12-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ભણતર
અને દૈવી ચરિત્ર નું રજીસ્ટર રાખો , રોજ ચેક કરો કે અમારાથી કોઈ ભૂલ તો નથી થઈ ”
પ્રશ્ન :-
આપ બાળકો કયા
પુરુષાર્થ થી રાજાઈ નું તિલક પ્રાપ્ત કરી શકો છો?
ઉત્તર :-
૧. સદા આજ્ઞાકારી રહેવાનો પુરુષાર્થો કરો. સંગમ પર ફરમાનબરદાર (આજ્ઞાકારી) નો ટીકો
લગાવો તો રાજાઈ નું તિલક મળી જશે. બેવફાદાર અર્થાત્ આજ્ઞા ને ન માનવા વાળા રાજાઈ
નું તિલક પ્રાપ્ત નથી કરી શકતાં. ૨. કોઈપણ બીમારી સર્જન થી છુપાવો નહીં. છુપાવશો તો
પદ ઓછું થઈ જશે. બાપ જેવાં પ્રેમનાં સાગર બનો તો રાજાઈ નું તિલક મળી જશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને સમજાવી રહ્યાં છે, ભણતર એટલે સમજ. આપ બાળકો સમજો છો આ ભણતર ખુબ સહજ
અને ખુબ ઉંચુ છે અને ખુબજ ઉંચુ પદ આપવા વાળું છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો કે આ
ભણતર આપણે વિશ્વનાં માલિક બનવા માટે ભણી રહ્યાં છીએ. તો ભણવા વાળા ને બહુજ ખુશી થવી
જોઈએ. કેટલું ઉંચુ ભણતર છે! આ એ જ ગીતા એપિસોડ (અધ્યાય) પણ છે. સંગમયુગ પણ છે. આપ
બાળકો હવે જાગ્યાં છો, બાકી બધાં સૂતેલાં પડ્યાં છે. ગાયન પણ છે માયા નિંદ્રા માં
સૂતેલાં પડ્યાં છે. તમને બાબાએ આવી ને જગાડ્યાં છે. ફક્ત એક વાત પર સમજાવે છે - મીઠા
બાળકો, યાદની યાત્રા નાં બળ થી તમે આખાં વિશ્વ પર રાજ્ય કરો. જેમ કલ્પ પહેલા કર્યુ
હતું. આ સ્મૃતિ બાપ અપાવે છે. બાળકો પણ સમજે છે અમને સ્મૃતિ આવી - કલ્પ-કલ્પ અમે આ
યોગબળ થી વિશ્વનાં માલિક બનીએ છીએ અને પછી દૈવી ગુણ પણ ધારણ કર્યા છે. યોગ પર જ પૂરું
ધ્યાન આપવાનું છે. આ યોગબળ થી આપ બાળકોમાં આપોઆપ દૈવી ગુણ આવી જાય છે. બરાબર આ
પરીક્ષા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. તમે અહીં આવ્યા છો મનુષ્ય થી દેવતા બનવા માટે.
અને આ પણ જાણો છો કે આપણા યોગ બળ થી આખું વિશ્વ પવિત્ર થવાનું છે. પવિત્ર હતું, હમણાં
અપવિત્ર બન્યું છે. આખાં ચક્ર નાં રહસ્ય ને આપ બાળકોએ સમજ્યું છે અને દિલ માં પણ
છે. ભલે કોઈ નવાં હોય તો પણ આ વાતો બહુજ સહજ છે સમજવાની. તમે દેવતા પૂજ્ય હતાં, પછી
પૂજારી તમોપ્રધાન બન્યાં બીજું કોઈ આમ બતાવી પણ ન શકે. બાપ ક્લીયર (સ્પષ્ટ) બતાવે
છે તે છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. ભક્તિ ભૂતકાળ થઈ ગઈ. ભૂતકાળ ની વાત ચિતવો નહીં.
એ તો પડવાની વાત છે. બાપ હવે ચઢવાની વાતો સંભળાવી રહ્યાં છે. બાળકો પણ જાણે છે -
અમારે દૈવી ગુણ ધારણ કરવાનાં છે જરુર. રોજ ચાર્ટ લખવો જોઈએ - અમે કેટલો સમય યાદ માં
રહીએ છીએ? અમારા થી શું-શું ભૂલો થઈ? ભૂલ ની ભારે માર પણ લાગે છે, તે ભણતર માં પણ
કેરેક્ટર (ચરિત્ર) જોવાય છે. આમાં પણ કેરેક્ટર ને જોવાય છે. બાપ તો તમારા કલ્યાણ
માટે જ કહે છે. ત્યાં પણ રજીસ્ટર રાખે છે - ભણતર નું અને કેરેક્ટર નું. અહીંયા પણ
બાળકોનું દૈવી ચરિત્ર બનાવવાનું છે. ભૂલ ન થાય, આ સંભાળ કરવાની છે. મારાથી કોઈ ભૂલ
તો નથી થઈ? એટલે કચેરી પણ કરે છે. બીજી કોઈ સ્કૂલ વગેરે માં કચેરી નથી હોતી. પોતાનાં
દિલ થી પૂછવાનું છે. બાપે સમજાવ્યું છે માયા નાં કારણે કંઈ ને કંઈ અવજ્ઞાઓ થતી રહે
છે. શરું માં પણ કચેરી થતી હતી. બાળકો સાચું બતાવતાં હતાં. બાપ સમજાવતાં રહે છે -
જો સાચું ન બતાવ્યું તો તે ભૂલો વૃદ્ધિ ને પામતી રહેશે. વધારે ભૂલ નો દંડ મળી જાય
છે. ભૂલ ન બતાવવાથી પછી નાફરમાનબરદાર નો ટીકો લાગી જાય છે. પછી રાજાઈ નું તિલક મળી
ન શકે. આજ્ઞા નથી માનતાં, બેવફાદાર બને છે તો રાજાઈ પામી નથી શકતાં. સર્જન
ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવતાં રહે છે. સર્જન થી જો બિમારી છુપાવશો તો પદ પણ ઓછું
થઈ જશે. સર્જન ને બતાવવા થી કોઈ માર તો નથી પડતો ને. બાપ ફકત કહેશે સાવધાન પછી જો
એવી ભૂલ કરશે તો નુકશાન ને પામશે. પદ ખુબ ઓછું થઈ જશે. ત્યાં તો નેચરલ દૈવી ચલન હશે.
અહીંયા પુરુષાર્થ કરવાનો છે. ઘડી-ઘડી નપાસ નથી થવાનું. બાપ કહે છે - બાળકો, વધારે
ભૂલ ન કરો. બાપ બહુજ પ્રેમનાં સાગર છે. બાળકોએ પણ બનવાનું છે. યથા બાપ તથા બાળકો.
યથા રાજા રાણી તથા પ્રજા. બાબા તો રાજા છે નહીં. તેમ જાણો છો બાબા આપણને આપસમાન
બનાવે છે. બાપ ની જે મહિમા કરે છે, તે તમારી પણ હોવી જોઈએ. બાપ સમાન બનવાનું છે.
માયા બહુજ પ્રબળ છે તમને રજીસ્ટર રાખવા નથી દેતી. માયાની લપેટ માં તો પૂરા ફસાયેલાં
છો. માયા ની જેલ થી તમે નીકળી નથી શકતાં. સાચું બતાવતાં નથી. તો બાપ કહે છે
એક્યુરેટ યાદ નો ચાર્ટ રાખો. સવારે ઉઠી બાબાને યાદ કરો. બાપ ની જ મહિમા કરો. બાબા,
તમે અમને વિશ્વનાં માલિક બનાવો છો તો અમે તમારી મહિમા કરીશું. ભક્તિમાર્ગ માં કેટલી
મહિમા ગાએ છે, એમને તો કંઈ પણ ખબર નથી. દેવતાઓની મહિમા છે નહીં. મહિમા છે આપ
બ્રાહ્મણોની. સર્વ ને સદ્દગતિ આપવા વાળા પણ એક બાપ છે. એ ક્રિયેટર પણ છે, ડાયરેક્ટર
પણ છે. સેવા પણ કરે છે અને બાળકોને સમજાવે પણ છે. પ્રેક્ટિકલ માં કહે છે. તેઓ તો
ફકત ભગવાનુવાચ સાંભળતા રહે છે શાસ્ત્રો થી. ગીતા વાંચતા આવ્યા છે પછી એનાથી મળે છે
શું? કેટલાં પ્રેમ થી બેસી વાંચે છે, ભક્તિ કરે છે, ખબર નથી પડતી કે આનાથી શું થશે!
આ નથી જાણતા કે અમે નીચે જ સીડી ઉતરી રહ્યાં છીએ. દિન-પ્રતિદિન તમોપ્રધાન બનવાનું જ
છે. ડ્રામામાં નોંધ એવી છે. આ સીડી નું રહસ્ય સિવાય બાપનાં કોઈ સમજાવી ન શકે.
શિવબાબા જ બ્રહ્મા દ્વારા સમજાવે છે. આ પણ એમનાથી સમજીને પછી તમને સમજાવે છે. મુખ્ય
મોટા શિક્ષક મોટા સર્જન તો બાપ જ છે. એમને જ યાદ કરવાનાં છે. એવું નથી કહેતાં કે
બ્રાહ્મણી ને યાદ કરો. યાદ તો એક ની રાખવાની છે. ક્યારેય પણ કોઈની સાથે મોહ નથી
રાખવાનો. એક બાપ થી જ શિક્ષા લેવાની છે. નિર્મોહી પણ બનવાનું છે. આમાં ખુબ મહેનત
જોઈએ. આખી જૂની દુનિયાથી વૈરાગ્ય. આ તો ખતમ થયેલી છે. આમાં પ્રેમ કે આસક્તિ કંઈ પણ
નહીં. કેટલાં મોટા-મોટા મકાન વગેરે બનાવતાં રહે છે. એમને આ પણ ખબર નથી કે આ જૂૂની
દુનિયા બાકી કેટલો સમય છે. આપ બાળકો હવે જાગ્યા છો બીજાઓને પણ જગાડો છો. બાપ
આત્માઓને જ જગાડે છે, ઘડી-ઘડી કહે છે પોતાને આત્મા સમજો. શરીર સમજો છો તો જેમ સૂતેલાં
પડ્યાં છો. પોતાને આત્મા સમજો અને બાપને પણ યાદ કરો. આત્મા પતિત છે તો શરીર પણ પતિત
મળે છે. આત્મા પાવન તો શરીર પણ પાવન મળે છે.
બાપ સમજાવે છે તમે જ આ દેવી-દેવતા વંશજ નાં હતાં. પછી તમે જ બની જશો. કેટલું સહજ
છે. આવાં બેહદનાં બાપ ને અમે કેમ નહીં યાદ કરશું. સવારે ઉઠીને પણ બાપ ને યાદ કરો.
બાબા તમારી તો કમાલ છે, તમે અમને કેટલાં ઊંચા દેવી-દેવતા બનાવીને પછી નિર્વાણધામ
માં બેસી જાઓ છો. આટલાં ઊંચા તો કોઈ બનાવી ન શકે. તમે કેટલું સહજ કરીને બતાવો છો.
બાપ કહે છે - જેટલો સમય મળે, કામકાજ કરતા પણ બાપ ને યાદ કરી શકો છો. યાદ જ તમારો
બેડો પાર કરવાવાળી છે કળયુગ થી પેલે પાર શિવાલય માં લઈ જવા વાળી છે. શિવાલય ને પણ
યાદ કરવાનું છે, શિવબાબા નું સ્થાપન કરેલું સ્વર્ગ - તો બંનેની યાદ આવે છે. શિવબાબા
ને યાદ કરવાથી આપણે સ્વર્ગનાં માલિક બનીશું. આ ભણતર છે જ નવી દુનિયા માટે. બાપ પણ
નવી દુનિયા સ્થાપન કરવા આવે છે. જરુર બાપ આવીને કોઈ તો કર્તવ્ય કરશે ને. તમે જુઓ છો
કે હું પાર્ટ ભજવી રહ્યો છું, ડ્રામાનાં પ્લાન અનુસાર. આપ બાળકો ને ૫ હજાર વર્ષ
પહેલા વાળી યાદ ની યાત્રા અને આદિ-મધ્ય-અંત નું રહસ્ય બતાવું છું. તમે જાણો છો દર ૫
હજાર વર્ષ પછી બાબા આપણા સન્મુખ આવે છે. આત્મા જ બોલે છે, શરીર નથી બોલતું. બાપ
બાળકોને શિક્ષા આપે છે - આત્માએ જ પવિત્ર બનવાનું છે. આત્માએ એકવાર જ પવિત્ર થવાનું
હોય છે. બાબા કહે છે મેં અનેકવાર તમને ભણાવ્યાં ફરી પણ ભણાવીશ. આવું કોઈ સંન્યાસી
કહી ન શકે. બાપ જ કહે છે - બાળકો, હું ડ્રામાનાં પ્લાન અનુસાર ભણાવવા આવું છું. ફરી
૫ હજાર વર્ષ પછી આમ જ આવીને ભણાવીશ, જેમ કલ્પ પહેલા તમને ભણાવીને રાજધાની સ્થાપન કરી
હતી, અનેક વાર તમને ભણાવીને રાજાઈ સ્થાપન કરી છે. આ કેટલી વન્ડરફુલ વાતો બાપ સમજાવે
છે. શ્રીમત કેટલી શ્રેષ્ઠ છે. શ્રીમત થી જ આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ. બહુજ બહુજ
મોટું પદ છે! કોઈને મોટી લોટરી મળે છે તો માથું ખરાબ થઈ જાય છે. કોઈ ચાલતાં-ચાલતાં
હોપલેસ (નિરાશ) થઈ જાય છે. અમે ભણી નથી શકતાં. અમે વિશ્વની બાદશાહી કેવી રીતે લઈશું.
આપ બાળકોને બહુજ ખુશી થવી જોઈએ. બાબા કહે છે અતીન્દ્રિય સુખ અને ખુશીની વાતો મારા
બાળકો થી પૂછો. તમે જાઓ છો બધાને ખુશીની વાતો સંભળાવવાં. તમે જ વિશ્વનાં માલિક હતાં
પછી ૮૪ જન્મ ભોગવી ગુલામ બન્યાં છો. ગાઓ પણ છો હું ગુલામ, હું ગુલામ તારો. સમજે છે
પોતાને નીચ કહેવું, નાના થઈને ચાલવું સારું છે. જુઓ, બાપ કોણ છે! એમને કોઈ જાણતું
નથી. એમને પણ ફક્ત તમે જાણ્યાં છે. બાબા કેવી રીતે આવીને બધાને બાળકો-બાળકો કહી
સમજાવે છે. આ આત્મા અને પરમાત્મા નો મેળો છે. એમનાથી આપણને સ્વર્ગની બાદશાહી મળે
છે. બાકી ગંગા સ્નાન વગેરે કરવાથી કોઈ સ્વર્ગની રાજાઈ નથી મળતી. ગંગા સ્નાન તો બહુ
વાર કર્યું. આમ તો પાણી સાગર થી આવે છે પરંતુ આ વરસાદ કેવી રીતે પડે છે, આને પણ
કુદરત કહેશું. આ સમયે બાપ તમને બધું જ સમજાવે છે. ધારણા પણ આત્મા જ કરે છે, ન કે
શરીર. તમે અનુભવ કરો છો બરાબર બાબાએ અમને શું થી શું બનાવી દીધાં છે! હવે બાપ કહે
છે - બાળકો, પોતાનાં પર રહેમ કરો. કોઈ અવજ્ઞા ન કરો. દેહ-અભિમાની નહીં બનો. મફત
પોતાનું પદ ઓછું કરી દેશો. શિક્ષક તો સમજાવશે ને. તમે જાણો છો બાપ બેહદનાં શિક્ષક
છે. દુનિયામાં કેટલી અનેક ભાષાઓ છે. કોઈ પણ ચીજ છપાય છે તો બધી ભાષાઓમાં છપાવી જોઈએ.
કોઈ સાહિત્ય છપાવો છો તો બધાને એક-એક કોપી મોકલી દો. એક-એક કોપી લાઇબ્રેરી માં મોકલી
દેવી જોઈએ. ખર્ચાની વાત નથી. બાબાનો ભંડારો ખુબ ભરાઈ જશે. પૈસા પોતાની પાસે રાખીને
શું કરશો. ઘરે તો નહીં લઈ જશો. જે કંઈ ઘરે લઈ જશો તો પરમાત્મા નાં યજ્ઞ ની ચોરી થઈ
જાય. તોબા-તોબા એવી બુદ્ધિ શલ કોઈની ન હોય. પરમાત્માનાં યજ્ઞ ની ચોરી! એમના જેવાં
મહાન્ પાપ આત્મા કોઈ હોઈ ન શકે. કેટલી અધમગતિ થઈ જાય છે. બાપ કહે છે આ બધો ડ્રામા
માં પાર્ટ છે. તમે રાજાઇ કરશો તે તમારા સેવક બનશે. સેવક વગર રાજાઈ કેવી રીતે ચાલશે!
કલ્પ પહેલાં પણ આમ જ સ્થાપના થઈ હતી.
હવે બાપ કહે છે - પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. દૈવી ગુણ ધારણ
કરો. ક્રોધ કરવો દૈવી ગુણ નથી. તે આસુરી ગુણ થઈ જાય છે. કોઈ ક્રોધ કરે તો ચૂપ થઇ જવું
જોઈએ. રિસપોન્સ ન કરવો જોઈએ. દરેક ની ચલન થી સમજી શકાય છે, અવગુણ તો બધામાં છે.
જ્યારે કોઈ ક્રોધ કરે છે તો એમની શકલ તાંબા જેવી થઈ જાય છે. મુખ થી બોંબ ચલાવે છે.
પોતાનું જ નુકશાન કરી દે છે. પદ ભ્રષ્ટ થઈ જશે. સમજ હોવી જોઈએ. બાપ કહે છે જે પાપ
કર્મ કરો છો, તે લખી દો. બાબાને બતાવવા થી માફ થઈ જશે. બોજ હલકો થઈ જશે.
જન્મ-જન્માંતર થી તમે વિકાર માં જવાં લાગ્યાં છો. આ સમયે તમે કોઈ પાપ કર્મ કરશો તો
સૌગણું થઈ જશે. બાપની આગળ ભૂલ કરી તો સૌગણો દંડ પડી જશે. કર્યું અને બતાવ્યું નહી
તો વધારે જ વૃદ્ધિ થઈ જશે. બાપ તો સમજાવશે કે પોતાને નુકશાન નહી પહોંચાડો. બાપ બાળકો
ની બુદ્ધિ સાલીમ (સારી) બનાવવાં આવ્યાં છે. જાણે છે આ કેવું પદ પામશે. તે પણ ૨૧
જન્મોની વાત છે. જે સર્વિસેબલ બાળકો છે, એમનો સ્વભાવ બહુજ મીઠો જોઈએ. કોઈ ઝટ બાપ ને
બતાવે છે - બાબા આ ભૂલ થઈ ગઈ. બાબા ખુશ થાય છે. ભગવાન્ ખુશ થયાં તો બીજું શું જોઈએ.
આ તો બાપ શિક્ષક ગુરુ ત્રણેય છે. નહીં તો ત્રણેય નારાજ થશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
ચાલી પોતાની બુદ્ધિ સાલીમ (સારી) રાખવાની છે. કોઈ પણ અવજ્ઞા નથી કરવાની. ક્રોધ માં
આવીને મુખ થી બોંબ નથી કાઢવાનાં, ચૂપ રહેવાનું છે.
2. દિલ થી એક બાપ ની મહિમા કરવાની છે. આ જૂની દુનિયા થી આસક્તિ કે પ્રેમ નથી રાખવાનો.
બેહદનાં વૈરાગી અને નિર્મોહી બનવાનું છે.
વરદાન :-
પોતાનાં
અવ્યક્ત શાંત સ્વરુપ દ્વારા વાતાવરણ ને અવ્યક્ત બનાવવા વાળા સાક્ષાત મૂર્ત ભવ
જેમ સેવાઓનાં બીજા
પ્રોગ્રામ બનાવો છો એમ સવાર થી રાત સુધી યાદ ની યાત્રામાં કેવી રીતે અને ક્યારે
રહેશો આ પણ પ્રોગ્રામ બનાવો અને વચ્ચે-વચ્ચે બે ત્રણ મિનિટ માટે સંકલ્પો ની ટ્રાફિક
ને સ્ટોપ કરી લો, જ્યારે કોઈ વ્યક્ત ભાવ માં વધારે દેખાઈ આવે તો એમને કહ્યાં વગર
પોતાનું અવ્યક્ત શાંત રુપ એવું ધારણ કરો જે તે પણ ઇશારા થી સમજી જાય, આનાથી વાતાવરણ
અવ્યક્ત રહેશે. અનોખાપણું દેખાઈ આવશે અને તમે સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત
મૂર્ત બની જશો.
સ્લોગન :-
સંપૂર્ણ સત્યતા
જ પવિત્રતા નો આધાર છે.