24-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે બહુજ મોટા ઝવેરી છો , તમારે અવિનાશી જ્ઞાન રત્નો રુપી ઝવેરાત આપીને બધાને સાહૂકાર બનાવવાનાં છે ”

પ્રશ્ન :-
પોતાનાં જીવનને હીરા જેવું બનાવવા માટે કઈ એક વાતની ખુબ-ખુબ સંભાળ જોઈએ?

ઉત્તર :-
સંગ ની. બાળકોએ સંગ તેમનો કરવો જોઈએ જે સરસ વરસે છે. જે વરસતા નથી, તેમનો સંગ રાખવાથી ફાયદો જ શું! સંગનો દોષ ખુબજ લાગે છે, કોઈ કોઈનાં સંગ થી હીરા જેવા બની જાય છે, કોઈ પછી કોઈનાં સંગથી ઠીક્કર બની જાય છે. જે જ્ઞાનવાન હશે તે આપસમાન જરુર બનાવશે. સંગ થી પોતાની સંભાળ રાખશે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોને આખી સૃષ્ટિ, આખો ડ્રામા સારી રીતે બુદ્ધિમાં યાદ છે. વિરોધાર્થ પણ બુદ્ધિમાં છે. આ બધું બુદ્ધિમાં પાક્કું રહેવું જોઈએ કે સતયુગમાં બધાં શ્રેષ્ઠાચારી, નિર્વિકારી, પાવન, સોલવેન્ટ (સંપન્ન) હતાં. હમણાં તો દુનિયા ભ્રષ્ટાચારી, વિકારી, પતિત ઇનસોલવેન્ટ (દેવાદાર) છે. હમણાં આપ બાળકો સંગમયુગ પર છો. તમે પેલી પાર જઇ રહ્યાં છો. જેમ નદી અને સાગર નું જ્યાં મિલન થાય છે, તેને સંગમ કહે છે. એક તરફ મીઠું પાણી, એક તરફ ખારું પાણી હોય છે. હવે આ પણ છે સંગમ. તમે જાણો છો બરાબર સતયુગમાં લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું પછી આમ ચક્ર ફર્યુ. હમણાં છે સંગમ. કળયુગનાં અંતમાં બધાં દુઃખી છે, આને જંગલ કહેવાય છે. સતયુગને બગીચો કહેવાય છે. હમણાં તમે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. આ સ્મૃતિ આપ બાળકોને હોવી જોઈએ. આપણે બેહદનાં બાપથી વારસો લઇ રહ્યાં છીએ. આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે. ૮૪ જન્મોની કથા તો બિલકુલ સાધારણ છે. સમજો છો - હવે ૮૪ જન્મ પુરા થયાં. તમારી બુદ્ધિમાં ઉમંગ છે કે આપણે હવે સતયુગી બગીચામાં જઇ રહ્યાં છે. હવે આપણો જન્મ આ મૃત્યુલોકમાં નહીં થશે. આપણો જન્મ થશે અમરલોકમાં. શિવબાબા ને અમરનાથ પણ કહે છે. એ આપણને અમરકથા સંભળાવી રહ્યાં છે, ત્યાં આપણે શરીરમાં હોવા છતાં પણ અમર રહેશું. પોતાની ખુશી થી સમય પર શરીર છોડશું, તેને મૃત્યુલોક નથી કહેવાતું. તમે કોઈને પણ સમજાવશો તો સમજશે - બરાબર આમનામાં તો પૂરું જ્ઞાન છે. સૃષ્ટિનો આદિ અને અંત તો છે ને. નાનું બાળક પણ જવાન અને વૃદ્ધ થાય છે પછી અંત આવી જાય છે, ફરી બાળક બને છે. સૃષ્ટિ પણ નવી બને પછી ક્વાર્ટર (પા) જૂની, અડધી જૂની પછી આખી જૂની થાય છે. પાછી નવી થશે. આ બધી વાતો બીજા કોઈ એક-બીજાને સંભળાવી નથી શકતાં. આવી ચર્ચા કોઈ કરી નથી શકતું. સિવાય આપ બ્રાહ્મણો નાં બીજા કોઈને રુહાની નોલેજ મળી ન શકે. બ્રાહ્મણ વર્ણમાં આવે ત્યારે સાંભળે. ફક્ત બ્રાહ્મણ જ જાણે. બ્રાહ્મણોમાં પણ નંબરવાર છે. કોઈ યથાર્થ રીતે સંભળાવી શકે છે, કોઈ નથી સાંભળાવી શકતું તો તેમને કાંઈ મળતું જ નથી. ઝવેરીઓમાં પણ જોશો કોઈની પાસે તો કરોડોનો માલ રહે છે, કોઈની પાસે તો ૧૦ હજારનો પણ માલ નહિ હશે. તમારામાં પણ એવું છે. જેમ જુઓ આ જનક છે, આ સરસ ઝવેરી છે. એમની પાસે વેલ્યુએબલ (મુલ્યવાન) ઝવેરાત છે. કોઈને આપીને સારા સાહૂકાર બનાવી શકે છે. કોઈ નાનાં ઝવેરી છે, વધારે આપી નથી શકતાં તો તેમનું પદ પણ ઓછું થઈ જાય છે. તમે બધાં ઝવેરી છો, આ અવિનાશી જ્ઞાન રત્નોનાં ઝવેરાત છે. જેમની પાસે સારા રત્ન હશે તેઓ સાહૂકાર બનશે, બીજાઓને પણ બનાવશે. એવું તો નથી, બધાં સારા ઝવેરી હશે. સારા-સારા ઝવેરી મોટા-મોટા સેન્ટર પર મોકલી આપે છે. મોટા માણસોને સારા ઝવેરાત આપવામાં આવે છે. મોટી-મોટી દુકાનો પર એક્સપર્ટ (પ્રવીણ) હોય છે. બાબાને પણ કહેવાય છે - સૌદાગર-રત્નાગર. રત્નો નો સોદો કરે છે પછી જાદુગર પણ છે કારણ કે એમની પાસે જ દિવ્યદૃષ્ટિ ની ચાવી છે. કોઈ નૌધા ભક્તિ કરે છે તો તેમને સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં એ વાત નથી. અહીંયા તો અનાયાસ ઘરે બેઠાં પણ અનેકોને સાક્ષાત્કાર થાય છે. દિવસ-પ્રતિદિવસ સહજ થતું જશે. ઘણાઓને બ્રહ્માનો અને કૃષ્ણનો પણ સાક્ષાત્કાર થાય છે. તેમને કહે છે બ્રહ્માની પાસે જાઓ. જઈને તેમની પાસે પ્રિન્સ (રાજકુમાર) બનવાનું ભણતર ભણો. આ પવિત્ર પ્રિન્સ-પ્રિન્સેસ ચાલ્યા આવે છે ને. પ્રિન્સને પવિત્ર પણ કહી શકાય છે. પવિત્રતા થી જન્મ થાય છે ને. પતિતને ભ્રષ્ટાચારી કહેશું. પતિત થી પાવન બનવાનું છે, આ બુદ્ધિમાં રહેવું જોઈએ. જે કોઈને સમજાવી પણ શકો. મનુષ્ય સમજે છે, આ તો બહુજ સેન્સીબુલ (સમજદાર) છે. બોલો-અમારી પાસે કોઈ શાસ્ત્રો વગેરેનું નોલેજ નથી. આ છે રુહાની નોલેજ, જે રુહાની બાપ સમજાવે છે. આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકર. આ પણ રચના છે. રચયિતા એક બાપ છે, તે હોય છે હદનાં ક્રિયેટર (રચયિતા), આ છે બેહદનાં બાપ, બેહદનાં ક્રિયેટર. બાપ બેસીને ભણાવે છે, મહેનત કરવાની હોય છે. બાપ ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. તમે છો ઈશ્વરીય કુળનાં, તમને બાપ પવિત્ર બનાવે છે. પછી જો અપવિત્ર બને છે તો કુળ કલંકિત બને છે. બાપ તો જાણે છે ને. પછી ધર્મરાજ દ્વારા બહુજ સજા અપાવશે. બાપની સાથે ધર્મરાજ પણ છે. ધર્મરાજની ડ્યુટી (ફરજ) પણ હમણાં પૂરી થાય છે. સતયુગમાં તો હશે જ નહિં. પછી શરુ થાય છે દ્વાપર થી. બાપ બેસી કર્મ, અકર્મ, વિકર્મની ગતિ સમજાવે છે. કહે છે ને-આમણે આગળ જન્મમાં એવા કર્મ કર્યા છે, જેની આ ભોગના છે. સતયુગમાં આવું નહીં કહેશે. ખોટા કર્મોનું ત્યાં નામ જ નથી હોતું. અહીં તો ખોટા-સારા બંને છે. સુખ-દુઃખ બંને છે. પરંતુ સુખ ખુબ થોડું છે. ત્યાં પછી દુઃખનું નામ નથી. સતયુગમાં દુઃખ ક્યાંથી આવ્યું! તમે બાપથી નવી દુનિયાનો વારસો લો છો. બાપ છે જ દુઃખહર્તા સુખકર્તા. દુ:ખ ક્યાર થી શરુ થાય છે, આ પણ તમે જાણો છો. શાસ્ત્રોમાં તો કલ્પની આયુ જ લાંબી-પહોળી લખી દીધી છે. હવે તમે જાણો છો અડધાકલ્પ માટે આપણાં દુઃખ હરી (દુર) જશે અને આપણે સુખ પામશું. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, આનાં પર સમજાવવું ખુબ સહજ છે. આ બધી વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં હોઈ ન શકે. લાખો વર્ષ કહી દેવાથી બધી વાતો બુદ્ધિ થી નીકળી જાય છે.

હવે તમે જાણો છો-આ ચક્ર ૫ હજાર વર્ષનું છે. કાલની જ વાત છે જ્યારે આ સૂર્યવંશી- ચંદ્રવંશીઓનું રાજ્ય હતું. કહે પણ છે બ્રાહ્મણો નો દિવસ, એવું નહિ શિવબાબાનો દિવસ કહેશું. બ્રાહ્મણો નો દિવસ પછી બ્રાહ્મણો ની રાત. બ્રાહ્મણ પછી ભક્તિમાર્ગમાં પણ ચાલ્યાં આવે છે. હમણાં છે સંગમ. ન દિવસ છે, ન રાત છે. તમે જાણો છો આપણે બ્રાહ્મણ ફરી દેવતા બનશું પછી ત્રેતામાં ક્ષત્રિય બનશું. આ તો બુદ્ધિમાં પાક્કું યાદ કરી લો. આ વાતોને બીજા કોઈ નથી જાણતાં. તેઓ તો કહેશે શાસ્ત્રોમાં આટલી આયુ લખી છે, તમે પછી આ હિસાબ ક્યાંથી લાવ્યાં છો? આ અનાદિ ડ્રામા બન્યો-બનાવેલ છે, આ કોઈ નથી જાણતું. આપ બાળકોની બુદ્ધિમાં છે, અડધો કલ્પ છે સતયુગ-ત્રેતા પછી અડધા થી ભક્તિ શરુ થાય છે. તે થઈ જાય છે ત્રેતા અને દ્વાપર નો સંગમ. દ્વાપરમાં પણ આ શાસ્ત્ર વગેરે ધીમે-ધીમે બને છે. ભક્તિમાર્ગની સામગ્રી ખુબ લાંબી-પહોળી છે. જેમ ઝાડ કેટલું લાંબુ-પહોળું છે. આનું બીજ છે બાબા. આ ઉલટું ઝાડ છે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. આ વાતો જે બાપ સંભળાવે છે, આ છે બિલકુલ નવી. આ દેવી-દેવતા ધર્મનાં સ્થાપકને કોઈ નથી જાણતાં. કૃષ્ણ તો બાળક છે. જ્ઞાન સંભળાવવા વાળા છે બાપ. તો બાપ ને ઉડાવી બાળકનું નામ નાખી દીધું છે. કૃષ્ણનાં જ ચરિત્ર વગેરે બેસી દેખાડે છે. બાપ કહે છે લીલા કોઈ કૃષ્ણની નથી. ગાએ પણ છે-હેં પ્રભુ તારી લીલા અપરમ-અપાર છે. લીલા એકની જ હોય છે. શિવબાબા ની મહિમા બહુજ ન્યારી છે. એ તો છે સદા પાવન રહેવાવાળા, પરંતુ એ પાવન શરીરમાં તો આવી ન શકે. એમને બોલાવે જ છે-પતિત દુનિયાને આવીને પાવન બનાવો. તો બાપ કહે છે મારે પણ પતિત દુનિયામાં આવવું પડે છે. આમનાં અનેક જન્મોનાં અંતમાં આવીને પ્રવેશ કરું છું. તો બાપ કહે છે મુખ્ય વાત અલ્ફ ને યાદ કરો, બાકી આ બધી છે રેજગારી. તે બધાં તો ધારણ કરી ન શકે. જે ધારણ કરી શકે છે, તેમને જ સમજાવું છું. બાકી તો કહી દઉં છું મનમનાભવ. નંબરવાર બુદ્ધિ તો હોય છે ને. વાદળ કોઈ તો ખૂબ વર્ષે છે, કોઈ થોડા વરસીને ચાલ્યાં જાય છે. તમે પણ વાદળ છો ને. કોઈ તો બિલકુલ વરસતા જ નથી. જ્ઞાન ને ખેંચવાની તાકાત નથી. મમ્મા-બાબા સારા વાદળ છે ને. બાળકોએ સંગ તેમનો કરવો જોઈએ જે સારા વરસે છે. જે વરસતા જ નથી તેમનો સંગ રાખવાથી શું થશે? સંગનો દોષ પણ બહુજ લાગે છે. કોઈ તો કોઈનાં સંગ થી હીરા જેવા બની જાય છે, કોઈ પછી કોઈનાં સંગ થી ઠીક્કર બની જાય છે. પીઠ પકડવી જોઈએ સારા ની. જે જ્ઞાનવાન હશે તે આપ સમાન ફૂલ બનાવશે. સત્ બાપ થી જે જ્ઞાનવાન અને યોગી બન્યાં છે તેમનો સંગ કરવો જોઈએ. એવું નથી સમજવાનું કે અમે ફલાણાની પુંછડી પકડીને પાર થઈ જઈશું. એવું ઘણાં કહે છે. પરંતુ અહીં તો તે વાત નથી. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) કોઈની પૂંછડી પકડવાથી પાસ થઇ જશે શું! ભણવું પડે ને. બાપ પણ આવીને નોલેજ આપે છે. આ સમયે તેઓ જાણે છે મારે જ્ઞાન આપવાનું છે. ભક્તિ માર્ગમાં એમની બુદ્ધિમાં આ વાતો નથી રહેતી કે મારે જઈને જ્ઞાન આપવાનું છે. આ બધું ડ્રામામાં નોંધ છે. બાબા કંઈ કરતાં નથી. ડ્રામામાં દિવ્ય દૃષ્ટિ મળવાનો પાર્ટ છે તો સાક્ષાત્કાર થઈ જાય છે. બાપ કહે છે એવું નથી કે હું બેસી સાક્ષાત્કાર કરાવું છું. આ ડ્રામામાં નોંધ છે. જો કોઇ દેવીનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે, દેવી તો નહીં કરાવશે ને. કહે છે-હેં ભગવાન, અમને સાક્ષાત્કાર કરાવો. બાપ કહે છે ડ્રામામાં નોંધ હશે તો થઈ જશે. હું પણ ડ્રામામાં બંધાયેલો છું.

બાબા કહે છે હું આ સૃષ્ટિમાં આવેલો છું. આમનાં મુખથી હું બોલી રહ્યો છું, આમની આંખોથી તમને જોઈ રહ્યો છું. જો આ શરીર ન હોય તો જોઈ કેવી રીતે શકું? પતિત દુનિયામાં જ મારે આવવું પડે છે. સ્વર્ગમાં તો મને બોલાવતાં જ નથી. મને બોલાવે જ સંગમ પર છે. જ્યારે સંગમયુગ પર આવીને શરીર લઉં છું ત્યારે જ જોઉં છું. નિરાકાર રુપમાં તો કાંઈ જોઈ નથી શકતો. ઓર્ગન્સ (અવયવો) વગર આત્મા કાંઈ પણ કરી ન શકે. બાબા કહે છે હું જોઈ કેવી રીતે શકું, ચુરપુર (હલચલ) કેવી રીતે કરી શકું, વગર શરીરનાં. આ તો અંધશ્રદ્ધા છે, જે કહે છે ઈશ્વર બધુંજ જુએ છે, બધુંજ એ કરે છે. જોશે પછી કેવી રીતે? જ્યારે ઓર્ગન્સ મળે ત્યારે જુએ ને. બાપ કહે છે-સારું કે ખોટું કામ ડ્રામાનુસાર દરેક કરે છે. નોંધ છે. હું થોડી આટલાં કરોડો મનુષ્યોનો બેસી હિસાબ રાખીશ, મને શરીર છે ત્યારે બધુંજ કરું છું. કરનકરાવનહાર પણ ત્યારે કહે છે. નહીં તો કહી ન શકાય. હું જ્યારે આમનામાં આવું ત્યારે આવીને પાવન બનાવું. ઉપરમાં આત્મા શું કરશે? શરીરથી જ પાર્ટ ભજવશે ને. હું પણ અહીંયા આવીને પાર્ટ ભજવું છું. સતયુગમાં મારો પાર્ટ છે નહિં. પાર્ટ વગર કોઈ કાંઈ કરી ન શકે. શરીર વગર આત્મા કાંઈ કરી નથી શકતી. આત્માને બોલાવાય છે, તે પણ શરીરમાં આવીને બોલશે ને. ઓર્ગન્સ વગર કાંઈ કરી ન શકે. આ છે વિસ્તારની થી સમજણ. મુખ્ય વાત તો કહેવાય છે બાપ અને વારસાને યાદ કરો. બેહદનાં બાપ આટલાં મોટા છે, એમનાથી વારસો ક્યારે મળતો હશે-આ કોઈ જાણતું નથી. કહે છે આવીને દુઃખ હરો, સુખ દો, પરંતુ ક્યારે? આ કોઈને ખબર નથી. આપ બાળકો હવે નવી વાતો સાંભળી રહ્યાં છો. તમે જાણો છો આપણે અમર બની રહ્યાં છીએં, અમરલોકમાં જઈ રહ્યાં છીએં. તમે અમરલોકમાં કેટલીવાર ગયા છો? અનેકવાર. આનો ક્યારેય અંત નથી થતો. ઘણાં કહે છે શું મોક્ષ નથી મળી શકતો? બોલો-નહીં, આ અનાદિ અવિનાશી ડ્રામા છે, આ ક્યારેય વિનાશ નથી થઈ શકતો. આ તો અનાદિ ચક્ર ફરતું જ રહે છે. આપ બાળકો આ સમયે સાચાં સાહેબને જાણો છો. તમે સન્યાસી છો ને. તે ફકીર નહિ. સંન્યાસીઓને પણ ફકીર કહેવાય છે. તમે રાજઋષિ છો, ઋષિ ને સન્યાસી કહેવાય છે. હવે ફરી તમે અમીર (ધનવાન) બનો છો. ભારત કેટલું અમીર હતું, હમણાં કેવું ફકીર બની ગયું છે. બેહદનાં બાપ આવીને બેહદનો વારસો આપે છે. ગીત પણ છે-બાબા તમે જે આપો છો તે કોઈ આપી ન શકે. તમે અમને વિશ્વનાં માલિક બનાવો છો, જેને કોઈ લુટી ન શકે. આવાં-આવાં ગીત બનાવવા વાળા અર્થ નથી વિચારતાં. તમે જાણો છો ત્યાં પાર્ટીશન (વિભાજન) વગેરે કાંઈ નહી હશે. અહીંયા તો કેટલાં પાર્ટીશન છે. ત્યાં આકાશ-ધરતી બધુંજ તમારું રહે છે. તો એટલી ખુશી બાળકોને રહેવી જોઈએ ને. હંમેશા સમજો શિવબાબા સંભળાવે છે કારણ કે તે ક્યારેય હોલી ડે (રજા) નથી લેતાં, ક્યારેય બીમાર નથી થતાં. યાદ શિવબાબાની જ રહેવી જોઈએ. એમને કહેવાય છે નિરહંકારી. હું આ કરું છું, હું આ કરું છું, આ અહંકાર ન આવવો જોઈએ. સર્વિસ (સેવા) કરવી તો ફરજ છે, આમાં અંહકાર ન આવવો જોઈએ. અહંકાર આવ્યો અને પડ્યાં. સર્વિસ કરતા રહો, આ છે રુહાની સેવા. બાકી બધી છે જિસ્માની. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે ભણાવે છે, તેનું રિટર્ન (વળતર) ગુલ-ગુલ (ફૂલ) બનીને દેખાડવાનું છે. મહેનત કરવાની છે. ક્યારેય પણ ઈશ્વરીય કુળનું નામ બદનામ નથી કરવાનું, જે જ્ઞાનવાન અને યોગી છે, તેમનો જ સંગ કરવાનો છે.

2. હું-પણા નો ત્યાગ કરી નિરંહકારી બની રુહાની સેવા કરવાની છે, આને પોતાની ફરજ સમજવાની છે. અહંકારમાં નથી આવવાનું.

વરદાન :-
પોતાનાં ફરિશ્તા સ્વરુપ દ્વારા સર્વને વારસાનો અધિકાર અપાવવા વાળા આકર્ષણ - મૂર્ત ભવ

ફરિશ્તા સ્વરુપનો એવો ચમકતો ડ્રેસ ધારણ કરો જે દૂર-દૂર સુધી આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરે અને સર્વને ભિખારીપણા થી છોડાવી વારસા નાં અધિકાર બનાવી દે. આનાં માટે જ્ઞાન મૂર્ત ,યાદ મૂર્ત અને સર્વ દિવ્ય ગુણ મૂર્ત બની ઉડતી કળામાં સ્થિત રહેવાનો અભ્યાસ વધારતાં જાઓ. તમારી ઉડતી કળા જ સર્વને હરતાં-ફરતાં ફરિશ્તા સો દેવતા સ્વરુપનો સાક્ષાત્કાર કરાવશે. આ જ વિધાતા, વરદાતા પણાની સ્ટેજ છે.

સ્લોગન :-
બીજાઓનાં મનનાં ભાવોને જાણવાનાં માટે સદા મનમનાભવ ની સ્થિતિમાં સ્થિત રહો.