05-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યા છે તમને ગુલ-ગુલ ( ફૂલ ) બનાવવા , તમે ફૂલ બાળકો ક્યારેય કોઈને દુઃખ ન આપી
શકો , સદા સુખ આપતા રહો ”
પ્રશ્ન :-
કઈ એક વાતમાં
આપ બાળકોએ બહુ-બહુ જ ખબરદારી રાખવાની છે?
ઉત્તર :-
મન્સા-વાચા-કર્મણા સ્વયંની જુબાન (જીભ) પર બહુ જ ખબરદારી રાખવાની છે. બુદ્ધિથી
વિકારી દુનિયાની બધી લોકલાજ કુળની મર્યાદાઓ ભૂલવાની છે. સ્વયંની તપાસ કરવાની છે કે
અમે કેટલા દિવ્ય ગુણ ધારણ કર્યા છે? લક્ષ્મી-નારાયણ જેવા સિવિલાઈઝડ (ચરિત્રવાન)
બન્યા છીએ? ક્યાં સુધી ગુલ-ગુલ (ફૂલ) બન્યા છીએ.
ઓમ શાંતિ!
શિવબાબા જાણે
છે આ મારા બાળકો આત્માઓ છે. આપ બાળકોએ આત્મા સમજીને શરીરને ભૂલી શિવબાબાને યાદ
કરવાનાં છે. શિવબાબા કહે છે હું આપ બાળકોને ભણાવું છું. શિવબાબા પણ નિરાકાર છે, તમે
આત્માઓ પણ નિરાકાર છો. અહિયાં આવીને પાર્ટ ભજવો છો. બાપ પણ આવીને પાર્ટ ભજવે છે. આ
પણ તમે જાણો છો ડ્રામા પ્લાન અનુસાર બાપ આપણને આવીને ગુલ-ગુલ બનાંવે છે. તો બધા
અવગુણ ને છોડી ગુણવાન બનવું જોઈએ. ગુણવાન ક્યારેય કોઈને દુઃખ નથી આપતા.
સાંભળ્યું-અણસાંભળ્યું નથી કરતા. કોઈ દુઃખી છે તો તેનું દુઃખ દૂર કરે છે. બાપ પણ આવે
છે તો આખી દુનિયાનાં દુઃખ દૂર થવાના છે. બાપ તો શ્રીમત આપે છે, જેટલું બની શકે
પુરુષાર્થ કરી બધાનાં દુઃખ દૂર કરતા રહો. પુરુષાર્થથી જ સારું પદ મળશે. પુરુષાર્થ
ન કરવાથી પદ ઓછું થઈ જશે. પછી કલ્પ-કલ્પાન્તરની ખોટ પડી જાય છે. બાપ બાળકોને દરેક
વાત સમજાવે છે. બાળકો સ્વયંનું નુકસાન કરે - એ બાપ નથી ઈચ્છતા. દુનિયાવાળા ફાયદા
અને નુકસાનને નથી જાણતા એટલે બાળકોએ સ્વયં પર રહેમ કરવાનું છે. શ્રીમત પર ચાલતા
રહેવાનું છે. ભલે બુદ્ધિ અહીંયા-ત્યાં ભાગે છે તો પણ કોશિશ કરો અમે આવાં બેહદનાં
બાપ ને કેમ નથી યાદ કરતાં, જે યાદથી જ ઊંચ પદ મળે છે. ઓછામાં ઓછુ સ્વર્ગમાં તો જાય
છે. પરંતુ સ્વર્ગમાં ઊંચ પદ પામવાનું છે. બાળકોના મા-બાપ કહે છે ને - અમારા બાળક
સ્કૂલમાં ભણીને ઊંચુ પદ પામે. અહીંયા તો કોઈને પણ ખબર નથી પડતી. તમારા સંબંધીઓ આ નથી
જાણતા કે તમે કયું ભણતર ભણો છો. એ ભણતરમાં તો મિત્ર-સંબંધીઓ બધા જાણે છે, આમાં કોઈ
જાણે છે, કોઈ નથી જાણતું. કોઈનાં બાપ જાણે છે તો ભાઈ-બહેન નથી જાણતા. કોઈકની માં
જાણે છે, તો બાપ નથી જાણતા કારણ કે આ વિચિત્ર ભણતર અને વિચિત્ર ભણાવવા વાળા છે.
નંબરવાર સમજે છે, બાપ સમજાવે છે ભક્તિ તો તમે બહુ જ કરી છે. સો પણ નંબરવાર, જેમણે
બહુજ ભક્તિ કરી છે તે પછી આ જ્ઞાન પણ લે છે. હવે ભક્તિની રીત-રિવાજ પૂરી થાય છે.
પહેલા મીરા માટે કહેવાતું હતું તેણે લોકલાજ કુળની મર્યાદા છોડી. અહીંયા તો તમારે બધી
વિકારી કુળની મર્યાદાઓ છોડવાની છે. બુદ્ધિથી બધાનો સંન્યાસ કરવાનો છે. આ વિકારી
દુનિયામાં કોઈપણ સારું નથી લાગતું. વિકર્મ કરવાવાળા બિલકુલ સારા નથી લાગતા. તેઓ
સ્વયંની તકદીરને જ ખરાબ કરે છે. એવા કોઈ બાપ થોડા હશે જે બાળકો કોઈને હેરાન કરતા
જોઈ પસંદ કરશે અથવા ન ભણતા પસંદ કરશે. આપ બાળકો જાણો છો ત્યાં આવા કોઈ બાળક હોતા નથી.
નામ જ છે દેવી-દેવતા. કેટલું પવિત્ર નામ છે. સ્વયંની તપાસ કરવાની છે - અમારામાં દૈવી
ગુણ છે ? સહનશીલ પણ બનવાનું હોય છે. બુદ્ધિયોગની વાત છે. આ લડાઈ તો બહુજ મીઠી છે.
બાપને યાદ કરવામાં કોઈ લડાઈની વાત નથી. બાકી હા, આમાં માયા વિઘ્ન નાખે છે. તેનાથી
સંભાળ કરવાની છે. માયા પર વિજય તો તમારે જ પામવાનો છે. તમે જાણો છો કલ્પ-કલ્પ આપણે
જે કંઈ કરતા આવ્યા છે, બિલકુલ એક્યુરેટ તેજ પુરુષાર્થ ચાલે છે જે કલ્પ-કલ્પ ચાલતો
આવ્યો છે. તમે જાણો છો હમણાં આપણે પદ્માપદમ ભાગ્યશાળી બનીએ છીએ, ફરી સતયુગમાં અથાહ
સુખી રહીએ છીએ.
કલ્પ-કલ્પ બાપ આવી રીતે જ સમજાવે છે. આ કોઇ નવી વાત નથી, આ તો બહુ જૂની વાત છે. બાપ
તો ઈચ્છે છે બાળકો પુરા ગુલ-ગુલ બને. લૌકિક બાપની પણ દિલ હોય ને - અમારા બાળકો
ગુલ-ગુલ બને. પારલૌકિક બાપ તો આવે જ છે કાંટાને ફૂલ બનાવવા. તો એવા બનવું જોઈએ ને.
મન્સા-વાચા-કર્મણા જુબાન પર પણ બહુ જ ખબરદારી રાખવી જોઈએ. દરેક કર્મેન્દ્રિયો પર બહુ
જ ખબરદારી જોઈએ. માયા બહુ દગો આપવાવાળી છે. તેનાથી પૂરી સંભાળ રાખવાની છે, ઉંચી
મંઝિલ છે. અડધા કલ્પથી ક્રિમિનલ દ્રષ્ટિ (કુદ્રષ્ટિ) બની છે. તેને એક જન્મ માં
સિવિલ (પવિત્ર) બનાવવાની છે. જેમ આ લક્ષ્મી-નારાયણની છે. આ સર્વગુણસંપન્ન છે ને.
ત્યાં ક્રિમિનલ દ્રષ્ટિ (કુદ્રષ્ટિ) હોતી નથી. રાવણ જ નથી. આ કોઈ નવી વાત નથી. તમે
અનેકવાર આ પદ પામ્યું છે. દુનિયાને તો બિલકુલ ખબર નથી કે આ શું ભણે છે. બાપ તમારી
બધી આશાઓ પૂર્ણ કરવા આવે છે. અશુભ આશાઓ રાવણની હોય છે. તમારી છે શુભ આશાઓ. ક્રિમિનલ
(અપવિત્ર) કોઈપણ આશ ન હોવી જોઈએ. બાળકોએ સુખની લહેર માં લહેરાવાનું છે. તમારા અથાહ
સુખોનું વર્ણન નથી કરી શકાતું, દુઃખોનું વર્ણન થાય છે, સુખનું વર્ણન થોડી થાય છે.
આપ સર્વ બાળકોની એક જ આશા છે કે અમે પાવન બનીએ. કેવી રીતે પાવન બનશું? સો તો તમે
જાણો છો કે પાવન બનાવવા વાળા એક બાપ જ છે, એમની યાદથી જ પાવન બનશું. ફર્સ્ટ નંબર નવી
દુનિયામાં પાવન આ દેવી-દેવતા જ છે. પાવન બનવામાં જુઓ તાકાત કેટલી છે. તમે પાવન બની
પાવન દુનિયાનું રાજ્ય પામો છો એટલે કહેવાય છે આ દેવતા ધર્મ માં તાકાત બહુ જ છે. આ
તાકાત ક્યાંથી મળે છે? સર્વશક્તિમાન બાપથી. ઘર-ઘરમાં તમે મુખ્ય બે-ચાર ચિત્ર રાખી
બહુ જ સર્વિસ (સેવા) કરી શકો છો. એ સમયે આવશે, કર્ફ્યુ (બંધ) વગેરે એવું લાગી જશે,
જે તમે ક્યાંય આવી જઈ પણ નહીં શકો.
તમે છો બ્રાહ્મણ સાચી ગીતા સંભળાવવા વાળા. નોલેજ તો બહુ જ સહજ છે, જેમનાં ઘરવાળા બધાં
આવે છે, શાંતિ થઈ જાય છે, એમનાં માટે તો બહુ જ સહજ છે. બે-ચાર મુખ્ય ચિત્ર ઘરમાં
રાખેલા હોય. આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ અને સીડી આ ચિત્ર પણ બહુ છે. એમની સાથે ગીતાનાં
ભગવાન કૃષ્ણ નથી, તે પણ ચિત્ર સારું છે. કેટલું સહજ છે, આમાં કોઈ પૈસા ખર્ચ નથી થતા.
ચિત્ર તો રાખેલા છે. ચિત્રને જોવાથી જ જ્ઞાન સ્મૃતિમાં આવતું રહેશે. ઓરડો બનેલો હોય,
ભલે તમે ત્યાં સૂઈ પણ જાઓ. જો શ્રીમત પર ચાલતા રહો તો તમે ઘણાંનું કલ્યાણ કરી શકો
છો. કલ્યાણ કરતા પણ હશો છતાં પણ બાપ રિમાઈન્ડ (યાદ) કરાવે છે – આમ-આમ તમે કરી શકો
છો. ઠાકોરજીની મૂર્તિ રાખો છો ને. આમાં તો છે સમજાવવાની વાતો. જન્મ-જન્માંતર તમે
ભક્તિમાર્ગમાં મંદિરોમાં ભટકતા રહ્યા છો પરંતુ એ ખબર નથી કે આ કોણ છે? મંદિરોમાં
દેવીઓની પૂજા કરે છે, તેમને પછી પાણીમાં જઈને ડૂબાડે છે. કેટલું અજ્ઞાન છે. પૂજ્યની, પૂજા કરી પછી તેમને ઉઠાવીને સમુદ્રમાં નાખી દે છે. ગણેશને, માં ને , સરસ્વતીને
પણ ડૂબાડે છે. બાપ બેસી બાળકોને કલ્પ-કલ્પ આ વાત સમજાવે છે. રિયલાઇઝ (મહેસુસ) કરાવે
છે - તમે આ શું કરી રહ્યા છો! બાળકોને તો નફરત આવી જોઈએ જ્યારે બાપ આટલું સમજાવતા
રહે છે – મીઠા-મીઠા બાળકો, તમે આ શું કરો છો ! આને કહેવાય જ છે વિષય વૈતરણી નદી. એવું
નથી, ત્યાં કોઈ ક્ષીર સાગર છે પરંતુ દરેક ચીજ ત્યાં અઢળક હોય છે. કોઈ ચીજ પર પૈસા
નથી લાગતા. પૈસા તો ત્યાં હોતા જ નથી. સોનાનાં જ સિક્કા જોવામાં આવે છે જ્યારે
મકાનોમાં જ સોનું લાગે છે, સોનાની ઈંટો લાગે છે. તો સિદ્ધ થાય છે ત્યાં સોનાં-ચાંદીનું મૂલ્ય જ નથી. અહીંયા તો જુઓ કેટલું મૂલ્ય છે. તમે જાણો છો એક-એક વાતમાં વન્ડર
છે. મનુષ્ય તો મનુષ્ય જ છે, આ દેવતા પણ મનુષ્ય છે પરંતુ તેમનું નામ દેવતા છે. તેમની
આગળ મનુષ્ય સ્વયંની ગંદકી જાહેર કરે છે - અમે પાપી નીંચ છીએ, અમારામાં કોઈ ગુણ નથી.
આપ બાળકોની બુદ્ધિમાં લક્ષ્ય-હેતું છે, અમે આ મનુષ્યથી દેવતા બનીએ છીએ. દેવતાઓમાં
દૈવી ગુણ છે. આતો સમજે છે મંદિરોમાં જાય છે પરંતુ એ નથી સમજતા કે આપણ મનુષ્ય છે. અમે
પણ મનુષ્ય છીએ પરંતુ આ દૈવી ગુણ વાળા છે, અમે આસુરી ગુણવાળા છીએ. હમણાં તમારી
બુદ્ધિમાં આવે છે કે અમે કેટલા ના-લાયક હતા. એમની આગળ જઈને ગાતા હતા આપ સર્વ ગુણ
સંપન્ન.. હવે બાપ સમજાવે છે આતો પાસ્ટ (ભૂતકાળ) માં થઈને ગયા છે. તેમનાંમાં દૈવી
ગુણ હતા, અથાહ સુખ હતું. તેજ ફરી અથાહ દુઃખી બને છે. આ સમયે બધામાં ૫ વિકારોની
પ્રવેશતા છે. હવે તમે વિચાર કરો છો, કેવી રીતે અમે ઉપર થી નીચે પડતા-પડતા એકદમ નીચે
આવીને પડ્યા છીએ. ભારતવાસી કેટલા સાહૂકાર હતા. હમણાં તો જુઓ કર્જો ઉપાડતાં રહે છે.
તો આ બધી વાતો બાપ જ બેસીને સમજાવે છે બીજું કોઈ બતાવી ન શકે. ઋષિ-મુનિ પણ નેતી-નેતી
કહેતા હતા અર્થાત્ અમે નથી જાણતા. હવે તમે સમજો છો કે તેઓ તો સાચું કહેતા હતા. ન
બાપને, ન રચનાંનાં આદિ-મધ્ય-અંતને જાણતા હતા. હમણાં પણ કોઈ નથી જાણતું, સિવાય આપ
બાળકોનાં. મોટા-મોટા સન્યાસી, મહાત્માઓ કોઈ નથી જાણતા. હકીકતમાં મહાન આત્મા તો
લક્ષ્મી-નારાયણ છે ને. સદા પવિત્ર છે. આ પણ નહોતા જાણતા તો બીજું કોઈ કેવી રીતે જાણી
શકે. કેટલી સહજ વાતો બાપ સમજાવે છે પરંતુ ઘણાં બાળકો ભૂલી જાય છે. કોઈ સારી રીતે
ગુણ ધારણ કરે છે તો મીઠા લાગે છે. જેટલા બાળકોમાં મીઠા ગુણ દેખાય છે તો દિલમાં ખુશી
થાય છે. કોઈ તો નામ બદનામ કરી દે છે. અહીંયા તો પછી બાપ, શિક્ષક, સદગુરુ છે –
ત્રણેય ની નિંદા કરાવે છે. સત્ત બાપ, સત્ત શિક્ષક અને સત્ત ગુરુની નિંદા કરાવવાથી
પછી ત્રણ ઘણો દંડ પડી જાય છે. પરંતુ કોઈ બાળકોમાં કંઈ પણ સમજ નથી. બાપ સમજાવે છે આવા
પણ હશે જરુર. માયા પણ કંઈ ઓછી નથી. અડધો કલ્પ પાપ આત્મા બનાવે છે. બાપ પછી અડધા
કલ્પ માટે પુણ્ય આત્મા બનાવે છે. તે પણ નંબરવાર બનાવે છે. બનાવવા વાળા પણ બે છે -
રામ અને રાવણ. રામને પરમાત્મા કહેવાય છે. રામ-રામ કહી પછી પાછળથી શિવને નમસ્કાર કરે
છે. એ જ પરમાત્મા છે. પરમાત્મા નાં નામ ગણે છે. તમારે તો ગણવાની આવશ્યકતા નથી. આ
લક્ષ્મી-નારાયણ પવિત્ર હતા ને. એમની દુનિયા હતી, જે ભૂતકાળ થઇ ગઈ છે. તેને સ્વર્ગ
નવી દુનિયા કહેવાય છે. પછી જેમ જૂનું મકાન થાય છે તો તૂટવાને લાયક બની જાય છે. આ
દુનિયા પણ આવી જ છે. હમણાં છે કલયુગ નો અંત. કેટલી સહજ વાતો છે સમજવાની. ધારણ કરવું
અને કરાવવાનું છે. બાપ તો બધાને સમજાવવા માટે નહીં જાય. આપ બાળકો ઓન ગોડલી સર્વિસ (ઈશ્વરીય
સેવા પર) છો. બાપ જે સર્વિસ (સેવા) શીખવાડે છે, તે સર્વિસ કરવાની છે. તમારી છે ગોડલી
સર્વિસ ઓનલી (ઈશ્વરીય સેવા ફક્ત). તમારું નામ ઉંચુ કરવા માટે બાબાએ કળશ તમને માતાઓને
આપ્યો છે. એવું નથી કે પુરુષોને નથી મળતો. મળે તો બધાને છે. હમણાં આપ બાળકો જાણો છો
આપણે કેટલા સુખી સ્વર્ગવાસી હતા, ત્યાં કોઈ દુઃખી નહોતા. હમણાં છે સંગમયુગ ફરી આપણે
તે નવી દુનિયાનાં માલિક બની રહ્યા છીએ. હમણાં છે કળયુગ જુની પતિત દુનિયા. બિલકુલ જ
જાણે ભેંસ બુદ્ધિ મનુષ્ય છે. હવે તો આ બધી વાતોને ભૂલવી પડે છે. દેહ સહિત દેહનાં
સર્વ સંબંધોને છોડી સ્વયંને આત્મા સમજવાનું છે. શરીરમાં આત્મા નથી તો શરીર કંઈ પણ
કરી નહીં શકે. એ શરીર પર કેટલો મોહ રાખે છે, શરીર બળી ગયું, આત્માએ જઈને બીજું શરીર
લીધું તો પણ ૧૨ મહિના જાણે હાય હુસૈન મચાવતા રહે છે. હમણાં તમારી આત્મા શરીર છોડશે
તો જરુર ઉંચ ઘરમાં જન્મ લેશે નંબરવાર. ઓછા જ્ઞાનવાળા સાધારણ કુળમાં જન્મ લેશે, ઉંચ
જ્ઞાન વાળા ઉંચ કુળમાં જન્મ લેશે. ત્યાં સુખ પણ બહુ જ હોય છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે
સંભળાવે છે એને સાંભળ્યું - અણસાંભળ્યું નથી કરવાનું. ગુણવાન બની બધાને સુખ આપવાનું
છે. પુરૂષાર્થ કરી સૌનાં દુઃખ દૂર કરવાનાં છે.
2. વિકારોનાં વશ થઈને કોઈ પણ વિકર્મ નથી કરવાનાં. સહનશીલ બનવાનું છે. કોઈપણ
ક્રિમિનલ (અશુદ્ધ વિકારી) આશ નથી રાખવાની.
વરદાન :-
હું પણ ને “
બાબા ” માં સમાવી દેવા વાળા નિરંતર યોગી , સહજ યોગી ભવ :
જે બાળકો નો બાપથી
દરેક શ્વાસ માં પ્રેમ છે, દરેક શ્વાસમાં બાબા-બાબા છે. એમને યોગની મહેનત નથી કરવી
પડતી. યાદ નું પ્રુફ (પ્રમાણ) છે - ક્યારેય મુખથી “હું” શબ્દ નહી નિકળી શકે.
બાબા-બાબા જ નિકળશે.” હું પણું” બાબા માં સમાઈ જાય. બાબા બેકબોન છે, બાબાએ કરાવ્યું,
બાબા સદા સાથે છે, તમારી સાથે જ રહેવું, ખાવું, ચાલવું, ફરવું..... આ ઈમર્જ રુપમાં
સ્મૃતિ રહે ત્યારે કહેવાશે સહજયોગી.
સ્લોગન :-
હું - હું કરવું
એટલે માયારુપી બિલાડી નું આહવાન કરવું.