21-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
બાપ દ્વારા જે અદ્વૈત મત મળી રહી છે , તે મત પર ચાલીને કળયુગી મનુષ્યો ને સતયુગી
દેવતા બનાવવાનું શ્રેષ્ઠ કર્તવ્ય કરવાનું છે ”
પ્રશ્ન :-
બધાં
મનુષ્ય-માત્ર દુઃખી કેમ બન્યાં છે, તેનું મૂળ કારણ શું છે?
ઉત્તર :-
રાવણે બધાંને શ્રાપિત કરી દીધાં છે, એટલે બધાં દુઃખી બન્યાં છે. બાપ વારસો આપે છે,
રાવણ શ્રાપ આપે છે-આ પણ દુનિયા નથી જાણતી. બાપએ વારસો આપ્યો ત્યારે તો ભારતવાસી આટલાં
સુખી સ્વર્ગનાં માલિક બન્યાં, પૂજ્ય બન્યાં. શ્રાપિત થવાથી પૂજારી બની જાય છે.
ઓમ શાંતિ!
બાળકો અહીં
મધુબનમાં આવે છે બાપદાદાનાં પાસે. હોલમાં જયારે આવો છો, જુઓ છો પહેલાં બહેન-ભાઈ બેસે
છે પછી પાછળ જુઓ છો બાપદાદા આવેલાં છે તો બાપની યાદ આવે છે. તમે છો પ્રજાપિતા
બ્રહ્માનાં બાળકો, બ્રાહ્મણ અને બ્રાહ્મણીઓ. તે બ્રાહ્મણ તો બ્રહ્મા બાપને જાણતાં જ
નથી. આપ બાળકો જાણો છો - બાપ જ્યારે આવે છે તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ જરુર જોઈએ.
કહે પણ છે ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. હવે ત્રણેય દ્વારા તો નહિ બોલશે ને. આ વાતો
સારી રીતે બુદ્ધિમાં ધારણ કરવાની છે. બેહદનાં બાપથી જરુર સ્વર્ગનો વારસો મળે છે,
એટલે બધાં ભક્ત ભગવાન થી શું ઈચ્છે છે? જીવનમુક્તિ. હમણાં છે જીવન-બંધ. બધાં બાપ ને
યાદ કરે છે કે આવીને આ બંધનથી મુક્ત કરો. હમણાં આપ બાળકો જ જાણો છો કે બાબા આવેલાં
છે. કલ્પ-કલ્પ બાપ આવે છે. પોકારે પણ છે-તમે માતા-પિતા…...પરંતુ તેનો અર્થ તો કોઈ
પણ નથી સમજતાં. નિરાકાર બાપનાં માટે સમજી લે છે. ગાએ છે પરંતુ મળતું કાંઈ પણ નથી.
હમણાં આપ બાળકોને એમનાથી વારસો મળે છે ફરી કલ્પ બાદ મળશે. બાળકો જાણે છે બાપ
અડધાકલ્પ માટે આવીને વારસો આપે છે અને રાવણ પછી શ્રાપ આપે છે. આ પણ દુનિયા નથી જાણતી
કે આપણે બધાં શ્રાપિત છીએ. રાવણ નો શ્રાપ લાગેલો છે એટલે બધાં દુઃખી છે. ભારતવાસી
સુખી હતાં. કાલે આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય ભારતમાં હતું. દેવતાઓની આગળ માથું નમાવે
છે, પૂજા કરે છે, પરંતુ સતયુગ ક્યારે હતું, આ કોઈને ખબર નથી. હવે જુઓ લાખો વર્ષની
આયુ ફક્ત સતયુગની દેખાડેલી છે, પછી ત્રેતાની, દ્વાપર-કળયુગની, તે હિસાબ થી મનુષ્ય
કેટલાં અગણિત થઈ જાય. ફક્ત સતયુગમાં અગણિત મનુષ્ય થઈ જાય. કોઈ પણ મનુષ્યની બુદ્ધિ
માં નથી બેસતું. બાપ બેસી સમજાવે છે કે જુઓ ગવાય પણ છે ૩૩ કરોડ દેવતાઓ હોય છે. એવું
થોડી તે કોઈ લાખો વર્ષમાં થઇ શકે છે. તો આ પણ મનુષ્યોને સમજાવવું પડે.
હમણાં તમે સમજો છો કે બાબા આપણને સ્વચ્છ બુદ્ધિ બનાવે છે. રાવણ મલેચ્છ બુદ્ધિ બનાવે
છે. મુખ્ય વાત તો આ છે. સતયુગમાં છે પવિત્ર, અહીંયા છે અપવિત્ર. આ પણ કોઈને ખબર નથી
કે રામરાજ્ય ક્યાંર થી ક્યાં સુધી? રાવણ રાજ્ય ક્યાંર થી ક્યાં સુધી હોય છે? સમજે
છે અહીં જ રામરાજ્ય પણ છે, રાવણ રાજ્ય પણ છે. અનેક મત-મતાંતર છે ને. જેટલાં છે
મનુષ્ય, એટલી છે મતો. હવે અહીંયા આપ બાળકોને એક અદ્વેત મત મળે છે જે બાપ જ આપે છે.
તમે હમણાં બ્રાહ્મા દ્વારા દેવતા બની રહ્યાં છો. દેવતાઓની મહિમા ગવાય છે - સર્વગુણ
સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ…..છે તો તે પણ મનુષ્ય, મનુષ્યની મહિમા ગાય છે કેમ? જરુર ફરક
હશે ને. હમણાં આપ બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર મનુષ્યને દેવતા બનાવવાનું
કર્તવ્ય શીખો છો. કળયુગી મનુષ્યને તમે સતયુગી દેવતા બનાવો છો અર્થાત્ શાંતિધામ,
બ્રહ્માંડનાં અને વિશ્વનાં માલિક બનાવો છો, આ તો શાંતિધામ નથી ને. અહિયાં તો કર્મ
જરુર કરવું પડે. તે છે સ્વીટ સાઈલેન્સ હોમ. હમણાં તમે સમજો છો આપણે આત્માઓ સ્વીટ
હોમ, બ્રહ્માંડનાં માલિક છીએં. ત્યાં દુઃખ-સુખ થી ન્યારા રહીએ છીએં. પછી સતયુગમાં
વિશ્વનાં માલિક બનીએ છીએં. હમણાં આપ બાળકો લાયક બની રહ્યાં છો. લક્ષ્ય-હેતુ
એક્યુરેટ સામે ઉભું છે. આપ બાળકો છો યોગબળ વાળા. તે છે બાહુબળ વાળા. તમે પણ છો
યુદ્ધનાં મેદાન પર, પરંતુ તમે છો ડબલ અહિંસક. તેઓ છે હિંસક. હિંસા કામ કટારી ને
કહેવાય છે. સન્યાસી પણ સમજે છે આ હિંસા છે એટલે પવિત્ર બને છે. પરંતુ તમારા સિવાય
બાપની સાથે પ્રીત કોઈની છે નહીં. આશિક માશૂક ની પ્રીત હોય છે ને. તે આશિક માશૂક તો
એક જન્મનાં ગવાય છે. તમે બધાં છો મુજ માશૂક નાં આશિક. ભક્તિમાર્ગમાં મુજ એક માશૂક
ને યાદ કરતાં આવ્યાં છો. હવે હું કહું છું આ અંતિમ જન્મ ફક્ત પવિત્ર બનો અને યથાર્થ
રીતે યાદ કરો તો પછી યાદ કરવાથી જ તમે છૂટી જશો. સતયુગમાં યાદ કરવાની દરકાર જ નહીં
રહેશે. દુઃખમાં બધાં સિમરણ કરે છે. આ છે નર્ક. આને સ્વર્ગ તો નહીં કહેશે ને. મોટા
વ્યક્તિ જે ધનવાન છે તેઓ સમજે છે અમારાં માટે તો અહિયાં જ સ્વર્ગ છે. વિમાન વગેરે
બધાં વૈભવ છે, કેટલી અંધશ્રદ્ધા માં રહે છે. ગાએ પણ છે તમે માતા પિતા…..પરંતુ સમજતાં
કાંઈ નથી. કયા સુખ ઘનેરા મળ્યાં-આ કોઈ પણ નથી જાણતું. બોલે તો આત્મા છે ને. તમે
આત્માઓ સમજો છો અમને સુખ ઘનેરા મળવાનાં છે. તેનું નામ જ છે-સ્વર્ગ, સુખધામ. સ્વર્ગ
બધાંને બહુજ મીઠું પણ લાગે છે. તમે હમણાં જાણો છો સ્વર્ગમાં હીરા ઝવેરાતનાં કેટલાં
મહેલ હતાં. ભક્તિમાર્ગમાં પણ કેટલું અગણિત ઘન હતું, જે સોમનાથનું મંદિર બનાવ્યું
છે. એક-એક ચિત્રો લાખોની કિંમત વાળા હતાં. તે બધાં ક્યાં ચાલ્યાં ગયાં? કેટલું
લૂંટીને લઈ ગયાં! મુસલમાનો એ જઈને મસ્જીદો વગેરેમાં લગાવ્યાં, એટલું અથાહ ધન હતું.
હમણાં આપ બાળકોની બુદ્ધિમાં છે આપણે બાપ દ્વારા ફરીથી સ્વર્ગનાં માલિક બનીએ છીએં.
આપણાં મહેલ સોનાનાં હશે. દરવાજા પર પણ જડતર લાગેલી હશે. જૈનોનાં મંદિરમાં પણ આવાં
બનેલાં હોય છે. હવે હીરા વગેરે તો નથી ને, જે પહેલાં હતાં. હવે તમે જાણો છો આપણે
બાપથી સ્વર્ગનો વારસો લઇ રહ્યાં છીએં. શિવબાબા આવે પણ ભારતમાં જ છે. ભારત ને જ શિવ
ભગવાનથી સ્વર્ગ નો વારસો મળે છે. ક્રિશ્ચન પણ કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં
ભારત હેવન (સ્વર્ગ) હતું. રાજ્ય કોણ કરતું હતું? આ કોઈને ખબર નથી. બાકી એ સમજે છે
ભારત બહુજ જૂનું છે. તો આજ સ્વર્ગ હતું ને. બાપને કહે પણ છે હેવનલી ગોડફાધર અર્થાત્
હેવન સ્થાપન કરવા વાળા ફાધર. જરુર ફાધર આવ્યાં હશે, ત્યારે તમે સ્વર્ગનાં માલિક
બન્યાં હશો. દરેક ૫ હજાર વર્ષ પછી સ્વર્ગનાં માલિક બનો છો પછી અડધાકલ્પ બાદ રાવણ
રાજ્ય શરુ થાય છે. ચિત્રોમાં પણ એવું ક્લિયર (સ્પષ્ટ) કરી દેખાડો જે લાખો વર્ષની
વાત બુદ્ધિથી જ નીકળી જાય. લક્ષ્મી-નારાયણ કોઈ એક નથી, તેમની ડિનાયસ્ટી (વંશજ) હશે
ને પછી તેમનાં બાળકો રાજા બનતાં હશે. રાજાઓ તો બહુજ બને છે ને. આખી માળા બનેલી છે.
માળા ને જ સીમરણ કરતાં રહે છે. જે બાપનાં મદદગાર બની બાપની સર્વિસ કરે છે તેમની જ
માળા બને છે. જે પુરા ચક્રમાં આવે છે, પૂજ્ય પૂજારી બને છે તેમનું આ યાદગાર છે. તમે
પૂજ્ય થી પૂજારી બનો છો તો પછી પોતાની માળાને બેસી પૂજો છો. પહેલાં માળા પર હાથ
લગાવીને પછી માથું નમાવશે. પછી માળાને ફેરવવાનું શરુ કરે છે. તમે પણ આખું ચક્ર લગાવો
છો પછી શિવબાબાથી વારસો પામો છો. આ રહસ્ય તમે જ જાણો છો. મનુષ્ય તો કોઈ કોઈનાં નામ
પર, કોઈ કોઈનાં નામ પર માળા ફેરવે છે. જાણતાં કાંઈ પણ નથી. હમણાં તમને માળાનું બધું
જ્ઞાન છે, બીજા કોઈને આ જ્ઞાન નથી. ક્રિશ્ચન થોડી સમજે છે કે આ કોની માળા ફેરવે છે.
આ માળા છે જ તેમની જે બાપનાં મદદગાર બની સર્વિસ (સેવા) કરે છે. આ સમયે બધાં પતિત
છે, જે પાવન હતાં તે બધાં અહીંયા આવતાં-આવતાં હવે પતિત બન્યાં છે, પછી નંબરવાર બધાં
જશે. નંબરવાર આવે છે, નંબરવાર જાય છે. કેટલી સમજવાની વાતો છે. આ ઝાડ છે. કેટલી
ડાળ-ડાળિયો મઠ પંથ છે. હવે આ આખું ઝાડ ખલાસ થવાનું છે, પછી તમારું ફાઉન્ડેશન (પાયો)
લાગશે. તમે છો આ ઝાડનાં ફાઉન્ડેશન. તેમાં સૂર્યવંશી, ચંદ્રવંશી બંને છે.
સતયુગ-ત્રેતામાં જે રાજ્ય કરવાં વાળા હતાં, તેમનો હમણાં ધર્મ જ નથી, ફક્ત ચિત્ર છે.
જેમનાં ચિત્ર છે તેમની બાયોગ્રાફી (જીવનકહાની) ને તો જાણવું જોઈએ ને. કહી દે છે
ફલાણી ચીજ લાખો વર્ષ જૂની છે. હવે હકીકતમાં જૂનાંમાં જૂનો છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ. તેમની આગળ તો કોઈ ચીજ હોઈ ન શકે. બાકી બધી ૨૫૦૦ વર્ષની ચીજો હશે, નીચે થી
ખોદીને નીકાળે છે ને. ભક્તિમાર્ગમાં જે પૂજા કરે છે તે જૂનાં ચિત્ર નીકાળે છે કારણ
કે અર્થક્વેક (ધરતીકંપ) માં બધાં મંદિર વગેરે પડી જાય છે પછી નવાં બને છે. હીરા,
સોના વગેરેની ખાણો જે હમણાં ખાલી થઈ ગઈ છે તે ફરી ત્યાં ભરતું થઇ જશે. આ બધી વાતો
હમણાં તમારી બુદ્ધિમાં છે ને. બાપે વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવી છે. સતયુગમાં
કેટલાં થોડાં મનુષ્ય હોય છે પછી વૃદ્ધિને પામે છે. આત્માઓ બધી પરમધામ થી આવતી રહે
છે. આવતાં-આવતાં ઝાડ વધે છે. ફરી જ્યારે ઝાડ જડજડીભૂત અવસ્થાને પામે છે તો કહેવાય
છે રામ ગયો રાવણ ગયો , જિનકા બહુ પરિવાર હૈ. અનેક ધર્મ છે ને. આપણો પરિવાર કેટલો
નાનો છે. આ ફક્ત બ્રાહ્મણોનો જ પરિવાર છે. તે કેટલાં અનેક ધર્મ છે, જનસંખ્યા બતાવે
છે ને. તે બધાં છે રાવણ સંપ્રદાય. આ બધાં જશે. બાકી થોડા જ રહેશે. રાવણ સંપ્રદાય પછી
સ્વર્ગમાં નહીં આવશે, બધાં મુક્તિધામમાં જ રહેશે. બાકી તમે જે ભણો છો તે નંબરવાર
આવશે સ્વર્ગમાં.
હવે આપ બાળકોએ સમજયું છે કેવું એ નિરાકારી ઝાડ છે, આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે. આ
તમારી બુદ્ધિમાં છે. ભણતર પર ધ્યાન નહિ દેશો તો પરીક્ષામાં નપાસ થઈ જશો. ભણતાં અને
ભણાવતાં રહેશો તો ખુશી પણ રહેશે. જો વિકારમાં પડ્યાં તો બાકી આ બધું ભૂલી જવાશે.
આત્મા જ્યારે પવિત્ર સોનું હોય ત્યારે તેમાં ધારણા સારી થાય. સોનાનું વાસણ હોય છે
પવિત્ર ગોલ્ડન. જો કોઈ પતિત બન્યાં તો જ્ઞાન સંભળાવી નથી શકતાં. હમણાં તમે સામે બઠાં
છો, જાણો છો ગોડફાધર શિવબાબા આપણને આત્માઓને ભણાવી રહ્યાં છે. આપણે આત્માઓ આ
ઓર્ગન્સ (અંગો) દ્વારા સાંભળી રહી છે. ભણાવવા વાળા બાપ છે, આવી પાઠશાળા આખી દુનિયામાં
ક્યાંય હશે. એ ગોડફાધર છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે, બધાંને પાછાં લઈ જશે. હમણાં
તમે બાપની સમ્મુખ બેઠાં છો. સમ્મુખ મુરલી સાંભળવામાં કેટલો ફરક છે. જેમ આ ટેપ મશીન
નીકળ્યું છે, બધાંની પાસે એક દિવસ આવી જશે. બાળકોનાં સુખ માટે બાપ એવી ચીજો બનાવડાવે
છે. કોઈ મોટી વાત નથી ને. આ શામળ શાહ છે ને. પહેલા સુંદર હતાં, હવે શ્યામ બન્યાં છે
ત્યારે તો શ્યામ સુંદર કહે છે. તમે જાણો છો આપણે સુંદર હતાં, હવે શ્યામ બન્યાં છીએં
ફરી સુંદર બનશું. ફક્ત એક કેમ બનશે? એકને સાપે ડંખ માર્યો શું? સાપ તો માયાને
કહેવાય છે ને. વિકારમાં જવાથી શ્યામ બની જાય છે. કેટલી સમજવાની વાતો છે. બેહદનાં
બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં આ અંતિમ જન્મ મારી માટે પવિત્ર બનો. બાળકો થી
આ ભીખ માંગે છે. કમળફૂલ સમાન પવિત્ર બનો અને મને યાદ કરો તો આ જન્મ પણ પવિત્ર બનશો
અને યાદમાં રહેવાથી ભૂતકાળનાં વિકર્મ પણ વિનાશ થશે. આ છે યોગ અગ્નિ, જેનાંથી
જન્મ-જન્માંતરનાં પાપ દગ્ધ થાય છે. સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવો છો તો કળા
ઓછી થતી જાય છે. ખાદ પડતી જાય છે. હવે બાપ કહે છે ફક્ત મામેકમ્ યાદ કરો. બાકી પાણીની
નદીઓમાં સ્નાન કરવાથી થોડી પાવન બનશે. પાણી પણ તત્વ છે ને. ૫ તત્વ કહેવાય છે. આ
નદીઓ કેવી રીતે પતિત-પાવની થઈ શકે છે. નદીઓ તો સાગર થી નીકળે છે. પહેલાં તો સાગર
પતિત-પાવન હોવો જોઈએ ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિજય માળામાં
આવવાનાં માટે બાપનાં મદદગાર બની સર્વિસ કરવાની છે. એક માશૂક ની સાથે સાચી પ્રીત
રાખવાની છે. એકને જ યાદ કરવાનાં છે.
2. પોતાનાં એક્યુરેટ લક્ષ્ય-હેતુને સામે રાખી પૂરો પુરુષાર્થ કરવાનો છે. ડબલ અહિંસક
બની મનુષ્યને દેવતા બનાવવાનું શ્રેષ્ઠ કર્તવ્ય કરતાં રહેવાનું છે.
વરદાન :-
હું પણા નાં
ભાન ને મટાવવા વાળા બ્રહ્મા બાપ સમાન શ્રેષ્ઠ ત્યાગી ભવ
સંબંધ નો ત્યાગ, વૈભવો
નો ત્યાગ કોઈ મોટી વાત નથી પરંતુ દરેક કાર્યમાં, સંકલ્પમાં પણ બીજાઓને આગળ રાખવાની
ભાવના રાખવી અર્થાત્ પોતાપણા ને મટાડી દેવું, પહેલાં તમે કરો…..આ છે શ્રેષ્ઠ ત્યાગ.
આને જ કહેવાય છે સ્વયંનાં ભાનને મટાડી દેવું. જેમ બ્રહ્મા બાપએ સદા બાળકોને આગળ
રાખ્યાં. “હું આગળ રહું” આમાં પણ સદા ત્યાગી રહ્યાં, આજ ત્યાગનાં કારણે સૌથી આગળ
અર્થાત્ નંબરવન માં જવાનું ફળ મળ્યું. તો ફોલો ફાધર (બાપનું અનુકરણ કરો).
સ્લોગન :-
ફટ થી કોઈની
ખામી નીકાળી દેવી-આ પણ દુઃખ દેવું છે.