11-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - બેહદ ની સ્કોલરશીપ લેવી હોય તો અભ્યાસ કરો – એક બાપના સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે”

પ્રશ્ન :-
બાપના બન્યા પછી પણ જો ખુશી નથી રહેતી તો તેનું કારણ શું છે?

ઉત્તર :-
૧. બુદ્ધિમાં પૂરું જ્ઞાન નથી રહેતું. ૨. બાપને યથાર્થ રીતે યાદ નથી કરતા. યાદ ન કરવાના કારણે માયા દગો દે છે એટલે ખુશી નથી રહેતી. આપ બાળકોની બુદ્ધિમાં નશો રહે - બાપ અમને વિશ્વનાં માલિક બનાવે છે, તો સદા ઉલ્લાસ અને ખુશી રહેશે. બાપનો જે વારસો છે – પવિત્રતા, સુખ અને શાંતિ, એમાં ભરપૂર બનો તો ખુશી રહેશે.

ઓમ શાંતિ!
ઓમ શાંતિ નો અર્થ તો બાળકોને સારી રીતે ખબર છે – હું આત્મા, આ મારું શરીર. આ સારી રીતે યાદ કરો. ભગવાન એટલે આત્માઓ નાં બાપ આપણને ભણાવે છે. આવું ક્યારેય સાંભળ્યું છે? તેઓ તો સમજે છે કૃષ્ણ ભણાવે છે, પરંતુ તેમનું તો નામ-રૂપ છે ને. આ તો ભણાવવા વાળા છે નિરાકાર બાપ. આત્મા સાંભળે છે અને પરમાત્મા સંભળાવે છે. આ નવી વાત છે ને. વિનાશતો થવાનો જ છે ને. એક છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બીજી છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. પહેલા તમે પણ કહેતા હતા ઈશ્વર સર્વવ્યાપી છે, પથ્થર-ભિત્તર માં છે. આ બધી વાતોને સારી રીતે સમજવાનું છે. આતો સમજાવ્યું છે આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આત્મા ક્યારેય ઘટતી-વધતી નથી. તે છે આટલી નાની આત્મા, આટલી નાની આત્મા જ ૮૪ જન્મ લઈને બધા પાર્ટ ભજવે છે. આત્મા શરીરને ચલાવે છે. ઊંચેથી ઊંચાં બાપ ભણાવે છે તો જરૂર પદ પણ ઊંચું મળશે ને. આત્મા જ ભણીને પદ પ્રાપ્ત કરે છે. આત્મા કંઈ દેખાતી નથી. ઘણા કોશિશ કરે છે કે જોઈએ આત્મા કેવી રીતે આવે છે, ક્યાંથી નીકળે છે? પરંતુ ખબર નથી પડતી. સમજો કોઈ જોવે તો પણ સમજી નહીં શકશે. આ તો તમે સમજો છો આત્મા જ શરીરમાં નિવાસ કરે છે. આત્મા અલગ છે, જીવ અલગ છે. આત્મા નાની-મોટી નથી થતી. જીવ નાનાથી મોટો થાય છે. આત્મા જ પતિત અને પાવન બને છે. આત્મા જ બાપ ને બોલાવે છે – હેં પતિત આત્માઓને પાવન બનાવવા વાળા બાબા આવો. આ પણ સમજાવ્યું છે – દરેક આત્માઓ છે બ્રાઈડઝ (સીતાઓ) અને તે છે રામ. બ્રાઈડઝગ્રૂમ (રામ) એક છે. તે લોકો પછી બધાને રામ કહી દે છે. હવે રામ બધા માં પ્રવેશ કરે, આ તો થઇ ન શકે. આ બુદ્ધિ માં ઉલટુ જ્ઞાન હોવાને કારણે જ નીચે ઉતરતા આવ્યા છે કારણકે બહુજ ગ્લાનિ કરે છે, પાપ કરે છે, દીફેમ (બદનામ) કરે છે. બાપ ની અતિશય નિંદા કરી છે. બાળકો ક્યારેય બાપની ગ્લાનિ કરશે કે? પરંતુ આજકાલ બગડે છે તો બાપ ને પણ ગાળો આપવા લાગે છે. આ તો છે બેહદ ના બાપ. આત્મા જ બેહદના બાપની ગ્લાનિ કરે છે – બાબા તમે કચ્છ-મચ્છ અવતાર છો. કૃષ્ણની પણ ગ્લાનિ કરી છે - રાણીઓને ભગાવી, આ કર્યું, માખણ ચોર્યું. હવે માખણ વગેરે ચોરવાની એમને ક્યાં આવશ્યકતા છે. કેટલા તમોપ્રધાન બુદ્ધિ બની પડ્યા છે. બાપ કહે છે હું આવીને તમને પાવન બનાવવાની બહુ જ સહજ યુક્તિ બતાવું છુ. બાપ જ પતિત-પાવન સર્વશક્તિમાન ઓથોરિટી છે. જેમ સાધુ-સંત વગેરે જે પણ છે, તેમને શાસ્ત્રોની ઓથોરિટી કહે છે. શંકરાચાર્યને પણ વેદો-શાસ્ત્રો વગેરેની ઓથોરિટી કહેશે, તેમનો કેટલો ભપકો હોય છે. શિવાચાર્ય નો તો કોઈ ભપકો નથી, તેમની સાથે કોઈ પલટન નથી. આ તો બેસીને બધા વેદો-શાસ્ત્રોનો સાર સંભળાવે છે. જો શિવબાબા ભપકો દેખાડે તો પહેલા આમનો (બ્રહ્માનો) પણ ભપકો જોઈએ. પરંતુ નથી. બાપ કહે છે હું તો આપ બાળકોનો સેવક છું. બાપ આમનામાં પ્રવેશ કરી બાળકોને સમજાવે છે કે બાળકો તમે પતિત બન્યા છો. તમે પાવન બની ફરી ૮૪ જન્મોના પછી પતિત બની ગયા છો. આમની જ હિસ્ટ્રી-જોગ્રાફી ફરીથી રિપીટ થશે. આમણે જ ૮૪ જન્મ ભોગવ્યા છે. પછી તેમને જ સતોપ્રધાન બનવાની યુક્તિ બતાવે છે. બાપ જ સર્વશક્તિમાન છે. બ્રહ્મા દ્વારા બધા વેદો-શાસ્ત્રોનો સાર સમજાવે છે. ચિત્રોમાં બ્રહ્માને શાસ્ત્ર દેખાડે છે. પરંતુ હકીકતમાં શાસ્ત્રો વગેરેની વાત છે જ નહીં. ન બાબા ની પાસે શાસ્ત્ર છે, ન આમ ની પાસે, ન તમારી પાસે શાસ્ત્ર છે. આ તો તમને નિત્ય નવી-નવી વાતો સંભળાવે છે. આ તો જાણો છો કે બધા ભક્તિમાર્ગના શાસ્ત્ર છે. હું કોઈ શાસ્ત્ર થોડી સંભળાવું છું. હું તો તમને મોઢે સંભળાવું છું. તમને રાજયોગ શીખવાડું છું, જેનું ફરી ભક્તિમાર્ગમાં નામ ગીતા રાખી દીધું છે. મારી પાસે અથવા તમારી પાસે કોઈ ગીતા વગેરે છે કે? આ તો ભણતર છે. ભણવામાં અધ્યાય, શ્લોક વગેરે થોડી હોય છે. હું આપ બાળકોને ભણાવું છુ, હૂબહૂ કલ્પ-કલ્પ આમ જ ભણાવતો રહીશ. કેટલી સહજ વાત સમજાવું છું – સ્વયંને આત્મા સમજો. આ શરીર તો માટી થઈ જાય છે. આત્મા અવિનાશી છે, શરીર તો ઘડી-ઘડી બળતું રહે છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે.
બાપ કહે છે હું તો એક જ વાર આવું છું. શિવરાત્રિ મનાવો છો. હકીકતમાં હોવી જોઇએ શિવ જયંતિ. પરંતુ જયંતિ કહેવાથી માતાના ગર્ભથી જન્મ થઈ જાય, એટલે શિવરાત્રિ કહી દે છે. દ્વાપર-કળયુગની રાત્રી માં મને શોધે છે. કહે છે સર્વવ્યાપી છે. તો તમારામાં પણ છે ને, પછી ધક્કા કેમ ખાઓ છો! એકદમ જેમકે દેવતાથી આસુરી સંપ્રદાય નાં બની જાય છે. દેવતાઓ ક્યારે દારૂ પીવે છે કે? તે જ આત્માઓ પછી નીચે ઉતરી છે તો દારૂ વગેરે પીવા લાગી જાય છે. બાપ કહે છે હવે આ જૂની દુનિયાનો વિનાશ પણ જરૂર થવાનો છે. જૂની દુનિયામાં છે અનેક ધર્મ, નવી દુનિયામાં છે એક ધર્મ. એકથી અનેક ધર્મ થયા છે, ફરી એક જરૂર થવાનો છે. મનુષ્ય તો કહી દે છે કળયુગને હજી ૪૦ હજાર વર્ષ પડયા છે, આને કહેવાય છે ઘોર અંધારું. જ્ઞાન સૂર્ય પ્રગટ્યો, અજ્ઞાન અંધેર વિનાશ. મનુષ્યમાં બહુજ અજ્ઞાન છે. બાપ જ્ઞાન સૂર્ય, જ્ઞાન સાગર આવે છે તો તમારુ ભક્તિમાર્ગનું અજ્ઞાન સમાપ્ત થઈ જાય છે. તમે બાપ ને યાદ કરતાં-કરતાં પવિત્ર બની જાઓ છો. ખાદ નીકળી જાય છે. આ છે યોગ અગ્નિ. કામ અગ્નિ કાળા બનાવી દે છે. યોગ અગ્નિ અર્થાત શિવબાબા ની યાદ ગોરા બનાવે છે. કૃષ્ણનું નામ પણ રાખ્યું છે – શ્યામ-સુંદર. પરંતુ અર્થ થોડી સમજે છે. બાપ આવીને અર્થ સમજાવે છે. પહેલા-પહેલા સતયુગમાં કેટલા સુંદર છો. આત્મા પવિત્ર સુંદર છે તો શરીર પણ પવિત્ર સુંદર લે છે. ત્યાં કેટલું ધન-સંપત્તિ બધું જ નવું હોય છે. નવી ધરણી પછી જૂની થાય છે. હવે જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે. ખૂબ જ તૈયારીઓ થઈ રહી છે. ભારતવાસી એટલું નથી સમજતા, જેટલું તેઓ સમજે છે કે અમે અમારા કુળનો વિનાશ કરી રહ્યા છીએ. કોઈ પ્રેરક છે. વિજ્ઞાન દ્વારા અમે અમારો જ વિનાશ લાવીએ છીએ. આ પણ સમજે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઈઝ (વૈકુંઠ) હતું. આ ભગવાન-ભગવતી નું રાજ્ય હતું. ભારત જ પ્રાચીન હતું. આ રાજયોગ થી લક્ષ્મી-નારાયણ આવા બન્યા હતા. તે રાજયોગ ફરીથી બાપ જ શીખવાડી શકે છે. સંન્યાસી શીખવાડી ન શકે. આજકાલ કેટલુ ઠગે છે બહાર જઈને કહે છે - અમે ભારતનો પ્રાચીન યોગ શીખવાડીએ છીએ. અને પછી કહે છે ઇંડા ખાઓ, દારૂ વગેરે ભલે પીવો, કંઈપણ કરો. હવે તે કેવી રીતે રાજયોગ શીખવાડી શકશે. મનુષ્યને દેવતા કેવી-રીતે બનાવશે. બાપ સમજાવે છે આત્મા કેટલી ઊંચી છે પછી પુનર્જન્મ લેતા-લેતા સતોપ્રધાન થી તમોપ્રધાન બની જાય છે. હવે તમે ફરીથી સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો. ત્યાં બીજો કોઈ ધર્મ હોતો જ નથી. હવે બાપ કહે છે નર્કનો વિનાશ તો જરૂર થવાનો છે. અહીંયા સુધી જે આવ્યા છે તે ફરી સ્વર્ગમાં જરૂર જશે. શિવબાબા નું થોડું પણ જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં જશે જરૂર. પછી જેટલું ભણશે, બાપ ને યાદ કરશે, એટલું ઉંચ પદ પ્રાપ્ત કરશે. હમણાં વિનાશ કાળ તો બધા માટે છે. વિનાશકાળે પ્રીત બુદ્ધિ જે છે, સિવાય બાપ બીજા કોઈને યાદ નથી કરતા, તે જ ઉંચ પદ પ્રાપ્ત કરે છે. આને કહેવાય છે બેહદની સ્કોલરશીપ, આમાં તો રેસ કરવી જોઈએ. આ છે ઈશ્વરીય લોટરી. એક તો યાદ, બીજું દૈવીગુણ ધારણ કરવાનાં છે અને રાજા રાણી બનવાનું છે તો પ્રજા પણ બનાવવાની છે. કોઈ બહુ જ પ્રજા બનાવે છે, કોઈ ઓછી. પ્રજા બને છે સેવાથી. મ્યુઝિયમ, પ્રદર્શની વગેરેમાં ઘણી પ્રજા બને છે. આ સમયે તમે ભણી રહ્યા છો પછી સૂર્યવંશી-ચંદ્રવંશી ડિનાયસ્ટી (વંશ) માં ચાલ્યા જશો. આ છે આપ બ્રાહ્મણો નો કુળ. બાપ બ્રાહ્મણ કુળ અડોપ્ટ કરી તેમને ભણાવે છે. બાપ કહે છે હું એક કુળ અને બે ડિનાયસ્ટી બનાવું છું. સૂર્યવંશી મહારાજા-મહારાણી, ચંદ્રવંશી રાજા-રાણી. એમને કહેવાય ડબલ સિરતાજ પછી જ્યારે વિકારી રાજાઓ થાય છે તો તેમને લાઇટનો તાજ નથી હોતો. એ ડબલ તાજ વાળાના મંદિર બનાવીને તેમને પૂજે છે. પવિત્ર ની આગળ માથું નમાવે છે. સતયુગમાં આ વાતો હોતી નથી છે. તે છે જ પાવન દુનિયા, ત્યાં પતિત હોતા નથી. તેને કહેવાય છે સુખધામ, નિર્વિકારી દુનિયા. આને કહેવાય છે વિકારી દુનિયા. એક પણ પાવન નથી. સંન્યાસી ઘરબાર છોડીને ભાગે છે, રાજાગોપીચંદ નું પણ મિસાલ છે ને. તમે જાણો છો કોઈ પણ મનુષ્ય એક-બીજાને ગતિ-સદ્દગતિ નથી આપી સકતા. સર્વનો સદ્દગતિ દાતા હું જ છું. હું આવીને બધાને પાવન બનાવું છું. એક તો પવિત્ર બની શાંતિધામ ચાલ્યા જશે, અને બીજા પવિત્ર બની સુખધામ માં જશે. આ છે અપવિત્ર દુઃખધામ. સતયુગમાં બીમારી વગેરે કંઈ પણ હોતું નથી. તમે તે સુખધામ નાં માલિક હતા પછી રાવણ રાજ્યમાં દુઃખધામ નાં માલિક બન્યાં છો. બાપ કહે છે કલ્પ-કલ્પ તમે મારી શ્રીમત પર સ્વર્ગ સ્થાપન કરો છો. નવી દુનિયાનું રાજ્ય લો છો. ફરી પતિત નર્કવાસી બનો છો. દેવતાઓ જ ફરી વિકારી બની જાય છે. વામમાર્ગમાં ઉતરે છે.
મીઠા-મીઠા બાળકોને બાપ એ આવીને પરિચય આપ્યો છે કે હું એક જ વાર પુરષોત્તમ સંગમયુગ પર આવું છું. હું યુગે-યુગે તો આવતો જ નથી. કલ્પ ના સંગમયુગે આવું છું, ન કે યુગે-યુગે. કલ્પના સંગમ પર કેમ આવું છું? કારણ કે નરકને સ્વર્ગ બનાવું છું. દર ૫ હજાર વર્ષ પછી આવું છું. ઘણા બાળકો લખે છે – બાબા, અમને ખુશી નથી રહેતી, ઉલ્લાસ નથી રહેતો. અરે, બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે, આવા બાપને યાદ કરીને તમને ખુશી નથી રહેતી! તમે પૂરું યાદ નથી કરતા ત્યારે ખુશી નથી રહેતી. પતિ ને યાદ કરતા ખુશી થાય છે, જે પતિત બનાવે છે અને બાપ જે ડબલ સિરતાજ બનાવે છે, તેમને યાદ કરી ખુશી નથી થતી! બાપના બાળકો બન્યા છો તો પણ કહો છો ખુશી નથી! પૂરું જ્ઞાન બુદ્ધિમાં નથી. યાદ નથી કરતાં એટલે માયા દગો દે છે. બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે. કલ્પ-કલ્પ સમજાવે છે. આત્માઓ જે પથ્થરબુદ્ધિ બની પડી છે, તેમને પારસબુદ્ધિ બનાવું છું. નોલેજફુલ બાપ જ આવીને નોલેજ આપે છે. તે દરેક વાતમાં સંપન્ન છે. પવિત્રતા માં સંપન્ન, પ્રેમમાં સંપન્ન. જ્ઞાનના સાગર, સુખ ના સાગર, પ્રેમના સાગર છે ને. એવાં બાપથી તમને આ વારસો મળે છે. આવાં બનવા માટે જ તમે આવો છો. બાકી તે સત્સંગ વગેરે તો બધું છે ભક્તિમાર્ગનું. તેમાં લક્ષ્ય-હેતુ કંઈપણ છે નહીં. આને તો ગીતા પાઠશાળા કહેવાય છે, વેદ પાઠશાળા નથી હોતી. ગીતા દ્વારા નર થી નારાયણ બનો છો. જરૂર બાપ જ બનાવશે ને. મનુષ્ય, મનુષ્યને દેવતા બનાવી ન શકે. બાપ વારં-વાર બાળકો ને સમજાવે છે – બાળકો, સ્વયંને આત્મા સમજો. તમે કોઈ દેહ થોડી છો. આત્મા કહે છે હું એક દેહ છોડી બીજુ લઉં છું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) જેમ શિવબાબાને કોઈ ભપકો નથી, સેવક બની બાળકોને ભણાવવા માટે આવ્યા છે, એમ બાપ સમાન ઓથોરિટી હોવા છતાં પણ નિરહંકારી રહેવાનું છે. પાવન બનીને પાવન બનાવા ની સેવા કરવાની છે.

2) વિનાશ કાળના સમયે ઈશ્વરીય લોટરી લેવા માટે પ્રીત બુદ્ધિ બની યાદમાં રહેવાની અને દેવી ગુણોને ધારણ કરવાની રેસ કરવાની છે.

વરદાન :-
ઈશ્વરીય સેવા દ્વારા વેરાઈટી મેવો પ્રાપ્ત કરવા વાળી અધિકારી આત્મા ભવ:

કહેવાય છે “કરો સેવા તો મળે મેવા” ઈશ્વરીય જ્ઞાન આપવું જ ઈશ્વરીય સેવા છે જે આ સેવા કરે છે તેમને અતીન્દ્રિય સુખનાં, શક્તિઓનાં, ખુશીનાં વેરાઈટી (જાત-જાત ના) મેવા મળે છે, તમે બ્રાહ્મણ જ આનાં અધિકારી છો કારણકે તમારું કામ જ છે ઈશ્વરીય ભણતર ભણવાનું અને ભણાવવાનું, જેનાથી ઈશ્વરનાં બની જાય. તો આવી ઈશ્વરીય સેવા કરવાથી ઈશ્વરીય ફળનાં અધિકારી બની ગયા – આ જ નશામાં રહો.

સ્લોગન :-
બાપની સાથે રહીને કર્મ કરો તો ડબલ લાઈટ રહેશો.