28-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - બાપની શ્રીમત પર ચાલીને સ્વયંનો શ્રુંગાર કરો, પરચિંતન થી સ્વયંનો શ્રુંગાર નહીં બગાડો, સમય ખોટી ન કરો”

પ્રશ્ન :-
આપ બાળકો બાપ થી પણ હોશિયાર જાદુગર છો - કેવી રીતે?

ઉત્તર :-
અહીંયા બેઠા-બેઠા તમે લક્ષ્મી-નારાયણ જેવો પોતાનો શ્રુંગાર કરી રહ્યા છો. અહીંયા બેસી સ્વયં સ્વયંનું પરિવર્તન કરી રહ્યા છો, આ પણ જાદુગરી છે. ફક્ત અલ્ફ (ભગવાન) ને યાદ કરવાથી તમારો શ્રુંગાર થઈ જાય છે. કોઈ હાથ-પગ ચલાવવાની પણ વાત નથી ફક્ત વિચાર ની વાત છે. યોગથી તમે સાફ, સ્વચ્છ અને શોભનીય બની જાઓ છો, તમારી આત્મા અને શરીર કંચન બની જાય છે, આ પણ કમાલ છે ને.

ઓમ શાંતિ!
રુહાની જાદુગર બેસીને રુહાની બાળકોને, જે બાપ થી પણ હોશિયાર છે, તેમને સમજાવે છે - તમે અહીંયા શું કરી રહ્યા છો? અહીંયા બેઠા-બેઠા કોઈ ચૂરપુર નહીં. બાપ અથવા સાજન, સજનીઓને યુક્તિ બતાવી રહ્યા છે. સાજન કહે છે - અહીંયા બેસી તમે શું કરો છો? સ્વયંને તમે આવાં લક્ષ્મી-નારાયણની જેમ શૃંગારી રહ્યા છો. કોઈ સમજશે? તમે અહીંયા બધાં બેઠા છો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છો જ ને. બાપ કહે છે આવા શણગારેલા બનવાનું છે. તમારો લક્ષ્ય-હેતુ જ આ છે ભવિષ્ય અમરપુરી માટે. અહીંયા બેસીને તમે શું કરી રહ્યા છો? પેરેડાઇઝ (વૈકુંઠ) નાં શ્રુંગાર માટે પુરુષાર્થ કરી રહ્યા છો. આને શું કહેશો? અહીંયા બેસીને સ્વયંને પરિવર્તન કરી રહ્યા છો. ઉઠતા, બેસતા, ચાલતા બાપએ એક મનમનાભવ ની ચાવી આપી દીધી છે. બસ એક સિવાય આનાં બીજી કોઈ પણ ફાલતુ વાતો સાંભળી-સંભળાવીને સમય ખોટી નહીં કરો. તમે સ્વયંનાં શ્રુંગારમાં જ વ્યસ્ત રહો. બીજા કરે છે કે નહીં, એમાં તમારું શું જાય છે! તમે સ્વયંના પુરુષાર્થ માં રહો. કેટલી સમજણની વાતો છે. કોઈ નવું સાંભળશે તો જરૂર વન્ડર ખાશે. તમારામાં કોઈ તો સ્વયંનો શ્રુંગાર કરી રહ્યા છે, કોઈ તો વધારે જ બગાડી રહ્યા છે. પરચિંતન વગેરેમાં સમય ખોટી કરતાં રહે છે. બાપ બાળકો ને સમજાવે છે તમે ફક્ત સ્વયંને જુઓ કે અમે શું કરી રહ્યા છીએ. એકદમ નાની યુક્તિ બતાવી છે, બસ એક જ અક્ષર છે – મનમનાભવ. તમે અહીંયા બેઠા છો પરંતુ બુદ્ધિમાં છે કે આખી સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. હવે ફરીથી આપણે વિશ્વનો શ્રુંગાર કરી રહ્યા છીએ. તમે કેટલા પદમાપદમ ભાગ્યશાળી છો. અહીંયા બેઠા-બેઠા તમે કેટલું કાર્ય કરો છો. કોઈ હાથ-પગ તો ચલાવવાની વાત જ નથી. ફક્ત વિચાર ની વાત છે. તમે કહેશો અમે અહીંયા બેસીને ઉંચેથી ઊંચાં વિશ્વનો શ્રુંગાર કરી રહ્યા છીએ. મનમનાભવ નો મંત્ર કેટલો ઉંચો છે. આ યોગથી જ તમારા પાપ ભસ્મ થતા જશે અને તમે સ્વચ્છ બનતા-બનતા પછી કેટલા શોભનીય બની જશો. હમણાં આત્મા પતિત છે તો શરીર ની પણ હાલત જુઓ કેવી થઈ ગઈ છે. હવે તમારી આત્મા અને કાયા કંચન બની જશે. આ કમાલ છે ને. તો આવો સ્વયંનો શ્રુંગાર કરવાનો છે. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. બાપ બધાંને એક જ રસ્તો બતાવે છે - અલ્ફ બે. ફક્ત અલ્ફ ની વાત છે. બાપ ને યાદ કરતા રહો તો તમારો શ્રુંગાર આખો બદલાઈ જશે.
બાપ થી પણ તમે મોટા જાદુગર છો. તમને યુક્તિ બતાવે છે કે આમ-આમ કરવાથી તમારો શ્રુંગાર થઈ જશે. સ્વયંનો શ્રુંગાર ન કરવાથી તમે મફત પોતાને જ નુકસાન પહોંચાડો છો. આટલું તો સમજો છો આપણે ભક્તિમાર્ગમાં શું-શું કરતા હતા. આખો શ્રુંગાર બગાડી શું બની ગયા છો! હવે એક જ અક્ષર થી, બાપની યાદ થી તમારો શ્રુંગાર થાય છે. બાળકોને કેટલું સારી રીતે સમજાવીને ફ્રેશ કરે છે. અહીંયા બેસીને તમે શું કરો છો? યાદ ની યાત્રા માં બેઠા છો. જો કોઈના વિચાર બીજી બીજી તરફ હશે તો શ્રુંગાર થોડી થશે. તમે શણગારેલા છો તો પછી બીજાને પણ રસ્તો બતાવવાનો છે. બાપ આવે જ છે આવો શ્રુંગાર બનાવવા. કમાલ શિવબાબા તમારી, તમે અમારો કેટલો શ્રુંગાર કરો છો. ઉઠતા, બેસતા, ચાલતા આપણે આપણો શ્રુંગાર કરવાનો છે. કોઈ તો પોતાનો શ્રુંગાર કરી પછી બીજાનો પણ કરે છે. કોઈ તો પોતાનો પણ શ્રુંગાર નથી કરતા તો બીજાનો પણ શ્રુંગાર બગાડતા રહે છે. ફાલતુ વાતો સંભળાવી ને એમની અવસ્થાને નીચે પાડી દે છે. સ્વયં પણ શ્રુંગાર થી રહી જાય છે, તો બીજાને પણ રોકી દે છે. તો સારી રીતે વિચાર કરો - બાબા કેવી-કેવી યુક્તિ બતાવે છે. ભક્તિમાર્ગના શાસ્ત્ર વાંચવાથી આ યુક્તિઓ નથી આવતી. શાસ્ત્ર તો છે ભક્તિમાર્ગના. તમને કહે છે તમે કેમ શાસ્ત્રોને નથી માનતા? બોલો, અમે તો બધું માનીએ છીએ. અડધો કલ્પ ભક્તિ કરી છે. શાસ્ત્ર વાંચતા હોય તો કોણ નહીં માનશે. રાત અને દિવસ હોય તો જરુર બંનેને માનશે છે ને. આ છે બેહદ નો દિવસ અને રાત.
બાપ કહે છે - મીઠા બાળકો, તમે સ્વયંનો શ્રુંગાર કરો. સમય ખોટી નહીં કરો. સમય બહુ જ થોડો છે. તમારી બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ. પરસ્પર માં બહુ જ પ્રેમ હોવો જોઈએ. સમય ખોટી નહી કરવો જોઈએ કારણ કે તમારો સમય બહુ જ કિમતી છે. કોડી થી હીરા જેવા તમે બનો છો. મફતમાં આટલું થોડી સાંભળી રહ્યા છો. કોઈ કથા છે કે. બાપ અક્ષર જ એક સંભળાવે છે. મોટા-મોટા માણસો ને વધારે વાત થોડી કરવી જોઈએ. બાપ તો સેકન્ડમાં જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. આ છે જ ઊંચ શ્રુંગારવાળા, ત્યારે તો એમનાં જ ચિત્ર છે જેમને બહુ જ પૂજતાં રહે છે. જેટલા મોટા માણસ હોય, એટલું મોટું મંદિર બનાવશે, ખુબ શ્રુંગાર કરશે. પહેલા તો દેવતાઓના ચિત્ર પર હીરાનાં હાર પહેરાવતા હતા. બાબા ને તો અનુભવ છે ને. બાબા એ પોતે હીરાનો હાર બનાવ્યો હતો લક્ષ્મી-નારાયણના માટે. હકીકતમાં તો તેમના જેવી પહેરવેશ કોઈ બનાવી ન શકે. હમણાં તમે બનાવી રહ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. તો બાપ સમજાવે છે – બાળકો, સમય ખોટી ન સ્વયંનો કરો, ન બીજાનો કરો. બાપ યુક્તિ બહુ જ સહજ બતાવે છે. મને યાદ કરો તો પાપ કપાતા જશે. યાદ વગર આટલો શ્રુંગાર થઇ ન શકે. તમે આ બનવાના છો ને. દૈવી સ્વભાવ ધારણ કરવાનો છે. આમાં કહેવાની આવશ્યકતા નથી. પરંતુ પથ્થર બુદ્ધિ હોવાના કારણે બધું જ સમજાવવું પડે છે. એક સેકન્ડ ની વાત છે. બાપ કહે છે – મીઠા-મીઠા બાળકો, તમે સ્વયંના બાપ ને ભૂલવાથી કેટલો શ્રુંગાર બગાડી દીધો છે. બાપ તો કહે છે – ચાલતા-ફરતા શ્રુંગાર કરતા રહો. પરંતુ માયા પણ ઓછી નથી. કોઈ-કોઈ લખે છે – બાબા, તમારી માયા બહુ જ હેરાન કરે છે. અરે મારી માયા ક્યાં છે, આ તો ખેલ છે ને! હું તમને માયાથી છોડાવવા આવ્યો છું. મારી માયા પછી ક્યાંથી. આ સમયે પૂરું જ તેનું રાજ્ય છે. જેમ આ રાત અને દિવસમાં ફરક નથી થઈ શકતો. આ પછી છે બેહદની રાત અને દિવસ. આમાં એક સેકન્ડનો પણ ફરક નથી થઈ શકતો. હમણાં આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર એવો શ્રુંગાર કરી રહ્યા છો. બાપ કહે છે - ચક્રવર્તી રાજા બનવું હોય તો ચક્ર ફરાવતા રહો. ભલે ગૃહસ્થ વ્યવહારમાં રહો, આમાં બધું જ બુદ્ધિ થી કામ લેવાનું છે. આત્મા માં જ મન-બુદ્ધિ છે. અહીંયા તમને બહારના ગોરખધંધા કઈ પણ નથી. અહીંયા આવો જ છો તમે સ્વયંને શ્રુંગારવા, રિફ્રેશ થવા. બાપ ભણાવે છે તો બધાને એક જ જેવું. અહીંયા બાબા પાસે આવે છે નવી નવી વાતો સમ્મુખ સાંભળવા, પછી ઘરમાં જાય છે તો જે કંઈ સાંભળ્યું છે તે બહાર નીકળી જાય છે. અહીંયા થી બહાર નીકળતા જ ઝોલી ખાલી થઈ જાય છે. જે સાંભળ્યું એના પર મનન-ચિંતન નથી કરતા. તમારા માટે તો અહીંયાં એકાંતની જગ્યા બહુ જ છે. બહાર તો ખટમલ ફરતા રહે છે. એક-બીજાનું ખૂન કરતા, પીતા રહે છે.
તો બાપ બાળકો ને સમજાવે છે - આ તમારો સમય બહુ જ કિમતી છે, એને ખોટી નહીં કરો. સ્વયંને શ્રુંગારવાની બહુ યુક્તિઓ મળેલી છે. હું બધાનો ઉદ્ધાર કરવા આવ્યો છું. હું આવ્યો છુ તમને વિશ્વની બાદશાહી આપવા. તો હવે મને યાદ કરો, સમય ખોટી નહીં કરો. કામ-કાજ કરતાં પણ બાપ ને યાદ કરતા રહો. આટલી બધી આત્માઓ આશિક છે એક પરમપિતા પરમાત્મા માશૂક ની. તે બધી શારીરિક (ભક્તિ ની) વાર્તાઓ વગેરે તો તમે ઘણી સાંભળી છે. હવે બાપ કહે છે તે બધું ભૂલી જાઓ. ભક્તિમાર્ગમાં તમે મને યાદ કર્યો અને વાયદો પણ કર્યો છે, અમે તમારા જ બનીશું. બહુ બધા આશિકો ના માશૂક એક જ. ભક્તિમાર્ગમાં કહે છે – બ્રહ્મ માં લીન થઇ જશે, આ બધી ફાલતુ વાતો. એક પણ મનુષ્ય મોક્ષ ને પામી નથી શકતો. આ તો અનાદિ ડ્રામા છે, આટલા બધા અભિનેતા છે, આમાં જરા પણ ફરક નથી થઈ શકતો. બાપ કહે છે ફક્ત એક અલ્ફ ને યાદ કરો તો તમારો આ શ્રુંગાર થઈ જશે. હમણાં તમે આ બની રહ્યા છો. સ્મૃતિમાં આવે છે - અનેકવાર અમે આ શ્રુંગાર કર્યો છે. કલ્પ-કલ્પ બાબા તમે આવશો, અમે તમારા થી જ સાંભળશું. કેટલી ગુહ્ય-ગુહ્ય વાતો છે. બાબા એ યુક્તિ બહુ સારી બતાવી છે. વારી જાઉ આવા બાપ પર. આશિક-માશૂક પણ બધા એક જેવા નથી હોતા. આ તો બધી આત્માઓના એક જ માશૂક છે. શારીરિક કોઈ વાત નથી. પરંતુ તમને સંગમયુગ પર જ બાપ થી યુક્તિ મળે છે. ક્યાંય પણ તમે જાઓ, ખાઓ-પીઓ, હરો-ફરો, નોકરી કરો, પોતાનો શ્રુંગાર કરતા રહો. આત્માઓ બધી એક માશૂક ની આશિક છે. બસ, એમને જ યાદ કરતા રહો. કોઈ-કોઈ બાળકો કહે છે અમે તો ૨૪ કલાક યાદ કરતા રહીએ છીએ. પરંતુ સદેવ તો કોઈ કરી ન શકે. વધુમાં વધુ બે અઢી કલાક સુધી. વધારે જો લખે છે તો બાબા માનતા નથી. બીજાને સ્મૃતિ અપાવતા નથી તો કેવી રીતે સમજે તમે યાદ કરો છો? શું કોઈ અઘરી વાત છે? કોઈ એમાં ખર્ચો છે? કંઈ પણ નહીં. બસ, બાબા ને યાદ કરતા રહો તો તમારા પાપ કપાતા જાય. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. પતિત કોઈ શાંતિધામ અથવા સુખધામ માં જઈ ન શકે. બાપ બાળકોને કહે છે - સ્વયંને આત્મા ભાઈ-ભાઈ સમજો. ૮૪ જન્મો નો પાર્ટ હવે પૂરો થાય છે. આ જૂનું શરીર છોડવાનું છે. ડ્રામા જુઓ કેવો બનેલો છે. તમે જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. દુનિયામાં તો કોઈ કંઈપણ નથી સમજતું. દરેક સ્વયં થી પૂછે કે અમે બાપની મત પર ચાલીએ છીએ? ચાલશો તો શ્રુંગાર પણ સરસ થશે. એક-બીજાને ઉલટી વાતો સંભળાવીને અથવા સાંભળીને સ્વયંનો શ્રુંગાર પણ બગાડી દે છે તો બીજાનો પણ બગાડી દે છે. બાળકોને તો આ જ ધૂનમાં જ વ્યસ્ત રહેવાનું છે કે અમે આવા શ્રુંગારધારી કેવી રીતે બનીએ. બાકી તો જે કંઈ છે એ ઠીક છે. ફક્ત પેટ માટે રોટલી આરામથી મળે. હકીકતમાં પેટ વધારે નથી ખાતું. ભલે તમે સન્યાસી છો પરંતુ રાજયોગી છો. ન બહુ ઉંચા, ન નીચાં. ખાઓ ભલે, પરંતુ વધારે આદત ન પડી જાય. અહીંયા એક-બીજાને યાદ દેવડાવો - શિવ બાબા યાદ છે? વારસો યાદ છે? વિશ્વની બાદશાહીનો શ્રુંગાર યાદ છે? વિચાર કરો - અહીંયા બેઠા-બેઠા તમારી શું કમાણી છે! આ કમાણીથી અપાર સુખ મળવાનું છે, ફક્ત યાદ ની યાત્રા થી બીજી કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગમાં મનુષ્ય કેટલા ધક્કા ખાય છે. હમણાં બાપ આવ્યા છે શ્રુંગારવા. તો સ્વયંની સારી રીતે સંભાળ કરો. ભૂલો નહીં. માયા ભુલાવી દે છે પછી સમય બહુ ખોટી કરે છે. તમારો તો આ બહુ જ કિમતી સમય છે. ભણવાની મહેનતથી મનુષ્ય શું થી શું બની જાય છે. બાબા તમને બીજી કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત કહે છે - મને યાદ કરો. કોઈ પણ ચોપડી વગેરે ઉપાડવાની આવશ્યકતા નથી. બાબા કોઈ ચોપડી ઉપાડે છે કે? બાપ કહે છે હું આવીને આ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરું છું. પ્રજાપિતા છે ને. તો આટલી કુખ વંશાવલી પ્રજા કેવીરીતે થશે? બાળકો એડોપ્ટ થાય છે. વારસો બાપ થી મળવાનો છે. બાપ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, એટલા માટે એમને માતા-પિતા કહેવાય છે. આ પણ તમે જાણો છો. બાપનું આવવાનું એકદમ એક્યુરેટ છે. એક્યુરેટ સમય પર આવે છે, એક્યુરેટ સમય પર જશે. દુનિયાની બદલી તો થવાની જ છે. હવે બાપ આપ બાળકોને કેટલી અક્કલ આપે છે. બાપની મત પર ચાલવાનું છે. વિદ્યાર્થી જો ભણે છે, તે જ બુદ્ધિ માં ચાલે છે. તમે પણ આ સંસ્કાર લઈ જાઓ છો. જેમ બાપમાં આ સંસ્કાર છે, તેમ તમારી આત્મામાં પણ આ સંસ્કાર ભરાય છે. પછી જ્યારે અહીંયા આવશો તો તે જ પાર્ટ રિપીટ થશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર આવશે. સ્વયંના દિલથી પૂછો - કેટલો પુરુષાર્થ કર્યો છે, સ્વયંને શ્રુંગારવાનો. સમય ક્યાંય ખોટી તો નથી કર્યો ને? બાપ સાવધાન કરે છે - ફાલતુ વાતો માં ક્યાંય પણ સમયે નહિ બગાડો. બાપની શ્રીમત યાદ રાખો. મનુષ્ય મત પર ન ચાલો. તમને આ ખબર થોડી હતી કે અમે જૂની દુનિયામાં છીએ. બાપએ બતાવ્યું છે કે તમે શું હતા. આ જૂની દુનિયામાં કેટલા અપાર દુઃખ છે. આ પણ ડ્રામા અનુસાર પાર્ટ મળેલો છે. ડ્રામા અનુસાર અનેકાનેક વિઘ્ન પણ પડે છે. બાપ સમજાવે છે – બાળકો, આ જ્ઞાન અને ભક્તિ નો ખેલ છે. વન્ડરફુલ ડ્રામા છે. આટલી નાની આત્મામાં આખો પાર્ટ અવિનાશી ભરેલો છે, જે ભજવતી જ રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1) બીજી બધી વાતો ને છોડી એ જ ધૂનમાં રહેવાનું છે કે અમે લક્ષ્મી-નારાયણ જેવા શ્રુંગારધારી કેવી રીતે બનીએ?
2) સ્વયં થી પૂછવાનું છે કે :-
(ક) અમે શ્રીમત પર ચાલીને મનમનાભવ ની ચાવીથી સ્વયંનો શ્રુંગાર ઠીક કરી રહ્યા છીએ?
(ખ) ઉલટી સુલટી વાતો સાંભળીને કે સંભળાવીને શ્રુંગાર બગાડતા તો નથી ને?
(ગ) એકબીજા સાથે પ્રેમથી રહીએ છીએ? સ્વયંનો કિંમતી સમય ક્યાંય પણ ખોટી તો નથી કરતા?
(ઘ) દૈવી સ્વભાવ ધારણ કર્યો છે?

વરદાન :-
સ્વ-પરિવર્તન થી વિશ્વ પરિવર્તન નાં કાર્યમાં દિલ-પસંદ સફળતા પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ:

દરેક સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવાની સેવામાં લાગેલા છો. બધાનાં મનમાં એ જ ઉમંગ-ઉત્સાહ છે કે આ વિશ્વને પરિવર્તન કરવાનું જ છે અને નિશ્ચય પણ છે કે પરિવર્તન થવાનું જ છે. જ્યાં હિંમત છે ત્યાં ઉમંગ-ઉત્સાહ છે. સ્વ-પરિવર્તન થી જ વિશ્વ પરિવર્તન નાં કાર્ય માં દિલ-પસંદ સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ આ સફળતા ત્યારે મળે છે જ્યારે એક જ સમયે વૃત્તિ, વાઈબ્રેશન અને વાણી ત્રણેવ શક્તિશાળી હોય.

સ્લોગન :-
જ્યારે શબ્દમાં સ્નેહ અને સંયમ હશે ત્યારે વાણીની શક્તિ જમા થશે.