14-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
તમને જે ભણતર ભણાવે છે તે બુદ્ધિમાં રાખી બધાને ભણાવવાનું છે , દરેક ને બાપનો અને
સૃષ્ટિ ચક્ર નો પરિચય આપવાનો છે ”
પ્રશ્ન :-
આત્મા સતયુગ
માં પણ પાર્ટ ભજવે છે અને કળયુગ માં પણ પરંતુ અંતર શું છે?
ઉત્તર :-
સતયુગમાં જ્યારે પાર્ટ ભજવે છે તો એમાં કોઈ પાપ કર્મ નથી થતાં, દરેક કર્મ ત્યાં
અકર્મ થઈ જાય છે કારણ કે રાવણ નથી. પછી કળયુગ માં જ્યારે પાર્ટ ભજવે છે તો દરેક
કર્મ વિકર્મ કે પાપ બની જાય છે કારણ કે અહીંયા વિકાર છે. હમણાં તમે છો સંગમ પર. તમને
બધું જ્ઞાન છે.
ઓમ શાંતિ!
હવે આ તો બાળકો
જાણે છે કે આપણે બાબાની સામે બેઠા છીએ. બાબા પણ જાણે છે - બાળકો મારી સામે બેઠા છે.
આ પણ તમે જાણો છો - બાપ આપણને શિક્ષા આપે છે, જે પછી બીજાઓને આપવાની છે.
પહેલાં-પહેલાં તો બાપનો જ પરિચય આપવાનો છે કારણ કે બધાં બાપ ને અને બાપ ની શિક્ષા
ને ભૂલેલાં છે. હમણાં જે બાપ ભણાવે છે, આ ભણતર પછી ૫ હજાર વર્ષ બાદ મળશે. આ જ્ઞાન
બીજા કોઈને છે નહીં. મુખ્ય થયો બાપ નો પરિચય. પછી આ પણ સમજાવવાનું છે આપણે બધાં
ભાઈ-ભાઈ છીએ. આખી દુનિયાની જે બધી આત્માઓ છે, બધાં આપસ માં ભાઈ-ભાઈ છે. બધાં પોતાનો
મળેલો પાર્ટ આ શરીર દ્વારા ભજવે છે. હવે તો બાપ આવ્યાં છે નવી દુનિયામાં લઈ જવાનાં
માટે, જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ આપણે બધાં ભાઈ પતિત છીએ, એક પણ પાવન નથી. બધાં
પતિતો ને પાવન બનાવવા વાળા છે જ એક બાપ. આ છે જ પતિત, વિકારી, ભ્રષ્ટાચારી રાવણની
દુનિયા. રાવણ નો અર્થ જ છે ૫ વિકાર સ્ત્રીમાં, ૫ વિકાર પુરુષમાં. બાબા ખૂબ સરળ રીતે
સમજાવે છે. તમે પણ આમ સમજાવી શકો છો. તો પહેલાં-પહેલાં આ સમજાવો આપણા આત્માઓનાં એ
બાપ છે. આપણે બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. પૂછો આ ઠીક છે? લખો - આપણે બધાં ભાઈ-ભાઈ
છીએ. આપણા બાપ પણ એક છે, આપણે બધી આત્માઓનાં એ છે સુપ્રીમ સોલ (પરમાત્મા), એમને
ફાદર (પિતા) કહેવાય છે. આ પાક્કું-પાક્કું બુદ્ધિમાં બેસાડો તો સર્વવ્યાપી વગેરે
પહેલા નીકળી જાય. અલ્ફ પહેલા ભણવાનું છે. બોલો, આ સારી રીતે બેસી લખો. પહેલા
સર્વવ્યાપી કહેતો હતો, હવે સમજુ છું કે સર્વવ્યાપી નથી. આપણે બધાં ભાઈ-ભાઈ છે, બધી
આત્માઓ કહે છે - ગોડ ફાધર, પરમપિતા. પહેલા તો આ નિશ્ચય બેસાડવાનો છે કે આપણે આત્મા
છીએ, પરમાત્મા નથી. ન આપણામાં પરમાત્મા વ્યાપક છે. બધામાં આત્મા વ્યાપક છે. આત્મા
શરીરનાં આધાર થી પાર્ટ ભજવે છે, આ પાક્કું કરાવો. અચ્છા, પછી તે બાપ સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નુ જ્ઞાન પણ સંભળાવે છે, બીજું તો કોઈ પણ જાણતું નથી કે આ સૃષ્ટિ ચક્ર
ની આયુ કેટલી છે. બાપ જ શિક્ષકનાં રુપ માં બેસી સમજાવે છે. લાખો વર્ષની તો વાત જ નથી.
આ ચક્ર અનાદિ, એક્યુરેટ બન્યું-બનાવેલ છે, આને જાણવું પડે. સતયુગ-ત્રેતા ભૂતકાળ થયાં,
નોંધ કરો. તેને કહેવાય છે સ્વર્ગ અને સેમી સ્વર્ગ. જ્યાં દેવી-દેવતાઓ નું રાજ્ય ચાલે
છે, તે ૧૬ કળા, તે ૧૪ કળા. ધીરે-ધીરે કળાઓ ઓછી થતી જાય છે. દુનિયા જૂની તો જરુર થશે
ને. સતયુગ નો પ્રભાવ ખુબ ભારે છે. નામ જ છે સ્વર્ગ, હેવન, નવી દુનિયા….. એની જ મહિમા
કરવાની છે. નવી દુનિયામાં છે જ એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. પહેલાં બાપ નો પરિચય
પછી ચક્ર નો પરિચય અપાય છે. ચિત્ર પણ તમારી પાસે છે - નિશ્ચય કરાવવા માટે. આ
સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. સતયુગમાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, ત્રેતામાં
રામ-સીતા નું. આ થયો અડધોકલ્પ, બે યુગ ભૂતકાળ થયાં પછી આવે છે દ્વાપર-કળયુગ.
દ્વાપરમાં રાવણ રાજ્ય. દેવતા વામમાર્ગ માં ચાલ્યાં જાય છે તો વિકાર ની સિસ્ટમ (આદત)
બની જાય છે. સતયુગ-ત્રેતામાં બધાં નિર્વિકારી રહે છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
રહે છે. ચિત્ર પણ દેખાડવાનાં છે, વાણી દ્વારા પણ સમજાવવાનું છે. બાપ અમને શિક્ષક બની
આમ ભણાવે છે. બાપ પોતાનો પરિચય જાતે જ આવીને આપે છે. પોતે કહે છે હું આવું છું પતિતો
ને પાવન બનાવવા તો મને શરીર જરુર જોઈએ. નહીં તો વાત કેવી રીતે કરું. હું ચૈતન્ય
છું, સત છું અને અમર છું. આત્મા સતો, રજો, તમો માં આવે છે. આત્મા જ પાવન અને પતિત
બને છે એટલે કહેવાય છે પતિત આત્મા, પાવન આત્મા. આત્મામાં જ બધાં સંસ્કાર છે.
ભૂતકાળનાં કર્મ કે વિકર્મ નાં સંસ્કાર આત્મા લઈ આવે છે. સતયુગ માં વિકર્મ થતાં જ નથી.
કર્મ કરે છે, પાર્ટ ભજવે છે પરંતુ તે કર્મ અકર્મ થઈ જાય છે. ગીતા માં પણ અક્ષર છે,
હમણાં તમે પ્રેક્ટિકલમાં સમજી રહ્યાં છો. જાણો છો બાબા આવેલાં છે જૂની દુનિયાને
બદલવા, નવી દુનિયા બનાવવા. જ્યાં કર્મ અકર્મ થઈ જાય છે એને જ સતયુગ કહેવાય છે અને
પછી જ્યાં બધાં કર્મ, વિકર્મ થાય છે એને કળયુગ કહેવાય છે. તમે હમણાં છો સંગમ પર.
બાબા બંને તરફની વાત સમજાવે છે. સતયુગ-ત્રેતા તો છે પવિત્ર દુનિયા, ત્યાં કોઈ પાપ
થતાં નથી. જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે ત્યારે જ પાપ થાય છે. ત્યાં વિકારનું નામ
નથી હોતું. ચિત્ર તો સામે છે રામરાજ્ય અને રાવણરાજ્ય. બાપ સમજાવે છે આ ભણતર છે.
બાપનાં સિવાય બીજું કોઈ નથી જાણતું. આ ભણતર તો તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ, બાપ
પણ યાદ આવે છે, ચક્ર પણ બુદ્ધિ માં આવી જાય છે. સેકન્ડમાં બધું યાદ આવી જાય છે.
વર્ણન કરવામાં વાર લાગે છે. આનાં ૩ ફાઉન્ટેન છે. ઝાડ આવું હોય છે, બીજ અને ઝાડ
સેકન્ડ માં યાદ આવી જશે. આ બીજ ફલાણા ઝાડનું છે, આમ આમાંથી ફળ નીકળે છે. આ બેહદ નું
મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ કેવું છે, તેનું રહસ્ય તમે સમજાવો છો. બાળકોને બધું સમજાવ્યું
છે - અડધોકલ્પ રાજધાની કેવી રીતે ચાલે છે પછી રાવણ રાજ્ય થાય છે તો જે
સતયુગ-ત્રેતાવાસી છે, એજ દ્વાપરવાસી બને છે. ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. અડધાકલ્પ
નાં પછી રાવણ રાજ્ય થાય છે, વિકારી બની જાય છે. બાપ થી જે વારસો મળ્યો છે તે
અડધોકલ્પ ચાલ્યો. નોલેજ સંભળાવી ને વારસો આપ્યો, તે પ્રાલબ્ધ ભોગવી અર્થાત્
સતયુગ-ત્રેતા માં સુખ પામ્યું. તેને સુખધામ, સતયુગ કહેવાય છે. ત્યાં દુઃખ હોતું જ
નથી. કેટલું સરળ સમજાવે છે. એક ને સમજાવો છો કે અનેકો ને સમજાવો છો - તો એવું
અટેન્શન (ધ્યાન) આપવાનું છે, સમજે છે, હા-હા કરે છે? બોલો, નોંધ કરતાં જાઓ. કોઈ શંકા
હોય તો પૂછજો. જે વાત કોઈ નથી જાણતું તે અમે સમજાવીએ છીએ. તમે કાંઈ પણ જાણતા નથી,
પૂછશો પછી શું?
બાબા તો આ બેહદ ઝાડનું રહસ્ય સમજાવે છે. આ નોલેજ હમણાં તમે સમજો છો. બાપે સમજાવ્યું
છે તમે ૮૪નાં ચક્રમાં કેવી રીતે આવો છો. આ સારી રીતે નોંધ કરો પછી આનાં પર વિચાર
કરવાનો છે. જેમ શિક્ષક નિબંધ આપે છે પછી ઘરમાં જઈને રિવાઇઝ (પુનરાવર્તન) કરી આવે છે
ને. તમે પણ આ નોલેજ આપો છો પછી જુઓ શું થાય છે. પૂછતાં રહો. એક-એક વાત સારી રીતે
સમજાવો. બાપ-શિક્ષક નું કર્તવ્ય સમજાવીને પછી ગુરુ નું સમજાવો. એમને બોલાવ્યાં જ છે
કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા પાવન બને છે તો પછી શરીર પણ પાવન મળે છે.
જેવું સોનું તેવો દાગીનો બને છે. ૨૪ કેરેટ નું સોનું ઉઠાવશો, ખાદ નહીં નાખશો તો
દાગીનો પણ એવો સતો પ્રધાન બનશે. એલાોય (ખાદ) નાખવાથી તમોપ્રધાન બની ગયાં છે.
પહેલાં-પહેલાં ભારત ૨૪ કેરેટ સાચાં સોનાની ચકલી હતું અર્થાત્ સતોપ્રધાન નવી દુનિયા
હતી પછી તમોપ્રધાન બની છે. આ બાપ જ સમજાવે છે, બીજા કોઈ મનુષ્ય ગુરુ લોકો નથી જાણતાં.
બોલાવે છે આવીને પાવન બનાવો. એ તો ગુરુ નું કામ છે. વાનપ્રસ્થ અવસ્થામાં મનુષ્ય ગુરુ
કરે છે. વાણી થી પરે સ્થાન તો છે ઇનકારપોરીયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા), જ્યાં
આત્માઓ રહે છે. આ છે કારપોરીયલ વર્લ્ડ (સાકાર દુનિયા). બંનેનો આ મેળ છે. ત્યાં તો
શરીર છે નહીં. ત્યાં કોઈ કર્મ નથી થતું. બાપ માં તો બધું નોલેજ છે. ડ્રામા પ્લાન
અનુસાર એમને કહેવાય જ જાય છે નોલેજફુલ. એ ચૈતન્ય સત-ચિત-આનંદ સ્વરુપ હોવાનાં કારણે
એમને નોલેજફુલ કહેવાય છે. બોલાવે પણ છે હેં પતિત-પાવન, નોલેજફુલ શિવબાબા, એમનું નામ
સદૈવ શિવ જ છે. બાકી આત્માઓ બધી આવે છે પાર્ટ ભજવવાં. તો ભિન્ન-ભિન્ન નામ ધારણ કરે
છે. બાપ ને બોલાવે છે પરંતુ એમને કાંઈ પણ સમજ નથી રહેતી. જરુર ભાગ્યશાળી રથ પણ હશે,
જેમાં બાપ પ્રવેશ કરી તમને પાવન દુનિયામાં લઈ જાય. તો બાપ સમજાવે છે - મીઠા-મીઠા
બાળકો, હું આમનાં તનમાં આવું છું જે અનેક જન્મોનાં અંતમાં છે, પુરા ૮૪ જન્મ લે છે.
ભાગ્યશાળી રથ પર આવવું પડે છે. પહેલા નંબર માં તો છે શ્રીકૃષ્ણ. એ છે નવી દુનિયાનાં
માલિક. પછી તે જ નીચે ઉતરે છે. સતયુગ થી ત્રેતા, દ્વાપર, કળયુગ માં આવીને પડે છે.
હવે ફરી તમે કળયુગી થી સતયુગી બની રહ્યાં છો. બાપ કહે છે ફક્ત મુજ પોતાનાં બાપ ને
યાદ કરો. જેમાં પ્રવેશ કર્યો છે એમની આત્મામાં તો જરા પણ નોલેજ નહોતું. આમનામાં
પ્રવેશ કરું છું એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. નહીં તો સૌથી ઊંચા તો આ
લક્ષ્મી-નારાયણ છે, એમનામાં પ્રવેશ કરવો જોઈએ. પરંતુ એમનામાં પરમાત્મા પ્રવેશ કરતાં
નથી એટલે જ એમને ભાગ્યશાળી રથ કહેવાતું નથી. રથ માં આવીને પતિતો ને પાવન બનાવવાનાં
છે, તો જરુર કળયુગી તમોપ્રધાન હશે ને. સ્વયં કહે છે હું અનેક જન્મોનાં અંતમાં આવું
છું. ગીતામાં પણ અક્ષર એક્યુરેટ છે. ગીતાને જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી કહેવાય છે. આ
સંગમયુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવતા કુળ સ્થાપન કરે છે. અનેક જન્મોનાં
અંત માં અર્થાત્ સંગમયુગ પર જ બાપ આવે છે. બાપ કહે છે હું બીજરુપ છું. કૃષ્ણ તો છે
સતયુગનાં રહેવાસી. એમને બીજી જગ્યાએ તો કોઈ જોઈ ન શકે. પુનર્જન્મ માં તો નામ, રુપ,
દેશ, કાળ બધું બદલાઈ જાય છે. ફિચર્સ (ચહેરો) જ બદલાઈ જાય છે. પહેલાં નાનાં બાળક
સુંદર હોય છે પછી મોટા થતાં છે તે પછી શરીર છોડી બીજું નાનું શરીર લે છે. આ
બન્યો-બનાવેલ ખેલ ડ્રામાની અંદર ફિક્સ (નિશ્ચિત) છે. બીજું શરીર લીધું તો તેમને
કૃષ્ણ નહીં કહેશે. એ બીજા શરીર પર નામ વગેરે પછી બીજું પડશે. સમય, ફિચર્સ,
તિથિ-તારીખ વગેરે બધું બદલાઈ જાય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રીપીટ
કહેવાય છે. તો આ ડ્રામા રીપીટ થતો રહે છે. સતો, રજો, તમો માં આવવાનું જ છે. સૃષ્ટિ
નું નામ, યુગ નું નામ બધું બદલાતું રહે છે. હમણાં આ છે સંગમયુગ. હું આવું જ છું
સંગમ પર. હું તમને આખી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી સત્ય બતાવું છું. આદિ થી લઈને
અંત સુધી બીજું કોઈ પણ જાણતું જ નથી. સતયુગ ની આયુ કેટલી હતી, આ ખબર ન હોવાનાં કારણે
લાખો વર્ષ કહી દે છે. હમણાં તમારી બુદ્ધિમાં બધી વાતો છે. તમારે અંદરમાં આ પાક્કું
કરવાનું છે કે બાપ, બાપ-શિક્ષક-સદ્દગુરુ છે, જે ફરીથી સતોપ્રધાન બનવા માટે ખૂબ સારી
યુક્તિ બતાવે છે. ગીતામાં પણ છે દેહ સહિત દેહનાં બધાં ધર્મ છોડી પોતાને આત્મા સમજો.
પાછાં પોતાનાં ઘરે જરુર જવાનું છે. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત કરે છે, ભગવાન પાસે
જવા માટે. તે છે મુક્તિધામ, કર્મ થી મુક્ત. આપણે નિરકારી દુનિયામાં જઈને બેસીએ છીએ.
પાર્ટધારી ઘરે ગયાં તો પાર્ટ થી મુક્ત થયાં. બધાં ઈચ્છે છે અમે મુક્તિ પામીએ. મોક્ષ
તો કોઈને મળી ન શકે. આ ડ્રામા અનાદિ-અવિનાશી છે. કોઈ કહે આ પાર્ટ આવવા-જવાનો અમને
પસંદ નથી, પરંતુ આમાં કંઈ કરી ન શકાય. આ અનાદિ ડ્રામા બનેલો છે. એક પણ મોક્ષ પામી
નથી શકતું. તે બધી છે અનેક પ્રકારની મનુષ્ય મત. આ છે શ્રીમત, શ્રેષ્ઠ બનાવવા માટે.
મનુષ્ય ને શ્રેષ્ઠ નહીં કહેશે. દેવતાઓ ને શ્રેષ્ઠ કહેવાય છે. એમનાં આગળ બધાં નમન કરે
છે. તો તે શ્રેષ્ઠ થયાં ને. કૃષ્ણ દેવતા છે વૈકુંઠનાં પ્રિન્સ. તે અહીંયા કેવી રીતે
આવશે. નથી એમણે ગીતા સંભળાવી. શિવનાં આગળ જઈને કહે છે અમને મુક્તિ આપો. એ તો
ક્યારેય જીવનમુક્ત, જીવનબંધ માં આવતા જ નથી એટલે એમને પોકારે છે મુક્તિ આપો.
જીવનમુક્તિ પણ એ આપે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે બધાં
આત્મા રુપ માં ભાઈ-ભાઈ છીએ, આ પાઠ પાક્કો કરવાનો અને કરાવવાનો છે. પોતાનાં સંસ્કારો
ને યાદ થી સંપૂર્ણ પાવન બનાવવાનાં છે.
2. ૨૪ કેરેટ સાચું સોનું (સતોપ્રધાન) બનવાનાં માટે કર્મ-અકર્મ-વિકર્મ ની ગુહ્ય ગતિને
બુદ્ધિ માં રાખી હવે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.
વરદાન :-
સમય પર દરેક
ગુણ અથવા શક્તિ ને યુઝ કરવા વાળા અનુભવી મૂર્ત ભવ
બ્રાહ્મણ જીવન ની
વિશેષતા છે અનુભવ. જો એક પણ ગુણ કે શક્તિની અનુભૂતિ નથી તો ક્યારેક ને ક્યારેક
વિઘ્ન નાં વશ થઈ જશો. હવે અનુભૂતિ નો કોર્સ શરું કરો. દરેક ગુણ અથવા શક્તિ રુપી
ખજાના ને યુઝ કરો. જે સમય જે ગુણ ની આવશ્યકતા છે એ સમયે એનું સ્વરુપ બની જાઓ. નોલેજ
ની રીતે બુદ્ધિ નાં લોકર માં ખજાના ને રાખી નહીં દો, યુઝ કરો ત્યારે વિજયી બની શકશો
અને વાહ રે હું નું ગીત સદા ગાતાં રહેશો.
સ્લોગન :-
નાજુકપણા નાં
સંકલ્પો ને સમાપ્ત કરી શક્તિશાળી સંકલ્પ રચવા વાળા જ ડબલ લાઈટ રહે છે.