06-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ જૂની
દુનિયામાં અલ્પકાળ ક્ષણભંગુર સુખ છે , આ સાથે ન ચાલી શકે , સાથે અવિનાશી જ્ઞાન રત્ન
ચાલે છે , એટલે અવિનાશી કમાણી જમા કરો ”
પ્રશ્ન :-
બાપનાં ભણતરમાં
તમને કઈ વિદ્યા નથી શીખવાડવામાં આવતી?
ઉત્તર :-
ભૂત વિદ્યા. કોઈનાં સંકલ્પોને વાંચવાં, આ ભૂત વિદ્યા છે, તમને આ વિદ્યા નથી
શીખવાડવામાં આવતી. બાપ કોઇ થોટ રીડર (વિચારો વાંચનાર) નથી. એ જાનીજાનનહાર અર્થાત્
નોલેજફુલ છે. બાપ આવે છે તમને રુહાની ભણતર ભણાવવાં, જે ભણતર થી તમને ૨૧ જન્મોનાં
માટે વિશ્વની રાજાઈ મળે છે.
ઓમ શાંતિ!
ભારતમાં
ભારતવાસી ગાએ છે આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ... હવે બાળકો જાણે છે આપણી
આત્માઓનાં બાપ પરમપિતા પરમાત્મા આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. પોતાનો પરિચય આપી
રહ્યાં છે અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનો પણ પરિચય આપી રહ્યાં છે. કોઈ તો પાક્કા
નિશ્ચય બુદ્ધિ છે, કોઈ ઓછું સમજે છે, નંબરવાર તો છે ને. બાળકો જાણે છે આપણે જીવ
આત્માઓ પરમપિતા પરમાત્માનાં સમ્મુખ બેઠાં છીએં. ગવાય છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યાં
બહુકાળ. હવે મૂળવતન માં જ્યારે આત્માઓ છે તો અલગ થવાની વાત જ નથી ઉઠતી. અહીંયા
આવવાથી જયારે જીવ આત્મા બને છે તો પરમાત્મા બાપથી બધી આત્માઓ અલગ થાય છે. પરમપિતા
પરમાત્મા થી અલગ થઈને અહીંયા પાર્ટ ભજવવાં આવે છે. પહેલાં તો વગર અર્થ એમ જ ગાતાં
હતાં. હવે તો બાપ બેસી સમજાવે છે. બાળકો જાણે છે પરમપિતા પરમાત્મા થી આપણે અલગ થઈ
અહીં પાર્ટ ભજવવા આવ્યાં છીએં. તમે જ પહેલાં-પહેલાં છૂટા પડ્યાં છો તો શિવબાબા પણ
પહેલાં-પહેલાં તમને જ મળે છે. તમારાં ખાતર બાપને આવવું પડે છે. કલ્પ પહેલાં પણ આ
બાળકોને જ ભણાવ્યું હતું જે પછી સ્વર્ગનાં માલિક બન્યાં. તે સમયે બીજા કોઈ ખંડ નહોતાં.
બાળકો જાણે છે આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મના હતાં જેને ડીટી રિલીજન (દૈવી ધર્મ),
ડીટી (દૈવી) રાજધાની પણ કહે છે. દરેકને પોતાનો ધર્મ હોય છે. ધર્મ ને જ શક્તિ કહેવાય
છે. ધર્મ માં તાકાત રહે છે. આપ બાળકો જાણો છો આ લક્ષ્મી-નારાયણ કેટલી તાકાત વાળા હતાં.
ભારતવાસી પોતાનાં ધર્મ ને જ નથી જાણતાં. કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું બરાબર ભારતમાં
આમનો જ ધર્મ હતો. ધર્મને ન જાણવાનાં કારણે અધર્મી બની ગયાં છે. ધર્મ માં આવવાથી
તમારામાં કેટલી તાકાત રહે છે. તમે આઇરન એજેડ (કળયુગી) પહાડને ઉઠાવી ગોલ્ડ એજેડ (સતયુગી)
બનાવી દો છો. ભારતને સોનાનો પહાડ બનાવી દો છો. ત્યાં તો ખાણોમાં અઢળક સોનુ ભરેલું
હોય છે. સોનાનાં પહાડ હશે જે પછી ત્યાં ખુલશે. સોનાને ઓગાળીને તેની ઇંટો બનાવાય છે.
મકાન તો મોટી ઈંટોનું જ બનાવશે ને. માયા મછંદર નો ખેલ પણ દેખાડે છે ને. તે બધી છે
વાર્તાઓ. બાપ કહે છે આ બધાનો સાર હું તમને સંભળાવું છું. દેખાડે છે ધ્યાનમાં જોયું
અમે ઝોલી ભરીને લઈ જઈએ છે, ધ્યાનથી નીચે ઊતર્યા, તો કાંઇ ન રહ્યું. જેમ તમારું પણ
થાય છે. આને કહેવાય છે દિવ્ય દૃષ્ટિ. આમાં કાંઈ રાખ્યું નથી. નૌધા ભક્તિ ખૂબ કરે
છે. તે ભક્ત માળા જ અલગ છે, આ જ્ઞાન માળા અલગ છે. રુદ્ર માળા અને વિષ્ણુની માળા છે
ને. તે પછી છે ભક્તિની માળા. હમણાં તમે ભણી રહ્યાં છો રાજાઈ નાં માટે. તમારો
બુદ્ધિયોગ છે શિક્ષકની સાથે અને રાજાઈની સાથે. જેમ કોલેજમાં ભણે છે તો બુદ્ધિયોગ
શિક્ષકની સાથે રહે છે. બેરિસ્ટર પોતે ભણાવીને આપ સમાન બનાવે છે. આ બાબા પોતે તો બનતાં
નથી. આ વંડર છે અહીં. તમારું આ છે રુહાની ભણતર. તમારો બુદ્ધિયોગ શિવબાબાની સાથે છે,
એમને જ નોલેજફુલ જ્ઞાનનાં સાગર કહેવાય છે. જાની-જાનનહાર નો એવો મતલબ નથી કે એ બધાનાં
દિલોને બેસી જાણશે કે અંદર શું ચાલી રહ્યું છે. તેતો જે વિચારો વાંચતા હોય છે તે બધું
સંભળાવે છે. તેને ભુત વિદ્યા કહેવાય છે. અહીંયા તો બાપ ભણાવે છે, મનુષ્ય થી દેવતા
બનાવવાં. ગાયન પણ છે મનુષ્ય થી દેવતા.... હવે આપ બાળકો સમજો છો આપણે હમણાં બ્રાહ્મણ
બન્યાં છીએ પછી બીજા જન્મમાં દેવતા બનશું. આદિ સનાતન દેવી-દેવતા જ ગવાય છે.
શાસ્ત્રોમાં તો અનેક વાર્તાઓ લખી દીધી છે. આ તો બાપ ડાયરેક્ટ બેસી ભણાવે છે.
ભગવાનુવાચ-ભગવાન જ જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર, શાંતિના સાગર છે. આપ બાળકોને વારસો
આપે છે. આ ભણતર છે તમારાં ૨૧ જન્મોનાં માટે. તો કેટલું સરસ રીતે ભણવું જોઈએ. આ
રુહાની ભણતર બાપ એક જ વાર આવી ને ભણાવે છે, નવી દુનિયાની સ્થાપના કરવાનાં માટે. નવી
દુનિયામાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યો છું. જ્યારે આ ધર્મ હતો તો બીજા કોઈ ધર્મ નહોતાં.
હમણાં બીજા બધાં ધર્મ છે એટલે ત્રિમૂર્તિ પર પણ તમે સમજાવો છો-બ્રહ્મા દ્વારા
સ્થાપના એક ધર્મની. હમણાં તે ધર્મ છે નહીં. ગાએ પણ છે મુજ નિર્ગુણ હારે માં કોઈ ગુણ
નાહી, આપેહી તરસ પરોઈ…. અમારામાં કોઈ ગુણ નથી કહે છે તો બુદ્ધિ ગોડફાધર (પરમપિતા)
નાં તરફ જાય છે, એમને જ મર્સીફુલ (દયાળું) કહેવાય છે. બાપ આવે જ છે બાળકોનાં બધાં
દુઃખોને સમાપ્ત કરી ૧૦૦ ટકા સુખ આપવાં. કેટલો રહેમ કરે છે. તમે સમજો છો બાબાની પાસે
અમે આવ્યાં છીએ તો બાપથી પૂરું સુખ લેવાનું છે. તે છે જ સુખધામ, આ છે દુઃખધામ. આ
ચક્રને પણ સારી રીતે સમજવાનું છે. શાંતિધામ, સુખધામ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ
થઇ જશે. શાંતિધામ ને યાદ કરશો તો જરૂર શરીર છોડવું પડે ત્યારે આત્માઓ શાંતિધામમાં
જશે. એક બાપનાં સિવાય બીજા કોઈની યાદ ન આવે. એકદમ લાઈન ક્લિયર જોઈએ. એક બાપ ને યાદ
કરવાથી અંદર ખુશીનો પારો ચઢે છે. આ જૂની દુનિયામાં તો અલ્પકાળ ક્ષણભંગુર સુખ છે. આ
સાથે ન ચાલી શકે. સાથે આ અવિનાશી જ્ઞાન રત્ન જ ચાલે છે. એટલે આ જ્ઞાન રત્નોની કમાણી
જ સાથે ચાલે છે જે પછી તમે ૨૧ જન્મ પ્રાલબ્ધ ભોગવશો. હાં, વિનાશી ધન પણ સાથે તેમનાં
જાય છે જે બાપને મદદ કરે છે. બાબા અમારી પણ કોડીયો લઈ ત્યાં મહેલ બનાવી દઈ દેજો.
બાપ કોડીયો નાં બદલે કેટલાં રત્ન આપે છે. જેમ અમેરિકન લોકો હોય છે, ખૂબ પૈસા ખર્ચ
કરી જૂની-જૂની ચીજો ખરીદી કરે છે. જૂની ચીજોનાં મનુષ્ય ખૂબ પૈસા લઈ લે છે. અમેરિકન
લોકો પાસેથી પાઈ ની ચીજ નાં હજાર લઈ લેશે. બાબા પણ કેટલાં સારા ગ્રાહક છે. ભોળાનાથ
ગવાયેલ છે ને. મનુષ્યોને આ પણ ખબર નથી, તેઓ તો શિવ-શંકર એક કહી દે છે. તેમનાં માટે
કહે છે ભરી દો ઝોલી. હમણાં આપ બાળકો સમજો છો આપણને જ્ઞાન રત્ન મળે છે, જેનાંથી આપણી
જોલી ભરાય છે. આ છે બેહદનાં બાપ. તેઓ પછી શંકરનાં માટે કહી દે છે અને પછી દેખાડે છે
- ધતુરો ખાતાં હતાં, ભાંગ પીતાં હતાં. શું-શું વાતો બેસીને બનાવી છે! આપ બાળકો હવે
સદ્દગતિનાં માટે ભણતર ભણી રહ્યાં છો. આ ભણતર છે જ બિલકુલ શાંતિમાં રહેવાનું. આ
બત્તીઓ વગેરે જે જલાવે છે, શો કરે છે, તે પણ એટલે કે મનુષ્ય આવીને પૂછે તમે શિવજયંતી
આટલી કેમ મનાવો છો? શિવ જ ભારતને ધનવાન બનાવે છે ને. આ લક્ષ્મી-નારાયણને સ્વર્ગનાં
માલિક કોણે બનાવ્યાં-આ તમે જાણો છો. આ લક્ષ્મી-નારાયણ આગળનાં જન્મમાં કોણ હતાં? આ
આગળ જન્મમાં જગત અંબા જ્ઞાન-જ્ઞાનેશ્વરી હતી જે પછી રાજ-રાજેશ્વરી બને છે. હવે પદ
કોનું મોટું છે? જોવામાં તો આ સ્વર્ગનાં માલિક છે. જગત અંબા ક્યાંની માલિક હતી? એમની
પાસે કેમ જાય છે? બ્રહ્માને પણ ૧૦૦ ભુજા વાળા, ૨૦૦ ભુજા વાળા, ૧૦૦૦ ભુજા વાળા દેખાડે
છે ને. જેટલાં બાળકો થતાં જાય છે, ભુજાઓ વધતી જાય છે. જગત અંબાને પણ લક્ષ્મીથી વધારે
ભુજાઓ આપી છે, તેમની જ પાસે જઈને બધું માંગે છે. ખૂબ આશાઓ લઈને જાય છે-બાળક જોઈએ, આ
જોઈએ…. લક્ષ્મીની પાસે ક્યારેય એવી આશાઓ લઈને નહિ જશે. તે તો ફક્ત ધનવાન છે. જગત
અંબાથી તો સ્વર્ગની બાદશાહી મળે છે. આ પણ કોઈને ખબર નથી-જગત અંબા થી શું માંગવું
જોઈએ! આ તો ભણતર છે ને. જગત અંબા શું ભણાવે છે? રાજયોગ. આને કહેવાય જ છે બુદ્ધિયોગ.
તમારી બીજા બધાં તરફથી બુદ્ધિ નીકળી એક બાપથી લાગી જાય છે. બુદ્ધિ તો અનેક તરફ ભાગે
છે ને. હવે બાપ કહે છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો, નહીં તો વિકર્મ વિનાશ નહીં થશે
એટલે બાબા ફોટો પાડવાની પણ મનાઇ કરે છે. આ તો તેમનો દેહ છે ને.
બાપ સ્વયં દલાલ બનીને કહે છે હવે તમારો તે હથિયાલો કેન્સલ (રદ્દ) છે. કામ ચિતા થી
ઉતરી હવે જ્ઞાન ચિતા પર બેસો. કામ ચિતા થી ઉતરો. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ
કરો તો વિકર્મ વિનાશ થશે. બીજું કોઈ મનુષ્ય આવું કહી ન શકે. મનુષ્યને ભગવાન પણ ન
કહેવાય. આપ બાળકો જાણો છો બાપ જ પતિત-પાવન છે. એજ આવીને કામ ચિતા પર થી ઉતારી જ્ઞાન
ચિતા પર બેસાડે છે. એ છે રુહાની બાપ. એ આમનામાં બેસી કહે છે તમે પણ આત્મા છો,
બીજાઓને પણ આજ સમજાવતાં રહો. બાપ કહે છે-મનમનાભવ. મનમનાભવ કહેવાથી જ સ્મૃતિ આવી જશે.
આ જૂની દુનિયાનો વિનાશ પણ સામે ઊભો છે. બાપ સમજાવે છે આ છે મહાભારે મહાભારત લડાઈ.
કહેશે લડાઈ તો વિલાયતમાં પણ થાય છે પછી આને મહાભારત લડાઈ કેમ કહે છે? ભારતમાં જ
યજ્ઞ રચાયેલો છે. આનાથી જ વિનાશ જવાળા નીકળી છે. તમારાં માટે નવી દુનિયા જોઈએ તો
મીઠા બાળકો જૂની દુનિયાનો જરૂર વિનાશ થવો જોઈએ. તો આ લડાઈનાં મૂળ અહીંયાથી નીકળે
છે. આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી મહાભારે લડાઈ, વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઇ. ભલે શાસ્ત્રોમાં
લખેલું છે પરંતુ કોણે કહ્યું છે આ નથી જાણતાં. હમણાં બાપ સમજાવી રહ્યાં છે નવી
દુનિયાનાં માટે. હવે તમે રાજાઈ લો છો, તમે દેવી-દેવતા બનો છો. તમારાં રાજ્યમાં બીજા
કોઈ પણ હોવા ન જોઈએ. આસુરી દુનિયાનો વિનાશ થાય છે. બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ - કાલે
આપણે રાજ્ય કર્યુ હતું. બાપે રાજ્ય આપ્યું હતું પછી ૮૪ જન્મ લેતાં આવ્યાં. હવે ફરી
બાબા આવેલાં છે. આપ બાળકોમાં આ તો જ્ઞાન છે ને. બાપે આ જ્ઞાન આપ્યું છે. જ્યારે દૈવી
ધર્મની સ્થાપના થાય છે તો બાકી આખી આસુરી દુનિયાનો વિનાશ થાય છે. આ બાપ બેસી બ્રહ્મા
દ્વારા બધી વાતો સમજાવે છે. બ્રહ્મા પણ શિવનો બાળક છે, વિષ્ણુનું પણ રહસ્ય સમજાવ્યું
છે કે બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા બને છે. હવે તમે સમજી ગયા છો આપણે
બ્રાહ્મણ થી પછી દેવતા બનશું ફરી ૮૪ જન્મ લઈશું. આ નોલેજ આપવાવાળા એક જ બાપ છે તો
બીજા કોઈ મનુષ્ય થી આ નોલેજ મળી કેવી રીતે શકે? આમાં બધી બુદ્ધિની વાત છે. બાપ કહે
છે કે બીજી બધી તરફથી બુદ્ધિ તોડો. બુદ્ધિ જ બગડે છે. બાપ કહે છે કે મને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. લક્ષ-હેતુ તો સામે ઊભું છે. જાણો છો
આપણે ભણીને આ બનશું. તમારું ભણતર છે જ સંગમયુગ નું. હવે તમે ન આ તરફનાં છો, ન તો એ
તરફ. તમે બહાર છો. બાપને ખેવૈયા પણ કહે છે, ગાએ પણ છે અમારી નૈયા પાર લઈ જાઓ. આનાં
પર એક વાર્તા પણ બનેલી છે. કોઈ ચાલી પડે છે, કોઈ અટકી જાય છે. હવે બાપ કહે છે - હું
આ બ્રહ્માનાં મુખ દ્વારા બેસી સંભળાવું છું. બ્રહ્મા ક્યાંથી આવ્યાં? પ્રજાપિતા તો
જરૂર અહીંયા જોઈએ ને. હું આમને એડોપ્ટ કરું છું, આમનું પણ નામ રાખું છું. તમે પણ
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો, જે કળયુગ અંતમાં છે, ફરી તેઓ જ સતયુગ આદિ માં જશે.
તમે જ પહેલાં-પહેલાં બાપ થી અલગ થઈ પાર્ટ ભજાવવા આવ્યાં છો. આપણામાં પણ બધાં તો નહીં
કહેશે ને. આ પણ ખબર પડી જશે કોણ પુરા ૮૪ જન્મ લે છે! આ લક્ષ્મી-નારાયણ ની તો ગેરંટી
છે ને. આમનાં માટે જ ગાયન છે શ્યામ-સુંદર. દેવી-દેવતા સુંદર હતાં, શ્યામ થી સુંદર
બન્યાં છે. ગામડાનાં છોકરા થી બદલાઈ સુંદર બની જાય છે, આ સમયે બધા છોરા-છોરીઓ છે. આ
બેહદની વાત છે, આને કોઈ જાણતું નથી. કેટલી સારી-સારી સમજણ અપાય છે. દરેકનાં માટે
સર્જન એક જ છે. આ છે અવિનાશી સર્જન.
યોગને અગ્નિ કહેવાય છે કારણ કે યોગથી જ આત્માની એલોય (ખાદ) નીકળે છે. યોગ અગ્નિથી
તમોપ્રધાન આત્મા સતોપ્રધાન બને છે. જો આગ ઠંડી હશે તો એલોય નીકળશે નહીં. યાદને યોગ
અગ્નિ કહેવાય છે, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. તો બાપ કહે છે તમને કેટલું સમજાવતો
રહું છું. ધારણા પણ થાય ને. અચ્છા મનમનાભવ. આમાં તો થાકવું ન જોઈએ ને. બાપને યાદ
કરવાનું પણ ભૂલી જાય છે. આ પતિઓનાં પતિ તમારો જ્ઞાનથી કેટલો શ્રુંગાર કરે છે.
નિરાકાર બાપ કહે છે બીજા બધાથી બુદ્ધિયોગ તોડી મુજ પોતાનાં બાપને યાદ કરો. બાપ બધાનો
એક જ છે. તમારી હવે ચઢતી કળા થાય છે. કહે છે ને - તેરે ભાને સર્વ કા ભલા. બાપ આવ્યાં
છે સર્વનું ભલું કરવાં. રાવણ તો બધાને દુર્ગતિમાં લઈ જાય છે, રામ બધાને સદ્દગતિ માં
લઈ જાય છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) બાપની યાદ
થી અપાર સુખોનો અનુભવ કરવાનાં માટે બુદ્ધિની લાઈન ક્લિયર જોઈએ. યાદ જ્યારે અગ્નિનું
રુપ લે ત્યારે આત્મા સતોપ્રધાન બને.
2) બાપ કોડીયોનાં બદલે રત્ન આપે છે. આવાં ભોળાનાથ બાપ થી પોતાની ઝોલી ભરવાની છે.
શાંતિમાં રહેવાનું ભણતર ભણી સદ્દગતિ ને પ્રાપ્ત કરવાની છે.
વરદાન :-
ત્રણ પ્રકારનાં
વિજયનું મેડલ પ્રાપ્ત કરવાવાળા સદા વિજયી ભવ
વિજય માળામાં નંબર
પ્રાપ્ત કરવાનાં માટે પહેલાં સ્વ પર વિજયી, પછી સર્વ પર વિજયી અને પછી પ્રકૃતિ પર
વિજયી બનો. જ્યારે આ ત્રણ પ્રકારનાં વિજય નાં મેડલ પ્રાપ્ત થશે ત્યારે વિજય માળાનાં
મણકા બની શકશો. સ્વ પર વિજયી બનવું અર્થાત્ પોતાનાં વ્યર્થ ભાવ, સ્વભાવ ને શ્રેષ્ઠ
ભાવ, શુભ ભાવના થી પરિવર્તન કરવો. જે આમ સ્વ પર વિજયી બને છે તેઓ જ બીજાઓ પર પણ
વિજય પ્રાપ્ત કરી લે છે. પ્રકૃતિ પર વિજયી પ્રાપ્ત કરવી અર્થાત્ વાયુમંડળ,
વાયબ્રેશન અને સ્થૂળ પ્રકૃતિની સમસ્યાઓ પર વિજયી બનવું.
સ્લોગન :-
સ્વયંની
કર્મેન્દ્રિયો પર સંપૂર્ણ રાજ્ય કરવાવાળા જ સાચાં રાજયોગી છે.