17-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - જેમ તમને નિશ્ચય છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી, એ આપણા બાપ છે, એમ બીજાને સમજાવી નિશ્ચય કરાવો પછી એમનો ઓપિનિયન (અભિપ્રાય) લો”

પ્રશ્ન :-
બાપ પોતાના બાળકોને કઈ વાત પૂછે છે, જે બીજા કોઈ નથી પૂછી શકતા?

ઉત્તર :-
બાબા જ્યારે બાળકોને મળે છે તો પૂછે છે – બાળકો, પહેલા તમે ક્યારે મળ્યા છો? જે બાળકો સમજ્યા છે એ ઝટ કહે છે - હાં બાબા, અમે ૫ હજાર વર્ષ પહેલા તમને મળ્યા હતા. જે નથી સમજતા, તેઓ મૂંઝાઈ જાય છે. આવો પ્રશ્ન પૂછવાની અક્કલ બીજા કોઈને આવશે પણ નહીં. બાપ જ તમને આખા કલ્પ નું રહસ્ય સમજાવે છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બેહદ ના બાપ સમજાવે છે - અહીં તમે બાપ ની સામે બેઠા છો. ઘરેથી નીકળો છો આ વિચારથી કે અમે જઈએ છે શિવબાબા ની પાસે, જે બ્રહ્મા નાં રથ માં આવી ને અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે. આપણે સ્વર્ગમાં હતાં ફરી ૮૪ નું ચક્ર લગાવી હવે નર્ક માં આવીને પડ્યા છીએ. બીજા કોઈ પણ સત્સંગમાં કોઈની બુદ્ધિમાં આવી વાતો નહીં હશે. તમે જાણો છો આપણે શિવબાબાની પાસે જઈએ છે, જે આ રથમાં આવીને ભણાવે પણ છે. તેઓ આપણને આત્માઓને સાથે લઈ જવા આવ્યા છે. બેહદ ના બાપથી જરુર બેહદનો વારસો મળવાનો છે. આ તો બાપ એ સમજાવ્યું છે કે હું સર્વવ્યાપી નથી. સર્વવ્યાપક તો ૫ વિકાર છે. તમારામાં પણ ૫ વિકાર છે, એટલે તમે મહાન દુઃખી થયા છો. હવે, ઈશ્વર સર્વવ્યાપી નથી, આ અભિપ્રાય જરુર લખાવાનો છે. આપ બાળકોને તો પાકો નિશ્ચય છે કે ઈશ્વર બાપ સર્વવ્યાપી નથી. બાપ સુપ્રીમ બાપ છે, સુપ્રીમ શિક્ષક, ગુરૂ પણ છે. બેહદ ના સદ્દગતિ દાતા છે. એ જ શાંતિ આપવાવાળા છે. બીજી કોઈ જગ્યાએ આવા વિચાર કોઈ નથી કરતા કે શું મળવાનું છે. ફક્ત કર્ણરસ-રામાયણ, ગીતા વગેરે જઈને સાંભળે છે. બુદ્ધિ માં અર્થ કંઈ નથી. પહેલા આપણે પરમાત્મા સર્વવ્યાપી કહેતા હતા. હવે બાપ સમજાવે છે આ તો જૂઠું છે. બહુ જ ગ્લાનિ ની વાત છે. તો આ અભિપ્રાય પણ બહુ જ જરૂરી છે. આજકાલ જેનાથી તમે ઉદ્દ્ઘાટન વગેરે કરાવો છો, તેઓ લખે છે બ્રહ્માકુમારીઓ સારું કામ કરે છે. બહુ જ સારી સમજણ આપે છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે, એનાથી લોકોનાં દિલ પર ફક્ત સારી અસર પડે છે. બાકી આ અભિપ્રાય કોઈપણ નથી લખીને દેતા કે દુનિયાભરમાં જે મનુષ્ય કહે છે ઇશ્વર સર્વવ્યાપી છે, આ મોટી ભૂલ છે. ઈશ્વર તો બાપ, શિક્ષક, ગુરુ છે. એક તો મુખ્ય વાત છે આ, બીજું પછી અભિપ્રાય જોઈએ કે આ સમજણથી અમે સમજીએ છે ગીતા નાં ભગવાન કૃષ્ણ નથી. ભગવાન કોઈ મનુષ્ય કે દેવતાને નથી કહેવાતું. ભગવાન એક છે, એ બાપ છે. એ બાપ થી જ શાંતિ અને સુખનો વારસો મળે છે. આવા-આવા અભિપ્રાય લેવાનાં છે. હમણાં જે તમે અભિપ્રાય લો છો, એ કોઈ કામનું નથી લખતા. હા, એટલું લખે છે કે અહીં શિક્ષણ બહુ જ સારું આપે છે. બાકી મુખ્ય વાત જેમાં તમારી વિજય થાય છે, એ લખાવો કે બ્રહ્માકુમારી સત્ય કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી. એ તો બાપ છે, એ ગીતાના ભગવાન છે. બાપ આવીને ભક્તિમાર્ગ થી છોડાવી જ્ઞાન આપે છે. આ પણ અભિપ્રાય જરૂરી છે કે પતિત-પાવની પાણીની ગંગા નથી, પરંતુ એક બાપ છે. એવો-એવો અભિપ્રાય જ્યારે લખે ત્યારે જ તમારી વિજય થાય. હમણાં સમય બાકી છે. હમણાં તમારી જે સેવા ચાલે છે, આટલો ખર્ચો થાય છે, આ તો આપ બાળકો જ એક-બે ને મદદ કરો છો. બહાર વાળાને તો કંઈ ખબર જ નથી. તમે જ પોતાના તન-મન-ધનથી ખર્ચો કરી પોતાના માટે રાજધાની સ્થાપન કરો છો. જે કરશે તે પામશે. જે નથી કરતાં એ પામતા પણ નથી. કલ્પ-કલ્પ તમે જ કરો છો. તમે જ નિશ્ચય બુદ્ધિ થાઓ છો. તમે સમજો છો કે બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, ગીતાનું જ્ઞાન પણ યથાર્થ રીતે સંભળાવે છે. ભક્તિમાર્ગમાં ભલે ગીતા સાંભળતા આવ્યા પરંતુ રાજ્ય થોડી જ પ્રાપ્ત કર્યું છે. ઈશ્વર્ય મતથી બદલાઈને આસુરી મત થઈ ગઈ. ચરિત્ર બગડવાથી પતિત બની પડ્યા. કુંભ ના મેળા પર કેટલા મનુષ્ય કરોડોના અંદાજમાં જાય છે. જ્યાં-જ્યાં પાણી જુએ છે, ત્યાં જાય છે. સમજે છે પાણીથી જ પાવન થઈશું. હવે પાણી તો જ્યાં ત્યાં નદીઓથી આવતું રહે છે. એનાથી કોઈ પાવન બની શકે કે! શું પાણીમાં સ્નાન કરવાથી આપણે પતિતથી પાવન બની દેવતા બની જઈશું. હવે તમે સમજો છો કોઈ પણ પાવન બની ન શકે. આ છે ભૂલ. તો આ ૩ વાતો પર અભિપ્રાય લેવો જોઈએ. હમણાં ફક્ત કહે છે સંસ્થા સારી છે, તો બહુ બધાની અંદર જે ભ્રાંતિઓ ભરેલી છે કે બ્રહ્માકુમારીઓ માં જાદુ છે, ભગાડે છે - આ વિચારો દૂર થઈ જાય છે કારણ કે અવાજ તો બહુ જ ફેલાયો છે ને. વિદેશ સુધી આ અવાજ ગયો હતો કે આમને ૧૬,૧૦૮ રાણીઓ જોઈએ છે, એમાંથી ૪૦૦ મળી ગઈ છે કારણ કે એ સમયે સત્સંગમાં ૪૦૦ આવતા હતા. બહુ બધાએ વિરોધ કર્યો, પીકેટીંગ વગેરે પણ કરતા હતા, પરંતુ બાપની આગળ તો કોઈનું ચાલી ન શકે. બધા કહેતા હતા આ જાદુગર ક્યાંથી આવ્યો. પછી વન્ડર જુઓ, બાબા તો કરાંચીમાં હતા. જાતે જ આખી તોળી આપસ માં મળીને ભાગી આવી. કોઈને ખબર ન પડી કે અમારા ઘરમાંથી કેવી રીતે ભાગ્યા. એ પણ વિચાર ન કર્યો કે આટલા બધા ક્યાં જઈને રહીશું. પછી ઝટ થી બંગલો લઈ લીધો. તો જાદુ ની વાત થઈ ગઈ ને. હજી પણ કહેતા રહે છે આ જાદુગરણી છે. બ્રહ્માકુમારીઓની પાસે જશે તો પછી પાછા આવશે નહીં. આ સ્ત્રી-પુરુષને ભાઈ-બહેન બનાવે છે પછી કેટલા તો આવતા જ નથી. હવે તમારી પ્રદર્શની વગેરે જોઈને જે વાતો બુદ્ધિ માં બેઠેલી છે, એ દૂર થાય છે. બાકી બાબા જે અભિપ્રાય ઈચ્છે છે, તે કોઈ નથી લખતું. બાબાને એ અભિપ્રાય જોઈએ છે. એમ લખે કે ગીતાનાં ભગવાન કૃષ્ણ નથી. આખી દુનિયા સમજે છે કૃષ્ણભગવાનુવાચ. પરંતુ કૃષ્ણ તો પુરા ૮૪ જનમ લે છે. શિવબાબા છે પુનર્જન્મ રહિત. તો આમાં બહુ બધાં નો અભિપ્રાય જોઈએ. ગીતા સાંભળવા વાળા તો ટોળા ના ટોળા છે, પછી જોશે આ તો સમાચારમાં પણ આવ્યું છે ગીતા નાં ભગવાન પરમપિતા પરમાત્મા શિવ છે. એ જ બાપ, શિક્ષક સર્વના સદ્દગતિ દાતા છે. શાંતિ અને સુખનો વારસો ફક્ત એમનાથી જ મળે છે. બાકી હવે તમે મહેનત કરો છો, ઉદ્દઘાટન કરાવો છો, ફક્ત મનુષ્યોની ભ્રાંતિઓ દૂર થાય છે, સમજણ સારી મળે છે. બાકી બાબા જેમ કહે છે એમ અભિપ્રાય લખે. મુખ્ય અભિપ્રાય છે આ. બાકી માત્ર સલાહ આપે છે - આ સંસ્થા બહુ જ સરસ છે. એનાથી શું થશે. હા, આગળ જઈને જ્યારે વિનાશ અને સ્થાપના નજીક હશે તો તમને આ અભિપ્રાય પણ મળશે. સમજીને લખશે. હમણાં તમારી પાસે આવવાં તો લાગ્યા છે ને. હવે તમને જ્ઞાન મળ્યું છે - એક બાપ નાં બાળકો આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આ કોઈને પણ સમજાવવું તો બહુ જ સહજ છે. બધી આત્માઓના બાપ એક સુપ્રીમ બાબા છે. એમનાથી જરુર સુપ્રીમ બેહદ નું પદ પણ મળવું જોઈએ. જે ૫ હજાર વર્ષ પહેલા તમને મળ્યું હતું. તે લોકો કળયુગ ની આયુ લાખો વર્ષ કહી દે છે. તમે ૫ હજાર વર્ષ કહો છો, કેટલું અંતર છે.
બાપ સમજાવે છે ૫ હજાર વર્ષ પહેલાં વિશ્વમાં શાંતિ હતી. આ લક્ષ્ય-હેતુ સામે છે. એમના રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી. આ રાજધાની આપણે પાછી સ્થાપન કરી રહ્યા છીએ. આખા વિશ્વમાં સુખ શાંતિ હતી. કોઈ દુઃખ નું નામ ન હતું. હવે તો અપાર દુઃખ છે. આપણે આ સુખ-શાંતિનું રાજય સ્થાપન કરી રહ્યા છીએ, આપણા જ તન-મન-ધનથી ગુપ્ત રીતે. બાપ પણ ગુપ્ત છે, નોલેજ પણ ગુપ્ત છે, તમારો પુરુષાર્થ પણ ગુપ્ત છે, એટલે બાબા ગીત-કવિતાઓ, વગેરે પણ પસંદ નથી કરતા. એ છે ભક્તિમાર્ગ. અહિયાં તો ચુપ રહેવાનું છે, શાંતિ થી ચાલતા-ફરતા બાપ ને યાદ કરવાના છે અને સૃષ્ટિ ચક્ર બુદ્ધિ માં ફરાવવાનું છે. હવે આપણો આ અંતિમ જન્મ છે, જૂની દુનિયામાં. ફરી આપણે નવી દુનિયામાં પહેલો જન્મ લઈશું. આત્મા પવિત્ર જરુર જોઈએ. હમણાં તો બધી આત્માઓ પતિત છે. તમે આત્મા ને પવિત્ર બનાવવા માટે બાપથી યોગ લગાવો છો. બાપ પોતે કહે છે – બાળકો, દેહ સહિત દેહનાં સર્વ સંબંધ છોડો. બાપ નવી દુનિયા તૈયાર કરી રહ્યા છે, એમને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. અરે, બાપ જે તમને વિશ્વની બાદશાહી આપે છે, એવા બાપને તમે ભૂલી કેવી રીતે જાઓ છો! બાપ કહે છે – બાળકો, આ અંતિમ જન્મ ફક્ત પવિત્ર બનો. હવે આ મૃત્યુલોક નો વિનાશ સામે ઉભો છે. આ વિનાશ પણ હુબહુ ૫ હજાર વર્ષ પહેલાં આમ જ થયો હતો. આ તો સ્મૃતિમાં આવે છે ને. આપણું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ ન હતો. બાબાની પાસે કોઈ પણ આવે છે તો તેમને પુછુ છુ - પહેલા ક્યારે મળ્યા છો? કોઈ તો સમજ્યા છે એ ઝટ કહી દે છે ૫ હજાર વર્ષ પહેલા. કોઈ નવા આવે છે તો મૂંઝાઈ જાય છે. બાબા સમજી જાય છે કે બ્રાહ્મણીએ સમજાવ્યું નથી. પછી કહું છું વિચારો, તો સ્મૃતિ આવે છે. આ વાત બીજા તો કોઈ પણ પૂછી ન શકે. પૂછવાની અક્કલ આવશે જ નહીં. એ શું જાણે આ વાતો ને. આગળ ચાલીને તમારી પાસે બહુ જ આવીને સાંભળશે, જે આ કુળના હશે. દુનિયા બદલાવાની તો જરુર છે. ચક્ર નું રહસ્ય તો સમજાવી દીધું છે. હવે નવી દુનિયામાં જવાનું છે. આ જૂની દુનિયા ને ભૂલી જાઓ. બાપ નવું મકાન બનાવે છે તો બુદ્ધિ એમાં ચાલી જાય છે. જૂનાં મકાનમાં પછી મમત્વ નથી રહેતું. આ પછી બેહદની વાત. બાપ નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છે એટલે હવે આ જૂની દુનિયાને જોવા છતાં પણ નહીં જુઓ. મમત્વ પણ નવી દુનિયામાં રહે. આ જૂની દુનિયાથી વૈરાગ્ય. તેઓ તો હઠયોગ થી હદનો સંન્યાસ કરી જંગલમાં જઈને બેસે છે. તમારો તો છે આખી જૂની દુનિયાથી વૈરાગ્ય, આમાં તો અથાહ દુ:ખ છે. નવી સતયુગી દુનિયામાં અપાર સુખ છે તો જરુર એમને યાદ કરશું. અહીંયા બધા દુઃખ આપવાં વાળા છે. મા-બાપ વગેરે બધા વિકારોમાં ફસાવી દેશે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એને જીતવાથી જ તમે જગતજીત બનશો. આ રાજયોગ બાપ શીખવાડે છે, જેનાથી આપણે આ પદ પામીએ છીએ. બોલો, અમને સ્વપ્નમાં ભગવાન કહે છે પાવન બનો તો સ્વર્ગની રાજાઈ મળશે. તો હવે હું એક જન્મ અપવિત્ર બની પોતાની રાજાઈ ગુમાવીશ થોડી. આ પવિત્રતાની વાત પર જ ઝગડા ચાલે છે. દ્રોપદી એ પણ પુકાર્યા છે આ દુશાસન મને નગ્ન કરે છે. આ પણ ખેલ દેખાડે છે કે દ્રોપદીને કૃષ્ણ ૨૧ સાડીઓ આપે છે. હવે બાપ બેસી સમજાવે છે કેટલી દુર્ગતિ થઈ ગઈ છે. અપાર દુઃખ છે ને. સતયુગમાં અપાર સુખ હતું. હવે હું આવ્યો છું – અનેક ધર્મનો વિનાશ અને એક સત ધર્મની સ્થાપના કરવા. તમને રાજ્ય-ભાગ્ય આપીને વાનપ્રસ્થ માં ચાલ્યો જઈશ. અડધો કલ્પ પછી મારી આવશ્યકતા જ નહીં પડે. તમે ક્યારેય યાદ પણ નહીં કરશો. તો બાબા સમજાવે છે - તમારા માટે જે બધાના મનમાં ઉલટા વાઈબ્રેશન છે તે નીકળી સારા થઈ રહ્યા છે. બાકી મુખ્ય વાત છે અભિપ્રાય લખાવી લો ઈશ્વર સર્વવ્યાપી નથી. એમણે તો આવીને રાજયોગ શીખવાડ્યો છે. પતિત-પાવન પણ બાપ છે. પાણીની નદીઓ થોડી જ પાવન બનાવી શકશે. પાણી તો બધી જગ્યાએ હોય છે. હવે બેહદ નાં બાપ કહે છે સ્વયંને આત્મા સમજો. દેહ સહિત દેહના બધા સંબંધ છોડો. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. તેઓ પછી કહી દે આત્મા નિર્લેપ છે. આત્મા સો પરમાત્મા, આ છે ભક્તિમાર્ગની વાતો. બાળકો કહે છે – બાબા, યાદ કેવી રીતે કરીયે? અરે, પોતાને આત્મા તો સમજો છો ને. આત્મા કેટલી નાની બિંદી છે તેમનાં બાપ પણ એટલાં નાનાં હશે. એ પુનર્જન્મમાં નથી આવતા. આ બુદ્ધિ માં જ્ઞાન છે. બાપ યાદ કેમ નહીં આવશે. ચાલતા-ફરતા બાપ ને યાદ કરો. અચ્છા, મોટું રૂપ જ સમજો બાપનું. પરંતુ યાદ તો એક ને કરોને, તો તમારા પાપ કપાઈ જાય. બીજો તો કોઈ ઉપાય છે નહીં. જે સમજે છે એ કહે છે બાબા આપની યાદ થી અમે પાવન બની પાવન દુનિયા, વિશ્વના માલિક બનીયે છીએ તો અમે કેમ નહીં યાદ કરશું. એક-બે ને પણ યાદ દેવડાવાની છે તો પાપ કપાઈ જાય. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) જેમ બાપ અને નોલેજ ગુપ્ત છે, એમ પુરુષાર્થ પણ ગુપ્ત કરવાનો છે. ગીત-કવિતાઓ, વગેરેને બદલે ચૂપ રહેવું સારું છે. શાંતિ માં ચાલતા-ફરતા બાપ ને યાદ કરવાના છે.

2) જૂની દુનિયા બદલાઈ રહી છે એટલે એમાંથી મમત્વ નીકાળી દેવાનું છે, આને જોવા છતાં પણ નથી જોવાની. બુદ્ધિ નવી દુનિયામાં લગાડવાની છે

વરદાન :-
સર્વ પદાર્થોની આસક્તિઓ થી ન્યારા અનાસક્ત, પ્રકૃતિજીત ભવ:

જો કોઈ પણ પદાર્થ કર્મેન્દ્રિયોને વિચલિત કરે છે અર્થાત આસક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે તો પણ ન્યારા નહિ બની શકશો. ઇચ્છાઓ જ આસક્તિઓનું રુપ છે. ઘણા કહે છે ઈચ્છા નથી પરંતુ ગમે છે. તો આ પણ સૂક્ષ્મ આસક્તિ છે - આની સૂક્ષ્મ રુપથી તપાસ કરો કે આ પદાર્થ અર્થાત અલ્પકાળનું સુખનું સાધન આકર્ષિત તો નથી કરતું? આ પદાર્થ પ્રકૃતિનું સાધન છે, જ્યારે આનાથી અનાસક્ત અર્થાત ન્યારા બનશો ત્યારે પ્રકૃતિજીત બનશો.

સ્લોગન :-
મારા-મારા ની જંજાળ ને છોડી બેહદ માં રહો ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી.