29-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપની
શ્રીમત તમને ૨૧ પેઢીનું સુખ આપી દે છે , આટલી ન્યારી મત બાપનાં સિવાય કોઈ આપી નથી
શકતું , તમે શ્રીમત પર ચાલતાં રહો ”
પ્રશ્ન :-
સ્વયં સ્વયંને
રાજતિલક આપવાનો સહજ પુરુષાર્થ કયો છે?
ઉત્તર :-
૧. સ્વયં સ્વયંને રાજતિલક આપવા માટે બાપની જે શિક્ષાઓ મળે છે તેનાં પર સારી રીતે
ચાલો. આમાં આશીર્વાદ અથવા કૃપાની વાત નથી. ૨. ફોલો ફાધર (બાપનું અનુકરણ) કરો, બીજાને
નથી જોવાનાં, મનમનાભવ, આનાંથી સ્વયંને સ્વયં જ તિલક મળે છે. ભણતર અને યાદની યાત્રાથી
જ તમે બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનો છો.
ગીત :-
ઓમ નમ : શિવાય
ઓમ શાંતિ!
જ્યારે બાપ અને
દાદા ઓમ શાંતિ કહે છે તો બે વાર પણ કહી શકે છે કારણકે બંને એકમાં છે. એક છે અવ્યક્ત,
બીજા છે વ્યક્ત, બંને ભેગાં છે. બંનેનો ભેગો અવાજ પણ હોય છે. અલગ-અલગ પણ હોઈ શકે
છે. આ એક વન્ડર છે. દુનિયામાં કોઈ નથી જાણતું કે પરમપિતા પરમાત્મા આમનાં શરીરમાં
બેસી જ્ઞાન સંભળાવે છે. આ ક્યાંય પણ લખેલું નથી. બાપએ કલ્પ પહેલાં પણ કહ્યું હતું,
હમણાં પણ કહે છે હું આ સાધારણ તનમાં બહુજ જન્મોનાં અંતમાં આમનામાં પ્રવેશ કરું છું,
આમનો આધાર લઉં છું. ગીતામાં કોઈને કોઈ એવા વરશન્સ (મહાવાક્ય) છે જે કોઈક રીયલ (સાચાં)
પણ છે. આ રીયલ અક્ષર છે - હું બહુજ જન્મોનાં અંતમાં પ્રવેશ કરું છું, જ્યારે આ
વાનપ્રસ્થ અવસ્થામાં છે. આમનાં માટે આ કહેવું ઠીક છે. પહેલાં-પહેલાં સતયુગમાં જન્મ
પણ આમનો છે. પછી અંતમાં વાનપ્રસ્થ અવસ્થામાં છે, જેમાં જ બાપ પ્રવેશ કરે છે. તો આમનાં
માટે જ કહે છે, આ નથી જાણતા કે મેં કેટલાં પુનર્જન્મ લીધા. શાસ્ત્રોમાં ૮૪ લાખ
પુનર્જન્મ લખી દીધા છે. આ બધો છે ભક્તિમાર્ગ. આને કહેવાય છે-ભક્તિ કલ્ટ. જ્ઞાન કાંડ
અલગ છે, ભક્તિ કાંડ અલગ છે. ભક્તિ કરતાં-કરતાં ઉતરતા જ આવે છે. આ જ્ઞાન તો એક જ વાર
મળે છે. બાપ એક જ વાર સર્વની સદ્દગતિ કરવા આવે છે. બાબા આવીને બધાની એક જ વાર
પ્રાલબ્ધ બનાવે છે-ભવિષ્યની. તમે ભણો જ છો ભવિષ્ય નવી દુનિયાનાં માટે. બાપ આવે જ છે
નવી રાજધાની સ્થાપન કરવાં એટલે આને રાજયોગ કહેવાય છે. આનું ખુબ જ મહત્ત્વ છે. ઈચ્છે
છે ભારતનો પ્રાચીન રાજયોગ કોઈ શીખવાડે, પરંતુ આજકાલ આ સંન્યાસી લોકો બહાર જઈને કહે
છે અમે પ્રાચીન રાજયોગ શીખવાડવાં આવ્યાં છીએં. તો તેઓ પણ સમજે છે અમે શીખીએ કારણ કે
સમજે છે યોગથી જ પેરેડાઇઝ (વૈકુંઠ) સ્થાપન થયું હતું. બાપ સમજાવે છે-યોગબળથી તમે
પેરેડાઇઝ નાં માલિક બનો છો. પેરેડાઇઝ સ્થાપન કર્યુ છે બાપએ. કેવી રીતે સ્થાપન કરે
છે, તે નથી જાણતાં. આ રાજ્યોગ રુહાની બાપ જ શીખવાડે છે. શરીરધારી કોઈ મનુષ્ય શીખવાડી
ન શકે. આજકાલ એડલ્ટ્રેશન (ભેળસેળ), કરપ્શન (ભ્રષ્ટાચાર) તો બહુજ છે ને એટલે બાપ એ
કહ્યું છે-હું પતિતો ને પાવન બનાવવા વાળો છું. જરૂર પછી પતિત બનાવવા વાળો પણ કોઈ હશે.
હવે તમે જજ (નિર્ણય) કરો-બરાબર એવું છે ને? હું જ આવીને બધાં વેદો-શાસ્ત્રો વગેરેનો
સાર સંભળાવું છું. જ્ઞાનથી તમને ૨૧ જન્મોનું સુખ મળે છે. ભક્તિમાર્ગમાં છે અલ્પકાળ
ક્ષણભંગુર સુખ, આ છે ૨૧ પેઢીનું સુખ, જે બાપ જ આપે છે. બાપ તમને એ સદ્દગતિ આપવાનાં
માટે જે શ્રીમત આપે છે તે સૌથી ન્યારી છે. આ બાપ બધાનું દિલ લેવાવાળા છે. જેમ તે જડ
દેલવાડા મંદિર છે, આ પછી છે ચૈતન્ય દિલવાળા મંદિર. એક્યુરેટ તમારી એક્ટિવિટી (પ્રવૃત્તિ)
નાં ચિત્ર બન્યાં છે. આ સમયે તમારી એક્ટિવિટી ચાલી રહી છે. દિલવાળા બાપ મળ્યા છે-સર્વની
સદ્દગતિ કરવાવાળા, સર્વનાં દુઃખ હરીને સુખ આપવા વાળા. કેટલાં ઊંચેથી ઊંચા ગવાયેલ
છે. ઊંચેથી ઊંચી છે ભગવાન શિવની મહિમા. ભલે ચિત્રોમાં શંકર વગેરેની આગળ પણ શિવનું
ચિત્ર દેખાડે છે. હકીકતમાં દેવતાઓની આગળ શિવનું ચિત્ર રાખવું તો નિષેધ છે. તેઓ તો
ભક્તિ કરતાં નથી. ભક્તિ ન દેવતાઓ કરે છે, ન સન્યાસી કરી શકે છે. તેઓ છે બ્રહ્મજ્ઞાની,
તત્વજ્ઞાની. જેમ આ આકાશ તત્વ છે, તેમ તે બ્રહ્મતત્વ છે. તેઓ બાપને તો યાદ કરતાં નથી,
ન તેમને આ મહામંત્ર મળે છે. આ મહામંત્ર બાપ જ આવીને સંગમયુગ પર આપે છે. સર્વનાં
સદ્દગતિ દાતા બાપ એક જ વાર આવીને મનમનાભવ નો મંત્ર આપે છે. બાપ કહે છે - બાળકો, દેહ
સહિત દેહનાં સર્વ ધર્મ ત્યાગી, સ્વયંને અશરીરી આત્મા સમજી મુજ બાપને યાદ કરો. કેટલું
સહજ સમજાવે છે. રાવણ રાજ્યનાં કારણે તમે બધાં દેહ-અભિમાની બન્યાં છો. હવે બાપ તમને
આત્મ-અભિમાની બનાવે છે. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરતાં રહો તો આત્મામાં જે
ખાદ પડી છે, તે નીકળી જાય. સતોપ્રધાનથી સતો માં આવવાથી કળા ઓછી થાય છે ને. સોનાનું
પણ કેરેટ હોય છે ને. હમણાં તો કળયુગ અંતમાં સોનુ જોવામાં પણ નથી આવતું, સતયુગમાં તો
સોનાનાં મહેલ હોય છે. કેટલો રાત-દિવસનો ફરક છે! તેનું નામ જ છે-ગોલ્ડન એજ વર્લ્ડ (સ્વર્ણિમ
દુનિયા). ત્યાં ઈંટ-પથ્થર વગેરેનું કામ નથી હોતું. બિલ્ડીંગ બને છે તો તેમાં પણ
સોના-ચાંદીનાં સિવાય બીજી કીચડ-પટ્ટી નથી હોતી. ત્યાં સાયન્સ (વિજ્ઞાન) થી બહુજ સુખ
છે. આ પણ ડ્રામા બનેલો છે. આ સમયે સાયન્સ ઘમંડી છે, સતયુગમાં ઘમંડી નહી કહેશું. ત્યાં
તો સાયન્સથી તમને સુખ મળે છે. અહીંયા છે અલ્પકાળ નું સુખ પછી આનાથી જ બહું ભારે
દુઃખ મળે છે. બોમ્બ્સ વગેરે આ બધું વિનાશનાં માટે બનાવતાં જ રહે છે. બોમ્બસ બનાવવાનાં
માટે બીજાઓને મનાઇ કરે છે પછી પોતે બનાવતાં રહે છે. સમજે પણ છે - આ બોમ્બસ થી અમારી
જ મોત થવાની છે છતાં પણ બનાવતાં રહે છે તો બુદ્ધિ મરી ગઈ છે ને. આ બધું ડ્રામામાં
નોંધ છે. બનાવ્યાં સિવાય રહી નથી શકતાં. મનુષ્ય સમજે છે કે આ બોમ્બસ થી અમારું જ
મોત થશે પરંતુ ખબર નથી કે કોણ પ્રેરિત કરી રહ્યું છે, અમે બનાવ્યાં વગર રહી નથી શકતાં.
જરૂર બનાવવા જ પડે. વિનાશની પણ ડ્રામામાં નોંધ છે. કેટલું પણ ભલે કોઈ પીસ પ્રાઇજ (શાંતિની
ઇનામ) આપે પરંતુ પીસ સ્થાપન કરવા વાળા એક બાપ જ છે. શાંતિના સાગર બાપ જ શાંતિ, સુખ,
પવિત્રતા નો વારસો આપે છે. સતયુગમાં છે બેહદની સંપત્તિ. ત્યાં તો દૂધની નદીઓ વહે
છે. વિષ્ણુને ક્ષીરસાગર માં દેખાડે છે. આ તુલના કરાય છે. ક્યાં તે ક્ષીરસાગર, ક્યાં
આ વિષય સાગર. ભક્તિમાર્ગમાં પછી તળાવ વગેરે બનાવીને તેમાં પથ્થર પર વિષ્ણુ ને
સુવડાવી દે છે. ભક્તિમાં કેટલાં ખર્ચ કરે છે. કેટલો વેસ્ટ ઓફ ટાઈમ (સમય વ્યર્થ),
વેસ્ટ ઓફ મની (પૈસા) કરે છે. દેવીઓની મૂર્તિઓ પર કેટલો ખર્ચ કરી બનાવે છે, પછી
સમુદ્રમાં નાખી દે છે તો પૈસા વેસ્ટ થયા ને. આ છે ગુડીયો ની પૂજા. કોઈનાં પણ
ઓક્યુપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર જ નથી. હવે તમે કોઈનાં પણ મંદિરમાં જાઓ તો તમે
દરેકનું ઓક્યુપેશન (કર્તવ્ય) જાણો છો. બાળકોને મનાઈ નથી-ક્યાંય પણ જવાની. પહેલાં તો
બેસમજ બનીને જતાં હતાં, હવે સેન્સિબુલ (સમજદાર) બનીને જાઓ છે. તમે કહેશો અમે આમનાં
૮૪ જન્મોને જાણીએ છીએ. ભારતવાસીને તો કૃષ્ણનાં જન્મની પણ ખબર નથી. તમારી બુદ્ધિમાં
આ બધું નોલેજ છે. નોલેજ સોર્સ ઓફ ઇનકમ (આવક નું સાધન) છે. વેદ-શાસ્ત્ર વગેરેમાં કોઈ
લક્ષ-હેતુ નથી. સ્કૂલમાં હંમેશા લક્ષ-હેતુ હોય છે. આ ભણતરથી તમે કેટલાં સાહૂકાર બનો
છો.
જ્ઞાનથી થાય છે સદ્દગતિ. આ નોલેજથી તમે સંપત્તિવાન બનો છો. તમે કોઈ પણ મંદિરમાં જશો
તો ઝટ સમજશો - આ કોનું યાદગાર છે! જેમ દેલવાડા મંદિર છે - તે છે જડ, આ છે ચૈતન્ય.
હૂબહૂ જેમ અહિયાં ઝાડમાં દેખાડ્યું છે, એવું મંદિર બનાવેલ છે. નીચે તપસ્યામાં બેઠાં
છે, ઉપર છાપરામાં આખું સ્વર્ગ છે. બહુજ ખર્ચાથી બનાવેલું છે. અહીંયા તો કંઈ પણ નથી.
ભારત ૧૦૦ ટકા સોલ્વેન્ટ (સાહુકાર), પાવન હતું, હમણાં ભારત ૧૦૦ ટકા ઇનસોલ્વેન્ટ (દેવાદાર),
પતિત છે કારણ કે અહીંયા બધાં વિકારથી પેદા થાય છે. ત્યાં ગંદગી ની વાત નથી હોતી.
ગરુડ પુરાણમાં રોચક વાતો એટલે લખી છે મનુષ્ય કંઈક સુધરે. પરંતુ ડ્રામામાં મનુષ્યોને
સુધરવાનું નથી. હવે ઈશ્વરીય સ્થાપના થઇ રહી છે. ઈશ્વર જ સ્વર્ગ સ્થાપન કરશે ને. એમને
જ હેવનલી ગોડફાધર કહેવાય છે. બાપએ સમજાવ્યું છે તે લશ્કર જે લડે છે, તે બધું કરે છે
રાજા-રાણીનાં માટે. અહીંયા તમે માયા પર જીત પામો છો પોતાનાં માટે. જેટલું કરશો એટલું
પામશો. તમારે દરેકને પોતાનું તન-મન-ધન ભારતને સ્વર્ગ બનાવવામાં ખર્ચ કરવું પડે છે.
જેટલું કરશો એટલું ઉચ્ચ પદ પામશો. અહિયાં રહેવાનું તો કંઈ છે નહીં. હમણાંનાં માટે જ
ગાયન છે - કિનકી દબી રહેગી ધૂલ મેં … હમણાં બાપ આવેલાં છે, તમને રાજ્ય-ભાગ્ય અપાવવાં.
કહે છે હવે તન-મન-ધન બધું આમાં લગાવી દો. આમને (બ્રહ્મા એ) બધું ન્યોછાવર કરી દીધું
ને. આને કહેવાય છે મહાદાની. વિનાશી ધનનું દાન કરે છે તો અવિનાશી ધનનું પણ દાન કરવાનું
હોય છે, જેટલું જે દાન કરે. નામીગ્રામી દાની હોય છે જે કહે છે ફલાણા મોટા
ફ્લેન્થ્રોફિસ્ટ (મહાદાની) હતાં. નામ તો થાય છે ને. તેઓ ઇનડાયરેક્ટ (અપ્રત્યક્ષ)
ઈશ્વર અર્થ કરે છે. રાજાઈ નથી સ્થાપન થતી. હમણાં તો રાજાઈ સ્થાપન થાય છે એટલે
કમ્પલીટ ફ્લેન્થ્રોફિસ્ટ (પુરા મહાદાની) બનવાનું છે. ભક્તિમાર્ગમાં ગાએ પણ છે અમે
વારી જઈશું…. આમાં ખર્ચો કંઈ નથી. ગવર્મેન્ટનો કેટલો ખર્ચો થાય છે. અહીંયા તમે જે
કંઈ કરો છો પોતાનાં માટે, પછી ભલે ૮ ની માળામાં આવો, ભલે ૧૦૮ માં, ભલે ૧૬૧૦૮ માં.
પાસ વિથ ઓનર બનવાનું છે. એવો યોગ કમાવો જે કર્માતીત અવસ્થાને પામી લો પછી કોઈ સજા ન
ખાઓ.
તમે બધાં છો વારિયર્સ (યોદ્ધાઓ). તમારી લડાઈ છે રાવણથી, કોઈ મનુષ્ય થી નથી. નપાસ
થવાનાં કારણે બે કળા ઓછી થઈ ગઈ. ત્રેતા ને બે કળા ઓછું સ્વર્ગ કહેશું. પુરુષાર્થ તો
કરવો જોઈએ ને - બાપને પૂરું ફોલો કરવાનો. આમાં મન-બુદ્ધિથી સરેન્ડર (સમર્પણ) થવાનું
હોય છે. બાબા આ બધું તમારું છે. બાપ કહેશે આ સર્વિસ (સેવા) માં લગાવો. હું જે તમને
મત આપુ છું, તે કાર્ય કરો, યુનિવર્સિટી ખોલો, સેવાકેન્દ્ર ખોલો. અનેકોનું કલ્યાણ થઇ
જશે. ફક્ત આ સંદેશ આપવાનો છે બાપને યાદ કરો અને વારસો લો. મેસેન્જર, પૈગમ્બર આપ
બાળકોને કહેવાય છે. બધાંને આ મેસેજ (સંદેશ) આપો કે બાપ બ્રહ્મા દ્વારા કહે છે કે મને
યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થશે, જીવનમુક્તિ મળી જશે. હમણાં છે જીવનબંધ પછી
જીવનમુક્ત થશો. બાપ કહે છે હું ભારતમાં જ આવું છું. આ ડ્રામા અનાદિ બનેલો છે. ક્યારે
બન્યો, ક્યારે પૂરો થશે? આ પ્રશ્ન નથી ઉઠી શકતો. આ તો ડ્રામા અનાદિ ચાલતો જ રહે છે.
આત્મા કેટલું નાનું બિંદુ છે. તેમાં આ અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. કેટલી ગુહ્ય વાતો
છે. તારાની જેમ નાનું બિંદુ છે. માતાઓ પણ અહીં મસ્તક પર બિંદી લગાવે છે. હવે આપ
બાળકો પુરુષાર્થ થી સ્વયં સ્વયંને રાજતિલક આપી રહ્યાં છો. તમે બાપની શિક્ષા પર સારી
રીતે ચાલશો તો જેમકે તમે સ્વયંને રાજતિલક આપો છો. એવું નથી કે આમાં આશીર્વાદ કે કૃપા
થશે. તમે જ સ્વયંને રાજ-તિલક આપો છો. અસલ માં આ રાજ-તિલક છે. ફોલો ફાધર કરવાનો
પુરુષાર્થ કરવાનો છે, બીજાને નથી જોવાનાં. આ છે મનમનાભવ, જેનાંથી સ્વયં સ્વયંને જ
તિલક મળે છે, બાપ નથી આપતાં. આ છે જ રાજયોગ. તમે બેગર થી પ્રિન્સ બનો છો. તો કેટલો
સારો પુરુષાર્થ કરવો જોઈએ. પછી આમને પણ ફોલો કરવાનું છે. આતો સમજની વાત છે ને. ભણતર
થી કમાણી થાય છે. જેટલો-જેટલો યોગ એટલી ધારણા થશે. યોગમાં જ મહેનત છે એટલે ભારતનો
રાજ્યોગ ગવાયેલો છે. બાકી ગંગાસ્નાન કરતાં-કરતાં તો આયુ પણ ચાલી જાય તો પણ પાવન બની
ન શકે. ભક્તિમાર્ગમાં ઈશ્વર અર્થ ગરીબોને આપે છે. અહીંયા પછી સ્વયં ઈશ્વર આવીને
ગરીબોને જ વિશ્વની બાદશાહી આપે છે. ગરીબ નિવાજ છે ને. ભારત જે ૧૦૦ ટકા સોલવેન્ટ હતું,
તે આ સમયે ૧૦૦ ટકા ઇનસોલવેન્ટ છે. દાન હંમેશા ગરીબોને અપાય છે. બાપ કેટલાં ઊંચ બનાવે
છે. આવાં બાપને ગાળ આપે છે. બાપ કહે છે - આવી જ્યારે ગ્લાનિ કરે છે ત્યારે મારે આવવું
પડે છે. આ પણ ડ્રામા બનેલો છે. આ બાપ પણ છે, શિક્ષક પણ છે. શીખ લોકો કહે છે - સતગુરુ
અકાળ. બાકી ભક્તિમાર્ગ નાં ગુરુ તો અનેક છે. અકાળ ને તખ્ત ફક્ત આ મળે છે. આપ બાળકોનું
પણ તખ્ત વાપરે છે. કહે છે હું આમનામાં પ્રવેશ કરી સર્વનું કલ્યાણ કરું છું. આ સમયે
આમનો આ પાર્ટ છે. આ બહુજ સમજવાની વાતો છે. નવું કોઈ સમજી ન શકે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન ધનનું દાન કરી મહાદાની બનવાનું છે. જેમ બ્રહ્મા બાપએ પોતાનું બધું આમાં લગાડી
દીધું, એમ ફોલો ફાધર કરી રાજાઈ માં ઊંચ પદ લેવાનું છે.
2. સજાઓથી બચવાં માટે એવો યોગ કમાવવાનો છે જે કર્માતીત અવસ્થા ને પામી લો. પાસ વિથ
ઓનર બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બીજાને નથી જોવાનાં.
વરદાન :-
પોતાનાં
પૂર્વજ સ્વરુપની સ્મૃતિ દ્વારા સર્વ આત્માઓને શક્તિશાળી બનાવવા વાળા આધાર ,
ઉદ્ધારમૂર્ત ભવ
આ સૃષ્ટિ વૃક્ષનું
મૂળ થડ, સર્વનાં પૂર્વજ આપ બ્રાહ્મણ સો દેવતા છો. દરેક કર્મનો આધાર, કુળ મર્યાદાઓનો
આધાર, રીત-રીવાજ નો આધાર તમે પૂર્વજ સર્વ આત્માઓનાં આધાર અને ઉદ્ધાર મૂર્ત છો. આપ
થડ દ્વારા જ સર્વ આત્માઓને શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિ કે સર્વ શક્તિઓની પ્રાપ્તિ થાય
છે. તમને બધાં ફોલો કરી રહ્યાં છે એટલે આટલી મોટી જવાબદારી સમજતા દરેક સંકલ્પ અને
કર્મ કરો કારણકે આપ પૂર્વજ આત્માઓનાં આધાર પર જ સૃષ્ટિનો સમય અને સ્થિતિનો આધાર છે.
સ્લોગન :-
જે સર્વ
શક્તિઓ રુપી કિરણો ચારો તરફ ફેલાવે છે તેજ માસ્ટર જ્ઞાન સૂર્ય છે.
અવ્યક્ત આ સ્થિતિ નો
અનુભવ કરવાનાંમાટે વિશેષ અભ્યાસ
વચમાં-વચમાં
સંકલ્પોની ટ્રાફિક ને સ્ટોપ કરવાનો અભ્યાસ કરો. એક મિનિટ માટે સંકલ્પો ને, ભલે શરીર
દ્વારા ચાલતાં કર્મને રોકી બિંદુ રુપની પ્રેક્ટિસ કરો. આ એક સેકન્ડનો પણ અનુભવ આખો
દિવસ અવ્યક્ત સ્થિતિ બનાવવામાં મદદ કરશે.