09-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
બાપની પાસે આવ્યા છો પોતાનું સૌભાગ્ય બનાવવા , પરમ સૌભાગ્ય તે બાળકોનું છે - જેમનું
ઈશ્વર બધું જ સ્વીકાર કરે છે”
પ્રશ્ન :-
બાળકોની કઈ એક
ભૂલ થી માયા બહુ જ બળવાન બની જાય છે?
ઉત્તર :-
બાળકો ભોજન
નાં સમયે બાબાને ભૂલી જાય છે, બાબાને ન ખવડાવવાથી માયા ભોજન ખાઈ જાય, જેનાથી તે
બળવાન બની જાય છે, પછી બાળકોને જ હેરાન કરે છે. આ નાની-સી ભૂલ માયાથી હાર ખવડાવી દે
છે એટલે બાપની આજ્ઞા છે - બાળકો, યાદમાં ખાઓ. પાક્કી પ્રતિજ્ઞા કરો - તુમ્હી સે ખાઉ…..
જ્યારે યાદ કરશો ત્યારે એ રાજી થશે.
ગીત :-
આજ નહી તો કલ
બીખરેંગે યહ બાદલ…
ઓમ શાંતિ!
બાળકો સમજે છે
કે અમારા દુર્ભાગ્ય નાં દિવસો બદલાઈને હવે સદા નાં માટે સૌભાગ્ય નાં દિવસ આવી રહ્યા
છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ભાગ્ય બદલાતું જ રહે છે. સ્કૂલમાં પણ ભાગ્ય બદલાતાં
રહે છે ને અર્થાત ઉંચ થતા જાય છે. તમે સારી રીતે જાણો છો-હવે આ રાત ખતમ થવાની છે,
હવે ભાગ્ય બદલાઈ રહ્યું છે. જ્ઞાનની વર્ષા થતી રહે છે. સેન્સિબુલ (સમજદાર) બાળકો
સમજે છે બરાબર દુર્ભાગ્યથી અમે સૌભાગ્યશાળી બની રહ્યા છીએં અર્થાત્ સ્વર્ગ નાં
માલિક બની રહ્યા છીએં. નમ્બરવાર પુરુષાર્થ અનુસાર આપણે આપણું દુર્ભાગ્યથી સૌભાગ્ય
બનાવી રહ્યા છીએં. હવે રાત થી દિવસ થઇ રહ્યો છે. આ આપ બાળકો વગર કોઈને ખબર નથી. બાબા
ગુપ્ત છે તો એમની વાતો પણ ગુપ્ત છે. ભલે મનુષ્યોએ બેસીને સહજ રાજ્યોગ અને સહજ
જ્ઞાનની વાતો શાસ્ત્રોમાં લખી છે પરંતુ જેમણે લખ્યું તે તો મરી ગયા. બાકી જે વાંચે
છે તે કાંઈ સમજી નથી સકતા કારણકે બેસમજ છે. કેટલો ફરક છે. તમે પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર સમજો છો. બધાં એકરસ પુરુષાર્થ નથી કરતા. દુર્ભાગ્ય કોને, સૌભાગ્ય કોને
કહેવાય છે-આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો. બીજા તો બધાં ઘોર અંધારામાં છે. એમને
જગાડવાના છે સમજાવીને. સૌભાગ્યશાળી કહેવાય છે સૂર્યવંશીઓને, ૧૬ કળા સંપૂર્ણ તેઓજ
છે. આપણે બાપથી સ્વર્ગનાં માટે સૌભાગ્ય બનાવી રહ્યા છીએં, જે બાપ સ્વર્ગ રચવાવાળા
છે. અંગ્રેજી જાણવા વાળા ને પણ તમે સમજાવી શકો છો અમે હેવિનલી ગોડ ફાધર દ્વારા
હેવિનનું સૌભાગ્ય બનાવી રહ્યા છીએં. હેવિનમાં છે સુખ, હેલમાં છે દુઃખ. ગોલ્ડન એજ
એટલે સતયુગ સુખ,આઈરન એજ એટલે કળયુગ દુઃખ. બિલકુલ સહજ વાત છે. આપણે હમણાં પુરુષાર્થ
કરી રહ્યા છીએં. અંગ્રેજ, ક્રિશ્ચિયન વગેરે બહુ જ આવશે. બોલો, અમે હવે ફક્ત એક જ
હેવિનલી ગોડ ફાધરને યાદ કરીએ છે કારણ કે મોત સામે ઊભું છે. બાપ કહે છે તમારે મારી
પાસે આવવાનું છે. જેમ તીર્થો પર જાઓ છો ને. બૌદ્ધીયોનું પોતાનું તીર્થ સ્થાન છે,
ક્રિશ્ચિયનનું પોતાનું. દરેક ની રીત-રિવાજ પોતાની હોય છે. આપણી છે બુદ્ધિયોગની વાત.
જ્યાંથી પાર્ટ ભજવવા આવ્યા છીએં, ત્યાં પાછું જવાનું છે. એ છે હેવિન સ્થાપન કરવાવાળા
ગોડફાધર. એમને અમને બતાવ્યું છે અમે તમને પણ સાચો પથ (રસ્તો) બતાવીએ છીએ. બાપ ગોડ
ફાધરને યાદ કરો તો અંત મતી સો ગતિ થઇ જશે. જ્યારે કોઈ બીમાર પડે છે તો તેમને બધાં
જઈને સાવધાન કરે છે કે રામ કહો. બંગાળમાં જ્યારે કોઈ મરવા પર હોય છે તો ગંગા પર લઇ
જાય છે પછી કહે છે હરી બોલો, હરી બોલો…. તો હરી ની પાસે ચાલ્યા જશો. પરંતુ કોઈ જતું
નથી. સતયુગમાં તો કહેશો નહીં કે રામ-રામ કહો કે હરી બોલો કહો. દ્વાપર થી પછી આ ભક્તિ
માર્ગ શરૂ થાય છે. એવું નથી, સતયુગ માં કોઈ ભગવાન કે ગુરૂ ને યાદ કરાય છે. ત્યાં તો
ફક્ત પોતાની આત્માને યાદ કરાય છે, અમે આત્મા એક શરીર છોડી બીજું લેશું. પોતાની
બાદશાહી યાદ આવે છે. સમજે છે અમે બાદશાહીમાં જઈને જન્મ લેશું. આ હવે પાકકો નિશ્ચય
છે, બાદશાહી તો મળવાની જ છે ને. બાકી કોને યાદ કરીશુ અથવા દાન પુણ્ય કરીશું? ત્યાં
કોઇ ગરીબ હોતા જ નથી જેમને બેસી દાન-પુણ્ય કરે. ભક્તિ માર્ગની રીત-રિવાજ અલગ, જ્ઞાન
માર્ગની રીત-રિવાજ અલગ છે. હવે બાપ ને બધું દઈ ૨૧ જન્મનો વારસો લઈ લીધો. બસ, પછી
દાન-પુણ્ય કરવાની દરકાર નથી. ઈશ્વર બાપ ને આપણે બધું આપી દઈએ છે. ઈશ્વર જ સ્વીકાર
કરે છે. સ્વીકાર ન કરે તો પછી આપીએ કેવી રીતે? ન સ્વીકાર કરે તો તે પણ દુર્ભાગ્ય.
સ્વીકાર કરવું પડે છે કેમકે એમનું મમત્વ મટે. આ પણ રહસ્ય આપ બાળકો જાણો છો. જ્યારે
જરૂરત જ નહીં હોય તો સ્વીકાર કેમ કરશે? અહીંયા તો કંઈ ભેગું નથી કરવાનું. અહીંયાથી
તો મમત્વ નિકાળી દેવું પડે છે.
બાબાએ સમજાવ્યું છે - બહાર ક્યાંય જાઓ છો તો સ્વયં ને બહુ જ હલ્કા સમજો. અમે બાપ
નાં બાળકો છીએ, અમે આત્મા રોકેટથી પણ આગળ છીએં. આમ દેહી-અભિમાન થઈ પગપાળા ચાલશો તો
ક્યારેય થાકશો નહીં. દેહનું ભાન નહીં આવશે. જેમ કે આ પગ ચાલતાં નથી. આપણે ઉડતા જઈ
રહ્યા છીએ. પહેલાં તો મનુષ્ય તીર્થ વગેરે પર પગપાળા જતા હતા. તે સમયે મનુષ્યોની
બુદ્ધિ તમોપ્રધાન નહોતી. બહુજ શ્રદ્ધાથી જતા હતા, થાકતા નહોતા. બાબાને યાદ કરવા થી
મદદ તો મળશે ને. ભલે તે પથ્થરની મૂર્તિ છે પરંતુ બાબા તે સમયે અલ્પકાળ નાં માટે
મનોકામના પૂરી કરી દે છે. તે સમયે રજોપ્રધાન યાદ હતી તો તેનાથી પણ બળ મળતું હતું,
થાક નહોતો લાગતો. હવે તો મોટા વ્યક્તિ ઝટ થાકી જાય છે. ગરીબ લોકો બહુજ તીર્થો પર
જાય છે. સાહૂકાર લોકો બહુજ ભભકા થી ઘોડા વગેરે પર જશે. તે ગરીબ તો પગપાળા ચાલી જશે.
ભાવનાનું ભાડું જેટલું ગરીબો ને મળે છે એટલું સાહૂકારોને નથી મળતું. આ સમયે પણ તમે
જાણો છો-બાબા ગરીબ નિવાજ છે પછી મુંજાઓ છો શા માટે? ભૂલી કેમ જાઓ છો? બાબા કહે છે
તમારે કોઈ તકલીફ નથી કરવાની. ફક્ત એક સાજન ને યાદ કરવાનાં છે. તમે બધી સજનીઓં છો તો
સાજન ને યાદ કરવા પડે. એ સાજનને ભોગ લગાવ્યા વગર ખાવામાં લજ્જા નથી આવતી? એ સાજન પણ
છે, બાપ પણ છે. કહે છે મને તમે નહીં ખવડાવો! તમારે તો મને ખવડાવવું જોઈએ ને! જુઓ
બાબા યુક્તિઓ બતાવે છે. તમે બાપ અથવા સાજન માનો છો ને. જે ખવડાવે છે, પહેલાં તો એમને
ખવડાવવું જોઈએ. બાબા કહે છે મને ભોગ લગાવી, મારી યાદમાં ખાઓ. આમાં બહુ જ મહેનત છે.
બાબા વારં-વાર સમજાવે છે, બાબાને યાદ જરૂર કરવાનાં છે. બાબા સ્વયં પણ વારં-વાર
પુરુષાર્થ કરતા રહે છે. તમારે કુમારીઓ માટે તો બહુજ સહજ છે. તમે સીડી ચઢ્યા જ નથી.
કન્યાની તો સાજનની સાથે સગાઈ થાય જ છે. તો આવા સાજન ને યાદ કરી ભોજન ખાવું જોઈએ.
એમને આપણે યાદ કરીએ છીએ અને એ આપણી પાસે આવી જાય છે. યાદ કરીશું તો ભાસના લેશે. તો
આવી-આવી વાતો કરવી જોઈએ બાબાની સાથે. તમારી આ પ્રેક્ટિસ (અભ્યાસ) થશે રાતનાં જાગવાથી.
અભ્યાસ થઈ જશે તો પછી દિવસમાં પણ યાદ રહેશે. ભોજન પર પણ યાદ કરવા જોઈએ. સાજનની સાથે
તમારી સગાઈ થઈ છે. તુમ્હી સે ખાઉ ….. આ પાક્કી પ્રતિજ્ઞા કરવાની છે. જ્યારે યાદ કરશો
ત્યારે તો તે ખાશે ને. એમને તો ભાસના જ મળવાની છે કારણકે એમને પોતાનું શરીર તો નથી.
કુમારીઓ માટે તો બહુજ સહજ છે, તેમને વધારે ફેસેલીટી (સહુલિયત) છે. શિવબાબા આપણા
સલોના સાજન કેટલા મીઠા છે. અડધો કલ્પ અમે તમને યાદ કર્યા છે, હવે તમે આવીને મળ્યા
છો! અમે જે ખાઈએ છીએ, તમે પણ ખાઓ. એવું નહીં, એકવાર યાદ કર્યા બસ, પછી તમે પોતે જ
ખાતા રહો. એમને ખવડાવવાનું ભૂલી જાઓ. એમને ભુલવાથી એમને મળશે નહીં. ચીજો તો બહુજ
ખાઓ છો, ખિચડી ખાશો, કેરી ખાશો, મિઠાઇ ખાશો….. એવું થોડુંજ કે શરૂઆત માં યાદ કર્યા,
ખલાસ પછી બીજી ચીજો તે કેવી રીતે ખાશે. સાજન નહીં ખાશે તો માયા વચ્ચે ખાઇ જશે, એમને
ખાવા નહીં દે. અમે જોઈએ છે માયા ખાઈ જાય છે તો તે બળવાન બની જાય છે અને તમને હરાવતી
રહે છે. બાબા યુક્તિયો બહુજ બતાવે છે. બાબાને યાદ કરો તો બાપ અથવા સાજન બહુ જ રાજી
થશે. કહો છો બાબા તુમ્હી સે બૈઠું, તુમ્હી સે ખાઉ. અમે તમને યાદ કરી ખાઈએ છીએં.
જ્ઞાન થી જાણીએ છીએં તમે તો ભાસના જ લેશો. આ તો લોન(ઉધાર) નું શરીર છે. યાદ કરવાથી
એ આવે છે. આખો આધાર તમારી યાદ પર છે. આને યોગ કહેવાય છે. યોગમાં મહેનત છે.
સન્યાસી-ઉદાસી એવું ક્યારેય નહીં કહેશે. તમારે જો પુરુષાર્થ કરવો છે તો બાબાની
શ્રીમતની નોંધ કરો. પૂરો પુરુષાર્થ કરો. બાબા પોતાનો અનુભવ બતાવે છે-કહે છે જેવાં
કર્મ હું કરું છું, તમે પણ કરો. તેજ કર્મ હું તમને શીખવાડું છું. બાબાએ તો કર્મ નથી
કરવાના. સતયુગમાં કર્મ કુટતા નથી. બાબા બહુજ સહજ વાતો બતાવે છે. તુમ્હી સે બૈઠું ,
સુનું , તુમ્હી સે ખાઉ …... આ તમારું જ ગાયન છે. સાજન નાં રૂપમાં કે બાપ નાં રૂપમાં
યાદ કરો. ગવાયેલ છે ને-વિચાર સાગર મંથન કરી જ્ઞાનની પોઇન્ટ નિકાળે છે. આ પ્રેક્ટિસથી
વિકર્મ પણ વિનાશ થશે, તંદુરસ્ત પણ બનશો. જે પુરુષાર્થ કરશે એમને ફાયદો થશે, જે નહીં
કરશે એમને નુકસાન થશે. આખી દુનિયા તો સ્વર્ગ ની માલિક નથી બનતી. આ પણ હિસાબ-કિતાબ
છે.
બાબા બહુજ સારી રીતે સમજાવે છે. ગીત તો સાંભળ્યું બરાબર આપણે યાત્રા પર ચાલી રહ્યા
છીએં. યાત્રા પર ભોજન વગેરે તો ખાવું જ પડે છે, સજની સાજનની સાથે, બાળકો બાપની સાથે
ખાશે. અહીંયા પણ આવું છે. તમારી સાજનની સાથે જેટલી લગન હશે એટલી ખુશી નો પારો ચઢશે.
નિશ્ચયબુદ્ધિ વિજયન્તી થતાં જશે. યોગ એટલે દૌડ. આ બુદ્ધિયોગની દૌડ છે. આપણે
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએં, શિક્ષક આપણને દોડવાનું શીખવાડે છે. બાપ કહે છે એવું નહીં
સમજો કે દિવસનાં ફક્ત કર્મ જ કરવાના છે. કાચબાની જેમ કર્મ કરી પછી યાદમાં બેસી જાઓ.
ભ્રમરી આખો દિવસ ભૂ-ભૂ કરે છે. પછી કોઈ ઉડી જાય, કોઈ મરી જાય, તે તો એક ઉદાહરણ છે.
અહીંયા તમે ભૂ-ભૂ કરી આપ સમાન બનાવો છો. એમાં કોઈનો તો બહુ જ પ્રેમ હોય છે. કોઈ સડી
જાય છે, કોઈ અધૂરા રહી જાય છે, ભાગન્તી થઈ જાય છે પછી જઈને કીડા બને છે. તો આ ભૂ-ભૂ
કરવું બહુજ સહજ છે. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર… હમણાં આપણે યોગ લગાવી
રહ્યા છીએં, દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએં. આ જ્ઞાન ગીતામાં હતું. એ
મનુષ્ય થી દેવતા બનાવીને ગયા હતા. સતયુગમાં તો બધા દેવતાઓ હતા. જરૂર એમને સંગમયુગ
પર જ આવીને દેવતા બનાવ્યા હશે. ત્યાં તો દેવતા બનવાનો યોગ નહી શીખવાડશે. સતયુગ આદિમાં
દેવી-દેવતા ધર્મ હતો અને કળયુગ અંતમાં છે આસુરી ધર્મ. આ વાત ફક્ત ગીતામાં જ લખેલી
છે. મનુષ્યને દેવતા બનવામાં વાર નથી લાગતી કારણકે લક્ષ-હેતુ બતાવી દે છે. ત્યાં આખી
દુનિયામાં એક જ ધર્મ હશે. દુનિયા તો આખી હશે ને. એવું નથી, ચીન, યુરોપ નહિ હશે, હશે
પરંતુ ત્યાં મનુષ્ય નહિ હશે. ફક્ત દેવતા ધર્મવાળા હશે, બીજા ધર્મવાળા હોતાં નથી.
હમણાં છે કળયુગ. આપણે ભગવાન દ્વારા મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએં. બાપ કહે છે તમે
૨૧ જન્મ સદા સુખી બનશો. આમાં તકલીફ ની કોઈ વાત જ નથી. ભક્તિ માર્ગમાં ભગવાન ની પાસે
જવા માટે કેટલી મહેનત કરી છે. કહે છે પાર નિર્વાણ ગયા. એવું ક્યારેય નહીં કહેશે કે
ભગવાનની પાસે ગયા. કહેશે સ્વર્ગ ગયા. એકનાં જવાથી તો સ્વર્ગ નહીં બનશે. બધાંને જવાનું
છે. ગીતા માં લખેલું છે ભગવાન કાળોનાં કાળ છે. મચ્છરો ની જેમ બધાંને પાછાં લઈ જાય
છે. બુદ્ધિ પણ કહે છે ચક્ર રીપીટ થવાનું છે. તો પહેલા-પહેલા જરૂર સતયુગી દેવી-દેવતા
ધર્મ રિપીટ થશે. પછી અંતમાં બીજા ધર્મ રિપીટ થશે. બાબા કેટલું સહજ બતાવે છે-મનમનાભવ.
બસ, ૫ હજાર વર્ષ પહેલા પણ ગીતા નાં ભગવાન એ કહ્યું હતું લાડલા બાળકો. જો કૃષ્ણ કહેશે
તો બીજા ધર્મવાળા કોઈ સાંભળી ન શકે. ભગવાન કહેશે તો બધાંને લાગશે-ગોડ ફાધર હેવિન
સ્થાપિત કરે છે જેમાં પછી આપણે જઈ ચક્રવર્તી રાજા બનીશું. આમાં કોઈ ખર્ચ વગેરે ની
વાત નથી ફક્ત સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંતને જાણવાનું છે.
આપ બાળકોએ વિચાર સાગર મંથન કરવાનું છે. કર્મ કરતા દિવસ-રાત આવો પુરુષાર્થ કરતા રહો.
વિચાર સાગર મંથન નહીં કરશો કે બાપને યાદ નહીં કરશો, ફક્ત કર્મ કરતા રહેશો તો રાતનાં
પણ તે જ ખ્યાલાત ચાલતા રહેશે. મકાન બનાવવા વાળાને મકાન નાં જ ખ્યાલ ચાલશે. ભલે
વિચાર સાગર મંથન કરવાની રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) આમનાં પર છે પરંતુ કહે છે કળશ
લક્ષ્મીને આપ્યો તો તમે લક્ષ્મી બનો છો ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) શ્રીમત ની
નોંધ કરી પુરુષાર્થ કરવાનો છે. બાપએ જે કર્મ કરીને શીખવાડ્યું છે, તેજ કરવાનું છે.
વિચાર સાગર મંથન કરી જ્ઞાનની પોઇન્ટસ (મુદ્દાઓ) નિકાળવાની છે.
૨) સ્વયં સ્વયંથી
પ્રતિજ્ઞા કરવાની છે કે અમે બાપની યાદમાં જ ભોજન ખાઈશું. તુમ્હી સે બૈઠું, તુમ્હી
સે ખાઉ….. આ વાયદો પાક્કો નિભાવવાનો છે.
વરદાન :-
પોતાના શુભ -
ચિંતન ની શક્તિ થી આત્માઓ ને ચિંતા મુક્ત બનાવવા વાળા શુભચિંતક મણી ભવ
આજ નાં વિશ્વમાં બધી
આત્માઓ ચિંતામણી છે. તે ચિંતા મણીઓને તમે શુભચિંતક મણિયો પોતાનાં શુભ-ચિંતનની શક્તિ
દ્વારા પરિવર્તન કરી શકો છો. જેમ સૂર્યની કિરણો દૂર-દૂર સુધી અંધકાર ને મટાવે છે એવી
રીતે આપ શુભચિંતક મણીયોની શુભ સંકલ્પ રુપી ચમક કે કિરણો વિશ્વમાં ચારેય તરફ ફેલાય
રહી છે, એટલે સમજે છે કે કોઈ સ્પ્રિચુઅલ (આધ્યાત્મિક) લાઈટ ગુપ્ત રૂપમાં પોતાનું
કાર્ય કરી રહી છે. આ ટચિંગ (અનુભવ) હમણાં શરૂ થઈ છે, છેલ્લે શોધતાં-શોધતાં સ્થાન પર
પહોંચી જશે.
સ્લોગન :-
બાપદાદા નાં
ડાયરેક્શન ને ક્લિયર (સ્પષ્ટ) કૈચ (પકડવાં) કરવા માટે મન-બુદ્ધિની લાઈન ક્લિયર (સ્પષ્ટ)
રાખો.