18-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમારી ચલન બહુજ રોયલ હોવી જોઈએ , તમે દેવતા બની રહ્યા છો તો લક્ષ અને લક્ષણ , કથની અને કરની સમાન બનાવો ”

ગીત :-
તુમ્હે પાકે હમને જહાં પા લિયા હૈ…….

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. હમણાં તો થોડા બાળકો છે પછી અનેકાનેક બાળકો થઇ જશે. પ્રજાપિતા બ્રહ્માને જાણવું તો બધાએ છે ને. બધાં ધર્મવાળા માનશે. બાબા એ સમજાવ્યું છે તે લૌકિક બાપ પણ હદનાં બ્રહ્મા છે. તેમનો અટકથી સમુદાય બને છે. આ પછી છે બેહદનાં. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તે હદનાં બ્રહ્મા પ્રજા રચે છે, લિમિટેડ (મર્યાદિત). કોઈ બે-ચાર રચશે, કોઈ નથી પણ રચતાં. આમનાં માટે તો એવું કહી ન શકશે કે સંતાન નથી. આમની સંતાન તો આખી દુનિયા છે. બેહદનાં બાપદાદા બંને નો મીઠા-મીઠા બાળકોમાં બહુજ રુહાની પ્રેમ છે. બાળકોને કેટલા પ્રેમથી ભણાવે છે અને શું થી શું બનાવે છે! તો બાળકોને કેટલો ખુશી નો પારો ચઢ્યો રહેવો જોઈએ. ખુશીનો પારો ત્યારે જ ચઢશે જ્યારે બાપને નિરંતર યાદ કરતા રહેશે. બાપ કલ્પ-કલ્પ બહુજ પ્રેમ થી બાળકોને પાવન બનાવાની સેવા કરે છે. ૫ તત્વો સહિત બધાને પાવન બનાવે છે. કોડી થી હીરા જેવાં બનાવે છે. કેટલી મોટી બેહદની સેવા છે. બાપ બાળકોને બહુજ પ્રેમ થી શિક્ષણ પણ આપતા રહે છે કારણ કે બાળકો ને સુધારવા બાપનું કે શિક્ષકનું જ કામ છે. બાપની શ્રીમત થી જ તમે શ્રેષ્ઠ બનો છો. આ પણ બાળકોએ ચાર્ટમાં જોવું જોઈએ કે અમે શ્રીમત પર ચાલીએ છીએ કે પોતાની મનમત પર? શ્રીમત થી જ તમે એક્યુરેટ બનશો. જેટલી બાપથી પ્રીત બુદ્ધિ હશે એટલી ગુપ્ત ખુશીથી ભરપૂર રહેશો. પોતાનાં દિલથી પૂછવાનું છે અમને આટલી કાપારી (અત્યંત) ખુશી છે? અવ્યભિચારી યાદ છે? કોઈ તમન્ના તો નથી? એક બાપની યાદ છે? સ્વદર્શન ચક્ર ફરતું રહે ત્યારે પ્રાણ તન થી નીકળે. એક શિવબાબા બીજું ન કોઈ. આ જ અંતિમ મંત્ર છે.

બાપ રુહાની બાળકો થી પૂછે છે મીઠા બાળકો, જ્યારે બાપદાદાને સામે જુઓ છો તો બુદ્ધિમાં આવે છે કે અમારા બાબા, બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બાપ આપણને આ જૂની દુનિયાથી લઈ જાય છે નવી દુનિયામાં. આ જૂની દુનિયા તો હવે ખલાસ થઈ કે થઈ. આ તો હવે કોઈ કામની નથી. બાપ કલ્પ-કલ્પ નવી દુનિયા બનાવે છે. આપણે કલ્પ-કલ્પ નર થી નારાયણ બનીએ છીએ. બાળકોએ આ સિમરણ કરી કેટલાં હુલ્લાસ માં રહેવું જોઈએ. બાળકો, સમય ખુબ થોડો છે. આજે શું છે કાલે શું હશે. આજ અને કાલ ની રમત છે એટલે બાળકોએ ગફલત નથી કરવાની. આપ બાળકોની ચલન ખુબ રોયલ હોવી જોઈએ. પોતે પોતાને જોવાનું છે દેવતાઓની જેમ અમારી ચલન છે? દેવતાઇ દિમાગ રહે છે? જે લક્ષ છે તે બની પણ રહ્યા છીએ કે ફક્ત કથની જ છે? જે નોલેજ મળ્યું છે તેમાં મસ્ત રહેવું જોઈએ. જેટલાં અંતર્મુખ થઈ આ વાતો પર વિચાર કરતા રહેશો તો બહુજ ખુશી રહેશે. આ પણ આપ બાળકો જાણો છો કે આ દુનિયાથી એ દુનિયામાં જવાનો બાકી થોડો સમય છે. જ્યારે તે દુનિયાને છોડી દીધી પછી પાછળ કેમ જોવાનું! બુદ્ધિયોગ તે તરફ કેમ જાય? આ પણ બુદ્ધિથી કામ લેવાનું છે. જ્યારે પાર નીકળી ગયા પછી બુદ્ધિ કેમ જાય? વીતેલી વાતોનું ચિંતન નહીં કરો. આ જૂની દુનિયાની કોઈ પણ આશ ન રહે. હવે તો એક જ શ્રેષ્ઠ આશ રાખવાની છે-અમે તો ચાલ્યા સુખધામ. ક્યાંય પણ ઉભા નથી રહેવાનું .જોવાનું નથી. આગળ વધતા જવાનું છે. એક તરફ જ જોતા રહો ત્યારે જ અચળ-અડોલ સ્થિર અવસ્થા રહેશે. સમય ખુબ નાજુક થતો જાય છે, આ જૂની દુનિયાની હાલત બગડતી જ જાય છે. તમારું આનાથી કોઈ કનેક્શન (સંબંધ) નથી. તમારું કનેક્શન છે નવી દુનિયા થી, જે હવે સ્થાપન થઈ રહી છે. બાપ એ સમજાવ્યું છે, હવે ૮૪ નું ચક્ર પૂરું થયું. હવે આ દુનિયા ખતમ થવાની જ છે, આની બહુજ ગંભીર હાલત છે. આ સમયે સૌથી અધિક ગુસ્સો પ્રકૃતિ ને આવે છે એટલે બધું ખલાસ કરી દે છે. હવે તમે જાણો છો આ પ્રકૃતિ પોતાનો ગુસ્સો જોરથી દેખાડશે - આખી દુનિયાને ડુબાડી દેશે. ફ્લડ્સ થશે (પુર આવશે). આગ લાગશે. મનુષ્ય ભુખે મરશે. ધરતીકંપ માં મકાન વગેરે બધાં પડી જશે. આ બધી હાલતો આખી દુનિયાનાં માટે આવવાની છે. અનેક પ્રકારથી મોત થશે. ગેસનાં એવાં-એવાં બોમ્બસ છોડશે-જેની વાસ (દુર્ગંધ) થી જ મનુષ્ય મરી જાય. આ બધો ડ્રામા પ્લાન બનેલો છે. આમાં દોષ કોઈનો પણ નથી. વિનાશ તો થવાનો જ છે એટલે તમારે આ જૂની દુનિયાથી બુદ્ધિનો યોગ હટાવી દેવાનો છે. હવે તમે કહેશો વાહ સદ્દગુરુ…... જેમણે અમને આ રસ્તો બતાવ્યો છે. આપણાં સાચાં-સાચાં ગુરુ બાબા એક જ છે. જેમનું નામ ભક્તિમાં પણ ચાલ્યું આવે છે. જેમની જ વાહ-વાહ ગવાય છે. આપ બાળકો કહેશો-વાહ સદ્દગુરુ વાહ! વાહ તકદીર વાહ! વાહ ડ્રામા વાહ! બાપનાં જ્ઞાનથી અમને સદ્દગતિ મળી રહી છે.

આપ બાળકો નિમિત્ત બન્યા છો વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનાં માટે. તો બધાને આ ખુશખબરી સંભળાવો કે હવે નવું ભારત, નવી દુનિયા જેમાં લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું તે ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. આ દુઃખધામ બદલાઈ સુખધામ બનવાનું છે. અંદરમાં ખુશી રહેવી જોઈએ કે અમે સુખધામનાં માલિક બની રહ્યા છીએ. ત્યાં આવું કોઈ નહીં પૂછે કે તમે રાજી-ખુશી છો? તબિયત ઠીક છે? આવું આ દુનિયામાં પુછાય છે કારણકે આ છે જ દુઃખની દુનિયા. આપ બાળકોથી પણ આ કોઈ પૂછી નથી શકતું. તમે કહેશો અમે ઈશ્વરનાં બાળકો, તમે અમને શું ખુશ ખૈરાફત પૂછો છો! અમે તો સદેવ રાજી-ખુશી છીએ. સ્વર્ગથી પણ અહીં વધારે ખુશી છે કારણકે સ્વર્ગ સ્થાપન કરવાવાળા બાપ મળ્યા તો બધું જ મળ્યું. પરવાહ હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા બાપની તે મળી ગયાં, બાકી કોની પરવાહ! આ સદેવ નશો રહેવો જોઈએ. બહુજ રોયલ, મીઠા બનવાનું છે. પોતાની તકદીર ને ઊંચી બનાવવા નો હમણાં જ સમય છે. પદ્માપદમપતી બનવાનું મુખ્ય સાધન છે - કદમ-કદમ પર ખબરદારી થી ચાલવું. અંતર્મુખી બનવું. આ સદેવ ધ્યાન રહે - “જેવું કર્મ અમે કરીશું અમને જોઈને બીજા કરશે.” દેહ અહંકાર વગેરે વિકારોનું બીજ તો અડધાકલ્પ થી વાવેલું છે. આખી દુનિયામાં આ બીજ છે. હવે તેને મર્જ કરવાનું છે. દેહ-અભિમાનનું બીજ નથી વાવવાનું. હવે દેહી-અભિમાની નું બીજ વાવવાનું છે. તમારી હવે છે વાનપ્રસ્થ અવસ્થા. સૌથી પ્રિય બાપ મળ્યા છે એમને જ યાદ કરવાનાં છે. બાપનાં બદલે દેહ ને કે દેહધારીઓને યાદ કરવું - આ પણ ભૂલ છે. તમારે આત્મ-અભિમાની બનવાની, શીતળ બનવાની બહુજ મહેનત કરવાની છે.

મીઠા બાળકો, આ પોતાના જીવનથી તમારે ક્યારેય પણ હેરાન ન થવું જોઈએ. આ જીવન અમૂલ્ય ગવાયેલું છે, તેની સંભાળ પણ કરવાની છે. સાથે-સાથે કમાણી પણ કરવાની છે. અહીંયા જેટલા દિવસ રહેશો, બાપને યાદ કરી અથાહ કમાણી જમા કરતાં રહેશો. હિસાબ-કિતાબ ચુકતું થતો રહેશે એટલે ક્યારેય પણ હેરાન નથી થવાનું. બાળકો કહે છે બાબા. સતયુગ ક્યારે આવશે? બાબા કહે બાળકો પહેલાં તમે કર્માતીત અવસ્થા તો બનાવો. જેટલો સમય મળે પુરુષાર્થ કરો કર્માતીત બનવાનો. બાળકોમાં નષ્ટોમોહા બનવાની પણ બહું હિંમત જોઈએ. બેહદનાં બાપ થી પૂરો વારસો લેવો છે તો નષ્ટોમોહા બનવું પડે. પોતાની અવસ્થાને બહું ઊંચી બનાવવાની છે. બાપનાં બન્યા છો તો બાપની જ અલૌકિક સેવામાં લાગી જવાનું છે. સ્વભાવ બહુજ મીઠો જોઈએ. મનુષ્યને સ્વભાવ જ ખુબ હેરાન કરે છે. જ્ઞાનનું જે ત્રીજું નેત્ર મળ્યું છે, તેનાથી પોતાની તપાસ કરતા રહો. જે પણ ખામી છે તેને નીકાળી શુદ્ધ હીરો બનવાનું છે. થોડી પણ ખામી હશે તો મુલ્ય ઓછું થઈ જશે એટલે મહેનત કરી પોતાને મુલ્યવાન હીરો બનાવવાનું છે.

આપ બાળકોથી બાપ હવે નવી દુનિયાનાં સંબંધ નો પુરુષાર્થ કરાવે છે. મીઠા બાળકો, હવે બેહદનાં બાપ અને બેહદ સુખનાં વારસા થી સંબંધ રાખો. એક જ બેહદનાં બાપ છે જે બંધન થી છોડાવીને તમને અલૌકિક સંબંધમાં લઈ જાય છે. સદેવ આ સ્મૃતિ રહે કે અમે ઈશ્વરીય સંબંધ નાં છીએં. આ ઈશ્વરીય સંબંધ જ સદા સુખદાયી છે. અચ્છા!

મીઠા-મીઠા સિકીલધા, અતિ સ્નેહી બાળકો ને માત-પિતા બાપદાદાનાં દિલ અને જાન, સિક અને પ્રેમ થી યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

અવ્યક્ત બાપદાદાના મધુર મહાવાકય :
સફળતા-મૂર્ત બનવાનાં માટે મુખ્ય બે જ વિશેષતાઓ જોઈએ - એક પવિત્રતા, બીજી એકતા. જો પવિત્રતાની કમી છે તો એકતા માં પણ કમી છે. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય વ્રતને નથી કહેવાતું, સંકલ્પ, સ્વભાવ, સંસ્કાર માં પણ પવિત્રતા. સમજો એક-બીજા પ્રતિ ઈર્ષા કે ઘૃણાનો સંકલ્પ છે તો પવિત્રતા નહી, અપવિત્રતા કહેશું. પવિત્રતા ની પરિભાષામાં સર્વ વિકારોનો અંશ-માત્ર પણ ન હોય. સંકલ્પ માં પણ કોઇ પ્રકારની અપવિત્રતા ન હોય. આપ બાળકો નિમિત્ત બનેલા છો - બહુજ ઊંચા કાર્યને સંપન્ન કરવાનાં માટે. નિમિત્ત તો મહારથી રુપથી બનેલા છો ને? જો લીસ્ટ (યાદી) નીકાળે છે તો લિસ્ટ માં પણ સેવાધારી તથા સેવાનાં નિમિત્ત બનેલ બ્રહ્મા વત્સ જ મહારથી નાં લિસ્ટમાં ગણાય છે. મહારથીની વિશેષતા ક્યાં સુધી આવી છે? તે તો દરેક સ્વયં જ જાણે. મહારથી જે લિસ્ટ માં ગણાય છે તે આગળ ચાલીને મહારથી થશે અથવા વર્તમાનની લિસ્ટમાં મહારથી છે. તો આ બંને વાતોની ઉપર ધ્યાન જોઈએ.

એકતા અર્થાત સંસ્કાર-સ્વભાવનાં મિલનની એકતા. કોઈનાં સંસ્કાર અને સ્વભાવ ન પણ મળે તો પણ કોશિશ કરી મળાવો, આ છે એકતા. ફક્ત સંગઠનને એકતા નહી કહેશું. સેવાધારી નિમિત્ત બનેલ આત્માઓ આ બે વાતોનાં સિવાય બેહદની સેવાનાં નિમિત્ત નથી બની શકતા. હદનાં થઈ શકે છે, બેહદની સેવાનાં માટે આ બંને વાતો જોઈએ. સંભળાવ્યું હતું ને - રાસમાં તાલ મળાવવા પર જ વાહ-વાહ થાય છે. તો અહીંયા પણ તાલ મળાવવો અર્થાત રાસ મળાવવો છે. આટલી આત્માઓ જે જ્ઞાન વર્ણન કરે છે તો બધાનાં મુખથી આ નીકળે છે કે એક જ વાત કહે છે, આ બધાનો એક જ વિષય છે, એક જ શબ્દ છે, આ બધાં કહે છે ને ? એ જ રીતે બધાનાં સ્વભાવ અને સંસ્કાર એક-બીજાથી મળે ત્યારે કહેવાશે રાસ મળાવવો. આની પણ પ્લાન (યોજના) બનાવો.

કોઈપણ કમજોરીને મટાડવા માટે વિશેષ મહાકાળી સ્વરુપ શક્તિઓ નું સંગઠન જોઈએ જે પોતાની યોગ-અગ્નિ નાં પ્રભાવ થી કમજોર વાતાવરણને પરિવર્તન કરે. હમણાં તો ડ્રામા અનુસાર દરેક ચલન રુપી દર્પણ માં અંતિમ રીઝલ્ટ (પરિણામ) સ્પષ્ટ થવાનું છે. આગળ જઈને મહારથી બાળકો પોતાનાં જ્ઞાનની શક્તિ દ્વારા દરેકનાં ચહેરા થી તેમની જ કર્મની ગાથા ને સ્પષ્ટ જોઈ સકશે. જેમ મલેચ્છ ભોજનની વાસ સમજમાં આવી જાય છે, તેમ મલેચ્છ સંકલ્પ રુપી આહાર સ્વીકાર કરવાવાળી આત્માઓનાં પ્રકંપન થી સ્પષ્ટ ટચિંગ (સ્પર્શ) થશે, તેનું યંત્ર છે બુદ્ધિની લાઈન ક્લિયર (સ્પષ્ટ). જેમનું આ યંત્ર પાવરફુલ હશે તે સહજ જાણી શકશે.

શક્તિઓ કે દેવતાઓનાં જડ ચિત્રોમાં પણ આ વિશેષતા છે, જે કોઈ પણ પાપ-આત્મા પોતાનું પાપ તેમની આગળ જઈને છુંપાવી નથી શકતી. તમે જ આ વર્ણન કરતાં રહો છો કે અમે આવાં છીએ. તો જડ યાદગારમાં પણ હમણાં અંતકાળ સુધી આ વિશેષતા દેખાય છે. ચૈતન્ય રુપમાં શક્તિઓની આ વિશેષતા પ્રસિદ્ધ થઈ છે ત્યારે તો યાદગારમાં પણ છે. આ છે માસ્ટર જાનીજાનનહાર ની સ્ટેજ અર્થાત્ નોલેજફુલ ની સ્ટેજ. આ સ્ટેજ પણ પ્રેક્ટિકલમાં અનુભવ થશે, થતી જઈ રહી છે અને થશે પણ. એવું સંગઠન બનાવ્યું છે? બનાવવાનું તો છે જ. એવું શમા-સ્વરુપ સંગઠન જોઈએ, જેમનાં દરેક કદમ થી બાપની પ્રત્યક્ષતા થાય-અચ્છા!

વરદાન :-
સેવા કરતાં યાદનાં અનુભવોની રેસ કરવાવાળા સદા લવલીન આત્મા ભવ

યાદમાં રહો છો પરંતુ યાદ દ્વારા જે પ્રાપ્તિઓ થાય છે, તે પ્રાપ્તિની અનુભૂતિ ને આગળ વધારતાં જાઓ, એનાં માટે હમણાં વિશેષ સમય અને ધ્યાન આપો જેનાથી ખબર પડે કે આ અનુભવોનાં સાગરમાં ખોવાયેલી લવલીન આત્માઓ છે. જેમ પવિત્રતા, શાંતિનાં વાતાવરણ ની ભાસના આવે છે તેમ શ્રેષ્ઠયોગી, લગનમાં મગન રહેવાવાળા છે - આ અનુભવ થાય. જ્ઞાન નો પ્રભાવ છે પરંતુ યોગની સિદ્ધિ સ્વરુપ નો પ્રભાવ થાય. સેવા કરતાં યાદનાં અનુભવમાં ડૂબેલા રહો, યાદની યાત્રાનાં અનુભવો ની રેસ કરો.

સ્લોગન :-
સિદ્ધિ ને સ્વીકાર કરી લેવું અર્થાત્ ભવિષ્ય પ્રાલબ્ધ ને અહીંયા જ સમાપ્ત કરી દેવી.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવા માટે વિશેષ અભ્યાસ
જેમ બ્રહ્મા બાપએ નિશ્ચય નાં આધાર પર, રુહાની નશા નાં આધાર પર, નિશ્ચિત ભાવી નાં જ્ઞાતા બની સેકન્ડમાં બધું સફળ કરી દીધું. પોતાનાં માટે કાંઇ ન રાખ્યું. તો સ્નેહની નિશાની છે બધુજ સફળ કરો. સફળ કરવાનો અર્થ છે શ્રેષ્ઠ તરફ લગાવવું.