25-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપ આવ્યા છે આપ બાળકોને કુમ્ભી પાક નર્કથી નિ કાળવા માટે , આપ બાળકોએ બાપને નિમંત્રણ પણ એટલે આપ્યું છે ”

પ્રશ્ન :-
આપ બાળકો બહુ જ મોટામાં મોટા કારીગર છો - કેવી રીતે? તમારી કારીગરી શું છે?

ઉત્તર :-
આપણે બાળકો એવી કારીગરી કરીએ છીએ જે આખી દુનિયા જ નવી બની જાય છે, એનાં માટે આપણે કોઈ ઈંટ કે તગારુ વગેરે નથી ઉપાડતાં પરંતુ યાદની યાત્રાથી નવી દુનિયા બનાવી દઈએ છે. આપણને ખુશી છે કે આપણે નવી દુનિયાની કારીગરી કરી રહ્યા છીએ. આપણે જ ફરી આવા સ્વર્ગનાં માલિક બનશું.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવે છે, તમે જ્યારે પોત-પોતાનાં ગામથી નીકળો છો તો બુદ્ધિમાં રહે છે કે અમે જઈએ છીએ શિવબાબા ની સ્કુલમાં. એવું નથી કે કોઈ સાધુ-સંત વગેરેનાં દર્શન કરવા, શાસ્ત્ર વગેરે સાંભળવા આવો છો. તમે જાણો છો આપણે જઈએ છીએ શિવબાબાની પાસે. દુનિયાનાં મનુષ્ય તો સમજે છે શિવ ઉપરમાં રહે છે. તેઓ જ્યારે યાદ કરે છે તો આંખો ખોલીને નથી બેસતા. તેઓ આંખ બંધ કરીને ધ્યાનમાં બેસે છે. શિવલિંગ જે જોયેલું હોય છે. ભલે શિવનાં મંદિરમાં જશે તો પણ શિવને યાદ કરશે તો ઉપર જોશે અથવા મંદિર યાદ આવશે. ઘણાં પછી આંખો બંધ કરીને બેસે છે. સમજે છે દ્રષ્ટિ ક્યાંય પણ નામ-રુપમાં જો જશે તો અમારી સાધનાં તૂટી જશે. હમણાં આપ બાળકો જાણો છો આપણે શિવબાબા ને યાદ કરતા હતા. કોઈ કૃષ્ણને યાદ કરે, કોઈ રામને યાદ કરે, કોઈ પોતાનાં ગુરુને યાદ કરે, ગુરુનાં પણ નાનાં લોકેટ બનાવીને પહેરે છે. ગીતાનું પણ આટલું નાનું લોકેટ બનાવીને પહેરે છે. ભક્તિમાર્ગમાં તો બધું આવું જ છે. ઘરમાં બેઠા પણ યાદ કરે છે. યાદમાં યાત્રા કરવા પણ જાય છે. ચિત્ર તો ઘરમાં રાખીને પૂજા કરી શકે છે પરંતુ આ પણ ભક્તિની રસમ (રિવાજ) પડી ગઈ છે. જન્મ-જન્માંતર યાત્રાઓ પર જાય છે. ચારધામની યાત્રા કરે છે. ચારધામ કેમ કહે છે? વેસ્ટ (પશ્ચિમ), ઇસ્ટ (પૂર્વ), નોર્થ (ઉત્તર), સાઉથ (દક્ષિણ).. ચારેયનું ચક્ર લગાવે છે. ભક્તિ માર્ગ જયારે શરુ થાય છે તો પહેલા એકની ભક્તિ કરાય છે એને કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. સતોપ્રધાન હતા, હમણાં તો આ સમયે છે તમોપ્રધાન. ભક્તિ પણ વ્યભિચારી, અનેકોને યાદ કરતા રહે છે. તમોપ્રધાન ૫ તત્વોનું બનેલું શરીર, તેને પણ પૂજે છે. તો ભલા તમોપ્રધાન ભૂતો ની પૂજા કરે છે, પરંતુ આ વાતોને કોઈ સમજે થોડી છે. ભલે અહીંયા બેઠા છે પરંતુ બુદ્ધિયોગ ક્યાંય ભટકતો રહે છે. અહીંયા તો આપ બાળકોએ આંખો બંધ કરી શિવબાબા ને યાદ નથી કરવાનાં. જાણો છો બાપ બહુ-બહુ જ દૂરદેશનાં રહેવાવાળા છે. એ આવીને બાળકોને શ્રીમત આપે છે. શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ દેવતા બનશો. દેવતાઓની આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. તમે અહીંયા બેઠાં પોતાનું દેવી-દેવતાઓનું રાજ્ય સ્થાપન કરો છો. પહેલા તમને ખબર થોડી હતી તે કેવી રીતે સ્થાપન થાય છે. હવે જાણો છો બાબા આપણા બાપ પણ છે, શિક્ષક બનીને ભણાવે છે અને ફરી સાથે પણ લઈ જશે, સદ્દ્ગતિ કરશે. ગુરુ લોકો કોઈની સદ્દ્ગતિ નથી કરતા. અહિયાં તમને સમજાવાય છે - આ એક જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. બાપ થી વારસો મળે છે, સદ્દગુરુ જૂની દુનિયાથી નવી દુનિયામાં લઈ જશે. આ બધી વાતોને બુઢ઼ી-બુઢ઼ી માતાઓ તો સમજી ન શકે. એમનાં માટે મુખ્ય વાત છે સ્વયંને આત્મા સમજી શિવબાબાને યાદ કરવાનાં છે. આપણે શિવબાબાનાં બાળકો છીએ, આપણને બાબા સ્વર્ગ નો વારસો દેશે. બુઢ઼ી માતાઓને પછી એવી-એવી તોતડી ભાષામાં બેસી સમજાવવું જોઈએ. આ તો દરેક આત્માનો હક છે બાપથી વારસો લેવો. મૃત્યુ તો સામે ઊભું છે. જૂની દુનિયા સો ફરી જરુર નવી બનવાની છે. નવી સો જૂની. ઘરને બનવામાં કેટલાં થોડાક મહિના લાગે છે, પછી જૂનું થવામાં ૧૦૦ વર્ષ લાગી જાય છે.

હમણાં આપ બાળકો જાણો છો આ જૂની દુનિયા હવે ખલાસ થવાની છે. આ લડાઈ જે હવે લાગે છે તે ફરી ૫ હજાર વર્ષનાં બાદ લાગશે. આ બધી વાતો બુઢ઼ીઓ (વૃદ્ધ માતાઓ) તો સમજી ન શકે. આ પછી બ્રાહ્મણીઓનું કામ છે તેમને સમજાવવું. તેમનાં માટે તો એક અક્ષર જ બહુ છે - સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. તમે આત્મા પરમધામમાં રહેવાવાળી છો. પછી અહીંયા શરીર લઇ પાર્ટ ભજવો છો. આત્મા અહિયાં દુઃખ અને સુખનો પાર્ટ ભજવે છે. મૂળ વાત બાપ કહે છે - મને યાદ કરો અને સુખધામને યાદ કરો. બાપને યાદ કરવાથી પાપ કપાઈ જશે અને પછી સ્વર્ગ માં આવી જશે. હવે જેટલું જે યાદ કરશે એટલાં પાપ કપાશે. બુઢ઼ીઓ તો ટેવાયેલી છે, સત્સંગમાં જઈને કથા સાંભળે છે. તેમને પછી ઘડી-ઘડી બાપની યાદ દેવડાવવાની છે. સ્કૂલમાં તો ભણતર હોય, કથા નથી સંભળાવાતી. ભક્તિમાર્ગમાં તો તમે અસંખ્ય કથાઓ સાંભળી છે પરંતુ એનાંથી કંઈ ફાયદો નથી થતો. છી-છી દુનિયાથી નવી દુનિયામાં તો જઈ ન શકે. મનુષ્ય ન તો રચયિતા બાપને, ન રચનાંને જાણે છે. નેતી-નેતી કહી દે છે. તમે પણ પહેલા નહોતા જાણતા. હવે તમે ભક્તિમાર્ગને સારી રીતે જાણી ગયા છો. ઘરમાં પણ ઘણાંની પાસે મૂર્તિઓ હોય છે, ચીજ એ જ છે, કોઈ પતિ લોકો પણ સ્ત્રીને કહે છે - તમે ઘરમાં મૂર્તિ રાખી બેસી પૂજા કરો. બહાર ધક્કા ખાવા કેમ જાઓ છો, પરંતુ તેમની ભાવના હોય છે. હવે તમે સમજો છો તીર્થયાત્રા કરવી એટલે ભક્તિમાર્ગનાં ધક્કા ખાવા. અનેકવાર તમે ૮૪નાં ચક્ર કાપ્યા. સતયુગ-ત્રેતામાં તો કોઈ યાત્રા નથી હોતી. ત્યાં કોઈ મંદિર વગેરે હોતું નથી. આ યાત્રાઓ વગેરે બધું ભક્તિમાર્ગમાં જ હોય છે. જ્ઞાનમાર્ગમાં આ બધું હોતું નથી. તેને કહેવાય છે ભક્તિ. જ્ઞાન દેવાવાળા તો એકના સિવાય બીજું કોઈ છે નહીં. જ્ઞાનથી જ સદ્દ્ગતિ થાય છે. સદ્દ્ગતિ દાતા એક જ બાપ છે. શિવબાબા ને કોઈ શ્રી શ્રી નથી કહેતાં, ટાઈટલની દરકાર નથી. આતો મોટાઈ કરે છે, એમને કહે જ છે "શિવબાબા". તમે બોલાવો છો શિવબાબા અમે પતિત બની ગયા છીએ, અમને આવીને પાવન બનાવો. ભક્તિમાર્ગમાં દુબન (દલદલ) માં ગળા સુધી ફસાઈ ગયા છે, ફસાઈને પછી બૂમો પાડે છે, વિષય વાસનાનાં દલદલમાં એકદમ ફસાઈ ગયા છે. સીડી નીચે ઊતરતાં-ઊતરતાં ફસાઈ ગયા છે. કોઈને પણ ખબર નથી પડતી, ત્યારે કહે છે બાબા અમને નિકાળો. બાબાને પણ ડ્રામા અનુસાર આવવું જ પડે છે. બાપ કહે છે હું બંધાયમાન છું, આ બધાને દુબન થી નિકાળવા. આને કહેવાય છે કુમ્ભીપાક નર્ક. રૌરવ નર્ક પણ કહે છે. આ બાપ બેસી સમજાવે છે, તેમને ખબર થોડી પડે છે.

તમે બાપને જુઓ, નિમંત્રણ કેવું આપો છો. નિમંત્રણ તો કોઈ લગ્ન-મરણ વગેરે પર અપાય છે. તમે કહો છો - હે પતિત-પાવન બાબા, આ પતિત દુનિયા, રાવણ ની જૂની દુનિયામાં આવો. અમે ગળા સુધી આમાં ફસાઈ ગયા છીએ. સિવાય બાપનાં બીજા તો કોઈ નિકાળી ન શકે. કહે પણ છે દૂર દેશનાં રહેવાવાળા શિવબાબા, આ રાવણનો દેશ છે. બધા ની આત્મા તમોપ્રધાન થઈ ગઈ છે એટલે બોલાવે પણ છે કે આવીને પાવન બનાવો. પતિત-પાવન સીતારામ, એમ ગાઈને બૂમો પાડે છે. એવું નથી કે તે પવિત્ર રહે છે. આ દુનિયા જ પતિત છે, રાવણરાજ્ય છે, આમાં તમે ફસાઈ ગયા છો. પછી આ નિમંત્રણ આપ્યું છે - બાબા આવીને અમને કુમ્ભીપાક નર્ક થી નિકાળો. તો બાપ આવ્યા છે. કેટલા તમારા ઓબીડિયેંટ સર્વન્ટ (વફાદાર સેવક) છે. ડ્રામામાં અપાર દુઃખ આપ બાળકોએ જોયું છે. સમય પસાર થતો જાય છે. એક સેકન્ડ ન મળે બીજાથી. હવે બાપ તમને લક્ષ્મી-નારાયણ જેવા બનાવે છે પછી તમે અડધો કલ્પ રાજ્ય કરશો - સ્મૃતિ માં લાવો. હવે સમય બહુ જ થોડો છે. મોત શરુ થઇ જશે તો મનુષ્ય વાયરા (મુંજાઈ) થઇ જશે. થોડા સમયમાં શું થઈ જશે. ઘણાં તો ઠકા સાંભળીને પણ હાર્ટ ફેલ થઇ જશે. મરશે એવા જે વાત ન પૂછો. જુઓ ઘણી બુઢ઼ી માતાઓ આવી છે. બિચારી કંઈ પણ સમજી ન શકે. જેમ તીર્થો પર જાય છે ને, તો એક-બીજાને જોઈ તૈયાર થઈ જાય છે, અમે પણ આવીએ છીએ.

હવે તમે જાણો છો ભક્તિમાર્ગનાં તીર્થ યાત્રાનો અર્થ જ છે નીચે ઉતરવું, તમોપ્રધાન બનવું. મોટામાં મોટી યાત્રા તમારી આ જ છે. જે તમે પતિત દુનિયાથી પાવન દુનિયામાં જાઓ છો. તો આ બાળકીઓને (બુઢ઼ી માતાઓ) કઈક તો શિવ બાબા ની યાદ અપાવતા રહો. શિવબાબાનું નામ યાદ છે? થોડું ઘણું સાંભળે છે તો સ્વર્ગમાં આવશે. આ ફળ જરુર મળવાનું છે. બાકી પદ તો છે ભણતરથી. એમાં બહુ જ ફરક પડી જાય છે. ઊંચેથી ઊંચું પછી ઓછાથી ઓછું, રાત-દિવસનો ફરક પડી જાય છે. ક્યાં પ્રાઇમ મિનિસ્ટર, ક્યાં નોકર-ચાકર. રાજધાનીમાં નંબરવાર હોય છે. સ્વર્ગમાં પણ રાજધાની હશે. પરંતુ ત્યાં પાપ આત્માઓ ગંદા વિકારી નહીં હોય. તે છે જ નિર્વિકારી દુનિયા. તમે કહેશો અમે આ લક્ષ્મી-નારાયણ જરુર બનશું. તમને હાથ ઉઠાવતા જોઇ બુઢ઼ીઓ વગેરે પણ હાથ ઉઠાવી દેશે. સમજતી કંઈ નથી. છતાં પણ બાપ ની પાસે આવી છે તો સ્વર્ગમાં તો જશે પરંતુ બધા આવાં થોડી જ બનશે. પ્રજા પણ બનશે. બાપ કહે છે હું ગરીબ નિવાજ છું, તો બાબા ગરીબોને જોઈ ખુશ થાય છે. ભલે કેટલા પણ મોટામાં મોટા સાહૂકાર પદમપતિ છે, એનાંથી પણ આ ઉંચ પદ પામશે - ૨૧ જન્મોનાં માટે. આ પણ સારું છે. બુઢ઼ીઓ જ્યારે આવે છે બાપને ખુશી થાય છે તો પણ કૃષ્ણપુરીમાં તો જશે ને. આ છે રાવણપુરી, જે સારી રીતે ભણશે તો કૃષ્ણને પણ ખોળામાં ઝુલાવશે. પ્રજા થોડી અંદર આવી શકશે. તે તો ક્યારેક દીદાર કરશે. જેમ પોપ દીદાર કરાવે છે બારીમાંથી, લાખો આવીને સંગઠિત થાય છે દર્શન કરવા. પરંતુ એમનો આપણે શું દીદાર કરશું. સદા પાવન તો એક જ બાપ છે જે તમને આવીને પાવન બનાવે છે. આખા વિશ્વને સતોપ્રધાન બનાવે છે. ત્યાં આ ૫ ભૂત રહેશે નહીં. ૫ તત્વો પણ સતોપ્રધાન બની જાય છે, તમારા ગુલામ બની જાય છે. ક્યારે પણ આવી ગરમી નહીં હોય જે નુકસાન થઈ જાય. ૫ તત્વ પણ કાયદા અનુસાર ચાલે છે. અકાળે મૃત્યુ નથી થતું. હવે તમે સ્વર્ગ માં ચાલો છો તો નર્કથી બુદ્ધિયોગ નિકાળી લેવો જોઈએ. જેમ નવું મકાન બનાવે છે તો જૂનાં થી બુદ્ધિ હટી જાય છે. બુદ્ધિ નવામાં ચાલી જાય છે, આ પછી છે બેહદની વાત. નવી દુનિયા ની સ્થાપના થઈ રહી છે, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. તમે છો નવી દુનિયા સ્વર્ગ બનાવવા વાળા. તમે બહુજ સારા કારીગર છો. પોતાનાં માટે સ્વર્ગ બનાવી રહ્યા છો. કેટલા મોટા કારીગર છો, યાદની યાત્રાથી નવી દુનિયા સ્વર્ગ બનાવો છો. થોડું પણ યાદ કરો તો સ્વર્ગમાં આવી જશો. તમે ગુપ્ત વેશમાં આપણું સ્વર્ગ બનાવી રહ્યા છો. જાણો છો આપણે આ શરીરને છોડી ફરી જઈને સ્વર્ગમાં નિવાસ કરશું તો આવા બેહદનાં બાપને ભુલવા ન જોઈએ. હવે તમે સ્વર્ગમાં જવા માટે ભણી રહ્યા છો. સ્વયંની રાજધાની સ્થાપન કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. આ રાવણની રાજધાની ખલાસ થઈ જવાની છે. તો અંદરમાં કેટલી ખુશી થવી જોઈએ. આપણે આ સ્વર્ગ તો અનેકવાર બનાવ્યું છે, રાજાઈ લીધી પછી ગુમાવી છે. આ પણ યાદ કરો તો બહુ જ સારું. આપણે સ્વર્ગનાં માલિક હતા, બાપએ આપણને આવા બનાવ્યા હતાં. બાપ ને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. કેટલી સહજ રીતે તમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો. જૂની દુનિયાનાં વિનાશ માટે કેટલી ચીજો નીકળતી રહે છે. કુદરતી આપદાઓ, મુશળ (મિસાઈલ) વગેરે દ્વારા આખી દુનિયા ખતમ થશે. હવે બાપ આવ્યા છે તમને શ્રેષ્ઠ મત આપવા, શ્રેષ્ઠ સ્વર્ગની સ્થાપના કરવા. અનેકવાર તમે આ સ્થાપના કરી છે તો બુદ્ધિમાં યાદ રાખવું જોઈએ. અનેકવાર રાજ્ય લીધું ફરી ગુમાવ્યું છે. જે બુદ્ધિમાં ચાલતું રહે અને એક-બે ને પણ આ વાત સંભળાવો. દુનિયાની વાતોમાં સમય ન ગુમાવો જોઈએ. બાપ ને યાદ કરો, સ્વદર્શન ચક્રધારી બનો. અહીંયા બાળકોએ સારી રીતે સાંભળી પછી બહુ જ વાગોળવાનું છે, સિમરણ કરવાનું છે, બાબાએ શું સંભળાવ્યું. શિવબાબા અને વારસાને તો જરુર યાદ કરવો જોઈએ. બાપ હથેળી પર બહિશ્ત (સ્વર્ગ) લઈને આવ્યા છે, પવિત્ર પણ બનવાનું છે. પવિત્ર નહીં બનશો તો સજા ખાવી પડશે. પદ પણ બહુ નાનું પામી લેશો. સ્વર્ગમાં ઊંચું પદ પામવું છે તો સારી રીતે ધારણા કરો. બાપ રસ્તો તો બહુ જ સહજ બતાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે સંભળાવે છે તેને સારી રીતે સાંભળી પછી વાગોળવાનું છે. દુનિયાની વાતોમાં પોતાનો સમય નથી ગુમાવવાનો.

2. બાપ ની યાદમાં આંખો બંધ કરી નથી બેસવાનું. શ્રીકૃષ્ણ ની રાજધાનીમાં આવવા માટે ભણતર સારી રીતે ભણવાનું છે.

વરદાન :-
મન મ ના ભવ થઈ અલૌકિક વિધિથી મનોરંજન મ ના વવા વાળા બાપ સમાન ભવ :

સંગમયુગ પર યાદગાર મનાવવું અર્થાત્ બાપ સમાન બનવું. આ સંગમ યુગનાં સુહેજ (મનોરંજન) છે. ખૂબ મનાવો પરંતુ બાપ થી મિલન મનાવતા મનાવો. ફક્ત મનોરંજનનાં રુપમાં નહીં પરંતુ મનમનાભવ થઇ મનોરંજન મનાવો. અલૌકિક વિધિથી અલૌકિકતાનું મનોરંજન અવિનાશી થઈ જાય છે. સંગમયુગી દીપમાળા (દિવાળી) ની વિધિ - જૂનાં ખાતા ખતમ કરવાં, દરેક સંકલ્પ, દરેક ઘડી નવી અર્થાત અલૌકિક હોય. જૂનાં સંકલ્પ, સંસ્કાર-સ્વભાવ, ચાલ-ચલન આ રાવણનો કર્જો છે આને એક દ્રઢ સંકલ્પ થી સમાપ્ત કરો.

સ્લોગન :-
વાતોને જોવાને બદલે સ્વયંને અને બાપને જુઓ.