26-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - ડ્રામાની શ્રેષ્ઠ નોલેજ આપ બાળકોની પાસે જ છે, તમે જા ણો છો આ ડ્રામા હૂબહૂ પુનરાવૃત્તિ થાય છે”

પ્રશ્ન :-
પ્રવૃત્તિ વાળા બાબા થી કયો સવાલ પૂછે છે, બાબા તમને કઈ સલાહ આપે છે?

ઉત્તર :-
ઘણા બાળકો પૂછે છે - બાબા અમે ધંધો કરીએ? બાબા કહે છે - બાળકો, ધંધો ભલે કરો પરંતુ રોયલ ધંધો કરો. બ્રાહ્મણ બાળકો છી-છી ધંધો, દારુ, સિગરેટ, બીડી વગેરે નો નથી કરી શકતા કારણ કે તેનાથી વધારે જ વિકારોની ખેંચ થાય છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવી રહ્યા છે. હવે એક છે રુહાની બાપની શ્રીમત, બીજી છે રાવણની આસુરી મત. આસુરી મત બાપ ની નહીં કહેવાશે. રાવણને બાપ તો નહીં કહેશો ને. તે છે રાવણની આસુરી મત. હમણાં આપ બાળકોને મળી રહી છે ઈશ્વરીય મત. કેટલો રાત-દિવસનો ફરક છે. બુદ્ધિ માં આવે છે ઇશ્વરીય મત થી દૈવી ગુણ ધારણ કરતા આવ્યા છીએ. આ ફક્ત આપ બાળકો જ બાપ દ્વારા સાંભળો છો બીજા કોઇને ખબર નથી પડતી. બાપ મળે જ છે સંપત્તિને માટે. રાવણથી તો વધારે જ સંપત્તિ ઓછી થતી જાય છે. ઈશ્વરીય મત ક્યાં લઈ જાય છે અને આસુરી મત ક્યાં લઈ જાય છે, આ તમે જ જાણો છો. આસુરી મત જ્યારથી મળે છે, તમે નીચે ઉતરતા જ આવ્યા છો. નવી દુનિયા માં થોડા-થોડા જ ઉતરો છો. ઉતરવાનું કેવી રીતે હોય છે, પછી ચઢવાનું કેવી રીતે હોય છે - આ પણ આપ બાળકો સમજી ગયા છો. હમણાં શ્રીમત આપ બાળકોને મળે છે ફરીથી શ્રેષ્ઠ બનવા માટે. તમે અહીં આવ્યા જ છો શ્રેષ્ઠ બનવા માટે. તમે જાણો છો - આપણે ફરી શ્રેષ્ઠ મત કેવી રીતે પામશું. અનેકવાર તમેં શ્રેષ્ઠ મત થી ઊંચ પદ પામ્યા છો ફરી પુનર્જન્મ લેતા-લેતા નીચે ઉતરતા આવ્યા છો. પછી એકજ વાર ચઢો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો હોય જ છે. બાપ સમજાવે છે, સમય લાગે છે. પુરુષોત્તમ સંગમયુગ નો પણ સમય છે ને, પૂરો એક્યુરેટ. ડ્રામા એક્યુરેટ ચાલે છે અને બહુજ વન્ડરફુલ છે. બાળકોને સમજ માં બહુ સહજ આવે છે - બાપ ને યાદ કરવાનાં છે અને વારસો લેવાનો છે. બસ. પરંતુ પુરુષાર્થ કરે છે તો ઘણાને મુશ્કેલ પણ લાગે છે. આટલું ઊંચ થી ઊંચ પદ પામવું કંઈ સહજ થોડી થઈ શકે છે. બહુજ સહજ બાપની યાદ અને સહજ વારસો બાપનો છે. સેકન્ડ ની વાત છે. પછી પુરુષાર્થ કરવા લાગે છે તો માયાનાં વિઘ્ન પણ પડે છે. રાવણ પર જીત પામવાની હોય છે. આખી સૃષ્ટિ પર રાવણનું રાજ્ય છે. હમણાં તમે સમજો છો આપણે યોગબળ થી રાવણ પર દરેક કલ્પ જીત પામતાં આવ્યાં છીએ. હમણાં પણ પામી રહ્યા છીએ. શિખવાડવા વાળા બાપ છે બેહદ ના બાપ.ભક્તિમાર્ગમાં પણ તમે બાબા-બાબા કહેતા આવ્યા છો. પરંતુ પહેલાં બાપ ને નહોતા જાણતા. આત્માને જાણતા હતાં. કહેતાં હતાં ચમકે છે ભ્રુકુટી ની મધ્યમાં અજબ તારો……. આત્મા ને જાણતા હોવા છતાં પણ બાપ ને નહોતા જાણતા. કેવો વિચિત્ર ડ્રામા છે. કહેતા પણ હતા - હેં પરમપિતા પરમાત્મા,યાદ કરતા હતાં, તો પણ જાણતા નહોતા. ન આત્માનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને, ન પરમાત્માનાં કર્તવ્ય ને પૂરું જાણતા હતા. બાપ જ સ્વયં આવીને સમજાવે છે. બાપ વગર ક્યારે કોઈ રીયલાયઝ કરાવી ન શકે. કોઈનો પાર્ટ જ નથી. ગાયન પણ છે ઇશ્વરીય સંપ્રદાય, આસુરી સંપ્રદાય અને દેવી સંપ્રદાય. છે બહુજ સહજ. પરંતુ આ વાતો યાદ રહે - આમાં જ માયા વિઘ્ન નાંખે છે. ભુલાવી દે છે. બાપ કહે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ કરતાં-કરતાં જ્યારે ડ્રામાનો અંત થશે અર્થાત જૂની દુનિયાનો અંત થશે ત્યારે નંબરવાર પુરુષાર્થ અનુસાર રાજધાની સ્થાપન થઇ જ જશે .શાસ્ત્રો થી આવી વાત કોઈ સમજી ન શકે. ગીતા વગેરે તો આમને પણ બહુજ વાંચી છે ને. હવે બાપ કહે છે આનું કોઈ મુલ્ય નથી .પરંતુ ભક્તિમાં કનરસ બહુજ મળે છે એટલે છોડતા નથી.

તમે જાણો છો આખો આધાર પુરુષાર્થ પર છે. ધંધો વગેરે પણ કોઈનો રોયલ હોય છે, કોઈનો છી-છી ધંધો હોય છે. દારુ, બીડી, સિગારેટ વગેરે વેચે છે - આ ધંધો તો બહુ જ ખરાબ છે. દારુ બધા વિકારોને ખેંચે છે. કોઈ ને દારુડિયો બનાવવો - આ ધંધો સારો નથી. બાપ સલાહ આપશે યુક્તિ થી આ ધંધો બદલી નાખો. નહીં તો ઉંચું પદ પામી નહીં શકશો. બાપ સમજાવે છે આ બધા ધંધામાં છે નુકસાન, વગર અવિનાશી જ્ઞાનરત્નો નાં ધંધાનાં. ભલે ઝવેરાત નો ધંધો કરતા હતા પરંતુ ફાયદો તો નહી થયો ને. કરીને લખપતિ બન્યા. આ ધંધાથી શું બનો છો? બાબા પત્રોમાં પણ હંમેશા લખે છે પદ્માપદમ ભાગ્યશાળી. તે પણ ૨૧ જન્મોના માટે. તમે પણ સમજો છો બાબા કહે બિલકુલ ઠીક છે. હમ સો આ દેવી-દેવતા હતા, પછી ચક્ર લગાવતા-લગાવતા નીચે આવ્યા છે. સૃષ્ટિ ના આદિ-મધ્ય-અંત ને પણ જાણી ગયા છો. નોલેજ તો બાપ દ્વારા મળ્યું છે પરંતુ પછી દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. સ્વયંની તપાસ કરવાની છે - આપણામાં કોઇ આસુરી ગુણ તો નથી ને? આ બાબા પણ જાણે છે મેં સ્વયંનું આ શરીરરુપી મકાન ભાડા પર આપ્યું છે. આ મકાન છે ને. આમાં આત્મા રહે છે. મને બહુજ નશો રહે છે - ભગવાનને મેં ભાડા પર મકાન આપ્યું છે! ડ્રામા પ્લાન અનુસાર બીજુ કોઈ મકાન એમને લેવાનું જ નથી. કલ્પ-કલ્પ આ મકાન જ લેવું પડે છે. તેમને તો ખુશી થાય છે ને. પરંતુ પછી ધમાલ પણ કેટલી થઈ. આ બાબા હસી-મજાક માં ક્યારેક બાબા ને કહે છે - બાબા, તમારો રથ બન્યો તો મારે આટલી ગાળો ખાવી પડે છે.બાપ કહે છે સૌથી વધારે ગાળો મને મળી છે. હવે તારી વારી છે. બ્રહ્મા ને ક્યારેય ગાળો મળી નથી. હવે વારો આવ્યો છે. રથ આપ્યો છે આ તો સમજો છો ને તો જરુર બાપ થી મદદ પણ મળશે. છતાં પણ બાબા કહે છે બાપને નિરંતર યાદ કરવું, આમાં આપ બાળકો આમનાથી પણ વધારે આગળ જઇ શકો છો કારણકે આમનાં ઉપર તો જવાબદારી બહુજ છે. ભલે ડ્રામા કહી ને છોડી દે છે તો પણ કંઈક શરમ જરુર આવે છે. આ બિચારા ઘણી સારી સેવા કરતા હતા. આ સંગદોષ માં ખરાબ થઈ ગયા. કેટલી ડિસસર્વિસ થાય છે. એવા-એવા કાર્ય કરે છે શરમ આવી જાય છે. તે સમયે એ નથી સમજતાં કે આ પણ ડ્રામા બનેલો છે. આ પછી પાછળ થી ખ્યાલ આવે છે. આ તો ડ્રામા માં નોંધ છે ને. માયા અવસ્થાને બગાડી દે છે તો બહુજ ડિસસર્વિસ થઈ જાય છે. કેટલી અબળાઓ વગેરે પર અત્યાચાર થઇ જાય છે. અહી તો સ્વયંના બાળકો જ કેટલી ડિસસર્વિસ કરે છે. ઉલટું-સુલટુ બોલવા લાગી જાય છે.

હમણાં આપ બાળકો જાણો છો બાપ શું સંભળાવે છે? કોઈ શાસ્ત્ર વગેરે નથી સંભળાવતા. હમણાં આપણે શ્રીમત પર કેટલા શ્રેષ્ઠ બનીએ છીએ. આસુરી મતથી કેટલા ભ્રષ્ટ બન્યા છીએ. સમય લાગે છે ને. માયાનું યુદ્ધ ચાલતું રહેશે. હમણાં તમારી વિજય તો જરુર થવાની છે. તમે સમજો છો શાંતિધામ સુખધામ પર આપણી વિજય છે જ. કલ્પ-કલ્પ આપણે વિજય પામતા આવ્યા છીએ. આ પુરુષોત્તમ સંગમયુગ પર જ સ્થાપના અને વિનાશ થાય છે. આ બધો વિસ્તાર આપ બાળકોની બુદ્ધિમાં છે. બરાબર બાપ આપણા દ્વારા સ્થાપના કરાવી રહ્યા છે. ફરી આપણે જ રાજ્ય કરીશું. બાબાને ધન્યવાદ પણ નહિ આપશું. બાપ કહે છે આ પણ ડ્રામા માં નોંધ છે. હું પણ ડ્રામાની અંદર પાર્ટધારી છું. ડ્રામામાં બધાનો પાર્ટ નોંધાયેલો છે. શિવબાબા નો પણ પાર્ટ છે. આપણો પણ પાર્ટ છે. ધન્યવાદ આપવાની વાત નથી. શિવબાબા કહે છે હું તમને શ્રીમત આપી રસ્તો બતાવું છું બીજું કોઈ બતાવી ન શકે. જે પણ આવે બોલો સતોપ્રધાન નવી દુનિયા સ્વર્ગ હતી ને. આ જૂની દુનિયાને તમોપ્રધાન કહેવાય છે. ફરી સતોપ્રધાન બનવાનાં માટે દૈવીગુણ ધારણ કરવાના છે. બાપ ને યાદ કરવાનાં છે. મંત્ર જ આ છે મનમનાભવ, મધ્યાજી ભવ. બસ, આ પણ બતાવે છે હું સુપ્રીમ ગુરુ છું.

આપ બાળકો હમણાં યાદની યાત્રાથી આખી સૃષ્ટિને સદ્દગતિ માં પહોંચાડો છો. જગતગુરુ એક શિવબાબા છે જે તમને પણ શ્રીમત આપે છે. તમે જાણો છો દર ૫ હજાર વર્ષ પછી આપણને શ્રીમત મળી છે. ચક્ર ફરતું રહે છે. આજે જૂની દુનિયા છે, કાલે નવી દુનિયા હશે. આ ચક્રને સમજવું પણ બહુજ સહજ છે. પરંતુ આ પણ યાદ રહે જે કોઈ ને સમજાવી શકીએ. આ પણ ભૂલી જાય છે. કોઈ નીચે પડે છે તો પછી જ્ઞાન વગેરે બધું ખતમ થઈ જાય છે. કળા-કાયા માયા લઈ લે છે. બધી કળા નીકાળીને કળારહિત કરી દે છે. વિકારમાં એવા ફસાઈ જાય છે, વાત નહીં પૂછો. હમણાં તમને આખું ચક્ર યાદ છે. તમે જન્મ-જન્માંતર વેશ્યાલયમાં રહ્યાં છો. હજારો પાપ કરતા આવ્યા છો. બધા ની આગળ કહો છો - જન્મ-જન્મ નાં અમે પાપી છીએ. આપણે જ પહેલા પુણ્ય આત્મા હતા, પછી પાપ આત્મા બન્યાં. હવે ફરી પુણ્ય આત્મા બનીએ છીએ. આ આપ બાળકોને નોલેજ મળી રહ્યું છે. પછી તમે બીજાઓને દઈ આપસમાન બનાવો છો. ગૃહસ્થ વ્યવહારમાં રહેવાથી ફર્ક તો રહે છે ને. તેઓ એટલું નથી સમજાવી સકતા જેટલું તમે. પરંતુ બધા તો નથી છોડી સકતા. બાપ સ્વયં કહે છે - ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન બનવાનું છે. બધાં છોડીને આવે તો આટલા બધા બેસશે ક્યાં. બાપ નોલેજફૂલ છે. એ કોઈપણ શાસ્ત્ર વગેરે વાંચતા નથી. આમણે શાસ્ત્ર વગેરે વાંચતા હતાં. મારે માટે તો કહે છે ગોડફાધર ઈઝ નોલેજફુલ. મનુષ્ય આ પણ જાણતા નથી કે બાપમાં શું નોલેજ છે. હમણાં તમને આખી સૃષ્ટિના આદિ, મધ્ય, અંત નું નોલેજ છે. તમે જાણો છો આ ભક્તિમાર્ગના શાસ્ત્ર પણ અનાદિ છે. ભક્તિમાર્ગમાં આ શાસ્ત્ર પણ જરુર નીકળે છે. કહે છે પહાડ તૂટી ગયો, ફરી બનશે કેવી રીતે! પરંતુ આ ડ્રામા છે ને. શાસ્ત્ર વગેરે આ બધું ખતમ થઈ જાય છે, પછી પોતાના સમય પર તે જ બને છે. આપણે પહેલા-પહેલા શિવની પૂજા કરીએ છીએ - આ પણ શાસ્ત્રમાં હશે ને. શિવની ભક્તિ કેવી રીતે કરાય છે. કેટલા શ્લોક વગેરે ગાએ છે. તમે ફક્ત યાદ કરો છો - શિવબાબા જ્ઞાન નાં સાગર છે. એ હમણાં આપણને જ્ઞાન આપી રહ્યા છે. બાપ એ તમને સમજાવ્યું છે - આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. શાસ્ત્રમાં આટલા લાંબા-ચોડા ગપોડા લગાવી દીધા છે, જે ક્યારેય સ્મૃતિ માં આવી પણ ન શકે. તો બાળકોને અંદર કેટલી ખુશી હોવી જોઈએ - બેહદ નાં બાપ આપણને ભણાવે છે! ગવાય પણ છે વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ જીવન છે. ભગવાનુવાચ - હું તમને આ રાજાઓનાં રાજા બનાવું છું. બીજા કોઈ શાસ્ત્રોમાં આ વાતો છે નહી. ઉંચે થી ઉંચી પ્રાપ્તિ છે જ આ. હકીકતમાં ગુરુ તો એક જ છે જે સર્વ ની સદ્દગતિ કરે છે. ભલે સ્થાપના કરવાવાળા ને પણ ગુરુ કહી શકાય છે, પરંતુ ગુરુ તે જે સદ્દગતિ આપે. આ તો પોતાની પાછળ બધાને પાર્ટમાં લઈ આવે છે. પાછા લઈ જવા માટે રસ્તો તો બતાવતા નથી. જાન તો શિવની જ ગાયેલી છે, બીજા કોઈ ગુરુ ની નહીં. મનુષ્ય એ પછી શિવ અને શંકરને ભેગા કરી દીધા છે. ક્યાં તે સૂક્ષ્મવતન-વાસી, ક્યાં એ મૂળવતન વાસી. બંને એક હોઈ કેવી રીતે શકે. આ ભક્તિમાર્ગમાં લખી દીધું છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણે બાળકો થયાં ને. બ્રહ્મા પર પણ તમે સમજાવી શકો છો. આમને એડોપ્ટ (દત્તક) કર્યા તો આ શિવબાબા નાં બાળક થયા ને. ઊંચે થી ઊંચા છે બાપ. બાકી આ છે એમની રચના. કેટલી આ સમજવાની વાત છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) અવિનાશી જ્ઞાન રત્નોનો ધંધો કરી ૨૧ જન્મો નાં માટે પદ્માપદમ ભાગ્યશાળી બનવાનું છે. સ્વયંની તપાસ કરવાની છે - અમારામાં કોઇ આસુરી ગુણ તો નથી? અમે એવો કોઈ ધંધો તો નથી કરતા જેનાથી વિકારોની ઉત્પત્તિ થાય?

2) યાદની યાત્રામાં રહી આખી સૃષ્ટિ ને સદ્દગતિમાં પહોંચાડવાની છે. એક સદ્દગુરુ બાપની શ્રીમત પર ચાલી આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. ધ્યાન રહે - માયા ક્યારે કળારહિત ન બનાવી દે.

વરદાન :-
શુભ ભાવના, શુભકામના નાં સહયોગ થી આત્માઓને પરિવર્તન કરવાવાળા સફળતા સંપન્ન ભવ .

જ્યારે કોઈ પણ કાર્યમાં સર્વ બ્રાહ્મણ બાળકો સંગઠિત રુપમાં સ્વયં નાં મનની શુભ ભાવનાઓ અને શુભકામનાઓ નો સહયોગ આપે છે - તો આ સહયોગ થી વાયુમંડળનો કિલ્લો બની જાય છે જે આત્માઓને પરિવર્તન કરી લે છે. જેમ પાંચ આંગળીઓનાં સહયોગથી કેટલું પણ મોટું કાર્ય સહજ થઈ જાય છે, એમ દરેક બ્રાહ્મણ બાળક નો સહયોગ સેવાઓમાં સફળતા સંપન્ન બનાવી દે છે. સહયોગ નું રીઝલ્ટ સફળતા છે.

સ્લોગન :-
પગલે-પગલે પદ્મો ની કમાણી જમા કરવાવાળા જ સૌથી મોટા ધનવાન છે.