24-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
અશરીરી બની જ્યારે બાપને યાદ કરો છો તો તમારાં માટે આ દુનિયા જ ખતમ થઈ જાય છે , દેહ
અને દુનિયા ભુલાયેલી છે ”
પ્રશ્ન :-
બાપ દ્વારા બધાં
બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર શાં માટે મળ્યું છે?
ઉત્તર :-
સ્વયંને આત્મા સમજી, બાપ જે છે જેવાં છે, એજ રુપમાં યાદ કરવાનાં માટે ત્રીજું નેત્ર
મળ્યું છે. પરંતુ આ ત્રીજું નેત્ર કામ ત્યારે કરે છે જ્યારે પુરા યોગયુક્ત રહે
અર્થાત્ એક બાપથી સાચ્ચી પ્રીત હોય. કોઈનાં નામ-રુપમાં લટકેલા ન હોય. માયા પ્રીત
રાખવામાં જ વિઘ્ન નાખે છે. આમાં જ બાળકો ધોકો (છેતરાઈ) ખાય છે.
ગીત :-
મરના તેરી ગલી
મેં …..
ઓમ શાંતિ!
સિવાય આપ
બ્રાહ્મણ બાળકોનાં આ ગીતનો અર્થ કોઈ સમજી ન શકે. જેમ વેદ-શાસ્ત્ર વગેરે બનાવ્યાં છે
પરંતુ જે કંઈ વાંચે છે એનો અર્થ નથી સમજી શકતાં એટલે બાપ કહે છે હું બ્રહ્મા મુખ
દ્વારા બધાં વેદો-શાસ્ત્રોનો સાર સમજાવું છું, એવી રીતે જ આ ગીતોનો અર્થ પણ કોઈ સમજી
નથી શકતું, બાપ જ આનો અર્થ બતાવે છે. આત્મા જ્યારે શરીરથી ન્યારી થઈ જાય છે તો
દુનિયાથી બધાં સંબંધ તૂટી જાય છે. ગીત પણ કહે છે સ્વયંને આત્મા સમજી અશરીરી બની
બાપને યાદ કરો તો આ દુનિયા ખતમ થઇ જાય છે. આ શરીર આ પૃથ્વી પર છે, આત્મા આમાંથી
નીકળી જાય છે તો પછી તે સમયે તેમનાં માટે મનુષ્ય સૃષ્ટિ છે જ નહિ. આત્મા નગ્ન બની
જાય છે. પછી જ્યારે શરીરમાં આવે છે તો પાર્ટ શરુ થાય છે. પછી એક શરીર છોડી બીજામાં
જઈને પ્રવેશ કરે છે. પાછાં મહતત્વમાં નથી જવાનું. ઉડીને બીજા શરીરમાં જાય છે. અહીંયા
આ આકાશ તત્વમાં જ એમને પાર્ટ ભજવવાનો છે. મૂળવતનમાં નથી જવાનું. જ્યારે શરીર છોડે
છે તો ન આ કર્મબંધન, ન તે કર્મબંધન રહે છે. શરીર થી જ અલગ થઈ જાય છે ને. પછી બીજું
શરીર લે છે તો આ કર્મબંધન શરુ થાય છે. આ વાતો સિવાય તમારા બીજું કોઈ મનુષ્ય નથી
જાણતું. બાપ એ સમજાવ્યું છે બધાં બિલ્કુલ બેસમજ છે. પરંતુ એવું કોઈ સમજે થોડી છે.
પોતાને કેટલા અકક્લમંદ સમજે છે, પીસ પ્રાઈઝ (શાંતિની ભેટ) આપતા રહે છે. આ પણ તમે
બ્રાહ્મણ કુલ ભૂષણ સારી રીતે સમજાવી શકો છો. તેઓ તો જાણતાં જ નથી શાંતિ કોને કહેવાય
છે? કોઈ તો મહાત્માઓની પાસે જાય છે કે મનની શાંતિ કેવી રીતે થાય? આ તો કહે છે
વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? એવું નહીં કહેશે કે નિરાકારી દુનિયામાં શાંતિ કેવી
રીતે થાય? એ તો છે જ શાંતિધામ. આપણે આત્માઓ શાંતિધામમાં રહીએ છીએ પરંતુ આ તો મનની
શાંતિ કહે છે. તેઓ જાણતા નથી કે શાંતિ કેવી રીતે મળશે? શાંતિધામ તો આપણું ઘર છે.
અહીંયા શાંતિ કેવી રીતે મળી શકે? હાં, સતયુગમાં સુખ, શાંતિ, સંપત્તિ બધું છે, જેની
સ્થાપના બાપ કરે છે. અહીંયા તો કેટલી અશાંતિ છે. આ બધું હવે આપ બાળકો જ સમજો છો.
સુખ, શાંતિ, સંપત્તિ ભારતમાં જ હતી. એ વારસો હતો બાપનો અને દુઃખ, અશાંતિ, કંગાળપણું,
આ વારસો છે રાવણનો. આ બધી વાતો બેહદનાં બાપ બેસી બાળકોને સમજાવે છે. બાપ પરમધામમાં
રહેવાવાળા નોલેજફુલ છે, જે સુખધામનો આપણને વારસો આપે છે. એ આપણને આત્માઓને સમજાવી
રહ્યા છે. આ તો જાણો છો નોલેજ હોય છે આત્મામાં. એમને જ જ્ઞાનનાં સાગર કહેવાય છે. એ
જ્ઞાનનાં સાગર આ શરીર દ્વારા દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવે છે. દુનિયાની આયું
(વર્ષ) તો હોવી જોઈએ ને. દુનિયા તો છે જ. ફક્ત નવી દુનિયા અને જૂની દુનિયા કહેવાય
છે. આ પણ મનુષ્યોને ખબર નથી. નવી દુનિયા થી જૂની દુનિયા થવામાં કેટલો સમય લાગે છે?
આપ બાળકો જાણો છો કળયુગનાં પછી સતયુગ જરુર આવવાનું છે એટલે કળયુગ અને સતયુગ નાં
સંગમ પર બાપને આવવું પડે છે. આ પણ તમે જાણો છો પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા નવી
દુનિયાની સ્થાપના, શંકર દ્વારા વિનાશ કરાવે છે. ત્રિમૂર્તિ નો અર્થ જ આ છે - સ્થાપના,
વિનાશ, પાલના. આ તો કોમન (સાધારણ) વાત છે. પરંતુ આ વાતો આપ બાળકો ભૂલી જાઓ છો. નહીં
તો તમને ખુશી બહુજ રહે. નિરંતર યાદ રહેવી જોઈએ. બાબા આપણને હવે નવી દુનિયાનાં માટે
લાયક બનાવી રહ્યા છે. તમે ભારતવાસી જ લાયક બનો છો, બીજું કોઈ નહીં. હાં, જે
બીજા-બીજા ધર્મમાં કન્વર્ટ(ભળી) થઈ ગયા છે, તે આવી શકે છે. પછી આમાં કન્વર્ટ થઇ જશે,
જેમ તેમાં થયા હતાં. આ બધું નોલેજ તમારી બુદ્ધિમાં છે. મનુષ્યોને સમજાવવાનું છે આ
જુની દુનિયા હવે બદલાય છે. મહાભારત લડાઈ પણ જરુર લાગવાની છે. આ સમયે જ બાબા આવીને
રાજ્યોગ શીખવાડે છે. જે રાજ્યોગ શીખે છે, તેઓ નવી દુનિયામાં ચાલ્યાં જશે. તમે બધાને
સમજાવી શકો છો કે ઊંચેથી ઊંચા છે ભગવાન, પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી આવો અહીં,
મુખ્ય છે જગતઅંબા, જગતપિતા. બાપ આવે પણ અહિયાં છે બ્રહ્માનાં તનમાં, પ્રજાપિતા
બ્રહ્મા તો અહીંયા છે ને. બ્રહ્મા દ્વારા સ્થાપના સૂક્ષ્મવતન માં તો નહીં થશે ને.
અહીં જ થાય છે. આ વ્યક્ત થી અવ્યક્ત બની જાય છે. આ રાજયોગ શીખી પછી વિષ્ણુનાં બે
રુપ બને છે. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજવી જોઈએ ને. મનુષ્ય જ સમજશે. દુનિયાનાં
માલિક જ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવી શકે છે. એ નોલેજફુલ, પુનર્જન્મ રહિત છે.
આ નોલેજ કોઈની બુદ્ધિમાં નથી. પારખવાની પણ બુદ્ધિ જોઈએ ને. કંઈ બુદ્ધિમાં બેસે છે
કે એમ જ છે, નાડી જોવી જોઈએ. એક અજમલ ખાન નામીગ્રામી વૈદ્ય થઈને ગયા છે. કહે છે જોતાં
જ તેમને બીમારીની ખબર પડી જતી હતી. હવે આપ બાળકોએ પણ સમજવું જોઈએ કે આ લાયક છે કે
નહીં?
બાપ એ બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે, જેનાંથી તમે સ્વયંને આત્મા સમજી,
બાપ જે છે, જેવાં છે, એમને એજ રુપમાં યાદ કરો છો. પરંતુ એવી બુદ્ધિ તેમની હશે જે
પુરા યોગયુક્ત હશે, જેમની બાપથી પ્રીત બુદ્ધિ હશે. બધાં તો નથી ને. એક-બીજાનાં નામ
રુપમાં લટકી પડે છે. બાપ કહે છે પ્રીત તો મારી સાથે લગાવો ને. માયા એવી છે જે પ્રીત
રાખવા નથી દેતી. માયા પણ જુએ છે મારાં ગ્રાહક જાય છે તો એકદમ નાક-કાન થી પકડી લે
છે. પછી જ્યારે છેતરાઈ જાય છે ત્યારે સમજે છે માયાથી છેતરાઈ ગયા. માયાજીત, જગતજીત
બની નહી શકે, ઊંચું પદ પામી નહી શકશે. આમાં જ મહેનત છે. શ્રીમત કહે છે મામેકમ યાદ
કરો તો તમારી જે પતિત બુદ્ધિ છે તે પાવન બની જશે. પરંતુ ઘણાંને બહું મુશ્કિલ લાગે
છે. આમાં વિષય એક જ છે અલ્ફ અને બે. બસ, બે અક્ષર પણ યાદ નથી કરી શકતાં! બાબા કહે
અલ્ફને યાદ કરો પછી પોતાની દેહને, બીજાનાં દેહને યાદ કરતાં રહે છે. બાબા કહે છે
દેહને જોતાં તમે મને યાદ કરો. આત્માને હવે ત્રીજું નેત્ર મળ્યું છે મને જોવા-સમજવાનું,
એનાથી કામ લો. આપ બાળકો હવે ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બનો છો. પરંતુ ત્રિકાળદર્શી
પણ નંબરવાર છે. નોલેજ ધારણ કરવું કોઈ મુશ્કેલ નથી. ખુબ જ સારું સમજે છે પરંતુ યોગબળ
ઓછું છે, દેહી-અભિમાની પણું ઘણું ઓછું છે. થોડી વાતમાં ક્રોધ, ગુસ્સો આવી જાય છે,
નીચે પડતા રહે છે. ઊઠે છે, પડે છે. આજે ઊઠે કાલે પાછાં પડી જાય છે. દેહ-અભિમાન
મુખ્ય છે પછી બીજા વિકાર લોભ, મોહ વગેરેમાં ફસાઇ જાય છે. દેહમાં પણ મોહ રહે છે ને.
માતાઓમાં મોહ વધારે હોય છે. હવે બાપ તેનાથી છોડાવે છે. તમને બેહદનાં બાપ મળ્યાં છે
પછી મોહ કેમ રાખો છો? તે સમયે શકલ વાતચીત વાંદરા સમાન થઈ જાય છે. બાપ કહે છે -
નષ્ટોમોહા બની જાઓ, નિરંતર મને યાદ કરો. પાપોનો બોજો માથા પર બહુજ છે, તે કેવી રીતે
ઉતરે? પરંતુ માયા એવી છે, યાદ કરવા નહી દેશે. ભલે કેટલું પણ માથું મારો ઘડી-ઘડી
બુદ્ધિને ઉડાવી દે છે. કેટલી કોશિશ કરે છે અમે સૌથી પ્રિય બાબાની જ મહિમા કરતા રહીએ.
બાબા, બસ તમારી પાસે આવ્યાં કે આવ્યાં, પરંતુ પાછાં ભૂલી જાય છે. બુદ્ધિ બીજી તરફ
ચાલી જાય છે. આ નંબરવનમાં જવાવાળા પણ પુરુષાર્થી છે ને.
બાળકોની બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ કે અમે ગોડફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી)
છીએ. ગીતામાં પણ છે-ભગવાનુવાચ, હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. ફક્ત શિવનાં બદલે
કૃષ્ણનું નામ નાખી દીધું છે. હકીકતમાં શિવબાબાની જયંતી આખી દુનિયામાં મનાવવી જોઈએ.
શિવબાબા બધાને દુ:ખ થી છોડાવી ગાઈડ (માર્ગદર્શક) બની લઈ જાય છે. આ તો બધાં માને છે
કે એ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ છે. બધાનાં પતિત-પાવન બાપ છે, બધાને
શાંતિધામ-સુખધામમાં લઈ જવાવાળા છે તો એમની જયંતી કેમ નથી મનાવતાં? ભારતવાસી જ નથી
મનાવતા એટલે જ ભારતની આ દુર્ગતિ થઈ છે. મોત પણ દુર્ગતિ થી થાય છે. તેઓ તો બોમ્બસ એવાં
બનાવે છે, ગેસ નીકળે અને ખલાસ, જેમ ક્લોરોફોર્મ લાગી જાય. આ પણ તેમને બનાવવાનાં જ
છે. બંધ થવું અસંભવ છે. જેમ કલ્પ પહેલાં થયું હતું તે હવે પુનરાવર્તન થશે. આ મૂસળો
અને કુદરતી આપદાઓથી જૂની દુનિયાનો વિનાશ થયો હતો, તો હવે પણ થશે. વિનાશ નો સમય
જ્યારે હશે તો ડ્રામા પ્લાન અનુસાર એક્ટમાં આવી જ જશે. ડ્રામા વિનાશ જરુર કરાવશે.
લોહીની નદીઓ અહીંયા વહેશે. સિવિલવોર (ગૃહયુદ્ધ) માં એક-બીજાને મારી નાખે છે ને.
તમારામાં પણ થોડા જાણે છે કે આ દુનિયા બદલાઇ રહી છે. હવે આપણે જઈએ છે સુખધામ. તો
સદેવ જ્ઞાનનાં અતીન્દ્રિય સુખમાં રહેવું જોઈએ. જેટલું યાદમાં રહેશો એટલું સુખ વધતું
જશે. છી-છી દેહ થી નષ્ટોમોહા થતાં જશો. બાપ ફક્ત કહે છે અલ્ફ ને યાદ કરો તો બે
બાદશાહી તમારી છે. સેકન્ડમાં બાદશાહી, બાદશાહને બાળક થયું તો બાળક બાદશાહ બન્યો ને.
તો બાપ કહે છે મને યાદ કરતા રહો અને ચક્રને યાદ કરો તો ચક્રવર્તી મહારાજા બનશો એટલે
ગવાય છે સેકન્ડમાં જીવનમુક્તિ, સેકન્ડમાં બેગર ટુ પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર). કેટલું
સારું છે. તો શ્રીમત પર સારી રીતે ચાલવું જોઈએ. કદમ-કદમ પર સલાહ લેવાની હોય છે.
બાપ સમજાવે છે મીઠા બાળકો, ટ્રસ્ટી બનીને રહો તો મમત્વ મટી જશે. પરંતુ ટ્રસ્ટી બનવું
માસીનું ઘર નથી. આ સ્વયં ટ્રસ્ટી બને છે, બાળકોને પણ ટ્રસ્ટી બનાવે છે. આ કંઈ પણ લે
છે શું? કહે પણ છે તમે ટ્રસ્ટી થઈ સંભાળો. ટ્રસ્ટી બન્યા તો પછી મમત્વ મટી જાય છે.
કહે પણ છે ઈશ્વરનું બધું આપેલું છે. પછી કંઈ નુકસાન થાય છે કે કોઈ મરી જાય છે તો
બિમાર થઈ જાય છે. મળે છે તો ખુશી થાય છે. જયારે કહો છો ઈશ્વરનું આપેલું છે તો પછી
મરવા પર રડવાની શું દરકાર છે? પરંતુ માયા ઓછી નથી, માસીનું ઘર થોડી છે. આ સમયે બાપ
કહે છે તમે મને બોલાવ્યો છે કે આ પતિત દુનિયામાં અમે નથી રહેવા માગતાં, અમને પાવન
દુનિયામાં લઈ જાઓ, સાથે લઈ જાઓ પરંતુ તેનો અર્થ પણ સમજતાં નથી. પતિત-પાવન આવશે તો
જરુર શરીર ખતમ થશે ને, ત્યારે તો આત્માઓને લઈ જશે. તો આવાં બાપની સાથે પ્રીત બુદ્ધિ
હોવી જોઈએ. એક થી જ પ્રેમ રાખવાનો છે, તેમને જ યાદ કરવાનાં છે. માયાનાં તોફાન તો
આવશે. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન કરવાં જોઈએ. તે બેકાયદેસર થઈ જાય છે. બાપ કહે
છે હું આવીને આ શરીરનો આધાર લઉં છું. આ તેમનું શરીર છે ને. તમારે યાદ બાપને કરવાનાં
છે. તમે જાણો છો બ્રહ્મા પણ બાબા, શિવ પણ બાબા છે. વિષ્ણુ અને શંકરને બાબા નહી કહેશું.
શિવ છે નિરાકાર બાપ. પ્રજાપિતા બ્રહ્મા છે સાકારી બાપ. હવે તમે સાકાર દ્વારા
નિરાકાર બાપથી વારસો લઈ રહ્યા છો. દાદા આમનામાં પ્રવેશ કરે છે ત્યારે કહે છે દાદાનો
વારસો બાપ દ્વારા આપણે લઈએ છીએ. દાદા (ગ્રાન્ડફાધર) છે નિરાકાર, બાપ છે સાકાર. આ
વન્ડરફુલ નવી વાતો છે ને. ત્રિમૂર્તિ દેખાડે છે પરંતુ સમજતાં નથી. શિવને ઉડાવી દીધા
છે. બાપ કેટલી સારી-સારી વાતો સમજાવે છે તો ખુશી રહેવી જોઈએ - અમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
છીએં. બાબા આપણાં બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. હમણાં તમે દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી
બેહદનાં બાપથી સાંભળી રહ્યા છો પછી બીજાને સંભળાવો છો. આ ૫ હજાર વર્ષનું ચક્ર છે.
કોલેજનાં બાળકોને દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવવી જોઈએ. ૮૪ જન્મોની સીડી શું
છે, ભારતની ચઢતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે, આ સમજાવવાનું છે. સેકન્ડમાં
ભારત સ્વર્ગ બની જાય છે પછી ૮૪ જન્મોમાં ભારત નર્ક બને છે. આ તો બહુજ સહજ સમજવાની
વાત છે. ભારત ગોલ્ડન એજ (સતયુગ) થી આયરન એજ (કળયુગ) માં કેવી રીતે આવ્યું છે - આ તો
ભારતવાસીઓએ સમજાવવું જોઈએ. શિક્ષકોને પણ સમજાવવું જોઈએ. તે છે શારીરિક નોલેજ, આ છે
રુહાની નોલેજ. તે મનુષ્ય આપે છે, આ ગોડફાધર આપે છે. એ છે મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ,
તો એમની પાસે મનુષ્ય સૃષ્ટિનું જ નોલેજ હશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ છી-છી
દેહથી પૂરું નષ્ટોમોહા બની જ્ઞાનનાં અતીન્દ્રિય સુખમાં રહેવાનું છે. બુદ્ધિમાં રહે
હવે આ દુનિયા બદલાઇ રહી છે આપણે જઈએ છે પોતાનાં સુખધામ.
2. ટ્રસ્ટી બનીને બધું સંભાળતાં પોતાનું મમત્વ મટાવી દેવાનું છે. એક બાપથી સાચ્ચી
પ્રીત રાખવાની છે. કર્મેન્દ્રિયો થી ક્યારેય પણ કોઈ વિકર્મ નથી કરવાનું.
વરદાન :-
સર્વ
કર્મેન્દ્રિયોની આકર્ષણ થી પરે કમળ સમાન રહેવાવાળા દિવ્ય બુદ્ધિ અને દિવ્ય નેત્રનાં
વરદાની ભવ
બાપદાદા દ્વારા દરેક
બ્રાહ્મણ બાળકને જન્મ થતાં જ દિવ્ય સમર્થ બુદ્ધિ અને દિવ્ય નેત્રનું વરદાન મળ્યું
છે. જે બાળકો પોતાનાં જન્મદિવસની આ ભેટ સદા યથાર્થ રીતે ઉપયોગ કરે છે તેઓ કમળ
પુષ્પનાં સમાન શ્રેષ્ઠ સ્થિતિ નાં આસન પર સ્થિત રહે છે. કોઈ પણ પ્રકારનાં આકર્ષણ -
દેહનાં સંબંધ, દેહનાં પદાર્થ કે કોઈ પણ કર્મેન્દ્રિય તેમને આકર્ષિત નથી કરી શકતી.
તેઓ સર્વ આકર્ષણો થી પરે સદા હર્ષિત રહે છે. તેઓ સ્વયંને કળયુગી પતિત વિકારી આકર્ષણ
થી કિનારો થયેલા મહેસૂસ કરે છે.
સ્લોગન :-
જ્યારે ક્યાંય
પણ આસક્તિ નહીં હોય ત્યારે શક્તિ સ્વરુપ પ્રત્યક્ષ થાય.
અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવાનાં માટે વિશેષ અભ્યાસ
લગાવની
રસ્સીઓને (દોરીઓ) ચેક કરો. બુદ્ધિ ક્યાંય કાચાં દોરામાં પણ અટકેલી તો નથી ને? કોઈ
સૂક્ષ્મ બંધન પણ ન હોય, પોતાનાં દેહથી પણ લગાવ ન હોય-એવાં સ્વતંત્ર અર્થાત્ સ્પષ્ટ
બનવાનાં માટે બેહદનાં વૈરાગી બનો ત્યારે અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહી શકશો.