11-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - મોસ્ટ
બીલ્વેડ ( સૌથી પ્રિય ) શિવબાબા આવ્યાં છે આપ બાળકો ને વિશ્વનાં માલિક બનાવવાં , તમે
એમની શ્રીમત પર ચાલો ”
પ્રશ્ન :-
મનુષ્ય
પરમાત્મા નાં માટે કઈ બે વાતો એક-બીજા થી ભિન્ન બોલે છે?
ઉત્તર :-
એક બાજુ કહે છે - પરમાત્મા અખંડ જ્યોતિ છે અને બીજી બાજુ કહે એ તો નામ-રુપ થી ન્યારા
છે. આ બંને વાતો એક-બીજા થી ભિન્ન થઈ જાય છે. યથાર્થ રુપથી ન જાણવાનાં કારણે જ પતિત
બનતા જાય છે. બાપ જ્યારે આવે છે તો પોતાનો સાચો પરિચય આપે છે.
ગીત :-
મરનાં તેરી ગલી
મેં…
ઓમ શાંતિ!
બાળકો એ ગીત
સાંભળ્યું. જ્યારે કોઈ મરે છે તો બાપની પાસે જન્મ લેશે. કહેવામાં આ જ આવે છે કે બાપ
ની પાસે જન્મ લીધો, માં નું નામ નહિ લેશે. શુભેચ્છાઓ બાપને અપાય છે. હમણાં આપ બાળકો
જાણો છો આપણે આત્માઓ છીએ, તે થઈ ગઈ શરીર ની વાત. એક શરીર છોડી પછી બીજા બાપની પાસે
જાય છે. તમે ૮૪ જન્મો માં ૮૪ સાકારી બાપ કર્યા છે. હકીકત માં અસલ માં છો નિરાકાર
બાપનાં બાળકો. તમે આત્મા પરમપિતા પરમાત્મા નાં બાળકો છો. રહેવા વાળા પણ ત્યાનાં છો
જેને નિર્વાણધામ કે શાંતિધામ કહે છે. અસલ તમે ત્યાનાં રહેવા વાળા છો. બાપ પણ ત્યાં
રહે છે. અહીંયા આવીને તમે લૌકિક બાપ નાં બાળકો બનો છો તો પછી એ બાપ ને ભૂલી જાઓ છો.
સતયુગમાં પણ તમે સુખી બની જાઓ છો તો એ પારલૌકિક બાપ ને ભૂલી જાઓ છો. સુખ માં એ બાપ
નું કોઈ સિમરણ નથી કરતાં. દુઃખ માં યાદ કરે છે. અને યાદ પણ આત્મા કરે છે. જ્યારે
લૌકિક બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ શરીર તરફ રહે છે. આ બાબા એમને યાદ કરશે તો કહેશે
ઓ બાબા. છે બંને બાબા. સાચો અક્ષર બાબા જ છે. આ પણ ફાધર, એ પણ ફાધર. આત્મા એ રુહાની
બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ ત્યાં જાય છે. આ બાપ બેસીને બાળકોને સમજાવે છે. હમણાં
તમે આ જાણો છો બાબા આવ્યાં છે, આપણને પોતાનાં બનાવ્યાં છે. બાપ કહે છે પહેલાં-પહેલાં
મેં તમને સ્વર્ગમાં મોકલ્યાં. તમે ખુબ-ખુબ સાહૂકાર હતાંં પછી ૮૪ જન્મ લઇ ડ્રામા
પ્લાન અનુસાર હમણાં તમે દુઃખી થયાં છો. હવે ડ્રામા અનુસાર જૂની દુનિયા ખતમ થવાની
છે. તમારી આત્મા અને શરીર રુપી વસ્ત્ર સતોપ્રધાન હતાંં પછી ગોલ્ડન એજ (સતયુગ) થી
સિલ્વર એજ (ત્રેતાયુગ) માં આત્મા આવી તો શરીર પણ સિલ્વર એજ માં આવ્યું પછી કોપર એજ
(દ્વાપરયુગ) માં આવ્યું. હમણાં તો તમારી આત્મા બિલ્કુલ જ પતિત થઈ ગઈ છે તો શરીર પણ
પતિત છે. જેમ ૧૪ કેરેટ નું સોનું કોઈ પસંદ નથી કરતાં. કાળું પડી જાય છે. તમે પણ હમણાં
કાળા આઈરન એજડ બની ગયાં છો. હવે આત્મા અને શરીર જે એવાં કાળા બની ગયાં છે તો પછી
પ્યોર (પવિત્ર) કેવી રીતે બનશે. આત્મા પવિત્ર બને તો શરીર પણ પવિત્ર મળે. તે કેવી
રીતે થશે? શું ગંગા સ્નાન કરવાથી? ના. પોકારે જ છે - હેં પતિત-પાવન…. આ આત્મા કહે
છે. બુદ્ધિ પારલૌકિક બાપ તરફ ચાલી જાય છે - હેં બાબા. જુઓ બાબા અક્ષર જ કેટલો મીઠો
છે. ભારતમાં જ બાબા-બાબા કહે છે. હમણાં તમે આત્મ-અભિમાની બની બાબાનાં બન્યાં છો.
બાબા કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યાં હતાંં. નવું શરીર ધારણ કર્યુ હતું. હવે તમે
શું બની ગયાં છો. આ વાતો હંમેશા અંદર રહેવી જોઈએ. બાબા ને જ યાદ કરવાં જોઈએ. યાદ પણ
કરે છે ને - હેં બાબા અમે આત્માઓ પતિત બની ગઈ છીએ. હવે આપ આવી ને પાવન બનાવો. ડ્રામા
માં પણ આ પાર્ટ છે ત્યારે તો બોલાવે છે. ડ્રામા પ્લાન અનુસાર આવશે પણ ત્યારે જ્યારે
જૂની દુનિયા થી નવી બનવાની છે તો જરુર સંગમ પર જ આવશે.
આપ બાળકોને નિશ્ચય છે બીલ્વેડ મોસ્ટ (સૌથી પ્રિય) બાબા છે. કહે પણ છે સ્વીટ, સ્વીટર,
સ્વીટેસ્ટ. હવે સ્વીટ કોણ છે? લૌકિક સંબંધમાં પણ પહેલાં છે ફાદર (પિતા), જે જન્મ આપે
છે. પછી શિક્ષક. તે સારા હોય છે. એમનાથી ભણીને પદ પામો છો. નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇન્કમ
(જ્ઞાન આવકનું સાધન) કહેવાય છે. જ્ઞાન છે નોલેજ. યોગ છે યાદ. તો બેહદનાં બાપ જેમણે
તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાંં, એમને તમે હમણાં ભૂલી ગયાં છો. શિવબાબા કેવી
રીતે આવ્યાં કોઈને ખબર નથી. ચિત્રોમાં પણ ક્લિયર (સ્પષ્ટ) દેખાડ્યું છે. બ્રહ્મા
દ્વારા સ્થાપના શિવબાબા કરાવે છે. કૃષ્ણ કેવી રીતે રાજયોગ શીખવાડશે? રાજયોગ શીખવાડે
જ છે સતયુગ માટે. તો જરુર સંગમ પર બાપે જ શીખવાડ્યો હશે. સતયુગ ની સ્થાપના કરવાવાળા
છે બાબા. શિવબાબા આમનાં દ્વારા કરાવે છે, કરનકરાવનહાર છે ને. તે લોકો ત્રિમૂર્તિ
બ્રહ્મા કહી દે છે. ઊંચે થી ઊંચા શિવ છે ને. આ સાકાર છે, તે નિરાકાર છે. સૃષ્ટિ પણ
અહીંયા જ છે. આ સૃષ્ટિનું જ ચક્ર છે જે ફરતું રહે છે, રિપીટ (પુનરાવર્તન) થતું રહે
છે. સૂક્ષ્મવતન ની સૃષ્ટિનું ચક્ર નથી ગવાતું. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી
મનુષ્યોની રિપીટ થાય છે. સૂક્ષ્મવતન માં કોઈ ચક્ર વગેરે નથી હોતું. ગાયન પણ છે
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ. તે અહીંયા ની વાત છે. સતયુગ-ત્રેતા…. વચમાં
જરુર સંગમયુગ જોઈએ. નહીં તો કળયુગ ને સતયુગ કોણ બનાવે. નર્કવાસીઓ ને સ્વર્ગવાસી
બનાવવા બાપ સંગમ પર આવે છે. આ તો હાઈએસ્ટ ઓથોરિટી ગોડફાધરલી ગવર્મેન્ટ છે. સાથે
ધર્મરાજ પણ છે. આત્મા કહે છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. કોઈ પણ દેવતાનાં
મંદિર માં જશે તો તેમની આગળ એવું કહેશે. કહેવું જોઈએ બાપ ને. એમને છોડી બ્રધર્સ (દેવતાઓ)
ને આવીને કહે છે. આ દેવતાઓ બ્રધર્સ થયાં ને. બ્રધર્સ થી તો કાંઈ પણ મળવાનું નથી.
ભાઈઓ ની પૂજા કરતાં-કરતાં નીચે ઉતરતા આવ્યાં છે. હવે આપ બાળકો જાણો છો બાબા આવ્યાં
છે, એમનાથી આપણને વારસો મળે છે. બાપને જ નથી જાણતાં, સર્વવ્યાપી કહી દે છે. કોઈ પછી
કહે છે અખંડ જ્યોતિ તત્વ છે. કોઈ કહે છે એ નામ-રુપ થી ન્યારા છે. જ્યારે અખંડ જ્યોતિ
સ્વરુપ છે તો પછી નામ-રુપ થી ન્યારા કેવી રીતે કહો છો. બાપને ન જાણવાનાં કારણે જ
પતિત બની ગયાં છે. તમોપ્રધાન પણ બનવાનું જ છે. પછી જ્યારે બાપ આવે છે ત્યારે આવીને
બધાને સતોપ્રધાન બનાવે છે. આત્માઓ નિરાકારી દુનિયામાં બધી બાપની સાથે રહે છે પછી
અહીંયા સતો-રજો-તમો માં આવીને પાર્ટ ભજવે છે. આત્મા જ બાપ ને યાદ કરે છે. બાપ આવે
પણ છે, કહે પણ છે બ્રહ્મા તન નો આધાર લઉં છું. આ છે ભાગ્યશાળી રથ. વગર આત્માનાં રથ
થોડી હોય છે. હમણાં આપ બાળકોને સમજાવ્યું છે, આ છે જ્ઞાન ની વર્ષા. નોલેજ છે, આનાથી
શું થાય છે? પતિત દુનિયાથી પાવન દુનિયા બને છે. ગંગા-જમુના તો સતયુગમાં પણ હોય છે.
કહે છે કૃષ્ણ જમુના નાં કાંઠા પર ખેલપાલ કરે છે. એવી કોઈ વાતો છે નહીં. તે તો સતયુગ
નાં પ્રિન્સ (રાજકુમાર) છે. ખુબ જ સારી રીતે તેમને સંભળાય છે કારણ કે ફૂલ છે ને.
ફૂલ કેટલાં સારા સુંદર હોય છે. ફૂલ થી બધાં આવી ને સુગંધ લે છે. કાંટા ની થોડી
સુગંધ લેશે. હમણાં તો આ છે કાંટાઓની દુનિયા. કાંટા નાં જંગલ ને બાપ આવીને ગાર્ડન ઓફ
ફ્લાવર (ફૂલોનો બગીચો) બનાવે છે એટલે તેમનું નામ બબુલનાથ પણ રાખી દીધું છે. કાંટા
ને બેસીને ફૂલ બનાવે છે એટલે મહિમા ગાએ છે-કાંટા ને ફૂલ બનાવવા વાળા બાબા. હવે આપ
બાળકોનો બાપ ની સાથે કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. તે લૌકિક બાપ તો તમને ગટરમાં નાખે
છે. આ બાપ ૨૧ જન્મોનાં માટે તમને ગટર થી નીકાળી પાવન બનાવે છે. તે તમને પતિત બનાવે
છે ત્યારે તો લૌકિક બાપ હોવા છતાં પણ પારલૌકિક બાપને આત્મા યાદ કરે છે.
હમણાં તમે જાણો છો અડધો કલ્પ બાપ ને યાદ કર્યા છે. બાપ આવે પણ જરુર છે. શિવજયંતી
મનાવે છે ને. તમે જાણો છો આપણે બેહદનાં બાપ નાં બન્યાં છીએ. હમણાં આપણો સંબંધ એમનાથી
પણ છે તો લૌકિક થી પણ છે. પારલૌકિક બાપ ને યાદ કરવાથી તમે પાવન બનશો. આત્મા જાણે છે
તે અમારા લૌકિક અને આ પારલૌકિક બાપ છે. ભક્તિમાર્ગ માં પણ આ આત્મા જાણે છે. ત્યારે
તો કહે છે - હેં ભગવાન, ઓ ગોડ ફાધર. અવિનાશી ફાધર ને યાદ કરે છે. એ બાપ આવીને હેવન
(સ્વર્ગ) સ્થાપન કરે છે. આ કોઈને ખબર નથી. શાસ્ત્રોમાં તો યુગોની પણ ખુબ લાંબી-પહોળી
આયુ આપી દીધી છે. આ કોઈનાં ખ્યાલમાં નથી આવતું કે બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં.
તો જરુર સંગમ પર આવશે. કલ્પ ની આયુ લાખો વર્ષ લખી મનુષ્યો ને બિલ્કુલ ઘોર અંધકાર
માં નાખી દીધાં છે. ધક્કા ખાતા રહે છે, બાપ ને પામવા માટે. કહે છે જે ખુબ ભક્તિ કરે
છે તો ભગવાન મળે છે. સૌથી વધારે ભક્તિ કરવા વાળાને જરુર પહેલાં મળવા જોઈએ. બાપે
હિસાબ પણ બતાવ્યો છે, સૌથી પહેલાં ભક્તિ તમે કરો છો. તો તમને જ પહેલાં-પહેલાં ભગવાન
દ્વારા જ્ઞાન મળવું જોઈએ જે પછી તમે જ નવી દુનિયામાં રાજ્ય કરો. બેહદનાં બાપ આપ
બાળકોને જ્ઞાન આપી રહ્યાંં છે, આમાં તકલીફ ની કોઈ વાત નથી. બાપ કહે છે તમે અડધોકલ્પ
યાદ કર્યા છે. સુખમાં તો કોઈ યાદ કરતાં જ નથી. અંતમાં જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે
હું આવીને સુખી બનાવું છું. હવે તમે ખુબ મોટા વ્યક્તિ બનો છો. જુઓ ચીફ મિનિસ્ટર,
પ્રાઈમ મિનિસ્ટર વગેરેનાં બંગલાં કેટલાં ફર્સ્ટ ક્લાસ હોય છે. ત્યા પછી ગાયો વગેરે
બધું ફર્નિચર એવું ફર્સ્ટક્લાસ હશે. તમે તો કેટલાં મોટા વ્યક્તિ (દેવતા) બનો છો.
દૈવીગુણો વાળા દેવતા સ્વર્ગ નાં માલિક બનો છો. ત્યાં તમારે માટે મહેલ પણ
હીરા-ઝવેરાતો નાં હોય છે. ત્યાં તમારું ફર્નિચર સોનાં જડિત ફર્સ્ટક્લાસ હશે. અહીંયા
તો ઝૂલાં (હીંચકા) વગેરે બધાં બેગરી છે. ત્યાં તો ફર્સ્ટક્લાસ હીરા-ઝવેરાત ની બધી
વસ્તુઓ હશે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવ ને રુદ્ર પણ કહે છે. જ્યારે ભક્તિ પૂરી થાય
છે તો પછી ભગવાન રુદ્ર યજ્ઞ રચે છે. સતયુગમાં યજ્ઞ અથવા ભક્તિની વાત જ નથી. આ સમયે
જ બાપ આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે, જેનું પછી પાછળ થી ગાયન થાય છે. ભક્તિ
સદૈવ તો નહીં ચાલતી રહેશે. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. બાપ આવીને
દિવસ બનાવે છે તો બાળકોનો બાપની સાથે કેટલો પ્રેમ હોવો જોઈએ. બાબા આપણને વિશ્વનાં
માલિક બનાવે છે. મોસ્ટ બીલ્વેડ બાબા છે. એમનાથી વધારે પ્રિય વસ્તુ કોઈ હોઈ ન શકે.
અડધાકલ્પ થી યાદ કરતા આવ્યાં છો. બાબા આવીને અમારા દુઃખ હરો. હવે બાપ આવ્યાં છે.
સમજાવે છે, તમારે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં તો રહેવાનું જ છે. અહીંયા બાબા પાસે
ક્યાં સુધી બેસશો. બાપની સાથે તો પરમધામમાં જ રહી શકાય. અહીંયા આટલાં બધાં બાળકો તો
ન રહી શકે. શિક્ષક સવાલ કેવી રીતે પૂછશે? લાઉડ સ્પીકર પર રેસ્પોન્ડ (જવાબ) કેવી રીતે
આપી શકે એટલે થોડા-થોડા વિદ્યાર્થી ને ભણાવે છે. કોલેજ તો ખુબ હોય છે પછી બધાની
પરીક્ષા હોય છે. લિસ્ટ નીકળે છે. અહીંયા તો એક જ બાપ ભણાવે છે. આ પણ સમજાવવું જોઈએ
દુઃખ માં સિમરણ બધાં એ પારલૌકિક બાપનું કરે છે. હમણાં આ બાપ આવેલાં છે. મહાભારે
મહાભારત લડાઈ પણ સામે ઉભી છે. તેઓ સમજે છે મહાભારત લડાઈ માં કૃષ્ણ આવ્યાં. આ તો થઈ
ન શકે. બિચારા મૂંઝાયેલાં છે ને. છતાં પણ કૃષ્ણ-કૃષ્ણ યાદ કરતાં રહે છે. હવે મોસ્ટ
બીલ્વેડ શિવ પણ છે તો કૃષ્ણ પણ છે. પરંતુ એ છે નિરાકાર, તે છે સાકાર. નિરાકાર બાપ
બધી આત્માઓનાં બાપ છે. છે બંને મોસ્ટ બીલ્વેડ. કૃષ્ણ પણ વિશ્વનાં માલિક છે ને. હમણાં
તમે જજ (નિર્ણય) કરી શકો છો - વધારે પ્રિય કોણ? શિવબાબા જ તો એવાં લાયક બનાવે છે
ને. કૃષ્ણ શું કરે છે? બાપ જ તો તેમને એવાં બનાવે છે, તો ગાયન પણ વધારે એ બાપનું
હોવું જોઈએ. શંકર નો ડાન્સ (નૃત્ય) દેખાડે છે. હકીકત માં ડાન્સ વગેરેની વાત જ નથી.
બાપે સમજાવ્યું છે તમે બધી પાર્વતીઓ છો. આ શિવ અમરનાથ તમને કથા સંભળાવી રહ્યાંં છે.
તે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). વિકારની વાત નથી. બાપ વિકારી દુનિયા થોડી
રચશે. વિકારમાં જ દુઃખ છે. મનુષ્ય હઠયોગ વગેરે ખુબ શીખે છે. ગુફાઓમાં જઈને બેસે છે,
આગ પર પણ ચાલે છે. રિદ્ધિ-સિદ્ધિ પણ ખુબ છે. જાદુગરી થી ઘણી વસ્તુઓ નીકાળે છે.
ભગવાન ને પણ જાદુગર, રત્નાગર, સોદાગર કહે છે તો જરુર ચૈતન્ય છે ને. કહે પણ છે હું
આવું છું, જાદુગર છે ને. મનુષ્ય ને દેવતા, બેગર થી પ્રિન્સ બનાવે છે. આવું જાદુ
ક્યારેય જોયું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ફૂલો નાં
બગીચા માં જવાનું છે એટલે સુગંધિત ફૂલ બનવાનું છે. કોઈ ને પણ દુઃખ નથી આપવાનું. એક
પારલૌકિક બાપ સાથે સર્વ સંબંધ જોડવાનાં છે.
2. શિવબાબા પ્રિય માં પ્રિય છે તે એકને જ પ્રેમ કરવાનો છે. સુખદાતા બાપ ને યાદ
કરવાનાં છે.
વરદાન :-
આ લોક નાં
લગાવ થી મુક્ત બની અવ્યક્ત વતન ની સૈર કરવા વાળા ઉડતા પંખી ભવ
બુદ્ધિ રુપી વિમાન થી
અવ્યક્ત વતન કે મૂળવતન ની સૈર કરવા માટે ઉડતા પંખી બનો. બુદ્ધિ દ્વારા જ્યારે ઈચ્છો,
જ્યાં ઈચ્છો પહોંચી જાઓ. આ ત્યારે થશે જ્યારે બિલ્કુલ આ લોક નાં લગાવ થી પરે રહેશો.
આ અસાર સંસાર છે, આ અસાર સંસાર થી જ્યારે કોઈ કામ નથી, કોઈ પ્રાપ્તિ નથી તો બુદ્ધિ
દ્વારા પણ જવાનું બંધ કરો. આ રૌરવ નર્ક છે આમાં જવાનો સંકલ્પ અને સ્વપ્ન પણ ન આવે.
સ્લોગન :-
પોતાનાં ચહેરા
અને ચલન થી સત્યતા ની સભ્યતા નો અનુભવ કરાવવો જ શ્રેષ્ઠતા છે.