20-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ખુદાઈ ખિદમતગાર સાચાં સૈલવેશન આર્મી ( મુક્તિ સેના ) છો , તમારે બધાને શાંતિનું
સૈલવેશન આપવાનું છે . ”
પ્રશ્ન :-
આપ બાળકોથી
જ્યારે કોઈ શાંતિનું સૈલવેશન માંગે છે તો તેમને શું સમજાવવું જોઈએ?
ઉત્તર :-
તેમને કહો - બાપ કહે છે શું હમણાં અહીંયા જ તમને શાંતિ જોઈએ છે. આ કોઈ શાંતિધામ નથી.
શાંતિ તો શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળવતન કહેવાય છે. આત્માને જ્યારે શરીર નથી
ત્યારે શાંતિ છે. સતયુગમાં પવિત્રતા-સુખ-શાંતિ બધું છે. બાપ જ આવીને આ વારસો આપે
છે. તમે બાપને યાદ કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને સમજાવે છે. બધાં મનુષ્ય માત્ર આ જાણે છે કે મારી અંદર આત્મા
છે. જીવ આત્મા કહે છે ને. પહેલાં આપણે આત્મા છીએ, પછી શરીર મળે છે. કોઈએ પણ પોતાની
આત્માને જોઈ નથી. ફક્ત એટલું સમજે છે કે આત્મા છે. જેમ આત્માને જાણે છે, જોઈ નથી
શકતાં, એમ પરમપિતા પરમાત્મા માટે પણ કહે છે પરમ આત્મા એટલે પરમાત્મા, પરંતુ એમને
જોયા નથી. ન પોતાને, ન બાપને જોયાં છે. કહે છે કે આત્મા એક શરીર છોડી બીજું લે છે.
પરંતુ યથાર્થ રીતે નથી જાણતાં. ૮૪ લાખ યોનિઓ પણ કહી દે છે, હકીકતમાં ૮૪ જન્મ છે.
પરંતુ આ પણ નથી જાણતાં કે કઈ આત્માઓ કેટલાં જન્મ લે છે? આત્મા બાપને પોકારે છે પરંતુ
ન જોયા છે, ન યથાર્થ રીતે જાણે છે. પહેલાં તો આત્માને યથાર્થ રીતે જાણે ત્યારે બાપને
જાણે. સ્વયંને જ નથી જાણતાં તો સમજાવે કોણ? આને કહેવાય છે - સ્વયં અનુભવ કરવો. તે
બાપ વગર તો કોઈ કરાવી ન શકે. આત્મા શું છે, કેવી છે, ક્યાંથી આત્મા આવે છે, કેવી
રીતે જન્મ લે છે, કેવી રીતે આટલી નાની આત્મામાં ૮૪ જન્મોનો પાર્ટ ભરેલો છે, આ કોઈ
પણ નથી જાણતું. સ્વયંને નથી જાણતાં તો બાપને પણ નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણ પણ
મનુષ્યનું પદ છે ને. એમણે આ પદ કેવી રીતે પામ્યું? આ કોઈ પણ નથી જાણતું. જાણવું તો
મનુષ્યને જ જોઈએ ને. કહે છે આ વૈકુંઠનાં માલિક હતાં પરંતુ તેમણે આ માલિકપણું લીધું
કેવી રીતે, પછી ક્યાં ગયાં? કાંઈ પણ નથી જાણતાં. હવે તમે તો બધુંજ જાણો છો. પહેલાં
કાંઈ પણ નહોતા જાણતાં. જેમ બાળક પહેલાં જાણે છે કે બૅરિસ્ટર શું હોય? ભણતાં-ભણતાં
બૅરિસ્ટર બની જાય છે. તો આ લક્ષ્મી-નારાયણ પણ ભણતર થી બન્યાં છે. બૅરિસ્ટર, ડૉક્ટરી
વગેરે બધાની પુસ્તકો હોય છે ને. આમનું પુસ્તક પછી છે ગીતા. તે પણ કોણે સંભળાવી?
રાજ્યોગ કોણે શીખવાડ્યો? આ કોઈ નથી જાણતું. તેમાં નામ બદલી દીધું છે. શિવજયંતી પણ
મનાવે છે, એજ આવીને તમને કૃષ્ણપુરીનાં માલિક બનાવે છે. કૃષ્ણ સ્વર્ગનાં માલિક હતાં
ને પરંતુ સ્વર્ગને પણ જાણતાં નથી. નહીં તો કેમ કહે છે કે કૃષ્ણએ દ્વાપરમાં ગીતા
સંભળાવી. કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયાં છે, લક્ષ્મી-નારાયણને સતયુગમાં, રામને ત્રેતામાં.
ઉપદ્રવ લક્ષ્મી-નારાયણ નાં રાજ્યમાં નથી દેખાડતાં. કૃષ્ણનાં રાજ્યમાં કંસ, રામનાં
રાજ્યમાં રાવણ વગેરે દેખાડયાં છે. આ કોઈને ખબર નથી કે રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ
બને છે. બિલકુલ જ અજ્ઞાન અંધારું છે. અજ્ઞાન ને અંધકાર કહેવાય છે. જ્ઞાનને પ્રકાશ
કહેવાય છે. હવે પ્રકાશ કરવાવાળા કોણ? એ છે બાપ. જ્ઞાન ને દિવસ, ભક્તિ ને રાત કહેવાય
છે. હવે તમે સમજો છો આ ભક્તિમાર્ગ પણ જન્મ-જન્માંતર ચાલતો આવ્યો છે. સીડી ઉતરતાં આવે
છે. કળા ઓછી થતી જાય છે. મકાન નવું બને છે પછી દિવસ-પ્રતિદિવસ આયુ ઓછી થતી જશે. ૩/૪
જૂનું થયું તો તેને જૂનું જ કહેશે. બાળકોને પહેલાં તો આ નિશ્ચય જોઈએ કે આ સર્વનાં
બાપ છે, જે સર્વની સદ્દગતિ કરે છે, સર્વનાં માટે ભણતર પણ ભણાવે છે. સર્વને
મુક્તિધામ લઈ જાય છે. તમારી પાસે લક્ષ-હેતું છે. તમે આ ભણતર ભણીને જઈ પોતાની ગાદી
પર બેસશો. બાકી બધાને મુક્તિધામમાં લઈ જશે. ચક્ર પર જ્યારે સમજાવો છો તો તેમાં
દેખાડો છો કે સતયુગમાં આ અનેક ધર્મ છે નહિં. તે સમયે તે આત્માઓ નિરાકારી દુનિયામાં
રહે છે. આ તો તમે જાણો છો કે આ આકાશ પોલાર છે. વાયુને વાયુ કહેશે, આકાશને આકાશ. એવું
નથી કે બધાં પરમાત્મા છે. મનુષ્ય સમજે છે કે વાયુમાં પણ ભગવાન છે, આકાશમાં પણ ભગવાન
છે. હવે બાપ બેસી બધી વાતો સમજાવે છે. બાપની પાસે જન્મ તો લીધો પછી ભણાવે કોણ છે?
બાપ જ રુહાની શિક્ષક બની ભણાવે છે. અચ્છા ભણીને પુરુ કરશો તો પછી સાથે લઈ જશે પછી
તમે આવશો પાર્ટ ભજવવાં. સતયુગમાં પહેલાં-પહેલાં તમે જ આવ્યાં હતાં. હવે પાછાં બધાં
જન્મોનાં અંતમાં આવીને પહોંચ્યા છો, ફરી પહેલાં આવશો. હવે બાપ કહે છે દોડ લગાવો.
સારી રીતે બાપને યાદ કરો, બીજાઓને પણ ભણાવવાનું છે. નહીં તો આટલાં બધાને ભણાવે કોણ?
બાપનાં જરુર મદદગાર બનશો ને. ખુદાઈ ખિદમદગાર પણ નામ છે ને. અંગ્રેજીમાં કહે છે
સૈલવેશન આર્મી. કયું સૈલવેશન જોઈએ? બધાં કહે છે શાંતિનું સૈલવેશન જોઈએ. બાકી તેઓ
કોઈ શાંતિનું સૈલવેશન થોડી આપે છે. જો શાંતિનું સૈલવેશન માંગે છે તેમને કહો - બાપ
કહે છે શું હમણાં અહિયાં જ તમને શાંતિ જોઈએ છે? આ કાંઈ શાંતિધામ થોડી છે. શાંતિ તો
શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળવતન કહેવાય છે. આત્માને શરીર નથી તો શાંતિ માં
છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમારામાં પણ સમજાવવાની ઘણી યુક્તિ જોઈએ.
પ્રદર્શનીમાં જો આપણે ઉભા રહીને બધાનું સાંભળીએ તો ઘણાંની ભુલો નીકાળીએ કારણકે
સમજાવવા વાળા નંબરવાર તો છે ને. બધાં એકરસ હોત તો બ્રાહ્મણી એવું કેમ લખે કે ફલાણા
આવીને ભાષણ કરે. અરે, તમે પણ બ્રાહ્મણ છો ને. બાબા ફલાણા અમારાથી હોશિયાર છે.
હોશિયારી થી જ મનુષ્ય દરજો પામે છે ને. નંબરવાર તો છે ને. જ્યારે પરીક્ષાનું પરિણામ
નીકળશે તો પછી તમને જાતે જ સાક્ષાત્કાર થશે પછી સમજશે અમે તો શ્રીમત પર નહોતાં ચાલતાં.
બાપ કહે છે કોઈ પણ વિકર્મ નહીં કરો. દેહધારી થી લગાવ નહિ રાખો. આ તો ૫ તત્વોનું
બનેલું શરીર છે ને. ૫ તત્વોની થોડી પૂજા કરવાની છે કે યાદ કરવાનાં છે. ભલે આ આંખોથી
જુઓ પરંતુ યાદ બાપને કરવાનાં છે. આત્માને હવે નોલેજ મળ્યું છે. હવે આપણે ઘરે જવાનું
છે પછી વૈકુંઠમાં આવશું. આત્માને સમજી શકાય છે, જોઈ નથી શકતાં, તેમ આ પણ સમજી સકે
છે. હાં દિવ્ય દૃષ્ટીથી પોતાનું ઘર કે સ્વર્ગ જોઈ શકો છો. બાપ કહે છે-બાળકો,
મનમનાભવ, મધ્યાજી ભવ એટલે બાપને અને વિષ્ણુપુરી ને યાદ કરો. તમારું લક્ષ-હેતુ જ આ
છે. બાળકો જાણે છે આપણે હવે સ્વર્ગમાં જવાનું છે, બાકી બધાને મુક્તિમાં જવાનું છે.
બધાં તો સતયુગમાં આવી નથી શકતાં. તમારો છે દેવીધર્મ. આ થઈ ગયો મનુષ્યનો ધર્મ.
મૂળવતનમાં તો મનુષ્ય નથી ને. અહીંયા છે મનુષ્ય સૃષ્ટિ. મનુષ્ય જ તમોપ્રધાન અને પછી
સતોપ્રધાન બને છે. તમે પહેલાં શૂદ્ર વર્ણમાં હતાં, હવે બ્રાહ્મણ વર્ણમાં છો. આ વર્ણ
ફક્ત ભારતવાસીઓનાં છે. બીજા કોઈ પણ ધર્મને આમ નહીં કહેશું-બ્રાહ્મણ વંશી, સૂર્યવંશી.
આ સમયે બધાં શૂદ્ર વર્ણનાં છે. જડજડીભૂત અવસ્થા ને પામેલાં છે. તમે જૂનાં બન્યાં તો
આખું ઝાડ જડજડીભૂત તમોપ્રધાન બન્યું છે પછી આખું ઝાડ થોડી સતોપ્રધાન બની જશે.
સતોપ્રધાન નવાં ઝાડમાં તો ફક્ત દેવી-દેવતા ધર્મ વાળા જ છે પછી તમે સૂર્યવંશી થી
ચંદ્રવંશી બની જાઓ છો. પુનર્જન્મ તો લો છો ને. પછી વૈશ્ય, શુદ્રવંશી….આ બધી વાતો છે
નવી.
આપણને ભણાવવા વાળા જ્ઞાનનાં સાગર છે. એજ પતિત-પાવન સર્વનાં સદ્દગતિ દાતા છે. બાપ કહે
છે તમને જ્ઞાન હું આપું છું. તમે દેવી-દેવતા બની જાઓ છો પછી આ જ્ઞાન રહેતું નથી.
જ્ઞાન અપાય છે અજ્ઞાનીઓને. બધાં મનુષ્ય અજ્ઞાન અંધકારમાં છે, તમે છો અજવાળામાં. આમનાં
૮૪ જન્મોની કહાની તમે જાણો છો. આપ બાળકોને બધું જ્ઞાન છે. મનુષ્ય તો કહે છે ભગવાને
આ સૃષ્ટિ રચી જ કેમ. શું મોક્ષ નથી મળી શકતો! અરે, આ તો બન્યો-બનાવેલ ખેલ છે. અનાદિ
ડ્રામા છે ને. તમે જાણો છો આત્મા એક શરીર છોડી જઈને બીજું લે છે, આમાં ચિંતા કરવાની
દરકાર જ શું? આત્માએ જઈને પોતાનો બીજો પાર્ટ ભજવ્યો. રડવાનું ત્યારે જ્યારે પાછી
ચીજ મળવાની હોય. પાછી તો આવતી નથી પછી રડવાથી શું ફાયદો. હવે તમારે બધાએ મોહજીત
બનવાનું છે. કબ્રિસ્તાન થી મોહ શું રાખવાનો છે! આમાં તો દુઃખ જ દુઃખ છે. આજે બાળક
છે, કાલે બાળક પણ એવું બની જાય જે બાપની પાઘડી ઉતારવામાં પણ વાર ન કરે. બાપ થી પણ
લડી પડે છે. આને કહેવાય જ છે નિધનની દુનિયા. કોઈ ધણી-ધોણી છે નહીં જે શિક્ષા આપે.
બાપ જ્યારે આવી હાલત જુએ છે તો ધણકા બનાવવા આવે છે. બાપ જ આવીને બધાને ધણકા બનાવે
છે. ધણી આવીને બધાં ઝઘડા મટાવી દે છે. સતયુગમાં કોઈ ઝઘડા હોતાં નથી. આખી દુનિયાનાં
ઝઘડા મટાવી દે છે, પછી જયજયકાર થઈ જાય છે. અહીંયા મેજોરીટી માતાઓની છે. દાસી પણ આમને
સમજે છે. હથિયાલો બાંધતાં સમયે કહે છે, તમારાં પતિ ઈશ્વર ગુરુ વગેરે બધુંજ છે. પહેલા
મિસ્ટર (શ્રીમાન) પછી મિસેજ (શ્રીમતી). હવે બાપ આવીને માતાઓને આગળ રાખે છે. તમારાં
ઉપર કોઈ જીત પામી ન સકે. તમને બાપ બધાં કાયદા શિખવાડી રહ્યાં છે. મોહજીત રાજાની કથા
છે. તે બધી બનાવેલી વાર્તાઓ છે. સતયુગમાં તો અકાળે મૃત્યુ થતું જ નથી. સમય પર એક
શરીર છોડી બીજું લઈ લે છે. સાક્ષાત્કાર થાય છે-હવે આ શરીર વૃદ્ધ થયું છે પાછું નવું
લેવાનું છે, નાનું બાળક જઈને બનવાનું છે. ખુશીથી શરીર છોડી દે છે. અહીંયા તો ભલે
કેટલાં પણ ઘરડા હશે, રોગી હશે અને સમજશે પણ કે ક્યાં આ શરીર છૂટી જાય તો સારું છે
છતાં પણ મરવાનાં સમયે રડશે જરુર. બાપ કહે છે હવે તમે એવી જગ્યાએ ચાલો છો જ્યાં
રડવાનું પણ નામ નથી. ત્યાં તો ખુશી જ ખુશી રહે છે. તમને કેટલી અપાર બેહદની ખુશી
રહેવી જોઈએ. અરે, આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ! ભારત આખાં વિશ્વનું માલિક હતું.
હમણાં ટુકડા-ટુકડા થઈ ગયાં છે. તમે જ પૂજ્ય દેવતા હતાં પછી પૂજારી બનો છો. ભગવાન
થોડી આપેહી પૂજ્ય, આપેહી પુજારી બનશે. જો એ પણ પૂજારી બને તો પછી પૂજ્ય કોણ બનાવે?
ડ્રામામાં-બાપનો પાર્ટ જ અલગ છે. જ્ઞાનનાં સાગર એક છે, એ એકની જ મહિમા છે જ્યારે કે
જ્ઞાનનાં સાગર છે તો ક્યારે આવીને જ્ઞાન આપે, જે સદ્દગતિ થાય. જરુર અહીંયા આવવું પડે.
પહેલાં તો બુદ્ધિમાં આ બેસાડો કે અમને ભણાવવા વાળા કોણ છે?
ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ-આ છે મુખ્ય ચિત્ર. ઝાડને જોવાથી ઝટ સમજી જશે અમે તો ફલાણા
ધર્મનાં છીએ. અમે સતયુગમાં આવી ન શકીએ. આ ચક્ર તો ખુબ મોટું હોવું જોઈએ. લખાણ પણ
પૂરું હોય. શિવબાબા બ્રહ્મા દ્વારા દેવતા ધર્મ એટલે નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં
છે, શંકર દ્વારા જૂની દુનિયાનો વિનાશ પછી વિષ્ણુ દ્વારા નવી દુનિયાની પાલના કરાવે
છે, આ સિદ્ધ થઈ જાય. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંનેનું કનેક્શન (સંબંધ)
છે ને. બ્રહ્મા-સરસ્વતી સો પછી લક્ષ્મી-નારાયણ બને છે. ચઢતી કળા એક જન્મમાં થાય છે
પછી ઉતરતી કળામાં ૮૪ જન્મ લાગે છે. હવે બાપ કહે છે તે શાસ્ત્ર વગેરે રાઈટ (સાચાં)
છે કે હું રાઈટ (સાચો) છું? સાચી સત્યનારાયણની કથા તો હું સંભળાવું છું. હવે તમને
નિશ્ચય છે કે સત્ય બાપ દ્વારા અમે નર થી નારાયણ બની રહ્યાં છીએં. પહેલાં મુખ્ય આ પણ
એક વાત છે કે મનુષ્યને ક્યારેય બાપ, શિક્ષક, ગુરુ નથી કહેવાતું. ગુરુને ક્યારેય બાબા
કે શિક્ષક કહેશો શું? અહીંયા તો શિવબાબાની પાસે જન્મ લો છો પછી શિવબાબા તમને ભણાવે
છે પછી સાથે પણ લઈ જશે. મનુષ્ય તો આવાં કોઈ હોતાં નથી, જેમને બાપ, શિક્ષક, ગુરુ
કહેવાય. આ તો એક જ બાપ છે, એમને કહેવાય છે સુપ્રીમ ફાધર. લૌકિક બાપને ક્યારેય
સુપ્રીમ ફાધર નહીં કહેશું. બધાં યાદ તો એમને કરે છે. એ બાપ તો છે જ. દુઃખમાં બધાં
એમને યાદ કરે છે, સુખમાં કોઈ નથી કરતું. તો એ બાપ જ આવીને સ્વર્ગનાં માલિક બનાવે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ૫ તત્વોનાં
બનેલાં આ શરીરોને જોવાં છતાં યાદ બાપને કરવાનાં છે. કોઈ પણ દેહધારી થી લગાવ નથી
રાખવાનો. કોઇ વિકર્મ નથી કરવાનું.
2. આ બન્યા-બનાવેલ ડ્રામામાં દરેક આત્માનો અનાદિ પાર્ટ છે, આત્મા એક શરીર છોડી બીજું
લે છે, એટલે શરીર છોડવા પર ચિંતા નથી કરવાની, મોહજીત બનવાનું છે.
વરદાન :-
બાહ્યમુખી
ચતુરાઈ થી મુક્ત રહેવા વાળા બાપ પસંદ સાચાં સોદાગર ભવ
બાપદાદા ને દુનિયાની
બાહ્યમુખી ચતુરાઈ પસંદ નથી. કહેવાય છે ભોળા નાં ભગવાન. ચતુર સુજાન ને ભોળા બાળકો જ
પસંદ છે. પરમાત્મા ડાયરેક્ટરીમાં (સૂચિમાં) ભોળા બાળકો જ વિશેષ વી.આઈ.પી.છે. જેમનામાં
દુનિયાવાળાની આંખ નથી જતી-તેઓ જ બાપથી સોદો કરીને પરમાત્મા નયનોનાં સિતારા બની ગયાં.
ભોળા બાળકો જ દિલથી કહેતા “મારાં બાબા”, આ એક સેકન્ડનાં એક બોલ થી અગણિત ખજાનાનો
સોદો કરવાવાળા સાચાં સોદાગર બની ગયાં.
સ્લોગન :-
સર્વ નો સ્નેહ
પ્રાપ્ત કરવો છે તો મુખથી સદા મીઠા બોલ બોલો.