24-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 17.10.87
બાપદાદા મધુબન
બ્રાહ્મણ જીવન નો
શ્રૃંગાર - ‘ પવિત્રતા ’
આજે બાપદાદા પોતાનાં
વિશ્વનાં ચારે બાજુનાં વિશેષ હોવનહાર પૂજ્ય બાળકોને જોઈ રહ્યાં છે. આખાં વિશ્વમાંથી
કેટલાં થોડા અમૂલ્ય રત્ન પૂજનીય બન્યાં છે! પૂજનીય આત્માઓ જ વિશ્વનાં માટે વિશેષ
જહાનનાં નૂર બની જાય છે. જેમ આ શરીર માં નૂર નથી તો જહાન નથી, એમ વિશ્વની અંદર
પૂજનીય જહાનનાં નૂર આપ શ્રેષ્ઠ આત્માઓ નથી તો વિશ્વનું પણ મહત્વ નથી. સુવર્ણ-યુગ કે
આદિ-યુગ અથવા સતોપ્રધાન યુગ, નવો સંસાર આપ વિશેષ આત્માઓથી આરંભ થાય છે. નવાં વિશ્વનાં
આધારમૂર્ત, પૂજનીય આત્માઓ તમે છો. તો આપ આત્માઓનું કેટલું મહત્વ છે! આપ પૂજ્ય
આત્માઓ સંસાર નાં માટે નવો પ્રકાશ છો. તમારી ચઢતી કળા વિશ્વ ને શ્રેષ્ઠ કળામાં
લાવવાનાં નિમિત્ત બને છે. તમે ઉતરતી કળામાં આવો છો તો સંસારની પણ ઉતરતી કળા થાય છે.
તમે પરિવર્તન થાઓ છો તો વિશ્વ પણ પરિવર્તન થાય છે. આટલી મહાન અને મહત્વ વાળી આત્માઓ
છો!
આજે બાપદાદા સર્વ બાળકોને જોઈ રહ્યાં હતાં. બ્રાહ્મણ બનવું અર્થાત્ પૂજ્ય બનવું
કારણ કે બ્રાહ્મણ જ દેવતા બને છે અને દેવતાઓ અર્થાત્ પૂજનીય. બધાં દેવતાઓ પૂજનીય તો
છે, છતાં પણ નંબરવાર જરુર છે. કોઈક દેવતાઓની પૂજા વિધિપૂર્વક અને નિયમિત રુપ થી થાય
છે અને કોઈની પૂજા વિધિપૂર્વક નિયમિત રુપ થી નથી થતી. કોઈનાં દરેક કર્મની પૂજા થાય
છે અને કોઈનાં દરેક કર્મની પૂજા નથી થતી. કોઈનો વિધિપૂર્વક દરરોજ શ્રૃંગાર થાય છે
અને કોઈનો શ્રૃંગાર રોજ નથી થતો, ઉપર-ઉપર થી થોડું-ઘણું સજાવી લે છે પરંતુ
વિધિપૂર્વક નહીં. કોઈનાં આગળ પૂરો સમય કીર્તન થાય અને કોઈનાં આગળ ક્યારેક-ક્યારેક
કીર્તન થાય છે. આ બધાનું કારણ શું છે? બ્રાહ્મણ તો બધાં કહેવાય છે, જ્ઞાન-યોગ નો
અભ્યાસ પણ બધાં કરે છે, છતાં પણ આટલું અંતર કેમ? ધારણા કરવામાં અંતર છે. છતાં પણ
વિશેષ કઈ ધારણાઓનાં આધાર પર નંબરવાર થાય છે, જાણો છો?
પૂજનીય બનવાનો વિશેષ આધાર પવિત્રતાનાં ઉપર છે. જેટલી સર્વ પ્રકારની પવિત્રતા ને
અપનાવે છે, એટલાં જ સર્વ પ્રકારનાં પૂજનીય બને છે અને જે નિરંતર વિધિપૂર્વક આદિ,
અનાદિ વિશેષ ગુણનાં રુપ થી પવિત્રતા ને સહજ અપનાવે છે, તેજ વિધિપૂર્વક પૂજ્ય બને
છે. સર્વ પ્રકારની પવિત્રતા શું છે? જે આત્માઓ સહજ, સ્વતઃ દર સંકલ્પ માં, બોલ માં,
કર્મ માં સર્વ અર્થાત્ જ્ઞાની અને અજ્ઞાની આત્માઓ, સર્વ નાં સંપર્કમાં સદા પવિત્ર
વૃત્તિ, દૃષ્ટિ, વાયબ્રેશન થી યથાર્થ સંપર્ક-સંબંધ નિભાવે છે - તેને જ સર્વ પ્રકારની
પવિત્રતા કહેવાય છે. સ્વપ્ન માં પણ સ્વયનાં પ્રતિ અથવા અન્ય કોઈ આત્માનાં પ્રતિ
સર્વ પ્રકારની પવિત્રતા માંથી કોઈ કમી ન હોય. સમજો સ્વપ્ન માં પણ બ્રહ્મચર્ય ખંડિત
થાય છે અથવા કોઈ આત્માનાં પ્રતિ કોઈ પણ પ્રકારની ઈર્ષ્યા કે આવેશનાં વશ કર્મ થાય છે
અથવા બોલ નીકળે છે, ક્રોધનાં અંશ રુપમાં પણ વ્યવહાર થાય છે તો એ પણ પવિત્રતા નું
ખંડન મનાશે. વિચારો, જ્યારે સ્વપ્નનો પણ પ્રભાવ પડે છે તો સાકાર માં કરેલાં કર્મનો
કેટલો પ્રભાવ પડતો હશે! એટલે ખંડિત મૂર્તિ ક્યારે પૂજનીય નથી હોતી. ખંડિત મૂર્તિઓ
મંદિરમાં નથી રહેતી, આજકાલનાં મ્યુઝિયમ માં રહે છે. ત્યાં ભક્ત નથી આવતાં. ફક્ત આ જ
ગાયન થાય છે કે બહુજ જૂની મૂર્તિઓ છે, બસ. તેમનાં સ્થૂળ અંગોનાં ખંડિત ને ખંડિત કહી
દીધું છે પરંતુ હકીકતમાં કોઈ પણ પ્રકારની પવિત્રતા માં ખંડન થાય છે તો તે પૂજ્ય-પદ
થી ખંડિત થઈ જાય છે. એમ, ચારેય પ્રકારની પવિત્રતા વિધિપૂર્વક છે તો પૂજા પણ
વિધિપૂર્વક થાય છે.
મન, વાણી, કર્મ (કર્મમાં સબંધ-સંપર્ક આવી જાય છે) અને સ્વપ્નમાં પણ પવિત્રતા - આને
કહે છે સંપૂર્ણ પવિત્રતા. ઘણાં બાળકો અલબેલાપણામાં આવવાનાં કારણે, ભલે મોટા ને, ભલે
નાના ને, આ વાતમાં ચલાવવાની કોશિશ કરે છે કે મારો ભાવ ખૂબ સારો છે પરંતુ બોલ નીકળી
ગયાં, અથવા મારું લક્ષ્ય એવું નહોતું પરંતુ થઈ ગયું, અથવા કહે છે કે હસી-મજાક માં
કહી દીધું અથવા કરી લીધું. આ પણ ચલાવવું છે એટલે પૂજા પણ ચલાવવાં જેવી થાય છે. આ
અલબેલાપણું સંપૂર્ણ પૂજ્ય સ્થિતિ ને નંબરવાર માં લઈ આવે છે. આ પણ અપવિત્રતા નાં
ખાતામાં જમા થાય છે. સંભળાવ્યું ને - પૂજ્ય, પવિત્ર આત્માઓની નિશાની આ જ છે - તેમની
ચાર પ્રકારની પવિત્રતા સ્વાભાવિક, સહજ અને સદા હશે. તેમને વિચારવું નહિં પડશે કારણ
કે પવિત્રતાની ધારણા સ્વતઃ જ યથાર્થ સંકલ્પ, બોલ, કર્મ અને સ્વપ્ન લાવે છે. યથાર્થ
અર્થાત્ એક તો યુક્તિયુક્ત, બીજું યથાર્થ અર્થાત્ દરેક સંકલ્પમાં અર્થ હશે, અર્થ
વગર નહીં હશે. એવું નહિં કે એમ જ બોલી દીધું, નીકળી ગયું, કરી લીધું, થઈ ગયું. એવી
પવિત્ર આત્મા સદા દરેક કર્મમાં અર્થાત્ દિનચર્યા માં યથાર્થ યુક્તિયુક્ત રહે છે.
એટલે પૂજા પણ તેમનાં દરેક કર્મની થાય છે અર્થાત્ પૂરી દિનચર્યાની થાય છે. ઉઠવાથી
લઈને સૂવા સુધી ભિન્ન-ભિન્ન કર્મનાં દર્શન થાય છે.
જો બ્રાહ્મણ જીવન ની બનેલી દિનચર્યા પ્રમાણે કોઈ પણ કર્મ યથાર્થ કે નિરંતર નથી કરતાં
તો તેનાં અંતર નાં કારણે પૂજામાં પણ અંતર પડશે. સમજો કોઈ અમૃતવેલા ઉઠવાની દિનચર્યા
માં વિધિપૂર્વક નથી ચાલતાં, તો પૂજામાં પણ તેમનાં પૂજારી પણ તે વિધિ માં નીચે-ઉપર
કરશે અર્થાત્ પૂજારી પણ સમય ઉપર ઉઠીને પૂજા નહીં કરશે, જ્યારે આવશે ત્યારે કરી લેશે
અથવા અમૃતવેલા જાગૃત સ્થિતિમાં અનુભવ નથી કરતાં, મજબૂરી થી કે ક્યારેક સુસ્તી,
ક્યારેક ચુસ્તી નાં રુપમાં બેસે છે તો પૂજારી પણ મજબૂરી થી અથવા સુસ્તી થી પૂજા કરશે,
વિધિપૂર્વક પૂજા નહીં કરશે. આમ દરેક દિનચર્યા નાં કર્મ નો પ્રભાવ પૂજનીય બનવામાં પડે
છે. વિધિપૂર્વક ન ચાલવું, કોઈ પણ દિનચર્યા માં ઉપર-નીચે થવું - આ પણ અપવિત્રતા નાં
અંશ માં ગણતરી થાય છે કારણ કે આળસ અને અલબેલાપણું પણ વિકાર છે. જે યથાર્થ કર્મ નથી
તે વિકાર છે. તો અપવિત્રતા નો અંશ થઈ ગયો ને. આ કારણે પૂજ્ય પદ માં નંબરવાર થઈ જાય
છે. તો ફાઉન્ડેશન શું થયું? પવિત્રતા.
પવિત્રતાની ધારણા ખુબ સુક્ષ્મ છે. પવિત્રતા નાં આધાર પર જ કર્મની વિધિ અને ગતિનો
આધાર છે. પવિત્રતા ફક્ત મોટી વાત નથી. બ્રહ્મચારી રહ્યાં કે નિર્મોહી થઈ ગયાં -
ફક્ત આને જ પવિત્રતા નહીં કહેશે. પવિત્રતા બ્રાહ્મણ જીવન નો શ્રૃંગાર છે. તો દર સમયે
પવિત્રતા નાં શ્રૃંગાર ની અનુભૂતિ ચહેરા થી, ચલન થી બીજા ને થાય. દૃષ્ટિ માં, મુખ
માં, હાથો માં, પગ માં સદા પવિત્રતાનો શ્રૃંગાર પ્રત્યક્ષ થાય. કોઈ પણ ચહેરા તરફ
જુએ તો ફિચર્સ (ચહેરા) થી એમને પવિત્રતા અનુભવ થાય. જેમ બીજા પ્રકારનાં ફિચર્સ
વર્ણન કરે છે, તેમ આ વર્ણન કરે કે આમનાં ફિચર્સ થી પવિત્રતા દેખાઈ આવે છે, નયનો માં
પવિત્રતા ની ઝલક છે, મુખ પર પવિત્રતા નું સ્મિત છે. બીજી કોઈ વાત એમને નજર ન આવે.
આને કહે છે પવિત્રતાનાં શ્રૃંગાર થી શ્રૃંગારેલી મૂર્ત. સમજ્યાં? પવિત્રતાની તો બીજી
પણ બહુ ગુહ્યતા છે, તે પછી સંભળાવતાં રહેશે. જેમ કર્મો ની ગતિ ગહન છે, પવિત્રતા ની
પરિભાષા પણ ખૂબ ગુહ્ય છે અને પવિત્રતા જ ફાઉન્ડેશન છે. અચ્છા.
આજે ગુજરાત આવ્યું છે. ગુજરાત વાળા સદા હલ્કા બની નાચે અને ગાએ છે. ભલે શરીરમાં
કેટલાં પણ ભારે હોય પરંતુ હલ્કા બની નાચે છે. ગુજરાત ની વિશેષતા છે - સદા હલ્કા
રહેવું, સદા ખુશીમાં નાચતા રહેવું અને બાપનાં કે પોતાની પ્રાપ્તિઓનાં ગીત ગાતા રહેવું.
બાળપણ થી જ નાચે-ગાએ સારું છે. બ્રાહ્મણ જીવન માં શું કરો છો? બ્રાહ્મણ જીવન અર્થાત્
મોજો નું જીવન. ગરબા રાસ કરો છો તો મોજ માં આવી જાઓ છો ને. જો મોજમાં ન આવે તો વધારે
રમી નહીં શકે. મોજ-મસ્તી માં થાક નથી લાગતો, અથક બની જાય છે. તો બ્રાહ્મણ જીવન
અર્થાત્ સદા મોજ માં રહેવાનું જીવન, તે છે સ્થૂળ મોજ અને આ બ્રાહ્મણ જીવનની છે મન
ની મોજ. સદા મન મોજમાં નાચતું અને ગાતું રહે. તે લોકો હલ્કા બની નાચવાં-ગાવાનાં
અભ્યાસી છે. તો આમને બ્રાહ્મણ જીવનમાં પણ ડબલ લાઈટ (હલકા) બનવામાં મુશ્કેલી નથી થતી.
તો ગુજરાત અર્થાત્ સદા હલકા રહેવાનાં અભ્યાસી કહો, વરદાની કહો. તો આખાં ગુજરાત ને
વરદાન મળી ગયું - ડબલ લાઈટ. મુરલી દ્વારા પણ વરદાન મળે છે ને.
સંભળાવ્યું ને - તમારી આ દુનિયામાં યથા શક્તિ, યથા સમય હોય છે. યથા અને તથા. અને
વતનમાં તો યથા-તથા ની ભાષા જ નથી. અહીંયા દિવસ પણ તો રાત પણ જોવું પડે. ત્યાં ન
દિવસ, ન છે રાત; ન સૂર્ય ઉદય થાય, ન ચંદ્રમાં. બંને થી પરે છે. આવવાનું તો ત્યાં છે
ને. બાળકોએ રુહરિહાન માં કહ્યું ને કે ક્યાં સુધી? બાપદાદા કહે છે કે આપ સર્વ કહો
કે અમે તૈયાર છીએ તો ‘હમણાં’ કરી લેશે. પછી ‘ક્યારે’ નો તો સવાલ જ નથી. ‘ક્યારે’
ત્યાં સુધી છે જ્યાં સુધી આખી માળા તૈયાર થઈ નથી. હમણાં નામ કાઢવાં બેસો છો તો ૧૦૮
માં પણ વિચારો છો કે આ નામ નાખીએ કે નહીં? હમણાં ૧૦૮ ની માળા માં પણ બધાં એ જ ૧૦૮
નામ બોલે. ના, ફરક થઈ જશે. બાપદાદા તો આ ઘડી તાળી વગાડે અને ઠકાઠક શરું થઈ જશે - એક
તરફ પ્રકૃતિ, એક તરફ વ્યક્તિઓ. શું વાર લાગે. પરંતુ બાપનો બધાં બાળકોમાં સ્નેહ છે.
હાથ પકડશે, ત્યારે તો સાથે ચાલશે. હાથમાં હાથ મિલાવવો અર્થાત્ સમાન બનવું. તમે કહેશો
- બધાં સમાન અથવા બધાં તો નંબરવન બનશે નહીં. પરંતુ નંબરવન નાં પાછળ નંબર ટુ હશે.
અચ્છા, બાપ સમાન નથી બન્યાં પરંતુ નંબરવન દાણા જે હશે તે સમાન હશે. ત્રીજા, બીજાનાં
સમાન બને. ચોથા ત્રણ નાં સમાન બને. આમ તો સમાન બને, તો એક-બીજા નાં સમીપ થતાં-થતાં
માળા તૈયાર થાય. એવી સ્ટેજ (અવસ્થા) સુધી પહોંચવું અર્થાત્ સમાન બનવું. ૧૦૮ મો દાણો
૧૦૭ થી તો મળશે ને. એનાં જેવી વિશેષતા પણ આવી જાય તો પણ માળા તૈયાર થઈ જશે. નંબરવાર
તો થવાનાં જ છે. સમજ્યાં? બાપ તો કહે છે - હમણાં કોઈ છે ખાતરી કરવાવાળા કે હાં, બધાં
તૈયાર છે? બાપદાદા ને તો સેકન્ડ લાગશે. દૃશ્ય દેખાડતાં હતાં ને - તાળી વગાડી અને
પરીઓ આવી ગઈ. અચ્છા.
ચારે બાજુનાં પરમ પૂજ્ય શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ સંપૂર્ણ પવિત્રતાનાં લક્ષ્ય સુધી
પહોંચવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને, સદા દરેક કર્મમાં વિધિપૂર્વક કર્મ
કરવાવાળા સિદ્ધિ-સ્વરુપ આત્માઓ ને, સદા દર સમયે પવિત્રતા નાં શ્રૃંગાર માં સજેલી
વિશેષ આત્માઓ ને બાપદાદાનાં સ્નેહ સંપન્ન યાદપ્યાર સ્વીકાર થાય.
પાર્ટીઓ થી મુલાકાત
:-
(૧) વિશ્વ માં સૌથી વધારે શ્રેષ્ઠ ભાગ્યવાન પોતાને સમજો છો? આખું વિશ્વ જે શ્રેષ્ઠ
ભાગ્ય માટે પોકારી રહ્યું છે કે અમારું ભાગ્ય ખુલી જાય …. તમારું ભાગ્ય તો ખુલી ગયું.
આનાથી મોટી ખુશીની વાત બીજી શું હશે! ભાગ્ય વિધાતા જ અમારા બાપ છે - એવો નશો છે ને!
જેમનું નામ જ ભાગ્યવિધાતા છે એમનું ભાગ્ય શું હશે! આનાથી મોટું ભાગ્ય કોઈ હોઈ શકે
છે? તો સદા આ ખુશી રહે કે ભાગ્ય તો અમારો જન્મ-સિદ્ધ અધિકાર થઈ ગયો. બાપનાં પાસે જે
પણ પ્રોપર્ટી (મિલકત) હોય છે, બાળકો એનાં અધિકારી હોય છે. તો ભાગ્યવિધાતા નાં પાસે
શું છે? ભાગ્યનો ખજાનો. એ ખજાના પર તમારો અધિકાર થઈ ગયો. તો સદૈવ ‘વાહ મારું ભાગ્ય
અને ભાગ્ય-વિધાતા બાપ! - આ જ ગીત ગાતાં ખુશી માં ઉડતાં રહો. જેમનું આટલું શ્રેષ્ઠ
ભાગ્ય થઈ ગયું એમને બીજું શું જોઈએ? ભાગ્યમાં બધુંજ આવી ગયું. ભગવાન નાં પાસે
તન-મન-ધન-જન બધુંજ હોય છે. શ્રેષ્ઠ ભાગ્ય અર્થાત્ અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. કોઈ
અપ્રાપ્તિ છે? મકાન સારું જોઈએ, કાર સારી જોઈએ… ના. જેમને મનની ખુશી મળી ગઈ, એને
સર્વ પ્રાપ્તિઓ થઈ ગઈ! કાર તો શું પરંતુ કારુન નો ખજાનો મળી ગયો! કોઈ અપ્રાપ્ત વસ્તુ
છે જ નહીં. એવાં ભાગ્યવાન છો! વિનાશી ઈચ્છા શું કરશો. જે આજે છે, કાલે નથી - એની
ઈચ્છા શું રાખશો એટલે, સદા અવિનાશી ખજાનાની ખુશીઓમાં રહો જે હમણાં પણ છે અને સાથે
પણ ચાલશે. આ મકાન, કાર કે પૈસા સાથે નહીં ચાલશે પરંતુ આ અવિનાશી ખજાનો અનેક જન્મ
સાથે રહેશે. કોઈ છીનવી નથી શકતું, કોઈ લૂટી નથી શકતું. સ્વયં પણ અમર બની ગયાં અને
ખજાના પણ અવિનાશી મળી ગયાં! જન્મ-જન્મ આ શ્રેષ્ઠ પ્રાલબ્ધ સાથે રહેશે. કેટલું મોટું
ભાગ્ય છે! જ્યાં કોઈ ઇચ્છા નથી, ઈચ્છા માત્રમ્ અવિદ્યા છે - આવું શ્રેષ્ઠ ભાગ્ય
ભાગ્યવિધાતા બાપ દ્વારા પ્રાપ્ત થઈ ગયું.
(૨) પોતાને બાપનાં સમીપ રહેવા વાળી શ્રેષ્ઠ આત્માઓ અનુભવ કરો છો? બાપનાં બની ગયાં -
આ ખુશી સદા રહે છે? દુઃખની દુનિયાથી નીકળી સુખનાં સંસાર માં આવી ગયાં. દુનિયા દુઃખમાં
બુમો પાડી રહી છે અને તમે સુખનાં સંસાર માં, સુખનાં ઝૂલામાં ઝૂલી રહ્યાં છો. કેટલું
અંતર છે! દુનિયા શોધી રહી છે અને તમે મિલન મનાવી રહ્યાં છો. તો સદા પોતાની સર્વ
પ્રાપ્તિઓ ને જોઈ હર્ષિત રહો. શું- શું મળ્યું છે, તેની લિસ્ટ નીકાળો તો બહુ લાંબી
લિસ્ટ થઈ જશે. શું-શું મળ્યું? તન માં ખુશી મળી, તો તનની તંદુરસ્તી છે; મન માં શાંતિ
મળી, તો શાંતિ મનની વિશેષતા છે અને ધનમાં એટલી શક્તિ આવી જે દાળ-રોટલી ૩૬ પ્રકારનાં
સમાન અનુભવ થાય. ઈશ્વરીય યાદ માં દાળ-રોટલી પણ કેટલી શ્રેષ્ઠ લાગે છે! દુનિયાનાં ૩૬
પ્રકાર હોય અને તમારી દાળ-રોટલી હોય તો શ્રેષ્ઠ શું લાગશે? દાળ-રોટલી સારી છે ને
કારણ કે પ્રસાદ છે ને. જ્યારે ભોજન બનાવો છો તો યાદમાં બનાવો છો, યાદમાં ખાઓ છો તો
પ્રસાદ થઈ ગયો. પ્રસાદનું મહત્વ હોય છે. તમે બધાં રોજ પ્રસાદ ખાઓ છો. પ્રસાદમાં
કેટલી શક્તિ હોય છે! તો તન-મન-ધન બધામાં શક્તિ આવી ગઈ એટલે કહે છે - અપ્રાપ્ત નથી
કોઈ વસ્તુ બ્રાહ્મણો નાં ખજાનામાં. તો સદા આ પ્રાપ્તિઓ ને સામે રાખી ખુશ રહો,
હર્ષિત રહો, અચ્છા.
વરદાન :-
કર્મ દ્વારા
ગુણો નું દાન કરવાવાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ
જે બાળકો કર્મણા
દ્વારા ગુણો નું દાન કરે છે એમની ચલન અને ચહેરો બંનેવ ફરિશ્તા જેવાં દેખાઈ આવે છે.
તે ડબલ લાઈટ અર્થાત્ પ્રકાશમય અને હલકાપણા ની અનુભૂતિ કરે છે. એમને કોઈ પણ બોજ
મહેસૂસ નથી થતો. દરેક કર્મ માં મદદની મહેસૂસતા થાય છે. જેમ કોઈ શક્તિ ચલાવી રહી છે.
દરેક કર્મ દ્વારા મહાદાની બનવાનાં કારણે એમને સર્વનાં આશીર્વાદ અથવા સર્વનાં વરદાનો
ની પ્રાપ્તિ નો અનુભવ થાય છે.
સ્લોગન :-
સેવા માં સફળતા
નાં તારા બનો, કમજોર નહીં.