06-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હવે
વિકારોનું દાન આપો તો ગ્રહણ ઉતરી જાય અને આ તમોપ્રધાન દુનિયા સતોપ્રધાન બને ”
પ્રશ્ન :-
આપ બાળકોએ કઈ
વાતથી ક્યારે પણ હેરાન ન થવું જોઈએ?
ઉત્તર :-
તમારે પોતાના જીવન થી ક્યારેય પણ હેરાન ન થવું જોઈએ કારણકે આ હીરા જેવો જન્મ ગવાયેલો
છે. આની સંભાળ પણ કરવાની છે, તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો. અહીંયા જેટલા
દિવસ જીવશો, કમાણી થતી રહેશે, હિસાબ-કિતાબ ચૂકતું થતાં રહેશે.
ગીત :-
ઓમ નમઃ શિવાય….
ઓમ શાંતિ!
આજે ગુરુવાર
છે. આપ બાળકો કહેશો સતગુરુવાર, કારણકે સતયુગ ની સ્થાપના કરવાવાળા પણ છે, સત્યનારાયણ
ની કથા પણ સંભળાવે છે પ્રેકટિકલમાં. નર થી નારાયણ બનાવે છે. ગવાય પણ છે સર્વનાં
સદ્દગતિ-દાતા, પછી વૃક્ષપતિ પણ છે. આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે, જેને કલ્પવૃક્ષ કહે
છે. કલ્પ-કલ્પ અર્થાત્ ૫ હજાર વર્ષ પછી ફરીથી હૂબહૂ રિપીટ (પુનરાવર્તન) થાય છે. ઝાડ
પણ રિપીટ થાય છે ને. પુરા ૬ મહિના નીકળે છે, પછી માળી લોકો મૂળ નિકાળી રાખી દે છે
પછી લગાવે છે તો ફૂલ નીકળે છે.
હવે આ તો બાળકો જાણે છે - બાપની જયંતી પણ અડધો કલ્પ મનાવે છે, અડધો કલ્પ ભૂલી જાય
છે. ભક્તિમાર્ગમાં અડધો કલ્પ યાદ કરે છે. બાબા ક્યારે આવીને ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો
બગીચો) સ્થાપન કરશે? દશાઓ તો ઘણી હોય છે ને. બ્રહસ્પતિની દશા પણ છે, ઉતરતી કળાની પણ
દશાઓ હોય છે. આ સમયે ભારત પર રાહુનું ગ્રહણ બેઠેલું છે. ચંદ્રમા ને પણ જ્યારે ગ્રહણ
લાગે છે ત્યારે પોકારે છે - દે દાન તો છૂટે ગ્રહણ. હવે બાપ પણ કહે છે - આ ૫ વિકારોનું
દાન આપી દો તો છૂટે ગ્રહણ. હમણાં આખી સૃષ્ટિ પર ગ્રહણ લાગેલું છે, ૫ તત્વો પર પણ
ગ્રહણ લાગેલું છે કારણ કે તમોપ્રધાન છે. દરેક વસ્તુ નવી થી જૂની જરુર થાય છે. નવી
ને સતોપ્રધાન, જુની ને તમોપ્રધાન કહે છે. નાનાં બાળકોને પણ સતોપ્રધાન મહાત્મા થી પણ
ઊંચા ગણાય છે, કારણકે તેમનામાં ૫ વિકાર નથી હોતાં. ભક્તિ તો સંન્યાસી પણ નાનપણ માં
કરે છે. જેમ રામતીર્થ કૃષ્ણ નાં પુજારી હતાં પછી જ્યારે સન્યાસ લીધો તો પૂજા ખલાસ.
સૃષ્ટિ પર પવિત્રતા પણ જોઈએ ને. ભારત પહેલાં સૌથી પવિત્ર હતું પછી જ્યારે દેવતાઓ
વામમાર્ગમાં જાય છે તો ફરી ધરતીકંપ વગેરેમાં બધી સ્વર્ગની સામગ્રી, સોનાનાં મહેલો
વગેરે ખલાસ થઈ જાય છે પછી નવેસરથી બનવાનું શરુ થાય છે. વિનાશ જરુર થાય છે. ઉપદ્રવ
થાય છે જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે, આ સમયે બધાં પતિત છે. સતયુગમાં દેવતાઓ રાજ્ય
કરે છે. અસુરો અને દેવતાઓનું યુદ્ધ દેખાડે છે, પરંતુ દેવતાઓ તો હોય જ છે સતયુગમાં.
ત્યાં લડાઈ કેવી રીતે થઈ શકે. સંગમ પર તો દેવતાઓ હોતાં નથી. તમારું નામ જ છે પાંડવ.
પાંડવો કૌરવો ની પણ લડાઈ હોતી નથી. આ બધાં છે ગપોડા. કેટલું મોટું ઝાડ છે. કેટલાં
અથાહ પત્તા (પાંદડાઓ) છે, તેનો હિસાબ થોડી કોઈ નિકાળી શકે. સંગમ પર તો દેવતાઓ હોતાં
નથી. બાપ બેસી આત્માઓને સમજાવે છે, આત્મા જ સાંભળીને ખભા હલાવે છે. આપણે આત્મા છીએં,
બાબા આપણને ભણાવે છે, આ પાક્કું કરવાનું છે. બાપ આપણને પતિત થી પાવન બનાવે છે.
આત્મામાં જ સારા અથવા ખરાબ સંસ્કાર હોય છે ને. આત્મા ઓર્ગન્સ (કર્મેન્દ્રિયોં)
દ્વારા કહે છે અમને બાબા ભણાવે છે. બાપ કહે છે મને પણ ઓર્ગન્સ જોઈએ, જેનાંથી સમજાવું.
આત્માને ખુશી થાય છે. બાબા દર ૫ હજાર વર્ષ પછી આવે છે આપણને સંભળાવવાં. તમે તો સામે
બેઠાં છો ને. મધુબન ની જ મહિમા છે. આત્માઓનાં બાપ તો એ છે ને, બધાં એમને બોલાવે છે.
તમને અહીંયા સમ્મુખ બેસવામાં મજા આવે છે. પરંતુ અહિયાં બધાં તો રહી ન સકે. પોતાનો
કારોબાર સર્વિસ વગેરેને પણ જોવાનું છે. આત્માઓ સાગરની પાસે આવે છે, ધારણ કરી પછી
જઈને બીજાને સંભળાવાનું છે. નહિ તો બીજાનું કલ્યાણ કેવી રીતે કરશો? યોગી અને જ્ઞાની
તું આત્માને શોખ રહે છે અમે જઈને બીજાને પણ સમજાવીએ. હવે શિવજયંતી મનાવાય છે ને.
ભગવાનુવાચ છે. ભગવાનુવાચ કૃષ્ણનાં માટે નથી કહી શકાતું, તે તો છે દૈવી ગુણવાળા
મનુષ્ય. ડીટીજ્મ (દૈવી રાજ્ય) કહેવાય છે. હવે બાળકો આ તો સમજી ગયાં છે કે હમણાં
દેવી-દેવતાં ધર્મ નથી, સ્થાપના થઇ રહી છે. તમે એવું નહીં કહેશો કે અમે હમણાં
દેવી-દેવતા ધર્મનાં છીએં. ના, હમણાં તમે બ્રાહ્મણ ધર્મનાં છો, દેવી-દેવતા ધર્મનાં
બની રહ્યાં છો. દેવતાઓનાં પડછાયા આ પતિત સૃષ્ટિ પર ન પડી સકે, આમાં દેવતાઓ આવી ન શકે.
તમારાં માટે નવી દુનિયા જોઈએ. લક્ષ્મીની પણ પૂજા કરે છે તો ઘરની કેટલી સફાઈ કરી દે
છે. હવે આ સૃષ્ટિની પણ કેટલી સફાઈ થવાની છે. આખી જૂની દુનિયા જ ખતમ થઈ જવાની છે.
લક્ષ્મી થી મનુષ્ય ધન જ માગે છે. લક્ષ્મી મોટી કે જગદંબા મોટી? અંબાનાં મંદિર પણ ઘણાં
છે. મનુષ્યોને કાંઈ પણ ખબર નથી. તમે સમજો છો લક્ષ્મી તો સ્વર્ગની માલિક અને જગત અંબા
જેમને સરસ્વતી પણ કહે છે, તે જ જગત અંબા પછી આ લક્ષ્મી બને છે. તમારું પદ ઊંચું છે,
દેવતાઓનું પદ ઓછું છે. ઊંચેથી ઊંચા તો બ્રાહ્મણ ચોટી છે ને. તમે છો સૌથી ઉંચા. તમારી
મહિમા છે - સરસ્વતી, જગત અંબા, તેમનાથી શું મળે છે? સૃષ્ટિની બાદશાહી. ત્યાં તમે
ધનવાન બનો છો, વિશ્વનું રાજ્ય મળે છે. પછી ગરીબ બનો છો, ભક્તિમાર્ગ શુરુ થાય છે. પછી
લક્ષ્મી ને યાદ કરે છે. દર વર્ષે લક્ષ્મીની પૂજા પણ થાય છે. લક્ષ્મીને દર વર્ષે
બોલાવે છે, જગત અંબાને કોઈ દરેક વર્ષે નથી બોલાવતાં. જગત અંબાની તો સદેવ પૂજા થાય જ
છે, જ્યારે ઈચ્છે ત્યારે અંબાનાં મંદિરમાં જાય. અહીં પણ જ્યારે ઈચ્છો, જગત અંબાને
મળી શકો છો. તમે પણ જગત અંબા છો ને. સર્વને વિશ્વનાં માલિક બનવાનો રસ્તો બતાવવા વાળા
છો. જગત અંબાની પાસે બધું જઈને માંગે છે. લક્ષ્મી થી ફક્ત ધન માંગે છે. તેમની આગળ
તો બધી કામનાઓ રાખશે, તો સૌથી ઊંચ પદ તમારું હમણાં છે, જ્યારે બાપનાં આવીને બાળકો
બનો છો. બાપ વારસો આપે છે.
હમણાં તમે છો ઈશ્વરીય સંપ્રદાય, પછી હશો દૈવી સંપ્રદાય. આ સમયે બધી મનોકામનાઓ
ભવિષ્યનાં માટે પૂરી થાય છે. કામના તો મનુષ્યને રહે છે ને. તમારી બધી કામનાઓ પૂરી
થાય છે. આ તો છે આસુરી દુનિયા. બાળકો જુઓ કેટલા પેદા કરે છે. આપ બાળકોને તો
સાક્ષાત્કાર કરાવાય છે, સતયુગમાં કેવી રીતે કૃષ્ણનો જન્મ થાય છે? ત્યાં તો બધું
કાયદેસર હોય છે, દુઃખનું નામ નથી હોતું. એને કહેવાય જ છે સુખધામ. તમે અનેકવાર સુખમાં
પસાર કર્યું છે, અનેકવાર હાર ખાધી છે અને જીત પણ પામી છે. હવે સ્મૃતિ આવી છે કે અમને
બાબા ભણાવે છે. સ્કૂલમાં નોલેજ ભણે છે. સાથે-સાથે મેનર્સ (શિસ્ત) પણ શીખે છે ને.
ત્યાં કોઈ આ લક્ષ્મી-નારાયણ જેવા મેનર્સ નથી શીખતાં. હમણાં તમે દૈવી ગુણ ધારણ કરો
છો. મહિમા પણ તેમની જ ગવાય છે-સર્વગુણ સંપન્ન….તો હવે તમારે એવાં બનવાનું છે. આપ
બાળકોએ પોતાના આ જીવન થી ક્યારેય હેરાન ન થવું જોઈએ, કારણકે આ હીરા જેવો જન્મ
ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની હોય છે. તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતાં રહેશો.
બીમારીમાં પણ સાંભળી શકો છો. બાપને યાદ કરી શકો છો. અહીંયા જેટલાં દિવસ જીવશો સુખી
રહેશો. કમાણી થતી રહેશે, હિસાબ-કિતાબ ચૂકતું થતો રહેશે. બાળકો કહે છે - બાબા સતયુગ
ક્યારે આવશે? આ બહુજ ગંદી દુનિયા છે. બાપ કહે છે - અરે, પહેલા કર્માતીત અવસ્થા તો
બનાવો. જેટલું થઇ સકે પુરુષાર્થ કરતાં રહો. બાળકોને શિખવાડવું જોઈએ કે શિવબાબાને
યાદ કરો, આ છે અવ્યભિચારી યાદ. એક શિવની ભક્તિ કરવી, તે છે અવ્યભિચારી ભક્તિ,
સતોપ્રધાન ભક્તિ. પછી દેવી-દેવતાઓને યાદ કરવું, તે છે સતો ભક્તિ. બાપ કહે છે
ઉઠતાં-બેસતાં મુજ બાપને યાદ કરો. બાળકો જ બોલાવે છે - હેં પતિત-પાવન, હેં લિબરેટર (મુક્તિદાતા),
હેં ગાઈડ (માર્ગદર્શક)...... આ આત્માએ કહ્યું ને.
બાળકો યાદ કરે છે, બાપ હમણાં સ્મૃતિ અપાવે છે, તમે યાદ કરતાં આવ્યા છો-હેં દુ:ખહર્તા
સુખકર્તા આવો, આવીને દુ:ખથી છોડાવો, લિબરેટ કરો, શાંતિધામમાં લઈ જાઓ. બાપ કહે છે
હું તમને શાંતિધામ માં લઈ જઈશ, પછી સુખધામ માં તમને સાથ નથી આપતો. સાથ હમણાં જ આપુ
છું. બધી આત્માઓને ઘરે લઈ જાઉં છું. મારો હમણાં ભણાવવાનો સાથ છે અને પછી પાછાં ઘરે
લઈ જવાનો સાથ છે. બસ, હું પોતાનો પરિચય આપ બાળકોને સારી રીતે બેસી સંભળાવું છું.
જેવો-જેવો જે પુરુષાર્થ કરશે તે અનુસાર પછી ત્યાં પ્રાલબ્ધ પામશે. સમજ તો બાપ ઘણી
આપે છે. જેટલું થઈ શકે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ઉડવાની પાંખો મળી જશે.
આત્માને કોઈ એવી પાંખો નથી. આત્મા આ તો એક નાનું બિંદુ છે. કોઈને આ ખબર નથી કે
આત્મામાં કેવો ૮૪ જન્મોનો પાર્ટ નોંધાયેલો છે. ન આત્માનો કોઈને પરિચય છે, ન પરમાત્મા
નો પરિચય છે. ત્યારે બાપ કહે છે - હું જે છું, જેવો છું, મને કોઈ પણ જાણી નથી શકતું.
મારા દ્વારા જ મને અને મારી રચનાને જાણી શકાય છે. હું જ આવીને આપ બાળકોને પોતાનો
પરિચય આપું છું. આત્મા શું છે, તે પણ સમજાવું છું. આને સોલ રીયલાઈજેશન (આત્મિક
અનુભૂતિ) કહેવાય છે. આત્મા ભ્રકુટીની વચમાં રહે છે. કહે પણ છે ભ્રકુટીનાં વચમાં ચમકે
છે અજબ સિતારો…... પરંતુ આત્મા શું ચીજ છે, આ બિલકુલ કોઈ નથી જાણતું. જ્યારે કોઈ કહે
છે કે આત્માનો સાક્ષાત્કાર થાય તો તેમને સમજાવો કે તમે તો કહો છો ભ્રકુટીની વચમાં
સ્ટાર (તારો) છે, સ્ટાર ને શું જોશો? તિલક પણ સ્ટારનું જ આપે છે. ચંદ્રમા પર પણ
સ્ટાર દેખાડે છે. હકીકતમાં આત્મા છે સ્ટાર. હમણાં બાપએ સમજાવ્યું છે તમે જ્ઞાન
સ્ટાર છો, બાકી તે સૂર્ય, ચંદ્ર, તારાઓ તો માંડવાને રોશની આપવાવાળા છે. તે કોઈ
દેવતાઓ નથી. ભક્તિમાર્ગમાં સૂર્યને પણ પાણી આપે છે. ભક્તિમાર્ગમાં આ બાબા પણ બધું
કરતાં હતાં. સૂર્ય દેવતાય નમઃ, ચંદ્ર દેવતાય નમઃ કહીને પાણી આપતા હતાં. આ બધું છે
ભક્તિમાર્ગ. આમણે તો ખુબ ભક્તિ કરેલી છે. નંબરવન પૂજ્ય થી પછી નંબરવન પૂજારી બન્યાં
છે. નંબર તો ગણશે ને. રુદ્ર માળાનાં પણ નંબર તો છે ને. ભક્તિ પણ સૌથી વધારે આમણે કરી
છે. હવે બાપ કહે છે નાનાં-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. હવે હું બધાને લઈ જઈશ પછી
અહીંયા આવશે જ નહીં. બાકી શાસ્ત્રોમાં જે દેખાડે છે - પ્રલય થયું, જળમઈ થઈ ગયું પછી
પીપળનાં પત્તા પર કૃષ્ણ આવ્યાં….બાપ સમજાવે છે સાગર ની કોઈ વાત નથી. ત્યાં તો ગર્ભ
મહેલ છે, જયાં બાળકો બહુજ સુખમાં રહે છે. અહીંયા ગર્ભ-જેલ કહેવાય છે. પાપોની ભોગના
ગર્ભમાં મળે છે. તો પણ બાપ કહે છે મનમનાભવ, મને યાદ કરો. પ્રદર્શની માં કોઈ પૂછે છે
તો સીડીમાં બીજા કોઈ ધર્મ કેમ નથી દેખાડ્યાં? બોલો, બીજાઓનાં ૮૪ જન્મ તો છે નહીં.
બધાં ધર્મ ઝાડમાં દેખાડયાં છે, તેમાં તમે પોતાનો હિસાબ નીકાળો કે કેટલાં જન્મ લીધાં
હશે. અમારે તો સીડી ૮૪ જન્મોની દેખાડવાની છે. બાકી બધાં ચક્રમાં અને ઝાડમાં દેખાડયાં
છે. આમાં બધી વાતો સમજાવી છે. નકશો જોવાથી બુદ્ધિમાં આવી જાય છે ને-લન્ડન ક્યાં છે,
ફલાણું શહેર ક્યાં છે. બાપ કેટલું સહજ કરી સમજાવે છે. બધાને આ જ બતાવો કે ૮૪ નું
ચક્ર આમ ફરે છે. હમણાં તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું છે તો બેહદનાં બાપ ને યાદ કરો
તો તમે પાવન બની જશો અને પછી પાવન બની પાવન દુનિયામાં ચાલ્યાં જશો. કોઈ તકલીફ ની
વાત નથી. જેટલો સમય મળે બાપને યાદ કરો તો પાક્કી ટેવ પડી જશે. બાપની યાદમાં તમે
દિલ્હી સુધી પગપાળા જાઓ તો પણ થાક નહીં લાગશે. સાચી યાદ હશે તો દેહનું ભાન તૂટી જશે,
પછી થાક લાગી ન સકે. પાછળ થી આવવા વાળા વધારે જ યાદમાં આગળ જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપની
અવ્યભિચારી યાદમાં રહી દેહ-ભાન ને ખતમ કરવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાનો
પુરુષાર્થ કરવાનો છે. આ શરીરમાં રહેતાં અવિનાશી કમાણી જમા કરવાની છે.
2. જ્ઞાની તું આત્મા બની બીજાઓની સર્વિસ કરવાની છે, બાપથી જે સાંભળ્યું છે તેને
ધારણ કરી બીજાઓને સંભળાવાનું છે. ૫ વિકારોનું દાન આપી રાહુનાં ગ્રહણ થી મુક્ત થવાનું
છે.
વરદાન :-
મન્સા શક્તિ
નાં અનુભવ દ્વારા વિશાળ કાર્યમાં સદા સહયોગી ભવ
પ્રકૃતિને, તમોગુણી
આત્માઓનાં વાઈબ્રેશનને પરિવર્તન કરવું તથા ખુનેનાહક વાયુમંડળ, વાઈબ્રેશન માં સ્વયંને
સેફ (સુરક્ષિત) રાખવું, અન્ય આત્માઓને સહયોગ આપવો, નવી સૃષ્ટિમાં નવી રચનાનું યોગબળ
થી પ્રારંભ કરવું - આ બધાં વિશાળ કાર્યોનાં માટે મન્સા શક્તિ ની આવશ્યકતા છે. મન્સા
શક્તિ દ્વારા જ સ્વયંનો અંત સુહાવનો થશે. મન્સા શક્તિ અર્થાત્ શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ,
એકની સાથે લાઈન ક્લિયર….હવે આનાં અનુભવી બનો ત્યારે બેહદનાં કાર્યમાં સહયોગી બની
બેહદ વિશ્વનાં રાજ્ય અધિકારી બનશો.
સ્લોગન :-
નિર્ભયતા અને
નમ્રતા જ યોગી અથવા જ્ઞાની આત્માનું સ્વરુપ છે.