16-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 25.11.85
બાપદાદા મધુબન
“ નિશ્ચય બુદ્ધિ વિજય રત્નો ની નિશાનીઓ ”
આજે બાપદાદા પોતાનાં
નિશ્ચય બુદ્ધિ વિજયી રત્નોની માળાને જોઈ રહ્યાં હતાં. બધાં બાળકો પોતાને સમજે છે કે
હું નિશ્ચયમાં પાક્કો છું. એવાં કોઈ વિરલા હશે જે પોતાને નિશ્ચય બુદ્ધિ નહિં માનતા
હોય. કોઇને પણ પૂછશે નિશ્ચય છે? તો એજ કહેશે કે નિશ્ચય ન હોત તો બ્રહ્માકુમાર,
બ્રહ્માકુમારી કેવી રીતે બનત. નિશ્ચયનાં પ્રશ્ન પર બધાં હાં કહે છે. બધાં નિશ્ચય
બુદ્ધિ બેઠાં છે, એવું કહેશું ને? નહિં તો જે સમજે છે કે નિશ્ચય થઈ રહ્યો છે, તે
હાથ ઉઠાવે. બધાં નિશ્ચય બુદ્ધિ છે. સારું જ્યારે બધાંને પાક્કો નિશ્ચય છે પછી વિજય
માળામાં નંબર કેમ છે? નિશ્ચયમાં બધાનો એક જ જવાબ છે ને! પછી નંબર કેમ? ક્યાં અષ્ટ
રત્ન, ક્યાં ૧૦૦ રત્ન અને ક્યાં ૧૬ હજાર! આનું કારણ શું? અષ્ટ દેવનું પૂજન ગાયન અને
૧૬ હજાર ની માળાનાં ગાયન અને પૂજનમાં કેટલું અંતર છે? બાપ એક છે અને એકનાં જ છે, આ
નિશ્ચય છે પછી અંતર કેમ? નિશ્ચય બુદ્ધિમાં પર્સન્ટેજ (ટકાવારી) હોય છે શું? નિશ્ચયમાં
જો પર્સન્ટેજ હોય તો તેને નિશ્ચય કહેશું? ૮ રત્ન પણ નિશ્ચય બુદ્ધિ, ૧૬ હજાર વાળા પણ
નિશ્ચય બુદ્ધિ કહેશું ને!
નિશ્ચય બુદ્ધિની નિશાની વિજય છે એટલે ગાયન છે નિશ્ચય બુદ્ધિ વિજયન્તી. તો નિશ્ચય
અર્થાત્ વિજયી છે જ છે. ક્યારેક વિજય થાય, ક્યારેક ન થાય. આ થઈ નથી શકતું. પરિસ્થિતિ
ભલે કેવી પણ હોય પરંતુ નિશ્ચય બુદ્ધિ બાળકો પરિસ્થિતિમાં પોતાની સ્વસ્થિતિની શક્તિ
સદા વિજય અનુભવ કરશે જો વિજય રત્ન અર્થાત્ વિજય માળાનાં મણકા બની ગયાં, ગળાનો હાર
બની ગયાં તેમની માયાથી હાર ક્યારેય થઇ નથી શકતી. ભલે દુનિયા વાળા લોકો અથવા
બ્રાહ્મણ પરિવારનાં સંબંધ સંપર્કમાં બીજા સમજે અથવા કહે કે આ હારી ગયાં - પરંતુ તે
હાર નથી, જીત છે કારણકે ક્યાંક-ક્યાંક જોવાં કે કરવા વાળાની ગેરસમજ પણ થઈ જાય છે.
નમ્રચિત્ત નિર્માણ અથવા હાં જી નો પાઠ ભણવાવાળી આત્માઓનાં પ્રતિ ક્યારેક ગેરસમજથી
એમની હાર થઈ શકે છે, બીજાઓને રુપ હાર નું દેખાય છે પરંતુ હકીકતમાં વિજય છે. ફક્ત તે
સમયે બીજાઓનાં કહેવાં કે વાયુમંડળમાં સ્વયં નિશ્ચય બુદ્ધિથી બદલાઈ શક્ય (હોઈ સકે)
નું રુપ ન બનો. ખબર નહિં હાર છે કે જીત છે. આ શક્ય ન રાખી પોતાનાં નિશ્ચયમાં પાક્કા
રહો. તો જેમને આજે બીજા લોકો હાર કહે છે, કાલે વાહ! વાહ! નાં પુષ્પ ચઢાવશે.
વિજયી આત્માને પોતાનાં મનમાં, પોતાનાં કર્મ પ્રતિ ક્યારેય દુવિધા નહીં હશે. સાચો
છું કે ખોટો છું. બીજાઓનું કહેવું અલગ ચીજ છે. બીજા કોઈ સાચું કહેશે કોઈ ખોટું કહેશે
પરંતુ પોતાનું મન નિશ્ચય બુદ્ધિ હોય કે હું વિજયી છું. બાપમાં નિશ્ચયની સાથે-સાથે
સ્વયંનો પણ નિશ્ચય જોઈએ. નિશ્ચય બુદ્ધિ અર્થાત્ વિજયી નું મન અર્થાત્ સંકલ્પ શક્તિ
સદા સ્વચ્છ હોવાનાં કારણે હાં અને ના નો સ્વયં પ્રતિ કે બીજાઓનાં પ્રતિ નિર્ણય સહજ
અને સત્ય, સ્પષ્ટ હશે એટલે ખબર નહીં ની દુવિધા નહિં હશે. નિશ્ચય બુદ્ધિ વિજયી રત્ન
ની નિશાની-સત્ય નિર્ણય હોવાનાં કારણે મનમાં જરા પણ મૂંઝવણ નહિં હશે, સદેવ મૌજ હશે.
ખુશીની લહેર હશે. ભલે પરિસ્થિતિ આગનાં સમાન હોય પરંતુ એનાં માટે તે અગ્નિ-પરીક્ષા
વિજય ની ખુશી અનુભવ કરાવશે કારણ કે પરીક્ષામાં વિજયી થઈ જશે ને. હમણાં પણ લૌકિક રીતે
કોઈ પણ વાતમાં વિજય થાય છે તો ખુશી મનાવવાં માટે હસે-નાચે તાળી પાડે છે. આ ખુશીની
નિશાની છે. નિશ્ચય બુદ્ધિ ક્યારેય પણ કોઈ પણ કાર્યમાં પોતાને એકલાં અનુભવ નહીં કરશે.
બધાં એક તરફ છે, હું એકલો બીજી તરફ છું, ભલે મેજોરીટી બીજી તરફ હોય અને વિજયી રત્ન
ફક્ત એક હોય તો પણ તે પોતાને એક નહીં પરંતુ બાપ મારી સાથે છે એટલે બાપની આગળ અક્ષોણી
પણ કાંઈ નથી. જ્યાં બાપ છે ત્યાં આખો સંસાર બાપમાં છે. બીજ છે તો ઝાડ એમાં છે જ.
વિજયી નિશ્ચય બુદ્ધિ આત્મા સદા પોતાને સહારાનાં નીચે સમજશે. સહારો આપવાવાળા દાતા
મારી સાથે છે, આ નેચરલ (કુદરતી) અનુભવ કરે છે. એવું નહીં કે જ્યારે સમસ્યા આવે તે
સમયે બાપની આગળ કહેશે બાબા તમે તો મારી સાથે છો ને. તમે જ મદદગાર છો ને. બસ હવે તમે
જ છો. મતલબ નો સહારો નહીં લેશે. તમે છો ને, આ છો ને નો અર્થ શું થયો? નિશ્ચય થયો?
બાપને પણ યાદ અપાવો છો કે તમે સહારો છો. નિશ્ચય બુદ્ધિ ક્યારેય પણ આવો સંકલ્પ નથી
કરી શકતાં. તેમનાં મનમાં જરા પણ બેસહારા કે એકલાપણાનો સંકલ્પ માત્ર પણ અનુભવ નહીં
થાય. નિશ્ચય બુદ્ધિ વિજયી હોવાનાં કારણે સદા ખુશીમાં નાચતાં રહેશે. ક્યારેક ઉદાસી
અથવા અલ્પકાળનો હદનો વૈરાગ્ય, આ લહેરમાં પણ નહીં આવશે. ઘણીવાર જ્યારે માયાનો તેજ
વાર હોય છે, અલ્પકાળનો વૈરાગ્ય પણ આવે છે, પરંતુ તે હદનો અલ્પકાળનો વૈરાગ્ય હોય છે.
બેહદનો સદાનો નથી હોતો. મજબૂરી થી વૈરાગ્ય-વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલે તે સમયે કહી
દે છે કે આનાથી તો એને છોડી દઈએ. મને વૈરાગ્ય આવી ગયો છે. સેવા પણ છોડી દઈએ આ પણ
છોડી દઈએ. વૈરાગ્ય આવે છે પરંતુ તે બેહદનો નથી હોતો. વિજયી રત્ન સદા હાર માં પણ જીત,
જીત માં પણ જીત અનુભવ કરશે. હદનાં વૈરાગ્યને કહે છે કિનારો કરવો. નામ વૈરાગ્ય કહે
છે પરંતુ હોય છે કિનારો. તો વિજયી રત્ન કોઈ પણ કાર્યથી, સમસ્યાથી, વ્યક્તિથી કિનારો
નહીં કરશે. પરંતુ બધાં કર્મ કરતાં, સામનો કરતાં, સહયોગી બનતાં બેહદની વૈરાગ્ય
વૃત્તિમાં હશે. જે સદા કાળ નો છે. નિશ્ચય બુદ્ધિ વિજયી કયારેય પોતાનાં વિજયનું
વર્ણન નહીં કરશે. બીજાને ઉલ્હના (ફરિયાદ) નહીં આપે. જોયું હું રાઈટ (સાચો) હતો ને.
આ ઉલ્હના આપવી કે વર્ણન કરવું, આ ખાલીપણા ની નિશાની છે. ખાલી ચીજ વધારે ઉછળે છે ને.
જેટલાં ભરપૂર હશે એટલાં ઉછળશે નહીં. વિજયી સદા બીજાઓની પણ હિંમત વધારશે. નીચું
દેખાડવાની કોશિશ નહીં કરશે કારણકે વિજયી રત્ન બાપ સમાન માસ્ટર સહારા દાતા છે. નીચેથી
ઊંચા ઉઠાવવા વાળા છે. નિશ્ચય બુદ્ધિ વ્યર્થથી સદા દૂર રહે છે. ભલે વ્યર્થ સંકલ્પ
હોય, બોલ હોય કે કર્મ હોય. વ્યર્થ થી કિનારો અર્થાત્ વિજયી છે. વ્યર્થનાં કારણે જ
ક્યારેક હાર, ક્યારેક જીત થાય છે. વ્યર્થ સમાપ્ત થાય તો હાર સમાપ્ત. વ્યર્થ સમાપ્ત
થવું, આ વિજયી રત્નની નિશાની છે. હવે આ તપાસ કરો કે નિશ્ચય બુદ્ધિ વિજયી રત્નની
નિશાનીઓ અનુભવ થાય છે? સંભળાવ્યું ને-નિશ્ચય બુદ્ધિ તો છે, સાચું બોલે છે. પરંતુ
નિશ્ચય બુદ્ધિ એક છે જાણવાં સુધી, માનવાં સુધી અને એક છે ચાલવાં સુધી. માનો તો બધાં
છો કે હાં ભગવાન મળી ગયાં. ભગવાન નાં બની ગયાં. માનવું કે જાણવું, એક જ વાત છે.
પરંતુ ચાલવામાં નંબરવાર થઈ જાય. તો જાણો પણ છો, માનો પણ આમાં ઠીક છે પરંતુ ત્રીજું
સ્ટેજ છે માનીને, જાણીને ચાલવું. દરેક કદમમાં નિશ્ચયની અથવા વિજયની પ્રત્યક્ષ
નિશાનીઓ દેખાય. આમાં અંતર છે એટલે નંબરવાર બની ગયાં. સમજ્યા-નંબર કેમ બન્યાં છે!
આને જ કહેવાય છે નષ્ટોમોહા. નષ્ટોમોહા ની પરિભાષા બહુજ ગુહ્ય છે. તે પછી ક્યારેક
સંભળાવશું. નિશ્ચય બુદ્ધિ નષ્ટોમોહા ની સીડી છે. અચ્છા - આજે બીજું ગ્રુપ આવ્યું
છે. ઘરનાં બાળક જ માલિક છે તો ઘરનાં માલિક પોતાનાં ઘરમાં આવ્યાં છે, એવું કહેશું
ને. ઘરમાં આવ્યાં છો, કે ઘરેથી આવ્યાં છો? જો તેને ઘર સમજશો તો મમત્વ જશે. પરંતુ તે
ટેમ્પરરી (અલ્પકાલીન) સેવાસ્થાન છે. ઘર તો બધાનું મધુબન છે ને. આત્માનાં નાતે
પરમધામ છે. બ્રાહ્મણનાં નાતે મધુબન છે. જ્યારે કહો જ છો કે હેડ ઓફિસ માઉન્ટ આબુ છે
તો જયાં રહો છો તે શું થયું? ઓફિસ થયુંને, ત્યારે તો હેડ ઓફિસ કહો છે. તો ઘરેથી નથી
આવ્યા પરંતુ ઘરમાં આવ્યાં છો. ઓફિસ થી ક્યારે પણ કોઈને ચેન્જ (બદલી) કરી શકે છે.
ઘરેથી નીકાળી ન શકાય. ઓફિસ તો બદલી કરી શકે. ઘર સમજશો તો મારાંપણું રહેશે. સેન્ટરને
પણ ઘર બનાવી દે છે ત્યારે મારાંપણું આવે છે. સેન્ટર સમજે તો મારાંપણું નહીં રહે. ઘર
બની જાય, આરામનું સ્થાન બની જાય ત્યારે મારાંપણું રહે છે. તો પોતાનાં ઘરેથી આવ્યાં
છો. આજે કહેવત છે- પોતાનું ઘર દાતાનું દર. આ કયા સ્થાન માટે ગાયન છે? વાસ્તવિક
દાતાનું દર પોતાનું ઘર તો મધુબન છે ને. પોતાનાં ઘરમાં અર્થાત્ દાતાનાં ઘરમાં આવ્યાં
છો. ઘર અથવા દર કહો વાત એક જ છે. પોતાનાં ઘરમાં, આવવાથી આરામ મળે છે ને. મનનો આરામ.
તનનો પણ આરામ, ધનનો પણ આરામ. કમાવવા માટે થોડી જવું પડે છે. ખાવાનું બનાવો ત્યારે
ખાઓ આનાંથી પણ આરામ મળી જાય, થાળીમાં બન્યું બનાવેલું ભોજન મળે છે. અહીંયા તો ઠાકુર
બની જાઓ છો. જેમ ઠાકુરોનાં મંદિરમાં ઘંટી વગાડે છે ને. ઠાકુરને ઉઠાડવાનાં હોય,
સુવડાવવાનાં હોય તો ઘંટડી વગાડે. ભોગ લગાવશે તો પણ ઘંટડી વગાડશે. તમારી પણ ઘંટડી
વાગે છે ને. આજકાલ ફેશનબલ (ફેન્સી) છે તો રેકોર્ડ વગાડે છે. રેકોર્ડ થી સૂવો છો, પછી
રેકોર્ડ થી ઉઠો છો તો ઠાકુર થઈ ગયાં ને. અહીંયાનું જ પછી ભક્તિમાર્ગમાં કોપી (નકલ)
કરે છે. અહીંયા પણ 3-૪ વાર ભોગ લાગે છે. ચૈતન્ય ઠાકુરો ને ૪ વાગ્યાથી ભોગ લગાવવાનું
શરુ થઇ જાય છે. અમૃતવેલા થી ભોગ શરુ થાય. ચૈતન્ય સ્વરુપમાં ભગવાન સેવા કરી રહ્યાં
છે બાળકોની. ભગવાનની સેવા તો બધાં કરે છે, પરંતુ અહીંયા ભગવાન સેવા કરે છે. કોની?
ચૈતન્ય ઠાકુરો ની. આ નિશ્ચય સદા જ ખુશીમાં ઝૂલાવતો રહેશે. સમજ્યાં - બધાં ઝોન લાડકા
છે. જ્યારે જે ઝોન આવે છે તે લાડકા છે. લાડકા તો છો પરંતુ ફક્ત બાપનાં લાડકા બનો.
માયાનાં લાડકા નહીં બની જાઓ. માયાનાં લાડકા બનો છો તો પછી બહુજ લાડ કોડ કરો છો. જે
પણ આવ્યાં છે, ભાગ્યવાન આવ્યાં છો ભગવાન ની પાસે. - અચ્છા
સદા દરેક સંકલ્પમાં નિશ્ચય બુદ્ધિ વિજયી રત્ન સદા ભગવાન અને ભાગ્યની સ્મૃતિ સ્વરુપ
આત્માઓને, સદા હાર અને જીત બંનેવ માં વિજયી અનુભવ કરવા વાળાને, સદા સહારો અર્થાત્
સહયોગ આપવા વાળા માસ્ટર સહારા દાતા આત્માઓને, સદા સ્વયંને બાપની સાથે અનુભવ કરવાવાળી
શ્રેષ્ઠ આત્માઓને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ થી
અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
૧ - બધાં એક લગન માં મગન રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓ છો? સાધારણ તો નથી. સદા શ્રેષ્ઠ
આત્માઓ જે પણ કર્મ કરશે તે શ્રેષ્ઠ હશે. જ્યારે જન્મ જ શ્રેષ્ઠ છે તો કર્મ સાધારણ
કેવી રીતે હશે. જ્યારે જન્મ બદલાય છે તો કર્મ પણ બદલાય છે. નામ, રુપ, દેશ, કર્મ
બધુંજ બદલાઈ જાય છે. તો સદા નવો જન્મ, નવાં જન્મની નવીનતા નાં ઉમંગ-ઉત્સાહમાં રહો
છો. જે ક્યારેક ક્યારેક રહેવાવાળા છે એમને રાજ્ય પણ ક્યારેક-ક્યારેક મળશે.
જે નિમિત્ત બનેલી આત્માઓ છે, એમને નિમિત્ત બનવાનું ફળ મળતું રહે છે. અને ફળ ખાવા
વાળી આત્માઓ શક્તિશાળી હોય છે. આ પ્રત્યક્ષ ફળ છે, શ્રેષ્ઠ યુગનું ફળ છે. આનું ફળ
ખાવાવાળા સદા શક્તિશાળી હશે. આવી શક્તિશાળી આત્માઓ પરિસ્થિતિઓનાં ઉપર સહજ જ વિજય
પામી લે છે. પરિસ્થિતિ નીચે અને તેઓ ઉપર. જેમ શ્રીકૃષ્ણનાં માટે દેખાડે છે કે તેમણે
સાપને પણ જીત્યાં. તેનાં માથા પર પગ રાખીને નાચ્યાં. તો આ તમારું ચિત્ર છે. કેટલા
પણ ઝેરીલા સાપ હોય પરંતુ તમે તેનાં પર પણ વિજય પ્રાપ્ત કરી નાચ કરવાવાળા છો. આજ
શ્રેષ્ઠ શક્તિશાળી સ્મૃતિ બધાને સમર્થ બનાવી દેશે. અને જ્યાં સમર્થતા છે ત્યાં
વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. સમર્થ બાપની સાથે છો, એવી સ્મૃતિનાં વરદાન થી સદા આગળ વધતા
જાઓ.
૨ - બધાં અમર બાપની અમર આત્માઓ છો ને. અમર થઈ ગયાં ને? શરીર છોડો છો તો પણ અમર છો,
કેમ? કારણકે ભાગ્ય બનાવીને જાઓ છો. ખાલી હાથે નથી જતાં, એટલે મરવું નથી. ભરપૂર થઈને
જવાનું છે. મરવું અર્થાત્ ખાલી હાથ જવું. ભરપૂર થઈને જવું એટલે વસ્ત્ર બદલી કરવું.
તો અમર થઈ ગયા ને. અમર ભવનું વરદાન મળી ગયું, આમાં મૃત્યુનાં વશીભૂત નથી થતાં. જાણો
છો જવાનું પણ છે ફરી આવવાનું પણ છે, એટલે અમર છો. અમરકથા સાંભળતાં-સાંભળતાં અમર બની
ગયાં. રોજ-રોજ પ્રેમથી કથા સાંભળો છો ને. બાપ અમરકથા સંભળાવીને અમરભવ નું વરદાન આપી
દે છે. બસ સદા આજ ખુશીમાં રહો કે અમર બની ગયાં. માલામાલ બની ગયાં. ખાલી હતાં ભરપૂર
થઈ ગયાં. એવાં ભરપૂર થઈ ગયા જે અનેક જન્મ ખાલી થઈ નથી શકતાં.
૩ - બધાં યાદની યાત્રામાં આગળ વધતાં જઈ રહ્યા છો ને. આ રુહાની યાત્રા સદા જ સુખદાયી
અનુભવ કરાવશે. આ યાત્રાથી સદાનાં માટે સર્વ યાત્રાઓ પૂર્ણ થઈ જાય છે. રુહાની યાત્રા
કરી તો બધી યાત્રાઓ થઈ ગઈ બીજી કોઈ યાત્રા કરવાની આવશ્યકતા જ નથી રહેતી કારણકે મહાન
યાત્રા છે ને. મહાન યાત્રામાં બધી યાત્રાઓ સમાયેલી છે. પહેલાં યાત્રાઓમાં ભટકતાં હતાં
હવે આ રુહાની યાત્રા થી ઠેકાણા પર પહોંચી ગયાં. હવે મનને પણ ઠેકાણું મળી ગયું તો
તનને પણ ઠેકાણું મળી ગયું. એક જ યાત્રા થી અનેક પ્રકારનું ભટકવાનું બંધ થઈ ગયું. તો
સદા રુહાની યાત્રી છીએં તે સ્મૃતિમાં રહો, આનાંથી સદા ઉપરામ રહેશો, ન્યારા રહેશો,
નિર્મોહી રહેશો. કોઈમાં પણ મોહ નહિં જશે. યાત્રીનો કોઈમાં પણ મોહ નથી જતો. એવી
સ્થિતિ સદા રહે.
વિદાયનાં સમયે
:-
બાપદાદા બધાં
દેશ-વિદેશનાં બાળકોને જોઈ ખુશ થાય છે કારણ કે બધાં સહયોગી બાળકો છે. સહયોગી બાળકોને
બાપદાદા સદા દિલતખ્તનશીન સમજી યાદ કરી રહ્યાં છે. બધી નિશ્ચય બુદ્ધિ આત્માઓ બાપને
પ્રિય છે કારણકે બધાં ગળાનો હાર બની ગયાં. અચ્છા-બધાં બાળકો સર્વિસ સારી વૃદ્ધિને
પ્રાપ્ત કરાવી રહ્યાં છે. અચ્છા.
વરદાન :-
સાચી સેવા
દ્વારા અવિનાશી , અલૌકિક ખુશીનાં સાગરમાં લહેરાવા વાળી ખુશનસીબ આત્મા ભવ
જે બાળકો સેવાઓમાં બાપદાદા અને નિમિત્ત મોટાઓની સ્નેહની દુવાઓ પ્રાપ્ત કરે છે એમને
અંદરથી અલૌકિક, આત્મિક ખુશીનો અનુભવ થાય છે. તેઓ સેવાઓ દ્વારા આંતરિક ખુશી, રુહાની
મોજ, બેહદની પ્રાપ્તિનો અનુભવ કરતાં સદા ખુશીનાં સાગરમાં લહેરાતા રહે છે. સાચી સેવા
સર્વનો સ્નેહ, સર્વ દ્વારા અવિનાશી સમ્માન અને ખુશીની દુવાઓ પ્રાપ્ત થવાની ખુશનસીબી
નાં શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ કરાવે છે. જે સદા ખુશ છે તે જ ખુશનસીબ છે.
સ્લોગન :-
સદા હર્ષિત અને
આકર્ષણમૂર્ત બનવાં માટે સંતુષ્ટમણી બનો.
સુચના :-
આજે આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ ત્રીજો રવિવાર છે. સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ-બહેનો સંગઠિત
રુપમાં એકત્રિત થઈ યોગ અભ્યાસમાં એજ શુભ સંકલ્પ કરે કે મુજ આત્મા દ્વારા પવિત્રતાની
કિરણો નીકળીને આખાં વિશ્વને પાવન બનાવી રહી છે. હું માસ્ટર પતિત પાવની આત્મા છું.