22-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
બાપની પાસે આવ્યાં છો રિફ્રેશ થવાં , બાપ અને વારસા ને યાદ કરો તો સદા રિફ્રેશ રહેશો
”
પ્રશ્ન :-
સમજદાર બાળકો
ની મુખ્ય નિશાની શું હશે?
ઉત્તર :-
જે સમજદાર છે એમને અપાર ખુશી હશે. જો ખુશી નથી તો બુદ્ધુ છે. સમજદાર અર્થાત્ પારસ
બુદ્ધિ બનવા વાળા. તે બીજાઓને પણ પારસ બુદ્ધિ બનાવશે. રુહાની સર્વિસ માં વ્યસ્ત
રહેશે. બાપનો પરિચય આપ્યાં વગર રહી નહીં શકે.
ઓમ શાંતિ!
બાપ બેસી
સમજાવે છે, આ દાદા પણ સમજે છે કારણ કે બાપ બેસી દાદા દ્વારા સમજાવે છે. તમે જેમ સમજો
છો તેમ દાદા પણ સમજે છે. દાદાને ભગવાન નથી કહેવાતું. આ છે ભગવાનુવાચ. બાપ મુખ્ય શું
સમજાવે છે કે દેહી-અભિમાની બનો. આ કેમ કહે છે? કારણ કે પોતાને આત્મા સમજવાથી આપણે
પતિત-પાવન પરમપિતા પરમાત્મા દ્વારા પાવન બનવા વાળા છીએ. આ બુદ્ધિ માં જ્ઞાન છે.
બધાને સમજાવવાનું છે, પોકારે પણ છે કે અમે પતિત છીએ. નવી દુનિયા જરુર પાવન જ હશે.
નવી દુનિયા બનાવવા વાળા, સ્થાપન કરવા વાળા બાપ છે. એમને જ પતિત-પાવન બાબા કહી બોલાવે
છે. પતિત-પાવન, તેની સાથે એમને બાપ કહે છે. બાપને આત્માઓ બોલાવે છે. શરીર નહીં
બોલાવશે. આપણી આત્માઓનાં બાપ પારલૌકિક છે, એ જ પતિત-પાવન છે. આ તો સારી રીતે યાદ
રહેવું જોઈએ. આ નવી દુનિયા છે કે જૂની દુનિયા છે, આ સમજી તો શકો છો ને. એવાં પણ
બુદ્ધુ છે, જે સમજે છે અમને સુખ અપાર છે. અમે તો જેમ સ્વર્ગમાં બેઠા છીએ. પરંતુ આ
પણ સમજવું જોઈએ કે કળયુગ ને ક્યારે સ્વર્ગ કહી ન શકાય. નામ જ છે કળયુગ, જૂની પતિત
દુનિયા. અંતર છે ને. મનુષ્યો ની બુદ્ધિમાં આ પણ બેસતું નથી. બિલકુલ જ જડજડીભૂત
અવસ્થા છે. બાળકો નથી ભણતાં તો કહે છે ને કે તમે તો પથ્થરબુદ્ધિ છો. બાબા પણ લખે છે
તમારા ગામ નિવાસી તો બિલકુલ પથ્થરબુદ્ધિ છે. સમજતાં નથી કારણ કે બીજાઓને પણ સમજાવતાં
નથી. પોતે પારસ બુદ્ધિ બને છે તો બીજાઓને પણ બનાવવાં જોઈએ. પુરુષાર્થ કરવો જોઈએ. આમાં
લજ્જા વગેરે ની તો વાત જ નથી. પરંતુ મનુષ્યો ની બુદ્ધિમાં અડધોકલ્પ ઉલ્ટા અક્ષર
પડ્યાં છે તો તે ભૂલતાં નથી. કેવી રીતે ભૂલાય? ભૂલાવવાની તાકાત પણ તો એક બાપની પાસે
જ છે. બાપ વગર આ જ્ઞાન તો કોઈ આપી નથી શકતું. એટલે બધાં અજ્ઞાની થયાં. એમનું જ્ઞાન
પછી ક્યાંથી આવે! જ્યાં સુધી જ્ઞાન સાગર બાપ આવીને ન સંભળાવે. તમોપ્રધાન એટલે જ
અજ્ઞાની દુનિયા. સતોપ્રધાન એટલે દૈવી દુનિયા. ફરક તો છે ને. દેવી-દેવતાઓ જ
પુનર્જન્મ લે છે. સમય પણ ફરતો રહે છે. બુદ્ધિ પણ કમજોર થતી જાય છે. બુદ્ધિનો યોગ
લગાવવાથી જે તાકાત મળે તે પછી ખલાસ થઈ જાય છે.
હમણાં તમને બાપ સમજાવે છે તો તમે કેટલાં રિફ્રેશ થાઓ છો. તમે રિફ્રેશ હતાં અને
વિશ્રામ માં હતાં. બાપ પણ લખે છે ને - બાળકો આવીને રિફ્રેશ પણ થઈ જાઓ અને વિશ્રામ
પણ કરો. રિફ્રેશ થયા બાદ તમે સતયુગ માં વિશ્રામપુરી માં જાઓ છો. ત્યાં તમને બહુ જ
વિશ્રામ મળે છે. ત્યાં સુખ-શાંતિ-સંપત્તિ વગેરે બધું જ તમને મળે છે. તો બાબાની પાસે
આવે છે રિફ્રેશ થવાં, વિશ્રામ કરવાં. રિફ્રેશ પણ શિવબાબા કરે છે. વિશ્રામ પણ બાબાની
પાસે લો છો. વિશ્રામ એટલે શાંત. થાકીને વિશ્રામી થાય છે ને! કોઈ ક્યાં, કોઈ ક્યાં
જાય છે વિશ્રામ કરવાં. તેમાં તો રીફ્રેશમેન્ટ ની વાત જ નથી. અહીંયા તમને બાપ રોજ
સમજાવે છે તો તમે અહીંયા આવીને રિફ્રેશ થાઓ છો. યાદ કરવાથી તમે તમોપ્રધાન થી
સતોપ્રધાન બનો છો. સતોપ્રધાન બનવા માટે જ તમે અહીંયા આવો છો. એનાં માટે શું
પુરુષાર્થ છે? મીઠા-મીઠા બાળકો બાપ ને યાદ કરો. બાપે બધી શિક્ષા તો આપી છે. આ
સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, તમને વિશ્રામ કેવી રીતે મળે છે. બીજું કોઈ પણ આ
વાતો જાણતું નથી તો એમને પણ સમજાવવું જોઈએ, જેથી તે પણ તમારા જેવા રિફ્રેશ થઈ જાય.
આપણી ફરજ જ આ છે, બધાં ને પૈગામ આપવો. અવિનાશી રિફ્રેશ થવાનું છે. અવિનાશી વિશ્રામ
કરવાનો છે. બધાને આ પૈગામ આપો. આ જ યાદ અપાવવાની છે કે બાપને અને વારસાને યાદ કરો.
છે તો ખૂબ સહજ વાત. બેહદનાં બાપ સ્વર્ગ રચે છે. સ્વર્ગનો જ વારસો આપે છે. હમણાં તમે
છો સંગમયુગ પર. માયાનાં શ્રાપ અને બાપનાં વારસા ને તમે જાણો છો. જ્યારે માયા રાવણનો
શ્રાપ મળે છે તો પવિત્રતા પણ ખતમ, સુખ-શાંતિ પણ ખતમ, તો ધન પણ ખતમ થઇ જાય છે. કેવી
રીતે ધીરે-ધીરે ખતમ થાય છે - તે પણ બાપે સમજાવ્યું છે. કેટલાં જન્મ લાગે છે,
દુઃખધામ માં કોઈ વિશ્રામ થોડી હોય છે. સુખધામ માં વિશ્રામ જ વિશ્રામ છે. મનુષ્યો ને
ભક્તિ કેટલી થકાવે છે. જન્મ-જન્માંતર ભક્તિ થકવી દે છે. કંગાળ કરી દે છે. આ પણ હવે
તમને બાપ સમજાવે છે. નવાં-નવાં આવે છે તો કેટલું સમજાવાય છે. દરેક વાત પર મનુષ્ય
ખૂબ વિચાર કરે છે. સમજે છે ક્યાંક જાદુ ન હોય. અરે તમે કહો છો જાદુગર. તો હું પણ કહું
છું - જાદુગર છું. પરંતુ જાદુ કોઈ તે નથી જે ઘેટા-બકરા વગેરે બનાવી દેશે. જનાવર તો
નથી ને. આ બુદ્ધિથી સમજાવાય છે. ગાયન પણ છે સુરમંડલ નાં સુર થી…. આ સમય મનુષ્ય જેમ
રિઢ જેવાં છે. આ વાતો અહીંયાનાં માટે છે. સતયુગમાં નથી ગાતાં, આ સમયનું જ ગાયન છે.
ચંડિકા નો કેટલો મેળો લાગે છે. પૂછો તે કોણ હતી? કહેશે દેવી. હવે એવું નામ તો ત્યાં
હોતું નથી. સતયુગ માં તો સદૈવ શુભ નામ હોય છે. શ્રી રામચંદ્ર, શ્રી કૃષ્ણ... શ્રી
કહેવાય છે શ્રેષ્ઠ ને. સતયુગી સંપ્રદાય ને શ્રેષ્ઠ કહેવાય છે. કળયુગી વિકારી
સંપ્રદાય ને શ્રેષ્ઠ કેવી રીતે કહેશો. શ્રી એટલે શ્રેષ્ઠ. હમણાનાં મનુષ્ય તો
શ્રેષ્ઠ છે નહીં. ગાયન પણ છે મનુષ્ય થી દેવતા…. પછી દેવતા થી મનુષ્ય બને છે કારણ કે
૫ વિકારો માં જાય છે. રાવણ રાજ્ય માં બધાં મનુષ્ય જ મનુષ્ય છે. ત્યાં છે દેવતાઓ.
તેને દૈવી દુનિયા, આને મનુષ્ય દુનિયા કહેવાય છે. દૈવી દુનિયા ને દિવસ કહેવાય છે.
મનુષ્ય દુનિયા ને રાત કહેવાય છે. દિવસ અજવાળા ને કહેવાય છે. રાત અજ્ઞાન અંધકાર ને
કહેવાય છે. આ ફરક ને તમે જાણો છો. તમે સમજો છો આપણે પહેલાં કંઈ પણ નહોતાં જાણતાં.
હમણાં બધી વાતો બુદ્ધિમાં છે. ઋષિ-મુનિયો થી પૂછે છે રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત
ને જાણો છો તો તે પણ નેતી-નેતી કરી ગયાં. અમે જાણતાં નથી. હમણાં તમે સમજો છો આપણે
પણ પહેલાં નાસ્તિક હતાં. બેહદનાં બાપ ને જાણતા નહોતાં. એ છે અસલ અવિનાશી બાબા,
આત્માઓનાં બાબા. આપ બાળકો જાણો છો આપણે એ બેહદનાં બાપનાં બન્યાં છીએ, જે ક્યારેય
બળતાં નથી. અહીંયા તો બધાં બળે છે, રાવણ ને પણ બાળે છે. શરીર છે ને. તો પણ આત્મા ને
તો ક્યારેય કોઈ બાળી નથી શકતાં. તો બાળકોને બાપ આ ગુપ્ત જ્ઞાન સંભળાવે છે, જે બાપનાં
પાસે જ છે. આ આત્મામાં ગુપ્ત જ્ઞાન છે. આત્મા પણ ગુપ્ત છે. આત્મા આ મુખ દ્વારા બોલે
છે એટલે બાપ કહે છે - બાળકો, દેહ-અભિમાની નહીં બનો. આત્મ-અભિમાની બનો. નહીં તો જેમ
ઉલ્ટા બની જાઓ છો. પોતાને આત્મા ભૂલી જાઓ છો. ડ્રામા નાં રહસ્યને પણ સારી રીતે
સમજવાનું છે. ડ્રામા માં જે નોંધ છે તે હૂબહૂ રિપીટ થાય છે. આ કોઈને ખબર નથી. ડ્રામા
અનુસાર સેકન્ડ પછી સેકન્ડ કેવી રીતે ચાલતી રહે છે, આ પણ નોલેજ બુદ્ધિમાં છે. આકાશ
નો કોઈ પણ પાર નથી પામી શકતાં. ધરતી નો પામી શકે છે. આકાશ સૂક્ષ્મ છે, ધરતી તો
સ્થૂળ છે. ઘણી વસ્તુઓનો પાર પામી નથી શકતાં. જ્યારે કહે પણ છે આકાશ જ આકાશ, પાતાળ જ
પાતાળ છે. શાસ્ત્રોમાં સાંભળ્યું છે ને, તો ઉપર પણ જઈને જુએ છે. ત્યાં પણ દુનિયા
વસાવવાની કોશિશ કરે છે. દુનિયા વસાવી તો ઘણી છે ને. ભારત માં ફક્ત એક જ દેવી-દેવતા
ધર્મ હતો અને ખંડ વગેરે નહોતાં પછી કેટલું વસાવ્યું છે. તમે વિચાર કરો. ભારત નાં પણ
કેટલાં થોડા ટુકડા (ભાગ) માં દેવતાઓ હોય છે. જમુના નો કાંઠો હોય છે. દિલ્લી
પરિસ્તાન હતું, આને કબ્રિસ્તાન કહેવાય છે, જ્યાં અકાળે મૃત્યુ થતું રહે છે. અમરલોક
ને પરિસ્તાન કહેવાય છે. ત્યાં ખુબ નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) હોય છે. ભારતને
હકીકતમાં પરિસ્તાન કહેતાં હતાં. આ લક્ષ્મી-નારાયણ પરિસ્તાન નાં માલિક છે ને. કેટલાં
શોભનિક છે. સતોપ્રધાન છે ને. નેચરલ બ્યુટી હતી. આત્મા પણ ચમકતી રહે છે. બાળકોને
દેખાડ્યું હતું કૃષ્ણ નો જન્મ કેવી રીતે થાય છે. આખાં ઓરડામાં જ જેમ ચમત્કાર થઈ જાય
છે. તો બાપ બાળકોને બેસી સમજાવે છે. હમણાં તમે પરિસ્તાન માં જવા માટે પુરુષાર્થ કરી
રહ્યાં છો. નંબરવાર તો જરુર જોઈએ. એક જેવાં બધાં હોઈ ન શકે. વિચાર કરાય છે, આટલી
નાની આત્મા કેટલો મોટો પાર્ટ ભજવે છે. શરીર થી આત્મા નીકળી જાય છે તો શરીરનો શું
હાલ થઈ જાય છે. આખી દુનિયાનાં એક્ટર્સ એ જ પાર્ટ ભજવે છે જે અનાદિ બનેલો હોય છે. આ
સૃષ્ટિ પણ અનાદિ છે. આમાં દરેક નો પાર્ટ પણ અનાદિ છે. આને તમે વન્ડરફુલ ત્યારે કહો
છો જ્યારે કે જાણો છો આ સૃષ્ટિ રુપી ઝાડ છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે.
ડ્રામામાં છતાં પણ જેનાં માટે જેટલો સમય છે એટલો સમજાવવામાં સમય લે છે. બુદ્ધિમાં
ફરક છે ને. આત્મા મન-બુદ્ધિ સહિત છે ને તો કેટલો ફરક હોય છે. બાળકોને ખબર પડે છે
મારે સ્કોલરશીપ લેવાની છે. તો દિલમાં અંદર ખુશી થાય છે ને. અહીંયા પણ અંદર આવવાથી જ
મુખ્ય લક્ષ્ય સામે જોવામાં આવે છે તો જરુર ખુશી થશે ને! હમણાં તમે જાણો છો આ બનવા
માટે અહીંયા ભણવા આવ્યાં છો. નહીં તો ક્યારેય કોઈ આવી ન શકે. આ છે લક્ષ્ય-હેતુ. એવી
કોઈ સ્કૂલ ક્યાંય પણ નહીં હશે જ્યાં બીજા જન્મનાં લક્ષ્ય-હેતુ ને જોઈ શકે. તમે જોઈ
રહ્યાં છો આ સ્વર્ગનાં માલિક છે, આપણે જ આ બનવા વાળા છીએ. આપણે હમણા સંગમયુગ પર છીએ.
ન તે રાજાઈનાં છીએ, ન આ રાજાઈનાં છીએ. આપણે વચમાં છીએ, જઈ રહ્યાં છીએ. ખેવૈયા (બાપ)
પણ છે નિરાકાર. નાવ (આત્મા) પણ છે નિરાકાર. નાવ ને ખેંચીને પરમધામ માં લઈ જાય છે.
નિરાકાર બાપ નિરાકાર બાળકો ને લઈ જાય છે. બાપ જ બાળકોને સાથે લઈ જશે. આ ચક્ર પૂરું
થાય છે પછી હૂબહૂ રીપીટ કરવાનું છે. એક શરીર છોડી બીજું લઈશું. નાનાં બનીને પછી મોટા
બનીશું. જેમ કેરીની ગોટલી ને જમીન માં નાંખી દે છે તો એનાથી પછી કેરી નીકળી આવશે.
તે છે હદ નું ઝાડ. આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, આને વેરાયટી ઝાડ કહેવાય છે. સતયુગ
થી લઈને કળયુગ સુધી બધાં પાર્ટ ભજવતાં રહે છે. અવિનાશી આત્મા ૮૪ નાં ચક્ર નો પાર્ટ
ભજવે છે. લક્ષ્મી-નારાયણ હતાં જે હમણાં નથી. ચક્ર લગાવી હવે ફરી આ બને છે. કહેશે
પહેલાં આ લક્ષ્મી-નારાયણ હતાં પછી એમનો આ છે છેલ્લો જન્મ બ્રહ્મા-સરસ્વતી. હવે બધાએ
પાછા જરુર જવાનું છે. સ્વર્ગમાં તો આટલાં મનુષ્ય હતાં નહીં. ન ઈસ્લામી, ન બૌદ્ધી…….
કોઈ પણ ધર્મવાળા એક્ટર્સ નહોતાં, સિવાય દેવી-દેવતાઓનાં. આ સમજ પણ કોઈનામાં નથી.
સમજદાર ને ટાઇટલ (પદવી) મળવું જોઈએ ને. જેટલું જે ભણે છે નંબરવાર પુરુષાર્થ થી પદ
પામે છે. તો આપ બાળકોને અહીંયા આવવાથી જ આ લક્ષ્ય-હેતુ જોઈ ખુશી થવી જોઈએ. ખુશીનો
તો પારો નથી. પાઠશાળા કે સ્કૂલ હોય તો આવી. છે કેટલી ગુપ્ત, પરંતુ જબરજસ્ત પાઠશાળા
છે. જેટલું ઊંચું ભણતર, એટલી ઊંચી કોલેજ. ત્યાં બધી ફેસીલીટી (વ્યવસ્થા) મળે છે.
આત્માને ભણવાનું છે પછી ભલે સોનાનાં તખ્ત પર, ભલે લાકડીનાં તખ્ત પર ચઢે. બાળકોને
કેટલી ખુશી થવી જોઈએ કારણ કે શિવ ભગવાનુવાચ છે ને. પહેલા નંબરમાં છે આ વિશ્વનાં
પ્રિન્સ. બાળકોને હવે ખબર પડી છે. કલ્પ-કલ્પ બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે. હું
આમનામાં પ્રવેશ કરી આપ બાળકોને ભણાવી રહ્યો છું. દેવતાઓમાં આ જ્ઞાન થોડી હશે. જ્ઞાન
થી દેવતા બની ગયાં પછી ભણતર ની દરકાર નથી, આમાં ખુબ વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પતિત
દુનિયાનો બુદ્ધિ થી સન્યાસ કરી જૂનાં દેહ અને દેહ નાં સંબંધીઓ ને ભૂલી પોતાની બુદ્ધિ
બાપ અને સ્વર્ગ તરફ લગાડવાની છે.
2. અવિનાશી વિશ્રામ નો અનુભવ કરવા માટે બાપ અને વારસા ની સ્મૃતિ માં રહેવાનું છે.
બધાંને બાપ નો સંદેશ આપી રિફ્રેશ કરવાનાં છે. રુહાની સર્વિસમાં શરમ નથી કરવાની.
વરદાન :-
સદા બાપનાં
સમ્મુખ રહી ખુશીનો અનુભવ કરવા વાળા અથક અને આળસ રહિત ભવ
કોઈ પણ પ્રકારનાં
સંસ્કાર કે સ્વભાવ ને પરિવર્તન કરવામાં દિલ શિકસ્ત થવું અથવા અલબેલાપણું આવવું પણ
થાકવું છે, આનાથી અથક બનો. અથક નો અર્થ છે જેમાં આળસ ન હોય. જે બાળકો એવાં આળસ રહિત
છે તે સદા બાપનાં સમ્મુખ રહે છે અને ખુશી નો અનુભવ કરે છે. એમનાં મનમાં ક્યારેય
દુઃખ ની લહેર આવી નથી સકતી એટલે સદા સમ્મુખ રહો અને ખુશી નો અનુભવ કરો.
સ્લોગન :-
સિદ્ધિ સ્વરુપ
બનવા માટે દરેક સંકલ્પ માં પુણ્ય અને બોલ માં દુવાઓ જમાં કરતાં ચાલો.