12-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - યાદ માં રહેવાની પ્રેક્ટિસ ( અભ્યાસ ) કરો તો સદા હર્ષિતમુખ , ખીલેલાં રહેશો , બાપની મદદ મળતી રહેશે , ક્યારેય મૂરજાશો નહીં ”

પ્રશ્ન :-
આપ બાળકોએ આ ઈશ્વરીય વિદ્યાર્થી જીવન કયા નશામાં વિતાવવાનું છે?

ઉત્તર :-
સદા નશો રહે કે અમે આ ભણતરથી પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનીશું. આ જીવન હસતા-રમતા, જ્ઞાનનો ડાન્સ કરતા વિતાવવાનું છે. સદા વારિસ બની ફૂલ બનવાનો પુરુષાર્થ કરતા રહો. આ છે પ્રિન્સ-પ્રિન્સેસ બનવાની કોલેજ. અહીંયા ભણવાનું પણ છે તો ભણાવવાનું પણ છે, પ્રજા પણ બનાવવાની છે ત્યારે રાજા બની શકીશું. બાપ તો ભણેલા જ છે, એમને ભણવાની જરુર નથી.

ગીત :-
બચપન કે દિન ભૂલા ન દેના …..

ઓમ શાંતિ!
આ ગીત છે ખાસ બાળકોને માટે. ભલે છે ગીત ફિલ્મનું પરંતુ અમુક ગીત છે જ તમારે માટે. જે સપૂત બાળકો છે તેમને ગીત સાંભળતા સમયે એનો અર્થ પોતાના દિલમાં લઇ આવવો પડે છે. બાપ સમજાવે છે મારા લાડલા બાળકો, કારણકે તમે બાળકો બન્યા છો. જ્યારે બાળક બને ત્યારે તો બાપનાં વારસા ની પણ યાદ રહે. બાળક જ નથી બન્યા તો યાદ કરવા પડશે. બાળકોને સ્મૃતિ રહે છે અમે ભવિષ્યમાં બાબાનો વારસો લઈશું. આ છે જ રાજ્યોગ, પ્રજા યોગ નથી. આપણે ભવિષ્યમાં પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. આપણે તેમના બાળકો છીએં બાકી જે પણ મિત્ર-સંબંધી વગેરે છે તેમને ભૂલવું પડે. એક વગર બીજું કોઈ યાદ ન આવે. દેહ પણ યાદ ન આવે. દેહ-અભિમાન ને તોડી દેહી-અભિમાની બનવાનું છે. દેહ-અભિમાન માં આવવાથી જ અનેક પ્રકારનાં સંકલ્પ-વિકલ્પ ઊંધા પાડી દે છે. યાદ કરવાની પ્રેક્ટિસ કરતા રહેશો તો સદેવ હર્ષિતમુખ ખીલેલાં ફૂલ રહેશો. યાદને ભૂલવાથી ફૂલ મુરઝાઈ જાય છે. હિંમત બાળકો ની મદદ બાપ ની. બાળક જ નથી બન્યાં તો બાપ મદદ કઈ વાતની કરશે? કારણ કે તેમનાં માં-બાપ પછી છે રાવણ માયા, તો તેમનાંથી મદદ મળશે પડવાની. તો આ ગીત આખું આપ બાળકો પર બનેલું છે - બચપન કે દિન ભૂલા ન દેના…. બાપ ને યાદ કરવાનાં છે, યાદ નથી કરતાં તો જે આજે હસ્યાં કાલે પછી રોતા રહેશે. યાદ કરવાથી સદેવ હર્ષિત મુખ રહેશો. આપ બાળકો જાણો છો એક જ ગીતા શાસ્ત્ર છે, જેમાં કોઈ-કોઈ અક્ષર ઠીક છે. લખેલું છે કે યુદ્ધનાં મેદાન માં મરશો તો સ્વર્ગમાં જશો. પરંતુ એમાં હિંસક યુદ્ધની તો વાત જ નથી. આપ બાળકો એ બાપથી શક્તિ લઈને માયા પર જીત પામવાની છે. તો જરૂર બાપને યાદ કરવાં પડે ત્યારે જ તમે સ્વર્ગનાં માલિક બનશો. તેમણે પછી સ્થૂળ હથિયાર વગેરે બેસીને દેખાડયા છે. જ્ઞાન કટારી, જ્ઞાન બાણ અક્ષર સાંભળ્યા છે તો સ્થૂળ રૂપમાં હથિયાર આપી દીધા છે. હકીકતમાં છે આ જ્ઞાનની વાતો. બાકી આટલી ભુજાઓ વગેરે તો કોઈની હોતી નથી. તો આ છે યુદ્ધનું મેદાન. યોગમાં રહી શક્તિ લઈને વિકારો પર જીત પામવાની છે. બાપને યાદ કરવાથી વારસો યાદ આવશે. વારિસ જ વારસો લે છે. વારિસ નથી બનતા તો પછી પ્રજા બની જાય છે. આ છે જ રાજયોગ, પ્રજા યોગ નથી. આ સમજણ બાપનાં સિવાય કોઈ આપી ન શકે.

બાપ કહે છે મારે આ સાધારણ તનનો આધાર લઈ આવવુ પડે છે. પ્રકૃતિનો આધાર લીધા વગર આપ બાળકોને રાજયોગ કેવી રીતે શીખવાડું? આત્મા શરીર છોડી દે છે તો પછી કોઈ વાતચીત થઇ નથી શકતી. પછી જ્યારે શરીર ધારણ કરે, બાળક થોડો મોટો થાય ત્યારે બહાર નીકળે અને બુદ્ધિ ખુલે. નાના બાળકો તો હોય જ છે પવિત્ર, તેમનામાં વિકાર હોતા નથી. સન્યાસી લોકો સીડી ચઢીને પછી નીચે ઉતરે છે. પોતાના જીવનને સમજી શકે છે. બાળકો તો હોય છે જ પવિત્ર, એટલે જ બાળક અને મહાત્મા એક સમાન ગવાય છે. તો આપ બાળકો જાણો છો આ શરીર છોડીને અમે પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. પહેલાં પણ આપણે બન્યા હતા, હવે ફરી બનીએ છીએ. એવા-એવા વિચાર વિદ્યાર્થી ને રહે છે. આ પણ એમની બુદ્ધિમાં આવશે જે બાળકો હશે અને પછી વફાદાર, ફરમાનબરદાર થઈ શ્રીમત પર ચાલતા હશે. નહી તો શ્રેષ્ઠ પદ પામી ન શકે. શિક્ષક તો ભણેલા જ છે. એવું નથી કે એ ભણે છે અને પછી ભણાવે છે. ના, શિક્ષક તો ભણેલા જ છે. એમને નોલેજફુલ કહેવાય છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંતનું નોલેજ બીજું કોઈ નથી જાણતું. પહેલા તો નિશ્ચય જોઈએ એ બાપ છે. જો કોઈની તકદીરમાં નથી તો પછી અંદરમાં ખટપટ ચાલતી રહેશે. ખબર નહીં પડી શકશે. બાબાએ સમજાવ્યુ છે જ્યારે તમે બાપનાં ખોળામાં આવશો તો આ વિકારોની બીમારી વધારે જ જોર થી બહાર નીકળશે. વૈધ લોકો પણ કહે છે - બીમારી ઉથલ ખાશે. બાપ પણ કહે છે તમે બાળક બનશો તો દેહ-અભિમાનની અને કામ-ક્રોધ વગેરેની બીમારી વધશે. નહીં તો પરીક્ષા કેમ થાય? ક્યાંય પણ મૂંઝાઓ તો પૂછતા રહો. જ્યારે તમે રુસ્તમ બનો છો ત્યારે માયા ખુબજ પછાડે છે. તમે બોક્સિંગ માં છો. બાળક નથી બન્યા તો બોક્સિંગ ની વાત જ નથી. તેઓ તો પોતાનાં જ સંકલ્પો-વિકલ્પો માં ગોતા ખાય છે, ન કોઈ મદદ જ મળે છે. બાબા સમજે છે - મમ્મા-બાબા કહો છો તો બાપનાં બાળક બનવું પડે, પછી તે દિલમાં પાક્કું થઈ જાય છે કે આ અમારા રૂહાની બાપ છે. બાકી આ યુદ્ધનું મેદાન છે, એમાં ડરવાનું નથી કે ખબર નહિ તોફાનમાં રહી શકીશું કે નહીં? આને કમજોર કહેવાય છે. આમાં તો સિંહ બનવું પડે. પુરુષાર્થ નાં માટે સારી મત લેવી જોઈએ. બાપને પૂછવું જોઈએ. ઘણાં બાળકો પોતાની અવસ્થા લખીને મોકલે છે. બાપને જ સર્ટિફિકેટ આપવાનું છે. આમનાંથી ભલે છુંપાવો પરંતુ શિવબાબા થી તો છુપાઈ ન શકે. ઘણા છે જે છુંપાડે છે પરંતુ એમનાંથી કંઈ પણ છુપાય ન શકે. સારા નું ફળ સારું, ખરાબ નું ફળ ખરાબ હોય છે. સતયુગ-ત્રેતામાં તો બધુંજ સારું જ સારું હોય છે. સારા-ખરાબ, પાપ-પુણ્ય અહીંયા થાય છે. ત્યાં દાન-પુણ્ય પણ નથી કરાતું. છે જ પ્રાલબ્ધ. અહિયાં આપણે પુરા સરેન્ડર થઈએ છીએં તો બાબા ૨૧ જન્મોને માટે વળતર માં પણ આપી દે છે. ફોલો (અનુકરણ) ફાધર (બાપનું) કરવાનું છે. જો ઉલટા કામ કરશો તો નામ પણ બાપનું બદનામ કરશો એટલે શિક્ષા પણ દેવી પડે છે. રૂપ-વસંત પણ બધાને બનવાનું છે. આપણને આત્માઓને બાપએ ભણાવ્યા છે પછી વરસવાનું પણ છે. સાચાં બ્રાહ્મણો ને સાચી ગીતા સંભળાવવાની છે. બીજા કોઈ શાસ્ત્રો ની વાત નથી. મુખ્ય છે ગીતા. બાકી છે તેમના બાળ-બચ્ચા. તેનાંથી કોઈનું કલ્યાણ નથી થતું. મને કોઈ પણ નથી મળતું. હું જ આવીને ફરીથી સહજ જ્ઞાન, સહજ રાજયોગ શીખવાડું છું. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે, તેજ સાચી ગીતા દ્વારા વારસો મળે છે. કૃષ્ણને પણ ગીતા થી જ વારસો મળ્યો, ગીતાનાં પણ બાપ જે રચયિતા છે, એ બેસીને વારસો આપે છે. બાકી ગીતા શાસ્ત્ર થી વારસો નથી મળતો. રચયિતા છે એક, બાકી છે એમની રચના. પહેલા નંબરનું શાસ્ત્ર છે ગીતા તો પાછળ જે શાસ્ત્ર બને છે તેનાંથી પણ વારસો મળી ન સકે. વારસો મળે છે જ સમ્મુખ. મુક્તિનો વારસો તો બધાંને મળવાનો છે, બધાંને પાછા જવાનું છે. બાકી સ્વર્ગ નો વારસો મળે છે ભણવાથી. પછી કે જેટલું ભણશે. બાપ સમ્મુખ ભણાવે છે. જ્યાં સુધી નિશ્ચય નથી કે કોણ ભણાવે છે તો સમજશે શું? પ્રાપ્તિ શું કરી શકશે? તો પણ બાપથી સાંભળતા રહે છે તો જ્ઞાનનો વિનાશ નથી થતો. જેટલું સુખ મળશે પછી બીજાઓને પણ સુખ આપશે. પ્રજા બનાવશો તો પછી સ્વયં રાજા બની જશો.

આપણું છે વિદ્યાર્થી જીવન. હસતા-રમતા, જ્ઞાનનો ડાન્સ કરતા આપણે જઈને પ્રિન્સ બનીશું. વિદ્યાર્થી જાણે છે અમારે પ્રિન્સ બનવાનું છે તો ખુશી નો પારો ચઢશે. આ તો પ્રિન્સ-પ્રિન્સેસ ની કોલેજ છે. ત્યાં પ્રિન્સ-પ્રિન્સેસ ની અલગ કોલેજ હોય છે. વિમાનો માં ચઢીને જાય છે. વિમાન પણ ત્યાંના ફુલપ્રુફ હોય છે, ક્યારેય તૂટી ન શકે. ક્યારેય અકસ્માત થવાનો જ નથી, કોઈ પણ પ્રકારનો. આ બધી સમજવાની વાતો છે. એક તો બાપ થી પૂરો બુદ્ધિયોગ રાખવો પડે, બીજું બાપને બધાં સમાચાર દેવા પડે કે કોણ-કોણ કાંટા થી કળીઓ બન્યાં છે? બાપ થી પુરુ કનેક્શન રાખવું પડે, જે પછી શિક્ષક પણ ડાયરેક્શન આપતા રહે. કોણ વારિસ બની ફૂલ બનવાનો પુરુષાર્થ કરે છે? કાંટા થી કળી તો બન્યાં પછી ફૂલ ત્યારે બને જ્યારે બાળક બને. નહીં તો કળી નાં કળી રહેશે અર્થાત્ પ્રજામાં આવી જશે. હવે જે જેવો પુરુષાર્થ કરશે, એવું પદ પામશે. એવું નથી, એકના દોડવાથી આપણે એની પૂંછડી પકડી લઈશું. ભારતવાસી એવું સમજે છે. પરંતુ પુછડી પકડવાની તો વાત જ નથી, જે કરશે તે પામશે. જે પુરુષાર્થ કરશે, ૨૧ પેઢી તેની પ્રાલબ્ધ બનશે. ઘરડા તો જરૂર થશે. પરંતુ અકાળે મૃત્યુ નથી થતી. કેટલું શ્રેષ્ઠ પદ છે. બાપ સમજી જાય છે તેમની તકદીર ખૂલી છે, વારિસ બન્યા છે. હમણાં પુરુષાર્થી છે પછી રિપોર્ટ પણ કરે છે, બાબા આ-આ વિઘ્નો આવે છે, આ થાય છે. દરેકને પોતામેલ આપવાનો હોય છે. આટલી મહેનત બીજા કોઈ સત્સંગમાં નથી હોતી. બાબા તો નાનાં-નાનાં બાળકોને પણ સંદેશી બનાવી દે છે. લડાઈમાં સંદેશ લઈ જવાવાળા પણ જોઈએ ને. લડાઈનું આ મેદાન છે. અહીંયા તમે સમ્મુખ સાંભળો છો તો બહુંજ સારું લાગે છે, દિલ ખુશ થાય છે. બહાર ગયા અને બગલાઓ નો સંગ મળ્યો તો ખુશી ઉડી જાય છે. ત્યાં માયાની ધૂળ છે ને એટલે પાક્કું બનવું પડે.

બાબા કેટલા પ્રેમ થી ભણાવે છે, કેટલી સગવડ આપે છે. એવા પણ બહુજ છે જે સારું-સારું કહીને પછી ગુમ થઈ જાય છે, કોઈ વિરલા જ ઉભા રહી શકે છે. અહી તો જ્ઞાનનો નશો જોઈએ. દારૂ નો પણ નશો હોય છે ને. કોઈએ દેવાળું માર્યુ હોય અને દારૂ પીધો, જોરથી નશો ચઢ્યો તો સમજશે હું રાજાઓ નો રાજા છું. અહીંયા આપ બાળકોને રોજ જ્ઞાન અમૃતનો પ્યાલો મળે છે. ધારણ કરવાનાં માટે દિન-પ્રતિદિન પોઇન્ટ એવી મળતી રહે છે જે બુદ્ધિનું તાળું જ ખુલતું જાય છે એટલે મુરલી તો કેમેં પણ વાંચવાની છે. જેમ ગીતાનો રોજ પાઠ કરો છો ને. અહીંયા પણ રોજ બાપથી ભણવું પડે. પૂછવું જોઈએ મારી ઉન્નતિ નથી થતી, શું કારણ છે? આવીને સમજવું જોઈએ. આવશે પણ તે જેમને પૂરો નિશ્ચય છે કે એ આપણા બાપ છે. એવું નહીં, પુરુષાર્થ કરી રહ્યો છું-નિશ્ચય બુદ્ધિ થવાને માટે. નિશ્ચય તો એક જ હોય છે, તેમાં ટકાવારી નથી હોતી. બાપ એક છે, એમનાંથી વારસો મળે છે. અહીંયા હજારો ભણે છે તો પણ કહે નિશ્ચય કેવી રીતે કરું? તેમને કમબખ્ત કહેવાય છે. બખ્તાવર તે જે બાપને ઓળખી અને માની લે. કોઈ રાજા કહે અમારા ખોળાનો બાળક આવીને બનો તો તેમનાં ખોળામાં જવાથી જ નિશ્ચય થઈ જાય છે ને. એવું નહીં કહેશે કે નિશ્ચય કેવી રીતે થાય? આ છે જ રાજ્યોગ. બાપ તો સ્વર્ગ નાં રચયિતા છે સ્વર્ગ નાં માલિક બનાવે છે. નિશ્ચય નથી થતો તો તમારી તકદીરમાં જ નથી, બીજું કોઈ શું કરી શકે છે? નથી માનતા તો પછી તદબીર કેવી રીતે થઈ શકે? તે લંગડાતા જ ચાલશે. બેહદનાં બાપથી ભારતવાસીઓને કલ્પ-કલ્પ સ્વર્ગનો વારસો મળે છે. દેવતા હોય જ સ્વર્ગ માં છે. કળયુગ માં તો રાજાઈ છે નહીં. પ્રજાનું પ્રજા પર રાજ્ય છે. પતિત દુનિયા છે તો તેને પાવન દુનિયા બાપ નહીં કરશે તો કોણ કરશે? તકદીરમાં નથી તો પછી સમજતા નથી. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે. લક્ષ્મી-નારાયણ આ રાજાઈ ની પ્રાલબ્ધ ક્યારે પામ્યા? જરુર આગળનાં જન્મોનાં કર્મ છે ત્યારે જ પ્રાલબ્ધ પામ્યાં છે. લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક હતા, હમણાં નર્ક છે તો આવાં શ્રેષ્ઠ કર્મ અથવા રાજયોગ સિવાય બાપ નાં બીજું કોઈ શીખવાડી ન શકે. હમણાં બધાંનો અંતિમ જન્મ છે. બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે. દ્વાપરમાં થોડી રાજ્યોગ શિખવાડશે. દ્વાપર પછી સતયુગ થોડી આવશે. અહિયાં તો બહુજ સારી રીતે સમજીને જાય છે. બહાર જવાથી જ ખાલી થઈ જાય છે જેમકે ડબ્બીમાં ઠીકરી રહી જાય છે, રત્નો નિકળી જાય છે. જ્ઞાન સાંભળતા-સાંભળતા પછી વિકારમાં પડયા તો ખલાસ. બુદ્ધિથી જ્ઞાન રત્નોની સફાઈ થઈ જાય છે. એવું પણ ઘણા લખે છે - બાબા, મહેનત કરતા-કરતા પછી આજે પડી ગયા. પડ્યા એટલે પોતાને અને કુળને કલંક લગાવ્યો, તકદીર ને લકીર લગાવી દીધી. ઘરમાં પણ બાળકો જો એવા કોઈ અકર્તવ્ય કરે છે તો કહે છે આવા બાળકો કરતા મુવા (મરેલા) ભલા. તો આ બેહદનાં બાપ કહે છે કુળ કલંકિત નહિ બનો. જો વિકારોનું દાન આપીને પછી પાછું લીધું તો પદ ભ્રષ્ટ થઈ જશે. પુરુષાર્થ કરવાનો છે, જીત પામવાની છે. માર લાગે છે તો ઉભા થઇ જાઓ. ઘડી-ઘડી માર ખાતા રહેશો તો હાર ખાઈને બેહોશ થઈ જશો. બાપ સમજાવે તો ખુબજ છે પરંતુ કોઈ રહે પણ. માયા બહુજ હોશિયાર છે. પવિત્રતાનું પ્રણ કરી લીધું, જો પછી પડી જાઓ છો તો માર ખુબ જોરથી લાગી જાય છે. બેડો પાર થાય જ છે પવિત્રતાથી. પવિત્રતા હતી તો ભારતનો સિતારો ચમકતો હતો. હમણા તો ઘોર અંધકાર છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) આ યુદ્ધનાં મેદાનમાં માયાથી ડરવાનું નથી, બાપથી પુરુષાર્થ નાં માટે સારી મત લઈ લેવાની છે. વફાદાર, ફરમાનબરદાર બની શ્રીમત પર ચાલતા રહેવાનું છે.

૨) રુહાની નશામાં રહેવાને માટે જ્ઞાન અમૃતનો પ્યાલો રોજ પીવાનો છે. મુરલી રોજ વાંચવાની છે. તકદીરવાન (બખ્તાવર) બનવાને માટે બાપમાં ક્યારેય સંશય ન આવે.

વરદાન :-
શાંતિની શક્તિ નાં સાધનો દ્વારા વિશ્વને શાંત બનાવવા વાળા રુહાની શસ્ત્રધારી ભવ

શાંતિની શક્તિ નું સાધન છે શુભ સંકલ્પ, શુભ ભાવના અને નયનોની ભાષા છે. જેમ મુખની ભાષા દ્વારા બાપનો અથવા રચનાનો પરિચય આપો છો, એવી રીતે શાંતિની શક્તિનાં આધાર પર નયનોની ભાષાથી નયનો દ્વારા બાપનો અનુભવ કરાવી શકો છો. સ્થૂળ સેવાનાં સાધનોથી વધારે શાંતિની શક્તિ અતિ શ્રેષ્ઠ છે. રુહાની સેનાનું આજ વિશેષ શસ્ત્ર છે - આ શસ્ત્ર દ્વારા અશાંત વિશ્વ ને શાંત બનાવી શકો છો.

સ્લોગન :-
નિર્વિઘ્ન રહેવું અને નિર્વિઘ્ન બનાવવું - આજ સાચી સેવા નું સબૂત છે.