25-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
યાદ માં રહેવાનો પુરુષાર્થ જરુર કરવાનો છે , કારણ કે યાદનાં બળ થી જ તમે વિકર્માજીત
બનશો ”
પ્રશ્ન :-
કયો વિચાર
આવ્યો તો પુરુષાર્થ માં નીચે પડશો? ખુદાઈ ખિદમતગાર બાળકો કઈ સેવા કરતાં રહેશે?
ઉત્તર :-
ઘણાં બાળકો સમજે છે હમણાં સમય પડ્યો છે, પાછળ થી પુરુષાર્થ કરી લઈશું, પરંતુ મોત નો
નિયમ થોડી છે. કાલે-કાલે કરતાં મરી જશો એટલે એવું નહીં સમજો ખુબ વર્ષ પડયાં છે,
પાછળ માં ગેલપ કરી લઈશું. આ વિચાર વધારે જ નીચે પાડી દેશે. જેટલું થઈ શકે યાદમાં
રહેવાનો પુરુષાર્થ કરી, શ્રીમત પર પોતાનું કલ્યાણ કરતાં રહો. રુહાની ખુદાઈ ખિદમતગાર
બાળકો રુહો ને સેલવેજ કરવાની, પતિતો ને પાવન બનાવવાની સેવા કરતાં રહેશે.
ગીત :-
ઓમ્ નમો શિવાય …
ઓમ શાંતિ!
આ તો બાળકોને
સમજાવાયું છે નિરાકાર બાપ સાકાર વગર કોઈ પણ કર્મ નથી કરી શકતાં. પાર્ટ ભજવી નથી શકતાં.
રુહાની બાપ આવીને બ્રહ્મા દ્વારા રુહાની બાળકોને સમજાવે છે. યોગબળ થી જ બાળકોએ
સતોપ્રધાન બનવાનું છે પછી સતોપ્રધાન વિશ્વનાં માલિક બનવાનું છે. આ બાળકોની બુદ્ધિમાં
છે. કલ્પ-કલ્પ બાપ આવીને રાજયોગ શીખવાડે છે. બ્રહ્મા દ્વારા આવીને આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. એટલે મનુષ્ય ને દેવતા બનાવે છે. મનુષ્ય જે
દેવી-દેવતા હતાં તે હવે બદલાઈને શૂદ્ર પતિત બની પડ્યાં છે. ભારત જ્યારે પારસપુરી હતું
તો પવિત્રતા-સુખ-શાંતિ બધું હતું. આ ૫ હજાર વર્ષની વાત છે. એક્યુરેટ હિસાબ-કિતાબ
બાપ બેસી સમજાવે છે. એમનાથી ઉંચ તો કોઈ છે નહીં. સૃષ્ટિ અથવા ઝાડ, જેને કલ્પવૃક્ષ
કહે છે, તેનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બાપ જ બતાવી શકે છે. ભારત નો જે દેવી-દેવતા
ધર્મ હતો તે હવે પ્રાયઃલોપ થઈ ગયો છે. દેવી-દેવતા ધર્મ તો હમણાં રહ્યો નથી. દેવતાઓનાં
ચિત્ર જરુર છે. આ તો ભારતવાસી જાણે છે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
ભલે શાસ્ત્રો માં આ ભૂલ કરી દીધી છે જે કૃષ્ણ ને દ્વાપરમાં લઈ ગયાં છે. બાપ જ આવીને
ભૂલેલાં ને પૂરો રસ્તો બતાવે છે. રસ્તો બતાવવા વાળા આવે છે તો બધી આત્માઓ મુક્તિધામ
માં ચાલી જાય છે એટલે એમને કહેવાય છે સર્વનાં સદ્દગતિ દાતા. રચતા એક જ હોય છે. એક જ
સૃષ્ટિ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી એક જ છે, તે રીપીટ થતી રહે છે. સતયુગ,
ત્રેતા, દ્વાપર, કળયુગ પછી હોય છે સંગમયુગ. કળયુગ માં છે પતિત, સતયુગ માં છે પાવન.
સતયુગ આવશે તો જરુર કળયુગ વિનાશ થશે. વિનાશ થી પહેલાં સ્થાપના થશે. સતયુગ માં તો
સ્થાપના નહીં થશે. ભગવાન આવશે જ ત્યારે જ્યારે પતિત દુનિયા છે. સતયુગ તો છે જ પાવન
દુનિયા. પતિત દુનિયા ને પાવન દુનિયા બનાવવા ભગવાન ને આવવું પડે છે. હવે બાપ સહજ થી
સહજ યુક્તિ બતાવે છે. દેહ નાં બધાં સંબંધ છોડી દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો.
કોઈ એક તો પતિત-પાવન છે ને. ભક્તો ને ફળ આપવા વાળા એક જ ભગવાન છે. ભક્તો ને જ્ઞાન
આપે છે. પતિત દુનિયામાં જ્ઞાન સાગર જ આવે છે પાવન બનાવવા માટે. પાવન બનો છો યોગ થી.
બાપ વગર તો કોઈ પાવન બનાવી ન શકે. આ બધી વાતો બુદ્ધિમાં બેસાડાય છે બીજાઓને સમજાવવા
માટે. ઘર-ઘર માં સંદેશ આપવાનો છે. એવું નહીં કહેતાં કે ભગવાન આવ્યાં છે. ખુબ યુક્તિ
થી સમજાવવાનું હોય છે. બોલો, એ બાપ છે ને. એક છે લૌકિક બાપ, બીજા પારલૌકિક બાપ.
દુઃખનાં સમયે પારલૌકિક બાપ ને જ યાદ કરે છે. સુખધામ માં કોઈ પણ યાદ નથી કરતાં.
સતયુગમાં લક્ષ્મી-નારાયણનાં રાજ્ય માં સુખ જ સુખ હતું. પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ),
પ્રોસપર્ટી (સમૃધ્ધી) હતી. બાપનો વારસો મળી ગયો પછી પોકારો કેમ. આત્મા જાણે છે અમને
સુખ છે. આ તો કોઈ પણ કહેશે ત્યાં સુખ જ સુખ છે. બાપે દુઃખનાં માટે તો સૃષ્ટિ નથી રચી.
આ બન્યો-બનેલ ખેલ છે. જેનો પાર્ટ પાછળ માં છે, ૨-૪ જન્મ લે છે તે જરુર બાકી સમય
શાંતિ માં રહેશે. બાકી ડ્રામા નાં ખેલ થી જ નીકળી જાય, આ થઇ નથી શકતું. ખેલમાં તો
બધાને આવવાનું પડશે. એક-બે જન્મ મળે છે. તો બાકી સમય જેમ કે મોક્ષમાં છે. આત્મા
પાર્ટધારી છે ને. કોઈ આત્મા ને ઉંચ પાર્ટ મળેલો છે કોઈને ઓછો. આ પણ હમણાં તમે જાણો
છો, ગવાય છે ઈશ્વરનો કોઈ અંત પામી નથી શકતાં. બાપ જ આવીને અંત આપે છે રચતા અને
રચનાનાં આદિ-મધ્ય-અંત નો. જ્યાં સુધી રચતા સ્વયં ન આવે ત્યાં સુધી રચતા અને રચના ને
જાણી નથી શકતાં. બાપ જ આવીને બતાવે છે. હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. હું
જેમનામાં પ્રવેશ કરું છું તે પોતાનાં જન્મો ને નથી જાણતાં. તેમને બેસી ૮૪ જન્મોની
કહાની સંભળાવું છું. કોઈનાં પાર્ટ માં ચેન્જ (પરિવર્તન) નથી થઇ શકતું. આ બન્યો-બનેલ
ખેલ છે. આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું. બુદ્ધિમાં ત્યારે બેસે જયારે પવિત્ર થઇ
ને સમજે. સારી રીતે સમજવા માટે જ ૭ દિવસ ની ભઠ્ઠી છે. ભાગવત વગેરે પણ ૭ દિવસ રાખે
છે. અહીંયા પણ સમજમાં આવે છે - ઓછામાં ઓછા ૭ સાત દિવસ સિવાય કોઈ સમજી નહીં શકશે.
કોઈ-કોઈ તો સારું સમજી લે છે. કોઈ-કોઈ તો ૭ દિવસ સમજીને પણ કાંઈ નથી સમજતાં.
બુદ્ધિમાં બેસતું નથી. કહી દે છે અમે તો ૭ દિવસ આવ્યાં. અમારી બુદ્ધિ માં કાંઈ બેસતું
નથી. ઉંચ પદ પામવાનું નહીં હશે તો બુદ્ધિમાં નહીં બેસશે. સારું છતાં પણ તેમનું
કલ્યાણ તો થયું ને. પ્રજા તો એમ જ બને છે. બાકી રાજ્ય-ભાગ્ય લેવું એમાં તો ગુપ્ત
મહેનત છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે. હવે કરો ન કરો પરંતુ બાપનું
ડાયરેક્શન (માર્ગદર્શન) આ છે. પ્રિય વસ્તુ ને તો યાદ કરાય છે ને. ભક્તિમાર્ગ માં પણ
ગાએ છે હેં પતિત-પાવન આવો. હવે એ મળ્યાં છે, કહે છે મને યાદ કરો તો કટ ઉતરી જશે.
બાદશાહી સહજ થોડી મળી શકે. કાંઈ તો મહેનત હશે ને. યાદમાં જ મહેનત છે. મુખ્ય છે જ
યાદની યાત્રા. ખુબ જ યાદ કરવા વાળા કર્માતીત અવસ્થા ને પામી લે છે. પૂરું યાદ ન
કરવાથી વિકર્મ વિનાશ થશે નહીં. યોગબળ થી જ વિકર્માજીત બનવાનું છે. આગળ પણ યોગબળ થી
જ વિકર્મ ને જીત્યાં છે. લક્ષ્મી-નારાયણ આટલાં પવિત્ર કેવી રીતે બન્યાં જ્યારે કે
કળયુગ અંત માં કોઈ પણ પવિત્ર નથી. આમાં તો સ્પષ્ટ છે, આ ગીતાનાં જ્ઞાન નો એપિસોડ
રીપિટ થઇ રહ્યો છે. “શિવ ભગવાનુવાચ’’ ભૂલો તો થતી રહે છે ને. બાપ જ આવીને અભૂલ બનાવે
છે. ભારતનાં જે પણ શાસ્ત્ર છે તે બધાં છે ભક્તિમાર્ગ નાં. બાપ કહે છે મેં જે કહ્યું
હતું તે કોઈને પણ ખબર નથી. જેમને કહ્યું હતું તેમને પદ પામ્યું. ૨૧ જન્મોની
પ્રાલબ્ધ પામી પછી જ્ઞાન પ્રાયઃલોપ થઇ જાય છે. તમે જ ચક્ર લગાવીને આવ્યાં છો. કલ્પ
પહેલા જેમણે સાંભળ્યું છે એ જ આવશે. હમણાં તમે જાણો છો આપણે સૈપલિંગ (કલમ) લગાવી
રહ્યાં છીએ, મનુષ્ય ને દેવતા બનાવવાની. આ છે દૈવી ઝાડ નું સૈપલિંગ. તે લોકો પછી તે
ઝાડોની સૈપલિંગ ખુબ લગાવતાં રહે છે. બાપ આવીને કોન્ટ્રાસ્ટ (તફાવત) બતાવે છે. બાપ
દૈવી ફૂલો ની સૈપલિંગ લગાવે છે. તેઓ તો જંગલનું સૈપલિંગ લગાવતા રહે છે. તમે દેખાડો
પણ છો - કૌરવ ક્યાં કરત ભયે, પાંડવ ક્યાં કરત ભયે. તેમનો શું પ્લાન છે અને તમારો
શું પ્લાનસ છે. તેઓ પોતાનો પ્લાન બનાવે છે કે દુનિયા વધે નહીં. ફેમિલી પ્લાનિંગ કરે
જે મનુષ્ય વધારે ન વધે, તેનાં માટે મહેનત કરતાં રહે છે. બાપ તો ખુબ જ સારી વાત બતાવે
છે, અનેક ધર્મ વિનાશ થઇ જશે અને એક જ દેવી-દેવતા ધર્મની ફેમિલી સ્થાપન કરે છે.
સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની ફેમિલી (પરિવાર) હતી અને આટલી ફેમિલીઝ
હતી નહીં. ભારતમાં કેટલી ફેમિલી છે. ગુજરાતી ફેમિલી, મહારાષ્ટ્રીયન ફેમિલી…. હકીકત
માં ભારતવાસીઓ ની એક જ ફેમિલી હોવી જોઈએ. અનેક ફેમિલીઝ હશે તો જરુર આપસમાં ખિટપિટ જ
રહેશે. પછી સિવિલવોર (ગૃહયુદ્ધ) થઈ જાય છે. ફેમિલીમાં પણ સિવિલવોર થઈ જાય છે. જેમ
ક્રિશ્ચિયનની પોતાની ફેમિલી છે. તેમની પણ આપસ માં લાગે છે. આપસમાં બે ભાઈ નથી મળતાં.
પાણી પણ વેચાઈ જાય છે. સિક્ખ ધર્મ વાળા સમજે છે અમે સિક્ખ ધર્મ વાળાને વધારે સુખ
આપીએ, રગ જાય છે તો માથું મારતાં રહે છે. જ્યારે અંત થાય છે તો પછી સિવિલવોર વગેરે
બધું આવી જાય છે. આપસમાં લડવા લાગી જાય છે. વિનાશ તો થવાનો જ છે. બોમ્બસ અસંખ્ય
બનાવતાં રહે છે. મોટી લડાઈ જયારે લાગી હતી જેમાં બે બોમ્બસ છોડ્યા હતાં, હવે તો
અસંખ્ય બનાવ્યાં છે. સમજવાની વાત છે ને. તમારે સમજાવવાનું છે આ લડાઈ એ જ મહાભારત ની
છે. મોટા-મોટા લોકો જે પણ છે, કહે છે જો આ લડાઈ ને બંધ નથી કરી તો આખી દુનિયાને આગ
લાગી જશે. આગ તો લાગવાની જ છે, આ તમે જાણો છો. બાપ આદિ સનાતન દેવી-દેવતા ધર્મની
સ્થાપન કરી રહ્યાં છે. રાજયોગ છે જ સતયુગ નો. તે દેવી-દેવતા ધર્મ હવે પ્રાયઃલોપ છે.
ચિત્ર પણ બન્યાં છે. બાપ કહે છે કલ્પ પહેલાં માફક જે વિઘ્ન પડવાનાં હશે તે પડશે.
પહેલાં થોડી ખબર પડે છે. પછી સમજાય છે કલ્પ પહેલાં આવું થયું હશે. આ બન્યો-બનેલ
ડ્રામા છે. ડ્રામા માં આપણે બંધાયેલાં છીએ. યાદની યાત્રાને ભૂલી ન જવું જોઈએ, આને
પરીક્ષા કહેવાય છે. યાદની યાત્રામાં રહી નથી શકતાં, થાકી જાય છે. ગીત છે ને - રાત
કે રાહી…. આનો અર્થ કોઈ સમજી ન શકે. આ છે યાદ ની યાત્રા. જેનાથી રાત પૂરી થઈ દિવસ
આવી જશે. અડધોકલ્પ પૂરો થઈ પછી સુખ શરું થશે. બાપે જ મનમનાભવ નો અર્થ પણ સમજાવ્યો
છે. ફક્ત ગીતામાં કૃષ્ણનું નામ નાખવાથી તે તાકાત નથી રહી. હવે કલ્યાણ તો બધાનું
થવાનું છે. એટલે આપણે બધાં મનુષ્ય માત્રનું કલ્યાણ કરી રહ્યાં છીએ. ભારત ખાસ અને
દુનિયા આમ. બધાનું શ્રીમત પર આપણે કલ્યાણ કરી રહ્યાં છીએ. કલ્યાણકારી જે બનશે તો
વારસો પણ તેમને મળશે. યાદની યાત્રાના સિવાય કલ્યાણ થઇ ન શકે.
હમણાં તમને સમજાવાય છે, એ તો બેહદનાં બાપ છે. બાપ થી વારસો મળ્યો હતો. ભારતવાસીઓ એ
જ ૮૪ જન્મ લીધાં છે, પુનર્જન્મનો પણ હિસાબ છે. કોઈ સમજતાં નથી કે ૮૪ જન્મ કોણ લે
છે. પોતાનાં જ શ્લોક વગેરે બનાવીને સંભળાવતાં રહે છે. ગીતા એ જ, ટીકાઓ અનેક લખી દીધી
છે. ગીતા થી તો ભાગવત મોટું કરી દીધું છે. ગીતામાં છે જ્ઞાન. ભાગવત માં છે જીવન
કહાની. હકીકત માં મોટી ગીતા હોવી જોઈએ. જ્ઞાનનાં સાગર બાપ છે, તેમનું જ્ઞાન તો ચાલતું
જ રહે છે. તે ગીતા તો અડધા કલાક માં વાંચી લે છે. હમણાં તમે આ જ્ઞાન તો સાંભળતા જ
આવો છો. દિવસ-પ્રતિદિવસ તમારા પાસે અનેક લોકો આવતાં રહેશે. ધીરે-ધીરે આવશે. હમણાં જ
જો મોટા-મોટા રાજાઓ આવી જાય પછી તો વાર ન લાગે. ઝટ અવાજ નીકળી જાય એટલે યુક્તિ થી
ધીરે-ધીરે ચાલતું રહે છે. આ છે ગુપ્ત જ્ઞાન. કોઈને ખબર નથી કે આ શું કરી રહ્યાં છે.
રાવણ ની સાથે તમારી યુદ્ધ કેવી રીતે છે. આ તો તમે જ જાણો બીજા કોઈ જાણી ન શકે.
ભગવાનુવાચ - તમે સતોપ્રધાન બનવાનાં માટે મને યાદ કરો તો પાપ નાશ થઈ જશે. પવિત્ર બનો
ત્યારે તો સાથે લઈ જાઉં. જીવનમુક્તિ બધાને મળવાની છે. રાવણ રાજ્ય થી મુક્તિ થઈ જશે.
તમે લખો પણ છો અમે શિવ શક્તિ બ્રહ્માકુમાર-કુમારીઓ, શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન
કરીશું. પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર, ૫ હજાર વર્ષ પહેલાં માફક. ૫ હજાર વર્ષ પહેલાં
શ્રેષ્ઠચારી દુનિયા હતી. આ બુદ્ધિમાં બેસાડવું જોઇએ. મુખ્ય-મુખ્ય પોઇન્ટ્સ બુદ્ધિ
માં ધારણ હશે ત્યારે યાદ ની યાત્રા માં રહેશો. પથ્થર બુદ્ધિ છે ને. કોઈ સમજે છે હજું
ટાઈમ પડ્યો છે પાછળ પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મૌત નો નિયમ થોડી છે. કાલે મરી જાય
તો કાલ-કાલ કરતા મરી જશે. પુરુષાર્થ તો કર્યો નથી એટલે એવું નહીં સમજો ઘણાં વર્ષ
પડયાં છે. અંત માં ગૈલપ કરી લઈશું. આ વિચાર વધારે જ પાડી દેશે. જેટલું થઈ શકે
પુરુષાર્થ કરતા રહો. શ્રીમત પર દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. પોતાની જાંચ (તપાસ)
કરવાની છે. કેટલું બાપ ને યાદ કરું છું અને કેટલી બાપની સર્વિસ શું કરું છું! રુહાની
ખુદાઈ ખિદમતગાર તમે છો ને. તમે રુહો ને સૈલવેજ કરો છો. રુહ પતિત થી પાવન કેવી રીતે
બને, તેની યુક્તિઓ બતાવે છે. દુનિયામાં સારા અને ખરાબ મનુષ્ય તો હોય જ છે, દરેક નો
પાર્ટ પોત-પોતાનો છે. આ છે બેહદ ની વાત. મુખ્ય ડાળ-ડાળીઓ જ ગણાય છે. બાકી તો પત્તા
અનેક છે. બાપ સમજાવતાં રહે છે - બાળકો મહેનત કરો. બધાને બાપ નો પરિચય આપો તો બાપ થી
બુદ્ધિયોગ જોડાઈ જાય. બાપ બધાં બાળકો ને કહે છે, પવિત્ર બનો તો મુક્તિધામમાં ચાલ્યાં
જશો. દુનિયાને થોડી ખબર છે કે મહાભારત લડાઈ થી શું થશે. આ જ્ઞાન યજ્ઞ રચાયેલો છે
કારણ કે નવી દુનિયા જોઈએ. આપણો યજ્ઞ પૂરો થશે તો બધાં આ યજ્ઞ માં સ્વાહા થઇ જશે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ
બન્યો-બનેલ ડ્રામા છે એટલે વિઘ્નો થી ગભરાવાનું નથી. વિઘ્નો માં યાદ ની યાત્રા ને
ભૂલી નથી જવાનું. ધ્યાન રહે - યાદ ની યાત્રા ક્યારેય થોભી ન જાય.
2. પારલૌકિક બાપ નો પરિચય બધાને આપતાં પાવન બનવાની યુક્તિ બતાવવાની છે. દૈવી ઝાડ
નું સૈપલિંગ લગાવવાનું છે.
વરદાન :-
સર્વ
જવાબદારીઓનો બોજ બાપને આપી ને સદા પોતાની ઉન્નતિ કરવા વાળા સહજયોગી ભવ
જે બાળકો બાપનાં
કાર્ય ને સંપન્ન કરવાની જવાબદારી નો સંકલ્પ લે છે તેમને બાપ પણ એટલો જ સહયોગ આપે
છે. ફક્ત જે પણ વ્યર્થ નો બોજ છે તે બાપની ઉપર છોડી દો. બાપનાં બની ને બાપનાં ઉપર
જવાબદારીઓનો બોજ છોડવાથી સફળતા પણ વધારે અને ઉન્નતિ પણ સહજ થશે. કેમ અને શું નાં
ક્વેશ્ચન (પ્રશ્ન) થી મુક્ત રહો, વિશેષ ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) ની સ્થિતિ રહે તો
સહજયોગી બની અતીન્દ્રિય સુખ નો અનુભવ કરતાં રહેશો.
સ્લોગન :-
દિલ અને દિમાગ
માં ઓનેસ્ટી (વફાદારી) હોય તો બાપ કે પરિવારનાં વિશ્વાસ પાત્ર બની જશો.