14-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો – દેહી-અભિમાની બનીને સર્વિસ (સેવા) કરો તો દરેક કદમમાં સફળતા મળતી રહેશે”

પ્રશ્ન :-
કઈ સ્મૃતિમાં રહો તો દેહ-અભિમાન નહીં આવશે?

ઉત્તર :-
સદા સ્મૃતિ રહે કે આપણે ગોડલી સર્વન્ટ (ઈશ્વરીય સેવાધારી) છીએં. સર્વન્ટ (સેવાધારી) ને ક્યારે પણ દેહ-અભિમાન ન આવી શકે. જેટલું-જેટલું યોગમાં રહેશું એટલું દેહ-અભિમાન તૂટતું જશે.

પ્રશ્ન :-
દેહી-અભિમાનીઓને ડ્રામા અનુસાર કયો દંડ મળી જાય છે?

ઉત્તર :-
તેમની બુદ્ધિમાં આ જ્ઞાન બેસતું જ નથી. સાહૂકાર લોકોમાં ધન નાં કારણે દેહ-અભિમાન રહે છે એટલે તેઓ આ જ્ઞાનને સમજી નથી શકતા, આ પણ દંડ મળી જાય છે. ગરીબ સહજ સમજી લે છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ બ્રહ્મા દ્વારા સલાહ આપી રહ્યા છે. યાદ કરો તો આ બનશો. સતોપ્રધાન બની પોતાનાં પેરેડાઇઝ (વૈકુંઠ) રાજ્યમાં પ્રવેશ કરશો. આ ફક્ત તમને નથી કહેતા પરંતુ આ અવાજ તો આખા ભારત અને વિલાયત (વિદેશ) માં પણ જશે બધાંની પાસે. અનેકોને સાક્ષાત્કાર પણ થશે. કોનો સાક્ષાત્કાર થવો જોઈએ? તે પણ બુદ્ધિથી કામ લેવું જોઈએ. બાપ બ્રહ્મા દ્વારા જ સાક્ષાત્કાર કરાવી કહે છે - પ્રિન્સ (રાજકુમાર) બનવું છે તો જાઓ બ્રહ્મા અથવા બ્રાહ્મણોની પાસે. યુરોપવાસી પણ આમને સમજવા ઈચ્છે છે. ભારત પેરેડાઇઝ (વૈકુંઠ) હતું તો કોનું રાજ્ય હતું? આ પુરુ કોઈ જાણતું નથી. ભારત જ હેવન સ્વર્ગ હતું. હવે તમે બધાંને સમજાવી રહ્યા છો. આ સહજ રાજયોગ છે, જેનાથી ભારત સ્વર્ગ અથવા હેવેન બને છે. વિદેશ વાળાની તો પણ બુદ્ધિ કંઈક સારી છે. તેઓ જ ઝટ સમજશે. તો હવે સર્વિસએબુલ (સેવાધારી) બાળકોએ શું કરવું જોઈએ? તેમને જ ડાયરેક્શન (માર્ગદર્શન) દેવા પડે છે. બાળકોને પ્રાચીન રાજયોગ શીખવાડવાનો છે. તમારી પાસે મ્યુઝિયમ પ્રદર્શની વગેરેમાં બહુ જ આવે છે. ઓપિનિયન (મંતવ્ય) લખે છે કે આ બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે. પરંતુ પોતે સમજતા નથી. થોડુંક ટચ થાય છે તો આવે છે છતાં પણ ગરીબ પોતાનું સારું ભાગ્ય બનાવશે અને સમજવાનો પુરુષાર્થ કરશે. સાહૂકારોને તો પુરુષાર્થ કરવો નથી. દેહી-અભિમાન બહુ જ છે ને. તો ડ્રામા અનુસાર જેમ બાબાએ દંડ આપી દીધો છે. તો પણ તેમનાં દ્વારા અવાજ કરાવવો પડે છે. વિદેશ વાળા તો આ નોલેજ ઈચ્છે છે. સાંભળીને બહુ જ ખુશ થઇ જાય. ગવર્મેન્ટ (સરકાર) નાં ઓફિસર્સ (અધિકારીઓ) પાછળ કેટલી મહેનત કરે છે, પરંતુ તેમને ફુરસત જ નથી. તેમને ભલે ઘરે બેઠા સાક્ષાત્કાર પણ થઈ જાય તો પણ બુદ્ધિમાં નહી આવશે. તો બાળકોને બાબા સલાહ આપે છે, ઓપિનિયન (મંતવ્ય) સારી-સારી ભેગી કરી તેની એક સારી પુસ્તક બનાવો. સલાહ આપી શકો છો - જુઓ, કેટલુ બધાંને આ સારું લાગે છે. વિદેશ વાળા અથવા ભારતવાસી પણ સહજ રાજયોગ જાણવા ઈચ્છે છે. સ્વર્ગનાં દેવી-દેવતાઓની રાજાઈ જે સહજ રાજયોગ થી ભારતને પ્રાપ્ત થાય છે તો કેમ નહીં આ મ્યુઝિયમ ગવર્મેન્ટ હાઉસ માં અંદર લગાવી દઈએ. જ્યાં કોન્ફરન્સ (સભા) વગેરે થતી રહે છે. આ ખ્યાલ બાળકોમાં ચાલવા જોઈએ. હજી સમય લાગશે. આટલી જલ્દી નરમ બુદ્ધિ નહીં થાય. ગોદરેજ નું તાળું બુદ્ધિને લાગેલું છે. હમણાં અવાજ નિકળે તો રિવોલ્યુશન (ક્રાંતિ) થઈ જાય. હા, થવાનું જરુર છે. બોલો, ગવર્મેન્ટ હાઉસમાં પણ મ્યુઝિયમ હોય તો અનેક ફોરેનર્સ (વિદેશી) પણ આવીને જુએ. વિજય તો બાળકોની જરુર થવાની છે. તો ખ્યાલ ચાલવા જોઈએ. દેહી-અભિમાની ને જ આવા-આવા ખ્યાલ આવશે કે શું કરવું જોઈએ. જે બિચારાઓને ખબર પડે અને બાપ થી વારસો લઈ લે. આપણે લખીએ પણ છીએં વગર કોઈ ખર્ચે...... તો સારા-સારા જે બાળકો આવે છે, સલાહ આપે છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર (ઉપ પ્રધાનમંત્રી) ઓપનિંગ (ઉદ્ઘાટન) કરવા આવે છે પછી પ્રાઇમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી), પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) પણ આવશે કારણ કે તેમને પણ જઈને બતાવશે આ તો વન્ડરફુલ નોલેજ છે. સાચી શાંતિ તો આવી રીતે સ્થાપન થવાની છે. ગમે છે, સમજણ પણ છે ગમવાની. આજે નહીં ગમશે તો કાલે ગમશે. બાબા કહેતા રહે છે મોટા-મોટા વ્યક્તિઓ ની પાસે જાઓ. આગળ ચાલી તેઓ પણ સમજશે. મનુષ્યની બુદ્ધિ તમોપ્રધાન છે એટલે ઉલ્ટા કામ કરતા રહે છે. દિન-પ્રતિદિન વધુ જ તમોપ્રધાન બનતા જાય છે.
તમે સમજાવાની કોશિશ કરો છો કે આ વિકારી ધંધો બંધ કરો, પોતાની ઉન્નતિ કરો. બાપ આવ્યા છે પવિત્ર દેવતા બનાવવા. છેવટે તે દિવસ પણ આવશે જે ગવર્મેન્ટ હાઉસમાં મ્યુઝિયમ હશે. બોલો. ખર્ચો તો અમે અમારો કરીએ છીએં. ગવર્મેન્ટ તો ક્યારેય પૈસા નહીં આપે. આપ બાળકો કહેશો અમે અમારા ખર્ચા થી દરેક ગવર્મેન્ટ હાઉસમાં આ મ્યુઝિયમ લગાવી શકીએ છીએં. એક મોટા ગવર્મેન્ટ હાઉસમાં થઈ જાય તો પછી બધાં માં થઈ જાય. સમજાવવા વાળા પણ જરુર જોઈએ. તેમને કહેશું સમય નિશ્ચિત કરો, જે કોઈ આવીને રસ્તો બતાવે. વગર કોડી ખર્ચે જીવન બનાવવા નો રસ્તો બતાવશે. આ આગળ થવાનું છે. પરંતુ બાપ બાળકો દ્વારા જ બતાવે છે. સારા-સારા બાળકો જે પોતાને મહાવીર સમજે છે તેમને જ માયા પકડે છે. બહુ જ ઊંચી મંઝિલ છે. બહુ જ ખબરદારી રાખવાની છે. બોક્સિંગ ઓછી નથી. મોટામાં મોટી બોક્સિંગ છે. રાવણને જીતવાનું યુદ્ધનું મેદાન છે. થોડું પણ દેહ નું અભિમાન ન આવે 'હું આવી સર્વિસ કરું છું, આ કરું છું........' આપણે તો ગોડલી સર્વન્ટ છીએં. આપણે તો સંદેશ દેવાનો જ છે, આમાં ગુપ્ત મહેનત બહુ જ છે. તમે જ્ઞાન અને યોગબળ થી સ્વયંને સમજાવો છો. આમાં ગુપ્ત રહી વિચાર સાગર મંથન કરો ત્યારે નશો ચઢે. એવા પ્રેમ થી સમજાવશો, બેહદ નાં બાપનો વારસો દરેક કલ્પમાં ભારતવાસીઓને મળે છે. ૫ હજાર વર્ષ પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં તો કહેવાય છે વેશ્યાલય. સતયુગ છે શિવાલય. એ છે શિવબાબા ની સ્થાપના, આ છે રાવણ ની સ્થાપના. રાત-દિવસનો ફરક છે. બાળકો ફીલ (અનુભવ) કરે છે બરાબર અમે શું બની ગયા હતા. બાબા આપ સમાન બનાવે છે. મૂળ વાત છે દેહી-અભિમાની બનવાનું છે. દેહી-અભિમાની બની વિચાર કરવાનો હોય છે કે આજે અમારે ફલાણા પ્રાઇમ મિનિસ્ટર ને જઈને સમજાવાનું છે. તેમને દ્રષ્ટિ આપીયે તો સાક્ષાત્કાર થઈ શકે છે. તમે દ્રષ્ટિ આપી શકો છો. જો દેહી-અભિમાની થઈને રહો તો તમારી બેટરી ભરાતી જશે. દેહી-અભિમાની થઈને બેસો, સ્વયંને આત્મા સમજી બાપથી યોગ લગાવો તો તમારી બેટરી ભરાઈ શકે છે. ગરીબ ઝટ પોતાની બેટરી ભરી શકે છે કારણ કે બાપ ને બહુ જ યાદ કરે છે. જ્ઞાન ભલે સારું છે યોગ ઓછો છે તો બેટરી ભરાઈ ન શકે કારણકે દેહનો અહંકાર બહુ જ હોય છે. યોગ કંઈ પણ છે નહી, એટલે જ્ઞાન બાણમાં જોહર (બળ) નથી ભરાતું. તલવાર માં પણ જોહર (ધાર) હોય છે. તેજ તલવાર ૧૦ રુપિયા, તેજ તલવાર ૫૦ રુપિયા. ગુરુ ગોવિંદસિંહ ની તલવાર નું ગાયન છે, આમાં હિંસાની વાત નથી. દેવતાઓ છે ડબલ અહિંસક. આજે ભારત આવું, કાલે ભારત આવું બનશે. તો બાળકો ને કેટલી ખુશી હોવી જોઈએ. કાલે આપણે રાવણ રાજ્યમાં હતા તો નાકમાં દમ હતું. આજે આપણે પરમ પિતા પરમાત્મા ની સાથે રહ્યા છીએં.

હવે તમે ઈશ્વરીય પરિવાર નાં છો. સતયુગ માં તમે હશો દૈવી પરિવાર નાં. હમણાં સ્વયં ભગવાન આપણને ભણાવી રહ્યા છે, આપણને કેટલો પ્રેમ મળે છે ભગવાનનો. અડધો કલ્પ રાવણ નો પ્રેમ મળવાથી વાનર બની ગયા છીએં. હવે બેહદનાં બાપનો પ્રેમ મળવાથી તમે દેવતા બની જાઓ છો. ૫ હજાર વર્ષની વાત છે. તેમણે લાખો વર્ષ લગાવી દીધા છે. આ પણ તમારા જેવા પુજારી હતા. સૌથી લાસ્ટ (છેલ્લા) નંબર ઝાડમાં ઉભા છે. સતયુગ માં તમને કેટલું અથાહ ધન હતું. પછી જે મંદિર બનાવ્યા તેમાં પણ આટલું અથાહ ધન હતું, જેને આવી ને લૂંટ્યું. મંદિર તો બીજા પણ હશે. પ્રજા નાં પણ મંદિર હશે. પ્રજા તો વધારે જ સાહૂકાર હોય છે. પ્રજા થી રાજા લોકો કર્જો ઉપાડે છે. આ બહુ જ ગંદી દુનિયા છે. સૌથી ગંદુ શહેર છે કલકત્તા. આને ચેન્જ (પરિવર્તન) કરવાની આપ બાળકોએ મહેનત કરવાની છે. જે કરશે તે પામશે. દેહ-અભિમાન આવ્યું અને પડ્યા. મનમનાભવ નો અર્થ નથી સમજતા. ફક્ત શ્લોક કંઠસ્થ કરી લે છે. જ્ઞાન તો તેમનાં માં હોઈ ન શકે - સિવાય આપ બ્રાહ્મણોને. કોઈ મઠ-પંથ વાળા તો દેવતા બની ન શકે. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બની શકશે. જે કલ્પ પહેલા બન્યા હતા તેજ બનશે. સમય લાગે છે. ઝાડ મોટું થઈ ગયું તો પછી વૃદ્ધિ પામતું રહેશે. કીડી નાં માર્ગથી વિહંગ માર્ગ થશે. બાપ સમજાવે છે - મીઠા બાળકો, બાપને યાદ કરો, સ્વદર્શન ચક્ર ફરાવો. તમારી બુદ્ધિ માં આખું ૮૪નું ચક્ર છે. તમે બ્રાહ્મણ જ ફરી દેવતા અને ક્ષત્રિય કુળ નાં બનો છો. સૂર્યવંશી-ચંદ્રવંશી નો પણ અર્થ કોઈ નથી સમજતા. મહેનત કરી સમજાવાય છે. છતાં પણ નથી સમજતા તો સમજાય જાય છે હમણાં સમય નથી. છતાં પણ આવે છે. સમજે છે બ્રહ્માકુમારીઓ નું બહારમાં નામ આવું છે. અંદર આવીને જુએ છે તો કહે છે, આ બહુ જ સારા કાર્ય કરી રહ્યા છે. આ તો મનુષ્ય માત્ર નાં કેરેક્ટર (ચરિત્ર) સુધારે છે. દેવતાઓનું કેરેક્ટર જુઓ કેવું છે. સંપૂર્ણ નિર્વિકારી...... બાપ કહે છે કામ મહાશત્રુ છે. આ ૫ ભૂતોનાં કારણે જ તમારું કેરેક્ટર બગડેલું છે. જે સમયે સમજાવે છે તે સમયે સારા બને છે. બહાર જવાથી બધું જ ભૂલી જાય છે. ત્યારે કહે છે સૌ સૌ કરે શ્રુંગાર..... આ બાબા ગાળો નથી દેતા, સમજાવે છે. દૈવી ચલન રાખો, ક્રોધમાં આવીને ભસો છો શા માટે! સ્વર્ગમાં ક્રોધ હોતો નથી. બાપ કંઈ પણ સામે સમજાવતા હતા, ક્યારેય પણ ગુસ્સો નહોતો આવતો. બાબા બધું રિફાઇન કરીને સમજાવે છે. ડ્રામા કાયદા અનુસાર ચાલતો રહે છે. ડ્રામા માં કોઈ ભૂલ નથી. અનાદિ અવિનાશી બનેલો છે. જે એક્ટ સારી ચાલે છે તે ફરી ૫ હજાર વર્ષનાં બાદ થશે. ઘણા કહે છે આ પહાડ તુટ્યો પછી કેવી રીતે બનશે. નાટક જુઓ, મહેલ તૂટ્યા, પછી નાટક રિપીટ થશે તો તે જ બનેલા મહેલ દેખાશે. આ હૂબહૂ રીપીટ થતું રહે છે. સમજવાની પણ બુદ્ધિ જોઈએ. કોઈની બુદ્ધિમાં બેસવું બહુ જ મુશ્કિલ હોય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી છે ને. રામ રાજ્ય માં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું, તેમની પૂજા થતી હતી. બાપ એ સમજાવ્યું છે તમે જ પૂજ્ય તમે જ પૂજારી બનો છો. હમ સો નો અર્થ પણ બાળકોને સમજાવ્યો છે. હમ સો દેવતા, હમ સો ક્ષત્રિય..... બાજોલી છે ને. આને સારી રીતે સમજવાનું છે અને બીજાઓને સમજાવાની કોશિશ કરવાની છે. બાબા એવું નથી કહેતા ધંધો છોડો. ના. ફક્ત સતોપ્રધાન બનવાનું છે, હિસ્ટ્રી-જોગ્રાફી નું રહસ્ય સમજી ને સમજાવો. મૂળ વાત છે મનમનાભવ. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો સતોપ્રધાન બનશો. યાદ ની યાત્રા છે નંબરવન. બાપ કહે છે હું બધાં બાળકો ને સાથે લઈ જઈશ. સતયુગ માં કેટલા થોડા મનુષ્ય છે. કળયુગમાં આટલાં અસંખ્ય મનુષ્ય છે. કોણ બધાંને પાછા લઈ જશે. આટલા બધાં જંગલ ની સફાઈ કોણે કરી? બાગવાન, ખેવૈયા બાપને જ કહે છે. એ જ દુ:ખ થી છોડાવીને પેલે પાર લઈ જાય છે. ભણતર કેટલુ મીઠું લાગે છે કારણ કે નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇનકમ (આવક નું સાધન છે). તમને કારુન્ડ નો ખજાનો મળે છે. ભક્તિમાં કંઈ નથી મળતું. અહીંયા પગે પડવાની વાત નથી. તેઓ તો ગુરુની આગળ સુઈ જાય છે, આનાથી બાપ છોડાવે છે. આવાં બાપને યાદ કરવા જોઈએ. એ આપણા બાપ છે, આ સમજી લીધું છે ને. બાબા થી વારસો જરુર મળે છે. એ ખુશી રહે છે. લખે છે અમે સાહૂકાર ની પાસે ગયા તો લજ્જા (શરમ) આવતી હતી, અમે ગરીબ છીએં. બાબા કહે છે ગરીબ છો તો બહુ જ સારું. સાહૂકાર હોત તો અહીંયા આવત જ નહિં. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:
1) સદા એ જ ખુશી કે નશા માં રહેવાનું છે કે હમણાં આપણે ઈશ્વરીય પરિવારનાં છીએં, સ્વયં ભગવાન આપણને ભણાવી રહ્યા છે, એમનો પ્રેમ આપણને મળી રહ્યો છે જે પ્રેમથી આપણે દેવતા બનશું.

2) આ બન્યા-બનાવેલ ડ્રામાને એક્યુરેટ સમજવાનો છે, આમાં કોઈ ભૂલ થઈ ન શકે. જે એક્ટ (કર્મ) થયું એ ફરી રીપીટ થશે. આ વાતને સારી બુદ્ધિ થી સમજીને ચાલો તો ક્યારેય ગુસ્સો નહીં આવશે.

વરદાન :-
જ્ઞાન નાં શ્રેષ્ઠ ખજાના ને મહાદાની બની દાન કરવા વાળા માસ્ટર જ્ઞાન સાગર ભવ:

જેમ બાપ જ્ઞાન નાં સાગર છે એમ માસ્ટર જ્ઞાન સાગર બની સદા બીજાને જ્ઞાન દેતા રહો. જ્ઞાન નો કેટલો શ્રેષ્ઠ ખજાનો આપ બાળકો ની પાસે છે. એ જ ખજાનાથી ભરપૂર બની, યાદ નાં અનુભવો થી બીજાઓની સેવા કરો. જે પણ ખજાના મળ્યા છે મહાદાની બની તેનું દાન કરતા રહો કારણ કે આ ખજાના જેટલા દાન કરશો એટલા હજી પણ વધતા જશે. મહાદાની બનવું અર્થાત્ દેવું નહીં પણ હજી વધારે ભરવું.

સ્લોગન :-
જીવનમુક્ત ની સાથે દેહ થી ન્યારા વિદેહી બનવું - આ છે પુરુષાર્થ ની લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા).