26-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
નાં મદદગાર બની આ કળયુગી પહાડ ને સતયુગી બનાવવાનો છે , પુરુષાર્થ કરી નવી દુનિયાનાં
માટે ફર્સ્ટક્લાસ સીટ ( જગ્યા ) રિઝર્વ ( આરક્ષિત ) કરાવાની છે ”
પ્રશ્ન :-
બાપ ની ફરજ અદા
શું છે. કઈ ફરજ પૂરી કરવાના માટે સંગમ પર બાપને આવવું પડે છે?
ઉત્તર :-
બીમાર અને
દુઃખી બાળકોને સુખી બનાવવા, માયાનાં ફંદા થી નીકાળી અતિ સુખ આપવું - આ બાપની ફરજ અદા
છે, જે સંગમ પર જ બાપ પૂરી કરે છે. બાબા કહે છે - હું આવ્યો છું તમારા બધાંનું મર્જ
(દુઃખ) મટાડવા, બધાં પર કૃપા કરવાં. હવે પુરુષાર્થ કરી ૨૧ જન્મોનાં માટે પોતાની ઊંચી
તકદીર બનાવી લો.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા...
ઓમ શાંતિ!
ભોળાનાથ શિવ
ભગવાનુવાચ-બ્રહ્મા મુખકમળ થી બાપ કહે છે-આ વિવિધ ભિન્ન-ભિન્ન ધર્મોનું મનુષ્ય સૃષ્ટિ
ઝાડ છે ને. આ કલ્પ વૃક્ષ અથવા સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું રહસ્ય બાળકોને સમજાવી રહ્યો
છું. ગીતમાં પણ એમની મહિમા છે. શિવબાબા નો જન્મ અહીંયા છે, બાપ કહે છે હું આવ્યો
છું ભારતમાં. મનુષ્ય આ નથી જાણતા કે શિવબાબા ક્યારે પધાર્યા હતાં? કારણ કે ગીતામાં
કૃષ્ણનું નામ નાખી દીધું છે. દ્વાપરની તો વાત જ નથી. બાપ સમજાવે છે - બાળકો, ૫ હજાર
વર્ષ પહેલાં પણ મેં આવીને આ જ્ઞાન આપ્યું હતું. આ ઝાડથી બધાંને ખબર પડી જાય છે. ઝાડ
ને સારી રીતે જુઓ. સતયુગ માં બરાબર દેવી-દેવતાઓનું રાજ્ય હતું. ત્રેતામાં રામ-સીતા
નું છે. બાબા આદિ-મધ્ય-અંતનું રહસ્ય બતાવે છે. બાળકો પૂછે છે-બાબા અમે માયાનાં
ફંદામાં ક્યારે ફસાયાં? બાબા કહે છે દ્વાપર થી. નંબરવાર પછી બીજા ધર્મ આવે છે. તો
હિસાબ લગાડવાથી સમજી શકાય છે કે આ દુનિયામાં આપણે ફરીથી ક્યારે આવીશું? શિવબાબા કહે
છે હું ૫ હજાર વર્ષ પછી આવ્યો છું, સંગમ પર પોતાની ફરજ નિભાવવા. બધાં જે પણ મનુષ્ય
માત્ર છે, બધાં દુઃખી છે, એમાં પણ ખાસ ભારતવાસી. ડ્રામા અનુસાર ભારતને જ હું સુખી
બનાવું છું. બાપની ફરજ હોય છે બાળકો બીમાર પડે તો તેમની દવા-દર્મલ કરવી. આ છે બહુજ
મોટી બીમારી. બધી બીમારીઓનું મૂળ આ ૫ વિકાર છે. બાળકો પૂછે છે આ ક્યારથી શરુ થયાં?
દ્વાપર થી. રાવણની વાત સમજાવવાની છે. રાવણને કંઈ જોઈ નથી શકતા. બુદ્ધિથી સમજાય છે.
બાપને પણ બુદ્ધિથી જાણી શકાય છે. આત્મા મન-બુદ્ધિ સહિત છે. આત્મા જાણે છે કે આપણાં
બાપ પરમાત્મા છે. દુઃખ-સુખ, લેપ-છેપ માં આત્મા આવે છે. જ્યારે શરીર છે તો આત્માને
દુઃખ થાય છે. એવું નથી કહેતા કે મુજ પરમાત્મા ને દુઃખી નહિ કરો. બાપ પણ સમજાવે છે
કે મારો પણ પાર્ટ છે, કલ્પ-કલ્પ સંગમ પર આવીને હું પાર્ટ ભજવું છું. જે બાળકોને મેં
સુખમાં મોકલ્યા હતાં, તે દુઃખી બની ગયાં છે એટલે ફરી ડ્રામા અનુસાર મારે આવવું પડે
છે. બાકી કચ્છ-મચ્છ અવતાર આ વાતો છે નહીં. કહે છે પરશુરામે કુહાડી લઈ ક્ષત્રિયોને
માર્યા. તે બધી છે દંતકથાઓ. તો હવે બાપ સમજાવે છે મને યાદ કરો.
આ છે જગતંબા અને જગતપિતા. મધર અને ફાધર કન્ટ્રી કહે છે ને. ભારતવાસી યાદ પણ કરે છે-તુમ
માતા - પિતા…… તમારી કૃપાથી સુખ ઘનેરા તો બરાબર મળી રહ્યા છે. પછી જે જેટલો
પુરુષાર્થ કરશે. જેમ બાયસ્કોપમાં જાય છે, ફર્સ્ટક્લાસનું રિઝર્વેશન કરાવે છે ને.
બાપ પણ કહે છે ભલે સૂર્યવંશી, ભલે ચંદ્રવંશી માં સીટ રિઝર્વ કરાવો. જેટલો જે
પુરુષાર્થ કરે તેટલું પદ પામી શકે છે. તો બધાં મર્જ મટાડવાં બાપ આવ્યા છે. રાવણએ
બધાંને બહુજ દુઃખ આપ્યું છે. કોઈ પણ મનુષ્ય, મનુષ્યની ગતિ-સદ્દગતિ કરી ન શકે. આ છેજ
કળયુગનો અંત. ગુરુ લોકો શરીર છોડે છે ફરી અહીંયા જ પુનર્જન્મ લે છે. તો પછી તેઓ
બીજાની ક્યાં સદ્દગતિ કરશે! શું આટલા બધાં અનેક ગુરુ મળીને પતિત સૃષ્ટિને પાવન
બનાવશે? ગોવર્ધન પર્વત કહે છે ને. આ માતાઓ આ કળયુગી પહાડ ને સતયુગી બનાવે છે.
ગોવર્ધનની પછી પૂજા પણ કરે છે, તે છે તત્વ પૂજા. સન્યાસી પણ બ્રહ્મ અથવા તત્વને યાદ
કરે છે. સમજે છે એજ પરમાત્મા છે, બ્રહ્મ ભગવાન છે. બાપ કહે છે આ તો ભ્રમ છે.
બ્રહ્માંડમાં તો આત્માઓ અંડાની જેમ રહે છે, નિરાકારી ઝાડ પણ દેખાડયું છે. દરેક ને
પોત-પોતાનું સેકશન (વિભાગ) છે. આ ઝાડનું ફાઉન્ડેશન છે-ભારતનો સૂર્યવંશી-ચંદ્રવંશી
વંશ. પછી વૃદ્ધિ થાય છે. મુખ્ય છે ૪ ધર્મ. તો હિસાબ કરવો જોઈએ-કયા-કયા ધર્મ ક્યારે
આવે છે? જેમ ગુરુનાનક ૫૦૦ વર્ષ પહેલાં આવ્યાં. એવું તો નથી શીક્ખ લોકો કોઈ ૮૪ જન્મનો
પાર્ટ ભજવે છે. બાપ કહે છે ૮૪ જન્મ ફક્ત આપ ઓલરાઉન્ડર બ્રાહ્મણોનાં છે. બાબાએ
સમજાવ્યું છે કે તમારો જ ઓલરાઉન્ડર પાર્ટ છે. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય,
શુદ્ર તમે બનો છો. જે પહેલાં દેવી-દેવતા બને છે તેજ આખું ચક્ર લગાવે છે.
બાપ કહે છે તમે વેદ-શાસ્ત્ર તો ઘણા સાંભળ્યાં. હવે આ સાંભળો અને જજ કરો કે શાસ્ત્ર
સાચાં છે કે ગુરુ લોકો સાચાં છે કે જે બાપ સંભળાવે છે તે સાચું છે? બાપને કહે જ છે
સત્ય. હું સત્ય બતાવું છું જેનાંથી સતયુગ બની જાય છે અને દ્વાપરથી લઈને તમે જુઠ્ઠું
સાંભળતા આવ્યા છો તો તેનાથી નર્ક બની ગયું છે.
બાપ કહે છે-હું તમારો ગુલામ છું, ભક્તિમાર્ગ માં તમે ગાતા આવ્યા છો-હું ગુલામ, હું
ગુલામ તારો……..હમણાં હું આપ બાળકોની સેવામાં આવ્યો છું. બાપને નિરાકારી, નિરહંકારી
ગવાય છે. તો બાપ કહે છે મારી ફરજ છે આપ બાળકોને સદા સુખી બનાવવા. ગીત માં પણ છે
અગમ-નિગમનો ભેદ ખોલે…...બાકી ડમરુ વગેરે વગાડવાની કોઈ વાત નથી. આ તો આદિ-મધ્ય-અંતનાં
બધાં સમાચાર સંભળાવે છે. બાબા કહે છે તમે બધાં બાળકો એક્ટર્સ છો, હું આ સમયે
કરનકરાવનહાર છું. હું આમનાં થી (બ્રહ્માથી) સ્થાપના કરાવું છું. બાકી ગીતામાં જે
કાંઈ લખેલું છે, તે તો છે નહિ. હમણાં તો પ્રેક્ટીકલ વાત છે ને. બાળકોને આ સહજ જ્ઞાન
અને સહજ યોગ શીખવાડું છું. યોગ લગાવડાવું છે. કહેવાય છે ને યોગ લગાવડાવાં વાળા, ઝોલી
ભરવાવાળા, મર્જ મટાડવા વાળા….. ગીતાનો પણ પુરો અર્થ સમજાવે છે. યોગ શીખવાડું છે અને
શીખવડાવું પણ છું. બાળકો યોગ શીખીને પછી બીજાને શીખવાડે છે ને. કહે છે યોગથી અમારી
જ્યોત જગાડવાં વાળા…... આવાં ગીત પણ કોઈ ઘરમાં બેસીને સાંભળે તો બધું જ જ્ઞાન
બુદ્ધિમાં ચક્ર લગાવશે. બાપની યાદથી વારસા નો પણ નશો ચઢશે. ફક્ત પરમાત્મા અથવા
ભગવાન કહેવાથી મુખ મીઠુ નથી થતું. બાબા એટલે જ વારસો.
હવે આપ બાળકો બાબાથી આદિ-મધ્ય-અંતનું જ્ઞાન સાંભળીને પછી બીજાને સંભળાવો છો, આને જ
શંખધ્વનિ કહેવાય છે. તમને કોઈ પુસ્તક વગેરે હાથમાં નથી. બાળકોને ફક્ત ધારણા જ કરવાની
હોય છે. તમે છો સાચાં રુહાની બ્રાહ્મણ, રુહાની બાપનાં બાળકો. સાચી ગીતાથી ભારત
સ્વર્ગ બને છે. તે તો ફક્ત કથાઓ બેસીને બનાવી છે. તમે બધી પાર્વતીઓ છો, તમને આ
અમરકથા સંભળાવી રહ્યો છું. તમે બધી દ્રૌપદીઓ છો. ત્યાં કોઈ નગ્ન થતા નથી. કહે છે તો
બાળકો કેવી રીતે પેદા થશે? અરે, છે જ નિર્વિકારી તો વિકારની વાત કેવીરીતે થઈ શકે.
તમે સમજી નહિ શકો કે યોગબળ થી બાળકો કેવી રીતે પેદા થશે! તમે દલીલ કરશો. પરંતુ આ તો
શાસ્ત્રોની વાતો છે ને. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. આ છે વિકારી દુનિયા.
હું જાણું છું ડ્રામા અનુસાર માયા ફરી તમને દુઃખી કરશે. હું કલ્પ-કલ્પ પોતાની ફરજ
પાલન કરવા આવું છું. જાણે છે કલ્પ પહેલાવાળા સિકીલધા જ આવીને પોતાનો વારસો લેશે.
આસાર પણ દેખાડે છે. આ તેજ મહાભારત લડાઈ છે. તમારે ફરીથી દેવી-દેવતા અથવા સ્વર્ગ નાં
માલિક બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આમાં સ્થૂળ લડાઈ ની કોઈ વાત નથી. ન અસુરો અને
દેવતાઓની લડાઈ થઈ છે. ત્યાં તો માયા જ નથી જે લડાવે. અડધો કલ્પ ન કોઈ લડાઈ, ન કોઈ
બીમારી, ન દુ:ખ-અશાંતિ. અરે, ત્યાં તો સદેવ સુખ, વસંત જ વસંત રહે છે. હોસ્પિટલ હોતી
નથી, બાકી સ્કૂલમાં ભણવાનું તો હોય જ છે. હવે તમે દરેક અહીંયાથી વારસો લઈ જાઓ છો.
મનુષ્ય ભણતર થી પોતાનાં પગ ઉપર ઊભા થઈ જાય છે. આનાં ઉપર વાર્તા પણ છે-કોઈએ પૂછ્યું
તમે કોનું ખાઓ છો? તો કહ્યું અમે પોતાની તકદીર નું ખાઈએ છીએ. તે હોય છે હદની તકદીર.
હમણાં તમે પોતાની બેહદની તકદીર બનાવો છો. તમે એવી તકદીર બનાવો છો જે ૨૧ જન્મ પછી
પોતાનું જ રાજ્ય ભાગ્ય ભોગવો છો. આ છે બેહદનાં સુખનો વારસો, હવે આપ બાળકો ભેદ સારી
રીતે જાણો છો, ભારત કેટલું સુખી હતું. હવે શું હાલ છે! જેમણે કલ્પ પહેલાં
રાજ્ય-ભાગ્ય લીધું હશે તેજ હવે લેશે. એવું પણ નથી કે જે ડ્રામામાં હશે તે મળશે, પછી
તો ભૂખે મરી જશે. આ ડ્રામાનું રહસ્ય પૂરું સમજવાનું છે. શાસ્ત્રોમાં કોઈએ કેટલી આયુ,
કોઈએ કેટલી લખી દીધી છે. અનેકાનેક મત-મતાંતર છે. કોઈ પછી કહે છે અમે તો સદા સુખી
છીએ જ. અરે, તમે ક્યારેય બીમાર નથી થતાં? તેઓ તો કહે છે રોગ વગેરે તો શરીરને થાય
છે, આત્મા તો નિર્લેપ છે. અરે માર વગેરે લાગે છે તો દુઃખ આત્માને થાય છે ને-આ ઘણી
સમજવાની વાતો છે. આ સ્કૂલ છે, એક જ શિક્ષક ભણાવે છે. નોલેજ એક જ છે. લક્ષ-હેતુ એક જ
છે, નર થી નારાયણ બનવાનું. જે નપાસ થશે તે ચંદ્રવંશીમાં ચાલ્યા જશે. જ્યારે દેવતાઓ
હતાં તો ક્ષત્રિય નથી,જ્યારે ક્ષત્રિય હતાં તો વૈશ્ય નથી, જ્યારે વૈશ્ય હતાં તો
શુદ્ર નથી. આ બધી સમજવાની વાતો છે. માતાઓને માટે પણ અતિ સહજ છે. એક જ પરીક્ષા છે.
એવું પણ નહીં સમજો કે મોડે થી આવવાં વાળા કેવી રીતે ભણશે. પરંતુ હમણાં તો નવાં આગળ
જઈ રહ્યા છે. પ્રેકટીકલ માં છે. બાકી માયા રાવણનું કોઈ રુપ નથી, કહેશે આમનાંમાં
કામનું ભૂત છે, બાકી રાવણનું કોઈ પૂતળું અથવા શરીર તો છે નહિ.
અચ્છા, બધી વાતો નું સેકરીન (સાર) છે મનમનાભવ. કહે છે મને યાદ કરો તો આ યોગ અગ્નિ
થી વિકર્મ વિનાશ થશે. બાપ ગાઇડ (માર્ગદર્શક) બનીને આવે છે. બાબા કહે છે-બાળકો, હું
તો સમ્મુખ આપ બાળકોને ભણાવી રહ્યો છું. કલ્પ-કલ્પ પોતાની ફરજ-અદા પાલન કરું છું.
પારલૌકિક બાપ કહે છે હું પોતાની ફરજ બજાવવા આવ્યો છું-આપ બાળકોની મદદથી. મદદ આપશો
ત્યારે તો તમે પણ પદ પામશો. હું કેટલો મોટો બાપ છું. કેટલો મોટો યજ્ઞ રચ્યો છે.
બ્રહ્માની મુખ વંશાવલી તમે બધાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ ભાઈ-બહેન છો. જ્યારે ભાઈ-બહેન
બન્યાં તો સ્ત્રી-પુરુષ ની દ્રષ્ટિ બદલાય જાય. બાપ કહે છે આ બ્રાહ્મણ કુળ ને કલંકિત
નહિ કરતાં, પવિત્ર રહેવાની યુક્તિઓ છે. મનુષ્ય કહે છે આ કેવીરીતે થશે? આવું થઇ ન સકે,
ભેગા રહીયે અને આગ ન લાગે! બાબા કહે છે વચમાં જ્ઞાન તલવાર હોવાથી ક્યારેય આગ ન લાગી
સકે, પરંતુ જ્યારે બંને મનમનાભવ રહે, શિવબાબાને યાદ કરતાં રહે, પોતાને બ્રાહ્મણ સમજે.
મનુષ્ય તો આ વાતોને ન સમજવાને કારણે હંગામા મચાવે છે, આ ગાળો પણ ખાવી પડે છે.
કૃષ્ણને થોડી કોઈ ગાળ આપી શકે. કૃષ્ણ આમ આવી જાય તો વિલાયત વગેરેથી એકદમ એરોપ્લેન
માં ભાગીને આવે, ભીડ થઈ જાય. ભારત માં ખબર નહિ શું થઈ જાય.
અચ્છા, આજે ભોગ છે - આ છે પિયર ઘર અને તે છે સાસર ઘર. સંગમ પર મુલાકાત થાય છે.
કોઈ-કોઈ આને જાદુ સમજે છે. બાબાએ સમજાવ્યું છે કે આ સાક્ષાત્કાર શું છે? ભક્તિમાર્ગ
માં કેવીરીતે સાક્ષાત્કાર થાય છે, આમાં સંશયબુદ્ધિ નથી થવાનું. આ રીત-રીવાજ છે.
શિવબાબા નો ભંડારો છે તો એમને યાદ કરી ભોગ લગાવવો જોઈએ. યોગમાં રહેવું તો સારું જ
છે. બાબાની યાદ રહેશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયંને
બ્રહ્મા મુખ વંશાવલી સમજીને પાક્કા પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે. ક્યારેય પોતાનાં આ
બ્રાહ્મણ કુળને કલંકિત નથી કરવાનું.
2. બાપ સમાન નિરાકારી, નિરહંકારી બની પોતાની ફરજ-અદા પૂરી કરવાની છે. રુહાની સેવા
પર તત્પર રહેવાનું છે.
વરદાન :-
સેવાઓની
પ્રવૃત્તિમાં રહેતાં વચ્ચે - વચ્ચે એકાંતવાસી બનવાવાળા અંતર્મુખી ભવ
શાંતિની શક્તિનો
પ્રયોગ કરવાં માટે અંતર્મુખી અને એકાંતવાસી બનવાની આવશ્યકતા છે. ઘણા બાળકો કહે છે
અંતર્મુખી સ્થિતિનો અનુભવ કરવાં અથવા એકાંતવાસી બનવાં માટે સમય જ નથી મળતો કારણકે
સેવાની પ્રવૃત્તિ, વાણીની શક્તિની પ્રવૃત્તિ ખુબ વધી ગઈ છે પરંતુ તેનાં માટે એકસાથે
અડધો કલાક અથવા એક કલાક નીકાળવાની બદલે વચ્ચે-વચ્ચે થોડો સમય પણ નીકાળો તો શક્તિશાળી
સ્થિતિ બની જશે.
સ્લોગન :-
બ્રાહ્મણ
જીવનમાં યુદ્ધ કરવાની બદલે મોજ મનાવો તો મુશ્કિલ પણ સહજ થઇ જશે.