09-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 20.11.85
બાપદાદા મધુબન
“ સંગમયુગી બ્રાહ્મણોનો ન્યારો , પ્યારો શ્રેષ્ઠ સંસાર ”
આજે બ્રાહ્મણોનાં
રચયિતા બાપ પોતાનાં નાનકડાં અલૌકિક સુંદર સંસારને જોઈ રહ્યાં છે. આ બ્રાહ્મણ સંસાર
સતયુગી સંસાર થી પણ અતિ ન્યારો અને અતિ પ્યારો છે. આ અલૌકિક સંસારની બ્રાહ્મણ
આત્માઓ કેટલી શ્રેષ્ઠ છે, વિશેષ છે. દેવતા રુપ થી પણ બ્રાહ્મણ સ્વરુપ વિશેષ છે. આ
સંસારની મહિમા છે, ન્યારાપણું છે. આ સંસારની દરેક આત્મા વિશેષ છે. દરેક આત્મા જ
સ્વરાજયધારી રાજા છે. દરેક આત્મા સ્મૃતિની તિલકધારી, અવિનાશી તિલકધારી, સ્વરાજ્ય
તિલકધારી, પરમાત્મ દિલ તખ્તનશીન છે. તો બધી આત્માઓ આ સુંદર સંસારની તાજ, તખ્ત અને
તિલકધારી છે! આવો સંસાર આખાં કલ્પમાં ક્યારેય સાંભળ્યો કે જોયો! જે સંસારની દરેક
બ્રાહ્મણ આત્માનો એક બાપ, એક જ પરિવાર, એક જ ભાષા, એક જ નોલેજ અર્થાત્ જ્ઞાન, એક જ
જીવનનું શ્રેષ્ઠ લક્ષ, એક જ વૃત્તિ, એક જ દૃષ્ટિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરીય કર્મ
છે. આવો સંસાર જેટલો નાનો એટલો પ્યારો છે. આવું બધી બ્રાહ્મણ આત્માઓ મનમાં ગીત ગાઓ
છો કે અમારો નાનકડો આ સંસાર અતિ ન્યારો, અતિ પ્યારો છે. આ ગીત ગાઓ છો? આ સંગમયુગી
સંસાર જોઈ-જોઈ હર્ષિત થાઓ છો? કેટલો ન્યારો સંસાર છે! આ સંસારની દિનચર્યા જ ન્યારી
છે. પોતાનું રાજ્ય, પોતાનાં નિયમ, પોતાનાં રીત-રિવાજ, પરંતુ રીતિ પણ ન્યારી છે
પ્રીતિ પણ પ્યારી છે. એવાં સંસારમાં રહેવાવાળી બ્રાહ્મણ આત્માઓ છો ને! આજ સંસારમાં
રહો છો ને? ક્યારેય પોતાનાં સંસારને છોડી જૂનાં સંસારમાં તો નથી ચાલ્યાં જતાં! એટલે
જૂનાં સંસારનાં લોકો સમજી નથી શકતાં કે આખરે પણ આ બ્રાહ્મણ છે કે! કહે છે ને-બ્રહ્માકુમારીઓ
ની ચાલ જ પોતાની છે. જ્ઞાન જ પોતાનું છે. જ્યારે સંસાર જ ન્યારો છે તો બધું નવું અને
ન્યારુ જ હશે ને. બધાં પોત-પોતાને જુઓ કે નવાં સંસારનાં નવાં સંકલ્પ, નવી ભાષા, નવાં
કર્મ, એવાં ન્યારા બન્યાં છો! કોઈ પણ જૂનાં-પણું રહી તો નથી ગયું! જરા પણ જૂનાં-પણું
હશે તો જૂની દુનિયાનાં તરફ આકર્ષિત કરી દેશે અને ઊંચા સંસાર થી નીચેના સંસારમાં
ચાલ્યાં જશો. ઊંચા અર્થાત શ્રેષ્ઠ હોવાનાં કારણે સ્વર્ગને ઊંચું દેખાડે છે અને
નર્કને નીચે દેખાડે છે. સંગમયુગી સ્વર્ગ સતયુગી સ્વર્ગ થી પણ ઊંચું છે કારણકે હમણાં
બંને સંસાર નાં નોલેજફુલ બન્યાં છો. અહીંયા હમણાં જોવાં છતાં, જાણવાં છતાં ન્યારા
અને પ્યારા છો એટલે મધુબનને સ્વર્ગ અનુભવ કરો છો. કહો છો ને સ્વર્ગ જોવું હોય તો
હમણાં જુઓ. ત્યાં સ્વર્ગનું વર્ણન નહીં કરશું. હમણાં ફલક થી કહો છો કે અમે સ્વર્ગને
જોયું છે. ચેલેન્જ (પડકાર) કરો છો કે સ્વર્ગ જોવું હોય તો અહીંયા આવીને જુઓ. એવું
વર્ણન કરો છો ને. પહેલાં વિચારતાં હતાં, સાંભળતાં હતાં કે સ્વર્ગની પરીઓ બહુજ સુંદર
હોય છે. પરંતુ કોઈએ જોઈ નથી. સ્વર્ગમાં આ-આ હોય, સાંભળ્યું બહુજ પરંતુ હવે સ્વયં
સ્વર્ગનાં સંસારમાં પહોંચી ગયાં. સ્વયં જ સ્વર્ગની પરીઓ બની ગયાં. શ્યામ થી સુંદર
બની ગયાં ને! પાંખો મળી ગઈ ને. એટલી ન્યારી પાંખો જ્ઞાન અને યોગની મળી છે જેનાથી
ત્રણેય લોકોનું ચક્ર લગાવી શકો છો. વિજ્ઞાનવાળાઓની પાસે પણ આવાં તીવ્ર ગતિનાં સાધન
નથી. બધાને પાંખો મળી છે? કોઈ રહી તો નથી ગયું. આ સંસારનું જ ગાયન છે-અપ્રાપ્ત નથી
કોઈ વસ્તુ બ્રાહ્મણો નાં સંસારમાં, એટલે ગાયન છે એક બાપ મળ્યાં તો બધુંજ મળ્યું. એક
દુનિયા નહિ પરંતુ ત્રણેય લોકોનાં માલિક બની જાઓ છો. આ સંસારનું ગાયન છે સદા બધાં
ઝૂલામાં ઝૂલતાં રહેતાં. ઝૂલામાં ઝૂલવું ભાગ્યની નિશાની કહેવાય છે. આ સંસારની વિશેષતા
શું છે? ક્યારેક અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલતાં, ક્યારેક ખુશીનાં ઝૂલામાં ઝૂલતાં,
ક્યારેક શાંતિનાં ઝૂલામાં, ક્યારેક જ્ઞાનનાં ઝૂલામાં ઝૂલતાં. પરમાત્મ ખોળાનાં ઝૂલામાં
ઝૂલતાં. પરમાત્મ ખોળો છે યાદની લવલીન અવસ્થામાં ઝૂલવું. જેમ ખોળામાં સમાઇ જાય છે.
એવાં પરમાત્મ યાદમાં સમાઇ જતાં, લવલીન થઈ જતાં. આ અલૌકિક ખોળો સેકન્ડમાં અનેક
જન્મોનાં દુઃખ દર્દ ભૂલાવી દે છે. આવું બધાં ઝૂલામાં ઝૂલતાં રહો છો!
ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે આવાં સંસારનાં અધિકારી બની જઈશું! બાપદાદા
આજે પોતાનાં પ્યારા સંસારને જોઈ રહ્યાં છે. આ સંસાર પસંદ છે? પ્યારો લાગે છે?
ક્યારેય એક પગ તે સંસારમાં, એક પગ આ સંસારમાં તો નથી રાખતાં? ૬૩ જન્મ તે સંસારને
જોઈ લીધો, અનુભવ કરી લીધો. શું મળ્યું? કાંઈ મળ્યું કે ગુમાવ્યું? તન પણ ગુમાવ્યું,
મનની સુખ-શાંતિ ગુમાવી અને ધન પણ ગુમાવ્યું! સંબંધ પણ ગુમાવ્યાં. જે બાપએ સુંદર તન
આપ્યું, તે ક્યાં ગુમાવ્યું! જો ધન પણ ભેગું કરો છો તો કાળું ધન. સ્વચ્છ ધન ક્યાં
ગયું? જો છે પણ તો કામનું નથી. કહેવામાં કરોડપતિ છે પરંતુ દેખાડી સકે છે? તો બધું
ગુમાવ્યું છતાં પણ જો બુદ્ધિ જાય તો શું કહેશું! સમજદાર? એટલે પોતાનાં આ શ્રેષ્ઠ
સંસારને સદા સ્મૃતિમાં રાખો. આ સંસારનાં આ જીવનની વિશેષતાઓને સદા સ્મૃતિમાં રાખી
સમર્થ બનો. સ્મૃતિ સ્વરુપ બનો તો નષ્ટોમોહા સ્વતઃ જ બની જશો. જૂની દુનિયાની કોઈ પણ
ચીજ બુદ્ધિથી સ્વીકાર નહીં કરો. સ્વીકાર કરી અર્થાત્ દગો ખાધો. દગો ખાવો અર્થાત્
દુઃખ ઉઠાવવું. તો ક્યાં રહેવું છે? શ્રેષ્ઠ સંસાર માં કે જૂનાં સંસાર માં? સદા અંતર
સ્પષ્ટ ઇમર્જ (જાગૃત) રુપમાં રાખો કે તે શું અને આ શું! અચ્છા!
આવાં નાનકડાં પ્યારા સંસારમાં રહેવા વાળી વિશેષ બ્રાહ્મણ આત્માઓને, સદા તખ્તનશીન
આત્માઓને, સદા ઝૂલામાં ઝૂલવાં વાળી આત્માઓને, સદા ન્યારા અને પરમાત્મ પ્યારા બાળકોને
પરમાત્મ યાદ, પરમાત્મ પ્યાર અને નમસ્તે.
સેવાધારી (
ટીચર ) બહેનોથી :-
સેવાધારી
અર્થાત્ ત્યાગી તપસ્વી આત્માઓ. સેવાનું ફળ તો સદા મળે જ છે પરંતુ ત્યાગ અને તપસ્યા
થી સદા જ આગળ વધતી રહેશો. સદા સ્વયંને વિશેષ આત્માઓ સમજીને વિશેષ સેવાનું સબૂત
આપવાનું છે. આજ લક્ષ્ય રાખો જેટલું લક્ષ્ય મજબૂત હશે એટલી બિલ્ડીંગ પણ સારી બનશે.
તો સદા સેવાધારી સમજી આગળ વધો. જેમ બાપએ તમને પસંદ કર્યા એવી રીતે તમે પછી પ્રજાને
પસંદ કરો. સ્વયં સદા નિર્વિઘ્ન બની સેવાને પણ નિર્વિઘ્ન બનાવતાં ચાલો. સેવા તો બધાં
કરે છે પરંતુ નિર્વિઘ્ન સેવા થાય, એનાં જ નંબર મળે છે. જ્યાં પણ રહો છો ત્યાં દરેક
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નિર્વિઘ્ન હોય, વિઘ્નોની લહેર ન હોય. શક્તિશાળી વાતાવરણ હોય.
આને કહેવાય છે નિર્વિઘ્ન આત્મા. આજ લક્ષ્ય રાખો - એવું યાદ નું વાતાવરણ હોય જે
વિઘ્ન આવી ન શકે. કિલ્લો હોય છે તો દુશ્મન આવી નથી શકતાં. તો નિર્વિઘ્ન બની
નિર્વિઘ્ન સેવાધારી બનો. અચ્છા!
અલગ - અલગ
ગ્રુપથી :-
૧. સેવા કરો અને સંતુષ્ટતા લો. ફક્ત સેવા નથી કરતાં પરંતુ એવી સેવા કરો જેમાં
સંતુષ્ટતા હોય. બધાની દુવાઓ મળે. દુવાઓ વાળી સેવા સહજ સફળતા અપાવે છે. સેવા તો
પ્લાન પ્રમાણે કરવાની જ છે અને ખૂબ કરો. ખુશી ઉમંગ થી કરો પરંતુ આ ધ્યાન જરુર રાખો
- જે સેવા કરી એમાં દુવાઓ પ્રાપ્ત થઈ? કે ફક્ત મહેનત કરી? જ્યાં દુવાઓ હશે ત્યાં
મહેનત નહીં હશે. તો હવે આજ લક્ષ્ય રાખો કે જેનાં પણ સંપર્કમાં આવો તેમની દુવાઓ લેતાં
જાઓ. જ્યારે બધાની દુવાઓ લેશો ત્યારે અડધોકલ્પ તમારાં ચિત્ર દુવાઓ દેતાં રહેશે.
તમારાં ચિત્રથી દુવાઓ લેવા આવે છે ને. દેવી અથવા દેવતાની પાસે દુવાઓ લેવા જાય છે
ને. તો હમણાં સર્વની દુવાઓ જમા કરો છો ત્યારે ચિત્રો દ્વારા પણ આપતાં રહો છો. ફંકશન
(પ્રોગ્રામ) કરો, રેલી કરો... વી.આઈ.પીજ, આઇ. પીજ ની સર્વિસ (સેવા) કરો, બધુંજ કરો
પરંતુ દુવાઓ વાળી સેવા કરો. (દુવાઓ લેવાનું સાધન શું છે) હાં જી નો પાઠ પાક્કો હોય.
ક્યારે પણ કોઈને ના ના કરીને હિંમતહીન નહિ બનાવો. સમજો કોઈ ખોટું પણ હોય તો તેમને
સીધું ખોટાં નહીં કહો. પહેલાં તેમને દિલાસો આપો, હિંમત અપાવો. તેમને હાં કરીને પછી
સમજાવો તો તે સમજી જશે. પહેલાંથી જ ના ના કહેશો તો તેમની જે થોડી પણ હિંમત હશે તે
ખતમ થઇ જશે. ખોટું તો હોઈ પણ શકે છે પરંતુ ખોટાં ને ખોટું કહેશો તો તે પોતાને ખોટાં
ક્યારેય નહીં સમજશે, એટલે પહેલાં તેમને હાં કહો, હિંમત વધારો પછી તે સ્વયં જજમેન્ટ
(નિર્ણય) કરી લેશે. રિગાર્ડ (આદર) આપો. આ વિધિ ફક્ત અપનાવી લો. ખોટાં પણ હોય તો
પહેલાં સારું કહો, પહેલાં તેમને હિંમત આવે. કોઈ નીચે પડ્યું હોય તો શું તેમને હજી
ધક્કો આપશો કે ઉઠાવશો?... તેમને સહારો આપીને પહેલાં ઉભાં કરો. આને કહેવાય છે ઉદારતા.
સહયોગી બનવા વાળાને સહયોગી બનાવતાં જાઓ. તમે પણ આગળ હું પણ આગળ. સાથે-સાથે ચાલતાં
જાઓ. હાથ મળાવીને ચાલો તો સફળતા થશે અને સંતુષ્ટતાની દુવાઓ મળશે. આવી દુવાઓ લેવામાં
મહાન બનો તો સેવામાં સ્વતઃ મહાન થઇ જશો.
સેવાધારીઓથી
:- સેવા કરતાં
સદા સ્વયંને કર્મયોગી સ્થિતિમાં સ્થિત રહેવાનો અનુભવ કરો છો કે કર્મ કરતાં યાદ ઓછી
થઈ જાય છે અને કર્મમાં બુદ્ધિ વધારે રહે છે! કારણ કે યાદમાં રહીને કર્મ કરવાથી
કર્મમાં ક્યારેય થકાવટ નથી થતી. યાદમાં રહીને કર્મ કરવાવાળા કર્મ કરતાં સદા ખુશીનો
અનુભવ કરશે. કર્મયોગી બની કર્મ અર્થાત્ સેવા કરો છો ને! કર્મયોગી નાં અભ્યાસી સદા જ
દરેક કદમમાં વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ બનાવે છે. ભવિષ્ય ખાતુ સદા ભરપૂર અને
વર્તમાન પણ સદા શ્રેષ્ઠ. એવાં કર્મયોગી બની સેવાનો પાર્ટ ભજવો છો, ભૂલી તો નથી જતાં?
મધુબનમાં સેવાધારી છો તો મધુબન સ્વતઃ બાપની યાદ અપાવે છે. સર્વ શક્તિઓનો ખજાનો જમા
કર્યો છે ને! એટલો જમા કર્યો છે જે સદા ભરપૂર રહેશે. સંગમયુગ પર બેટરી સદા ચાર્જ
છે. દ્વાપર થી બેટરી ઢીલી થાય. સંગમ પર સદા ભરપૂર, સદા ચાર્જ છે. તો મધુબનમાં બેટરી
ભરવા નથી આવતાં, સ્વહેજ મનાવવાં આવો છો. બાપ અને બાળકોનો સ્નેહ છે એટલે મળવું,
સાંભળવું આજ સંગમયુગ નો સ્વહેજ છે. અચ્છા
યૂથ રેલીની
સફળતાનાં પ્રતિ બાપદાદાનાં વરદાની મહાવાક્ય
યુથ વિંગ ભલે બનાવો. જે પણ કરો - સંતુષ્ટતા હોય, સફળતા હોય. બાકી તો સેવાનાં માટે જ
જીવન છે. પોતાનાં ઉમંગથી જો કોઈ કાર્ય કરો છો તો તેમાં કોઈ વાંધો નથી. પ્રોગ્રામ
છે, કરવાનું છે તો તે બીજું રુપ થઈ જાય છે. પરંતુ પોતાનાં ઉમંગ-ઉત્સાહથી કરવાં ઈચ્છો
છો તો કોઈ વાંધો નથી. જ્યાં પણ જશો ત્યાં જે પણ મળશે જે પણ જોશે તો સેવા છે જ. ફક્ત
બોલવું જ સર્વિસ નથી હોતી પરંતુ પોતાનો ચહેરો સદા હર્ષિત હોય. રુહાની ચહેરો પણ સેવા
કરે છે. લક્ષ્ય રાખે ઉમંગ-ઉત્સાહથી ખુશી-ખુશીથી રુહાની ખુશીની ઝલક દેખાડતા આગળ વધે.
ફક્ત જબરજસ્તી કોઈને નથી કરવાની. પ્રોગ્રામ બન્યો છે તો કરવાનું જ છે, એવી કોઈ વાત
નથી, પોતાનો ઉમંગ-ઉત્સાહ છે તો કરે, સારું છે.
જો કોઈમાં ઉમંગ નથી તો બંધાયેલાં નથી. વાંધો નથી. આમ જે લક્ષ્ય હતું આ ગોલ્ડન જુબલી
(સ્વર્ણિમ જયંતી) સુધી બધાં ક્ષેત્રને કવર કરવાનો તો જેમ તે પગપાળા વાળા પોતાનાં
ગ્રુપમાં આવશે તેમ બસ દ્વારા આવવાવાળા પણ હોય. દરેક જોન કે દરેક ક્ષેત્રમાં બસ
દ્વારા સર્વિસ કરતાં દિલ્હી પહોંચી શકો છો. બે પ્રકારનાં ગ્રુપ બનાવી દો. એક બસ
દ્વારા આવતાં રહે અને સેવા કરતાં આવે અને એક પગપાળા દ્વારા. ડબલ થઇ જશે. કરી શકે
છે, યુથ છે ને. તેમને ક્યાંક ને ક્યાંક શક્તિ તો લગાડવાની જ છે. સેવામાં શક્તિ લાગશે
તો સારું છે. આમાં બન્નેવ ભાવ સિદ્ધ થઈ જાય - સેવા પણ સિદ્ધ થાય અને નામ પણ રાખ્યું
છે પદયાત્રા તો તે પણ સિદ્ધ થઈ જાય. દરેક રાજ્યવાળા જો તેમનાં (પદયાત્રીઓનું)
ઇન્ટરવ્યૂ લેવાનું પહેલાંથી જ પ્રબંધ રાખશે તો ઓટોમેટિકલી (આપોઆપ) અવાજ ફેલાશે.
પરંતુ એટલું જરુર હોવું જોઈએ કે રુહાની યાત્રા દેખાય, પદયાત્રા એકલી ન દેખાય,
રુહાનિયત અને ખુશીની ઝલક હોય. તો નવીનતા દેખાશે. સાધારણ જેમ બીજાની યાત્રા નીકળે
છે, તેવું ન લાગે પરંતુ એવું લાગે આ ડબલ યાત્રી છે, એક યાત્રા નથી કરતાં. યાદની
યાત્રા વાળા પણ છે, પદયાત્રા વાળા પણ છે. ડબલ યાત્રા નો પ્રભાવ ચહેરા થી દેખાય, તો
સારું છે.
વિશ્વનાં
રાજનેતાઓનાં પ્રતિ અવ્યક્ત બાપદાદાનો મધુર સંદેશ
વિશ્વનાં દરેક રાજ્ય નેતા પોતાનાં દેશને કે દેશવાસીઓને પ્રગતિની તરફ લઈ જવાની
શુભભાવના, શુભકામના થી પોત-પોતાનાં કાર્યમાં લાગેલાં છે. પરંતુ ભાવના બહુજ શ્રેષ્ઠ
છે, પ્રત્યક્ષ પ્રમાણ જેટલું ઈચ્છે છે તેટલું નથી થતું - આ કેમ? કારણ કે આજની જનતા
અથવા ઘણાં નેતાઓનાં મનની ભાવનાઓ સેવાભાવ, પ્રેમભાવ નાં બદલે સ્વાર્થભાવ, ઈર્ષાભાવ
માં બદલાઈ ગઈ છે, એટલે આ ફાઉન્ડેશનને સમાપ્ત કરવાનાં માટે પ્રાકૃતિક શક્તિ,
વૈજ્ઞાનિક શક્તિ, દુન્યાવી નોલેજની શક્તિ, રાજ્યનાં ઓથોરિટીની શક્તિ દ્વારા તો
પોતાનાં પ્રયત્ન કર્યા છે પરંતુ વાસ્તવિક સાધન આધ્યાત્મિક શક્તિ છે, જેનાંથી જ મનની
ભાવના સહજ બદલાઈ શકે છે, તે તરફ ધ્યાન ઓછું છે, એટલે બદલાયેલી ભાવનાઓનાં બીજ નથી
સમાપ્ત થતાં. થોડાં સમયનાં માટે દબાઈ જાય છે. પરંતુ સમય પ્રમાણ બહુજ જ ઉગ્ર રુપમાં
પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે સ્પ્રીચુઅલ બાપનાં સ્પ્રીચુઅલ બાળકો, આત્માઓ પ્રતિ સંદેશ
છે કે સદા સ્વયંને સ્પિરિટ (આત્મા) સમજી સ્પ્રીચુઅલ બાપ થી સંબંધ જોડી સ્પ્રીચુઅલ
શક્તિ લઈને પોતાનાં મનનાં નેતા બનો ત્યારે રાજ્ય નેતા બની બીજાઓનાં પણ મનની ભાવનાઓને
બદલી શકશો. તમારાં મનનાં સંકલ્પ અને જનતાનાં પ્રેક્ટિકલ કર્મ એક થઈ જશે. બંનેનાં
સહયોગ થી સફળતાનું પ્રત્યક્ષ પ્રમાણ અનુભવ થશે. યાદ રહે કે સેલ્ફ રુલ અધિકારી (સ્વરાજ્ય
અધિકારી) જ સદા યોગ્ય રાજનેતા નાં રુલ અધિકારી (રાજ્ય અધિકારી) બની શકે છે. અને
સ્વરાજ્ય તમારો સ્પ્રીચુઅલ ફાધરલી બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) છે. આ બર્થ રાઈટની
શક્તિ થી સદા સત્યતાની શક્તિ પણ અનુભવ કરશે અને સફળ રહેશે.
વરદાન :-
સંગઠનમાં રહેતાં
લક્ષ અને લક્ષણને સમાન બનાવવા વાળા સદા શક્તિશાળી આત્મા ભવ
સંગઠનમાં એકબીજાને જોઈને ઉમંગ ઉત્સાહ પણ આવે છે તો અલબેલાપણું પણ આવે છે. વિચારે છે
આ પણ કરે છે, અમે પણ કર્યું તો શું થયું, એટલે સંગઠન થી શ્રેષ્ઠ બનવાનો સહયોગ લો.
દરેક કર્મ કરવાનાં પહેલાં આ વિશેષ અટેન્શન કે લક્ષ હોય કે મારે સ્વયંને સંપન્ન
બનાવીને સેમ્પલ બનવાનું છે. મારે કરીને બીજાઓને કરાવવાનું છે. પછી વારં-વાર આ લક્ષ
ને ઇમર્જ (જાગૃત) કરો. લક્ષ અને લક્ષણને મળાવતાં ચાલો તો શક્તિશાળી થઈ જશો.
સ્લોગન :-
લાસ્ટ માં
ફાસ્ટ જવું છે તો સાધારણ અને વ્યર્થ સંકલ્પો માં સમય નહિ ગુમાવો.