01-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પતિત
થી પાવન બનાવવા વાળા બાપની સાથે તમારો ખુબ - ખુબ પ્રેમ હોવો જોઈએ , સવારે - સવારે
ઉઠીને પહેલાં - પહેલાં કહો શિવબાબા ગુડમોર્નિંગ ”
પ્રશ્ન :-
એક્યુરેટ યાદનાં
માટે કઈ ધારણાઓ જોઈએ? એક્યુરેટ યાદ વાળાની નિશાની શું હશે?
ઉત્તર :-
એક્યુરેટ યાદનાં
માટે ધૈર્યતા, ગંભીરતા અને સમજ જોઈએ. આ ધારણા નાં આધાર થી જે યાદ કરે છે તેમની યાદ,
યાદ થી મળે છે અને બાપની કરંટ (શક્તિ) આવવા લાગે છે. આ કરંટ થી આયુ વધશે, સ્વસ્થ
બનતાં જશો. દિલ એકદમ ઠરી જશે (શીતળ થઇ જશે), આત્મા સતોપ્રધાન બનતી જશે.
ઓમ શાંતિ!
બાપ કહે છે
મીઠા બાળકો તતત્વમ અર્થાત્ આપ આત્માઓ પણ શાંત સ્વરુપ છો. આપ સર્વ આત્માઓનો સ્વધર્મ
છે જ શાંતિ. શાંતિધામ થી પછી અહીંયા આવીને ટોકી બનો છો. આ કર્મેન્દ્રિયો તમને મળે
છે પાર્ટ ભજવવાં માટે. આત્મા નાની-મોટી નથી થતી. શરીર નાનું-મોટું થાય છે. બાપ કહે
છે હું તો શરીરધારી નથી. મારે બાળકોથી સમ્મુખ મળવા આવવાનું હોય છે. સમજો જેમ બાપ
છે, તેમનાં થી બાળકો પેદા થાય છે, તો તે બાળક એવું નહીં કહે કે હું પરમધામ થી જન્મ
લઇ માત-પિતાથી મળવા આવ્યો છું. ભલે કોઈ નવી આત્મા આવે છે કોઈનાં પણ શરીરમાં, અથવા
કોઈ જૂની આત્મા કોઈનાં શરીરમાં પ્રવેશ કરે છે તો એવું નહીં કહેશે કે માત-પિતાથી મળવા
આવ્યો છું. એમને આપોઆપ માતા-પિતા મળી જાય છે. અહીંયા આ છે નવી વાત. બાપ કહે છે હું
પરમધામ થી આવીને આપ બાળકોનાં સમ્મુખ થયો છું. બાળકોને ફરીથી નોલેજ આપું છું કારણકે
હું નોલેજફુલ, જ્ઞાન નો સાગર.. હું આવું છું આપ બાળકોને ભણાવવાં, રાજયોગ શીખવાડવા.
રાજયોગ શિખવાડવા વાળા ભગવાન જ છે. કૃષ્ણની આત્માને આ ઈશ્વરીય પાર્ટ નથી. દરેકનો
પાર્ટ પોતાનો. ઈશ્વરનો પાર્ટ પોતાનો છે. તો બાપ સમજાવે છે મીઠા બાળકો સ્વયંને આત્મા
સમજો. એવું પોતાને સમજવું કેટલું મીઠું લાગે છે. આપણે શું હતાં! હવે શું બની રહ્યા
છીએ!
આ ડ્રામા કેવો વન્ડરફુલ બનેલો છે આ પણ તમે હમણાં સમજાવો છો. આ પુરુષોત્તમ સંગમયુગ
છે આટલું ફક્ત યાદ રહે તો પણ પાક્કું થઈ જાય છે કે આપણે સતયુગ માં જવાનાં છીએ. હમણાં
સંગમ પર છીએ પછી જવાનું છે પોતાનાં ઘરે એટલે પાવન તો જરુર બનવાનું છે. અંદરમાં બહુજ
ખુશી હોવી જોઈએ. ઓહો! બેહદનાં બાપ કહે છે મીઠા-મીઠા બાળકો મને યાદ કરો તો તમે
સતોપ્રધાન બનશો. વિશ્વનાં માલિક બનશો. બાપ કેટલું બાળકોને પ્રેમ કરે છે. એવું નથી
કે ફક્ત શિક્ષકનાં રુપમાં ભણાવીને પછી ઘરે ચાલ્યા જાય છે. આ તો બાપ પણ શિક્ષક પણ
છે. તમને ભણાવે પણ છે. યાદની યાત્રા પણ શીખવાડે છે.
આવાં વિશ્વનાં માલિક બનાવવા વાળા, પતિત થી પાવન બનાવવા વાળા બાપની સાથે બહુજ પ્રેમ
હોવો જોઈએ. સવારે-સવારે ઉઠતાં જ પહેલાં-પહેલાં શિવબાબા થી ગુડમોર્નિંગ કરવું જોઈએ.
ગુડમોર્નિંગ અર્થાત યાદ કરશો તો બહુજ ખુશીમાં રહેશો. બાળકોએ પોતાનાં દિલથી પૂછવાનું
છે અમે સવારે ઊઠીને કેટલું બેહદનાં બાપને યાદ કરીએ છીએ? મનુષ્ય ભક્તિ પણ સવારે કરે
છે ને! ભક્તિ કેટલા પ્રેમ થી કરે છે. પરંતુ બાબા જાણે છે ઘણાં બાળકો દિલ વ જાન, સિક
વ પ્રેમ થી યાદ નથી કરતાં. સવારે ઉઠી બાબાને ગુડમોર્નિંગ કરે, જ્ઞાન નાં ચિંતન માં
રહે તો ખુશીનો પારો ચઢે. બાપ થી ગુડમોર્નિંગ નહીં કરશો તો પાપોનો બોજ કેવી રીતે
ઉતરશે. મુખ્ય છે જ યાદ, આનાથી જ ભવિષ્યનાં માટે તમારી બહુજ ભારે કમાણી થાય છે.
કલ્પ-કલ્પાન્તર આ કમાણી કામ આવશે. ખુબ ધૈર્ય, ગંભીરતા, સમજથી યાદ કરવાનું હોય છે.
મોટા હિસાબમાં તો ભલે કરીને એ કહી દે છે કે અમે બાબાને બહુજ યાદ કરીએ છીએ પરંતુ
એક્યુરેટ યાદ કરવામાં મહેનત છે. જે બાપને વધારે યાદ કરે છે તેમને કરંટ વધારે મળે છે
કારણકે યાદથી યાદ મળે છે. યોગ અને જ્ઞાન બે ચીજો છે. યોગનો વિષય અલગ છે, બહુજ ભારે
વિષય છે. યોગથી જ આત્મા સતોપ્રધાન બને છે. યાદ વગર સતોપ્રધાન થવું, અસંભવ છે. સારી
રીતે પ્રેમથી બાપને યાદ કરશો તો આપોઆપ કરંટ મળશે, સ્વસ્થ બની જશો. કરંટથી આયુ પણ વધે
છે. બાળકો યાદ કરે છે તો બાબા પણ સર્ચલાઈટ આપે છે. બાપ કેટલો મોટો ભારે ખજાનો આપ
બાળકોને આપે છે.
મીઠા બાળકોએ આ પાકું યાદ રાખવાનું છે, શિવબાબા આપણને ભણાવે છે. શિવબાબા પતિત-પાવન
પણ છે. સદ્દગતિ દાતા પણ છે. સદ્દગતિ એટલે સ્વર્ગની રાજાઈ આપે છે. બાબા કેટલા મીઠા
છે. કેટલું પ્રેમથી બાળકો ને બેસી ભણાવે છે. બાપ, દાદા દ્વારા આપણને ભણાવે છે. બાબા
કેટલા મીઠા છે. કેટલો પ્રેમ કરે છે. કોઈ તકલીફ નથી દેતાં. ફક્ત કહે છે મને યાદ કરો
અને ચક્રને યાદ કરો. બાપ ની યાદ થી દિલ એકદમ ઠરી જવું જોઈએ. એક બાપની જ યાદ સતાવવી
જોઈએ કારણકે બાપથી વારસો કેટલો ભારે મળે છે. સ્વયંને જોવું જોઈએ અમારો બાપની સાથે
કેટલો પ્રેમ છે? ક્યાં સુધી આપણામાં દૈવી ગુણ છે? કારણકે આપ બાળકો હવે કાંટા થી ફૂલ
બની રહ્યા છો. જેટલા-જેટલા યોગમાં રહેશો એટલા કાંટા થી ફૂલ, સતોપ્રધાન બનતા જશો.
ફૂલ બની ગયા પછી અહીંયા રહી નહિ શકો. ફૂલોનો બગીચો છે જ સ્વર્ગ. જે બહુજ કાંટાને
ફૂલ બનાવે છે તેમને જ સાચાં સુગંધિત ફૂલ કહેશું. ક્યારેય કોઈને કાંટા નહી લગાડશે.
ક્રોધ પણ મોટો કાંટો છે, અનેકોને દુઃખ આપે છે. હવે આપ બાળકો કાંટાની દુનિયાથી કિનારા
પર આવી ગયા છો, તમે છો સંગમ પર. જેમ માળી ફૂલોને અલગ વાસણ માં નીકાળીને રાખે છે
તેમજ આપ ફૂલોને પણ હવે સંગમયુગી વાસણમાં અલગ રાખેલા છે. પછી તમે ફૂલ સ્વર્ગમાં
ચાલ્યા જશો, કળયુગી કાંટા ભસ્મ થઈ જશે.
મીઠા બાળકો જાણે છે પારલોકિક બાપ થી આપણને અવિનાશી વારસો મળે છે. જે સાચાં-સાચાં
બાળકો છે, જેમનો બાપ-દાદા થી પૂરો પ્રેમ છે તેમને ખુબજ ખુશી રહેશે. અમે વિશ્વનાં
માલિક બનીએ છીએ. હાં, પુરુષાર્થ થી જ વિશ્વનાં માલિક બનાય છે, ફક્ત કહેવાથી નહીં.
જે અનન્ય બાળકો છે તેમને સદેવ આ યાદ રહેશે કે અમે પોતાનાં માટે ફરીથી તેજ સૂર્યવંશી,
ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. બાપ કહે છે મીઠા બાળકો જેટલું તમે અનેકોનું
કલ્યાણ કરશો એટલું જ તમને ફળ મળશે. અનેકોને રસ્તો બતાવશો તો અનેકોનાં આશીર્વાદ મળશે.
જ્ઞાન રત્નોથી ઝોલી ભરીને પછી દાન કરવાનું છે. જ્ઞાન સાગર તમને રત્નોની થાળીઓ
ભરી-ભરીને આપે છે. જે પછી દાન કરે છે તેજ બધાને પ્રિય લાગે છે. બાળકોની અંદર માં
કેટલી ખુશી હોવી જોઈએ. સેન્સિબલ (સમજદાર) બાળકો જે હશે તે તો કહેશે અમે બાબા થી પૂરો
જ વારસો લઈશું, એકદમ ચટકી પડશે. બાપથી ખુબજ પ્રેમ રહેશે કારણ કે જાણે છે પ્રાણ
દેવાવાળા બાપ મળ્યા છે. નોલેજ નું વરદાન એવું આપે છે જેનાથી આપણે શું થી શું બની
જઈએ છીએ. ઇનસાલવેન્ટ (દેવાદાર) થી સાલવેન્ટ (દાતા) બની જઈએ છીએં, એટલો ભંડારો ભરપૂર
કરી દે છે. જેટલું બાપને યાદ કરશે એટલો પ્રેમ રહેશે, કશિશ થશે. સોય સાફ હોય છે તો
ચકમક (ચુંબક) તરફ ખેંચાઈ જાય છે ને. બાપની યાદથી કાટ નીકળતો જશે. એક બાપ નાં સિવાય
બીજું કોઈ યાદ ન આવે. જેમ સ્ત્રીનો પતિની સાથે કેટલો પ્રેમ હોય છે. તમારી પણ સગાઈ
થઈ છે ને. સગાઈ ની ખુશી ઓછી હોય છે શું? શિવબાબા કહે છે મીઠા બાળકો તમારી મારી સાથે
સગાઇ છે. બ્રહ્મા ની સાથે સગાઈ નથી. સગાઈ પાક્કી થઈ ગઈ પછી તો તેમની જ યાદ સતાવવી
જોઈએ.
બાપ સમજાવે છે મીઠા બાળકો ગફલત નહીં કરો. સ્વદર્શન ચક્રધારી બનો, લાઈટ હાઉસ બનો.
સ્વદર્શન ચક્રધારી બનવાની પ્રેક્ટીસ (અભ્યાસ) સારી થઈ જશે તો પછી તમે જાણે જ્ઞાનનાં
સાગર થઈ જશો. જેમ વિદ્યાર્થી ભણીને શિક્ષક બની જાય છે ને. તમારો ધંધો જ આ છે. બધાંને
સ્વદર્શન ચક્રધારી બનાવો ત્યારે જ ચક્રવતી રાજા-રાણી બનશો એટલે બાબા સદેવ બાળકો ને
પૂછે છે સ્વદર્શન ચક્રધારી થઈને બેઠા છો? બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને. બાપ આવ્યા
છે આપ મીઠા બાળકોને પાછા લઈ જવાં. આપ બાળકો વગર મને પણ જાણે બેઆરામ થાય છે. જ્યારે
સમય થાય છે તો બેઆરામ થઈ જાય છે. બસ હમણાં હું જાઉં, બાળકો બહુજ પોકારે છે, બહુજ
દુઃખી છે. તરસ પડે છે. હવે આપ બાળકોએ ચાલવાનું છે ઘરે. પછી ત્યાંથી તમે પોતે જ
ચાલ્યા જશો સુખધામ. ત્યાં હું તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા અનુસાર તમારી
આત્મા ચાલી જશે.
આપ બાળકોને આ નશો રહેવો જોઈએ આપણે રુહાની યુનિવર્સિટીમાં ભણી રહ્યા છીએ. આપણે ગોડલી
સ્ટુડન્ટ (ઈશ્વરીય વિધાર્થી) છીએ. આપણે મનુષ્યથી દેવતા અથવા વિશ્વનાં માલિક બનવાનાં
માટે ભણી રહ્યા છીએં. આનાંથી આપણે આખી મિનિસ્ટરી પાસ કરી લઈએ છીએં. હેલ્થ (સ્વાસ્થ)
નું એજ્યુકેશન (ભણતર) પણ ભણીએ છીએં, ચરિત્ર સુધારવાની પણ નોલેજ ભણીએ છીએં. હેલ્થ
મિનિસ્ટરી, ફુડ મિનિસ્ટરી, લૈન્ડ મિનિસ્ટરી, બિલ્ડીંગ મિનિસ્ટરી બધું આમાં આવી જાય
છે.
મીઠા-મીઠા બાળકોને બાપ બેસી સમજાવે છે જ્યારે કોઈ સભામાં ભાષણ કરો છો કે કોઈ ને
સમજાવો છો તો ઘડી-ઘડી બોલો સ્વયંને આત્મા સમજી પરમપિતા પરમાત્માને યાદ કરો. આ યાદથી
જ તમારા વિકર્મ વિનાશ થશે. તમે પાવન બની જશો. ઘડી-ઘડી આ યાદ કરવાનું છે. પરંતુ આ પણ
તમે ત્યારે કહી શકશો જ્યારે સ્વયં યાદમાં હશો. આ વાતની બાળકોમાં બહુજ કમજોરી છે.
અંદરની આપ બાળકોને ખુશી હશે, યાદ માં રહેશો ત્યારે બીજાઓને સમજાવવા નો અસર થશે.
તમારું બોલવાનું વધારે ન હોવું જોઈએ. આત્મ-અભિમાની થઈ થોડું પણ સમજાવશો તો તીર પણ
લાગશે. બાપ કહે છે બાળકો વીતી સો વીતી. હવે પહેલાં સ્વયંને સુધારો. સ્વયં યાદ કરશે
નહીં, બીજાઓને કહેતા રહેશે, આ ઠગી ચાલી ન શકે. અંદર દિલ જરુર ખાતું હશે. બાપની સાથે
પૂરો પ્રેમ નથી તો શ્રીમત પર ચાલતા નથી. બેહદનાં બાપ જેવું શિક્ષણ તો બીજુ કોઈ આપી
ન શકે. બાપ કહે છે મીઠા બાળકો આ જૂની દુનિયાને હવે ભૂલી જાઓ. અંતમાં તો આ બધું ભૂલી
જ જવાનું છે. બુદ્ધિ લાગી જાય છે પોતાનાં શાંતિધામ અને સુખધામ માં. બાપ ને યાદ
કરતાં-કરતાં બાપની પાસે ચાલ્યા જવાનું છે. પતિત આત્મા તો જઈ ન શકે. તે છે જ પાવન
આત્માઓનું ઘર. આ શરીર ૫ તત્વોથી બનેલું છે. તો ૫ તત્વો અહીંયા રહેવાનાં માટે ખેંચે
છે કારણ કે આત્માએ આ જેમકે પ્રોપર્ટી લીધેલ છે, એટલે શરીરમાં મમત્વ થઈ ગયું છે. હવે
એમાંથી મમત્વ નીકાળી જવાનું છે પોતાનાં ઘરે. ત્યાં તો આ ૫ તત્વ છે નહીં. સતયુગ માં
પણ શરીર યોગબળ થી બને છે. સતોપ્રધાન પ્રકૃતિ હોય છે એટલે ખેંચતી નથી. દુઃખ નથી હોતું.
આ બહુજ મહીન વાતો છે સમજવાની. અહીંયા ૫ તત્વોનું બળ આત્માને ખેંચે છે એટલે શરીર
છોડવાનું દિલ નથી થતું. નહીં તો આમાં ખુબ જ ખુશી થવી જોઈએ. પાવન બની શરીર એવી રીતે
છોડશું જેમ માખણમાં થી વાળ. તો શરીરથી, બધી વસ્તુઓથી મમત્વ એકદમ નિકાળી દેવાનું છે,
આનાંથી આપણું કોઈ કનેક્શન નથી. બસ આપણે જઈએ છીએ બાબા ની પાસે. આ દુનિયામાં પોતાનાં
બેગ-બેગેજ તૈયાર કરી પહેલાથી જ મોકલી દીધા છે. સાથે તો ચાલી ન શકે. બાકી આત્માઓને
જવાનું છે. શરીરને પણ અહીંયા છોડી દીધું છે. બાબા એ નવા શરીરનો સાક્ષાત્કાર કરાવી
દીધો છે. હીરા-ઝવેરાત નાં મહેલ મળી જશે. આવાં સુખધામમાં જવા માટે કેટલી મહેનત કરવી
જોઈએ. થાકવું ન જોઈએ. દિવસ-રાત બહુજ કમાણી કરવાની છે એટલે બાબા કહે છે નિંદ્રાને
જીતવા વાળા બાળકો મામેકમ્ યાદ કરો અને વિચાર સાગર મંથન કરો. ડ્રામાનાં રહસ્યને
બુદ્ધિમાં રાખવાથી બુદ્ધિ એકદમ શીતળ થઈ જાય છે. જે મહારથી બાળકો હશે તે ક્યારેય હલશે
નહીં. શિવબાબા ને યાદ કરશું તો તે સંભાળ પણ કરશે.
બાપ આપ બાળકોને દુઃખથી છોડાવીને શાંતિનું દાન આપે છે. તમારે પણ શાંતિનું દાન આપવાનું
છે. તમારી આ બેહદની શાંતિ અર્થાત્ યોગબળ બીજાઓને પણ એકદમ શાંત કરી દેશે. ઝટ ખબર પડી
જશે, આ આપણા ઘરનાં છે કે નહીં. આત્માને ઝટ કશિશ થશે આ અમારા બાબા છે. નાડી પણ જોવાની
હોય છે. બાપની યાદ માં રહી પછી જુઓ આ આત્મા આપણાં કુળની છે. જો હશે તો એકદમ શાંત થઈ
જશે. જે આ કુળનાં હશે એમને જ આ વાતોમાં રસ બેસશે. બાળકો યાદ કરે છે તો બાપ પણ પ્રેમ
કરે છે. આત્મા ને પ્રેમ કરાય છે. આ પણ જાણે છે જેમણે બહું ભક્તિ કરી છે તેજ વધારે
ભણશે. તેમનાં ચહેરાથી ખબર પડતી જશે કે બાપમાં કેટલો પ્રેમ છે. આત્મા બાપને જુએ છે.
બાપ આપણને આત્માઓને ભણાવી રહ્યા છે. બાપ પણ સમજે છે હું આટલી નાનકડી બિંદી આત્માને
ભણાવું છું. આગળ ચાલી તમારી આ અવસ્થા થઇ જશે. સમજશે અમે ભાઈ-ભાઈને ભણાવીએ છીએ. ચહેરો
બહેનનો હોય તો પણ દૃષ્ટિ આત્મા તરફ જાય. શરીર પર દૃષ્ટિ બિલ્કુલ ન જાય, આમાં બહુજ
મહેનત છે. આ બહુજ મહીન વાતો છે. બહુજ ઉંચુ ભણતર છે. વજન કરો તો આ ભણતર ની બાજુ બહુજ
ભારે થઈ જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઝોલી
જ્ઞાન રત્નોથી ભરીને પછી દાન પણ કરવાનું છે. જે દાન કરે છે તે સર્વને પ્રિય લાગે
છે. તેમને અપાર ખુશી રહે છે.
2. પ્રાણદાન દેવા વાળા બાપને ખુબ પ્રેમથી યાદ કરતાં બધાંને શાંતિનું દાન દેવાનું
છે. સ્વદર્શન ચક્ર ફરાવતાં જ્ઞાનનાં સાગર બનવાનું છે.
વરદાન :-
ઊંચે થી ઊંચા
બાપને પ્રત્યક્ષ કરવાવાળા શુભ અને શ્રેષ્ઠ કર્મધારી ભવ
જેમ રાઈટ (જમણાં) હાથ
થી સદા શુભ અને શ્રેષ્ઠ કર્મ કરે છે. એવી રીતે આપ રાઈટ હેન્ડ બાળકો સદા શુભ અથવા
શ્રેષ્ઠ કર્મધારી બનો, તમારું દરેક કર્મ ઊંચે થી ઊંચા બાપને પ્રત્યક્ષ કરવાવાળું
હોય કારણ કે કર્મ જ સંકલ્પ કે બોલને પ્રત્યક્ષ પ્રમાણનાં રુપમાં સ્પષ્ટ કરવાવાળું
હોય છે. કર્મને બધાં જોઈ શકે છે, કર્મ દ્વારા અનુભવ કરી સકે છે એટલે ભલે રુહાની
દૃષ્ટિ દ્વારા, ભલે પોતાની ખુશી નાં, રુહાનીયત નાં ચહેરા દ્વારા બાપને પ્રત્યક્ષ કરો-આ
પણ કર્મ જ છે.
સ્લોગન :-
રુહાનિયત નો
અર્થ છે-નયનો માં પવિત્રતાની ઝલક અને મુખ પર પવિત્રતા ની મુસ્કુરાહટ (સ્મિત) હોય.
સુચના :-
બધાં બ્રાહ્મણ બાળકો ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી વિશેષ અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવા માટે આ પોઈન્ટ્સ પોતાની પાસે નોંધ કરે તથા આખો દિવસ આનાં પર મનન ચિંતન
કરતા અનુભવ મૂર્ત બને અને અંતર્મુખી રહી અવ્યક્ત વતન ની યાત્રા કરતા રહે.
અવ્યક્ત સ્થિતિ
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
જેમ સાકારમાં બ્રહ્મા બાપ અન્ય બધી જવાબદારીઓ હોવા છતાં પણ આકારી અને નિરાકારી
સ્થિતિનો અનુભવ કરાવતા રહ્યાં, એવી રીતે આપ બાળકો પણ સાકાર રુપમાં રહેતા ફરિશ્તા
સ્વરુપ નો અનુભવ કરો અને કરાવો. જે પણ સંપર્કમાં આવે છે એમને ઇશ્વરીય સ્નેહ,
શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ ચરિત્રો નો સાક્ષાત્કાર તો થાય છે પરંતુ હવે અવ્યક્ત
સ્થિતિ નો સાક્ષાત્કાર કરાવો.