22-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
ભગવાન ભણાવે છે , તમારી પાસે છે જ્ઞાન રત્ન , આજ રત્નો નો ધંધો તમારે કરવાનો છે ,
તમે અહીંયા જ્ઞાન શીખો છો , ભક્તિ નહિં ”
પ્રશ્ન :-
મનુષ્ય
ડ્રામાની કઈ વન્ડરફુલ નોંધ ને ભગવાન ની લીલા સમજી એની મહિમા કરે છે?
ઉત્તર :-
જે જેમાં ભાવના રાખે, તેમને એનો સાક્ષાત્કાર થઈ જાય છે તો સમજે છે આ ભગવાને
સાક્ષાત્કાર કરાવ્યો પરંતુ થાય તો બધું ડ્રામા અનુસાર છે. એક બાજુ ભગવાન ની મહિમા
કરે, બીજી બાજુ સર્વવ્યાપી કહી ગ્લાનિ કરી દે છે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ-બાળકોને આ તો આ સમજાવેલું છે કે મનુષ્યને કે દેવતાને ભગવાન નથી કહેવાતું.
ગાએ પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ પછી કહેવાય છે
શિવ પરમાત્માય નમઃ. આ પણ તમે જાણો છો શિવને પોતાનું શરીર નથી. મૂળવતન માં શિવબાબા
અને સાલિગ્રામ રહે છે. બાળકો જાણે છે કે હમણાં આપણને આત્માઓને બાપ ભણાવી રહ્યાં છે
બીજા જે પણ સત્સંગ છે હકીકતમાં તે કોઈ સત નો સંગ છે નહીં. બાપ કહે છે તે તો માયાનો
સંગ છે. ત્યાં એવું કોઈ નહીં સમજશે કે અમને ભગવાન ભણાવે છે. ગીતા પણ સાંભળશે તો
કૃષ્ણ ભગવાનુવાચ સમજશે. દિવસ-પ્રતિદિવસ ગીતાનો અભ્યાસ ઓછો થતો જાય છે કારણ કે પોતાનાં
ધર્મને જ નથી જાણતાં. કૃષ્ણની સાથે તો બધાંનો પ્રેમ છે, કૃષ્ણને જ ઝુલાવે છે. હવે
તમે સમજો છો આપણે ઝૂલાવીએ કોને? બાળકને ઝૂલાવાય છે, બાપને તો ઝૂલાવી ન શકાય. તમે
શિવબાબાને ઝૂલાવશો? એ બાળક તો બનતાં નથી, પુનર્જન્મમાં આવતાં નથી. એ તો બિંદુ છે,
એમને શું ઝૂલાવશું. કૃષ્ણનો અનેકોને સાક્ષાત્કાર થાય છે. કૃષ્ણનાં મુખમાં તો આખું
વિશ્વ છે કારણ કે વિશ્વનાં માલિક બને છે. તો વિશ્વ રુપી માખણ છે. તેઓ જે પરસ્પર લડે
છે તે પણ સૃષ્ટિ રુપી માખણનાં માટે લડે છે. સમજે છે અમે જીત પામી લઈએ. કૃષ્ણનાં
મુખમાં માખણનો ગોળો દેખાડે છે, આ પણ અનેક પ્રકારનાં સાક્ષાત્કાર થાય છે. પરંતુ અર્થ
કાંઈ પણ નથી સમજતાં. અહીંયા તમને સાક્ષાત્કારનો અર્થ સમજાવાય છે. મનુષ્ય સમજે છે
અમને ભગવાન સાક્ષાત્કાર કરાવે છે. આ પણ બાપ સમજાવે છે-જેને યાદ કરે છે, સમજો કોઈ
કૃષ્ણની નૌધા ભક્તિ કરે છે તો અલ્પકાળનાં માટે તેમની મનોકામના પૂરી થાય છે. આ પણ
ડ્રામામાં નોંધ છે. એવું નહીં કહેશે કે ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો. જે જેવી ભાવનાથી
જેની પૂજા કરે છે તેમને તે સાક્ષાત્કાર થાય છે. આ ડ્રામામાં નોંધ છે. આ તો ભગવાનની
મહિમા કરી છે કે એ સાક્ષાત્કાર કરાવે છે. એક તરફ આટલી મહિમા પણ કરે છે, બીજી તરફ પછી
કહી દે છે પથ્થર-ઠીક્કરમાં ભગવાન છે. કેટલી અંધશ્રદ્ધા થી ભક્તિ કરે છે. સમજે છે-બસ
કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, કૃષ્ણપુરી માં અમે જરુર જઈશું. પરંતુ કૃષ્ણપુરી આવે
ક્યાંથી? આ બધું રહસ્ય બાપ આપ બાળકોને હવે સમજાવે છે. કૃષ્ણપુરી ની સ્થાપના થઇ રહી
છે. આ છે કંસપુરી. કંસ, અકાસુર, બકાસુર, કુંભકરણ, રાવણ આ બધાં અસુરોનાં નામ છે.
શાસ્ત્રોમાં શું-શું બેસીને લખ્યું છે.
આ પણ સમજાવવાનું છે કે ગુરુ બે પ્રકારનાં છે. એક છે ભક્તિમાર્ગનાં ગુરુ, તેઓ ભક્તિ
જ શીખવાડે છે. આ બાપ તો છે જ્ઞાન નાં સાગર, એમને સદ્દગુરુ કહેવાય છે. આ ક્યારેય
ભક્તિ નથી શીખવાડતાં, જ્ઞાન જ શીખવાડે છે. મનુષ્ય તો ભક્તિમાં કેટલાં ખુશ થાય છે,
ઝાંઝ વગાડે છે, બનારસમાં તમે જોશો બધાં દેવતાઓનાં મંદિર બનાવી દીધાં છે. આ બધી છે
ભક્તિમાર્ગની દુકાનદારી, ભક્તિનો ધંધો. આપ બાળકોનો ધંધો છે જ્ઞાન રત્નોનો, આને પણ
વ્યાપાર કહેવાય છે. બાપ પણ રત્નોનાં વ્યાપારી છે. તમે સમજો છો આ રત્ન કયા છે! આ
વાતોને સમજશે તેજ જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે, બીજા સમજશે જ નહીં. જે પણ મોટા-મોટા
છે તે પાછળ થી આવીને સમજશે. કન્વર્ટ (રૂપાંતર) પણ થયા છે ને. એક રાજા જનકની કથા
સંભળાવે છે. જનક પછી અનુજનક બન્યાં. જેમ કોઈનું નામ કૃષ્ણ છે તો કહેશે તમે અનુ દૈવી
કૃષ્ણ બનશો. ક્યાં તે સર્વગુણ સંપન્ન કૃષ્ણ, ક્યાં આ! કોઈનું લક્ષ્મી નામ છે અને આ
લક્ષ્મી-નારાયણની આગળ જઈને મહિમા ગાએ છે. આ થોડી સમજે છે કે એમનાં અને અમારામાં ફરક
કેમ થયો છે? હમણાં આપ બાળકોને નોલેજ મળ્યું છે, આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? તમે
જ ૮૪ જન્મ લેશો. આ ચક્ર અનેકવાર ફરતું આવ્યું છે. ક્યારેય બંધ નથી થઇ શકતું. તમે આ
નાટકની અંદર એક્ટર્સ છો. મનુષ્ય એટલું જરુર સમજે છે કે અમે આ નાટકમાં પાર્ટ ભજવવા
આવ્યાં છીએં. બાકી ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને નથી જાણતાં.
આપ બાળકો જાણો છો આપણું આત્માઓનું રહેવાનું સ્થાન પરે થી પરે છે. ત્યાં
સૂર્ય-ચંદ્રની પણ રોશની નથી. આ બધું સમજવા વાળા બાળકો પણ વધારે કરીને સાધારણ ગરીબ જ
બને છે કારણ કે ભારત જ સૌથી સાહૂકાર હતો, હવે ભારત સૌથી ગરીબ બન્યો છે. આખી રમત
ભારત પર છે. ભારત જેવો પાવન ખંડ બીજો કોઈ હોતો નથી. પાવન દુનિયામાં પાવન ખંડ હોય
છે, બીજો કોઈ ખંડ ત્યાં હોતો જ નથી. બાબાએ સમજાવ્યું છે આ આખી દુનિયા એક બેહદનો
આઇલેન્ડ (ટાપુ) છે. જેમ લંકા ટાપુ છે. દેખાડે છે રાવણ લંકામાં રહેતો હતો. હવે તમે
સમજો છો રાવણનું રાજ્ય તો આખી બેહદ ની લંકા પર છે. આ આખી સૃષ્ટિ સમુદ્ર પર ઉભી છે.
આ ટાપુ છે. આનાં પર રાવણનું રાજ્ય છે. આ બધી સીતાઓ રાવણની જેલમાં છે. તેમણે તો હદની
કથાઓ બનાવી દીધી છે. છે આ બધી બેહદની વાત. બેહદનું નાટક છે, એમાં જ પછી નાનાં-નાનાં
નાટક બેસી બનાવ્યાં છે. આ બાયોસ્કોપ વગેરે પણ હમણાં બન્યાં છે, તો બાપને પણ
સમજાવવામાં સહજ થાય છે. બેહદનો આખો ડ્રામા આપ બાળકોની બુદ્ધિમાં છે. મૂળવતન,
સૂક્ષ્મવતન બીજા કોઈની બુદ્ધિમાં હોઈ ન શકે. તમે જાણો છો આપણે આત્માઓ મૂળવતનની
રહેવાસી છીએં. દેવતાઓ છે સૂક્ષ્મવતન વાસી, એમને ફરિશ્તા પણ કહે છે. ત્યાં હાડમાસ
નું પીંજરું હોતું નથી. આ સૂક્ષ્મવતન નો પાર્ટ પણ થોડા સમય માટે છે. હમણાં તમે
આવો-જાવો છો પછી ક્યારેય નહીં જશો. તમે આત્માઓ જ્યારે મૂળવતન થી આવો છો તો વાયા
સૂક્ષ્મવતન નથી આવતાં, સીધાં આવો છો. હમણાં વાયા સૂક્ષ્મવતન જાઓ છો. હમણાં
સૂક્ષ્મવતનનો પાર્ટ છે. આ બધું રહસ્ય બાળકોને સમજાવે છે. બાપ જાણે છે કે આપણને
આત્માઓને સમજાવી રહ્યાં છે. સાધુ-સંત વગેરે કોઈ પણ આ વાતોને નથી જાણતાં. તેઓ
ક્યારેય આવી વાતો કરી ન શકે. બાપ જ બાળકો થી વાત કરે છે. અવયવો વગર તો વાત કરી ન શકે.
કહે છે હું આ શરીર નો આધાર લઇ આપ બાળકોને ભણાવું છું. આપ આત્માઓની દૃષ્ટિ પણ બાપ
તરફ ચાલી જાય છે. આ છે બધી નવી વાતો. નિરાકાર બાપ, એમનું નામ છે શિવબાબા. આપ
આત્માઓનું નામ તો આત્મા જ છે. તમારાં શરીરનાં નામ બદલાય છે. મનુષ્ય કહે છે પરમાત્મા
નામ-રુપ થી ન્યારા છે, પરંતુ નામ તો શિવ કહે છે ને. શિવની પૂજા પણ કરે છે. સમજે એક
છે, કરે બીજું છે. હવે તમે બાપનાં નામ, રુપ, દેશ કાળને પણ સમજી ગયાં છો. તમે જાણો
છો કોઈ પણ ચીજ નામ, રુપનાં વગર નથી હોઈ શકતી. આ પણ બહુજ સૂક્ષ્મ સમજવાની વાત છે.
બાપ સમજાવે છે-ગાયન પણ છે સેકન્ડમાં જીવનમુક્તિ અર્થાત્ મનુષ્ય નરથી નારાયણ બની શકે
છે. જ્યારે બાપ હેવનલી ગોડફાધર (સ્વર્ગનાં રચયિતા) છે, આપણે એમનાં બાળકો બન્યાં છે
તો આપણે પણ સ્વર્ગનાં માલિક થયાં. પરંતુ આ પણ સમજતાં નથી. બાપ કહે છે-બાળકો, તમારું
લક્ષ-હેતુ જ આ છે, નર થી નારાયણ બનવું. રાજયોગ છે ને. અનેકોને ચતુર્ભુજનો
સાક્ષાત્કાર થાય છે, એનાંથી સિદ્ધ છે વિષ્ણુપુરીનાં અમે માલિક બનવા વાળા છીએં. તમને
ખબર છે-સ્વર્ગમાં પણ લક્ષ્મી-નારાયણનાં તખ્તની પાછળ વિષ્ણુનું ચિત્ર રાખે છે અર્થાત્
વિષ્ણુપૂરીમાં આમનું રાજ્ય છે. આ લક્ષ્મી-નારાયણ વિષ્ણુપુરીનાં માલિક છે. તે છે
કૃષ્ણપુરી, આ છે કંસપુરી. ડ્રામાનુસાર આ પણ નામ રાખેલાં છે. બાપ સમજાવે છે મારું
રુપ ખુબજ સૂક્ષ્મ છે. કોઈ પણ જાણી નથી શકતું. કહે છે કે આત્મા એક સ્ટાર છે પરંતુ પછી
લિંગ બનાવી દે છે. નહીં તો પૂજા કેવી રીતે થાય. રુદ્ર યજ્ઞ રચે છે તો અંગુઠા જેવા
સાલિગ્રામ બનાવે છે. બીજી તરફ એમને અજબ તારો કહે છે. આત્માને જોવાની ખુબ કોશિશ કરે
છે પરંતુ કોઈ પણ જોઈ નથી શકતું. રામકૃષ્ણ, વિવેકાનંદને પણ દેખાડે છે ને, તેમણે જોયું
આત્મા તેમનાં માંથી નીકળી મારામાં સમાઈ ગઈ. હવે તેમને કોનો સાક્ષાત્કાર થયો હશે?
આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે. બિંદુ જોયું, સમજતાં કાંઈ નથી. આત્માનો
સાક્ષાત્કાર તો કોઈ ઇચ્છતું નથી. ઈચ્છા રાખે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરીએ.
તેઓ બેઠા હતા કે ગુરુ થી પરમાત્માનો સાક્ષાત્કાર કરીએ. બસ, કહી દીધું જ્યોતિ હતી તે
મારામાં સમાઈ ગઈ. એમાંજ તે બહુજ ખુશ થઇ ગયાં. સમજ્યા આ જ પરમાત્માનું રુપ છે. ગુરુમાં
ભાવના રહે છે, ભગવાનનાં સાક્ષાત્કાર ની. સમજતા કાંઈ નથી. પરંતુ ભક્તિમાર્ગમાં સમજાવે
કોણ? હવે બાપ બેસી સમજાવે છે-જે-જે રુપમાં જેવી ભાવના રાખે છે, જે મુખડું જોવે છે,
તેવો સાક્ષાત્કાર થઈ જાય છે. જેમ ગણેશની ખુબ પૂજા કરે છે તો તેમનો ચૈતન્ય રુપમાં
સાક્ષાત્કાર થઈ જાય છે. નહિં તો તેમને નિશ્ચય કેવી રીતે થાય? તેજોમય રુપ જોઈ સમજે
છે કે અમે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. એમાંજ ખુશ થઇ જાય છે. આ બધું છે ભક્તિમાર્ગ,
ઉતરતી કળા. પહેલો જન્મ સારો હોય છે પછી ઓછું થતાં-થતાં અંત આવી જાય છે. બાળકો જ આ
વાતોને સમજે છે, જેમને કલ્પ પહેલાં જ્ઞાન સમજાવ્યું છે તેમને જ હમણાં સમજાવી રહ્યાં
છે. કલ્પ પહેલાં વાળા જ આવશે, બાકી બીજાનાં તો ધર્મ જ અલગ છે. બાપ સમજાવે છે એક-એક
ચિત્રમાં ભગવાનુવાચ લખી દો. બહુજ યુક્તિથી સમજાવવાનું હોય છે. ભગવાનુવાચ છે ને-યાદવ,
કૌરવ ઔર પાંડવ ક્યાં કરત ભયે, તેમનું આ ચિત્ર છે. પૂછો-તમે બતાવો પોતાનાં બાપને જાણો
છો? નથી જાણતાં તો બાપથી પ્રીત નથી ને, તો વિપરીત બુદ્ધિ થયાં. બાપ પ્રીત નથી તો
વિનાશ થઇ જશો. પ્રીત બુદ્ધિ વિજયંતી, સત્યમેવ જયતે - આનો અર્થ પણ ઠીક છે. બાપની યાદ
જ નથી તો વિજય પામી નથી શકતાં.
હવે તમે સિદ્ધ કરી બતાવો છો-ગીતા શિવ ભગવાને સંભળાવી છે. એમણે જ રાજયોગ શીખવાડ્યો,
બ્રહ્મા દ્વારા. આ તો કૃષ્ણ ભગવાનની ગીતા સમજીને કસમ ઉઠાવે છે. તેમને પુછવું
જોઇએ-કૃષ્ણને હાજીર-નાજીર જાણવાં જોઈએ કે ભગવાનને? કહે છે ઈશ્વરને હાજીર-નાજીર જાણી
સાચું બોલો. મૂંઝાઈ ગયાં ને. તો કસમ પણ જુઠ્ઠી થઈ જાય. સર્વિસ (સેવા) કરવા વાળા
બાળકોને ગુપ્ત નશો રહેવો જોઈએ. નશાથી સમજાવશો તો સફળતા થશે. તમારું આ ભણતર પણ ગુપ્ત
છે, ભણાવવા વાળા પણ ગુપ્ત છે. તમે જાણો છો આપણે નવી દુનિયામાં જઈને આ બનશું. નવી
દુનિયા સ્થાપન થાય છે મહાભારત લડાઈ નાં પછી. બાળકોને હવે નોલેજ મળ્યું છે. તે પણ
નંબરવાર ધારણ કરે છે. યોગમાં પણ નંબરવાર રહે છે. આ પણ ધ્યાન રાખવું જોઈએ-અમે કેટલાં
યાદમાં રહીએ છીએ? બાપ કહે છે આ હમણાં તમારો પુરુષાર્થ ૨૧ જન્મોનાં માટે થઇ જશે. હમણા
નપાસ થયા તો કલ્પ-કલ્પાંતર નપાસ થતાં રહેશો, ઊંચ પદ નહિ પામી શકો. પુરુષાર્થ કરવો
જોઈએ ઊંચ પદ પામવાનો. એવાં પણ ઘણાં સેવાકેન્દ્ર પર આવે છે જે વિકારમાં જતા હોય છે
અને પછી સેવાકેન્દ્ર પર આવતાં રહે છે. સમજે છે ઈશ્વર તો બધું જોવે છે, જાણે છે. હવે
બાપને શું પડી છે જે આ બેસીને જોશે. તમે જુઠું બોલશો, વિકર્મ કરશો તો પોતાનું જ
નુકસાન કરશો. આ તો તમે પણ સમજો છો, કાળુ મોઢું કરું છું તો ઊંચ પદ પામી નહી શકું.
તો બાપએ જાણ્યું તો પણ વાત તો એક જ થઈ. એમને શું દરકાર પડી છે. પોતાનું દિલ અંદર
ખાવું જોઈએ-હું આવા કર્મ કરવાથી દુર્ગતિને પામીશ. બાબા કેમ બતાવે? હાં, ડ્રામામાં
છે તો બતાવે પણ છે. બાબાથી છુપાવવું એટલે પોતાનું સત્યાનાશ કરવું છે. પાવન બનવાનાં
માટે બાપને યાદ કરવાનાં છે, તમને આ જ ફુર્ણા (ચિંતા) રહેવી જોઈએ કે અમે સારી રીતે
ભણીને ઊંચ પદ પામીએ. કોઈ મરે કે જીવે, એની ફુર્ણા નહિં. ફુર્ણા રાખવાની છે કે બાપથી
વારસો કેવી રીતે લઈએ? તો કોઈને પણ થોડામાં સમજાવવાનું છે. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ગુપ્ત નશામાં
રહીને સર્વિસ કરવાની છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે દિલ ખાતું રહે. પોતાની તપાસ
કરવાની છે કે અમે કેટલું યાદમાં રહીએ છીએ?
2. સદા એજ ફિકર રહે કે અમે સારી રીતે ભણીને ઊંચ પદ પામીએ. કોઈ પણ વિકર્મ કરીને, જૂઠું
બોલીને પોતાનું નુકસાન નથી કરવાનું.
વરદાન :-
વિશેષતાઓ નાં
દાન દ્વારા મહાન બનવા વાળા મહાદાની ભવ
જ્ઞાનદાન તો બધાં કરે
છે પરંતુ આપ વિશેષ આત્માઓએ પોતાની વિશેષતાઓનું દાન કરવાનું છે. જે પણ તમારી સામે આવે
તેમને તમારાથી બાપનાં સ્નેહનો અનુભવ થાય, તમારાં ચહેરાથી બાપનું ચિત્ર અને ચલન થી
બાપનું ચરિત્ર દેખાય. તમારી વિશેષતાઓ જોઈને જ તેઓ વિશેષ આત્મા બનવાની પ્રેરણા
પ્રાપ્ત કરે, એવાં મહાદાની બનો તો આદિ થી અંત સુધી, પૂજ્યપણા માં પણ અને પૂજારીપણા
માં પણ મહાન રહેશો.
સ્લોગન :-
સદા આત્મ
અભિમાની રહેવાવાળા જ સૌથી મોટા જ્ઞાની છે.