30-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમારો ચહેરો સદા ખુશનુમા : જોઈએ ‘ અમને ભગવાન ભણાવે છે ’, આ ખુશી ચહેરા થી ઝલકવી જોઈએ ”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકોનો મુખ્ય પુરુષાર્થ શું છે?

ઉત્તર :-
તમે સજાઓ થી છૂટવાનો જ પુરુષાર્થ કરતાં રહો છો. એનાં માટે મુખ્ય છે યાદની યાત્રા, જેનાંથી જ વિકર્મ વિનાશ થાય છે. તમે પ્રેમથી યાદ કરો તો ખૂબ કમાણી જમા થતી જશે. સવારે-સવારે ઊઠીને યાદમાં બેસવાથી જૂની દુનિયા ભૂલાતી જશે. જ્ઞાન ની વાતો બુદ્ધિમાં આવતી રહેશે. આપ બાળકોએ મુખ થી કોઈ કિચડ-પટ્ટી ની વાતો નથી બોલવાની.

ગીત :-
તુમ્હે પાકે હમને……..

ઓમ શાંતિ!
ગીત જ્યારે સાંભળે છે તો તે સમયે કોઈ-કોઈને એનો અર્થ સમજમાં આવે છે અને તે ખુશી પણ ચઢે છે. ભગવાન અમને ભણાવે છે, ભગવાન અમને વિશ્વની બાદશાહી આપે છે. પરંતુ એટલી ખુશી કોઈ વિરલા ને અહીં રહે છે. સ્થાઈ તે યાદ રહેતી નથી. આપણે બાપનાં બન્યાં છીએ, બાપ આપણને ભણાવે છે. ઘણાં છે જેમને આ નશો ચઢતો નથી. તે સતસંગો વગેરેમાં કથાઓ સાંભળે છે, તેમને પણ ખુશી હોય છે. અહીંયા તો બાપ કેટલી સરસ વાતો સંભળાવે છે. બાપ ભણાવે છે અને પછી વિશ્વનાં માલિક બનાવે છે તો સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને કેટલી ખુશી હોવી જોઈએ. એ શારીરિક ભણતર ભણવાવાળાને જેટલી ખુશી રહે છે, અહીં વાળાને એટલી ખુશી નથી રહેતી. બુદ્ધિમાં બેસતું જ નથી. બાપે સમજાવ્યું છે આવાં-આવાં ગીત ૪-૫ વાર સાંભળો. બાપને ભુલવાથી પછી જૂની દુનિયા અને જૂનાં સંબંધ પણ યાદ આવી જાય છે. એવાં સમયે ગીત સાંભળવાથી પણ બાપની યાદ આવી જશે. બાપ કહેવાથી વારસો યાદ આવી જાય છે. ભણતર થી વારસો મળે છે. તમે શિવબાબા થી ભણો છો આખાં વિશ્વનાં માલિક બનવાં. તો બાકી બીજું શું જોઈએ. આવાં વિદ્યાર્થીને અંદર કેટલી ખુશી હોવી જોઈએ! રાત-દિવસ ઊંઘ પણ ઉડી જાય. ખાસ ઊંઘ ઉડાવીને પણ બાપ અને શિક્ષકને યાદ કરતા રહેવું જોઈએ. જેમ મસ્તાના (પ્રેમી). ઓહો, અમને બાપ થી વિશ્વની બાદશાહી મળે છે! પરંતુ માયા યાદ કરવા નથી દેતી. મિત્ર-સંબંધીઓ વગેરેની યાદ આવતી રહે છે. એમનું જ ચિંતન રહે છે. જુનો સડેલો કચરો ઘણાંઓ ને યાદ આવે છે. બાપ જે બતાવે છે, તમે વિશ્વનાં માલિક બનો છો તે નશો નથી ચઢતો. સ્કૂલમાં ભણવા વાળાનો ચહેરો ખુશનુમા: રહે છે. અહીંયા ભગવાન ભણાવે છે, એ ખુશી કોઈ વિરલા ને રહે છે. નહીં તો ખુશી નો પારો અથાહ ચઢેલો રહેવો જોઈએ. બેહદનાં બાપ આપણને ભણાવે છે, આ ભૂલી જાય છે. આ યાદ રહે તો પણ ખુશી રહે. પરંતુ ભૂતકાળનાં કર્મભોગ જ એવાં છે તો બાપ ને યાદ કરતાં જ નથી. મુખ તો પણ કચરાની તરફ ચાલ્યું જાય છે. બાબા બધાનાં માટે તો નથી કહેતાં, નંબરવાર છે. મહાન સૌભાગ્યશાળી તે જે બાપની યાદમાં રહે. ભગવાન, બાબા આપણને ભણાવે છે! જેમ તે ભણતરમાં સમજે છે ફલાણા શિક્ષક અમને બેરિસ્ટર બનાવે છે, તેમ અહીં આપણને ભગવાન ભણાવે છે - ભગવાન ભગવતી બનાવવાં માટે તો કેટલો નશો રહેવો જોઈએ. સાંભળતા સમયે કોઈ-કોઈ ને નશો ચઢે છે. બાકી તો કાંઈ પણ નથી સમજતાં. બસ ગુરુ કર્યા, સમજશે તે અમને સાથે લઈ જશે. ભગવાન થી મળાવશે. આ તો પોતે ભગવાન છે. સ્વયંથી મળાવે છે, સાથે લઈ જાય છે. મનુષ્ય ગુરુ કરે જ એટલે કે ભગવાનની પાસે લઈ જાય અથવા શાંતિધામ લઈ જાય. આ બાપ સમ્મુખ કેટલું સમજાવે છે. તમે વિદ્યાર્થી છો. ભણાવવા વાળા શિક્ષકને તો યાદ કરો. બિલકુલ જ યાદ નથી કરતાં, વાત નહીં પૂછો. સારા-સારા બાળકો પણ યાદ નથી કરતાં. શિવબાબા આપણને ભણાવે છે, એ જ્ઞાનનાં સાગર છે, આપણને વારસો આપે છે, આ યાદ રહે તો પણ ખુશી નો પારો ચઢ્યો રહે. બાપ સમ્મુખ બતાવે છે તો પણ તે નશો નથી ચઢતો. બુદ્ધિ બીજી-બીજી તરફ ચાલી જાય છે. બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. હું ખાતરી કરું છું-એક બાપનાં સિવાય બીજા કોઈને યાદ ન કરો. વિનાશ થવાવાળી ચીજને યાદ શું કરવાનું. અહીંયા તો કોઈ મરે છે તો ૨-૪ વર્ષ સુધી પણ એમને યાદ કરતા રહે છે. એમનું ગાયન કરતા રહે. હવે બાપ સમ્મુખ કહે છે બાળકોને કે મને યાદ કરો. જે જેટલાં પ્રેમથી યાદ કરે છે એટલાં પાપ કપાતા જાય છે. ખૂબ કમાણી થાય છે. સવારે ઊઠીને બાપ ને યાદ કરો. ભક્તિ પણ મનુષ્ય સવારે ઊઠીને કરે છે. તમે તો છો જ્ઞાનવાળા. તમારે જૂની દુનિયાની કિચડ પટ્ટીમાં નથી ફસાવાનું. પરંતુ ઘણાં બાળકો એવા ફસાઈ જાય છે કે વાત નહિં પૂછો. કિચડ પટ્ટીથી નીકળતા જ નથી. આખો દિવસ કિચડો જ બોલતા રહે છે. જ્ઞાન ની વાતો બુદ્ધિમાં આવતી જ નથી. ઘણાં તો એવાં બાળકો પણ છે જે આખો દિવસ સર્વિસ (સેવા) પર ભાગતાં રહે છે. બાપની જે સર્વિસ કરે છે, યાદ પણ તે આવશે. આ સમય સૌથી વધારે સર્વિસ પર તત્પર મનોહર જોવામાં આવે છે. આજે કરનાલ ગઈ, આજ ક્યાંક ગઈ, સર્વિસ પર ભાગતી જ રહે છે. જે પરસ્પર લડતા રહે તે સર્વિસ શું કરતાં હશે! બાપને પ્રિય કોણ લાગશે? જે સારી સર્વિસ કરે છે, દિવસ-રાત સર્વિસ ની ચિંતા જ રહે છે, બાપનાં દિલ પર પણ તેજ ચઢે છે. ઘડી-ઘડી આવાં ગીત તમે સાંભળતા રહો તો પણ યાદ રહે, કંઈક નશો ચઢે. બાબાએ કહ્યું છે, કોઈ સમયે કોઈને ઉદાસી આવી જાય છે તો રેકોર્ડ વગાડવાથી ખુશી આવી જશે. ઓહો! અમે વિશ્વનાં માલિક બનીયે છીએ. બાપ તો ફક્ત કહે છે મને યાદ કરો. કેટલું સહજ ભણતર છે. બાબાએ સારા-સારા ૧૦-૧૨ રેકોર્ડ વીણીને કાઢ્યા હતાં કે દરેક ની પાસે રહેવા જોઈએ. પરંતુ તો પણ ભૂલી જાય છે. ઘણાં તો ચાલતાં-ચાલતાં ભણતર જ છોડી દે છે. માયા વાર કરી લે છે. બાપ તમોપ્રધાન બુદ્ધિને સતોપ્રધાન બનાવવાની કેટલી સહજ યુક્તિ બતાવે છે. હમણાં તમને ખરું-ખોટું વિચારવાની બુદ્ધિ મળી છે. બોલાવે પણ બાપને છે-હેં પતિત-પાવન આવો. હવે બાપ આવ્યાં છે તો પાવન બનવું જોઈએ ને. તમારા માથા પર જન્મ-જન્માંતર નો બોજો છે, તેનાં માટે જેટલું યાદ કરશો, પવિત્ર બનશો, ખુશી પણ રહેશે. ભલે સર્વિસ તો કરતા રહે છે પરંતુ પોતાનો પણ હિસાબ રાખવાનો છે. અમે બાપને કેટલો સમય યાદ કરીએ છીએં. યાદનો ચાર્ટ કોઈ રાખી નથી શકતું. પોઇન્ટ તો ભલે લખે છે પરંતુ યાદને ભૂલી જાય છે. બાપ કહે છે તમે યાદમાં રહી ભાષણ કરશો તો બળ ખૂબ મળશે. નહીં તો બાપ કહે છે હું જ જઈને અનેકો ને મદદ કરું છું. કોઈમાં પ્રવેશ કરી હું જ જઈને સર્વિસ કરું છું. સર્વિસ તો કરવાની છે ને. જોઉં છું કોઈનું ભાગ્ય ખુલવાનું છે, સમજાવા વાળામાં એટલી અક્કલ નથી તો હું પ્રવેશ કરી સર્વિસ કરી લઉં છું પછી કોઈ-કોઈ લખે છે-બાબાએ જ આ સર્વિસ કરી. અમારામાં તો આટલી તાકાત નથી, બાબાએ મુરલી ચલાવી. કોઈને પછી પોતાનો અહંકાર આવી જાય છે, અમે આવું સારું સમજાવ્યું. બાપ કહે છે હું કલ્યાણ કરવાં માટે પ્રવેશ કરું છું પછી તે બ્રાહ્મણી થી પણ હોશિયાર થઈ જાય છે. કોઈ બુદ્ધુ ને મોકલી દઉં તો તે સમજે છે આનાથી તો અમે સારું સમજાવી શકીએ છીએ. ગુણ પણ નથી. આનાથી તો અમારી અવસ્થા સારી છે. કોઈ-કોઈ હેડ (મુખ્ય) બનીને રહે છે તો ખૂબ નશો ચઢી જાય છે. ખૂબ ભપકા થી રહે છે. મોટા માણસ થી પણ તું-તું કરીને વાત કરે છે. બસ તેમને દેવી-દેવી કહે છે તો એમાં જ ખુશ થઈ જાય છે. એવાં પણ બહુજ છે. શિક્ષક થી પણ વિદ્યાર્થી હોશિયાર થઈ જાય છે. પરીક્ષા પાસ કરેલાં તો એક બાબા જ છે, એ છે જ્ઞાન સાગર. એમનાં દ્વારા તમે ભણી ને પછી ભણાવો છો. કોઈ તો સારી રીતે ધારણા કરી લે છે. કોઈ ભૂલી જાય છે. મોટામાં મોટી મુખ્ય વાત છે યાદની યાત્રા. આપણાં વિકર્મ વિનાશ કેવી રીતે થાય? ઘણાં બાળકો તો એવી ચલન ચાલે છે જે બસ આ બાબા જાણે અને એ બાબા જાણે.

હમણાં આપ બાળકોએ સજાઓથી છૂટવાનો જ મુખ્ય પુરુષાર્થ કરવાનો છે. તેનાં માટે મુખ્ય છે યાદની યાત્રા, જેનાથી જ વિકર્મ વિનાશ થાય છે. ભલે કોઈ પૈસાથી મદદ કરે છે, સમજે છે અમે સાહૂકાર બનશું પરંતુ પુરુષાર્થ તો સજાઓથી બચવાનો કરવાનો છે. નહિં તો બાપની આગળ સજા ખાવી પડશે. જજ (ન્યાયાધીશ) નો બાળક કોઈ એવું કામ કરે તો જજને પણ શરમ આવશે ને. બાપ પણ કહેશે હું જેની પાલના કરું છું એમને પછી સજા ખવડાવું! તે સમયે ખભા નીચે કરી હાય-હાય કરતા રહેશે-બાપે આટલું સમજાવ્યું, ભણાવ્યું અમે ધ્યાન ન આપ્યું. બાપની સાથે ધર્મરાજ પણ તો છે ને. એ તો જન્મપત્રી ને જાણે છે. હમણાં તો તમે પ્રેક્ટિકલ માં જુઓ છો. ૧૦ વર્ષ પવિત્રતામાં ચાલ્યાં, અચાનક જ માયાએ એવો ઘુંસો માર્યો, કરેલી કમાણી બધી ચટ કરી દીધી, પતિત બની ગયાં. એવાં ખૂબ યાદગાર થતાં રહે છે. બહુજ પડે છે. માયાનાં તોફાનોમાં આખો દિવસ હેરાન રહે છે, પછી બાપને જ ભૂલી જાય છે. બાપથી આપણને બેહદની બાદશાહી મળે છે, તે ખુશી નથી રહેતી. કામની પાછળ પછી મોહ પણ છે. એમાં નષ્ટોમોહા બનવું પડે. પતિતો થી શું દિલ લગાડવાનું છે. હાં, એજ વિચાર રાખવાનો છે-આમને પણ આપણે બાપનો પરીચય આપી ઉઠાવીએ. આમને કેવી રીતે શિવાલયનાં લાયક બનાવીએ. અંદર આ યુક્તિ રચો. મોહ ની વાત નથી. કેટલાં પણ પ્રિય સંબંધી હોય, તેમને પણ સમજાવતાં રહો. કોઈમાં પણ હડ્ડી(શારીરિક) પ્રેમ ની રગ ન જાય. નહિં તો સુધરશે નહીં. રહેમદિલ બનવું જોઈએ. પોતાનાં પર પણ રહેમ કરવાનો છે અને બીજાઓ પર પણ રહેમ કરવાનો છે. બાપને પણ તરસ પડે છે. જોવાનું છે આપણે કેટલાંને આપસમાન બનાવીએ છીએ. બાબાને સબૂત (પુરાવો) આપવું પડે. અમે કેટલાને પરિચય આપ્યો. તેઓ પણ પછી લખે-બાબા અમને આમનાં દ્વારા પરિચય ખૂબ સારો મળ્યો. બાબાની પાસે અનેક આવશે ત્યારે બાબા સમજશે હાં આ સર્વિસ કરે છે. બાબાને લખે કે બાબા આ બ્રાહ્મણી તો ખૂબ હોશિયાર છે. ખૂબ સારી સર્વિસ કરે છે, અમને સારું ભણાવે છે. યોગમાં પછી બાળકો ફેલ (નપાસ) થાય છે. યાદ કરવાની અક્કલ નથી. બાપ સમજાવે છે ભોજન ખાઓ છો તો પણ શિવબાબા ને યાદ કરીને ખાઓ. ક્યાંય હરવાં-ફરવાં જાઓ છો શિવબાબા ને યાદ કરો. ઝરમુઈ ઝગમુઈ ન કરો. ભલે કોઈ વાતનો ખ્યાલ પણ આવે છે તો બાપ ને યાદ કરો તો કામકાજ નો ખ્યાલ પણ કર્યો પછી બાબાની યાદમાં લાગી ગયાં. બાપ કહે છે કર્મ તો ભલે કરો, નિંદ્રા પણ કરો, સાથે-સાથે આ પણ કરો. ઓછામાં ઓછું ૮ કલાક સુધી પહોંચવું જોઈએ - આ થશે અંતસુધી. ધીરે-ધીરે પોતાનો ચાર્ટ વધારતા રહો. કોઈ-કોઈ લખે છે બે કલાક યાદમાં રહ્યાં પછી ચાલતાં-ચાલતાં ચાર્ટ ઢીલો થઇ જાય છે. તે પણ માયા ગુમ કરી દે છે. માયા ખૂબ જબરજસ્ત છે. જે આ સર્વિસમાં આખો દિવસ બીઝી રહેશે તે યાદ પણ કરી શકશે. ઘડી-ઘડી બાપનો પરિચય આપતા રહશે. બાબા યાદ માટે ખૂબ જોર આપતા રહે છે. પોતે પણ ફીલ કરે છે અમે યાદમાં રહી નથી શકતાં. યાદમાં જ માયા વિઘ્ન નાખે છે. ભણતર તો ખૂબ સહજ છે. બાપ થી આપણે ભણીએ પણ છીએ. જેટલું ધન લેશો એટલાં સાહૂકાર બનશો. બાપ તો બધાને ભણાવે છે ને. વાણી બધાની પાસે જાય છે ફક્ત તમે નહીં, બધાં ભણી રહ્યાં છે. વાણી નથી જતી તો બૂમો પાડે છે. ઘણાં તો પછી એવાં પણ છે જે સાંભળતા જ નથી. એમ જ ચાલતાં રહે છે. મોરલી સાંભળવાનો શોખ હોવો જોઈએ. ગીત કેટલું ફર્સ્ટ ક્લાસ છે-બાબા અમે અમારો વારસો લેવા આવ્યાં છીએ. કહે પણ છે ને-બાબા, જેવી છું, તેવી છું, કાણી છું, કેવી પણ છું, તમારી છું. એ તો ઠીક છે પરંતુ છી-છી થી તો સારું બનવું જોઈએ ને. બધો આધાર છે યોગ અને ભણતર પર.

બાપનાં બન્યાં પછી આ વિચાર દરેક બાળકને આવવો જોઈએ કે અમે બાપનાં બન્યાં છીએ તો સ્વર્ગમાં ચાલશું જ પરંતુ મારે સ્વર્ગમાં શું બનવું છે, આ પણ વિચારવાનું છે. સારી રીતે ભણો, દૈવીગુણ ધારણ કરો. વાંદરાનાં વાંદરા જ હશે તો શું પદ પામશે? ત્યાં પણ તો પ્રજા નોકર ચાકર બધું જોઈએ ને. ભણેલા ની આગળ અભણ ભરી ઢોશે. જેટલો પુરુષાર્થ કરશે એટલું સારું સુખ પામશે. સારા ધનવાન બનશે તો ઇજ્જત ખૂબ હશે. ભણવાવાળા ની ઈજ્જત સારી હોય છે. બાપ તો સલાહ આપતા રહે છે. બાપની યાદમાં શાંતિમાં રહો. પરંતુ બાબા જાણે છે સમ્મુખ રહેવાવાળા થી પણ દૂર રહેવાવાળા ખૂબ જ યાદમાં રહે છે અને સારું પદ પામી લે છે. ભક્તિ માર્ગમાં પણ એવું હોય છે. કોઈ ભક્ત સારા ફર્સ્ટ ક્લાસ હોય છે જે ગુરુથી પણ વધારે યાદમાં રહે છે. જે ખૂબ સારી ભક્તિ કરતા હશે તેજ અહીંયા આવે છે. બધાં ભક્ત છે ને. સન્યાસી વગેરે નહીં આવે, બધાં ભક્ત ભક્તિ કરતાં-કરતાં આવી જશે. બાપ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. તમે જ્ઞાન ઉઠાવી રહ્યાં છો, સિદ્ધ થાય છે તમે ખૂબ ભક્તિ કરી છે. વધારે ભક્તિ કરવાવાળા વધારે ભણશે. ઓછી ભક્તિ કરવા વાળા ઓછું ભણશે. મુખ્ય મહેનત છે યાદની. યાદથી જ વિકર્મ વિનાશ થશે અને ખૂબ મીઠા પણ બનવાનું છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા સર્વિસેબુલ, વફાદાર, ફરમાનબરદાર બાળકોને બાપદાદાના યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કેટલાં પણ કોઈ પ્રિય સંબંધી હોય તેમાં મોહની રગ ન જવી જોઈએ. નષ્ટોમોહા બનવાનું છે. યુક્તિથી સમજાવવાનું છે. પોતાનાં ઉપર અને બીજા પર રહેમ કરવાનો છે.

2. બાપ અને શિક્ષકને ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે. નશો રહે ભગવાન અમને ભણાવે છે, વિશ્વની બાદશાહી આપે છે! હરતાં-ફરતાં યાદમાં રહેવાનું છે, ઝરમુઈ ઝગમુઈ નથી કરવાનું.

વરદાન :-
સર્વ આત્માઓને યથાર્થ અવિનાશી સહારો આપવાવાળા આધાર , ઉદ્ધારમૂર્ત ભવ

વર્તમાન સમયે વિશ્વની ચારે બાજુ કોઈને કોઈ હલચલ છે, કયાંક મનનાં અનેક ટેન્શનની હલચલ છે, કયાંક પ્રકૃતિનાં તમોપ્રધાન વાયુમંડળનાં કારણે હલચલ છે, અલ્પકાળનાં સાધનો સર્વને ચિંતાની ચિતા પર લઈ જઈ રહ્યાં છે એટલે અલ્પકાળનાં આધાર થી, પ્રાપ્તિઓ થી, વિધિઓ થી થાકીને વાસ્તવિક સહારો શોધી રહ્યાં છે. તો આપ આધાર, ઉદ્ધારમૂર્ત આત્માઓ તેમને શ્રેષ્ઠ અવિનાશી પ્રાપ્તિઓની યથાર્થ, વાસ્તવિક, અવિનાશી સહારાની અનુભૂતિ કરાવો.

સ્લોગન :-
સમય અમૂલ્ય ખજાનો છે એટલે તેને નષ્ટ કરવા કરતા તરત નિર્ણય કરી સફળ કરો.