25-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપની શ્રીમત થી તમે મનુષ્ય થી દેવતા બનો છો , એટલે એમની શ્રીમત નું શાસ્ત્ર છે સર્વ શાસ્ત્ર શિરોમણી શ્રીમદ્ ભગવત ગીતા ”

પ્રશ્ન :-
સતયુગ માં દરેક વસ્તુ સારામાં સારી સતોપ્રધાન હોય છે કેમ?

ઉત્તર :-
કારણ કે ત્યાં મનુષ્ય સતોપ્રધાન છે, જ્યારે મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે અને મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે. સતોપ્રધાન સૃષ્ટિ માં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી, કાંઈ પણ ક્યાંય થી મંગાવવું નથી પડતું.

ઓમ શાંતિ!
બાબા આ શરીર દ્વારા સમજાવે છે. આને જીવ કહેવાય, આમનામાં આત્મા પણ છે અને આપ બાળકો જાણો છો પરમપિતા પરમાત્મા પણ આમનામાં છે. આ તો પહેલાં-પહેલાં પાક્કું હોવું જોઈએ એટલે આમને દાદા પણ કહે છે. આ તો બાળકોને નિશ્ચય છે. આ નિશ્ચયમાં જ રમણ કરવાનું છે. બરાબર બાબાએ જેમનામાં પધરામણી કરી છે કે અવતાર લીધો છે તેમનાં માટે બાપ સ્વયં કહે છે હું આમનાં અનેક જન્મોનાં અંત નાં પણ અંતમાં આવું છું. બાળકોને સમજાવાયું છે કે આ છે સર્વ શાસ્ત્ર શિરોમણી ગીતા નું જ્ઞાન. શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત છે ઊંચે થી ઊંચા ભગવાન ની. જેમની શ્રીમત થી તમે મનુષ્ય થી દેવતા બનો છો. તમે ભ્રષ્ટ મનુષ્ય થી શ્રેષ્ઠ દેવતા બનો છો. તમે આવો જ છો એટલા માટે. બાપ પણ સ્વયં કહે છે હું આવું છું તમને શ્રેષ્ઠાચારી, નિર્વિકારી મતવાળા દેવી-દેવતા બનાવવાં. મનુષ્ય થી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે. વિકારી મનુષ્ય થી નિર્વિકારી દેવતા બનાવવા આવે છે. સતયુગમાં મનુષ્ય હોય છે પરંતુ દૈવી ગુણોવાળા. હમણાં કળયુગ માં છે આસુરી ગુણોવાળા. છે આખી મનુષ્ય સૃષ્ટિ, પરંતુ તે છે ઈશ્વરીય બુદ્ધિ, આ છે આસુરી બુદ્ધિ. ત્યાં જ્ઞાન, અહીંયા ભક્તિ. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે ને. ભક્તિની પુસ્તક કેટલી અને જ્ઞાનની પુસ્તક કેટલી છે. જ્ઞાનનાં સાગર બાપ છે. તેમનું પુસ્તક પણ તો એક જ હોવું જોઈએ. જે પણ ધર્મ સ્થાપન કરે છે, તેમનું પુસ્તક એક હોવું જોઈએ. તેમને ધાર્મિક પુસ્તક કહેવાય છે. પહેલી ધાર્મિક પુસ્તક છે ગીતા. શ્રીમદ્ ભગવત ગીતા. આ પણ બાળકો જાણે છે - પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, ન કે હિંદુ ધર્મ. મનુષ્ય સમજે છે ગીતા થી હિંદુ ધર્મ સ્થાપન થયો અને ગીતા ગાઈ છે કૃષ્ણએ. કોઈથી પૂછો તો કહેશે પરંપરા થી આ કૃષ્ણએ ગાઈ છે. કોઈ શાસ્ત્રમાં શિવ ભગવાનુવાચ છે નહીં. શ્રીમદ્ કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે, જેમણે ગીતા વાંચી હશે તેમને સહજ સમજમાં આવશે. હમણાં તમે સમજો છો આ જ ગીતા જ્ઞાન થી મનુષ્ય થી દેવતા બન્યાં છે, જે હમણાં બાપ તમને આપી રહ્યાંં છે. રાજયોગ શીખવાડી રહ્યાંં છે. પવિત્રતા પણ શીખવાડી રહ્યાંં છે. કામ મહાશત્રુ છે, આનાં દ્વારા જ તમે હાર ખાધી છે. હવે ફરી તેનાં પર જીત પામવાથી તમે જગતજીત અર્થાત્ વિશ્વનાં માલિક બની જાઓ છો. આ તો ખુબ સહજ છે. બેહદનાં બાપ બેસી આમનાં દ્વારા તમને ભણાવે છે. એ છે બધી આત્માઓનાં બાપ. આ પછી છે બેહદનાં બાપ મનુષ્યો નાં. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈથી પણ પૂછશો બ્રહ્માનાં બાપનું નામ બતાવો તો મુંઝાઈ જશે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે રચના. આ ત્રણેય નાં કોઈ તો બાપ હશે ને. તમે દેખાડો છો આ ત્રણેય નાં બાપ છે નિરાકાર શિવ. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને સૂક્ષ્મવતન નાં દેખાડે છે. તેમનાં ઉપર છે શિવ. બાળકો જાણે છે - શિવબાબાનાં બાળકો જે પણ આત્માઓ છે તેમને પોતાનું શરીર તો હશે. એ તો સદૈવ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. બાળકોને ખબર પડી છે નિરાકાર પરમપિતા પરમાત્માનાં અમે બાળકો છીએ. આત્મા શરીર દ્વારા બોલે છે - પરમપિતા પરમાત્મા. કેટલી સહજ વાત છે. આને કહેવાય છે અલ્ફ, બે. ભણાવે કોણ છે? ગીતાનું જ્ઞાન કોણે સંભળાવ્યું? નિરાકાર બાપે. એમનાં પર કોઈ તાજ વગેરે છે નહીં. એ જ્ઞાનનાં સાગર, બીજરુપ, ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય આત્માઓ છો ને! બધાંં ઝાડો નાં આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો. ભલે માળી નથી પરંતુ સમજી શકો છો કેવી રીતે બીજ નાખે છે, એનાથી ઝાડ નીકળે છે. તે તો છે જડ ઝાડ, આ છે ચૈતન્ય. તમારી આત્મામાં જ્ઞાન છે, બીજા કોઈની આત્મામાં જ્ઞાન હોતું નથી. બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. તો ઝાડ પણ મનુષ્યો નું હશે. આ છે ચૈતન્ય રચના. બીજ અને રચતા માં ફરક તો છે ને! કેરી નું બીજ નાખવાથી કેરી નીકળે છે, પછી ઝાડ કેટલું મોટું થાય છે. તેમ મનુષ્ય નાં બીજ થી મનુષ્ય કેટલાં ફળદ્રુપ થાય છે. જડ બીજ માં કોઈ જ્ઞાન નથી. આ તો ચૈતન્ય બીજરુપ છે. આમનામાં આખી સૃષ્ટિ રુપી ઝાડનું જ્ઞાન છે કે કેવી રીતે ઉત્પત્તિ, પાલના પછી વિનાશ થાય છે. આ ખુબ મોટું ઝાડ ખલાસ થઈ પછી બીજું નવું ઝાડ કેવી રીતે ઉભું થાય છે! આ છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે છે. બાપ પણ ગુપ્ત આવ્યાં છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. હમણાં તો બધાંં પતિત બની ગયાં છે. સારું બીજ થી પહેલાં-પહેલાં નંબરમાં જે પત્તું નીકળ્યું તે કોણ હતું? સતયુગનું પહેલું પત્તું તો કૃષ્ણ ને જ કહેશું, લક્ષ્મી-નારાયણ ને નહીં. નવું પત્તું નાનું હોય છે. પછી મોટું થાય છે. તો આ બીજ ની કેટલી મહિમા છે. આ તો ચૈતન્ય છે ને. પછી પત્તા પણ નીકળે છે. તેમની મહિમા તો થાય છે. હમણાં તમે દેવી-દેવતા બની રહ્યાંં છો. દૈવીગુણ ધારણ કરી રહ્યાંં છો. મૂળ વાત જ આ છે કે આપણે દૈવીગુણ ધારણ કરવાનાં છે, આમનાં જેવાં બનવાનું છે. ચિત્ર પણ છે. આ ચિત્ર ન હોત તો બુદ્ધિમાં જ્ઞાન જ ન આવત. આ ચિત્ર ખુબ કામમાં આવે છે. ભક્તિમાર્ગ માં આ ચિત્રોની પણ પૂજા થાય છે અને જ્ઞાનમાર્ગ માં આ ચિત્રોથી તમને જ્ઞાન મળે છે કે આવું બનવાનું છે. ભક્તિમાર્ગ માં એવું નથી સમજતાં કે અમારે આવું બનવાનું છે. ભક્તિમાર્ગ માં મંદિર કેટલાં બને છે. સૌથી વધારે મંદિર કોનાં હશે? જરુર શિવબાબાનાં હશે જે બીજરુપ છે. પછી એમનાં બાદ પહેલી રચના નાં મંદિર હશે. પહેલી રચના આ લક્ષ્મી-નારાયણ છે. શિવનાં પછી આમની પુજા સૌથી વધારે થાય છે. માતાઓ તો જ્ઞાન આપે છે, તેમની પૂજા નથી થતી. તે તો ભણાવે છે ને. બાપ તમને ભણાવે છે. તમે કોઈની પૂજા નથી કરતાં. ભણાવવા વાળાની હમણાં પૂજા ન કરી શકાય. તમે જ્યારે ભણીને પછી અભણ બનશો ત્યાર પછી પૂજા થશે. તમે જ દેવી-દેવતા બનો છો. તમે જાણો છો જે અમને આવાં બનાવે છે એમની પૂજા થશે પછી અમારી પૂજા થશે નંબરવાર. પછી ઉતરતાં-ઉતરતાં પાંચ તત્વો ની પણ પૂજા કરવા લાગી જાય છે. શરીર ૫ તત્વો નું છે ને. ૫ તત્વો ની પૂજા કરો કે શરીર ની કરો, એક થઈ જાય. આ તો જ્ઞાન બુદ્ધિમાં છે. આ લક્ષ્મી-નારાયણ આખાં વિશ્વનાં માલિક હતાંં. આ દેવી-દેવતાઓનું રાજ્ય નવી સૃષ્ટિ પર હતું. પરંતુ તે ક્યારે હતું? આ નથી જાણતાં, લાખો વર્ષ કહી દે છે. હવે લાખો વર્ષની વાત તો ક્યારેય કોઈની બુદ્ધિમાં રહી ન શકે. હમણાં તમને સ્મૃતિ છે અમે આજ થી ૫૦૦૦ વર્ષ પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાંં. દેવી-દેવતા ધર્મ વાળા પછી બીજા બધાંં ધર્મોમાં કન્વર્ટ (બદલી) થયાં છે. હિંદુ ધર્મ કહી નથી શકતાં. પરંતુ પતિત હોવાનાં કારણે પોતાને દેવી-દેવતા કહેવાનું શોભતું જ નથી. અપવિત્ર ને દેવી-દેવતા કહી ન શકાય. મનુષ્ય પવિત્ર દેવીઓની પૂજા કરે છે તો જરુર પોતે અપવિત્ર છે એટલે પવિત્રતાની આગળ માથું ઝુકાવવું પડે છે. ભારતમાં ખાસ કન્યાઓને નમન કરે છે. કુમારોને નમન નથી કરતાં. કન્યાઓ ને નમન કરે છે. કુમાર ને નમન કેમ કે નથી કરતાં? કારણ કે આ સમયે જ્ઞાન પણ પહેલાં માતાઓને મળે છે. બાપ આમનામાં પ્રવેશ કરે છે. આ પણ સમજો છો બરાબર આ જ્ઞાનની મોટી નદી છે. જ્ઞાન નદી પણ છે પછી પુરુષ પણ છે. આ છે સૌથી મોટી નદી. બ્રહ્મપુત્રા નદી છે સૌથી મોટી, જે કલકત્તા તરફ સાગર માં જઈને મળે છે. મેળો પણ ત્યાં લાગે છે. પરંતુ તેમને આ ખબર નથી કે આ આત્માઓ અને પરમાત્મા નો મેળો છે. એ તો પાણી ની નદી છે, જેનાં પર નામ બ્રહ્મપુત્રા રાખ્યું છે. તેમણે બ્રહ્મ ઈશ્વર ને કહેલું છે એટલે બ્રહ્મપુત્રા ને ખુબ પાવન સમજે છે. મોટી નદી છે તો પવિત્ર પણ તે હશે. પતિત-પાવન હકીકત માં ગંગાને નહીં, બ્રહ્મપુત્રા ને કહેવાય. મેળો પણ આનો લાગે છે. આ પણ સાગર અને બ્રહ્મા નદી નો મેળો છે. બ્રહ્મા દ્વારા એડોપ્શન કેવી રીતે થાય છે - આ ગુહ્ય વાતો સમજવાની છે, જે પ્રાયઃલોપ થઈ જાય છે. આ તો બિલકુલ સહજ વાત છે ને.

ભગવાનુવાચ, હું તમને રાજયોગ શીખવાડું છું, પછી આ દુનિયા જ ખલાસ થઇ જશે. શાસ્ત્ર વગેરે કાંઈ પણ રહેશે નહીં. પછી ભક્તિમાર્ગ માં આ શાસ્ત્ર હોય છે. જ્ઞાનમાર્ગ માં શાસ્ત્ર હોતાં નથી. મનુષ્ય સમજે છે આ શાસ્ત્ર પરંપરા થી ચાલ્યાં આવે છે. જ્ઞાન તો કાંઈ છે નહીં. કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે એટલે પરંપરા કહી દે છે. આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. હમણાં આપ બાળકોને આ બેહદનું ભણતર મળે છે, જેનાથી તમે આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવી શકો છો. તમને આ દેવી-દેવતાઓ ની હિસ્ટ્રી-જોગ્રોફી ની પૂરી ખબર છે. આ પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા પૂજ્ય હતાંં. હમણાં પૂજારી પતિત બન્યાં છે. સતયુગમાં છે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ, અહીંયા કળયુગ માં અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. પછી અંત માં નિવૃત્તિ માર્ગ થાય છે. તે પણ ડ્રામા માં છે. તેને સંન્યાસ ધર્મ કહેવાય છે. ઘરબાર નો સંન્યાસ કરી જંગલમાં ચાલ્યાં જાય છે. તે છે હદનો સન્યાસ. રહે તો આ જૂની દુનિયામાં જ છે ને. હમણાં તમે સમજો છો આપણે સંગમયુગ પર છે પછી નવી દુનિયામાં જઈશું. તમને તિથિ, તારીખ, સેકન્ડ સહિત બધી ખબર છે. તે લોકો તો કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દે છે, આનો પૂરો હિસાબ નીકાળી શકાય છે. લાખો વર્ષની તો વાત કોઈ યાદ પણ કરી ન શકે. હમણાં તમે સમજો છો બાપ શું છે, કેવી રીતે આવે છે, શું કર્તવ્ય કરે છે? તમે બધાનાં કર્તવ્ય ને, જન્મપત્રી ને જાણો છો. બાકી ઝાડ નાં પત્તા અસંખ્ય હોય છે. તે ગણતરી થોડી કરી શકાય છે. આ બેહદ સૃષ્ટિ રુપી ઝાડ નાં કેટલાં પત્તા છે? ૫૦૦૦ વર્ષમાં આટલાં કરોડ છે. તો લાખો વર્ષમાં કેટલાં અગણિત મનુષ્ય થઈ જાય. ભક્તિમાર્ગ માં દેખાડે છે - લખેલું છે સતયુગ આટલાં વર્ષ નો છે, ત્રેતા આટલાં વર્ષ નો છે, દ્વાપર આટલાં વર્ષ નો છે. તો બાપ બેસી આપ બાળકોને આ બધું રહસ્ય સમજાવે છે. કેરી નું બીજ જોવાથી કેરીનું ઝાડ સામે આવશે ને! હમણાં મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ તમારી સામે છે. તમને બેસી ઝાડ નું રહસ્ય સમજાવે છે કારણ કે ચૈતન્ય છે. બતાવે છે આપણું આ ઉલટું ઝાડ છે. તમે સમજાવી શકો છો જે પણ આ દુનિયામાં છે, જડ કે ચૈતન્ય, હૂબહૂ રિપીટ કરશે. હમણાં કેટલાં વૃદ્ધિને પામતાં રહે છે. સતયુગ માં આટલાં હોઈ ન શકે. કહે છે ફલાણી વસ્તુ ઓસ્ટ્રેલિયા થી, જાપાન થી આવી. સતયુગમાં ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે થોડી હતાંં. ડ્રામા અનુસાર ત્યાંની વસ્તુ અહીંયા આવે છે. પહેલાં અમેરિકા થી ઘઉં વગેરે આવતા હતાંં. સતયુગમાં ક્યાંય થી થોડી આવશે. ત્યાં તો છે જ એક ધર્મ, બધી વસ્તુ ભરપૂર હોય છે. અહીંયા ધર્મ વૃદ્ધિને પામતાં રહે છે, તો તેમની સાથે બધી વસ્તુ ઓછી થતી જાય છે. સતયુગમાં ક્યાંય થી મંગાવતા નથી. હમણાં તો જુઓ ક્યાં-ક્યાં થી મંગાવે છે! મનુષ્ય પાછળ થી વૃદ્ધિને પામતા ગયાં છે, સતયુગ માં તો અપ્રાપ્ત કોઈ વસ્તુ હોતી નથી. ત્યાંની દરેક વસ્તુ સતોપ્રધાન ખુબ સારી હોય છે. મનુષ્ય જ સતોપ્રધાન છે. મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે. મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે.

સાયન્સ (વિજ્ઞાન) ની મુખ્ય વસ્તુ છે એટોમિક બોમ્બસ, જેનાથી આટલો આખો વિનાશ થાય છે. કેવી રીતે બનાવતાં હશે! બનાવવા વાળી આત્મામાં પહેલાં થી જ ડ્રામા અનુસાર જ્ઞાન હશે. જ્યારે સમય આવે છે ત્યારે તેમનામાં તે જ્ઞાન આવે છે. જેમાં સેન્સ (સમજદારી) હશે એ જ કામ કરશે અને બીજાને શીખવાડશે. કલ્પ-કલ્પ જે પાર્ટ ભજવ્યો છે એ જ ભજવતાં રહે છે. હમણાં તમે કેટલાં નોલેજફુલ બનો છો, આનાથી વધારે નોલેજ હોતું નથી. તમે આ નોલેજ થી દેવતા બની જાઓ છો. આનાથી ઉંચ કોઈ નોલેજ નથી. તે છે માયાનું નોલેજ, જેનાથી વિનાશ થાય છે. તે લોકો (સાઇન્ટીસ્ટ) ચંદ્ર પર જાય છે, શોધે છે. તમારે માટે કોઇ નવી વાત નથી. આ બધાં માયાનાં પામ્પ (ભપકા) છે. ખુબ શો (દેખાવ) કરે છે, અતિ ઊંડાણ માં જાય છે. ખુબ બુદ્ધિ ને લડાવે છે. કાંઈ કમાલ કરી ને દેખાડીએ. ખુબ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે. શું-શું બનાવતાં રહે છે. બનાવવા વાળા જાણે છે આનાથી આ વિનાશ થશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ગુપ્ત જ્ઞાન નું સ્મરણ કરી હર્ષિત રહેવાનું છે. દેવતાઓનાં ચિત્રો ને સામે જોતાં, તેમને નમન વંદન કરવાનાં બદલે તેમનાં જેવાં બનવાના માટે દૈવીગુણ ધારણ કરવાનાં છે.

2. સૃષ્ટિ નાં બીજરુપ બાપ અને તેમની ચૈતન્ય રચના ને સમજી નોલેજફુલ બનવાનું છે, આ નોલેજ થી વધીને બીજું કોઈ નોલેજ હોઈ નથી શકતું, આ જ નશામાં રહેવાનું છે.

વરદાન :-
જવાબદારી સંભાળતાં આકારી અને નિરાકારી સ્થિતિ નાં અભ્યાસ દ્વારા સાક્ષાતકારમૂર્ત ભવ

જેમ સાકાર રુપમાં આટલી મોટી જવાબદારી હોવા છતાં પણ આકારી અને નિરાકારી સ્થિતિ નો અનુભવ કરાવતાં રહ્યાંં એમ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરો. સાકાર રુપમાં ફરિશ્તા પણા ની અનુભૂતિ કરાવો. કોઈ કેટલાં પણ અશાંત કે બેચેન ગભરાયેલા તમારી સામે આવે પરંતુ તમારી એક દૃષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિ ની શક્તિ તેમને બિલકુલ શાંત કરી દે. વ્યક્ત ભાવ માં આવે અને અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરે ત્યારે કહેશે સાક્ષાત્કારમૂર્ત.

સ્લોગન :-
જે સાચ્ચા રહમદિલ છે તેમને દેહ કે દેહ-અભિમાન નું આકર્ષણ નથી થઈ શકતું.