01-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
પાવન દુનિયામાં જવાનું છે એટલે કામ મહાશત્રુ પર જીત પામવાની છે , કામજીત , જગતજીત
બનવાનું છે ”
પ્રશ્ન :-
દરેક પોતાની
એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી કયો સાક્ષાત્કાર સૌને કરાવી શકે છે?
ઉત્તર :-
હું હંસ છું કે બગલો છું? આ દરેક પોતાની એક્ટિવિટી થી સૌને સાક્ષાત્કાર કરાવી શકે
છે કારણ કે હંસ ક્યારેય કોઈને દુઃખ નહીં આપશે. બગલા દુઃખ આપે છે, તે વિકારી હોય છે.
આપ બાળકો હમણાં બગલા થી હંસ બન્યાં છો. આપ પારસબુદ્ધિ બનવા વાળા બાળકો નું કર્તવ્ય
છે સૌને પારસ બુદ્ધિ બનાવવાં.
ઓમ શાંતિ!
જ્યારે ઓમ્
શાંતિ કહેવાય છે તો પોતાનો સ્વધર્મ યાદ આવે છે. ઘરની પણ યાદ આવે છે. પરંતુ ઘરમાં
બેસી તો નથી જવાનું. બાપનાં બાળકો છીએ તો જરુર પોતાનાં સ્વર્ગને પણ યાદ કરવું પડે.
તો ઓમ્ શાંતિ કહેવાથી આ બધું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. હું આત્મા શાંત સ્વરુપ
છું, શાંતિનાં સાગર બાપનો બાળક છું. જે બાપ સ્વર્ગ સ્થાપન કરે છે તે બાપ જ આપણને
પવિત્ર શાંત સ્વરુપ બનાવે છે. મુખ્ય વાત છે પવિત્રતાની. દુનિયા જ પવિત્ર અને
અપવિત્ર બને છે. પવિત્ર દુનિયામાં એક પણ વિકારી નથી. અપવિત્ર દુનિયામાં ૫ વિકાર છે,
એટલે કહેવાય છે વિકારી દુનિયા. એ છે નિર્વિકારી દુનિયા. નિર્વિકારી દુનિયાથી સીડી
ઉતરતાં-ઉતરતાં ફરી નીચે વિકારી દુનિયામાં આવીએ છીએ. તે છે પાવન દુનિયા, આ છે પતિત
દુનિયા. તે છે દિવસ, સુખ. આ છે ભટકવાની રાત. આમ તો રાત્રે કોઇ ભટકતું નથી. પરંતુ
ભક્તિ ને ભટકવું કહેવાય છે. આપ બાળકો હવે અહીંયા આવ્યાં છો સદ્દગતિ પામવા. તમારી
આત્મામાં બધાં પાપ હતાંં, ૫ વિકાર હતાંં. તેમાં પણ મુખ્ય છે કામ વિકાર, જેનાથી જ
મનુષ્ય પાપ આત્મા બને છે. આ તો દરેક જાણે છે અમે પતિત છીએ અને પાપ આત્મા પણ છીએ. એક
કામ વિકારનાં કારણે બધી ક્વોલિફિકેશન (લાયકાત) બગડી જાય છે એટલે બાપ કહે છે કામ ને
જીતો તો તમે જગતજીત અર્થાત્ નવાં વિશ્વનાં માલિક બનશો. તો અંદરમાં એટલી ખુશી રહેવી
જોઈએ. મનુષ્ય પતિત બન્યાં છે એટલે કાંઈ પણ સમજતાં નથી. બાપ સમજાવે છે-કોઈ પણ વિકાર
ન હોવો જોઈએ. મુખ્ય છે કામ વિકાર, તેનાં પર કેટલાં હંગામા થાય છે. ઘર-ઘર માં કેટલી
અશાંતિ, હાહાકાર થઇ જાય છે. આ સમયે દુનિયામાં હાહાકાર કેમ છે? કારણ કે પાપ આત્માઓ
છે. વિકારોનાં કારણે જ અસુર કહેવાય છે. હમણાં તમે સમજો છો આ સમયે દુનિયામાં કોઈ પણ
કામ ની વસ્તુ નથી, ભંભોર ને આગ લાગવાની છે. જે કાંઈ આ આંખોથી દેખાય છે, બધાને આગ
લાગી જશે. આત્મા ને તો આગ લાગતી નથી. આત્મા તો સદૈવ જેમ કે ઈન્શ્યોર (સુરક્ષિત) છે,
સદૈવ જીવતી રહે છે. આત્મા ને ક્યારેય ઈન્શ્યોર કરાવે છે શું? શરીર ને ઈન્શ્યોર કરાય
છે. આત્મા અવિનાશી છે. બાળકો ને સમજાવાય છે - આ રમત છે. આત્મા તો ઉપર રહેવા વાળી ૫
તત્વો થી બિલ્કુલ અલગ છે. ૫ તત્વો થી આખી દુનિયાની સામગ્રી બને છે. આત્મા તો નથી
બનતી. આત્મા સદૈવ છે જ. ફક્ત પુણ્ય આત્મા, પાપ આત્મા બને છે. આત્મા પર જ નામ પડે છે
પુણ્ય આત્મા, પાપ આત્મા. ૫ વિકારો થી કેટલાં ખરાબ બની જાય છે. હવે બાપ આવ્યાં છે
પાપો થી છોડાવવાં. વિકાર જ બધું કેરેક્ટર (ચરિત્ર) બગાડે છે. કેરેક્ટર કોને કહેવાય
છે, એ પણ સમજતાં નથી. આ છે ઊંચે થી ઊંચી રુહાની ગવર્મેન્ટ. પાંડવ ગવર્મેન્ટ ન કહી
તમને ઈશ્વરીય ગવર્મેન્ટ કહી શકાય છે. તમે સમજો છો આપણે ઈશ્વરીય ગવર્મેન્ટ છીએ.
ઈશ્વરીય ગવર્મેન્ટ શું કરે છે? આત્માઓને પવિત્ર બનાવીને દેવતા બનાવે છે. નહીં તો
દેવતાં ક્યાંથી આવ્યાં? આ કોઈ પણ નથી જાણતાં, છે તો આ પણ મનુષ્ય, પરંતુ દેવતા કેવાં
હતાંં, કોણે બનાવ્યાં? દેવતાઓ તો હોય જ છે સ્વર્ગ માં. તો તેમને સ્વર્ગવાસી કોણે
બનાવ્યાં? સ્વર્ગવાસી પછી જરુર નર્કવાસી બને છે પછી સ્વર્ગવાસી. આ પણ તમે નહોતાં
જાણતાં તો બીજા પછી કેવી રીતે જાણશે! હવે તમે સમજો છો કે ડ્રામા બનેલો છે, આટલાં બધાં
એક્ટર્સ છે. આ બધી વાતો બુદ્ધિ માં હોવી જોઈએ. ભણતર તો બુદ્ધિમાં હોવું જોઈએ ને અને
પવિત્ર પણ જરુર બનવાનું છે. પતિત બનવું બહુ ખરાબ વાત છે. આત્મા જ પતિત બને છે.
એક-બીજામાં પતિત બને છે. પતિતો ને પાવન બનાવવા, આ તમારો ધંધો છે. પાવન બનો તો પાવન
દુનિયામાં જશો. આ આત્મા સમજે છે. આત્મા ન હોય તો શરીર પણ રહી ન શકે, રેસપોન્ડ (પ્રતિઉત્તર)
મળી ન શકે. આત્મા જાણે છે અમે વાસ્તવ માં પાવન દુનિયાના રહેવાસી છીએ. હવે બાપે
સમજાવ્યું છે તમે બિલ્કુલ જ બેસમજ હતાં, એટલે પતિત દુનિયાનાં લાયક બની ગયાં છો. હવે
જ્યાં સુધી પાવન નહીં બનશો ત્યાં સુધી સ્વર્ગનાં લાયક નહીં બની શકશો. સ્વર્ગની તુલના
પણ સંગમ પર કરાય છે. ત્યાં થોડી કાંઈ તુલના કરાશે. આ સંગમયુગ પર જ તમને બધું જ્ઞાન
મળે છે. પવિત્ર બનવાનું હથિયાર મળે છે. એક ને જ કહેવાય છે પતિત-પાવન બાબા, અમને આવાં
પાવન બનાવો. આ સ્વર્ગનાં માલિક છે ને. તમે જાણો છો આપણે જ સ્વર્ગ નાં માલિક હતાં પછી
૮૪ જન્મ લઈને પતિત બન્યાં છીએ. શ્યામ અને સુંદર, આમનું નામ પણ એવું રાખ્યું છે.
કૃષ્ણનું ચિત્ર શ્યામ બનાવી દે છે પરંતુ અર્થ થોડી સમજે છે. કૃષ્ણની પણ તમને કેટલી
ક્લિયર (સ્પષ્ટ) સમજણ મળે છે. આમાં બે દુનિયાઓ કરી દીધી છે. હકીકત માં બે દુનિયા તો
છે જ નહિં. દુનિયા એક જ છે. તે નવી અને જૂની થાય છે. પહેલાં નાનાં બાળકો નવાં હોય
છે પછી મોટા બની ઘરડા થાય છે. તો તમે કેટલું માથું મારો છો સમજાવવા માટે, પોતાની
રાજધાની સ્થાપન કરી રહ્યાં છો ને. લક્ષ્મી-નારાયણે સમજ્યું છે ને. સમજ થી કેટલાં
મીઠા બન્યાં છે. કોણે સમજાવ્યું? ભગવાને. લડાઈ વગેરેની તો વાત જ નથી. ભગવાન કેટલાં
સમજદાર, નોલેજફુલ છે. કેટલાં પવિત્ર છે. શિવનાં ચિત્ર આગળ સૌ મનુષ્ય જઈને નમન કરે
છે પરંતુ એ કોણ છે, શું કરે છે, આ કોઈ નથી જાણતું. શિવ કાશી વિશ્વનાથ ગંગા…. બસ
ફક્ત કહેતાં રહે છે. અર્થ જરા પણ નથી સમજતાં. સમજાવો તો કહેશે તમે શું અમને સમજાવશો.
અમે તો વેદ-શાસ્ત્ર વગેરે બધું ભણ્યાં છીએ. પરંતુ રામ રાજ્ય કોને કહેવાય છે, આ પણ
કોઈ જાણતું નથી. રામ રાજ્ય સતયુગ નવી દુનિયાને કહેવાય છે. તમારામાં પણ નંબરવાર છે,
જેમને ધારણા હોય છે. ઘણાં તો ભૂલી પણ જાય છે કારણ કે બિલ્કુલ જ પથ્થરબુદ્ધિ બની ગયાં
છે. તો હવે પારસબુદ્ધિ જે બન્યાં છે તેમનું કામ છે બીજાઓને પણ પારસબુદ્ધિ બનાવવાં.
પથ્થરબુદ્ધિ ની એક્ટિવિટી એવી જ ચાલતી રહેશે કારણકે હંસ અને બગલા થઈ ગયાં ને. હંસ
ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. બગલા દુઃખ આપે છે. ઘણાં છે જેમની ચાલ જ બગલા જેવી
હોય છે, તેમનામાં બધાં વિકાર હોય છે. અહીંયા પણ એવાં બહુ વિકારી આવી જાય છે, જેને
અસુર કહેવાય છે. પરિચય નથી રહેતો. ઘણાં સેવાકેન્દ્ર પર પણ વિકારી આવે છે, બહાનું
બનાવે છે, અમે બ્રાહ્મણ છીએ, પરંતુ છે જુઠ. આને કહેવાય જ છે જુઠી દુનિયા. તે નવી
દુનિયા સાચી દુનિયા છે. હમણાં છે સંગમ. કેટલો ફર્ક પડે છે. જે જુઠ્ઠું બોલવા વાળા,
જુઠ્ઠા કામ કરવા વાળા છે, તે થર્ડ ગ્રેડ બને છે. ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ તો હોય
છે ને.
બાપ કહે છે પવિત્રતાનું પણ પૂરું સબૂત આપવાનું છે. ઘણાં કહે છે આમ બન્ને ભેગા રહીને
પવિત્ર રહે, આ તો અશક્ય છે. તો બાળકોએ સમજાવવું જોઈએ. યોગબળ ન હોવાનાં કારણે આટલી
સહજ વાત પણ પૂરી રીતે સમજાવી નથી શકતાં. એમને આ વાત કોઈ નથી સમજાવતું કે અહીંયા અમને
ભગવાન ભણાવે છે. એ કહે છે પવિત્ર બનવાથી તમે ૨૧ જન્મ સ્વર્ગનાં માલિક બનશો. એ છે
પવિત્ર દુનિયા. પવિત્ર દુનિયામાં પતિત કોઈ હોઈ ન શકે. ૫ વિકાર જ નથી. તે છે વાઈસલેસ
વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). આપણને સતયુગની
બાદશાહી મળે છે તો આપણે એક જન્મ માટે કેમ નહીં પાવન બનશું! જબરજસ્ત લોટરી મળે છે
આપણને. તો ખુશી થાય છે. દેવી-દેવતા પવિત્ર છે ને. અપવિત્ર થી પવિત્ર પણ બાપ જ બનાવશે.
તો બતાવવું જોઈએ અમને આ ટેમ્પટેશન (પ્રલોભન) છે. બાપ જ એવાં બનાવે છે. બાપ વગર તો
નવી દુનિયા કોઈ બનાવી ન શકે. મનુષ્ય થી દેવતા બનાવવા ભગવાન જ આવે છે, જેમની રાત્રી
ગવાય છે. આ પણ સમજાવ્યું છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. જ્ઞાન અને ભક્તિ અડધું-અડધું
છે. ભક્તિ પછી છે વૈરાગ્ય. હવે ઘરે જવાનું છે, આ શરીર રુપી કપડા ઉતારી દેવાનાં છે.
આ છી-છી દુનિયામાં નથી રહેવાનું. ૮૪ નું ચક્ર હવે પૂરું થયું. હવે વાયા શાંતિધામ
જવાનું છે. પહેલાં-પહેલાં અલ્ફ ની વાત નથી ભૂલવાની. આ પણ બાળકો સમજે છે આ જૂની
દુનિયા ખતમ થવાની છે. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. બાપ અનેક વખત આવ્યાં છે
સ્વર્ગની સ્થાપના કરવાં. નર્ક નો વિનાશ થઈ જવાનો છે. નર્ક કેટલું મોટું છે, સ્વર્ગ
કેટલું નાનું છે. નવી દુનિયામાં એક જ ધર્મ હોય છે. અહીંયા છે અનેક ધર્મ. એક ધર્મ
કોણે સ્થાપન કર્યો? બ્રહ્માએ તો નથી કર્યો. બ્રહ્મા જ પતિત થી ફરી પાવન બને છે. મારા
(બાપ) માટે તો નહીં કહેશે પતિત સો પાવન. પાવન છે તો લક્ષ્મી-નારાયણ નામ છે.
બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. આ પ્રજાપિતા છે ને. શિવબાબા ને અનાદિ ક્રિયેટર (રચયિતા)
કહેવાય છે. અનાદિ અક્ષર બાપ માટે છે. બાપ અનાદિ તો આત્માઓ પણ અનાદિ છે. રમત (ખેલ)
પણ અનાદિ છે. બન્યો બનાવેલ ડ્રામા છે. સ્વ આત્મા ને સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત,
ડ્યુરેશન (અવધિ) નું જ્ઞાન મળે છે. આ કોણે આપ્યું? બાપે. તમે ૨૧ જન્મોનાં માટે
ધનવાન બની જાઓ છો પછી રાવણનાં રાજ્ય માં નિધન (કંગાળ) નાં બની જાઓ છો. અહીંયા થી જ
કેરેક્ટર બગડે છે, વિકાર છે ને. બાકી બે દુનિયાઓ નથી. મનુષ્ય તો પછી સમજે છે
નર્ક-સ્વર્ગ બધું ભેગું જ ચાલે છે. હમણાં આપ બાળકોને કેટલું ક્લીયર (સ્પષ્ટ)
સમજાવાય છે. હમણાં તમે ગુપ્ત છો. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે. સૂત કેટલું
મૂંઝાયેલું છે. સિવાય બાપનાં કોઈ ઉકેલી ન શકે. એમને જ પોકારે છે - અમે કોઈ કામના નથી
રહ્યાં, આવીને પાવન બનાવી અમારા કેરેક્ટર સુધારો. તમારા કેટલાં કેરેક્ટર સુધરે છે.
કોઈ-કોઈ નાં તો સુધરવાનાં બદલે વધારે જ બગડે છે. ચલન થી જ ખબર પડી જાય છે. આજે
મહારથી હંસ કહેવાય છે, કાલે બગલા બની જાય. વાર નથી લાગતી. માયા પણ ગુપ્ત છે ને.
ક્રોધ કાંઈ જોવામાં થોડી આવે છે. ભો-ભો કરે છે તો પછી તે બહાર નીકળવાથી દેખાઈ આવે
છે. પછી આશ્ચર્યવત્ સુનન્તી…કથન્તી ભાગન્તી થઈ જાય છે. કેટલાં નીચે પડે છે. એકદમ
પથ્થર બની જાય છે. ઇન્દ્રપ્રસ્થ ની પણ વાત છે ને. ખબર તો પડી જ જાય છે. એવાં પછી
સભામાં ન આવવાં જોઈએ. થોડું-ઘણું જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં આવી જ જાય છે.
જ્ઞાન નો વિનાશ નથી થઇ શકતો.
હવે બાપ કહે છે - તમારે પુરુષાર્થ કરી ઉંચ પદ પામવાનું છે. જો વિકાર માં ગયાં તો
પદભ્રષ્ટ કરી દેશો. સૂર્યવંશી, ચંદ્રવંશી બનશો પછી વૈશ્યવંશી, શૂદ્રવંશી. હમણાં તમે
સમજો છો આ ચક્ર કેવી રીતે ફરે છે. તેઓ તો કળયુગની આયુ જ ૪૦ હજાર વર્ષ કહી દે છે.
સીડી તો નીચે ઉતરવાની હોય છે ને. ૪૦ હજાર વર્ષ હોય તો મનુષ્ય અસંખ્ય થઈ જાય. ૫ હજાર
વર્ષમાં જ આટલાં મનુષ્ય છે, જે ખાવાનું નથી મળતું. તો આટલાં હજાર વર્ષો માં કેટલી
વૃદ્ધિ થઈ જાય. તો બાપ આવીને ધીરજ આપે છે. પતિત મનુષ્યો ને તો લડવાનું જ છે. તેઓની
બુદ્ધિ આ તરફ આવી ન શકે. હવે તમારી બુદ્ધિ જુઓ કેટલી બદલાય છે છતાં પણ માયા દગો
જરુર આપે છે. ઈચ્છા માત્રમ્ અવિદ્યા. કોઈ ઇચ્છા કરી તો ગયાં. વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય)
બની જાય છે. સારાં-સારાં મહારથીઓને પણ માયા કોઈ ને કોઈ પ્રકાર થી ક્યારેક દગો આપતી
રહે છે. પછી તે દિલ પર ચઢી નથી શકતાં. જેમ લૌકિક માં-બાપ નાં દિલ પર નથી ચઢતાં. કોઈ
તો બાળકો એવાં હોય છે જે બાપને પણ ખતમ કરી દે છે. પરિવાર ને ખતમ કરી દે છે. મહાન
પાપ આત્માઓ છે. રાવણ શું કરી દે છે, ખુબ ડર્ટી (ગંદી) દુનિયા છે. આનાથી ક્યારેય દિલ
ન લગાવવું જોઈએ. પવિત્ર બનવાની બહુ હિમ્મત જોઈએ. વિશ્વની બાદશાહી ની પ્રાઈઝ (ઇનામ)
લેવા માટે પવિત્રતા મુખ્ય છે એટલે બાપ ને કહે છે કે આવી ને પાવન બનાવો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયાનાં દગા
થી બચવા માટે ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનવાનું છે. આ ડર્ટી (ગંદી) દુનિયાથી દિલ નથી
લગાવવાનું.
2. પવિત્રતાનું પૂરે-પૂરું સબૂત આપવાનું છે. સૌથી ઉંચું કેરેક્ટર (ચરિત્ર) જ
પવિત્રતા છે. પોતે-પોતાને સુધારવા માટે પવિત્ર જરુર બનવાનું છે.
વરદાન :-
પોતાનાં
એકાગ્ર સ્વરુપ દ્વારા સૂક્ષ્મ શક્તિ ની લીલાઓનો અનુભવ કરવા વાળા અંતર્મુખી ભવ
એકાગ્રતા નો આધાર
અંતર્મુખતાં છે. જે અંતર્મુખી છે તે અંદર જ અંદર સૂક્ષ્મ શક્તિની લીલાઓનો અનુભવ કરે
છે. આત્માઓ નું આવાહન કરવું, આત્માઓ સાથે રુહરુહાન કરવાનું, આત્માઓનાં સંસ્કાર
સ્વભાવ ને પરિવર્તન કરવાં, બાપ થી કનેક્શન (સંબંધ) જોડાવવો - આમ રુહો ની દુનિયામાં
રુહાની સેવા કરવા માટે એકાગ્રતા ની શક્તિ ને વધારો, આનાથી સર્વ પ્રકારનાં વિઘ્ન
સ્વતઃ સમાપ્ત થઈ જશે.
સ્લોગન :-
સર્વ
પ્રાપ્તિઓ ને સ્વયં માં ધારણ કરી વિશ્વ ની સ્ટેજ પર પ્રત્યક્ષ થવું એ જ પ્રત્યક્ષતા
નો આધાર છે.
વિશેષ નોટ :-
આ જાન્યુઆરી
મહિનો મીઠા સાકાર બાબાની સ્મૃતિઓનો મહિનો છે, સ્વયં ને સમર્થ બનાવવાને માટે વિશેષ
અંતર્મુખી બની સુક્ષ્મ શક્તિઓની લીલાઓનો અનુભવ કરવાનો છે. આખો મહિનો પોતાની અવ્યક્ત
સ્થિતિ માં રહેવાનું છે. મન અને મુખ નું મૌન રાખવાનું છે.