28-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
ક્યારેય પણ મિથ્યા અહંકાર માં નહીં આવો , આ રથ નો પણ પૂરે - પૂરો રીગાર્ડ ( આદર )
રાખો ”
પ્રશ્ન :-
આપ બાળકો માં
પદ્માપદમ ભાગ્યશાળી કોણ અને દુર્ભાગ્યશાળી કોણ?
ઉત્તર :-
જેમની ચલન દેવતાઓ જેવી છે, જે બધાને સુખ આપે છે તે છે પદ્માપદમ ભાગ્યશાળી અને જે
નપાસ થઈ જાય છે તેમને કહેશે દુર્ભાગ્યશાળી. કોઈ-કોઈ મહાન દુર્ભાગ્યશાળી બની જાય છે,
તે બધાને દુઃખ આપતાં રહે છે. સુખ આપવાનું જાણતાં જ નથી. બાબા કહે છે બાળકો પોતાની
સારી રીતે સંભાળ કરો. બધાને સુખ આપો, લાયક બનો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. તમે આ પાઠશાળામાં બેસી ઉંચ દરજ્જો પામો છો. દિલમાં
સમજો છો અમે ખૂબ ઉંચે થી ઉંચું સ્વર્ગનું પદ પામીએ છીએ. આવાં બાળકોને તો ખુશી બહુજ
થવી જોઈએ. જો બધાને નિશ્ચય છે તો બધાં એક જેવાં તો થઈ ન શકે. પહેલાં થી છેલ્લાં
નંબર સુધી તો હોય જ છે. પરીક્ષા માં પણ પહેલાં થી છેલ્લાં નંબર સુધી નંબર હોય છે.
કોઈ નપાસ પણ થશે, તો કોઈ પાસ પણ થતાં હશે. તો દરેક પોતાનાં દિલ થી પૂછે - બાબા જે
અમને આટલાં ઉંચા બનાવે છે, હું ક્યાં સુધી લાયક બન્યો છું? ફલાણા થી સારો છું કે
કમજોર છું? આ ભણતર છે ને. જોવામાં પણ આવે છે, જે કોઈ વિષયમાં કમજોર હોય છે તો નીચે
ચાલ્યાં જાય છે. ભલે મોનિટર હશે તો પણ કોઈ વિષયમાં કમજોર હશે તો નીચે ચાલ્યો જશે.
વિરલા જ કોઈ સ્કોલરશીપ લે છે. આ પણ સ્કૂલ છે. તમે જાણો છો આપણે બધાં ભણી રહ્યાં છીએ,
આમાં પહેલી-પહેલી વાત છે પવિત્રતા ની. બાપને બોલાવ્યાં છે ને - પવિત્ર બનવા માટે.
જો ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) કામ કરતી હશે તો પોતે મહેસૂસ કરતાં હશે. બાબા ને લખે પણ
છે, બાબા અમે આ વિષયમાં કમજોર છીએ. વિદ્યાર્થીની બુદ્ધિમાં આ જરુર રહે છે - અમે
ફલાણા વિષયમાં ખૂબ-ખૂબ કમજોર છીએ. કોઈ એવું પણ સમજે છે અમે નપાસ થઈશું. આમાં પહેલા
નંબર નો વિષય છે - પવિત્રતા. બહુજ લખે છે બાબા અમે હાર ખાધી, તો એને શું કહેશો? એમનું
દિલ સમજતું હશે - હવે હું ચઢી નહીં શકું. તમે પવિત્ર દુનિયા સ્થાપન કરો છો ને. તમારું
લક્ષ્ય-હેતુ જ આ છે. બાપ કહે છે - બાળકો, મામેકમ્ યાદ કરો અને પવિત્ર બનો તો આ
લક્ષ્મી-નારાયણ નાં વંશજ માં જઈ શકો છો. શિક્ષક તો સમજતાં હશે આ આટલું ઉંચ પદ પામી
શકશે કે નહીં? તે છે સુપ્રીમ શિક્ષક. આ દાદા પણ સ્કૂલ તો ભણેલાં છે ને. કોઈ-કોઈ
છોકરા પણ એવાં ખરાબ કામ કરે છે જે છેવટે માસ્ટરે સજા આપવી પડે છે. પહેલાં ખૂબ જોર
થી સજાઓ આપતા હતાં. હવે સજા વગેરે ઓછી કરી દીધી છે તો વિદ્યાર્થી ખૂબ જ વધારે બગડે
છે. આજકાલ વિદ્યાર્થીઓ કેટલાં હંગામા કરે છે. વિદ્યાર્થી ને નવું લોહી કહે છે ને.
તે જુઓ શું કરે છે! આગ લગાવી દે છે, પોતાની જવાની દેખાડે છે. આ છે જ આસુરી દુનિયા.
જવાન છોકરા જ ખૂબ ખરાબ હોય છે, એમની આંખો ખૂબ ક્રિમિનલ (અપવિત્ર) હોય છે. જોવામાં
તો ખૂબ સારા આવે છે. જેમ કહેવાય છે ને - ઈશ્વર નો અંત નથી પામી શકાતો, એમ એમનો પણ
અંત નથી પામી શકાતો, કે આ કેવાં પ્રકાર નાં મનુષ્ય છે. હાં, જ્ઞાનની બુદ્ધિથી ખબર
પડે છે, આ કેવી રીતે ભણે છે, આમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) કેવી છે. કોઈ તો વાત કરે
છે જેમ મુખથી ફૂલ નીકળે છે, કોઈ તો એવી વાત કરે જેમ પથ્થર નીકળે છે. જોવામાં ખૂબ
સારા, પોઇન્ટસ વગેરે પણ લખે છે પરંતુ છે પથ્થરબુદ્ધિ. બહાર નો શો (દેખાવ) છે. માયા
ખૂબ દુસ્તર છે એટલે ગાયન છે આશ્ચર્યવત્ સુનન્તી, પોતાને શિવબાબાની સંતાન કહેવડાવન્તી,
બીજાઓને સંભળાવન્તી, કથન્તી પછી ભાગન્તી અર્થાત્ ટ્રેટર (દગાબાજ) બનન્તી. એવું નથી,
હોશિયાર ટ્રેટર નથી બનતાં, સારા-સારા હોશિયાર પણ ટ્રેટર બની જાય છે. એ સેનામાં પણ
એવું હોય છે. એરોપ્લેન (વિમાન) સહિત જ બીજા દેશમાં ચાલ્યાં જાય છે. અહીંયા પણ એવું
થાય છે, સ્થાપના માં ખુબ મહેનત લાગે છે. બાળકોને પણ ભણતરમાં મહેનત, શિક્ષકને પણ
ભણાવવા મહેનત થાય છે. જોવાય છે આ બધાને ડિસ્ટર્બ કરે છે, ભણતાં નથી તો સ્કૂલોમાં
હન્ટર (ચાબુક) લગાવે છે. આ તો બાપ છે, બાપ કંઈ પણ નથી કહેતાં. બાપનાં પાસે આ કાનુન
નથી, અહીંયા તો બિલકુલ શાંત રહેવાનું હોય છે. બાપ તો સુખદાતા, પ્રેમનાં સાગર છે. તો
બાળકોની ચલન પણ એવી હોવી જોઈએ ને, જેમ દેવતાઓ હોય છે. આપ બાળકોને બાબા સદૈવ કહે છે
તમે પદ્માપદમ ભાગ્યશાળી છો. પરંતુ પદ્માપદમ દુર્ભાગ્યશાળી પણ બને છે. જે નપાસ થાય
છે એમને તો દુર્ભાગ્યશાળી કહેશે ને. બાબા જાણે છે - અંત સુધી આ થતું રહે છે. કોઈ ને
કોઈ મહાન દુર્ભાગ્યશાળી પણ જરુર બને છે. ચલન એવી હોય છે જે સમજાય છે આ રહી નહીં શકે.
આટલાં ઉંચ બનવાનાં લાયક નથી, બધાને દુઃખ આપતાં રહે છે. સુખ આપવાનું જાણતા જ નથી તો
એમની હાલત શું હશે! બાબા સદૈવ કહે છે - બાળકો, પોતાની સારી રીતે સંભાળ કરો, આ પણ
ડ્રામા અનુસાર થવાનું છે, વધારે જ લોખંડ થી પણ બદતર બની જાય છે. તે પણ સારા-સારા
ક્યારેય ચિઠ્ઠી પણ નથી લખતાં. બિચારાઓનો શું હાલ થશે!
બાપ કહે છે - હું આવ્યો છું સર્વનું કલ્યાણ કરવાં. આજે સર્વની સદ્દગતિ કરું છું,
કાલે પછી દુર્ગતિ થઈ જાય છે. તમે કહેશો અમે કાલે વિશ્વનાં માલિક હતાં, આજે ગુલામ બની
ગયા છીએ. હમણાં આખું ઝાડ આપ બાળકોની બુદ્ધિ માં છે. આ વન્ડરફુલ ઝાડ છે. મનુષ્યો ને
આ પણ ખબર નથી. હમણાં તમે જાણો છો કલ્પ એટલે પુરા ૫ હજાર વર્ષનું એક્યુરેટ ઝાડ છે.
એક સેકન્ડનો પણ ફરક પડી નથી શકતો. આ બેહદનાં ઝાડનું આપ બાળકોને હમણાં નોલેજ મળી
રહ્યું છે. નોલેજ આપવા વાળા છે વૃક્ષપતિ. બીજ કેટલું નાનું હોય છે, એનાથી ફળ જુઓ
કેટલું મોટું નીકળે છે. આ પછી છે વંડરફુલ ઝાડ, આનું બીજ ખુબ નાનું છે. આત્મા કેટલી
નાની છે. બાપ પણ ખૂબ નાના, આ આંખોથી જોઈ પણ નથી શકાતું. ભલે વિવેકાનંદ નું બતાવે છે
- તેમણે કહ્યું જ્યોતિ આનાથી નિકળી મારામાં સમાઈ ગઈ. આમ કોઈ જ્યોતિ નીકળીને પછી
સમાઈ થોડી શકે છે. શું નીકળ્યું? આ સમજતાં નથી. એવાં-એવાં સાક્ષાત્કાર તો ખૂબ થાય
છે, પરંતુ તે લોકો માન આપે છે, પછી મહિમા પણ લખે છે. ભગવાનુવાચ - કોઈ પણ મનુષ્યની
મહિમા છે નહીં. મહિમા છે તો ફક્ત દેવતાઓની છે અને જે આવાં દેવતા બનાવવા વાળા છે એમની
મહિમા છે. બાબા એ કાર્ડ ખૂબ સારા બનાવ્યા હતાં. જયંતી મનાવવી હોય તો એક શિવબાબાની.
આ (લક્ષ્મી-નારાયણ) ને પણ એવાં બનાવવા વાળા તો શિવબાબા છે ને. બસ એકની જ મહિમા છે,
એ એક ને જ યાદ કરો. આ પોતે કહે છે ઉંચ થી ઉંચ બનું છું પછી નીચે પણ ઉતરું છું. આ
કોઈને ખબર નથી - ઉંચે થી ઉંચા લક્ષ્મી-નારાયણ જ પછી ૮૪ જન્મોનાં પછી નીચે ઉતરે છે,
તત્ ત્વમ. તમે જ વિશ્વનાં માલિક હતાં, પછી શું બની ગયાં! સતયુગમાં કોણ હતાં? તમે જ
બધાં હતાં, નંબરવાર પુરુષાર્થ અનુસાર. રાજા-રાણી પણ હતાં, સૂર્યવંશી-ચંદ્રવંશી
ડિનાયસ્ટી (વંશજ) નાં પણ હતાં. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. આ સૃષ્ટિ ચક્રનું
જ્ઞાન આપ બાળકોની બુદ્ધિ માં ચાલતાં-ફરતાં રહેવું જોઈએ. તમે ચૈતન્ય લાઈટ હાઉસ છો.
બધું ભણતર બુદ્ધિમાં રહેવું જોઈએ. પરંતુ તે અવસ્થા થઈ નથી, થવાની છે. જે પાસ વિથ
ઓનર હશે એમની આ અવસ્થા હશે. બધું જ્ઞાન બુદ્ધિમાં હશે. બાપનાં લાડલા, પ્રેમાળ બાળકો
પણ ત્યારે કહેવાશે. એવાં બાળકો પર બાપ સ્વર્ગની રાજાઈ કુરબાન કરે છે. કહે છે હું
રાજાઈ નથી કરતો, તમને આપું છું, આને નિષ્કામ સેવા કહેવાય છે. બાળકો જાણે છે બાબા
અમને માથાનાં ઉપર ચઢાવે છે, તો એવાં બાપ ને કેટલાં યાદ કરવાં જોઈએ. આ પણ ડ્રામા
બનેલો છે. બાપ સંગમ પર આવીને બધાને સદ્દગતિ આપે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર.
નંબરવન હાઈએસ્ટ બિલકુલ પવિત્ર, નંબર લાસ્ટ બિલકુલ અપવિત્ર. યાદ-પ્યાર તો બાબા બધાને
આપે છે.
બાપ કેટલું સારી રીતે સમજાવે છે, ક્યારેય પણ મિથ્યા અહંકાર ન આવવો જોઈએ. બાપ કહે છે
- ખબરદાર રહેવાનું છે, રથ નો પણ રીગાર્ડ રાખવાનો છે. આમનાં દ્વારા જ તો બાપ સંભળાવે
છે ને. આમણે તો ક્યારેય ગાળ ખાધી નહોતી. બધાં પ્રેમ કરતા હતાં. હમણાં તો જુઓ કેટલી
ગાળ ખાય છે. કોઈ ટ્રેટર બની ભાગન્તી થઈ ગયાં તો પછી એમની ગતિ શું થશે, નપાસ થશે ને!
બાપ સમજાવે છે માયા એવી છે એટલે ખુબ ખબરદારી રાખતાં રહો. માયા કોઈને પણ છોડતી નથી.
બધાં પ્રકારની આગ લગાવી દે છે. બાપ કહે છે મારા બધાં બાળકો કામ ચિતા પર ચઢી કાળા
કોલસા બની ગયાં છે. બધાં તો એક જેવાં નથી હોતાં. ન બધાનો એક જેવો પાર્ટ છે. આનું
નામ જ છે વૈશ્યાલય, કેટલી વખત કામ ચિતા પર ચઢ્યાં હશે. રાવણ કેટલો જબરજસ્ત છે,
બુદ્ધિ ને જ પતિત બનાવી દે છે. અહીંયા આવી ને બાપ થી શિક્ષા લેવાવાળા પણ એવાં બની
જાય છે. બાપની યાદ વગર ક્રિમિનલ આંખો ક્યારેય બદલાઈ નથી શકતી એટલે સૂરદાસની વાર્તા
છે. છે તો બનાવેલી વાત, દૃષ્ટાંત પણ આપે છે. હમણાં આપ બાળકોને જ્ઞાનનું ત્રીજું
નેત્ર મળે છે. અજ્ઞાન એટલે અંધકાર. કહે છે ને તમે તો આંધળા, અજ્ઞાની છો. હવે જ્ઞાન
છે ગુપ્ત, આમાં કાંઈ બોલવાનું નથી. એક સેકન્ડમાં બધું જ્ઞાન આવી જાય છે, સૌથી સરળ
જ્ઞાન છે. છતાં પણ અંત સુધી માયાની પરીક્ષા ચાલતી રહેશે. આ સમયે તો તોફાન નાં મધ્ય
માં છે, પાક્કા થઈ જશો પછી આટલાં તોફાન નહીં આવશે, પડશો નહીં. પછી જુઓ તમારું ઝાડ
કેટલું વધે છે. નામાચાર તો થવાનો જ છે. ઝાડ તો વધે જ છે. થોડો વિનાશ થશે ત્યારે પછી
ખુબ ખબરદાર રહેશે. પછી બાપની યાદમાં એકદમ ચટકી જશે. સમજશે સમય ખૂબ થોડો છે. બાપ તો
ખૂબ સારું સમજાવે છે - આપસમાં ખૂબ પ્રેમથી ચાલો. આંખ નહીં દેખાડો. ક્રોધનું ભૂત
આવવાથી શકલ (ચહેરો) જ એકદમ બદલાઈ જાય છે. તમારે તો લક્ષ્મી-નારાયણ જેવી શકલવાળું
બનવાનું છે. લક્ષ્ય-હેતુ સામે છે. સાક્ષાત્કાર પાછળ થી થાય છે, જ્યારે ટ્રાન્સફર (બદલી)
થાય છે. જેમ શરુમાં સાક્ષાત્કાર થયાં એમ અંત સમયમાં પણ ખૂબ પાર્ટ જોશો. તમે ખૂબ ખુશ
રહેશો. મિરુઆ મોત મલૂકા શિકાર…. અંતમાં ખૂબ દૃશ્યો જોવાનાં છે ત્યારે તો પછી પછતાશે
પણ ને - અમે આ કર્યું. પછી એની સજા પણ ખૂબ કડક મળે છે. બાપ આવી ને ભણાવે છે, એમની
પણ ઈજ્જત નથી રાખતાં તો સજા મળશે. સૌથી કડક સજા એમને મળશે જે વિકારમાં જાય છે અથવા
શિવબાબાની ખૂબ ગ્લાનિ કરાવવાનાં નિમિત્ત બને છે. માયા ખૂબ જબરજસ્ત છે. સ્થાપના માં
શું-શું થાય છે. તમે તો હમણાં દેવતા બનો છો ને. સતયુગ માં અસુર વગેરે હોતાં નથી. આ
સંગમની જ વાત છે. અહીંયા વિકારી મનુષ્ય કેટલું દુઃખ આપે છે, બાળકીઓને મારે છે, લગ્ન
જરુર કરો. સ્ત્રી ને વિકાર માટે કેટલું મારે છે, કેટલો સામનો કરે છે. કહે છે સન્યાસી
પણ રહી ન શકે, આ પછી કોણ છે જે પવિત્ર રહી દેખાડે છે. આગળ ચાલી સમજશે પણ જરુર.
સિવાય પવિત્રતાનાં દેવતા તો બની ન શકાય. તમે સમજાવો છો - અમને આટલી પ્રાપ્તિ થાય છે
ત્યારે છોડ્યું છે. ભગવાનુવાચ - કામજીતે જગતજીત. આવાં લક્ષ્મી-નારાયણ બનશો તો કેમ
નહીં પવિત્ર બનશો. પછી માયા પણ ખૂબ પછાડે છે. ઉંચુ ભણતર છે ને. બાપ આવી ને ભણાવે છે
- આ સિમરણ સારી રીતે બાળકો નથી કરતાં તો પછી માયા થપ્પડ લગાવી દે છે. માયા અવજ્ઞાઓ
પણ ખૂબ કરાવે છે પછી એમનો શું હાલ થશે. માયા એવાં બેપરવાહ બનાવી દે છે, અહંકાર માં
લઈ આવે છે વાત નહીં પૂછો. નંબરવાર રાજધાની બને છે તો કોઈ કારણ થી બનશે ને. હમણાં
તમને પાસ્ટ (ભૂતકાળ), પ્રેઝન્ટ (વર્તમાન), ફ્યુચર (ભવિષ્ય) નું જ્ઞાન મળે છે તો
કેટલું સારી રીતે ધ્યાન આપવું જોઈએ. અહંકાર આવ્યો આ મર્યા. માયા એકદમ વર્થ નોટ એ
પેની (કોડીતુલ્ય) બનાવી દે છે. બાપ ની અવજ્ઞા થઈ તો પછી બાપ ને યાદ કરી નથી શકતાં.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપસમાં ખુબ
પ્રેમ થી ચાલવાનું છે. ક્યારેય પણ ક્રોધમાં આવીને એક-બીજાને આંખ નથી દેખાડવાની.
બાપની અવજ્ઞા નથી કરવાની.
2. પાસ વિથ ઓનર બનવાનાં માટે ભણતર બુદ્ધિમાં રાખવાનું છે. ચૈતન્ય લાઈટહાઉસ બનવાનું
છે. દિવસ-રાત બુદ્ધિમાં જ્ઞાન ફરતું રહે.
વરદાન :-
સદા પોતાનાં
શ્રેષ્ઠ ભાગ્યનાં નશા અને ખુશી માં રહેવા વાળા પદ્મા પદમ ભાગ્યશાળી ભવ
આખાં વિશ્વમાં જે પણ
ધર્મ પિતાઓ કે જગતગુરુ કહેવડાવવાળા બન્યાં છે કોઈ ને પણ માત-પિતા નાં સંબંધ થી
અલૌકિક જન્મ અને પાલના પ્રાપ્ત નથી થતી. તેઓ અલૌકિક માત-પિતા નો અનુભવ સ્વપ્નમાં પણ
નથી કરી શકતાં અને આપ પદ્માપદમપતિ શ્રેષ્ઠ આત્માઓ દરરોજ માત-પિતા ની અથવા સર્વ
સંબંધોનાં યાદપ્યાર લેવાનાં પાત્ર છો. સ્વયં સર્વશક્તિમાન બાપ આપ બાળકોનાં સેવક બની
દરેક કદમ માં સાથ નિભાવે છે - તો આ જ શ્રેષ્ઠ ભાગ્યનાં નશા અને ખુશી માં રહો.
સ્લોગન :-
તન અને મન ને
સદા ખુશ રાખવા માટે ખુશીનાં જ સમર્થ સંકલ્પ કરો.