27-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ક્યારેય પણ પોતાનાં હાથ માં લો ( કાયદો ) નહીં ઉઠાવો , જો કોઈની ભૂલ હોય તો બાપ ને રિપોર્ટ ( જાણ ) કરો , બાપ સાવધાની આપશે ”

પ્રશ્ન :-
બાપે કયો કોન્ટ્રાક્ટ (ઠેકો) ઉઠાવ્યો છે?

ઉત્તર :-
બાળકોનાં અવગુણ નીકાળવાનો કોન્ટ્રાક્ટ બાપે જ ઉઠાવ્યો છે. બાળકોની ખામીઓ બાપ સાંભળે છે તો તે નીકાળવા માટે પ્રેમ થી સમજણ આપે છે. જો આપ બાળકોને કોઈની ખામી દેખાય છે તો પણ તમે પોતાનાં હાથ માં કાયદો નહીં ઉઠાવો. કાયદો હાથમાં લેવો આ પણ ભૂલ છે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો આવે છે બાપ થી રિફ્રેશ થવા કારણ કે બાળકો જાણે છે - બેહદનાં બાપ થી બેહદ વિશ્વની બાદશાહી લેવાની છે. આ ક્યારેય ભૂલવું ન જોઈએ પરંતુ ભૂલી જાય છે. માયા ભુલાવી દે છે. જો ન ભુલાવે તો ખુબ ખુશી રહે. બાપ સમજાવે છે - બાળકો, આ બેજ ને ઘડી-ઘડી જોતાં રહો. ચિત્રો ને પણ જોતાં રહો. હરતાં-ફરતાં બેજ ને જોતા રહો તો ખબર પડે, બાપ દ્વારા બાપની યાદ થી અમે આ બની રહ્યાં છીએ. દૈવીગુણ ધારણ કરવાનાં છે. આ જ સમય છે નોલેજ મળવાનો. બાપ કહે છે મીઠા-મીઠા બાળકો... રાત-દિવસ મીઠા-મીઠા કહેતાં રહે છે. બાળકો નથી કહી શકતાં - મીઠા-મીઠા બાબા. કહેવું તો બંનેવ એ જોઈએ. બંને જ મીઠા છે ને. બેહદનાં બાપદાદા. પરંતુ ઘણાં દેહ-અભિમાની ફક્ત બાબા ને મીઠા-મીઠા કહે છે. ઘણાં બાળકો તો ગુસ્સામાં આવીને પછી ક્યારેક બાપદાદા ને પણ કાંઈ કહી દે. ક્યારેક બાપને કહ્યું તો દાદાને પણ કહ્યું, વાત એક જ થઈ જાય. ક્યારેય બ્રાહ્મણી પર, ક્યારેય આપસમાં નારાજ થઈ જાય છે. તો બેહદનાં બાપ બેસી બાળકો ને શિક્ષા આપે છે. ગામ-ગામ માં બાળકો તો ખુબ છે, બધાં ને લખતાં રહે છે. તમારો રિપોર્ટ આવે છે, તમે ગુસ્સો કરો છો. બેહદનાં બાપ આને દેહ-અભિમાન કહેશે. બાપ બધાને કહે છે - બાળકો, દેહી-અભિમાની ભવ. બધાં બાળકો નીચે-ઉપર થતાં રહે છે, આમાં પણ માયા જેમને સમર્થ પહેલવાન જુએ છે, એનાથી જ લડાઈ કરે છે. મહાવીર, હનુમાન માટે દેખાડયું છે કે તેમને પણ હલાવવાની કોશિશ કરી. આ સમયે જ બધાની પરીક્ષા લે છે. માયા થી હાર-જીત બધાની થતી રહે છે. લડાઈ માં સ્મૃતિ-વિસ્મૃતિ બધું થાય છે. જે જેટલાં સ્મૃતિમાં રહે છે, નિરંતર બાપ ને યાદ કરવાની કોશિશ કરે છે તે સારું પદ પામી શકે છે. બાપ આવ્યાં છે બાળકોને ભણાવવાં, એ તો ભણાવતાં રહે છે. શ્રીમત પર ચાલતા રહેવાનું છે. શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશો, આમાં કોઈથી બગડવાની વાત જ નથી. બગડવું એટલે ક્રોધ કરવો. ભૂલ વગેરે કરે છે તો બાબા ની પાસે રિપોર્ટ કરવાનો છે. પોતે કોઈને કહેવું ન જોઈએ પછી જેમ કે હાથમાં કાયદો લીધો. ગવર્મેન્ટ (સરકાર) કાયદો હાથમાં ઉઠાવવા નથી દેતી. કોઈ એ ઘૂસો માર્યો તો તેમને ઘૂસો નહીં મારશે. રિપોર્ટ કરશે પછી તેમનો કેસ થશે. અહીંયા પણ બાળકોએ ક્યારેય સામે કંઈ કહેવું ન જોઈએ, બાબાને કહો. બધાને સાવધાની આપવાવાળા એક બાબા છે. બાબા યુક્તિ ખુબ મીઠી બતાવશે. મીઠાપણા થી શિક્ષા આપશે. દેહ-અભિમાની બનવાથી પોતાનું જ પદ ઓછું કરી દે છે. નુકશાન કેમ કરવું જોઈએ. જેટલું થઈ શકે બાબાને ખુબ પ્રેમ થી યાદ કરતાં રહો. બેહદનાં બાપને ખુબ પ્રેમ થી યાદ કરો, જે બાપ વિશ્વની બાદશાહી આપે છે. ફક્ત દૈવીગુણ ધારણ કરવાનાં છે. કોઈની પણ નિંદા નથી કરવાની. દેવતાઓ કોઈની નિંદા કરે છે શું? ઘણાં બાળકો તો નિંદા કર્યા વગર રહેતાં નથી. તમે બાપને કહો, તો બાપ ખુબ પ્રેમ થી સમજાવશે! નહીં તો સમય વ્યર્થ જાય છે. નિંદા કરવાથી તો બાપ ને યાદ કરો તો ખુબ-ખુબ ફાયદો થશે. કોઈથી પણ વાદ-વિવાદ ન કરવો ખુબ સારું છે.

આપ બાળકો દિલમાં સમજો છો - અમે નવી દુનિયાની બાદશાહી સ્થાપન કરી રહ્યાં છીએ. અંદર માં કેટલો ફખુર (નશો) રહેવો જોઈએ. મુખ્ય છે જ યાદ અને દૈવીગુણ. બાળકો ચક્રને યાદ કરે જ છે, તે તો સહજ યાદ પડશે. ૮૪ નું ચક્ર છે ને. તમને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત, સમયગાળા ની ખબર છે, પછી બીજાઓને પણ ખુબ પ્રેમ થી પરિચય આપવાનો છે. બેહદનાં બાપ આપણ ને વિશ્વનાં માલિક બનાવી રહ્યાં છે. રાજયોગ શીખવાડી રહ્યાં છે. વિનાશ પણ સામે ઉભો છે. છે પણ સંગમયુગ, જ્યારે કે નવી દુનિયા સ્થાપન થાય છે અને જૂની દુનિયા ખલાસ થાય છે. બાપ બાળકોને સાવધાન કરતાં રહે છે - સિમર-સિમર સુખ પાઓ, કલહ કલેષ મિટે સબ તન કે…. અડધાકલ્પ માટે ખતમ થઇ જશે. બાપ સુખધામ સ્થાપન કરે છે. માયા રાવણ પછી દુઃખધામ સ્થાપન કરે છે. આ પણ આપ બાળકો જાણો છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપનો બાળકો માં કેટલો પ્રેમ હોય છે. શરું થી બાપ નો પ્રેમ છે. બાપને ખબર છે, હું જાણું છું - બાળકો જે કામ ચિતા પર કાળા થઈ ગયાં છે, તેમને ગોરા બનાવવા જાઉં છું. બાપ તો નોલેફુલ છે, બાળકો ધીરે-ધીરે નોલેજ લે છે. માયા પછી ભુલાવી દે છે. ખુશી આવવાં નથી દેતી. બાળકોને તો દિવસ-પ્રતિદિવસ ખુશી નો પારો ચઢ્યો રહેવો જોઈએ. સતયુગ માં પારો ચઢેલો હતો. હવે ફરી ચઢાવવાનો છે યાદની યાત્રા થી. તે ધીરે-ધીરે ચઢશે. હાર-જીત થતા-થતાં પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાં માફક પોતાનું પદ પામી લેશો. બાકી સમય તો એ જ લાગે છે જે કલ્પ-કલ્પ લાગે છે. બાપદાદા સાક્ષી થઈને બાળકોની અવસ્થા ને જુએ છે અને સમજણ આપતાં રહે છે. બહાર સેવાકેન્દ્ર વગેરે પર હોય છે તો એટલાં રિફ્રેશ નથી થતાં. સેવાકેન્દ્ર થી થઈને પછી બહાર નાં વાયુમંડળ માં ચાલ્યાં જાય છે, એટલે અહીંયા બાળકો આવે જ છે રિફ્રેશ થવા માટે. બાપ લખે પણ છે - પરિવાર સહિત બધાને યાદ-પ્રેમ આપજો. તે છે હદનાં બાપ, આ છે બેહદનાં બાપ. બાપ અને દાદા બન્ને ને ખુબ પ્રેમ છે કારણકે કલ્પ-કલ્પ લવલી સર્વિસ કરે છે અને ખુબ પ્રેમ થી કરે છે. અંદર તરસ પડે છે. નથી ભણતા અથવા ચલન સારી નથી ચાલતાં, શ્રીમત પર નથી ચાલતાં તો તરસ પડે છે - આ ઓછું પદ પામશે. બીજું બાબા શું કરી શકે છે! ત્યાં અને અહીંયા રહેવામાં ખુબ ફરક છે. પરંતુ બધાં તો અહીંયા રહી ન શકે. બાળકો વૃદ્ધિ ને પામતાં રહે છે. પ્રબંધ પણ કરતાં રહે છે. આ પણ બાબાએ સમજાવ્યું છે - આ આબુ સૌથી ઊંચું તીર્થ છે. બાપ કહે છે હું અહીંયા જ આવીને આખી સૃષ્ટિ ને, ૫ તત્વો સહિત બધાને પવિત્ર બનાવું છું. કેટલી સેવા છે. એક જ બાપ છે જે આવીને સર્વ ની સદ્દગતિ કરે છે. તે પણ અનેક વખત કરી છે. આ જાણવાં છતાં પણ ફરી ભૂલી જાય છે - ત્યારે બાપ કહે છે માયા ખુબ જબરજસ્ત છે. અડધોકલ્પ તેનું રાજ્ય ચાલે છે. માયા હરાવે છે પછી બાપ ઉભાં કરે છે. ઘણાં લખે છે બાબા અમે પડી ગયાં. સારું હવે નહીં પડતાં. છતાં પણ નીચે પડે છે. પડે છે પછી ચઢવાનું જ છોડી દે છે. કેટલો માર લાગી જાય છે. બધાને લાગે છે. બધો આધાર છે ભણતર પર. ભણતર માં યોગ છે જ. ફલાણા મને આ ભણાવી રહ્યાં છે. હવે તમે સમજો છો બાપ અમને ભણાવી રહ્યાં છે. અહીંયા તમે ખુબ રિફ્રેશ થાઓ છો. ગાયન પણ છે નિંદા અમારી જે કરે મિત્ર અમારા તે. ભગવાનુવાચ - મારી ગ્લાનિ ખુબ કરે છે. હું આવીને મિત્ર બનું છું. કેટલી નિંદા કરે છે, હું તો સમજાવું છું બધાં મારા બાળકો છે. કેટલી મારી પ્રીત છે તેમની સાથે. નિંદા કરવી સારું નથી. આ સમયે તો ખુબ ખબરદારી રાખવી જોઈએ. ભિન્ન-ભિન્ન અવસ્થાઓ વાળા બાળકો છે, બધાં પુરુષાર્થ કરતાં રહે છે. કોઈ ભૂલ પણ થાય છે તો પુરુષાર્થ કરી અભુલ બનવાનું છે. માયા બધાથી ભૂલો કરાવે છે. બોક્સિંગ (યુદ્ધ) છે ને. કોઈ સમયે એવો માર લાગે છે જે પછાડી દે છે. બાપ સાવધાની આપે છે - બાળકો, આમ હારવાથી કરેલી કમાણી ચટ થઇ જશે. ૫ માળે થી નીચે પડે છે. કહે છે બાબા આવી ભૂલ પછી ક્યારેય નહીં થશે. હવે ક્ષમા કરો. બાબા ક્ષમા શું કરશે. બાપ તો કહે છે પુરુષાર્થ કરો. બાબા જાણે છે માયા ખુબ પ્રબળ છે. અનેકો ને હરાવશે. શિક્ષક નું કામ છે ભૂલ પર શિક્ષા આપી અભૂલ બનાવવાં. એવું નહીં કોઈએ ભૂલ કરી તો હંમેશા તેમની તે થતી રહેશે. ના, સારા ગુણ ગવાય છે. ભૂલ નથી ગવાતી. અવિનાશી વૈદ તો એક જ બાપ છે. એ દવા કરશે. આપ બાળકો કેમ પોતાનાં હાથમાં કાયદો ઉઠાવો છો. જેમાં ક્રોધનો અંશ હશે તે ગ્લાનિ જ કરતાં રહેશે. સુધારવાનું બાપનું કામ છે, તમે સુધારવા વાળા થોડી છો. કોઈ માં ક્રોધનું ભૂત છે. પોતે બેસી કોઈની ગ્લાનિ કરે છે તો એટલે પોતાનાં હાથમાં કાયદો ઉઠાવ્યો, આનાથી તે સુધરશે નહીં. વધારે જ અનબન થઈ જશે. લૂણપાણી થઈ જશે. બધાં બાળકોનાં માટે એક બાપ બેઠાં છે. કાયદો પોતાનાં હાથ માં ઉઠાવી કોઈની ગ્લાનિ કરવી, આ મોટી ભૂલ છે. કોઈ ને કોઈ ખરાબી તો બધામાં હોય છે. બધાં સંપૂર્ણ તો નથી બન્યાં. કોઈમાં શું અવગુણ છે, કોઈમાં શું છે. તે બધાં નીકાળવાનો કોન્ટ્રાક્ટ બાપે ઉઠાવ્યો છે. આ તમારું કામ નથી. બાળકોની ખામીઓ બાપ સાંભળે છે તો તે નીકાળવા માટે પ્રેમ થી સમજણ અપાય છે. હમણાં સુધી સંપૂર્ણ કોઈ બન્યું નથી. બધાં શ્રીમત પર સુધરી રહ્યાં છે. સંપૂર્ણ તો અંત માં બનવાનું છે. આ સમયે બધાં પુરુષાર્થી છે. બાબા સદૈવ અડોલ રહે છે. બાળકો ને પ્રેમ થી શિક્ષા આપતાં રહે છે. શિક્ષા આપવી બાપનું કામ છે. પછી તેનાં પર ચાલે ન ચાલે, તે થઈ તેમની તકદીર. કેટલું પદ ઓછું થઇ જાય છે. શ્રીમત પર ન ચાલવાનાં કારણે કાંઈ પણ એવું કરવાથી પદ ભ્રષ્ટ થઈ જશે. દિલ અંદર ખાશે, અમે આ ભૂલ કરી છે. અમારે ખુબ મહેનત કરવી પડશે. કોઈનાં પણ અવગુણ છે તો તે બાપ ને સંભળાવવાનાં છે. દર-દર સંભળાવવાં આ દેહ-અભિમાન છે. બાપ ને યાદ નથી કરતાં. અવ્યભિચારી બનવું જોઈએ ને. એક ને સંભળાવશો તો તે ઝટ સુધરી જશે. સુધારવા વાળા એક જ બાપ છે. બાકી તો બધાં છે અણસુધરેલાં. પરંતુ માયા એવી છે-માથું ફેરવી દે છે. બાપ એક તરફ મુખ કરે છે, માયા પછી ફરાવીને પોતાનાં તરફ કરી લે છે. બાપ આવ્યાં જ છે સુધાર કરી મનુષ્ય થી દેવતા બનાવવાં. બાકી દર-દર કોઈનું નામ બદનામ કરવાનું આ બેકાયદો છે. તમે શિવબાબા ને યાદ કરો. જજમેન્ટ પણ એમનાં પાસે હોય છે ને. કર્મો નું ફળ પણ બાપ આપે છે. ભલે ડ્રામામાં છે પરંતુ કોઈનું નામ તો લેવાય છે ને. બાપ તો બાળકોને બધી વાતો સમજાવતાં રહે છે. તમે કેટલાં ભાગ્યશાળી છો. કેટલાં મહેમાન આવે છે. જેમની પાસે ખુબ મહેમાન આવે છે, તે ખુશ થાય છે. આ બાળકો પણ છે, તો મહેમાન પણ છે. શિક્ષક ની બુદ્ધિમાં તો એ જ રહે છે - હું બાળકો ને આમનાં જેવાં સર્વગુણ સંપન્ન બનાવું. આ કોન્ટ્રાક્ટ બાપે ઉઠાવ્યો છે, ડ્રામાનાં પ્લાન અનુસાર. બાળકો એ મુરલી પણ ક્યારેય મિસ (છુટ્ટી) ન કરવી જોઈએ. મુરલીનું જ તો ગાયન છે ને - એક પણ મુરલી મિસ કરી તો જેમ સ્કૂલ માં એબસન્ટ (ગેરહાજરી) પડી ગઈ. આ છે બેહદનાં બાપ ની સ્કૂલ, આમાં તો એક દિવસ પણ મિસ ન કરવો જોઈએ. બાપ આવી ને ભણાવે છે, દુનિયામાં કોઈને ખબર થોડી છે. સ્વર્ગ ની સ્થાપના કેવી રીતે થાય છે, આ પણ કોઈ નથી જાણતાં. તમે બધુંજ જાણો છો. આ ભણતર ખુબ-ખુબ અથાહ કમાણી નું છે. જન્મ-જન્માંતર નાં માટે આ ભણતર નું ફળ મળી જાય છે. વિનાશ નો આખો આધાર તમારા ભણતર થી છે. તમારું ભણતર પૂરું થશે અને આ લડાઈ શરું થશે. ભણતાં-ભણતાં બાપ ને યાદ કરતાં જયારે માર્ક્સ પુરા થઈ જાય છે, પરીક્ષા થઈ જાય છે ત્યારે લડાઈ લાગે છે. તમારું ભણતર પૂરું થયું તો લડાઈ લાગશે. આ નવી દુનિયાનાં માટે બિલકુલ નવું જ્ઞાન છે એટલે મનુષ્ય બિચારા મુંઝાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈનાં અવગુણ જોઈ તેની નિંદા નથી કરવાની. જગ્યા-જગ્યાએ તેનાં અવગુણ નથી સંભળાવવાનાં. પોતાનું મીઠાપણું નથી છોડવાનું. ક્રોધ માં આવીને કોઈ નો સામનો નથી કરવાનો.

2. બધાં ને સુધારવા વાળા એક બાપ છે, એટલે એક બાપ ને જ બધું સંભળાવવાનું છે, અવ્યભિચારી બનવાનું છે. મુરલી ક્યારેય પણ મિસ નથી કરવાની.

વરદાન :-
દેહ - અભિમાન નાં હું - પણા ની સંપૂર્ણ આહુતિ નાખવા વાળા ધારણા સ્વરુપ ભવ

જ્યારે સંકલ્પ અને સ્વપ્ન માં પણ દેહ-અભિમાન નું હું-પણું ન હોય, અનાદિ આત્મિક સ્વરુપ ની સ્મૃતિ હોય. બાબા-બાબા નો અનહદ શબ્દ નીકળતો રહે ત્યારે કહેવાશે ધારણા સ્વરુપ, સાચાં બ્રાહ્મણ. હું-પણું અર્થાત્ જૂનાં સ્વભાવ, સંસ્કાર રુપી સૃષ્ટિ ને જ્યારે આપ બ્રાહ્મણ આ મહાયજ્ઞ માં સ્વાહા કરશો ત્યારે આ જૂની સૃષ્ટિની આહુતી પડશે. તો જેમ યજ્ઞ રચવાનાં નિમિત્ત બન્યાં છો, એમ હવે અંતિમ આહુતી નાખી સમાપ્તિનાં પણ નિમિત્ત બનો.

સ્લોગન :-
સ્વયં થી, સેવાથી અને સર્વ થી સંતુષ્ટતા નું સર્ટિફિકેટ લેવું એ જ સિદ્ધિ સ્વરુપ બનવું છે.