15-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 21.03.85
બાપદાદા મધુબન
“ સ્વદર્શન ચક્રથી વિજય
ચક્ર ની પ્રાપ્તિ ”
આજ બાપદાદા રુહાની
સેનાપતિ નાં રુપમાં પોતાની રુહાની સેનાને જોઈ રહ્યા છે. આ રુહાની સેનામાં કયા, કયા
મહાવીર છે, કયા શક્તિશાળી શસ્ત્ર ધારણ કરેલાં છે. જેમ શારીરિક શસ્ત્રધારી
દિન-પ્રતિદિન અતિ સુક્ષ્મ અને તીવ્રગતિ નાં શક્તિ સંપન્ન સાધન બનાવતાં જાય છે, એમ
રુહાની સેના અતિસૂક્ષ્મ શક્તિશાળી શસ્ત્રધારી બની છે? જેમ વિનાશકારી આત્માઓએ એક
સ્થાન પર બેસીને કેટલા માઈલ દૂર વિનાશકારી કિરણો દ્વારા વિનાશ કરાવવાનાં માટે સાધન
બનાવી લીધા છે. ત્યાં જવાની પણ આવશ્યકતા નથી. દૂર બેસી નિશાનો લગાવી શકે છે. એમ
રુહાની સેના સ્થાપનાકારી સેના છે. તેઓ વિનાશકારી, તમે સ્થાપનાકારી છો. તેઓ વિનાશનાં
પ્લાન વિચારે તમે નવી રચનાનાં, વિશ્વ પરિવર્તનનાં પ્લાન વિચારો. સ્થાપનાકારી સેના,
એવા તીવ્રગતિ નાં રુહાની સાધન ધારણ કરી લીધા છે? એક સ્થાન પર બેસી જ્યાં ઈચ્છો ત્યાં
રુહાની યાદની કિરણો દ્વારા કોઈ પણ આત્માને અનુભવ કરાવી શકો છો. પરિવર્તન શક્તિ આટલી
તીવ્રગતિ ની સેવા કરવા તૈયાર છે? નોલેજ અર્થાત શક્તિ બધાંને પ્રાપ્ત થઇ રહી છે ને.
નોલેજ ની શક્તિ દ્વારા આવાં શક્તિશાળી શસ્ત્રધારી બન્યાં છો? મહાવીર બન્યાં છો કે
વીર બન્યાં છો? વિજય નું ચક્ર પ્રાપ્ત કરી લીધું છે? શારીરિક સેનાને અનેક પ્રકારનાં
ચક્ર ઇનામમાં મળે છે. તમને બધાં ને સફળતાનું ઈનામ વિજય ચક્ર મળ્યું છે? વિજય
પ્રાપ્ત થઈ પડી છે! એવા નિશ્ચય બુદ્ધિ મહાવીર આત્માઓ વિજય ચક્ર નાં અધિકારી છે.
બાપદાદા જોઈ રહ્યા હતા કે કોને વિજય ચક્ર પ્રાપ્ત છે! સ્વદર્શન ચક્રથી વિજય ચક્ર
પ્રાપ્ત કરો છો. તો બધાં શસ્ત્રધારી બન્યા છો ને! આ રુહાની શસ્ત્રોનું યાદગાર સ્થૂળ
રુપમાં તમારા યાદગાર ચિત્રો માં દેખાડયું છે. દેવીઓનાં ચિત્રોમાં શસ્ત્રધારી દેખાડે
છે ને. પાંડવોને પણ શસ્ત્રધારી દેખાડે છે ને. આ રુહાની શસ્ત્ર અર્થાત રુહાની શક્તિયો
સ્થૂળ શસ્ત્રનાં રુપમાં દેખાડી દીધી છે. હકીકતમાં બધાં બાળકોને બાપદાદા દ્વારા એક જ
સમયે એક જેવાં નોલેજની શક્તિ પ્રાપ્ત થાય છે. અલગ-અલગ નોલેજ નથી આપતાં તો પણ
નંબરવાર કેમ બને છે? બાપદાદાએ ક્યારેય કોઈને અલગ ભણાવ્યું છે શું? સાથે જ ભણતર ભણાવે
છે ને. બધાં ને એક જ ભણતર ભણાવે છે ને, કે કોઈ ગ્રુપને કોઈ ભણતર ભણાવે, કોઈને કોઈ!
અહિયાં ૬ મહિના નો ઈશ્વરીય વિદ્યાર્થી હોય કે ૫૦ વર્ષનો હોય, એક જ ક્લાસ માં બેસે
છે. અલગ-અલગ બેસે છે શું? બાપદાદા એક જ સમયે એક ભણતર અને બધાંને સાથે જ ભણાવે છે.
જો કોઈ પાછળથી પણ આવ્યાં છે તો જે પહેલાં અભ્યાસ ચાલી ગયો છે એજ અભ્યાસ તમે બધાં
હમણાં પણ ભણાવી રહ્યા છો. જે રિવાઇઝ કોર્સ (પુનરાવર્તન) ચાલી રહ્યો છે એજ તમે પણ ભણી
રહ્યા છો કે જૂનાં નો કોર્સ અલગ છે, તમારો અલગ છે? એક જ કોર્સ છે ને. ૪૦ વર્ષ વાળા
માટે અલગ મુરલી અને ૬ મહિના વાળા માટે અલગ મુરલી તો નથી ને. એક જ મુરલી છે ને! ભણતર
એક, ભણાવવા વાળા એક પછી નંબરવાર કેમ થાય છે? કે બધાં નંબરવન છે? નમ્બર કેમ બન્યાં?
કારણ કે ભણતર ભલે બધાં ભણે છે પરંતુ ભણતરની અર્થાત્ જ્ઞાનની એક-એક વાત ને શસ્ત્ર
અથવા શક્તિ નાં રુપમાં ધારણ કરવી, અને જ્ઞાનની વાત ને પોઈન્ટનાં રુપમાં ધારણ કરવી -
આમાં અંતર થઈ જાય છે. કોઈ સાંભળી ને ફક્ત પોઈન્ટ્સનાં રુપમાં બુદ્ધિમાં ધારણ કરે
છે. અને એ ધારણ કરેલી પોઈન્ટ્સ નું વર્ણન પણ બહુ જ સરસ કરે છે. ભાષણ કરવામાં કોર્સ
આપવામાં વધારે કરી હોશિયાર છે. બાપદાદા પણ બાળકોનાં ભાષણ કે કોર્સ કરાવવાને જોઈને
ખુશ થાય છે. ઘણાં બાળકો તો બાપદાદા થી પણ સારું ભાષણ કરે છે. પોઈન્ટ્સ પણ બહુ જ સરસ
વર્ણન કરે છે પરંતુ અંતર એ છે - જ્ઞાન ને પોઈન્ટ્સ ના રુપમાં ધારણ કરવું અને જ્ઞાનની
એક-એક વાત ને શક્તિ નાં રુપમાં ધારણ કરવી - આમાં અંતર પડી જાય છે. જેમ ડ્રામાની
પોઈન્ટ્સ ઉઠાવો. આ બહુ જ મોટું વિજય પ્રાપ્ત કરવાનું શક્તિશાળી શસ્ત્ર છે. જેમને
ડ્રામાનાં જ્ઞાનની શક્તિ પ્રેક્ટિકલ જીવનમાં ધારણ છે એ ક્યારેય પણ હલચલ માં નથી આવી
શકતા. સદા એકરસ અચળ અડોલ બનવાની અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામાંની પોઈન્ટ છે.
શક્તિનાં રુપમાં ધારણ કરવાવાળા ક્યારેય હાર નથી ખાઈ શકતા. પરંતુ જે ફક્ત પોઈન્ટનાં
રુપમાં ધારણ કરે છે એ શું કરે છે? ડ્રામા ની પોઈન્ટ વર્ણન પણ કરશે. હલચલ માં પણ આવી
રહ્યા છે અને ડ્રામાંની પોઈન્ટ પણ બોલી રહ્યા છે. ક્યારેક-ક્યારેક આંખોથી આંસુ પણ
વહાવતાં જાય છે! ખબર નહીં શું થઈ ગયું, ખબર નહીં શું છે. અને ડ્રામા ની પોઈન્ટ પણ
બોલતા જાય છે. હા વિજયી તો બનવાનું જ છે. છું તો વિજયી રત્ન. ડ્રામા યાદ છે પરંતુ
ખબર નહીં શું થઈ ગયું.
તો આને શું કહેશો? શક્તિ નાં રુપ થી, શસ્ત્ર નાં રુપથી ધારણ કર્યું કે ફક્ત પોઈન્ટનાં
રીતે થી ધારણ કર્યું? આવી રીતે જ આત્માનાં પ્રતિ પણ કહેશે છું તો શક્તિશાળી આત્મા,
સર્વશક્તિવાન નું બાળક છું પરંતુ આ વાત બહુ જ મોટી છે. આવી વાત ક્યારેય મેં વિચારી
નહોતી. ક્યાં માસ્ટર સર્વશક્તિવાન આત્મા અને ક્યાં આ બોલ? સારા લાગે છે? તો આને શું
કહેશો? તો એક આત્મા નો પાઠ, પરમાત્મા નો પાઠ, ડ્રામા નો પાઠ, ૮૪ જન્મો નો પાઠ, કેટલા
પાઠ છે? બધાંને શક્તિ અર્થાત શસ્ત્રનાં રુપમાં ધારણ કરવું અર્થાત વિજયી બનવું છે.
ફક્ત પોઈન્ટ ની રીતથી ધારણ કરવું તો ક્યારેક પોઈન્ટ્સ કામ કરે પણ છે ક્યારેક નથી
કરતી. છતાં પણ પોઈન્ટ નાં રુપમાં ધારણ કરવાવાળા સેવામાં વ્યસ્ત હોવાને કારણે અને
પોઈન્ટ્સ નું વારંવાર વર્ણન કરવાનાં કારણે માયાથી સલામત રહે છે. પરંતુ જ્યારે કોઇ
પરિસ્થિતિ કે માયાનું રોયલ રુપ સામે આવે છે તો સદા વિજયી નથી બની સકતા. એજ પોઈન્ટ્સ
વર્ણન કરતાં રહેશે પરંતુ શક્તિ ન હોવાનાં કારણે સદા માયાજીત નથી બની શકતા.
તો સમજ્યા નંબરવાર કેમ બને છે? હવે આ તપાસ કરો કે દરેક જ્ઞાનની પોઈન્ટ્સ શક્તિનાં
રુપથી, શસ્ત્રનાં રુપથી ધારણ કરી? ફક્ત જ્ઞાનવાન બન્યાં છો કે શક્તિશાળી પણ બન્યાં
છો? નોલેજફુલ ની સાથે પાવરફુલ પણ બન્યાં છો કે ફક્ત નોલેજફુલ બન્યાં છો! યથાર્થ
નોલેજ લાઈટ (પ્રકાશ) અને માઈટ (શક્તિ) નું સ્વરુપ છે. એજ રુપથી ધારણ કર્યું છે? જો
સમય પર નોલેજ વિજયી નથી બનાવતું તો નોલેજ ને શક્તિ રુપથી ધારણ નથી કર્યું. જો કોઈ
યોદ્ધા સમય પર શસ્ત્ર કાર્યમાં ન લાવી સકે તો એમને શું કહેશું? મહાવીર કહેશું? આ
નોલેજ ની શક્તિ શેનાં માટે મળી છે? માયાજીત બનવાને માટે મળી છે ને! કે સમય પૂરો થઈ
જાય પછી પોઈન્ટ્સ યાદ કરશો, કરવાનું તો આ હતું, વિચારયુ તો આ હતું. તો આ તપાસ કરો.
હવે ફોર્સનો કોર્સ ક્યાં સુધી કર્યો છે! કોર્સ કરાવવા માટે બધાં તૈયાર છો ને! એવું
કોઈ છે જે કોર્સ નથી કરાવી શકતું! બધાં કરાવી શકે છે અને બહુ પ્રેમથી સરસ રીતથી
કોર્સ કરાવો છો. બાપદાદા જુએ છે કે બહુ જ પ્રેમથી, અથક બનીને, લગન થી કરે છે અને
કરાવે છે. બહુ જ સારા પ્રોગ્રામ કરો છો. તન-મન-ધન લગાડો છો. ત્યારે તો આટલી વૃદ્ધિ
થઈ છે. આ તો ખુબજ સરસ કરો છો. પરતું હવે સમય પ્રમાણ આ તો પસાર કરી લીધું. બાળપણ પૂરું
થયું ને, હવે યુવા અવસ્થામાં છો કે વાનપ્રસ્થમાં છો. ક્યાં સુધી પહોંચ્યા છો? આ
ગ્રુપમાં વધારે કરી નવાં-નવાં છે. પરંતુ વિદેશ સેવા નાં આટલા વર્ષ પુરા થયા તો હવે
બાળપણ નહીં, હવે યુવા સુધી પહોંચી ગયા છો. હવે ફોર્સનો કોર્સ કરો અને કરાવો.
આમ પણ યુવામાં શક્તિ બહુજ હોય છે. યુવા ઉંમર બહુ જ શક્તિશાળી હોય છે. જે ઈચ્છે તે
કરી સકે છે એટલે જુઓ આજકાલની સરકાર પણ યુવા થી ગભરાય છે કારણ કે યુવા ગ્રુપમાં
લૌકિક રુપથી બુદ્ધિની પણ શક્તિ છે તો શરીરની પણ શક્તિ છે. અને અહિયાં તોડ-ફોડ
કરવાવાળા નથી. બનાવવા વાળા છે. તે જોશવાળા છે અને અહીં શાંત સ્વરુપ આત્માઓ છે.
બિગડીને બનાવવાવાળા છે. બધાં નાં દુઃખ દૂર કરવા વાળા છે. તેઓ દુઃખ દેવા વાળા છે અને
તમે દુઃખ દૂર કરવાવાળા છો. દુઃખહર્તા સુખકર્તા. જેવાં બાપ તેવાં બાળકો. સદા દરેક
સંકલ્પ, દરેક આત્મા નાં પ્રતિ કે સ્વ નાં પ્રતિ સુખદાઈ સંકલ્પ છે કારણ કે દુઃખની
દુનિયાથી નિકળી ગયા. હવે દુઃખની દુનિયા માં નથી. દુઃખધામથી સંગમયુગમાં પહોંચી ગયા
છો. પુરષોત્તમ યુગમાં બેઠા છો. તે કળયુગી યુવા છે. તમે સંગમયુગી યુવા છો એટલે હવે આ
સદા સ્વયંમાં જ્ઞાનને શક્તિનાં રુપમાં ધારણ કરો પણ અને કરાવો પણ. જેટલો સ્વયંએ
ફોર્સ નો કોર્સ કરેલો હશે એટલો બીજાઓને પણ કરાવશે. નહિ તો ફક્ત પોઈન્ટ નો કોર્સ
કરાવે છે. હવે કોર્સ ને ફરીથી રિવાઇઝ (પુનરાવર્તન) કરજો, એક-એક પોઈન્ટ માં કઈ-કઈ
શક્તિ છે, કેટલી શક્તિ છે, કયા સમયે કઈ શક્તિનો કયા રુપમાં ઉપયોગ કરી શકો છો, આ
ટ્રેનિંગ સ્વયંને સ્વયં પણ આપી શકો છો. તો આ તપાસ કરો - આત્માનાં પોઈન્ટ રુપી
શક્તિશાળી શસ્ત્ર આખા દિવસમાં પ્રેક્ટિકલ કાર્યમાં લાવ્યા? પોતાની ટ્રેનીંગ પોતે જ
કરી શકો છો કારણ કે નોલેજફુલ તો છો જ. આત્માનાં પ્રતિ પોઈન્ટ્સ નિકાળવાનાં કહે તો
કેટલાં પોઈન્ટ્સ નિકાળશો! બહુ જ છે ને! ભાષણ કરવામાં તો હોશિયાર છો. પરંતુ એક-એક
પોઈન્ટ ને જુઓ પરિસ્થિતિનાં સમયે ક્યાં સુધી કાર્યમાં લાવો છો. આ નહીં વિચારો આમ તો
ઠીક રહીએ, પરંતુ એવી વાત થઈ ગઈ, પરિસ્થિતિ આવી ત્યારે આવું થયું. શસ્ત્ર શેનાં માટે
હોય છે? જ્યારે દુશ્મન આવે છે એનાં માટે હોય છે કે દુશ્મન આવી ગયો એટલે હું હારી ગયો!
માયા આવી ગઈ એટલે ડગમગ થઈ ગયાં! પરંતુ માયા (દુશ્મન) નાં માટે જ તો શસ્ત્ર છે ને!
શક્તિઓ શેનાં માટે ધારણ કરી છે? સમય પર વિજય પામવા માટે શક્તિશાળી બન્યા છો ને! તો
સમજ્યા શું કરવાનું છે? પરસ્પર સારી રુહ-રુહાન કરતા રહો છો. બાપદાદાને બધાં સમાચાર
મળે છે. બાપદાદા તો બાળકોનાં આ ઉમંગને જોઈ ખુશ થાય છે, ભણતર થી પ્રેમ છે. બાપ થી
પ્રેમ છે. સેવા થી પ્રેમ છે પરંતુ ક્યારેક-ક્યારેક જે નાજુક બની જાય છે, શસ્ત્ર છૂટી
જાય છે, એ સમયે એમનો ફોટો નિકાળી પછી એમને જ દેખાડવો જોઈએ. થાય છે થોડા સમય માટે જ
છે, વધારે નથી થતું પરંતુ પછી પણ હંમેશા અર્થાત સદા નિર્વિઘ્ન રહેવું અને વિઘ્ન,
નિર્વિઘ્ન ચાલતાં રહે, ફરક તો છે ને! દોરામાં જેટલી ગાંઠો પડે છે એટલો દોરો કમજોર
થાય છે. જોડાઈ તો જાય છે પરંતુ જોડેલી ચીજ અને આખી ચીજમાં ફરક તો હોય છે ને.
સાંધાવાળી ચીજ સારી લાગશે? તો આ વિઘ્ન આવ્યું પછી નિર્વિઘ્ન બન્યાં ફરી વિઘ્ન આવ્યું,
તૂટ્યું સાંધ્યું તો સાંધો તો થયો ને એટલે પણ આનો પ્રભાવ અવસ્થા પર પડે છે.
કોઈ બહુજ સારા તીવ્ર પુરુષાર્થી પણ છે. નોલેજફુલ, સર્વિસેબુલ પણ છે. બાપદાદા,
પરિવારની નજરમાં પણ છે પરંતુ જોડ઼ તોડ઼ થવાવાળી આત્મા સદા શક્તિશાળી નહી રહેશે.
નાની-નાની વાત પર એને મહેનત કરવી પડશે. ક્યારેક સદા હલકા, હર્ષિત ખુશીમાં નાચવા વાળા
હશે. પરંતુ એવા સદા નજર નહીં આવશે. હશે મહારથી નાં લિસ્ટમાં પરંતુ આવાં સંસ્કારવાળા
કમજોર જરુર રહે છે. આનું કારણ શું હોય છે? આ તોડવા સાંધવાનાં સંસ્કાર એમને અંદરથી
કમજોર કરી દે છે. બહાર થી કોઈ વાત નહિ હશે. બહુ જ સારા દેખાશે એટલે આ સંસ્કાર
ક્યારેય નહીં બનાવતાં. એ નહીં વિચારતાં માયા આવી ગઈ. ચાલી તો રહ્યા છે. પરંતુ આવું
ચાલવું, ક્યારેક તોડવું ક્યારેક સાંધવું આ શું થયું? સદા જોડાયેલા રહે, સદા
નિર્વિઘ્ન રહે, સદા હર્ષિત, સદા છત્રછાયામાં રહે એ અને આ જીવન માં અંતર છે ને એટલે
બાપદાદા કહે છે કોઈ-કોઈની જન્મપત્રી નો કાગળ બિલકુલ જ ચોખ્ખો છે. કોઈ-કોઈ નો
વચ્ચે-વચ્ચે દાગ છે. ભલે દાગ ભૂસે છે પરંતુ એ પણ દેખાય તો છે ને. દાગ હોય જ નહીં.
ચોખ્ખો કાગળ અને દાગ ભૂસેલો કાગળ....સારો કયો લાગશે? ચોખ્ખો કાગળ રાખવાનો આધાર બહુ
જ સહજ છે. ગભરાઈ નહિ જતા આ તો બહુ મુશ્કેલ છે. ના. બહુજ સહજ છે કારણ કે સમય સમીપ આવી
રહ્યો છે. સમયને પણ વિશેષ વરદાન મળેલાં છે. જેટલા જે પાછળ આવે છે એમને સમય પ્રમાણે
એક્સ્ટ્રા લિફ્ટ ની ગિફ્ટ પણ મળે છે. અને હવે તો અવ્યક્ત રુપનો પાર્ટ છે જ વરદાની
પાર્ટ. તો સમયની પણ તમને મદદ છે. આ વ્યક્ત પાર્ટની, અવ્યક્ત સહયોગની પણ મદદ છે. ઝડપી
ગતિનો સમય છે, એની પણ મદદ છે. પહેલા ઇન્વેન્શન (શોધ) નિકળવામાં સમય લાગ્યો. હવે
બન્યું બનાવેલ છે. તમે બન્યાં બનાવેલા પર પહોંચ્યા છો. આ પણ વરદાન ઓછું નથી. જે
પહેલા આવ્યા એમણે માખણ નિકાળ્યું, તમે લોકો માખણ ખાવા માટે પહોંચી ગયા. તો વરદાની
છો ને! ફક્ત થોડુંક એટેન્શન (ધ્યાન) રાખો. બાકી કોઈ મોટી વાત નથી. બધાં પ્રકારની
મદદ તમારી સાથે છે. હમણાં તમને લોકોને મહારથી નિમિત્ત આત્માઓની જેટલી પાલના મળે છે
એટલી પહેલા વાળાઓને નથી મળી. એક-એક ને કેટલી મહેનત કરીને સમય આપે છે. પહેલા જનરલ
પાલના મળી. પરંતુ તમે તો સિકીલધા બની ઉછરી રહ્યા છો. પાલનાનું રિટર્ન (વળતર) પણ આપવા
વાળા છો ને. મુશ્કેલ નથી. ફક્ત એક-એક વાત ને શક્તિનાં રુપથી ઉપયોગ કરવાનું એટેન્શન
રાખો. સમજ્યા! અચ્છા!
સદા મહાવીર બની વિજય છત્રધારી આત્માઓ, સદા જ્ઞાનની શક્તિને સમય પ્રમાણ કાર્યમાં
લાવવા વાળી, સદા અટલ, અચળ અખંડ સ્થિતિ ધારણ કરવા વાળી, સદા સ્વયંને માસ્ટર
સર્વશક્તિવાન અનુભવ કરવા વાળી, એવી શ્રેષ્ઠ સદા માયાજીત વિજયી બાળકોને બાપદાદા નાં
યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ થી :-
અનન્ય રત્નોનાં
દરેક કદમમાં સ્વયંને તો પદ્મોની કમાણી છે પરંતુ બીજાઓને પણ પદ્મોની કમાણી છે. અનન્ય
રત્ન સદેવ દરેક કદમમાં આગળ વધતા જ રહે છે. અનાદિ ચાવી મળેલી છે. ઓટોમેટીક ચાવી છે.
નિમિત્ત બનવું અર્થાત્ ઓટોમેટીક ચાવી લગાડવી. અન્ય રત્નોને અનાદિ ચાવીથી આગળ વધવાનું
જ છે. તમારા બધાં નાં દરેક સંકલ્પમાં સેવા ભરેલી છે. એક નિમિત્ત બને છે અનેક
આત્માઓને ઉમંગ-ઉત્સાહમાં લાવવાં માટે. મહેનત નથી કરવી પડતી પરંતુ નિમિત્ત ને જોવાથી
જ એ લહેર ફેલાઈ જાય છે. જેમ એક-બે ને જોઈને રંગ લાગી જાય છે ને. તો આ ઓટોમેટીક
ઉમંગ-ઉત્સાહ ની લહેર બીજાઓનાં પણ ઉમંગ-ઉત્સાહ ને વધારે છે. આમ પણ કોઈ સારું નૃત્ય
કરે છે તો જોવાવાળા નાં પગ નાચવા લાગે છે, લહેર ફેલાઈ જાય છે. તો ન ઈચ્છતા પણ હાથ
પગ ચાલવા લાગે છે. અચ્છા!
મધુબન નો બધો કારોબાર ઠીક છે. મધુબન નિવાસીઓથી મધુબન સજેલું છે. બાપદાદા તો નિમિત્ત
બાળકોને જોઈ સદા નિશ્ચિંત છે કારણકે બાળકો કેટલા હોશિયાર છે. બાળકો પણ ઓછા નથી.
બાપને બાળકોમાં પૂરો વિશ્વાસ છે તો બાળકો બાપથી પણ આગળ છે. નિમિત્ત બનેલા સદા જ
બાપને પણ નિશ્ચિંત કરવાવાળા છે. આમ ચિંતા તો છે પણ નહીં છતા પણ બાપને ખુશ ખબરી
સંભળાવવાં વાળા છે. આવાં બાળકો ક્યાંય પણ નહીં હોય જે એક-એક બાળક એક-બે થી આગળ હોય,
દરેક બાળક વિશેષ હોય. કોઈનાં આટલા બાળકો આવાં ન હોઈ શકે. કોઈ લડવાવાળા હશે, કોઈ
ભણવાવાળા હશે. અહિયાં તો દરેક વિશેષ મણકા છે, દરેકની વિશેષતા છે.
વરદાન :-
પવિત્રતાની
શક્તિશાળી દ્રષ્ટિ , વૃત્તિ દ્વારા સર્વ પ્રાપ્તિઓ કરાવવા વાળા દુઃખહર્તા સુખકર્તા
ભવ
સાયન્સ (વિજ્ઞાન)
ની દવામાં અલ્પકાળ ની શક્તિ છે જે દુઃખ દર્દને સમાપ્ત કરી લે છે પરંતુ પવિત્રતાની
શક્તિ અર્થાત્ શાંતિની શક્તિમાં તો દુવા ની શક્તિ છે. આ પવિત્રતાની શક્તિશાળી
દ્રષ્ટિ કે વૃત્તિ સદાકાળ ની પ્રાપ્તિ કરાવવા વાળી છે એટલે તમારા જડ ચિત્રોનાં સામે
ઓ દયાળુ ,દયા કરો કહીને દયા કે દુવા માંગે છે. તો જ્યારે ચૈતન્ય માં આવાં માસ્ટર
દુ:ખહર્તા સુખકર્તા બની દયા કરી છે ત્યારે તો ભક્તિમાં પૂજાઓ છો.
સ્લોગન :-
સમયની સમીપતા
પ્રમાણ સાચી તપસ્યા કે સાધના છે જ બેહદ નો વૈરાગ્ય.
જે મહિનાનો ત્રીજો
રવિવાર છે, બધાં સંગઠિત રુપમાં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય યોગ
માં સંમિલિત થઈ, પોતાને અવતરિત થયેલી અવતાર આત્મા છું, આ સ્મૃતિથી શરીરમાં પ્રવેશ
કરો અને શરીર થી ન્યારા થઈ જાઓ. પોતાનાં બીજ સ્વરુપ સ્થિતિમાં બેસી પરમાત્મ શક્તિઓને
વાયુમંડળમાં ફેલાવાની સેવા કરો.