09-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બેહદનાં
બાપ ને યાદ કરવાં - આ છે ગુપ્ત વાત , યાદ થી યાદ મળે છે , જે યાદ નથી કરતાં એમને
બાપ પણ કેવી રીતે યાદ કરે ”
પ્રશ્ન :-
સંગમ પર આપ
બાળકો કયું ભણતર ભણો છો જે આખું કલ્પ નથી ભણાવાતું?
ઉત્તર :-
જીવતે જીવ શરીર થી ન્યારા અર્થાત્ મુર્દા થવાનું ભણતર હમણાં ભણો છો કારણ કે તમારે
કર્માતીત બનવાનું છે. બાકી જ્યાં સુધી શરીર માં છો ત્યાં સુધી કર્મ તો કરવાનાં જ
છે. મન પણ અમન ત્યારે થાય જ્યારે શરીર ન હોય એટલે મન જીતે જગતજીત નહીં, પરંતુ માયા
જીતે જગતજીત.
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે કારણકે આ તો બાળકો સમજે છે બેસમજ ને જ ભણાવાય છે. હવે બેહદનાં બાપ ઊંચે
થી ઊંચા ભગવાન આવે છે તો કોને ભણાવતાં હશે? જરુર જે ઊંચે થી ઊંચા બિલ્કુલ બેસમજ હશે
એટલે કહેવાય જ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ કેવી રીતે થઈ ગયાં છો?
૮૪ લાખ યોનિઓ લખેલી છે ને! તો બાપને પણ ૮૪ લાખ જન્મો માં લઈ આવ્યાં છે. કહી દે છે
પરમાત્મા કુતરા, બિલાડી, જીવ-જંતુ બધામાં છે. બાળકોને સમજાવાય છે, આ તો બીજા નંબરમાં
પોઇન્ટ આપવાની હોય છે. બાપે સમજાવ્યું છે જ્યારે કોઈ નવાં આવે છે તો પહેલાં-પહેલાં
તેમને હદ નાં અને બેહદ નાં બાપ નો પરિચય આપવો જોઈએ. એ બેહદનાં મોટા બાબા અને આ હદનાં
નાના બાબા. બેહદનાં બાપ એટલે જ બેહદ આત્માઓનાં બાપ. તે હદ નાં બાપ જીવ આત્માનાં બાપ
થઈ ગયાં. એ છે બધી આત્માઓનાં બાપ. આ નોલેજ પણ બધાં એકરસ નથી ધારણ કરી શકતાં. કોઈ ૧
ટકો ધારણ કરે છે તો કોઈ ૯૫ ટકા ધારણ કરે છે. આ તો સમજવાની વાત છે. સૂર્યવંશી વંશજ
હશે ને! રાજા-રાણી તથા પ્રજા. આ બુદ્ધિ માં આવે છે ને. પ્રજામાં બધાં પ્રકારનાં
મનુષ્ય હોય છે. પ્રજા એટલે પ્રજા. બાપ સમજાવે છે આ ભણતર છે. પોતાની બુદ્ધિ અનુસાર
દરેક ભણે છે. દરેક ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. જેમણે કલ્પ પહેલાં જેટલું ભણતર
ધારણ કર્યુ છે એટલું હમણાં પણ ધારણ કરે છે. ભણતર ક્યારેય છુપાયેલું નથી રહી શકતું.
ભણતર અનુસાર જ પદ મળે છે. બાપે સમજાવ્યું છે - આગળ ચાલીને પરીક્ષા તો થવાની જ છે.
વગર પરીક્ષા ટ્રાન્સફર તો થઈ ન શકે. પાછળ થી બધું ખબર પડશે. આમ તો હમણાં પણ સમજી શકે
છે કે કયાં પદ નાં અમે લાયક છીએ. ભલે લજ્જા નાં માર્યા બધાની સાથે-સાથે હાથ ઉઠાવી
દે છે. દિલમાં સમજે પણ છે અમે આવાં કેવી રીતે બની શકશું! તો પણ હાથ ઉઠાવી દે છે.
સમજવાં છતાં પણ ફરી હાથ ઉઠાવી લેવો એ પણ અજ્ઞાન કહેશું. કેટલું અજ્ઞાન છે, બાપ તો
ઝટ સમજી જાય છે. આનાથી તો તે વિદ્યાર્થીઓમાં અક્કલ હોય છે. તેઓ સમજે છે હું
સ્કોલરશીપ લેવાનાં લાયક નથી, પાસ નહીં થઈશ. આનાથી તો તે અજ્ઞાની સારા જે સમજે છે -
શિક્ષક જે ભણાવે છે એમાં અમે કેટલાં માર્ક્સ લઈશું! એવું થોડી કહેશે અમે પાસ વિથ
ઓનર થઈશું. તો સિદ્ધ થાય છે અહીંયા આટલી પણ બુદ્ધિ નથી. દેહ-અભિમાન ખુબ છે. જ્યારે
તમે આવ્યાં છો આ (લક્ષ્મી-નારાયણ) બનવા તો ચલન ખુબ સારી જોઈએ. બાપ કહે છે કોઈ તો
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે કારણ કે કાયદેસર બાપ થી પ્રીત નથી, તો શું હાલ થશે.
ઉંચ પદ પામી નહીં શકશે.
બાપ બેસીને આપ બાળકો ને સમજાવે છે - વિનાશ કાળે વિપરીત બુદ્ધિ નો અર્થ શું છે -
બાળકો જ પૂરું નથી સમજી શકતાં તો પછી બીજા શું સમજશે! જે બાળકો સમજે છે અમે શિવબાબા
નાં બાળકો છીએ એ જ પૂરા અર્થ ને નથી સમજતાં. બાપ ને યાદ કરવાં - એ તો છે ગુપ્ત વાત.
ભણતર તો ગુપ્ત નથી ને. ભણતર માં નંબરવાર છે. બધાં એક જેવું થોડી ભણશે. બાપ તો સમજે
છે આ હમણાં બેબીઝ (બાળક) છે. આવાં બેહદનાં બાપ ને ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિના યાદ પણ
નથી કરતાં. ખબર કેવી રીતે પડે કે યાદ કરે છે? જ્યારે તેમની ચિઠ્ઠી આવે. પછી એ
ચિઠ્ઠીમાં સર્વિસ (સેવા) સમાચાર પણ હોય કે આ-આ રુહાની સર્વિસ કરું છું. સબૂત જોઈએ
ને. એવાં તો દેહ-અભિમાની હોય છે જે ન તો ક્યારેય યાદ કરે છે, ન સર્વિસનું સબૂત
દેખાડે છે. કોઈ તો સમાચાર લખે છે બાબા ફલાણા-ફલાણા આવ્યાં તેમને આ સમજાવ્યું, તો
બાપ પણ સમજે છે બાળક જીવતો છે. સર્વિસ સમાચાર ઠીક આપે છે. કોઈ તો ૩-૪ મહીના પત્ર નથી
લખતાં. કોઈ સમાચાર નથી તો સમજશે મરી ગયાં કે બીમાર છે! બીમાર મનુષ્ય લખી નથી શકતાં.
એમ પણ કોઈ લખે છે અમારી તબિયત ઠીક નહોતી એટલે પત્ર લખ્યો નથી. કોઈ તો સમાચાર જ નથી
આપતાં, ન બીમાર છે. દેહ-અભિમાન છે. પછી બાપ પણ યાદ કોને કરે. યાદ થી જ યાદ મળે છે,
પરંતુ દેહ-અભિમાન છે. બાપ આવીને સમજાવે છે મને સર્વવ્યાપી કહી ૮૪ લાખ થી પણ વધારે
યોનીઓ માં લઈ જાય છે. મનુષ્યોને કહેવાય છે પથ્થર બુદ્ધિ છે. ભગવાન માટે તો પછી કહી
દે છે પથ્થર ભિત્તર ની અંદર વિરાજમાન છે. તો આ બેહદની ગાળો થઈને! એટલે બાપ કહે છે
મારી કેટલી ગ્લાનિ કરે છે. હમણાં તમે તો નંબરવાર સમજી ગયાં છો. ભક્તિમાર્ગ માં ગાએ
પણ છે - તમે આવશો તો અમે વારી જઈશું. તમને વારિસ બનાવશું. એ વારિસ બનાવે છે જે કહે
છે પથ્થર-ઠીક્કર માં છો! કેટલી ગ્લાનિ કરે છે, ત્યારે બાપ કહે છે યદા યદાહિ…... હમણાં
આપ બાળકો બાપને જાણો છો તો બાપ ની કેટલી મહિમા કરો છો. કોઈ મહિમા તો શું, ક્યારેય
યાદ કરી બે અક્ષર લખતાં પણ નથી. દેહ-અભિમાની બની પડે છે. આપ બાળકો સમજો છો અમને બાપ
મળ્યાં છે, અમારા બાપ અમને ભણાવે છે. ભગવાનુવાચ છે ને! હું તમને રાજયોગ શીખવાડું
છું. વિશ્વની રાજાઈ કેવી રીતે પ્રાપ્ત થાય તેનાં માટે રાજયોગ શીખવાડું છું. આપણે
વિશ્વની બાદશાહી લેવા માટે બેહદનાં બાપ થી ભણીએ છીએ - આ નશો હોય તો અપાર ખુશી આવી
જાય. ભલે ગીતા પણ વાંચે છે પરંતુ જેમ સાધારણ ચોપડી વાંચે છે. કૃષ્ણ ભગવાનુવાચ -
રાજયોગ શીખવાડું છું, બસ. એટલો બુદ્ધિનો યોગ કે ખુશી નથી રહેતી. ગીતા વાંચવા કે
સાંભળવા વાળા માં એટલી ખુશી રહેતી નથી. ગીતા વાંચીને પૂરી કરી અને ગયાં ધંધા માં.
તમને તો હમણાં બુદ્ધિ માં છે - બેહદનાં બાપ અમને ભણાવે છે. બીજા કોઈની બુદ્ધિમાં
આવશે નહીં કે અમને ભગવાન ભણાવે છે. તો પહેલાં-પહેલાં કોઈપણ આવે તો તેમને બે બાપ ની
થ્યોરી (સિદ્ધાંત) સમજાવવાની છે. બોલો ભારત સ્વર્ગ હતું ને, હમણાં નર્ક છે. એવું તો
કોઈ કહી ન શકે કે અમે સતયુગમાં પણ છીએ, કળયુગમાં પણ છીએ. કોઈને દુઃખ મળ્યું તો તે
નર્ક માં છે, કોઈને સુખ મળ્યું તો સ્વર્ગ માં છે. એવું ઘણાં કહે છે - દુઃખી મનુષ્ય
નર્ક માં છે, અમે તો ખુબ સુખ માં બેઠા છીએ, મહેલ માડીયા વગેરે બધું છે. બહાર નું ઘણું
સુખ જુએ છે ને. આ પણ તમે હમણાં સમજો છો સતયુગી સુખ તો અહીંયા હોઈ ન શકે. એવું પણ નથી,
ગોલ્ડન એજ ને આઈરન એજ કહો અથવા આઈરન એજ ને ગોલ્ડન એજ કહો એક જ વાત છે. એવું સમજવા
વાળા ને પણ અજ્ઞાની કહેશું. તો પહેલાં-પહેલાં બાપની થ્યોરી બતાવાની છે. બાપ જ પોતાની
ઓળખાણ આપે છે. બીજા તો કોઈ જાણતાં નથી. કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. હમણાં તમે
ચિત્રમાં દેખાડો છો - આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે. એ પણ આત્મા છે પરંતુ
એમને પરમ આત્મા કહેવાય છે. બાપ બેસીને સમજાવે છે - હું કેવી રીતે આવું છું! બધી
આત્માઓ ત્યાં પરમધામમાં રહે છે. આ વાતો બહાર વાળા તો કોઈ સમજી ન શકે. ભાષા પણ ખુબ જ
સહજ છે. ગીતામાં શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. હવે કૃષ્ણ તો ગીતા સંભળાવતાં નથી.
એ તો બધાને કહી ન શકે કે મામેકમ્ યાદ કરો. દેહધારી ની યાદ થી તો પાપ કપાતા નથી.
કૃષ્ણ ભગવાનુવાચ - દેહ નાં બધાં સંબંધ ત્યાગી મામેકમ્ યાદ કરો પરંતુ દેહ નાં સબંધ
તો કૃષ્ણને પણ છે અને પછી તે તો નાનું-એવું બાળક છે ને. આ પણ કેટલી મોટી ભૂલ છે.
કેટલો ફરક પડી જાય છે એક જ ભૂલ નાં કારણે. પરમાત્મા તો સર્વવ્યાપી હોઈ ન શકે. જેમનાં
માટે કહે છે સર્વ નાં સદ્દગતિ દાતા છે તો શું તે પણ દુર્ગતિ ને પામે છે! પરમાત્મા
ક્યારેય દુર્ગતિ ને પામે છે શું? આ બધી વિચાર સાગર મંથન કરવાની વાતો છે. સમય વ્યર્થ
કરવાની વાત નથી. મનુષ્ય તો કહી દે છે કે અમને ફુરસદ નથી. તમે સમજાવો છો કે આવીને
કોર્સ કરો તો કહે ફુરસદ નથી. બે દિવસ આવશે પછી ચાર દિવસ આવશે નહીં…... ભણશે નહીં તો
આ લક્ષ્મી-નારાયણ કેવી રીતે બની શકશે? માયા નો કેટલો ફોર્સ છે. બાપ સમજાવે છે જે
સેકન્ડ, જે મિનિટ પસાર થાય છે તે હૂબહૂ રિપીટ થાય છે. અગણિત વખત રિપીટ થતું રહેશે.
હમણાં તો બાપ દ્વારા સાંભળી રહ્યાં છો. બાબા તો જન્મ-મરણ માં આવતાં નથી. તુલના કરાય
છે કે પૂરા જન્મ-મરણ માં કોણ આવે છે અને ન આવવા વાળા કોણ? ફક્ત એક જ બાપ છે જે
જન્મ-મરણ માં નથી આવતાં. બાકી તો બધાં આવે છે એટલે ચિત્ર પણ દેખાડે છે. બ્રહ્મા અને
વિષ્ણુ બંને જન્મ મરણ માં આવે છે, બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા પાર્ટ માં
આવતાં-જતાં રહે છે. અંત થઇ ન શકે. આ ચિત્ર તો પણ આવીને બધાં જોશે અને સમજશે. ખુબ
સહજ સમજ ની વાત છે. બુદ્ધિ માં આવવું જોઈએ અમે જ બ્રાહ્મણ છીએ પછી અમે જ ક્ષત્રિય,
વૈશ્ય, શૂદ્ર બનશું. ફરી બાપ આવશે તો અમે જ બ્રાહ્મણ બની જઈશું. આ યાદ કરો તો પણ
સ્વદર્શન ચક્રધારી થયાં. અનેક છે જેમની યાદ રહેતી નથી. તમે બ્રાહ્મણ જ સ્વદર્શન
ચક્રધારી બનો છો. દેવતાઓ નથી બનતાં. આ નોલેજ (જ્ઞાન), કે ચક્ર કેવી રીતે ફરે છે, આ
નોલેજ ને પામવાથી તે આ દેવતા બને છે. હકીકત માં કોઈ પણ મનુષ્ય સ્વદર્શન ચક્રધારી
કહેવાનાં લાયક નથી. મનુષ્યોની સૃષ્ટિ મૃત્યુલોક જ અલગ છે. જેમ ભારતવાસીઓની
રીત-રિવાજ અલગ છે, બધાનું અલગ-અલગ હોય છે. દેવતાઓની રીત-રિવાજ અલગ છે. મૃત્યુલોકનાં
મનુષ્યોની રીત-રિવાજ અલગ. રાત-દિવસનો ફરક છે એટલે બધાં કહે છે - અમે પતિત છીએ. હેં
ભગવાન, અમે બધાં પતિત દુનિયાનાં રહેવા વાળા ને પાવન બનાવો. તમારી બુદ્ધિ માં છે
પાવન દુનિયા આજ થી ૫ હજાર વર્ષ પહેલાં હતી, જેને સતયુગ કહેવાય છે. ત્રેતા ને નહીં
કહેશું. બાપે સમજાવ્યું છે - એ છે ફર્સ્ટ ક્લાસ, આ છે સેકન્ડ ક્લાસ. તો એક-એક વાત
સારી રીતે ધારણ કરવી જોઈએ. જે કોઈપણ આવે તો સાંભળી ને વન્ડર (આશ્ચર્ય) ખાય. કોઈ તો
વન્ડર ખાય છે. પરંતુ પછી તેમને ફુરસત નથી રહેતી, જે પુરુષાર્થ કરે. પછી સાંભળે છે
પવિત્ર જરુર રહેવાનું છે. આ કામ વિકાર જ છે જે મનુષ્યો ને પતિત બનાવે છે. આને
જીતવાથી જ તમે જગતજીત બનશો. બાપએ કહ્યું પણ છે - કામ વિકારજીત જગતજીત બનો. મનુષ્ય
પછી કહી દે છે મનજીતે જગતજીત બનો. મન ને વશ માં કરો. હવે મન અમન તો ત્યારે થાય
જ્યારે શરીર ન હોય. બાકી મન અમન તો ક્યારેય થતું જ નથી. દેહ મળે જ છે કર્મ કરવા માટે
તો પછી કર્માતીત અવસ્થા માં કેવી રીતે રહેશો? કર્માતીત અવસ્થા કહેવાય છે મુર્દા ને.
જીવતે જીવ મુર્દા, શરીર થી ન્યારા. તમને પણ શરીર થી ન્યારા બનવાનું ભણતર ભણાવે છે.
શરીર થી આત્મા અલગ છે. આત્મા પરમધામ ની રહેવાવાળી છે. આત્મા શરીરમાં આવે છે તો તેને
મનુષ્ય કહેવાય છે. શરીર મળે જ છે કર્મ કરવાં માટે. એક શરીર છૂટી જશે પછી બીજું શરીર
આત્માએ લેવાનું છે કર્મ કરવા માટે. શાંત તો ત્યારે રહેશો જ્યારે કર્મ ન કરવાનું હોય.
મૂળવતન માં કર્મ હોતાં નથી. સૃષ્ટિનું ચક્ર અહીંયા ફરે છે. બાપને અને સૃષ્ટિ ચક્ર
ને જાણવાનું છે. આને જ નોલેજ કહેવાય છે. આ આંખો જ્યાં સુધી પતિત ક્રિમિનલ છે, તો આ
આંખો થી પવિત્ર વસ્તુ જોવામાં આવી ન શકે એટલે જ્ઞાન નું ત્રીજું નેત્ર જોઈએ. જ્યારે
તમે કર્માતીત અવસ્થા ને પામશો અર્થાત્ દેવતા બનશો પછી તો આ આંખોથી દેવતાઓ ને જોતાં
રહેશો. બાકી આ શરીરમાં આ આંખોથી કૃષ્ણને જોઈ નથી શકાતાં. બાકી સાક્ષાત્કાર કર્યો તો
એનાથી કાંઈ મળે થોડી છે. અલ્પકાળ માટે ખુશી રહે છે, કામના પૂરી થઈ જાય છે. ડ્રામા
માં સાક્ષાત્કારની પણ નોંધ છે, આનાથી પ્રાપ્તિ કંઈ થતી નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શરીર થી
ન્યારી આત્મા છું, જીવતે જીવ આ શરીરમાં રહેતાં જેમ મુર્દા - આ સ્થિતિનાં અભ્યાસ થી
કર્માતીત અવસ્થા બનાવવાની છે.
2. સર્વિસ નું સબૂત આપવાનું છે. દેહભાન ને છોડી પોતાનાં સાચાં-સાચાં સમાચાર આપવાનાં
છે. પાસ વિથ ઓનર થવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
સર્વ ખાતા અને
સંબંધ એક બાપ થી રાખવા વાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ
ડબલ લાઈટ ફરિશ્તા બનવા
માટે દેહનાં ભાન થી પણ પરે રહો કારણ કે દેહભાન માટી છે, જો આનો પણ બોજ છે તો ભારેપણું
છે. ફરિશ્તાં અર્થાત્ પોતાનાં દેહ ની સાથે પણ સંબંધ નહીં. બાપ નું આપેલું તન પણ બાપ
ને આપી દીધું. પોતાની વસ્તુ બીજાને આપી દીધી તો પોતાનો સંબંધ ખતમ થયો. બધો
હિસાબ-કિતાબ, બધી લેણ-દેણ બાપ થી બાકી બધાં પાછલાં ખાતા અને સંબંધ ખતમ - એવાં
સંપૂર્ણ બેગર જ ડબલ લાઈટ ફરિશ્તા છે.
સ્લોગન :-
પોતાની
વિશેષતાઓ ને પ્રયોગ માં લાવો તો દરેક કદમ માં પ્રગતિ નો અનુભવ કરશો.