02-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો- હવે
પાછાં ઘરે જવાનું છે એટલે દેહસહિત દેહનાં સર્વ સંબંધોને ભૂલી એક બાપને યાદ કરો, આ જ
છે સાચ્ચી ગીતાનો સાર.”
પ્રશ્ન :-
આપ બાળકોનો
સહજ પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
બાપ કહે છે તમે બિલકુલ ચુપ રહો, ચુપ રહેવાથી જ બાપનો વારસો લઈ લેશો. બાપને યાદ
કરવાનાં છે, સુષ્ટિ ચક્રને ફરાવવાનું છે. બાપની યાદથી તમારાં વિકર્મ વિનાશ થશે, આયુ
મોટી થશે અને ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો-આજ છે સહજ પુરુષાર્થ.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ ફરી થી સમજાવી રહ્યાં છે. રોજ-રોજ સમજણ આપે છે. બાળકો
તો સમજે છે બરાબર આપણે ગીતાનું જ્ઞાન ભણી રહ્યાં છીએ - કલ્પ પહેલાં માફક. પરંતુ
કૃષ્ણ નથી ભણાવતાં, પરમપિતા પરમાત્મા આપણને ભણાવે છે. એજ આપણને ફરીથી રાજયોગ શીખવાડી
રહ્યાં છે. તમે હમણાં ડાયરેક્ટ ભગવાન થી સાંભળી રહ્યાં છો. ભારતવાસીઓનો બધો આધાર
ગીતા પર જ છે, તે ગીતામાં પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો. આ યજ્ઞ પણ છે તો
પાઠશાળા પણ છે. બાપ જ્યારે સાચી ગીતા આવીને સંભળાવે છે તો આપણે સદ્દગતિ ને પામીએ
છીએ. મનુષ્ય આ નથી સમજતાં. બાપ જે સર્વનાં સદ્દગતિ દાતા છે, એમને જ યાદ કરવાનાં છે.
ગીતા ભલે વાંચતા આવ્યાં છે પરંતુ રચયિતા અને રચનાને ન જાણવાનાં કારણે નેતી-નેતી કરતાં
આવ્યાં છે. સાચી ગીતા તો સાચાં બાપ જ આવીને સંભળાવે છે, આ છે વિચાર સાગર મંથન કરવાની
વાતો. જે સર્વિસ (સેવા) પર હશે તેમનું સારી રીતે ધ્યાન જશે. બાબાએ કહ્યું છે - દરેક
ચિત્રમાં જરુર લખેલું હોય જ્ઞાન સાગર પતિત-પાવન, ગીતા જ્ઞાન દાતા પરમપ્રિય પરમપિતા,
પરમશિક્ષક, પરમ સદ્દગુરુ શિવભગવાનુવાચ. આ અક્ષર તો જરુર લખો જે મનુષ્ય સમજી
જાય-ત્રિમૂર્તિ શિવ પરમાત્મા જ ગીતા નાં ભગવાન છે, નહિ કે શ્રીકૃષ્ણ. ઓપિનિયન (અભિપ્રાય)
પણ આનાં પર લખાવે છે. આપણી મુખ્ય છે ગીતા. બાપ દિવસ-પ્રતિદિવસ નવાં-નવાં પોઇન્ટસ (મુદ્દાઓ)
પણ આપતાં રહે છે. એવું ન આવવું જોઈએ કે પહેલાં કેમ નહી બાબાએ કહ્યું? ડ્રામામાં
નહોતું. બાબાની મુરલી થી નવાં-નવાં પોઇન્ટસ નીકાળવાં જોઈએ. લખે પણ છે રાઇઝ (ઉત્થાન)
અને ફોલ (પતન). હિન્દીમાં કહે છે ભારતનું ઉત્થાન અને પતન. રાઈઝ અર્થાત્ કન્સ્ટ્રકશન
(નિર્માણ) ઓફ ડીટી ડીનાયસ્ટી (દૈવી રાજ્ય), ૧૦૦ ટકા પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ),
પ્રોસપર્ટી (સમૃદ્ધિ) ની સ્થાપના થાય છે, ફરી અડધાકલ્પ બાદ ફોલ (પતન) થાય છે. ડેવિલ
ડીનાયસ્ટી નો ફોલ. રાઈઝ એન્ડ કન્સ્ટ્રક્શન ડીટી ડીનાયસ્ટી નું હોય છે. ફોલ ની સાથે
ડિસ્ટ્રકશન લખવાનું છે.
તમારો બધો આધાર ગીતા પર છે. બાપ જ આવીને સાચી ગીતા સંભળાવે છે. બાબા રોજ આનાં પર જ
સમજાવે છે. બાળકો તો આત્મા જ છે. બાપ કહે છે આ દેહનાં બધાં પસારા (વિસ્તાર) ને ભૂલી
સ્વયંને આત્મા સમજો. આત્મા શરીરથી અલગ થઈ જાય છે તો બધાં સંબંધ ભૂલી જાય છે. તો બાપ
પણ કહે છે દેહનાં બધાં સંબંધ છોડી સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. હવે ઘરે
જવું છે ને! અડધોકલ્પ પાછાં જવાં માટે જ આટલી ભક્તિ વગેરે કરી છે. સતયુગમાં તો કોઈ
પાછાં જવાનો પુરુષાર્થ નથી કરતાં. ત્યાં તો સુખ જ સુખ છે. ગવાય પણ છે દુઃખમાં સિમરણ
સહું કરે, સુખમાં કરે ન કોઈ. પરંતુ સુખ ક્યારે છે, દુઃખ ક્યારે છે - આ નથી સમજતાં.
આપણી બધી વાતો છે ગુપ્ત. આપણે પણ રુહાની મિલેટ્રી છીએ ને. શિવબાબા ની શક્તિ સેના
છે. આનો અર્થ પણ કોઈ સમજી ન શકે. દેવીઓ વગેરેની આટલી પૂજા થાય છે પરંતુ કોઈની પણ
બાયોગ્રાફી (જીવનકહાની) ને નથી જાણતાં. જેમની પૂજા કરે છે, તેમની બાયોગ્રાફી ને
જાણવું જોઈએ ને. ઉંચેથી ઊંચી શિવની પૂજા છે પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકરની પછી
લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણનાં મંદિર છે. બીજા તો કોઈ છે નહીં. એક જ શિવબાબા પર
કેટલાં ભિન્ન-ભિન્ન નામ રાખી મંદિર બનાવ્યાં છે. હવે તમારી બુદ્ધિ માં આખું ચક્ર
છે. ડ્રામામાં મુખ્ય એક્ટર્સ પણ હોય છે ને. તે છે હદનો ડ્રામા. આ છે બેહદનો ડ્રામા.
આમાં મુખ્ય કોણ-કોણ છે, આ તમે જાણો છો. મનુષ્ય તો કહી દે છે રામજી સંસાર બન્યો જ નથી.
આનાં પર પણ એક શાસ્ત્ર બનાવ્યું છે. અર્થ કાંઈ પણ નથી સમજતાં.
બાપે આપ બાળકોને ખૂબ સહજ પુરુષાર્થ શીખવાડ્યો છે. સૌથી સહજ પુરુષાર્થ છે - તમે
બિલકુલ ચુપ રહો. ચુપ રહેવાથી જ બાપનો વારસો લઈ લેશો. બાપને યાદ કરવાનાં છે. સૃષ્ટિ
ચક્રને યાદ કરવાનું છે. બાપની યાદથી તમારાં વિકર્મ વિનાશ થશે. તમે નિરોગી બનશો. આયુ
મોટી થશે. ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બનશો. હમણાં છો નર્કનાં માલિક પછી સ્વર્ગનાં
માલિક બનશો. સ્વર્ગનાં માલિક તો બધાં બને છે પછી તેમાં છે પદ. જેટલાં આપ સમાન બનાવશો
એટલું ઊંચું પદ મળશે. અવિનાશી જ્ઞાન રત્નોનું દાન જ નહીં કરશો તો રિટર્ન (વળતર) માં
શું મળશે. કોઈ સાહૂકાર બને છે તો કહેવાય છે આમણે પાછલાં જન્મમાં દાન-પુણ્ય સારું
કર્યું છે. હવે બાળકો જાણે છે રાવણ રાજ્યમાં તો બધાં પાપ જ કરે છે, સૌથી પુણ્ય આત્મા
છે શ્રી લક્ષ્મી-નારાયણ. હાં, બ્રાહ્મણોને પણ ઊંચા રાખશે જે બધાને ઊંચા બનાવે છે.
તે તો પ્રાલબ્ધ છે. આ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુલભૂષણ શ્રીમત પર આ શ્રેષ્ઠ
કર્તવ્ય કરે છે. બ્રહ્મા નું નામ છે મુખ્ય. ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે ને. હમણાં તો
તમારે દરેક વાતમાં ત્રિમૂર્તિ શિવ કહેવું પડે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા
વિનાશ - આ તો ગાયન છે ને. વિરાટ રુપ પણ બનાવે છે, પરંતુ તેમાં ન શિવને દેખાડે છે, ન
બ્રાહ્મણોને દેખાડે છે. આ પણ આપ બાળકોએ સમજાવવાનું છે. તમારામાં પણ યથાર્થ રીતે
મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે. અથાહ પોઇન્ટસ છે ને, જેને ટોપિક્સ (વિષય) પણ કહે
છે. કેટલાં ટોપિક્સ મળે છે. સાચી ગીતા ભગવાનનાં દ્વારા સાંભળવા થી મનુષ્યથી દેવતા,
વિશ્વનાં માલિક બની જાય છે. ટોપિક કેટલો સરસ છે. પરંતુ સમજાવવાની પણ અક્કલ જોઈએ ને.
આ વાત ક્લિયર (સ્પષ્ટ) લખવી જોઈએ જે મનુષ્ય સમજે અને પૂછે. કેટલું સહજ છે. એક-એક
જ્ઞાનનાં પોઇન્ટ લાખો-કરોડો રુપિયાનાં છે, જેનાથી તમે શું થી શું બનો છો! તમારા
કદમ-કદમ માં પદમ છે એટલે દેવતાઓને પણ પદમનાં ફૂલ દેખાડે છે. આપ બ્રહ્મા મુખ વંશાવલી
બ્રાહ્મણો નું નામ જ ગુમ કરી દીધું છે. તે બ્રાહ્મણ લોકો કચ્છમાં કુરમ, ગીતા લે છે.
હમણાં તમે છો સાચાં બ્રાહ્મણ, તમારાં કચ્છ (બુદ્ધિ) માં છે સત્યમ્. તેમનાં કચ્છમાં
છે કુરમ. તો તમને નશો ચઢવો જોઇએ-અમે તો શ્રીમત પર સ્વર્ગ બનાવી રહ્યાં છીએં, બાપ
રાજયોગ શીખવાડી રહ્યાં છે. તમારી પાસે કોઈ પુસ્તક નથી. પરંતુ આ સાધારણ બેજ જ તમારી
સાચી ગીતા છે, એમાં ત્રિમૂર્તિનું પણ ચિત્ર છે. તો આખી ગીતા આમાં આવી જાય છે.
સેકન્ડમાં આખી ગીતા સમજાવાય છે. આ બેજ દ્વારા તમે સેકન્ડમાં કોઈને પણ સમજાવી શકો
છો. આ તમારાં બાપ છે, એમને યાદ કરવાથી તમારાં પાપ વિનાશ થશે. ટ્રેનમાં જતાં,
હરતાં-ફરતાં કોઈ પણ મળે, તમે તેમને સારી રીતે સમજાવો. કૃષ્ણપુરીમાં તો બધાં જવાં
ઈચ્છે છે ને. આ ભણતર થી આ બની શકાય છે. ભણતર થી રાજાઈ સ્થાપન થાય છે. બીજા ધર્મ
સ્થાપક કોઇ રાજાઈ નથી સ્થાપન કરતાં. તમે જાણો છો-આપણે રાજ્યોગ શીખીએ છીએ ભવિષ્ય ૨૧
જન્મોનાં માટે. કેટલું સરસ ભણતર છે. ફક્ત રોજ એક કલાક ભણો. બસ. તે ભણતર તો ૪-૫ કલાક
માટે હોય છે. આ એક કલાક પણ બસ છે. તે પણ સવાર નો સમય એવો છે જે બધાને ફ્રી છે. બાકી
કોઈ બાંધેલાં (બંધનમાં) વગેરે છે, સવારે નથી આવી શકતા તો બીજો સમય રાખેલ છે. બેજ
લગાવેલો હોય, ક્યાંય પણ જાઓ, આ સંદેશ દેતાં જાઓ. સમાચાર પત્રમાં તો બેજ નાખી નથી
શકતાં, એક તરફ નો નાખી શકશું. મનુષ્ય એવી રીતે તો સમજી પણ નહીં શકે, સિવાય સમજાવવાનાં.
છે બહુજ સહજ. આ ધંધો તો કોઈ પણ કરી શકે છે. અચ્છા, સ્વયં ભલે યાદ ન પણ કરે, બીજાને
યાદ અપાવે. તે પણ સારું છે. બીજાઓને કહેશે દેહી-અભિમાની બનો અને પોતે દેહ-અભિમાની
હશે તો કાંઈને કાંઈ વિકર્મ થતાં રહેશે. પહેલાં-પહેલાં તોફાન આવે છે મન્સામાં, પછી
કર્મણામાં આવે છે. મન્સામાં બહુજ આવશે, તેનાં પર પછી બુદ્ધિથી કામ લેવાનું છે, ખોટું
કામ ક્યારેય કરવાનું નથી. સારા કર્મ કરવાના છે. સંકલ્પ સારા પણ હોય છે, ખોટા પણ આવે
છે. ખોટા ને રોકવાં જોઇએ. આ બુદ્ધિ બાપે આપી છે. બીજા કોઈ સમજી ન શકે. તેઓ તો ખોટા
કામ જ કરતાં રહે છે. તમારે હવે રાઈટ (સાચું) કામ જ કરવાનું છે. સારા પુરુષાર્થ થી
રાઈટ કામ થાય છે. બાપ તો દરેક વાત ખૂબ સારી રીતે સમજાવતાં રહે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ એક-એક
અવિનાશી જ્ઞાન રત્ન લાખો-કરોડો રુપિયાનાં છે, આને દાન કરી કદમ-કદમ પર પદ્મોની કમાઈ
જમા કરવાની છે. આપ સમાન બનાવીને ઊંચ પદ પામવાનું છે.
2. વિકર્મોથી બચવાં માટે દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. મન્સામાં
ક્યારેય ખરાબ સંકલ્પ આવે તો તેને રોકવાનાં છે. સારા સંકલ્પ ચલાવવાનાં છે.
કર્મેન્દ્રિયો થી ક્યારેય કોઈ ઉલટું કર્મ નથી કરવાનું.
વરદાન :-
સેવા દ્વારા
યોગ્ય યુક્તસ્થિતિનો અનુભવ કરવા વાળા રુહાની સેવા ધારી ભવ
બ્રાહ્મણ જીવન સેવાનું
જીવન છે. માયાથી જીવતા રાખવાનું શ્રેષ્ઠ સાધન સેવા છે. સેવા યોગયુક્ત બનાવે છે પરંતુ
ફક્ત મુખની સેવા નહીં, સાંભળેલા મધુર શબ્દોનું સ્વરુપ બની સેવા કરવી, નિ:સ્વાર્થ
સેવા કરવી, ત્યાગ, તપસ્યા સ્વરુપ થી સેવા કરવી, હદની કામનાઓથી પરે નિષ્કામ સેવા
કરવી-આને કહેવાય છે ઈશ્વરીય કે રુહાની સેવા. મુખની સાથે મન દ્વારા સેવા કરવી અર્થાત્
મનમનાભવ સ્થિતિમાં સ્થિત થવું.
સ્લોગન :-
આકૃતિને ન
જોઈને નિરાકાર બાપને જોશો તો આકર્ષણ મૂર્ત બની જશો.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય
“ કર્મ - બંધન
તોડવાનો પુરુષાર્થ ”
ઘણાં મનુષ્ય પ્રશ્ન પૂછે છે અમારે શું કરવાનું છે, કેવી રીતે સ્વયંનાં કર્મ-બંધન
તોડીએ? હવે દરેક ની જન્મપત્રી ને તો બાપ જાણે છે. બાળકનું કામ છે એકવાર પોતાનાં
દિલથી બાપને સમર્પિત થઈ જાય, પોતાની જવાબદારી એમનાં હાથમાં આપી દે. પછી એ દરેક ને
જોઈ સલાહ આપશે કે તમારે શું કરવાનું છે, સહારો પણ પ્રેકટિકલમાં (વ્યવહાર) લેવાનો
છે, બાકી એવું નહીં ફક્ત સાંભળતા રહો અને પોતાની મત પર ચાલતાં રહો. બાપ સાકાર છે તો
બાળકોએ પણ સ્થૂળમાં પિતા, ગુરુ, શિક્ષક નો સહારો લેવાનો છે. એવું પણ નહીં આજ્ઞા મળે
અને પાલન ન કરી શકે તો વધારે જ અકલ્યાણ થઈ જાય. તો ફરમાન પાલન કરવાની પણ હિંમત જોઈએ,
ચલાવવા વાળો તો રમજબાજ છે, એ જાણે છે આનું કલ્યાણ શેમાં છે, તો તે એવું ડાયરેક્શન (માર્ગદર્શન)
આપશે કે કેવી રીતે કર્મ બંધન તોડો. કોઈને પછી એ ખ્યાલમાં ન આવવું જોઈએ કે પછી બાળકો
વગેરેની શું હાલત થશે? આમાં કોઈ ઘરબાર છોડવાની વાત નથી, આ તો થોડાં બાળકોનો આ
ડ્રામામાં પાર્ટ હતો તોડવાનો, જો આ પાર્ટ ન હોત તો તમારી જે હમણાં સેવા થઈ રહી છે
પછી કોણ કરત? હવે તો છોડવાની વાત જ નથી, પરંતુ પરમાત્માનું થઈ જવાનું છે, ડરો નહીં,
હિંમત રાખો. બાકી જે ડરે છે તે ન પોતે ખુશીમાં રહે છે, ન પછી બાપનાં મદદગાર બને છે.
અહીંયા તો એમની સાથે પુરા મદદગાર બનવાનું છે, જ્યારે જીવતે જીવ મરશે ત્યારે જ
મદદગાર બની શકે છે. ક્યાંય પણ અટકી પડશે તો પછી એ મદદ આપીને પાર કરશે. તો બાબાની
સાથે મન્સા-વાચા-કર્મણા મદદગાર થવાનું છે, આમાં જરા પણ મોહની રગ હશે તો તે નીચે પાડી
દેશે. તો હિંમત રાખો આગળ વધો. ક્યાંય હિંમતમાં કમજોર પડે છે તો મુંઝાઈ પડે છે એટલે
પોતાની બુદ્ધિને બિલકુલ પવિત્ર બનાવવાની છે. વિકારનો જરા પણ અંશ ન હોય, મંઝિલ કાંઈ
દૂર છે કે! પરંતુ ચઢાણ થોડું વાંકું-ચૂકું છે, પરંતુ સમર્થ નો સહારો લેશો તો ન ડર
છે, ન થકાવટ છે. અચ્છા. ઓમ શાંતિ.