02-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.11.85
બાપદાદા મધુબન
“ ભગવાનનાં ભાગ્યવાન બાળકોનાં લક્ષણ ”
બાપદાદા બધાં બાળકોનાં
મસ્તક પર ભાગ્યની રેખાઓ જોઈ રહ્યાં છે. દરેક બાળકનાં મસ્તક પર ભાગ્યની રેખાઓ લાગેલી
છે પરંતુ કોઈ-કોઈ બાળકોની સ્પષ્ટ રેખાઓ છે અને કોઈ-કોઈ બાળકોની સ્પષ્ટ રેખાઓ નથી.
જ્યાર થી ભગવાન બાપનાં બન્યાં, ભગવાન અર્થાત્ ભાગ્ય વિધાતા. ભગવાન અર્થાત્ દાતા
વિધાતા એટલે બાળક બનવાથી ભાગ્ય નો અધિકાર અર્થાત્ વારસો બધાં બાળકોને અવશ્ય પ્રાપ્ત
થાય છે, પરંતુ તે મળેલાં વારસાને જીવનમાં ધારણ કરવો, સેવામાં લગાવીને શ્રેષ્ઠ બનાવવો,
સ્પષ્ટ બનાવવો આમાં નંબરવાર છે કારણકે આ ભાગ્ય જેટલું સ્વયં પ્રતિ કે સેવા પ્રતિ
કાર્યમાં લગાડો છો તેટલું વધે છે અર્થાત્ રેખા સ્પષ્ટ થાય છે. બાપ એક છે અને આપે પણ
બધાને એક જેવું જ છે. બાપ નંબરવાર ભાગ્ય નથી વહેંચતા પરંતુ ભાગ્ય બનાવવાવાળા અર્થાત્
ભાગ્યવાન બનવાવાળા આટલાં મોટા ભાગ્યને પ્રાપ્ત કરવામાં યથાશક્તિ હોવાનાં કારણે
નંબરવાર થઈ જાય છે એટલે કોઈની રેખા સ્પષ્ટ છે, કોઈની સ્પષ્ટ નથી. સ્પષ્ટ રેખાવાળા
બાળકો સ્વયં પણ દરેક કર્મમાં પોતાને ભાગ્યવાન અનુભવ કરે છે. સાથે-સાથે તેમનાં ચહેરા
અને ચલન થી ભાગ્ય બીજાઓને પણ અનુભવ થાય છે. બીજા પણ આવાં ભાગ્યવાન બાળકોને જોઈ
વિચારે અને કહે કે આ આત્માઓ ખુબ ભાગ્યવાન છે. આમનું ભાગ્ય સદા શ્રેષ્ઠ છે. સ્વયં
સ્વયંથી પૂછો દરેક કર્મમાં પોતાને ભગવાનનાં બાળકો ભાગ્યવાન અનુભવ કરો છો? ભાગ્ય
તમારો વારસો છે. વારસો ક્યારેય પ્રાપ્ત ન થાય, આ થઇ નથી શકતું. ભાગ્યને વારસાનાં
રુપમાં અનુભવ કરો છો? કે મહેનત કરવી પડે છે? વારસો સહજ પ્રાપ્ત થાય છે. મહેનત નહિ.
લૌકિકમાં પણ બાપનાં ખજાનાં પર, વારસા પર બાળકનો સ્વત: અધિકાર હોય છે. અને નશો રહે
છે કે બાપનો વારસો મળેલો છે. આવાં ભાગ્યનો નશો છે કે ચઢતો અને ઊતરતો રહે છે? અવિનાશી
વારસો છે તો કેટલો નશો હોવો જોઈએ. એક જન્મ તો શું અનેક જન્મોનું ભાગ્ય જન્મસિદ્ધ
અધિકાર છે. એવું ફલક થી વર્ણન કરો છો. સદા ભાગ્ય ની ઝલક પ્રત્યક્ષ રુપમાં બીજાઓને
દેખાય. ફલક અને ઝલક બંને છે? મર્જ (સુષુપ્ત) રુપમાં છે કે ઈમર્જ (જાગૃત) રુપમાં છે?
ભાગ્યવાન આત્માઓની નિશાની - ભાગ્યવાન આત્મા સદા ભલે ખોળામાં ઉછરે, ભલે ગાલીચા પર
ચાલે, હિંચકા માં હિંડોળે, માટીમાં પગ નથી રાખતી, ક્યારેય પગ મેલા નથી થતાં. તે લોકો
ગાલીચા પર ચાલે અને તમે બુદ્ધિ રુપી પગ થી સદા ફર્શ (જમીન) નાં બદલે ફરીશ્તા ની
દુનિયામાં રહો. આ જૂની માટીની દુનિયામાં બુદ્ધિ રુપી પગ નથી રાખતાં અર્થાત્ બુદ્ધિ
મેલી નથી કરતાં. ભાગ્યવાન માટીનાં રમકડાં થી નહીં રમે. સદા રત્નો થી રમે છે.
ભાગ્યવાન સદા સમ્પન્ન રહે એટલે ઈચ્છા માત્રમ અવિદ્યા, એ જ સ્થિતિમાં રહે છે.
ભાગ્યવાન આત્મા સદા મહાદાની પુણ્ય આત્મા બની બીજાનું પણ ભાગ્ય બનાવતાં રહે છે.
ભાગ્યવાન આત્મા સદા તાજ, તખ્ત અને તિલકધારી રહે છે. ભાગ્યવાન આત્મા જેટલી જ ભાગ્ય
અધિકારી એટલી જ ત્યાગધારી આત્મા હોય છે. ભાગ્યની નિશાની ત્યાગ છે. ત્યાગ ભાગ્યને
સ્પષ્ટ કરે છે. ભાગ્યવાન આત્મા, સદા ભગવાન સમાન નિરાકારી, નિરંહકારી અને નિર્વિકારી
આ ત્રણેય વિશેષતાઓ થી ભરપૂર હોય છે. આ બધી નિશાનીઓ સ્વયંમાં અનુભવ કરો છો? ભાગ્યવાન
ની લીસ્ટ (યાદી) માં તો છો જ ને. પરંતુ યથાશક્તિ છો કે સર્વશક્તિવાન છો? માસ્ટર તો
છો ને? બાપની મહિમા માં ક્યારેય યથા શક્તિવાન કે નંબરવાર નથી કહેવાતું સદા
સર્વશક્તિવાન કહે છે. માસ્ટર સર્વશક્તિમાન પછી યથાશક્તિ કેમ? સદા શક્તિવાન. યથા
શબ્દને બદલી સદા શક્તિવાન બનો અને બનાવો. સમજયાં.
કયા જોન આવ્યાં છે? બધાં વરદાન ભૂમિમાં પહોંચી વરદાનો ની ઝોલી ભરી રહ્યા છો ને.
વરદાન ભૂમિ નાં એક-એક ચરિત્રમાં, કર્મમાં વિશેષ વરદાન ભરેલાં છે. યજ્ઞ ભૂમિમાં આવીને
ભલે શાક સમારો છો, અનાજ સાફ કરો છો, એમાં પણ યજ્ઞ સેવાનું વરદાન ભરેલું છે. જેમ
યાત્રા પર જાય છે, મંદિરની સફાઈ કરવી પણ એક મોટું પુણ્ય સમજે છે. આ મહાતીર્થ કે
વરદાન ભૂમિ નાં દરેક કર્મમાં દરેક કદમ માં વરદાન જ વરદાન ભરેલાં છે. કેટલી ઝોલી ભરી
છે? પુરી ઝોલી ભરીને જશો કે યથાશક્તિ? જે પણ જ્યાંથી પણ આવ્યા છો, મેળો મનાવવા આવ્યા
છો. મધુબનમાં એક સંકલ્પ પણ અથવા એક સેકન્ડ પણ વ્યર્થ ન જાય. સમર્થ બનવાનો આ અભ્યાસ
પોતાનાં સ્થાન પર પણ સહયોગ આપશે. ભણતર અને પરિવાર - ભણતર નો પણ લાભ લેવો અને પરિવાર
નો પણ વિશેષ અનુભવ કરવો. સમજ્યા!
બાપદાદા બધાં જોનવાળા ને સદા વરદાની, મહાદાની બનવાની મુબારક આપી રહ્યાં છે. લોકોનો
ઉત્સવ સમાપ્ત થયો પરંતુ તમારો ઉત્સાહ ભરેલો ઉત્સવ સદા છે. સદા મોટો દિવસ છે એટલે
દરેક દિવસ મુબારક જ મુબારક છે. મહારાષ્ટ્ર સદા મહાન બની મહાન બનાવવાનાં વરદાનો થી
ઝોલી ભરવાવાળા છે. કર્ણાટક વાળા સદા પોતાનાં હર્ષિત મુખ દ્વારા સ્વયં પણ સદા હર્ષિત
અને બીજાને પણ સદા હર્ષિત બનાવતાં, ઝોલી ભરતા રહેજો. યુ.પી.વાળા શું કરશે? સદા શીતળ
નદીઓનાં સમાન શીતળતા નું વરદાન આપી શીતળા દેવીઓ બની શીતળા દેવી બનાવો. શીતળતા થી સદા
સર્વનાં બધાં પ્રકારનાં દુઃખ દૂર કરો. આવાં વરદાનો થી ઝોલી ભરો. અચ્છા!
સદા શ્રેષ્ઠ ભાગ્યનાં સ્પષ્ટ રેખાધારી, સદા બાપ સમાન સર્વ શક્તિઓ સંપન્ન, સંપૂર્ણ
સ્થિતિમાં સ્થિત રહેવાવાળા, સદા ઈશ્વરીય ઝલક અને ભાગ્ય ની ફલકમાં રહેવાવાળા, દરેક
કર્મ દ્વારા ભાગ્યવાન બની ભાગ્યનો વારસો અપાવવા વાળા એવાં માસ્ટર ભગવાન શ્રેષ્ઠ
ભાગ્યવાન બાળકોને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
મોટી દાદીઓ થી
અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
આદિ થી હમણાં સુધી જે દરેક કાર્યમાં સાથે ચાલતા આવી રહ્યાં છે, તેમની આ વિશેષતા છે
- જેમ બ્રહ્મા બાપ દરેક કદમમાં અનુભવી બની અનુભવ ની ઓથોરિટી (સત્તા) થી વિશ્વનાં
રાજ્યની ઓથોરિટી લે છે એમ જ આપ સહુની લાંબાકાળ થી દરેક પ્રકારનાં અનુભવની ઓથોરિટી
નાં કારણે લાંબાકાળ નાં રાજ્યની ઓથોરિટી માં પણ સાથી બનવાવાળા છો. જેમણે આદિ થી
સંકલ્પ કર્યો - જ્યાં બેસાડશો, જેમ ચલાવશો એમ ચાલીને સાથે ચાલશું. તો સાથે ચાલવાનો
પહેલો વાયદો બાપદાદાએ નિભાવવો જ પડશે. બ્રહ્મા બાપનાં પણ સાથે રહેવાવાળા છો. રાજ્યમાં
પણ સાથે રહેશો, ભક્તિમાં પણ સાથે રહેશો. જેટલો હમણાં બુદ્ધિ થી સદાનો સાથ રહે છે એજ
હિસાબ થી રાજ્યમાં પણ સદા સાથ છે. જો હમણાં થોડા-પણ દૂર તો કોઈક જન્મ માં દૂરનાં થઈ
જશો, કોઈક જન્મ માં નજદીક નાં. પરંતુ જે સદા જ બુદ્ધિથી સાથે રહે છે તેઓ ત્યાં પણ
સાથે રહેશે. સાકાર માં તો તમે બધાં ૧૪ વર્ષ સાથે રહ્યાં, સંગમયુગ નાં ૧૪ વર્ષ કેટલા
વર્ષોનાં સમાન થઈ ગયાં. સંગમયુગ નો આટલો સમય સાકાર રુપમાં સાથે રહ્યા છો, આ પણ બહુજ
મોટું ભાગ્ય છે. પછી બુદ્ધિથી પણ સાથે છો, ઘરમાં પણ સાથે હશો, રાજ્યમાં પણ સાથે હશો.
ભલે તખ્ત પર થોડા બેસે છે પરંતુ રોયલ ફેમિલી નાં નજીક સંબંધમાં, આખા દિવસની
દિનચર્યામાં સાથે રહેવામાં પાર્ટ જરુર ભજવે છે. તો આ આદિથી સાથે રહેવાનો વાયદો આખું
કલ્પ જ ચાલતો રહેશે. ભક્તિમાં પણ ઘણો સમય સાથે રહેશે. આ પાછળનાં જન્મ માં થોડાક કોઈ
દૂર, કોઈ નજીક પરંતુ તો પણ સાથ આખું કલ્પ કોઈ ન કોઈ રુપથી રહે છે. એવો વાયદો છે ને!
એટલે આપ સર્વને બધાં કઈ નજરથી જુએ છે! બાપનાં રુપ છો. આને જ ભક્તિમાં તેમણે કહ્યું
છે - આ બધાં ભગવાન નાં રુપ છે! કારણ કે બાપ સમાન બનો છો ને! તમારાં રુપથી બાપ દેખાય
છે એટલે બાપનું રુપ કહી દે છે. જે બાપની સાથે રહેવા વાળા છે એમની આજ વિશેષતા હશે,
એમને જોઈને બાપ યાદ આવશે, એમને નહીં યાદ કરશે પરંતુ બાપને યાદ કરશે. એમનાંથી બાપનાં
ચરિત્ર, બાપની દૃષ્ટિ, બાપનાં કર્મ, બધું અનુભવ થશે. તેઓ સ્વયં નહી દેખાશે. પરંતુ
એમનાં દ્વારા બાપનાં કર્મ કે દૃષ્ટિ અનુભવ થશે. આજ વિશેષતા છે અનન્ય, સમાન બાળકોની.
બધાં એવા છો ને! તમારાં માં તો નથી ફસાતાં ને! એવું તો નથી કહેતાં ફલાણી બહુ સારી
છે, નહિ બાપએ એમને સારા બનાવ્યા છે. બાપની દૃષ્ટિ, બાપની પાલના આમનાં થી મળે છે.
બાપનાં મહાવાક્ય આમનાં થી સાંભળે છે. આ વિશેષતા છે. આને કહેવાય છે - પ્યારા પણ પરંતુ
ન્યારા પણ. પ્યારા ભલે બધાનાં છો પરંતુ ફસાવવા વાળા નથી. બાપનાં બદલે તમને યાદ ન કરે.
બાપની શક્તિ લેવા માટે બાપનાં મહાવાક્ય સાંભળવા માટે તમને યાદ કરે. આને કહે છે-
“પ્યારા પણ અને ન્યારા પણ.” આવું ગ્રુપ છો ને! કોઈ તો વિશેષતા હશે ને જે સાકાર ની
પાલના લીધી છે - વિશેષતા તો હશે ને. તમારાં લોકો પાસે આવશે તો શું પૂછશે - બાપ શું
કરતાં હતાં, કેવી રીતે ચાલતાં હતાં….. આજ યાદ આવશે ને! આવી વિશેષ આત્માઓ છો. આને કહે
છે - ડિવાઈન યુનિટી (દિવ્ય એકતા). ડિવાઇન ની સ્મૃતિ અપાવી ડિવાઇન બનાવે, એટલે
ડિવાઇન યુનિટી. ૫૦ વર્ષ અવિનાશી રહ્યા છો તો અવિનાશી ભવ ની મુબારક છે. કેટલાંક આવ્યા
કેટલા ચક્ર લગાવવા ગયાં. તમે લોકો તો અનાદિ અવિનાશી થઈ ગયાં. અનાદિમાં પણ સાથે,
આદિમાં પણ સાથે. વતનમાં પણ સાથે રહેશો તો સેવા કેવી રીતે કરશો! તમે તો થોડોક આરામ
પણ કરો છો, બાપને આરામની પણ આવશ્યકતા નથી. બાપદાદા આનાથી પણ છૂટી ગયાં. અવ્યક્તને
આરામની આવશ્યકતા નથી. વ્યક્તને આવશ્યકતા છે. આમાં આપ સમાન બનાવો તો કામ ખતમ થઈ જાય.
છતાં પણ જુઓ જ્યારે કોઈ સેવાની તક બને છે તો બાપ સમાન અથક બની જાઓ છો. પછી થાકતાં
નથી. અચ્છા!
દાદીજી થી :- બાળપણ થી બાપએ તાજધારી બનાવ્યાં છે. આવતાં જ સેવાની જવાબદારી નો તાજ
પહેરાવ્યો અને સમય પ્રતિ સમય જે પણ પાર્ટ ચાલ્યો - ભલે ગરીબી નો પાર્ટ ચાલ્યો, ભલે
મોજનો પાર્ટ ચાલ્યો, બધાં પાર્ટમાં જવાબદારીનો તાજ ડ્રામા અનુસાર ધારણ કરતી આવી છો
એટલે અવ્યક્ત પાર્ટમાં પણ તાજધારી નિમિત્ત બની ગઈ. તો આ વિશેષ આદિથી પાર્ટ છે. સદા
જવાબદારી નિભાવવા વાળી. જેમ બાપ જવાબદાર છે તો જવાબદારીનાં તાજધારી બનવાનો વિશેષ
પાર્ટ છે એટલે અંતમાં પણ દૃષ્ટિ દ્વારા તાજ, તિલક બધું આપીને ગયાં એટલે તમારું જે
યાદગાર છે ને એમાં તાજ જરુર હશે. જેમ કૃષ્ણને બાળપણ થી તાજ દેખાડે છે તો યાદગાર માં
પણ બાળપણથી તાજધારી રુપથી પૂજે છે. બીજા બધાં સાથી છે પરંતુ તમે તાજધારી છો. સાથ તો
બધાં નિભાવે પરંતુ સમાન રુપમાં સાથ નિભાવવો આમાં અંતર છે.
પાર્ટીઓથી
અવ્યક્ત બાપદાદાની મુલાકાત
કુમારોથી :- કુમાર અર્થાત્ નિર્બંધન. સૌથી મોટું બંધન મનનાં વ્યર્થ સંકલ્પોનું છે.
આમાં પણ નિર્બંધન. ક્યારેક-ક્યારેક આ બંધન બાંધી તો નથી લેતું? કારણકે સંકલ્પ શક્તિ
દરેક કદમમાં કમાણી નો આધાર છે. યાદ ની યાત્રા કયા આધાર થી કરો છો? સંકલ્પ શક્તિનાં
આધાર થી બાબાની પાસે પહોંચો છો ને! અશરીરી બની જાઓ છો. તો મનની શક્તિ વિશેષ છે.
વ્યર્થ સંકલ્પ મનની શક્તિને કમજોર કરી દે છે એટલે આ બંધન થી મુક્ત. કુમાર અર્થાત્
સદા તીવ્ર પુરુષાર્થી કારણકે જે નિર્બંધન હશે તેમની ગતિ સ્વત: તીવ્ર હશે. બોજ વાળા
ધીમી ગતિથી ચાલશે. હલકા સદા તીવ્રગતિથી ચાલશે. હમણાં સમયનાં પ્રમાણે પુરુષાર્થનો
સમય ગયો. હવે તીવ્ર પુરુષાર્થી બની મંઝિલ પર પહોંચવાનું છે.
૨. કુમારોએ જૂનાં વ્યર્થનાં ખાતાને સમાપ્ત કરી લીધું છે? નવું ખાતુ સમર્થ ખાતુ છે.
જુનું ખાતુ વ્યર્થ છે. તો જુનું ખાતુ ખતમ થયું. આમ પણ જુઓ વ્યવહારમાં ક્યારેય જુનું
ખાતુ રાખવામાં નથી આવતું. જૂનાં ને સમાપ્ત કરી આગળ ખાતાને વધારતાં રહો છો. તો અહીં
પણ જૂનાં ખાતાને સમાપ્ત કરી સદા નવાં થી નવું દરેક કદમમાં સમર્થ હોય. દરેક સંકલ્પ
સમર્થ હોય. જેવાં બાપ તેવાં બાળકો. બાપ સમર્થ છે તો બાળકો પણ ફોલો ફાધર (બાપ નું
અનુકરણ) કરી સમર્થ બની જાય છે.
માતાઓથી :- માતાઓ કયા એક ગુણમાં વિશેષ અનુભવી છે? તે વિશેષ ગુણ કયો? (ત્યાગ છે,
સહનશીલતા છે) બીજો પણ કોઈ ગુણ છે? માતાઓનું સવરુપ વિશેષ રહેમદિલનું હોય છે. માતાઓ
રહેમદિલ હોય છે. આપ બેહદની માતાઓને બેહદની આત્માઓ પ્રતિ રહેમ આવે છે? જ્યારે રહેમ
આવે છે તો શું કરે છે? જે રહેમદિલ હોય છે તે સેવાનાં સિવાય રહી નથી શકતાં. જ્યારે
રહેમદિલ બનો છો તો અનેક આત્માઓનું કલ્યાણ થઈ જ જાય છે એટલે માતાઓને કલ્યાણી પણ કહે
છે. કલ્યાણી અર્થાત્ કલ્યાણ કરવા વાળી. જેમ બાપને વિશ્વ કલ્યાણકારી કહે છે એમ
માતાઓને વિશેષ બાપ સમાન કલ્યાણીનું શીર્ષક મળેલું છે. આવો ઉમંગ આવે છે! શું થી શું
બની ગયાં! સ્વનાં પરિવર્તનથી બીજાઓ માટે પણ ઉમંગ-ઉત્સાહ આવે છે. હદની અને બેહદની
સેવાનું બેલેન્સ (સંતુલન) છે? તે સેવાથી તો હિસાબ ચૂકતું થાય છે, તે હદની સેવા છે.
તમે તો બેહદનાં સેવાધારી છો .જેટલો સેવાનો ઉમંગ-ઉત્સાહ સ્વયંમાં હશે એટલી સફળતા થશે.
૨. માતાઓ પોતાનાં ત્યાગ અને તપસ્યા દ્વારા વિશ્વનું કલ્યાણ કરવાનાં નિમિત્ત બનેલી
છે. માતાઓમાં ત્યાગ અને તપસ્યાની વિશેષતા છે. આ બંને વિશેષતાઓથી સેવાનાં નિમિત્ત બની
બીજાને પણ બાપનાં બનાવવાં, એમાં જ બીઝી (વ્યસ્ત) રહો છો? સંગમયુગી બ્રાહ્મણોનું કામ
જ છે સેવા કરવી. બ્રાહ્મણ સેવાનાં વગર રહી નથી સકતા. જેમ નામધારી બ્રાહ્મણ કથા જરુર
કરશે. તો અહીં પણ કથા કરવી અર્થાત્ સેવા કરવી. તો જગતમાતા બની જગતનાં માટે વિચારો.
બેહદનાં બાળકો માટે વિચારો. ફકત ઘરમાં જ નહિ બેસી જાઓ, બેહદનાં સેવાધારી બની સદા
આગળ વધતાં ચાલો. હદમાં ૬૩ જન્મ થઈ ગયાં, હવે બેહદ સેવામાં આગળ વધો.
વિદાયનાં સમયે
બધાં બાળકો ને યાદ પ્યાર
બધી બાજુનાં સ્નેહી સહયોગી બાળકોને બાપદાદાનો વિશેષ સ્નેહ અને સંપન્ન યાદપ્યાર
સ્વીકાર થાય. આજે બાપદાદા બધાં બાળકોને સદા નિર્વિઘ્ન બની, વિઘ્ન વિનાશક બની વિશ્વને
નિર્વિઘ્ન બનાવવાનાં કાર્યની શુભેચ્છા આપી રહ્યાં છે. દરેક બાળક આજ શ્રેષ્ઠ સંકલ્પ
કરે છે કે સેવામાં સદા આગળ વધીએ, આ શ્રેષ્ઠ સંકલ્પ સેવામાં સદા આગળ વધારી રહયો છે
અને વધારતો રહેશે. સેવાની સાથે-સાથે સ્વઉન્નતી અને સેવાની ઉન્નતિનું બેલેન્સ રાખી
આગળ વધતાં ચાલો તો બાપદાદા અને સર્વ આત્માઓ દ્વારા જેમનાં નિમિત્ત બનો છો, તેમનાં
દિલની દુવાઓ પ્રાપ્ત થતી રહેશે. તો સદા બેલેન્સ દ્વારા બ્લેસિંગ દુવા લઈને આગળ વધતાં
ચાલો. સ્વઉન્નતિ અને સેવાની ઉન્નતિ બંને સાથે-સાથે રહેવાથી સદા અને સહજ સફળતા
સ્વરુપ બની જશો. બધાં પોત-પોતાનાં નામથી વિશેષ યાદપ્યાર સ્વીકાર કરજો. અચ્છા! ઓમ
શાંતિ.
વરદાન :-
સૌને ખુશ ખબરી
સંભળાવવા વાળા ખુશીનાં ખજાનાથી ભરપૂર ભંડાર ભવ
સદા સ્વયંનાં આ સ્વરુપને સામે રાખો કે અમે ખુશીનાં ખજાનાથી ભરપૂર ભંડાર છીએં. જે પણ
અગણિત અને અવિનાશી ખજાનાં મળ્યા છે એ ખજાનાને સ્મૃતિમાં લાવો. ખજાનાને સ્મૃતિમાં
લાવવાથી ખુશી થશે અને જ્યાં ખુશી છે ત્યાં સદાકાળ માટે દુઃખ દૂર થઈ જાય છે. ખજાનાની
સ્મૃતિ થી આત્મા સમર્થ બની જાય છે, વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. ભરપૂર આત્મા ક્યારેય
હલચલમાં નથી આવતી, તે સ્વયં પણ ખુશ રહે અને બીજાને પણ ખુશખબરી સંભળાવે છે.
સ્લોગન :-
યોગ્ય બનવું
છે તો કર્મ અને યોગનું બેલેન્સ રાખો.