30-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
યાદ ની યાત્રા બિલકુલ જ ગુપ્ત છે , આપ બાળકો હમણાં મુક્તિ ધામ માં જવાની યાત્રા કરી
રહ્યાં છો ”
પ્રશ્ન :-
સ્થૂળવતનવાસી
થી સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બનવાનો પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બનવું છે તો રુહાની સર્વિસ (સેવા) માં હડ્ડી-હડ્ડી સ્વાહા
કરો. હડ્ડી સ્વાહા કર્યા વગર ફરિશ્તા બની ન શકાય કારણકે ફરિશ્તા હડ્ડી માસ વગરનાં
હોય છે. આ બેહદની સેવામાં દધિચી ઋષિ ની જેમ હડ્ડી-હડ્ડી લગાવાની છે, ત્યારે વ્યક્ત
થી અવ્યક્ત બનશો.
ગીત :-
ધીરજ ધર મનુવા …
ઓમ શાંતિ!
બાળકો ને આ
ગીત થી ઈશારો મળ્યો કે ધીરજ ધરો. બાળકો જાણે છે અમે શ્રીમત પર પુરુષાર્થ કરી રહ્યાં
છીએ અને જાણે છે કે અમે આ ગુપ્ત યોગની યાત્રા પર છીએ. તે યાત્રા પોતાનાં સમય પર પૂરી
થવાની છે. મુખ્ય છે જ આ યાત્રા, જેને તમારા સિવાય બીજું કોઈ પણ નથી જાણતું. યાત્રા
પર જવાનું છે જરુર અને લઈ જવાવાળા પન્ડા પણ જોઈએ. આનું નામ જ રાખેલું છે પાંડવ સેના.
હમણાં યાત્રા પર છીએ. સ્થૂળ લડાઈ ની કોઈ વાત નથી. દરેક વાત ગુપ્ત છે. યાત્રા પણ ખુબ
ગુપ્ત છે. શાસ્ત્રો માં પણ છે - બાપ કહે છે મને યાદ કરો તો મારી પાસે આવીને પહોંચશો.
આ યાત્રા તો થઈ ને. બાપ બધાં શાસ્ત્રો નો સાર બતાવે છે. પ્રેક્ટિકલ માં એક્ટ (કર્મ)
માં લઈ આવે છે. આપણે આત્માઓએ યાત્રા પર જવાનું છે પોતાનાં નિર્વાણધામ. વિચાર કરો તો
સમજી શકો છો. આ છે મુક્તિધામ ની સાચ્ચી યાત્રા. બધાં જ ઈચ્છે છે અમે મુક્તિધામ માં
જઈએ. આ યાત્રા કરવા માટે કોઈ મુક્તિધામ નો રસ્તો બતાવે. પરંતુ બાપ તો પોતાનાં સમય
પર પોતે જ આવે છે, જે સમય ને કોઈ નથી જાણતું. બાપ આવી ને સમજાવે છે તો બાળકો ને
નિશ્ચય થાય છે. બરાબર આ સાચ્ચી યાત્રા છે જે ગવાયેલી છે. ભગવાને આ યાત્રા શીખવાડી
હતી. મનમનાભવ, મધ્યાજીભવ. આ અક્ષર પણ તમારા ખુબ કામના છે. ફક્ત કોણે કહ્યાં? આ ભૂલ
કરી દીધી છે. કહે છે દેહ સહિત દેહનાં બધાં સંબંધો ને ભૂલી જાઓ. આમને (બ્રહ્મા બાબા
ને) પણ દેહ છે. આમને પણ સમજાવવા વાળા બીજા છે, જેને પોતાનું દેહ નથી એ બાપ છે
વિચિત્ર, એમનું કોઈ ચિત્ર નથી, બીજા તો બધાનાં ચિત્ર છે. આખી દુનિયા ચિત્રશાળા છે.
વિચિત્ર અને ચિત્ર અર્થાત્ જીવ અને આત્માનું આ મનુષ્ય સ્વરુપ માં બનેલું છે. તો એ
બાપ છે વિચિત્ર. સમજાવે છે મારે આ ચિત્ર નો આધાર લેવો પડે છે. બરાબર શાસ્ત્રોમાં છે
ભગવાને કહ્યું હતું જ્યારે કે મહાભારત લડાઈ પણ લાગી હતી. રાજયોગ શીખવાડતા હતાં,
જરુર રાજાઈ સ્થાપન થઈ હતી. હમણાં તો રાજાઈ છે નહીં. રાજ્યોગ ભગવાને શીખવાડ્યો હતો,
નવી દુનિયાનાં માટે કારણ કે વિનાશ સામે ઉભો હતો. સમજાવાય છે એવું થયું હતું જ્યારે
કે સ્વર્ગની સ્થાપના થઇ હતી. તે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્થાપન થયું હતું. હમણાં
તમારી બુદ્ધિ માં છે - સતયુગ હતું, હમણાં કળયુગ છે. પછી બાપ એજ વાતો સમજાવે છે. એવું
તો કોઈ કહી ન શકે કે હું પરમધામ થી આવ્યો છું તમને પાછાં લઈ જવાં. પરમપિતા પરમાત્મા
જ કહી શકે છે બ્રહ્મા દ્વારા, બીજા કોઈનાં દ્વારા પણ કહી ન શકે. સૂક્ષ્મવતન માં છે
જ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બ્રહ્માનાં માટે પણ સમજાવ્યું છે કે તે છે અવ્યક્ત બ્રહ્મા
અને આ છે વ્યક્ત. તમે હમણાં ફરિશ્તા બનો છો. ફરિશ્તા સ્થૂળવતન માં નથી હોતાં.
ફરિશ્તાઓ ને હડ્ડી-માસ નથી હોતાં. અહીંયા આ રુહાની સર્વિસ (સેવા) માં હડ્ડી વગેરે
બધું ખતમ કરી દે છે, પછી ફરિશ્તા બની જાય છે. હમણાં તો હડ્ડી છે ને. આ પણ લખેલું છે
- પોતાની હડ્ડીઓ પણ સર્વિસમાં આપી દીધી. એટલે પોતાની હડ્ડીઓ ખલાસ કરે છે. સ્થૂળવતન
થી સૂક્ષ્મવતનવાસી બનવાનું છે. અહીંયા આપણે હડ્ડી આપીને સૂક્ષ્મ બની જઈએ છીએ. આ
સર્વિસમાં બધું સ્વાહા કરવાનું છે. યાદમાં રહેતાં-રહેતાં આપણે ફરિશ્તા બની જઈશું. આ
પણ ગવાયેલું છે - મિરુંઆ મોત મલૂકા શિકાર, મલૂક ફરિશ્તા ને કહેવાય છે. તમે મનુષ્ય
થી ફરિશ્તા બનો છો. તમને દેવતા કહી ન શકાય. અહીંયા તો તમને શરીર છે ને. સૂક્ષ્મવતન
નું વર્ણન હમણાં થાય છે. યોગમાં રહી પછી ફરિશ્તા બની જાય છે. અંતમાં તમે ફરિશ્તા બની
જશો. તમને બધાં સાક્ષાત્કાર થશે અને ખુશી થશે. મનુષ્ય તો બધાં, કાળ નો શિકાર થઈ જશે.
તમારામાં જે મહાવીર છે તે તો અડોલ રહેશે. બાકી શું-શું થતું રહેશે! વિનાશનાં દૃશ્ય
તો થવાનાં જ છે ને. અર્જુન ને વિનાશનો સાક્ષાત્કાર થયો. એક અર્જુન ની વાત નથી. આપ
બાળકોને વિનાશ અને સ્થાપના નો સાક્ષાત્કાર થાય છે. પહેલાં-પહેલાં બાબાને પણ વિનાશ
નો સાક્ષાત્કાર થયો. એ સમયે જ્ઞાન તો કાંઈ હતું નહીં. જોયું સૃષ્ટિ નો વિનાશ થઈ
રહ્યો છે. પછી ચતુર્ભુજ નો સાક્ષાત્કાર થયો. સમજવાં લાગ્યાં આ તો સારું છે. વિનાશનાં
પછી અમે વિશ્વનાં માલિક બનીએ છીએ, તો ખુશી આવી ગઈ. હમણાં આ દુનિયા નથી જાણતી કે
વિનાશ તો સારો છે ને. શાંતિ માટે પ્રયત્ન કરે છે પરંતુ છેવટે વિનાશ તો થવાનો છે.
યાદ કરે છે પતિત-પાવન આવો, તો બાપ આવશે જરુર, આવી ને પાવન દુનિયા સ્થાપન કરશે, જેમાં
આપણે રાજાઈ કરશું. આ તો સારું છે ને. પતિત-પાવન ને કેમ યાદ કરે છે? કારણ કે દુઃખ
છે. પાવન દુનિયામાં દેવતાઓ છે, પતિત દુનિયામાં તો દેવતાઓનો પગ આવી નથી શકતાં. તો
જરુર પતિત દુનિયાનો વિનાશ થવો જોઈએ. ગવાયેલું પણ છે મહા વિનાશ થયો. તેના પછી શું
થાય છે? એક ધર્મની સ્થાપના એ તો આવી રીતે થશે ને. અહીંયા થી રાજયોગ શીખશે. વિનાશ થશે
બાકી ભારત માં કોણ બચશે? જે રાજયોગ શીખે છે, નોલેજ આપે છે એ જ બચશે. વિનાશ તો બધાનો
થવાનો છે, આમાં ડરવાની વાત નથી. પતિત-પાવન ને બોલાવે છે જ્યારે એ આવે છે તો ખુશી થવી
જોઈએ ને. બાપ કહે છે વિકારોમાં નહીં જાઓ. આ વિકારો પર જીત પામો અથવા દાન આપી દો તો
ગ્રહણ છૂટે. ભારતનું ગ્રહણ છૂટે છે જરુર. કાળા થી ગોરા બનવાનું છે. સતયુગ માં
પવિત્ર દેવતાઓ હતાં, તે જરુર અહીંયા બન્યાં હશે.
તમે જાણો છો આપણે શ્રીમત થી નિર્વિકારી બનીએ છીએ. ભગવાનુવાચ, આ છે ગુપ્ત. શ્રીમત પર
ચાલી ને તમે બાદશાહી પામો છો. બાપ કહે છે તમારે નર થી નારાયણ બનવાનું છે. સેકન્ડ
માં રાજાઈ મળી શકે છે. શરુમાં બાળકીઓ ૪-૫ દિવસ પણ વૈકુંઠમાં જઈને રહેતી હતી. શિવબાબા
આવીને બાળકોને વૈકુંઠ નો પણ સાક્ષાત્કાર કરાવતાં હતાં. દેવતાઓ આવતા હતાં - કેટલાં
માન-શાન થી. તો બાળકોને દિલ અંદર લાગે છે બરાબર ગુપ્ત વેષમાં આવવા વાળા બાપ અમને
સમજાવી રહ્યાં છે. બ્રહ્મા તનમાં આવે છે. બ્રહ્માનું તન તો અહીંયા જોઈએ ને.
પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના. બાબાએ સમજાવ્યું છે - કોઈ પણ આવે છે તો એનાથી
પૂછો કોની પાસે આવો છો? બી.કે. પાસે. સારું બ્રહ્માનું નામ ક્યારેય સાંભળ્યું છે?
પ્રજાપિતા તો છે ને. અમે બધાં એમનાં આવીને બન્યાં છીએ. જરુર આગળ પણ બન્યાં હતાં.
બ્રહ્મા દ્વારા સ્થાપના તો સાથે બ્રાહ્મણ પણ જોઈએ. બાપ બ્રહ્મા દ્વારા કોને સમજાવે
છે? શૂદ્રોને તો નહીં સમજાવશે. આ છે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ, શિવબાબાએ બ્રહ્મા
દ્વારા અમને પોતાનાં બનાવ્યાં છે. બ્રહ્મા કુમાર-કુમારીઓ કેટલા અસંખ્ય છે, કેટલાં
સેવાકેન્દ્રો છે. બધામાં બ્રહ્માકુમારીઓ ભણાવે છે. અહીંયા અમને દાદા નો વારસો મળે
છે. ભગવાનુવાચ, તમને રાજયોગ શીખવાડું છું. એ નિરાકાર હોવાનાં કારણે આમનાં શરીર નો
આધાર લઈને અમને નોલેજ સંભળાવે છે. પ્રજાપિતાનાં તો બધાં બાળકો હશે ને! અમે છીએ
પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવબાબા છે દાદા. એમણે એડોપ્ટ કર્યા છે. તમે જાણો
છો અમે દાદા થી ભણી રહ્યાં છે બ્રહ્મા દ્વારા. આ લક્ષ્મી-નારાયણ બંને સ્વર્ગ નાં
માલિક છે ને. ભગવાન તો એક ઉંચ થી ઉંચ નિરાકાર જ છે. બાળકોની ધારણા ખૂબ સારી હોવી
જોઈએ. પહેલાં-પહેલાં સમજાવો બે બાપ છે ભક્તિમાર્ગ માં. સ્વર્ગ માં છે એક બાપ.
પારલૌકિક બાપ દ્વારા બાદશાહી મળી ગઈ પછી યાદ કેમ કરશે. દુઃખ છે જ નહીં જે યાદ કરવું
પડે. ગાએ છે દુઃખહર્તા સુખકર્તા. તે હમણાં ની વાત છે. જે ભૂતકાળ થઈ જાય છે એનું
ગાયન થાય છે. મહિમા છે એક ની. એ એક બાપ જ આવીને પતિતો ને પાવન બનાવે છે. મનુષ્ય થોડી
સમજે છે. તેઓ તો ભૂતકાળ ની કથા બેસી લખે છે. તમે હમણાં સમજો છો - બરાબર બાપે રાજયોગ
શીખવાડયો, જેનાથી બાદશાહી મળી. ૮૪ નું ચક્કર લગાવ્યું. હમણાં ફરી આપણે ભણી રહ્યાં
છીએ, પછી ૨૧ જન્મ રાજ્ય કરશું. એવા દેવતા બનીશું. આવાં કલ્પ પહેલાં બન્યા હતાં. સમજો
છો અમે પૂરું ૮૪ જન્મો નું ચક્ર લગાવ્યું. હવે ફરી સતયુગ-ત્રેતા માં જઈશું ત્યારે
તો બાપ પૂછે છે આગળ કેટલી વખત મળ્યાં છો? આ પ્રેક્ટિકલ વાત છે ને! નવાં પણ કોઈ
સાંભળે તો સમજશે ૮૪ નું ચક્ર તો જરુર છે. જે પહેલાંવાળા હશે એમનું જ ચક્ર પૂરું થયું
હશે. બુદ્ધિથી કામ લેવાનું છે. આ મકાન માં, આ ડ્રેસ માં બાબા અમે તમને અનેક વખત
મળીએ છીએ અને મળતા રહીશું. પતિત થી પાવન, પાવન થી પતિત થતાં જ આવ્યાં છીએ. કોઈ વસ્તુ
સદૈવ નવી જ રહે, આ તો થઇ નથી શકતું. જૂની જરુર બને છે. દરેક વસ્તુ સતો-રજો-તમો માં
આવે છે. હમણાં આપ બાળકો જાણો છો નવી દુનિયા આવી રહી છે. તેને સ્વર્ગ કહેવાય છે. આ
છે નર્ક. તે છે પાવન દુનિયા. બહુજ પોકારે છે - હેં પતિત-પાવન અમને આવીને પાવન બનાવો
કારણ કે દુઃખ વધારે થતું જાય છે ને. પરંતુ આ સમજતાં નથી કે અમે જ પૂજ્ય હતાં પછી
પૂજારી બન્યાં છીએ. દ્વાપર માં પૂજારી બન્યાં. અનેક ધર્મ થતાં ગયાં. બરાબર પતિત થી
પાવન, પાવન થી પતિત થતાં આવ્યાં છીએ. ભારત નાં ઉપર જ ખેલ છે.
આપ બાળકોને હવે સ્મૃતિ આવી છે, હવે તમે શિવ જયંતી મનાવો છો. બાકી બીજા કોઈ શિવ ને
તો જાણતાં જ નથી. આપણે જાણીએ છીએ. બરાબર આપણને રાજયોગ શીખવાડે છે. બ્રહ્મા દ્વારા
સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. જરુર જે યોગ શીખશે, સ્થાપના કરશે એ જ પછી રાજ્ય-ભાગ્ય
પામશે. આપણે કહીએ છીએ બરાબર અમે કલ્પ-કલ્પ બાપ થી આ રાજયોગ શીખ્યાં છીએ. બાબા એ
સમજાવ્યું છે - હવે આ ૮૪ જન્મો નું ચક્ર પૂરું થાય છે. પછી નવું ચક્ર લગાવવાનું છે.
ચક્ર ને તો જાણવું જોઈએ ને. ભલે આ ચિત્ર ન હોય તો પણ તમે સમજાવી શકો છો. આ તો
બિલકુલ સહજ વાત છે. બરાબર ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. ફક્ત તે લોકો સમજે છે
કળયુગ હજું બાળક છે. તમે કહો છો - આ તો કળયુગ નો અંત છે. ચક્ર પૂરું થાય છે. બાપ
સમજાવે છે હું આવું છું પતિત દુનિયા ને પાવન બનાવવાં. તમે જાણો છો આપણે પાવન
દુનિયામાં જવાનું છે. તમે મુક્તિ, જીવન મુક્તિધામ, શાંતિધામ, સુખધામ અને દુઃખધામ ને
પણ સમજો છો. પરંતુ તકદીરમાં નથી તો પછી આ વિચાર નથી કરતાં કે કેમ નહીં અમે સુખધામ
માં જઈએ. બરાબર આપણું આત્માઓનું ઘર તે શાંતિધામ છે. ત્યાં આત્માઓને અવયવ ન હોવાનાં
કારણે કાંઈ બોલતી નથી. શાંતિ ત્યાં બધાને મળે છે. સતયુગ માં છે એક ધર્મ. આ અનાદિ,
અવિનાશી વર્લ્ડ ડ્રામા છે જે ચક્ર લગાવતો જ રહે છે. આત્મા ક્યારેય વિનાશ નથી થતી.
શાંતિધામ માં પણ થોડો સમય રહેવું જ પડે. આ બહુજ સમજણ ની વાતો છે. કળયુગ છે દુઃખધામ.
કેટલાં અનેક ધર્મ છે, કેટલાં હંગામા છે. જ્યારે બિલકુલ દુઃખધામ થાય છે ત્યારે જ બાપ
આવે છે. દુઃખધામ નાં પછી છે સંપૂર્ણ સુખધામ. શાંતિધામ થી આપણે આવીએ છીએ સુખધામમાં,
પછી દુઃખધામ બને છે. સતયુગ માં સંપૂર્ણ નિર્વિકારી, અહીંયા છે સંપૂર્ણ વિકારી. આ
સમજવવું તો ખૂબ સહજ છે ને. હિમ્મત જોઈએ. ક્યાંય પણ જઈ ને સમજાવો. આ પણ લખેલું છે -
હનુમાન સતસંગ માં પાછળ જુત્તામાં જઈને બેસતાં હતાં. તો મહાવીર જે હશે તે ક્યાંય પણ
જઈ ને યુક્તિ થી સાંભળશે, જોશે શું બોલે છે. તમે ડ્રેસ બદલી ને ક્યાંય પણ જઈ શકો
છો, એમનું કલ્યાણ કરવાં. બાબા પણ ગુપ્ત વેષ માં તમારું કલ્યાણ કરી રહ્યાં છે ને.
મંદિરો માં ક્યાંય પણ નિમંત્રણ મળે છે તો જઈને સમજાવવાનું છે. દિવસ-પ્રતિ દિવસ તમે
હોશિયાર થતાં જાઓ છો. બધાને બાપ નો પરિચય તો આપવાનો જ છે. કોશિશ કરવાની હોય છે. આ
તો ગવાયેલું છે, પાછળ થી સન્યાસી, રાજાઓ વગેરે આવે. રાજા જનક ને સેકન્ડ માં
જીવનમુક્તિ મળી. તે પછી જઈને ત્રેતા માં અનુજનક બન્યાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંતિમ
વિનાશ નું દૃશ્ય જોવા માટે પોતાની સ્થિતિ મહાવીર જેવી નિર્ભય, અડોલ બનાવવાની છે.
ગુપ્ત યાદ ની યાત્રા માં રહેવાનું છે.
2. અવ્યક્ત વતનવાસી ફરિશ્તા બનવાનાં માટે બેહદ સેવા માં દધિચી ઋષિ ની જેમ પોતાની
હડ્ડી-હડ્ડી સ્વાહા કરવાની છે.
વરદાન :-
એકાંત અને
અંતર્મુખતા નાં અભ્યાસ દ્વારા સ્વયં ને અનુભવ થી સંપન્ન બનાવવા વાળા માયા જીત ભવ
નોલેજફુલ ની સાથે
પાવરફુલ અર્થાત્ અનુભવી મૂર્ત બનવાનાં માટે એકાંતવાસી અને અંતર્મુખી બનો. ડગમગ થવાનું
કારણ છે અનુભવની કમી એટલે ફક્ત સમજવું, સમજાવવા વાળા અથવા મગનમૂર્ત નહીં બનો,
એકાંતવાસી બની દરેક પોઇન્ટનાં અનુભવી બનો તો કોઈ પણ પ્રકારનાં દગા થી, દુઃખ અથવા
દુવિધા થી બચી જશો. કોનું બાળક છું, શું પ્રાપ્તિ છે - આ પહેલાં પાઠ નો અનુભવ કરી
લીધો તો માયાજીત સહજ જ થઇ જશો.
સ્લોગન :-
જવાબદારી
સંભાળતાં ડબલ લાઈટ રહેવા વાળા જ બાપનાં સમીપ રત્ન છે.