17-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - બાપ તમને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપે છે , તમે પછી બીજાઓને દાન આપતાં રહો , આજ દાન થી સદ્દગતિ થઇ જશે ”

પ્રશ્ન :-
કયો નવો રસ્તો આપ બાળકોનાં સિવાય કોઈ પણ નથી જાણતું?

ઉત્તર :-
ઘરનો રસ્તો અથવા સ્વર્ગ જવાનો રસ્તો હમણાં બાપ દ્વારા તમને મળ્યો છે. તમે જાણો છો શાંતિધામ આપણું આત્માઓનું ઘર છે, સ્વર્ગ અલગ છે, શાંતિધામ અલગ છે. આ નવો રસ્તો તમારા સિવાય કોઈ પણ નથી જાણતું. તમે કહો છો હવે કુંભકરણની નિંદ્રા છોડો, આંખ ખોલો, પાવન બનો. પાવન બનીને જ ઘરે જઈ શકશો.

ગીત :-
જાગ સજનીયા જાગ………

ઓમ શાંતિ!
ભગવાનુવાચ. આતો બાપએ સમજાવ્યું છે કે મનુષ્યને કે દેવતાઓને ભગવાન નથી કહેવાતું કારણકે એમનું સાકારી રુપ છે. બાકી પરમપિતા પરમાત્માનું ન આકારી, ન સાકારી રુપ છે એટલે એમને શિવ પરમાત્માય નમઃ કહેવાય છે. જ્ઞાનનાં સાગર એ એક જ છે. કોઈ મનુષ્યમાં જ્ઞાન હોઈ ન શકે. કોનું જ્ઞાન? રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન અથવા આત્મા અને પરમાત્માનું આ જ્ઞાન કોઈમાં નથી. તો બાપ આવીને જગાડે છે-હેં સજનીઓ, હે ભક્તિઓ જાગો. બધાં મેલ (પુરુષ) અથવા ફીમેલ (સ્ત્રી) ભક્તિઓ છે. ભગવાનને યાદ કરે છે. બધી બ્રાઈડસ (સજનીઓ) યાદ કરે છે એક બ્રાઈડગ્રુમ (સાજન) ને. બધી આશિક આત્માઓ પરમપિતા પરમાત્મા માશૂક ને યાદ કરે છે. બધી સિતાઓ છે, રામ એક પરમપિતા પરમાત્મા છે. રામ અક્ષર કેમ કહે છે? રાવણરાજ્ય છે ને. તો તેની ભેંટમાં રામરાજ્ય કહેવાય છે. રામ છે બાપ, જેમને ઈશ્વર પણ કહે છે, ભગવાન પણ કહે છે. અસલી નામ એમનું છે શિવ. તો હવે કહે છે જાગો, હવે નવયુગ આવે છે. જૂનું ખતમ થઈ રહ્યું છે. આ મહાભારત લડાઈનાં પછી સતયુગ સ્થાપન થાય છે અને આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હશે. જૂનું કળયુગ ખતમ થઈ રહ્યું છે એટલે બાપ કહે છે-બાળકો કુંભકરણની નિંદ્રા છોડો. હવે આંખ ખોલો. નવી દુનિયા આવે છે. નવી દુનિયાને સ્વર્ગ, સતયુગ કહેવાય છે. આ છે નવો રસ્તો. આ ઘરે કે સ્વર્ગમાં જવાનો રસ્તો કોઈ પણ જાણતું નથી. સ્વર્ગ અલગ છે, શાંતિધામ જ્યાં આત્માઓ રહે છે, તે અલગ છે. હવે બાપ કહે છે જાગો, તમે રાવણ રાજ્યમાં પતિત થઈ ગયાં છો. આ સમયે એક પણ પવિત્ર આત્મા ન હોઈ શકે. પુણ્ય આત્મા નહીં કહેશું. ભલે મનુષ્ય દાન-પુણ્ય કરે છે, પરંતુ પવિત્ર આત્મા તો એક પણ નથી. અહીં કળયુગમાં છે પતિત આત્માઓ, સતયુગમાં છે પાવન આત્માઓ, એટલે કહે છે-હેં શિવબાબા, આવીને અમને પાવન આત્મા બનાવો. આ પવિત્રતાની વાત છે. આ સમયે બાપ આવીને આપ બાળકોને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપે છે. કહે છે તમે પણ બીજાઓને દાન દેતાં રહો તો ૫ વિકારોનું ગ્રહણ છૂટી જાય. ૫ વિકારોનું દાન દો તો દુઃખનું ગ્રહણ છૂટી જાય. પવિત્ર બની સુખધામ માં ચાલ્યા જશો. ૫ વિકારોમાં નંબરવન છે કામ, તેને છોડી પવિત્ર બનો. સ્વયં પણ કહે છે-હેં પતિત-પાવન, અમને પાવન બનાવો. પતિત વિકારીને કહેવાય છે. આ સુખ અને દુઃખનો ખેલ ભારતનાં માટે જ છે. બાપ ભારતમાં જ આવીને સાધારણ તનમાં પ્રવેશ કરે છે પછી તેમની પણ બાયોગ્રાફી (જીવન કહાની) બેસી સંભળાવે છે. આ છે બધાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ, પ્રજાપિતા બ્રહ્માની ઓલાદ. તમે બધાને પવિત્ર બનવાની યુક્તિ બતાવો છો. બ્રહ્માકુમાર અને કુમારીઓ તમે વિકારમાં જઈ ન શકો. આપ બ્રાહ્મણોનો આ એક જ જન્મ છે. દેવતા વર્ણમાં તમે ૨૦ જન્મ લો છો, વૈશ્ય, શૂદ્ર વર્ણમાં ૬૩ જન્મ. બ્રાહ્મણ વર્ણનો આ એક અંતિમ જન્મ છે, જેમાં જ પવિત્ર બનવાનું છે. બાપ કહે છે પવિત્ર બનો. બાપની યાદ કે યોગબળ થી વિકર્મ ભસ્મ થશે. આ એક જન્મ પવિત્ર બનવાનું છે. સતયુગમાં તો કોઈ પતિત હોતું નથી. હમણાં આ અંતિમ જન્મ પાવન બનશો તો ૨૧ જન્મ પાવન રહેશો. પાવન હતાં, હવે પતિત બન્યાં છો. પતિત છો ત્યારે તો બોલાવો છો. પતિત કોણે બનાવ્યાં છે? રાવણની આસુરી મતે. સિવાય મારાં, આપ બાળકોને રાવણ રાજ્ય થી, દુઃખથી કોઈ પણ લિબરેટ (મુક્ત) કરી નથી શકતું. બધાં કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયાં છે. મારે આવીને જ્ઞાન ચિતા પર બેસાડવાં પડે છે. જ્ઞાન જળ નાખવું પડે છે. સર્વની સદ્દગતિ કરવી પડે. જે સારી રીતે ભણતર ભણે છે તેમની જ સદ્દગતિ થાય છે. બાકી બધાં ચાલ્યાં જાય છે શાંતિધામ માં. સતયુગ માં ફક્ત દેવી-દેવતાઓ છે, તેમને જ સદ્દગતિ મળેલી છે. બાકી સર્વને ગતિ અથવા મુક્તિ મળે છે. ૫ હજાર વર્ષ પહેલાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. લાખો વર્ષની વાત છે નહિ. હવે બાપ કહે છે મીઠા-મીઠા બાળકો, મુજ બાપને યાદ કરો. મનમનાભવ અક્ષર તો પ્રસિદ્ધ છે. ભગવાનુવાચ-કોઈ પણ દેહધારીને ભગવાન નથી કહેવાતું. આત્માઓ તો એક શરીર છોડી બીજું લે છે. ક્યારેક સ્ત્રી, ક્યારેક પુરુષ બને છે. ભગવાન ક્યારેય પણ જન્મ-મરણની રમતમાં નથી આવતાં. આ ડ્રામા અનુસાર નોંધ છે. એક જન્મ ન મળે બીજાથી. ફરી તમારો આ જન્મ રીપીટ થશે તો આ એક્ટ, આ ફિચર્સ ફરી લેશો. આ ડ્રામા અનાદિ બન્યો-બનાવેલ છે. આ બદલાઈ નથી શકતો. શ્રીકૃષ્ણનું જે શરીર સતયુગમાં હતું તે ફરી ત્યાં મળશે. તે આત્મા તો હમણાં અહીંયા છે. તમે હમણાં જાણો છો આપણે તેજ બનશું. આ લક્ષ્મી-નારાયણનાં ફિચર્સ એક્યુરેટ નથી. બનશે ફરી પણ તેજ. આ વાતો નવાં કોઈ સમજી ન શકે. સારી રીતે જ્યારે કોઈ ને સમજાવો ત્યારે ૮૪ નું ચક્ર જાણશે અને સમજશે બરાબર દરેક જન્મમાં નામ, રુપ, ફિચર્સ વગેરે અલગ-અલગ હોય છે. હમણાં આમનાં અંતિમ ૮૪ માં જન્મનાં ફિચર્સ આ છે એટલે નારાયણનાં ફિચર્સ નજીક-નજીક એવાં દેખાડયા છે. નહીં તો મનુષ્ય સમજી ન શકે.

આપ બાળકો જાણો છો - મમ્મા-બાબા જ આ લક્ષ્મી-નારાયણ બને છે. અહીંયા તો ૫ તત્વ પવિત્ર છે નહીં. આ શરીર બધાં પતિત છે. સતયુગમાં શરીર પણ પવિત્ર હોય છે. કૃષ્ણ ને મોસ્ટ બ્યુટીફુલ (સૌથી રુપવાન) કહે છે. નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) હોય છે. અહીંયા વિલાયતમાં ભલે ગોરા મનુષ્ય છે પરંતુ તેમને દેવતા થોડી કહેશે. દૈવીગુણ તો છે નહી ને. તો બાપ કેટલું સારી રીતે બેસી સમજાવે છે. આ છે ઊંચેથી ઊંચું ભણતર, જેનાંથી તમારી કેટલી ઊંચી કમાણી થાય છે. અગણિત હીરા-ઝવેરાત, ધન હોય છે. ત્યાં તો હીરા-ઝવેરાતનાં મહેલ હતાં. હમણાં તે બધું લુપ્ત થઈ ગયું છે. તો તમે કેટલાં ધનવાન બનો છો. અપરમઅપાર કમાણી છે ૨૧ જન્મોનાં માટે, આમાં બહુજ મહેનત જોઈએ. દેહી-અભિમાની બનવાનું છે, આપણે આત્મા છીએ, આ જૂનું શરીર છોડી હવે પાછાં પોતાનાં ઘરે જવાનું છે. બાપ હમણાં લેવાં માટે આવ્યાં છે. આપણે આત્માઓએ ૮૪ જન્મ હવે પૂરા કર્યા, હવે ફરી પાવન બનવાનું છે, બાપને યાદ કરવાનાં છે. નહીં તો કયામતનો સમય છે. સજાઓ ખાઈને પાછાં ચાલ્યાં જઈશું. હિસાબ-કિતાબ તો બધાને ચૂકતું કરવાનો જ છે. ભક્તિમાર્ગમાં કાશી કલવટ ખાતાં હતાં તો પણ કોઈ મુક્તિને નથી પામતાં. તે છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. આમાં જીવઘાત કરવાની દરકાર નથી રહેતી. તે છે જીવ-ઘાત. છતાં પણ ભાવના રહે છે કે મુક્તિ તો પામીએ એટલે પાપોનો હિસાબ-કિતાબ ચૂકતું થઈ ફરી ચાલુ થાય છે. હમણાં તો કાશી કલવટનું કોઈ મુશ્કિલ સાહસ રાખે છે. બાકી મુક્તિ અથવા જીવનમુક્તિ નથી મળી શકતી. બાપ વગર જીવનમુક્તિ કોઈ આપી જ ન શકે. આત્માઓ આવતી રહે છે પછી પાછાં કેવી રીતે જશે? બાપ જ આવીને સર્વની સદ્દગતિ કરી પાછાં લઈ જશે. સતયુગમાં બહુજ થોડાં મનુષ્ય રહે છે. આત્મા તો ક્યારેય વિનાશ નથી થતી. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. સતયુગમાં આયુ બહુજ લાંબી હોય છે. દુઃખની વાત નથી. એક શરીર છોડી બીજું લઈ લે છે. જેમ સર્પનું ઉદાહરણ છે, તેને મરવું નથી કહેવાતું. દુઃખની વાત નથી. સમજે છે હવે સમય પૂરો થયો છે, આ શરીરને છોડી બીજું લેશે. આપ બાળકોએ આ શરીર થી ડિટેચ (અલગ) થવાનો અભ્યાસ અહીંયા જ કરવાનો છે. આપણે આત્મા છીએં, હવે આપણે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવશું, નવી ખાલ (શરીર) લઈશું, આ અભ્યાસ કરો. તમે જાણો છો આત્મા ૮૪ શરીર લે છે. મનુષ્યોએ પછી ૮૪ લાખ કહી દીધું છે. બાપનાં માટે તો પછી અગણિત ઠીક્કર ભિત્તરમાં કહી દે છે. આને કહેવાય છે ધર્મની ગ્લાનિ. મનુષ્ય સ્વચ્છ બુદ્ધિથી બિલકુલ તુચ્છ બની જાય છે. હવે બાપ તમને સ્વચ્છ બુદ્ધિ બનાવે છે. સ્વચ્છ બનો છો યાદ થી. બાપ કહે છે હવે નવયુગ આવે છે, તેની નિશાની આ મહાભારત લડાઈ છે. આ તેજ મૂસળો વાળી લડાઈ છે, જેમાં અનેક ધર્મ વિનાશ, એક ધર્મની સ્થાપના થઇ હતી, તો જરુર ભગવાન હશે ને. કૃષ્ણ અહિયાં કેવી રીતે આવી શકે? જ્ઞાનનાં સાગર નિરાકાર કે કૃષ્ણ? કૃષ્ણને આ જ્ઞાન જ નહિ હશે. આ જ્ઞાન જ ગુમ થઈ જાય છે. તમારાં પણ પછી ભક્તિમાર્ગમાં ચિત્ર બનશે. તમે પૂજ્ય જ પૂજારી બનો છો, કળા ઓછી થઈ જાય છે. આયુ પણ ઓછી થતી જાય છે કારણકે ભોગી બની જાઓ છો. ત્યાં છે યોગી. એવું નથી કે કોઈની યાદમાં યોગ લગાવો છો. ત્યાં છે જ પવિત્ર. કૃષ્ણને પણ યોગેશ્વર કહે છે. આ સમયે કૃષ્ણની આત્મા બાપની સાથે યોગ લગાવી રહી છે. કૃષ્ણની આત્મા આ સમયે યોગેશ્વર છે, સતયુગમાં યોગેશ્વર નહીં કહેશું. ત્યાં તો પ્રિન્સ (રાજકુમાર) બને છે. તો તમારી અંતમાં એવી અવસ્થા રહેવી જોઈએ જે સિવાય બાપનાં બીજા કોઈ શરીરની યાદ ન રહે. શરીરથી અને જૂની દુનિયાથી મમત્વ નિકળી જાય. સન્યાસી રહે તો જૂની દુનિયામાં છે પરંતુ ઘરબાર થી મમત્વ નિકાળી દે છે. બ્રહ્મ ને ઈશ્વર સમજી તેનાથી યોગ લગાવે છે. પોતાને બ્રહ્મ જ્ઞાની, તત્વ જ્ઞાની કહે છે. સમજે છે અમે બ્રહ્મમાં લીન થઇ જઈશું. બાપ કહે છે આ બધું ખોટું છે. સત્ય તો હું છું, મને જ સત્ય કહેવાય છે.

તો બાપ સમજાવે છે યાદની યાત્રા બહુજ પાક્કી જોઈએ. જ્ઞાન તો બહુજ સહજ છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. બાપ કહે છે કોઈનું પણ દેહ યાદ ન આવે, આ છે ભૂતોની યાદ, ભૂત પૂજા. હું તો અશરીરી છું, તમારે યાદ કરવાનું છે મને. આ આંખોથી જોવાં છતાં બુદ્ધિથી બાપને યાદ કરો. બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલો તો ધર્મરાજની સજાઓ થી છૂટી જશો. પાવન બનશો તો સજાઓ ખતમ થઇ જશે, બહુજ ભારે મંજિલ છે. પ્રજા બનવું તો ખુબ સહજ છે, તેમાં પણ સાહૂકાર પ્રજા, ગરીબ પ્રજા કોણ-કોણ બની શકે છે, બધું સમજાવે છે. અંતમાં તમારી બુદ્ધિનો યોગ રહેવો જોઈએ બાપ અને ઘરથી. જેમ એક્ટર્સનો નાટકમાં પાર્ટ પૂરો થાય છે તો બુદ્ધિ ઘર માં ચાલી જાય છે. આ છે બેહદ ની વાત. તે હોય છે હદની આવક, આ છે બેહદની આવક. સારા એક્ટર્સની આવક પણ ખુબજ હોય છે ને. તો બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં બુદ્ધિયોગ ત્યાં લગાવવાનો છે. તે આશિક-માશૂક હોય છે એક-બીજાનાં. અહીંયા તો બધાં આશિક છે એક માશૂક નાં. એમને જ બધાં યાદ કરે છે. વન્ડરફુલ મુસાફિર છે ને. આ સમયે આવ્યાં છે બધાં દુઃખોથી છોડાવીને સદ્દગતિમાં લઇ જવાં માટે. એમને કહેવાય છે સાચાં-સાચાં માશૂક. તે એક-બીજાનાં શરીર પર આશિક હોય છે, વિકારની વાત નથી. તેને કહેશું દેહ-અભિમાનનો યોગ. તે ભૂતોની યાદ થઈ ગઈ. મનુષ્યોને યાદ કરવાં એટલે ૫ ભૂતોને, પ્રકૃતિ ને યાદ કરવું. બાપ કહે છે પ્રકૃતિને ભૂલી મને યાદ કરો. મહેનત છે ને અને પછી દૈવીગુણ પણ જોઈએ. કોઈથી બદલો લેવો, આ પણ આસુરી ગુણ છે. સતયુગમાં હોય જ છે એક ધર્મ, બદલાની વાત નથી. એ છે જ અદ્વેત દેવતા ધર્મ જે શિવબાબા વગર કોઈ સ્થાપન કરી ન શકે. સૂક્ષ્મવતન વાસી દેવતાઓને કહેશું ફરિશ્તા. આ સમયે તમે છો બ્રાહ્મણ પછી ફરિશ્તા બનશો. ફરી પાછાં જશો ઘરે પછી નવી દુનિયામાં આવીને દૈવી ગુણવાળા મનુષ્ય અર્થાત્ દેવતા બનશો. હમણાં શૂદ્ર થી બ્રાહ્મણ બનો છો. પ્રજાપિતા બ્રહ્માનાં બાળક ન બનો તો વારસો કેવી રીતે લેશો. આ પ્રજાપિતા બ્રહ્મા અને મમ્મા, તે પછી લક્ષ્મી-નારાયણ બને છે. હવે જુઓ તમને જૈન લોકો કહે છે અમારો જૈન ધર્મ સૌથી જૂનો છે. હવે હકીકતમાં મહાવીર તો આદિદેવ બ્રહ્માને જ કહે છે. છે બ્રહ્મા જ, પરંતુ કોઈ જૈન મુનિ આવ્યાં તો તેમને મહાવીર નામ રાખી દીધું. હમણાં તમે બધાં મહાવીર છો ને. માયા પર જીત પામી રહ્યાં છો. તમે બધાં બહાદુર બનો છો. સાચાં-સાચાં મહાવીર-મહાવીરનીઓ તમે છો. તમારું નામ છે શિવશક્તિ, શેર (વાઘ) પર સવારી છે અને મહારથીઓની હાથી પર. તો પણ બાપ કહે છે બહુજ ભારે મંજિલ છે. એક બાપને યાદ કરવાનાં છે તો વિકર્મ વિનાશ થશે, બીજો કોઈ રસ્તો નથી. યોગબળથી તમે વિશ્વ પર રાજ્ય કરો છો. આત્મા કહે છે, હવે મારે ઘરે જવું છે, આ જૂની દુનિયા છે, આ છે બેહદનો સંન્યાસ. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે અને ચક્રને સમજવાથી ચક્રવર્તી રાજા બની જશો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ધર્મરાજની સજાઓથી બચવાનાં માટે કોઈનાં પણ દેહને યાદ નથી કરવાનું, આ આંખોથી બધું જોતાં એક બાપ ને યાદ કરવાનાં છે, અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. પાવન બનવાનું છે.

2. મુક્તિ અને જીવનમુક્તિ નો રસ્તો બધાને બતાવવાનો છે. હવે નાટક પૂરું થયું, ઘરે જવાનું છે-આ સ્મૃતિથી બેહદની આવક જમા કરવાની છે.

વરદાન :-
લક્ષ્ય અને મંજિલને સદા સ્મૃતિમાં રાખી તીવ્ર પુરુષાર્થ કરવા વાળા સદા હોલી ( પવિત્ર ) અને હેપ્પી ( ખુશ ) ભવ

બ્રાહ્મણ જીવનનું લક્ષ્ય છે વગર કોઈ હદનાં આધાર પર સદા આંતરિક ખુશીમાં રહેવું. જ્યારે આ લક્ષ્ય બદલાઈ હદની પ્રાપ્તિઓની નાની-નાની ગલીઓમાં ફસાઈ જાઓ છો ત્યારે મંજિલ થી દૂર થઈ જાય છો એટલે કાંઈ પણ થઈ જાય, હદની પ્રાપ્તિઓનો ત્યાગ પણ કરવો પડે તો તેને છોડી દો પરંતુ અવિનાશી ખુશીને ક્યારેય નહીં છોડો. હોલી અને હેપ્પી ભવનાં વરદાન ને સ્મૃતિમાં રાખી તીવ્ર પુરુષાર્થ દ્વારા અવિનાશી પ્રાપ્તિઓ કરો.

સ્લોગન :-
ગુણ મૂર્ત બનીને ગુણોનું દાન દેતાં જાઓ-આ સૌથી મોટી સેવા છે.