24-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ શિવ ભગવાનુવાચ -
મીઠા બાળકો , તમે મને યાદ કરો અને પ્રેમ કરો કારણ કે હું જ તમને સદા સુખી બનાવવા
આવ્યો છું ”
પ્રશ્ન :-
જે બાળકો થી
ગફલત થતી રહે છે એમનાં મુખ થી કયા બોલ સ્વતઃ નીકળી જાય છે?
ઉત્તર :-
તકદીર માં જે હશે તે મળી જશે. સ્વર્ગમાં તો જઈશું જ. બાબા કહે છે આ બોલ પુરુષાર્થી
બાળકોનાં નથી. ઉંચ પદ પામવાનો જ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે બાપ આવ્યાં છે ઉંચ પદ
આપવાં તો ગફલત નહીં કરો.
ગીત :-
બચપન કે દિન ભુલા ન દેના …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત ની લાઈન નો અર્થ સમજ્યો. હમણાં જીવતે જીવ તમે બેહદનાં બાપનાં
બન્યાં છો. આખો કલ્પ તો હદનાં બાપનાં બન્યાં છો. હમણાં ફક્ત તમે બ્રાહ્મણ બાળકો
બેહદ બાપનાં બન્યાં છો. તમે જાણો છો બેહદનાં બાપ થી આપણે બેહદ નો વારસો લઇ રહ્યાં
છીએ. જો બાપ ને છોડ્યાં તો બેહદનો વારસો મળી નહીં શકે. ભલે તમે સમજાવો છો પરંતુ
થોડામાં તો કોઈ રાજી નથી થતાં. મનુષ્ય ધન ઈચ્છે છે. ધન વગર સુખ નથી મળતું. ધન પણ
જોઈએ, શાંતિ પણ જોઈએ, નિરોગી કાયા પણ જોઈએ. આપ બાળકો જ જાણો છો દુનિયામાં આજે શું
છે, કાલે શું થવાનું છે. વિનાશ તો સામે ઉભો છે. બીજા કોઈની બુદ્ધિ માં આ વાતો છે નહી.
જે સમજે પણ વિનાશ ઉભો છે, તો પણ કરવાનું શું છે, એ નથી સમજતાં. આપ બાળકો સમજો છો
ક્યારેય પણ લડાઈ લાગી શકે છે, થોડી ચિનગારી લાગી તો ભંભટ પસરી જવામાં વાર નહીં લાગશે.
બાળકો જાણે છે આ જુની દુનિયા ખતમ થઈ કે થઈ એટલે હવે જલ્દી જ બાપ થી વારસો લેવાનો
છે. બાપ ને સદૈવ યાદ કરતાં રહેશે તો ખૂબ હર્ષિત રહેશે. દેહ-અભિમાન માં આવવાથી બાપ
ને ભૂલી દુઃખ ઉઠાવો છો. જેટલું બાપને યાદ કરશો એટલું બેહદનાં બાપ થી સુખ ઉઠાવશો.
અહીંયા તમે આવ્યાં જ છો એવાં લક્ષ્મી-નારાયણ બનવાં. રાજા-રાણીનાં અને પ્રજાનાં નોકર
ચાકર બનવું - આમાં બહુજ ફરક છે ને. હમણાંનો પુરુષાર્થ પછી કલ્પ-કલ્પાંતર માટે કાયમ
થઈ જાય છે. અંત માં બધાને સાક્ષાત્કાર થશે - અમે કેટલો પુરુષાર્થ કર્યો છે? હમણાં
પણ બાપ કહે છે પોતાની અવસ્થા ને જોતાં રહો. મીઠા-મીઠા બાબા જેનાથી સ્વર્ગનો વારસો
મળે છે, એમને આપણે કેટલાં યાદ કરીએ છે. તમારો બધો આધાર યાદ પર છે. જેટલું યાદ કરશો
એટલી ખુશી પણ રહેશે. સમજશો હવે નજીક આવીને પહોંચ્યા છીએ. કોઈ થાકી પણ જાય છે, ખબર
નહિં મંઝિલ કેટલી દૂર છે. પહોંચે તો મહેનત પણ સફળ થાય. હમણાં જે મંઝિલ પર તમે જઈ
રહ્યાં છો, દુનિયા નથી જાણતી. દુનિયા ને આ પણ ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે. કહે
પણ છે ભગવાન. પછી કહી દે ઠીક્કર-ભિત્તર માં છે.
હમણાં આપ જાણો છો આપણે બાપનાં બની ચૂક્યાં છીએ. હવે બાપની જ મત પર ચાલવાનું છે. ભલે
વિલાયત માં છો, ત્યાં રહેતાં પણ ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. તમને શ્રીમત મળે છે.
આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન સિવાય યાદનાં થઇ ન શકે. તમે કહો છો બાબા અમે આપ થી
પૂરો વારસો લઈશું. જેમ અમારા મમ્મા બાબા વારસો લે છે, અમે પણ પુરુષાર્થ કરી એમની
ગાદી પર જરુર બેસશું. મમ્મા બાબા, રાજ-રાજેશ્વરી બને છે તો અમે પણ બનીશું. પરીક્ષા
તો બધાનાં માટે એક જ છે. તમને બહુજ થોડું શીખવાડાય છે ફક્ત બાપ ને યાદ કરો. આને
કહેવાય છે સહજ રાજયોગ બળ. તમે સમજો છો યોગ થી ખુબ બળ મળે છે. સમજે છે અમે કોઈ
વિકર્મ કરશું તો સજા ખૂબ ખાઈશું. પદ ભ્રષ્ટ થઈ જશે. યાદમાં જ માયા વિઘ્ન નાખે છે,
ગવાય છે સદ્દગુરુ કા નિંદક ઠોર ન પાયે. તે તો કહે ગુરુ નાં નિંદક…. નિરાકાર ની કોઈને
ખબર નથી. ગવાય પણ છે ભક્તો ને ફળ આપવા વાળા છે ભગવાન. સાધુ-સંત વગેરે બધાં ભક્ત છે.
ભક્ત જ ગંગા સ્નાન કરવા જાય છે. ભક્ત ભક્તો ને ફળ થોડી આપશે. ભક્ત ભક્તો ને ફળ આપે
તો પછી ભગવાન ને યાદ કેમ કરે. આ છે જ ભક્તિમાર્ગ. બધાં ભક્ત છે. ભક્તો ને ફળ આપવા
વાળા છે ભગવાન. એવું નથી કે વધારે ભક્તિ કરવા વાળા થોડી ભક્તિ કરવા વાળા ને ફળ આપશે.
ના. ભક્તિ એટલે ભક્તિ. રચના, રચના ને કેવી રીતે વારસો આપશે! વારસો રચયિતા થી જ મળે
છે. આ સમયે બધાં છે ભક્ત. જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ જાતે જ છૂટી જાય છે.
જ્ઞાન જિંદાબાદ થઈ જાય છે. જ્ઞાન વગર સદ્દગતિ કેવી રીતે થશે. બધાં પોતાનાં
હિસાબ-કિતાબ ચૂકતું કરી ચાલ્યા જાય છે. તો હવે આપ બાળકો જાણો છો વિનાશ સામે ઉભો છે.
એનાં પહેલા પુરુષાર્થ કરી બાપ થી પૂરો વારસો લેવાનો છે.
તમે જાણો છો આપણે પાવન દુનિયામાં જઈ રહ્યાં છીએ. જે બ્રાહ્મણ બનશે એ જ નિમિત્ત બનશે.
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બન્યાં વગર તમે બાપ થી વારસો લઈ નથી શકતાં. બાપ બાળકો
ને રચે જ છે વારસો આપવાનાં માટે. શિવબાબાનાં તો આપણે જ છીએ. સૃષ્ટિ રચે છે બાળકો ને
વારસો આપવા માટે. શરીરધારી ને જ વારસો આપશે ને. આત્માઓ તો ઉપર રહે છે. ત્યાં તો
વારસા અથવા પ્રાલબ્ધ ની વાત જ નથી. તમે હમણાં પુરુષાર્થ કરી પ્રાલબ્ધ લઈ રહ્યાં છો,
જે દુનિયાને ખબર નથી. હવે સમય નજીક આવતો જઈ રહ્યો છે. બોમ્બસ કોઈ રાખવા માટે નથી.
તૈયારીઓ ખૂબ થઈ રહી છે. હમણાં બાપ આપણને ફરમાન કરે છે કે મને યાદ કરો. નહીં તો અંત
માં ખૂબ રડવું પડશે. રાજ-વિદ્યા ની પરીક્ષા માં કોઈ નાપાસ થાય છે તો જઈને ડૂબી મરે
છે ગુસ્સામાં. અહીંયા ગુસ્સાની તો વાત નથી. અંત માં તમને સાક્ષાત્કાર ખૂબ થશે.
શું-શું આપણે બનીશું તે પણ ખબર પડી જશે. બાપનું કામ છે પુરુષાર્થ કરાવવાનું. બાળકો
કહે છે બાબા અમે કર્મ કરતાં યાદ કરવાનું ભૂલી જઈએ છે, કોઈ પછી કહે છે યાદ કરવાની
ફુરસદ નથી મળતી, તો બાબા કહેશે સારું સમય કાઢીને યાદમાં બેસો. બાપ ને યાદ કરો. આપસ
માં જ્યારે મળો છો તો પણ આ જ કોશિશ કરો, આપણે બાબા ને યાદ કરીએ. મળીને બેસવાથી તમે
યાદ સારું કરશો, મદદ મળશે. મૂળ વાત છે બાપ ને યાદ કરવાની. કોઈ વિલાયત જાય છે, ત્યાં
પણ ફક્ત એક વાત યાદ રાખો. બાપની યાદ થી જ તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. બાપ કહે
છે ફક્ત એક વાત યાદ કરો - બાપ ને યાદ કરો. યોગબળ થી બધાં પાપ ભસ્મ થઈ જશે. બાપ કહે
છે મનમનાભવ. મને યાદ કરો તો વિશ્વ નાં માલિક બનશો. મૂળ વાત થઈ જાય છે યાદ ની.
ક્યાંય પણ જવાની વાત નથી. ઘરમાં રહો, ફક્ત બાપ ને યાદ કરો. પવિત્ર નહીં બનશો તો યાદ
નહીં કરી શકો. એવું થોડી જ છે બધાં આવીને ક્લાસમાં ભણશે. મંત્ર લીધો પછી ભલે ક્યાંય
પણ ચાલ્યા જાઓ. સતોપ્રધાન બનવાનો રસ્તો બાપે બતાવ્યો જ છે. આમ તો સેવાકેન્દ્ર પર
આવવાથી નવી-નવી પોઇન્ટસ સાંભળતાં રહેશો. જો કોઈ કારણ થી આવી નથી શકતાં, વરસાદ પડે
છે, કર્ફ્યુ લાગે છે, કોઈ બહાર નથી નીકળી શકતાં પછી શું કરશો? બાપ કહે છે કોઈ વાંધો
નથી. એવું નથી કે શિવનાં મંદિરમાં લોટી ચઢાવવી જ પડશે. ક્યાંય પણ રહેતાં તમે યાદમાં
રહો. ચાલતાં-ફરતાં યાદ કરો, બીજાઓ ને પણ આ જ કહો કે બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ
થશે અને દેવતા બની જશો. અક્ષર જ બે છે - બાપ રચતા થી જ વારસો લેવાનો છે. રચતા એક જ
છે. તે કેટલો સહજ રસ્તો બતાવે છે. બાપ ને યાદ કરવાનો મંત્ર મળી ગયો. બાપ કહે છે આ
બાળપણ ભૂલી નહીં જતાં. આજે હસો છો કાલે રડવું પડશે, જો બાપને ભૂલ્યાં તો. બાપ થી
વારસો પૂરો લેવો જોઈએ. એવા ઘણાં છે, કહે છે સ્વર્ગમાં તો જઈશું ને, જે તકદીર માં હશે...એમને
કોઈ પુરુષાર્થી નહીં કહેશે. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઉંચ પદ પામવા માટે. હવે
જ્યારે કે બાપ થી ઉંચ પદ મળે છે તો ગફલત કેમ કરવી જોઈએ. સ્કૂલમાં જે ભણશે નહીં તો
ભણેલા નાં આગળ ભરી ધોવી પડશે. બાપને પૂરા યાદ નહીં કરશો તો પ્રજામાં નોકર-ચાકર જઈને
બનશો, આમાં ખુશ થોડી થવું જોઈએ. બાળકો સમ્મુખ રિફ્રેશ થઈને જાય છે. ઘણી બાંધેલીઓ
છે, વાંધો નહીં, ઘર બેસી બાપ ને યાદ કરતી રહો. કેટલું સમજાવે છે મોત સામે ઉભું છે,
અચાનક જ લડાઈ શરું થઈ જશે. જોવામાં આવે છે લડાઈ જેમ કે થઈ કે થઈ. રેડિયો થી પણ બધી
ખબર પડી જાય છે. કહે છે થોડી પણ ગડબડ કરી તો અમે આમ કરશું. પહેલાથી જ કહી દે છે.
બોમ્બસ નું અભિમાન ખૂબ છે. બાપ પણ કહે છે બાળકો હજું યોગબળ માં તો હોશિયાર થયાં નથી.
લડાઈ લાગી જાય, એવું ડ્રામા અનુસાર થશે જ નહીં. બાળકો એ પૂરો વારસો જ નથી લીધો. હમણાં
પૂરી રાજધાની સ્થાપન થઈ નથી. થોડો સમય જોઈએ. પુરુષાર્થ કરાવતાં રહે છે. ખબર નહીં કયા
સમયે કાંઈ પણ થઈ જાય, એરોપ્લેન, ટ્રેન પડી જાય. મોત કેટલું સહજ ઉભું છે. ધરતી હલતી
રહે છે. સૌથી વધારે કામ કરવાનું છે અર્થકવેક (ધરતીકંપ) ને. આ હલે ત્યારે તો બધાં
મકાન વગેરે પડે. મોત થવાનાં પહેલા બાપ થી પૂરો વારસો લેવાનો છે એટલે ખૂબ પ્રેમ થી
બાપ ને યાદ કરવાનાં છે. બાબા તમારાં વગર અમારું બીજું કોઈ નથી. ફક્ત બાપ ને યાદ કરતાં
રહો. કેટલી સહજ રીતે જેમ નાનાં-નાનાં બાળકોને બેસી સમજાવે છે. બીજી કોઈ તકલીફ આપતો
નથી, ફક્ત મને યાદ કરો અને કામ ચિતા પર બેસી જે તમે બળી મર્યાં છો હવે જ્ઞાન ચિતા
પર બેસી પવિત્ર બનો. તમને પૂછે છે તમારો ઉદ્દેશ શું છે? બોલો, શિવબાબા જે સર્વનાં
બાપ છે તે કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે તમોપ્રધાન થી
સતોપ્રધાન બની જશો. કળયુગ માં બધાં તમોપ્રધાન છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે.
હવે બાપ કહે છે ફક્ત મને યાદ કરો તો કટ ઉતરી જશે. આ આટલો પૈગામ (સંદેશ) તો આપી શકો
છો ને. પોતે યાદ કરશો ત્યારે બીજાને યાદ કરાવી શકશો. પોતે યાદ કરતાં હશે તો બીજા ને
રુચિ થી કહેશે, નહીં તો દિલ થી નહીં નીકળશે. બાપ સમજાવે છે કે ક્યાંય પણ છો જેટલું
થઈ શકે ફક્ત યાદ કરો. જે મળે એમને આ જ શિક્ષા આપો - મોત સામે ઉભું છે. બાપ કહે છે
તમે બધાં તમોપ્રધાન પતિત બની પડ્યાં છો. હવે મને યાદ કરો, પવિત્ર બનો. આત્મા જ પતિત
બની છે. સતયુગ માં હોય છે પાવન આત્મા. બાપ કહે છે યાદ થી જ આત્મા પાવન બનશે, બીજો
કોઈ ઉપાય નથી. આ પૈગામ બધાને આપતા જાઓ તો પણ અનેકો નું કલ્યાણ કરશો બીજી કોઈ તકલીફ
આપતા નથી. બધી આત્માઓને પાવન બનાવવા વાળા પતિત-પાવન બાપ જ છે. સૌથી ઉત્તમ થી ઉત્તમ
પુરુષ બનાવવા વાળા છે બાપ. જે પૂજ્ય હતાં એ જ પછી પૂજારી બન્યાં છે. રાવણ રાજ્ય માં
આપણે પૂજારી બન્યાં છીએ, રામરાજ્ય માં પૂજ્ય હતાં. હવે રાવણ રાજ્ય નો અંત છે, આપણે
પૂજારી થી પછી પૂજ્ય બનીએ છીએ - બાપ ને યાદ કરવાથી. બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે,
વૃદ્ધ માતાઓની પણ સર્વિસ કરવી જોઈએ. મિત્ર-સંબંધીઓ ને પણ સંદેશ આપો. સતસંગ, મંદિર
વગેરે પણ અનેક પ્રકાર નાં છે. તમારો તો છે એક પ્રકાર. ફક્ત બાપ નો પરિચય આપવાનો છે.
શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. નિરાકાર શિવબાબા
સર્વનાં સદ્દગતિ દાતા બાબા આત્માઓને કહે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી
સતોપ્રધાન બની જશો. આ તો સહજ છે ને સમજાવવું. વૃદ્ધ માતાઓ પણ સર્વિસ કરી શકે છે.
મૂળ વાત જ આ છે. લગ્ન મુરાદી પર ક્યાંય પણ જાઓ, કાન માં આ વાત સંભળાવો. ગીતા નો
ભગવાન કહે છે મને યાદ કરો. આ વાતને બધાં પસંદ કરશે. વધારે બોલવાની દરકાર જ નથી.
ફક્ત બાપ નો પૈગામ આપવાનો છે કે બાપ કહે છે મને યાદ કરો. અચ્છા, એવું સમજો ભગવાન
પ્રેરણા કરે છે. સ્વપ્ન માં સાક્ષાત્કાર થાય છે. અવાજ સાંભળવામાં આવે છે કે બાપ કહે
છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમે સ્વયં પણ ફક્ત આ ચિંતન
કરતાં રહો તો બેડો પાર થઈ જશે. આપણે પ્રેક્ટિકલમાં બેહદનાં બાપ નાં બન્યા છીએ અને
બાપ થી ૨૧ જન્મો નો વારસો લઈ રહ્યાં છીએ તો ખુશી રહેવી જોઈએ. બાપ ને ભૂલવાથી જ
તકલીફ થાય છે. બાપ કેટલું સહજ બતાવે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો આત્મા
સતોપ્રધાન બની જશે. બધાં સમજશે આમને રસ્તો તો બરાબર સાચો મળ્યો છે. આ રસ્તો ક્યારેય
કોઈ બતાવી ન શકે. જો તેઓ કહે શિવબાબા ને યાદ કરો તો પછી સાધુ વગેરે નાં પાસે કોણ જશે.
સમય એવો આવશે જે તમે ઘર થી બહાર પણ નીકળી નહીં શકશો. બાપ ને યાદ કરતાં-કરતાં શરીર
છોડી દેશો. અંતકાળ જે શિવબાબા સિમરે….સો પછી નારાયણ યોની વલ-વલ ઉતરે,
લક્ષ્મી-નારાયણની રાજધાની માં આવશે ને. ઘડી-ઘડી રાજાઈ પદ પામશે. બસ ફક્ત બાપ ને યાદ
કરો અને પ્રેમ કરો. યાદ વગર પ્રેમ કેવી રીતે કરશે. સુખ મળે છે ત્યારે પ્રેમ કરાય
છે. દુઃખ આપવા વાળા ને પ્રેમ નથી કરાતો. બાપ કહે છે હું તમને સ્વર્ગનાં માલિક બનાવું
છું એટલે મને યાદ કરો. બાપ ની મત પર ચાલવું જોઈએ ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ખુશીમાં
રહેવા માટે યાદની મહેનત કરવાની છે. યાદ નું બળ આત્મા ને સતોપ્રધાન બનાવવા વાળું છે.
પ્રેમ થી એક બાપ ને યાદ કરવાનાં છે.
2. ઉંચ પદ પામવા માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. એવું નહીં જે તકદીર માં
હશે, ગફલત છોડી પૂરા વારસાનાં અધિકારી બનવાનું છે.
વરદાન :-
વિચારવાં અને
કરવાનાં અંતર ને મિટાવવા વાળા સ્વ - પરિવર્તક સો વિશ્વ પરિવર્તક ભવ
કોઈ પણ સંસ્કાર,
સ્વભાવ, બોલ કે સંપર્ક જે યથાર્થ નથી વ્યર્થ છે, એ વ્યર્થ ને પરિવર્તન કરવાની મશીનરી
ફાસ્ટ (તીવ્ર) કરો. વિચાર્યું અને કર્યું…. ત્યારે વિશ્વ પરિવર્તન ની મશીનરી તેજ થશે.
હમણાં સ્થાપના નાં નિમિત્ત બનેલી આત્માઓનાં વિચારવાં અને કરવામાં અંતર દેખાય છે, તે
અંતર ને મિટાવો. ત્યારે સ્વ પરિવર્તક સો વિશ્વ પરિવર્તક બની શકશો.
સ્લોગન :-
સૌથી લક્કી (ભાગ્યશાળી)
તે છે જેમણે પોતાનાં જીવન માં અનુભૂતિ ની ગિફ્ટ પ્રાપ્ત કરી છે.