29-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - માયા દુશ્મન તમારી સામે છે એટલે પોતાની ખૂબ - ખૂબ સંભાળ કરવાની છે , જો ચાલતાં - ચાલતાં માયામાં ફસાઈ ગયાં તો પોતાની તકદીરને લકીર લગાવી દેશો ”

પ્રશ્ન :-
આપ રાજયોગી બાળકોનું મુખ્ય કર્તવ્ય શું છે?

ઉત્તર :-
ભણવું અને ભણાવવું, આજ તમારું મુખ્ય કર્તવ્ય છે. તમે છો ઈશ્વરીય મત પર. તમારે કોઈ જંગલમાં નથી જવાનું. ઘર ગૃહસ્થમાં રહેતાં શાંતિમાં બેસી બાપને યાદ કરવાનાં છે. અલ્ફ અને બે, આજ બે શબ્દોમાં તમારું બધું ભણતર આવી જાય છે.

ઓમ શાંતિ!
બાપ પણ બ્રહ્મા દ્વારા કહી શકે છે કે બાળકો ગુડમોર્નિંગ. પરંતુ પછી બાળકોએ પણ રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપવો પડે. અહીં છે જ બાપ અને બાળકોનું કનેક્શન (સંબંધ). નવાં જે છે જ્યાં સુધી પાક્કા થઈ જાય, કાંઈને કાંઈ પૂછતા રહેશે. આ તો ભણતર છે. ભગવાનુવાચ પણ લખેલું છે. ભગવાન છે નિરાકાર. આ બાબા સારી રીતે પાક્કું કરાવે છે, કોઈને પણ સમજાવવાં માટે કારણ કે તે તરફ છે માયાનું જોર. અહીંયા તો તે વાત નથી. બાપ તો સમજે છે જેમણે કલ્પ પહેલાં વારસો લીધો છે તે જાતેજ આવી જશે. એવું નહિ કે ફલાણા ચાલ્યાં ન જાય, તેમને પકડીએ. ચાલ્યાં જાય તો ચાલ્યાં જાય. અહીંયા તો જીવતે જીવ મરવાની વાત છે. બાપ એડોપ્ટ (દત્તક) કરે છે. એડોપ્ટ કરાય જ છે કાંઈ વારસો આપવાનાં માટે. બાળકો મા-બાપ ની પાસે આવે જ છે વારસાની લાલચ થી. સાહૂકારનું બાળક ક્યારેય ગરીબની પાસે એડોપ્ટ થશે શું! આટલી ધન-સંપત્તિ વગેરે બધું છોડી કેવી રીતે જશે. એડોપ્ટ કરે છે સાહૂકાર. હમણાં તમે જાણો છો બાબા આપણને સ્વર્ગની બાદશાહી આપે છે. કેમ નહીં એમનાં બનીએ. દરેક વાતમાં લાલચ તો રહે છે. જેટલું વધારે ભણશે એટલી મોટી લાલચ હશે. તમે પણ જાણો છો બાપે આપણને એડોપ્ટ કર્યા છે બેહદનો વારસો આપવાં. બાપ પણ કહે છે તમને બધાને હું ફરીથી ૫ હજાર વર્ષ પહેલાંની જેમ એડોપ્ટ કરું છું. તમે પણ કહો છો બાબા અમે તમારાં છીએ. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમારાં બન્યાં હતાં. તમે પ્રેકટિકલમાં કેટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ છો. પ્રજાપિતા પણ તો નામીગ્રામી છે. જ્યાં સુધી શુદ્ર થી બ્રાહ્મણ ન બને તો દેવતા બની ન શકે. આપ બાળકોની બુદ્ધિમાં હવે આ ચક્ર ફરતું રહે છે-આપણે શુદ્ર હતાં, હવે બ્રાહ્મણ બન્યાં છીએં ફરી દેવતા બનવાનું છે. સતયુગમાં આપણે રાજ્ય કરશું. તો આ જૂની દુનિયાનો વિનાશ જરુર થવાનો છે. પૂરો નિશ્ચય નથી બેસતો તો પછી ચાલ્યાં જાય છે. ઘણાં બાળકો છે જે પડી જાય છે, આ પણ ડ્રામામાં નોંધ છે. માયા દુશ્મન સામે ઉભી છે, તો તે પોતાની તરફ ખેંચી લે છે. બાપ ઘડી-ઘડી પાક્કું કરાવે છે, માયામાં ફસાઈ નહિ પડતાં, નહીં તો પોતાની તકદીરને લકીર લગાવી દેશો. બાપ જ પૂછી શકે છે કે પહેલાં ક્યારે મળ્યાં છો? બીજા કોઈને પૂછવાની અક્કલ આવશે જ નહીં. બાપ કહે છે મારે પણ ફરીથી ગીતા સંભળાવવા આવવું પડે છે. આવીને રાવણની જેલથી છોડાવવાં પડે. બેહદનાં બાપ બેહદની વાત સમજાવે છે. હમણાં રાવણનું રાજ્ય છે, પતિત રાજ્ય છે જે અડધાકલ્પ થી શરુ થયું છે. રાવણને ૧૦ શીશ દેખાડે છે, વિષ્ણુને ૪ ભુજા દેખાડે છે. એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. આ તો પ્રવૃત્તિ માર્ગ દેખાડાય છે. આ છે લક્ષ-હેતુ, વિષ્ણુ દ્વારા પાલના. વિષ્ણુપુરીને કૃષ્ણપુરી પણ કહે છે. કૃષ્ણને તો ૨ ભુજા જ દેખાડશે ને. મનુષ્ય તો કાંઈ પણ સમજતા નથી. બાપ દરેક વાત સમજાવે છે. તે બધું છે ભક્તિમાર્ગ. હમણાં તમને જ્ઞાન છે, તમારું લક્ષ્ય-હેતુ જ છે નર થી નારાયણ બનવાનો. આ ગીતા પાઠશાળા છે જ જીવનમુક્તિ પ્રાપ્ત કરવાનાં માટે. બ્રાહ્મણ તો જરુર જોઈએ. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવને રુદ્ર પણ કહે છે. હવે બાપ પૂછે છે જ્ઞાન યજ્ઞ કૃષ્ણનો છે કે શિવનો છે? શિવને પરમાત્મા જ કહે છે, શંકરને દેવતા કહે છે. તેમણે પછી શિવ અને શંકરને ભેગા કરી દીધાં છે. હવે બાપ કહે છે મેં આમનામાં પ્રવેશ કર્યો છે. આપ બાળકો કહો છો બાપદાદા. તેઓ કહે છે શિવશંકર. જ્ઞાન સાગર તો છે જ એક.

હવે તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે જ્ઞાન થી. ચિત્ર પણ બરાબર બનાવે છે. વિષ્ણુ ની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યાં. આનો અર્થ પણ કોઈ સમજી નથી શકતું. બ્રહ્માને શાસ્ત્ર હાથમાં દીધાં છે. હવે શાસ્ત્રોનો સાર બાપ બેસીને સંભળાવે છે કે બ્રહ્મા? આ પણ માસ્ટર જ્ઞાન સાગર બને છે. બાકી ચિત્ર આટલાં બધાં બનાવ્યાં છે, તે કોઈ યથાર્થ છે નહીં. તે છે બધાં ભક્તિમાર્ગનાં. મનુષ્ય કોઈ ૮-૧0 ભુજાવાળા હોતાં નથી. આ તો ફક્ત પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે. રાવણનો પણ અર્થ બતાવ્યો છે-અડધો કલ્પ છે રાવણ રાજ્ય, રાત. અડધો કલ્પ છે રામ રાજ્ય, દિવસ. બાપ દરેક વાત સમજાવે છે. તમે બધાં એક બાપનાં બાળકો છો. બાપ બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરે છે અને તમને રાજયોગ શીખવાડે છે. જરુર સંગમ પર જ રાજયોગ શીખવાડશે. દ્વાપરમાં ગીતા સંભળાવી, આ તો રોંગ (ખોટું) થઈ જાય છે. બાપ સાચું બતાવે છે. અનેકોને બ્રહ્માનો, કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્માને સફેદ પોશાક જ દેખાડે છે. શિવબાબા તો બિંદુ છે. બિંદુ નો સાક્ષાત્કાર થાય તો કાંઈ સમજી ન શકે. તમે કહો છો અમે આત્મા છીએ, હવે આત્માને કોણે જોઈ છે, કોઈએ નહીં. તે તો બિંદુ છે. સમજી શકો છો ને. જે જેવી ભાવનાથી જેમની પૂજા કરે છે, તેમને તેજ સાક્ષાત્કાર થશે. બીજું જો રુપ જોશે તો મુંઝાઈ પડશે. હનુમાનની પૂજા કરશે તો તેમને તેજ દેખાશે. ગણેશનાં પૂજારીને તેજ દેખાશે. બાપ કહે છે મેં તમને એટલાં ધનવાન બનાવ્યાં, હીરા ઝવેરાતનાં મહેલ હતાં, તમને અગણિત ધન હતું, તમે હવે તે બધું ક્યાં ગુમાવ્યું? હમણાં તમે કંગાળ બની ગયાં છો, ભીખ માંગી રહ્યાં છો. બાપ તો કહી શકે છે ને. હમણાં આપ બાળકો સમજો છો બાપ આવ્યાં છે, આપણે ફરીથી વિશ્વનાં માલિક બનીએ છીએ. આ ડ્રામા અનાદિ બનેલો છે. દરેક ડ્રામામાં પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. કોઈ એક શરીર છોડી જઈને બીજું લે છે, એમાં રડવાની શું વાત છે. સતયુગમાં ક્યારેય રડતાં નથી. હમણાં તમે મોહજીત બની રહ્યાં છો. મોહજીત રાજાઓ આ લક્ષ્મી-નારાયણ વગેરે છે. ત્યાં મોહ હોતો નથી. બાપ અનેક પ્રકારની વાતો સમજાવતાં રહે છે. બાપ છે નિરાકાર. મનુષ્ય તો એમને નામ-રુપ થી ન્યારા કહી દે છે. પરંતુ નામ-રુપ થી ન્યારી કોઈ ચીજ થોડી હોય છે. હેં ભગવાન, ઓ ગોડફાધર કહે છે ને. તો નામ-રુપ છે ને. લિંગ ને શિવ પરમાત્મા, શિવબાબા પણ કહે છે. બાબા તો છે ને બરાબર. બાબાનાં જરુર બાળકો પણ હશે. નિરાકાર ને નિરાકાર આત્મા જ બાબા કહે છે. મંદિરમાં જશે તો એમને કહેશે શિવબાબા પછી ઘરમાં આવીને બાપને પણ કહે છે બાબા. અર્થ તો સમજતાં નથી, અમે તેમને શિવબાબા કેમ કહીએ છીએં! બાપ ઊંચેથી ઊંચું ભણતર બે અક્ષર માં ભણાવે છે-અલ્ફ અને બે. અલ્ફ ને યાદ કરો તો બે-બાદશાહી તમારી છે. આ ખુબ ઊંચી પરીક્ષા છે. મનુષ્ય ઊંચી પરીક્ષા પાસ કરે છે તો પહેલાનું ભણતર કાંઈ યાદ થોડી રહે છે. ભણતાં-ભણતાં છેવટે તન્ત (સાર) બુદ્ધિ આવી જાય છે. આ પણ એવું છે. તમે ભણતાં આવ્યાં છો. અંતમાં પછી બાપ કહે છે મનમનાભવ, તો દેહનું અભિમાન તૂટી જશે. આ મનમનાભવ ની આદત પડી હશે તો અંતમાં પણ બાપ અને વારસો યાદ રહેશે. મુખ્ય છે જ આ, કેટલું સહજ છે. તે ભણતરમાં પણ હવે તો ખબર નહીં શું-શું ભણે છે. જેવાં રાજા તેવી તે પોતાની રીત ચલાવે છે. પહેલાં મણ, સેર, પાવ નો હિસાબ ચાલતો હતો. હમણાં તો કિલો વગેરે શું-શું નીકળી પડ્યું છે. કેટલાં અલગ-અલગ પ્રાંત થઈ ગયાં છે. દિલ્લીમાં જે ચીજ એક રુપિયે સેર, બોમ્બેમાં મળશે બે રુપિયે સેર, કારણ કે પ્રાંત અલગ-અલગ છે. દરેક સમજે છે અમે પોતાનાં પ્રાંતને ભૂખે થોડી મારશું. કેટલાં ઝઘડા વગેરે થાય છે, કેટલાં રોડા છે.

ભારત કેટલો સાલવેન્ટ (સંપન્ન) હતો પછી ૮૪ નું ચક્ર લગાડતાં ઇનસાલવેન્ટ (દેવાદાર) બની ગયાં છે. કહેવાય છે હીરા જેવો જન્મ અમોલક કોડી બદલે ખોવાયો રે…….બાપ કહે છે તમે કોડીઓ ની પાછળ કેમ મરો છો. હવે તો બાપથી વારસો લો, પાવન બનો. બોલાવો પણ છો-હેં પતિત-પાવન આવો, પાવન બનાવો. તો તેનાથી સિદ્ધ છે પાવન હતાં, હમણાં નથી. હમણાં છે જ કળયુગ. બાપ કહે છે હું પાવન દુનિયા બનાવીશ તો પતિત દુનિયાનો જરુર વિનાશ થશે એટલે જ આ મહાભારત લડાઈ છે જે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી પ્રજ્વલિત થઇ છે. ડ્રામામાં તો આ વિનાશ થવાની પણ નોંધ છે. પહેલાં-પહેલાં તો બાબાને સાક્ષાત્કાર થયો. જોયું આટલી મોટી રાજાઈ મળે છે તો બહુજ ખુશી થવાં લાગી, પછી વિનાશનો સાક્ષાત્કાર પણ કરાવ્યો. મનમનાભવ, મધ્યાજીભવ. આ ગીતાનાં અક્ષર છે. કોઈ-કોઈ અક્ષર ગીતાનાં ઠીક છે. બાપ પણ કહે છે તમને આ જ્ઞાન સંભળાવું છું, આ પછી પ્રાયઃલોપ થઈ જાય છે. કોઈને પણ ખબર નથી કે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહોતો. તે સમયે જનસંખ્યા કેટલી થોડી હશે, હમણાં કેટલી છે. તો આ ચેંજ (પરિવર્તન) થવી જોઈએ. જરુર વિનાશ પણ જોઈએ. મહાભારત લડાઈ પણ છે. જરુર ભગવાન પણ હશે. શિવજયંતી મનાવે છે તો શિવબાબાએ શું આવીને કર્યુ? તે પણ નથી જાણતાં. હવે બાપ સમજાવે છે, ગીતાથી કૃષ્ણની આત્માને રાજાઈ મળી. માતા-પિતા કહેશું ગીતાને, જેનાથી તમે ફરી દેવતા બનો છો એટલે ચિત્રમાં પણ દેખાડ્યું છે-કૃષ્ણએ ગીતા નથી સંભળાવી. કૃષ્ણ ગીતાનાં જ્ઞાન થી રાજયોગ શીખી આ બન્યાં, કાલે ફરી કૃષ્ણ હશે. તેમણે પછી શિવબાબાનાં બદલે કૃષ્ણનું નામ નાખી દીધું છે. તો બાપ સમજાવે છે, આ તો પોતાની અંદર પાક્કો નિશ્ચય કરી લો, કોઈ ઉલટી-સુલટી વાત સંભળાવીને તમને પાડી ન દે. બહુજ વાતો પૂછે છે - વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? આ કેવી રીતે થશે? અરે, તમે સ્વયં કહો છો-વાઇસલેસ (નિર્વિકારી) દુનિયા હતી. સંપૂર્ણ નિર્વિકારી કહો છો ને પછી વિકારની વાત કેવી રીતે હોઈ શકે છે? હવે તમે જાણો છો બેહદનાં બાપ થી બેહદની બાદશાહી મળે છે, તો એવાં બાપને કેમ નહીં યાદ કરશું? આ છે જ પતિત દુનિયા. કુંભનાં મેળામાં કેટલાં લાખો જાય છે. હવે કહે છે ત્યાં એક નદી ગુપ્ત છે. હવે નદી ગુપ્ત હોઈ શકે છે શું? અહીં પણ ગૌમુખ બનાવ્યું છે. કહે છે ગંગા અહીંયા આવે છે. અરે, ગંગા પોતાનો રસ્તો લઈને સમુદ્રમાં જશે કે અહીં તમારી પાસે પહાડ પર આવશે. ભક્તિમાર્ગમાં કેટલાં ધક્કા છે. જ્ઞાન, ભક્તિ પછી છે વૈરાગ્ય. એક છે હદનો વૈરાગ્ય, બીજો છે બેહદનો. સન્યાસી ઘરબાર છોડી જંગલમાં રહે છે, અહીંયા તો તે વાત નથી. તમે બુદ્ધિથી આખી જૂની દુનિયાનો સન્યાસ કરો છો. આપ રાજયોગી બાળકોનું મુખ્ય કર્તવ્ય છે ભણવું અને ભણાવવું. હવે રાજ્યોગ કાંઈ જંગલમાં થોડી શીખવાડાય છે. આ સ્કૂલ છે. શાખાઓ નીકળતી જાય છે. આપ બાળકો રાજયોગ શીખી રહ્યાં છો. શિવબાબા થી ભણેલા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ શીખવાડે છે. એક શિવબાબા થોડી બધાને બેસીને શીખવાડશે. તો આ થઈ પાંડવ ગવર્મેન્ટ. તમે છો ઈશ્વરીય મત પર. અહીંયા તમે કેટલાં શાંતિમાં બેઠાં છો, બહાર તો અનેક હંગામા છે. બાપ કહે છે ૫ વિકારોનું દાન દો તો ગ્રહણ છૂટી જશે. મારાં બનો તો હું તમારી બધી કામનાઓ પૂરી કરી દઈશ. આપ બાળકો જાણો છો હમણાં આપણે સુખધામમાં જઈએ છીએ, દુઃખધામને આગ લાગવાની છે. બાળકોએ વિનાશનો સાક્ષાત્કાર પણ કર્યો છે. હવે સમય બહુજ થોડો છે એટલે યાદની યાત્રામાં લાગી જશો તો વિકર્મ વિનાશ થશે અને ઊંચ પદ પામશો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપનાં વારસાનો પૂરો અધિકાર લેવાનાં માટે જીવતે જીવ મરવાનું છે. એડોપ્ટ થઈ જવાનું છે. ક્યારેય પણ પોતાની ઊંચી તકદીરને લકીર નથી લગાડવાની.

2. કોઈ પણ ઉલટી-સુલટી વાત સાંભળીને સંશયમાં નથી આવવાનું. જરા પણ નિશ્ચય ન હલે. આ દુઃખધામને આગ લાગવાની છે એટલે આમાંથી પોતાનો બુદ્ધિયોગ નીકાળી દેવાનો છે.

વરદાન :-
સમસ્યાઓને સમાધાન રુપમાં પરિવર્તિત કરવાવાળા વિશ્વ કલ્યાણી ભવ

હું વિશ્વ કલ્યાણી છું-હવે આ શ્રેષ્ઠ ભાવના, શ્રેષ્ઠ કામના નાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) કરો. આ શ્રેષ્ઠ સંસ્કારનાં આગળ હદનાં સંસ્કાર સ્વતઃ સમાપ્ત થઈ જશે. સમસ્યાઓ સમાધાનનાં રુપમાં પરિવર્તિત થઇ જશે. હવે યુદ્ધમાં સમય નહીં ગુમાવો પરંતુ વિજયપણા નાં સંસ્કાર ઈમર્જ કરો. હવે બધુંજ સેવામાં લગાવી દો તો મહેનત થી છુટી જશો. સમસ્યાઓ માં જવાનાં બદલે દાન દો, વરદાન દો તો સ્વનું ગ્રહણ સ્વતઃ સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
કોઈની ખામી, કમજોરીઓ નું વર્ણન કરવાનાં બદલે ગુણ સ્વરુપ બનો, ગુણોનું જ વર્ણન કરો.