25-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે , બધાને શાંતિધામ અને
સુખધામ નો રસ્તો બતાવવાનો છે ”
પ્રશ્ન :-
જે સતોપ્રધાન
પુરુષાર્થી છે તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
તે બીજાઓને પણ આપ સમાન બનાવશે. તે અનેકોનું કલ્યાણ કરતાં રહેશે. જ્ઞાન ધનથી ઝોલી
ભરીને દાન કરશે. ૨૧ જન્મોનાં માટે વારસો લેશે અને બીજાઓને પણ અપાવશે.
ગીત :-
ઓમ નમો શિવાય...
ઓમ શાંતિ!
ભક્ત જેમની
મહિમા કરે છે, તમે એમનાં સમ્મુખ બેઠાં છો, તો કેટલી ખુશી થવી જોઈએ. એમને કહે છે
શિવાય નમઃ. તમારે તો નમઃ નથી કરવાનું. બાપને બાળકો યાદ કરે છે, નમઃ ક્યારેય નથી કરતાં.
આ પણ બાપ છે, આમનાં થી તમને વારસો મળે છે. તમે નમઃ નથી કરતાં, યાદ કરો છો. જીવ ની
આત્મા યાદ કરે છે. બાપે આ તનની લોન (ઉધાર) લીધી છે. એ આપણને રસ્તો બતાવી રહ્યાં છે-બાપ
થી બેહદ નો વારસો કેવી રીતે લેવાય છે. તમે પણ સારી રીતે જાણો છો. સતયુગ છે સુખધામ
અને જ્યાં આત્માઓ રહે છે એને કહેવાય છે શાંતિધામ. તમારી બુદ્ધિમાં છે કે આપણે
શાંતિધામનાં વાસી છીએં. આ કળયુગને કહેવાય જ છે દુઃખધામ. તમે જાણો છો આપણે આત્માઓ હવે
સ્વર્ગમાં જવાનાં માટે, મનુષ્ય થી દેવતા બનવાનાં માટે ભણી રહ્યાં છીએં. આ
લક્ષ્મી-નારાયણ દેવતાઓ છે ને. મનુષ્ય થી દેવતા બનવાનું છે નવી દુનિયાનાં માટે. બાપ
દ્વારા તમે ભણો છો. જેટલું ભણશો, ભણતરમાં પુરુષાર્થ કોઈનો વધું હોય છે, કોઈનો ઢીલો
હોય છે. સતોપ્રધાન પુરુષાર્થી જે હોય છે તે બીજાઓને પણ આપ સમાન બનાવવાનો નંબરવાર
પુરુષાર્થ કરાવે છે, અનેકોનું કલ્યાણ કરે છે. જેટલું ધન થી ઝોલી ભરીને અને દાન કરશું
એટલો ફાયદો થશે. મનુષ્ય દાન કરે છે, તેનું બીજા જન્મમાં અલ્પકાળનાં માટે મળે છે.
તેમાં થોડું સુખ બાકી તો દુઃખ જ દુઃખ છે. તમને તો ૨૧ જન્મોનાં માટે સ્વર્ગનાં સુખ
મળે છે. ક્યાં સ્વર્ગનાં સુખ, ક્યાં આ દુઃખ! બેહદનાં બાપ દ્વારા તમને સ્વર્ગમાં
બેહદનું સુખ મળે છે. ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે ને. તે છે ઇનડાયરેકટ. હમણાં તમે
તો સમ્મુખ છો ને. હવે બાપ બેસી સમજાવે છે-ભક્તિમાર્ગ માં ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે
છે તો બીજા જન્મમાં મળે છે. કોઈ સારું કરે છે તો સારું મળે છે, ખરાબ પાપ વગેરે કરે
છે તો તેને તેવું મળે છે. અહીંયા કળયુગમાં તો પાપ જ થતાં રહે છે, પુણ્ય થતું જ નથી.
કરીને અલ્પકાળનાં માટે સુખ મળે છે. હમણાં તો તમે ભવિષ્ય સતયુગમાં ૨૧ જન્મોનાં માટે
સદા સુખી બનો છો. તેનું નામ જ છે સુખધામ. પ્રદર્શનીમાં પણ તમે લખી શકો છો કે
શાંતિધામ અને સુખધામનો આ માર્ગ છે, શાંતિધામ અને સુખધામમાં જવાનો સહજ માર્ગ. હમણાં
તો કળયુગ છે ને. કળયુગ થી સતયુગ, પતિત દુનિયા થી પાવન દુનિયામાં જવાનો સહજ રસ્તો -
વગર કોડી ખર્ચે. તો મનુષ્ય સમજે કારણ કે પથ્થર બુદ્ધિ છે ને. બાપ બિલકુલ સહજ કરી ને
સમજાવે છે. આનું નામ જ છે સહજ રાજયોગ, સહજ જ્ઞાન.
બાપ આપ બાળકોને કેટલાં સેન્સિબુલ (સમજદાર) બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ સેન્સીબુલ છે
ને. ભલે કૃષ્ણનાં માટે શું-શું લખી દીધું છે, તે છે જુઠ્ઠા કલંક. કૃષ્ણ કહે છે મૈયા
મેં નહીં માખન ખાયો...હવે તેનો અર્થ પણ નથી સમજતાં. મેં નહીં માખન ખાયો, તો બાકી
ખાધું કોણે? બાળકને દૂધ પીવડાવાય છે, બાળક માખણ ખાશે કે દૂધ પીશે! આ જે દેખાડ્યું
છે મટકી ફોડી વગેરે-વગેરે - એવી કોઈ વાતો છે નહીં. તે તો સ્વર્ગ નો ફર્સ્ટ પ્રિન્સ
(રાજકુમાર) છે. મહિમા તો એક શિવબાબાની જ છે. દુનિયામાં બીજા કોઈની મહિમા છે નહીં! આ
સમયે તો બધાં પતિત છે પરંતુ ભક્તિમાર્ગની પણ મહિમા છે, ભક્તમાળા પણ ગવાય છે ને.
ફિમેલ્સ (સ્ત્રી) માં મીરાનું નામ છે, મેલ્સ (પુરુષ) માં નારદ મુખ્ય ગવાયેલા છે. તમે
જાણો છો એક છે ભક્ત માળા, બીજી છે જ્ઞાનની માળા. ભક્ત માળા થી રુદ્ર માળાનાં બને છે
પછી રુદ્ર માળા થી વિષ્ણુ ની માળા બને છે. રુદ્ર માળા છે સંગમયુગ ની, આ રહસ્ય આપ
બાળકોની બુદ્ધિમાં છે. આ વાતો તમને બાપ સમ્મુખ બેસી સમજાવે છે. સમ્મુખ જ્યારે બેસો
છો તો તમારાં રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. અહો સૌભાગ્ય-૧૦૦ ટકા દુર્ભાગ્યશાળી થી આપણે
સૌભાગ્યશાળી બનીએ છીએં. કુમારીઓ તો કામ કટારીની નીચે ગઈ નથી. બાપ કહે છે તે છે કામ
કટારી. જ્ઞાન ને પણ કટારી કહે છે. બાપ એ કહ્યું છે જ્ઞાન નાં અસ્ત્ર શસ્ત્ર, તો
તેમણે પછી દેવીઓને સ્થૂળ અસ્ત્ર-શસ્ત્ર આપી દીધાં છે. તે તો છે હિંસક ચીજો.
મનુષ્યોને આ ખબર નથી કે સ્વદર્શન ચક્ર શું છે? શાસ્ત્રોમાં કૃષ્ણને પણ સ્વદર્શન
ચક્ર આપી હિંસા જ હિંસા દેખાડી દીધી છે. હકીકતમાં છે જ્ઞાન ની વાત. તમે હમણાં
સ્વદર્શન ચક્રધારી બન્યાં છો તેમણે પછી હિંસાની વાત દેખાડી દીધી છે. આપ બાળકોને હવે
સ્વ અર્થાત્ ચક્રનું જ્ઞાન મળ્યું છે. તમને બાબા કહે છે-બ્રહ્મા મુખ વંશાવલી
બ્રાહ્મણ કુલ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. આનો અર્થ પણ હમણાં તમે સમજો છો. તમારામાં બધું
૮૪ જન્મોનું અને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન છે. પહેલાં સતયુગમાં એક સૂર્યવંશી ધર્મ છે પછી
ચંદ્રવંશી. બંનેને મળાવીને સ્વર્ગ કહેવાય છે. આ વાતો તમારામાં પણ નંબરવાર બધાની
બુદ્ધિમાં છે. જેમ તમને બાબાએ ભણાવ્યું છે, તમે ભણીને હોશિયાર થયાં છો. હવે તમારે
પછી બીજાઓનું કલ્યાણ કરવાનું છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. જ્યાં સુધી બ્રહ્મા
મુખ વંશાવલી નથી બન્યાં તો શિવબાબાથી વારસો કેવી રીતે લેશો. હમણાં તમે બન્યાં છો
બ્રાહ્મણ. વારસો શિવબાબાથી લઇ રહ્યાં છો. આ ભૂલવું ન જોઈએ. પોઇન્ટ (વાત) નોંધ કરવી
જોઈએ. આ સીડી છે ૮૪ જન્મોની. સીડી ઉતરવામાં તો સહજ હોય છે. જ્યારે સીડી ચઢે છે તો
કમરને હાથ આપી કેવી રીતે ચઢે છે. પરંતુ લિફ્ટ પણ છે. હમણાં બાબા આવે જ છે તમને
લિફ્ટ આપવાં. સેકન્ડમાં ચઢતી કળા થાય છે. હવે આપ બાળકોને તો ખુશી હોવી જોઈએ કે અમારી
ચઢતી કળા છે. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા મળ્યાં છે. એમનાં જેવી પ્રિય ચીજ કોઈ
હોતી નથી. સાધુ-સંત વગેરે જે પણ છે બધાં એ એક માશૂક ને યાદ કરે છે. બધાં તેમના આશિક
છે. પરંતુ એ કોણ છે, આ કાંઈ પણ સમજતાં નથી. ફક્ત સર્વવ્યાપી કહી દે છે.
તમે હમણાં જાણો છો કે શિવબાબા આપણને આમનાં દ્વારા ભણાવે છે. શિવબાબાને પોતાનું શરીર
તો છે નહીં. એ છે પરમ આત્મા. પરમ આત્મા એટલે પરમાત્મા. જેમનું નામ છે શિવ. બાકી બધી
આત્માઓનાં શરીર પર નામ અલગ-અલગ પડે છે. એક જ પરમ આત્મા છે, જેમનું નામ શિવ છે. પછી
મનુષ્યોએ અનેક નામ રાખી દીધાં છે. ભિન્ન-ભિન્ન મંદિર બનાવ્યાં છે. હમણાં તમે અર્થ
સમજો છો. બોમ્બેમાં બાબુલનાથ નું મંદિર છે, આ સમયે તમને કાંટા થી ફૂલ બનાવે છે.
વિશ્વનાં માલિક બનો છો. તો પહેલી વાત મુખ્ય આ છે કે આપણી આત્માઓનાં બાપ એક છે,
એમનાથી જ ભારતવાસીઓને વારસો મળે છે. ભારતનાં આ લક્ષ્મી-નારાયણ માલિક છે ને. ચીનનાં
તો નથી ને. ચીનનાં હોત તો શકલ જ બીજી હોત. આ છે જ ભારતનાં. પહેલાં-પહેલાં ગોરા પછી
શ્યામ બને છે. આત્મા માં જ ખાદ પડે છે, શ્યામ બને છે. ઉદાહરણ આખું આમનાં ઉપર છે.
ભ્રમરી કીડાને ચેન્જ (પરિવર્તન) કરી આપ સમાન બનાવે છે. સન્યાસી શું ચેન્જ કરે છે!
સફેદ કપડાવાળા ને ગેરુ કપડાં પહેરાવીને માથું મૂંડાવી દે છે. તમે તો આ જ્ઞાન લો છો.
આવાં લક્ષ્મી-નારાયણ જેવાં શોભનિક બની જશો. હમણાં તો પ્રકૃતિ પણ તમોપ્રધાન છે, તો આ
ધરતી પણ તમોપ્રધાન છે. નુકસાનકારક છે. આકાશમાં તોફાન લાગે છે, કેટલું નુકસાન કરે
છે, ઉપદ્રવ થતાં રહે છે. હમણાં આ દુનિયામાં છે પરમ દુઃખ. ત્યાં પછી પરમ સુખ હશે.
બાપ પરમ દુઃખ થી પરમ સુખ માં લઈ જાય છે. આનો વિનાશ થાય છે પછી બધું સતોપ્રધાન બની
જાય છે. હમણાં તમે પુરુષાર્થ કરી જેટલો બાપથી વારસો લેવો છે એટલો લઇ લો. નહીં તો
પાછળથી પશ્ચાતાપ કરવો પડશે. બાબા આવ્યાં પરંતુ અમે કાંઈ નહીં લીધું. આ લખેલું છે-ભંભોરને
આગ લાગે છે ત્યારે કુંભકરણની નિંદ્રા થી જાગે છે. પછી હાય-હાય કરી મરી જાય છે.
હાય-હાયનાં પછી ફરી જય-જયકાર થશે. કળયુગમાં હાય-હાય છે ને. એક-બીજાને મારતાં રહે
છે. બહુજ અનેકાનેક મરશે. કળયુગનાં પછી સતયુગ જરૂર થશે. વચમાં આ છે સંગમ. આને
પુરુષોત્તમ યુગ કહેવાય છે. બાપ તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની યુક્તિ સારી બતાવે
છે. ફક્ત કહે છે મને યાદ કરો બીજું કાંઈ પણ નથી કરવાનું. હવે આપ બાળકોએ માથું વગેરે
પણ નથી નમાવાનું. બાબા ને કોઈ હાથ જોડે છે તો બાબા કહે છે, ન તો આપ આત્મા ને હાથ
છે, ન બાપ ને, પછી હાથ કોને જોડો છો. કળયુગી ભક્તિમાર્ગનું એક પણ ચિન્હ ન હોવું
જોઈએ. હેં આત્મા, તમે હાથ કેમ જોડો છો? ફક્ત મુજ બાપ ને યાદ કરો. યાદનો મતલબ કાંઈ
હાથ જોડવાનો નથી. મનુષ્ય તો સૂર્યને પણ હાથ જોડશે, કોઈ મહાત્માને પણ હાથ જોડશે.
તમારે હાથ જોડવાના નથી, આ તો મારું લોન લીધેલું તન છે. પરંતુ કોઈ હાથ જોડે છે તો
રિટર્ન (વળતર) માં જોડવા પડે છે. તમારે તો એ સમજવાનું છે કે આપણે આત્મા છીએ, આપણે આ
બંધનથી છૂટીને હવે પાછાં ઘરે જવાનું છે. આનાથી તો જેમ કે નફરત આવે છે. આ જૂનાં
શરીરને છોડી દેવાનું છે. જેમ સાપનું ઉદાહરણ છે. ભ્રમરીમાં પણ કેટલી અક્કલ છે જે
કીડાને ભ્રમરી બનાવી દે છે. આપ બાળકો પણ, જે વિષય સાગરમાં ગોથા ખાઈ રહ્યાં છે, તેમને
એમાંથી નીકાળી, ક્ષીરસાગર માં લઈ જાઓ છો. હવે બાપ કહે છે - ચલો શાંતિધામ. મનુષ્ય
શાંતિનાં માટે કેટલું માથુ મારે છે. સંન્યાસીઓને સ્વર્ગની જીવનમુક્તિ તો મળતી નથી.
હાં, મુક્તિ મળે છે, દુઃખથી છુટી શાંતિધામમાં બેસી જાય છે. છતાં પણ આત્મા
પહેલાં-પહેલાં તો જીવનમુક્તિ માં આવે છે. પછી ફરી જીવનબંધમાં આવે છે. આત્મા
સતોપ્રધાન છે પછી સીડી ઉતરે છે. પહેલાં સુખ ભોગવી પછી ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બની
જાય છે. હવે ફરી બધાને પાછાં લઈ જવાં માટે બાપ આવ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો
તો તમે પાવન બની જશો.
બાપે સમજાવ્યું છે જે સમયે મનુષ્ય શરીર છોડે છે તો તે સમયે બહુજ તકલીફ ભોગવે છે
કારણ કે સજાઓ ભોગવવી પડે છે. જેમ કાશી કલવટ ખાય છે કારણ કે સાંભળ્યું છે શિવ પર બલિ
ચઢવાથી મુક્તિ મળી જાય છે. તમે હમણાં બલિ ચઢો છો ને, તો ભક્તિમાર્ગ માં પણ પછી તે
વાતો ચાલે છે. તો શિવ પર જઈને બલિ ચઢે છે. હવે બાપ સમજાવે છે પાછાં તો કોઈ જઈ નથી
શકતું. હાં, આટલું બલિહાર થાય છે તો પાપ કપાઈ જાય છે ફરી હિસાબ-કિતાબ નવેસર થી શરુ
થાય છે. તમે આ સૃષ્ટિ ચક્રને જાણી ગયાં છો. આ સમયે બધાની ઉતરતી કળા છે. બાપ કહે છે
હું આવીને સર્વની સદ્દગતિ કરું છું. બધાને ઘરે લઈ જાઉં છું. પતિતો ને તો સાથે નહીં
લઈ જાઉં એટલે હવે પવિત્ર બનો તો તમારી જ્યોત જાગી જશે. લગ્નનાં સમયે સ્ત્રીનાં માથા
પર માટલીમાં જ્યોત જગાવે છે. આ રિવાજ પણ અહીંયા ભારતમાં જ છે. સ્ત્રીનાં માથા પર
માટલીમાં જ્યોત જગાવે છે, પતિનાં ઉપર નથી જગાવતાં, કારણ કે પતિનાં માટે તો ઈશ્વર કહે
છે. ઈશ્વર પર પછી જ્યોત કેવી રીતે જગાવશે. તો બાપ સમજાવે છે. મારી તો જ્યોત જાગેલી
છે. બાપ ને શમા પણ કહે છે. બ્રહમ-સમજી પછી જ્યોતિ ને માને છે, સદેવ જ્યોત જાગતી રહે
છે, એને જ યાદ કરે છે, એને જ ભગવાન સમજે છે. બીજા પછી સમજે છે નાની જ્યોતિ (આત્મા)
મોટી જ્યોતિ (પરમાત્મા) માં સમાઈ જશે. અનેક મતો છે. બાપ કહે છે. તમારો ધર્મ તો અથાહ
સુખ આપવાવાળો છે. તમે સ્વર્ગમાં ખૂબ સુખ જોવો છો. નવી દુનિયામાં તમે દેવતા બનો છો.
તમારું ભણતર છે જ નવી દુનિયાનાં માટે, બીજા બધું ભણતર અહીંયા ને માટે હોય છે. અહીંયા
તમારે ભણીને ભવિષ્ય માં પદ પામવાનું છે. ગીતામાં પણ બરાબર રાજયોગ શીખવાડ્યો છે. પછી
અંતમાં લડાઈ લાગી, કાંઈ પણ નહીં રહ્યું. પાંડવોની સાથે કૂતરો દેખાડે છે. હવે બાપ કહે
છે હું તમને ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી) બનાવું છું. અહીંયા તો અનેક પ્રકારનાં દુઃખ
આપવાવાળા મનુષ્ય છે. કામ કટારી ચલાવી કેટલાં દુઃખી બનાવે છે. તો હવે આપ બાળકોને આ
ખુશી રહેવી જોઈએ કે બેહદનાં બાપ જ્ઞાનનાં સાગર આપણને ભણાવી રહ્યાં છે. મોસ્ટ બિલવેડ
માશૂક છે. આપણે આશિક તેમને અડધોકલ્પ યાદ કરીએ છીએ. તમે યાદ કરતાં આવ્યા છો, હવે બાપ
કહે છે હું આવ્યો છું, તમે મારી મત પર ચાલો. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો.
બીજું ન કોઈ. સિવાય મારી યાદનાં તમારા પાપ ભસ્મ નહીં થશે. દરેક વાતમાં સર્જન થી
સલાહ પૂછતાં રહો. બાબા સલાહ આપશે - આવી-આવી રીતે તોડ નિભાવો. જો સલાહ પર ચાલશો તો
કદમ-કદમ પર પદમ મળશે. સલાહ લીધી તો જવાબદારી છૂટી. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદનાં
બાપ થી બેહદ સુખનો વારસો લેવાનાં માટે ડાયરેક્ટ ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરવાનું છે.
જ્ઞાન ધન થી ઝોલી ભરીને બધાને આપવાનું છે.
2. આ પુરુષોત્તમ યુગ
માં સ્વયં ને સર્વ બંધનોથી મુક્ત કરી જીવનમુક્ત બનાવવાનું છે. ભ્રમરીની જેમ ભૂં-ભૂં
કરી આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
સાધારણ કર્મ
કરતાં પણ ઉંચી સ્થિતિમાં સ્થિત રહેવાવાળા સદા ડબલ લાઈટ ભવ
જેમ બાપ સાધારણ તન લે
છે, જેમ તમે બોલો છો તેમ જ બોલે છે, તેમ જ ચાલે છે તો કર્મ ભલે સાધારણ છે, પરંતુ
સ્થિતિ ઊંચી રહે છે. એમ આપ બાળકોની પણ સ્થિતિ સદા ઊંચી હોય. ડબલ લાઈટ બની ઉંચી
સ્થિતિમાં સ્થિત રહી કોઈ પણ સાધારણ કર્મ કરો. સદેવ એ જ સ્મૃતિ માં રહે કે અવતરિત
થઈને અવતાર બનીને શ્રેષ્ઠ કર્મ કરવાનાં માટે આવ્યાં છીએ. તો સાધારણ કર્મ અલૌકિક
કર્મમાં બદલાઈ જશે.
સ્લોગન :-
આત્મિક
દૃષ્ટિ-વૃત્તિ નો અભ્યાસ કરવાવાળા જ પવિત્રતા ને સહજ ધારણ કરી શકે છે.