28-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 10.11.87
બાપદાદા મધુબન
“ શુભચિંતક - મણી બની
વિશ્વ ને ચિંતાઓથી મુક્ત કરો ”
આજે રત્નાગર બાપ
પોતાનાં ચારે બાજુનાં વિશેષ શુભ-ચિંતક મણિઓ ને જોઈ રહ્યાં છે. રત્નાગર બાપ ની મણિઓ
વિશ્વમાં પોતાની શુભ-ચિંતક કિરણો થી પ્રકાશ કરી રહી છે કારણ કે આજનાં આ આર્ટિફિશિયલ
(બનાવટી) ચમક વાળા વિશ્વમાં સર્વ આત્માઓ ચિંતામણી છે. આવી અલ્પકાળની ચમકવા વાળી
ચિંતામણિઓ ને આપ શુભ-ચિંતક મણિઓ પોતાનાં શુભ-ચિંતન ની શક્તિ દ્વારા પરિવર્તન કરી રહી
છો. જેમ સૂર્યની કિરણો દૂર-દૂર સુધી અંધકાર ને મિટાવે છે, એમ આપ શુભ-ચિંતક મણિઓની
શુભ સંકલ્પ રુપી ચમક કહો, કિરણો કહો - વિશ્વ નાં ચારે બાજુ ફેલાઈ રહી છે. આજકાલ ઘણી
આત્માઓ સમજે છે કે કોઈ સ્પ્રીચ્યુઅલ લાઈટ (આધ્યાત્મિક પ્રકાશ) ગુપ્ત રુપ માં પોતાનું
કાર્ય કરી રહી છે. પરંતુ આ લાઈટ ક્યાંથી આ કાર્ય કરી રહી છે, તે જાણી નથી શકતાં.
કોઈ છે - અહિયાં સુધી ટચિંગ થવાની શરું થઈ ગઈ છે. છેલ્લે શોધતાં-શોધતાં સ્થાન પર
પહોંચી જ જશે. તો આ ટચિંગ આપ શુભ-ચિંતક મણિઓનાં શ્રેષ્ઠ સંકલ્પની ચમક છે. બાપદાદા
દરેક બાળકોનાં મસ્તક દ્વારા મણી ની ચમક ને જુએ છે કારણ કે નંબરવાર ચમકવા વાળા છે.
છે બધી શુભ-ચિંતક મણિઓ પરંતુ ચમક નંબરવાર છે.
શુભ-ચિંતક બનવું - આજ સહજ રુપની મંસા સેવા છે જે ચાલતાં-ફરતાં દરેક બ્રાહ્મણ આત્મા
કે અજાણ આત્માઓનાં પ્રતિ કરી શકો છો. આપ સર્વનાં શુભ-ચિંતક બનવાનાં વાઈબ્રેશન
વાયુમંડળ ને કે ચિંતામણી આત્માઓની વૃત્તિ ને ખૂબ સહજ પરિવર્તન કરી દેશે. આજ નાં
મનુષ્ય આત્માઓનાં જીવનમાં ચારે બાજુ થી ભલે વ્યક્તિઓ દ્વારા, ભલે વૈભવ દ્વારા -
વ્યક્તિઓમાં સ્વાર્થ ભાવ હોવાનાં કારણે, વૈભવો માં અલ્પકાળ ની પ્રાપ્તિ હોવાનાં
કારણે - થોડાં સમય માટે શ્રેષ્ઠ પ્રાપ્તિની અનુભૂતિ થાય છે પરંતુ અલ્પકાળ ની ખુશી
થોડા સમય નાં પછી ચિંતામાં બદલાઈ જાય છે અર્થાત્ વૈભવ કે વ્યક્તિ ચિંતા મિટાવવા વાળા
નહિં ચિંતા ઉત્પન્ન કરવાનાં નિમિત્ત બની જાય છે. આવી કોઈ ને કોઈ ચિંતા માં પરેશાન
આત્માઓ ને શુભ-ચિંતક આત્માઓ ખૂબ જ થોડી દેખાઈ આવે છે. શુભ-ચિંતક આત્માઓ નો થોડા
સમયનો સંપર્ક પણ અનેક ચિંતાઓ ને મિટાવવા નો આધાર બની જાય છે. તો આજે વિશ્વ ને
શુભ-ચિંતક આત્માઓની આવશ્યકતા છે, એટલે આપ શુભ-ચિંતક મણીઓ કે આત્માઓ વિશ્વ ને અતિ
પ્રિય છે. જ્યારે સંપર્કમાં આવી જાય છે તો અનુભવ કરે છે કે આવાં શુભ-ચિંતક દુનિયામાં
કોઈ નથી દેખાતાં.
શુભ-ચિંતક સદા રહે - તેનો વિશેષ આધાર છે શુભ ચિંતન. જેમનું સદા શુભ-ચિંતન રહે,
અવશ્ય તે શુભ-ચિંતક છે. જો ક્યારેક-ક્યારેક વ્યર્થ ચિંતન કે પર-ચિંતન થાય છે તો સદા
શુભ-ચિંતક પણ નથી રહી શકતાં. શુભ-ચિંતક આત્માઓ બીજાઓનાં પણ વ્યર્થ ચિંતન, પર-ચિંતન
ને સમાપ્ત કરવા વાળા છે. તો દરેક શ્રેષ્ઠ સેવાધારી અર્થાત્ સદા શુભ-ચિંતક મણી નાં
શુભ-ચિંતન નો શક્તિશાળી ખજાનો સદા ભરપૂર હશે. ભરપૂરતા નાં કારણે જ બીજાઓનાં પ્રતિ
શુભ-ચિંતક બની શકે છે. શુભ-ચિંતક અર્થાત્ સર્વ જ્ઞાન-રત્નો થી ભરપૂર. અને એવાં
જ્ઞાન સમ્પન્ન દાતા બની બીજાઓનાં પ્રતિ સદા શુભ-ચિંતક બની શકે છે. તો ચેક કરો કે આખાં
દિવસ માં વધારે સમય શુભ-ચિંતન રહે છે કે પરચિંતન રહે છે? શુભ ચિંતન વાળા સદા પોતાનાં
સંપન્નતા નાં નશામાં રહે છે, એટલે શુભ-ચિંતક સ્વરુપ દ્વારા બીજાઓ પ્રતિ આપતાં જાય
અને ભરતાં જાય. પર-ચિંતન અને વ્યર્થ ચિંતન વાળા સદા ખાલી હોવાનાં કારણે પોતાને
કમજોર અનુભવ કરશે, એટલે શુભ-ચિંતક બની બીજાઓને આપવાનાં પાત્ર બની નથી શકતાં.
વર્તમાન સમયે સર્વની ચિંતા મિટાવવાનાં નિમિત્ત બનવા વાળી શુભ-ચિંતક મણિઓની આવશ્યકતા
છે, જે ચિંતા નાં બદલે શુભ-ચિંતન ની વિધિ નાં અનુભવી બનાવી શકે. જ્યાં શુભ-ચિંતન હશે
ત્યાં ચિંતા સ્વતઃ સમાપ્ત થઈ જશે. તો સદા શુભ-ચિંતક બની ગુપ્ત સેવા કરી રહ્યાં છો
ને?
આ જે બેહદની વિશ્વ-સેવા નો પ્લાન બનાવ્યો છે, આ પ્લાન ને સહજ સફળ બનાવવાનો આધાર પણ
શુભ-ચિંતક સ્થિતિ છે. વેરાઈટી (વિવિધ) પ્રકારની આત્માઓ સંબંધ-સંપર્ક માં આવશે. એવી
આત્માઓનાં પ્રતિ શુભ-ચિંતક બનવું અર્થાત્ એ આત્માઓને હિમ્મતની પાંખો આપવાની છે કારણ
કે સર્વ આત્માઓ ચિંતાની ચિતા પર હોવાનાં કારણે પોતાની હિમ્મત, ઉમંગ, ઉત્સાહ ની પાંખો
કમજોર કરી ચૂકી છે. આપ શુભ-ચિંતક આત્માઓની શુભ-ભાવના એમની પાંખો માં શક્તિ ભરશે અને
આપની શુભ-ચિંતક ભાવનાઓનાં આધાર થી ઉડવા લાગશે અર્થાત્ સહયોગી બનશે. નહીં તો, દિલ
શિકસ્ત થઈ ગયાં છે કે બેટર વર્લ્ડ (સુખમય સંસાર) બનાવવું અમારી આત્માઓની શું શક્તિ
છે? જે સ્વયં ને જ નથી બનાવી શકતાં તો વિશ્વ ને શું બનાવશે? વિશ્વ ને બદલવું ખુબ
મુશ્કેલ સમજે છે કારણ કે વર્તમાન સર્વ સત્તાઓની રિઝલ્ટ જોઈ ચૂક્યાં છે, એટલે
મુશ્કેલ સમજે છે. આવી દિલશિકસ્ત આત્માઓ ને, ચિંતાની ચિતા પર બેઠેલી આત્માઓ ને, તમારી
શુભ-ચિંતક-શક્તિ દિલશિકસ્ત થી દિલ ખુશ કરી દેશે, જેમ, ડૂબેલા મનુષ્ય ને તણખલાનો
સહારો પણ દિલ ખુશ કરી દે છે, હિમ્મત માં લઈ આવે છે. તો તમારી શુભ-ચિંતક સ્થિતિ તેમને
સહારો અનુભવ થશે, બળતી આત્માઓ ને શીતળ જળ ની અનુભૂતિ થશે.
સર્વ નો સહયોગ પ્રાપ્ત કરવાનો આધાર પણ શુભ-ચિંતક સ્થિતિ છે. જે સર્વ નાં પ્રતિ
શુભ-ચિંતક છે, એમને સર્વ થી સહયોગ સ્વતઃ જ પ્રાપ્ત થાય જ છે. શુભ-ચિંતક ભાવના
બીજાઓનાં મનમાં સહયોગની ભાવના સહજ અને સ્વતઃ ઉત્પન કરશે. શુભ ચિંતક આત્માઓનાં પ્રતિ
દરેકનાં દિલ માં સ્નેહ ઉત્પન્ન થાય છે અને સ્નેહ જ સહયોગી બનાવી દે છે. જ્યાં સ્નેહ
હોય છે, ત્યાં સમય, સંપત્તિ, સહયોગ સદા ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય છે. તો
શુભચિંતક સ્નેહી બનાવશે અને સ્નેહ બધાં પ્રકારનાં સહયોગ માં ન્યોછાવર બનાવશે એટલે,
સદા શુભ-ચિંતન થી સમ્પન્ન રહો, શુભ-ચિંતક બની સર્વ ને સ્નેહી, સહયોગી બનાવો.
શુભ-ચિંતક આત્મા સર્વની સંતુષ્ટતા નું સહજ સર્ટીફીકેટ લઇ શકે છે. શુભ-ચિંતક જ સદા
પ્રસન્નતા ની પર્સનાલિટી માં રહી શકે છે, વિશ્વ નાં આગળ વિશેષ પર્સનાલિટી વાળા બની
શકે છે. આજકાલ પર્સનાલિટી વાળી આત્માઓ ફક્ત નામીગ્રામી બને છે અર્થાત્ નામ બુલંદ
થાય છે પરંતુ આપ રુહાની પર્સનાલિટી વાળા ફક્ત નામીગ્રામી અર્થાત્ ગાયન-યોગ્ય નહીં
પરંતુ ગાયન-યોગ્ય ની સાથે પૂજન યોગ્ય પણ બનો છો. કેટલાં પણ મોટા ધર્મ-ક્ષેત્ર માં,
રાજ્ય-ક્ષેત્ર માં, સાયન્સ (વિજ્ઞાન) નાં ક્ષેત્રમાં પર્સનાલિટી વાળા પ્રસિદ્ધ થયાં
છે પરંતુ આપ રુહાની પર્સનાલિટી સમાન ૬૩ જન્મ પૂજનીય નથી બન્યાં એટલે આ શુભ-ચિંતક
બનવાની વિશેષતા છે. સર્વ ને જે પ્રાપ્તિ થાય છે ખુશી ની, સહારા ની, હિમ્મત ની પાંખો
ની. ઉમંગ-ઉત્સાહ ની - આ પ્રાપ્તિની દુવાઓ, આશીર્વાદ કોઈ ને અધિકારી બાળકો બનાવી દે
છે અને કોઈ ભક્ત આત્મા બની જાય છે એટલે અનેક જન્મ નાં પૂજ્ય બની જાય છે. શુભ-ચિંતક
અર્થાત્ લાંબાકાળ ની પૂજય આત્માઓ એટલે, આ વિશાળ કાર્ય આરંભ કરવાની સાથે-સાથે જેમ
બીજા પ્રોગ્રામ બનાવો છો, એની સાથે-સાથે સ્વ નાં પ્રતિ પ્રોગ્રામ બનાવો કે :-
1.
સદા માટે દરેક આત્માનાં પ્રતિ, બીજા અનેક પ્રકારની ભાવનાઓ પરિવર્તન કરી એક
શુભ-ચિંતક ભાવના સદા રાખશું.
2.
સર્વ ને સ્વયં થી આગળ વધારવાં, આગળ રાખવાનો શ્રેષ્ઠ સહયોગ સદા આપતાં રહેશું.
3.
બેટર વર્લ્ડ અર્થાત્ શ્રેષ્ઠ વિશ્વ બનાવવા માટે સર્વ પ્રતિ શ્રેષ્ઠ કામના દ્વારા
સહયોગી બનશું.
4.
સદા વ્યર્થ-ચિંતન, પર-ચિંતન ને સમાપ્ત કરી અર્થાત્ વીતી વાતો ને બિંદી લગાવી, બિંદી
અર્થાત્ મણી બની સદા વિશ્વ ને, સર્વને પોતાની શ્રેષ્ઠ ભાવના, શ્રેષ્ઠ કામના, સ્નેહ
ની ભાવના, સમર્થ બનાવવાની ભાવના ની કિરણો થી રોશની આપતાં રહેશું.
આ સ્વ નો પ્રોગ્રામ બધાં પ્રોગ્રામની સફળતાનું ફાઉન્ડેશન છે. આ ફાઉન્ડેશન ને સદા
મજબૂત રાખજો તો પ્રત્યક્ષતા નો અવાજ સ્વતઃ જ બુલંદ થશે. સમજ્યાં? બધાં, કાર્ય નાં
નિમિત્ત છો ને. જ્યારે વિશ્વ ને સહયોગી બનાવો છો, તો પહેલાં તમે નિમિત્ત છો. નાનાં,
મોટા, બીમાર હોય કે સ્વસ્થ હોય, મહારથી, ઘોડેસ્વાર - બધાં સહયોગી છે. પ્યાદા તો છે
જ નહીં. તો બધાની આંગળી જોઈએ. દરેક ઈંટ નું મહત્વ છે. કોઈ ફાઉન્ડેશન ની ઈંટ છે, કોઈ
ઉપર નાં દીવાલની ઈંટ છે પરંતુ એક-એક ઈંટ મહત્વ વાળી છે. તમે બધાં સમજો છો કે અમે
પ્રોગ્રામ કરી રહ્યાં છીએ કે સમજો છો પ્રોગ્રામ વાળા બનાવે છે, પ્રોગ્રામ બનાવવા
વાળા નો પ્રોગ્રામ છે? અમારો પ્રોગ્રામ કહો છો ને. તો બાપદાદા બાળકોનાં વિશાળ કાર્ય
ને, પ્રોગ્રામ ને જોઈ હર્ષિત છે. દેશ-વિદેશ માં વિશાળ કાર્યનો ઉમંગ-ઉત્સાહ સારો છે.
દરેક બ્રાહ્મણ આત્માનાં અંદર વિશ્વની આત્માઓનાં માટે રહેમ છે, તરસ છે કે અમારા સર્વ
ભાઈ-બહેનો બાપ ની પ્રત્યક્ષતા નો અવાજ સાંભળે કે બાપ પોતાનું કાર્ય કરી રહ્યાં છે.
સમીપ આવે, સંબંધ માં આવે, અધિકારી બને, પૂજ્ય દેવતા બને અથવા ૩૩ કરોડ નામ ગાયન કરવા
વાળા જ બને પરંતુ અવાજ જરુર સાંભળે. એવો ઉમંગ છે ને? હમણાં તો ૯ લાખ જ નથી બન્યાં.
તો સમજ્યાં, પોતાનો પ્રોગ્રામ છે. પોતાનાપણું જ પોતાનાં પ્રોગ્રામમાં પોતાનું વિશ્વ
બનાવશે. અચ્છા.
આજે પાંચ તરફની પાર્ટીઓ આવી છે. ત્રિવેણી કહે છે પરંતુ આ પાંચ વેણી થઈ ગઈ. પાંચ તરફ
ની નદીઓ સાગર માં પહોંચી ગઈ છે. તો નદી અને સાગર નો મેળો શ્રેષ્ઠ મેળો છે. બધાં
નવાં-જૂનાં ખુશીમાં નાચી રહ્યાં છે. જ્યારે નાઉમ્મીદ થી ઉમ્મીદ થઈ જાય તો વધારે ખુશી
થાય છે. જૂનાંઓને પણ અચાનક ચાન્સ મળ્યો છે તો ખૂબ વધારે ખુશી થાય છે. વિચારી ને બેઠા
હતાં - ખબર નહી ક્યારે મળશું? હમણાં મળશું - આ તો વિચાર્યું પણ નહોતું. ‘ક્યાર’ થી
‘હમણાં’ થઈ જાય તો ખુશી નો અનુભવ ખૂબ ન્યારો હોય છે. અચ્છા. આજે વિદેશ વાળા ને પણ
વિશેષ યાદપ્યાર આપી રહ્યાં છે. વિશેષ સેવાધારી (જયંતિ બહેન) આવી છે ને. વિદેશ-સેવા
અર્થ પહેલા નિમિત્ત બની ને. વૃક્ષ ને જોઈ બીજ યાદ આવે છે. બીજરુપ પરિવાર આ નિમિત્ત
બનેલો વિદેશ સેવાનાં માટે. તો પહેલા નિમિત્ત પરિવાર ને યાદ આપી રહ્યા છે.
વિદેશનાં સર્વ નિમિત્ત બનેલાં સેવાધારી બાળકો સદા બાપ ને પ્રત્યક્ષ કરવાનાં પ્રયત્ન
માં ઉમંગ-ઉત્સાહ થી દિવસ-રાત લાગેલાં છે. એમને ઘડી-ઘડી આ જ અવાજ કાનમાં ગુંજે છે કે
વિદેશ નાં બુલંદ અવાજ થી ભારત માં બાપ ને પ્રત્યક્ષ કરવાનાં છે. આ અવાજ સદા સેવાનાં
માટે કદમ આગળ વધારતો રહે છે. વિશેષ સેવા નાં ઉમંગ-ઉત્સાહ નું કારણ છે - બાપ થી દિલ
થી પ્રેમ, સ્નેહ છે. દરેક કદમ માં, દરેક ઘડી મુખ માં ‘બાબા-બાબા’ શબ્દ રહે છે.
જ્યારે પણ કોઈ કાર્ડ અથવા ગિફ્ટ મોકલશે તો એમાં દિલ (હાર્ટ) નું ચિત્ર જરુર બનાવે
છે. આનું કારણ છે કે દિલમાં સદા દિલારામ છે. દિલ આપ્યું છે અને દિલ લીધું છે. આપવાં
અને લેવામાં હોશિયાર છે, એટલે દિલ નો સોદો કરવા વાળા, દિલ થી યાદ કરવા વાળા પોતાની
નિશાની ‘દિલ’ જ મોકલે છે અને આ જ દિલની યાદ કે દિલનો સ્નેહ દૂર હોવા છતાં પણ
મેજોરીટી ને સમીપ નો અનુભવ કરાવે છે. સૌથી વિશેષ વિશેષતા બાપદાદા આ જ જુએ છે કે
બ્રહ્મા બાબા થી અતિ સ્નેહ છે. બાપ અને દાદા નાં ગુહ્ય રહસ્ય ને ખૂબ સહજ અનુભવ માં
લાવે છે. બ્રહ્મા બાબાની સાકાર પાલના નો પાર્ટ ન હોવા છતાં પણ અવ્યક્ત પાલના નો
અનુભવ સારો કરી રહ્યાં છે. બાપ અને દાદા બંનેનો સંબંધ અનુભવ કરવો - આ વિશેષતાનાં
કારણે પોતાની સફળતા માં બહુજ સહજ આગળ જઈ રહ્યાં છે. તો દરેક દેશ વાળા પોત-પોતાનાં
નામ પહેલા સમજે. દરેક બાળક પોતાનું નામ સમજતાં બાપદાદાની યાદપ્યાર સ્વીકાર કરજો.
સમજ્યાં?
પ્લાન તો બનાવી જ રહ્યાં છે. દેશ, વિદેશ ની રીતે થોડું-ઘણું અંતર તો હોય છે પરંતુ
પ્રીત નાં કારણ રીત નું અંતર પણ એક જ લાગે છે. વિદેશ નો પ્લાન કે ભારત નો પ્લાન,
પરંતુ પ્લાન તો એક જ છે. ફક્ત રીત થોડી-ઘણી ક્યાંક પરિવર્તન કરવી પણ પડે છે. દેશ અને
વિદેશ નો સહયોગ આ વિશાળ કાર્ય ને સદા જ સફળતા પ્રાપ્ત કરાવતો જ રહેશે. સફળતા તો સદા
બાળકોનાં સાથે છે જ. દેશ નો ઉમંગ-ઉત્સાહ અને વિદેશ નો ઉમંગ-ઉત્સાહ બંનેનો મળીને
કાર્ય ને આગળ વધારી રહ્યો છે અને સદા જ આગળ વધતું રહેશે. અચ્છા.
ભારતનાં ચારે બાજુનાં સદા સ્નેહી, સહયોગી બાળકો નો સ્નેહ, સહયોગ નો શુભ સંકલ્પ, શુભ
અવાજ બાપદાદાની પાસે સદા પહોંચતો રહે છે. દેશ, વિદેશ એક બીજા થી આગળ છે. દરેક સ્થાન
ની વિશેષતા પોત-પોતાની છે. ભારત બાપની અવતરણ ભૂમિ છે અને ભારત પ્રત્યક્ષતા નો અવાજ
બુલંદ કરવાની નિમિત્ત ભૂમિ છે. આદિ અને અંત ભારત માં જ પાર્ટ છે. વિદેશ નો સહયોગ
ભારત માં પ્રત્યક્ષતા કરાવશે અને ભારત ની પ્રત્યક્ષતા નો અવાજ વિદેશ સુધી પહોંચશે
એટલે, ભારતનાં બાળકો ની વિશેષતા સદા શ્રેષ્ઠ છે. ભારત વાળા સ્થાપના નાં આધાર બન્યાં.
સ્થાપનાનાં આધાર મૂર્ત ભારતનાં બાળકો છે, એટલે ભારતવાસી બાળકોનાં ભાગ્ય નું બધાં
ગાયન કરે છે. યાદ અને સેવામાં સદા ઉમંગ-ઉત્સાહ થી આગળ વધી રહ્યા છે અને વધતાં જ
રહેશે એટલે ભારતનાં દરેક બાળક પોત-પોતાના નામ થી બાપદાદા નો યાદપ્યાર સ્વીકાર કરજો.
તો દેશ-વિદેશ નાં બેહદ બાપનાં બેહદ સેવાધારી બાળકો ને બાપદાદા નો યાદપ્યાર અને
નમસ્તે.
વરદાન :-
સર્વ આત્માઓ
ને શક્તિઓનું દાન આપવા વાળા માસ્ટર બીજરુપ ભવ
અનેક ભક્ત આત્મા રુપી
પત્તા જે સુકાઈ ગયાં છે, મુરઝાઈ ગયાં છે એમને ફરીથી પોતાનાં બીજરુપ સ્થિતિ દ્વારા
શક્તિઓનું દાન આપો. એમને સર્વ પ્રાપ્તિ કરાવવાનો આધાર છે તમારી “ઈચ્છા માત્રમ્
અવિદ્યા” સ્થિતિ. જ્યારે સ્વયં ઈચ્છા માત્રમ્ અવિદ્યા હશો ત્યારે અન્ય આત્માઓની
સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરી શકશો. ઈચ્છા માત્રમ્ અવિદ્યા અર્થાત સંપૂર્ણ શક્તિશાળી
બીજરુપ સ્થિતિ. તો માસ્ટર બીજરુપ બની ભક્તોની પોકાર સાંભળો, પ્રાપ્તિ કરાવો.
સ્લોગન :-
સદા સુપ્રીમ
રુહ ની છત્રછાયા માં રહેવું જ અલૌકિક જીવન ની સેફટી નું સાધન છે.