27-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
તમને દૈવી ધર્મ અને શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે એટલે તમારાં થી કોઈ પણ આસુરી કર્મ ન થવા
જોઈએ , બુદ્ધિ બહુજ શુદ્ધ જોઈએ ”
પ્રશ્ન :-
દેહ-અભિમાનમાં
આવવાથી પહેલું પાપ કયું થાય છે?
ઉત્તર :-
જો દેહ-અભિમાન છે તો બાપની યાદનાં બદલે દેહધારીની યાદ આવશે, કુદૃષ્ટિ જતી રહેશે,
ખરાબ વિચાર આવશે. આ બહુજ મોટું પાપ છે. સમજવું જોઈએ, માયા વાર કરી રહી છે. તરત
સાવધાન થઈ જવું જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને સમજાવી રહ્યાં છે. રુહાની બાપ આવ્યાં ક્યાંથી છે? રુહાની દુનિયા થી.
જેને નિર્વાણધામ અથવા શાંતિધામ પણ કહે છે. આ તો છે ગીતાની વાત. તમને પૂછે છે-આ
જ્ઞાન ક્યાંથી આવ્યું? બોલો, આ તો એજ ગીતાનું જ્ઞાન છે. ગીતાનો પાર્ટ ચાલી રહ્યો છે
અને બાપ ભણાવે છે. ભગવાનુવાચ છે ને અને ભગવાન તો એક જ છે. એ છે શાંતિ નાં સાગર. રહે
પણ છે શાંતિધામમાં, જ્યાં આપણે પણ રહીએ છીએં. બાપ સમજાવે છે કે આ છે પતિત દુનિયા,
પાપ આત્માઓની તમોપ્રધાન દુનિયા. તમે પણ જાણો છો બરાબર આપણે આત્માઓ આ સમયે તમોપ્રધાન
છીએં. ૮૪નું ચક્ર ખાઈને સતોપ્રધાન થી હવે તમોપ્રધાન માં આવ્યાં છીએં. આ જૂની અથવા
કળયુગી દુનિયા છે ને. આ નામ બધાં આ સમયનાં છે. જૂની દુનિયા પછી ફરી નવી દુનિયા થાય
છે. ભારતવાસી આ પણ જાણે છે કે મહાભારત લડાઈ પણ ત્યારે થઇ હતી જ્યારે કે દુનિયા
બદલાવાની હતી, ત્યારે જ બાપે આવીને રાજ્યોગ શીખવાડયો હતો. ફક્ત ભુલ શું થઈ છે? એક
તો કલ્પની આયુ ભૂલી ગયાં છે અને ગીતાનાં ભગવાનને પણ ભૂલી ગયાં છે. કૃષ્ણને તો
ગોડફાધર કહી ન શકાય. આત્મા કહે છે ગોડફાધર, તો એ નિરાકાર થઈ ગયાં. નિરાકાર બાપ
આત્માઓને કહે છે કે મને યાદ કરો. હું જ પતિત-પાવન છું, મને બોલાવે પણ છે-હેં
પતિત-પાવન. કૃષ્ણ તો દેહધારી છે ને. મને તો કોઈ શરીર છે નહીં. હું નિરાકાર છું,
મનુષ્યો નો બાપ નથી, આત્માઓ નો બાપ છું. આ તો પાક્કું કરી લેવું જોઈએ. ઘડી-ઘડી આપણે
આત્માઓ આ બાપથી વારસો લઈએ છીએં. હમણાં ૮૪ જન્મ પુરા થયાં છે, બાપ આવ્યાં છે.
બાબા-બાબા જ કરતાં રહેવાનું છે. બાબાને ખૂબ યાદ કરવાનાં છે. આખો કલ્પ શરીરધારી બાપને
યાદ કર્યા. હવે બાપ આવ્યાં છે અને મનુષ્ય સૃષ્ટિ થી બધી આત્માઓને પાછાં લઈ જાય છે
કારણકે રાવણ રાજ્યમાં મનુષ્યોની દુર્ગતિ થઈ ગઈ છે એટલે હવે બાપને યાદ કરવાનાં છે. આ
પણ મનુષ્ય કોઈ સમજતાં નથી કે હમણાં રાવણ રાજ્ય છે. રાવણનો અર્થ જ નથી સમજતાં. બસ એક
રસ્મ થઈ ગઈ છે દશેરા મનાવવાની. તમે કોઈ અર્થ થોડી સમજતાં હતાં. હવે સમજ મળી છે
બીજાઓને સમજ આપવાનાં માટે. જો બીજાઓને નથી સમજાવી શકતાં તો તમે પોતે જ નથી સમજ્યાં.
બાપમાં સુષ્ટિ ચક્રનું જ્ઞાન છે. આપણે એમનાં બાળકો છીએં તો બાળકોમાં પણ આ નોલેજ
રહેવું જોઈએ.
તમારી આ છે ગીતા પાઠશાળા. ઉદ્દેશ શું છે? લક્ષ્મી-નારાયણ બનવું. આ રાજયોગ છે ને. નર
થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું આ નોલેજ છે. તે લોકો કથાઓ બેસી સંભળાવે છે.
અહીંયા તો આપણે ભણીએ છીએં, આપણને બાપ રાજયોગ શીખવાડે છે. એ શીખવાડે જ છે કલ્પ નાં
સંગમયુગ પર. બાપ કહે છે હું જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવાં આવ્યો છું. નવી
દુનિયામાં આમનું રાજ્ય હતું, જૂનીમાં નથી, ફરી જરુર હોવું જોઈએ. ચક્ર તો જાણી લીધું
છે. મુખ્ય ધર્મ છે ચાર. હમણાં ડીટીજ્મ (દૈવીરાજ્ય) છે નહીં. દૈવી ધર્મ ભ્રષ્ટ અને
દૈવી કર્મ ભ્રષ્ટ બની ગયાં છે. હવે ફરી તમને દૈવી ધર્મ શ્રેષ્ઠ અને કર્મ શ્રેષ્ઠ
શીખવાડી રહ્યાં છે. તો સ્વયં પર ધ્યાન રાખવાનું છે, અમારા થી કોઇ આસુરી કર્મ તો નથી
થતાં? માયાનાં કારણે કોઇ ખરાબ ખ્યાલાત તો બુદ્ધિમાં નથી આવતાં? કુદૃષ્ટિ તો નથી
રહેતી? જુઓ આમની કુદૃષ્ટિ જાય છે અથવા ખરાબ ખ્યાલાત આવે છે તો તેમને ઝટ સાવધાન કરવાં
જોઈએ. તેમનાથી મળી ન જવું જોઈએ. તેમને સાવધાન કરવાં જોઈએ-તમારામાં માયાની પ્રવેશતાનાં
કારણે આ ખરાબ ખ્યાલાત આવે છે. યોગમાં બેસી બાપની યાદનાં બદલે કોઈનાં દેહ તરફ ખ્યાલ
જાય છે તો સમજવું જોઈએ આ માયાનો વાર થઈ રહ્યો છે, હું પાપ કરી રહ્યો છું. આમાં તો
બુદ્ધિ બહુજ શુદ્ધ હોવી જોઈએ. હસી-મજાક થી પણ બહુજ નુકશાન થાય છે એટલે તમારા મુખ થી
સદેવ શુદ્ધ વચન નીકળવાં જોઈએ, કુવચન નહીં. હસી-મજાક વગેરે પણ નહીં. એવું નહીં કે અમે
તો હસી કરી…..તે પણ નુકસાનકારક થઇ જાય છે. હસી પણ એવી ન કરવી જોઈએ જેમાં વિકારોની
હવા હોય. બહુ જ ખબરદાર રહેવાનું છે. તમને ખબર છે નાગા લોકો છે તેમનાં ખ્યાલ વિકારોની
તરફ નહી જશે. રહે પણ અલગ છે. પરંતુ કર્મેન્દ્રિયોની ચંચળતા, સિવાય યોગનાં ક્યારેય
નીકળતી નથી. કામ શત્રુ એવો છે જે કોઈને પણ જોશો, યોગમાં પુરા નહીં હોય તો ચંચળતા
જરુર હશે. પોતાની પરીક્ષા લેવાની હોય છે. બાપની યાદમાં જ રહો તો આ કોઈ પણ પ્રકારની
બીમારી ન રહે. યોગમાં રહેવાથી આ નથી થતું. સતયુગમાં તો કોઈ પણ પ્રકારની ગંદકી નથી
હોતી. ત્યાં રાવણની ચંચળતા જ નથી જે ચલાયમાની થાય. ત્યાં તો યોગી જીવન રહે છે.
અહીંયા પણ અવસ્થા બહુજ પાક્કી જોઈએ. યોગબળ થી આ બધી બીમારીઓ બંધ થઈ જાય છે. આમાં
બહુજ મહેનત છે. રાજ્ય લેવું કોઈ માસીનું ઘર નથી. પુરુષાર્થ તો કરવાનો છે ને. એવું
નહીં કે બસ જે હશે ભાગ્યમાં તે મળશે. ધારણા જ નથી કરતાં તો પાઈ-પૈસાનું પદ પામવાનાં
લાયક છે. વિષય તો ઘણાં હોય છે ને. કોઈ ડ્રોઈંગ (ચિત્રકળા) માં, કોઈ રમતમાં માર્ક્સ
લઈ લે છે. તે છે કોમન વિષય. એમ જ અહીં પણ વિષયો છે. કાંઈને કાંઈ મળશે. બાકી બાદશાહી
નહિ મળી સકે. તે તો સર્વિસ કરશે ત્યારે બાદશાહી મળશે. તેનાં માટે બહુજ મહેનત જોઈએ.
ઘણાંની બુદ્ધિમાં બેસતું જ નથી. જેમ કે ખાવાનું હજમ જ નથી થતું. ઊંચ પદ પામવાની
હિંમત નથી, આને પણ બીમારી કહેશું ને. તમે કોઇ પણ વાત જોતાં નહીં જુઓ. રુહાની બાપની
યાદમાં રહી બીજાઓને રસ્તો બતાવવાનો, આંધળાની લાઠી બનવાનું છે. તમે તો રસ્તો જાણો
છો. રચયિતા અને રચનાનું જ્ઞાન મુક્તિ અને જીવનમુક્તિ તમારી બુદ્ધિમાં ફરતું રહે છે,
જે-જે મહારથી છે. બાળકોની અવસ્થા માં પણ રાત-દિવસનો ફરક રહે છે. ક્યાંક બહુજ ધનવાન
બની જાય છે, ક્યાંક બિલકુલ ગરીબ. રાજાઈ પદમાં તો ફરક છે ને. બાકી હાં, ત્યાં રાવણ ન
હોવાનાં કારણે દુઃખ નથી થતું. બાકી સંપત્તિ માં તો ફરક છે. સંપત્તિ માં સુખ હોય છે.
જેટલાં યોગમાં રહેશો એટલું સ્વાસ્થ બહુજ સારું થશે. મહેનત કરવાની છે. અનેકોની તો
ચલન એવી રહે છે જેમ કે અજ્ઞાની મનુષ્યોની હોય છે. તેઓ કોઈનું કલ્યાણ કરી નહિ શકશે.
જ્યારે પરીક્ષા હોય છે તો ખબર પડી જાય છે કે કોણ કેટલાં માર્ક્સ થી પાસ થશે, પછી તે
સમયે હાય-હાય કરવી પડશે. બાપદાદા બંનેવ કેટલું સમજાવતાં રહે છે. બાપ આવ્યાં જ છે
કલ્યાણ કરવાં. સ્વયંનું પણ કલ્યાણ કરવાનું છે તો બીજાઓનું પણ કરવાનું છે. બાપ ને
બોલાવ્યાં પણ છે કે આવીને અમને પતિતો ને પાવન બનવાનો રસ્તો બતાવો. તો બાપ શ્રીમત આપે
છે-તમે સ્વયંને આત્મા સમજી દેહ-અભિમાન છોડી મને યાદ કરો. કેટલી સહજ દવા છે. બોલો,
અમે ફક્ત એક ભગવાન બાપને માનીએ છીએં. એ કહે છે મને બોલાવો છો કે આવીને પતિતો ને
પાવન બનાવો તો મારે આવવું પડે છે. બ્રહ્મા થી તમને કાંઈ પણ મળવાનું નથી. તે તો દાદા
છે, બાબા પણ નથી. બાબાથી તો વારસો મળે છે. બ્રહ્મા થી થોડી વારસો મળે છે. નિરાકાર
બાપ આમનાં દ્વારા એડોપ્ટ કરી આપણને આત્માઓને ભણાવે છે. આમને પણ ભણાવે છે. બ્રહ્મા
થી તો કાંઈ પણ મળવાનું નથી. વારસો બાપ થી જ મળે છે આમનાં દ્વારા. આપવા વાળા એક છે.
એમની જ મહિમા છે. એજ સર્વનાં સદ્દગતિ દાતા છે. આ તો પૂજ્ય થી પછી પુજારી બને છે.
સતયુગમાં હતાં, પછી ૮૪ જન્મ ભોગવી હવે પતિત બન્યાં છે ફરી પૂજ્ય પાવન બની રહ્યાં
છે. આપણે બાપ દ્વારા સાંભળીએ છીએ. કોઈ મનુષ્ય થી નથી સાંભળતાં. મનુષ્યનો છે જ
ભક્તિમાર્ગ. આ છે રુહાની જ્ઞાનમાર્ગ. જ્ઞાન ફક્ત એક જ્ઞાન સાગર ની પાસે જ છે. બાકી
આ શાસ્ત્ર વગેરે બધાં ભક્તિનાં છે. શાસ્ત્ર વગેરે વાંચવાં-આ બધું છે ભક્તિમાર્ગ.
જ્ઞાન સાગર તો એક જ બાપ છે, આપણે જ્ઞાન નદીઓ જ્ઞાન સાગર થી નીકળી છીએં. બાકી તે છે
પાણીનો સાગર અને નદીઓ. બાળકોને આ બધી વાતો ધ્યાનમાં રહેવી જોઈએ. અંતર્મુખ થઈ બુદ્ધિ
ચલાવી જોઈએ. સ્વયં સ્વયંને સુધારવાનાં માટે અંતર્મુખ થઈ પોતાની તપાસ કરો. જો મુખ થી
કોઈ કુવચન નીકળે અથવા કુદૃષ્ટિ જાય તો સ્વયંને ફટકારવું જોઈએ-અમારાં મુખ થી કુવચન
કેમ નીકળ્યું, અમારી કુદૃષ્ટિ કેમ ગઈ? સ્વયંને ચમાટ પણ મારવી જોઈએ, ઘડી-ઘડી સાવધાન
કરવું જોઈએ ત્યારે જ ઊંચ પદ પામી શકશો. મુખ થી કટુવચન ન નીકળે. બાપને તો બધાં
પ્રકારની શિક્ષાઓ આપવાની હોય છે. કોઈને પાગલ કહેવું આ પણ કુવચન છે.
મનુષ્ય તો જેનાં માટે પણ જેમ ફાવે તેમ કહેતાં રહે છે. જાણતાં કાંઈ પણ નથી કે અમે
કોની મહિમા ગાઈએ છીએં. મહિમા તો કરવી જોઈએ એક જ પતિત-પાવન બાપની. બીજું તો કોઈ છે
નહીં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ પતિત-પાવન નથી કહેવાતું. આ તો કોઈને પાવન નથી
બનાવતાં. પતિત થી પાવન બનાવવાવાળા એક જ બાપ છે. પાવન સૃષ્ટિ છે જ નવી દુનિયા. તે તો
હમણાં છે નહીં. પ્યોરીટી (પવિત્રતા) છે જ સ્વર્ગમાં. પવિત્રતા નાં સાગર પણ છે. આ તો
છે જ રાવણ રાજ્ય. બાળકોએ હમણાં આત્મ-અભિમાની બનવાની બહુજ મહેનત કરવી જોઈએ. મુખ થી
કોઈ પણ પથ્થર અથવા કુવચન ન નીકળવા જોઈએ. બહુજ પ્રેમ થી ચાલવાનું છે. કુદૃષ્ટિ પણ
બહુજ નુકસાન કરી દે છે. ખુબ મહેનત જોઈએ. આત્મ-અભિમાન છે અવિનાશી અભિમાન. દેહ તો
વિનાશી છે. આત્માને કોઈ પણ નથી જાણતું. આત્માનાં પણ બાપ તો જરુર કોઈ હશે ને. કહે પણ
છે બધાં ભાઈ-ભાઈ છે. પછી બધામાં પરમાત્મા બાપ વિરાજમાન કેવી રીતે હોઈ શકે છે? બધાં
બાપ કેવી રીતે હોઈ શકે છે? આટલી પણ અક્કલ નથી! બધાનાં બાપ તો એક જ છે, એમનાથી જ
વારસો મળે છે. એમનું નામ છે શિવ. શિવરાત્રી પણ મનાવે છે. રુદ્ર રાત્રી અથવા કૃષ્ણ
રાત્રી નથી કહેતાં. મનુષ્ય તો કાંઈ પણ નથી સમજતાં, કહેશે આ બધાં એમનાં રુપ છે, એમની
જ લીલા છે.
તમે હમણાં સમજો છો બેહદનાં બાપ થી તો બેહદનો વારસો મળે છે તો તે બાપની શ્રીમત પર
ચાલવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. લેબર્સ (મજુરો) ને પણ શિક્ષા આપવી જોઈએ તો
તેમનું પણ કંઈક કલ્યાણ થઈ જાય. પરંતુ પોતે જ યાદ નથી કરી શકતાં તો બીજાઓને શું યાદ
અપાવશે. રાવણ એકદમ પતિત બનાવી દે છે પછી બાપ આવીને પરિસ્તાની બનાવે છે. વન્ડર છે
ને. કોઈની પણ બુદ્ધિમાં આ વાતો નથી. આ લક્ષ્મી-નારાયણ કેટલાં ઊંચા પરીસ્તાની થી ફરી
કેટલાં પતિત બની જાય છે એટલે બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત ગવાયેલી છે. શિવનાં
મંદિરમાં તમે બહુજ સર્વિસ (સેવા) કરી શકો છો. બાપ કહે છે તમે મને યાદ કરો. દર-દર
ભટકવાનું છોડી દો. આ જ્ઞાન છે જ શાંતિનું. બાપને યાદ કરવાથી તમે સતોપ્રધાન બની જશો.
બસ આજ મંત્ર આપતાં રહો. કોઈ થી પણ પૈસા ન લેવાં જોઈએ, જ્યાં સુધી પાક્કા ન થઈ જાય.
બોલો પ્રતિજ્ઞા કરો કે અમે પવિત્ર રહેશું, ત્યારે અમે તમારાં હાથનું ખાઈ શકીએ છીએં,
કાંઈ પણ લઈ શકીએ. ભારતમાં મંદિર તો ઘણાં બધાં છે. ફોરેનર્સ (વિદેશી) વગેરે જે પણ આવે
તેમને આ સંદેશ તમે આપી શકો છો કે બાપ ને યાદ કરો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
એવી હસી-મજાક નથી કરવાની જેમાં વિકારોની હવા હોય. સ્વયંને ખૂબ જ સાવધાન રાખવાનાં
છે, મુખ થી કટુવચન નથી નીકાળવાનાં.
2. આત્મ-અભિમાની બનવાની ખુબ-ખૂબ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. સૌથી પ્રેમ થી
ચાલવાનું છે. કુદૃષ્ટિ નથી રાખવાની. કુદૃષ્ટિ જાય તો સ્વયં સ્વયંને જ સજા આપવાની
છે.
વરદાન :-
માન માગવાં ને
બદલે બધાને માન આપવા વાળા , સદા નિષ્કામ યોગી ભવ
તમને કોઈ માન આપે,
માને કે ન માને પરંતુ તમે તેમને મીઠા ભાઈ, મીઠી બહેન માનતાં સદા સ્વમાન માં રહી,
સ્નેહી દૃષ્ટિથી, સ્નેહ ની વૃત્તિથી આત્મિક માન આપતા ચાલો. એ માન આપે તો હું માન આપું-આ
પણ રોયલ ભિખારીપણું છે, આમાં નિષ્કામ યોગી બનો. રુહાની સ્નેહની વર્ષા થી દુશ્મન ને
પણ દોસ્ત બનાવી દો. તમારી સામે કોઈ પથ્થર પણ ફેંકે તો પણ તમે તેમને રત્ન આપો કારણ
કે તમે રત્નાગર બાપ નાં બાળકો છો.
સ્લોગન :-
વિશ્વનું
નવ-નિર્માણ કરવાનાં માટે બે શબ્દ યાદ રાખો-નિમિત્ત અને નિર્માણ.