08-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
રુહાની હોસ્પિટલ તમને અડધાકલ્પ માટે એવર હેલ્દી ( સદા સ્વસ્થ ) બનાવવા વાળી છે ,
અહીંયા તમે દેહી - અભિમાની થઈને બેસો ”
પ્રશ્ન :-
ધંધા વગેરે
કરતાં પણ કયું ડાયરેક્શન (માર્ગદર્શન) બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ?
ઉત્તર :-
બાપનું ડાયરેક્શન છે તમે કોઈ સાકાર કે આકારને યાદ નહીં કરો, એક બાપની યાદ રહે તો
વિકર્મ વિનાશ થાય. આમાં કોઈ એ ન કહી સકે કે ફુરસદ નથી. બધુંજ કરતાં પણ યાદમાં રહી
શકો છો.
ઓમ શાંતિ!
મીઠા- મીઠા
રુહાની બાળકો પ્રતિ બાપનું ગુડમોર્નિંગ. ગુડ મોર્નિંગનાં પછી બાળકોને કહેવાય છે
બાપને યાદ કરો. બોલાવે પણ છે-હેં પતિત-પાવન આવીને પાવન બનાવો તો બાપ પહેલાં-પહેલાં
જ કહે છે-રુહાની બાપને યાદ કરો. રુહાની બાપ તો બધાનો એક જ છે. ફાધર (પિતા) ને
ક્યારેય સર્વવ્યાપી નથી મનાતું. તો જેટલું થઈ શકે બાળકો પહેલાં-પહેલાં બાપને યાદ કરો,
કોઈ પણ સાકાર કે આકારને યાદ નહીં કરો, સિવાય એક બાપનાં. આ તો બિલકુલ સહજ છે ને.
મનુષ્ય કહે છે અમે બીઝી (વ્યસ્ત) રહીએ છીએ, ફુરસદ નથી. પરંતુ આમાં તો ફુરસદ સદેવ
છે. બાપ યુક્તિ બતાવે છે આ પણ જાણો છો બાપને યાદ કરવાથી જ આપણાં પાપ ભસ્મ થશે.
મુખ્ય વાત છે આ. ધંધા વગેરેની કોઈ મનાઈ નથી. તે બધું કરવાં છતાં ફક્ત બાપને યાદ કરો
તો વિકર્મ વિનાશ થાય. આ તો સમજો છો અમે પતિત છીએ, સાધુ-સંત ઋષિ-મુની વગેરે બધાં
સાધના કરે છે. સાધના કરાય છે ભગવાનથી મળવાની. તો જ્યાં સુધી એમનો પરિચય ન હોય ત્યાં
સુધી તો મળી નથી શકતાં. તમે જાણો છો બાપનો પરિચય દુનિયામાં કોઈ ને પણ નથી. દેહનો
પરિચય તો બધાને છે. મોટી ચીજનો પરિચય ઝટ થઈ જાય છે. આત્માનો પરિચય તો જ્યારે બાપ આવે
ત્યારે સમજાવે. આત્મા અને શરીર બે ચીજ છે. આત્મા એક સ્ટાર છે અને બહું સૂક્ષ્મ છે.
એને કોઈ જોઈ નથી શકતું. તો અહીંયા જ્યારે આવીને બેસે છે તો દેહી-અભિમાની થઈને
બેસવાનું છે. આ પણ એક હોસ્પિટલ છે ને - અડધાકલ્પ માટે એવર હેલ્દી થવાની. આત્મા તો
છે અવિનાશી, ક્યારેય વિનાશ નથી થતી. આત્માનો જ બધો પાર્ટ છે. આત્મા કહે છે હું
ક્યારેય વિનાશને નથી પામતી. આટલી બધી આત્માઓ અવિનાશી છે. શરીર છે વિનાશી. હવે તમારી
બુદ્ધિમાં આ બેઠેલું છે કે અમે આત્મા અવિનાશી છીએ. અમે ૮૪ જન્મ લઈએ છીએ, આ ડ્રામા
છે. આમાં ધર્મ સ્થાપક કોણ-કોણ ક્યારે આવે છે, કેટલાં જન્મ લેતા હશે આ તો જાણો છો.
૮૪ જન્મ જે ગવાય છે જરુર કોઈ એક ધર્મનાં હશે. બધાનાં તો હોઈ ન શકે. બધાં ધર્મ ભેગા
તો આવતાં નથી. આપણે બીજાનો હિસાબ કેમ બેસીને નીકાળીએ? જાણે છે ફલાણા-ફલાણા સમય પર
ધર્મ સ્થાપન કરવા આવે છે. તેની પછી વૃદ્ધિ થાય છે. બધાં સતોપ્રધાન થી તમોપ્રધાન તો
થવાનાં જ છે. દુનિયા જ્યારે તમોપ્રધાન થાય છે ત્યારે પછી બાપ આવીને સતોપ્રધાન સતયુગ
બનાવે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે ભારતવાસી જ પછી નવી દુનિયામાં આવીને રાજ્ય
કરીશું, બીજો કોઈ ધર્મ નહીં હશે. આપ બાળકોમાં પણ જેમને ઊંચ પદ લેવું છે તે વધારે
યાદમાં રહેવાનો પુરુષાર્થ કરે છે અને સમાચાર પણ લખે છે કે બાબા હું આટલો સમય યાદમાં
રહું છું. કોઈ તો પૂરા સમાચાર લજ્જાનાં મારે આપતા નથી. સમજે છે બાબા શું કહેશે.
પરંતુ ખબર તો પડે છે ને. સ્કૂલમાં શિક્ષક સ્ટુડન્ટને (વિદ્યાર્થી) કહેશે ને કે તમે
જો ભણશો નહીં તો ફેલ થઈ જશો. લૌકિક મા-બાપ પણ બાળકોનાં ભણતરથી સમજી જાય છે, આ તો
ખુબ મોટી સ્કુલ છે. અહીંયા તો નંબરવાર બેસાડતાં નથી. બુદ્ધિથી સમજી જવાય છે,
નંબરવાર તો હોય જ છે ને. હવે બાબા સારા-સારા બાળકોને ક્યાંક મોકલી દે છે, તે પછી
ચાલ્યાં જાય છે તો બીજા લખે છે અમને મહારથી જોઈએ, તો જરુર સમજે છે તેઓ અમારા થી
હોશિયાર નામીગ્રામી છે. નંબરવાર તો હોય છે ને. પ્રદર્શનીમાં પણ અનેક પ્રકારનાં આવે
છે તો ગાઈડ (માર્ગદર્શક) પણ ઉભાં રહેવા જોઈએ તપાસ કરવાનાં માટે. રિસીવ કરવા વાળા તો
જાણે છે આ ક્યા પ્રકારનાં માણસ છે. તો તેમને પછી ઇશારો કરવો જોઈએ કે આને તમે સમજાવો.
તમે પણ સમજી શકો છો પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, ત્રિતીય શ્રેણી બધી છે. ત્યાં તો
બધાંની સર્વિસ કરવાની જ છે. કોઈ મોટો માણસ છે તો જરુર મોટા માણસની ખાતરી તો બધાં કરે
જ છે. આ કાયદો છે. બાપ અથવા શિક્ષક બાળકોની ક્લાસમાં મહિમા કરે છે, આ પણ સૌથી મોટી
ખાતરી છે. નામ કરવાંવાળા બાળકોની મહિમા અથવા ખાતરી કરાય છે. આ ફલાણા ધનવાન છે,
રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક વૃતિ) છે, આ પણ ખાતરી છે ને. હવે તમે આ જાણો છો ઉંચેથી
ઊંચા ભગવાન છે. કહે પણ છે બરાબર ઊંચેથી ઊંચા છે, પરંતુ પછી બોલો એમની બાયોગ્રાફી
બતાવો તો કહી દેશે સર્વવ્યાપી છે. બસ એકદમ નીચાં કરી દે છે. હવે તમે સમજાવી શકો છો
સૌથી ઊંચેથી ઊંચા છે ભગવાન, એ છે મૂળવતન વાસી. સૂક્ષ્મવતન માં છે દેવતાઓ. અહીંયા રહે
છે મનુષ્ય. તો ઊંચેથી ઊંચા ભગવાન એ નિરાકાર થયાં.
હવે તમે જાણો છો આપણે જે હીરા જેવાં હતાં તે પછી કોડી જેવાં બની ગયાં છીએ પછી
ભગવાનને પોતાનાંથી પણ વધારે નીચે લઇ ગયાં છીએં. ઓળખતાં જ નથી. તમને ભારતવાસીઓને જ
ઓળખ મળે છે પછી ઓળખ ઓછી થઈ જાય છે. હમણાં તમે બાપની ઓળખાણ બધાંને આપતાં જાઓ છો.
અસંખ્યને બાપની ઓળખાણ મળશે. તમારું મુખ્ય ચિત્ર છે જ આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ. આમાં
કેટલો પ્રકાશ છે. આ તો કોઈ પણ કહેશે આ લક્ષ્મી-નારાયણ સતયુગનાં માલિક હતાં. અચ્છા,
સતયુગનાં આગળ શું હતું? આ પણ હમણાં તમે જાણો છો. હમણાં છે કળિયુગનો અંત અને છે પણ
પ્રજાનું પ્રજા પર રાજ્ય. હમણાં રાજાઈ તો છે નહીં, કેટલો ફરક છે. સતયુગનાં આદિમાં
રાજાઓ હતાં અને હમણાં કળયુગમાં પણ રાજાઓ છે. ભલે કોઈ તે પાવન નથી પરંતુ કોઈ પૈસા
આપીને પણ ટાઈટલ (પદવી) લઈ લે છે. મહારાજા તો કોઈ છે નહીં, ટાઈટલ ખરીદી લે છે. જેમ
પટિયાલાનાં મહારાજા, જોધપુર, બિકાનેરનાં મહારાજા….નામ તો લે છે ને. આ નામ અવિનાશી
ચાલ્યું આવે છે. પહેલા પવિત્ર મહારાજાઓ હતાં, હવે છે અપવિત્ર મહારાજાઓ. અક્ષર ચાલતાં
આવે છે. આ લક્ષ્મી-નારાયણ નાં માટે કહેશે આ સતયુગનાં માલિક હતાં, કોણે રાજ્ય લીધું?
હમણાં તમે જાણો છો રાજાઈની સ્થાપના કેવી રીતે થાય છે. બાપ કહે છે હું તમને હમણાં
ભણાવું છું - ૨૧ જન્મોનાં માટે. તેઓ તો ભણીને આજ જન્મમાં જ બેરિસ્ટર વગેરે બને છે.
તમે હમણાં ભણીને ભવિષ્ય મહારાજા-મહારાણી બનો છો. ડ્રામા પ્લાન અનુસાર નવી દુનિયાની
સ્થાપના થઇ રહી છે. હમણાં છે જૂની દુનિયા. ભલે કેટલાં પણ સારા-સારા મોટા મહેલ છે
પરંતુ હીરા-ઝવેરાતનાં મહેલ તો બનાવવાની કોઈનામાં તાકાત નથી. સતયુગમાં આ બધાં
હીરા-ઝવેરાતનાં મહેલ બનાવે છે ને. બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે. અહીંયા પણ
અર્થકવેક (ધરતીકંપ) વગેરે થાય છે તો બહુજ કારીગર લગાવી દે છે, એક-બે વર્ષમાં આખું
શહેર ઊભુ કરી દે છે. નવી દિલ્હી બનાવવામાં ૮-૧૦ વર્ષ લાગ્યાં પરંતુ અહીંના મજુર અને
ત્યાંના મજુરમાં તો ફર્ક રહે છે ને. આજકાલ તો નવી-નવી ઇન્વેન્શન (શોધ) પણ નીકાળતાં
રહે છે. મકાન બનાવવાનાં વિજ્ઞાનનું પણ જોર છે, બધું જ તૈયાર મળે છે, ઝટ મકાન તૈયાર.
બહુજ જલ્દી-જલ્દી બને છે તો આ બધું ત્યાં કામમાં તો આવે છે ને. આ બધાં સાથે આવવાનાં
છે. સંસ્કાર તો રહે છે ને. આ વિજ્ઞાનનાં સંસ્કાર પણ આવશે. તો હવે બાપ બાળકોને
સમજાવતાં રહે છે, પાવન બનવું છે તો બાપ ને યાદ કરો. બાપ પણ ગુડમોર્નિંગ કરી પછી
શિક્ષા આપે છે. બાળકો બાપની યાદમાં બેઠાં છો? હરતાં-ફરતાં બાપને યાદ કરો કારણકે
જન્મ-જન્માંતરનો માથા પર બોજો છે. સીડી ઉતરતાં-ઉતરતાં ૮૪ જન્મ લઈએ છીએં. હવે પાછી
એક જન્મમાં ચઢતી કળા થાય છે. જેટલું બાપને યાદ કરતાં રહેશો એટલી ખુશી પણ થશે, તાકાત
મળશે. ઘણાં બાળકો છે જેમને આગળ નંબરમાં રખાય છે પરંતુ યાદમાં બિલકુલ રહેતાં નથી. ભલે
જ્ઞાનમાં હોશિયાર છે પરંતુ યાદની યાત્રા છે નહિ. બાપ તો બાળકોની મહિમા કરે છે. આ પણ
નંબરવન માં છે તો જરુર મહેનત પણ કરતાં હશે ને. તમે હંમેશા સમજો કે શિવબાબા સમજાવે
છે તો બુદ્ધિયોગ ત્યાં લાગ્યો રહેશે. આ પણ શીખતાં તો હશે ને. તો પણ કહે છે બાબાને
યાદ કરો. કોઈને પણ સમજાવાનાં માટે ચિત્ર છે. ભગવાન કહેવાય છે જ નિરાકાર ને. એ આવીને
શરીર ધારણ કરે છે. એક ભગવાન નાં બાળકો બધી આત્માઓ ભાઈ-ભાઈ છે. હમણાં આ શરીરમાં
વિરાજમાન છે. બધાં અકાળમૂર્ત છે. આ અકાળમૂર્ત (આત્મા) નું તખ્ત છે. અકાળતખ્ત બીજી
કોઈ ખાસ ચીજ નથી. આ તખ્ત છે અકાળમૂર્તનું. ભ્રકુટીની મધ્યમાં આત્મા વિરાજમાન હોય
છે, આને કહેવાય છે અકાળતખ્ત. અકાળતખ્ત, અકાળમૂર્તનું. આત્માઓ બધી અકાળ છે, કેટલી અતિ
સૂક્ષ્મ છે. બાપ તો છે નિરાકાર. એ પોતાનું તખ્ત ક્યાંથી લાવે. બાપ કહે છે મારું પણ
આ તખ્ત છે. હું આવીને આ તખ્તની લોન લઉં છું. બ્રહ્માનાં સાધારણ બુઢ્ઢા તનમાં
અકાળતખ્ત પર આવીને બેસું છું. હવે તમે જાણી ગયા છો બધી આત્માઓનું આ તખ્ત છે.
મનુષ્યોની જ વાત કરાય છે, જાનવરોની તો વાત નથી. પહેલાં જે મનુષ્ય જાનવરથી પણ બદતર
થઈ ગયાં છે, તે તો સુધરે. કોઈ જાનવરની વાત પૂછે, તો બોલો પહેલાં પોતાનો તો સુધાર કરો.
સતયુગમાં તો જાનવર પણ ખુબ સરસ ફર્સ્ટ ક્લાસ હશે. કાદવ વગેરે કાંઈ પણ નહીં હશે. કિંગ
(રાજા) નાં મહેલમાં કબુતર વગેરેનો કીચડો થાય તો દંડ લગાવી દે. જરા પણ કીચડો નહીં.
ત્યાં બહુજ ખબરદારી રહે છે. પહેરા પર રહે છે, ક્યારેય કોઈ જાનવર વગેરે અંદર ઘૂસી ન
શકે. બહુજ સ્વચ્છતા રહે છે. લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં પણ કેટલી સફાઈ રહે છે.
શંકર-પાર્વતીનાં મંદિરમાં કબુતર પણ દેખાડે છે. તો જરુર મંદિરને પણ ખરાબ કરતાં હશે.
શાસ્ત્રોમાં તો બહુજ દંતકથાઓ લખી દીધી છે.
હવે બાપ બાળકો ને સમજાવે છે, એમાં પણ થોડા છે જે ધારણા કરી શકે છે. બાકી તો કાંઈ નથી
સમજતાં. બાપ બાળકોને કેટલાં પ્રેમથી સમજાવે છે-બાળકો, ખુબ-ખુબ મીઠા બનો. મુખથી સદેવ
રત્ન નીકાળતાં રહે. તમે છો રુપ-વસંત. તમારાં મુખથી પથ્થર ન નીકળવા જોઈએ. આત્માની જ
મહિમા થાય છે. આત્મા કહે છે-હું પ્રેસિડન્ટ છું, ફલાણો છું…. મારાં શરીરનું નામ આ
છે. અચ્છા,આત્માઓ કોનાં બાળકો છે? એક પરમાત્મા નાં. તો જરુર એમનાથી વારસો મળતો હશે.
એ પછી સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે! તમે સમજો છો આપણે પણ પહેલાં કાંઈ નહોતાં
જાણતાં. હવે કેટલી બુદ્ધિ ખુલી છે. તમે કોઈ પણ મંદિરમાં જશો, સમજશો આ તો બધાં જુઠ્ઠા
ચિત્ર છે. ૧૦ ભુજાઓ વાળા, હાથીની સૂંઢ વાળા કોઈ ચિત્ર હોય છે શું! આ બધું છે
ભક્તિમાર્ગની સામગ્રી. હકીકતમાં ભક્તિ હોવી જોઇએ એક શિવબાબાની, જે સર્વનાં સદ્દગતિ
દાતા છે. તમારી બુદ્ધિમાં છે - આ લક્ષ્મી-નારાયણ પણ ૮૪ જન્મ લે છે. પછી ઊંચે થી ઊંચા
બાપ જ આવીને સર્વને સદ્દગતિ આપે છે. એમનાથી મોટું કોઈ છે નહિ. આ જ્ઞાનની વાતો
તમારામાં પણ નંબરવાર ધારણ કરી શકે છે. ધારણા નથી કરી શકતાં તો બાકી શું કામનાં રહ્યાં.
ઘણાં તો આંધળાની લાઠી બનવાનાં બદલે આંધળા બની જાય છે. ગાય જો દૂધ નથી દેતી તો તેને
પિંજરપુરમાં (પશુકેન્દ્ર) રાખે છે. આ પણ જ્ઞાનનું દૂધ નથી આપી શકતાં. ઘણાં છે જે
કાંઈ પુરુષાર્થ નથી કરતાં. સમજતાં નથી કે અમે કાંઈ તો કોઈનું કલ્યાણ કરીએ. પોતાની
તકદીરનો ખ્યાલ જ નથી રહેતો. બસ જે કાંઈ મળ્યું તે સારું. તો બાપ કહેશે તેમની તકદીરમાં
નથી. પોતાની સદ્દગતિ કરવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ. દેહી-અભિમાની બનવાનું છે. બાપ
કેટલા ઊંચેથી ઊંચા છે અને આવે જુઓ કેવી પતિત દુનિયા, પતિત શરીર માં છે. એમને બોલાવે
જ પતિત દુનિયા માં છે. જ્યારે રાવણ દુઃખ આપે છે તો બિલકુલ જ ભ્રષ્ટ કરી દે છે,
ત્યારે બાપ આવીને શ્રેષ્ઠ બનાવે છે. જે સારો પુરુષાર્થ કરે છે તેઓ રાજા-રાણી બની
જાય છે, જે પુરુષાર્થ નથી કરતાં તે ગરીબ બની જાય છે. તકદીરમાં નથી તો તદબીર કરી નથી
શકતાં. કોઈ તો ખુબ સરસ તકદીર બનાવી લે છે. દરેક પોતાને જોઈ શકે છે કે અમે શું
સર્વિસ કરીએ છીએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત
બની મુખથી સદેવ રત્નો નીકાળવાનાં છે. ખુબ-ખુબ મીઠા બનવાનું છે. ક્યારેય પણ પથ્થર (કટુ
વચન) નથી નીકાળવાનાં.
2. જ્ઞાન અને યોગમાં હોશિયાર બની પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. પોતાની
ઊંચી તકદીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આંધળાઓની લાઠી બનવાનું છે.
વરદાન :-
પ્રવૃત્તિનાં
વિસ્તાર માં રહેતાં ફરિશ્તા પણાનો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ
પ્રવૃત્તિનો વિસ્તાર
હોવા છતાં પણ વિસ્તારને સમેટવાનો અને ઉપરામ રહેવાનો અભ્યાસ કરો. હમણાં-હમણાં સ્થૂળ
કાર્ય કરી રહ્યાં છો, હમણાં-હમણાં અશરીરી થઈ ગયાં - આ અભ્યાસ ફરિશ્તા પણાનો
સાક્ષાત્કાર કરાવશે. ઉંચી સ્થિતિમાં રહેવા થી નાની-નાની વાતો વ્યક્તભાવ ની અનુભવ થશે.
ઊંચા જવાથી નીચા પણું જાતે જ છૂટી જશે. મહેનત થી બચી જશો. સમય પણ બચશે, સેવા પણ
ફાસ્ટ (ઝડપી) થશે. બુદ્ધિ એટલી વિશાળ થઇ જશે જે એક સમય પર અનેક કાર્ય કરી શકે છે.
સ્લોગન :-
ખુશીને કાયમ
રાખવાં માટે આત્મા રુપી દીવામાં જ્ઞાનનું ધૃત (ઘી) રોજ નાખતાં રહો.