19-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.09.85
બાપદાદા મધુબન
“ દરેક કાર્યમાં સફળતાનું
સહજ સાધન સ્નેહ ”
આજે મુરબ્બી બાળકોનાં
સ્નેહનું રિટર્ન (વળતર) આપવા આવ્યાં છે. મધુબન વાળાઓને અથક સેવાનું વિશેષ ફળ આપવાનાં
માટે ફક્ત મિલન મનાવવા આવ્યાં છે. આં છે સ્નેહનું પ્રત્યક્ષ પ્રમાણ સ્વરુપ.
બ્રાહ્મણ પરિવારનું વિશેષ ફાઉન્ડેશન (પાયો) જ છે આ વિશેષ સ્નેહ. વર્તમાન સમયે સ્નેહ
દરેક સેવાનાં કાર્યમાં સફળતાનું સહજ સાધન છે. યોગી જીવનનું ફાઉન્ડેશન તો નિશ્ચય છે
પરંતુ પરિવારનું ફાઉન્ડેશન સ્નેહ છે.જે સ્નેહ જ કોઈનાં પણ દિલને સમીપ લઈ આવે છે.
વર્તમાન સમયે યાદ અને સેવાનાં બેલેન્સ (સંતુલન) સાથે સ્નેહ અને સેવાનું બેલેન્સ
સફળતાનું સાધન છે. ભલે દેશની સેવા હોય, ભલે વિદેશની સેવા હોય, બંનેની સફળતાનું સાધન
રુહાની સ્નેહ છે. જ્ઞાન અને યોગ શબ્દ તો અનેકોથી સાંભળ્યાં છે. પરંતુ દૃષ્ટિથી કે
શ્રેષ્ઠ સંકલ્પથી આત્માઓને સ્નેહની અનુભૂતિ થવી આ વિશેષતા અને નવીનતા છે. અને આજનાં
વિશ્વને સ્નેહની આવશ્યકતા છે. કેટલી પણ અભિમાની આત્માને સ્નેહ સમીપ લાવી શકે છે.
સ્નેહનાં ભિખારી શાંતિનાં ભિખારી છે પરંતુ શાંતિનો અનુભવ પણ સ્નેહની દૃષ્ટિ દ્વારા
જ કરાવી શકો છો. તો સ્નેહ શાંતિનો સ્વતઃ જ અનુભવ કરાવે છે કારણ કે સ્નેહમાં ખોવાઈ
જાય છે એટલે થોડાં સમય માટે અશરીરી સ્વતઃ જ બની જાય છે. તો અશરીરી બનવાનાં કારણે
શાંતિનો અનુભવ સહજ થાય છે. બાપ પણ સ્નેહનો જ રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપે છે. ભલે રથ
ચાલે ન ચાલે છતાં પણ બાપને સ્નેહનું સબૂત આપવાનું જ છે. બાળકોમાં પણ આજ સ્નેહનું
પ્રત્યક્ષ ફળ બાપદાદા જોવા ઈચ્છે છે. કોઈ (ગુલ્જારબહેન, જગદીશભાઈ, નિર્વેરભાઈ)
વિદેશ સેવા કરીને પાછાં આવ્યાં છે અને કોઈ (દાદીજી અને મોહિનીબહેન) જઈ રહ્યાં છે. આ
પણ તે આત્માઓનું સ્નેહનું ફળ તેમને મળી રહ્યું છે. ડ્રામા અનુસાર વિચારે બીજું કંઈ
છે પરંતુ થાય બીજું કંઈ. છતાં પણ ફળ મળી જાય છે એટલે પ્રોગ્રામ બની જ જાય છે. બધાં
પોત-પોતાનો સરસ જ પાર્ટ ભજવીને આવ્યાં છે. બન્યો-બનાવેલ ડ્રામા નોંધાયેલ છે તો સહજ
જ રિટર્ન (વળતર) મળી જાય છે. વિદેશ પણ સારી લગનથી સેવામાં આગળ વધી રહ્યું છે. હિંમત
અને ઉમંગ તેમનામાં ચારેબાજુ સારો છે. બધાં નાં દિલનાં આભાર નાં સંકલ્પ બાપદાદાની
પાસે પહોંચતાં રહે છે કારણ કે તેઓ પણ સમજે છે, ભારતમાં પણ કેટલી આવશ્યકતા છે છતાં
પણ ભારતનો સ્નેહ જ અમને સહયોગ આપી રહ્યો છે. આજ ભારતમાં સેવા કરવાવાળા સહયોગી
પરિવાર ને દિલથી આભાર કરે છે. જેટલો દેશ દૂર એટલી દિલથી પાલના નાં પાત્ર બનવામાં
સમીપ છે એટલે બાપદાદા ચારે બાજુનાં બાળકોને આભારનાં રિટર્નમાં યાદપ્યાર અને આભાર આપી
રહ્યાં છે. બાપ પણ તો ગીત ગાય છે ને.
ભારતમાં પણ સારા ઉમંગ-ઉત્સાહ થી પદ-યાત્રાનો બહુજ જ સારો પાર્ટ ભજવી રહ્યાં છે. ચારે
બાજુ સેવાની ધૂમધામ ની રોનક ખુબ સારી છે. ઉમંગ-ઉત્સાહ થકાવટ ને ભુલાવી સફળતા
પ્રાપ્ત કરાવી રહ્યો છે. ચારે બાજુની સેવાની સફળતા સારી છે. બાપદાદા પણ બધાં બાળકોની
સેવાનાં ઉમંગ ઉત્સાહ નું સ્વરુપ જોઇ હર્ષિત થાય છે.
(નૈરોબી માં જગદીશભાઈ પોપ થી મળીને આવ્યાં છે) પોપ ને પણ દૃષ્ટિ આપી ને. આ પણ તમારાં
માટે વિશેષ વી.આઈ.પી.ની સેવામાં, સફળતા સહજ થવાનું સાધન છે. જેમ ભારતમાં વિશેષ
રાષ્ટ્રપતિ આવ્યાં. તો હવે કહી શકો છો કે ભારતમાં પણ આવ્યાં છે. એમ જ વિશેષ વિદેશમાં
વિદેશનાં મુખ્ય ધર્મનાં પ્રભાવ નાં સંબંધથી સમીપ સંપર્કમાં આવે તો કોઈને પણ સહજ
હિંમત આવી શકે છે કે અમે પણ સંપર્કમાં આવીએ. તો દેશનું પણ સારું સેવાનું સાધન બન્યાં
અને વિદેશ સેવાનું પણ વિશેષ સાધન બન્યું. તો સમય પ્રમાણે જે પણ સેવામાં સમીપ આવવામાં
કોઈપણ રુકાવટ આવે છે, તે પણ સહજ સમાપ્ત થઇ જશે. પ્રાઈમ મિનિસ્ટર ને મળવાનું તો થયું
ને. તો દુનિયાવાળા નાં માટે આ એક્ઝામ્પલ (ઉદાહરણ) પણ મદદ આપે છે. બધાનાં પ્રશ્ન કે
બીજા કોઈ આવ્યાં છે? આ પ્રશ્ન ખતમ થઇ જાય છે. તો આ પણ ડ્રામા અનુસાર આજ વર્ષ સેવામાં
સહજ પ્રત્યક્ષતા નું સાધન બન્યાં. હમણાં સમીપ આવી રહ્યાં છે. આમનું તો ફક્ત નામ જ
કામ કરશે. તો નામથી જે કામ થવાનું છે તેની ધરતી તૈયાર થઈ ગઈ. અવાજ આ નહીં ફેલાવશે.
અવાજ ફેલાવવા વાળા માઈક બીજા છે. આ માઇકને લાઈટ (પ્રકાશ) આપવાવાળા છે. પરંતુ તો પણ
ઘરણી ની તૈયારી સારી થઈ ગઈ છે. જે વિદેશમાં પહેલાં વી.આઈ.પી.નાં માટે મુશ્કેલ અનુભવ
કરતાં હતાં, હવે તે ચારે બાજુ સહજ અનુભવ કરે છે, આ રીઝલ્ટ (પરિણામ) હમણાં સારું છે.
આમનાં નામથી કામ કરવાવાળા તૈયાર થઇ જશે. હવે જુઓ કોણ નિમિત્ત બને છે. ધરની તૈયાર
કરવાં માટે ચારે બાજુ બધાં ગયાં. ભિન્ન-ભિન્ન તરફ ધરનીને પગ આપીને તૈયાર તો કરી છે.
હવે ફળ પ્રત્યક્ષ રુપમાં કોનાં દ્વારા થાય છે, તેની તૈયારી હમણાં થઈ રહી છે. બધાનું
રીઝલ્ટ સારું છે.
પદયાત્રી પણ એક બળ એક ભરોસા રાખીને આગળ વધી રહ્યાં છે. પહેલાં મુશ્કિલ લાગતું હતું.
પરંતુ જ્યારે પ્રેક્ટીકલ (વ્યવહાર) માં આવે છે તો સહજ થઈ જાય છે. તો બધાં દેશ-વિદેશ
અને જે પણ સેવાનાં નિમિત્ત બની સેવા દ્વારા અનેકોને બાપદાદા નાં સ્નેહી સહયોગી
બનાવીને આવ્યાં છે, તે બધાને વિશેષ યાદપ્યાર આપી રહ્યાં છે. દરેક બાળકનું વરદાન
પોત-પોતાનું છે. વિશેષ ભારતનાં બધાં પદયાત્રા પર ચાલવાવાળા બાળકોને અને વિદેશી સેવા
અર્થ ચારેબાજુ નિમિત્ત બનેલા બાળકોને અને મધુબન નિવાસી શ્રેષ્ઠ સેવાનાં નિમિત્ત
બનેલા બાળકોને, સાથે-સાથે જે બધાં ભારતવાસી બાળકો યાત્રાવાળાને ઉમંગ-ઉત્સાહ અપાવવાનાં
નિમિત્ત બન્યાં છે, તે બધાં ચારે બાજુનાં બાળકોને વિશેષ યાદપ્યાર અને સેવાની સફળતાની
મુબારક (શુભેચ્છા) આપી રહ્યાં છે. દરેક સ્થાન પર મહેનત તો કરી છે, પરંતુ આ વિશેષ
કાર્ય અર્થ નિમિત્ત બન્યાં એટલે વિશેષ જમા થઈ ગયું. દરેક દેશ મોરીશસ, નૈરોબી,
અમેરિકા આ બધાં એક્ઝામ્પલ (ઉદાહરણ) તૈયાર થઈ રહ્યાં છે. અને આ એક્ઝામ્પલ આગળ
પ્રત્યક્ષતા માં સહયોગી બનશે. અમેરિકાવાળા એ પણ ઓછું નથી કર્યુ. એક-એક નાનાં સ્થાનમાં
પણ જેટલું ઉમંગ ઉલ્લાસ થી પોતાની હેસિયત (તાકાત) નાં હિસાબ થી ઘણું વધારે કર્યુ.
ફોરેન (વિદેશ) માં મેજોરિટી (વધુમાં વધુ) ક્રિશ્ચિયન નું છતાં પણ રાજ્ય તો છે ને.
હમણાં ભલે તે તાકાત ખતમ થઇ ગઇ છે, પરંતુ ધર્મ તો નથી છોડ્યો. ચર્ચ છોડી દીધું છે
પરંતુ ધર્મ નથી છોડ્યો એટલે પોપ પણ ત્યાં રાજા નાં સમાન છે. રાજા સુધી પહોંચે તો
પ્રજામાં સ્વતઃ જ રીગાર્ડ (સમ્માન) બેસે છે. જો કટ્ટર ક્રિશ્ચિયન છે, તેમનાં માટે
પણ આ એક્ઝામ્પલ સારું છે. એક્ઝામ્પલ ક્રિશ્ચિયનનાં માટે નિમિત્ત બનશે. કૃષ્ણ અને
ક્રિશ્ચિયનનું કનેક્શન છે ને. ભારતનું વાતાવરણ તો પણ બીજું હોય છે. સેક્યુરિટી (સુરક્ષા)
વગેરેનું બહુજ હોય છે. પરંતુ આ પ્રેમ થી મળ્યું એ સારું છે. રોયલ્ટી થી સમય આપવો,
વિધિપૂર્વક મળવું તેનો પ્રભાવ નાખે છે. એ દેખાડે છે કે હવે સમય સમીપ આવી રહ્યો છે.
લન્ડનમાં પણ વિદેશનાં હિસાબથી ઘણી સારી સંખ્યા છે અને વિશેષ મુરલી થી પ્રેમ છે,
ભણતર થી પ્રેમ છે, આ ફાઉન્ડેશન છે. આમાં લંડનનો નંબરવન છે. કંઈ પણ થઈ જાય, ક્યારેય
ક્લાસ મિસ નથી કરતાં (ગેરહાજર નથી રહેતાં). ચાર વાગ્યા નો યોગ અને ક્લાસનું મહત્વ
સૌથી વધારે લંડનમાં છે. તેનું પણ કારણ સ્નેહ છે. સ્નેહનાં કારણે ખેંચાઈને આવે છે.
વાતાવરણ શક્તિશાળી બનાવવા પર અટેન્શન (ધ્યાન) સારું છે. આમ પણ દૂર દેશનાં જે છે ત્યાં
વાયુમંડળ જ સહારો (આધાર) સમજે છે. ભલે સેવાકેન્દ્રનું કે પોતાનું. જરા પણ જો કોઈ
વાત આવે છે તો તરત પોતાને તપાસ કરી વાતાવરણ શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન સારો કરે
છે. ત્યાં વાતાવરણ પાવરફુલ (શક્તિશાળી) બનાવવાનું લક્ષ્ય સારું છે. નાની-નાની વાતોમાં
વાતાવરણને ખરાબ નથી કરતાં. સમજે છે કે વાતાવરણ શક્તિશાળી નહીં હોય તો સેવામાં સફળતા
નહીં થાય એટલે આ અટેન્શન સારું રાખે છે. સ્વયં નાં પુરુષાર્થનું પણ અને
સેવાકેન્દ્રનાં વાતાવરણનું પણ. હિંમત અને ઉમંગમાં કોઈ ઓછું નથી.
જ્યાં પણ કદમ (પગલા) રાખે છે ત્યાં અવશ્ય વિશેષ પ્રાપ્તિ બ્રાહ્મણોને પણ થાય છે અને
દેશ ને પણ થાય છે. સંદેશ પણ મળે છે અને બ્રાહ્મણો માં પણ વિશેષ શક્તિ વધે અને પાલના
પણ મળે. સાકાર રુપમાં વિશેષ પાલના લઈને બધાં ખુશ થાય છે અને તેજ ખુશીમાં સેવામાં
આગળ વધે છે અને સફળતાને પામે છે. દૂરદેશમાં રહેવાવાળાનાં માટે પાલના તો જરૂરી છે.
પાલના લઈને ઉડે છે. જે મધુબનમાં આવી નથી શકતા તે ત્યાં બેસી મધુબન નો અનુભવ કરે છે.
જેમ અહીંયા સ્વર્ગનો અને સંગમયુગનો આનંદ બંને અનુભવ કરે છે એટલે ડ્રામા અનુસાર
વિદેશમાં જવાનો પાર્ટ પણ જે બન્યો છે તે આવશ્યક છે અને સફળતા પણ છે. દરેક વિદેશનાં
બાળકો પોત-પોતાનાં નામથી વિશેષ સેવાની શુભેચ્છા અને વિશેષ સેવાની સફળતાનું રિટર્ન
યાદપ્યાર સ્વીકાર કરે. બાપનાં સામે એક-એક બાળક છે. દરેક દેશનાં દરેક બાળક નયનો ની
સામે આવી રહ્યાં છે. એક-એક ને બાપદાદા યાદપ્યાર આપી રહ્યાં છે. જે તડપતા બાળકો છે
તેમની પણ કમાલ જોઈ બાપદાદા સદા બાળકોની ઉપર સ્નેહનાં પુષ્પોની વર્ષા કરે છે.
બુદ્ધિબળ તેમનું કેટલું તેજ છે. બીજું વિમાન નથી તો બુદ્ધિનું વિમાન તેજ છે. તેમનાં
બુદ્ધિબળ પર બાપદાદા પણ હર્ષિત થાય છે. દરેક સ્થાનની પોતા-પોતાની વિશેષતા છે. સિંધી
લોકો પણ હવે સમીપ આવી રહ્યાં છે. જે આદિ સો અંત તો થવાનું જ છે.
આ પણ જે ભ્રાંતિ બેઠેલી છે કે આ સામાજિક કાર્ય નથી કરતાં તે પણ આ પદયાત્રા ને જોઈ,
તે ભ્રાંતિ પણ મટી ગઈ. હવે ક્રાંતિની તૈયારી જોર શોર થી થઇ રહી છે.
દિલ્હીવાળા પણ પદયાત્રીઓનું આહવાન કરી રહ્યાં છે, આટલાં બ્રાહ્મણ ઘરમાં આવશે. આવાં
બ્રાહ્મણ મહેમાન તો ભાગ્યવાન પાસે જ આવે છે. દિલ્લીમાં બધાંને અધિકાર છે. અધિકારી
ને સત્કાર તો આપવાનો છે. દિલ્લીથી જ વિશ્વમાં નામ જશે. પોત-પોતાનાં વિસ્તારમાં તો
કરી જ રહ્યાં છે, પરંતુ દેશ-વિદેશમાં તો દિલ્લીનાં જ ટી.વી, રેડિયો નિમિત્ત બનશે.
દીદી
નિર્મલશાંતાજી થી :-
આ આદિ રત્નોની
નિશાની છે. હાં જી નો પાઠ સદા યાદ રહેતાં શરીરને પણ શક્તિ આપીને પહોંચી ગઈ. આદિ
રત્નોમાં આ કુદરતી સંસ્કાર છે. ક્યારેય ના નથી કરતાં. સદેવ હાં જી કરે છે. અને હાં
જી એ મોટા હજૂર બનાવ્યાં છે એટલે બાપદાદા પણ ખુશ છે. હિંમતે બાળકીને મદદ દઈ બાપએ
સ્નેહમિલન નું ફળ આપ્યું.
(દાદીજી ને) બધાને સેવાનાં ઉમંગ-ઉત્સાહ ની શુભેચ્છા આપજો. અને સદા ખુશીનાં હીંચકા
માં હિંચતા રહેતાં, ખુશી થી સેવામાં પ્રત્યક્ષતા ની લગનથી આગળ વધતા રહો છો એટલે
શુદ્ધ શ્રેષ્ઠ સંકલ્પની બધાને શુભેચ્છા છે. ચારલે, કેન વગેરે જે આ પહેલું ફળ નીકળ્યું,
આ ગ્રુપ સારું રિટર્ન (વળતર) આપી રહ્યાં છે. નિર્માણતા, નિર્માણ નું કાર્ય સહજ કરે
છે. જ્યાં સુધી નિર્માણ ન બને ત્યાં સુધી નિર્માણ ન કરી શકે. આ પરિવર્તન ખુબ સારું
છે. બધાનું સાંભળવું અને સમાવવું અને બધાને સ્નેહ આપવો આ સફળતાનો આધાર છે. સારી
પ્રગતિ કરી છે. નવાં-નવાં પાંડવોએ પણ સારી મહેનત કરી છે. સારું પોતામાં પરિવર્તન
લાવ્યાં છે. બધી તરફ વૃદ્ધિ સારી થઈ રહી છે. હવે વધુ નવીનતા કરવાનો પ્લાન બનાવજો.
આટલાં સુધી તો બધાની મહેનત કરવાનું ફળ નીકળ્યું છે જે પહેલાં સાંભળતા જ નહોતાં, તે
સમીપ આવીને બ્રાહ્મણ આત્મા બની રહી છે. હવે વધારે પ્રત્યક્ષતા કરવાનું કોઈ નવું
સેવાનું સાધન બનશે. બ્રાહ્મણો નું સંગઠન પણ સારું છે. હવે સેવા વૃદ્ધિ ની તરફ વધી
રહી છે. એક વાર વૃદ્ધિ શરૂ થઈ જાય છે તો પછી લહેર ચાલે છે. અચ્છા.
વરદાન :-
સંગઠન રુપી
કિલ્લાને મજબૂત બનાવવાવાળા સર્વ નાં સ્નેહી સંતુષ્ટ આત્મા ભવ .
સંગઠન ની શક્તિ વિશેષ શક્તિ છે. એકમત સંગઠન નાં કિલ્લાને કોઈ પણ હલાવી ન શકે. પરંતુ
તેનો આધાર છે એકબીજાનાં સ્નેહી બની સર્વને રિગાર્ડ (સમ્માન) આપવું અને સ્વયં
સંતુષ્ટ રહીને સર્વને સંતુષ્ટ કરવાં. ન કોઈ ડિસ્ટર્બ (ચિંતિત) થાય અને ન કોઈ
ડિસ્ટર્બ (ચિંતિત) કરે. બધાં એકબીજાને શુભભાવના અને શુભકામના નો સહયોગ આપતા રહે તો
આ સંગઠન નો કિલ્લો મજબૂત થઇ જશે. સંગઠન ની શક્તિ જ વિજયનો વિશેષ આધાર સ્વરુપ છે.
સ્લોગન :-
જ્યારે દરેક
કર્મ યથાર્થ અને યુક્તિયુક્ત હોય ત્યારે કહેવાશે પવિત્ર આત્મા.
અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
જેમ બ્રહ્મા
બાપએ નિશ્ચય નાં આધાર પર, રુહાની નશા નાં આધાર પર, નિશ્ચિત ભાવીનાં જ્ઞાતા બની
સેકન્ડમાં બધું સફળ કરી દીધું. સ્વયંનાં માટે કાંઈ ન રાખ્યું. તો સ્નેહ ની નિશાની
છે બધુંજ સફળ કરો. સફળ કરવાનો અર્થ છે શ્રેષ્ઠ તરફ લગાડવું.