04-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બધાં
ને પહેલા - પહેલા અલ્ફ નો પાઠ પાક્કો કરાવો , તમે આત્મા ભાઈ - ભાઈ છો ”
પ્રશ્ન :-
કઈ એક વાતમાં
શ્રીમત, મનુષ્ય મત થી બિલ્કુલ જ વિપરીત છે?
ઉત્તર :-
મનુષ્ય મત કહે છે અમે મોક્ષમાં ચાલ્યા જઈશું. શ્રીમત કહે છે આ ડ્રામા અનાદિ અવિનાશી
છે. મોક્ષ કોઈને મળી નથી શકતો. ભલે કોઈ કહે આ પાર્ટ ભજવવો અમને પસંદ નથી. પરંતુ આમાં
કંઈ પણ કરી નથી શકાતું. પાર્ટ ભજવવા આવવાનું જ છે. શ્રીમત જ તમને શ્રેષ્ઠ બનાવે છે.
મનુષ્ય મત તો અનેક પ્રકારની છે.
ઓમ શાંતિ!
હમણાં આ તો
બાળકો જાણે છે કે આપણે બાબાની સામે બેઠા છીએ. બાપ પણ જાણે છે બાળકો મારી સામે બેઠા
છે. આ પણ આપ બાળકો જાણો છો બાપ આપણને શિક્ષા આપે છે જે ફરી બીજાઓને આપવાની છે.
પહેલા-પહેલા તો બાપનો જ પરિચય આપવાનો છે કારણ કે બધાં બાપને અને બાપની શિક્ષાઓને
ભૂલેલાં છે. હમણાં જે બાપ ભણાવે છે આ ભણતર પછી ૫ હજાર વર્ષ બાદ મળશે. આ જ્ઞાન બીજા
કોઈને છે નહી. મુખ્ય થયો બાપનો પરિચય પછી આ બધું સમજાવવાનું છે. આપણે બધાં ભાઈ-ભાઈ
છીએ. આખી દુનિયાની જે બધી આત્માઓ છે, બધાં આપસમાં ભાઈ-ભાઈ છે. બધાં સ્વયંનો મળેલો
પાર્ટ આ શરીર દ્વારા ભજવે છે. હમણાં તો બાપ આવ્યા છે નવી દુનિયામાં લઈ જવા માટે,
જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ હમણાં આપણે બધાં ભાઈ પતિત છીએ, એક પણ પાવન નથી. બધાં
પતિતોને પાવન બનાવવા વાળા એક જ બાપ છે. આ છે જ પતિત વિકારી રાવણની દુનિયા. રાવણ નો
અર્થ જ છે - ૫ વિકાર સ્ત્રીમાં, ૫ વિકાર પુરુષમાં. બાબા બહુ જ સરળ રીતે સમજાવે છે.
તમે પણ આમ સમજાવી શકો છો. તો પહેલા-પહેલા આ સમજાવો કે આપણે આત્માઓનાં આ બાપ છે, બધાં
બ્રધર્સ (ભાઈઓ) છે. પૂછો આ ઠીક છે? લખો આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આપણા બાપ પણ એક છે.
આપણે બધી સોલ્સનાં (આત્માઓનાં) એ છે સુપ્રીમ સોલ (પરમ આત્મા). એમને ફાધર કહેવાય છે.
આ પાક્કું બુદ્ધિમાં બેસાડો તો સર્વવ્યાપી વગેરેની કિચડપટ્ટી નીકળી જાય. અલ્ફ પહેલા
ભણાવવાનું છે. બોલો, આ પહેલાં સારી રીતે બેસીને લખો - પહેલાં સર્વવ્યાપી કહેતો હતો,
હવે સમજાવું છું સર્વવ્યાપી નથી. આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. બધી આત્માઓ કહે છે ગોડફાધર,
પરમપિતા પરમાત્મા, અલ્લાહ. પહેલાં તો આ નિશ્ચય બેસાડવાનો છે કે આપણે આત્મા છીએ,
પરમાત્મા નહીં. ન આપણામાં પરમાત્મા વ્યાપક છે. બધામાં આત્મા વ્યાપક છે. આત્મા શરીરનાં
આધારથી પાર્ટ ભજવે છે. આ પાક્કું કરાવો. અચ્છા,પછી એ બાપ સૃષ્ટિ ચક્રનાં આદિ, મધ્ય,
અંતનું જ્ઞાન સંભળાવે છે. બાપ જ શિક્ષકનાં રુપમાં બેસી ને સમજાવે છે. લાખો વર્ષની
તો વાત નથી. આ ચક્ર અનાદિ બન્યો-બનાવેલ છે. ઇક્વલ (એક સરખો) કેવી રીતે છે - આને
જાણવું પડે. સતયુગ-ત્રેતા પાસ્ટ (ભૂતકાળ) થયું, નોટ (નોંધ) કરો. તેને કહેવાય છે
સ્વર્ગ અને સેમી સ્વર્ગ. ત્યાં દેવી-દેવતાઓનું રાજ્ય ચાલે છે. સતયુગમાં છે ૧૬ કળા,
ત્રેતામાં છે ૧૪ કળા. સતયુગનો પ્રભાવ બહુ જ ભારે છે. નામ જ છે સ્વર્ગ, હેવેન. નવી
દુનિયા સતયુગ ને કહેવાય છે. તેની જ મહિમા કરવાની છે. નવી દુનિયામાં છે જ એક આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ. ચિત્ર પણ તમારી પાસે છે નિશ્ચય કરાવવા માટે. આ સૃષ્ટિનું
ચક્ર ફરતું રહે છે. આ કલ્પની આયુ જ ૫ હજાર વર્ષ છે. હવે સૂર્યવંશી-ચંદ્રવંશી તો
બુદ્ધિમાં બેઠું. વિષ્ણુપુરી બદલાઈ રામ-સીતા પુરી બને છે. તેમની પણ ડિનાયસ્ટી (વંશ)
ચાલે છે ને. બે યુગ વીતી ગયા પછી આવે છે દ્વાપરયુગ. રાવણનું રાજ્ય. દેવતાઓ
વામમાર્ગમાં ચાલ્યા જાય છે તો વિકારની સિસ્ટમ (પ્રથા) બની જાય છે. સતયુગ-ત્રેતામાં
બધાં નિર્વિકારી રહે છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ રહે છે. ચિત્ર પણ દેખાડવાના
છે, મોઢે પણ સમજાવાનું છે. બાપ આપણને શિક્ષક બનીને આવું ભણાવે છે. બાપ સ્વયંનો
પરિચય જાતે જ આવીને આપે છે. સ્વયં કહે છે હું આવું છું પતિતો ને પાવન બનાવવા માટે
તો મને શરીર જરુર જોઈએ. નહીં તો વાત કેવી રીતે કરુ. હું ચૈતન્ય છું, સત છું અને અમર
છું. સતો, રજો, તમો માં આત્મા આવે છે. આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે. આત્મામાં
જ બધાં સંસ્કાર છે. પાસ્ટ (ભૂતકાળ) નાં કર્મ અથવા વિકર્મ નાં સંસ્કાર આત્મા લઈ આવે
છે. સતયુગમાં તો વિકર્મ થતાં નથી, કર્મ કરે છે, પાર્ટ ભજવે છે. પરંતુ તે કર્મ અકર્મ
બની જાય છે. ગીતામાં પણ અક્ષર છે. હમણાં તમે પ્રેકટીકલમાં સમજી રહ્યા છો. જાણો છો
બાબા આવેલાં છે જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવા, જ્યાં કર્મ અકર્મ થઈ જાય છે.
તેને જ સતયુગ કહેવાય છે અને અહિયાં પછી આ કર્મ વિકર્મ થઈ જાય છે જેને કળયુગ કહેવાય
છે. તમે હમણાં છો સંગમ પર. બાબા બંને તરફની વાત સંભળાવે છે. એક-એક વાત સારી રીતે
સમજો - બાપ શિક્ષકએ શું સમજાવ્યું? અચ્છા, બાકી છે ગુરુનું કર્તવ્ય, એમને બોલાવ્યા
જ છે કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા પાવન બને છે પછી શરીર પણ પાવન બને
છે. જેવું સોનુ, તેવાં દાગીના પણ બને છે. ૨૪ કેરેટનું સોનુ લો અને ખાદ નહીં નાખો તો
દાગીના પણ એવાં સતોપ્રધાન બનશે. એલોય (ખાદ) નાખવાથી પછી તમોપ્રધાન બની જાય છે કારણકે
ખાદ પડે છે ને. પહેલા ભારત ૨૪ કેરેટ પાક્કું સોનાની દુનિયા હતી અર્થાત સતોપ્રધાન નવી
દુનિયા હતી ફરી હવે તમોપ્રધાન છે. પહેલા પ્યોર (અસલી) સોનુ છે. નવી દુનિયા પવિત્ર,
જૂની દુનિયા અપવિત્ર. ખાદ પડતી જાય છે. આ બાપ જ સમજાવે છે બીજા કોઈ મનુષ્ય ગુરુ લોકો
નથી જાણતાં. બોલાવે છે આવીને પાવન બનાવો. સદ્દગુરુનું કામ છે વાનપ્રસ્થ અવસ્થામાં
મનુષ્યને ગૃહસ્થ થી કિનારો કરાવાનું. તો આ બધું નોલેજ ડ્રામા પ્લાન અનુસાર બાપ જ
આવીને આપે છે. એ છે મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ. એ જ આખાં વૃક્ષનું નોલેજ સમજાવે છે.
શિવબાબા નું નામ સદેવ શિવ જ છે. બાકી આત્માઓ બધી આવે છે પાર્ટ ભજવવા, તો
ભિન્ન-ભિન્ન નામ ધરાવે છે. બાપ ને બોલાવે છે પરંતુ એમને જાણતાં નથી - એ કેવાં
ભાગ્યશાળી રથમાં આવે છે તમને પાવન દુનિયામાં લઈ જવા. તો બાપ સમજાવે છે હું આમનાં
તનમાં આવું છું, જે બહુ જ જન્મોનાં અંતમાં છે, પૂરા ૮૪ જન્મ લે છે. રાજાઓના રાજા
બનાવવા માટે આ ભાગ્યશાળી રથમાં પ્રવેશ કરવાનો હોય છે. પહેલા નંબરમાં છે શ્રીકૃષ્ણ.
તે છે નવી દુનિયાનાં માલિક. પછી તે જ નીચે ઉતરે છે. સૂર્યવંશી, ચંદ્રવંશી, પછી
વૈશ્ય, શુદ્ર વંશી પછી બ્રહ્મા વંશી બને છે. ગોલ્ડન થી સિલ્વર.... પછી તમે આઈરન થી
ગોલ્ડન બની રહ્યા છો. બાપ કહે છે મુજ એક સ્વયંનાં બાપને યાદ કરો. જેનામાં મેં
પ્રવેશ કર્યો છે, તેમની આત્મામાં તો જરા પણ આ નોલેજ ન હતું. આમનાંમાં પ્રવેશ કરું
છું, એટલે તેમને ભાગ્યશાળી રથ કહેવાય છે. સ્વયં કહે છે હું આમનાં બહુ જ જન્મોનાં
અંતમાં આવું છું. ગીતામાં અક્ષર એક્યુરેટ છે. ગીતાને જ સર્વ શાસ્ત્રોમઈ શિરોમણી
કહેવાય છે.
આ સંગમયુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવી-દેવતાં કુળની સ્થાપના કરે છે.
બીજાની તો બધાંને ખબર છે જ, આમની કોઈને ખબર નથી. બહુ જન્મોનાં અંતમાં અર્થાત
સંગમયુગ પર જ બાપ આવે છે. બાપ કહે છે હું બીજરુપ છું. કૃષ્ણ તો છે જ સતયુગનાં
રહેવાસી. તેમને બીજી જગ્યાએ તો કોઇ જોઇ ન શકે. પુનર્જન્મમાં તો નામ, રુપ, દેશ, કાળ
બધુ બદલાઈ જાય છે. પહેલા નાનાં બાળક સુંદર હોય છે પછી મોટા થાય છે પછી તે શરીર છોડી
બીજું નાનું લે છે. આ બન્યો-બનાવેલ ખેલ છે. ડ્રામાની અંદર ફિક્સ (નક્કી) છે. બીજા
શરીરમાં તો તેમને કૃષ્ણ નહીં કહેશે. તે બીજા શરીર પર નામ વગેરે ફરી બીજું પડશે. સમય,
ફીચર્સ, તિથિ, તારીખ વગેરે બધુ બદલાઈ જાય છે. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી હૂબહૂ
રીપીટ કહેવાય છે. તો આ ડ્રામા રીપીટ થતો રહે છે. સતો, રજો, તમો માં આવવાનું જ છે.
સૃષ્ટિનું નામ, યુગનું નામ, બધું જ બદલાઈ જાય છે. હમણાં આ છે સંગમયુગ. હું આવું છું
જ સંગમ પર. આ આપણે અંદરમાં પાક્કું કરવાનું છે. બાપ આપણા બાપ, શિક્ષક ગુરુ છે જે ફરી
સતોપ્રધાન બનવાની યુક્તિ બહુ જ સરસ બતાવે છે. ગીતામાં પણ છે દેહ સહિત દેહનાં બધાં
ધર્મ છોડી સ્વયંને આત્મા સમજો. પાછા સ્વયંનાં ઘરે જ જરુર જવાનું છે. ભક્તિમાર્ગમાં
કેટલી મહેનત કરે છે ભગવાન પાસે જવા માટે. એ છે મુક્તિધામ. કર્મથી મુક્ત આપણે
ઇનકોર્પોરિયલ (નિરાકારી) દુનિયામાં જઈને બેસીએ છીએ. પાર્ટધારી ઘરે ગયા તો પાર્ટ થી
મુક્ત થયા. બધાં ઈચ્છે છે અમે મુક્તિ પામીએ. પરંતુ મુક્તિ તો કોઈને મળી ન શકે. આ
ડ્રામા અનાદિ અવિનાશી છે. કોઈ કહે આ પાર્ટ ભજવવો અમને પસંદ નથી, પરંતુ આમાં કોઈ કંઈ
કરી ન શકે. આ અનાદિ ડ્રામા બનેલો છે. એક પણ મુક્તિને નથી પામી શકતાં. તે બધી છે
અનેક પ્રકારની મનુષ્ય મત. આ છે શ્રીમત, શ્રેષ્ઠ બનાવવા માટે. મનુષ્યને શ્રેષ્ઠ નહીં
કહેશે. દેવતાઓને શ્રેષ્ઠ કહેવાય છે. તેમની આગળ બધાં નમન કરે છે. તો તે શ્રેષ્ઠ થયા
ને. પરંતુ આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજો છો કે ૮૪ જન્મ તો લેવાનાં જ છે.
શ્રીકૃષ્ણ દેવતાં છે, વૈકુંઠનાં પ્રિન્સ (રાજકુમાર). તે અહીંયા કેવી રીતે આવશે. ન
તેમણે ગીતા સંભળાવી. ફક્ત દેવતાં હતાં એટલે બધાં લોકો તેમને પૂજે છે. દેવતાં છે
પાવન, સ્વયં પતિત થયા. કહે પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં... તમે અમને
આવા બનાવો. શિવની આગળ જઈને કહેશે અમને મુક્તિ આપો. એ ક્યારેય જીવનમુક્ત, જીવનબંધ
માં આવતાં જ નથી એટલે પોકારે છે મુક્તિ આપો. જીવનમુક્તિ પણ એ જ આપે છે.
હમણાં તમે સમજો છો બાબા અને મમ્મા નાં આપણે બધાં બાળકો છીએ, એમનાંથી આપણને અથાહ ધન
મળે છે. મનુષ્ય તો બેસમજી થી માંગણી કરતાં રહે છે. બેસમજ તો જરુર દુઃખી જ હશે ને.
અથાહ દુઃખ ભોગવવા પડે છે. તો આ બધી વાતો બાળકોએ બુદ્ધિમાં રાખવાની છે. એક બેહદનાં
બાપને ન જાણવાનાં કારણે કેટલા પરસ્પર લડતાં રહે છે. ઓરફન (અનાથ) બની ગયા છે. તે હોય
છે હદનાં ઓરફન (અનાથ), આ છે બેહદના અનાથ. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. હમણાં છે જ
પતિત આત્માઓની પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગને કહેવાય છે, જૂની દુનિયા કળયુગને.
તો બુદ્ધિમાં આ બધી વાતો છે ને. જૂની દુનિયાનો વિનાશ થઇ જશે પછી નવી દુનિયામાં
ટ્રાન્સફર થઇ જશે. હમણાં આપણે ટેમ્પરરી (અલ્પસમય) સંગમયુગ પર ઊભા છીએ. જૂની દુનિયાથી
નવી દુનિયા બની રહી છે. નવી દુનિયા ની પણ ખબર છે. તમારી બુદ્ધિ હવે નવી દુનિયામાં
જવી જોઈએ. ઉઠતાં-બેસતાં આ જ બુદ્ધિમાં રહે કે અમે ભણતર ભણી રહ્યા છીએ. બાપ અમને
ભણાવે છે. સ્ટુડન્ટને (વિદ્યાર્થીને) આ યાદ રહેવું જોઈએ તો પણ તે યાદ નંબરવાર
પુરુષાર્થ અનુસાર રહે છે. બાપ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર આપે છે. અચ્છા
ભણવાવાળા ને શિક્ષક જરુર પ્રેમ વધારે કરશે. કેટલું અંતર પડી જાય છે. હવે બાપ તો
સમજાવતાં રહે છે. બાળકોએ ધારણા કરવાની છે. એક બાપનાં સિવાય બીજે કોઈ તરફ બુદ્ધિ ન
જાય. બાપ ને યાદ નહીં કરશો તો પાપ કેવી રીતે કપાશે. માયા ઘડી-ઘડી તમારો બુદ્ધિયોગ
તોડી દેશે. માયા બહુ જ દગો દે છે. બાબા ઉદાહરણ આપે છે ભક્તિમાર્ગમાં અમે લક્ષ્મીની
બહુ જ પૂજા કરતાં હતાં. ચિત્રમાં જોયું લક્ષ્મી પગ દબાવી રહ્યા છે તો તેમને મુક્ત
કરાવી દીધા. તેમની યાદમાં બેસતાં જ્યારે બુદ્ધિ અહિયાં-ત્યાં જતી હતી તો પોતાને
થપ્પડ મારતાં હતાં - બુદ્ધિ બીજી તરફ કેમ જાય છે? છેલ્લે વિનાશ પણ જોયો, સ્થાપના પણ
જોઈ. સાક્ષાત્કારની આશ પૂરી થઈ, સમજ્યા હવે નવી દુનિયા આવે છે, આપણે આ બનશું. બાકી
જૂની દુનિયા તો વિનાશ થઈ જશે. પાક્કો નિશ્ચય થઈ ગયો. આપણી રાજધાનીનો પણ સાક્ષાત્કાર
થયો તો બાકી આ રાવણ નાં રાજ્યને શું કરશું, જ્યારે સ્વર્ગની રાજાઈ મળે છે, આ થઈ
ઈશ્વરીય બુદ્ધિ. ઈશ્વરે પ્રવેશ કરી આ બુદ્ધિ ચલાવી. જ્ઞાન કળષ તો માતાઓને મળે છે,
તો માતાઓને જ બધું જ આપી દીધું, તમે કારોબાર સંભાળો, બધાંને શીખવાડો.
શીખવાડતાં-શીખવાડતાં અહીં સુધી આવી ગયા. એક-બીજાને સંભળાવતાં-સંભળાવતાં જુઓ હવે
કેટલા થઈ ગયા છે. આત્મા પવિત્ર થતી જાય છે પછી આત્માને શરીર પણ પવિત્ર જોઈએ. સમજે
પણ છે તો પણ માયા ભુલાવી દે છે.
તમે કહો છો ૭ દિવસ ભણો, તો કહે છે કાલે આવશું. બીજા દિવસે માયા ખલાસ કરી દે છે. આવતાં
જ નથી. ભગવાન ભણાવે છે તો ભગવાનથી નથી આવીને ભણતાં! કહે પણ છે - હા, જરુર આવશું
પરંતુ માયા ઉડાવી દે છે. રેગ્યુલર (નિયમિત) થવા નથી દેતી. જેમણે કલ્પ પહેલા
પુરુષાર્થ કર્યો તે જરુર કરશે બીજી કોઈ હટ્ટી (દુકાન) છે નહીં. તમે પુરુષાર્થ બહુજ
કરો છો. મોટા-મોટા મ્યુઝિયમ બનાવો છો. જેમણે કલ્પ પહેલા સમજ્યું છે તે જ સમજશે.
વિનાશ થવાનો છે. સ્થાપના પણ થતી જાય છે. આત્મા ભણીને ફર્સ્ટ ક્લાસ શરીર લેશે.
લક્ષ-હેતુ આ છે ને. આ યાદ કેમ ન આવવું જોઈએ. હમણાં આપણે નવી દુનિયામાં જઈએ છીએ,
સ્વયંનાં પુરુષાર્થ અનુસાર. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિમાં
સદા યાદ રહે કે હમણાં અમે થોડા સમય માટે સંગમયુગ માં બેઠા છીએ, જૂની દુનિયા વિનાશ
થશે તો આપણે નવી દુનિયામાં ટ્રાન્સફર થઈ જઈશું એટલે આમાંથી બુદ્ધિયોગ નિકાળી દેવાનો
છે.
2. બધી આત્માઓને બાપનો પરીચય આપી કર્મ, અકર્મ, વિકર્મની ગુહ્ય ગતિ સંભળાવવાની છે,
પહેલા અલ્ફનો જ પાઠ પાક્કો કરાવવાનો છે.
વરદાન :-
કર્મ અને યોગ
ના બેલેન્સ ( સંતુલન ) દ્વારા કર્માતીત સ્થિતિનો અનુભવ કરવાવાળા કર્મબંધન મુક્ત ભવ
:
કર્મની સાથે-સાથે
યોગનું બેલેન્સ હોય તો દરેક કર્મમાં સ્વતઃ સફળતા પ્રાપ્ત થાય છે. કર્મયોગી આત્મા
ક્યારેય કર્મનાં બંધનમાં નથી ફસાતી. કર્મનાં બંધનથી મુક્તને જ કર્માતીત કહેવાય છે.
કર્માતીતનો અર્થ એ નથી કે કર્મ થી અતીત થઈ જાઓ. કર્મથી ન્યારા નહીં, કર્મનાં બંધનમાં
ફસાવાથી ન્યારા બનો. આવી કર્મયોગી આત્મા સ્વયંનાં કર્મથી અનેકોનાં કર્મ શ્રેષ્ઠ
બનાવવા વાળી હશે. તેમનાં માટે દરેક કાર્ય મનોરંજન લાગશે, મુશ્કેલીનો અનુભવ નહીં થાય.
સ્લોગન :-
પરમાત્મ પ્રેમ
જ સમયની ઘંટી છે જે અમૃતવેલા જગાડી દે છે.