04-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ સમયે
તમારું આ જીવન ખૂબ - ખૂબ અમૂલ્ય છે કારણ કે તમે હદથી નીકળી બેહદમાં આવ્યાં છો , તમે
જાણો છો આપણે આ જગતનું કલ્યાણ કરવાવાળા છીએં ”
પ્રશ્ન :-
બાપનાં વારસાનો
અધિકાર કયા પુરુષાર્થ થી પ્રાપ્ત થાય છે?
ઉત્તર :-
સદા ભાઈ-ભાઈની દૃષ્ટિ રહે. સ્ત્રી-પુરુષનું જે ભાન છે તે નીકળી જાય, ત્યારે બાપનાં
વારસાનો પૂરો અધિકાર પ્રાપ્ત થાય. પરંતુ સ્ત્રી-પુરુષનું ભાન કે આ દૃષ્ટિ નીકળવી
ખૂબ મુશ્કેલ છે. આનાં માટે દેહી-અભિમાની બનવાનો અભ્યાસ જોઈએ. જ્યારે બાપનાં બાળક
બનશો ત્યારે વારસો મળશે. એક બાપની યાદથી સતોપ્રધાન બનવાવાળા જ મુક્તિ-જીવનમુક્તિ નો
વારસો પામે છે.
ગીત :-
આખિર વહ દિન આયા આજ …...
ઓમ શાંતિ!
બાળકો આ જાણે
છે ઓમ્ એટલે અહમ્ આત્મા મમ શરીર. હવે તમે આ ડ્રામાને, સૃષ્ટિ ચક્રને અને આ સૃષ્ટિ
ચક્રને જાણવાવાળા બાપને જાણી ગયાં છો કારણ કે ચક્રને જાણવા વાળાને રચતા જ કહેશું.
રચતા અને રચનાને બીજા કોઈ પણ નથી જાણતાં. ભલે ભણેલાં-ગણેલાં મોટા-મોટા
વિદ્વાન-પંડિત વગેરે છે. તેમને પોતાનો ઘમંડ તો રહે છે ને. પરંતુ તેમને આ ખબર નથી,
કહે પણ છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. હવે આ ત્રણ ચીજો થઈ જાય છે, આનો પણ અર્થ નથી
સમજતાં. સન્યાસીઓને વૈરાગ્ય આવે છે ઘરથી. તેમને પણ ઊંચ અને નીચની ઈર્ષા રહે છે. આ
ઊંચા કુળનો છે, આ મધ્યમ કુળનો છે-આનાં પર તેમનું ખૂબ ચાલે છે. કુંભના મેળામાં પણ
તેમનાં ખૂબજ ઝઘડા થઈ જાય છે કે પહેલા કોની સવારી ચાલે. આનાં પર ખૂબ લડે છે પછી
પોલીસ આવીને છોડાવે છે. તો આ પણ દેહ-અભિમાન થયું ને. દુનિયામાં જે પણ મનુષ્ય માત્ર
છે, બધાં છે દેહ-અભિમાની. તમારે તો હવે દેહી-અભિમાની બનવાનું છે. બાપ કહે છે
દેહ-અભિમાન છોડો, સ્વયંને આત્મા સમજો. આત્મા જ પતિત બની છે, તેમાં ખાદ પડી છે. આત્મા
જ સતોપ્રધાન, તમોપ્રધાન બને છે. જેવી આત્મા તેવું શરીર મળે છે. કૃષ્ણની આત્મા સુંદર
છે તો શરીર પણ ખૂબ સુંદર હોય છે, તેમનાં શરીરમાં બહુ જ કશિશ (આકર્ષણ) હોય છે.
પવિત્ર આત્મા જ કશિશ કરે છે. લક્ષ્મી-નારાયણની એટલી મહિમા નથી, જેમ કૃષ્ણની છે કારણ
કે કૃષ્ણ તો પવિત્ર નાનો બાળક છે. અહીં પણ કહે છે નાનું બાળક અને મહાત્મા એક સમાન
છે. મહાત્માઓ તો છતાં પણ જીવનનો અનુભવ કરી પછી વિકારોને છોડે છે. ઘૃણા આવે છે, બાળક
તો છે જ પવિત્ર. તેમને ઊંચ મહાત્મા સમજે છે. તો બાપ એ સમજાવ્યું છે આ નિવૃત્તિ
માર્ગવાળા સન્યાસી પણ કઈક થોભાવે છે. જેમ મકાન અડધું જૂનું થાય છે તો પછી મરમ્મત (સમારકામ)
કરાય છે. સન્યાસી પણ મરમ્મત કરે છે, પવિત્ર હોવાથી ભારત ઉભું (ટકી) રહે છે. ભારત
જેવો પવિત્ર અને ધનવાન ખંડ બીજો કોઈ હોઈ ન શકે. હવે બાપ તમને રચતા અને રચનાનાં
આદિ-મધ્ય-અંતની સ્મૃતિ અપાવે છે કારણ કે આ બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે.
ગીતામાં કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે, તેમને ક્યારેય બાબા કહેશે કે! અથવા
પતિત-પાવન કહેશે કે! જ્યારે મનુષ્ય પતિત-પાવન કહે છે તો કૃષ્ણને યાદ નથી કરતાં તેઓ
તો ભગવાનને યાદ કરે છે, પછી કહી દે છે પતિત-પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ.
કેટલો મૂંઝારો છે. બાપ કહે છે હું આપ બાળકોને આવીને યથાર્થ રીતે બધાં વેદો-શાસ્ત્રો
વગેરે નો સાર બતાવું છું. પહેલાં-પહેલાં મુખ્ય વાત સમજાવે છે કે તમે પોતાને આત્મા
સમજો અને બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો. તમે છો ભાઈ-ભાઈ, પછી બ્રહ્માની સંતાન
કુમાર-કુમારીઓ તો ભાઈ-બહેન થઈ ગયાં. આ બુદ્ધિમાં યાદ રહે. અસલમાં આત્માઓ ભાઈ-ભાઈ
છે, પછી અહીં શરીરમાં આવવાથી ભાઈ-બહેન થઈ જાય છે. આટલી પણ બુદ્ધિ નથી સમજવાની. એ
આપણાં આત્માઓનાં પિતા છે તો આપણે ભાઈઓ થયાં ને. પછી સર્વવ્યાપી કેવી રીતે કહે છે.
વારસો તો બાળકને જ મળશે, પિતાને તો નથી મળતો. બાપથી બાળકને વારસો મળે છે. બ્રહ્મા
પણ શિવબાબાનો બાળક છે ને, આમને પણ વારસો એમનાંથી મળે છે. તમે થઈ જાઓ છો
પૌત્ર-પૌત્રીઓ. તમને પણ હક છે. તો આત્માનાં રુપમાં બધાં બાળકો છો પછી શરીરમાં આવો
છો તો ભાઈ-બહેન કહો છો. બીજો કોઈ સંબંધ નથી. સદા ભાઈ-ભાઈની દૃષ્ટિ રહે,
સ્ત્રી-પુરુષનું ભાન પણ નીકળી જાય. જ્યારે મેલ-ફીમેલ (સ્ત્રી-પુરુષ) બંનેવ કહો છો ઓ
ગોડફાધર તો ભાઈ-બહેન થયાં ને. ભાઈ-બહેન ત્યારે થાઓ છો જ્યારે બાપ સંગમ પર આવીને રચના
રચે છે. પરંતુ સ્ત્રી-પુરુષની દૃષ્ટિ ખૂબ મુશ્કેલ થી નીકળે છે. બાપ કહે છે તમારે
દેહી-અભિમાની બનવાનું છે. બાપનાં બાળકો બનશે ત્યારે જ વારસો મળશે. મામેકમ યાદ કરો
તો સતોપ્રધાન બનશો. સતોપ્રધાન બન્યાં વગર તમે પાછાં મુક્તિ-જીવનમુક્તિમાં જઈ નહિ
શકશો. આ યુક્તિ સન્યાસી વગેરે ક્યારેય નહિ બતાવશે. તેઓ એવું ક્યારેય નહીં કહેશે કે
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપને કહેવાય છે પરમપિતા પરમ આત્મા, સુપ્રીમ (સર્વોચ્ચ).
આત્મા તો બધાને કહેવાય છે પરંતુ એમને પરમ આત્મા કહેવાય છે. એ બાપ કહે છે - બાળકો,
હું આવ્યો છું આપ બાળકોની પાસે. મને બોલવાં માટે મુખ તો જોઈએ ને. આજકાલ જુઓ
જ્યાં-ત્યાં ગૌમુખ જરૂર રાખે છે. પછી કહેં છે ગૌ-મુખ થી અમૃત નીકળે છે. હકીકતમાં
અમૃત તો કહેવાય છે જ્ઞાન ને. જ્ઞાન અમૃત મુખથી જ નીકળે છે. પાણીની તો આમાં વાત નથી.
આ ગૌમાતા માતા પણ છે. બાબા આમનામાં પ્રવેશ થયાં છે. બાપે આમનાં દ્વારા તમને પોતાનાં
બનાવ્યાં છે. આમનાંથી જ્ઞાન નીકળે છે. તેઓએ તો પથ્થરનાં બનાવીને એમાં મુખ બનાવી દીધાં
છે, જ્યાંથી પાણી નીકળે છે. એ તો ભક્તિનો રિવાજ થઈ ગયો ને. યથાર્થ વાતો તમે જાણો
છો. ભીષ્મ પિતામહ વગેરેને તમે કુમારીયોએ બાણ લગાવ્યાં છે. તમે તો
બ્રહ્માકુમાર-કુમારીઓ છો. તો કુમારી કોઈની હશે ને. અધરકુમારી અને કુમારી બંનેના
મંદિર છે. પ્રેકટિકલમાં તમારાં યાદગાર મંદિર છે ને. હવે બાપ બેસી સમજાવે છે તમે
જ્યારે બ્રહ્માકુમાર-કુમારીઓ છો તો ક્રિમિનલ એસોલ્ટ (પાપ કર્મ) થઈ ન શકે. નહીં તો
ખૂબ કડક સજા થઈ જાય. દેહ-અભિમાનમાં આવવાથી આ ભૂલાય જાય છે કે આપણે ભાઈ-બહેન છીએં. આ
પણ બી.કે. છે, આપણે પણ બી.કે. છીએ તો વિકારની દૃષ્ટિ જઈ ન શકે. પરંતુ આસુરી
સંપ્રદાયનાં મનુષ્ય વિકારનાં વગર રહી નથી શકતાં તો વિઘ્ન નાખે છે. હમણાં આપ
બ્રહ્માકુમાર-કુમારીઓને બાપથી વારસો મળે છે. બાપની શ્રીમત પર ચાલવાનું છે, પવિત્ર
બનવાનું છે. આ છે આ વિકારી મૃત્યુલોકનો અંતિમ જન્મ. આ પણ કોઈ જાણતું નથી. અમરલોકમાં
વિકાર કોઈ હોતાં નથી. તેમને કહેવાય જ છે સતોપ્રધાન સંપૂર્ણ નિર્વિકારી. અહીંયા છે
તમોપ્રધાન સંપૂર્ણ વિકારી. ગાયન પણ છે તે સંપૂર્ણ નિર્વિકારી, અમે વિકારી, પાપી છીએં.
સંપૂર્ણ નિર્વિકારીઓની પુજા કરે છે. બાપે સમજાવ્યું છે તમે ભારતવાસી જ પૂજ્ય થી પછી
પૂજારી બનો છો. આ સમયે ભક્તિનો પ્રભાવ ખુબજ છે. ભક્ત ભગવાનને યાદ કરે છે કે આવીને
ભક્તિનું ફળ આપો. ભક્તિમાં શું હાલત થઈ ગઈ છે. બાપે સમજાવ્યું છે મુખ્ય ધર્મ
શાસ્ત્ર ૪ છે. એક તો છે ડિટીજ્મ (દૈવીધર્મ), આમાં બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ત્રણેય
આવી જાય છે. બાપ બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણોની ચોટી છે સંગમયુગની. આપ
બ્રાહ્મણ હવે પુરુષોત્તમ બની રહ્યાં છો. બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનો છો. તે
બ્રાહ્મણ પણ છે વિકારી. તેઓ પણ આ બ્રાહ્મણોની આગળ નમસ્તે કરે છે. બ્રાહ્મણ
દેવી-દેવતા નમઃ કહે છે કારણ કે સમજે છે તે બ્રહ્માની સંતાન હતાં, અમે તો બ્રહ્માની
સંતાન નથી. હમણાં તમે બ્રહ્માની સંતાન છો. તમને બધાં નમઃ કરશે. તમે પછી દેવી-દેવતા
બનો છો. હમણાં તમે બ્રહ્માકુમાર-કુમારી બન્યાં છો પછી બનશો દૈવીકુમાર-કુમારીઓ.
આ સમયે તમારું જીવન ખૂબ-ખૂબ અમૂલ્ય છે કારણ કે તમે જગતની માતાઓ ગવાયેલી છો. તમે હદથી
નીકળી બેહદમાં આવ્યાં છો. તમે જાણો છો આપણે આ જગતનું કલ્યાણ કરવા વાળા છીએં. તો
દરેક જગત અંબા જગતપિતા થયાં. આ નર્કમાં મનુષ્ય ખૂબ દુઃખી છે, આપણે તેમની રુહાની સેવા
કરવા આવ્યાં છીએં. આપણે તેમને સ્વર્ગવાસી બનાવીને જ છોડશું. તમે છો સેના. આને
યુદ્ધ-સ્થળ પણ કહેવાય છે. યાદવ, કૌરવ અને પાંડવ ભેગાં રહે છે. ભાઈ-ભાઈ છે ને. હવે
તમારું યુદ્ધ ભાઈ-બહેનો થી નથી, તમારું યુદ્ધ છે રાવણ થી. ભાઈ-બહેનોને તમે સમજાવો
છો, મનુષ્યથી દેવતા બનાવવાં માટે. તો બાપ સમજાવે છે દેહ સહિત દેહનાં સર્વ સંબંધ
છોડવાનાં છે. આ છે જૂની દુનિયા. કેટલા મોટા-મોટા ડેમ (પાણીનો બંધ), કેનાલ્સ (નહેર)
વગેરે બનાવે છે, કારણ કે પાણી નથી. પ્રજા બહુજ વધી ગઈ છે. ત્યાં તો તમે રહો જ છો
ખૂબ થોડાં. નદીઓમાં પાણી પણ ખૂબ રહે છે, અનાજ પણ ખૂબ હોય છે. અહીંયા તો આ ધરતી પર
કરોડો મનુષ્ય છે. ત્યાં આખી ધરતી પર શરુમાં ૯-૧૦ લાખ હોય છે, બીજો કોઈ ખંડ હોતો જ
નથી. તમે થોડાં જ ત્યાં રહો છો. તમને ક્યાંય જવાની પણ દરકાર નથી રહેતી. ત્યાં છે જ
બહારી મોસમ (વસંતઋતુ). ૫ તત્વ પણ કોઈ તકલીફ નથી આપતાં, આદેશ માં રહે છે. દુઃખનું
નામ નથી. તે છે જ બહિશ્ત (સ્વર્ગ). હમણાં છે દોજક (નર્ક). આ શરુ થાય છે વચ્ચેથી.
દેવતાઓ વામ માર્ગમાં પડે છે તો પછી રાવણનું રાજ્ય શરુ થઈ જાય છે. તમે સમજી ગયા છો-આપણે
ડબલ સિરતાજ પૂજ્ય બનીએ છીએ પછી સિંગલ તાજવાળા બનીએ છીએ. સતયુગમાં પવિત્રતાની પણ
નિશાની છે. દેવતાઓ તો બધાં છે પવિત્ર. અહીંયા પવિત્ર કોઈ છે નહીં. જન્મ તો છતાં પણ
વિકારથી લે છે ને એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. સતયુગ છે શ્રેષ્ઠાચારી.
વિકારને જ ભ્રષ્ટાચાર કહેવાય છે. બાળકો જાણે છે સતયુગમાં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો,
હવે અપવિત્ર થઈ ગયાં છે. હવે ફરી પવિત્ર શ્રેષ્ઠાચારી દુનિયા બને છે. સૃષ્ટિનું
ચક્ર ફરે છે ને. પરમપિતા પરમાત્માને જ પતિત-પાવન કહેવાય છે. મનુષ્ય કહી દે છે ભગવાન
પ્રેરણા કરે છે, હવે પ્રેરણા એટલે વિચાર, આમાં પ્રેરણાની તો વાત જ નથી. એ સ્વયં કહે
છે મારે શરીરનો આધાર લેવો પડે છે. હું વગર મુખથી શિક્ષા કેવી રીતે આપું. પ્રેરણાથી
કોઈ શિક્ષા અપાય છે શું! ભગવાન પ્રેરણાથી કાંઈ પણ નથી કરતાં. બાપ તો બાળકોને ભણાવે
છે. પ્રેરણા થી ભણતર થોડી થઈ શકે. સિવાય બાપનાં સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંતનું રહસ્ય
કોઈ પણ બતાવી ન શકે. બાપને જ નથી જાણતાં. કોઈ કહે લિંગ છે, કોઈ કહે અખંડ જ્યોતિ છે.
કોઈ કહે બ્રહ્મ જ ઈશ્વર છે. તત્વજ્ઞાની બ્રહ્મજ્ઞાની પણ છે ને. શાસ્ત્રોમાં દેખાડી
દીધું છે ૮૪ લાખ યોનિઓ. હવે જો ૮૪ લાખ જન્મ હોય તો કલ્પ ખૂબ મોટું જોઈએ. કોઈ હિસાબ
જ નીકાળી ન શકે. તેઓ તો સતયુગને જ લાખો વર્ષ કહી દે છે. બાપ કહે છે આખું સૃષ્ટિ
ચક્ર જ ૫ હજાર વર્ષનું છે. ૮૪ લાખ જન્મોનાં માટે તો સમય પણ એટલો જોઈએ ને. આ શાસ્ત્ર
બધાં છે ભક્તિમાર્ગનાં. બાપ કહે છે હું આવીને તમને આ બધાં શાસ્ત્રોનો સાર સમજાવું
છું. આ બધી ભક્તિમાર્ગની સામગ્રી છે, આનાંથી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતું. હું
જ્યારે આવું છું ત્યારે જ બધાને લઈ જાઉં છું. મને બોલાવે જ છે-હેં પતિત-પાવન આવો.
પાવન બનાવીને અમને પાવન દુનિયામાં લઈ જાઓ. પછી શોધવાં માટે ધક્કા કેમ ખાઓ છો? કેટલાં
દૂર-દૂર પહાડો વગેરે પર જાય છે. આજકાલ તો કેટલાં મંદિર ખાલી પડ્યાં છે, કોઈ જતું નથી.
હવે આપ બાળકો ઊંચેથી ઊંચા બાપની બાયોગ્રાફી (જીવનકહાની) ને પણ જાણી ગયાં છો. બાપ
બાળકોને બધુંજ આપીને પછી ૬૦ વર્ષ બાદ વાનપ્રસ્થમાં બેસી જાય છે. આ રિવાજ પણ હમણાં
નો છે, તહેવાર પણ બધાં આ સમયનાં છે.
તમે જાણો છો હમણાં આપણે સંગમ પર ઉભાં છીએં. રાતનાં પછી ફરી દિવસ થશે. હમણાં તો ઘોર
અંધકાર છે. ગાએ પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા……. તમે બાપને અને રચનાનાં આદિ-મધ્ય-અંતને
હવે જાણો છો. જેમ બાપ નોલેજફુલ છે, તમે પણ માસ્ટર નોલેજફુલ થઈ ગયાં. આપ બાળકોને બાપ
થી વારસો મળે છે બેહદનાં સુખનો. લૌકિક બાપથી તો હદનો વારસો મળે છે, જેનાથી અલ્પકાળનું
સુખ મળે છે. જેને સન્યાસી કાગ વિષ્ટા સમાન સુખ કહી દે છે. તેઓ પછી અહીં આવીને સુખનાં
માટે પુરુષાર્થ કરી ન શકે. તેઓ છે જ હઠયોગી, તમે છો રાજયોગી. તમારો યોગ છે બાપની
સાથે, તેમનો છે તત્વની સાથે. આ પણ ડ્રામા બનેલો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) પાવન બનવાનાં
માટે આપણે આત્મા ભાઈ-ભાઈ છીએં, પછી બ્રહ્મા બાપની સંતાન ભાઈ-બહેન છીએં, આ દૃષ્ટિ
પાક્કી કરવાની છે. આત્મા અને શરીર બંનેને જ પાવન સતોપ્રધાન બનાવવાનાં છે.
દેહ-અભિમાન છોડી દેવાનું છે.
2) માસ્ટર નોલેજફુલ બની બધાને રચતા અને રચનાનું જ્ઞાન સંભળાવીને ઘોર અંધકાર થી
નીકાળવાનાં છે. નર્કવાસી મનુષ્યોની રુહાની સેવા કરી સ્વર્ગવાસી બનાવવાનાં છે.
વરદાન :-
એક બાપ બીજું
ન કોઈ - આ દૃઢ સંકલ્પ દ્વારા અવિનાશી , અમર ભવ
જે બાળકો આ દૃઢ
સંકલ્પ કરે છે કે એક બાપ બીજું ન કોઈ…..તેમની સ્થિતિ સ્વતઃ અને સહજ એકરસ થઈ જાય છે.
આજ દૃઢ સંકલ્પ થી સર્વ સંબંધો નો અવિનાશી તાર જોડાઈ જાય છે અને તેમને સદા અવિનાશી
ભવ, અમર ભવનું વરદાન મળી જાય છે. દૃઢ સંકલ્પ કરવાથી પુરુષાર્થ માં પણ વિશેષ રુપથી
લિફ્ટ મળે છે. જેમનાં એક બાપ થી સર્વ સંબંધ છે તેમને સર્વ પ્રાપ્તિઓ સ્વતઃ થઈ જાય
છે.
સ્લોગન :-
વિચારવું-બોલવું
અને કરવું ત્રણેય ને એક સમાન બનાવો - ત્યારે કહેવાશે સર્વોત્તમ પુરુષાર્થી.