09-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
નશો હોવો જોઈએ કે આપણાં પારલૌકિક બાપ વન્ડર ઓફ ધ વર્લ્ડ ( સ્વર્ગ ) બનાવે છે , જેનાં
આપણે માલિક બનીએ છીએ ”
પ્રશ્ન :-
બાપ નાં સંગથી
તમને કઈ-કઈ પ્રાપ્તિઓ થાય છે?
ઉત્તર :-
બાપ નાં સંગથી આપણે મુક્તિ, જીવન-મુક્તિ નાં અધિકારી બની જઈએ છીએ. બાપનો સંગ તારી
દે છે (પાર લઈ જાય છે). બાબા આપણને પોતાનાં બનાવીને આસ્તિક અને ત્રિકાળદર્શી બનાવી
દે છે. આપણે રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણી જઈએ છીએ.
ગીત :-
ધીરજ ધર મનુઆ….
ઓમ શાંતિ!
આ કોણ કહે છે?
બાળકોને બાપ જ કહે છે, બધાં બાળકોને કહેવાનું હોય છે, કારણ કે બધાં દુઃખી છે,
અધીર્ય છે. બાપ ને યાદ કરે છે કે આવીને દુઃખ થી લીબરેટ (મુક્ત) કરો, સુખનો રસ્તો
બતાવો. હવે મનુષ્યોને, એમાં પણ ખાસ ભારતવાસીઓને આ યાદ નથી કે આપણે ભારતવાસી બહુજ
સુખી હતાં. ભારત પ્રાચીન થી પ્રાચીન વન્ડરફુલ લેન્ડ (ધરતી) હતી. વન્ડર ઓફ ધ વર્લ્ડ
કહે છે ને. અહીં માયાનાં રાજ્યમાં ૭ વન્ડર્સ ગવાય છે. તે છે સ્થૂળ વન્ડર્સ. બાપ
સમજાવે છે આ માયાનાં વન્ડર્સ છે, જેમાં દુઃખ છે. રામ, બાપનું વન્ડર છે સ્વર્ગ. તેજ
વન્ડર ઓફ વર્લ્ડ છે. ભારત સ્વર્ગ હતું, હીરા જેવું હતું. ત્યાં દેવી-દેવતાઓનું
રાજ્ય હતું. આ ભારતવાસી બધાં ભૂલી ગયાં છે. ભલે દેવતાઓની આગળ માથું નમાવે છે, પૂજા
કરે છે પરંતુ જેમની પૂજા કરે છે, તેમની બાયોગ્રાફી (જીવનકહાની) ને જાણવી જોઈએ ને. આ
બેહદનાં બાપ બેસી સમજાવે છે, અહીંયા તમે આવ્યાં છો પારલૌકિક બાપની પાસે. પારલૌકિક
બાપ છે સ્વર્ગ સ્થાપન કરવાવાળા. આ કાર્ય કોઈ મનુષ્ય નથી કરી શકતું. આમને (બ્રહ્મા
ને) પણ બાપ કહે છે - હેં કૃષ્ણની જૂની તમોપ્રધાન આત્મા તું પોતાનાં જન્મોને નથી
જાણતી. તમે કૃષ્ણ હતાં તો સતોપ્રધાન હતાં પછી ૮૪ જન્મ લેતાં હવે તમે તમોપ્રધાન બન્યાં
છો, ભિન્ન-ભિન્ન નામ તમારા પડયાં છે. હમણાં તમારું નામ બ્રહ્મા રાખ્યું છે. બ્રહ્મા
સો વિષ્ણુ અથવા શ્રીકૃષ્ણ બનશો. વાત એક જ છે-બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા.
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ સો પછી દેવતા બને છે. ફરી તેજ દેવી-દેવતા પછી શુદ્ર
બને છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. હમણાં બાપ બેસી આપ બાળકો ને સમજાવે છે, આ છે
ભગવાનુવાચ. તમે તો થઈ ગયાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી). તો તમને કેટલી ખુશી હોવી જોઈએ.
પરંતુ એટલી ખુશી રહેતી નથી. ધનવાન ધન નાં નશામાં ખૂબ ખુશ રહે છે ને. અહીં ભગવાન નાં
બાળક બન્યાં છો તો પણ એટલી ખુશીમાં નથી રહેતાં. સમજતાં નથી, પથ્થર બુદ્ધિ છે ને.
તકદીરમાં નથી તો જ્ઞાન ની ધારણા કરી નથી શકતાં. હવે તમને બાપ મંદિર લાયક બનાવી રહ્યાં
છે. પરંતુ માયાનો સંગ પણ ઓછો નથી. ગાયન છે સંગ તારે, કુસંગ બોરે. બાપનો સંગ તમને
મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જાય છે પછી રાવણનો કુસંગ તમને દુર્ગતિ માં લઈ જાય છે. ૫
વિકારો નો સંગ થઈ જાય છે ને. ભક્તિમાં નામ કહે છે સતસંગ પરંતુ સીડી તો નીચે ઉતરતાં
રહે છે સીડીથી કોઈ ધક્કો ખાશે તો જરૂર નીચે જ પડશે ને! સર્વનાં સદ્દગતિ દાતા એક બાપ
જ છે. કોઈ પણ હશે ભગવાન નો ઈશારો ઉપરમાં કરશે. હવે બાપ વગર બાળકોને પરિચય કોણ આપે?
બાપ જ બાળકોને પોતાનો પરિચય આપે છે. તેમને પોતાનાં બનાવી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું
નોલેજ આપે છે. બાપ કહે છે હું આવીને તમને આસ્તિક પણ બનાવું છું, ત્રિકાળદર્શી પણ
બનાવું છું. આ ડ્રામા છે, આ કોઈ સાધુ-સંત વગેરે નથી જાણતાં. તે હોય છે હદનાં ડ્રામા,
આ છે બેહદનો. આ બેહદનાં ડ્રામામાં આપણે સુખ પણ ખુબ નિહાળીએ છીએ તો દુઃખ પણ ખુબજ
નિહાળીએ છીએં. આ ડ્રામામાં કૃષ્ણ અને ક્રિશ્ચિયન નો પણ કેવો હિસાબ-કિતાબ છે. તેમણે
ભારત ને લડાવી રાજાઈ લીધી. હમણાં તમે લડતાં નથી. તેઓ પરસ્પરમાં લડે છે, રાજાઈ તમને
મળી જાય છે. આ ડ્રામા માં નોંધ છે. આ વાતો કોઈ પણ જાણતાં નથી. જ્ઞાન આપવા વાળા
જ્ઞાન નાં સાગર એક જ બાપ છે, જે સર્વની સદ્દગતિ કરે છે. ભારતમાં દેવી-દેવતાઓનું
રાજ્ય હતું તો સદ્દગતિ હતી. બાકી બધી આત્માઓ મુક્તિધામમાં હતી. ભારત સોનાનું હતું.
તમે જ રાજ્ય કરતાં હતાં. સતયુગમાં સૂર્યવંશી રાજ્ય હતું. હમણાં તમે સત્યનારાયણની કથા
સાંભળો છો. નર થી નારાયણ બનવાની આ કથા છે. આ પણ મોટા અક્ષરોમાં લખી દો-સાચી ગીતાથી
ભારત સચખંડ, વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બને છે. બાપ આવીને સાચી ગીતા સંભળાવે છે. સહજ
રાજયોગ શીખવાડે છે તો વર્થ પાઉન્ડ બની જઈએ છીએં. બાબા ટોટકા તો બહુજ સમજાવે છે,
પરંતુ બાળકો દેહ-અભિમાનનાં કારણે ભૂલી જાય છે. દેહી-અભિમાની બને તો ધારણા પણ થાય.
દેહ-અભિમાનને કારણે ધારણા થતી નથી.
બાપ સમજાવે છે હું થોડી કહું છું કે હું સર્વવ્યાપી છું. મને તો કહો પણ છો તમે
માતા-પિતા...તો આનો અર્થ શું? તમારી કૃપાથી સુખ ધનેરા. હમણાં તો દુઃખ છે. આ ગાયન કયા
સમયનું છે-આ પણ સમજતાં નથી. જેમ પક્ષી ચૂં-ચૂં કરતાં રહે છે, અર્થ કાંઈ નથી. તેમ આ
પણ ચૂં-ચૂં કરતાં રહે છે, અર્થ કાંઈ નથી. બાપ બેસી સમજાવે છે, આ બધું છે અનરાઈટીયસ
(અસત્ય). કોણે અનરાઈટીયસ બનાવ્યાં છે? રાવણએ. ભારત સચખંડ હતું તો બધાં સાચું બોલતાં
હતાં, ચોરી, ઠગી વગેરે કાંઈ પણ નહોતું. અહીંયા કેટલી ચોરી વગેરે કરે છે. દુનિયામાં
તો ઠગી જ ઠગી છે. આને કહેવાય જ છે - પાપની દુનિયા, દુઃખની દુનિયા. સતયુગ ને કહેવાય
છે સુખની દુનિયા. આ છે વિશશ, વેશ્યાલય, સતયુગ છે શિવાલય. બાપ કેટલું સારી રીતે બેસી
સમજાવે છે. નામ પણ કેટલું સરસ છે - બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય. હવે બાપ
આવીને સમજદાર બનાવે છે. કહે છે આ વિકારોને જીતો તો તમે જગતજીત બનશો. આ કામ જ
મહાશત્રુ છે. બાળકો બોલાવે પણ એટલે છે કે અમને આવીને ગોડ-ગોડેજ (દેવી-દેવતા) બનાવો.
બાપની યથાર્થ મહિમા આપ બાળકો જ જાણો છો. મનુષ્ય તો ન બાપને જાણે, ન બાપની મહિમાને
જાણે છે. તમે જાણો છો એ પ્રેમ નાં સાગર છે. બાપ આપ બાળકોને આટલું જ્ઞાન સંભળાવે છે,
આજ એમનો પ્રેમ છે. શિક્ષક વિદ્યાર્થી ને ભણાવે છે તો વિદ્યાર્થી શું થી શું બની જાય
છે. આપ બાળકોએ પણ બાપ જેવાં પ્રેમ નાં સાગર બનવાનું છે, પ્રેમથી કોઇને પણ સમજાવવાનું
છે. બાપ કહે છે તમે પણ એક-બીજાને પ્રેમ કરો. નંબરવન પ્રેમ છે-બાપનો પરિચય આપો. તમે
ગુપ્તદાન કરો છો. એક-બીજાનાં માટે ઘૃણા પણ ન રહેવી જોઈએ. નહીં તો તમારે પણ ડંડા ખાવા
પડશે. કોઈનો તિરસ્કાર કરશો તો ડંડા ખાશો. ક્યારેય પણ કોઈ થી નફરત નહીં રાખો,
તિરસ્કાર નહીં કરો. દેહ-અભિમાન માં આવવાથી જ પતિત બન્યાં છો. બાપ દેહી-અભિમાની બનાવે
છે તો તમે પાવન બનો છો. બધાને આજ સમજાવો કે હવે ૮૪નું ચક્ર પૂરું થયું છે. જે
સૂર્યવંશી મહારાજા-મહારાણી હતાં તે જ ફરી ૮૪ જન્મ લેતાં ઉતરતાં-ઉતરતાં હવે આવીને પટ
પર પડ્યાં છે. હવે ફરીથી મહારાજા-મહારાણી બનાવી રહ્યાં છે. બાપ ફક્ત કહે છે મામેકમ
યાદ કરો તો પાવન બની જશો. આપ બાળકોએ રહેમદિલ બની આખો દિવસ સર્વિસ (સેવા) નાં વિચાર
ચાલવવાં જોઈએ. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે-મીઠા બાળકો, રહમદિલ બની જે
બિચારી દુઃખી આત્માઓ છે, તે દુઃખી આત્માઓને સુખી બનાવો. તેમને પત્ર લખવો જોઈએ બહુજ
શોર્ટમાં (સંક્ષિપ્ત). બાપ કહે છે મને યાદ કરો અને વારસાને યાદ કરો. એક શિવબાબાની જ
મહિમા છે. મનુષ્યો ને બાપની મહિમાની પણ ખબર નથી. હિન્દીમાં પણ ચિઠ્ઠી લખી શકો છો.
સર્વિસ કરવાનો પણ બાળકોમાં હિંમત જોઈએ. ઘણાં છે જે આપઘાત કરવાં બેસી જાય છે, તેમને
પણ તમે સમજાવી શકો છો કે જીવ-ઘાત મહાપાપ છે. હમણાં આપ બાળકોને શ્રીમત આપવાવાળા છે
શિવબાબા. એ છે શ્રી શ્રી શિવબાબા. તમને બનાવે છે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ. શ્રી
શ્રી તો એ એક જ છે. એ ક્યારેય ચક્રમાં આવતા નથી. બાકી તમને શ્રી નું ટાઈટલ (શીર્ષક)
મળે છે. આજકાલ તો બધાને શ્રી નું ટાઈટલ આપતાં રહે છે. ક્યાં તે નિર્વિકારી, ક્યાં આ
વિકારી - રાત-દિવસનો ફરક છે. બાપ રોજ સમજાવતાં રહે છે-એક તો દેહી-અભિમાની બનો અને
બધાને સંદેશ પહોંચાડો. પૈગંબર નાં બાળકો તમે પણ છો. સર્વનાં સદ્દગતિ દાતા એક જ છે.
બાકી ધર્મ સ્થાપક ને ગુરુ થોડી કહેશે. સદ્દગતિ કરવાવાળા છે જ એક. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ થી પણ
ઘૃણા કે નફરત નથી કરવાની. રહેમદિલ બની દુઃખી આત્માઓને સુખી બનાવવાની સેવા કરવાની
છે. બાપ સમાન માસ્ટર પ્રેમનાં સાગર બનવાનું છે.
2. “ભગવાનનાં આપણે બાળક છીએં” આજ નશા અથવા ખુશી માં રહેવાનું છે. ક્યારેય માયાનાં
ઉલ્ટા સંગમાં નથી જવાનું. દેહી-અભિમાની બનીને જ્ઞાનની ધારણા કરવાની છે.
વરદાન :-
સ્મૃતિની
સ્વીચ ( બટન ) દ્વારા સ્વ કલ્યાણ અને સર્વનું કલ્યાણ કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ
સ્થિતિ નો આધાર સ્મૃતિ
છે. આ શક્તિશાળી સ્મૃતિ રહે કે “હું બાપનો અને બાપ મારાં” તો આજ સ્મૃતિ થી સ્વયંની
સ્થિતિ શક્તિશાળી રહેશે અને બીજાઓને પણ શક્તિશાળી બનાવશો. જેમ સ્વીચ ઓન કરવાથી
પ્રકાશ થઈ જાય છે એવી રીતે આ સ્મૃતિ પણ એક સ્વીચ છે. સદા સ્મૃતિ રુપી સ્વીચનું
અટેન્શન (ધ્યાન) હોય તો સ્વયંનું અને સર્વનું કલ્યાણ કરતાં રહેશો. નવો જન્મ થયો છે
તો નવી સ્મૃતિઓ હોય. જૂની બધી સ્મૃતિઓ સમાપ્ત - આજ વિધિથી સિદ્ધિ સ્વરુપનું વરદાન
પ્રાપ્ત થઇ જશે.
સ્લોગન :-
અતીન્દ્રિય
સુખની અનુભૂતિ કરવાનાં માટે પોતાનાં શાંત સ્વરુપ સ્થિતિમાં સ્થિત રહો.
માતેશ્વરીજીનાં અણમોલ
મહાવાક્ય
૧ . “ જ્ઞાની
તું આત્મા બાળકોની ભૂલ થવાથી ૧૦૦ ગુણા દંડ ”
આ અવિનાશી
જ્ઞાન યજ્ઞમાં આવી સાક્ષાત પરમાત્માનો હાથ લઈને પછી કારણે અકારણે જો તેમનાથી વિકર્મ
થઈ જાય છે તો તેની સજા બહુજ ભારે છે. જેમ જ્ઞાન લેવાથી તેમને ૧૦૦ ગુણા ફાયદો છે,
તેમ જ્ઞાન લેતાં કોઈ ભૂલ થઈ જાય છે તો પછી ૧૦૦ ગુણા દંડ પણ છે એટલે બહુજ ખબરદારી
રાખવાની છે. ભૂલ કરતાં રહેશો તો કમજોર પડતાં રહેશો એટલે નાની મોટી ભૂલ ને પકડતાં રહો,
આગળ નાં માટે પરીક્ષણ કરી ચાલતાં રહો. જુઓ, જેમ સમજદાર મોટો માણસ ખોટું કામ કરે છે
તો તેનાં માટે મોટી સજા છે અને જો નીચે પડેલો માણસ છે કાંઈ ખોટું કામ કરે છે તો તેનાં
માટે એટલી સજા નથી. હવે તમે પણ પરમાત્માનાં બાળક કહેવાઓ છો એટલાં જ તમારે દૈવીગુણ
ધારણ કરવાનાં છે, સાચાં બાપની પાસે આવો છો તો સાચાં થઈને રહેવાનું છે.
૨ . “ પરમાત્મા
જાની - જાનનહાર કેવી રીતે છે ?”
લોકો કહે છે પરમાત્મા જાની-જાનનહાર છે, હવે જાની-જાનનહાર નો અર્થ એ નથી કે બધાનાં
દિલોને જાણે છે. પરંતુ સૃષ્ટિ રચનાનાં આદિ-મધ્ય-અંતને જાણવાવાળા છે. બાકી એવું નથી
પરમાત્મા રચતા પાલનકર્તા અને સંહારકર્તા છે તો તેનો મતલબ એ છે કે પરમાત્મા પેદા કરે
છે, ખવડાવે છે અને મારે છે, પરંતુ એવું નથી. મનુષ્ય પોતાનાં કર્મોનાં હિસાબ-કિતાબ
થી જન્મ લે છે, તેનો મતલબ એ નથી કે પરમાત્મા બેસી તેમનાં ખરાબ સંકલ્પ અને સારા
સંકલ્પો ને જાણશે. એ તો જાણે છે કે અજ્ઞાનીઓ નાં દિલમાં શું ચાલતું હશે? આખો દિવસ
માયાવી સંકલ્પ ચાલતાં હશે અને જ્ઞાનીનાં અંદર શુદ્ધ સંકલ્પ ચાલતાં હશે, બાકી એક-એક
સંકલ્પને બેસી થોડી રીડ કરશે (વાંચશે)? બાકી પરમાત્મા જાણે છે, હવે તો બધાની આત્મા
દુર્ગતિને પહોંચેલી છે, તેમની સદ્દગતિ કેવી રીતે થવાની છે, આ બધી ઓળખ જાની-જાનનહાર
ને છે. હવે મનુષ્ય જે કર્મભ્રષ્ટ બન્યાં છે, તેમને શ્રેષ્ઠકર્મ કરાવવું, શીખવાડવું
અને તેમને કર્મબંધનથી છુટકારો આપવો, આ પરમાત્મા જાણે છે. પરમાત્મા કહે છે મુજ રચતા
અને મારી રચનાનાં આદિ-મધ્ય-અંતનું આ બધાં નોલેજ ને હું જાણું છું, તે ઓળખ તો આપ
બાળકો ને આપી રહ્યો છું. હવે આપ બાળકોએ એ બાપની નિરંતર યાદમાં રહેવાનું છે ત્યારે જ
સર્વ પાપોથી મુક્ત થશો અર્થાત્ અમરલોકમાં જશો, હવે આ જાણવાને જ જાની-જાનનહાર કહે
છે. અચ્છા. ઓમ શાંતિ.