21-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે આપ બાળકોને સુખ - ચેન ની દુનિયામાં લઈ જવાં , ચેન છે જ શાંતિધામ અને
સુખધામમાં ”
પ્રશ્ન :-
આ યુદ્ધનાં
મેદાનમાં માયા સૌથી પહેલો વાર કઈ વાત પર કરે છે?
ઉત્તર :-
નિશ્ચય પર. ચાલતાં-ચાલતાં નિશ્ચય તોડી દે છે એટલે હાર ખાઈ લે છે. જો પાક્કો નિશ્ચય
રહે કે બાપ જે બધાનાં દુઃખ હરીને સુખ આપવાવાળા છે, એજ આપણને શ્રીમત આપી રહ્યાં છે,
આદિ-મધ્ય-અંતનું નોલેજ સંભળાવી રહ્યાં છે, તો ક્યારેય માયાથી હાર નથી થઈ શકતી.
ગીત :-
ઇસ પાપ કે
દુનિયા સે……….
ઓમ શાંતિ!
કોના માટે કહે
છે, ક્યાં લઈ ચલો, કેવી રીતે લઈ ચલો…...આ દુનિયામાં કોઈ પણ નથી જાણતું. તમે
બ્રાહ્મણ કુલ ભૂષણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. આપ બાળકો જાણો છો આમનામાં
જેમનો પ્રવેશ છે, જે આપણને પોતાનાં અને રચનાનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન સંભળાવી રહ્યાં
છે તે બધાનાં દુઃખ હરીને બધાને સુખદાયી બનાવી રહ્યાં છે. આ કોઈ નવી વાત નથી. બાપ
કલ્પ-કલ્પ આવે છે, બધાને શ્રીમત આપી રહ્યાં છે. બાળકો જાણે છે બાપ પણ એજ છે, આપણે
પણ એજ છીએ. આપ બાળકોને આ નિશ્ચય હોવો જોઈએ. બાપ કહે છે હું આવ્યો છે બાળકોને સુખધામ,
શાંતિધામ લઈ જવાં માટે. પરંતુ માયા નિશ્ચય થવા નથી દેતી. સુખધામમાં ચાલતાં-ચાલતાં
પછી હરાવી દે છે. આ યુદ્ધનું મેદાન છે ને. તે યુદ્ધ હોય છે બાહુબળનું, આ છે યોગબળનું.
યોગબળ બહુજ નામીગ્રામી છે, એટલે બધાં યોગ-યોગ કહેતાં રહે છે. તમે આ યોગ એક જ વાર
શીખો છો. બાકી તે બધાં અનેક પ્રકારનાં હઠયોગ શીખવાડે છે. આ તેમને ખબર નથી કે બાપ
કેવી રીતે આવીને યોગ શીખવાડે છે. તેઓ તો પ્રાચીન યોગ શીખવાડી ન શકે. આપ બાળકો સારી
રીતે જાણો છો આ એજ બાપ રાજ્યોગ શીખવાડી રહ્યાં છે, જેમને યાદ કરીએ છીએ - હેં
પતિત-પાવન આવો. એવી જગ્યાએ લઈ ચલો જ્યાં ચેન હોય. ચેન છે જ શાંતિધામ, સુખધામમાં.
દુઃખધામ માં ચેન ક્યાંથી આવે? ચેન નથી ત્યારે તો ડ્રામા અનુસાર બાપ આવે છે, આ છે
દુઃખધામ. અહીંયા દુઃખ જ દુઃખ છે. દુઃખનાં પહાડ પડવાનાં છે. ભલે કેટલાં પણ ધનવાન હોય,
કાંઈક ને કાંઈક દુઃખ જરુર લાગે છે. આપ બાળકો જાણો છો આપણે મીઠા બાપની સાથે બેઠાં
છીએ, જે બાપ હમણાં આવેલાં છે. ડ્રામાનાં રહસ્યને પણ હમણાં તમે જાણો છો. બાપ હમણાં
આવેલાં છે આપણને સાથે લઈ જશે. બાપ આપણને આત્માઓને કહે છે કારણ કે એ આપણાં આત્માઓનાં
બાપ છે ને. જેનાં માટે જ ગાયન છે-આત્માઓ પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ…….શાંતિધામમાં
બધી આત્માઓ સાથે રહે છે. હમણાં બાપ તો આવ્યાં છે બાકી જે થોડાં ત્યાં રહેલાં છે, તે
પણ ઉપરથી નીચે આવતાં રહે છે. અહીંયા તમને બાપ કેટલી વાતો સમજાવે છે. ઘરમાં જવાથી તમે
ભૂલી જાઓ છો. છે બહુજ સહજ વાત અને બાપ જે સર્વનાં સુખદાતા, શાંતિદાતા છે એ બાળકોને
બેસી સમજાવે છે. તમે કેટલાં થોડાં છો. ધીરે-ધીરે વૃદ્ધિને પામતાં જશો. તમારો બાપ ની
સાથે ગુપ્ત લવ પ્રેમ છે. ક્યાંય પણ રહો, તમારી બુદ્ધિમાં હશે-બાબા મધુબન માં બેઠાં
છે. બાપ કહે છે મને ત્યાં (મૂળવતન માં) યાદ કરો. તમારું પણ નિવાસસ્થાન ત્યાં છે, તો
જરુર બાપને યાદ કરશો, જેમને કહે છે તમે માત-પિતા. તે બરાબર હવે તમારી પાસે આવ્યાં
છે. બાપ કહે છે હું તમને લઈ જવાં માટે આવ્યો છું. રાવણે તમને પતિત તમોપ્રધાન બનાવ્યાં
છે, હવે સતોપ્રધાન પાવન બનવાનું છે. પતિત ચાલી કેવી રીતે શકશે? પવિત્ર તો જરુર
બનવાનું છે. હમણાં એક પણ મનુષ્ય સતોપ્રધાન નથી. આ છે તમોપ્રધાન દુનિયા. આ મનુષ્યોની
જ વાત છે. મનુષ્યોનાં માટે જ સતોપ્રધાન, સતો, રજો, તમોનું રહસ્ય સમજાવાય છે. બાપ
બાળકોને જ સમજાવે છે. આ તો બહુજ સહજ છે. તમે આત્માઓ પોતાનાં ઘરમાં હતી. ત્યાં તો બધી
પાવન આત્માઓ રહે છે. અપવિત્ર તો રહી ન શકે. એનું નામ જ છે મુક્તિધામ. હમણાં બાપ તમને
પાવન બનાવી મોકલી દે છે. પછી તમે પાર્ટ ભજવવાં માટે સુખધામ માં આવો છો. સતો, રજો,
તમો માં તમે આવો છો.
પોકારો પણ છો-બાબા અમને ત્યાં લઈ ચલો જ્યાં ચેન હોય. સાધુ-સંત વગેરે કોઈને પણ આ ખબર
નથી કે ચેન ક્યાં મળી શકે છે? હમણાં આપ બાળકો જાણો છો સુખ-શાંતિનું ચેન આપણને ક્યાં
મળશે. બાબા હમણાં આપણને ૨૧ જન્મનાં માટે સુખ આપવાં માટે આવ્યાં છે. બાકી જે પાછળ આવે
છે તે બધાને મુક્તિ આપવા માટે આવ્યાં છે. મોડે થી જે આવે છે તેમનો પાર્ટ જ થોડો છે.
તમારો પાર્ટ છે સૌથી મોટો. તમે જાણો છો આપણે ૮૪ જન્મનો પાર્ટ ભજવી હવે પૂરો કર્યો
છે. હવે ચક્ર પૂરું થાય છે. આખાં જૂનાં ઝાડને પૂરું થવાનું છે. હમણાં તમારી આ ગુપ્ત
ગવર્મેન્ટ (સરકાર) દૈવી ઝાડની કલમ લગાવી રહી છે. તે લોકો તો જંગલી ઝાડની કલમ લગાવે
છે. અહીંયા બાપ કાંટાને બદલી દૈવી ફૂલોનું ઝાડ બનાવી રહ્યાં છે. તે પણ ગવર્મેન્ટ
છે, આ પણ ગુપ્ત ગવર્મેન્ટ છે. તે શું કરે છે, અને આ શું કરે છે! ફરક તો જુઓ કેટલો
છે. તે લોકો સમજતા કાંઈ પણ નથી. ઝાડો નું સૈપલિંગ (કલમ) લગાવતા રહે છે, તે જંગલી
ઝાડ તો અનેક પ્રકારનાં છે. કોઈ કોઈ ની કલમ લગાવે છે, કોઈ કોઈની. હમણાં આપ બાળકોને
બાપ ફરીથી દેવતા બનાવી રહ્યાં છે. તમે સતોપ્રધાન દેવતા હતાં પછી ૮૪નું ચક્ર લગાવીને
તમોપ્રધાન બન્યાં છો. કોઈ સદેવ સતોપ્રધાન રહે, એવું હોતું જ નથી. દરેક ચીજ નવાં થી
પછી જૂની થાય છે. તમે ૨૪ કેરેટ સોનું હતાં, હવે ૯ કેરેટ સોનાનાં દાગીના બની ગયાં
છો, ફરી ૨૪ કેરેટ બનવાનું છે. આત્માઓ એવી બની છે ને. જેવું સોનુ તેવાં દાગીનાં હોય
છે. હમણાં બધાં કાળા શ્યામ બની ગયાં છે. ઈજ્જત રાખવાં માટે કાળો અક્ષર ન કહી શ્યામ
કહી દે છે. આત્મા સતોપ્રધાન પ્યોર (પવિત્ર) હતી પછી કેટલી ખાદ પડી ગઈ છે. હવે ફરી
પવિત્ર બનવાં માટે બાબા યુક્તિ પણ બતાવે છે. આ છે યોગની અગ્નિ આનાથી જ તમારી ખાદ
નીકળી જશે. બાપ ને યાદ કરવાનાં છે. બાપ સ્વયં કહે છે મને આ પ્રકારે યાદ કરો.
પતિત-પાવન હું છું. તમને અનેક વાર મેં પતિત થી પાવન બનાવ્યાં છે. આ પણ પહેલાં તમે
નહોતાં જાણતાં. હમણાં તમે સમજો છો-આજે આપણે પતિત છીએ, કાલે ફરી પાવન બનશું. તેઓએ તો
કલ્પની આયુ લાખો વર્ષ લખી મનુષ્યોને ઘોર અંધકારમાં નાખી દીધાં છે. બાપ આવી સારી રીતે
બધી વાતો સમજાવે છે. આપ બાળકો જાણો છો આપણને કોણ ભણાવે છે, જ્ઞાનનાં સાગર પતિત-પાવન
બાપ જે બધાનાં સદ્દગતિ દાતા છે. મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલી મહિમા ગાએ છે પરંતુ
તેનો અર્થ કાંઈ પણ નથી જાણતાં. સ્તુતિ કરે છે તો બધાને મળાવીને કરે છે. જેવી રીતે
ગુડગુડધાની કરી દે છે, જેમણે જે શીખવાડ્યું તે કંઠસ્થ કરી લીધું. હવે બાપ કહે છે જે
કાંઈ શીખ્યા છો, તે બધી વાતો ભૂલી જાઓ. જીવતે જીવ મારાં બનો. ગૃહસ્થ વ્યવહારમાં
રહેતાં પણ યુક્તિ થી ચાલવાનું છે. યાદ એક બાપને જ કરવાનાં છે. તેમનો તો છે જ હઠયોગ.
તમે છો રાજયોગી. ઘરવાળાને પણ આવી શિક્ષા આપવાની છે. તમારી ચલનને જોઈ એવું ફોલો (અનુકરણ)
કરે. ક્યારેય આપસમાં લડવાનું ઝઘડવાનું નથી. જો લડશો તો બીજા બધાં શું સમજશે, આમનામાં
તો બહુજ ક્રોધ છે. તમારા માં કોઈ પણ વિકાર ન રહે. મનુષ્યોની બુદ્ધિ ને ચટ કરવાવાળું
છે બાઈસકોપ (સિનેમા), આ જાણે એક હેલ (નરક) છે. ત્યાં જવાથી જ બુદ્ધિ ચટ થઈ જાય છે.
દુનિયામાં કેટલી ગંદકી છે. એક તરફ ગવર્મેન્ટ કાયદો પાસ કરે છે કે ૧૮ વર્ષની અંદર
કોઈ લગ્ન ન કરે તો પણ અનેકાનેક લગ્ન થતાં રહે છે. કચ્છ (ખોળા) માં બાળકને બેસાડી
લગ્ન કરાવતાં રહે છે. હમણાં તમે જાણો છો બાબા આપણને આ છી-છી દુનિયાથી લઈ જાય છે.
આપણને સ્વર્ગનાં માલિક બનાવે છે. બાપ કહે છે નષ્ટોમોહા બની જાઓ, ફક્ત મને યાદ કરો.
કુટુંબ પરિવાર માં રહેતાં મને યાદ કરો. કાંઈક મહેનત કરશો ત્યારે તો વિશ્વનાં માલિક
બનશો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો અને આસુરી ગુણ છોડો. રોજ રાત્રે પોતાનો પોતામેલ
નીકાળો. આ તમારો વેપાર છે. આ વિરલો કોઈ વેપાર કરે. એક સેકન્ડમાં કંગાળ ને સિરતાજ
બનાવી દે છે, આ જાદુ થયું ને. આવાં જાદુગરનો તો હાથ પકડી લેવો જોઈએ. જે આપણને યોગબળ
થી પતિત થી પાવન બનાવે છે. બીજું કોઈ બનાવી ન શકે. ગંગાજી થી કોઈ પાવન બની નથી શકતું.
આપ બાળકોમાં હમણાં કેટલું જ્ઞાન છે. તમારાં અંદર ખુશી હોવી જોઈએ-બાબા ફરીથી આવેલાં
છે. દેવીઓનાં પણ કેટલાં ચિત્ર વગેરે બનાવે છે, તેમને હથિયાર આપીને ભયંકર બનાવી દીધાં
છે. બ્રહ્માને પણ કેટલી ભુજાઓ આપે છે, હવે તમે સમજો છો બ્રહ્માની ભુજાઓ તો લાખો હશે.
આટલાં બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ આ બાબાની ઉત્પત્તિ છે ને, તો પ્રજાપિતા બ્રહ્માની
આટલી ભુજાઓ છે.
હવે તમે છો રુપ-વસંત. તમારાં મુખથી સદેવ રત્ન નીકળવાં જોઈએ. સિવાય જ્ઞાન રત્ન બીજી
કોઈ વાત નહીં. આ રત્નોની કોઈ વેલ્યુ (મૂલ્ય) કરી નથી શકતું. બાપ કહે છે મનમનાભવ.
બાપ ને યાદ કરો તો દેવતા બનશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
રાત્રી ક્લાસ
૧૧ - ૩ - ૬૮
તમારી પાસે પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરવાં માટે મોટા-મોટા લોકો આવે છે, તેઓ ફક્ત એટલું
સમજે છે કે ભગવાન ને પામવાં માટે આમણે આ સારો રસ્તો નીકાળ્યો છે. જેમ ભગવાનની
પ્રાપ્તિનાં માટે સતસંગ વગેરે કરે છે, વેદ વાંચે છે તેમ આ પણ આમણે આ રસ્તો લીધો છે.
બાકી એ નથી સમજતાં કે આમને ભગવાન ભણાવે છે. ફક્ત સારું કર્મ કરે છે, પવિત્રતા છે,
અને ભગવાન થી મળાવે છે. આ દેવીઓએ સારો રસ્તો નીકાળ્યો છે, બસ. જેમનાં થી ઉદ્દઘાટન
કરાવાય છે તેઓ તો પોતાને ખૂબ ઊંચા સમજે છે. કોઈ મોટા-મોટા માણસ બાબાનાં માટે સમજે
છે કોઈ મહાન પુરુષ છે, તેમને જઈને મળીએ. બાબા તો કહે છે પહેલાં ફોર્મ ભરીને મોકલો.
પહેલાં તો આપ બાળકો તેમને બાપ નો પૂરો પરિચય આપો. પરિચય વગર શું આવીને કરશે!
શિવબાબાથી તો ત્યારે મળી શકે જ્યારે પહેલાં પૂરો નિશ્ચય થાય. વગર પરિચય, મળીને શું
કરશે! ઘણાં સાહૂકાર આવે છે, સમજે છે અમે આમને કાંઈ આપીએ. ગરીબ કોઈ એક રુપિયો આપે
છે, સાહૂકાર ૧૦૦ રુપિયા આપે છે, ગરીબોનો એક રુપિયો વેલ્યુબલ (મુલ્યવાન) થઈ જાય છે.
તે સાહૂકાર લોકો તો ક્યારેય યાદની યાત્રામાં યથાર્થ રીતે રહી ન શકે, તેઓ
આત્મ-અભિમાની બની ન શકે. પહેલાં તો પતિત થી પાવન કેવી રીતે બનવાનું છે, તે લખીને
આપવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આમાં પ્રેરણા વગેરેની કોઈ વાત જ નથી.
બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો કાટ નીકળી જાય. પ્રદર્શની વગેરે જોવા આવે છે પરંતુ
પછી બે-ત્રણ વાર આવીને સમજે ત્યારે સમજવું જોઈએ આમને કાંઈક તીર લાગ્યું છે. દેવતા
ધર્મ નાં છે, આમણે ભક્તિ સારી કરી છે. ભલે કોઈને સારું લાગે છે પરંતુ લક્ષ્યને
પકડ્યું નથી, તો તે શું કામનું. આ તો આપ બાળકો જાણો છો ડ્રામા ચાલતો રહે છે. જે
કાંઈ ચાલી રહ્યું છે બુદ્ધિ થી સમજો છો શું થઈ રહ્યું છે! તમારી બુદ્ધિમાં ચક્ર
ચાલતું રહે છે, રીપીટ (પુનરાવર્તન) થતું રહે છે. જેમણે જે કાંઈક કર્યુ છે તે કરે
છે. બાપ કોઈ થી લે, ન લે એમનાં હાથમાં છે. ભલે હમણાં સેવાકેન્દ્ર વગેરે ખુલે છે,
પૈસા કામમાં આવે છે. જ્યારે તમારો પ્રભાવ નીકળશે પછી પૈસા શું કરશો! મૂળ વાત છે
પતિત થી પાવન બનવાની. તે તો બહુજ મુશ્કેલ છે, આમાં લાગી જઈએ. આપણે તો બાપ ને યાદ
કરવાનાં છે. રોટલી ખાઈએ અને બાપને યાદ કરીએ. સમજશે પહેલાં અમે બાપથી વારસો તો લઈએ.
આપણે આત્મા છીએ પહેલાં તો આ પાક્કું કરવું જોઈએ. આવાં જ્યારે કોઈ નીકળે ત્યારે આગળ
દોડ લગાવી શકશે. હકીકતમાં આપ બાળકો આખાં વિશ્વને યોગબળ થી પવિત્ર બનાવો છો તો કેટલો
બાળકોને નશો રહેવો જોઈએ. મૂળ વાત છે જ પવિત્રતાની. અહીંયા ભણાવાય પણ છે અને પવિત્ર
પણ બનવાનું હોય છે, સ્વચ્છ પણ રહેવાનું છે. અંદરમાં બીજી કોઈ વાત યાદ ન રહેવી જોઈએ.
બાળકોને સમજાવાય છે અશરીરી ભવ. અહીંયા તમે પાર્ટ ભજવવાં આવ્યાં છો. બધાને પોત-પોતાનો
પાર્ટ ભજવવાનો જ છે. આ નોલેજ બુદ્ધિમાં રહેવું જોઈએ. સીડી પર પણ તમે સમજાવી શકો છો.
રાવણ રાજ્ય છે જ પતિત, રામ રાજ્ય છે પાવન. પછી પતિત થી પાવન કેવી રીતે બનાય, આવી-આવી
વાતોમાં રમણ કરવું જોઈએ, આને જ વિચાર સાગર મંથન કહેવાય છે. ૮૪ નું ચક્ર યાદ આવવું
જોઈએ. બાપએ કહ્યું છે મને યાદ કરો. આ છે રુહાની યાત્રા. બાપની યાદ થી જ વિકર્મ
વિનાશ થાય છે. તે શારીરિક યાત્રાઓથી વધારે જ વિકર્મ બને છે. બોલો, આ તાબીજ છે. આને
સમજશો તો બધાં જ દુઃખ દૂર થઈ જશે. તાબીજ પહેરે છે જ દુઃખ દૂર થવાનાં માટે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડનાઈટ.
ધારણા માટે મુખ્ય સાર:-
1. નષ્ટોમોહા
બની બાપને યાદ કરવાનાં છે. કુટુંબ પરિવારમાં રહેતા વિશ્વનાં માલિક બનવાનાં માટે
મહેનત કરવાની છે. અવગુણો ને છોડતા જવાનું છે.
2. પોતાની એવી ચલન
રાખવાની છે જે બધાં જોઈને ફોલો કરે. કોઈ પણ વિકાર અંદર ન રહે, આ તપાસ કરવાની છે.
વરદાન :-
બાપ ની દરેક
શ્રીમત નું પાલન કરવાવાળા સાચાં સ્નેહી આશિક ભવ
જે બાળકો સદા એક બાપનાં
સ્નેહ માં લવલીન રહે છે, તેમને બાપનાં દરેક બોલ પ્રિય લાગે છે, ક્વેશ્ચન (પ્રશ્ન)
સમાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ જન્મનું ફાઉન્ડેશન (પાયો) સ્નેહ છે. જે સ્નેહી આશિક
આત્માઓ છે તેમને બાપની શ્રીમત પાલન કરવામાં મુશ્કેલી નો અનુભવ નથી થતો. સ્નેહ નાં
કારણે સદા એજ ઉમંગ રહે છે કે બાબાએ જે કહ્યું છે તે મારા પ્રતિ કહ્યું છે-મારે
કરવાનું છે. સ્નેહી આત્માઓ મોટાં દિલવાળી હોય છે, એટલે તેમનાં માટે દરેક મોટી વાત
પણ નાની થઈ જાય છે.
સ્લોગન :-
કોઈ પણ વાત ને
ફીલ કરવું-આ પણ ફેલ ની નિશાની છે.