23-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 27.11.85
બાપદાદા મધુબન
“ જૂનો સંસાર અને જૂનાં સંસ્કાર ભુલાવા નો ઉપાય ”
બાપદાદા બધાં
નિશ્ચયબુદ્ધિ બાળકોનાં નિશ્ચયનું પ્રત્યક્ષ જીવનનું સ્વરુપ જોઇ રહ્યાં છે.
નિશ્ચયબુદ્ધિ ની વિશેષતાઓ બધાએ સાંભળી. એવાં વિશેષતાઓથી સંપન્ન નિશ્ચયબુદ્ધિ વિજયી
રત્ન આ બ્રાહ્મણ જીવન કે પુરુષોત્તમ સંગમયુગી જીવનમાં સદા નિશ્ચયનું પ્રમાણ, તે
નશામાં હશે. રુહાની નશો નિશ્ચયનાં દર્પણ સ્વરુપ છે. નિશ્ચય ફક્ત બુદ્ધિમાં સ્મૃતિ
સુધી નહીં પરંતુ દરેક કદમ માં રુહાની નશાનાં રુપમાં, કર્મ દ્વારા પ્રત્યક્ષ સ્વરુપમાં
સ્વયંને પણ અનુભવ થાય બીજાઓને પણ અનુભવ થાય કારણ કે આ જ્ઞાની અને યોગી જીવન છે.
ફક્ત સાંભળવાં ને સંભળાવવાં સુધી નથી, જીવન બનાવવાનું છે. જીવનમાં સ્મૃતિ અર્થાત્
સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ બધું આવી જાય છે. નિશ્ચયબુદ્ધિ અર્થાત્ નશાનું જીવન. આવી
રુહાની નશાવાળી આત્માનો દરેક સંકલ્પ સદા નશાથી સંપન્ન હશે. સંકલ્પ, બોલ, કર્મ
ત્રણેય થી નિશ્ચયનો નશો અનુભવ થશે. જેવો નશો તેવી ખુશીની ઝલક ચહેરાથી ચલનથી
પ્રત્યક્ષ થશે. નિશ્ચયનું પ્રમાણ નશો અને નશાનું પ્રમાણ છે ખુશી. નશા કેટલાં
પ્રકારનાં છે, તેનો વિસ્તાર બહુજ મોટો છે. પરંતુ સાર રુપમાં એક નશો છે અશરીરી
આત્મિક સ્વરુપનો. આનો વિસ્તાર જાણો છો? આત્મા તો બધાં છે પરંતુ રુહાની નશો ત્યારે
અનુભવ થાય છે જ્યારે આ સ્મૃતિમાં રાખો કે હું કઈ આત્મા છું? આનો વધુ વિસ્તાર પરસ્પર
નીકાળજો અથવા સ્વયં મનન કરજો.
બીજા નશાનું વિશેષ રુપ સંગમયુગનું અલૌકિક જીવન છે. આ જીવનમાં પણ કયું જીવન છે તેનો
પણ વિસ્તાર વિચારો. તો એક છે આત્મિક સ્વરુપ નો નશો. બીજો છે અલૌકિક જીવન નો નશો.
ત્રીજો છે ફરિશ્તાપણા નો નશો. ફરિશ્તા કોને કહેવાય છે, તેનો પણ વિસ્તાર કરો. ચોથો
છે ભવિષ્ય નો નશો. આ ચારેય પ્રકારનાં અલૌકિક નશામાં થી કોઈપણ નશો જીવનમાં હશે તો
સ્વતઃ જ ખુશીમાં નાચતાં રહેશે. નિશ્ચય પણ છે પરંતુ ખુશી નથી તેનું કારણ? નશો નથી.
નશો સહજ જ જુનો સંસાર અને જૂનાં સંસ્કાર ભુલાવી દે છે. આ પુરુષાર્થી જીવનમાં વિશેષ
વિઘ્ન રુપ આ બે વાતો છે. ભલે જુનો સંસાર કે જૂનાં સંસ્કાર. સંસારમાં દેહનાં સંબંધ
અને દેહનાં પદાર્થ બંને આવી જાય છે. સાથે-સાથે સંસારથી પણ જૂનાં સંસ્કાર વધારે
વિઘ્નરુપ બને છે. સંસાર ભૂલી જાય છે પરંતુ સંસ્કાર નથી ભૂલતાં. તો સંસ્કાર પરિવર્તન
કરવાનું સાધન છે આ ચારેય નશામાં થી કોઈ પણ નશો સાકાર સ્વરુપમાં હોય. ફક્ત સંકલ્પ
સ્વરુપમાં નહીં. સાકાર સ્વરુપ માં હોવાથી ક્યારેય પણ વિઘ્નરુપ નહીં બનશે. હમણાં સુધી
સંસ્કાર પરિવર્તન ન થવાનું કારણ આ છે. આ નશાઓ ને સંકલ્પ રુપમાં અર્થાત્ નોલેજ નાં
રુપમાં બુદ્ધિ સુધી ધારણ કર્યા છે એટલે ક્યારેય પણ કોઈનાં જૂનાં સંસ્કાર ઇમર્જ થાય
છે ત્યારે આ ભાષા બોલે છે. હું બધું સમજુ છું, બદલવું છે આ પણ સમજે છે પરંતુ સમજ
સુધી નહિ. કર્મ અર્થાત્ જીવન સુધી જોઈએ. જીવન દ્વારા પરિવર્તન અનુભવમાં આવે. આને
કહેવાય છે સાકાર સ્વરુપમાં આવવું. હમણાં બુદ્ધિ સુધી પોઇન્ટ (મુદ્દા)નાં રુપમાં
વિચારવાં અને વર્ણન કરવાં સુધી છે. પરંતુ દરેક કર્મમાં, સંપર્કમાં પરિવર્તન દેખાઈ
આવે આને કહેવાય છે સાકાર રુપમાં અલૌકિક નશો. હમણાં દરેક નશાને જીવનમાં લાવો. કોઈ પણ
તમારાં મસ્તક તરફ જુએ તો મસ્તક દ્વારા રુહાની નશાની વૃત્તિ અનુભવ થાય. ભલે કોઈ
વર્ણન કરે કે ન કરે પરંતુ વૃત્તિ, વાયુમંડળ અને વાયબ્રેશન ફેલાવે છે. તમારી વૃત્તિ
બીજાઓને પણ ખુશીનાં વાયુમંડળમાં ખુશીનાં વાયબ્રેશન અનુભવ કરાવે, આને કહેવાય છે નશામાં
સ્થિત થવું. એવી રીતે દૃષ્ટીથી, મુખ ની મુસ્કાનથી, મુખનાં બોલથી, રુહાની નશાનો
સાકાર રુપ અનુભવ થાય. ત્યારે કહેશે નશામાં રહેવાવાળા નિશ્ચયબુદ્ધિ વિજયરત્ન. આમાં
ગુપ્ત નથી રહેવાનું. ઘણાં એવી પણ ચતુરાઈ કરે છે કે અમે ગુપ્ત છીએં. જેમ કહેવત છે
સૂર્યને ક્યારેય કોઈ છુપાવી નથી શકતું. કેટલાં પણ ગહેરા વાદળ હોય તો પણ સૂર્ય પોતાનો
પ્રકાશ છોડી નથી શકતો. સૂર્ય હટે છે કે વાદળ હટે છે? વાદળ આવે પણ છે અને હટી પણ જાય
છે પરંતુ સૂર્ય પોતાનાં પ્રકાશ સ્વરુપમાં સ્થિત રહે છે. તો રુહાની નશાવાળા પણ રુહાની
ઝલક થી છુપાઈ નથી શકતાં. તેમનાં રુહાની નશાની ઝલક પ્રત્યક્ષરુપ માં અનુભવ અવશ્ય થાય
છે. તેમનાં વાયબ્રેશન સ્વતઃજ બીજાઓને આકર્ષિત કરે છે. રુહાની નશામાં રહેવાવાળા નાં
વાયબ્રેશન સ્વયંનાં પ્રતિ કે બીજાઓનાં પ્રતિ છત્રછાયાનું કાર્ય કરે છે. તો હવે શું
કરવાનું છે? સાકાર માં આવો. નોલેજનાં હિસાબથી નોલેજફુલ થઇ ગયાં છો. પરંતુ નોલેજને
સાકાર જીવનમાં લાવવાથી નોલેજફુલની સાથે-સાથે સક્સેસફુલ (સફળતાપૂર્ણ), બ્લિસફુલ (આનંદિત)
અનુભવ કરશે. અચ્છા પછી સંભળાવશે સક્સેસફુલ અને બ્લિસફુલનું સ્વરુપ કયું હોય છે?
આજે તો રુહાની નશાની વાત સંભળાવી રહ્યાં છે. બધાને નશો અનુભવ થાય. આ ચારેય નશામાંથી
એક નશાને ભિન્ન-ભિન્ન રુપથી યુઝ (પ્રયોગ) કરો. જેટલો આ નશાને જીવનમાં અનુભવ કરશો તો
સદા બધીજ ફિકર થી ફારિગ બેફિકર બાદશાહ બની જશો. બધાં તમને બેફિકર બાદશાહનાં રુપમાં
જોશે. તો હવે વિસ્તાર કરજો અને પ્રેક્ટિસમાં લાવજો. જ્યાં ખુશી છે ત્યાં માયાની કોઈ
પણ ચાલ ચાલી નથી શકતી. બેફિકર બાદશાહ ની બાદશાહીની અંદર માયા આવી નથી શકતી. આવે છે
અને ભગાવો છો, ફરી આવે છે ફરી ભગાવો છો. ક્યારેક દેહનાં રુપમાં આવે, ક્યારેક દેહનાં
સંબંધનાં રુપમાં આવે છે. આને જ કહે છે ક્યારેક માયા હાથી બનીને આવે, ક્યારેક બિલાડી
બનીને આવે, ક્યારેક ઉંદર બનીને આવે. ક્યારેક ઉંદરને નીકાળતાં, ક્યારેક બિલાડીને
નીકાળતાં. આજ ભગાડવાનાં કાર્યમાં સમય નીકળી જાય છે, એટલે સદા રુહાની નશામાં રહો.
પહેલાં સ્વયંને પ્રત્યક્ષ કરો ત્યારે બાપની પ્રત્યક્ષતા કરશો કારણકે આપ દ્વારા બાપ
પ્રત્યક્ષ થવાનાં છે. અચ્છા!
સદા સ્વયં દ્વારા સર્વશક્તિવાન ને પ્રત્યક્ષ કરવા વાળા, સદા પોતાનાં સાકાર જીવનનાં
દર્પણ થી રુહાની નશાની વિશેષતા પ્રત્યક્ષ કરવા વાળા, સદા બેફિકર બાદશાહ બની માયાને
વિદાય આપવા વાળા, સદા નોલેજ ને સ્વરુપમાં લાવવા વાળા, એવાં નિશ્ચયબુદ્ધિ નશામાં
રહેવાવાળા, સદા ખુશીમાં ઝૂલવા વાળા, એવી શ્રેષ્ઠ આત્માઓને, વિશેષ આત્માઓને બાપદાદાનાં
યાદપ્યાર અને નમસ્તે.
સેવાધારી (
ટીચર્સ ) શિક્ષક બહેનોથી :-
સેવાધારી
અર્થાત્ પોતાની શક્તિઓ દ્વારા બીજાઓને પણ શક્તિશાળી બનાવવા વાળા. સેવાધારીની
વાસ્તવિક વિશેષતા આજ છે. નિર્બળમાં બળ ભરવાનાં નિમિત્ત બનવું, આજ સાચી સેવા છે. આવી
સેવાનો પાર્ટ મળવો પણ હીરો પાર્ટ છે. તો હીરો પાર્ટધારી કેટલાં નશામાં રહો છો?
સેવાનાં પાર્ટ થી જેટલું સ્વયંને નંબરમાં આગળ વધારવા ઈચ્છો વધારી શકો છો કારણ કે
સેવા આગળ વધવાનું સાધન છે. સેવામાં બીઝી (વ્યસ્ત) રહેવાથી સ્વતઃ જ બધી વાતોથી કિનારો
થઈ જાય છે. દરેક સેવાસ્થાન સ્ટેજ છે, જે સ્ટેજ પર દરેક આત્મા પોતાનો પાર્ટ ભજવી રહી
છે. સાધન તો બહુજ છે પરંતુ સદા સાધનોમાં શક્તિ હોવી જોઈએ. જો વગર શક્તિએ સાધન યુઝ (ઉપયોગ)
કરો છો તો જે સેવાનું પરિણામ નીકળવું જોઈએ તે નથી નીકળતું. જૂનાં સમયમાં જે વીર લોકો
હતાં તેઓ સદેવ પોતાનાં શસ્ત્રોને દેવતાઓની આગળ અર્પણ કરી તેમાં શક્તિ ભરીને પછી
ઉપયોગ કરતાં હતાં. તો આપ સર્વ પણ કોઈ પણ સાધન જ્યારે ઉપયોગ કરો છો તો તેને યુઝ
કરવાનાં પહેલાં તેજ વિધિપૂર્વક કાર્યમાં લગાવો છો? હવે જે પણ સાધન કાર્યમાં લગાવો
છો તેનાંથી થોડા સમયનાં માટે લોકો આકર્ષિત થાય છે. સદાકાળનાં માટે પ્રભાવિત નથી થતાં
કારણ કે એટલી શક્તિશાળી આત્માઓ જો શક્તિ દ્વારા પરિવર્તન કરી દેખાડે, તે નંબરવાર
છે. સેવા તો બધાં કરો છો, બધાનું નામ છે શિક્ષક. સેવાધારી છો કે શિક્ષક છો પરંતુ
સેવામાં અંતર શું છે? પ્રોગ્રામ પણ એક જ બનાવો છો, પ્લાન પણ એક જેવો કરો છો.
રીતરિવાજ પણ એક જેવા બને છે છતાં પણ સફળતામાં અંતર પડી જાય છે, તેનું કારણ શું?
શક્તિની કમી. તો સાધનમાં શક્તિ ભરો. જેમ તલવારમાં જો બળ ન હોય તો તલવાર, તલવારનું
કામ નથી આપતી. આમ સાધન છે તલવાર પરંતુ તેમાં શક્તિનું બળ જોઈએ. તે જેટલું પોતાનામાં
ભરતા જશો એટલી સેવામાં સ્વતઃજ સફળતા મળશે. તો શક્તિશાળી સેવાધારી બનો. સદા વિધિ
દ્વારા વૃદ્ધિ પ્રાપ્ત થવી, આ પણ કોઇ મોટી વાત નથી. પરંતુ શક્તિશાળી આત્માઓને
વૃદ્ધિની પ્રાપ્ત થાય - તેનું વિશેષ અટેન્શન (ધ્યાન). ક્વોલિટી (ગુણવત્તા) નીકાળો.
કોન્ટીટી (સંખ્યા) તો હજું પણ વધારે આવશે. ક્વોલિટીનાં ઉપર અટેન્શન. નંબર ક્વોલિટી
પર મળશે, કોન્ટીટી પર નહીં. એક ક્વોલિટી વાળા ૧૦૦ કોન્ટીટીનાં બરાબર છે.
કુમારો થી :-
કુમાર શું
કમાલ કરો છો? ધમાલ કરવાવાળા તો નથી ને! કમાલ કરવાનાં માટે શક્તિશાળી બનો અને બનાવો.
શક્તિશાળી બનવાનાં માટે સદા પોતાનું માસ્ટર સર્વશક્તિમાનનું ટાઈટલ (શીર્ષક) સ્મૃતિમાં
રાખો. જ્યાં શક્તિ હશે ત્યાં માયાથી મુક્તિ હશે. જેટલું સ્વયંની ઉપર અટેન્શન (ધ્યાન)
હશે તેટલું જ સેવામાં પણ અટેન્શન જશે. જો સ્વયંનાં પ્રતિ અટેન્શન નથી તો સેવામાં
શક્તિ નથી ભરાતી એટલે સદા સ્વયંને સફળતા સ્વરુપ બનાવવાં માટે શક્તિશાળી અભ્યાસનાં
સાધનો બનાવવાં જોઈએ. કોઈ એવાં વિશેષ પ્રોગ્રામ બનાવો, જેનાંથી સદા પ્રોગ્રેસ (પ્રગતિ)
થતી રહે. પહેલા સ્વ ઉન્નતીનાં પ્રોગ્રામ ત્યારે સેવા સહજ અને સફળ થશે. કુમાર જીવન
ભાગ્યવાન જીવન છે કારણકે ઘણાં બંધનો થી બચી ગયાં. નહિં તો ગૃહસ્થી જીવનમાં કેટલાં
બંધન છે. તો એવી ભાગ્યવાન બનવાવાળી આત્માઓ ક્યારેય પોતાનાં ભાગ્યને ભૂલી તો નથી જતી.
સદા સ્વયંને શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા સમજી બીજાઓનાં પણ ભાગ્યની રેખા ખેંચવાવાળા છો.
જે નિર્બન્ધન હોય છે તે સ્વતઃ ઉડતી કળા દ્વારા આગળ વધતાં જાય છે એટલે કુમાર અને
કુમારી જીવન બાપદાદાને સદા પ્રિય લાગે છે. ગૃહસ્થી જીવન છે બંધનવાળી અને કુમારી
જીવન છે બંધનમુક્ત. તો નિર્બન્ધન આત્મા બની બીજાઓને પણ નિર્બન્ધન બનાવો. કુમાર
અર્થાત્ સદા સેવા અને યાદનું બેલેન્સ (સંતુલન) રાખવા વાળા. બેલેન્સ છે તો સદા ઉડતી
કળા છે. જે બેલેન્સ રાખવાનું જાણે છે તેઓ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં નીચે-ઉપર
નથી થઈ શકતાં.
અધર કુમારો થી
:-
બધાં પોતાનાં
જીવનનાં પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા સેવા કરવાવાળા છો ને! સૌથી મોટામાં મોટું
પ્રત્યક્ષ પ્રમાણ છે-આપ સર્વનાં જીવનનું પરિવર્તન. સાંભળવા વાળા અને સંભળાવવા વાળા
તો ઘણાં જોયા. હવે બધાં જોવા ઈચ્છે છે, સાંભળવા નથી ઇચ્છતાં. તો સદા જ્યારે પણ કોઈ
કર્મ કરો છો તો આ લક્ષ્ય રાખો કે જે કર્મ અમે કરી રહ્યાં છીએ તેમાં એવું પરિવર્તન
થાય જે બીજા જોઈને પરિવર્તિત થઈ જાય. આનાંથી સ્વયં પણ સંતુષ્ટ અને ખુશ રહેશો અને
બીજાઓનું પણ કલ્યાણ કરશો. તો દરેક કર્મ સેવાર્થ કરો. જો આ સ્મૃતિ રહેશે કે મારું
દરેક કર્મ સેવા અર્થ છે તો સ્વતઃ જ શ્રેષ્ઠ કર્મ કરશો. યાદ રાખો-સ્વ પરિવર્તનથી
બીજાઓનું પરિવર્તન કરવાનું છે. આ સેવા સહજ પણ છે અને શ્રેષ્ઠ પણ છે. મુખનું પણ ભાષણ
અને જીવનનું પણ ભાષણ, આને કહે છે સેવાધારી. સદા પોતાની દૃષ્ટિ દ્વારા બીજાઓની દૃષ્ટિ
બદલવાનાં સેવાધારી. જેટલી દૃષ્ટિ શક્તિશાળી હશે એટલું અનેકોનું પરિવર્તન કરી શકશો.
સદા દૃષ્ટિ અને શ્રેષ્ઠ કર્મ દ્વારા બીજાઓની સેવા કરવાનાં નિમિત્ત બનો.
૨. શું હતા અને શું બની ગયાં! આ સદા સ્મૃતિમાં રાખો છો! આ સ્મૃતિ માં રહેવાથી
ક્યારેય પણ જૂનાં સંસ્કાર ઇમર્જ (જાગૃત) નથી થઈ શકતાં. સાથે-સાથે ભવિષ્યમાં પણ શું
બનવા વાળા છો, આ પણ યાદ રાખો તો વર્તમાન અને ભવિષ્ય શ્રેષ્ઠ હોવાનાં કારણે ખુશી
રહેશે અને ખુશીમાં રહેવાથી સદા આગળ વધતાં રહેશો. વર્તમાન અને ભવિષ્યની દુનિયા
શ્રેષ્ઠ છે તો શ્રેષ્ઠની આગળ જે દુઃખદાઈ દુનિયા છે તે યાદ નહીં આવશે. સદા પોતાનાં આ
બેહદનાં પરિવારને જોઇ ખુશ થતાં રહો. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું હશે કે આવો
ભાગ્યવાન પરિવાર મળશે. પરંતુ હમણાં સાકારમાં જોઈ રહ્યાં છો, અનુભવ કરી રહ્યાં છો.
આવો પરિવાર જે એકમત પરિવાર હોય, આટલો મોટો પરિવાર હોય આ આખાં કલ્પમાં હમણાં જ છે.
સતયુગમાં પણ નાનો પરિવાર હશે. તો બાપદાદા અને પરિવારને જોઈ ખુશી થાય છે ને. આ
પરિવાર પ્રિય લાગે છે? કારણ કે અહીંયા સ્વાર્થ ભાવ નથી. જે આવાં પરિવારનાં બને છે
તે ભવિષ્યમાં પણ એકબીજાનાં સમીપ આવે છે. સદા આ ઈશ્વરીય પરિવારની વિશેષતાઓને જોતાં
આગળ વધતાં ચાલો.
કુમારીઓથી :-
બધી કુમારીઓ
પોતાને વિશ્વ કલ્યાણકારી સમજી આગળ વધતી રહો છો? આ સ્મૃતિ સદા સમર્થ બનાવે છે. કુમારી
જીવન સમર્થ જીવન છે. કુમારીઓ સ્વયં સમર્થ બની બીજાઓને સમર્થ બનાવવા વાળી છે. વ્યર્થ
ને સદાનાં માટે વિદાય આપવા વાળી. કુમારી જીવનનાં ભાગ્યને સ્મૃતિમાં રાખી આગળ વધતાં
ચાલો. આ પણ સંગમ માં મોટું ભાગ્ય છે, જે કુમારી બન્યાં, કુમારી પોતાનાં જીવન દ્વારા
બીજાઓનું જીવન બનાવવાવાળી,બાપની સાથે રહેવાવાળી. સદા સ્વયંને શક્તિશાળી અનુભવ કરી
બીજાને પણ શક્તિશાળી બનાવવા વાળી. સદા શ્રેષ્ઠ એક બાપ બીજું ન કોઈ. એવાં નશામાં
દરેક કદમ આગળ વધારવા વાળી! તો એવી કુમારીઓ છો ને!
પ્રશ્ન :-
કઈ વિશેષતા
અથવા ગુણથી સર્વપ્રિય બની શકો છો?
જવાબ :-
ન્યારા અને
પ્યારા રહેવાનો ગુણ કે નિઃસંકલ્પ રહેવાની જે વિશેષતા છે - આજ વિશેષતાથી સર્વનાં
પ્રિય બની શકો છો, પ્યારાપણા થી બધાનાં દિલ નો પ્રેમ સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે. આજ
વિશેષતા થી સફળતા પ્રાપ્ત કરી શકો છો.
વરદાન :-
સર્વ સમસ્યાઓની
વિદાય નો સમારોહ મનાવવા વાળા સમાધાન સ્વરુપ ભવ
સમાધાન સ્વરુપ આત્માઓની માળા ત્યારે તૈયાર થશે જયારે તમે પોતાની સંપૂર્ણ સ્થિતિમાં
સ્થિત હશો. સંપૂર્ણ સ્થિતિમાં સમસ્યાઓ બાળપણ ની રમત અનુભવ થાય છે અર્થાત્ સમાપ્ત થઈ
જાય છે. જેમ બ્રહ્મા બાપની સામે કોઈ બાળક સમસ્યા લઈને આવતાં હતાં તો સમસ્યાની વાતો
બોલવાની હિંમત પણ નહોતી થતી, તે વાતો જ ભુલાઈ જતી હતી. એમ આપ બાળકો પણ સમાધાન
સ્વરુપ બનો તો અડધાકલ્પનાં માટે સમસ્યાઓનો વિદાય સમારોહ થઈ જાય. વિશ્વની સમસ્યાઓનું
સમાધાન જ પરિવર્તન છે.
સ્લોગન :-
જે સદા જ્ઞાનનું
સિમરણ કરે છે તે માયાનાં આકર્ષણથી બચી જાય છે.