11-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
એક બાપનાં ડાયરેક્શન ( માર્ગદર્શન ) પર ચાલતા જાઓ તો બાપ તમારો રેસ્પોન્સિબલ (
જવાબદાર ) છે , બાપનું ડાયરેક્શન છે હરતાં - ફરતાં મને યાદ કરો ”
પ્રશ્ન :-
જે સારા
ગુણવાન બાળકો છે તેમની મુખ્ય નિશાનીઓ શું હશે?
ઉત્તર :-
તે કાંટાને
ફૂલ બનાવવાની સારી સેવા કરશે. કોઈને પણ કાંટા નહીં લગાવશે, ક્યારેય પણ આપસમાં લડશે
નહીં. કોઈને પણ દુઃખ નહીં આપે. દુઃખ આપવું પણ કાંટા લગાડવું છે.
ગીત :-
યહ વક્ત જા રહા
હે ……..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા રુહાની બાળકોએ નંબરવાર પુરુષાર્થ અનુસાર આ ગીતનો અર્થ સમજ્યો. નંબરવાર એટલે
કહે છે કારણ કે કોઈ તો ફર્સ્ટ ગ્રેડ (પ્રથમ શ્રેણી) માં સમજે છે, કોઈ સેકન્ડ ગ્રેડ
(દ્વિતીય શ્રેણી) માં, કોઈ-કોઈ થર્ડ ગ્રેડ (ત્રીતીય શ્રેણી) માં. સમજ પણ દરેકની
પોત-પોતાની છે. નિશ્ચયબુદ્ધિ પણ દરેકની પોતાની છે. બાપ તો સમજાવતા રહે છે, એવું જ
હંમેશા સમજો કે શિવબાબા આમનાં દ્વારા ડાયરેક્શન આપે છે. તમે અડધોકલ્પ આસુરી
ડાયરેક્શન પર ચાલતા આવ્યાં છો, હવે એવો નિશ્ચય કરો કે અમે ઈશ્વરીય ડાયરેક્શન પર
ચાલીએ છે તો બેડો પાર થઈ શકે છે. જો ઈશ્વરીય ડાયરેક્શન ન સમજી મનુષ્યનું ડાયરેક્શન
સમજ્યાં તો મુંઝાઈ જશો. બાપ કહે છે-મારાં ડાયરેક્શન પર ચાલવાથી પછી હું
રેસ્પોન્સિબ્લ (જવાબદાર) છું ને. આમનાં દ્વારા જે કાંઈ થાય છે તેમની એક્ટિવિટી (કર્મ)
નો હું જ રેસ્પોન્સિબ્લ છું, તેને હું રાઈટ કરીશ. તમે ફક્ત મારાં ડાયરેક્શન પર ચાલો.
જે સારી રીતે યાદ કરશે તેજ ડાયરેક્શન પર ચાલશે. ડગલે-પગલે ઈશ્વરીય ડાયરેક્શન સમજી
ચાલશે તો ક્યારેય ખોટ નહીં ખાય. નિશ્ચયમાં જ વિજય છે. ઘણાં બાળકો આ વાતોને સમજતા નથી.
થોડું જ્ઞાન આવવાથી દેહ-અભિમાન આવી જાય છે. યોગ બહુજ ઓછો છે. જ્ઞાન તો છે હિસ્ટ્રી-
જોગ્રોફીને જાણવું, આ તો સહજ છે. અહીં પણ મનુષ્ય કેટલું વિજ્ઞાન વગેરે ભણે છે. આ
ભણતર તો સહજ છે, બાકી મહેનત છે યોગની.
કોઈ કહે બાબા અમે યોગમાં બહુજ મસ્ત રહીએ છીએ, બાબા માનશે નહીં. બાબા દરેકની એક્ટ (કર્મ)
ને જુએ છે. બાપને યાદ કરવાવાળા તો મોસ્ટ લવલી (ખુબ પ્રેમાળ) હશે. યાદ નથી કરતાં એટલે
જ ઊલટું-સુલટુ કામ થાય છે. બહું રાત-દિવસનો ફરક છે. હમણાં તમે આ સીડીનાં ચિત્ર પર
સારી રીતે સમજાવી શકો છો. આ સમયે છે કાંટાનું જંગલ. આ બગીચો નથી. આ તો ક્લિયર (સ્પષ્ટ)
સમજાવવું જોઈએ કે ભારત ફૂલોનો બગીચો હતો. બગીચામાં ક્યારેય જંગલી જનાવર રહે છે શું?
ત્યાં તો દેવી-દેવતા રહે છે. બાપ તો છે જ હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) અને પછી
આ પ્રજાપિતા બ્રહ્મા પણ હાઈએસ્ટ ઓથોરિટી થયાં. આ દાદા છે સૌથી મોટી ઓથોરિટી. શિવ અને
પ્રજાપિતા બ્રહ્મા. આત્માઓ છે શિવબાબાનાં બાળકો અને પછી સાકારમાં આપણે ભાઈ-બહેન બધાં
છીએ પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો. આ છે બધાનાં ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. આવાં
હાઈએસ્ટ ઓથોરિટી નાં માટે અમને મકાન જોઈએ. એવું તમે લખો પછી જુવો બુદ્ધિમાં કઈ આવે
છે.
શિવબાબા અને પ્રજાપિતા બ્રહ્મા, આત્માઓના બાપ અને સર્વ મનુષ્ય માત્રનાં બાપ. આ
પોઇન્ટ (વાત) બહું સારી છે સમજાવવાની. પરંતુ બાળકો પૂરી રીતે સમજાવતા નથી, ભૂલી જાય
છે, જ્ઞાનની મગરુરી (અભિમાન) ચઢી જાય છે. જેમકે બાપદાદા પર પણ જીત પામી લે છે. આ
દાદા કહે છે, મારુ ભલે ન સાંભળો. હંમેશા સમજો શિવબાબા સમજાવે છે, એમની મત પર ચાલો.
ડાયરેક્ટ ઈશ્વર મત આપે છે કે આ-આ કરો, રિસ્પોન્સિબલ હું છું. ઈશ્વરીય મત પર ચાલો. આ
ઈશ્વર થોડી છે, તમારે ઈશ્વરથી ભણવાનું છે ને. હંમેશા સમજો આ ડાયરેક્શન ઈશ્વર આપે
છે. આ લક્ષ્મી-નારાયણ પણ ભારતનાં જ મનુષ્ય હતાં. આ પણ બધાં મનુષ્ય છે. પરંતુ આ
શિવાલયનાં રહેવાવાળા છે એટલે બધાં નમસ્તે કરે છે. પરંતુ બાળકો પૂરું સમજાવતાં નથી,
પોતાનો નશો ચઢી જાય છે. ડિફેક્ટ (ખામી) તો ઘણામાં છે ને. જ્યારે પૂરો યોગ હોય ત્યારે
વિકર્મ વિનાશ થાય. વિશ્વનાં માલિક બનવું કોઈ માસીનું ઘર થોડી છે. બાબા જુએ છે, માયા
એકદમ નાકથી પકડીને ગટરમાં પાડી દે છે. બાપની યાદમાં તો ખુબ ખુશીમાં પ્રફુલ્લિત રહેવું
જોઈએ. સામે લક્ષ-હેતુ ઉભુ છે, આપણે આ લક્ષ્મી-નારાયણ બની રહ્યા છીએ. ભૂલી જવાથી
ખુશીનો પારો નથી ચઢતો. કહે છે અમને નિષ્ઠામાં બેસાડો, બહાર અમે યાદ નથી કરી શકતાં.
યાદમાં નથી રહેતા એટલે ક્યારેક- ક્યારેક બાબા પણ પ્રોગ્રામ મોકલી દે છે પરંતુ યાદમાં
બેસે થોડી છે, બુદ્ધિ અહીંયા-ત્યાં ભટકતી રહે છે. બાબા પોતાનો અનુભવ બતાવે છે-નારાયણનાં
કેટલાં પાક્કા ભક્ત હતાં, જ્યાં-ત્યાં સાથે નારાયણનું ચિત્ર રાખતા હતાં. છતાં પણ
પૂજાનાં સમયે બુદ્ધિ અહીંયા-ત્યાં ભાગતી હતી. આમાં પણ એવું થાય છે. બાપ કહે છે
હરતાં-ફરતાં બાપને યાદ કરો પરંતુ ઘણાં કહે છે-બહેન નિષ્ઠા કરાવે. નિષ્ઠાનો તો કોઈ
અર્થ જ નથી. બાબા હંમેશા કહે છે યાદમાં રહો, ઘણાં બાળકો નિષ્ઠામાં બેઠાં-બેઠાં
ધ્યાનમાં ચાલ્યા જાય છે. ન જ્ઞાન, ન યાદ રહે. નહીતો પછી ઝુટકા ખાવા લાગી જાય છે,
ઘણાંને આદત પડી ગઈ છે. આ તો અલ્પકાળની શાંતિ થઈ ગઈ. એટલે બાકી આખો દિવસ અશાંતિ રહે
છે. હરતાં-ફરતાં બાપને યાદ નહીં કરો તો પાપોનો બોજો કેવી રીતે ઉતરશે? અડધાકલ્પ નો
બોજો છે. આમાં જ બહું મહેનત છે. સ્વયંને આત્મા સમજો અને બાપને યાદ કરો. ભલે બાબાને
ઘણાં બાળકો લખીને મોકલે છે-આટલો સમય યાદમાં રહ્યાં પરંતુ યાદ રહેતી નથી. ચાર્ટને
સમજતા જ નથી. બાબા બેહદનાં બાપ છે, પતિત-પાવન છે તો ખુશીમાં રહેવું જોઈએ. એવું નહિ
અમે તો શિવબાબાના છીએ ને. એવાં પણ ઘણાં છે, સમજે છે અમે તો બાબાનાં છીએ પરંતુ યાદ
બિલકુલ કરતાં નથી. જો યાદ કરતાં હોય તો પછી પહેલા નંબરમાં જવાં જોઈએ. કોઇને
સમજાવવાની પણ ઘણી સારી બુદ્ધિ જોઈએ. આપણે તો ભારતની મહિમા કરીએ છીએ. નવી દુનિયામાં
આદિ સનાતન દેવી-દેવતાઓનું રાજ્ય હતું. હમણાં છે જૂની દુનિયા, આયરન એજ (કળયુગ). તે
સુખધામ, આ દુઃખધામ. ભારત ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) હતું તો આ દેવતાઓનું રાજ્ય હતું.
કહે છે અમે કેવી રીતે સમજીએ કે આમનું રાજ્ય હતું? આ નોલેજ ખુબજ વન્ડરફુલ છે. જેમની
તકદીરમાં જે છે, જે જેટલો પુરુષાર્થ કરે છે તે જોવામાં તો આવે છે. તમે એક્ટિવિટી (પ્રવૃત્તિ)
થી જાણો છો, છે તો કળયુગી પણ મનુષ્ય, તો સતયુગી પણ મનુષ્ય. પછી તેમની આગળ માથું જઈને
કેમ ઝુકાવો છો? તેમને તો સ્વર્ગનાં માલિક કહે છે ને. કોઈ મરે છે તો કહે છે ને ફલાણા
સ્વર્ગવાસી થયાં, આ પણ નથી સમજતાં. આ સમયે તો નર્કવાસી બધાં છે. જરુર પુનર્જન્મ પણ
અહિયાં જ લેશે. બાબા દરેકની ચલન થી જોતા રહે છે. બાબાને કેટલી સાધારણ રીતેથી
કોઈ-કોઈ થી વાત કરવી પડે છે. સંભાળવું પડે છે. બાપ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરી
સમજાવે છે. સમજે પણ છે વાત બહુજ ઠીક છે. છતાં પણ કેમ મોટા-મોટા કાંટા બની જાય છે.
એક-બીજાને દુઃખ આપવાથી કાંટા બની જાય છે. આદત છોડતા જ નથી. હમણાં બાગવાન બાપ ફૂલોનો
બગીચો બનાવે છે. કાંટાને ફૂલ બનાવતા રહે છે. તેમનો ધંધો જ આ છે. જે પોતે જે કાંટા
હશે તો ફૂલ કેવી રીતે બનાવશે? પ્રદર્શનીમાં પણ બહુજ ખબરદારી થી કોઈને મોકલવાનું હોય
છે.
સારા ગુણવાન બાળકો તે જે કાંટાને ફૂલ બનાવવાની સારી સેવા કરે છે. કોઈને પણ કાંટો નથી
લગાવતા અર્થાત્ કોઈને દુઃખ નથી આપતાં. ક્યારેય પણ આપસમાં લડતાં નથી. આપ બાળકો બહુજ
એક્યુરેટ સમજાવો છો. આમાં કોઈની ઇન્સલ્ટ (અપમાન) ની તો વાત જ નથી. હમણાં શિવજયંતી
પણ આવે છે. તમે પ્રદર્શની વધારે કરતા રહો. નાની-નાની પ્રદર્શની પર પણ સમજાવી શકો
છો. એક સેકન્ડમાં સ્વર્ગવાસી બનો અથવા પતિત ભ્રષ્ટાચારી થી પાવન શ્રેષ્ઠાચારી બનો.
એક સેકન્ડમાં જીવનમુક્તિ પ્રાપ્ત કરો. જીવનમુક્તિનો પણ અર્થ સમજતા નથી. તમે પણ હમણાં
સમજો છો. બાપ દ્વારા બધાને મુક્તિ જીવનમુક્તિ મળે છે. પરંતુ ડ્રામાને પણ જાણવાનું
છે. બધાં ધર્મ સ્વર્ગમાં નહીં આવશે. તે પછી પોત-પોતાનાં સેકશન (વિભાગ) માં ચાલ્યા
જશે. પછી પોત-પોતાનાં સમય પર આવીને સ્થાપના કરશે. ઝાડમાં કેટલું સ્પષ્ટ છે. એક
સદ્દગુરુ નાં સિવાય સદ્દગતિ દાતા બીજા કોઈ હોઈ ન શકે. બાકી ભક્તિ શિખવાડવા વાળા તો
અનેક ગુરુ છે. સદ્દ્ગતિનાં માટે મનુષ્ય ગુરુ થઇ ન શકે. પરંતુ સમજાવાની પણ અક્કલ
જોઈએ, આમાં બુદ્ધિથી કામ લેવાનું હોય છે. ડ્રામાનો કેવો વન્ડરફુલ ખેલ છે. તમારા માં
પણ બહું થોડા છે જે આ નશામાં રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
રાત્રી ક્લાસ - ૧૮ - ૦૩ - ૬૮
તમારે હકીકતમાં શાસ્ત્રો પર વાદ-વિવાદ કરવાની કોઇ દરકાર નથી. મૂળ વાત છે જ યાદની,
અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતને સમજવાનું છે. ચક્રવર્તી રાજા બનવાનું છે. આ ચક્રને જ
ફક્ત સમજવાનું છે, આમનું જ ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ. આપ બાળકોને વન્ડર (આશ્ચર્ય)
લાગતું હશે અડધોકલ્પ ભક્તિ ચાલે છે. જ્ઞાન રીંચક (અંશમાત્ર) નથી. જ્ઞાન છે જ બાપની
પાસે. બાપ દ્વારા જ જાણવાનું છે. આ બાપ કેટલાં અસાધારણ છે એટલે કોટોમાં કોઈ નીકળે
છે. તે શિક્ષકો એવું થોડી કહેશે. આ તો કહે છે હું જ બાપ, શિક્ષક, ગુરુ છું. તો
મનુષ્ય સાંભળીને વન્ડર ખાશે. ભારતને મધરકન્ટ્રી (માતૃભૂમિ) કહે છે કારણકે અંબાનું
નામ ખૂબ પ્રસિદ્ધ છે. અંબાનાં મેળા પણ બહુજ લાગે છે, અંબા મીઠો અક્ષર છે. નાનાં
બાળકો પણ માં ને પ્રેમ કરે છે ને કારણકે માં ખવડાવે, પીવડાવે સંભાળે છે. હવે અંબાનાં
બાબા (પિતા) પણ જોઈએ ને. આ તો બાળકી છે એડોપ્ટેડ (દત્તક). પતિ તો છે નહીં. આ નવી
વાત છે ને. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર એડોપ્ટ કરતાં હશે. આ બધી વાતો બાપ જ આવીને આપ
બાળકોને સમજાવે છે. અંબાનાં કેટલાં મેળા લાગે છે, પૂજા થાય છે, કારણકે બાળકીએ ઘણી
સર્વિસ (સેવા) કરી છે. મમ્મા એ જેટલાને ભણાવ્યા હતાં એટલું બીજા કોઈ ભણાવી ન શકે.
મમ્મા નો નામાચાર બહુજ છે, મેળા પણ બહુજ મોટા લાગે છે. હવે આપ બાળકો જાણો છો બાપ એ
જ આવીને રચનાનાં આદિ-મધ્ય-અંતનું રહસ્ય આપ બાળકોને સમજાવ્યું છે. તમને બાપનાં ઘરની
પણ ખબર પડી છે. બાપથી પણ પ્રેમ છે તો ઘરથી પણ પ્રેમ છે. આ જ્ઞાન તમને હમણાં મળે છે.
આ ભણતર થી કેટલી કમાણી થાય છે. તો ખુશી હોવી જોઈએ ને. અને તમે છો બિલકુલ સાધારણ.
દુનિયાને ખબર નથી, બાપ આવીને આ નોલેજ સંભળાવે છે. બાપ જ આવીને બધી નવી-નવી વાતો
બાળકોને સંભળાવે છે. નવી દુનિયા બને છે બેહદનાં ભણતરથી. જૂની દુનિયા થી વૈરાગ્ય આવી
જાય છે. આપ બાળકોને અંદરમાં જ્ઞાનની ખુશી રહે છે. બાપને અને ઘરને યાદ કરવાનું છે.
ઘરે તો બધાને જવાનું જ છે. બાપ તો બધાને કહેશે ને બાળકો, હું તમને મુક્તિ
જીવનમુક્તિનો વારસો આપવા આવ્યો છું. પછી ભૂલી કેમ જાઓ છો. હું તમારો બેહદનો બાપ
છું. રાજયોગ શીખવાડવા આવ્યો છું. તો શું તમે શ્રીમત પર નહી ચાલશો! પછી તો ખુબ ખોટ
પડી જશે. આ છે બેહદની ખોટ. બાપનો હાથ છોડયો તો કમાણીમાં ખોટ પડી જશે. અચ્છા ગુડનાઈટ.
ઓમ શાંતિ.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપની
યાદથી મોસ્ટ લવલી (ખુબ પ્રેમાળ) બનવાનું છે. હરતાં-ફરતાં કર્મ કરતાં યાદમાં રહેવાનો
અભ્યાસ કરવાનો છે. બાપની યાદ અને ખુશીમાં પ્રફુલ્લિત રહેવાનું છે.
2. ડગલે-પગલે ઈશ્વરીય ડાયરેક્શન પર ચાલી દરેક કાર્ય કરવાનું છે. પોતાની મગરુરી (દેહ-અભિમાન
નો નશો) નથી દેખાડવાની. કોઈપણ ઉલટું-સુલટુ કામ નથી કરવાનું. મુંઝવાનું નથી.
વરદાન :-
વિશ્વ કલ્યાણ
ની જવાબદારી સમજી સમય અને શક્તિઓની ઇકોનોમી ( કરકસર ) કરવાવાળા માસ્ટર રચયિતા ભવ
વિશ્વની સર્વ આત્માઓ
આપ શ્રેષ્ઠ આત્માઓનો પરિવાર છે, જેટલો મોટો પરિવાર હોય છે એટલી જ ઇકોનોમી (કરકસર)
નો ખ્યાલ રખાય છે. તો સર્વ આત્માઓને સામે રાખતાં, સ્વયંને બેહદની સેવાર્થ નિમિત્ત
સમજીને પોતાનાં સમય અને શક્તિઓને કાર્યમાં લગાવો. સ્વયં નાં પ્રતિ જ કમાયું, ખાધું
અને ગુમાવ્યું - એવા અલબેલા નહીં બનો. સર્વ ખજાનાનું બજેટ બનાવો. માસ્ટર રચયિતા ભવનાં
વરદાનને સ્મૃતિમાં રાખી સમય અને શક્તિનો સ્ટોક સેવા પ્રતિ જમા કરો.
સ્લોગન :-
મહાદાની તે છે
જેમનાં સંકલ્પ અને બોલ દ્વારા બધાંને વરદાનો ની પ્રાપ્તિ થાય.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ અભ્યાસ
ફરિશ્તા કે
અવ્યક્ત જીવનની વિશેષતા છે - ઈચ્છા માત્રમ્ અવિદ્યા. દેવતાઇ જીવનમાં તો ઈચ્છાની વાત
જ નથી. જ્યારે બ્રાહ્મણ જીવન સો ફરિશ્તા જીવન બની જાય અર્થાત્ કર્માતીત સ્થિતિ ને
પ્રાપ્ત થઈ જાઓ ત્યારે કોઈપણ શુદ્ધ કર્મ, વ્યર્થ કર્મ, વિકર્મ કે પાછલાં કર્મ,
કોઈપણ કર્મનાં બંધનમાં ન બંધાઈ શકો.