સ્થાપના થઈ રહી છે. બાકી બધાં
અનેક ધર્મ ખલાસ થઈ જશે. સતયુગ માં એક જ દેવતા ધર્મ હતો. પછી ત્રેતા માં ચંદ્રવંશી
રામ-સીતા. આપ બાળકો ને આખાં ચક્રની યાદ અપાવે છે. શાંતિધામ, સુખધામ ની સ્થાપના કરે
જ છે બાપ. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ આપી નથી શકતાં. તે બધાં છે ભક્તિમાર્ગ નાં ગુરુ.
ભક્તિમાર્ગ માં મનુષ્ય અનેક પ્રકારનાં ચિત્ર બનાવી પૂજા કરી પછી જઈને કહે છે ડુબી
જા, ડુબી જા. ખુબ પૂજા કરે, ખવડાવે પીવડાવે, હવે ખાય તો બ્રાહ્મણ લોકો છે. આને
કહેવાય છે ગુડીઓની પૂજા. કેટલી અંધશ્રદ્ધા છે. હવે તેમને કોણ સમજાવે.
બાપ કહે છે હવે તમે છો ઈશ્વરીય સંતાન. તમે હમણાં બાપ થી રાજયોગ શીખી રહ્યાં છો. આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. પ્રજા તો ખુબ બનવાની છે. કોટો માં કોઈ રાજા બને છે.
સતયુગ ને કહેવાય છે ફૂલો નો બગીચો. હમણાં છે કાંટાઓનું જંગલ. હમણાં રાવણ રાજ્ય
બદલાઈ રહ્યું છે. આ વિનાશ થવાનો જ છે. આ નોલેજ હમણાં ફક્ત આપ બ્રાહ્મણ ને મળે છે.
લક્ષ્મી-નારાયણ ને પણ આ જ્ઞાન નથી રહેતું. આ જ્ઞાન પ્રાય:લોપ થઈ જાય છે. ભક્તિમાર્ગ
માં કોઈ પણ બાપ ને જાણતાં જ નથી. બાપ જ રચતા છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ રચના છે.
પરમાત્મા સર્વવ્યાપી કહેવાથી બધાં બાપ થઈ જાય. વારસા નો હક નથી રહેતો. બાપ તો આવીને
બધાં બાળકો ને વારસો આપે છે. સર્વનાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. આ પણ સમજાવ્યું છે
૮૪ જન્મ તે લે છે જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. ક્રિશ્ચિયન લોકોનાં જન્મ કેટલાં
હશે? કરીને ૪૦ જન્મ હશે. આ હિસાબ નીકાળાય છે. એક ભગવાન ને શોધવા માટે કેટલાં ધક્કા
ખાય છે. હવે તમે ધક્કા નહીં ખાશો. તમારે ફક્ત એક બાપ ને યાદ કરવાનાં છે. આ છે યાદ
ની યાત્રા. આ છે પતિત-પાવન ગોડ ફાધરલી યુનિવર્સિટી. તમારી આત્મા ભણે છે. સાધુ સંત
પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. અરે આત્માને જ કર્મો અનુસાર બીજો જન્મ લેવો પડે
છે. આત્મા જ સારા કે ખરાબ કામ કરે છે. આ સમયે તમારું કર્મ વિકર્મ થાય છે. સતયુગ માં
કર્મ અકર્મ થાય છે. ત્યાં વિકર્મ થતા નથી. તે છે પુણ્ય આત્માઓની દુનિયા. આ બધી
સમજવાની અને સમજાવવાની વાત છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કાંટા થી
ફૂલ બની ફૂલોનો બગીચો (સતયુગ) સ્થાપન કરવાની સેવા કરવાની છે. કોઈ પણ ખોટું કર્મ નથી
કરવાનું.
2. રુહાની જ્ઞાન જે બાપ થી સાંભળ્યું છે એ જ બધાને સંભળાવવાનું છે. આત્મ-અભિમાની
બનવાની મહેનત કરવાની છે. એક બાપ ને જ યાદ કરવાનાં છે, કોઈ દેહધારી ને નહીં.
વરદાન :-
સદા પોતાનાં
રોયલ કુળ ની સ્મૃતિ દ્વારા ઉંચી સ્ટેજ પર રહેવા વાળા ગુણમૂર્ત ભવ
જે રોયલ કુળ વાળા હોય
છે તે ક્યારેય ધરતી પર, માટી પર પગ નથી રાખતાં. અહીંયા દેહ-અભિમાન માટી છે, આમાં
નીચે નહીં આવો, આ માટી થી સદા દૂર રહો. સદા સ્મૃતિ રહે કે ઊંચે થી ઊંચા બાપનાં રોયલ
ફેમિલી નાં, ઉંચી સ્ટેજ વાળા બાળકો છીએ તો નીચે નજર નહીં પહોંચશે. હંમેશા પોતાને
ગુણમૂર્ત જોતા ઊંચી સ્ટેજ પર સ્થિત રહો. કમી ને જોતા ખતમ કરતાં જાઓ. તેને વારંવાર
વિચારશો તો કમી રહી જશે.
સ્લોગન :-
રોયલ તે છે જે
પોતાનાં હર્ષિત મુખ દ્વારા પ્યોરિટી ની રોયલ્ટી નો અનુભવ કરાવે.