14-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.11.87
બાપદાદા મધુબન
સ્વ - પરિવર્તન નો આધાર -
“ સાચા દિલ ની મહેસૂસતા ”
આજે વિશ્વ-પરિવર્તક,
વિશ્વ-કલ્યાણકારી બાપદાદા પોતાનાં સ્નેહી, સહયોગી, વિશ્વ પરિવર્તક બાળકો ને જોઈ
રહ્યાં છે. દરેક સ્વ-પરિવર્તન દ્વારા વિશ્વ-પરિવર્તન કરવાની સેવામાં લાગેલાં છે.
બધાનાં મન માં એક જ ઉમંગ-ઉત્સાહ છે કે આ વિશ્વ ને પરિવર્તન કરવાનું જ છે અને નિશ્ચય
પણ છે કે પરિવર્તન થવાનું જ છે અથવા આ કહે કે પરિવર્તન થયેલું જ છે. ફક્ત નિમિત્ત
બાપદાદા નાં સહયોગી, સહજયોગી બની વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ બનાવી રહ્યાં છે.
આજે બાપદાદા ચારે બાજુનાં નિમિત્ત વિશ્વ-પરિવર્તક બાળકો ને જોતાં એક વિશેષ વાત જોઈ
રહ્યાં હતાં - છે બધાં એક જ કાર્ય નાં નિમિત્ત, લક્ષ્ય પણ બધાનું સ્વ-પરિવર્તન અને
વિશ્વ-પરિવર્તન જ છે પરંતુ સ્વ-પરિવર્તન કે વિશ્વ-પરિવર્તન માં નિમિત્ત હોવાં છતાં
પણ નંબરવાર કેમ? કોઈ બાળકો સ્વ-પરિવર્તન ખૂબ સહજ અને શીઘ્ર કરી લે છે અને કોઈ
હમણાં-હમણાં પરિવર્તન નો સંકલ્પ કરશે પરંતુ સ્વય નાં સંસ્કાર કે માયા અને પ્રકૃતિ
દ્વારા આવવા વાળી પરિસ્થિતિઓ કે બ્રાહ્મણ પરિવાર દ્વારા ચૂકતું થવાવાળા હિસાબ-કિતાબ
શ્રેષ્ઠ પરિવર્તન નાં ઉમંગ ને કમજોર કરી દે છે અને ઘણાં બાળકો પરિવર્તન કરવાની
હિમ્મત માં કમજોર છે. જ્યાં હિમ્મત નથી, ત્યાં ઉમંગ-ઉત્સાહ નથી. અને સ્વ-પરિવર્તન
વગર વિશ્વ-પરિવર્તન નાં કાર્ય માં દિલ-પસંદ સફળતા થતી નથી કારણ કે આ અલૌકિક ઈશ્વરીય
સેવા એક જ સમય પર ત્રણ પ્રકાર નાં સેવા ની સિદ્ધિ છે, તે ત્રણ પ્રકાર ની સેવા
સાથે-સાથે કઈ છે? એક-વૃત્તિ, બીજું-વાયબ્રેશન, ત્રીજું-વાણી. ત્રણેય શક્તિશાળી
નિમિત્ત, નિર્માણ અને નિઃસ્વાર્થ આ આધાર થી છે, ત્યારે દિલ-પસંદ સફળતા થાય છે. નહીં
તો સેવા થાય છે, પોતાને કે બીજાઓને થોડા સમય માટે સેવાની સફળતા થી ખુશ તો કરી લે છે
પરંતુ દિલ-પસંદ સફળતા જે બાપદાદા કહે છે, તે નથી થતી. બાપદાદા પણ બાળકોની ખુશીમાં
ખુશ થઈ જાય છે પરંતુ દિલારામ ની દિલ પર યથા-શક્તિ રીઝલ્ટ નોંધ જરુર થતી રહે છે.
‘શાબાશ, શાબાશ!’ જરુર કહેશે કારણ કે બાપ ની દરેક બાળક નાં ઉપર સદા વરદાન ની દૃષ્ટિ
અને વૃત્તિ રહે છે કે આ બાળકો આજે નહીં તો કાલે સિદ્ધિ-સ્વરુપ બનવાનાં જ છે. પરંતુ
વરદાતા ની સાથે-સાથે શિક્ષક પણ છે, એટલે આગળ માટે અટેન્શન (ધ્યાન) પણ અપાવે છે.
તો આજે બાપદાદા વિશ્વ-પરિવર્તન નાં કાર્યની અને વિશ્વ-પરિવર્તક બાળકોની રીઝલ્ટ ને
જોઈ રહ્યાં હતાં. વૃદ્ધિ થઈ રહી છે, અવાજ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે, પ્રત્યક્ષતા નો
પડદો ખુલવાનો પણ આરંભ થઇ ગયો છે. ચારે બાજુની આત્માઓમાં હવે ઈચ્છા ઊત્પન્ન થઈ રહી
છે કે નજીક જઈને જોઈએ. સાંભળેલી-સંભળાવેલી વાતો હવે જોવાનાં પરિવર્તન માં બદલાઈ રહી
છે. આ બધું પરિવર્તન થઈ રહ્યું છે. છતાં પણ ડ્રામા અનુસાર હજું સુધી બાપ અને કોઈ
નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓનાં શક્તિશાળી પ્રભાવ નું પરિણામ આ દેખાય રહ્યું છે.
જો મેજોરીટી (અધિકાંશ) આ વિધિ થી સિદ્ધિ ને પ્રાપ્ત કરે તો ખૂબ જલ્દી સર્વ બ્રાહ્મણ
સિદ્ધિ-સ્વરુપ માં પ્રત્યક્ષ થઈ જશે. બાપદાદા જોઈ રહ્યા હતાં - દિલપસંદ, લોકપસંદ,
બાપ-પસંદ સફળતા નો આધાર ‘સ્વ-પરિવર્તન’ ની હમણાં કમી છે અને ‘સ્વ પરિવર્તન’ ની કમી
કેમ છે? તેનો મૂળ આધાર એક વિશેષ શક્તિ ની કમી છે. તે વિશેષ શક્તિ છે મહેસૂસતા ની
શક્તિ.
કોઈ પણ પરિવર્તન નો સહજ આધાર મહેસૂસતા-શક્તિ છે. જ્યાં સુધી મહેસૂસતા-શક્તિ નથી આવતી,
ત્યાં સુધી અનુભૂતિ નથી થતી અને જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી બ્રાહ્મણ જીવનની
વિશેષતા નું ફાઉન્ડેશન મજબૂત નથી. આદિ થી પોતાનાં બ્રાહ્મણ જીવન ને સામે લાવો.
પહેલું પરિવર્તન - હું આત્મા છું, બાપ મારા છે-આ પરિવર્તન કયા આધાર થી થયું? જ્યારે
મહેસૂસ કરો છો કે ‘હા, હું આત્મા છું, આ જ મારા બાપ છે.’ તો મહેસૂસતા અનુભવ કરાવે
છે, ત્યારે જ પરિવર્તન થાય છે. જ્યાં સુધી મહેસૂસ નથી કરતાં, ત્યાં સુધી સાધારણ ગતિ
થી ચાલે છે અને જે ઘડી મહેસૂસતા ની શક્તિ અનુભવી બનાવે છે તો તીવ્ર પુરુષાર્થી બની
જાય છે. આમ જે પણ પરિવર્તનની વિશેષ વાત છે - ભલે રચયિતા નાં માટે, ભલે રચના નાં માટે,
જ્યાં સુધી દરેક વાત ને મહેસૂસ નથી કરતાં કે હાં, આ એ જ સમય છે, એ જ યોગ છે, હું પણ
એ જ શ્રેષ્ઠ આત્મા છું - ત્યાં સુધી ઉમંગ-ઉત્સાહ ની ચાલ નથી રહેતી. કોઈ નાં
વાયુમંડળ નાં પ્રભાવ થી થોડા સમય માટે પરિવર્તન થશે પરંતુ સદાકાળ નું નહીં થશે.
મહેસૂસતા ની શક્તિ સદાકાળ નું સહજ પરિવર્તન કરી લેશે.
આ પ્રકારે સ્વ-પરિવર્તન માં પણ જ્યાં સુધી મહેસૂસતા ની શક્તિ નથી, ત્યાં સુધી
સદાકાળ નું શ્રેષ્ઠ પરિવર્તન નથી થઈ શકતું. આમાં વિશેષ બે વાતોની મહેસૂસતા જોઈએ. એક
- પોતાની કમજોરી ની મહેસૂસતા. બીજું - જે પરિસ્થિતિ કે વ્યક્તિ નિમિત્ત બને છે,
તેમની ઈચ્છા અને તેમનાં મન ની ભાવના કે વ્યક્તિ ની કમજોરી કે પરવશ ની સ્થિતિની
મહેસૂસતા. પરિસ્થિતિ નાં પેપર નાં કારણ ને જાણી સ્વયં ને પાસ થવાનાં શ્રેષ્ઠ સ્વરુપ
ની મહેસૂસતા માં હોય કે હું શ્રેષ્ઠ છું, સ્વસ્થિતિ શ્રેષ્ઠ છે, પરિસ્થિતિ પેપર છે.
આ મહેસૂસતા સહજ પરિવર્તન કરાવી લેશે અને પાસ કરી લેશે. બીજાની ઈચ્છા કે બીજાની
સ્વ-ઉન્નતિ ની પણ મહેસૂસતા પોતાનાં સ્વ-ઉન્નતિ નો આધાર છે. તો સ્વ-પરિવર્તન મહેસૂસતા
ની શક્તિ વગર થઈ નથી શકતું. આમાં પણ એક છે સાચા દિલ ની મહેસૂસતા, બીજી-ચતુરાઈ ની
મહેસૂસતા પણ છે કારણ કે નોલેજફુલ બહુજ બની ગયાં છે. તો સમય જોઈ પોતાનું કામ સિદ્ધ
કરવા માટે, પોતાનું નામ સારું કરવા માટે એ સમયે મહસૂસ પણ કરી લેશે પરંતુ તે મહેસૂસતા
માં શક્તિ નથી હોતી જે પરિવર્તન કરી લે. તો દિલ ની મહેસૂસતા દિલારામનાં આશીર્વાદ
પ્રાપ્ત કરાવે છે અને ચતુરાઇ વાળી મહેસૂસતા થોડા સમય માટે બીજા ને પણ ખુશ કરી દે,
પોતાને પણ ખુશ કરી દે.
ત્રીજા પ્રકારની મહેસૂસતા - મન માને છે કે આ ઠીક નથી, વિવેક અવાજ આપે છે કે આ
યથાર્થ નથી પરંતુ બહાર નાં રુપ થી પોતાને મહારથી સિદ્ધ કરવાનાં માટે, પોતાનાં નામ
ને કોઈ પણ પ્રકાર થી પરિવાર નાં વચ્ચે કમજોર કે ઓછું ન કરવાનાં કારણે વિવેક નું ખૂન
કરતાં રહે છે. આ વિવેકનું ખૂન કરવું પણ પાપ છે. જેમ આપઘાત મહાપાપ છે, તેમ આ પણ પાપ
નાં ખાતામાં જમા થાય છે એટલે બાપદાદા હર્ષાતા રહે છે અને તેમનાં મન નાં ડાયલોગ (સંવાદ)
પણ સાંભળતા રહે છે. ખૂબ જ સુંદર ડાયલોગ હોય છે. મૂળ વાત - એવી મહેસૂસતા વાળા એ સમજે
છે કે કોઈને શું ખબર પડે છે, આમ જ ચાલે છે…. પરંતુ બાપ ને ખબર દરેક પત્તા ની છે.
ફક્ત મુખ થી સાંભળવાથી ખબર નથી પડતી, પરંતુ ખબર હોવા છતાં પણ બાપ અજાણ બની ભોળપણ
માં ભોળાનાથ નાં રુપ થી બાળકો ને ચલાવે છે. જ્યારે કે જાણે છે, પછી ભોળા કેમ બને?
કારણ કે રહેમદિલ બાપ છે અને પાપ માં પાપ ન વધતાં જાય, આ રહેમ કરે છે. સમજ્યાં? એવાં
બાળકો ચતુરસુજાન બાપ થી પણ અથવા નિમિત્ત આત્માઓ થી પણ ખૂબ જ ચતુર બની સામે આવે છે
એટલે બાપ રહમદિલ, ભોળાનાથ બની જાય છે.
બાપદાદાનાં પાસે દરેક બાળક નાં કર્મ નું, મન નાં સંકલ્પો નું ખાતું દરેક સમય નું
સ્પષ્ટ રહે છે. દિલો ને જાણવાની આવશ્યકતા નથી પરંતુ દરેક બાળકનાં દિલની દરેક ધડકન
નાં ચિત્ર સ્પષ્ટ જ છે એટલે કહે છે કે હું દરેક નાં દિલ ને નથી જાણતો કારણ કે
જાણવાની આવશ્યકતા જ નથી, સ્પષ્ટ છે જ. દરેક ઘડી નાં દિલ ની ધડકન કે મન નાં સંકલ્પો
નો ચાર્ટ બાપદાદા ની સામે છે. બતાવી પણ શકે છે, એવું નહીં કે બતાવી નથી શકતાં. તિથિ,
સ્થાન, સમય અને શું-શું કર્યું - બધું બતાવી શકે છે. પરંતુ જાણવાં છતાં પણ અજાણ રહે
છે. તો આજે બધો ચાર્ટ જોયો.
સ્વ-પરિવર્તન તીવ્રગતિ થી ન થવાનાં કારણે ‘સાચાં દિલ ની મહેસૂસતા’ ની કમી છે.
મહેસૂસતા ની શક્તિ ખૂબ મીઠા અનુભવ કરાવી શકે છે. આ તો સમજો છો ને. ક્યારેય પોતાને
બાપ નાં નૂરે રત્ન આત્મા અર્થાત્ નયનો માં સમાયેલી શ્રેષ્ઠ બિંદુ મહેસૂસ કરો. નયનો
માં તો બિંદુ જ સમાઇ શકે છે, શરીર તો નહીં સમાઈ શકે. ક્યારેક પોતાને મસ્તક પર ચમકવા
વાળી મસ્તક-મણી, ચમકતો તારો મહેસુસ કરો, ક્યારેક પોતાને બ્રહ્મા બાપ નાં સહયોગી,
રાઈટ હેન્ડ સાકાર બ્રાહ્મણ રુપ માં બ્રહ્માની ભૂજાઓ અનુભવ કરો, મહેસૂસ કરો. ક્યારેક
અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ મહેસૂસ કરો. આમ મહેસૂસતા શક્તિ થી ખૂબ અનોખો, અલૌકિક અનુભવ
કરો. ફક્ત નોલેજ ની રીતે વર્ણન નહીં કરો, મહેસૂસ કરો. આ મહેસૂસતા-શક્તિને વધારો તો
બીજા તરફ ની કમજોરી ની મહેસૂસતા સ્વતઃ જ સ્પષ્ટ થશે. શક્તિશાળી દર્પણ નાં વચ્ચે નાનો
ડાઘ પણ સ્પષ્ટ દેખાશે અને પરિવર્તન કરી લેશો. તો સમજ્યાં, સ્વ-પરિવર્તન નો આધાર
મહેસૂસતા શક્તિ છે. શક્તિ ને કાર્ય માં લગાવો, ફક્ત ગણતરી કરીને ખુશ નહીં થાઓ - હા,
આ પણ શક્તિ છે, આ પણ શક્તિ છે. પરંતુ સ્વ પ્રતિ, સર્વ પ્રતિ, સેવા પ્રતિ સદા દરેક
કાર્ય માં લગાવો. સમજ્યાં? ઘણાં બાળકો કહેતાં કે બાપ આ જ કામ કરતાં રહે છે શું?
પરંતુ બાપ શું કરે, સાથે તો લઈ જ જવાનાં છે. જ્યારે સાથે લઈ જવાનાં છે તો સાથી પણ
એવાં જ જોઈએ ને એટલે જોતાં રહે છે અને સમાચાર સંભળાવતાં રહે છે કે સાથી સમાન બની
જાઓ. પાછળ-પાછળ આવવા વાળાની તો વાત જ નથી, તે તો અનેક નાં અનેક હશે. પરંતુ સાથી તો
સમાન જોઈએ ને. તમે સાથી છો કે બારાતી છો? બારાત તો ખૂબ મોટી હશે, એટલે શિવની બારાત
પ્રસિદ્ધ છે. બારાત તો વેરાયટી હશે પરંતુ સાથી તો એવાં જોઈએ ને. અચ્છા.
આ ઈસ્ટર્ન ઝોન છે. ઈસ્ટર્ન ઝોન શું કરી રહ્યાં છે? પ્રત્યક્ષતા નો સૂર્ય ક્યાંથી
ઉદય કરશો? બાપ માં પ્રત્યક્ષતા થઈ, તે વાત તો હવે જૂની થઈ ગઈ. પરંતુ હવે શું કરશો?
જૂની ગાદી છે - આ તો નશો સારો છે પરંતુ હવે શું કરશો? હમણાં કોઈ નવીનતા નો સૂર્ય
ઉદય કરો જે બધાનાં મુખ થી નીકળે કે આ ઈસ્ટર્ન ઝોન થી નવીનતા નો સૂર્ય પ્રગટ થયો! એ
કાર્ય હમણાં સુધી કોઈએ ન કર્યું હોય, તે હવે કરીને દેખાડો. ફંકશન (કાર્યક્રમ),
સેમિનાર પરિસંવાદ કર્યા, આઈ.પી. (વિશિષ્ટ વ્યક્તિ) ની સેવા કરી, સમાચારો માં નાખ્યું
- આ તો બધાં કરતાં પરંતુ નવીનતા ની કંઇક ઝલક દેખાડો. સમજ્યાં.
બાપ નું ઘર સો પોતાનું ઘર છે. આરામ થી બધાં પહોંચી ગયા છે. દિલ નો આરામ સ્થૂળ આરામ
પણ અપાવી દે છે. દિલ નો આરામ નથી તો આરામ નાં સાધન હોવા છતાં પણ બેઆરામ હોય છે.
દિલનો આરામ છે અર્થાત્ દિલમાં સદા રામ સાથે છે, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આરામ
અનુભવ કરો છો. આરામ છે ને, કે આવવું-જવું બેઆરામ લાગે છે? તો પણ મીઠા ડ્રામાની ભાવી
સમજો. મેળો તો મનાવી રહ્યાં છો ને. બાપ થી મળવું, પરિવાર થી મળવું - આ મેળો મનાવવાની
પણ મીઠી ભાવી છે. અચ્છા.
સર્વશક્તિશાળી શ્રેષ્ઠ આત્માઓ ને, દરેક શક્તિ ને સમય પર કાર્ય માં લાવવા વાળા સર્વ
તીવ્ર પુરુષાર્થી બાળકો ને, સદા સ્વ-પરિવર્તન દ્વારા સેવામાં દિલપસંદ સફળતા પામવા
વાળા દિલખુશ બાળકો ને, સદા દિલારામ બાપ નાં આગળ સાચાં દિલ થી સ્પષ્ટ રહેવા વાળા
સફળતા-સ્વરુપ શ્રેષ્ઠ આત્માઓ ને દિલારામ બાપદાદાનાં દિલ થી યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ ની
સાથે અવ્યક્ત - બાપદાદાની મુલાકાત :-
સદા પોતાને બાપ ની છત્રછાયા માં રહેવા વાળી વિશેષ આત્માઓ અનુભવ કરો છો? જ્યાં બાપ
ની છત્રછાયા છે, ત્યાં સદા માયા થી સેફ (સુરક્ષિત) રહેશો. છત્રછાયા ની અંદર માયા આવી
નથી શકતી. મહેનત થી સ્વતઃ દૂર થઈ જશે. સદા મોજ માં રહેશે કારણ કે જ્યારે મહેનત થાય
છે, તો મહેનત મોજ અનુભવ નથી કરાવતી. જેમ, બાળકો નું ભણતર જ્યારે થાય છે તો ભણતર માં
મહેનત હોય છે ને. જ્યારે પરીક્ષા નાં દિવસ હોય છે તો ખૂબ મહેનત કરે છે, મોજ થી રમતા
નથી. અને જ્યારે મહેનત ખતમ થઇ જાય છે, પરીક્ષા ખતમ થઇ જાય છે તો મોજ કરે છે. તો જ્યાં
મહેનત છે, ત્યાં મોજ નથી. જ્યાં મોજ છે, ત્યાં મહેનત નથી. છત્રછાયામાં રહેવા વાળા
અર્થાત્ સદા મોજમાં રહેવા વાળા કારણ કે અહીં ભણતર ઊંચું ભણો છો પરંતુ ઉંચું ભણતર
હોવા છતાં પણ નિશ્ચય છે કે અમે વિજયી છીએ જ, પાસ થયેલાં જ છીએ એટલે મોજ માં રહે છે.
કલ્પ-કલ્પ નું ભણતર છે, નવી વાત નથી. તો સદા મોજ માં રહો અને બીજા ને પણ મોજમાં
રહેવાનો સંદેશ આપતાં રહો, સેવા કરતાં રહો કારણ કે સેવા નું ફળ આ સમયે પણ અને ભવિષ્ય
માં પણ ખાતાં રહેશો. સેવા કરશો ત્યારે તો ફળ મળશે.
વિદાયનાં સમયે
- મુખ્ય ભાઈ - બહેનો ની સાથે
બાપદાદા બધાં બાળકો ને સમાન બનાવવાની શુભ ભાવના થી ઉડાડવાં ઈચ્છે છે. નિમિત્ત બનેલાં
સેવાધારી બાપ-સમાન બનવાનાં જ છે, કેવી રીતે પણ બાપ બનાવવાનાં જ છે કારણ કે
જેવાં-તેવાંં ને તો સાથે લઈ જ નહીં જશે. બાપની પણ તો શાન છે ને. બાપ સંપન્ન હોય અને
સાથી લંગડા કે લુલા હોય તો શોભશે નહીં. લુલા-લંગડા બારાતી હશે, સાથી નહીં, એટલે શિવ
ની બારાત સદા લુલી-લંગડી દેખાડી છે કારણ કે કંઈક કમજોર આત્માઓ ધર્મ રાજપુરી માં પાસ
થતાં લાયક બનશે. અચ્છા.
વરદાન :-
સેવા ની સ્ટેજ
પર સમાવવાની શક્તિ દ્વારા સફળતા મૂર્ત બનવા વાળા માસ્ટર સાગર ભવ
જ્યારે સેવા ની સ્ટેજ
પર આવો છો તો અનેક પ્રકાર ની વાતો સામે આવે છે, એ વાતો ને સ્વય માં સમાવી લો તો
સફળતામૂર્ત બની જશો. સમાવવું અર્થાત્ સંકલ્પ રુપ માં પણ કોઈ ની વ્યક્ત વાતો અને ભાવ
નો અંશ રુપ સમાયેલો ન હોય. અકલ્યાણકારી બોલ કલ્યાણની ભાવનામાં એવા બદલી નાખો જેમ
અકલ્યાણ નો બોલ હતો જ નહીં. અવગુણ ને ગુણ માં, નિંદા ને સ્તુતિ માં બદલી નાખો -
ત્યારે કહેશે માસ્ટર સાગર.
સ્લોગન :-
વિસ્તાર ને ન
જોતાં સાર ને જુઓ અથવા સ્વયં માં સમાવવા વાળા જ તીવ્ર પુરુષાર્થી છે.