31-01-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.10.87    બાપદાદા મધુબન


“ ચાર વાતો થી ન્યારા બનો ”
 


આજે બાપદાદા પોતાનાં સર્વ કમળ-આસનધારી શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યાં છે. કમળ-આસન, બ્રાહ્મણ આત્માઓની શ્રેષ્ઠ સ્થિતિની નિશાની છે. આસન સ્થિત થવાનું (બેસવાનું) સાધન છે. બ્રાહ્મણ આત્માઓ કમળ-સ્થિતિ માં સ્થિત રહે છે, એટલે કમળ-આસનધારી કહેવાય છે. જેમ બ્રાહ્મણ સો દેવતા બનો છો, એમ આસનધારી સો સિંહાસનધારી બને છે, જેટલો સમય લાંબોકાળ અથવા અલ્પકાળ કમળ આસનધારી બને છે એટલા જ લાંબાકાળ અથવા અલ્પકાળ રાજ્ય સિંહાસનધારી બને છે. કમળ-આસન વિશેષ બ્રહ્મા બાપ સમાન અતિ ન્યારી અને અતિ પ્યારી સ્થિતિનું સિમ્બોલ (ચિન્હ) છે. આપ બ્રાહ્મણ બાળકો ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરવા વાળા છો, એટલે બાપ સમાન કમળ-આસનધારી છો. અતિ ન્યારાની નિશાની છે - તે બાપ અને સર્વ પરિવાર નાં અતિ પ્યારા બનશે. ન્યારાપન અર્થાત્ ચારો બાજુ થી ન્યારા.

(૧) પોતાનાં દેહ ભાન થી ન્યારા. જેમ સાધારણ દુનિયાવી આત્માઓને ચાલતાં-ફરતાં, દરેક કર્મ કરતાં સ્વતઃ અને સદા દેહનું ભાન રહે જ છે, મહેનત નથી કરતાં કે હું દેહ છું, ન ઇચ્છતાં પણ સહજ સ્મૃતિ રહે જ છે. એમ કમળ-આસનધારી બ્રાહ્મણ આત્માઓ પણ આ દેહભાન થી સ્વતઃ જ એવાં ન્યારા રહે છે જેમ અજ્ઞાની આત્મ-અભિમાન થી ન્યારા છે. છે જ આત્મ-અભિમાની. શરીર નું ભાન પોતાનાં તરફ આકર્ષિત ન કરે. જેમ બ્રહ્મા બાપ ને જોયાં, ચાલતાં-ફરતાં ફરિશ્તા-રુપ કે દેવતા-રુપ સ્વતઃ સ્મૃતિ માં રહ્યું. એમ નેચરલ દેહી-અભિમાની સ્થિતિ સદા રહે - આને કહેવાય છે દેહભાન થી ન્યારા. દેહભાન થી ન્યારા જ પરમાત્મ-પ્યારા બની જાય છે.

(૨) આ દેહ નાં જે સર્વ સંબંધ છે, દૃષ્ટિ થી, વૃત્તિ થી, કૃતિ થી - તે બધાથી ન્યારા. દેહ નો સંબંધ જોતાં પણ સ્વતઃ જ આત્મિક, દેહી સંબંધ સ્મૃતિ માં રહે એટલે દિવાળી નાં પછી ભાઈબીજ મનાવી ને. જ્યારે ચમકતો તારો અથવા જગમગતો અવિનાશી દીપક બની જાઓ છો, તો ભાઈ-ભાઈ નો સબંધ થઈ જાય છે. આત્માનાં નાતે ભાઈ-ભાઈ નો સબંધ અને સાકાર બ્રહ્માવંશી બ્રાહ્મણ બનવાનાં નાતા થી બહેન-ભાઈ નો શ્રેષ્ઠ શુદ્ધ સંબંધ સ્વતઃ જ સ્મૃતિ માં રહે છે. તો ન્યારાપણું અર્થાત્ દેહ અને દેહ નાં સંબંધ થી ન્યારા.

(૩) દેહ નાં વિનાશી પદાર્થો માં પણ ન્યારાપણું. જો કોઇ પદાર્થ કોઈ પણ કર્મેન્દ્રિય ને વિચલિત કરે છે અર્થાત્ આસક્તિ-ભાવ ઉત્પન્ન થાય છે તો તે ન્યારાપણું નથી રહેતું. સબંધ થી ન્યારા તો પણ સહજ થઈ જાય પરંતુ સર્વ પદાર્થો ની આસક્તિ થી ન્યારા - ‘અનાસક્ત’ બનવામાં રોયલ રુપની આસક્તિ રહી જાય છે. સંભળાવ્યું હતું ને કે આસક્તિ નું સ્પષ્ટ રુપ ઈચ્છા છે. આ જ ઈચ્છા નું સૂક્ષ્મ, મહીન રુપ છે - સારું લાગવું. ઈચ્છા નથી પરંતુ સારું લાગે છે - આ સુક્ષ્મ રુપ ‘સારું (અચ્છા)’ નાં બદલે ‘ઈચ્છા’ નું રુપ પણ લઈ શકે છે. તો આની સારી રીતે તપાસ કરો કે આ પદાર્થ અર્થાત્ અલ્પકાળ સુખ નાં સાધન આકર્ષિત તો નથી કરતાં? કોઈ પણ સાધન સમય પર પ્રાપ્ત ન થાય તો સહજ સાધના અર્થાત્ સહજયોગ ની સ્થિતિ ડગમગ તો નથી થતી? કોઈ પણ સાધન નાં વશ, આદત થી મજબૂર તો નથી થતાં? કારણ કે આ સર્વ પ્રદાર્થ અર્થાત્ સાધન પ્રકૃતિનાં સાધન છે. તો આપ પ્રકૃતિજીત અર્થાત્ પ્રકૃતિનાં આધાર થી ન્યારા કમળ-આસનધારી બ્રાહ્મણ છો. માયાજીત ની સાથે-સાથે પ્રકૃતિજીત પણ બનો છો. જેવાં માયાજીત બનો છો, તો માયા વારંવાર ભિન્ન-ભિન્ન રુપો માં કોશિશ કરે છે કે મારા સાથી માયાજીત બની રહ્યાં છે, તો ભિન્ન-ભિન્ન પેપર (પરીક્ષા) લે છે. પ્રકૃતિનું પેપર છે - સાધનો દ્વારા આપ સૌને હલચલ માં લાવવાં. જેમ - પાણી. હમણાં આ કોઈ મોટું પેપર નથી આવ્યું. પરંતુ પાણી થી બનેલાં સાધન, અગ્નિ દ્વારા બનેલાં સાધન, એમ દરેક પ્રકૃતિનાં તત્વો દ્વારા બનેલાં સાધન મનુષ્ય આત્માઓનાં જીવનનાં અલ્પકાળનાં સુખનો આધાર છે. તો આ બધાં તત્વ પેપર લેશે. હમણાં તો ફક્ત પાણી ની કમી થઈ છે પરંતુ પાણી દ્વારા બનેલાં પદાર્થ જ્યારે પ્રાપ્ત થશે નહીં તો સાચું પેપર તે સમય હશે. આ પ્રકૃતિ દ્વારા પેપર પણ સમય પ્રમાણે આવવાનાં જ છે એટલે, દેહનાં પદાર્થોની આસક્તિ અથવા આધાર થી પણ નિરાધાર ‘અનાસક્ત’ થવાનું છે. હમણાં તો બધાં સાધન સારી રીતે થી પ્રાપ્ત છે. કોઈ કમી નથી. પરંતુ સાધનોનાં હોતાં, સાધનો ને પ્રયોગમાં લાવતાં, યોગ ની સ્થિતિ ડગમગ ન થાય. યોગી બની પ્રયોગ કરવો - આને કહેવાય છે ન્યારા. છે જ કાંઈ નહીં, તો તેને ન્યારા નહીં કહેશું. હોવા છતાં નિમિત્ત-માત્ર, અનાસક્ત રુપ થી પ્રયોગ કરવો; ઈચ્છા અથવા સારા હોવાનાં કારણે યુઝ ન કરવું - આ ચેકિંગ જરુર કરો. જ્યાં ઈચ્છા હશે, પછી ભલે કેટલી પણ મહેનત કરશે પરંતુ ઈચ્છા, સારા બનવાં નહીં દેશે. પેપર નાં સમયે મહેનત કરવામાં જ સમય વીતી જશે. તમે સાધનો માં રહેવાનો પ્રયત્ન કરશો અને સાધન પોતાનાં તરફ આકર્ષિત કરશે. તમે યુદ્ધ કરી, મહેનત કરી સાધનોનાં આકર્ષણ ને મિટાવવાનો પ્રયત્ન કરતાં રહેશો તો યુદ્ધની ખેંચ-તાણ માં જ પેપર નો સમય વીતી જશે. પરિણામ શું થયું? પ્રયોગ કરવા વાળા સાધને સહજયોગી સ્થિતિ થી ડગમગ કરી દીધાં ને. પ્રકૃતિનાં પેપર તો હજું તીવ્ર રફતાર થી આવવાનાં છે એટલે, પહેલાં થી જ પદાર્થોનાં વિશેષ આધાર - ખાવું, પીવું, પહેરવું, રહેવું અને સંપર્ક માં આવવું - આ બધાની તપાસ કરો કે કોઈ પણ વાત સુક્ષ્મ રુપમાં પણ વિઘ્ન-રુપ તો નથી બનતી? આ હમણાં થી કોશિશ કરો. જે સમયે પેપર આવશે તે સમયે કોશિશ નહીં કરતાં, નહીં તો નપાસ થવાની માર્જિન છે.

યોગ-સ્થિતિ અર્થાત્ પ્રયોગ કરતાં ન્યારી સ્થિતિ. સહજયોગ ની સાધના સાધનોનાં ઉપર અર્થાત્ પ્રકૃતિનાં ઉપર વિજયી થાય. એવું ન થાય તેનાં વગર તો ચાલી શકે પરંતુ આનાં વગર રહી નથી શકતાં, એટલે ડગમગ સ્થિતિ થઈ ગઈ…. આને પણ ન્યારું જીવન નહીં કહેશું. એવી સિદ્ધિ ને પ્રાપ્ત કરો જે તમારી સિદ્ધિ દ્વારા અપ્રાપ્તિ પણ પ્રાપ્તિ નો અનુભવ કરાવે. જેમ સ્થાપનાનાં આરંભ માં આસક્તિ છે કે નહીં, તેની કોશિશનાં વચ-વચ માં જાણી જોઈને પ્રોગ્રામ રાખતાં રહયાં. જેમ, ૧૫ દિવસ ફક્ત ઢોઢા અને છાશ ખવડાવી, ઘઉં હોવા છતાં પણ આ કોશિશ કરાવડાવી. કેવાં પણ બીમાર ૧૫ દિવસ આ જ ભોજન પર ચાલ્યાં. કોઈ પણ બીમાર ન થયાં. દમા ની તકલીફ વાળા પણ ઠીક થઇ ગયાં ને. નશો હતો કે બાપદાદાએ પ્રોગ્રામ આપ્યો છે! જ્યારે ભક્તિમાં કહે છે ‘વિષ પણ અમૃત થઈ ગયું’ આ તો છાશ હતી! નિશ્ચય અને નશો દરેક પરિસ્થિતિમાં વિજયી બનાવી દે છે. તો એવાં પેપર પણ આવશે - સૂકી રોટલી પણ ખાવી પડશે. હમણાં તો સાધન છે. કહેશે - દાંત નથી ચાલતાં, હજમ નથી થતું. પરંતુ તે સમયે શું કરશો? જ્યારે નિશ્ચય, નશો, યોગ ની સિદ્ધિની શક્તિ હોય છે તો સૂકી રોટલી પણ નરમ રોટલી નું કામ કરશે, હેરાન નહીં કરશે. તમે સિદ્ધિ-સ્વરુપ ની શાન માં છો તો કોઈ પણ હેરાન નથી કરી શકતું. જ્યારે હઠયોગીયો ની આગળ સિંહ, બિલાડી બની જાય, સાપ, રમકડું બની જાય, તો આપ સહજ રાજયોગી, સિદ્ધિ-સ્વરુપ આત્માઓનાં માટે આ બધું કોઈ મોટી વાત નથી. છે તો આરામ થી યુઝ કરો (વાપરો) પરંતુ સમય પર દગો ન આપે - આ ચેક કરો. પરિસ્થિતિ, સ્થિતિ ને નીચે ન લઈ આવે. દેહનાં સંબંધ થી ન્યારા થવું સહજ છે પરંતુ દેહનાં પદાર્થો થી ન્યારા થવું - આમાં ખુબ સારું અટેન્શન (ધ્યાન) જોઈએ.

(૪) જૂના સ્વભાવ, સંસ્કાર થી ન્યારા બનવાનું છે. જૂનાં દેહનાં સ્વભાવ અને સંસ્કાર પણ ખુબ કડક છે. માયાજીત બનવામાં આ પણ ખુબ વિઘ્ન-રુપ બને છે. ઘણી વખત બાપદાદા જુએ છે - જૂનાં સ્વભાવ, સંસ્કાર રુપી સાપ ખતમ પણ થઇ જાય પરંતુ રેખા રહી જાય તો સમય આવવા પર વારંવાર દગો આપી દે છે. આ કડક સ્વભાવ અને સંસ્કાર ઘણી વખત એટલાં માયાનાં વશીભૂત બનાવી દે છે જે ખોટા ને ખોટું સમજતાં જ નથી. ‘મહેસૂસતા-શક્તિ’ સમાપ્ત થઈ જાય છે. આનાથી ન્યારા થવું - આની પણ ચેકિંગ સારી રીતે જોઈએ. જ્યારે મહેસૂસતા-શક્તિ સમાપ્ત થઈ જાય છે તો વધારે જ એક જુઠ્ઠાની પાછળ હજાર જુઠ્ઠ પોતાની વાત ને સિદ્ધ કરવા માટે બોલવા પડે છે. એટલાં પરવશ થઈ જાય છે! પોતાને સત્ય સિદ્ધ કરવું - આ પણ જૂનાં સંસ્કારનાં વશીભૂતની નિશાની છે. એક છે યથાર્થ વાત સ્પષ્ટ કરવી, બીજું છે પોતાની જિદ્દ થી સિદ્ધ કરવું. તો જિદ્દ થી સિદ્ધ કરવા વાળા ક્યારેય સિદ્ધિ-સ્વરુપ નથી બની શકતાં. આ પણ ચેક કરો કે કોઈ પણ જૂનાં સ્વભાવ, સંસ્કાર અંશમાત્ર પણ છુપાયેલાં રુપમાં રહેલાં તો નથી? સમજ્યાં?

આ ચારેય જ વાતો થી ન્યારા જે છે તેમને કહેશું બાપ નાં પ્યારા, પરિવાર નાં પ્યારા. એવાં કમળ-આસનધારી બન્યાં છો? આને જ કહેશું ફોલો ફાધર. બ્રહ્મા બાપ પણ કમળ-આસનધારી બન્યાં ત્યારે નંબરવન બાપનાં પ્યારા બન્યાં, બ્રાહ્મણોનાં પ્યારા બન્યાં. ભલે વ્યક્ત રુપ માં, ભલે હમણાં અવ્યક્ત રુપ માં. હમણાં પણ દરેક બ્રાહ્મણનાં દિલથી શું નીકળે છે? અમારા બ્રહ્મા બાબા. એવું નથી અનુભવ કરતાં કે અમે તો સાકાર માં જોયાં નથી. પરંતુ નયનો થી જોયાં નથી, દિલ થી જોયાં, બુદ્ધિનાં દિવ્ય નેત્રો દ્વારા જોયાં, અનુભવ કર્યા એટલે, દરેક બ્રાહ્મણ દિલથી કહે - “મારા બ્રહ્મા બાબા’’. આ પ્યારાપણા ની નિશાની છે. ચારેય બાજુનાં ન્યારાપણાએ વિશ્વનાં પ્યારા બનાવી દીધાં. તો એવાં જ ચારે બાજુનાં ન્યારા અને સર્વનાં પ્યારા બનો. સમજ્યાં?

ગુજરાત સમીપ રહે છે, તો ફોલો કરવામાં પણ સમીપ છે. સ્થાન અને સ્થિતિ બંનેમાં સમીપ બનવું - આ જ વિશેષતા છે. બાપદાદા તો સદા બાળકોને જોઈ હર્ષિત થાય છે. અચ્છા.

ચારે બાજુનાં કમળ-આસનધારી, ન્યારા અને બાપનાં પ્યારા બાળકો ને, સદા માયાજીત, પ્રકૃતિજીત વિશેષ આત્માઓ ને, સદા ફોલો ફાધર કરવા વાળા વફાદાર બાળકો ને બાપદાદાનાં સ્નેહ સમ્પન્ન યાદપ્યાર અને નમસ્તે.

મધુબન માં આવેલાં સેવાધારી ભાઈ બહેનો થી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત :-
જેટલો સમય મધુબનમાં સેવા કરી, એટલો સમય નિરંતર યોગનો અનુભવ કર્યો? યોગ તુટ્યો તો નહીં? મધુબનમાં સેવાધારી બનવું અર્થાત્ નિરંતર યોગી, સહજયોગી નાં અનુભવી બનવું. આ થોડા સમયનો અનુભવ પણ સદા યાદ રહેશે ને. જ્યારે પણ કોઇ પરિસ્થિતિ આવે તો મન થી મધુબન માં પહોંચી જજો. તો મધુબન નિવાસી બનવાથી પરિસ્થિતિ અથવા સમસ્યા ખતમ થઈ જશે અને તમે સહજયોગી બની જશો. સદૈવ પોતાનાં આ અનુભવ ને સાથે રાખજો. તો અનુભવ યાદ કરવાથી શક્તિ આવી જશે. સેવા નો મેવો અવિનાશી છે. અચ્છા. આ ચાન્સ મળવો પણ ઓછું નથી, ખુબ મોટો ચાન્સ (તક) મળ્યો છે.

સેવાધારી અર્થાત્ સદા બાપ સમાન નિમિત્ત બનવા વાળા, નિર્માણ રહેવા વાળા. નિર્માણતા જ સૌથી શ્રેષ્ઠ સફળતાનું સાધન છે. કોઈ પણ સેવામાં સફળતાનું સાધન નમ્રતા ભાવ છે, નિમિત્ત ભાવ છે. તો આ જ વિશેષતાઓથી સેવા કરી? એવી સેવામાં સદા સફળતા પણ છે અને સદા મોજ છે. સંગમયુગ ની મોજ મનાવી, એટલે સેવા, સેવા ન લાગી. જેમ કોઈ મલ્લયુદ્ધ કરે છે તો પોતાની મોજ થી રમત સમજીને કરે છે. આમાં થકાવટ કે દર્દ નથી થતું કારણ કે મનોરંજન સમજીને કરે છે, મોજ મનાવવા માટે કરે છે. આમ જ જો સાચાં સેવાધારી ની વિશેષતા થી સેવા કરો છો તો ક્યારેય થકાવટ નથી થઈ શકતી. સમજ્યાં? સદા એવું જ લાગશે જેમ સેવા નહીં પરંતુ રમત રમી રહ્યાં છીએ. તો કોઈ પણ સેવા મળે, આ બે વિશેષતાઓથી સફળતા ને પામતાં રહેજો. આનાથી સદા સફળતા-સ્વરુપ બની જશો. અચ્છા.

૨- સાચ્ચી તપસ્યા સદા માટે સાચું સોનું બનાવી દે છે. જેમાં જરા પણ મિક્સ (મિલાવટ) નથી. તપસ્યા સદા દરેક ને એવાં યોગ્ય બનાવે છે જે પ્રવૃત્તિમાં પણ સફળ અને પ્રાલબ્ધ પ્રાપ્ત કરવામાં પણ સફળ. એવાં તપસ્વી બન્યાં છો? તપસ્યા કરવા વાળા ને રાજયોગી કહે છે. તો તમે બધાં રાજયોગી છો. ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ થી વિચલિત થવાવાળા તો નથી? તો સદા પોતાને આ જ રીતે ચેક કરો અને ચેક કર્યા પછી ચેન્જ (પરિવર્તન) કરો. ફક્ત ચેક કરવાથી પણ દિલશિકસ્ત થઈ જશો, વિચારશો કે અમારામાં આ પણ કમી છે, આ પણ છે, ખબર નહીં ઠીક થશે કે નહીં. તો ચેક પણ કરો અને ચેક ની સાથે ચેન્જ પણ કરો. સમજો, કમજોર બની ગયાં, સમય ચાલ્યો ગયો, પરંતુ સમય પ્રમાણે કર્તવ્ય કરવા વાળા ની સદા વિજય થાય છે. તો બધાં સદા વિજયી, શ્રેષ્ઠ આત્માઓ છો? બધાં શ્રેષ્ઠ છો કે નંબરવાર? જો નંબર પૂછે કે કયા નંબર વાળા છો તો બધાં નંબરવન કહેશે. પરંતુ તે નંબર કેટલાં હશે? એક કે અનેક? ફર્સ્ટ (પહેલાં) નંબર તો બધાં નહીં બનશે પરંતુ ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં તો આવી શકે છે. ફર્સ્ટ નંબર એક હશે પરંતુ ફર્સ્ટ ડિવિઝનમાં તો ઘણાં આવશે એટલે ફર્સ્ટ નંબર બની શકો છો. રાજગાદી પર એક બેસશે પરંતુ બીજા પણ સાથી તો હશે ને. તો રોયલ ફેમિલી માં આવવું પણ રાજ્ય અધિકારી બનવું છે. તો ફર્સ્ટ ડિવિઝન અર્થાત્ નંબરવન માં આવવાનો પુરુષાર્થ કરો. હમણાં સુધી કોઈ પણ સીટ, સિવાય બે-ત્રણ નાં ફિક્સ નથી થઈ. હમણાં જે ઈચ્છે, જેટલો પુરુષાર્થ કરવા ઈચ્છે કરી શકે છે. બાપદાદાએ સંભળાવ્યું હતું કે હમણાં લેટ (મોડું) થયું છે પરંતુ ટૂ લેટ (ખુબ મોડું) નથી થયું એટલે બધાને આગળ વધવાનો ચાન્સ છે. વિન કરી વન માં આવવાનો નો ચાન્સ છે. તો સદૈવ ઉમંગ-ઉત્સાહ રહે. એવું નહીં - ચલો કોઈપણ નંબરવન બને, હું નંબર બે માં પણ ઠીક છું. આને કહેવાય છે કમજોર પુરુષાર્થ. તમે બધાં તો તીવ્ર પુરુષાર્થી છો ને? અચ્છા.

વરદાન :-
સમજદાર બની ત્રણ પ્રકાર ની સેવા સાથે - સાથે કરવા વાળા સફળતામૂર્ત ભવ

વર્તમાન સમયનાં પ્રમાણે મન્સા-વાચા અને કર્મણા ત્રણેય પ્રકાર ની સેવા સાથે-સાથે જોઈએ. વાણી અને કર્મ ની સાથે મન્સા શુભ સંકલ્પ અથવા શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા સેવા કરતાં રહો તો ફળ ફળીભૂત થઇ જશે કારણ કે વાણીમાં શક્તિ ત્યારે આવે છે જ્યારે મન્સા શક્તિશાળી હોય, નહીં તો બોલવા વાળા પંડિત સમાન થઈ જાય કારણ કે પોપટ માફક વાંચીને રિપીટ કરે છે. જ્ઞાની અર્થાત્ સમજદાર ત્રણેય પ્રકારની સેવા સાથે-સાથે કરે અને સફળતા નું વરદાન પ્રાપ્ત કરી લે છે.

સ્લોગન :-
પોતાનાં બોલ, કર્મ અને દૃષ્ટિ થી શાંતિ, શક્તિ અને ખુશી નો અનુભવ કરાવવો જ મહાન આત્માઓની મહાનતા છે.