20-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમને
અહીંયા પ્રવૃત્તિ માર્ગનો પ્રેમ મળે છે કારણકે બાપ દિલથી કહે છે - મારા બાળકો, બાપ
થી વારસો મળે છે, આ પ્રેમ દેહધારી ગુરુ નથી આપી શકતા”
પ્રશ્ન :-
જે બાળકોની
બુદ્ધિ માં જ્ઞાન ની ધારણા છે, શુરુડ બુદ્ધિ છે - એમની નિશાની શું હશે?
ઉત્તર :-
તેમને બીજાને
સંભળાવવાનો શોખ હશે. તેમની બુદ્ધિ મિત્ર-સંબંધીઓ વગેરેમાં પણ ભટકશે નહીં. શુરુડ
બુદ્ધિ જે હોય છે તે ભણવામાં ક્યારેય બગાસા વગેરે નહીં ખાશે. સ્કૂલમાં ક્યારેય આંખો
બંધ કરીને નહીં બેસે. જે બાળકો તવાઈ થઈને બેસે છે, જેમની બુદ્ધિ અહીંયા-ત્યાં ભટકતી
રહે, તે જ્ઞાનને સમજતા જ નથી, તેમના માટે બાપને યાદ કરવું બહુ જ મુશ્કેલ છે.
ઓમ શાંતિ!
આ છે બાપ અને
બાળકો નો મેળો. ગુરુ અને ચેલા અથવા શિષ્યોનો મેળો નથી. આ ગુરુ લોકોની દ્રષ્ટિ રહે
છે કે આ અમારા શિષ્ય છે અથવા ફોલોઅર્સ (અનુયાયી) કે જિજ્ઞાસુ છે. હલકી દ્રષ્ટિ થઈ
ગઈ ને. તેઓ તે દૃષ્ટિથી જ જોશે. આત્માને નહીં. તેઓ જુએ છે શરીરોને અને તે ચેલાઓ પણ
દેહ-અભિમાની થઈને બેસે છે. તેમને પોતાના ગુરુ સમજે છે, દ્રષ્ટિ જ એ રહે છે કે અમારા
ગુરુ છે. ગુરુ માટે રીગાર્ડ (સમ્માન) રાખે છે. અહીં તો બહુ જ અંતર છે, અહીં તો બાપ
જ બાળકોનો રીગાર્ડ (સમ્માન) રાખે છે. જાણે છે આ બાળકોને ભણાવવાના છે. આ સૃષ્ટિ ચક્ર
કેવી રીતે ફરે છે. બેહદની હિસ્ટ્રી-જોગ્રાફી બાળકોને સમજાવવાની છે. તે ગુરુઓનાં
દિલમાં બાળકોનો પ્રેમ નહીં હોય. બાપની પાસે તો બાળકો માટે બહુ જ પ્રેમ રહે છે અને
બાળકોનો પણ બાપ પર પ્રેમ રહે છે. તમે જાણો છો બાબા આપણને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન
સંભળાવે છે. તેઓ શું શીખવાડે છે? અડધોકલ્પ શાસ્ત્ર વગેરે સંભળાવે, ભક્તિના કર્મકાંડ
કરે, ગાયત્રી સંધ્યા વગેરે શીખવાડતા રહે છે. આ તો બાપ આવેલા છે પોતાનો પરિચય આપી
રહ્યા છે. આપણે બાપને બિલકુલ નહોતા જાણતા. સર્વવ્યાપી જ કહી દેતા હતા. ક્યારે પણ
પૂછો પરમાત્મા ક્યાં છે તો ઝટ કહેશે તે તો સર્વવ્યાપી છે. તમારી પાસે મનુષ્ય જ્યારે
આવે છે તો પૂછે છે અહીં શું શીખવાડે છે? બોલો, અમે રાજયોગ શીખવાડીએ છીએ, જેનાથી તમે
મનુષ્યથી દેવતા અર્થાત રાજા બની શકો છો, બીજો કોઈ સત્સંગ એવો નહીં હોય જે કહે અમે
મનુષ્ય થી દેવતા બનવાનું શિક્ષણ આપીએ છીએ. દેવતાઓ હોય છે સતયુગમાં. કળયુગમાં છે
મનુષ્ય. હવે હું તમને આખી સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવું છું, જેનાથી તમે ચક્રવર્તી
રાજા બની જશો અને પછી તમને પાવન બનવાની બહુ જ સરસ યુક્તિ બતાવું છું. એવી યુક્તિ
ક્યારેય કોઈ સમજાવી ન શકે. આ છે સહજ રાજયોગ છે. બાપ છે પતિત-પાવન. તેઓ સર્વશક્તિમાન
પણ છે તો તેમને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે કારણકે યોગ અગ્નિ છે ને. તો અહીં નવી વાત
શીખવાડે છે.
આ જ્ઞાન માર્ગ છે. જ્ઞાનસાગર એક જ બાપ હોય છે. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે. જ્ઞાન
શીખવાડવા માટે બાપને આવવું પડે છે કારણ કે એ જ્ઞાન નાં સાગર છે. તેઓ સ્વયં આવીને
પોતાનો પરિચય આપે છે કે હું સર્વનો બાપ છું. બ્રહ્મા દ્વારા આખી સૃષ્ટિને પાવન બનાવું
છું. પાવન દુનિયા છે સતયુગ. પતિત દુનિયા છે કળયુગ. તો સતયુગ આદિ, કળયુગ અંતનો આ છે
સંગમયુગ. આને લિપયુગ કહેવાય છે. આમાં આપણે છલાંગ મારીએ છીએ. ક્યાં? જૂની દુનિયાથી
નવી દુનિયામાં છલાંગ મારીએ છીએ. તેઓ તો સીડી થી ધીમે-ધીમે નીચે ઉતરતા આવ્યા. અહીં
તો આપણે છી-છી દુનિયાથી નવી દુનિયામાં એકદમ છલાંગ મારીએ છીએ. સીધા ચાલ્યા જઈએ છે
ઉપર. જૂની દુનિયાને છોડી આપણે નવી દુનિયામાં જઈએ છીએ. આ છે બેહદ ની વાત. બેહદની જૂની
દુનિયામાં અસંખ્ય મનુષ્ય છે. નવી દુનિયામાં તો બહુજ થોડા મનુષ્ય હોય છે જેને સ્વર્ગ
કહેવાય છે. ત્યાં બધા પવિત્ર રહે છે. કળયુગમાં છે બધા અપવિત્ર. અપવિત્ર રાવણ બનાવે
છે. આ તો બધાને સમજાવે છે કે તમે હમણાં રાવણ રાજ્ય અથવા જૂની દુનિયામાં છો. અસલ માં
રામરાજ્ય માં હતા જેને સ્વર્ગ કહેવાતું હતું. પછી કેવીરીતે ૮૪નું ચક્ર લગાવી નીચે
પડ્યા છો, એ તો હું બતાવી સકું છું. જે સારા સમજદાર હશે તે ઝટ સમજશે, જેની બુદ્ધિ
માં નહિ આવશે એ તો તવાઈ ની જેમ અહીં-ત્યાં જોતા રહેશે. ધ્યાનથી સાંભળશે નહીં. કહે
છે ને તમે તો જાણે તવાઈ છો. સંન્યાસી લોકો પણ જ્યારે કથા બેસી સંભળાવે છે તો કોઈ
ઝોકા ખાય છે અથવા ધ્યાન બીજી તરફ રહે છે તો અચાનક તેમને પૂછે છે શું સંભળાવ્યું?
બાપ પણ બધાં ને જોતા રહે છે. કોઈ તવાઈ તો નથી બેઠા. સારા શુરુડ બાળકો જે હોય છે તે
ભણવામાં ક્યારે બગાસા વગેરે નહીં લેશે. સ્કૂલમાં કોઈ આંખો બંધ કરીને બેસે આ તો કાયદો
નથી. કંઈ પણ જ્ઞાન ને સમજતા નથી. બાપને યાદ કરવું, એમના માટે બહુ મુશ્કેલ છે, પછી
પાપ કેવી રીતે કપાય. શુરુડ બુદ્ધિ તો સારી રીતે ધારણ કરી બીજાને સંભળાવવાનો શોખ રાખે
છે. જ્ઞાન નથી તો બુદ્ધિ મિત્ર-સંબંધીઓની તરફ ભટકતી રહે છે. અહીં તો બાપ કહે છે બીજું
બધું ભૂલી જવાનું છે. અંત સમયે કંઈ પણ યાદ ન આવે. બાબાએ સન્યાસીઓ વગેરેને જોયેલા છે
જે પાક્કા બ્રહ્મજ્ઞાની હોય છે, સવારે આમ બેઠા-બેઠા બ્રહ્મ મહતત્વ ને યાદ કરતા-કરતા
શરીર છોડી દે છે. તેમનો શાંતિનો પ્રવાહ બહુ હોય છે. હવે તેઓ બ્રહ્મમાં લીન તો થઇ ન
શકે. તો પણ માતાના ગર્ભથી જન્મ લેવો પડે છે.
બાપએ સમજાવ્યું છે હકીકતમાં મહાત્મા તો કૃષ્ણને કહેવાય છે. મનુષ્ય તો વગર અર્થ સમજે
એમ જ કહી દે છે. બાપ સમજાવે છે શ્રીકૃષ્ણ છે સંપૂર્ણ નિર્વિકારી, પરંતુ એમને
સંન્યાસી નહીં, દેવતા કહેવાય છે. સન્યાસી કહેવું કે દેવતા કહેવું એનો પણ અર્થ છે. આ
દેવતા કેવી રીતે બન્યા? સંન્યાસી થી દેવતા બન્યા. બેહદ નો સંન્યાસ કર્યો પછી જતા
રહ્યા નવી દુનિયામાં. તેઓ તો હદનો સંન્યાસ કરે છે. બેહદમાં જઇ ન શકે. હદમાં જ
પુનર્જન્મ લેવો પડે, વિકારથી. બેહદના માલિક બની ન શકે. રાજા-રાણી ક્યારેય બની ન શકે
કારણ કે એમનો ધર્મ જ અલગ છે. સંન્યાસ ધર્મ દેવી-દેવતા ધર્મ નથી. બાપ કહે છે હું
અધર્મ વિનાશ કરી દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું. વિકાર પણ અધર્મ છે ને, એટલે
બાપ કહે છે આ બધાનો વિનાશ અને એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરવા મારે
આવવું પડે છે. ભારતમાં જ્યારે સતયુગ હતું ત્યારે એક જ ધર્મ હતો, એ જ ધર્મ પછી અધર્મ
બને છે. હવે તમે ફરીથી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરી રહ્યા છો. જે જેટલો
પુરુષાર્થ કરશે એટલું ઉચ્ચ પદ પામશે. સ્વયંને આત્મા નિશ્ચય કરવાની છે. ભલે ગૃહસ્થ
વ્યવહારમાં રહો. એમાં પણ જેટલું થઈ શકે ઉઠતા-બેસતા આ પાક્કું કરો, જેમ ભક્ત લોકો
સવારનાં ઉઠીને એકાંતમાં બેસી માળા જપે છે, તમે તો આખા દિવસનો હિસાબ નીકાળો છો. ફલાણા
સમયે આટલી યાદ રહી, આખા દિવસમાં આટલો સમય યાદ રહી, ટોટલ નીકાળો છો. તેઓ તો સવારે
ઊઠીને માળા ફેરવે છે, ભલે કોઈ સાચા ભક્ત નથી હોતા. ઘણાની બુદ્ધિ તો બહાર ક્યાં-ક્યાં
ભટકતી રહે છે. હવે તમે સમજો છો ભક્તિથી ફાયદો કંઈ પણ નથી મળવાનો. આ તો છે જ્ઞાન,
જેનાથી બહુ જ ફાયદો થાય છે. હવે તમારી છે ચઢતી કળા. બાપ ઘડી-ઘડી કહે છે મનમનાભવ.
ગીતામાં પણ અક્ષર છે પરંતુ એનો અર્થ કોઈ પણ સંભળાવી નહી શકે. જવાબ આવડશે જ નહીં.
હકીકતમાં એનો અર્થ લખેલો પણ છે સ્વયંને આત્મા સમજી, દેહના બધા ધર્મ છોડી મામેકમ યાદ
કરો. ભગવાનુવાચ છે ને. પરંતુ એમની બુદ્ધિમાં છે કૃષ્ણ ભગવાન. એ તો દેહધારી
પુનર્જન્મમાં આવવાના છે ને. એમને ભગવાન કેવી રીતે કહી શકાય. તો સંન્યાસી વગેરે કોઈની
પણ દ્રષ્ટિ બાપ અને બાળકોની ન હોઈ શકે. ભલે ગાંધીજીને બાપુજી કહેતા હતા પરંતુ
પિતા-પુત્રનો સંબંધ નહીં કહેશું. એ તો પણ સાકાર થઈ ગયા ને. તમને તો સમજાવ્યું છે
પોતાને આત્મા સમજો. આમનામાં જે બાપ બેઠા છે એ છે બેહદના બાપુજી. લૌકિક અને પારલૌકિક
બંને બાપથી વારસો મળે છે. બાપુજી થી તો કંઈપણ નહીં મળ્યું. અચ્છા, ભારતની રાજધાની
પાછી મળી પરંતુ એ વારસો તો નહીં કહેશું. સુખ મળવું જોઈએ ને.
વારસો હોય જ છે બે - એક હદનાં બાપ નો, બીજો બેહદનાં બાપ નો. બ્રહ્મા થી પણ કોઈ વારસો
નથી મળતો. ભલે આખી પ્રજાનાં તે પિતા છે, તેમને કહે છે ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર. તે
પોતે કહે છે મારાથી તમને કંઈ પણ વારસો નથી મળતો, જ્યારે આ પોતે કહે છે મારાથી વારસો
નથી મળી સકતો, તો તે બાપુજી થી પછી શું વારસો મળી શકે. કાંઈ પણ નહીં. અંગ્રેજ તો
ચાલ્યા ગયા. હવે શું છે? ભૂખ હડતાલ, પિકેટિંગ, સ્ટ્રાઈક વગેરે થતી રહે છે, કેટલી
મારામારી થતી રહે છે. કોઈનો ડર નથી. મોટા-મોટા ઓફિસરોને પણ મારી દે છે. સુખ ની બદલે
દુઃખ છે. તો બેહદની વાત અહીં જ છે. બાપ કહે છે પહેલાં-પહેલાં તો આ પાક્કો નિશ્ચય કરો
કે અમે આત્મા છીએ, શરીર નહીં. બાપએ અમને એડોપ્ટ કર્યા છે, અમે એડોપ્ટેડ બાળકો છીએ.
તમને સમજાવાય છે બાપ જ્ઞાનનાં સાગર આવ્યા છે અને સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવે છે.
બીજું કોઈ સમજાવી ન શકે. બાપ કહે છે દેહ સહિત દેહનાં બધા ધર્મોને ભૂલી, મામેકમ યાદ
કરો. સતો પ્રધાન જરૂર બનવું પડશે. આ પણ જાણો છો જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે.
નવી દુનિયામાં બહુ જ થોડા હોય છે. ક્યાં આટલી કરોડો આત્માઓ અને ક્યાં ૯ લાખ. આટલા
બધા ક્યાં જશે? હવે તમારી બુદ્ધિમાં છે કે અમે બધી આત્માઓ ઉપર હતી. પછી અહીં આવી છે
પાર્ટ ભજવવા. આત્માને જ એક્ટર (અભિનેતા) કહેશું. આત્મા અભિનય કરે છે આ શરીરની સાથે.
આત્માને ઓરગન્સ (ઈન્દ્રીયો) તો જોઈએ ને. આત્મા કેટલી નાની છે. ૮૪ લાખ જન્મ છે નહીં.
દરેક જો ૮૪ લાખ જન્મ લે, પછી પાર્ટ રીપીટ કેવી રીતે કરશે. યાદ ન રહી શકે. સ્મૃતિ થી
બહાર ચાલ્યું જાય. ૮૪ જન્મ પણ તમને યાદ નથી રહેતા, ભૂલી જાઓ છો. હવે આપ બાળકોએ બાપ
ને યાદ કરી પવિત્ર જરૂર બનવાનું છે. આ યોગઅગ્નિ થી વિકર્મ વિનાશ થશે. આ પણ નિશ્ચય
છે - બેહદ નાં બાપ થી બેહદ નો વારસો આપણે કલ્પ કલ્પ લઈએ છીએ. હવે ફરી સ્વર્ગવાસી
બનવા માટે બાપએ કહ્યું છે કે મામેકમ યાદ કરો કારણકે હું જ પતિત-પાવન છું. તમે બાપને
પુકાર્યા છે ને, તો હવે બાપ આવ્યા છે પાવન બનાવવા. પાવન હોય છે દેવતા, પતિત હોય છે
મનુષ્ય. પાવન બની ને પછી શાંતિધામ માં જવાનું છે. તમે શાંતિધામ જવા ઇચ્છો છો કે
સુખધામમાં આવા ઈચ્છો છો? સંન્યાસી તો કહે છે સુખ કાગ વિષ્ટા સમાન છે, અમને શાંતિ
જોઈએ. તો તેઓ સતયુગમાં ક્યારેય આવી નહીં સકશે. સતયુગમાં હતો પ્રવૃત્તિ માર્ગનો ધર્મ.
દેવતાઓ નિર્વિકારી હતા એ જ પુનર્જન્મ લેતા-લેતા પતિત બને છે. હવે બાપ કહે છે
નિર્વિકારી બનવાનું છે. સ્વર્ગમાં આવવું છે તો મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે,
પુણ્ય આત્મા બની જશો પછી શાંતિધામ-સુખધામ માં જશો. ત્યાં શાંતિ પણ હતી, સુખ પણ હતું.
હમણાં છે દુઃખધામ. ફરી બાપ આવીને સુખધામ ની સ્થાપના કરે છે, દુઃખધામનો વિનાશ. ચિત્ર
પણ સામે છે. બોલો, હવે તમે ક્યાં ઉભા છો? હમણાં છે કળયુગ નો અંત, વિનાશ સામે ઉભો
છે. બાકી જઈને થોડો ટુકડો રહેશે. આટલા ખંડ તો ત્યાં હોતા નથી. આ બધી દુનિયાની
હિસ્ટ્રી-જોગ્રાફી બાપ જ બેસી સમજાવે છે. આ પાઠશાળા છે. ભગવાનુવાચ, પહેલા-પહેલાં
બાપનો પરિચય આપવો પડે છે. હમણાં કળયુગ છે, ફરી સતયુગમાં જવાનું છે. ત્યાં તો સુખ જ
સુખ હોય છે. એક ને યાદ કરવું - એ છે અવ્યભિચારી યાદ. શરીરને પણ ભૂલી જવાનું છે.
શાંતિધામ થી આવ્યા છીએ, ફરી શાંતિધામ માં જવાનું છે. ત્યાં પતિત કોઈ જઈ ન શકે. બાપ
ને યાદ કરતા-કરતા પાવન બની તમે મુક્તિધામમાં ચાલ્યા જશો. આ સારી રીતે બેસી સમજાવવું
પડે છે. પહેલા આટલા બધા ચિત્ર થોડી હતા. વગર ચિત્ર પણ નટશેલ (સાર) માં સમજાવાતુ હતું.
આ પાઠશાળામાં મનુષ્યથી દેવતા બની જવાનું છે. આ છે નવી દુનિયા માટે નોલેજ. એ બાપ જ
આપશે ને. તો બાપની દ્રષ્ટિ રહે છે બાળકો પર. હું આત્માઓને ભણાવું છુ. તમે પણ સમજાવો
છો બેહદનાં બાપ અમને સમજાવે છે, એમનું નામ છે શિવબાબા. ફક્ત બેહદનાં બાબા કહેવાથી
પણ મૂંઝાઈ જશે કારણ કે બાબાઓ પણ બહુ જ થઇ ગયા છે. નગરપાલિકા ના મેયર ને પણ કહે છે
બાબા. બાપ કહે છે હું આમનામાં આવું છું તો પણ મારું નામ શિવ જ છે. હું આ રથ દ્વારા
તમને નોલેજ આપું છું, આમને એડોપ્ટ કર્યા છે. એમનું નામ રાખ્યું છે પ્રજાપિતા બ્રહ્મા.
આમને પણ મારાથી વારસો મળે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) હવે જૂની
દુનિયાથી નવી દુનિયામાં જમ્પ (છલાંગ) દેવાનો સમય છે એટલે આ જૂની દુનિયાથી બેહદનો
સન્યાસ કરવાનો છે. આને બુદ્ધિથી ભૂલી જવાનું છે.
2) ભણવા પર પૂરું ધ્યાન આપવાનું છે. સ્કૂલમાં આંખો બંધ કરી બેસવું - આ કાયદો નથી.
ધ્યાન રહે - ભણવાના સમયે બુદ્ધિ, અહીં-ત્યાં ન ભટકે, બગાસા ન આવે. જે સાંભળતા જઈએ
તે ધારણ થતું જાય.
વરદાન :-
સમય પ્રમાણે
સ્વયંની તપાસ કરી પરિવર્તન કરવા વાળા સદા વિજયી શ્રેષ્ઠ આત્મા ભવ:
જે સાચા
રાજયોગી છે તે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત નથી થઈ સકતા. તો પોતાને સમય
પ્રમાણ આજ રીતે તપાસ કરો અને તપાસ કર્યા પછી પરિવર્તન કરી લો. ફક્ત તપાસ કરશો તો
દિલશિકસ્ત (હતાશ) થઈ જશો. વિચારશો કે અમારામાં આ પણ ખોટ છે, ખબર નહીં ઠીક થશે કે નહીં
એટલે તપાસ કરો અને પરિવર્તન કરો કારણકે સમય પ્રમાણ કર્તવ્ય કરવા વાળાઓની સદા વિજય
થાય છે એટલે સદા વિજયી શ્રેષ્ઠ આત્મા બની તીવ્ર પુરુષાર્થ દ્વારા નંબરવન માં આવી
જાઓ.
સ્લોગન :-
મન-બુદ્ધિ ને
કંટ્રોલ (અંકુશ) કરવાનો અભ્યાસ હશે ત્યારે સેકન્ડમાં વિદેહી બની શકશો.