14-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારી
જ્યારે કર્માતીત અવસ્થા થશે ત્યારે વિષ્ણુપુરી માં જશો, પાસ વિથ ઓનર થવાવાળા બાળકો
જ કર્માતીત બને છે ”
પ્રશ્ન :-
આપ બાળકો પર
બંને બાપ કઇ મહેનત કરે છે?
ઉત્તર :-
બાળકો સ્વર્ગનાં
લાયક બને. સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ બનાવવાની મહેનત બાપદાદા બંને કરે છે. આ
જેમ કે તમને ડબલ એન્જિન મળ્યું છે. એવું વન્ડરફુલ ભણતર ભણાવે છે જેનાંથી તમે ૨૧
જન્મની બાદશાહી પામી લો છો.
ગીત :-
બચપન કે દિન
ભૂલા ન દેનાં…...
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. ડ્રામા પ્લાન અનુસાર આવાં-આવાં ગીતો પસંદ કરેલા છે.
મનુષ્ય આશ્ચર્ય થાય છે કે આ શું નાટકનાં રેકોર્ડ ઉપર વાણી ચલાવે છે. આ પછી કયા
પ્રકારનું જ્ઞાન છે! શાસ્ત્ર, વેદ, ઉપનિષદ વગેરે છોડી દીધું, હવે રેકોર્ડ ઉપર વાણી
ચાલે છે! આ પણ આપ બાળકોની બુદ્ધિમાં છે કે આપણે બેહદનાં બાપનાં બન્યા છીએ, જેમનાંથી
અતીન્દ્રિય સુખ મળે છે એવાં બાપને ભૂલવાનાં નથી. બાપની યાદથી જ જન્મ-જન્માંતરનાં
પાપ દગ્ધ થાય છે. એવું ન થાય જે યાદને છોડી દો અને પાપ રહી જાય. પછી પદ પણ ઓછું થઈ
જશે. આવાં બાપને તો સારી રીતે યાદ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેમ સગાઈ થાય છે તો
પછી એક-બીજાને યાદ કરે છે. તમારી પણ સગાઈ થઈ છે પછી જ્યારે તમે કર્માતીત અવસ્થા ને
પામો છો ત્યારે વિષ્ણુપુરીમાં જશો. હમણાં શિવબાબા પણ છે. પ્રજાપિતા બ્રહ્મા બાબા પણ
છે. બે એન્જિન મળ્યા છે-એક નિરાકારી, બીજા સાકારી. બંને જ મહેનત કરે છે કે બાળકો
સ્વર્ગનાં લાયક બની જાય. સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે. અહીં પરીક્ષા
પાસ કરવાની છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. આ ભણતર બહુજ વન્ડરફુલ છે-ભવિષ્ય ૨૧
જન્મોનાં માટે. બીજા ભણતર હોય છે મૃત્યુલોક નાં માટે, આ ભણતર છે અમરલોક નાં માટે.
તેનાં માટે ભણવાનું તો અહીંયા જ છે ને. જ્યાં સુધી આત્મા પવિત્ર ન બને ત્યાં સુધી
સતયુગમાં જઈ ન શકે એટલે બાપ સંગમ પર જ આવે છે, આને જ પુરુષોત્તમ કલ્યાણકારી યુગ
કહેવાય છે. જ્યારે તમે કોડી થી હીરા જેવા બનો છો એટલે શ્રીમત પર ચાલતા રહો. શ્રી
શ્રી શિવબાબા ને જ કહેવાય છે. માળા નો અર્થ પણ બાળકોને સમજાવ્યો છે. ઉપરમાં ફૂલ છે
શિવબાબા, પછી છે યુગલ મેરુ. પ્રવૃત્તિ માર્ગ છે ને. પછી છે દાણા જે વિજય પામવા વાળા
છે, તેમની જ રુદ્ર માળા પછી વિષ્ણુની માળા બને છે. આ માળા નો અર્થ કોઈપણ નથી જાણતા.
બાપ બેસી સમજાવે છે આપ બાળકોએ કોડી થી હીરા જેવા બનવાનું છે. ૬૩ જન્મ તમે બાપને યાદ
કરતા આવ્યા છો. તમે હમણાં આશિક છો એક માશુક નાં. બધાં ભક્ત છે એક ભગવાન નાં. પતિઓનાં
પતિ, બાપોનાં બાપ એ એક જ છે. આપ બાળકોને રાજાઓનાં રાજા બનાવે છે. પોતે નથી બનતાં.
બાપ વારં-વાર સમજાવે છે-બાપની યાદથી જ તમારા જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થશે. સાધુ
સંત તો કહી દે છે આત્મા નિર્લેપ છે. બાપ સમજાવે છે સંસ્કાર સારા અથવા ખરાબ આત્મા જ
લઈ જાય છે. તેઓ કહી દે છે બસ જ્યાં જોઉં છું બધાં ભગવાન જ ભગવાન છે. ભગવાનની જ આ બધી
લીલા છે. બિલકુલ જ વામમાર્ગમાં ગંદા બની જાય છે. આવાં-આવાં ની મત પર પણ લાખો મનુષ્ય
ચાલી રહ્યા છે. આ પણ ડ્રામા માં નોંધ છે. હંમેશા બુદ્ધિમાં ત્રણ ધામ યાદ
રાખો-શાંતિધામ જ્યાં આત્માઓ રહે છે, સુખધામ જેનાં માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો,
દુ:ખધામ શરુ થાય છે અડધાકલ્પ પછી. ભગવાનને કહેવાય છે હેવનલી ગોડફાધર. તે કોઈ હેલ (નર્ક)
સ્થાપન નથી કરતાં. બાપ કહે છે હું તો સુખધામ જ સ્થાપન કરું છું. બાકી આ હાર અને જીત
ની રમત છે. આપ બાળકો શ્રીમત પર ચાલીને હવે માયારુપી રાવણ પર જીત પામો છો. પછી
અડધાકલ્પ બાદ રાવણ રાજ્ય શરુ થાય છે. આપ બાળકો હમણાં યુદ્ધનાં મેદાન પર છો. આ
બુદ્ધિમાં ધારણ કરવાનું છે પછી બીજાઓને સમજાવવાનું છે. આંધળાઓની લાઠી બની ઘરનો રસ્તો
બતાવવાનો છે કારણકે બધાં તે ઘરને ભૂલી ગયા છે. કહે પણ છે આ એક નાટક છે. પરંતુ આની
આયુ લાખો હજારો વર્ષ કહી દે છે. બાપ સમજાવે છે રાવણે તમને કેટલા આંધળા (જ્ઞાન
નયનહીન) બનાવી દીધા છે. હવે બાપ બધી વાતો સમજાવી રહ્યા છે. બાપને જ નોલેજફુલ કહેવાય
છે. આનો અર્થ એ નથી કે દરેકનાં અંદરને જાણવાવાળા છે. તે તો રિદ્ધિ-સિદ્ધિ વાળા શીખે
છે જે તમારી અંદરની વાતો સંભળાવી દે છે. નોલેજફુલ નો અર્થ આ નથી. આ તો બાપની જ મહિમા
છે. એ જ્ઞાનનાં સાગર, આનંદનાં સાગર છે. મનુષ્ય તો કહી દે છે કે એ અંતર્યામી છે. હમણાં
આપ બાળકો સમજો છો કે એ તો શિક્ષક છે, આપણને ભણાવે છે. એ રુહાની બાપ પણ છે, રુહાની
સદ્દગુરુ પણ છે. તે શારીરિક શિક્ષક ગુરુ હોય છે, તે પણ અલગ-અલગ હોય છે, ત્રણેય એક
હોઈ ન શકે. કરીને કોઈ-કોઈ બાપ, શિક્ષક પણ હોય છે. ગુરુ તો હોઈ ન શકે. તે તો છતાં પણ
મનુષ્ય છે. અહીં તો એ સુપ્રીમ (સર્વોચ્ચ) રુહ પરમપિતા પરમાત્મા ભણાવે છે. આત્માને
પરમાત્મા નથી કહેવાતું. આ પણ કોઈ સમજતું નથી. કહે છે પરમાત્માએ અર્જુનને
સાક્ષાત્કાર કરાવ્યો તો તેણે કહ્યું બસ કરો, બસ કરો હું આટલું તેજ સહન નથી કરી શકતો.
આ જે બધું સાંભળ્યું છે તે સમજે છે પરમાત્મા એટલા તેજોમય છે. પહેલાં બાબાની પાસે
આવતા હતાં તો સાક્ષાત્કારમાં ચાલ્યા જતાં હતાં. કહેતાં હતાં બસ કરો, બહુજ તેજ છે,
અમે સહન નથી કરી સકતાં. જે સાંભળેલું છે તેજ બુદ્ધિમાં ભાવના રહે છે. બાપ કહે છે જે
જેવી ભાવના થી યાદ કરે છે, હું તેમની ભાવના પૂરી કરી શકું છું. કોઈ ગણેશનાં પુજારી
હશે તો તેમને ગણેશનો સાક્ષાત્કાર કરાવશે. સાક્ષાત્કાર થવાથી સમજે છે બસ મુક્તિધામ
માં પહોંચી ગયા. પરંતુ નહીં, મુક્તિધામ માં કોઈ જઈ ન શકે. નારદનું પણ ઉદાહરણ છે.
તેઓ શિરોમણી ભક્ત ગવાયેલાં છે. તેમણે પૂછ્યું હું લક્ષ્મીને વરી શકું છું તો કહ્યું
સ્વયં નો ચહેરો તો જુઓ. ભક્ત માળા પણ હોય છે. સ્ત્રીમાં મીરા અને પુરુષમાં નારદ
મુખ્ય ગવાયેલા છે. અહીં પછી જ્ઞાનમાં મુખ્ય શિરોમણી છે સરસ્વતી. નંબરવાર તો હોય છે
ને.
બાપ સમજાવે છે માયાથી બહુજ ખબરદાર રહેવાનું છે. માયા એવું ઉલટું કામ કરાવી લેશે. પછી
અંતમાં બહુજ રડવું, પસ્તાવું પડશે-ભગવાન આવ્યા અને અમે વારસો લઈ ન શક્યાં! પછી
પ્રજામાં પણ દાસ-દાસી જઈને બનશો. અંતમાં ભણતર તો પૂરું થઈ જાય છે, પછી બહુજ પસ્તાવું
પડે છે એટલે બાપ પહેલાંથી જ સમજાવી દે છે કે પછી પસ્તાવું ન પડે. જેટલું બાપને યાદ
કરતાં રહેશો તો યોગ અગ્નિથી પાપ ભસ્મ થશે. આત્મા સતોપ્રધાન હતી પછી તેમાં ખાદ
પડતાં-પડતાં તમોપ્રધાન બની છે. ગોલ્ડન, સિલ્વર, કોપર, આયરન…. નામ પણ છે. હમણાં આયરન
એજ (કળયુગ) થી પછી તમારે ગોલ્ડન એજ (સતયુગ) માં જવાનું છે. પવિત્ર બન્યા વગર આત્માઓ
જઈ ન સકે. સતયુગમાં પવિત્રતા હતી તો સુખ-શાંતિ પણ હતી. અહીંયા પવિત્રતા નથી તો
સુખ-શાંતિ પણ નથી. રાત-દિવસ નો ફર્ક છે. તો બાપ સમજાવે છે આ બાળપણ નાં દિવસ ભૂલી ન
જતાં. બાપએ એડોપ્ટ (દત્તક) કર્યા છે ને. બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, આ એડોપ્શન
છે. સ્ત્રીને એડોપ્ટ કરાય છે. બાકી બાળકોને પછી પેદા કરાય છે. સ્ત્રીને રચનાં નહી
કહેવાશે. આ બાપ પણ એડોપ્ટ કરે છે કે તમે મારાં એજ બાળકો છો જેમને કલ્પ પહેલાં
એડોપ્ટ કર્યા હતાં. એડોપ્ટેડ બાળકોને જ બાપ થી વારસો મળે છે. ઊંચેથી ઊંચાં બાપ થી
ઉંચેથી ઉંચો વારસો મળે છે. એ છે જ ભગવાન પછી બીજા નંબરમાં છે લક્ષ્મી-નારાયણ સતયુગનાં
માલિક. હમણાં તમે સતયુગનાં માલિક બની રહ્યા છો. હમણાં સંપૂર્ણ નથી બન્યાં, બની રહ્યા
છો.
પાવન બનીને પાવન બનાવવાં, એજ રુહાની સાચ્ચી સેવા છે. તમે હમણાં રુહાની સેવા કરો છો
એટલે તમે ખુબ ઊંચા છો. શિવબાબા પતિતો ને પાવન બનાવે છે. તમે પણ પાવન બનાવો છો. રાવણે
કેટલા તુચ્છબુદ્ધિ બનાવી દીધા છે. હવે બાપ ફરી લાયક બનાવી વિશ્વનાં માલિક બનાવે છે.
આવાં બાપને પછી પથ્થર-ઠીક્કર માં કેવી રીતે કહી શકો? બાપ કહે છે આ ખેલ બનેલ છે.
કલ્પ પછી ફરી આવું થશે. હવે ડ્રામા પ્લેન અનુસાર હું આવ્યો છું તમને સમજાવવાં. આમાં
જરા પણ ફરક નથી પડી સકતો. બાપ એક સેકન્ડની વાર નથી કરી સકતાં. જેમ બાબા નો
રીઇનકારનેશન (અવતરણ) થાય છે તેમ આપ બાળકોનું પણ રીઇનકારનેશન થાય છે, તમે અવતરિત છો.
આત્મા અહીંયા આવીને પછી સાકાર માં પાર્ટ ભજવે છે, આને કહેવાય છે અવતરણ. ઉપરથી નીચે
આવ્યા પાર્ટ ભજવવાં. બાપનો પણ દિવ્ય, અલૌકિક જન્મ છે. બાપ સ્વયં કહે છે મારે
પ્રકૃતિનો આધાર લેવો પડે છે. હું આ તનમાં પ્રવેશ કરું છું. આ મારું મુકરર તન છે. આ
બહુજ વિશાળ વન્ડરફુલ ખેલ છે. આ નાટકમાં દરેક નો પાર્ટ નોંધાયેલો છે જે ભજવતા જ રહે
છે. ૨૧ જન્મોનો પાર્ટ ફરી આવી જ રીતે ભજવશે. તમને ક્લિયર (સ્પષ્ટ) નોલેજ મળ્યું છે
તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. મહારથીઓ ની બાબા મહિમા તો કરે છે ને. આ જે દેખાડે
છે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું, આ બધી છે બનાવટી વાતો. હવે તમે સમજો છો તેઓ છે
શારીરિક ડબલ હિંસક, તમે છો રુહાની ડબલ અહિંસક. બાદશાહી લેવાં માટે જુઓ તમે કેવાં
બેઠાં છો. જાણો છો બાપની યાદ થી વિકર્મ વિનાશ થશે. આ જ તલપ લાગેલી છે. મહેનત બધી
યાદ કરવામાં જ છે એટલે ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે. તેઓ બહારવાળા પણ આ ભારતનો
પ્રાચીન યોગ શીખવા માંગે છે. સમજે છે કે સંન્યાસી લોકો અમને આ યોગ શિખવાડશે. હકીકતમાં
તે શિખવાડતા કાંઈ પણ નથી. તેમનો સંન્યાસ છે જ હઠયોગ નો. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા.
તમારુ શરુમાં જ રાજ્ય હતું. હમણાં છે અંત. હમણાં તો પંચાયતી રાજ્ય છે. દુનિયામાં
અંધકાર તો બહુજ છે. તમે જાણો છો હવે તો ખુને નાહક ખેલ થવાનો છે. આ પણ એક ખેલ દેખાડે
છે, આ તો બેહદની વાત છે, કેટલા ખૂન થશે. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) થશે. બધાનું
મોત થશે. આને ખુને નાહક કહેવાય છે. આમાં જોવાની પણ બહુજ હિંમત જોઈએ. ડરપોક તો ઝટ
બેહોશ થઇ જશે, આમાં નીડરપણું બહુજ જોઈએ. તમે તો શિવ શક્તિઓ છો ને. શિવબાબા છે સર્વ
શક્તિમાન, આપણે એમનાં થી શક્તિ લઈએ છીએ, પતિત થી પાવન બનવાની યુક્તિ બાપ જ બતાવે
છે. બાપ બિલકુલ સરળ સલાહ આપે છે-બાળકો, તમે સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બન્યાં
છો, હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન સતોપ્રધાન બની જશો. આત્માએ
બાપની સાથે યોગ લગાડવાનો છે તો પાપ ભસ્મ થઇ જાય. ઓથોરિટી (સત્તા) પણ બાપ જ છે.
ચિત્રોમાં દેખાડે છે-વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. તેમનાં દ્વારા બેસી બધાં
શાસ્ત્રો વેદોનું રહસ્ય સમજાવ્યું. હવે તમે જાણો છો બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી
બ્રહ્મા બને છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે પછી જે સ્થાપના થઇ તેની પાલના પણ જરુર
કરશે ને. આ બધું સારી રીતે સમજાવાય છે, જે સમજે છે તેમને આ ખ્યાલ રહેશે કે આ રુહાની
નોલેજ કેવી રીતે બધાને મળવું જોઈએ. અમારી પાસે ધન છે તો કેમ નહીં સેવાકેન્દ્ર ખોલીએ.
બાપ કહે છે સારું, ભાડા પર જ મકાન લઈ લો, તેમાં હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલો.
યોગથી છે મુક્તિ, જ્ઞાનથી છે જીવનમુક્તિ. બે વારસા મળે છે. આમાં ફક્ત ત્રણ પગ
પૃથ્વીનાં જોઈએ, બીજું કંઈ નહીં. ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય)
ખોલો. વિશ્વ વિદ્યાલય કે યુનિવર્સિટી, વાત તો એક જ થઈ. આ મનુષ્ય થી દેવતા બનવાની
કેટલી મોટી યુનિવર્સિટી છે. પૂછશે, તમારો ખર્ચો કેવી રીતે ચાલે છે? અરે, બી.કે.નાં
બાપનાં આટલાં બધાં બાળકો છે, તમે પૂછવા આવ્યાં છો! બોર્ડ ઉપર જુઓ શું લખેલું છે?
બહુજ વન્ડરફુલ જ્ઞાન છે. બાપ પણ વન્ડરફુલ છે ને. વિશ્વનાં માલિક તમે કેવી રીતે બનો
છો? શિવબાબાને કહેશું શ્રી શ્રી કારણ કે ઊંચેથી ઊંચા છે ને. લક્ષ્મી-નારાયણને કહેશું
શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ. આ બધી સારી રીતે ધારણ કરવાની વાતો છે. બાપ કહે છે હું
તમને રાજયોગ શીખવાડું છું. આ છે સાચી-સાચી અમરકથા. ફક્ત એક પાર્વતીને થોડી અમરકથા
સંભળાવી હશે. કેટલાં બધાં મનુષ્ય અમરનાથ પર જાય છે. આપ બાળકો બાપની પાસે આવ્યા છો
રિફ્રેશ થવાં. પછી બધાને સમજાવાનું છે, જઈને રિફ્રેશ કરવાનાં છે, સેવાકેન્દ્ર
ખોલવાનું છે. બાપ કહે છે ફક્ત ૩ પગ પૃથ્વીનાં લઈને હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલતા
જાઓ તો અનેકોનું કલ્યાણ થશે. આમાં ખર્ચો તો કાંઈ પણ નથી. હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ
(સંપત્તિ) અને હેપ્પીનેસ (સુખ) એક સેકન્ડમાં મળી જાય છે. બાળક જન્મ્યો અને વારીસ થયો.
તમને પણ નિશ્ચય થયો અને વિશ્વનાં માલિક બન્યાં. પછી છે પુરુષાર્થ પર આધાર. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) અંતિમ ખુને
નાહેક દ્રશ્ય જોવાં માટે ખુબ-ખુબ નિર્ભય, શિવ શક્તિ બનવાનું છે. સર્વશક્તિમાન્ બાપની
યાદ થી શક્તિ લેવાની છે.
2) પાવન બનીને, પાવન બનાવવાની રુહાની સાચ્ચી સેવા કરવાની છે. ડબલ અહિંસક બનવાનું
છે. આંધળાઓ ની લાઠી બનીને બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે.
વરદાન :-
જૂનાં સંસ્કારો
નો અગ્નિ સંસ્કાર કરવાવાળા સાચાં મરજીવા ભવ.
જેમ મરવાનાં પછી શરીર
નો સંસ્કાર કરે છે તો નામ રુપ સમાપ્ત થઈ જાય છે એમ આપ બાળકો જ્યારે મરજીવા બનો છો
તો શરીર ભલે એજ છે પરંતુ જૂનાં સંસ્કારો, સ્મૃતિઓ કે સ્વભાવ નો સંસ્કાર કરી દો છો.
સંસ્કાર કરેલ મનુષ્ય ફરીથી સામે આવે તો તેને ભૂત કહેવાય છે. એમ અહીં પણ જો કોઈ
સંસ્કાર કરેલાં સંસ્કાર જાગૃત થઈ જાય છે તો આ પણ માયાનાં ભૂત છે. આ ભૂતોને ભગાવો,
આનું વર્ણન પણ નહીં કરો.
સ્લોગન :-
કર્મભોગ નું
વર્ણન કરવાનાં બદલે, કર્મયોગ ની સ્થિતિનું વર્ણન કરતા રહો.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
આખો દિવસ
સર્વનાં પ્રતિ કલ્યાણની ભાવના, સદા સ્નેહ અને સહયોગ દેવાની ભાવના, હિંમત-હુલ્લાસ
વધારવાની ભાવના, પોતાપણાની ભાવના અને આત્મિક સ્વરુપની ભાવના રાખવાની છે. આજ ભાવના
અવ્યક્ત સ્થિતિ બનાવવાનો આધાર છે.