17-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - આ જૂની દુનિયામાં કોઈ પણ સાર નથી , એટલે તમારે આનાંથી દિલ નથી લગાડવાનું , બાપ ની યાદ તૂટી તો સજા ખાવી પડશે ”

પ્રશ્ન :-
બાપનું મુખ્ય ડાયરેક્શન (માર્ગદર્શન) કયું છે? તેનું ઉલ્લંઘન કેમ થાય છે?

ઉત્તર :-
બાપનું ડાયરેક્શન છે કોઈથી સેવા નહી લો કારણકે તમે પોતેજ સર્વન્ટ (સેવક) છો. પરંતુ દેહ-અભિમાનનાં કારણે બાપનાં આ ડાયરેક્શનનું ઉલ્લંઘન કરે છે. બાબા કહે છે તમે અહીં સુખ લેશો તો ત્યાંનું સુખ ઓછું થઈ જશે. ઘણાં બાળકો કહે છે અમે તો ઇન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) રહેશું પરંતુ તમે બધાં બાપ પર ડીપેન્ડ (આશ્રય) રહો છો.

ગીત :-
દિલ કા સહારા તૂટ ન જાય ….

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ પોતાનાં સાલિગ્રામો પ્રતિ. શિવ અને સાલિગ્રામને તો બધાં મનુષ્ય જાણે છે. બંને નિરાકાર છે. હવે કૃષ્ણ ભગવાનુવાચ કહી ન શકાય. ભગવાન એક જ હોય છે. તો શિવ ભગવાનુવાચ કોનાં પ્રતિ? રુહાની બાળકો પ્રતિ. બાબા એ સમજાવ્યું છે બાળકોનું હવે કનેક્શન (જોડાણ) છે જ બાપ થી કારણકે પતિત-પાવન જ્ઞાનનાં સાગર, સ્વર્ગનો વારસો આપવાવાળા તો શિવબાબા જ થયાં. યાદ પણ એમને કરવાનાં છે. બ્રહ્મા છે તેમનો ભાગ્યશાળી રથ. રથ દ્વારા જ બાપ વારસો આપે છે. બ્રહ્મા વારસો આપવાવાળા નથી, તે તો લેવાવાળા છે. તો બાળકોએ સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે. સમજો રથને કોઇ તકલીફ થાય છે કે કારણે-અકારણે બાળકોની મુરલી નથી મળતી તો બાળકોનું બધું અટેન્શન (ધ્યાન) જાય છે શિવબાબા તરફ. એ તો ક્યારેય બીમાર પડી નથી શકતાં. બાળકોને એટલું જ્ઞાન મળ્યું છે, તે પણ સમજાવી શકે છે. પ્રદર્શનીમાં બાળકો કેટલું સમજાવે છે. જ્ઞાન તો બાળકોમાં છે ને. દરેકની બુદ્ધિમાં ચિત્રોનું જ્ઞાન ભરેલું છે. બાળકોને કોઈ રુકાવટ નથી થઇ શકતી. સમજો પોસ્ટ આવવાં-જવાનું બંધ થઈ જાય છે, હડતાલ થઈ જાય છે પછી શું કરશે? જ્ઞાન તો બાળકોમાં છે. સમજાવવાનું છે સતયુગ હતું, હવે કળયુગ જૂની દુનિયા છે. ગીતમાં પણ કહે છે જૂની દુનિયામાં કોઈ સાર નથી, આનાંથી દિલ નથી લગાડવાનું. નહીં તો સજા મળી જશે. બાપની યાદ થી સજાઓ કપાઈ જશે. એવું ન થાય બાપની યાદ તૂટી જાય પછી સજા ખાવી પડે અને જૂની દુનિયામાં ચાલ્યાં જાઓ. એવાં તો ઘણાં ગયા છે, જેમને બાપ યાદ પણ નથી. જૂની દુનિયાથી દિલ લાગી ગયું, જમાનો બહુજ ખરાબ છે. કોઈથી દિલ લગાવ્યું તો સજા બહુજ મળશે. બાળકોએ જ્ઞાન સાંભળવાનું છે. ભક્તિમાર્ગનાં ગીત પણ નથી સાંભળવાનાં. હમણાં તમે છો સંગમ પર. જ્ઞાન સાગર બાપ દ્વારા તમને સંગમ પર જ જ્ઞાન મળે છે. દુનિયામાં આ કોઈને ખબર નથી કે જ્ઞાન સાગર એક જ છે. એ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે મનુષ્યોની સદ્દગતિ થાય છે. સદ્દગતિ દાતા એક જ છે તો એમની મત પર ચાલવાનું છે. માયા છોડતી કોઈને પણ નથી. દેહ-અભિમાનનાં પછી જ કોઈને કોઈ ભૂલ થાય છે. કોઈ સેમી કામ વશ થઈ જાય છે, કોઈ ક્રોધ વશ. મન્સા માં તોફાન બહુજ આવે છે - પ્રેમ કરીએ, આ કરીએ... કોઇનાં શરીર થી દિલ નથી લગાડવાનું. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો તો શરીરનું ભાન નહીં રહે. નહીં તો બાપની આજ્ઞાનું ઉલ્લંઘન થઇ જાય છે. દેહ-અહંકાર થી નુકસાન બહુજ થાય છે એટલે દેહ સહિત બધુંજ ભૂલી જવાનું છે. ફક્ત બાપને અને ઘરને યાદ કરવાનું છે. આત્માઓ ને બાપ સમજાવે છે, શરીરથી કામ કરતાં મને યાદ કરો તો વિકર્મ ભસ્મ થઈ જશે. રસ્તો તો બહુજ સહજ છે. આ પણ સમજે છે તમારાથી ભૂલો થતી રહે છે. પરંતુ એવું ન થાય-ભૂલોમાં ફસાતા જ જાઓ. એક વાર ભૂલ થઈ ફરી તે ભુલ ન કરવી જોઈએ. પોતાનાં કાન પકડવા જોઈએ, ફરી આ ભૂલ નહીં થાય. પુરુષાર્થ કરવો જોઈએ. જો ઘડી-ઘડી ભૂલ થાય છે તો સમજવું જોઈએ અમારું ખુબ નુકસાન થશે. ભૂલ કરતાં-કરતાં તો દુર્ગતિ ને પામ્યા છો ને. કેટલી મોટી સીડી ઊતરીને શું બન્યાં છો! પહેલાં તો આ જ્ઞાન નહોતું. હવે નંબરવાર પુરુષાર્થ અનુસાર જ્ઞાનમાં બધાં પ્રવીણ થઈ ગયાં છે. જેટલું થઈ શકે અંતર્મુખી પણ રહેવાનું છે, મુખથી કંઈ કહેવાનું નથી. જે જ્ઞાનમાં પ્રવીણ બાળકો છે, તે ક્યારેય જૂની દુનિયાથી દિલ નહીં લગાડશે. તેમની બુદ્ધિમાં રહેશે અમે તો રાવણ રાજ્યનું વિનાશ કરવાં ઈચ્છીએ છીએ. આ શરીર પણ જુનું રાવણ સંપ્રદાયનું છે તો અમે રાવણ સંપ્રદાયને કેમ યાદ કરીએ? એક રામને યાદ કરીએ. સાચાં પિતાવ્રતા બનીએ ને.

બાપ કહે છે મને યાદ કરતાં રહો તો તમારાં વિકર્મ વિનાશ થઇ જશે. પિતાવ્રતા અથવા ભગવાનવ્રતા બનવું જોઈએ. ભક્ત ભગવાનને જ યાદ કરે છે હેં ભગવાન આવીને અમને સુખ-શાંતિનો વારસો આપો. ભક્તિમાર્ગમાં તો કુરબાન થઇ જાય છે, બલિ ચઢે છે. અહીં બલિ ચઢવાની વાત તો છે નહી. આપણે તો જીવતે જીવ મરીએ છીએ એટલે બલિ ચઢીએ છીએ. આ છે જીવતે જીવ બાપનાં બનવું કારણ કે એમનાં થી વારસો લેવાનો છે. એમની મત પર ચાલવાનું છે. જીવતે જીવ બલિ ચઢવું, વારી જવું હકીકતમાં હમણાંની વાત છે. ભક્તિમાર્ગમાં તેઓ પછી કેટલાં જીવઘાત વગેરે કરે છે. અહીં જીવઘાતની વાત નથી. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો, બાપ થી યોગ લગાવો, દેહ-અભિમાનમાં નહીં આવો. ઉઠતાં-બેસતાં બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ૧૦૦ ટકા પાસ તો કોઈ થયું નથી. નીચે-ઉપર થતાં રહે છે. ભૂલો થાય છે, તેનાં પર સાવધાની નહીં મળશે તો ભૂલો છોડશો કેવી રીતે? માયા કોઈને પણ છોડતી નથી. કહે છે બાબા અમે માયાથી હારી જઈએ છીએ, પુરુષાર્થ કરીએ પણ છીએ પછી ખબર નહીં શું થાય છે. અમારાં થી આટલી આકરી ભુલો ખબર નહિ કેવી રીતે થઈ જાય છે. સમજે પણ છે બ્રાહ્મણ કુળમાં આનાંથી અમારું નામ બદનામ થાય છે. છતાં પણ માયાનો એવો વાર થાય છે જે સમજમાં નથી આવતું. દેહ-અભિમાન માં આવવાથી જેમ કે બેસમજ બની જાય છે. બેસમજી નાં કામ થાય છે તો ગ્લાનિ પણ થાય છે, વારસો પણ ઓછો થઈ જાય છે. એવી બહુજ ભૂલો કરે છે. માયા એવો જોરથી થપ્પડ લગાવી દે છે જે પોતે તો હાર ખાય છે અને પછી ગુસ્સામાં આવીને કોઈને થપ્પડ કે ચપ્પલ વગેરે મારવાં લાગી જાય છે પછી પશ્ચાતાપ પણ કરે છે. બાબા કહે છે કે હવે તો ખુબ મહેનત કરવી પડે. પોતાનું પણ નુકસાન કર્યુ તો બીજાનું પણ નુકસાન કર્યુ, કેટલો ઘાટો થઈ ગયો. રાહુનું ગ્રહણ બેસી ગયું. હવે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. રાહુનું ગ્રહણ બેસે છે તો પછી તે સમય લે છે. સીડી ચઢીને પછી ઉતરવું મુશ્કેલ થાય છે. મનુષ્યને દારુની આદત પડે છે તો પછી તે છોડવામાં કેટલી મુશ્કેલીઓ થાય છે. સૌથી મોટી ભૂલ છે-કાળુ મોઢું કરવું. ઘડી-ઘડી શરીર યાદ આવે છે. પછી બાળકો વગેરે હોય છે તો તેમની જ યાદ બનેલી રહે છે. તે પછી બીજાઓને જ્ઞાન શું આપશે. તેમનું કોઈ સાંભળશે પણ નહીં. આપણે તો હમણાં બધાને ભૂલવાની કોશિશ કરી એકને યાદ કરીએ છીએ. આમાં સંભાળ બહુજ કરવી પડે છે. માયા બહુજ હોશિયાર છે. આખો દિવસ શિવબાબા ને યાદ કરવાનો જ ખ્યાલ રહેવો જોઈએ. હવે નાટક પૂરું થાય છે, આપણે જવાનું છે. આ શરીર પણ ખતમ થઈ જવાનું છે. જેટલાં બાપને યાદ કરશો તો દેહ-અભિમાન તૂટતું જશે બીજા કોઈની પણ યાદ નહીં હશે. કેટલી મોટી મંઝિલ છે, સિવાય એક બાપનાં બીજા કોઈની સાથે દિલ નથી લગાડવાનું. નહીં તો જરુર તે સામે આવશે. વેર જરુર લેશે. ખુબ ઊંચી મંઝિલ છે. કહેવું તો ખુબ સહજ છે, લાખોમાં કોઈ એક દાણો નીકળે છે. કોઈ સ્કોલરશિપ પણ લે છે ને. જે સારી મહેનત કરશે, જરુર સ્કોલરશિપ લેશે. સાક્ષી થઈ જોવાનું છે, કેવીરીતે સર્વિસ (સેવા) કરું છું? ઘણાં બાળકો ઇચ્છે છે શારીરીક સર્વિસ છોડી આમાં લાગી જઈએ. પરંતુ બાબા સરકમસ્ટાન્સ (પરિસ્થિતિ) પણ જુએ છે. એકલો છે, કોઈ સંબંધ નથી તો વાંધો નહીં. છતાં પણ કહે છે નોકરી પણ કરો અને આ સેવા પણ કરો. નોકરીમાં પણ અનેકો ની સાથે મુલાકાત થશે. આપ બાળકોને જ્ઞાન તો ઘણું મળેલું છે. બાળકો દ્વારા પણ બાપ ઘણી સર્વિસ કરાવતાં રહે છે. કોઈમાં પ્રવેશ કરી સર્વિસ કરે છે. સર્વિસ તો કરવાની જ છે. જેમના માથે મામલો તે કેવી રીતે ઊંઘ કરે! શિવબાબા તો છે જ જાગતી જ્યોત. બાપ કહે છે હું તો દિવસ-રાત સર્વિસ કરું છું, થાકે શરીર છે. પછી આત્મા પણ શું કરે શરીર કામ નથી આપતું. બાપ તો અથક છે ને. એ છે જાગતી જ્યોત, આખી દુનિયાને જગાડે છે. એમનો પાર્ટ જ વન્ડરફુલ છે, જેને આપ બાળકોમાં પણ થોડાં જાણે છે. કાળોનાં કાળ છે બાપ. એમની આજ્ઞા નહીં માનો તો ધર્મરાજ થી દંડા ખાશો. બાપનું મુખ્ય ડાયરેક્શન છે કોઈથી સેવા નહીં લો. પરંતુ દેહ-અભિમાન માં આવીને બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. બાબા કહે છે તમે પોતે સર્વન્ટ છો .અહીં સુખ લેશો તો ત્યાં સુખ ઓછું થઈ જશે. આદત પડી જાય છે તો સર્વેન્ટ વગર રહી નથી શકતાં. ઘણાં કહે છે અમે તો ઇન્ડિપેન્ડેટ (સ્વતંત્ર) રહેશું પરંતુ બાપ કહે છે ડિપેન્ડ (આધારિત) રહેવું સારું છે. તમે બધાં બાપ પર ડિપેન્ડ કરો છો. ઇન્ડિપેન્ડેટ બનવાથી પડી જાઓ છો. તમે બધાં ડિપેન્ડ કરો છો શિવબાબા પર. આખી દુનિયા ડિપેન્ડ કરે છે, ત્યારે તો કહે છે પતિત-પાવન આવો. એમનાં થી જ સુખ-શાંતિ મળે છે, પરંતુ સમજતાં નથી. આ ભક્તિમાર્ગનો સમય પણ પસાર કરવાનો જ છે, જયારે રાત પૂરી થાય છે ત્યારે બાપ આવે છે. એક સેકન્ડનો પણ ફરક નથી પડી શકતો. બાપ કહે છે હું આ ડ્રામાને જાણવા વાળો છું. ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને બીજા કોઈ પણ નથી જાણતા. સતયુગ થી લઈને આ જ્ઞાન પ્રાયઃલોપ છે. હવે તમે રચયિતા અને રચનાનાં આદિ, મધ્ય, અંતને જાણો છો, આને જ જ્ઞાન કહેવાય છે, બાકી બધી છે ભક્તિ. બાપને નોલેજફુલ કહે છે. આપણને એ નોલેજ મળી રહી છે. બાળકોને નશો પણ સારો હોવો જોઈએ. પરંતુ આ પણ સમજે છે કે રાજધાની સ્થાપન થાય છે. કોઈ તો પ્રજામાં પણ સાધારણ નોકર-ચાકર બને છે. જરા પણ જ્ઞાન સમજમાં નથી આવતું. વન્ડર છે ને! જ્ઞાન તો ખુબ સહજ છે. ૮૪ જન્મોનું ચક્ર હવે પૂરું થયું છે. હવે જવાનું છે આપણાં ઘરે. આપણે ડ્રામાનાં મુખ્ય એક્ટર્સ છીએ. આખાં ડ્રામાને જાણી ગયા છીએ. આખાં ડ્રામામાં હીરો-હીરોઈન એક્ટર્સ આપણે છીએ. કેટલું સહજ છે. પરંતુ તકદીરમાં નથી તો તદબીર પણ શું કરે! ભણતરમાં આવું થાય છે. કોઈ નપાસ થઈ જાય છે કેટલી મોટી સ્કૂલ છે. રાજધાની સ્થાપન થવાની છે. હવે જેટલું જે ભણશે, બાળકો જાણી શકે છે કે અમે શું પદ પામીશું? ઝુંડ નાં ઝુંડ છે, બધાં વારીસ તો નહીં બનશે. પવિત્ર બનવું ખુબ મુશ્કેલ છે. બાપ કેટલું સહજ સમજાવે છે, હવે નાટક પૂરું થાય છે. બાપની યાદથી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયાનાં માલિક બનવાનું છે. જેટલું થઈ શકે યાદમાં રહેવાનું છે. પરંતુ તકદીરમાં નથી તો પછી બાપનાં બદલે બીજા-બીજાને યાદ કરે છે. દિલ લગાડવાથી પછી રડવું પણ ઘણું પડે છે. બાપ કહે છે આ જૂની દુનિયાથી દિલ નથી લગાડવાનું. આ તો ખતમ થવાની છે. આ બીજા કોઈને ખબર નથી. તેઓ તો સમજે છે કળયુગ હજી ઘણો સમય ચાલવાનું છે. ઘોર નિંદ્રામાં સૂતેલાં છે. તમારી આ પ્રદર્શની પ્રજા બનાવવાનાં માટે વિહંગ માર્ગની સર્વિસ નું સાધન છે. રાજા-રાણી પણ કોઈ નીકળી પડશે. ઘણાં છે જે સર્વિસનો સારો શોખ રાખે છે. પછી કોઇ ગરીબ, કોઈ સાહૂકાર છે. બીજાને આપસમાન બનાવે છે, તેનો પણ ફાયદો તો મળે છે ને. આંધળાઓ ની લાઠી બનવાનું છે, ફક્ત આ બતાવવાનું છે કે બાપ અને વારસાને યાદ કરો, વિનાશ સામે ઉભું છે. જ્યારે વિનાશનો સમય નજીક જોશે ત્યારે તમારી વાતોને સાંભળશે. તમારી સર્વિસ પણ વૃદ્ધિને પામતી જશે, સમજશે બરાબર ઠીક છે. તમે રળિયા તો મારતાં રહો છો કે વિનાશ થવાનો છે.

તમારી પ્રદર્શની, મેળાની સર્વિસ વૃદ્ધિને પામતી રહેશે. કોશિશ કરવાની છે કોઈ સારો હોલ મળી જાય, ભાડું આપવાં માટે તો અમે તૈયાર છીએ. બોલો, તમારું વધારે જ નામ પ્રસિદ્ધ થશે. એવાં ઘણાંની પાસે હોલ પડ્યા હોય છે. પુરુષાર્થ કરવાથી ૩ પગ પૃથ્વીનાં મળી જશે. ત્યાં સુધી તમે નાની-નાની પ્રદર્શની રાખો. શિવજયંતી પણ તમે મનાવશો તો અવાજ થશે. તમે લખો પણ છો શિવજયંતી ની રજાનો દિવસ મુકરર કરો. હકીકતમાં જન્મદિવસ તો એક નો જ મનાવવો જોઈએ. એજ પતિત-પાવન છે. સ્ટેમ્પ પણ હકીકતમાં અસલી આ ત્રિમૂર્તિ નો છે. સત્યમેવ જયતે…...આ છે વિજય પામવાનો સમય. સમજાવવા વાળા પણ સારા જોઈએ. બધાં સેવાકેન્દ્રનાં જે મુખ્ય છે તેમણે અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. પોતાનો સ્ટેમ્પ નીકાળી શકો છો. આ છે ત્રિમૂર્તિ શિવજયંતી. ફક્ત શિવજયંતી કહેવાથી સમજી નહીં શકે. હવે કામ તો બાળકોએ જ કરવાનું છે. અનેકોનું કલ્યાણ થશે તો કેટલી લિફ્ટ મળશે, સર્વિસની લિફ્ટ બહું મળે છે. પ્રદર્શની થી ઘણી સર્વિસ થઈ શકે છે. પ્રજા તો બનશે ને. બાબા જુએ છે સર્વિસ પર કયા બાળકોનું અટેન્શન રહે છે! દિલ પર પણ તેઓ જ ચઢશે. અરછા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જો એકવાર કોઈ ભૂલ થઈ તો તેજ સમયે કાન પકડવાનાં છે, બીજી વાર તે ભૂલ ન થાય. ક્યારેય પણ દેહ-અહંકારમાં નથી આવવાનું. જ્ઞાનમાં પ્રવીણ બની અંતર્મુખી રહેવાનું છે.

2. સાચાં પિતાવ્રતા બનવાનું છે, જીવતે જીવ બલિ ચઢવાનું છે. કોઈથી પણ દિલ નથી લગાડવાનું. બેસમજી નું કોઈપણ કામ નથી કરવાનું.

વરદાન :-
વિશાળ બુદ્ધિ વિશાળ દિલથી પોતાપણા ની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર રચયિતા ભવ

માસ્ટર રચયિતાની પહેલી રચના-આ દેહ છે. જે આ દેહનાં માલિકપણા માં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી લે છે, તે પોતાનાં સ્નેહ અથવા સંપર્ક દ્વારા સર્વને પોતાપણા નો અનુભવ કરાવે છે. તે આત્માનાં, સંપર્કથી સુખની, દાતાપણની, શાંતિ, પ્રેમ, આનંદ, સહયોગ, હિંમત, ઉત્સાહ, ઉમંગ કોઈને કોઈ વિશેષતાની અનુભૂતિ થાય છે. તેમને જ કહેવાય છે વિશાળબુદ્ધિ, વિશાળ દિલવાળા.

સ્લોગન :-
ઉમંગ-ઉત્સાહની પાંખો દ્વારા સદા ઉડતી કળાની અનુભૂતિ કરતાં જાઓ.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવા માટે વિશેષ અભ્યાસ
કોઈ પણ કર્મ કરો, બોલ બોલો કે સંકલ્પ કરો તો પહેલાં તપાસ કરો કે આ બ્રહ્મા બાપ સમાન છે! બ્રહ્મા બાપની વિશેષતા વિશેષ આ રહી - જે વિચાર્યું તે કર્યું, જે કહ્યું તે કર્યું. એવાં ફોલો ફાધર. પોતાનાં સ્વમાન ની સ્મૃતિથી, બાપનાં સાથની સમર્થી થી, દૃઢતા અને નિશ્ચયની શક્તિથી શ્રેષ્ઠ પોઝીશન પર રહી ઓપોઝિશન ને સમાપ્ત કરી દો તો અવ્યક્ત સ્થિતિ સહજ બની જશે.