19-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમે હમણાં ભણતર ભણી રહ્યા છો , આ ભણતર છે પતિત થી પાવન બનવાનું , તમારે આ ભણવાનું અને ભણાવવાનું છે ”

પ્રશ્ન :-
દુનિયામાં કયું જ્ઞાન હોવા છતાં પણ અજ્ઞાન અંધકાર છે?

ઉત્તર :-
માયા નું જ્ઞાન, જેનાથી વિનાશ થાય છે. ચંદ્ર સુધી જાય છે, આ જ્ઞાન બહુ છે પરંતુ નવી દુનિયા અને જૂની દુનિયાનું જ્ઞાન કોઈ ની પાસે નથી. બધાં અજ્ઞાન અંધકારમાં છે, બધાં જ્ઞાન નેત્રથી આંધળા છે. તમને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે. તમે નોલેજફુલ બાળકો જાણો છો તેઓનાં દિમાગમાં વિનાશ નાં ખ્યાલાત (વિચાર) છે, તમારી બુદ્ધિમાં સ્થાપના નાં ખ્યાલ છે.

ઓમ શાંતિ!
બાપ આ શરીર દ્વારા સમજાવે છે, એને જીવ કહેવાય છે. આમાં આત્મા પણ છે અને હું પણ આમાં આવીને બેસું છું, આ તો પહેલા-પહેલા પાક્કું હોવું જોઈએ. આમને દાદા કહેવાય છે. આ નિશ્ચય બાળકોને બહુ જ પાક્કો હોવો જોઈએ. આ નિશ્ચયમાં જ રમણ કરવાનું છે. બરાબર બાબાએ જેમાં પધરામણી કરી છે, એ બાપ સ્વયં કહે છે-હું આમનાં બહુજ જન્મોનાં અંત માં આવું છું. બાળકોને સમજાવાયું છે, આ છે સર્વ શાસ્ત્ર શિરોમણી ગીતાનું જ્ઞાન. શ્રીમત અર્થાત શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત છે એક ભગવાનની. જેમની જ શ્રેષ્ઠ મતથી તમે દેવતા બનો છો. બાપ સ્વયં કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે તમે ભ્રષ્ટ મત પર પતિત બની જાઓ છો. મનુષ્ય થી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે. વિકારી મનુષ્યથી નિર્વિકારી દેવતા બનાવવાં બાપ આવે છે. સતયુગમાં મનુષ્ય જ રહે છે પરંતુ દૈવી ગુણવાળા. હમણાં કળયુગમાં છે બધાં આસુરી ગુણવાળા. છે આખી મનુષ્ય સૃષ્ટિ. પરંતુ આ છે ઇશ્વરીય બુદ્ધિ અને તે છે આસુરી બુદ્ધિ. અહીંયા છે જ્ઞાન, ત્યાં છે ભક્તિ. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે. ભક્તિ નાં પુસ્તક કેટલા અસંખ્ય છે. જ્ઞાનનું પુસ્તક એક છે. એક જ્ઞાન સાગરનું પુસ્તક એક જ હોવું જોઈએ. જે પણ ધર્મ સ્થાપન કરે છે, તેમનું પુસ્તક પણ એક જ હોય છે, જેને રિલીજસ બુક (ધર્મગ્રંથ) કહેવાય છે.

પહેલી-પહેલી રિલીજસ બુક છે ગીતા. પહેલા-પહેલા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, ન કે હિંદુ ધર્મ. મનુષ્ય સમજે છે ગીતાથી હિંદુ ધર્મ સ્થાપન થયો. ગીતાનું જ્ઞાન કૃષ્ણ એ આપ્યું. ક્યારે આપ્યું? પરંપરા થી. કોઈ શાસ્ત્રમાં શિવ ભગવાનુવાચ તો છે નહિ. તમે હવે સમજો છો આ ગીતા જ્ઞાન દ્વારા જ મનુષ્યથી દેવતા બન્યાં છે, જે બાપ હમણાં આપણને આપી રહ્યા છે. આને જ ભારતનો પ્રાચીન રાજ્યોગ કહેવાય છે. જે ગીતામાં જ કામ મહાશત્રુ લખેલ છે. આ શત્રુએ જ તમને હાર ખવડાવી છે. બાપ આનાં પર જ જીત પહેરાવી જગતજીત વિશ્વનાં માલિક બનાવે છે. બેહદનાં બાપ બેસી આમનાં દ્વારા તમને ભણાવે છે. એ છે સર્વ આત્માઓનાં બાપ. આ પછી છે સર્વ મનુષ્ય આત્માઓનાં બેહદનાં બાપ. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈને પૂછી શકો છો કે બ્રહ્માનાં બાપનું નામ શું છે, તો મુંઝાઈ જશે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ ત્રણેય નાં બાપ કોઈ હશે ને. બ્રહ્મા, વિષ્ણુ, શંકર સૂક્ષ્મવતન માં દેવતાઓ છે. એમની ઉપર છે શિવ. બાળકો જાણે છે શિવબાબાનાં જે બાળકો આત્માઓ છે એમને શરીર ધારણ કર્યું છે, એ તો સદેવ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. આત્મા જ શરીર દ્વારા કહે છે પરમપિતા. કેટલી સહજ વાત છે! આને કહેવાય છે અલ્ફ અને બે નું ભણતર. કોણ ભણાવે છે? ગીતાનું જ્ઞાન કોણે સંભળાવ્યું? કૃષ્ણને તો ભગવાન નથી કહેવાતાં. તે તો દેહધારી છે. તાજધારી છે. શિવ તો છે નિરાકાર. એમનાં પર તો કોઈ તાજ વગેરે છે નહીં. એજ જ્ઞાન નાં સાગર છે. બાપ જ બીજરુપ છે ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય છો. બધાં ઝાડનાં આદિ, મધ્ય, અંત ને તમે જાણો છો. ભલે તમે માળી નથી પરંતુ સમજી શકો છો કે બીજ કેવી રીતે નાખે છે, તેનાથી ઝાડ કેવી રીતે નીકળે છે. તે છે જડ, આ છે ચૈતન્ય. આત્માને ચૈતન્ય કહેવાય છે. તમારી આત્મામાં જ જ્ઞાન છે, બીજી કોઈ આત્મામાં જ્ઞાન હોઈ ન શકે. તો બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. આ ચૈતન્ય ક્રિયેશન (રચના) છે.

તે બધાં છે જડ બીજ. એવું નથી કે જડ બીજ માં કોઈ જ્ઞાન છે. આ તો છે ચૈતન્ય બીજરુપ, એમનામાં આખી સૃષ્ટિનું નોલેજ છે. ઝાડની ઉત્પત્તિ, પાલના, વિનાશનું બધું જ્ઞાન એમનામાં છે. પછી નવું ઝાડ કેવી રીતે ઊભું થાય છે, એ છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે છે. બાપ પણ ગુપ્ત આવ્યાં છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. હમણાં તો બધાં પતિત બની ગયા છે. અચ્છા, બીજ થી પહેલું-પહેલું પાંદડું નીકળ્યું, તે કોણ હતું? સતયુગનું પહેલું પાંદડું તો કૃષ્ણને જ કહેશું. લક્ષ્મી-નારાયણને નહીં કહેશું. નવું પાંદડું નાનું હોય છે. પછી મોટું થાય છે. તો આ બીજની કેટલી મહિમા છે. આ તો ચૈતન્ય છે ને. ભલે બીજા પણ નીકળે છે, ધીરે-ધીરે એમની મહિમા ઓછી થતી જાય છે. હવે તમે દેવતા બનો છો. તો મૂળ વાત છે આપણે દૈવીગુણ ધારણ કરવાનાં છે. આમનાં જેવાં બનવાનું છે. ચિત્ર પણ છે. આ ચિત્ર ન હોત તો બુદ્ધિમાં જ્ઞાન કેવી રીતે આવત. આ ચિત્ર બહુ જ કામમાં આવે છે. ભક્તિમાર્ગ માં આ ચિત્રો ની પૂજા થાય છે અને જ્ઞાન માર્ગ માં તમને એનાથી જ્ઞાન મળે છે કે આનાં જેવા બનવાનું છે. ભક્તિમાર્ગ માં એવું નહિ સમજશો કે આપણે એવા બનવાનું છે. ભક્તિમાર્ગ માં મંદિર વગેરે કેટલા બનાવડાવે છે, સૌથી વધારે મંદિર કોના હશે? જરુર શિવબાબાનાં જ હશે. એમનાં પછી ક્રિયેશન (રચના) નાં હશે. પહેલું ક્રિયેશન આ લક્ષ્મી-નારાયણ છે, તો શિવનાં પછી એમની પૂજા વધારે થશે. માતાઓ જે જ્ઞાન આપે છે એમની પૂજા નહિ. તે તો ભણે છે. તમારી પૂજા હમણાં નથી થતી કારણ કે તમે હમણાં ભણી રહ્યા છો. જ્યારે તમે ભણીને, અભણ બનશો પછી પૂજા થશે. હમણાં તમે દેવી-દેવતા બનો છો. સતયુગમાં બાપ થોડી ભણાવવા જશે. ત્યાં આવું ભણતર થોડી હશે. આ ભણતર પતિતો ને પાવન બનાવાનું છે. તમે જાણો છો આપણને જે એવાં બનાવે છે એમની પૂજા થશે પછી આપણી પણ પૂજા નંબરવાર થશે. પછી પડતાં-પડતાં ૫ તત્ત્વોની પણ પૂજા કરવા લાગી જાય છે. ૫ તત્વો ની પૂજા એટલે પતિત શરીર ની પૂજા. આ બુદ્ધિમાં જ્ઞાન છે કે આ લક્ષ્મી-નારાયણનું આખી સૃષ્ટિ પર રાજ્ય હતું. આ દેવી-દેવતાઓએ રાજ્ય કેવી રીતે અને ક્યારે પામ્યું? આ કોઈને ખબર નથી. લાખો વર્ષ કહી દે છે. લાખો વર્ષની વાતો તો કોઈની બુદ્ધિમાં બેસી ન શકે એટલે કહી દે આ પરંપરા થી ચાલ્યું આવે છે. હમણાં તમે જાણો છો દેવી-દેવતા ધર્મવાળા બીજા ધર્મોમાં કનવર્ટ (પરિવર્તન) થઈ ગયા છે, જે ભારતમાં છે તે પોતાને હિન્દુ કહી દે છે કારણકે પતિત હોવાને કારણે દેવી-દેવતા કહેવું શોભતું નથી. પરંતુ મનુષ્યોમાં જ્ઞાન ક્યાંથી. દેવી-દેવતાઓથી પણ ઊંચું પદ પોતાના પર રાખે છે. પાવન દેવી-દેવતાઓની પૂજા કરતા માથું ઝુકાવે છે, પરંતુ પોતાને પતિત સમજે થોડી છે.

ભારતમાં ખાસ કન્યાઓને કેટલું નમન કરે છે. કુમારોને એટલું નથી કરતા. મેલ(પુરુષ) થી વધારે ફીમેલ (સ્ત્રી) ને નમન કરે છે કારણકે આ સમયે જ્ઞાન અમૃત પહેલા આ માતાઓને મળે છે. બાબા આમનામાં પ્રવેશ કરે છે. આ પણ સમજો છો આ (બ્રહ્મા બાબા) જ્ઞાન ની મોટી નદી છે. જ્ઞાન નદી પણ છે પછી પુરુષ પણ છે. બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે, જે કલકત્તા તરફ સાગરમાં જઈને મળે છે. મેળો પણ ત્યાં જ લાગે છે પરંતુ તેમને એ ખબર નથી કે આ આત્માઓ અને પરમાત્મા નો મેળો છે. તે તો પાણીની નદી છે, જેનું નામ બ્રહ્મપુત્રા રાખ્યું છે. તેઓ તો બ્રહ્મ ને ઈશ્વર કહી દે છે એટલે બ્રહ્મપુત્રા ને પાવન સમજે છે. પતિત-પાવન હકીકતમાં ગંગાને નથી કહેવાતું. અહીંયા સાગર અને બ્રહ્મા નદીનું મિલન છે. બાપ કહે છે આ ફીમેલ (સ્ત્રી) તો નથી, જેનાં દ્વારા એડોપ્શન (દત્તક) થાય છે, આ બહુજ ગુહ્ય સમજવાની વાતો છે જે પછી પ્રાયઃલોપ થઈ જવાની છે. પછી મનુષ્ય આ આધાર પર શાસ્ત્ર વગેરે બનાવે છે. પહેલા હાથથી લખેલા શાસ્ત્ર હતા, પછી મોટી-મોટી પુસ્તકો છપાવી છે. સંસ્કૃતમાં શ્લોક વગેરે હતા નહિ. આ તો બિલ્કુલ સહજ વાત છે. હું આમનાં દ્વારા રાજયોગ શીખવાડું છું પછી આ દુનિયા જ ખલાસ થઇ જશે. શાસ્ત્ર વગેરે કાંઈ પણ નહીં રહેશે. પછી ભક્તિમાર્ગ માં આ શાસ્ત્ર વગેરે બનશે. મનુષ્ય સમજે છે આ શાસ્ત્ર વગેરે પરંપરા થી ચાલતાં આવ્યાં છે, આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. હમણાં આપ બાળકોને બાપ ભણાવે છે જેનાથી તમે અજવાળામાં આવ્યાં છો. સતયુગમાં છે પવિત્ર પ્રવૃત્તિમાર્ગ. કળયુગમાં બધાં અપવિત્ર પ્રવૃત્તિવાળા છે. આ પણ ડ્રામા છે. પછી છે નિવૃત્તિમાર્ગ, જેને સંન્યાસ ધર્મ કહે છે, જંગલમાં જઈને રહે છે. તે છે હદનો સંન્યાસ. રહે તો આ જૂની દુનિયામાં છે. હવે તમે જાઓ છો નવી દુનિયામાં. તમને તો બાપથી જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો તમે કેટલા નોલેજફુલ બનો છો. આનાંથી વધારે નોલેજ હોતું જ નથી. તે તો છે માયાનું નોલેજ, જેનાંથી વિનાશ થાય છે. તે લોકો મૂન (ચંદ્ર) પર જઈને શોધ કરે છે. તમારા માટે કોઇ નવી વાત નથી. આ બધો માયાનો પંપ છે. બહુજ શો (દેખાવ) કરે છે. અતિ ડીપનેસ (ગહેરાઈ) માં જાય છે કે કાંઈક કમાલ કરીને દેખાડીએ. બહુજ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે. તેમનાં બ્રેન (દિમાગ) માં વિનાશનાં જ ખ્યાલાત આવે છે. શું-શું બનાવતા રહે છે. બનાવવા વાળા જાણે છે, આનાંથી જ વિનાશ થશે. ટ્રાયલ પણ કરતા રહે છે. કહે પણ છે બે બિલાડી લડી માખન ત્રીજો ખાઈ ગયો. વાર્તા તો નાની છે પરંતુ ખેલ કેટલો મોટો છે. નામ તેમનું જ પ્રખ્યાત છે. તેમનાં દ્વારા જ વિનાશની નોંધ છે. કોઈ તો નિમિત્ત બને છે ને. ક્રિશ્ચિયન લોકો સમજે છે પેરેડાઇઝ (વૈકુંઠ) હતું, પરંતુ અમે નહોતા. ઈસ્લામી, બૌદ્ધિ પણ નહોતા છતાં પણ ક્રિશ્ચિયન લોકોની સમજ સારી છે. ભારતવાસી કહે છે દેવી-દેવતા ધર્મ લાખો વર્ષ પહેલા હતો તો બુદ્ધુ થયા ને. બાપ ભારતમાં જ આવે છે, જે મહાન બેસમજ છે, એમને જ મહાન થી મહાન સમજદાર બનાવે છે. પરંતુ છતાં પણ યાદ રહે ત્યારે.

બાબા આપ બાળકોને કેટલું સહજ કરીને સમજાવે છે, મને યાદ કરો તો તમે સોનાનું વાસણ બની જશો તો ધારણા પણ સારી થશે. યાદની યાત્રાથી જ પાપ કપાશે. મુરલી નથી સાંભળતાં તો જ્ઞાન રફુચક્કર થઇ જાય છે. બાપ તો રહમદિલ હોવાનાં કારણે ઊઠવાની પણ યુક્તિ બતાવે છે. અંત સુધી પણ શીખવાડતા જ રહેશે. અચ્છા, આજે ભોગ છે, ભોગ લગાવીને જલ્દી પાછાં આવી જવાનું છે. બાકી વૈકુંઠમાં જઈને દેવી-દેવતાઓ વગેરે નાં સાક્ષાત્કાર કરવા આ બધું ફાલતું છે. આમાં બહુ જ મહીન બુદ્ધિ જોઈએ. બાપ આ રથ દ્વારા કહે છે મને યાદ કરો, હું જ પતિત-પાવન તમારો બાપ છું. તુમ્હી સે ખાઉં…..તુમ્હી સે બૈઠું….આ અહીંયાનાં માટે છે. ઉપરમાં કેવી રીતે હશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) બાપ આ દાદામાં પ્રવેશ થઇ આપણને મનુષ્ય થી દેવતા અર્થાત વિકારી થી નિર્વિકારી બનાવવાં માટે ગીતાનું જ્ઞાન સંભળાવી રહ્યા છે, આજ નિશ્ચય થી રમણ કરવાનું છે. શ્રીમત પર ચાલીને શ્રેષ્ઠ ગુણવાન બનવાનું છે.

૨) યાદની યાત્રાથી બુદ્ધિને સોનાનું વાસણ બનાવવાનું છે. જ્ઞાન બુદ્ધિમાં સદા રહે એનાં માટે મુરલી જરુર વાંચવાની કે સાંભળવાની છે.

વરદાન :-
શરીર ની વ્યાધિઓનાં ચિંતન થી મુક્ત , જ્ઞાન ચિંતન કે સ્વચિંતન કરવા વાળા શુભચિંતક ભવ

એક છે શરીરની વ્યાધિ આવવી, એક છે વ્યાધિમાં હલી જવું. વ્યાધિ આવવી આ તો ભાવી છે પરંતુ શ્રેષ્ઠ સ્થિતિ નું હલી જવું - આ બંધનયુક્ત ની નિશાની છે. જે શરીરની વ્યાધિનાં ચિંતનથી મુક્ત રહી સ્વચિંતન, જ્ઞાન ચિંતન કરે છે તેજ શુભચિંતક છે. પ્રકૃતિનું ચિંતન વધારે કરવાથી ચિંતાનું રુપ થઈ જાય છે. આ બંધન થી મુક્ત થવું એને જ કર્માતીત સ્થિતિ કહેવાય છે.

સ્લોગન :-
સ્નેહ ની શક્તિ સમસ્યા રુપી પહાડ ને પાણી જેવી હલ્કી બનાવી દે છે.