13-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સાચી
કમાણી કરવાનો પુરુષાર્થ પહેલા સ્વયં કરો પછી પોતાનાં મિત્ર - સંબંધીઓને પણ કરાવો ,
ચેરિટી બિગેન્સ એટ હોમ ”
પ્રશ્ન :-
સુખ અથવા ચેન
પ્રાપ્ત કરવાની વિધિ શું છે?
ઉત્તર :-
પવિત્રતા. જ્યાં
પવિત્રતા છે ત્યાં સુખ-ચૈન છે. બાપ પવિત્ર દુનિયા સતયુગની સ્થાપના કરે છે. ત્યાં
વિકાર હોતા નથી. જે દેવતાઓ નાં પુજારી છે તે ક્યારેય આવાં પ્રશ્ન ન કરી શકે કે
વિકારો વગર દુનિયા કેમ ચાલશે? હવે તમારે ચૈન ની દુનિયામાં ચાલવાનું છે એટલે આ પતિત
દુનિયાને ભૂલવાની છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે.
ઓમ શાંતિ!
ઓમ શાંતિ નો
અર્થ તો બાળકોને સમજાવેલ છે. શિવબાબા પણ ઓમ શાંતિ કહી શકે છે તો સાલિગ્રામ બાળકો પણ
કહી શકે છે. આત્મા કહે છે ઓમ શાંતિ્. સન ઓફ સાઈલેન્સ ફાધર (શાંતિનાં પિતાનાં બાળક).
શાંતિનાં માટે જંગલ વગેરેમાં જઈને કોઈ ઉપાય નથી કરાતો. આત્મા તો છે જ શાંત. પછી
ઉપાય શું કરવાનો છે? આ બાપ બેસી સમજાવે છે. એ બાપને જ કહે છે કે ત્યાં લઈ ચલો જ્યાં
સુખ ચેન પામીએ. ચેન અથવા સુખ બધાં મનુષ્ય ઈચ્છે છે. પરંતુ સુખ અને શાંતિ નાં પહેલા
તો જોઈએ પવિત્રતા. પવિત્ર ને પાવન, અપવિત્ર ને પતિત કહેવાય છે. પતિત દુનિયાવાળા
પુકારતા રહે છે કે આવીને અમને પાવન દુનિયામાં લઈ ચલો. એ છે જ પતિત દુનિયાથી મુક્ત
કરી પાવન દુનિયામાં લઈ ચાલવા વાળા. સતયુગ માં છે પવિત્રતા, કળયુગ માં છે અપવિત્રતા.
તે નિર્વિકારી દુનિયા, આ વિકારી દુનિયા. આ તો બાળકો જાણે છે દુનિયા વૃદ્ધિને પામતી
રહે છે. સતયુગ નિર્વિકારી દુનિયા છે તો જરુર મનુષ્ય થોડા હશે. તે થોડા કોણ હશે?
બરાબર સતયુગમાં દેવી-દેવતાઓનું રાજ્ય છે, તેને જ ચેનની દુનિયા અથવા સુખધામ કહેવાય
છે. આ છે દુ:ખધામ. દુ:ખધામ ને બદલી સુખધામ બનાવવાવાળા એક જ પરમપિતા પરમાત્મા છે.
સુખ નો વારસો જરુર બાપ જ દેશે. હવે એ બાપ કહે છે દુઃખધામ ને ભૂલો, શાંતિધામ અને
સુખધામ ને યાદ કરો એને જ મનમનાભવ કહેવાય છે. બાપ આવીને બાળકોને સુખધામ નો
સાક્ષાત્કાર કરાવે છે. દુ:ખધામ નો વિનાશ કરાવી શાંતિધામ માં લઈ જાય છે. આ ચક્રને
સમજવાનું છે. ૮૪ જન્મ લેવા પડે છે. જે પહેલા સુખધામ માં આવે છે, તેમનાં છે ૮૪ જન્મ
ફક્ત આટલી વાતો યાદ કરવાથી પણ બાળકો સુખધામ નાં માલિક બની શકે છે.
બાપ કહે છે બાળકો, શાંતિધામ ને યાદ કરો અને પછી વારસા ને અર્થાત્ સુખધામ ને યાદ કરો.
પહેલા-પહેલા તમે શાંતિધામ માં જાઓ છો તો પોતાને શાંતિધામ, બ્રહ્માંડ નાં માલિક સમજો.
ચાલતાં-ફરતાં પોતાને ત્યાંનાં વાસી સમજશો તો આ દુનિયા ભૂલાતી જશે. સતયુગ છે સુખધામ
પરંતુ બધાં તો સતયુગમાં આવી નથી સકતા. આ વાતો સમજશે જ તે જે દેવતાઓના પુજારી છે. આ
છે સાચી કમાણી, જે સાચાં બાપ શીખવાડે છે. બાકી બધી છે જુઠ્ઠી કમાણીઓ. અવિનાશી જ્ઞાન
રત્નોની કમાણી જ સાચી કમાણી કહેવાય છે, બાકી વિનાશી ધન-સંપત્તિ એ છે જુઠ્ઠી કમાણી.
દ્વાપર થી લઈને તેઓ જુઠ્ઠી કમાણી કરતા આવ્યા છીએં. આ અવિનાશી સાચી કમાણી ની
પ્રાલબ્ધ સતયુગ થી શરુ થઈ ત્રેતા માં પૂરી થાય છે અર્થાત્ અડધો કલ્પ ભોગવો છો. પછી
ત્યારબાદ જુઠ્ઠી કમાણી શરુ થાય છે, જેથી અલ્પકાળ ક્ષણભંગુર સુખ મળે છે. આ અવિનાશી
જ્ઞાન રત્ન, જ્ઞાન સાગર જ આપે છે. સાચી કમાણી સાચાં બાપ કરાવે છે. ભારત સચખંડ હતું,
ભારત જ હવે જુઠ્ઠખંડ બન્યું છે. બીજા ખંડોને સચખંડ, જુઠ્ઠખંડ નથી કહેવાતું. સચખંડ
બનાવવા વાળા બાદશાહ સત્ય એ છે. સાચાં છે એક ગોડ ફાધર, બાકી છે જુઠ્ઠા ફાધર. સતયુગમાં
પણ સાચાં ફાધર મળે છે કારણ કે ત્યાં જુઠ્ઠું પાપ હોતું નથી. આ છે જ પાપ આત્માઓની
દુનિયા, તે છે પુણ્ય આત્માઓની દુનિયા. તો હવે આ સાચી કમાણી નાં માટે કેટલો
પુરુષાર્થ કરવો જોઈએ. જેમણે કલ્પ પહેલા કમાણી કરી છે, તે જ કરશે. પહેલા સ્વયં સાચી
કમાણી કરી પછી પિયર અને સાસરા ને આજ સાચી કમાણી કરાવવાની છે. ચેરિટી બિગેન્સ એટ હોમ.
સર્વવ્યાપી નાં જ્ઞાનવાળા ભક્તિ કરી નહીં શકે. જ્યારે બધાં ભગવાન નાં રુપ છે પછી
ભક્તિ કોની કરે છે? તો આજ દુબન થી નિકાળવા માં મહેનત કરવી પડે છે. સન્યાસી લોકો
ચેરિટી બિગેન્સ એટ હોમ શું કરશે? પહેલાં તો તે ઘરબાર નાં સમાચાર આપતા જ નથી. બોલો,
કેમ નથી આપતા? ખબર તો પડવી જોઈએ ને. આપવામાં શું છે, ફલાણા ઘરનાં હતા પછી સંન્યાસ
ધારણ કર્યો! તમને પૂછે તો તમે ઝટ બતાવી શકો છો. સંન્યાસીઓના અનુયાયી તો બહુ જ છે.
તેઓ પછી જો બેસીને કહે કે ભગવાન એક છે તો બધાં તેમને પૂછશે તમને કોણે આ જ્ઞાન
સંભળાવ્યું? કહે બી. કે. એ, તો આખો તેમનો ધંધો જ ખલાસ થઇ જાય. આવી રીતે કોણ પોતાની
ઈજ્જત ગુમાવશે? પછી કોઈ ખાવાનું પણ ન દે એટલે સંન્યાસીઓના માટે તો બહુ જ મુશ્કેલ
છે. પહેલા તો પોતાનાં મિત્રો-સંબંધીઓ વગેરેને જ્ઞાન આપી સાચી કમાણી કરાવવી પડે
જેનાથી તેઓ ૨૧ જન્મ સુખ પામે. વાત છે બહુ જ સહજ. પરંતુ ડ્રામામાં આટલા શાસ્ત્ર
મંદિર વગેરે બનવાની પણ નોંધ છે.
પતિત દુનિયામાં રહેવાવાળા કહે છે હવે પાવન દુનિયામાં લઈ ચલો. સતયુગ ને ૫૦૦૦ વર્ષ થયા.
તેમણે તો કળયુગની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે તો પછી મનુષ્ય કેવી રીતે સમજે કે
સુખધામ ક્યાં છે? ક્યારે થશે? તેઓ તો કહે છે મહાપ્રલય થાય છે ત્યારે પછી સતયુગ થાય
છે. પહેલા-પહેલા શ્રીકૃષ્ણ અંગૂઠો ચૂસતાં સાગર માં પીપળનાં પાંદડા પર આવે છે. હવે
ક્યાંની વાત ક્યાં લઈ ગયા છે! હવે બાપ કહે છે બ્રહ્મા દ્વારા હું બધાં વેદો-શાસ્ત્રો
નો સાર સંભળાવું છું એટલે વિષ્ણુની નાભિ-કમળ થી બ્રહ્મા દેખાડે છે અને પછી હાથમાં
શાસ્ત્ર આપી દીધા છે. હમણાં બ્રહ્મા તો જરુર અહિયાં હશે. સૂક્ષ્મવતન માં તો શાસ્ત્ર
નહીં હોય ને. બ્રહ્મા અહિયાં હોવા જોઈએ. વિષ્ણુ લક્ષ્મી-નારાયણ નાં રુપ પણ તો અહીંયા
હોય છે. બ્રહ્મા જ સો વિષ્ણુ બને છે પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે. હવે બ્રહ્મા થી
વિષ્ણુ નિકળે કે વિષ્ણુ થી બ્રહ્મા નિકળે? આ બધી સમજવાની વાતો છે. પરંતુ આ વાતોને
સમજશે તે જે સારી રીતે ભણશે. બાપ કહે છે જ્યાં સુધી તમારું શરીર છુટે ત્યાં સુધી
સમજતા જ રહેશો. તમે બિલકુલ જ ૧૦૦ ટકા બેસમજ, કંગાળ બની ગયા છો. તમે જ સમજદાર
દેવી-દેવતા હતા, હવે ફરીથી તમે દેવી-દેવતા બની રહ્યા છો. મનુષ્ય તો બનાવી ન શકે. તમે
તો દેવતા હતા પછી ૮૪ જન્મ લેતા-લેતા એકદમ કળાહીન થઈ ગયા છો. તમે સુખધામ માં બહુ જ
ચેનમાં હતા, હવે બેચેન છો. તમે ૮૪ જન્મો નો હિસાબ બતાવી શકો છો. ઈસ્લામી, બૌદ્ધી,
સિક્ખ, ઈસાઈ મઠ-પંથ બધાં કેટલા જન્મ લેશે? આ હિસાબ નિકાળવો તો સહજ છે. સ્વર્ગનાં
માલિક તો ભારતવાસી જ બનશે. સેપલીંગ (કલમ) લાગે છે ને. સ્વયં સમજી જાય તો પછી
પહેલાં-પહેલાં પોતાનાં માતા-પિતા, બહેન-ભાઈઓ ને જ્ઞાન દેવું પડે. ગૃહસ્થ વ્યવહારમાં
રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે પછી ચેરિટી બિગેન્સ એટ હોમ. પિયરઘર, સાસરઘર ને
નોલેજ સંભળાવવું પડે. ધંધામાં પણ પહેલાં પોતાના ભાઇઓને જ ભાગીદાર બનાવે છે. અહીંયા
પણ એવું છે. ગાયન પણ છે કન્યા તે જે પિયરઘર અને સાસરઘર નો ઉદ્ધાર કરે. અપવિત્ર
ઉદ્ધાર કરી ન શકે. તો કઈ કન્યા? આ બ્રહ્મા ની કન્યા, બ્રહ્માકુમારી છે ને. અહિયાં
અધરકન્યા, કુંવારીકન્યા નું મંદિર પણ બનેલું છે ને. અહીંયા તમારા યાદગાર બનેલા છે.
આપણે ફરીથી આવ્યા છીએં ભારત ને સ્વર્ગ બનાવવા માટે. આ દેલવાડા મંદિર બિલકુલ સચોટ
છે, ઉપર માં સ્વર્ગ દેખાડ્યું છે સ્વર્ગ છે. સ્વર્ગ તો છે અહીંયા જ. રાજયોગની તપસ્યા
પણ અહીંયા જ થાય છે. જેમનું મંદિર છે એમને આ જાણવું તો જોઈએ ને! હવે અંદર જગતપિતા
જગતઅંબા, આદિ દેવ, આદિ દેવી બેઠા છે. અચ્છા, આદિ દેવ કોના બાળક છે? શિવબાબા નાં.
અધર કુમારી, કુંવારી કન્યા બધાં રાજયોગ માં બેઠા છે. બાપ કહે છે મનમનાભવ, તો તમે
વૈકુંઠનાં માલિક બનશો. મુક્તિ, જીવનમુક્તિધામ ને યાદ કરો. તમારો આ સંન્યાસ છે, જૈની
લોકોનો સંન્યાસ કેટલો ડિફિકલ્ટ (મુશ્કેલ) છે. વાળ વગેરે નિકાળવાનો કેટલો કઠોર રીવાજ
છે. અહીંયા તો છે જ સહજ રાજયોગ. આ છે પણ પ્રવૃત્તિમાર્ગ નો. આ ડ્રામા માં નોંધ છે.
કોઈ જૈન મુનિ એ બેસી પોતાનો નવો ધર્મ સ્થાપન કર્યો પરંતુ તેને આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ તો નહીં કહેશું ને. તે તો હવે પ્રાય:લોપ છે. કોઈએ જૈન ધર્મ ચલાવ્યો અને ચાલી
પડ્યો. આ પણ ડ્રામા માં છે. આદિ દેવ ને પિતા અને જગતઅંબા ને માતા કહેશું. આ તો બધા
જાણે છે કે આદિ દેવ બ્રહ્મા છે. આદમ-બીબી, એડમ-ઈવ પણ કહે છે. ક્રિશ્ચિયન લોકો ને
થોડી જ ખબર છે કે આ એડમ ઈવ હમણાં તપસ્યા કરી રહ્યા છે. મનુષ્ય સૃષ્ટિનાં વિભાગનાં આ
હેડ છે. આ રહસ્ય પણ બાપ બેસી સમજાવે છે. આટલા મંદિર શિવ નાં કે લક્ષ્મી-નારાયણ નાં
બન્યાં છે તો એમની બાયોગ્રાફી (જીવનકહાની) જાણવી જોઈએ ને! આ પણ જ્ઞાન સાગર બાપ જ
બેસી સમજાવે છે. પરમપિતા પરમાત્માને જ નોલેજફુલ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર
કહેવાય છે. આ પરમાત્માની મહિમા કોઈ સાધુ-સંત વગેરે નથી જાણતાં. તેઓ તો કહી દે
પરમાત્મા સર્વવ્યાપી છે પછી મહિમા કોની કરે? પરમાત્માને ન જાણવાને કારણે જ પછી
સ્વયંને જ શિવોહમ કહી દે છે. નહીં તો પરમાત્માની મહિમા કેટલી ઊંચી છે. એ તો મનુષ્ય
સૃષ્ટિનાં બીજરુપ છે. મુસલમાન લોકો પણ કહે છે અમને ખુદાએ પેદા કર્યા, તો આપણે રચના
થયા. રચના, રચના ને વારસો ન આપી શકે. ક્રિયેશન ને ક્રિએટર થી વારસો મળે છે, આ વાતને
કોઇ પણ નથી સમજતું. એ બીજરુપ સત્ય છે, ચૈતન્ય છે, સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું એમને
જ્ઞાન છે. સિવાય બીજ નાં આ આદિ-મધ્ય-અંતનું જ્ઞાન કોઈ મનુષ્ય માત્ર માં હોઈ ન શકે.
બીજ ચૈતન્ય છે તો જરુર નોલેજ એમનાંમાં જ હશે. એજ આવીને તમને આખા સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંતનું નોલેજ આપે છે. આ પણ બોર્ડ લગાવી દેવું જોઇએ કે આ ચક્ર ને જાણવાથી
તમે સતયુગનાં ચક્રવર્તી રાજા અથવા સ્વર્ગનાં રાજા બની જશો. કેટલી સહજ વાત છે. બાપ
કહે છે જ્યાં સુધી જીવવાનું છે, મને યાદ કરવાનું છે. હું સ્વયં તમને આ વશીકરણ મંત્ર
આપું છું. હવે તમારે યાદ કરવાનાં છે બાપ ને. યાદથી જ વિકર્મ વિનાશ થશે. આ સ્વદર્શન
ચક્ર ફરતું રહે તો માયાનું માથું કપાઈ જશે. હું તમારી આત્માને પવિત્ર બનાવીને લઈ
જઈશ પછી તમે સતોપ્રધાન શરીર લેશો. ત્યાં વિકાર હોતા નથી. કહે છે વિકાર વગર સૃષ્ટિ
કેવી રીતે ચાલશે? બોલો, તમે કદાચ દેવતાઓના પુજારી નથી. લક્ષ્મી નારાયણની તો મહિમા
ગાએ છે સંપૂર્ણ નિર્વિકારી. જગતઅંબા, જગતપિતા નિર્વિકારી છે. રાજયોગની તપસ્યા કરી
પતિત થી પાવન, સ્વર્ગ નાં માલિક બન્યાં છે. તપસ્યા કરે જ છે પુણ્ય આત્મા બનવાનાં
માટે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) આ જૂની
દુનિયાને બુદ્ધિ થી ભૂલવા માટે ચાલતા-ફરતા સ્વયં ને શાંતિધામ નાં વાસી સમજવાનું છે.
શાંતિધામ અને સુખધામ ને યાદ કરી સાચી કમાણી કરવાની છે અને બીજાને પણ કરાવવાની છે.
૨) રાજયોગ ની તપસ્યા
કરી સ્વયં ને પુણ્ય આત્મા બનાવવાની છે. માયાનું માથું કાપવાનાં માટે સ્વદર્શન ચક્ર
સદા ફરતું રહે.
વરદાન :-
શાંતિ ની શક્તિ
નાં પ્રયોગ દ્વારા દરેક કાર્ય માં સહજ સફળતા પ્રાપ્ત કરવા વાળા પ્રયોગી આત્મા ભવ
હવે સમય નાં પરિવર્તન
પ્રમાણ શાંતિની શક્તિ નાં સાધન પ્રયોગમાં લાવી પ્રયોગી આત્મા બનો. જેમ વાણી દ્વારા
આત્માઓમાં સ્નેહનાં સહયોગની ભાવના ઉત્પન્ન કરો છો એમ શુભભાવના, સ્નેહ ની ભાવનાની
સ્થિતિ માં સ્થિત થઈ તેમનામાં શ્રેષ્ઠ ભાવનાઓ ઉત્પન્ન કરો. જેમ દીપક, દીપક ને
પ્રગટાવી દે છે એવી રીતે તમારી શક્તિશાળી શુભ ભાવના બીજાઓ માં સર્વશ્રેષ્ઠ ભાવના
ઉત્પન્ન કરાવી દેશે. આ શક્તિથી સ્થૂળ કાર્યમાં પણ બહુજ સહજ સફળતા પ્રાપ્ત કરી શકો
છો, ફક્ત પ્રયોગ કરીને જુઓ.
સ્લોગન :-
સર્વનાં પ્રિય
બનવું છે તો ખીલેલાં રુહાની ગુલાબ બનો, મુરજાવો નહી.