16-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારે
પોતાનાં યોગબળથી જ વિકર્મ વિનાશ કરી પાવન બની પાવન દુનિયા બનાવવાની છે , આ જ તમારી
સેવા છે”
પ્રશ્ન :-
દેવી-દેવતા
ધર્મની કઈ-એવી વિશેષતા ગવાયેલી છે?
ઉત્તર :-
દેવી-દેવતા
ધર્મ જ બહું સુખ આપવાવાળો છે. ત્યાં દુઃખનું નામ-નિશાન નથી. આપ બાળકો ૩/૪ (ત્રણ
ચોથાઈ) સુખ પામો છો. જો અડધું સુખ, અડધું દુ:ખ હોય તો મજા જ ન આવે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ.
ભગવાને જ સમજાવ્યું છે કે કોઈ મનુષ્યને ભગવાન નથી કહેવાતું. દેવતાઓને પણ ભગવાન નથી
કહેવાતું. ભગવાન તો નિરાકાર છે, એમનું કોઈ પણ સાકારી કે આકારી રૂપ નથી. સૂક્ષ્મવતન
વાસીઓનો પણ સૂક્ષ્મ આકાર છે એટલે તેમને કહેવાય છે સૂક્ષ્મવતન. અહીંયા સાકારી મનુષ્ય
તન છે એટલે આને સ્થૂળવતન કહેવાય છે. સૂક્ષ્મવતન માં આ સ્થૂળ ૫ તત્વોનું શરીર હોતું
નથી. આ ૫ તત્વોનું મનુષ્ય શરીર બનેલું છે, આને કહે છે માટીનું પૂતળું. સૂક્ષ્મવતન
વાસીઓને માટીનું પૂતળું નહીં કહેશું. ડીટી( દેવતા) ધર્મવાળા પણ છે મનુષ્ય, પરંતુ
તેમને કહેશું દૈવી ગુણવાળા મનુષ્ય. આ દૈવી ગુણ પ્રાપ્ત કર્યા છે શિવબાબા થી.
દૈવીગુણ વાળા મનુષ્ય અને આસુરી ગુણવાળા મનુષ્યમાં કેટલો ફર્ક છે. મનુષ્ય જ શિવાલય
કે વેશ્યાલય માં રહેવા લાયક બને છે. સતયુગ ને કહેવાય છે શિવાલય. સતયુગ અહીંયા જ હોય
છે. કોઈ મૂળવતન કે સૂક્ષ્મવતન માં નથી હોતું. આપ બાળકો જાણો છો તે શિવબાબા નું
સ્થાપન કરેલું શિવાલય છે. ક્યારે સ્થાપન કર્યુ? સંગમ પર. આ પુરુષોત્તમ યુગ છે. હમણાં
આ દુનિયા છે પતિત તમોપ્રધાન. આને સતોપ્રધાન નવી દુનિયા નહી કહેશું. નવી દુનિયાને
સતોપ્રધાન કહેવાય છે. તેજ ફરી જ્યારે જૂની બને છે તો તેને તમોપ્રધાન કહેવાય છે. ફરી
સતોપ્રધાન કેવી રીતે બને છે? આપ બાળકોનાં યોગબળથી. યોગબળથી તમારાં વિકર્મ વિનાશ થાય
છે અને તમે પવિત્ર બની જાઓ છો. પવિત્રનાં માટે તો પછી જરૂર પવિત્ર દુનિયા જોઈએ. નવી
દુનિયાને પવિત્ર, જૂની દુનિયાને અપવિત્ર કહેવાય છે. પવિત્ર દુનિયા બાપ સ્થાપન કરે
છે, પતિત દુનિયા રાવણ સ્થાપન કરે છે. આ વાતો કોઈ મનુષ્ય નથી જાણતાં. આ ૫ વિકાર ન
હોય તો મનુષ્ય દુઃખી થઈને બાપને યાદ કેમ કરે! બાપ કહે છે હું છું જ દુઃખહર્તા
સુખકર્તા. રાવણનું ૫ વિકારોનું પુતળું બનાવી દીધું છે - ૧૦ માથાનું. તે રાવણને
દુશ્મન સમજીને બાળે છે. તે પણ એવું નથી કે દ્વાપર આદિથી જ બાળવાનું શરૂ કરે છે. ના,
જ્યારે તમોપ્રધાન બને છે ત્યારે કોઈ મત-મતાંતર વાળા બેસી આ નવી વાત નીકાળે છે.
જ્યારે કોઈ બહુજ દુઃખ આપે છે ત્યારે તેમની એફીજી (પૂતળું) બનાવે છે. તો અહીંયા પણ
મનુષ્યને જ્યારે બહુજ દુઃખ મળે છે ત્યારે આ રાવણનું બુત (પૂતળું) બનાવીને બાળે છે.
આપ બાળકોને ૩/૪ સુખ રહે છે. જો અડધું દુઃખ હોય તો તેની મજા જ શું રહે! બાપ કહે છે
તમારો આ દેવી-દેવતા ધર્મ બહુજ સુખ આપવાવાળો છે. સૃષ્ટિ તો અનાદિ બનેલી છે. આ કોઈ
પૂછી નથી શકતું કે સૃષ્ટિ કેમ બની, પછી ક્યારે પૂરી થશે? આ ચક્ર ફરતું જ રહે છે.
શાસ્ત્રોમાં કલ્પની આયુ લાખો વર્ષ કરી દીધી છે. જરૂર સંગમયુગ પણ હશે, જ્યારે સૃષ્ટિ
બદલશે. હમણાં જેમ તમે અનુભવ કરો છો, એવું બીજા કોઈ સમજતા નથી. એટલું પણ નથી
સમજતાં-બાળપણ માં રાધે-કૃષ્ણ નામ છે પછી સ્વયંવર થાય છે. બંને અલગ-અલગ રાજધાની નાં
છે પછી તેમનો સ્વયંવર થાય છે તો લક્ષ્મી-નારાયણ બને છે. આ બધી વાતો બાપ સમજાવે છે.
બાપ જ નોલેજફુલ છે. એવું નથી કે તે જાની-જાનનહાર છે. હવે આપ બાળકો સમજો છો બાપ તો
આવીને નોલેજ આપે છે. નોલેજ પાઠશાળામાં મળે છે. પાઠશાળામાં લક્ષ-હેતુ તો જરૂર હોવું
જોઈએ. હમણાં તમે ભણી રહ્યા છો. છી-છી દુનિયામાં રાજ્ય ન કરી શકાય. રાજ્ય કરશો
ગુલ-ગુલ દુનિયામાં. રાજયોગ કોઈ સતયુગમાં થોડી શિખવાડશે. સંગમયુગ પર જ બાપ રાજયોગ
શીખવાડે છે. આ બેહદની વાત છે. બાપ ક્યારે આવે છે, કોઈને પણ ખબર નથી. ઘોર અંધકારમાં
છે. જ્ઞાનસૂર્ય નામ થી જાપાનમાં તે લોકો પોતાને સૂર્યવંશી કહે છે. હકીકતમાં
સૂર્યવંશી તો દેવતાઓ થયાં. સૂર્યવંશીઓનું રાજ્ય સતયુગમાં જ હતું. ગાયન પણ છે,
જ્ઞાનસૂર્ય પ્રગટ્યા….. તો ભક્તિમાર્ગનો અંધકાર વિનાશ. નવી દુનિયા થી જૂની, જૂની
દુનિયાથી ફરી નવી થાય છે. આ બેહદનું મોટું ઘર છે. કેટલો મોટો માંડવો છે. સૂર્ય,
ચંદ્ર, તારાઓ કેટલું કામ કરે છે. રાત્રિમાં બહુજ કામ ચાલે છે. એવાં પણ કોઈ રાજા લોકો
છે જે દિવસે સુઇ જાય, રાતનાં પોતાની સભા વગેરે લગાવે છે, ખરીદદારી કરે છે. આ હમણાં
સુધી પણ ક્યાંક-ક્યાંક ચાલે છે. મિલ્સ વગેરે પણ રાતમાં ચાલે છે. આ છે હદનાં
દિવસ-રાત. તે છે બેહદની વાત. આ વાતો સિવાય તમારા બીજા કોઈની બુદ્ધિમાં નથી.
શિવબાબાને પણ જાણતા નથી. બાપ બધી વાત સમજાવતા રહે છે. બ્રહ્મા માટે પણ સમજાવ્યું છે
- પ્રજાપિતા બ્રહ્મા છે. બાપ જ્યારે સૃષ્ટિ રચે છે તો જરૂર કોઈમાં પ્રવેશ કરશે.
પાવન મનુષ્ય તો હોય જ સતયુગ માં છે. કળયુગ માં તો બધાં વિકારથી પેદા થાય છે એટલે
પતિત કહેવાય છે. મનુષ્ય કહેશે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? અરે, દેવતાઓને તમે
કહો છો સંપૂર્ણ નિર્વિકારી. કેટલી શુદ્ધતાથી તેમના મંદિર બનાવે છે. બ્રાહ્મણ વગર
કોઈને અંદર મંજુરી નહી આપે. હકીકતમાં આ દેવતાઓને વિકારી કોઈ ટચ (સ્પર્શ) કરી નથી
શકતું. પરંતુ આજકાલ તો પૈસાથી જ બધું જ થાય છે. કોઈ ઘરમાં મંદિર વગેરે રાખે છે તો
પણ બ્રાહ્મણને જ બોલાવે છે. હવે વિકારી તો તે બ્રાહ્મણ પણ છે, ફક્ત નામ બ્રાહ્મણ
છે. આ તો દુનિયા જ વિકારી છે તો પૂજા પણ વિકારોથી થાય છે. નિર્વિકારી ક્યાંથી આવે!
નિર્વિકારી હોય જ છે સતયુગ માં. એવું નથી કે જે વિકારમાં નથી જતા તેમને નિર્વિકારી
કહેવાશે. શરીર તો છતાં પણ વિકાર થી પેદા થયું ને. બાપ એ એક જ વાત બતાવી છે કે આ આખું
રાવણ રાજ્ય છે. રામરાજ્ય માં છે સંપૂર્ણ નિર્વિકારી, રાવણ રાજ્ય માં છે વિકારી.
સતયુગ માં પવિત્રતા હતી તો શાંતિ-સમૃદ્ધિ હતી. તમે દેખાડી શકો છો સતયુગ માં આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. ત્યાં ૫ વિકાર હોતા નથી. તે છે જ પવિત્ર રાજ્ય,
જે ભગવાન સ્થાપન કરે છે. ભગવાન પતિત રાજ્ય થોડી સ્થાપન કરે છે. સતયુગ માં જો પતિત
હોત તો પોકારત ને. ત્યાં તો કોઈ પોકારતા જ નથી. સુખમાં કોઈ યાદ નથી કરતું. પરમાત્મા
ની મહિમા પણ કરે છે - સુખ નાં સાગર, પવિત્રતા નાં સાગર…. કહે પણ છે શાંતિ થાય. હવે
આખી દુનિયામાં શાંતિ મનુષ્ય કેવી રીતે કરશે? શાંતિનું રાજ્ય તો એક સ્વર્ગમાં જ હતું.
જ્યારે કોઈ પરસ્પર લડે છે તો સમાધાન (શાંતિ) કરાવવાનું હોય છે. ત્યાં તો છે જ એક
રાજ્ય.
બાપ કહે છે આ જૂની દુનિયાને જ હવે ખતમ થવાનું છે. આ મહાભારત લડાઈ માં બધાં વિનાશ
થાય છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ-અક્ષર પણ લખેલાં છે. બરાબર પાંડવ તો તમે છો ને. તમે
છો રુહાની પંડા. બધાને મુક્તિધામ નો રસ્તો બતાવો છો. એ છે આત્માઓનું ઘર શાંતિધામ. આ
છે દુઃખધામ. હવે બાપ કહે છે આ દુઃખધામ ને જોતાં પણ ભૂલી જાઓ. બસ, હમણાં તો આપણે
શાંતિધામ માં જવાનું છે. આ આત્મા કહે છે, આત્મા અનુભવ કરે છે. આત્માને સ્મૃતિ આવી
છે કે હું આત્મા છું. બાપ કહે છે હું જે છું જેવો છું…. બીજું તો કોઈ સમજી ન શકે.
તમને જ સમજાવ્યું છે - હું બિંદુ છું. તમને આ ઘડી-ઘડી બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે
૮૪ નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે. આમાં બાપ પણ યાદ આવશે, ઘર પણ યાદ આવશે, ચક્ર પણ
યાદ આવશે. આ વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રાફી ને તમે જ જાણો છો. કેટલાં ખંડ
છે. કેટલી લડાઈ વગેરે થઈ. સતયુગ માં લડાઈ વગેરેની વાત જ નથી. ક્યાં રામ રાજ્ય, ક્યાં
રાવણ રાજ્ય. બાપ કહે છે હમણાં તમે જેમકે ઈશ્વરીય રાજ્ય માં છો કારણ કે ઈશ્વર અહીંયા
આવ્યા છે રાજ્ય સ્થાપન કરવાં. ઈશ્વર પોતે તો રાજ્ય કરતા નથી, પોતે રાજાઈ લેતા નથી.
નિષ્કામ સેવા કરે છે. ઊંચેથી ઊંચા ભગવાન છે બધી આત્માઓનાં બાપ. બાબા કહેવાથી એકદમ
ખુશીનો પારો ચઢવો જોઇએ. અતીન્દ્રિય સુખ તમારી અંતિમ અવસ્થાનું ગાયન છે. જ્યારે
પરીક્ષા નાં દિવસ નજીક આવે છે, તે સમયે બધાં સાક્ષાત્કાર થાય છે. અતીન્દ્રિય સુખ પણ
બાળકોને નંબરવાર છે. કોઈ તો બાપની યાદમાં ખુબ ખુશીમાં રહે છે.
આપ બાળકોને આખો દિવસ એજ ફીલિંગ (અનુભવ) રહે કે ઓહો બાબા, તમે અમને શું થી શું બનાવી
દીધાં! તમારાથી કેટલું અમને સુખ મળે છે….. બાપને યાદ કરતા પ્રેમ નાં આંસુ આવી જાય.
કમાલ છે, તમે આવીને અમને દુઃખ થી છોડાવો છો, વિષય સાગર થી ક્ષીરસાગર માં લઈ જાઓ છો,
આખો દિવસ આજ ફીલિંગ રહેવી જોઈએ. બાપ જે સમય તમને યાદ અપાવે છે તો તમે કેટલાં
ગદ્દગદ્દ થાઓ છો. શિવબાબા આપણને રાજ્યોગ શિખવાડી રહ્યા છે. બરાબર શિવરાત્રી પણ
મનાવાય છે. પરંતુ મનુષ્યો એ શિવબાબા ને બદલે શ્રી કૃષ્ણનું નામ ગીતામાં રાખી દીધું
છે. આ મોટામાં મોટી એક જ ભૂલ છે. નંબરવન ગીતામાં જ ભૂલ કરી દીધી છે. ડ્રામા જ આવો
બનેલો છે. બાપ આવીને આ ભૂલ બતાવે છે કે પતિત-પાવન હું છું કે કૃષ્ણ? તમને મેં
રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા બનાવ્યાં. ગાયન પણ મારું છે ને. અકાળ મૂર્ત, અજોની….
કૃષ્ણની આ મહિમા થોડી જ કરી શકે. તે તો પુનર્જન્મમાં આવવા વાળા છે. આપ બાળકોમાં પણ
નંબરવાર છે, જેમની બુદ્ધિમાં આ બધી વાતો રહે છે. જ્ઞાન ની સાથે ચલન પણ સારી જોઈએ.
માયા પણ કાંઈ ઓછી નથી. જે પહેલાં આવશે તે જરૂર એટલી તાકાત વાળા હશે. પાર્ટધારી
ભિન્ન-ભિન્ન હોય છે ને. હીરો-હિરોઇન નો પાર્ટ ભારતવાસીઓને જ મળેલો છે. તમે બધાને
રાવણ રાજ્યથી છોડાવો છો. શ્રીમત પર તમને કેટલું બળ મળે છે. માયા પણ બહુજ દુશ્તર છે,
ચાલતાં-ચાલતાં દગો આપી દે છે.
બાબા પ્રેમનાં સાગર છે તો આપ બાળકોએ પણ બાપ સમાન પ્રેમનાં સાગર બનવાનું છે. ક્યારેય
કડવું નહીં બોલો. કોઈને દુઃખ આપશો તો દુઃખી થઈને મરશો. આ આદતો બધી મટાડવી જોઈએ. ગંદી
થી ગંદી આદત છે વિષય સાગરમાં ગોતા ખાવાં. બાપ પણ કહે છે કામ મહાશત્રુ છે. કેટલી
બાળકીઓ માર ખાય છે. કોઈ-કોઈ તો બાળકીને કહી દેશે ભલે પવિત્ર બનો. અરે, પહેલાં પોતે
તો પવિત્ર બનો. બાળકી આપી દીધી, ખર્ચા વગેરેનાં બોજથી વધારે જ છૂટ્યાં કારણકે સમજે
છે-ખબર નહીં, આમની તકદીરમાં શું છે, ઘર પણ કોઈ સુખી મળે કે ન મળે. આજકાલ ખર્ચો પણ
ઘણો થાય છે. ગરીબ લોકો તો ઝટ આપી દે છે. કોઈને પછી મોહ રહે છે. પહેલાં એક ભીલડી આવતી
હતી, તેને જ્ઞાનમાં આવવા ન દીધી કારણકે જાદુનો ડર હતો. ભગવાન ને જાદુગર પણ કહે છે.
રહેમદિલ પણ ભગવાન ને જ કહેશે. કૃષ્ણ ને થોડી કહેશે. રહેમદિલ તે જે બેરહેમી થી છોડાવે.
બેરહેમ છે રાવણ.
પહેલાં-પહેલાં છે જ્ઞાન. જ્ઞાન, ભક્તિ પછી વૈરાગ્ય. એવું નથી કે ભક્તિ, જ્ઞાન પછી
વૈરાગ્ય કહેશું. જ્ઞાન નો વૈરાગ્ય થોડી કહી શકાય. ભક્તિનો વૈરાગ્ય કરવાનો હોય છે
એટલે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ સાચાં અક્ષર છે. બાપ તમને બેહદનો અર્થાત્ જૂની
દુનિયાનો વૈરાગ્ય કરાવે છે. સન્યાસી તો ફક્ત ઘરબાર થી વૈરાગ્ય કરાવે છે. આ પણ
ડ્રામામાં નોંધ છે. મનુષ્યોની બુદ્ધિમાં બેસતું જ નથી. ભારત ૧૦૦ ટકા સોલ્વન્ટ (સાહૂકાર),
નિર્વિકારી, હેલ્દી (સ્વસ્થ) હતું, ક્યારેય અકાળે મૃત્યુ થતું નહોતું, આ બધી વાતોની
ધારણા બહું થોડાઓને જ હોય છે. જે સારી સર્વિસ (સેવા) કરે છે, તે ખુબ સાહૂકાર બનશે.
બાળકોને તો આખો દિવસ બાબા-બાબા યાદ રહેવું જોઈએ. પરંતુ માયા કરવા નથી દેતી. બાપ કહે
છે સતોપ્રધાન બનવું છે તો ચાલતાં, ફરતાં, ખાતાં મને યાદ કરો. હું તમને વિશ્વનાં
માલિક બનાવું છું, તમે યાદ નહીં કરશો! અનેકોને માયાનાં તોફાન બહુજ આવે છે. બાપ
સમજાવે છે - આ તો થશે. ડ્રામા માં નોંધ છે. સ્વર્ગની સ્થાપના તો થવાની જ છે. સદેવ
નવી દુનિયા તો રહી ન શકે. ચક્ર ફરશે તો નીચે જરૂર ઉતરશે. દરેક વસ્તુ નવી થી જૂની
જરૂર થાય છે. આ સમયે માયાએ બધાને એપ્રિલ ફૂલ બનાવ્યાં છે, બાપ આવીને ગુલ-ગુલ બનાવે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
પ્રેમનાં સાગર બનવાનું છે. ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું. કડવા બોલ નથી બોલવાનાં.
ગંદી આદતો મટાડી દેવાની છે.
2. બાબા થી મીઠી-મીઠી
વાતો કરતા એજ ફીલિંગ (અનુભવ) માં રહેવાનું છે ઓહો બાબા, તમે અમને શું થી શું બનાવી
દીધાં! તમે અમને કેટલું સુખ આપ્યું છે! બાબા, તમે ક્ષીરસાગર માં લઈ જાઓ છો…. આખો
દિવસ બાબા-બાબા યાદ રહે.
વરદાન :-
સ્વયંનાં દરેક
કર્મ કે વિશેષતા દ્વારા દાતા ની તરફ ઈશારો કરવા વાળા સાચાં સેવાધારી ભવ
સાચાં સેવાધારી કોઈપણ
આત્માને સહયોગ આપીને સ્વયં માં અટકાવશે નહીં. તે બધાનું કનેક્શન (જોડાણ) બાપથી
કરાવશે. તેમનાં દરેક બોલ બાપની સ્મૃતિ અપાવવા વાળા હશે. તેમનાં દરેક કર્મ થી બાપ
દેખાશે. તેમને આ સંકલ્પ પણ નહીં આવે મારી વિશેષતાનાં કારણે આ મારાં સહયોગી છે. જો
તમને જોયા, બાપને નહીં તો આ સેવા નથી કરી, બાપને ભૂલાવ્યાં. સાચાં સેવાધારી સત્યની
તરફ બધાનો સંબંધ જોડશે, સ્વયં થી નહીં.
સ્લોગન :-
કોઈપણ પ્રકારની
અરજી નાખવાને બદલે સદા રાજી રહો.
અવ્યક્ત સ્થિતિ નો
અનુભવ કરવાને માટે અભ્યાસ
અભ્યાસ કરો કે આ
સ્થૂળ દેહમાં પ્રવેશ કરી કર્મેન્દ્રિયો થી કાર્ય કરી રહ્યા છીએં. જ્યારે ઈચ્છો
પ્રવેશ કરો અને જ્યારે ઈચ્છો ન્યારા થઈ જાઓ. એક સેકન્ડમાં ધારણ કરો અને એક સેકન્ડ
માં દેહનું ભાન છોડી દેહી બની જાઓ, આજ અભ્યાસ અવ્યક્ત સ્થિતિ નો આધાર છે.