29-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ગ્રેટ
ગ્રેટ ગ્રાન્ડ ફાધર અર્થાત્ સર્વ ધર્મ પિતાઓનાં પણ આદિ પિતા છે પ્રજાપિતા બ્રહ્મા ,
જેમનાં ઓક્યુપેશન ( કર્તવ્ય ) ને આપ બાળકો જ જાણો છો ”
પ્રશ્ન :-
કર્મો ને
શ્રેષ્ઠ બનાવવાની યુક્તિ કઈ છે?
ઉત્તર :-
આ જન્મનું કોઈ પણ કર્મ બાપ થી છુપાવો નહીં, શ્રીમતનાં અનુસાર કર્મ કરો તો દરેક કર્મ
શ્રેષ્ઠ થશે. આખો આધાર કર્મોનાં ઉપર છે. જો કોઈ પાપ કર્મ કરીને છુપાવી લે તો તેનો
૧૦૦ ગુણા દંડ પડે, પાપ વૃદ્ધિને પામતું રહે, બાપ થી યોગ તૂટતો જાય. પછી આવું છુપાવવા
વાળાનું સત્યાનાશ થઈ જાય, એટલે સાચાં બાપની સાથે સાચાં રહો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકિલધા બાળકો આ તો સમજે છે આ જૂની દુનિયામાં હવે થોડા દિવસનાં આપણે મુસાફર છીએ.
દુનિયાનાં મનુષ્ય તો સમજે છે ૪૦ હજાર વર્ષ અહીંયા હજું રહેવાનું છે. આપ બાળકોને તો
નિશ્ચય છે ને. આ વાતો ભૂલો નહીં. અહીંયા બેઠા છો તો આપ બાળકોને અંદરમાં ખુબ ગદગદ થવું
જોઈએ. આ આંખો થી જે કાંઈ જુવો છો આ તો વિનાશ થવાનું છે. આત્મા તો અવિનાશી છે. આ પણ
બુદ્ધિમાં છે આપણે આત્માએ પૂરા ૮૪ જન્મ લીધાં છે, હવે બાપ આવ્યાંં છે લઈ જવા માટે.
જૂની દુનિયા જ્યારે પૂરી થાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયા બનાવવાં. નવી દુનિયા
થી જૂની, ફરી જૂની દુનિયાથી નવી દુનિયા, આ ચક્રનું તમારી બુદ્ધિ માં જ્ઞાન છે. અનેક
વખત આપણે આ ચક્ર લગાવ્યું છે. હવે આ ચક્ર પૂરું થાય છે. પછી નવી દુનિયામાં આપણે
થોડાક દેવતાઓ જ રહેશું. મનુષ્ય નહીં હશે. હમણાં આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં
છીએ. આ તો પાક્કો નિશ્ચય છે ને. બાકી કર્મો પર જ આખો આધાર છે. મનુષ્ય ઉલ્ટા કર્મ કરે
છે તો તે અંદર જરુર ખાય છે એટલે બાપ પૂછે છે આ જન્મમાં એવાં કોઈ પાપ તો નથી કર્યા?
આ છે છી-છી રાવણ રાજ્ય. આ પણ તમે સમજો છો. દુનિયા નથી જાણતી કે રાવણ કઈ વસ્તુ નું
નામ છે. બાપુજી કહેતા હતાં રામરાજ્ય જોઈએ, અર્થ સમજતાં નહોતાં. હવે બેહદનાં બાપ
સમજાવે છે રામરાજ્ય કયા પ્રકારનું હોય છે. આ તો ધુંધકારી દુનિયા છે. હવે બેહદનાં
બાપ બાળકોને વારસો આપી રહ્યાં છે. હવે તમે ભક્તિ નથી કરતાં. હમણાં બાપનો હાથ મળ્યો
છે. બાપનાં સહારા વગર તમે વિષય વૈતરણી નદીમાં ગોતા ખાતાં રહેતા હતાં, અડધોકલ્પ છે જ
ભક્તિ. જ્ઞાન મળવાથી તમે નવી દુનિયા સતયુગ માં ચાલ્યાં જાઓ છો. હવે આપ બાળકોને આ
નિશ્ચય છે - અમે બાબાને યાદ કરતા-કરતા પવિત્ર બની જઈશું, પછી પવિત્ર રાજ્ય માં આવશું.
આ જ્ઞાન પણ હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર તમને મળે છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ.
જ્યારે કે તમે છી-છી થી ગુલ-ગુલ, કાંટા થી ફૂલ બની રહ્યાં છો. કોણ બનાવે છે? બાપ.
બાપ ને જાણ્યાં છે. આપણી આત્માઓનાં એ બેહદનાં બાપ છે. લૌકિક બાપને બેહદનાં બાપ નહીં
કહેશું. પારલૌકિક બાપ આત્માઓનાં હિસાબ થી સર્વનાં બાપ છે. પછી બ્રહ્માનું પણ
ઓક્યુપેશન (કર્તવ્ય) જોઈએ ને. આપ બાળકો બધાનું ઓક્યુપેશન જાણી ચૂક્યાં છો. વિષ્ણુનાં
પણ ઓક્યુપેશન ને જાણો છો. કેટલાં સજાવેલાં છે. સ્વર્ગનાં માલિક છે ને. આ તો સંગમનાં
જ કહેશું. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન, એ પણ સંગમ માં આવે છે ને. બાપ સમજાવે છે
જૂની દુનિયા અને નવી દુનિયાનો આ સંગમ છે. પોકારે પણ છે - હેં પતિત-પાવન આવો. પાવન
દુનિયા છે નવી દુનિયા અને પતિત દુનિયા છે જૂની દુનિયા. આ પણ જાણો છો બેહદનાં બાપનો
પણ પાર્ટ છે. ક્રિયેટર, ડાયરેક્ટર છે ને. બધાં માને છે તો જરુર તેમની કોઈ તો
એક્ટિવિટી હશે ને! તેમને વ્યક્તિ નથી કહેવાતું, તેમને તો શરીર છે નહીં. બાકી બધાને
કાં તો મનુષ્ય કાં દેવતા કહેશે. શિવબાબા ને તો ન દેવતા, ન મનુષ્ય કહી શકાય, કારણ કે
એમને શરીર જ નથી. આ તો ટેમ્પરરી (અલ્પકાલીન) લીધું છે. સ્વયં કહે છે મીઠા-મીઠા બાળકો
ને હું શરીર વગર રાજયોગ કેવી રીતે શીખવાડું! મને મનુષ્યોએ ઠીકકર-ભિત્તર માં કહી દીધું
છે, પરંતુ હવે તો આપ બાળકો સમજો છો હું કેવી રીતે આવું છું! હમણાં તમે રાજયોગ શીખી
રહ્યાં છો. કોઈ મનુષ્ય તો શીખવાડી ન શકે. દેવતાઓ એ સતયુગી રાજાઈ કેવી રીતે લીધી?
જરુર પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખ્યાં હશે. તો આ સિમરણ કરી હવે આપ બાળકો ને
અથાહ ખુશી થવી જોઈએ. આપણે હવે ૮૪ નું ચક્ર પૂરુ કર્યું છે. બાપ કલ્પ-કલ્પ આવે છે.
બાપ સ્વયં કહે છે આ અનેક જન્મોનાં અંત નો જન્મ છે. શ્રી કૃષ્ણ જે પ્રિન્સ (રાજકુમાર)
હતાં સતયુગનાં, એ જ પછી ૮૪ નું ચક્ર લગાવે છે. તમે શિવનાં તો ૮૪ જન્મ બતાવશો નહીં.
તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. માયા ખુબ કઠોર છે, કોઈને પણ છોડતી
નથી. આ બાપ સારી રીતે જાણે છે. એવું નહીં સમજો બાપ કોઈ અંતર્યામી છે. ના, બધાની
એક્ટીવીટી થી જાણે છે. સમાચાર આવે છે - માયા એકદમ કાચાં પેટ માં નાખી દે છે. એવી ઘણી
વાતો આપ બાળકોને ખબર નથી પડતી, બાપને તો બધી ખબર પડે છે. મનુષ્ય પછી સમજે છે બાબા
અંતર્યામી છે. બાપ કહે છે હું અંતર્યામી નથી. દરેક ની ચલન થી બધી ખબર પડે છે. ખુબ
છી-છી ચલન ચાલે છે. બાપ બાળકોને ખબરદાર કરે છે. માયા થી સંભાળવાનું છે. માયા એવી છે
કોઈ ને કોઈ રુપ માં એકદમ હપ કરી લે છે. પછી ભલે બાપ સમજાવે છે તો પણ બુદ્ધિમાં નથી
બેસતું એટલે બાળકોએ ખુબ ખબરદાર રહેવાનું છે. કામ મહાશત્રુ છે. ખબર પણ ન પડે કે અમે
વિકારમાં ગયાં છીએ, એવું પણ થાય છે એટલે બાપ કહે છે કાંઈ પણ ભૂલ વગેરે થાય છે તો
સ્પષ્ટ બતાવો, છુપાવો નહીં. નહીં તો સૌ ગુણા પાપ થઈ જશે, જે અંદરમાં ખાતું રહેશે.
એકદમ નીચે પડશો. સાચાં બાપની સાથે બિલકુલ સાચાં રહેવું જોઈએ, નહીં તો ખુબ-ખુબ
નુકશાન છે. માયા આ સમયે તો ખુબ કઠોર છે. આ રાવણ ની દુનિયા છે. આપણે આ જુની દુનિયાને
યાદ જ કેમ કરીએ! આપણે તો નવી દુનિયા ને યાદ કરીએ, જ્યાં હવે જઈ રહ્યાં છીએ. બાપ નવું
મકાન બનાવે છે તો બાળકો સમજે છે ને અમારા માટે મકાન બની રહ્યાં છે. ખુશી રહે છે. આ
છે બેહદની વાત. આપણા માટે નવી દુનિયા સ્વર્ગ બની રહી છે. સ્વર્ગમાં જરુર મકાન પણ હશે
રહેવાનાં માટે. હવે આપણે નવી દુનિયામાં જવાવાળા છીએ. જેટલું બાપ ને યાદ કરશો એટલાં
ગુલ-ગુલ ફુલ બનશો. આપણે વિકારોનાં વશ કાંટા બની ગયાં હતાં. બાપ જાણે છે માયા અડધા
ને તો એકદમ ખાઈ જાય છે. તમે પણ સમજો છો જે નથી આવતાં તે તો માયા નાં વશ થઈ ગયાં છે
ને! બાપ ની પાસે તો આવતા નથી. આવી રીતે માયા અનેકોને હપ કરી લે છે. ખુબ સારા-સારા
કહીને જાય છે - અમે આવું કરશું, આ કરશું, અમે તો યજ્ઞનાં માટે પ્રાણ આપવા તૈયાર છીએ.
આજે તે છે નહીં, તમારી લડાઈ છે જ માયાની સાથે. દુનિયામાં આ કોઈ નથી જાણતું - માયાની
સાથે લડાઈ કેવી રીતે થાય છે. હમણાં આપ બાળકોને બાપે જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું
છે, જેનાથી તમે અંધકાર થી અજવાળા માં આવી ગયાં છો. આત્મા ને જ આ જ્ઞાન નેત્ર આપે છે
ત્યારે બાપ કહે છે સ્વયં ને તમે આત્મા સમજો. બેહદનાં બાપ ને યાદ કરો. ભક્તિ માં તમે
યાદ કરતા હતાં ને. કહેતાં પણ હતાં તમે આવશો તો બલિહાર જઈશું. કેવી રીતે બલિહાર જશો!
એ થોડી જાણતાં હતાં. હમણાં તમે સમજો છો અમે જેમ આત્મા છીએ તેમ બાપ પણ છે. બાપ નો છે
અલૌકિક જન્મ. આપ બાળકોને કેવી સારી રીતે ભણાવે છે! સ્વયં કહો છો આ તો એ જ બાપ છે જે
કલ્પ-કલ્પ અમારા બાપ બને છે. આપણે પણ બાબા-બાબા કહીએ છીએ, બાપ પણ બાળકો-બાળકો કહે
છે. એ જ શિક્ષકનાં રુપમાં રાજયોગ શીખવાડે છે. બીજા તો કોઈ રાજયોગ શીખવાડી ન શકે.
વિશ્વનાં તમને માલિક બનાવે છે તો એવાં બાપનાં બનીને પછી એ જ શિક્ષકની શિક્ષા પણ લેવી
જોઈએ ને. ખુશીમાં ગદ્દગદ્દ થવું જોઈએ. જો છી-છી બન્યાં તો પછી તે ખુશી આવશે નહીં.
ભલે કેટલું પણ માથું મારો પછી જેમ તે આપણા જાતિ ભાઈ નહીં. અહીંયા મનુષ્યોની કેટલી
સરનેમ (અટક) હોય છે. તમારી સરનેમ જુઓ કેટલી મોટી છે! આ છે મોટા થી મોટા ગ્રેટ-ગ્રેટ
ગ્રાન્ડ ફાધર બ્રહ્મા. તેમને કોઈ જાણતાં જ નથી. શિવબાબા ને તો સર્વવ્યાપી કહી દીધાં
છે. બ્રહ્માની પણ કોઈને ખબર નથી પડતી. ચિત્ર પણ છે બ્રહ્મા-વિષ્ણુ-શંકરનાં.
બ્રહ્માને સૂક્ષ્મવતન માં લઈ ગયાં છે. બાયોગ્રાફી (જીવનકહાની) કાંઈ નથી જાણતાં.
સૂક્ષ્મવતન માં બ્રહ્માને દેખાડે છે પછી પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવશે! ત્યાં
બાળકો એડોપ્ટ (દત્તક) કરશે શું! કોઈને પણ ખબર નથી. પ્રજાપિતા બ્રહ્મા કહે છે પરંતુ
બાયોગ્રાફી નથી જાણતાં. બાબાએ સમજાવ્યું છે આ મારો રથ છે. અનેક જન્મોનાં અંતમાં મેં
આ આધાર લીધો છે. આ પુરુષોત્તમ સંગમયુગ ગીતા નો એપિસોડ છે. પવિત્રતા પણ મુખ્ય છે.
પતિત થી પાવન બનવાનું કેવી રીતે છે, આ દુનિયામાં કોઈને પણ ખબર નથી. સાધુ-સંત વગેરે
ક્યારેય એવું કહેશે નહીં કે દેહ સહિત બધાને ભૂલો. એક બાપ ને યાદ કરો તો માયા નાં
પાપ કર્મ બધાં ભસ્મ થઈ જશે. કોઈ ગુરુ એવું ક્યારેય નહીં કહેશે.
બાપ સમજાવે છે - આ બ્રહ્મા કેવી રીતે બને છે? નાનપણ માં ગામડા નો છોકરો હતાં. ચૌરાસી
જન્મ લીધાં છે, પહેલાં થી લઈને છેલ્લાં સુધી. તો નવી દુનિયા થી પછી જૂની થઈ જાય છે.
હમણાં આપ બાળકોની બુદ્ધિ નું તાળું ખોલ્યું છે. તમે સમજી શકો છો, ધારણા કરી શકો છો.
હમણાં તમે બુદ્ધિમાન બન્યાં છો. પહેલાં બુદ્ધિહીન હતાં. આ લક્ષ્મી-નારાયણ બુદ્ધિવાન
છે અને અહીંયા બુદ્ધિહીન છે. સામે જુઓ આ પેરેડાઇઝ (વૈકુંઠ) નાં માલિક છે ને. કૃષ્ણ
સ્વર્ગનાં માલિક હતાં પછી ગામડાનો છોકરો બન્યાં છે. આપ બાળકોએ આ ધારણ કરી પછી
પવિત્ર પણ જરુર બનવાનું છે. મુખ્ય છે જ પવિત્રતા ની વાત. લખે પણ છે - બાબા, માયા એ
અમને પાડી દીધાં. આંખો ક્રિમિનલ બની ગઈ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. બસ હવે ઘરે
તો જવાનું છે. બાપ ને યાદ કરવાનાં છે. થોડા સમય માટે, શરીર નિર્વાહ માટે કર્મ કરી
પછી આપણે ચાલ્યાં જઈએ છીએ. આ જૂની દુનિયાનાં વિનાશ માટે લડાઈ પણ લાગે છે. આ પણ તમે
જોજો - કેવી રીતે લાગે છે? બુદ્ધિથી સમજો છો આપણે દેવતા બનીએ છીએ તો આપણને નવી
દુનિયા પણ જોઈએ એટલે વિનાશ જરુર થશે. આપણે પોતાની નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છીએ
શ્રીમત પર.
બાપ કહે છે - હું તમારી સેવામાં ઉપસ્થિત થાઉં છું. તમે માંગણી કરી છે કે અમને પતિતો
ને આવીને પાવન બનાવો તો તમારા કહેવાથી હું આવ્યો છું, તમને રસ્તો બતાવું છું ખુબ
સહજ. મનમનાભવ. ભગવાનુવાચ છે ને, ફક્ત કૃષ્ણનું નામ આપી દીધું છે. બાપનાં પછી છે
કૃષ્ણ. આ પરમધામનાં માલિક. તે વિશ્વનાં માલિક. સૂક્ષ્મવતન માં તો કંઈ હોતું જ નથી.
બધાથી નંબરવન છે શ્રીકૃષ્ણ, જેમને ખુબ પ્રેમ કરે છે. બાકી તો પાછળ-પાછળ આવ્યાંં છે.
સ્વર્ગમાં તો બધાં જઈ ન શકે. તો મીઠા-મીઠા બાળકો ને હડ્ડી ખુશી રહેવી જોઈએ.
આર્ટિફિશિયલ (બનાવટી) ખુશી ચાલી ન શકે. બહાર થી જાત-જાતનાં બાળકો બાબાની પાસે આવતા
હતાં, ક્યારેય પવિત્ર નહોતા રહેતાં. બાબા સમજાવતા હતાં વિકારમાં જાઓ છો તો પછી આવો
જ કેમ છો, કહેતા હતાં - શું કરીએ, રહી નથી શકતાં. રોજ આવું છું, ખબર નહિં ક્યારેય
કોઈ એવું તીર લાગી જાય. તમારા વગર સદ્દગતિ કોણ કરશે. આવીને બેસી જતા હતાં. માયા ખુબ
પ્રબળ છે. નિશ્ચય પણ હોય છે - બાબા અમને પતિત થી પાવન ગુલ-ગુલ બનાવે છે. પરંતુ શું
કરે, છતાં પણ સાચું તો બોલતા હતાં - હવે જરુર તે સુધરી ગયાં હશે. તેમને આ નિશ્ચય હતો
- આમનાં દ્વારા જ અમે સુધરશું.
આ સમય કેટલાં એક્ટર્સ છે. એક નાં ફિચર્સ (ગુણ) ન મળે બીજા થી. ફરી કલ્પ બાદ એવાં જ
ફિચર્સ થી પાર્ટ રિપીટ કરશે. આત્માઓ તો બધી ફિક્સ છે ને. બધાં એક્ટર્સ બિલકુલ
એક્યુરેટ પાર્ટ ભજવતાં રહે છે. કાંઈ પણ ફરક થઇ નથી શકતો. બધી આત્માઓ અવિનાશી છે.
તેમનો પાર્ટ પણ અવિનાશી નોંધાયેલો છે. કેટલી સમજાવવાની વાતો છે. કેટલું સમજાવે છે
છતાં પણ ભૂલી જાય છે. સમજાવી નથી શકતાં. આ પણ ડ્રામામાં થવાનું છે. દર કલ્પ રાજાઈ
તો સ્થાપન થાય જ છે. સતયુગમાં આવે જ થોડાં છે - તે પણ નંબરવાર. અહીંયા પણ નંબરવાર
છે ને. એક નો પાર્ટ એક જ જાણે, બીજા કોઈ જાણી નથી શકતાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં બાપની
સાથે સદા સાચાં રહેવાનું છે. બાપ પર પર પૂરે-પૂરું બલિહાર જવાનું છે.
2. જ્ઞાન ને ધારણા કરી બુદ્ધિવાન બનવાનું છે. અંતર થી હડ્ડી (જીગરી) ખુશી માં
રહેવાનું છે. કોઈ પણ શ્રીમત નાં વિરુદ્ધ કામ કરીને ખુશી ગુમ નથી કરવાની.
વરદાન :-
જ્ઞાન ની
ગુહ્ય વાતો ને સાંભળીને તેને સ્વરુપ માં લાવવા વાળા જ્ઞાની તૂ આત્મા ભવ
જ્ઞાની તૂ આત્માઓ
દરેક વાતનાં સ્વરુપનો અનુભવ કરે છે. જેમ સાંભળવું સારું લાગે છે, ગુહ્ય પણ લાગે છે
પરંતુ સાંભળવાની સાથે-સાથે સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું - આનો પણ અભ્યાસ હોવો જોઈએ.
હું આત્મા નિરાકાર છું - આ વારંવાર સાંભળો છો પરંતુ નિરાકાર સ્થિતિ નાં અનુભવી બનીને
સાંભળો. જેવી પોઇન્ટ (વાત) તેવો અનુભવ. આનાથી શુદ્ધ સંકલ્પો નો ખજાનો જમા થતો જશે
અને બુદ્ધિ એમાં વ્યસ્ત હશે તો વ્યર્થ સંકલ્પો થી સહજ કિનારો થઈ જશે.
સ્લોગન :-
નોલેજ તથા
અનુભવ ની ડબલ ઓથોરિટી વાળા જ મસ્ત ફકીર રમતા યોગી છે.