10-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - મુખ્ય
બે વાતો બધાને સમજાવવાની છે - એક તો બાપને યાદ કરો , બીજું ૮૪ નાં ચક્રને જાણો પછી
બધાં પ્રશ્ન સમાપ્ત થઈ જશે ”
પ્રશ્ન :-
બાપની મહિમા
માં કયા શબ્દો આવે છે જે શ્રીકૃષ્ણની મહિમા માં નથી?
ઉત્તર :-
વૃક્ષપતિ એક બાપ છે, શ્રીકૃષ્ણને વૃક્ષપતિ નહીં કહેશું. પિતાઓનાં પિતા અથવા પતિઓનાં
પતિ એક નિરાકારને કહેવાય, શ્રી કૃષ્ણને નહીં. બંનેની મહિમા અલગ-અલગ સ્પષ્ટ કરો.
પ્રશ્ન :-
આપ બાળકો
ગામ-ગામમાં કયો ઢંઢેરો પિટવી દો?
ઉત્તર :-
ગામ-ગામમાં ઢંઢેરો પિટવી દો કે મનુષ્ય થી દેવતા, નર્કવાસી થી સ્વર્ગવાસી કેવી રીતે
બની શકો છો, આવીને સમજો. સ્થાપના, વિનાશ કેમ થાય છે, આવીને સમજો.
ગીત :-
તુમ્હી હો માતા
, પિતા તુમ્હી હો ……...
ઓમ શાંતિ!
આ ગીતનાં અંતની
જે લીટી આવે છે - તુમ્હી નઈયા , તુમ્હી ખિવૈયા….આ ખોટું છે. જેમ આપ જ પૂજ્ય, આપ જ
પૂજારી કહો છો - આ પણ એવું થઈ જાય છે. જ્ઞાનની ચમક વાળા જે હશે તે ઝટ ગીતને બંધ કરી
દેશે કારણકે બાપનું અપમાન થઇ જાય છે. હમણાં આપ બાળકોને જ્ઞાન મળ્યું છે, બીજા
મનુષ્યોને આ જ્ઞાન હોતું નથી. તમને પણ હમણાં જ મળે છે. પછી ક્યારેય હોતું જ નથી.
ગીતાનાં ભગવાનનું જ્ઞાન પુરષોત્તમ બનવાનું મળે છે, આટલું સમજે છે. પરંતુ ક્યારે મળે
છે, કેવી રીતે મળે છે, આ ભૂલી ગયા છે. ગીતા છે જ ધર્મ સ્થાપના નું શાસ્ત્ર, બીજા
કોઈ શાસ્ત્ર ધર્મ સ્થાપન અર્થ નથી હોતા. શાસ્ત્ર અક્ષર પણ ભારતમાં જ કામ આવે છે.
સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે જ ગીતા. બાકી તે બધાં ધર્મ તો છે જ પાછળથી આવવા વાળા.
તેને શિરોમણી નહી કહેશું. બાળકો જાણે છે વૃક્ષપતિ એક જ બાપ છે. એ આપણાં બાપ છે, પતિ
પણ છે તો સૌનાં પિતા પણ છે. એમને પતિઓનાં પતિ, પિતાઓનાં પિતા….. કહેવાય છે. આ મહિમા
એક નિરાકારની ગવાય છે. કૃષ્ણની અને નિરાકાર બાપની મહિમા ની તુલના કરાય છે.
શ્રીકૃષ્ણ તો છે જ નવી દુનિયાનાં રાજકુમાર. તે પછી જૂની દુનિયામાં સંગમયુગ પર
રાજ્યોગ કેવી રીતે શીખવાડશે? હવે બાળકો સમજે છે અમને ભગવાન ભણાવી રહ્યા છે. તમે
ભણીને આ (દેવી-દેવતા) બનો છો. પછી આ જ્ઞાન ચાલતું નથી. પ્રાય:લોપ થઈ જાય છે. બાકી
લોટ માં મીઠું એટલે ચિત્ર ખાલી બચે છે. હકીકતમાં કોઇ ચિત્ર યથાર્થ તો છે નહી.
પહેલાં-પહેલાં બાપનો પરિચય મળી જશે તો તમે કહેશો આ તો ભગવાન સમજાવે છે. તેઓ તો સ્વતઃ
જ બતાવશે. તમે પ્રશ્ન શું પૂછશો! પહેલા બાપને તો જાણો.
બાપ આત્માઓને કહે છે - મને યાદ કરો. બસ, બે વાતો યાદ કરી લો. બાપ કહે છે મને યાદ કરો
અને ૮૪ નાં ચક્રને યાદ કરો, બસ. આ બે મુખ્ય વાતો જ સમજાવવાની છે. બાપ કહે છે તમે
પોતાનાં જન્મને નથી જાણતાં. બ્રાહ્મણ બાળકોને જ કહે છે, બીજા તો કોઈ સમજી પણ ન શકે.
પ્રદર્શની માં જુઓ કેટલી ભીડ લાગી જાય છે. સમજે છે, આટલાં મનુષ્ય જાય છે તો જરુર
કોઈ જોવાની ચીજ છે. ઘુસી જાય છે. એક-એકને બેસી સમજાવે તો પણ મુખ થાકી જાય. ત્યારે
શું કરવું જોઈએ? પ્રદર્શની મહિનાં સુધી ચાલતી રહે તો કહી શકાય છે-આજે ભીડ છે, કાલે,
પરમદિવસે આવજો. તે પણ જેમને ભણવાની ઈચ્છા છે અથવા મનુષ્ય થી દેવતા બનવા ઈચ્છે છે,
તેમને સમજાવવાનું છે. એક જ આ લક્ષ્મી-નારાયણનું ચિત્ર અથવા બેજ દેખાડવો જોઈએ. બાપ
દ્વારા આ વિષ્ણુપુરીનાં માલિક બની શકો છો, હમણાં ભીડ છે સેવાકેન્દ્ર પર આવજો. સરનામું
તો લખેલું છે. બાકી એમ જ કહી દેશે - આ સ્વર્ગ છે, આ નર્ક છે, આનાથી મનુષ્ય શું સમજશે?
સમય વેડફાઈ જાય છે. એમ તો ઓળખી પણ ન શકાય, આ મોટો માણસ છે, સાહૂકાર છે કે ગરીબ છે?
આજકાલ ડ્રેસ વગેરે એવા પહેરે છે જે કોઈ પણ સમજી ન શકે. પહેલાં-પહેલાં તો બાપનો
પરિચય આપવાનો છે. બાપ સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે. હવે આ બનવાનું છે. લક્ષ્ય-હેતુ
સામે છે. બાપ કહે છે ઊંચે થી ઊંચો હું છું. મને યાદ કરો, આ વશીકરણ મંત્ર છે. બાપ કહે
છે મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને વિષ્ણુપુરીમાં આવી જશો - આટલું તો
જરુર સમજાવવું જોઈએ. ૮-૧૦ દિવસ પ્રદર્શનની રાખવી જોઈએ. તમે ગામ-ગામમાં ઢંઢેરો પિટવી
દો કે મનુષ્ય થી દેવતા, નર્કવાસી થી સ્વર્ગવાસી કેવી રીતે બની શકો છો, આવીને સમજો.
સ્થાપના, વિનાશ કેવી રીતે થાય છે, આવીને સમજો. યુક્તિઓ બહુજ છે.
આપ બાળકો જાણો છો સતયુગ અને કળયુગ માં રાત- દિવસનો ફર્ક છે. બ્રહ્માનો દિવસ અને
બ્રહ્માની રાત કહેવાય છે. બ્રહ્માનો દિવસ સો વિષ્ણુનો, વિષ્ણુનો સો બ્રહ્માનો. વાત
એક જ છે. બ્રહ્માનાં પણ ૮૪ જન્મ, વિષ્ણુનાં પણ ૮૪ જન્મ. ફક્ત આ લિપ (અધિક) જન્મનો
ફર્ક પડી જાય છે. આ વાતો બુદ્ધિમાં બેસાડવાની હોય છે. ધારણા નહીં હોય તો કોઈને
સમજાવી કેવી રીતે શકશો? આ સમજાવવું તો ખુબ સહજ છે. ફક્ત લક્ષ્મી-નારાયણનાં ચિત્રની
આગળ જ આ પોઇન્ટ (વાત) સંભળાવો. બાપ દ્વારા આ પદ પામવાનું છે, નરક નો વિનાશ સામે ઊભો
છે. તે લોકો તો પોતાની મનુષ્ય મત જ સંભળાવશે. અહીં તો છે ઈશ્વરીય મત, જે આપણને
આત્માઓને ઈશ્વરથી મળી છે. નિરાકાર આત્માઓને નિરાકાર પરમાત્માની મત મળે છે. બાકી બધી
છે મનુષ્ય મત. રાત-દિવસનો ફર્ક છે ને. સન્યાસી, ઉદાસી વગેરે કોઈ પણ તો આપી ન શકે.
ઈશ્વરીય મત એક જ વાર મળે છે. જ્યારે ઈશ્વર આવે છે તો એમની મતથી આપણે આ બનીએ છીએ. એ
આવે છે જ દેવી-દેવતા ધર્મની સ્થાપના કરવાં. આ પણ પોઇન્ટ (વાત) ધારણ કરવી જોઈએ, જે
સમય પર કામ આવે. મુખ્ય વાત થોડામાં જ સમજાવી તો પણ ઘણું છે. એક લક્ષ્મી-નારાયણનાં
ચિત્ર પર સમજાવવું પણ ઘણું છે. આ છે લક્ષ્ય-હેતુ નું ચિત્ર, ભગવાને આ નવી દુનિયા રચી
છે. ભગવાને જ પુરુષોત્તમ સંગમયુગ પર તેમને ભણાવ્યું હતું. આ પુરુષોત્તમયુગ ની કોઈને
ખબર નથી. તો બાળકોએ આ બધી વાતો સાંભળીને કેટલું ખુશ થવું જોઈએ. સાંભળીને પછી
સંભળાવવામાં વધારે ખુશી થાય છે. સેવા કરવા વાળાઓને જ બ્રાહ્મણ કહેવાશે. તમારા કચ્છ
(બગલમાં) સાચી ગીતા છે. બ્રાહ્મણો માં પણ નંબરવાર હોય છે ને. કોઈ બ્રાહ્મણ તો બહું
નામીગ્રામી હોય છે, ખુબ કમાણી કરે છે. કોઈને તો ખાવાનું પણ મુશ્કેલીથી મળશે. કોઈ
બ્રાહ્મણ તો લખપતિ હોય છે. બહુજ ખુશીથી, નશાથી કહે છે અમે બ્રાહ્મણ કુળનાં છીએ.
સાચાં-સાચાં બ્રાહ્મણ કુળની તો ખબર જ નથી. બ્રાહ્મણ ઉત્તમ મનાય છે, ત્યારે તો
બ્રાહ્મણોને ખવડાવે છે. દેવતા, ક્ષત્રિય કે વૈશ્ય, શુદ્ર ધર્મવાળા ને ક્યારેય
ખવડાવશે નહીં. બ્રાહ્મણોને જ ખવડાવે છે એટલે બાબા કહે છે - તમે બ્રાહ્મણોને સારી
રીતે સમજાવો. બ્રાહ્મણોનું પણ સંગઠન હોય છે, તેની તપાસ કરી ચાલ્યા જવું જોઈએ.
બ્રાહ્મણ તો પ્રજાપિતા બ્રહ્માની સંતાન હોવા જોઈએ, આપણે તેમનાં સંતાન છીએ. બ્રહ્મા
કોનાં બાળક છે, તે પણ સમજાવવું જોઈએ. તપાસ કરવી જોઈએ કે ક્યાં-ક્યાં તેમના સંગઠન
હોય છે. તમે અનેકોનું કલ્યાણ કરી શકો છો. વાનપ્રસ્થ સ્ત્રીઓની પણ સભાઓ હોય છે.
બાબાને કોઈ સમાચાર થોડી આપે છે કે અમે ક્યાં-ક્યાં ગયાં? આખું જંગલ ભરેલું છે, તમે
જ્યાં જાઓ શિકાર કરી આવશો, પ્રજા બનાવીને આવશો, રાજા પણ બનાવી શકો છો. સેવા તો ઘણી
છે. સાંજ નાં ૫ વાગ્યે રજા મળે છે, લિસ્ટ (યાદી) માં નોંધ કરી દેવી જોઈએ - આજે
અહીં-અહીં જવાનું છે. બાબા યુક્તિઓ તો ઘણી બતાવે છે. બાપ બાળકોથી જ વાત કરે છે. આ
પાક્કો નિશ્ચય હોવો જોઈએ કે હું આત્મા છું. બાબા (પરમ આત્મા) આપણને સંભળાવે છે,
ધારણ આપણે કરવાનું છે. જેમ શાસ્ત્ર અધ્યયન કરે છે તો પછી સંસ્કાર લઈ જાય છે તો બીજા
જન્મમાં પણ તે સંસ્કાર જાગૃત થઈ જાય છે. કહેવાય છે - સંસ્કાર લઈ આવ્યા છે. જે બહુજ
શાસ્ત્રો વાંચે છે તેમને ઓથોરિટી (સત્તા) કહેવાય છે. તેઓ પોતાને સર્વશક્તિમાન નહીં
સમજશે. આ ખેલ છે, જે બાપ જ સમજાવે છે, નવી વાત નથી. ડ્રામા બનેલો છે, જે સમજવાનો
છે. મનુષ્ય આ નથી સમજતા કે જૂની દુનિયા છે. બાપ કહે છે હું આવી ગયો છું. મહાભારત
લડાઈ સામે ઉભી છે. મનુષ્ય અજ્ઞાન અંધકાર માં સૂતેલાં છે. અજ્ઞાન ભક્તિને કહેવાય છે.
જ્ઞાનનાં સાગર તો બાપ જ છે. જે ખુબ ભક્તિ કરે છે, તે ભક્તિનાં સાગર છે. ભક્ત માળા
પણ છે ને. ભક્ત માળાનાં પણ નામ ભેગાં કરવા જોઈએ. ભક્ત માળા દ્વાપર થી કળયુગ સુધી જ
હશે. બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. ખુબ ખુશી તેમને હશે જે આખો દિવસ સેવા કરતાં રહેશે.
બાબાએ સમજાવ્યું છે માળા તો ખુબ લાંબી હોય છે, હજારોની સંખ્યા માં. જેને કોઈ ક્યાંથી,
કોઈ ક્યાંથી ખેંચે છે. કાંઈક તો હશે ને, જે આટલી મોટી માળા બનાવી છે. મુખ થી
રામ-રામ કહેતાં રહે છે, આ પણ પૂછવું પડે - કોને રામ-રામ કહી યાદ કરો છો? તમે ક્યાંય
પણ સત્સંગ વગેરેમાં જઈને ભેગા થઈ બેસી શકો છો. હનુમાન નું ઉદાહરણ છે ને-જ્યાં
સત્સંગ થતો હતો, ત્યાં ચંપલોમાં જઈને બેસતાં હતા. તમારે પણ તક લેવી જોઈએ. તમે બહુજ
સેવા કરી શકો છો. સેવામાં સફળતા ત્યારે થશે જ્યારે જ્ઞાનની પોઇન્ટ (વાત) બુદ્ધિમાં
હશે, જ્ઞાન માં મસ્ત હશો. સેવાની અનેક યુક્તિઓ છે, રામાયણ, ભાગવત વગેરેની પણ ઘણી
વાતો છે, જેના પર તમે દૃષ્ટિ આપી શકો છો. ફક્ત અંધશ્રદ્ધા થી બેસી સત્સંગ થોડી
કરવાનો છે. બોલો, અમે તો તમારું કલ્યાણ કરવા ઈચ્છીએ છીએ. તે ભક્તિ બિલ્કુલ અલગ છે,
આ જ્ઞાન અલગ છે. જ્ઞાન એક જ્ઞાનેશ્વર બાપ જ આપે છે. સેવા તો ઘણી છે, ફક્ત આ બતાવો
કે ઊંચે થી ઊંચા કોણ છે? ઊંચે થી ઊંચા એક જ ભગવાન હોય છે, વારસો પણ એમનાથી મળે છે.
બાકી તો છે રચના. બાળકોને સેવાનો શોખ હોવો જોઈએ. તમારે રાજાઈ કરવી છે તો પ્રજા પણ
બનાવવાની છે. આ મહામંત્ર ઓછો થોડી છે-બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતી થઈ જશે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપએ જે
વશીકરણ મંત્ર આપ્યું છે, તે બધાને યાદ અપાવવાનું છે. સેવાની અલગ-અલગ યુક્તિઓ રચવાની
છે. ભીડ માં પોતાનો સમય બરબાદ નથી કરવાનો.
2. જ્ઞાનની પોઇન્ટ બુદ્ધિમાં રાખી જ્ઞાનમાં મસ્ત રહેવાનું છે. હનુમાનની જેમ સત્સંગો
માં જઈને બેસવાનું છે અને પછી તેમની સેવા કરવાની છે. ખુશીમાં રહેવાં માટે આખો દિવસ
સેવા કરવાની છે.
વરદાન :-
શ્રેષ્ઠ
સંકલ્પો નાં સહયોગ દ્વારા સર્વ માં શક્તિ ભરવાળા શક્તિશાળી આત્મા ભવ
સદા શક્તિશાળી ભવ નું
વરદાન પ્રાપ્ત કરી સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા બળ ભરવાની સેવા કરો. જેમ
આજકાલ સૂર્યની શક્તિ જમા કરીને ઘણા કાર્ય સફળ કરે છે. એમ શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિ
એટલી જમા હોય જે બીજાનાં સંકલ્પોમાં બળ ભરી દો. આ સંકલ્પ ઇન્જેક્શન નું કામ કરે છે.
આનાથી અંદર વૃત્તિમાં શક્તિ આવી જાય છે. તો હવે શ્રેષ્ઠ ભાવના કે શ્રેષ્ઠ સંકલ્પ થી
પરિવર્તન કરજો - આ સેવાની આવશ્યકતા છે.
સ્લોગન :-
માસ્ટર
દુઃખહર્તા બની દુઃખને પણ રુહાની સુખમાં પરિવર્તન કરવું - આ જ તમારું શ્રેષ્ઠ
કર્તવ્ય છે.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ અભ્યાસ
આપણે બ્રાહ્મણ
સો ફરિશ્તા છીએં આ કમ્બાઈન્ડ રુપની અનુભૂતિ વિશ્વની આગળ સાક્ષાત્કાર મૂર્ત બનાવશે.
બ્રાહ્મણ સો ફરિશ્તા આ સ્મૃતિ દ્વારા ચાલતાં-ફરતાં પોતાને વ્યક્ત શરીર, વ્યક્ત દેશ
માં પાર્ટ ભજવતા પણ બ્રહ્મા બાપના સાથી અવ્યક્ત વતનનાં ફરિશ્તા, અવ્યક્ત રુપધારી
અનુભવ કરશો.