15-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 11.12.85
બાપદાદા મધુબન
“ સાચાં સેવાધારી ની
નિશાની ”
આજે સ્નેહનાં સાગર
બાપદાદા બધાં સ્નેહી બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બાળકમાં ત્રણ વિષેશતાઓ જોઈ રહ્યાં
છે કે દરેક બાળક ત્રણેય વિશેષતાઓમાં ક્યાં સુધી સંપન્ન બન્યાં છે. એ ત્રણ વિશેષતાઓ
છે - સ્નેહ, સહ્યોગ અર્થાત્ સહજયોગ અને શક્તિ સ્વરુપ અર્થાત્ હરતાં-ફરતાં ચૈતન્ય
લાઈટ હાઉસ અને માઈટ હાઉસ. દરેક સંકલ્પ, બોલ અથવા કર્મ દ્વારા ત્રણેય સ્વરુપ
પ્રત્યક્ષ સ્વરુપમાં કોઈને પણ અનુભવ થાય, ફક્ત સ્વયં નાં પ્રતિ ન હોય પરંતુ બીજાઓને
પણ આ ત્રણેય વિશેષતાઓ અનુભવ થાય. જેમ બાપ સ્નેહનાં સાગર છે એવાં માસ્ટર સાગરની આગળ
જે પણ જ્ઞાની અથવા અજ્ઞાની આત્મા આવે તો અનુભવ કરે કે સ્નેહનાં માસ્ટર સાગરની લહેરો
સ્નેહની અનુભૂતિ કરાવી રહી છે. જેમ લૌકિક અથવા પ્રાકૃતિક સાગરનાં કિનારા પર કોઈ પણ
જશે તો શીતળતાની, શાંતિની સ્વતઃજ અનુભૂતિ કરશે. એવાં માસ્ટર સ્નેહનાં સાગર દ્વારા
રુહાની સ્નેહની અનુભૂતિ થાય કે સાચાં સ્નેહની પ્રાપ્તિનાં સ્થાન પર પહોંચી ગયાં છીએં.
રુહાની સ્નેહની અનુભૂતિ રુહાની સુગંધ વાયુમંડળમાં અનુભવ થાય. બાપનાં સ્નેહી છે, આ
તો બધાં કહો છો અને બાપ પણ જાણે છે કે બાપ થી બધાને સ્નેહ છે. પરંતુ હવે સ્નેહની
સુગંધ વિશ્વમાં ફેલાવવાની છે. દરેક આત્માને આ સુગંધ નો અનુભવ કરાવવાનો છે. દરેક
આત્મા આ વર્ણન કરે કે આ શ્રેષ્ઠ આત્મા છે. ફક્ત બાપનાં સ્નેહી નહીં, પરંતુ સર્વનાં
સદા સ્નેહી છે. આ બંને અનુભૂતિઓ જ્યારે સર્વને સદા થાય ત્યારે કહેવાશે માસ્ટર
સ્નેહનાં સાગર. આજની દુનિયા સાચાં આત્મિક સ્નેહની ભૂખી છે. સ્વાર્થી સ્નેહ જોઈ-જોઈ
તે સ્નેહ થી દિલ ઉપરામ થઈ ગયું છે એટલે આત્મિક સ્નેહની થોડીક ઘડીઓની અનુભૂતિ ને પણ
જીવનનો સહારો સમજે છે.
બાપદાદા જોઈ રહ્યાં હતાં - સ્નેહની વિશેષતામાં અન્ય આત્માઓનાં પ્રતિ કર્મમાં અથવા
સેવામાં લાવવામાં ક્યાં સુધી સફળતાને પ્રાપ્ત કરી છે? ફક્ત પોતાનાં મનમાં સ્વયં
સ્વયંથી જ ખુશ તો નથી થતા રહેતાં? હું તો બહુજ સ્નેહી છું. જો સ્નેહ ન હોત તો બાપનાં
કેવી રીતે બનત કે બ્રાહ્મણ જીવનમાં કેવી રીતે આગળ વધત! પોતાનાં મનમાં સંતુષ્ટતા છે
એ તો બાપદાદા પણ જાણે છે. અને પોતાનાં સુધી હોય એ પણ ઠીક છે પરંતુ તમે બધાં બાળકો
બાપનાં સાથે સેવાધારી છો. સેવાનાં માટે જ આ તન-મન-ધન, તમને બધાને બાપે ટ્રસ્ટી
બનાવીને આપ્યું છે. સેવાધારીનું કર્તવ્ય શું છે? દરેક વિશેષતાને સેવામાં લગાવવી. જો
તમારી વિશેષતા સેવામાં નથી લાગતી તો ક્યારેય પણ તે વિશેષતા વૃદ્ધિને પ્રાપ્ત નહિ થશે.
એજ સીમામાં રહેશે એટલે ઘણાં બાળકો એવો અનુભવ પણ કરે છે કે બાપનાં બની ગયાં. રોજ આવી
પણ રહ્યાં છે, પુરુષાર્થ માં પણ ચાલી રહ્યાં છે. નિયમ પણ નિભાવી રહ્યાં છે, પરંતુ
પુરુષાર્થ જે વૃદ્ધિ થવી જોઈએ તે અનુભવ નથી થતી. ચાલી રહ્યાં છે પરંતુ વધી નથી રહ્યાં.
તેનું કારણ શું છે? વિશેષતાઓને સેવામાં નથી લગાવતાં. ફક્ત જ્ઞાન આપવું અથવા સપ્તાહ
કોર્સ કરાવવો, ત્યાં સુધી સેવા નથી. સંભળાવવું, આ તો દ્વાપરથી પરંપરા ચાલી રહી છે.
પરંતુ આ બ્રાહ્મણ જીવનની વિશેષતા છે-સંભળાવવું અર્થાત્ કાંઈક આપવું. ભક્તિમાર્ગમાં
સંભળાવવું અર્થાત્ લેવાનું હોય છે અને હવે સંભળાવવું એટલે કાંઈક આપવાનું છે. દાતાનાં
બાળકો છો. સાગરનાં બાળકો છો. જે પણ સંપર્કમાં આવે તે અનુભવ કરે કે કાંઈક લઈને જઈ
રહ્યાં છીએં. ફક્ત સાંભળીને જઈ રહ્યાં છે, નહીં. ભલે જ્ઞાનથી, ભલે સ્નેહનાં ધનથી,
કે યાદના બળનાં ધનથી, શક્તિઓનાં ધનથી, સહયોગનાં ધનથી હાથ અર્થાત્ બુદ્ધિ ભરીને જઈ
રહ્યાં છે. આને કહેવાય છે સાચ્ચી સેવા. સેકન્ડની દૃષ્ટિ અથવા બે બોલ દ્વારા, પોતાનાં
શક્તિશાળી વૃત્તિનાં વાયબ્રેશન દ્વારા, સંપર્ક દ્વારા દાતા બની આપવાનું છે. આવાં
સેવાધારી સાચાં સેવાધારી છે. આવી રીતે આપવાવાળા સદા આ અનુભવ કરશે કે દરેક સમયે
વૃદ્ધિને અથવા ઉન્નતિને પ્રાપ્ત કરી રહ્યાં છીએં. નહીં તો સમજે છે પાછળ નથી હટી
રહ્યાં છે પરંતુ આગળ જે વધવું જોઈએ તે નથી વધી રહ્યાં એટલે દાતા બનો, અનુભવ કરાવો.
એવાં જ સહયોગી અથવા સહજયોગી ફક્ત સ્વયંનાં પ્રતિ છે કે બીજાઓને પણ પોતાનાં સહયોગનાં
ઉમંગ, ઉત્સાહની લહેર સહયોગી બનાવી દે છે. તમારાં સહયોગની વિશેષતા સર્વ આત્માઓને આ
અનુભવ થાય કે આ અમારા સહયોગી છે. કોઈ પણ કમજોર સ્થિતિ અથવા પરિસ્થિતિનાં સમયે આ
સહયોગ દ્વારા આગળ વધવાનું સાધન આપવાવાળા છે. સહયોગની વિશેષતાનો સર્વને આપ આત્માનાં
પ્રતિ અનુભવ થાય. આને કહેવાય છે વિશેષતાને સેવામાં લગાવી. બાપનાં સહયોગી તો છો જ
પરંતુ બાપ વિશ્વ સહયોગી છે. બાળકોનાં પ્રતિ પણ દરેક આત્માનાં અંદરથી આ અનુભવનાં બોલ
નીકળે કે આ પણ બાપ સમાન સર્વનાં સહયોગી છે. પર્સનલ (ખાનગી) એકબીજાનાં સહયોગી નથી
બનવાનું. તે સ્વાર્થનાં સહયોગી હશે. હદનાં સહયોગી હશે. સાચાં સહયોગી બેહદનાં સહયોગી
છે. આપ સૌનું ટાઈટલ (શીર્ષક) શું છે? વિશ્વકલ્યાણકારી છો કે ફક્ત સેવાકેન્દ્રનાં
કલ્યાણકારી? દેશનાં કલ્યાણકારી છો કે ફક્ત ક્લાસનાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નાં
કલ્યાણકારી છો? એવું ટાઇટલ તો નથી ને. વિશ્વ કલ્યાણકારી વિશ્વનાં માલિક બનવાવાળા છો
કે ફક્ત સ્વયંનાં મહેલનાં માલિક બનવાવાળા છો. જો ફક્ત સેવાકેન્દ્રની હદમાં રહેશે તો
ફક્ત પોતાનાં મહેલનાં માલિક બનશે. પરંતુ બેહદનાં બાપ દ્વારા બેહદ નો વારસો લો છો.
હદનો નહીં. તો સર્વ પ્રતિ સહયોગની વિશેષતાને કાર્યમાં લગાવવી, આને કહેવાય સહયોગી
આત્મા. આજ વિધિ પ્રમાણે શક્તિશાળી આત્મા સર્વશક્તિઓને ફક્ત સ્વનાં પ્રતિ નહીં પરંતુ
સર્વનાં પ્રતિ સેવામાં લગાવશે. કોઈમાં સહનશક્તિ નથી, તમારી પાસે છે. બીજાઓને આ શક્તિ
આપવી-આ છે શક્તિને સેવામાં લગાવવી. ફક્ત એ નહીં વિચારો હું તો સહનશીલ રહું છું પરંતુ
તમારાં સહનશીલતાનાં ગુણની લાઈટ માઈટ બીજા સુધી પહોંચવી જોઈએ. લાઈટ હાઉસ ની લાઈટ
ફક્ત પોતાનાં પ્રતિ નથી હોતી. બીજાઓને પ્રકાશ આપવાં અથવા રસ્તો બતાવવાં માટે હોય
છે. એવાં શક્તિરુપ અર્થાત્ લાઈટ હાઉસ, માઈટ હાઉસ બની બીજાઓને તેનાં લાભનો અનુભવ
કરાવો. તેઓ અનુભવ કરે કે નિર્બળતાનાં અંધકારથી શક્તિનાં પ્રકાશમાં આવી ગયાં છીએ અથવા
સમજે કે આ આત્મા પોતાની શક્તિ દ્વારા મને પણ શક્તિશાળી બનાવવામાં મદદગાર છે.
કનેક્શન (જોડાણ) બાપથી કરાવશે પરંતુ નિમિત્ત બની. એવું નહીં કે સહયોગ આપીને પોતાનામાં
જ અટકાવી દે. બાપની દેણ આપી રહ્યાં છીએ, આ સ્મૃતિ અને સમર્થી થી વિશેષતાને સેવામાં
લગાવશો. સાચાં સેવાધારીની નિશાની આજ છે. દરેક કર્મમાં તેમનાં દ્વારા બાપ દેખાય.
તેમનો દરેક બોલ બાપની સ્મૃતિ અપાવે. દરેક વિશેષતા દાતાનાં તરફ ઈશારો અપાવે. સદા બાપ
જ દેખાય. તેઓ તમને ન જોતાં સદા બાપને જોશે. મારાં સહયોગી છે, આ સાચાં સેવાધારીની
નિશાની નથી. આ ક્યારેય પણ સંકલ્પ માત્ર પણ નહીં વિચારતાં કે મારી વિશેષતાનાં કારણે
આ મારાં ખુબ સહયોગી છે. સહયોગી ને સહયોગ આપવો મારું કામ છે. જો તમને જોયાં, બાપને
નહીં જોયાં તો આ સેવા ન થઈ. આ દ્વાપરયુગી ગુરુઓની માફક બેમુખ કર્યા. બાપને ભૂલાવ્યાં
ન કે સેવા કરી. આ પાડવું છે ન કે ચઢાવવું. આ પુણ્ય નથી, આ પાપ છે કારણ કે બાપ નથી
તો જરુર પાપ છે. તો સાચાં સેવાધારી સત્યની તરફ જ સંબંધ જોડશે.
બાપદાદા ને ક્યારેક-ક્યારેક બાળકો પર હસવું પણ આવે છે કે લક્ષ્ય શું અને લક્ષણ શું!
પહોંચાડવાનાં છે બાપ તરફ અને પહોંચાડે છે પોતાની તરફ. જેમ બીજા ડિવાઇન ફાધર (દિવ્ય
પિતાઓ) નાં માટે કહો છો ને, તે ઉપરથી નીચે લઇ આવે છે. ઉપર નથી લઈ જતાં. એવાં ડિવાઇન
ફાધર નહીં બનો. બાપદાદા આ જોઈ રહ્યાં હતાં કે ક્યાંક-ક્યાંક બાળકો સીધા રસ્તાને બદલે
ગલીઓ માં ફસાઈ જાય છે. રસ્તો બદલાઈ જાય છે એટલે ચાલતાં રહે છે પરંતુ મંજિલની સમીપ
નથી પહોંચતાં. તો સમજ્યાં સાચાં સેવાધારી કોને કહે છે. આ ત્રણેય શક્તિઓ કે
વિશેષતાઓને બેહદની દૃષ્ટિથી, બેહદની વૃત્તિથી સેવામાં લગાવો. અચ્છા!
સદા દાતાનાં બાળકો દાતા બની દરેક આત્માને ભરપૂર કરવાવાળા, દરેક ખજાનાને સેવામાં
લગાવી દરેક સમય વૃદ્ધિને પામવાવાળા, સદા બાપ દ્વારા પ્રભુદેણ સમજી બીજાઓને પણ પ્રભુ
પ્રસાદ આપવાવાળા, સદા એકનાં તરફ ઈશારો આપી એકરસ બનાવવા વાળા, એવાં સદા અને સર્વનાં
સાચાં સેવાધારી બાળકોને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.
કુમારીઓથી
અવ્યક્ત બાપદાદા ની મુલાકાત -
આ લશ્કર શું કરશે? લશ્કર કે સેના સદા વિજય પ્રાપ્ત કરે છે. સેના વિજયનાં માટે હોય
છે. દુશ્મન થી લડવાનાં માટે સેના રાખે છે. તો માયા દુશ્મન પર વિજય પામવી આ આપ સર્વનું
કર્તવ્ય છે. સદા પોતાનાં આ કર્તવ્યને જાણી જલ્દી થી જલ્દી આગળ વધતા જાઓ કારણ કે સમય
ઝડપી ગતિ થી આગળ જઈ રહ્યો છે. સમયની ગતિ ઝડપી હોય અને પોતાની ગતિ કમજોર હોય તો સમય
પર પહોંચી નહિ શકશો એટલે ગતિને ઝડપી કરો. જે ઢીલા હોય છે તે સ્વયં જ શિકાર થઈ જાય
છે. શક્તિશાળી સદા વિજયી હોય છે. તો તમે બધાં વિજયી છો?
સદા આજ લક્ષ્ય રાખો કે સર્વિસેબુલ (સેવાધારી) બની સેવામાં સદા આગળ વધતા રહેવાનું છે
કારણકે કુમારીઓને કોઈ પણ બંધન નથી. જેટલી સેવા કરવા ઈચ્છો કરી શકો છો. સદા સ્વયંને
બાપની છું અને બાપનાં માટે છું, એવું સમજીને આગળ વધતા ચાલો. જે સેવામાં નિમિત્ત બને
છે તેમને ખુશી અને શક્તિની પ્રાપ્તિ સ્વતઃ થાય છે. સેવાનું ભાગ્ય કોટોમાં કોઈને જ
મળે છે. કુમારીઓ સદા પૂજ્ય આત્માઓ છે. પોતાનાં પૂજ્ય સ્વરુપને સ્મૃતિમાં રાખતાં
દરેક કર્મ કરો. અને દરેક કર્મનાં પહેલાં તપાસ કરો કે આ કાર્ય પૂજ્ય આત્માનાં પ્રમાણે
છે, જો નથી તો પરિવર્તન કરી લો. પૂજ્ય આત્માઓ ક્યારેય સાધારણ નથી હોતી, મહાન હોય
છે. ૧૦૦ બ્રાહ્મણો થી ઉત્તમ કુમારીઓ છો. તો ૧૦૦ બ્રાહ્મણ એક-એક કુમારીએ તૈયાર કરવાનાં
છે. તેમની સેવા કરવાની છે. કુમારીઓએ શું કમાલનો પ્લાન (યોજના) વિચાર્યો છે. કોઈ પણ
આત્માનું કલ્યાણ થાય એનાથી મોટી વાત બીજી શું છે? પોતાની મોજમાં રહેવાવાળી છો ને.
ક્યારેક જ્ઞાની ની મોજમાં, ક્યારેક યાદ ની મોજમાં. ક્યારેક પ્રેમની મોજમાં. મોજ જ
મોજ છે. સંગમયુગ છે જ મોજોનો યુગ. અચ્છા-કુમારીઓની ઉપર બાપદાદાની સદા જ નજર રહે છે.
કુમારીઓ સ્વયંને શું બનાવે છે - એ એમનાં ઉપર છે પરંતુ બાપદાદા તો બધાને વિશ્વનાં
માલિક બનાવવાં આવ્યાં છે. સદા વિશ્વનાં માલિકપણની ખુશી અને નશો રહે. સદા અથક સેવામાં
આગળ વધતા રહો. અચ્છા!
વરદાન :-
કરનહાર અને
કરાવનહાર ની સ્મૃતિ થી લાઈટ નાં તાજધારી ભવ
હું નિમિત્ત કર્મયોગી, કરનહાર છું, કરાવનહાર બાપ છે-જો આ સ્મૃતિ સ્વતઃ રહે છે તો સદા
લાઈટ નાં તાજધારી અથવા બેફિકર બાદશાહ બની જાઓ. બસ બાપ અને હું ત્રીજું ન કોઈ-આ
અનુભૂતિ સહજ બેફિકર બાદશાહ બનાવી દે છે. જે આવાં બાદશાહ બને છે તેજ માયાજીત,
કર્મેન્દ્રિયજીત અને પ્રકૃતિજીત બની જાય છે. પરંતુ જો કોઈ ભૂલથી પણ, કોઈ પણ વ્યર્થ
ભાવનો પોતાનાં ઉપર બોઝ ઉઠાવી લે છે તો તાજ નાં બદલે ચિંતાનાં અનેક ટોપલા માથા પર આવી
જાય છે.
સ્લોગન :-
સર્વ બંધનોથી
મુક્ત થવાં માટે દૈહિક સંબધોથી નસ્ટોમોહા બનો.
સુચના :-
આજે આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ બહેનો સંગઠિત
રુપમાં એકત્રિત થઈ યોગ અભ્યાસમાં સર્વ આત્માઓનાં પ્રતિ આ શુભભાવના રાખે-કે સર્વ
આત્માઓનું કલ્યાણ થાય, સર્વ આત્માઓ સત્ય માર્ગ પર ચાલીને પરમાત્મ વારસાનો અધિકાર
પ્રાપ્ત કરી લે. હું બાપ સમાન સર્વ આત્માઓને મુક્તિ જીવનમુક્તિ નું વરદાન આપવા વાળી
આત્મા છું.