31-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - યોગ , અગ્નિ નાં સમાન છે , જેમાં તમારા પાપ બળી જાય છે , આત્મા સતોપ્રધાન બની જાય છે એટલે એક બાપની યાદમાં ( યોગ માં ) રહો ”

પ્રશ્ન :-
પુણ્ય આત્મા બનવા વાળા બાળકો ને કઈ વાતનું ખુબ-ખુબ ધ્યાન રાખવાનું છે?

ઉત્તર :-
પૈસા દાન કોને આપવાના છે, આ વાત પર પૂરું ધ્યાન રાખવાનું છે. જો કોઈને પૈસા આપ્યા અને તેણે જઈને દારુ વગેરે પીધો, ખરાબ કર્મ કર્યા તો તેનું પાપ તમારા ઉપર આવી જશે. તમારે પાપ આત્માઓ થી હવે લેણ-દેણ નથી કરવાની. અહીંયા તો તમારે પુણ્ય આત્મા બનવાનું છે.

ગીત :-
ન વહ હમસે જુદા હોંગે …..

ઓમ શાંતિ!
આને કહેવાય છે યાદની આગ. યોગ અગ્નિ એટલે યાદની આગ. આગ અક્ષર કેમ કહે છે? કારણકે આમાં પાપ બળી જાય છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો - કેવી રીતે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ છીએ. સતોપ્રધાન નો અર્થ જ છે પુણ્ય આત્મા અને તમોપ્રધાન નો અર્થ જ છે પાપ આત્મા. કહેવાય પણ છે આ બહુજ પુણ્ય આત્મા છે, આ પાપ આત્મા છે. આનાંથી સિદ્ધ થાય છે આત્મા જ સતોપ્રધાન બને છે પછી પુનર્જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બને છે એટલે આને પાપ આત્મા કહેવાય છે. પતિત-પાવન બાપને પણ એટલે યાદ કરે છે કે આવીને પાવન આત્મા બનાવો. પતિત આત્મા કોણે બનાવ્યાં? આ કોઈને પણ ખબર નથી. તમે જાણો છો જ્યારે પાવન આત્મા હતાં તો તેને રામરાજ્ય કહેવાતું હતું. હમણાં પતિત આત્માઓ છે એટલે આને રાવણ રાજ્ય કહેવાય છે. ભારત જ પાવન, ભારત જ પતિત બને છે. બાપ જ આવીને ભારતને પાવન બનાવે છે. બાકી બધી આત્માઓ પાવન બની શાંતિધામ માં ચાલી જાય છે. હમણાં છે દુઃખધામ. આટલી સહજ વાત પણ બુદ્ધિમાં બેસતી નથી. જ્યારે દિલથી સમજે ત્યારે સાચાં બ્રાહ્મણ બને. બ્રાહ્મણ બન્યાં વગર બાપથી વારસો મળી ન શકે.

હવે આ છે સંગમયુગ નો યજ્ઞ. યજ્ઞનાં માટે તો બ્રાહ્મણ જરૂર જોઈએ. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. જાણો છો મૃત્યુલોકનો આ અંતિમ યજ્ઞ છે. મૃત્યુલોકમાં જ યજ્ઞ થાય છે. અમરલોકમાં યજ્ઞ થતાં નથી. ભક્તોની બુદ્ધિમાં આ વાતો બેસી ન શકે. ભક્તિ બિલકુલ અલગ છે, જ્ઞાન અલગ છે. મનુષ્ય પછી વેદો-શાસ્ત્રો ને જ જ્ઞાન સમજી લે છે. જો તેમાં જ્ઞાન હોત તો ફરી મનુષ્ય પાછાં ચાલ્યાં જાત. પરંતુ ડ્રામા અનુસાર પાછું કોઈ પણ જતું નથી. બાબા એ સમજાવ્યું છે પહેલા નંબરને જ સતો, રજો, તમો માં આવવાનું છે તો બીજા પછી ફક્ત સતો નો પાર્ટ ભજવી પાછાં કેવી રીતે જઈ શકે? તેમને તો ફરી તમોપ્રધાનમાં આવવાનું જ છે, પાર્ટ ભજવવાનો જ છે. દરેક એક્ટરની તાકાત પોત-પોતાની હોય છે. મોટાં-મોટાં એક્ટર કેટલાં નામીગ્રામી હોય છે. સૌથી મુખ્ય ક્રિયેટર, ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર કોણ છે? હમણાં તમે સમજો છો ગોડફાધર છે મુખ્ય, પાછળ પછી જગદંબા, જગતપિતા. જગતનાં માલિક, વિશ્વનાં માલિક બને છે, એમનો પાર્ટ જરૂર ઊંચો છે. તો એમનો પે (પગાર) પણ ઊંચો છે. પગાર આપે છે બાપ, જે સૌથી ઊંચા છે. કહે છે તમે મને આટલી મદદ કરો છો તો તમને પગાર પણ જરૂર એટલો મળશે. બેરિસ્ટર ભણાવશે તો કહેશે ને, આટલું ઉચ્ચ પદ પ્રાપ્ત કરાવું છું તો આ ભણતર પર બાળકોએ કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. ગૃહસ્થમાં પણ રહેવાનું છે, કર્મયોગ સન્યાસ છે ને. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, બધું કરતાં બાપ થી વારસો પામવાનો પુરુષાર્થ કરી શકો છો, આમાં કોઈ તકલીફ નથી. કામકાજ કરતાં શિવબાબાની યાદમાં રહેવાનું છે. નોલેજ તો બહુજ સહજ છે. ગાએ પણ છે-હેં પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. પાવન દુનિયામાં તો રાજધાની છે તો બાપ તે રાજધાનીનાં પણ લાયક બનાવે છે.

આ જ્ઞાનનાં મુખ્ય બે સબ્જેક્ટ (વિષય) છે - અલફ અને બે. સ્વદર્શન ચક્રધારી બનો અને બાપ ને યાદ કરો તો તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ) અને વેલ્દી (સંપન્ન) બનશો. બાપ કહે છે મને ત્યાં યાદ કરો. ઘરને પણ યાદ કરો, મને યાદ કરવાથી તમે ઘરમાં ચાલ્યાં જશો. સ્વદર્શન ચક્રધારી બનવાથી તમે ચક્રવર્તી રાજા બનશો. આ બુદ્ધિમાં સારી રીતે રહેવું જોઈએ. આ સમયે તો બધાં તમોપ્રધાન છે. સુખધામમાં સુખ, શાંતિ, સંપત્તિ બધું મળે છે. ત્યાં એક ધર્મ હોય છે. હમણાં તો જુઓ ઘર-ઘરમાં અશાંતિ છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) લોકો જુઓ કેટલાં હંગામા કરે છે. પોતાનું નવું લોહી દેખાડે છે. આ છે તમોપ્રધાન દુનિયા, સતયુગ છે નવી દુનિયા. બાપ સંગમ પર આવેલાં છે, મહાભારત લડાઈ પણ સંગમની જ છે. હવે આ દુનિયા બદલવાની છે. બાપ પણ કહે છે હું નવી દુનિયાની સ્થાપના કરવા સંગમ પર આવું છું, આને જ પુરુષોત્તમ સંગમયુગ કહે છે. પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ સંવત પણ મનાવે છે. પરંતુ આ પુરુષોત્તમ સંગમની કોઈને ખબર નથી. સંગમ પર જ બાપ આવીને તમને હીરા જેવાં બનાવે છે. પછી આમાં પણ નંબરવાર તો હોય જ છે. હીરા જેવાં રાજા બની જાય છે, બાકી સોના જેવી પ્રજા બની જાય છે. બાળકે જન્મ લીધો અને વારસા નો હકદાર બન્યો. હવે તમે પાવન દુનિયા નાં હકદાર બની જાઓ છો. પછી તેમાં ઊંચ પદ પામવાનાં માટે પુરુષાર્થ કરવાનો છે. આ સમયનો તમારો પુરુષાર્થ કલ્પ-કલ્પનો પુરૂષાર્થ હશે. સમજાય છે આ કલ્પ-કલ્પ આવો જ પુરુષાર્થ કરશે. આમનાં થી વધારે પુરુષાર્થ થશે જ નહીં. જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાન્તર આ પ્રજામાં જ આવશે. આ સાહૂકાર પ્રજામાં દાસ-દાસીઓ બનશે. નંબરવાર તો હોય છે ને. ભણતરનાં આધારથી બધી ખબર પડી જાય છે. બાબા ઝટ બતાવી શકે છે આ હાલતમાં તમારું કાલે શરીર છૂટી જાય તો શું બનશો? દિવસ-પ્રતિદિવસ સમય થોડો થતો જાય છે. જો કોઈ શરીર છોડશે પછી તો ભણી નહીં શકશે, હાં થોડું ફક્ત બુદ્ધિમાં આવશે. શિવબાબાને યાદ કરશે. જેમ નાનાં બાળકોને પણ તમે યાદ કરાવો છો તો શિવબાબા-શિવબાબા કહેતો રહે છે. તો તેનું પણ કંઈક મળી શકે છે. નાનું બાળક તો મહાત્મા જેવું છે, વિકારોની ખબર નથી. જેટલાં મોટા થતા જશે, વિકારોની અસર થતી જશે, ક્રોધ હશે, મોહ હશે……. હમણાં તમને તો સમજાવાય છે આ દુનિયામાં આ આંખો થી જે કઈ જુઓ છો તેનાંથી મમત્વ નિકાળી દેવાનું છે. આત્મા જાણે છે આ તો બધાં કબ્રદાખલ થવાનાં છે. તમોપ્રધાન ચીજો છે. મનુષ્ય મરે છે તો જૂની ચીજો કરણીધોર ને આપી દે છે. બાપ તો પછી બેહદનાં કરણીઘોર છે, ધોબી પણ છે. તમારા થી લે છે શું અને આપે છે શું? તમે જે કંઈ થોડું ધન પણ આપો છો તે તો ખતમ થવાનું જ છે. છતાં પણ બાપ કહે છે આ ધન રાખો પોતાની પાસે. ફક્ત આમાંથી મમત્વ નિકાળી દો. હિસાબ-કિતાબ બાપને આપતા રહો. પછી ડાયરેક્શન (માર્ગદર્શન) મળતું રહેશે. તમારું આ કખપણ જે છે, યુનિવર્સિટીમાં અને હોસ્પિટલમાં હેલ્થ અને વેલ્થને માટે લગાવી દો છો. હોસ્પિટલ હોય છે બિમાર નાં માટે, યુનિવર્સિટી હોય છે ભણવા નાં માટે. આ તો કોલેજ અને હોસ્પિટલ બંને ભેગાં છે. આનાં માટે તો ફક્ત ત્રણ પગ પૃથ્વીનાં જોઈએ. બસ જેમની પાસે બીજું કાંઈ નથી તે ફક્ત ૩ પગ જમીનનાં આપી દે. તેમાં ક્લાસ લગાવી દે. ૩ પગ પૃથ્વીનાં, તે તો ફક્ત બેસવાની જગ્યા થઈને. આસન ૩ પગ નું જ હોય છે. ૩ પગ પૃથ્વી પર કોઈ પણ આવશે, સારી રીતે સમજીને જશે. કોઈ આવ્યું, આસન પર બેસાડ્યાં અને બાપનો પરિચય આપ્યો. બેજ પણ ઘણાં બનાવડાવી રહ્યાં છે સર્વિસનાં (સેવા) માટે, આ છે બહુજ સહજ. ચિત્ર પણ સારાં છે, લખાણ પણ પૂરું છે. આનાંથી તમારી ખુબ સર્વિસ થશે. દિવસ-પ્રતિદિવસ જેટલી આફતો આવતી રહેશે તો મનુષ્યોને પણ વૈરાગ્ય આવશે અને બાપને યાદ કરવા લાગી જશે - આપણે આત્મા અવિનાશી છીએં, પોતાનાં અવિનાશી બાપને યાદ કરો. બાપ સ્વયં કહે છે મને યાદ કરો તો તમારાં જન્મ-જન્માંતરનાં પાપ ઉતરી જાય. સ્વયંને આત્મા સમજી અને બાપથી પૂરો પ્રેમ રાખવાનો છે. દેહ-અભિમાન માં નહીં આવો. હાં, બહારનો પ્રેમ ભલે બાળકો વગેરેથી રાખો. પરંતુ આત્માનો સાચો પ્રેમ રુહાની બાપ થી હોય. એમની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. મિત્ર-સંબંધીઓ, બાળકો વગેરેને જોતાં પણ બુદ્ધિ બાપની યાદમાં લટકી રહે. આપ બાળકો જેમકે યાદની ફાંસી પર લટકેલાં છો. આત્માને પોતાનાં બાપ પરમાત્માને જ યાદ કરવાનાં છે. બુદ્ધિ ઉપર લટકી રહે. બાપનું ઘર પણ ઉપર છે ને. મૂળવતન, સૂક્ષ્મવતન અને આ છે સ્થૂળવતન. હવે ફરી પાછાં જવાનું છે.

હવે તમારી મુસાફરી પૂરી થઈ છે. તમે હવે મુસાફરી થી પાછાં આવી રહ્યાં છો. તો પોતાનું ઘર કેટલું પ્રિય લાગે છે. એ છે બેહદ નું ઘર. પાછાં પોતાનાં ઘરે જવાનું છે. મનુષ્ય ભક્તિ કરે છે-ઘરે જવાનાં માટે, પરંતુ જ્ઞાન પૂરું નથી તો ઘરે જઈ નથી શકતા. ભગવાન પાસે જવાનાં માટે અથવા નિર્વાણધામ જવાનાં માટે કેટલી તીર્થયાત્રાઓ વગેરે કરે છે, મહેનત કરે છે. સન્યાસી લોકો ફક્ત શાંતિનો રસ્તો જ બતાવે છે. સુખધામ ને તો જાણતાં જ નથી. સુખધામ નો રસ્તો ફક્ત બાપ જ બતાવે છે. પહેલાં જરૂર નિર્વાણધામ, વાનપ્રસ્થ માં જવાનું છે જેને બ્રહ્માંડ પણ કહે છે. તેઓ પછી બ્રહ્મ ને ઈશ્વર સમજી બેઠા છે. આપણે આત્મા બિંદુ છીએ. આપણું રહેવાનું સ્થાન છે બ્રહ્માંડ. તમારી પણ પૂજા તો થાય છે ને. હવે બિંદુની પૂજા શું કરશે. જ્યારે પૂજા કરે છે તો સાલિગ્રામ બનાવી એક-એક આત્માને પૂજે છે. બિંદુની પૂજા કેવી રીતે થાય - એટલે મોટા-મોટા બનાવે છે. બાપને પણ પોતાનું શરીર તો છે નહીં. આ વાતો હમણાં તમે જાણો છો. ચિત્રોમાં પણ તમારે મોટું રુપ દેખાડવું પડે. બિંદુ થી કેવી રીતે સમજશે? આમ બનાવવો જોઈએ સ્ટાર (તારો). એવાં બહુજ તિલક પણ માતાઓ લગાવે છે, તૈયાર મળે છે સફેદ. આત્મા પણ સફેદ હોય છે ને, સ્ટાર (તારા) જેવી. આ પણ એક નિશાની છે. ભ્રકુટીનાં મધ્યમાં આત્મા રહે છે. બાકી અર્થની કોઈને ખબર પણ નથી. આ બાપ સમજાવે છે આટલી નાની આત્મા માં કેટલું જ્ઞાન છે. આટલાં બોમ્બસ વગેરે બનાવતાં રહે છે. વન્ડર છે, આત્મામાં આટલો પાર્ટ ભરેલો છે. આ બહુજ ગુહ્ય વાતો છે. આટલી નાની આત્મા શરીરથી કેટલું કામ કરે છે. આત્મા અવિનાશી છે, તેનો પાર્ટ ક્યારેય વિનાશ નથી થતો, ન એક્ટ (કર્મ) બદલાય છે. હમણાં બહુજ મોટું ઝાડ છે. સતયુગમાં કેટલું નાનું ઝાડ હોય છે. જુનું તો થતું નથી. મીઠાં નાનાં ઝાડની કલમ હમણાં લાગી રહી છે. તમે પતિત બન્યાં હતાં હવે ફરી પાવન બની રહ્યાં છો. નાની એવી આત્મામાં કેટલો પાર્ટ છે. કુદરત આ છે, અવિનાશી પાર્ટ ચાલતો રહે છે. આ ક્યારેય બંધ નથી થતો, અવિનાશી ચીજ છે, એમાં અવિનાશી પાર્ટ ભરેલો છે. આ વન્ડર છે ને. બાપ સમજાવે છે-બાળકો, દેહી-અભિમાની બનવાનું છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો, આમાં છે મહેનત, વધારે પાર્ટ તમારો છે. બાબાનો એટલો પાર્ટ નથી, જેટલો તમારો.

બાબા કહે છે તમે સ્વર્ગમાં સુખી બની જાઓ છો તો હું વિશ્રામ માં બેસી જાઉં છું. મારો કોઈ પાર્ટ નથી. આ સમયે આટલી સર્વિસ કરું છું ને. આ નોલેજ એટલી વન્ડરફુલ છે, તમારા સિવાય જરા પણ કોઈ નથી જાણતાં. બાપની યાદમાં રહ્યાં વગર ધારણા પણ નહીં થશે. ખાન-પાન વગેરેમાં પણ ફરક પડવાથી ધારણા માં ફરક પડી જાય છે, આમાં પ્યોરિટી (પવિત્રતા) ઘણી સારી જોઈએ. બાપ ને યાદ કરવું ખુબ સહજ છે. બાપને યાદ કરવાનું છે અને વારસો પામવાનો છે એટલે બાબાએ કહ્યું હતું તમે પોતાની પાસે પણ ચિત્ર રાખી દો. યોગનું અને વારસાનું ચિત્ર બનાવો તો નશો રહેશે. આપણે બ્રાહ્મણ થી દેવતા બની રહ્યાં છીએ. પછી આપણે દેવતા થી ક્ષત્રિય બનશું. બ્રાહ્મણ છે પુરુષોત્તમ સંગમયુગી. તમે પુરુષોત્તમ બનો છો ને. મનુષ્યોને આ વાતો બુદ્ધિમાં બેસાડવાં માટે કેટલી મહેનત કરવી પડે છે. દિવસ-પ્રતિદિવસ જેટલું નોલેજને સમજતા જાય છે તો ખુશી પણ વધશે.

આપ બાળકો જાણો છો બાબા આપણું બહુજ કલ્યાણ કરે છે. કલ્પ-કલ્પ આપણી ચઢતી કળા થાય છે. અહીં રહેતાં શરીર નિર્વાહ અર્થ પણ કંઈ કરવું પડે છે. બુદ્ધિમાં રહે આપણે શિવબાબાનાં ભંડારા થી ખાઈએ છીએ, શિવબાબાને યાદ કરતાં રહેશો તો કાળ કંટક બધું દૂર થઈ જશે. પછી આ જુનું શરીર છોડી ચાલ્યાં જશું. બાળકો સમજે છે-બાબા કાંઈ પણ લેતાં નથી. એ તો દાતા છે. બાપ કહે છે મારી શ્રીમત પર ચાલો. તમારે પૈસાનું દાન કોને કરવાનું છે, આ વાત પર પૂરું ધ્યાન આપવાનું છે. જો કોઈને પૈસા આપ્યા અને તેણે જઈને દારુ વગેરે પીધો, ખરાબ કામ કર્યુ તો તેનું પાપ તમારા ઉપર આવી જશે. પાપ આત્માઓ થી લેણ-દેણ કરતાં પાપ આત્મા બની જાય છે. કેટલો ફરક છે. પાપ આત્મા, પાપ આત્મા થી જ લેણ-દેણ કરી પાપ આત્મા બની જાય છે. અહીંયા તો તમારે પુણ્ય આત્મા બનવાનું છે એટલે પાપ આત્માઓ થી લેણ-દેણ નથી કરવાની. બાપ કહે છે કોઈને પણ દુઃખ નથી આપવાનું, કોઈમાં મોહ નથી રાખવાનો. બાપ પણ સૈક્રીન બનીને આવે છે. જુનું કખપણ લે છે, આપે જુઓ કેટલું વ્યાજ છે. બહુજ ભારે વ્યાજ મળે છે. કેટલાં ભોળા છે, બે મુઠ્ઠીનાં બદલે મહેલ આપી દે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે મુસાફરી પૂરી થઈ, પાછાં ઘરે જવાનું છે એટલે આ જૂની દુનિયા થી બેહદનું વૈરાગ્ય રાખી બુદ્ધિયોગ બાપની યાદમાં ઉપર લટકાવાનો છે.

2. સંગમયુગ પર બાપએ જે યજ્ઞ રચ્યો છે, આ યજ્ઞની સંભાળ કરવાનાં માટે સાચાં-સાચાં પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે. કામકાજ કરતાં બાપની યાદ માં રહેવાનું છે.

વરદાન :-
સ્વયં નાં સર્વ ખજાના ને અન્ય આત્માઓની સેવામાં લગાવીને સહયોગી બનવા વાળા સહજયોગી ભવ

સહજયોગી બનવાનું સાધન છે - સદા સ્વયંને સંકલ્પ દ્વારા, વાણી દ્વારા અને દરેક કાર્ય દ્વારા વિશ્વની સર્વ આત્માઓનાં પ્રતિ સેવાધારી સમજી સેવામાં જ બધું લગાવવું. જે પણ બ્રાહ્મણ જીવન માં શક્તિઓનાં, ગુણોનાં, જ્ઞાનનાં કે શ્રેષ્ઠ કમાણીનાં સમયનો ખજાનો બાપ દ્વારા પ્રાપ્ત થયો છે તે સેવામાં લગાવો અર્થાત્ સહયોગી બનો તો સહજયોગી બની જ જશો. પરંતુ સહયોગી તેજ બની શકે છે જે સંપન્ન છે. સહયોગી બનવું અર્થાત્ મહાદાની બનવું.

સ્લોગન :-
બેહદનાં વૈરાગી બનો તો આકર્ષણનાં બધાં સંસ્કાર સહજ ખતમ થઇ જશે.


અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
બ્રાહ્મણોની ભાષા પરસ્પરમાં અવ્યક્ત ભાવની હોવી જોઈએ. કોઈની સાંભળેલી ભૂલોને સંકલ્પમાં પણ ન તો સ્વીકાર કરવાની છે, ન કરાવવાની છે. સંગઠનમાં વિશેષ અવ્યક્ત અનુભવોની આપસમાં લેણ-દેણ કરવાની છે.