20-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - પુણ્ય આત્મા બનવું છે તો સ્વયં નો પોતામેલ જુઓ કે કોઈ પાપ તો નથી થતું , સત્યનું ખાતું જમા છે ?”

પ્રશ્ન :-
સૌથી મોટું પાપ કયું છે?

ઉત્તર :-
કોઈનાં પર પણ ગંદી દૃષ્ટિ રાખવી - આ સૌથી મોટું પાપ છે. તમે પુણ્ય આત્મા બનવાવાળા બાળકો કોઈનાં પર પણ ગંદી દૃષ્ટિ (વિકારી દૃષ્ટિ) ન રાખી શકો. તપાસ કરવાની છે અમે ક્યાં સુધી યોગમાં રહીએ છીએ? કોઈ પાપ તો નથી કરતાં? ઊંચ પદ પામવું છે તો ખબરદારી રાખો કે જરા પણ કુદૃષ્ટિ ન હોય. બાપ જે શ્રીમત આપે છે તેનાં પર પૂરા ચાલતા રહો.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ ……..

ઓમ શાંતિ!
બેહદનાં બાપ પોતાનાં બાળકોને કહે છે બાળકો, પોતાની અંદર જરા તપાસ કરો. આ તો મનુષ્યોને ખબર હોય છે કે અમે આખાં જીવનમાં કેટલાં પાપ, કેટલા પુણ્ય કર્યા છે? રોજ પોતાનો પોતામેલ જુઓ - કેટલાં પાપ અને કેટલા પુણ્ય કર્યા છે? કોઈને રંજ (નારાજ) તો નથી કર્યા? દરેક મનુષ્ય સમજી શકે છે - અમે જીવનમાં શું-શું કર્યું છે? કેટલાં પાપ કર્યા છે, કેટલું દાન-પુણ્ય વગેરે કર્યું છે? મનુષ્ય યાત્રા પર જાય છે તો દાન-પુણ્ય કરે છે. કોશિશ કરે કે કોઈ પાપ ન થાય. તો બાપ બાળકો થી જ પૂછે છે - કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે? હવે આપ બાળકોને પુણ્યાત્મા બનવાનું છે. કોઈપણ પાપ નથી કરવાનું. પાપ પણ અનેક પ્રકારનાં હોય છે. કોઈ પર ગંદી દૃષ્ટિ જાય છે તો આ પણ પાપ છે. ગંદી દૃષ્ટિ હોય છે જ વિકારની. તે છે સૌથી ખરાબ. ક્યારેય પણ વિકારની દૃષ્ટિ ન જવી જોઈએ. ખાસ કરીને સ્ત્રી-પુરુષની તો વિકારની જ દૃષ્ટિ હોય છે. કુમાર-કુમારી ની પણ ક્યાંક ને ક્યાંક વિકારની દૃષ્ટિ ઊઠે છે. હવે બાપ કહે છે આ વિકારની દૃષ્ટિ ન હોવી જોઈએ. નહીં તો તમને વાનર કહેવું પડે. નારદનું ઉદાહરણ છે ને. બોલ્યા હું લક્ષ્મી ને વરી શકું છું! તમે પણ કહો છો ને અમે તો લક્ષ્મીને વરીશું. નારી થી લક્ષ્મી, નર થી નારાયણ બનશું. બાપ કહે છે પોતાનાં દિલથી પૂછો-ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યા છીએ? કોઈ પાપ તો નથી કરતાં? ક્યાં સુધી યોગમાં રહીએ છીએ?

આપ બાળકો તો બાપ ને ઓળખો છો ત્યારે તો અહીંયા બેઠા છો ને. દુનિયાનાં મનુષ્ય થોડી બાબાને ઓળખશે કે આ બાપદાદા છે. આપ બ્રાહ્મણ બાળકો તો જાણો છો પરમપિતા પરમાત્મા બ્રહ્મા માં પ્રવેશ થઇને આપણને અવિનાશી જ્ઞાન રત્નોનાં ખજાના આપે છે. મનુષ્યોની પાસે હોય છે વિનાશી ધન. તે જ દાન કરે છે, તે તો છે પથ્થર. આ છે જ્ઞાનનાં રત્ન. જ્ઞાન સાગર બાપની પાસે જ રત્ન છે. આ એક-એક રત્ન લાખો રૂપિયાનાં છે. રત્નાગર બાપથી જ્ઞાન રત્ન ધારણ કરી અને પછી આ રત્નોનું દાન કરવાનું છે. જેટલું જે લેશે અને દેશે, એટલું ઊંચ પદ પામે. તો બાપ સમજાવે છે પોતાની અંદર જુઓ અમે કેટલાં પાપ કર્યા છે? હમણાં કોઈ પાપ તો નથી થતાં? જરા પણ કુદૃષ્ટિ ન હોય. બાપ જે શ્રીમત આપે છે તેનાં પર પૂરાં ચાલતાં રહો, આ ખબરદારી જોઈએ. માયાનાં તોફાન તો ભલે આવે પરંતુ કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ નથી કરવાનું. કોઈ તરફ કુદૃષ્ટિ જાય તો તેમની આગળ ઉભા પણ ન રહેવું જોઈએ. એકદમ ચાલ્યા જવું જોઈએ. ખબર પડી જાય છે - આમની કુદૃષ્ટિ છે. જો ઊંચું પદ પામવું હોય તો બહુજ ખબરદાર રહેવાનું છે. કુદૃષ્ટિ હશે તો પછી લુલા-લંગડા બની જશો. બાપ જે શ્રીમત આપે છે, એનાં પર ચાલવાનું છે. બાપને બાળકો જ ઓળખી શકે છે. સમજો બાબા કશે જાય છે, બાળકો જ સમજશે કે બાપદાદા આવ્યા છે. બીજા મનુષ્ય જુએ તો બહુજ છે પરંતુ તેમને થોડી ખબર છે. કોઈ પૂછે પણ આ કોણ છે? બોલો, બાપદાદા છે. બેજ તો બધાની પાસે હોવો જ જોઈએ. બોલો, શિવબાબા અમને આ દાદા દ્વારા અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપે છે. આ છે આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પિતા બધી રુહોનાં બાપ બેસી આ જ્ઞાન આપે છે. શિવ ભગવાનુવાચ, ગીતામાં કૃષ્ણ ભગવાનુવાચ ખોટું છે. જ્ઞાન સાગર પતિત-પાવન શિવને જ કહેવાય છે. જ્ઞાનથી જ સદ્દગતિ થાય છે. આ છે અવિનાશી જ્ઞાન રત્ન. સદ્દગતિ દાતા એક જ બાપ છે. આ બધાં અક્ષર પૂરી રીતે યાદ રાખવા જોઈએ. હવે બાળકો સમજે છે કે અમે બાપને જાણીએ છીએ અને બાપ પણ સમજે છે કે અમે બાળકોને જાણીએ છીએ. બાપ તો કહશે ને - આ બધાં અમારા બાળકો છે, પરંતુ જાણી નથી શકતાં. તકદીર માં હશે તો આગળ ચાલીને જાણશે. સમજો આ બાબા કશે જાય છે, કોઈ પૂછે છે કે આ કોણ છે? જરૂર શુદ્ધ ભાવથી જ પૂછશે. અક્ષર જ આ બોલો કે બાપદાદા છે. બેહદનાં બાપ છે નિરાકાર. એ જ્યાં સુધી સાકારમાં ન આવે ત્યાં સુધી બાપથી વારસો કેવી રીતે મળે? તો શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરી વારસો આપે છે. આ પ્રજાપિતા બ્રહ્મા અને આ બી.કે. છે. ભણાવવાવાળા જ્ઞાનનાં સાગર છે. એમનાથી જ વારસો મળે છે. આ બ્રહ્મા પણ ભણે છે. આ બ્રાહ્મણ થી પછી દેવતા બનવાવાળા છે. કેટલું સહજ છે સમજાવવાનું. કોઈને પણ બેજ ઉપર સમજાવવું સારું છે. બોલો, બાબા કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઇ જશે. પાવન બની અને પાવન દુનિયામાં ચાલ્યા જશો. આ પતિત-પાવન બાપ છે ને. આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ પાવન બનવાનો. જ્યારે વિનાશ નો સમય હશે તો પછી આપણું ભણતર પૂરું થઈ જશે. કેટલું સહજ છે સમજાવવાનું. કોઈપણ ક્યાંય આવતા-જતા હોય છે તો પણ બેજ સાથે હોવો જોઈએ. આ બેજની સાથે પછી એક નાનો પરચો પણ હોવો જોઈએ. તેમાં લખ્યું હોય કે ભારતમાં બાપ આવીને ફરીથી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે. બીજા બધાં અનેક ધર્મ આ મહાભારત લડાઈ દ્વારા કલ્પ પહેલાંની જેમ ડ્રામા પ્લાન અનુસાર ખલાસ થઈ જશે. આવાં પરચા ૨-૪ લાખ છાપેલા હોય, જે કોઈને પણ પરચો આપી શકાય છે. ઉપરમાં ત્રિમૂર્તિ હોય, બીજી તરફ સેવાકેન્દ્રનું સરનામુ હોય. બાળકોને આખો દિવસ સેવાનો વિચાર ચાલવો જોઈએ.

બાળકોએ ગીત સાંભળ્યું - રોજ સ્વયંનો પોતામેલ બેસી નીકાળવો જોઈએ કે આજે આખાં દિવસમાં અમારી અવસ્થા કેવી રહી? બાબાએ એવાં બહુજ મનુષ્ય જોયા છે જે રોજ રાતનાં આખાં દિવસનો પોતામેલ બેસીને લખે છે. તપાસ કરે છે- કોઈ ખરાબ કામ તો નથી કર્યું? બધું લખે છે. સમજે છે સારી જીવનકહાની લખેલી હશે તો પાછળ વાળા પણ વાંચીને એવું શિખશે. આવું લખવા વાળા સારા માણસ જ હોય છે. વિકારી તો બધાં હોય જ છે. અહીંયા તો તે વાત નથી. તમે પોતાનો પોતામેલ રોજ જુઓ. પછી બાબાની પાસે મોકલી દેવો જોઈએ તો ઉન્નતિ સારી થશે અને ડર પણ રહેશે. બધું સ્પષ્ટ લખવું જોઈએ - આજે અમારી ગંદી દૃષ્ટિ થઈ, આ થયું….. જે એક-બીજાને દુઃખ આપે છે બાબા તેમને ગાઝી કહે છે. જન્મ-જન્માંતરનાં પાપ તમારાં માથા પર છે. હમણાં તમારે યાદનાં બળથી પાપોનો બોજ ઉતારવાનો છે એટલે રોજ જોવું જોઈએ આપણે આખાં દિવસમાં કેટલાં ગાઝી બન્યાં છીએ? કોઈને દુઃખ આપવું એટલે ગાઝી બનવું છે. પાપ બની જાય છે. બાપ કહે છે ગાઝી બની કોઈને દુઃખ નહીં આપો. પોતાની પૂરી તપાસ કરો- અમે કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે? જે પણ મળે બધાને આ રસ્તો બતાવવાનો જ છે. બધાને બહુજ પ્રેમથી બોલો, બાપને યાદ કરવાનાં છે અને પવિત્ર બનવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. ભલે તમે સંગમ પર છો પરંતુ આ તો રાવણ રાજ્ય છે ને. આ માયાવી વિષય વૈતરણી નદીમાં રહેતા કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. કમળફૂલ બહુજ બાળ બચ્ચાવાળું હોય છે. તો પણ પાણીથી ઉપર રહે છે. ગૃહસ્થી છે, બહુજ વસ્તુ પેદા કરે છે. આ દ્રષ્ટાંત તમારાં માટે પણ છે, વિકારોથી ન્યારા થઈને રહો. આ એક જન્મ પવિત્ર રહો તો પછી આ અવિનાશી થઇ જશે. તમને બાપ અવિનાશી જ્ઞાન રત્ન આપે છે. બાકી તો બધાં છે પથ્થર. તે લોકો તો ભક્તિની જ વાતો સંભળાવે છે. જ્ઞાન સાગર પતિત-પાવન તો એક જ છે તો આવાં બાપથી બાળકોને કેટલો પ્રેમ રહેવો જોઈએ. બાપને બાળકોથી, બાળકોને બાપથી પ્રેમ રહે છે. બાકી બીજા કોઈથી સંબંધ નથી. સોતેલા તે છે જે બાપની મત પર પુરા નથી ચાલતાં. રાવણની મત પર ચાલે છે તો રામની મત થોડી થઈ. અડધોકલ્પ છે રાવણ સંપ્રદાય એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હવે તમારે બીજા બધાને છોડી એક બાપની મત પર ચાલવાનું છે. બી.કે ની મત મળે છે તો પણ તપાસ કરવાની હોય છે કે આ મત સાચી છે કે ખોટી છે? આપ બાળકોને સાચાં અને ખોટાની સમજ પણ હમણાં મળી છે. જ્યારે સત્ય આવે ત્યારે જ સાચું અને ખોટું બતાવે. બાપ કહે છે તમેં અડધોકલ્પ ભક્તિ માર્ગનાં શાસ્ત્રો સાંભળ્યા છે, હવે હું તમને જે સંભળાવું છું- આ સાચું છે કે તે સાચું છે? તેઓ કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, હું કહું છું હું તો તમારો બાપ છું. હવે જજ (નક્કી) કરો કોણ સાચું છે? આ પણ બાળકોને જ સમજાવાય છે ને, જ્યારે બ્રાહ્મણ બને ત્યારે સમજે. રાવણ સંપ્રદાય તો બહુજ છે, તમે તો બહુજ થોડા છો. તેમાં પણ નંબરવાર છે. જો કોઈ કુદૃષ્ટિ છે, તો પણ તેમને રાવણ સંપ્રદાય કહેવાશે. રામ સંપ્રદાય નાં ત્યારે સમજાય જ્યારે આખી દૃષ્ટિ બદલાઈને દૈવી બની જાય. પોતાની અવસ્થાથી દરેક સમજી તો શકે છે ને. પહેલાં તો જ્ઞાન હતું નહીં, હવે બાપએ રસ્તો બતાવ્યો છે. તો જોવાનું છે અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરતો રહું છું? ભક્ત લોકો દાન કરે છે વિનાશી ધનનું. હમણાં તમારે દાન કરવાનું છે અવિનાશી ધનનું, ન કે વિનાશી. જો વિનાશી ધન છે તો અલૌકિક સેવામાં લગાડતા જાઓ. પતિત ને દાન કરવાથી પતિત જ બની જાઓ છો. હમણાં તમે પોતાનું ધન દાન કરો છો તો તેનું ફળ પછી ૨૧ જન્મોનાં માટે નવી દુનિયામાં મળે છે. આ બધી વાતો સમજવાની છે. બાબા સેવાની યુક્તિઓ પણ બતાવતા રહે છે. બધાં પર રહેમ કરો. ગવાયેલ પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. પરંતુ અર્થ નથી સમજતાં. પરમાત્માને જ સર્વવ્યાપી કહી દીધાં છે. તો બાળકોને સર્વિસનો શોખ બહુજ સારો રાખવાનો છે. બીજાઓનું કલ્યાણ કરશો તો પોતાનું પણ કલ્યાણ થશે. દિવસ-પ્રતિદિવસ બાબા બહુજ સહજ કરતાં જાય છે. આ ત્રિમૂર્તિનું ચિત્ર બહુજ સારી વસ્તુ છે. આમાં શિવબાબા પણ છે, પછી પ્રજાપિતા બ્રહ્મા પણ છે. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ દ્વારા ફરીથી ભારતમાં ૧૦૦ ટકા પવિત્રતા-સુખ-શાંતિનું દૈવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છે. બાકી અનેક ધર્મ આ મહાભારત લડાઇથી કલ્પ પહેલાંની જેમ વિનાશ થઇ જશે. આવાં-આવાં પરચા છપાવડાવીને વેચવા જોઈએ. બાબા કેટલો સહજ રસ્તો બતાવે છે. પ્રદર્શની માં પણ પરચા આપો. પરચા દ્વારા સમજાવવું સહજ છે. જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. નવી દુનિયાની સ્થાપના થઇ રહી છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. બાકી આ બધું વિનાશ થઇ જશે કલ્પ પહેલાંની જેમ. ક્યાંય પણ જાઓ, પાકીટમાં પણ પરચા અને બેજ સદેવ પડ્યાં રહે. સેકન્ડમાં જીવનમુક્તિ ગાયેલી છે. બોલો, આ છે બાપ, આ દાદા. એ બાપને યાદ કરવાથી આ સતયુગી દેવતા પદ પામશો. જૂની દુનિયાનો વિનાશ, નવી દુનિયાની સ્થાપના, વિષ્ણુપુરી નવી દુનિયામાં પછી એમનું રાજ્ય હશે. કેટલું સહજ છે. તીર્થો વગેરે પર મનુષ્ય જાય છે, કેટલાં ધક્કા ખાય છે. આર્ય સમાજી વગેરે પણ ટ્રેન ભરીને જાય છે. આને કહેવાય છે ધર્મનાં ધક્કા, હકીકતમાં છે અધર્મના ધક્કા. ધર્મમાં તો ધક્કા ખાવાની દરકાર નથી. તમે તો ભણતર ભણી રહ્યા છો. ભક્તિમાર્ગ માં મનુષ્ય શું-શું કરતા રહે છે!

બાળકોએ ગીતમાં પણ સાંભળ્યું કે મુખડા દેખ…. આ મુખડું તમારા સિવાય તો કોઈ જોઈ નથી શકતું. ભગવાનને પણ તમે દેખાડી શકો છો. આ છે જ્ઞાનની વાતો. તમે મનુષ્ય થી દેવતા, પાપ આત્મા થી પુણ્ય આત્મા બનો છો. દુનિયા આ વાતોને બિલ્કુલ નથી જાણતી. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક કેવી રીતે બન્યાં-આ કોઈને ખબર નથી. આપ બાળકો તો બધું જાણો છો. કોઈની બુદ્ધિમાં તીર લાગી જાય તો બેડો પાર થઈ જાય. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જો વિનાશી ધન છે તો તેને સફળ કરવાનાં માટે અલૌકિક સેવામાં લગાડવાનું છે. અવિનાશી ધનનું દાન પણ જરૂર કરવાનું છે.

2. સ્વયંનાં પોતામેલમાં જોવાનું છે કે અમારી અવસ્થા કેવી છે? આખાં દિવસમાં કોઈ ખરાબ કામ તો નથી થતાં? એક-બીજાને દુઃખ તો નથી આપતાં? કોઈનાં પર કુદૃષ્ટિ તો નથી જતી?

વરદાન :-
દરેક ખજાનાને બાપનાં ડાયરેક્શન પ્રમાણ કાર્યમાં લગાવવા વાળા ઓનેસ્ટ કે ઈમાનદાર ભવ

ઓનેસ્ટ અર્થાત્ ઈમાનદાર તેને કહેવાય છે જે બાપનાં પ્રાપ્ત ખજાનાને બાપનાં ડાયરેક્શન વગર કોઈ પણ કાર્યમાં નહી લગાડે. જો સમય, વાણી, કર્મ, શ્વાંસ અથવા સંકલ્પ પરમત કે સંગદોષ માં વ્યર્થ તરફ ગુમાવો છો, સ્વચિંતન નાં બદલે પરચિંતન કરો છો, સ્વમાનનાં બદલે કોઈ પણ પ્રકારનાં અભિમાનમાં આવો છો, શ્રીમતનાં બદલે મનમત નાં આધાર પર ચાલો છો તો ઓનેસ્ટ નહીં કહેવાશે. આ બધાં ખજાના વિશ્વ કલ્યાણનાં માટે મળ્યા છે, તો તેમાં જ લગાડવાં આ છે ઓનેસ્ટ બનવું.

સ્લોગન :-
ઓપોઝિશન (વિરોધ) માયાથી કરવાની છે દૈવી પરિવાર થી નહીં.


અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
દરેક સમયે નવીનતાનો અનુભવ કરતાં બીજાને પણ નવાં ઉમંગ ઉત્સાહ માં લાવવાં. ખુશીમાં નાચવું અને બાપનાં ગુણોનાં ગીત ગાવાં. મધુરતા ની મીઠાઈ થી સ્વયંનું મુખ મીઠું કરતાં બીજાને પણ મધુર બોલ, મધુર સંસ્કાર, મધુર સ્વભાવ દ્વારા મુખ મીઠું કરાવો.