27-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - તમારો એક - એક બોલ બહુજ મીઠો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ , જેમ બાપ દુઃખહર્તા , સુખકર્તા છે , એમ બાપ સમાન સર્વ ને સુખ આપો”

પ્રશ્ન :-
લૌકિક મિત્ર-સંબંધીઓને જ્ઞાન આપવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
કોઈ પણ મિત્ર-સંબંધી વગેરે છે તો એમનાંથી ખુબ નમ્રતા થી, પ્રેમભાવ થી સ્મિત થી વાત કરવી જોઈએ. સમજાવવું જોઈએ આ તેજ મહાભારત લડાઈ છે. બાપએ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે. હું તમને સત્ય કહું છું કે ભક્તિ વગેરે તો જન્મ-જન્માંતર કરી, હવે જ્ઞાન શરુ થાય છે. જ્યારે તક મળે, તો બહુજ યુક્તિ થી વાત કરો. કુટુંબ પરિવારમાં બહુજ પ્રેમ થી ચાલો. ક્યારેય કોઈને દુઃખ ન આપો.

ગીત :-
આખિર વહ દિન આયા આજ …..

ઓમ શાંતિ!
જ્યારે કોઈ ગીત વાગે છે તો બાળકોએ પોતાની અંદર તેનો અર્થ નીકાળવો જોઈએ. સેકન્ડ માં નીકળી સકે છે. આ બેહદનાં ડ્રામાની બહુજ મોટી ઘડી છે ને. ભક્તિમાર્ગમાં મનુષ્ય પોકારે પણ છે. જેમ કોર્ટમાં કેસ હોય છે તો કહે છે ક્યારે સુનાવણી થાય, ક્યારે બોલાવે તો અમારો કેસ પૂરો થાય. તો બાળકોનો પણ કેસ છે, કયો કેસ? રાવણએ તમને બહુજ દુઃખી બનાવ્યાં છે. તમારો કેસ દાખલ થાય છે મોટી કોર્ટમાં. મનુષ્ય પોકારતા રહે છે-બાબા આવો, આવીને અમને દુઃખોથી છોડાવો. એક દિવસ સુનાવણી તો જરૂર થાય છે. બાપ સાંભળે પણ છે, ડ્રામા અનુસાર આવે પણ છે બિલકુલ નિશ્ચિત સમય પર. તેમાં એક સેકન્ડનો પણ ફરક નથી પડી શકતો. બેહદની ઘડિયાળ કેટલી ચોક્કસ ચાલે છે. અહીંયા તમારાં પાસે આ નાની ઘડિયાળો પણ ચોક્કસ નથી ચાલતી. યજ્ઞનું દરેક કાર્ય ચોક્કસ થવું જોઈએ. ઘડિયાળ પણ ચોક્કસ હોવી જોઈએ. બાપ તો બહુજ ચોક્કસ છે. સુનાવણી પણ એકદમ ચોક્કસ થાય છે. કલ્પ-કલ્પ કલ્પનાં સંગમ પર ચોક્કસ સમય પર આવે છે. તો બાળકોની હવે સુનાવણી થઈ, બાબા આવેલાં છે. હમણાં તમે બધાં ને સમજાવો છો. પહેલાં તમે પણ નહોતા સમજતા કે દુઃખ કોણ આપે છે? હવે બાપએ સમજાવ્યું છે રાવણ રાજ્ય શરૂ થાય છે દ્વાપર થી. આપ બાળકો ને ખબર પડી ગઈ છે - બાબા કલ્પ-કલ્પ સંગમયુગ પર આવે છે. આ છે બેહદની રાત. શિવબાબા બેહદની રાતમાં આવે છે, કૃષ્ણની વાત નથી, જ્યારે ઘોર અંધકારમાં અજ્ઞાન નીંદ્રામાં સૂતાં રહે છે ત્યારે જ્ઞાન સૂર્ય બાપ આવે છે, બાળકોને દિવસમાં લઈ જવાં. કહે છે મને યાદ કરો કારણકે પતિત થી પાવન બનવાનું છે. બાપ જ પતિત પાવન છે. એ જ્યારે આવે ત્યારે તો સુનાવણી થાય. હવે તમારી સુનાવણી થઈ છે. બાપ કહે છે હું આવ્યો છું પતિતોને પાવન બનાવવાં. પાવન બનવાનો તમને કેટલો સહજ ઉપાય બતાવું છું. આજકાલ જુઓ સાયન્સ (વિજ્ઞાન) નું કેટલું જોર છે. ઓટોમેટીક બોમ્બસ વગેરેનો કેટલો જોરથી અવાજ થાય છે. આપ બાળકો સાઈલેન્સ (શાંતિ) નાં બળથી આ સાયન્સ પર જીત પામો છો. સાઈલેન્સને યોગ પણ કહેવાય છે. આત્મા બાપ ને યાદ કરે છે - બાબા આપ આવો તો અમે શાંતિધામ જઈને નિવાસ કરીએ. તો આપ બાળકો આ યોગબળ થી, સાઈલેન્સનાં બળથી સાયન્સ પર જીત પામો છો. શાંતિનું બળ પ્રાપ્ત કરો છો. સાયન્સ થી જ આ બધો વિનાશ થવાનો છે. સાઈલેન્સ થી આપ બાળકો વિજય પામો છો. બાહુબળ વાળા ક્યારેય પણ વિશ્વ પર જીત પામી નથી શકતાં. આ પોઈન્ટ્સ (મુદ્દો) પણ તમારે પ્રદર્શનીમાં લખવી જોઈએ.

દિલ્હીમાં ખુબ સર્વિસ થઈ શકે છે કારણકે દિલ્હી છે બધાની રાજધાની. તમારી પણ દિલ્હી જ રાજધાની હશે. દિલ્હીને જ પરિસ્તાન કહેવાય છે. પાંડવોનાં કિલ્લા તો નથી. કિલ્લા ત્યારે બંધાય છે, જ્યારે દુશ્મન ચઢાઈ કરે છે. તમને તો કિલ્લા વગેરેની દરકાર રહેતી નથી. તમે જાણો છો આપણે સાઈલેન્સ નાં બળથી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ, તેમની છે બનાવટી શાંતિ. તમારી છે સાચી શાંતિ. જ્ઞાન નું બળ, શાંતિ નું બળ કહેવાય છે. નોલેજ છે ભણતર. ભણતરથી જ બળ મળે છે. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (અધિક્ષક) બને છે, કેટલું બળ રહે છે. તે બધી છે શારીરિક વાતો દુઃખ આપવા વાળી. તમારી દરેક વાત રુહાની છે. તમારા મુખથી જે પણ બોલ નીકળે છે તે એક-એક બોલ એવાં ફર્સ્ટ ક્લાસ મીઠા હોય જે સાંભળવા વાળા ખુશ થઈ જાય. જેમ બાપ દુઃખહર્તા સુખકર્તા છે, એમ આપ બાળકોએ પણ બધાને સુખ આપવાનું છે. કુટુંબ પરિવારને પણ દુઃખ વગેરે ન થાય. કાયદે અનુસાર બધાથી ચાલવાનું છે. મોટાની સાથે પ્રેમ થી ચાલવાનું છે. મુખથી અક્ષર એવાં મીઠા ફર્સ્ટ ક્લાસ નીકળે જે બધાં ખુશ થઇ જાય. બોલો, શિવબાબા કહે છે મનમનાભવ. ઊંચેથી ઊંચો હું છું. મને યાદ કરવાથી જ તમારા વિકર્મ વિનાશ થશે. બહુજ પ્રેમ થી વાત કરવી જોઈએ. સમજો કોઈ મોટાભાઈ હોય બોલો વડીલ શિવબાબા કહે છે - મને યાદ કરો. શિવબાબા જેમને રુદ્ર પણ કહે છે, તેજ જ્ઞાન યજ્ઞ રચે છે. કૃષ્ણ જ્ઞાન યજ્ઞ અક્ષર નહી સાંભળશો. રુદ્ર જ્ઞાન યજ્ઞ કહે છે તો રુદ્ર શિવબાબાએ આ યજ્ઞ રચ્યો છે. રાજાઈ પ્રાપ્ત કરવાનાં માટે જ્ઞાન અને યોગ શિખવાડી રહ્યાં છે. બાપ કહે છે ભગવાનુવાચ મામેકમ યાદ કરો કારણકે હમણાં બધાની અંતિમ ઘડી છે, વાનપ્રસ્થ અવસ્થા છે. બધાએ પાછાં જવાનું છે. મરતાં સમયે મનુષ્યને કહે છે ને ઈશ્વરને યાદ કરો. અહીંયા ઈશ્વર સ્વયં કહે છે મોત સામે ઊભુ છે, એનાથી કોઈ બચી નથી શકતું. અંતમાં જ બાપ આવીને કહે છે કે બાળકો મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જાય, આને યાદની અગ્નિ કહેવાય છે. બાપ ખાતરી કરે છે કે આનાંથી તમારા પાપ દગ્ધ થશે. વિકર્મ વિનાશ થવાનો, પાવન બનવાનો બીજો કોઈ ઉપાય નથી. પાપોનાં બોજા માથા પર ચઢતાં-ચઢતાં ખાદ પડતાં-પડતાં સોનું ૯ કેરેટનું થઈ ગયું છે. ૯ કેરેટનાં પછી મુલમ્મો (સોનાની પરત) કહેવાય છે. હવે ફરી ૨૪ કેરેટ કેવી રીતે બને, આત્મા પ્યોર (પવિત્ર) કેવી રીતે બને? પ્યોર (પવિત્ર) આત્માને ઘરેણું પણ પ્યોર મળશે. કોઈ મિત્ર-સંબંધી વગેરે છે તો તેમનાથી ખુબ નમ્રતાથી, પ્રેમ ભાવથી સ્મિત થી વાત કરવી જોઈએ. સમજાવવું જોઈએ આ તો તેજ મહાભારત લડાઈ છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ છે. બાપ દ્વારા આપણને સૃષ્ટિનાં આદિ- મધ્ય-અંત નું નોલેજ મળી રહ્યું છે. બીજે ક્યાંય પણ આ નોલેજ મળી ન શકે. હું તમને સત્ય કહું છું આ ભક્તિ વગેરે તો જન્મ-જન્માંતર કરી છે, હવે જ્ઞાન શરુ થાય છે. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. સતયુગમાં ભક્તિ હોતી નથી. આમ-આમ યુક્તિથી વાત કરવી જોઈએ. જ્યારે કોઈ તક મળે, ત્યારે તીર મારવાનું હોય છે તો સમય અને તક જોવાય છે. જ્ઞાન આપવાની પણ બહુજ યુક્તિ જોઈએ. બાપ યુક્તિઓ તો બધાને માટે બતાવતા રહે છે. પવિત્રતા તો બહુજ સારી છે, આ લક્ષ્મી-નારાયણ આપણા મોટા પૂજ્ય છે ને. પૂજ્ય પાવન પછી પુજારી પતિત બને છે. પાવનની પતિત બેસી પૂજા કરે-આ તો શોભતું નથી. ઘણાં તો પતિત થી દૂર ભાગે છે. વલ્લભાચારી ક્યારેય પગને અડવા નથી દેતાં. સમજે છે આ છી-છી મનુષ્ય છે. મંદિરોમાં પણ હંમેશા બ્રાહ્મણને જ મૂર્તિને અડવાની પરવાનગી હોય છે. શુદ્ર મનુષ્ય અંદર જઈને અડી ન શકે. ત્યાં બ્રાહ્મણ લોકો જ તેમને સ્નાન વગેરે કરાવે છે, બીજા કોઈને જવાં નથી દેતાં. ફરક તો છે ને. હવે તેઓ તો છે કુખ વંશાવલી બ્રાહ્મણ, તમે છો મુખ વંશાવલી સાચાં બ્રાહ્મણ. તમે તે બ્રાહ્મણોને સારું સમજાવી શકો છો કે તે બ્રાહ્મણ બે પ્રકારનાં હોય છે-એક તો છે પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી, બીજા છે કુખ વંશાવલી. બ્રહ્માનાં મુખ વંશાવલી બ્રાહ્મણ છે ઊંચે થી ઊંચા ચોટી. યજ્ઞ રચે છે તો પણ બ્રાહ્મણોને મુકરર કરાય છે. આ પછી છે જ્ઞાન યજ્ઞ. બ્રાહ્મણોને જ્ઞાન મળે છે જે પછી દેવતા બને છે. વર્ણ પણ સમજાવ્યાં છે. જે સર્વિસએબુલ (સેવાધારી) બાળકો હશે તેમને સર્વિસનો સદેવ શોખ રહેશે. ક્યાંય પ્રદર્શની હશે તો ઝટ સર્વિસ પર ભાગશે-અમે જઈને આવી-આવી પોઇન્ટ સમજાવશું. પ્રદર્શનીમાં તો પ્રજા બનાવવાનો વિહંગ માર્ગ છે, આપોઆપ ટોળાનાં ટોળા આવી જાય છે. તો સમજાવવા વાળા પણ સારાં હોવાં જોઈએ. જો કોઈએ પૂરું નથી સમજાવ્યું તો કહેશે બી.કે. ની પાસે આજ જ્ઞાન છે! ડિસ સર્વિસ (કુસેવા) થઈ જાય છે. પ્રદર્શનીમાં એક એવાં ચુસ્ત હોય જે સમજાવવા વાળા ગાઈડ (માર્ગદર્શક) ને જોતાં રહે. કોઈ મોટો માણસ છે તો તેને સમજાવવા વાળા પણ એવાં સારાં આપવા જોઈએ. ઓછું સમજાવાવાળા ને હટાવી દેવાં જોઈએ. અવેક્ષણ કરવામાં એક સારો હોવો જોઈએ. તમારે તો મહાત્માઓને પણ બોલાવવાનાં છે. તમે ફક્ત બતાવો છો કે બાબા આવું કહે છે, એ ઊંચેથી ઊંચા ભગવાન છે, એજ રચયિતા બાપ છે. બાકી બધી છે એમની રચના. વારસો બાપથી મળશે, ભાઈ-ભાઈને વારસો શું આપશે! કોઈપણ સુખધામનો વારસો આપી ન શકે. વારસો આપે છે જ બાપ. સર્વની સદ્દગતિ કરવાવાળા એક જ બાપ છે, તેમને યાદ કરવાનાં છે. બાપ સ્વયં આવીને ગોલ્ડન એજ (સતોપ્રધાન) બનાવે છે. બ્રહ્મા તનથી સ્વર્ગ સ્થાપન કરે છે. શિવજયંતી મનાવે પણ છે, પરંતુ એ શું કરે છે, આ બધું મનુષ્ય ભૂલી ગયા છે. શિવબાબા જ આવીને રાજ્યોગ શીખવાડી વારસો આપે છે. ૫૦૦૦ વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, લાખો વર્ષની તો વાત જ નથી. તિથિ-તારીખ બધું છે, આને કોઈ ખંડન કરી ન શકે. નવી દુનિયા અને જૂની દુનિયા અડધી-અડધી જોઈએ. તેઓ સતયુગ ની આયુ લાખો વર્ષ કહી દે તો કોઈ હિસાબ થઈ નથી શકતો. સ્વસ્તિક માં પણ પૂરા ૪ ભાગ છે. ૧૨૫૦ વર્ષ દરેક યુગમાં વેચેલા છે, હિસાબ કરાય છે ને. તે લોકો હિસાબ તો કંઈ પણ જાણતાં નથી એટલે કોડી તુલ્ય કહેવાય છે. હવે બાપ હીરા તુલ્ય બનાવે છે. બધાં પતિત છે, ભગવાનને યાદ કરે છે. તેમને તો ભગવાન આવીને જ્ઞાન થી ગુલ-ગુલ બનાવે છે. આપ બાળકોને જ્ઞાન રત્નોથી સજાવતા રહે છે. પછી જુઓ તમે શું બનો છો, તમારુ લક્ષ-હેતુ શું છે? ભારત કેટલું સિરતાજ હતું, બધું ભૂલી ગયા છે. મુસલમાનો વગેરેએ પણ કેટલું સોમનાથ મંદિર થી લૂંટીને મસ્જિદો વગેરેમાં હીરા વગેરે જઈને લગાવ્યાં છે. હવે તેનું તો કોઈ મુલ્ય પણ કરી નથી શકતાં. આટલી મોટી-મોટી મણિયો રાજાઓનાં તાજમાં રહેતી હતી. કોઈ તો કરોડની, કોઈ ૫ કરોડની. આજકાલ તો બધું ઇમિટેશન (નકલી) નીકળી પડ્યું છે. આ દુનિયામાં બધું છે બનાવટી પાઈનું સુખ. બાકી છે દુઃખ એટલે સંન્યાસી પણ કહે છે કાગ વિષ્ટા સમાન સુખ છે એટલે તે ઘરબાર છોડે છે પરંતુ હવે તો તેઓ પણ તમોપ્રધાન થઇ ગયાં છે. શહેરમાં અંદર ઘૂસી ગયાં છે. પરંતુ હવે કોને સંભળાવીએ, રાજા-રાણી તો છે નહીં. કોઈપણ માનશે નહીં. કહેશે બધાની પોત-પોતાની મત છે, જે ઈચ્છે તે કરે. સંકલ્પની સૃષ્ટિ છે. હવે આપ બાળકોને બાપ ગુપ્ત રીતે પુરુષાર્થ કરાવતાં રહે છે. તમે કેટલું સુખ ભોગવો છો. બીજા ધર્મ પણ અંતમાં જ્યારે વૃદ્ધિને પામે છે ત્યારે લડાઈઓ વગેરેની ખટપટ થાય છે. પોણો સમય તો સુખમાં રહો છો એટલે બાપ કહે છે તમારો દેવી-દેવતા ધર્મ બહુજ સુખ દેવાવાળો છે. અમે તમને વિશ્વનાં માલિક બનાવીએ છે. બીજા ધર્મ સ્થાપક કોઈ રાજાઈ નથી સ્થાપન કરતાં. તેઓ સદ્દગતિ નથી કરતાં. આવે છે ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરવાં. તે પણ જ્યારે અંતમાં તમોપ્રધાન બની જાય છે તો પછી બાપને આવવું પડે છે સતોપ્રધાન બનાવવાં.

તમારી પાસે સેંકડો મનુષ્ય આવે છે પરંતુ કંઈ પણ સમજતા નથી. બાબા ને લખે છે ફલાણા ખુબ સારું સમજી રહ્યાં છે, બહુજ સારા છે. બાબા કહે છે કાંઈ પણ સમજ્યાં નથી. જો સમજી જાય બાબા આવેલાં છે, વિશ્વનાં માલિક બનાવી રહ્યાં છે, બસ તેજ સમયે મસ્તી ચઢી જાય. તરત ટિકિટ લઇને આ ભાગે. પરંતુ બ્રાહ્મણી ની ચિઠ્ઠી તો જરૂર લાવવી પડે-બાપ થી મળવાં માટે. બાપને ઓળખી લે તો મળ્યા વગર રહી ન શકે, એકદમ નશો ચઢી જાય. જેમને નશો ચઢેલો હશે તેમને અંદરમાં ખુબ ખુશી રહેશે. તેમની બુદ્ધિ મિત્ર-સંબંધીઓમાં ભટકશે નહીં. પરંતુ અનેકોની ભટકતી રહે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે અને બાપની યાદમાં રહેવાનું છે. છે બહુજ સહજ. જેટલું થઈ શકે બાપ ને યાદ કરતાં રહો. જેમ ઓફીસથી રજા લો છો, તેમ ધંધાથી રજા લઈને એક-બે દિવસ યાદની યાત્રામાં બેસી જાઓ. ઘડી-ઘડી યાદમાં બેસવાં માટે સરસ આખો દિવસ વ્રત રાખી લઉં છું-બાપ ને યાદ કરવાનું. કેટલું જમા થઈ જશે. વિકર્મ પણ વિનાશ થશે. બાપની યાદથી જ સતોપ્રધાન બનવાનું છે. આખો દિવસ પૂરો યોગ તો કોઈનો લાગી પણ ન શકે. માયા વિઘ્ન જરૂર નાખે છે છતાં પણ પુરુષાર્થ કરતાં-કરતાં વિજય પામી લેશો. બસ, આજનો આખો દિવસ બગીચામાં બેસી બાપને યાદ કરું છું. ખાવા પર પણ બસ યાદમાં બેસી જાઉં છું. આ છે મહેનત. આપણે પાવન જરૂર બનવાનું છે. મહેનત કરવાની છે, બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. બેજ તો બહુજ સારી ચીજ છે. રસ્તામાં પરસ્પર વાત કરતાં રહેશો તો ઘણાં આવીને સાંભળશે. બાપ કહે છે મને યાદ કરો, બસ મેસેજ મળી ગયો તો આપણે રેસપોન્સીબીલીટી (જવાબદારી) થી છૂટી ગયાં. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ધંધા વગેરેથી જયારે રજા મળે તો યાદમાં રહેવાનું વ્રત લેવાનું છે. માયા પર વિજય પ્રાપ્ત કરવાનાં માટે યાદની મહેનત કરવાની છે.

2. બહુજ નમ્રતા અને પ્રેમ ભાવથી હસીને સ્મિત થી-સંબંધીઓની સેવા કરવાની છે. તેમાં બુદ્ધિને ભટકાવવાની નથી. પ્રેમ થી બાપનો પરિચય આપવાનો છે.

વરદાન :-
લૌકિક ને અલૌકિકમાં પરિવર્તન કરી સર્વ કમજોરીઓ થી મુક્ત થવાવાળા માસ્ટર સર્વશક્તિમાન ભવ

જે માસ્ટર સર્વશક્તિમાન નોલેજફુલ આત્માઓ છે તે ક્યારેય કોઈ પણ કમજોરી કે સમસ્યાઓને વશીભૂત નથી થતી કારણ કે તેઓ અમૃતવેલાથી જે પણ જોવે, સાંભળે, વિચારે કે કર્મ કરે છે તેને લૌકિકથી અલૌકિકમાં પરિવર્તન કરી દે છે. કોઈપણ લૌકિક વ્યહાર નિમિત્ત માત્ર કરતાં, અલૌકિક કાર્ય સદા સ્મૃતિમાં રહે તો કોઈપણ પ્રકારનાં માયાવી વિકારોનાં વશીભૂત વ્યક્તિ નાં સંપર્કથી સ્વયં વશીભૂત નહીં થાય. તમોગુણી વાયબ્રેશન (પ્રકંપન) માં પણ સદા કમળ સમાન રહેશે. લૌકિક કાદવમાં રહેતાં પણ તેનાથી ન્યારા રહેશે.

સ્લોગન :-
સર્વને સંતુષ્ટ કરો તો પુરુષાર્થમાં સ્વતઃ હાઈ જમ્પ લાગી જશે.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવા માટે વિશેષ અભ્યાસ

અમૃતવેલા ઉઠવાથી લઈને દરેક કર્મ, દરેક સંકલ્પ અને દરેક વાણીમાં રેગ્યુલર (નિયમિત) બનો. એક પણ બોલ એવો ન નીકળે જે વ્યર્થ હોય. જેમ મોટા વ્યક્તિઓનાં બોલવાનાં શબ્દ ફિક્સ હોય છે એમ તમારાં બોલ ફિક્સ હોય. એક્સ્ટ્રા નથી બોલવાનું.