04-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બધો
આધાર કર્મો પર છે , કાયમ ધ્યાન રહે કે માયા નાં વશીભૂત કોઈ ઉલટું કર્મ ન થાય જેની
સજા ખાવી પડે ”
પ્રશ્ન :-
બાપની નજરમાં
સૌથી અધિક બુદ્ધિવાન કોણ છે ?
ઉત્તર :-
જેમનામાં
પવિત્રતાની ધારણા છે તેજ બુદ્ધિવાન છે અને જે પતિત છે તે બુદ્ધિહીન છે.
લક્ષ્મી-નારાયણ ને સૌથી અધિક બુદ્ધિવાન કહેવાશે. આપ બાળકો હમણાં બુદ્ધિવાન બની રહ્યા
છો. પવિત્રતા જ સૌથી મુખ્ય છે એટલા માટે બાપ સાવધાન કરે છે - બાળકો આ આંખો દગો ન આપે,
એનાથી સંભાળ કરજો. આ જૂની દુનિયાને જોવાં છતાં પણ નહી જુઓ. નવી દુનિયા સ્વર્ગ ને
યાદ કરો.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સિકીલધા બાળકો આ તો સમજે છે આ જૂની દુનિયામાં આપણે હવે થોડા દિવસ નાં મુસાફર છીએ.
દુનિયાનાં મનુષ્ય સમજે છે હજી ૪૦ હજાર વર્ષ અહીં રહેવાનું છે. આપ બાળકો ને તો
નિશ્ચય છે ને. આ વાતો ભૂલો નહીં. અહીંયા બેઠાં છો તો પણ આપ બાળકોની અંદર ગદ-ગદ થવું
જોઈએ. આ આંખોથી જે કંઈ જુઓ છો, બધું વિનાશ થવાનું છે. આત્મા તો અવિનાશી છે. આપણે
આત્માએ ૮૪ જન્મ લીધા છે. હવે બાબા આવ્યા છે ઘરે લઈ જવા માટે. જૂની દુનિયા જયારે પૂરી
થાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયા બનાવવા. નવી થી જૂની, જૂની થી નવી દુનિયા કેવી
રીતે થાય છે આ તમારી બુદ્ધિમાં છે. આપણે અનેક વાર ચક્ર લગાવ્યું છે. હવે ચક્ર પૂરું
થાય છે. નવી દુનિયામાં આપણે થોડા જ દેવતાઓ રહીએ છીએ. મનુષ્ય નહીં હશે. બાકી કર્મો
પર બધો આધાર છે. મનુષ્ય ઉલટા કર્મ કરે છે તો તે ખાય છે જરુર એટલા માટે બાપ પુછે છે
કે આ જન્મમાં કોઈ એવા પાપ તો નથી કર્યા? આ છે પતિત છી-છી રાવણ રાજ્ય. આ ધૂંધળી
દુનિયા છે. હમણાં બાપ આપ બાળકોને વારસો આપી રહ્યા છે. હવે તમે ભક્તિ નથી કરતા.
ભક્તિના અંધકાર માં ધક્કા ખાઈને આવ્યા છો. હમણા બાપનો હાથ મળ્યો છે. બાપના સહારા
વગર તમે વિષય વૈતરણી નદીમાં ગોતા ખાતા હતા. અડધો કલ્પ છે જ ભક્તિ, જ્ઞાન મળવાથી તમે
સતયુગી નવી દુનિયામાં ચાલ્યા જાઓ છો. હમણાં તો આ છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે કે
તમે પતિત છી-છી થી ગુલ-ગુલ, કાંટા થી ફૂલ બની રહ્યા છો. આ કોણ બનાવે છે? બેહદનાં
બાપ. લૌકિક બાપ ને બેહદનાં બાપ નહીં કહેશું. તમે બ્રહ્મા અને વિષ્ણુ નાં પણ કર્તવ્ય
ને જાણી ગયા છો. તો તમને કેટલો શુદ્ધ નશો રહેવો જોઈએ. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન...
આ બધું સંગમ પર જ હોય છે. બાપ બેસી હમણાં આપ બાળકો ને સમજાવે છે જૂની અને નવી
દુનિયાનો આ સંગમયુગ છે. પોકારે પણ છે કે પતિતો ને પાવન બનાવવા આવો. બાપનો પણ આ સંગમ
પર પાર્ટ ચાલે છે. ક્રિએટર, ડાયરેક્ટર છે ને! તો જરૂર એમની કોઈ એક્ટિવિટી હશે ને.
બધા જાણે છે કે એમને મનુષ્ય નથી કહેવાતા, એમને તો પોતાનું શરીર જ નથી. બાકી બધાને
મનુષ્ય અથવા દેવતા કહેશે. શિવબાબા ને ન દેવતા, ન મનુષ્ય કહેશે. આ તો અલ્પકાળ માટે
શરીર ઉછીનું લીધેલું છે. ગર્ભ થી થોડી જન્મ થયો છે. બાપ સ્વયં કહે છે - બાળકો, શરીર
વગર હું રાજ્યોગ કેવી રીતે શીખવાડીશ! મને મનુષ્યો ભલે કહી દે છે કે ઠીકકર-ભીત્તરમાં
પરમાત્મા છે પરંતુ હમણાં આપ બાળકો સમજો છો કે હું કેવી રીતે આવું છું. હમણાં તમે
રાજયોગ શીખી રહ્યા છો. કોઈ મનુષ્ય તો શીખવાડી ન શકે. દેવતાઓ તો રાજયોગ શીખી ન શકે.
અહીંયા આ પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખીને દેવતા બનો છો.
હમણાં આપ બાળકોને અથાહ ખુશી હોવી જોઈએ - અમે હમણાં ૮૪ નું ચક્ર પૂરું કર્યું છે.
બાપ કલ્પ-કલ્પ આવે છે, બાપ સ્વયં કહે છે આ ઘણા જન્મોનાં અંતનો જન્મ છે. શ્રી કૃષ્ણ
તો સતયુગનો પ્રિન્સ (રાજકુમાર) હતો તેજ પછી ૮૪નું ચક્ર લગાવે છે. શિવબાબા તો ૮૪નાં
ચક્રમાં નહી આવશે. શ્રીકૃષ્ણની આત્મા જ સુંદર થી શ્યામ બને છે, આ વાતો કોઈને ખબર નથી.
તમારામાં પણ નંબરવાર જ જાણે છે. માયા બહુજ કઠોર છે. કોઈને પણ છોડતી નથી. બાપને બધી
ખબર પડે છે. માયા ગ્રાહ (મગર) એકદમ હપ કરી લે છે. આ બાપ સારી રીતે જાણે છે. એવું નહીં
સમજો બાપ કોઈ અંતર્યામી છે. નહીં, બાપ બધાની પ્રવૃત્તિ ને જાણે છે. સમાચાર તો આવે
છે ને. માયા એકદમ કાચાં જ પેટ માં નાખી દે છે. આવી ઘણી વાતો આપ બાળકોને ખબર નથી પડતી.
બાપને તો બધું ખબર પડે છે. મનુષ્ય પછી સમજી લે છે પરમાત્મા અંતર્યામી છે. બાપ કહે
છે હું અંતર્યામી નથી. દરેકની ચલનથી તો ખબર તો પડે છે ને. બહુંજ છી-છી ચલન ચાલે છે
એટલે બાપ ઘડી-ઘડી બાળકોને ખબરદાર કરે છે. માયાથી સંભાળવાનું છે. પછી ભલે બાપ સમજાવે
છે તો પણ બુદ્ધિમાં નથી બેસતું, કામ મહાશત્રુ છે, ખબર પણ ન પડે કે અમે વિકારમાં ગયા
છીએ, એવું પણ થાય છે એટલે બાપ કહે છે કાંઈ પણ ભૂલ વગેરે થાય તો ચોખ્ખું બતાવી દો,
છુપાવો નહીં નહિ. નહિ તો સો ગણું પાપ થઇ જશે. તે અંદર ખાતું રહેશે. વૃદ્ધિ થતી રહેશે.
એકદમ પડી જશો. બાળકોએ બાપની સાથે બિલ્કુલ સાચાં રહેવાનું છે. નહિ તો ખુબ-ખુબ ખોટ પડી
જશે. આ તો રાવણ ની દુનિયા છે. રાવણની દુનિયાને આપણે યાદ કેમ કરીએ. આપણે તો નવી
દુનિયામાં જવાનું છે. બાપ નવું મકાન વગેરે બનાવે છે તો બાળકો સમજે છે અમારી માટે નવું
મકાન બની રહ્યું છે. ખુશી રહે છે. આ તો બેહદ ની વાત છે. આપણા માટે નવી દુનિયા
સ્વર્ગ બની રહ્યું છે. હમણાં આપણે નવી દુનિયામાં જવાના છીએ પછી જેટલું બાપને યાદ
કરીશું એટલા ગુલ-ગુલ બનીશું. આપણે વિકારોના વશ થઈ કાંટા બની ગયા છીએ. આપ બાળકો જાણો
છો - જે નથી આવતા તે તો માયાના વશ થઈ ગયા છે. બાપની પાસે છે જ નહીં. દગાબાજ બની ગયા
છે. જુના દુશ્મનની પાસે ચાલ્યાં ગયા છે. એવા-એવા ઘણાને માયા હપ કરી લે છે. કેટલા
ખત્મ થઈ જાય છે. ઘણા સારા-સારા છે જે કહીને જાય છે અમે આવું કરીશું, તેવું કરીશું.
અમે તો યજ્ઞને માટે પ્રાણ પણ આપવા તૈયાર છીએ. આજે તે છે નહી. તમારું યુદ્ધ છે જ માયા
ની સાથે. દુનિયામાં આ કોઈ નથી જાણતું કે માયા થી યુદ્ધ કેવી રીતે થાય છે. શાસ્ત્રોમાં
પછી દેખાડ્યું છે દેવતાઓ અને અસુરોમાં યુદ્ધ થયું. પછી કૌરવો અને પાંડવોનું યુદ્ધ
થયું. કોઈને પૂછો આ બે વાતો શાસ્ત્રોમાં કેવી છે? દેવતાઓ તો અહિંસક હોય છે. તે હોય
જ છે સતયુગમાં. તે પછી થોડી કલિયુગમાં લડવા આવશે. કૌરવો અને પાંડવોનો પણ અર્થ નથી
સમજતા. શાસ્ત્રોમાં જે લખ્યું છે તેજ વાંચીને સંભળાવતા રહે છે. બાબાએ તો આખી ગીતા
વાંચેલી છે. જ્યારે આ જ્ઞાન મળ્યું તો વિચાર ચાલ્યો કે ગીતામાં આ લડાઈ વગેરેની વાતો
શું લખી છે? કૃષ્ણ તો ગીતાનાં ભગવાન નથી. આમની અંદર બાપ બેઠા હતા તો આમનાં દ્વારા આ
ગીતાને પણ છોડાવી દીધી. હમણાં બાપ દ્વારા કેટલા પ્રકાશ મળ્યો છે. આત્માને જ પ્રકાશ
થાય છે ત્યારે બાપ કહે છે સ્વયંને આત્મા સમજો, બેહદનાં બાપ ને યાદ કરો. ભક્તિ માં
તમે યાદ કરતા હતા, કહેતા હતા આપ આવશો તો બલિહાર જઈશું. પરંતુ એ કેવી રીતે આવશે, કેવી
રીતે બલિહાર જઈશું, આ થોડું સમજતા હતા.
હમણાં આપ બાળકો સમજો છો જેમ બાપ છે તેમ આપણે આત્મા પણ છીએ. બાપનો છે અલૌકિક જન્મ,
આપ બાળકો ને કેવી સારી રીતે ભણાવે છે. તમે પોતે કહો છો આ તો એજ અમારાં બાપ છે. જે
કલ્પ-કલ્પ આપણા બાપ બને છે. આપણે બધા બાબા-બાબા કહીએ છીએ. બાબા પણ બાળકો-બાળકો કહે
છે, તેજ શિક્ષક રુપમાં રાજ્યોગ શીખવાડે છે. વિશ્વનાં માલિક તમને બનાવે છે. તો આવાં
બાપનાં બનીને પછી તેજ શિક્ષક થી શિક્ષણ પણ લેવું જોઈએ. સાંભળી-સાંભળીને ગદ-ગદ થવું
જોઈએ. જો છી-છી બન્યા તો તે ખુશી આવશે જ નહીં. ભલે કેટલું માથું મારો, તે પછી આપણા
જાત ભાઈ નહીં. અહિયાં મનુષ્યોની કેટલી અટક હોય છે. એ બધી છે હદની વાતો. તમારી અટક
જુઓ કેટલી ઊંચ છે. ઉંચે થી ઊંચા ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા. તેમને કોઇ જાણતું
જ નથી. શિવબાબા ને તો સર્વવ્યાપી કહી દીધું છે. બ્રહ્માની પણ કોઈને ખબર નથી. ચિત્ર
પણ છે - બ્રહ્મા, વિષ્ણુ, શંકર. પછી બ્રહ્માને સૂક્ષ્મવતન માં લઈ ગયા છે.
જીવનચરિત્ર કંઈ પણ નથી જાણતા. સૂક્ષ્મવતન માં પછી બ્રહ્મા ક્યાંથી આવ્યા? ત્યાં કેવી
રીતે દત્તક લેશે. બાપ એ સમજાવ્યું છે આ મારો રથ છે. ઘણા જન્મોનાં અંતમાં મેં આમનામાં
પ્રવેશ કર્યો છે. આ પુરુષોત્તમ સંગમયુગ ગીતાનો વૃતાંત છે, જેમાં પવિત્રતા મુખ્ય છે.
પતિથી પાવન કેવી રીતે બનવાનું છે, આ કોઈને પણ ખબર નથી. સાધુ-સંત વગેરે ક્યારે પણ એવું
નહીં કહેશે કે દેહ સહિત દેહનાં બધા સંબંધોને ભૂલી એક મુજ બાપને યાદ કરો તો માયાનાં
પાપ કર્મ ભસ્મ થઈ જશે. તે તો બાપને જ નથી જાણતા. ગીતા માં બાપએ કહ્યું છે આ સાધુઓ
વગેરેનો પણ હું આવીને ઉદ્ધાર કરું છું.
બાપ સમજાવે છે શરૂ થી લઈને હમણાં સુધી જે પણ આત્માઓ પાર્ટ ભજવી રહી છે - બધાનો આ
અંતિમ જન્મ છે. આમનો પણ આ અંતિમ જન્મ છે. આ પછી બ્રહ્મા બન્યા છે. નાનપણમાં ગામડાના
છોકરા હતા. ૮૪ જન્મ એમને પુરા કર્યા, પહેલા થી અન્ત સુધી. હમણાં આપ બાળકોની બુદ્ધિની
તાળું ખૂલેલું છે. હમણાં તમે બુદ્ધિવાન બનો છો. આગળ બુદ્ધિહીન હતા. આ
લક્ષ્મી-નારાયણ છે બુદ્ધિવાન. બુદ્ધિહીન પતિતોને કહેવાય છે. મુખ્ય છે પવિત્રતા. લખે
પણ છે માયાએ અમને પાડી દીધા. આંખો અપવિત્ર બની ગઈ. બાપ તો ઘડી-ઘડી સાવધાન કરતા રહે
છે - બાળકો, ક્યારેય માયાથી હાર નહીં ખાતા. હવે ઘરે જવાનું છે. સ્વયંને આત્મા સમજી
બાપ ને યાદ કરો. આ જૂની દુનિયા ખતમ થઈ કે થઈ. આપણે પાવન બનીએ છીએ તો આપણને પાવન
દુનિયા પણ તો જોઈએ ને! આપ બાળકોએ જ પતિતથી પાવન બનવાનું છે. બાપ તો યોગ નહિ લગાવશે.
બાબા પતિત થોડી બને છે જે યોગ લગાવે. બાબા તો કહે છે હું તમારી સેવામાં ઉપસ્થિત થાઉં
છું. તમે જ માંગણી કરી છે કે આવીને અમને પતિતોને પાવન બનાવો. તમારા જ કહેવાથી હું
આવ્યો છું. તમને ખુબ જ સહજ રસ્તો બતાવું છું ફક્ત મનમનાભવ. ભગવાનુવાચ છે ને. ફક્ત
કૃષ્ણનું નામ આપવાથી બાપને બધા ભૂલી ગયા છે. બાપ છે પ્રથમ, કૃષ્ણ છે દ્વિતીય. એ
પરમધામ નાં માલિક, તે છે વૈકુંઠ નાં માલિક. સૂક્ષ્મવતન માં તો કંઈ હોતું જ નથી.
બધામાં નંબરવન છે કૃષ્ણ, જેને બધા પ્રેમ કરે છે. બાકી તો બધા પાછળ-પાછળ આવે છે.
સ્વર્ગમાં તો બધા જઈ પણ ન શકે.
તો આપ મીઠા-મીઠા બાળકોને જીગરી ખુશી હોવી જોઈએ. ઘણા બાળકો બાબાની પાસે આવે છે જે
ક્યારેય પવિત્ર નથી રહેતા. બાબા સમજાવે છે વિકારમાં જાઓ છો પછી બાબાની પાસે કેમ આવો
છો? કહે છે શું કરું, રહી નથી શકતો. પરંતુ અહીંયાં આવું છું કદાચ ક્યારેક તીર લાગી
જાય. તમારા વગર અમારી સદ્દગતિ કોણ કરશે એટલા માટે આવીને બેસી જાઉં છુ. માયા કેટલી
પ્રબળ છે. નિશ્ચય પણ હોય છે - બાબા અમને પતિત થી પાવન ગુલ-ગુલ બનાવે છે. પરંતુ શું
કરીએ, છતાં પણ સાચું બોલવાથી ક્યારે સુધરી જઈશ. અમને આ નિશ્ચય છે કે તમારાંથી જ અમે
સુધારવાના છીએ. બાબાને આવા બાળકો પર તરસ પડે છે તો પણ આવું થશે. નથિંગન્યુ. બાબા તો
રોજ-રોજ શ્રીમત આપે છે. કોઈ અમલમાં લાવે પણ છે, આમાં બાબા શું કરી શકે છે. બાબા કહે
કદાચ આમનો પાર્ટ જ આવો છે. બધા તો રાજા-રાણીઓ નથી બનતા. રાજધાની સ્થાપિત થઇ રહી છે.
રાજધાનીમાં બધા જોઈએ. તો પણ બાબા કહે છે બાળકો હિંમત નહીં છોડો. આગળ જઈ શકો છો.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) બાપની સાથે
સદા સાચું રહેવાનું છે. હવે કોઈ પણ ભૂલ થઈ જાય તો છુપાવવાની નથી. આંખો ક્યારે
ક્રિમિનલ (અપવિત્ર) ન થાય - તેની સંભાળ કરવાની છે.
૨) સદા શુદ્ધ નશો રહે કે બેહદનાં બાપ આપણને પતિત છી-છી થી ગુલગુલ, કાંટા થી ફૂલ
બનાવી રહ્યા છે. હમણાં આપણને બાપનો હાથ મળ્યો છે, જેમનાં સહારે આપણે વિષય વૈતરણી નદી
થી પાર થઈ જઈશું
વરદાન :-
બ્રાહ્મણ
જીવનમાં બાપ દ્વારા લાઈટ નો તાજ પ્રાપ્ત કરવા વાળી મહાન ભાગ્યવાન આત્મા ભવ
સંગમયુગી બ્રાહ્મણ
જીવનની વિશેષતા “પવિત્રતા” છે. પવિત્રતા ની નિશાની - લાઈટ નો તાજ છે જે દરેક
બ્રાહ્મણ આત્માને બાપ દ્વારા પ્રાપ્ત થાય છે. પવિત્રતાની લાઈટનો આ તાજ તે રત્ન જડિત
તાજ થી અતિ શ્રેષ્ઠ છે. મહાન આત્મા, પરમાત્મ ભાગ્યવાન આત્મા, ઊંચેથી ઊંચી આત્માની આ
તાજ નિશાની છે. બાપદાદા દરેક બાળક ને જન્મ થી “પવિત્ર ભવ” નું વરદાન આપે છે, તેનું
પ્રતીક લાઈટનો તાજ છે.
સ્લોગન :-
બેહદની
વૈરાગ્ય વૃત્તિ દ્વારા ઈચ્છાઓની વશ પરેશાન આત્માઓની પરેશાની દૂર કરો.