22-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 14.12.85
બાપદાદા મધુબન
“ વર્તમાનનું આ જીવન જ
ભવિષ્યનું દર્પણ ”
( મધુવન નિવાસીઓની
સાથે )
આજે વિશ્વ
રચયિતા બાપ પોતાનાં માસ્ટર રચયિતા બાળકોને જોઈ રહ્યાં છે. માસ્ટર રચયિતા પોતાની
રચતાપણા ની સ્મૃતિમાં ક્યાં સુધી સ્થિત રહે છે. આપ સર્વ રચયિતાની વિશેષ પહેલી રચના
આ દેહ છે. આ દેહ રુપી રચનાનાં રચયિતા ક્યાં સુધી બન્યાં છો? દેહ રુપી રચના ક્યારેય
પોતાની તરફ રચયિતા ને આકર્ષિત કરી રચના-પણું વિસ્મૃત તો નથી કરી દેતી? માલિક બની આ
રચનાને સેવામાં લગાવતાં રહો છો? જ્યારે ઈચ્છો જે ઈચ્છો માલિક બની કરી શકો છો?
પહેલાં-પહેલાં આ દેહનાં માલિકપણ નો અભ્યાસ જ પ્રકૃતિનાં માલિક કે વિશ્વનાં માલિક
બનાવી શકે છે! જો દેહનાં માલિકપણ માં સંપૂર્ણ સફળતા નથી તો વિશ્વનાં માલિકપણ માં પણ
સંપન્ન નથી બની શકતાં. વર્તમાન સમયનું આ જીવન ભવિષ્યનું દર્પણ છે. આજ દર્પણ દ્વારા
સ્વયંનું ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકો છો. પહેલાં આ દેહનાં સંબંધ અને સંસ્કારનાં અધિકારી
બનવાનાં આધાર પર જ માલિકપણ નાં સંસ્કાર છે. સંબંધમાં ન્યારા અને પ્યારા-પણું આવવું
- આ નિશાની છે માલિકપણની. સંસ્કારોમાં નિર્માન અને નિર્માણ બંને વિશેષતાઓ માલિક-પણની
નિશાની છે. સાથે-સાથે સર્વ આત્માઓનાં સંપર્કમાં આવવું, સ્નેહી બનવું, દિલોનાં
સ્નેહનાં આશીર્વાદ અર્થાત્ શુભ ભાવના સર્વનાં અંદર થી તે આત્માનાં પ્રતિ નીકળે. ભલે
જાણે, ભલે ન જાણે, દૂરનો સંબંધ અથવા સંપર્ક હોય પરંતુ જે પણ જુએ તે સ્નેહનાં કારણે
એવો જ અનુભવ કરે કે આ અમારાં છે, સ્નેહની ઓળખાણ થી પોતાપણા નો અનુભવ કરશે. સંબંધ
દૂરનો હોય પરંતુ સ્નેહ સંપન્નતા નો અનુભવ કરાવશે. વિશ્વનાં માલિક કે દેહનાં
માલિકપણનાં અભ્યાસી આત્માઓની આ પણ વિશેષતા અનુભવમાં આવશે. તેઓ જેનાં પણ સંપર્કમાં
આવશે તેમને તે વિશેષ આત્મા થી દાતાપણા ની અનુભૂતિ થશે. કોઈનાં સંકલ્પમાં પણ નહીં આવી
સકે કે આ લેવાવાળા છે. તે આત્માથી સુખની, દાતાપણાની અથવા શાંતિ, પ્રેમ, આનંદ, ખુશી,
સહયોગ, હિંમત, ઉત્સાહ, ઉમંગ કોઈને કોઈ વિશેષતા નાં દાતાપણા ની અનુભૂતિ થશે. સદા
વિશાળ બુદ્ધિ અને વિશાળ દિલ, જેને તમે મોટા દિલવાળા કહો છો-એવી અનુભૂતિ થશે. હવે આ
નિશાનીઓ થી પોતે પોતાની તપાસ કરો કે શું બનવાવાળા છો? દર્પણ તો બધાની પાસે છે? જેટલું
સ્વયં સ્વયંને જાણી શકાય એટલું બીજા નથી જાણી શકતાં. તો સ્વયં ને જાણો. અચ્છા!
આજે તો મળવા આવ્યાં છે. તો પણ બધાં આવ્યાં છે તો બાપદાદાને પણ બધાં બાળકોનો સ્નેહની
સાથે રીગાર્ડ (સમ્માન) પણ રાખવાનો હોય છે એટલે રુહરિહાન કરી. મધુવનવાળા પોતાનો
અધિકાર નથી છોડતા છતાં પણ સમીપ બેઠાં છો. અનેક વાતોથી નિશ્ચિંત બેઠાં છો. જે બહાર
રહે છે તેમને તો પણ મહેનત કરવી પડે છે. કમાવવું અને ખાવું આ ઓછી મહેનત નથી. મધુબનમાં
કમાવવાની ચિંતા તો નથી ને. બાપદાદા જાણે છે પ્રવૃત્તિમાં રહેવા વાળાઓને સહન પણ કરવું
પડે, સામનો પણ કરવો પડે, હંસ-બગલાની વચમાં રહી પોતાની ઉન્નતિ કરતાં આગળ વધી રહ્યાં
છે પરંતુ તમે લોકો ઘણી વાતો થી સ્વતઃજ ન્યારા છો. આરામ થી રહો છો, આરામ થી ખાઓ છો
અને આરામ કરો છો. બહાર નોકરીએ જવાવાળા દિવસમાં આરામ કરે છે શું? અહીંયા તો શરીરનો
પણ આરામ તો બુદ્ધિનો પણ આરામ. તો મધુબન નિવાસીઓની સ્થિતિ સૌથી નંબરવન થઈ ગઈ ને કારણ
કે એક જ કામ છે. સ્ટડી (અભ્યાસ) કરો તો પણ બાપ કરાવી રહ્યાં છે. સેવા કરો છો તો પણ
યજ્ઞ સેવા છે. બેહદ બાપનું બેહદનું ઘર છે. એક જ વાત એક જ તાત છે, બીજું કંઈ છે નહીં.
મારું સેવાકેન્દ્ર આ પણ નથી. ફક્ત મારો ચાર્જ(જવાબદારી) આ ન હોવું જોઈએ. મધુબન
નિવાસીઓને ઘણી વાતોમાં સહજ પુરુષાર્થ અને સહજ પ્રાપ્તિ છે. અચ્છા-બધાં મધુવન વાળાઓએ
ગોલ્ડન જુબલીનો પણ પ્રોગ્રામ બનાવ્યો છે ને. ફંક્શન નો નહીં. એના તો ફોલ્ડર્સ વગેરે
છપાયેલાં છે. તે થયું વિશ્વ સેવાનાં પ્રતિ. સ્વયં નાં પ્રતિ શું પ્લાન બનાવ્યો છે?
સ્વયંની સ્ટેજ પર શું પાર્ટ ભજવશો? તે સ્ટેજ નાં તો સ્પીકર (વક્તા), પ્રોગ્રામ પણ
બનાવી લો છો. સ્વ ની સ્ટેજનો શું પ્રોગ્રામ બનાવ્યો છે? ચેરેટી બિગેન્સ એટ હોમ તો
મધુબન નિવાસી છો ને. કોઈ પણ ફંક્શન હોય છે તો શું કરો છો? (દીપ પ્રગટાવો છો) તો
ગોલ્ડન જુબલીનો દીપ કોણ જગાડશે? દરેક વાત આરંભ કોણ કરશે? મધુબન નિવાસીઓમાં હિંમત
છે, ઉમંગ પણ છે, વાયુમંડળ પણ છે, બધી મદદ છે. જ્યાં સર્વનો સહયોગ છે ત્યાં બધું સહજ
છે. ફક્ત એક વાત કરવી પડશે. તે કઈ?
બાપદાદા બધાં બાળકોમાં એજ શ્રેષ્ઠ આશ રાખે છે કે દરેક બાપ સમાન બને. સંતુષ્ટ રહેવું
અને સંતુષ્ટ કરવું આજ વિશેષતા છે. પહેલી મુખ્ય વાત છે સ્વયંથી અર્થાત્ પોતાનાં
પુરુષાર્થ થી, પોતાનાં સ્વભાવ સંસ્કાર થી, બાપને સામે રાખતાં સંતુષ્ટ છીએ-આ તપાસ
કરવાનું છે. હાં હું સંતુષ્ટ છું યથાશક્તિ, તે અલગ વાત છે. પરંતુ વાસ્તવિક સ્વરુપનાં
હિસાબ થી સ્વયંથી સંતુષ્ટ થવું અને પછી બીજાઓને સંતુષ્ટ કરવાં - આ સંતુષ્ટતા જ
મહાનતા છે. બીજા પણ મહેસૂસ કરે કે આ યથાર્થ રુપમાં સંતુષ્ટ આત્મા છે. સંતુષ્ટતા માં
બધું જ આવી જાય છે. ન ડિસ્ટર્બ (અશાંત) થવું, ન ડિસ્ટર્બ કરવું, આને કહેવાય છે
સંતુષ્ટતા. ડિસ્ટર્બ કરવાવાળા ઘણાં હશે પરંતુ સ્વયં ડિસ્ટર્બ ન થાય. આગ ની સેક થી
સ્વયં સ્વયંનો કિનારો કરી સેફ રહે. બીજાઓને ન જુએ. પોતાને જુએ-મારે શું કરવાનું છે!
મારે નિમિત્ત બની બીજાઓને શુભભાવના અને શુભકામના નો સહયોગ આપવાનો છે. આ છે વિશેષ
ધારણા, આમાં બધું જ આવી જશે. આની તો ગોલ્ડન જુબલી મનાવી શકો છો ને! નિમિત્ત મધુબન
વાળાઓ માટે કહે છે પરંતુ છે બધાનાં પ્રતિ. મોહજીત ની વાર્તા સાંભળી છે ને. એવી
સંતુષ્ટતા ની વાર્તા બનાવો. જેમની પાસે પણ કોઈ જાય, કેટલું પણ ક્રોસ એકઝામીન (પ્રતિકુળ
ચકાસણી) કરે પરંતુ બધાનાં મુખથી, બધાનાં મનથી સંતુષ્ટતા ની વિશેષતા અનુભવ થાય. આ તો
આવાં છે. નહીં. હું કેવી રીતે બનું અને બનાવું. બસ આ નાનકડી વાત સ્ટેજ ઉપર દેખાડો.
અચ્છા!
દાદીઓથી :-
બાપદાદાની પાસે આપ સર્વનાં દિલનાં સંકલ્પ પહોંચે જ છે. આટલી બધી શ્રેષ્ઠ આત્માઓનાં
શ્રેષ્ઠ સંકલ્પ છે તો સાકાર રુપમાં થવાનું જ છે. પ્લાન્સ (યોજનાઓ) તો ખૂબ સારા
બનાવ્યાં છે. અને આ પ્લાન્સ જ બધાને પ્લેન (સરળ) બનાવી દેશે. આખાં વિશ્વની અંદર
વિશેષ આત્માઓની શક્તિ તો એક જ છે. બીજે ક્યાંય પણ આવી વિશેષ આત્માઓનું સંગઠન નથી.
અહીંયા સંગઠનની શક્તિ વિશેષ છે એટલે આ સંગઠન પર બધાની વિશેષ નજર છે બીજા બધાં ડગમગી
રહ્યાં છે. ગાદીઓ હલી રહી છે. અને આ રાજ્ય ગાદી બની રહી છે. અહીંયા ગુરુની ગાદી નથી,
એટલે હલતી નથી. સ્વ રાજ્યની કે વિશ્વનાં રાજ્ય ની ગાદી છે. બધાં હલાવવાની કોશિશ પણ
કરશે પરંતુ સંગઠનની શક્તિ આનો વિશેષ બચાવ છે. ત્યાં એક-એકને અલગ કરીને યુનિટી (એકતા)
ને ડીસયુનિટી (અનેકતા) કરે પછી હલાવે છે. અહીંયા સંગઠનની શક્તિનાં કારણે હલાવી નથી
શકતાં. તો આ સંગઠનની શક્તિની વિશેષતા ને સદા વધારે આગળ વધારતાં જાઓ. આ સંગઠન જ
કિલ્લો છે, એટલે વાર નથી કરી શકતાં. વિજય તો થયેલી જ છે, ફક્ત રીપીટ (પુનરાવર્તન)
કરવાનું છે. જે રીપીટ કરવામાં હોશિયાર બને તેજ વિજયી બની સ્ટેજ પર પ્રસિદ્ધ થઈ જાય
છે. સંગઠન ની શક્તિ જ વિજય નો વિશેષ આધાર સ્વરુપ છે. આ સંગઠને જ સેવાની વૃદ્ધિમાં
સફળતાને પ્રાપ્ત કરાવી છે. પાલનાનું રિટર્ન (વળતર) દાદીઓ એ સારું આપ્યું છે. સંગઠનની
શક્તિનો આધાર શું છે? ફક્ત આ પાઠ પાક્કો થઈ જાય કે રીગાર્ડ આપવો જ રીગાર્ડ લેવો છે.
આપવું લેવાનું છે, લેવાનું, લેવાનું નથી. લેવું અર્થાત ગુમાવવું. આપવું અર્થાત લેવું.
કોઈ આપે તો આપીએ, આ કોઈ બિઝનેસ (વ્યાપાર) નથી. આ તો દાતા બનવાની વાત છે. દાતા લઈને
પછી નથી આપતાં. તે તો આપતાં જ જાય, એટલે આ સંગઠનની સફળતા છે. પરંતુ હમણાં કંગન
તૈયાર થયું છે. માળા નથી તૈયાર થઈ. વૃદ્ધિ ન થાય તો રાજ્ય કોના પર કરશે. હમણાં તો
વૃદ્ધિની લિસ્ટ (યાદી) માં કમી છે. ૯ લાખ જ તૈયાર નથી થયાં. કોઈ પણ વિધિ થી મળશે તો
ખરા ને. વિધિ ચેન્જ (પરિવર્તન) થતી રહે છે. પહેલાં સાકારમાં મળ્યા અને હવે અવ્યક્તમાં
મળી રહ્યાં છે. વિધિ ચેન્જ થઇ ને. આગળ પણ વિધિ ચેન્જ થતી રહેશે. વૃદ્ધિ પ્રમાણે
મળવાની વિધિ પણ ચેન્જ થતી રહેશે. અચ્છા!
પાર્ટીઓ થી :-
૧-સદા પોતાનાં ગુણમૂર્ત દ્વારા ગુણોનું દાન આપતાં રહો. નિર્બળને શક્તિઓનું, ગુણોનું,
જ્ઞાનનું દાન આપો તો સદા મહાદાની આત્મા બની જશો. દાતાનાં બાળકો આપવાવાળા છો લેવાવાળા
નહીં. જો વિચારો છો આ આવું કરે તો હું કરું, આ લેવાવાળા થઈ ગયાં. હું કરું, આ
દેવાવાળા થઈ ગયાં. તો લેવતા નહી, દેવતા બનો. જે પણ મળ્યું છે તે આપતાં જાઓ. જેટલું
આપતાં જશો એટલું વધતું જશે. સદા દેવી અર્થાત્ દેવાવાળી. અચ્છા.
૨-સાંભળ્યું તો ખૂબ છે. છેવટે હિસાબ નીકાળો, સાંભળવાનો અંદાજ શું છે. સાંભળવું અને
કરવું બંનેવ સાથે-સાથે છે? કે સાંભળવામાં અને કરવામાં અંતર પડી જાય છે સાંભળો શેના
માટે છો? કરવાં માટે ને. સાંભળવું અને કરવું જ્યારે સમાન થઈ જશે તો શું થશે? સંપન્ન
થઇ જશો ને. તો પહેલાં-પહેલાં સંપૂર્ણ સ્થિતિનું સેમ્પલ (ઉદાહરણ) કોણ બનશે? દરેક આ
કેમ નથી કહેતાં કે હું બનીશ. આમાં જે ઓટે સો અર્જુન. જેમ બાપે સ્વયંને નિમિત્ત
બનાવ્યાં એમ જે નિમિત્ત બને તે અર્જુન બની જાય છે અર્થાત્ અવ્વલ (પહેલાં) નંબરમાં
આવી જાય છે. અચ્છા - જોઈશું કોણ બને છે. બાપદાદા તો બાળકોને જોવાં ઈચ્છે છે. વર્ષ
વિતતા જાય છે. જેમ વર્ષ વિતે એમ જે પણ જૂની ચાલ છે તે વીતી જાય. અને નવો ઉમંગ, નવો
સંકલ્પ સદા રહે, તો આજ સંપૂર્ણતા ની નિશાની છે. હવે જુનું બધું ખતમ થયું, હવે બધું
નવું હોય.
પ્રશ્ન:-
બાપનાં સમીપ
આવવાનો આધાર શું છે?
જવાબ:-
વિશેષતાઓ.
કોઈને કોઈ વિશેષતાએ જ બાપનાં સમીપ લાવ્યાં છે. આ વિશેષતાઓ સેવાનાં દ્વારા જ વૃદ્ધિને
પ્રાપ્ત થાય છે. જે વિશેષતાઓ બાપે ભરી છે તે બધાને સેવામાં લગાવો. વિશેષતાને સાકાર
માં લાવવાથી સેવાનાં વિષયમાં પણ માર્કસ મળી જાય છે, પોતાનાં અનુભવ બીજાઓને સંભળાવો
તો તેમનો પણ ઉમંગ-ઉત્સાહ વધશે.
પ્રશ્ન:-
રુહાનિયત માં
કમી આવવાનું કારણ શું છે?
જવાબ:-
સ્વયંને અથવા
જેમની સેવા કરો છો તેમને અમાનત નથી સમજતાં. અમાનત સમજવાથી અનાસક્ત રહેશો અને
અનાસક્ત બનવાથી જ રુહાનિયત આવશે. અચ્છા!
પ્રશ્ન:-
વર્તમાન સમય
વિશ્વની મેજોરીટી (અધિકાંશ) આત્માઓમાં કઈ બે વાતો પ્રવેશ છે?
જવાબ:-
૧-ભય અને ૨-ચિંતા.
આ બંને જ વિશેષ બધામાં પ્રવેશ છે. પરંતુ જેટલાં તેઓ ફિકરમાં છે, ચિંતામાં છે એટલાં
જ તમે શુભચિંતક છો. ચિંતા બદલાઈ શુભચિંતકની ભાવના સ્વરુપ બની ગયા છો. ભયભીત નાં બદલે
સુખનાં ગીત ગાઈ રહ્યાં છો. બાપદાદા એવા બેફિકર બાદશાહો ને જોઈ રહ્યાં છે.
પ્રશ્ન:-
વર્તમાન સમયે
કઈ સિઝન (ઋતુ) ચાલી રહી છે? આવાં સમય પર આપ બાળકોનું કર્તવ્ય શું છે?
જવાબ:-
વર્તમાન સમય
સિઝન જ છે અકાળે મૃત્યુની છે. જેમ વાયુનું, સમુદ્રનું તોફાન અચાનક લાગે છે, એમ આ
અકાળે મૃત્યું નું પણ તોફાન અચાનક અને ઝડપ થી એક સાથે અનેકોને લઈ જાય છે. એવાં સમય
પર અકાળે મૃત્યુ વાળી આત્માઓને, અકાળ મૂર્ત બની શાંતિ અને શક્તિ નો સહયોગ આપવો આ આપ
બાળકોનું કર્તવ્ય છે. તો સદા શુભચિંતક બની શુભભાવના, શુભકામનાની માનસિક સેવાથી બધાને
સુખ-શાંતિ આપો. અચ્છા.
વરદાન :-
દૃઢતા દ્વારા
કલરાઠી જમીન માં પણ ફળ પેદા કરવાવાળા સફળતા સ્વરુપ ભવ
કોઈ પણ વાતમાં
સફળતા સ્વરુપ બનવાનાં માટે દૃઢતા અને સ્નેહનું સંગઠન જોઈએ. આ દૃઢતા કલરાઠી જમીનમાં
પણ ફળ પેદા કરી દે છે. જેમ આજકાલ વિજ્ઞાનવાળા રેતીમાં પણ ફળ પેદા કરવાનો પ્રયત્ન કરી
રહ્યાં છે તેમ આપ શાંતિની શક્તિ દ્વારા સ્નેહનું પાણી આપતાં ફળીભૂત બનો. દૃઢતા
દ્વારા નિરાશાવાદીમાં પણ આશા નો દિપક જગાવી શકો છો કારણકે હિંમત થી બાપની મદદ મળી
જાય છે.
સ્લોગન :-
પોતાને સદા
પ્રભુની અમાનત સમજીને ચાલો તો કર્મમાં રુહાનિયત આવશે.