28-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
સ્વયંને સંગમયુગી બ્રાહ્મણ સમજો તો સતયુગી ઝાડ જોવામાં આવશે અને અપાર ખુશી માં રહેશો”
પ્રશ્ન :-
જે જ્ઞાનનાં
શોખીન બાળકો છે, તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
તેઓ આપસમાં જ્ઞાનની જ વાતો કરશે. ક્યારેય પરચિંતન નહીં કરશે. એકાંતમાં જઇને વિચાર
સાગર મંથન કરશે.
પ્રશ્ન :-
આ સૃષ્ટિ
નાટકનું કયું એવું રહસ્ય આપ બાળકો જ સમજો છો?
ઉત્તર :-
આ સૃષ્ટિમાં કોઈપણ ચીજ સદા કાયમ નથી રહેતી, સિવાય એક શિવબાબા નાં. જૂની દુનિયાની
આત્માઓને નવી દુનિયામાં લઈ જવાનાં માટે કોઈ તો જોઈએ, આ પણ નાટકનું રહસ્ય આપ બાળકો જ
સમજો છો.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ પુરુષોત્તમ સંગમયુગ પર આવવાવાળા બાપ સમજાવી રહ્યાં છે. આ તો બાળકો સમજે છે -
અમે બ્રાહ્મણ છીએં. સ્વયંને બ્રાહ્મણ સમજો છો કે આ પણ ભૂલી જાઓ છો? બ્રાહ્મણોને
પોતાનો કુળ નથી ભુલતો. તમને પણ આ જરુર યાદ રાખવું જોઈએ કે અમે બ્રાહ્મણ છીએ. એક વાત
યાદ રહે તો પણ બેડો પાર છે. સંગમ પર તમે નવી-નવી વાતો સાંભળો છો તો તેનું ચિંતન
ચાલવું જોઈએ, જેને વિચાર સાગર મંથન કહેવાય છે. તમે છો રુપ-વસંત. તમારી આત્મામાં બધું
જ્ઞાન ભરાય છે તો રત્ન નીકળવાં જોઈએ. સ્વયંને સમજાવવાનું છે અમે સંગમયુગી બ્રાહ્મણ
છીએં. કોઈ તો આ પણ સમજતાં નથી. જો સ્વયંને સંગમયુગી સમજે તો સતયુગનાં ઝાડ જોવામાં
આવે અને અથાહ ખુશી પણ રહે. બાપ જે સમજાવે છે તે અંદર રીપીટ (પુનરાવર્તન) થવું જોઈએ.
આપણે સંગમયુગ પર છીએં, આ પણ તમારા સિવાય બીજા કોઈને ખબર નથી. સંગમયુગ નું ભણતર સમય
પણ લે છે. આ એક જ ભણતર છે નર થી નારાયણ, નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાનું. આ યાદ
રહેવાથી પણ ખુશી રહેશે - આપણે તો દેવતા સ્વર્ગવાસી બની રહ્યા છીએં. સંગમયુગવાસી હશો
ત્યારે તો સ્વર્ગવાસી બનશો. પહેલાં નર્કવાસી હતાં તો બિલ્કુલ ગંદી અવસ્થા હતી, ગંદા
કામ કરતાં હતાં. હવે તે મટાડવાનું છે. મનુષ્ય થી દેવતા સ્વર્ગવાસી બનવાનું છે. કોઈની
સ્ત્રી મરી જાય છે, તમે પૂછો- તમારી યુગલ ક્યાં છે? કહેશે તે સ્વર્ગવાસી થઈ ગઈ.
સ્વર્ગ શું ચીજ છે, તે નથી જાણતાં. જો સ્વર્ગવાસી થઈ પછી તો ખુશ થવું જોઈએ ને. હવે
આપ બાળકો આ વાતોને જાણો છો. અંદર વિચાર ચાલવાં જોઈએ - આપણે હમણાં સંગમ પર છીએં,
પાવન બની રહ્યા છીએં. સ્વર્ગનો વારસો બાપથી લઇ રહ્યા છીએં. આ ઘડી-ઘડી સિમરણ કરવાનું
છે, ભૂલવું ન જોઈએ. પરંતુ માયા ભૂલાવીને એકદમ કળયુગી બનાવી દે છે. એક્ટિવિટી (પ્રવૃત્તિ)
એવી ચાલે છે, જેમ એકદમ કળયુગી. તે ખુશીનો પારો નથી રહેતો. મોઢું જેમકે મડદા માફક.
બાપ પણ કહે છે - બધાં કામ ચિતા પર બેસી બળીને મડદા થઈ ગયાં છે. તમે જાણો છો આપણે
મનુષ્ય થી દેવતા બનીએ છીએં તો તે ખુશી હોવી જોઈએ ને એટલે ગાયન પણ છે અતીન્દ્રિય
સુખની ભાસના ગોપ-ગોપીઓ ને પૂછો. તમે પોતાનાં દિલથી પૂછો અમે તે ભાસનામાં રહીએ છીએં?
તમે ઈશ્વરીય મિશન છો ને. ઈશ્વરીય મિશન શું કામ કરે છે? પહેલાં તો શુદ્ર થી બ્રાહ્મણ,
બ્રાહ્મણ થી દેવતા બનાવે છે. આપણે બ્રાહ્મણ છીએં - આ ભૂલવું ન જોઈએ. તે બ્રાહ્મણ તો
ઝટ કહી દે છે - અમે બ્રાહ્મણ છીએં. તેઓ તો છે કુખની સંતાન. તમે છો મુખ વંશાવલી. આપ
બ્રાહ્મણોને બહુજ નશો હોવો જોઈએ. ગાયન પણ છે બ્રહ્મા ભોજન... તમે કોઈને બ્રહ્મા
ભોજન ખવડાવો છો તો કેટલાં ખુશ થાય છે. આપણે પવિત્ર બ્રાહ્મણોનાં હાથનું ખાઈએ છીએં.
મન્સા-વાચા-કર્મણા પવિત્ર હોવાં જોઈએ. કોઈ અપવિત્ર કર્તવ્ય ન કરવું જોઈએ. સમય તો
લાગે છે. જન્મતા જ તો કોઈ નથી બનતું. ભલે ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ, બાપનાં
બાળક બન્યાં અને વારસો મળ્યો. એક વાર ઓળખીને કહ્યું-આ પ્રજાપિતા બ્રહ્મા છે. બ્રહ્મા
વલ્દ શિવ. નિશ્ચય કરવાથી જ વારીસ થઈ જાય છે. પછી જો કોઈ અકર્તવ્ય કરશે તો સજાઓ બહુજ
ખાવી પડશે. જેમ કાશી કલવટનું સમજાવ્યું છે. સજા ખાવાથી હિસાબ-કિતાબ ચૂક્તું થઈ જાય
છે. મુક્તિનાં માટે જ કૂવામાં કુદતાં હતાં. અહીંયા તો તે વાત નથી. શિવબાબા બાળકોને
કહે છે - મામેકમ યાદ કરો. કેટલું સહજ છે. તો પણ માયાનું ચક્ર આવી જાય છે. આ તમારું
યુદ્ધ સૌથી વધારે સમય ચાલે છે. બાહુબળનું યુદ્ધ આટલો સમય નથી ચાલતું. તમે તો જ્યારથી
આવ્યા છો, યુદ્ધ શરુ છે. જૂનાંઓથી કેટલું યુદ્ધ ચાલે છે, નવા જે આવશે તેમનાંથી પણ
ચાલશે. તે લડાઈમાં પણ મરતાં રહે છે, બીજા દાખલ થતા રહે છે. અહીંયા પણ મરે છે, વૃદ્ધિ
ને પણ પામે છે. ઝાડ મોટું તો થવાનું જ છે. બાપ મીઠા-મીઠા બાળકોને સમજાવે છે-આ યાદ
રહેવું જોઈએ, એ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. કૃષ્ણને તો
સદ્દગુરુ, બાપ, શિક્ષક નહી કહેશું.
તમને બધાનું કલ્યાણ કરવાનો શોખ હોવો જોઈએ. મહારથી બાળકો સેવા પર રહે છે. તેમને તો
બહુજ ખુશી રહે છે. જ્યાંથી નિમંત્રણ મળે છે, ભાગે છે. પ્રદર્શની સેવા કમિટીમાં પણ
સારા-સારા બાળકો ચૂંટાય છે. તેમને ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે, સેવા કરતા રહે તો
કહેશે આ ઈશ્વરીય મિશનનાં સારા બાળકો છે. બાપ પણ ખુશ થશે આ તો બહુજ સારી સેવા કરે
છે. પોતાનાં દિલથી પૂછવું જોઈએ-અમે સેવા કરીએ છીએં? કહે છે ઓન ગોડફાધરલી સર્વિસ (ઈશ્વરીય
સેવામાં). ગોડફાધર ની સર્વિસ શું છે? બસ, બધાને આજ સંદેશ આપો - મનમનાભવ.
આદિ-મધ્ય-અંતનું જ્ઞાન તો બુદ્ધિમાં છે. તમારું નામ જ છે-સ્વદર્શન ચક્રધારી. તો એનું
ચિંતન ચાલવું જોઈએ. સ્વદર્શન ચક્ર અટકે થોડી છે. તમે ચૈતન્ય લાઈટ હાઉસ છો. તમારી
મહિમા ખુબ ગવાય છે. બેહદનાં બાપનું ગાયન પણ તમે સમજો છો. એ જ્ઞાનનાં સાગર પતિત-પાવન
છે, ગીતાનાં ભગવાન છે. એજ જ્ઞાન અને યોગ બળથી આ કાર્ય કરાવે છે, આમાં યોગબળ નો બહુજ
પ્રભાવ છે. ભારતનો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. તે તમે હમણાં શીખો છો. સન્યાસી તો
હઠયોગી છે, તે પતિતો ને પાવન બનાવી ન શકે. જ્ઞાન છે જ એક બાપની પાસે. જ્ઞાનથી તમે
જન્મ લો છો. ગીતાને માય બાપ કહેવાય છે, માતા-પિતા છે ને. તમે શિવબાબાનાં બાળકો છો
પછી માતા-પિતા જોઈએ ને. મનુષ્યો તો ભલે ગાએ છે પરંતુ સમજે થોડી છે. બાપ સમજાવે છે -
આનો અર્થ કેટલો ગુહ્ય છે. ગોડફાધર કહેવાય છે, પછી માત-પિતા કેમ કહેવાય? બાબા એ
સમજાવ્યું છે - ભલે સરસ્વતી છે પરંતુ હકીકતમાં સાચી-સાચી મધર (માતા) બ્રહ્મપુત્રા
છે. સાગર અને બ્રહ્મપુત્રા છે, પહેલાં-પહેલાં સંગમ આમનો થાય છે. બાબા આમનામાં
પ્રવેશ કરે છે. આ કેટલી મહીન વાતો છે. ઘણાની બુદ્ધિમાં આ વાતો રહેતી નથી જે ચિંતન
કરે. બિલકુલ ઓછી બુદ્ધિ છે, ઓછું પદ પામવા વાળા છે. તેમનાં માટે બાપ તો પણ કહે -
સ્વયંને આત્મા સમજો. આ તો સહજ છે ને. આપણા આત્માઓનાં બાપ છે પરમાત્મા. એ આપ આત્માઓને
કહે છે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ છે મુખ્ય વાત. ડલ બુદ્ધિવાળા મોટી
વાતો સમજી ન શકે એટલે ગીતામાં પણ છે મનમનાભવ. બધાં લખે છે-બાબા, યાદની યાત્રા બહુજ
મુશ્કિલ છે. ઘડી-ઘડી ભૂલી જાય છે. કોઈ ને કોઈ પોઇન્ટ (વાત) પર હારે છે. આ બોક્સિંગ
(યુદ્ધ) છે-માયા અને ઈશ્વરનાં બાળકોની. આની કોઈને પણ ખબર નથી. બાબા એ સમજાવ્યું છે-માયા
પર જીત પામીને કર્માતીત અવસ્થામાં જવાનું છે. પહેલાં-પહેલાં તમે આવ્યા છો કર્મ
સંબંધમાં. તેમાં આવતાં-આવતાં પછી અડધા કલ્પ પછી તમે કર્મ બંધનમાં આવી ગયા છો.
પહેલાં-પહેલાં તમે પવિત્ર આત્મા હતાં. કર્મબંધન ન સુખનું, ન દુઃખનું હતું, પછી સુખનાં
સંબંધમાં આવ્યાં. આ પણ હવે તમે સમજો છો- આપણે સંબંધમાં હતાં, હમણા દુઃખમાં જ છીએં
પછી જરુર સુખમાં હોઈશું. નવી દુનિયા જ્યારે હતી તો માલિક હતાં, પવિત્ર હતાં, હવે
જૂની દુનિયામાં પતિત થઈ ગયાં છે. પછી આપણે સો દેવતા બનીએ છીએં, તો આ યાદ કરવું પડે
ને.
બાપ કહે છે મને યાદ કરો તો તમારાં પાપ ભૂસાઈ થશે, તમે મારાં ઘરમાં આવી જશો. વાયા
શાંતિધામ સુખધામમાં આવી જશો. પહેલાં-પહેલાં જવાનું છે ઘરે, બાપ કહે છે મને યાદ કરો
તો તમે પવિત્ર બનશો, હું પતિત-પાવન તમને પવિત્ર બનાવી રહ્યો છું - ઘરે આવવાં માટે.
આવી-આવી સ્વયંથી વાતો કરવાની હોય છે. બરાબર હમણાં ચક્ર પૂરું થાય છે, આપણે આટલાં
જન્મ લીધા છે. હવે બાપ આવ્યા છે પતિત થી પાવન બનાવવાં. યોગબળથી જ પાવન બનશો. આ
યોગબળ બહુજ નામીગ્રામી છે, જે બાપ જ શિખવાડી શકે છે. આમાં શરીરથી કાંઈ પણ કરવાની
દરકાર નથી. તો આખો દિવસ આ વાતોનું મંથન ચાલવું જોઈએ. એકાંતમાં ક્યાંય પણ બેસો અથવા
જાઓ, બુદ્ધિમાં આજ ચાલતું રહે. એકાંત તો બહુજ છે, ઉપર ધાબા પર તો ડરવાની વાત નથી.
પહેલાં તમે સવારમાં મુરલી સાંભળ્યા પછી જતાં હતાં પહાડો પર. જે સાંભળ્યું તેનું
ચિંતન કરવા માટે પહાડો પર જઈને બેસતાં હતાં. જે જ્ઞાનનાં શોખીન હશે, તેઓ તો આપસમાં
જ્ઞાનની વાતો કરશે. જ્ઞાન નથી તો પછી પરચિંતન કરતાં રહેશે. પ્રદર્શનીમાં તમે
કેટલાઓને આ રસ્તો બતાવો છો. સમજો છો આપણો ધર્મ બહું સુખ દેવાવાળો છે. બીજા
ધર્મવાળાઓને ફક્ત એટલું સમજાવવાનું છે કે બાપ ને યાદ કરો. આ નથી સમજાવવાનું કે આ
મુસલમાન છે, હું ફલાણો છું. ના, આત્માને જોવાની છે, આત્માને સમજાવવાનું છે.
પ્રદર્શનનીમાં સમજાવો છો તો આ પ્રેક્ટિસ (અભ્યાસ) રહે - અમે આત્મા ભાઈને સમજાવીએ
છીએં. હવે આપણને બાપથી વારસો મળી રહ્યો છે. પોતાને આત્મા સમજી ભાઈઓને જ્ઞાન આપો છો
- હવે ચાલો બાપની પાસે, બહુજ સમયથી વિખુટાં હતાં. તે છે શાંતિધામ, અહીંયા તો કેટલી
અશાંતિ-દુઃખ વગેરે છે. હવે બાપ કહે છે સ્વયંને આત્મા સમજવાની પ્રેક્ટિસ પાડો તો નામ,
રુપ, દેહ બધું ભૂલી જવાય. ફલાણા મુસલમાન છે, આવું કેમ સમજો છો? આત્મા સમજીને સમજાવો.
સમજી શકાય છે - આ આત્મા સારી છે કે ખરાબ છે. આત્માનાં માટે જ કહેવાય છે- ખરાબ થી
દૂર ભાગવું જોઈએ. હમણાં તમે બેહદનાં બાપનાં બાળકો છો. અહીંયા પાર્ટ ભજવ્યો હવે ફરી
પાછાં જવાનું છે, પાવન બનવાનું છે. બાપને જરુર યાદ કરવાં પડે. પાવન બનશો તો પાવન
દુનિયાનાં માલિક બનશો. મુખથી પ્રતિજ્ઞા કરવાની હોય છે. બાપ પણ કહે છે પ્રતિજ્ઞા કરો.
બાપ યુક્તિ પણ બતાવે છે કે તમે આત્મા ભાઈ-ભાઈ છો પછી શરીરમાં આવો છો તો ભાઈ-બહેન
છો. ભાઈ-બહેન ક્યારેય વિકારમાં જઈ ન શકતાં. પવિત્ર બની અને બાપને યાદ કરવાથી તમે
વિશ્વનાં માલિક બની જશો. સમજાવાય છે - માયા થી હાર્યા ફરી ઊઠીને ઊભા થઈ જાઓ. જેટલા
ઊભા થશો એટલી પ્રાપ્તિ થશે. નુકસાન અને જમા તો થાય છે ને. અડધો કલ્પ જમા પછી રાવણ
રાજ્યમાં નુકશાન થઈ જાય છે. હિસાબ છે ને. જીત જમા, હાર નુકશાન. તો સ્વયંની પૂરી
તપાસ કરવી જોઈએ. બાપ ને યાદ કરવાથી આપ બાળકોને ખુશી થશે. તેઓ તો ફક્ત ગાયન કરે છે,
સમજ કાંઈ નથી. બેસમજી થી બધું કરે છે. તમે તો પૂજા વગેરે કરતાં નથી. બાકી ગાયન તો
કરશોને. એ એક બાપનું ગાયન છે અવ્યભિચારી. બાપ આવીને આપ બાળકોને પોતે જ ભણાવે છે.
તમારે કોઈ પ્રશ્ન પૂછવાની દરકાર નથી. ચક્ર સ્મૃતિમાં રહેવું જોઈએ. સમજવું જોઈએ -
કેવી રીતે આપણે માયા પર જીત પામીએ છીએં અને પછી હાર ખાઈએ છીએં. બાપ સમજાવે છે હાર
ખાવાથી સો ગણો દંડ પડી જશે. બાપ કહે છે - સદ્દગુરુની, નિંદા નહિ કરાવો, નહીં તો ઠોર
નહી પામશો. આ સત્યનારાયણની કથા છે, આને કોઈ નથી જાણતાં. ગીતા અલગ, સત્યનારાયણ ની કથા
અલગ કરી દીધી છે. નર થી નારાયણ બનવાં માટે આ ગીતા છે.
બાપ કહે છે હું તમને નર થી નારાયણ બનવાની કથા સંભળાવું છું, આને ગીતા પણ કહે,
અમરનાથ ની કથા પણ કહે છે. ત્રીજું નેત્ર બાપ જ આપે છે. આ પણ જાણો છો આપણે દેવતા
બનીએ છીએં તો ગુણ પણ જરુર હોવાં જોઈએ. આ સૃષ્ટિમાં કોઈપણ ચીજ સદા કાયમ છે નહિ. સદા
કાયમ તો એક શિવબાબા જ છે, બાકી તો બધાને નીચે આવવાનું જ છે. પરંતુ એ પણ સંગમ પર આવે
છે, બધાને પાછાં લઈ જાય છે. જૂની દુનિયાની આત્માઓને નવી દુનિયામાં લઈ જવાં માટે કોઈ
તો જોઈએ ને. તો ડ્રામાની અંદર આ બધું રહસ્ય છે. બાપ આવીને પવિત્ર બનાવે છે, કોઈ પણ
દેહધારી ને ભગવાન ન કહી શકાય. આ સમયે બાપ સમજાવે છે, આત્માની પાંખો તૂટેલી છે તો ઉડી
નથી શકતી. બાપ આવીને જ્ઞાન અને યોગની પાંખો આપે છે. યોગબળ થી તમારા પાપ ભસ્મ થઇ જશે,
પુણ્ય આત્મા બની જશો. પહેલાં-પહેલાં તો મહેનત પણ કરવી જોઈએ, એટલે બાપ કહે છે મામેકમ
યાદ કરો, ચાર્ટ રાખો. જેમનો ચાર્ટ સારો હશે, તેઓ લખશે અને તેમને ખુશી થશે. હમણાં બધાં
મહેનત કરે છે, ચાર્ટ નથી લખતાં તો યોગનું બળ નથી ભરાતું. ચાર્ટ લખવામાં ફાયદો છે
બહુજ. ચાર્ટની સાથે પોઇન્ટ પણ જોઈએ. ચાર્ટમાં તો બંને લખશે- સેવા કેટલી કરી અને યાદ
કેટલા કર્યા? પુરુષાર્થ એવો કરવાનો છે જે અંતમાં કોઈપણ ચીજ યાદ ન આવે. સ્વયંને આત્મા
સમજી પુણ્ય આત્મા બની જાઓ - આ મહેનત કરવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એકાંતમાં
જ્ઞાનનું મનન-ચિંતન કરવાનું છે. યાદની યાત્રામાં રહી, માયા પર જીત પામીને કર્માતીત
અવસ્થાને પામવાની છે.
2. કોઈને પણ જ્ઞાન
સંભળાવતી વખતે બુદ્ધિમાં રહે કે અમે આત્મા ભાઈને જ્ઞાન આપીએ છીએ. નામ, રુપ, દેહ બધું
ભૂલાય જાય. પાવન બનવાની પ્રતિજ્ઞા કરી, પાવન બની પાવન દુનિયાનાં માલિક બનવાનું છે.
વરદાન :-
અખંડ યોગ ની
વિધિ દ્વારા અખંડ પૂજ્ય બનવાવાળી શ્રેષ્ઠ મહાન આત્મા ભવ
આજકલ જે મહાન આત્માઓ
કહેવાય છે તેમનાં નામ અખંડાનંદ વગેરે રાખે છે પરંતુ બધામાં અખંડ સ્વરુપ તો તમે છો-આનંદમાં
પણ અખંડ, સુખમાં પણ અખંડ... ફક્ત સંગદોષમાં ન આવો, બીજાનાં અવગુણોને જોતાં, સાંભળતાં
ડોન્ટ કેર કરો તો આ વિશેષતા થી અખંડ યોગી બની જશો. જે અખંડ યોગી છે તેજ અખંડ પૂજ્ય
બને છે. તો તમે એવી મહાન આત્માઓ છો જે અડધો કલ્પ સ્વયં પૂજ્ય સ્વરુપમાં રહે છે અને
અડધો કલ્પ તમારા જડ ચિત્રોનું પૂજન થાય છે.
સ્લોગન :-
દિવ્ય બુદ્ધિ
જ સાઈલેન્સ (શાંતિ) ની શક્તિનો આધાર છે.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
અવ્યક્ત સ્થિતિ
નો અનુભવ કરવાં માટે સદા યાદ રહે કે “ સમસ્યાઓને દૂર ભગાવવાની છે સંપૂર્ણતાને સમીપ
લાવવાની છે ” આનાં માટે કોઈપણ ઈશ્વરીય મર્યાદામાં બેપરવાહ નહિ બનતાં, આસુરી મર્યાદા
કે માયાથી બેપરવાહ બનજો. સમસ્યાનો સામનો કરજો તો સમસ્યા સમાપ્ત થઈ જશે.