12-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - અંદર માં દિવસ-રાત બાબા-બાબા ચાલતું રહે તો અપાર ખુશી રહેશે, બુદ્ધિ માં રહેશે બાબા અમને કુબેરનો ખજાનો આપવા આવ્યાં છે.”

પ્રશ્ન :-
બાબા કયા બાળકોને ઈમાનદાર ફૂલ કહે છે? તેમની નિશાની સંભળાવો?

ઉત્તર :-
ઈમાનદાર ફૂલ તે છે જે ક્યારે પણ માયાના વશ નથી થતાં. માયાની ખિટપિટમાં નથી આવતા. એવા ઈમાનદાર ફૂલ લાસ્ટ આવીને પણ ફાસ્ટ જવાનો પુરુષાર્થ કરે છે. તે જૂનાઓ થી પણ આગળ જવાનું લક્ષ્ય રાખે છે. પોતાના અવગુણોને નિકાળવાના પુરુષાર્થ માં રહે છે. બીજાના અવગુણોને નથી જોતા.

ઓમ શાંતિ!
શિવભગવાનુવાચ. તે થયા રુહાની બાપ કારણકે શિવ તો સુપ્રીમ રુહ છે ને, આત્મા છે ને. બાપ તો રોજ-રોજ નવી-નવી વાતો સમજાવતા રહે છે. ગીતા સંભળાવવા વાળા સંન્યાસી વગેરે ઘણા છે. તેઓ બાપને યાદ કરી ન શકે. ‘બાબા’ અક્ષર ક્યારેય તેમના મુખ થી નીકળી ન શકે. આ અક્ષર છે ગૃહસ્થ માર્ગ વાળા માટે. તે તો છે નિવૃત્તિ માર્ગ વાળા. તેઓ બ્રહ્મને જ યાદ કરે છે. મુખથી ક્યારેય શિવબાબા નહીં કહેશે. ભલે તમે તપાસ કરો. સમજો મોટા-મોટા વિદ્વાન, સંન્યાસી ચિન્મિયાનંદ વગેરે ગીતા સંભળાવે છે, એવું નથી કે તેઓ ગીતાના ભગવાન કૃષ્ણને સમજી તેમની સાથે યોગ લગાવી શકે છે. ના. તેઓ તો છતાં પણ બ્રહ્મની સાથે યોગ લગાવવા વાળા બ્રહ્મજ્ઞાની અથવા તત્વજ્ઞાની છે. કૃષ્ણને ક્યારે કોઈ બાબા કહે, આ થઈ ન શકે. તો કૃષ્ણ, ગીતા સંભળાવવા વાળા બાબા તો નહીં થયા ને. શિવને બધા બાબા કહે છે કારણકે તે બધી આત્માઓના બાપ છે. બધી આત્માઓ એમને પુકારે છે - પરમપિતા પરમાત્મા. તે છે સુપ્રીમ, પરમ છે કારણકે પરમધામમાં રહેવા વાળા છે. તમે પણ બધા પરમધામમાં રહો છો, પરંતુ તેમને પરમ આત્મા કહે છે. તે ક્યારેય પુનર્જન્મમાં નથી આવતા. સ્વયં કહે છે મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે. એવી રીતે કોઈ રથ માં પ્રવેશ કરી તમને વિશ્વના માલિક બનવાની યુક્તિ બતાવે, આ બીજું કોઈ હોય ન શકે. ત્યારે બાપ કહે છે - હું જે છું, જેવો છું, મને કોઈ પણ નથી જાણતું. હું જ્યારે સ્વયં નો પરિચય આપું ત્યારે જાણી શકે છે. આ બ્રહ્મને અથવા તત્વોને માનવાવાળા, કૃષ્ણને પછી પોતાના બાપ કેવી રીતે માનશે. આત્માઓ તો બધા બાળકો થયા ને. કૃષ્ણને બધા પિતા કેવી રીતે કહેશે. એવું થોડી કહશે કે કૃષ્ણ બધાના બાપ છે. આપણે બધા બ્રધર્સ (ભાઈઓ) છીએ. એવું પણ નથી કૃષ્ણ સર્વવ્યાપી છે. બધા કૃષ્ણ થોડી હોઈ શકે છે. જો બધા કૃષ્ણ હોય તો એમનાં પણ બાપ જોઈએ. મનુષ્ય બધું ભૂલેલા છે. નથી જાણતા એટલે તો કહે છે મને કોટો માં કોઈ જાણે છે. કૃષ્ણને તો કોઈ પણ જાણી લેશે. બધા વિદેશ વાળા પણ એમને જાણે છે. લોર્ડ કૃષ્ણ કહે છે ને. ચિત્ર પણ છે, અસલી ચિત્ર તો છે નહીં. ભારતવાસીઓ થી સાંભળે છે, એમની પૂજા બહુ થાય છે તો પછી ગીતામાં આ લખી દીધું છે - કૃષ્ણ ભગવાન. હવે ભગવાનને ભલા લોર્ડ કહેવાય કે. લોર્ડ કૃષ્ણ કહે છે ને. લોર્ડ નું ટાઈટલ હકીકતમાં મોટા વ્યક્તિઓને મળે છે. તેઓ તો બધાને આપતા રહે છે, આને કહેવાય છે અંધેર નગરી. કોઈપણ પતિત મનુષ્યને લોર્ડ કહી દે છે. ક્યા અહીં આજના પતિત મનુષ્ય, ક્યાં શિવ કે શ્રીકૃષ્ણ! બાપ કહે છે જે તમને જ્ઞાન આપું છું તે પાછું લોપ થઈ જાય છે. હું જ આવીને નવી દુનિયા સ્થાપન કરું છું. જ્ઞાન પણ હું હમણાં જ આપું છું. હું જ્યારે જ્ઞાન આપું ત્યારે જ બાળકો સાંભળે. મારા વગર કોઈ સંભળાવી ન શકે. જાણતા જ નથી.
શું સન્યાસી શિવબાબા ને યાદ કરી શકે છે? તે કહી પણ નથી સકતા કે નિરાકાર ભગવાનને યાદ કરો. ક્યારેય સાંભળ્યું છે? બહુ જ ભણેલા-ગણેલા મનુષ્ય પણ સમજતા નથી. હવે બાપ સમજાવે છે કૃષ્ણ ભગવાન નથી. મનુષ્ય તો એમને જ ભગવાન કહેતા રહે છે. કેટલો ફરક પડી ગયો છે. બાપ તો બાળકોને બેસીને ભણાવે છે. તે બાપ, શિક્ષક, ગુરૂ પણ છે. શિવબાબા બધાને બેસીને સમજાવે છે. ન સમજવાને કારણે ત્રિમૂર્તિ માં શિવ રાખતા જ નથી. બ્રહ્માને રાખે છે, જેમને પ્રજાપિતા બ્રહ્મા કહે છે. પ્રજાને રચવાવાળા. પરંતુ એમને ભગવાન નહીં કહેવાય. ભગવાન પ્રજા નથી રચતાં. ભગવાનના તો બધી આત્માઓ બાળક છે. પછી કોઈ દ્વારા પ્રજા રચે છે. તમને કોણે એડોપ્ટ કર્યા? બ્રહ્મા દ્વારા બાપ એ એડોપ્ટ કર્યા. બ્રાહ્મણ જ્યારે બનશે ત્યારે જ તો દેવતા બનશે. આ વાત તો તમે ક્યારેય સાંભળી નથી. પ્રજાપિતાનો પણ જરૂર પાર્ટ છે. કર્મ જોઈએ ને. આટલી પ્રજા ક્યાંથી આવશે. કુખ વંશાવલી પણ તો થઇ ન શકે. તેઓ કુખ વંશાવલી બ્રાહ્મણ કહેશે - અમારી અટક છે બ્રાહ્મણ. નામ તો બધાનું અલગ-અલગ છે. પ્રજાપિતા બ્રહ્મા તો કહેવાય જ ત્યારે છે જ્યારે શિવબાબા એમનામાં પ્રવેશ કરે છે. આ નવી વાતો છે. બાપ સ્વયં કહે છે - મને કોઈ જાણતા નથી, સૃષ્ટિ ચક્રને પણ નથી જાણતા. ત્યારે તો ઋષિ-મુનિ બધા નેતી-નેતી કહી ગયા છે. ન પરમાત્માને, ન પરમાત્માની રચનાને જાણે છે. બાપ કહે છે જ્યારે હું આવીને પોતાનો પરિચય આપું ત્યારે જ જાણે. આ દેવતાઓને ત્યાં ખબર થોડી પડે છે - અમે આ રાજ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું? એમનામાં જ્ઞાન હોતું જ નથી. પદ પ્રાપ્ત કરી લીધું પછી જ્ઞાનની આવશ્યકતા નથી. જ્ઞાન જોઈએ જ સદ્દગતિ માટે. આતો સદ્દગતિને પામેલા છે. આ બહુ જ સમજવાની ગુહ્ય વાતો છે. સમજદાર જ સમજે. બાકી જે બુઢી-બુઢી માતાઓ છે, એમનામાં એટલી બુદ્ધિ તો છે નહીં, તે પણ ડ્રામા પ્લાન અનુસાર દરેકનો પોતાનો પાર્ટ છે. એવું તો નહીં કહેશું - હે ઈશ્વર બુદ્ધિ દો. બધાંને એક જેવી બુદ્ધિ હું આપું તો બધા નારાયણ બની જશે. બધા એક-બે ની ઉપર ગાદી પર બેસશે કે! હા, લક્ષ હેતુ છે આ બનવાનો. બધા પુરુષાર્થ કરી રહ્યા છે નર થી નારાયણ બનવાનો. બનશે તો પુરુષાર્થ અનુસાર ને. જો બધા હાથ ઉપાડે - અમે નારાયણ બનશું તો બાપને અંદરમાં હસવું આવશે ને. બધા એક જેવા બની કેવી રીતે શકે! નંબરવાર તો હોય છે ને. નારાયણ ધી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. જેમ કે એડવર્ડ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હોય છે ને. ભલે લક્ષ હેતુ એ જ છે પરંતુ પોતે સમજી શકે છે ને - ચલન એવી છે તો શું પદ પામશે? પુરુષાર્થ તો જરૂર કરવાનો છે. બાબા નંબરવાર ફૂલ લઈ આવે છે, નંબરવાર ફૂલ આપી પણ શકે છે પરંતુ એવું કરતા નથી. ફંક થઈ જશે. બાબા જાણે છે, જોશે કોણ વધારે સેવા કરી રહ્યા છે, આ સારું ફૂલ છે. પાછળ નંબરવાર તો હોય જ છે. બહુ જૂના પણ બેઠા છે પરંતુ એમાં નવા-નવા, મોટા-મોટા સારા ફૂલ છે. કહેશે આ નંબર વન ઈમાનદાર ફૂલ છે, કોઈ ખિટપિટ, ઈર્ષા વગેરે એમનામાં નથી. ઘણા માં કોઈ ને કોઈ ખામીઓ જરૂર છે. સંપૂર્ણ તો કોઈને કહી ન શકે. સોળે કળા સંપૂર્ણ બનવા માટે બહુ જ મહેનત જોઈએ. હમણાં કોઈ સંપૂર્ણ બની ન શકે. હમણાં તો સારા-સારા બાળકોમાં પણ ઈર્ષા બહુજ છે. ખામીઓ તો છે ને. બાપ જાણે છે બધા કયા-કયા પ્રકારનો પુરુષાર્થ કરી રહ્યા છે. દુનિયાવાળા શું જાણે. તે તો કંઈ સમજતા નથી. બહુજ થોડા સમજે છે. ગરીબ ઝટ સમજી જાય છે. બેહદ ના બાપ આવ્યા છે ભણાવવા. તે બાપ ને યાદ કરવાથી આપણા પાપ કપાઈ જશે. આપણે બાપની પાસે આવ્યા છીએ, બાબા થી નવી દુનિયા નો વારસો જરૂર મળશે. નંબરવાર તો હોય જ છે – ૧૦૦ થી લઈને એક નંબર સુધી પરંતુ બાપને જાણી લીધા, થોડું પણ સાંભળ્યું તો સ્વર્ગમાં જરૂર આવશે. ૨૧ જન્મો માટે સ્વર્ગમાં આવવું કાંઈ ઓછું છે કે! એવું તો નથી, કોઈ મરે છે તો કહેશે ૨૧ જન્મ માટે સ્વર્ગમાં ગયા. સ્વર્ગ છે જ ક્યાં. કેટલી ગેરસમજ કરી દીધી છે. મોટા-મોટા સારા લોકો પણ કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ કહે છે કોને? અર્થ કંઈ પણ નથી સમજતા. આ ફક્ત તમે જ જાણો છો. છો તમે પણ મનુષ્ય, પરંતુ તમે બ્રાહ્મણ બન્યા છો. પોતાને બ્રાહ્મણ જ કહો છો. આપ બ્રાહ્મણોના એક બાપદાદા છે. તો સંન્યાસીઓને પણ તમે પૂછી શકો છો કે આ જે મહાવાક્ય કે ભગવાનુવાચ છે કે દેહ સહિત દેહનાં બધા ધર્મ છોડી મામેકમ યાદ કરો - શું આ કૃષ્ણ કહે છે મામેકમ યાદ કરો? તમે કૃષ્ણને યાદ કરો છો કે? ક્યારેય હા નહીં કહેશે. ત્યાં જ પ્રસિદ્ધ થઇ જશે. પરંતુ બિચારી અબલાઓ જાય છે, તે શું જાણે. તે પોતાના અનુયાયીઓની આગળ ક્રોધિત થઈ જાય છે. દુર્વાષા નું નામ પણ છે ને. તેઓમાં અહંકાર બહુ જ હોય છે. અનુયાયીઓ છે અનેક. ભક્તિનું રાજ્ય છે ને. તેમને પૂછવાની કોઈ માં તાકાત નથી રહેતી. નહીં તો તેઓને કહી શકાય છે તમે તો શિવબાબા ની પૂજા કરો છો. હવે ભગવાન કોને કહેશો? શું ઠીક્કર-ભિત્તરમાં ભગવાન છે? આગળ ચાલીને આ બધી વાતોને સમજશે. હમણાં નશો કેટલો છે. છે બધા પુજારી. પૂજ્ય નહીં કહેશું.
બાપ કહે છે મને તો વિરલા કોઈ જાણે છે. હું જે છું, જેવો છું - આપ બાળકોમાં પણ વિરલા કોઈ એક્યુરેટ જાણે છે. એમને અંદર માં બહુ જ ખુશી રહે છે. આ તો સમજે છે ને - બાબા જ આપણને સ્વર્ગની બાદશાહી આપે છે. કુબેરનો ખજાનો મળે છે. અલ્લાહ અવલદીનનો ખેલ પણ દેખાડે છે ને. ઠકા કરવાથી ખજાનો નીકળી આવ્યો. ઘણા ખેલ દેખાડે છે - ખુદા દોસ્ત બાદશાહ શું કરતા હતાં, તેના પર પણ વાર્તા છે. પુલ પર જે આવતા જતા હતા એમને એક દિવસની રાજાઈ આપી રવાના કરી દેતા હતા. આ બધી છે વાર્તાઓ. હવે બાપ સમજાવે છે ખુદા આપ બાળકોના દોસ્ત છે, આમનામાં પ્રવેશ કરી તમારી સાથે ખાએ પીવે છે, રમે પણ છે. શિવબાબા નો અને બ્રહ્મા બાબા નો રથ એક જ છે, તો જરૂર શિવબાબા પણ રમી તો શકતા હશે ને. બાપ ને યાદ કરી રમે છો તો બંને આમાં છે. છે તો બે ને – બાપ અને દાદા. પરંતુ કોઈ પણ સમજતા નથી, કહે છે રથ પર આવ્યા, તો તે પછી ઘોડા-ગાડી નો રથ બનાવી દીધો છે. એવું પણ નહીં કહેશે કૃષ્ણ માં શિવબાબા બેસી જ્ઞાન આપે છે. તે પછી કહી દે છે કૃષ્ણ ભગવાનુવાચ. એવું તો નથી કહેતા બ્રહ્મા ભગવાનુવાચ. ના. આ છે રથ. શિવ ભગવાનુવાચ. બાપ બેસીને આપ બાળકોને સ્વયંનો અને રચનાના આદિ-મધ્ય-અંત નો પરિચય, સમયગાળો બતાવે છે. જે વાત કોઈ પણ નથી જાણતા. સમજુ જે હશે તે બુદ્ધિથી કામ લેશે. સંન્યાસીઓને તો સન્યાસ કરવાનો છે. તમે પણ શરીર સહિત બધું સન્યાસ કરો છો, જાણો છો આ જૂનું શરીર છે, આપણે તો હવે નવી દુનિયામાં જવાનું છે. આપણે આત્મા અહિયાં ની રહેવાવાળી નથી. અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ. આપણે રહેવાસી પરમધામ નાં છીએ. આ પણ આપ બાળકો જાણો છો ત્યાં નિરાકારી ઝાડ કેવું છે. બધી આત્માઓ ત્યાં રહે છે, આ અનાદિ ડ્રામા બનેલો છે. કેટલી કરોડો જીવ આત્માઓ છે. આટલી બધી ક્યાં રહે છે?. નિરાકારી દુનિયામાં. બાકી આ તારાઓ તો આત્મા નથી. મનુષ્યોએ તો આ તારાઓને પણ દેવતા કહી દીધા છે. પરંતુ તે કોઈ દેવતા છે નહીં. જ્ઞાન સૂર્ય તો આપણે શિવબાબા ને કહેશું. તો તેમને પછી દેવતા થોડી કહેશું. શાસ્ત્રોમાં તો શું-શું વાતો લખી દીધી છે. આ છે બધી ભક્તિમાર્ગની સામગ્રી. જેનાથી તમે નીચે જ ઉતરતા આવ્યા છો. ૮૪ જન્મ લેશો તો જરૂર નીચે ઉતરશો ને. હમણાં છે આઈરન એજ દુનિયા (લોહ યુગ). સતયુગ ને કહેવાય છે ગોલ્ડન એજ દુનિયા (સ્વર્ણિમયુગ). ત્યાં કોણ રહે છે? દેવતાઓ. તે ક્યાં ગયા - આ કોઈને પણ ખબર નથી. સમજે પણ છે પુનર્જન્મ લે છે. બાપએ સમજાવ્યું છે પુનર્જન્મ લેતા-લેતા દેવતાથી બદલાઈ હિંદુ બની ગયા. પતિત બન્યા છે ને. બીજા કોઈનો પણ ધર્મ બદલી નથી થતો. એમનો ધર્મ કેમ બદલી થાય છે - કોઈને ખબર નથી. બાપ કહે છે ધર્મભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ થઈ ગયા છે. દેવી-દેવતા હતા તો પવિત્ર જોડી હતી. પછી રાવણ રાજ્યમાં તમે અપવિત્ર બની ગયા છો. તો દેવી-દેવતા કહી ન શકાય એટલા માટે નામ પડી ગયું હિન્દુ. દેવી-દેવતા ધર્મ કૃષ્ણ ભગવાને નથી સ્થાપન કર્યો. જરૂર શિવબાબાએ આવીને કર્યો હશે. શિવ જયંતિ, શિવરાત્રી પણ ઉજવવામાં આવે છે પરંતુ તેમને શું આવીને કર્યું, આ કોઈને પણ ખબર નથી. એક શિવપુરાણ પણ છે. હકીકતમાં શિવની એક ગીતા જ છે, જે શિવબાબા એ સંભળાવી છે, બીજું કોઈ શાસ્ત્ર છે નહીં. તમે કોઇપણ હિંસા નથી કરતા. તમારું કોઇ શાસ્ત્ર તો બનતું નથી. તમે નવી દુનિયામાં ચાલ્યા જાઓ છો. સતયુગમાં કોઈપણ શાસ્ત્ર, ગીતા વગેરે હોતા નથી. ત્યાં કોણ ભણશે. તેઓ તો કહી દે છે આ વેદ-શાસ્ત્ર વગેરે પરંપરાથી ચાલ્યા આવે છે. તેઓને કંઈપણ ખબર નથી. સ્વર્ગમાં કોઈ શાસ્ત્ર વગેરે હોતા નથી. બાપએ તો દેવતા બનાવી દીધા, બધાની સદ્દગતિ થઈ ગઈ પછી શાસ્ત્ર વાંચવાની ક્યાં આવશ્યકતા છે. ત્યાં શાસ્ત્ર હોતા નથી. હમણાં બાપએ તમને જ્ઞાન ની ચાવી આપી છે, જેનાથી બુદ્ધિનું તાળું ખુલી ગયું છે. પહેલા તાળું એકદમ બંધ હતું, કંઈ પણ સમજતા ન હતા. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) કોઈના થી ઈર્ષા વગેરે નથી કરવાની. ખામીઓને કાઢી સંપૂર્ણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. ભણવાથી ઊંચુ પદ પ્રાપ્ત કરવાનું છે.

2) શરીર સહિત બધું સન્યાસ કરવાનું છે. કોઈપણ પ્રકારની હિંસા નથી કરવાની. અહંકાર નથી રાખવાનો.

વરદાન :-
મારા ને તારા માં પરિવર્તન કરી બેફિકર બાદશાહ બનવા વાળા ખુશી ના ખજાનાથી ભરપૂર ભવ:

જે બાળકો એ બધું જ તારું (સમર્પણ) કર્યું તે બેફિકર રહે છે. મારું કંઈ નથી બધું તારું છે...... જ્યારે આવું પરિવર્તન કરો છો ત્યારે બેફીકર બની જાઓ છો. જીવનમાં દરેક બેફિકર રહેવા ઈચ્છે છે, જ્યાં ફિકર નથી ત્યાં સદા ખુશી હશે. તો તારું કહેવાથી, બેફિકર બનવાથી, ખુશી નાં ખજાનાંથી ભરપૂર થઈ જાઓ છો. આપ બેફીકર બાદશાહો ની પાસે અગણિત, અખૂટ, અવિનાશી ખજાનો છે જે સતયુગમાં પણ નહીં હશે.

સ્લોગન :-
ખજાનાને સેવામાં લગાવવો અર્થાત જમા નું ખાતુ વધારવું.