13-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
મુખ થી સદૈવ જ્ઞાન રત્ન નીકળવાં જોઈએ , તમારું મુખડું સદૈવ હર્ષિત રહેવું જોઈએ ”
પ્રશ્ન :-
જે બાળકોએ
બ્રાહ્મણ જીવન માં જ્ઞાન ની ધારણા કરી છે તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
૧. એમની ચલન દેવતાઓ જેવી હશે, એમનામાં દૈવીગુણો ની ધારણા હશે. ૨. એમને જ્ઞાનનું
વિચાર સાગર મંથન કરવાનો અભ્યાસ હશે. એ ક્યારેય આસુરી વાતોનું અર્થાત્ વ્યર્થ નું
મંથન નહીં કરશે. ૩. એમનાં જીવન થી ગાળ આપવાનું અને ગ્લાની કરવાનું બંધ થઈ જાય છે.
૪. એમનું મુખડું સદા હર્ષિત રહે છે.
ઓમ શાંતિ!
બાપ બેસીને
સમજાવે છે જ્ઞાન અને ભક્તિ ઉપર. આ તો બાળકો સમજી ગયાં છે ભક્તિ થી સદ્દગતિ નથી થતી
અને સતયુગમાં ભક્તિ હોતી નથી. જ્ઞાન પણ સતયુગમાં મળતું નથી. કૃષ્ણ ન ભક્તિ કરે છે,
ન જ્ઞાન ની મુરલી વગાડે છે. મુરલી એટલે જ જ્ઞાન આપવું. ગાયન પણ છે ને મુરલીમાં જાદુ.
તો જરુર કોઈ જાદુ હશે ને! ફક્ત મુરલી વગાડવી, તે તો સાધારણ ફકીર લોકો પણ વગાડતાં રહે
છે. આ મુરલી માં જ્ઞાનનો જાદુ છે. અજ્ઞાન ને જાદુ તો નહીં કહેશું. મુરલી ને જાદુ કહે
છે. મનુષ્ય થી દેવતા બને છે જ્ઞાન થી. જ્યારે સતયુગ છે તો આ જ્ઞાનનો વારસો છે. ત્યાં
ભક્તિ હોતી નથી. ભક્તિ હોય છે દ્વાપર થી, જ્યારે દેવતા થી મનુષ્ય બની જાય છે.
મનુષ્યોને વિકારી, દેવતાઓને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓની સૃષ્ટિ ને પવિત્ર દુનિયા
કહેવાય છે. હમણાં તમે દેવતા બની રહ્યાં છો. જ્ઞાન કોને કહેવાય છે? એક તો સ્વયં ની
કે બાપ ની ઓળખ અને પછી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંતનાં નોલેજ ને જ્ઞાન કહેવાય છે. જ્ઞાન
થી થાય છે સદ્દગતિ. પછી ભક્તિ શરું થાય છે તો ઉતરતી કળા કહેવાય છે કારણ કે ભક્તિ ને
રાત, જ્ઞાન ને દિવસ કહેવાય છે. આ તો કોઈ ની પણ બુદ્ધિમાં બેસી શકે છે પરંતુ દૈવીગુણ
ધારણ નથી કરતાં. દૈવીગુણ હોય તો સમજાય જ્ઞાનની ધારણા છે. જ્ઞાનની ધારણા વાળાઓની ચલન
દેવતા જેવી હોય છે. ઓછી ધારણા વાળા ની ચલન મિક્સ હોય છે. ધારણા નથી તો પછી તે બાળકો
જ નથી. મનુષ્ય બાપ ની કેટલી ગ્લાનિ કરે છે. બ્રાહ્મણ કુળ માં આવે જ છે તો ગાળ આપવાનું,
ગ્લાનિ કરવાનું બંધ થઈ જાય છે. તમને જ્ઞાન મળે છે, તેનાં પર પોતાનું વિચાર સાગર
મંથન કરવાથી અમૃત મળશે. વિચાર સાગર મંથન જ નથી કરતાં તો બાકી શું મંથન થશે? આસુરી
વિચાર. એનાથી કીચડો જ નીકળશે. હમણાં તમે ઈશ્વરીય વિદ્યાર્થી છો. જાણો છો મનુષ્ય થી
દેવતા બનવાનું ભણતર ભણી રહ્યાં છો. દેવતાઓ આ ભણતર નહીં ભણાવશે. દેવતાઓને ક્યારેય
જ્ઞાન નાં સાગર નથી કહેવાતું. જ્ઞાન નાં સાગર તો એકને જ કહેવાય છે. દૈવીગુણ પણ
જ્ઞાન થી ધારણ થાય છે. આ જ્ઞાન જે આપ બાળકોને હમણાં મળે છે, આ સતયુગ માં નથી હોતું.
આ દેવતાઓમાં દૈવીગુણ છે. તમે મહિમા પણ કરો છો સર્વગુણ સંપન્ન….તો હવે તમારે એવાં
બનવાનું છે. પોતાનાથી પૂછવું જોઈએ અમારામાં બધાં દૈવીગુણ છે કે કોઇ આસુરી અવગુણ છે?
જો આસુરી અવગુણ છે તો તેને નીકાળી દેવાં જોઈએ ત્યારે જ દેવતા કહેવાશો. નહીં તો ઓછો
દર્જો (પદ) પામી લેશો.
હમણાં આપ બાળકો દૈવીગુણ ધારણ કરો છો. ખુબ સારી-સારી વાતો સંભળાવો છો. આને જ કહેવાય
છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે તમે પુરુષોત્તમ બની રહ્યાં છો, તો વાતાવરણ પણ ખુબ સારું
હોવું જોઈએ. મુખથી કોઈપણ છી-છી વાત ન નીકળે, નહીં તો કહેવાશે આ ઓછાં દર્જા નાં છે.
બોલચાલ અને વાતાવરણ થી ઝટ ખબર પડી જાય છે. તમારું મુખડું સદૈવ હર્ષિત હોવું જોઈએ.
નહીં તો એમાં જ્ઞાન નહીં કહેવાશે. મુખથી સદૈવ રત્ન નીકળે. આ લક્ષ્મી-નારાયણ જુઓ
કેટલાં હર્ષિતમુખ છે. એમની આત્માએ જ્ઞાન રત્ન ધારણ કર્યા હતાં. મુખથી સદૈવ જ્ઞાન
રત્ન નીકળે છે. રત્ન જ સાંભળતા-સંભળાવતાં કેટલી ખુશી રહે છે. જ્ઞાન રત્ન જે હમણાં
તમે લો છો, પછી આ બધાં હીરા-ઝવેરાત બની જાય છે. ૯ રત્નોની માળા કોઈ હીરા-ઝવેરાતો ની
નથી. આ જ્ઞાન રત્નોની માળા છે. મનુષ્ય લોકો પછી તે રત્ન સમજી વીંટી વગેરે પહેરી લે
છે. આ જ્ઞાન રત્નોની માળા પુરુષોત્તમ સંગમયુગ પર બને છે. આ રત્ન જ તમને ભવિષ્ય ૨૧
જન્મોનાં માટે માલામાલ બનાવે છે. આને કોઈ લૂટી ન શકે. અહીંયા તમે આ હીરા ઝવેરાત
પહેરો તો ઝટ કોઈ લુટી લઈ જાય. તો પોતાને ખુબ-ખુબ સમજદાર બનાવવાનાં છે. આસુરી
અવગુણોને નીકાળવાનાં છે. આસુરી અવગુણો થી શકલ (ચહરો) જ એવી થઈ જાય છે. ક્રોધમાં
લાલ-લાલ તાંબા જેવી શકલ થઈ જાય છે. કામ વિકારવાળા તો કાળા બની જાય છે. તો બાળકોએ
દરેક વાતમાં વિચાર સાગર મંથન કરવું જોઈએ. આ ભણતર છે જ ખુબ ધન પામવાનું. તે ભણતર કોઈ
રત્ન થોડી છે. હા, જ્ઞાન ધારણ કરીને ઉંચ પોઝિશન (પદ) પામી લે છે. તો ભણતર કામ આવ્યું,
ન કે પૈસા. ભણતર જ ધન છે. તે છે તે હદનું ધન, પછી આ છે બેહદનું ધન. છે બંને ભણતર.
હમણાં તમે સમજો છો બાપ આપણને ભણાવીને વિશ્વનાં માલિક બનાવી દે છે. તે અલ્પકાળ
ક્ષણભંગુર નું ભણતર છે એક જન્મનાં માટે. પછી બીજા જન્મમાં નવેસર થી ભણવું પડે. ત્યાં
ધન માટે ભણતર ની દરકાર નથી. ત્યાં તો હમણાં નાં પુરુષાર્થ થી અકીચાર (અથાહ) ધન મળી
જાય છે. ધન અવિનાશી બની જાય છે. દેવતાઓની પાસે ધન ખુબ હતું પછી જ્યારે ભક્તિમાર્ગ
અર્થાત્ રાવણ રાજ્ય માં આવ્યાં તો કેટલું હતું, કેટલાં મંદિર બનાવ્યાં છે. પછી આવીને
મુસલમાનો વગેરેએ ધન લૂટ્યું. કેટલાં ધનવાન હતાં! આજ નાં ભણતરથી આટલાં ધનવાન કોઈ બની
નહિં શકે. તમે હમણાં જાણો છો આપણે આટલું ઊંચું ભણતર ભણીએ છીએ જેનાથી આવાં (દેવી-દેવતા)
બનીએ છીએ. તો ભણતર થી જુઓ મનુષ્ય શું બની જાય છે! ગરીબ થી સાહૂકાર. હમણાં ભારત પણ
કેટલો ગરીબ છે. સાહૂકારો ને તો ફુરસદ જ નથી. પોતાનો અહંકાર રહે છે - હું ફલાણો છું.
આમાં અહંકાર વગેરે મટી જવો જોઈએ. આપણે આત્મા છીએ, આત્મા ની પાસે તો ધન-દોલત,
હીરા-ઝવેરાત વગેરે કાંઈ પણ નથી. બાપ પણ કહે છે દેહ સહિત સર્વ સંબંધ છોડો. આત્મા
શરીર છોડે છે તો સાહૂકારી વગેરે બધું ખતમ થઇ જાય છે. જયારે નવેસર થી ભણીને પછી ધન
કમાય અથવા તો દાન-પુણ્ય સારું કર્યું હોય તો સાહૂકાર નાં ઘરે જન્મ લેશે. કહે છે ને
ભૂતકાળનાં કર્મો નું ફળ છે. નોલેજ નું દાન કર્યુ હશે અથવા કોલેજ-ધર્મશાળા વગેરે
બનાવી છે તો તેનું ફળ મળે છે પરંતુ અલ્પકાળ માટે. આ દાન-પુણ્ય પણ અહીંયા કરાય છે.
સતયુગ માં નથી કરાતું. સતયુગમાં સારા જ કર્મ થાય છે કારણ કે હમણાં નો વારસો મળેલો
છે. ત્યાં કોઈનાં પણ વિકર્મ થતાં નથી કારણ કે રાવણ જ નથી. ગરીબોનાં પણ વિકર્મ નહીં
બનશે. અહીંયા તો સાહૂકારો નાં પણ વિકર્મ બને છે. ત્યારે તો આ બીમારીઓ વગેરે દુઃખ
હોય છે. ત્યાં વિકારમાં જતાં જ નથી તો વિકર્મ કેવી રીતે બનશે? પૂરો આધાર છે કર્મો
પર. આ માયા રાવણ નું રાજ્ય છે, જે મનુષ્ય વિકારી બની જાય છે. બાપ આવી ને ભણાવે છે
નિર્વિકારી બનાવવાં માટે. બાપ નિર્વિકારી બનાવે છે, માયા પછી વિકારી બનાવી દે છે.
રામવંશી અને રાવણવંશી ની યુદ્ધ ચાલે છે. તમે બાપ નાં બાળકો છો, તે રાવણ નાં બાળકો
છે. કેટલાં સારા-સારા બાળકો માયાથી હાર ખાઈ લે છે. માયા ખુબ પ્રબળ છે. છતાં પણ
ઉમ્મીદ રાખે છે. અધમ થી અધમ (બિલ્કુલ પતિત) નો પણ ઉદ્ધાર કરવાનો હોય છે ને. બાપે તો
આખાં વિશ્વ નો ઉદ્ધાર કરવાનો હોય છે. બહુ જ નીચે પડે છે. એકદમ ચટ ખાતામાં અધમ થી
અધમ બની જાય છે. એવાં નો પણ બાપ ઉદ્ધાર કરે છે. અધમ તો બધાં છે રાવણ રાજ્ય માં,
પરંતુ બાપ બચાવે છે. તો પણ પડતાં રહે છે, તો ખુબ અધમ બની જાય છે. તેમનું પછી એટલું
ચઢવાનું નથી હોતું. તે અધમપણું અંદર ખાતું રહે છે. જેમ તમે કહો છો અંતકાળ જે…..
તેમની બુદ્ધિમાં એ અધમપણું જ આવતું રહેશે. તો બાપ બેસીને બાળકો ને સમજાવે છે,
કલ્પ-કલ્પ તમે જ દેવતા બનો છો. જાનવર બનશે શું? મનુષ્ય જ બને છે અને સમજે છે. આ
લક્ષ્મી-નારાયણ ને પણ નાક, કાન વગેરે છે, મનુષ્ય છે ને! પરંતુ દૈવીગુણ વાળા એટલે
તેમને દેવતા કહેવાય છે. આ એવાં સુંદર દેવતા કેવી રીતે બને છે, પછી કેવી રીતે પડે
છે, આ ચક્રની તમને ખબર પડી ગઈ છે. જે વિચાર સાગર મંથન કરતાં હશે તેમની ધારણા પણ સારી
હશે. વિચાર સાગર મંથન જ નથી કરતાં તો બુધ્ધુ બની જાય, મુરલી ચલાવવા વાળાનું વિચાર
સાગર મંથન ચાલતું રહેશે. આ વિષય પર આ-આ સમજાવવાનું છે. આપોઆપ વિચાર સાગર મંથન ચાલે
છે. ફલાણા આવવા વાળા છે તેમને પણ હુલ્લાસ થી સમજાવશે. બની શકે કંઈક સમજી જાય. ભાગ્ય
પર છે. કોઈ ઝટ નિશ્ચય કરશે, કોઈ નહીં કરશે. ઉમ્મીદ રખાય છે. હમણાં નહીં તો આગળ જઈને
સમજશે જરુર. ઉમ્મીદ રાખવી જોઈએ ને! ઉમ્મીદ રાખવી એટલે સર્વિસ નો શોખ છે. થાકવાનું
નથી. ભલે કોઈ ભણીને પછી અધમ બન્યાં છે, આવે છે તો જરુર તેમને વીઝીટીંગ રુમ માં
બેસાડશું. કે કહેશો ચાલ્યાં જાઓ? જરુર પૂછશું આટલાં દિવસ કેમ નહીં આવ્યાં? કહેશે
માયાથી હાર ખાઈ લીધી. એવાં અનેક આવે છે. સમજે છે જ્ઞાન ખુબ સારું હતું પરંતુ માયાએ
હરાવી દીધાં. સ્મૃતિ તો રહે છે ને. ભક્તિમાં તો હારવાની અને જીતવાની વાત જ નથી રહેતી.
આ નોલેજ ધારણ કરવાનું છે. હમણાં તમે બાપ દ્વારા સાચી ગીતા સાંભળો છો જેનાથી દેવતા
બની જશો. વગર બ્રાહ્મણ બને દેવતા બની ન શકાય. ક્રિશ્ચિયન, પારસી, મુસલમાનો માં
બ્રાહ્મણ હોતાં જ નથી. આ બધી વાતો હમણાં તમે સમજો છો.
તમે જાણો છો અલ્ફ ને યાદ કરવાનાં છે. અલ્ફ ને યાદ કરવાથી જ બાદશાહી મળે છે. જ્યારે
પણ તમને કોઈ મળે બોલો અલ્ફ અલ્લાહ ને યાદ કરો. અલ્ફ ને જ ઊંચ કહેવાય છે. આંગળી થી
અલ્ફ નો ઈશારો કરે છે ને! અલ્ફ ને એક પણ કહેવાય છે. એક જ ભગવાન છે. બાકી તો બધાં છે
બાળકો. બાપ તો સદૈવ અલ્ફ જ રહે છે. બાદશાહી કરતાં નથી. જ્ઞાન પણ આપે છે, પોતાનાં
બાળક પણ બનાવે છે તો બાળકોએ કેટલી ખુશી માં રહેવું જોઈએ. બાબા આપણી કેટલી સેવા કરે
છે. આપણને વિશ્વનાં માલિક બનાવે છે. પછી સ્વયં તે નવી પવિત્ર દુનિયામાં આવતાં જ નથી.
પાવન દુનિયામાં એમને કોઈ બોલાવતાં જ નથી. પતિત જ બોલાવે છે. પાવન દુનિયામાં શું
આવીને કરશે. એમનું નામ જ છે પતિત-પાવન, તો જૂની દુનિયા ને નવી બનાવવાની તેમની ડ્યુટી
(કર્તવ્ય) છે. બાપનું નામ જ છે શિવ, અને સાલિગ્રામ બાળકોને કહેવાય છે. એમની પૂજા
થાય છે. શિવબાબા કહી બધાં યાદ કરે છે. બીજું બ્રહ્મા ને પણ બાબા કહે છે. પ્રજાપિતા
બ્રહ્મા કહે તો ઘણાં છે પરંતુ તેમને યથાર્થ રીતે જાણતાં નથી. બ્રહ્મા કોનો બાળક છે?
તમે કહેશો પરમપિતા પરમાત્મા શિવએ તેમને એડોપ્ટ કર્યાં છે. આ તો શરીરધારી છે ને!
ઈશ્વર ની ઓલાદ બધી આત્માઓ છે. બધી આત્માઓ ને પોત-પોતાનું શરીર છે. પોતા-પોતાનો
પાર્ટ મળેલો છે, જે ભજવવાનો જ છે. આ પરંપરા થી ચાલ્યું આવે છે. અનાદિ અર્થાત્ તેનો
આદિ-મધ્ય-અંત નથી. મનુષ્ય સાંભળે છે, અંત થાય છે, તો પછી મુંઝાય છે કે પછી બનશું
કેવી રીતે? બાપ સમજાવે છે આ અનાદિ છે. ક્યારે બન્યાં છીએ, આ પૂછવાનું નથી રહેતું.
પ્રલય થતી જ નથી. આ પણ ગપોડા લગાવી દીધાં છે. થોડા મનુષ્ય થઈ જાય છે એટલે કહેવાય છે
જેમ કે પ્રલય થઈ ગઈ. બાબા માં જે જ્ઞાન છે તે હમણાં જ ઈમર્જ (જાગૃત) થાય છે. એમનાં
માટે જ કહે છે - પૂરો સાગર સ્યાહી બનાવો……તો પણ પૂરું થશે નહીં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
હર્ષિતમુખ થી બાપનું નામ પ્રસિદ્ધ કરવાનું છે. જ્ઞાન રત્ન જ સાંભળવાનાં અને
સંભળાવવાનાં છે. ગળામાં જ્ઞાન રત્નો ની માળા પડી રહે. આસુરી અવગુણો ને નીકાળી દેવાનાં
છે.
2. સર્વિસમાં (સેવા) ક્યારેય થાકવાનું નથી. ઉમ્મીદ રાખી શોખ થી સર્વિસ કરવાની છે.
વિચાર સાગર મંથન કરી ઉલ્લાસ માં રહેવાનું છે.
વરદાન :-
સ્નેહ નાં
રિટર્ન ( વળતર ) માં સમાનતા નો અનુભવ કરવા વાળા સર્વશક્તિ સંપન્ન ભવ
જે બાળકો બાપનાં
સ્નેહમાં સદા સમાયેલાં રહે છે તેમને સ્નેહ નાં રેસ્પોન્સ માં બાપ-સમાન બનવાનું
વરદાન પ્રાપ્ત થઈ જાય છે. જે સદા સ્નેહયુક્ત અને યોગયુક્ત છે તે સર્વ શક્તિઓથી
સંપન્ન સ્વતઃ બની જાય છે. સર્વ શક્તિઓ સદા સાથે છે તો વિજય થયેલી જ છે. જેમને સ્મૃતિ
રહે છે કે સર્વશક્તિમાન બાપ અમારા સાથી છે, તે ક્યારેય કોઈ પણ વાત થી વિચલિત નથી થઇ
શકતાં.
સ્લોગન :-
પુરુષાર્થી
જીવન માં જે સદા સંતુષ્ટ અને ખુશ રહેવા વાળા છે એ જ ખુશનસીબ છે.