21-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમે જ્ઞાનનો વરસાદ કરી હરિયાળી કરવાવાળા છો , તમારે ધારણા કરવાની અને કરાવવાની છે ”

પ્રશ્ન :-
જે વાદળ વરસતા નથી, તેને કયું નામ આપશો?

ઉત્તર :-
તે છે સુસ્ત વાદળ. ચુસ્ત તે જે વરસે છે. જો ધારણા હોય તો વરસ્યા વગર રહી ન શકે. જે ધારણા કરી બીજાને નથી કરાવતા તેમનું પેટ પીઠથી લાગી જાય છે, તે ગરીબ છે. પ્રજામાં ચાલ્યાં જાય છે.

પ્રશ્ન :-
યાદની યાત્રામાં મુખ્ય મહેનત કઈ છે?

ઉત્તર :-
સ્વયંને આત્મા સમજી બાપને બિંદુ રુપમાં યાદ કરવાં, બાપ જે છે જેવાં છે એજ સ્વરુપ થી યથાર્થ યાદ કરવા, આમાં જ મહેનત છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ .....

ઓમ શાંતિ !
જેમ સાગરની ઉપર વાદળ છે તો વાદળોનાં બાપ થયા સાગર. જે વાદળ સાગરની સાથે છે તેમનાં માટે જ વરસાદ છે. તે વાદળ પણ પાણી ભરીને પછી વરસે છે. તમે પણ સાગરની પાસે આવો છો ભરવાં માટે. સાગરનાં બાળકો વાદળ તો છો જ, જે મીઠું પાણી ખેંચી લો છો. હવે વાદળ પણ અનેક પ્રકારનાં હોય છે. કોઈ ખૂબ જોરથી વરસે છે, પુર કરી દે છે, કોઈ ઓછા વરસે છે. તમારામાં પણ એવાં નંબરવાર છે જે ખૂબ જોરથી વરસે છે, તેમનું નામ પણ ગવાય છે. જયારે વરસાદ બહુજ થાય છે તો મનુષ્ય ખુશ થાય છે. આ પણ આવું છે. જો સારું વરસે છે, તેમની મહિમા થાય છે, જે નથી વરસતા તેમનું દિલ જેમકે સુસ્ત થઈ જાય છે, પેટ ભરાશે નહીં. પૂરી રીતે ધારણા ન હોવાથી પેટ જઈને પીઠથી લાગશે. ફેમન (અકાળ) થાય છે તો મનુષ્યનું પેટ પીઠથી લાગી જાય છે. અહીંયા પણ ધારણા કરી જો ધારણા નથી કરાવતા તો પેટ જઈને પીઠથી લાગે છે. ખૂબ વરસવા વાળા જઈને રાજા-રાણી બનશે અને તે ગરીબ. ગરીબોનું પેટ પીઠથી રહે છે. તો બાળકોએ ધારણા ખુબ સારી કરવી જોઈએ. આમાં પણ આત્મા અને પરમાત્મા નું જ્ઞાન કેટલું સહજ છે. તમે હવે સમજો છો આપણામાં આત્મા અને પરમાત્મા બંનેનું જ્ઞાન નહોતું. તો પેટ પીઠથી લાગી ગયું ને. મુખ્ય છે જ આત્મા અને પરમાત્મા ની વાત. મનુષ્ય આત્માને જ નથી જાણતા તો પરમાત્મા ને પછી કેવી રીતે જાણી શકશે. કેટલાં મોટા વિદ્વાન, પંડિત વગેરે છે, કોઈ પણ આત્માને નથી જાણતાં. હવે તમને ખબર પડી છે કે આત્મા અવિનાશી છે, તેમાં ૮૪ જન્મોનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે, જે ચાલતો રહે છે. આત્મા અવિનાશી તો પાર્ટ પણ અવિનાશી છે. આત્મા કેવો ઓલરાઉન્ડ (દરેક કાર્ય માં કુશળ) પાર્ટ ભજવે છે-આ કોઈને ખબર નથી. તેઓ તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આપ બાળકોને આદિથી લઈને અંત સુધી પુરું જ્ઞાન છે. તેઓ તો ડ્રામાની આયુ જ લાખો વર્ષ કહી દે છે. હવે તમને બધું જ્ઞાન મળ્યું છે. તમે જાણો છો આ બાપનાં રચેલા જ્ઞાન યજ્ઞ માં આ આખી દુનિયા સ્વાહ: થવાની છે એટલે બાપ કહે છે દેહ સહિત જે કંઈ પણ છે આ બધું ભૂલી જાઓ, સ્વયંને આત્મા સમજો. બાપને અને શાંતિધામ, સ્વીટ હોમ ને યાદ કરો. આ તો છે જ દુઃખધામ. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજાવી શકે છે. હમણાં તમે જ્ઞાન થી તો ભરપૂર છો. બાકી બધી મહેનત છે યાદ માં. જન્મ-જન્માંતરનું દેહ-અભિમાન મટાવીને દેહી-અભિમાની બને, આમાં ઘણી મહેનત છે. કહેવું તો ખુબ સહજ છે પરંતુ સ્વયંને આત્મા સમજે અને બાપને પણ બિંદુ રુપમાં યાદ કરે, આમાં મહેનત છે. બાપ કહે છે હું જે છું, જેવો છું, એવું કોઈ મુશ્કિલ થી યાદ કરી શકે છે. જેવાં બાપ તેવાં બાળકો હોય છે ને. સ્વયંને જાણે તો બાપને પણ જાણી જશે. તમે જાણો છો ભણાવવા વાળા તો એક જ બાપ છે, ભણવાવાળા ઘણાં છે. બાપ રાજધાની કેવી રીતે સ્થાપન કરે છે, તે આપ બાળકો જ જાણો છો. બાકી આ શાસ્ત્ર વગેરે બધું છે ભક્તિમાર્ગની સામગ્રી. સમજાવવાં માટે મારે કહેવું પડે છે. બાકી આમાં ઘૃણા ની કોઈ વાત નથી. શાસ્ત્રોમાં પણ બ્રહ્માનો દિવસ અને રાત કહે છે પરંતુ સમજતા નથી. રાત અને દિવસ અડધો-અડધો હોય છે. સીડી પર કેટલું સહજ સમજાવાય છે.

મનુષ્ય સમજે છે કે ભગવાન તો બહુજ સમર્થ છે એ જે ઈચ્છે તે કરી શકે છે. પરંતુ બાબા કહે છે હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો છું. ભારત પર તો કેટલી આફતો આવતી રહે છે પછી હું ઘડી-ઘડી આવું છું કે? મારા પાર્ટની લિમિટ (મર્યાદા) છે. જયારે પૂરું દુ:ખ થતું જાય છે ત્યારે હું પોતાનાં સમય પર આવું છું. એક સેકન્ડનો પણ ફરક નથી પડતો. ડ્રામામાં દરેકનો એક્યુરેટ પાર્ટ નોંધાયેલો છે. આ છે હાઈએસ્ટ બાપનું રીઇનકારનેશન (અવતરણ). પછી નંબરવાર બધાં આવે છે, ઓછી તાકાતવાળા. આપ બાળકોને હમણાં બાપથી નોલેજ મળ્યું છે જે તમે વિશ્વનાં માલિક બનો છો. તમારામાં ફુલ ફોર્સની (ભરપુર) તાકાત આવે છે. પુરુષાર્થ કરી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. બીજાનાં તો પાર્ટ જ નથી. મુખ્ય છે ડ્રામા જેનું નોલેજ તમને હમણાં મળે છે. બાકી તો બધું છે મટીરીયલ (સામગ્રી) કારણ કે તે બધું આ આંખોથી જોઇ શકાય છે. વન્ડર ઓફ ધ વર્લ્ડ (વિશ્વની અજાયબી) તો બાબા છે, જે પછી રચે પણ સ્વર્ગ છે, જેને હેવિન, પેરેડાઇઝ (વૈકુંઠ) કહે છે. તેની કેટલી મહિમા છે, બાપ અને બાપની રચનાની ખુબ મહિમા છે. ઊંચે થી ઊંચા છે ભગવાન. ઊંચેથી ઊંચાં સ્વર્ગની સ્થાપના બાપ કેવી રીતે કરે છે, આ કોઈ પણ કંઈ પણ નથી જાણતાં. તમે મીઠા-મીઠા બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો અને તે અનુસાર જ પદ પામો છો, જેમણે પુરુષાર્થ કર્યો તે ડ્રામા અનુસાર જ કરે છે. પુરુષાર્થ વગર તો કંઈ મળી ન શકે. કર્મ વગર એક સેકન્ડ પણ રહી નથી શકતા. તે હઠયોગી પ્રાણાયામ ચઢાવી લે છે, જેમકે જડ બની જાય છે, અંદર પડ્યા રહે છે, ઉપર માટી જામી જાય છે, માટીની ઉપર પાણી પડવાથી ઘાસ જામી જાય છે. પરંતુ એનાથી કંઈ ફાયદો નથી. કેટલાં દિવસ આમ બેઠા રહેશે? કર્મ તો જરૂર કરવાનું જ છે. કર્મ સન્યાસી કોઈ બની ન શકે. હાં, ફક્ત ખાવાનું વગેરે નથી બનાવતા એટલે તેમને કર્મ-સંન્યાસી કહી દે છે. આ પણ તેમનો ડ્રામામાં પાર્ટ છે. આ નિવૃત્તિ માર્ગવાળા પણ ન હોત તો ભારતની શું હાલત થઈ જાત? ભારત નંબરવન પ્યોર (પવિત્ર) હતું. બાપ પહેલાં-પહેલાં પ્યોરિટી (પવિત્રતા) સ્થાપન કરે છે, જે પછી અડધોકલ્પ ચાલે છે. બરાબર સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય હતું. ફરી ડીટી (દૈવી) રાજ્ય હવે ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. આવાં સારાં-સારાં સ્લોગન (સુવિચાર) બનાવીને મનુષ્યને સુજાગ કરવા જોઈએ. ફરીથી દૈવી રાજ્ય-ભાગ્ય આવીને લો. હમણાં તમે કેટલું સારી રીતે સમજો છો. કૃષ્ણને શ્યામ-સુંદર કેમ કહે છે-આ પણ હવે તમે જાણો છો. આજકાલ તો બહુજ જ એવાં-એવાં નામ રાખી દે છે. કૃષ્ણ થી કોમ્પિટિશન (હરીફાઈ) કરે છે. આપ બાળકો જાણો છો પતિત રાજાઓ કેવી રીતે પાવન રાજાઓની આગળ જઈને માથું નમાવે છે પરંતુ જાણે થોડી છે. આપ બાળકો જાણો છો જે પૂજ્ય હતાં તે ફરી પૂજારી બની જાય છે. હમણાં તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. આ પણ યાદ રહે તો અવસ્થા ઘણી સારી રહે. પરંતુ માયા સિમરણ કરવા નથી દેતી, ભુલાવી દે છે. સદેવ હર્ષિતમુખ અવસ્થા રહે તો તમને દેવતા કહેવાય. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જોઈ કેટલાં ખુશ થાય છે. રાધે-કૃષ્ણ અથવા રામ વગેરેને જોઈ આટલાં ખુશ નથી થતાં કારણ કે શ્રીકૃષ્ણનાં માટે શાસ્ત્રોમાં હંગામા ની વાતો લખી દીધી છે. આ બાબા બને પણ શ્રી નારાયણ છે ને. બાબા તો આ લક્ષ્મી-નારાયણનાં ચિત્રને જોઈ ખુશ થાય છે. બાળકોને પણ એવું સમજવું જોઈએ, બાકી કેટલો સમય આ જુનાં શરીરમાં હોઈશું ફરી જઈને પ્રિન્સ (રાજકુમાર) બનશે. આ લક્ષ-હેતુ છે ને. આ પણ ફક્ત તમે જાણો છો. ખુશીમાં કેટલું ગદ્દગદ્દ થવું જોઈએ. જેટલું ભણશો તેટલું ઉચ્ચ પદ પામશો, ભણશો નહીં તો શું પદ મળશે? ક્યાં વિશ્વનાં મહારાજા-મહારાણી, ક્યાં સાહૂકાર, પ્રજામાં નોકર-ચાકર. વિષય તો એક જ છે. ફક્ત મનમનાભવ, મધ્યાજીભવ, અલ્ફ અને બે, યાદ અને જ્ઞાન. આમને કેટલી ખુશી થઇ-અલ્ફ ને અલ્લાહ મળ્યાં, બાકી બધું આપી દીધું. કેટલી મોટી લોટરી મળી ગઈ. બાકી શું જોઈએ! તો કેમ નહી બાળકોની અંદરમાં ખુશી રહેવી જોઈએ એટલે બાબા કહે છે એવું ટ્રાન્સલાઈટ નું ચિત્ર બધાને માટે બનાવડાવીએ જે બાળકો જોઇને ખુશ થતાં રહે. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને આ વારસો આપી રહ્યાં છે. મનુષ્ય તો કાંઈ નથી જાણતા. બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. હમણાં તમે તુચ્છ બુદ્ધિ થી સ્વચ્છ બુદ્ધિ બની રહ્યાં છો. બધુંજ જાણી ગયાં છો, બીજું કંઈ ભણવાની દરકાર નથી. આ ભણતરથી તમને વિશ્વની બાદશાહી મળે છે, એટલે બાપને નોલેજફુલ કહે છે. મનુષ્ય પછી સમજે છે દરેકનાં દિલને જાણે છે, પરંતુ બાપ તો નોલેજ આપે છે. શિક્ષક સમજી શકે છે ફલાણા ભણે છે, બાકી આખો દિવસ આ થોડી બેસીને જોશે કે તેમની બુદ્ધિમાં શું ચાલે છે. આ તો વન્ડરફુલ નોલેજ છે. બાપને જ્ઞાનનાં સાગર, સુખ-શાંતિનાં સાગર કહેવાય છે. તમે પણ હમણાં માસ્ટર જ્ઞાન સાગર બનો છો. પછી આ ટાઈટલ (શીર્ષક) ઉડી જશે. પછી સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ બનશો. આ છે મનુષ્યનું ઊંચ પદ. આ સમયે આ છે ઇશ્વરીય પદ. કેટલી સમજવાની અને સમજાવવાની વાતો છે. લક્ષ્મી-નારાયણનું ચિત્ર જોઈ ખુબ ખુશી થવી જોઈએ. આપણે હવે વિશ્વનાં માલિક બનશું. નોલેજથી જ બધાં ગુણ આવે છે. સ્વયંનો લક્ષ-હેતુ જોઈને રીફ્રેશમેન્ટ(તરોતાજ્ગી) આવી જાય છે, એટલે બાબા કહે છે આ લક્ષ્મી-નારાયણનું ચિત્ર તો દરેકની પાસે હોવું જોઈએ. આ ચિત્ર દિલમાં પ્રેમ વધારે છે. દિલમાં આવે છે-બસ, આ મૃત્યુલોકમાં છેલ્લો જન્મ છે. પછી હું અમરલોકમાં જઈને આ બનીશ, તતત્વમ. એવું નહીં કે આત્મા સો પરમાત્મા. ના, આ જ્ઞાન બધું બુદ્ધિમાં બેઠેલું હોય. જ્યારે પણ કોઈને સમજાવો છો, બોલો અમે ક્યારેય પણ કોઈ થી ભીખ નથી માંગતા. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો તો ઘણાં છે. અમે પોતાનાં જ તન-મન-ધનથી સેવા કરીએ છીએ. બ્રાહ્મણ પોતાની કમાણી થી જ યજ્ઞને ચલાવી રહ્યાં છે. શુદ્રોનાં પૈસા ન લગાવી શકાય. અસંખ્ય બાળકો છે તેઓ જાણે છે જેટલું અમે તન-મન-ધનથી સર્વિસ કરીશું, સરેન્ડર (સમર્પણ) થશું એટલું ઊંચ પદ પામશું. જાણે છે બાબાએ બીજ વાવ્યું છે તો આ લક્ષ્મી-નારાયણ બને છે. પૈસા અહીં કામમાં તો આવવાનાં નથી, કેમ નહીં આ કાર્યમાં લગાવી દઈએ. તો શું સરેન્ડર (સમર્પિત) થવાવાળા ભૂખે મરે છે શું? ખુબ સંભાળ થતી રહે છે. બાબાની કેટલી સંભાળ થતી રહે છે. આ તો શિવ બાબાનો રથ છે ને. આખાં વિશ્વને હેવિન (સ્વર્ગ) બનાવવા વાળા છે. આ હસીન મુસાફર છે.

પરમપિતા પરમાત્મા તો આવીને બધાને હસીન બનાવે છે, તમે શ્યામ થી સુંદર હસીન બનો છો ને. કેવાં સલોનાં સાજન છે, આવીને બધાને સુંદર બનાવી દે છે. એમનાં પર તો કુરબાન જવું જોઈએ. યાદ કરતાં રહેવું જોઈએ. જેમ આત્મા ને જોઈ નથી શકતા, જાણી શકીએ છીએં, તેમ પરમાત્મા ને પણ જાણી શકીએ છીએં. દેખાવમાં તો આત્મા-પરમાત્મા બંને એક જેવા બિંદુ છે. બાકી તો બધું નોલેજ છે. આ બહું સમજ ની વાતો છે. બાળકોની બુદ્ધિમાં આ નોંધ રહેવી જોઈએ. બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા થાય છે. ડોક્ટર લોકોને પણ દવાઓ યાદ રહે છે ને. એવું નથી કે તે સમયે બેસી પુસ્તક જોશે. ડોક્ટરની પણ પોઇન્ટસ હોય છે, બેરિસ્ટરની પણ પોઇન્ટસ હોય છે. તમારી પાસે પણ પોઇન્ટસ છે, ટોપિક્સ (વિષય) છે, જેનાં પર સમજાવો છો. કોઈ પોઇન્ટ કોઈને ફાયદો કરી આપે છે, કોઈને કોઈ પોઇન્ટથી તીર લાગી જાય છે. પોઇન્ટ તો બહુજ છે. જે સારી રીતે ધારણ કરશે તે સારી રીતે સર્વિસ કરી શકશે. અડધોકલ્પ થી મહારોગી પેશન્ટ (દર્દી) છે. આત્મા પતિત બની છે, તેમનાં માટે એક અવિનાશી સર્જન દવા આપે છે. એ સદેવ સર્જન જ રહે છે, ક્યારેય બીમાર થતાં નથી. બીજા તો બધાં બીમાર પડી જાય છે. અવિનાશી સર્જન એક જ વાર આવીને મનમનાભવ નું ઇન્જેક્શન લગાવે છે. કેટલું સહજ છે, ચિત્રને પાકીટમાં રાખી દો સદેવ. બાબા નારાયણ નાં પુજારી હતાં તો લક્ષ્મીનું ચિત્ર નીકાળી એકલા નારાયણનું ચિત્ર રાખી દીધું. હવે ખબર પડે છે જેમની અમે પૂજા કરતાં હતાં, તે હવે બની રહ્યાં છીએં. લક્ષ્મીને વિદાય આપી દીધી તો આ પાક્કું છે, હું લક્ષ્મી નહીં બનીશ. લક્ષ્મી બેસીને પગ દબાવે, આ સારું નહોતું લાગતું. તેને જોઈને પુરુષ લોકો સ્ત્રી થી પગ દબાવડાવે છે. ત્યાં થોડી લક્ષ્મી આમ પગ દબાવશે. આ રીત-રિવાજ ત્યાં હોતાં નથી. આ રીવાજ રાવણ રાજ્યનો છે. આ ચિત્રમાં બધું નોલેજ છે. ઉપરમાં ત્રિમૂર્તિ પણ છે, આ નોલેજનું આખો દિવસ સિમરણ કરતાં બહુજ વન્ડર લાગે છે. ભારત હવે સ્વર્ગ બની રહ્યું છે. કેટલી સારી સમજણ છે, ખબર નહીં, મનુષ્યોની બુદ્ધિમાં કેમ નથી બેસતું? આગ બહુજ જોરથી લાગશે, ભંભોરને આગ લાગવાની છે. રાવણ રાજ્ય તો જરૂર ખલાસ થવું જોઈએ. યજ્ઞમાં પણ પવિત્ર બ્રાહ્મણ જોઈએ. આ બહુજ ભારી યજ્ઞ છે - આખા વિશ્વમાં પ્યોરિટી (પવિત્રતા) લાવવા માટે. તે બ્રાહ્મણ પણ ભલે બ્રહ્મા ની સંતાન કહેવાય છે, પરંતુ તે તો કુખ વંશાવલી છે. બ્રહ્માની સંતાન તો પવિત્ર મુખ વંશાવલી હતાં ને. તો તેમને આ સમજાવવું જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વચ્છ બુદ્ધિ બની વન્ડરફુલ જ્ઞાનને ધારણ કરી બાપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનવાનું છે. નોલેજ થી સર્વ ગુણ સ્વયં માં ધારણ કરવાનાં છે.

2. જેમ બાબાએ તન-મન-ધન સર્વિસ માં લગાવ્યું, સરેન્ડર (સમર્પણ) થયા એમ બાપ સમાન પોતાનું બધુંજ ઈશ્વરીય સેવામાં સફળ કરવાનું છે. સદા રિફ્રેશ રહેવાં માટે લક્ષ-હેતુ નું ચિત્ર સાથે રાખવાનું છે.

વરદાન :-
પાસ વિથ ઓનર બનવાનાં માટે પુરુષાર્થની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ રાખવાવાળા યથાર્થ યોગી ભવ

વર્તમાન સમય નાં પ્રમાણે પુરુષાર્થ ની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ જોઈએ ત્યારે અંત માં પાસ વિથ ઓનર બની શકશો કારણ કે તે સમયની પરિસ્થિતિઓ બુદ્ધિમાં અનેક સંકલ્પ લાવવા વાળી હશે, તે સમયે સર્વ સંકલ્પો થી પરે એક સંકલ્પ માં સ્થિત થવાનો અભ્યાસ જોઈએ. જે સમયે વિસ્તાર માં વિખેરાયેલ બુદ્ધિ હોય તે સમયે સ્ટોપ કરવાની પ્રેક્ટિસ જોઈએ. સ્ટોપ કરવું અને થવું. જેટલો સમય ઈચ્છો એટલો સમય બુદ્ધિને એક સંકલ્પ માં સ્થિત કરી લો - આ જ છે યથાર્થ યોગ.

સ્લોગન :-
તમે ઓબીડિયેન્ટ સર્વેન્ટ (આજ્ઞાકારી સેવક) છો એટલે અલમસ્ત ન થઈ શકો. સર્વેન્ટ એટલે સદા સેવા પર ઉપસ્થિત.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાની માટે વિશેષ અભ્યાસ
અવ્યક્ત સ્થિતિમાં રહેવાં માટે બાપની શ્રીમત છે બાળકો, “વિચારો ઓછું, કર્તવ્ય વધુ કરો.” સર્વ ઉલજનો(અડચણો) ને સમાપ્ત કરી ઉજ્જવલ બનો. જૂની વાતો અથવા જુનાં સંસ્કારો રુપી અસ્થિઓને સંપૂર્ણ સ્થિતિ નાં સાગર માં સમાવી દો. જૂની વાતો એવી ભૂલી જાઓ જેમ જૂનાં જન્મની વાતો ભૂલાય જાય છે.