07-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
કલ્પ - કલ્પ આવીને આપ બાળકોને પોતાનો પરિચય આપે છે , તમારે પણ બધાને બાપનો યથાર્થ
પરિચય આપવાનો છે . ”
પ્રશ્ન :-
બાળકોના કયા
પ્રશ્નને સાંભળીને બાપ પણ વન્ડર (આશ્ચર્ય) ખાય છે?
ઉત્તર :-
બાળકો કહે છે
- બાબા તમારો પરિચય આપવો બહુજ મુશ્કેલ છે. અમે તમારો પરિચય કેવી રીતે આપીએ? આ
પ્રશ્ન સાંભળીને બાપને પણ વન્ડર લાગે છે. જ્યારે તમને બાપએ પોતાનો પરિચય આપ્યો છે
તો તમે પણ બીજાને આપી શકો છો, એમાં મુશ્કેલીની વાત જ નથી. આ તો બહુ જ સહજ છે. આપણે
બધી આત્માઓ નિરાકાર છીએ તો જરૂર એમના બાપ પણ નિરાકાર હશે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો સમજે છે બેહદના બાપ ની પાસે બેઠા છીએ. આ પણ જાણે છે બેહદ ના બાપ આ રથ
પર જ આવે છે. જ્યારે બાપદાદા કહીએ છીએ, એ તો જાણો છો કે શિવબાબા છે અને એ આ રથ પર
બેઠા છે. પોતાનો પરિચય આપી રહ્યા છે. બાળકો જાણે છે આ બાબા છે, બાબા મત આપે છે કે
રુહાની બાપ ને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે, જેને યોગ અગ્નિ કહે છે. હવે તમે બાપ ને
તો ઓળખો છો. તો એવું ક્યારેય થોડી કહેશો કે બાપ નો પરિચય બીજાને કેવી રીતે આપીએ.
તમને પણ બેહદના બાપ નો પરિચય છે તો જરૂર આપી પણ સકો છો. પરિચય કેવી રીતે આપીયે, આ
તો પ્રશ્ન જ નથી ઉઠતો. જેમ તમે બાપને જાણ્યો છે, એમ તમે કહી શકો છો કે આપણી આત્માઓના
બાપ એક જ છે, આમાં મુંઝવાની આવશ્યકતા નથી રહેતી. કોઈ-કોઈ કહે છે બાબા તમારો પરિચય
આપવો બહુ મુશ્કેલ થાય છે. અરે, બાપ નો પરિચય આપવો - આમાં તો મુશ્કેલી ની કોઈ વાત જ
નથી. પશુઓ પણ ઇશારાથી સમજી જાય છે કે હું ફલાણા નો બાળક છું. તમે પણ જાણો છો કે આપણી
આત્માઓના એ બાપ છે. આપણે આત્મા હમણાં આ શરીર માં પ્રવેશ છીએ. જેમ બાબાએ સમજાવ્યુ છે
કે આત્મા અકાળમૂર્ત છે. એવું નથી એનું કોઈ રૂપ ન હોય. બાળકોએ ઓળખ્યા છે - બિલકુલ
સહજ વાત છે. આત્માઓના એક જ નિરાકાર બાપ છે. આપણે બધી આત્માઓ ભાઈ-ભાઈ છીએ. બાપની
સંતાન છીએ. બાપથી આપણને વારસો મળે છે. આ પણ જાણો છો એવા કોઈ બાળક આ દુનિયામાં નહીં
હોય જે બાપને અને એમની રચનાને ન જાણતા હોય. બાપની પાસે શુ પ્રોપર્ટી છે, તે બધું
જાણે છે. આ છે જ આત્માઓ અને પરમાત્માનો મેળો. આ કલ્યાણકારી મેળો છે. બાપ છે જ
કલ્યાણકારી. બહુ જ કલ્યાણ કરે છે. બાપને ઓળખવાથી સમજો છો - બેહદનાં બાપ થી અમને
બેહદ નો વારસો મળે છે. એ જે સંન્યાસી ગુરુ હોય છે, એમના શિષ્યો ને ગુરુનાં વારસાની
ખબર નથી રહેતી. ગુરુની પાસે શું મિલકત છે, આ કોઈ શિષ્ય મુશ્કેલ જ જાણતા હશે. તમારી
બુદ્ધિમાં તો છે – તે શિવબાબા છે, મિલકત પણ બાબાની પાસે હોય છે. બાળકો જાણે છે
બેહદનાં બાપની પાસે મિલકત છે - વિશ્વની બાદશાહી સ્વર્ગ. આ વાતો સિવાય આપ બાળકોના,
બીજા કોઈની બુદ્ધિમાં નથી. લૌકિક બાપની પાસે શું મિલકત છે, તે એમના બાળકો જ જાણે
છે. હવે તમે કહેશો તો અમે જીવતે જીવ પારલૌકિક બાપના બન્યા છીએ. એમનાથી શું મળે છે,
એ પણ જાણીએ છીએ. આપણે પહેલા શુદ્ર કુળમાં હતા, હવે બ્રાહ્મણ કુળમાં આવી ગયા છીએ. આ
નોલેજ છે કે બાબા આ બ્રહ્મા તનમાં આવે છે, એમને પ્રજાપિતા બ્રહ્મા કહેવાય છે. એ (શિવ)
તો છે બધી આત્માઓના પિતા. આમને (પ્રજાપિતા બ્રહ્માને) ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહે
છે. હવે આપણે એમના બાળકો બન્યા છીએ. શિવબાબા માટે તો કહે છે એ હાજરાહજૂર છે.
જાણી-જાણનહાર છે. આ પણ હવે તમે સમજો છો કે તેઓ કેવી રીતે રચનાના આદિ-મધ્ય-અંત ની
નોલેજ આપે છે. તેઓ બધી આત્માઓના બાપ છે, એમને નામ-રુપથી ન્યારા કહેવું તો ખોટું છે.
એમનું નામ-રૂપ પણ યાદ છે. રાત્રી પણ મનાવે છે, જયંતિ તો મનુષ્યની હોય છે. શિવબાબાની
રાત્રી કહેવાશે. બાળકો સમજે છે રાત્રી કોને કહેવાય છે. રાતમાં ઘોર અંધારું થઈ જાય
છે. અજ્ઞાન અંધારું છે ને. જ્ઞાન સૂર્ય પ્રગટ્યા અજ્ઞાન અંધેર વિનાશ - હમણાં પણ ગાએ
છે પરંતુ અર્થ કંઈ નથી સમજતા. સૂર્ય કોણ છે, ક્યારે પ્રગટ્યા, કંઈ નથી સમજતા. બાપ
સમજાવે છે જ્ઞાન સૂર્યને જ્ઞાન સાગર પણ કહેવાય છે. બેહદના બાપ જ્ઞાનના સાગર છે.
સંન્યાસી, ગુરુ, ગોસાઈ વગેરે પોતાને શાસ્ત્રોની ઓથોરિટી સમજે છે, એ બધું છે ભક્તિ.
બહુજ વેદ-શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય છે. તો બાપ રુહાની બાળકોને બેસી સમજાવે છે, આને
કહેવાય છે આત્મા અને પરમાત્માનો મેળો. તમે સમજો છો બાપ આ રથમાં આવેલા છે. આ મિલનને
જ મેળો કહે છે. જ્યારે આપણે ઘરે જઈએ છીએ તો એ પણ મેળો છે. અહીં બાપ પોતે બેસી ભણાવે
છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે. આ એક જ મુદ્દો સારી રીતે ધારણ કરો, ભૂલો નહીં. હવે
બાપ તો છે નિરાકાર, એમને પોતાનું શરીર નથી તો જરૂર લેવું પડે. તો પોતે કહે છે, હું
પ્રકૃતિનો આધાર લઉં છું. નહીં તો બોલૂ કેવી રીતે? શરીર વગર તો બોલાય નહીં. તો બાપ આ
તનમાં આવે છે, એમનું નામ રાખ્યું છે બ્રહ્મા. આપણે પણ શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં તો
નામ બદલાવું જ જોઈએ. નામ તો તમારા રાખ્યા હતા. પરંતુ એમાં પણ હમણાં જુઓ તો ઘણા છે જ
નહીં એટલે બ્રાહ્મણોની માળા નથી હોતી. ભક્તમાળા અને રુદ્રમાળા ગાયેલી છે.
બ્રાહ્મણોની માળા નથી હોતી. વિષ્ણુની માળા તો ચાલી આવી છે. પહેલા નંબરમાં માળાનાં
દાણા કોણ છે? કહેશે યુગલ, એટલે સૂક્ષ્મ વતનમાં પણ યુગલ દેખાડયા છે. વિષ્ણુ પણ ૪
ભુજાવાળા દેખાડયા છે. બે ભુજા લક્ષ્મીની, બે ભુજા નારાયણની.
બાપ સમજાવે છે હું ધોબી છુ. હું યોગબળથી આપ આત્માઓને શુદ્ધ બનાવું છું પછી પણ તમે
વિકારમાં જઈને પોતાનો શૃંગાર જ ગુમાવી દો છો. બાપ આવે છે બધાને શુદ્ધ બનાવવા.
આત્માઓને આવીને શીખવાડે છે તો શીખવાડવા વાળા જરૂર અહીંયા જોઈએ ને. પુકારે પણ છે
આવીને પાવન બનાવો. કપડા પણ મેલા થાય છે તો એને ધોઈને શુદ્ધ બનાવાય છે. તમે પણ પુકારો
છો - હે પતિત-પાવન બાબા, આવીને પાવન બનાવો. આત્મા પાવન બને તો શરીર પણ પાવન મળે. તો
પહેલા-પહેલા મૂળ વાત હોય છે બાપનો પરિચય આપવો. બાપ નો પરિચય કેવી રીતે આપીએ, આ તો
પ્રશ્ન જ પૂછી ન શકો. તમને પણ બાપએ પરિચય આપ્યો છે ત્યારે તો તમે આવ્યા છો ને. બાપ
પાસે આવો છો, બાપ ક્યાં છે? આ રથ માં. આ છે અકાળ તખ્ત. તમે આત્મા પણ અકાળ મૂર્ત છો.
આ બધા તમારા તખ્ત છે, જેના પર તમે આત્માઓ વિરાજમાન છો. તે તો અકાળ તખ્ત જડ થઈ ગયું
ને. તમે જાણો છો હું અકાળમૂર્ત અર્થાત નિરાકાર, જેનું સાકાર રૂપ નથી. હું આત્મા
અવિનાશી છું, ક્યારેય વિનાશ થઇ ન શકે. એક શરીર છોડી બીજું લઉં છું. મુજ આત્માનો
પાર્ટ અવિનાશી નોંધાયેલો છે. આજથી ૫ હજાર વર્ષ પહેલા પણ આપણો આમ જ પાર્ટ શરૂ થયો હતો.
એક-એક સવંતથી આપણે અહીં પાર્ટ ભજવવા ઘરેથી આવીએ છીએ. આ છે જ ૫ હજાર વર્ષ નું ચક્ર.
તેઓ તો લાખો વર્ષ કહી દે છે એટલે થોડા વર્ષોનું વિચારમાં નથી આવતું. તો બાળકો એવું
ક્યારેય કહી ન શકે કે અમે બાપ નો પરિચય કોઈને કેવી રીતે આપીએ. એવા-એવા પ્રશ્ન પૂછે
છે તો વન્ડર લાગે છે. અરે, તમે બાપના બન્યા છો, પછી બાપ નો પરિચય કેમ નથી આપી શકતા!
આપણે બધા આત્માઓ છીએ, તે આપણા બાબા છે. સર્વની સદ્દગતિ કરે છે. સદ્દગતિ ક્યારે કરશે
એ પણ તમને હવે ખબર પડી છે. કલ્પ-કલ્પ, કલ્પના સંગમયુગ પર આવીને બધાની સદ્દગતિ કરશે.
તેઓ તો સમજે છે - હજી ૪૦ હજાર વર્ષ પડયા છે અને પહેલાથી જ કહી દે નામ-રુપથી ન્યારા
છે. હવે નામ-રુપ થી ન્યારી કોઈ થી થોડી હોય છે. પથ્થર-ભિત્તરનું પણ નામ છે ને. તો
બાપ કહે છે મીઠા-મીઠા બાળકો, તમે આવ્યા છો બેહદનાં બાપની પાસે. બાપ પણ જાણે છે,
કેટલા અસંખ્ય બાળકો છે. બાળકોએ હવે હદ અને બેહદથી પણ પાર જવાનું છે. બધા બાળકોને
જોવે છે, જાણે છે આ બધાને હું લેવા માટે આવ્યો છું. સતયુગમાં તો બહુ જ થોડા હશે.
એટલું સ્પષ્ટ છે એટલે ચિત્રો પર સમજાવાય છે. નોલેજ તો બિલકુલ સહજ છે. બાકી યાદ ની
યાત્રા માં સમય લાગે છે. આવાં બાપ ને તો ક્યારેય ભૂલવું ન જોઈએ. બાપ કહે છે મામેકમ
યાદ કરો તો પાવન બની જશો. હું આવું જ છું પતિત થી પાવન બનાવવા. તમે અકાળમૂર્ત
આત્માઓ બધા પોત-પોતાના તખ્ત પર વિરાજમાન છો. બાબાએ આ જ તખ્ત ઉધાર લીધુ છે. આ
ભાગ્યશાળી રથમાં બાપ પ્રવેશ થાય છે. કોઈ કહે છે પરમાત્માનું નામ-રુપ નથી. આ તો બની
જ ન સકે. એમને પુકારે છે, મહિમા ગાએ છે, તો જરૂર કોઈ ચીજ છે ને. તમોપ્રધાન હોવાના
કારણે કંઈ પણ સમજતા નથી. બાપ સમજાવે છે - મીઠા મીઠા બાળકો, આટલી ૮૪ લાખ યોનિઓ તો
કોઈ હોતી નથી. છે જ ૮૪ જન્મ. પુનર્જન્મ પણ બધાનો હશે. એમ થોડી બ્રહ્મ માં જઈને લીન
થશે કે મોક્ષને પામશે. આ તો બન્યો-બનાવેલ ડ્રામા છે. એક પણ ઓછા-વધારે ન થઈ શકે. આ
અનાદિ અવિનાશી ડ્રામાથી જ પછી નાનાં-નાનાં ડ્રામા કે નાટક બનાવે છે. એ છે વિનાશી.
હવે આપ બાળકો બેહદમાં ઉભા છો. આપ બાળકોને આ નોલેજ મળેલું છે - આપણે કેવી રીતે ૮૪
જન્મ લીધા છે. હવે બાપએ બતાવ્યું છે, પહેલા કોઈને ખબર ન હતી.
ઋષિ-મુનિ પણ કહેતા હતા - અમે નથી જાણતા. બાપ આવે જ છે સંગમયુગ પર, આ જૂની દુનિયા ને
બદલવા. બ્રહ્મા દ્વારા નવી દુનિયા ની સ્થાપના ફરીથી કરે છે. તેઓ તો લાખો વર્ષ કહી
દે છે. કોઈ વાત યાદ પણ ન આવી શકે. મહાપ્રલય પણ કંઈ થતો નથી. બાપ રાજયોગ શીખવાડે છે,
પછી રાજાઈ તમે પામો છો. આમાં તો સંશયની કોઈ વાત જ નથી. આપ બાળકો જાણો છો પહેલા નંબર
માં સૌથી પ્રિય છે બાપ પછી નેક્સ્ટ પ્રિય છે શ્રી કૃષ્ણ. તમે જાણો છો શ્રીકૃષ્ણ છે
સ્વર્ગના પહેલા રાજકુમાર, નંબરવન. એ જ પછી ૮૪ જન્મ લે છે. એમના જ અંતિમ જન્મમાં હું
પ્રવેશ કરું છું. હવે તમારે પતિત થી પાવન બનવાનું છે. પતિત-પાવન બાપ જ છે, પાણીની
નદીઓ થોડી પાવન કરી શકે છે. આ નદીઓ તો સતયુગમાં પણ હોય છે. ત્યાં તો પાણી બહુ જ
શુદ્ધ રહે છે. કીચડ વગેરે કંઈ નથી હોતું. અહીં તો કેટલો કીચડો પડતો રહે છે. બાબાએ
જોયેલું છે. એ સમયે તો જ્ઞાન ન હતું. હવે વન્ડર લાગે છે પાણી કેવી રીતે પાવન બનાવી
શકે છે.
તો બાપ સમજાવે છે - મીઠા બાળકો, ક્યારે પણ મૂંઝાશો નહીં કે બાપ ને યાદ કેવી રીતે
કરીએ. અરે, તમે બાપ ને યાદ નથી કરી શકતા! એ છે કુખ ની સંતાન, તમે છો અડોપ્ટેડ બાળકો.
અડોપ્ટેડ બાળકોને જે બાપથી મિલકત મળે છે, એમને ભૂલી શકાય કે? બેહદ ના બાપ થી બેહદની
મિલકત મળે છે તો એમને ભૂલવા થોડી જોઈએ. લૌકિક બાળકો બાપ ને ભૂલે છે શું? પરંતુ
અહીંયા માયાનો વિરોધ હોય છે. માયાનું યુદ્ધ ચાલે છે, આખી દુનિયા કર્મ ક્ષેત્ર છે.
આત્મા આ શરીરમાં પ્રવેશ કરી અહીં કર્મ કરે છે. બાપ કર્મ-અકર્મ-વિકર્મનું રહસ્ય
સમજાવે છે. અહીં રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ બની જાય છે. ત્યાં રાવણ રાજ્ય જ નથી તો
કર્મ અકર્મ બની જાય છે, વિકર્મ કોઈ થતાં જ નથી. આ તો બહુ જ સહજ વાત છે. અહીં રાવણ
રાજ્યમાં કર્મ વિકર્મ થાય છે એટલે વિકર્મોનો દંડ ભોગવવો પડે છે. એવું થોડી કહેશું
રાવણ અનાદિ છે. ના, અડધો કલ્પ છે રાવણ રાજ્ય, અડધો કલ્પ છે રામરાજ્ય. તમે જ્યારે
દેવતા હતા તો તમારા કર્મ અકર્મ થતા હતા. હવે આ છે જ્ઞાન. બાળક બન્યા છો તો પછી ભણતર
ભણવાનું છે. બસ, પછી બીજા કોઈ ધંધા, વગરેનાં વિચાર પણ ના આવવા જોઈએ. પરંતુ ગૃહસ્થ
વ્યવહારમાં રહેતા ધંધો વગેરે પણ કરવાવાળા છે તો બાપ કહે છે કમળ ફૂલ સમાન રહો. આવાં
દેવતા તમે બનવાના છો. તે નિશાની વિષ્ણુને આપી દીધી છે કારણ કે તમને શોભશે નહીં.
તેમને શોભે છે. તેઓ જ વિષ્ણુના બે રૂપ લક્ષ્મી-નારાયણ બનવા વાળા છે. તે છે જ અહિંસા
પરમો દેવી-દેવતા ધર્મ. ન કોઈ વિકાર ની કામ કટારી હોય, ન કોઈ લડાઈ-ઝઘડા વગેરે હોય
છે. તમે ડબલ અહિંસક બનો છો. સતયુગના માલિક હતા. નામ જ છે સ્વર્ણિમયુગ. કંચન દુનિયા.
આત્મા અને કાયા બંને કંચન બની જાય છે. કંચન કાયા કોણ બનાવે છે? બાપ. હમણાં તો
લોહયુગ છે ને. હવે તમે કહો છો સતયુગ વીતી ગયો છે. ગઈકાલે સતયુગ હતો ને. તમે રાજ્ય
કરતા હતા. તમે નોલેજ ફુલ બનતા જાઓ છો. બધા તો એક જેવા નહીં બનશે.અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1. હું આત્મા
અકાળ તખ્તનશીન છું, આ સ્મૃતિમાં રહેવાનું છે. હદ અને બેહદથી પાર જવાનું છે એટલે
હદોમાં બુદ્ધિ નથી ફસાવવાની.
2. બેહદ બાપથી બેહદની
મિલકત મળે છે, આ નશામાં રહેવાનું છે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ને જાણી વિકર્મોથી
બચવાનું છે. ભણવાના સમયે ધંધા વગેરેથી બુદ્ધી નિકાળી દેવાની છે.
વરદાન :-
સેવામાં સ્નેહ
અને સત્યતાની ઓથોરિટીના બેલેન્સ દ્વારા સફળતા મૂર્ત ભવ :
જેમ જુઠ ખંડમાં બ્રહ્મા બાપને સત્યતાની ઓથોરિટીના પ્રત્યક્ષ સ્વરૂપ જોયા. એમની
ઓથોરિટીના બોલ ક્યારેય અહંકારની ભાસના નહીં આપે. ઓથોરિટીના બોલમાં સ્નેહ સમાયેલો
છે. ઓથોરિટી ના બોલ ફક્ત મધુર નહી પ્રભાવશાળી પણ હોય છે તો બાપનું અનુકરણ કરો -
સ્નેહ અને ઓથોરિટી, નિર્માણતા અને મહાનતા બંને સાથે-સાથે દેખાય. વર્તમાન સમયે સેવામાં
આ બેલેન્સને અન્ડરલાઇન કરો તો સફળતા મૂર્ત બની જશો..
સ્લોગન :-
મારા ને તારા
માં પરિવર્તન કરવું અર્થાત ભાગ્યનો અધિકાર લેવો.