03-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ભણતર
જ કમાણી છે , ભણતર સોર્સ ઓફ ઇન્કમ ( આવકનું સાધન ) છે , આ ભણતર થી જ તમારે ૨૧
જન્મોનાં માટે ખજાનો જમા કરવાનો છે ”
પ્રશ્ન :-
જે બાળકો પર
બ્રહસ્પતિની દશા હશે તેમની નિશાની શું દેખાશે?
ઉત્તર :-
તેમનું પૂરે-પૂરું ધ્યાન શ્રીમત પર હશે. ભણતર સારી રીતે ભણશે. ક્યારેય પણ ફેલ (નપાસ)
નહીં થશે. શ્રીમતનું ઉલ્લંઘન કરવાવાળા જ ભણતરમાં ફેલ થાય છે. તેમનાં પર પછી રાહુની
દશા બેસી જાય છે. હમણાં આપ બાળકો પર વૃક્ષપતિ બાપ દ્વારા બ્રહસ્પતિ ની દશા બેઠી છે.
ગીત :-
ઈસ પાપ કી દુનિયા સે ……...
ઓમ શાંતિ!
આ છે પાપ
આત્માઓની પોકાર. તમારે તો પોકારવાનું નથી કારણ કે તમે પાવન બની રહ્યાં છો. આ ધારણ
કરવાની વાત છે. બહુજ ભારે આ ખજાનો છે. જેમ સ્કૂલનું ભણતર પણ ખજાનો છે ને. ભણતર થી
શરીર નિર્વાહ ચાલે છે. બાળકો જાણે છે ભગવાન ભણાવે છે. આ બહુજ ઊંચી કમાણી છે કારણ કે
લક્ષ-હેતુ સામે ઊભું છે. સાચો-સાચો સતસંગ આ એક જ છે. બાકી બધાં છે જુઠ્ઠ સંગ. તમે
જાણો છો સતસંગ એક જ વાર હોય છે આખાં કલ્પમાં. જ્યારે કે પોકારે છે પતિત-પાવન આવો.
હવે તે પોકારતા રહે છે, અહીંયા તમારી સામે બેઠાં છે. આપ બાળકો જાણો છો આપણે
પુરુષાર્થ કરી રહ્યાં છીએ નવી દુનિયાનાં માટે, જ્યાં દુઃખનું નામ-નિશાન નહિ હશે.
તમને ચેન મળે છે સ્વર્ગમાં. નર્કમાં થોડી ચેન છે. આ તો વિષય સાગર છે, કળયુગ છે ને.
બધાં દુઃખી જ દુઃખી છે. ભ્રષ્ટાચાર થી પેદા થવાવાળા છે એટલે આત્મા પોકારે છે-બાબા
અમે પતિત બની ગયાં છીએં. પાવન થવા માટે ગંગામાં સ્નાન કરવા જાય છે. અચ્છા, સ્નાન
કર્યુ તો પાવન થઈ જવાં જોઈએ ને. પછી ઘડી-ઘડી ધક્કા કેમ ખાય છે? ધક્કા ખાતા સીડી નીચે
ઉતરતાં-ઉતરતાં પાપ આત્મા બની જાય છે. ૮૪ નું રહસ્ય આપ બાળકોને બાપ જ બેસી સમજાવે છે
બીજા ધર્મવાળા તો ૮૪ જન્મ લેતાં નથી. તમારી પાસે આ ૮૪ જન્મોનું ચિત્ર (સીડી) બહુજ
સારું બનેલું છે. કલ્પવૃક્ષનું પણ ચિત્ર છે ગીતામાં. પરંતુ ભગવાને ગીતા ક્યારે
સંભળાવી, શું આવીને કર્યુ, આ કાંઈ નથી જાણતાં. બીજા ધર્મવાળા પોત-પોતાનાં શાસ્ત્રને
જાણે છે, ભારતવાસી બિલકુલ નથી જાણતાં. બાપ કહે છે હું સંગમયુગ પર જ સ્વર્ગની સ્થાપના
કરવા આવું છું. ડ્રામામાં ચેન્જ (પરિવર્તન) થઇ નથી શકતું. જે કાંઈ ડ્રામામાં નોંધ
છે, તે હૂબહૂ થવાનું જ છે. એવું નહીં, થઈને પછી બદલાઈ જવાનું છે. આપ બાળકોની
બુદ્ધિમાં ડ્રામાનું ચક્ર પૂરું બેઠેલું છે. આ ૮૪નાં ચક્ર થી તમે ક્યારેય છૂટી નથી
શકતાં અર્થાત્ આ દુનિયા ક્યારેય ખતમ નથી થઈ શકતી. વર્લ્ડ (દુનિયા) ની
હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ (પુનરાવૃત્તિ) થતી જ રહે છે. આ ૮૪નું ચક્ર (સીડી) ખૂબજ
જરૂરી છે. ત્રિમૂર્તિ અને ગોળો તો મુખ્ય ચિત્ર છે. ગોળામાં ક્લિયર (સ્પષ્ટ) દેખાડેલું
છે - દરેક યુગ ૧૨૫૦ વર્ષનો છે. આ છે જેમ આંધળાની આગળ અરીસો. ૮૪ જન્મ-પત્રી નો અરીસો.
બાપ આપ બાળકોની દશા વર્ણન કરે છે. બાપ તમને બેહદની દશા બતાવે છે. હમણાં આપ બાળકો પર
બૃહસ્પતિની અવિનાશી દશા બેઠી છે. પછી છે ભણતર પર આધાર. કોઈ પર બૃહસ્પતિની, કોઈ પર
શુક્રની, કોઈ પર રાહુની દશા બેઠી છે. નપાસ થયા તો રાહુની દશા કહેશે. અહિયાં પણ એવું
જ છે. શ્રીમત પર નથી ચાલતાં તો રાહુની અવિનાશી દશા બેસી જાય છે. તે બૃહસ્પતિની
અવિનાશી દશા, આ પછી રાહુની દશા થઈ જાય છે. બાળકોએ ભણતર પર પૂરું ધ્યાન આપવું જોઈએ,
આમાં બહાનું ન આપવું જોઈએ. સેવાકેન્દ્ર દૂર છે, આ છે…..ચાલવામાં ૬ કલાક પણ લાગે તો
પણ પહોંચવું જોઇએ. મનુષ્ય યાત્રાઓ પર જાય છે, કેટલાં ધક્કા ખાય છે. પહેલાં ખૂબ
પગપાળા જતાં હતાં, બળદગાડા માં પણ જતાં હતાં. આ તો એક શહેરની વાત છે. આ બાપની કેટલી
મોટી યુનિવર્સિટી છે, જેનાથી તમે આ લક્ષ્મી-નારાયણ બનો છો. આવાં ઊંચા ભણતર માટે કોઈ
કહે દૂર પડે છે અથવા ફુરસદ નથી! બાપ શું કહેશે? આ બાળક તો લાયક નથી. બાપ ઊંચા ઉઠાવવા
આવે, આ પોતાનું સત્યાનાશ કરી દે છે.
શ્રીમત કહે છે-પવિત્ર બનો, દૈવીગુણ ધારણ કરો. સાથે રહેતાં પણ વિકારમાં નથી જવાનું.
વચમાં જ્ઞાન-યોગ ની તલવાર છે, આપણે તો પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે. હમણાં તો
પતિત દુનિયાનાં માલિક છીએ ને. તે દેવતાઓ હતાં ડબલ સિરતાજ પછી અડધાકલ્પ બાદ લાઈટ (પ્રકાશ)
નો તાજ ઉડી જાય છે. આ સમયે લાઈટનો તાજ કોઈનાં પર પણ નથી. ફક્ત જે ધર્મ સ્થાપક છે,
તેમનાં પર હોઈ શકે છે કારણ કે તે પવિત્ર આત્માઓ શરીરમાં આવીને પ્રવેશ કરે છે. આજ
ભારત છે, જેમાં ડબલ સિરતાજ પણ હતાં, સિંગલ તાજવાળા પણ હતાં. હમણાં સુધી પણ ડબલ
સિરતાજની આગળ સિંગલ તાજવાળા માથુ નમાવે છે કારણ કે તે છે પવિત્ર મહારાજા-મહારાણી.
મહારાજાઓ રાજાઓથી મોટા હોય છે, તેમની પાસે મોટી-મોટી જાગીર હોય છે. સભામાં પણ
મહારાજાઓ આગળ અને રાજાઓ પાછળ બેસે છે નંબરવાર. કાયદેસર તેમની દરબાર લાગે છે. આ પણ
ઈશ્વરીય દરબાર છે. આને ઇન્દ્રસભા પણ ગવાય છે. તમે જ્ઞાન થી પરીયો બનો છો. ખુબસુંદર
ને પરી કહેવાય છે ને. રાધે-કૃષ્ણની નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) છે ને, એટલે
સુંદર કહેવાય છે. પછી જ્યારે કામ ચિતા પર બેસે છે તો તેઓ પણ ભિન્ન નામ-રુપમાં શ્યામ
બને છે. શાસ્ત્રોમાં કોઈ આ વાતો નથી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણ ચીજો છે. જ્ઞાન
ઊંચેથી ઊંચું છે. હમણાં તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છો. તમને વૈરાગ્ય છે ભક્તિથી.
આ આખી તમોપ્રધાન દુનિયા હવે ખતમ થવાની છે, તેનાથી વૈરાગ્ય છે. જ્યારે નવું મકાન
બનાવે છે તો જૂનાથી વૈરાગ્ય થઈ જાય છે ને. તે છે હદની વાત, આ છે બેહદની વાત. હવે
બુદ્ધિ નવી દુનિયા તરફ છે. આ છે જૂની દુનિયા નર્ક, સતયુગ-ત્રેતાને કહેવાય છે શિવાલય.
શિવબાબાએ સ્થાપના કરેલી છે ને. હવે આ વેશ્યાલય થી તમને નફરત આવે છે. ઘણાઓને નફરત નથી
આવતી. લગ્ન બરબાદી કરી ગટરમાં પડવા માગે છે. મનુષ્ય તો બધાં છે વિષય વૈતરણી નદીમાં,
ગંદકીમાં પડ્યાં છે. એક-બીજાને દુઃખ આપે છે. ગવાય પણ છે અમૃત છોડી વિષ કેમ ખાઈએ. જે
કંઈ કહે છે તેનો અર્થ નથી સમજતાં. આપ બાળકોમાં પણ નંબરવાર છે. સેન્સિબુલ (સમજદાર)
શિક્ષક જોતાં જ સમજી જશે કે આમની બુદ્ધિ ક્યાંક ભટકી રહી છે, ક્લાસ ની વચ્ચે કોઈ
બગાસું લે અથવા ઝુટકા ખાય છે તો સમજાય છે આમની બુદ્ધિ ક્યાંય ઘરબાર અથવા ધંધા તરફ
ભટકી રહી છે. બગાસું થાક ની પણ નિશાની છે. ધંધામાં મનુષ્યની કમાણી થતી રહે છે તો
રાતનાં ૧-૨ વાગ્યા સુધી પણ બેઠાં રહે છે, ક્યારેય બગાસું નથી આવતું. આ તો બાપ કેટલો
ખજાનો આપે છે. બગાસું ખાવું ખોટ ની નિશાની છે. દેવાળું મારવાવાળા ઘુટકા ખાઈને ખૂબ
બગાસા ખાય છે. તમને તો ખજાના પાછળ ખજાના મળતાં રહે છે તો કેટલું અટેન્શન (ધ્યાન)
હોવું જોઈએ. ભણવાનાં સમયે કોઈ બગાસું ખાય તો સમજદાર શિક્ષક સમજી જશે કે આમનો
બુદ્ધિયોગ બીજી તરફ ભટકતો રહે છે. અહિયાં બેઠાં ઘરબાર યાદ આવશે, બાળકો યાદ આવશે.
અહીંયા તો તમારે ભટ્ઠીમાં રહેવાનું હોય છે, બીજા કોઈની યાદ ન આવે. સમજો કોઈ ૬ દિવસ
ભઠ્ઠીમાં રહ્યાં, પાછળથી કોઈની યાદ આવી, ચિઠ્ઠી લખી તો ફેલ (નપાસ) કહેવાશે ફરી ૭
દિવસ શરુ કરો. ૭ દિવસ ભઠ્ઠીમાં રખાય છે કે બધી બીમારી નીકળી જાય. તમે અડધાકલ્પ નાં
મહાનરોગી છો. બેઠાં-બેઠાં અકાળે મૃત્યુ થઇ જાય છે. સતયુગમાં આવું ક્યારેય થતું નથી.
અહીંયા તો કોઈને કોઈ બીમારી જરુર હોય છે. મરવાનાં સમયે બીમારીમાં બૂમો પાડતાં રહે
છે. સ્વર્ગમાં જરા પણ દુઃખ નથી હોતું. ત્યાં તો સમય પર સમજે છે-હવે ટાઈમ પૂરો થયો
છે, અમે આ શરીર છોડી બાળક બનીએ છીએં. અહીં પણ તમને સાક્ષાત્કાર થશે કે આ બનીએ છીએ.
એવાં અનેકોને સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન થી પણ જાણે છે કે અમે બેગર ટૂ પ્રિન્સ (ગરીબ
થી રાજકુમાર) બની રહ્યાં છીએં. આપણું લક્ષ-હેતુ જ આ રાધે-કૃષ્ણ બનવાનું છે.
લક્ષ્મી-નારાયણ નહીં, રાધે કૃષ્ણ કારણ કે પુરા ૫ હજાર વર્ષ તો આમનાં જ કહેશું.
લક્ષ્મી-નારાયણનાં તો પણ ૨૦-૨૫ વર્ષ ઓછાં થઈ જાય છે એટલે કૃષ્ણની મહિમા વધારે છે. આ
પણ કોઈને ખબર નથી કે રાધે-કૃષ્ણ જ ફરી થી લક્ષ્મી-નારાયણ બને છે. હમણાં આપ બાળકો
સમજતાં જાઓ છો, આ ભણતર છે. દરેક ગામડે-ગામડે સેવાકેન્દ્ર ખુલતાં જાય છે. તમારી આ છે
યુનિવર્સિટી કમ હોસ્પિટલ. આમાં ફક્ત ૩ પગ પૃથ્વીનાં જોઈએ. વન્ડર છે ને. જેમની
તકદીરમાં છે તો તેઓ પોતાનાં ઓરડામાં પણ સતસંગ ખોલી દે છે. અહીં જે બહુજ પૈસાવાળા
છે, તેમનાં પૈસા તો બધાં માટીમાં મળી જવાના છે. તમે બાપથી વારસો લઈ રહ્યાં છો
ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે. બાપ સ્વયં કહે છે-આ જૂની દુનિયા ને જોતાં બુદ્ધિનો યોગ
ત્યાં લગાવો, કર્મ કરતાં આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. દરેક વાત જોવાની હોય છે ને.
તમારી હવે પ્રેક્ટિસ થઈ રહી છે. બાપ સમજાવે છે હમેશાં શુદ્ધ કર્મ કરો, અશુદ્ધ કોઈ
કામ નહિ કરો. કોઈ પણ બીમારી છે તો સર્જન બેઠાં છે, તેમની સલાહ લો. દરેકની બીમારી
પોતાની છે, સર્જન થી તો સારી સલાહ મળશે. પૂછી શકો છો આ હાલતમાં શું કરીએ? અટેન્શન
રાખવાનું છે કે કોઈ વિકર્મ ન થઈ જાય.
આ પણ ગાયન છે જેવું અન્ન તેવું મન. માંસ ખરીદવા વાળા પર, વેચવાવાળા પર, ખવડાવવા વાળા
પર પણ પાપ લાગે છે. પતિત-પાવન બાપથી કોઈ વાત છુપાવી ન જોઈએ. સર્જન થી છુપાવ્યું તો
બીમારી છુટશે નહીં. આ છે બેહદનાં અવિનાશી સર્જન. આ વાતોને દુનિયા તો નથી જાણતી. તમને
પણ હમણાં નોલેજ મળી રહ્યું છે છતાં પણ યોગમાં ખૂબ કમી છે. યાદ બિલકુલ કરતાં નથી. આ
તો બાબા જાણે છે ફટ થી કોઈ યાદ રહી નહિ જશે. નંબરવાર તો છે ને. જ્યારે યાદ ની યાત્રા
પૂરી થશે ત્યારે કહેવાશે કર્માતીત અવસ્થા પુરી થઈ, પછી લડાઈ પણ પૂરી લાગશે, ત્યાં
સુધી કાંઈ ને કાંઈ થશે પાછું બંધ થતું રહેશે. લડાઈ તો ક્યારેય પણ છેડાઈ શકે છે.
પરંતુ વિવેક કહે છે જ્યાં સુધી રાજાઈ સ્થાપન નથી થઈ ત્યાં સુધી મોટી લડાઈ નહીં લાગશે.
થોડી-થોડી લાગીને બંધ થઈ જશે. આ તો કોઈ નથી જાણતું કે રાજાઈ સ્થાપન થઈ રહી છે.
સતોપ્રધાન, સતો, રજો, તમોબુદ્ધિ તો છે ને. તમારામાં પણ સતોપ્રધાન બુદ્ધિવાળા સારી
રીતે યાદ કરતાં રહેશે. બ્રાહ્મણ તો હમણાં લાખોના અંદાજમાં હશે પરંતુ તેમાં પણ સગા
અને લગા તો છે ને. સગા સારી સર્વિસ (સેવા) કરશે, મા-બાપ ની મત પર ચાલશે. લગા રાવણની
મત પર ચાલશે. કંઈક રાવણની મત પર, કંઈક રામની મત પર લંગડાતા ચાલશે. બાળકોએ ગીત
સાંભળ્યું. કહે છે-બાબા એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં ચેન હોય. સ્વર્ગમાં ચેન જ ચેન છે,
દુઃખ નું નામ નથી. સ્વર્ગ કહેવાય જ છે સતયુગ ને. હમણાં તો છે કળયુગ. અહીંયા પછી
સ્વર્ગ ક્યાંથી આવ્યું. તમારી બુદ્ધિ હવે સ્વચ્છ બનતી જાય છે. સ્વચ્છ બુદ્ધિવાળા ને
મલેચ્છ બુદ્ધિ નમન કરે છે. પવિત્ર રહેવાવાળાનું માન છે. સન્યાસી પવિત્ર છે તો
ગૃહસ્થી તેમને માથું નમાવે છે. સન્યાસી તો વિકારથી જન્મ લઈ ફરી સન્યાસી બને છે.
દેવતાઓને તો કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી. સંન્યાસીઓને ક્યારેય સંપૂર્ણ
નિર્વિકારી નહીં કહેશે. તો આપ બાળકોને અંદર બહુજ ખુશી નો પારો ચઢવો જોઇએ એટલે
કહેવાય છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓથી પૂછો, જે બાપથી વારસો લઇ રહ્યાં
છે, ભણી રહ્યાં છે. અહીં સમ્મુખ સાંભળવાથી નશો ચઢે છે પછી કોઈનો કાયમ રહે છે, કોઈનો
તો ઝટ ઉડી જાય છે. સંગદોષનાં કારણે નશો સ્થાઈ નથી રહેતો. તમારાં સેવાકેન્દ્ર પર એવાં
બહુજ આવે છે. થોડો નશો ચઢ્યો પછી પાર્ટી વગેરેમાં ક્યાંક ગયાં, દારુ, બીડી વગેરે
પીધું, ખલાસ. સંગદોષ બહુજ ખરાબ છે. હંસ અને બગલા સાથે રહી ન શકે. પતિ હંસ બને તો
પત્ની બગલો બની જાય. ક્યાંક પછી સ્ત્રી હંસની બની જાય, પતિ બગલો થઈ જાય છે. કહે
પવિત્ર બનો તો માર ખાય. કોઈ-કોઈ ઘરમાં બધાં હંસ હોય છે પછી ચાલતાં-ચાલતાં હંસથી
બદલાઈ બગલા બની જાય છે. બાપ તો કહે સ્વયંને બધાં સુખદાયી બનાવો. બાળકોને પણ સુખદાયી
બનાવો. આ તો દુઃખધામ છે ને. હમણાં તો બહુજ આફતો આવવાની છે પછી જોજો કેવી રીતે
ત્રાહી-ત્રાહી કરે છે. અરે, બાપ આવ્યાં, અમે બાપથી વારસો નહિ પામ્યાં પછી તો ટુ લેટ
(ખુબ મોડું) થઈ જશે. બાપ સ્વર્ગની બાદશાહી દેવાં આવે છે, તેઓ ગુમાવી બેસે છે એટલે
બાબા સમજાવે છે કે બાબાની પાસે હંમેશા મજબૂત ને લઇ આવો. જે સ્વયં સમજીને બીજાઓને પણ
સમજાવી શકે. બાકી બાબા કાંઈ ફક્ત જોવાની ચીજ તો છે નહીં. શિવબાબા ક્યાં દેખાય છે?
સ્વયંની આત્માને જોઈ છે શું? ફક્ત જાણો છો. તેમ પરમાત્માને પણ જાણવાનાં છે. દિવ્ય
દૃષ્ટિ વગર તેમને કાંઈ જોઇ નથી શકાતું. દિવ્ય દૃષ્ટિમાં હવે તમે સતયુગ જુઓ છો પછી
ત્યાં પ્રેકટિકલમાં ચાલવાનું છે. કળયુગ વિનાશ ત્યારે થશે જ્યારે આપ બાળકો કર્માતીત
અવસ્થાને પહોંચશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયાને જોતાં બુદ્ધિ નો યોગ બાપ કે નવી દુનિયા તરફ લાગેલો રહે. ધ્યાન રહે -
કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન થઈ જાય. હંમેશા શુદ્ધ કર્મ કરવાનાં છે, અંદર કોઈ
બીમારી છે તો સર્જન થી સલાહ લેવાની છે.
2. સંગદોષ બહુજ ખરાબ છે, તેનાથી પોતાની ખૂબ-ખુબ સંભાળ કરવાની છે. પોતાને અને
પરિવારને સુખદાયી બનાવવાનાં છે. ભણવાનાં માટે ક્યારેય બહાનું નથી આપવાનું.
વરદાન :-
પોતાનું બધુંજ
સેવામાં અર્પિત કરવાવાળા ગુપ્ત દાની પુણ્ય આત્મા ભવ
જે પણ સેવા કરો છો
તેને વિશ્વ કલ્યાણનાં માટે અર્પિત કરતાં ચાલો. જેમ ભક્તિમાં જે ગુપ્ત દાની પુણ્ય
આત્માઓ હોય છે તે એજ સંકલ્પ કરે છે કે સર્વનાં ભલા માટે હોય. એમ તમારો દરેક સંકલ્પ
સેવામાં અર્પિત હોય. ક્યારેય પોતાપણાની કામના નહીં રાખો. સર્વ પ્રતિ સેવા કરો. જે
સેવા વિઘ્નરુપ બને તેને સાચી સેવા નહીં કહેવાશે એટલે પોતાપણું છોડી ગુપ્ત અને સાચાં
સેવાધારી બની સેવા થી વિશ્વ કલ્યાણ કરતાં ચાલો.
સ્લોગન :-
દરેક વાત પ્રભુ
અર્પણ કરી દો તો આવવાવાળી મુશ્કેલીઓ સહજ અનુભવ થશે.