18-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જૂની દુનિયાનાં કાંટાને નવી દુનિયાનાં ફૂલ બનાવવાં - આ આપ હોશિયાર માળી ઓ નું કામ છે ”

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો કઈ શ્રેષ્ઠ તકદીર બનાવો છો?

ઉત્તર :-
કાંટા થી સુંગંધિત ફુલ બનવું - આ છે સૌથી શ્રેષ્ઠ તકદીર. જો એક પણ કોઈ વિકાર છે તો કાંટા છો. જ્યારે કાંટાથી ફૂલ બનો ત્યારે સતોપ્રધાન દેવી-દેવતા બનો. આપ બાળકો હમણાં ૨૧ પેઢીનાં માટે પોતાની સૂર્યવંશી તકદીર બનાવવા આવ્યાં છો.

ગીત :-
તકદીર જગાકર આયી હું …...

ઓમ શાંતિ!
ગીત બાળકોએ સાંભળ્યું. આ તો સામાન્ય ગીત છે કારણ કે તમે છો માળી, બાપ છે બાગવાન. હવે માળીએ કાંટાથી ફૂલ બનાવવાનાં છે. આ અક્ષર બહુજ સ્પષ્ટ છે. ભક્ત આવ્યાં છે ભગવાનની પાસે. આ બધી ભક્તિઓ છે ને. હવે જ્ઞાનનું ભણતર ભણવા બાપની પાસે આવ્યાં છે. આ રાજયોગનાં ભણતરથી જ નવી દુનિયાનાં માલિક બનો છો. તો ભક્તિઓ કહે છે-અમે તકદીર બનાવીને આવ્યાં છીએ, નવી દુનિયા દિલમાં સજાવીને આવ્યા છીએ. બાબા પણ રોજ કહે છે કે સ્વીટ હોમ અને સ્વીટ રાજાઈને યાદ કરો. આત્માએ યાદ કરવાનું છે. દરેક સેવાકેન્દ્ર પર કાંટા થી ફૂલ બની રહ્યાં છે. ફૂલોમાં પણ નંબરવાર હોય છે ને. શિવની ઉપર ફૂલ ચઢાવે, કોઈ કેવું ફૂલ ચઢાવે, કોઈક કેવું. ગુલાબનાં ફૂલ અને અકનાં ફૂલમાં રાત-દિવસનો ફરક છે. આ પણ બગીચો છે. કોઈ મોતીયાનાં ફૂલ છે, કોઈ ચંપાનાં, કોઈ રતન જ્યોત છે. કોઈ અકનાં પણ છે. બાળકો જાણે છે આ સમયે બધાં છે કાંટા. આ દુનિયા જ કાંટાનું જંગલ છે, આને બનાવવાનું છે નવી દુનિયાનાં ફૂલ. આ જૂની દુનિયામાં છે કાંટા, તો ગીતમાં પણ કહે છે અમે બાપની પાસે આવ્યાં છીએં જૂની દુનિયાનાં કાંટા થી નવી દુનિયાના ફૂલ બનવાં. જે બાપ નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. કાંટા થી ફૂલ અર્થાત્ દેવી-દેવતા બનવાનું છે. ગીતનો અર્થ કેટલો સહજ છે. આપણે આવ્યા છીએં - તકદીર જગાડવાં નવી દુનિયાનાં માટે. નવી દુનિયા છે સતયુગ. કોઈની સતોપ્રધાન તકદીર છે, કોઈની રજો, તમો છે. કોઈ સૂર્યવંશી રાજા બને છે, કોઈ પ્રજા બને છે, કોઈ પ્રજાનાં પણ નોકર ચાકર બને છે. આ નવી દુનિયાની રાજાઈ સ્થાપન થઈ રહી છે. સ્કૂલમાં તકદીર જગાડવા જાય છે ને. અહીં તો છે નવી દુનિયાની વાત. આ જૂની દુનિયામાં શું તકદીર બનાવશો! તમે ભવિષ્ય નવી દુનિયામાં દેવતા બનવાની તકદીર બનાવી રહ્યાં છો, જે દેવતાઓને બધાં નમન કરતાં આવ્યાં છે. આપણે જ સો (પહેલાં) દેવતા પૂજ્ય હતાં પછી આપણે જ પૂજારી બન્યાં છીએં. ૨૧ જન્મોનો વારસો બાપ થી મળે છે, જેને ૨૧ પેઢી કહેવાય છે. પેઢી વૃદ્ધ અવસ્થા સુધીને કહેવાય છે. બાપ ૨૧ પેઢીનો વારસો આપે છે કારણ કે યુવા અવસ્થામાં કે બાળપણમાં, વચમાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી એટલે એને કહેવાય છે અમરલોક. આ છે મૃત્યુલોક, રાવણ રાજ્ય. અહીં દરેકમાં વિકારોની પ્રવેશતા છે, જેમાં કોઈ એક પણ વિકાર છે તો કાંટા થયાં ને. બાપ સમજશે માળી રોયલ સુગંધિત ફૂલ બનાવવાનું નથી જાણતાં. માળી સારા હશે તો સારા-સારા ફૂલ તૈયાર કરશે. વિજય માળામાં પરોવાને લાયક ફૂલ જોઈએ. દેવતાઓની પાસે સારા-સારા ફૂલ લઈ જાય છે ને. સમજો રાણી એલિઝાબેથ આવે છે તો એકદમ ફર્સ્ટ ક્લાસ ફૂલોની માળા બનાવીને લઈ જશે. અહીંનાં મનુષ્ય તો છે તમોપ્રધાન. શિવના મંદિરમાં પણ જાય છે, સમજે છે આ ભગવાન છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને તો દેવતા કહે છે. શિવને ભગવાન કહેશે. તો એ ઊંચેથી ઊંચા થયાં ને. હવે શિવનાં માટે કહે છે ધતુરો ખાતાં હતાં, ભાંગ પીતાં હતાં. કેટલી ગ્લાનિ કરે છે. ફૂલ પણ અકનાં લઈ જાય છે. હવે આવાં પરમપિતા પરમાત્મા એમની પાસે શું લઈ જાય છે! તમોપ્રધાન કાંટાની પાસે તો ફર્સ્ટ ક્લાસ ફૂલ લઈ જાય છે અને શિવનાં મંદિરમાં શું લઈ જાય છે! દૂધ પણ કેવું ચઢાવે છે? ૫ ટકા દૂધ બાકી ૯૫ ટકા પાણી. ભગવાનની પાસે દૂધ કેવું ચઢાવવું જોઈએ - જાણતાં તો કાંઈ પણ નથી. હવે તમે સારી રીતે જાણો છો. તમારામાં પણ નંબરવાર છે, જે સારું જાણે છે તેમને સેવાકેન્દ્રનાં હેડ (મુખ્ય) બનાવાય છે. બધાં તો એક જેવાં નથી હોતાં. ભલે ભણતર એક જ છે, મનુષ્ય થી દેવતા બનવાનું જ આ લક્ષ-હેતુ છે, પરંતુ શિક્ષક તો નંબરવાર છે ને. વિજય માળામાં આવવાનો મુખ્ય આધાર છે ભણતર. ભણતર તો એક જ હોય છે, એમાં પાસ તો નંબરવાર થાય છે ને. બધો આધાર ભણતર પર છે. કોઈ તો વિજય માળાનાં ૮ દાણામાં આવે છે, કોઈ ૧૦૮માં, કોઈ ૧૬,૧૦૮ માં. સીજરો (વિભાગ) બનાવે છે ને. જેમ ઝાડનો પણ સીજરો નીકળે છે, પહેલાં-પહેલાં એક પત્તુ, બે પત્તા પછી વધતાં જાય છે. આ પણ ઝાડ છે. સંપ્રદાય હોય છે, જેમ કૃપલાની સંપ્રદાય વગેરે-વગેરે, તે બધાં છે હદનાં સંપ્રદાય. આ છે બેહદનો સંપ્રદાય. આનું પહેલાં-પહેલાં કોણ છે? પ્રજાપિતા બ્રહ્મા. તેમને કહેશું ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. પરંતુ આ કોઈને ખબર નથી. મનુષ્ય-માત્ર જરા પણ નથી જાણતાં કે સૃષ્ટિનાં રચયિતા કોણ છે? બિલકુલ અહિલ્યા જેવાં પથ્થર બુદ્ધિ છે. એવાં જ્યારે બની જાય છે ત્યારે જ બાપ આવે છે.

તમે અહીંયા આવ્યા છો અહિલ્યા બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનવાં. તો નોલેજ પણ ધારણ કરવું જોઈએ ને. બાપને ઓળખવાં જોઈએ અને ભણતર નો વિચાર કરવો જોઈએ. સમજો આજે આવ્યાં છે, કાલે અચાનક શરીર છૂટી જાય છે પછી શું પદ પામી શકશે. નોલેજ તો કાંઈ પણ ઉપાડ્યું નહિં, કાંઈ પણ શીખ્યા નથી તો શું પદ પામશે! દિવસ-પ્રતિદિવસ જે મોડે થી શરીર છોડે છે, એમને સમય તો થોડો મળે છે કારણકે સમય તો ઓછો થતો જાય છે, એમાં જન્મ લઈ શું કરી શકશે. હાં, તમારામાં થી જે જશે તે કોઈ સારા ઘરમાં જન્મ લેશે. સંસ્કાર લઈ જાય છે તો તે આત્મા ઝટ જાગી જશે, શિવબાબાને યાદ કરવા લાગશે. સંસ્કાર જ નહીં પડેલાં હશે તો કાંઈ પણ નહીં થશે. આને બહુજ મહીનતા થી સમજવાનું હોય છે. માળી સારા-સારા ફૂલોને લઈ આવે છે તો તેમની મહિમા પણ ગવાય છે, ફૂલ બનાવવાં તો માળીનું કામ છે ને. એવાં ઘણાં બાળકો છે, જેમને બાપને યાદ કરતાં આવડતું જ નથી. તકદીર ની ઉપર છે ને. તકદીરમાં નથી તો કાંઈ પણ સમજતા નથી. તકદીરવાન બાળકો તો બાપને યથાર્થ રીતે ઓળખીને એમને પૂરી રીતે યાદ કરશે. બાપની સાથે-સાથે નવી દુનિયાને પણ યાદ કરતાં રહેશે. ગીતમાં પણ કહે છે ને-અમે નવી દુનિયાનાં માટે નવી તકદીર બનાવવાં માટે આવ્યાં છીએં. ૨૧ જન્મ માટે બાપ થી રાજ્ય-ભાગ્ય લેવાનું છે. આ નશા અને ખુશીમાં રહે તો આવાં-આવાં ગીતનો અર્થ ઈશારા થી સમજી જાય. સ્કૂલમાં પણ કોઈની તકદીરમાં નથી હોતું તો નપાસ થઈ જાય છે. આ તો ખુબ મોટી પરીક્ષા છે. ભગવાન પોતે બેસી ભણાવે છે. આ નોલેજ બધાં ધર્મવાળા માટે છે. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. તમે જાણો છો કોઈ પણ દેહધારી મનુષ્યને ભગવાન કહી ન શકાય. બ્રહ્મા-વિષ્ણુ-શંકરને પણ ભગવાન નહીં કહેશું. તેઓ પણ સૂક્ષ્મવતન વાસી દેવતાઓ છે. અહીંયા છે મનુષ્ય. અહીં દેવતાઓ નથી. આ છે મનુષ્ય લોક. આ લક્ષ્મી-નારાયણ વગેરે દૈવી ગુણવાળા મનુષ્ય છે, જેમને ડિટીઝમ (દૈવી રાજ્ય) કહેવાય છે. સતયુગમાં બધાં દેવી-દેવતા છે, સૂક્ષ્મવતન માં છે જ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. ગાયન પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ…. પછી કહેશે શિવ પરમાત્માય નમઃ. શિવને દેવતા નહી કહેશે. બીજા મનુષ્યને પછી ભગવાન નથી કહી શકાતું. ત્રણ માળ છે ને. આપણે છીએ ત્રીજા માળ પર. સતયુગનાં જે દૈવી ગુણવાળા મનુષ્ય છે તે જ પછી આસુરી ગુણવાળા બની જાય છે. માયાનું ગ્રહણ લાગવાથી કાળા થઈ જાય છે. જેમ ચંદ્રમાને પણ ગ્રહણ લાગે છે ને. તે છે હદની વાતો, આ છે બેહદની વાત. બેહદનો દિવસ અને બેહદની રાત છે. ગવાય પણ છે બ્રહ્માનો દિવસ અને રાત. તમારે હવે એક બાપ થી જ ભણવાનું છે બાકી બધુંજ ભૂલી જવાનું છે. બાપ દ્વારા ભણવા થી તમે નવી દુનિયાનાં માલિક બનો છો. આ સાચી-સાચી ગીતા પાઠશાળા છે. પાઠશાળામાં હંમેશા નથી રહેતાં. મનુષ્ય સમજે છે ભક્તિમાર્ગ ભગવાનથી મળવાનો માર્ગ છે, જેટલી વધારે ભક્તિ કરશું તો ભગવાન રાજી થશે અને આવીને ફળ આપશે. આ બધી વાતો તમે જ હમણાં સમજો છો. ભગવાન એક છે જે ફળ હમણાં આપી રહ્યાં છે. જે પહેલાં-પહેલાં સૂર્યવંશી પૂજ્ય હતાં, તેમણે જ સૌથી વધારે ભક્તિ કરી છે, તેઓ જ અહીંયા આવશે. તમે જ પહેલાં-પહેલાં શિવબાબાની અવ્યભિચારી ભક્તિ કરી છે તો જરુર તમે જ પહેલાં-પહેલાં ભક્ત થયાં. પછી ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બની જાઓ છો. અડધોકલ્પ તમે ભક્તિ કરી છે, એટલે તમને જ પહેલાં જ્ઞાન આપે છે. તમારામાં પણ નંબરવાર છે.

તમારાં આ ભણતરમાં આ બહાનું ન ચાલી શકે કે અમે દૂર રહીએ છીએ એટલે રોજ નથી ભણી શકતાં. કોઈ કહે છે અમે ૧૦ માઈલ દૂર રહીએ છીએ. અરે, બાબાની યાદમાં તમે ૧૦ માઈલ પણ ચાલીને જાઓ તો ક્યારેય થાક નહીં લાગે. કેટલો મોટો ખજાનો લેવા જાઓ છો. તીર્થો પર મનુષ્ય દર્શન કરવાં માટે પગપાળા જાય છે, કેટલાં ધક્કા ખાય છે. આ તો એક જ શહેરની વાત છે. બાપ કહે છે હું આટલાં દુર થી આવ્યો છું, તમે કહો છો ઘર ૫ માઈલ દૂર છે….વાહ! ખજાનો લેવાં માટે તો દોડતાં આવવું જોઈએ. અમરનાથ પર ફક્ત દર્શન કરવાનાં માટે ક્યાં-ક્યાંથી જાય છે. અહીંયા તો અમરનાથ બાબા સ્વયં ભણાવવા આવ્યાં છે. તમને વિશ્વનાં માલિક બનાવવાં આવ્યો છું. તમે બહાનાં કરતા રહો છો. સવારે અમૃતવેલાએ તો કોઈ પણ આવી શકે છે. તે સમયે કોઇ ડર નથી. કોઈ તમને લૂંટશે પણ નહીં. જો કોઈ ચીજ દાગીના વગેરે હશે તો છીનવશે. ચોરોને જોઈએ જ ધન, પદાર્થ. પરંતુ કોઈની તકદીરમાં નથી તો પછી બહાનાં ખુબ બનાવે છે. ભણતાં નથી તો પોતાનું પદ ગુમાવે છે. બાપ આવે પણ ભારતમાં છે. ભારતને જ સ્વર્ગ બનાવે છે. સેકન્ડમાં જીવનમુક્તિનો રસ્તો બતાવે છે. પરંતુ કોઇ પુરુષાર્થ પણ કરે ને. કદમ જ નહિં ઉઠાવે તો પહોંચી કેવી રીતે શકશે. આપ બાળકો સમજો છો કે આ છે આત્માઓ અને પરમાત્માનો મેળો. બાપની પાસે આવ્યાં છે સ્વર્ગનો વારસો લેવાં, નવી દુનિયાની સ્થાપના થઇ રહી છે. સ્થાપના પૂરી થઇ અને વિનાશ શરુ થઇ જશે. આ એજ મહાભારત ની લડાઈ છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે જ્ઞાનનો ખજાનો આપી રહ્યાં છે, તેને લેવાનાં માટે દોડી-દોડીને આવવાનું છે, આમાં કોઈ પણ પ્રકારનાં બહાનાં નથી આપવાનાં. બાપની યાદમાં ૧૦ માઈલ પણ પગે ચાલવા થી થાક નહીં લાગશે.

2. વિજય માળામાં આવવાનો આધાર ભણતર છે. ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે. કાંટાને ફૂલ બનાવવાની સેવા કરવાની છે. સ્વીટ હોમ અને સ્વીટ રાજાઈને યાદ કરવાની છે.

વરદાન :-
નિશ્ચય રુપી પગને અચળ રાખવાવાળા સદા નિશ્ચયબુદ્ધિ , નિશ્ચિંત ભવ .

સૌથી મોટી બીમારી છે ચિંતા, તેની દવા ડૉક્ટરો ની પાસે પણ નથી. ચિંતા વાળા જેટલાં પ્રાપ્તિની પાછળ દોડે છે એટલી પ્રાપ્તિ આગળ દોડ લગાવે છે એટલે નિશ્ચયનાં પગ સદા અચળ રહે. સદા એક બળ એક ભરોસો-આ પગ અચળ છે તો વિજય નિશ્ચિત છે. નિશ્ચિત વિજયી સદા જ નિશ્ચિંત છે. માયા નિશ્ચય રુપી પગને હલાવવાં માટે ભિન્ન-ભિન્ન રુપ થી આવે છે પરંતુ માયા હલી જાય - તમારો નિશ્ચય રુપી પગ ન હલે તો નિશ્ચિંત રહેવાનું વરદાન મળી જશે.

સ્લોગન :-
દરેક ની વિશેષતાને જોતાં જાઓ તો વિશેષ આત્મા બની જશો.