23-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
બુદ્ધિમાં સ્થાઈ એક બાપ ની જ યાદ રહે તો આ પણ અહો સૌભાગ્ય છે ”
પ્રશ્ન :-
જે બાળકો ને
સર્વિસ (સેવા) નો શોખ હશે તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
તે મુખ થી જ્ઞાન સંભળાવ્યાં વગર રહી નથી શકતાં. તે રુહાની સેવામાં પોતાની
હડ્ડી-હડ્ડી સ્વાહા કરી દેશે. તેમને રુહાની નોલેજ સંભળાવવામાં ખુબ ખુશી થશે. ખુશીમાં
જ નાચતાં રહેશે. તે પોતાનાથી મોટાઓનો ખુબ રિગાર્ડ રાખશે, એમનાથી શીખતાં રહેશે.
ગીત :-
બદલ જાય દુનિયા …
ઓમ શાંતિ!
બાળકોએ ગીતની
બે લાઈન સાંભળી. આ વાયદાનું ગીત છે. જેમ કોઇની સગાઇ થાય છે તો આ વાયદો કરે છે કે
સ્ત્રી-પુરુષ ક્યારેય એક-બીજાને છોડશે નહીં, કોઈનું આપસમાં નથી બનતું તો છોડી પણ દે
છે. અહીંયા આપ બાળકો કોની સાથે પ્રતિજ્ઞા કરો છો? ઈશ્વરની સાથે. જેમની સાથે આપ
બાળકોની કે સજનીઓની સગાઈ થઈ છે. પરંતુ એ જે વિશ્વનાં માલિક બનાવે છે, એમને પણ છોડી
દે છે. અહીંયા આપ બાળકો બેઠા છો તો તમે જાણો છો હમણાં બેહદનાં બાપદાદા આવ્યાં કે
આવ્યાં. આ અવસ્થા જે તમારી અહીંયા રહે છે, તે બાહર સેવાકેન્દ્ર પર તો રહી ન શકે.
અહીંયા તમે સમજશો બાપદાદા આવ્યાં કે આવ્યાં. બાહર સેવાકેન્દ્ર પર સમજશે બાબાની
વગાડેલી મુરલી આવી કે આવી. અહીંયા અને ત્યાં માં ખુબ ફરક હોય છે કારણ કે અહીંયા
બેહદનાં બાપદાદાની સમ્મુખ તમે બેઠા છો. ત્યાં તો સમ્મુખ નથી. ઈચ્છે છે સમ્મુખ જઈને
મુરલી સાંભળીએ. અહીંયા બાળકોની બુદ્ધિ માં આવ્યું - બાબા આવ્યાં કે આવ્યાં. જેમાં
બીજા સતસંગ હોય છે, ત્યાં તે સમજશે ફલાણા સ્વામી આવશે. પરંતુ આ વિચાર પણ બધાનો એકરસ
નહીં હશે. ઘણાં નો બુદ્ધિયોગ તો બીજી તરફ ભટકતો રહે છે. કોઈ ને પતિ યાદ આવશે, કોઈ
ને સંબંધી યાદ આવશે. બુદ્ધિયોગ એક ગુરુની સાથે પણ ટકતો નથી. કોઈ વિરલા હશે જે સ્વામી
ની યાદ માં બેઠા હશે. અહીંયા પણ એવું છે. એવું નથી બધાં શિવબાબાની યાદ માં રહે છે.
બુદ્ધિ ક્યાંય ને ક્યાંય દોડતી રહે છે. મિત્ર-સંબંધી વગેરે યાદ આવશે. આખો સમય એક જ
શિવબાબાની યાદ માં રહે તો પછી તો અહો સૌભાગ્ય. સ્થાઈ યાદ માં કોઈ વિરલા રહે છે.
અહીંયા બાપનાં સમ્મુખ રહેવાથી તો ખુબ ખુશી થવી જોઈએ. અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભ નાં
ગોપી ગોપીઓથી પૂછો, આ અહીંયાનું ગાયન થયેલું છે. અહીંયા તમે બાપની યાદમાં બેઠા છો,
જાણો છો હમણાં આપણે ઈશ્વરનાં ખોળામાં છીએ પછી દૈવી ખોળામાં હોઈશું. ભલે કોઈ ની
બુદ્ધિ માં સર્વિસ નાં વિચાર પણ ચાલે છે. આ ચિત્રમાં આ કરેક્શન (સુધાર) કરીએ, આ
લખીએ. પરંતુ સારા બાળકો જે હશે તે સમજશે હમણાં તો બાપ થી સાંભળવાનું છે. બીજા કોઈ
સંકલ્પ આવવા દેશે નહીં. બાપ જ્ઞાન રત્નો થી ઝોલી ભરવા આવ્યાં છે, તો બાપ થી જ
બુદ્ધિનો યોગ લગાવવાનો છે. નંબરવાર ધારણા કરવાવાળા તો હોય જ છે. કોઈ સારી રીતે
સાંભળીને ધારણ કરે છે. કોઈ ઓછું ધારણ કરે છે. બુદ્ધિયોગ બીજી તરફ દોડતો રહેશે તો
ધારણા થશે નહીં. કાચ્ચા પડી જશે. એક-બે વખત મુરલી સાંભળી, ધારણા થઈ નહીં તો પછી તે
આદત પાક્કી થતી જશે. પછી કેટલું પણ સાંભળતા રહેશે, ધારણા થશે નહીં. કોઈને સંભળાવી
નહીં શકે. જેમને ધારણા હશે તેમને પછી સર્વિસ નો શોખ હશે. ઉછળતાં રહેશે, વિચારશે કે
જઈને ધન દાન કરું કારણ કે આ ધન એક બાપનાં સિવાય તો બીજા કોઈની પાસે છે નહીં. બાપ આ
પણ જાણે છે, બધાને ધારણા થઇ ન શકે. બધાં એકરસ ઊંચ પદ પામી નથી શકતાં એટલે બુદ્ધિ
બીજી તરફ ભટકતી રહે છે. ભવિષ્ય તકદીર એટલી ઉંચી નથી બનતી. કોઈ પછી સ્થૂળ સર્વિસમાં
પોતાની હડ્ડી-હડ્ડી આપે છે. બધાને રાજી કરે છે. જેમ ભોજન પકાવી ખવડાવે છે. આ પણ
વિષય છે ને. જેમને સર્વિસ નો શોખ હશે તે મુખ થી કહ્યાં વગર રહેશે નહીં. પછી બાબા
જુએ પણ છે, દેહ-અભિમાન તો નથી? મોટાઓનો રિગાર્ડ રાખે છે કે નહીં? મોટા મહારથીઓનો
રિગાર્ડ તો રાખવાનો હોય છે. હાં, કોઈ-કોઈ નાનાં પણ હોશિયાર થઈ જાય છે તો થઈ શકે છે
મોટાને તેમનો રિગાર્ડ રાખવો પડે કારણ કે બુદ્ધિ તેમની ગૈલપ કરી લે છે. સર્વિસ નો
શોખ જોઈ બાપ તો ખુશ થશે ને, આ સારી સર્વિસ કરશે. આખો દિવસ પ્રદર્શની પર સમજાવવાની
પ્રેક્ટિસ (અભ્યાસ) કરવી જોઈએ. પ્રજા તો અસંખ્ય બને છે ને બીજો તો કોઈ ઉપાય છે નહીં.
સૂર્યવંશી, ચંદ્રવંશી, રાજા, રાણી, પ્રજા બધાં અહીંયા બને છે. કેટલી સર્વિસ કરવી
જોઈએ. બાળકોની બુદ્ધિ માં આ તો છે - હમણાં અમે બ્રાહ્મણ બન્યાં છીએ. ઘર ગૃહસ્થ માં
રહેવાથી દરેક ની અવસ્થા તો પોતાની રહે છે ને. ઘર-બાર તો છોડવાનું નથી. બાપ કહે છે
ઘર માં ભલે રહો પરંતુ બુદ્ધિમાં આ નિશ્ચય રાખવાનો છે કે જૂની દુનિયા તો ખતમ થયેલી
છે. અમારું હવે બાપ થી કામ છે. આ પણ જાણો છો કલ્પ પહેલાં જેમણે જ્ઞાન લીધું હતું એ
જ લેશે. સેકન્ડ પછી સેકન્ડ હૂબહૂ રીપીટ થઇ રહી છે. આત્મામાં જ્ઞાન હોય છે ને. બાપની
પાસે પણ જ્ઞાન હોય છે. આપ બાળકોએ પણ બાપ જેવું બનવાનું છે. પોઇન્ટ (જ્ઞાન) ધારણ
કરવાનાં છે. બધાં પોઇન્ટ એક જ સમયે નથી સમજાવાતાં. વિનાશ પણ સામે ઉભો છે. આ એ જ
વિનાશ છે, સતયુગ-ત્રેતામાં તો કોઈ લડાઈ થતી નથી. તે તો પછી જ્યારે બહુ ધર્મ થાય છે,
લશ્કર વગેરે આવે છે ત્યારે લડાઈ શરું થાય છે. પહેલાં-પહેલાં આત્માઓ સતોપ્રધાન થી
ઉતરે છે પછી સતો, રજો, તમો ની સ્ટેજ થાય છે. તો આ પણ બધું બુદ્ધિમાં રાખવાનું છે.
કેવી રીતે રાજધાની સ્થાપન થઈ રહી છે. અહીંયા બેઠા છો તો બુદ્ધિ માં રાખવાનું છે કે
શિવબાબા આવીને અમને ખજાનો આપે છે, જેને બુદ્ધિમાં ધારણ કરવાનો છે. સારા-સારા બાળકો
નોટસ લખે છે. લખવું સારું છે. તો બુદ્ધિ માં ટોપિક્સ (વિષય) આવશે. આજે આ ટોપિક પર
સમજાવશું. બાપ કહે છે મેં તમને કેટલો ખજાનો આપ્યો હતો. સતયુગ-ત્રેતા માં તમારી પાસે
અથાહ ધન હતું. પછી વામમાર્ગ માં જવાથી તે ઓછું થતું ગયું. ખુશી પણ ઓછી થતી ગઈ. કાંઈ
ને કાંઈ વિકર્મ થવા લાગે છે. ઉતરતાં-ઉતરતાં કળાઓ ઓછી થતી જાય છે. સતોપ્રધાન, સતો,
રજો, તમો ની સ્ટેજીસ (અવસ્થા) થાય છે. સતો થી રજો માં આવે છે તો એવું નહીં ફટ થી આવી
જાય છે. ધીરે-ધીરે ઉતરશે. તમોપ્રધાન માં પણ ધીરે-ધીરે સીડી ઉતરતા જાઓ છો, કળા ઓછી
થતી જાય છે. દિવસ-પ્રતિદિવસ ઓછી થતી જાય છે. હમણાં જમ્પ (છલાંગ) લગાવવાનો છે.
તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આનાં માટે સમય પણ જોઈએ. ગવાયેલું છે ચઢે તો ચાખે
વૈકુંઠ રસ... કામ ની ચમાટ લાગે છે તો એકદમ ચકનાચૂર થઈ જાય છે. હડ્ડી-હડ્ડી ટુટી જાય
છે. કોઈ મનુષ્ય પોતાનો જીવઘાત કરે છે, આત્મઘાત નહીં, જીવઘાત કહેવાય છે. અહીંયા તો
બાપ થી વારસો પામવાનો છે. બાપ ને યાદ કરવાનાં છે કારણ કે બાપ થી બાદશાહી મળે છે.
પોતાનાથી પૂછવાનું છે અમે બાપ ને યાદ કરી ભવિષ્યનાં માટે કેટલી કમાણી કરી? કેટલાં
આંધળાઓની લાઠી બન્યાં? ઘર-ઘર માં પૈગામ (સંદેશ) આપવાનો છે કે આ જુની દુનિયા બદલાઇ
રહી છે. બાપ નવી દુનિયાનાં માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. સીડી માં બધું દેખાડ્યું
છે. આ બનાવવામાં મહેનત લાગે છે. આખો દિવસ વિચાર ચાલતાં રહે છે, એવું સહજ બનાવીએ જે
કોઈ પણ સમજી જાય. આખી દુનિયા તો નહીં આવશે. દેવી-દેવતા ધર્મવાળા જ આવશે. તમારી
સર્વિસ તો ખુબ ચાલવાની છે. તમે તો જાણો છો આપણો આ ક્લાસ ક્યાં સુધી ચાલશે. તેઓ તો
લાખો વર્ષ કલ્પ ની આયુ સમજે છે. તો શાસ્ત્ર વગેરે સંભળાવતાં જ રહે છે. સમજે છે
જ્યારે અંત થશે ત્યારે સર્વનાં સદ્દગતિ દાતા આવશે અને જે અમારા ચેલા હશે તેમની ગતિ
થઈ જશે પછી અમે પણ જઈને જ્યોતિ માં સમાઈશું. પરંતુ એવું તો છે નહીં. તમે હમણાં જાણો
છો આપણે અમર બાપ દ્વારા સાચ્ચી-સાચ્ચી અમરકથા સાંભળી રહ્યાં છીએ. તો અમર બાપ જે કહે
છે તે માનવાનું પણ છે, ફક્ત કહે છે - મને યાદ કરો, પવિત્ર બનો. નહીં તો સજા પણ ખુબ
ખાવી પડશે. પદ પણ ઓછું મળશે. સર્વિસ માં મહેનત કરવાની છે. જેમ દધિચી ઋષિ નું
દૃષ્ટાંત છે. હડ્ડીઓ પણ સર્વિસ માં આપી દીધી. પોતાનાં શરીર નો પણ વિચાર ન કરી આખો
દિવસ સર્વિસ માં રહેવું, એને કહેવાય છે સર્વિસ માં હડ્ડીઓ આપવી. એક છે શારીરિક હડ્ડી
સેવા, બીજી છે રુહાની હડ્ડી સેવા. રુહાની સર્વિસ વાળા રુહાની નોલેજ જ સંભળાવતાં
રહેશે. ધન દાન કરતા ખુશીમાં નાચતાં રહેશે. દુનિયામાં મનુષ્ય જે સર્વિસ કરે છે તે બધી
છે શારીરિક. શાસ્ત્ર સંભળાવે છે, તે કોઈ રુહાની સર્વિસ તો નથી. રુહાની સર્વિસ તો
ફક્ત બાપ જ આવીને શીખવાડે છે. સ્પ્રીચ્યુઅલ (આધ્યાત્મિક) બાપ જ આવીને સ્પ્રીચુઅલ
બાળકો (આત્માઓ) ને ભણાવે છે.
આપ બાળકો હવે તૈયારી કરી રહ્યાં છો સતયુગી નવી દુનિયામાં જવાનાં માટે. ત્યાં તમારાથી
કોઈ વિકર્મ નહીં થશે. તે છે જ રામરાજ્ય. ત્યાં હોય જ છે થોડાં. હમણાં તો રાવણ
રાજ્યમાં બધાં દુઃખી છે ને. આ બધું નોલેજ પણ તમારી બુદ્ધિમાં છે નંબરવાર પુરુષાર્થ
અનુસાર. આ સીડીનાં ચિત્રમાં જ બધું નોલેજ આવી જાય છે. બાપ કહે છે આ અંતિમ જન્મ
પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. તમારે સમજાવવાનું એવું છે જે મનુષ્ય ને
ખબર પડે કે આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ, પછી યાદ ની યાત્રા થી જ
સતોપ્રધાન બનશું. જોશે તો બુદ્ધિ ચાલશે, આ નોલેજ કોઈની પાસે નથી. કહેશે આ (સીડી)
માં બીજા ધર્મોનાં સમાચાર ક્યાં છે. તે પછી આ ગોળામાં લખેલું છે. તે નવી દુનિયામાં
તો આવતાં નથી. તેમને તો શાંતિ મળે છે. ભારતવાસી જ સ્વર્ગ માં હતાં ને. બાપ પણ ભારત
માં આવીને રાજયોગ શીખવાડે છે એટલે ભારત નો પ્રાચીન યોગ બધાં ઈચ્છે છે. આ ચિત્રો થી
તેઓ પોતે પણ સમજી જશે. બરાબર નવી દુનિયામાં ફક્ત ભારત જ હતું. પોતાનાં ધર્મ ને પણ
સમજી જશે. ભલે ક્રાઈસ્ટ આવ્યાં, ધર્મ સ્થાપન કરવાં. આ સમયે તેઓ પણ તમોપ્રધાન છે. આ
રચતા અને રચનાનું કેટલું મોટું નોલેજ છે.
તમે કહી શકો છો અમને કોઈનાં પૈસા ની દરકાર નથી. પૈસા અમે શું કરીશું. તમે પણ સાંભળો,
બીજાઓને પણ સંભળાવો. આ ચિત્ર વગેરે છપાવો. આ ચિત્રો થી કામ લેવાનું છે. હોલ બનાવો
જ્યાં આ નોલેજ સંભળાવાય. બાકી અમે પૈસા લઈને શું કરીશું. તમારા જ ઘરનું કલ્યાણ થાય
છે, તમે ફક્ત પ્રબંધ કરો. ઘણાં આવીને કહેશે રચના અને રચતાનું નોલેજ તો ખુબ સારું
છે. આ તો મનુષ્યોએ જ સમજવાનું છે. વિલાયત વાળા આ નોલેજ સાંભળીને ખુબ પસંદ કરશે. ખુબ
ખુશ થશે. સમજશે અમે પણ બાપની સાથે યોગ લગાવીએ તો વિકર્મ વિનાશ થશે. બધાને બાપ નો
પરિચય આપવાનો છે. સમજી જશે આ નોલેજ તો ગોડ (ભગવાન) નાં સિવાય કોઈ આપી ન શકે. કહે છે
ખુદાએ બહિશ્ત સ્થાપન કર્યુ પરંતુ એ કેવી રીતે આવે છે, આ કોઈને ખબર નથી. તમારી વાતો
સાંભળીને ખુશ થશે પછી પુરુષાર્થ કરી યોગ શીખશે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનાં માટે
પુરુષાર્થ કરશે. સર્વિસ માટે તો ખુબ વિચાર કરવાં જોઈએ. ભારતમાં હુનર (કળા) દેખાડે
ત્યારે પછી બાબા બહાર પણ મોકલશે. આ મિશન જશે. હમણાં તો સમય છે ને. નવી દુનિયા બનવામાં
કોઈ વાર થોડી લાગે છે. ક્યાંય પણ અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે તો ૨-૩ વર્ષમાં
એકદમ નવાં મકાન વગેરે બનાવી દે છે. કારીગર ખુબ હોય, સામાન બધો તૈયાર હોય પછી બનવામાં
વાર થોડી લાગશે. વિલાયત માં મકાન કેવી રીતે બને છે - મિનિટ મોટર. તો સ્વર્ગ માં
કેટલાં જલ્દી બનતાં હશે. સોનું-ચાંદી વગેરે ખુબ જ તમને મળી જાય છે. ખાણો થી તમે સોનું
ચાંદી હીરા લઇ આવો છો. હુનર તો બધાં શીખી રહ્યાં છે. સાયન્સ (વિજ્ઞાન) નો કેટલો
ઘમંડ ચાલી રહ્યો છે. આ સાયન્સ પછી ત્યાં કામમાં આવશે. અહીંયા શીખવા વાળા પછી બીજો
જન્મ ત્યાં લઈ આ કામમાં લાવશે. તે સમયે તો આખી દુનિયા નવી થઈ જાય છે, રાવણ રાજ્ય
ખતમ થઇ જાય છે. ૫ તત્વ પણ કાયદા મુજબ સર્વિસ માં રહે છે. સ્વર્ગ બની જાય છે. ત્યાં
કોઈ એવાં ઉપદ્રવ નથી હોતાં. રાવણ રાજ્ય જ નથી, બધાં સતોપ્રધાન છે.
સૌથી સારી વાત છે કે આપ બાળકો નો બાપ થી ખુબ પ્રેમ હોવો જોઈએ. બાપ ખજાનો આપે છે.
તેને ધારણ કરી અને બીજાઓને દાન આપવાનું છે. જેટલું દાન આપશો એટલું ભેગું થતું જશે.
સર્વિસ જ નહીં કરશો તો ધારણા કેવી રીતે થશે? સર્વિસ માં બુદ્ધિ ચાલવી જોઈએ. સર્વિસ
તો ખુબ અધિક થઇ શકે છે. દિવસ-પ્રતિ દિવસ ઉન્નતિ ને પામવાનું છે. પોતાની પણ ઉન્નતિ
કરવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા રુહાની
સર્વિસ માં તત્પર રહેવાનું છે. જ્ઞાન ધન દાન કરીને ખુશીમાં નાચવાનું છે. પોતે ધારણ
કરી બીજાઓને ધારણા કરાવવાની છે.
2. બાપ જે જ્ઞાનનો ખજાનો આપે છે, એનાથી પોતાની ઝોલી ભરવાની છે. નોટ્સ લેવાની છે. પછી
ટોપિક (વિષય) પર સમજાવવાનું છે. જ્ઞાન ધનનું દાન કરવા માટે ઉછળતાં રહેવાનું છે.
વરદાન :-
“ નિરાકાર સો
સાકાર ’’- આ મંત્ર ની સ્મૃતિ થી સેવા નો પાર્ટ ભજવવા વાળા રુહાની સેવાધારી ભવ
જેમ બાપ નિરાકાર સો
સાકાર બની સેવા નો પાર્ટ ભજવે છે એવી રીતે બાળકોએ પણ આ મંત્ર નું યંત્ર સ્મૃતિ માં
રાખી સેવા નો પાર્ટ ભજવવાનો છે. આ સાકાર સૃષ્ટિ, સાકાર શરીર સ્ટેજ છે. સ્ટેજ આધાર
છે, પાર્ટધારી આધારમૂર્ત છે, માલિક છે. આ સ્મૃતિ થી ન્યારા બનીને પાર્ટ ભજવો તો
સેન્સ ની સાથે એસેન્સફુલ, રુહાની સેવાધારી બની જશો.
સ્લોગન :-
સાક્ષી બની
દરેક ખેલ ને જોવા વાળા જ સાક્ષી દૃષ્ટા છે.