21-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદમાં
રહીને દરેક કર્મ કરો તો અનેકોને તમા રા સાક્ષાત્કાર થતાં રહેશે ”
પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ
વિધિથી પોતાનાં હૃદયને શુદ્ધ (પવિત્ર) બનાવી શકાય છે?
ઉત્તર :-
યાદમાં રહીને ભોજન બનાવો અને યાદમાં ખાઓ તો હૃદય શુદ્ધ થઇ જશે. સંગમયુગ પર આપ
બ્રાહ્મણો દ્વારા બનાવેલું પવિત્ર બ્રહ્માભોજન દેવતાઓને પણ બહુ જ પસંદ છે. જેમને
બ્રહ્મા ભોજનની કદર હોય છે તેઓ થાળી ધોઈને પણ પી લે છે. મહિમા બહુ જ છે. યાદમાં
બનાવેલું ભોજન ખાવાથી તાકાત મળે છે, હૃદય શુદ્ધ થઈ જાય છે.
ઓમ શાંતિ!
સંગમપર જ બાપ
આવે છે. રોજ બાળકોને કહેવું પડે છે કે રુહાની બાપ રુહાની બાળકોને સમજાવી રહ્યા છે.
એવું કેમ કહે છે કે બાળકો સ્વયંને આત્મા સમજો? બાળકોને આ યાદ રહે બરાબર બેહદનાં બાપ
છે, આત્માઓને ભણાવે છે. સર્વિસ (સેવા) માટે ભિન્ન-ભિન્ન પોઇન્ટ (મુદ્દાઓ) પર સમજાવે
છે. બાળકો કહે છે સર્વિસ નથી, અમે બહાર સર્વિસ કેવી રીતે કરીએ? બાપ સર્વિસની
યુક્તિઓ તો બહુજ સહજ બતાવે છે. ચિત્ર હાથમાં હોય. રઘુનાથ નું કાળું ચિત્ર પણ હોય,
ગોરું પણ હોય. કૃષ્ણનું અથવા નારાયણનું ચિત્ર ગોરું પણ હોય, કાળું પણ હોય. ભલે નાનાં
ચિત્ર જ હોય. કૃષ્ણનું એકદમ નાનું ચિત્ર પણ બનાવે છે. તમે મંદિરનાં પૂજારીને પૂછી
શકો છો - આમને કાળા કેમ બનાંવ્યા છે જ્યારે અસલ ગોરા હતા? હકીકતમાં તો શરીર કાળું
નથી હોતું ને. તમારી પાસે બહુજ સારા ગોરા-ગોરા પણ રહે છે, પરંતુ આમને કાળા કેમ
બનાવ્યા છે? આ તો આપ બાળકોને સમજાવ્યું છે. આત્મા કેવી રીતે ભિન્ન-ભિન્ન નામ રુપ
ધારણ કરતાં નીચે ઉતરે છે. જ્યારથી કામ ચિતા પર ચઢે છે ત્યારથી કાળી બનતી જાય છે.
જગન્નાથ અથવા શ્રીનાથ દ્વારામાં બહુ જ યાત્રી હોય છે, તમને નિમંત્રણ પણ મળે છે. બોલો
અમે શ્રીનાથનાં ૮૪ જન્મોની જીવન કહાની સંભળાવીએ છીએ. ભાઈઓ અને બહેનો આવીને સાંભળો.
આવું ભાષણ તો બીજું કોઈ કરી ન શકે. તમે સમજાવી શકો છો આ કાળા કેમ બન્યાં છે? દરેકને
પાવન થી પતિત જરુર બનવાનું છે. દેવતાઓ જ્યારે વામમાર્ગમાં ગયા છે ત્યારથી એમને કાળા
બનાવ્યા છે. કામ ચિતા પર બેસવાથી આઈરન એજ (લોહયુગ) બની જાય છે. લોખંડનો કલર કાળો
હોય છે, સોનાનો ગોલ્ડન, એમને કહેશે ગોરા. તેઓ જ પછી ૮૪ જન્મો બાદ કાળા બને છે. સીડી
નું ચિત્ર પણ જરુર હાથમાં હોય. સીડી પણ મોટી હોય તો કોઈપણ દૂરથી જોઈ સકશે સારી રીતે.
અને તમે સમજાવશો કે ભારતની આ ગતિ છે. લખેલું પણ છે ઉત્થાન અને પતન. બાળકોને સેવાનો
બહુ જ શોખ હોવો જોઈએ. સમજાવવાનું છે આ દુનિયાનું ચક્ર કેવી રીતે ફરે છે, ગોલ્ડન એજ
(સ્વર્ણિમયુગ), સિલ્વર એજ (રજતયુગ), કોપર એજ (તાંબાયુગ)..... પછી આ પુરુષોત્તમ
સંગમયુગ પણ દેખાડવાનો છે. ભલે વધારે ચિત્રો નહીં ઉઠાઓ. સીડીનું ચિત્ર તો મુખ્ય છે
ભારત માટે. તમે સમજાવી શકો છો હવે ફરીથી પતિત થી પાવન તમે કેવી રીતે બની શકો છો.
પતિત-પાવન તો એક જ બાપ છે. એમને યાદ કરવાથી સેકન્ડમાં જીવનમુક્તિ મળે છે. આપ બાળકોમાં
આ બધું જ્ઞાન છે. બાકી તો બધાં અજ્ઞાનની નિંદ્રામાં સૂતેલા પડ્યા છે. ભારત જ્ઞાનમાં
હતું તો બહુ જ ધનવાન હતું. હમણાં ભારત અજ્ઞાનમાં છે તો કેટલું કંગાળ છે. જ્ઞાની
મનુષ્ય અને અજ્ઞાની મનુષ્ય હોય છે ને. દેવી-દેવતા અને મનુષ્ય તો નામીગ્રામી છે.
દેવતાઓ સતયુગ-ત્રેતામાં, મનુષ્ય દ્વાપર-કળયુગમાં. બાળકોની બુદ્ધિમાં સદૈવ રહેવું
જોઈએ સેવા કેવી રીતે કરીએ? એ પણ બાપ સમજાવતાં રહે છે. સીડીનું ચિત્ર સમજાવવા માટે
બહુ જ સરસ છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહો. શરીર નિર્વાહ માટે ધંધો વગેરે તો
કરવાનો જ છે. શરીરની વિદ્યા પણ ભણવાની છે. બાકી જે સમય મળે તો સેવા માટે વિચાર કરવો
જોઈએ - અમે બીજાનું કલ્યાણ કેવી રીતે કરીએ? અહીંયા તો તમે અનેકોનું કલ્યાણ નથી કરી
શકતા. અહીંયા તો આવો જ છો બાપની મુરલી સાંભળવા. આમાં જ જાદુ છે. બાપને જાદુગર કહે
છે ને. ગાએ પણ છે મુરલી માં તારી જાદુગરી. તમારા મુખથી જે મુરલી વાગે છે તેમાં જાદુ
છે. મનુષ્યથી દેવતા બની જાય છે. આવા કોઇ જાદુગર હોતા નથી સિવાય બાપનાં. ગાયન પણ છે
મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર. જૂની દુનિયાથી નવી દુનિયા થવાની જરુર છે. જૂની
નો વિનાશ પણ જરુર થવાનો છે. આ સમયે તમે રાજયોગ શીખો છો તો જરુર રાજા પણ બનવાનું છે.
હમણા તમે બાળકો સમજો છો ૮૪ જન્મોનાં પછી ફરી પહેલો નંબર જન્મ જોઈએ કારણકે વર્લ્ડની
(દુનિયાની) હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ થાય છે. સતયુગ-ત્રેતા જે પણ થઇ ને ગયા છે સો ફરી
રીપીટ થવાનાં છે જરુર.
તમે અહીંયા બેઠા છો તો પણ બુદ્ધિમાં આ યાદ કરવાનું છે કે અમે પાછા જઈએ છીએ ફરી
સતોપ્રધાન દેવી-દેવતા બનીએ છીએ. તેમને દેવતા કહેવાય છે. હમણાં મનુષ્યોમાં દૈવીગુણ
નથી. તો સર્વિસ તમે ક્યાંય પણ કરી શકો છો. કેટલો પણ ધંધો વગેરે હોય, ગૃહસ્થ
વ્યવહારમાં રહેતાં પણ કમાણી કરતા રહેવાનું છે. આમાં મુખ્ય વાત છે પવિત્રતાની.
પવિત્રતા છે તો સુખ-શાંતિ છે સંપન્નતા છે. પ્યોર (પવિત્ર) બની ગયા તો પછી અહીંયા નથી
રહી શકતા કારણ કે આપણે શાંતિધામ જરુર જવાનું છે. આત્મા પ્યોર બની ગઈ તો પછી આત્માને
આ જૂનાં શરીરની સાથે નથી રહેવાનું. આ તો ઈમપ્યોર (અપવિત્ર) છે ને. ૫ તત્વ જ ઈમપ્યોર
(અપવિત્ર) છે. શરીર પણ આનાંથી જ બને છે. આને માટીનું પૂતળું કહેવાય છે. ૫ તત્વોનું
શરીર એક ખતમ થાય છે, બીજું બને છે. આત્મા તો છે જ. આત્મા કોઈ બનવાની ચીજ નથી. શરીર
પહેલા કેટલું નાનુ પછી કેટલું મોટું થાય છે. કેટલા ઓર્ગન (અંગો) મળે છે જેનાંથી
આત્મા બધો પાર્ટ ભજવે છે. આ દુનિયા જ વન્ડરફુલ છે. બધાંથી વન્ડરફુલ છે બાપ, જે
આત્માઓ ને પરિચય આપે છે. આપણે આત્મા કેટલી નાની છીએ. આત્મા પ્રવેશ કરે છે. દરેક ચીજ
વન્ડરફુલ છે. પશુઓનાં શરીર વગેરે કેવી રીતે બને છે, વન્ડર છે ને. આત્મા તો બધામાં
એજ નાની છે. હાથી કેટલો મોટો છે, તેનામાં આટલી નાની આત્મા જઈને બેસે છે. બાપ તો
મનુષ્ય જન્મની વાત સમજાવે છે. મનુષ્ય કેટલા જન્મ લે છે? ૮૪ લાખ જન્મ તો છે નહીં.
સમજાવ્યું છે જેટલા ધર્મ છે. એટલી વેરાઈટી (વિવિધતા) બને છે. દરેક આત્મા કેટલા ફીચર
(લક્ષણ) નાં શરીર લે છે, વન્ડર છે ને. પછી જ્યારે ચક્ર રિપીટ થાય છે, દરેક જન્મમાં
ફીચર, નામ, રુપ વગેરે બદલાઈ જાય છે. એવું નહીં કહેશે કૃષ્ણ કાળા, કૃષ્ણ ગોરા. નહી,
તેમની આત્મા પહેલા ગોરી હતી પછી ૮૪ જન્મ લેતા-લેતા કાળી બને છે. તમારી પણ આત્મા
ભિન્ન-ભિન્ન ફીચર, ભિન્ન-ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે છે. આપણ ડ્રામા છે. આપ બાળકોને
ક્યારેય પણ કોઈ ચિંતા ન થવી જોઈએ. બધાં એક્ટર્સ છે. એક શરીર છોડીને બીજું લઈને ફરી
પાર્ટ ભજવવાનો જ છે. દરેક જન્મમાં સંબંધ વગેરે બદલાઈ જાય છે. તો બાપ સમજાવે છે આ
બન્યો-બનાવેલ ડ્રામા છે. આત્મા જ ૮૪ જન્મ લેતા-લેતા તમોપ્રધાન બની છે, હવે ફરી
આત્માને સતોપ્રધાન બનવાનું છે. પાવન તો જરુર બનવાનું છે. પાવન સૃષ્ટિ હતી, હવે પતિત
છે ફરી પાવન થવાની છે. સતોપ્રધાન, તમોપ્રધાન અક્ષર તો છે ને. સતોપ્રધાન સૃષ્ટિ, પછી
સતો, રજો, તમો સૃષ્ટિ. હમણાં જે તમોપ્રધાન બન્યાં છે તે ફરી સતોપ્રધાન કેવી રીતે બને?
પતિત થી પાવન કેવી રીતે બને, વરસાદનાં પાણીથી તો પાવન નહીં બનશે. વરસાદથી તો
મનુષ્યોનું મોત પણ થઈ જાય છે. ફલડ્સ (પુર) આવી જાય છે તો કેટલાં ડૂબી જાય છે. હવે
બાપ સમજાવતા રહે છે આ બધાં ખંડ નહીં રહેશે. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ મદદ
આપશે, કેટલા બધાં મનુષ્ય, જાનવર વગેરે વહી જાય છે. એવું નથી કે પાણી થી પાવન બની
જાય છે, તે તો શરીર ચાલ્યું જાય છે. શરીરોને તો પતિત થી પાવન નથી બનવાનું. પાવન
બનવાનું છે આત્માને. સો પતિત-પાવન તો એક બાપ જ છે. ભલે તેઓ જગત ગુરુ કહેવાય છે પરંતુ
ગુરુનું તો કામ છે સદ્દ્ગતિ આપવી, તે તો એક જ બાપ સદ્દ્ગતિ દાતા છે. બાપ સદ્દગુરુ જ
સદ્દ્ગતિ આપે છે. બાપ સમજાવતા તો બહુ જ રહે છે, આ (બ્રહ્મા) પણ સાંભળે છે ને. ગુરુ
લોકો પણ બાજુમાં શિષ્યને બેસાડે છે શીખવાડવા માટે. આ પણ તેમનાં બાજુમાં બેસે છે.
બાપ સમજાવે છે તો આ પણ સમજાવતા હશે ને એટલે ગુરુ બ્રહ્મા નંબરવન માં આવે છે. શંકરનાં
માટે તો કહે છે આંખ ખોલવા થી ભસ્મ કરી દે છે પછી તેમને તો ગુરુ ન કહેવાય. ફરી પણ
બાપ કહે છે બાળકો મામેકમ યાદ કરો. ઘણાં બાળકો કહે છે - આટલાં ધંધા-દોરીની ફિકર માં
રહેતાં, અમે સ્વયંને આત્મા સમજી બાપને કેવી રીતે યાદ કરીએ? બાપ સમજાવે છે
ભક્તિમાર્ગમાં પણ તમે - હેં ઈશ્વર, હેં ભગવાન કહી યાદ કરો છો ને. યાદ ત્યારે કરો છો
જ્યારે કોઈ દુઃખ હોય છે. મરવાનાં સમયે પણ કહો છો રામ-રામ બોલો. ઘણી સંસ્થાઓ છે જે
રામ નામનું દાન દે છે. જેમ તમે જ્ઞાનનું દાન આપો છો તેઓ પછી કહે છે રામ બોલો, રામ
બોલો. તમે પણ કહો છો શિવબાબા ને યાદ કરો. તેઓ તો શિવને જાણતા જ નથી. આમજ રામ-રામ કહી
દે છે. હવે આ પણ કેમ કહે છે કે રામ કહો, જ્યારે પરમાત્મા બધામાં છે? બાપ બેસીને
સમજાવે છે રામ અથવા કૃષ્ણને પરમાત્મા ન કહેવાય. કૃષ્ણને પણ દેવતા કહે છે. રામનાં
માટે પણ સમજાવ્યું છે - તે છે સેમી-દેવતા. બે કળા ઓછી થઈ જાય છે. દરેક વસ્તુની કળા
ઓછી તો થાય જ છે. કપડાં પણ પહેલા નવા પછી જૂનાં થાય છે. તો બાપ આટલી વાતો સમજાવે છે
તો પણ કહે છે - મારા મીઠા-મીઠા રુહાની બાળકો, સ્વયંને આત્મા સમજો. સિમર-સિમર સુખ
પામું. અહિયાં તો દુઃખધામ છે. બાપને અને વારસાને યાદ કરો. યાદ કરતા-કરતા અથાહ સુખ
પામશો. કલહ-કલેશ, બીમારી વગેરે જે પણ છે બધું છૂટી જશે. તમે ૨૧ જન્મોનાં માટે નિરોગી
બની જાઓ છો. કલહ-કલેશ મટી બધાં તનનાં, જીવનમુક્તિ પદ પામો. ગાતા રહે છે પરંતુ એક્ટ
(કર્મ) માં નથી લાવતા. તમને બાપ પ્રેકટીકલમાં સમજાવે છે - બાપને સિમરો તો તમારી બધી
મનોકામનાંઓ પૂરી થઈ જશે, સુખી થઈ જશો. મોચરા ખાઈને માની ટુકડા ખાવી (સજા ખાઈને
રોટલીનો ટુકડો ખાવો) સારું નથી. બધાને તાજી રોટલી પસંદ આવે છે. આજકાલ તો તેલ જ ચાલે
છે. ત્યાં તો ઘીની નદીઓ વહે છે. તો બાળકોએ બાપનું સિમરણ કરવાનું છે. બાબા એવું પણ
નથી કહેતાં અહિયાં બેસીને બાપને યાદ કરો. ના, ચાલતા, ફરતા, હરતાં શિવબાબા ને યાદ
કરવાનાં છે. નોકરી વગેરે પણ કરવાની છે. બાપની યાદ બુદ્ધિમાં રહેવી જોઈએ. લૌકિક બાપનાં
બાળકો નોકરી વગેરે કરે છે તો યાદ રહે જ છે ને. કોઈ પણ પૂછશે તો ઝટ બતાવશે અમે કોનાં
બાળક છીએ. બુદ્ધિમાં બાપની પ્રોપર્ટી (સંપત્તિ) પણ યાદ રહે છે. તમે પણ બાપનાં બાળક
બન્યા છો તો પ્રોપર્ટી (સંપત્તિ)પણ યાદ છે. બાપને પણ યાદ કરવાનાં છે બીજા કોઈથી
સંબંધ નહીં. આત્મામાં જ આખો પાર્ટ નોંધાયેલો છે જે ઈમર્જ થાય છે. આ બ્રાહ્મણ કુળમાં
તમારો જે કલ્પ-કલ્પ પાર્ટ ચાલ્યો છે તે જ ઈમર્જ થતો રહે છે. બાપ સમજાવે છે ખાવાનું
બનાવો, મીઠાઈ બનાવો, શિવબાબા ને યાદ કરતા રહો. શિવબાબા ને યાદ કરી બનાવશો તો મીઠાઇ
ખાવા વાળાનું પણ કલ્યાણ થશે. ક્યાંક સાક્ષાત્કાર પણ થઈ શકે છે. બ્રહ્માનો પણ
સાક્ષાત્કાર થઈ શકે છે. શુદ્ધ અન્ન પડે છે તો બ્રહ્માનો, કૃષ્ણનો, શિવનો
સાક્ષાત્કાર કરી શકે છે. બ્રહ્મા છે અહિયાં. બ્રહ્માકુમાર-કુમારીઓનાં નામ તો હોય છે
ને. અનેકોને સાક્ષાત્કાર થતા રહેશે કારણ કે બાપને યાદ કરો છો ને. બાપ યુક્તિઓ તો બહુ
જ બતાવે છે. તેઓ મુખ થી રામ-રામ બોલે છે, તમારે મુખથી કંઈ બોલવાનું નથી. જેમ તે લોકો
સમજે છે ગુરુ નાનક ને ભોગ લગાવી રહ્યાં છે, તમે પણ સમજો છો અમે શિવબાબા ને ભોગ
લગાવવા માટે બનાવીએ છીએ. શિવબાબા ને યાદ કરતા બનાવશો તો અનેકોનું કલ્યાણ થઈ શકે છે.
તે ભોજનમાં તાકાત થઈ જાય છે, એટલે બાબા ભોજન બનાવવા વાળા ને પણ કહે છે શિવબાબા ને
યાદ કરી બનાવો છો? લખેલું પણ છે શિવબાબા યાદ છે? યાદમાં રહીને બનાવશો તો ખાવા વાળા
ને પણ તાકાત મળશે, હૃદય શુદ્ધ થશે. બ્રહ્માભોજન નું ગાયન પણ છે ને. બ્રાહ્મણોનું
બનાવેલું ભોજન દેવતાઓ પણ પસંદ કરે છે. આપણ શાસ્ત્રો માં છે. બ્રાહ્મણોએ ભોજન બનાવેલું
ખાવાથી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે, તાકાત રહે છે. બ્રહ્માભોજન ની બહુ જ મહિમા છે.
બ્રહ્માભોજન ની જેમને કદર રહે છે, થાળી ધોઈને પણ પી લે છે. બહુ જ ઉંચ સમજે છે. ભોજન
વગર તો રહી ન શકે છે. ફૈમન (અકાળ) માં ભોજન વગર મરી જાય છે. આત્મા જ ભોજન ખાય છે, આ
ઓર્ગન (અંગો) દ્વારા સ્વાદ તે લે છે, સારું-ખરાબ આત્માએ કહ્યું ને. આ બહુ જ
સ્વાદિષ્ટ છે, તાકાતવાન છે. આગળ ચાલી જેમ તમે ઉન્નતિને પામતા રહેશો તેમ ભોજન પણ તમને
એવું મળતું રહેશે, એટલે બાળકોને કહે છે શિવબાબા ને યાદ કરી ભોજન બનાવો. બાપ જે
સમજાવે છે તેને અમલમાં લાવવું જોઈએ ને. તમે છો પિયર ઘરવાળા, જાઓ છો સાસર ઘર.
સૂક્ષ્મવતન માં પણ પરસ્પર મળે છે. ભોગ લઇ જાય છે. દેવતાઓને ભોગ લગાવે છે ને. દેવતાઓ
આવે છે તમે બ્રાહ્મણ ત્યાં જાઓ છો. ત્યાં મહેફિલ લાગે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
વાતની ચિંતા નથી કરવાની કારણ કે આ ડ્રામા બિલકુલ એક્યુરેટ બનેલો છે. બધાં એક્ટર્સ
આમાં પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે.
2. જીવનમુક્ત પદ પામવા અથવા સદા સુખી બનવા માટે અંદરમાં એક બાપનું જ સિમરણ કરવાનું
છે. મુખથી કંઈ પણ બોલવાનું નથી. ભોજન બનાવતા અથવા ખાતા સમયે બાપની યાદમાં જરુર
રહેવાનું છે.
વરદાન :-
નિ : સ્વાર્થ
અને નિર્વિકલ્પ સ્થિતિમાં સેવા કરવાવાળા સફળતા મૂર્ત ભવ :
સેવામાં સફળતાનો આધાર
તમારી નિસ્વાર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ છે. આ સ્થિતિમાં રહેવાવાળા સેવા કરતાં સ્વયં
પણ સંતુષ્ટ અને હર્ષિત રહે અને તેમનાંથી બીજા પણ સંતુષ્ટ રહે છે. સેવામાં સંગઠન હોય
છે અને સંગઠનમાં ભિન્ન-ભિન્ન વાતો, ભિન્ન-ભિન્ન વિચાર હોય છે. પરંતુ અનેકતામાં
મૂંઝાશો નહીં. એવું નહીં વિચારો કોનું માનીએ, કોનું ન માનીએ. નિ:સ્વાર્થ અને
નિર્વિકલ્પ ભાવથી નિર્ણય લો તો કોઈને પણ વ્યર્થ સંકલ્પ નહીં આવે અને સફળતા મૂર્ત બની
જશો.
સ્લોગન :-
હવે સકાશ
દ્વારા બુદ્ધિઓને પરિવર્તન કરવાની સેવા પ્રારંભ કરો.