28-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
તમારાં મહેમાન બનીને આવ્યાં છે તો તમારે આદર કરવાનો છે , જેમ પ્રેમથી બોલાવ્યાં છે
એમ આદર પણ કરવાનો છે , નિરાદર ન થાય ”
પ્રશ્ન :-
કયો નશો આપ
બાળકોને સદા ચઢ્યો રહેવો જોઈએ? જો નશો નથી ચઢતો તો શું કહેશું?
ઉત્તર :-
ઊંચેથી ઊંચી આસામી આ પતિત દુનિયામાં આપણાં મહેમાન બનીને આવ્યાં છે, આ નશો સદા ચઢ્યો
રહેવો જોઈએ. પરંતુ નંબરવાર આ નશો ચઢે છે. ઘણાં તો બાપનાં બનીને પણ સંશયબુદ્ધિ બની
હાથ છોડી જાય છે તો કહેશું એમની તકદીર.
ઓમ શાંતિ!
બે વખત કહેવું
પડે. આ તો બાળકો જાણે છે કે એક છે બાબા, બીજા છે દાદા. બંનેવ સાથે છે ને. ભગવાન ની
મહિમા પણ કેટલી ઊંચી કરે છે પરંતુ અક્ષર કેટલાં સરળ છે - ગોડફાધર (પરમપિતા). ફક્ત
ફાધર નહી કહેશું, ગોડફાધર એ છે ઊંચેથી ઊંચા. એમની મહિમા પણ બહુજ ઊંચી છે. એમને
બોલાવે પણ પતિત દુનિયામાં છે. સ્વયં આવીને બતાવે છે કે મને પતિત દુનિયામાં જ બોલાવે
છે પરંતુ પતિત-પાવન એ કેવી રીતે છે, ક્યારે આવે છે, આ કોઈને પણ ખબર નથી. અડધોકલ્પ
સતયુગ-ત્રેતામાં કોનું રાજ્ય હતું, કેવી રીતે થયું, કોઈને આ ખબર નથી. પતિત-પાવન બાપ
આવે પણ જરુર છે, એમને કોઈ પતિત-પાવન કહે છે, કોઈ લિબરેટર (મુક્તિદાતા) કહે છે.
પોકારે છે કે સ્વર્ગમાં લઈ ચાલો. સૌથી ઊંચેથી ઊંચા છે ને. એમને પતિત દુનિયામાં
બોલાવે છે કે આવીને અમને ભારતવાસીઓને શ્રેષ્ઠ બનાવો. એમની પોઝિશન (હોદ્દો) કેટલી
ઊંચ છે. હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) છે. એમને બોલાવે છે, જ્યારે રાવણ રાજ્ય
છે. નહિં તો આ રાવણ રાજ્યથી કોણ છોડાવે? આ બધી વાતો આપ બાળકો સાંભળો છો તો નશો પણ
ચઢ્યો રહેવો જોઈએ. પરંતુ એટલો નશો ચઢતો નથી. દારુનો નશો બધાને ચઢી જાય છે, આ નથી
ચઢતો. આમાં છે ધારણા ની વાત, તકદીર ની વાત છે. તો બાપ છે બહુજ મોટી આસામી. તમારા
માં પણ કોઈ-કોઈને પૂરો નિશ્ચય રહે છે. નિશ્ચય જો બધાને હોત તો સંશય માં આવીને ભાગે
કેમ? બાપ ને ભૂલી જાય છે. બાપનાં બન્યાં, પછી બાપનાં માટે કોઇ સંશયબુદ્ધિ ન હોઈ શકે.
પરંતુ આ બાપ છે વન્ડરફુલ. ગાયન પણ છે આશ્ચર્યવત બાબા ને જાનન્તી, બાબા કહન્તી,
જ્ઞાન સુનન્તી, સુનાવન્તી, અહો માયા તો પણ સંશયબુદ્ધિ બનાવન્તી. બાપ સમજાવે છે આ
ભક્તિમાર્ગનાં શાસ્ત્રોમાં કોઈ સાર નથી. બાપ કહે છે મને કોઈ પણ જાણતું નથી. આપ
બાળકોમાં પણ મુશ્કેલ કોઈ રહી શકે છે. તમે પણ અનુભવ કરો છો કે તે યાદ સ્થાઈ રહેતી નથી.
આપણે આત્મા બિંદુ છીએં, બાબા પણ બિંદુ છે, એ આપણાં બાપ છે, એમને પોતાનું શરીર તો છે
નહીં. કહે છે હું આ શરીર નો આધાર લઉં છું. મારું નામ શિવ છે. મુજ આત્માનું નામ
ક્યારેય બદલાતું નથી. તમારાં શરીરનાં નામ બદલાય છે. શરીર પર જ નામ પડે છે. લગ્ન થાય
છે તો નામ બદલાય જાય છે. પછી તે નામ પાક્કું કરી લે છે. તો હવે બાપ કહે છે તમે આ
પાક્કું કરી લો કે અમે આત્મા છીએ. આ બાપે જ પરિચય આપ્યો છે કે જ્યારે-જ્યારે
અત્યાચાર અને ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. કોઈ અક્ષરોને પણ પકડવાનાં નથી.
બાપ સ્વયં કહે છે મને પથ્થર, ભિત્તરમાં ઠોકી કેટલી ગ્લાનિ કરે છે, આ પણ નવી વાત નથી.
કલ્પ-કલ્પ આવાં પતિત બની અને ગ્લાનિ કરે છે, ત્યારે જ હું આવું છું. કલ્પ-કલ્પ નો
મારો પાર્ટ છે. આમાં અદલી-બદલી થઈ નથી શકતી. ડ્રામામાં નોંધ છે ને. તમને ઘણાં કહે
કે ફક્ત ભારતમાં આવે છે! શું ભારત જ ફક્ત સ્વર્ગ બનશે? હાં. આ તો અનાદિ-અવિનાશી
પાર્ટ થઈ ગયો ને. બાપ કેટલાં ઊંચેથી ઊંચા છે. પતિતો ને પાવન બનાવવા વાળા બાપ કહે છે
મને બોલાવે જ છે આ પતિત દુનિયામાં. હું તો સદા પાવન છું. મને પાવન દુનિયામાં બોલાવવું
જોઈએ ને! પરંતુ નહીં, પાવન દુનિયામાં બોલાવવાની દરકાર જ નથી. પતિત દુનિયામાં જ
બોલાવે છે કે આવીને પાવન બનાવો. હું કેટલો મોટો મહેમાન છું. અડધાકલ્પ થી મને યાદ
કરતાં આવ્યાં છો. અહીંયા કોઈ મોટા માણસને બોલાવશે, કહીને એક-બે વર્ષ બોલાવશે. ફલાણા
આ વર્ષ નહીં તો બીજા વર્ષે આવશે. આમને તો અડધાકલ્પ થી યાદ કરતાં આવ્યાં છો. આમનાં
આવવાનો પાર્ટ તો ફિક્સ (નક્કી) થયેલો જ છે. આ કોઈને પણ ખબર નથી. બહુજ ઊંચેથી ઊંચા
બાપ છે. મનુષ્ય બાપને એક બાજુ તો પ્રેમથી બોલાવે છે, બીજી બાજુ મહિમા માં કલંક લગાવી
દે છે. હકીકતમાં આ મોટેથી મોટાં ગેસ્ટ ઓફ ઓનર (મોટી મહિમા વાળા મહેમાન) છે, જેમના
ઓનર (મહિમા) ને કલંક લગાવી દીધાં છે, કહી દે છે તે પથ્થર ઠીકકર બધામાં છે. કેટલી
હાઈએસ્ટ ઓથોરિટી છે, બોલાવે પણ ખૂબ પ્રેમથી છે, પરંતુ છે બિલકુલ બુધ્ધુ. હું જ આવીને
સ્વયંનો પરિચય આપું છું કે હું તમારો ફાધર (પિતા) છું. મને ગોડફાધર કહે છે. જ્યારે
બધાં રાવણની કેદમાં થઈ જાય છે ત્યારે જ બાપને આવવાનું હોય છે કારણ કે બધાં છે
ભક્તિઓ અથવા બ્રાઈડસ-સીતાઓ. બાપ છે બ્રાઈડગ્રુમ-રામ. એક સીતાની વાત નથી, બધી સીતાઓને
રાવણની જેલથી છોડાવે છે. આ છે બેહદની વાત. આ છે જૂની પતિત દુનિયા. આને જૂની થવું પછી
નવી થવાનું એક્યુરેટ છે, આ શરીર વગેરે તો કોઈ જલ્દી જૂનાં થઈ જાય છે, કોઈ વધારે સમય
ચાલે છે. આ ડ્રામામાં એક્યુરેટ નોંધ છે. પુરા ૫ હજાર વર્ષ પછી ફરી મારે આવવું પડે
છે. હું જ આવીને સ્વયંનો પરિચય આપું છું અને સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવું છું.
કોઈને પણ ન મારી ઓળખ છે, ન બ્રહ્મા, વિષ્ણુ, શંકરની, ન લક્ષ્મી-નારાયણની, ન રામ-સીતા
ની ઓળખ છે. ઊંચેથી ઊંચા એક્ટર્સ ડ્રામાની અંદર તો આજ છે. છે તો મનુષ્યની વાત. કોઈ
૮-૧0 ભુજાવાળા મનુષ્ય નથી. વિષ્ણુને ૪ ભુજા કેમ દેખાડે છે? રાવણને ૧૦ શીશ શું છે? આ
કોઈને પણ ખબર નથી. બાપ જ આવીને આખાં વર્લ્ડનાં આદિ-મધ્ય-અંતનું નોલેજ બતાવે છે. કહે
છે હું છું મોટામાં મોટો ગેસ્ટ (મહેમાન), પરંતુ ગુપ્ત. આ પણ ફક્ત તમે જ જાણો છો.
પરંતુ જાણતાં છતાં પણ પાછાં ભૂલી જાઓ છો. એમનો કેટલો રિગાર્ડ (સમ્માન) રાખવો જોઈએ,
એમને યાદ કરવાં જોઈએ. આત્મા પણ નિરાકાર, પરમાત્મા પણ નિરાકાર, આમાં ફોટાની પણ વાત
નથી. તમારે તો આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરવાનાં છે, દેહ-અભિમાન છોડવાનું છે.
તમારે સદેવ અવિનાશી ચીજ ને જોવી જોઈએ. તમે વિનાશી દેહને કેમ જુઓ છો! દેહી-અભિમાની
બનો, આમાં જ મહેનત છે. જેટલાં યાદમાં રહેશો એટલી કર્માતીત અવસ્થાને પામી ઊંચું પદ
પામશો. બાપ બહુજ જ સહજ યોગ અર્થાત્ યાદ શીખવાડે છે. યોગ તો અનેક પ્રકારનાં છે. યાદ
અક્ષર જ યથાર્થ છે. પરમાત્મા બાપને યાદ કરવામાં જ મહેનત છે. કોઈ વિરલા સાચું બતાવે
છે કે અમે આટલો સમય યાદમાં રહ્યાં. યાદ કરતાં જ નથી તો સંભળાવવામાં લજ્જા આવે છે.
લખે છે આખાં દિવસમાં એક કલાક યાદમાં રહ્યાં, તો લજ્જા આવવી જોઈએ ને. એવાં બાપ જેમને
દિવસ-રાત યાદ કરવાં જોઈએ અને આપણે ફક્ત એક કલાક યાદ કરીએ છીએ! આમાં બહુજ ગુપ્ત
મહેનત છે. બાપને બોલાવે છે તો દૂરથી આવવાવાળા ગેસ્ટ થયાં ને. બાપ કહે છે હું નવી
દુનિયાનો ગેસ્ટ નથી બનતો. આવું જ છું જૂની દુનિયામાં. નવી દુનિયાની સ્થાપના આવીને
કરું છું. આ જૂની દુનિયા છે, આ પણ કોઈ યથાર્થ નથી જાણતાં. નવી દુનિયાની આયુ જ નથી
જાણતાં. બાપ કહે છે આ નોલેજ હું જ આવીને આપું છું પછી ડ્રામા અનુસાર આ નોલેજ લુપ્ત
થઈ જાય છે. ફરી કલ્પ બાદ આ પાર્ટ રિપીટ થશે. મને બોલાવે છે, વર્ષે-વર્ષે શિવજયંતી
મનાવે છે. જે થઈને જાય છે તે તેમની વર્ષ-વર્ષ વર્ષી મનાવે છે. શિવબાબા ની પણ ૧૨
મહીના પછી જયંતી મનાવે છે પરંતુ ક્યારથી મનાવતાં આવ્યાં છે, આ કોઈને પણ ખબર નથી.
ફક્ત કહી દે છે કે લાખો વર્ષ થયાં. કળયુગ ની આયુ જ લાખો વર્ષ લખી દીધી છે. બાપ કહે
છે-આ છે ૫ હજાર વર્ષ ની વાત. બરાબર આ દેવતાઓનું ભારતમાં રાજ્ય હતું ને. તો બાપ કહે
છે-હું ભારતનો બહુજ મોટો મહેમાન છું, મને અડધાકલ્પ થી ખૂબજ નિમંત્રણ દેતાં આવ્યાં
છો. જ્યારે બહુજ દુઃખી થાય છે, તો કહે છે હે પતિત-પાવન આવો. હું આવ્યો પણ છું પતિત
દુનિયામાં. રથ તો મને જોઈએ ને. આત્મા છે અકાળમૂર્ત, તેનો આ તખ્ત છે. બાપ પણ
અકાળમૂર્ત છે, આ તખ્ત પર આવીને વિરાજમાન થાય છે. આ બહુજ રમણીક વાતો છે. બીજા કોઈ
સાંભળે તો ચક્રિત થઈ જાય. હવે બાપ કહે છે-બાળકો, મારી મત પર ચાલો. સમજો શિવબાબા મત
આપે છે, શિવબાબા મુરલી ચલાવે છે. આ કહે છે હું પણ એમની મુરલી સાંભળીને વગાડીશ.
સંભળાવવા વાળા તો એ છે ને. આ નંબરવન પૂજ્ય થી ફરી નંબરવન પૂજારી બન્યાં. હમણા આ
પુરુષાર્થી છે. બાળકોએ હંમેશા સમજવું જોઈએ - અમને શિવબાબા ની શ્રીમત મળી છે. જો કોઈ
ઉલટી વાત પણ થઈ હોય તો તે સુલટી કરી દેશે. આ અતુટ નિશ્ચય છે તો રેસ્પોન્સિબલ (જવાબદાર)
શિવબાબા છે. આ ડ્રામામાં નોંધ છે. વિઘ્ન તો પડવાનાં જ છે, બહુજ કપરા-કપરા વિઘ્ન પડે
છે. પોતાનાં બાળકોનાં પણ વિઘ્ન પડે છે. તો હંમેશા સમજો કે શિવબાબા સમજાવે છે, તો
યાદ રહેશે. ઘણાં બાળકો સમજે છે કે બ્રહ્મા બાબા મત આપે છે, પરંતુ નહીં. શિવબાબા જ
રેસ્પોન્સિબલ છે. પરંતુ દેહ-અભિમાન છે તો ઘડી-ઘડી આમને જ જોતાં રહે છે. શિવ કેટલાં
મોટાં મહેમાન છે તો પણ રેલવે વગેરે વાળા થોડી જાણે છે, નિરાકાર ને કેવી રીતે ઓળખે
અથવા સમજે. એ તો બીમાર થઈ ન શકે. તો બીમારી વગેરેનું આમનું કારણ બતાવે છે. તેઓ શું
જાણે આમનામાં કોણ છે? આપ બાળકો પણ નંબરવાર જાણો છો. એ બધી આત્માઓનાં બાપ અને આ પછી
પ્રજાપિતા મનુષ્યોનાં બાપ. તો આ બંને (બાપદાદા) કેટલાં મોટાં ગેસ્ટ થઈ ગયાં.
બાપ કહે છે જે કાંઈ થાય છે ડ્રામામાં નોંધ છે, હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો
છું. નોંધ વગર કાંઈ કરી નથી શકતો. માયા પણ બહુજ દુશ્તર છે. રામ અને રાવણ બંને નો
પાર્ટ છે. ડ્રામામાં રાવણ ચૈતન્ય હોત તો બોલત-હું પણ ડ્રામા અનુસાર આવું છું. આ
દુઃખ અને સુખની રમત છે. સુખ છે નવી દુનિયામાં, દુઃખ છે જૂની દુનિયામાં. નવી દુનિયામાં
થોડાં મનુષ્ય, જૂની દુનિયામાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે. પતિત-પાવન બાપને જ બોલાવે
છે કે આવીને પાવન દુનિયા બનાવો કારણ કે પાવન દુનિયામાં બહુજ સુખ હતું એટલે જ
કલ્પ-કલ્પ પોકારે છે. બાપ બધાને સુખ આપીને જાય છે. હમણાં ફરી પાર્ટ રીપીટ (પુનરાવૃતિ)
થાય છે. દુનિયા ક્યારેય ખલાસ નથી થતી. ખલાસ થવી ઇમ્પોસિબલ (અસંભવ) છે. સમુદ્ર પણ
દુનિયામાં છે ને. આ ત્રીજો માળ તો છે ને. કહે છે જળમઈ, પાણી-પાણી થઇ જાય છે છતાં પણ
પૃથ્વી માળ તો છે ને. પાણી પણ તો છે ને. પૃથ્વી માળ કોઈ વિનાશ નથી થઈ શકતો. જળ પણ આ
માળમાં હોય છે. પહેલો અને બીજો માળ, સૂક્ષ્મવતન અને મૂળવતનમાં તો જળ હોતું નથી. આ
બેહદ સૃષ્ટિનાં ૩ માળ છે, જેને આપ બાળકોનાં સિવાય કોઈ પણ નથી જાણતાં. આ ખુશીની વાત
બધાને ખુશીથી સંભળાવવાની છે. જે પુરા પાસ થાય છે, તેમનું જ અતીન્દ્રિય સુખ ગાયેલું
છે. જે રાત-દિવસ સર્વિસ (સેવા) પર તત્પર છે, સર્વિસ જ કરતાં રહે છે તેમને બહુજ ખુશી
રહે છે. કોઈ-કોઈ એવાં દિવસ પણ આવે છે જે મનુષ્ય રાતનાં પણ જાગે છે પરંતુ આત્મા થાકી
જાય છે તો સૂવાનું હોય છે. આત્મા નાં સૂવાથી શરીર પણ સૂઈ જાય છે. આત્મા ન સૂવે તો
શરીર પણ ન સૂવે. થાકે આત્મા છે. આજે હું થાકી ગયો છું-કોણે કહ્યું? આત્માએ. આપ
બાળકોએ આત્મા-અભિમાની થઈ રહેવાનું છે, આમાં જ મહેનત છે. બાપને યાદ નથી કરતાં,
દેહી-અભિમાની નથી રહેતાં, તો દેહનાં સંબંધી વગેરે યાદ આવી જાય છે. બાપ કહે છે તમે
નંગન(અશરીરી) આવ્યાં હતાં પાછાં નંગન (અશરીરી) થઇ જવાનું છે. આ દેહનાં સંબંધ વગેરે
ભૂલી જાઓ. આ શરીરમાં રહેતાં મને યાદ કરો તો સતોપ્રધાન બનશો. બાપ કેટલી મોટી ઓથોરિટી
છે. બાળકોનાં સિવાય કોઈ જાણતું જ નથી. બાપ કહે છે હું છું ગરીબ નિવાજ, બધાં સાધારણ
છે. પતિત-પાવન બાપ આવ્યાં છે, આ જાણી લે તો ખબર નહીં કેટલી ભીડ થઈ જાય. મોટાં-મોટાં
માણસો આવે છે તો કેટલી ભીડ થઈ જાય છે. તો ડ્રામામાં આમનો પાર્ટ જ ગુપ્ત રહેવાનો છે.
આગળ ચાલીને ધીરે-ધીરે પ્રભાવ નીકળશે અને વિનાશ થઇ જશે. બધાં થોડી મળી શકે છે. યાદ
કરે છે ને તો તેમને બાપનો પરિચય મળી જશે. બાકી પહોંચી નહિ શકે. જેમ બાંધેલી બાળકીઓ
મળી નથી શકતી, કેટલાં અત્યાચાર સહન કરે છે. વિકારને છોડી નથી શકતાં. કહે છે સૃષ્ટિ
કેવી રીતે ચાલશે? અરે, સૃષ્ટિ નો બોઝ બાપ પર છે કે તમારાં પર? બાપ ને જાણી લે તો પછી
આવાં પ્રશ્ન ન પૂછે. બોલો, પહેલાં બાપને તો જાણો પછી તમે બધુંજ જાણી જશો. સમજાવવાની
પણ યુક્તિ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા જ
હાઈએસ્ટ ઓથોરિટી બાપની યાદમાં રહેવાનું છે. વિનાશી દેહને ન જોતાં દેહી-અભિમાની
બનવાની મહેનત કરવાની છે. યાદનો સાચો-સાચો ચાર્ટ રાખવાનો છે.
2. દિવસ-રાત સર્વિસમાં તત્પર રહી અપાર ખુશીમાં રહેવાનું છે. ત્રણેય લોકોનું રહસ્ય
બધાને ખુશીથી સમજાવવાનું છે. શિવબાબા જે શ્રીમત આપે છે, એમાં અતૂટ નિશ્ચય રાખીને
ચાલવાનું છે, કોઈ પણ વિઘ્ન આવે તો ગભરાવાનું નથી, જવાબદાર શિવબાબા છે, એટલે સંશય ન
આવે.
વરદાન :-
સમય અને
સંકલ્પોને સેવામાં અર્પણ કરવા વાળા માસ્ટર વિધાતા , વરદાતા ભવ
હવે સ્વની નાની-નાની
વાતોની પાછળ, તનની પાછળ, મનની પાછળ, સાધનો ની પાછળ, સંબંધ નિભાવવાની પાછળ સમય અને
સંકલ્પ લગાડવાનાં બદલે તેને સેવામાં અર્પણ કરો, આ સમર્પણ સમારોહ મનાવો. શ્વાસો
શ્વાસ સેવાની લગન હોય, સેવામાં મગન રહો. તો સેવામાં લાગવાથી સ્વ-ઉન્નતી ની ગિફ્ટ (ભેટ)
સ્વતઃ પ્રાપ્ત થઇ જશે. વિશ્વ કલ્યાણમાં સ્વ કલ્યાણ સમાયેલું છે એટલે નિરંતર મહાદાની,
માસ્ટર વિધાતા અને વરદાતા બનો.
સ્લોગન :-
પોતાની
ઈચ્છાઓને ઓછી કરી દો તો સમસ્યાઓ ઓછી થઈ જશે.