03-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
ફર્જ - અદાઈ છે ઘર - ઘરમાં બાપ નો સંદેશ આપવો , કોઈ પણ હાલતમાં યુક્તિ રચીને બાપ નો
પરિચય દરેકને અવશ્ય આપો ”
પ્રશ્ન :-
આપ બાળકોને કઈ
એક વાતનો શોખ રહેવો જોઈએ?
ઉત્તર :-
જે નવાં-નવાં પોઇન્ટસ (મુદ્દાઓ) નીકળે છે, તેને પોતાની પાસે નોંધ કરવાનો શોખ રહેવો
જોઈએ કારણકે આટલાં બધાં પોઇન્ટસ યાદ રાખવા મુશ્કિલ છે. લખાણ લઈને પછી કોઈને
સમજાવવાનું છે. એવું પણ નહિ કે લખીને પછી ચોપડી પડી રહે. જે બાળકો સારી રીતે સમજે
છે તેમને નોટસ લેવાનો ખુબ શોખ રહે છે.
ગીત :-
લાખ જમાનેવાલે…..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો, આ અક્ષર એક બાપ જ કહી શકે છે. રુહાની
બાપ વગર ક્યારેય કોઈ કોઈને રુહાની બાળકો કહી નથી શકતાં. બાળકો જાણે છે બધી રુહોનાં
એક જ બાપ છે, આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. ગાએ પણ છે બ્રધરહુડ (ભાઈચારો), તો પણ માયાની
પ્રવેશતા એવી છે જે પરમાત્માને સર્વવ્યાપી કહી દે છે તો ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય
છે. રાવણ રાજ્ય જૂની દુનિયામાં જ હોય છે. નવી દુનિયામાં રામ રાજ્ય અથવા ઈશ્વરીય
રાજ્ય કહેવાય છે. આ સમજવાની વાતો છે. બે રાજ્ય જરુર છે-ઈશ્વરીય રાજ્ય અને આસુરી
રાજ્ય. નવી દુનિયા અને જૂની દુનિયા. નવી દુનિયા જરુર બાપ જ રચતા હશે. આ દુનિયામાં
મનુષ્ય નવી દુનિયા અને જૂની દુનિયા ને પણ નથી સમજતાં. એટલે કંઈ નથી જાણતાં. તમે પણ
કંઈ નહોતા જાણતાં, બેસમજ હતાં. નવી સુખની દુનિયા કોણ સ્થાપન કરે છે પછી જૂની
દુનિયામાં દુઃખ કેમ હોય છે, સ્વર્ગ થી નર્ક કેવી રીતે બને છે, આ કોઈને પણ ખબર નથી.
આ વાતોને તો મનુષ્ય જ જાણશે ને. દેવતાઓનાં ચિત્ર પણ છે તો જરુર આદિ-સનાતન
દેવી-દેવતાઓનું રાજ્ય હતું. આ સમયે નથી. આ છે પ્રજાનું પ્રજા પર રાજ્ય. બાપ ભારતમાં
જ આવે છે. મનુષ્યોને આ ખબર નથી કે શિવબાબા ભારતમાં આવીને શું કરે છે. પોતાનાં ધર્મને
જ ભૂલી ગયાં છે. તમારે હવે પરિચય આપવાનો છે ત્રિમૂર્તિ અને શિવબાપ નો. બ્રહ્મા દેવતા,
વિષ્ણુ દેવતા, શંકર દેવતા કહેવાય છે પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો આપ બાળકોએ
ત્રિમૂર્તિ શિવનો જ પરિચય આપવાનો છે. આવી-આવી સર્વિસ (સેવા) કરવાની છે. કોઈ પણ
હાલતમાં બાપ નો પરિચય બધાને મળે તો બાપ થી વરસો લઈ લે. તમે જાણો છો આપણે હમણાં વરસો
લઇ રહ્યાં છીએ. બીજા પણ ઘણાએ વારસો લેવાનો છે. આપણા ઉપર ફર્જ-અદાઈ છે ઘર-ઘરમાં બાપનો
સંદેશ આપવાની. હકીકતમાં મેસેન્જર (સંદેશવાહક) એક બાપ જ છે. બાપ સ્વયંનો પરિચય તમને
આપે છે. તમારે પછી બીજાઓને બાપનો પરિચય આપવાનો છે. બાપનું નોલેજ આપવાનું છે. મુખ્ય
છે ત્રિમૂર્તિ શિવ, આમનો જ કોટ ઓફ આર્મસ (સૂચક ચિન્હ) પણ બનાવ્યો છે. ગવર્મેન્ટ (સરકાર)
આનો યથાર્થ અર્થ નથી સમજતી. એમાં ચક્ર પણ આપ્યું છે ચરખા જેવું અને એમાં પછી લખ્યું
છે સત્યમેવ જયતે. આનો અર્થ તો નીકળતો નથી. આ તો સંસ્કૃત અક્ષર છે. હવે બાપ તો છે જ
ટ્રુથ (સત્ય). એ જે સમજાવે છે તેમાં તમારી વિજય થાય છે આખાં વિશ્વ પર. બાપ કહે છે
હું સત્ય કહું છું તમે આ ભણતર થી સાચાં-સાચાં નારાયણ બની શકો છો. તે લોકો શું-શું
અર્થ નીકાળે છે. તે પણ તેમનાથી પૂછવું જોઈએ. બાબા તો અનેક પ્રકારથી સમજાવે છે.
જ્યાં-જ્યાં મેળો લાગે છે ત્યાં નદીઓ પર પણ જઈને સમજાવો. પતિત-પાવન ગંગા તો હોઈ ન
શકે. નદીઓ સાગર થી નીકળી છે. તે છે પાણીનો સાગર. તેનાથી પાણીની નદીઓ નીકળે છે.
જ્ઞાનસાગર થી જ્ઞાનની નદીઓ નીકળશે. આપ માતાઓમાં હવે જ્ઞાન છે, ગૌમુખ પર જાય છે, તેનાં
મુખથી પાણી નીકળે છે, સમજે છે આ ગંગાનું જળ છે. આટલાં ભણેલાં-ગણેલા મનુષ્ય સમજતા નથી
કે અહીંયા ગંગાનું જળ ક્યાંથી નીકળશે. શાસ્ત્રોમાં છે કે બાણ માર્યું અને ગંગા નીકળી
આવી. હવે આ તો છે જ્ઞાનની વાતો. એવું નથી કે અર્જુને બાણ માર્યું અને ગંગા નીકળી આવી.
કેટલાં દૂર-દૂર તીર્થો પર જાય છે. કહે છે શંકરની જટાઓથી ગંગા નીકળી, જેમાં સ્નાન
કરવાથી મનુષ્ય થી પરી બની જાય છે. મનુષ્ય થી દેવતા બની જાય, આ પણ પરી જેવું થયું
ને.
હવે આપ બાળકોએ બાપનો જ પરિચય આપવાનો છે એટલે બાબાએ આ ચિત્ર બનાવડાવ્યાં છે.
ત્રિમૂર્તિ શિવનાં ચિત્રમાં બધું નોલેજ છે. ફક્ત તેમનાં ત્રિમૂર્તિનાં ચિત્રમાં
નોલેજ આપવાવાળા શિવનું ચિત્ર નથી. નોલેજ લેવાવાળાનું ચિત્ર છે. હવે તમે ત્રિમૂર્તિ
શિવનાં ચિત્ર પર સમજાવો છો. ઉપર છે નોલેજ આપવાવાળા. બ્રહ્માને એમનાં થી નોલેજ મળે
છે જે પછી ફેલાવે છે. આને કહેવાય છે ઈશ્વરનાં ધર્મની સ્થાપના ની મશીનરી (યંત્ર). આ
દેવી-દેવતા ધર્મ બહુજ સુખ આપવાવાળો છે. આપ બાળકોને સ્વયંનાં સત્ય ધર્મનો પરિચય મળ્યો
છે. તમે જાણો છો આપણને ભગવાન ભણાવે છે. તમે કેટલાં ખુશ થાઓ છો. બાપ કહે છે આપ
બાળકોની ખુશીનો પારાવાર ન હોવો જોઈએ કારણકે તમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે, ભગવાન
તો નિરાકાર શિવ છે, ન કે શ્રીકૃષ્ણ. બાપ બેસી સમજાવે છે સર્વનાં સદ્દગતિ દાતા એક
છે. સદ્દગતિ સતયુગને કહેવાય છે, દુર્ગતિ કળયુગને કહેવાય છે. નવી દુનિયા ને નવી,
જૂનીને જૂની જ કહેશું. મનુષ્ય સમજે છે હજી દુનિયાને જૂની થવામાં ૪૦ હજાર વર્ષ જોઈએ.
કેટલાં મૂંઝાઈ ગયાં છે. સિવાય બાપનાં કોઈ આ વાતો સમજાવી ન શકે. બાબા કહે છે હું આપ
બાળકોને રાજ્ય-ભાગ્ય આપી બાકી બધાને ઘરે લઈ જાઉં છું, જે મારી મત પર ચાલે છે તેઓ
દેવતા બની જાય છે. આ વાતોને આપ બાળકો જ જાણો છો, નવું કોઈ શું સમજશે.
આપ માળીઓનું કર્તવ્ય છે બગીચો બનાવીને તૈયાર કરવો. બાગવાન તો ડાયરેક્શન (માર્ગદર્શન)
આપે છે. એવું નથી બાબા કોઈ નવાં થી મળીને જ્ઞાન આપશે. આ કામ માળીઓનું છે. સમજો, બાબા
કલકત્તા માં જાય તો બાળકો સમજશે અમે અમારાં ઓફિસરને, ફલાણા મિત્રને બાબાની પાસે લઈ
જઈએ. બાબા કહેશે, તેઓ તો સમજશે કંઈ પણ નહીં. જેમ બુદ્ધુને સામે લઈ આવીને બેસાડશો
એટલે બાબા કહે છે નવાં ને ક્યારેય બાબાની સામે લઈને નહિ આવો. આ તો આપ માળીઓનું કામ
છે, નહિ કે બાગવાનનું. માળી નું કામ છે બગીચો લગાવવાનો. બાપ તો ડાયરેક્શન આપે છે-આવું-આવું
કરો એટલે બાબા ક્યારેય નવાં થી મળતા નથી. પરંતુ ક્યાંક મહેમાન થઈને ઘરમાં આવે છે તો
કહે છે દર્શન કરીએ. તમે અમને કેમ નથી મળવા દેતાં? શંકરાચાર્ય વગેરે પાસે કેટલાં જાય
છે. આજકાલ શંકરાચાર્યનું બહુજ નામ છે. ભણેલાં-ગણેલાં છે છતાં પણ જન્મતો વિકારથી જ
લે છે ને. ટ્રસ્ટી લોકો ગાદી પર કોઈને પણ બેસાડી દે છે. બધાની મત પોત-પોતાની છે.
બાપ સ્વયં આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે કે હું કલ્પ-કલ્પ આ જૂનાં તનમાં આવું
છું. આ પણ પોતાનાં જન્મોને નથી જાણતાં. શાસ્ત્રોમાં તો કલ્પની આયુ જ લાખો વર્ષ લગાવી
દીધી છે. મનુષ્ય તો એટલાં જન્મ લઈ ન સકે પછી જાનવર વગેરેની યોનીઓ મળાવીને ૮૪ લાખ
બનાવી દીધી છે. મનુષ્ય તો જે સાંભળે છે બધું સત-સત કરતાં રહે છે. શાસ્ત્રોમાં તો બધી
છે ભક્તિમાર્ગની વાતો. કલકત્તામાં દેવીઓની બહુજ શોભાવાન, સુંદર મૂર્તિઓ બનાવે છે,
સજાવે છે. પછી તેને ડુબાડી દે છે. આ પણ ગુડીયો/મૂર્તિઓની પૂજા કરવાવાળા બેબી (બાળક)
જ થયાં. બિલકુલ ઇનોસન્ટ (નિર્દોષ). તમે જાણો છો આ છે નર્ક. સ્વર્ગમાં તો અથાહ સુખ
હતું. હમણાં પણ કોઈ મરે છે તો કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા તો જરુર કોઈ સમયે સ્વર્ગ
હતું, હમણાં નથી. નર્કનાં પછી ફરી જરુર સ્વર્ગ આવશે. આ વાતોને પણ તમે જાણો છો.
મનુષ્ય તો રીંચક (અંશમાત્ર) પણ નથી જાણતાં. તો નવાં કોઈ બાબાની સામે બેસી શું કરશે
એટલે માળી જોઈએ જે પૂરી પાલના કરે. અહીંયા તો માળી પણ કેટલાં બધાં જોઈએ. મેડિકલ
કોલેજમાં કોઈ નવાં જઈને બેસે તો સમજશે કંઈ પણ નહીં. આ નોલેજ પણ છે નવું. બાપ કહે છે
હું આવ્યો છું બધાને પાવન બનાવવાં. મને યાદ કરો તો પાવન બની જશો. આ સમયે બધી છે
તમોપ્રધાન આત્માઓ, ત્યારે તો કહી દે છે આત્મા સો પરમાત્મા, બધામાં પરમાત્મા છે. તો
બાપ થોડી બેસી એવાં થી માથું મારશે. આ તો આપ માળીઓનું કામ છે -કાંટા ને ફૂલ બનાવવાનું.
તમે જાણો છો ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. ગવાય પણ છે બ્રહ્માનો દિવસ, બ્રહ્માની
રાત. પ્રજાપિતા બ્રહ્માનાં તો જરુર બાળકો પણ હશે ને. કોઈને એટલી પણ અક્કલ નથી જે
પૂછે કે આટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ છે, તેમનાં બ્રહ્મા કોણ છે? અરે પ્રજાપિતા
બ્રહ્મા તો પ્રખ્યાત છે, તેમનાં દ્વારા જ બ્રાહ્મણ ધર્મ સ્થાપન થાય છે. કહે પણ છે
બ્રહ્મા દેવતાએ નમઃ. બાપ આપ બાળકોને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે.
જે નવી-નવી પોઈન્ટસ નીકળે છે, તેને પોતાની પાસે નોંધ કરવાનો શોખ બાળકોમાં રહેવો
જોઈએ. જે બાળકો સારી રીતે સમજે છે તેમને નોટ્સ (લખાણ) લેવાનો બહુજ શોખ રહે છે.
નોટ્સ લેવી સારું છે, કારણ કે આટલાં બધાં પોઇન્ટસ યાદ રાખવા મુશ્કિલ છે. નોટસ લઈને
પછી કોઈને સમજાવવાનું છે. એવું નહીં કે લખી ને પછી ચોપડી પડી રહે. નવાં-નવાં
પોઇન્ટસ મળતા રહે છે તો જૂનાં પોઈન્ટસની ચોપડીઓ પડી રહે છે. સ્કૂલમાં પણ ભણતાં જશે,
પહેલાં ધોરણવાળી ચોપડી પડી રહે છે. જ્યારે તમે સમજાવો છો તો અંતમાં આ સમજાવો કે
મનમનાભવ. બાપને અને સૃષ્ટિ ચક્રને યાદ કરો. મુખ્ય વાત છે મામેકમ યાદ કરો, આને જ યોગ
અગ્નિ કહેવાય છે. ભગવાન છે જ્ઞાન નાં સાગર. મનુષ્ય છે શાસ્ત્રો નાં સાગર. બાપ કોઈ
શાસ્ત્ર નથી સંભળાવતાં, એ પણ શાસ્ત્ર સંભળાવે તો બાકી ભગવાન અને મનુષ્ય માં ફરક શું
રહ્યો? બાપ કહે છે આ ભક્તિમાર્ગનાં શાસ્ત્રોનો સાર તમને સમજાવું છું.
તે મુરલી વગાડવા વાળા સાપને પકડે છે તો તેનાં દાંત નીકાળી દે છે. બાપ પણ વિષ પીવાનું
તમારાથી છોડાવી દે છે. આ વિષથી જ મનુષ્ય પતિત બન્યાં છે. બાપ કહે છે આને છોડો છતાં
પણ છોડતાં નથી. બાપ ગોરા બનાવે છે તો પણ પડી ને કાળું મોઢું/મુખ કરી દે છે. બાપ
આવ્યાં છે આપ બાળકોને જ્ઞાન ચિતા પર બેસાડવાં. જ્ઞાન ચિતા પર બેસવાથી તમે વિશ્વનાં
માલિક, જગતજીત બની જાઓ છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ખુશી
રહે કે આપણે સત ધર્મની સ્થાપના નાં નિમિત્ત છીએં. સ્વયં ભગવાન આપણને ભણાવે છે. આપણો
દેવી-દેવતા ધર્મ બહુજ સુખ આપવા વાળો છે.
2. માળી બની કાંટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે. પૂરી પાલના કરી પછી બાપની સામે
લાવવાનાં છે. મહેનત કરવાની છે.
વરદાન :-
દરેક શક્તિને
કાર્યમાં લગાવીને વૃદ્ધિ કરવા વાળા શ્રેષ્ઠ ધનવાન અથવા સમજદાર ભવ
સમજદાર બાળકો દરેક
શક્તિને કાર્યમાં લગાડવાની વિધિ જાણે છે. જે જેટલી શક્તિઓને કાર્યમાં લગાડે છે એટલી
તેમની તે શક્તિઓ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તો એવું ઈશ્વરીય બજેટ બનાવો જે વિશ્વની
દરેક આત્મા આપ દ્વારા કંઈને કંઈ પ્રાપ્તિ કરીને તમારાં ગુણગાન કરે. બધાને કંઈને કંઈ
આપવાનું જ છે. ભલે મુક્તિ આપો, ભલે જીવનમુક્તિ આપો. ઈશ્વરીય બજેટ બનાવીને સર્વ
શક્તિઓની બચત કરી જમા કરો અને જમા થયેલી શક્તિ દ્વારા સર્વ આત્માઓને ભિખારીપણા થી,
દુઃખ અશાંતિ થી મુક્ત કરો.
સ્લોગન :-
શુદ્ધ
સંકલ્પોને પોતાનાં જીવનનો અનમોલ ખજાનો બનાવી લો તો માલામાલ બની જશો.