09-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
અનાદિ બન્યો - બનાવેલ ડ્રામા છે , આ બહુજ સારો બનેલો છે , આના પાસ્ટ ( ભૂતકાળ ),
પ્રેઝન્ટ ( વર્તમાન ) અને ફ્યુચર ( ભવિષ્ય ) ને આપ બાળકો સારી રીતે જાણો છો ”
પ્રશ્ન :-
કઈ કશિશનાં
આધાર પર બધી આત્માઓ તમારી પાસે ખેંચાઈને આવશે?
ઉત્તર :-
પવિત્રતા અને
યોગની કશિશનાં આધાર પર. આનાંથી જ તમારી વૃદ્ધિ થતી જશે. આગળ ચાલીને બાપને ફટથી જાણી
જશે. જોશે આટલાં બધાં વારસો લઇ રહ્યાં છે તો ઘણાં આવશે. જેટલું મોડું થશે એટલી
તમારામાં કશિશ થતી જશે.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
આતો ખબર છે કે આપણે આત્માઓ પરમધામથી આવીએ છીએં - બુદ્ધિમાં છે ને. જ્યારે બધી
આત્માઓ આવીને પૂરી થાય છે, બાકી થોડાં રહે છે ત્યારે બાપ આવે છે. હમણાં આપ બાળકોને
કોઈને પણ સમજાવવું બહુજ સહજ છે. દૂરદેશનાં રહેવાવાળા સૌથી અંતમાં આવે છે. બાકી થોડાં
રહે છે. હમણાં સુધી પણ વૃદ્ધિ થતી રહે છે ને. આ પણ જાણો છો-બાપને કોઈ પણ જાણતું નથી
તો પછી રચના નાં આદિ-મધ્ય-અંત ને કેવી રીતે જાણશે. આ બેહદનો ડ્રામા છે ને. તો
ડ્રામાનાં એક્ટર્સને ખબર હોવી જોઈએ. જેમ હદનાં એક્ટર્સને પણ ખબર હોય છે -
ફલાણા-ફલાણાને આ પાર્ટ મળેલો છે. જે ચીજ પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે તેનો જ પછી નાનો
ડ્રામા (નાટક) બનાવે છે. ફ્યુચર (ભવિષ્ય) નો તો બનાવી ન શકાય. પાસ્ટ જે થયું છે તેને
લઈને બીજી કઈ વાર્તાઓ પણ બનાવીને ડ્રામા તૈયાર કરે છે, તેજ બધાને દેખાડે છે.
ફ્યુચરને તો જાણતા જ નથી. હવે તમે સમજો છો બાપ આવ્યા છે, સ્થાપના થઇ રહી છે, આપણે
વારસો પામી રહ્યા છીએ. જે જે આવતાં રહે છે, તેમને આપણે રસ્તો બતાવીએ છીએ-દેવી-દેવતા
પદ પામવાં. આ દેવતાઓ આટલા ઊંચા કેવી રીતે બન્યાં? આ પણ કોઈને ખબર નથી. હકીકતમાં આદિ
સનાતન તો દેવી-દેવતા ધર્મ જ છે. પોતાનાં ધર્મને ભૂલી જાય છે તો કહી દે છે-અમારાં
માટે તો બધાં ધર્મ એક જ છે.
હવે આપ બાળકો જાણો છો બાબા આપણને ભણાવી રહ્યા છે. બાપનાં ડાયરેક્શન થી જ ચિત્ર વગેરે
બનાવાય છે. બાબા દિવ્ય દ્રષ્ટિથી ચિત્ર બનાવડાવતા હતાં. કોઈ તો પછી પોતાની બુદ્ધિથી
પણ બનાવે છે. બાળકોને આ પણ સમજાવ્યું છે, આ જરુર લખો પાર્ટધારી એક્ટર્સ તો છે પરંતુ
ક્રિયેટર, ડાયરેક્ટર વગેરેને કોઈ નથી જાણતું. બાપ હવે નવાં ધર્મની સ્થાપના કરી રહ્યાં
છે. જૂની થી નવી દુનિયા બનવાની છે. આ પણ બુદ્ધિમાં રહેવું જોઈએ. જૂની દુનિયામાં જ
બાપ આવીને તમને બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણ જ પછી દેવતા બનશે. યુક્તિ જુઓ કેવી સારી
છે. ભલે આ છે અનાદિ બન્યો-બનાવેલ ડ્રામા, પરંતુ બન્યો બહુજ સારો છે. બાપ કહે છે તમને
ગુહ્ય-ગુહ્ય વાતો નિત્ય સંભળાવતો રહું છું. જ્યારે વિનાશ શરુ થશે તો આપ બાળકોને
પાસ્ટની આખી હિસ્ટ્રી ખબર હશે. પછી સતયુગમાં જશો તો પાસ્ટની હિસ્ટ્રી કાંઈ પણ યાદ
નહીં રહેશે. પ્રેક્ટિકલ એક્ટ કરતા રહો છો. પાસ્ટનું કોને સંભળાવશો? આ
લક્ષ્મી-નારાયણ પાસ્ટને બિલકુલ જાણતા નથી. તમારી બુદ્ધિમાં તો પાસ્ટ, પ્રેઝન્ટ,
ફ્યુચર બધું છે-કેવી રીતે વિનાશ થશે, કેવી રીતે રાજાઈ થશે, કેવી રીતે મહેલ બનાવશું?
બનશે તો જરુર ને. સ્વર્ગનાં દ્રશ્યો જ અલગ છે. જેમ-જેમ પાર્ટ ભજવતા રહેશો ખબર પડતી
જશે. આને કહેવાય છે- ખૂને નાહેક ખેલ. નાહેક નુકસાન થતું રહે છે ને. અર્થકવેક (ધરતીકંપ)
થાય છે, કેટલું નુકસાન થાય છે. બોમ્બ ફેંકે છે, આ નાહેક છે ને. કોઇ કાંઇ કરે થોડી
છે. વિશાળ બુદ્ધિ જે છે તે સમજે છે-વિનાશ બરાબર થયો હતો. જરુર મારામારી થઈ હતી. આવી
રમત પણ બનાવે છે. આતો સમજી પણ શકાય છે. કોઈ સમયે કોઈની બુદ્ધિમાં ટચ (સ્પર્શ) થાય
છે. તમે તો પ્રેક્ટિકલમાં છો. તમે તે રાજધાનીનાં માલિક પણ બનો છો. તમે જાણો છો હવે
તે નવી દુનિયામાં ચાલવાનું જરુર છે. બ્રાહ્મણ જે બને છે, બ્રહ્મા દ્વારા અથવા
બ્રહ્માકુમાર-કુમારીઓ દ્વારા નોલેજ લે છે તો ત્યાં આવી જાય છે. રહે તો પોતાનાં
ઘર-ગૃહસ્થમાં છે ને. ઘણાંને તો જાણી પણ ન શકો. સેવાકેન્દ્ર પર કેટલાં આવે છે. આટલાં
બધાં યાદ થોડી રહી શકે છે. કેટલાં બ્રાહ્મણ છે, વુદ્ધિ થતાં-થતાં અગણિત થઇ જશે.
એક્યુરેટ હિસાબ નીકાળી નહીં શકશો. રાજાને ખબર થોડી પડે છે-એક્યુરેટ અમારી પ્રજા
કેટલી છે. ભલે જનસંખ્યા વગેરે નીકાળે છે છતાં પણ ફરક પડી જાય છે. હમણાં તમે પણ
વિદ્યાર્થી, આ પણ વિદ્યાર્થી છે. બધાં ભાઈઓ (આત્માઓ) એ યાદ કરવાનાં છે-એક બાપ ને.
નાનાં બાળકોને પણ શીખવાડાય છે - બાબા-બાબા કહો. આ પણ તમે જાણો છો આગળ જતાં બાપને
ફટથી જાણી જશે. જોશે આટલાં બધાં વારસો લઇ રહ્યા છે તો બહુજ આવશે. જેટલું મોડું થશે
એટલી તમારામાં કશિશ (ખેંચ) થતી જશે. પવિત્ર બનવાથી કશિશ થાય છે, જેટલાં યોગમાં રહેશો
એટલી કશિશ થશે, બીજાને પણ ખેંચશો. બાપ પણ ખેંચે છે ને. બહુજ વૃદ્ધિને પામતા રહેશો.
તેનાં માટે યુક્તિઓ પણ રચાઈ રહી છે. ગીતા નાં ભગવાન કોણ? કૃષ્ણને યાદ કરવા તો બહુજ
સહજ છે. તે તો સાકાર રુપ છે ને. નિરાકાર બાપ કહે છે મામેકમ યાદ કરો-આ વાત પર જ બધો
આધાર છે એટલે બાબાએ કહ્યું હતું આ વાત પર બધાથી લખાવતા રહો. મોટી-મોટી લિસ્ટ બનાવશો
તો મનુષ્યને ખબર પડશે.
તમે બ્રાહ્મણ જ્યારે પાક્કા નિશ્ચયબુદ્ધિ થશો, ઝાડ વૃદ્ધિને પામતું રહેશે. માયાનાં
તોફાન પણ અંત સુધી ચાલશે. વિજય પામી લીધી પછી ન પુરુષાર્થ રહેશે, ન માયા રહેશે.
યાદમાં જ વધારે કરીને હારે છે. જેટલાં તમે યોગમાં મજબૂત રહેશો, એટલાં હારશો નહીં. આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. બાળકોને નિશ્ચય છે અમારી રાજાઈ હશે પછી અમે હીરા-ઝવેરાત
ક્યાંથી લાવશું! ખાણો બધી ક્યાંથી આવશે! આ બધું હતું તો ખરું ને. આમાં મુંઝાવાની તો
વાત જ નથી. જે થવાનું છે તે પ્રેક્ટિકલમાં જોશો. સ્વર્ગ બનવાનું તો જરુર છે. જે સારી
રીતે ભણે છે, તેમને તો નિશ્ચય રહેશે અમે જઈને ભવિષ્યમાં પ્રિન્સ બનીશું.
હીરા-ઝવેરાતનાં મહેલ હશે. આ નિશ્ચય પણ સર્વિસેબુલ (સેવાધારી) બાળકોને જ હશે જે ઓછું
પદ પામવા વાળા હશે, તેમને તો ક્યારેય આવાં-આવાં ખ્યાલ આવશે પણ નહીં કે અમે મહેલ
વગેરે કેવી રીતે બનાવશું. જે બહુજ સર્વિસ કરશે તે મહેલોમાં જશે ને. દાસ-દાસીઓ તો
તૈયાર મળશે. સર્વિસેબુલ બાળકોને જ આવાં-આવાં વિચાર આવશે. બાળકો પણ સમજે છે કોણ-કોણ
સારી સર્વિસ કરવાવાળા છે. આપણે તો ભણેલાની આગળ ભરી ઢોશું. જેમ આ બાબા છે, બાબાને
ખ્યાલાત રહે છે ને. ઘરડા અને બાળક સમાન થઈ ગયા એટલે આમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ
બાળપણ જેવી હોય છે. બાબાનું તો એકજ એક્ટ છે-બાળકોને ભણાવવાનું, શીખવાડવાનું. વિજય
માળાનાં દાણા બનવું છે તો પુરુષાર્થ પણ બહુજ જોઈએ. બહુજ મીઠા બનવાનું છે. શ્રીમત પર
ચાલવું પડે ત્યારે જ ઉંચ બનશો. આતો સમજ ની વાત છે ને. બાપ કહે છે હું જે સંભળાવું
છું તેનાં પર જજ (ન્યાય) કરો. આગળ જઈને બીજા પણ તમને સાક્ષાત્કાર થતા રહેશે. નજીક
આવતા રહેશો તો યાદ આવતી રહેશે. ૫ હજાર વર્ષ થયા છે પોતાની રાજધાની થી આવ્યા છીએં.
૮૪ જન્મોનું ચક્ર લગાવીને આવ્યા છીએ. જેમ વાસ્કોડિગામા નાં માટે કહે છે-વિશ્વનું
ચક્ર લગાવ્યું. તમે આ વર્લ્ડ (વિશ્વ) માં ૮૪નું ચક્ર લગાવ્યું છે. તે વાસ્કોડિગામા
એક ગયો ને. આ પણ એક છે, જે તમને ૮૪ જન્મોનું રહસ્ય સમજાવે છે. ડિનાયસ્ટી (વંશજ) ચાલે
છે. તો પોતાનાં અંદર જોવાનું છે-અમારામાં કોઈ દેહ-અભિમાન તો નથી ને? ફંક તો નથી થઈ
જતાં? ક્યાંય બગડતાં તો નથી?
તમે યોગબળમાં હશો, શિવબાબા ને યાદ કરતા રહેશો તો તમને કોઈ પણ ચમાટ વગેરે મારી નહીં
શકે. યોગબળ જ ઢાલ છે. કોઈ કાંઈ પણ કરી નહીં શકે. જો કોઇ માર ખાય છે તો જરુર
દેહ-અભિમાન છે. દેહી-અભિમાની ને માર કોઈ મારી ન શકે. ભૂલ સ્વયંની જ હોય છે. વિવેક
એવું કહે છે - દેહી-અભિમાની ને કોઈ કંઈ પણ કરી નહિ શકશે એટલે કોશિશ કરવાની છે
દેહી-અભિમાની બનવાની. બધાને સંદેશ પણ આપવાનો છે. ભગવાનુવાચ, મનમનાભવ. ક્યાં ભગવાન?
આ પણ આપ બાળકોએ સમજાવવાનું છે. બસ આ એક જ વાતમાં તમારી વિજય થવાની છે. આખી દુનિયાનાં
મનુષ્યોની બુદ્ધિમાં કૃષ્ણ ભગવાનુવાચ છે. જ્યારે તમે સમજાવો છો તો કહે છે - વાત તો
બરાબર છે. પરંતુ જ્યારે તમારી જેમ સમજે ત્યારે કહે બાબા જે શીખવાડે છે તે ઠીક છે.
કૃષ્ણ થોડી કહેશે - હું આવો છું, મને કોઈ જાણી નથી શકતું. કૃષ્ણને તો બધાંજ જાણી
લે. એવું પણ નથી કે કૃષ્ણનાં તનથી ભગવાન કહે છે. ના. કૃષ્ણ તો હોય જ છે સતયુગ માં.
ત્યાં કેવી રીતે ભગવાન આવશે? ભગવાન તો આવે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર. તો આપ બાળકો
અનેકોથી લખાવતાં જાઓ. તમારી એવી મોટી પુસ્તક છપાયેલી હોવી જોઈએ, તેમાં બધાનું લખાણ
હોય. જયારે જોશે આ તો આટલાં બધાએ આવું લખ્યું છે તો પોતે પણ લખશે. પછી તમારી પાસે
અનેકોનું લખાણ થઇ જશે-ગીતાનાં ભગવાન કોણ? ઉપરમાં પણ લખેલું હોય કે ઊંચેથી ઊંચા બાપ
જ છે, કૃષ્ણ તો ઊંચેથી ઊંચા છે નહી. તે કહી ન શકે કે મામેકમ યાદ કરો. બ્રહ્મા થી પણ
ઊંચે થી ઊંચા ભગવાન છે ને. મુખ્ય વાત જ આ છે જેમાં બધાનું દેવાળું નીકળી જશે.
બાબા કંઈ એવું નથી કહેતા કે અહીંયા બેસવાનું છે. ના, સદ્દગુરુને પોતાનાં બનાવ્યા પછી
પોતાનાં ઘરમાં જઈને રહો. શરુમાં તો તમારી ભઠ્ઠી હતી. શાસ્ત્રોમાં પણ ભઠ્ઠીની વાત છે
પરંતુ ભઠ્ઠી કોને કહેવાય છે, આ કોઈ નથી જાણતું. ભઠ્ઠી હોય છે ઇંટોની. એમાં કોઈ
પાક્કી, કોઈ ખંજર નીકળે છે. અહીં પણ જુઓ સોનુ છે નહીં, બાકી ભિત્તર-ઠીક્કર છે. જૂની
ચીજનું માન બહુજ છે. શિવબાબાનું, દેવતાઓનું પણ માન છે ને. સતયુગમાં તો માન ની વાત જ
નથી. ત્યાં થોડી જૂની ચીજો બેસીને શોધે છે. ત્યાં પેટ ભરેલું રહે છે. શોધવાની દરકાર
નથી રહેતી. તમારે ખોદવું કરવું નથી પડતું, દ્વાપરનાં પછી ખોદવાનું શરુ કરશો. મકાન
બનાવો છો, કાંઈ નીકળી આવે છે તો સમજે છે નીચે કંઈક છે. સતયુગમાં તમને કોઈ પરવાહ નથી.
ત્યાં તો સોનુ જ સોનુ હોય છે. ઇંટો જ સોનાની હોય છે. કલ્પ પહેલા જે થયું છે, જે
નોંધ છે તેજ સાક્ષાત્કાર થાય છે. આત્માઓને બોલાવાય છે, તે પણ ડ્રામામાં નોંધ છે. આમાં
મુંઝવાની દરકાર નથી. સેકન્ડ પછી સેકન્ડ પાર્ટ ભજવાય છે, પછી ગુમ થઈ જાય છે. આ ભણતર
છે. ભક્તિમાર્ગમાં તો અનેક ચિત્ર છે. તમારા આ ચિત્ર બધાં અર્થ સહિત છે. અર્થ વગર
કોઈ ચિત્ર નથી. જ્યાં સુધી તમે કોઈને સમજાવો નહીં ત્યાં સુધી કોઈ સમજી ન શકે.
સમજાવવા વાળા સમજદાર નોલેજફુલ એક બાપ જ છે. હમણાં તમને મળે છે ઇશ્વરીય મત. ઈશ્વરીય
ઘરાનાં અથવા કુળનાં તમે છો. ઈશ્વર આવીને ઘરાનાંની જ સ્થાપન કરે છે. હમણાં તમને
રાજાઈ કાંઈ નથી. રાજધાની હતી, હમણાં નથી. દેવી-દેવતાઓનો ધર્મ પણ જરુર છે.
સૂર્યવંશી-ચંદ્રવંશી રાજાઈ છે ને. ગીતાથી બ્રાહ્મણ કુળ પણ બને છે,
સૂર્યવંશી-ચંદ્રવંશી કુળ પણ બને છે. બાકી બીજા કોઈ હોઈ ન શકે. આપ બાળકો સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંતને જાણી ગયા છો. પહેલાં તો સમજતા હતાં-બહુજ પ્રલય થાય છે. અંતમાં દેખાડે
છે-સાગર માં પીપળનાં પાંદડા પર કૃષ્ણ આવે છે. પહેલા નંબરમાં તો શ્રીકૃષ્ણ જ આવે છે
ને. બાકી સાગર ની વાત નથી, હવે આપ બાળકોને સમજ ઘણી સારી આવી છે. ખુશી પણ એમને હશે
જે રુહાની ભણતર સારી રીતે ભણતા હશે. જો સારી રીતે ભણે છે તેજ પાસ વિથ ઓનર થાય છે.
જો કોઈથી દિલ લાગેલું હશે તો ભણવાનાં સમયે પણ તે યાદ આવતાં રહેશે. બુદ્ધિ ત્યાં ચાલી
જશે એટલે ભણતર હંમેશા બ્રહ્મચર્ય માં થાય છે. અહીં આપ બાળકોને સમજાવાય છે એક બાપનાં
સિવાય બીજે ક્યાંય પણ બુદ્ધિ ન જવી જોઈએ. પરંતુ જાણે છે ઘણાંને જૂની દુનિયા યાદ આવી
જાય છે. પછી અહીં બેઠાં પણ સાંભળતા જ નથી. ભક્તિમાર્ગમાં પણ આવાં હોય છે. સત્સંગમાં
બેઠાં પણ બુદ્ધિ ક્યાં-ક્યાં ભાગતી રહેશે. આ તો બહુજ મોટી જબરજસ્ત પરીક્ષા છે. કોઈ
તો જાણે બેઠાં છતાં પણ સાંભળતા નથી. ઘણાં બાળકોને તો ખુશી થાય છે. સામે ખુશીમાં
ઝૂલતા રહેશે. બુદ્ધિ બાપની સાથે હશે પછી અંત મતિ સો ગતિ થઈ જશે. એનાં માટે ખુબ સરસ
પુરુષાર્થ કરવાનો છે. અહીં તો તમને ખુબ ધન મળે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિજય માળાનાં
દાણા બનવાનાં માટે ખુબ સરસ પુરુષાર્થ કરવાનો છે, બહુજ મીઠા બનવાનું છે, શ્રીમત પર
ચાલવાનું છે.
2. યોગ જ સેફટી (સુરક્ષા) નાં માટે ઢાલ છે એટલે યોગબળ જમા કરવાનું છે. દેહી-અભિમાની
બનવાની પૂરી કોશિશ કરવાની છે.
વરદાન :-
દરેક સંકલ્પ ,
બોલ અને કર્મને ફળદાયક બનાવવા વાળા રુહાની પ્રભાવશાળી ભવ
જ્યારે પણ કોઇનાં
સંપર્કમાં આવો છો તો તેમનાં પ્રતિ મનની ભાવના, સ્નેહ, સહયોગ અને કલ્યાણ ની
પ્રભાવશાળી હોય. દરેક બોલ કોઈને હિંમત ઉલ્લાસ દેવાવાળા પ્રભાવશાળી હોય. સાધારણ
વાત-ચીતમાં સમય ન ચાલ્યો જાય. આમ જ દરેક કર્મ ફળદાયક હોય-ભલે સ્વનાં પ્રતિ, ભલે બીજા
નાં પ્રતિ. આપસમાં પણ દરેક રુપમાં પ્રભાવશાળી બનો. સેવામાં રુહાની પ્રભાવશાળી બનો
ત્યારે બાપ ને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત બની શકશો.
સ્લોગન :-
એવાં શુભચિંતક
મણી બનો જે તમારી કિરણો વિશ્વને રોશન કરતી રહે.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ અભ્યાસ
મનની એકાગ્રતા
જ એકરસ સ્થિતિનો અનુભવ કરાવશે. એકાગ્રતા ની શક્તિ દ્વારા અવ્યક્ત ફરિશ્તા સ્થિતિ નો
સહજ અનુભવ કરી શકશો. એકાગ્રતા અર્થાત મનને જ્યાં ઈચ્છો, જેમ ઈચ્છો, જેટલો સમય ઈચ્છો
એટલો સમય એકાગ્ર કરી લો. મન વશમાં હોય.