24-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - યોગબળથી
ખરાબ સંસ્કારોનું પરિવર્તન કરી સ્વયંમાં સારા સંસ્કાર ભરો. જ્ઞાન અને પવિત્રતાના
સંસ્કાર સારા સંસ્કાર છે”
પ્રશ્ન :-
આપ બાળકોનો
બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) કયો છે? તમને હવે કેવી ફિલિંગ (લાગણી) આવે છે?
ઉત્તર :-
તમારો બર્થ
રાઇટ છે મુક્તિ અને જીવન મુક્તિ. તમને હવે ફીલિંગ આવે છે કે આપણે બાપની સાથે પાછા
ઘરે જવાનું છે. તમે જાણો છો - બાપ આવ્યા છે ભક્તિનું ફળ મુક્તિ અને જીવનમુક્તિ આપવા.
હવે બધાએ શાંતિધામ જવાનું છે. બધાએ પોતાનાં ઘર નો દીદાર (સાક્ષાત્કાર) કરવાનો છે.
ઓમ શાંતિ!
મનુષ્ય બાપને
સાચાં પાતશાહ (સદ્દગુરુ) પણ કહે છે. અંગ્રેજીમાં પાતશાહ નથી કહેતા, એમાં ફક્ત સત્ય
ફાધર કહે છે. ગોડફાધર સત્ય કહે છે. ભારતમાં જ કહે છે સાચાં પાતશાહ. હવે અંતર તો બહુ
જ છે, તેઓ ફક્ત સાચું કહે છે, સાચું શીખવાડે છે, સાચાં બનાવે છે. અહીંયા કહે છે સાચા
પાતશાહ. સાચાં પણ બનાવે છે અને સચખંડના બાદશાહ પણ બનાવે છે. આ તો બરાબર છે - મુક્તિ
પણ આપે છે, જીવનમુક્તિ પણ આપે છે, જેને ભક્તિનું ફળ કહે છે. લિબરેશન (મુક્તિ) અને
ફ્રુસન (જીવનમુક્તિ). ભક્તિનું ફળ આપે છે અને લીબ્રેટ (મુક્ત) કરે છે. બાળકો જાણે
છે અમને બંને આપે છે. લીબ્રેટ તો બધાને કરે છે, ફળ તમને આપે છે. લિબરેશન (મુક્તિ)
અને ફ્રુસન (જીવનમુક્તિ) - આપણ ભાષા બનાવેલી છે ને. ભાષાઓ તો બહુ જ છે. શિવબાબાનાં
નામ પણ બહુ બધા રાખી દે છે. કોઇને કહો એમનું નામ શિવબાબા છે તો કહી દે છે અમે તો
તેમને માલિક જ કહીએ છીએ. માલિક તો ઠીક છે પરંતુ એમનું નામ પણ જોઈએ ને. નામ-રુપ થી
ન્યારી કોઈ ચીજ હોતી નથી. માલિક પણ કોઈ ચીજ નાં બને છે ને. નામ-રુપ તો જરૂર છે. હવે
આપ બાળકો જાણો છો - બાપ બરાબર લિબરેટ પણ કરે છે પછી શાંતિધામ માં બધાને જરૂર જવાનું
છે. પોતાનાં ઘર તરફ બધાને જવાનું છે. ઘર થી આવ્યા છો તો પહેલા એને યાદ કરશો, એને
કહેવાય છે ગતિ-સદ્દ્ગતિ. અક્ષર કહે છે પરંતુ અર્થ રહિત. આપ બાળકોને તો ફીલિંગ રહે
છે, આપણે પોતાના ઘરે પણ જઈશું અને ફળ પણ મળશે. નંબરવાર તમને મળે છે તો બીજા ધર્મ
વાળાઓને પણ પછી સમય અનુસાર મળે છે. બાપે સમજાવ્યું હતું આ પર્ચી છે બહુ સરસ - તમે
સ્વર્ગવાસી છો કે નર્કવાસી છો? આપ બાળકો જ જાણો છો આ મુક્તિ જીવનમુક્તિ બંને
ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. તમે લખી પણ શકો છો. બાપથી આપ બાળકોને આ જન્મસિદ્ધ
અધિકાર મળે છે. બાપ નાં બનવાથી બંને ચીજો પ્રાપ્ત થાય છે. તે છે રાવણ નો જન્મસિદ્ધ
અધિકાર, આ છે પરમપિતા પરમાત્માનો જન્મસિદ્ધ અધિકાર. આ છે ભગવાનનો જન્મસિદ્ધ અધિકાર,
તે છે શેતાન નો જન્મસિદ્ધ અધિકાર. આવી રીતે લખવું જોઈએ જે કંઈક સમજી શકે. હવે આપ
બાળકોએ સ્વર્ગ સ્થાપન કરવાનું છે. કેટલું કામ કરવાનું છે! હમણાં તો જાણે કે બેબી (નાનું
બાળક) છે, જેમ મનુષ્યો કળયુગ માટે કહે છે કે હમણાં નાનું બાળક છે. બાપ કહે છે સતયુગ
ની સ્થાપના માં બેબી છે. હમણાં આપ બાળકોને વારસો મળી રહ્યો છે. રાવણનો કોઈ વારસો નહીં
કેહશું. ગોડફાધર થી તો વારસો મળે છે. તે કોઈ ફાધર થોડી છે, તેને (રાવણ ૫ વિકારોને)
તો શૈતાન કહેવાય છે. શૈતાનનો વારસો શું મળશે? ૫ વિકાર મળે છે, શો (દેખાવ) પણ એવો કરે
છે, તમોપ્રધાન બની જાય છે. હવે દશેરા કેટલો ઉજવે છે, સેરીમની (ઉત્સાહ) મનાવે છે. બહુ
જ ખર્ચા કરે છે. વિદેશથી પણ નિમંત્રણ આપી બોલાવે છે. સૌથી નામી-ગ્રામી દશેરા ઉજવે
છે મૈસુરમાં. પૈસાવાળા પણ બહુ જ છે. રાવણ રાજ્યમાં પૈસા મળે છે તો અક્કલ જ ચટ થઈ
જાય છે. બાપ વિસ્તારમાં સમજાવે છે. આનું નામ જ છે રાવણ રાજ્ય. તેને પછી કહેવાય છે
ઈશ્વરીય રાજ્ય. રામરાજ્ય કહેવું પણ ખોટું થઈ જાય છે. ગાંધીજી પણ રામરાજ્ય ઇચ્છતાં
હતા. મનુષ્ય સમજે છે ગાંધીજી પણ અવતાર હતાં. તેમને કેટલા પૈસા આપતાં હતા. તેમને
ભારતનાં બાપુજી કહેતા હતા. હવે આ તો આખા વિશ્વનાં બાપુ છે. હમણાં તમે અહીં બેઠા છો,
જાણો છો કેટલી જીવ આત્માઓ હશે. જીવ (શરીર) તો વિનાશી છે, બાકી આત્મા છે અવિનાશી.
આત્માઓ તો અસંખ્ય છે. જેમ ઉપર માં તારાઓ રહે છે ને. તારાઓ વધારે છે કે આત્માઓ વધારે
છે? કારણ કે તમે છો ધરતીનાં તારાઓ અને તે આકાશનાં તારાઓ. તમને દેવતા કહેવાય છે તે
પછી તેમને પણ દેવતા કહી દે છે. તમે ભાગ્યશાળી તારાઓ કહેવાઓ છો ને.
સારું, આનાં પર પછી પરસ્પરમાં ચર્ચા કરજો. બાબા હમણા આ વાતને નથી અડતા. આતો સમજાવ્યું
છે કે બધી આત્માઓના એક બાપ છે, આંમની બુદ્ધિમાં તો બધા છે, જે પણ મનુષ્ય માત્ર છે,
સૌનાં તે બાપ છે. આ તો બધા જાણે છે કે આખી સૃષ્ટિ સમુદ્ર પર ઊભી છે. આ પણ કંઈ બધાને
ખબર નથી. બાપએ સમજાવ્યું હતું રાવણ રાજય આખી સૃષ્ટિ પર છે. એવું નથી કે રાવણ રાજય
કોઈ સાગર ની પારે છે. સાગર તો ઓલરાઉન્ડ (બધે) છે જ. કહે છે ને - નીચે ભેંસ છે, એના
શિંગડા ઉપર સૃષ્ટિ ઉભી છે. પછી જ્યારે થાકી જાય છે તો શીંગડા બદલી કરે છે. હવે જૂની
દુનિયા ખલાસ થઇ નવી દુનિયા ની સ્થાપના થાય છે. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારની વાતો
દંતકથાઓ માં લખી દીધી છે. આ તો બાળકો સમજે છે - અહીં બધી આત્માઓ શરીરની સાથે છે,
એમને કહેવાય છે જીવ આત્માઓ. તે જે આત્માઓનું ઘર છે ત્યાં તો શરીર નથી. એમને કહેવાય
છે નિરાકારી. જીવ આકારી છે એટલે સાકાર કહેવાય છે. નિરાકાર ને શરીર નથી હોતું. આ છે
સાકારી સૃષ્ટિ. તે છે નિરાકારી આત્માઓની દુનિયા. આને સૃષ્ટિ કહેવાશે, તેને કહેવામાં
આવે છે ઇનકોર્પોરીયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા). આત્મા જ્યારે શરીરમાં આવે છે ત્યારે
આ ચુર-પુર ચાલે છે. નહીં તો શરીર કંઈ કામનું નથી રહેતું. તો એને કહેવાય જ છે
નિરાકારી દુનિયા. જેટલી પણ આત્માઓ છે તે બધી પાછળથી આવવી જોઈએ એટલે આને પુરુષોત્તમ
સંગમયુગ કહેવાય છે. બધી આત્માઓ જ્યારે અહીં આવી જાય છે તો ત્યાં પછી એક પણ નથી રહેતી.
ત્યાં જ્યારે એકદમ ખાલી થઈ જાય છે ત્યારે ફરી બધા પાછા જાય છે. તમે આ સંસ્કાર લઈ
જાઓ છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ નોલેજના સંસ્કાર લઈ જાય છે, કોઈ પવિત્રતાના
સંસ્કાર લઈ જાય છે. આવવાનું તો ફરી પણ અહીંયા જ છે. પરંતુ પહેલા તો ઘરમાં જવાનું
છે. ત્યાં છે સારા સંસ્કાર. અહીંયા છે ખરાબ સંસ્કાર. સારા સંસ્કાર બદલાઇ ખરાબ
સંસ્કાર થઈ જાય છે. પછી ખરાબ સંસ્કાર યોગબળ થી સારા થાય છે. સારા સંસ્કાર ત્યાં લઈ
જશો. બાપ માં પણ ભણાવવાનાં સંસ્કાર છે ને. જે આવી ને સમજાવે છે. રચયિતા અને રચના
નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. બીજની પણ સમજણ આપે છે, તો આખા ઝાડની પણ સમજણ
આપે છે. બીજ ની સમજણ છે જ્ઞાન અને ઝાડની સમજણ થઇ જાય છે ભક્તિ. ભક્તિ માં બહુ જ
વિસ્તાર હોય છે ને. બીજ ને યાદ કરવું તો સહજ છે. ત્યાં જ ચાલ્યું જવાનું છે.
તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે થોડો જ સમય લાગે છે. ફરી સતોપ્રધાન થી તમોપ્રધાન
બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે એક્યુરેટ. આ ચક્ર એકદમ એક્યુરેટ બનેલું છે, જે રીપીટ
થતું રહે છે. બીજું કોઈ આ વાતો બતાવી ન શકે. તમે બતાવી શકો છો. અડધું-અડધું થઈ જાય
છે. અડધું સ્વર્ગ, અડધું નર્ક પછી એનો વિસ્તાર પણ બતાવે છે. સ્વર્ગમાં જન્મ ઓછા,
આયુષ્ય વધારે હોય છે. નર્કમાં જન્મ વધારે, આયુષ્ય ઓછું હોય છે. ત્યાં છે યોગી, અહીં
છે ભોગી એટલે અહીં બહુ જ જન્મ થાય છે. આ વાતોને બીજા કોઈ નથી જાણતા. મનુષ્યોને કંઈ
પણ ખબર નથી. ક્યારે દેવતાઓ હતાં, તેઓ કેવી રીતે બન્યાં, કેટલાં સમજદાર બને છે - આ
પણ તમે જાણો છો. બાપ આ સમયે બાળકોને ભણાવીને ૨૧ જન્મોનાં માટે વારસો આપે છે. પછી આ
તમારા સંસ્કાર રહેતા નથી. પછી થઈ જાય છે દુઃખ નાં સંસ્કાર. જેમ રાજાઈ નાં સંસ્કાર
હોય છે તો જ્ઞાનનાં ભણતરના સંસ્કાર પૂરા થઈ જાય છે. આ સંસ્કાર પૂરા થશે તો નંબરવાર
પુરુષાર્થ અનુસાર રુદ્ર માળા માં પરોવાઈ જશો પછી નંબરવાર આવશો પાર્ટ ભજવવા. જેમણે
પુરા ૮૪ જન્મ લીધા છે, તે પહેલા આવે છે. એમનું નામ પણ બતાવે છે. કૃષ્ણ તો છે પહેલાં
રાજકુમાર સ્વર્ગના. તમે જાણો છો ફક્ત એક થોડા જ હશે, આખી રાજધાની હશે ને. રાજાની
સાથે તો પછી પ્રજા પણ જોઈએ. બની શકે છે - એકથી બીજા જન્મ થતા જાય. જો કહે ૮ ભેગા આવે
છે, પરંતુ શ્રીકૃષ્ણ તો નંબર વન માં આવશે ને. ૮ ભેગા આવે છે તો પછી કૃષ્ણનું આટલું
ગાયન શા માટે? આ બધી વાતો આગળ ચાલીને સમજાવશે. કહે છે ને આજે તમને બહુ જ
ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. કંઈક તો બાકી રહ્યું છે ને. આ યુક્તિ સારી છે - જે
વાતમાં જુઓ નથી સમજતા તો બોલો અમારી મોટી બહેન જવાબ આપી શકશે અથવા તો હજી બાપએ
બતાવ્યું નથી. દિન-પ્રતિદિન ગુહ્ય-ગુહ્ય સંભળાવે છે. આ કહેવામાં શરમ ની વાત નથી.
ગુહ્ય-ગુહ્ય મુદ્દાઓ જ્યારે સંભળાવે છે તો તમને સાંભળીને બહુ જ ખુશી થાય છે. પાછળથી
પછી કહી દે છે મનમનાભવ, મધ્યાજીભવ. અક્ષર પણ શાસ્ત્ર બનાવવા વાળા એ લખ્યા છે.
મૂંઝાવાની તો જરૂર નથી. બાળક બાપના બન્યા અને બેહદ નું સુખ મળ્યું. આમાં મન્સા, વાચા,
કર્મણા પવિત્રતાની જરૂર છે. લક્ષ્મી-નારાયણને બાપનો વારસો મળ્યો છે ને. આ પહેલા
નંબરમાં છે, જેમની જ પૂજા થાય છે. સ્વયંને પણ જુઓ - અમારામાં આવા ગુણ છે. હમણાં તો
બેગુણ છો ને. પોતાના અવગુણોની પણ કોઈને ખબર નથી.
હવે તમે બાપ નાં બન્યા છો તો જરૂર પરિવર્તન થવું જોઈએ. બાપએ બુદ્ધિનું તાળું ખોલ્યું
છે. બ્રહ્મા અને વિષ્ણુનું પણ રહસ્ય સમજાવ્યું છે. આ છે પતિત, તે છે પાવન. એડોપ્સન
આ પૂરુષોત્તમ સંગમયુગ પર જ થાય છે. પ્રજાપિતા બ્રહ્મા જ્યારે છે ત્યારે જ એડોપ્સન
થાય છે. સતયુગમાં તો થતું નથી. અહીં પણ કોઈને બાળક નથી હોતું તો પછી એડોપ્ટ કરે છે.
પ્રજાપિતા ને પણ જરૂર બ્રાહ્મણ બાળકો જોઈએ. આ છે મુખ વંશાવલી. તેઓ છે કુખ વંશાવલી.
બ્રહ્મા તો નામી-ગ્રામી છે. એમની અટક જ બેહદની છે. બધા સમજે છે પ્રજાપિતા બ્રહ્મા
આદિ દેવ છે, એમણે અંગ્રેજીમાં કહેશે ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર. આ છે બેહદની અટક. તે
બધી હોય છે હદ ની અટક એટલે બાપ સમજાવે છે - જરૂર બધાને ખબર હોવી જોઇએ કે ભારત મોટામાં
મોટું તીર્થ છે. જ્યાં બેહદ નાં બાપ આવે છે. એવું નથી આખા ભારતમાં વિરાજમાન થયા છે.
શાસ્ત્રોમાં મગધ દેશ લખેલ છે, પરંતુ નોલેજ ક્યાં શીખવાડે છે? આબૂ માં કેવી રીતે
આવ્યા? દેલવાડા મંદિર પણ અહીં પુરું યાદગાર છે. જેમણે પણ બનાવ્યું, એમની બુદ્ધિ માં
આવ્યું અને બેસીને બનાવડાવ્યું. એક્યુરેટ મોડલ તો બની ન શકે. બાપ અહીંયા જ આવીને
બધાની સદ્દ્ગતિ કરે છે, મગધ દેશમાં નહીં. તે તો પાકિસ્તાન થઈ ગયું. આ છે પાક સ્થાન.
હકીકતમાં પાક સ્થાન તો સ્વર્ગને કહેવાય છે. પાક અને નાપાક નો આખો ડ્રામા બનેલો છે.
તો મીઠા-મીઠા સિકીલધા બાળકો - તમે આ સમજો છો આત્મા-પરમાત્મા અલગ રહ્યા બહુ સમય..
કેટલા સમયના પછી મળ્યા છીએ? ફરી ક્યારે મળીશું? સુંદર મેળો કરી દીધો જ્યારે સદ્દગુરુ
મળ્યા દલાલ નાં રુપમાં. ગુરુ તો બહુ જ છે ને એટલે સદ્દગુરુ કહેવાય છે. સ્ત્રીને
જ્યારે હસ્તમેળાપ થાય છે તો પણ કહે છે આ પતિ તમારા ગુરુ ઈશ્વર છે. પતિ તો
પહેલા-પહેલા નાપાક બનાવે છે. આજકાલ તો દુનિયામાં ખૂબ જ ગંદગી થઈ ગઈ છે. હવે આપ
બાળકોએ ગુલ-ગુલ બનવાનું છે. આપ બાળકોને હથીયાલો (હસ્તમેળાપ) પાક્કો-પાક્કો બાપ બાંધે
છે.
આમ તો શિવજયંતિની સાથે જ રક્ષાબંધન થઈ જાય છે. ગીતા જયંતી પણ થઈ જવી જોઈએ. કૃષ્ણ
જયંતિ થોડા સમય પછી નવી દુનિયામાં થઈ છે. બાકી તહેવાર બધા આ સમયના છે. રામ નવમી
ક્યારે થઇ – આ પણ કોઈને ખબર છે કે? તમે કહેશો નવી દુનિયામાં ૧૨૫૦ વર્ષ પછી રામ નવમી
થાય છે. શિવ જયંતી, કૃષ્ણ જયંતી, રામ જયંતી ક્યારે થઈ? આ કોઈ પણ બતાવી નથી શકતું.
આપ બાળકો પણ હવે બાપ દ્વારા જાણી ગયા છો. એક્યુરેટ બતાવી શકો છો. આખી દુનિયા ની
જીવન કહાની તમે બતાવી શકો છો. લાખો વર્ષની વાત થોડી બતાવી શકાય. બાપ કેટલું સારું
બેહદ નું ભણતર ભણાવે છે. એક જ વાર તમે ૨૧ જન્મોના માટે નગ્ન થવાથી બચી જાઓ છો. હમણા
તમે ૫ વિકારો રુપી રાવણનાં પરાયા રાજ્યમાં છો. હવે આખું ૮૪ નું ચક્ર તમારી સ્મૃતિ
માં આવ્યું છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) બેહદ સુખનો
વારસો પ્રાપ્ત કરવા માટે મન્સા-વાચા-કર્મણા પવિત્ર જરૂર બનવાનું છે. સારા સંસ્કાર
યોગબળ થી ધારણ કરવાનાં છે. સ્વયંને ગુણવાન બનાવવાના છે.
2) સદા ખુશીમાં રહેવા માટે બાપ જે રોજ ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવે છે, એને સાંભળી અને
બીજાને સંભળાવવાની છે. કોઈપણ વાતમાં મુંઝાવાનું નથી. યુક્તિથી જવાબ આપવાનો છે. શરમ
નથી કરવાની.
વરદાન :-
સ્વમાન ની સીટ
(આસન) પર સ્થિત થઈ શક્તિઓને આદેશ પ્રમાણે ચલાવવા વાળા વિશાળ બુદ્ધિ ભવ:
સ્વયંની વિશાળ બુદ્ધિ
દ્વારા સર્વ શક્તિઓ રુપી સેવાધારી ઓને સમય પર કાર્યમાં લગાવો. જે પણ ટાઈટલ ડાયરેક્ટ
પરમાત્મા દ્વારા મળેલા છે, એનાં નશામાં રહો. સ્વમાનની સ્થિતિ રુપી સીટ પર સેટ રહો
તો સર્વ શક્તિઓ સેવા માટે સદા હાજર અનુભવ થશે. તમારા આદેશ ની રાહ જોતા હશે. તો
વરદાન અને વારસાને કાર્યમાં લગાવો. માલિક બની, યોગયુક્ત બની યુક્તિયુક્ત સેવા
સેવાધારી ઓથી લો તો સદા રાજી રહેશો. વારં-વાર અરજી નહીં નાખશો.
સ્લોગન :-
કોઈપણ કાર્ય
શરુ કરતાં પહેલા વિશેષ એ સ્મૃતિ ઈમર્જ કરો કે સફળતા મુજ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માનો
જન્મસિદ્ધ અધિકાર છે.