05-02-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પાસ
વિથ ઓનર થવું છે તો બુદ્ધિયોગ થોડો પણ ક્યાંય ન ભટકે , એક બાપની યાદ રહે , દેહને
યાદ કરવા વાળા ઊંચ પદ નથી પામી શકતાં ”
પ્રશ્ન :-
સૌથી ઊંચી
મંજિલ કઈ છે?
ઉત્તર :-
આત્મા જીવતે જીવ મરીને એક બાપની બને બીજું કોઈ યાદ ન આવે, દેહ-અભિમાન બિલકુલ છૂટી
જાય - આ છે ઊંચી મંજિલ. નિરંતર દેહી-અભિમાની અવસ્થા બની જાય - આ છે મોટી મંજિલ.
આનાથી કર્માતીત અવસ્થા ને પ્રાપ્ત કરશો.
ગીત :-
તૂ પ્યાર કા
સાગર હૈ …..
ઓમ શાંતિ!
હવે આ ગીત પણ
ખોટું છે. પ્રેમનાં બદલે હોવું જોઈએ જ્ઞાન નાં સાગર. પ્રેમનો કોઈ લોટો નથી હોતો.
લોટો, ગંગાજળ વગેરે નો હોય છે. તો આ છે ભક્તિમાર્ગની મહિમા. આ છે ખોટું અને તે છે
સાચું. બાપ પહેલાં-પહેલાં તો જ્ઞાન નાં સાગર છે. બાળકોમાં થોડું પણ જ્ઞાન છે તો
બહુજ ઊંચું પદ પ્રાપ્ત કરે છે. બાળકો જાણે છે કે હવે આ સમયે અમે બરાબર ચૈતન્ય
દેલવાડા મંદિરનાં જેવાં છીએં. તે છે જડ દેલવાડા મંદિર અને આ છે ચૈતન્ય દેલવાડા. આ
પણ વન્ડર છે ને. જ્યાં જડ યાદગાર છે ત્યાં તમે ચૈતન્ય આવીને બેઠાં છો. પરંતુ મનુષ્ય
કાંઈ સમજે થોડી છે. આગળ ચાલીને સમજશે છે કે બરાબર આ ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય
વિશ્વ વિદ્યાલય) છે, અહીંયા ભગવાન ભણાવે છે. આનાથી મોટી યુનિવર્સિટી બીજી કોઈ હોઈ ન
શકે. અને આ પણ સમજશે કે આ તો બરાબર ચૈતન્ય દેલવાડા મંદિર છે. આ દેલવાડા મંદિર તમારું
એક્યુરેટ યાદગાર છે. ઉપર છતમાં સૂર્યવંશી-ચંદ્રવંશી છે, નીચે આદિદેવ આદિદેવી અને
બાળકો બેઠાં છે. આમનું નામ છે-બ્રહ્મા, પછી સરસ્વતી છે બ્રહ્માની પુત્રી. પ્રજાપિતા
બ્રહ્મા છે તો જરુર ગોપ-ગોપીઓ પણ હશે ને. તે છે જડ ચિત્ર. જે ભૂતકાળમાં થઈને ગયા છે
તેમનાં પછી ચિત્ર બનેલાં છે. કોઈ મરે છે તો ઝટ તેમનું ચિત્ર બનાવી દે છે, તેમની
પોઝિશન (પદ), બાયોગ્રાફી (જીવનચરિત્ર) ની તો ખબર છે નહીં. ઓક્યુપેશન (કર્તવ્ય) ન લખે
તો તે ચિત્ર કોઈ કામનું ન રહે. ખબર પડે છે ફલાણાએ આ-આ કર્તવ્ય કર્યું છે. હવે આ જે
દેવતાઓનાં મંદિર છે, તેમનાં ઓક્યુપેશન, બાયોગ્રાફીની કોઈને ખબર નથી .ઊંચેથી ઊંચા
શિવબાબા ને કોઈ પણ જાણતા નથી. આ સમયે આપ બાળકો બધાની બાયોગ્રાફીને જાણો છો. મુખ્ય
કોણ-કોણ થઈને ગયાં છે જેમને પૂજે છે? ઊંચેથી ઊંચા છે ભગવાન. શિવરાત્રી પણ મનાવે છે
તો જરુર એમનું અવતરણ થયું છે, પરંતુ ક્યારે થયું, એમને શું આવીને કર્યું-આ કોઈને પણ
ખબર નથી. શિવની સાથે છે જ બ્રહ્મા. આદિદેવ અને આદિદેવી કોણ છે, તેમને આટલી ભુજાઓ
કેમ આપી છે? કારણકે વૃદ્ધિ તો થાય છે ને. પ્રજાપિતા બ્રહ્મા થી કેટલી વૃદ્ધિ થાય
છે. બ્રહ્માનાં માટે જ કહે છે-૧૦૦ ભુજાઓ, હજાર ભુજાઓ વાળા. વિષ્ણુ કે શંકરનાં માટે
આટલી ભુજાઓ નહીં કહેશે. બ્રહ્માનાં માટે કેમ કહે છે? આ પ્રજાપિતા બ્રહ્માની જ બધી
વંશાવલી છે ને. આ કોઈ બાહોની વાત નથી. તેઓ ભલે કહે છે હજાર ભુજાઓ વાળા બ્રહ્મા,
પરંતુ અર્થ થોડી સમજે છે. હવે તમે પ્રેકટિકલમાં જુઓ બ્રહ્માની કેટલી ભુજાઓ છે. આ છે
બેહદની ભુજાઓ. પ્રજાપિતા બ્રહ્માને તો બધાં માને છે પરંતુ ઓક્યુપેશન ને નથી જાણતાં.
આત્માની તો બાહો નથી હોતી, બાહો શરીરની હોય છે. આટલાં કરોડ બ્રધર્સ (ભાઈઓ) છે તો
તેમની ભુજાઓ કેટલી થઈ? પરંતુ પહેલાં જ્યારે કોઇ પૂરી રીતે જ્ઞાનને સમજી જાય, ત્યાર
પછી આ વાતો સંભળાવવાની છે. પહેલી-પહેલી મુખ્ય વાત છે એક, બાપ કહે છે મને યાદ કરો અને
વારસાને યાદ કરો પછી જ્ઞાન નાં સાગર પણ ગાયેલું છે. કેટલાં અથાહ પોઇન્ટસ સંભળાવે
છે. આટલી બધાં પોઇન્ટસ તો યાદ રહી ન શકે. તંત (સાર) બુદ્ધિમાં રહી જાય છે. અંતમાં
તંત થઈ જાય છે-મનમનાભવ.
જ્ઞાન સાગર કૃષ્ણને નહીં કહેશે. તે છે રચના. રચતા એક જ બાપ છે. બાપ જ સર્વને વારસો
આપશે, ઘરે લઈ જશે. બાપનું તથા આત્માઓનું ઘર છે જ સાઈલેન્સ હોમ (શાંતિધામ).
વિષ્ણુપુરીને બાપનું ઘર નહીં કહેશે. ઘર છે મૂળવતન, જ્યાં આત્માઓ રહે છે. આ બધી વાતો
સેન્સિબુલ (સમજદાર) બાળકો જ ધારણ કરી શકે છે. આટલું બધું જ્ઞાન કોઈની બુદ્ધિમાં યાદ
રહી ન શકે. ન આટલાં કાગળ લખી શકાય છે. આ મુરલીઓ પણ બધીજ ભેગી કરતાં જાય તો આ આખાં
હોલ (ઓરડા) થી પણ વધારે થઈ જાય. તે ભણતરમાં પણ કેટલી બધી પુસ્તકો હોય છે. પરીક્ષા
પાસ કરી લીધી પછી તંત બુદ્ધિમાં બેસી જાય છે. બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી લીધી, એક
જન્મ માટે અલ્પકાળનું સુખ મળી જાય છે. તે છે વિનાશી કમાણી. તમને તો આ બાપ અવિનાશી
કમાણી કરાવે છે-ભવિષ્યનાં માટે. બાકી જે પણ ગુરુ-ગોસાઈ વગેરે છે તે બધાં વિનાશી
કમાણી કરાવે છે. વિનાશનાં નજીક આવતાં જાય છે, કમાણી ઓછી થતી જાય છે. તમે કહેશો કમાણી
તો વધતી જાય છે, પરંતુ નહીં. આ તો બધું ખતમ થઇ જવાનું છે. પહેલાં રાજાઓ વગેરેની
કમાણી ચાલતી હતી. હવે તો તે પણ નથી. તમારી કમાણી તો કેટલો સમય ચાલે છે. તમે જાણો છો
આ બન્યો-બનાવેલ ડ્રામા છે, જેને દુનિયામાં કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર છે,
જેમની ધારણા હોય છે. ઘણાં તો બિલકુલ કાંઈ પણ સમજાવી નથી શકતાં. કોઈ કહે છે અમે
મિત્ર-સંબંધીઓ વગેરેને સમજાવીએ છીએ, તે પણ તો અલ્પકાળ થયું ને. બીજાઓને પ્રદર્શની
વગેરે કેમ નથી સમજાવતાં? પૂરી ધારણા નથી. પોતાને મિયામીઠ્ઠૂ તો નથી સમજવાનું ને.
સર્વિસ (સેવા) નો શોખ છે તો જે સારી રીતે સમજાવે છે, તેમનું સાંભળવું જોઈએ. બાપ ઊંચ
પદ પ્રાપ્ત કરાવવા આવ્યાં છે તો પુરુષાર્થ કરવો જોઈએ ને. પરંતુ તકદીરમાં નથી તો
શ્રીમત પણ નથી માનતા, પછી પદ ભ્રષ્ટ થઈ જાય છે. ડ્રામા પ્લાન અનુસાર રાજધાની સ્થાપન
થઈ રહી છે. તેમાં તો બધાં પ્રકારનાં જોઈએ ને. બાળકો સમજી શકે છે કોઈ સારી પ્રજા
બનવાવાળા છે, કોઈ ઓછી. બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડવાં આવ્યો છું. દેલવાડા
મંદિરમાં રાજાઓના ચિત્ર છે ને. જે પૂજ્ય બને છે તે પછી પૂજારી બને છે. રાજા-રાણીનું
પદ તો ઊંચુ છે ને. પછી વામમાર્ગ આવે છે ત્યારે પણ રાજાઈ અથવા મોટાં-મોટાં સાહૂકાર
તો છે. જગન્નાથનાં મંદિરમાં બધાને તાજ દેખાડયાં છે. પ્રજાને તો તાજ નહીં હોય. તાજ
વાળા રાજાઓ પણ વિકારમાં દેખાડે છે. સુખ સંપત્તિ તો તેમને ખુબ હશે. સંપત્તિ ઓછી વધારે
તો હોય છે. હીરાનાં મહેલ અને ચાંદીનાં મહેલમાં ફરક તો હોય છે. તો બાપ બાળકોને
કહેશે-સારો પુરુષાર્થ કરી ઊંચ પદ પામો. રાજાઓને સુખ વધારે હોય છે, ત્યાં બધાં સુખી
હોય છે. જેમ અહીંયા બધાંને દુઃખ છે, બીમારી વગેરે તો બધાંને હોય જ છે. ત્યાં સુખ જ
સુખ છે, છતાં પણ પદ તો નંબરવાર છે. બાપ સદેવ કહે છે પુરુષાર્થ કરતાં રહો, સુસ્ત નહીં
બનો. પુરુષાર્થ થી સમજાઈ જાય છે ડ્રામા અનુસાર આમની સદ્દગતિ આ પ્રકારે આટલી જ થાય
છે.
પોતાની સદ્દગતિ માટે શ્રીમત પર ચાલવાનું છે. શિક્ષકની મત પર સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
ન ચાલે તો કોઈ કામ નાં નહીં. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો બધાં છે. જો કોઈ કહે કે
અમે આ નહીં કરી શકીએ તો બાકી શું શીખશે! શીખીને હોશિયાર થવું જોઈએ, જે કોઈપણ કહે આ
સમજાવે તો બહુજ સારું છે પરંતુ આત્મા જીવતે જીવ મરીને એક બાપની બને, બીજું કોઈ યાદ
ન આવે, દેહ-અભિમાન છૂટી જાય-આ છે ઊંચી મંજિલ. બધું જ ભૂલવાનું છે. પૂરી દેહી-અભિમાની
અવસ્થા બની જાય-આ મોટી મંજિલ છે. ત્યાં આત્માઓ છે જ અશરીરી પછી અહીંયા આવીને દેહ
ધારણ કરે છે. હવે ફરી અહીંયા આ દેહમાં હોવા છતાં સ્વયંને અશરીરી સમજવાનું છે. આ
મહેનત ઘણી ભારે છે. સ્વયં ને આત્મા સમજી કર્માતીત અવસ્થામાં રહેવાનું છે. સાપને પણ
અક્કલ છે ને-જૂની ખાલ છોડી દે છે. તો તમારે દેહ-અભિમાનથી કેટલું નીકળવાનું છે.
મૂળવતનમાં તો તમે છો જ દેહી-અભિમાની. અહીંયા દેહમાં રહેતા સ્વયંને આત્મા સમજવાનું
છે. દેહ-અભિમાન તુટી જવું જોઈએ. કેટલી ભારે પરીક્ષા છે. ભગવાને સ્વયં આવીને ભણાવવું
પડે છે. આવું બીજા કોઈ કહી ન શકે કે દેહનાં સર્વ સંબંધ છોડી મારાં બનો, સ્વયંને
નિરાકાર આત્મા સમજો. કોઈપણ ચીજનું ભાન ન રહે. માયા એક-બીજાનાં દેહમાં બહુજ ફસાવે છે
એટલે બાબા કહે છે આ સાકારને પણ યાદ નથી કરવાનાં. બાબા કહે છે તમારે તો પોતાનાં દેહને
પણ ભૂલવાનું છે, એક બાપને યાદ કરવાનાં છે. આમાં ખુબ મહેનત છે. માયા સારા-સારા
બાળકોને પણ નામ-રુપ માં લટકાવી દે છે. આ આદત બહું ખરાબ છે. શરીરને યાદ કરવું-આતો
ભૂતોની યાદ થઈ ગઈ. અમે કહીએ છીએ એક શિવબાબાને યાદ કરો. તમે પછી ૫ ભૂતોને યાદ કરતાં
રહો છો. દેહ થી બિલકુલ લગાવ ન હોવો જોઈએ. બ્રાહ્મણી થી પણ શીખવાનું છે, ન કે તેમનાં
નામ-રુપમાં લટકવાનું છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. બાબાની પાસે ભલે ચાર્ટ
બહુજ બાળકો મોકલી દે છે પરંતુ બાબા તેનાં પર વિશ્વાસ નથી કરતાં. કોઈ તો કહે છે અમે
શિવબાબાનાં સિવાય બીજા કોઈને યાદ નથી કરતાં, પરંતુ બાબા જાણે છે - પાઈ પણ યાદ નથી
કરતાં. યાદની તો ખુબ મહેનત છે. ક્યાંક ને ક્યાંક ફસાઇ જાય છે. દેહધારી ને યાદ કરવાં,
આ તો ૫ ભૂતોની યાદ છે. આને ભૂત પૂજા કહેવાય છે. ભૂત ને યાદ કરે છે. અહીંયા તો તમારે
એક શિવબાબા ને યાદ કરવાનાં છે. પૂજા ની તો વાત નથી. ભક્તિનું નામ-નિશાન ખોવાઈ જાય
છે પછી ચિત્રોને શું યાદ કરવાનાં છે. તે પણ માટીનાં બનેલાં છે. બાપ કહે છે આ પણ બધું
ડ્રામામાં નોંધ છે. હવે ફરી તમને પૂજારી થી પૂજ્ય બનાવું છું. કોઈ પણ શરીરને યાદ નથી
કરવાનાં, સિવાય એક બાપનાં. આત્મા જ્યારે પાવન બની જશે તો પછી શરીર પણ પાવન મળશે.
હમણાં તો આ શરીર પાવન નથી. પહેલાં આત્મા જ્યારે સતોપ્રધાન થી સતો, રજો, તમોમાં આવે
છે તો શરીર પણ તે અનુસાર મળે છે. હવે તમારી આત્મા પાવન બનતી જશે પરંતુ શરીર હમણાં
પાવન નહીં થશે. આ સમજવાની વાતો છે. આ પોઇન્ટસ પણ તેમની બુદ્ધિમાં બેસશે જે સારી રીતે
સમજીને સમજાવતા રહે છે. સતોપ્રધાન આત્માએ બનવાનું છે. બાપને યાદ કરવાની જ ખુબ મહેનત
છે. ઘણાંને તો જરા પણ યાદ નથી રહેતી. પાસ વિથ ઓનર બનવાનાં માટે બુદ્ધિયોગ થોડો પણ
ક્યાંય ન ભટકે. એક બાપ ની જ યાદ રહે. પરંતુ બાળકોનો બુદ્ધિયોગ ભટકતો રહે છે. જેટલું
અનેકોને આપ સમાન બનાવશો એટલું જ પદ મળશે. દેહને યાદ કરવાવાળા ક્યારેય ઊંચું પદ પામી
ન શકે. અહીંયા તો પાસ વિથ ઓનર થવાનું છે. મહેનત વગર આ પદ કેવી રીતે મળશે! દેહને યાદ
કરવાવાળા કાંઈ પુરુષાર્થ નથી કરી શકતા. બાપ કહે છે પુરુષાર્થ કરવાવાળાને ફોલો (અનુકરણ)
કરો. આ પણ પુરુષાર્થી છે ને.
આ બહુજ વિચિત્ર જ્ઞાન છે. દુનિયામાં કોઈને પણ ખબર નથી. કોઈની પણ બુદ્ધિમાં નહીં બેસે
કે આત્માનું પરિવર્તન કેવી રીતે છે. આ બધી ગુપ્ત મહેનત છે. બાબા પણ ગુપ્ત છે. તમે
રાજાઈ કેવી રીતે પ્રાપ્ત કરો છો, લડાઈ-ઝઘડો કાંઈ પણ નથી. જ્ઞાન અને યોગની જ વાત છે.
આપણે કોઈથી લડતા નથી. આ તો આત્માને પવિત્ર બનાવવાનાં માટે મહેનત કરવાની છે. આત્મા
જેમ-જેમ પતિત બનતી જાય છે શરીર પણ પતિત લે છે પછી આત્માને પાવન બનીને જવાનું છે,
બહુજ મહેનત છે. બાબા સમજી શકે છે-કોણ-કોણ પુરુષાર્થ કરે છે! આ છે શિવબાબા નો ભંડારો.
શિવબાબા નાં ભંડારામાં તમે સર્વિસ (સેવા) કરો છો. સર્વિસ નહીં કરશો તો પાઈ પૈસાનું
પદ જઈને પામશો. બાપની પાસે સર્વિસનાં માટે આવ્યાં અને સર્વિસ નહીં કરી તો શું પદ
મળશે! આ રાજધાની સ્થાપન થઈ રહી છે, આમાં નોકર-ચાકર વગેરે બધાં બનશે ને. હમણાં તમે
રાવણ પર જીત પામો છો, બાકી બીજી કોઈ લડાઈ નથી. આ સમજાવાય છે, કેટલી ગુપ્ત વાત છે.
યોગબળ થી વિશ્વની બાદશાહી તમે લો છો. તમે જાણો છો આપણે પોતાનાં શાંતિધામનાં રહેવા
વાળા છીએ. આપ બાળકોને બેહદનું ઘર જ યાદ છે. અહિયાં આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએં પછી
જઈએ છે પોતાનાં ઘરે. આત્મા કેવી રીતે જાય છે આ પણ કોઈ સમજતાં નથી. ડ્રામા પ્લાન
અનુસાર આત્માઓને આવવાનું જ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
દેહધારી થી લગાવ નથી રાખવાનો. શરીરને યાદ કરવું પણ ભૂતોને યાદ કરવું છે, એટલે કોઈનાં
નામ-રુપ માં નથી લટકવાનું. પોતાનાં દેહને પણ ભૂલવાનું છે.
2. ભવિષ્યનાં માટે અવિનાશી કમાણી જમા કરવાની છે. સેન્સિબુલ બની જ્ઞાનની પોઇન્ટસ ને
બુદ્ધિમાં ધારણ કરવાની છે. જે બાપએ સમજાવ્યું છે તે સમજી ને બીજાને સંભળાવાનું છે.
વરદાન :-
સાચાં સાફ દિલ
નાં આધાર થી નંબરવન લેવા વાળા દિલારામ પસંદ ભવ
દિલારામ બાપને સાચાં
દિલવાળા બાળકો જ પસંદ છે. દુનિયાની બુદ્ધિ ન પણ હોય પરંતુ સાચું સાફ દિલ હોય તો
નંબરવન લઈ લેશે કારણ કે બુદ્ધિ તો બાપ એટલું મોટી આપી દે છે જેનાંથી રચયિતાને જાણવા
થી રચનાનાં આદિ, મધ્ય, અંત નાં નોલેજ ને જાણી લો છો. તો સાચાં સાફ દિલનાં આધાર થી જ
નંબર બને છે, સેવાનાં આધાર થી નહીં. સાચાં દિલની સેવાનો પ્રભાવ દિલ સુધી પહોંચે છે.
બુદ્ધિ વાળા નામ કમાય છે અને દિલવાળા દુવાઓ કમાય છે.
સ્લોગન :-
સર્વનાં પ્રતિ
શુભચિંતન અને શુભકામના રાખવી જ સાચો પરોપકાર છે.