19-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જેમણે
શરુથી ભક્તિ કરી છે , ૮૪ જન્મ લીધાં છે , તેઓ તમારાં જ્ઞાનને ખૂબ રુચિથી સાંભળશે ,
ઇશારા થી સમજી જશે ”
પ્રશ્ન :-
દેવી-દેવતા
કુળની નજીકવાળી આત્મા છે કે દૂરવાળી, તેની પરખ શું હશે?
ઉત્તર :-
જે તમારાં દેવતા ઘરાનાની આત્માઓ હશે, તેમને જ્ઞાનની બધી વાતો સાંભળતા જ જચી જશે,
તેઓ મૂંઝાશે નહીં. જેટલી વધારે ભક્તિ કરી હશે એટલું વધારે સાંભળવાની કોશિશ કરશે. તો
બાળકોને નાડી જોઈને સેવા કરવી જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. આ તો બાળકો સમજી ગયાં રુહાની બાપ છે નિરાકાર, આ
શરીર દ્વારા બેસી સમજાવે છે, આપણે આત્મા પણ નિરાકાર છીએ, આ શરીર થી સાંભળીએ છે. તો
હવે બે બાપ સાથે છે ને. બાળકો જાણે છે બંને બાબા અહીંયા છે. ત્રીજા બાપને જાણો છો
પરંતુ તેમનાથી તો પણ આ સારા છે, એનાથી પછી આ સારા, નંબરવાર છે ને. તો તે લૌકિક થી
સબંધ નીકળીને બાકી આ બંનેથી સંબંધ થઈ જાય છે. બાપ બેસી સમજાવે છે, મનુષ્યોની કેવી
રીતે સમજાવવું જોઈએ. તમારી પાસે મેળા પ્રદર્શનીમાં તો બહુજ આવે છે. આ પણ તમે જાણો
છો ૮૪ જન્મ કાંઈ બધાં તો નહિ લેતાં હશે. એ કેવી રીતે ખબર પડે આ ૮૪ જન્મ લેવાવાળા છે
કે ૧૦ જન્મ લેવાવાળા છે કે ૨૦ જન્મ લેવાવાળા છે? હવે આપ બાળકો આ તો સમજો છો કે જેમણે
બહુજ ભક્તિ કરી હશે શરુ થી લઈને, તો તેમને ફળ પણ એટલું જલ્દી અને સારું મળશે. થોડી
ભક્તિ કરી હશે અને મોડે થી કરી હશે તો ફળ પણ એટલું થોડું અને મોડે થી મળશે. આ બાબા
સર્વિસ કરવાવાળા બાળકોનાં માટે સમજાવે છે. બોલો, તમે ભારતવાસી છો તો બતાવો
દેવી-દેવતાઓને માનો છો? ભારતમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. જે ૮૪ જન્મ
લેવાવાળા હશે, શરુ થી ભક્તિ કરી હશે તે ઝટ સમજી જશે-બરાબર આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ હતો, રુચી થી સાંભળવા લાગી જશે. કોઈ તો એમ જ જોઈ ને ચાલ્યાં જાય છે, કાંઈ પૂછતાં
પણ નથી જાણે કે બુદ્ધિમાં બેસતું નથી. તો તેમનાં માટે સમજવું જોઈએ આ હજી સુધી
અહીંયાનાં નથી. આગળ ચાલી સમજી પણ લે. કોઈ ને સમજાવાથી ઝટ ખભા હલાવશે. બરાબર આ હિસાબ
થી તો ૮૪ જન્મ ઠીક છે. જો કહે છે અમે કેવી રીતે સમજીએ કે પુરા ૮૪ જન્મ લીધાં છે?
અચ્છા, ૮૪ નહીં તો ૮૨, દેવતા ધર્મમાં તો આવ્યાં હશો. જુઓ આટલું બુદ્ધિમાં બેસતું નથી
તો સમજો આ ૮૪ જન્મ લેવાવાળા નથી. દૂરવાળા ઓછું સાંભળશે. જેટલી વધારે ભક્તિ કરેલી હશે
તે વધારે સાંભળવાની કોશિશ કરશે. ઝટ સમજી જશે. ઓછું સમજે છે તો સમજો આ મોડે થી
આવવાવાળા છે. ભક્તિ પણ મોડે થી કરી હશે. બહું ભક્તિ કરવાવાળા ઇશારાથી સમજી જશે.
ડ્રામા રીપીટ (પુનરાવર્તન) તો થાય છે ને. બધો ભક્તિ પર આધાર છે. આમણે (બાબા) સૌથી
નંબરવન ભક્તિ કરી છે ને. ઓછી ભક્તિ કરી હશે તો ફળ પણ ઓછું મળશે. આ બધી સમજવાની વાતો
છે. મોટી બુદ્ધિવાળા ધારણા કરી નહિ શકે. આ મેળા-પ્રદર્શનીઓ તો થતી રહેશે. બધી ભાષાઓ
માં નીકળશે. આખી દુનિયાને સમજાવાનું છે ને. તમે છો સાચાં-સાચાં પૈગંબર અને મેસેન્જર
(સંદેશવાહક). તે ધર્મ સ્થાપક તો કાંઈ પણ નથી કરતાં. ન તે ગુરુ છે. ગુરુ કહો છો પરંતુ
તે કોઈ સદ્દગતિ દાતા થોડી છે. તે જ્યારે આવે છે, તેમની સંસ્થા જ નથી તો સદ્દ્ગતિ
કોની કરશે. ગુરુ તે જે સદ્દગતિ આપે, દુઃખની દુનિયાથી શાંતિધામ માં લઈ જાય. ક્રાઈસ્ટ
વગેરે ગુરુ નથી, તે ફક્ત ધર્મસ્થાપક છે. તેમની બીજી કોઈ પોઝિશન (પદ) નથી. પોઝિશન તો
તેમની છે, જે પહેલાં-પહેલાં સતોપ્રધાન માં પછી સતો, રજો, તમો માં આવે છે. તેઓ તો
ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરી પુનર્જન્મ લેતાં રહેશે. જ્યારે પછી બધાની તમોપ્રધાન
અવસ્થા હોય છે તો બાપ આવીને બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે. પાવન બન્યાં તો પછી
પતિત દુનિયામાં ન રહી શકે. પવિત્ર આત્માઓ ચાલી જશે મુક્તિમાં, પછી જીવનમુક્તિ માં
આવશે. કહે પણ છે તે લિબરેટર (મુક્તિદાતા) છે, ગાઈડ (માર્ગદર્શક) છે પરંતુ તેનો પણ
અર્થ નથી સમજતાં. અર્થ સમજી જાય તો એમને જાણી જાય. સતયુગ માં ભક્તિમાર્ગનાં અક્ષર
પણ બંધ થઈ જાય છે.
આ પણ ડ્રામામાં નોંધ છે જે બધાં પોત-પોતાનો પાર્ટ ભજવતાં રહે છે. સદ્દગતિ ને એક પણ
પામી નથી શકતાં. હમણાં તમને આ જ્ઞાન મળી રહ્યું છે. બાપ પણ કહે છે હું કલ્પ-કલ્પ,
કલ્પ નાં સંગમયુગે આવું છું. આને કહેવાય છે કલ્યાણકારી સંગમયુગ, બીજા કોઈ યુગ
કલ્યાણકારી નથી. સતયુગ અને ત્રેતાનાં સંગમનું કોઈ મહત્વ નથી. સૂર્યવંશી પાસ્ટ થયાં
પછી ચંદ્રવંશી રાજ્ય ચાલે છે. પછી ચંદ્રવંશી થી વૈશ્યવંશી બનશે તો ચંદ્રવંશી પાસ્ટ
થઈ ગયાં. તેનાં પછી શું બન્યાં, તે ખબર જ નથી રહેતી. ચિત્ર વગેરે રહે છે તો સમજશે આ
સૂર્યવંશી અમારા મોટાં હતાં, આ ચંદ્રવંશી હતાં. તે મહારાજા, તે રાજા, તે મોટાં
ધનવાન હતાં. તેઓ તો પણ નપાસ થયા ને. આ વાતો કોઈ શાસ્ત્રો વગેરે માં નથી. હવે બાપ
બેસી સમજાવે છે. બધાં કહે છે અમને લિબરેટ (મુક્ત) કરો, પતિત થી પાવન બનાવો. સુખનાં
માટે નહીં કહેશે કારણકે સુખનાં માટે નિંદા કરી દીધી છે શાસ્ત્રો માં. બધાં કહેશે
મનની શાંતિ કેવી રીતે મળે? હમણાં આપ બાળકો સમજો છો તમને સુખ-શાંતિ બંને મળે છે, જ્યાં
શાંતિ છે ત્યાં સુખ છે. જ્યાં અશાંતિ છે, ત્યાં દુઃખ છે. સતયુગમાં સુખ-શાંતિ છે,
અહીંયા દુઃખ-અશાંતિ છે. આ બાપ બેસી સમજાવે છે. તમને માયા રાવણે કેટલાં તુચ્છ બુદ્ધિ
બનાવ્યાં છે, આ પણ ડ્રામા બનેલો છે. બાપ કહે છે હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો
છું. મારો પાર્ટ જ હમણાં છે જે ભજવી રહ્યો છું. કહે પણ છે બાબા કલ્પ-કલ્પ તમે જ
આવીને ભ્રષ્ટાચારી પતિત થી શ્રેષ્ઠાચારી પાવન બનાવો છો. ભ્રષ્ટાચારી બન્યાં છો રાવણ
દ્વારા. હવે બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે. આ જે ગાયન છે તેનો અર્થ બાપ જ આવી
ને સમજાવે છે. તે અકાળતખ્ત પર બેસવાવાળા પણ તેનો અર્થ નથી સમજતાં. બાબાએ તેમને
સમજાવ્યું છે-આત્માઓ અકાળમૂર્ત છે. આત્માનું આ શરીર છે રથ, આનાં પર અકાળ અર્થાત્
જેને કાળ નથી ખાતો, તે આત્મા વિરાજમાન છે. સતયુગમાં તમને કાળ નહીં ખાશે. અકાળે
મૃત્યુ ક્યારેય નહિ થશે. તે છે જ અમરલોક, આ છે મૃત્યુલોક. અમરલોક, મૃત્યુલોક નો પણ
અર્થ કોઈ નથી સમજતાં. બાપ કહે છે હું તમને ખુબ સરળ સમજાવું છું - ફક્ત મામેકમ્ યાદ
કરો તો તમે પાવન બની જશો. સાધુ-સંત વગેરે પણ ગાય છે પતિત-પાવન……..પતિત-પાવન બાપ ને
બોલાવે છે ક્યાંય પણ જાઓ તો આ જરુર કહેશે પતિત-પાવન……..સાચું તો ક્યારે છુપાઈ નથી
શકતું. તમે જાણો છો હમણાં પતિત-પાવન બાપ આવેલાં છે. આપણને રસ્તો બતાવી રહ્યાં છે.
કલ્પ પહેલાં પણ કહ્યું હતું સ્વયંને આત્મા સમજી મામેકમ્ યાદ કરો તો તમે સતોપ્રધાન
બની જશો. તમે બધાં આશિક છો મુજ માશૂક નાં. તે આશિક-માશૂક તો એક જન્મનાં માટે હોય
છે, તમે જન્મ-જન્માંતરનાં આશિક છો. યાદ કરતાં આવ્યાં છો હેં પ્રભુ. આપવાવાળા તો એક
જ બાપ છે ને. બાળકો બધાં બાપ થી જ માંગશે. આત્મા જ્યારે દુઃખી થાય છે તો બાપ ને યાદ
કરે છે. સુખમાં કોઈ યાદ નથી કરતું, દુઃખમાં યાદ કરે છે-બાબા આવીને સદ્દગતિ આપો. જેમ
ગુરુ ની પાસે જાય છે, અમને બાળક આપો. અચ્છા, બાળક મળી ગયું તો બહુજ ખુશી થશે. બાળક
ન થયું તો કહેશે ઈશ્વરની ભાવી. ડ્રામાને તો તે સમજતાં જ નથી. જો તે ડ્રામા કહે તો
પછી બધી ખબર હોવી જોઈએ. તમે ડ્રામાને જાણો છો, બીજા કોઈ નથી જાણતાં. ન કોઈ
શાસ્ત્રોમાં છે. ડ્રામા એટલે ડ્રામા. તેનાં આદિ-મધ્ય-અંતની ખબર હોવી જોઈએ. બાપ કહે
છે હું ૫-૫ હજાર વર્ષ પછી આવું છું. આ ચાર યુગ બિલકુલ એક સરખા છે. સ્વસ્તિક નું પણ
મહત્વ છે ને. ખાતુ જે બનાવે છે તો એમાં સ્વસ્તિકા બનાવે છે. આ પણ ખાતુ છે ને. આપણો
ફાયદો કેવી રીતે થાય છે, પછી નુકસાન કેવી રીતે પડે છે. નુકસાન પડતાં-પડતાં હમણાં
પૂરું નુકશાન પડી ગયું છે. આ હાર-જીત ની રમત છે. પૈસા છે અને હેલ્થ (સ્વાસ્થ) પણ છે
તો સુખ છે, પૈસા છે હેલ્થ નથી તો સુખ નથી. તમને હેલ્થ-વેલ્થ બંને આપું છું. તો
હેપીનેસ (ખુશી) છે જ.
જ્યારે કોઈ શરીર છોડે છે તો મુખથી તો કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. પરંતુ અંદર દુઃખી
થતાં રહે છે. આમાં તો બહુજ ખુશ થવું જોઈએ પછી તેમની આત્માને નર્કમાં કેમ બોલાવો છો?
કાંઈ પણ સમજ નથી. હમણાં બાપ આવીને આ બધી વાતો સમજાવે છે. બીજ અને ઝાડ નું રહસ્ય
સમજાવે છે. આવું ઝાડ બીજું કોઈ બનાવી ન શકે. આ કોઈ આમણે નથી બનાવ્યું. આમનાં કોઈ
ગુરુ નહોતાં. જો હોત તો તેમનાં બીજા પણ શિષ્ય હોત ને. મનુષ્ય સમજે છે આમને કોઈ ગુરુ
એ શીખવાડ્યું છે અથવા તો કહે પરમાત્માની શક્તિ પ્રવેશ કરે છે. અરે, પરમાત્માની શક્તિ
કેવી રીતે પ્રવેશ કરશે! બિચારા કાંઈ પણ નથી જાણતાં. બાપ સ્વયં બેસી બતાવે છે મેં
કહ્યું હતું હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું, આવીને તમને ભણાવું છું. આ પણ સાંભળે
છે, અટેન્શન તો અમારા ઉપર છે. આ પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છે. આ પોતાને બીજું કાંઈ
નથી કહેતાં. પ્રજાપિતા તે પણ સ્ટુડન્ટ છે. ભલે એમને વિનાશ પણ જોયો પરંતુ સમજ્યું
કાંઈ પણ નહીં. ધીરે-ઘીરે સમજતાં ગયાં. જેમ તમે સમજતાં ગયાં. બાપ તમને સમજાવે છે,
વચમાં આ પણ સમજતાં જાય છે, ભણતા રહે છે. દરેક સ્ટુડન્ટ પુરુષાર્થ કરશે ભણવાનો.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર તો છે સૂક્ષ્મવતનવાસી. તેમનો શું પાર્ટ છે, આ પણ કોઈ નથી જાણતાં.
બાપ પર દરેક પોતે જ સમજાવે છે. તમે પ્રશ્ન કોઈ પૂછી ન શકો. ઉપર માં છે શિવ પરમાત્મા
પછી દેવતાઓ, તેમને મળાવી કેવી રીતે શકાય. હમણાં આપ બાળકો જાણો છો બાપ આમનામાં આવીને
પ્રવેશ કરે છે એટલે કહેવાય છે બાપદાદા. બાપ અલગ છે, દાદા અલગ છે. બાપ શિવ, દાદા
બ્રહ્મા છે. વારસો શિવ થી મળે છે આમનાં દ્વારા. બ્રાહ્મણ થઈ ગયાં બ્રહ્માનાં બાળકો.
બાપે એડોપ્ત કર્યા છે ડ્રામાનાં પ્લાન અનુસાર. બાપ કહે છે નંબરવન ભક્ત આ છે. ૮૪
જન્મ પણ આમણે લીધાં છે. સાંવરા (શ્યામ) અને ગોરા (સુંદર) પણ આમને કહે છે. કૃષ્ણ
સતયુગમાં ગોરા હતાં, કળયુગમાં શ્યામ છે. પતિત છે ને પછી પાવન બને છે. તમે પણ એવાં
બનો છો. આ છે આઇરન એજડ વર્લ્ડ (કળયુગી દુનિયા), તે છે ગોલ્ડન એજડ વર્લ્ડ (સતયુગી
દુનિયા). સીડીની કોઈને ખબર નથી. જે પાછળ આવે છે તે ૮૪ જન્મ થોડી લેતાં હશે. તે જરુર
ઓછા જન્મ લેશે પછી તેમને સીડીમાં દેખાડી કેવી રીતે શકાય. બાબા એ સમજાવ્યું છે-સૌથી
વધારે જન્મ કોણે લેશે? સૌથી ઓછાં જન્મ કોણ લેશે? આ છે નોલેજ. બાપ જ નોલેજફુલ,
પતિત-પાવન છે. આદિ-મધ્ય-અંતનું નોલેજ સંભળાવી રહ્યાં છે. તે બધાં નેતી-નેતી કરતાં
આવ્યાં છે. પોતાની આત્માને જ નથી જાણતા તો બાપ ને પછી કેવી રીતે જાણશે? ફક્ત કહેવાં
માત્ર કહી દે છે, આત્મા શું ચીજ છે, કાંઈ પણ નથી જાણતાં. તમે હમણાં જાણો છો આત્મા
અવિનાશી છે, તેમાં ૮૪ જન્મોનો અવિનાશી પાર્ટ નોંધાયેલ છે. આટલી નાનકડી આત્મા માં
કેટલો પાર્ટ નોંધાયેલો છે, જે સારી રીતે સાંભળે અને સમજે છે તો સમજાય છે આ નજીક વાળા
છે. બુદ્ધિમાં નથી બેસતું તો મોડે થી આવવાવાળા છે. સંભળાવતી વખતે નાડી જોવાય છે.
સમજાવવા વાળા પણ નંબરવાર છે ને. તમારું આ ભણતર છે, રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ
તો ઉંચેથી ઉંચ રાજાઈ પદ પામે છે, કોઈ તો પ્રજા માં નોકર ચાકર બને છે. બાકી હાં, એટલું
છે કે સતયુગ માં કોઈ દુઃખ નથી હોતું. તેને કહેવાય જ છે સુખધામ, બહિશ્ત. પાસ્ટ (ભૂતકાળ)
થઈ ગયું છે ત્યારે તો યાદ કરે છે ને. મનુષ્ય સમજે છે સ્વર્ગ કોઈ ઉપર છત માં હશે.
દેલવાડા મંદિર માં તમારું પૂરું યાદગાર ઊભું છે. આદિદેવ આદિદેવી અને બાળકો નીચે
યોગમાં બેઠાં છે. ઉપર માં રાજાઈ ઉભી છે. મનુષ્ય તો દર્શન કરશે, પૈસા રાખશે. સમજશે
કાંઈ પણ નહીં. આપ બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, તમે સૌથી પહેલાં તો
બાપની બાયોગ્રાફી (જીવનકહાની) ને જાણી ગયાં તો બીજું શું જોઈએ. બાપને જાણવાથી જ બધું
સમજ માં આવી જાય છે. તો ખુશી થવી જોઈએ. તમે જાણો છો હમણાં આપણે સતયુગમાં જઈને સોનાનાં
મહેલ બનાવશું, રાજ્ય કરશું. જે સર્વિસેબુલ (સેવાધારી) બાળકો છે તેમની બુદ્ધિમાં
રહેશે આ સ્પ્રીચુઅલ (આધ્યાત્મિક) નોલેજ સ્પ્રીચુઅલ ફાધર આપે છે. સ્પ્રીચુઅલ ફાધર
કહેવાય છે આત્માઓનાં બાપને. એજ સદ્દગતિ દાતા છે. સુખ-શાંતિ નો વારસો આપે છે. તમે
સમજાવી શકો છો આ સીડી છે ભારતવાસીઓની, જે ૮૪ જન્મ લે છે. તમે આવો જ અડધામાં છો, તો
તમારાં ૮૪ જન્મ કેવી રીતે હશે? સૌથી વધારે જન્મ આપણે લઈએ છીએ. આ ખુબ સમજવાની વાતો
છે. મુખ્ય વાત છે જ પતિત થી પાવન બનવા માટે બુદ્ધિયોગ લગાડવાનો છે. પાવન બનવાની
પ્રતિજ્ઞા કરી પછી જો પતિત બને છે તો હડગુડ (હાડકાં) એકદમ તૂટી જાય છે, જાણે કે ૫
માળે થી પડે છે. બુદ્ધિ જ મલેચ્છ ની થઈ જશે, દિલ અંદર ખાતું રહેશે. મુખથી કાંઈ
નીકળશે નહીં એટલે બાપ કહે છે ખબરદાર રહો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) આ ડ્રામાને
યથાર્થ રીતે સમજી માયા નાં બંધનો થી મુક્ત થવાનું છે. સ્વયંને અકાળમૂર્ત આત્મા સમજી
બાપ ને યાદ કરી પાવન બનવાનું છે.
2) સાચાં-સાચાં
પૈગંબર અને મેસેન્જર બની બધાને શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવવાનો છે. આ કલ્યાણકારી
સંગમયુગ પર બધી આત્માઓનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
સ્વદર્શન ચક્ર
ની સ્મૃતિ થી સદા સંપન્ન સ્થિતિનો અનુભવ કરવાવાળા માલામાલ ભવ
જે સદા સ્વદર્શન
ચક્રધારી છે તે માયાનાં અનેક પ્રકારનાં ચક્રોથી મુક્ત રહે છે. એક સ્વદર્શન ચક્ર
અનેક વ્યર્થ ચક્રોને ખતમ કરવાવાળું છે, માયાને ભગાડવાવાળું છે. તેમની આગળ માયા ઉભી
નથી રહી શકતી. સ્વદર્શન ચક્રધારી બાળકો સદા સંપન્ન હોવાનાં કારણે અચળ રહે છે.
સ્વયંને માલામાલ અનુભવ કરે છે. માયા ખાલી કરવાની કોશિશ કરે છે પરંતુ તે સદા ખબરદાર,
સજાગ, જાગતી જ્યોત રહે છે એટલે માયા કાંઈ પણ કરી નથી શકતી. જેમની પાસે અટેન્શન રુપી
ચોકીદાર સજાગ છે તે સદા સેફ (સુરક્ષિત) છે.
સ્લોગન :-
તમારાં બોલ એવાં
સમર્થ હોય જેમાં શુભ અથવા શ્રેષ્ઠ ભાવના સમાયેલી હોય.