15-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
અડધોકલ્પ જેમની ભક્તિ કરી છે , એજ બાપ સ્વયં તમને ભણાવી રહ્યાં છે , આ ભણતરથી જ તમે
દેવી દેવતા બનો છો ”
પ્રશ્ન :-
યોગબળનાં
લિફ્ટ ની કમાલ શું છે?
ઉત્તર :-
આપ બાળકો યોગબળની લિફ્ટ થી સેકન્ડ માં ઉપર ચઢી જાઓ છો અર્થાત્ સેકન્ડ માં જીવનમુક્તિ
નો વારસો તમને મળી જાય છે. તમે જાણો છો સીડી ઉતરવામાં ૫ હજાર વર્ષ લાગ્યાં અને ચઢીએ
છીએ એક સેકન્ડ માં, આ જ છે યોગબળ ની કમાલ. બાપની યાદ થી બધાં પાપ કપાઈ જાય છે. આત્મા
સતોપ્રધાન બની જાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને બેસી સમજાવે છે. રુહાની બાપની મહિમા તો બાળકો ને સંભળાવી છે. એ
જ્ઞાનનાં સાગર, સત-ચિત-આનંદ સ્વરુપ છે. શાંતિનાં સાગર છે. એમને બધી બેહદની શિફતેં (મહિમા)
અપાય છે. હવે બાપ છે જ્ઞાનનાં સાગર. અને આ સમયે જે પણ મનુષ્ય છે બધાં જાણે છે અમે
ભક્તિનાં સાગર છીએ. ભક્તિમાં જે સૌથી આગળ હોય છે તેમને માન મળે છે. આ સમયે કળયુગ
માં છે ભક્તિ, દુઃખ. સતયુગ માં છે જ્ઞાન નું સુખ. એવું નહીં કે ત્યાં જ્ઞાન છે. તો
આ મહિમા ફક્ત એક જ બાપની છે અને બાળકોની મહિમા પણ છે કારણ કે બાપ બાળકોને ભણાવે છે
અથવા યાત્રા શીખવાડે છે. બાપે સમજાવ્યું છે બે યાત્રાઓ છે. ભક્ત લોકો તીર્થ કરે છે,
ચારેય તરફ ચક્ર લગાવે છે. તો જેટલો સમય ચારેય તરફ ચક્ર લગાવે છે, એટલો સમય વિકારમાં
નથી જતાં. દારુ વગેરે છી-છી કોઈ વસ્તુ ખાતાં-પીતાં નથી. ક્યારેક બદ્રીનાથ, ક્યારેક
કાશી ચક્ર લગાવે છે. ભક્તિ કરે છે ભગવાન ની. હવે ભગવાન તો એક હોવાં જોઈએ ને. બધી
તરફ તો ચક્ર લગાવવા ન જોઈએ ને! શિવબાબાનાં તીર્થનું પણ ચક્ર લગાવે છે. સૌથી મોટું
બનારસ નું તીર્થ ગવાયેલું છે, જેને શિવ ની પુરી કહે છે. ચારેય તરફ જાય છે પરંતુ
જેમનાં દર્શન કરવા જાય છે અથવા જેમની ભક્તિ કરે છે, એમની બાયોગ્રાફી (જીવનકહાની),
ઓક્યુપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર નથી એટલે તેને કહેવાય છે અંધશ્રદ્ધા. કોઈની પૂજા
કરવી, માથું ટેકવું અને તેમની જીવન કહાની ને ન જાણવી, આને કહેવાય છે બ્લાઇન્ડફેથ.
ઘર માં પણ મનાવે છે, દેવીઓ ની કેટલી પૂજા કરે છે, માટી કે પથ્થરની દેવીઓ બનાવી તેને
ખુબ શ્રુંગારે છે. સમજો લક્ષ્મી નું ચિત્ર બનાવે છે, એમનાથી પૂછો તેમની બાયોગ્રાફી
બતાવો તો કહેશે સતયુગ ની મહારાણી હતી. ત્રેતા ની પછી સીતા હતી. બાકી આમણે કેટલો સમય
રાજ્ય કર્યુ, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું, આ કોઈ પણ નથી
જાણતાં. મનુષ્ય ભક્તિમાર્ગ માં યાત્રા પર જાય છે, આ બધાં છે ભગવાન થી મળવાનાં ઉપાય.
શાસ્ત્ર વાંચવા આ પણ ઉપાય છે ભગવાન થી મળવા માટે. પરંતુ ભગવાન છે ક્યાં? કહેશે એ તો
સર્વવ્યાપી છે.
હમણાં તમે જાણો છો ભણતર થી આપણે આ (દેવી-દેવતા) બનીએ છીએ. બાપ સ્વયં આવીને ભણાવે
છે, જેમને મળવા માટે અડધોકલ્પ ભક્તિમાર્ગ ચાલે છે. કહે છે બાબા પાવન બનાવો અને
પોતાનો પરિચય પણ આપો કે આપ કોણ છો? બાબા એ સમજાવ્યું છે કે તમે આત્મા બિંદી છો,
આત્માને જ અહીંયા શરીર મળેલું છે, એટલે અહીંયા કર્મ કરે છે. દેવતાઓનાં માટે કહેશે
કે આ સતયુગમાં રાજ્ય કરીને ગયાં છે. ક્રિશ્ચિયન લોકો તો સમજે છે બરાબર ગોડફાધરે
પેરેડાઇઝ (વૈકુંઠ) સ્થાપન કર્યુ. અમે એમાં નહોતાં. ભારતમાં પેરેડાઇઝ હતું, તેમની
બુદ્ધિ છતાં પણ સારી છે. ભારતવાસી સતોપ્રધાન પણ બને છે તો પછી તમોપ્રધાન પણ બને છે.
તેઓ એટલું સુખ નથી જોતાં તો દુઃખ પણ એટલું નથી જોતાં. હમણાં અંતનાં ક્રિશ્ચિયન લોકો
કેટલાં સુખી છે. પહેલાં તો તે ગરીબ હતાં. પૈસા તો મહેનત થી કમાવાય છે ને. પહેલાં એક
ક્રાઈસ્ટ આવ્યાં, પછી તેમનો ધર્મ સ્થાપન થાય છે, વૃદ્ધિ થતી જાય છે. એક થી બે, બે
થી ચાર…... પછી એવી રીતે વૃદ્ધિ થતી જાય છે. હમણાં જુઓ ક્રિશ્ચિયન નું ઝાડ કેટલું
થઈ ગયું છે. ફાઉન્ડેશન છે - દેવી-દેવતા વંશજ. તે પછી અહિંયા આ સમયે સ્થાપન થાય છે.
પહેલાં એક બ્રહ્મા પછી બ્રાહ્મણો ની એડોપ્ટેડ (દત્તક) સંતાન વૃદ્ધિને પામે છે. બાપ
ભણાવે છે તો ઘણાં અસંખ્ય બ્રાહ્મણ થઈ જાય છે. પહેલાં તો આ એક હતાં ને. એક થી કેટલી
વૃદ્ધિ થઈ છે. કેટલી થવાની છે. જેટલાં સૂર્યવંશી, ચંદ્રવંશી દેવતાઓ હતાં, એટલાં બધાં
બનવાનાં છે. પહેલાં છે એક બાપ, એમની આત્મા તો છે જ. બાપની આપણે આત્માઓ સંતાન કેટલી
છીએ? આપણા બધી આત્માઓનાં બાપ એક અનાદિ છે. પછી સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. બધાં
મનુષ્ય તો સદૈવ નથી ને. આત્માઓએ ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવવાનો છે. આ ઝાડનું
પહેલાં-પહેલાં થડ છે દેવી-દેવતાઓનું, પછી એનાથી ટ્યુબ્સ (શાખાઓ) નીકળી છે. તો બાપ
બેસી બાળકો ને સમજાવે છે - બાળકો, હું આવીને શું કરું છું? આત્મા માં જ ધારણા થાય
છે. બાપ બેસી સંભળાવે છે - હું આવ્યો કેવી રીતે? તમે બધાં બાળકો જ્યારે કે પતિત
બન્યાં છો તો યાદ કરો છો. સતયુગ-ત્રેતામાં તો તમે સુખી હતાં તો યાદ કરતા નહોતાં.
દ્વાપર નાં પછી જ્યારે દુઃખ વધારે થયું છે ત્યારે પોકારે છે - હેં પરમપિતા પરમાત્મા
બાબા. હાં બાળકો, સાંભળ્યું. શું ઈચ્છો છો? બાબા આવીને પતિતો ને પાવન બનાવો. બાબા
અમે ખુબ દુઃખી, પતિત છીએ. અમને આવીને પાવન બનાવો. કૃપા કરો, આશીર્વાદ કરો. તમે મને
પોકાર્યા છે - બાબા, આવીને પતિતો ને પાવન બનાવો. પાવન સતયુગ ને કહેવાય છે. આ પણ બાપ
સ્વયં બેસી બતાવે છે. ડ્રામાનાં પ્લાન અનુસાર જ્યારે સંગમયુગ હોય છે, સૃષ્ટિ જૂની
થાય છે ત્યારે હું આવું છું.
તમે સમજો છો સંન્યાસી પણ બે પ્રકારનાં છે. તે છે હઠયોગી, તેમને રાજયોગી ન કહેવાય.
તેમનો છે હદનો સંન્યાસ. ઘરબાર છોડી જંગલમાં જઈને રહે છે. ગુરુઓનાં ફોલોઅર્સ (અનુયાયી)
બને છે. ગોપીચંદ રાજા માટે પણ એક કથા સંભળાવે છે. તેમણે કહ્યું તમે ઘરબાર કેમ છોડો
છો? ક્યાં જાઓ છો? શાસ્ત્રોમાં ઘણી બધી વાર્તાઓ છે. હમણાં તમે બી.કે., રાજાઓને પણ
જઈને જ્ઞાન અને યોગ શીખવાડો છો. એક અષ્ટાવક્ર ગીતા પણ છે, જેમાં દેખાડયું છે -
રાજાને વૈરાગ્ય આવ્યો, બોલ્યાં મને કોઈ પરમાત્મા થી મળાવે. ઢંઢેરો પિટાવ્યો. તે આ જ
સમય છે. તમે જઈને રાજાઓને જ્ઞાન આપો છો ને, બાપ થી મળાવવા માટે. જેમ તમે મળ્યાં છો
તો બીજાઓને પણ મળાવવાની કોશિશ કરો છો. તમે કહો છો અમે તમને સ્વર્ગનાં માલિક બનાવશું,
મુક્તિ-જીવનમુક્તિ આપશું. પછી તેમને કહો શિવબાબા ને યાદ કરો, બીજા કોઈને નહીં. તમારી
પાસે પણ શરું માં બેઠા-બેઠા એક-બીજા ને જોતાં ધ્યાનમાં ચાલ્યાં જતા હતાં ને. ખુબ
વન્ડર (આશ્ચર્ય) લાગતું હતું. બાપ હતાં ને આમનામાં, તો એ ચમત્કાર દેખાડતા હતાં.
બધાની દોરી ખેંચી લેતા હતાં. બાપદાદા ભેગા થઈ ગયાં ને. કબ્રિસ્તાન બનાવતા હતાં. બધાં
બાપ ની યાદ માં સુઈ જાઓ. બધાં ધ્યાનમાં ચાલ્યાં જતા હતાં. આ બધી શિવબાબા ની ચતુરાઈ
હતી. આને પછી કોઈ જાદુ સમજવા લાગ્યાં. આ હતી શિવબાબા ની રમત. બાપ જાદુગર, સૌદાગર,
રત્નાગર છે ને. ધોબી પણ છે, સોની પણ છે, વકીલ પણ છે. બધાને રાવણ ની જેલ થી છોડાવે
છે. એમને જ બધાં બોલાવે છે - હેં પતિત-પાવન, હેં દૂરદેશનાં રહેવા વાળા…... અમને
આવીને પાવન બનાવો. આવો પણ પતિત દુનિયા માં, પતિત શરીર માં આવીને અમને પાવન બનાવો.
હવે તમે તેનો પણ અર્થ સમજો છો. બાપ આવીને બતાવે છે આપ બાળકોએ રાવણ નાં દેશમાં મને
બોલાવ્યો છે, હું તો પરમધામ માં બેઠો હતો. સ્વર્ગ સ્થાપન કરવા માટે મને નર્ક રાવણનાં
દેશમાં બોલાવ્યો કે હવે સુખધામ માં લઈ ચાલો. હવે આપ બાળકોને લઈ જાય છે ને. તો આ છે
ડ્રામા. મેં જે તમને રાજ્ય આપ્યું હતું તે પૂરું થયું પછી દ્વાપર થી રાવણ રાજ્ય
ચાલ્યું છે. ૫ વિકારો માં પડ્યાં, તેનાં પછી ચિત્ર પણ છે જગન્નાથપુરી માં. પહેલાં
નંબર માં જે હતાં એ પછી ૮૪ જન્મ લઈ હવે અંત માં છે પછી તેમને જ પહેલાં નંબર માં
જવાનું છે. આ બ્રહ્મા બેઠા છે, વિષ્ણુ પણ બેઠા છે. આમનો આપસમાં શું સંબંધ છે?
દુનિયામાં કોઈ નથી જાણતું. બ્રહ્મા-સરસ્વતી પણ અસલ માં સતયુગનાં માલિક
લક્ષ્મી-નારાયણ હતાં. હવે નર્ક નાં માલિક છે. હવે આ તપસ્યા કરી રહ્યાં છે - આ
લક્ષ્મી-નારાયણ બનવાનાં માટે. દેલવાડા મંદિર માં પૂરું યાદગાર છે. બાપ પણ અહીંયા જ
આવ્યાં છે એટલે હવે લખે પણ છે - આબુ બધાં તીર્થો માં, બધાં ધર્મોનાં તીર્થોમાં
મુખ્ય તીર્થ છે કારણ કે અહીંયા જ બાપ આવીને સર્વ ધર્મો ની સદ્દગતિ કરે છે. તમે
શાંતિધામ થઈને પછી સ્વર્ગ માં જાઓ છો. બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જાય છે. તે
છે જડ યાદગાર, આ છે ચૈતન્ય. જ્યારે તમે ચૈતન્ય માં તે બની જશો તો પછી આ મંદિર વગેરે
બધાં ખતમ થઇ જશે. પછી ભક્તિમાર્ગ માં આ યાદગાર બનાવશે. હમણાં તમે સ્વર્ગની સ્થાપના
કરી રહ્યાં છો. મનુષ્ય સમજે છે - સ્વર્ગ ઉપર માં છે. હમણાં તમે સમજો છો આ જ ભારત
સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. આ ચક્ર જોવાથી જ આખું જ્ઞાન આવી જાય છે. દ્વાપર થી બીજા
બધાં ધર્મ આવે છે તો હમણાં જુઓ કેટલાં ધર્મ છે. આ છે આઈરન એજ (કળયુગ). હમણાં તમે
સંગમ પર છો. સતયુગ માં જવા માટે પુરુષાર્થ કરો છો. કળયુગ માં છે બધાં પથ્થરબુદ્ધિ.
સતયુગ માં છે પારસબુદ્ધિ. તમે જ પારસબુદ્ધિ હતાં, તમે જ પછી પથ્થરબુદ્ધિ બન્યાં છો,
ફરી પારસબુદ્ધિ બનવાનું છે. હવે બાપ કહે છે તમે મને બોલાવ્યો છે તો હું આવ્યો છું
અને તમને કહું છું - કામ ને જીતો તો જગતજીત બનશો. મુખ્ય આ વિકાર જ છે. સતયુગમાં છે
બધાં નિર્વિકારી. કળયુગમાં છે વિકારી.
બાપ કહે છે બાળકો, હવે નિર્વિકારી બનો. ૬૩ જન્મ વિકાર માં ગયાં છો. હવે આ અંતિમ
જન્મ પવિત્ર બનો. હમણાં મરવાનું પણ બધાએ છે. હું સ્વર્ગ સ્થાપન કરવા આવ્યો છું તો
હવે મારી શ્રીમત પર ચાલો. હું જે કહું તે સાંભળો. હમણા તમે પથ્થરબુદ્ધિને પારસબુદ્ધિ
બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. તમે જ પૂરી સીડી ઉતરો છો અને પછી ચઢો છો. તમે
જાણે જિન્ન છો. જિન્નની વાર્તા છે ને - તેણે કહ્યું કામ આપો તો રાજા એ કહ્યું સારું
સીડી ઉતરો અને ચઢો. ઘણાં મનુષ્ય કહે છે ભગવાન ને શું પડી હતી જે સીડી ચઢાવે અને
ઉતારે છે. ભગવાન ને શું થયું છે જે આવી સીડી બનાવી! બાપ સમજાવે છે આ અનાદિ ખેલ છે.
તમે ૫ હજાર વર્ષમાં ૮૪ જન્મ લીધાં છે. ૫ હજાર વર્ષ તમને નીચે ઉતરવામાં લાગ્યાં છે
પછી ઉપર જાઓ છો સેકન્ડ માં. આ છે તમારા યોગબળ ની લિફ્ટ. બાપ કહે છે યાદ કરો તો તમારા
પાપ કપાઈ જશે. બાપ આવે છે તો સેકન્ડમાં તમે ઉપર ચઢી જાઓ છો તો પછી નીચે ઉતરવામાં ૫
હજાર વર્ષ લાગ્યાં છે. કળાઓ ઓછી થતી જાય છે. ચઢવાની તો લિફ્ટ છે. સેકન્ડમાં
જીવનમુક્તિ. સતોપ્રધાન બનવાનું છે. પછી ધીરે-ધીરે તમોપ્રધાન બનશો. ૫ હજાર વર્ષ લાગે
છે. અચ્છા, પછી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે એક જન્મ માં. હમણાં જ્યારે કે
હું તમને સ્વર્ગ ની બાદશાહી આપું છું તો તમે પવિત્ર કેમ નહીં બનો. પરંતુ કામેશું,
ક્રોધેશું પણ છે ને. વિકાર ન મળવાથી પછી સ્ત્રી ને મારે છે, બહાર નીકાળી દે છ, આગ
લગાવી દે છે. અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે. આ પણ ડ્રામામાં નોંધ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જગત નાં
માલિક બનવાં અથવા વિશ્વની બાદશાહી લેવા માટે મુખ્ય કામ વિકાર પર જીત પામવાની છે.
સંપૂર્ણ નિર્વિકારી જરુર બનવાનું છે.
2. જેમ આપણને બાપ મળ્યાં છે એમ બધાં ને બાપ થી મળાવવા ની કોશિશ કરવાની છે. બાપ ની
સાચી ઓળખ આપવાની છે. સાચ્ચી-સાચ્ચી યાત્રા શીખવાડવાની છે.
વરદાન :-
સાઇલેન્સ ની
શક્તિ દ્વારા સેકન્ડ માં દરેક સમસ્યા નો હલ કરવા વાળા એકાંતવાસી ભવ
જ્યારે કોઈ પણ નવી કે
શક્તિશાળી ઇન્વેન્શન (શોધ) કરે છે તો અંડરગ્રાઉન્ડ કરે છે. અહીંયા એકાંતવાસી બનવું
જ અંડરગ્રાઉન્ડ છે. જે પણ સમય મળે, કારોબાર કરતા પણ, સાંભળતાં-સંભળાવતાં, ડાયરેક્શન
(માર્ગદર્શન) આપતા પણ આ દેહ ની દુનિયા અને દેહનાં ભાન થી પરે સાઇલેન્સ માં ચાલ્યાં
જાઓ. આ અભ્યાસ અથવા અનુભવ કરવાની-કરાવવાની સ્ટેજ (અવસ્થા) દરેક સમસ્યાનો હલ કરી દેશે,
આનાથી એક સેકન્ડ માં કોઈને પણ શાંતિ અથવા શક્તિની અનુભૂતિ કરાવી દેશો. જે પણ સામે
આવશે તે આવી સ્ટેજમાં સાક્ષાત્કાર નો અનુભવ કરશે.
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પ
અથવા વિકલ્પ થી કિનારો કરી આત્મિક સ્થિતિ માં રહેવું જ યોગ્યયુક્ત બનવું છે.