29-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  16.02.85    બાપદાદા મધુબન



“દરેક શ્વાસ માં ખુશી નાં સુર વાગવાં એ જ આ શ્રેષ્ઠ જન્મ ની સૌગાત છે”


 


આજે ભોળાનાથ બાપ ભોળા ભંડારી પોતાનાં અતિ સ્નેહી, સદા સહયોગી, સહજયોગી સર્વ ખજાનાંના માલિક બાળકોથી મિલન મનાવવાં આવ્યાં છે. હમણાં પણ માલિક, ભવિષ્યમાં પણ માલિક. હમણાં વિશ્વ રચયિતાનાં બાળક સો માલિક છો, ભવિષ્યમાં વિશ્વનાં માલિક છો. બાપદાદા પોતાનાં આવાં માલિક બાળકોને જોઈ હર્ષિત થાય છે. આ બાળક સો માલિક પણ નો અલૌકિક નશો, અલૌકિક ખુશી છે. એવાં સદા ખુશનસીબ સદા સંપન્ન શ્રેષ્ઠ આત્માઓ છો ને. આજે બધાં બાળકો બાપનાં અવતરણની જયંતી મનાવવા માટે ઉમંગ-ઉત્સાહ માં હર્ષિત થઈ રહ્યા છે. બાપદાદા કહે છે બાપની જયંતી સો બાળકોની પણ જયંતી છે એટલે આ વન્ડરફુલ જયંતી છે. આમ બાપ અને બાળકોની એક જ જયંતી નથી હોતી. હોય છે? એ જ દિવસ બાપના જન્મનો હોય અને બાળકનો પણ હોય, આવું ક્યારેય સાંભળ્યું છે? આ અલૌકિક જયંતી છે. જે ઘડી બાપ બ્રહ્મા બાળકમાં અવતરિત થયા એ જ દિવસે એ જ સમયે બ્રહ્માનો પણ સાથે-સાથે અલૌકિક જન્મ થયો. એક સાથે જન્મ થયો ને. અને બ્રહ્માની સાથે અનન્ય બ્રાહ્મણોનો પણ જન્મ થયો, એટલે દિવ્ય જન્મની તિથિ, વેળા, રેખા બ્રહ્માની અને શિવ બાબાનાં અવતરણની એક જ હોવાના કારણે શિવ બાપ અને બ્રહ્મા બાળક પરમ આત્મા અને મહાન આત્મા હોવા છતાં પણ બ્રહ્મા બાપ સમાન બન્યા. સમાનતા ના કારણે કમ્બાઈન્ડ રુપ બની ગયા. બાપદાદા, બાપદાદા સદા ભેગા બોલે છે. અલગ નહીં. તેમ જ અનન્ય બ્રાહ્મણ બાપદાદાની સાથે-સાથે બ્રહ્માકુમાર, બ્રહ્માકુમારી નાં રુપમાં અવતરિત થયા.
તો બ્રહ્મા અને કુમાર કુમારી આ પણ કમ્બાઈન્ડ બાપ અને બાળકની સ્મૃતિનું નામ છે. તો બાપદાદા બાળકોનાં બ્રાહ્મણ જીવનની અવતરણ જયંતી મનાવવા આવ્યા છે. તમે બધા પણ અવતાર છો ને! અવતાર અર્થાત્ શ્રેષ્ઠ સ્મૃતિ – “હું દિવ્ય જીવન વાળી બ્રાહ્મણ આત્મા છું.” તો નવો જન્મ થયો ને! ઊંચી સ્મૃતિથી આ સાકાર શરીરમાં અવતરીત થઈ વિશ્વ કલ્યાણ નાં કાર્યમાં નિમિત્ત બન્યા છો. તો અવતાર થયા ને. જેમ બાપ અવતરિત થયા છે એમ તમે બધા અવતરિત થયા છો વિશ્વ પરિવર્તન માટે. પરિવર્તન થવું જ અવતરિત થવું છે. તો આ અવતારોની સભા છે. બાપની સાથે-સાથે આપ બ્રાહ્મણ બાળકોનો પણ અલૌકિક બર્થ ડે છે. તો બાળકો બાપની જયંતી મનાવશે કે બાપ બાળકોની મનાવશે. કે બધા મળીને એક-બીજાની મનાવશે! આ તો ભક્ત લોકો ફક્ત યાદગાર મનાવતા રહ્યા અને તમે સમ્મુખ બાપની સાથે મનાવો છો. આવું શ્રેષ્ઠ ભાગ્ય, કલ્પ-કલ્પ નાં ભાગ્યની રેખા અવિનાશી ખેંચાઈ ગઈ. સદા આ સ્મૃતિમાં રહે કે અમારું ભગવાનની સાથે ભાગ્ય છે. ડાયરેક્ટ ભાગ્યવિધાતા ની સાથે ભાગ્ય પ્રાપ્ત કરવાનો પાર્ટ છે. એવા ડબલ હીરો, હીરો પાર્ટધારી પણ છો અને હીરા તુલ્ય જીવન વાળા પણ છો. તો ડબલ હીરો થઈ ગયા ને. આખા વિશ્વની નજર આપ હીરો પાર્ટધારી આત્માઓની તરફ છે. આપ ભાગ્યવાન આત્માઓની આજે અંતિમ જન્મમાં પણ કે કલ્પના અંતિમ કાળમાં પણ કેટલી યાદ, યાદગાર નાં રુપમાં બનેલી છે. બાપનાં કે બ્રાહ્મણોનાં બોલ યાદગાર રુપમાં શાસ્ત્ર બની ગયા છે જે હમણાં પણ બે વચન સાંભળવા માટે તરસતાં રહે છે. બે વચન સાંભળવાથી શાંતિનો, સુખનો અનુભવ કરવા લાગે છે.
આપ ભાગ્યવાન આત્માઓનાં શ્રેષ્ઠ કર્મ ચરિત્ર નાં રુપમાં હજી સુધી પણ ગવાઈ રહ્યા છે. આપ ભાગ્યવાન આત્માઓની શ્રેષ્ઠ ભાવના, શ્રેષ્ઠ કામના નાં શ્રેષ્ઠ સંકલ્પ દુઆ નાં રુપમાં ગવાઈ રહ્યાં છે. કોઈપણ દેવતાની આગળ દુઆ માંગવા જાય છે. આપ ભાગ્યવાન આત્માઓની શ્રેષ્ઠ સ્મૃતિ-સિમરણ નાં રુપમાં હમણાં પણ યાદગાર ચાલી રહી છે. સિમરણ ની કેટલી મહિમા કરે છે. ચાહે નામ સિમરણ કરે, ચાહે માળાના રુપમાં સિમરણ કરે. આ સ્મૃતિનું યાદગાર સિમરણ રુપમાં ચાલી રહ્યું છે. તો આવાં ભાગ્યવાન કેવી રીતે બન્યા! કારણકે ભાગ્યવિધાતા ની સાથે ભાગ્યવાન બન્યા છો. તો સમજો છો કેટલો ભાગ્યવાન દિવ્ય જન્મ છે? આવાં દિવ્ય જન્મ ની, બાપદાદા ભગવાન, ભાગ્યવાન બાળકોને અભિનંદન આપી રહ્યા છે. સદા અભિનંદન જ અભિનંદન છે. આ ફક્ત એક દિવસ માટે અભિનંદન નથી. આ ભાગ્યવાન જન્મ દરેક સેકન્ડ, દરેક સમય અભિનંદન થી ભરપૂર છે. સ્વયંનાં આ શ્રેષ્ઠ જન્મને જાણો છો ને? દરેક શ્વાસમાં ખુશીનો સુર વાગી રહ્યો છે. શ્વાસ નથી ચાલતો પરંતુ ખુશી નો સુર ચાલી રહ્યો છે. સુર સાંભળવામાં આવે છે ને! કુદરતી સુર કેટલો શ્રેષ્ઠ છે! આ દિવ્ય જન્મનો ખુશીનો સુર અર્થાત્ શ્વાસ દિવ્ય જન્મની શ્રેષ્ઠ સૌગાત છે. બ્રાહ્મણ જન્મ થતાં જ આ ખુશીનો સુર સૌગાત માં મળેલો છે ને. સુરમાં પણ આંગળીઓ નીચે ઉપર કરો છો ને. તો શ્વાસ પણ નીચે ઉપર ચાલે છે. તો શ્વાસ ચાલવો અર્થાત્ સુર ચાલવો. શ્વાસ બંધ ન થઈ શકે. તો સૂર પણ બંધ ન થઈ શકે. બધાનો ખુશીનો સુર ઠીક ચાલી રહ્યો છે ને! ડબલ વિદેશી શું સમજો છો? ભોળા ભંડારી થી બધાં ખજાનાં લઇ પોતાનો ભંડારો ભરપૂર કરી લીધો છે ને, જે ૨૧ જન્મ ભંડારા ભરપૂર રહેશે. ભરવાની મહેનત નહીં કરવી પડશે. આરામથી પ્રાલબ્ધ પ્રાપ્ત થશે. હમણાં નો પુરુષાર્થ ૨૧ જન્મની પ્રાલબ્ધ. ૨૧ જન્મ સદા સંપન્ન સ્વરુપમાં હશો. તો પુરુષાર્થ શું કર્યો? મહેનત લાગે છે? પુરુષાર્થ અર્થાત્ ફક્ત પોતાને આ રથમાં વિરાજમાન પુરુષ અર્થાત્ આત્મા સમજો. આને કહેવાય છે પુરુષાર્થ. આ પુરુષાર્થ કર્યો ને. આ પુરુષાર્થના ફળ સ્વરુપ ૨૧ જન્મ સદા ખુશ અને મોજમાં રહશો. હમણાં પણ સંગમયુગ મોજો નો યુગ છે. મુંઝાવાનો નહીં, મોજોનો યુગ છે. જો કોઈ પણ વાતમાં મુંજાઓ છો તો સંગમયુગથી પગ થોડા કળયુગ તરફ જાય એટલે મૂંઝાઓ છો. સંકલ્પ અથવા બુદ્ધિ રુપી પગ સંગમયુગ પર છે તો સદા મોજમાં છો. સંગમયુગ અર્થાત્ બંનેનું મિલન મનાવવાનો યુગ છે. તો બાપ અને બાળક નો મિલન મનાવવાનો સંગમયુગ છે. જ્યાં મિલન છે, ત્યાં જ મોજ છે. તો મોજ મનાવવાનો જન્મ છે ને. મુંઝાવાનું નામ-નિશાન નથી. મોજ નાં સમય પર ખૂબ રુહાની મોજ મનાવો. ડબલ વિદેશી તો ડબલ મોજ માં રહેવા વાળા છે ને. આવાં મોજ નાં જન્મ ની મુબારક છે. મુંઝાવા માટે વિશ્વમાં અનેક આત્માઓ છે, તમે નથી. એ પહેલા જ બહુ છે. અને મોજ મનાવવા વાળા તમે થોડા જ છો. સમજયા - સ્વયંની આ શ્રેષ્ઠ જયંતીને! આમ પણ આજકાલ જ્યોતિષ વિદ્યા વાળા દિવસ, તિથિ અને વેળાના આધાર પર ભાગ્ય બતાવે છે. તમારા બધાની વેળા કઈ છે! તિથી કઈ છે? બાપની સાથે-સાથે બ્રાહ્મણોનો પણ જન્મ છે ને. તો ભાગ્યવાનની જે તિથી એ તમારી.
ભગવાનના અવતરણ અર્થાત્ દિવ્ય જનમની જે વેળા એ તમારી વેળા થઈ ગઈ. કેટલી ઊંચી વેળા છે. કેટલી ઊંચી રેખા છે, જેને દશા કહે છે. તો દિલમાં સદા એ ઉમંગ ઉત્સાહ રહે કે બાપની સાથે-સાથે આપણો જન્મ છે. બ્રહ્મા બ્રાહ્મણોના વગર કંઈ કરી નથી સકતા. શિવ બાપ બ્રહ્મા વગર કંઈ કરી નથી સકતા. તો સાથે-સાથે થયા ને. તો જન્મ તિથિ, જન્મ વેળાનું મહત્વ સદા યાદ રાખો. જે તિથિ પર ભગવાન ઉતર્યા, એ તિથિ પર આપણે આત્મા અવતરિત થયા. નામ રાશિ પણ જુઓ – બ્રહ્મા-બ્રાહ્મણ. બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી. નામ રાશિ પણ એ જ શ્રેષ્ઠ છે, એવા શ્રેષ્ઠ જન્મ કે જીવન વાળા બાળકો ને જોઈ બાપ સદા હર્ષિત થાય છે. બાળકો કહે છે વાહ! બાબા વાહ! અને બાપ કહે વાહ બાળકો! આવાં બાળકો પણ કોઈને નહીં મળશે.
આજનાં આ દિવ્ય દિવસની વિશેષ સૌગાત બાપદાદા બધા સ્નેહી બાળકોને બે સ્વર્ણિમ બોલ આપી રહ્યા છે. એક સદા સ્વયંને સમજો – “હું બાપનો નૂરે રત્ન છું.” નૂરે રત્ન અર્થાત્ સદા નયનોમાં સમાયેલા. નયનોમાં સમાવાનું સ્વરુપ બિંદી હોય છે. નયનોમાં બિંદી ની કમાલ છે. તો નૂરે રત્ન અર્થાત્ બિંદુ બાપ માં સમાયેલો છું. સ્નેહમાં સમાયેલો છું. તો એક આ સ્વર્ણિમ શબ્દ યાદ રાખજો કે નૂરે રત્ન છું. બીજો – “સદા બાપ નો સાથ અને હાથ મારા ઉપર છે.” સાથ પણ છે અને હાથ પણ છે. સદા આશીર્વાદ નો હાથ છે, અને સદા સહયોગ નો સાથ છે. તો સદા બાપ નો હાથ છે જ. સાથ આપવો એ હાથ રાખવો નથી, પરતું છે જ. આ બીજો સ્વર્ણિમ શબ્દ સદા સાથ અને સદા હાથ. આ આજનાં દિવ્ય જન્મ ની સૌગાત છે. અચ્છા-
આવાં ચારે બાજુનાં સદા શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકોને, સદા દરેક શ્વાસને ખુશીનો સુર અનુભવ કરવા વાળા બાળકોને, ડબલ હીરો બાળકોને, સદા ભગવાન અને ભાગ્ય એવા સ્મૃતિ સ્વરુપ બાળકોને, સદા સર્વ ખજાનાંથી ભરપૂર ભંડારવાળા બાળકોને, ભોળાનાથ અમરનાથ, વરદાતા બાપ ની બહુ-બહુ જ દિવ્ય જન્મની અભિનંદન ની સાથે-સાથે યાદપ્યાર અને નમસ્તે.
દાદીઓ થી - બેહદ બાપની સ્નેહ ની બાહો બહુ જ મોટી છે, એ જ સ્નેહની બાહોમાં કે ભાકીમાં બધાં જ સમાયેલા છે. સદા જ બધાં બાળકો બાપની ભુજાઓની અંદર ભુજાઓની માળાના અંદર છો ત્યારે માયાજીત છો. બ્રહ્માની સાથે-સાથે જન્મ લેવાવાળા શ્રેષ્ઠ આત્માઓ છો ને. તિથિમાં જરા પણ અંતર નથી એટલે બ્રહ્માનાં બહુ જ મુખ દેખાડ્યા છે. બ્રહ્માને પંચ મુખી કે ત્રણ મુખી દેખાડે છે કારણકે બ્રહ્માની સાથે-સાથે બ્રાહ્મણ છે. તો ત્રણ મુખ વાળામાં તમે છો કે પાંચ મુખ વાળામાં છો. મુખ પણ સહયોગી હોય છે ને. બાપને પણ નશો છે – કયો? આખા વિશ્વમાં કોઇપણ બાપ આવા બાળકો શોધીને લાવે તો મળશે! (નહી) બાપ કહેશે આવા બાળકો નહીં મળશે, બાળકો કહે છે આવા બાપ નહી મળશે. સારું છે - બાળકો જ ઘરની રોનક હોય છે. એકલા બાપથી ઘરની રોનક નથી હોતી એટલે બાળકો આ વિશ્વરુપી ઘરની રોનક છે. આટલા બધા બ્રાહ્મણોની રોનક લગાવવા નિમિત્ત કોણ બન્યા? બાળકો બન્યા ને! બાપ પણ બાળકો ની રોનક જોઈ ખુશ થાય છે. બાપ ને તમારા લોકો થી પણ વધારે માળાઓ સિમરણ કરવી પડે છે. તમારે તો એક જ બાપ ને યાદ કરવા પડે અને બાપને કેટલી માળા સિમરણ કરવી પડે છે. જેટલી ભક્તિમાર્ગમાં માળાઓ નાખી છે એટલી બાપને હમણાં સિમરણ કરવી પડે છે. એક બાળકની પણ માળા બાપ એક દિવસ પણ સિમરણ ન કરે એ બની ન શકે. તો બાપ પણ નૌધા ભક્ત થઈ ગયા ને. એક-એક બાળક ની વિશેષતાઓની, ગુણોની માળા સિમરણ કરતાં અને જેટલીવાર સિમરણ કરતાં એટલા એ ગુણ અને વિશેષતાઓ વધારે તાજા થતા જાય છે. માળા બાપ સિમરણ કરતાં પરંતુ માળાનું ફળ બાળકોને આપે છે, પોતે નથી લેતા. અચ્છા - બાપદાદા તો સદા બાળકોની સાથે જ રહે છે. એક પળ પણ બાળકોથી અલગ નથી રહી સકતા. રહેવા ઇચ્છે તો પણ નથી રહી સકતા. કેમ? જેટલું બાળકો યાદ કરે છે એનો રિસપોન્ડ (જવાબ) તો આપશે ને! યાદ કરવાનું વળતર તો આપવું પડે ને. તો સેકન્ડ પણ બાળકોના સિવાય રહી નથી સકતા. આવું પણ ક્યારેય વન્ડર નહીં જોયું હોય કે સાથે જ રહે. બાપ બાળકોથી અલગ જ ન થાય. એવા બાપ-બેટા ની જોડી ક્યારેય નહીં જોઇ હોય. બહુ જ સરસ બગીચો તૈયાર થયો છે. તમને બધાને પણ બગીચો સારો લાગે છે ને. એક-એક ની સુગંધ ન્યારી અને પ્યારી છે એટલે અલ્લાહ નો બગીચો ગવાય છે.
બધાં જ આદિ રત્ન છો, એક-એક રત્ન ની કેટલી વેલ્યુ છે અને દરેક રત્નની દર સમયે દર કાર્યમાં આવશ્યકતા છે. તો બધાં જ શ્રેષ્ઠ રત્ન છો. જેમની હમણાં પણ રત્નોનાં રુપમાં પૂજા થાય છે. હમણાં અનેક આત્માઓ ની વિઘ્ન વિનાશક બનવાની સેવા કરો છો ત્યારે યાદગાર રુપમાં એક-એક રત્નની વેલ્યુ હોય છે. એક-એક રત્નની વિશેષતા હોય છે. કોઈ વિઘ્નને નાશ કરવાવાળા રત્ન હોય છે, કોઈ શું! તો હવે છેલ્લે સુધી પણ સ્થૂળ યાદગાર રુપ સેવા કરી રહ્યું છે. એવાં સેવાધારી બન્યા છો. સમજ્યા.

સંમેલન માં આવેલા વિદેશી પ્રતિનિધિઓથી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
બધા ક્યાં પહોંચ્યા છો? બાપના ઘરમાં આવ્યા છો, એવો અનુભવ કરો છો? તો બાપ નાં ઘરમાં મહેમાન આવે છે કે બાળકો આવે છે? બાળકો છો, અધિકારી છો કે મહેમાન છો? બાપ નાં ઘરમાં આવ્યા છો, બાપના ઘરમાં સદા અધિકારી બાળકો આવે છે. હવેથી પોતાને મહેમાન નહીં પરંતુ બાપના બાળકો મહાન આત્માઓ સમજીને આગળ વધજો. ભાગ્યવાન હતા જે આ સ્થાન પર પહોંચ્યા છો. હવે શું કરવાનું છે? અહીં પહોંચવું એ ભાગ્ય તો થયું પરંતુ આગળ શું કરવાનું છે. હવે સદા સાથે રહેજો, યાદ માં રહેવું જ સાથ છે. એકલા નહી જતાં. કમ્બાઈન્ડ થઈને જ્યાં પણ જશો, જે પણ કર્મ કરશો એ કમ્બાઇન્ડ રુપથી કરવાથી સદા સહજ અને સફળ અનુભવ કરશો. સદા સાથે રહીશું આ સંકલ્પ જરુર કરીને જજો. પુરુષાર્થ કરશું, જોઇશું, આ નહીં, કરવાનું જ છે કારણકે દ્રઢતા સફળતાની ચાવી છે. તો આ ચાવી સદા પોતાની સાથે રાખજો. આ એવી ચાવી છે, જે ખજાનો જોઈએ એ સંકલ્પ કર્યો અને ખજાનો મળ્યો. આ ચાવી સદા સાથે રાખવી અર્થાત્ સદા સફળતા પામવી. હવે મહેમાન નહી અધિકારી આત્મા. બાપદાદા પણ આવાં અધિકારી બાળકોને જોઈ હર્ષિત થાય છે. જે અનુભવ કર્યો તે અનુભવનો ખજાનો સદા વહેચતા રહેજો જેટલું વહેચસો એટલું આગળ વધતો રહેશે. તો મહાદાની બનજો ફક્ત પોતાની પાસે નહીં રાખતાં. અચ્છા!
વિદાઈ નાં સમયે ૩-૩:૩૦ વાગે - બધા બાળકોને મુબારક ની સાથે-સાથે ગુડ મોર્નિંગ. જેમ આજની રાત શુભ મિલન ની મોજ માં વિતાવી તેમ સદા દિવસ-રાત બાપનાં મિલન મોજમાં મનાવતાં રહેજો. આખું સંગમયુગ સદા બાપથી અભિનંદન લેતા જતા, વૃદ્ધિને પામતા જતા, આગળ વધતા જતા બધાંને આગળ વધારતાં રહેજો. સદા મહાદાની વરદાની બનીને અનેક આત્માઓને દાન પણ દેજો, વરદાન પણ દેજો.
અચ્છા - આવાં સદા વિશ્વ કલ્યાણકારી, સદા રહમદિલ સદા સર્વ પ્રતિ શુભભાવના રાખવાવાળા બાળકોને યાદગાર અને ગુડ મોર્નિંગ.

વરદાન :-
મહેસૂસતા ની શક્તિ દ્વારા સ્વ પરિવર્તન કરવાવાળા તીવ્ર પુરુષાર્થી ભવ:

કોઈપણ પરિવર્તનો સહજ આધાર મહેસૂસતા ની શક્તિ છે. જ્યાં સુધી મહેસૂસતા ની શક્તિ નહીં આવે, ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય અને જ્યાં સુધી અનુભૂતિ નહીં, ત્યાં સુધી બ્રાહ્મણ જીવન ની વિશેષતાનું ફાઉન્ડેશન મજબૂત નથી. ઉમંગ-ઉત્સાહ ની ચાલ નથી. જ્યારે મહેસૂસતા ની શક્તિ દરેક વાતની અનુભવી બનાવે છે ત્યારે તીવ્ર પુરુષાર્થી બની જાઓ છો. મહેસૂસતા ની શક્તિ સદાકાળ માટે સહજ પરિવર્તન કરાવી દે છે.

સ્લોગન :-
સ્નેહનાં સ્વરુપને સાકાર માં ઈમર્જ કરી બ્રહ્મા બાપ સમાન બનો.