19-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
હરતાં - ફરતાં યાદમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે . જ્ઞાન અને યોગ આજ મુખ્ય બે ચીજો
છે , યોગ એટલે યાદ ”
પ્રશ્ન :-
અક્લમંદ (હોશિયાર)
બાળકો કયા બોલ મુખથી નહીં બોલશે?
ઉત્તર :-
અમને યોગ શીખવાડો, આ બોલ અક્લમંદ બાળકો નહિં બોલશે. બાપને યાદ કરવાં શીખવાનું હોય
શું! આ પાઠશાળા છે ભણવાં ભણાવવાં માટે. એવું નહી, યાદ કરવાં માટે કોઈ ખાસ બેસવાનું
છે. તમારે કર્મ કરતાં બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે.
ઓમ શાંતિ!
હવે રુહાની
બાપ બેસી રુહાની બાળકોને સમજાવે છે. બાળકો જાણે છે રુહાની બાપ આ રથ દ્વારા આપણને
સમજાવી રહ્યાં છે. હવે જ્યારે બાળકો છે તો બાપને કે કોઇ બહેન કે ભાઈને કહેવું કે
મુજ બાબાને યાદ કરવાનું શીખવાડો, તો આ રોંગ (ખોટું) થઇ જાય છે. તમે કોઈ નાની બાળકીઓ
તો નથી ને. આ તો જાણો મુખ્ય છે રુહ. તે તો છે અવિનાશી. શરીર છે વિનાશી. મોટી તો રુહ
થઈ ને. અજ્ઞાનકાળમાં આ જ્ઞાન કોઈને નથી રહેતું કે અમે આત્મા છીએ, શરીર દ્વારા બોલીએ
છીએ. દેહ-અભિમાનમાં આવીને જ બોલે છે-હું આ કરું છું. હવે તમે દેહી-અભિમાની બન્યાં
છો. જાણો છો આત્મા કહે છે હું આ શરીર દ્વારા બોલું છું, કર્મ કરું છું. આત્મા મેલ (પુરુષ)
છે. બાપ સમજાવે છે-આ બોલ બહુજ કરીને સાંભળવામાં આવે છે, કહે છે અમને યોગમાં બેસાડો.
સામે એક બેસે છે, એ વિચારથી કે અમે પણ બાબાની યાદમાં બેસીએ, આ પણ બેશે. હવે પાઠશાળા
કોઈ આનાં માટે નથી. પાઠશાળા તો ભણવા માટે છે. બાકી એવું નથી, અહીંયા બેસીને ફક્ત
તમારે યાદ કરવાનું છે. બાપએ તો સમજાવ્યું છે હરતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં બાપને યાદ
કરો, આનાં માટે ખાસ બેસવાની પણ દરકાર નથી. જેમ કોઇ કહે છે રામ-રામ કહો, શું વગર
રામ-રામ કહે યાદ નથી કરી શકતાં? યાદ તો હરતાં ફરતાં કરી શકાય છે. તમારે તો કર્મ કરતાં
બાપને યાદ કરવાનાં છે. આશિક માશૂક કોઈ ખાસ બેસીને એકબીજાને યાદ નથી કરતાં. કામકાજ
ધંધો વગેરે બધુંજ કરવાનું છે, બધુંજ કરતાં પોતાનાં માશૂક ને યાદ કરતાં રહો. એવું નથી
કે એમને યાદ કરવાં માટે ખાસ ક્યાંય જઈને બેસવાનું છે.
આપ બાળકો ગીત કે કવિતા વગેરે સંભળાવો છો, તો બાબા કહી દે છે આ ભક્તિમાર્ગનાં છે. કહે
પણ છે શાંતિ દેવા, સો તો પરમાત્માને જ યાદ કરે છે, ન કે કૃષ્ણને. ડ્રામા અનુસાર
આત્મા અશાંત થઈ ગઈ છે તો બાપને પોકારે છે કારણ કે શાંતિ, સુખ, જ્ઞાન નાં સાગર એજ
છે. જ્ઞાન અને યોગ મુખ્ય બે ચીજો છે, યોગ એટલે યાદ. તેઓ નો હઠયોગ બિલકુલ જ અલગ છે.
તમારો છે રાજ્યોગ. બાપને ફક્ત યાદ કરવાનાં છે. બાપ દ્વારા તમે બાપને જાણવાથી
સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંતને જાણી ગયાં છો. તમને સૌથી વધારે ખુશી તો આ છે કે અમને
ભગવાન ભણાવે છે. ભગવાનનો પણ પહેલાં-પહેલાં પુરો પરિચય હોવો જોઈએ. એવું તો ક્યારેય
નથી જાણ્યું કે જેમ આત્મા સ્ટાર છે, તેમ ભગવાન પણ સ્ટાર છે. એ પણ આત્મા છે. પરંતુ
એમને પરમ આત્મા, સુપ્રીમ સોલ કહેવાય છે. તે ક્યારેય પુનર્જન્મ તો લેતાં નથી. એવું
નથી કે તે જન્મ-મરણ માં આવે છે. નહિં, પુનર્જન્મ નથી લેતાં. સ્વયં આવીને સમજાવે છે
કે હું કેવી રીતે આવું છું? ત્રિમૂર્તિ નું ગાયન પણ ભારતમાં છે. ત્રિમૂર્તિ
બ્રહ્મા-વિષ્ણુ-શંકરનું ચિત્ર પણ દેખાડે છે. શિવ પરમાત્માય નમઃ કહે છે ને. એ ઊંચેથી
ઊંચા બાપને ભૂલી ગયાં છે, ફક્ત ત્રિમૂર્તિનું ચિત્ર આપી દીધું છે. ઉપરમાં શિવ તો
જરુર હોવાં જોઇએ, જેનાંથી તેઓ સમજે કે તેમનાં રચયિતા શિવ છે. રચના થી ક્યારેય વારસો
નથી મળી શકતો. તમે જાણો છો બ્રહ્માથી કાંઈ પણ વારસો નથી મળતો. વિષ્ણુને તો
હીરા-ઝવેરાત નો તાજ છે ને. શિવબાબા દ્વારા ફરી પેની (કોડી) થી પાઉન્ડ (હીરા) બન્યાં
છે. શિવનું ચિત્ર ન હોવાથી બધું ખંડન થઇ જાય છે. ઊંચેથી ઊંચા છે પરમપિતા પરમાત્મા,
એમની આ રચના છે. હમણાં આપ બાળકોને બાપ થી સ્વર્ગનો વારસો મળે છે, ૨૧ જન્મોનાં માટે.
ભલે ત્યાં તો પણ સમજે છે લૌકિક બાપ થી વારસો મળ્યો છે. ત્યાં એ ખબર નથી કે આ બેહદનાં
બાપથી પામેલી પ્રાલબ્ધ છે. આ તમને હમણાં ખબર છે. હમણાંની કમાણી ત્યાં ૨૧ જન્મ ચાલે
છે. ત્યાં આ ખબર નથી રહેતી, આ જ્ઞાનની બિલકુલ ખબર નથી રહેતી. આ જ્ઞાન ન દેવતાઓમાં
છે, ન શુદ્રમાં રહે છે. આ જ્ઞાન છે આપ બ્રાહ્મણોમાં. આ છે રુહાની જ્ઞાન, સ્પ્રીચુઅલ
નો અર્થ પણ નથી જાણતાં. ડૉક્ટર ઓફ ફિલોસોફી કહે છે. ડૉક્ટર ઓફ સ્પ્રીચુઅલ નોલેજ એક
જ બાપ છે. બાપને સર્જન પણ કહેવાય છે ને. સાધુ સન્યાસી વગેરે કોઈ સર્જન થોડી છે. વેદ
શાસ્ત્ર વગેરે વાંચવા વાળાઓને ડૉક્ટર થોડી કહેશું. ભલે ટાઈટલ (શીર્ષક) પણ આપી દે છે
પરંતુ હકીકતમાં રુહાની સર્જન છે એક બાપ, જે રુહ ને ઇન્જેક્શન લગાવે છે. તે છે ભક્તિ.
તેમને કહેવું જોઈએ ડૉક્ટર ઓફ ભક્તિ અથવા શાસ્ત્રોનું જ્ઞાન આપે છે. તેનાથી ફાયદો
કાંઈ પણ નથી થતો, નીચે ઉતરતાં જ જાય છે. તો તેમને ડૉક્ટર કેવી રીતે કહેશું? ડૉક્ટર
તો ફાયદો કરે છે ને. આ બાપ તો છે અવિનાશી જ્ઞાન સર્જન. યોગબળ થી તમે એવરહેલ્થી (સદા
સ્વસ્થ) બનો છો. આ તો આપ બાળકો જ જાણો છો. બહારવાળા શું જાણે. એમને અવિનાશી સર્જન
કહેવાય છે. આત્માઓમાં જે વિકારોની ખાદ પડી છે, તેને નીકાળવી, પતિતો ને પાવન બનાવીને
સદ્દગતિ આપવી-આ બાપમાં શક્તિ છે. ઓલમાઈટી (સર્વશક્તિવાન) પતિત-પાવાન એક ફાધર (બાપ)
છે. ઓલમાઈટી કોઈ મનુષ્યને ન કહી શકાય. તો બાપ કઈ શક્તિ દેખાડે છે? સર્વને પોતાની
શક્તિથી સદ્દગતિ આપે છે. એમને કહેશું ડૉક્ટર ઓફ સ્પ્રીચુઅલ નોલેજ. ડૉક્ટર ઓફ
ફિલોસોફી-આ તો અસંખ્ય મનુષ્ય છે. સ્પ્રીચુઅલ ડૉક્ટર એક છે. તો હવે બાપ કહે છે
સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો અને પવિત્ર બનો. હું આવ્યો જ છું પવિત્ર
દુનિયા સ્થાપન કરવાં, પછી તમે પતિત કેમ બનો છો? પાવન બનો, પતિત નહિં બનો. બધી
આત્માઓને બાપનું ડાયરેક્શન છે-ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં કમળ ફૂલ સમાન પવિત્ર રહો.
બાળ બ્રહ્મચારી બનો તો પછી પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. આટલાં જન્મ જે પાપ કર્યા
છે, હવે મને યાદ કરવાથી પાપ ભસ્મ થઈ જશે. મૂળવતનમાં પવિત્ર આત્માઓ જ રહે છે. પતિત
કોઈ જઈ નથી શકતું. બુદ્ધિમાં આ તો યાદ રાખવાનું જ છે-બાબા અમને ભણાવે છે. સ્ટુડન્ટ
(વિદ્યાર્થી) એવું કહેશે કે અમને શિક્ષક ની યાદ શીખવાડો. યાદ શીખવાડવાની શું દરકાર
છે. અહીંયા (સંદલી પર) કોઈ ન બેસે તો પણ વાંધો નથી. પોતાનાં બાપને યાદ કરવાનાં છે.
તમે આખો દિવસ ધંધાદોરી વગેરે માં રહો છો તો ભૂલી જાઓ છો, એટલે અહીંયા બેસાડાય છે. આ
૧૦-૧૫ મિનિટ પણ યાદ કરે. આપ બાળકોએ તો કામકાજ કરતાં યાદમાં રહેવાની આદત પાડવાની છે.
અડધાકલ્પ પછી માશૂક મળે છે. હવે કહે છે મને યાદ કરો તો તમારી આત્માથી ખાદ નીકળી જશે
અને તમે વિશ્વનાં માલિક બની જશો. તો કેમ નહિં યાદ કરવાં જોઈએ. સ્ત્રીને જ્યારે
હથિયાલું બાંધે છે તો તેને કહે છે પતિ તમારાં ગુરુ ઈશ્વર બધું જ છે. પરંતુ તે તો છતાં
પણ મિત્ર, સંબંધી, ગુરુ વગેરે અનેકોને યાદ કરતી રહે છે. તે તો દેહધારીની યાદ થઈ ગઈ.
આ તો પતિઓનાં પતિ છે, એમને યાદ કરવાનાં છે. કોઈ કહે છે અમને નેષ્ઠામાં બેસાડો. પરંતુ
તેનાથી શું થશે. ૧૦ મિનિટ અહીંયા બેસે છે તો પણ એવું નહીં સમજો કે કોઈ એકરસ થઈને
બેસે છે. ભક્તિમાર્ગમાં કોઈની પૂજા કરવાં બેસે છે તો બુદ્ધિ બહુજ ભટકતી રહે છે. નૌધા
ભક્તિ કરવા વાળાને એજ તાત લાગી રહે છે કે અમને સાક્ષાત્કાર થાય. તેઓ આશ લગાવીને બેઠાં
રહે છે. એક ની લગનમાં લવલીન થઈ જાય છે, ત્યારે સાક્ષાત્કાર થાય છે. તેમને કહેવાય છે
નૌધા ભક્ત. તે ભક્તિ એવી છે જેમ આશિક-માશૂક. ખાતાં-પીતાં બુદ્ધિમાં યાદ રહે છે.
તેમનામાં વિકારની વાત નથી હોતી, શરીર પર પ્રેમ થઇ જાય છે. એક-બીજાને જોયાં વગર રહી
નથી શકતાં.
હવે આપ બાળકોને બાપએ સમજાવ્યું છે - મને યાદ કરવાથી તમારાં વિકર્મ વિનાશ થશે. કેવી
રીતે તમે ૮૪ જન્મ લીધાં છે. બીજ ને યાદ કરવાથી આખું ઝાડ યાદ આવી જાય છે. આ વેરાયટી
ધર્મોનું ઝાડ છે ને. આ ફક્ત તમારી બુદ્ધિમાં જ છે કે ભારત ગોલ્ડન એજ (સતયુગ) માં હતું,
હવે આયરન એજ (કળયુગ) માં છે. અંગ્રેજી અક્ષર સારા છે, તેનો અર્થ સારો નીકળે છે.
આત્મા સાચું સોનું હોય છે પછી તેમાં ખાદ પડે છે. હમણાં બિલકુલ જુઠ્ઠી થઈ ગઈ છે, તેને
કહેવાય છે આયરન એજેડ. આત્માઓ આયરન એજેડ હોવાથી શરીર પણ એવાં થઈ ગયાં છે. હવે બાપ કહે
છે હું પતિત-પાવન છું, મામેકમ્ યાદ કરો. તમે મને બોલાવો છો હેં પતિત-પાવન આવો. હું
કલ્પ-કલ્પ આવીને તમને આ યુક્તિ બતાવું છું. મનમનાભવ, મધ્યાજીભવ અર્થાત્ સ્વર્ગનાં
માલિક બનો. કોઈ કહે છે અમને યોગમાં બહુજ મજા આવે છે, જ્ઞાનમાં એટલી મજા નથી. બસ યોગ
કરીને આ ભાગશે. યોગ જ સારો લાગે છે, કહે છે અમને તો શાંતિ જોઈએ. સારું, બાપને તો
ક્યાંય પણ બેસીને યાદ કરો. યાદ કરતાં-કરતાં તમે શાંતિધામમાં ચાલ્યાં જશો. આમાં યોગ
શીખવાડવાની વાત જ નથી. બાપને યાદ કરવાનાં છે. એવા ઘણાં છે જે સેવાકેન્દ્ર પર જઈને
અડધો-પોણો કલાક બેસે છે, કહે છે અમને નેષ્ઠા કરાવો અથવા તો કહેશે બાબાએ પ્રોગ્રામ
આપ્યો છે નેષ્ઠાનો. અહીંયા બાબા કહે છે હરતાં-ફરતાં યાદમાં રહો. નહિ થી તો બેસવું
સારું છે. બાબા મનાઈ નથી કરતાં, ભલે આખી રાત બેસો, પરંતુ એવી આદત થોડી પાડવાની છે
કે બસ રાતનાં જ યાદ કરવાનાં છે. આદત એ પાડવાની છે કે કામકાજ કરતાં યાદ કરવાનાં છે.
આમાં ખુબ મહેનત છે. બુદ્ધિ ઘડી-ઘડી બીજી તરફ ભાગી જાય છે. ભક્તિમાર્ગમાં પણ બુદ્ધિ
ભાગી જાય છે પોતાને પોતાને ચુટલી ભરે છે. સાચાં ભક્ત જે હોય છે તેમની વાત કરે છે.
તો અહીંયા પણ પોતાની સાથે એવી-એવી વાતો કરવી જોઈએ. બાબાને કેમ નથી યાદ કર્યા? યાદ
નહીં કરશું તો વિશ્વનાં માલિક કેવી રીતે બનશું? આશિક-માશૂક તો નામ-રુપ માં ફસાયેલાં
રહે છે. અહીંયા તો તમે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો છો. આપણે આત્મા આ શરીરથી
અલગ છીએ. શરીરમાં આવવાથી કર્મ કરવાનાં હોય છે. ઘણાં એવાં પણ છે જે કહે છે અમે દીદાર
કરીએ. હવે દીદાર શું કરશો. એ તો બિંદુ છે ને. અચ્છા, કોઈ કહે છે કૃષ્ણનો દીદાર કરીએ.
કૃષ્ણનું તો ચિત્ર પણ છે ને. જે જડ છે તે પછી ચૈતન્યમાં જોશે એનાથી ફાયદો શું થયો?
સાક્ષાત્કાર થી થોડી ફાયદો થશે. તમે બાપને યાદ કરો તો આત્મા પવિત્ર થાય. નારાયણનો
સાક્ષાત્કાર થવાથી નારાયણ થોડી બની જશો.
તમે જાણો છો આપણું લક્ષ-હેતુ છે જ લક્ષ્મી-નારાયણ બનવાનું પરંતુ ભણ્યાં વગર થોડી
બનશું. ભણીને હોશિયાર બનો, પ્રજા પણ બનાવો ત્યારે લક્ષ્મી-નારાયણ બનશો. મહેનત છે.
પાસ વિથ ઓનર થવું જોઈએ જે ધર્મરાજ ની સજા ન મળે. આ મુરબ્બી બાળક પણ સાથે છે, આ પણ
કહે છે તમે આગળ જઈ શકો છો. બાબાની ઉપર તો કેટલો બોજો છે. આખો દિવસ કેટલાં વિચાર કરવાં
પડે છે. હું એટલું યાદ નથી કરી શકતો. ભોજન પર ઘડીક યાદ રહે છે ફરી ભૂલી જવાય છે.
સમજુ છું બાબા અને હું બંનેવ ફરીએ છીએ. ફરતાં-ફરતાં બાબાને ભૂલી જાઉં છું. સરકી જાય
એવી વસ્તુ છે ને. ઘડી-ઘડી યાદ સરકી જાય છે. આમાં ખુબ મહેનત છે. યાદથી જ આત્મા
પવિત્ર થવાની છે. અનેકોને ભણાવશો તો ઊંચ પદ પામશો. જે સારું સમજે છે તે સારું પદ
પામશે. પ્રદર્શની માં કેટલી પ્રજા બને છે. તમે એક-એક લાખોની સેવા કરશો તો પછી પોતાની
પણ અવસ્થા એવી જોઈએ. કર્માતીત અવસ્થા થઇ જશે પછી શરીર નહીં રહેશે. આગળ ચાલી તમે
સમજશો હવે લડાઈ જોરથી થઈ જશે પછી બહુજ તમારી પાસે આવતાં રહેશે. મહિમા વધતી જશે.
અંતમાં સન્યાસી પણ આવશે, બાપને યાદ કરવાં લાગી જશે. તેમનો પાર્ટ જ મુક્તિધામ માં
જવાનો છે. નોલેજ તો લેશે નહીં. તમારો મેસેજ (સંદેશ) બધી આત્માઓ સુધી પહોંચવાનો છે,
સમાચાર પત્ર દ્વારા બહુજ સાંભળશે. કેટલાં ગામ છે, બધાને સંદેશ આપવાનો છે. મેસેન્જર
પૈગમ્બર તમે જ છો. પતિત થી પાવન બનાવવા વાળા બીજા કોઈ છે નહીં, સિવાય બાપનાં. એવું
નથી કે ધર્મસ્થાપક કોઈને પાવન બનાવે છે. તેમનો ધર્મ તો વૃદ્ધિને પામવાનો છે, તેઓ
પાછાં જવાનો રસ્તો કેવી રીતે બતાવશે? સર્વનાં સદ્દગતિ દાતા એક છે. આપ બાળકોએ હવે
પવિત્ર જરુર બનવાનું છે. ઘણાં છે જે પવિત્ર નથી રહેતાં. કામ મહાશત્રુ છે ને.
સારાં-સારાં બાળકો પડી જાય છે, કુદૃષ્ટિ પણ કામનો જ અંશ છે. આ મોટો શૈતાન છે. બાપ
કહે છે આનાં પર જીત પહેરો તો જગતજીત બની જશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કામ-કાજ
કરતાં યાદમાં રહેવાની આદત પાડવાની છે. બાપની સાથે જવાં કે પાવન નવી દુનિયાનાં માલિક
બનવાં માટે પવિત્ર જરુર બનવાનું છે.
2. ઊંચ પદ પામવાં માટે અનેકોની સેવા કરવાની છે. અનેકોને ભણાવવાનું છે. મેસેન્જર બની
આ મેસેજ બધાં સુધી પહોંચાડવાનો છે.
વરદાન :-
મારુંપણું નાં
સૂક્ષ્મ સ્વરુપનો પણ ત્યાગ કરવાવાળા સદા નિર્ભય , બેફિકર બાદશાહ ભવ
આજની દુનિયામાં ધન પણ
છે અને ભય પણ છે. જેટલું ધન એટલું જ ભયમાં જ ખાય, ભયમાં જ સૂવે છે. જ્યાં મારુંપણું
છે ત્યાં ભય જરુર હશે. કોઈ સોનાનો હરણ પણ જો મારો છે તો ભય છે. પરંતુ જો મારાં એક
શિવબાબા છે તો નિર્ભય બની જશો. તો સૂક્ષ્મ રુપ થી પણ મારાં-મારાં ને તપાસ કરીને તેનો
ત્યાગ કરો તો નિર્ભય, બેફિકર બાદશાહ રહેવાનું વરદાન મળી જશે.
સ્લોગન :-
બીજાનાં
વિચારોને સમ્માન આપો-તો તમને સમ્માન સ્વતઃ પ્રાપ્ત થશે.