07-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
પોતાનાં યોગબળ થી આખી સૃષ્ટિને પાવન બનાવવાની છે , તમે યોગબળ થી જ માયા પર જીત
પામીને જગતજીત બની શકો છો ”
પ્રશ્ન :-
બાપનો પાર્ટ
શું છે, એ પાર્ટ ને આપ બાળકોએ કયા આધાર પર જાણ્યો છે?
ઉત્તર :-
બાપનો પાર્ટ છે-બધાનાં દુઃખ હરીને સુખ આપવું, રાવણની જંજીરો થી છોડાવવાં. જ્યારે
બાપ આવે છે તો ભક્તિ ની રાત પૂરી થાય છે. બાપ તમને સ્વયં પોતાનો અને પોતાની મિલકતનો
પરિચય આપે છે. તમે એક બાપને જાણવાથી જ બધું જાણી જાઓ છો.
ગીત :-
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો ……..
ઓમ શાંતિ!
બાળકોએ ઓમ્
શાંતિ નો અર્થ સમજ્યો છે, બાપ એ સમજાવ્યું છે આપણે આત્મા છીએ, આ સૃષ્ટિ ડ્રામાની
અંદર આપણો મુખ્ય પાર્ટ છે. કોનો પાર્ટ છે? આત્મા શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. તો
બાળકોને હવે આત્મ-અભિમાની બનાવી રહ્યાં છે. આટલો સમય દેહ-અભિમાની હતાં. હવે સ્વયંને
આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. આપણાં બાબા આવેલાં છે ડ્રામા પ્લાન અનુસાર. બાપ
આવે પણ છે રાત્રિમાં. ક્યારે આવે છે-તેની તિથિ-તારીખ કાંઈ નથી. તિથિ-તારીખ તેમની
હોય છે જે લૌકીક જન્મ લે છે. આ તો છે પારલૌકિક બાપ. એમનો લૌકિક જન્મ નથી. કૃષ્ણની
તિથિ, તારીખ, સમય વગેરે બધું આપે છે. આમનો તો કહેવાય છે દિવ્ય જન્મ. બાપ આમનામાં
પ્રવેશ કરી બતાવે છે કે આ બેહદનો ડ્રામા છે. એમાં અડધોકલ્પ છે રાત. જ્યારે રાત
અર્થાત્ ઘોર અંધકાર હોય છે ત્યારે હું આવું છું. તિથિ-તારીખ કોઈ નથી. આ સમયે ભક્તિ
પણ તમોપ્રધાન છે. અડધો કલ્પ છે બેહદનો દિવસ. બાપ સ્વયં કહે છે મેં આમનામાં પ્રવેશ
કર્યો છે. ગીતા માં છે ભગવાનુવાચ, પરંતુ ભગવાન મનુષ્ય હોઈ ન શકે. કૃષ્ણ પણ દૈવી
ગુણોવાળા છે. આ મનુષ્ય લોક છે. આ દેવલોક નથી. ગાએ પણ છે બ્રહ્મા દેવતાય નમઃ…...તે
છે સૂક્ષ્મવતનવાસી. બાળકો જાણે છે ત્યાં હાડકા-માસ નથી હોતાં. તે છે સૂક્ષ્મ સફેદ
પડછાયો. જ્યારે મૂળવતનમાં છે તો આત્માને ન સૂક્ષ્મશરીર પડછાયાવાળું છે, ન કે હાડકા
વાળું છે. આ વાતોને કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. બાપ જ આવીને સંભળાવે છે,
બ્રાહ્મણ જ સાંભળે છે, બીજા કોઈ નથી સાંભળતા. બ્રાહ્મણ વર્ણ હોય છે જ ભારતમાં, તે
પણ ત્યારે હોય છે જ્યારે પરમપિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મની
સ્થાપના કરે છે. હવે આમને રચતા પણ નહીં કહેવાશે. નવી રચના કોઈ રચતા નથી. ફક્ત
કાયાકલ્પ કરે છે. બોલાવે પણ છે-હેં બાબા, પતિત દુનિયામાં આવીને અમને પાવન બનાવો.
હમણાં તમને પાવન બનાવી રહ્યાં છે. તમે પછી યોગબળ થી આ સૃષ્ટિ ને પાવન બનાવી રહ્યાં
છો. માયા પર તમે જીત પામીને જગતજીત બનો છો. યોગબળને વિજ્ઞાનબળ પણ કહેવાય છે.
ઋષિ-મુની વગેરે બધાં શાંતિ ઈચ્છે છે પરંતુ શાંતિનો અર્થ તો જાણતાં નથી. અહીંયા તો
જરૂર પાર્ટ ભજવવાનો છે ને. શાંતિધામ છે સ્વીટ સાઈલેન્સ હોમ. આપ આત્માઓને હવે એ ખબર
છે કે આપણું ઘર શાંતિધામ છે. અહીંયા આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. બાપને પણ બોલાવે
છે-હેં પતિત-પાવન, દુઃખહર્તા, સુખકર્તા આવો, અમને આ રાવણની જંજીરો થી છોડાવો. ભક્તિ
છે રાત, જ્ઞાન છે દિવસ. રાત મુર્દાબાદ થાય છે, પછી જ્ઞાન જિંદાબાદ થાય છે. આ રમત છે
સુખ અને દુઃખની. તમે જાણો છો પહેલાં આપણે સ્વર્ગમાં હતાં પછી ઉતરતાં-ઉતરતાં આવીને
નીચે હેલમાં પડ્યાં છીએ. કળયુગ ક્યારે ખલાસ થશે પછી સતયુગ ક્યારે આવશે, આ કોઈ નથી
જાણતું. તમે બાપને જાણવાથી બાપ દ્વારા બધુંજ જાણી ગયાં છો. મનુષ્ય ભગવાન ને શોધવાં
માટે કેટલાં ધક્કા ખાય છે. બાપ ને જાણતાં જ નથી. જાણે ત્યારે જ્યારે બાપ આવીને
પોતાનો અને મિલકત નો પરિચય આપે. વારસો બાપથી જ મળે છે, માં થી નહીં. આમને મમ્મા પણ
કહે છે, પરંતુ એમનાથી વારસો નથી મળતો, આમને યાદ પણ નથી કરવાનાં. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર પણ શિવનાં બાળક છે-આ પણ કોઈ નથી જાણતું. બેહદની આખી દુનિયાનાં રચયિતા એક જ બાપ
છે. બાકી બધી છે તેમની રચના અથવા હદનાં રચયિતા. હવે આપ બાળકોને બાપ કહે છે મને યાદ
કરો તો તમારાં વિકર્મ વિનાશ થાય. મનુષ્ય બાપને નથી જાણતાં તો કોને યાદ કરે? એટલે
બાપ કહે છે કેટલાં નિધનનાં બની ગયાં છે. આ પણ ડ્રામા માં નોંધ છે.
ભક્તિ અને જ્ઞાન બંનેમાં સૌથી શ્રેષ્ઠ કર્મ છે-દાન કરવું. ભક્તિમાર્ગ માં ઈશ્વર
અર્થ દાન કરે છે. શેના માટે? કોઈ કામના તો જરૂર રહે છે. સમજે છે જેવું કર્મ કરશું
તેવું ફળ બીજા જન્મમાં પામશું, આ જન્મમાં જે કરશે તેનું ફળ બીજા જન્મમાં પામશે.
જન્મ-જન્માંતર નહીં પામશે. એક જન્મનાં માટે ફળ મળે છે. સૌથી સારામાં સારું કર્મ હોય
છે દાન. દાની ને પુણ્યાત્મા કહેવાય છે. ભારતને મહાદાની કહેવાય છે. ભારતમાં જેટલું
દાન થાય છે એટલું બીજા કોઈ ખંડમાં નથી. બાપ પણ આવીને બાળકોને દાન કરે છે, બાળકો પછી
બાપને દાન કરે છે. કહે છે બાબા તમે આવશો તો અમે પોતાનું તન-મન-ધન બધું તમારાં હવાલે
કરી દઈશું. તમારાં વગર અમારું કોઈ નથી. બાપ પણ કહે છે મારાં માટે આપ બાળકો જ છો. મને
કહે છે જ હેવનલી ગોડફાધર અર્થાત્ સ્વર્ગની સ્થાપના કરવાવાળા. હું આવીને તમને
સ્વર્ગની બાદશાહી આપું છું. બાળકો મારા અર્થ બધુંજ આપી દે છે-બાબા બધુંજ તમારું છે.
ભક્તિમાર્ગમાં પણ કહેતાં હતાં-બાબા આ બધું તમારું આપેલું છે. પછી તે ચાલ્યું જાય છે
તો દુઃખી થઈ જાય છે. તે છે ભક્તિનું અલ્પકાળનું સુખ. બાપ સમજાવે છે ભક્તિમાર્ગમાં
તમે મને દાન-પુણ્ય કરો છો ઇનડાયરેક્ટ (અપ્રત્યક્ષ). તેનું ફળ તો તમને મળતું રહે છે.
હવે આ સમયે હું તમને કર્મ-અકર્મ-વિકર્મ નું રહસ્ય બેસીને સમજાવું છું. ભક્તિમાર્ગમાં
તમે જેવું કર્મ કરો છો તેનું અલ્પકાળ સુખ પણ મારાં દ્વારા તમને મળે છે. આ વાતોની
દુનિયામાં કોઈને ખબર નથી. બાપ જ આવીને કર્મો ની ગતિ સમજાવે છે. સતયુગમાં ક્યારેય
કોઈ ખરાબ કર્મ કરતાં જ નથી. સદેવ સુખ જ સુખ છે. યાદ પણ કરે છે સુખધામ, સ્વર્ગને.
હમણાં બેઠાં છે નર્કમાં. છતાં પણ કહી દે છે-ફલાણા સ્વર્ગ પધાર્યા. આત્માને સ્વર્ગ
કેટલું સારું લાગે છે. આત્મા જ કહે છે ને-ફલાણા સ્વર્ગ પધાર્યા. પરંતુ તમોપ્રધાન
હોવાનાં કારણે તેમને કાંઈ ખબર નથી પડતી કે સ્વર્ગ શું, નર્ક શું છે? બેહદનાં બાપ કહે
છે તમે બધાં કેટલા તમોપ્રધાન બની ગયાં છો. ડ્રામા ને તો જાણતાં નથી. સમજે પણ છે કે
સૃષ્ટિનું ચક્ર ફરે છે તો જરૂર હૂબહૂ ફરશે ને. તેઓ ફક્ત કહેવા માત્ર કહી દે છે. હમણાં
આ છે સંગમયુગ. આ એક જ સંગમયુગનું ગાયન છે. અડધોકલ્પ દેવતાઓનું રાજ્ય ચાલે છે પછી તે
રાજ્ય ક્યાં ચાલ્યું જાય છે, કોણ જીતી લે છે? આ પણ કોઈને ખબર નથી. બાપ કહે છે રાવણ
જીતી લે છે. તેમણે પછી દેવતા અને અસુરો ની લડાઈ બેસીને દેખાડી છે.
હવે બાપ સમજાવે છે-૫ વિચારો રુપી રાવણ થી હારો છો પછી જીત પણ પામો છો રાવણ પર. તમે
તો પૂજ્ય હતાં પછી પૂજારી પતિત બની જાઓ છો તો રાવણ થી હાર્યા ને. આ તમારો દુશ્મન
હોવાનાં કારણે તમે સદેવ બાળતા આવ્યાં છો. પરંતુ તમને ખબર નથી. હવે બાપ સમજાવે છે
રાવણ નાં કારણે તમે પતિત બન્યાં છો. આ વિકારોને જ માયા કહેવાય છે. માયાજીત, જગતજીત.
આ રાવણ સૌથી જુનો દુશ્મન છે. હવે શ્રીમત થી તમે આ ૫ વિકારો પર જીત પામો છો. બાપ
આવ્યાં છે જીત પહેરાવાં. આ રમત છે ને. માયા થી હારે હાર, માયા થી જીતે જીત. જીત બાપ
જ પહેરાવે છે એટલે એમને સર્વશક્તિમાન કહેવાય છે. રાવણ પણ ઓછો શક્તિમાન નથી. પરંતુ
તે દુઃખ આપે છે એટલે ગાયન નથી. રાવણ છે બહુજ દુશ્તર. તમારી રાજાઈ જ છીનવી લે છે. હવે
તમે સમજી ગયાં છો-આપણે કેવી રીતે હારીએ છીએ પછી કેવી રીતે જીત પામીએ છીએ? આત્મા
ઈચ્છે પણ છે અમને શાંતિ જોઈએ. અમે પોતાનાં ઘરે જઈએ. ભક્ત ભગવાનને યાદ કરે છે પરંતુ
પથ્થર બુદ્ધિ હોવાનાં કારણે સમજતા નથી. ભગવાન બાબા છે, તો બાપથી જરૂર વારસો મળતો હશે.
મળે પણ જરૂર છે પરંતુ ક્યારે મળે છે પછી કેવી રીતે ગુમાવે છે, આ નથી જાણતાં. બાપ કહે
છે હું આ બ્રહ્મા તન દ્વારા તમને બેસીને સમજાવું છું. મને પણ ઓર્ગન્સ (અવયવો) જોઈએ
ને. મને પોતાની કર્મેન્દ્રિયો તો છે નહીં. સૂક્ષ્મવતનમાં પણ કર્મેન્દ્રિયો છે. ચાલતાં
ફરતાં જેમ મુવી બાઈસકોપ હોય છે, આ મુવી ટોકી બાઈસકોપ નીકળ્યાં છે તો બાપને પણ
સમજાવવામાં સહજ થાય છે. તેમનું છે બાહુબળ, તમારું છે યોગબળ. તે બે ભાઈ પણ જો પરસ્પર
મળી જાય તો વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ હમણાં તો ફૂટ પડેલી છે. આપ બાળકોને
સાઈલેન્સ (શાંતિ) નો શુદ્ધ ઘમંડ રહેવો જોઈએ. તમે મનમનાભવ નાં આધારથી સાઈલેન્સ દ્વારા
જગતજીત બની જાઓ છો. તે છે સાઈન્સ ઘમંડી. તમે સાઈલેન્સ ઘમંડી પોતાને આત્મા સમજી બાપ
ને યાદ કરો છો. યાદ થી તમે સતોપ્રધાન બની જશો. બહુજ સહજ ઉપાય બતાવે છે. તમે જાણો છો
શિવબાબા આવ્યાં છે આપણને બાળકોને ફરીથી સ્વર્ગનો વારસો આપવાં. તમારાં જે પણ કળયુગી
કર્મબંધન છે, બાપ કહે છે તેને ભૂલી જાઓ. ૫ વિકાર પણ મને દાનમાં આપી દો. તમે જે
મારું-મારું કરતાં આવ્યાં છો, મારો પતિ, મારું ફલાણું, આ બધું ભૂલતા જાઓ. આ બધું
જોવાં છતાં પણ તેનાથી મમત્વ મટાવી દો. આ વાત બાળકોને જ સમજાવે છે. જે બાપને જાણતા જ
નથી, તેઓ તો આ ભાષાને પણ સમજી ન શકે. બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે. દેવતાઓ
હોય જ છે સતયુગમાં છે. કળયુગમાં હોય છે મનુષ્ય. હમણાં સુધી તેમની નિશાનીઓ છે અર્થાત્
ચિત્ર છે. મને કહે જ છે પતિત-પાવન. હું તો ડીગ્રેડ (અધોગતિ) થતો નથી. તમે કહો છો અમે
પાવન હતાં પછી ડીગ્રેડ થઈને પતિત બન્યાં છીએ. હવે આપ આવી ને પાવન બનાવો તો અમે
પોતાનાં ઘરે જઇએ. આ છે સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ. અવિનાશી જ્ઞાન રત્ન છે ને.
આ છે નવું નોલેજ. હમણાં તમને આ નોલેજ શિખવાડું છું. રચયિતા અને રચનાનાં
આદિ-મધ્ય-અંતનું રહસ્ય બતાવું છું. હમણાં આ તો છે જૂની દુનિયા. આમાં તમારાં જે પણ
મિત્ર સંબંધીઓ વગેરે છે, દેહ સહિત બધાથી મમત્વ નીકાળી દો.
હવે આપ બાળકો પોતાનું બધું બાપનાં હવાલે કરો છો. બાપ પછી સ્વર્ગની બાદશાહી ૨૧
જન્મોનાં માટે તમારા હવાલે કરી આપે છે. લેવડ-દેવડ તો હોય છે ને. બાપ તમને ૨૧ જન્મોનાં
માટે રાજ્ય-ભાગ્ય આપે છે. ૨૧ જન્મ, ૨૧ પેઢી ગવાય છે ને અર્થાત્ ૨૧ જન્મ પૂરું જીવન
ચાલે છે. વચમાં ક્યારેય શરીર છૂટી નથી શકતું. અકાળે મૃત્યુ નથી થતું. તમે અમર બની
અને અમરપુરી નાં માલિક બનો છો. તમને ક્યારેય કાળ ખાઈ ન શકે. હમણાં તમે મરવાનાં માટે
પુરુષાર્થ કરી રહ્યાં છો. બાપ કહે છે દેહ સહિત દેહનાં બધાં સંબંધ છોડી એક બાપ થી
સંબંધ રાખવાનો છે. હવે જવાનું જ છે સુખનાં સંબંધમાં. દુઃખનાં બંધનો ને ભૂલતા જશો.
ગૃહસ્થ વ્યવહાર માં રહેતા પવિત્ર બનવાનું છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો, સાથે-સાથે
દૈવી ગુણ પણ ધારણ કરો. આ દેવતાઓ જેવું બનવાનું છે. આ છે લક્ષ-હેતુ. આ
લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક હતાં, તેમણે કેવી રીતે રાજ્ય પામ્યું, પછી ક્યાં ગયાં,
આ કોઈને ખબર નથી. હવે આપ બાળકોએ દૈવી ગુણ ધારણ કરવાનાં છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.
બાપ છે જ દુઃખહર્તા, સુખકર્તા. તો તમારે પણ સુખનો રસ્તો બધાને બતાવવાનો છે અર્થાત્
આંધળા ઓની લાઠી બનવાનું છે. હમણાં બાપે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે. તમે
જાણો છો બાપ કેવી રીતે પાર્ટ ભજવે છે. હમણાં બાપ જે તમને ભણાવી રહ્યાં છે પછી આ
ભણતર પ્રાયઃલોપ થઇ જશે. દેવતાઓમાં આ નોલેજ રહેતું નથી. તમે બ્રહ્મા મુખ વંશાવલી
બ્રાહ્મણ જ રચતા અને રચનાનાં જ્ઞાનને જાણો છો. બીજા કોઈ જાણી નથી શકતાં. આ
લક્ષ્મી-નારાયણ વગેરેમાં પણ જો આ જ્ઞાન હોત તો પરંપરા ચાલી આવત. ત્યાં જ્ઞાનની
દરકાર જ નથી રહેતી કારણ કે ત્યાં છે જ સદ્દગતિ. હવે તમે બધુંજ બાપને દાન આપો છો તો
પછી બાપ તમને ૨૧ જન્મોનાં માટે બધું આપી દે છે. આવું દાન ક્યારેય હોતું નથી. તમે
જાણો છો આપણે સર્વસ્વ આપીએ છીએ - બાબા આ બધુંજ તમારું છે, તમે જ અમારું બધું છો.
ત્વમેવ માતાશ્ચ પિતા...પાર્ટ તો ભજવે છે ને. બાળકોને એડોપ્ટ પણ કરે છે પછી પોતે જ
ભણાવે છે. પછી પોતે જ ગુરુ બની બધાને લઈ જાય છે. કહે છે તમે મને યાદ કરો તો પાવન બની
જશો પછી તમને સાથે લઈ જઈશ. યજ્ઞ રચાયેલો છે. આ છે શિવ જ્ઞાન યજ્ઞ, આમાં તમે
તન-મન-ધન બધું સ્વાહા કરી દો છો. ખુશી થી બધું અર્પણ થઈ જાય છે. બાકી આત્મા રહી જાય
છે. બાબા, બસ હવે અમે તમારી શ્રીમત પર જ ચાલશું. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં
રહેતાં પવિત્ર બનવાનું છે. ૬૦ વર્ષની આયુ જ્યારે થાય છે તો વાનપ્રસ્થ અવસ્થામાં
જવાની તૈયારી કરે છે પરંતુ તેઓ કોઈ પાછાં જવાં માટે થોડી તૈયારી કરે છે. હમણાં તમે
સદ્દગુરુ નો મંત્ર લો છો મનમનાભવ. ભગવાનુવાચ-તમે મને યાદ કરો તો તમારાં વિકર્મ
વિનાશ થશે. બધાને કહો તમારા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. શિવબાબા ને યાદ કરો, હવે
જવાનું છે પોતાનાં ઘરે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કળયુગી
સર્વ કર્મબંધનો ને બુદ્ધિ થી ભૂલી ૫ વિકારોનું દાન કરી આત્માને સતોપ્રધાન બનાવવાની
છે. એક જ સાઈલેન્સ નાં શુદ્ધ ઘમંડમાં રહેવાનું છે.
2. આ રુદ્ર યજ્ઞમાં ખુશી થી પોતાનું તન-મન-ધન બધું અર્પણ કરી સફળ કરવાનું છે. આ સમયે
બધું બાપ નાં હવાલે કરી ૨૧ જન્મોની બાદશાહી બાપ થી લઇ લેવાની છે.
વરદાન :-
નિમિત્ત ભાવ
ની સ્મૃતિ થી હલચલ અને સમાપ્ત કરવાવાળા સદા અચળ - અડોલ ભવ
નિમિત્ત ભાવથી અનેક
પ્રકારનનું હું-પણું, મારા-પણું સહજ જ સમાપ્ત થઇ જાય છે. આ સ્મૃતિ સર્વ પ્રકારની
હલચલ થી છોડાવીને અચળ-અડોલ સ્થિતિનો અનુભવ કરાવે છે. સેવા માં પણ મહેનત નથી કરવી
પડતી. કારણ કે નિમિત્ત બનવા વાળાની બુદ્ધિમાં સદા યાદ રહે છે કે જે અમે કરશું અમને
જોઈ બધાં કરશે. સેવાનાં નિમિત્ત બનવું અર્થાત્ સ્ટેજ પર આવવું. સ્ટેજ તરફ સ્વતઃ
બધાની નજર જાય છે. તો આ સ્મૃતિ પણ સેફટી (સુરક્ષા) નું સાધન બની જાય છે.
સ્લોગન :-
સર્વ વાતોમાં
ન્યારા બનો તો પરમાત્મ બાપ નાં સહારા નો અનુભવ થશે.