02-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
નજર શરીરો પર ન જવી જોઈએ , સ્વયંને આત્મા સમજો , શરીરને નહી જુઓ ”
પ્રશ્ન :-
દરેક બ્રાહ્મણ
બાળકોએ વિશેષ કઈ બે વાતો પર ધ્યાન આપવાનું છે?
ઉત્તર :-
૧-ભણવા પર, ૨-દૈવી
ગુણો પર. ઘણાં બાળકોમાં ક્રોધનો અંશ પણ નથી, કોઈ તો ક્રોધમાં આવીને બહુંજ ઝગડે છે.
બાળકોએ વિચાર કરવો જોઈએ કે અમારે દૈવી ગુણ ધારણ કરીને દેવતા બનવાનું છે. ક્યારેય
ગુસ્સામાં આવી ને વાતચીત ન કરવી જોઈએ. બાબા કહે કોઈ બાળક માં ક્રોધ છે તો તે
ભુતનાથ-ભુતનાથિની છે. એવાં ભૂત વાળા થી તમારે વાત પણ નથી કરવાની.
ગીત :-
તકદીર જગાકર
આયી હું…...
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. બીજા કોઈ પણ સત્સંગમાં ક્યારેય રેકોર્ડ (ગીત) પર નથી સમજાવતાં. ત્યાં
શાસ્ત્ર સંભળાવે છે. જેમ ગુરુદ્વારામાં ગ્રંથનાં બે વચન નીકાળે છે પછી કથા કરવાવાળા
બેસી તેનો વિસ્તાર કરે છે. રેકોર્ડ ઉપર કોઈ સમજાવે આ ક્યાંય હોતું નથી. હવે બાપ
સમજાવે છે કે આ બધાં ગીત છે ભક્તિમાર્ગ નાં. બાળકો ને સમજાવ્યું છે, જ્ઞાન અલગ ચીજ
છે, જે એક નિરાકાર શિવ થી મળી શકે છે. આને કહેવાય છે રુહાની જ્ઞાન. જ્ઞાન તો ઘણાં
પ્રકારનાં હોય છે ને. કોઈને પુછશે આ ગાલીચો કેવી રીતે બને છે, તમને જ્ઞાન છે? દરેક
વસ્તુનું જ્ઞાન હોય છે. તે છે જ શારીરિક વાતો. બાળકો જાણે છે આપણા આત્માઓનાં રુહાની
બાપ એ એક છે, એમનું રુપ દેખાતું નથી. એ નિરાકારનું ચિત્ર પણ છે સાલિગ્રામની જેવું.
એમને જ પરમાત્મા કહેવાય છે. એમને કહેવાય જ છે નિરાકાર. મનુષ્ય જેવો આકાર નથી. દરેક
વસ્તુનો આકાર જરુર હોય છે. તે બધામાં નાનામાં નાનો આકાર છે આત્માનો. તેને કુદરત જ
કહેવાશે. આત્મા ખુબ જ નાની છે જે આ આંખોથી જોવામાં નથી આવતી. આપ બાળકોને દિવ્ય
દ્રષ્ટિ મળે છે જેનાથી બધો સાક્ષાત્કાર કરો છો. જે ભૂતકાળ થઈ ગયું છે તેને દિવ્ય
દ્રષ્ટીથી જોવાય છે. પહેલા નંબરમાં તો આ ભૂતકાળ થઈ ગયાં છે. હવે પાછાં આવ્યા છે તો
એમનો પણ સાક્ષાત્કાર થાય છે. છે બહુજ સૂક્ષ્મ. આનાથી સમજી શકાય છે, સિવાય પરમપિતા
પરમાત્માનાં આત્માનું જ્ઞાન કોઈ આપી નથી શકતું. મનુષ્ય, આત્માને યથાર્થ રીતે નથી
જાણતાં તેમ પરમાત્માને પણ યથાર્થ રીતે નથી જાણી શકતા. દુનિયામાં મનુષ્યોની અનેક મત
છે. કોઈ કહે છે આત્મા પરમાત્મા માં લીન થઈ જાય છે, કોઈ શું કહે. હમણાં આપ બાળકોએ
જાણ્યું છે, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર, બધાની બુદ્ધિમાં એકરસ તો બેસી ન સકે.
ઘડી-ઘડી બુદ્ધિમાં પણ બેસાડવાનું હોય છે. આપણે આત્મા છીએ, આત્માને જ ૮૪ જન્મોનો
પાર્ટ ભજવવાનો છે. હવે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મુજ પરમપિતા પરમાત્માને જાણો
અને યાદ કરો. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી આપ બાળકોને જ્ઞાન આપું છું. આપ
બાળકો પોતાને આત્મા નથી સમજતા એટલે તમારી નજર આ શરીર પર ચાલી જાય છે. હકીકતમાં તમારુ
આનાથી કોઈ કામ નથી. સર્વનાં સદ્દગતિ દાતા તો આ શિવબાબા છે, એમની મત પર હું બધાને
સુખ આપું છું. આમને પણ અહંકાર નથી આવતો કે હું બધાને સુખ આપું છું. જે બાપ ને પૂરું
યાદ નથી કરતા તેમના અવગુણ નીકળતા નથી. સ્વયંને આત્મા નિશ્ચય નથી કરતાં. મનુષ્ય તો ન
આત્માને કે ન પરમાત્માને જાણે છે. સર્વવ્યાપીનું જ્ઞાન પણ ભારતવાસીઓએ ફેલાવ્યું છે.
તમારામાં પણ જે સેવાધારી બાળકો છે તે સમજે છે, બાકી બધાં એટલું નથી સમજતાં. જો બાપની
પૂરી ઓળખ બાળકોને હોય તો બાપને યાદ કરે, સ્વયંમાં દૈવીગુણ ધારણ કરે.
શિવબાબા આપ બાળકો ને સમજાવે છે. આ છે નવી વાતો. બ્રાહ્મણ પણ જરુર જોઈએ. પ્રજાપિતા
બ્રહ્માનાં સંતાન ક્યારે હોય છે, આ દુનિયામાં કોઈને ખબર નથી. બ્રાહ્મણ તો અનેકો
અનેક છે. પરંતુ તે છે કૂખ વંશાવલી. તે કોઈ મુખ વંશાવલી બ્રહ્માનાં સંતાન નથી.
બ્રહ્માનાં સંતાન ને તો ઈશ્વર બાપથી વારસો મળે છે. તમને હવે વારસો મળી રહ્યો છે ને.
તમે બ્રાહ્મણ અલગ છો, તે અલગ છે. તમે બ્રાહ્મણ હોવ જ છો સંગમ પર, તે હોય છે
દ્વાપર-કળયુગમાં. આ સંગમયુગી બ્રાહ્મણ જ અલગ છે. પ્રજાપિતા બ્રહ્માનાં અસંખ્ય બાળકો
છે. ભલે હદનાં બાપને પણ બ્રહ્મા કહેશે કારણકે બાળકો પેદા કરે છે. પરંતુ તે છે શરીરની
વાત. આ બાપ તો કહેશે બધી આત્માઓ મારા બાળકો છે. તમે છો મીઠા-મીઠા રુહાની બાળકો. આ
કોઈને સમજાવવું સહજ છે. શિવબાબા ને પોતાનું શરીર નથી. શિવજયંતી મનાવે છે, પરંતુ એમનું
શરીર જોવામાં નથી આવતું. બાકી બીજા બધાનું શરીર છે. બધી આત્માઓનું પોત-પોતાનું શરીર
છે. શરીરનું નામ પડે છે, પરમાત્માને પોતાનું શરીર જ નથી એટલે એમને પરમ આત્મા કહેવાય
છે. એમની આત્માનું નામ જ શિવ છે. તે ક્યારેય બદલાતું નથી. શરીર બદલાય છે તો નામ પણ
બદલાઈ જાય છે. શિવબાબા કહે છે હું તો સદેવ નિરાકાર પરમ આત્મા જ છું. ડ્રામાનાં
પ્લાન અનુસાર હમણાં આ શરીર લીધું છે. સંન્યાસીઓનું પણ નામ બદલાય છે. ગુરુનાં બને છે
તો નામ બદલાય છે. તમારા પણ નામ બદલ્યા હતાં. પરંતુ ક્યાં સુધી નામ બદલતાં રહેશે.
કેટલાં ભાગન્તી થઈ ગયા. જે તે સમયે હતાં તેમનાં નામ રાખી દીધા. હવે નામ નથી રાખતા.
કોઈનાં પર પણ વિશ્વાસ નથી. માયા અનેકોને હરાવી દે છે તો ભાગન્તી થઈ જાય છે એટલે બાબા
કોઈનું પણ નામ નથી રાખતાં. કોઈનું રાખે, કોઈનું ન રાખે, તે પણ ઠીક નથી. કહે તો બધાં
છે-બાબા, અમે તમારા થઈ ગયાં છીએં, પરંતુ યથાર્થ રીતે મારાં થોડી થાય છે. ઘણાં છે જે
વારિસ બનવાનાં રહસ્યને પણ નથી જાણતાં. બાબાની પાસે મળવા આવે છે પરંતુ વારિસ નથી.
વિજય માળામાં નથી આવી સકતા. કોઈ સારા-સારા બાળકો સમજે છે અમે તો વારિસ છીએ. પરંતુ
બાબા સમજે છે આ વારિસ છે નહી. વારિસ બનવાનાં માટે ભગવાનને પોતાનાં વારિસ બનાવવાં પડે,
આ રહસ્ય સમજાવવું પણ મુશ્કેલ છે. બાબા સમજાવે છે વારિસ કોને કહેવાય છે. ભગવાનને કોઇ
વારિસ બનાવે તો મિલકત આપવી પડે. તો બાપ પછી વારિસ બનાવે. મિલકત તો સિવાય ગરીબોનાં
કોઈ સાહૂકાર આપી ન શકે. માળા કેટલાં થોડાની બને છે. આ પણ કોઈ બાબાને પૂછે તો બાબા
બતાવી શકે છે-તમે વારિસ બનવાનાં હકદાર છો કે નહીં? આ બાબા પણ બતાવી શકે છે. આ
સામાન્ય વાત છે સમજવાની. વારિસ બનવામાં પણ બહુજ અક્કલ જોઈએ. જુએ છે લક્ષ્મી-નારાયણને
વિશ્વનાં માલિક હતા, પરંતુ તે માલિકપણું કેવી રીતે લીધું-આ કોઈ નથી જાણતું. હમણાં
તમારુ લક્ષ્ય-હેતુ તો સામે છે. તમારે આ બનવાનું છે. બાળકો પણ કહે છે અમે તો
સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ બનીશું, ન કે ચંદ્રવંશી રામ-સીતા. રામ-સીતાની પણ
શાસ્ત્રોમાં નિંદા કરેલી છે. લક્ષ્મી-નારાયણની ક્યારેય નિંદા નહી સંભળાશે. શિવબાબાની,
કૃષ્ણની પણ નિંદા છે. બાપ કહે છે હું આપ બાળકોને કેટલા ઊંચે થી ઊંચા બનાવું છું.
મારાથી પણ બાળકો આગળ ચાલ્યાં જાય છે. લક્ષ્મી-નારાયણની પણ કોઈ નિંદા નહીં કરશે. ભલે
કૃષ્ણની આત્મા તો તેજ છે, પરંતુ ન જાણવાનાં કારણે નિંદા કરી દીધી છે.
લક્ષ્મી-નારાયણ નું મંદિર પણ ખુબજ ખુશીથી બનાવે છે. હકીકતમાં બનાવવું જોઈએ
રાધે-કૃષ્ણનું, કારણકે તે સતોપ્રધાન છે. આ તેમની યુવા અવસ્થા છે તો તેમને સતો કહે
છે. તે નાનાં છે એટલે સતોપ્રધાન કહેશે. નાનું બાળક મહાત્મા સમાન હોય છે. જેમ નાનાં
બાળકોને વિકાર વગેરેની ખબર નથી રહેતી, તેમ ત્યાં મોટાઓને પણ ખબર નથી રહેતી કે વિકાર
શું ચીજ છે. આ ૫ ભૂત ત્યાં હોતા જ નથી. વિકારોની જેમ કે ખબર જ નથી. આ સમય છે જ રાત.
કામની ચેષ્ટા પણ રાત્રે જ થાય છે. દેવતાઓ છે દિવસમાં તો કામની ચેષ્ટા હોતી નથી.
વિકાર કોઈ હોતા નથી. હમણાં રાતમાં બધાં વિકારી છે. તમે જાણો છો દિવસ થતાં જ આપણા બધાં
વિકાર ચાલ્યાં જશે. ખબર નથી રહેતી કે વિકાર શું ચીજ છે. આ રાવણનાં વિકારી ગુણ છે. આ
છે વિકારી દુનિયા. નિર્વિકારી દુનિયામાં વિકારની કોઈ વાત નથી હોતી. તેને કહેવાય જ
છે ઈશ્વરીય રાજ્ય. હમણાં છે આસુરી રાજ્ય. આ કોઈ નથી જાણતું. તમે બધું જાણો છો,
નંબરવાર પુરુષાર્થ અનુસાર. અસંખ્ય બાળકો છે. કોઈ પણ મનુષ્ય સમજી નથી સકતા કે આ બધાં
બી.કે. કોનાં બાળકો છે.
બધાં યાદ કરે છે-શિવબાબાને, બ્રહ્માને પણ નહીં. આ પોતે કહે છે શિવબાબાને યાદ કરો,
જેનાથી વિકર્મ વિનાશ થશે, બીજા કોઈને પણ યાદ કરવાથી વિકર્મ વિનાશ નહી થશે. ગીતામાં
પણ કહ્યું છે મામેકમ્ યાદ કરો. કૃષ્ણ તો કહી ન શકે. વારસો મળે જ છે નિરાકાર બાપ થી.
સ્વયં ને જ્યારે આત્મા સમજે ત્યારે નિરાકાર બાપને યાદ કરે. હું આત્મા છું, પહેલાં આ
પાક્કો નિશ્ચય કરવો પડે. મારાં પિતા પરમાત્મા છે, એ કહે છે મને યાદ કરો તો હું તમને
વારસો આપીશ. હું બધાંને સુખ આપવાવાળો છું. હું બધી આત્માઓને શાંતિધામ લઈ જાઉં છું.
જેમણે કલ્પ પહેલાં બાપથી વારસો લીધો હશે તેજ આવીને વારસો લેશે, બ્રાહ્મણ બનશે.
બ્રાહ્મણો માં પણ કોઈક બાળકો પાક્કા છે. માતેલા પણ બનશે, સૌતેલા પણ બનશે. આપણે
નિરાકાર શિવબાબાની વંશાવલી છીએ. જાણીએ છીએં સમુદાય કેવી રીતે વધતો જાય છે. હવે
બ્રાહ્મણ બન્યા પછી આપણે પાછાં જવાનું છે. બધી આત્માઓ શરીર છોડીને પાછી જવાની છે.
પાંડવ અને કૌરવ બંનેવ ને શરીર છોડવાનું છે. તમે આ જ્ઞાનનાં સંસ્કાર લઈ જાઓ છો પછી
તે અનુસાર પ્રાલબ્ધ મળે છે. તે પણ ડ્રામામાં નોંધ છે પછી જ્ઞાનનો પાર્ટ ખતમ થઇ જાય
છે. તમને ૮૪ જન્મોનાં પછી ફરી જ્ઞાન મળ્યું છે. ફરી આ જ્ઞાન પ્રાય:લોપ થઈ જાય છે.
તમે પ્રાલબ્ધ ભોગવો છો. ત્યાં બીજા કોઈ ધર્મ વાળાનાં ચિત્ર વગેરે નથી રહેતાં. તમારાં
ભક્તિમાર્ગમાં પણ ચિત્ર રહે છે. સતયુગ માં કોઈનાં ચિત્ર વગેરે નથી રહેતાં. તમારા
ચિત્ર ઓલરાઉન્ડ (હંમેશા) ભક્તિમાર્ગમાં રહે છે. તમારા રાજ્યમાં બીજા કોઈનાં ચિત્ર
નથી, ફક્ત દેવી-દેવતા જ રહે છે. આનાથી જ સમજાય છે આદિ સનાતન દેવી-દેવતા જ છે. પાછળ
સૃષ્ટિ વધતી જાય છે. આપ બાળકોએ આ જ્ઞાન સિમરણ કરી અતીન્દ્રિય સુખ માં રહેવાનું છે.
બહુજ પોઇન્ટસ (મુદ્દાઓ) છે. પરંતુ બાબા સમજે છે માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. તો આ
યાદ રહેવું જોઈએ કે શિવબાબા આપણને ભણાવી રહ્યા છે. તે છે ઊંચે થી ઊંચા. આપણે હવે
પાછાં ઘરે જવાનું છે. કેટલી સહજ વાતો છે. બધો આધાર છે યાદ પર. આપણે દેવતા બનવાનું
છે. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. ૫ વિકાર છે ભૂત. કામનું ભૂત, ક્રોધનું ભૂત,
દેહ-અભિમાન નું ભૂત પણ હોય છે. હાં, કોઈમાં વધારે ભૂત હોય છે, કોઈમાં ઓછા. આપ
બ્રાહ્મણ બાળકોને ખબર છે આ ૫ મોટા ભૂત છે. નંબરવન છે કામનું ભૂત, બીજા નંબરમાં છે
ક્રોધનું ભૂત. કોઈ રફ-ટફ બોલે છે તો બાપ કહે છે આ ક્રોધી છે. આ ભૂત નીકળી જવું જોઈએ.
પરંતુ ભૂત નીકળવું બહું મુશ્કેલ છે. ક્રોધ એક-બીજાને દુઃખ આપે છે. મોહમાં અનેકોને
દુઃખ નહી થાય. જેમને મોહ છે તેમને જ દુઃખ થશે એટલે બાપ સમજાવે છે આ ભૂતોને ભગાવો.
દરેક બાળકોએ વિશેષ ભણવામાં અને દૈવી ગુણો પર ધ્યાન આપવાનું છે. ઘણાં બાળકોમાં તો
ક્રોધનો અંશ પણ નથી. કોઈ તો ક્રોધમાં આવીને બહુજ ઝગડે છે. બાળકોએ ખ્યાલ કરવો જોઈએ
અમારે દૈવીગુણ ધારણ કરી દેવતા બનવાનું છે. ક્યારેય ગુસ્સાથી વાત ન કરવી જોઈએ. કોઈ
ગુસ્સો કરે છે તો સમજો એમનામાં ક્રોધનું ભુત છે. તે જેમકે ભુતનાથ-ભુતનાથિની બની જાય
છે, એવાં ભૂતવાળાથી ક્યારેય વાત ન કરવી જોઈએ. એક એ ક્રોધમાં આવીને વાત કરી પછી
બીજામાં પણ ભૂત આવી ગયું તો ભૂત આપસમાં ઝઘડી પડશે. ભુતનાથિની અક્ષર બહુંજ છી-છી છે.
ભૂતની પ્રવેશતા ન થઈ જાય એટલે મનુષ્ય કિનારો કરે છે. ભૂતની સામે ઊભા પણ ન રહેવું
જોઈએ, નહી તો પ્રવેશતા થઇ જશે. બાપ આવીને આસુરી ગુણ નીકાળી દૈવીગુણ ધારણ કરાવે છે.
બાપ કહે છે હું આવ્યો છું દૈવીગુણ ધારણ કરાવી દેવતા બનાવવા. બાળકો જાણે છે આપણે
દૈવીગુણ ધારણ કરી રહ્યા છીએ. દેવતાઓનાં ચિત્ર પણ સામે છે. બાબા એ સમજાવ્યું છે
ક્રોધવાળા થી એકદમ કિનારો કરી લો. પોતાને બચાવવાની યુક્તિ જોઈએ. આપણામાં ક્રોધ ન આવી
જાય, નહી તો સો ગુણા પાપ ચઢી જશે. કેટલી સારી સમજણ બાપ બાળકોને આપે છે. બાળકો પણ
સમજે છે - બાબા હૂબહૂ કલ્પ પહેલાંની જેમ સમજાવે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજતાં
જ રહેશે. પોતાનાં ઉપર પણ રહેમ કરવાનો છે. કોઈ પોતાનાં પર રહેમ નથી કરતાં, બીજા ઉપર
કરે છે તો તે ઉંચા ચઢી જાય છે, પોતે રહી જાય છે. પોતે વિકારો પર જીત પહેરતાં નથી,
બીજાઓને સમજાવે છે, તે જીત પહેરી લે છે. આવું પણ વન્ડર થાય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાનનું
સિમરણ કરી અતીન્દ્રિય સુખમાં રહેવાનું છે. કોઈનાં થી પણ રફ-ટફ વાતચીત નથી કરવાની.
કોઈ ગુસ્સાથી વાત કરે તો એનાથી કિનારો કરી લેવાનો છે.
2. ભગવાન નાં વારિસ બનવાનાં માટે પહેલાં એમને પોતાનાં વારિસ બનાવવાનાં છે. સમજદાર
બની પોતાનું બધું બાપને સમર્પણ કરી મમત્વ કાઢી દેવાનું છે. પોતાનાં ઉપર પોતે જ રહેમ
કરવાનો છે.
વરદાન :-
એકરસ સ્થિતિ
દ્વારા સદા એક બાપને ફોલો ( અનુકરણ ) કરવાવાળા પ્રસન્નચિત્ત ભવ
આપ બાળકોનાં માટે
બ્રહ્મા બાપનું જીવન એક્યુરેટ કમ્પ્યુટર છે. જેમ આજકાલ કમ્પ્યુટર દ્વારા દરેક
પ્રશ્નનો જવાબ પુછીએ છીએં. એમ મનમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉઠે છે તો શું, કેવી રીતે
ને બદલે બ્રહ્મા બાપનાં જીવન રુપી કમ્પ્યુટર થી જુઓ. શું અને કેવી રીતે નો ક્વેશ્ચન
(પ્રશ્ન), આમ માં બદલાઈ જશે. પ્રશ્નચિત ને બદલે પ્રસન્નચિત્ત બની જશો. પ્રસન્નચિત્ત
અર્થાત્ એકરસ સ્થિતિમાં એક બાપને ફોલો કરવાવાળા.
સ્લોગન :-
આત્મિક શક્તિ
નાં આધાર પર સદા સ્વસ્થ રહેવાનો અનુભવ કરો.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
ભલે કોઈપણ
સાધારણ કર્મ પણ કરી રહ્યા છો તો પણ વચમાં-વચમાં અવ્યક્ત સ્થિતિ બનાવવાનું ધ્યાન રહેં.
કોઈ પણ કાર્ય કરો તો સદેવ બાપદાદાને પોતાનાં સાથી સમજીને ડબલ ફોર્સથી કાર્ય કરો તો
સ્મૃતિ બહુજ સહજ રહેશે. સ્થૂળ કારોબાર નાં પ્રોગ્રામ બનાવતાં બુદ્ધિનો પ્રોગ્રામ પણ
સેટ કરી લો તો સમય ની બચત થઇ જશે.