14-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ખૂબ લકી ( ભાગ્યશાળી ) છો કારણ કે તમને બાપની યાદનાં સિવાય બીજી કોઈ ફિકરાત ( ચિંતા
) નથી , આ બાપને તો છતાં પણ બહુજ ખ્યાલાત ચાલે છે ”
પ્રશ્ન :-
બાપનાં પાસે
જે સપૂત બાળકો છે, તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
તેઓ બધાનો બુદ્ધિયોગ એક બાપથી જોડાવતાં રહેશે, સર્વિસએબુલ (સેવાધારી) હશે. સારી રીતે
ભણીને બીજાઓને ભણાવશે. બાપનાં દિલ પર ચઢેલા હશે. આવાં સપૂત બાળકો જ બાપનું નામ બાલા
(રોશન) કરે છે. જે પૂરું ભણતા નથી તેઓ બીજાઓને પણ ખરાબ કરે છે. આ પણ ડ્રામામાં નોંધ
છે.
ગીત :-
લે લો દુઆયે
માં - બાપ કી …...
ઓમ શાંતિ!
દરેક ઘરમાં
માં-બાપ અને ૨-૪ બાળકો હોય છે પછી આશીર્વાદ વગેરે માંગે છે. તે તો હદની વાત છે. આ
હદનાં માટે ગવાયેલું છે. બેહદની કોઈને પણ ખબર નથી. હમણાં આપ બાળકો જાણો છો આપણે
બેહદનાં બાપનાં બાળક અને બાળકીઓ છે. તે માત-પિતા હોય છે હદનાં, લઈ લો દુવાઓ હદનાં
માત-પિતાની. આ છે બેહદનાં માં-બાપ. તે હદનાં માં-બાપ પણ બાળકોને સંભાળે છે, પછી
શિક્ષક ભણાવે છે. હવે આપ બાળકો જાણો છો-આ છે બેહદનાં માં-બાપ, બેહદનાં શિક્ષક,
બેહદનાં સદ્દગુરુ, સુપ્રીમ ફાધર (પરમપિતા), શિક્ષક, સુપ્રીમ ગુરુ. સત બોલવાવાળા, સત
શિખવાડવા વાળા છે. બાળકોમાં નંબરવાર તો હોય છે ને. લૌકિક ઘર માં ૨-૪ બાળકો હોય છે
તો તેમની કેટલી સંભાળ કરવી પડે છે. અહીંયા કેટલાં અસંખ્ય બાળકો છે, કેટલાં
સેવાકેન્દ્રથી બાળકોનાં સમાચાર આવે છે-આ બાળક આવો છે, આ શૈતાની કરે છે, આ હેરાન કરે
છે, વિઘ્ન નાખે છે. ફુરના (ચિંતન) તો આ બાપને રહેશે ને. પ્રજાપિતા તો આ છે ને. કેટલાં
અસંખ્ય બાળકોનો ખ્યાલ રહે છે, ત્યારે બાબા કહે છે આપ બાળકો સારી રીતે બાપની યાદમાં
રહી શકો છો. આમને તો હજારો ફુરના છે. એક ફુરના તો છે જ. હજારો ફુરના બીજા રહે છે.
કેટલાં અસંખ્ય બાળકોને સંભાળવાં પડે છે. માયા પણ મોટી દુશ્મન છે ને. સારી રીતે
કોઈ-કોઈની ખાલ ઉતારી નાખે છે. કોઈને નાકથી, કોઈને ચોટી થી પકડી લે છે. આટલાં બધાનો
વિચાર તો કરવો પડે છે. તો પણ બેહદ બાપની યાદમાં રહેવું પડે. તમે છો બેહદનાં બાપનાં
બાળકો. જાણો છો આપણે બાપની શ્રીમત પર ચાલી કેમ નહીં બાપથી પૂરો વારસો લઈ લઈએ. બધાં
તો એકરસ ચાલી ન શકે કારણકે આ રાજાઈ સ્થાપન થઈ રહી છે, બીજા કોઈની બુદ્ધિમા આવી ન શકે.
આ છે બહુજ ઊંચું ભણતર. બાદશાહી મળી ગઈ પછી ખબર નથી પડતી કે આ રાજાઈ કેવી રીતે
સ્થાપન થઈ. આ રાજાઈનું સ્થાપન થવું ખુબ વન્ડરફુલ છે. હમણાં તમે અનુભવી છો. પહેલાં
આમને પણ ખબર થોડી હતી કે આપણે શું હતાં, પછી કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે. હમણાં
સમજમાં આવ્યું છે.તમે, પણ કહો છો-બાબા તમે એજ છો, આ ખુબ સમજવાની વાત છે. આ સમયે જ
બાપ આવીને બધી વાતો સમજાવે છે. આ સમય ભલે કોઈ કેટલાં પણ લખપતિ, કરોડપતિ હોય, બાપ કહે
છે આ પૈસા વગેરે બધું માટીમાં મળી જવાનું છે. બાકી સમય જ કેટલો છે. દુનિયાનાં
સમાચાર તમે રેડિયોમાં કે સમાચાર પત્રમાં સાંભળો છો - શું-શું થઈ રહ્યું છે.
દિવસ-પ્રતિદિવસ ખૂબ જ ઝઘડા વધતા જઈ રહ્યાં છે. સૂત મૂંઝાતું જ રહે છે. બધાં પરસ્પર
લડતાં-ઝઘડતાં, મરતાં રહે છે. તૈયારીઓ એવી થઇ રહી છે, જેનાથી સમજમાં આવે છે લડાઈ શરુ
થઈ કે થઈ. દુનિયા નથી જાણતી કે આ શું થઈ રહ્યું છે, શું થવાનું છે! તમારામાં પણ
બહુજ થોડાં છે જે પૂરી રીતે સમજે છે અને ખુશીમાં રહે છે. આ દુનિયામાં આપણે બાકી થોડાં
દિવસ છીએં. હવે આપણે કર્માતીત અવસ્થા માં જવાનું છે. દરેકે પોતાનાં માટે પુરુષાર્થ
કરવાનો છે. તમે તો પુરુષાર્થ કરો છો પોતાનાં માટે. જેટલું જે કરશે એટલું ફળ પામશે.
પોતાનો પુરુષાર્થ કરવાનો છે અને બીજાઓને પુરુષાર્થ કરાવવાનો છે. રસ્તો બતાવવાનો છે.
આ જૂની દુનિયા ખલાસ થવાની છે. હવે બાબા આવેલાં છે નવી દુનિયા સ્થાપન કરવાં, તો આ
વિનાશનાં પહેલાં તમે નવી દુનિયાનાં માટે ભણતર ભણી લો. ભગવાનુવાચ હું તમને રાજયોગ
શીખવાડું છું. લાડકાં બાળકો તમે ભક્તિ ખૂબ કરી છે. અડધોકલ્પ તમે રાવણ રાજ્યમાં હતાં
ને. આ પણ કોઈને ખબર નથી કે રામ કોને કહેવાય છે? રામરાજ્યની કેવી રીતે સ્થાપના થઇ? આ
બધું તમે બ્રાહ્મણ જ જાણો છો. તમારામાં પણ કોઈ તો એવાં છે જે કાંઈ પણ નથી જાણતાં.
બાપની પાસે સપૂત બાળકો તે છે જે બધાનો બુદ્ધિયોગ એક બાપની સાથે જોડાવે છે. જે
સર્વિસએબુલ છે, જે સારી રીતે ભણે છે તે બાપનાં દિલ પર ચઢેલાં છે. કોઈ તો પછી ન લાયક
પણ હોય છે, સર્વિસ નાં બદલે ડીસસર્વિસ (કુસેવા) કરે જે બાપથી તેમનો બુદ્ધિયોગ તોડાવી
દે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. ડ્રામા અનુસાર આ થવાનું જ છે. જે પૂરું ભણતાં નથી
તે શું કરશે? બીજાઓને પણ ખરાબ કરી દેશે એટલે બાળકોને સમજાવાય છે, બાપને ફોલો (અનુકરણ)
કરો અને જે પણ સર્વિસએબુલ બાળકો છે, બાબાનાં દિલ પર ચઢેલાં છે તેમનો સંગ કરો. પૂછી
શકો છો કોનો સંગ કરીએ? બાબા ઝટ બતાવી દેશે, આમનો સંગ ખૂબ સારો છે. ઘણાં છે જે સંગ જ
એવો કરે છે, જેમનો રંગ પણ ઊલટો ચઢી જાય છે. ગવાય પણ છે સંગ તારે કુસંગ બોરે. કુસંગ
લાગ્યો તો એકદમ ખતમ કરી દેશે. ઘરમાં પણ દાસ-દાસીઓ જોઈએ. પ્રજાનાં પણ નોકર ચાકર બધાં
જોઈએ ને. આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે, આમાં ખુબ વિશાળબુદ્ધિ જોઈએ એટલે બેહદનાં
બાપ મળ્યાં છે તો શ્રીમત લઈ તેનાં પર ચાલો. નહીં તો મફત પદ ભ્રષ્ટ થઇ જશે. આ ભણતર
છે. આમાં હમણાં ફેલ (નપાસ) થયાં તો જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર ફેલ થતાં રહેશો.
સારી રીતે ભણશો તો કલ્પ-કલ્પાંતર સારી રીતે ભણશો. સમજાય છે આ પૂરું ભણતા નથી, તો
શું પદ મળશે? પોતે પણ સમજે છે, અમે સર્વિસ તો કંઈ કરતાં નથી. અમારાથી તો હોશિયાર ઘણાં
છે. હોશિયારને જ ભાષણનાં માટે બોલાવે છે. તો જરૂર જે હોશિયાર છે, ઊંચ પદ પણ તેઓ જ
પામશે. અમે એટલી સર્વિસ નથી કરતાં તો ઊંચ પદ પામી નહિ શકીએ. શિક્ષક તો સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
ને પણ સમજી શકે છે ને. રોજ ભણાવે છે, રજીસ્ટર તેમની પાસે રહે છે. ભણતરનું અને ચલનનું
પર રજીસ્ટર રહે છે. અહીંયા પણ એમ જ છે, આમાં પાછું મુખ્ય છે યોગની વાત. યોગ સારો છે
તો ચલન પણ સારી રહેશે. ભણતરમાં પછી ક્યાંક અહંકાર આવી જાય છે. આમાં બધી ગુપ્ત મહેનત
કરવાની છે યાદની એટલે જ અનેકોનાં રિપોર્ટ (સમાચાર) આવે છે કે બાબા અમે યોગમાં નથી
રહી શકતાં. બાબાએ સમજાવ્યું છે યોગ અક્ષર નીકાળી દો. બાપ જેનાથી વારસો મળે છે, એમને
તમે યાદ નથી કરી શકતાં! આશ્ચર્ય છે. બાપ કહે છે - હેં આત્માઓ, તમે મુજ બાપને યાદ નથી
કરતાં, હું તમને રસ્તો બતાવવા આવ્યો છું, તમે મને યાદ કરો તો આ યોગ અગ્નિ થી પાપ
દગ્ધ (ભસ્મ) થઇ જશે. ભક્તિમાર્ગમાં મનુષ્ય કેટલાં ધક્કા ખાવાં જાય છે. કુંભનાં મેળા
માં કેટલાં ઠંડા પાણીમાં સ્નાન કરે છે. કેટલી તકલીફ સહન કરે છે. અહીંયા તો કોઈ
તકલીફ નથી. જે ફર્સ્ટ ક્લાસ બાળકો છે તે એક માશૂકને સાચાં-સાચાં આશિક બની યાદ કરતાં
રહેશે. હરવાં-ફરવાં જાય છે તો એકાંતમાં બગીચામાં બેસીને યાદ કરશે. ઝરમુઈ ઝગમુઈ વગેરે
વાર્તાલાપ માં રહેવાથી વાયુમંડળ ખરાબ થાય છે એટલે જેટલો સમય મળે બાપને યાદ કરવાની
પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. ફર્સ્ટ ક્લાસ સાચાં માશૂકનાં આશિક બનો. બાપ કહે છે દેહધારી
નો ફોટો નહીં રાખો. ફક્ત એક શિવબાબા નો ફોટો રાખો, જેમને યાદ કરવાનાં છે. જો સમજો
સુષ્ટિ ચક્રને પણ યાદ કરતાં રહો તો ત્રિમૂર્તિ અને ગોળાનું ચિત્ર ફર્સ્ટ ક્લાસ છે,
આમાં બધું જ્ઞાન છે. સ્વદર્શન ચક્રધારી તમારું નામ અર્થ સહિત છે. નવું કોઈ પણ નામ
સાંભળે તો સમજી ન શકે, આ આપ બાળકો જ સમજો છો. તમારામાં પણ કોઈ સારી રીતે યાદ કરે
છે. ઘણાં છે જે યાદ કરતાં જ નથી. પોતાનું ખાવાનું જ ખરાબ કરી દે છે. ભણતર તો ખુબ
સહજ છે. બાપ કહે છે. સાઈલેન્સ (શાંતિ) થી તમારે સાયન્સ (વિજ્ઞાન) પર વિજય પામવાની
છે. સાઈલેન્સ અને સાયન્સ રાશિ એક જ છે. મીલેટરીમાં પણ ૩ મિનિટ સાઈલેન્સ કરાવે છે.
મનુષ્ય પણ ઈચ્છે છે અમને શાંતિ મળે. હવે તમે જાણો છો શાંતિનું સ્થાન તો છે જ
બ્રહ્માંડ. જે બ્રહ્મ મહતત્વ માં આપણે આત્મા આટલું નાનું બિંદુ રહીએ છીએ. તે બધી
આત્માઓનું ઝાડ તો વન્ડરફુલ હશે ને. મનુષ્ય કહે પણ છે ભ્રકુટીની મધ્યમાં ચમકે છે અજબ
સિતારો. ખૂબ નાનો સોનાનો તિલક બનાવી અહીં લગાવે છે. આત્મા પણ બિંદુ છે, બાપ પણ તેમની
બાજુમાં આવીને બેસે છે. સાધુ-સંત વગેરે કોઈ પણ પોતાની આત્માને જાણતાં નથી. જયારે કે
આત્માને જ નથી જાણતાં તો પરમાત્મા ને કેવી રીતે જાણી શકે? ફક્ત તમે બ્રાહ્મણ જ આત્મા
અને પરમાત્મા ને જાણો છો. કોઈ પણ ધર્મવાળા જાણી નથી શકતાં. હમણાં તમે જ જાણો છો,
કેવી રીતે આટલી નાનકડી આત્મા બધો પાર્ટ ભજવે છે. સંતસંગ ખૂબ કરે છે. સમજતાં કાંઈ પણ
નથી. આમણે પણ બહું ગુરુ કર્યા. હવે બાપ કહે છે આ બધાં છે ભક્તિમાર્ગનાં ગુરુ.
જ્ઞાનમાર્ગ નાં ગુરુ છે જ એક. ડબલ સિરતાજ (તાજધારી) રાજાઓ ની આગળ સિંગલ તાજવાળા
રાજાઓ માથું ઝુકાવે છે, નમન કરે છે કારણ કે તેઓ પવિત્ર છે. તે પવિત્ર રાજાઓનાં જ
મંદિર બનેલાં છે. પતિત જઈને તેમની આગળ માથું નમાવે છે પરંતુ તેમને કાંઈ એ ખબર જ થોડી
છે કે આ કોણ છે, અમે માથું કેમ નમાવીએ છીએ? સોમનાથનું મંદિર બનાવ્યું, હવે પૂજા તો
કરે છે પરંતુ બિંદુની પૂજા કેવી રીતે કરે? બિંદુનું મંદિર કેવી રીતે બનશે? આ છે
બહુજ ગુહ્ય વાતો. ગીતા વગેરેમાં થોડી આ વાતો છે. જે પોતે માલિક છે, એજ સમજાવે છે.
તમે હમણાં જાણો છો કેવી રીતે આટલી નાનકડી આત્મામાં પાર્ટ નોંધાયેલો છે. આત્મા પણ
અવિનાશી છે, પાર્ટ પણ અવિનાશી છે. આશ્ચર્ય છે ને. આ બધો બન્યો-બનાવેલ ખેલ છે. કહે
પણ છે બની બનાઈ બન રહી….. ડ્રામામાં જે નોંધ છે, તે તો જરૂર થશે. ચિંતાની વાત નથી.
આપ બાળકોએ હવે સ્વયં સ્વયંથી પ્રતિજ્ઞા કરવાની છે કે કાંઈ પણ થઈ જાય - આંસુ નહિ
વહાવશું. ફલાણા મરી ગયા, આત્માએ જઈને બીજું શરીર લીધું, પછી રડવાની શું દરકાર? પાછાં
તો આવી નથી શકતાં. આંસુ આવ્યાં-નપાસ થયાં એટલે બાબા કહે છે પ્રતિજ્ઞા કરો કે અમે
ક્યારેય રડશું નહીં. પરવા હતી પારબ્રહ્મમાં રહેવાં વાળા બાપની, એ મળી ગયાં તો બાકી
શું જોઈએ. બાપ કહે છે તમે મુજ બાપને યાદ કરો. હું એક જ વાર આવું છું-આ રાજધાની
સ્થાપન કરવાં માટે. આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી. ગીતામાં દેખાડ્યું છે લડાઈ લાગી,
એકલા પાંડવો બચ્યાં. તેઓ કુતરો સાથે લઇ પહાડો પર જઈને ઓગળી ગયાં. જીત પહેરી અને મરી
ગયાં. વાત જ નથી બેસતી. આ બધી છે દંતકથાઓ. આને કહેવાય છે ભક્તિમાર્ગ.
બાપ કહે છે આપ બાળકોને આનાથી વૈરાગ્ય હોવો જોઈએ. જૂની ચીજથી નફરત હોય છે ને. નફરત
આકરો અક્ષર છે. વૈરાગ્ય અક્ષર મીઠો છે. જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિનો વૈરાગ્ય
થઈ જાય છે. સતયુગ ત્રેતામાં તો પછી જ્ઞાનની પ્રાલબ્ધ ૨૧ જન્મનાં માટે મળી જાય છે.
ત્યા જ્ઞાનની દરકાર નથી રહેતી. પછી જ્યારે તમે વામમાર્ગમાં જાઓ છો તો સીડી ઉતરો છો.
હમણાં છે અંત. બાપ કહે છે હવે આ જુની દુનિયા થી આપ બાળકોને વૈરાગ્ય થવાનો છે. તમે
હમણાં શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો પછી સો દેવતા બનશો. બીજા મનુષ્ય આ વાતોને શું
જાણે. ભલે વિરાટ રુપનું ચિત્ર બનાવે છે પરંતુ તેમાં ન ચોટી છે, ન શિવ છે. કહી દે છે
દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. બસ શુદ્ર થી દેવતા કેવી રીતે, કોણ બનાવે છે, આ કાંઈ
નથી જાણતાં. બાપ કહે છે તમે દેવી-દેવતા કેટલાં સાહૂકાર હતાં પછી તે બધાં પૈસા ક્યાં
ગયાં! માથું ટેકતા-ટેકતા ટિપ્પડ ઘસતા પૈસા ગુમાવ્યાં. કાલની વાત છે ને. તમને આ
બનાવીને ગયો પછી તમે શું બની ગયાં છો! અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઝરમુઈ
ઝગમુઈ (પરચિંતન) નાં વાર્તાલાપ થી વાતાવરણ ખરાબ નથી કરવાનું. એકાંતમાં બેસી
સાચાં-સાચાં આશિક બની પોતાનાં માશૂક ને યાદ કરવાનાં છે.
2. સ્વયં સ્વયંથી
પ્રતિજ્ઞા કરવાની છે ક્યારેય પણ રડશું નહીં. આંખોથી આંસુ નહીં વહાવશું. જે
સર્વિસેબુલ બાપનાં દિલ પર ચઢેલાં છે તેમનો જ સંગ કરવાનો છે. પોતાનું રજીસ્ટર ખૂબ
સારું રાખવાનું છે.
વરદાન :-
નિર્વિઘ્ન
સ્થિતિ દ્વારા સ્વયંનાં ફાઉન્ડેશન ને મજબૂત બનાવવા વાળા પાસ વિથ ઓનર ભવ
જે બાળકો લાંબાકાળ થી
નિર્વિઘ્ન સ્થિતિનાં અનુભવી છે તેમનું ફાઉન્ડેશન (પાયો) પાક્કું હોવાનાં કારણે સ્વયં
પણ શક્તિશાળી રહે છે અને બીજાઓને પણ શક્તિશાળી બનાવે છે. લાંબાકાળની શક્તિશાળી,
નિર્વિઘ્ન આત્મા અંતમાં પણ નિર્વિઘ્ન બની પાસ વિથ ઓનર બની જાય છે અથવા ફર્સ્ટ
ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં આવી જાય છે. તો સદા એજ લક્ષ રહે કે લાંબાકાળ થી
નિર્વિઘ્ન સ્થિતિનો અનુભવ અવશ્ય કરવાનો છે.
સ્લોગન :-
દરેક આત્માનાં
પ્રતિ સદા ઉપકાર અર્થાત્ શુભકામના રાખો તો સ્વતઃ દુઆઓ પ્રાપ્ત થશે.