15-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
શાંતિનો ગુણ સૌથી મોટો ગુણ છે , એટલે શાંતિથી બોલો , અશાંતિ ફેલાવવા નું બંધ કરો ”
પ્રશ્ન :-
સંગમયુગ પર
બાપથી બાળકોને કયો વારસો મળે છે? ગુણવાન બાળકો ની નિશાનીઓ શું હશે?
ઉત્તર :-
પહેલો વારસો મળે છે જ્ઞાન નો, ૨. શાંતિ નો, ૩. ગુણો નો. ગુણવાન બાળકો સદા ખુશીમાં
રહેશે. કોઈનાં અવગુણ નહીં જુએ, કોઈની કમ્પ્લેન (ફરિયાદ) નહીં કરશે, જેમનામાં અવગુણ
છે તેમનો સંગ પણ નહીં કરશે. કોઈએ કંઈ કહ્યું તો સાંભળ્યું અણ-સાંભળ્યું કરી પોતાની
મસ્તીમાં રહેશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. એક તો તમને બાપથી જ્ઞાનનો વારસો મળી રહ્યો છે. બાપ
થી પણ ગુણ ઉઠાવવાનાં છે અને પછી આ ચિત્રોથી (લક્ષ્મી-નારાયણ થી) પણ ગુણ ઉઠાવવાનાં
છે. બાપને કહેવાય છે શાંતિનાં સાગર. તો શાંતિ પણ ધારણ કરવી જોઈએ. શાંતિ માટે જ બાપ
સમજાવે છે એક-બે થી શાંતિથી બોલો. આ ગુણ ઉઠાવવાનો હોય છે. જ્ઞાનનો ગુણ ઉઠાવી જ રહ્યા
છો. આ જ્ઞાન ભણવાનું છે. આ જ્ઞાન ફક્ત આ વિચિત્ર બાપ જ ભણાવે છે. વિચિત્ર આત્માઓ (બાળકો)
ભણે છે. આ છે અહીંની નવી ખૂબી (વિશેષતા), જેને બીજું કોઈ જાણતું નથી. કૃષ્ણ જેવા
દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. બાપ એ સમજાવ્યું છે હું શાંતિનો સાગર છું તો શાંતિ
અહીંયા સ્થાપન કરવાની છે. અશાંતિ ખતમ થવાની છે. પોતાની ચલન ને જોવી જોઈએ - ક્યાં
સુધી અમે શાંતિમાં રહીએ છીએ. ઘણા પુરુષ લોકો હોય છે જે શાંતિ પસંદ કરે છે. સમજે છે
કે શાંત રહેવું સારું છે. શાંતિનો ગુણ પણ બહુ જ ભારે છે. પરંતુ શાંતિ કેવી રીતે
સ્થાપન થશે, શાંતિનો અર્થ શું છે - આ ભારતવાસી બાળકો નથી જાણતાં. બાપ ભારતવાસીઓ માટે
જ કહેશે. બાપ આવે પણ ભારતમાં જ છે. હવે તમે સમજો છો બરાબર અંદર માં પણ શાંતિ જરુર
હોવી જોઈએ. એવું નથી કોઈ અશાંત કરે તો પોતાને પણ અશાંત કરવાનાં છે. ના, અશાંત થવુ આ
પણ અવગુણ છે. અવગુણ ને નિકાળવાના છે. દરેક થી ગુણ ગ્રહણ કરવાનાં છે. અવગુણ તરફ જોવું
પણ ન જોઈએ. ભલે અવાજ સાંભળો છો તો પણ પોતે શાંત રહેવું જોઈએ કારણ કે બાપ અને દાદા
બંને શાંત રહે છે. ક્યારેય બગડતા નથી. રડી (ગુસ્સો) નથી મારતા. આ બ્રહ્મા પણ શીખ્યા
છે ને. જેટલું શાંતિમાં રહો, એટલું સારું છે. શાંતિ થી જ યાદ કરી શકો છો. અશાંતિ
વાળા યાદ કરી ન શકે. દરેકનાં ગુણ ગ્રહણ કરવાનાં જ છે. દત્તાત્રેય વગેરે નાં ઉદાહરણ
પણ અહીંથી લાગે છે. દેવતાઓ જેવા ગુણવાન તો કોઈ હોતા નથી. એક જ વિકાર મૂળ છે, એનાં
પર તમે વિજય પામી રહ્યા છો, પામતા રહો છો. કર્મેન્દ્રિયો પર વિજય પામવાની છે.
અવગુણોને છોડી દેવાનાં છે. જોવાનું પણ નથી, બોલવાનું પણ નથી. જેનાંમાં ગુણ છે એની
પાસે જ જવું જોઈએ. રહેવાનું પણ બહુ જ મીઠું શાંત છે. થોડું જ બોલીને તમે બધાં કાર્ય
કરી શકો છો. સૌથી ગુણ ગ્રહણ કરી ગુણવાન બનવાનું છે. સમજુ ડાહ્યા જે હોય છે. એ શાંત
રહેવાનું પસંદ કરે છે. કોઈ ભક્ત લોકો જ્ઞાનીઓ થી પણ ડાહ્યા નિર્માણચિત્ત હોય છે.
બાબા તો અનુભવી છે ને. આ જે લૌકિક બાપનો બાળક હતો, તેઓ શિક્ષક હતા, બહુ જ નિર્માણ,
શાંત રહેતા હતા. ક્યારેય ક્રોધ માં નહોતા આવતા. જેમ સાધુ લોકો હોય છે તો તેમની મહિમા
કરાય છે, ભગવાનને મળવા માટે પુરુષાર્થ કરતા રહે છે ને. કાશી માં, હરિદ્વાર માં, જઈને
રહે છે. બાળકોએ બહુ જ શાંત અને મીઠા રહેવું જોઈએ. અહીં કોઈ અશાંત રહે છે તો શાંતિ
ફેલાવવાનાં નિમિત્ત નથી બની શકતા. અશાંતિ વાળાથી વાત પણ ન કરવી જોઈએ. દૂર રહેવું
જોઈએ. ફર્ક છે ને. તે બગલા અને એ હંસ. હંસ આખો દિવસ મોતી વિણતા રહે છે. ઊઠતા, બેસતાં,
ચાલતાં પોતાનાં જ્ઞાન નું સિમરણ કરતા રહો. આખો દિવસ બુદ્ધિ માં એજ રહે - કોઈને કેવી
રીતે સમજાવીએ, બાપનો પરિચય કેવી રીતે આપીએ.
બાબા એ સમજાવ્યું છે જે પણ બાળક આવે છે તેમનાંથી ફોર્મ ભરાવાય છે. સેન્ટર્સ પર
જ્યારે કોઈ કોર્સ કરવા ઈચ્છે છે તો તેમનાથી ફોર્મ ભરાવવાનું છે, કોર્સ નથી કરવો તો
ફોર્મ ભરાવવાની દરકાર નથી. ફોર્મ ભરાવાય જ એટલે છે કે ખબર પડે એમનામાં શું-શું છે?
શું સમજાવવાનું છે? કારણકે દુનિયામાં તો આ વાતોને કોઈ સમજતું નથી. તો તેમનું બધું
ખબર પડે છે ફોર્મ થી. બાપ થી કોઈ મળે છે તો પણ ફોર્મ ભરાવવાનું હોય છે. તો ખબર પડે
શા માટે મળે છે? કોઈ પણ આવે છે તો એમને હદ અને બેહદ નાં બાપ નો પરિચય દેવાનો છે
કારણકે તમને બેહદનાં બાપ એ આવીને પોતાનો પરિચય આપ્યો છે તો તમે પછી બીજાઓને પરિચય
આપો છો. એમનું નામ છે શિવબાબા. શિવ પરમાત્માએ નમઃ કહે છે ને. તે કૃષ્ણને દેવતાય નમઃ
કહેશે. શિવને કહેશે શિવ પરમાત્માએ નમઃ. બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ
જાય. મુક્તિ-જીવનમુક્તિ નો વારસો પામવા માટે પવિત્ર આત્મા જરુર બનવું પડે. એ છે જ
પવિત્ર દુનિયા, જેને સતોપ્રધાન દુનિયા કહેવાય છે. ત્યાં જવું છે તો બાપ કહે છે મને
યાદ કરો. આ તો બહુ જ સહજ છે. કોઈનાથી પણ ફોર્મ ભરીને પછી તમે કોર્સ કરાવો છો. એક
દિવસ ભરાવો પછી સમજાવો પછી ફોર્મ ભરાવો તો ખબર પડશે આપણે તેમને સમજાવ્યું, તે યાદ
રહ્યું કે નહીં. તમે જોશો બે દિવસનાં ફોર્મમાં ફર્ક જરુર હશે. ઝટ તમને ખબર પડી જશે
- શું સમજ્યા છે? અમારા સમજાવા પર કંઈ વિચાર કર્યો છે કે નહીં? આ ફોર્મ બધાં પાસે
હોવું જોઈએ. બાબા મુરલી માં ડાયરેક્શન આપે છે તો મોટા-મોટા સેન્ટર્સ એ તો ઝટ અક્ટ (અમલ)
માં લાવવું જોઈએ. ફોર્મ રાખવાનાં છે. નહીં તો ખબર કેવી રીતે પડશે. પોતે પણ ફીલ (અનુભવ)
કરશે - કાલે શું લખ્યું હતું, આજે શું લખું છું? ફોર્મ તો બહુ જ જરુરી છે. અલગ-અલગ
છાપાવે તો પણ વાંધો નથી. અથવા તો એક જગ્યાએ છપાવી બીજી બાજુ મોકલી દો. આ છે બીજાનું
કલ્યાણ કરવું.
આપ બાળકો અહીં આવ્યા છો દેવી-દેવતા બનવા. દેવતા અક્ષર બહુ જ ઊંચો છે. દૈવી ગુણ ધારણ
કરવા વાળાને દેવતા કહેવાય છે. હવે તમે દૈવી ગુણ ધારણ કરી રહ્યા છો તો જ્યાં
પ્રદર્શની અથવા મ્યુઝિયમ હોય છે ત્યાં આ ફોર્મ વધારે હોવા જોઈએ. તો ખબર પડે કે એવી
અવસ્થા છે. સમજીને પછી સમજાવવું પડે. બાળકોએ તો સદેવ ગુણ જ વર્ણન કરવાનાં છે, અવગુણ
ક્યારેય નહીં. તમે ગુણવાન બનો છો ને. જેમનામાં બહુ જ ગુણ હશે તેઓ બીજામાં પણ ગુણ
ફૂંકી શકશે. અવગુણ વાળા ક્યારેય ગુણ ફૂંકી નહીં શકે. બાળકો જાણે છે સમય કંઈ બહુ જ
નથી રહ્યો. પુરુષાર્થ બહુ જ કરવાનો છે. બાપ એ સમજાવ્યું છે - તમે રોજ મુસાફરી કરો
છો, યાત્રા કરતા રહો છો. આ જે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો - આ અંતની
વાત છે. હમણાં તો નંબરવાર છે. કોઈ તો અંદરમાં ખુશી નાં ગીત ગાતા રહે છે - ઓહો!
પરમપિતા પરમાત્મા અમને મળ્યા છે, એમનાંથી અમે વારસો લઈએ છીએ. એમનાં પાસે કોઈ
કમ્પ્લેન (ફરિયાદ) થઇ ન શકે. કોઈ એ કંઈ કીધું તો પણ સાંભળ્યું - અણસાંભળ્યું કરી
પોતાની મસ્તીમાં મસ્ત રહેવું જોઈએ. કોઈપણ બીમારી કે દુઃખ વગેરે છે તો તમે ફક્ત યાદ
માં રહો. આ હિસાબ-કિતાબ હમણાં જ ચૂકતું કરવાનાં છે પછી તો તમે ૨૧ જન્મ ફુલ (ભરપૂર)
બનો છો. ત્યાં દુઃખની વાત જ નથી હોતી. ગવાય છે ખુશી જેવો ખોરાક નથી. પછી સુસ્તી
વગેરે બધું ઊડી જાય છે, આમાં તો આ છે સાચી ખુશી, એ છે જુઠ્ઠી. ધન મળ્યું, દાગીના
મળ્યા તો ખુશ થશે. આ છે બેહદ ની વાત. તમારે તો અથાહ ખુશી માં રહેવું જોઈએ. જાણો છો
આપણે ૨૧ જન્મોનાં માટે સદા સુખી રહેશું. આજ સ્મૃતિમાં રહો - આપણે શું બનીએ છીએ. બાબા
કહેવાથી જ દુઃખ દૂર થઈ જવા જોઈએ. આ તો ૨૧ જન્મોની ખુશી છે. હવે બાકી થોડા દિવસ છે.
આપણે જઈએ છે આપણા સુખધામ. પછી બીજું કંઈ પણ યાદ ન રહે. આ બાબા પોતાનો અનુભવ સંભળાવે
છે. કેટલા સમાચાર આવે છે, ખિટ-ખિટ ચાલે છે. બાબા ને કોઈ વાતનું દુઃખ થોડી થાય છે.
સાંભળ્યું, સારું આ ભાવી. આ તો કંઈ પણ નથી, આપણે તો કારુન્ડ નાં ખજાનાં વાળા બનીએ
છીએ. પોતાનાંથી વાતો કરવાથી જ ખુશી થાય છે. બહુ શાંતિ માં રહે છે તેમનો ચહેરો પણ બહુ
જ ખુશનુમા: રહેશે. સ્કોલરશીપ વગેરે મળે છે તો ચહેરો કેટલો હર્ષિત રહે છે. તમે પણ
પુરુષાર્થ કરી રહ્યા છો - આ લક્ષ્મી-નારાયણ જેવા હર્ષિતમુખ બનવા માટે. આમને જ્ઞાન
તો છે નહીં. તમને તો જ્ઞાન પણ છે તો ખુશી રહેવી જોઈએ. હર્ષિતપણું હોવું જોઈએ. આ
દેવતાઓથી તમે બહુ જ ઊંચા છો. જ્ઞાન સાગર બાપ આપણને કેટલું ઊંચું જ્ઞાન આપે છે.
અવિનાશી જ્ઞાન રત્નોની લોટરી મળી રહી છે તો કેટલું ખુશ રહેવું જોઈએ. આ તમારો જન્મ
હીરા જેવો ગવાય છે. નોલેજફુલ બાપ ને જ કહેવાય છે. આ દેવતાઓને નથી કહેવાતું. તમે
બ્રાહ્મણ જ નોલેજફુલ છો તો તમને જ્ઞાન ની ખુશી રહે છે. એક તો બાપ મળવાની ખુશી હોય
છે. સિવાય તમારા કોઈને ખુશી થઈ ન શકે. ભક્તિમાર્ગમાં હડ્ડી સુખ નથી રહેતું.
ભક્તિમાર્ગ નું છે આર્ટિફિશિયલ (બનાવટી) અલ્પકાળ નું સુખ. તેનું નામ જ છે સ્વર્ગ,
સુખધામ, હેવેન. ત્યાં અપાર સુખ, અહીં અપાર દુઃખ. હવે બાળકોને ખબર પડે છે - રાવણ
રાજ્યમાં આપણે કેટલા છી-છી બન્યા છીએ. ધીમે-ધીમે નીચે ઉતરતા આવ્યા છીએં. આ છે જ
વિષય સાગર. હવે બાપ આ વિષનાં સાગર થી નિકાળી તમને ક્ષીરસાગર માં લઈ જાય છે. બાળકોને
અહીં બહુ જ મીઠું લાગે છે (ગમે છે) પછી ભૂલી જવાથી શું અવસ્થા થઈ જાય છે. બાપ કેટલો
ખુશીનો પારો ચઢાવે છે. આ જ્ઞાન અમૃતનું જ ગાયન છે. જ્ઞાન અમૃત નો ગ્લાસ પીતા રહેવાનું
છે. અહીં તમને બહુ જ સારો નશો ચઢે છે પછી બહાર જવાથી એ નશો ઓછો થઈ જાય છે. બાબા પોતે
ફીલ કરે છે, અહીં બાળકોને સારી ફીલિંગ આવે છે - અમે પોતાનાં ઘરે જઈએ છીએ, અમે બાબાની
શ્રીમત પર રાજધાની સ્થાપન કરી રહ્યા છીએં. આપણે મોટા વોરીયર્સ (યોદ્ધા) છીએ. આ બધું
બુદ્ધિમાં નોલેજ છે, જેનાથી તમે આટલું પદ પામો છો. ભણાવે જુઓ કોણ છે! બેહદનાં બાપ,
એકદમ બદલી દે છે. તો બાળકોને દિલ માં કેટલી ખુશી હોવી જોઈએ. આ પણ દિલમાં આવું જોઈએ
કે બીજાઓને પણ ખુશી આપીએ. રાવણનો છે શ્રાપ અને બાપ નો મળે છે વારસો. રાવણ નાં
શ્રાપથી તમે કેટલા દુઃખી-અશાંત બન્યા છો. ઘણાં ગોપ પણ છે જેમની દિલ થાય છે સેવા
કરીએ. પરંતુ કળશ માતાઓને મળે છે. શક્તિ દળ છે ને. વંદે માતરમ ગવાય છે. સાથે વંદે
પિતરમ તો છે જ. પરંતુ નામ માતાઓનું છે. પહેલા લક્ષ્મી પછી નારાયણ. પહેલા સીતા, પછી
રામ. અહીં પહેલા પુરુષનું નામ પછી સ્ત્રીનું લખે છે. આ પણ ખેલ છે ને. બાપ સમજાવે તો
બધું જ છે. ભક્તિમાર્ગ નું રહસ્ય પણ સમજાવે છે. ભક્તિ માં શું-શું થાય છે. જ્યાં
સુધી જ્ઞાન નથી તો ખબર થોડી પડે છે. હવે તમારા બધાંનું કેરેક્ટર (ચરિત્ર) સુધરે છે.
તમારું દેવી ચરિત્ર બની રહ્યું છે. ૫ વિકારોથી આસુરી ચરિત્ર થઈ જાય છે. કેટલું ચેંજ
(પરિવર્તન) થાય છે. તો પરિવર્તન આવવું જોઈએ ને. શરીર છૂટી જાય પછી થોડી પરિવર્તન થઈ
શકાશે. બાપમાં તાકાત છે કેટલા માં ચેંજ (પરિવર્તન) લાવે છે. ઘણાં બાળકો પોતાનો
અનુભવ સંભળાવે છે - અમે બહુ જ કામી, શરાબી હતા, અમારામાં બહુ જ પરિવર્તન થયું છે.
હવે અમે બહુ જ પ્રેમથી રહીએ છીએ. પ્રેમ નાં આંસૂ પણ આવી જાય છે. બાપ સમજાવે તો બહુ
જ છે પરંતુ આ બધી વાતો ભુલાઈ જાય છે. નહીં તો ખુશી નો પારો ચઢ્યો રહે. આપણે અનેકોનું
કલ્યાણ કરીએ. મનુષ્ય બહુ જ દુઃખી છે, તેમને રસ્તો બતાવીએ. સમજાવવા માટે પણ કેટલી
મહેનત કરવી પડે છે. ગાળો પણ ખાવી પડે છે. પહેલાથી જ અવાજ છે, આ બધાંને ભાઈ-બહેન
બનાવી દે છે. અરે, ભાઈ-બહેનનો સંબંધ તો સારો છે ને. તમે આત્માઓ તો ભાઈ-ભાઈ છો. પરંતુ
છતાં પણ જન્મ-જન્માંતર ની દ્રષ્ટિ જે પાક્કી થઇ છે, એ તૂટતી નથી. બાબા પાસે તો ઘણા
સમાચાર આવે છે. બાપ સમજાવે છે આ છી-છી દુનિયાથી આપ બાળકોનું દિલ હટી જવું જોઈએ.
ગુલ-ગુલ બનવું જોઈએ. કેટલાં જ્ઞાન સાંભળીને પણ ભૂલી જાય છે. આખું જ્ઞાન ઉડી જાય છે.
કામ મહાશત્રુ છે ને. બાબા તો બહુ જ અનુભવી છે. આ વિકાર નાં પાછળ રાજાઓએ પોતાની
રાજાઈ ગુમાવી છે. કામ બહુ જ ખરાબ છે. બધાં કહે પણ છે બાબા આ બહુ જ કડક દુશ્મન છે.
બાપ કહે છે કામ ને જીતવાથી તમે વિશ્વનાં માલિક બનશો. પરંતુ કામ વિકાર એટલો કડક છે
જે પ્રતિજ્ઞા કરીને પછી નીચે પડે છે. બહુ જ મુશ્કેલથી કોઈ સુધરે છે. આ સમયે આખી
દુનિયાનું ચરિત્ર બગડેલું છે. પાવન દુનિયા ક્યારે હતી, કેવી રીતે બની, તેમણે રાજ્ય
ભાગ્ય કેવી રીતે પામ્યુ, ક્યારેય કોઈ બતાવી ન શકે. આગળ સમય આવશે તમે લોકો વિદેશ
વગેરેમાં પણ જશો. તેઓ પણ સાંભળશે. સ્વર્ગ કેવી રીતે સ્થાપન થાય છે. તમારી બુદ્ધિ
માં આ બધી વાતો સારી રીતે છે. તો હવે તમને આ જ લાત અને તાત રહેવી જોઈએ, બીજી બધી
વાતો ભૂલી જવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊઠતા, બેસતાં,
ચાલતાં, જ્ઞાનનું સિમરણ કરી મોતી વિણવાવાળા હંસ બનવાનું છે. સૌનાથી ગુણ ગ્રહણ કરવાનાં
છે. એક-બીજામાં ગુણ જ ફુંકવાનાં છે.
2. પોતાનો ચહેરો સદા ખુશનુમા: રાખવા માટે પોતાની જાતથી વાતો કરવાની છે – ઓહો! અમે
તો કારુન્ડ નાં ખજાના નાં માલિક બનીએ છીએ. જ્ઞાન સાગર બાપ દ્વારા અમને જ્ઞાન રત્નોની
લોટરી મળી રહી છે.
વરદાન :-
સદા સંતુષ્ટ
રહી પોતાની દ્રષ્ટિ , વૃત્તિ, કૃતિ દ્વારા સંતુષ્ટતા ની અનુભૂતિ કરાવવા વાળા
સંતુષ્ટમણિ ભવ :
બ્રાહ્મણ કુળમાં
વિશેષ આત્માઓ એ છે જે સદા સંતુષ્ટતાની વિશેષતા દ્વારા સ્વયં પણ સંતુષ્ટ રહે છે અને
પોતાની દ્રષ્ટિ, વૃત્તિ, અને કૃતિ દ્વારા બીજાઓને પણ સંતુષ્ટતાની અનુભૂતિ કરાવે છે,
એ જ સંતુષ્ટમણીઓ છે જે સદા સંકલ્પ, બોલ, સંગઠન નાં સંબંધ-સંપર્ક કે કર્મમાં બાપદાદા
દ્વારા પોતાનાં ઉપર સંતુષ્ટતા નાં સોનાનાં પુષ્પોની વર્ષા અનુભવ કરે છે. આવી
સંતુષ્ટમણીઓ જ બાપદાદા નાં ગળાનો હાર બને છે, રાજ્ય અધિકારી બને છે અને ભક્તોનાં
સિમરણ ની માળા બને છે.
સ્લોગન :-
નેગેટીવ (નકારાત્મક)
અને વેસ્ટ (વ્યર્થ) ને સમાપ્ત કરી મહેનત મુક્ત બનો.