29-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 16.12.85
બાપદાદા મધુબન
આજે બાપદાદા પોતાની
અનેક ભુજાઓને જોઈ રહ્યાં છે. ૧. ભુજાઓ સદા પ્રત્યક્ષ કર્મ કરવાનો આધાર છે. દરેક
આત્મા પોતાની ભુજાઓ દ્વારા જ કર્મ કરે છે. ૨. ભુજાઓ સહયોગની નિશાની પણ કહેવાય છે.
સહયોગી આત્માને રાઈટ હેન્ડ કહેવાય છે. ૩. ભુજાઓને શક્તિરુપમાં પણ દેખાડાય છે, એટલે
બાહુબળ કહેવાય છે. ભુજાઓની બીજી વિશેષતાઓ છે. ૪. ભુજા અર્થાત્ સ્નેહની નિશાની છે
એટલે જ્યારે પણ સ્નેહથી મળે છે તો આપસમાં હાથ મળાવે છે. ભુજાઓનું વિશેષ સ્વરુપ પહેલું
સંભળાવ્યું - સંકલ્પને કર્મમાં પ્રત્યક્ષ કરવું. તમે બધાં બાપની ભુજાઓ છો. તો આ
ચારેય વિશેષતાઓ પોતાનામાં દેખાય છે? આ ચારેય વિશેષતાઓ દ્વારા પોતે પોતાને જાણી શકો
છો કે હું કઈ ભુજા છું? ભુજા તો બધાંં છો પરંતુ રાઈટ છો કે લેફ્ટ છો આ તે વિશેષતાઓ
થી તપાસ કરો.
પહેલી વાત બાપનાં દરેક શ્રેષ્ઠ સંકલ્પ ને, બોલ ને, કર્મ માં અર્થાત્ પ્રત્યક્ષ
જીવનમાં ક્યાં સુધી લાવ્યાં છો? કર્મ બધાનાં પ્રત્યક્ષ જોવાની સહજ વસ્તુ છે. કર્મ
ને બધાં જોઈ શકે છે અને સહજ જાણી શકે અથવા કર્મ દ્વારા અનુભવ કરી શકે છે એટલે બધાં
લોકો પણ આ કહે છે કે કહે તો બધાં છે પરંતુ કરીને દેખાડો. પ્રત્યક્ષ કર્મ માં જુએ
ત્યારે માને કે, આ જે કહે છે તે સત્ય છે. તો કર્મ, સંકલ્પની સાથે બોલને પણ
પ્રત્યક્ષ પ્રમાણનાં રુપમાં સ્પષ્ટ કરવાવાળું છે! એવાં રાઈટ હેન્ડ કે રાઈટ ભુજા
દરેક કર્મ દ્વારા બાપને પ્રત્યક્ષ કરી રહ્યાં છો? રાઈટ હેન્ડ ની વિશેષતા છે - તેમનાં
થી સદા શુભ અને શ્રેષ્ઠ કર્મ થાય છે. રાઈટ હેન્ડ નાં કર્મની ગતિ લેફ્ટ થી તીવ્ર હોય
છે. તો એવી રીતે તપાસ કરો. સદા શુભ અને શ્રેષ્ઠ કર્મ તીવ્ર ગતિ થી થઈ રહ્યાં છે?
શ્રેષ્ઠ કર્મધારી રાઈટ હેન્ડ છો? જો આ વિશેષતાઓ નથી તો સ્વતઃ જ લેફ્ટ હેન્ડ થઈ ગયાં
કારણ કે ઊંચેથી ઊંચા બાપને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત ઊંચેથી ઊંચા કર્મ છે. ભલે
રુહાની દૃષ્ટિ દ્વારા, ભલે પોતાની ખુશીનાં રુહાનિયત નાં ચહેરા દ્વારા બાપ ને
પ્રત્યક્ષ કરો છો. આ પણ કર્મ જ છે. તો આવાં શ્રેષ્ઠ કર્મધારી બન્યાં છો?
આજ પ્રકારે ભુજા અર્થાત્ સહયોગ ની નિશાની. તો તપાસ કરો દરેક સમયે બાપનાં કર્તવ્યમાં
સહયોગી છો? તન-મન-ધન ત્રણેય થી સદા સહયોગી છો? કે ક્યારેક-ક્યારેક નાં સહયોગી છો?
જેમ લૌકિક કાર્યમાં કોઇ ફુલ ટાઈમ (આખો દિવસ) કાર્ય કરવાવાળા હોય છે. કોઈ થોડો સમય
કામ કરવાવાળા હોય છે. તેમાં અંતર હોય છે ને. તો ક્યારેક-ક્યારેક નાં સહયોગી જે છે
તેમની પ્રાપ્તિ અને સદાનાં સહયોગ ની પ્રાપ્તિમાં અંતર થઈ જાય છે. જ્યારે સમય મળ્યો,
જ્યારે ઉમંગ આવ્યો કે જ્યારે મૂડ થયું ત્યારે સહયોગી બન્યાં. નહીં તો સહયોગી નાં
બદલે વિયોગી બની જાય છે. તો તપાસ કરો ત્રણેય રુપથી અર્થાત્ તન-મન-ધન બધાં રુપથી
પૂર્ણ સહયોગી બન્યાં છો કે અધૂરા બન્યાં છો? દેહ અને દેહનાં સંબંધ તેમાં વધારે
તન-મન-ધન લગાવો છો કે બાપનાં શ્રેષ્ઠ કાર્યમાં લગાવો છો? દેહનાં સંબંધોની જેટલી
પ્રવૃત્તિ છે એટલી જ પોતાનાં દેહની પણ પ્રવૃત્તિ લાંબી-પહોળી છે. ઘણાં બાળકો સંબંધની
પ્રવૃત્તિથી પરે થઈ ગયાં છે પરંતુ દેહની પ્રવૃત્તિમાં સમય, સંકલ્પ, ધન ઈશ્વરીય
કાર્ય થી વધારે લગાવે છે. પોતાનાં દેહની પ્રવૃત્તિની ગૃહસ્થી પણ મોટી જાળ છે. આ જાળ
થી પરે રહેવું, આને કહેવાય રાઈટ હેન્ડ. ફક્ત બ્રાહ્મણ બની ગયાં,
બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી કહેવાનાં અધિકારી બની ગયાં આને સદા નાં સહયોગી નહીં
કહેવાશે. પરંતુ બંનેવ પ્રવૃત્તિઓથી ન્યારા અને બાપનાં કાર્ય માં પ્યારા. દેહની
પ્રવૃત્તિની પરિભાષા ખૂબ વિસ્તારની છે. આનાં પર પણ પછી ક્યારેક સ્પષ્ટ કરશે. પરંતુ
સહયોગી ક્યાં સુધી બન્યાં છો - આ પોતાની તપાસ કરો!
ત્રીજી વાત - ભુજા સ્નેહની નિશાની છે. સ્નેહ અર્થાત્ મિલન. જેમ દેહધારી આત્માઓનું
દેહનું મિલન હાથમાં હાથ મળાવવું હોય છે. એમ જે રાઈટ હેન્ડ કે રાઈટ ભુજા છે તેમની
નિશાની છે - સંકલ્પમાં મિલન, બોલમાં મિલન અને સંસ્કારમાં મિલન. જે બાપનો સંકલ્પ તે
રાઈટ હેન્ડ નો સંકલ્પ હશે. બાપનાં વ્યર્થ સંકલ્પ નથી હોતાં. સદા સમર્થ સંકલ્પ આ
નિશાની છે. જે બાપનાં બોલ, સદા સુખદાયી બોલ, સદા મધુર બોલ, સદા મહાવાક્ય હોય,
સાધારણ બોલ નહીં. સદા અવ્યકત ભાવ હોય, આત્મિક ભાવ હોય. વ્યક્ત ભાવનાં બોલ નહીં. આને
કહે છે સ્નેહ અર્થાત્ મિલન. એવી રીતે જ સંસ્કાર મિલન. જે બાપનાં સંસ્કાર, સદા
ઉદારચિત્ત, કલ્યાણકારી, નિ:સ્વાર્થ આ વિસ્તાર તો બહુજ છે. સાર રુપમાં જે બાપનાં
સંસ્કાર તે રાઈટ હેન્ડ નાં સંસ્કાર હશે. તો તપાસ કરો એવું સમાન બનવું - અર્થાત્
સ્નેહી બનવું. આ ક્યાં સુધી છે?
ચોથી વાત - ભુજા અર્થાત્ શક્તિ. તો આ પણ તપાસ કરો ક્યાં સુધી શક્તિશાળી બન્યાં છો?
સંકલ્પ શક્તિશાળી, દૃષ્ટિ, વૃત્તિ શક્તિશાળી ક્યાં સુધી બની છે? શક્તિશાળી સંકલ્પ,
દૃષ્ટિ કે વૃત્તિ ની નિશાની છે - તે શક્તિશાળી હોવાનાં કારણે કોઈને પણ પરિવર્તન કરી
દેશે. સંકલ્પ થી શ્રેષ્ઠ સૃષ્ટિની રચના કરશે. વૃત્તિથી વાયુમંડળ પરિવર્તન કરશે.
દૃષ્ટિ થી અશરીરી આત્મા સ્વરુપનો અનુભવ કરાવશે. તો એવી શક્તિશાળી ભુજા છો! કે કમજોર
છો? જો કમજોરી છે તો લેફ્ટ છો. હવે સમજ્યાં રાઈટ હેન્ડ કોને કહેવાય છે! ભૂજાઓ તો બધાં
છો. પરંતુ કઈ ભૂજા છો? તે આ વિશેષતાઓથી સ્વયં જાણો. જો બીજું કોઈ કહેશે કે તમે રાઈટ
હેન્ડ નથી તો સિદ્ધ પણ કરશે અને જીદ પણ કરશે પરંતુ પોતે પોતાને જે છું જેવો છું તેવાં
જાણો કારણ કે હમણાં તો પણ સ્વયંને પરિવર્તન કરવાનો થોડો સમય છે. અલબેલાપણા માં આવીને
ચલાવી નહી લો કે હું પણ ઠીક છું. મન ખાય પણ છે પરંતુ અભિમાન અથવા અલબેલાપણું
પરિવર્તન કરાવી આગળ નથી વધારતું એટલે તેનાથી મુક્ત થઈ જાઓ. યથાર્થ રીત થી પોતાની
તપાસ કરો. આમાં જ સ્વ કલ્યાણ ભરેલું છે. સમજ્યાં. અચ્છા!
સદા સ્વ પરિવર્તન માં, સ્વ-ચિંતન માં રહેવાવાળા, સદા સ્વયં માં સર્વ વિશેષતાઓને
તપાસ કરી સંપન્ન બનવાવાળા, સદા બંને પ્રવૃત્તિઓથી ન્યારા, બાપ અને બાપનાં કાર્યમાં
પ્યારા રહેવાવાળા, અભિમાન અને અલબેલાપણા થી સદા મુક્ત રહેવાવાળા, એવાં તીવ્ર
પુરુષાર્થી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.
પાર્ટીઓથી:-
સદા પોતાને સ્વદર્શન ચક્રધારી અનુભવ કરો છો? સ્વદર્શન ચક્ર અનેક
પ્રકારનાં માયાનાં ચક્કરોને સમાપ્ત કરવાવાળું છે. માયાનાં અનેક ચક્ર છે અને બાપ તે
ચક્રોથી છોડાવીને વિજય બનાવી દે છે. સ્વદર્શન ચક્ર ની આગળ માયા ઉભી રહી નથી શકતી -
એવાં અનુભવી છો? બાપદાદા રોજ આ ટાઇટલ (શીર્ષક) થી યાદપ્યાર પણ આપે છે. આજ સ્મૃતિ થી
સદા સમર્થ રહો. સદા સ્વ નાં દર્શન માં રહો તો શક્તિશાળી બની જશો. કલ્પ-કલ્પની
શ્રેષ્ઠ આત્માઓ હતાં અને છો આ યાદ રહે તો માયાજીત બનેલાં છો. સદા જ્ઞાનને સ્મૃતિમાં
રાખી, તેની ખુશીમાં રહો. ખુશી અનેક પ્રકારનાં દુઃખ ભૂલાવવા વાળી છે. દુનિયા દુઃખધામ
માં છે અને તમે બધાં સંગમયુગી બની ગયાં. આ પણ ભાગ્ય છે.
૨. સદા પવિત્રતા ની શક્તિ થી સ્વયંને પાવન બનાવી બીજાઓને પણ બનવાની પ્રેરણા આપવાવાળા
છો ને? ઘર-ગૃહસ્થમાં રહી પવિત્ર આત્મા બનવું, આ વિશેષતાને દુનિયાની આગળ પ્રત્યક્ષ
કરવાની છે. એવાં બહાદુર બન્યાં છો! પાવન આત્માઓ છો આજ સ્મૃતિથી સ્વયં પણ પરિપક્વ અને
દુનિયાને પણ આ પ્રત્યક્ષ પ્રમાણ દેખાડતાં ચાલો/જાઓ. કઈ આત્મા છો? અસંભવને સંભવ કરી
દેખાડવાનાં નિમિત્ત, પવિત્રતા શક્તિ ફેલાવવા વાળી આત્મા છું. આ સદા સ્મૃતિમાં રાખો.
૩. કુમાર સદા પોતાને માયાજીત કુમાર સમજો છો? માયા થી હાર ખાવાવાળા નહિં પરંતુ સદા
માયાને હાર ખવડાવવા વાળા. એવાં શક્તિશાળી બહાદુર છો ને! જે બહાદુર હોય છે તેનાથી
માયા પણ સ્વયં ગભરાય છે. બહાદુર ની આગળ માયા ક્યારેય હિંમત નથી રાખી શકતી. જ્યારે
કોઈ પણ પ્રકારની કમજોરી જુએ છે ત્યારે માયા આવે છે. બહાદુર અર્થાત્ સદા માયાજીત.
માયા આવી નથી શકતી, એવાં ચેલેન્જ (પડકાર) કરવાવાળા છો ને! બધાં આગળ વધવાવાળા છો ને!
બધાં સ્વયંને સેવાનાં નિમિત્ત અર્થાત્ સદા વિશ્વ કલ્યાણકારી સમજી આગળ વધવાવાળા છો!
વિશ્વ કલ્યાણકારી બેહદ માં રહે છે, હદ માં નથી આવતાં. હદમાં આવવું અર્થાત્ સાચાં
સેવાધારી નહીં. બેહદ માં રહેવું અર્થાત્ જેવાં બાપ એવાં બાળકો. બાપને ફોલો (અનુકરણ)
કરવાવાળા શ્રેષ્ઠ કુમાર છો, સદા આ સ્મૃતિ માં રહો. જેમ બાપ સંપન્ન છે, બેહદનાં છે
એવી બાપ સમાન સંપન્ન સર્વ ખજાનાથી ભરપૂર આત્મા છું - આ સ્મૃતિ થી વ્યર્થ સમાપ્ત થઈ
જશે. સમર્થ બની જશો. અચ્છા.
અવ્યક્ત મુરલીઓથી
શોધેલાં / વીણેલાં પ્રશ્ન - ઉત્તર
પ્રશ્ન:-
કયો વિશેષ ગુણ
સંપૂર્ણ સ્થિતિને પ્રત્યક્ષ કરે છે ? જ્યારે આત્માની સંપૂર્ણ સ્ટેજ બની જાય છે તો
તેનું પ્રેક્ટિકલ કર્મ માં કયું ગાયન થાય છે ?
જવાબ:-
સમાનતાનું.
નિંદા-સ્તુતિ, જય-પરાજય, સુખ-દુઃખ બધામાં સમાનતા રહે આને કહેવાય છે સંપૂર્ણતાની
સ્ટેજ. દુઃખમાં પણ સૂરત કે મસ્તક પર દુઃખની લહેર ની જગ્યાએ સુખ કે હર્ષ ની લહેર
દેખાય આવે. નિંદા કરવાવાળા નાં પ્રતિ જરા પણ દૃષ્ટિ-વૃત્તિમાં અંતર ન આવે. સદા
કલ્યાણકારી દૃષ્ટિ શુભચિંતક ની વૃત્તિ રહે. આજ છે સમાનતા.
પ્રશ્ન:-
સ્વયં પર
બ્લિસ ( કૃપા ) કરવું અથવા બાપદાદા થી બ્લિસ લેવાનું સાધન કયું છે ?
જવાબ:-
સદા બેલેન્સ (સંતુલન)
ઠીક રહે તો બાપની બ્લિસ મળતી રહેશે. મહિમા સાંભળતાં મહિમા નો નશો પણ ન ચઢે અને
ગ્લાનિ સાંભળતાં ઘૃણા ભાવ પણ પેદા ન થાય. જ્યારે બંને માં બેલેન્સ ઠીક રહેશે ત્યારે
કમાલ અથવા સ્વયં સ્વયંથી સંતુષ્ટતા નો અનુભવ થશે.
પ્રશ્ન:-
તમારો
પ્રવૃત્તિ માર્ગ છે એટલે કઈ બે - બે વાતોમાં બેલેન્સ ( સંતુલન ) રાખવું આવશ્યક છે ?
જવાબ:-
જેમ આત્મા અને
શરીર બે છે, બાપ અને દાદા પણ બે છે. બંનેનાં કર્તવ્ય થી વિશ્વ પરિવર્તન થાય છે. એમ
જ બે-બે વાતો નું બેલેન્સ રાખો તો શ્રેષ્ઠ પ્રાપ્તિ કરી શકશો: ૧- ન્યારા અને પ્યારા
૨- મહિમા અને ગ્લાનિ ૩- સ્નેહ અને શક્તિ ૪-ધર્મ અને કર્મ ૫- એકાંતવાસી અને રમણીક ૬-
ગંભીર અને મિલનસાર...એવાં અનેક પ્રકારનાં બેલેન્સ જ્યારે સમાન હોય ત્યારે
સંપૂર્ણતાનાં સમીપ આવી શકશો. એવું નહીં એક મર્જ (સુષુપ્ત) હોય બીજો ઈમર્જ (જાગૃત)
હોય. તેનોસ્વયં પર બ્લિસ (કૃપા) કરવું અથવા બાપદાદા થી બ્લિસ લેવાનું સાધન કયું છે?
પ્રભાવ નથી પડતો.
પ્રશ્ન:-
કઈ વાતમાં
સમાનતા લાવવાની છે કઈ વાતમાં નહીં ?
જવાબ:-
શ્રેષ્ઠતા માં
સમાનતા લાવવાની છે, સાધારણતા માં નહીં. જેમ કર્મ શ્રેષ્ઠ તેમ ધારણા પણ શ્રેષ્ઠ હોય.
ધારણા કર્મ ને મર્જ ન કરે. ધર્મ અને કર્મ બંનેવ શ્રેષ્ઠતામાં સમાન રહે ત્યારે
કહેવાશે ધર્માત્મા. તો પોતે પોતાથી પૂછો એવાં ધર્માત્મા બન્યાં છો? એવાં કર્મયોગી
બન્યાં છો? એવાં બ્લિસફુલ બન્યાં છો?
પ્રશ્ન:-
બુદ્ધિ માં જો
કોઈ પણ પ્રકારની હલચલ થાય છે તો તેનું કારણ શું છે ?
જવાબ:-
તેનું કારણ છે
સંપન્નતા માં કમી. કોઈ પણ ચીજ જો ભરપુર છે તો તેનાં વચમાં ક્યારે હલચલ નથી થઈ શકતી.
તો પોતે પોતાને કોઈ પણ હલચલથી બચાવવાં માટે સંપન્ન બનતાં જાઓ તો સંપૂર્ણ થઈ જશો.
જ્યારે કોઈ પણ વસ્તુ સંપન્ન હોય છે તો પોતે જ આકર્ષણ કરે છે. સંપૂર્ણતા માં પ્રભાવ
ની શક્તિ હોય છે. તો જેટલી પોતાનામાં સંપૂર્ણતા હશે એટલી અનેક આત્માઓ સ્વતઃ આકર્ષિત
થશે.
પ્રશ્ન:-
દેહી અભિમાની
ની સૂક્ષ્મ સ્ટેજ શું છે ?
જવાબ:-
જે દેહી
અભિમાની છે, તેમને જો કોઈ પણ વાતનો ઈશારો મળે છે તો તે ઇશારાને વર્તમાન કે ભવિષ્ય
બંનેવ માટે ઉન્નતીનું સાધન સમજીને તે ઇશારાને સમાવી લે કે સહન કરી લે છે. સૂક્ષ્મ
માં પણ તેમની દૃષ્ટિ વૃત્તિ માં ક્યાં કેમ ની હલચલ ઉત્પન્ન નથી થઈ શકતી. જેમ મહિમા
સાંભળવાનાં સમયે તે આત્માનાં પ્રતિ સ્નેહની ભાવના રહે છે તેમ જો કોઈ શિક્ષા કે ઈશારો
આપે છે તો પણ તેમનાં પ્રતિ સ્નેહની શુભચિંતકની ભાવના રહે. અચ્છા-ઓમ શાંતિ.
વરદાન :-
સદા ખુશી અથવા
મોજ ની સ્થિતિ માં રહેવાવાળા કમ્બાઈન્ડ સ્વરુપનાં અનુભવી ભવ
બાપદાદા બાળકોને સદા
કહે છે બાળકો બાપનાં હાથમાં હાથ આપીને ચાલો, એકલા નહી ચાલો. એકલા ચાલવાથી ક્યારેક
કંટાળી થઈ જશો, ક્યારેક કોઈની નજર પણ પડી જશે. બાપનાં સાથે કમ્બાઈન્ડ છું - આ
સ્વરુપનો અનુભવ કરતાં રહો તો ક્યારે પણ માયાની નજર નહીં પડશે અને સાથ નો અનુભવ
હોવાનાં કારણે ખુશી થી મોજ થી ખાતાં, ચાલતાં મોજ મનાવતાં રહેશો. દગો કે દુઃખ
દેવાવાળા સંબંધો માં ફસાવાથી પણ બચી જશો.
સ્લોગન :-
યોગ રુપી કવચ
પહેરી રાખો તો માયા રુપી દુશ્મનનો વાર નહીં લાગશે.