28-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આ જ્ઞાન તમને શીતળ બનાવે છે , આ જ્ઞાનથી કામ - ક્રોધ ની આગ ખતમ થઇ જાય છે , ભક્તિ થી તે આગ ખતમ નથી થતી ”

પ્રશ્ન :-
યાદમાં મુખ્ય મહેનત કઈ છે?

ઉત્તર :-
બાપની યાદમાં બેસતાં સમયે દેહ પણ યાદ ન આવે. આત્મ-અભિમાની બની બાપને યાદ કરો, આ જ મહેનત છે. આમાં જ વિઘ્ન પડે છે કારણ કે અડધોકલ્પ દેહ-અભિમાની રહ્યાં છો. ભક્તિ એટલે જ દેહની યાદ.

ઓમ શાંતિ!
આપ બાળકો જાણો છો યાદનાં માટે એકાંતની ખુબ જરુરીયાત છે. જેટલું તમે એકાંત કે શાંતમાં બાપની યાદમાં રહી શકો છો એટલું ઝુંડમાં નથી રહી શકતાં. સ્કૂલમાં પણ બાળકો ભણે છે તો એકાંતમાં જઇને સ્ટડી (અભ્યાસ) કરે છે. આમાં પણ એકાંત જોઈએ. ફરવા જાઓ છો તો તેમાં પણ યાદની યાત્રા મુખ્ય છે. ભણતર તો બિલકુલ સહજ છે કારણ કે અડધો કલ્પ માયાનું રાજ્ય આવવાથી જ તમે દેહ-અભિમાની બન્યાં છો. પહેલો-પહેલો શત્રુ છે દેહ-અભિમાન. બાપને યાદ કરવાનાં બદલે દેહને યાદ કરી લે છે. આને દેહનો અહંકાર કહેવાય છે. અહીંયા આપ બાળકોને કહેવાય છે આત્મ-અભિમાની બનો, આમાં જ મહેનત લાગે છે. હવે ભક્તિ તો છૂટી. ભક્તિ હોય જ છે શરીર ની સાથે. તીર્થો વગેરે પર શરીર ને લઈ જવું પડે છે. દર્શન કરવાં છે, આ કરવું છે. શરીરને જવું પડે. અહિયાં તમારે એજ ચિંતન કરવાનું છે કે અમે આત્મા છીએ, અમારે પરમપિતા પરમાત્મા બાપને યાદ કરવાનાં છે. બસ જેટલું યાદ કરશો તો પાપ કપાઈ જશે. ભક્તિમાર્ગ માં તો ક્યારેય પાપ કપાતાં નથી. કોઈ ઘરડા વગેરે હોય છે તો અંદરમાં આ વહેમ હોય છે - અમે ભક્તિ નહીં કરીએ તો નુકસાન થશે, નાસ્તિક બની જઈશું. ભક્તિની જેમ આગ લાગેલી છે અને જ્ઞાન માં છે શીતળતા. આમાં કામ ક્રોધ ની આગ ખતમ થઇ જાય છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલી ભાવના રાખે છે, મહેનત કરે છે. સમજો બદ્રીનાથ પર ગયાં, મૂર્તિ નો સાક્ષાત્કાર થયો પછી શું? ઝટ ભાવના બની જાય છે, પછી બદ્રીનાથનાં સિવાય બીજા કોઇની યાદ બુદ્ધિમાં નથી રહેતી. પહેલાં તો પગપાળા જતા હતાં. બાપ કહે છે હું અલ્પકાળનાં માટે મનોકામના પૂરી કરી દઉં છું, સાક્ષાત્કાર કરાવું છું. બાકી હું આનાથી મળતો નથી. મારાં વગર વારસો થોડી મળશે. વારસો તમને મારાથી જ મળવાનો છે ને. આ તો બધાં દેહધારી છે. વારસો એક જ બાપ રચતાથી મળે છે, બાકી જે પણ છે જડ અથવા ચૈતન્ય તે બધી છે રચના. રચના થી ક્યારેય વારસો મળી ન શકે. પતિત-પાવન એક જ બાપ છે. કુમારીઓએ તો સંગદોષ થી ખૂબ બચવાનું છે. બાપ કહે છે આ પતિતપણા થી તમે આદિ-મધ્ય-અંત દુઃખ પામો છો. હમણાં બધાં છે પતિત. તમારે હમણાં પાવન બનવાનું છે. નિરાકાર બાપ જ આવીને તમને ભણાવે છે. એવું ક્યારેય નહીં સમજો કે બ્રહ્મા ભણાવે છે. બધાંની બુદ્ધિ શિવબાબા તરફ રહેવી જોઈએ. શિવબાબા આમનાં દ્વારા ભણાવે છે. આપ દાદીઓને પણ ભણાવવા વાળા શિવબાબા છે. એમની શું ખાતરી કરશો! તમે શિવબાબાનાં માટે દ્રાક્ષ, કેરી લઇ આવો છો, શિવબાબા કહે છે-હું તો અભોકતા છું. આપ બાળકોનાં માટે જ બધું છે. ભક્તોએ ભોગ લગાવ્યો અને વહેંચીને ખાધું. હું થોડી જ ખાઉં છું. બાપ કહે છે હું તો આવું જ છું આપ બાળકોને ભણાવીને પાવન બનાવવાં. પાવન બનીને તમે આટલું ઉંચ પદ પામશો. મારો ધંધો આ છે. કહે જ છે શિવ ભગવાનુવાચ. બ્રહ્મા ભગવાનુવાચ તો કહેતાં નથી. બ્રહ્મા વાચ પણ નથી કહેતાં. ભલે આ પણ મુરલી ચલાવે છે પરંતુ હમેશા સમજો શિવબાબા ચલાવે છે. કોઈ બાળકને સારું તીર લગાવવું હશે તો પોતે પ્રવેશ કરી લેશે. જ્ઞાનનું તીર તીક્ષ્ણ ગવાય છે ને. સાયન્સ (વિજ્ઞાન) માં પણ કેટલો પાવર (શક્તિ) છે. બોમ્બસ વગેરેના કેટલાં ધમાકા થાય છે. તમે કેટલા સાઈલેન્સમાં (શાંતિમાં) રહો છો. સાયન્સ પર સાયલેન્સ વિજય પામે છે.

તમે આ સૃષ્ટિને પાવન બનાવો છો. પહેલાં તો પોતાને પાવન બનાવવાનાં છે. ડ્રામા અનુસાર પાવન પણ બનવાનું જ છે, એટલે વિનાશ પણ નોંધાયેલો છે. ડ્રામાને સમજીને ખૂબ હર્ષિત રહેવું જોઈએ. હમણાં આપણે જવાનું છે શાંતિધામ. બાપ કહે છે એ તમારું ઘર છે. ઘરમાં તો ખુશી થી જવું જોઈએ ને. આમાં દેહી-અભિમાની બનવાની ખુબ મહેનત કરવાની છે. આ યાદની યાત્રા પર જ બાબા ખૂબ જોર આપે છે, આમાં જ મહેનત છે. બાપ પૂછે છે હરતાં-ફરતાં યાદ કરવું સહજ છે કે એક જગ્યાએ બેસીને યાદ કરવું સહજ છે? ભક્તિમાર્ગ માં પણ કેટલી માળા ફેરવે છે, રામ-રામ જપતાં રહે છે. ફાયદો કાંઈ પણ નથી. બાપ તો આપ બાળકોને બિલકુલ સહજ યુક્તિ બતાવે છે-ભોજન બનાવો, કાંઈ પણ કરો, બાપ ને યાદ કરો. ભક્તિમાર્ગ માં શ્રીનાથ દ્વારામાં ભોગ બનાવે છે, મુખ પર પટ્ટી બાંધી દે છે. જરા પણ અવાજ ન થાય. તે છે ભક્તિમાર્ગ. તમારે તો બાપને યાદ કરવાનાં છે. તે લોકો આટલો ભોગ લગાવે છે પછી તે કોઈ ખાએ થોડી છે. પંડા લોકોનું કુટુંબ હોય છે, તેઓ ખાય છે. તમે અહીંયા જાણો છો આપણને શિવબાબા ભણાવે છે. ભક્તિમાં થોડી આ સમજે છે કે અમને શિવબાબા ભણાવે છે. ભલે શિવપુરાણ બનાવ્યું છે પરંતુ તેમાં શિવ-પાર્વતી, શિવ-શંકર બધું મળાવી દીધું છે, તે વાંચવાથી કોઈ ફાયદો નથી થતો. દરેકે પોતાનું શાસ્ત્ર વાંચવું જોઈએ. ભારતવાસીઓની છે એક ગીતા. ક્રિશ્ચનનું બાઇબલ એક હોય છે. દેવી-દેવતા ધર્મનું શાસ્ત્ર છે ગીતા. તેમા જ નોલેજ છે. નોલેજ જ ભણાય છે. તમારે નોલેજ ભણવાનું છે. લડાઈ વગેરેની વાતો જે પુસ્તકોમાં છે, તેમાં તમારું કોઈ કામ જ નથી. આપણે છીએ યોગબળ વાળા પછી બાહુબળ વાળાની વાર્તાઓ કેમ સાંભળીએ! તમારી વાસ્તવમાં લડાઈ છે નહીં. તમે યોગબળ થી ૫ વિકારો પર વિજય પામો છો. તમારી લડાઈ છે ૫ વિકારો થી. તે તો મનુષ્ય, મનુષ્ય થી લડાઈ કરે છે. તમે પોતાનાં વિકારોથી લડાઈ લડો છો. આ વાતો સંન્યાસી વગેરે સમજાવી ન શકે. તમને કોઈ ડ્રિલ વગેરે પણ નથી શીખવાડાતા. તમારી ડ્રિલ છે જ એક. તમારું છે જ યોગબળ. યાદનાં બળથી ૫ વિકારો પર જીત પામો છો. આ ૫ વિકાર દુશ્મન છે. તેમાં પણ નંબરવન છે દેહ-અભિમાન. બાપ કહે છે તમે તો આત્મા છો ને. તમે આત્મા આવો છો, આવીને ગર્ભમાં પ્રવેશ કરો છો. હું તો આ શરીરમાં વિરાજમાન થયો છું. હું કોઈ ગર્ભમાં થોડી જાઉં છું. સતયુગમાં તમે ગર્ભ મહેલમાં રહો છો. પછી રાવણ રાજ્યમાં ગર્ભ જેલમાં જાઓ છો. હું તો પ્રવેશ કરું છું. આને દિવ્ય જન્મ કહેવાય છે. ડ્રામા અનુસાર મારે આમાં આવવું પડે છે. આમનું નામ બ્રહ્મા રાખું છું કારણકે મારાં બન્યાં છે ને. એડોપ્ટ થાય છે તો નામ કેટલાં સારા-સારા રાખે છે. તમારાં પણ ખૂબ સારા-સારા નામ રાખ્યાં. લીસ્ટ (યાદી) ખુબ વન્ડરફુલ આવી હતી, સંદેશી દ્વારા. બાબાને બધાં નામ થોડી યાદ છે. નામથી તો કોઈ કામ નથી. શરીર પર નામ રખાય છે ને. હવે તો બાપ કહે છે પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો. બસ. તમે જાણો છો આપણે પૂજ્ય દેવતા બનીએ છીએ પછી રાજ્ય કરશું. પછી ભક્તિમાર્ગ માં આપણા જ ચિત્ર બનાવશે. દેવીઓનાં ખૂબ ચિત્ર બનાવે છે. આત્માઓની પણ પૂજા થાય છે. માટીનાં સાલિગ્રામ બનાવે છે પછી રાતનાં તોડી નાખે છે. દેવીઓને પણ સજાવીને, પૂજા કરી પછી સમુદ્રમાં નાખી દે છે. બાપ કહે છે મારું પણ રુપ બનાવીને, ખવડાવી-પીવડાવીને પછી મને કહી દે છે ઠીકકર-ભિત્તરમાં છે. સૌથી દુર્દશા તો મારી કરે છે. તમે કેટલાં ગરીબ બની ગયાં છો. ગરીબ જ પછી ઉંચ પદ પામે છે. સાહૂકાર મુશ્કેલથી ઉઠાવે છે. બાબા પણ સાહૂકારો થી એટલું લઈને શું કરશે! અહીંયા તો બાળકનાં ટીપાં-ટીપાં થી આ મકાન વગેરે બને છે. કહે છે બાબા અમારી એક ઈંટ લગાવી દો. સમજે છે રિટર્ન (વળતર) માં અમને સોના-ચાંદીનાં મહેલ મળશે. ત્યાં તો સોનુ અઢળક રહે છે. સોનાની ઇંટો હશે ત્યારે તો મકાન બનશે. તો બાપ ખૂબ પ્રેમ થી કહે છે - મીઠા-મીઠા બાળકો, હવે મને યાદ કરો, હવે નાટક પૂરું થાય છે.

બાપ ગરીબ બાળકોને સાહૂકાર બનવાની યુક્તિ બતાવે છે-મીઠા બાળકો, તમારી પાસે જે કાંઈ પણ છે ટ્રાન્સફર (અર્પણ) કરી દો. અહીંયા તો કાંઈ પણ રહેવાનું નથી. અહીંયા જે ટ્રાન્સફર કરશે તે નવી દુનિયામાં તમને સૌ ગુણા થઈને મળશે. બાબા કાંઈ માંગતા નથી. એ તો દાતા છે, આ યુક્તિ બતાવાય છે. અહીંયા તો બધું માટીમાં મળી જવાનું છે. કાંઈક ટ્રાન્સફર કરી દેશો તો તમને નવી દુનિયામાં મળશે. આ જૂની દુનિયાનાં વિનાશ નો સમય છે. આ કાંઈ પણ કામમાં નહિં આવશે એટલે બાબા કહે છે ઘર-ઘરમાં યુનિવર્સિટી કમ હોસ્પિટલ ખોલો જેનાથી હેલ્થ (સ્વાસ્થ) અને વેલ્થ (સંપત્તિ) મળશે. આજ મુખ્ય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

રાત્રી ક્લાસ :- ૧૨ - ૩ - ૬૮
આ સમયે તમે ગરીબ સાધારણ માતાઓ પુરુષાર્થ કરીને ઉંચ પદ પામી લો છો. યજ્ઞમાં મદદ વગેરે પણ માતાઓ ખૂબ કરે છે, પુરુષ ખૂબ થોડા છે જે મદદગાર બને છે. માતાઓને વારીસપણા નો નશો નથી રહેતો. તે બીજ વાવતી રહે, પોતાનું જીવન બનાવતી રહે. તમારું જ્ઞાન છે યથાર્થ, બાકી છે ભક્તિ. રુહાની બાપ જ આવીને જ્ઞાન આપે છે. બાપને સમજે તો બાપથી વારસો જરુર લઈ લે. તમને બાપ પુરુષાર્થ કરાવતાં રહે છે, સમજાવતાં રહે છે. સમય ખોટી નહીં કરો. બાપ જાણે છે કોઈ સારા પુરુષાર્થી છે, કોઈ મીડીયમ (સાધારણ), કોઈ થર્ડ (કનિષ્ટ). બાબાથી પૂછે તો બાબા ઝટ બતાવી દે-તમે ફર્સ્ટ છો કે સેકન્ડ છો કે થર્ડ છો. કોઈને જ્ઞાન નથી આપતાં તો થર્ડ ક્લાસ થયાં. સબૂત નથી આપતાં તો બાબા જરુર કહેશે ને. ભગવાન આવીને જે જ્ઞાન શીખવાડે છે તે પછી પ્રાય:લોપ થઈ જાય છે. આ કોઈને પણ ખબર નથી. ડ્રામાનાં પ્લાન અનુસાર આ ભક્તિમાર્ગ છે, આનાથી કોઈ મને પ્રાપ્ત કરી નથી શકતાં. સતયુગમાં કોઈ જઈ નથી શકતું. હમણાં આપ બાળકો પુરુષાર્થ કરી રહ્યાં છો. કલ્પ પહેલાં ની જેમ જેટલો જેમણે પુરુષાર્થ કર્યો છે, એટલો કરતા રહે છે. બાપ સમજી શકે છે પોતાનું કલ્યાણ કોણ કરી રહ્યાં છે. બાપ તો કહેશે રોજ આ લક્ષ્મી-નારાયણનાં ચિત્રની આગળ આવીને બેસો. બાબા તમારી શ્રીમત પર આ વારસો અમે જરુર લઈશું. આપ સમાન બનવાની સર્વિસ (સેવા) નો શોખ જરુર જોઈએ. સેવાકેન્દ્ર વાળાઓને પણ લખું છું, આટલાં વર્ષ ભણ્યાં છો કોઈને ભણાવી નથી શકતાં તો બાકી ભણ્યાં શું છો! બાળકોની ઉન્નતિ તો કરવી જોઈએ ને. બુદ્ધિમાં આખો દિવસ સર્વિસનાં ખ્યાલ ચાલવા જોઈએ.

તમે વાનપ્રસ્થી છો ને. વાનપ્રસ્થીઓ નાં પણ આશ્રમ હોય છે. વાનપ્રસ્થીઓની પાસે જવું જોઈએ, મરવાનાં પહેલા લક્ષ્ય તો બતાવી દો. વાણી થી પરે તમારી આત્મા જશે કેવી રીતે! પતિત આત્મા તો જઈ ન શકે. ભગવાનુવાચ મામેકમ યાદ કરો તો તમે વાનપ્રસ્થમાં ચાલ્યા જશો. બનારસમાં પણ સર્વિસ ખૂબ છે. ઘણાં સાધુ લોકો કાશીવાસનાં માટે ત્યાં રહે છે, આખો દિવસ કહેતા રહે છે શિવ કાશી વિશ્વનાથ ગંગા. તમારા અંદર માં સદેવ ખુશીની તાળી વાગતી રહેવી જોઈએ. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો ને! સર્વિસ પણ કરો છો, ભણો પણ છો. બાપ ને યાદ કરવાનાં છે, વારસો લેવાનો છે. હવે આપણે શિવબાબા ની પાસે જઈએ છીએ. આ મનમનાભવ છે. પરંતુ અનેકોને યાદ રહેતી નથી. ઝરમુઈ ઝગમુઈ કરતા રહે. મૂળ વાત છે યાદની. યાદ જ ખુશીમાં લાવશે. બધાં ઈચ્છે તો છે કે વિશ્વમાં શાંતિ હોય. બાબા પણ કહે છે એમને સમજાવો કે વિશ્વમાં શાંતિ હવે સ્થાપન થઈ રહી છે, એટલે બાબા લક્ષ્મી-નારાયણ નાં ચિત્રને વધારે મહત્વ આપે છે. બોલો, આ દુનિયા સ્થાપન થઈ રહી છે, જ્યાં સુખ-શાંતિ, પવિત્રતા બધું હતું. બધાં કહે છે વિશ્વમાં શાંતિ થાય. પ્રાઈઝ (ઈનામ) પણ ઘણાંને મળતું રહે છે. વર્લ્ડ (દુનિયા) માં પીસ (શાંતિ) સ્થાપન કરવાવાળા તો માલિક હશે ને. આમનાં રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી. એક ભાષા, એક રાજ્ય, એક ધર્મ હતો. બાકી બધી આત્માઓ નિરાકારી દુનિયામાં હતી. એવી દુનિયા કોણે સ્થાપન કરી હતી! પીસ કોણે સ્થાપન કરી હતી! ફોરેનર્સ (વિદેશીઓ) પણ સમજશે આ પેરેડાઇઝ (વૈકુંઠ) હતું, આમનું રાજ્ય હતું. વર્લ્ડમાં પીસ તો હવે સ્થાપન થઈ રહી છે. બાબા એ સમજાવ્યું હતું પ્રભાતફેરી માં પણ આ લક્ષ્મી-નારાયણના ચિત્ર ને નીકાળો. જે બધાંનાં કાનોમાં અવાજ પડે કે આ રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. નર્કનો વિનાશ સામે ઊભો છે. આ તો જાણે છે ડ્રામા અનુસાર કદાચ વાર છે. મોટા-મોટાઓની તકદીરમાં હમણાં નથી. તો પણ બાબા પુરુષાર્થ કરાવતાં રહે છે. ડ્રામા અનુસાર સર્વિસ ચાલી રહી છે. અચ્છા. ગુડ નાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1) સંગદોષ થી પોતાની ખુબ-ખૂબ સંભાળ કરવાની છે. ક્યારેય પતિતો નાં સંગમાં નથી આવવાનું. સાઈલેન્સ (શાંતિ) બળ થી આ સૃષ્ટિને પાવન બનાવવાની સેવા કરવાની છે.

2) ડ્રામાને સારી રીતે સમજીને હર્ષિત રહેવાનું છે. પોતાનું બધુંજ નવી દુનિયાનાં માટે ટ્રાન્સફર કરવાનું છે.

વરદાન :-
રુહાનિયત નાં પ્રભાવ દ્વારા ફરિશ્તાપણ નો મેકઅપ ( શણગાર ) કરવાવાળા સર્વનાં સ્નેહી ભવ

જે બાળકો સદા બાપદાદાનાં સંગમાં રહે છે - એમને સંગ નો રંગ એવો લાગે છે જે દરેકનાં ચહેરા પર રુહાનિયત નો પ્રભાવ દેખાઈ આવે છે. જે રુહાનિયત માં રહેવાથી ફરિશ્તાપણ નો મેકઅપ સ્વતઃ થઈ જાય છે. જેમ મેકઅપ કર્યા બાદ કોઈ કેવું પણ હોય પરંતુ બદલાઈ જાય છે, મેકઅપ કરવાથી સુંદર લાગે છે. અહીંયા પણ ફરિશ્તાપણનાં મેકઅપ થી ચમકવા લાગશે અને આ રુહાની મેકપ સર્વનાં સ્નેહી બનાવી દેશે..

સ્લોગન :-
બ્રહ્મચર્ય, યોગ તથા દિવ્યગુણો ની ધારણા જ વાસ્તવિક પુરુષાર્થ છે.