07-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્યારે
આ ભારત સ્વર્ગ હતું ત્યારે તમે ઘોર અજવાળા માં હતાં , હમણાં અંધારું છે , ફરી અજવાળા
માં ચાલો ”
પ્રશ્ન :-
બાપ પોતાનાં
બાળકો ને કઈ એક કહાની (વાર્તા) સંભળાવવા આવ્યાં છે?
ઉત્તર :-
બાબા કહે મીઠા બાળકો - હું તમને ૮૪ જન્મોની કહાની સંભળાવું છું. તમે જ્યારે
પહેલાં-પહેલાં જન્મ માં હતાં ત્યારે એક જ દૈવી ધર્મ હતો પછી તમે જ બે યુગ પછી
મોટા-મોટા મંદિર બનાવ્યાં છે. ભક્તિ શરું કરી છે. હમણાં તમારો આ અંતનાં પણ અંત નો
જન્મ છે. તમે પોકાર્યુ દુ:ખહર્તા સુખકર્તા આવો…….હવે હું આવ્યો છું.
ગીત :-
આજ અંધેરે મેં
હૈ ઇન્સાન…………
ઓમ શાંતિ!
આપ બાળકો જાણો
છો હમણાં આ કળયુગી દુનિયા છે, બધાં અંધારામાં છે. પહેલાં સોજરા (અજવાળા) માં હતાં,
જ્યારે ભારત સ્વર્ગ હતું. આ જ ભારતવાસી જે હમણાં પોતાને હિન્દુ કહેવડાવે છે તે અસલ
દેવી-દેવતાઓ હતાં. ભારતમાં સ્વર્ગવાસી હતાં જ્યારે બીજો કોઈ ધર્મ નહોતો. એક જ ધર્મ
હતો. સ્વર્ગ, વૈકુંઠ, બહિશ્ત, હેવન - આ બધાં આ ભારતનાં નામ હતાં. ભારત પવિત્ર અને
પ્રાચીન ધનવાન હતો. હમણાં તો ભારત કંગાળ છે કારણ કે હમણાં કળયુગ છે. તમે જાણો છો
આપણે અંધારા માં છીએ. જ્યારે સ્વર્ગમાં હતાં તો સોજરા માં હતાં. સ્વર્ગ નાં
રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી શ્રી લક્ષ્મી-નારાયણ હતાં. એને સુખધામ કહેવાય છે. બાપ
થી જ તમારે સ્વર્ગ નો વારસો લેવાનો છે, જેને જીવનમુક્તિ કહેવાય છે. હમણાં તો બધાં
જીવન-બંધ માં છે. ખાસ ભારત અને આમ દુનિયા રાવણ ની જેલ માં, શોકવાટિકા માં છે. એવું
નહીં રાવણ ફક્ત લંકામાં હતાં અને રામ ભારતમાં હતાં, તેમણે આવીને સીતા ચોરી. આ તો બધી
છે દંત કથાઓ. ગીતા છે મુખ્ય, સર્વ શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમત અર્થાત્ ભગવાન ની
સંભળાવેલી છે, ભારત માં. મનુષ્ય તો કોઈની સદ્દગતિ કરી નથી શકતાં. સતયુગમાં હતાં
જીવનમુક્ત દેવી-દેવતાઓ, જેમણે આ વારસો કળયુગ અંતમાં પામ્યો હતો. ભારતવાસીઓને આ ખબર
નથી, ન કોઈ શાસ્ત્રો માં છે. શાસ્ત્રોમાં છે ભક્તિમાર્ગ નું જ્ઞાન. સદ્દગતિ માર્ગ
નું જ્ઞાન મનુષ્યમાત્ર માં બિલ્કુલ છે નહીં. બધાં ભક્તિ શીખવાડવા વાળા છે. કહેશે
શાસ્ત્ર વાંચો, દાન-પુણ્ય કરો. આ ભક્તિ દ્વાપર થી ચાલી આવે છે. સતયુગ અને ત્રેતામાં
છે જ્ઞાન ની પ્રાલબ્ધ. એવું નહીં કે ત્યાં પણ આ જ્ઞાન ચાલતું આવે છે. આ જે વારસો
ભારત પાસે હતો તે બાપ થી સંગમયુગ પર જ મળ્યો હતો જે પછી હમણાં જ તમને મળી રહ્યો છે.
ભારતવાસી જ્યારે નર્કવાસી બેહદ દુઃખી બની જાય છે ત્યારે પોકારે છે - હેં પતિત-પાવન
દુઃખહર્તા સુખકર્તા. કોના? સર્વનાં કારણ કે ભારત ખાસ, આમ દુનિયા બધામાં ૫ વિકાર છે.
બાપ છે પતિત-પાવન. બાપ કહે છે-હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર આવું છું. સર્વનો
સદ્દગતિ દાતા બનું છું. અહલ્યાઓ, ગણિકાઓ અને જે ગુરુ લોકો છે તે બધાં નો ઉદ્ધાર મારે
જ કરવો પડે છે કારણ કે આ તો છે જ પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે.
ભારતમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ભારતવાસી આ નથી જાણતાં કે આ સ્વર્ગનાં
માલિક હતાં. પતિત ખંડ એટલે જુઠ્ઠખંડ, પાવન ખંડ એટલે સચખંડ. ભારત પાવન ખંડ હતો, આ
ભારત છે અવિનાશી ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો. જ્યારે આમનું (લક્ષ્મી-નારાયણ નું)
રાજ્ય હતું તો બીજા કોઈ ખંડ નહોતાં. તે બધાં પછી થી આવે છે. મનુષ્યોએ તો કલ્પ લાખો
વર્ષ નું લખી દીધું છે. બાપ કહે છે કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે. તે પછી કહી દે છે
મનુષ્ય ૮૪ લાખ જન્મ લે છે. મનુષ્ય ને કુતરા, બિલાડી, ગધેડા વગેરે બધાં બનાવી દીધાં
છે. પરંતુ કુતરા, બિલાડી નો જન્મ અલગ છે, ૮૪ લાખ વેરાઈટી (વિવિધતા) છે. મનુષ્યો ની
તો વેરાઈટી એક જ છે. તેમનાં જ ૮૪ જન્મ છે. બાપ કહે છે ભારતવાસી પોતાનાં ધર્મને
ડ્રામા પ્લાન અનુસાર ભૂલી ગયાં છે. કળયુગ અંતમાં બિલ્કુલ જ પતિત બની ગયાં છે. પછી
બાપ સંગમ પર આવીને પાવન બનાવે છે, આને કહેવાય છે દુઃખધામ પછી ભારત સુખધામ થશે. બાપ
કહે છે-હેં બાળકો, તમે ભારતવાસી, સ્વર્ગવાસી હતાં પછી તમે ૮૪ જન્મો ની સીડી ઉતરો
છો. સતો થી રજો-તમો માં જરુર આવવાનું છે. આપ દેવતાઓ જેવાં ધનવાન એવરહેપ્પી,
અવરહેલ્દી, વેલ્દી કોઈ નથી હોતાં. ભારત કેટલો સાહૂકાર હતો, હીરા-ઝવેરાત તો પથ્થરો
માફક હતાં. બે યુગ પછી ભક્તિમાર્ગ માં આટલાં મોટા-મોટા મંદિર બનાવે છે. તે પણ કેટલાં
મોટાં મંદિર બનાવ્યાં. સોમનાથનું મંદિર મોટામાં મોટું હતું. ફક્ત એક મંદિર તો નહીં
હશે ને. બીજા પણ રાજાઓનાં મંદિર હતાં. કેટલું લૂટી ને લઇ ગયાં છે. બાપ આપ બાળકોને
સ્મૃતિ અપાવે છે. તમને કેટલાં સાહૂકાર બનાવ્યાં હતાં. તમે સર્વગુણ સંપન્ન, ૧૬ કળા
સંપૂર્ણ હતાં યથા મહારાજા-મહારાણી. તેમને ભગવાન-ભગવતી પણ કહી શકાય છે. પરંતુ બાપે
સમજાવ્યું છે-ભગવાન એક છે, એ બાપ છે. ફક્ત ઈશ્વર અથવા પ્રભુ કહેવાથી પણ યાદ નથી આવતું
કે તે બધી આત્માઓનાં બાપ છે. બાપ વાર્તા બેસીને સંભળાવે છે. હમણાં તમારા અનેક
જન્મોનાં અંત નો જન્મ છે. એકની વાત નથી, ન કોઈ યુદ્ધનું મેદાન વગેરે છે. ભારતવાસી આ
ભૂલી ગયાં છે કે તેમનું રાજ્ય હતું. સતયુગ ની આયુ લાંબી કરી દેવાથી ખુબ દૂર લઈ ગયાં
છે. બાપ આવી ને સમજાવે છે-મનુષ્યને ભગવાન ન કહી શકાય. મનુષ્ય કોઈની સદ્દગતિ નથી કરી
શકતાં. કહેવત છે-સર્વનાં સદ્દગતિ દાતા, પતિતો નાં પાવન કર્તા એક છે. એક જ સાચાં બાબા
છે જે સચખંડ ની સ્થાપના કરાવવા વાળા છે. પૂજા પણ કરે છે પરંતુ ભક્તિમાર્ગ માં તમે
જેમની પૂજા કરતાં આવ્યાં છો, એક ની પણ બાયોગ્રાફી ને નથી જાણતાં એટલે બાપ સમજાવે
છે, તમે શિવજયંતી તો મનાવો છો ને. બાપ છે નવી દુનિયાનાં રચયિતા, હેવનલી ગોડ ફાધર.
બેહદ સુખ આપવા વાળા. સતયુગમાં ખુબ સુખ હતું. તે કેવી રીતે અને કોણે સ્થાપન કર્યુ? આ
બાપ જ બેસીને સમજાવે છે. નર્કવાસી ને આવીને સ્વર્ગવાસી બનાવવાં અથવા ભ્રષ્ટાચારીઓ
ને શ્રેષ્ઠાચારી દેવતા બનાવવાં, આ તો બાપનું જ કામ છે. બાપ કહે છે-હું આપ બાળકોને
પાવન બનાવું છું. તમે સ્વર્ગનાં માલિક બનો છો. તમને પતિત કોણ બનાવે છે? આ રાવણ.
મનુષ્ય કહી દે છે દુઃખ પણ ઈશ્વર જ આપે છે. બાપ કહે છે-હું તો બધાને એટલું સુખ આપું
છું જે પછી અડધોકલ્પ તમે બાપનું સિમરણ નહીં કરશો. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે તો
બધાની પૂજા કરવા લાગી જાય છે. આ છે તમારો અનેક જન્મોનાં અંતનો જન્મ. કહે છે બાબા
કેટલાં જન્મ અમે લીધાં? બાબા કહે છે-મીઠા-મીઠા ભારતવાસીઓ, હેં આત્માઓ, હવે તમને
બેહદનો વારસો આપું છું. બાળકો, તમે ૮૪ જન્મ લીધાંં છે. હવે તમે ૨૧ જન્મ માટે બાપ થી
વારસો લેવા આવ્યાં છો. બધાં તો ભેગા નહીં આવશે. તમે જ સતયુગ નું સૂર્યવંશી પદ ફરી
થી લો છો અર્થાત્ સાચાં સત્ય બાબા થી સત્ય નર થી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ
છે જ્ઞાન, તે છે ભક્તિ. શાસ્ત્ર વગેરે બધું છે ભક્તિમાર્ગ નાં માટે. એ જ્ઞાન માર્ગ
નાં નથી. આ છે આધ્યાત્મિક રુહાની નોલેજ. સુપ્રીમ રુહ બેસીને નોલેજ આપે છે. બાળકોએ
દેહી-અભિમાની બનવું પડે. પોતાને આત્મા નિશ્ચય કરી મામેકમ્ યાદ કરો. બાપ સમજાવે છે-આત્મામાં
જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે, જેનાં અનુસાર જ મનુષ્યને સારો કે ખરાબ જન્મ મળે છે.
બાપ બેસીને સમજાવે છે આ જે પાવન હતાં, અંતિમ જન્મમાં પતિત છે, તત્ ત્વમ્. મુજ બાપ
ને આ જૂની રાવણ ની દુનિયા, પતિત દુનિયામાં આવવું પડે છે. આવવાનું પણ એ તન માં છે જે
પછી પહેલાં નંબર માં જવાનાં છે. સૂર્યવંશી જ પૂરા ૮૪ જન્મ લે છે. આ છે બ્રહ્મા અને
બ્રહ્માવંશી બ્રાહ્મણ. બાપ સમજાવે તો રોજ છે. પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવાં
માસીનું ઘર નથી. હેં આત્માઓ, હવે દેહી-અભિમાની બનો. હેં આત્માઓ, એક બાપ ને યાદ કરો
અને રાજાઈ ને યાદ કરો. દેહ નાં સબંધ ને છોડો. મરવાનું તો બધાએ છે. બધાની વાનપ્રસ્થ
અવસ્થા છે. એક સદ્દગુરુ વગર સર્વનાં સદ્દગતિ દાતાં કોઈ હોઈ ન શકે. બાપ કહે છે-હેં
ભારતવાસી બાળકો, તમે પહેલાં-પહેલાં મારા થી જુદા પડ્યાં છો. ગાયન છે -
આત્માઓ-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ…….. પહેલાં-પહેલાં તમે ભારતવાસી દેવી-દેવતાં
ધર્મ વાળા આવ્યાં છો. બીજા ધર્મ વાળાઓનાં જન્મ થોડાં હોય છે. આખું ચક્ર કેવી રીતે
ફરે છે તે બાપ બેસીને સમજાવે છે. જે ધારણ નથી કરી શકતાં, તેમનાં માટે પણ ખુબ જ સહજ
છે. આત્માઓ ધારણ કરે છે, પુણ્ય આત્મા, પાપ આત્મા બને છે ને. તમારો આ ૮૪ મો અંતિમ
જન્મ છે. તમે બધાં વાનપ્રસ્થ અવસ્થામાં છો. વાનપ્રસ્થ અવસ્થા વાળા ગુરુ કરે છે,
મંત્ર લેવા માટે. તમારે તો હવે દેહધારી ગુરુ કરવાની દરકાર નથી. તમારા બધાનો હું બાપ,
શિક્ષક, ગુરુ છું. મને કહો પણ છો - હેં પતિત-પાવન શિવબાબા. હમણાં સ્મૃતિ આવી છે. બધી
આત્માઓ નો બાપ છું, આત્મા સત છે, ચૈતન્ય છે કારણ કે અમર છે. બધી આત્માઓ માં પાર્ટ
ભરેલો છે. બાપ પણ સત ચૈતન્ય છે. એ મનુષ્ય સૃષ્ટિ નાં બીજ રુપ હોવાનાં કારણે કહે
છે-હું આખાં ઝાડનાં આદિ-મધ્ય-અંત ને જાણું છું એટલે મને નોલેજફુલ કહે છે. તમને પણ
બધું નોલેજ છે. બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે. ઝાડ વધવામાં સમય લાગે છે ને. બાપ કહે
છે હું બીજરુપ છું, અંતમાં આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને પામી લે છે. હમણાં જુઓ
દેવી-દેવતાં ધર્મ નું ફાઉન્ડેશન છે નહીં. પ્રાયઃ લોપ છે. જ્યારે દેવતાં ધર્મ લોપ થઈ
જાય છે ત્યારે બાપે આવવું પડે છે-એક ધર્મ ની સ્થાપના કરી બાકી બધાનો વિનાશ કરાવી દે
છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ સ્થાપના કરાવી રહ્યાં છે, આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ની. આ પણ આખો ડ્રામા બનેલો છે. આનો અંત થતો નથી. બાપ આવે છે અંત માં. જ્યારે
કે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ સંભળાવવાનું છે તો જરુર સંગમ પર આવશે. તમારાં
એક બાપ છે. આત્માઓ બધી બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે, મૂળવતન માં રહેવા વાળી. એ એક બાપ ને
બધાં યાદ કરે છે. દુઃખ માં સિમરણ બધાં કરે…. રાવણ રાજ્ય માં દુખ છે ને. અહીંયા
સિમરણ કરે છે તો બાપ સર્વનાં સદ્દગતિ દાતા એક છે. એમની જ મહિમા છે. બાપ નહીં આવે તો
ભારતને સ્વર્ગ કોણ બનાવે! ઈસ્લામી વગેરે જે પણ છે બધાં આ સમયે તમોપ્રધાન છે. બધાએ
પુનર્જન્મ તો જરુર લેવાનો છે. હમણાં પુનર્જન્મ મળે છે નર્ક માં. એવું નહીં કે
સ્વર્ગમાં ચાલ્યાં જાય છે. જેમ હિંદુ લોકો કહે છે સ્વર્ગવાસી થયાં તો જરુર નર્ક માં
હતાં ને. હમણાં સ્વર્ગમાં ગયાં. તમારા મુખમાં ગુલાબ. સ્વર્ગવાસી થયાં પછી નર્કનાં
આસુરી વૈભવ તમે તેમને કેમ ખવડાવો છો! બંગાળ માં માછલીઓ વગેરે પણ ખવડાવે છે. અરે,
તેમને આ બધું ખાવાની જરૂર જ શું છે! કહે છે ફલાણા પાર નિર્વાણ ગયાં, બાપ કહે આ બધું
છે ગપોડા. પાછાં કોઈ પણ જઈ નથી શકતાં. જ્યારે પહેલાં નંબર વાળા ને જ ૮૪ જન્મ લેવાં
પડે છે.
બાપ સમજાવે છે આમાં કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગ માં કેટલી તકલીફ છે. રામ-રામ જપતાં
રોમાન્ચ ઉભાં થઈ જાય છે. તે બધું છે ભક્તિ માર્ગ. આ સૂર્ય-ચંદ્ર પણ તમે જાણો છો કે
પ્રકાશ કરવા વાળા છે. આ કોઈ દેવતાઓ થોડી છે. હકીકત માં જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા
અને જ્ઞાન તારાઓ છે. તેમની મહિમા છે. તે પછી કહી દે સૂર્ય દેવતાય નમઃ. તેને દેવતા
સમજી પાણી આપે છે. તો બાપ સમજાવે છે આ બધું છે ભક્તિ માર્ગ, જે ફરી થી પણ થશે. પહેલાં
હોય છે અવ્યભિચારી ભક્તિ એક શિવબાબા ની, પછી દેવતાઓની, પછી ઉતરતાં-ઉતરતાં હમણાં તો
જુઓ ટીવાટા પર (જ્યાં ત્રણ રસ્તાં મળે છે) પણ માટીનાં દીવા પ્રગટાવી, તેલ વગેરે નાખી
તેની પણ પૂજા કરે છે. તત્વો ની પણ પૂજા કરે છે. મનુષ્યો નાં પણ ચિત્ર બનાવી પૂજે
છે. હવે આનાથી પ્રાપ્તિ તો કંઈ પણ થતી નથી, આ વાતોને આપ બાળકો જ સમજો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા નાં
ખરાબ સંસ્કારોને નીકાળવા માટે દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે. આ અંતિમ ૮૪
મો જન્મ છે, વાનપ્રસ્થ અવસ્થા છે એટલે પુણ્ય આત્મા બનવાની મહેનત કરવાની છે.
2. દેહ નાં બધાં સંબંધો ને છોડી એક બાપ ને અને રાજાઈ ને યાદ કરવાનાં છે, બીજ અને
ઝાડ નું જ્ઞાન સિમરણ કરી સદા હર્ષિત રહેવાનું છે.
વરદાન :-
વિશ્વ
પરિવર્તન નાં શ્રેષ્ઠ કાર્ય ની જવાબદારી નિભાવતાં ડબલ લાઈટ રહેવા વાળા આધારમૂર્ત ભવ
જે આધારમૂર્ત હોય છે
તેમના ઉપર જ બધી જવાબદારી હોય છે. હમણાં તમે જે રુપ થી, જ્યાં પણ કદમ ઉઠાવશો તેમ
અનેક આત્માઓ તમને ફોલો કરશે, આ જવાબદારી છે. પરંતુ આ જવાબદારી અવસ્થા ને બનાવવામાં
ખુબ મદદ કરે છે કારણકે આનાથી અનેક આત્માઓની આશીર્વાદ મળે છે, જેનાં કારણે જવાબદારી
હલકી થઈ જાય છે, આ જવાબદારી થકાવટ મટાડવા વાળી છે.
સ્લોગન :-
દિલ અને દિમાગ
બન્નેનું બેલેન્સ રાખી સેવા કરવાથી સફળતાં મળે છે.