23-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - કદમ -
કદમ પર શ્રીમત પર ચાલતાં રહો , આ બ્રહ્માની મત છે કે શિવબાબા ની , આમાં મૂંઝાઓ નહીં
”
પ્રશ્ન :-
સારા મગજ બાળકો
કઈ ગુહ્ય વાત સહજ જ સમજી શકે છે?
ઉત્તર :-
બ્રહ્મા બાબા સમજાવી રહ્યાં છે કે શિવબાબા - આ વાત સારા મગજ વાળા સહજ જ સમજી લેશે.
ઘણાં તો આમાં જ મુંઝાઈ જાય છે. બાબા કહે છે - બાળકો, બાપદાદા બંને ભેગાં છે. તમે
મૂંઝાઓ નહીં. શ્રીમત સમજીને ચાલતાં રહો. બ્રહ્માની મત નાં જવાબદાર પણ શિવબાબા છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકોને સમજાવી રહ્યાં છે, તમે સમજો છો આપણે બ્રાહ્મણ જ રુહાની બાપ ને ઓળખીએ છીએ.
દુનિયામાં કોઈ પણ મનુષ્ય માત્ર રુહાની બાપ, જેમને ગોડફાધર અથવા પરમપિતા પરમાત્મા કહે
છે, એમને જાણતાં નથી. જ્યારે એ રુહાની બાપ આવે ત્યારે જ રુહાની બાળકોને પરિચય આપે.
આ નોલેજ ન સૃષ્ટિનાં આદિ માં રહે છે, ન સૃષ્ટિનાં અંત માં રહે છે. હમણાં તમને નોલેજ
મળ્યું છે, આ છે સૃષ્ટિનાં અંત અને આદિનો સંગમયુગ. આ સંગમયુગ ને પણ નથી જાણતાં તો
બાપ ને કેવી રીતે જાણી શકશે. કહે છે - હેં પતિત-પાવન આવો, આવીને પાવન બનાવો, પરંતુ
એ ખબર નથી કે પતિત-પાવન કોણ છે અને એ ક્યારે આવશે. બાપ કહે છે-હું જે છું જેવો છું,
મને કોઈ પણ નથી જાણતાં. જ્યારે હું આવીને પરિચય આપું ત્યારે મને જાણે. હું સ્વયં નો
અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નો પરિચય સંગમયુગ પર એક જ વખત આવીને આપું છું. કલ્પ બાદ
ફરી થી આવું છું. તમને જે સમજાવું છું તે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. સતયુગ થી લઈને
કળયુગ અંત સુધી કોઈ પણ મનુષ્ય માત્ર મુજ પરમપિતા પરમાત્મા ને નથી જાણતાં. ન
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને જાણે છે. મને મનુષ્ય જ પોકારે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર થોડી
પોકારે છે. મનુષ્ય દુઃખી થાય છે ત્યારે પોકારે છે. સૂક્ષ્મવતન ની તો વાત જ નથી.
રુહાની બાપ આવીને પોતાનાં રુહાની બાળકો અર્થાત્ રુહો ને બેસી સમજાવે છે. અચ્છા,
રુહાની બાપનું નામ શું છે? બાબા જેમને કહેવાય છે, જરુર કંઈ નામ હોવું જોઈએ. બરાબર
નામ એક જ ગવાય છે શિવ. આ નામીગ્રામી છે પરંતુ મનુષ્યોએ અનેક નામ રાખ્યાં છે.
ભક્તિમાર્ગ માં પોતાની જ બુદ્ધિ થી આ લિંગ રુપ બનાવી દીધું છે. નામ છતાં પણ શિવ છે.
બાપ કહે છે હું એક વખત આવું છું. આવીને મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપું છું.
મનુષ્ય ભલે નામ લે છે - મુક્તિધામ, નિર્વાણધામ, પરંતુ જાણતાં કંઈ નથી. ન બાપ ને જાણે
છે, ન દેવતાઓ ને. આ કોઈને પણ ખબર નથી બાપ ભારતમાં આવીને કેવી રીતે રાજધાની સ્થાપન
કરે છે. શાસ્ત્રોમાં પણ એવી કોઈ વાત નથી પરમપિતા પરમાત્મા કેવી રીતે આવીને આદિ
સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. એવું નથી સતયુગમાં દેવતાઓને જ્ઞાન હતું,
જે લોપ થઈ ગયું. નહીં, જો દેવતાઓમાં પણ આ જ્ઞાન હોત તો ચાલતું આવત. ઈસ્લામી, બૌદ્ધી
વગેરે જે છે તેમનું જ્ઞાન ચાલતું આવે છે. બધાં જાણે છે - આ જ્ઞાન પ્રાયઃલોપ થઇ જાય
છે. હું જ્યારે આવું છું તો જે આત્માઓ પતિત બની રાજ્ય ગુમાવી બેઠી છે તેમને આવીને
પછી પાવન બનાવું છું. ભારતમાં રાજ્ય હતું પછી ગુમાવ્યું કેવી રીતે છે, તે પણ કોઈને
ખબર નથી એટલે બાપ કહે છે બાળકો ની કેટલી તુચ્છ બુદ્ધિ બની ગઈ છે. હું બાળકોને આ
જ્ઞાન આપી પ્રાલબ્ધ આપું છું પછી બધાં ભૂલી જાય છે. કેવી રીતે બાપ આવ્યાં, કેવી રીતે
બાળકોને શિક્ષા આપી, તે બધું ભૂલી જાય છે. આ પણ ડ્રામા માં નોંધ છે. બાળકોને વિચાર
સાગર મંથન કરવાની વિશાળ બુદ્ધિ જોઈએ.
બાપ કહે છે આ જે શાસ્ત્ર વગેરે તમે વાંચતા આવ્યાં છો આ સતયુગ-ત્રેતા માં નહોતાં
વાંચતા. ત્યાં હતાં જ નહીં. તમે આ નોલેજ ભૂલી જાઓ છો પછી ગીતા વગેરે શાસ્ત્ર ક્યાંથી
આવ્યાં? જેમણે ગીતા સાંભળીને આ પદ પામ્યું છે એ જ નથી જાણતાં તો બીજા પછી કેવી રીતે
જાણી શકે. દેવતાઓ પણ જાણી નથી શકતાં. અમે મનુષ્ય થી દેવતા કેવી રીતે બન્યાં. તે
પુરુષાર્થ નો પાર્ટ જ બંધ થઈ ગયો. તમારી પ્રાલબ્ધ શરું થઈ ગઈ. ત્યાં આ નોલેજ કેવી
રીતે હોઈ શકે. બાપ સમજાવે છે આ નોલેજ તમને ફરીથી મળી રહ્યું છે, કલ્પ પહેલાની જેમ.
તમને રાજયોગ શીખવાડી પ્રાલબ્ધ અપાય છે. પછી ત્યાં તો દુર્ગતિ છે નહીં. તો જ્ઞાનની
વાત પણ ઉઠી નથી શકતી. જ્ઞાન છે જ સદ્દગતિ પામવાનાં માટે. એ આપવા વાળા એક બાપ છે.
સદ્દગતિ અને દુર્ગતિ નો અક્ષર અહીંયાથી નીકળે છે. સદ્દગતિ ને ભારતવાસી જ પામે છે.
સમજે છે હેવનલી ગોડફાધરે હેવન (સ્વર્ગ) રચ્યું હતું. ક્યારે રચ્યું? આ કાંઈ પણ ખબર
નથી. શાસ્ત્રોમાં લાખો વર્ષ લખી દીધું છે. બાપ કહે છે - બાળકો, તમને ફરીથી નોલેજ આપું
છું પછી આ નોલેજ ખલાસ થઈ જાય છે તો ભક્તિ શરું થાય છે. અડધોકલ્પ છે જ્ઞાન, અડધોકલ્પ
છે ભક્તિ. આ પણ કોઈ નથી જાણતાં. સતયુગની આયુ જ લાખો વર્ષ આપી દીધી છે. તો ખબર કેવી
રીતે પડે. ૫ હજાર વર્ષની વાત પણ ભૂલી ગયાં છે. તો લાખો વર્ષની વાત કેવી રીતે જાણી
શકે. કાંઈ પણ સમજતાં નથી. બાપ કેટલું સહજ સમજાવે છે. કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે.
યુગ જ ૪ છે. ચારેય નો એકસરખો સમય ૧૨૫૦ વર્ષ છે. બ્રાહ્મણો નો આ મિડગેટ (સંગમ) યુગ
છે. ખુબ નાનો છે તે ૪ યુગોથી. તો બાપ ભિન્ન-ભિન્ન રીતે થી, નવી-નવી પોઇન્ટ સહજ રીતે
બાળકોને સમજાવતાં રહે છે. ધારણા તમારે કરવાની છે. મહેનત તમારે કરવાની છે. ડ્રામા
અનુસાર જે સમજાવતો આવ્યો છું તે પાર્ટ ચાલ્યો આવે છે. જે બતાવવાનું હતું તે જ આજે
બતાવી રહ્યો છું. ઈમર્જ (જાગૃત) થતું રહે છે. તમે સાંભળતા જાઓ છો. તમારે જ ધારણ
કરવાનું અને કરાવવાનું છે. મારે તો ધારણ નથી કરવાનું. તમને સંભળાવું છું, ધારણા
કરાવું છું. મારી આત્મામાં પાર્ટ છે પતિતો ને પાવન બનાવવાનો. જે કલ્પ પહેલાં
સમજાવ્યું હતું એ જ નીકળતું રહે છે. હું પહેલાથી જાણતો નહોતો કે શું સંભળાવીશ. ભલે
આમની આત્મા વિચાર સાગર મંથન કરતી હોય. આ વિચાર સાગર મંથન કરી સંભળાવે છે કે બાબા
સંભળાવે છે - આ ખુબ ગુહ્ય વાતો છે, આમાં મગજ ખુબ સારું જોઈએ. જે સર્વિસ (સેવા) માં
તત્પર હશે તેમનું જ વિચાર સાગર મંથન ચાલતું હશે.
હકીકત માં કન્યાઓ બંધનમુક્ત હોય છે. તે આ રુહાની ભણતરમાં લાગી જાય, બંધન તો કોઈ છે
નહીં. કુમારીઓ સારું ઉઠાવી શકે છે, તેમને છે જ ભણવાનું અને ભણાવવાનું. તેમને કમાણી
કરવાની દરકાર નથી. કુમારી જો સારી રીતે આ નોલેજ સમજી જાય તો સૌથી સારી છે. સેન્સીબલ
(સમજદાર) હશે તો બસ રુહાની કમાણી માં લાગી જશે. ઘણી તો શોખ થી લૌકિક ભણતર ભણતી રહે
છે. સમજાવાય છે - આનાથી કોઈ ફાયદો નથી. તમે આ રુહાની ભણતર ભણીને સર્વિસમાં લાગી જાઓ.
તે ભણતર તો કોઈ કામનું નથી. ભણીને ચાલ્યાં જાય છે ગૃહસ્થ વ્યવહાર માં. ગૃહસ્થી
માતાઓ બની જાય છે. કન્યાઓએ તો આ નોલેજમાં લાગી જવું જોઈએ. કદમ-કદમ શ્રીમત પર ચાલી
ધારણામાં લાગી જવાનું છે. મમ્મા શરુંથી આવી અને પછી આ ભણતર માં લાગી ગઈ, કેટલી
કુમારીઓ તો ગુમ થઈ ગઈ. કુમારીઓ ને સારો ચાન્સ (તક) છે. શ્રીમત પર ચાલે તો ખુબ
ફર્સ્ટ ક્લાસ થઈ જાય. આ શ્રીમત છે કે બ્રહ્માની મત છે - આમાં જ મુંઝાઈ જાય છે. છતાં
પણ આ બાબા નો રથ છે ને. આમનાથી કોઈ ભૂલ થઈ જાય, તમે શ્રીમત પર ચાલતાં રહેશો તો જાતે
જ ઠીક કરી દેશે. શ્રીમત મળશે પણ આમનાં દ્વારા. સદૈવ સમજવું જોઈએ શ્રીમત મળે છે પછી
કંઈ પણ થાય - જવાબદાર પોતે છે. આમનાથી કંઈ થઈ જાય છે, બાબા કહે છે હું જવાબદાર છું.
ડ્રામા માં આ રહસ્ય નોંધાયેલ છે. આને પણ સુધારી શકાય છે. છતાં પણ બાપ છે ને. બાપદાદા
બંને સાથે છે તો મૂંઝાઈ જાય છે. ખબર નહીં શિવબાબા કહે છે કે બ્રહ્મા કહે છે. જો સમજે
શિવબાબા જ મત આપે છે તો ક્યારેય પણ હલશે નહીં. શિવબાબા જે સમજાવે છે તે સાચું જ છે.
તમે કહો છો બાબા તમે જ અમારા બાપ-શિક્ષક-ગુરુ છો. તો શ્રીમત પર ચાલવું જોઈએ ને. જે
કહે તેનાં પર ચાલો. હંમેશા સમજો શિવ બાબા કહે છે - એ છે કલ્યાણકારી, આમની જવાબદારી
પણ એમનાં પર છે. એમનો રથ છે ને. મૂંઝાઓ છો કેમ, ખબર નહીં આ બ્રહ્માની સલાહ છે કે
શિવ ની? તમે કેમ નથી સમજતાં શિવબાબા જ સમજાવે છે. શ્રીમત જે કહે તે કરતા રહો. બીજાની
મત પર તમે આવો જ કેમ છો. શ્રીમત પર ચાલવાથી ક્યારેય ઝુટકા નહીં આવશે. પરંતુ ચાલી નથી
શકતાં, મુંઝાઈ જાય છે. બાબા કહે છે તમે શ્રીમત પર નિશ્ચય રાખો તો હું જવાબદાર છું.
તમે નિશ્ચય જ નથી રાખતાં તો પછી હું પણ જવાબદાર નથી. હંમેશા સમજો શ્રીમત પર ચાલવાનું
જ છે. એ જે કહે, ભલે પ્રેમ કરો, ભલે મારો…...આ એમનાં માટે ગાયન છે. આમાં લાત વગેરે
મારવાની તો વાત નથી. પરંતુ કોઈને નિશ્ચય બેસવો જ ખુબ મુશ્કેલ છે. નિશ્ચય પૂરો બેસી
જાય તો કર્માતીત અવસ્થા થઈ જાય. પરંતુ તે અવસ્થા આવવામાં પણ સમય જોઈએ. તે થશે અંત
માં, આમાં નિશ્ચય ખુબ અડોલ જોઈએ. શિવબાબા થી તો ક્યારેય કોઇ ભુલ થઇ ન શકે, આમનાથી
થઈ શકે છે. આ બંને છે સાથે. પરંતુ તમારે નિશ્ચય પણ રાખવાનો છે - શિવબાબા સમજાવે છે,
એનાં પર અમને ચાલવું પડે. તો બાબાની શ્રીમત સમજીને ચાલતાં ચાલો. તો ઉલટું પણ સુલટું
થઈ જશે. ક્યાંક મિસ અન્ડરસ્ટેન્ડિંગ (ગેરસમજ) પણ થઈ જાય છે. શિવબાબા અને બ્રહ્મા
બાબાની મુરલી ને પણ ખુબ સારી રીતે સમજવાની છે. બાબાએ કહ્યું કે આમને કહ્યું. એવું
નથી કે બ્રહ્મા બોલતાં જ નથી. પરંતુ બાબાએ સમજાવ્યું છે - સારું, સમજો આ બ્રહ્મા
કંઇ નથી જાણતાં, શિવબાબા જ બધું સંભળાવે છે. શિવબાબાનાં રથ ને સ્નાન કરાવું છું,
શિવબાબાનાં ભંડારા ની સર્વિસ કરું છું - આ યાદ રહે તો પણ ખુબ સારું છે. શિવબાબાની
યાદ માં રહેતાં કાંઈ પણ કરો તો અનેકો થી આગળ જઈ શકો છો. મુખ્ય વાત જ છે શિવબાબાની
યાદ ની. અલ્ફ અને બે. બાકી છે ડીટેલ (વિસ્તાર).
બાપ જે સમજાવે છે તેનાં પર અટેન્શન (ધ્યાન) આપવાનું છે. બાપ જ પતિત-પાવન, જ્ઞાનનાં
સાગર છે ને. એ જ પતિત શૂદ્રોને આવીને બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણો ને જ પાવન બનાવે
છે, શૂદ્રોને પાવન નથી બનાવતાં, આ બધી વાતો કોઈ ભાગવત વગેરે માં નથી. થોડા-થોડા
અક્ષર છે. મનુષ્યોને તો આ પણ ખબર નથી કે રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ છે. મૂંઝાઇ
જાય છે. દેવતાઓ તો છે જ સૂર્યવંશી-ચંદ્રવંશી. લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (વંશજ),
સીતા-રામ ની ડિનાયસ્ટી. બાપ કહે છે ભારતવાસી મીઠા બાળકો યાદ કરો, લાખો વર્ષ ની તો
વાત જ નથી. કાલની વાત છે. તમને રાજ્ય આપ્યું હતું. આટલું અકીચાર (અથાહ) ધન-સંપત્તિ
આપ્યું. બાપે આખાં વિશ્વનાં તમને માલિક બનાવ્યાં, બીજા કોઈ ખંડ હતાં નહીં, પછી તમને
શું થયું! વિદ્વાન, આચાર્ય, પંડિત કોઈ પણ આ વાતો ને નથી જાણતાં. બાપ જ કહે છે - અરે
ભારતવાસીઓ, તમને રાજ્ય-ભાગ્ય આપ્યું હતું ને. તમે પણ કહેશો શિવબાબા કહે છે - આટલું
તમને ધન આપ્યું પછી તમે ક્યાં ગુમાવી દીધું! બાપનો વારસો કેટલો જબરજસ્ત છે. બાપ જ
પૂછે છે ને કે બાપ ચાલ્યાં જાય છે તો મિત્ર-સબંધી પૂછે છે. બાપે તમને આટલાં પૈસા
આપ્યાં બધાં ક્યાં ગુમાવ્યાં! આ તો બેહદનાં બાપ છે. બાપે કોડી થી હીરા જેવાં બનાવ્યાં.
આટલું રાજ્ય આપ્યું પછી પૈસા ક્યાં ગયાં? તમે શું જવાબ આપશો? કોઈ ને પણ સમજમાં નથી
આવતું. તમે સમજો છો બાબા ઠીક પૂછે છે - આટલાં કંગાળ કેવી રીતે બન્યાં છો! પહેલાં
બધુંજ સતોપ્રધાન હતું પછી કળા ઓછી થતી ગઈ તો બધું ઓછું થતું ગયું. સતયુગમાં તો
સતોપ્રધાન હતાં, લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. રાધા-કૃષ્ણ થી લક્ષ્મી-નારાયણનું
નામ વધારે છે. તેમની કોઈ ગ્લાનિ નથી લખી બીજા બધાં માટે નિંદા લખેલી છે.
લક્ષ્મી-નારાયણ નાં રાજ્યમાં કોઈ દૈત્ય વગેરે નથી બતાવતાં. તો આ વાતો સમજવાની છે.
બાબા જ્ઞાન ધન થી ઝોલી ભરી રહ્યાં છે. બાપ કહે છે બાળકો આ માયા થી ખબરદાર રહો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સીબલ (સમજદાર)
બની સાચ્ચી સેવામાં લાગી જવાનું છે. જવાબદાર એક બાપ છે એટલે શ્રીમત માં સંશય નથી
ઉઠાવવાનો. નિશ્ચય માં અડોલ રહેવાનું છે.
2. વિચાર સાગર મંથન કરી બાપનાં દરેક સમજાવવા પર અટેન્શન આપવાનું છે. સ્વયં જ્ઞાન ને
ધારણ કરી બીજાઓને સંભળાવવાનું છે.
વરદાન :-
પોતાનાં
પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા શ્રેષ્ઠ તકદીરવાન ભવ
કોઈ પણ વાતને સ્પષ્ટ
કરવા માટે અનેક પ્રકારનાં પ્રમાણ અપાય છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ પ્રમાણ પ્રત્યક્ષ
પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ અર્થાત્ જે છો, જેનાં છો તેની સ્મૃતિ માં રહેવું. જે
બાળકો પોતાનાં યથાર્થ અથવા અનાદિ સ્વરુપ માં સ્થિત રહે છે એ જ બાપ ને પ્રત્યક્ષ
કરવાનાં નિમિત્ત છે. તેમનાં ભાગ્ય ને જોઈને ભાગ્ય બનાવવા વાળા ની યાદ સ્વતઃ આવે છે.
સ્લોગન :-
પોતાની રહેમ
ની દૃષ્ટિ થી દરેક આત્મા ને પરિવર્તન કરવાવાળા જ પુણ્ય આત્મા છે.