28-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - વિશ્વનું
રાજ્ય બાહુબળથી નથી લઇ શકાતું, એનાં માટે યોગબળ જોઈએ, આ પણ એક લૉ (કાયદો) છે.”
પ્રશ્ન :-
શિવબાબા સ્વયં
જ સ્વયં પર શું વન્ડર ખાય છે?
ઉત્તર :-
બાબા કહે જુઓ કેવું વન્ડર છે - હું તમને ભણાવું છું, આ હું કોઈથી ક્યારેય ભણ્યો નથી.
મારા કોઈ બાપ નથી, મારા કોઈ શિક્ષક નથી, ગુરુ નથી. હું સૃષ્ટિ ચક્રમાં પુનર્જન્મ
લેતો નથી છતાં પણ તમને બધાં જન્મોની કહાની સંભળાવું છું. પોતે ૮૪નાં ચક્રમાં નથી
આવતો પરંતુ ચક્રનું જ્ઞાન બિલકુલ એક્યુરેટ આપુ છું.
ઓમ શાંતિ!
રુહાની બાપ આપ
બાળકોને સ્વદર્શન ચક્રધારી બનાવે છે અર્થાત્ તમે આ ૮૪નાં ચક્રને જાણી જાઓ છો. પહેલા
નહોતા જાણતા. હમણાં બાપ દ્વારા તમે જાણ્યું છે. ૮૪ જન્મોનાં ચક્રમાં તમે આવો છો
જરુર. આપ બાળકોને ૮૪ નાં ચક્રનું નોલેજ (જ્ઞાન) આપું છું. હું સ્વદર્શન ચક્રધારી
છું પરંતુ પ્રેકટીકલમાં ૮૪ જન્મોનાં ચક્રમાં આવતો નથી. તો આનાંથી સમજી જવું જોઈએ
શિવ બાપમાં બધું જ્ઞાન છે. તમે જાણો છો આપણે બ્રાહ્મણ હમણાં સ્વદર્શન ચક્રધારી બનીએ
છીએ. બાબા નથી બનતા. પછી એમનામાં અનુભવ ક્યાંથી આવ્યો? આપણને તો અનુભવ પ્રાપ્ત થાય
છે. બાબા ક્યાંથી અનુભવ લાવે છે જે તમને સંભળાવે છે? પ્રેક્ટિકલ અનુભવ હોવો જોઈએ
ને. બાપ કહે છે મને જ્ઞાનનાં સાગર કહે છે પરંતુ હું તો ૮૪ જન્મોનાં ચક્રમાં આવતો નથી.
પછી મારામાં આ જ્ઞાન ક્યાંથી આવ્યું? શિક્ષક ભણાવે છે તો જરુર પોતે ભણેલા છે ને. આ
શિવબાબા કેવી રીતે ભણ્યા? એમને કેવી રીતે ૮૪નાં ચક્રની ખબર પડી, જ્યારે પોતે ૮૪
જન્મોમાં નથી આવતા. બાપ બીજરુપ હોવાનાં કારણે જાણે છે. સ્વયં ૮૪નાં ચક્રમાં નથી આવતા.
પરંતુ તમને બધું સમજાવે છે. આ પણ કેટલું વન્ડર છે. એવું પણ નથી, બાપ કોઈ શાસ્ત્ર
વગેરે ભણેલા છે. કહેવાય છે ડ્રામા અનુસાર એમનામાં નોલેજ નોંધાયેલી છે જે તમને
સંભળાવે છે. તો વન્ડરફુલ શિક્ષક થયા ને. વન્ડર ખાવું જોઈએ ને એટલે એમને મોટા-મોટા
નામ આપ્યા છે. ઈશ્વર, પ્રભુ, અંતર્યામી વગેરે-વગેરે. તમે વન્ડર ખાઓ છો ઈશ્વરમાં કેવી
રીતે બધું નોલેજ ભરેલું છે. એમનાંમાં આવ્યું ક્યાંથી જે તમને સમજાવે છે? એમનાં તો
કોઈ બાપ પણ નથી, જેમનાંથી જન્મ લીધો હોય કે સમજ્યું હોય. તમે બધાં ભાઈ-ભાઈ છો. એ એક
કેવાં તમારા બાપ છે, બીજરુપ છે. કેટલું નોલેજ બેસી બાળકોને સંભળાવે છે. કહે છે ૮૪
જન્મ હું નથી લેતો, તમે લો છો. તો જરુર પ્રશ્ન ઉઠશે ને - બાબા તમને કેવી રીતે ખબર
પડી. બાબા કહે છે - બાળકો, અનાદિ ડ્રામા અનુસાર મારામાં પહેલાથી આ નોલેજ છે, જે તમને
ભણાવું છું એટલે જ મને ઊંચેથી ઊંચા ભગવાન કહેવાય છે. પોતે ચક્રમાં નથી આવતા પરંતુ
એમનામાં આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું નોલેજ છે. આપ બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ.
એમને ૮૪નાં ચક્રનું નોલેજ ક્યાંથી મળ્યુ? તમને તો મળ્યું બાપથી. બાપમાં ઓરીજનલ (અસલી)
નોલેજ છે. એમને કહેવાય જ છે નોલેજફુલ. કોઈથી ભણ્યા પણ નથી. તો પણ એમને ઓરીજનલી ખબર
છે એટલે નોલેજફુલ કહેવાય છે. આ વન્ડર છે ને એટલે ઊંચેથી ઊંચું ભણતર ગવાય છે. બાળકોને
પણ વન્ડર લાગે છે બાપ પર. એમને કેમ નોલેજફુલ કહેવાય છે - એક તો આ સમજવાની વાત છે,
બીજી પછી શું વાત છે? આ ચિત્ર તમે દેખાડો છો તો કોઈ પૂછશે કે બ્રહ્મામાં પણ પોતાની
આત્મા હશે અને આજ નારાયણ બને છે એમનાંમાં પણ પોતાની આત્મા હશે. બે આત્માઓ છે ને. એક
બ્રહ્મા, એક નારાયણની. પરંતુ વિચાર કરશે તો આ કોઈ બે આત્માઓ નથી. આત્મા એક જ છે. આ
એક સેમ્પલ (ઉદાહરણ) દેખાડવામાં આવે છે દેવતાનું. આ બ્રહ્મા સો વિષ્ણુ અર્થાત નારાયણ
બને છે, આને કહેવાય છે ગુહ્ય વાતો. બાપ બહુ જ ગુહ્ય નોલેજ સંભળાવે છે જે બીજા કોઈ
ભણાવી ન શકે સિવાય બાપનાં. તો બ્રહ્મા અને વિષ્ણુની કોઈ બે આત્માઓ નથી. એવી રીતે જ
સરસ્વતી અને લક્ષ્મી - આ બંનેની બે આત્માઓ છે કે એક? આત્મા એક છે, શરીર બે છે. આ
સરસ્વતી જ ફરી લક્ષ્મી બને છે એટલે એક આત્મા ગણાશે. ૮૪ જન્મ એક જ આત્મા લે છે. આ બહુ
જ સમજની વાત છે. બ્રાહ્મણ સો દેવતા, દેવતા સો ક્ષત્રિય બને છે. આત્મા એક શરીર છોડી
બીજું લે છે. આત્મા એક જ છે, એક આ સેમ્પલ દેખાડાય છે - કેવી રીતે બ્રાહ્મણ સો દેવતા
બને છે. હમ સો નો અર્થ કેટલો સરસ છે. આને કહેવાય છે ગુહ્ય-ગુહ્ય વાતો. આમાં પણ
પહેલા-પહેલા તો આ સમજ જોઈએ કે આપણે એક બાપનાં બાળકો છીએ. બધી આત્માઓ અસલમાં પરમધામમાં
રહેવાવાળી છે. અહીંયા પાર્ટ ભજવવા આવી છે. આ ખેલ છે. બાપ તમને આ ખેલનાં સમાચાર બેસી
સંભળાવે છે. બાપ તો ઓરીજનલી જાણે જ છે. એમને કોઈએ શીખવાડયું નથી. આ ૮૪નાં ચક્રને એ
જ જાણે છે જે આ સમયે તમને સંભળાવે છે. ફરી તમે ભૂલી જાઓ છો. પછી એનું શાસ્ત્ર કેવી
રીતે બની શકે. બાપ તો કોઈ શાસ્ત્ર ભણેલા નથી. પછી કેવી રીતે આવી નવી-નવી વાતો
સંભળાવે છે, અડધો કલ્પ છે ભક્તિમાર્ગ. આ વાત પણ શાસ્ત્રોમાં નથી. આ શાસ્ત્ર પણ
ડ્રામા અનુસાર ભક્તિમાર્ગમાં બને છે. તમારી બુદ્ધિમાં શરુથી લઈને અંત સુધી આ
ડ્રામાનું કેટલું ઊંચું નોલેજ છે. એમને જરુર મનુષ્ય તનનો આધાર લેવો પડે. શિવબાબા આ
બ્રહ્મા તનમાં બેસી સૃષ્ટિ ચક્રનું નોલેજ સંભળાવે છે. મનુષ્યએ તો ગપોડા (ગપ્પા) મારી
સૃષ્ટિની આયુ જ કેટલી લાંબી કરી દીધી છે. નવી દુનિયા સો જૂની દુનિયા બને છે. નવી
દુનિયાને કહેવાય છે સ્વર્ગ, જૂની ને કહેવાય છે નર્ક. દુનિયા તો એક જ છે. નવી
દુનિયામાં રહે છે દેવી-દેવતા. ત્યાં અપાર સુખ છે. આખી સૃષ્ટિ નવી હોય છે. હમણાં આને
જૂની કહેવાય છે. નામ જ છે આયરન એજ વર્લ્ડ (કળયુગી દુનિયા). જેમ જૂની દિલ્હી અને નવી
દિલ્હી કહેવાય છે. બાપ સમજાવે છે - મીઠા-મીઠા બાળકો, ન્યુ વર્લ્ડ (નવી દુનિયા) માં
ન્યુ (નવી) દિલ્હી હશે. આતો જૂની દુનિયામાં જ કહી દે છે ન્યુ દિલ્હી. આને ન્યુ (નવી)
કેવી રીતે કહેશો! બાપ સમજાવે છે નવી દુનિયામાં નવી દિલ્હી હશે. તેમાં આ
લક્ષ્મી-નારાયણ રાજ્ય કરશે. તેને કહેવાશે સતયુગ. તમે આ આખા ભારતમાં રાજ્ય કરશો.
તમારી ગાદી જમુનાં કિનારા પર હશે. અંતમાં રાવણ રાજ્ય ની ગાદી પણ અહીંયા જ છે.
રામરાજ્ય ની ગાદી પણ અહીંયા હશે. નામ દિલ્હી નહીં હોય. તેને પરિસ્તાન કહેવાય છે પછી
જે જેવા રાજા હોય છે તે પોતાની ગાદીનું એવું નામ રાખે છે. આ સમયે તમે બધાં જૂની
દુનિયામાં છો. નવી દુનિયામાં જવા માટે તમે ભણી રહ્યા છો. ફરીથી મનુષ્ય થી દેવતા બની
રહ્યા છો. ભણાવાવાળા છે બાપ. તમે જાણો છો ઊંચેથી ઊંચા બાપએ નીચે આવીને રાજયોગ
શીખવાડ્યો છે. હમણાં તમે છો સંગમ પર જ્યારે કળયુગી જૂની દુનિયા ખતમ થવાની છે. બાપએ
આનો હિસાબ પણ બતાવ્યો છે, હું આવું છું બ્રહ્મા તનમાં. મનુષ્યોને તો ખબર જ નથી કે
બ્રહ્મા કયા? સાંભળ્યું છે પ્રજાપિતા બ્રહ્મા. તમે પ્રજા છો ને બ્રહ્માની એટલે
પોતાને બી.કે. કહો છો. હકીકતમાં શિવબાબાનાં બાળકો શિવવંશી છો જ્યારે નિરાકાર આત્માઓ
છો, પછી સાકારમાં પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન છો બીજો કોઈ સંબંધ નથી. આ
સમયે તમે તે કળયુગી સંબંધને ભૂલો છો કારણ કે તેમાં બંધન છે. તમે જાઓ છો નવી દુનિયામાં.
બ્રાહ્મણોની ચોટી હોય છે. ચોટી બ્રાહ્મણોની નિશાની છે. આપ બ્રાહ્મણોનું આ કુળ છે.
તે છે કળયુગી બ્રાહ્મણ. બ્રાહ્મણ મોટા ભાગે પંડા હોય છે. એક ધામા ખાય છે, બીજા
બ્રાહ્મણ ગીતા સંભળાવે છે. હમણાં તમે બ્રાહ્મણ આ ગીતા સંભળાવો છો, તેઓ પણ ગીતા
સંભળાવે છે, તમે પણ ગીતા સંભળાવો છો. ફર્ક જુઓ કેટલો છે. તમે કહો છો કૃષ્ણને ભગવાન
ન કહી શકાય. કૃષ્ણને તો દેવતા કહેવાય છે. એનામાં દૈવી ગુણ છે. તેમને તો આ આંખોથી
જોઈ શકાય છે. શિવનાં મંદિરમાં જોશો શિવને પોતાનું શરીર છે નહીં. એ છે પરમ આત્મા
અર્થાત પરમાત્મા. ઈશ્વર, પ્રભુ, ભગવાન વગેરે અક્ષર નો કોઈ અર્થ નથી નિકળતો. પરમાત્મા
જ સુપ્રીમ આત્મા છે. તમે નોન સુપ્રીમ છો. ફર્ક જુઓ કેટલો છે, તમારી આત્મા અને એ
આત્મામાં. તમે આત્માઓ હમણાં પરમાત્મા થી શીખી રહ્યા છો. એ કોઈથી શીખ્યા નથી. આ તો
ફાધર (પિતા) છે ને. એ પરમપિતા પરમાત્માને તમે ફાધર પણ કહો છો, શિક્ષક પણ કહો છો અને
ગુરુ પણ કહો છો. છે એક જ. બીજી કોઈ પણ આત્મા બાપ, શિક્ષક, ગુરુ નથી બની સકતી. એક જ
પરમાત્મા છે એમને કહેવાય છે સુપ્રીમ. દરેકને પહેલા ફાધર (પિતા) જોઈએ, પછી શિક્ષક
જોઈએ, પછી અંતમાં ગુરુ જોઈએ. બાપ પણ કહે છે - હું તમારો બાપ પણ બનું છું, પછી
શિક્ષક બનું છું અને પછી હું જ તમારો સદ્દ્ગતિ દાતા સદ્દગુરુ પણ બનું છું. સદ્દ્ગતિ
દેવાવાળા ગુરુ છે જ એક. બાકી તો ગુરુ અનેક છે. બાપ કહે છે હું તમને બધાંને સદ્દ્ગતિ
આપું છું, તમે બધાં સતયુગમાં જશો, બાકી બધાં ચાલ્યા જશે શાંતિધામ, જેને પરમધામ કહે
છે. સતયુગમાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. બાકી કોઈ ધર્મ છે નહીં બીજી આત્માઓ
ચાલી જાય છે મુક્તિધામ. સદ્દ્ગતિ કહેવાય છે સતયુગને, પાર્ટ ભજવતા-ભજવતા ફરી
દુર્ગતિમાં આવી જાય છે. તમે જ સદ્દ્ગતિ થી ફરી દુર્ગતિ માં આવો છો. તમે જ પૂરા ૮૪
જન્મ લો છો. યથા રાજા-રાણી તથા પ્રજા જે તે સમયે હશે. ૯ લાખ તો પહેલા આવશે. ૮૪ જન્મ
૯ લાખ તો લેશે ને પછી બીજા આવતા રહેશે - આ હિસાબ કરાય છે. જે બાપ સમજાવે છે. બધાં
૮૪ જન્મ નથી લેતા, પહેલા-પહેલા આવવા વાળા જ ૮૪ જન્મ લે છે પછી ઓછા-ઓછા લેતા જાય છે.
મેક્સિમમ (વધુમાં વધુ) ૮૪, આ જે વાતો છે બીજા કોઈ મનુષ્ય નથી જાણતા. બાપ જ બેસી
સમજાવે છે. ગીતામાં છે ભગવાનુવાચ. હમણાં તમે સમજી ગયા છો - આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ કોઈ કૃષ્ણએ નથી રચ્યો. આ તો બાપ જ સ્થાપન કરે છે. કૃષ્ણની આત્માએ ૮૪ જન્મોનાં
અંતમાં આ જ્ઞાન સાંભળ્યું છે જે પહેલા નંબરમાં આવ્યા. આ વાતો સમજવાની છે. રોજ ભણવાનું
છે તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો ભગવાનનાં. ભગવાનુવાચ છે ને. હું તમને રાજાઓનાં રાજા
બનાવું છું. આ છે જૂની દુનિયા, નવી દુનિયા એટલે સતયુગ. હમણાં છે કળયુગ. બાપ આવીને
કળયુગી પતિતથી સતયુગી પાવન દેવતા બનાવે છે. એટલે કળયુગી મનુષ્ય પોકારે છે - બાબા
આવીને અમને પાવન બનાવો. કળયુગી પતિતથી સતયુગી પાવન બનાવો. ફર્ક જુઓ કેટલો છે.
કળયુગમાં છે અપાર દુઃખ. બાળક જન્મ્યું સુખ થયું, કાલે મરી ગયો - દુઃખી થઈ જશે. આખું
આયુષ્ય કેટલું દુઃખ હોય છે. આ છે જ દુઃખની દુનિયા. હમણાં બાપ સુખની દુનિયા સ્થાપન
કરી રહ્યા છે. તમને સ્વર્ગવાસી દેવતા બનાવે છે. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર
છો. ઉત્તમ થી ઉત્તમ પુરુષ કે નારી બનો છો. તમે આવો જ છો આ લક્ષ્મી-નારાયણ બનવા માટે.
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ટીચર (શિક્ષક) થી યોગ રાખે છે કારણ કે સમજે છે એમનાં દ્વારા
અમે ભણી ફલાણા બનશું. અહીંયા તમે યોગ લગાવો છો પરમપિતા પરમાત્મા શિવ થી, જે તમને
દેવતા બનાવે છે. કહે છે મને પોતાનાં બાપ ને યાદ કરો, જેનાં તમે સાલીગ્રામ બાળકો છો.
સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો તેજ નોલેજફુલ છે. બાપ તમને સાચી ગીતા સંભળાવે છે
પરંતુ સ્વયં ભણેલા નથી. કહે છે હું કોઈનો બાળક નથી, કોઈનાંથી ભણેલો નથી. મારા કોઈ
ગુરુ નથી. હું પછી આપ બાળકોનો બાપ, શિક્ષક, ગુરુ છું. એમને કહેવાય છે પરમ આત્મા. આ
આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતને જાણે છે, જ્યાં સુધી એ ન સંભળાવે, ત્યાં સુધી તમે
આદિ-મધ્ય-અંતને સમજી ન શકો. આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. તમને આ
બાબા નથી ભણાવતા, આમનામાં શિવબાબા પ્રવેશ કરી આત્માઓને ભણાવે છે. આ નવી વાત છે ને.
આ હોય જ છે સંગમ પર. જૂની દુનિયા ખતમ થઇ જશે, કિસકી દબી રહી ધૂલ મેં, કિસકી રાજા
ખાય. બાળકોને કહે છે અનેકોનું કલ્યાણ કરવા માટે, ફરીથી દેવતા બનાવવા માટે પાઠશાળા
મ્યુઝિયમ ખોલો. જ્યાં બહુ જ આવીને સુખનો વારસો પામશે. હમણાં રાવણ રાજ્ય છે ને.
રામરાજ્ય માં હતું સુખ, રાવણ રાજ્યમાં છે દુ:ખ કારણ કે બધાં વિકારી બની ગયા છે. એ
છે જ નિર્વિકારી દુનિયા. બાળકો તો આ લક્ષ્મી-નારાયણ વગેરેને પણ છે ને. પરંતુ ત્યાં
છે યોગબળ. બાપ તમને યોગબળ શીખવાડે છે. યોગબળ થી તમે વિશ્વનાં માલિક બનો છો, બાહુબળ
થી કોઈ વિશ્વનું માલિક બની ન શકે. લો (કાયદો) નથી કહેતો. આપ બાળકો યાદનાં બળથી આખા
વિશ્વની બાદશાહી લઇ રહ્યા છો. કેટલું ઊંચું ભણતર છે. બાપ કહે છે - પહેલા-પહેલા
પવિત્રતાની પ્રતિજ્ઞા કરો. પવિત્ર બનવાથી જ તમે પવિત્ર દુનિયાનાં માલિક બનશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) કળયુગી
સંબંધ જે આ સમયે બંધન છે, એને ભૂલી સ્વયંને સંગમયુગી બ્રાહ્મણ સમજવાનું છે. સાચી
ગીતા સાંભળવી અને સંભળાવાની છે.
2) જૂની દુનિયા ખતમ
થવાની છે એટલે પોતાનું બધું સફળ કરવાનું છે. અનેકોનાં કલ્યાણ માટે, મનુષ્યોને દેવતા
બનાવવા માટે આ પાઠશાળા અથવા મ્યુઝિયમ ખોલવાનાં છે.
વરદાન :-
દ્રઢ સંકલ્પની
તિલીથી આત્મિક બોમ્બની આતિશબાજી સળગાવવા વાળા સદા વિજયી ભવ:
આજકાલ આતિશબાજીમાં
બોમ્બ બનાવે છે પરંતુ તમે દ્રઢ સંકલ્પની તિલી થી આત્મિક બોમ્બની આતિશબાજી પેટાવો
જેનાંથી જૂનું બધું સમાપ્ત થઈ જાય. તે લોકો તો આતિશબાજી માં પૈસા ગુમાવે અને તમે
કમાણી જમા કરો છો. તે આતિશબાજી છે અને તમારી ઉડતી કળાની બાજી છે. આમાં તમે વિજયી બની
જાઓ છો. તો ડબલ ફાયદો લો, પેટાવો પણ, કમાવો પણ - આ વિધિ અપનાવો.
સ્લોગન :-
કોઈ વિશેષ
કાર્યમાં મદદગાર બનવું જ દુઆઓ ની લિફ્ટ લેવું છે.