17-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 14.10.87
બાપદાદા મધુબન
“ બ્રાહ્મણ જીવન - બાપ થી
સર્વ સંબંધ અનુભવ કરવાનું જીવન ”
આજે બાપદાદા પોતાનાં
અનેકવાર મિલન મનાવવા વાળા, અનેક કલ્પો થી મળવા વાળા બાળકોથી ફરી મિલન મનાવવા આવ્યાં
છે. આ અલૌકિક, અવ્યક્ત મિલન ભવિષ્ય સ્વર્ણિમયુગ માં પણ નથી થઈ શકતું. ફક્ત આ સમયે આ
વિશેષ યુગને વરદાન છે - બાપ અને બાળકોને મળવાનું એટલે આ યુગનું નામ જ છે સંગમયુગ
અર્થાત્ મિલન મનાવવાનો યુગ. આવાં યુગમાં આવું શ્રેષ્ઠ મિલન મનાવવાનાં વિશેષ
પાર્ટધારી આપ આત્માઓ છો. બાપદાદા પણ એવાં કોટો માં કોઈ શ્રેષ્ઠ ભાગ્યવાન આત્માઓ ને
જોઈ હર્ષિત થાય છે અને સ્મૃતિ અપાવે છે. આદિ થી અંત સુધી કેટલી સ્મૃતિઓ અપાવી છે?
યાદ કરો તો લાંબી લિસ્ટ નીકળી આવશે. એટલી સ્મૃતિઓ અપાવી છે જે આપ સર્વ
સ્મૃતિ-સ્વરુપ બની ગયાં છો. ભક્તિમાં આપ સ્મૃતિ-સ્વરુપ આત્માઓને યાદગાર રુપ માં
ભક્ત પણ દર સમયે સિમરણ કરતાં રહે છે. આપ સ્મૃતિ સ્વરુપ આત્માઓનાં દરેક કર્મ ની
વિશેષતા નું સિમરણ કરતાં રહે છે. ભક્તિ ની વિશેષતા જ સિમરણ અર્થાત્ કીર્તન કરવાની
છે. સિમરણ કરતાં-કરતાં મસ્તી માં કેટલા મગન થઈ જાય છે. અલ્પકાળ માટે તેમને પણ બીજી
કોઈ સુધ-બુધ નથી રહેતી. સિમરણ કરતાં-કરતાં એમાં ખોવાઈ જાય છે અર્થાત્ લવલીન થઈ જાય
છે. આ અલ્પકાળ નો અનુભવ તે આત્માઓ માટે કેટલો પ્યારો અને ન્યારો હોય છે! આ કેમ થાય?
કારણ કે જે આત્માઓનું સિમરણ કરે છે, આ આત્માઓ સ્વયં પણ બાપનાં સ્નેહમાં સદા લવલીન
રહી છે, બાપની સર્વ પ્રાપ્તિઓમાં સદા ખોવાયેલી રહી છે એટલે, એવી આત્માઓનું સિમરણ
કરવાથી પણ તે ભક્તો ને અલ્પકાળ માટે આપ વરદાની આત્માઓ દ્વારા અંજલી રુપમાં અનુભૂતી
પ્રાપ્ત થઈ જાય છે. તો વિચારો, જ્યારે સિમરણ કરવાવાળી ભક્ત આત્માઓને પણ આટલો અલૌકિક
અનુભવ થાય છે તો આપ સ્મૃતિ-સ્વરુપ, વરદાતા, વિધાતા આત્માઓ ને કેટલો પ્રેક્ટિકલ
જીવનમાં અનુભવ પ્રાપ્ત થાય છે! આ જ અનુભૂતિઓ માં સદા આગળ વધતાં ચાલો.
દરેક કદમમાં ભિન્ન-ભિન્ન સ્મૃતિ-સ્વરુપનો અનુભવ કરતાં ચાલો. જેવો સમય, જેવું કર્મ
તેવાં સ્વરુપ ની સ્મૃતિ ઈમર્જ (પ્રત્યક્ષ) રુપમાં અનુભવ કરો. જેમ, અમૃતવેલા દિવસનો
આરંભ થતાં બાપ થી મિલન મનાવતા - માસ્ટર વરદાતા બની વરદાતા થી વરદાન લેવા વાળી
શ્રેષ્ઠ આત્મા છું, ડાયરેક્ટ ભાગ્યવિધાતા દ્વારા ભાગ્ય પ્રાપ્ત કરવા વાળી પદ્માપદમ
ભાગ્યવાન આત્મા છું - આ શ્રેષ્ઠ સ્વરુપ ને સ્મૃતિમાં લાવો. વરદાની સમય છે, વરદાતા
વિધાતા સાથે છે. માસ્ટર વરદાની બની સ્વયં પણ સંપન્ન બની રહ્યાં છો અને અન્ય આત્માઓને
પણ વરદાન અપાવવા વાળા વરદાની આત્મા છો - આ સ્મૃતિ-સ્વરુપ ને ઈમર્જ કરો. એવું નહીં
કે આ તો છું જ. પરંતુ ભિન્ન-ભિન્ન સ્મૃતિ-સ્વરુપ ને સમય પ્રમાણે અનુભવ કરો તો ખુબ
વિચિત્ર ખુશી, વિચિત્ર પ્રાપ્તિઓનાં ભંડાર બની જશો અને સદૈવ દિલ થી પ્રાપ્તિનાં ગીત
સ્વતઃ જ અનહદ શબ્દોનાં રુપમાં નીકળતાં રહેશે - “પાના થા સો પા લિયા…….” આ જ પ્રકારે
ભિન્ન-ભિન્ન સમય અને કર્મ પ્રમાણે સ્મૃતિ-સ્વરુપ નો અનુભવ કરતાં જાઓ. મુરલી સાંભળો
છો તો આ સ્મૃતિ રહે કે ગોડલી સ્ટુડન્ટ લાઈફ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન) અર્થાત્
ભગવાન નો વિદ્યાર્થી છું, સ્વયં ભગવાન મારા માટે પરમધામ થી ભણાવવા માટે આવ્યાં છે.
આ જ વિશેષ પ્રાપ્તિ છે જે સ્વયં ભગવાન આવે છે. આવી સ્મૃતિ-સ્વરુપ થી જ્યારે મુરલી
સાંભળો છો તો કેટલો નશો હશે! જો સાધારણ રીતે નિયમ પ્રમાણે સંભળાવવા વાળા સંભળાવી
રહ્યાં છે અને સાંભળવા વાળા સાંભળી રહ્યાં છે તો એટલો નશો અનુભવ થશે નહીં. પરંતુ
ભગવાન નાં અમે વિદ્યાર્થી છીએ - આ સ્મૃતિને સ્વરુપ માં લાવીને પછી સાંભળો, ત્યારે
અલૌકિક નશા નો અનુભવ થશે. સમજ્યાં?
ભિન્ન-ભિન્ન સમયનાં ભિન્ન-ભિન્ન સ્મૃતિ-સ્વરુપ નાં અનુભવ માં કેટલો નશો હશે! એવીરીતે
આખાં દિવસનાં દરેક કર્મ માં બાપની સાથે સ્મૃતિ-સ્વરુપ બનતાં ચાલો - ક્યારેક ભગવાન
નાં સખા કે સાથી રુપ નો, ક્યારેક જીવન-સાથી રુપ નો, ક્યારેક ભગવાન મારા મુરબ્બી
બાળક છે અર્થાત્ પહેલાં-પહેલાં હકદાર, પહેલાં વારિસ છે. કોઈ એવું ખુબ સુંદર અને ખુબ
લાયક બાળક હોય છે તો માં-બાપ ને કેટલો નશો રહે છે કે મારું બાળક કુળદીપક છે અથવા
કુળનું નામ પ્રસિદ્ધ કરવા વાળું છે! જેમનાં ભગવાન બાળક બની જાય, તેનું નામ કેટલું
પ્રસિદ્ધ થશે! તેમનાં કેટલાં કુળ નું કલ્યાણ થશે! તો જ્યારે ક્યારેક દુનિયાનાં
વાતાવરણ થી અથવા ભિન્ન-ભિન્ન સમસ્યાઓથી થોડાં પણ પોતાને એકલા કે ઉદાસ અનુભવ કરો તો
આવું સુંદર બાળક રુપથી રમો, સખા રુપ માં રમો. ક્યારેક થાકી જાઓ છો તો માં નાં રુપમાં
ખોળામાં સુઈ જાઓ, સમાઈ જાઓ. ક્યારેક દિલશિકસ્ત થઈ જાઓ છો તો સર્વશક્તિવાન સ્વરુપ થી
માસ્ટર સર્વશક્તિવાન નાં સ્મૃતિ-સ્વરુપ નો અનુભવ કરો તો દિલશિકસ્ત થી દિલ ખુશ થઈ જશો.
ભિન્ન-ભિન્ન સમય પર ભિન્ન-ભિન્ન સંબંધ થી, ભિન્ન-ભિન્ન પોતાનાં સ્વરુપ ની સ્મૃતિ ને
ઈમર્જ રુપમાં અનુભવ કરો તો બાપ નો સદા સાથ સ્વતઃ જ અનુભવ કરશો અને આ સંગમયુગનું
બ્રાહ્મણ જીવન સદા જ અમૂલ્ય અનુભવ થતું રહેશે.
બીજી વાત - કે આટલાં સર્વ સંબંધ નિભાવવામાં એટલાં બીઝી (વ્યસ્ત) રહેશો જે માયાને
આવવાની પણ તક નહીં મળશે. જેમ લૌકિક મોટી પ્રવૃત્તિવાળા સદૈવ આ જ કહે કે પ્રવૃત્તિને
સંભાળવામાં એટલાં બીઝી રહીએ છીએ જે બીજી કોઈ વાત યાદ જ નથી રહેતી કારણ કે ખુબ મોટી
પ્રવૃત્તિ છે. તો આપ બ્રાહ્મણ આત્માઓની પ્રભુ થી પ્રીત નિભાવવાની પ્રભુ-પ્રવૃત્તિ
કેટલી મોટી છે! તમારી પ્રભુ-પ્રીત ની પ્રવૃત્તિ સૂતાં સમયે પણ ચાલે છે! જો
યોગનિંદ્રા માં છો તો તમારી નિંદ્રા નહીં પરંતુ યોગનિંદ્રા છે. નિંદરમાં પણ
પ્રભુ-મિલન મનાવી શકો છો. યોગનો અર્થ જ છે મિલન. યોગનિંદ્રા અર્થાત્ઃ અશરીરી-પણાની
સ્થિતિની અનુભૂતિ. તો આ પણ પ્રભુ-પ્રીત છે ને. તો તમારા જેવી મોટામાં મોટી પ્રવૃતિ
કોઈની પણ નથી! એક સેકન્ડ પણ તમને ફુરસદ નથી કારણ કે ભક્તિમાં ભક્તનાં રુપમાં પણ ગીત
ગાતાં રહેતા હતાં કે ઘણાં દિવસોનાં પછી પ્રભુ આપ મળ્યાં છો, તો ગણી-ગણી ને હિસાબ
પૂરો લઈશું. તો એક-એક સેકન્ડ નો હિસાબ લેવા વાળા છો. આખાં કલ્પ નો મળવાનો હિસાબ આ
નાનાં એવાં એક જન્મ માં પૂરો કરો છો. પાંચ હજાર વર્ષનાં હિસાબ થી આ નાનો એવો જન્મ
થોડાક દિવસોનાં હિસાબમાં થયો ને. તો થોડા એવાં દિવસોમાં આટલાં લાંબા સમયનો હિસાબ
પૂરો કરવાનો છે, એટલે કહે છે શ્વાંસો-શ્વાંસ સિમરો. ભક્ત સિમરણ કરે છે, તમે
સ્મૃતિ-સ્વરુપ બનો છો. તો તમને સેકન્ડ પણ ફૂરસદ છે? કેટલી મોટી પ્રવૃત્તિ છે! આ જ
પ્રવૃત્તિ ની આગળ તે નાની-એવી પ્રવૃત્તિ આકર્ષિત નહીં કરશે અને સહજ, સ્વતઃ જ દેહ
સહિત દેહનાં સંબંધ અને દેહનાં પદાર્થ કે પ્રાપ્તિઓથી નષ્ટોમોહા, સ્મૃતિ-સ્વરુપ થઈ
જશો. આ જ છેલ્લું પેપર, માળાનાં નંબરવાર મણકા બનાવશે.
જ્યારે અમૃતવેલા થી યોગનિંદ્રા સુધી ભિન્ન-ભિન્ન સ્મૃતિ-સ્વરુપ નાં અનુભવી થઇ જશો
તો લાંબાકાળ નાં સ્મૃતિ-સ્વરુપ નો અનુભવ અંતમાં સ્મૃતિ-સ્વરુપનાં ક્વેશ્ચન (પ્રશ્ન)
માં પાસ વિદ ઓનર બનાવી દેશે. ખુબ રમણીક જીવન નો અનુભવ કરશો કારણ કે જીવન માં દરેક
મનુષ્ય આત્માની પસંદગી ‘વેરાયટી (વિવિધતા) હોય’ આ જ ઈચ્છે છે. તો આ આખાં દિવસમાં
ભિન્ન-ભિન્ન સંબંધ, ભિન્ન-ભિન્ન સ્વરુપ ની વિવિધતા અનુભવ કરો. જેમ દુનિયામાં પણ કહે
છે ને - બાપ તો જોઈએ જ પરંતુ બાપની સાથે જો જીવન-સાથી નો અનુભવ ન હોય તો જીવન અધૂરું
સમજે છે, બાળક ન હોય તો પણ અધૂરું જીવન સમજે છે. દરેક સંબંધ ને જ સંપન્ન જીવન સમજે
છે. તો આ બ્રાહ્મણ જીવન ભગવાન થી સર્વ સંબંધ અનુભવ કરવાવાળું સમ્પન્ન જીવન છે! એક
પણ સંબંધ ની કમી નહીં કરતાં. એક સંબંધ પણ ભગવાન થી ઓછો હશે, તો કોઈ ને કોઈ આત્મા તે
સંબંધ થી પોતાનાં તરફ ખેંચી લેશે. જેમ કોઇ બાળકો ક્યારેક-ક્યારેક કહે છે બાપનાં
રુપમાં તો છે જ પરંતુ સખા કે સખી અથવા મિત્ર નું તો નાનું-એવું રુપ છે ને, તેનાં
માટે તો આત્માઓ જોઈએ કારણ કે બાપ તો મોટા છે ને. પરંતુ પરમાત્મા નાં સબંધ ની વચ્ચે
કોઈ પણ નાનો અથવા હલ્કો આત્માનો સબંધ મિક્સ થઈ જાય તો ‘સર્વ’ શબ્દ સમાપ્ત થઈ જાય છે
અને યથાશક્તિ ની લાઈનમાં આવી જાય છે. બ્રાહ્મણોની ભાષામાં દરેક વાત માં ‘સર્વ’ શબ્દ
આવે છે. જ્યાં ‘સર્વ’ છે, ત્યાં જ સંપન્નતા છે. જો બે કળા પણ ઓછી થઈ તો બીજી માળાનાં
મણકા બની જાઓ એટલે, સર્વ સંબંધોનાં સર્વ સ્મૃતિ-સ્વરુપ બનો. સમજ્યાં? જ્યારે ભગવાન
સ્વયં સર્વ સંબંધોનો અનુભવ કરાવવાની ઓફર કરી રહ્યાં છે તો આફરીન લેવી જોઈએ ને. એવી
ગોલ્ડન ઓફર (તક) સિવાય ભગવાનનાં અને આ સમયનાં, ન ક્યારેય અને ન કોઈ કરાવી શકે. કોઈ
બાપ પણ બને અને બાળક પણ બને - આ થઈ શકે છે? આ એકની જ મહિમા છે, એકની જ મહાનતા છે
એટલે સર્વ સંબંધ થી સ્મૃતિ-સ્વરુપ બનવાનું છે. આમાં મજા છે ને? બ્રાહ્મણ જીવન શેનાં
માટે છે? મજામાં કે મોજ માં રહેવા માટે. તો આ અલૌકિક મોજ મનાવો. મજાની જીવન અનુભવ
કરો. અચ્છા.
આજે દિલ્લી દરબાર વાળા છે. રાજ્ય દરબાર વાળા છો કે દરબાર માં ફક્ત જોવા વાળા છો?
દરબારમાં રાજ્ય કરવા વાળા અને જોવા વાળા - બંનેવ બેસે છે. તમે બધાં કોણ છો? દિલ્લી
ની બે વિશેષતાઓ છે. એક - દિલ્લી દિલારામ નું દિલ છે, બીજું - ગાદી નું સ્થાન છે.
દિલ છે તો દિલમાં કોણ રહેશે? દિલારામ. તો દિલ્લી નિવાસી અર્થાત્ દિલમાં સદા દિલારામ
ને રાખવા વાળા. એવી અનુભવી આત્માઓ અને હમણાં થી સ્વરાજ્ય અધિકારી સો ભવિષ્યમાં
વિશ્વ-રાજ્ય અધિકારી. દિલમાં જ્યારે દિલારામ છે તો રાજ્ય અધિકારી હમણાં છે અને સદા
રહેશે. તો સદા પોતાની જીવનમાં જુઓ કે આ બંને વિશેષતાઓ છે? દિલમાં દિલારામ અને પછી
અધિકારી પણ. એવો ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક), ગોલ્ડન થી પણ ડાયમંડ ચાન્સ લેવા વાળા
કેટલાં ભાગ્યવાન છો! અચ્છા.
હમણાં તો બેહદ સેવાનું ખુબ સારું સાધન મળ્યું છે - ભલે દેશમાં, ભલે વિદેશમાં. જેવું
નામ છે, તેવું જ સુંદર કાર્ય છે! નામ સાંભળી ને જ બધાને ઉમંગ આવી રહ્યો છે - “સર્વ
નાં સ્નેહ, સહયોગ થી સુખમય સંસાર”! આ તો લાંબુ કાર્ય છે, એક વર્ષથી પણ અધિક છે. તો
જેમ કાર્યનું નામ સાંભળતા જ બધાને ઉમંગ આવે છે, એમ જ કાર્ય પણ ઉમંગ થી કરશો. જેમ
સુંદર નામ સાંભળીને ખુશ થઇ રહ્યાં છો, તેમ કાર્ય થતાં સદા ખુશ થઈ જશો. આ પણ
સંભળાવ્યું ને પ્રત્યક્ષતાનો પડદો હલવાનો અથવા પડદો ખોલવાનો આધાર બન્યું છે અને બનતું
રહેશે. સર્વ નાં સહયોગી - જેવું કાર્ય નું નામ છે, તેવું જ સ્વરુપ બની સહજ કાર્ય
કરતાં રહેશો તો મહેનત નિમિત્ત માત્ર અને સફળતા પદમગુણા અનુભવ કરતાં રહેશો. એવો
અનુભવ કરશો જેમકે કરાવનહાર નિમિત્ત બનાવી કરાવી રહ્યાં છે. હું કરી રહ્યો છું - નહીં.
આનાથી સહયોગી નહીં બનશો. કરાવનહાર કરાવી રહ્યાં છે. ચલાવવા વાળા કાર્યને ચલાવી રહ્યાં
છે. જેમ તમને બધાને જગદંબાનું સ્લોગન (સુવિચાર) યાદ છે - હુકમી હુકમ ચલાવી રહ્યાં
છે. આ જ સ્લોગન સદા સ્મૃતિ-સ્વરુપ માં લાવી સફળતાને પ્રાપ્ત થતાં રહેશો. બાકી ચારે
બાજુ ઉમંગ-ઉત્સાહ સારો છે. જ્યાં ઉમંગ-ઉત્સાહ છે ત્યાં સફળતા સ્વયં સમીપ આવી ને
ગળાની માળા બની જાય છે. આ વિશાળ કાર્ય અનેક આત્માઓ ને સહયોગી બનાવી સમીપ લાવશે કારણ
કે પ્રત્યક્ષતાનો પડદો ખુલવાનાં બાદ આ વિશાળ સ્ટેજ પર દરેક વર્ગવાળા પાર્ટધારી
સ્ટેજ પર પ્રત્યક્ષ થવાં જોઈએ. દરેક વર્ગનો અર્થ જ છે - વિશ્વની સર્વ આત્માઓનાં
વેરાયટી વૃક્ષ નું સંગઠન રુપ. કોઈ પણ વર્ગ રહી ન જાય જે ઉલ્હના (ફરિયાદ) આપે કે અમને
તો સંદેશ મળ્યો નથી એટલે, નેતા થી લઈને ઝુગ્ગી-ઝુંપડી સુધી વર્ગ છે. ભણેલા સૌથી ઉંચા
વૈજ્ઞાનિક અને પછી જે અભણ છે, તેમને પણ આ જ્ઞાનનું નોલેજ આપવું, આ પણ સેવા છે. તો
બધાં વર્ગ અર્થાત્ વિશ્વની દરેક આત્મા ને સંદેશ પહોંચાડવાનો છે. કેટલું મોટું કાર્ય
છે! આ કોઈ કહી નહીં શકે કે અમને તો સેવાનો ચાન્સ નથી મળતો. ભલે કોઈ બીમાર છે; તો
બીમાર, બીમાર ની સેવા કરો; અભણ, અભણો ની સેવા કરો. જે પણ કરી શકો, તે ચાન્સ છે.
અચ્છા, બોલી નથી શકતાં તો મન્સા વાયુમંડળ થી સુખ ની વૃત્તિ, સુખમય સ્થિતિ થી સુખમય
સંસાર બનાવો. કોઈ પણ બહાનું ન આપી શકે કે હું નથી કરી શકતો, સમય નથી. ઉઠતાં-બેસતાં
૧૦-૧૦ મિનિટ સેવા કરો. આંગળી તો આપશો ને? ક્યાંય નથી જઈ શકતાં, તબિયત ઠીક નથી તો ઘરે
બેસી કરો પરંતુ સહયોગી બનવાનું જરુર છે, ત્યારે સર્વ નો સહયોગ મળશે. અચ્છા.
ઉમંગ-ઉત્સાહ જોઈ બાપદાદા પણ ખુશ થાય છે. બધાનાં મન માં લગન છે કે હવે પ્રત્યક્ષતાનો
પડદો ખોલીને દેખાડીએ. આરંભ થયો છે ને. તો પછી સહજ થતું જશે. વિદેશ વાળા બાળકોનાં
પ્લાન્સ (યોજનાઓ) પણ બાપદાદા સુધી પહોંચતા રહે છે. સ્વયં પણ ઉમંગ માં છે અને સર્વનો
સહયોગ પણ ઉમંગ-ઉત્સાહ થી મળતો રહે છે. ઉમંગ ને ઉમંગ, ઉત્સાહ ને ઉત્સાહ મળે છે. આ પણ
મિલન થઈ રહ્યું છે. તો ખુબ ધૂમધામ થી આ કાર્યને આગળ વધારો. જે પણ ઉમંગ-ઉત્સાહ થી
બનાવ્યું છે હજું પણ બાપનાં, સર્વ બ્રાહ્મણો નાં સહયોગ થી, શુભ કામનાઓ-શુભ ભાવનાઓ
થી હજું પણ આગળ વધતું રહેશે. અચ્છા.
ચારો બાજુનાં સદા યાદ અને સેવાનાં ઉમંગ-ઉત્સાહ વાળા શ્રેષ્ઠ બાળકો ને, સદા દરેક
કર્મમાં સ્મૃતિ-સ્વરુપ ની અનુભૂતિ કરવાવાળા અનુભવી આત્માઓ ને, સદા દરેક કર્મમાં
બાપનાં સર્વ સંબંધોનો અનુભવ કરવાવાળી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બ્રાહ્મણ જીવન ની મજાનું
જીવન વિતાવવા વાળા મહાન્ આત્માઓને બાપદાદા નો અતિ સ્નેહ-સંપન્ન યાદપ્યાર સ્વીકાર
થાય.
વરદાન :-
સંગમયુગ પર એક
નું સૌગણું પ્રત્યક્ષફળ પ્રાપ્ત કરવાવાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ
સંગમયુગ જ એકનું સૌગણું
પ્રત્યક્ષફળ આપવાવાળું છે, ફક્ત એક વખત સંકલ્પ કર્યો કે હું બાપનો છું, હું માસ્ટર
સર્વશક્તિમાન્ છું તો માયાજીત બનવાનો, વિજયી બનવાના નશાનો અનુભવ થાય છે. શ્રેષ્ઠ
સંકલ્પ કરવો - આ જ છે બીજ અને તેનું સૌથી મોટું ફળ છે જે સ્વયં પરમાત્મા બાપ પણ
સાકાર મનુષ્ય રુપ માં મળવા આવે, આ ફળ માં બધાં ફળ આવી જાય છે.
સ્લોગન :-
સાચાં
બ્રાહ્મણ તે છે જેમનાં ચહેરા અને ચલન થી પવિત્રતા ની પર્સનાલિટી અને રોયલ્ટી નો
અનુભવ થાય.
સુચના :-
આજે મહિનાનો ત્રીજો
રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ બહેનો
વિશેષ યોગ તપસ્યા કરતાં, પોતાનાં શુભભાવના સંપન્ન સંકલ્પો દ્વારા પ્રકૃતિ સહિત
વિશ્વ ની સર્વ આત્માઓ ને શાંતિ અને શક્તિનાં વાયબ્રેશન આપવાની સેવા કરે.