04-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદ ની યાત્રા પર પૂરું એટેન્શન ( ધ્યાન ) દો, એ નાં થી જ તમે
સતોપ્રધાન બનશો ”
પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકો પર કઈ મહેર (કૃપા) કરે છે?
ઉત્તર :-
બાપ બાળકોનાં કલ્યાણ માટે જે ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે, એ ડાયરેક્શન
આપવું જ એમની મહેર (કૃપા) છે. બાપનું પહેલું ડાયરેક્શન છે - મીઠા બાળકો,
દેહી-અભિમાની બનો. દેહી-અભિમાની બહુજ શાંત રહે છે એમનાં ખ્યાલ ક્યારે ઉલટા નથી ચાલી
શકતા.
પ્રશ્ન :-
બાળકોએ પરસ્પરમાં કયું સેમિનાર કરવું જોઈએ?
ઉત્તર :-
જ્યારે પણ ચક્કર લગાડવા જાઓ છો તો યાદની રેસ(દૌડ) કરો અને પછી બેસીને
પરસ્પરમાં સેમિનાર કરો કે કોણે કેટલો સમય બાપને યાદ કર્યા. અહીં યાદ માટે એકાંત પણ
બહુ જ સારું છે.
ઓમ શાંતિ !
રુહાની બાપ બાળકોને પૂછે છે તમે શું કરી રહ્યા છો? રુહાની બાળકો કહેશે –
બાબા, અમે જે સતોપ્રધાન હતા સો તમોપ્રધાન બન્યા છીએ ફરી બાબા તમારી શ્રીમત અનુસાર
અમારે સતોપ્રધાન જરુર બનવાનું છે. હવે બાબા તમે રસ્તો બતાવ્યો છે. આ કોઈ નવી વાત નથી.
જૂનાંમાં જૂની વાત છે. બધાંથી જૂની છે યાદ ની યાત્રા, એમાં દેખાડો કરવાની વાત નથી.
દરેક પોતાને અંદર થી પૂછે અમે ક્યાં સુધી બાપને યાદ કરીએ છીએ? ક્યાં સુધી સતોપ્રધાન
બન્યા છીએ? શું પુરુષાર્થ કરી રહ્યા છીએ? સતોપ્રધાન ત્યારે બનશો જ્યારે પાછળથી અંત
આવશે. એનો પણ સાક્ષાત્કાર થતો રહેશે. કોઈ જે કંઈ કરે છે તો પોતાને માટે જ કરે છે.
બાપ પણ કોઈ મહેર નથી કરતા. બાબા મહેર કરે છે જે બાળકોને ડાયરેક્શન દે છે, એમનાં જ
કલ્યાણ અર્થ. બાપ તો છે જ કલ્યાણકારી. ઘણાં બાળક ઉલ્ટા જ્ઞાન માં આવી જાય છે. બાબા
અનુભવ કરે છે – દેહ-અભિમાની મગરુર (ગમંડી) હોય છે. દેહી-અભિમાની બહુજ શાંત રહેશે.
એમને ક્યારેય ઉલટા-સુલટા ખ્યાલ નહીં આવે. બાપ તો દરેક પ્રકારથી પુરુષાર્થ કરાવતા રહે
છે. માયા પણ બહુ જ જબરદસ્ત છે સારા-સારા બાળકો પર પણ વાર કરી દે છે, એટલે
બ્રાહ્મણોની માળા નથી બની સકતી. આજે બહુ જ સારી રીતે યાદ કરે છે, કાલે દેહ-અહંકારમાં
એવા આવી જાય છે જાણે સાંડે (કાચિંડો). કાચિંડા ને અહંકાર બહુ હોય છે. એમાં એક કહેવત
પણ છે – સુરમંડળ ના સાજ થી દેહ-અભિમાની કાચિંડો સુ જાણે... દેહ-અભિમાન બહુ જ ખોટું
છે. બહુજ મહેનત કરવી પડે છે. શિવબાબા તો કહે છે આઈ એમ મોસ્ટ ઓબીડિયન્ટ સર્વન્ટ (બહુજ
આજ્ઞાકારી સેવક). એવું નહીં, પોતાને કહેવું સર્વન્ટ (સેવક) અને નવાબી (હુકુમ) ચલાવતા
રહેવું. બાપ કહે છે – મીઠા-મીઠા બાળકો, સતોપ્રધાન જરુર બનવાનું છે. આ તો બહુ જ સહજ
છે, આમાં કોઈ ચુ-ચાં નથી. મુખથી કંઈ બોલવાનું નથી. ક્યાંય પણ જાઓ, અંદર માં યાદ
કરવાનું છે. એવું નહીં અહિયાં બેસો છો તો બાબા મદદ કરે છે. બાપ તો આવ્યા જ છે મદદ
કરવા. બાપને તો આ ખ્યાલ રહે છે – બાળકો, ક્યાંય કોઈ ગફલત ન કરે. માયા અહીંયા જ ઘૂસા
મારી દે છે. દેહ-અભિમાન બહુ-બહુ જ ખરાબ છે. દેહ-અભિમાન માં આવવાથી બિલકુલ જ રસ્તા
પર આવી પડે છે. બાબા કહે છે અહીં આવીને બેસો છો તો પણ મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય)
બાપ ને યાદ કરો. બાપ કહે છે હું જ પતિત-પાવન છું, મને યાદ કરવાથી, આ યોગઅગ્નિથી
તમારા જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થશે. બાળકોની હમણાં એવી અવસ્થા થઈ નથી, જે કોઈને
પણ સારી રીતે સમજાવી શકે. જ્ઞાન તલવારમાં પણ યોગનું બળ જોઈએ. નહીં તો તલવાર કોઈ
કામની નથી રહેતી. મૂળ વાત છે જે યાદ ની યાત્રા. ઘણાં બાળકો ઉલ્ટા-સુલટા ધંધામાં
લાગ્યા રહે છે. યાદ ની યાત્રા અને ભણવાનું ભણતા નથી એટલે આમાં સમય નથી મળતો. બાપ કહે
છે એવી મહેનત નહીં કરો જે ધંધાદોરી ની પાછળ પોતાનું પદ ગુમાવી દો. પોતાનું ભવિષ્ય
તો બનાવવાનું છે ને. પરંતુ સતોપ્રધાન બનવાનું છે. એમાં જ બહુ મહેનત છે. બહુજ
મોટા-મોટા મ્યુઝિયમ વગેરે સંભાળવા વાળા છે પરંતુ યાદની યાત્રામાં નથી રહેતા. બાબાએ
સમજાવ્યું છે યાદની યાત્રામાં ગરીબ, બાંધેલીઓ વધારે રહે છે. ઘડી-ઘડી શિવબાબા ને યાદ
કરતા રહે છે. શિવબાબા અમારા આ બંધન ખલાસ કરો. અબળાઓ પર અત્યાચાર થાય છે, આ પણ ગાયન
છે.
આપ બાળકોએ બહુજ મીઠા બનવાનું છે. સાચા-સાચા વિદ્યાર્થી બનો. સારા વિદ્યાર્થી જે હોય
છે તે એકાંતમાં બગીચા માં જઈને ભણે છે. તમને પણ બાપ કહે છે ભલે ક્યાંય પણ ચક્ર
લગાડવા જાઓ, સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. યાદ ની યાત્રા નો શોખ રાખો. તે ધન
કમાવવાની તુલનાંમાં આ અવિનાશી ધન તો બહુ-બહુ જ ઊંચું છે. તે વિનાશી ધન તો પછી ખાખ
થઈ જવાનું છે. બાબા જાણે છે - બાળકો સર્વિસ પુરી નથી કરતા, યાદમાં મુશ્કેલ રહે છે.
સાચી સર્વિસ (સેવા) જે કરવી જોઈએ એ નથી કરતા. બાકી સ્થૂળ સર્વિસ માં ધ્યાન ચાલ્યું
જાય છે. ભલે ડ્રામા અનુસાર થાય છે પરંતુ તો પણ બાપ પુરુષાર્થ તો કરાવશે ને. બાપ કહે
છે કોઈપણ કામ કરો - કપડાં સીવો છો, બાપ ને યાદ કરો. યાદમાં જ માયા વિઘ્ન નાંખે છે.
બાબાએ સમજાવ્યું છે રુસ્તમ થી માયા પણ રુસ્તમ થઈને લડે છે. બાબા પોતાનું પણ બતાવે
છે. હું રુસ્તમ છું, જાણું છું હું બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનવા વાળો
છું તો પણ માયા સામનો કરે છે. માયા કોઈને પણ છોડતી નથી. પહેલવાનો થી તો વધારે જ લડે
છે. ઘણાં બાળકો પોતાનાં દેહનાં અહંકારમાં બહુ જ રહે છે. બાપ કેટલા નિરહંકારી રહે
છે. કહે છે હું પણ આપ બાળકોને નમસ્તે કરવાવાળો સેવક છું. તેઓ તો પોતાને બહુ જ ઊંચા
સમજે છે. આ દેહ-અહંકાર બધું છોડવાનું છે. ઘણામાં અહંકારનું ભૂત બેઠેલું છે. બાપ કહે
છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરતા રહો. અહીં તો બહુજ સારો ચાન્સ છે.
હરવા-ફરવાનું પણ સારું છે. ફુરસદ પણ છે, ભલે ચક્ર લગાવો પછી એક-બે ને પૂછો કેટલો
સમય યાદમાં રહ્યા, બીજા કોઈ તરફ બુદ્ધિ તો નથી ગઈ? આ પરસ્પરમાં સેમિનાર કરવી જોઈએ.
ભલે ફીમેલ (સ્ત્રી) અલગ, મેલ (પુરુષ) અલગ હોય. સ્ત્રી આગળ હોય, પુરુષ પાછળ હોય કારણ
કે માતાઓની સંભાળ કરવાની છે એટલે માતાઓને આગળ રાખવાની છે. બહુ સારું એકાંત છે.
સન્યાસી પણ એકાંતમાં ચાલ્યા જાય છે. સતોપ્રધાન સંન્યાસી જે હતા એ બહુ જ નિડર રહેતા
હતા. જાનવર, વગેરે કોઈનાં થી ડરતા નહોતા. એ નશામાં રહેતા હતા. હમણાં તમોપ્રધાન બની
પડ્યા છે. દરેક ધર્મ જે સ્થાપન થાય છે, પહેલાં સતોપ્રધાન હોય છે, પછી રજો, તમો માં
આવે છે. સંન્યાસી જે સતોપ્રધાન હતા એ બ્રહ્મની મસ્તીમાં મસ્ત રહેતા હતા. એમનાંમાં
બહુ જ કશિશ થતી હતી. જંગલમાં ભોજન મળતું હતું. દિન-પ્રતિદિન તમોપ્રધાન થવાથી તાકાત
ઓછી થતી જાય છે.
તો બાબા સલાહ દે છે - અહીં બાળકોએ પોતાની ઉન્નતિનો ચાન્સ બહુ સારો છે. અહીં તમે આવો
જ છો કમાણી કરવા માટે. બાબા ને ફક્ત મળવાથી કમાણી થોડી જ થશે. બાપને યાદ કરશો તો
કમાણી થશે. એવું નહીં સમજો બાબા આશીર્વાદ કરશે, કંઈ પણ નહીં. તે સાધુ લોકો વગેરે
આશીર્વાદ કરે છે, પરંતુ તમારે નીચે ઉતરવાનું જ છે. હવે બાપ કહે છે - જિન્ન બનીને
પોતાનો બુદ્ધિયોગ ઉપર લગાવો. જિન્ન ની વાર્તા છે ને. કહ્યું અમને કામ આપો. બાપ પણ
કહે છે - તમને ડાયરેક્શન આપું છું, યાદમાં રહો તો બેડો પાર થઈ જશે. તમારે સતોપ્રધાન
જરુર બનવાનું છે. માયા કેટલું પણ માથું મારે અમે તો શ્રેષ્ઠ બાપને જરુર યાદ કરશું.
એવી રીતે અંદર માં બાપ ની મહિમા કરતા બાપ ને યાદ કરતા રહો. કોઈ પણ મનુષ્યને યાદ ન
કરો. ભક્તિમાર્ગનાં જે રીત-રિવાજ છે એ જ્ઞાનમાર્ગમાં હોઈ ન શકે. બાપ શિક્ષણ આપે છે
યાદની યાત્રામાં તીખા (આગળ) જવાનું છે. મૂળ વાત આ છે. સતોપ્રધાન બનવાનું છે. બાપનું
ડાયરેક્શન મળે છે – હરવા-ફરવા જાઓ છો તો પણ યાદમાં રહો. તો ઘર પણ યાદ રહેશે, રાજાઈ
પણ યાદ રહેશે. એવું નહીં યાદ માં બેઠા-બેઠા પડી જવાનું છે. એ તો પછી હઠયોગ થઈ જાય
છે. આ તો સીધી વાત છે - સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. ઘણાં બાળકો
બેઠા-બેઠા પડી જાય છે એટલે બાબા તો કહે છે ચાલતા-ફરતા, ખાતા-પીતા યાદ માં રહો. એવું
નહીં, બેઠા-બેઠા બેહોશ થઈ જાઓ. એનાંથી કંઈ તમારા પાપ નહીં કપાશે. આ પણ માયાનાં બહુ
વિઘ્ન પડે છે. આ ભોગ વગેરેનો પણ રીત-રિવાજ છે, બાકી એમાં કંઈ છે નહીં. આ ન જ્ઞાન
છે, ન યોગ છે. સાક્ષાત્કારની કોઈ આવશ્યકતા નથી. ઘણાને સાક્ષાત્કાર થયા, તેઓ આજે છે
નહીં. માયા બહુ જ પ્રબળ છે. સાક્ષાત્કારની ક્યારેય આશ પણ ન રાખવી જોઈએ. આમાં તો બાપ
ને યાદ કરવાનાં છે - સતોપ્રધાન બનવા માટે. ડ્રામાને પણ જાણો છો, આ અનાદિ ડ્રામા
બનેલો છે, જે રીપીટ થતો રહે છે, એને પણ સમજવાનું છે અને બાપ જે ડાયરેક્શન આપે છે એનાં
પર પણ ચાલવાનું છે. બાળકો જાણે છે - અમે ફરીથી આવ્યા છે રાજયોગ શીખવા. ભારતની જ વાત
છે. આ જ તમોપ્રધાન બન્યું છે, પાછું એને જ સતોપ્રધાન બનવાનું છે. બાપ પણ ભારતમાં જ
આવીને બધાંની સદ્દ્ગતિ કરે છે. આ બહુજ વન્ડરફુલ ખેલ છે. હવે બાપ કહે છે – મીઠા-મીઠા
રુહાની બાળકો, સ્વયંને આત્મા સમજો. તમને ૮૪ નું ચક્ર લગાડતા પૂરા ૫ હજાર વર્ષ થયા
છે. હવે ફરીથી પાછું જવાનું છે. આ વાતો બીજું કોઈ કહી ન શકે. આપ બાળકોમાં પણ
નંબરવાર પુરુષાર્થ અનુસાર નિશ્ચય બુદ્ધિ થતા જાય છે. આ બેહદની પાઠશાળા છે. બાળકો
જાણે છે - બેહદ નાં બાપ આપણને ભણાવે છે, એ ઉસ્તાદ શિક્ષક છે, બહુ મોટા ઉસ્તાદ છે.
બહુજ પ્રેમથી સમજાવે છે. કેટલા સારા-સારા બાળકો બહુજ આરામથી ૬ વાગ્યા સુધી સૂતેલા
રહે છે. માયા એકદમ નાક થી પકડી લે છે. હુકુમ ચલાવતા રહે છે. શરુમાં તમે જ્યારે
ભઠ્ઠીમાં હતા તો મમ્મા-બાબા પણ બધી સર્વિસ કરતા હતા. જેવા કર્મ આપણે કરશું આપણને
જોઈ બીજા કરશે. બાબા તો જાણે છે મહારથી, ઘોડેસવાર, પ્યાદા નંબરવાર છે. ઘણાં બાળકો
બહુ આરામથી રહે છે. અંદર સૂતેલા રહે છે. બહાર કોઈ પૂછે ફલાણા ક્યાં છે? તો કહેશે,
છે નહીં. પરંતુ અંદર સૂતેલા પડ્યા છે. શું-શું થતું રહે છે, બાબા સમજાવે છે.
સંપૂર્ણ તો કોઈપણ બન્યાં નથી, કેટલી ડીસસર્વિસ (બદનામ) કરી લે છે. નહીં તો બાપ માટે
ગાયન છે – મારો કાં પ્રેમ કરો, અમે તમારો દરવાજો નહીં છોડશું. અહીં તો થોડી વાત પર
રિસાઈ જાય છે. યોગની બહુ જ ખોટ છે. બાબા કેટલું બાળકોને સમજાવતા રહે છે, પરંતુ કોઈ
માં તાકાત નથી જે લખે. યોગ હશે તો લખવામાં પણ તાકાત ભરાશે. બાપ કહે છે આ સારી રીતે
સિદ્ધ કરો - ગીતાનાં ભગવાન શિવ છે, ન કે શ્રીકૃષ્ણ.
બાપ આવીને આપ બાળકોને બધી વાતોનો અર્થ સમજાવે છે. બાળકોને અહીં નશો ચઢે છે પછી બહાર
જવાથી ખતમ. સમય ખોટી બહુજ કરે છે. અમે કમાણી કરી યજ્ઞને આપીએ, એવા ખ્યાલ રાખી પોતાનો
સમય વેસ્ટ નથી કરવાનો. બાપ કહે છે હું તો આપ બાળકોનું કલ્યાણ કરવા માટે આવ્યો છું,
તમે પછી પોતાનું નુકસાન કરી રહ્યા છો. યજ્ઞમાં તો જેમણે કલ્પ પહેલા મદદ કરી છે એ
કરતા રહે છે, કરતા રહેશે. તમે કેમ માથું મારો છો - આ કરીયે, તે કરીયે. ડ્રામામાં
નોંધ છે - જેમણે બીજ વાવ્યા છે, તે હમણાં પણ વાવશે. યજ્ઞનું તમે ચિંતન નહીં કરો.
પોતાનું કલ્યાણ કરો. પોતાની મદદ કરો. ભગવાન ને તમે મદદ કરો છો શું? ભગવાન થી તો તમે
લો છો કે આપો છો? આ ખ્યાલ પણ નહીં આવવો જોઈએ. બાબા તો કહે છે - લાડકા બાળકો, સ્વયંને
આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. હમણાં તમે સંગમયુગ પર ઊભા છો. સંગમ
પર જ તમે બંને તરફ જોઈ શકો છો. અહિયાં કેટલા બધાં મનુષ્ય છે, સતયુગમાં કેટલા થોડા
મનુષ્ય હશે. આખો દિવસ સંગમ પર ઊભા રહેવું જોઈએ. બાબા આપણને શું થી શું બનાવે છે!
બાપનો પાર્ટ કેટલો વન્ડરફુલ છે. હરો, ફરો યાદની યાત્રા માં રહો. ઘણાં બાળકો સમય
વેસ્ટ કરે છે. યાદ ની યાત્રા થી જ બેડો પાર થવાનો છે. કલ્પ પહેલાં પણ બાળકોને આમ જ
સમજાવ્યું હતું. ડ્રામા રીપીટ થતો રહે છે. ઉઠતા-બેસતા આખુ કલ્પવૃક્ષ બુદ્ધિમાં યાદ
રહે, આ છે ભણતર. બાકી ધંધો, આદિ તો ભલે કરો. ભણવા માટે સમય કાઢવો જોઈએ. સ્વીટ બાપ
અને સ્વર્ગ ને યાદ કરો. જેટલું યાદ કરશો તો અંત મતી સો ગતિ થઈ જશે. બસ બાબા, હવે
તમારી પાસે આવ્યા કે આવ્યા. બાપની યાદમાં પછી શ્વાસ પણ સુખ વાળો થઈ જશે. બ્રહ્મ
જ્ઞાનીઓનાં શ્વાસ પણ સુખ આપવા વાળા થઈ જાય છે. બ્રહ્મની યાદમાં રહે છે, પરંતુ
બ્રહ્મલોક માં કોઈ જતા નથી. જાતે જ શરીર છોડી દે - આ થઈ શકે છે. કોઈ ઉપવાસ રાખીને
શરીર છોડી દે છે, તેઓ દુઃખી થઈને મરે છે. બાપ તો કહે છે ખાઓ, પીઓ બાપને યાદ કરો તો
અંત મતી સો ગતિ થઈ જશે. મરવાનું તો છે ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
1.
સદા યાદ રહે - જે કર્મ આપણે કરશું આપણને જોઈ બીજા કરશે.... આવું આરામ-પસંદ નથી
બનવાનું જેથી ડીસસર્વિસ થાય. બહુ-બહુ જ નિરહંકારી રહેવાનું છે. પોતાને જ પોતે મદદ
કરી પોતાનું કલ્યાણ કરવાનું છે.
2.
ધંધા-દોરીમાં એવા વ્યસ્ત નથી થવાનું છે જે યાદ ની યાત્રા કે ભણવા માટે સમય જ ન મળે.
દેહ-અભિમાન બહુ જ ખોટું અને ખરાબ છે, એને છોડી દેહી-અભિમાની રહેવાની મહેનત કરવાની
છે.
વરદાન :-
વિલ પાવર ( આત્મવિશ્વાસ ) દ્વારા સેકન્ડમાં વ્યર્થ ને ફુલસ્ટોપ લગાડવા વાળા
અશરીરી ભવ
સેકન્ડમાં અશરીરી બનવાનું ફાઉન્ડેશન - આ બેહદની વૈરાગ્ય વૃત્તિ છે. આ વૈરાગ્ય એવી
યોગ્ય ધરની છે એમાં જે પણ નાખો એનું ફળ તરત જ નિકળે છે. તો હવે એવો વિલપાવર હોય, જો
સંકલ્પ કર્યો - વ્યર્થ સમાપ્ત, તો સેકન્ડમાં સમાપ્ત થઈ જાય. જ્યારે ઈચ્છો, જ્યાં
ઇચ્છો, જે સ્થિતિમાં ઇચ્છો સેકન્ડમાં સેટ કરી લો, સેવા ખેંચે નહીં. સેકન્ડમાં
ફુલસ્ટોપ લાગી જાય તો સહજ જ અશરીરી બની જશો.
સ્લોગન :-
બાપ સમાન બનવું છે તો બિગડી ને બનાવવા વાળા બનો.