24-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો-
રુહાનીસર્વિસ (સેવા) કરી પોતાનું અને બીજાનું કલ્યાણકરો, બાપથી સાચું દિલ રાખો તો
બાપનાં દિલ પર ચઢી જશો”
પ્રશ્ન :-
દેહી-અભિમાની
બનવાની મહેનત કોણ કરી શકે છે? દેહી-અભિમાની ની નિશાનીઓ સંભળાવો?
ઉત્તર :-
જેમને ભણતરથી અને બાપથી અતૂટ પ્રેમ છે તે દેહી-અભિમાની બનવાની મહેનત કરી શકે છે.
તેઓ શીતળ હશે, કોઈથી પણ અધિક વાત નહીં કરશે, તેમનો બાપથી લવ (પ્રેમ) હશે, ચલન ખુબ
રોયલ હશે. તેમને નશો રહે છે કે અમને ભગવાન ભણાવે છે. અમે તેમનાં બાળકો છીએં. તેઓ
સુખદાયી હશે. દરેક પગલું શ્રીમત પર ઉપાડશે.
ઓમ શાંતિ!
બાળકોએ સર્વિસ
(સેવા) સમાચાર પણ સાંભળવાં જોઈએ પછી મુખ્ય-મુખ્ય જે મહારથી સર્વિસેબુલ (સેવાધારી)
છે તેમણે સલાહ નીકાળવી જોઈએ. બાબા જાણે છે સર્વિસેબુલ બાળકોનું જ વિચાર સાગર મંથન
ચાલશે. મેળા અથવા પ્રદર્શનીનું ઓપનિંગ (ઉદ્દઘાટન) કોનાથી કરાવીએ! શું-શું પોઇન્ટ (વાતો)
સંભળાવવાં જોઈએ. શંકરાચાર્ય વગેરે જો તમારી આ વાતને સમજી ગયા તો કહેશે અહીંયાનું
નોલેજ તો ખૂબ ઊંચું છે. આમને ભણાવવા વાળા કોઈ હોશિયાર લાગે છે. ભગવાન ભણાવે છે, એ
તો માનશે નહીં. તો પ્રદર્શની વગેરેનું ઉદ્દઘાટન કરવા જે આવે છે તેમને શુ-શું સમજાવો
છો તે સમાચાર બધાને બતાવવા જોઈએ અથવા તો ટેપમાં શોર્ટ (સંક્ષિપ્ત) માં ભરવું જોઈએ.
જેમ ગંગે (દાદી) એ શંકરાચાર્યને સમજાવ્યું આવાં-આવાં સર્વિસેબુલ બાળકો તો બાપનાં
દિલ પર ચઢે છે. આમ તો સ્થૂળ સર્વિસ પણ છે પરંતુ બાબાનું અટેન્શન (ધ્યાન) રુહાની
સર્વિસ પર જશે, જે અનેકોનું કલ્યાણ કરે છે. ભલે કલ્યાણ તો દરેક વાતમાં છે. બ્રહ્મા
ભોજન બનાવવામાં પણ કલ્યાણ છે, જો યોગ્યયુક્ત થઈ બનાવે. એવા યોગ યુક્ત ભોજન બનાવવા
વાળા હોય તો ભંડારામાં ખુબ શાંતિ હોય. યાદની યાત્રા પર રહે. કોઈ પણ આવે તો ઝટ તેમને
સમજાવે. બાબા સમજી શકે છે-સર્વિસેબુલ બાળકો કોણ છે, જે બીજાઓને પણ સમજાવી શકે છે,
તેમને જ વધારે કરીને સર્વિસ પર બોલાવે પણ છે. તો સર્વિસ કરવાવાળા જ બાપનાં દિલ પર
ચઢેલા રહે છે. બાબાનું અટેન્શન બધું સર્વિસેબુલ બાળકો તરફ જ જાય છે. ઘણાં તો સમ્મુખ
મુરલી સાંભળતા પણ કાંઈ સમજી નથી શકતાં. ધારણા નથી થતી કારણ કે અડધાકલ્પ ની
દેહ-અભિમાન ની બીમારી ખુબ આકરી છે. તેને મટાડવાં માટે ખૂબ થોડા છે જે સારી રીતે
પુરુષાર્થ કરે છે. ઘણાંઓથી દેહી-અભિમાની બનવાની મહેનત થતી નથી. બાબા સમજાવે છે-બાળકો,
દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. ભલે કોઈ ચાર્ટ પણ મોકલી દે છે પરંતુ પૂરો નથી.
તો પણ કાંઈક અટેન્શન રહે છે. દેહી-અભિમાની બનવાનું અટેન્શન ઘણાઓનું ઓછું રહે છે.
દેહી-અભિમાની ખૂબ શીતળ હશે. તેઓ એટલી વધારે વાતચીત નહીં કરે. તેમનો બાપથી લવ (પ્રેમ)
એવો હશે જે વાત નહિ પૂછો. આત્માને એટલી ખુશી હોવી જોઈએ જે ક્યારેય કોઈ મનુષ્યને ન
હોય. આ લક્ષ્મી-નારાયણ ને તો જ્ઞાન છે નહીં. જ્ઞાન આપ બાળકોને જ છે, જેમને ભગવાન
ભણાવે છે. ભગવાન આપણને ભણાવે છે, આ નશો પણ તમારામાં કોઈ એક-બે ને રહે છે. તે નશો
હોય તો બાપની યાદમાં રહે, જેને દેહી-અભિમાની કહેવાય છે. પરંતુ તે નશો નથી રહેતો.
યાદમાં રહેવાવાળા ની ચલન ખૂબ સારી રોયલ હશે. આપણે ભગવાન નાં બાળકો છીએ એટલે ગાયન પણ
છે-અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ થી પૂછો, જે દેહી-અભિમાની થઈ બાપ ને યાદ કરે છે. યાદ
નથી કરતા એટલે શિવબાબા નાં દિલ પર પણ નથી ચઢતાં. શિવબાબા નાં દિલ પર નહિં તો દાદાનાં
પણ દિલ પર નથી ચઢી શકતાં. એમનાં દિલ પર હશે તો જરુર આમનાં દિલ પર પણ હશે. બાપ દરેકને
જાણે છે. બાળકો પોતે પણ સમજે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ. સર્વિસનો શોખ બાળકોમાં
ખૂબ હોવો જોઈએ. કોઈને સેવાકેન્દ્ર સેટ કરવાનો પણ શોખ રહે છે. કોઈને ચિત્ર બનાવવાનો
શોખ રહે છે. બાપ પણ કહે છે-મને જ્ઞાની તું આત્મા બાળકો પ્રિય લાગે છે, જે બાપની
યાદમાં પણ રહે છે અને સર્વિસ કરવાં માટે પણ તત્પર રહે છે. કોઈ તો બિલકુલ જ સર્વિસ
નથી કરતાં, બાપનું કહેવું પણ નથી માનતાં. બાપ તો જાણે છે ને-ક્યાં કોણે સર્વિસ કરવી
જોઈએ. પરંતુ દેહ-અભિમાનનાં કારણે પોતાની મત પર ચાલે છે તો તે દિલ પર નથી ચઢતાં.
અજ્ઞાન કાળમાં પણ કોઈ બાળક બદચલન વાળા હોય છે તો બાપનાં દિલ પર નથી રહેતાં. તેમને
કપૂત સમજે છે. સંગદોષ માં ખરાબ થઇ જાય છે. અહીંયા પણ જે સર્વિસ કરે છે તેજ બાપને
પ્રિય લાગે છે. જે સર્વિસ નથી કરતાં તેમને બાપ પ્રેમ થોડી કરશે. સમજે છે તકદીર
અનુસાર જ ભણશે, તો પણ પ્રેમ કોનાં પર રહેશે? તે તો કાયદો છે ને. સારા બાળકોને ખૂબ
પ્રેમ થી બોલાવશે. કહેશે તમે ખૂબ સુખદાયી છો, તમે પિતા સ્નેહી છો. જે બાપ ને યાદ જ
નથી કરતાં તેમને પિતા સ્નેહી થોડી કહેવાશે. દાદા સ્નેહી નથી બનવાનું, સ્નેહી બનવાનું
છે બાપ થી. જે બાપનાં સ્નેહી હશે તેમની બોલચાલ ખૂબ મીઠી સુંદર હશે. વિવેક એવું કહે
છે-ભલે સમય છે પરંતુ શરીર પર કોઇ ભરોસો થોડી છે. બેઠાં-બેઠાં એક્સિડન્ટ (અકસ્માત)
થઈ જાય છે. કોઈ હાર્ટ ફેલ થઈ જાય છે. કોઈને રોગ લાગી જાય છે, મોત તો અચાનક થઇ જાય
છે એટલે શ્વાસ પર તો ભરોસો નથી. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) ની પણ હમણાં
પ્રેક્ટિસ થઇ રહી છે. વગર સમયે વરસાદ પડવાથી પણ નુકસાન કરી દે છે. આ દુનિયા જ દુઃખ
આપવા વાળી છે. બાપ પણ એવાં સમય પર આવે છે જ્યારે મહાન દુઃખ છે, લોહીની નદીઓ પણ
વહેવાની છે. કોશિશ કરવી જોઈએ-આપણે પોતાનો પુરુષાર્થ કરી ૨૧ જન્મોનું કલ્યાણ તો કરી
લઈએ. ઘણામાં પોતાનું કલ્યાણ કરવાની ફુરના (ઉત્કંઠા) પણ દેખાતી નથી.
બાબા અહીંયા બેસી મુરલી ચલાવે છે તો પણ બુદ્ધિ સર્વિસેબુલ બાળકો તરફ રહે છે. હવે
શંકરાચાર્યને પ્રદર્શનીમાં બોલાવ્યાં છે, નહીં તો એ લોકો આમ ક્યાંય જતાં નથી. ખૂબ
ઘમંડથી રહે છે, તો તેમને માન પણ આપવું પડે. ઉપર સિંહાસન પર બેસાડવાં પડે. એવું નહીં,
સાથે બેસી શકે છે. નહિ, રીગાર્ડ (સમ્માન) તેમને તો ખૂબજ જોઈએ. નિર્માણ હોય તો પછી
ચાંદી વગેરેનું સિંહાસન પણ છોડી દે. બાપ જુઓ કેવાં સાધારણ રહે છે. કોઈ પણ જાણતું નથી.
આપ બાળકોમાં પણ કોઈ વિરલા જાણે છે. કેટલા નિરહંકારી બાપ છે. આ તો બાપ અને બાળકોનો
સંબંધ છે ને. જેમ લૌકિક બાપ બાળકોની સાથે રહે, ખાએ-ખવડાવે છે, આ છે બેહદનાં બાપ.
સંન્યાસીઓ વગેરે ને બાપનો પ્રેમ નથી મળતો. આપ બાળકો જાણો છો કલ્પ-કલ્પ આપણને બેહદનાં
બાપ નો પ્રેમ મળે છે. બાપ ગુલ-ગુલ (ફૂલ) બનાવવાની ખૂબ મહેનત કરે છે. પરંતુ ડ્રામા
અનુસાર બધાં તો ગુલ-ગુલ બનતા નથી. આજે ખૂબ સારા-સારા, કાલે વિકારી થઈ જાય છે. બાપ
કહે તકદીરમાં નથી તો બીજું શું કરશે. ઘણાંની ગંદી ચલન થઈ જાય છે. આજ્ઞાનું ઉલ્લંઘન
કરે છે. ઈશ્વર ની મત પર પણ નહિં ચાલશે તો તેમની શું હાલત થશે! ઊંચેથી ઊંચા બાપ છે,
બીજું તો કોઈ છે નહીં. પછી દેવતાઓનાં ચિત્રોમાં જોશો તો આ લક્ષ્મી-નારાયણ જ ઊંચેથી
ઊંચા છે. પરંતુ મનુષ્ય આ પણ નથી જાણતાં કે આમને આવાં કોણે બનાવ્યાં. બાપ આપ બાળકોને
રચતા અને રચનાનું નોલેજ સારી રીતે બેસી સમજાવે છે. તમને તો પોતાનું શાંતિધામ,
સુખધામ જ યાદ આવે છે. સર્વિસ કરવાવાળા નાં નામ સ્મૃતિમાં આવે છે. જરુર જે બાપનાં
આજ્ઞાકારી બાળકો હશે, તેમનાં તરફ જ દિલ જશે. બેહદનાં બાપ એક જ વાર આવે છે. તે લૌકિક
બાપ તો જન્મ-જન્માંતર મળે છે. સતયુગમાં પણ મળે છે. પરંતુ ત્યાં આ બાપ નથી મળતાં.
હમણાં નાં ભણતર થી તમે પદ પામો છો. આ પણ આપ બાળકો જ જાણો છો કે બાપ થી આપણે નવી
દુનિયાનાં માટે ભણી રહ્યાં છે. આ બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ. છે ખૂબ સહજ. સમજો બાબા
રમી રહ્યા છે, અનાયાસે કોઈ આવી જાય છે તો બાબા ઝટ ત્યાં જ તેમને નોલેજ આપવા લાગી જશે.
બેહદનાં બાપ ને જાણો છો? બાપ આવ્યાં છે જૂની દુનિયાને નવી બનાવવાં. રાજયોગ શીખવાડે
છે. ભારતવાસીઓને જ શીખવાડવાનું છે. ભારત જ સ્વર્ગ હતું. જ્યાં આ દેવી-દેવતાઓનું
રાજ્ય હતું. હમણાં તો નર્ક છે. નર્ક થી પછી સ્વર્ગ બાપ જ બનાવશે. આવી-આવી મુખ્ય વાતો
યાદ કરી કોઈ પણ આવે તો તેમને બેસી સમજાવો. તો કેટલાં ખુશ થઈ જાય. ફક્ત બોલો બાપ
આવેલાં છે. આ તે જ મહાભારત લડાઈ છે જે ગીતામાં ગવાયેલી છે. ગીતાનાં ભગવાન આવ્યા હતાં,
ગીતા સંભળાવી હતી. શેના માટે? મનુષ્યને દેવતા બનાવવાં. બાપ ફક્ત કહે છે મુજ બાપને
યાદ કરો અને વારસાને યાદ કરો. આ દુઃખધામ છે. આટલું બુદ્ધિમાં યાદ રહે તો પણ ખુશીમાં
રહો. આપણે આત્મા બાબાની સાથે જવાવાળી છીએ શાંતિધામ. પછી ત્યાંથી પાર્ટ ભજવવાં આવશું
પહેલાં-પહેલાં સુખધામમાં. જેમ કોલેજમાં ભણે છે તો સમજે છે અમે આ-આ ભણીએ છીએ પછી આ
બનશું. બેરિસ્ટર બનશું અથવા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બનશું, આટલા પૈસા કમાઈશું. ખુશીનો
પારો ચઢેલો રહેશે. આપ બાળકોને પણ આ ખુશી રહેવી જોઈએ. અમે બેહદનાં બાપ થી આ વારસો
પામીએ છીએ પછી અમે સ્વર્ગમાં પોતાનાં મહેલ બનાવશું. આખો દિવસ બુદ્ધિમાં આ ચિંતન રહે
તો ખુશી પણ હોય. પોતાનું અને બીજાઓનું પણ કલ્યાણ કરે. જે બાળકોની પાસે જ્ઞાન ધન છે
તેમની ફરજ છે દાન કરવાની. જો ધન છે, દાન નથી કરતાં તો તેમને મનહૂસ કહેવાય છે. તેમની
પાસે ધન હોવા છતાં પણ જેમ કે છે જ નહીં. ધન હોય તો દાન જરુર કરે. સારા-સારા મહારથી
બાળકો જે છે તે સદેવ બાબાનાં દિલ પર ચઢેલાં રહે છે. કોઈ-કોઈનાં માટે ખ્યાલ રહે છે-આ
કદાચ તૂટી પડશે. પરિસ્થિતિ એવી છે. દેહનો અહંકાર ખૂબ ચઢેલો છે. કોઈ પણ સમયે હાથ છોડી
દે અને જઈને પોતાનાં ઘરમાં રહે. ભલે મુરલી ખૂબ સારી ચલાવે છે પરંતુ દેહ-અભિમાન ખૂબ
છે થોડી પણ બાબા સાવધાની આપશે તો ઝટ તૂટી પડશે. નહીં તો ગાયન છે-પ્રેમ કરો કે ભલે
ઠુકરાવો…...અહીંયા બાબા રાઈટ (સત્ય) વાત કરે છે તો પણ ગુસ્સો ચઢી જાય છે. એવાં-એવાં
બાળકો પણ છે, કોઈ તો અંદર માં ખૂબ શુક્રિયા માને છે, કોઈ અંદરમાં બળીને મરે છે.
માયાનું દેહ-અભિમાન ખૂબ છે. ઘણાં એવા પણ બાળકો છે જે મુરલી સાંભળતા જ નથી અને ઘણાં
તો મુરલી વગર રહી નથી શકતાં. મુરલી નથી વાંચતા તો પોતાની જ હઠ છે, અમારામાં તો
જ્ઞાન ખૂબ છે અને છે કાંઈ પણ નહિં.
તો જ્યાં શંકરાચાર્ય વગેરે પ્રદર્શનીમાં આવે છે, સર્વિસ સારી થાય છે તો તે સમાચાર
બધાને મોકલવા જોઈએ તો બધાને ખબર પડે કેવી રીતે સર્વિસ થઈ તો તે પણ શીખશે. આવી-આવી
સર્વિસનાં માટે જેમને ખ્યાલ આવે છે તેમને જ બાબા સર્વિસેબુલ સમજશે. સર્વિસમાં ક્યારે
થાકવું ન જોઈએ. આ તો અનેકોનું કલ્યાણ કરવાનું છે ને. બાબા ને તો આ ફિકર રહે છે,
બધાને આ નોલેજ મળે. બાળકોની પણ ઉન્નતી થાય. રોજ મુરલીમાં સમજાવતાં રહે છે-આ રુહાની
સર્વિસ છે મુખ્ય. સાંભળવું અને સંભળાવવાનું છે. શોખ હોવો જોઈએ. બેજ લઈને રોજ
મંદિરોમાં જઈને સમજાવો-આ લક્ષ્મી-નારાયણ કેવી રીતે બન્યાં? પછી ક્યાં ગયાં, કેવી
રીતે રાજ્ય ભાગ્ય પામ્યું? મંદિરનાં દરવાજા પર જઈને બેસો. કોઈ પણ આવે બોલો, આ
લક્ષ્મી-નારાયણ કોણ છે, ક્યારે એમનું ભારતમાં રાજ્ય હતું? હનુમાન પણ જૂત્તામાં જઈને
બેસતા હતાં ને. તેનું પણ રહસ્ય છે ને. તરસ પડે છે. સર્વિસની યુક્તિઓ બાબા ખૂબ બતાવે
છે, પરંતુ અમલમાં બહુજ કોઈ મુશ્કિલ લાવે છે. સર્વિસ ખૂબ છે. આંધળાઓની લાઠી બનવાનું
છે. જે સર્વિસ નથી કરતાં, બુદ્ધિ સાફ નથી તો પછી ધારણા નથી થતી. નહીં તો સર્વિસ ખૂબ
સહજ છે. તમે આ જ્ઞાન રત્નોનું દાન કરો છો. કોઈ સાહૂકાર આવે તો બોલો અમે તમને આ
સૌગાત (ભેટ) આપીએ છીએં. આનો અર્થ પણ તમને સમજાવીએ છીએં. આ બેજની બાબાને ખૂબજ કદર
છે. બીજા કોઈને એટલી કદર નથી. આમાં ખૂબ સારું જ્ઞાન ભરેલું છે. પરંતુ કોઈની તકદીરમાં
નથી તો બાબા પણ શું કરી શકે છે. બાપ અને ભણતર ને છોડવું-આ તો મોટામાં મોટો આપઘાત
છે. બાપનાં બનીને પછી ફારકતી (દગો) આપવી-એનાં જેવું મહાન પાપ કોઈ હોતું નથી. તેમનાં
જેવું કમ્બખ્ત કોઈ હોતું નથી. બાળકોએ શ્રીમત પર ચાલવું જોઈએ ને. તમને બુદ્ધિમાં છે
અમે વિશ્વનાં માલિક બનવાવાળા છીએ, ઓછી વાત થોડી છે. યાદ કરશો તો ખુશી પણ રહેશે. યાદ
ન રહેવાથી પાપ ભસ્મ નહીં થશે. એડોપ્ટ થયાં તો ખુશીનો પારો ચઢવો જોઇએ. પરંતુ માયા
ખૂબ વિઘ્ન નાખે છે. કાચ્ચાઓ ને પાડી દે છે. જે બાપની શ્રીમત જ નથી લેતા તે શું પદ
પામશે. થોડી મત લીધી તો પછી એવું જ હલકું પદ પામશે. સારી રીતે મત લેશે તો ઉંચ પદ
પામશે. આ બેહદની રાજધાની સ્થાપન થઈ રહી છે. આમાં ખર્ચા વગેરેની પણ કોઈ વાત નથી.
કુમારીઓ આવે છે, સીખીને અનેકોને આપ સમાન બનાવે છે, આમાં ફી વગેરેની વાત જ નથી. બાપ
કહે છે તમને સ્વર્ગની બાદશાહી આપું છું. હું સ્વર્ગમાં પણ નથી આવતો. શિવબાબા તો દાતા
છે ને. તેમને ખર્ચી શું આપશો. આમણે બધુંજ એમને આપી દીધું, વારીસ બનાવી દીધાં. વળતરમાં
જુઓ રાજાઈ મળે છે. આ પહેલું-પહેલું યાદગાર છે. આખાં વિશ્વ પર સ્વર્ગની સ્થાપના થાય
છે. ખર્ચો પાઇ પણ નથી. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પિતા સ્નેહી
બનવાનાં માટે ખૂબ-ખૂબ સુખદાયી બનવાનું છે. પોતાની બોલ ચાલ ખૂબ મીઠી રોયલ રાખવાની
છે. સર્વિસેબુલ (સેવાધારી) બનવાનું છે. નિરહંકારી બની સેવા કરવાની છે.
2. ભણતર અને બાપને
છોડીને ક્યારેય આપઘાતી મહાપાપી નથી બનવાનું. મુખ્ય છે રુહાની સર્વિસ, આ સર્વિસમાં
ક્યારેય થાકવાનું નથી. જ્ઞાન રત્નોનું દાન કરવાનું છે, મનહૂસ નથી બનવાનું.
વરદાન :-
‘હું’ અને
‘મારાંપણા’ નેબલીચઢાવવાવાળાસંપૂર્ણમહાબલીભવ
હદનાં કોઈ પણ વ્યક્તિ
અથવા વૈભવ થી લગાવ-આ મારાં પણું છે. આ મારાં પણાને અને હું કરું છું, મેં કર્યું….આ
હું પણા ને સંપૂર્ણ સમર્પણ કરવાવાળા અર્થાત્ બલી ચઢવાવાળા જ મહાબલી છે. જ્યારે હદનું
હું હું પણ સમર્પણ થાય ત્યારે સંપૂર્ણ અથવા બાપ સમાન બનશો. હું કરી રહ્યો છું, નહીં.
બાબા કરાવી રહ્યાં છે, બાબા ચલાવી રહ્યાં છે. કોઈ પણ વાતમાં હું નાં બદલે સદા નેચરલ
ભાષામાં પણ બાપ શબ્દ જ આવે, હું શબ્દ નહીં.
સ્લોગન :-
સંકલ્પો માં
એવી દૃઢતા ધારણ કરો જેનાથી વિચારવું અને કરવું સમાન થઈ જાય.