10-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારી
યાત્રા બુદ્ધિની છે, આને જ રુહાની યાત્રા કહેવાય છે, તમે સ્વયંને આત્મા સમજો છો,
શરીર નહીં, શરીર સમજવું અર્થાત્ ઊલટું લટકવું”
પ્રશ્ન :-
માયાનાં
પામ્પ
માં મનુષ્યને કઈ ઈજ્જત મળે છે.?
ઉત્તર :-
આસુરી ઈજ્જત.
મનુષ્ય કોઈને પણ આજે થોડી ઈજ્જત આપે છે, કાલે તેમની બેઇજ્જતી કરે છે, ગાળો આપે છે.
માયાએ બધાંની બેઇજ્જતી કરી છે, પતિત બનાવી દીધા છે. બાપ આવ્યા છે તમને દૈવી ઈજ્જત
વાળા બનાવવા.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહોને પૂછે છે - ક્યાં બેઠા છો? તમે કહેશો વિશ્વની રુહાની યુનિવર્સિટીમાં. રુહાની
અક્ષર તો તે લોકો જાણતા નથી. વિશ્વ વિદ્યાલય તો દુનિયામાં અનેક છે. આ છે આખા વિશ્વમાં
એક જ રુહાની વિદ્યાલય. એક જ ભણાવવાવાળા છે. શું ભણાવે છે? રુહાની નોલેજ. તો આ છે
સ્પિરિચ્યુઅલ વિદ્યાલય અર્થાત રુહાની પાઠશાળા. સ્પિરિચ્યુઅલ અર્થાત્ રુહાની નોલેજ
ભણાવવાવાળા કોણ છે? એ પણ આપ બાળકો હવે જાણો છો. રુહાની બાપ જ રુહાની નોલેજ ભણાવે
છે, એટલે તેમને શિક્ષક પણ કહે છે, સ્પિરિચ્યુઅલ ફાધર ભણાવે છે. અચ્છા, પછી શું થશે?
આપ બાળકો જાણો છો આ રુહાની નોલેજથી આપણે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન
કરીએ છીએ. એક ધર્મની સ્થાપના બાકી જે આટલા બધાં ધર્મ છે, તેમનો વિનાશ થઇ જશે. આ
સ્પિરિચ્યુઅલ નોલેજનો બધાં ધર્મથી શું સંબંધ છે - આ પણ તમે હવે જાણો છો. એક ધર્મની
સ્થાપના આ રુહાની નોલેજથી થાય છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતા ને! તેને
કહેવાશે રુહાની દુનિયા (સ્પિરિચ્યુઅલ વર્લ્ડ) આ સ્પિરિચ્યુઅલ નોલેજથી તમે રાજયોગ
શીખો છો. રાજાઈ સ્થાપન થાય છે. અચ્છા, પછી બીજા ધર્મોથી શું સંબંધ છે? બીજા બધાં
ધર્મ વિનાશને પામશે કારણ કે તમે પાવન બનો છો તો તમને નવી દુનિયા જોઈએ. આટલાં બધાં
અનેક ધર્મ ખતમ થઇ જાય છે, એક ધર્મ રહેશે. તેને કહેવાય છે વિશ્વમાં શાંતિ નું રાજ્ય.
હમણાં છે પતિત અશાંતિનું રાજ્ય પછી થશે પાવન શાંતિનું રાજ્ય. હમણાં તો અનેક ધર્મ
છે. કેટલી અશાંતિ છે. બધાં પતિત જ પતિત છે. રાવણનું રાજ્ય છે ને. હવે બાળકો જાણે છે
૫ વિકારોને જરુર છોડવાનાં છે. આ સાથે નથી લઈ જવાનાં. આત્મા સારા અથવા ખરાબ સંસ્કાર
લઈ જાય છે ને. હવે બાપ આપ બાળકોને પવિત્ર બનવાની વાત બતાવે છે. એ પાવન દુનિયામાં
કોઈપણ દુઃખ હોતું નથી. આ સ્પિરિચ્યુઅલ નોલેજ ભણાવવા વાળા કોણ છે? સ્પિરિચ્યુઅલ ફાધર.
સર્વ આત્માઓનાં બાપ. સ્પિરિચ્યુઅલ ફાધર શું ભણાવશે? સ્પિરિચ્યુઅલ નોલેજ, આમાં કોઇપણ
પુસ્તક વગેરેની દરકાર નથી. ફક્ત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે. પાવન
બનવાનું છે. બાપને યાદ કરતાં-કરતાં અંત મતી સો ગતિ થઈ જશે. આ છે યાદની યાત્રા.
યાત્રા અક્ષર સારો છે. તે છે શારીરિક યાત્રાઓ, આ છે રુહાની. ત્યાં તો પગપાળા જવું
પડે છે, હાથ-પગ ચલાવે છે, આમાં કાંઈ જ નથી. ફક્ત યાદ કરવાનું છે. ભલે ક્યાંય પણ હરો,
ફરો, ઉઠો, બેસો સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. ડિફિકલ્ટ (મુશ્કેલીની) વાત નથી,
ફક્ત યાદ કરવાના છે. આ તો રિયાલિટી (વાસ્તવિકતા) છે ને. પહેલાં તમે ઉલટા ચાલી રહ્યા
હતા. સ્વયંને આત્માને બદલે શરીર સમજવું, તેને કહેવાય છે ઉલટા લટકવું. સ્વયંને આત્મા
સમજવું - આ છે સુલટુ. અલ્લાહ જ્યારે આવે છે ત્યારે આવીને પાવન બનાવે છે. અલ્લાહની
પાવન દુનિયા છે, રાવણની પતિત દુનિયા છે. દેહ-અભિમાનમાં બધાં ઉલ્ટા થઈ ગયા છે. હવે
એક જ વાર દેહી-અભિમાની બનવાનું છે. તો તમે અલ્લાહનાં બાળકો છો. અલ્લાહ છું, નહીં
કહેશે. આંગળીથી હંમેશા ઉપરની તરફ ઈશારો કરે છે, તો સિદ્ધ થાય છે અલ્લાહ એ છે. તો
અહીંયા જરુર બીજી ચીજ છે. આપણે એ અલ્લાહ બાપના બાળક છીએ. આપણે ભાઈ-ભાઈ છીએ. અલ્લાહ
છું, કહેવાથી પછી ઉલટું થઈ જશે કે આપણે બધાં બાપ છીએ. પરંતુ નહીં, બાપ એક છે. એમને
યાદ કરવાનાં છે. અલ્લાહ સદા પવિત્ર છે. અલ્લાહ સ્વયં બેસીને ભણાવે છે. નાની-એવી
વાતમાં મનુષ્ય કેટલા મુંઝાય છે. શિવ જયંતી પણ મનાવે છે ને.
કૃષ્ણને આવું પદ કોણે દીધું? શિવબાબા એ. શ્રીકૃષ્ણ છે સ્વર્ગનાં પહેલા રાજકુમાર. આ
બેહદનાં બાપ એમને રાજ્ય-ભાગ્ય આપે છે. બાપ જે નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરે છે એમાં
શ્રી કૃષ્ણ નંબરવન પ્રિન્સ (રાજકુમાર) છે. બાપ બાળકોને પાવન બનવાની યુક્તિ બેસીને
બતાવે છે. બાળકો જાણે છે સ્વર્ગ જેને વૈકુંઠ, વિષ્ણુપુરી કહે છે, જે પાસ્ટ (ભૂતકાળ)
થઇ ગયું છે પછી ફ્યુચર (ભવિષ્ય)માં થશે. ચક્ર ફરતું રહે છે ને. આ જ્ઞાન હમણાં આપ
બાળકોને મળે છે. આ ધારણ કરી અને પછી કરાવવાનું છે. દરેકને શિક્ષક બનવાનું છે. એવું
પણ નથી કે શિક્ષક બનવાથી લક્ષ્મી-નારાયણ બનશે. ના. શિક્ષક બનવાથી તમે પ્રજા બનાવશો,
જેટલું બધાનું કલ્યાણ કરશો તેટલું જ પદ પામશો. સ્મૃતિ રહેશે. બાપ કહે છે ટ્રેનમાં
આવો છો તો પણ બેજ પર સમજાઓ. બાપ પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા) છે. પાવન
બનાવવાવાળા છે. બધાને યાદ કરવું પડે છે. જાનવર, હાથી, ઘોડા વગેરે, કચ્છ, મચ્છને પણ
અવતાર કહી દીધા છે. તેમને પણ પૂજતાં રહે છે. સમજે છે ભગવાન સર્વવ્યાપી અર્થાત્ બધામાં
છે. બધાંને ખવડાવો. અચ્છા, કણ-કણમાં ભગવાન કહે છે પછી તેમને કેવી રીતે ખવડાવશો.
બિલકુલ જ સમજથી જાણે બહાર છે. લક્ષ્મી-નારાયણ વગેરે દેવી-દેવતાઓ થોડી આ કામ કરશે.
કીડીઓને અન્ન આપશે, ફલાણા ને આપશે. તો બાપ સમજાવે છે તમે છો રિલીજો પોલિટિકલ. તમે
જાણો છો આપણે ધર્મ સ્થાપન કરી રહ્યા છીએ. રાજ્ય સ્થાપન કરવા માટે મિલેટ્રી હોય છે.
પરંતુ તમે છો ગુપ્ત. તમારી છે સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી. આખી દુનિયાનાં જે પણ
મનુષ્ય માત્ર છે બધાં આ ધર્મોથી નિકળી, પોતાનાં ઘરે જશે. આત્માઓ ચાલી જશે. એ છે
આત્માઓનું રહેવાનું ઘર. હમણાં તમે સંગમયુગ પર ભણી રહ્યા છો ફરી સતયુગમાં આવીને
રાજ્ય કરશો બીજા કોઇ ધર્મ નહીં હોય. ગીત માં પણ છે ને - બાબા આપ જે આપો છો તે બીજું
કોઈ આપી ન શકે. આખું આકાશ, આખી ધરતી તમારી રહે છે. આખા વિશ્વનાં માલિક તમે બની જાઓ
છો. આ પણ હમણાં તમે સમજો છો, નવી દુનિયામાં આ બધી વાતો ભૂલાય જશે. આને કહેવાય છે
રુહાની સ્પિરિચ્યુઅલ નોલેજ. આપ બાળકોને બુદ્ધિમાં છે કે આપણે દર ૫ હજાર વર્ષ પછી
રાજ્ય લઈએ છીએ, ફરી ગુમાવીએ છીએ. આ ૮૪નું ચક્ર ફરતું જ રહે છે. તો ભણતર ભણવું પડે,
ત્યારે જઈ શકશો ને! ભણશો નહીં તો નવી દુનિયામાં જઈ નહીં શકો. ત્યાં તો લિમિટેડ (સીમિત)
નંબર છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ત્યાં જઈને પદ પામશો. આટલા બધાં તો ભણશે નહીં.
જો બધાં ભણે તો પછી બીજા જન્મમાં રાજ્ય પણ પામે. ભણવાવાળા ની લિમિટ છે. સતયુગ-ત્રેતા
માં આવવા વાળા જ ભણશે. તમારી પ્રજા બહુજ બનતી રહે છે. મોડેથી આવવાવાળા પાપ તો ભસ્મ
કરી ન શકે. પાપ આત્માઓ હશે તો પછી સજાઓ ખાઈને બહુ જ થોડું પદ પામી લેશે. બેઇજ્જતી
થશે. જે હમણાં માયાની બહુજ ઈજ્જત વાળા છે, તેઓ બેઈજ્જત બની જશે. આ છે જ ઈશ્વરીય
ઈજ્જત. તે છે આસુરી ઈજ્જત. ઈશ્વરીય અથવા દૈવી ઈજ્જત અને આસુરી ઈજ્જત માં રાત-દિવસનો
ફરક છે. આપણે આસુરી ઈજ્જતવાળા હતા હવે ફરી દેવી ઈજ્જતવાળા બનીએ છીએ. આસુરી ઈજ્જતથી બિલકુલ બેગર (ભિખારી) બની જાઓ છો. આ છે કાંટાની દુનિયા તો બેઈજ્જતી થઇ ને. પછી
કેટલી ઈજ્જત વાળા બનો છો. યથા રાજા-રાણી તથા પ્રજા. બેહદનાં બાપ તમારી ઇજ્જત બહુ જ
ઉંચ બનાવે છે તો એટલો પુરુષાર્થ પણ કરવાનો છે. બધાં કહે છે અમે અમારી ઈજ્જત એવી
બનાવીયે અર્થાત્ નરથી નારાયણ, નારીથી લક્ષ્મી બની જઈએ. એમનાંથી ઊંચી ઈજ્જત કોઈની
છે નહીં. કથા પણ નરથી નારાયણ બનવાની જ સાંભળે છે. અમર કથા, તીજરીની કથા આ એક જ
છે. આ કથા હમણાં જ તમે સાંભળો છો.
આપ બાળકો વિશ્વનાં માલિક હતા પછી ૮૪ જન્મ લેતા નીચે ઉતરતા આવ્યા છો. ફરી પહેલા
નંબરનો જન્મ થશે. પહેલા નંબર જન્મમાં તમે બહુ જ ઉંચ પદ પામો છો. રામ ઈજ્જત વાળા
બનાવે છે, રાવણ બેઈજ્જતવાન બનાવી દે છે. આ નોલેજથી તમે મુક્તિ-જીવનમુક્તિ ને પામો
છો. અડધો કલ્પ રાવણનું નામ નથી રહેતું. આ વાતો હમણાં આપ બાળકોની બુદ્ધિમાં આવે છે
સો પણ નંબરવાર. કલ્પ-કલ્પ આમ જ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજદાર બનો છો. માયા
ગફલત કરાવે છે. બેહદનાં બાપને યાદ કરવાનું જ ભૂલી જાઓ છો. ભગવાન ભણાવે છે, એ આપણા
શિક્ષક બન્યા છે. તો પણ ગેરહાજર રહે છે, ભણતા નથી. દર-દર ધક્કા ખાવાની આદત પડેલી
છે. ભણવામાં જેમનું ધ્યાન નથી રહેતું તો તેમને પછી નોકરીમાં લગાવી દેતા હોય છે.
ધોબી,વગેરેનું કામ રહે છે. એમાં ભણતર ની શું દરકાર છે. વ્યાપારમાં મનુષ્ય મલ્ટી
મિલેનિયર બની જાય છે. નોકરીમાં એટલા નહીં બને. તેમાં તો ફિક્સ પગાર મળશે. હમણાં
તમારું ભણતર છે વિશ્વની બાદશાહી માટે. અહીંયા કહો છો ને અમે ભારતવાસી છીએ. પછી ફરી
તમને કહેશે વિશ્વનાં માલિક. ત્યાં દેવી-દેવતા ધર્મનાં સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી.
બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે તો એમની મત પર ચાલવું જોઈએ. કોઈ પણ વિકાર નું ભૂત
ન હોવું જોઈએ. આ ભૂત બહુ જ ખરાબ છે. કામ ની હેલ્થ (તબિયત) બગડતી રહે છે. તાકાત ઓછી
થઈ જાય છે. આ કામ વિકારે તમારી તાકાત બિલકુલ ખતમ કરી દીધી છે. પરિણામ એ થયું કે
આયુષ્ય ઓછું થતું ગયું છે. ભોગી બની ગયા છો. કામી, ભોગી, રોગી બધું બની જાય છે. ત્યાં
વિકાર હોતા નથી. તો યોગી હોય છે સદૈવ તંદુરસ્ત અને આયુષ્ય પણ ૧૫૦ વર્ષનું હોય છે.
ત્યાં કાળ ખાતો નથી. આનાં પર એક કથા પણ બતાવે છે - કોઈને પૂછ્યું પહેલા સુખ જોઈએ કે
પહેલા દુઃખ જોઈએ? તો તેમને કોઈએ ઈશારો આપ્યો બોલો પહેલા સુખ જોઈએ કારણ કે સુખમાં
ચાલ્યા જશે તો ત્યાં કોઈ કાળ આવશે નહીં. અંદર પેસી ન શકે. એક કથા બનાવી દીધી છે,
બાપ સમજાવે છે તમે સુખધામમાં રહો છો તો ત્યાં કોઈ કાળ હોતો નથી. રાવણ રાજ્ય જ નથી.
ફરી જ્યારે વિકારી બનો છો તો કાળ આવે છે. કથાઓ કેટલી બનાવી દીધી છે, કાળ લઇ ગયો, પછી
આ થયું. ન કાળ જોવામાં આવે છે, ન આત્મા જોવામાં આવે છે, આને કહેવાય છે દંતકથાઓ.
કનરસ ની ઘણી વાર્તાઓ છે. હવે બાપ સમજાવે છે ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી.
આયુ લાંબી હોય છે અને પવિત્ર રહે છે. ૧૬ કળા પછી કળા ઓછી થતાં-થતાં એકદમ કળા વગરનાં
થઇ જાય છે. મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહિ. એક નિર્ગુણ સંસ્થા પણ બાળકોની છે. કહે
છે અમારામાં કોઈ ગુણ નથી. અમને ગુણવાન બનાવો. સર્વગુણ સંપન્ન બનાવો. હવે બાપ કહે
છે પવિત્ર બનવાનું છે. મરવાનું પણ છે બધાંએ. આટલા બધાં મનુષ્ય સતયુગમાં નથી હોતા.
હમણાં તો કેટલા બધાં છે. ત્યાં બાળક પણ યોગબળ થી થાય છે. અહીંયા તો જુઓ કેટલા બાળક
પેદા કરતા રહે છે. બાપ તોપણ કહે છે બાપ ને યાદ કરો. એ બાપ જ ભણાવે છે, શિક્ષક ભણાવવા
વાળા યાદ આવે છે. તમે જાણો છો શિવબાબા અમને ભણાવી રહ્યા છે. શું ભણાવે છે, તે પણ
તમને ખબર છે. તો બાપ અથવા શિક્ષકથી યોગ લગાવવાનો છે. નોલેજ બહુ ઊંચી છે. હમણાં
તમારી બધાની સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે. આવી યુનિવર્સિટી ક્યારેય જોઈ, જ્યાં
બાળકો, ઘરડા, જવાન બધાં સાથે ભણતા હોય. એક જ સ્કૂલ, એક જ ભણાવવાવાળા શિક્ષક હોય અને
જેમાં બ્રહ્મા સ્વયં પણ ભણતા હોય. વન્ડર છે ને. શિવબાબા તમને ભણાવે છે. આ બ્રહ્મા
પણ સાંભળે છે. બાળક અથવા વૃદ્ધ કોઈપણ ભણી શકે છે. તમે પણ ભણો છો ને આ નોલેજ. હવે
ભણવાનું શરુ કરી દીધું છે. દિન-પ્રતિદિન સમય ઓછો થતો જાય છે. હવે તમે બેહદમાં ચાલ્યા
ગયા છો. જાણો છો આ ૫ હજાર વર્ષનું ચક્ર કેવી રીતે પસાર થયુ. પહેલાં એક ધર્મ હતો. હવે
કેટલા બધાં ધર્મ છે. હમણાં સોવરન્ટી (દેવી રાજ્ય) નહીં કહેવાશે. આને કહેવાય છે
પ્રજાનું પ્રજા પર રાજ્ય. પહેલા-પહેલા બહુજ પાવરફુલ ધર્મ હતો. આખા વિશ્વનાં માલિક
હતા. હવે અધર્મી બની પડ્યા છે. કોઈ ધર્મ નથી. બધાંમાં ૫ વિકાર છે. બેહદનાં બાપ કહે
છે - બાળકો હવે ધૈર્ય ધરો, બાકી થોડો સમય તમે આ રાવણ રાજ્યમાં છો. સારી રીતે ભણશો
તો પછી સુખધામ માં ચાલ્યા જશો. આ છે દુઃખધામ. તમે સ્વયંનાં શાંતિધામ અને સુખધામ ને
યાદ કરો, આ દુઃખધામને ભૂલતા જાઓ. આત્માઓનાં બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે -
હેં રુહાની બાળકો! રુહાની બાળકોએ આ ઓર્ગન્સ (અંગો) દ્વારા સાંભળ્યું. આપ આત્માઓ
જ્યારે સતયુગમાં સતોપ્રધાન હતા તો તમારું શરીર પણ ફર્સ્ટ ક્લાસ સતોપ્રધાન હતું. તમે
બહુ જ ધનવાન હતા પછી પુનર્જન્મ લેતા-લેતા શું બની ગયા છો! રાત-દિવસનો ફરક છે. દિવસમાં
આપણે સ્વર્ગમાં હતા, રાતમાં આપણે નર્કમાં છીએ. અને કહેવાય છે બ્રહ્માનો સો
બ્રાહ્મણોનો દિવસ અને રાત. ૬૩ જન્મ ધક્કા ખાતા રહ્યા છીએ, અંધારી રાત છે ને. ભટકતા
રહે છે. ભગવાન કોઈને મળતા જ નથી. આને કહેવાય છે ભૂલભૂલૈયા નો ખેલ. તો બાપ આપ બાળકોને
આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનાં સમાચાર સંભળાવે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) દર-દર ધક્કા
ખાવાની આદત છોડી ભગવાનનું ભણતર ધ્યાનથી ભણવાનું છે. ક્યારેય ગેરહાજર નથી રહેવાનું.
બાપ સમાન શિક્ષક પણ જરુર બનવાનું છે. ભણીને પછી ભણાવવાનું છે..
2) સત્ય નારાયણની સાચી કથા સાંભળી નરથી નારાયણ બનવાનું છે, એવું ઈજ્જતવાન સ્વયંને
સ્વયં જ બનાવવાનું છે. ક્યારેય ભૂતોનાં વશીભૂત થઈ ઈજ્જત ગુમાવવાની નથી.
વરદાન :-
વીતી ગયેલી
વાતો અથવા વૃત્તિઓને સમાપ્ત કરી સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાવાળી સ્વચ્છ આત્મા ભવ:
સેવામાં સ્વચ્છ બુદ્ધિ,
સ્વચ્છ વૃત્તિ અને સ્વચ્છ કર્મ સફળતાનો સહજ આધાર છે. કોઈપણ સેવાનું કાર્ય જ્યારે
આરંભ કરો છો તો પહેલા તપાસ કરો કે બુદ્ધિમાં કોઈ આત્માની વીતેલી વાતોની સ્મૃતિ તો
નથી. એ જ વૃત્તિ, દ્રષ્ટિથી તેમને જોવા, તેમની સાથે બોલવું.... આમાં સંપૂર્ણ સફળતા
નથી થઈ શકતી, એટલે વીતેલી વાતોને અથવા વૃત્તિઓને સમાપ્ત કરી સ્વચ્છ આત્મા બનો ત્યારે
જ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.
સ્લોગન :-
જે સ્વ
પરિવર્તન કરે છે - વિજય માળા તેમનાં જ ગળામાં પડે છે.