26-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
શ્રીમત મળી છે કે આત્મ - અભિમાની બની બાપ ને યાદ કરો , કોઈ પણ વાતમાં તમારે આરગ્યુ
( દલીલ ) નથી કરવાની ”
પ્રશ્ન :-
બુદ્ધિયોગ
સ્વચ્છ બની બાપ થી લાગી શકે, તેની યુક્તિ કઈ રચેલી છે?
ઉત્તર :-
૭ દિવસની ભઠ્ઠી. કોઈ પણ નવું આવે છે તો તેને ૭ દિવસનાં માટે ભઠ્ઠીમાં બેસાડો જેનાથી
બુદ્ધિનો કિચડો નીકળે અને ગુપ્ત બાપ, ગુપ્ત ભણતર અને ગુપ્ત વારસાને ઓળખી શકે. જો એમ
જ બેસી ગયા તો મુંઝાઈ જશે, સમજશે કાંઈ નહિ.
ગીત :-
જાગ સજનીયા જાગ …….
ઓમ શાંતિ!
બાળકોને જ્ઞાની
તું આત્મા બનવાનાં માટે આવાં-આવાં જે ગીત છે તે સંભળાવીને પછી તેનો અર્થ કરવો જોઈએ
તો વાણી ખુલશે. ખબર પડશે કે ક્યાં સુધી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન બુદ્ધિમાં
છે. આપ બાળકોની બુદ્ધિમાં તો ઉપરથી લઈને મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન નાં
આદિ-મધ્ય-અંતનું બધું રહસ્ય જેમકે ચમકે છે. બાપની પાસે પણ આ જ્ઞાન છે જે તમને
સંભળાવે છે. આ છે બિલકુલ નવું જ્ઞાન. ભલે શાસ્ત્ર વગેરે માં નામ છે પરંતુ તે નામ
લેવાથી અટકી પડશે, ડિબેટ (વાદ-વિવાદ) કરવા લાગી પડશે. અહીં તો બિલકુલ સરળ રીતે
સમજાવે છે-ભગવાનુવાચ, મને યાદ કરો, હું જ પતિત-પાવન છું. ક્યારેય પણ કૃષ્ણને કે
બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરેને પતિત-પાવન નહિ કહેશું. સૂક્ષ્મવતન વાસીઓને પણ તમે
પતિત-પાવન નથી કહેતા તો સ્થૂળવતન નાં મનુષ્ય પતિત-પાવન કેવી રીતે હોય શકે? આ જ્ઞાન
પણ તમારી બુદ્ધિમાં જ છે. શાસ્ત્રોનાં વિષયમાં વધારે ચર્ચા કરવી ઠીક નથી. બહુજ
વાદ-વિવાદ થઈ જાય છે. એક-બીજાને લાકડીઓ પણ મારવા લાગી જાય છે. તમને તો ખુબ સહજ
સમજાવાય છે. શાસ્ત્રોની વાતોમાં વધારે નથી જવાનું. મૂળ વાત છે જ આત્મા-અભિમાની
બનવાની. સ્વયંને આત્મા સમજવાનું છે અને બાપને યાદ કરવાનાં છે. આ શ્રીમત છે મુખ્ય.
બાકી છે વિસ્તાર. બીજ કેટલું નાનું છે, બાકી ઝાડનો વિસ્તાર છે. જેમ બીજમાં બધું
જ્ઞાન સમાયેલું છે તેમ આ આખું જ્ઞાન પણ બીજમાં સમાયેલું છે. તમારી બુદ્ધિમાં બીજ અને
ઝાડ આવી ગયું છે. જે પ્રકારે તમે જાણો છો બીજા કોઈ સમજી ન સકે. ઝાડની આયુ જ લાંબી
લખી દીધી છે. બાપ બેસી બીજ અને ઝાડ કે ડ્રામા ચક્રનું રહસ્ય સમજાવે છે. તમે છો
સ્વદર્શન ચક્રધારી. કોઈ નવું આવે, બાબા મહિમા કરે કે સ્વદર્શન ચક્રધારી બાળકો, તો
કોઈ સમજી ન શકે. તેઓ તો પોતાને બાળકો જ નથી સમજતાં. આ બાપ પણ ગુપ્ત છે, તો નોલેજ પણ
ગુપ્ત છે, વારસો પણ ગુપ્ત છે. નવાં કોઈ પણ સાંભળીને મુંઝાઈ જશે એટલે ૭ દિવસની
ભઠ્ઠીમાં બેસાડાય છે. આ જે સાત દિવસ ભાગવત કે રામાયણ વગેરે રાખે છે, હકીકતમાં આ સમયે
૭ દિવસ માટે ભઠ્ઠીમાં રાખવામાં આવે છે તો બુદ્ધિમાં જે પણ બધો કિચડો છે તે નીકાળે
અને બાપ થી બુદ્ધિયોગ લાગી જાય. અહીંયા બધા છે રોગી. સતયુગમાં આ રોગ હોતા નથી. આ
અડધોકલ્પ નો રોગ છે, ૫ વિકારોનો રોગ બહુજ ભારે છે. ત્યાં તો દેહી-અભિમાની રહે છે,
જાણો છો અમે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએં. પહેલાં થી સાક્ષાત્કાર થઈ જાય છે.
અકાળે મૃત્યુ ક્યારે થતું નથી. તમને કાળ પર જીત પહેરાવાય છે. કાળ-કાળ મહાકાલ કહે
છે. મહાકાલ નું પણ મંદિર હોય છે. સિક્ખ લોકોનું પછી અકાળતખ્ત છે. હકીકતમાં અકાળતખ્ત
આ ભ્રકુટી છે, જ્યાં આત્મા વિરાજમાન થાય છે. બધી આત્માઓ આ અકાળતખ્ત પર બેઠી છે. આ
બાપ બેસી સમજાવે છે. બાપને પોતાનું તખ્ત તો છે નહીં. એ આવીને આમનું આ તખ્ત લે છે. આ
તખ્ત પર બેસીને આપ બાળકોને તાઉસી તખ્તનશીન બનાવે છે. તમે જાણો છો તે તાઉસી તખ્ત કેવું
હશે જેનાં પર લક્ષ્મી-નારાયણ વિરાજમાન થતા હશે. તાઉસી તખ્ત તો ગવાયેલું છે ને.
વિચાર કરવાનો છે, એમને ભોળાનાથ ભગવાન કેમ કહેવાય છે? ભોળાનાથ ભગવાન કહેવાથી બુદ્ધિ
ઉપર ચાલી જાય છે. સાધુ-સંત વગેરે આંગળી થી ઈશારો પણ એવી રીતે આપે છે ને કે એમને યાદ
કરો. યથાર્થ રીતે તો કોઇ જાણી નથી શકતાં. હમણાં પતિત-પાવન બાપ સમ્મુખ માં આવીને કહે
છે મને યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થઈ જાય. ગેરંટી (ખાતરી) છે. ગીતામાં પણ લખેલું
છે પરંતુ તમે ગીતાનું એક ઉદાહરણ નીકાળશો તો તે ૧૦ નીકાળશે, એટલે દરકાર નથી. જે
શાસ્ત્ર વગેરે ભણેલાં છે તેઓ સમજશે અમે લડી શકશું. આપ બાળકો જે આ શાસ્ત્રો વગેરેને
જાણતાં જ નથી, તમારે તેનું ક્યારેય નામ પણ ન લેવું જોઈએ. ફક્ત બોલો ભગવાન કહે છે
મુજ બાપને યાદ કરો, એમને જ પતિત-પાવન કહેવાય છે. ગાએ પણ છે પતિત-પાવન સીતારામ…...
સન્યાસી લોકો પણ જ્યાં-ત્યાં ધૂન લગાવતા રહે છે. આવાં મત-મતાંતર તો ઘણાં છે ને. આ
ગીત કેટલું સુંદર છે, ડ્રામા પ્લાન અનુસાર કલ્પ-કલ્પ આવાં ગીત બને છે, જેમ કે આપ
બાળકોનાં માટે જ બનાવેલાં છે. એવાં-એવાં સારા-સારા ગીત છે. જેમ કે નયનહીન કો રાહ
દિખાઓ પ્રભુ. પ્રભુ કોઈ કૃષ્ણને થોડી કહે છે. પ્રભુ કે ઈશ્વર નિરાકાર ને જ કહેશે.
અહીં તમે કહો છો બાબા, પરમપિતા પરમાત્મા છે. છે તો એ પણ આત્માને. ભક્તિમાર્ગમાં ખુબ
જ વધારે ચાલ્યા ગયાં છે. અહીં તો બિલકુલ સરળ વાત છે. અલ્ફ અને બે. અલ્ફ અલ્લાહ, બે
બાદશાહી - આટલી તો સરળ વાત છે. બાપને યાદ કરો તો તમે સ્વર્ગનાં માલિક બનશો. બરાબર આ
લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક, સંપૂર્ણ નિર્વિકારી હતાં. તો બાપને યાદ કરવાથી જ
તમે એવાં સંપૂર્ણ બનશો. જેટલું જે યાદ કરે છે અને સર્વિસ (સેવા) કરે છે એટલું તે
ઊંચ પદ પામે છે. તે સમજ માં પણ આવે છે, સ્કૂલમાં વિદ્યાર્થી સમજતા નથી કે અમે ઓછું
ભણીએ છીએ! જે પૂરું અટેન્શન (ધ્યાન) નથી આપતાં તે પાછળમાં બેઠાં રહે છે, તો જરુર
નપાસ થઇ જશે.
સ્વયં સ્વયંને રિફ્રેશ કરવાનાં માટે જ્ઞાનનાં જે સારા-સારા ગીતો બનેલાં છે તેને
સાંભળવાં જોઈએ. એવાં-એવાં ગીત પોતાનાં ઘરમાં રાખવા જોઇએ. કોઈને તેનાં પર સમજાવી પણ
શકશો. કેવી રીતે માયાનો ફરીથી પડછાયો પડે છે. શાસ્ત્રોમાં તો આ વાતો છે નહીં કે
કલ્પની આયુ ૫ હજાર વર્ષ છે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત અડધું-અડધું છે. આ
ગીત પણ કોઈયે તો બનાવડાવ્યાં છે. બાપ બુદ્ધિવાનો ની બુદ્ધિ છે તો કોઈની બુદ્ધિમાં
આવ્યું છે જે બેસીને બનાવ્યાં છે. આ ગીતો વગેરે પર પણ તમારી પાસે કેટલા ધ્યાનમાં
જાય છે. એક દિવસ આવશે જે આ જ્ઞાનનાં ગીતો ગાવાવાળા પણ તમારી પાસે આવશે. બાપની
મહિમામાં એવાં ગીત ગાશે જે ઘાયલ કરી દેશે. એવાં-એવાં આવશે. સુર પર પણ આધાર રહે છે.
ગાયન વિદ્યાનું પણ બહુજ નામ છે. હમણાં તો એવું કોઈ છે નહીં. ફક્ત એક ગીત બનાવ્યું
હતું કિતના મીઠા કિતના પ્યારા…... બાપ ખુબજ મીઠા ખુબજ પ્યારા છે ત્યારે તો બધાં એમને
યાદ કરે છે. એવું નથી કે દેવતાઓ એમને યાદ કરે છે. ચિત્રોમાં રામની આગળ પણ શિવ દેખાડે
છે, રામ પૂજા કરી રહ્યાં છે. આ છે ખોટું. દેવતાઓ થોડી કોઈને યાદ કરે છે. યાદ મનુષ્ય
કરે છે. તમે પણ હમણાં મનુષ્ય છો પછી દેવતા બનશો. દેવતા અને મનુષ્ય માં રાત-દિવસનો
ફરક છે. તેજ દેવતાઓ પછી મનુષ્ય બને છે. કેવું ચક્ર ફરતું રહે છે, કોઈને પણ ખબર નથી.
તમને હમણાં ખબર પડી છે કે આપણે સાચાં-સાચાં દેવતા બનીએ છીએં. હમણાં આપણે બ્રાહ્મણ
છીએં, નવી દુનિયામાં દેવતા કહેવાઈશું. હમણાં તમે વન્ડર ખાઓ છો. આ બ્રહ્મા પોતેજ જે
આ જન્મમાં પહેલાં પુજારી હતાં, શ્રી નારાયણની મહિમા ગાતા હતાં, નારાયણ થી ખુબ પ્રેમ
હતો. હવે વન્ડર લાગે છે, હું તે બની રહ્યો છું. તો કેટલો ખુશીનો પારો ચઢવો જોઇએ. તમે
છો અનનોન વોરિયર્સ (ગુપ્ત યોદ્ધા), નોન વાયોલેન્સ (અહિંસક). સાચેજ તમે ડબલ અહિંસક
છો. ન કામ કટારી, ન તે લડાઈ. કામ અલગ છે, ક્રોધ અલગ ચીજ છે. તો તમે છો ડબલ અહિંસક.
અહિંસક સેના. સેના અક્ષર થી તેમણે પછી સેનાઓ ઊભી કરી દીધી છે. મહાભારત લડાઈ માં નરનાં
નામ દેખાડયા છે. નારી નથી. હકીકતમાં તમે છો શિવ શક્તિઓ. વધુ સંખ્યા તમારી હોવાનાં
કારણે શિવ શક્તિ સેના કહેવાય છે. આ વાતો બાપ જ બેસીને સમજાવે છે.
હમણાં આપ બાળકો નવયુગને યાદ કરો છો. દુનિયામાં કોઈને પણ નવયુગ ની ખબર નથી. તેઓ તો
સમજે છે નવયુગ ૪૦ હજાર વર્ષ પછી આવશે. સતયુગ નવયુગ છે, આ તો ખુબ ક્લિયર (સ્પષ્ટ)
છે. તો બાબા સલાહ આપે છે એવાં-એવાં સારા ગીત પણ સાંભળીને રિફ્રેશ થશો અને કોઈને
સમજાવશો પણ. આ બધી યુક્તિઓ છે. તેનો અર્થ પણ ફક્ત તમે જ સમજી શકો છો. ખુબ સારા-સારા
ગીતો છે પોતાને રિફ્રેશ કરવાનાં માટે. આ ગીત બહુજ મદદ કરે છે. અર્થ કરવો જોઇએ તો
મુખ પણ ખુલી જશે, ખુશી પણ થશે. બાકી જે વધારે ધારણા નથી કરી શકતાં તેમનાં માટે બાપ
કહે છે ઘરે બેઠાં બાપને યાદ કરતા રહો. ગૃહસ્થ પરિવારમાં રહેતાં ફક્ત આ મંત્ર યાદ
રાખો-બાપને યાદ કરો અને પવિત્ર બનો. પહેલાં પુરુષ લોકો પત્નીને કહેતા હતાં ભગવાનને
તો ઘરમાં પણ યાદ કરી શકાય છે પછી મંદિરો વગેરેમાં ભટકવાની શું જરુર છે? અમે તમને
ઘરમાં મૂર્તિ લાવી આપીએ, અહીં બેસીને યાદ કરો, ધક્કા ખાવા કેમ જાઓ છો? આવાં ઘણાં
પુરુષ લોકો સ્ત્રીઓને જવા નહોતા દેતાં. ચીજ તો એક જ છે, પૂજા કરવાની છે અને યાદ
કરવાનાં છે. જયારે એકવાર જોઈ લીધા પછી તો એમ પણ યાદ કરી શકો છો. કૃષ્ણનાં ચિત્ર તો
કોમન (સાધારણ) છે-મોરમુગટધારી. આપ બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે-કેવી રીતે ત્યાં
જન્મ થાય છે, તે પણ સાક્ષાત્કાર કર્યો છે, પરંતુ શું તમે તેનો ફોટો નીકાળી શકો છો?
એક્યુરેટ કોઈ નીકાળી ન શકે. દિવ્ય દૃષ્ટીથી ફક્ત જોઈ જ શકાય છે, બનાવી ન શકાય, હાં
જોઈને વર્ણન કરી શકો છો, બાકી તે ચિત્રણ વગેરે ન કરી શકાય. ભલે હોશિયાર ચિત્રકાર
હોય, સાક્ષાત્કાર પણ કરે તો પણ એક્યુરેટ ફીચર્સ નીકાળી ન શકે. તો બાબાએ સમજાવ્યું,
કોઈથી દલીલ વધારે નથી કરવાની. બોલો, તમારે પાવન બનવાથી કામ. અને શાંતિ માગો છો તો
બાપને યાદ કરો અને પવિત્ર બનો. પવિત્ર આત્મા અહીં રહી ન શકે. તે ચાલી જશે પાછી.
આત્માઓને પાવન બનાવવાની શક્તિ એક બાપ માં છે, બીજું કોઈ પાવન બનાવી નથી શકતું. આપ
બાળકો જાણો છો આ આખું સ્ટેજ છે, આનાં પર નાટક થાય છે. આ સમયે આખાં સ્ટેજ પર રાવણનું
રાજ્ય છે. આખાં સમુદ્ર પર સૃષ્ટિ ઉભી છે. આ બેહદનો ટાપુ છે. તે છે હદનાં. આ છે
બેહદની વાત. જેનાં પર અડધો કલ્પ દૈવી રાજ્ય, અડધો કલ્પ આસુરી રાજ્ય હોય છે. આમ ખંડ
તો અલગ-અલગ છે, પરંતુ આ છે બધી બેહદની વાત. તમે જાણો છો આપણે ગંગા જમના નદીનાં મીઠા
પાણીનાં કાંઠા પર હોઇશું. સમુદ્ર વગેરે પર જવાની દરકાર નથી રહેતી. આ જે દ્વારિકા કહે
છે, તે કોઈ સમુદ્રની નીચે હોતી નથી. દ્વારિકા કોઈ બીજી ચીજ નથી. આપ બાળકોએ બધાં
સાક્ષાત્કાર કર્યા છે. શરુમાં આ સંદેશી અને ગુલઝાર બહુજ સાક્ષાત્કાર કરતી હતી. આમણે
મોટા પાર્ટ ભજવ્યાં છે કારણકે ભઠ્ઠી માં બાળકોને બહેલાવવાના હતાં. તો સાક્ષાત્કાર
થી ઘણાં-ઘણાં બહેલાવ્યા છે. બાપ કહે છે પછી પાછળથી ઘણાં બહેલશે. તે પાર્ટ પછી બીજો
છે. ગીત પણ છે ને-અમે જે જોયું છે તે તમે નથી જોયું. તમે જલ્દી-જલ્દી સાક્ષાત્કાર
કરતા રહેશો. જેમ પરીક્ષાનાં દિવસ નજીક આવે છે તો ખબર પડી જાય છે કે અમે કેટલા
માર્ક્સે પાસ થઈશું. તમારું પણ આ ભણતર છે. હમણાં તમે જેમકે નોલેજફુલ થઈ બેઠાં છો.
બધાં ફુલ (ભરપુર) તો નથી હોતાં. સ્કૂલમાં હંમેશા નંબરવાર હોય છે. આ પણ નોલેજ છે-મૂળવતન,
સૂક્ષ્મવતન, ત્રણે લોકોનું તમને જ્ઞાન છે. આ સૃષ્ટિનાં ચક્રને તમે જાણો છો, આ ફરતું
રહે છે. બાપ કહે છે તમને જે નોલેજ આપ્યું છે, આ બીજા કોઈ સમજાવી ન શકે. તમારાં પર
છે બેહદની દશા. કોઈ પર બૃહસ્પતિની દશા, કોઈ પર રાહુની દશા હોય છે તો જઈને ચંડાલ
વગેરે બનશે. આ છે બેહદની દશા, તે હોય છે હદની દશા. બેહદનાં બાપ બેહદની વાતો સંભળાવે
છે, બેહદનો વારસો આપે છે. આપ બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. તમે અનેકવાર બાદશાહી
લીધી છે અને ગુમાવી છે, આ તો બિલકુલ પાક્કી વાત છે. નથિંગ ન્યુ, ત્યારે તમે સદેવ
હર્ષિત રહી શકશો. નહીં તો માયા ઘુટકા ખવડાવે છે.
તો તમે બધાં આશિક છો એક માશૂકનાં. બધાં આશિક એ એક માશૂકને યાદ કરે છે. એ આવીને બધાને
સુખ આપે છે. અડધો કલ્પ એમને યાદ કર્યા છે, હવે એ મળ્યાં છે તો કેટલી ખુશી હોવી જોઈએ.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદેવ
હર્ષિત રહેવાનાં માટે નથિંગ ન્યુ નો પાઠ પાક્કો કરવાનો છે. બેહદનાં બાપ આપણને બેહદની
બાદશાહી આપી રહ્યાં છે - આ ખુશીમાં રહેવાનું છે.
2. જ્ઞાનનાં સારા-સારા ગીત સાંભળીને સ્વયંને રિફ્રેશ કરવાનાં છે. તેનો અર્થ નીકાળીને
બીજાઓને સંભળાવવાનું છે.
વરદાન :-
અનેક પ્રકારની
પ્રવૃત્તિ થી નિવૃત્ત થવાવાળા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ ભવ
સ્વની પ્રવૃત્તિ, દૈવી
પરિવારની પ્રવૃત્તિ, સેવાની પ્રવૃત્તિ, હદની પ્રાપ્તિઓની પ્રવૃત્તિ આ બધાંથી
નષ્ટોમોહા અર્થાત્ ન્યારા બનવાનાં માટે બાપદાદાનાં સ્નેહ રુપને સામે રાખી સ્મૃતિ
સ્વરુપ બનો. સ્મૃતિ સ્વરુપ બનવાથી નષ્ટોમોહા સ્વતઃ બની જશો. પ્રવૃત્તિથી નિવૃત થવું
અર્થાત્ હું પણા ને સમાપ્ત કરી નષ્ટોમોહા બનવું. આવાં નષ્ટોમોહા બનવાવાળા બાળકો
લાંબાકાળ નાં પુરુષાર્થ થી લાંબાકાળ ની પ્રાલબ્ધની પ્રાપ્તિનાં અધિકારી બનશે.
સ્લોગન :-
કમળ ફૂલ સમાન
ન્યારા રહો તો પ્રભુ નો પ્રેમ મળતો રહેશે.