06-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ભારતનાં બહુજ અમુલ્ય સેવક છો , તમારે પોતાનાં તન - મન - ધન થી શ્રીમત પર આને
રામરાજ્ય બનાવવાનું છે ”
પ્રશ્ન :-
સાચી અલૌકિક
સેવા કઈ છે, જે હમણાં આપ બાળકો કરો છો?
ઉત્તર :-
આપ બાળકો
ગુપ્ત રીત થી શ્રીમત પર પાવન ભૂમિ સુખધામ ની સ્થાપના કરી રહ્યા છો - આજ ભારત ની સાચી
અલૌકિક સેવા છે. તમે બેહદ બાપની શ્રીમત પર બધાંને રાવણ ની જેલ થી છોડાવી રહ્યા છો.
આનાં માટે તમે પાવન બનીને બીજાઓને પાવન બનાવો છો.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ....
ઓમ શાંતિ!
હેં પ્રભુ,
ઈશ્વર, પરમાત્મા કહેવું અને પિતા અક્ષર કહેવામાં કેટલો ફરક છે. હેં ઈશ્વર, હેં પ્રભુ
કહેવાથી કેટલો રીગાર્ડ (સમ્માન) રહે છે. અને પછી તેમને પિતા કહે છે, તો પિતા અક્ષર
બહુજ સાધારણ છે. પિતાઓ તો અસંખ્ય છે. પ્રાર્થનામાં પણ કહે છે - હેં પ્રભુ, હેં
ઈશ્વર. બાબા કેમ નથી કહેતા? છે તો પરમપિતા ને? પરંતુ બાબા અક્ષર જાણે દબાઈ જાય છે,
પરમાત્મા અક્ષર ઊંચો થઈ જાય છે. બોલાવે છે-હેં પ્રભુ, નયનહીન્ ને રાહ દેખાડો.
આત્માઓ કહે છે-બાબા, અમને મુક્તિ-જીવનમુક્તિ નો માર્ગ બતાઓ. પ્રભુ અક્ષર કેટલો મોટો
છે. પિતા અક્ષર હલકો છે. અહીંયા તમે જાણો છો બાપ આવીને સમજાવે છે. લૌકિક રીત થી તો
પિતાઓ ઘણાં છે, બોલાવે પણ છે તમે માત-પિતા….. કેટલાં સાધારણ અક્ષર છે. ઈશ્વર કે
પ્રભુ કહેવાથી સમજે છે તે શું નથી કરી શકતાં. હમણાં આપ બાળકો જાણો છો બાપ આવેલાં
છે. બાપ રસ્તો બહુજ ઉચ્ચ સહજ બતાવે છે. બાપ કહે છે-મારા બાળકો, તમે રાવણની મત પર
કામ ચિતા પર ચઢી ભસ્મીભૂત થઈ ગયા છો. હવે હું તમને પાવન બનાવીને ઘરે લઈ જવા આવ્યો
છું. બાપને બોલાવે પણ એટલે જ છે કે આવીને પતિત થી પાવન બનાવો. બાપ કહે છે હું આવ્યો
છું તમારી સેવામાં. આપ બાળકો પણ બધાં, ભારતની અલૌકિક સેવામાં છો. જે સર્વિસ તમારા
સિવાય બીજા કોઈ કરી નથી શકતાં. તમે ભારતનાં માટે જ કરો છો, શ્રીમત પર પવિત્ર બની અને
ભારતને બનાવો છો. બાપુ ગાંધીજી ની પણ આશ હતી કે રામરાજ્ય હોય. હવે કોઈ મનુષ્ય તો
રામરાજ્ય બનાવી ન શકે. નહીં તો પ્રભુ ને પતિત-પાવન કહી કેમ બોલાવીએ? હવે આપ બાળકોને
ભારત માટે કેટલો પ્રેમ છે. સાચ્ચી સેવા તો તમે કરો છો, ખાસ ભારતની અને આમ આખી
દુનિયાની.
તમે જાણો છો ભારતને ફરીથી રામરાજ્ય બનાવીએ છીએં, જે બાપુજી ઈચ્છતા હતાં. તે હદનાં
બાપુજી હતા આ પછી છે બેહદનાં બાપુજી. આ બેહદ ની સેવા કરે છે. આ આપ બાળકો જ જાણો છો.
તમારામાં પણ નંબરવાર આ નશો રહે છે કે આપણે રામરાજ્ય બનાવીશું. ગવર્મેન્ટ (સરકાર)
નાં તમે સર્વેન્ટ (સેવક) છો. તમે દૈવી ગવર્મેન્ટ બનાવો છો. તમને ભારતનાં માટે ગર્વ
છે. જાણો છો સતયુગમાં આ પાવન ભૂમિ હતી, હમણાં તો પતિત છે. તમે જાણો છો હમણાં આપણે
બાપ દ્વારા ફરીથી પાવન ભૂમિ કે સુખધામ બનાવી રહ્યા છીએં, તે પણ ગુપ્ત. શ્રીમત પણ
ગુપ્ત મળે છે. ભારત સરકારનાં માટે જ તમે કરી રહ્યા છો. શ્રીમત પર તમે ભારતની ઊંચે
થી ઊંચી સેવા પોતાનાં તન-મન-ધનથી કરી રહ્યા છો. કોંગ્રેસી લોકો કેટલા જેલ વગેરેમાં
ગયાં. તમારે તો જેલ વગેરેમાં જવાની દરકાર નથી. તમારી તો છે જ રુહાની વાત. તમારી
લડાઈ પણ છે ૫ વિકાર રુપી રાવણ થી. જે રાવણનું આખી પૃથ્વી પર રાજ્ય છે. તમારી આ સેના
છે. લંકા તો એક નાનો ટાપુ છે. આ સૃષ્ટિ બેહદનો ટાપુ છે. તમે બેહદનાં બાપની શ્રીમત
પર બધાંને રાવણની જેલથી છોડાવો છો. આ તો તમે જાણો છો કે આ પતિત દુનિયાનો વિનાશ તો
થવાનો જ છે. તમે શિવ શક્તિઓ છો. શિવ શક્તિ આ ગોપ પણ છે. તમે ગુપ્ત રીતે ભારતની બહુજ
મોટી સેવા કરી રહ્યા છો. આગળ ચાલીને બધાને ખબર પડશે. તમારી છે શ્રીમત પર રુહાની સેવા.
તમે ગુપ્ત છો. ગવર્મેન્ટ જાણતી જ નથી કે આ બી.કે. તો ભારતને પોતાનાં તન-મન-ધનથી
શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ સચખંડ બનાવે છે. ભારત સચખંડ હતો, હવે જૂઠખંડ છે. સત્ય તો એક જ
બાપ છે. કહેવાય પણ છે ગોડ ઈઝ ટ્રુથ. તમને નર થી નારાયણ બનવાનું સત્ય શિક્ષણ આપી
રહ્યાં છે. બાપ કહે છે કલ્પ પહેલા પણ તમને નર થી નારાયણ બનાવ્યા હતાં, રામાયણમાં તો
શું-શું કથાઓ બેસી લખી દીધી છે. કહે છે રામે વાનર સેના લીધી. તમે પહેલા વાનર જેવા
હતાં. એક સીતાની તો વાત નથી. બાપ સમજાવે છે કેવી રીતે આપણે રાવણ રાજ્યનો વિનાશ કરાવી
રામરાજ્ય સ્થાપન કરીએ છીએં, આમાં કોઈ તકલીફ ની વાત નથી. તેઓ તો કેટલાં ખર્ચા કરે
છે. રાવણનું પૂતળું બનાવીને પછી તેને બાળે છે. સમજતાં કાંઈ પણ નથી. મોટા-મોટા લોકો
બધાં જાય છે, વિદેશીઓને પણ દેખાડે છે, સમજતા કંઈ નથી. હવે બાપ સમજાવે છે તો આપ
બાળકોનાં દિલમાં ઉમંગ છે કે અમે ભારતની સાચ્ચી રુહાની સેવા કરી રહ્યા છીએ. બાકી આખી
દુનિયા રાવણની મત પર છે, તમે છો રામની શ્રીમત પર. રામ કહો, શિવ કહો, નામ તો બહુજ
રાખી દીધા છે.
આપ બાળકો ભારતનાં બહુજ અમુલ્ય સેવક છો શ્રીમત પર. કહે પણ છે-હેં પતિત-પાવન, આવીને
પાવન બનાવો. તમે જાણો છો સતયુગમાં આપણને કેટલું સુખ મળે છે. કારુન નો ખજાનો મળે છે.
ત્યાં સરેરાશ આયુ પણ કેટલી મોટી રહે છે. તે છે યોગી, આ છે બધાં ભોગી. તે પાવન, આ
પતિત. કેટલો રાત-દિવસ નો ફરક છે. કૃષ્ણ ને પણ યોગી કહે છે, મહાત્મા પણ કહે છે. પરંતુ
તે તો સાચાં મહાત્મા છે. તેમની તો મહિમા ગવાય છે સર્વગુણ સંપન્ન…… આત્મા અને શરીર
બંને પવિત્ર છે. સન્યાસી તો ગૃહસ્થીઓની પાસે વિકાર થી જન્મ લઈ પછી સન્યાસી બને છે.
આ વાતો હમણાં તમને બાપ સમજાવે છે. આ સમયે મનુષ્ય તો છે - જુઠ્ઠા, નિરાશ. સતયુગ માં
કેવા હતાં? ધાર્મિક, સત્ય હતાં. ૧૦૦ ટકા સોલ્વેન્ટ (સદ્ધર) હતાં. સદા ખુશ રહેતા હતાં.
રાત-દિવસનો ફરક છે. આ એક્યુરેટ તમે જ જાણો છો. આ કોઈને ખબર થોડી પડે છે કે ભારત
સ્વર્ગ થી નર્ક કેવી રીતે બન્યું છે? લક્ષ્મી-નારાયણની પૂજા કરે છે, મંદિર બનાવે
છે, સમજતા કાંઈ પણ નથી. બાપ સમજાવતા રહે છે - સારા-સારા સત્તાવાળા જે છે, બિરલા ને
પણ સમજાવી શકો છો, આ લક્ષ્મી-નારાયણએ આ પદ કેવી રીતે પામ્યું, શું કર્યુ જે તેમનાં
મંદિર બનાવ્યાં છે? વગર કર્તવ્ય જાણ્યા પૂજા કરવી પણ તો પથ્થરપૂજા કે પૂતળાંની પૂજા
થઈ ગઈ. બીજા ધર્મવાળા તો જાણે છે ક્રાઈસ્ટ ફલાણા સમય પર આવ્યાં, ફરી આવશે.
તો આપ બાળકોને કેટલો રુહાની ગુપ્ત નશો હોવો જોઈએ. રુહ ને ખુશી થવી જોઈએ. અડધો કલ્પ
દેહ-અભિમાની બન્યાં છો. હવે બાપ કહે છે-અશરીરી બનો, સ્વયંને આત્મા સમજો. આપણી આત્મા
બાપને સાંભળી રહી છે. બીજા સત્સંગોમાં ક્યારેય આવું નહીં સમજશે. આ રુહાની બાપ રુહો
ને બેસી સમજાવે છે. રુહ જ બધું સાંભળે છે ને. આત્મા કહે છે હું વડાપ્રધાન છું, ફલાણો
છું. આત્માએ આ શરીર દ્વારા કહ્યું કે હું વડાપ્રધાન છું. હવે તમે કહો છો હું આત્મા
પુરુષાર્થ કરી સ્વર્ગનાં દેવી-દેવતા બની રહી છું. અહમ આત્મા, મમ શરીર છે.
દેહી-અભિમાની બનવામાં જ ઘણી મહેનત લાગે છે. ઘડી-ઘડી સ્વયંને આત્મા સમજી બાપને યાદ
કરતા રહો તો વિકર્મ વિનાશ થઈ જાય. તમે બહુજ વફાદાર સેવક છો. કર્તવ્ય કરો છો ગુપ્ત
રીતે થી. તો નશો પણ ગુપ્ત જોઈએ. આપણે ગવર્મેન્ટ નાં રુહાની સેવક છીએ. ભારતને સ્વર્ગ
બનાવીએ છીએં. બાપુજી પણ ઈચ્છતાં હતા નવી દુનિયામાં નવું ભારત હોય, નવી દિલ્હી હોય.
હમણાં નવી દુનિયા તો છે નહીં. આ જુની દિલ્હી કબ્રિસ્તાન બને છે પછી પરીસ્તાન બનવાનું
છે. હમણાં આને પરીસ્તાન થોડી કહેશું. નવી દુનિયામાં પરિસ્તાન નવી દિલ્હી તમે બનાવી
રહ્યા છો. આ બહું સમજવાની વાતો છે. આ વાતો ભૂલવી ન જોઈએ. ભારતને ફરીથી સુખધામ
બનાવવાનું કેટલું ઊંચું કાર્ય છે. ડ્રામા પ્લાન અનુસાર સૃષ્ટિ જૂની થવાની જ છે.
દુઃખધામ છે ને. દુ:ખહર્તા, સુખકર્તા એક બાપને જ કહેવાય છે. તમે જાણો છો બાપ ૫ હજાર
વર્ષ પછી આવીને દુઃખી ભારતને સુખી બનાવે છે. સુખ પણ આપે છે, શાંતિ પણ આપે છે.
મનુષ્ય કહે પણ છે મનની શાંતિ કેવી રીતે મળે? હવે શાંતિ તો શાંતિધામ સ્વીટઘરમાં જ
હોય છે. એને કહેવાય છે શાંતિધામ, જ્યાં અવાજ નથી, દુઃખ નથી. સૂર્ય ચંદ્ર વગેરે પણ
નથી હોતાં. હમણાં આપ બાળકોને આ બધું જ્ઞાન છે. બાપ પણ આવીને વફાદાર સેવક બન્યા છે
ને. પરંતુ બાપને તો બિલકુલ જાણતા જ નથી. બધાંને મહાત્મા કહી દે છે. હવે મહાન આત્મા
તો સિવાય સ્વર્ગનાં ક્યારેય હોઈ ન સકે. ત્યાં આત્માઓ પવિત્ર છે. પવિત્ર હતાં તો
સુખ-શાંતિ પણ હતું. હમણાં પવિત્રતા નથી તો કંઈ નથી. પવિત્રતાનું જ માન છે. દેવતાઓ
પવિત્ર છે ત્યારે તો તેમની આગળ માથું નમાવે છો. પવિત્ર ને પાવન , અપવિત્ર ને પતિત
કહેવાય છે. આ છે આખા વિશ્વનાં બેહદનાં બાપુજી, આમ તો મેયરને પણ કહેશે શહેર ના પિતા.
ત્યાં થોડી આવી વાતો હશે. ત્યાં તો કાયદેસર રાજ્ય ચાલે છે. બોલાવે પણ છે-હેં
પતિત-પાવન આવો. હવે બાપ કહે છે-પવિત્ર બનો, તો કહે છે આ કેવી રીતે થશે, પછી બાળકો
કેવી રીતે પેદા થશે? સૃષ્ટિ કેવી રીતે વૃદ્ધિ ને પામશે? તેમને એ ખબર નથી કે
લક્ષ્મી-નારાયણ સંપૂર્ણ નિર્વિકારી હતાં. આપ બાળકોને કેટલો વિરોધ સહન કરવો પડે છે.
ડ્રામામાં જે કલ્પ પહેલાં થયું છે તે રિપીટ (પુનરાવર્તન) થાય છે. એવું નથી કે ડ્રામા
પર ઉભાં રહી જવાનું છે-ડ્રામામાં હશે તો મળશે! સ્કૂલમાં એમજ બેસી રહેવાથી કોઈ પાસ
થઈ જશે શું? દરેક વસ્તુ માટે મનુષ્યનો પુરુષાર્થ તો ચાલે છે. પુરુષાર્થ વગર પાણી પણ
મળી ન શકે. સેકન્ડ પછી સેકન્ડ જે પુરુષાર્થ ચાલે છે તે પ્રાલબ્ધ નાં માટે. આ બેહદનો
પુરુષાર્થ કરવાનો છે બેહદનાં સુખ માટે. હમણાં છે બ્રહ્માની રાત સો બ્રાહ્મણો ની રાત
પછી બ્રાહ્મણોનો દિવસ હશે. શાસ્ત્રોમાં પણ વાંચતા હતાં પરંતુ સમજતાં કંઈ નહોતાં. આ
બાબા પોતે બેસીને રામાયણ ભાગવત વગેરે સંભળાવતા હતાં, પંડિત બની બેસતા હતાં. હમણાં
સમજે છે એતો ભક્તિમાર્ગ છે. ભક્તિ અલગ છે, જ્ઞાન અલગ ચીજ છે. બાપ કહે છે તમે કામ
ચિતા પર બેસી બધાં કાળા બની ગયા છો. કૃષ્ણને પણ શ્યામ સુંદર કહે છે ને. પૂજારી લોકો
અંધશ્રદ્ધાળુ છે. કેટલી ભૂત પૂજા છે. શરીરની પૂજા, એટલે ૫ તત્વોની પૂજા થઈ ગઈ. આને
કહેવાય છે-વ્યભિચારી પૂજા. ભક્તિ પહેલાં અવ્યભિચારી હતી, એક શિવની જ થતી હતી. હવે
તો જુઓ શું-શું પૂજા થતી રહે છે. બાપ વન્ડર પણ દેખાડે છે, જ્ઞાન પણ સમજાવી રહ્યા
છે. કાંટા થી ફૂલ બનાવી રહ્યાં છે. તેને કહેવાય જ છે ફૂલો નો બગીચો. કરાચીમાં
ચોકીદારી પર એક પઠાન રહેતો હતો, તે પણ ધ્યાનમાં ચાલ્યો જતો હતો, કહેતો હતો હું
સ્વર્ગમાં ગયો, ખુદા એ મને ફૂલ આપ્યું. તેને ઘણી મજા આવતી હતી. વન્ડર છે ને. તેઓ તો
૭ વન્ડર કહે છે. હકીકતમાં વન્ડર ઓફ વર્લ્ડ (અજાયબી) તો સ્વર્ગ છે-આ કોઈને પણ ખબર નથી.
તમને કેટલું ફર્સ્ટ ક્લાસ જ્ઞાન મળ્યું છે. તમને કેટલી ખુશી થવી જોઈએ. કેટલા ઊંચા
બાપદાદા છે અને કેટલાં સાદા રહે છે, બાપ ની જ મહિમા ગવાય છે, એ નિરાકાર, નિરહંકારી
છે. બાપને તો આવીને સેવા કરવાની છે ને. બાપ હંમેશા બાળકોની સેવા કરી, તેમને
ધન-સંપત્તિ આપી પોતે વાનપ્રસ્થ અવસ્થા લઈ લે છે. બાળકોને માથા પર ચઢાવે છે. આપ બાળકો
વિશ્વનાં માલિક બનો છો. સ્વીટ હોમ માં જઈને પછી સ્વીટ બાદશાહી આવીને લેશો, બાપ કહે
છે હું તો બાદશાહી નથી લેતો. સાચાં નિષ્કામ સેવાધારી તો એક બાપ જ છે. તો બાળકોને
કેટલી ખુશી રહેવી જોઈએ. પરંતુ માયા ભુલાવી દે છે. આટલાં મોટા બાપદાદાને ભૂલવું થોડી
જોઈએ. દાદાની મિલકતનો કેટલો નશો રહે છે. તમને તો શિવબાબા મળ્યાં છે. એમની મિલકત છે.
બાપ કહે છે મને યાદ કરો અને દૈવી ગુણ ધારણ કરો. આસુરી ગુણોને નીકાળી દેવાં જોઈએ.
ગાએ પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. નિર્ગુણ સંસ્થા પણ છે. હવે અર્થ તો
કોઈ સમજતાં નથી. નિર્ગુણ અર્થાત કોઈ ગુણ નથી. પરંતુ તેઓ સમજે થોડી છે. આપ બાળકોને
બાપ એક જ વાત સમજાવે છે-બોલો, અમે તો ભારતની સેવામાં છીએ. જે બધાંનાં બાપુજી છે, અમે
એમની શ્રીમત પર ચાલીએ છીએ. શ્રીમત ભગવદ ગીતા ગવાયેલી છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ ઊંચા
બાપદાદા સાદા રહે છે એવું બહુજ-બહુજ સરળ, નિરાકારી અને નિરહંકારી બનીને રહેવાનું
છે. બાપ દ્વારા જે ફર્સ્ટ ક્લાસ જ્ઞાન મળ્યું છે, તેનું ચિંતન કરવાનું છે.
2. ડ્રામા જે હૂબહૂ રીપીટ થઇ રહ્યો છે, તેમાં બેહદનો પુરુષાર્થ કરી બેહદ સુખની
પ્રાપ્તિ કરવાની છે. ક્યારેય ડ્રામા કહીને ઉભા નથી રહેવાનું. પ્રાલબ્ધનાં માટે
પુરુષાર્થ જરુર કરવાનો છે.
વરદાન :-
સાંભળવાની સાથે
- સાથે સ્વરુપ બની મન નાં મનોરંજન દ્વારા સદા શક્તિશાળી આત્મા ભવ
રોજ મનમાં સ્વનાં
પ્રતિ કે બીજાઓનાં પ્રતિ ઉમંગ-ઉત્સાહનાં સંકલ્પ લાવો. સ્વયં પણ એજ સંકલ્પનું સ્વરુપ
બનો અને બીજાઓની સેવામાં પણ લગાવો તો પોતાનું જીવન પણ સદાનાં માટે ઉત્સાહવાળું થઇ
જશે અને બીજાઓને પણ ઉત્સાહ અપાવવાં વાળા બની શકશો. જેમ મનોરંજન પ્રોગ્રામ થાય છે
તેમ રોજ મન નાં મનોરંજન નો પ્રોગ્રામ બનાવો, જે સાંભળો છો તેનું સ્વરુપ બનો તો
શક્તિશાળી બની જશો.
સ્લોગન :-
બીજાઓને
બદલવાની પહેલાં સ્વયંને બદલો, આ જ સમજદારી છે.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
ચાલતાં-ફરતાં
સ્વયંને નિરાકારી આત્મા અને કર્મ કરતાં અવ્યક્ત ફરિશ્તા સમજો તો સાક્ષી દ્રષ્ટા બની
જશો. આ દેહની દુનિયા માં કંઈ પણ થતું રહે, પરંતુ ફરિશ્તા ઉપર થી સાક્ષી થઈ બધો
પાર્ટ જોતાં સકાશ અર્થાત્ સહયોગ આપે છે. સકાશ આપવું જ નિભાવવું છે.