06-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.02.85    બાપદાદા મધુબન




“ સંગમયુગ તન, મન, ધન અને સમય સફળ કરવાનો યુગ ”

 


આજે વિશ્વ કલ્યાણકારી બાપ પોતાનાં સહયોગી બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળકનાં દિલમાં બાપને પ્રત્યક્ષ કરવાની લગન લાગેલી છે. બધાંનો એક જ શ્રેષ્ઠ સંકલ્પ છે અને બધાં આ જ કાર્યમાં ઉમંગ-ઉત્સાહથી લાગેલા છે. એક બાપથી લગન હોવાનાં કારણે સેવાથી પણ લગન લાગેલી છે. દિવસ-રાત સાકાર કર્મમાં કે સ્વપ્નમાં પણ બાપ અને સેવા એજ દેખાય છે, બાપનો સેવાથી પ્રેમ છે એટલે સ્નેહી સહયોગી બાળકોનો પણ પ્રેમ સેવાથી સારો છે. આ સ્નેહનું સબૂત છે અર્થાત્ પ્રમાણ છે. આવા સહયોગી બાળકોને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. પોતાનું શરીર તન-મન-ધન, સમય કેટલા પ્રેમથી સફળ કરી રહ્યા છે. પાપનાં ખાતા ને બદલે પુણ્યનાં ખાતામાં વર્તમાન પણ શ્રેષ્ઠ અને ભવિષ્યનાં માટે પણ જમા કરી રહ્યા છે. સંગમયુગ છે જ એકનું પદમગુણા જમા કરવાનો યુગ. તન સેવામાં લગાવો અને ૨૧ જન્મોનાં માટે સંપૂર્ણ નિરોગી તન પ્રાપ્ત કરો. કેવું પણ કમજોર તન હોય, રોગી હોય પરંતુ વાચા, કર્મણા નહીં તો મન્સા સેવા અંતિમ ઘડી સુધી પણ કરી શકો છો. પોતાની અતિન્દ્રિય સુખ-શાંતિની શક્તિ ચહેરાથી, નયનોથી દેખાડી શકો છો. જે સંપર્ક વાળા જોઈને એ જ કહે કે આતો વન્ડરફુલ પેશન્ટ (દર્દી) છે. ડોક્ટર પણ પેશન્ટને જોઈ હર્ષિત થઇ જાય. આમ તો ડોક્ટર પેશન્ટને (દર્દીને) ખુશી આપે છે, અપાવે છે પરંતુ તેઓ દેવાનાં બદલે લેવાનો અનુભવ કરે. કેવાં પણ બીમાર હોવ, જો બુદ્ધિ સાલિમ છે તો અંત ઘડી સુધી પણ સેવા કરી શકે છે કારણ કે આ જાણો છો કે આ તનની સેવાનું ફળ ૨૧ જન્મ ખાતા રહેશું. આવી રીતે તનથી, મનથી સ્વયં સદા મનનાં શાંતિ સ્વરુપ બની, સદા દરેક સંકલ્પમાં શક્તિશાળી બની, શુભભાવના શુભકામના દ્વારા દાતા બની, સુખ-શાંતિની શક્તિની કિરણો વાયુમંડળમાં ફેલાવતા રહો. જ્યારે તમારી રચનાં સૂર્ય ચારે તરફ પ્રકાશની કિરણો ફેલાવતો રહે છે તો તમે માસ્ટર રચતા, માસ્ટર સર્વશક્તિમાન, વિધાતા, વરદાતા, ભાગ્યવાન પ્રાપ્તિની કિરણો નથી ફેલાવી શકતા? સંકલ્પ શક્તિ અર્થાત્ મન દ્વારા એક સ્થાન પર હોવા છતાં પણ ચારે તરફ વાયબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવી શકો છો. થોડા જ સમયની આ જન્મમાં મન દ્વારા સેવા કરવાથી ૨૧ જન્મ મન સદા સુખ-શાંતિની મોજ માં રહેશે. પછી અડધો કલ્પ ભક્તિ દ્વારા, ચિત્રો દ્વારા મનની શાંતિ આપવાનાં નિમિત્ત બનશે. ચિત્ર પણ એટલા શાંતિ, શક્તિ દેવાવાળા બનશે. તો એક જન્મનાં મનની સેવા, આખો કલ્પ ચૈતન્ય સ્વરુપથી અથવા ચિત્રથી શાંતિનું સ્વરુપ બનશે.

એવી રીતે ધન દ્વારા સેવાનાં નિમિત બનવા વાળા ૨૧ જન્મ અગણિત ધનનાં માલિક બની જાએ છે. સાથે-સાથે દ્વાપરથી અત્યાર સુધી પણ એવી આત્મા ક્યારેય ધનની ભિખારી નહીં બનશે. ૨૧ જન્મ રાજ્ય ભાગ્ય પામશે. જે ધન માટીનાં સમાન હશે અર્થાત્ એટલું સહજ અને અકીચાર હશે. તમારી પ્રજા ની પણ પ્રજા અર્થાત્ પ્રજાનાં સેવાધારી પણ અગણિત ધનનાં માલિક હશે. પરંતુ ૬૩ જન્મોમાં કોઈ જન્મ માં પણ ધનનાં ભિખારી નહીં બનશે. મજાથી દાળ-રોટી ખાવાવાળા હશે. ક્યારેય રોટલીનાં ભિખારી નહીં હશે. તો એક જન્મ દાતાનાં પ્રતિ ધન લગાડવાથી, દાતા પણ શું કરશે? સેવામાં લગાવશે. તમે તો બાપની ભંડારી માં નાંખો છો ને અને બાપ પછી સેવામાં લગાવે છે. તો સેવા અર્થ કે દાતાનાં અર્થ ધન લગાવવું અર્થાત્ પૂરો કલ્પ ભિખારીપણાથી બચવું. જેટલું લગાવો એટલું દ્વાપરથી કળયુગ સુધી પણ આરામથી ખાતા રહેશો. તો તન-મન-ધન અને સમય સફળ કરવાનો છે.

સમય લગાવવા વાળા એક તો સૃષ્ટિ ચક્રનાં સૌથી શ્રેષ્ઠ સમય સતયુગમાં આવે છે. સતોપ્રધાન યુગમાં આવે છે. જે સમયનું ભક્ત લોકો આજે પણ ગાયન કરતા રહે છે. સ્વર્ગનું ગાયન કરે છે ને. તો સતોપ્રધાનમાં પણ વન-વન-વન એવા સમય પર અર્થાત્ પહેલા જન્મમાં, એવાં શ્રેષ્ઠ સમયનો અધિકાર પામવા વાળા, પહેલા નંબર વાળી આત્માની સાથે-સાથે જીવનનો સમય વિતાવવા વાળા હશે. એમની સાથે ભણવાવાળા, રમવાવાળા, ફરવાવાળા હશે. તો જે સંગમ પર પોતાનો સમય સફળ કરે છે એનું શ્રેષ્ઠ ફળ સંપૂર્ણ સુંદર, શ્રેષ્ઠ સમયનો અધિકાર પ્રાપ્ત થાય છે. જો સમય લગાવવામાં અલબેલા રહ્યા તો પહેલા નંબરવાળી આત્મા અર્થાત્ શ્રીકૃષ્ણ સ્વરુપમાં, સ્વર્ગનાં પહેલા વર્ષમાં ન આવીને પાછળ-પાછળ નંબરવાર આવશે. આ છે સમય આપવાનું મહત્વ. આપો શું છો અને લો શું છો? એટલે ચારે વાતોને સદા ચેક (તપાસ) કરો તન-મન-ધન, સમય ચારે જેટલું લગાવી શકો છો એટલું લગાવો છો? એવું તો નથી જેટલું લગાવી શકો એટલું નથી લગાવતા. યથાશક્તિ લગાવવાથી પ્રાપ્તિ પણ યથાશક્તિ થશે. સંપૂર્ણ નહીં થાય. તમે બ્રાહ્મણ આત્માઓ બધાને સંદેશમાં શું કહો છો? સંપૂર્ણ સુખ-શાંતિ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. એવું તો નથી કહેતા કે યથાશક્તિ તમારો અધિકાર છે. સંપૂર્ણ કહો છો ને. જ્યારે સંપૂર્ણ અધિકાર છે તો સંપૂર્ણ પ્રાપ્તિ કરવી એ જ બ્રાહ્મણ જીવન છે. અધૂરું છે તો ક્ષત્રિય છે. ચંદ્રવંશી અડધામાં આવે છે ને. તો યથાશક્તિ અર્થાત્ અધૂરાપણું અને બ્રાહ્મણ જીવન અર્થાત્ દરેક વાતમાં સંપૂર્ણ. તો સમજ્યા બાપદાદા બાળકોનો સહયોગ દેવાનો ચાર્ટ જોઇ રહ્યા છે. છે બધાં જ સહયોગી. જ્યારે સહયોગી બને છે ત્યારે સહજયોગી બને છે. બધાં સહયોગી, સહજયોગી, શ્રેષ્ઠ આત્માઓ છો. બાપદાદા દરેક બાળકને સંપૂર્ણ અધિકારી આત્મા બનાવે છે. પછી યથાશક્તિ કેમ બનો છો? કે એમ વિચારો છો કોઈ તો બનશે. આવાં બનવા વાળા બહુ જ છે. તમે નથી? હમણાં પણ સંપૂર્ણ અધિકાર પામવાનો સમય છે. સંભળાવ્યું હતું ને - હજી ટૂ લેટ (બહુ મોડું) નું બોર્ડ નથી લાગ્યું. લેટ અર્થાત્ પાછળથી આવવા વાળા આગળ વધી શકે છે એટલે હજી પણ ગોલ્ડન ચાન્સ (તક) છે. જ્યારે ટૂ લેટ નું બોર્ડ લાગી જશે પછી ગોલ્ડન ચાન્સને બદલે સિલ્વર થઈ જશે. તો શું કરવું જોઈએ? ગોલ્ડન ચાન્સ લેવા વાળા છો ને. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ)માં ન આવ્યાં તો બ્રાહ્મણ બની શું કર્યું? એટલે બાપદાદા સ્નેહી બાળકોને ફરી પણ સ્મૃતિ અપાવી રહ્યા છે, હજી બાપનાં સ્નેહનાં કારણે એકનું પદમગુણા મળવાનો ચાન્સ છે. હમણાં જેટલું છે સામે તેટલું નથી. એકનું પદમગુણા છે. પછી હિસાબ કિતાબ જેટલું અને તેટલું નો રહેશે. પરંતુ હમણાં ભોળાનાથનાં ભરપૂર ભંડાર ખુલેલા છે. જેટલા ઇચ્છો, જેટલું ઇચ્છો લઇ શકો છો. પછી કહેશે હવે સતયુગનાં નંબરવનની સીટ ખાલી નથી એટલે બાપ સમાન સંપૂર્ણ બનો. મહત્વને જાણી મહાન બનો. ડબલ વિદેશી ગોલ્ડન ચાન્સ વાળા છો ને. જ્યારે આટલી લગનથી વધી રહ્યા છો, સ્નેહી છો, સહયોગી છો તો દરેક વાતમાં સંપૂર્ણ લક્ષ્ય દ્વારા સંપૂર્ણતાનાં લક્ષણ ધારણ કરો. લગન ન હોત તો અહીં કેવી રીતે પહોંચતા! જેમ ઉડતા-ઉડતા પહોંચી ગયા છો એમ જ સદા ઉડતી કળામાં ઉડતા રહો. શરીરથી પણ ઉડવાના અભ્યાસી છો. આત્મા પણ સદા ઉડતી રહે. આ જ બાપદાદાનો સ્નેહ છે. અચ્છા-

સદા સફળતા સ્વરુપ બની સંકલ્પ, સમયને સફળ કરવાવાળા, દરેક કર્મમાં સેવાનો ઉમંગ-ઉત્સાહ રાખવાવાળા, સદા સ્વયંને સંપન્ન બનાવી સંપૂર્ણ અધિકાર પામવાવાળા, મળેલા ગોલ્ડન ચાન્સ ને સદા લેવાવાળા, એવા ફોલો ફાધર કરવાવાળા, સપૂત બાળકોને, નંબરવન બાળકોને, બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.

કાઠમાંડું તથા વિદેશી ભાઈ-બહેનોનાં ગ્રુપ થી બાપદાદા ની પર્સનલ મુલાકાત
૧. બધાં સદા સ્વયંને વિશેષ આત્મા અનુભવ કરો છો? આખા વિશ્વમાં આવી વિશેષ આત્માઓ કેટલી હશે? જે કોટોમાં કોઈ ગાયન છે, તે કોણ છે? તમે છો ને. તો સદા સ્વયંને કોટોમાં કોઈ, કોઈમાં પણ કોઈ, એવી શ્રેષ્ઠ આત્માઓ સમજો છો? ક્યારેય સ્વપ્નમાં પણ એવું નહીં વિચાર્યું હોય કે આટલી શ્રેષ્ઠ આત્માઓ બનશું પરંતુ સાકાર રુપમાં અનુભવ કરી રહ્યા છો. તો સદા સ્વયંનું આ શ્રેષ્ઠ ભાગ્ય સ્મૃતિમાં રહે છે? વાહ મારુ શ્રેષ્ઠ ભાગ્ય. જે ભગવાને સ્વયં તમારું ભાગ્ય બનાવ્યું છે. ડાયરેક્ટ ભગવાને ભાગ્યની રેખા ખેંચી, એવું શ્રેષ્ઠ ભાગ્ય છે. જ્યારે આવું શ્રેષ્ઠ ભાગ્ય સ્મૃતિમાં રહે છે, તો ખુશીમાં બુદ્ધિરુપી પગ આ પૃથ્વી પર નથી રહેતા. એવું સમજો છો ને. આમ પણ ફરિશ્તાઓનાં પગ ધરણી પર નથી હોતા. સદા ઉપર. તો તમારા બુદ્ધિરુપી પગ ક્યાં રહે છે? નીચે ધરણી પર નહીં. દેહ-અભિમાન પણ ધરણી છે. દેહ-અભિમાનની ધરણી થી ઉપર રહેવાવાળા. એમને જ કહેવાય છે ફરિશ્તા. તો કેટલા ટાઇટલ છે - ભાગ્યવાન છો, ફરિશ્તા છો, સિકીલધા છો - જે પણ શ્રેષ્ઠ ટાઈટલ છે તે બધાં તમારા છે. તો આજ ખુશીમાં નાંચતા રહો. સિકીલધા ધરણી પર પગ નથી રાખતા, સદા ઝુલા (હીંચકો)માં રહે છે કારણ કે નીચે ધરણી પર રહેવાનાં અભ્યાસી તો ૬૩ જન્મ રહ્યા. એનો અનુભવ કરીને જોઈ લીધું. ધરણીમાં, માટીમાં રહેવાથી મેલા થઈ ગયા. અને હવે સિકીલધા બન્યા તો સદા ધરણીથી ઉપર રહેવું. મેલા નહીં, સદા સ્વચ્છ. સાચાં દિલ, સાફ દિલ વાળા બાળકો સદા બાપની સાથે રહે છે કારણ કે બાપ પણ સદા સ્વચ્છ છે ને. તો બાપની સાથે રહેવાવાળા પણ સદા સ્વચ્છ છે. બહુ જ સારું, મિલન મેળામાં પહોંચી ગયા. લગન એ મિલન મનાવવા માટે પહોંચાડી દીધા. બાપદાદા બાળકોને જોઈ ખુશ થાય છે કારણકે બાળકો નહીં તો બાપ પણ એકલા શું કરશે. ભલે પધાર્યા પોતાનાં ઘરમાં. ભક્ત લોકો યાત્રા પર નિકળે તો કેટલો કઠિન રસ્તો પાર કરે છે. તમે તો કાઠમાંડુથી બસમાં આવ્યા છો. મોજ મનાવતા પહોંચી ગયા. અચ્છા-

લંડન ગ્રુપ :- બધાં સ્નેહનાં સૂત્રમાં બંધાયેલા બાપની માળાનાં મણકા છો ને! માળાનું આટલું મહત્વ કેમ બન્યું છે? કારણ કે સ્નેહનું સૂત્ર સૌથી શ્રેષ્ઠ સૂત્ર છે. તો સ્નેહનાં સૂત્રમાં બધાં એક બાપનાં બન્યા છો એની યાદગાર માળા છે. જેમનાં એક બાપ બીજું ન કોઈ છે તેજ એક જ સ્નેહનાં સૂત્રમાં માળાનાં મણકા બની પરોવાઈ જાય છે. સૂત્ર એક છે અને દાણા અનેક છે. તો આ એક બાપનાં સ્નેહની નિશાની છે. તો એવાં પોતાને માળાનાં મણકા સમજો છો ને! કે સમજો છો ૧૦૮ માં તો બહુ જ થોડા આવશે? શું સમજો છો? આતો ૧૦૮ નાં નંબર નિમિત્ત માત્ર છે. જે પણ બાપનાં સ્નેહમાં સમાયેલા છે તે ગળાની માળાનાં મોતી છે જ. જે એક જ લગનમાં મગન રહેવાવાળા છે તો મગન અવસ્થા નિર્વિઘ્ન બનાવે છે અને નિર્વિઘ્ન આત્માઓનું જ ગાયન અને પૂજન થાય છે. સૌથી વધારે ગાયન કોણ કરે છે? જો એક બાળકનું પણ ગાયન ન કરે તો બાળક રિસાઈ જશે એટલે બાબા દરેક બાળકનું ગાયન કરે છે કારણકે દરેક બાળક પોતાનો અધિકાર સમજે છે. અધિકારના કારણે દરેક પોતાનો હક સમજે છે. બાપની ગતિ એટલી તીવ્ર છે જે બીજા કોઈ એટલી તીવ્ર ગતિ વાળા છે જ નહીં. એક જ સેકન્ડમાં અનેકોને રાજી કરી શકે છે. તો બાપ બાળકોથી વ્યસ્ત રહે અને બાળકો બાપ માં વ્યસ્ત રહે. બાપને બિઝનેસ (ધંધો) જ બાળકોનો છે.

અવિનાશી રત્ન બન્યા છો, એની મુબારક છે. ૧૦ વર્ષ કે ૧૫ વર્ષથી માયાને જીતી રહ્યા છો - એની મુબારક છે. આગળ સંગમયુગ પૂરો જ જીવતા રહો. બધાં પાક્કા છો એટલે બાપદાદા આવા પાક્કા બાળકોને જોઈ ખુશ છે. દરેક બાળકની વિશેષતાએ બાપના બનાવ્યા છે, એવું કોઈ બાળક નથી જેમાં વિશેષતા ન હોય એટલે બાપદાદા દરેક બાળકની વિશેષતા જોઈ સદા ખુશ થાય છે. નહીં તો કોટોમાં કોઈ, કોઈમાં કોઈ તમે જ કેમ બન્યાં? જરુર કોઈ વિશેષતા છે. કોઈ કયું રત્ન છે, કોઈ કયું? ભિન્ન- ભિન્ન વિશેષતાઓનાં ૯ રત્ન ગવાય છે. દરેક રત્ન વિશેષ વિઘ્ન-વિનાશક હોય છે. તો તમે બધાં પણ વિઘ્ન-વિનાશક છો.

વિદેશી ભાઈ બહેનો ના યાદપ્યાર તથા પત્રોનો રેસ્ પો ન્ડ (જવાબ) આપતાં
બધાં સ્નેહી બાળકોનો સ્નેહ મળ્યો. બધાંનાં દિલનાં ઉમંગ અને ઉત્સાહ બાપની પાસે પહોંચે છે અને જેમ ઉમંગ-ઉત્સાહથી આગળ વધી રહ્યા છો - સદા આગળ વધવા વાળા બાળકો પર બાપદાદા અને પરિવારની વિશેષ બ્લેસિંગ (આશીર્વાદ) છે. આ બ્લેસિંગ દ્વારા આગળ વધતા રહેશો અને બીજાને પણ આગળ વધારતા રહેશો. સારી સેવામાં રેસ કરી રહ્યા છો. જેમ ઉમંગ-ઉત્સાહમાં રેસ કરી રહ્યા છો એમ અવિનાશી ઉન્નતિને પામતા રહો. તો સારો નંબરમાં આગળ જશો. બધાં પોતાનાં નામ, વિશેષતાથી યાદ સ્વીકાર કરજો. હમણાં પણ બધાં બાળકો પોત-પોતાની વિશેષતાથી બાપદાદાની સમ્મુખ છે એટલે પદમગુણા યાદપ્યાર.

દાદી ચંદ્રમણિ એ પંજાબ જવાની છુટ્ટી લીધી
બધાં બાળકોને યાદ પ્યાર પણ આપજો અને વિશેષ સંદેશ આપજો કે ઉડતી કળામાં જાય. બીજાને ઉડાવવા માટે સમર્થ સ્વરુપ ધારણ કરો. કેવા પણ વાતાવરણમાં ઉડતી કળા દ્વારા અનેક આત્માઓને ઉડાવવાનો અનુભવ કરાવી શકો છો. એટલે બધાંને, યાદ અને સેવા સદા સાથે-સાથે ચાલતી રહે, એ વિશેષ સ્મૃતિ અપાવજો. બાકી તો બધાં સિકીલધા છે. સારી વિશેષતાવાળી આત્માઓ છે. બધાંને પોત-પોતાની વિશેષતા થી યાદ-પ્યાર સ્વીકાર થાય. સારું છે ડબલ પાર્ટ ભજવી રહ્યા છો. બેહદની આત્માઓની આ નિશાની છે - જે સમયે જ્યાં આવશ્યકતા છે, ત્યાં પહોંચવું. અચ્છા!

વરદાન :-
સેવામાં વિઘ્નોને ઉન્નતિની સીડી સમજી આગળ વધવા વાળા નિર્વિઘ્ન, સાચાં સેવાધારી ભવ :

સેવા બ્રાહ્મણ જીવનને સદા નિર્વિઘ્ન બનાવવાનું સાધન પણ છે અને પછી સેવામાં જ વિઘ્નોનાં પેપર પણ વધારે આવે છે. નિર્વિઘ્ને સેવાધારી ને સાચાં સેવાધારી કહેવાય છે. વિઘ્ન આવવું એ પણ ડ્રામામાં નોંધ છે. આવવાનાં જ છે અને આવતા જ રહેશે કારણકે આ વિઘ્ન અથવા પેપર અનુભવી બનાવે છે. આને વિઘ્ન ન સમજી અનુભવની ઉન્નતિ થઈ રહી છે - આ ભાવથી જુઓ તો ઉન્નતિની સીડી અનુભવ થશે અને આગળ વધતા રહેશો.

સ્લોગન :-
વિઘ્ન રુપ નહી, વિઘ્ન-વિનાશક બનો.