18-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.20
બાપદાદા મધુબન
૧૮ જાન્યુઆરી, પિતાશ્રી જી નાં પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસ માં સંભળાવવા
માટે - બાપદાદાના
ં અણમોલ મહાવાક્ય
“ મીઠા બાળકો - એક
બાપની યાદ થી તમારે સુપ્રીમ ( સર્વોચ્ચ ) બનવાનું છે તો ભૂલે - ચૂકે પણ કોઈ બીજાને
યાદ નથી કરવાનાં”
ઓમ્ શાંતિ !
બેહદનાં બાપ
બેસી બાળકો ને સમજાવે છે - મીઠા બાળકો પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો અને
પોતાનાં ઘરને યાદ કરો. એમને કહેવાય જ છે ટાવર ઓફ સાઇલેન્સ (શાંતિનાં સ્થંભ). ટાવર
ઓફ સુખ. ટાવર ખૂબ ઊંચું હોય છે. તમેં ત્યાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. ઉંચે
થી ઉંચા ટાવર ઓફ સાઇલેન્સ માં તમે કેવી રીતે જઈ શકો છો, આ પણ ટાવર માં રહેવાવાળા
બાપ બેસી શીખવાડે છે, બાળકો, પોતાને આત્મા સમજો. આપણે આત્મા શાંતિધામનાં નિવાસી છીએ.
તે છે બાપ નું ઘર. આ ચાલતાં-ફરતાં ટેવ (આદત) પાડવાની છે. પોતાને આત્મા સમજો અને
શાંતિધામ, સુખધામ ને યાદ કરો. બાપ જાણે છે આમાં જ મહેનત છે. જે આત્મ-અભિમાની થઈને
રહે છે તેમને કહેવાય છે મહાવીર. યાદ થી જ તમે મહાવીર, સુપ્રીમ બનો છો. સુપ્રીમ
અર્થાત્ શક્તિવાન.
બાળકોને ખુશી થવી જોઈએ - સ્વર્ગ નાં માલિક બનાવવા વાળા બાબા, વિશ્વનાં માલિક બનાવવા
વાળા બાબા અમને ભણાવી રહ્યાં છે. આત્માની બુદ્ધિ ચાલી જાય છે બાપની તરફ. આ છે -
આત્મા નો પ્રેમ એક બાપ ની સાથે. સવારે-સવારે ઉઠી બાબા થી મીઠી-મીઠી વાતો કરો. બાબા
તમારી તો કમાલ છે, સ્વપ્નમાં પણ નહોતું તમે અમને સ્વર્ગ નાં માલિક બનાવશો. બાબા અમે
તમારી શિક્ષા પર જરુર ચાલીશું. કોઈ પણ પાપનું કામ નહીં કરશું. બાબા જેવો પુરુષાર્થ
કરે છે, બાળકો ને પણ સંભળાવે છે. શિવબાબાનાં આટલાં અનેક બાળકો છે, ઓના (ફિકર) તો થશે
ને. કેટલી બાળકોની સંભાળ થાય છે. અહીંયા તમે ઈશ્વરીય પરિવારમાં બેઠા છો. બાપ સમ્મુખ
બેઠા છે. તુમ્હી સે ખાઉં, તુમ્હી સે બેઠું…. તમે જાણો છો શિવબાબા આમાં આવીને કહે છે
- મીઠા બાળકો મામેકમ્ યાદ કરો. દેહ સહિત દેહનાં સર્વ સંબંધો ને ભૂલી જાઓ. આ અંતિમ
જન્મ છે. આ જૂની દુનિયા, જૂનું દેહ ખલાસ થઈ જવાનું છે. કહેવત પણ છે આપ મુયે મર ગઈ
દુનિયા. પુરુષાર્થ માટે થોડો એવો સંગમ નો સમય છે. બાળકો પૂછે છે બાબા આ ભણતર ક્યાં
સુધી ચાલશે? જ્યાં સુધી દૈવી રાજધાની સ્થાપન થઈ જાય ત્યાં સુધી સંભળાવતાં રહેશે. પછી
ટ્રાન્સફર થશો નવી દુનિયામાં. આ જૂનું શરીર છે, કંઈ ને કંઈ કર્મભોગ ચાલતો રહે છે.
આમાં બાબા મદદ કરે - આ ઉમ્મીદ ન રાખવી જોઈએ. દેવાળુ નીકળ્યું, બીમાર થયાં - બાપ
કહેશે આ તમારો હિસાબ-કિતાબ છે. હા તો પણ યોગ થી આયુ વધશે. પોતાની મહેનત કરો. કૃપા
માંગો નહીં. બાપ ને જેટલું યાદ કરશો એમાં જ કલ્યાણ છે. જેટલું થઈ શકે યોગબળ થી કામ
લો. ગાએ પણ છે ને - મને પલકો માં છુપાવી લો... પ્રિય વસ્તુ ને નૂરે રત્ન, પ્રાણ
પ્રિય કહે છે. આ બાપ તો ખૂબ પ્રિય છે, પરંતુ છે ગુપ્ત. એમનાં માટે પ્રેમ એવો હોવો
જોઈએ જે વાત નહીં પૂછો. બાળકોએ તો બાપને પલકો માં છુપાવવાં પડે. પલકો કોઈ આ આંખો નથી.
આ તો બુદ્ધિમાં યાદ રાખવાનું છે. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) નિરાકાર બાપ આપણને ભણાવી
રહ્યાં છે. એ જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર છે, પ્રેમનાં સાગર છે. આવાં મોસ્ટ બિલવેડ
બાપનાં સાથે કેટલો પ્રેમ જોઈએ. બાળકોની કેટલી નિષ્કામ સેવા કરે છે. પતિત શરીરમાં
આવીને આપ બાળકોને હીરા જેવાં બનાવે છે. કેટલાં મીઠા બાબા છે. તો બાળકોને પણ એવા મીઠા
બનવાનું છે. કેટલા નિરંહકાર થી બાબા આપ બાળકોની સેવા કરે છે, તો આપ બાળકોને પણ એટલી
સેવા કરવી જોઈએ. શ્રીમત પર ચાલવું જોઈએ. ક્યાંય પોતાની મત દેખાડી તો તકદીરને લકીર
લાગી જશે. આપ બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. બ્રહ્માની સંતાન ભાઈ-બહેન છો. ઈશ્વરીય
પૌત્ર-પૌત્રીઓ છો. એમનાથી વારસો લઇ રહ્યા છો. જેટલો પુરુષાર્થ કરશો એટલું પદ પામશો.
આમાં સાક્ષી રહેવાનો પણ ખૂબ અભ્યાસ જોઈએ. બાબા કહે છે, મીઠા બાળકો, હે આત્માઓ
મામેકમ્ યાદ કરો. ભૂલે-ચૂકે પણ બાપના સિવાય કોઈ ને યાદ નહીં કરતાં. તમારી પ્રતિજ્ઞા
છે બાબા મારા તો એક જ તમે છો. અમે આત્મા છીએ, તમે પરમાત્મા છો. તમારાથી જ વારસો
લેવાનો છે. તમારાથી જ રાજયોગ શીખી રહ્યા છે, જેનાથી રાજ્ય-ભાગ્ય પામીએ છીએ.
મીઠા બાળકો, તમે જાણો છો આ અનાદિ ડ્રામા છે. આમાં હાર જીત નો ખેલ ચાલે છે. જે થાય
છે તે ઠીક છે. ક્રિયેટર (રચયિતા) ને ડ્રામા જરુર પસંદ હશે ને, તો ક્રિયેટર નાં
બાળકોને પણ પસંદ હશે. આ ડ્રામામાં બાપ એક જ વખત બાળકોની પાસે બાળકોની દિલ વ જાન,
સિક વ પ્રેમ થી સેવા કરવા આવે છે. બાપ ને તો બધાં બાળકો પ્રિય છે. તમે જાણો છો
સતયુગમાં પણ બધાં એક-બીજાને ખૂબ પ્રેમ કરે છે. જાનવરો માં પણ પ્રેમ હોય છે. એવાં
કોઈ જાનવર નથી હોતાં જે પ્રેમ થી ન રહે. તો આપ બાળકોએ અહીંયા માસ્ટર પ્રેમનાં સાગર
બનવાનું છે. અહીંયા બનશો તો તે સંસ્કાર અવિનાશી બની જશે. બાપ કહે છે કલ્પ પહેલાં
માફક હૂબહૂ ફરીથી પ્રિય બનાવવા આવ્યો છું. કયારેક કોઈ બાળકો નો ગુસ્સા નો અવાજ
સાંભળે છે તો બાપ શિક્ષા આપે છે બાળકો, ગુસ્સો કરવો ઠીક નથી, આનાથી તમે પણ દુઃખી થશો
બીજાઓને પણ દુ:ખી કરશો. બાપ સદાકાળ નું સુખ આપવા વાળા છે તો બાળકોએ પણ બાપ સમાન
બનવાનું છે. એક બીજા ને ક્યારેય દુઃખ નથી આપવાનું.
આપ બાળકો જાણો છો શિવબાબા છે સવાર નાં સાંઈ…. રાત ને દિવસ અથવા સવાર બનાવવા વાળા
છે. સાંઈ કહેવાય છે બેહદનાં બાપ ને. એ એક જ સાંઈ બાબા, ભોળાનાથ શિવબાબા છે. નામ જ
છે ભોળાનાથ. ભોળી-ભોળી કન્યાઓ, માતાઓ પર જ્ઞાન નો કળશ રાખે છે. તેમને જ વિશ્વનાં
માલિક બનાવે છે. કેટલો સહજ ઉપાય બતાવે છે. કેટલાં પ્રેમ થી તમારી જ્ઞાનની પાલના કરે
છે. આત્માને પાવન બનાવવા માટે યાદ ની યાત્રા માં રહો. યોગનું સ્નાન કરવાનું છે.
જ્ઞાન છે ભણતર. યોગ સ્નાન થી પાપ ભસ્મ થાય છે. પોતાને આત્મા સમજવાનો અભ્યાસ કરતાં
રહો, તો આ દેહ નો અહંકાર બિલકુલ તૂટી જાય. યોગથી જ પવિત્ર સતોપ્રધાન બની બાબાની પાસે
જવાનું છે. ઘણાં બાળકો આ વાતોને સારી રીતે સમજતાં નથી. સાચો-સાચો પોતાનો ચાર્ટ
બતાવતાં નથી. અડધોકલ્પ જુઠ્ઠી દુનિયામાં રહ્યાં છે તો જુઠ્ઠું જેમ કે અંદર જામી ગયું
છે. સચ્ચાઈ થી પોતાનો ચાર્ટ બાપને બતાવવો જોઈએ. ચેક કરવાનું છે - અમે પોણો કલાક બેઠા,
આમાં કેટલો સમય પોતાને આત્મા સમજી બાપ ને યાદ કર્યા! ઘણાને સાચું બતાવવામાં લજ્જા
આવે છે. આ તો ઝટ સંભળાવશે કે આટલી સર્વિસ કરી, આટલા ને સમજાવ્યું પરંતુ યાદ નો
ચાર્ટ કેટલો રહ્યો, તે સાચું નથી સંભળાવતાં. યાદમાં ન રહેવાનાં કારણે જ તમારું કોઈ
ને તીર નથી લાગતું. જ્ઞાન તલવાર માં બળ નથી ભરાતું. કોઈ કહે છે અમે તો નિરંતર યાદ
માં રહીએ છીએ, બાબા કહે છે તે અવસ્થા છે નહીં. નિરંતર યાદ રહે તો કર્માતીત અવસ્થા
થઈ જાય. જ્ઞાન ની પરાકાષ્ઠા દેખાઈ આવે, આમાં ખૂબ મહેનત છે. વિશ્વનાં માલિક એમ જ થોડી
બની જશે. એક બાપનાં સિવાય બીજા કોઈની યાદ ન રહે. આ દેહ પણ યાદ ન આવે. આ અવસ્થા તમારી
પાછળ થી થશે. યાદની યાત્રાથી જ તમારી કમાણી થતી રહેશે. જો શરીર છૂટી ગયું પછી તો
કમાણી કરી નહીં શકશો. ભલે આત્મા સંસ્કાર લઈ જશે પરંતુ શિક્ષક તો જોઈએ ને જે પછી
સ્મૃતિ અપાવે. બાપ ઘડી-ઘડી સ્મૃતિ અપાવતાં રહે છે. એવાં ઘણાં બાળકો છે જે ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં, નોકરી વગેરે પણ કરતાં અને ઉંચ પદ પામવા માટે શ્રીમત પર ચાલી
પોતાનું ભવિષ્ય પણ જમા કરતા રહે છે. બાબા થી સલાહ લેતા રહે છે. પૈસા છે તો એને સફળ
કેવી રીતે કરીએ. બાબા કહે છે સેવાકેન્દ્ર ખોલો, જેનાથી અનેકોનું કલ્યાણ થાય. મનુષ્ય
દાન-પુણ્ય વગેરે કરે છે, બીજા જન્મમાં તેનું ફળ મળે છે. તમને પણ ભવિષ્ય ૨૧ જન્મોનાં
માટે રાજ્ય ભાગ્ય મળે છે. તમારી આ નંબરવન બેંક છે, આમાં ૪ આનાં નાખો તો ભવિષ્યમાં
હજાર બની જશે. પથ્થર થી સોનું બની જશે. તમારી દરેક વસ્તુ પારસ બની જશે. બાબા કહે છે
મીઠા બાળકો ઉંચ પદ પામવું છે તો માતા-પિતાને પૂરું ફોલો (અનુસરણ) કરો અને પોતાની
કર્મેન્દ્રિયો પર કંટ્રોલ (નિયંત્રણ) રાખો. જો કર્મેન્દ્રિયો વશ નથી, ચલન ઠીક નથી
તો ઊંચ પદ થી વંચિત થઈ જશો. પોતાની ચલન ને સુધારવાની છે. વધારે તમન્નાઓ નથી રાખવાની.
બાપ આપ બાળકોને કેટલો જ્ઞાન શ્રૃંગાર કરાવી સતયુગ નાં મહારાજા મહારાણી બનાવે છે. આમાં
સહનશીલતા નો ગુણ ખૂબ સારો જોઈએ. દેહ નાં ઉપર અતિ મોહ ન હોવો જોઈએ. યોગબળ થી પણ કામ
લેવાનું છે. બાબા ને કેટલી પણ ખાંસી વગેરે થાય તો પણ સદૈવ સર્વિસ પર તત્પર રહે છે.
જ્ઞાન યોગ થી શ્રૃંગાર કરી બાળકો ને લાયક બનાવે છે. તમે હમણાં ઈશ્વરીય ખોળામાં,
માત-પિતાનાં ખોળામાં બેઠા છો. બાપ બ્રહ્મા મુખ થી આપ બાળકોને જન્મ આપે છે તો આ માં
થઈ ગઈ. પરંતુ તમારી બુદ્ધિ તો પણ શિવબાબાની તરફ જાય છે. તુમ માતા-પિતા હમ બાલક તેરે…
તમારે સર્વગુણ સંપન્ન અહીંયા બનવાનું છે. ઘડી-ઘડી માયા થી હાર નથી ખાવાની. અચ્છા-
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
અવ્યક્ત
મહાવાક્ય
બધાં યોગ-યુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિમાં સ્થિત થઈ પોતાનું કાર્ય કરી રહ્યાં છો?
કારણ કે વર્તમાન સમય-પ્રમાણ સંકલ્પ, વાણી અને કર્મ આ ત્રણેય યુક્તિયુક્ત જોઈએ ત્યારે
જ સંપન્ન કે સંપૂર્ણ બની શકશો. ચારેય તરફ નું વાતાવરણ યોગ-યુક્ત અને યુક્તિયુક્ત
હોય. જેમ યુદ્ધ નાં મેદાનમાં જ્યારે યોદ્ધાઓ યુદ્ધ નાં માટે દુશ્મનનાં સામે ઉભેલાં
હોય છે તેમનું પોતાનાં ઉપર અને પોતાના શસ્ત્રો નાં ઉપર અર્થાત્ પોતાની શક્તિઓનાં
ઉપર કેટલું અટેન્શન (ધ્યાન) રહે છે. હમણાં તો સમય સમીપ આવતો જઈ રહ્યો છે, આ સમજો
યુદ્ધ નાં મેદાનમાં સામે આવવાનો સમય છે. એવાં સમયમાં ચારે બાજુ સર્વ શક્તિઓનું સ્વયં
માં અટેન્શન જોઈએ. જો જરા પણ અટેન્શન ઓછું હશે તો જેમ-જેમ સમય-પ્રમાણે ચારે બાજુ
ટેન્શન વધતું જાય છે, એમ જ ચારે બાજુ ટેન્શનનાં વાતાવરણ નો પ્રભાવ, યુદ્ધમાં
ઉપસ્થિત થયેલાં રુહાની પાંડવ સેના પર પણ પડી શકે છે. દિવસ-પ્રતિદિવસ જેમ સંપૂર્ણતાનો
સમય નજદીક આવતો જશે તો દુનિયામાં ટેન્શન હજું પણ વધશે, ઓછું નહીં થશે. ખેંચતાણ નાં
જીવનનો ચારેબાજુ અનુભવ થશે જેમ કે ચારે બાજુથી ખેંચાયેલું હોય છે. એક તરફ થી
પ્રકૃતિની નાની-નાની આપદાઓનાં નુકસાન નું ટેન્શન, બીજી તરફ આ જ દુનિયાની ગવર્મેન્ટનાં
કડક કાયદાઓનું ટેન્શન, ત્રીજી તરફ વ્યવહારમાં કમી નું ટેન્શન, અને ચોથી તરફ જે
લૌકિક સંબંધી વગેરે થી સ્નેહ અને સ્વતંત્રતા હોવાનાં કારણે ખુશીની ભાસના અલ્પકાળ
માટે હોય છે, તે પણ સમાપ્ત થઇ ને ભયની અનુભૂતિ નાં ટેન્શન માં, ચારે બાજુનું ટેન્શન
લોકોમાં વધવાનું છે. ચારે બાજુનાં ટેન્શન માં આત્માઓ તડપશે. જ્યાં જશે ત્યાં ટેન્શન.
જેમ શરીરમાં પણ કોઈ નસ ખેંચાઈ જાય છે તો કેટલી હેરાનગતિ થાય છે. દિમાગ ખેંચાયેલું
રહે છે. એમ જ આ વાતાવરણ વધતું જશે. જેમ કે કોઈ ઠેકાણું નજર નહીં આવે કે શું કરીએ?
જો હા કરીએ તો પણ ખેંચાવટ - ના કરીએ તો પણ ખેંચાવટ - કમાઈએ તો પણ મુશ્કેલ, ન કમાઈએ
તો પણ મુશ્કેલ. ભેગું કરીએ તો પણ મુશ્કેલ, ન કરીએ તો પણ મુશ્કેલ. એવું વાતાવરણ બનતું
જશે. એવાં સમય પર ચારે બાજુનાં ટેન્શન નો પ્રભાવ રુહાની પાંડવસેના પર ન થાય. સ્વયંને
ટેન્શન માં આવવાની સમસ્યાઓ ન પણ હોય, પરંતુ વાતાવરણનો પ્રભાવ કમજોર આત્મા પર સહજ જ
થઈ જાય છે. ભય નો વિચાર કે શું થશે? કેવી રીતે થશે? આ વાતોનો પ્રભાવ ન થાય - એનાં
માટે કોઈ-ને-કોઈ વચ્ચે-વચ્ચે ઈશ્વરીય યાદની યાત્રાનો વિશેષ પ્રોગ્રામ મધુવન દ્વારા
ઓફિશિયલ જતો રહેવો જોઈએ જેનાથી આત્માઓનો કિલ્લો મજબૂત રહેશે.
આજકાલ સર્વિસ પણ ખૂબ વધશે. પરંતુ વધવાનાં સાથે-સાથે યુક્તિ-યુક્ત પણ ખૂબ જોઈએ.
આજકાલ સબંધ અને સંપર્કમાં રહેવા વાળા વધારે આવશે. સ્વરુપ બનવા વાળા ઓછાં આવશે. બધાં
એક જેવા નહીં નીકળશે. દિવસ-પ્રતિદિવસ ક્વોલિટી (ગુણવત્તા) પણ કમજોર આત્માઓ અર્થાત્
પ્રજાની સંખ્યા વધારે આવશે, એમને એક વાત સારી લાગશે, બે નહીં લાગશે. બધી વાતોમાં
નિશ્ચય નહીં હશે. તો સંપર્ક વાળાઓ ને પણ, એમને જે જોઈએ - એજ પ્રમાણ એમને સંપર્ક માં
રાખતાં રહેવાનું છે. સમય જેમ નાજુક આવતો જશે તેમ સમસ્યા પ્રમાણ પણ એમનાં માટે
રેગ્યુલર સ્ટુડન્ટ (નિયમિત વિદ્યાર્થી) બનવું મુશ્કેલ થશે. પરંતુ સંપર્કમાં
અનેકાનેક આવશે કારણ કે છેલ્લો સમય છે ને. તો છેલ્લું દૃશ્ય કેવું હોય છે? જેમ પહેલાં
ઉછળ, ઉમંગ, ઉત્સાહ હોય છે - તે વિરલા કોઈનો જ હશે. મેજોરીટી (અધિકાંશ) સંબંધ અને
સંપર્ક વાળા આવશે. તો આ અટેન્શન જોઈએ. એવું નહીં કે સંપર્ક વાળી આત્માઓને ન પારખતાં
સંપર્ક થી પણ એમને વંચિત કરી દો. ખાલી હાથ કોઈ પણ ન જાય, નિયમો પર ભલે નથી ચાલી શકતાં,
પરંતુ તે સ્નેહ માં રહેવા ઈચ્છે છે, તો એવી આત્માઓનું પણ અટેન્શન જરુર રાખવાનું છે.
સમજી લેવું જોઈએ કે આ ગ્રુપ આ જ પ્રમાણે ત્રીજી સ્ટેજ (અવસ્થા) વાળું છે, તો એમને
પણ એવી પ્રમાણે હેન્ડલિંગ (પાલના) મળવી જોઈએ. અચ્છા. ઓમ્ શાંતિ.
વરદાન :-
સ્નેહની પાછળ
સર્વ કમજોરીઓ ને કુરબાન કરવા વાળા સમર્થી સ્વરુપ ભવ
સ્નેહની નિશાની છે
કુરબાની. સ્નેહની પાછળ કુર્બાન કરવામાં કોઇ મુશ્કેલી અથવા અસંભવ વાત પણ સંભવ અને
સહજ અનુભવ થાય છે. તો સમર્થી સ્વરુપ નાં વરદાન દ્વારા સર્વ કમજોરીઓને મજબૂરી થી નહીં
દિલ થી કુરબાન કરો કારણ કે સત્ય બાપનાં પાસે સત્ય જ સ્વીકાર થાય છે. તો ફક્ત બાપનાં
સ્નેહ નાં ગીત નહીં ગાઓ પરંતુ સ્વયં બાપ સમાન અવ્યક્ત સ્થિતિ સ્વરુપ બનો જે સૌ તમારા
ગીત ગાએ.
સ્લોગન :-
સંકલ્પ કે
સ્વપ્ન માં પણ એક દિલારામ ની યાદ રહે ત્યારે કહેવાશે સાચાં તપસ્વી.