17-03-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પ્રીત
અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગનાં અક્ષર છે , હમણાં તમારી પ્રીત એક બાપ થી થઈ છે ,
આપ બાળકો નિરંતર બાપ ની યાદમાં રહો છો ”
પ્રશ્ન :-
યાદની યાત્રા
ને બીજું કયું નામ આપશું?
ઉત્તર :-
યાદની યાત્રા પ્રીતની યાત્રા છે. વિપરીત બુદ્ધિ વાળાથી નામ-રુપમાં ફસાવાની દુર્ગંધ
આવે છે. તેમની બુદ્ધિ તમોપ્રધાન થઇ જાય છે. જેમની પ્રીત એક બાપથી છે તેઓ જ્ઞાનનું
દાન કરતાં રહેશે. કોઈ પણ દેહધારી થી તેમની પ્રીત નથી થઈ શકતી.
ગીત :-
યહ વક્ત જા રહા
હૈ ……...
ઓમ શાંતિ!
બાપ બાળકોને
સમજાવી રહ્યાંં છે. હવે આને યાદની યાત્રા પણ કહો તો પ્રીતની યાત્રા પણ કહો. મનુષ્ય
તો તે યાત્રાઓ પર જાય છે. આ જે રચના છે તેની યાત્રા પર જાય છે, ભિન્ન-ભિન્ન રચના છે
ને. રચયિતા ને તો કોઈ પણ જાણતાં જ નથી. હમણાં તમે રચયિતા બાપને જાણો છો, એ બાપની
યાદમાં તમારે ક્યારેય થોભવાનું નથી. તમને યાત્રા મળી છે યાદની. આને યાદની યાત્રા
અથવા પ્રીતની યાત્રા કહેવાય છે. જેમની વધારે પ્રીત હશે તે યાત્રા પણ સારી કરશે.
જેટલાં પ્રેમ થી યાત્રા પર રહેશે, પવિત્ર પણ બનતાં જશે. શિવ ભગવાનુવાચ છે ને. વિનાશ
કાળે વિપરીત બુદ્ધિ અને વિનાશ કાળે પ્રીત બુદ્ધિ. આપ બાળકો જાણો છો હમણાં વિનાશકાળ
છે. આ તેજ ગીતા એપિસોડ (અધ્યાય) ચાલી રહ્યો છે. બાબાએ શ્રીકૃષ્ણની ગીતા અને
ત્રિમૂર્તિ શિવની ગીતાનો તફાવત પણ બતાવ્યો છે! હવે ગીતાનાં ભગવાન કોણ? પરમપિતા શિવ
ભગવાનુવાચ. ફક્ત શિવ અક્ષર નથી લખવાનો કારણ કે શિવ નામ પણ ઘણાઓનું છે એટલે પરમપિતા
પરમાત્મા લખવાથી એ સુપ્રીમ (સર્વોચ્ચ) થઈ ગયાં. પરમપિતા તો કોઇ પોતાને કહી નહીં શકે.
સન્યાસી લોકો શિવોહમ્ કહી દે છે, તેઓ તો બાપ ને યાદ પણ કરી ન શકે. બાપ ને જાણતાં જ
નથી. બાપ થી પ્રીત છે જ નહીં. પ્રીત અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગનાં માટે છે. કોઈ
બાળકોની બાપથી પ્રીત બુદ્ધિ હોય છે, કોઈની વિપરીત બુદ્ધિ પણ હોય છે. તમારામાં પણ એવાં
છે. બાપની સાથે પ્રીત તેમની છે, જે બાપની સર્વિસ (સેવા) માં તત્પર છે. બાપનાં સિવાય
બીજા કોઈ થી પ્રીત હોઈ ન શકે. શિવબાબાને જ કહે છે બાબા અમે તો તમારાં જ મદદગાર છીએં.
બ્રહ્માની આમાં વાત જ નથી. શિવબાબાની સાથે જે આત્માઓની પ્રીત હશે તે જરુર મદદગાર હશે.
શિવબાબાની સાથે તેઓ સર્વિસ કરતાં રહેશે. પ્રીત નથી તો વિપરીત થઈ જાય છે, વિપરીત
બુદ્ધિ વિનશન્તી. જેમની બાપથી પ્રીત હશે તો મદદગાર પણ બનશે. જેટલી પ્રીત એટલાં
સર્વિસમાં મદદગાર બનશે. યાદ જ નથી કરતાં તો પ્રીત નથી. પછી દેહધારીઓથી પ્રીત થઈ જાય
છે. મનુષ્ય, મનુષ્યને પોતાનાં યાદગાર ની ચીજ પણ આપે છે ને. તે યાદ જરુર આવે છે.
હમણાં આપ બાળકોને બાપ અવિનાશી જ્ઞાન રત્નોની સૌગાત આપે છે, જેનાથી તમે રાજાઈ
પ્રાપ્ત કરો છો. અવિનાશી જ્ઞાન રત્નો નું દાન કરે છે તો પ્રીત બુદ્ધિ છે. જાણે છે
બાબા બધાનું કલ્યાણ કરવાં આવ્યાં છે, અમારે પણ મદદગાર બનવાનું છે. એવાં પ્રીત બુદ્ધિ
વિજયન્તી હોય છે. જે યાદ જ નથી કરતાં તે પ્રીત બુદ્ધિ નથી. બાપ થી પ્રીત હશે, યાદ
કરશે તો વિકર્મ વિનાશ થશે અને બીજાઓને પણ કલ્યાણ નો રસ્તો બતાવશે. આપ બ્રાહ્મણ
બાળકોમાં પણ પ્રીત અને વિપરીત નો મદાર છે. બાપ ને વધારે યાદ કરે છે તો પ્રીત છે.
બાપ કહે છે મને નિરંતર યાદ કરો, મારાં મદદગાર બનો. રચના ને એક રચતા બાપ જ યાદ રહેવાં
જોઈએ. કોઈ રચનાને યાદ નથી કરવાનું. દુનિયામાં તો રચયિતા ને કોઈ જાણતાં જ નથી, નથી
યાદ કરતાં. સન્યાસી લોકો પણ બ્રહ્મને યાદ કરે છે, તે પણ રચના થઈ ગઈ. રચયિતા તો બધાનાં
એક જ છે ને. બીજી જે પણ ચીજો આ આંખોથી જુઓ છો તે બધી તો છે રચના. જે નથી જોવામાં
આવતા તે છે રચયિતા બાપ. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું પણ ચિત્ર છે. તે પણ રચના છે.
બાબાએ જે ચિત્ર બનાવવાં માટે કહ્યું છે ઉપર માં લખવાનું છે પરમપિતા પરમાત્મા
ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. ભલે કોઈ પોતાને ભગવાન કહે પરંતુ પરમપિતા કહી ન શકે. તમારો
બુદ્ધિયોગ છે શિવબાબા ની સાથે, ન કે શરીર ની સાથે. બાપે સમજાવ્યું છે સ્વયંને અશરીરી
આત્મા સમજી મુજ બાપને યાદ કરો. પ્રીત અને વિપરીત નો બધો આધાર છે સર્વિસ પર. સારી
પ્રીત હશે તો બાપની સર્વિસ પણ સારી કરશે, ત્યારે વિજયન્તી કહેશે. પ્રીત નથી તો
સર્વિસ પણ નહીં થશે. પછી પદ પણ ઓછું. ઓછા પદને કહેવાય છે ઊંચ પદ થી વિનશન્તી. આમ
વિનાશ તો બધાનો થાય જ છે, પરંતુ આ ખાસ પ્રીત અને વિપરીત ની વાત છે. રચયિતા બાપ તો
એક જ છે એમને જ શિવ પરમાત્માય નમઃ કહે છે. શિવજયંતી પણ મનાવે છે. શંકરજયંતી ક્યારેય
સાંભળ્યું નથી. પ્રજાપિતા બ્રહ્માનું નામ પણ પ્રસિધ્ધ છે, વિષ્ણુની જયંતી નથી મનાવતાં,
કૃષ્ણની મનાવે છે. આ પણ કોઈને ખબર નથી-કૃષ્ણ અને વિષ્ણુ માં શું ફરક છે? મનુષ્યો ની
છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તો તમારામાં પણ પ્રીત અને વિપરીત બુદ્ધિ છે ને. બાપ કહે
છે તમારો આ રુહાની ધંધો બહુજ સારો છે. સવારે અને સાંજનાં આ સર્વિસમાં લાગી જાઓ.
સાંજનો સમય ૬ થી ૭ સુધી સારો કહે છે. સતસંગ વગેરે પણ સાંજના અને સવારે કરે છે. રાતમાં
તો વાયુમંડળ ખરાબ થઈ જાય છે. રાતનાં તો આત્મા સ્વયં શાંતિમાં ચાલી જાય છે, જેને
નિંદ્રા કહેવાય છે. પછી સવારે જાગે છે. કહે પણ છે રામ સિમર પ્રભાત મોરે મન. હવે બાપ
બાળકોને સમજાવે છે મુજ બાપને યાદ કરો. શિવબાબા જ્યારે શરીરમાં પ્રવેશ કરે ત્યારે તો
કહે ને મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઇ જશે. આપ બાળકો જાણો છો આપણે કેટલું બાપ ને
યાદ કરીએ છીએ અને રુહાની સેવા કરીએ છીએં. બધાને આજ પરિચય આપવાનો છે-સ્વયંને આત્મા
સમજી બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. ખાદ નીકળતી જશે. પ્રીત
બુદ્ધિમાં પણ પર્સન્ટેજ (ટકાવારી) છે. બાપ થી પ્રીત નથી તો જરુર પોતાની દેહમાં
પ્રીત છે કે મિત્ર સંબંધીઓ વગેરે થી પ્રીત છે. બાપ થી પ્રીત હશે તો સર્વિસમાં લાગી
જશે. બાપ થી પ્રીત નથી તો સર્વિસમાં પણ નહીં લાગશે. કોઈને ફક્ત અલ્ફ અને બે નું
રહસ્ય સમજાવવું તો ખૂબ સહજ છે. હેં ભગવાન, હેં પરમાત્મા કહી યાદ કરે છે પરંતુ એમને
જાણતાં બિલકુલ નથી. બાબા એ સમજાવ્યું છે દરેક ચિત્રમાં ઉપર પરમપિતા ત્રિમૂર્તિ શિવ
ભગવાનુવાચ જરુર લખવાનું છે તો કોઈ કાંઈ કહી ન શકે. હમણાં આપ બાળકો તો પોતાનું
સેપલિંગ (કલમ) લગાવી રહ્યાંં છો. બધાને રસ્તો બતાવો તો બાપ થી આવીને વારસો લે. બાપ
ને જાણતાં જ નથી એટલે પ્રીત બુદ્ધિ છે નહીં. પાપ વધતાં-વધતાં એકદમ તમોપ્રધાન બની ગયાં
છે. બાપની સાથે પ્રીત તેમની હશે જે ખૂબ યાદ કરશે. તેમની જ ગોલ્ડન એજ (સતોપ્રધાન)
બુદ્ધિ હશે. જો બીજી તરફ બુદ્ધિ ભટકતી હશે તો તમોપ્રધાન જ રહેશે. ભલે સામે બેઠાં છે
તો પણ પ્રીત બુદ્ધિ નહીં કહેવાશે કારણકે યાદ જ નથી કરતાં. પ્રીત બુદ્ધિ ની નિશાની
છે યાદ. તેઓ ધારણા કરશે, બીજા પર પણ રહેમ કરતાં રહેશે કે બાપ ને યાદ કરો તો તમે
પાવન બનશો. આ કોઈને પણ સમજાવવું તો ખુબ સહજ છે. બાપ સ્વર્ગની બાદશાહીનો વારસો
બાળકોને જ આપે છે. જરુર શિવબાબા આવ્યાં હતાં ત્યારે તો શિવજયંતી પણ મનાવે છે ને.
કૃષ્ણ, રામ વગેરે બધાં થઈને ગયાં છે ત્યારે તો મનાવતાં આવે છે ને. શિવબાબા ને પણ
યાદ કરે છે, કારણ કે એ આવીને બાળકોને વિશ્વની બાદશાહી આપે છે, નવાં કોઈ આ વાતોને
સમજી ન શકે. ભગવાન કેવી રીતે આવીને વારસો આપે છે, બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. યાદ
કરવાની બુદ્ધિ નથી. બાપ સ્વયં કહે છે તમે અડધાકલ્પ નાં આશિક છો. હું હમણાં આવેલો
છું. ભક્તિમાર્ગમાં તમે કેટલાં ધક્કા ખાઓ છો. પરંતુ ભગવાન તો કોઈને મળ્યાં જ નથી.
હમણાં આપ બાળકો સમજો છો બાપ ભારતમાં જ આવ્યાં હતાં અને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો
બતાવ્યો હતો. કૃષ્ણ તો આ રસ્તો બતાવતાં નથી. ભગવાન થી પ્રીત કેવી રીતે જોડાય તે પણ
ભારતવાસીઓને જ બાપ આવીને શીખવાડે છે. આવે પણ ભારતમાં છે. શિવજયંતી મનાવે છે. આપ
બાળકો જાણો છો ઊંચેથી ઊંચા છે ભગવાન, એમનું નામ છે શિવ એટલે તમે લખો છો શિવજયંતી જ
હીરાતુલ્ય છે, બાકી બધાની જયંતી છે કોડીતુલ્ય. આવું લખવાથી બગડે છે એટલે દરેક
ચિત્રમાં જો શિવ ભગવાનુવાચ હશે તો તમે સેફટી (બચાવ) માં રહેશો. કોઈ-કોઈ બાળક પૂરું
નથી સમજતા તો નારાજ થઈ જાય છે. માયાની ગ્રહચારી, પહેલો વાર બુદ્ધિ પર જ કરે છે. બાપ
થી જ બુદ્ધિયોગ તોડી દે છે, જેનાથી એકદમ ઉપર થી નીચે પડી જાય છે. દેહધારીઓ થી
બુદ્ધિયોગ અટકી જાય છે તો બાપ થી વિપરીત થયા ને. તમારે પ્રીત રાખવાની છે એક વિચિત્ર
વિદેહી બાપથી. દેહધારી થી પ્રીત રાખવી નુકસાનકારક છે. બુદ્ધિ ઉપરથી તૂટે છે તો એકદમ
નીચે પડી જાય છે. ભલે આ અનાદિ બન્યો-બનાવેલ ડ્રામા છે, છતાં પણ સમજાવશે તો ખરા ને.
વિપરીત બુદ્ધિ તો જાણે દુર્ગંધ આવે છે, નામ-રુપમાં ફસાવાની. નહીં તો સર્વિસમાં ઉભાં
થઈ જવું જોઈએ. બાબાએ કાલે પણ સારી રીતે સમજાવ્યું-મુખ્ય વાત છે જ ગીતાનાં ભગવાન કોણ?
આમાં જ તમારી વિજય થવાની છે. તમે પૂછો છો કે ગીતાનાં ભગવાન શિવ કે શ્રીકૃષ્ણ? સુખ
આપવાવાળા કોણ છે? સુખ આપવાવાળા તો શિવ છે તો એમને વોટ (મત) આપવો જોઈએ. એમની જ મહિમા
છે. હવે વોટ આપો ગીતાનાં ભગવાન કોણ? શિવને વોટ આપવાવાળા ને કહેવાશે પ્રીત બુદ્ધિ. આ
તો બહુજ ભારે ઇલેક્શન (ચૂંટણી) છે. આ બધી યુક્તિઓ તેમની બુદ્ધિમાં આવશે જે આખો દિવસ
વિચાર સાગર મંથન કરતાં રહેતાં હશે.
ઘણાં બાળકો ચાલતાં-ચાલતાં રિસાઈ જાય છે. હમણાં જુઓ તો પ્રીત છે, હમણાં જુઓ તો પ્રીત
તૂટી જાય, રિસાઈ જાય છે. કોઇ વાતથી બગડે તો ક્યારેય યાદ પણ નહીં કરશે. ચિઠ્ઠી પણ નહીં
લખશે. એટલે પ્રીત નથી. તો બાબા પણ ૬-૮ માસ ચિઠ્ઠી નહીં લખશે. બાબા કાળો નાં કાળ પણ
છે ને! સાથે ધર્મરાજ પણ છે. બાપ ને યાદ કરવાની ફુરસદ નથી તો તમે શું પદ પામશો. પદ
ભ્રષ્ટ થઇ જશે. શરુમાં બાબાએ ઘણી યુક્તિ થી પદ બતાવ્યા હતાં. હમણાં તો તેઓ છે થોડી.
હવે તો ફરીથી માળા બનવાની છે. સર્વિસએબુલ (સેવાધારી) ની તો બાબા પણ મહિમા કરતાં
રહેશે. જે પોતે બાદશાહ બને છે તો કહેશે અમારાં હમજીન્સ પણ બને. આ પણ અમારી જેમ
રાજ્ય કરે. રાજા અને અન્નદાતા, માત-પિતા કહે છે. હવે માતા તો છે જગત અંબા, એમનાં
દ્વારા તમને સુખ ધનેરા મળે છે. તમારે પુરુષાર્થ થી ઊંચ પદ પામવાનું છે.
દિવસ-પ્રતિદિવસ આપ બાળકોને ખબર પડતી જશે - કોણ-કોણ શું બનશે? સર્વિસ કરશે તો બાપ પણ
તેમને યાદ કરશે. સર્વિસ જ નથી કરતાં તો બાપ યાદ કેમ કરે! બાપ યાદ તે બાળકોને કરશે
જે પ્રીત બુદ્ધિ હશે.
આ પણ બાબા એ સમજાવ્યું છે - કોઈની આપેલી કોઈ વસ્તુ પહેરશો તો તેમની યાદ જરુર આવશે.
બાબાનાં ભંડારા થી લેશો તો શિવબાબા જ યાદ આવશે. બાબા પોતે અનુભવ બતાવે છે. યાદ જરુર
આવે છે એટલે કોઈની પણ આપેલી ચીજ રાખવી ન જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) એક વિદેહી
વિચિત્ર બાપ થી દિલની સાચ્ચી પ્રીત રાખવાની છે. સદા ધ્યાન રહે-માયાની ગ્રહચારી
ક્યારેય બુદ્ધિ પર વાર ન કરી દે.
2) ક્યારેય પણ બાપ થી
રીસાવવાનું નહીં. સર્વિસએબુલ બની પોતાનું ભવિષ્ય ઊંચું બનાવવાનું છે. કોઈની પણ આપેલી
ચીજ પોતાની પાસે નથી રાખવાની.
વરદાન :-
સદા સ્નેહી બની
માયા અને પ્રકૃતિને દાસી બનાવવા વાળા મહેનત કે મુશ્કિલ થી મુક્ત ભવ
જે બાળકો સદા સ્નેહી
છે તે લવલીન હોવાનાં કારણે મહેનત અને મુશ્કિલ થી સદા બચેલાં રહે છે. તેમની આગળ
પ્રકૃતિ અને માયા બંને હમણાં થી દાસી બની જાય અર્થાત્ સદા સ્નેહી આત્મા માલિક બની
જાય તો પ્રકૃતિ, માયાની હિંમત નથી જે સદા સ્નેહી આત્માનો સમય અથવા સંકલ્પ પોતાની
તરફ લગાવે. તેમનો દરેક સમય, દરેક સંકલ્પ છે જ બાપની યાદ અને સેવાનાં પ્રતિ. સ્નેહી
આત્માઓની સ્થિતિનું ગાયન છે એક બાપ બીજું ન કોઈ, બાપ જ સંસાર છે. તેઓ સંકલ્પ થી પણ
અધીન નથી થઈ શકતાં.
સ્લોગન :-
નોલેજફુલ બનો
તો સમસ્યાઓ પણ મનોરંજન ની રમત અનુભવ થશે.