09-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
યાદ બહુ જ વન્ડરફુલ (અદ્દભુત) છે. કારણકે તમે એક સાથે જ બાપ , શિક્ષક અને સદ્દગુરુ
ત્રણે વ ને યાદ કરો છો ”
પ્રશ્ન :-
કોઈપણ બાળક ને
માયા જ્યારે મગરુર (અભિમાની) બનાવે છે તો કઈ વાતની ડોન્ટ કેર (બેકાળજી) કરે છે.
ઉત્તર :-
મગરુર (અભિમાની) બાળકો દેહ-અભિમાન માં આવી મુરલીની ડોન્ટ કેર કરે છે. કહેવત પણ છે
ને - ઉંદરને હળદરની ગાંઠ મળી, સમજ્યો હું પંસારી (વ્યાપારી) છું..... ઘણાં છે જે
મુરલી વાંચતાં જ નથી, કહી દે છે અમારું તો ડાયરેક્ટ શિવબાબા થી કનેક્શન છે. બાબા કહે
બાળકો મુરલીમાં તો નવી-નવી વાતો નીકળે છે એટલે મુરલી ક્યારેય મિસ (ગેરહાજર ન રહેવું)
ન કરવી, આનાં ઉપર બહુ જ અટેન્શન (ધ્યાન) રહે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા બાળકોથી રુહાની બાપ પૂછે છે અહીંયા તમે બેઠા છો, કોની યાદમાં બેઠા છો? (બાપ,
શિક્ષક, સદ્દગુરુ ની) બધાં આ ત્રણેયની યાદમાં બેઠા છો? દરેક સ્વયંથી પૂછે આ ફક્ત અહીં
બેઠા યાદ છે કે ચાલતા-ફરતા યાદ રહે છે? કારણ કે આ છે વન્ડરફુલ વાત. બીજી કોઈ આત્માને
ક્યારેય આવું નથી કહેવાતું. ભલે આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક છે પરંતુ તેમની
આત્માને ક્યારે એવું નહીં કહેશું કે આ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે.
પરંતુ આખી દુનિયામાં જે પણ જીવ આત્માઓ છે, કોઈપણ આત્માને આવું નહીં કહેવાશે. આપ
બાળકો જ આવી રીતે યાદ કરો છો. અંદર માં આવે છે આ બાબા, બાબા પણ છે, શિક્ષક પણ છે,
સદ્દગુરુ પણ છે. એ પણ સુપ્રીમ (સર્વોચ્ચ). ત્રણેય ને યાદ કરો છો કે એક ને? ભલે એ એક
છે પરંતુ ત્રણે ગુણોથી યાદ કરો છો. શિવબાબા આપણા બાપ પણ છે, શિક્ષક અને સદ્દગુરુ પણ
છે. આ એકસ્ટ્રા ઓડિનરી (અસાધારણ) કહેવાય છે. જ્યારે બેઠાં છો અથવા ચાલતાં-ફરતાં હોવ
છો તો આ યાદ રહેવું જોઈએ. બાબા પૂછે છે આવી રીતે યાદ કરો છો કે આ આપણા બાપ, શિક્ષક,
સદ્દગુરુ પણ છે. આવા કોઈપણ દેહધારી હોઈ ન શકે. દેહધારી નંબરવન છે કૃષ્ણ, તેમને બાપ,
શિક્ષક, સદ્દગુરુ કહી ન શકાય, આ બિલ્કુલ વન્ડરફુલ વાત છે. તો સાચું બતાવવું જોઈએ
ત્રણેય રુપમાં યાદ કરો છો? ભોજન પર બેસો છો તો ફક્ત શિવ બાબા ને યાદ કરો છો કે
ત્રણેય બુદ્ધિ માં આવે? બીજી તો કોઈ પણ આત્માને આવી રીતે ન કહી શકાય. આ છે વન્ડરફુલ
વાત. વિચિત્ર મહિમા છે બાપની. તો બાપને યાદ પણ આવી રીતે કરવાનાં છે. તો બુદ્ધિ એકદમ
એ તરફ ચાલી જશે જે એવા વન્ડરફુલ છે. બાપ જ બેસી પોતાનો પરિચય આપે છે પછી આખા ચક્રનું
પણ જ્ઞાન આપે છે. આવાં આ યુગ છે, આટલા-આટલા વર્ષ નાં છે જે ફરતા રહે છે. આ જ્ઞાન પણ
એ રચયિતા બાપ જ આપે છે. તો એમને યાદ કરવામાં બહુ જ મદદ મળશે. બાપ, શિક્ષક, ગુરુ એ
એક જ છે. આટલી ઊંચી આત્મા બીજી કોઈ હોઈ ન શકે. પરંતુ માયા એવા બાપની યાદ પણ ભુલાવી
દે છે તો શિક્ષક અને ગુરુને પણ ભૂલી જાય છે. આ દરેકને પોત-પોતાનાં દિલથી લગાવવું
જોઈએ. બાબા આપણને આવા વિશ્વનાં માલિક બનાવશે. બેહદનાં બાપ નો વારસો જરુર બેહદ નો જ
છે. સાથે-સાથે આ મહિમા પણ બુદ્ધિ માં આવે, ચાલતા ફરતા ત્રણેય યાદ આવે. આ એક આત્માની
ત્રણેય સર્વિસ (સેવા) એક સાથે છે એટલે એમને સુપ્રીમ (સર્વોચ્ચ) કહેવાય છે.
હવે કોન્ફરન્સ (સભા) વગેરે બોલાવે છે, કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? એ તો
હવે થઈ રહી છે, આવીને સમજો. કોણ કરી રહ્યા છે? તમારે બાપનું ઓક્યુપેશન (કર્તવ્ય)
સિદ્ધ કરી બતાવવાનું છે. બાપનાં ઓક્યુપેશન અને કૃષ્ણનાં ઓક્યુપેશન માં બહુ જ ફરક
છે. બીજા તો બધાનાં નામ શરીર નાં જ લેવાય છે. એમની આત્માનું નામ ગવાય છે. એ આત્મા
બાપ પણ છે, શિક્ષક, ગુરુ પણ છે. આત્મામાં જ્ઞાન છે પરંતુ એ આપે કેવી રીતે? શરીર
દ્વારા જ આપશે ને. જ્યારે આપે છે ત્યારે તો મહિમા ગવાય છે. હવે શિવજયંતી પર બાળકો
કોન્ફરન્સ કરે છે. બધાં ધર્મનાં નેતાઓને બોલાવે છે. તમારે સમજાવવાનું છે ઈશ્વર
સર્વવ્યાપી તો છે નહીં. જો બધામાં ઈશ્વર છે તો શું દરેક આત્મા ભગવાન બાપ પણ છે,
શિક્ષક પણ છે, ગુરુ પણ છે! બતાવો સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન છે? આ તો કોઈ
પણ સંભળાવી ન શકે.
આપ બાળકોની અંદર માં આવવું જોઈએ ઊંચેથી ઊંચા બાપ ની કેટલી મહિમા છે. એ આખા વિશ્વને
પાવન બનાવવાવાળા છે. પ્રકૃતિ પણ પાવન બની જાય છે. કોન્ફરન્સ માં પહેલા-પહેલા તો તમે
એ પૂછશો કે ગીતાનાં ભગવાન કોણ છે? સતયુગી દેવી-દેવતા ધર્મની સ્થાપનાં કરવા વાળા કોણ?
જો કૃષ્ણ માટે કહેશે તો બાપને ગુમ કરી દેશે અથવા પછી કહી દે છે એ નામ રુપથી ન્યારા
છે. જાણે કે છે જ નહીં. તો બાપ વગર ઓરફન (અનાથ) થયા ને. બેહદનાં બાપ ને જ નથી જાણતા.
એક-બે પર કામ કટારી ચલાવી કેટલું હેરાન કરે છે. એક-બે ને દુઃખ દે છે. તો આ બધી વાતો
તમારી બુદ્ધિ માં ચાલવી જોઈએ. કોન્ટ્રાસ્ટ (તફાવત) કરવાનો છે - આ લક્ષ્મી-નારાયણ,
ભગવાન-ભગવતી છે ને, એમની પણ વંશાવલી છે ને. તો જરુર બધાં એવા ગોડ-ગોડેજ (દેવી-દેવતા)
હોવા જોઈએ. તો તમે બધાં ધર્મ વાળા ને બોલાવો છો. જે સારી રીતે ભણેલા-ગણેલા છે, બાપ
નો પરીચય આપી શકે છે, એમને જ બોલાવવાના છે. તમે લખી શકો છો જે આવીને રચયિતા અને
રચનાનાં આદિ, મધ્ય, અંત નો પરિચય આપે તેમનાં માટે અમે આવવા-જવાનો, રહેવા વગેરેનો બધો
પ્રબંધ કરશું - જો રચતા અને રચનાનો પરિચય આપ્યો તો. આ તો જાણો છો કોઈ પણ આ જ્ઞાન આપી
નથી શકતા. ભલે કોઈ વિદેશથી આવે, રચયિતા અને રચનાનાં આદિ, મધ્ય, અંત નો પરિચય આપ્યો
તો અમે ખર્ચો આપી દઈશું. આવી એડવર્ટાઇઝ (પ્રચાર) બીજું કોઈ કરી ન શકે. તમે તો
બહાદુર છો ને. મહાવીર-મહાવીરનિયો છો. તમે જાણો છો આમણે (લક્ષ્મી-નારાયણ) વિશ્વની
બાદશાહી કેવી રીતે લીધી? કઈ બહાદુરી કરી? બુદ્ધિ માં આ બધી વાતો આવવી જોઈએ. કેટલું
તમે ઊંચું કાર્ય કરી રહ્યા છો. આખા વિશ્વને પાવન બનાવી રહ્યા છો. તો બાપને યાદ
કરવાનાં છે, વારસો પણ યાદ કરવાનો છે. ફક્ત એ નહીં કે શિવબાબા યાદ છે. પરંતુ એમની
મહિમા પણ બતાડવાની છે. આ મહિમા છે જ નિરાકારની. પરંતુ નિરાકાર પોતાનો પરિચય કેવી
રીતે આપે? જરુર રચનાનાં આદિ, મધ્ય, અંત નું નોલેજ આપવા માટે મુખ જોઈએ ને. મુખ ની
કેટલી મહિમા છે. મનુષ્ય ગૌમુખ પર જાય છે, કેટલા ધક્કા ખાય છે. શું-શું વાતો બનાવી
દીધી છે. તીર માર્યુ ગંગા નીકળી આવી. ગંગા ને સમજે છે. પતિત-પાવની. હવે પાણી કેવી
રીતે પતિત થી પાવન બનાવી શકે. પતિત-પાવન તો બાપ જ છે. તો બાપ આપ બાળકોને કેટલું
શીખવાડતા રહે છે. બાપ તો કહે છે આમ-આમ કરો. કોણ આવીને બાપ રચયિતા અને રચના નો પરિચય
દેશે. સાધુ-સન્યાસી વગેરે એ પણ જાણે છે કે ઋષિ-મુનિ વગેરે બધું કહેતા હતા -
નેતી-નેતી, અમે નથી જાણતા, ગોયા નાસ્તિક હતા. હવે જુઓ કોઈ આસ્તિક નિકળે છે? હમણાં
આપ બાળકો નાસ્તિક થી આસ્તિક બની રહ્યા છો. તમે બેહદનાં બાપ ને જાણો છો જે તમને આટલા
ઉંચ બનાવે છે. પુકારે પણ છે - ઓ ગોડ ફાધર (પરમપિતા), લિબ્રેટ (મુક્ત) કરો, બાપ
સમજાવે છે આ સમયે રાવણનું આખા વિશ્વ પર રાજ્ય છે. બધાં ભ્રષ્ટાચારી છે પછી
શ્રેષ્ટાચારી પણ થશે ને. આપ બાળકોની બુદ્ધિ માં છે - પહેલા-પહેલા પવિત્ર દુનિયા હતી.
બાપ અપવિત્ર દુનિયા થોડી બનાવશે. બાપ તો આવીને પાવન દુનિયા સ્થાપન કરે છે, જેને
શિવાલય કહેવાય છે. શિવબાબા શિવાલય બનાવશે ને. એ કેવી રીતે બનાવે છે એ પણ તમે જાણો
છો. મહાપ્રલય, જળમય વગેરે તો થતું નથી. શાસ્ત્રોમાં તો શું-શું લખ્યું છે. બાકી ૫
પાંડવો બચ્યા જે હિમાલય પહાડ પર ગળી ગયા, પછી રીઝલ્ટ (પરિણામ) ની કોઈને ખબર નથી. આ
બધી વાતો બાપ બેસી સમજાવે છે. આ પણ તમે જ જાણો છો - એ બાપ, બાપ પણ છે, શિક્ષક પણ
છે, સદ્દગુરુ પણ છે. ત્યાં તો આ મંદિર હોતા નથી. આ દેવતાઓ થઈને ગયા છે, તેમનાં
યાદગાર મંદિર અહીંયા છે. આ બધું ડ્રામામાં નોંધ છે. સેકન્ડ પછી સેકન્ડ નવી વાત થતી
રહે છે, ચક્ર ફરતું રહે છે. હવે બાપ બાળકોને ડાયરેક્શન તો બહુ જ સારું આપે છે. ઘણાં
દેહ-અભિમાની બાળકો છે જે સમજે છે અમે તો બધું જ જાણી ગયા છીએ. મુરલી પણ નથી વાંચતા.
કદર જ નથી. બાબા તાકીદ (અતિ મહત્વ) આપે છે, કોઈ-કોઈ સમયે મુરલી બહુ જ સારી ચાલે છે.
છુટ્ટી ન કરવી જોઈએ. ૧૦-૧૫ દિવસની મુરલી જો છુટ્ટી જાય છે તો તે બેસી વાંચવી જોઈએ.
આ પણ બાપ કહે છે એવી-એવી શર્ત આપો - આ રચતા અને રચનાનાં આદિ, મધ્ય, અંતનું જ્ઞાન
કોઈ આવીને આપે તો અમે તેમને ખર્ચો વગેરે બધું આપશું. આવી શર્ત તો જે જાણે છે તે આપશે
ને. શિક્ષક પોતે જાણે છે ત્યારે તો પૂછે છે ને. વગર જાણે પૂછશે કેવી રીતે.
કોઈ બાળકો મુરલીને પણ ડોન્ટ કેર (બેકાળજી) કરે છે. બસ અમારુ તો શિવબાબા થી જ
કનેક્શન છે. પરંતુ શિવબાબા જે સંભળાવે છે એ પણ સાંભળવાનું છે ન કે ફક્ત એમને યાદ
કરવાનાં છે. બાપ કેવી સરસ-સરસ મીઠી-મીઠી વાતો સંભળાવે છે. પરંતુ માયા બિલકુલ જ
અભિમાની કરી દે છે. કહેવત છે ને - ઉંદર ને હળદરની ગાંઠ મળી, સમજે છે હું પંસારી/વ્યાપારી
છું..... ઘણા છે જે મુરલી વાંચતા જ નથી. મુરલી માં તો નવી નવી વાતો નીકળે છે ને. તો
આ બધી વાતો સમજવાની છે. જ્યારે બાપ ની યાદ માં બેસો છો તો એ પણ યાદ કરવાનું છે કે એ
બાપ શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે. નહીં તો ભણશો ક્યાંથી. બાપ એ તો બાળકોને બધું
સમજાવી દીધું છે. બાળકો જ બાપનો શો(પ્રત્યક્ષ) કરશે. સન શોઝ ફાધર. સન (બાળક) નો પછી
ફાધર (પિતા) શો કરે છે. આત્માનો શો કરે છે. પછી બાળકો નું કામ છે બાપનો શો કરવો.
બાપ પણ બાળકોને છોડતા નથી, કહેશે આજે ફલાણી જગ્યાએ જાઓ, આજે અહીંયા જાઓ. આમને થોડી
કંઈ ઓર્ડર (હુકમ) કરવા વાળા હશે. તો આ નિમંત્રણ વગેરે સમાચારપત્રો માં આવશે. આ સમયે
આખી દુનિયા છે નાસ્તિક. બાપ જ આવીને આસ્તિક બનાવે છે. આ સમયે આખી દુનિયા છે વર્થ
નોટ પેની (કોડીતુલ્ય). અમેરિકા નાં પાસે ભલે કેટલી પણ ધન-દોલત છે પરંતુ વર્થ નોટ
પેની (કોડીતુલ્ય) છે. આ તો બધું ખતમ થઈ જવાનું છે ને. આખી દુનિયામાં તમે વર્થ
પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યા છો. ત્યાં કોઈ કંગાળ હશે નહીં.
આપ બાળકોએ સદેવ જ્ઞાનનું સિમરણ કરી હર્ષિત રહેવું જોઈએ. એનાં માટે જ ગાયન છે -
અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ થી પૂછો. આ સંગમની જ વાતો છે. સંગમયુગ ને કોઈ પણ જાણતું
નથી. વિહંગ માર્ગની સેવા કરવાથી કદાચ મહિમા નિકળે. ગાયન પણ છે અહો પ્રભુ તારી લીલા.
આ કોઈ પણ નહોતા જાણતા કે ભગવાન બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે. હવે ફાધર (પિતા) તો
બાળકો ને શીખવાડતા રહે છે. બાળકોને આ નશો સ્થાઈ રહેવો જોઈએ. અંત સુધી નશો રહેવો
જોઈએ. હમણાં તો નશો ઝટ સોડાવોટર થઈ જાય છે. સોડા પણ એમ જ હોય છે ને. થોડો સમય
રાખવાથી જાણે ખારું પાણી થઇ જાય છે. આવું તો ન થવું જોઈએ. કોઈને એવું સમજાવો જે તેઓ
પણ વન્ડર ખાય. સારું-સારું કહે પણ છે પરંતુ તેઓ પછી સમય કાઢી સમજે, જીવન બનાવે એ બહુ
મુશ્કેલ છે. બાબા કોઈ મનાઈ નથી કરતા કે ધંધો વગેરે નહીં કરો. પવિત્ર બનો અને જે
ભણાવું છું તે યાદ કરો. આ તો શિક્ષક છે ને. અને આ છે (અનકોમન) અસાધારણ ભણતર. કોઈ
મનુષ્ય નથી ભણાવી શકતા. બાપ જ ભાગ્યશાળી રથ પર આવીને ભણાવે છે. બાપ એ સમજાવ્યું છે
- આ તમારું તખ્ત છે જેનાં પર અકાળમૂર્ત આત્મા આવીને બેસે છે. તેને આ બધો પાર્ટ મળેલો
છે. હવે તમે સમજો છો આ તો રીયલ (સત્ય) વાત છે. બાકી આ બધી છે આર્ટિફિશિયલ (નકલી )
વાતો. આ સારી રીતે ધારણ કરી ગાંઠ બાંધી લો. તો હાથ લાગવાથી યાદ આવશે. પરંતુ ગાંઠ
કેમ બાંધી છે, એ પણ ભૂલી જાય છે. તમારે તો આ પાકું યાદ કરવાનું છે. બાપની યાદની સાથે
જ્ઞાન પણ જોઈએ. મુક્તિ પણ છે તો જીવનમુક્તિ પણ છે. બહુ જ મીઠા-મીઠા બાળકો બનો. બાબા
અંદરમાં સમજે છે કલ્પ-કલ્પ આ બાળકો ભણતા રહે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ વારસો
લેશે. છતાં પણ ભણાવવાનો શિક્ષક પુરુષાર્થ તો કરાવશે ને. તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો
એટલે યાદ કરાવાય છે. શિવબાબા ને યાદ કરો. એ બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે. નાનાં
બાળકો આમ યાદ નહીં કરશે. કૃષ્ણનાં માટે થોડી કહેશું કે બાપ, શિક્ષક, સદ્દગુરુ છે.
સતયુગનાં પ્રિન્સ (રાજકુમાર) શ્રીકૃષ્ણ તે પછી ગુરુ કેવી રીતે બનશે. ગુરુ જોઈએ
દુર્ગતિ માં. ગાયન પણ છે બાપ આવીને બધાંની સદ્દ્ગતિ કરે છે. કૃષ્ણને તો શ્યામ એવાં
બનાવી દે છે જેમકે કાળો કોલસો. બાપ કહે છે આ સમયે બધાં કામ ચિતા પર ચઢી કાળા કોલસા
બની ગયા છે ત્યારે શ્યામ કહેવાય છે. કેટલી ગુહ્ય વાતો સમજવાની છે. ગીતા તો બધાં
વાંચે છે. ભારતવાસી જ છે જે બધાં શાસ્ત્રોને માને છે. બધાંનાં ચિત્ર રાખતા રહેશે.
તો તેમને શું કહેશો? વ્યભિચારી ભક્તિ થઈને. અવ્યભિચારી ભક્તિ એક જ શિવની છે. જ્ઞાન
પણ એક જ શિવબાબા થી મળે છે. આ જ્ઞાન જ ડિફરન્ટ (અલગ) છે, આને કહેવાય છે
સ્પિરિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિનાશી
નશાને છોડી અલૌકિક નશો રહે કે આપણે હવે વર્થ નોટ પેની (કોડીતુલ્ય) થી વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય)
બની રહ્યા છીએં. સ્વયં ભગવાન આપણને ભણાવે છે, આપણું ભણતર અસાધારણ છે.
2. આસ્તિક બની બાપનો શો કરવાવાળી સેવા કરવાની છે. ક્યારેય પણ મગરુર બની મુરલીમાં
ગેરહાજર નથી રહેવાનું
વરદાન :-
દરેક કદમ માં
વરદાતા થી વરદાન પ્રાપ્ત કરી મહેનત થી મુક્ત રહેવાવાળા અધિકારી આત્મા ભવ :
જે છે જ વરદાતા નાં
બાળકો તેમને દરેક કદમમાં વરદાતા થી વરદાન સ્વતઃ જ મળે છે. વરદાન જ તેમની પાલના છે.
વરદાનોની પાલના થી જ પાલન થાય છે. વગર મહેનતે આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિઓ થવી આને જ
વરદાન કહેવાય છે. તો જન્મ-જન્મ પ્રાપ્તિનાં અધિકારી બની ગયા. દરેક કદમ માં વરદાતા
નાં વરદાન મળી રહ્યા છે અને સદા જ મળતા રહેશે. અધિકારી આત્મા માટે દ્રષ્ટિથી, બોલથી,
સંબંધથી વરદાન જ વરદાન છે.
સ્લોગન :-
સમય ની રફતાર
(ગતિ) નાં પ્રમાણે પુરુષાર્થની રફતાર (ગતિ) ને તીવ્ર કરો.