23-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
નિરાકાર બાપ તમને સ્વયં ની મત આપીને આસ્તિક બનાવે છે , આસ્તિક બનવાથી જ તમે બાપનો
વારસો લઈ શકો છો ”
પ્રશ્ન :-
બેહદની રાજાઈ
પ્રાપ્ત કરવાનાં માટે કઈ બે વાતો પર પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ?
ઉત્તર :-
૧-ભણતર અને ૨-સર્વિસ (સેવા). સર્વિસનાં માટે લક્ષણ પણ બહુજ સારા જોઈએ. આ ભણતર બહુજ
વન્ડરફુલ છે આનાંથી તમે રાજાઈ પ્રાપ્ત કરો છો. દ્વાપર થી ધનદાન કરવાથી રાજાઈ મળે છે
પરંતુ હમણાં તમે ભણતર થી પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનો છો.
ગીત :-
હમારે તીર્થ
ન્યારે હૈ …..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીતની એક લીટી સાંભળી. તમારાં તીર્થ છે - ઘરમાં બેઠાં શાંતિથી
મુક્તિધામ પહોંચવાનું. દુનિયાનાં તીર્થ તો સાધારણ છે, તમારાં છે ન્યારા. મનુષ્યોનો
બુદ્ધિયોગ તો સાધુ-સંતો વગેરે તરફ બહુજ ભટકતો રહે છે. આપ બાળકોને તો ફક્ત બાપને જ
યાદ કરવાનું ડાયરેક્શન મળ્યું છે. એ છે નિરાકાર બાપ. એવું નથી કે નિરાકાર ને
માનવાવાળા નિરાકારી મતનાં થયાં. દુનિયા માં મત-મતાંતર તો બહુજ છે ને. આ એક નિરાકારી
મત નિરાકાર બાપ આપે છે, જેનાંથી મનુષ્ય ઊંચેથી ઊંચું પદ જીવનમુક્તિ કે મુક્તિ પામે
છે. આ વાતોને જાણતા કંઈ જ નથી. ફક્ત એમ જ કહી દે છે નિરાકારને માનવાવાળા છે.
અનેકાનેક મતો છે. સતયુગમાં તો હોય છે એક મત. કળયુગમાં છે અનેક મત. અનેક ધર્મ છે,
લાખો-કરોડો મતો હશે. ઘર-ઘરમાં દરેકની પોતાની મત. અહીંયા આપ બાળકોને એક જ બાપ ઊંચેથી
ઊંચી મત આપે છે, ઊંચેથી ઊંચ બનાવવાની. તમારાં ચિત્ર જોઈને ઘણાં લોકો કહે છે આ શું
બનાવ્યું છે? મુખ્ય વાત શું છે? બોલો, આ રચતા મને રચનાનું આદિ-મધ્ય-અંતનું જ્ઞાન
છે, જે જ્ઞાનથી આપણે આસ્તિક બનીએ છીએ. આસ્તિક બનવાથી બાપથી વારસો મળે છે. નાસ્તિક
બનવાથી વારસો ગુમાવ્યો છે. હમણાં આપ બાળકોનો ધંધો જ આ છે - નાસ્તિક ને આસ્તિક બનાવવાં.
આ પરિચય તમને મળ્યો છે બાપ થી. ત્રિમૂર્તિનું ચિત્ર બહુજ ક્લીયર (સ્પષ્ટ) છે.
બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ તો જરૂર જોઈએ ને. બ્રાહ્મણો થી જ યજ્ઞ ચાલે છે. આ બહુજ ભારે
યજ્ઞ છે. પહેલાં-પહેલાં તો આ સમજવવાનું હોય છે કે ઊંચે થી ઊંચા બાપ છે. બધી આત્માઓ
ભાઈ-ભાઈ થઈ. બધાં એક બાપને યાદ કરે છે. એમને બાપ કહે છે, વારસો પણ રચતા બાપથી જ મળે
છે. રચના થી તો મળી ન શકે એટલે ઈશ્વરને બધાં યાદ કરે છે. હવે બાપ છે જ સ્વર્ગનાં
રચયિતા અને ભારતમાં જ આવે છે, આવીને આ કાર્ય કરે છે. ત્રિમૂર્તિ નું ચિત્ર બહું સરસ
ચીજ છે. આ બાબા, આ દાદા. બ્રહ્મા દ્વારા બાબા સૂર્યવંશી ઘરાનાંની સ્થાપના કરી રહ્યાં
છે. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. લક્ષ્ય-હેતુ પૂરો છે એટલે બાબા
મેડલ્સ પણ બનાવડાવે છે. બોલો, ટૂંકમાં ટૂંક બે અક્ષરમાં તમને સમજાવીએ છીએં. બાપથી
સેકન્ડમાં વારસો મળવો જોઈએ ને. બાપ છે જ સ્વર્ગનાં રચયિતા. આ મેડલ્સ તો બહુજ સારી
ચીજ છે. પરંતુ બહુજ દેહ-અભિમાની બાળકો સમજતા નથી. આમાં આખું જ્ઞાન છે-એક સેકન્ડનું.
બાબા ભારતને જ આવીને સ્વર્ગ બનાવે છે. નવી દુનિયા બાપ જ સ્થાપન કરે છે. આ
પુરુષોત્તમ સંગમયુગ પણ ગવાયેલ છે. આ બધું જ્ઞાન બુદ્ધિમાં ટપકવું જોઈએ. કોઈનો યોગ
છે તો પછી જ્ઞાન નથી, ધારણા નથી થતી. સર્વિસ કરવાવાળા બાળકોને જ્ઞાનની ધારણા સારી
થઈ શકે છે. બાપ આવીને મનુષ્ય ને દેવતા બનાવવાની સેવા કરે અને બાળકો કોઇ સેવા ન કરે
તો તે શું કામનાં? તે દિલ પર ચઢી કેવી રીતે શકે? બાપ કહે છે-ડ્રામામાં મારો પાર્ટ જ
છે રાવણ રાજ્ય થી બધાને છોડાવવાં. રામરાજ્ય અને રાવણરાજ્ય ભારતમાં જ ગવાયેલું છે.
હવે રામ કોણ છે? આ પણ જાણતા નથી. ગાએ પણ છે-પતિત-પાવન, ભક્તોનાં ભગવાન એક. તો
પહેલાં-પહેલાં જ્યારે કોઈ અંદર આવે તો બાપનો પરિચય આપો. મનુષ્ય-મનુષ્ય જોઈને સમજાવવું
જોઈએ. બેહદનાં બાપ આવે જ છે બેહદનાં સુખનો વારસો આપવાં. એમને પોતાનું શરીર તો છે નહીં
તો વારસો કેવી રીતે આપે છે? સ્વયં કહે છે કે હું આ બ્રહ્મા તનથી ભણાવીને, રાજયોગ
શીખવાડી આ પદ પ્રાપ્ત કરાવું છું. આ મેડલ માં સેકન્ડની સમજણ છે. કેટલું નાનું મેડલ
છે પરંતુ સમજાવવા વાળા ખુબ દેહી-અભિમાની જોઈએ. તે બહુજ ઓછા છે. આ મહેનત કોઈને
પહોંચતી નથી એટલે બાબા કહે છે ચાર્ટ રાખીને જુઓ - આખાં દિવસમાં અમે કેટલો સમય યાદમાં
રહીએ છીએં? આખો દિવસ ઓફિસમાં કામ કરતાં યાદમાં રહેવાનું છે. કર્મ તો કરવાનું જ છે.
અહિયાં યોગમાં બેસાડીને કહે છે બાપ ને યાદ કરો. તે સમયે કર્મ તો કરતાં નથી. તમારે
તો કર્મ કરતાં યાદ કરવાનું છે. નહી તો બેસવાની આદત પડી જાય છે. કર્મ કરતાં યાદ માં
રહેશો ત્યારે કર્મયોગી સિદ્ધ થશો. પાર્ટ તો જરૂર ભજવવાનો છે, આમાં જ માયા વિઘ્ન નાખે
છે. સચ્ચાઈ થી ચાર્ટ પણ કોઈ લખતા નથી. કોઈ-કોઈ લખે છે, અડધો કલાક, પોણો કલાક યાદમાં
રહ્યાં. તે પણ સવારે જ યાદમાં બેસતાં હશે. ભક્તિમાર્ગ માં પણ સવારે ઊઠીને રામની માળા
જપે છે. એવું પણ નથી, તે સમયે એક જ ધૂનમાં રહે છે. ના, બીજા પણ ઘણાં સંકલ્પ આવતા
રહેશે. તીવ્ર ભક્તોની બુદ્ધિ કંઈક સ્થિર રહે છે. આ તો છે અજપોજાપ. નવી વાત છે ને.
ગીતા માં પણ મનમનાભવ અક્ષર છે. પરંતુ કૃષ્ણનું નામ આપવાથી કૃષ્ણ ને યાદ કરી લે છે,
કંઈ પણ સમજતા નથી. મેડલ સાથે જરૂર હોય. બોલો, બાપ બ્રહ્મા તનથી બેસીને સમજાવે છે,
અમે તે બાપથી પ્રીત રાખીએ છીએ. મનુષ્યોને તો ન આત્માનું, ન પરમાત્માનું જ્ઞાન છે.
સિવાય બાપનાં આ જ્ઞાન કોઈ આપી ન શકે. આ ત્રિમૂર્તિ શિવ સૌથી મુખ્ય છે. બાપ અને વારસો.
આ ચક્રને સમજવું તો ખુબ સહજ છે. પ્રદર્શની થી પણ પ્રજા તો લાખો બનતી રહે છે ને.
રાજાઓ થોડાં હોય છે, તેમની પ્રજા તો કરોડોનાં અંદાજમાં હોય છે. પ્રજા ઘણી બને છે,
બાકી રાજા બનાવવા માટે પુરુષાર્થ કરવાનો છે. જે વધારે સર્વિસ કરે છે તે જરૂર ઊંચું
પદ પામશે. ઘણાં બાળકોને સર્વિસનો ખુબ શોખ હોય છે. કહે છે નોકરી છોડી દઈએ, ખાવા માટે
તો છે જ. બાબા નાં બની ગયાં તો શિવબાબા થી જ પાલના લઈશું. પરંતુ બાબા કહે છે-મેં
વાનપ્રસ્થ માં પ્રવેશ કર્યો છે ને. માતાઓ પણ જવાન છે તો ઘરમાં રહી બંને સર્વિસ
કરવાની છે. બાબા દરેકની પરિસ્થિતિ ને જોઈ સલાહ આપે છે. લગ્ન વગેરેનાં માટે જો રજા ન
આપે તો હંગામા થઈ જાય એટલે દરેકનો હિસાબ-કિતાબ જોઈને સલાહ આપે છે. કુમાર છે તો કહેશે
તમે સર્વિસ કરી શકો છો. સર્વિસ કરી બેહદનાં બાપથી વારસો લો. તે બાપથી તમને શું મળશે?
ધૂલછાઈ. તે તો બધું માટીમાં મળી જવાનું છે. દિવસ-પ્રતિદિવસ સમય ઓછો થતો જાય છે. ઘણાં
સમજે છે અમારી મિલકતનાં બાળકો વારિસ બનશે. પરંતુ બાપ કહે છે કાંઈ પણ મળવાનું નથી.
બધી મિલકત ખાકમાં મળી જશે. તેઓ સમજે છે પાછળવાળા ખાશે. ધનવાન નું ધન ખતમ થવામાં કોઈ
વાર નથી લાગતી. મોત તો સામે ઊભું જ છે. કોઈ પણ વરસો લઈ નહીં શકે. બહુજ થોડાં છે જે
પૂરી રીતે સમજાવી શકે છે. વધારે સર્વિસ કરવાવાળા જ ઊંચું પદ પામશે. તો તેમનો
રિગાર્ડ (સમ્માન) પણ રાખવો જોઈએ, એમનાથી શિખવાનું છે. ૨૧ જન્મોનાં માટે રિગાર્ડ
રાખવો પડે. ઓટોમેટીક (આપોઆપ) તેઓ જરૂર ઊંચું પદ પામશે, તો રિગાર્ડ તો જ્યાં-ત્યાં
રહેવાનો જ છે. સ્વયં પણ સમજી શકે છે, જે મળ્યું છે તે સારું છે, એમાં જ ખુશ થાય છે.
બેહદની રાજાઈનાં માટે ભણતર અને સર્વિસ પર પૂરું અટેન્શન (ધ્યાન) જોઈએ. આ છે બેહદનું
ભણતર. આ રાજધાની સ્થાપન થઈ રહી છે ને. આ ભણતર થી અહીંયા તમે ભણીને પ્રિન્સ બનો છો.
કોઈ પણ મનુષ્ય ધન દાન કરે છે તો તે રાજાની પાસે કે સાહૂકાર ની પાસે જન્મ લે છે.
પરંતુ તે છે અલ્પકાળ નું સુખ. તો આ ભણતર પર બહુજ અટેન્શન આપવું જોઈએ. સર્વિસની ફિકર
રહેવી જોઈએ. અમે પોતાનાં ગામમાં જઈને સર્વિસ કરીએ. અનેકોનું કલ્યાણ થઇ જશે. બાબા
જાણે છે - સર્વિસનો શોખ હજુ કોઈક માં છે નહીં. લક્ષણ પણ તો સારા જોઈએ ને. એવું નહીં
કે ડિસસર્વિસ (કુસેવા) કરે અને યજ્ઞનું નામ બદનામ કરે અને પોતાનું જ નુકસાન કરી દે.
બાબા તો દરેક વાતનાં માટે સારી રીતે સમજાવે છે. મેડલ્સ વગેરે માટે કેટલી ફિકર રહે
છે. પછી સમજાય છે-ડ્રામા અનુસાર મોડું થાય છે. આ લક્ષ્મી-નારાયણનાં ટ્રાન્સલાઈટ નું
ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. પરંતુ બાળકો પર આજે બૃહસ્પતિ ની દશા તો આવતીકાલે ફરી
રાહુની દશા બેસી જાય છે. ડ્રામામાં સાક્ષી થઈને પાર્ટ જોવાનો હોય છે. ઊંચ પદ
પામવાવાળા ઘણાં ઓછાં હોય છે. થઈ શકે છે ગ્રહ્ચારી ઉતરી જાય. ગ્રહ્ચારી ઉતરે છે તો
પછી જમ્પ (દૌડ) કરી લે છે. પુરુષાર્થ કરી પોતાનું જીવન બનાવવું જોઈએ, નહીં તો
કલ્પ-કલ્પાન્તર નાં માટે સત્યાનાશ થઇ જશે. સમજશે કલ્પ પહેલાં ની જેમ ગ્રહ્ચારી આવી
છે. શ્રીમત પર નહીં ચાલે તો પદ પણ નહીં મળશે. ઊંચેથી ઊંચી છે ભગવાનની શ્રીમત. આ
લક્ષ્મી-નારાયણનાં ચિત્રને તમારા સિવાય કોઈ સમજી ન શકે. કહેશે ચિત્ર તો બહુજ સરસ
બનાવ્યું છે, બસ તમને આ ચિત્ર જોવાથી મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન આખાં સૃષ્ટિનું
ચક્ર બુદ્ધિમાં આવી જશે. તમે નોલેજફુલ બનો છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાબાને
તો આ ચિત્ર જોઈ ખુબ ખુશી થાય છે. વિદ્યાર્થીને તો ખુશી થવી જોઈએ ને-અમે ભણીને આ
બનીએ છીએ. ભણતર થી જ ઊંચું પદ મળે છે. એવું નહીં કે જે ભાગ્યમાં હશે. પુરુષાર્થ થી
જ પ્રાલબ્ધ મળે છે. પુરુષાર્થ કરાવવા વાળા બાપ મળ્યાં છે, એમની શ્રીમત પર નહીં ચાલશું
તો દુર્ગતિ થશે. પહેલાં-પહેલાં તો કોઈને પણ આ મેડેલ પર જ સમજાવો પછી જે લાયક હશે તે
ઝટ કહેશે-અમને આ મળી શકે છે? હાં, કેમ નહીં. આ ધર્મનાં જે હશે તેમને તીર લાગી જશે.
તેમનું કલ્યાણ થઈ શકે છે. બાપ તો સેકન્ડમાં હથેળી પર બહિશ્ત આપે છે, આમાં તો ખુબ
ખુશી રહેવી જોઈએ. તમે શિવનાં ભક્તોને આ જ્ઞાન આપો. બોલો, શિવબાબા કહે છે મને યાદ કરો
તો રાજાઓનાં રાજા બની જશો. બસ આખો દિવસ આ જ સર્વિસ કરો. ખાસ બનારસ માં શિવનાં મંદિર
તો ઘણાં છે, ત્યાં સારી સર્વિસ થઈ શકે છે. કોઈ ને કોઈ નીકળશે. બહુજ સહજ સર્વિસ છે.
કોઈ કરીને જુઓ, ખાવાનું તો મળશે જ, સર્વિસ કરીને જુઓ. સેવાકેન્દ્ર તો ત્યાં છે જ.
સવારે જાઓ મંદિરમાં, રાત્રે પાછાં આવો. સેવાકેન્દ્ર બનાવી દો. સૌથી વધારે તમે શિવનાં
મંદિરમાં સર્વિસ કરી શકો છો. ઊંચેથી ઊંચુ છે જ શિવનું મંદિર. મુંબઈ માં બાબુલનાથનું
મંદિર છે. આખો દિવસ ત્યાં જઈને સર્વિસ કરી અનેકોનું કલ્યાણ કરી શકો છો. આ મેડલ જ બસ
છે. ટ્રાયલ (કોશિશ) કરીને જુઓ. બાબા કહે છે આ મેડલ લાખ તો શું ૧૦ લાખ બનાવો. ઘરડા
લોકો તો ખુબ સરસ સર્વિસ કરી શકે છે. ઘણી પ્રજા બની જશે. બાપ ફક્ત કહે છે મને યાદ કરો
બસ, મનમનાભવ અક્ષર ભૂલી ગયાં છો. ભગવાનુવાચ છે ને. કૃષ્ણ થોડી ભગવાન છે, તે તો પુરા
૮૪ જન્મ લે છે. શિવબાબા આ કૃષ્ણને પણ આ પદ પ્રાપ્ત કરાવે છે. પછી ધક્કા ખાવાની શું
દરકાર છે. બાપ તો કહે છે ફક્ત મને યાદ કરો. તમે સૌથી સારી સર્વિસ શિવનાં મંદિરમાં
કરી શકશો. સર્વિસની સફળતાનાં માટે દેહી-અભિમાની અવસ્થામાં સ્થિત થઈ સર્વિસ કરો. દિલ
સાફ તો મુરાદ હાસિલ. બનારસ નાં માટે તો બાબા ખાસ સલાહ આપે છે ત્યાં વાનપ્રસ્થીઓ નાં
આશ્રમ પણ છે. બોલો અમે બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ છીએ. બાપ બ્રહ્મા દ્વારા કહે છે
મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય, બીજો કોઈ ઉપાય નથી. સવાર થી લઈને રાત સુધી શિવનાં
મંદિરમાં બેસી સર્વિસ કરો. ટ્રાય (કોશિશ) કરીને જુઓ. શિવબાબા સ્વયં કહે છે - મારા
મંદિર તો ઘણાં છે. તમને કોઈ પણ કાંઈ કહેશે નહીં, ખુબ જ ખુશ થશે - આ તો શિવબાબા ની
બહું મહિમા કરે છે. બોલો આ બ્રહ્મા, આ બ્રાહ્મણ છે, આ કોઈ દેવતા નથી. આ પણ શિવબાબાને
યાદ કરીને આ પદ લે છે. આમનાં દ્વારા શિવબાબા કહે છે મામેકમ યાદ કરો. કેટલું સહજ છે.
ઘરડાંની કોઈ ઇનસલ્ટ (અપમાન) નહીં કરશે. બનારસમાં હજી સુધી એટલી કોઈ સર્વિસ થઈ નથી.
મેડલ કે ચિત્રો પર સમજાવવું ખુબ સહજ છે. કોઇ ગરીબ છે તો બોલો તમને ફ્રી આપે છે,
સાહૂકાર છે તો બોલો તમે આપશો તો અનેકોનાં કલ્યાણનાં માટે બીજા પણ છપાવી લઈશું તો
તમારું પણ કલ્યાણ થઇ જશે. આ તમારો ધંધો સૌથી આગળ થઇ જશે. કોઈ ટ્રાયલ કરીને જુઓ.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ને
જીવનમાં ધારણ કરી પછી સર્વિસ કરવાની છે. જે વધારે સર્વિસ કરે છે, સારા લક્ષણ છે
તેમનો રિગાર્ડ પણ જરૂર રાખવાનો છે.
2. કર્મ કરતાં યાદમાં રહેવાની આદત પાડવાની છે. સર્વિસની સફળતાનાં માટે પોતાની અવસ્થા
દેહી-અભિમાની બનાવવાની છે. દિલ સાફ રાખવાનું છે.
વરદાન :-
સાઈલેન્સ (
શાંતિ ) ની શક્તિ દ્વારા સેકન્ડમાં મુક્તિ અને જીવનમુક્તિ નો અનુભવ કરાવાવાળા વિશેષ
આત્મા ભવ
વિશેષ આત્માઓની લાસ્ટ
(અંતિમ) વિશેષતા છે - કે સેકન્ડમાં કોઈ પણ આત્માને મુક્તિ અને જીવનમુક્તિનાં અનુભવી
બનાવી દેશે. ફક્ત રસ્તો નહીં બતાવશે પરંતુ એક સેકન્ડમાં શાંતિનો કે અતિન્દ્રિય સુખનો
અનુભવ કરાવશે. જીવનમુક્તિનો અનુભવ છે સુખ અને મુક્તિનો અનુભવ છે શાંતિ. તો જે પણ
સામે આવે તે સેકન્ડમાં આનો અનુભવ કરે - જયારે આવી સ્પીડ (ઝડપ) હશે ત્યારે સાઈન્સ (વિજ્ઞાન)
ની ઉપર સાઈલેન્સ (શાન્તિ) ની વિજય જોતાં સૌનાં મુખ થી વાહ-વાહ નો અવાજ નીકળશે અને
પ્રત્યક્ષતા નું દ્રશ્ય સામે આવશે.
સ્લોગન :-
બાપનાં દરેક
ફરમાન (આદેશ) પર સ્વયંને કુરબાન કરવાવાળા સાચાં પરવાના બનો.
અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
તપાસ કરો - જે
પણ સંકલ્પ ઊઠે છે તે સ્વયં કે સર્વનાં પ્રતિ કલ્યાણ નો છે? સેકન્ડ માં કેટલાં
સંકલ્પ આવ્યાં - તેમાં કેટલાં સફળ થયા અને કેટલાં અસફળ થયાં? સંકલ્પ અને કર્મ માં
અંતર ન હોય. સંકલ્પ જીવનનો અમૂલ્ય ખજાનો છે. જેમ સ્થૂળ ખજાનાને વ્યર્થ નથી કરતાં
તેમ એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય.