25-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
જે છે , જેવાં છે , એમને યથાર્થ રીતે જાણીને યાદ કરવાં , આ જ મુખ્ય વાત છે ,
મનુષ્યોને આ વાત બહુજ યુક્તિ થી સમજાવવાની છે . ”
પ્રશ્ન :-
આખાં યુનિવર્સ
(વિશ્વ) નાં માટે કયું ભણતર છે જે અહીંયા જ તમે ભણો છો?
ઉત્તર :-
આખાં યુનિવર્સનાં માટે આ જ ભણતર છે કે તમે બધાં આત્મા છો. આત્મા સમજીને બાપ ને યાદ
કરો તો પાવન બની જશો. આખા યુનિવર્સનાં જે બાપ છે એ એક જ વાર આવે છે બધાને પાવન
બનાવવાં. એજ રચતા અને રચનાનું નોલેજ આપે છે એટલે હકીકતમાં આ એક જ યુનિવર્સિટી છે, આ
વાત બાળકોએ સ્પષ્ટ કરી સમજાવાની છે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ -
હવે આ તો રુહાની બાળકો સમજે છે કે ભગવાન્ કોણ છે. ભારતમાં કોઈ પણ યથાર્થ રીતે જાણતાં
નથી. કહે પણ છે-હું જે છું, જેવો છું મને યથાર્થ રીતે કોઈ નથી જાણતાં. તમારામાં પણ
નંબરવાર છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. ભલે અહીંયા રહે છે પરંતુ યથાર્થ રીતે
નથી જાણતાં. યથાર્થ રીતે જાણીને અને બાપ ને યાદ કરવાં, આ ઘણું મુશ્કેલ છે. ભલે બાળકો
કહે છે કે ખુબ સહજ છે પરંતુ હું જે છું, મારે નિરંતર બાપને યાદ કરવાનાં છે, બુદ્ધિમાં
આ યુક્તિ રહે છે. હું આત્મા બહુજ નાની છું. આપણાં બાબા પણ બિંદુ નાનાં છે. અડધોકલ્પ
તો ભગવાનનું કોઈ નામ પણ નથી લેતું. દુઃખમાં જ યાદ કરે છે-હેં ભગવાન. હવે ભગવાન કોણ
છે, આતો કોઈ મનુષ્ય સમજતાં નથી. હવે મનુષ્યોને કેવી રીતે સમજાવીએ-આનાં પર વિચાર
સાગર મંથન ચાલવું જોઈએ. નામ પણ લખેલું હોય છે-પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય
વિશ્વવિદ્યાલય. આનાથી પણ સમજતાં નથી કે આ રુહાની બેહદનાં બાપની ઇશ્વરીય વિશ્વ
વિદ્યાલય છે. હવે શું નામ રાખીએ જે મનુષ્ય ઝટ સમજી જાય? કેવી રીતે મનુષ્યોને
સમજાવીએ કે આ યુનિવર્સિટી છે? યુનિવર્સ થી યુનિવર્સિટી અક્ષર નીકળ્યો છે. યુનિવર્સ
અર્થાત્ આખું વર્લ્ડ (વિશ્વ), એનું નામ રાખ્યું છે-યુનિવર્સિટી, જેમાં બધાં મનુષ્ય
ભણી શકે છે. યુનિવર્સનાં ભણવાનાં માટે યુનિવર્સિટી છે. હવે હકીકતમાં યુનિવર્સ નાં
માટે તો એક જ બાપ આવે છે, એમની આ એક જ યુનિવર્સિટી છે. લક્ષ્ય-હેતુ પણ એક જ છે. બાપ
જ આવીને આખાં યુનિવર્સ ને પાવન બનાવે છે, યોગ શીખવાડે છે. આ તો બધાં ધર્મવાળાઓ માટે
છે. કહે છે સ્વયંને આત્મા સમજો, આખાં યુનિવર્સ નાં બાપ છે-ઇનકોરપોરિયલ ગોડફાધર (નિરાકાર
પરમપિતા), તો કેમ નહીં આનું નામ સ્પ્રીચુઅલ યુનિવર્સિટી ઓફ સ્પ્રીચુઅલ ઇનકોર્પોરિયલ
ગોડફાધર રાખીએ. ખ્યાલ કરાય છે ને. મનુષ્ય એવાં છે જે આખાં વર્લ્ડમાં બાપને એક પણ નથી
જાણતાં. રચતા ને જાણે તો રચનાને પણ જાણે. રચતા દ્વારા જ રચનાને જાણી શકાય છે. બાપ
બાળકોને બધુંજ સમજાવી દેશે. બીજા કોઈ પણ જાણતાં નથી. ઋષિ-મુની પણ નેતી-નેતી કરતાં
ગયાં. તો બાપ કહે છે તમને પહેલાં આ રચતા અને રચનાનું નોલેજ નહોતું. હમણાં રચતાએ
સમજાવ્યું છે. બાપ કહે છે મને બધાં પોકારે પણ છે કે આવીને અમને સુખ-શાંતિ આપો કારણ
કે હમણાં દુઃખ-અશાંતિ છે. એમનું નામ જ છે. દુઃખહર્તા સુખકર્તા. એ કોણ છે? ભગવાન. એ
કેવી રીતે દુઃખ હરીને સુખ આપે છે, આ કોઈ નથી જાણતું. તો એવું ક્લિયર (સ્પષ્ટ) કરી
લખો જે મનુષ્ય સમજે નિરાકાર ગોડફાધર જ આ નોલેજ આપે છે. આવું-આવું વિચાર સાગર મંથન
કરવું જોઈએ. બાપ સમજાવે છે મનુષ્ય બધાં છે પથ્થરબુદ્ધિ. હમણાં તમને પારસબુદ્ધિ બનાવી
રહ્યાં છે. હકીકતમાં પારસબુદ્ધિ તેમને કહેશું જે ઓછામાં ઓછાં ૫૦ થી વધારે માર્ક્સ (ગુણ)
લે. નપાસ થવાવાળા પારસબુદ્ધિ નથી. રામે પણ ઓછાં માર્ક્સ લીધાં ત્યારે તો ક્ષત્રિય
દેખાડયાં છે. આ પણ કોઈ સમજતાં નથી કે રામને બાણ કેમ દેખાડયાં છે? શ્રીકૃષ્ણને
સ્વદર્શન ચક્ર દેખાડયું છે કે તેમને બધાને માર્યા અને રામને બાણ દેખાડયાં છે. એક
ખાસ મેગેઝીન નીકળે છે, જેમાં દેખાડ્યું છે-કૃષ્ણ કેવી રીતે સ્વદર્શન ચક્ર થી
અકાસુર-બકાસુર વગેરેને મારે છે. બંનેવ ને હિંસક બનાવી દીધાં છે અને પછી ડબલ અહિંસક
બનાવી દીધાં છે. કહે છે તેમને પણ બાળકો પેદા થયા ને. અરે, તેઓ છે જ નિર્વિકારી
દેવી-દેવતા. ત્યાં રાવણ રાજ્ય છે જ નહીં. આ સમયે રાવણ સંપ્રદાય કહેવાય છે.
હમણાં તમે સમજો છો આપણે યોગબળ થી વિશ્વની બાદશાહી લઈએ છે તો શું યોગબળ થી બાળકો નથી
થઈ શકતાં. તે છે જ નિર્વિકારી દુનિયા. હમણાં તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. એવું
સારી રીતે સમજાવવાનું છે જે મનુષ્ય સમજે આમની પાસે પૂરું જ્ઞાન છે. થોડું પણ આ વાતને
સમજશે તો સમજાશે આ બ્રાહ્મણ કુળનાં છે. કોઈનાં માટે તો ઝટ સમજી જશો-આ બ્રાહ્મણ કુળનાં
છે નહીં. આવે તો અનેક પ્રકારનાં છે ને. તો તમે સ્પ્રીચુઅલ યુનિવર્સિટી ઓફ
સ્પ્રીચુઅલ ઇનકારપોરિયલ ગોડફાધર લખીને જુઓ, શું થાય છે? વિચાર સાગર મંથન કરી અક્ષર
મળાવવાનાં હોય છે, આમાં ઘણી યુક્તિ જોઈએ લખવાની. જો મનુષ્ય સમજે અહીં આ નોલેજ
ગોડફાધર સમજાવે છે અથવા રાજયોગ શીખવાડે છે. આ અક્ષર પણ સાધારણ છે. જીવનમુક્તિ ડીટી
સોવરન્ટી ઇન સેકન્ડ (દેવી રાજ્ય એક સેકેંડ માં). એવાં-એવાં અક્ષર હોય જે મનુષ્યની
બુદ્ધિ માં બેશે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના થાય છે. મનમનાભવ નો અર્થ
છે-બાપ અને વારસા ને યાદ કરો. તમે છો બ્રહ્મામુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ,
સ્વદર્શન ચક્રધારી. હવે તેઓ તો સ્વદર્શન ચક્ર વિષ્ણુને દેખાડે છે. કૃષ્ણને પણ ૪
ભુજાઓ દેખાડે છે. હવે તેમને ૪ ભુજાઓ કેવી રીતે હોઈ શકે? બાપ કેટલું સારી રીતે સમજાવે
છે. બાળકોએ ખુબજ વિશાળબુદ્ધિ, પારસબુદ્ધિ બનવાનું છે. સતયુગમાં યથા રાજા-રાણી તથા
પ્રજા પારસબુદ્ધિ કહેશે ને. તે છે પારસ દુનિયા, આ છે પથ્થરો ની દુનિયા. તમને આ
નોલેજ મળે છે-મનુષ્ય થી દેવતા બનવાનું. તમે પોતાનું રાજ્ય શ્રીમત પર ફરીથી સ્થાપન
કરી રહ્યાં છો. બાબા આપણને યુક્તિ બતાવે છે કે રાજા-મહારાજા કેવી રીતે બની શકો છો?
તમારી બુદ્ધિમાં જ્ઞાન ભરાય જાય છે બીજાઓને સમજાવવાં માટે. ગોળા પર સમજાવવાનું પણ
ખુબ સહજ છે. આ સમયે જનસંખ્યા જુઓ કેટલી છે! સતયુગમાં કેટલાં થોડાં હોય છે. સંગમ તો
છે ને. બ્રાહ્મણ તો થોડાં હશે ને. બ્રાહ્મણોનો યુગ જ નાનો છે. બ્રાહ્મણોનાં પછી છે
દેવતાઓ, પછી વૃદ્ધિને પામે છે. બાજોલી હોય છે ને. તો સીડીનાં ચિત્રની સાથે વિરાટ
રુપ પણ હશે તો સમજાવામાં ક્લિયર (સ્પષ્ટ) થશે. જે તમારાં કુળનાં હશે તેમની બુદ્ધિમાં
રચતા અને રચનાનું નોલેજ સહજ જ બેસી જશે. તેમનાં ચહેરા થી પણ ખબર પડી જાય કે આ આપણાં
કુળનાં છે કે નહીં? જો નહીં હોય તો તવાઈ ની જેમ સાંભળશે. જો સમજુ હશે તે ધ્યાનથી
સાંભળશે. એકવાર કોઈને પૂરું તીર લાગ્યું તો પછી આવતાં રહેશે. કોઈ પ્રશ્ન પૂછશે અને
કોઈ સારાં ફૂલ હશે તો રોજ જાતેજ આવીને પૂરું સમજીને ચાલ્યાં જશે. ચિત્રોથી તો કોઈ
પણ સમજી શકે છે. આ તો બરાબર દેવી-દેવતા ધર્મની સ્થાપના બાપ કરી રહ્યાં છે. કોઈ ન
પૂછતાં પણ પોતે જ સમજતાં રહેશે. કોઈ તો બહુજ પૂછતાં રહેશે, સમજશે કાંઈ પણ નહીં. પછી
સમજાવવાનું હોય છે, ધમાલ તો કરવાની નથી. પછી કહેશે ઈશ્વર તમારી રક્ષા પણ નથી કરતાં!
હવે એ રક્ષા શું કરે છે તે પણ તમે જાણો છો. કર્મોનો હિસાબ-કિતાબ તો દરેક ને પોતાનો
ચૂકતું કરવાનો છે. એવાં ઘણાં છે, તબિયત ખરાબ થાય છે તો કહે છે રક્ષા કરો. બાપ કહે
છે હું તો આવું છું પતિતો ને પાવન બનાવવાં. તે ધંધો તમે પણ શીખો. બા૫ ૫ વિકારો પર
જીત પહેરાવે છે તો વધારે જોરથી તે સામનો કરશે. વિકારોનું તોફાન બહુજ જોર થી આવે છે.
બાપ તો કહે છે બાપનાં બનવાથી આ બધી બીમારીઓ ઉથલ ખાશે, તોફાન જોરથી આવશે. પુરી
બોક્સિંગ (યુદ્ધ) છે. સારાં-સારાં પહેલવાનો ને પણ હરાવી દે છે. કહે છે-ન ઇચ્છતાં પણ
કુદૃષ્ટિ થઈ જાય છે, રજીસ્ટર ખરાબ થઇ જશે. કુદૃષ્ટિ વાળા થી વાત ન કરવી જોઈએ. બાબા
બધાં સેન્ટર્સ (સેવાકેન્દ્ર) નાં બાળકોને સમજાવી રહ્યાં છે કે કુદૃષ્ટિ વાળા બહુજ
અસંખ્ય છે, નામ લેવાથી વધારે જ ટ્રેટર (દગાબાજ) બની જશે. પોતાનું સત્યાનાશ કરવા વાળા
ઉલટા કામ કરવા લાગી જાય છે. કામ વિકાર નાક થી પકડી લે છે. માયા છોડતી નથી, કુકર્મ,
કુદૃષ્ટિ, કુવચન નીકળી જાય છે, કુચલન થઈ જાય છે એટલે બહુજ-બહુજ સાવધાન રહેવાનું છે.
આપ બાળકો જ્યારે પ્રદર્શની વગેરે કરો છો તો એવી યુક્તિ રચો જે કોઈ પણ સહજ સમજી શકે.
આ ગીતા જ્ઞાન સ્વયં બાપ ભણાવી રહ્યાં છે, આમાં કોઈ શાસ્ત્ર વગેરેની વાત નથી. આ તો
ભણતર છે. પુસ્તક ગીતા તો અહીં છે નહીં. બાપ ભણાવે છે. પુસ્તક થોડી હાથમાં ઉપાડે છે.
પછી આ ગીતા નામ ક્યાંથી આવ્યું? આ બધાં ધર્મશાસ્ત્ર બને જ છે અંતમાં. કેટલાં અનેક
મઠ-પંથ છે. બધાનાં પોત-પોતાનાં શાસ્ત્ર છે. ટાલ-ડાળ જે પણ છે, નાનાં-નાનાં મઠ-પંથ,
તેમનાં પણ શાસ્ત્ર વગેરે પોત-પોતાનાં છે. તો તે થઈ ગયાં બધાં બાળ-બચ્ચા. તેમનાથી તો
મુક્તિ મળી ન શકે. સર્વ શાસ્ત્રોમઈ શિરોમણિ ગીતા ગવાયેલી છે. ગીતા નું પણ જ્ઞાન
સંભળાવવા વાળા હશે ને. તો આ નોલેજ બાપ જ આવીને આપે છે. કોઈ પણ શાસ્ત્ર વગેરે હાથમાં
થોડી છે. હું પણ શાસ્ત્ર નથી ભણેલો, તમને પણ નથી પણ ભણાવતો. તેઓ શીખે છે, શીખવાડે
છે. અહીં શાસ્ત્રોની વાત નથી. બાપ છે જ નોલેજફુલ. હું તમને બધાં વેદો-શાસ્ત્રો નો
સાર બતાવું છું. મુખ્ય છે ૪ ધર્મોનાં ૪ ધર્મશાસ્ત્ર. બ્રાહ્મણ ધર્મનું કોઈ પુસ્તક
છે શું? કેટલી સમજવાની વાતો છે. આ બધું બાપ બેસી વિસ્તાર માં સમજાવે છે. મનુષ્ય બધાં
પથ્થરબુદ્ધિ છે ત્યારે તો આટલાં કંગાળ બન્યાં છે. દેવતાઓ હતાં ગોલ્ડન એજમાં (સ્વર્ણિમયુગ
માં), ત્યાં સોનાનાં મહેલ બનતાં હતાં, સોનાની ખાણો હતી. હમણાં તો સાચું સોનું છે નહીં.
આખી કથા ભારત પર જ છે. તમે દેવી-દેવતા પારસબુદ્ધિ હતાં, વિશ્વ પર રાજ્ય કરતાં હતાં.
હમણાં સ્મૃતિ આવી છે, આપણે સ્વર્ગનાં માલિક હતાં પછી નર્કનાં માલિક બન્યાં છીએં. હવે
ફરી પારસબુદ્ધિ બનીએ છીએં. આ જ્ઞાન આપ બાળકોની બુદ્ધિમાં છે જે પછી બીજાઓને
સમજાવવાનું છે. ડ્રામા અનુસાર પાર્ટ ચાલતો રહે છે, જે સમય પસાર થાય છે તો એક્યુરેટ
ફરી પણ પુરુષાર્થ તો કરાવશે ને. જે બાળકોને નશો છે કે સ્વયં ભગવાન અમને હેવિન (સ્વર્ગ)
નાં માલિક બનાવવાં માટે પુરુષાર્થ કરાવે છે તેમનો ચહેરો બહુજ ફર્સ્ટ ક્લાસ ખુશનુમા
રહે છે. બાપ આવે પણ છે બાળકોને પુરુષાર્થ કરાવવાં, પ્રાલબ્ધ નાં માટે. આ પણ તમે જાણો
છો, દુનિયામાં થોડી કોઈ જાણે છે. હેવિન નાં માલિક બનાવવાં ભગવાન પુરુષાર્થ કરાવે છે
તો ખુશી હોવી જોઈએ. ચહેરો બહુજ ફર્સ્ટ ક્લાસ ખુશનુમ: હોવો જોઈએ. બાપની યાદથી તમે
સદેવ હર્ષિત રહેશો. બાપને ભુલવાથી જ મુરઝાઈશ આવે છે. બાપ અને વારસાને યાદ કરવાથી
ખુશનુમ: થઈ જાય છે. દરેક ની સર્વિસ થી સમજાઈ જાય છે. બાપને બાળકોની સુગંધ તો આવે છે
ને. સપૂત બાળકો થી સુગંધ આવે છે, કપૂત થી દુર્ગંધ આવે છે. બગીચા માં સુગંધિત ફૂલને
ઉપાડવાં માટે દિલ થશે. અક ને કોણ ઉપાડશે! બાપને યથાર્થ રીતે યાદ કરવાથી જ વિકર્મ
વિનાશ થશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયાની
બોક્સિગ માં હારવાનું નથી. ધ્યાન રહે ક્યારેય મુખથી કુવચન ન નીકળે, કુદૃષ્ટિ, કુચલન,
કુકર્મ ન થઈ જાય.
2. ફર્સ્ટ ક્લાસ સુગંધિત ફૂલ બનવાનું છે. નશો રહે કે સ્વયં ભગવાન આપણને ભણાવે છે.
બાપ ની યાદમાં રહી સદેવ હર્ષિત રહેવાનું છે, ક્યારેય મુરઝાવાનું નથી.
વરદાન :-
પુરુષાર્થ અને
પ્રાલબ્ધ નાં હિસાબ ને જાણીને તીવ્રગતિ થી આગળ વધવા વાળા નોલેજફુલ ભવ
પુરુષાર્થ દ્વારા
લાંબાકાળની પ્રાલબ્ધ બનાવવાનો આ જ સમય છે એટલે નોલેજફુલ બની તીવ્રગતિ થી આગળ વધો.
આમાં એ નહીં વિચારો કે આજે નહીં તો કાલે બદલાઇ જઈશું. આને જ અલબેલાપન કહેવાય છે.
હમણાં સુધી બાપદાદા સ્નેહનાં સાગર બની સર્વ સંબંધનાં સ્નેહમાં બાળકોનું અલબેલાપણું,
સાધારણ પુરુષાર્થ જોતાં સાંભળતા પણ એક્સ્ટ્રા (વધુ) મદદ થી, એક્સ્ટ્રા માર્ક્સ આપીને
આગળ વધારી રહ્યાં છે. તો નોલેજફુલ બની હિંમત અને મદદનાં વિશેષ વરદાન નો લાભ લો.
સ્લોગન :-
પ્રકૃતિનાં
દાસ બનવા વાળા જ ઉદાસ થાય છે એટલે પ્રકૃતિજીત બનો.