02-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
મીઠા બાળકો - આ
વન્ડરફુલ સત્સંગ છે જ્યાં તમને જીવતે જીવ જ મરવાનું શીખવાડે છે. જીવતે જીવ મરવા વાળા
જ હંસ બને છે.
પ્રશ્ન :-
આપ બાળકોને
હમણાં કઈ એક ચિંતા છે ?
ઉત્તર :-
આપણે વિનાશનાં
પહેલા સંપન્ન બનવાનું છે. જે બાળકો જ્ઞાન અને યોગમાં મજબૂત થતા જાય છે, તેમણે
મનુષ્યથી દેવતા બનાવવાની હોબી (આદત) થતી જાય છે. તેઓ સર્વિસ વગર રહી નથી શકતા.
જિન્ન ની જેમ ભાગતા રહેશે. સર્વિસ ની સાથે-સાથે સ્વયંને પણ સંપન્ન બનવાની ચિંતા હશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસીને રુહાની બાળકો ને સમજાવે છે - રુહ હમણાં સાકાર માં છે અને પછી પ્રજાપિતા
બ્રહ્મા ની સંતાન છે કારણકે એડોપ્ટ કરેલા છે. તમારા માટે બધા કહે છે આ ભાઈ-બહેન
બનાવે છે. બાળકોને બાપએ સમજાવ્યું છે કે અસલમાં આપ આત્માઓ ભાઈ-ભાઈ છો. હવે નવી
સૃષ્ટિ બને છે તો પહેલા-પહેલા બ્રાહ્મણ ચોટી જોઈએ. તમે શુદ્ર હતા, હવે ટ્રાન્સફર થયા
છો. બ્રાહ્મણ પણ તો જોઈએ જરૂર. પ્રજાપિતા બ્રહ્માનું નામ તો પ્રખ્યાત છે. આ હિસાબથી
તમે સમજો છો અમે બધા બાળકો ભાઈ-બહેન થયા. જે પણ સ્વયંને બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી
કહે છે. તે જરૂર ભાઈ-બહેન થયા. બધા પ્રજાપિતા બ્રહ્માની સંતાન છે તો ભાઈ-બહેન જરૂર
થવા જોઈએ. આ સમજાવાનું છે બેસમજને. બેસમજ પણ છે અને પછી અંધ વિશ્વાસ પણ છે. જેમની
પૂજા કરે છે, વિશ્વાસ પણ રાખે છે, આ ફલાણા છે, પરંતુ તેમને જાણતા કંઈ પણ નથી.
લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે પરંતુ તેઓ ક્યારે આવે છે, કેવી રીતે બને છે, પછી ક્યાં
ગયા? કંઈ પણ જાણતા નથી. કોઈ પણ મનુષ્ય નેહરુ વગેરેને જાણે છે, તો તેમની
હિસ્ટ્રી-જોગ્રાફ્રી ની બધી ખબર છે. જો બાયોગ્રાફી ને નથી જાણતા તો તે શું કામનું.
પૂજા કરે છે, પરતું તેમની જીવન કહાનીને નથી જાણતા. મનુષ્યની જીવન કહાનીને તો જાણે
છે પરંતુ જે મહાન થઈ ગયાં છે, તેમની એકની પણ જીવન કહાની નથી જાણતા. શિવ ના કેટલા બધા
પૂજારી છે. પૂજા કરે છે, પછી મુખથી કહી દે આ તો પથ્થર-ભિત્તરમાં છે, કણ-કણમાં છે.
શું આ જીવન કહાની કહેવાય? આતો અક્કલની વાત ન થઈ. સ્વયંને પણ પતિત કહે છે. પતિત
અક્ષર કેટલો બન્ધ બેસતો છે. પતિત એટલે વિકારી. તમે સમજાવી શકો છો કે અમેં
બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી કેમ કહેવાયે છે? કારણકે બ્રહ્માની સંતાન છીએ અને
એડોપ્ટડ છીએ. અમે કુંખ વંશાવલી નથી, મુખ વંશાવલી છીએ. બ્રાહ્મણ-બ્રાહ્મણીઓં તો
ભાઈ-બહેન થયાને. તો તેમની એકબીજામાં ક્રિમિનલ આંખ હોઈ ન શકે. ખરાબ વિચાર મુખ્ય છે જ
કામ વિકારના. તમે કહો છો અમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઈ-બહેન બનીએ છીએ. તમે સમજો
છો અમેં બધા છીએ શિવબાબાની સંતાન ભાઈ-ભાઈ. આ પણ પાક્કું છે. દુનિયાને કંઈ પણ ખબર નથી.
એમજ ફક્ત કહી દે છે. તમે સમજાવી શકો છો બધી આત્માઓના બાપ તે એક છે. તેમને બધા પુકારે
છે. તમે ચિત્ર પણ દેખાડયા છે. મોટા-મોટા ધર્મોવાળા પણ આ નિરાકાર બાપને માને છે. તે
છે નિરાકાર આત્માઓનો બાપ અને પછી સાકારમાં બધાનાં બાપ પ્રજાપિતા બ્રહ્મા છે જેનાથી
વૃદ્ધિ થતી રહે છે, ઝાડ વધતું જાય છે. ભિન્ન-ભિન્ન ધર્મોમાં આવતા જતા રહે છે. આત્મા
તો આ શરીર થી ન્યારી છે. શરીરને જોઇને કહે છે - આ અમેરિકન છે, આ ફલાણા છે. આત્માને
તો નથી કહેતા. આત્માઓ બધી શાંતિધામમાં રહે છે. ત્યાંથી આવે છે પાર્ટ ભજવવા. તમે
કોઈપણ ધર્મવાળાને સંભળાવો, પુનર્જન્મ તો બધા લે છે અને ઉપરથી પણ નવી આત્માઓ આવતી રહે
છે. તો બાપ સમજાવે છે - તમે પણ મનુષ્ય છો, મનુષ્યને જ તો સૃષ્ટિના આદિ - મધ્ય –
અન્ત ની ખબર હોવી જોઈએ કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આના રચયિતા કોણ છે, કેટલો
સમય આને ફરવામાં લાગે છે? આ તમે જ જાણો છો, દેવતાઓ તો નથી જાણતાં. મનુષ્ય જ જાણીને
ફરી દેવતા બને છે. મનુષ્યને દેવતા બનાવા વાળા છે બાપ. બાપ પોતાનો અને રચનાનો પણ
પરિચય આપે છે. તમે જાણો છો આપણે બીજરૂપ બાપનાં બીજરૂપ બાળકો છીએ. જેમ બાપ આ ઉલટા
વૃક્ષને જાણે છે, તેમ આપણે પણ જાણી ગયા છે. મનુષ્ય મનુષ્યને ક્યારેય આ સમજાવી ન શકે.
પરંતુ તમને બાપએ સમજાવ્યુ છે.
જ્યાં સુધી તમે બ્રહ્માનાં બાળકો નથી બન્યા ત્યાં સુધી અહીંયા આવી નથી શકતા. જ્યાં
સુધી પુરા કોર્સને સમજતા નથી ત્યાં સુધી આ બ્રાહ્મણોની સભામાં બેસાડી કેવી રીતે શકો.
આને ઇન્દ્ર સભા પણ કહે છે. ઇન્દ્ર કંઈ તે પાણીનો વરસાદ નથી વરસાવતા. ‘ઇન્દ્ર સભા’
કહેવાય છે. પરી પણ તમારે બનવાનું છે. અનેક પ્રકારની પરિ ઓળખાય છે. કોઈ બાળક સરસ
શોભાઈમાન હોઈ તો કહેવાય છેને આ તો જાણે પરી છે. પાઉડર વગેરે લગાવીને સુંદર બની જાય
છે. સતયુગમાં તમેં બનો છો પરી, પરીજાદે. હમણાં તમે જ્ઞાન સાગરમાં, જ્ઞાન સ્નાન
કરવાથી પરી (દેવી દેવતા) બની જાઓ છો. તમે જાણો છો અમે શું હતા અને શું બની રહ્યા
છે. જે સદા પવિત્ર બાપ છે, સદા ખૂબસૂરત છે, તે મુસાફિર તમને આવા બનાવા માટે શ્યામ
તન માં પ્રવેશ કરે છે. હવે ગોરા કોણ બનાવે? બાબાએ બનાવવા પડે ને. સૃષ્ટિનું ચક્ર તો
ફરવાનું છે. હવે તમારે ગોરા બનવાનું છે. ભણાવવા વાળા જ્ઞાન સાગર એક જ બાપ છે.
જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે. તે બાપની જે મહિમા ગવાય છે, તે લૌકિક બાપની થોડી થઈ
શકે છે. બેહદના બાપની જ મહિમા છે. તેમને જ બધા પોકારે કે અમને આવી મહિમાવાળા આવીને
બનાવો. હવે તમે બની રહ્યા છો ને, નંબરવાર પુરુષાર્થ અનુસાર. ભણવામાં બધા એક રસ નથી
હોતા. રાત-દિવસનો ફરક રહે છે ને. તમારી પાસે પણ ઘણા આવશે. બ્રાહ્મણ જરૂર બનવાનું
છે. પછી કોઈ સારી રીતે ભણે છે, કોઈ ઓછું. જે ભણવામાં સૌથી સારા હશે તે બીજાને પણ
ભણાવી શકશે. તમે સમજી શકો છો, આટલી કોલેજો નીકળતી રહે છે. બાબા પણ કહે છે કે કોલેજ
એવી બનાવો કે જે કોઈ પણ સમજી શકે કે આ કોલેજમાં રચતા અને રચનાનાં આદિ, મધ્ય અને અંત
નું નોલેજ મળે છે. બાપ ભારતમાં જ આવે છે તો ભારતમાં જ કોલેજ ખુલતી રહે છે. આગળ જઈને
વિદેશમાં પણ ખુલતી જશે. ઘણી કોલેજ, યુનિવર્સિટી જોઈએ ને. જ્યાં ઘણા આવીને ભણશે પછી
જ્યાંરે પણ ભણતર પૂરું થશે તો દેવી-દેવતા ધર્મમાં બધા ટ્રાન્સફર થઇ જશે અર્થાત
મનુષ્યથી દેવતા બની જશે. તમે મનુષ્યથી દેવતા બનો છો ને. ગાયન પણ છે - મનુષ્યસે દેવતા
કિયે........અહીંયા આ છે મનુષ્યની દુનિયા, તે છે દેવતાઓની દુનિયા. દેવતાઓ અને
મનુષ્યમાં રાત-દિવસનો ફરક છે! દિવસમાં છે દેવતાઓ, રાતમાં છે મનુષ્ય .બધા ભક્ત જ
ભક્ત છે, પુજારી છે. હવે તમે પુજારી થી પૂજ્ય બનો છો. સતયુગમાં શાસ્ત્ર, ભક્તિ વગેરે
નું નામ નથી હોતું. ત્યાં છે બધા દેવતા. મનુષ્ય હોય છે ભક્ત. મનુષ્ય જ ફરી દેવતા બને
છે. તે છે દેવી દુનિયા, આને કહેવાય છે આસુરી દુનિયા. રામ રાજ્ય અને રાવણ રાજ્ય.
પહેલા તમારી બુદ્ધિ માં થોડી હતું કે રાવણ રાજ્ય કોને કેહવાય છે? રાવણ ક્યારે આવ્યો?
કંઈ પણ ખબર નથી હોતી. કહે છે કે લંકા સમુદ્રમાં ડૂબી ગઇ. તેમ જ પછી દ્વારકા માટે પણ
કહે છે. હવે તમે જાણો છો કે આ આખી લંકા ડૂબવાની છે, આખી દુનિયા પણ બેહદ ની લંકા છે.
આ આખી ડૂબી જશે, પાણી આવી જશે. બાકી સ્વર્ગ કંઈ ડૂબે થોડુ છે. કેટલું અથાહ ધન હતું.
બાપએ સમજાવ્યુ છે એક જ સોમનાથ નાં મંદિર ને મુસલમાનોએ કેટલું લુંટ્યું. હમણાં જુવો
કાંઈ નથી રહ્યું. ભારતમાં કેટલું અથાહ ધન હતું. ભારતને જ સ્વર્ગ કહેવાય છે. હવે
સ્વર્ગ કહેવાશે? હમણાં તો નર્ક છે, ફરી સ્વર્ગ બનશે. સ્વર્ગ કોણ, નર્ક કોણ બનાવે
છે? આ હવે તમે જાણી ગયા છો. રાવણ રાજ્ય કેટલો સમય ચાલે છે, તે પણ બતાવ્યું છે. રાવણ
રાજ્યમાં કેટલા બધા ધર્મ થઈ જાય છે. રામરાજ્યમાં તો ફક્ત-સૂર્યવંશી ચંદ્રવંશી રહેં
છે. હમણાં તમે ભણી રહ્યા છો. આ ભણતર બીજા કોઈની બુદ્ધિમાં નથી. તેઓ તો છે જ રાવણ
રાજયમાં. રામરાજ્ય હોય છે સતયુગમાં. બાપ કહે છે હું તમને લાયક બનાવું છું. પછી તમે
ન લાયક બની જાઓ છો. ન લાયક કેમ કહે છે? કારણ કે પતીત બની જાઓ છો. દેવતાઓની લાયકીની
મહિમા અને પોતાની ન લાયકીની મહિમા ગાએ છે.
બાપ સમજાવે છે - તમે જયારે પૂજ્ય હતા તો નવી દુનિયા હતી. બહુજ થોડા મનુષ્ય હતા. આખા
વિશ્વના તમે જ માલિક હતાં. હવે તમને ખુશી બહુજ હોવી જોઈએ. ભાઈ-બહેન તો બનો છો ને.
તે લોકો કહે છે આ ઘર તોડાવે છે. તેઓ જ ફરી આવીને જ્યારે શિક્ષા લે છે તો અહિયાં
આવીને સમજે છે કે નોલેજ તો બહુજ સરસ છે. અર્થ સમજે છે ને. ભાઈ-બહેન વગર પવિત્રતા
ક્યાંથી આવશે. બધો આધાર પવિત્રતા પર જ છે. બાપ આવે છે મગધ દેશમાં, જે બહુજ નીચે
આવેલો દેશ છે, બહુજ પતિત છે, ખાન-પાન પણ ગંદુ છે. બાપ કહે છે કે હું ઘણા જન્મોનાં
અંત વાળા શરીરમાં જ પ્રવેશ કરું છું. આ જ ૮૪ જન્મ લે છે. લાસ્ટ સો ફરી ફર્સ્ટ,
ફર્સ્ટ સો લાસ્ટ. ઉદાહરણ તો એક નું બતાવશે ને. તમારી ડિનાયસ્ટી બનવાની છે. જેટલું
સારી રીતે સમજતા જશો, પછી તમારી પાસે બહુજ બધા આવશે. હમણાં તો આ બહુ જ નાનું ઝાડ
છે. તોફાન પણ બહુ જ લાગે છે. સતયુગમાં તોફાનો ની વાત જ નથી. ઉપરથી નવી-નવી આત્માઓ
આવતી રહેં છે. અહીંયા તો તોફાન આવતા જ પડી જાય છે. ત્યાં તો માયાના તોફાન હોતા જ નથી.
અહીંયા તો બેઠા-બેઠા મરી જાય છે અને પાછી તમારી માયાની સાથે યુદ્ધ છે, તો તે પણ
હેરાન કરે છે. સતયુગમાં આ નહીં થાય. બીજા કોઈ ધર્મમાં આવી વાત હોતી નથી. રાવણ રાજય
અને રામ રાજ્યને બીજા કોઈ સમજતા નથી. ભલે સત્સંગમાં જાય છે, ત્યાં મરવા-જીવવાની વાત
નથી થતી. અહિયાં બાળકો એડોપ્ટ થાય છે. કહે છે કે અમે શિવબાબાનાં બાળક છીએ, તેમનાથી
વારસો લઈએ છે. લેતા-લેતા પછી નીચે પડે છે, તો વારસો પણ ખલાસ. હંસ ને બદલે બગલા બની
જાય છે. તો પણ બાપ રહેમદિલ છે તો સમજાવતા રહે છે. તો કોઈ ફરી ચઢી જાય છે. જે સ્થિર
રહે છે, તે કહેવાશે મહાવીર, હનુમાન. તમે છો મહાવીર-મહાવીરની. નંબરવાર તો છે જ. સૌથી
પહેલવાન ને મહાવીર કહે છે. આદિદેવને પણ મહાવીર કહે છે, જેનાથી આ મહાવીર જન્મે છે જે
વિશ્વ પર રાજ્ય કરે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે
પુરુષાર્થ કરતા રહે છે. રાવણ છે ૫ વિકાર. આ તો સમજની વાત છે. હવે તમારી બુદ્ધિનું
તાળું બાપ ખોલે છે. પછી તાળું એકદમ બંધ થઈ જાય છે. અહિયા પણ એવાં છે જેમનું તાળું
ખુલે છે તે જઈને સર્વિસ કરે છે. બાપ કહે છે જઈને સર્વિસ કરો, ગટરમાં જે પડ્યા છે,
તેમને નીકળો. એવું નહિ તમે પણ ગટરમાં પડો. તમે બહાર નીકળો અને બીજાને પણ નીકાળો.
વિષય વૈતરણી નદીમાં અપરંપાર દુઃખ છે. હવે અપરંપાર સુખમાં જવાનું છે. જે અપરંપાર સુખ
આપે છે, તેમની મહિમા ગવાય છે. રાવણ જે દુઃખ આપે છે તેની મહિમા થશે કે? રાવણને
કહેવાય છે અસુર. બાપ કહે છે તમે રાવણ રાજ્યમાં હતા, હવે અપાર સુખ પામવા માટે તમે અહી
આવ્યા છો. તમને કેટલા અપાર સુખ મળે છે. ખુશી કેટલી રહેવી જોઈએ અને ખબરદારી પણ રહેવી
જોઈંએ. પોજીસન તો નંબરવાર.હોય છે. દરેક એક્ટર્સ ની પોઝિશન અલગ છે. બધામા તો ઈશ્વર
હોઈ ન શકે. બાપ દરેક વાત બેસી ને સમજાવે છે. આપ બાપને અને રચનાના આદિ-મધ્ય-અન્તને
જાણી જાઓ છો નંબરવાર પુરષાર્થ. નંબરવાર ભણતર અનુસાર માર્ક મળે છે. આ છે બેહદનું
ભણતર, આમાં બાળકોને બહુજ એટેન્શન હોવું જોઈંએ. ભણવાનું એક દિવસ પણ મીસ ન થાય. આપણે
છીએ સ્ટુડન્ટ, ગોડફાધર ભણાવે છે - આ નશો બાળકોને ચઢ્યો રહેવો જોઈએ. ભગવાનુવાચ, ફક્ત
તેઓએ નામ બદલીને કૃષ્ણનું નામ રાખી દીધું છે. ભૂલથી કૃષ્ણ ભગવાનુવાચ એમ સમજી લીધું
છે કારણકે કૃષ્ણ થયા નેક્સ્ટ ટુ ગોડ. સ્વર્ગ જે બાપ સ્થાપન કરે છે એમાં નંબરવન આ છે
ને. આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર પોતાનું પણ કલ્યાણ કરે
છે બીજાનું પણ કલ્યાણ કરતા રહે છે, તેમને સર્વિસ વગર ક્યારેય સુખ નથી લાગતું.
આપ બાળકો યોગ અને જ્ઞાનમાં મજબૂત થઈ જશો તો કામ એવી રીતે કરશો જેમ કે જીન્ન.
મનુષ્યથી દેવતા બનાવવાની આદત પડી જશે છે. મોત નાં પહેલા જ પાસ થવાનું છે. સર્વિસ
બહુજ કરવાની છે. અંતમાં તો લડાઇ લાગશે. કુદરતી આફતો પણ આવશે.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) લાસ્ટ સો
ફાસ્ટ જવા માટે મહાવીર બની પુરુષાર્થ કરવાનો છે. માયા નાં તોફાનો માં હલવાનું નથી.
બાપ સમાન રહેમદીલ બની મનુષ્યની બુદ્ધિનું તાળું ખોલવાની સેવા કરવાની છે.
2) જ્ઞાન સાગરમાં રોજ
જ્ઞાન સ્નાન કરી પરીજાદા બનવાનું છે. એક દિવસ પણ ભણવાનું મીસ નથી કરવાનું. ભગવાનના
આપણે વિદ્યાર્થી છીએ - આ નશામાં રહેવાનું છે..
વરદાન :-
દિલથી “મારા
બાબા” કહી ને સાચો સૌદો કરવાવાળા સરેન્ડર તથા મરજીવા ભવ.
બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી બનવું એટલે સરેન્ડર થવું. જયારે દિલથી કહો છો “મારા બાબા”
તો બાબા પણ કહે છે બાળકો બધુંજ તમારું. ચાહે પ્રવૃત્તિમાં છો, ચાહે સેન્ટર પર છો
પરતું જેમણે દિલથી કહ્યું મારા બાબા, તો બાપએ પોતાના બનાવી લીધા, આ દિલનો સોદો છે,
મુખનો સ્થૂળ સોદો નથી. સરેન્ડર એટલે શ્રીમત ની અંદર રહેવાવાળા. આવા સરેન્ડર થવા વાળા
જ મરજીવા બ્રાહ્મણ છે.
સ્લોગન :-
સમજો મારા
શબ્દથી પ્રેમ છે તો અનેક મારાને એક મારા બાબા માં સમાવી દો.