14-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આપ
આત્માઓનો સ્વધર્મ શાંતિ છે , તમારો દેશ શાંતિધામ છે , આપ આત્મા શાંત સ્વરુપ છો એટલે
તમે શાંતિ માંગી ન શકો .”
પ્રશ્ન :-
તમારું યોગબળ
કઈ કમાલ કરે છે?
ઉત્તર :-
યોગબળથી તમે આખી દુનિયાને પવિત્ર બનાવો છો, તમે કેટલાં થોડા બાળકો યોગબળથી આ આખો
પહાડ ઉઠાવીને સોનાનો પહાડ સ્થાપન કરો છો. ૫ તત્વ સતોપ્રધાન થઈ જાય છે, સારું ફળ આપે
છે. સતોપ્રધાન તત્વોથી શરીર પણ સતોપ્રધાન થાય છે. ત્યાંના ફળ પણ બહુજ મોટા-મોટા
સ્વાદિષ્ટ હોય છે.
ઓમ શાંતિ!
જયારે ઓમ્
શાંતિ કહેવાય છે તો ખુબ ખુશી થવી જોઈએ કારણકે હકીકતમાં આત્મા છે જ શાંત સ્વરુપ, એનો
સ્વધર્મ જ શાંત છે. આનાં પર સન્યાસી પણ કહે છે, શાંતિનો તો તમારાં ગળામાં હાર પડ્યો
છે. શાંતિને બહાર ક્યાં શોધો છો. આત્મા સ્વતઃ શાંત સ્વરુપ છે. આ શરીરમાં પાર્ટ ભજવવા
આવવું પડે છે. આત્મા સદા શાંત રહે તો કર્મ કેવી રીતે કરશે? કર્મ તો કરવાનું જ છે.
હાં, શાંતિધામમાં આત્માઓ શાંત રહે છે. ત્યાં શરીર છે નહિં, આ કોઈ પણ સન્યાસી વગેરે
નથી સમજતાં કે આપણે આત્મા છીએં, શાંતિધામમાં રહેવા વાળા છીએં. બાળકોને સમજાવ્યું
છે-શાંતિધામ આપણો દેશ છે, પછી આપણે સુખધામમાં આવીને પાર્ટ ભજવીએ છીએં પછી રાવણ
રાજ્ય હોય છે દુઃખધામમાં. આ ૮૪ જન્મોની વાર્તા છે. ભગવાનુવાચ છે ને અર્જુન પ્રતિ કે
તું સ્વયંનાં જન્મને નથી જાણતો. એક ને કેમ કહે છે? કારણ કે એક ની ગેરંટી (ખાતરી)
છે. આ રાધા-કૃષ્ણની તો ગેરંટી છે ને તો તેમને જ કહે છે. આ બાપ પણ જાણે છે, બાળકો પણ
જાણે છે કે આ જે બધાં બાળકો છે બધાં તો ૮૪ જન્મ લેવાંવાળા નથી. કોઈ વચમાં આવશે, કોઈ
અંતમાં આવશે. આમનું તો સર્ટેન (નિશ્ચિત) છે. આમને કહે છે-હેં બાળકો. તો આ અર્જુન થયાં
ને. રથ પર બેઠાં છે ને. બાળકો સ્વયં પણ સમજી શકે છે-અમે જન્મ કેવી રીતે લઈશું?
સર્વિસ જ નથી કરતાં તો સતયુગ નવી દુનિયામાં પહેલાં કેવી રીતે આવશે? તેમની તકદીર ક્યાં
છે. પાછળ જે જન્મ લેશે તેમનાં માટે તો જૂનું ઘર થતું જશે ને. હું આમનાં માટે કહું
છું, જેમનાં માટે તમને પણ સર્ટેન છે. તમે પણ સમજી શકો છો - મમ્મા-બાબા ૮૪ જન્મ લે
છે. કુમારકા છે, જનક છે, આવાં-આવાં મહારથી જે છે તે ૮૪ જન્મ લે છે. જે સર્વિસ નથી
કરતાં તો જરુર થોડા જન્મ પછી આવશે. સમજે છે અમે તો નાપાસ થઈ જઈશું, અંતમાં આવી જશે.
સ્કૂલમાં દોડીને નિશાના સુધી આવીને ફરી પાછા જતાં રહે છે ને. બધાં એકરસ થઈ ન શકે.
રેસમાં જરા પા ઇંચનો પણ ફરક પડે છે તો ફાયદામાં આવી જાય છે, આ પણ અશ્વ રેસ છે. અશ્વ
ઘોડાને કહેવાય છે. રથને પણ ઘોડો કહેવાય છે. બાકી આ જે દેખાડે છે દક્ષ પ્રજાપિતા એ
યજ્ઞ રચ્યો, એમાં ઘોડાનું હવન કર્યું, આ બધી વાતો છે નહિં. ન દક્ષ પ્રજાપિતા છે, ન
કોઈ યજ્ઞ રચ્યો છે. પુસ્તકોમાં ભક્તિમાર્ગની કેટલી દંતકથાઓ છે. તેનું નામ જ કથા છે.
ખુબ કથાઓ સાંભળે છે. તમે તો આ ભણો છો. ભણતરને કથા થોડી કહેશું. સ્કુલમાં ભણાય છે,
લક્ષ-હેતુ હોય છે. અમને આ ભણતરથી આ નોકરી મળશે. કાંઈ ને કાંઈ મળે છે. હવે આપ બાળકોએ
દેહી-અભિમાની બહુજ બનવાનું છે. આ જ મહેનત છે. બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે.
ખાસ યાદ કરવાનું હોય છે, એવું નહીં કે હું તો શિવબાબાનો બાળક છું ને પછી યાદ શું
કરવાનું. નહિં, યાદ કરવાનું છે પોતાને વિદ્યાર્થી સમજીને. આપણને આત્માઓને શિવબાબા
ભણાવી રહ્યાં છે, આ પણ ભૂલી જાય છે. શિવબાબા એક જ શિક્ષક છે જે સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંતનું રહસ્ય સંભળાવે છે, આ પણ યાદ નથી રહેતું. દરેક બાળકે પોતાનાં દિલથી
પૂછવાનું છે કે કેટલો સમય બાપની યાદ રહે છે? વધારે સમય તો બાહ્ય્મુખતામાં જ જાય છે.
આ યાદ જ મુખ્ય છે. આ ભારતનાં યોગની જ ખુબ મહિમા છે. પરંતુ યોગ કોણ શીખવાડે છે-આ
કોઈને ખબર નથી. ગીતામાં કૃષ્ણનું નામ નાખી દીધું છે. હવે કૃષ્ણને યાદ કરવાથી તો એક
પણ પાપ નહિ કપાશે કારણ કે તે તો શરીરધારી છે. ૫ તત્વોનાં બનેલ છે. તેમને યાદ કર્યા
તો માટીને યાદ કર્યા, ૫ તત્વોને યાદ કર્યા. શિવબાબા તો અશરીરી છે એટલે કહે છે અશરીરી
બનો, મુજ બાપને યાદ કરો.
કહો પણ છો-હેં પતિત-પાવન, એ તો એક થયા ને. યુક્તિથી પૂછવું જોઈએ-ગીતાનાં ભગવાન કોણ?
ભગવાન રચયિતા તો એક જ હોય છે. જો મનુષ્ય પોતાને ભગવાન કહેવડાવે પણ છે તો એવું
ક્યારેય નહીં કહેશે કે તમે બધાં મારાં બાળકો છો. અથવા તો કહેશે તતત્વમ્ અથવા તો
કહેશે ઈશ્વર સર્વવ્યાપી છે. અમે પણ ભગવાન, તમે પણ ભગવાન, જ્યાં જોઉં છું તું જ તું
છે. પથ્થરમાં પણ તું, એવું કહી દે છે. તમે મારાં બાળકો છો, આ કહી ન શકો. આ તો બાપ જ
કહે છે-હેં મારાં લાડલા રુહાની બાળકો. આવું બીજા કોઇ કહી ન શકે. મુસલમાન ને જો કોઈ
કહે મારાં લાડલા બાળકો, તો થપ્પડ મારી દે. આ એક જ પારલૌકિક બાપ કહી શકે છે. બીજું
કોઈ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું જ્ઞાન આપી ન શકે. ૮૪ ની સીડીનું રહસ્ય કોઈ સમજાવી ન
શકે સિવાય નિરાકાર બાપનાં. એમનું અસલી નામ જ છે શિવ. આ તો મનુષ્યો એ અથાહ નામ રાખી
દીધાં છે. અનેક ભાષાઓ છે. તો પોત-પોતાની ભાષામાં નામ રાખી દે છે. જેમ બોમ્બેમાં
બાબુલનાથ કહે છે, પરંતુ તે અર્થ થોડી સમજે છે. તમે સમજો છો કાંટાને ફૂલ બનાવવા વાળા
છે. ભારતમાં શિવબાબા નાં હજારો નામ હશે, અર્થ કાંઈ નથી જાણતાં. બાપ બાળકોને જ સમજાવે
છે. એમાં પણ માતાઓને બાબા વધારે આગળ કરે છે. આજકાલ સ્ત્રીઓનું માન પણ છે કારણ કે
બાપ આવ્યાં છે ને. બાપ માતાઓની મહિમા ઊંચી કરે છે. તમે શિવ શક્તિ સેના છો, તમે જ
શિવબાબા ને જાણો છો. સત્ય તો એક જ છે. ગવાય પણ છે સતની બેડલી હલે ડોલે, ડૂબે નહીં.
તો તમે સાચાં છો, નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છો. બાકી જુઠ્ઠી બેડીઓ બધી ખત્મ
થઇ જશે. તમે પણ કાંઈ અહીં રાજ્ય કરવા વાળા નથી. તમે પછી બીજા જન્મમાં આવીને રાજ્ય
કરશો. આ ખુબ ગુપ્ત વાતો છે જે તમે જ જાણો છો. આ બાબા ન મળ્યા હોત તો કાંઈ પણ જાણતાં
નહોતા. હવે જવાનું છે.
આ છે યુધિષ્ઠિર, યુદ્ધનાં મેદાનમાં બાળકોને ઉભા કરવા વાળા. આ છે નોન-વાયોલેન્સ,
અહિંસક. મનુષ્ય હિંસા સમજી લે છે મારામારીને. બાપ કહે છે પહેલી મુખ્ય હિંસા તો કામ
કટારીની છે એટલે કામ મહાશત્રુ કહયું છે, આનાં પર જ વિજય પામવાની છે. મૂળ વાત છે જ
કામ વિકારની, પતિત એટલે વિકારી. વિકારી કહેવાય છે જ પતિત બનવા વાળાને, જે વિકારમાં
જાય છે. ક્રોધ કરવા વાળા ને એવું નહીં કહેશું કે આ વિકારી છે. ક્રોધી ને ક્રોધી,
લોભી ને લોભી કહેશે. દેવતાઓને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓ નિર્લોભી, નિર્મોહી,
નિર્વિકારી છે. તેઓ ક્યારેય વિકારમાં નથી જતાં. તમને કહે છે વિકાર વગર બાળકો કેવી
રીતે થશે? તેમને તો નિર્વિકારી માનો છો ને. તે છે જ વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા.
દ્રાપર કળયુગ છે વિશશ (વિકારી) દુનિયા. પોતાને વિકારી, દેવતાઓને નિર્વિકારી કહે તો
છે ને. તમે જાણો છો આપણે પણ વિકારી હતાં. હવે આમનાં જેવા નિર્વિકારી બની રહ્યા છીએ.
લક્ષ્મી-નારાયણએ પણ યાદનાં બળથી આ પદ પામ્યું છે ફરી પામી રહ્યાં છે. આપણે જ
દેવી-દેવતા હતાં, આપણે કલ્પ પહેલાં આવું રાજ્ય પામ્યું હતું,, જે ગુમાવ્યું, ફરી
આપણે પામી રહ્યાં છીએં. આ જ ચિંતન બુદ્ધિમાં રહે તો પણ ખુશી રહેશે. પરંતુ માયા આ
સ્મૃતિ ભુલાવી દે છે. બાબા જાણે છે તમે સ્થાઈ યાદમાં રહી નહિં શકશો. આપ બાળકો અડોલ
બની યાદ કરતા રહો તો જલ્દી કર્માતીત અવસ્થા થઈ જાય અને આત્મા પાછી ચાલી જાય. પરંતુ
નહીં. પહેલા નંબરમાં તો આ જવાવાળા છે. પછી છે શિવબાબાની જાન. લગ્નમાં માતાઓ માટીનાં
મટકામાં દીવો પ્રગટાવીને લઈ જાય છે ને, આ નિશાની છે. શિવબાબા સાજન તો સદા જાગતી
જ્યોત છે. બાકી આપણી જ્યોત જગાડી છે. અહિયાં ની વાત પછી ભક્તિમાર્ગમાં લઈ ગયાં છે.
તમે યોગબળથી પોતાની જ્યોત જગાડો છો. યોગથી તમે પવિત્ર બનો છો. જ્ઞાનથી ધન મળે છે.
ભણતર ને સોર્સ ઓફ ઇનકમ (આવકનું સાધન) કહેવાય છે ને. યોગબળથી તમે ખાસ ભારત અને આમ આખાં
વિશ્વને પવિત્ર બનાવો છો. આમાં કન્યાઓ ખુબ સારી મદદગાર બની શકે છે. સર્વિસ કરી ઊંચુ
પદ પામવાનું છે. જીવન હીરા જેવું બનાવવાનું છે, ઓછું નહીં. ગવાય છે ફોલો ફાધર-મધર (માત-પિતાનું
અનુકરણ કરો). જુઓ મધર ફાધર અને અનન્ય બ્રધર્સ (ભાઈઓ), સિસ્ટર્સ (બહેનો).
આપ બાળકો પ્રદર્શનીમાં પણ સમજાવી શકો છો કે તમને બે ફાધર છે-લૌકિક અને પારલૌકિક. આમાં
મોટું કોણ? મોટા તો જરુર બેહદનાં બાપ થયાં ને. વારસો એમનાથી મળવો જોઈએ. હમણાં વારસો
આપી રહ્યાં છે, વિશ્વનાં માલિક બનાવી રહ્યાં છે. ભગવાનુવાચ-તમને રાજયોગ શીખવાડું
છું પછી તમે બીજા જન્મમાં વિશ્વનાં માલિક બનશો. બાપ કલ્પ-કલ્પ ભારતમાં આવીને ભારતને
બહુજ સાહૂકાર બનાવે છે. તમે વિશ્વનાં માલિક બનો છો આ ભણતર થી. તે ભણતરથી શું મળશે?
અહીંયા તો તમે હીરા જેવા બનો છો ૨૧ જન્મ માટે. તે ભણતર માં રાત-દિવસનો ફરક છે. આ તો
બાપ, શિક્ષક, ગુરુ એક જ છે. તો બાપનો વારસો, શિક્ષકનો વારસો અને ગુરુનો વારસો બધુંજ
આપે છે. હવે બાપ કહે છે દેહ સહિત બધાને ભુલવાનું છે. આપ મુયે મર ગઈ દુનિયા. બાપનાં
એડોપ્તેડ (દત્તક) બાળકો બન્યાં, બાકી કોને યાદ કરશો. બીજાને જોતાં પણ જેમ કે જોતાં
નથી. પાર્ટમાં પણ આવો છે પરંતુ બુદ્ધિમાં છે-હવે અમારે ઘરે જવાનું છે પછી અહીં આવીને
પાર્ટ ભજવવાનો છે. આ બુદ્ધિમાં રહે તો પણ બહુજ ખુશી રહેશે. બાળકોએ દેહભાન છોડી દેવું
જોઈએ. આ જૂની ચીજ અહિયાં જ છોડવાની છે, હવે પાછાં જવાનું છે. નાટક પૂરું થાય છે.
જૂની સૃષ્ટિને આગ લાગી રહી છે. આંધળાની ઓલાદ આંધળા અજ્ઞાન નિંદ્રામાં સૂતેલાં પડ્યા
છે. મનુષ્ય તો સમજશે આ સુતેલો મનુષ્ય દેખાડયો છે. પરંતુ આ અજ્ઞાન નિંદ્રાની વાત છે,
જેનાથી તમે જગાડો છો. જ્ઞાન અર્થાત્ દિવસ છે સતયુગ, અજ્ઞાન અર્થાત્ રાત છે કળયુગ. આ
બહુજ સમજવાની વાતો છે. કન્યા લગ્ન કરે છે તો માતા-પિતા, સાસુ-સસરા વગેરે પણ યાદ આવશે.
તેમને ભૂલવાં પડે. એવાં પણ યુગલ છે, જે સંન્યાસીઓને દેખાડે છે-અમે યુગલ બનીને
ક્યારેય વિકારમાં નથી જતાં. જ્ઞાન તલવાર વચમાં છે. બાપનું ફરમાન છે-પવિત્ર રહેવાનું
છે. જુઓ રમેશ-ઉષા છે, ક્યારેય પણ પતિત નથી બન્યાં, આ ડર છે જો અમે પતિત બન્યાં તો
૨૧ જન્મોની રાજાઈ ખતમ થઇ જશે. દેવાળું મારી દઈશું. આમાં કોઈ-કોઈ નપાસ થઈ જાય છે.
ગંધર્વ વિવાહનું નામ તો છે ને. તમે જાણો છો પવિત્ર રહેવાથી પદ બહુજ ઉંચુ મળશે. એક
જન્મનાં માટે પવિત્ર બનવાનું છે. યોગબળ થી કર્મેન્દ્રિયો પર પણ કંટ્રોલ (નિયંત્રણ)
આવી જાય છે. યોગબળ થી તમે આખી દુનિયાને પવિત્ર બનાવો છો. તમે કેટલાં થોડા બાળકો
યોગબળ થી આ આખો પહાડ ઉડાવી સોનાનો પહાડ સ્થાપન કરો છો. મનુષ્ય થોડી સમજે છે, તેઓ તો
ગોવર્ધન પર્વત પાછળ પરિક્રમા કરતાં રહે છે. આ તો બાપ જ આવીને આખી દુનિયાને ગોલ્ડન
એજડ (સતયુગ) બનાવે છે. એવું નથી કે હિમાલય કાંઈ સોનાનો થઇ જશે. ત્યાં તો સોનાની ખાણો
ભરતું થઇ જશે. ૫ તત્વ સતોપ્રધાન છે, ફળ પણ સારા આપે છે. સતોપ્રધાન તત્વોથી આ શરીર
પણ સતોપ્રધાન હોય છે. ત્યાંના ફળ પણ બહુજ મોટા-મોટા સ્વાદિષ્ટ હોય છે. નામ જ છે
સ્વર્ગ. તો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાથી જ વિકાર છૂટશે. દેહ-અભિમાન આવવાથી
વિકારની ચેષ્ટા થાય છે. યોગી ક્યારેય વિકારમાં નહિં જાય. જ્ઞાન બળ તો છે, પરંતુ યોગી
નહીં હોય તો પડી જશે. જેમ પૂછાય છે-પુરુષાર્થ મોટો કે પ્રાલબ્ધ? તો કહે છે
પુરુષાર્થ મોટો. એમ આમાં કહેશે યોગ મોટો. યોગથી જ પતિત થી પાવન બને છે. હવે આપ બાળકો
તો કહેશો અમે બેહદનાં બાપથી ભણશું. મનુષ્યથી ભણવાથી શું મળશે? મહિનામાં શું કમાણી
થશે? આ તમે એક-એક રત્ન ધારણ કરો છો. આ છે લાખો રુપિયાનાં. ત્યાં પૈસાની ગણતરી નથી
કરાતી. અગણિત ધન હોય છે. સૌને પોત-પોતાની ખેતી વગેરે હોય છે. હવે બાપ કહે છે હું
તમને રાજ્યોગ શીખવાડું છું. આ છે લક્ષ-હેતુ. પુરુષાર્થ કરીને ઊંચા બનવાનું છે.
રાજધાની સ્થાપન થઈ રહી છે. આ લક્ષ્મી-નારાયણે કેવી રીતે પ્રાલબ્ધ પામી, આમની
પ્રાલબ્ધને જાણી ગયા તો બાકી શું જોઈએ. હવે તમે જાણો છો કલ્પ ૫ હજાર વર્ષ પછી બાપ
આવે છે, આવીને ભારતને સ્વર્ગ બનાવે છે. તો બાળકોને સર્વિસ (સેવા) કરવાનો ઉમંગ હોવો
જોઈએ. જ્યાં સુધી કોઈને રસ્તો નથી બતાવ્યો, ખાવાનું નહિં ખાઈશું-એટલો ઉલ્લાસ-ઉમંગ
હોય ત્યારે ઊંચું પદ પામી શકો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઈશ્વરીય
સર્વિસ કરી પોતાનું જીવન ૨૧ જન્મોનાં માટે હીરા જેવું બનાવવાનું છે. માત-પિતા અને
અનન્ય ભાઈ-બહેનોને જ ફોલો (અનુકરણ) કરવાનું છે.
2. કર્માતીત અવસ્થા બનાવવાનાં માટે દેહ સહિત બધાને ભુલવાનું છે. પોતાની યાદ અડોલ અને
સ્થાઈ બનાવવાની છે. દેવતાઓ જેવા નિર્લોભી, નિર્મોહી, નિર્વિકારી બનવાનું છે.
વરદાન :-
સર્વગુણ
સંપન્ન બનવાનાં સાથે - સાથે કોઈ એક વિશેષતામાં વિશેષ પ્રભાવશાળી ભવ
જેમ ડોક્ટર જનરલ
બીમારીઓનું નોલેજ તો રાખે જ છે પરંતુ સાથે-સાથે કોઈ વાતનાં વિશેષ નોલેજમાં
નામીગ્રામી થઈ જાય છે એમ આપ બાળકોએ સર્વગુણ સંપન્ન તો બનવાનું જ છે તો પણ એક
વિશેષતાને વિશેષ રુપથી અનુભવમાં લાવતાં, સેવામાં લાવતાં આગળ વધતાં ચાલો. જેમ
સરસ્વતીને વિદ્યાની દેવી, લક્ષ્મીને ધનની દેવી કહીને પૂજે છે. એવી રીતે પોતાનામાં
સર્વગુણ, સર્વ શક્તિઓ હોવાં છતાં એક વિશેષતામાં વિશેષ રીસર્ચ (સંશોધન) કરી સ્વયંને
પ્રભાવશાળી બનાવો.
સ્લોગન :-
વિકારો રુપી
સાપો ને સહજયોગ ની શૈયા બનાવી દો તો સદા નિશ્ચિંત રહેશો.