19-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનાં
સ્વીટ બાપ ને યાદ કરો તો તમે સતોપ્રધાન દેવતા બની જશો , આખો આધાર યાદની યાત્રા પર
છે ”
પ્રશ્ન :-
જેમ બાપની
કશિશ બાળકોને થાય છે તેમ કયા બાળકોની કશિશ બધાને થશે?
ઉત્તર :-
જેઓ ફૂલ બન્યાં છે. જેમ નાનાં બાળકો ફૂલ હોય છે, તેમને વિકારો ની ખબર પણ નથી તો તે
બધાને કશિશ કરે છે ને. એમ આપ બાળકો પણ જ્યારે ફૂલ અર્થાત્ પવિત્ર બની જશો તો બધાને
કશિશ થશે. તમારામાં વિકારો નો કોઈ પણ કાંટો ન હોવો જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
જાણે છે કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. પોતાનાં ભવિષ્યનું પુરુષોત્તમ મુખડું જુઓ છો?
પુરુષોત્તમ વસ્ત્ર જુઓ છો? અનુભવ કરો છો કે અમે ફરી નવી દુનિયા સતયુગ માં આમની (લક્ષ્મી-નારાયણ)
વંશાવલી માં જઈશું અર્થાત્ સુખધામ માં જઈશું અથવા પુરુષોત્તમ બનશું. બેઠા-બેઠા આ
વિચાર આવે છે! વિદ્યાર્થી જે ભણે છે તો જે વર્ગ ભણે છે, તે જરુર બુદ્ધિ માં હશે ને
- હું બેરિસ્ટર અથવા ફલાણો બનીશ. તેમ તમે પણ જ્યારે અહીંયા બેસો છો તો આ જાણો છો અમે
વિષ્ણુ ડિનાયસ્ટી માં જઈશું. વિષ્ણુનાં બે રુપ છે - લક્ષ્મી-નારાયણ, દેવી-દેવતા.
તમારી બુદ્ધિ હમણાં અલૌકિક છે. બીજા કોઈ મનુષ્ય ની બુદ્ધિમાં આ વાતો રમણ નહીં કરતી
હશે. આપ બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે. આ કોઈ સાધારણ સતસંગ નથી. અહીંયા બેઠા છો,
સમજો છો સત બાબા જેમને શિવ કહેવાય છે, એમના સંગ માં બેઠા છીએ. શિવબાબા જ રચતા છે, એ
જ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે અને આ નોલેજ આપે છે. જેમ કે કાલની વાત સંભળાવે
છે. અહીંયા બેઠા છો તો આ તો યાદ હશે ને કે અમે આવ્યાં છીએ - રીઝ્યુવનેટ થવા અર્થાત્
આ શરીર બદલી દેવતા શરીર લેવાં. આત્મા કહે છે અમારું આ તમોપ્રધાન જૂનું શરીર છે, આને
બદલીને આવાં લક્ષ્મી-નારાયણ બનવું છે. લક્ષ્ય-હેતુ કેટલું શ્રેષ્ઠ છે. ભણાવવા વાળા
શિક્ષક જરુર ભણવાવાળા વિદ્યાર્થી થી હોશિયાર હશે ને. ભણાવે છે, સારા કર્મ શીખવાડે
છે તો જરુર ઉંચ હશે ને. તમે જાણો છો આપણને સૌથી ઉંચે થી ઉંચા ભગવાન ભણાવે છે.
ભવિષ્યમાં આપણે જ દેવતા બનીશું. આપણે જે ભણીએ છીએ તે ભવિષ્ય નવી દુનિયાનાં માટે.
બીજા કોઈને નવી દુનિયાની ખબર પણ નથી. તમારી બુદ્ધિ માં હવે આવે છે આ લક્ષ્મી-નારાયણ
નવી દુનિયાનાં માલિક હતાં. તો જરુર ફરી રિપીટ (પુનરાવૃત્તિ) થશે. તો બાપ સમજાવે છે
તમને ભણાવીને મનુષ્ય થી દેવતા બનાવું છું. દેવતાઓમાં પણ જરુર નંબરવાર હશે. દૈવી
રાજધાની હોય છે ને. તમારો આખો દિવસ આ જ વિચાર ચાલતો હશે કે અમે આત્મા છીએ. અમારી
આત્મા જે ખુબ પતિત હતી, સો હવે પાવન બનવાનાં માટે પાવન બાપ ને યાદ કરે છે. યાદ નો
અર્થ પણ સમજવાનો છે. આત્મા યાદ કરે છે પોતાનાં સ્વીટ બાપ ને. બાપ સ્વયં કહે છે -
બાળકો, મને યાદ કરવાથી તમે સતોપ્રધાન દેવતા બની જશો. આખો આધાર યાદની યાત્રા પર છે.
બાપ જરુર પૂછશે ને - બાળકો કેટલો સમય યાદ કરો છો? યાદ કરવામાં જ માયા ની લડાઈ થાય
છે. તમે પોતે સમજો છો આ યાત્રા નથી પરંતુ જેમ કે લડાઈ છે, આમાં વિઘ્ન ખુબ પડે છે.
યાદની યાત્રામાં રહેવામાં જ માયા વિઘ્ન નાખે છે અર્થાત્ યાદ ભુલાવી દે છે. કહે પણ
છે બાબા અમને તમારી યાદમાં રહેવામાં માયાનાં તોફાન ખુબ લાગે છે. નંબરવન તોફાન છે
દેહ-અભિમાનનું. પછી છે કામ, ક્રોધ, લોભ, મોહ….. આજે કામનું તોફાન, કાલે ક્રોધનું
તોફાન, લોભનું તોફાન આવ્યું... આજે અમારી અવસ્થા સારી રહી, કોઈ પણ તોફાન નહીં આવ્યાં.
યાદની યાત્રામાં આખો દિવસ રહ્યાં, ખુબ ખુશી હતી. બાબા ને ખુબ જ યાદ કર્યા. યાદમાં
પ્રેમ નાં આંસુ વહેતાં રહે છે. બાપની યાદ માં રહેવાથી તમે મીઠા બની જશો.
આપ બાળકો આ પણ સમજો છો કે આપણે માયાથી હાર ખાતા-ખાતા ક્યાં સુધી આવીને પહોંચ્યા છીએ.
બાળકો હિસાબ નીકાળે છે. કલ્પ માં કેટલાં મહિના, કેટલાં દિવસ... છે. બુદ્ધિ માં આવે
છે ને. જો કોઈ કહે લાખો વર્ષ આયુ છે તો પછી કોઈ હિસાબ થોડી કરી શકે. બાપ સમજાવે છે
- આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. આ આખાં ચક્ર માં આપણે કેટલાં જન્મ લઈએ છીએ. કેવી
રીતે ડિનાયસ્ટી માં જઈએ છીએ. આ તો જાણો છો ને. આ બિલકુલ નવી વાતો, નવું નોલેજ છે નવી
દુનિયાનાં માટે. નવી દુનિયા સ્વર્ગને કહેવાય છે. તમે કહેશો અમે હમણાં મનુષ્ય છીએ,
દેવતા બની રહ્યાં છીએ. દેવતા પદ છે ઉંચ. આપ બાળકો જાણો છો આપણે સૌથી ન્યારું નોલેજ
લઇ રહ્યાં છીએ. આપણ ને ભણાવવા વાળા બિલકુલ ન્યારા વિચિત્ર છે. તેમને આ સાકાર ચિત્ર
નથી. એ છે જ નિરાકાર. તો ડ્રામા માં જુઓ કેવો સારો પાર્ટ રાખેલો છે. બાપ ભણાવે કેવી
રીતે? તે સ્વયં બતાવે છે - હું ફલાણા તનમાં આવું છું. કયા તન માં આવું છું, તે પણ
બતાવે છે. મનુષ્ય મુંઝાય છે - શું એક જ તન માં આવશે! પરંતુ આ તો ડ્રામા છે ને. આમાં
ચેન્જ (બદલી) થઇ નથી શકતું. આ વાતો તમે જ સાંભળો છો અને ધારણ કરો છો અને સંભળાવો છો
- કેવી રીતે અમને શિવબાબા ભણાવે છે? અમે પછી બીજી આત્માઓને ભણાવીએ છીએ. ભણે આત્મા
છે. આત્મા જ શીખે, શીખવાડે છે. આત્મા મોસ્ટ વેલ્યુએબલ (ખુબ મુલ્યવાન) છે? આત્મા
અવિનાશી, અમર છે. ફક્ત શરીર ખતમ થાય છે. આપણે આત્માઓ પોતાનાં પરમપિતા પરમાત્મા થી
નોલેજ લઈ રહ્યાં છીએ. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત, ૮૪ જન્મોનું નોલેજ લઈ રહ્યાં
છીએ. નોલેજ કોણ લે છે? આત્મા. આત્મા અવિનાશી છે. મોહ પણ રાખવો જોઈએ અવિનાશી વસ્તુમાં,
ન કે વિનાશી વસ્તુમાં. આટલો સમય તમે વિનાશી શરીરમાં મોહ રાખતા આવ્યાં છો. હવે સમજો
છો - અમે આત્મા છીએ, શરીરનું ભાન છોડવાનું છે. કોઈ-કોઈ બાળકો લખે પણ છે મુજ આત્માએ
આ કામ કર્યુ. મુજ આત્માએ આજે આ ભાષણ કર્યુ. મુજ આત્માએ આજે ખુબ બાબાને યાદ કર્યા. એ
છે સુપ્રીમ આત્મા, નોલેજફુલ. આપ બાળકોને કેટલું નોલેજ આપે છે. મૂળવતન, સૂક્ષ્મવતન
ને તમે જાણો છો. મનુષ્યો ની બુદ્ધિ માં તો કંઈ પણ નથી. તમારી બુદ્ધિ માં છે રચતા
કોણ છે? આ મનુષ્ય સૃષ્ટિનાં ક્રિયેટર (રચયિતા) ગવાય છે, તો જરુર કર્તવ્ય માં આવે
છે.
તમે જાણો છો બીજું કોઈ મનુષ્ય નથી જેમને આત્મા અને પરમાત્મા બાપ યાદ હોય. બાપ જ
નોલેજ આપે છે કે સ્વયં ને આત્મા સમજો. તમે પોતાને શરીર સમજી ઉલ્ટા લટકી પડ્યાં છો.
આત્મા સત્ ચિત્ આનંદ સ્વરુપ છે. આત્માની સૌથી વધારે મહિમા છે. એક બાપની આત્માની
કેટલી મહિમા છે. એ જ દુઃખહર્તા સુખકર્તા છે. મચ્છર વગેરે ની તો મહિમા નહીં કરશે કે
તે દુઃખહર્તા સુખકર્તા છે, જ્ઞાનનાં સાગર છે. ના, આ બાપ ની મહિમા છે. તમે પણ દરેક
સ્વયં દુઃખહર્તા સુખકર્તા છો કારણ કે એ જ બાપનાં બાળકો છો ને, જે બધાનાં દુઃખ હરીને
અને સુખ આપે છે. તે પણ અડધાકલ્પ માટે. આ નોલેજ બીજા કોઈમાં છે નહીં. નોલેજફુલ એક જ
બાપ છે. આપણામાં તો નોલેજ નથી. એક બાપ ને જ નથી જાણતાં તો બાકી પછી શું નોલેજ હશે.
હમણાં તમે અનુભવ કરો છો અમે પહેલાં નોલેજ લેતા હતાં, કાંઈ પણ નહોતાં જાણતાં. બેબીમાં
(નાના બાળક માં) નોલેજ નથી હોતું બીજા કોઈ અવગુણ પણ નથી હોતાં, એટલે તેમને મહાત્મા
કહેવાય છે કારણ કે પવિત્ર છે. જેટલું નાનું બાળક એટલું નંબરવન ફૂલ. બિલકુલ જેમ કે
કર્માતીત અવસ્થા છે. કર્મ વિકર્મ ને કાંઈ નથી જાણતાં. ફક્ત પોતાને જ જાણે છે. તે
ફૂલ છે એટલે બધાને કશિશ કરે છે. જેમ હમણાં બાબા કશિશ કરે છે. બાપ આવ્યાં જ છે આપ
સર્વને ફૂલ બનાવવાં. તમારામાં ઘણાં ખરાબ કાંટા પણ છે. ૫ વિકાર રુપી કાંટા છે ને. આ
સમય તમને ફૂલો અને કાંટાઓ નું જ્ઞાન છે. કાટાઓનું જંગલ પણ હોય છે. બબુલ નો કાંટો
સૌથી મોટો હોય છે. તે કાંટા થી પણ ખુબ વસ્તુ બને છે. તુલના કરાય છે મનુષ્યોની. બાપ
સમજાવે છે, આ સમયે બહુજ દુઃખ આપવાવાળા મનુષ્ય કાંટા છે એટલે આને દુઃખ ની દુનિયા
કહેવાય છે. કહે પણ છે બાપ સુખદાતા છે. માયા રાવણ દુઃખદાતા છે. પછી સતયુગ માં માયા
નહીં હશે તો આ કાંઈ પણ વાતો હશે નહીં. ડ્રામા માં એક પાર્ટ બે વખત નથી થઈ શકતો.
બુદ્ધિ માં છે આખી દુનિયામાં જે પાર્ટ ભજવાય છે, તે બધો નવો. તમે વિચાર કરો - સતયુગ
થી લઈને અહીંયા સુધીનાં દિવસો જ બદલાઈ જાય, એક્ટિવિટી (પ્રવૃત્તિ) બદલાઈ જાય. ૫
હજાર વર્ષની પૂરી એક્ટિવિટી નો રેકોર્ડ આત્મા માં ભરાયેલો છે, તે બદલાઈ નથી શકતો.
દરેક આત્મામાં પોતાનો પાર્ટ ભરાયેલો છે. આ એક વાત પણ કોઈ સમજી નથી શકતાં. હમણાં
આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો. આ સ્કૂલ છે ને. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણવાનું
છે અને પછી બાપ ને યાદ કરી પવિત્ર બનવાનું ભણતર છે. આનાં પહેલાંં જાણતાં હતાં શું -
આપણે આ બનવાનું છે. બાપ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. તમે પહેલાં નંબરમાં
આ હતાં પછી તમે નીચે ઉતરતાં-ઉતરતાં હવે શું બની ગયાંં છો. દુનિયાને તો જુઓ શું બની
ગઈ છે! કેટલાં અસંખ્ય મનુષ્ય છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની નો વિચાર કરો - શું
હશે! આ જ્યાં રહેતાં હશે કેવાં હીરા-ઝવેરાત નાં મહેલ હશે. બુદ્ધિ માં આવે છે - હમણાં
અમે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. ત્યાં અમે પોતાનાં મકાન વગેરે બનાવીશું. એવું નહીં
કે નીચે થી દ્વારિકા નીકળી આવશે. જેમ શાસ્ત્રોમાં દેખાડયું છે. શાસ્ત્ર નામ જ ચાલ્યું
આવે છે, બીજું તો કોઈ નામ રાખી નથી શકતાં. બીજા પુસ્તકો હોય છે ભણતર નાં. બીજી
નવલકથા હોય છે. બાકી આને પુસ્તક અથવા શાસ્ત્ર કહે છે. તે છે ભણતર ની પુસ્તકો.
શાસ્ત્ર વાંચવાવાળા ને ભક્ત કહેવાય છે. ભક્તિ અને જ્ઞાન બે વસ્તુ છે. હવે વૈરાગ્ય
શેનો? ભક્તિનો કે જ્ઞાનનો? જરુર કહેશે ભક્તિ નો. હવે તમને જ્ઞાન મળી રહ્યું છે,
જેનાથી તમે આટલાં ઉંચ બનો છો. હવે બાપ તમને સુખદાયી બનાવે છે. સુખધામ ને જ સ્વર્ગ
કહેવાય છે. સુખધામ માં તમે ચાલવા વાળા છો તો તમને જ ભણાવે છે. આ જ્ઞાન પણ તમારી
આત્મા લે છે. આત્માનો કોઈ ધર્મ નથી. એ તો આત્મા છે. પછી આત્મા જ્યારે શરીર માં આવે
છે તો શરીરનાં ધર્મ અલગ હોય છે. આત્માનો ધર્મ શું છે? એક તો આત્મા બિંદુ માફક છે અને
શાંત સ્વરુપ છે. શાંતિધામ, મુક્તિધામ માં રહે છે. હવે બાપ સમજાવે છે - બધાં બાળકો
નો હક છે. ઘણાં બાળકો છે જે બીજા બીજા ધર્મો માં કન્વર્ટ (બદલી) થઈ ગયાંં છે. તે પછી
નીકળીને પોતાનાં અસલી ધર્મમાં આવી જશે. જે દેવી-દેવતા ધર્મ છોડી બીજા ધર્મમાં ગયાંં
છે, તે બધાં પત્તા પાછાં આવી જશે, પોતાની જગ્યા પર. આ બધી વાતોને બીજું કોઈ સમજી નહીં
શકે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે એમાં જ બધાં મૂંઝાઈ ગયાં છે. આપ બાળકો
જાણો છો હમણાં આપણ ને કોણ ભણાવે છે? બાપ ભણાવે છે. કૃષ્ણ તો દેહધારી છે. આમને (બ્રહ્માને)
દાદા કહેશું. બધાં ભાઈ-ભાઈ છે ને. પછી છે પદ નાં ઉપર. આ ભાઈનું શરીર છે, આ બહેનનું
શરીર છે. આ પણ હવે તમે જાણો છો. આત્મા તો એક નાનો એવો તારો છે. આટલું બધું નોલેજ
નાનાં તારામાં છે. તારો શરીર નાં સિવાય વાત પણ કરી નથી શકતો. તારા ને પાર્ટ ભજવવા
માટે અંગ પણ જોઈએ. તારાઓની દુનિયા જ અલગ છે. પછી અહીંયા આવીને આત્મા શરીર ધારણ કરે
છે. તે છે આત્માઓનું ઘર. આત્મા નાની બિંદી છે. શરીર મોટી વસ્તુ છે. તો તેને કેટલું
યાદ કરે છે! હમણાં તમારે યાદ કરવાનાં છે - એક પરમપિતા પરમાત્મા ને. આ જ સત્ય છે
કારણ કે આત્માઓ અને પરમાત્મા નો મેળો થાય છે. ગાયન પણ છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યાં
બહુકાળ.... આપણે બાબા થી અલગ થયાં છીએ ને. યાદ આવે છે કેટલો સમય અલગ થયાં છીએ! બાપ
જે કલ્પ-કલ્પ સંભળાવતા આવ્યાં છે, એ જ આવીને સંભળાવે છે. આમાં જરા પણ ફરક નથી થઈ
શકતો. સેકન્ડ પછી સેકન્ડ ને પાર્ટ ચાલે છે તે નવો. એક સેકન્ડ પસાર થાય છે, મિનિટ
પસાર થાય છે, એને જેમ છોડતા જઈએ છીએ. પસાર થતું જાય છે એટલે કહેશું - આટલાં વર્ષ,
આટલાં દિવસ, મિનિટ, આટલાં સેકન્ડ પસાર કરી આવ્યાં છીએ. પૂરા ૫ હજાર વર્ષ થશે પછી એક
નંબર થી શરું થશે. એક્યુરેટ હિસાબ છે ને. મિનિટ સેકન્ડ બધું નોંધ કરે છે. હમણાં
તમારાથી કોઈ પૂછે - આમણે ક્યારે જન્મ લીધો હતો? તમે ગણતરી કરી બતાવો છો. કૃષ્ણએ
પહેલાં નંબર માં જન્મ લીધો છે. શિવની તો મિનિટ, સેકન્ડ કાંઈ પણ નથી નીકાળી શકાતું.
કૃષ્ણની તિથિ-તારીખ પૂરું લખેલું છે. મનુષ્યો ની ઘડિયાળ માં ફરક પડી શકે છે - મિનિટ
સેકન્ડ નો. શિવબાબાનાં અવતરણ માં તો બિલકુલ ફરક નથી પડી શકતો. ખબર પણ નથી પડતી કે
ક્યારે આવ્યાં! એવું પણ નથી સાક્ષાત્કાર થયો ત્યારે આવ્યાં. ના, અંદાજ થી કહી દે
છે. બાકી એવું નથી તે સમયે પ્રવેશ થયો. સાક્ષાત્કાર થયો કે અમે ફલાણા બનીશું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુખધામ માં
ચાલવા માટે સુખદાયી બનવાનું છે. બધાનાં દુઃખ હરીને સુખ આપવાનું છે. ક્યારેય પણ
દુઃખદાયી કાંટા નથી બનવાનું.
2. આ વિનાશી શરીર માં આત્મા જ મોસ્ટ વેલ્યુબલ (ખુબ મુલ્યવાન) છે, એ જ અમર અવિનાશી
છે એટલે અવિનાશી વસ્તુ થી પ્રેમ રાખવાનો છે. દેહનું ભાન મિટાવી દેવાનું છે.
વરદાન :-
એક બળ એક ભરોસા
નાં આધાર પર મંઝિલ ને સમીપ અનુભવ કરવા વાળા હિમ્મતવાન ભવ
ઉંચી મંઝિલ પહોંચવાનાં
પહેલાં વાવાઝોડું-તોફાન લાગે જ છે. સ્ટીમર ને પાર જવા માટે વચ્ચે વમળ થી ક્રોસ કરવું
જ પડે છે એટલે જલ્દી માં ગભરાવો નહીં, થાકો કે થોભો નહીં. સાથી ને સાથે રાખો તો
દરેક મુશ્કિલ સહજ થઈ જશે, હિમ્મતવાન બની બાપની મદદ નાં પાત્ર બનો. એક બળ એક ભરોસો -
આ પાઠ ને સદા પાક્કો રાખો તો વચ્ચે વમળ થી સહજ નીકળી આવશો અને મંઝિલ સમીપ અનુભવ થશે.
સ્લોગન :-
વિશ્વ
કલ્યાણકારી તે છે જે પ્રકૃતિ સહિત દરેક આત્માનાં પ્રતિ શુભ ભાવના રાખે છે.