12-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 11.04.85
બાપદાદા મધુબન
“ ઉદારતા જ આધાર સ્વરુપ
સંગઠન ની વિશેષતા છે ”
આજે વિશેષ વિશ્વ
પરિવર્તનનાં આધાર સ્વરુપ, વિશ્વની બેહદ સેવાનાં આધાર સ્વરુપ, શ્રેષ્ઠ સ્મૃતિ, બેહદની
વૃત્તિ, મધુર અમૂલ્ય બોલ બોલવાનાં આધાર દ્વારા બીજાને પણ આવો ઉમંગ-ઉત્સાહ અપાવવાનાં
આધાર સ્વરુપ નિમિત્ત અને નિર્માણ સ્વરુપ આવી વિશેષ આત્માઓને મળવાનાં માટે આવ્યાં
છે. દરેક પોતાને એવાં આધાર સ્વરુપ અનુભવ કરો છો? આધાર રુપ આત્માઓનાં આ સંગઠન પર આટલી
બેહદની જવાબદારી છે. આધાર રુપ અર્થાત્ સદા સ્વયંને દરેક સમય, દરેક સંકલ્પ, દરેક
કર્મ માં જવાબદાર સમજીને ચાલવાવાળા. આ સંગઠનમાં આવવું અર્થાત્ બેહદની જવાબદારીનાં
તાજધારી બનવું. આ સંગઠન જેને મીટીંગ કહો છો, મીટીંગ માં આવવું અર્થાત્ સદા બાપથી,
સેવાથી, પરિવારથી, સ્નેહનાં શ્રેષ્ઠ સંકલ્પ નાં દોરામાં બંધાવવું અને બાંધવું, આનાં
આધાર રુપ છો. આ નિમિત્ત સંગઠનમાં આવવું અર્થાત્ સ્વયંને સર્વનાં પ્રતિ ઉદાહરણ બનાવવું.
આ મીટીંગ નથી પરંતુ સદા મર્યાદા પુરુષોત્તમ બનવાનાં શુભ સંકલ્પ નાં બંધનમાં બંધાવવું
છે. આ બધી વાતોનાં આધાર સ્વરુપ બનવું, આને કહેવાય છે - આધાર સ્વરુપ સંગઠન. ચારે
બાજુનાં વિશેષ વીણેલાં રત્ન ભેગાં થયાં છે. વીણેલાં અર્થાત્ બાપ સમાન બનેલાં. સેવાના
આધાર સ્વરુપ અર્થાત્ સ્વ ઉદ્ધાર અને સર્વનાં ઉદ્ધાર સ્વરુપ. જેટલા સ્વનાં ઉદ્ધાર
સ્વરુપ હશો એટલાં જ સર્વનાં ઉદ્ધાર સ્વરુપ નિમિત્ત બનશો. બાપદાદા આ સંગઠનનાં આધાર
રુપ અને ઉદ્ધાર રુપ બાળકોને જોઈ રહ્યાં હતા અને વિશેષ એક વિશેષતા જોઈ રહ્યાં હતા
આધાર રુપ પણ બની ગયાં, ઉદ્ધાર પણ બની ગયાં. આ બંને વાતોમાં સફળતા પામવાં માટે ત્રીજી
શું વાત જોઈએ? આધાર રુપ છે ત્યારે તો નિમંત્રણ પર આવ્યા છે ને અને ઉદ્ધાર રુપ છે
ત્યારે તો પ્લાન્સ (યોજનાઓ) બનાવ્યાં છે. ઉદ્ધાર કરવું અર્થાત્ સેવા કરવી. ત્રીજી
વાત શું જોઈ? જેટલા વિશેષ સંગઠનનાં છે એટલાં ઉદારચિત્ત. ઉદારદિલ અથવા ઉદારચિત્ત નાં
બોલ, ઉદારચિત્ત ની ભાવના ક્યાં સુધી છે? કારણકે ઉદારચિત્ત અર્થાત્ સદા દરેક કાર્યમાં
ફ્રાખદિલ, મોટા દિલવાળા. કઈ વાતમાં ફ્રાખદિલ કે મોટું દિલ જોઈએ? સર્વ પ્રતિ શુભ
ભાવના દ્વારા આગળ વધારવામાં ફ્રાખદિલ. તમારું તે અમારું, અમારું તે તમારું કારણકે
એક જ બાપનું છે. આ બેહદની વૃત્તિ માં ફ્રાખદિલ, મોટું દિલ હોય. ઉદારદિલ હોય અર્થાત્
દાતાપણ ની ભાવનાનું દિલ. સ્વયંનાં પ્રાપ્ત કરેલાં ગુણો, શક્તિઓ, વિષેશતાઓ બધામાં
મહાદાની બનવામાં ફ્રાખદિલ. વાણી દ્વારા જ્ઞાન ધન દાન કરવું, આ કોઈ મોટી વાત નથી.
પરંતુ ગુણ દાન કે ગુણ આપવાનાં સહયોગી બનવું. આ દાન શબ્દ બ્રાહ્મણોનાં માટે યોગ્ય નથી.
સ્વયનાં ગુણથી બીજાને ગુણવાન, વિશેષતા ભરવામાં સહયોગી બનવું આને કહેવાય છે મહાદાની,
ફ્રાખદિલ. આવું ઉદારચિત્ત બનવું, ઉદારદિલ બનવું-આ છે બ્રહ્મા બાપને ફોલો ફાધર કરવું.
આવાં ઉદારચિત્ત ની નિશાની શું હશે?
ત્રણ નિશાનીઓ વિશેષ હશે. આવી આત્મા ઈર્ષા, ઘૃણા અને ટીકા કરવી (જેને મહેણાં મારવા
કહેવાય છે.) આ ત્રણેય વાતોથી સદા મુક્ત હશે. આને કહેવાય ઉદારચિત્ત. ઈર્ષા સ્વયંને
પણ હેરાન કરે, બીજાઓને પણ હેરાન કરે છે. જેમ ક્રોધને અગ્નિ કહે છે, એમ ઇર્ષા પણ
અગ્નિ જેવું જ કામ કરે છે. ક્રોધ મહા અગ્નિ છે, ઈર્ષા નાની અગ્નિ છે. ઘૃણા ક્યારેય
પણ શુભચિંતક, શુભચિંતન સ્થિતિનો અનુભવ નહીં કરાવશે. ઘૃણા અર્થાત્ પોતે પણ પડવું અને
બીજાને પણ પાડવું. એમ ટીકા કરવી ભલે હસવામાં કરો, ભલે ગંભીર થઇને કરો પરંતુ આ એવું
દુઃખ આપે છે જેમ કોઇ ચાલી રહ્યું હોય, એને ધક્કો આપીને પાડવું. ઠોકર મારવી. જેમ
કોઇને પાડી દે તો નાનો ઘા કે મોટો ઘા લાગવાથી તે હિંમતહીન થઈ જાય છે. તે ઘા ને જ
વિચારતા રહે છે, જ્યાં સુધી તે ઘા હશે ત્યાં સુધી ઘા આપવા વાળાને કોઈ પણ રુપમાં યાદ
જરુર કરતા રહેશે, આ સાધારણ વાત નથી. કોઈનાં માટે કહી દેવું બહુજ સહજ છે. પરંતુ
હસવાનો ઘા પણ દુઃખ રુપ બની જાય છે. આ દુઃખ આપવાના લિસ્ટ (યાદી) માં આવે છે. તો
સમજ્યા! જેટલાં આધાર સ્વરુપ છો એટલાં ઉદ્ધાર સ્વરુપ, ઉદારદિલ, ઉદ્ધારચિત્ત બનવાનાં
નિમિત્ત સ્વરુપ. નિશાનીઓ સમજી લીધી ને. ઉદારચિત્ત ફ્રાખદિલ હશે.
સંગઠન તો બહુજ સરસ છે. બધાં નામીગ્રામી આવેલા છે. પ્લાન્સ (યોજના) પણ સારા-સારા
બનાવ્યાં છે. પ્લાન ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવાનાં નિમિત્ત છો. જેટલા સારા
પ્લાન બનાવ્યાં છે એટલાં સ્વયં પણ સારા છો. બાપને સારા લાગો છો. સેવાની લગન ખુબ સારી
છે. સેવામાં સદાકાળ ની સફળતાનો આધાર ઉદારતા છે. બધાનું લક્ષ્ય, શુભ સંકલ્પ ખુબ સરસ
છે અને એક જ છે. ફક્ત એક શબ્દ ઉમેરવાનો છે. એક બાપને પ્રત્યક્ષ કરવાનાં છે - એક
બનીને એક ને પ્રત્યક્ષ કરવાનાં છે. ફક્ત આ ઉમેરવાનું છે. એક બાપ નો પરિચય આપવાં માટે
અજ્ઞાની લોકો પણ એક આંગળી નો ઈશારો કરશે. બે આંગળી નહીં દેખાડશે. સહયોગી બનવાની
નિશાની પણ એક આંગળી દેખાડશે. આપ વિશેષ આત્માઓની આ જ વિશેષતાની નિશાની ચાલી આવી છે.
તો આ ગોલ્ડન જુબલી (સ્વર્ણિમ જયંતી) ને મનાવવા માટે કે યોજના બનાવવાં માટે સદા બે
વાતો યાદ રહે - “એકતા અને એકાગ્રતા”. આ બંને શ્રેષ્ઠ ભુજાઓ છે, કાર્ય કરવાની સફળતાની.
એકાગ્રતા અર્થાત્ સદા નિરવ્યર્થ સંકલ્પ, નિર્વિકલ્પ. જ્યાં એકતા અને એકાગ્રતા છે
ત્યાં સફળતા ગળાનો હાર છે. ગોલ્ડન જુબલીનું કાર્ય આ વિશેષ બે ભુજાઓથી કરવાનું છે.
બે ભુજાઓ તો બધાને છે. બે આ લગાવશો તો ચતુર્ભુજ થઇ જશો, સત્યનારાયણ અને મહાલક્ષ્મી
ને ચાર ભુજાઓ દેખાડે છે. તમે બધાં સત્યનારાયણ, મહાલક્ષ્મીઓ છો. ચતુર્ભુજધારી બની
દરેક કાર્ય કરવું અર્થાત્ સાક્ષાત્કાર સ્વરુપ બનવું. ફક્ત બે ભુજાઓથી કામ નહીં કરતાં.
ચાર ભુજાઓથી કરવું. હમણાં ગોલ્ડન જુબલીનું શ્રી ગણેશ કર્યુ છે ને. ગણેશને પણ ચાર
ભુજા દેખાડે છે. બાપદાદા રોજ મીટીંગમાં આવે છે. એક ચક્રમાં જ બધાં સમાચાર ખબર પડી
જાય છે. બાપદાદા બધાનાં ચિત્ર ખેંચી જાય છે. કેમ-કેમ બેઠાં છે. શરીરરુપ માં નહી.
મનની સ્થિતિનાં આસન નો ફોટો નિકાળે છે. મુખથી કોઈ કંઈપણ બોલી રહ્યા હોય પરંતુ મનથી
શું બોલી રહ્યાં છે, તે મનનાં બોલ ટેપ કરે (નોંધી લે) છે. બાપદાદાની પાસે પણ બધાની
ટેપ કરેલી કેસેટ છે. ચિત્ર પણ છે, બંને છે. વીડિયો, ટીવી વગેરે જે ઈચ્છો તે છે.
તમારા લોકોની પાસે પોતાની કેસેટ તો છે ને. પરંતુ કોઈ-કોઈને પોતાનાં મનનાં અવાજ,
સંકલ્પ ની ખબર જ નથી પડતી. અચ્છા!
યુવા યોજના બધાને સારી લાગે છે. આ પણ ઉમંગ-ઉત્સાહ ની વાત છે. હઠ ની વાત નથી. જે દિલ
નો ઉમંગ હોય છે, તે સ્વત:જ બીજામાં પણ ઉમંગનું વાતાવરણ બનાવે છે. તો આ પદ યાત્રા નથી
પરંતુ ઉમંગ ની યાત્રા છે. આ તો નિમિત્ત માત્ર છે. જે પણ નિમિત્ત માત્ર કાર્ય કરો છો
એમાં ઉમંગ-ઉત્સાહ ની વિશેષતા હોય. બધાને યોજના પસંદ છે. આગળ પણ જેમ ચાર ભુજાધારી
બનીને યોજના પ્રેકટીકલમાં લાવતા રહેશો તો હજી પણ એડિશન (વધારો) થતું રહેશે. બાપદાદા
ને સૌથી સારામાં સારી વાત આ લાગી કે બધાનો ગોલ્ડન જુબલી ધૂમધામ થી મનાવવાનો
ઉમંગ-ઉત્સાહ વાળો સંકલ્પ એક છે. આ ફાઉન્ડેશન (પાયો) બધાનાં ઉમંગ-ઉત્સાહનો સંકલ્પ એક
જ છે. આ એક શબ્દને સદા અન્ડરલાઇન (રેખાંકિત) કરતાં આગળ વધજો. એક છે, એકનું કાર્ય
છે. ભલે કોઈપણ ખૂણામાં થઈ રહ્યું છે, ભલે દેશમાં હોય કે વિદેશમાં હોય. ભલે કોઈપણ
ઝોન માં હોય, ઈસ્ટમાં હોય વેસ્ટમાં હોય પરંતુ એક છે, એકનું કાર્ય છે. આવાં જ બધાનાં
સંકલ્પ છે ને. પહેલાં આ પ્રતિજ્ઞા કરી છે ને. મુખની પ્રતિજ્ઞા નહીં, મનમાં આ
પ્રતિજ્ઞા અર્થાત્ અટલ સંકલ્પ. કાંઈ પણ થઈ જાય પરંતુ ટળી નથી શકતું, અટલ. આવી
પ્રતિજ્ઞા બધાએ કરી? જેમ કોઈ પણ શુભ કાર્ય કરે છે તો પ્રતિજ્ઞા કરવાં માટે બધાં
પહેલાં મનમાં સંકલ્પ કરવાની નિશાની કંગન બાંધે છે. કાર્યકર્તાઓ ને ભલે દોરાનું, ભલે
કોઈ પણ કંગન બાંધે છે. તો આ શ્રેષ્ઠ સંકલ્પનું કંગન છે ને. અને જેમ આજે બધાએ
ભંડારીમાં બહુજ ઉમંગ-ઉત્સાહ થી શ્રી ગણેશ કર્યુ. એમ જ હવે એ પણ ભંડારી રાખો, જેમાં
બધાં આ અટલ પ્રતિજ્ઞા સમજી આ પણ ચિઠ્ઠી નાખે. બંને ભંડારી સાથે-સાથે હશે ત્યારે
સફળતા મળશે. અને મનથી હોય, દેખાડાથી નહીં. આ જ ફાઉન્ડેશન (પાયો) છે. ગોલ્ડન બની
ગોલ્ડન જુબલી મનાવવાનો આ આધાર છે. આમાં ફક્ત એક સ્લોગન યાદ રાખજો “ન સમસ્યા બનશું,
ન સમસ્યાને જોઈ ડગમગ થઈશું” સ્વયં પણ સમાધાન સ્વરુપ હશો અને બીજાને પણ સમાધાન
આપવાવાળા બનશો. આ સ્મૃતિ સ્વતઃ જ ગોલ્ડન જુબલીને સફળતા સ્વરુપ બનાવતી રહેશે. જ્યારે
ફાઇનલ ગોલ્ડન જુબલી હશે તો બધાને તમારું ગોલ્ડન સ્વરુપ અનુભવ થશે. તમારામાં ગોલ્ડન
દુનિયા દેખાશે. ફક્ત કહેશો નહીં ગોલ્ડન દુનિયા આવી રહી છે પરંતુ પ્રેક્ટિકલ દેખાડશો.
જેમ જાદુગર લોકો દેખાડતાં જાય, બોલતાં જાય આ જુઓ…. તો તમારો આ ગોલ્ડન ચહેરો, ચમકતું
મસ્તક, ચમકતી આંખો, ચમકતાં હોઠ આ બધું ગોલ્ડન એજ (સતયુગ) નો સાક્ષાત્કાર કરાવે. જેમ
ચિત્ર બનાવે છે ને-એક જ ચિત્રમાં હમણાં-હમણાં બ્રહ્મા જુઓ, હમણાં-હમણાં કૃષ્ણ જુઓ,
વિષ્ણુ જુઓ. એવો તમારો સાક્ષાત્કાર થાય. હમણાં-હમણાં ફરિશ્તા, હમણાં-હમણાં વિશ્વ
મહારાજન, વિશ્વ મહારાણી રુપ. હમણાં-હમણાં સાધારણ સફેદ વસ્ત્રધારી. આ ભિન્ન-ભિન્ન
સ્વરુપ તમારી આ ગોલ્ડન મૂર્તિ થી દેખાય. સમજ્યા!
જ્યારે આટલાં વીણેલાં રુહાની ગુલાબનો ગુલદસ્તો ભેગો થયો છે. એક રુહાની ગુલાબની
સુગંધ કેટલી હોય છે, તો આ આટલો મોટો ગુલદસ્તો કેટલી કમાલ કરશે! અને એક-એક તારાઓમાં
સંસાર પણ છે. એકલા નથી. તે તારાઓમાં દુનિયા નથી. આપ તારાઓમાં તો દુનિયા છે ને. કમાલ
તો થવાની જ છે. થયેલી છે. ફક્ત જે ઓટે સો અર્જુન બને. બાકી વિજય તો થયેલી છે તે અટલ
છે પરંતુ અર્જુન બનવાનું છે. અર્જુન અર્થાત્ નંબરવન. હવે આનાં પર ઇનામ આપજો. આખી
ગોલ્ડન જુબલીમાં ન સમસ્યા બન્યાં, ન સમસ્યાને જોઈ. નિર્વિઘ્ન, નિર્વિકલ્પ,
નિર્વિકારી ત્રણેય વિશેષતા હોય. એવી ગોલ્ડન સ્થિતિમાં રહેવાવાળાને ઇનામ આપજો.
બાપદાદાને પણ ખુશી છે. વિશાળ બુદ્ધિવાળા બાળકોને જોઈ ખુશી તો થશે ને. જેમ વિશાળ
બુદ્ધિ એમ વિશાળ દિલ. બધાં વિશાળ બુદ્ધિવાળા છો ત્યારે તો યોજના બનાવવા આવ્યાં છો.
અચ્છા!
સદા સ્વયં ને આધાર સ્વરુપ, ઉદ્ધાર કરવાવાળું સ્વરુપ, સદા ઉદારતા વાળા ઉદારદિલ,
ઉદારચિત્ત, સદા એક છે, એકનું જ કાર્ય છે એવાં એકરસ સ્થિતિમાં સ્થિત રહેવાવાળા સદા
એકતા અને એકાગ્રતા માં સ્થિત રહેવાવાળા, એવાં વિશાળ બુદ્ધિ, વિશાળ દિલ, વિશાળ ચિત્ત
બાળકોને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.
મુખ્ય ભાઈ -
બહેનો થી :-
બધાએ મીટીંગ
કરી. શ્રેષ્ઠ સંકલ્પોની સિદ્ધિ થાય જ છે. સદા ઉમંગ-ઉત્સાહથી આગળ વધવું આ જ વિશેષતા
છે. મન્સા સેવાની વિશેષ ટ્રાયલ (કોશિશ) કરો. મન્સા સેવા જેમ એક ચૂંબક છે. જેમ ચુંબક
કેટલી પણ દૂરની સોય ને ખેંચી શકે છે, એમ મન્સા સેવા દ્વારા ઘરે બેઠાં સમીપ પહોંચી
જશે. હમણાં તમે લોકો બહાર વધારે વ્યસ્ત રહો છો, મન્સા સેવાને ઉપયોગ માં લાવો.
સ્થાપના માં જે પણ મોટા કાર્ય થયા છે તે સફળતા મન્સા સેવાની થઈ છે. જેમ તે લોકો
રામલીલા કે કંઈ પણ કાર્ય કરે છે તો કાર્યની પહેલાં પોતાની સ્થિતિ ને તે કાર્યનાં
અનુસાર વ્રતમાં રાખે છે. તો તમે બધાં પણ મન્સા સેવાનું વ્રત લો. વ્રત ન ધારણ કરવાથી
હલચલમાં વધારે રહો છો એટલે રીઝલ્ટ (પરિણામ) માં ક્યારેક કેવું, ક્યારેક કેવું. મન્સા
સેવાનો અભ્યાસ વધારે જોઈએ. મન્સા સેવા કરવાં માટે લાઈટ હાઉસ અને માઈટ હાઉસ સ્થિતિ
જોઈએ. લાઈટ અને માઈટ બંને સાથે હોય. માઈક નાં આગળ માઈટ થઈને બોલવાનું છે. માઈક પણ
હોય માઈટ પણ હોય. મુખ પણ માઈક છે.
તો માઈટ થઈને માઈક થી બોલો. જેમ પાવરફુલ સ્ટેજ માં ઉપર થી ઉતર્યો છું, અવતાર થઈને
સૌનાં પ્રતિ આ સંદેશ આપી રહ્યો છું. અવતાર બોલી રહ્યો છું. અવતરીત થયો છું. અવતાર
ની સ્ટેજ પાવરફુલ હશે ને. ઉપરથી જે ઉતરે છે, તેમની ગોલ્ડન એજ (સતયુગી) સ્થિતિ હોય
છે ને! તો જે સમયે તમે પોતાને અવતાર સમજશો તો તેજ પાવરફુલ સ્ટેજ છે. અચ્છા!
વરદાન :-
સાક્ષી થઈ ઊંચી
સ્ટેજ દ્વારા સર્વ આત્માઓને સકાશ આપવાવાળા બાપ સમાન અવ્યક્ત ફરિશ્તા ભવ
હરતાં-ફરતાં
સદેવ સ્વયંને નિરાકારી આત્મા અને કર્મ કરતાં અવ્યક્ત ફરિશ્તા સમજો તો સદા ખુશીમાં
ઉપર ઉડતા રહેશો. ફરિશ્તા અર્થાત્ ઉંચી સ્ટેજ પર રહેવાવાળા. આ દેહની દુનિયામાં કંઈ
પણ થતું રહે પરંતુ સાક્ષી થઈ બધો પાર્ટ જોતા રહો અને સકાશ આપતા રહો. સીટ થી ઉતરીને
સકાશ ન અપાય. ઊંચી સ્ટેજ પર સ્થિત થઈને વૃત્તિ, દૃષ્ટિથી સહયોગની, કલ્યાણની સકાશ આપો,
મિક્સ થઈને નહીં ત્યારે કોઇપણ પ્રકારનાં વાતાવરણ થી સેફ (સુરક્ષિત) રહી બાપ સમાન
અવ્યક્ત ફરિશ્તા ભવ નાં વરદાની બનશો.
સ્લોગન :-
યાદ બળ દ્વારા
દુઃખ ને સુખમાં અને અશાંતિ ને શાંતિમાં પરિવર્તન કરો.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ અભ્યાસ
બ્રહ્મા બાપથી
પ્રેમ છે તો પ્રેમની નિશાનીઓ પ્રેકટીકલ (વ્યવહાર) માં દેખાડવાની છે. જેમ બ્રહ્મા
બાપનો નંબર વન પ્રેમ મુરલી થી રહ્યો જેનાથી મુરલીધર બન્યાં. તો જેનાથી બ્રહ્મા બાપનો
પ્રેમ હતો અને હજી પણ છે તેનાથી સદા પ્રેમ દેખાય. દરેક મુરલી ને બહુજ પ્રેમથી
વાંચીને તેનું સ્વરુપ બનવાનું છે.