20-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપ આવ્યા છે તમને સર્વ ખજાનાં થી માલામાલ બનાવવાં , તમે ફક્ત ઈશ્વરીય મત પર ચાલો , સારી રીતે પુરુષાર્થ કરી વારસો લો , માયા થી હાર નહીં ખાઓ ”

પ્રશ્ન :-
ઈશ્વરીય મત, દૈવી મત અને મનુષ્ય મત માં કયું મુખ્ય અંતર છે.

ઉત્તર :-
ઈશ્વરીય મત થી આપ બાળકો ફરી પોતાનાં ઘરે જાઓ છો પછી નવી દુનિયામાં ઊંચું પદ પામો છો. દૈવી મત થી તમે સદા સુખી રહો છો કારણકે એ પણ બાપ દ્વારા આ સમયે તમને મળેલી મત છે. પરંતુ છતાં પણ ઉતરો તો નીચે જ છો. મનુષ્ય મત દુ:ખી બનાવે છે. ઈશ્વરીય મત પર ચાલવાં માટે પહેલા-પહેલા ભણાવવા વાળા બાપ પર પૂરો નિશ્ચય જોઈએ.

ઓમ શાંતિ!
બાપએ અર્થ તો સમજાવ્યો છે, હું આત્મા શાંત સ્વરુપ છું. જ્યારે ઓમ શાંતિ કહેવાય છે તો આત્માને પોતાનું ઘર યાદ આવે છે. હું આત્મા શાંત સ્વરુપ છું. પછી જ્યારે ઓર્ગન્સ (અંગો) મળે છે ત્યારે ટોકી બને છે. પહેલા નાનાં ઓર્ગન્સ હોય છે પછી મોટા થાય છે. હવે પરમપિતા પરમાત્મા તો છે નિરાકાર. એમને પણ રથ જોઈએ ટોકી બનવાં માટે. જેમ તમે આત્માઓ પરમધામની રહેવાવાળી છો, અહીંયા આવીને ટોકી બનો છો. બાપ પણ કહે છે હું તમને નોલેજ આપવાં માટે ટોકી બનું છું. બાપ પોતાનો અને રચનાનાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપે છે. આ છે રુહાની ભણતર, તે હોય છે શારીરિક ભણતર. તેઓ પોતાને શરીર સમજે છે. એવું કોઈ નહીં કહે કે હું આત્મા આ કાન દ્વારા સાંભળું છું. હમણાં આપ બાળકો સમજો છો બાપ છે પતિત-પાવન, એજ આવીને સમજાવે છે - હું કેવી રીતે આવું છું. તમારા જેમ હું ગર્ભમાં નથી આવતો. હું આમનાં માં પ્રવેશ કરું છું. પછી કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. આ રથ છે. આમને માતા પણ કહેવાય છે. સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા છે. તો આ છે સૌથી મોટી નદી. પાણીની તો વાત નથી. આ છે મહાનદી અર્થાત્ સૌથી મોટી જ્ઞાન નદી છે. તો બાપ આત્માઓને સમજાવે છે હું તમારો બાપ છું. જેમ તમે વાત કરો છો, હું પણ વાત કરું છું. મારો પાર્ટ તો સૌથી પાછળનો છે. જ્યારે તમે બિલકુલ પતિત બની જાઓ છો ત્યારે તમને પાવન બનાવવા માટે આવવાનું હોય છે. આ લક્ષ્મી-નારાયણને આવાં બનાવવા વાળા કોણ? સિવાય ઈશ્વરનાં બીજા કોઇ માટે કહી નહિ સકે. બેહદનાં બાપ જ સ્વર્ગ નાં માલિક બનાવતા હશે ને. બાપ જ જ્ઞાન નાં સાગર છે. એજ કહે છે હું આ મનુષ્ય સૃષ્ટિનું ચૈતન્ય બીજ છું. હું આદિ-મધ્ય-અંત ને જાણું છું. હું સત છું, હું ચૈતન્ય બીજરુપ છું, આ સૃષ્ટિરુપી ઝાડનું મારા માં નોલેજ છે. આને સૃષ્ટિ ચક્ર અથવા ડ્રામા કહેવાય છે. આ ફરતું જ રહે છે. તે હદનો ડ્રામા બે કલાક ચાલે છે. આની રીલ ૫ હજાર વર્ષની છે. જે-જે સમય પસાર થતો જાય છે, ૫ હજાર વર્ષ માંથી ઓછો થતો જાય છે. તમે જાણો છો પહેલા આપણે દેવી-દેવતા હતાં પછી ધીરે-ધીરે આપણે ક્ષત્રિય કુળમાં આવી ગયાં. આ બધું રહસ્ય બુદ્ધિમાં છે ને. તો આ સિમરણ કરતા રહેવું જોઈએ. આપણે શરુ-શરુ માં પાર્ટ ભજવવા આવ્યા તો આપણે દેવી-દેવતા હતાં. ૧૨૫૦ વર્ષ રાજ્ય કર્યું. સમય તો પસાર થતો જાય છે ને. લાખો વર્ષ ની તો વાત જ નથી. લાખો વર્ષનું તો કોઇ ચિંતન કરી પણ ન શકે.

આપ બાળકો સમજો છો આપણે આ દેવી-દેવતા હતાં પછી પાર્ટ ભજવતાં, વર્ષ પછી વર્ષ પસાર કરતાં-કરતાં હવે કેટલાં વર્ષ પસાર કરી ચૂક્યા છીએ. ધીરે-ધીરે સુખ ઓછું થતું જાય છે. દરેક વસ્તુ સતોપ્રધાન, સતો, રજો, તમો થાય છે. જૂની જરુર થાય છે. આ પછી છે બેહદની વાત. આ બધી વાતો સારી રીતે બુદ્ધિમાં ધારણ કરી પછી બીજાઓને સમજાવવાનું છે. બધાં તો એક જેવા નથી હોતાં. જરુર ભિન્ન-ભિન્ન રીતે સમજાવતાં હશે. ચક્ર સમજાવવું સૌથી સહજ છે. ડ્રામા અને ઝાડ બંને મુખ્ય ચિત્ર છે. કલ્પ વૃક્ષ નામ છે ને. કલ્પની આયુ કેટલા વર્ષની છે. આ કોઈ પણ નથી જાણતું. મનુષ્યોની અનેક મત છે. કોઈ શું કહેશે, કોઈ શું કહેશે. હવે તમે અનેક મનુષ્ય મતને પણ સમજ્યા છો અને એક ઈશ્વરીય મતને પણ સમજ્યા છો. કેટલો ફરક છે. ઈશ્વરીય મત થી તમને ફરીથી નવી દુનિયામાં જવું પડે, બીજા કોઈની પણ મત થી, દૈવી મત અથવા મનુષ્ય મત થી પાછાં જઈ નથી શકતા. દૈવી મત થી તમે ઉતરો જ છો કારણકે કળા ઓછી થતી જાય છે. આસુરી મત થી પણ ઉતરો છો. પરંતુ દૈવી મત માં સુખ છે, આસુરી મત માં દુ:ખ છે. દૈવી મત પણ આ સમયે બાપ ની આપેલી છે એટલા માટે તમે સુખી રહો છો. બેહદનાં બાપ કેટલાં દૂર-દૂર થી આવે છે. મનુષ્ય કમાવવા માટે બહાર જાય છે. જયારે ખુબ ધન ભેગું થાય છે તો પછી આવે છે. બાપ પણ કહે છે હું આપ બાળકોનાં માટે ખુબજ ખજાનો લઈ આવું છું કારણકે જાણું છું તમને બહુજ માલ આપ્યો હતો. તે બધું તમે ગુમાવી દીધું છે. તમારાથી જ વાત કરું છું, જેમણે પ્રેકટીકલમાં ગુમાવ્યું છે. ૫ હજાર વર્ષની વાત તમને યાદ છે ને. કહે છે હાં બાબા, ૫ હજાર વર્ષ પહેલા તમને મળ્યા હતાં, તમે વારસો આપ્યો હતો. હવે તમને સ્મૃતિ આવી છે બરાબર બેહદનાં બાપથી બેહદનો વારસો લીધો હતો. બાબા, તમારાં થી નવી દુનિયા ની રાજાઈ નો વારસો લીધો હતો. અચ્છા, તો પુરુષાર્થ કરો. એવું નહીં કહો બાબા માયાનાં ભૂતે અમને હરાવી દીધા. દેહ-અભિમાન નાં પછી જ તમે માયા થી હારો છો. લોભ કર્યો, લાંચ ખાધી, લાચારી ની વાત બીજી છે. બાબા જાણે છે લોભ નાં સિવાય પેટ પૂજા નહિ થાય, વાંધો નહીં. ભલે ખાઓ પરંતુ ક્યાંક ફસાઈ નહીં જતાં, પછી તમને જ દુઃખ થશે. પૈસા મળશે ખુશ થઈ ખાશો, ક્યાંય પોલીસે પકડી લીધા તો જેલમાં જવું પડશે. એવું કામ નહી કરો, તેનો પછી જવાબદાર હું નથી. પાપ કરે છે તો જેલમાં જાય છે. ત્યાં તો જેલ વગેરે હોતી નથી. તો ડ્રામાનાં પ્લાન અનુસાર જે કલ્પ પહેલાં તમને વારસો મળ્યો છે, ૨૧ જન્મ લીધા તેમ જ ફરી લેશો. આખી રાજધાની બને છે. ગરીબ પ્રજા, સાહૂકાર પ્રજા. પરંતુ ત્યાં દુઃખ હોતું નથી. આ બાપ ગેરંટી કરે છે. બધાં એક સમાન તો બની ન શકે. સૂર્યવંશી-ચંદ્રવંશી રાજયમાં બધાં જોઈએ ને. બાળકો જાણે છે કેવી રીતે બાપ આપણને વિશ્વની બાદશાહી આપે છે. પછી આપણે ઉતરીએ છીએ. સ્મૃતિમાં આવ્યું ને. સ્કૂલમાં ભણતર સ્મૃતિમાં રહે છે ને. અહીંયા પણ બાપ સ્મૃતિ અપાવે છે. આ રુહાની ભણતર દુનિયાભર માં બીજું કોઈ ભણાવી ન શકે. ગીતામાં પણ લખેલું છે મનમનાભવ. આને મહામંત્ર વશીકરણ મંત્ર કહે છે અર્થાત્ માયા પર જીત પામવાનું મંત્ર. માયા જીતે જગતજીત. માયા ૫ વિકાર ને કહેવાય છે. રાવણનું ચિત્ર બિલ્કુલ સ્પષ્ટ છે - ૫ વિકાર સ્ત્રી માં, ૫ વિકાર પુરુષ માં. આનાંથી ગધેડા અર્થાત્ ટટ્ટુ બની જાય છે એટલે ઉપરમાં ગધેડાનું શીશ દેખાડે છે. હમણાં તમે સમજો છો જ્ઞાન વગર આપણે પણ આવાં હતાં. બાપ કેટલુ રમણીક રીતે બેસી ભણાવે છે. એ છે સુપ્રીમ શિક્ષક. એમનાંથી જે આપણે ભણીએ છીએ તે પછી બીજાઓને સંભળાવીએ છીએ. પહેલાં તો ભણાવવા વાળામાં નિશ્ચય કરાવવો જોઈએ. બોલો, બાપએ અમને આ સમજાવ્યું છે, હવે માનો કે ન માનો. આ બેહદનાં બાપ તો છે ને. શ્રીમત જ શ્રેષ્ઠ બનાવે છે. તો શ્રેષ્ઠ નવી દુનિયા પણ જરુર જોઈએ ને.

હમણાં તમે સમજો છો આપણે કિચડા ની દુનિયામાં બેઠા છીએ. બીજા કોઈ સમજી ન શકે. ત્યાં આપણે બહિશ્ત સ્વર્ગમાં સદા સુખી રહીએ છીએં. અહીંયા નર્કમાં કેટલા દુઃખી છીએ. આને નર્ક કહો અથવા વિષય વૈતરણી નદી કહો, જૂની દુનિયા છી-છી છે. હમણાં તમે અનુભવ કરો છો-ક્યાં સતયુગ સ્વર્ગ, ક્યાં કળયુગ નર્ક! સ્વર્ગ ને કહેવાય છે વંડર ઓફ વર્લ્ડ (અજાયબી). ત્રેતા ને પણ નહી કહેશે. અહીંયા આ ગંદી દુનિયામાં રહેવામાં મનુષ્યોને કેટલી ખુશી થાય છે. વિષ્ટા નાં કીડાને ભ્રમરી ભૂ-ભૂ કરી આપ સમાન બનાવે છે. તમે પણ કિચડામાં પડેલાં હતાં. મેં આવીને ભૂ-ભૂ કરી તમને કીડા થી અર્થાત્ શુદ્ર થી બ્રાહ્મણ બનાવ્યાં છે. હમણાં તમે ડબલ સિરતાજ બનો છો તો કેટલી ખુશી રહેવી જોઈએ. પુરુષાર્થ પણ પૂરો કરવો જોઈએ. બેહદનાં બાપ સમજણ તો ખુબજ સહજ આપે છે. દિલથી લાગે પણ છે બાબા સાચું-સાચું કહે છે. આ સમયે બધાં માયાનાં દુબન (દલદલ) માં ફસાયેલા છે. બહાર નો શો (દેખાડો) કેટલો છે? બાબા સમજાવે છે હું તમને દુબનથી આવીને બચાવું છું, સ્વર્ગમાં લઈ જાઉં છું. સ્વર્ગનું નામ સાંભળલું છે. હમણાં સ્વર્ગ તો છે નહીં. ફક્ત આ ચિત્ર છે. આ સ્વર્ગ નાં માલિક કેટલા ધનવાન હતાં. ભક્તિમાર્ગ માં ભલે રોજ મંદિરો માં જતાં હતાં, પરંતુ આ જ્ઞાન કંઈ નહોતું. હમણાં તમે સમજો છો ભારતમાં આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. આમનું રાજ્ય ક્યારે હતું, આ કોઈને ખબર નથી. દેવી-દેવતા ધર્મનાં બદલે હવે પછી હિન્દુ-હિન્દુ કહેતાં રહે છે. શરુઆતમાં હિન્દુ મહાસભા નાં પ્રેસિડન્ટ (અધ્યક્ષ) આવ્યાં હતાં. બોલ્યા, અમે વિકારી અસુર છીએ પોતાને દેવતા કેવી રીતે કહીએ? મેં કહ્યું ભલે આવો તો તમને સમજાવીએ દેવી-દેવતા ધર્મની સ્થાપનાં ફરી થી થઈ રહી છે. અમે તમને સ્વર્ગ નાં માલિક બનાવી દઈશું. બેસીને શીખો. બોલ્યા, દાદાજી ફુરસત ક્યાં? ફુરસત નથી તો દેવતા કેવી રીતે બનશો! આ ભણતર છે ને. બિચારાની તકદીરમાં નહોતું. મરી ગયા. એવું પણ નહીં કહેશું કે તે કોઈ પ્રજામાં આવશે. ના, એમજ ચાલ્યાં આવ્યાં હતાં, સાંભળ્યું હતું અહીંયા પવિત્રતાનું જ્ઞાન મળે છે. પરંતુ સતયુગમાં તો આવી ન શકે. તો પણ હિન્દુ ધર્મમાં જ આવશે.

આપ બાળકો સમજો છો માયા બહુજ પ્રબળ છે. કોઈને કોઈ ભૂલ કરાવતી રહે છે. ક્યારેય કોઈ ઉલટું-સુલ્ટું પાપ થઇ જાય તો બાપને સાચા દિલથી સંભળાવાનું છે. રાવણની દુનિયામાં પાપ તો થતા જ રહે છે. કહે છે અમે જન્મ-જન્માંતર નાં પાપી છીએ. આ કોણે કહ્યું? આત્મા કહે છે - બાપની આગળ અથવા દેવતાઓની આગળ. હમણાં તો તમે અનુભવ કરો છો બરાબર આપણે જન્મ-જન્માંતર નાં પાપી હતાં. રાવણ રાજ્યમાં પાપ જરુર કર્યા છે. અનેક જન્મોનાં પાપ તો વર્ણન નથી કરી શકતા. આ જન્મ નાં વર્ણન કરી શકો છો. તે સંભળાવવાથી પણ હલ્કા થઈ જશો. સર્જનની આગળ બીમારી સંભળાવવાની છે - ફલાણાને માર્યો, ચોરી કરી…. આ સંભળાવવામાં શરમ નથી આવતી, વિકારની વાત સંભળાવવામાં શરમ આવે છે. સર્જન થી શરમ કરશો તો બીમારી છૂટશે કેવી રીતે? પછી અંદર દિલ ખાતું રહેશે, બાપને યાદ નહીં કરી શકો. સાચું સંભળાવશો તો યાદ કરી શકશો. બાપ કહે છે હું સર્જન તમારી કેટલી દવા કરું છું. તમારી કાયા સદેવ કંચન રહેશે. સર્જનને બતાવવાથી હલ્કા થઈ જવાય છે. કોઈ-કોઈ પોતે જ લખી દે છે - બાબા અમે જન્મ-જન્માંતર પાપ કર્યા છે. પાપ આત્માઓની દુનિયામાં પાપાત્મા જ બન્યાં છીએ. હવે બાપ કહે છે બાળકો, તમારે પાપ આત્માઓથી લેણ-દેણ નથી કરવાની. સાચાં સદગુરુ, અકાળ મૂર્ત છે બાપ, એ ક્યારેય પુનર્જન્મ માં નથી આવતાં. તેમણે અકાળતખ્ત નામ રાખ્યું છે પરંતુ અર્થ નથી સમજતાં. બાપએ સમજાવ્યું છે આત્માનું આ તખ્ત છે. શોભે પણ અહીંયા છે, તિલક પણ અહીંયા (ભ્રકુટી) પર લગાડે છે ને. અસલમાં તિલક એકદમ બિંદુ ની જેમ લગાડતાં હતાં. હવે તમારે સ્વયંને સ્વયં જ તિલક આપવાનું છે. બાપને યાદ કરતાં રહો. જે બહુજ સર્વિસ કરશે તે મોટા મહારાજા બનશે. નવી દુનિયામાં, જૂની દુનિયાનું ભણતર થોડી ભણવાનું છે. તો આટલાં ઊંચા ભણતર પર એટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. અહીંયા બેસે છે તો પણ કોઈ નો બુદ્ધિયોગ સારો રહે છે, કોઈ નો ક્યાં-ક્યાં ચાલ્યો જાય છે. કોઈ ૧૦ મિનિટ લખે છે, કોઈ ૧૫ મિનિટ લખે છે. જેનો ચાર્ટ સારો હશે તેમને નશો ચઢશે-બાબા આટલો સમય અમે તમારી યાદમાં રહ્યાં. ૧૫ મિનિટથી વધારે તો કોઈ લખી નથી શકતાં. બુદ્ધિ અહીંયાં-ત્યાં ભાગે છે. જો બધાં એક રસ થઇ જાય તો પછી કર્માતીત અવસ્થા થઈ જાય. બાપ કેટલી મીઠી-મીઠી મધુર વાતો સંભળાવે છે. આવું તો કોઈ ગુરુ એ નથી શીખવાડયું. ગુરુથી ફક્ત એક થોડી શીખશે. ગુરુથી તો હજારો શીખે ને. સદ્દગુરુ થી તમે કેટલા શીખો છો. આ છે માયાને વશ કરવાનો મંત્ર. માયા ૫ વિકારોને કહેવાય છે. ધન ને સંપત્તિ કહેવાય છે. લક્ષ્મી-નારાયણનાં માટે કહેશે તેમની પાસે ખુબજ સંપત્તિ છે. લક્ષ્મી-નારાયણ ને ક્યારેય માત-પિતા નહીં કહેશે. આદિ દેવ, આદિ દેવી ને જગતપિતા, જગતઅંબા કહે છે, આમને નહિ. આ સ્વર્ગ નાં માલિક છે. અવિનાશી જ્ઞાન ધન લઈને આપણે આટલાં ધનવાન બન્યા છીએ. અંબાની પાસે અનેક આશાઓ લઈને જાય છે. લક્ષ્મીની પાસે ફક્ત ધનનાં માટે જાય છે, બીજું કાંઈ નહિ. તો મોટું કોણ થયું? આ કોઈને ખબર નથી, અંબાથી શું મળે છે? લક્ષ્મીથી શું મળે છે? લક્ષ્મીથી ફક્ત ધન માગે છે. અંબાથી તમને બધું જ મળે છે. અંબાનું નામ વધારે છે કારણકે માતાઓને દુઃખ પણ બહું સહન કરવું પડ્યું છે. તો માતાઓનું નામ વધારે હોય છે. અચ્છા, તો પણ બાપ કહે છે બાપ ને યાદ કરો તો પાવન બની જશો. ચક્રને યાદ કરો, દૈવીગુણ ધારણ કરો. અનેકોને આપ સમાન બનાવો. ગોડફાધરનાં તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો. કલ્પ પહેલાં પણ બન્યાં હતાં ફરી હમણાં પણ એજ લક્ષ-હેતુ છે. આ છે સત્ય નર થી નારાયણ બનવાની કથા. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની બીમારી સર્જનથી ક્યારેય પણ છુપાવવાની નથી. માયાનાં ભૂતો થી સ્વયંને બચાવવાનું છે. પોતાને રાજતિલક આપવાં માટે સર્વિસ જરુર કરવાની છે.

2. સ્વયંને અવિનાશી જ્ઞાન ધનથી ધનવાન બનાવવાનાં છે. હવે પાપ આત્માઓથી લેણ-દેણ નથી કરવાની. ભણવા પર પૂરે-પુરુ એટેન્શન(ધ્યાન) આપવાનું છે.

વરદાન :-
ગીતા નો પાઠ ભણવાં અને ભણાવવા વાળા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ ભવ

ગીતા જ્ઞાન નો પહેલો પાઠ છે - અશરીરી આત્મા બનો અને અંતિમ પાઠ છે નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનો. પહેલો પાઠ વિધિ અને અંતિમ પાઠ છે વિધિ થી સિદ્ધિ. તો દરેક સમય પહેલાં સ્વયં આ પાઠ ભણો પછી બીજાઓને ભણાવો. આવું શ્રેષ્ઠ કર્મ કરીને દેખાડો જે તમારા શ્રેષ્ઠ કર્મો ને જોઈ અનેક આત્માઓ શ્રેષ્ઠ કર્મ કરીને પોતાનાં ભાગ્યની રેખા શ્રેષ્ઠ બનાવી શકે.

સ્લોગન :-
પરમાત્મ સ્નેહમાં સમાયેલાં રહો તો મહેનતથી મુક્ત થઈ જશો.