16-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - કદમ -
કદમ શ્રીમત પર ચાલો , નહીં તો માયા દેવાળું કાઢી નાખશે , આ આંખો ખુબ દગો આપે છે ,
આની ખુબ - ખુબ સંભાળ કરો ”
પ્રશ્ન :-
કયા બાળકો થી
માયા ખુબ વિકર્મ કરાવે છે? યજ્ઞ માં વિઘ્ન રુપ કોણ છે?
ઉત્તર :-
જેમને પોતાનો અહંકાર હોય છે એમનાથી માયા ખુબ વિકર્મ કરાવે છે. એવાં મિથ્યા અહંકાર
વાળા મુરલી પણ નથી વાંચતા. આવી ગફલત કરવાથી માયા થપ્પડ લગાવી વર્થ નોટ પેની (કોડીતુલ્ય)
બનાવી દે છે. યજ્ઞમાં વિઘ્ન રુપ તે છે જેમની બુદ્ધિમાં ઝરમુઈ ઝગમુઈ (પરચિંતન) ની
વાતો રહે છે, આ બહુ ખરાબ આદત છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
બાપે સમજાવ્યું છે, અહીંયા આપ બાળકોએ આ વિચાર થી જરુર બેસવાનું હોય છે - આ બાપ પણ
છે, શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ પણ છે અને આ પણ મહેસૂસ કરો છો કે બાપ ને યાદ
કરતાં-કરતાં પવિત્ર બની જઈને પવિત્રધામમાં પહોંચીશું. બાપે સમજાવ્યું છે -
પવિત્રધામ થી જ તમે નીચે ઉતર્યા છો. પહેલા તમે સતોપ્રધાન હતાં પછી સતો-રજો-તમો માં
આવ્યાં. હમણાં તમે સમજો છો અમે નીચે ઉતર્યા છીએ. ભલે તમે સંગમયુગ પર છો પરંતુ જ્ઞાન
થી તમે આ જાણો છો - અમે કિનારો કરી લીધો છે. પછી જો અમે શિવબાબા ની યાદ માં રહીએ
છીએ તો શિવાલય દૂર નથી. શિવબાબા ને યાદ જ નથી કરતાં તો શિવાલય ખુબ દૂર છે. સજાઓ ખાવી
પડે છે ને તો ખુબ દૂર થઈ જાય છે. તો બાપ બાળકોને કંઈ વધારે તકલીફ નથી આપતાં. એક તો
ઘડી-ઘડી કહે છે - મનસા-વાચા-કર્મણા પવિત્ર બનવાનું છે. આ આંખો પણ ખુબ દગો આપે છે.
બહુજ સંભાળી ને ચાલવાનું હોય છે.
બાબા એ સમજાવ્યું છે - ધ્યાન અને યોગ બિલકુલ અલગ છે. યોગ અર્થાત્ યાદ. આંખો ખુલ્લી
રાખી યાદ કરી શકો છો. ધ્યાન ને યોગ નથી કહેવાતું. ધ્યાનમાં જાય છે તો એને ન જ્ઞાન,
ન યોગ કહેવાય. ધ્યાનમાં જવા વાળા પર માયા પણ ખૂબ પ્રહાર કરે છે, એટલે આમાં ખૂબ
ખબરદાર રહેવાનું હોય છે. બાપની કાયદા અનુસાર યાદ જોઈએ. કાયદા નાં વિરુદ્ધ કોઈ કામ
કર્યુ તો એકદમ માયા પાડી દેશે. ધ્યાન ની તો ક્યારેય ઈચ્છા પણ રાખવાની નથી, ઈચ્છા
માત્રમ્ અવિદ્યા. તમારે કોઈ પણ ઈચ્છા નથી રાખવાની. બાપ તમારી બધી કામનાઓ વગર માંગે
પૂરી કરી દે છે, જો બાપ ની આજ્ઞા પર ચાલો છો તો. જો બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી
ઉલ્ટો રસ્તો લીધો તો બની શકે છે સ્વર્ગમાં જવાનાં બદલે નર્ક માં પડી જાય. ગાયન પણ
છે ગજ ને ગ્રાહ એ ખાધો. અનેકો ને જ્ઞાન આપવા વાળા, ભોગ લગાવવા વાળા આજે છે નહીં
કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરે છે તો પુરા માયાવી બની જાય છે. દૈવી બનતાં-બનતાં અસુર
બની જાય છે એટલે આ માર્ગ માં ખબરદારી ખુબ જોઈએ. પોતાનાં ઉપર કંટ્રોલ (નિયંત્રણ)
રાખવાનો હોય છે. બાપ તો બાળકોને સાવધાન કરે છે. શ્રીમત નું ઉલ્લંઘન નથી કરવાનું.
આસુરી મત પર ચાલવાથી જ તમારી ઉતરતી કળા થઈ છે. ક્યાંથી એકદમ ક્યાં પહોંચી ગયાં છો.
એકદમ નીચે પહોંચી ગયાં છો. હમણાં પણ શ્રીમત પર ન ચાલ્યાં, બેપરવાહ બન્યાં તો પદ
ભ્રષ્ટ બની જશે. બાબાએ કાલે પણ સમજાવ્યું જે કાંઈ શ્રીમત નાં આધાર વગર કરે છે તો
ખુબ ડિસસર્વિસ (કુસેવા) કરે છે. વગર શ્રીમતે કરશે તો નીચે જ જશે. બાબાએ શરું થી
માતાઓ ને નિમિત્ત રાખી છે કારણ કે કળશ પણ માતાઓને મળે છે. વંદે માતરમ ગવાયેલું છે.
બાબાએ પણ માતાઓ ની એક કમિટી (સંગઠન) બનાવી. એમનાં હવાલે બધું કરી દીધું. બાળકીઓ
ટ્રસ્ટવર્દી (વિશ્વાસપાત્ર) હોય છે. પુરુષ વધારે કરીને દેવાળું મારે છે. તો બાપ પણ
કળશ માતાઓ પર રાખે છે. આ જ્ઞાનમાર્ગ માં માતાઓ પણ દેવાળું મારી શકે છે. પદમાપદમ
ભાગ્યશાળી જે બનવા વાળા છે, તે પણ માયાથી હાર ખાઈ દેવાળું મારી શકે છે. આમાં
સ્ત્રી-પુરુષ બંને દેવાળું મારી શકે છે. તેમાં ફક્ત પુરુષ દેવાળું મારે છે. અહીંયા
તો જુઓ કેટલા હાર ખાઈ ને ચાલ્યા ગયાં, એટલે દેવાળું મારી દીધું ને. બાપ બેસી સમજાવે
છે - ભારતવાસીઓ એ પૂરું દેવાળું માર્યુ છે. માયા કેટલી જબરજસ્ત છે. સમજી શકતાં નથી
અમે શું હતાં? ક્યાંથી એકદમ નીચે આવીને પડ્યાં છે! અહીંયા પણ ઉંચે ચઢતાં-ચઢતાં પછી
શ્રીમતને ભૂલી પોતાની મત પર ચાલે છે તો દેવાળું મારી દે છે. પછી બતાવો એમનો શું હાલ
થશે. તેઓ તો દેવાળું મારે છે પછી ૫-૭ વર્ષ બાદ ઉભાં થઈ જાય છે. આ તો ૮૪ જન્મો માટે
દેવાળું મારી દે છે. પછી ઉંચ પદ પામી ન શકે, દેવાળું મારતા જ રહે છે. કેટલાં મહારથી
અનેકો ને ઉઠાવતા હતાં, આજે છે નહીં. દેવાળામાં છે. અહીંયા ઉંચ પદ તો બહુ છે, પરંતુ
પછી ખબરદાર નહીં રહેશે તો ઉપર થી એકદમ નીચે પડશે. માયા હપ કરી લે છે. બાળકોને ખુબ
ખબરદાર થવાનું છે. પોતાની મત પર કમિટીઓ વગેરે બનાવવી, આમાં કંઈ રાખ્યું નથી. બાપ થી
બુદ્ધિયોગ રાખો - જેનાથી જ સતોપ્રધાન બનવાનું છે. બાપનાં બનીને અને પછી બાપથી યોગ
નથી લગાવતાં, શ્રીમત નું ઉલ્લંઘન કરે છે તો એકદમ નીચે પડે છે. કનેક્શન (સંબંધ) જ
તૂટી પડે છે. લિંક (તાર) તુટી જાય છે. લિંક તુટી જાય તો ચેક કરવું જોઈએ કે માયા અમને
આટલું કેમ હેરાન કરે છે. કોશિશ કરી બાપ ની સાથે લિંક જોડવી જોઈએ. નહીં તો બેટરી
ચાર્જ કેવી રીતે થશે. વિકર્મ કરવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. ઉંચે ચઢતાં-ચઢતાં
નીચે પડે છે. જાણો છો એવાં ઘણાં છે. શરું માં કેટલાં અનેક આવીને બાબા નાં બન્યાં.
ભઠ્ઠીમાં આવ્યા પછી આજે ક્યાં છે? નીચે પડયાં કારણ કે જૂની દુનિયા યાદ આવી. હવે બાપ
કહે છે હું તમને બેહદ નો વૈરાગ્ય અપાવી રહ્યો છું. આ જૂની પતિત દુનિયાથી દિલ
લગાવવાનું નથી. દિલ લગાવો સ્વર્ગ થી, મહેનત છે. જો આ લક્ષ્મી-નારાયણ બનવાં ઈચ્છો છો
તો મહેનત કરવી પડે. બુદ્ધિયોગ એક બાપની સાથે હોવો જોઈએ. જૂની દુનિયાથી વૈરાગ્ય.
અચ્છા, જૂની દુનિયાને ભૂલી જાય આ તો ઠીક છે. ભલા યાદ કોને કરે? શાંતિધામ-સુખધામ ને.
જેટલું થઈ શકે ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરો. બેહદ સુખનાં સ્વર્ગ ને
યાદ કરો. આ તો બિલકુલ સહજ છે. જો આ બંને આશાઓ થી ઉલ્ટા ચાલે છે તો પદ ભ્રષ્ટ થઈ જાય
છે. તમે અહીંયા આવ્યા જ છો નર થી નારાયણ બનવા માટે. બધાંને કહો છો તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું છે કારણકે રિટર્ન યાત્રા થાય છે. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી
રીપીટ એટલે નર્ક થી સ્વર્ગ, ફરી સ્વર્ગ થી નર્ક. આ ચક્ર ફરતું જ રહે છે. બાપે કહ્યું
છે કે અહીંયા સ્વદર્શન ચક્રધારી થઈને બેસો. આ જ યાદ માં રહો, અમે કેટલી વખત આ ચક્ર
લગાવ્યું છે. અમે સ્વદર્શન ચક્રધારી છીએ, હમણાં ફરીથી દેવતા બનીએ છીએ. દુનિયામાં
કોઈ પણ આ રહસ્યને નથી જાણતાં. આ જ્ઞાન દેવતાઓ ને તો સંભળાવવાનું નથી. તે તો છે જ
પવિત્ર. એમનામાં જ્ઞાન છે નહીં જે શંખ વગાડે. પવિત્ર પણ છે એટલે એમને નિશાની આપવાની
દરકાર જ નથી. નિશાની ત્યારે હોય છે જ્યારે બંને સાથે ચતુર્ભુજ હોય છે. તમને પણ નથી
આપતાં કારણ કે તમે આજે દેવતા પછી નીચે પડી જાઓ છો. માયા પાડે છે ને. બાપ દૈવી બનાવે
છે, માયા પછી આસુરી બનાવી દે છે. અનેક પ્રકાર થી માયા પરીક્ષા લે છે. બાપ જ્યારે
સમજાવે છે ત્યારે ખબર પડે છે. સાચેજ અમારી અવસ્થા નીચે પડેલી છે. કેટલાં બિચારા
પોતાનું બધું શિવબાબાનાં ખજાનામાં જમા કરાવી પછી પણ ક્યારેક માયાથી હાર ખાઈ લે છે.
શિવબાબાનાં બની ગયા પછી ભૂલી કેમ જાય, આમાં યોગ ની યાત્રા મુખ્ય છે. યોગ થી જ
પવિત્ર બનવાનું છે. નોલેજ ની સાથે-સાથે પવિત્રતા પણ જોઈએ. તમે બોલાવો પણ છો બાબા
અમને આવીને પાવન બનાવો, જે અમે સ્વર્ગમાં જઈ શકીએ. યાદ ની યાત્રા છે જ પાવન બની ઉંચ
પદ પામવા માટે. જે ચાલ્યાં જાય છે તો પણ કાંઈ ને કાંઈ સાંભળ્યું છે તો શિવાલય માં
આવશે જરુર. પછી પદ ભલે કેવું પણ પામે પરંતુ આવે છે જરુર. એક વખત પણ યાદ કર્યા તો
સ્વર્ગમાં આવી જશે, બાકી ઉંચ પદ નથી. સ્વર્ગનું નામ સાંભળી ખુશ ન થવું જોઈએ. નપાસ
થઇ ને પાઈ પૈસા નું પદ પામી લેવું, આમાં ખુશ ન થવું જોઈએ. ભલે સ્વર્ગ છે પરંતુ એમાં
પદ તો બહુજ છે ને. ફીલિંગ તો આવે છે ને - હું નોકર છું, મજૂર છું. પાછળ થી તમને બધાં
સાક્ષાત્કાર થશે - અમે શું બનીશું, અમારાથી શું વિકર્મ થયાં છે જે આવી હાલત થઈ છે?
હું મહારાણી કેમ ન બની? કદમ-કદમ પર ખબરદારી થી ચાલવાથી તમે પદમપતિ બની શકો છો.
ખબરદારી નથી તો પદમપતિ બની નહીં શકો. મંદિરોમાં દેવતાઓ ને પદમપતિ ની નિશાની દેખાડે
છે. ફરક તો સમજી શકો છો ને. પદ નો પણ બહુ ફરક છે. હમણાં પણ જુઓ પદ કેટલાં છે. કેટલાં
ઠાઠ હોય છે. છે તો અલ્પકાળ નું સુખ. તો હવે બાપ કહે છે આ ઉંચ પદ પામવાનું છે, જેનાં
માટે બધાં હાથ ઉઠાવે છે તો આટલો પુરુષાર્થ કરવાનો છે. હાથ ઉઠાવવા વાળા પણ પોતે ખતમ
થઇ જાય છે. કહેશે આ દેવતા બનવા વાળા હતાં. પુરુષાર્થ કરતાં ખતમ થઈ ગયાં. હાથ ઉઠાવવો
સહજ છે. અનેકો ને સમજાવવું પણ સહજ છે, મહારથી સમજાવતાં પણ ગાયબ થઈ જાય છે. બીજાઓનું
કલ્યાણ કરી પોતે પોતાનું અકલ્યાણ કરી બેસે છે, એટલે બાપ સમજાવે છે ખબરદાર રહો.
અંતર્મુખ થઈએ બાપ ને યાદ કરવાનાં છે. કયા પ્રકાર થી? બાબા અમારા બાપ પણ છે, શિક્ષક
પણ છે, સદ્દગુરુ પણ છે, અમે જઈ રહ્યાં છીએ - પોતાનાં સ્વીટ હોમ માં. આ બધું જ્ઞાન
અંદર માં હોવું જોઈએ. બાપ માં જ્ઞાન અને યોગ બંને છે. તમારામાં પણ હોવું જોઈએ. જાણો
છો શિવબાબા ભણાવે છે તો જ્ઞાન પણ થયું, યાદ પણ થઇ. જ્ઞાન અને યોગ બંને સાથે ચાલે
છે. એવું નહીં, યોગ માં બેઠા શિવબાબા ને યાદ કરતાં રહે, નોલેજ ભૂલી જાય. બાપ યોગ
શીખવાડે છે તો નોલેજ ભૂલી જવાય છે શું! બધું નોલેજ એમનામાં રહે છે. આપ બાળકોમાં આ
નોલેજ હોવું જોઈએ. ભણવું જોઈએ. જેવાં કર્મ હું કરીશ, મને જોઈ બીજા પણ કરશે. હું
મુરલી નહીં સાંભળીશ તો બીજા પણ નહીં સાંભળશે. હું જેમ દુર્ગતિ ને પામીશ તો બીજા પણ
દુર્ગતિને પામી લેશે. હું નિમિત્ત બની જઈશ બીજાઓને પાડવાં. ઘણાં બાળકો મુરલી નથી
વાંચતા, મિથ્યા અહંકાર આવી જાય છે. માયા ઝટ વાર કરી લે છે. કદમ-કદમ પર શ્રીમત જોઈએ.
નહીં તો કાંઈ ને કાંઈ વિકર્મ બની જાય છે. ઘણાં બાળકો ભૂલો કરે છે પછી સત્યાનાશ થઈ
જાય છે. ગફલત થવાથી માયા થપ્પડ લગાવી વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે, આમાં
ખુબ સમજ જોઈએ. અહંકાર આવવાથી માયા ખુબ વિકર્મ કરાવે છે.જ્યારે કોઈ કમિટી વગેરે બનાવો
છો તો એમાં હેડ (મુખ્ય) એક-બે ફિમેલ (બહેનો) જરુર હોવી જોઈએ, જેમની સલાહ પર કામ થાય.
કળશ તો લક્ષ્મી પર રખાય છે ને. ગાયન પણ છે અમૃત પીવડાવતી હતી તો અસુર પણ બેસી પીતા
હતાં. પછી ક્યાંક યજ્ઞમાં વિઘ્ન નાખે છે, અનેક પ્રકાર નાં વિધ્ન નાખવા વાળા છે. આખો
દિવસ બુદ્ધિમાં ઝરમુઈ-ઝગમુઈ ની વાતો રહે છે, આ બહુ ખરાબ છે. કોઈ પણ વાત છે તો બાપને
રિપોર્ટ (જાણ) કરો. સુધારવા વાળા તો એક જ બાપ છે. તમે પોતાનાં હાથમાં લો (કાયદો) નહીં
ઉઠાવો. તમે બાપની યાદ માં રહો. બધાને બાપ નો પરિચય આપો ત્યારે એવાં બની શકશો. માયા
ખૂબ કઠોર છે, કોઈને પણ છોડતી નથી. સદૈવ બાપને સમાચાર લખવા જોઈએ. ડાયરેક્શન લેતા
રહેવું જોઈએ. આમ તો દરેક ડાયરેક્શન મળતાં જ રહે છે. બાળકો સમજે છે બાબાએ તો જાતે જ
આ વાત પર સમજાવી દીધું તો અંતર્યામી છે. બાપ કહે છે - ના, હું તો નોલેજ ભણાવું છું.
આમાં અંતર્યામી ની તો વાત જ નથી. હા, આ જાણે છે કે આ બધાં મારા બાળકો છે. દરેક ની
અંદરની આત્મા મારા બાળકો છે. બાકી એવું નથી બાપ બધામાં વિરાજમાન છે. મનુષ્ય ઉલટું
સમજી લે છે.
બાપ કહે છે હું જાણું છું બધાનાં તખ્ત પર આત્મા વિરાજમાન છે. આ તો કેટલી સહજ વાત
છે. તો પણ ભૂલીને પરમાત્મા સર્વવ્યાપી કહી દે છે. આ છે એક જ ભૂલ, જેનાં કારણે જ આટલાં
નીચે પડ્યાં છે. વિશ્વનાં માલિક બનાવવા વાળા ને તમે ગાળો આપો છો એટલે બાપ કહે છે યદા
યદાહિ…...બાપ અહીંયા આવે છે તો બાળકોએ સારી રીતે વિચાર સાગર મંથન કરવાનું છે. નોલેજ
પર ખૂબ-ખૂબ મંથન કરવું જોઈએ, સમય આપવો જોઇએ ત્યારે તમે પોતાનું કલ્યાણ કરી શકશો, આમાં
પૈસા વગેરેની પણ વાત નથી. ભૂખે તો કોઈ મરી ન શકે. જેટલું જે બાપ ની પાસે જમા કરે
છે, એટલું ભાગ્ય બને છે. બાપે સમજાવ્યું છે જ્ઞાન અને ભક્તિનાં પછી છે વૈરાગ્ય.
વૈરાગ્ય એટલે બધુંજ ભૂલી જવું પડે છે. પોતાને ડિટેચ (અલગ) કરી દેવું જોઈએ, શરીર થી
હું આત્મા હવે જઈ રહી છું. અચ્છા!
ઓમ શાંતિ !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિમાત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
ઉપર ખુબ કંટ્રોલ (નિયંત્રણ) રાખવાનો છે. શ્રીમત માં ક્યારેય બેપરવાહ નથી બનવાનું.
ખૂબ-ખૂબ ખબરદાર રહેવાનું છે, ક્યારેય કોઈ કાયદાનું ઉલ્લંઘન ન થાય.
2. અંતર્મુખી થઈ એક બાપ થી બુદ્ધિની લિંક જોડવાની છે. આ પતિત જૂની દુનિયાથી બેહદ નો
વૈરાગ્ય રાખવાનો છે. બુદ્ધિ માં રહે - જે કર્મ હું કરીશ, મને જોઈ બધાં કરશે.
વરદાન :-
સ્વમાન ની સીટ
પર સ્થિત રહી માયા ને સરેન્ડર ( સમર્પણ ) કરવા વાળા શ્રેષ્ઠ સ્વમાનધારી ભવ
સંગમયુગનું સૌથી
શ્રેષ્ઠ સ્વમાન છે માસ્ટર સર્વશક્તિમાનની સ્મૃતિ માં રહેવું. જેમ કોઇ મોટો ઓફિસર
અથવા રાજા જ્યારે સ્વમાનની સીટ પર સ્થિત હોય છે તો બીજા પણ એને સમ્માન આપે છે, જો
સ્વયં સીટ પર નથી તો એમનો ઓર્ડર (આદેશ) કોઈ માનશે નહીં, એમ તમે પણ સ્વમાનધારી બની
પોતાનાં શ્રેષ્ઠ સ્વમાનની સીટ પર સેટ રહો તો માયા તમારા આગળ સરેન્ડર થઈ જશે.
સ્લોગન :-
સાક્ષીપણા ની
સ્થિતિમાં રહી દિલારામ નાં સાથ નો અનુભવ કરવાવાળા જ લવલીન આત્મા છે.