04-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદ
નો ચાર્ટ રાખો , જેટલું - જેટલું યાદ માં રહેવાની આદત પડતી જશે એટલાં પાપ કપાતાં જશે
, કર્માતીત અવસ્થા સમીપ આવતી જશે ”
પ્રશ્ન :-
ચાર્ટ ઠીક છે
કે નહીં, તેની પરખ કઈ ચાર વાતોથી કરાય છે?
ઉત્તર :-
૧-આસામી, ૨-ચલન,
૩-સેવા અને ૪-ખુશી. બાપદાદા આ ચાર વાતોને જોઈને બતાવે છે કે આમનો ચાર્ટ ઠીક છે કે
નહીં? જે બાળકો મ્યુજીયમ કે પ્રદર્શની ની સેવા પર રહે છે, જેમની ચલન રોયલ છે, અપાર
ખુશીમાં રહે છે, તો જરુર એમનો ચાર્ટ ઠીક હશે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…..
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું, આનો અર્થ પણ અંદર જાણવો જોઇએ કે કેટલાંં પાપ બચેલાં છે, કેટલાંં પુણ્ય
જમા છે અર્થાત્ આત્માને સતોપ્રધાન બનવામાં કેટલો સમય છે? હમણાં કેટલાંં સુધી પાવન
બન્યા છે-આ સમજી તો શકે છે ને? ચાર્ટમાં કોઈ લખે છે અમે બે-ત્રણ કલાક યાદમાં રહ્યાં,
કોઈ લખે છે એક કલાક. આ તો બહુજ ઓછું થયું. ઓછું યાદ કરશો તો ઓછું પાપ કપાશે. હમણાં
તો પાપ બહુજ છે ને, જે કપાયા નથી. આત્મા ને જ પ્રાણી કહેવાય છે. તો હવે બાપ કહે
છે-હેં આત્મા, સ્વયં થી પૂછો આ હિસાબથી કેટલાંં પાપ કપાયા હશે? ચાર્ટ થી ખબર પડે
છે-આપણે કેટલાંં પુણ્ય આત્મા બન્યા છીએ? આ તો બાપ એ સમજાવ્યું છે, કર્માતીત અવસ્થા
અંતમાં થશે. યાદ કરતાં-કરતાં આદત પડી જશે તો પછી વધારે પાપ કપાવાં લાગશે. સ્વયં ની
તપાસ કરવાની છે કે આપણે કેટલાં બાપની યાદ માં રહીએ છે. આમાં ગપ્પા મારવાની વાત નથી.
આ તો સ્વયંની તપાસ કરવાની હોય છે. બાબાને પોતાનો ચાર્ટ લખીને આપશો તો બાબા ઝટ બતાવશે
કે આ ચાર્ટ ઠીક છે કે નહી? આસામી, ચલન, સેવા અને ખુશી ને જોઈ બાબા ઝટ સમજી જાય છે
કે આમનો ચાર્ટ કેવો છે! ઘડી- ઘડી યાદ કોને રહેતી હશે? જે મ્યુજીયમ કે પ્રદર્શનીની
સર્વિસ (સેવા) માં રહે છે. મ્યુઝિયમ માં તો આખો દિવસ આવ-જાવ રહે છે. દેહલીમાં તો
બહુજ આવતાં રહેશે. ઘડી-ઘડી બાપનો પરિચય આપવો પડે છે. સમજો કોઈને તમે કહો છો વિનાશ
માં બાકી થોડા વર્ષ છે. કહે છે આ કેવી રીતે થઈ શકે છે? ફટથી કહેવું જોઈએ, આ કંઈ અમે
થોડી બતાવીએ છીએ. ભગવાનુવાચ છે ને. ભગવાનુવાચ તો જરુર સત્ય જ હશે ને એટલે બાપ સમજાવે
છે ઘડી-ઘડી બોલો આ શિવબાબાની શ્રીમત છે. અમે નથી કહેતા, શ્રીમત એમની છે. એ છે જ
સત્ય. પહેલાં-પહેલાં તો બાપનો પરિચય જરુર આપવો પડે છે એટલે બાબાએ કહ્યું છે દરેક
ચિત્રમાં લખી દો - શિવ ભગવાનુવાચ. એ તો એક્યુરેટ જ બતાવશે, આપણે થોડી જાણતા હતાં.
બાપએ બતાવ્યું છે ત્યારે અમે કહીએ છીએ. ક્યારેક-ક્યારેક સમાચારમાં પણ નાખે છે-ફલાણાએ
ભવિષ્યવાણી કરી છે કે વિનાશ જલ્દી થશે.
હમણાં તમે તો છો બેહદ બાપનાં બાળકો. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ તો બેહદનાં છે
ને. તમે બતાવશો અમે બેહદ બાપનાં બાળકો છીએ. એજ પતિત-પાવન જ્ઞાનનાં સાગર છે. પહેલા આ
વાત સમજાવીને, પાક્કું કરી પછી આગળ વધવું જોઈએ. શિવબાબાએ આ કહ્યું છે-યાદવ, કૌરવ
વગેરે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. શિવબાબાનું નામ લેતા રહેશો તો આમાં બાળકોનું પણ
કલ્યાણ છે, શિવબાબાને જ યાદ કરતાં રહેશે. બાપએ જે તમને સમજાવ્યું છે, તે તમે પછી
બીજાને સમજાવતાં રહો. તો સર્વિસ કરવાવાળાનો ચાર્ટ સારો રહેતો હશે. આખા દિવસમાં ૮
કલાક સર્વિસમાં વ્યસ્ત રહે છે. કરીને એક કલાક આરામ કરતાં હશે. તો પણ ૭ કલાક તો
સર્વિસ માં રહે છે ને. તો સમજવું જોઈએ તેમનાં વિકર્મ બહુજ વિનાશ થતાં હશે. અનેકોને
ઘડી-ઘડી બાપ નો પરિચય આપે છે તો જરુર એવા સર્વિસેબુલ (સેવાધારી) બાળકો બાપને પણ
પ્રિય લાગશે. બાપ જુએ છે આ તો અનેકોનું કલ્યાણ કરે છે, રાત-દિવસ એમને આજ ચિંતન છે-આપણે
ઘણાબધાનું કલ્યાણ કરવાનું છે. અનેકોનું કલ્યાણ કરવું એટલે પોતાનું કરે છે,
સ્કોલરશિપ પણ તેમને મળશે જે અનેકોનું કલ્યાણ કરે છે. બાળકોને તો આજ ધંધો છે. શિક્ષક
બની અનેકોને રસ્તો બતાવવાનો છે. પહેલાં તો આ જ્ઞાન પુરુ ધારણ કરવું પડે. કોઈનું
કલ્યાણ નથી કરતા તો સમજાય છે તેમની તકદીરમાં નથી. બાળકો કહે છે-બાબા, અમને નોકરીથી
છોડાવો, અમે આ સર્વિસ (સેવા) માં લાગી જઈએ. બાબા પણ જોશે બરાબર આ સર્વિસનાં લાયક
છે, બંધનમુક્ત પણ છે, ત્યારે કહેશે ભલે ૫૦૦-૧૦૦૦ કમાવાં થી તો આ સર્વિસમાં લાગી
અનેકોનું કલ્યાણ કરો. જો બંધનમુક્ત છે તો. તે પણ બાબા સર્વિસસેબુલ જોશે સલાહ આપશે.
સર્વિસેબુલ બાળકોને તો જ્યાં-ત્યાં બોલાવતાં રહે છે. સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે
ને, આ પણ ભણતર છે. આ કોઈ સામાન્ય મત નથી. સત એટલે જ સાચું બોલવા વાળા. હું શ્રીમત
પર તમને આ સમજાવું છું. ઈશ્વરની મત હમણાં જ તમને મળે છે.
બાપ કહે છે તમારે પાછાં જવાનું છે. હવે બેહદ સુખ નો વારસો લો. કલ્પ-કલ્પ તમને વારસો
મળતો આવ્યો છે કારણકે સ્વર્ગની સ્થાપના તો કલ્પ-કલ્પ થાય છે ને. કોઈને ખબર નથી કે ૫
હજાર વર્ષનું આ સૃષ્ટિ ચક્ર છે. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકારમાં છે. તમે હમણાં
ઘોર ઉજાસ માં છો. સ્વર્ગની સ્થાપના તો બાપ જ કરશે. આ તો ગાયન છે ભંભોરને આગ લાગી ગઈ
તો પણ અજ્ઞાન નિંદ્રામાં સૂતાં રહ્યાં. આપ બાળકો જાણો છો બેહદનાં બાપ જ્ઞાનનાં સાગર
છે. ઊંચે થી ઊંચા બાપનું કર્તવ્ય પણ ઊંચું છે. એવું નથી, ઈશ્વર તો સમર્થ છે, જે
ઈચ્છે તે કરે. ના, આ પણ ડ્રામા અનાદિ બનેલો છે. બધું ડ્રામા અનુસાર જ ચાલે છે. લડાઈ
વગેરેમાં કેટલાં મરે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. આમાં ભગવાન શું કરી શકે છે.
ધરતીકંપ વગેરે થાય છે તો કેટલી રળિયા મારે છે-હેં ભગવાન, પરંતુ ભગવાન શું કરી શકે
છે. ભગવાનને તો તમેં બોલાવ્યા છે-આવી ને વિનાશ કરો. પતિત દુનિયામાં બોલાવ્યા છે.
સ્થાપના કરીને બધાંનો વિનાશ કરો. હું કરતો નથી, આ તો ડ્રામામાં નોંધ છે. ખુને નાહેક
ખેલ થઈ જાય છે. આમાં બચાવવાં વગેરે ની તો વાત જ નથી. તમે કહ્યું છે-પાવન દુનિયા
બનાવો તો જરુર પતિત આત્માઓ જશે ને. કોઈ તો બિલકુલ સમજતા જ નથી. શ્રીમતનો અર્થ પણ નથી
સમજતા, ભગવાન શું છે, કંઈ નથી સમજતાં. કોઈ બાળક ઠીક ભણતું નથી તો મા-બાપ કહે તું તો
પથ્થરબુદ્ધિ છે. સતયુગમાં તો આવું નહી કહો. કળયુગમાં છે જ પથ્થરબુદ્ધિ. પારસબુદ્ધિ
અહીંયા કોઈ હોઈ ન શકે. આજકાલ તો જુઓ મનુષ્ય શું-શું કરતા રહે છે, એક હાર્ટ (હૃદય)
નિકાળી બીજું નાખી દે છે. અચ્છા, આટલી મહેનત કરી આ કર્યુ પરંતુ આથી ફાયદો શું? કરીને
થોડા દિવસ વધારે જીવતાં રહેશે. બહુજ રિદ્ધિ-સિદ્ધિ શીખીને આવે છે, ફાયદો તો કંઈ પણ
નથી. ભગવાનને યાદ જ એટલે કરે છે અમને આવીને પાવન દુનિયાનાં માલિક બનાવો. અમે પતિત
દુનિયામાં રહી બહુજ દુઃખી થયા છીએ. સતયુગમાં તો કોઈ બીમારી વગેરે દુઃખની વાત હોતી
નથી. હમણાં બાપ દ્વારા તમે કેટલું ઉંચુ પદ પામો છો. અહીંયા પણ મનુષ્ય ભણતર થી જ ઊંચી
ડીગ્રી પામે છે. ખુબ ખુશ રહે છે. આપ બાળકો સમજો છો આ તો બાકી થોડા દિવસ જીવશે.
પાપોનો બોજો તો માથા પર બહુજ છે. બહુજ સજાઓ ખાશે. પોતાને પતિત તો કહે છે ને. વિકારમાં
જવું પાપ નથી સમજતાં. પાપ આત્મા તો બને છે ને. કહે છે ગૃહસ્થ આશ્રમ તો અનાદિ ચાલ્યો
આવે છે. સમજાવાય છે સતયુગ-ત્રેતામાં પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. પાપ આત્માઓ નહોતી.
અહીંયા પાપ આત્માઓ છે એટલે દુઃખી છે. અહીંયા તો અલ્પકાળનું સુખ છે, બીમાર થયાં, આ
મર્યા. મોત તો મુખ ખોલીને ઉભું છે. અચાનક હાર્ટફેલ થઈ જાય છે. અહીંયા છે જ કાગ
વિષ્ઠા સમાન સુખ. ત્યાં તો તમને અથાહ સુખ છે. તમે આખા વિશ્વનાં માલિક બનો છો. કોઈ
પણ પ્રકારનું દુઃખ નહિ હશે. ન ગરમી, ન ઠંડી હશે, સદેવ વસંત ઋતુ હશે. તત્વ પણ આદેશમાં
રહે છે. સ્વર્ગ તો સ્વર્ગ જ છે, રાત-દિવસ નો ફરક છે. તમે સ્વર્ગની સ્થાપના કરવાનાં
માટે જ બાપને બોલાવો છો, આવીને પાવન દુનિયા સ્થાપન કરો. અમને પાવન બનાવો.
તો દરેક ચિત્ર પર શિવ ભગવાનુવાચ લખેલું હોય. આનાથી ઘડી-ઘડી શિવબાબા યાદ આવશે. જ્ઞાન
પણ દેતા રહેશે. મ્યુઝિયમ અથવા પ્રદર્શની ની સેવામાં જ્ઞાન અને યોગ બંને સાથે ચાલે
છે. યાદમાં રહેવાથી નશો ચઢશે. તમે પાવન બની આખા વિશ્વને પાવન બનાવો છો. જ્યારે તમે
પાવન બનો છો તો જરુર સૃષ્ટિ પણ પાવન જોઈએ. અંતમાં કયામતનો સમય હોવાનાં કારણે બધાંનો
હિસાબ-કિતાબ ચૂકતું થઈ જાય છે. તમારે માટે મારે નવી સૃષ્ટિનું ઉદ્દઘાટન કરવું પડે
છે. પછી શાખાઓ ખોલતા રહે છે. પવિત્ર બનવાનાં માટે નવી દુનિયા સતયુગ નું ફાઉન્ડેશન (પાયો)
તો બાપ વગર કોઈ નાખી ન શકે. તો આવાં બાપને યાદ પણ કરવા જોઈએ. તમે મ્યુઝિયમ વગેરેનું
ઉદ્દઘાટન મોટા માણસો થી કરાવો છો તો અવાજ થશે. મનુષ્ય સમજશે અહીંયા આ પણ આવે છે.
કોઈ કહે છે તમે લખીને આપો, અમે બોલીશું. તે પણ ખોટું થઈ ગયું. સારી રીતે સમજીને મોઢે
બોલે, તો ઘણું સારુ છે. કોઈ તો લખેલું વાંચીને સંભળાવે છે, જેનાથી એક્યુરેટ થાય. આપ
બાળકોએ તો મોઢે સમજાવવાનું છે. તમારી આત્મામાં બધું નોલેજ છે ને. પછી તમે બીજાને આપો
છો. પ્રજા વૃદ્ધિને પામતી રહે છે. જનસંખ્યા પણ વધતી જાય છે ને. બધી વસ્તુ વધતી રહે
છે. ઝાડ આખું જડજડીભૂત થઈ ગયું છે. જે આપણા ધર્મવાળા હશે તે નીકળી આવશે. નંબરવાર તો
છે ને. બધાં એકરસ નથી ભણી શકતાં. કોઈ ૧૦૦ માંથી એક માર્ક પણ ઉઠાવવા વાળા છે, થોડું
પણ સાંભળી લીધું, એક માર્ક મળ્યો તો સ્વર્ગમાં આવી જશે. આ છે બેહદનું ભણતર, જે
બેહદનાં બાપ જ ભણાવે છે. જે આ ધર્મનાં હશે તે નીકળી આવશે. પહેલાં તો બધાંને
મુક્તિધામ પોતાનાં ઘરે જવાનું છે પછી નંબરવાર આવતા રહેશે. કોઈ તો ત્રેતાનાં અંત સુધી
પણ આવશે. ભલે બ્રાહ્મણ બને છે પરંતુ બધાં બ્રાહ્મણ કંઈ સતયુગમાં નથી આવતાં, ત્રેતા
અંત સુધી આવશે. આ સમજવાની વાતો છે. બાબા જાણે છે રાજધાની સ્થાપન થઈ રહી છે, બધાં
એકરસ થઈ નથી શકતાં. રાજાઈ માં તો બધી વેરાઇટી (વિવિધતા) જોઈએ. પ્રજાને બાહર વાળા
કહેવાય છે. બાબાએ સમજાવ્યું હતું ત્યાં વજીર વગેરેની દરકાર નથી રહેતી. તેમને શ્રીમત
મળી, જેનાથી આ બન્યાં. પછી આ થોડી કોઈથી સલાહ લેશે. વજીર વગેરે કંઈ નથી હોતાં. ફરી
જ્યારે પતિત થાય છે તો એક વજીર, એક રાજા-રાણી હોય છે. હમણાં તો કેટલાં વજીર છે.
અહીંયા તો પંચાયતી રાજ્ય છે ને. એકની મત ન મળે બીજાથી. એકથી મિત્રતા રાખો, સમજાવો,
કામ કરી આપશે. બીજો પછી આવ્યો, તેમને વિચારમાં ન આવ્યું તો વધારે જ કામને બગાડી દેશે.
એકની બુદ્ધિ ન મળે બીજાથી. ત્યાં તો તમારી બધી કામનાઓ પૂરી થઈ જાય છે. તમે કેટલું
દુઃખ વેઠયું છે, આનું નામ જ છે દુઃખધામ. ભક્તિમાર્ગમાં કેટલાં ધક્કા ખાધા છે. આ પણ
ડ્રામા. જ્યારે દુઃખી થઈ જાઓ છો ત્યારે બાપ આવીને સુખનો વારસો આપે છે. બાપએ તમારી
બુદ્ધિ કેટલી ખોલી દીધી છે. મનુષ્ય તો કહી દે છે સાહૂકારો નાં માટે સ્વર્ગ છે, ગરીબ
નર્કમાં છે. તમે યથાર્થ રીતે જાણો છો-સ્વર્ગ કોને કહેવાય છે. સતયુગમાં થોડી કોઈ
રહેમદિલ કહીને બોલાવશે. અહીંયા બોલાવે છે-રહેમ કરો, મુક્ત કરો. બાપ જ બધાંને
શાંતિધામ, સુખધામ લઈ જાય છે. અજ્ઞાનકાળ માં તમે પણ કાંઈ નહોતા જાણતા. જે નંબરવન
તમોપ્રધાન, તેજ પછી નંબરવન સતોપ્રધાન બને છે. આ પોતાની મહિમા નથી કરતાં. મહિમા તો
એકની જ છે. લક્ષ્મી-નારાયણને પણ એવાં બનાવવા વાળા તો એ છે ને. ઊંચે થી ઊંચા ભગવાન.
એ બનાવે પણ ઊંચા છે. બાબા જાણે છે બધાં તો ઊંચા નહીં બનશે. તો પણ પુરુષાર્થ કરવો પડે.
અહીંયા તમે આવો જ છો નર થી નારાયણ બનવાં. કહે છે-બાબા, અમે તો સ્વર્ગની બાદશાહી લઈશું.
અમે સત્યનારાયણની સાચી કથા સાંભળવા આવ્યા છીએ. બાબા કહે છે-અચ્છા, તમારા મુખમાં
ગુલાબ, મહેનત કરો. બધાં તો લક્ષ્મી-નારાયણ નહીં બનશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે.
રાજાઈ પરિવારમાં, પ્રજા પરિવાર માં જોઈએ તો બહુજ ને. આશ્ચર્યવત્ સુન્નતી, કથન્તી,
ફારકતી દેવન્તી...પછી પાછાં પણ આવી જાય છે. જે બાળકો પોતાની કંઈ ને કંઈ ઉન્નતિ કરે
છે તે ચઢી જાય છે. સમપર્ણ થાય જ છે ગરીબ. દેહ સહિત બીજા કોઈ પણ યાદ ન રહે, મોટી
મંઝિલ છે. જો સંબંધ જોડાયેલાં હશે તો તે યાદ જરુર આવશે. બાપને શું યાદ આવશે? આખો
દિવસ બેહદમાં જ બુદ્ધિ રહે છે. કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે મારા બાળકો માં
પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ છે. બીજા કોઈ આવે છે તો પણ સમજે છે આ પતિત દુનિયાનાં છે.
તો પણ યજ્ઞની સેવા કરે છે તો રીગાર્ડ (સમ્માન) આપવો પડે છે. બાપ યુક્તિબાજ તો છે
ને. નહિ તો આ ટાવર ઓફ સાયલેન્સ (શાંતિ સ્તંભ), હોલીએસ્ટ ઓફ હોલી ટાવર (પવિત્રથી
પવિત્ર સ્તંભ) છે, જ્યાં પવિત્રમાં પવિત્ર બાપ આખા વિશ્વને બેસી પવિત્ર બનાવે છે.
અહીંયા કોઈ પતિત આવી ન શકે. પરંતુ બાપ કહે છે હું આવું જ છું બધાં પતિતોને પાવન
બનાવવાં, આ ખેલમાં મારો પણ પાર્ટ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
ચાર્ટ ને જોતાં તપાસ કરવાની છે કે કેટલાં પુણ્ય જમા છે? આત્મા સતોપ્રધાન કેટલી બની
છે? યાદ માં રહીને બધાં હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનાં છે.
2. સ્કોલરશિપ લેવાનાં માટે સર્વિસેબુલ (સેવાધારી) બની અનેકોનું કલ્યાણ કરવાનું છે.
બાપનાં પ્રિય બનવાનું છે. શિક્ષક બની અનેકોને રસ્તો બતાવવાનો છે.
વરદાન :-
મધુરતા નાં
વરદાન દ્વારા સદા આગળ વધવા વાળી શ્રેષ્ઠ આત્મા ભવ
મધુરતા એવી વિશેષ
ધારણા છે જે કડવી ધરણી ને પણ મધુર બનાવી દે છે. કોઈને પણ બે ઘડી મીઠી દૃષ્ટિ આપો,
મીઠા બોલ, બોલી દો તો કોઈ પણ આત્માને સદાને માટે ભરપૂર કરી દેશે. બે ઘડીની મીઠી
દૃષ્ટિ કે બોલ તે આત્માની સૃષ્ટિ બદલી દેશે. તમારા બે મધુર બોલ પણ સદાને માટે તેમને
બદલવાનાં નિમિત્ત બની જશે એટલે મધુરતા નું વરદાન સદા સાથે રાખજો. સદા મીઠા રહેજો અને
સર્વને મીઠા બનાવજો.
સ્લોગન :-
દરેક
પરિસ્થિતિમાં રાજી રહો તો રાજ઼યુક્ત બની જશો.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે વિશેષ પુરુષાર્થ
તમે રુહાની
રોયલ આત્માઓ છો એટલે મુખ થી ક્યારેય વ્યર્થ કે સાધારણ બોલ ન નીકળે. દરેક બોલ
યુક્તિયુક્ત હોય, વ્યર્થ ભાવથી પરે અવ્યક્ત ભાવ વાળા જ અવ્યક્તિ સ્થિતિ નો અનુભવ કરી
શકશે.