30-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપ તમને જ્ઞાન યોગનો ખોરાક ખવડાવીને જબરજસ્ત ખાતરી કરે છે , તો સદેવ ખુશ - મોજમાં રહો અને શ્રીમત અનુસાર સર્વની ખાતરી કરતાં ચાલો ”

પ્રશ્ન :-
આ સંગમયુગ પર તમારી પાસે સૌથી અમૂલ્ય ચીજ કઈ છે, જેની સંભાળ કરવાની છે?

ઉત્તર :-
આ સર્વોત્તમ બ્રાહ્મણ કુળમાં તમારું આ જીવન બહુજ અમૂલ્ય છે, એટલે શરીરની સંભાળ જરુર કરવાની છે. એવું નહીં આ તો માટીનું પૂતળું છે, ક્યાં આ ખલાસ થઈ જાય! ના! આને જીવતું રાખવાનું છે. કોઈ બીમાર થાય છે તો એનાથી હેરાન ન થવું જોઈએ. તેમને કહો તમે શિવબાબા ને યાદ કરો જેટલું યાદ કરશો એટલાં પાપ કપાતાં જશે. તેમની સર્વિસ (સેવા) કરવી જોઈએ, જીવતાં રહે, શિવબાબા ને યાદ કરતાં રહે.

ઓમ શાંતિ!
જ્ઞાનનું ત્રીજું નેત્ર આપવાવાળા રુહાની બાપ બેસી રુહાની બાળકો ને સમજાવે છે. જ્ઞાનનું ત્રીજું નેત્ર સિવાય બાપનાં બીજું કોઈ આપી નથી શકતું. હવે આપ બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. હવે આપ બાળકો જાણો છો કે આ જૂની દુનિયા બદલાવાની છે. બિચારા મનુષ્ય નથી જાણતાં કે કોણ બદલાવા વાળા છે અને કેવી રીતે બદલાવે છે! કારણ કે તેમને જ્ઞાનનું ત્રીજું નેત્ર જ નથી. આપ બાળકોને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે જેનાંથી તમે સૃષ્ટિનાં આદિ, મધ્ય અને અંતને જાણી ગયા છો. આ છે જ્ઞાનની સેકરીન (મીઠાસ). સેકરીનનું એક ટીપું પણ કેટલું મીઠું હોય છે. જ્ઞાનનો એક જ અક્ષર છે મનમનાભવ. આ અક્ષર કેટલો મીઠો છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ શાંતિધામ અને સુખધામનો રસ્તો બતાવી રહ્યાં છે. બાપ આવ્યાં છે બાળકોને સ્વર્ગનો વારસો આપવાં. તો બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ. કહે પણ છે ખુશી જેવો ખોરાક નથી. જે સદેવ ખુશ-મોજમાં રહે છે એમનાં માટે આ જેમકે ખોરાક છે. ૨૧ જન્મ મોજમાં રહેવાનો આ જબરજસ્ત ખોરાક છે. આ ખોરાક સદેવ એક-બીજાને ખવડાવતાં રહો. આ છે એક-બીજાની જબરજસ્ત ખાતરી. આવી ખાતરી બીજા કોઈ મનુષ્ય, મનુષ્યની કરી ન શકે.

આપ બાળકો શ્રીમત પર બધાની રુહાની ખાતરી કરો છો. સાચી-સાચી ખુશ-ખૈરાફ્ત પણ આ છે કોઈને બાપનો પરિચય આપવો. મીઠા બાળકો જાણે છે બેહદનાં બાપ દ્વારા અમને જીવનમુક્તિની સૌગાત મળે છે. સતયુગમાં ભારત જીવનમુક્ત હતું, પાવન હતું. બાપ બહુજ મોટો ઉંચો ખોરાક આપે છે ત્યારે તો ગાયન છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓને પૂછો. આ જ્ઞાન અને યોગનો કેટલો ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક છે અને આ ખોરાક એક જ રુહાની સર્જનની પાસે છે. બીજા કોઈને આ ખોરાકની ખબર જ નથી. બાપ કહે છે મીઠા બાળકો તમારાં માટે તીરી (હથેળી) પર સૌગાત લઈ આવ્યો છું. મુક્તિ, જીવનમુક્તિની આ સૌગાત મારી પાસે જ રહે છે. કલ્પ-કલ્પ હું જ આવીને તમને આ સૌગાત આપું છું પછી રાવણ છીનવી લે છે. તો હમણાં આપ બાળકોને કેટલો ખુશીનો પારો ચઢેલો રહેવો જોઈએ. તમે જાણો છો આપણા એક જ બાપ, શિક્ષક અને સાચાં-સાચાં સદ્દગુરુ છે જે આપણને સાથે લઈ જાય છે. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપથી વિશ્વની બાદશાહી મળે છે. આ ઓછી વાત છે શું! બાળકોએ સદેવ હર્ષિત રહેવું જોઈએ. ગોડલી સ્ટૂડન્ટ લાઇફ ઇઝ ધ બેસ્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન સૌથી શ્રેષ્ઠ). આ હમણાં નું જ ગાયન છે ને. પછી નવી દુનિયામાં તમે સદેવ ખુશીઓ મનાવતાં રહેશો. દુનિયા નથી જાણતી કે સાચી-સાચી ખુશીઓ ક્યારે મનાવશે. મનુષ્યોને તો સતયુગનું જ્ઞાન જ નથી તો અહીંયા જ મનાવતાં રહે છે. પરંતુ આ જૂની તમોપ્રધાન દુનિયામાં ખુશી ક્યાંથી આવી! અહીંયા તો ત્રાહિ-ત્રાહિ કરતાં રહે છે. કેટલાં દુઃખની દુનિયા છે.

બાપ આપ બાળકોને કેટલો સહજ રસ્તો બતાવે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં કમળફૂલ સમાન રહો. ધંધો-ધોરી વગેરે કરતાં પણ મને યાદ કરતાં રહો. જેમ આશિક અને માશુક હોય છે, તેઓ તો એકબીજાને યાદ કરતાં રહે છે. તે એનો આશિક, તે તેનો માશુક હોય છે. અહીંયા આ વાત નથી, અહીંયા તો તમે બધાં એક માશુકનાં જન્મ-જન્માન્તર થી આશિક રહ્યા છો. બાપ તમારાં ક્યારેય આશિક નથી બનતાં. તમે એ માશુકને આવવાં માટે યાદ કરતાં આવ્યાં છો. જયારે દુઃખ વધારે હોય છે તો વધારે સુમિરણ કરે છે, ત્યારે તો ગાયન પણ છે દુઃખમાં સુમિરણ સહુ કરે, સુખમાં કરે ન કોઈ. આ સમયે જેમ બાપ સર્વશક્તિમાન છે. દિવસ-પ્રતિદિવસ માયા પણ સર્વશક્તિમાન, તમોપ્રધાન થતી જાય છે એટલે હવે બાપ કહે છે મીઠા બાળકો દેહી-અભિમાની બનો. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો અને સાથે-સાથે દૈવીગુણ પણ ધારણ કરો તમે આવાં (લક્ષ્મી-નારાયણ) બની જશો. આ ભણતરમાં મુખ્ય વાત છે જ યાદની. ઊંચેથી ઊંચા બાપને ખુબ પ્રેમ, સ્નેહથી યાદ કરવાં જોઈએ. એ ઉંચેથી ઊંચા બાપ જ નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકોને વિશ્વનાં માલિક બનાવવાં એટલે હવે મને યાદ કરો તો તમારાં અનેક જન્મોનાં પાપ કપાઈ જશે. પતિત-પાવન બાપ કહે છે તમે બહુજ પતિત બની ગયા છો એટલે હવે તમે મને યાદ કરો તો તમે પાવન બની અને પાવન દુનિયાનાં માલિક બની જશો. પતિત-પાવન બાપને જ બોલાવે છે ને. હવે બાપ આવ્યા છે તો જરુર પાવન બનવું પડે. બાપ દુઃખહર્તા, સુખકર્તા છે. બરાબર સતયુગમાં પાવન દુનિયા હતી તો બધાં સુખી જ હતાં. હવે બાપ ફરીથી કહે છે બાળકો શાંતિધામ અને સુખધામ ને યાદ કરતાં રહો. હમણાં છે સંગમયુગ. ખેવૈયા તમને આ પારથી પેલી પાર લઈ જાય છે. નૌકા કોઈ એક નથી, આખી દુનિયા જેમકે એક મોટું જહાજ છે. એને પાર લઈ જાય છે.

આપ મીઠા બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. તમારાં માટે તો સદેવ ખુશી જ ખુશી છે. બેહદનાં બાપ આપણને ભણાવી રહ્યા છે, વાહ! આ તો ક્યારેય ન સાંભળ્યું, ન વાંચ્યું. ભગવાનુવાચ હું આપ રુહાની બાળકોને રાજ્યોગ શીખવાડી રહ્યો છું. તો પૂરી રીતે શીખવું જોઈએ, ધારણા કરવી જોઈએ. પૂરી રીતે ભણવું જોઈએ. ભણવામાં નંબરવાર તો સદેવ હોય જ છે. પોતાને જોવું જોઈએ હું ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ઠ છું? બાપ કહે છે પોતાને જુઓ હું ઊંચ પદ પામવાનાં લાયક છું? રુહાની સર્વિસ કરું છું? કારણ કે બાપ કહે છે બાળકો સર્વિસએબુલ (સેવાધારી) બનો, ફોલો (અનુકરણ) કરો. હું આવ્યો છું સર્વિસનાં માટે. રોજ સર્વિસ કરું છું એટલે જ તો આ રથ લીધો છે. આમનો રથ બીમાર પડી જાય છે તો હું એમાં બેસી મુરલી લખું છું. મુખથી તો બોલી નથી શકતાં તો હું લખી દઉં છું. જેથી બાળકોનાં માટે મુરલી મિસ (છૂટી) ન થાય તો હું પણ સર્વિસ પર છું ને. આ છે રુહાની સર્વિસ. તો આપ બાળકો પણ બાપની સર્વિસમાં લાગી જાઓ. ઓન ગોડ ફાધરલી સર્વિસ (ઈશ્વરીય સેવામાં). જે સારો પુરુષાર્થ કરે છે, સારી સર્વિસ કરે છે તેમને મહાવીર કહેવાય છે. જોવાય છે કોણ મહાવીર છે જે બાબાનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલે છે? બાપનું ફરમાન છે, સ્વયંને આત્મા સમજી ભાઈ-ભાઈ જુઓ. આ શરીરને ભૂલી જાઓ. બાબા પણ શરીરને નથી જોતાં. બાપ કહે છે હું આત્માઓને જોઉં છું. બાકી આ તો જ્ઞાન છે કે આત્મા શરીર વગર બોલી નથી શકતી. હું પણ આ શરીરમાં આવ્યો છું, લોન (ઉધાર) લીધેલું છે. શરીર સાથે જ આત્મા ભણી શકે છે. બાબા ની બેઠક અહીંયા (ભ્રુકુટીમાં) છે. આ છે અકાળતખ્ત. આત્મા અકાળમૂર્ત છે. આત્મા ક્યારેય નાની-મોટી નથી થતી. શરીર નાનું મોટું થાય છે. જે પણ આત્માઓ છે તે બધાંનો તખ્ત આ ભ્રુકુટી છે. શરીર તો બધાનાં ભિન્ન-ભિન્ન હોય છે. કોઈનું અકાળતખ્ત પુરુષનું છે, કોઈનું અકાળતખ્ત સ્ત્રીનું છે, કોઈનું અકાળતખ્ત બાળકનું છે. બાપ બેસી બાળકોને રુહાની ડ્રીલ શીખવાડે છે. જ્યારે કોઈ થી વાત કરો તો પહેલાં સ્વયંને આત્મા સમજો. હું આત્મા ફલાણા ભાઈ થી વાત કરું છું. બાપ નો પૈગામ (સંદેશ) આપીએ છીએ કે શિવબાબાને યાદ કરો. યાદથી જ જંક (કાટ) ઉતરવાનો છે. સોનામાં જ્યારે મિશ્રણ પડે છે તો સોનાનું મુલ્ય જ ઓછું થઈ જાય છે. આપ આત્માઓમાં પણ જંક પડવાથી તમે વેલ્યુલેસ (મૂલ્યહીન) થઈ ગયા છો. હવે ફરી પાવન બનવાનું છે. આપ આત્માઓને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. એ નેત્રથી પોતાનાં ભાઈઓને જુઓ. ભાઈ-ભાઈ ને જોવાથી કર્મેન્દ્રિયો ચંચળ નહીં થાય. રાજ્ય-ભાગ્ય લેવું છે, વિશ્વનાં માલિક બનવું છે તો આ મહેનત કરો. ભાઈ-ભાઈ સમજી બધાને જ્ઞાન આપો. તો પછી આ ટેવ (આદત) પાક્કી થઇ જશે. સાચાં-સાચાં બ્રધર્સ (ભાઈઓ) તમે બધાં છો. બાપ પણ ઉપરથી આવ્યાં છે, તમે પણ આવ્યાં છો. બાપ બાળકો સહિત સર્વિસ કરી રહ્યાં છે. સર્વિસ કરવાની બાપ હિંમત આપે છે. હિંમતે બાળકો મદદે બાપ…. તો આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. હું આત્મા ભાઈને ભણાવું છું. આત્મા ભણે છે ને. આને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે, જે રુહાની બાપથી જ મળે છે. સંગમ પર જ બાપ આવીને આ જ્ઞાન આપે છે કે સ્વયંને આત્મા સમજો. તમે નગ્ન આવ્યાં હતાં પછી અહીં શરીર ધારણ કરી તમે ૮૪ જન્મ પાર્ટ ભજવ્યો છે. હવે ફરી પાછાં ચાલવાનું છે એટલે સ્વયંને આત્મા સમજી ભાઈ-ભાઈની દૃષ્ટિથી જોવાનું છે. આ મહેનત કરવાની છે. પોતાની મહેનત કરવાની છે, બીજામાં આપણું શું જાય! ચેરિટી બિગેન્સ એટ હોમ અર્થાત્ પહેલાં સ્વયંને આત્મા સમજી પછી ભાઈઓને સમજાવો. તો સારી રીતે તીર લાગશે. આ બળ ભરવાનું છે. મહેનત કરશો ત્યારે જ ઉચ્ચ પદ પામશો. આમાં કંઈક સહન પણ કરવું પડે છે. જયારે કોઈ ઉલટી-સુલટી વાત બોલે તો તમે ચુપ રહો. તમે ચુપ રહેશો તો પછી બીજા શું કરશે! તાળી બે હાથથી વાગે છે. એકએ મુખની તાળી વગાડી, બીજા ચૂપ થઈ જાય તો તે સ્વત: જ ચુપ થઇ જશે. તાળી થી તાળી વાગવાથી અવાજ થઈ જાય છે. બાળકોએ એક-બીજાનું કલ્યાણ કરવાનું છે. બાપ સમજાવે છે બાળકો સદેવ ખુશીમાં રહેવા ઈચ્છો છો તો મનમનાભવ. સ્વયં ને આત્મા સમજી બાપને યાદ કરો. ભાઈઓ (આત્માઓ) તરફ જુઓ. તો બાળકોએ રુહાની યાત્રા પર રહેવાની આદત પાડવાની છે. તમારા જ ફાયદાની વાત છે. બાપની શિક્ષા ભાઈઓને આપવાની છે. બાપ કહે છે હું આપ આત્માઓને જ્ઞાન આપી રહ્યો છું. આત્માઓને જ જોઉં છું. મનુષ્ય-મનુષ્ય થી વાત કરશે તો તેમનાં મુખ ને જોશે ને. તમે આત્માઓથી વાત કરો છો તો આત્માને જ જોવાની છે. ભલે શરીર દ્વારા જ્ઞાન આપો છો પરંતુ આમાં શરીરનું ભાન તોડવાનું હોય છે. તમારી આત્મા સમજે છે પરમાત્મા બાપ આપણને જ્ઞાન આપી રહ્યા છે. બાપ પણ કહે છે હું આત્માઓને જોઉં છું, આત્માઓ પણ કહે છે અમે પરમાત્મા બાપને જોઈ રહ્યા છીએં. તેમનાથી નોલેજ લઈ રહ્યા છીએં, આને કહેવાય છે આધ્યાત્મિક જ્ઞાનની લેણ-દેણ, આત્માની આત્માનાં સાથે. આત્મામાં જ જ્ઞાન છે. આત્મા ને જ જ્ઞાન આપવાનું છે. આ જેમકે બળ છે. તમારા જ્ઞાનમાં આ બળ ભરાઈ જશે. તો કોઈને પણ સમજાવાથી ઝટ તીર લાગી જશે. બાપ કહે છે પ્રેક્ટિસ કરીને જુઓ, તીર લાગે છે ને. આ નવી ટેવ પાડવાની છે તો પછી શરીરનું ભાન નીકળી જશે. માયાનાં તોફાન ઓછા આવશે. ખરાબ સંકલ્પ નહીં આવશે. ક્રિમિનલ આઈ (કુદૃષ્ટિ) પણ નહીં રહેશે. આપણે આત્માઓએ ૮૪ નું ચક્ર લગાવ્યું. હવે નાટક પૂરું થાય છે. હવે બાબાની યાદમાં રહેવાનું છે. યાદથી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો. કેટલું સહજ છે. બાપ જાણે છે બાળકોને આ શિક્ષા આપવાનો પણ મારો પાર્ટ જ છે. કોઈ નવી વાત નથી. દર ૫૦૦૦ વર્ષ પછી મારે આવવાનું હોય છે. હું બંધાયેલો છું. બાળકોને બેસી સમજાવું છું મીઠા બાળકો રુહાની યાદની યાત્રામાં રહો તો અંત મતિ સો ગતી થઈ જશે. આ અંતકાળ છે ને! મામેકમ યાદ કરો તો તમારી સદ્દગતિ થઇ જશે. યાદની યાત્રાથી પાયો મજબૂત થઇ જશે. આ દેહી-અભિમાની બનવાની શિક્ષા એક જ વાર આપ બાળકોને મળે છે. કેટલું વન્ડરફુલ જ્ઞાન છે. બાબા વન્ડરફુલ છે તો બાબાનું જ્ઞાન પણ વન્ડરફુલ છે. ક્યારેય કોઈ બતાવી ન શકે. હમણાં પાછાં જવાનું છે એટલે બાપ કહે છે મીઠા બાળકો આ અભ્યાસ કરો. સ્વયંને આત્મા સમજી આત્માને જ્ઞાન આપો. ત્રીજા નેત્રથી ભાઈ-ભાઈને જોવાનાં છે. આ જ મોટી મહેનત છે.

આ છે આપ બ્રાહ્મણોનું સર્વોત્તમ ઊંચેથી ઊંચું કુળ. આ સમય તમારું જીવન અમૂલ્ય છે એટલે આ શરીરની પણ સંભાળ કરવાની છે. તમોપ્રધાન થવાનાં કારણે શરીરની આયુ પણ ઓછી થતી ગઈ છે. હવે તમે જેટલાં યોગમાં રહેશો, એટલી આયુ વધશે. તમારી આયુ વધતાં-વધતાં ૧૫૦ વર્ષ થઇ જશે સતયુગમાં, એટલે શરીરની પણ સંભાળ કરવાની છે. એવું નહીં આ તો માટીનું પૂતળું છે, ક્યાં આ ખલાસ થઈ જાય. ના. આને જીવતું રાખવાનું છે. આ અમુલ્ય જીવન છે ને! કોઈ બીમાર થાય છે તો તેમનાથી હેરાન ન થવું જોઈએ. તેમને પણ કહો શિવબાબાને યાદ કરો. જેટલું યાદ કરશે એટલાં તેમનાં પાપ કપાતાં જશે. તેમની સર્વિસ કરવી જોઈએ. જીવતાં રહે, શિવબાબાને યાદ કરતાં રહે. આ સમજણ તો રહે છે ને આપણે બાબાને યાદ કરીએ છીએં. આત્મા યાદ કરે છે, બાપથી વારસો પામવાનાં માટે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ નંબરવાર પુરુષાર્થ અનુસાર માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયંને જુઓ હું પુરુષાર્થ માં ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ઠ છું? હું ઊંચ પદ પામવાનાં લાયક છું? હું રુહાની સર્વિસ કરું છું?

2. ત્રીજા નેત્રથી આત્મા ભાઈને જુઓ, ભાઈ-ભાઈ સમજી બધાને જ્ઞાન આપો, આત્મિક સ્થિતિમાં રહેવાની આદત પાડો તો કર્મેન્દ્રિયો ચંચલ નહીં થશે.

વરદાન :-
પેપર માં ગભરાયા વગર ફુલસ્ટોપ ( પૂર્ણવિરામ ) આપીને ફુલ પાસ થવાવાળા સફળતા મૂર્ત ભવ

જ્યારે કોઈ પણ પ્રકારનું પેપર આવે છે તો ગભરાઓ નહીં, ક્વેશ્ચનમાર્ક (પ્રશ્નચિત) માં નહીં આવો, આ કેમ આવ્યું? આ વિચારવામાં સમય વેસ્ટ (ખોટી) નહીં કરો. ક્વેશ્ચનમાર્ક ખતમ અને ફુલસ્ટોપ, ત્યારે ક્લાસ (ધોરણ) ચેન્જ (બદલી) થશે અર્થાત્ પેપરમાં પાસ થશો. ફુલસ્ટોપ આપવાવાળા ફુલ પાસ થશે કારણકે ફુલસ્ટોપ છે બિંદુ ની સ્ટેજ. જોવાં છતાં તો નહિ જુઓ, સાંભળતાં પણ ન સાંભળો. બાપનું સંભળાવેલું સાંભળો,બાપ એ જે આપ્યું છે તે જુઓ તો ફુલ પાસ થઈ જશો અને પાસ થવાની નિશાની - સદા ચઢતી કળાનો અનુભવ કરતાં સફળતા નાં તારા બની જશો.

સ્લોગન :-
સ્વઉન્નતી કરવી છે તો ક્વેશ્ચન, કરેક્શન અને કોટેશન નો ત્યાગ કરી પોતાનું કનેક્શન ઠીક રાખો.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
કોઈ પણ પ્રકારનું વિઘ્ન બુદ્ધિને સતાવતું હોય તો યોગનાં પ્રયોગ દ્વારા પહેલાં તે વિઘ્નને સમાપ્ત કરો. મન-બુદ્ધિમાં જરા પણ ડિસ્ટર્બન્સ (ખલેલ) ન હોય. અવ્યક્ત સ્થિતિમાં સ્થિત હોવાનો એવો અભ્યાસ હોય જે રુહ, રુહ ની વાત ને કે કોઈનાં પણ મનનાં ભાવ ને સહજ જ જાણી જાય.