13-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
ખેવૈયા આવ્યાં છે તમારી નૌકા પાર લગાવવાં , તમે બાપ થી સાચાં થઈને રહો તો નૌકા હલસે
- ડોલસે પરંતુ ડૂબી નથી શકતી ”
પ્રશ્ન :-
બાપની યાદ
બાળકોને યથાર્થ ન રહેવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
સાકારમાં આવતાં-આવતાં ભૂલી ગયાં છે કે આપણે આત્મા નિરાકાર છીએ અને આપણાં બાપ પણ
નિરાકાર છે, સાકાર હોવાનાં કારણે સાકારની યાદ સહજ આવી જાય છે. દેહી-અભિમાની બની
સ્વયંને બિંદુ સમજી બાપને યાદ કરવાં-આમાં જ મહેનત છે.
ઓમ શાંતિ!
શિવ
ભગવાનુવાચ. આમનું નામ તો શિવ નથી ને. આમનું નામ છે બ્રહ્મા અને આમનાં દ્વારા વાત
કરે છે શિવ ભગવાનુવાચ. આ તો બહુજ વાર સમજાવ્યું છે કોઈ મનુષ્યને કે દેવતાને અથવા
સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને ભગવાન નથી કહેવાતાં. જેમનો કોઇ આકાર અથવા
સાકાર ચિત્ર છે તેમને ભગવાન ન કહી શકાય. ભગવાન કહેવાય જ છે બેહદનાં બાપને. ભગવાન
કોણ છે, આ કોઈને પણ ખબર નથી. નેતી-નેતી કહે છે અર્થાત્ અમે નથી જાણતાં. તમારા માં
પણ બહુજ થોડાં છે જે યથાર્થ રીતે જાણે છે. આત્મા કહે છે-હેં ભગવાન. હવે આત્મા તો છે
બિંદુ. તો બાપ પણ બિંદુ જ હશે. હવે બાપ બાળકોને બેસી સમજાવે છે. બાબાની પાસે ૩૦-૩૫
વર્ષનાં પણ બાળકો છે, જે આપણે આત્મા કેવું બિંદુ છીએ, આ પણ નથી સમજતાં! કોઈ તો સારી
રીતે સમજે છે, બાપને યાદ કરે છે. બેહદનાં બાપ છે સાચાં હીરા. હીરાને બહુજ સારી
ડબ્બીમાં રખાય છે. કોઈની પાસે સારા હીરા હોય છે તો કોઈ ને દેખાડવા હોય તો
સોના-ચાંદીની ડબ્બીમાં રાખી પછી દેખાડે છે. હીરાને ઝવેરી જ જાણે બીજા કોઈ જાણી ન
શકે. ખોટો હીરો બતાવે તો પણ કોઈને ખબર ન પડે. એવાં બહુજ ઠગી જાય છે. તો હવે સાચાં
બાપ આવ્યાં છે, પરંતુ જુઠ્ઠા પણ એવાં-એવાં છે જે મનુષ્યને કાંઈ પણ ખબર નથી પડતી.
ગવાય પણ છે સત્યની નાવ (નૌકા) હલે-ડોલે પણ ડૂબે નહીં. જુઠ્ઠાની નાવ હલતી નથી, આમને
કેટલું હલાવવાની કોશિશ કરે છે. જે અહીંયા આ નાવમાં બેઠેલાં છે તે પણ હલાવવાની કોશિશ
કરે છે. ટ્રેટર (દગાબાજ) ગવાય છે ને. હવે આપ બાળકો જાણો છો કે ખેવૈયા બાપ આવેલાં
છે. બાગવાન પણ છે. બાપ એ સમજાવ્યું છે આ છે કાંટાનું જંગલ. બધાં પતિત છે ને. કેટલું
જુઠ્ઠ છે. સાચાં બાપને કોઈ વિરલા જાણે છે. અહીંયા વાળા પણ કોઇ પૂરું નથી જાણતાં,
પૂરી ઓળખ નથી, કારણ કે ગુપ્ત છે ને. ભગવાનને યાદ તો બધાં કરે છે, એ પણ જાણે છે કે એ
નિરાકાર છે. પરમધામમાં રહે છે. આપણે પણ નિરાકાર આત્મા છીએ - આ નથી જાણતાં. સાકારમાં
બેઠાં-બેઠાં આ ભૂલી ગયાં છે. સાકારમાં રહેતાં-રહેતાં સાકાર જ યાદ આવી જાય છે. આપ
બાળકો હમણાં દેહી-અભિમાની બનો છો. ભગવાનને કહેવાય છે-પરમપિતા પરમાત્મા. આ સમજવું તો
બિલકુલ સહજ છે. પરમપિતા અર્થાત્ પરે થી પરે રહેવાવાળા પરમ આત્મા. તમને કહેવાય છે
આત્મા. તમને પરમ નહીં કહેશે. તમે તો પુનર્જન્મ લો છો ને. આ વાતો કોઈ પણ નથી જાણતું.
ભગવાનને પણ સર્વવ્યાપી કહી દે છે. ભક્ત ભગવાનને શોધે છે, પહાડો પર, તીર્થો પર, નદીઓ
પર પણ જાય છે. સમજે છે નદી પતિત-પાવની છે, તેમાં સ્નાન કરી અમે પાવન બની જઈશું.
ભક્તિમાર્ગમાં આ પણ કોઈને ખબર નથી પડતી કે અમને જોઈએ છે શું! ફક્ત કહી દે છે મુક્તિ
જોઇએ, મોક્ષ જોઇએ કારણ કે અહીં દુઃખી હોવાનાં કારણે હેરાન છે. સતયુગમાં કોઈ મોક્ષ
અથવા મુક્તિ થોડી માગે છે. ત્યાં ભગવાનને કોઈ બોલાવતાં નથી, અહીં દુઃખી હોવાનાં
કારણે બોલાવે છે. ભક્તિથી કોઈનું દુઃખ હરી નથી શકાતું. ભલે કોઈ આખો દિવસ રામ-રામ
બેસીને જપે, તો પણ દુઃખ હરી નથી શકતાં. આ છે જ રાવણ રાજ્ય. દુઃખ તો ગળાથી જાણે
બંધાયેલું છે. ગાએ પણ છે દુઃખમાં સિમરણ સહું કરે સુખમાં કરે ન કોઈ. એનો મતલબ જરૂર
સુખ હતું, હવે દુઃખ છે. સુખ હતું સતયુગમાં, દુઃખ છે હમણાં કળયુગમાં એટલે આને
કાંટાનું જંગલ કહેવાય છે. પહેલો નંબર છે દેહ-અભિમાનનો કાંટો. પછી છે કામનો કાંટો.
હમણાં બાપ સમજાવે છે - તમે આ આંખોથી જે કાંઈ જુઓ છો તે વિનાશ થવાનું છે. હવે તમારે
ચાલવાનું છે શાંતિધામ. પોતાનાં ઘર ને અને રાજધાની ને યાદ કરો. ઘરની યાદનાં
સાથે-સાથે બાપની યાદ પણ જરૂરી છે કારણ કે ઘર કોઈ પતિત-પાવન નથી. તમે પતિત-પાવન બાપ
ને કહો છો. તો બાપ ને જ યાદ કરવાં પડે. તેઓ કહે છે મામેકમ્ યાદ કરો. મને જ બોલાવો
છો ને-બાબા, આવીને પાવન બનાવો. જ્ઞાન નાં સાગર છે તો જરૂર મુખ થી આવીને સમજાવવું
પડે. પ્રેરણા તો નહીં કરશે. એક તરફ શિવજયંતી પણ મનાવે છે, બીજી તરફ પછી કહે છે
નામ-રુપથી ન્યારા છે. નામ-રુપ થી ન્યારી ચીજ તો કોઈ હોતી નથી. પછી કહી દે છે
ઠીક્કર-ભિત્તર બધામાં છે. અનેક મત છે ને. બાપ સમજાવે છે તમને ૫ વિકારો રુપી રાવણે
તુચ્છ બુદ્ધિ બનાવી દીધાં છે એટલે દેવતાઓની આગળ જઈને નમસ્તે કરે છે. કોઈ તો નાસ્તિક
હોય છે, કોઈને પણ માનતા નથી. અહીંયા બાપની પાસે તો આવે છે જ બ્રાહ્મણ, જેમને ૫ હજાર
વર્ષ પહેલાં પણ સમજાવ્યું હતું. લખેલું પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા
સ્થાપના કરે છે તો બ્રહ્માની સંતાન થયાં. પ્રજાપિતા બ્રહ્મા તો પ્રખ્યાત છે. જરૂર
બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ પણ હશે. હમણાં તમે શુદ્ર ધર્મથી નીકળી બ્રાહ્મણ ધર્મમાં આવ્યાં
છો. વાસ્તવમાં હિન્દુ કહેવડાવવા વાળા પોતાનાં અસલી ધર્મને જાણતાં નથી એટલે ક્યારેક
કોઈને માનશે, ક્યારેક કોઈને માનશે. અનેકોની પાસે જતાં રહેશે. ક્રિશ્ચન લોકો ક્યારેય
કોઈની પાસે જશે નહીં. હમણાં તમે સિદ્ધ કરી બતાવો છો-ભગવાન બાપ કહે છે મને યાદ કરો.
એક દિવસ સમાચાર પત્રમાં પણ આવશે કે ભગવાન કહે છે - મને યાદ કરવાથી જ તમે પતિત થી
પાવન બની જશો. જ્યારે વિનાશ નજીક હશે ત્યારે સમાચાર પત્રો દ્વારા પણ આ અવાજ કાનો પર
પડશે. સમાચાર પત્રોમાં તો ક્યાં-ક્યાંથી સમાચાર આવે છે ને. હમણાં પણ નાખી શકો છો.
ભગવાનુવાચ-પરમપિતા પરમાત્મા શિવ કહે છે-હું છું પતિત-પાવન, મને યાદ કરો તો તમે પાવન
બની જશો. આ પતિત દુનિયાનો વિનાશ સામે ઊભો છે. વિનાશ જરૂર થવાનો છે, આ પણ બધાને
નિશ્ચય થઈ જશે. રિહર્સલ (પૂર્વ અભ્યાસ) પણ થતી રહેશે. આપ બાળકો જાણો છો જ્યાં સુધી
રાજધાની સ્થાપન નથી થઈ ત્યાં સુધી વિનાશ નહીં થશે, અર્થક્વેક (ધરતીકંપ) વગેરે પણ
થવાનો છે ને. એક તરફ બોમ્બસ ફુટશે બીજી તરફ નેચરલ કેલામીટીજ (કુદરતી આપદાઓ) પણ
આવશે. અન્ન વગેરે નહીં મળે, સ્ટીમર નહીં આવશે, ફેમન (દુકાળ) પડી જશે, ભૂખે
મરતાં-મરતાં ખતમ થઇ જશે. ભૂખ હડતાલ જે કરે છે તે પછી કાંઈને કાંઈ પાણી અથવા મધ
(શહદ) વગેરે લેતાં રહે છે. વજન માં હલકા થઇ જાય છે. અહીંયા તો બેઠાં-બેઠાં અચાનક
અર્થકવેક થશે, મરી જશે. વિનાશ તો જરૂર થવાનો છે. સાધુ-સંત વગેરે એવું નહીં કહે કે
વિનાશ થવાનો છે કે એટલે રામ-રામ કહો. મનુષ્ય તો ભગવાનને જ નથી જાણતાં. ભગવાન તો
પોતે જ પોતાને જાણે, બીજા ન જાણે કોઈ. એમનો સમય છે આવવાનો. જે પછી આ વૃદ્ધ તનમાં
આવીને આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું નોલેજ સંભળાવે છે. આપ બાળકો જાણો છો હવે પાછાં
જવાનું છે. આમાં તો ખુશ થવું જોઈએ. આપણે શાંતિધામ જઈએ છીએં. મનુષ્ય શાંતિ જ ઈચ્છે
છે પરંતુ શાંતિ કોણ આપે? કહે છે ને-શાંતિ દેવા...હવે દેવો નાં દેવ તો એક જ ઊંચેથી
ઊંચા બાપ છે. એ કહે છે હું તમને બધાને પાવન બનાવીને લઈ જઈશ. એક ને પણ નહીં છોડું.
ડ્રામા અનુસાર બધાને જવાનું જ છે. ગવાયેલું છે મચ્છર સદ્રશ્ય બધી આત્માઓ જાય છે. આ
પણ જાણે છે સતયુગમાં બહુજ થોડાં મનુષ્ય હોય છે. હમણાં કળયુગ અંતમાં કેટલાં અઢળક
મનુષ્ય છે પછી થોડાં કેવી રીતે હશે? હમણાં છે સંગમ. તમે સતયુગમાં જવાનાં માટે
પુરુષાર્થ કરો છો. જાણો છો આ વિનાશ થશે. મચ્છરો સદ્રશ્ય આત્માઓ જશે. આખું ઝુંડ
ચાલ્યું જશે. સતયુગમાં બહુજ થોડાં રહેશે.
બાપ કહે છે કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો, જોવા છતાં આપણે નથી જોતાં. આપણે આત્મા
છીએ, આપણે આપણા ઘરે જઈશું. ખુશી થી જૂનું શરીર છોડી દેવાનું છે. પોતાનાં શાંતિધામ
ને યાદ કરતાં રહેશું તો અંત મતિ સો ગતિ થઈ જશે. એક બાપને યાદ કરવાં, આમાં જ મહેનત
છે. મહેનત વગર ઊંચ પદ થોડી મળશે. બાપ આવે જ છે તમને નર થી નારાયણ બનાવવાં માટે. હવે
આ જૂની દુનિયામાં કોઈ ચેન નથી. ચેન છે જ શાંતિધામ અને સુખધામમાં. અહીંયા તો
ઘર-ઘરમાં અશાંતિ છે, માર-પીટ છે. બાપ કહે છે હવે આ છી-છી દુનિયાને ભૂલો. મીઠા-મીઠા
બાળકો, હું તમારાં માટે સ્વર્ગની સ્થાપના કરવાં આવ્યો છું, આ નર્કમાં તમે પતિત બની
ગયાં છો. હવે સ્વર્ગમાં ચાલવાનું છે. હવે બાપને અને સ્વર્ગને યાદ કરો તો અંત મતિ સો
ગતી થઈ જશે. લગ્ન વગેરેમાં ભલે જાઓ પરંતુ યાદ બાપને કરો. નોલેજ બધું બુદ્ધિમાં
રહેવું જોઈએ. ભલે ઘરમાં રહો, બાળકો વગેરેની સંભાળ કરો પરંતુ બુદ્ધિમાં યાદ
રાખો-બાબાનું ફરમાન છે મને યાદ કરો. ઘર છોડવાનું નથી. નહીં તો બાળકોની સંભાળ કોણ
કરશે? ભક્ત લોકો ઘરમાં રહે છે, ગૃહસ્થ વ્યવહારમાં રહે છે તો પણ ભક્ત કહેવાય છે,
કારણ કે ભક્તિ કરે છે, ઘર-બાર સંભાળે છે. વિકારમાં જાય છે તો પણ ગુરુ લોકો તેમને
કહે છે કૃષ્ણને યાદ કરો તો તેમનાં જેવું બાળક આવશે. આ વાતોમાં હવે આપ બાળકોએ નથી
જવાનું કારણ કે તમને હવે સતયુગમાં જવાની વાતો સંભળાવાય છે, જેની સ્થાપના થઇ રહી છે.
વૈકુંઠ ની સ્થાપના કંઈ કૃષ્ણ નથી કરતાં, કૃષ્ણ તો માલિક બન્યાં છે. બાપ થી વારસો
લીધો છે. સંગમનાં સમયે જ ગીતાનાં ભગવાન આવે છે. કૃષ્ણને ભગવાન નહીં કહેશું. આ તો
ભણવાવાળા થયાં. ગીતા સંભળાવી બાપે અને બાળકોએ સાંભળી. ભક્તિમાર્ગમાં પછી બાપનાં
બદલે બાળકનું નામ નાખી દીધું છે. બાપને ભૂલી ગયાં છે ગીતા પણ ખંડન થઇ ગઇ. તે ખંડન
થયેલી ગીતા વાંચવાથી શું થશે. બાપ તો રાજયોગ શીખવાડીને ગયાં, એનાથી કૃષ્ણ સતયુગનાં
માલિક બન્યાં. ભક્તિમાર્ગમાં સત્યનારાયણની કથા સાંભળવાથી કોઈ સ્વર્ગ નાં માલિક બનશે
શું? ન કોઈ આ વિચારથી સાંભળે છે, એનાથી ફાયદો કાંઈ નથી મળતો. સાધુ-સંત વગેરે
પોત-પોતાનાં મંત્ર આપે છે, ફોટો આપે છે. અહીંયા તે કોઈ વાત નથી. બીજા સતસંગો માં
જશે તો કહેશે ફલાણા સ્વામીની કથા છે. કોની કથા? વેદાંતની કથા, ગીતાની કથા, ભાગવતની
કથા. હવે આપ બાળકો જાણો છો આપણને ભણાવવા વાળા કોઈ દેહધારી છે નહીં, ન કોઈ શાસ્ત્ર
વગેરે કાંઈ ભણેલા છે. શિવબાબા કોઈ શાસ્ત્ર ભણેલાં છે શું! ભણે છે મનુષ્ય. શિવબાબા
કહે છે-હું ગીતા વગેરે કાંઈ ભણેલો નથી. આ રથ જેમાં બેઠો છું, આ ભણેલાં છે, હું નથી
ભણેલો. મારામાં તો આ સૃષ્ટિ ચક્રનાં આદિ-મધ્ય-અતનું જ્ઞાન છે. આ રોજ ગીતા વાંચતા
હતાં. પોપટ ની જેમ કંઠસ્થ કરી લેતાં હતાં, જ્યારે બાપે પ્રવેશ કર્યો તો ઝટ ગીતા
છોડી દીધી કારણ કે બુદ્ધિમાં આવી ગયું આ તો શિવબાબા સંભળાવે છે.
બાપ કહે છે હું તમને સ્વર્ગ ની બાદશાહી આપું છું તો હવે જૂની દુનિયા થી મમત્વ મટાવી
દો. ફક્ત મામેકમ્ યાદ કરો. આ મહેનત કરવાની છે. સાચાં આશિક ને ઘડી-ઘડી માશૂકની યાદ જ
આવતી રહે છે. તો હવે બાપની યાદ પણ એવી પાક્કી રહેવી જોઈએ. પારલૌકિક બાપ કહે
છે-બાળકો મને યાદ કરો અને સ્વર્ગનાં વારસા ને યાદ કરો. આમાં બીજો કાંઈ પણ અવાજ
કરવાની, ઝાંઝ વગેરે વગાડવાની કોઈ દરકાર નથી. ગીત પણ કોઈ સારા-સારા આવે છે તો વગાડાય
છે, જેનો અર્થ પણ તમને સમજાવે છે. ગીત બનાવવા વાળા પોતે કંઇ પણ નથી જાણતાં. મીરા
ભક્તિણ હતી, તમે તો હમણાં જ્ઞાની છો. બાળકોથી જ્યારે કોઈ કામ ઠીક નથી થતું તો બાબા
કહે તમે તો જાણે ભક્ત છો. તો તે સમજી જાય છે બાબાએ અમને આવું કેમ કહ્યું? બાપ
સમજાવે છે-બાળકો હવે બાપ ને યાદ કરો, પૈગંબર બનો, મેસેન્જર બનો, બધાને આ જ પૈગામ
(સંદેશ) આપો કે બાપ અને વારસા ને યાદ કરો તો જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થઈ જશે.
હવે પાછાં ઘરે જવાનો સમય છે. ભગવાન એક જ નિરાકાર છે, એમને પોતાનો દેહ છે નહિ. બાપ જ
પોતાનો પરિચય બેસીને આપે છે. મનમનાભવ નો મંત્ર આપે છે. સાધુ-સન્યાસી વગેરે એવું
ક્યારેય નહીં કહે કે હવે વિનાશ થવાનો છે, બાપને યાદ કરો. બાપ જ બ્રાહ્મણ બાળકોને
યાદ અપાવે છે. યાદથી હેલ્થ (તંદુરસ્તી), ભણવાથી વેલ્થ (સંપત્તિ) મળશે. તમે કાળ પર
જીત પામો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. દેવતાઓએ કાળ પર વિજય પ્રાપ્ત
કરેલી છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એવું કોઈ
કર્મ નથી કરવાનું જે બાપ દ્વારા ભક્તનું ટાઇટલ (શીર્ષક) મળે. પૈગંબર બની બધાને બાપ
અને વારસો ને યાદ કરવાનો પૈગામ (સંદેશ) આપવાનો છે.
2. આ જૂની દુનિયામાં
કોઈ ચેન નથી, આ છી-છી દુનિયા છે આને ભૂલતાં જવાનું છે. ઘરની યાદ સાથે-સાથે પાવન
બનવાનાં માટે બાપને પણ જરૂર યાદ કરવાનાં છે.
વરદાન :-
ત્યાગ ,
તપસ્યા અને સેવા ભાવ ની વિધિ દ્વારા સદા સફળતા સ્વરુપ ભવ
ત્યાગ અને તપસ્યા જ
સફળતાનો આધાર છે. ત્યાગની ભાવનાવાળા જ સાચાં સેવાધારી બની શકે છે. ત્યાગથી જ
સ્વયંનું અને બીજાઓનું ભાગ્ય બને છે. અને દૃઢ સંકલ્પ કરવો-આજ તપસ્યા છે. તો ત્યાગ,
તપસ્યા અને સેવાનાં ભાવથી અનેક હદનાં ભાવ સમાપ્ત થઈ જાય છે. સંગઠન શક્તિશાળી બને
છે. એકએ કહ્યું બીજાએ કર્યુ, ક્યારેય પણ તું હું, મારું તારું ન આવે તો સફળતા
સ્વરુપ, નિર્વિઘ્ન બની જશો.
સ્લોગન :-
સંકલ્પ દ્વારા
પણ કોઈને દુઃખ ન આપવું-આ જ સંપૂર્ણ અહિંસા છે.