13-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ચુસ્ત
વિદ્યાર્થી બની સારા ટકા થી પાસ થવાનો પુરુષાર્થ કરો , સુસ્ત વિદ્યાર્થી નહીં બનો ,
સુસ્ત તે જેમને આખો દિવસ મિત્ર - સંબંધી યાદ આવે છે ”
પ્રશ્ન :-
સંગમયુગ પર
સૌથી તકદીરવાન કોને કહેશું?
ઉત્તર :-
જેમણે પોતાનું
તન-મન-ધન બધું સફળ કર્યુ છે કે કરી રહ્યા છે - તે છે તકદીરવાન. કોઈ-કોઈ તો બહુજ
મનહૂસ હોય છે તો સમજાય છે તકદીરમાં નથી. સમજતા નથી કે વિનાશ સામે ઉભો છે, કંઈક તો
કરી લઈએ. તકદીરવાન બાળકો સમજે છે બાપ હમણાં સમ્મુખ આવ્યા છે, અમે પોતાનું બધું સફળ
કરી લઈએ. હિંમત રાખી અનેકોનું ભાગ્ય બનાવવાનાં નિમિત્ત બની જઈએ.
ગીત :-
તકદીર જગાકર
આયી છું…
ઓમ શાંતિ!
આતો આપ બાળકો
તકદીર બનાવી રહ્યા છો. ગીતામાં શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે અને કહે છે
ભગવાનુવાચ હું તમને રાજયોગ શીખવાડું છું. હવે કૃષ્ણ ભગવાનુવાચ તો છે નહીં. આ
શ્રીકૃષ્ણ તો લક્ષ-હેતુ છે પછી શિવ ભગવાનુવાચ, કે હું તમને રાજાઓનાં રાજા બનાવું
છું. તો પહેલાં જરુર પ્રિન્સ (રાજકુમાર) કૃષ્ણ બનશે. બાકી કૃષ્ણ ભગવાનુવાચ નથી.
કૃષ્ણ તો આપ બાળકોનું લક્ષ-હેતુ છે, આ પાઠશાળા છે. ભગવાન ભણાવે છે, તમે બધાં
પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનો છો.
બાપ કહે છે બહુજ જન્મોનાં અંતનાં પણ અંતમાં હું તમને આ જ્ઞાન સંભળાવું છું ફરીથી
શ્રીકૃષ્ણ બનવાનાં માટે. આ પાઠશાળાનાં શિક્ષક શિવબાબા છે, શ્રીકૃષ્ણ નથી. શિવબાબા જ
દૈવી ધર્મની સ્થાપના કરે છે. આપ બાળકો કહો છો અમે આવ્યા છીએ તકદીર બનાવવાં. આત્મા
જાણે છે આપણે પરમપિતા પરમાત્મા થી હવે તકદીર બનાવવા આવ્યા છીએ. આ છે
પ્રિન્સ-પ્રિન્સેજ બનવાની તકદીર. રાજયોગ છે ને. શિવબાબા દ્વારા પહેલાં-પહેલાં
સ્વર્ગનાં બે પત્તા (પાંદડા) રાધા-કૃષ્ણ નીકળે છે. આજે ચિત્ર બનાવ્યું છે, આ ઠીક
છે, સમજાવાનાં માટે સારું છે. ગીતનાં જ્ઞાનથી જ તકદીર બને છે. તકદીર જાગી હતી તે પછી
ફૂટી ગઈ. બહુજ જન્મોનાં અંતમાં તમે એકદમ તમોપ્રધાન બેગર (ગરીબ) બની ગયા છો. હવે ફરી
પ્રિન્સ બનવાનું છે. પહેલાં તો જરુર રાધે-કૃષ્ણ જ બનશે પછી તેમની પણ રાજધાની ચાલે
છે. ફક્ત એક તો નહી હોય ને. સ્વયંવર પછી રાધે-કૃષ્ણ થી પછી લક્ષ્મી-નારાયણ બને છે.
નર થી પ્રિન્સ અથવા નારાયણ બનવું એક જ વાત છે. આપ બાળકો જાણો છો આ લક્ષ્મી-નારાયણ
સ્વર્ગનાં માલિક હતાં. જરુર સંગમ પર જ સ્થાપના થઈ હશે એટલે સંગમયુગને પુરુષોત્તમ
યુગ કહેવાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે, બાકી બીજા બધાં ધર્મ
વિનાશ થઈ જશે. સતયુગમાં બરાબર એક જ ધર્મ હતો. તે હિસ્ટ્રી-જોગ્રોફી જરુર ફરીથી
રિપીટ થવાની છે. ફરીથી સ્વર્ગની સ્થાપના થશે. જેમાં લક્ષ્મી-નારાયણનુ રાજ્ય હતું,
પરીસ્તાન હતું, હમણાં તો કબ્રિસ્તાન છે. બધાં કામ ચિતા પર બેસી ભસ્મ થઈ જશે. સતયુગમાં
તમે મહેલ વગેરે બનાવશો. એવું નથી કે નીચેથી કોઈ સોનાની દ્વારકા કે લંકા નીકળી આવશે.
દ્વારકા હોઈ શકે છે, લંકા તો નહીં હશે. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) કહેવાય છે
રામરાજ્યને. સાચું સોનુ જે હતું તે બધું લુટાઈ ગયું. તમે સમજાવો છો ભારત કેટલું
ધનવાન હતું. હમણાં તો કંગાળ છે. કંગાળ અક્ષર લખવું કોઈ ખોટી વાત નથી. તમે સમજાવી શકો
છો સતયુગમાં એક જ ધર્મ હતો. ત્યાં બીજો કોઈ ધર્મ હોઈ ન શકે. ઘણાં કહે છે આ કેવી રીતે
થઈ શકે? શું ફક્ત દેવતાઓ જ હશે? અનેક મત-મતાંતર છે, એક ન મળે બીજાથી. કેટલું વન્ડર
છે. કેટલાં એક્ટર્સ છે. હમણાં સ્વર્ગની સ્થાપના થઈ રહી છે, આપણે સ્વર્ગવાસી બનીએ
છીએ આ યાદ રહે તો સદા હર્ષિતમુખ રહેશું. આપ બાળકોને બહુજ ખુશી રહેવી જોઈએ. તમારુ
લક્ષ-હેતુ તો ઉચું છે ને. આપણે મનુષ્ય થી દેવતા સ્વર્ગવાસી બનીએ છીએ. આ પણ તમે
બ્રાહ્મણ જ જાણો છો કે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. આ પણ સદેવ યાદ રહેવું જોઈએ.
પરંતુ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. તકદીરમાં નથી તો સુધરતા નથી. જુઠ્ઠું બોલવાની આદત
અડધાકલ્પ થી પડેલી છે, તે નીકળતી નથી. જુઠ્ઠાને પણ ખજાનો સમજીને રાખે છે, છોડતાં જ
નથી તો સમજાઈ જાય છે તેમની તકદીર આવી છે. બાપને યાદ નથી કરતાં. યાદ પણ ત્યારે રહે
જયારે પૂરું મમત્વ નીકળી જાય. આખી દુનિયાથી વૈરાગ્ય. મિત્ર-સંબંધીઓ વગેરે ને જોવાં
છતાં જેમકે જોતા જ નથી. જાણે છે આ બધાં નર્કવાસી, કબ્રસ્તાની છે. આ બધું ખતમ થઈ
જવાનું છે. હવે આપણે ફરી ઘરે જવાનું છે એટલે સુખધામ-શાંતિધામને જ યાદ કરે છે. આપણે
કાલે સ્વર્ગવાસી હતાં, રાજ્ય કરતાં હતાં, તે ગુમાવી દીધું છે ફરી આપણે રાજ્ય લઈએ
છીએ. બાળકો સમજે છે ભક્તિમાર્ગમાં કેટલું માથુ ઝુકાવવાનું, પૈસા બરબાદ કરવાનાં હોય
છે. બૂમો પાડતા જ રહે છે, મળતું કાંઈ પણ નથી. આત્મા પુકારે છે-બાબા આવો, સુખધામમાં
લઈ જાઓ તે પણ જ્યારે અંતમાં બહુજ દુઃખ હોય છે ત્યારે યાદ કરે છે.
તમે જુઓ છો હમણાં જૂની દુનિયા ખતમ થવાની છે. હમણાં આપણો આ અંતિમ જન્મ છે, આમાં આપણને
બધું નોલેજ મળ્યું છે. નોલેજ પૂરું ધારણ કરવાનું છે. અર્થકવેક (ધરતીકંપ) વગેરે
અચાનક થાય છે ને. હિન્દુસ્તાન, પાકિસ્તાનનાં ભાગલા માં કેટલા મર્યા હશે. આપ બાળકોને
શરુથી લઈને અંત સુધી બધી ખબર પડી છે. બાકી જે રહેલું હશે તે પણ ખબર પડતી જશે. ફક્ત
એક સોમનાથનું મંદિર સોનાનું નહીં હોય, બીજા પણ ઘણાનાં મહેલ, મંદિર વગેરે હશે સોનાનાં.
ફરી શું થાય છે, ક્યાં ગુમ થઈ જાય છે? શું અર્થકવેકમાં એવાં અંદર ચાલ્યા જાય છે જે
નીકળતા જ નથી? અંદર સડી જાય છે... શું થાય છે? આગળ ચાલીને તમને ખબર પડી જશે. કહે છે
સોનાની દ્વારકા ચાલી ગઈ. હવે તમે કહો છો ડ્રામામાં તે નીચે ચાલી ગઈ ફરી ચક્ર ફરશે
તો ઉપર આવશે. તે પણ ફરીથી બનાવવી પડશે. આ ચક્ર બુદ્ધિમાં સિમરણ કરતાં ખુબ ખુશી રહેવી
જોઈએ. આ ચિત્ર તો પોકેટ (ખિસ્સા) માં રાખી દેવું જોઈએ. આ બેજ બહું સર્વિસ (સેવા)
લાયક છે. પરંતુ આટલી સર્વિસ કોઈ કરતા નથી. આપ બાળકો ટ્રેનમાં પણ ખુબ સર્વિસ કરી શકો
છો પરંતુ કોઈ પણ ક્યારેય સમાચાર લખતાં નથી કે ટ્રેનમાં શું સર્વિસ કરી? થર્ડ ક્લાસમાં
પણ સર્વિસ થઈ શકે છે. જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે જે મનુષ્ય થી દેવતા બન્યાં છે
તેજ સમજશે. મનુષ્ય થી દેવતા ગવાય છે. એવું નહીં કહેશે કે મનુષ્ય થી ક્રિશ્ચિયન કે
મનુષ્ય થી સિક્ખ. ના, મનુષ્ય થી દેવતા બન્યા અર્થાત્ આદિ સનાતન દેવી-દેવતા ધર્મની
સ્થાપના થઈ. બાકી બધાં પોત-પોતાનાં ધર્મમાં ચાલ્યા ગયા. ઝાડમાં દેખાડાય છે
ફલાણા-ફલાણા ધર્મ ફરી ક્યારે સ્થાપન થશે? દેવતાઓ હિન્દુ બની ગયાં. હિન્દુથી પછી
બીજા-બીજા ધર્મમાં રૂપાંતર થઈ ગયાં. તેવાં પણ ઘણાં નીકળશે જે પોતાનાં શ્રેષ્ઠ
ધર્મ-કર્મને છોડી બીજા ધર્મમાં જઈને પડ્યા છે, તે નીકળીને આવશે. અંતમાં થોડું સમજશે,
પ્રજામાં આવી જશે. દેવી-દેવતા ધર્મમાં બધાં થોડી આવશે. બધાં પોત-પોતાનાં સેક્શન (વિભાગ)
માં ચાલ્યા જશે. તમારી બુદ્ધિમાં આ બધી વાતો છે. દુનિયામાં શું-શું કરતાં રહે છે?
અનાજનાં માટે કેટલો પ્રબંધ રાખે છે. મોટી-મોટી મશીનો લગાડે છે. થતું કંઈ પણ નથી.
સૃષ્ટિને તમો પ્રધાન બનવાનું જ છે. સીડી નીચે ઉતરવાની જ છે. ડ્રામામાં જે નોંધ છે
તે થતું રહે છે. પછી નવી દુનિયાની સ્થાપના થવાની જ છે. સાયન્સ (વિજ્ઞાન) જે હમણાં
શીખી રહ્યા છે, થોડાં વર્ષમાં ખુબ હોશિયાર થઈ જશે. જેનાથી પછી ત્યાં ઘણી સારી-સારી
વસ્તુ બનશે. આ વિજ્ઞાન ત્યાં સુખ આપવાવાળું હશે. અહીં સુખ તો થોડું છે, દુઃખ ઘણું
છે. આ વિજ્ઞાનને નીકળે કેટલાં વર્ષ થયા છે? પહેલાં તો આ વીજળી, ગેસ વગેરે કાંઈ નહોતું.
હમણાં તો જુઓ શું થઈ ગયું છે. ત્યાં તો પછી શીખે શીખેલું ચાલશે. જલ્દી-જલ્દી કામ થતું
જશે. અહીં પણ જુઓ મકાન કેવાં બને છે. બધુંજ તૈયાર હોય છે. કેટલા માળ બનાવે છે. ત્યાં
આવું નથી હોતું. ત્યાં તો બધાંને પોત-પોતાની ખેતી હોય છે. ટેક્સ (કર) વગેરે કાંઈ નથી
પડતો. ત્યાં તો અથાહ ધન હોય છે. જમીન પણ ખુબ હોય છે. નદીઓ તો બધી હશે, બાકી નાળા નહીં
હોય જે પછી થી ખોદાયેલાં છે.
બાળકોને અંદરમાં કેટલી ખુશી રહેવી જોઈએ આપણને ડબલ એન્જિન મળેલું છે. પહાડ પર ટ્રેનને
ડબલ એન્જિન મળે છે. આપ બાળકો પણ આંગળી આપો છો ને. તમે છો કેટલાં થોડાં. તમારી મહિમા
પણ ગવાયેલ છે. તમે જાણો છો આપણે ખુદાઈ ખિદમતગાર (ઈશ્વરીય સેવાધારી) છીએ. શ્રીમત પર
ખિદમત (સેવા) કરી રહ્યા છીએં. બાબા પણ ખિદમત કરવા આવ્યા છે. એક ધર્મની સ્થાપના,
અનેક ધર્મોનો વિનાશ કરાવી દે છે, થોડાં આગળ જઈને જોશો, બહું હંગામા થશે. હમણાં પણ
ડરી રહ્યાં છે-ક્યાંક લડીને બોમ્બ ન ચલાવી દે. ચિંગારી તો ખુબ લાગતી રહે છે. ઘડી-ઘડી
આપસમાં લડતાં રહે છે. બાળકો જાણે છે જૂની દુનિયા ખતમ થવાની જ છે. પછી આપણે પોતાનાં
ઘરે ચાલ્યા જઈશું. હમણાં ૮૪નું ચક્ર પૂરું થયું છે. બધાં ભેગા ચાલ્યાં જશે. તમારામાં
પણ થોડાં છે જેમને ઘડી-ઘડી યાદ રહે છે. ડ્રામા અનુસાર ચુસ્ત અને સુસ્ત બંનેવ
પ્રકારનાં વિદ્યાર્થી છે. ચુસ્ત વિધાર્થીઓ સારા ટકાથી પાસ થઈ જાય છે. સુસ્ત જે હશે
તેમને તો આખો દિવસ લડવાનું-જગડવાનું જ થતું રહે છે. બાપને યાદ નથી કરતાં. આખો દિવસ
મિત્ર-સંબંધી જ બહું યાદ આવતા રહે છે. અહીં તો બધુંજ ભૂલી જવાનું હોય છે. આપણે આત્મા
છીએ, આ શરીરરુપી પુછડી લટકેલી છે. આપણે કર્માતીત અવસ્થાને પામી લઈશું પછી આ પુછડી
છૂટી જશે. આ ચિંતા છે, કર્માતીત અવસ્થા થઈ જાય તો આ શરીર ખતમ થઈ જાય. આપણે શ્યામથી
સુંદર બની જઈએ. મહેનત તો કરવાની છે ને. પ્રદર્શનીમાં પણ જુઓ કેટલી મહેનત કરે છે.
મહેન્દ્ર (ભોપાલ) એ કેટલી હિંમત દેખાડી છે. એકલાં કેટલી મહેનતથી પ્રદર્શની વગેરે કરે
છે. મહેનતનું ફળ પણ તો મળશે ને. એક એ કેટલી કમાલ કરી છે. કેટલાંઓનું કલ્યાણ કર્યુ
છે. મિત્ર-સંબંધીઓ વગેરેની મદદ થી જ કેટલું કામ કર્યુ છે. કમાલ છે! મિત્ર-સંબંધીઓને
સમજાવે છે આ પૈસા વગેરે બધું આ કાર્યમાં લગાવો, રાખીને શું કરશો? સેવાકેન્દ્ર પણ
ખોલ્યું છે હિંમતથી. કેટલાંઓનું ભાગ્ય બનાવ્યું છે. આવાં ૫-૭ નીકળે તો કેટલી સર્વિસ
થઈ જાય. કોઈ-કોઈ તો બહુજ મનહૂસ હોય છે. પછી સમજાય છે તકદીરમાં નથી. સમજતા નથી વિનાશ
સામે ઊભો છે, કંઈક તો કરી લઈએ. હમણાં મનુષ્ય જે દાન કરશે ઈશ્વર અર્થ, કંઈ પણ મળશે
નહીં. ઈશ્વર તો હમણાં આવ્યા છે સ્વર્ગની રાજાઈ આપવાં. દાન-પુણ્ય કરવાવાળાને કંઈ પણ
મળશે નહીં. સંગમ પર જેમણે પોતાનું તન-મન-ધન બધું સફળ કર્યુ છે કે કરી રહ્યાં છે, તે
છે તકદીરવાન. પરંતુ તકદીરમાં નથી તો સમજતા જ નથી. તમે જાણો છો તે પણ બ્રાહ્મણ છે,
આપણે પણ બ્રાહ્મણ છીએ. આપણે છીએં પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. આટલાં બધાં
બ્રાહ્મણ, તે છે કુખ વંશાવલી. તમે છો મુખ વંશાવલી. શિવજયંતી સંગમ પર હોય છે. હવે
સ્વર્ગ બનાવવાં માટે બાપ મંત્ર આપે છે મનમનાભવ. મને યાદ કરો તો તમે પવિત્ર બની
પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. આવી યુક્તિથી પરચા છપાવવા જોઈએ. દુનિયામાં મરે તો
ઘણાં છે ને. જ્યાં પણ કોઈ મરે તો ત્યાં પરચા આપવા જોઈએ. બાપ જ્યારે આવે છે ત્યારે જ
જૂની દુનિયાનો વિનાશ થાય છે અને તેનાં પછી સ્વર્ગનાં દ્વાર ખુલે છે. જો કોઈ સુખધામ
ચાલવા ઈચ્છે તો આ મંત્ર છે મનમનાભવ. આવું રસદાર છપાવેલો પરચો બધાની પાસે હોય.
શમશાનમાં પણ આપી શકો છો. બાળકોને સર્વિસનો શોખ જોઈએ. સર્વિસની યુક્તિઓ તો ઘણી બતાવે
છે. આ તો સારી રીતે લખી દેવું જોઈએ. લક્ષ-હેતુ તો લખેલું છે. સમજાવવાની ઘણી સારી
યુક્તિ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત
અવસ્થાને પ્રાપ્ત કરવાનાં માટે આ શરીરરુપી પૂંછડીને ભૂલી જવાનું છે. એક બાપનાં
સિવાય કોઈ મિત્ર-સંબંધી વગેરે યાદ ન આવે, આ મહેનત કરવાની છે.
2. શ્રીમત પર ખુદાઈ ખિદમતગાર (ઈશ્વરીય સેવાધારી) બનવાનું છે. તન-મન-ધન બધું સફળ કરી
પોતાની ઊંચી તકદીર બનાવવાની છે.
વરદાન :-
ઓનેસ્ટ (
વફાદાર ) બની સ્વયંને બાપ નાં આગળ સ્પષ્ટ કરવાવાળા ચઢતી કળાનાં અનુભવી ભવ
સ્વયંને જે છે જેવાં
છે-તેવાં જ બાપનાં આગળ પ્રત્યક્ષ કરવું-આજ સૌથી મોટામાં મોટું ચઢતી કળાનું સાધન છે.
બુદ્ધિ પર જે અનેક પ્રકારનાં બોજ છે તેને સમાપ્ત કરવાની આજ સહજ યુક્તિ છે. ઓનેસ્ટ
બની સ્વયંને બાપનાં આગળ સ્પષ્ટ કરવું અર્થાત્ પુરુષાર્થનો માર્ગ સ્પષ્ટ બનાવવો.
ક્યારેય પણ ચતુરાઈ થી મનમત અને પરમતનો પ્લાન બનાવીને બાપ કે નિમિત્ત બનેલી આત્માઓની
આગળ કોઈ વાત રાખો છો-તો આ ઓનેસ્ટી નથી. ઓનેસ્ટી અર્થાત્ જેમ બાપ જે છે જેવાં છે
બાળકોની આગળ પ્રત્યક્ષ છે, તેમ બાળકો બાપની આગળ પ્રત્યક્ષ હોય.
સ્લોગન :-
સાચાં તપસ્વી
તે છે જે સદા સર્વસ્વ ત્યાગી ની પોઝીશન માં રહે છે.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ પુરુષાર્થ
આખો દિવસ દરેક
આત્માનાં પ્રતિ શુભભાવના અને શ્રેષ્ઠભાવ ને ધારણ કરવાનું વિશેષ અટેન્શન રાખી અશુભ
ભાવ ને શુભભાવ માં, અશુભ ભાવનાને શુભભાવના માં પરિવર્તન કરી ખુશનુમા સ્થિતિમાં રહો
તો અવ્યક્ત સ્થિતિનો અનુભવ સહજ થતો રહેશે