23-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો – જ્ઞાનનું ત્રીજું નેત્ર સદા ખુલ્લું રહે તો ખુશીમાં રોમાંચ ઊભા થઈ જશે, ખુશી નો પારો સદા ચઢેલો રહેશે”

પ્રશ્ન :-
આ સમયે મનુષ્યની નજર બહુ જ કમજોર છે એટલે તેમને સમજાવવાની યુક્તિ શું છે?

ઉત્તર :-
બાબા કહે છે તેમના માટે તમે એવાં-એવાં ચિત્ર બનાવો જે તે દૂરથી જ જોઈને સમજી જાય. આ ગોળા (સૃષ્ટિચક્ર) નું ચિત્ર તો બહુ જ મોટું હોવું જોઈએ. આ છે આંધળાઓ ની આગળ અરીસો.

પ્રશ્ન :-
આખી દુનિયા ને સ્વચ્છ બનાવવા માં તમારા મદદગાર કોણ બને છે?

ઉત્તર :-
આ નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) તમારી મદદગાર બને છે. આ બેહદની દુનિયાની સફાઈ ની માટે જરૂર કોઈ મદદગાર જોઈએ.

ઓમ શાંતિ!
ગાયન પણ છે બાપ થી એક સેકન્ડમાં વારસો અર્થાત્ જીવનમુક્તિ. બીજા તો બધા છે જીવનબંધ માં. આ એક જ ત્રિમૂર્તિ અને ગોળા નું ચિત્ર જે છે બસ આ જ મુખ્ય છે. આ બહુ જ મોટા-મોટા હોવા જોઈએ. આંધળાઓ માટે તો મોટો અરીસો જોઈએ, જે સારી રીતે જોઈ સકે કારણ કે હમણાં બધાની નજર કમજોર છે, બુદ્ધિ ઓછી છે. બુદ્ધિને કહેવાય છે ત્રીજું નેત્ર ને. તમારી બુદ્ધિ માં હવે ખુશી થઇ છે. ખુશીથી જેમના રોમાંચ ઊભા નથી થતા, માનો શિવબાબા ને યાદ નથી કરતા તો કહેવાશે જ્ઞાનનું ત્રીજું નેત્ર થોડું ખુલ્યું છે, ધૂંધળું છે. બાપ સમજાવે છે કોઈને પણ સારાંશ માં સમજાવવાનું છે. મોટા-મોટા મેળા વગેરે લાગે છે, બાળકો જાણે છે સર્વિસ કરવા માટે હકીકતમાં એક ચિત્ર જ બસ છે. ભલે ગોળાનું ચિત્ર હોય તો પણ વાંધો નથી. બાપ, ડ્રામા અને ઝાડ નું અથવા કલ્પવ્રુક્ષ નું અને ૮૪નાં ચક્ર નું રહસ્ય સમજાવે છે. બ્રહ્મા દ્વારા બાપનો આ વારસો મળે છે. આ પણ સારી રીતે સ્પષ્ટ છે. આ ચિત્રમાં બધું આવી જાય છે અને આટલા બધા ચિત્રો ની આવશ્યકતા જ નથી રહેતી. આ બે ચિત્ર જ બહુ મોટા-મોટા અક્ષરોમાં હોય. લખાણ પણ હોય. જીવનમુક્તિ એ ઈશ્વરીય બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) છે, હોવનહાર વિનાશ નાં પહેલા. વિનાશ પણ જરૂર થવાનો જ છે. ડ્રામાનાં પ્લાન અનુસાર જાતે જ બધા સમજી જશે. તમારે સમજાવવાની પણ દરકાર નહીં રહેશે. બેહદનાં બાપથી બેહદનો વારસો મળે છે. આ તો એકદમ પાકું યાદ રહેવું જોઈએ. પરંતુ માયા તમને ભુલાવી દે છે. સમય વીતતો જાય છે. ગાયન પણ છે ને - બહુત ગઈ.... આનો અર્થ આ સમયનો જ છે. બાકી થોડો સમય જ રહી ગયો છે. સ્થાપના તો થઈ રહી છે, વિનાશમાં થોડો સમય છે. થોડા માં પણ થોડો રહેતો જાય છે. વિચાર પણ કરે છે કે પછી શું થશે? હમણાં તો જાગતા નથી. પાછળથી જાગતા જશે. આંખો મોટી થતી જશે. આ આંખો નહીં બુદ્ધિની આંખ. નાનાં-નાનાં ચિત્રો થી એટલી મજા નથી આવતી. મોટા-મોટા બની જશે. વિજ્ઞાન પણ કેટલી મદદ કરે છે. વિનાશમાં તત્વ પણ મદદ કરે છે. વગર કોડી ખર્ચે તમને કેટલી મદદ આપે છે. તમારા માટે એકદમ સફાચટ કરી દે છે. આ એકદમ છી-છી દુનિયા છે. અજમેરમાં સ્વર્ગનું યાદગાર છે. અહીંયા દેલવાડા મંદિરમાં સ્થાપના નું યાદગાર છે, પરંતુ કંઈ સમજી થોડી સકે છે. હવે તમે સમજદાર બન્યાં છો. ભલે મનુષ્ય કહે છે અમે નથી જાણતા કે વિનાશ થઇ જશે, સમજમાં નથી આવતું. એક વાર્તા છે ને - વાઘ આવ્યો વાઘ આવ્યો. નહોતા માનતા. એક દિવસ બધી ગાયો ખાઈ ગયો. તમે પણ કહેતા રહો છો આ જૂની દુનિયા ગઈ કે ગઈ. બહુત ગઈ થોડી રહી....
આ બધું નોલેજ આપ બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. આત્મા જ ધારણ કરે છે. બાપની પણ આત્મામાં જ્ઞાન છે, એ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે જ્ઞાન આપે છે. જરૂર એમનામાં નોલેજ છે ત્યારે તો નોલેજફુલ ગોડફાધર કહેવાય છે. આ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. સ્વયંને તો જાણો છો ને. અને સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે પણ નોલેજ છે એટલે અંગ્રેજીમાં નોલેજફુલ અક્ષર બહુજ સરસ છે. મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડના બીજરુપ છે તો તેમને બધી નોલેજ છે. તમે આ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. શિવબાબા તો છે જ નોલેજફુલ. આ સારી રીતે બુદ્ધિમાં રહેવું જોઈએ. એવું નથી, બધાની બુદ્ધિમાં એકરસ ધારણાં થાય છે. ભલે લખે પણ છે પરંતુ ધારણા કંઈ નથી. નામ માત્ર લખે છે, બતાવી કોઈને પણ નહીં શકે. ફક્ત કાગળ ને બતાવે છે. કાગળ શું કરશે! કાગળ થી તો કોઈ સમજશે નહીં. ચિત્રથી બહુ સારું સમજશે. મોટા માં મોટુ નોલેજ, તો અક્ષર પણ મોટા-મોટા હોવા જોઈએ. મોટા થી મોટા ચિત્ર જોઈ મનુષ્ય સમજશે આમાં જરૂર કંઈક સાર છે. સ્થાપના અને વિનાશ પણ લખેલું છે. દરેક બાળકોનો હક છે જીવનમુક્તિ. તો બાળકોની બુદ્ધિ ચાલવી જોઈએ કે બધા જીવનબંધમાં છે, તેમને જીવનબંધ થી જીવનમુક્તિ માં કેવી રીતે લઈ જઈએ? પહેલા શાંતિધામમાં જઈશું પછી સુખધામમાં. સુખધામ ને જીવનમુક્તિ કહેશું. આ ચિત્ર ખાસ મોટા-મોટા બનવા જોઈએ. મુખ્ય ચિત્ર છે ને. બહુ મોટા-મોટા અક્ષર હોય તો મનુષ્ય કહેશે બી.કે. એ આટલા મોટા ચિત્ર બનાવ્યા છે, જરૂર કંઈક નોલેજ છે. તો જ્યાં-ત્યાં તમારા પણ મોટા-મોટા ચિત્ર લગાડેલા હશે તો પૂછશે આ શું છે? બોલો, આટલા મોટા ચિત્ર તમને સમજાવવા માટે બનાવ્યા છે. આમાં સ્પષ્ટ લખેલું છે, બેહદનો વારસો આ લોકોનો હતો. કાલની વાત છે, આજે એ નથી કારણકે ૮૪ પુનર્જન્મ લેતા-લેતા નીચે આવી ગયા છે. સતોપ્રધાન થી તમોપ્રધાન તો બનવાનું જ છે. જ્ઞાન અને ભક્તિ, પૂજ્ય અને પૂજારી નો ખેલ છે ને. અડધા-અડધા માં એકદમ પૂરો ખેલ બનેલો છે. તો આવા મોટા-મોટા ચિત્ર બનાવવાની હિંમત જોઈએ. સેવાનો પણ શોખ હોવો જોઈએ. દિલ્હીના તો ખૂણા-ખૂણા માં સર્વિસ કરવાની છે. મેળા, વગેરે માં તો ઘણા બધા જાય છે ત્યાં તમને આ ચિત્ર જ કામ આવશે. ત્રિમૂર્તિ, ગોળો આ છે મુખ્ય. આ બહુ સરસ વસ્તુ છે, આંધળાની સામે જેમકે અરીસો. આંધળાઓને ભણાવવા માં આવે છે. ભણે તો આત્મા છે ને. પરંતુ આત્માનાં ઓર્ગન્સ (અંગ) નાનાં છે, તો તેમને ભણાવવા માટે ચિત્ર વગેરે દેખાડવામાં આવે છે. પછી થોડા મોટા થાય છે તો દુનિયાનો નકશો દેખાડે છે. પછી તે આખો નકશો બુદ્ધિમાં રહે છે. હમણાં તમારી બુદ્ધિ માં આખા ડ્રામાનું ચક્ર છે, આટલા બધા ધર્મ છે, ક્યારે-ક્યારે નંબરવાર આવે છે, પછી ચાલ્યા જશે. ત્યાં તો એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, જેને સ્વર્ગ હેવિન કહેવાય છે. બાપની સાથે યોગ લગાડવાથી આત્મા પતિત થી પાવન બની જશે. ભારતનો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. યોગ અર્થાત્ યાદ. બાપ પણ કહે છે મુજ બાપને યાદ કરો. આ કહેવું પડે છે. લૌકિક બાપ ને કંઈ કહેવું નથી પડતું કે મને યાદ કરો. બાળકો આપો-આપ બાબા-મમ્મા કહેતા રહે છે. તે છે લૌકિક માતા-પિતા, આ છે પારલૌકિક, જેમનું ગાયન છે - તમારી કૃપાથી સુખ ઘનેરા. જેમને દુઃખ છે, તેઓ જ ગાએ છે. સુખમાં તો કહેવાની આવશ્યકતા જ નથી રહેતી. દુ:ખમાં છે ત્યારે પુકારે છે. હવે તમે સમજી ગયા છો આ માતા-પિતા છે. બાપ કહે છે ને દિન-પ્રતિદિન તમને ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. પહેલા ખબર હતી કે માતા-પિતા કોને કહેવાય છે? હવે તમે જાણો છો પિતા તો આમને જ કહેવાય છે. પિતાથી વારસો મળે છે બ્રહ્મા દ્વારા. માતા પણ જોઈએ ને કારણ કે બાળકોને અડોપ્ટ કરવાનાં છે. આ વાત કોઈને પણ ધ્યાનમાં નથી આવતી. તો બાબા ઘડી-ઘડી કહે છે – મીઠા-મીઠા બાળકો, બાપ ને યાદ કરતા રહો. લક્ષ્ય મળી ગયું છે પછી ભલે ક્યાંય પણ જાઓ, વિલાયતમાં જાઓ, સાત દિવસનો કોર્સ કર્યો તો ઘણું છે. બાપથી તો વારસો લેવાનો જ છે. યાદથી જ આત્મા પાવન બનશે. સ્વર્ગનાં માલિક બનશો. આ લક્ષ્ય તો બુદ્ધિમાં છે પછી ભલે ક્યાંય પણ જાઓ. બધુ જ્ઞાન ગીતાનું આ બેજમાં છે. કોઈને પૂછવાની પણ આવશ્યકતા નહીં રહેશે કે શું કરવાનું છે. બાપથી વારસો લેવો છે તો જરૂર બાપ ને યાદ કરવાનાં છે. તમે વારસો બાપથી અનેકવાર લીધો છે. ડ્રામાનું ચક્ર રીપીટ થતું રહે છે. અનેકવાર તમે શિક્ષક થી ભણીને કોઈને કોઈ પદ પ્રાપ્ત કરો છો. ભણવામાં બુદ્ધિયોગ શિક્ષક સાથે રહે છે ને. પરીક્ષા ભલે નાની હોય, કે મોટી હોય, ભણે તો આત્મા છે ને. આમની પણ આત્મા ભણે છે. શિક્ષકને અને બીજુ લક્ષ્ય-હેતુ ને યાદ કરવાનો છે. સૃષ્ટિનાં ચક્રને પણ બુદ્ધિ માં રાખવાનું છે. બાપ અને વારસાને યાદ કરવાનો છે. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. જેટલી ધારણા કરશો તેટલું ઊંચું પદ પામશો. સારી રીતે યાદ કરતા રહો છો પછી અહીંયા આવવાની પણ શું આવશ્યકતા છે. પરંતુ તો પણ આવે છે. આવા ઊંચા બાપ, જેમનાં થી આટલો બેહદ નો વારસો મળે છે, તેમને મળીને તો આવીએ. મંત્ર લઈને બધા આવે છે. તમને તો બહુજ શ્રેષ્ઠ મંત્ર મળ્યો છે. નોલેજ તો બધું સારી રીતે બુદ્ધિ માં છે.
હવે આપ બાળકો સમજો છો કે વિનાશી કમાણી ની પાછળ વધારે સમય ખોટી નથી કરવાનો. તે તો બધું માટીમાં મળી જશે. બાપ ને કંઈ જોઈએ કે? કંઈ પણ નહીં. કોઈ પણ ખર્ચો વગેરે કરો છો તો સ્વયંના માટે કરો છો. આમાં પાઇ પૈસા નો પણ ખર્ચો નથી. કોઈ ગોળા કે ટેન્ક વગેરે તો ખરીદી નથી કરવાનાં લડાઈ માટે. કંઈ પણ નથી. તમે લડવા છતા પણ આખી દુનિયા થી ગુપ્ત છો. તમારી લડાઈ જુઓ કેવી છે. આને કહેવાય છે યોગબળ, બધી ગુપ્ત વાતો છે. આમાં કોઈને મારવાની દરકાર નથી. તમારે ફક્ત બાપને યાદ કરવાનાં છે. આ બધાની મોત ડ્રામા નોંધાયેલી છે. દર પાંચ હજાર વર્ષ પછી તમે યોગબળ જમા કરવાં માટે ભણતર ભણો છો. ભણતર પૂરું થાય પછી પ્રાલબ્ધ જોઈએ નવી દુનિયામાં. જૂની દુનિયાનાં માટે આ નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) છે. ગાયન પણ છે ને - સ્વયંના કુળનો વિનાશ કેવી રીતે કરે છે. કેટલુ મોટુ કુળ છે. આખું યુરોપ આવી જાય છે. આ ભારત તો અલગ ખૂણામાં છે. બાકી બધાં ખલાસ થઈ જવાનાં છે. યોગબળ થી તમે આખા વિશ્વ પર વિજય પામો છો, પવિત્ર પણ બનવાનું છે આ લક્ષ્મી-નારાયણ ની જેમ. ત્યાં કુદ્રષ્ટિ છે જ નહીં. આગળ જઈને તમને બહુ જ સાક્ષાત્કાર થશે. પોતાના દેશનાં નજીક આવવાથી ઝાડ દેખાવા લાગે છે ને. તો ખુશી થાય છે - હવે આવીને પહોંચ્યા છીએ પોતાનાં ઘર ની નજીક. તમે પણ ઘરે ચાલી પડ્યા છો પછી આપણા સુખધામમાં આવશો. બાકી થોડો સમય છે, સ્વર્ગ થી વિદાય લીધે કેટલો સમય થઈ ગયો છે. હવે ફરી સ્વર્ગ નજીક આવી રહ્યું છે. તમારી બુદ્ધિ ચાલી જાય છે ઉપર. તે છે નિરાકારી દુનિયા, જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. આપણે ત્યાંના રહેવાવાળા છીએ. અહિયાં ૮૪ નો પાર્ટ ભજવ્યો. હવે આપણે જઈએ છીએ. તમે બાળકો છો ઓલરાઉન્ડ, શરુ થી લઇને પુરા ૮૪ જન્મ વાળા છો. પછીથી આવવા વાળા ને ઓલરાઉન્ડર નહીં કહેવાય. બાપએ સમજાવ્યું છે - વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા જન્મ લે છે, એક જન્મ સુધી પણ છે. છેલ્લે બધાં ચાલ્યા જશે પાછા. નાટક પૂરું થયું, ખેલ ખલાસ. હવે બાપ સમજાવે છે - મને યાદ કરો, અંત મતી સો ગતિ થઈ જશે. બાપની પાસે પરમધામમાં ચાલ્યા જશો. તેને કહેવાય છે મુક્તિધામ, શાંતિધામ અને પછી સુખધામ. આ છે દુઃખધામ. ઉપરથી દરેક સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે. એક જન્મ હશે તો તેમાં પણ આ ૪ સ્ટેજ (સ્તર) ને પામશે. કેટલું સારું બાળકોને બેસીને સમજાવે છે, તો પણ યાદ નથી કરતા. બાપ ને ભૂલી જાય છે, નંબરવાર તો છે ને. બાળકો જાણે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર રુદ્ર માળા બને છે. કેટલા કરોડની રુદ્ર માળા છે. બેહદ વિશ્વ ની આ માળા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંનેની અટક જુઓ, આ પ્રજાપિતા બ્રહ્મા નું નામ છે. અડધા કલ્પ પછી આવે છે રાવણ. દૈવીવંશ પછી ઇસ્લામવંશ... આદમ-બીબી ને પણ યાદ કરે છે, પેરેડાઇઝ (વૈકુંઠ) ને પણ યાદ કરે છે. ભારત વૈકુંઠ સ્વર્ગ હતું, બાળકોને ખુશી તો બહુજ થવી જોઈએ. બેહદ નાં બાપ, ઊંચેથી ઊંચાં ભગવાન, ઊંચેથી ઊંચું ભણાવે છે. ઊંચેથી ઊંચુ પદ મળે છે. સૌથી ઊંચેથી ઊંચા શિક્ષક છે બાપ. તેઓ શિક્ષક પણ છે, ફરી સાથે લઈ જાય છે તો સદ્દગુરુ પણ છે. આવાં બાપ કેમ નહીં યાદ રહેશે. ખુશીનો પારો ચઢેલો રહેવો જોઈએ. પરંતુ યુદ્ધનું મેદાન છે, માયા સ્થિર નથી થવા દેતી. ઘડી-ઘડી નીચે પડે છે. બાપ તો કહે છે – બાળકો, યાદ થી જ તમે માયાજીત બનશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) બાપ જે શીખવાડે છે તેને અમલમાં લાવવાનું છે, ફક્ત કાગળ પર નોંધ નથી કરવાની. વિનાશનાં પહેલાં જીવનબંધ થી જીવનમુક્ત પદ પ્રાપ્ત કરવાનું છે.

2) સ્વયં નો સમય વિનાશી કમાણી ની પાછળ અધિક ખોટી નથી કરવાનો કારણ કે આ તો બધું માટીમાં મળી જવાનું છે એટલે બેહદ નાં બાપ થી બેહદ નો વારસો લેવાનો છે અને દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે.

વરદાન :-
ઓથોરિટી બની સમય પર સર્વ શક્તિઓને કાર્યમાં લગાવવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ:

સર્વશક્તિવાન બાપ દ્વારા જે સર્વ શક્તિઓ પ્રાપ્ત છે તે જેવી પરિસ્થિતિ, જેવો સમય અને જે વિધિથી તમે કાર્યમાં લગાડવા ઈચ્છો તે જ રુપથી આ શક્તિઓ તમારી સહયોગી બની શકે છે. આ શક્તિઓને કે પ્રભુ વરદાનને જે રુપ માં ઈચ્છો એ રૂપ ધારણ કરી શકે છે. હમણાં-હમણાં શીતળતા નાં રુપમાં, હમણાં-હમણાં બાળવા નાં રુપમાં. ફક્ત સમય પર કાર્યમાં લગાડવાની ઓથોરિટી બનો. આ સર્વ શક્તિઓ તો આપ માસ્ટર સર્વશક્તિવાન ની સેવાધારી છે.

સ્લોગન :-
સ્વ પુરુષાર્થ અથવા વિશ્વ કલ્યાણનાં કાર્યમાં જ્યાં હિંમત છે ત્યાં સફળતા થઈ પડી છે.