27-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
હમણાં તમારી પાલના કરી રહ્યાં છે , ભણાવી રહ્યાં છે , ઘરે બેઠાં સલાહ આપી રહ્યાં છે
, તો કદમ - કદમ પર સલાહ લેતાં રહો ત્યારે ઊંચ પદ મળશે ”
પ્રશ્ન :-
સજાઓથી છૂટવા
માટે કયો પુરુષાર્થ બહુજ સમયનો જોઈએ?
ઉત્તર :-
નષ્ટોમોહા બનવાનો. કોઈના માં પણ મમત્વ ન હોય. પોતાનાં દિલથી પૂછવાનું છે-અમારો કોઈના
માં મોહ તો નથી? કોઈ પણ જુનો સંબંધ અંતમાં યાદ ન આવે. યોગબળ થી બધાં હિસાબ-કિતાબ
ચૂકતું કરવાનાં છે ત્યારે જ વગર સજાએ ઊંચ પદ મળશે.
ઓમ શાંતિ!
હમણાં તમે કોના
સમ્મુખ બેઠાં છો? બાપદાદાનાં. બાપ પણ કહેવું પડે તો દાદા પણ કહેવું પડે. બાપ પણ આ
દાદાનાં દ્વારા તમારા સમ્મુખ બેઠાં છે. બહાર તમે રહો છો તો ત્યાં બાપ ને યાદ કરવા
પડે છે. ચિઠ્ઠી લખવી પડે છે. અહીંયા તમે સમ્મુખ છો. વાતચીત કરો છો-કોની સાથે?
બાપદાદાની સાથે. આ છે ઉંચેથી ઊંચી બે ઓથોરીટી (સત્તા). બ્રહ્મા છે સાકાર અને શિવ છે
નિરાકાર. હમણાં તમે જાણો છો ઊંચેથી ઊંચી ઓથોરીટી, બાપ થી કેવી રીતે મળવાનું હોય છે!
બેહદનાં બાપ જેમને પતિત-પાવન કહીને બોલાવે છે, હમણાં પ્રેક્ટિકલમાં તમે એમનાં
સમ્મુખ બેઠાં છો. બાપ બાળકોની પાલના કરી રહ્યાં છે, ભણાવી રહ્યાં છે. ઘરે બેઠાં પણ
બાળકોને સલાહ મળે છે કે ઘરમાં આમ-આમ ચાલો. હવે બાપની શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ બનશો. બાળકો જાણે છે આપણે ઊંચેથી ઊંચા બાપની મત થી ઊંચેથી ઊંચું પદ પામીએ
છીએ. મનુષ્ય સૃષ્ટિમાં ઊંચેથી ઊંચું આ લક્ષ્મી-નારાયણનું પદ છે. આ પાસ્ટ (ભૂતકાળ)
માં થઈને ગયાં છે. મનુષ્ય જઈને આ શ્રેષ્ઠને નમસ્તે કરે છે. મુખ્ય વાત છે જ પવિત્રતા
ની. મનુષ્ય તો મનુષ્ય જ છે. પરંતુ ક્યાં તે વિશ્વનાં માલિક, ક્યાં હમણાં નાં મનુષ્ય!
આ તમારી બુદ્ધિમાં જ છે-ભારત બરાબર ૫ હજાર વર્ષ પહેલાં આવું હતું, આપણે જ વિશ્વનાં
માલિક હતાં. બીજા કોઈની બુદ્ધિમાં આ નથી. આમને પણ ખબર થોડી હતી, બિલકુલ ઘોર અંધકારમાં
હતાં. હમણાં બાપે આવીને બતાવ્યું છે બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે
થાય છે? આ બહુજ ગુહ્ય રમણીક વાતો છે જે બીજા કોઈ સમજી ન શકે. સિવાય બાપનાં આ નોલેજ
કોઈ ભણાવી ન શકે. નિરાકાર બાપ આવીને ભણાવે છે. કૃષ્ણ ભગવાનુવાચ નથી. બાપ કહે છે હું
તમને ભણાવીને સુખી બનાવું છું. પછી હું પોતાનાં નિર્વાણધામ માં ચાલ્યો જાઉં છું.
હમણાં આપ બાળકો સતોપ્રધાન બની રહ્યાં છો, આમાં ખર્ચો કાંઈ પણ નથી. ફક્ત સ્વયંને
આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. વગર કોડી ખર્ચે ૨૧ જન્મનાં માટે તમે વિશ્વનાં
માલિક બનો છો. પાઈ-પૈસા મોકલી દે છે, તે પણ પોતાનું ભવિષ્ય બનાવવાં. કલ્પ પહેલાં
જેમણે જેટલું ખજાનામાં નાખ્યું છે, એટલું જ હમણાં નાખશે. ન વધારે, ન ઓછું નાખી શકે.
આ બુદ્ધિમાં જ્ઞાન છે એટલે ફિકરની કોઈ વાત નથી રહેતી. વગર કોઈ ફિકરે આપણે પોતાની
ગુપ્ત રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએં. આ બુદ્ધિમાં સિમરણ કરવાનું છે. આપ બાળકોએ
ખુબજ ખુશીમાં રહેવું જોઈએ અને પછી નષ્ટોમોહા પણ બનાવવાનું છે. અહીંયા નષ્ટોમોહા
બનવાથી પછી તમે ત્યાં મોહ જીત રાજા-રાણી બનશો. તમે જાણો છો આ જૂની દુનિયા તો હવે
ખતમ થવાની છે, હવે પાછાં જવાનું છે. પછી આમાં મમત્વ કેમ રાખીએ. કોઈ બીમાર થાય છે,
ડોક્ટર કહી દે છે, કેસ હોપલેસ (નિરાશાજનક) છે તો પછી તેમનાથી મમત્વ નીકળી જાય છે.
સમજે છે આત્મા એક શરીર છોડી જઈ બીજું લે છે. આત્મા તો અવિનાશી છે ને. આત્મા ચાલી ગઈ,
શરીર ખતમ થઈ ગયું પછી તેને યાદ કરવાથી ફાયદો શું! હવે બાપ કહે છે તમે નષ્ટોમોહા બનો.
પોતાનાં દિલથી પૂછવાનું છે-અમારો કોઈના માં મોહ તો નથી ને? નહીં તો તે અંતમાં યાદ
જરૂર આવશે. નષ્ટોમોહા હશે તો આ પદ પામશે. સ્વર્ગમાં તો બધાં આવશે-તે કોઈ મોટી વાત
નથી. મોટી વાત છે સજા ન ખાઈ ને, ઊંચું પદ પામવું. યોગબળ થી હિસાબ-કિતાબ ચૂકતું કરશે
તો પછી સજા નહીં ખાશે. જૂનાં સંબંધી પણ યાદ ન આવે. હમણાં તો આપણો બ્રાહ્મણો થી
સંબંધ છે પછી આપણો દેવતાઓથી સંબંધ હશે. હમણાં નો સંબંધ સૌથી ઊંચો છે.
હમણાં તમે જ્ઞાનસાગર બાપનાં બન્યાં છો. બધું નોલેજ બુદ્ધિમાં છે. પહેલાં થોડી આ
જાણતા હતાં કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? હમણાં બાપ એ સમજાવ્યું છે. બાપ થી
વારસો મળે છે ત્યારે તો બાપની સાથે લવ (પ્રેમ) છે ને. બાપ દ્વારા સ્વર્ગની બાદશાહી
મળે છે. એમનો આ રથ મુકરર છે. ભારતમાં જ ભાગીરથ ગવાયેલું છે. બાપ આવે પણ ભારતમાં છે.
આપ બાળકોની બુદ્ધિમાં હમણાં ૮૪ જન્મોની સીડીનું જ્ઞાન છે. તમે જાણી ચૂક્યાં છો આ
૮૪નું ચક્ર આપણે લગાવવાનું જ છે. ૮૪નાં ચક્રથી છૂટી નથી શકતાં. તમે જાણો છો કે સીડી
ઉતારવામાં ખૂબ સમય લાગે છે, ચઢવામાં ફક્ત આ અંતિમ જન્મ લાગે છે એટલે કહેવાય છે તમે
ત્રિલોકીનાથ, ત્રિકાળદર્શી બનો છો. પહેલાં તમને આ ખબર હતી કે આપણે ત્રિલોકીનાથ
બનવાવાળા છીએ? હમણાં બાપ મળ્યાં છે, શિક્ષા આપી રહ્યાં છે ત્યારે તમે સમજો છો.
બાબાની પાસે કોઈ આવે છે બાબા પૂછે છે-પહેલાં આ ડ્રેસમાં આ મકાનમાં ક્યારે મળ્યાં
છો? કહે છે-હાં બાબા, કલ્પ-કલ્પ મળીએ છીએ. તો સમજાય છે બ્રહ્માકુમારીએ ઠીક સમજાવ્યું
છે. હમણાં આપ બાળકો સ્વર્ગનાં ઝાડ સામે જોઈ રહ્યાં છો. નજીક છો ને. મનુષ્ય બાપનાં
માટે કહે છે - નામ-રુપ થી ન્યારા છે, તો પછી બાળકો ક્યાંથી આવશે! તે પણ નામ-રુપ થી
ન્યારા થઈ જાય! અક્ષર જે કહે છે બિલકુલ રોંગ (ખોટા). જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે,
તેમની જ બુદ્ધિમાં બેસશે. પ્રદર્શનીમાં જુઓ કેવાં-કેવાં આવે છે. કોઈ તો સાંભળેલી
વાતો પર લખી દે છે કે આ બધી કલ્પના છે. પણ સમજાય છે આ આપણાં કુળનાં નથી. અનેક
પ્રકારનાં મનુષ્ય છે. તમારી બુદ્ધિમાં આખું ઝાડ, ડ્રામા, ૮૪ નું ચક્ર આવી ગયું છે.
હમણાં પુરુષાર્થ કરવાનો છે. તે પણ ડ્રામા અનુસાર જ થાય છે. ડ્રામામાં નોંધ છે. એવું
પણ નહીં ડ્રામામાં પુરુષાર્થ કરવાનો હશે તો કરશું, આ કહેવું રોંગ (ખોટું) છે.
ડ્રામાને પૂરું નથી સમજ્યાં, તેમને પછી નાસ્તિક કહેવાય છે. તે બાપથી પ્રીત રાખી ન
શકે. ડ્રામાનાં રહસ્યને ઉલટું સમજવાથી નીચે પડી જાય છે, પછી સમજાય છે આમની તકદીરમાં
નથી. વિઘ્ન તો અનેક પ્રકારનાં આવશે. તેની પરવા નથી કરવાની. બાપ કહે છે જે સારી વાતો
તમને સંભળાવું છું તે સાંભળો. બાપ ને યાદ કરવાથી ખુશ બહુજ રહેશો. બુદ્ધિમાં છે હવે
૮૪ નું ચક્ર પૂરું થાય છે, હવે જવાનું છે આપણા ઘરે. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની
છે. તમે પતિત તો જઈ નથી શકતાં. પહેલાં જરુર સાજન જોઈએ, પાછળ બારાત (જાન). ગવાયેલું
પણ છે ભોળાનાથ ની બારાત. બધાને નંબરવાર જવાનું તો છે, આટલી આત્માઓનું ઝુંડ કેવી રીતે
નંબરવાર જતું હશે! મનુષ્ય પૃથ્વી પર કેટલી જગ્યા લે છે, કેટલું ફર્નિચર જાગીર વગેરે
જોઈએ. આત્મા તો છે બિંદુ. આત્માને શું જોઈએ? કાંઈ પણ નહીં. આત્મા કેટલી નાની જગ્યા
લે છે. આ સાકારી ઝાડ અને નિરાકારી ઝાડમાં કેટલો ફરક છે! તે છે બિંદુઓનું ઝાડ. આ બધી
વાતો બાપ બુદ્ધિમાં બેસાડે છે. તમારાં સિવાય આ વાતો દુનિયામાં બીજા કોઈ સાંભળી ન શકે.
બાપ હમણાં આપણા ઘર અને રાજધાની ની યાદ અપાવે છે. આપ બાળકો રચયિતા ને જાણવાથી સૃષ્ટિ
ચક્રનાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તમે ત્રિકાળદર્શી, આસ્તિક થઈ ગયાં. દુનિયાભર માં
કોઈ આસ્તિક નથી. તે છે હદનું ભણતર, આ છે બેહદનું ભણતર. તે અનેક ટીચર્સ (શિક્ષકો)
ભણાવવાં વાળા, આ એક શિક્ષક ભણાવવા વાળા. જે પછી વન્ડરફુલ છે. આ બાપ પણ છે, શિક્ષક
પણ છે, તો ગુરુ પણ છે. આ શિક્ષક તો આખાં વર્લ્ડ (વિશ્વ) નાં છે. પરંતુ બધાને તો
ભણવાનું નથી. બાપને બધાં જાણી જાય તો બહુજ ભાગે, બાપદાદાને જોવાં માટે. ગ્રેટ ગ્રેટ
ગ્રાન્ડ ફાધર(આદિ પિતા) એડમમાં બાપ આવ્યાં છે, તો એકદમ ભાગી આવે. બાપ ની પ્રત્યક્ષતા
ત્યારે થાય છે જ્યારે લડાઈ શરુ થાય છે, પછી કોઈ આવી પણ નહીં શકે. તમે જાણો છો અનેક
ધર્મોનો વિનાશ પણ થવાનો છે. પહેલાં-પહેલાં એક ભારત જ હતું બીજા કોઈ ખંડ નહોતાં. હમણાં
તમારી બુદ્ધિમાં ભક્તિમાર્ગની પણ વાતો છે. બુદ્ધિથી કોઈ ભૂલી થોડી જાય છે. પરંતુ
યાદ રહેતાં પણ આ જ્ઞાન છે, ભક્તિ નો પાર્ટ પૂરો થયો હવે તો આપણે પાછાં જવાનું છે. આ
દુનિયામાં રહેવાનું નથી. ઘરે જવાં માટે તો ખુશી થવી જોઈએ ને. આપ બાળકોને સમજાવ્યું
છે તમારી હવે વાનપ્રસ્થ અવસ્થા છે. તમે બે પૈસા આ રાજધાની સ્થાપન કરવામાં લગાવો છો,
તે પણ જે કરો છો, હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ. તમે પણ હૂબહૂ કલ્પ પહેલાંવાળા છો. તમે
કહો છો બાબા તમે પણ કલ્પ પહેલાંવાળા છો. આપણે કલ્પ-કલ્પ બાબા થી ભણીએ છીએ. શ્રીમત
પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે. આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે. તમને આ ખુશી છે
કે આપણે આપણી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર. બાપ ફક્ત કહે છે પવિત્ર બનો.
તમે પવિત્ર બનશો તો આખી દુનિયા પવિત્ર બનશે. બધાં પાછાં ચાલ્યાં જશે. બાકી બીજી
વાતોની આપણે ફિકર જ કેમ કરીએ. કેવી રીતે સજા ખાશે, શું થશે, તેમાં આપણું શું જાય
છે. આપણે પોતાની ફિકર કરવાની છે. બીજા ધર્મવાળાઓની તો વાતોમાં આપણે કેમ જઈએ. આપણે
છીએ આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં. હકીકતમાં આનું નામ ભારત છે પછી હિન્દુસ્તાન નામ
રાખી દીધું છે. હિન્દુ કોઈ ધર્મ નથી. આપણે લખીએ છીએ કે અમે દેવતા ધર્મનાં છીએ તો પણ
તેઓ હિન્દુ લખી દે છે કારણકે જાણતાં જ નથી કે દેવી-દેવતા ધર્મ ક્યારે હતો. કોઈ પણ
સમજતાં નથી. હમણાં આટલાં બી.કે. છે, આ તો ફેમિલી (પરિવાર) થઈ ગઈ ને! ઘર થઈ ગયું ને!
બ્રહ્મા તો છે પ્રજાપિતા, બધાનાં ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. પહેલાં-પહેલાં તમે
બ્રાહ્મણ બનો છો પછી વર્ણોમાં આવો છો.
તમારી આ કોલેજ અથવા યુનિવર્સિટી પણ છે, હોસ્પિટલ પણ છે. ગવાય છે જ્ઞાન અંજન સદ્દગુરુ
દિયા, અજ્ઞાન અંધેર વિનાશ…… યોગબળ થી તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ), એવરવેલ્દી (સદા
સંપન્ન) બનો છો. નેચર-ક્યોર (નિસર્ગોપચાર) કરાવે છે ને. હમણાં તમારી આત્મા ક્યોર (નિરોગી)
થવાથી પછી શરીર પણ ક્યોર થઇ જશે. આ છે સ્પ્રિચુઅલ (આધ્યાત્મિક) નેચર-ક્યોર.
હેલ્થ-વેલ્થ હેપ્પીનેસ (ખુશી) ૨૧ જન્મોનાં માટે મળે છે. ઉપર માં નામ લખી દો રુહાની
નેચર-ક્યોર. મનુષ્યોને પવિત્ર બનાવવાની યુક્તિઓ લખવામાં કોઈ વાંધો નથી. આત્મા જ
પતિત બની છે ત્યારે તો બોલાવે છે ને. આત્મા પહેલાં સતોપ્રધાન પવિત્ર હતી પછી
અપવિત્ર બની છે ફરી પવિત્ર કેવી રીતે બને? ભગવાનુવાચ-મનમનાભવ, મને યાદ કરો તો હું
ગેરંટી કરું છું તમે પવિત્ર થઈ જશો. બાબા કેટલી યુક્તિઓ બતાવે છે - આવાં-આવાં બોર્ડ
લગાવો. પરંતુ કોઈએ પણ આવાં બોર્ડ લગાવ્યાં નથી. ચિત્ર મુખ્ય રાખ્યાં હોય. અંદર કોઈ
પણ આવે તો બોલો તમે આત્મા પરમધામમાં રહેવાવાળી છો. અહીંયા આ ઓર્ગન્સ (અવયવો) મળ્યાં
છે પાર્ટ ભજવવાં માટે. આ શરીર તો વિનાશી છે ને. બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઇ
જશે. હમણાં તમારી આત્મા અપવિત્ર છે ફરી પવિત્ર બનો તો ઘરે ચાલ્યાં જશો. સમજાવવું તો
ખુબ સહજ છે. જે કલ્પ પહેલાંવાળા હશે તેજ આવીને ફૂલ બનશે. આમાં ડરવાની કોઈ વાત નથી.
તમે તો સારી વાત લખો છો. તે ગુરુ લોકો પણ મંત્ર આપે છે ને. બાપ પણ મનમનાભવ નો મંત્ર
આપી પછી રચયિતા અને રચનાનું રહસ્ય સમજાવે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં ફક્ત બાપ ને
યાદ કરો. બીજાઓને પણ પરિચય આપો, લાઈટ હાઉસ પણ બનો.
આપ બાળકોએ દેહી-અભિમાની બનવાની ખુબ ગુપ્ત મહેનત કરવાની છે. જેમ બાપ જાણે છે હું
આત્માઓને ભણાવી રહ્યો છું, એમ આપ બાળકો પણ આત્મ-અભિમાની બનવાની મહેનત કરો. મુખ થી
શિવ-શિવ પણ કહેવાનું નથી. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે કારણ કે માથા પર
પાપો નો બોજો બહુજ છે. યાદથી જ તમે પાવન બનશો. કલ્પ પહેલાં જેમ-જેમ જેમણે વારસો લીધો
હશે, તેજ પોત-પોતાનાં સમય પર લેશે. અદલી-બદલી કાંઈ થઈ ન શકે. મુખ્ય વાત છે જ
દેહી-અભિમાની થઈ બાપને યાદ કરવાં તો પછી માયાનો થપ્પડ નહીં ખાશો. દેહ-અભિમાનમાં
આવવાથી કાંઈને કાંઈ વિકર્મ થશે પછી સો ગુણા પાપ બની જાય છે. સીડી ઉતારવામાં ૮૪ જન્મ
લાગ્યાં છે. હવે પછી ચઢતી કળા એક જ જન્મમાં થાય છે. બાબા આવ્યાં છે તો લિફ્ટની પણ
ઇન્વેન્શન (શોધ) નીકળી છે. પહેલાં તો કમર પર હાથ રાખીને સીડી ચઢતાં હતાં. હમણાં સહજ
લિફ્ટ નીકળી છે. આ પણ લિફ્ટ છે જે મુક્તિ અને જીવનમુક્તિમાં એક સેકન્ડમાં જાય છે.
જીવનબંધ સુધી આવવામાં ૫ હજાર વર્ષ, ૮૪ જન્મ લાગે છે. જીવનમુક્તિમાં જવામાં એક જન્મ
લાગે છે. કેટલું સહજ છે. તમારા થી પણ જે પાછળ આવશે તે પણ ઝટ ચઢી જશે. સમજે છે
ખોવાયેલી ચીજ બાપ આપવા આવ્યાં છે. એમની મત જરુર ચાલશે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વગર કોઈ
ફિકરે (ચિંતા) પોતાની ગુપ્ત રાજધાની શ્રીમત પર સ્થાપન કરવાની છે. વિઘ્નો ની પરવાહ
નથી કરવાની. બુદ્ધિમાં રહે કલ્પ પહેલાં જેમણે મદદ કરી છે તે હમણાં પણ અવશ્ય કરશે,
ફિકરની વાત નથી.
2. સદા ખુશ રહો કે
હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે, આપણે પાછાં ઘરે જઈ રહ્યાં છીએં. આત્મ-અભિમાની
બનવાની ખુબ ગુપ્ત મહેનત કરવાની છે. કોઈ પણ વિકર્મ નથી કરવાનું.
વરદાન :-
સ્નેહ અને
સહયોગ ની વિધિ દ્વારા યજ્ઞ સહયોગી બનવાવાળા સહજયોગી ભવ
બાપદાદાને બાળકોનો
સ્નેહ જ પસંદ છે જે યજ્ઞ સ્નેહી અને સહયોગી બને છે તે સહજયોગી સ્વત: બની જાય છે.
સહયોગ સહજયોગ છે. દિલવાળા બાપને દિલનો સ્નેહ અને દિલનો સહયોગ જ પ્રિય છે. નાનાં
દિલવાળા નાનો સોદો કરી ખુશ થઇ જાય અને મોટા દિલવાળા બેહદનો સોદો કરે છે. વેલ્યુ (કિંમત)
સ્નેહની છે ચીજ ની નહીં એટલે સુદામાનાં કાચાં ચોખા ગવાયેલા છે. આમ ભલે કોઈ કેટલું
પણ આપે પરંતુ સ્નેહ નથી તો જમા નથી થતું. સ્નેહ થી થોડું પણ જમા કરે છે તો તે પદમ
થઈ જાય છે.
સ્લોગન :-
સમય અને શક્તિ
વ્યર્થ ન જાય તેનાં માટે પહેલાં વિચારો પછી કરો.