22-01-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
નો પાર્ટ એક્યુરેટ છે , એ પોતાનાં સમય પર આવે છે , જરા પણ ફરક નથી પડી સકતો , એમનાં
આવવાની યાદગાર શિવરાત્રી ખૂબ ધામધૂમ થી મનાવો ”
પ્રશ્ન :-
કયા બાળકોનાં
વિકર્મ પૂરે-પુરા વિનાશ નથી થઈ શકતાં?
ઉત્તર :-
જેમનો યોગ ઠીક નથી, બાપની યાદ નથી રહેતી તો વિકર્મ વિનાશ નથી થઈ શકતાં. યોગયુક્ત ન
હોવાથી એટલી સદ્દગતિ નથી થતી, પાપ રહી જાય છે પછી પદ પણ ઓછું થઈ જાય છે. યોગ નથી તો
નામ-રુપમાં ફસાયેલાં રહે છે, તેમની જ વાતો યાદ આવતી રહે છે, તેઓ દેહી-અભિમાની રહી
નથી શકતાં.
ગીત :-
યહ કોન આજ આયા
સવેરે - સવેરે ……..
ઓમ શાંતિ!
સવાર કેટલા
વાગે થાય છે? બાબા સવારે કેટલાં વાગે આવે છે?( કોઈએ કહ્યું ૩ વાગ્યે, કોઈએ કહ્યું
૪, કોઈએ કહ્યું સંગમ પર, કોઈએ કહ્યું ૧૨ વાગ્યે) બાબા એક્યુરેટ પૂછે છે. ૧૨ ને તો
તમે સવાર નથી કહી શકતાં. ૧૨ વાગીને એક સેકન્ડ થઈ, એક મિનિટ થઈ તો એ.એમ. અર્થાત્
સવાર શરુ થઈ. આ બિલકુલ સવાર છે. ડ્રામામાં એમનો પાર્ટ બિલકુલ એક્યુરેટ છે. સેકન્ડ
ની પણ વાર નથી થઈ શકતી, આ ડ્રામા અનાદિ બનેલો છે. ૧૨ વાગીને એક સેકન્ડ જ્યાં સુધી
નથી થઈ તો એ.એમ. નહી કહેશું, આ બેહદની વાત છે. બાપ કહે છે હું આવું છું સવારે-સવારે.
વિદેશ વાળાનું એ.એમ.,પી.એમ. એક્યુરેટ ચાલે છે. તેમની બુદ્ધિ તો પણ સારી છે. તેઓ એટલાં
સતોપ્રધાન પણ નથી બનતાં, તો તમોપ્રધાન પણ નથી બનતાં. ભારતવાસી જ ૧૦૦ ટકા સતોપ્રધાન
પછી ૧૦૦ ટકા તમોપ્રધાન બને છે. તો બાપ બહુ એક્યુરેટ છે. સવારે અર્થાત્ ૧૨ વાગીને એક
મિનિટ, સેકન્ડનો હિસાબ નથી રાખતાં. સેકન્ડ પાસ થવામાં ખબર પણ નથી પડતી. હવે આ વાતો
આપ બાળકો જ સમજો છો. દુનિયા તો બિલકુલ ઘોર અંધકારમાં છે. બાપને બધાં ભક્તો દુઃખ માં
યાદ કરે છે - પતિત-પાવન આવો. પરંતુ એ કોણ છે? ક્યારે આવે છે? આ કાંઈ પણ નથી જાણતાં.
મનુષ્ય હોવા છતાં એક્યુરેટ કંઈ નથી જાણતાં કારણકે પતિત તમોપ્રધાન છે. કામ પણ કેટલું
તમોપ્રધાન છે. હવે બેહદનાં બાપ ઓર્ડીનેન્સ (કાયદો) નિકાળે છે - બાળકો કામજીત,
જગતજીત બનો. જો હમણાં પવિત્ર નહીં બનશો તો વિનાશ ને પામશો. તમે પવિત્ર બનવા થી
અવિનાશી પદને પામશો. તમે રાજયોગ શીખી રહ્યા છો ને. સ્લોગન (સુવિચાર) માં પણ લખે છે
“બી હોલી બી યોગી (પવિત્ર બનો, યોગી બનો)” હકીકતમાં લખવું જોઈએ રાજયોગી બનો. યોગી
તો કોમન (સાધારણ) અક્ષર છે. બ્રહ્મથી યોગ લગાવે છે, તેઓ પણ યોગી થયાં. બાળક બાપ થી,
સ્ત્રી પુરુષ થી યોગ લગાવે છે પરંતુ આ તમારો છે રાજયોગ. બાપ રાજયોગ શીખવાડે છે એટલે
રાજયોગ લખવું ઠીક છે. બી હોલી (પવિત્ર બનો) અને રાજયોગી. દિવસ-પ્રતિદિવસ કરેક્શન (સુધારો)
તો થતી રહે છે. બાપ પણ કહે છે આજે તમને ગુહ્ય થી ગુહ્ય વાતો સંભળાવું છું. હવે શિવ
જયંતી પણ આવવાની છે. શિવજયંતી તો તમારે સારી રીતે મનાવવાની છે. શિવજયંતી પર તો બહુજ
સારી રીતે સેવા કરવાની છે. જેમની પાસે પ્રદર્શની છે, બધાં પોત-પોતાનાં સેવાકેન્દ્ર
પર અથવા ઘરમાં શિવજયંતી સારી રીતે મનાવો અને લખી દો - શિવબાબા ગીતા જ્ઞાનદાતા બાપથી
બેહદનો વારસો લેવાનો રસ્તો આવીને શીખો. ભલે લાઈટ વગેરે પણ લગાવો. ઘર-ઘરમાં શિવજયંતી
મનાવવી જોઈએ. તમે જ્ઞાન ગંગાઓ છો ને. તો દરેક ની પાસે ગીતા પાઠશાળા હોવી જોઈએ.
ઘર-ઘરમાં ગીતા તો વાંચે છે ને. પુરુષોથી પણ માતાઓ ભક્તિમાં આગળ હોય છે. એવા કુટુંબ
(પરિવાર) પણ હોય છે જ્યાં ગીતા વાંચે છે. તો ઘરમાં પણ ચિત્ર રાખી દેવાં જોઈએ. લખી
દે કે બેહદનાં બાપથી આવીને ફરીથી વારસો લો.
આ શિવજયંતી નો તહેવાર હકીકતમાં તમારી સાચી દિવાળી છે. જ્યારે શિવ બાપ આવે છે તો
ઘર-ઘરમાં પ્રકાશ થઈ જાય છે. આ તહેવાર ને ખૂબ બત્તીઓ વગેરે પેટાવીને અજવાળું કરી ઉજવો.
તમે સાચ્ચી દિવાળી ઉજવો છો. ફાઇનલ તો થવાનું છે સતયુગ માં. ત્યાં ઘર-ઘરમાં પ્રકાશ જ
પ્રકાશ હશે અર્થાત્ દરેક આત્માની જ્યોત જાગેલી રહે છે. અહીંયા તો અંધકાર છે. આત્માઓ
આસુરી બુદ્ધિ બની ગઈ છે. ત્યાં આત્માઓ પવિત્ર હોવાથી દૈવી બુદ્ધિ રહે છે. આત્મા જ
પતિત, આત્મા જ પાવન બને છે. હમણાં તમે વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) થી પાઉન્ડ (હીરાતુલ્ય)
બની રહ્યા છો. આત્મા પવિત્ર હોવાથી શરીર પણ પવિત્ર મળશે. અહીંયા આત્મા અપવિત્ર છે
તો શરીર અને દુનિયા પણ અપવિત્ર છે. આ વાતોને તમારામાં થી કોઈ થોડા છે જે યથાર્થ રીતે
સમજે છે અને તેમનાં અંદર ખુશી હોય છે. નંબરવાર પુરુષાર્થ કરતાં રહે છે. ગ્રહચારી પણ
હોય છે. ક્યારેક રાહુની ગ્રહચારી બેસે છે તો આશ્ચર્યવત ભાગન્તી થઈ જાય છે.
બૃહસ્પતિની દશા થી બદલાઈ ઠીક રાહુ ની દશા બેસી જાય છે. કામ વિકારમાં ગયા અને રાહુની
દશા બેઠી. મલ્લયુદ્ધ હોય છે ને. તમે માતાઓ એ જોયું નહીં હશે કારણ કે માતાઓ હોય છે
ઘરની ઘરેત્રી . હવે તમને ખબર છે ભ્રમરી ને ઘરેત્રી અર્થાત્ ઘર બનાવવા વાળી કહે છે.
ઘર બનાવનાર સરસ કારીગર છે, એટલે ઘરેત્રી નામ છે. કેટલી મહેનત કરે છે. તે પણ પાક્કી
મિસ્ત્રી છે. બે-ત્રણ ઓરડા બનાવે છે. ૩-૪ કીડા લઈ આવે છે. એમ તમે પણ બ્રાહ્મણીઓ છો.
ભલે ૧-૨ ને બનાવો, ભલે ૧૦-૧૨ ને, ભલે ૧૦૦ ને, ભલે ૫૦૦ ને બનાવો. મંડપ વગેરે બનાવો
છો, આ પણ ઘર બનાવવાનું થયું ને. એમાં બેસી બધાને ભૂં-ભૂં કરો છો. પછી કોઈ તો સમજીને
કીડા થી બ્રાહ્મણ બને છે, કોઈ સડેલા નીકળે છે અર્થાત્ આ ધર્મનાં નથી. આ ધર્મવાળા ને
જ પૂરી રીતે ટચ (સ્પર્શ) થશે. તમે તો છતાં પણ મનુષ્ય છો ને. તમારી તાકાત તેનાથી (ભ્રમરી
થી) તો વધારે છે. તમે ૨ હજારનાં વચ્ચે પણ ભાષણ કરી શકો છો. આગળ ચાલીને ૪-૫ હજાર ની
સભામાં પણ તમે જશો. ભ્રમરી ની તમારાથી તુલના છે. આજકાલ સંન્યાસી લોકો પણ બહાર
વિદેશોમાં જઈને કહે છે અમે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવાડીએ છીએ. આજકાલ માતાઓ પણ ગેરુ
કફની પહેરીને જાય છે, વિદેશીઓને ઠગીને આવે છે. તેઓને કહે છે ભારતનો પ્રાચીન રાજ્યોગ
ભારતમાં ચાલીને શીખો. તમે એવું થોડી કહેશો કે ભારતમાં આવીને શીખો. તમે તો વિદેશમાં
જશો તો ત્યાં જ બેસીને સમજાવશો - આ રાજ્યોગ શીખો તો સ્વર્ગમાં તમારો જન્મ થઇ જશે.
આમાં કપડાં વગેરે બદલવાની વાત નથી. અહીંયા જ દેહનાં બધાં સંબંધ ભૂલી સ્વયંને આત્મા
સમજી બાપ ને યાદ કરો. બાપ જ લિબ્રેટર, ગાઈડ છે, બધાને દુ:ખ થી લિબ્રેટ કરે (છોડાવે)
છે.
હવે તમારે સતોપ્રધાન બનવાનું છે. તમે પહેલાં ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં હતાં, હવે
આયરન એજ (કળયુગ) માં છો. આખી દુનિયા, બધાં ધર્મવાળા આયરન એજ માં છે. કોઈ પણ ધર્મવાળા
મળે, તેમને કહેવાનું છે કે બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મને યાદ કરો તો તમે પાવન
બની જશો, પછી હું સાથે લઈ જઈશ. બસ, આટલું જ બોલો, વધારે નહીં. આ તો બહુજ સહજ છે.
તમારા શાસ્ત્રોમાં પણ છે કે ઘર-ઘરમાં સંદેશ આપ્યો. કોઈ એક રહી ગયું તો તેણે ઉલ્હના
(ફરિયાદ) આપી મને કોઈએ બતાવ્યું નહી. બાપ આવ્યા છે, તો પૂરો ઢંઢેરો પીટવો જોઈએ. એક
દિવસ જરૂર બધાને ખબર પડશે કે બાપ આવ્યાં છે - શાંતિધામ-સુખધામનો વારસો આપવાં. બરાબર
જ્યારે ડીટીજમ (દૈવીરાજ્ય) હતું તો બીજા કોઈ ધર્મ નહોતાં. બધાં શાંતિધામ માં હતાં.
એવાં-એવાં વિચાર ચાલવા જોઈએ, સ્લોગન (સુવિચાર) બનાવવા જોઈએ. બાપ કહે છે દેહ સહિત બધાં
સબંધોને છોડો. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો આત્મા પવિત્ર બની જશે. હમણાં
આત્માઓ અપવિત્ર છે. હવે બધાને પવિત્ર બનાવી બાપ ગાઈડ બની પાછાં લઈ જશે. બધાં
પોત-પોતાનાં સેક્શનમાં (વિભાગમાં) ચાલ્યા જશે. પછી ડીટી (દૈવી) ધર્મવાળા નંબરવાર
આવશે. કેટલું સહજ છે. આ તો બુદ્ધિમાં ધારણ થવું જોઈએ. જે સર્વિસ (સેવા) કરે છે, તે
છૂપાં નથી રહી શકતાં. ડિસ-સર્વિસ (કુસેવા) કરવાવાળા પણ છુપાઈ નથી શકતાં. સર્વિસએબુલ
(સેવાધારી) ને તો બોલાવે છે. જે કંઈ પણ જ્ઞાન નથી સંભળાવી શકતા એમને થોડી બોલાવશે.
તેઓ તો વધારે જ નામ બદનામ કરી દેશે. કહેશે બી.કે. આવાં હોય છે શું? પૂરું રેસ્પોન્ડ
(પ્રતિઉત્તર) પણ નથી કરતાં. તો નામ બદનામ થયું ને. શિવબાબાનું નામ બદનામ કરવાવાળા
ઊંચું પદ પામી નહી શકે. જેમ અહિયાં પણ કોઈ તો કરોડપતિ છે, પદમપતિ પણ છે, કોઈ તો જુઓ
ભૂખે મરે છે. એવાં ગરીબ પણ આવીને રાજકુમાર બનશે. હવે આપ બાળકો જ જાણો છો એ જ
શ્રીકૃષ્ણ જે સ્વર્ગનાં રાજકુમાર હતાં તે પછી ગરીબ બને છે, પછી ગરીબ થી રાજકુમાર
બનશે. આ ગરીબ હતા ને, થોડું-ઘણું કમાયા - તે પણ આપ બાળકોનાં માટે. નહીં તો તમારી
સંભાળ કેવી રીતે થાય? આ બધી વાતો શાસ્ત્રો માં થોડી છે. શિવબાબા જ આવીને બતાવે છે.
બરોબર આ ગામનો છોકરો હતો. નામ કોઈ શ્રીકૃષ્ણ ન હતું. આ આત્માની વાત છે એટલે મનુષ્ય
મુંઝાયેલાં છે. તો બાબાએ સમજાવ્યું શિવજયંતી પર દરેક ઘર-ઘર માં ચિત્રો પર સેવા કરો.
લખી દો કે બેહદનાં બાપથી ૨૧ જન્મોનાં માટે સ્વર્ગની બાદશાહી સેકન્ડમાં કેવી રીતે મળે
છે, તે આવીને સમજો. જેમ દિવાળી પર મનુષ્ય બહુજ દુકાન ખોલીને બેસે છે, તમારે પછી
અવિનાશી જ્ઞાન રત્નોની દુકાન ખોલીને બેસવાનું છે. તમારી કેટલી સરસ સજાવેલી દુકાન હશે.
મનુષ્ય દિવાળી પર કરે છે, તમે પછી શિવજયંતી પર કરો. જે શિવબાબા બધાનાં દીવા પેટાવે
છે, તમને વિશ્વનાં માલિક બનાવે છે. તેઓ તો લક્ષ્મીથી વિનાશી ધન માંગે છે અને અહીં
જગતઅંબા થી તમને વિશ્વની બાદશાહી મળે છે. આ રહસ્ય બાપ સમજાવે છે. બાબા કોઈ શાસ્ત્ર
થોડી ઉઠાવે છે. બાપ કહે છે હું નોલેજફુલ છું ને. હાં, આ જાણે છે, ફલાણા-ફલાણા બાળકો
સેવા ઘણી સારી કરે છે એટલે યાદ આવે છે. બાકી એવું નથી કે એક-એકનાં અંદર બેસીને જાણું
છું. હાં, કોઈ સમયે ખબર પડી જાય છે - આ પતિત છે, શંકા પડે છે. તેમની શકલ જ ઉદાસ થઈ
જાય છે તો ઉપરથી બાબા પણ કહેવડાવે છે, તેમને પૂછો. આ પણ ડ્રામામાં નોંધ છે. જો
કોઈ-કોઈનાં માટે બતાવે છે, બાકી એવું નથી બધાને માટે બતાવશે. એવા તો અસંખ્ય છે, કાળું
મોઢું કરે છે. જે કરશે તે પોતાનું જ નુકસાન કરશે. સાચું બતાવવાથી કઈક ફાયદો થશે, નહિ
બતાવવાથી વધારે જ નુકસાન કરશે. સમજવું જોઈએ બાબા આપણને ગોરા બનાવવા આવ્યા છે અને
આપણે પછી કાળું મોઢું કરી લઈએ છીએ! આ છે જ કાંટાઓ ની દુનિયા. મનુષ્ય કાંટા છે.
સતયુગને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ (ઈશ્વરનો બગીચો) અને આ છે જંગલ એટલે બાપ કહે છે
જ્યારે-જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે હું આવું છું. ફર્સ્ટ નંબર શ્રીકૃષ્ણ
જુઓ પછી ૮૪ જન્મોનાં પછી કેવાં બની જાય છે. હમણાં બધાં છે તમોપ્રધાન. પરસ્પર લડતાં
રહે છે. આ બધું ડ્રામામાં છે. પછી સ્વર્ગમાં આ કંઈ નહિ હોય. પોઇન્ટ તો અનેક છે,
નોંધ કરવી જોઈએ. જેમ બેરિસ્ટર લોકો પણ પોઇન્ટ ની બુક રાખે છે ને. ડોક્ટર લોકો પણ
પુસ્તક રાખે છે, એમાં જોઈને દવા આપે છે. તો બાળકોએ કેટલું સારી રીતે ભણવું જોઈએ,
સેવા કરવી જોઈએ. બાબાએ નંબરવન મંત્ર આપ્યો છે મનમનાભવ. બાપ અને વારસા ને યાદ કરો તો
સ્વર્ગનાં માલિક બની જશો. શિવજયંતી ઉજવે છે. પરંતુ શિવબાબા એ શું કર્યુ? જરૂર
સ્વર્ગ નો વારસો આપ્યો હશે. એને ૫ હજાર વર્ષ થયાં. સ્વર્ગ થી નર્ક, નર્ક થી સ્વર્ગ
બનશે.
બાપ સમજાવે છે - બાળકો, યોગયુક્ત બનો તો તમને દરેક વાત સારી રીતે સમજ માં આવશે.
પરંતુ યોગ ઠીક નથી, બાપની યાદ નથી રહેતી તો કંઈ સમજી નહીં શકે. વિકર્મ પણ વિનાશ નથી
થઈ શકતાં. યોગયુક્ત ન હોવાથી એટલી સદ્દગતિ પણ નથી થતી, પાપ રહી જાય છે. પછી પદ પણ
ઓછું થઈ જાય છે. બહુજ છે, યોગ કાંઈ પણ નથી, નામ-રુપમાં ફસાયેલા રહે છે, તેમની જ યાદ
આવતી રહેશે તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? બાપ કહે છે દેહી-અભિમાની બનો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવજયંતી
પર અવિનાશી જ્ઞાન રત્નોની દુકાન ખોલી સેવા કરવાની છે. ઘર-ઘરમાં અજવાળું કરી બધાને
બાપનો પરિચય આપવાનો છે.
2. સાચાં બાપથી સાચાં થઇને રહેવાનું છે, કોઈ પણ વિકર્મ કરીને છુપાડવાનું નથી. એવાં
યોગયુક્ત બનવાનું છે, જે કોઈ પણ પાપ રહી ન જાય. કોઈનાં પણ નામ-રુપ માં નથી ફસાવવાનું.
વરદાન :-
સાગરનાં તળિયા
માં જઈને અનુભવ રુપી રત્ન પ્રાપ્ત કરવાવાળા સદા સમર્થ આત્મા ભવ
સમર્થ આત્મા બનવાનાં
માટે યોગની દરેક વિશેષતા નો, દરેક શક્તિનો અને દરેક જ્ઞાનની મુખ્ય પોઇન્ટ નો અભ્યાસ
કરો. અભ્યાસી, લગન માં મગન રહેવાવાળી આત્માની સામે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું નથી
રહી શકતું એટલે અભ્યાસની પ્રયોગશાળા માં બેસી જાઓ. હજી સુધી જ્ઞાનનાં સાગર, ગુણોનાં
સાગર, શક્તિઓનાં સાગરમાં ઉપર-ઉપરની લહેરોમાં લહેરાવો છો, પરંતુ હવે સાગરનાં તળિયામાં
જાઓ તો અનેક પ્રકારનાં વિચિત્ર અનુભવનાં રત્ન પ્રાપ્ત કરી સમર્થ આત્મા બની જશો.
સ્લોગન :-
અશુદ્ધિ જ
વિકાર રુપી ભૂતો નું આહવાન કરે છે એટલે સંકલ્પો થી પણ શુદ્ધ બનો.
અવ્યક્ત સ્થિતિનો
અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
બુદ્ધિ રુપી
પગ પૃથ્વી પર ન રહે. જેમ કહેવત છે ફરિશ્તા નાં પગ પૃથ્વી પર નથી હોતાં. એમ બુદ્ધિ આ
દેહરુપી પૃથ્વી અર્થાત્ પ્રકૃતિનાં આકર્ષણથી પરે રહે. પ્રકૃતિ ને અધીન કરવાવાળા બનો
ન કે અધીન થવાવાળા.