21-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે અહીંયા આવ્યાં છો સર્વશક્તિમાન બાપ થી શક્તિ લેવા અર્થાત્ દીપક માં જ્ઞાન નું ઘૃત નાખવાં ”

પ્રશ્ન :-
શિવની બરાત નું ગાયન કેમ છે?

ઉત્તર :-
કારણ કે શિવબાબા જ્યારે પાછાં જાય છે તો બધી આત્માઓનું ઝુંડ તેમની પાછળ-પાછળ ભાગીને જાય છે. મૂળવતન માં પણ આત્માઓનું ઝુંડ લાગી જાય છે. તમે પવિત્ર બનવા વાળા બાળકો બાપ ની સાથે-સાથે જાઓ છો. સાથનાં કારણે જ બરાત નું ગાયન છે.

ઓમ શાંતિ!
બાળકોએ પહેલાં-પહેલાં એક જ પોઇન્ટ (વાત) સમજવાની છે કે આપણે બધાં ભાઈ-ભાઈ છીએ અને એ બધાનાં બાપ છે. એમને સર્વશક્તિમાન્ કહેવાય છે. તમારામાં સર્વશક્તિઓ હતી. તમે વિશ્વ પર રાજ્ય કરતા હતાં. ભારતમાં જ આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. એટલે આપ બાળકોનું રાજ્ય હતું. તમે પવિત્ર દેવી-દેવતાઓ હતાં, તમારો કુળ અથવા ડિનાયસ્ટી (વંશજ) છે, તે બધાં નિર્વિકારી હતાં. કોણ નિર્વિકારી હતાં? આત્માઓ. હવે ફરી તમે નિર્વિકારી બની રહ્યાં છો. જેમ કે સર્વશક્તિમાન બાપ ને યાદ કરી એમનાથી શક્તિ લઈ રહ્યાં છો. બાપે સમજાવ્યું છે આત્મા જ ૮૪ નો પાર્ટ ભજવે છે. તેમાં જે સતોપ્રધાન તાકાત હતી તે પછી દિવસ-પ્રતિદિવસ ઓછી થતી જાય છે. સતોપ્રધાન થી તમોપ્રધાન બનવાનું છે. જેમ બેટરી ની તાકાત ઓછી થતી જાય છે તો મોટર ઉભી રહી જાય છે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આત્માની બેટરી ફુલ ડિસ્ચાર્જ નથી થતી, કાંઈ ને કાંઈ તાકાત રહે છે. જેમ કોઈ મરે છે તો દીપક પ્રગટાવે છે, એમાં ઘૃત નાખતાં રહે છે કે જ્યોતિ બુઝાઈ ન જાય. બેટરી ની તાકાત ઓછી થાય છે તો પછી ચાર્જ કરવા રાખે છે. હમણાં આપ બાળકો સમજો છો - તમારી આત્મા સર્વશક્તિમાન્ હતી, હવે ફરી તમે સર્વશક્તિમાન્ બાપ થી પોતાનો બુદ્ધિયોગ લગાવો છો. તો બાબાની શક્તિ આપણામાં આવી જાય કારણ કે શક્તિ ઓછી થઈ ગઈ છે. થોડી જરુર રહે છે. એકદમ ખતમ થઈ જાય તો પછી શરીર ન રહે. આત્મા બાપ ને યાદ કરતા-કરતા બિલકુલ પવિત્ર થઈ જાય છે. સતયુગ માં તમારી બેટરી ફુલ ચાર્જ હોય છે પછી થોડી-થોડી ઓછી થતી જાય છે. ત્રેતા સુધી મીટર ઓછું થાય છે, જેને કળા કહેવાય છે. પછી કહેશે આત્મા જે સતોપ્રધાન હતી તે સતો બની, તાકાત ઓછી થઈ જાય છે. તમે સમજો છો આપણે મનુષ્ય થી દેવતા બની જઈએ છીએ સતયુગ માં. હવે બાપ કહે છે - મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હમણાં તમે તમોપ્રધાન બની ગયાં છો તો તાકાત નું દેવાળું નીકળી ગયું છે. પછી બાપને યાદ કરવાથી પૂરી તાકાત આવશે, કારણ કે તમે જાણો છો દેહ સહિત દેહનાં જે પણ બધાં સંબંધ છે, તે બધાં ખતમ થઈ જવાનાં છે પછી બેહદ નું રાજ્ય મળે છે. બાપ પણ બેહદનાં છે તો વારસો પણ બેહદનો આપે છે. હમણાં તમે પતિત છો, તમારી તાકાત બિલકુલ ઓછી થતી ગઈ છે. હેં બાળકો - હવે તમે મને યાદ કરો, હું ઓલમાઈટી (સર્વશક્તિમાન્) છું, મારા દ્વારા ઓલમાઈટી રાજ્ય મળે છે. સતયુગમાં દેવી-દેવતા આખાં વિશ્વનાં માલિક હતાં, પવિત્ર હતાં, દૈવી ગુણવાન હતાં. હમણાં તે દૈવીગુણ નથી. બધાની બેટરી પૂરી ડિસ્ચાર્જ થવા લાગી છે. ફરી હવે બેટરી ભરાય છે. પરમપિતા પરમાત્માની સાથે યોગ લગાવવા સિવાય બેટરી ચાર્જ નથી થઇ શકતી. એ બાપ જ એવર પ્યોર (સદા પવિત્ર) છે. અહીંયા બધાં છે ઈમપ્યોર (અપવિત્ર). જ્યારે પ્યોર હોય છે તો બેટરી ચાર્જ હોય છે. તો હવે બાપ સમજાવે છે એક ને જ યાદ કરવાનાં છે. ઊંચે થી ઊંચા છે ભગવાન. બાકી બધી છે રચના. રચના થી રચનાને ક્યારેય વારસો નથી મળતો. ક્રિયેટર (રચયિતા) તો એક જ છે. એ છે બેહદનાં બાપ. બાકી તો બધાં છે હદનાં. બેહદનાં બાપ ને યાદ કરવાથી બેહદની બાદશાહી મળે છે. તો બાળકોને દિલમાં અંદર સમજવું જોઈએ - અમારાં માટે બાબા નવી દુનિયા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. ડ્રામા પ્લાન અનુસાર સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. તમે જાણો છો-સતયુગ આવવાનો છે. સતયુગ માં હોય જ છે સદા સુખ. તે કેવી રીતે મળે છે? બાપ બેસી સમજાવે છે મામેકમ્ યાદ કરો. હું એવર પ્યોર છું. હું ક્યારેય મનુષ્ય તન લેતો નથી. ન દેવી તન, ન મનુષ્ય તન લઉં છું અર્થાત્ હું જન્મ-મરણ માં આવતો નથી. ફક્ત આપ બાળકોને સ્વર્ગની બાદશાહી આપવા માટે, જ્યારે આ ૬૦ વર્ષની વાનપ્રસ્થ અવસ્થા માં હોય છે ત્યારે આમનાં તનમાં આવું છું. આ જ પૂરા સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છે. નંબરવન ઊંચે થી ઊંચા ભગવાન પછી છે સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, જેમનો સાક્ષાત્કાર થાય છે. સૂક્ષ્મવતન વચ્ચે નું છે ને. જ્યાં શરીર નથી હોતું. સૂક્ષ્મ શરીર ફક્ત દિવ્ય દૃષ્ટી થી દેખાય છે. મનુષ્ય સૃષ્ટિ તો અહીંયા છે. બાકી તે તો ફક્ત સાક્ષાત્કાર માટે ફરિશ્તા છે. આપ બાળકો પણ અંતમાં જ્યારે બિલકુલ પવિત્ર થઈ જાઓ છો તો તમારો પણ સાક્ષાત્કાર થાય છે. એવાં ફરિશ્તા બની પછી સતયુગ માં અહીંયા જ આવીને સ્વર્ગનાં માલિક બનશો. આ બ્રહ્મા કોઈ વિષ્ણુ ને યાદ નથી કરતાં. આ પણ શિવબાબા ને યાદ કરે છે અને આ વિષ્ણુ બને છે. તો આ સમજવું જોઈએ ને. આમણે રાજ્ય કેવી રીતે પામ્યું! લડાઈ વગેરે તો કાંઈ પણ થતી નથી. દેવતાઓ હિંસા કેવી રીતે કરશે!

હમણાં આપ બાળકો બાપ ને યાદ કરી ને રાજાઈ લો છો. કોઈ માને ન માને. ગીતામાં પણ છે - હેં બાળકો, દેહ સહિત દેહનાં બધાં ધર્મ છોડી મામેકમ્ યાદ કરો. એમને તો દેહ છે નહીં જે મમત્વ રાખે. કહે છે હું થોડા સમય માટે આમનાં શરીરની લોન (આધાર) લઉં છું. નહીં તો હું નોલેજ કેવી રીતે આપુ! હું બીજરુપ છું ને. આ આખાં જ ઝાડનું નોલેજ મારી પાસે છે. બીજા કોઈને ખબર નથી, સૃષ્ટિની આયુ કેટલી છે? કેવી રીતે આની સ્થાપના, પાલના, વિનાશ થાય છે? મનુષ્યો ને તો ખબર હોવી જોઈએ. મનુષ્ય જ ભણે છે. જાનવર તો નહીં ભણશે ને. તેઓ ભણે છે હદ નું ભણતર. બાપ તમને બેહદનું ભણતર ભણાવે છે, જેનાથી તમને બેહદનાં માલિક બનાવે છે. તો આ સમજવું જોઇએ કે ભગવાન કોઈ મનુષ્ય ને અથવા દેહધારી ને નથી કહેવાતાં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ સૂક્ષ્મ દેહ છે ને. આમનું નામ જ અલગ છે, આમને ભગવાન નથી કહેવાતું. આ શરીર તો આ દાદાની આત્માનું તખ્ત હતું. અકાળતખ્ત છે ને. હમણાં આ અકાળમૂર્ત બાપનું તખ્ત છે. અમૃતસરમાં પણ એક અકાળતખ્ત છે ને. મોટા-મોટા જે હોય છે ત્યાં અકાળતખ્ત પર જઈને બેસે છે. હમણાં બાપ સમજાવે છે આ બધાં અકાળ આત્માઓનાં તખ્ત છે. આત્મા અકાળ છે જેને કાળ ખાઈ ન શકે. બાકી તખ્ત તો બદલાતાં રહે છે. અકાળમૂર્ત આત્મા આ તખ્ત પર બેસે છે. પહેલાં નાનું તખ્ત હોય છે પછી મોટું થઈ જાય છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા અકાળ છે. બાકી તેમાં સારા કે ખરાબ સંસ્કાર હોય છે ત્યારે તો કહેવાય છે ને - કર્મો નું આ ફળ છે. આત્મા ક્યારેય વિનાશ થતી નથી. આત્માનો બાપ છે એક. આ તો સમજવું જોઈએ ને. આ બાબા કોઈ શાસ્ત્રોની વાત સંભળાવે છે શું! શાસ્ત્ર વગેરે વાંચવાથી પાછાં તો કોઈ જઈ નથી શકતાં. અંત માં બધાં જશે. જેમ તીડ (તિતિઘોડો) અથવા મધમાખીનું ઝૂંડ જાય છે ને. મધમાખીઓ ની પણ ક્વીન (રાણી) હોય છે. તેમની પાછળ બધાં જાય છે. બાપ પણ જશે તો તેમના પાછળ બધી આત્માઓ જશે. ત્યાં મૂળવતન માં જેમ બધી આત્માઓનું ઝુંડ છે. અહીંયા પછી છે મનુષ્યોનું ઝુંડ. તો આ ઝુંડ પણ એક દિવસ ભાગવાનું છે. બાપ આવીને બધી આત્માઓને લઈ જાય છે. શિવ ની બરાત કહેવાય છે. બાળકો કહો અથવા સજનીઓ કહો. બાપ આવીને બાળકોને ભણાવીને યાદની યાત્રા શીખવાડે છે. પવિત્ર બન્યાં વગર તો આત્મા જઈ નથી સકતી. જ્યારે પવિત્ર બની જશે ત્યારે પહેલાં-પહેલાં શાંતિધામ જશે. ત્યાં જઈને બધાં નિવાસ કરે છે. ત્યાંથી પછી ધીરે-ધીરે આવતાં રહે છે, વૃદ્ધિ થતી રહે છે. તમે જ પહેલાં-પહેલાં ભાગશો બાપ ની પાછળ. તમારો બાપની સાથે અથવા સજનીઓનો સાજન ની સાથે યોગ છે. રાજધાની બનવાની છે ને. બધાં સાથે નથી આવતાં. ત્યાં બધી આત્માઓની દુનિયા છે. ત્યાંથી પછી નંબરવાર આવે છે. ઝાડ ધીરે-ધીરે વૃદ્ધિને પામે છે. પહેલાં-પહેલાં તો છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ, જે બાપ સ્થાપન કરે છે. પહેલાં-પહેલાં આપણને બ્રાહ્મણ બનાવે છે. પ્રજાપિતા બ્રહ્મા છે ને. પ્રજા માં ભાઈ-બહેન થઈ જાય છે. બ્રહ્માકુમાર અને કુમારીઓ અનેક છે. જરુર નિશ્ચયબુદ્ધિ હશે ત્યારે તો આટલાં બધાં થયાં છે. બ્રાહ્મણ કેટલાં હશે? કાચાં કે પાકાં? કોઈ તો ૯૯ માર્ક્સ લે છે, કોઈ ૧૦ માર્ક્સ લે છે તો એટલે કાચાં થયાં ને. તમારામાં પણ જે પાકાં છે તે જરુર પહેલાં આવશે. કાચાં વાળા અંત માં આવશે. આ પાર્ટધારીઓની દુનિયા છે જે ફરતી રહે છે. સતયુગ, ત્રેતા…... આ પુરુષોત્તમ સંગમયુગ છે. આ હમણાં બાપે બતાવ્યું છે. પહેલાં તો આપણે ઉલટું જ સમજતાં આવ્યાં કે કલ્પ ની આયુ લાખો વર્ષ છે. હમણાં બાપે બતાવ્યું છે આ તો પૂરા ૫ હજાર વર્ષનું ચક્ર છે. અડધોકલ્પ છે રામ નું રાજ્ય, અડધોકલ્પ છે રાવણ નું રાજ્ય. લાખો વર્ષ નું કલ્પ હોત તો અડધું-અડધું પણ થઈ ન શકે. દુઃખ અને સુખ ની આ દુનિયા બનેલી છે. આ બેહદનું નોલેજ બેહદનાં બાપ થી મળે છે. શિવબાબાનાં શરીરનું કોઈ નામ નથી. આ શરીર તો આ દાદા નું છે. બાબા ક્યાં છે? બાબાએ થોડા સમય માટે લોન લીધું છે. બાબા કહે છે મને મુખ તો જોઈએ ને. અહીંયા પણ ગૌમુખ બનાવેલું છે. પહાડ થી પાણી તો જ્યાં-ત્યાં આવે છે. અહીંયા પછી ગૌ નું મુખ બનાવી દીધું છે, એનાથી પાણી આવે છે, તેને ગંગાજળ સમજી લે છે. હવે ગંગા પછી ક્યાંથી આવી? આ છે બધું જુઠ્ઠું. જુઠ્ઠી કાયા, જુઠ્ઠી માયા, જુઠ્ઠો આખો સંસાર. ભારત જ્યારે સ્વર્ગ હતું તો સચખંડ કહેવાય છે પછી ભારત જ જુનું બને તો જૂઠખંડ કહેવાય છે. આ જૂઠખંડમાં જ્યારે બધાં પતિત બની જાય છે ત્યારે બોલાવે છે - બાબા અમને પાવન બનાવી આ જૂની દુનિયાથી લઈ ચાલો. બાપ કહે છે મારા બધાં બાળકો કામ ચિતા પર ચઢી કાળા બની ગયાં છે. બાપ બાળકોને બેસી કહે છે તમે તો સ્વર્ગનાં માલિક હતાં ને! સ્મૃતિ આવી છે ને. બાળકો ને સમજાવે છે, આખી દુનિયાને નથી સમજાવતાં. તમને જ સમજાવે છે તો ખબર પડે કે અમારા બાપ કોણ છે!

આ દુનિયાને કહેવાય છે ફોરેસ્ટ ઓફ થોર્નસ (કાંટાઓનું જંગલ). સૌથી મોટો કામનો કાંટો લગાવે છે. ભલે અહીંયા ભગત પણ ખુબ છે, વેજિટેરિયન (શાકાહારી) છે, પરંતુ એવું નથી કે વિકારમાં નથી જતાં. આમ તો ઘણાં બાળ બ્રહ્મચારી પણ રહે છે. નાનપણ થી જ ક્યારેય છી-છી ખાવાનું વગેરે ખાતાં નથી. સન્યાસી પણ કહે છે - નિર્વિકારી બનો. તે હદનો સન્યાસ મનુષ્ય કરાવે છે. બીજા જન્મમાં ફરી ગૃહસ્થી પાસે જન્મ લઈ પછી ઘરબાર છોડી ચાલ્યાં જાય છે. સતયુગ માં આ કૃષ્ણ વગેરે દેવતાઓ ક્યારેય ઘરબાર છોડે છે શું? ના. તો તેમનો છે હદનો સંન્યાસ. હમણાં તમારો છે બેહદનો સન્યાસ. આખી દુનિયાનો, સંબંધીઓ વગેરે નો પણ સન્યાસ કરો છો. તમારાં માટે હવે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તમારી બુદ્ધિ સ્વર્ગ તરફ જ જશે. તો શિવબાબા ને જ યાદ કરવાનાં છે. બેહદ નાં બાપ કહે છે મને યાદ કરો. મનમનાભવ, મધ્યાજી ભવ. તો તમે દેવતા બની જશો. આ એ જ ગીતા નો એપિસોડ (અધ્યાય) છે. સંગમયુગ પણ છે. હું સંગમ પર જ સંભળાવું છું. રાજયોગ જરુર આગલાં જન્મમાં સંગમ પર શીખ્યા હશે. આ સૃષ્ટિ બદલાય છે ને, તમે પતિત થી પાવન બની જાઓ છો. હવે આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે કે આપણે આમ તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ છીએ. દરેક વાત સારી રીતે સમજી ને નિશ્ચય કરવો જોઈએ. આ કોઈ મનુષ્ય થોડી કહે છે. આ છે શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત, ભગવાન ની. બાકી બધી છે મનુષ્ય મત. મનુષ્ય મત થી ઉતરતાં આવ્યાં છો. હવે શ્રીમત થી તમે ચઢો છો. બાપ મનુષ્ય થી દેવતા બનાવી દે છે. દૈવીમત સ્વર્ગવાસી ની છે અને આ છે નર્કવાસી મનુષ્ય મત, જેને રાવણ મત કહેવાય છે. રાવણ રાજ્ય પણ કાંઈ ઓછું નથી. આખી દુનિયા પર રાવણનું રાજ્ય છે. આ બેહદની લંકા છે જેનાં પર રાવણ નું રાજ્ય છે પછી દેવતાઓનું પવિત્ર રાજ્ય હશે. ત્યાં ખુબ સુખ હોય છે. સ્વર્ગ ની કેટલી મહિમા છે. કહે પણ છે સ્વર્ગ પધાર્યા. તો જરુર નર્ક માં હતાં ને. હેલ (નર્ક) થી ગયાં તો જરુર પછી હેલ માં જ આવશે ને! સ્વર્ગ હમણાં છે ક્યાં? આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. હમણાં બાપ તમને બધું નોલેજ આપે છે. બેટરી ભરાય છે. માયા પછી લિંક તોડી દે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મન-વચન-કર્મ થી પવિત્ર બની આત્મા રુપી બેટરી ને ચાર્જ કરવાની છે. પાકા બ્રાહ્મણ બનવાનું છે.

2. મનમત કે મનુષ્ય મત છોડી એક બાપ ની શ્રીમત પર ચાલીને સ્વયં ને શ્રેષ્ઠ બનાવવાનાં છે. સતોપ્રધાન બની બાપ ની સાથે ઉડીને જવાનું છે.

વરદાન :-
શ્રીમતનાં આધાર પર ખુશી , શક્તિ અને સફળતા નો અનુભવ કરવાવાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ

જે બાળકો સ્વયંને ટ્રસ્ટી સમજી ને શ્રીમત પ્રમાણે ચાલે છે, શ્રીમત માં જરા પણ મનમત કે પરમત મિક્સ નથી કરતાં તેમને નિરંતર ખુશી, શક્તિ અને સફળતાની અનુભૂતિ થાય છે. પુરુષાર્થ કે મહેનત ઓછી હોવાં છતાં પણ પ્રાપ્તિ વધારે થાય ત્યારે કહેશું યથાર્થ શ્રીમત પર ચાલવા વાળા. પરંતુ માયા, ઈશ્વરીય મત માં મનમત કે પરમત ને રોયલ રુપ થી મિક્સ કરી દે છે એટલે સર્વ પ્રવૃતિઓ નો અનુભવ થતો નથી. એનાં માટે પારખવાની અને નિર્ણય કરવાની શક્તિ ધારણ કરો તો દગો નહીં ખાશો.

સ્લોગન :-
બાળક સો માલિક તે છે જે તપસ્યા નાં બળ થી ભાગ્યવિધાતા બાપ ને પોતાનાં બનાવી દે.