08-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સવારે
- સવારે ઉઠી બાપ થી મીઠી રુહરિહાન કરો , બાપ એ જે શિક્ષાઓ આપી છે તેને વાગોળતાં (
મનન કરતા ) રહો ”
પ્રશ્ન :-
આખો દિવસ
ખુશી-ખુશીમાં વીતે, તેનાં માટે કઈ યુક્તિ રચવી જોઈએ?
ઉત્તર :-
રોજ અમૃતવેલા
એ ઉઠીને જ્ઞાનની વાતોમાં રમણ કરો. સ્વયં સ્વયંથી વાતો કરો. આખા ડ્રામાનાં
આદિ-મધ્ય-અંતનું સિમરણ કરો, બાપને યાદ કરો તો આખો દિવસ ખુશીમાં વીતશે. વિદ્યાર્થી
પોતાના ભણતરનું રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) કરે છે. આપ બાળકો પણ સ્વયં નું રિહર્સલ કરો.
ગીત :-
આજ હે અંધેરે
મેં ઇન્સાન…..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા બાળકો એ ગીત સાંભળ્યું. તમે ભગવાન નાં બાળકો છો ને. તમે જાણો છો ભગવાન આપણને
માર્ગ દેખાડી રહ્યા છે. તેઓ પોકારતા રહે છે કે અમેં અંધારામાં છીએ કારણકે ભક્તિ
માર્ગ છે જ અંધકારનો માર્ગ. ભક્ત કહે છે અમે તમારાં મિલન માટે ભટકી રહ્યા છીએ.
ક્યારેક તીર્થો પર, ક્યારેક ક્યાય દાન-પુણ્ય કરે, મંત્ર જપે છે. અનેક પ્રકારના
મંત્ર આપે છે તો પણ કોઈ સમજે થોડી છે કે અમે અંધકારમાં છીએ. પ્રકાશ શું ચીજ છે-કંઈ
પણ સમજતા નથી, કારણકે અંધકારમાં છે. હવે તમે તો અંધકારમાં નથી. તમે વૃક્ષમાં
પહેલાં-પહેલાં આવો છો. નવી દુનિયામાં જઈને રાજ્ય કરો છો, પછી સીડી ઊતરો છો. એનાં
વચમાં ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન આવે છે. હવે બાપ ફરી કલમ લગાવી રહ્યા છે. સવારે
ઊઠીને આવી-આવી જ્ઞાનની વાતોમાં રમણ કરવું જોઈએ. કેટલું આ વન્ડરફુલ નાટક છે, આ
ડ્રામાનાં ફિલ્મ રીલ નો સમય છે ૫૦૦૦ વર્ષ. સતયુગની આયુ આટલી, ત્રેતાની આયુ આટલી...બાબામાં
પણ આ બધું જ્ઞાન છે ને. દુનિયામાં બીજું કોઈ નથી જાણતું. તો બાળકો એ સવારે ઉઠીને એક
તો બાપને યાદ કરવાનાં છે અને જ્ઞાનનું સિમરણ કરવાનું છે ખુશીમાં. હમણાં આપણે આખાં
ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને જાણી ચૂક્યા છીએ. બાપ કહે છે કલ્પની આયુ જ ૫૦૦૦ વર્ષ છે.
મનુષ્ય કહી દે છે લાખો વર્ષ. કેટલું વન્ડરફુલ નાટક છે. બાપ બેસી જે શિક્ષા આપે છે
એને પછી વાગોળવું જોઈએ, રિહર્સલ કરવું જોઈએ. વિદ્યાર્થી પણ ભણતરનું રિહર્સલ કરે છે
ને.
આપ મીઠા-મીઠા બાળકો આખાં ડ્રામાને જાણી ગયા છો. બાબા એ કેટલું સહજ રીતે બતાવ્યું છે
કે આ અનાદિ, અવિનાશી ડ્રામા છે. આમાં જીતીએ છે અને પછી હારીએ છે. હવે ચક્ર પૂરું થયું,
આપણે હવે ઘરે જવાનું છે. બાપનું ફરમાન (આદેશ) મળ્યું છે મુજ બાપને યાદ કરો. આ
ડ્રામાનું જ્ઞાન એક જ બાપ આપે છે. નાટક ક્યારેય લાખો વર્ષોનું થોડી હોય છે. કોઈને
યાદ પણ ન રહે. ૫ હજાર વર્ષનું ચક્ર છે જે આખું તમારી બુદ્ધિમાં છે. કેટલી સરસ હાર
અને જીત ની રમત છે. સવારે ઊઠીને એવા-એવા વિચાર ચાલવા જોઈએ. આપણને બાબા રાવણ પર જીત
પહેરાવે છે. આવી-આવી વાતો સવારે-સવારે ઉઠીને પોતાની સાથે કરવી જોઈએ તો આદત પડતી જશે.
આ બેહદનાં નાટકને કોઈ નથી જાણતું. એક્ટર થઈને આદિ-મધ્ય-અંતને નથી જાણતાં. હવે આપણે
બાબા દ્વારા લાયક બની રહ્યા છે.
બાબા પોતાનાં બાળકોને આપ સમાન બનાવે છે. આપ સમાન પણ શું, બાપ તો બાળકોને પોતાનાં ખભા
પર ચઢાવે છે. બાબાનો કેટલો પ્રેમ છે બાળકોથી. કેટલું સારી રીતે સમજાવે છે મીઠા-મીઠા
બાળકો, હું તમને વિશ્વનો માલિક બનાવું છું. હું નથી બનતો, આપ બાળકોને બનાવું છું.
આપ બાળકોને ગુલ-ગુલ બનાવીને પછી શિક્ષક બની ભણાવું છું. પછી સદ્દ્ગતિ નાં માટે
જ્ઞાન આપીને તમને શાંતિધામ-સુખધામ નાં માલિક બનાવું છું. હું તો નિર્વાણધામમાં બેસી
જાઉ છું. લૌકિક બાપ પણ મહેનત કરી, ધન કમાઈને બધું બાળકોને આપીને પોતે વાનપ્રસ્થ માં
જઈને ભજન વગેરે કરે છે. પરંતુ અહીં તો બાપ કહે છે જો વાનપ્રસ્થ અવસ્થા છે તો બાળકોને
સમજાવીને તમારે આ સર્વિસમાં લાગી જવાનું છે. પછી ગૃહસ્થ વ્યવહારમાં ફસાવાનું નથી.
તમે પોતાનું અને બીજાનું કલ્યાણ કરતાં રહો. હમણાં તમારાં બધાની વાનપ્રસ્થ અવસ્થા
છે. બાપ કહે છે હું આવ્યો છું તમને વાણીથી પરે લઈ જવા માટે. અપવિત્ર આત્માઓ તો જઈ ન
શકે. આ બાપ સમ્મુખ સમજાવી રહ્યા છે. મજા પણ સમ્મુખ માં છે. ત્યાં તો પછી બાળકો
બેસીને સંભળાવે છે. અહીં બાપ સમ્મુખ છે ત્યારે તો મધુબન ની મહિમા છે ને. તો બાપ કહે
છે સવારે ઉઠવા ની આદત પાડો. ભક્તિ પણ મનુષ્ય સવારે ઊઠીને કરે છે પરંતુ તેનાથી વારસો
તો મળતો નથી, વારસો મળે છે રચતા બાપ થી. ક્યારેય રચનાથી વારસો મળી ન શકે એટલે કહે
છે અમે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંતને નથી જાણતાં. જો તે જાણતા હોત તો તે પરંપરા
ચાલતી આવત. બાળકો એ આ પણ સમજાવવાનું છે આપણે કેટલાં શ્રેષ્ઠ ધર્મવાળા હતા પછી કેવાં
ધર્મ ભ્રષ્ટ, કર્મ ભષ્ટ બન્યાં છીએ. માયા ગોદરેજ નું તાળું બુદ્ધિને લગાવી દે છે
એટલે ભગવાનને કહે છે તમે બુદ્ધિવાનો ની બુદ્ધિ છો, આમની બુદ્ધિનું તાળું ખોલો. હમણાં
તો બાપ સમ્મુખ સમજાવી રહ્યા છે. હું જ્ઞાનનો સાગર છું, તમને આમનાં દ્વારા સમજાવું
છું. કયું જ્ઞાન? આ સૃષ્ટિ ચક્રનાં આદિ, મધ્ય, અંતનું જ્ઞાન જે કોઈ પણ મનુષ્ય આપી ન
શકે.
બાપ કહે છે, સત્સંગ વગેરેમાં જવાં કરતાં પણ સ્કૂલમાં ભણવું સારું છે. ભણતર કમાઈનું
સાધન છે. સત્સંગોમાં તો મળતું કાંઈ નથી. દાન-પુણ્ય કરો, આ કરો, ભેટ રાખો, ખર્ચા જ
ખર્ચા છે. પૈસા પણ રાખો, માથું પણ ટેકો, કપાળ પણ ઘસાઈ જાય. હમણાં આપ બાળકોને જે
જ્ઞાન મળી રહ્યું છે તેનું સિમરણ કરવાની આદત પાડો અને બીજાને પણ સમજાવવાનું છે. બાપ
કહે છે હવે તમારી આત્મા પર બૃહસ્પતિની દશા છે. વૃક્ષપતિ ભગવાન તમને ભણાવી રહ્યા છે,
તમને કેટલી ખુશી હોવી જોઈએ. ભગવાન ભણાવીને આપણને ભગવાન-ભગવતી બનાવે છે, ઓહો! આવાં
બાપને જેટલાં યાદ કરશું તો વિકર્મ વિનાશ થશે. આવું-આવું વિચાર સાગર મંથન કરવાની આદત
પાડવી જોઈએ. દાદા અમને આ બાપ દ્વારા વારસો આપી રહ્યા છે. સ્વયં કહે છે હું આ રથનો
આધાર લઉં છું. તમને જ્ઞાન મળી રહ્યું છે ને. જ્ઞાનગંગાઓ જ્ઞાન સાંભળીને પવિત્ર બનાવે
છે કે ગંગાનું પાણી? હવે બાપ કહે છે-બાળકો, તમે ભારતની સાચી-સાચી સેવા કરો છો. તે
સમાજ સેવક તો હદ ની સેવા કરે છે. આ છે રુહાની સાચી સેવા. ભગવાનુવાચ બાપ સમજાવે છે,
ભગવાન પુનર્જનમ રહિત છે. શ્રીકૃષ્ણ તો પુરા ૮૪ જન્મ લે છે. તેમનું ગીતામાં નામ લગાવી
દીધું છે. નારાયણનું કેમ નથી લગાડતાં? આ પણ કોઈને ખબર નથી કે કૃષ્ણ જ નારાયણ બને
છે. શ્રીકૃષ્ણ રાજકુમાર હતા પછી રાધા થી સ્વયંવર થયો. હવે આપ બાળકોને જ્ઞાન મળ્યું
છે. સમજો છો શિવબાબા આપણને ભણાવે છે. એ બાબા પણ છે, શિક્ષક, સદ્દગુરુ પણ છે.
સદ્દ્ગતિ આપે છે. ઊંચે થી ઊંચાં ભગવાન શિવ જ છે. એ કહે છે મારી નિંદા કરવાવાળા ઊંચ
પદ પામી નથી શકતાં. બાળકો જો નથી ભણતા તો શિક્ષક ની ઈજ્જત જાય છે. બાપ કહે છે તમે
મારી ઈજ્જત નહીં ગુમાવતાં. ભણતા રહો. લક્ષ-હેતું તો સામે ઉભા છે. તે પછી ગુરુ લોકો
પોતાનાં માટે કહી દે છે, જેનાં કારણે મનુષ્ય ડરી જાય છે. સમજે છે કોઈ શ્રાપ ન મળી
જાય. ગુરુથી મળેલો મંત્ર જ સંભળાવતા રહે છે. સંન્યાસીઓને પુછાય છે તમે ઘરબાર કેવી
રીતે છોડ્યું? કહે છે આ વ્યક્ત વાતો નહીં પૂછો. અરે, કેમ નથી બતાવતાં? અમને શું ખબર
તમે કોણ છો? શુરુડ બુદ્ધિવાળા આવી વાત કરે છે. અજ્ઞાન કાળમાં કોઈ-કોઈ ને નશો રહે
છે. સ્વામી રામતીર્થ નાં અનન્ય શિષ્ય સ્વામી નારાયણ હતાં. તેમની પુસ્તક વગેરે બાબાની
વાંચેલી છે. બાબાને આ બધું વાંચવાનો શોખ રહેતો હતો. નાનપણમાં વૈરાગ્ય આવતો હતો. પછી
એકવાર બાયસ્કોપ જોયું, બસ વૃત્તિ ખરાબ થઈ. સાધુપણું બદલાઈ ગયું. તો હવે બાપ સમજાવે
છે તે બધાં ગુરુ વગેરે છે ભક્તિમાર્ગનાં. સર્વનાં સદ્દગતિ દાતા તો એક જ છે, જેમને
બધાં યાદ કરે છે. ગાએ પણ છે મારા તો એક ગિરધર ગોપાળ બીજું ન કોઈ. ગિરધર કૃષ્ણને કહે
છે. હકીકતમાં ગાળો આ બ્રહ્મા ખાય છે. કૃષ્ણની આત્મા જ્યારે અંતમાં ગામડાનો છોકરો
તમોપ્રધાન છે ત્યારે ગાળો ખાધી છે. અસલમાં તો આજ કૃષ્ણની આત્મા છે ને. ગામડામાં
ઉછર્યા છે. રસ્તે ચાલતાં બ્રાહ્મણ ફસાઈ ગયો અર્થાત્ બાબાએ પ્રવેશ કર્યો, કેટલી ગાળો
ખાધી. અમેરિકા સુધી અવાજ ચાલ્યો ગયો. વન્ડરફુલ ડ્રામા છે. હવે તમે જાણો છો તો ખુશી
થાય છે. હવે બાપ સમજાવે છે આ ચક્ર કેવી રીતે ફરે છે? આપણે કેવાં બ્રાહ્મણ હતા પછી
દેવતા, ક્ષત્રિય….. બન્યાં. આ ૮૪ નું ચક્ર છે. આ બધું સ્મૃતિમાં રાખવાનું છે. રચતા
અને રચનાનાં આદિ-મધ્ય-અંતને જાણવાનું છે, જે કોઈ નથી જાણતાં. આપ બાળકો સમજો છો આપણે
વિશ્વનાં માલિક બનીએ છીએ, આમાં કોઈ તકલીફ તો નથી. એવું થોડુ કહે છે આસન વગેરે લગાવો.
હઠયોગ એવાં શીખવાડે છે વાત ન પૂછો. કોઈ-કોઈનું મગજ જ ખરાબ થઈ જાય છે. બાપ કેટલી સહજ
કમાણી કરાવે છે. આ છે ૨૧ જન્મોનાં માટે સાચ્ચી કમાણી. તમારા હથેળી પર સ્વર્ગ છે.
બાપ બાળકોનાં માટે સ્વર્ગની સોગાત લાવે છે. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. બાપ જ
કહે છે, આમની આત્મા પણ સાંભળે છે. તો બાળકોએ સવારે ઉઠી એવાં-એવાં વિચાર કરવાં જોઈએ.
ભક્ત લોકો પણ સવારે ગુપ્ત માળા ફેરવે છે. તેને ગૌમુખ કહે છે. તેમાં અંદર હાથ નાંખી
માળા ફેરવે છે. રામ-રામ…..જેમકે વાજુ વગાડે છે. હકીકતમાં ગુપ્ત તો આ છે, બાપને યાદ
કરવાં. અજપોજાપ આને કહેવાય છે. ખુશી રહે છે, કેટલો વન્ડરફુલ ડ્રામા છે. આ બેહદનું
નાટક છે જે સિવાય તમારા બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર છે. છે ખુબ સરળ. આપણને તો હમણાં ભગવાન ભણાવે છે. બસ એમને જ યાદ કરવાનાં છે.
વારસો પણ એમનાંથી મળે છે. આ બાબા એ તો ધખ થી બધું છોડી દીધું કારણકે વચમાં બાબાની
પ્રવેશતા હતી ને. બધુંજ આ માતાઓને અર્પણ કરી દીધું. બાપ એ કહ્યું આટલી મોટી સ્થાપના
કરવાની છે, બધું આ સેવામાં લગાવી દો. એક પૈસો પણ કોઈને આપવાનો નથી. નષ્ટોમોહા આટલું
જોઈએ. મોટી મંઝિલ છે. મીરા એ લોકલાજ વિકારી કુળની મર્યાદા છોડી તો કેટલું તેનું નામ
છે. આ બાળકીઓ પણ કહે છે અમે લગ્ન નહીં કરીએ. લખપતિ હોય, કોઈ પણ હોય, અમે તો બેહદનાં
બાપથી વારસો લઈશું. તો આવો નશો ચઢવો જોઇએ. બાળકોને બેહદનાં બાપ બેસી શ્રુંગારે છે.
આમાં પૈસા વગેરેની દરકાર પણ નથી. લગ્નનાં દિવસે વનવાસ માં બેસાડે છે, જૂનાં ફાટેલા
કપડાં વગેરે પહેરાવે છે. પછી લગ્નનાં પછી નવાં કપડાં, દાગીના વગેરે પહેરાવે છે. આ
બાપ કહે હું તમને જ્ઞાન રત્નોથી શ્રુંગારુ છું, પછી તમે આ લક્ષ્મી-નારાયણ બનશો. આવું
બીજું કોઈ કહી ન શકે.
બાપ જ આવીને પવિત્ર પ્રવૃત્તિ માર્ગની સ્થાપના કરે છે એટલે વિષ્ણુને પણ ૪ ભુજા
દેખાડે છે. શંકરની સાથે પાર્વતી, બ્રહ્માની સાથે સરસ્વતી દેખાડે છે. હવે બ્રહ્માની
કોઈ સ્ત્રી તો છે નહીં. આ તો બાપનાં બની ગયાં. કેવી વન્ડરફુલ વાતો છે. માતા-પિતા તો
આ છે ને. આ પ્રજાપિતા પણ છે, પછી આમનાં દ્વારા બાપ રચે છે તો મા પણ થયાં. સરસ્વતી
બ્રહ્માની દીકરી ગવાય છે. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. જેમ બાબા સવારે ઊઠીને
વિચાર સાગર મંથન કરે છે, બાળકોએ પણ ફોલો (અનુકરણ) કરવાનું છે. આપ બાળકો જાણો છો કે
આ હાર-જીતની વન્ડરફુલ રમત બનેલી છે, આને જોઈને ખુશી થાય છે, ઘૃણા નથી આવતી. આપણે આ
સમજીએ છીએ, આપણે આખાં ડ્રામાનાં આદિ-મધ્ય-અંતને જાણી ગયા છીએ એટલે ઘૃણાની તો વાત જ
નથી. આપ બાળકોએ મહેનત પણ કરવાની છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાનું છે, પાવન બનવાનું
બીડું ઉઠાવવાનું છે. અમે યુગલ ભેગા રહી પવિત્ર દુનિયાનાં માલિક બનીશું. પછી કોઈ-કોઈ
તો નપાસ પણ થઈ જાય છે. બાબાનાં હાથમાં કોઈ શાસ્ત્ર વગેરે નથી. આ તો શિવબાબા કહે છે
હું બ્રહ્મા દ્વારા તમને બધાં વેદો-શાસ્ત્રોનો સાર સંભળાવું છું, કૃષ્ણ નહીં. કેટલો
ફરક છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણવા પર
પૂરું ધ્યાન આપવાનું છે. એવું કોઈ કર્મ ન થાય જેનાથી બાપ, શિક્ષક અને સદ્દગુરુ ની
નિંદા થાય. ઈજ્જત ગુમાવવાનું કોઈ કર્મ નથી કરવાનું.
2. વિચાર સાગર મંથન કરવાની આદત પાડવાની છે. બાપથી જે જ્ઞાન મળ્યું છે તેનું સિમરણ
કરી અપાર ખુશીમાં રહેવાનું છે. કોઈથી પણ ઘૃણા નથી કરવાની.
વરદાન :-
બાળક સો માલિક
નાં પાઠ દ્વારા નિરહંકારી અને નિરાકારી ભવ
બાળક બનવું અર્થાત્
હદનાં જીવનનું પરિવર્તન થવું. કોઈ કેટલાં પણ મોટા દેશનાં માલિક હોય, ધન કે પરિવાર
નાં માલિક હોય પરંતુ બાપની આગળ બધાં બાળક છે. આપ બ્રાહ્મણ બાળકો પણ બાળક બનો છો તો
બેફિકર બાદશાહ અને ભવિષ્યમાં વિશ્વનાં માલિક બનો છો. “બાળક સો માલિક છું’’- આ સ્મૃતિ
સદા નિરહંકારી-નિરાકારી સ્થિતિનો અનુભવ કરાવે છે. બાળક અર્થાત બાળક બનવું એટલે
માયાથી બચી જવું.
સ્લોગન :-
પ્રસન્નતા જ
બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે-તો સદા પ્રસન્નચિત રહો.
અવ્યક્ત સ્થિતિ અનુભવ
કરવાને માટે વિશેષ અભ્યાસ
બાપને અવ્યક્ત
રુપમાં સદા સાથી અનુભવ કરવું અને સદા ઉમંગ-ઉત્સાહ અને ખુશીમાં ઝુમતાં રહેવું. કોઈ
વાત નીચે ઉપર પણ થાય તો પણ ડ્રામાની રમત સમજી ને બહુજ સારું, બહુજ સારું કરતાં સારુ
બનવું અને સારા બનાવાનાં વાયબ્રેશન થી નકારાત્મક ને સકારાત્મક માં બદલી દેવું.