25-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
વિકર્મો ની સજાથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે , આ અંતિમ જન્મમાં બધાં હિસાબ -
કિતાબ ચુક્ત કરી પાવન બનવાનું છે ”
પ્રશ્ન :-
દગાબાજ માયા
કઈ પ્રતિજ્ઞા તોડાવવાની કોશિશ કરે છે?
ઉત્તર :-
તમે પ્રતિજ્ઞા કરી છે - કોઈપણ દેહધારી થી અમે દિલ નહિ લગાવશું. આત્મા કહે છે અમે એક
બાપને જ યાદ કરશું, સ્વયંનાં દેહને પણ યાદ નહીં કરશું. બાપ, દેહ સહિત બધાનો સન્યાસ
કરાવે છે. પરંતુ માયા આ જ પ્રતિજ્ઞા તોડાવે છે. દેહ માં લગાવ થઈ જાય છે. જે
પ્રતિજ્ઞા તોડે છે તેમને સજાઓ પણ બહુજ ખાવી પડે છે.
ગીત :-
તુમ્હી હો માતા
- પિતા તુમ્હી હો …..
ઓમ શાંતિ!
ઊંચેથી ઊંચા
ભગવાન ની મહિમા પણ કરી છે અને પછી ગ્લાનિ પણ કરી છે. હવે ઊંચેથી ઊંચા બાપ સ્વયં
આવીને પરિચય આપે છે અને પછી જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે તો પોતાની ઊંચાઈ દેખાડે
છે. ભક્તિમાર્ગમાં ભક્તિનું જ રાજ્ય છે એટલે કહેવાય છે રાવણ રાજય. તે રામરાજ્ય, આ
રાવણરાજ્ય. રામ અને રાવણની જ તુલના કરાય છે. બાકી તે રામ તો ત્રેતાનાં રાજા થયાં,
તેમનાં માટે નથી કહેવાતું. રાવણ છે અડધા કલ્પનો રાજા. એવું નથી કે રામ અડધા કલ્પનો
રાજા છે. ના, આ વિસ્તાર માં સમજવાની વાતો છે. બાકી તે તો બિલકુલ સહજ વાત છે સમજવાની.
આપણે બધાં ભાઈ-ભાઈ છીએં. આપણાં બધાનાં એ બાપ નિરાકાર છે. બાપને ખબર છે આ સમયે મારાં
બધાં બાળકો રાવણની જેલમાં છે. કામ ચિતા પર બેસીને બધાં કાળા થઈ ગયાં છે. આ બાપ જાણે
છે. આત્મામાં જ બધું નોલેજ છે ને. આમાં પણ સૌથી વધારે મહત્ત્વ આપવાનું હોય છે આત્મા
અને પરમાત્માને જાણવાનું. નાનકડી આત્મામાં કેટલો પાર્ટ નોંધાયેલો છે જે ભજવતી રહે
છે. દેહ-અભિમાનમાં આવીને પાર્ટ ભજવે છે તો સ્વધર્મને ભૂલી જાય છે. હવે બાપ આવીને
આત્મ-અભિમાની બનાવે છે કારણ કે આત્મા જ કહે છે કે અમે પાવન બનીએ. તો બાપ કહે છે
મામેકમ યાદ કરો. આત્મા પુકારે છે હેં પરમપિતા, હેં પતિત-પાવન, અમે આત્માઓ પતિત બની
ગયાં છીએ, આવીને અમને પાવન બનાવો. સંસ્કાર તો બધાં આત્મામાં છે ને. આત્મા સ્પષ્ટ કહે
છે અમે પતિત બન્યાં છીએ. પતિત તેને કહેવાય છે જે વિકારમાં જાય છે. પતિત મનુષ્ય,
પાવન નિર્વિકારી દેવતાઓની આગળ જઈને મંદિરમાં તેમની મહિમા ગાએ છે. બાપ સમજાવે છે
બાળકો તમે જ પૂજ્ય દેવતા હતાં. ૮૪ જન્મ લેતાં-લેતાં નીચે જરૂર ઉતરવું પડે. આ ખેલ જ
પતિત થી પાવન, પાવન થી પતિત થવાનો છે. આખું જ્ઞાન બાપ આવીને ઈશારા માં સમજાવે છે.
હવે બધાનો અંતિમ જન્મ છે. બધાને હિસાબ-કિતાબ ચૂકતું કરી જવાનું છે. બાબા
સાક્ષાત્કાર કરાવે છે. પતિતને પોતાનાં વિકર્મોનો દંડ જરૂર ભોગવવો પડે છે. પાછળનો
કોઈ જન્મ આપીને જ સજા આપશે. મનુષ્ય તનમાં જ સજા ખાશે એટલે શરીર જરૂર ધારણ કરવું પડે
છે. આત્મા ફીલ (અનુભવ) કરે છે, અમે સજા ભોગવી રહ્યાં છીએ. જેમ કાશી કલવટ ખાવાનાં
સમયે દંડ ભોગવે છે, કરેલાં પાપોનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે તો કહે છે ક્ષમા કરો
ભગવાન, અમે ફરી આવું નહીં કરશું. આ બધાં સાક્ષાત્કારમાં જ ક્ષમા માગે છે. અનુભવ કરે
છે, દુઃખ ભોગવે છે. સૌથી વધારે મહત્ત્વ છે આત્મા અને પરમાત્માનું. આત્મા જ ૮૪
જન્મોનો પાર્ટ ભજવે છે. તો આત્મા સૌથી પાવરફુલ થઈ ને. આખાં ડ્રામામાં મહત્વ છે આત્મા
અને પરમાત્માનું. જેને બીજું કોઈ પણ નથી જાણતું. એક પણ મનુષ્ય નથી જાણતા કે આત્મા
શું અને પરમાત્મા શું છે? ડ્રામા અનુસાર આ પણ થવાનું છે. આપ બાળકોને પણ જ્ઞાન છે કે
આ કોઈ નવી વાત નથી, કલ્પ પહેલાં પણ આ ચાલ્યું હતું. કહે પણ છે જ્ઞાન, ભક્તિ,
વૈરાગ્ય. પરંતુ અર્થ નથી સમજતાં. બાબાએ આ સાધુઓ વગેરેનો સંગ બહુજ કરેલો છે, ફક્ત
નામ લઇ લે છે. હવે આપ બાળકો સારી રીતે જાણો છો કે આપણે જૂની દુનિયા થી નવી દુનિયામાં
જઈએ છે તો જૂની દુનિયા થી જરૂર વૈરાગ્ય કરવો પડે. આનાંથી શું દિલ લગાડવાનું છે. તમે
પ્રતિજ્ઞા કરી છે-કોઈપણ દેહધારીથી દિલ નહીં લગાવીએ. આત્મા કહે છે અમે એક બાપને જ
યાદ કરશું. પોતાની દેહને પણ યાદ નહીં કરશું. બાપ દેહ સહિત બધાનો સન્યાસ કરાવે છે.
પછી બીજાનાં દેહથી આપણે લગાવ કેમ રાખીએ. કોઈથી લગાવ હશે તો તેમની યાદ આવતી રહેશે.
પછી ઈશ્વર યાદ આવી ન શકે. પ્રતિજ્ઞા તોડે છે તો સજા પણ બહુજ ખાવી પડે છે, પદ પણ
ભ્રષ્ટ થઈ જાય છે એટલે જેટલું થઈ શકે બાપને જ યાદ કરવાનાં છે. માયા તો બહુજ દગાબાજ
છે. કોઈપણ હાલતમાં માયા થી સ્વયંને બચાવવાનું છે. દેહ-અભિમાનની બહુજ આકરી બીમારી
છે. બાપ કહે છે હવે દેહી-અભિમાની બનો. બાપને યાદ કરો તો દેહ-અભિમાનની બીમારી છૂટી
જાય. આખો દિવસ દેહ-અભિમાનમાં રહે છે. બાપને યાદ ખુબ મુશ્કેલ થી કરે છે. બાબા એ
સમજાવ્યું છે હથ કાર ડે દિલ યાર ડે. જેમ આશિક માશૂક ધંધો વગેરે કરતાં પણ પોતાનાં
માશૂકને જ યાદ કરતાં રહે છે. હવે આપ આત્માઓને પરમાત્મા થી પ્રીત રાખવાની છે તો એમને
જ યાદ કરવા જોઈએ ને. તમારો લક્ષ-હેતુ જ છે કે અમારે દેવી-દેવતા બનવું છે, તેનાં માટે
પુરુષાર્થ કરવાનો છે. માયા દગો તો જરૂર આપશે, પોતાને તેનાથી છોડાવવાનાં છે. નહીં,
તો ફસાઈ મરશું પછી ગ્લાનિ પણ થશે, નુકસાન પણ બહુજ થશે.
આપ બાળકો જાણો છો કે આપણે આત્મા બિંદુ છીએ, આપણાં બાપ પણ બીજરુપ નોલેજફુલ છે. આ
બહુજ વન્ડરફુલ વાતો છે. આત્મા શું છે, તેમાં કેવો અવિનાશી પાર્ટ ભરેલો છે-આ ગુહ્ય
વાતોને સારાં-સારાં બાળકો પણ પૂરી રીતે નથી સમજતાં. સ્વયંને યથાર્થ રીતે આત્મા સમજે
અને બાપને પણ બિંદુની જેમ સમજી યાદ કરે, તે જ્ઞાનનાં સાગર છે, બીજરુપ છે…..એવું સમજી
બહુજ મુશ્કેલ થી યાદ કરે છે. મોટા વિચારોથી નહીં, આમાં મહીન બુદ્ધિથી કામ લેવાનું
હોય છે-આપણે આત્મા છીએં, આપણા બાપ આવેલાં છે, એ બીજરુપ નોલેજફુલ છે. આપણને નોલેજ
સંભળાવી રહ્યાં છે. ધારણા પણ મુજ નાની એવી આત્મામાં થાય છે. એવાં ઘણાં છે જે મોટી
રીતે ફક્ત કહી દે છે - આત્મા અને પરમાત્મા…..પરંતુ યથાર્થ રીતે બુદ્ધિમાં આવતું નથી.
ના થી તો મોટી રીતે યાદ કરવું પણ ઠીક છે. પરંતુ તે યથાર્થ યાદ વધારે ફળદાયક છે. તેઓ
એટલું ઉચ્ચ પદ પામી નહીં શકે. આમાં ઘણી મહેનત છે. હું આત્મા નાનું એવું બિંદુ છું,
બાબા પણ એટલું નાનું એવું બિંદુ છે, એમનાં માં બધું જ્ઞાન છે, આ પણ અહીં તમે બેઠાં
છો તો કંઈક બુદ્ધિમાં આવે છે પરંતુ હરતાં-ફરતાં તે ચિંતન રહે, પણ નહીં. ભૂલી જાય
છે. આખો દિવસ તે જ ચિંતન રહે - આ છે એ સાચ્ચી-સાચ્ચી યાદ. કોઈ સાચું બતાવતા નથી કે
અમે કેવી રીતે યાદ કરીએ છીએ. ચાર્ટ ભલે મોકલે છે પરંતુ એ નથી લખતા કે આમ સ્વયંને
બિંદુ સમજી અને બાપને પણ બિંદુ સમજી યાદ કરું છું. સચ્ચાઈથી પૂરું લખતા નથી. ભલે
ખુબ સારી-સારી મુરલી ચલાવે છે પરંતુ યોગ બહુજ ઓછો છે. દેહ-અભિમાન બહુજ છે, આ ગુપ્ત
વાતને પૂરું સમજતા નથી, સિમરણ નથી કરતાં. યાદથી જ પાવન બનવાનું છે. પહેલાં તો
કર્માતીત અવસ્થા જોઈએ ને. તેજ ઊંચ પદ પામી શકશે. બાકી મુરલી વગાડવા વાળા તો ઘણાં
છે. પરંતુ બાબા જાણે છે યોગમાં રહી નથી શકતાં. વિશ્વનાં માલિક બનવું કોઈ માસીનું ઘર
થોડી છે. તેઓ અલ્પકાળનું પદ પામવાં માટે પણ કેટલું ભણે છે. સોર્સ ઓફ ઇનકમ (આવક નું
સાધન) હવે થયું છે. પહેલાં થોડી બેરિસ્ટર વગેરે એટલું કમાતાં હતાં. હમણાં કેટલી
કમાણી થઈ ગઈ છે.
બાળકોને પોતાનાં કલ્યાણ માટે એક તો સ્વયંને આત્મા સમજી યથાર્થ રીતે બાપને યાદ કરવાનાં
છે અને ત્રિમૂર્તિ શિવનો પરિચય બીજાને પણ આપવાનો છે. એકલું શિવ કહેવાથી સમજશે નહીં.
ત્રિમૂર્તિ તો જરૂર જોઈએ. મુખ્ય છે જ બે ચિત્ર ત્રિમૂર્તિ અને ઝાડ. સીડી થી પણ ઝાડમાં
વધારે નોલેજ છે. આ ચિત્ર તો બધાંની પાસે હોવાં જોઈએ. એક તરફ ત્રિમૂર્તિ ગોળો, બીજી
તરફ ઝાડ. આ પાંડવ સેનાનો ફ્લેગ (ઝંડો) હોવો જોઈએ. ડ્રામા અને ઝાડનું નોલેજ પણ બાપ
આપે છે. લક્ષ્મી-નારાયણ, વિષ્ણુ વગેરે કોણ છે? આ કોઈ સમજતાં નથી. મહાલક્ષ્મી ની પૂજા
કરે છે, સમજે છે લક્ષ્મી આવશે. હવે લક્ષ્મીને ધન ક્યાંથી આવશે? ૪ ભુજાવાળા, ૮
ભુજાવાળા કેટલાં ચિત્ર બનાવી દીધાં છે. સમજતા કાંઈ પણ નથી. ૮-૧૦ ભુજાવાળા કોઈ
મનુષ્ય તો હોતાં નથી. જેમને જે આવડ્યુ તે બનાવ્યું, બસ ચાલી પડ્યું. કોઈએ મત આપી કે
હનુમાનની પૂજા કરો બસ ચાલી પડ્યા. દેખાડે છે સંજીવની બૂટી લઈ આવ્યાં... તેનો પણ
અર્થ આપ બાળકો સમજો છો. સંજીવની બૂટી તો છે મનમનાભવ! વિચાર કરાય છે જ્યાં સુધી
બ્રાહ્મણ ન બને, બાપનો પરિચય ન મળે ત્યાં સુધી વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. પદ
નું મનુષ્યો ને કેટલું અભિમાન છે. તેમને તો સમજાવવામાં ઘણી મુશ્કેલી છે. રાજાઈ
સ્થાપન કરવામાં કેટલી મહેનત લાગે છે. તે છે બાહુબળ, આ છે યોગબળ. આ વાતો શાસ્ત્રોમાં
તો છે નહીં. હકીકતમાં તમે કોઈ શાસ્ત્ર વગેરે રેફર (ઉલ્લેખ) નથી કરી શકતાં. જો તમને
કહે છે - તમે શાસ્ત્રોને માનો છો? બોલો હાં આ તો બધાં ભક્તિમાર્ગનાં છે. હમણાં અમે
જ્ઞાન માર્ગ પર ચાલી રહ્યાં છીએ. જ્ઞાન આપવા વાળા જ્ઞાનનાં સાગર એક જ બાપ છે, આને
રુહાની જ્ઞાન કહેવાય છે. રુહ બેસી રુહોને જ્ઞાન આપે છે. તે મનુષ્ય, મનુષ્યને આપે
છે. મનુષ્ય ક્યારેય સ્પિરિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) આપી ન શકે. જ્ઞાનનાં
સાગર પતિત-પાવન, લિબરેટર, સદ્દગતિદાતા એક જ બાપ છે.
બાપ સમજાવતા રહે છે આ-આ કરો. હવે જુઓ શિવજયંતી પર કેટલું ધમચક્ર મચાવે છે.
ટ્રાન્સલાઈટનાં ચિત્ર નાનાં પણ હોય જે બધાને મળી જાય. તમારી તો છે બિલકુલ નવી વાત.
કોઈ સમજી ન શકે. ખુબ સમાચારોમાં નાખવું જોઈએ. અવાજ કરવો જોઈએ. સેવાકેન્દ્ર ખોલવા
વાળા પણ એવાં જોઈએ. હમણાં આપ બાળકોને જ એટલો નશો નથી ચઢેલો. નંબરવાર પુરુષાર્થ
અનુસાર સમજાવે છે. આટલાં બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છે. અચ્છા, બ્રહ્માનું નામ
નિકાળીને કોઈનું પણ નામ નાખો. રાધેકૃષ્ણનું નામ નાખો. અચ્છા, પછી
બ્રહ્માકુમાર-કુમારીઓ ક્યાંથી આવશે? કોઈ તો બ્રહ્મા જોઈએ ને, જે મુખ વંશાવલી બી.કે.
હોય. બાળકો આગળ ચાલીને બહુજ સમજશે. ખર્ચો તો કરવો જ પડે છે. ચિત્ર તો બહુજ ક્લિયર (સ્પષ્ટ)
છે. લક્ષ્મી-નારાયણનું ચિત્ર ખુબ સરસ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા સર્વિસએબુલ (સેવાધારી), આજ્ઞાકારી, ફરમાનબરદાર, નંબરવાર
પુરુષાર્થ અનુસાર બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત
બનવાનાં માટે બાપને મહીન બુદ્ધિથી ઓળખીને યથાર્થ યાદ કરવાનાં છે. ભણતર ની સાથે-સાથે
યોગ પર પૂરું અટેન્શન (ધ્યાન) આપવાનું છે.
2. સ્વયંને માયાનાં દગાથી બચાવવાનાં છે. કોઈનાં પણ દેહમાં લગાવ નથી રાખવાનો. સાચ્ચી
પ્રીત એક બાપથી રાખવાની છે. દેહ-અભિમાન માં નથી આવવાનું.
વરદાન :-
સમયનાં મહત્વ
ને જાણી સ્વયં ને સંપન્ન બનાવવાવાળા વિશ્વ નાં આધારમૂર્ત ભવ
આખાં કલ્પની કમાણી
નો, શ્રેષ્ઠ કર્મરુપી બીજ વાવવાનો, ૫ હજાર વર્ષ નાં સંસ્કારો નો રેકોર્ડ ભરવાનો,
વિશ્વ કલ્યાણ અથવા વિશ્વ પરિવર્તનનો આ સમય ચાલી રહ્યો છે. જો સમયનાં જ્ઞાનવાળા પણ
વર્તમાન સમયને ગુમાવે છે કે આવવાવાળા સમય પર છોડી દે છે તો સમયનાં આધાર પર સ્વયંનો
પુરુષાર્થ થયો. પરંતુ વિશ્વની આધારમૂર્ત આત્માઓ કોઈ પણ પ્રકારનાં આધાર પર નથી ચાલતી.
તેઓ એક અવિનાશી સહારા નાં આધાર પર કળયુગી પતિત દુનિયા થી કિનારો કરી સ્વયંને સંપન્ન
બનાવાનો પુરુષાર્થ કરે છે.
સ્લોગન :-
સ્વયંને
સંપન્ન બનાવી લો તો વિશાળ કાર્યમાં સ્વતઃ સહયોગી બની જશો.
અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
સંપૂર્ણ
ફરિશ્તા કે અવ્યક્ત ફરિશ્તા ની ડિગ્રી લેવાનાં માટે સર્વ ગુણોમાં ફુલ (ભરપુર) બનો.
નોલેજફુલ ની સાથે-સાથે ફેથફુલ (વિશ્વાસ પાત્ર), પાવરફુલ (શક્તિશાળી), સક્સેસફુલ (સફળતામૂર્ત)
બનો. હવે નાજુક સમયમાં નાઝો થી ચાલવાનું છોડી વિકર્મો અને વ્યર્થ કર્મોને પોતાનાં
વિકરાળ રુપ (શક્તિરુપ) થી સમાપ્ત કરો.