12-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સત નો
સંગ જ્ઞાનમાર્ગમાં જ હોય છે , હમણાં તમે સત બાપનાં સંગમાં બેઠાં છો , બાપની યાદ માં
રહેવું એટલે સત્સંગ કરવો ”
પ્રશ્ન :-
સત્સંગ ની
આવશ્યકતા આપ બાળકોને હમણાં જ છે-શા માટે?
ઉત્તર :-
કારણ કે તમોપ્રધાન આત્મા એક સત બાપ, સત શિક્ષક અને સદ્દગુરુનાં સંગથી જ સતોપ્રધાન
અર્થાત્ કાળી થી ગોરી બની શકે છે. વગર સત્સંગનાં નિર્બળ આત્મા બળવાન નથી બની શકતી.
બાપનાં સંગથી આત્મામાં પવિત્રતાનું બળ આવી જાય છે, ૨૧ જન્મોનાં માટે તેનો બેડો પાર
થઈ જાય છે.
ઓમ શાંતિ!
બાળકો સત્સંગમાં
બેઠાં છે, આ સતનાં સંગમાં કલ્પ-કલ્પ સંગમ પર જ બાળકો બેસે છે. દુનિયા તો આ નથી જાણતી
કે સત નો સંગ કોને કહેવાય છે. સત્સંગ નામ આ અવિનાશી ચાલ્યું આવે છે. ભક્તિમાર્ગમાં
પણ કહે છે અમે ફલાણા સત્સંગમાં જઈએ છે. હવે હકીકતમાં ભક્તિમાર્ગમાં કોઈ સત્સંગમાં
જતાં નથી. સત્સંગ હોય જ છે જ્ઞાન માર્ગમાં. હવે તમે સતનાં સંગમાં બેઠાં છો. આત્માઓ
સત બાપનાં સંગમાં બેઠી છે. બીજી કોઈ જગ્યાએ આત્માઓ પરમપિતા પરમાત્માનાં સંગમાં નથી
બેસતી. બાપને જાણતાં નથી. ભલે કહે છે અમે સત્સંગમાં જઈએ છે પરંતુ તે દેહ-અભિમાનમાં
આવી જાય છે. તમે દેહ-અભિમાનમાં નહિ આવશો. તમે સમજો છો આપણે આત્મા છીએં, સત બાબાનાં
સંગ બેઠાં છીએ. બીજા કોઈપણ મનુષ્ય સતનાં સંગમાં બેસી નથી સકતાં. સતનો સંગ-આ નામ પણ
હમણાં છે. સંતનો સંગ-આનો યથાર્થ રીતે અર્થ બાપ બેસી સમજાવે છે. તમે આત્માઓ હવે
પરમાત્મા બાપ જે સત્ય છે, એમની સાથે બેઠાં છો. એ સત બાપ, સત શિક્ષક, સદ્દગુરુ છે.
તો એટલે તમે સત્સંગમાં બેઠાં છો. પછી ભલે અહીંયા કે ઘરમાં બેઠાં છો પરંતુ સ્વયંને
આત્મા સમજી યાદ બાપને કરો છો. આપણે આત્મા હવે સત બાપને યાદ કરી રહ્યાં છીએ અર્થાત્
સતનાં સંગમાં છીએં. બાપ મધુબનમાં બેઠાં છે. બાપને યાદ કરવાની યુક્તિઓ પણ અનેક
પ્રકારની મળે છે. યાદથી જ વિકર્મ વિનાશ થશે. આ પણ બાળકો જાણે છે-આપણે ૧૬ કળા
સંપૂર્ણ બનીએ છીએ પછી ઉતરતાં-ઉતરતાં કળા ઓછી થતી જાય છે. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી
છે પછી ઉતરતાં-ઉતરતાં વ્યભિચારી ભક્તિ થવાથી તમોપ્રધાન બની જાય છે પછી તેમને સતનો
સંગ જરુર જોઈએ. નહિ તો પવિત્ર કેવી રીતે બને? તો હવે આપ આત્માઓને સત બાપનો સંગ મળ્યો
છે. આત્મા જાણે છે આપણે બાબાને યાદ કરવાનાં છે, એમનો જ સંગ છે. યાદને પણ સંગ કહેશું.
આ છે સતનો સંગ. આ દેહ હોવા છતાં પણ તમે આત્મા મને યાદ કરો, આ છે સતનો સંગ. જેમ કહે
છે ને આમને મોટા માણસનો સંગ લાગેલો છે, એટલે દેહ-અભિમાની બની ગયાં છે. હમણાં તમારો
સંગ થયો છે સત બાપની સાથે, જેનાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ છો. બાપ કહે
છે હું એક જ વાર આવું છું. હવે આત્માનો પરમાત્માથી સંગ હોવાથી તમે ૨૧ જન્મનાં માટે
પાર થઈ જાઓ છો. પછી તમને સંગ લાગે છે દેહનો. આ પણ ડ્રામા બનેલો છે. બાપ કહે છે મારી
સાથે આપ બાળકોનો સંગ હોવાથી તમે સતોપ્રધાન બની જાઓ છો, જેને ગોલ્ડન એજડ (સતયુગ)
કહેવાય છે.
સાધુ-સંત વગેરે તો સમજે છે આત્મા નિર્લેપ છે, બધાં પરમાત્મા જ પરમાત્મા છે. તો તેનો
અર્થ પરમાત્મા માં ખાદ પડી છે. પરમાત્મા માં તો ખાદ પડી ન સકે. બાપ કહે છે શું મુજ
પરમાત્મા માં ખાદ પડે છે? ના. હું તો સદેવ પરમધામ માં રહું છું કારણ કે મારે તો
જન્મ-મરણમાં આવવાનું નથી. આ આપ બાળકો જાણો છો, તમારામાં પણ કોઈનો સંગ વધારે છે,
કોઈનો ઓછો છે. કોઈ તો સારી રીતે પુરુષાર્થ કરી યોગમાં રહે છે, જેટલો સમય આત્મા બાપનો
સંગ કરશે તેટલો ફાયદો છે. વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે - હેં આત્માઓ, મુજ બાપને
યાદ કરો, મારો સંગ કરો. મારે આ શરીરનો આધાર તો લેવો પડે છે. નહિ તો પરમાત્મા બોલે
કેવી રીતે? આત્મા સાંભળે કેવી રીતે? હવે આપ બાળકોનો સંગ છે સતની સાથે. સત બાપને
નિરંતર યાદ કરવાનાં છે. આત્માએ સતનો સંગ કરવાનો છે. આત્મા પણ વન્ડરફુલ છે, પરમાત્મા
પણ વન્ડરફુલ છે, દુનિયા પણ વન્ડરફુલ છે. આ દુનિયા કેવી રીતે ચક્ર લગાવે છે, વન્ડર
છે. તમે આખાં ડ્રામામાં ઓલરાઉન્ડર પાર્ટ ભજવો છો. તમારી આત્મામાં ૮૪ જન્મોનો પાર્ટ
નોંધાયેલો છે-વન્ડર છે. સતયુગી આત્માઓ અને આજકાલની આત્માઓ. એમાં પણ તમારી આત્મા સૌથી
વધારે ઓલરાઉન્ડર છે. નાટકમાં કોઈનો શરુથી પાર્ટ હોય છે, કોઈનો વચમાંથી, કોઈનો પાછળ
થી પાર્ટ હોય છે. તે છે બધાં હદનાં ડ્રામા, તે પણ હમણાં નીકળ્યાં છે. હમણાં સાયન્સનું
(વિજ્ઞાનનું) આટલું જોર છે. સતયુગમાં કેટલું તેનું બળ રહેશે. નવી દુનિયા કેટલી જલ્દી
બનતી હશે. ત્યાં પવિત્રતાનું બળ છે મુખ્ય. હમણાં છે નિર્બળ. ત્યાં છે બળવાન. આ
લક્ષ્મી-નારાયણ બળવાન છે ને. હમણાં રાવણે બળ છીનવી લીધું છે ફરી તમે તે રાવણ પર જીત
પામીને કેટલા બળવાન બનો છો. જેટલો સતનો સંગ કરશો અર્થાત્ આત્મા જેટલું સત બાપને યાદ
કરે છે એટલી બળવાન બને છે. ભણતરમાં પણ બળ તો મળે છે ને. તમને પણ બળ મળે છે, આખાં
વિશ્વ પર તમે હુકમ ચલાવો છો. આત્માનો સતની સાથે યોગ સંગમ પર જ થાય છે. બાપ કહે છે
આત્માને મારો સંગ મળવાથી આત્મા બહુજ બળવાન બની જાય છે. બાપ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી
(દુનિયાની સર્વોચ્ચ સત્તા) છે ને, એમનાં દ્વારા બળ મળે છે. આમાં બધાં
વેદો-શાસ્ત્રોનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન આવી જાય છે.
જેમ બાપ ઓલમાઈટી છે, તમે પણ ઓલમાઈટી બનો છો. વિશ્વ પર તમે રાજ્ય કરો છો. તમારાથી
કોઈ છીનવી નથી શકતું. તમને મારા દ્વારા કેટલું બળ મળે છે, આમને પણ બળ મળે છે, જેટલું
બાપને યાદ કરશો એટલું બળ મળશે. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત યાદ કરવાનાં છે,
બસ. ૮૪ જન્મોનું ચક્ર હવે પૂરું થયું છે. હવે પાછાં જવાનું છે. આ સમજવું કોઈ મોટી
વાત નથી. વધારે વિસ્તારમાં જવાની તો દરકાર જ નથી. બીજને જાણવાથી સમજી જાય છે, આનાથી
આખું ઝાડ આવી રીતે નીકળે છે. નટશેલ (સંક્ષિપ્ત) માં બુદ્ધિમાં આવી જાય છે. આ ખુબ
વિચિત્ર વાતો છે. ભક્તિમાર્ગમાં મનુષ્ય કેટલાં ધક્કા ખાય છે. મહેનત કરે છે, મળતું
કાંઈ પણ નથી. તો પણ બાપ આવીને તમને વિશ્વનાં માલિક બનાવે છે. આપણે યોગબળ થી વિશ્વનાં
માલિક બનીએ છીએ, આ જ પુરુષાર્થ કરવાનો છે. ભારતનો યોગ પ્રસિદ્ધ છે. યોગથી તમારી આયુ
કેટલી મોટી થઈ જાય છે. સતનાં સંગથી કેટલો ફાયદો થાય છે, આયુ પણ મોટી અને કાયા પણ
નિરોગી બની જાય છે. આ બધી વાતો આપ બાળકોની બુદ્ધિમાં જ બેસાડાય છે. બીજા કોઈનો પણ
સતનાં સાથે સંગ નથી સિવાય તમારા બ્રાહ્મણોનાં. તમે પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન છો,
દાદા પૌત્ર છો. તો એટલી ખુશી હોવી જોઈએ ને કે અમે દાદા પૌત્ર છીએ. વારસો પણ દાદાથી
મળે છે, આજ યાદની યાત્રા છે. બુદ્ધિમાં આ જ સિમરણ રહેવું જોઈએ. તે સત્સંગોમાં તો એક
જગ્યાએ જઈને બેસે છે, અહીંયા તે વાત નથી. એવું નહિ કે એક જગ્યાએ બેસવાથી સતનો સંગ
થશે. નહિ, ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં આપણે સતનાં સંગમાં છીએ. જો એમને યાદ કરીએ છીએ
તો. યાદ નથી કરતાં તો દેહ-અભિમાનમાં છે, દેહ તો અસત ચીજ છે ને. દેહને સત નહિ કહેશું.
શરીર તો જડ છે, ૫ તત્વોનું બનેલું, તેમાં આત્મા ન હોય તો ચુરપુર ન થાય. મનુષ્યનાં
શરીરની તો વેલ્યુ નથી, બીજા બધાનાં શરીરની વેલ્યુ છે. સૌભાગ્ય તો આત્માને મળવાનું
છે, હું ફલાણો છું, આત્મા કહે છે ને. બાપ કહે છે આત્મા કેવી થઈ ગઈ છે, અંડા, કચ્છ,
મચ્છ બધું ખાઈ જાય છે. દરેક ભસ્માસુર છે, પોતાને પોતે જ ભસ્મ કરે છે. કેવી રીતે?
કામ ચિતા પર બેસી દરેક પોતાને ભસ્મ કરી રહ્યાં છે તો ભસ્માસુર થયાં ને. હવે તમે
જ્ઞાન ચિતા પર બેસી દેવતા બનો છો. આખી દુનિયા કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગઈ છે,
તમોપ્રધાન કાળી થઈ ગઈ છે. બાપ આવે છે બાળકોને કાળા થી ગોરા બનાવવાં. તો બાપ બાળકોને
સમજાવે છે દેહ-અભિમાન છોડી સ્વયંને આત્મા સમજો. બાળકો સ્કૂલમાં ભણે છે પછી ભણતર તો
ઘરમાં રહીને પણ બુદ્ધિમાં રહે છે ને. આ પણ તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ. આ છે તમારુ
વિદ્યાર્થી જીવન. લક્ષ-હેતુ સામે ઊભું છે. ઉઠતાં, બેસતાં, ચાલતાં બુદ્ધિમાં આ જ્ઞાન
રહેવું જોઈએ.
અહીં બાળકો આવે છે રિફ્રેશ થાય છે, યુક્તિઓ સમજાવાય છે કે આમ-આમ સમજાવો. દુનિયામાં
અનેકાનેક સત્સંગ થાય છે. કેટલાં મનુષ્ય આવીને ભેગા થાય છે. હકીકતમાં તે સતનો સંગ તો
છે નહીં. સતનો સંગ તો હમણાં આપ બાળકોને જ મળે છે. બાપ જ આવીને સતયુગ સ્થાપન કરે છે.
તમે માલિક બની જાઓ છો. દેહ-અભિમાન અથવા જુઠ્ઠા અભિમાનથી તમે નીચે ઉતરો છો અને સતનાં
સંગથી તમે ચઢી જાઓ છો. અડધો કલ્પ તમે પ્રાલબ્ધ ભોગવો છો. એવું નથી કે ત્યાં પણ તમને
સતનો સંગ છે. નહિ, સત નો સંગ અને જૂઠ નો સંગ ત્યારે કહે છે જ્યારે બંને હાજર છે. સત
બાપ જ્યારે આવે છે, એજ આવીને બધી વાતો સમજાવે છે. જ્યાં સુધી એ સત બાપ નથી આવ્યાં
ત્યાં સુધી કોઈ જાણતું પણ નથી. હવે બાપ આપ બાળકોને કહે છે-હેં આત્માઓ, મારી સાથે
સંગ રાખો. દેહનો જે સંગ મળ્યો છે, એનાથી ઉપરામ થઈ જાઓ. દેહનો સંગ ભલે સતયુગમાં પણ
હશે પરંતુ ત્યાં તમે છો જ પાવન. હવે તમે સતનાં સંગથી પતિત થી પાવન બનો છો પછી શરીર
પણ સતોપ્રધાન મળશે. આત્મા પણ સતોપ્રધાન રહેશે. હમણાં તો દુનિયા પણ તમોપ્રધાન છે.
દુનિયા નવી અને જૂની થાય છે. નવી દુનિયામાં બરાબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો.
આજે તે ધર્મને ગુમ કરી આદિ સનાતન હિંદુ ધર્મ કહી દે છે, મુંઝાઈ ગયાં છે. હવે તમે
ભારતવાસી સમજો છો કે આપણે પ્રાચીન દેવી-દેવતા ધર્મનાં હતાં. સતયુગનાં માલિક હતાં.
પરંતુ તે નશો ક્યાં? કલ્પની આયુ જ લાંબી લખી દીધી છે. બધી વાતો ભૂલી ગયાં છે. એનું
નામ જ છે ભૂલભૂલૈયા નો ખેલ. હવે સત બાપ દ્વારા તમે બધું નોલેજ જાણવાથી ઊંચ પદ પામો
છો પછી અડધાકલ્પ પછી નીચે ઊતરો છો કારણકે રાવણ રાજ્ય શરુ થાય છે. દુનિયા જૂની તો થશે
ને. તમે સમજો છો આપણે નવી દુનિયાનાં માલિક હતાં, હમણાં જૂની દુનિયામાં છીએ.
કોઈ-કોઈને આ પણ યાદ નથી આવતું. બાબા આપણને સ્વર્ગવાસી બનાવે છે. અડધોકલ્પ આપણે
સ્વર્ગવાસી રહેશું પછી અડધાકલ્પ પછી નીચે ઉતરીએ છીએં કારણકે રાવણ રાજ્ય શરુ થાય છે.
દુનિયા જૂની તો થશે ને. તમે સમજો છો બાબા આપણને સ્વર્ગવાસી બનાવે છે. અડધોકલ્પ આપણે
સ્વર્ગવાસી રહેશું પછી નર્કવાસી બનશું. તમે પણ માસ્ટર ઓલમાઈટી બન્યાં છો નંબરવાર
પુરુષાર્થ અનુસાર. આ છે જ્ઞાન અમૃતનો ડોઝ. શિવબાબાને ઓર્ગન્સ (અંગો) મળ્યાં છે જૂનાં.
નવાં ઓર્ગન્સ તો મળતા નથી. જુનું વાજુ મળે છે. બાપ આવે પણ વાનપ્રસ્થમાં જ છે.
બાળકોને ખુશી થાય છે તો બાપ પણ ખુશ થાય છે. બાપ કહે છે હું જાઉં છું બાળકને નોલેજ
આપી રાવણ થી છોડાવવાં. પાર્ટ તો ખુશીથી ભજવાય છે ને. બાપ બહુજ ખુશીથી પાર્ટ ભજવે
છે. બાપને કલ્પ-કલ્પ આવવું પડે છે. આ પાર્ટ ક્યારેય બંધ નથી થતો. બાળકોને ખુબ ખુશી
રહેવી જોઈએ. જેટલો સતનો સંગ કરશે એટલી ખુશી થશે, યાદ ઓછું કરે છે એટલે એટલી ખુશી નથી
રહેતી. બાપ બાળકોને મિલકત આપે છે. જે બાળકો સાચાં દિલ વાળા છે, એમના પર બાપનો બહુજ
પ્રેમ રહે છે. સાચાં દિલ પર સાહેબ રાજી રહે છે. અંદર-બહાર જે સાચાં રહે છે, બાપનાં
મદદગાર બને છે, સર્વિસ પર તત્પર રહે છે તેજ બાપને પ્રિય લાગે છે. પોતાનાં દિલને
પૂછવાનું છે-અમે સાચી-સાચી સર્વિસ કરીએ છીએ? સાચાં બાબાની સાથે સંગ રાખીએ છીએ? જો
સત બાબાની સાથે સંગ નહી રાખશું તો શું ગતિ થશે? અનેકોને રસ્તો બતાવતાં રહેશો તો ઊંચ
પદ પણ પામશો. સત બાપથી અમે શું વારસો પામ્યો છે, પોતાની અંદર જોવાનું છે. આ તો જાણો
છો નંબરવાર છે. કોઈ કેટલો વારસો પામે છે, કોઈ કેટલો પામે છે. રાત-દિવસનો ફરક રહે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. તમને જે આ
દેહનો સંગ મળ્યો છે, આ સંગ થી ઉપરામ રહેવાનું છે. સતનાં સંગથી પાવન બનવાનું છે.
2. આ વિદ્યાર્થી જીવનમાં હરતાં-ફરતાં બુદ્ધિમાં નોલેજ ફરતું રહે. લક્ષ-હેતુને સામે
રાખી પુરુષાર્થ કરવાનો છે. સાચાં દિલથી બાપનાં મદદગાર બનવાનું છે.
વરદાન :-
ગોલ્ડન એજડ
સ્વભાવ દ્વારા ગોલ્ડન એજડ સેવા કરવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ
જે બાળકોનાં સ્વભાવમાં
ઈર્ષ્યા, સિદ્ધ અને જીદનાં ભાવની અથવા કોઈ પણ જૂનાં સંસ્કારોની એલોય (ભેળસેળ) મિક્ષ
નથી તે છે ગોલ્ડન એજડ સ્વભાવ વાળા. એવો ગોલ્ડન એજડ સ્વભાવ અને સદા હાઁ જી નાં
સંસ્કાર બનાવવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી બાળકો જેવો સમય, જેવી સેવા તેમ સ્વયંને
મોલ્ડ કરી રીયલ ગોલ્ડ બની જાય છે. સેવામાં પણ અભિમાન અથવા અપમાન ની એલોય મિક્સ ન
હોય ત્યારે કહેવાશે ગોલ્ડન એજડ સેવા કરવા વાળા.
સ્લોગન :-
કેમ, ક્યારે
નાં પ્રશ્નો ને સમાપ્ત કરી સદા પ્રસન્ન ચિત્ત રહો.