25-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - માયાને
વશ કરવાનો મંત્ર છે મનમનાભવ, આ જ મંત્રમાં બધી વિશેષતાઓ સમાયેલી છે, આ જ મંત્ર તમને
પવિત્ર બનાવી દે છે”
પ્રશ્ન :-
આત્માની સેફટી
(સલામતી) નું નંબરવન સાધન કયુ છે અને કેવી રીતે?
ઉત્તર :-
યાદ ની યાત્રા
જ સેફ્ટીનું નંબરવન સાધન છે કારણ કે આ યાદથી જ તમારું ચરિત્ર સુધરે છે. તમે માયા પર
જીત પ્રાપ્ત કરી લો છો. યાદ થી પતિત કર્મેન્દ્રિયો શાંત થઈ જાય છે. યાદથી બળ આવે
છે. જ્ઞાન તલવાર માં યાદ નું બળ જોઈએ. યાદ થી જ મીઠા સતોપ્રધાન બનશો. કોઈને પણ હતાશ
નહીં કરશો એટલે યાદની યાત્રામાં કમજોર નથી બનવાનું. સ્વયં સ્વયં થી પૂછવાનું છે કે
અમે ક્યાં સુધી યાદ માં રહીએ છીએ?
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોને રોજ-રોજ સાવધાની જરૂર આપવાની હોય છે. કઈ? સેફટી ફર્સ્ટ (સલામતી પહેલા).
સેફટી શું છે? યાદ ની યાત્રા થી તમે બહુ-બહુ જ સેફ રહો છો. મૂળ વાત જ બાળકો માટે આ
છે. બાપએ સમજાવ્યું છે - આપ બાળકો જેટલા યાદની યાત્રામાં તત્પર રહેશો એટલી ખુશી પણ
રહેશે અને મેનર્સ (શિષ્ટાચાર) પણ ઠીક થશે કારણકે પાવન પણ બનવાનું છે. ચરિત્ર પણ
સુધારવાનું છે. સ્વયંની તપાસ કરવાની છે - મારુ ચરિત્ર કોઈને દુઃખ દેવા જેવું તો નથી!
મને કોઈ દેહ-અભિમાન તો નથી આવી જતું? આ સારી રીતે સ્વયંની તપાસ રાખવાની છે. બાપ
બેસીને બાળકોને ભણાવે છે. આપ બાળકો ભણો પણ છો તો પછી ભણાવો પણ છો. બેહદનાં બાપ ફક્ત
ભણાવે છે. બાકી તો બધા છે દેહધારી. આમાં આખી દુનિયા આવી જાય છે. એક બાપ જ વિદેહી
છે. એ આપ બાળકોને કહે છે કે તમારે પણ વિદેહી બનવાનું છે. હું આવ્યો છું તમને વિદેહી
બનાવવા. પવિત્ર બનીને જ ત્યાં જશો. છી-છી ને તો સાથે લઈ નહીં જશો એટલે પહેલા-પહેલા
મંત્ર આપે છે. માયાને વશ કરવાનો મંત્ર છે. પવિત્ર થવાનો આ મંત્ર છે. આ મંત્રમાં બહુ
વિશેષતાઓ ભરેલી છે, આનાથી જ પવિત્ર બનવાનું છે. મનુષ્ય થી દેવતા બનવાનું છે. જરુર
આપણે જ દેવતા હતા એટલે બાપ કહે છે - સ્વયંની સેફટી ઇચ્છો, મજબૂત મહાવીર બનવા ઈચ્છો
તો આ પુરુષાર્થ કરો. બાપ તો શિક્ષણ આપતા રહેશે. ભલે ડ્રામા પણ કહેતા રહેશે. ડ્રામા
અનુસાર એકદમ ઠીક જ ચાલી રહ્યું છે પછી આગળ માટે પણ સમજાવતા રહેશે. યાદની યાત્રામાં
કમજોર નથી બનવાનું. બહાર રહેવાવાળી બાંધીલી ગોપીકાઓ જેટલું યાદ કરે છે, એટલું સામે
રહેવાવાળા પણ યાદ નથી કરતા કારણકે એમને તડપન થાય છે શિવબાબા થી મળવાની. જે મળી જાય
છે એમને પેટ જાણેકે ભરાઈ જાય છે. જે બહુ જ યાદ કરે છે, તે ઉચ્ચ પદ પામી શકે છે.
જોવામાં આવે છે – સારા-સારા, મોટા-મોટા સેવાકેન્દ્ર સંભાળવા વાળા મુખ્ય પણ યાદની
યાત્રામાં કમજોર છે. યાદનું બળ બહુ સરસ જોઈએ. જ્ઞાન તલવારમાં યાદનું બળ ન હોવાના
કારણે કોઈને તીર લાગતું જ નથી, પુરા મરતા નથી. બાળકો કોશિશ કરે છે જ્ઞાનનું બાણ
લગાવીને બાપના બનાવે કે મરજીવા બનાવે. પરંતુ મરતા નથી, તો જરુર જ્ઞાન તલવાર માં
ગડબડ છે. બાબા ભલે જાણે છે - ડ્રામા એકદમ એક્યુરેટ ચાલી રહ્યો છે, પરંતુ આગળના માટે
તો સમજાવતા રહેશે ને. દરેક પોતાના દિલ ને પૂછો - અમે ક્યાં સુધી યાદ કરીએ છીએ? યાદથી
જ બળ આવશે એટલે કહેવાય છે - જ્ઞાન તલવાર માં બળ જોઈએ. જ્ઞાન તો બહુ સહજ રીતે સમજાવી
શકાય છે.
જેટલું-જેટલું યાદમાં રહેશો તેટલા વધારે મીઠા બનતા જશો. તમે સતોપ્રધાન હતા તો બહુ જ
મીઠા હતા. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમારો સ્વભાવ પણ બહુ મીઠો જોઈએ. ક્યારેય
રંજ (નારાજ) ન થવું જોઈએ. એવું વાતાવરણ ન હોય જે કોઈ રંજ થઈ જાય. એવી કોશિશ કરવી
જોઈએ કારણકે આ ઈશ્વરીય કોલેજ સ્થાપન કરવાની સેવા બહુ ઉંચી છે. વિશ્વ વિદ્યાલય તો
ભારતમાં બહુ ગવાય છે. હકીકતમાં તે છે નહીં. વિશ્વ વિદ્યાલય તો એક જ હોય છે. બાપ
આવીને બધાને મુક્તિ-જીવનમુક્તિ આપે છે. બાપ જાણે છે આખી દુનિયાનાં જે પણ મનુષ્ય
માત્ર છે, બધા ખતમ થવાના છે. બાપને બોલાવ્યા પણ એટલે છે કે છી-છી દુનિયાનો ખાત્મો
અને નવી દુનિયા ની સ્થાપના કરો. બાળકો પણ સમજે છે બરાબર બાપ આવ્યા છે. હમણાં માયાનો
પામ્પ કેટલો છે. ફોલ ઓફ પામ્પિયા નો ખેલ પણ દેખાડે છે. મોટા-મોટા મકાન વગેરે બનાવી
રહ્યા છે – આ છે પામ્પ. સતયુગમાં આટલા માળના મકાન બનતા નથી. અહીં બને છે કારણ કે
રહેવા માટે જમીન ઓછી છે. વિનાશ જ્યારે થાય છે ત્યારે બધા મોટા-મોટા મકાન પણ પડી જાય
છે. પહેલા આટલી મોટી-મોટી બિલ્ડીંગ નહોતી બનતી. બોમ્બ જયારે છોડશે તો એવી રીતે પડશે
જેમ પત્તા પડતા હોય. એનો અર્થ એ નથી કે તેઓ મરશે બાકી બીજા રહી જશે. ના, જે જ્યાં
હશે સમુદ્ર પાસે, પૃથ્વી પર હશે, આકાશમાં હશે, પહાડો પર હશે, ઉડતા હશે, બધું ખતમ થઈ
જશે. આ જૂની દુનિયા છે ને. જે પણ ૮૪ લાખ યોનિઓ છે, એ બધી ખતમ થઈ જવાની છે. ત્યાં નવી
દુનિયામાં આ કાંઈ પણ હશે નહીં. ન આટલા મનુષ્ય હશે, ન મચ્છર, ન જીવજંતુ વગેરે હશે.
અહીં તો ઢગલા ના ઢગલા છે. હવે આપ બાળકો પણ દેવતા બનો છો તો ત્યાં દરેક ચીજ
સતોપ્રધાન હોય છે. અહીં પણ મોટા માણસો નાં ઘરમાં જશો તો બહુ સફાઈ વગેરે હોય છે. તમે
તો સૌથી વધારે મોટા દેવતા બનો છો. મોટા માણસ પણ નહીં કહેશું. તમે બહુ જ ઊંચાં
દેવતાઓ બનો છો, આ કોઈ નવી વાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમે આ બન્યા હતા નંબરવાર.
આ આટલો કિચડો વગેરે ત્યાં કંઈ પણ નહીં હોય. બાળકોને બહુ ખુશી થાય છે - અમે બહુ જ
ઊંચાં દેવતા બનીએ છીએ. એક જ બાપ અમને ભણાવવા વાળા છે જે અમને બહુ ઊંચા બનાવે છે.
ભણવામાં હંમેશા નંબરવાર પોઝીશન વાળા હોય છે. કોઈ ઓછું ભણે છે, કોઇ વધારે ભણે છે. હવે
બાળકો પુરુષાર્થ કરી રહ્યા છે, મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલી રહ્યા છે એટલે કે
મોટા-મોટા ને ખબર પડે. ભારતનો પ્રાચીન રાજ્યોગ પણ ગવાય છે. ખાસ વિદેશ વાળા ને વધારે
ઉત્સુકતા હોય છે - રાજયોગ શીખવાની. ભારતવાસી તો તમોપ્રધાન બુદ્ધિ છે. તેઓ છતાં પણ
તમો બુદ્ધિ છે એટલે તેમને શોખ રહે છે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવાનો. ભારતનો
પ્રાચીન રાજયોગ નામીગ્રામી છે, જેનાથી જ ભારત સ્વર્ગ બન્યું હતું. બહુ જ થોડા આવે
છે, જે પૂરી રીતે સમજે છે. સ્વર્ગ હેવિન પસાર થઇ ગયું સો ફરી થશે જરુર. હેવિન અથવા
પેરેડાઇઝ છે સૌથી વન્ડર ઓફ વર્લ્ડ. સ્વર્ગનું કેટલું નામ પ્રસિદ્ધ છે. સ્વર્ગ અને
નર્ક, શિવાલય અને વેશ્યાલય. બાળકોને હવે નંબરવાર યાદ છે કે આપણે હવે શિવાલયમાં જવાનું
છે. ત્યાં જવા માટે શિવબાબા ને યાદ કરવાના છે. એ જ પંડા છે બધાને લઈ જવાવાળા. ભક્તિ
ને કહેવાય છે રાત. જ્ઞાન ને કહેવાય છે દિવસ. આ બેહદની વાત છે. નવી ચીજ અને જૂની ચીજ
બહુ જ ફરક હોય છે. હવે બાળકોની દિલ થાય છે - આટલુ ઊંચેથી ઊંચું ભણતર, ઊંચેથી ઊંચાં
મકાનમાં અમે ભણાવીએ તો મોટા-મોટા લોકો આવશે. એક-એક ને બેસીને સમજાવવું પડે છે.
હકીકતમાં ભણતર અથવા શિક્ષણ માટે એકાંત નું સ્થાન હોય છે. બ્રહ્મ-જ્ઞાનીયો નાં પણ
આશ્રમ શહેરથી દૂર-દૂર હોય છે અને નીચે જ હોય છે. આટલા ઉપરના માળ પર નથી રહેતા. હવે
તો તમોપ્રધાન હોવાથી શહેરમાં અંદર ઘૂસી ગયા છે. એ તાકાત ખતમ થઈ ગઈ છે. આ સમયે બધા
ની બેટરી ખાલી છે. હવે બેટરી ને કેવી રીતે ભરવાની છે – આ બાપના સિવાય કોઈપણ બેટરી
ચાર્જ કરી ન શકે. બાળકોને બેટરી ચાર્જ કરવાથી જ તાકાત આવે છે. તેના માટે મુખ્ય છે
યાદ. એમાં જ માયાના વિઘ્ન પડે છે. કોઈ તો સર્જનની આગળ સાચું બતાવે છે, કોઈ છુપાવી
દે છે. અંદર માં જે ખામીઓ છે, તે તો બાપને બતાવવી પડે. આ જન્મમાં જે પાપ કર્યા છે,
તે અવિનાશી સર્જનની આગળ વર્ણન કરવું જોઈએ, નહીં તો તે દિલ અંદર ખાતું રહેશે.
સંભળાવ્યા પછી ખાશે નહીં. અંદર રાખી લેવું - આ પણ નુકસાનકારક છે. જે સાચા-સાચા બાળકો
બને છે, તે બધુ બાપને બતાવી દે છે - આ જન્મમાં આ-આ પાપ કર્યા છે. દિન-પ્રતિદિન બાપ
જોર આપતા રહે છે, આ તમારો અંતિમ જન્મ છે. તમોપ્રધાન થી પાપ તો જરુર થતાં હશે ને.
બાપ કહે છે હું બહુજ જન્મોના અંતમાં, જે નંબરવન પતિત બન્યા છે, એમના માં જ પ્રવેશ
કરું છું કારણ કે એમને જ ફરી નંબરવન માં જવાનું છે. બહુ મહેનત કરવી પડે છે. આ જન્મમાં
પાપ થયા તો છે ને. ઘણાંને ખબર જ નથી પડતી કે અમે આ શું કરી રહ્યા છીએ. સાચું નથી
બતાવતા. કોઈ-કોઈ સાચું બતાવી દે છે. બાપએ સમજાવ્યું છે – બાળકો, તમારી કર્મેન્દ્રિયો
શાંત ત્યારે થાય છે, જ્યારે કર્માતીત અવસ્થા બને છે. જેમ મનુષ્ય વૃદ્ધ થાય છે તો
કર્મેન્દ્રિયો આપો-આપ શાંત થઈ જાય છે. આમાં તો નાનપણમાં જ બધું શાંત થઈ જવું જોઈએ.
યોગબળમાં સારી રીતે રહે તો આ બધી વાતો નો અંત આવી જાય. ત્યાં કોઈ આવી ગંદી બીમારી,
કિચ્ચડપટ્ટી વગેરે કાંઇ નહીં હોય. મનુષ્ય બહુ જ સાફ-શુદ્ધ રહે છે. ત્યાં છે જ
રામરાજ્ય. અહીં છે રાવણ રાજ્ય, તો અનેક પ્રકારની ગંદગી ની બીમારીઓ વગેરે છે. સતયુગમાં
આ કંઈ હશે નહી. વાત નહીં પૂછો. નામ જ કેટલું ફર્સ્ટ ક્લાસ છે – સ્વર્ગ, નવી દુનિયા.
બહુજ સફાઈ રહે છે. બાપ સમજાવે છે - આ પુરુષોત્તમ સંગમયુગ પર જ તમે આ બધી વાતો સાંભળો
છો. કાલે નહોતા સાંભળતા. કાલે મૃત્યુલોક નાં માલિક હતા, આજે અમરલોક નાં માલિક બનો
છો. નિશ્ચય થઈ જાય છે કાલે મૃત્યુલોકમાં હતા, હવે સંગમયુગ પર આવવાથી અમરલોકમાં જવા
માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો. ભણાવવાવાળા પણ હવે મળ્યા છે. જે સારી રીતે ભણે છે
તો પૈસા વગેરે પણ સારા કમાય છે. બલિહારી ભણતરની કહીશું. આ પણ એવી રીતે છે. આ ભણતરથી
તમે બહુ જ ઊંચું પદ પામો છો. હમણાં તમે અજવાળામાં છો. આ પણ સિવાય આપ બાળકોના બીજા
કોઈને ખબર નથી. તમે પણ પછી ઘડી-ઘડી ભૂલી જાઓ છો. જૂની દુનિયામાં ચાલ્યા જાઓ છો.
ભૂલવું એટલે જૂની દુનિયામાં ચાલી જવું.
હવે તમને સંગમયુગી બ્રાહ્મણો ને ખબર છે કે આપણે કલયુગમાં નથી. આ સદેવ યાદ રાખવાનું
છે આપણે નવાં વિશ્વનાં માલિક બની રહ્યા છીએ. બાપ આપણને ભણાવે જ છે નવી દુનિયામાં જવા
માટે. આ છે શુદ્ધ અહંકાર. આપ બાળકોને તો ક્યારેય અશુદ્ધ વિચાર પણ નહીં આવવાં જોઈએ.
પુરુષાર્થ કરતા-કરતા છેલ્લે પરિણામ નીકળશે. બાપ સમજાવે છે આ સમય સુધી બધા પુરુષાર્થી
છો. પરીક્ષા જયારે હોય છે તો નંબરવાર પાસ થઈ પછી ટ્રાન્સફર થઇ જાય છે. તમારું છે
બેહદ નું ભણતર જેને ફક્ત તમે જ જાણો છો. તમે કેટલું સમજાવો છો. નવા-નવા આવતા રહે છે
બેહદનાં બાપથી વારસો પામવા માટે. ભલે દૂર રહે છે તો પણ સાંભળતા-સાંભળતા નિશ્ચય
બુદ્ધિ થઈ જાય છે - આવાં બાબા નાં સમ્મુખ પણ જવું જોઈએ. જે બાપએ બાળકોને ભણાવ્યા
છે, એવા બાપ ને સમ્મુખ તો જરુર મળવું જોઈએ. સમજીને જ અહીં આવે છે. કોઈ નથી સમજેલા
તો પણ અહીં આવીને સમજી જાય છે. બાપ કહે છે દિલમાં કંઈ પણ વાત હોય, સમજમાં ન આવતી
હોય તો ભલે પૂછો. બાપ તો ચુંબક છે ને. જેમની તકદીરમાં છે તે સારી રીતે પકડી શકે છે.
તકદીરમાં નથી તો પછી ખલાસ. સાંભળ્યું-ન સાંભળ્યું કરી દે છે. અહીંયા કોણ બેસીને
ભણાવે છે? ભગવાન. એમનું નામ છે શિવ. શિવબાબા જ આપણને સ્વર્ગની બાદશાહી આપે છે. પછી
કયું ભણતર સારું? તમે કહેશો અમને શિવબાબા ભણાવે છે જેનાથી ૨૧ જન્મોની બાદશાહી મળે
છે. આમ-આમ સમજાવતા-સમજાવતા લઈ જાઓ છો. કોઈ તો પૂરું ન સમજવાના કારણે એટલી સેવા નથી
કરી શકતા. બંધન ની જંજીરો માં જકડાયેલા રહે છે. શરુમાં તો તમે કેવી રીતે પોતાને
જંજીરોથી છોડાવીને આવ્યા. જાણે કોઈ મસ્તાના હોય. આ પણ ડ્રામા માં પાર્ટ હતો જે કશિશ
(ખેંચ) થઇ. ડ્રામામાં ભટ્ઠી બનવાની હતી. જીવતે જીવ મર્યા પછી માયાની તરફ કોઈ-કોઈ
ચાલ્યા ગયા. યુદ્ધ તો થાય છે ને. માયા જુએ છે - આમને બહુ હિંમત દેખાડી છે. હવે હું
પણ ઠોકીને જોવું છું કે પાક્કા છે કે નહીં? બાળકોની કેટલી સંભાળ થતી હતી. બધુ જ
શીખવાડતા હતાં. આપ બાળક ફોટા વગેરે જુઓ છો પરંતુ ફક્ત ચિત્ર જોવાથી પણ સમજી ન શકે.
કોઈ બેસીને સમજાવે કે શું-શું થતું હતું. કેવી રીતે ભટ્ઠીમાં પડ્યા હતા, પછી કોઈ
કેવી રીતે નીકળ્યા, કોઈ કેવી રીતે. જેમ રૂપિયા છપાય છે તો પણ કોઈ-કોઈ ખરાબ થઈ જાય
છે. આપણ ઈશ્વરીય મિશનરી છે. ઈશ્વર બેસીને ધર્મની સ્થાપના કરે છે. આ વાત કોઈને પણ
ખબર નથી. બાપને બોલાવે પણ છે પરંતુ જાણે તવાઈ, સમજતા જ નથી. કહે છે આ કેવી રીતે થઈ
શકે. માયા રાવણ એકદમ એવા બનાવી દે છે. શિવબાબા ની પૂજા પણ કરે છે પછી કહી દે છે
સર્વવ્યાપી. શિવબાબા કહો છો પછી સર્વવ્યાપી કેવી રીતે હશે. પૂજા કરે છે, લિંગ ને
શિવ કહે છે. એવી રીતે થોડું કહે છે કે આમાં શિવ બેઠા છે. હવે પથ્થર-થિક્કર માં
ભગવાન ને કહેવું... તો શું બધા ભગવાન જ ભગવાન છે. ભગવાન અસંખ્ય તો નહી હોય ને. તો
બાપ બાળકો ને સમજાવે છે, કલ્પ પહેલા પણ આવી રીતે સમજાવ્યું હતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) એવું મીઠું
વાતાવરણ બનાવવાનું છે જેમાં કોઈ પણ નારાજ ન થાય. બાપ સમાન વિદેહી બનવાનો પુરુષાર્થ
કરવાનો છે. યાદ નાં બળ થી સ્વયં નો સ્વભાવ મીઠો અને કર્મેન્દ્રિયો શાંત કરવાની છે.
2) સદા એ જ નશામાં રહેવાનું છે કે હમણાં આપણે સંગમયુગી છીએ, કળયુગી નથી. બાપ આપણને
નવાં વિશ્વનાં માલિક બનાવવા માટે ભણાવી રહ્યા છે. અશુદ્ધ વિચાર સમાપ્ત કરી દેવાના
છે.
વરદાન :-
શ્રેષ્ઠ
સંકલ્પની શક્તિ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ:
આપ માસ્ટર
સર્વશક્તિવાન બાળકોના સંકલ્પ માં એટલી શક્તિ છે જે જે સમયે ઇચ્છો તે કરી શકો છો અને
કરાવી પણ શકો છો કારણ કે તમારા સંકલ્પ સદા શુભ, શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. જે
શ્રેષ્ઠ અને કલ્યાણના સંકલ્પ છે તે સિદ્ધ જરુર થાય છે. મન સદા એકાગ્ર અર્થાત્ એક
ઠેકાણા પર સ્થિત રહે છે, ભટકતું નથી. જ્યાં ઇચ્છો જ્યારે ઇચ્છો મને ત્યાં સ્થિત કરી
શકો છો. આનાથી સિદ્ધિ સ્વરુપ સ્વતઃ બની જાઓ છો.
સ્લોગન :-
પરિસ્થિતિઓની
હલચલ ના પ્રભાવથી બચવું છે તો વિદેહી સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો.