20-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આખાં કલ્પ નો આ છે સર્વોત્તમ કલ્યાણકારી સંગમયુગ , આમાં આપ બાળકો યાદની સૈક્રીન ( મીઠાશ ) થી સતોપ્રધાન બનો છો ”

પ્રશ્ન :-
અનેક પ્રકાર નાં પ્રશ્નો ની ઉત્પત્તિનું કારણ તથા એ બધાનું નિવારણ શું છે?

ઉત્તર :-
જ્યારે દેહ-અભિમાનમાં આવો છો તો સંશય પેદા થાય છે અને સંશય ઉઠવાથી જ અનેક પ્રશ્નોની ઉત્પત્તિ થઈ જાય છે. બાબા કહે મેં આપ બાળકોને જે ધંધો આપ્યો છે - પતિત થી પાવન બનો અને બનાવો, આ ધંધામાં રહેવાથી બધાં પ્રશ્નો ખતમ થઇ જશે.

ગીત :-
તુમ્હે પાકે હમને જહાં પા લિયા હૈ …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું મીઠા-મીઠા રુહાની બાળકો? જરુર રુહાની બાપ જ કહી શકે છે. મીઠા-મીઠા રુહાની બાળકો હમણાં સમ્મુખ બેઠા છે અને બાપ ખૂબ પ્રેમ થી સમજાવી રહ્યાં છે. હવે તમે જાણો છો સિવાય રુહાની બાપનાં સર્વને સુખ-શાંતિ આપવા કે સર્વને આ દુ:ખ થી લિબરેટ (મુક્ત) કરવાવાળું, દુનિયાભર માં બીજું કોઈ મનુષ્ય હોઈ નથી શકતું એટલે દુઃખમાં બાપ ને યાદ કરતાં રહે છે. આપ બાળકો સમ્મુખ બેઠા છો. જાણો છો બાબા અમને સુખધામનાં લાયક બનાવી રહ્યાં છે. સદા સુખધામનાં માલિક બનાવવા વાળા બાપનાં સમ્મુખ આવ્યાં છો. હમણાં સમજો છો સમ્મુખ સાંભળવા અને દૂર રહીને સાંભળવામાં બહુજ ફરક છે. મધુબન માં સમ્મુખ આવો છો. મધુબન પ્રસિદ્ધ છે. મધુબન માં તેઓએ કૃષ્ણનું ચિત્ર દેખાડ્યું છે. પરંતુ કૃષ્ણ છે નહીં. આપ બાળકો જાણો છો - આમાં મહેનત લાગે છે. પોતાને ઘડી-ઘડી આત્મા નિશ્ચય કરવાનો છે. હું આત્મા બાપ થી વારસો લઈ રહી છું. બાપ એક જ સમયે આવે છે આખાં ચક્રમાં. આ કલ્પ નો સુખદ સંગમયુગ છે. આનું નામ રાખ્યું છે પુરુષોત્તમ. આ જ સંગમયુગ છે જેમાં બધાં મનુષ્ય માત્ર ઉત્તમ બને છે. હમણાં તો બધાં મનુષ્ય માત્રની આત્માઓ તમોપ્રધાન છે તો પછી સતોપ્રધાન બને છે. સતોપ્રધાન છે તો ઉત્તમ છે. તમોપ્રધાન થવાથી મનુષ્ય પણ કનિષ્ટ બને છે. તો હવે બાપ આત્માઓને સમ્મુખ બેસી સમજાવે છે. બધો પાર્ટ આત્મા જ ભજવે છે ન કે શરીર. તમારી બુદ્ધિમાં આવી ગયું છે કે અમે આત્મા અસલ માં નિરાકારી દુનિયા કે શાંતિધામ માં રહેવાવાળી છીએ. આ કોઈને પણ ખબર નથી. ન પોતે સમજાવી શકે છે. તમારી બુદ્ધિ નું તાળું હવે ખુલ્યું છે. તમે સમજો છો બરાબર આત્માઓ પરમધામ માં રહે છે. તે છે નિરાકારી દુનિયા. આ છે સાકારી દુનિયા. અહીંયા આપણે બધી આત્માઓ, એક્ટર્સ પાર્ટધારી છીએ. પહેલાં-પહેલાં આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ, પછી નંબરવાર આવતાં જાય છે. બધાં એક્ટર્સ ભેગા નથી આવી જતાં. ભિન્ન-ભિન્ન પ્રકારનાં એક્ટર્સ આવે-જાય છે. બધાં ભેગા ત્યારે થાય જ્યારે નાટક પૂરું થાય છે. હમણાં તમને ઓળખ મળી છે, હું આત્મા અસલ શાંતિધામ ની રહેવાસી છું, અહીંયા આવીએ છીએ પાર્ટ ભજવવાં. બાપ પૂરો સમય પાર્ટ ભજવવા નથી આવતાં. આપણે જ પાર્ટ ભજવતાં-ભજવતાં સતોપ્રધાન થી તમોપ્રધાન બની જઈએ છીએ. હમણાં આપ બાળકોને સમ્મુખ સંભળાવવા થી ખૂબ મજા આવે છે. આટલી મજા મુરલી વાંચવાથી નથી આવતી. અહીંયા સમ્મુખ છો ને.

આપ બાળકો સમજો છો કે ભારત ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી) નું સ્થાન હતું. હવે નથી. ચિત્ર જુઓ છો, હતું જરુર. આપણે ત્યાંના રહેવાસી હતાં - પહેલાં-પહેલાં આપણે દેવતા હતાં, પોતાનાં પાર્ટ ને તો યાદ કરશો કે ભૂલી જશો. બાપ કહે છે તમે અહીંયા આ પાર્ટ ભજવ્યો. આ ડ્રામા છે. નવી દુનિયાથી પછી જરુર જૂની દુનિયા થાય છે. પહેલાં-પહેલાં ઉપર થી જે આત્માઓ આવે છે, તે ગોલ્ડન એજ (સતયુગ) માં આવે છે. આ બધી વાતો હમણાં તમારી બુદ્ધિમાં છે. તમે વિશ્વનાં માલિક મહારાજા-મહારાણી હતાં. તમારી રાજધાની હતી. હમણાં તો રાજધાની છે નહીં. હમણાં તમે શીખી રહ્યાં છો, અમે રાજાઈ કેવી રીતે ચલાવીશું! ત્યાં વજીર હોતાં નથી. સલાહ આપવા વાળાની દરકાર નથી. તે તો શ્રીમત દ્વારા શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બની જાય છે. પછી તેમને બીજા કોઈથી સલાહ લેવાની દરકાર નથી. જો કોઈ થી સલાહ લે તો સમજાશે તેમની બુદ્ધિ કમજોર છે. હમણા જે શ્રીમત મળે છે, તે સતયુગમાં પણ કાયમ રહે છે. હમણાં તમે સમજો છો પહેલાં-પહેલાં બરાબર આ દેવી-દેવતાઓનું અડધોકલ્પ રાજ્ય હતું. હવે તમારી આત્મા રિફ્રેશ થઈ રહી છે. આ નોલેજ પરમાત્મા નાં સિવાય કોઈ પણ આત્માઓ આપી ન શકે.

હમણાં આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. શાંતિધામ થી આવીને અહીંયા તમે ટોકી બનો છો (અવાજમાં આવો છો). ટોકી બન્યાં વગર કર્મ થઇ ન શકે. આ ખૂબ જ સમજવાની વાતો છે. જેમ બાપ માં બધું જ્ઞાન છે તેમ તમારી આત્મામાં પણ જ્ઞાન છે. આત્મા કહે છે - હું એક શરીર છોડી સંસ્કાર અનુસાર પછી બીજું શરીર લઉં છું. પુનર્જન્મ પણ જરુર થાય છે. આત્માને જે પણ પાર્ટ મળેલો છે, તે ભજવતી રહે છે. સંસ્કારો અનુસાર બીજો જન્મ લેતી રહે છે. આત્માની દિવસ-પ્રતિદિવસ પવિત્રતા ની ડીગ્રી (પ્રમાણ) ઓછી થતી જાય છે. પતિત અક્ષર દ્વાપર થી કામમાં લાવે છે. છતાં પણ થોડોક ફરક જરુર પડે છે. તમે નવું મકાન બનાવો, એક મહિના નાં પછી કંઈક ફરક જરુર પડશે. હમણાં આપ બાળકો સમજો છો બાબા આપણને વારસો આપી રહ્યાં છે. બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકોને વારસો આપવાં. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ પામશે. બાપનાં પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે હું આત્માઓને ભણાવું છું. આત્માનો હક છે બાપ થી વારસો લેવાનો, આમાં મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) ની દૃષ્ટિ અહીંયા રહેતી નથી. તમે બધાં બાળકો છો. બાપ થી વારસો લઈ રહ્યાં છો. બધી આત્માઓ બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે, જેમને બાપ ભણાવે છે, વારસો આપે છે. બાપ જ રુહાની બાળકો થી વાત કરે છે - હેં લાડલા મીઠા સિકીલધા બાળકો, તમે ખૂબ સમય પાર્ટ ભજવતાં-ભજવતાં હવે ફરી આવી ને મળ્યાં છો, પોતાનો વારસો લેવાં. આ પણ ડ્રામા માં નોંધ છે. શરું થી લઈને પાર્ટ નોંધાયેલો છે. આપ એક્ટર્સ પાર્ટ ભજવતાં એક્ટ (કર્મ) કરતાં રહો છો. આત્મા અવિનાશી છે, આમાં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. શરીર તો બદલાતું રહે છે. બાકી આત્મા ફક્ત પવિત્ર થી અપવિત્ર બને છે. પતિત બને છે, સતયુગમાં છે પાવન. આને કહેવાય છે પતિત દુનિયા. જ્યારે દેવતાઓનું રાજ્ય હતું તો નિર્વિકારી દુનિયા હતી. હમણાં નથી. આ ખેલ છે ને. નવી દુનિયા સો જૂની દુનિયા, જૂની દુનિયા પછી નવી દુનિયા. હમણાં સુખધામ સ્થાપન થાય છે, બાકી બધી આત્માઓ મુક્તિધામ માં રહેશે. હમણાં આ બેહદનું નાટક આવીને પૂરું થયું છે. બધી આત્માઓ મચ્છર માફક જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયામાં તેમની શું વેલ્યુ હશે. વેલ્યુ એમની છે જે પહેલાં-પહેલાં નવી દુનિયામાં આવે છે. તમે જાણો છો જે નવી દુનિયા હતી તે પછી જૂની બની છે. નવી દુનિયામાં આપણે દેવી-દેવતા હતાં. ત્યાં દુઃખનું નામ નહોતું. અહીંયા તો અથાહ દુઃખ છે. બાપ આવીને દુઃખની દુનિયાથી લિબરેટ (મુક્ત) કરે છે. આ જૂની દુનિયા બદલાવાની જરુર છે. તમે સમજો છો બરાબર આપણે સતયુગનાં માલિક હતાં. પછી ૮૪ જન્મોનાં પછી આવા બન્યાં છીએ. હવે ફરી બાપ કહે છે મને યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. તો આપણે કેમ નહિં પોતાને આત્મા નિશ્ચય કરીએ અને બાપને યાદ કરીએ. કંઈક તો મહેનત કરવી પડશે ને. રાજાઈ પામવી કોઈ સહજ થોડી છે. બાપ ને યાદ કરવાનાં છે. આ માયાનું વંડર (અજાયબી) છે જે ઘડી-ઘડી તમને ભુલાવી દે છે. તેનાં માટે ઉપાય રચવો જોઈએ. એવું નથી, મારા બનવાથી યાદ જામી જશે. બાકી પુરુષાર્થ શું કરશો! ના. જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. આ પણ સમજો છો આપણો આ અંતિમ જન્મ છે. આ શરીરનું ભાન છોડી દેહી-અભિમાન બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. પુરુષાર્થ જરુર કરવાનો છે. ફક્ત પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરો. ત્વમેવ માતાશ્ચ પિતા…. આ બધી છે ભક્તિમાર્ગ ની મહિમા. તમારે ફક્ત એક અલ્ફ ને યાદ કરવાનાં છે. એક જ મીઠી સૈક્રીન છે. બીજી બધી વાતો છોડી એક સૈક્રીન (બાપ) ને યાદ કરો. હમણાં તમારી આત્મા તમોપ્રધાન બની છે, એને સતોપ્રધાન બનાવવા માટે યાદની યાત્રા માં રહો. બધાને આ જ કહો, બાપ થી સુખ નો વારસો લો. સુખ હોય જ છે સતયુગ માં. સુખધામ સ્થાપન કરવા વાળા બાબા છે. બાપ ને યાદ કરવું ખૂબ સહજ છે. પરંતુ માયાનો ઓપોઝિશન (વિરોધાભાસ) ખૂબ છે એટલે કોશિશ કરી મુજ બાપ ને યાદ કરો તો ખાદ નીકળી જશે. સેકન્ડમાં જીવનમુક્તિ ગવાય છે. આપણે આત્મા રુહાની બાપનાં બાળકો છીએ. ત્યાંના રહેવા વાળા છીએ. પછી આપણે પોતાનો પાર્ટ રીપીટ કરવાનો છે. આ ડ્રામા ની અંદર સૌથી વધારે આપણો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે આપણને મળશે. બાપ કહે છે તમારો દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે અને બાકી બધાં શાંતિધામ માં ઓટોમેટિકલી (આપોઆપ) ચાલ્યાં જશે હિસાબ-કિતાબ ચૂકતું કરી. વધારે વિસ્તાર માં આપણે કેમ જઈએ. બાપ આવે જ છે બધાને પાછાં લઈ જવાં. મચ્છર સદશ્ય બધાને લઈ જાય છે. સતયુગમાં ખૂબ થોડા હોય છે. આ બધું ડ્રામામાં નોંધ છે. શરીર ખતમ થઇ જશે. આત્મા જે અવિનાશી છે તે હિસાબ-કિતાબ ચૂકતું કરી ચાલી જશે. એવું નહીં કે આત્મા આગમાં પડવાથી જ પવિત્ર થશે. આત્માને યાદ રુપી યોગ અગ્નિ થી જ પવિત્ર થવાનું છે. યોગની અગ્નિ છે આ. તેમણે પછી નાટક બેસી બનાવ્યાં છે. સીતા આગ થી પાર થઈ. આગ થી કંઈ થોડી પાવન થવાનું છે. બાપ સમજાવે છે તમે બધી સીતાઓ આ સમય પતિત છો. રાવણ નાં રાજ્યમાં છો. હવે એક બાપની યાદ થી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ અક્ષર સાંભળવાથી સમજે છે - આગ થી પાર થઈ. ક્યાં યોગ અગ્નિ, ક્યાં તે. આત્મા પરમપિતા પરમાત્મા થી યોગ રાખવાથી જ પતિત થી પાવન થશે. રાત-દિવસ નો ફરક છે. હેલ (નર્ક) માં બધી સીતાઓ રાવણની જેલમાં શોકવાટિકા માં છે. અહીંયાનું સુખ તો કાગ વિષ્ટાનાં સમાન છે. તુલના કરાય છે. સ્વર્ગનાં સુખ તો અથાહ છે.

આપ આત્માઓની હમણાં શિવ સાજન નાં સાથે સગાઇ થઇ છે. તો આત્મા ફિમેલ (સ્ત્રી) થઈને ! શિવબાબા કહે છે ફક્ત મને યાદ કરો તો તમે પાવન બની જશો. શાંતિધામ જઈ પછી સુખધામમાં આવી જશો. તો બાળકોએ જ્ઞાન રત્નો થી જોલી ભરવી જોઇએ. કોઈ પણ પ્રકાર નો સંશય લઈ ન આવવો જોઈએ. દેહ-અભિમાન માં આવવાથી પછી અનેક પ્રકાર નાં પ્રશ્નો ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે તે કરતાં નથી. મૂળ વાત છે આપણે પતિત થી પાવન બનવાનું છે. બીજી વાતો છોડી દેવી જોઈએ. રાજધાની ની જેવી રીત-રિવાજ હશે તે ચાલશે. જેમ મહેલ બનાવ્યાં હશે તેમ બનાવશે. મૂળ વાત છે પવિત્ર બનવાની. બોલાવે પણ છે હેં પતિત-પાવન…. પાવન બનવા થી સુખી બની જશો. સૌથી પાવન છે દેવી-દેવતાઓ.

હમણાં તમે ૨૧ જન્મનાં માટે સર્વોત્તમ પાવન બનો છો. તેને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી પાવન. તો બાપ જે શ્રીમત આપે છે એનાં પર ચાલવું જોઈએ. કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની દરકાર નથી. પહેલાં આપણે પતિત થી પાવન તો બનીએ. પોકારે પણ છે - હેં પતિત- પાવન…. પરંતુ સમજતાં કાંઈ પણ નથી. આ પણ નથી જાણતાં પતિત-પાવન કોણ છે? આ છે પતિત દુનિયા, તે છે પાવન દુનિયા. મુખ્ય વાત છે જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે? આ કાંઈ પણ ખબર નથી. પતિત-પાવન કહી બોલાવે છે પરંતુ બોલો, તમે પતિત છો તો બગડી પડશે. પોતાને વિકારી કોઈ પણ સમજતાં નથી. કહે છે ગૃહસ્થી માં તો બધાં હતાં. રાધે-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ નાં પણ બાળકો હતાં ને. ત્યાં યોગબળ થી બાળકોનો જન્મ થાય છે, આ ભૂલી ગયાં છે. તેને વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) સ્વર્ગ કહેવાય છે. તે છે શિવાલય. બાપ કહે છે પતિત દુનિયામાં એક પણ પાવન નથી. આ બાપ તો બાપ, શિક્ષક અને સદ્દગુરુ છે જે બધાને સદ્દગતિ આપે છે. તેઓ તો એક ગુરુ ચાલ્યા ગયા તો પછી બાળકોને ગાદી આપશે. તે કેવી રીતે સદ્દગતિ માં લઈ જશે? સર્વનાં સદ્દગતિ દાતા છે જ એક. સતયુગ માં ફક્ત દેવી-દેવતા હોય છે. બાકી આટલી બધી આત્માઓ શાંતિધામ માં ચાલી જશે. રાવણ રાજ્ય થી છૂટી જાય છે. બાપ બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે. પાવન થી પછી ફટ થી કોઈ પતિત નથી બનતા. નમ્બરવાર ઉતરે છે, સતોપ્રધાન થી સતો, રજો, તમો…. તમારી બુદ્ધિ માં ૮૪ જન્મો નું ચક્ર બેઠું છે. તમે જેમ હવે લાઈટ હાઉસ છો. જ્ઞાન થી આ ચક્રને જાણી ગયાં છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે. હમણાં આપ બાળકોએ બીજા બધાને રસ્તો બતાવવાનો છે. બધી નૌકાઓ છે, તમે પાયલટ છો, રસ્તો બતાવવા વાળા. બધાને કહો તમે શાંતિધામ, સુખધામ ને યાદ કરો. કળયુગ દુઃખધામ ને ભૂલી જાઓ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યાં સુધી જીવવાનું છે જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. પોતાની ઝોલી જ્ઞાન રત્નો થી ભરવાની છે. સંશય માં આવીને કોઈ પ્રશ્ન નથી ઉઠાવવાનો .

2. યોગ અગ્નિ થી આત્મા રુપી સીતા ને પાવન બનાવવાની છે. કોઈ વાતનાં વિસ્તારમાં વધારે ન જઈને દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે.

વરદાન :-
દેહી - અભિમાની સ્થિતિમાં સ્થિત થઈ સદા વિશેષ પાર્ટ ભજવવા વાળા સંતુષ્ટમણી ભવ

જે બાળકો વિશેષ પાર્ટધારી છે એમની દરેક એક્ટ (પ્રવૃત્તિ) વિશેષ હોય, કોઈ પણ કર્મ સાધારણ હોતું નથી. સાધારણ આત્મા કોઈ પણ કર્મ દેહ-અભિમાની થઈને કરશે અને વિશેષ આત્મા દેહી-અભિમાની બનીને કરશે. જે દેહી-અભિમાની સ્થિતિમાં સ્થિત રહીને કર્મ કરે છે તે સ્વયં પણ સદા સંતુષ્ટ રહે છે અને બીજાઓને પણ સંતુષ્ટ કરે છે એટલે એમને સંતુષ્ટમણી નું વરદાન સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે.

સ્લોગન :-
પ્રયોગી આત્મા બની યોગ નાં પ્રયોગ થી સર્વ ખજાનાઓ ને વધારતાં ચાલો.