15-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
સંગમયુગ છે ચઢતી કળા નો યુગ , આમાં બધાનું ભલું થાય છે એટલે કહેવાય ચઢતી કળા તેરે
ભાને સર્વ કા ભલા ”
પ્રશ્ન :-
બાબા બધાં
બ્રાહ્મણ બાળકો ને ખુબ-ખુબ અભિનંદન કરે છે - કેમ?
ઉત્તર :-
કારણ કે બાબા કહે તમે મારા બાળકો મનુષ્ય થી દેવતા બનો છો. તમે હમણાં રાવણ ની જંજીરો
થી છૂટો છો, તમે સ્વર્ગની રાજાઈ પામો છો, પાસ વિથ ઓનર બનો છો, હું નહીં, એટલે બાબા
તમને ખુબ-ખુબ અભિનંદન કરે છે. તમે આત્માઓ પતંગ છો, તમારી ડોર મારા હાથમાં છે. હું
તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ ...
ઓમ શાંતિ!
આ અમરકથા કોણ
સંભળાવી રહ્યાં છે? અમરકથા કહો, સત્ય નારાયણ ની કથા કહો કે તિજરી ની કથા કહો -
ત્રણેવ મુખ્ય છે. હમણાં તમે કોની સામે બેઠાં છો અને કોણ તમને સંભળાવી રહ્યું છે?
સતસંગ તો આમને પણ ખુબ કર્યા છે. ત્યાં તો બધાં મનુષ્ય જોવામાં આવે છે. કહેશે ફલાણા
સન્યાસી કથા સંભળાવે છે. શિવાનંદ સંભળાવે છે. ભારતમાં તો અનેક સતસંગ છે. ગલી-ગલી
માં સતસંગ છે. માતાઓ પણ પુસ્તક ઉઠાવી બેસી સતસંગ કરે છે. તો ત્યાં મનુષ્ય ને જોવું
પડે છે પરંતુ અહીંયા તો વન્ડરફુલ (અદ્દભુત) વાત છે. તમારી બુદ્ધિ માં કોણ છે?
પરમાત્મા. તમે કહો છો હમણાં બાબા સામે આવેલાં છે. નિરાકાર બાબા આપણ ને ભણાવે છે.
મનુષ્ય કહેશે એ ઈશ્વર તો નામ-રુપ થી ન્યારા છે. બાપ સમજાવે છે કે નામ-રુપ થી ન્યારી
કોઈ વસ્તુ છે નહીં. આપ બાળકો જાણો છો અહીંયા કોઈ પણ સાકાર મનુષ્ય નથી ભણાવતાં બીજે
ક્યાંય પણ જાઓ, આખાં વર્લ્ડ માં સાકાર જ ભણાવે છે. અહીંયા તો સુપ્રીમ બાપ છે, જેમને
નિરાકાર ગોડ ફાધર કહેવાય છે, એ નિરાકાર સાકારમાં બેસી ભણાવે છે. આ બિલકુલ નવી વાત
થઈ. જન્મ પછી જન્મ તમે સાંભળતા આવ્યાં છો, આ ફલાણા પંડિત છે, ગુરુ છે. અનેકા અનેક
નામ છે. ભારત તો ખુબ મોટું છે. જે પણ કાંઈ શીખવાડે છે, સમજાવે છે તે મનુષ્ય જ છે.
મનુષ્ય જ શિષ્ય બનેલાં છે. અનેક પ્રકારનાં મનુષ્ય છે. ફલાણા સંભળાવે છે. હંમેશા
શરીર નું નામ લેવાય છે. ભક્તિમાર્ગ માં નિરાકાર ને બોલાવે છે કે હેં પતિત-પાવન આવો.
એ જ આવીને બાળકો ને સમજાવે છે. આપ બાળકો જાણો છો કે કલ્પ-કલ્પ આખી દુનિયા જે પતિત
બની જાય છે, તેને પાવન કરવા વાળા એક જ નિરાકાર બાપ છે. તમે અહીંયા જે બેઠા છો,
તમારામાં પણ કોઈ કાચ્ચા છે, કોઈ પાક્કા છે કારણ કે અડધોકલ્પ તમે દેહ-અભિમાની બન્યાં
છો. હવે દેહી-અભિમાની આ જન્મ માં બનવાનું છે. તમારી દેહ માં રહેવા વાળી જે આત્મા છે
તેને પરમાત્મા બેસી સમજાવે છે. આત્મા જ સંસ્કાર લઈ જાય છે. આત્મા કહે છે ઓરગન્સ (અવયવો)
દ્વારા કે હું ફલાણો છું. પરંતુ આત્મ-અભિમાની તો કોઈ છે નહીં. બાપ સમજાવે છે જે આ
ભારતમાં સૂર્યવંશી-ચંદ્રવંશી હતાં એ જ આ સમયે આવીને બ્રાહ્મણ બનશે પછી દેવતા બનશે.
મનુષ્ય દેહ-અભિમાની રહેવાનાં ટેવાયેલાં છે, દેહી-અભિમાની રહેવાનું ભૂલી જાય છે એટલે
બાપ ઘડી-ઘડી કહે છે દેહી-અભિમાની બનો. આત્મા જ ભિન્ન-ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે
છે. આ છે તેમનાં ઓરગન્સ. હવે બાપ બાળકોને કહે છે મનમનાભવ. બાકી ફક્ત ગીતા વાંચવાથી
કોઈ રાજ્ય-ભાગ્ય થોડી મળી શકે છે. તમને આ સમયે ત્રિકાળદર્શી બનાવાય છે. રાત-દિવસ નો
ફરક થઈ ગયો છે. બાપ સમજાવે છે હું તમને રાજયોગ શીખવાડું છું. કૃષ્ણ તો સતયુગ નાં
પ્રિન્સ (રાજકુમાર) છે. જે સૂર્યવંશી દેવતાઓ હતાં એમાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન તો
પ્રાય:લોપ થઈ જશે. જ્ઞાન છે જ સદ્દગતિ નાં માટે. સતયુગ માં દુર્ગતિ માં કોઈ હોતું જ
નથી. તે છે જ સતયુગ. હમણાં છે કળયુગ. ભારતમાં પહેલા સૂર્યવંશી ૮ જન્મ પછી ચંદ્રવંશી
૧૨ જન્મ. આ એક જન્મ હમણાં તમારો સૌથી સારો જન્મ છે. તમે છો પ્રજાપિતા બ્રહ્મા મુખ
વંશાવલી. આ છે સર્વોત્તમ ધર્મ. દેવતા ધર્મ સર્વોત્તમ ધર્મ નહીં કહેશું. બ્રાહ્મણ
ધર્મ સૌથી ઉંચ છે. દેવતાઓ તો પ્રાલબ્ધ ભોગવે છે.
આજકાલ ઘણાં સોશ્યલ
વર્કર (સમાજસેવક) છે. તમારી છે રુહાની સર્વિસ (સેવા). તે છે શારીરિક સેવા કરવી.
રુહાની સર્વિસ એક જ વખત થાય છે. પહેલાં આ સોશ્યલ વર્કર વગેરે નહોતાં. રાજા-રાણી
રાજ્ય કરતાં હતાં. સતયુગ માં દેવી-દેવતા હતાં. તમે જ પૂજ્ય હતાં પછી પૂજારી બન્યાં.
લક્ષ્મી-નારાયણ દ્વાપર માં જ્યારે વામમાર્ગ માં જાય છે તો મંદિર બનાવે છે.
પહેલાં-પહેલાં શિવ નું બનાવે છે. એ છે સર્વનાં સદ્દગતિ દાતા તો એમની જરુર પૂજા થવી
જોઈએ. શિવબાબાએ જ આત્માઓને નિર્વિકારી બનાવ્યાં હતાં ને. પછી થાય છે દેવતાઓની પૂજા.
તમે જ પૂજ્ય હતાં પછી પૂજારી બન્યાં. બાબાએ સમજાવ્યું છે - ચક્ર ને યાદ કરતાં રહો.
સીડી ઉતરતાં-ઉતરતાં એકદમ પટ પર આવીને પડ્યાં છો. હવે તમારી ચઢતી કળા છે. કહે છે ચઢતી
કલા તેરે ભાને સર્વ કા ભલા. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ની હવે ચઢતી કળા કરું છું.
પતિત-પાવન આવીને બધાને પાવન બનાવે છે. જયારે સતયુગ હતું તો ચઢતી કળા હતી અને બાકી
બધી આત્માઓ મુક્તિધામ માં હતી.
બાપ બેસી સમજાવે છે
મીઠા-મીઠા બાળકો મારો જન્મ ભારતમાં જ થાય છે. શિવબાબા આવ્યાં હતાં, ગવાયેલું છે. હવે
ફરી આવેલાં છે. આને કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. સ્વરાજ્ય
પામવા માટે યજ્ઞ રચાયેલો છે. વિઘ્ન પણ પડ્યાં હતાં, હમણાં પણ પડી રહ્યાં છે. માતાઓ
પર અત્યાચાર થાય છે. કહે છે બાબા અમને આ નંગન (અશરીરી) કરે છે. અમને આ છોડતાં નથી.
બાબા અમારી રક્ષા કરો. દેખાડે છે દ્રોપદી ની રક્ષા થઈ. હવે તમે ૨૧ જન્મોનાં માટે
બેહદનાં બાપ થી વારસો લેવા આવ્યાં છો. યાદની યાત્રામાં રહીને પોતાને પવિત્ર બનાવો
છો. પછી વિકારમાં ગયાં તો ખલાસ, એકદમ નીચે પડશો એટલે બાપ કહે છે પવિત્ર જરુર રહેવાનું
છે. જે કલ્પ પહેલા બન્યાં હતાં એ જ પવિત્રતા ની પ્રતિજ્ઞા કરશે પછી કોઈ પવિત્ર રહી
શકે છે, કોઈ નથી રહી શકતાં. મુખ્ય વાત છે યાદ ની. યાદ કરશે, પવિત્ર રહેશે અને
સ્વદર્શન ચક્ર ફરાવતાં રહેશે તો પછી ઉંચ પદ પામશે. વિષ્ણુ નાં બે રુપ રાજ્ય કરે છે
ને. પરંતુ વિષ્ણુ ને જે શંખ ચક્ર આપી દીધું છે તે દેવતાઓને નહોતું. લક્ષ્મી-નારાયણ
ને પણ નહોતું. વિષ્ણુ તો સૂક્ષ્મવતન માં રહે છે, તેમને ચક્ર નાં નોલેજ ની દરકાર નથી.
ત્યાં મુવી ચાલે છે. હવે તમે જાણો છો કે આપણે શાંતિધામનાં રહેવા વાળા છીએ. તે છે
નિરાકારી દુનિયા. હવે આત્મા કઈ વસ્તુ છે, તે પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. કહી દે છે
આત્મા સો પરમાત્મા. આત્માનાં માટે કહે છે એક ચમકતો તારો છે, જે ભ્રકુટી ની વચ્ચે રહે
છે. આ આંખો થી જોઈ ન શકાય. ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે, કાચ વગેરે માં બંધ કરીને
રાખે કે જોઈએ આત્મા કેવી રીતે નીકળે છે? કોશિશ કરે છે પરંતુ કોઈને પણ ખબર નથી પડતી
- આત્મા કઈ વસ્તુ છે, કેવી રીતે નીકળે છે? બાકી એટલું કહે છે આત્મા સ્ટાર જેવી છે.
દિવ્ય દૃષ્ટિ વગર તેને જોઈ નથી શકાતું. ભક્તિમાર્ગ માં અનેકો ને સાક્ષાત્કાર થાય
છે. લખેલું છે અર્જુન ને સાક્ષાત્કાર થયો અખંડ જ્યોતિ છે. અર્જુને કહ્યું હું સહન
નથી કરી શકતો. બાપ સમજાવે છે એટલું તેજોમય વગેરે કંઈ છે નહીં. જેમ આત્મા આવીને શરીર
માં પ્રવેશ કરે છે, ખબર થોડી પડે છે. હવે તમે પણ જાણો છો કે બાબા કેવી રીતે પ્રવેશ
કરી બોલે છે. આત્મા આવીને બોલે છે. આ પણ ડ્રામામાં બધી નોંધ છે, આમાં કોઈની તાકાત
ની વાત નથી. આત્મા કોઈ શરીર છોડી જતી નથી. તે સાક્ષાત્કારની વાત છે. વન્ડરફુલ વાત
છે ને. બાપ કહે છે હું પણ સાધારણ તન માં આવું છું. આત્માને બોલાવે છે ને. પહેલાં
આત્માઓને બોલાવીને તેમનાથી પૂછતાં પણ હતાં. હવે તો તમોપ્રધાન બની ગયાં છે ને. બાપ
આવે જ એટલે છે કે હું જઈને પતિતો ને પાવન બનાવું. કહે પણ છે ૮૪ જન્મ. તો સમજવું
જોઈએ કે જે પહેલાં આવ્યાં છે, તેમને જ જરુર ૮૪ જન્મ લીધાં હશે. તેઓ તો લાખો વર્ષે
કહી દે છે. હવે બાપ સમજાવે છે તમને સ્વર્ગમાં મોકલ્યાં હતાં. તમે જઈને રાજ્ય કર્યુ
હતું. તમને ભારતવાસીઓને સ્વર્ગમાં મોકલ્યાં હતાં. રાજયોગ શીખવાડ્યો હતો સંગમ પર.
બાપ કહે છે હું કલ્પ નાં સંગમયુગે આવું છું. ગીતામાં પછી યુગે-યુગે અક્ષર લખી દીધો
છે.
હમણાં તમે જાણો છો
આપણે સીડી કેવી રીતે ઉતરીએ છીએ પછી ચઢીએ છીએ. ચઢતી કળા પછી ઉતરતી કળા. હમણા આ
સંગમયુગ છે સર્વ ની ચઢતી કળા નો યુગ. બધાં ચઢી જાય છે. બધાં ઉપર જશે પછી તમે આવશો
સ્વર્ગ માં પાર્ટ ભજવવાં. સતયુગ માં બીજો કોઈ ધર્મ નહોતો. તેને કહેવાય છે વાઈસલેસ
વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). પછી દેવી-દેવતાઓ વામમાર્ગ માં જઈને બધાં વિશશ (વિકારી)
થવા લાગે છે, યથા રાજા-રાણી તથા પ્રજા. બાપ સમજાવે છે હેં ભારતવાસી તમે વાઈસલેસ
વર્લ્ડ માં હતાં. હવે છે વિશશ વર્લ્ડ. અનેક ધર્મ છે બાકી એક દેવી-દેવતા ધર્મ નથી.
જરુર જ્યારે ન હોય ત્યારે તો પછી સ્થાપન થાય. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આવીને
આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું. અહીંયા જ કરશે ને. સૂક્ષ્મવતન માં
તો કરશે નહીં. લખેલું છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની રચના રચે છે.
તમને આ સમયે પાવન નહીં કહેશે. પાવન બની રહ્યાં છો. સમય તો લાગે છે ને. પતિત થી પાવન
કેવી રીતે બનાય, આ કોઈ પણ શાસ્ત્રો માં છે નહીં. હકીકત માં મહિમા તો એક બાપની છે. એ
બાપ ને ભૂલવાનાં કારણે જ ઓરફન (અનાથ) બની ગયાં છે. લડતાં રહે છે. પછી કહે છે બધાં
મળીને એક કેવી રીતે થાય. ભાઈ-ભાઈ છે ને. બાબા તો અનુભવી છે. ભક્તિ પણ આમને પૂરી કરી
છે. સૌથી અધિક ગુરુ કરેલાં છે. હવે બાપ કહે છે આ બધાને છોડો. હવે હું તમને મળ્યો
છું. સર્વ નાં સદ્દગતિ દાતા એક સત શ્રી અકાળ કહે છે ને. અર્થ નથી સમજતાં. ભણે તો ઘણું
છે. બાપ સમજાવે છે હમણાં બધાં પતિત છે પછી પાવન દુનિયા બનશે. ભારત જ અવિનાશી છે. આ
કોઈ ને ખબર નથી. ભારતનો ક્યારેય વિનાશ થતો નથી અને ન ક્યારેય પ્રલય થાય છે. આ જે
દેખાડે છે સાગર માં પીપળનાં પત્તા પર શ્રીકૃષ્ણ આવ્યાં - હવે પીપળનાં પત્તા પર તો
બાળક આવી ન શકે. બાપ સમજાવે છે તમે ગર્ભ થી જન્મ લેશો, ખુબ આરામ થી. ત્યાં ગર્ભ
મહેલ કહેવાય છે. અહીંયા છે ગર્ભ જેલ. સતયુગ માં છે ગર્ભ મહેલ. આત્માને પહેલાં થી જ
સાક્ષાત્કાર થાય છે. આ તન છોડી બીજું લેવાનું છે. ત્યાં આત્મ-અભિમાની રહે છે.
મનુષ્યો તો ન રચયિતા ને, ન રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. હમણાં તમે જાણો છો
બાપ છે જ્ઞાન નાં સાગર. તમે માસ્ટર સાગર છો. તમે (માતાઓ) છો નદીઓ અને આ ગોપ છે
જ્ઞાન માનસરોવર. આ જ્ઞાન નદીઓ છે. તમે છો સરોવર. પ્રવૃત્તિ માર્ગ જોઈએ ને. તમારો
પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. હમણાં પતિત છે. બાપ કહે છે આ સદૈવ યાદ રાખો કે અમે આત્મા
છીએ. એક બાપ ને યાદ કરવાનાં છે. બાબાએ ફરમાન આપ્યું છે કે કોઈ પણ દેહધારી ને યાદ નહીં
કરો. આ આંખો થી જે કાંઈ જુવો છો તે બધું ખતમ થઈ જવાનું છે એટલે બાપ કહે છે મનમનાભવ,
મધ્યાજીભવ. આ કબ્રિસ્તાન ને ભૂલતા જાઓ. માયાનાં તોફાન તો ઘણાં આવશે, આનાથી ડરવાનું
નથી. ખુબ જ તોફાન આવશે પરંતુ કર્મેન્દ્રિયો થી કર્મ નથી કરવાનું. તોફાન આવે છે
ત્યારે જ્યારે તમે બાપ ને ભૂલી જાઓ છો. આ યાદ ની યાત્રા એક જ વખત થાય છે. તે છે
મૃત્યુલોક ની યાત્રાઓ. અમરલોક ની યાત્રા આ છે. તો હવે બાપ કહે છે કોઈ પણ દેહધારી ને
યાદ નહીં કરો.
બાળકો, શિવજયંતી નાં
કેટલાં તાર (ટપાલ) મોકલે છે. બાપ કહે છે તતત્વમ્. આપ બાળકોને પણ બાપ અભિનંદન કરે
છે. હકીકત માં તમને અભિનંદન છે કારણ કે મનુષ્ય થી દેવતા તમે બનો છો. પછી જે પાસ વિથ
ઓનર થશે તેમને વધારે માર્કસ અને સારો નંબર મળશે. બાપ તમને અભિનંદન કરે છે કે હવે તમે
રાવણ ની જંજીરો થી છૂટો છો. બધી આત્માઓ પતંગ છે. બધાં ની દોરી બાપ નાં હાથમાં છે. એ
બધાને લઈ જશે. સર્વનાં સદ્દગતિ દાતા છે. પરંતુ તમે સ્વર્ગની રાજાઈ પામવાનાં માટે
પુરુષાર્થ કરી રહ્યાં છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પાસ વિથ
ઓનર થવાનાં માટે એક બાપ ને યાદ કરવાનાં છે, કોઈ પણ દેહધારી ને નહીં. આ આંખો થી જે
દેખાય છે, તેને જોતાં પણ નથી જોવાનું.
2. આપણે અમરલોક ની
યાત્રા પર જઈ રહ્યાં છીએ એટલે મૃત્યુલોક નું કાંઈ પણ યાદ ન રહે, આ કર્મેન્દ્રિયો થી
કોઈ પણ વિકર્મ ન થાય, આ ધ્યાન રાખવાનું છે.
વરદાન :-
અતીન્દ્રિય
સુખમય સ્થિતિ દ્વારા અનેક આત્માઓનું આહવાન કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જેટલી અંતિમ કર્માતીત
સ્ટેજ (અવસ્થા) સમીપ આવતી જશે એટલી અવાજ થી પરે શાંત સ્વરુપ ની સ્થિતિ અધિક પ્રિય
લાગશે - આ સ્થિતિ માં સદા અતીન્દ્રિય સુખ ની અનુભૂતિ થશે અને આવી અતીન્દ્રિય સુખમય
સ્થિતિ દ્વારા અનેક આત્માઓનું સહજ આહવાન કરી શકશો. આ પાવરફુલ સ્થિતિ જ વિશ્વ
કલ્યાણકારી સ્થિતિ છે. આ સ્થિતિ દ્વારા કેટલી પણ દૂર રહેવા વાળી આત્માને સંદેશ
પહોંચાડી શકો છો.
સ્લોગન :-
દરેક ની
વિશેષતા ને સ્મૃતિ માં રાખી ફેથફુલ (વિશ્વાસ પાત્ર) બનો તો સંગઠન એકમત થઈ જશે.