24-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
પોતાનાં દીપક ની સંભાળ સ્વયં જ કરવાની છે , તોફાનો થી બચવાં માટે જ્ઞાન - યોગ નું
ઘૃત જરુર જોઈએ ”
પ્રશ્ન :-
કયો પુરુષાર્થ
ગુપ્ત બાપ થી ગુપ્ત વારસો અપાવી દે છે?
ઉત્તર :-
અંતર્મુખ
અર્થાત્ ચુપ રહીને બાપને યાદ કરો તો ગુપ્ત વારસો મળી જશે. યાદમાં રહેતાં શરીર છૂટે
તો બહું સારું, આમાં કોઈ તકલીફ નથી. યાદની સાથે-સાથે જ્ઞાન-યોગની સેવા પણ કરવાની
છે, જો નથી કરી સકતા તો કર્મણા સેવા કરો. અનેકોને સુખ આપશો તો આશીર્વાદ મળશે. ચલન
અને બોલચાલ પણ બહુજ સાત્વિક જોઈએ.
ગીત :-
નિર્બલ સે
લડાઈ બલવાન કી…...
ઓમ શાંતિ!
બાબાએ સમજાવી
દીધું છે જ્યારે આવાં ગીત સાંભળો છો તો દરેક ને પોતાનાં પર વિચાર સાગર મંથન કરવાનું
હોય છે. આ તો બાળકો જાણે છે - મનુષ્ય મરે છે તો ૧૨ દિવસ દીવા પ્રગટાવે છે. તમે પછી
મરવાનાં માટે તૈયારી કરી રહ્યા છો અને સ્વયં ની જ્યોત પુરુષાર્થ કરી પોતે જ જગાડી
રહ્યા છો. પુરુષાર્થ પણ માળા માં આવવાવાળા જ કરે છે. પ્રજા આ માળા માં નથી આવતી.
પુરુષાર્થ કરવો જોઈએ અમે વિજય માળા માં પહેલા જઈએ. ક્યાંક માયા બિલાડી તોફાન લગાવી
વિકર્મ ન બનાવી દે જે દીવો બુઝાઈ જાય. હવે આમાં જ્ઞાન અને યોગ બંનેનું બળ જોઈએ.
યોગની સાથે જ્ઞાન પણ જરુરી છે. દરેક ને પોતાનાં દીવા ની સંભાળ કરવાની છે. અંત સુધી
પુરુષાર્થ ચાલવાનો જ છે. રેસ ચાલતી રહે છે તો ખુબ સંભાળ કરવાની છે - ક્યાંય જ્યોત
ઓછી ન થઈ જાય, બુઝાઈ ન જાય એટલા માટે યોગ અને જ્ઞાનનું ઘૃત રોજ નાખવું પડે છે.
યોગબળ ની તાકાત નથી તો દોડી નથી શકતા. પાછળ રહી જાય છે. સ્કૂલમાં વિષય હોય છે, જુએ
છે - અમે આ વિષય માં આગળ નથી તો હિસાબ માં જોર લગાવે છે. અહીંયા પણ આવું જ છે.
સ્થૂળ સેવાનો વિષય પણ બહુજ સારો છે. અનેકોનાં આશીર્વાદ મળે છે. કોઈ બાળકો જ્ઞાનની
સેવા કરે છે. દિન-પ્રતિદિન સેવાની વૃદ્ધિ થતી જશે. એક ધનવાન ની ૬ થી ૮ દુકાન પણ હોય
છે. બધી એક જેવી નથી ચાલતી. કોઈમાં ઓછી ગ્રાહકી, કોઈમાં વધારે હોય છે. તમારો પણ એક
દિવસ તે સમય આવવાનો છે જે રાતના પણ ફુરસત નહીં મળશે. બધાંને ખબર પડશે કે જ્ઞાન સાગર
બાબા આવેલાં છે - અવિનાશી જ્ઞાન રત્નોથી ઝોલી ભરે છે. પછી ઘણા બાળકો આવશે. વાત નહીં
પૂછો. એક-બીજાને સંભળાવે છે ને. અહીંયા આ વસ્તુ બહુજ સસ્તી મળે છે. આપ બાળકો પણ જાણો
છો આ રાજયોગની શિક્ષા ખુબજ સહજ છે. બધાંને આ જ્ઞાન રત્નોની ખબર પડી જશે તો આવતા
રહેશે. તમે આ જ્ઞાન અને યોગની સેવા કરો છો. જે આ જ્ઞાન યોગની સેવા નથી કરી સકતા તો
પછી કર્મણા સેવાનાં પણ માર્ક્સ (ગુણ) છે. બધાનાં આશીર્વાદ મળશે. એક-બીજાને સુખ
આપવાનું હોય છે. આ તો ખુબ-ખુબ સસ્તી ખાણ છે. આ અવિનાશી હીરા-ઝવેરાત ની ખાણ છે. ૮
રત્નોની માળા બનાવે છે ને. પૂજે પણ છે પરંતુ કોઈને ખબર નથી, આ માળા કોની બનેલી છે.
આપ બાળકો જાણો છો કેવી રીતે આપણે જ પૂજ્ય થી પૂજારી બનીએ છીએં. આ બહુજ વન્ડરફુલ
નોલેજ છે જે દુનિયામાં કોઈ નથી જાણતું. હમણાં આપ ભાગ્યશાળી બાળકોને જ નિશ્ચય છે કે
આપણે સ્વર્ગ નાં માલિક હતાં, હવે નર્કનાં માલિક બની ગયા છીએં, સ્વર્ગનાં માલિક હશો
તો પુનર્જન્મ પણ ત્યાં જ લેશો. હમણાં ફરી આપણે સ્વર્ગનાં માલિક બની રહ્યા છીએ. આપ
બ્રાહ્મણોને જ આ સંગમયુગ ની ખબર છે. બીજી બાજુ આખી દુનિયા છે કળયુગમાં. યુગ તો
અલગ-અલગ છે ને. સતયુગમાં હશો તો પુનર્જન્મ સતયુગમાં લેશો. હમણાં તમે સંગમયુગ પર છો.
તમારામાં થી કોઇ શરીર છોડશે તો સંસ્કારો અનુસાર પછી અહિંયા જ આવીને જન્મ લેશે. તમે
બ્રાહ્મણ છો સંગમયુગનાં. તે શુદ્ર છે કળયુગનાં. આ નોલેજ પણ તમને આ સંગમ પર મળે છે.
તમે બી.કે. જ્ઞાનગંગાઓ પ્રેકટીકલમાં હમણાં સંગમયુગ પર છો. હવે તમારે રેસ કરવાની છે.
દુકાન સંભાળવાની છે. જ્ઞાન-યોગ ની ધારણા નહિ હોય તો દુકાન સંભાળી નહીં શકો. સેવાનું
ફળ તો બાબા આપવાનાં છે. યજ્ઞ રચાય છે જાત-જાતનાં બ્રાહ્મણ લોકો આવી જાય છે. પછી
કોઈને દક્ષિણા વધારે, કોઈને ઓછી મળે છે. હવે આ પરમપિતા પરમાત્માએ રુદ્ર જ્ઞાન યજ્ઞ
રચ્યો છે. આપણે છીએ બ્રાહ્મણ. આપણો ધંધો જ છે મનુષ્ય થી દેવતા બનાવવાં. આવો યજ્ઞ
બીજો કોઈ હોતો નથી, જે કોઈ કહે કે અમે આ યજ્ઞથી મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએં. હવે
આને રુદ્ર જ્ઞાન યજ્ઞ અથવા પાઠશાળા પણ કહેવાય છે. જ્ઞાન અને યોગથી દરેક બાળક
દેવી-દેવતા પદ પામી શકે છે. બાબા સલાહ પણ આપે છે તમે પરમધામ થી બાબાની સાથે આવ્યા
છો. તમે કહેશો અમે પરમધામ નિવાસી છીએ. આ સમયે બાબાની મત થી આપણે સ્વર્ગની સ્થાપના
કરી રહ્યા છીએ. જે સ્થાપના કરશે તેજ જરુર માલિક બનશે. તમે જાણો છો આ દુનિયામાં આપણે
સૌથી ભાગ્યશાળી, જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા, અને જ્ઞાન તારાઓ છીએં. બનાવવાવાળા છે
જ્ઞાન સાગર. તે સૂર્ય, ચંદ્ર, તારાઓ તો સ્થૂળમાં તો છે ને. તેમની સાથે આપણી તુલના
છે. તો આપણે પણ પછી જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમાં, જ્ઞાન તારાઓ બનશું. આપણને આવાં
બનાવવા વાળા છે જ્ઞાનનાં સાગર. નામ તો પડશે ને. જ્ઞાન સૂર્ય અથવા જ્ઞાન સાગર નાં
આપણે બાળકો છીએ. એ તો અહિયાં નાં રહેવાસી નથી. બાબા કહે છે હું તો આવું છું તમને આપ
સમાન બનાવું છું. જ્ઞાન સૂર્ય, જ્ઞાન તારાઓ તમારે અહીંયા બનવાનું છે. તમે જાણો છો
બરાબર આપણે ભવિષ્યમાં પછી અહીંયા જ સ્વર્ગનાં માલિક બનશું. બધો આધાર પુરુષાર્થ પર
છે. આપણે માયા પર જીત પામવાનાં યોદ્ધાઓ છે. તે લોકો પછી મનને વશ કરવાં માટે કેટલું
હઠ વગેરે કરે છે. તમે તો હઠયોગ વગેરે કરી ન શકો. બાબા કહે છે તમારે કોઈ તકલીફ વગેરે
નથી કરવાની, ફક્ત કહું છું તમારે મારી પાસે આવવાનું છે એટલે મને યાદ કરો. હું આપ
બાળકોને લેવાં આવ્યો છું. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. ભલે પોતાને ઈશ્વર કહે
પરંતુ પોતાને માર્ગદર્શક કહી ન શકે. બાબા કહે છે હું મુખ્ય પંડો કાળો નો કાળ છું.
એક સત્યવાન સાવિત્રીની વાર્તા છે ને! તેનો શારીરિક પ્રેમ હોવાને કારણે દુ:ખી થતી હતી.
તમે તો ખુશ થાઓ છો. હું તમારી આત્માને લઈ જઈશ, તમે ક્યારેય દુઃખી નહીં થશો. જાણો છો
આપણા બાબા આવ્યા છે સ્વીટ હોમ માં લઈ જવા માટે. જેને મુક્તિધામ, નિર્વાણધામ કહેવાય
છે. કહે છે હું બધાં કાળો નો કાળ છું. તે તો એક આત્માને લઈ જાય છે, હું તો કેટલો
મોટો કાળ છું. ૫ હજાર વર્ષ પહેલાં પણ હું માર્ગદર્શક બની બધાને લઈ ગયો હતો. સાજન
સજનીઓને પાછાં લઈ જાય છે તો એમને યાદ કરવા પડે.
તમે જાણો છો હમણાં આપણે ભણી રહ્યા છીએ પછી અહીંયા આવશું. પહેલા શાંતિધામ જઈશું પછી
નીચે આવશું. આપ બાળકો સ્વર્ગનાં તારાઓ થયાં. પહેલાં નર્કનાં હતાં. તારા બાળકોને
કહેવાય છે. ભાગ્યશાળી તારાઓ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. તમને દાદાની મિલકત મળે
છે. ખાણ ખુબ જબરજસ્ત છે અને આ ખાણ એક જ વાર નીકળે છે. તે ખાણો તો ઘણી છે ને. નીકળતી
રહે છે. કોઈ બેસીને શોધે તો ઘણી છે. આ તો એક જ વાર એક જ ખાણ મળે છે - અવિનાશી જ્ઞાન
રત્નોની. તે પુસ્તકો તો ઘણી છે. પરંતુ તેને રત્ન નહીં કહેશું. બાબાને જ્ઞાન સાગર
કહેવાય છે. અવિનાશી જ્ઞાન રત્નો ની નિરાકારી ખાણ છે. આ રત્નો થી આપણે ઝોલી ભરતા
રહીયે છીએં. આપ બાળકોને ખુશી હોવી જોઈએ. દરેક ને ફખુર (નશો) પણ હોય છે. દુકાન પર
ધંધો વધારે થાય છે તો નામાચાર પણ થાય છે. અહીંયા પ્રજા પણ બનાવી રહ્યા છે તો વારિસ
પણ બનાવી રહ્યા છો. અહીંયાંથી રત્નોની ઝોલી ભરીને પછી જઈને દાન આપવાનું છે. પરમપિતા
પરમાત્મા જ જ્ઞાન સાગર છે જે જ્ઞાન રત્નોથી ઝોલી ભરે છે. બાકી તે સમુદ્ર નથી જે
દેખાડે છે રત્નોની થાળી ભરીને દેવતાઓને આપે છે. તે સાગર થી રત્ન નથી મળતાં. આ જ્ઞાન
રત્નોની વાત છે. ડ્રામા અનુસાર ફરી તમને રત્નોની ખાણો પણ મળે છે. ત્યાં અઢળક
હીરા-ઝવેરાત હશે, જેનાથી પછી ભક્તિમાર્ગ માં મંદિર વગેરે બનાવશે. ધરતીકંપ વગેરે
થવાથી બધું અંદર ચાલ્યુ જાય છે. ત્યાં મહેલ વગેરે તો બહુંજ બને છે, એક નહીં. અહીંયા
પણ રાજાઓની હરીફાઈ થાય છે ખુબજ. આપ બાળકો જાણો છો - હૂબહૂ કલ્પ પહેલા જેવાં મકાન
બનાવ્યા હતાં તેવા ફરી બનાવશે. ત્યાં તો ખુબ સહજ મકાન વગેરે બનતાં હશે. વિજ્ઞાન ખુબ
કામ આવે છે. પરંતુ ત્યાં વિજ્ઞાન અક્ષર નહિ હોય. સાયન્સ ને હિન્દીમાં વિજ્ઞાન કહે
છે. આજકાલ તો વિજ્ઞાન ભવન પણ નામ રાખી દીધું છે. વિજ્ઞાન અક્ષર જ્ઞાનની સાથે પણ લાગે
છે. જ્ઞાન અને યોગને વિજ્ઞાન કહેશું. જ્ઞાનથી રત્ન મળે છે યોગથી આપણે એવરહેલ્દી (સદા
સ્વસ્થ) બનીયે છીએ. આ જ્ઞાન અને યોગનું નોલેજ છે જેનાથી પછી વૈકુંઠ માં મોટા-મોટા
ભવન બનશે. આપણે હમણાં આ બધાં નોલેજને જાણીએ છીએ. તમે જાણો છો આપણે ભારતને સ્વર્ગ
બનાવી રહ્યા છીએ. તમારું આ દેહથી કોઈ મમત્વ નથી. આપણે આત્મા આ શરીરને છોડી સ્વર્ગમાં
જઈને નવું શરીર લઈશું. ત્યાં પણ સમજે છે એક જૂનું શરીર છોડી જઈને નવું લઈશું. ત્યાં
કોઈ દુ:ખ અથવા શોક નથી હોતો. નવું શરીર લે તો સારું જ છે. આપણને બાબા આવાં બનાવી
રહ્યા છે, જેમ કલ્પ પહેલાં પણ બન્યા હતાં. આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએં.
બરાબર કલ્પ પહેલાં પણ અનેક ધર્મ હતા.ગીતામાં કંઈ આ નથી. ગવાય છે આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપના બ્રહ્મા દ્વારા. અનેક ધર્મોનો વિનાશ કેવી રીતે થાય છે, એ
તમે સમજાવી શકો છો. હમણાં સ્થાપના થઇ રહી છે. બાબા આવ્યા જ ત્યારે હતાં જ્યારે
દેવી-દેવતા ધર્મ લુપ્ત થઈ ગયો હતો. પછી પરંપરા કેવીરીતે ચાલી હશે. આ બહુજ સહજ વાતો
છે. વિનાશ કોનો થયો? અનેક ધર્મોનો. તો હમણાં અનેક ધર્મ છે ને. આ સમય અંતિમ છે, બધું
જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ. એવું તો નથી, શિવબાબા જ સમજાવે છે. શું આ બાબા કાંઇ
નથી બતાવતા. આમનો પણ પાર્ટ છે, શ્રીમત બ્રહ્મા ની પણ ગવાયેલી છે. કૃષ્ણનાં માટે તો
શ્રીમત કહેતા નથી. ત્યાં તો બધાં શ્રી છે, તેમને તો મતની દરકાર જ નથી. અહીંયા
બ્રહ્માની પણ મત મળે છે. ત્યાં તો યથા રાજા-રાણી તથા પ્રજા-બધાની શ્રેષ્ઠ મત છે.
જરુર કોઈએ આપી હશે. દેવતાઓ છે શ્રીમત વાળા. શ્રીમત થી જ સ્વર્ગ બને છે, આસુરી મત થી
નરક બન્યું છે. શ્રીમત છે શિવની. આ બધી વાતો સહજ સમજવાની છે. શિવબાબાની આ બધી દુકાન
છે. આપણે બાળકો ચલાવવા વાળા છીએ. જે સારી દુકાન ચલાવે છે, તેનું નામ થાય છે. હૂબહૂ
જેમ દુકાનદારી માં હોય છે. પરંતુ આ વ્યાપાર કોઈ વિરલા કરે. વ્યાપાર તો બધાંએ કરવાનો
છે. નાનાં બાળકો પણ જ્ઞાન અને યોગનો વ્યાપાર કરી શકે છે. શાંતિધામ અને સુખધામ-બસ,
બુદ્ધિમાં એમને યાદ કરવાનાં છે. તે લોકો રામ-રામ કહે છે. અહીંયા ચુપ રહીને યાદ
કરવાનું છે, બોલવાનું કાંઈ નથી. શિવપુરી, વિષ્ણુપુરી ખુબ સહજ વાત છે. સ્વીટ હોમ,
સ્વીટ રાજધાની યાદ છે. તેઓ આપે છે સ્થૂળ મંત્ર, આ છે સૂક્ષ્મ મંત્ર. અતિ સૂક્ષ્મ
યાદ છે. ફક્ત આ યાદ કરવાથી આપણે સ્વર્ગ નાં માલિક બની જઈએ છે. જપવાનું કાંઈ પણ નથી
ફક્ત યાદ કરવાનું છે. અવાજ કંઈ નથી કરવો પડતો. ગુપ્ત બાબાથી ગુપ્ત વારસો ચુપ રહેવાથી,
અંતર્મુખ થવાથી આપણે પામીએ છીએ. આજ યાદમાં રહેતાં શરીર છૂટી જાય તો બહુંજ સારું છે.
કોઈ તકલીફ નથી, જેમની યાદ નથી રહેતી તે પોતાનો અભ્યાસ કરે. બધાને કહો બાબાએ કહ્યું
છે મને યાદ કરો તો અંત મતિ સો ગતિ. યાદથી વિકર્મ વિનાશ થશે અને હું સ્વર્ગમાં મોકલી
દઈશ. બુદ્ધિયોગ શિવબાબા થી લગાડવો ખુબ સહજ છે. પરહેજ પણ બધી અહીંયા જ કરવાની છે.
સતોપ્રધાન બનો છો તો બધું સાત્વિક હોવું જોઈએ-ચલન સાત્વિક, બોલવાનું સાત્વિક. આ છે
પોતાની સાથે વાતો કરવી. સાથી થી પ્રેમ થી બોલવાનું છે. ગીતમાં પણ છે ને-પિયુ-પિયુ
બોલ સદા અનમોલ…..
તમે છો રુપ-વસંત. આત્મા રુપ બને છે. જ્ઞાન નાં સાગર બાપ છે તો જરુર આવીને જ્ઞાન જ
સંભળાવશે. કહે છે હું એક જ વાર આવીને શરીર ધારણ કરું છું. આ ઓછી જાદુગીરી નથી! બાબા
પણ રુપ-વસંત છે. પરંતુ નિરાકાર તો બોલી ન શકે એટલે શરીર લીધું છે. પરંતુ એ
પુનર્જન્મ માં નથી આવતાં. આત્માઓ તો પુનર્જન્મ માં આવે છે.
આપ બાળકો બાબાની ઉપર બલિહાર જાઓ છો તો બાબા કહે છે પછી મમત્વ નહિ રાખતાં. પોતાનું
કાંઈ નહિ સમજતાં. મમત્વ મટાડવાં માટે જ બાબા યુક્તિ રચે છે. કદમ-કદમ પર બાપ ને પૂછવું
પડે છે. માયા એવી છે જે થપ્પડ મારે છે. પૂરી મુક્કાબાજી છે, ઘણાં તો માર ખાઈને પછી
ઉભા થઈ જાય છે. લખે પણ છે-બાબા, માયાએ થપ્પડ લગાવી દીધો, કાળું મોઢું કરી દીધું.
જેમ કે ચોથા માળથી પડ્યાં. ક્રોધ કર્યો તો ત્રીજા માળથી પડ્યાં. આ ખુબ સમજવાની વાતો
છે. હવે જુઓ, બાળકો ટેપનાં માટે પણ માંગણી કરતા રહે છે. બાબા ટેપ મોકલાવી દો. અમે
એક્યુરેટ મુરલી સાંભળીએ. આ પણ પ્રબંધ થઈ રહ્યો છે. ખુબ સાંભળશો તો અનેકોનાં કપાટ
ખુલશે. અનેકોનું કલ્યાણ થશે. મનુષ્ય કોલેજ ખોલે છે તો તેમને બીજા જન્મમાં વિદ્યા
અધિક મળે છે. બાબા પણ કહે છે-ટેપ મશીન ખરીદી કરો તો અનેકોનું કલ્યાણ થઇ જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સતોપ્રધાન
બનવાનાં માટે ખુબ-ખુબ પરહેજ થી ચાલવાનું છે. પોતાનું ખાન-પાન, બોલ-ચાલ બધું સાત્વિક
રાખવાનું છે. બાપ સમાન રુપ-વસંત બનવાનું છે.
2. અવિનાશી જ્ઞાન રત્નોની નિરાકારી ખાણથી પોતાની ઝોલી ભરીને અપાર ખુશીમાં રહેવાનું
છે અને બીજાઓને પણ આ રત્નોનું દાન દેવાનું છે.
વરદાન :-
મન - બુદ્ધિ
ને ઓર્ડર પ્રમાણે વિધિપૂર્વક કાર્યમાં લગાવવા વાળા નિરંતર યોગી ભવ
નિરંતર યોગી અર્થાત્
સ્વરાજ્ય અધિકારી બનવાનું વિશેષ સાધન મન અને બુદ્ધિ છે. મંત્ર જ મનમનાભવ નો છે.
યોગને બુદ્ધિયોગ કહે છે. તો જો આ વિશેષ આધાર સ્તંભ પોતાનાં અધિકારમાં છે અર્થાત્
ઓર્ડર પ્રમાણે વિધિ પૂર્વક કાર્ય કરે છે. જે સંકલ્પ જ્યારે કરવા ઈચ્છો તેવા સંકલ્પ
કરી શકો, જ્યાં બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં લગાવી શકો, બુદ્ધિ તમને રાજાઓને ભટકાવે
નહીં. વિધિપૂર્વક કાર્ય કરે ત્યારે કહેવાશે નિરંતર યોગી.
સ્લોગન :-
માસ્ટર વિશ્વ
શિક્ષક બનો, સમય ને શિક્ષક નહીં બનાવો.