18-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - માયા
બહુજ જબરજસ્ત છે , આનાંથી ખબરદાર રહેજો , ક્યારેય એ વિચાર ન આવે કે અમે બ્રહ્મા ને
નથી માનતા , આમારું તો ડાયરેક્ટ શિવબાબા થી કનેક્શન ( જોડાણ ) છે ”
પ્રશ્ન :-
કયા બાળકો પર
બધાનો પ્રેમ સ્વત: જાય છે?
ઉત્તર :-
જે પહેલા દરેક
વાતને સ્વયં પ્રેકટીકલ માં લાવે પછી બીજાઓને કહે છે - તેમનાં પર બધાનો પ્રેમ સ્વત:
જાય છે. જ્ઞાનને સ્વયં માં ધારણ કરી પછી અનેકોની સેવા કરવાની છે, ત્યારે બધાનો
પ્રેમ મળશે. જો સ્વયં નથી કરતાં ફક્ત બીજાને કહે તો તેમનું કોણ માનશે? તેઓ તો જેમકે
પંડિત થઈ જાય.
ઓમ શાંતિ!
બાળકોથી બાપ
પુછે છે, આત્માઓથી પરમાત્મા પૂછે છે - આ તો જાણો છો કે આપણે પરમપિતા પરમાત્મા ની
સામે બેઠા છીએ. બાબાને પોતાનો રથ નથી, આ તો નિશ્ચય છે ને? આ ભ્રકુટીનાં મધ્યમાં
બાપનું નિવાસ સ્થાન છે. બાપે સ્વયં કહ્યું છે - હું આમની ભ્રકુટીનાં મધ્યમાં બેસું
છું. આમનું શરીર ઉધાર પર લઉં છું. આત્મા ભ્રકુટીનાં મધ્યમાં બેસે છે તો બાપ પણ અહીં
જ આવીને બેસે છે. બ્રહ્મા પણ છે તો શિવબાબા પણ છે. જો આ બ્રહ્મા ન હોત તો શિવબાબા
પણ ન હોત. જો કોઈ કહે કે અમે તો શિવબાબાને જ યાદ કરીએ છીએ, બ્રહ્માને નહીં, પરંતુ
શિવબાબા બોલશે કેવી રીતે? ઉપરમાં તો સદેવ શિવબાબાને યાદ કરતા આવ્યા. હવે આપ બાળકોને
ખબર છે આપણે બાપની પાસે અહીં બેઠા છીએ. એવું તો નહિ સમજશે કે શિવબાબા ઉપરમાં છે.
જેમ ભક્તિમાર્ગ માં કહેતા હતા શિવબાબા ઉપરમાં છે, એમની પ્રતિમા અહીંયા પૂજાય છે. આ
વાતો બહુંજ સમજવાની છે. જાણો છો બાપ જ્ઞાનનાં સાગર, નોલેજફુલ છે તો ક્યાંથી જ્ઞાન
સંભળાવે છે? બ્રહ્માનાં તનથી સંભળાવે છે. ઘણાં કહે છે અમે બ્રહ્માને નથી માનતા,
પરંતુ શિવબાબા કહે છે હું આ મુખ દ્વારા જ તમને કહું છું, મને યાદ કરો. આ સમજની વાત
છે ને. બ્રહ્મા તો પોતે કહે છે - શિવબાબાને યાદ કરો. આ ક્યાં કહે છે મને યાદ કરો?
આમનાં દ્વારા શિવબાબા કહે છે મને યાદ કરો. આ મંત્ર હું આમનાં મુખ થી આપું છું.
બ્રહ્મા ન હોત તો હું મંત્ર કેવી રીતે આપત? બ્રહ્મા ન હોત તો તમે શિવબાબાને કેવી
રીતે મળત? કેવી રીતે મારી પાસે બેસત? સારા-સારા મહારથીઓને પણ એવા-એવા ખ્યાલ આવી જાય
છે જે માયા મારા થી મુખ ફેરવી દે છે. કહે છે અમે બ્રહ્માને નથી માનતા તો તેમની શું
ગતિ થશે? માયા કેટલી મોટી જબરજસ્ત છે જે એકદમ મુખ જ ફેરવી દે છે. હમણાં તમારું મુખ
શિવબાબા એ સમ્મુખ કર્યું છે. તમે સમ્મુખ બેઠા છો. પછી જે એવું સમજે છે બ્રહ્મા તો
કાંઈ નથી, તો તેમની ગતિ શું થશે? દુર્ગતિને પામી લે છે. મનુષ્ય તો પોકારે છે-ઓ ગોડ
ફાધર! તો ગોડફાધર સાંભળે છે શું? કહે છે-ઓ લિબરેટર (મુક્તિદાતા) આવો. શું ત્યાંથી જ
લિબરેટ કરશે? કલ્પ-કલ્પ નાં પુરષોત્તમ સંગમયુગ પર જ બાપ આવે છે. જેમનાં માં આવે છે
તેમને જ ઉડાવી દે તો શું કહેશું? માયામાં એટલું બળ છે જે નંબરવન વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય)
બનાવી દે છે. એવા-એવા પણ કોઈ-કોઈ સેવાકેન્દ્ર પર છે, ત્યારે તો બાપ કહે છે ખબરદાર
રહેજો. ભલે બાબાનું સંભળાવેલું જ્ઞાન બીજાઓને સંભળાવતા પણ રહે છે પરંતુ જેમકે પંડિત
માફક. જેમ બાબા પંડિત ની વાર્તા સંભળાવે છે….આ સમયે તમે બાપની યાદ થી વિષય સાગરને
પાર કરી ક્ષીરસાગર માં જાઓ છો ને! ભક્તિમાર્ગમાં અસંખ્ય કથાઓ બનાવી દીધી છે. પંડિત
બીજાઓને કહેતો હતો રામ નામ કહેવાથી પાર થઈ જશો, પરંતુ પોતે બિલ્કુલ ચટ ખાતામાં હતો.
પોતે વિકારો માં જાતા રહેવું અને બીજાઓને કહે નિર્વિકારી બનો. તેમની શું અસર થશે?
અહીંયા પણ ક્યાંક-ક્યાંક સંભળાવવા વાળાથી સાંભળવા વાળા આગળ ચાલ્યા જાય છે. જે
અનેકોની સેવા કરે છે તે જરુર સર્વ ને પ્રિય લાગે છે. પંડિત ખોટા નીકળ્યા તો તેમને
કોણ પ્રેમ કરશે? પછી પ્રેમ એમનાં પર ચાલ્યો જશે જે પ્રેકટીકલમાં યાદ કરે છે.
સારા-સારા મહારથીઓને પણ માયા હપ કરી જાય છે.
બાબા સમજાવે છે-હમણાં તો કર્માતીત અવસ્થા નથી બની, જ્યાં સુધી લડાઈ ની તૈયારી ન થાય.
એક બાજુ લડાઈ ની તૈયારી થશે, બીજી બાજુ કર્માતીત અવસ્થા થશે. પુરુ કનેક્શન છે, પછી
લડાઈ પૂરી થઈ જાય છે, ટ્રાન્સફર થઇ જશો. પહેલા રુદ્ર માળા બને છે. આ વાતો બીજા કોઈ
નથી જાણતા. તમે સમજો છો આ દુનિયા બદલાવાની છે. તેઓ સમજે છે દુનિયાનાં હજુ ૪૦ હજાર
વર્ષ પડયા છે. તમે સમજો છો વિનાશ તો સામે ઊભો છે. તમે છો ઓછા, તેઓ છે વધારે. તો
તમારું કોણ માનશે? જયારે તમારી વૃદ્ધિ થઇ જશે પછી તમારા યોગબળ થી ઘણા ખેંચાઈને આવશે,
જેટલો તમારો કાટ નીકળતો જશે, તેટલું બળ ભરાતું જશે. એવું નથી કે બાબા જાની-જાનનહાર
છે. ના, બધાંની અવસ્થાઓ ને જાણે છે. બાપ બાળકોની અવસ્થાને નહિ જાણશે? બધી ખબર રહે
છે. હમણાં તો કર્માતીત અવસ્થા થઇ ન શકે. મોટી-મોટી ભૂલો થવી પણ સંભવ છે, મહારથીઓ થી
પણ થાય છે. વાતચીત, ચાલ-ચલન વગેરે બધું પ્રસિદ્ધ થઈ જાય છે. હમણાં તો દૈવી ચલન
બનાવવાની છે. દેવતા, સર્વગુણ સમ્પન્ન છે ને. હવે તમારે આવું બનવાનું છે. પરંતુ માયા
કોઈને પણ નથી છોડતી. છુઈમુઈ બનાવી દે છે. ૫ સીડી છે ને. દેહ-અભિમાન આવવાથી ઉપરથી
એકદમ નીચે પડી જાય છે. પડ્યા અને મર્યા. આજકાલ પોતાને મારવાં માટે કેવા-કેવા ઉપાય
કરે છે! ૨૦ માં માળાથી પડી ને એકદમ ખતમ થઈ જાય છે. એવું પણ ન થાય કે હોસ્પિટલ માં
પડ્યા રહે, દુઃખ ભોગવે. પછી કોઈ પોતાને આગ લગાવી દે છે, કોઈએ બચાવી લીધા તો કેટલું
દુઃખ ભોગવે છે. બળી જાય તો આત્મા ભાગી જાય એટલે જીવઘાત કરે છે. સમજે છે જીવઘાત
કરવાથી દુ:ખથી છૂટી જઈશું. જોશ આવે છે તો બસ. ઘણાં તો હોસ્પિટલ માં કેટલું દુ:ખ
ભોગવે છે. ડોક્ટર સમજે છે કે આ દુ:ખથી છૂટી નથી સકતા, તેનાથી તો સારું ગોળી આપી દે,
તો આ ખતમ જાય. પરંતુ તેઓ સમજે છે આમ ગોળી આપવી મહાપાપ છે. આત્મા પોતે કહે છે આ પીડા
ભોગવવા થી સારું છે શરીર છોડી દઈએ. હવે શરીર કોણ છોડાવે? આ છે અપાર દુઃખો ની દુનિયા.
ત્યાં છે અપાર સુખ.
આપ બાળકો સમજો છો-આપણે હવે રિટર્ન (પાછાં) થઈએ છીએ, દુઃખધામ થી સુખધામ જઈએ છીએ તો
એમને યાદ કરવાનાં છે. બાપ પણ સંગમયુગ પર આવે છે જ્યારે દુનિયાને બદલવાની હોય છે.
બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકોને સર્વ દુઃખોથી છોડાવીને નવી પાવન દુનિયામાં લઈ
જવા. પાવન દુનિયામાં થોડા રહે છે. અહીંયા તો બહુજ છે, પતિત બન્યાં છે એટલે બોલાવે
છે હે પતિત-પાવન….એવું થોડી સમજે છે કે અમે મહાકાળને બોલાવીએ છીએ કે અમને આ છી-છી
દુનિયા થી ઘરે જ લઈ ચાલો. જરુર બાબા આવશે, બધાં મરશે ત્યારે તો શાંતિ થશે ને.
શાંતિ-શાંતિ કરતા રહે છે. શાંતિ તો શાંતિધામમાં હશે. પરંતુ આ દુનિયામાં શાંતિ કેવી
રીતે થાય? જ્યાં સુધી આટલાં બધાં મનુષ્ય છે. સતયુગમાં તો સુખ-શાંતિ હતી. હમણાં તો
કળયુગ માં અનેક ધર્મ છે. તે જ્યારે ખતમ થાય, એક ધર્મની સ્થાપના થાય, ત્યારે તો
સુખ-શાંતિ થાય. હાહાકાર નાં પછી ફરી જયજયકાર થાય છે. આગળ ચાલીને જોજો મોતનું બજાર
કેટલું ગરમ થાય છે! કેવી રીતે મરે છે! બોમ્બ થી પણ આગ લાગે છે. આગળ ચાલીને જોશે તો
ઘણાં કહેશે કે બરાબર વિનાશ તો થશે જ.
આપ બાળકો જાણો છો આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે? વિનાશ તો થવાનો જ છે. એક
ધર્મની સ્થાપના બાપ કરાવે છે, રાજ્યોગ પણ શીખવાડે છે. બાકી બધાં અનેક ધર્મ ખલાસ થઇ
જશે. ગીતામાં કંઈ દેખાડ્યું નથી. પછી ગીતા વાંચવા થી પરિણામ શું? દેખાડે છે પ્રલય
થઈ ગઈ. ભલે જળમય થાય છે પરંતુ આખી દુનિયા જળમય નથી થતી. ભારત તો અવિનાશી પવિત્ર ખંડ
છે. તેમાં પણ આબુ સૌથી પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં બાપ આવીને સર્વની સદ્દગતિ કરે
છે. દેલવાડા મંદિર કેવું સરસ યાદગાર છે. કેટલું અર્થ સહિત છે. પરંતુ જેમણે
બનાવડાવ્યું છે, તેઓ આ નથી જાણતા. તો પણ સારા સમજદાર તો હતાં ને. દ્વાપરમાં જરુર
સારા સમજદાર હશે. કળિયુગમાં તો છે બધાં તમોપ્રધાન. બધાં મંદિરો થી આ ઊંચ છે, જ્યાં
તમે બેઠા છો. તમે જાણો છો આપણે છીએ ચૈતન્ય, તે આપણું જ જડ યાદગાર છે. બાકી થોડો સમય
આ મંદિર વગેરે બીજું પણ બનતું રહેશે. પછી તો તૂટવાનો સમય આવશે. બધાં મંદિર વગેરે
તૂટી-ફૂટી જશે. હોલસેલ મોત થશે. મહાભારી મહાભારત લડાઈ ગવાયેલી છે ને, જેમાં બધાં
ખલાસ થઈ જાય છે. આ પણ તમે સમજો છો-બાપ સંગમ પર જ આવે છે. બાપને રથ તો જોઈએ ને. આત્મા
જ્યારે શરીરમાં આવે છે ત્યારે જ ચુરપુર (હલચલ) થાય છે. આત્મા શરીરથી નીકળે છે તો
શરીર જડ થઈ જાય છે. તો બાપ સમજાવે છે હવે તમે ઘરે જાઓ છો. તમારે લક્ષ્મી-નારાયણ જેવાં
બનવાનું છે. તો એવાં ગુણ પણ જોઈએ ને. આપ બાળકો આ ખેલ ને પણ જાણો છો. આ ખેલ કેટલો
વન્ડરફુલ બનેલો છે. આ ખેલ નું રહસ્ય બાપ બેસીને સમજાવે છે. બાપ નોલેજફુલ, બીજરુપ છે
ને. બાપ જ આવીને આખા વૃક્ષનું નોલેજ આપે છે-આમાં શું-શું થાય છે, તમે આમાં કેટલો
પાર્ટ ભજવ્યો? અડધોકલ્પ છે દૈવી રાજ્ય, અડધોકલ્પ છે આસુરી રાજ્ય. જે સારા-સારા બાળકો
છે તેમની બુદ્ધિમાં બધુ નોલેજ રહે છે. બાપ આપ સમાન શિક્ષક બનાવે છે. શિક્ષક પણ
નંબરવાર તો હોય છે. ઘણાં તો શિક્ષક થઈને પછી બગડી પડે છે. અનેકોને શીખવાડીને પોતે
ખતમ થઇ જાય છે. નાનાં-નાનાં બાળકોમાં ભિન્ન-ભિન્ન સંસ્કાર હોય છે. બાપ સમજાવે છે
અહીંયા પણ જે જ્ઞાન ઠીક રીતે નથી ઉપાડતાં, ચલન નથી સુધારતાં તો અનેકોને દુ:ખ દેવાનાં
નિમિત્ત બની જાય છે. આ પણ શાસ્ત્રોમાં દેખાડ્યું છે-અસુર છુપાઈને બેસતાં હતાં પછી
બહાર જઈને ટ્રેટર (દગાબાજ) બનીને કેટલું હેરાન કરતા હતાં. આ તો બધું થતું જ રહે છે.
ઊંચે થી ઊંચા બાપ જે સ્વર્ગની સ્થાપના કરે છે તો કેટલાં વિઘ્નરૂપ બની પડે છે.
બાપ સમજાવે છે આપ બાળકો સુખ-શાંતિનાં સ્તંભ છો. તમે બહું જ રોયલ છો. તમારાથી રોયલ આ
સમયે કોઈ હોતું નથી. બેહદનાં બાપનાં બાળકો છો તો કેટલા મીઠા થઈને ચાલવું જોઈએ. કોઈને
દુઃખ નથી આપવાનું. નહીં તો તે અંતમાં યાદ આવશે. પછી સજાઓ ખાવી પડશે. બાબા કહે છે
હમણાં તો ઘરે ચાલવાનું છે. સૂક્ષ્મવતન માં બાળકોને બ્રહ્માનો સાક્ષાત્કાર થાય છે
એટલે તમે પણ એવાં સૂક્ષ્મવતનવાસી બનો. મુવી ની પ્રેક્ટિસ કરવાની છે. બહું જ ઓછું
બોલવાનું છે, મીઠું બોલવાનું છે. આવો પુરુષાર્થ કરતાં-કરતાં તમે શાંતિ નાં સ્તંભ બની
જશો. તમને શિખવાડવા વાળા બાપ છે. પછી તમારે બીજાઓને શીખવાડવાનું છે. ભક્તિમાર્ગ ટોકી
માર્ગ છે. હમણાં તમારે બનવાનું છે શાંત. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) બહું જ
રોયલ્ટી થી મીઠાં થઈને ચાલવાનું છે. શાંતિ અને સુખનો સ્તંભ બનવાં માટે બહું જ ઓછું
અને મીઠું બોલવાનું છે. મૂવી ની પ્રેક્ટિસ કરવાની છે. ટોકી માં નથી આવવાનું.
૨) સ્વયં ની દૈવી ચલન બનાવવાની છે. છુઈ-મુઈ નથી બનવાનું. લડાઈનાં પહેલા કર્માતીત
અવસ્થા સુધી પહોંચવાનું છે. નિર્વિકારી બની નિર્વિકારી બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
કર્મ અને
સંબંધ બંનેવ માં સ્વાર્થ ભાવથી મુક્ત રહેવા વાળા બાપ સમાન કર્માતીત ભવ
આપ બાળકોની સેવા છે
બધાંને મુક્ત બનાવવાની. તો બીજાઓને મુક્ત બનાવતા સ્વયંને બંધનમાં બાંધી નહિ દેતાં.
જ્યારે હદનાં મારા-મારાથી મુક્ત થશો ત્યારે અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરી શકશો. જે
બાળકો લૌકિક અને અલૌકિક, કર્મ અને સંબંધ બંનેવ માં સ્વાર્થ ભાવથી મુક્ત છે તેજ બાપ
સમાન કર્માતીત સ્થિતિનો અનુભવ કરી શકે છે. તો તપાસ કરો ક્યાં સુધી કર્મોનાં બંધન થી
ન્યારા બન્યા છો? વ્યર્થ સ્વભાવ-સંસ્કારનાં વશ થવાથી મુક્ત બન્યા છો? ક્યારેય કોઈ
પાછલા સંસ્કાર સ્વભાવ વશીભૂત તો નથી બનાવતા?
સ્લોગન :-
સમાન અને
સંપૂર્ણ બનવું છે તો સ્નેહ નાં સાગરમાં સમાઈ જાઓ.