29-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
રાજયોગ નું ભણતર ભણો છો રાજાઈ નાં માટે , આ છે તમારું નવું ભણતર .”
પ્રશ્ન :-
આ ભણતરમાં ઘણા
બાળકો ચાલતા-ચાલતા નપાસ કેમ થઇ જાય છે?
ઉત્તર :-
કારણકે આ
ભણતરમાં માયાની સાથે બોક્સિંગ (કુસ્તી) છે. માયાની બોક્સિંગમાં બુદ્ધિને બહુજ માર
લાગી જાય છે. માર લાગવાનાં કારણે બાપથી સાચા નથી. સાચા બાળકો સદા સલામત રહે છે.
ઓમ શાંતિ!
આ તો બધા
બાળકોને નિશ્ચય હશે કે આપણને આત્માઓને પરમાત્મા બાપ ભણાવે છે. ૫ હજાર વર્ષ પછી એક જ
વાર બેહદ નાં બાપ આવીને બેહદ નાં બાળકોને ભણાવે છે. કોઈ નવા માણસ આ વાતો સાંભળે તો
સમજી ન શકે. રુહાની બાપ, રુહાની બાળકો શું હોય છે, આ પણ સમજી નહિ સકે. આપ બાળકો જાણો
છો આપણે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએં. એ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ
પણ છે. આપ બાળકોને આ જરૂર ઓટોમેટિકલી યાદ રહેશે, અહીંયા બેસી સમજતા હશો - બધી
આત્માઓના એક જ રૂહાની બાપ છે. બધી આત્માઓ એમને જ યાદ કરે છે. કોઈ પણ ધર્મના હોય. બધા
મનુષ્ય માત્ર યાદ જરૂર કરે છે. બાપ એ સમજાવ્યું છે આત્મા તો બધામાં છે ને. હવે બાપ
કહે છે - દેહના બધા ધર્મ છોડી સ્વયંને આત્મા સમજો. હમણાં તમે આત્મા અહિયાં પાર્ટ
ભજવી રહ્યા છો. કેવો પાર્ટ ભજવો છો, તે પણ સમજાવ્યું છે. બાળકો પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર જ સમજે છે. તમે રાજયોગી છો ને. ભણવાવાળા બધા યોગી જ હોય છે.
ભણવાવાળા શિક્ષકની સાથે યોગ જરૂર રાખવો પડે છે. એમ-ઓબ્જેક્ટ (લક્ષ-હેતુ) ની પણ ખબર
હોય છે - આ ભણતરથી અમે ફલાણા બનીશું. આ ભણતર તો એક જ છે, આને કહેવાય છે રાજાઓના રાજા
બનવાનું ભણતર. રાજયોગ છે ને. રાજાઈ પ્રાપ્ત કરવાને માટે બાપથી યોગ. બીજા કોઈ મનુષ્ય
આ રાજયોગ ક્યારેય શીખવાડી ન શકે. તમને કોઈ મનુષ્ય નથી શીખવાડતા. પરમાત્મા આપ
આત્માઓને શીખવાડે છે. તમે પછી બીજાઓ ને શીખવાડો છો. તમે પણ સ્વયંને આત્મા સમજો.
આપણને આત્માઓને બાપ શીખવાડે છે. આ યાદ ન રહેવાથી બળ નથી ભરાતું, એટલે ઘણાની બુદ્ધિમાં
નથી બેસતુ. તો બાપ હંમેશા કહે છે, યોગયુક્ત થઈ, યાદની યાત્રા માં રહી ને સમજાવો.
આપણે ભાઈ-ભાઈ ને શીખવાડીએ છીએ. તમે પણ આત્મા છો, એ બધાનાં બાપ, શિક્ષક, ગુરુ છે.
આત્મા ને જોવાની છે. ભલે ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ પરંતુ આમાં મહેનત ઘણી છે.
આત્મ-અભિમાની ન બનવાથી તમારા વચનોમાં તાકાત નથી રહેતી કારણ કે જે પ્રકારે બાપ સમજાવે
છે તે રીતે કોઈ સમજાવતા નથી. કોઈ-કોઈ તો બહુજ સારું સમજાવે છે. કોણ કાંટા છે અને
કોણ ફૂલ છે - ખબર તો બધી પડે છે, સ્કૂલમાં બાળકો ૫-૬ ધોરણ ભણીને પછી ટ્રાન્સફર થાય
છે. સારા-સારા બાળકો જ્યારે ટ્રાન્સફર થાય છે તો બીજા ક્લાસના શિક્ષકને પણ ઝટ ખબર
પડે છે. આ બાળકો હોશિયાર પુરુષાર્થી છે, આમણે સારું ભણેલુ છે ત્યારે ઊંચ નંબર માં
આવ્યાં છે. શિક્ષકતો જરૂર સમજતા હશે ને. તે છે લૌકિક ભણતર, અહીંયા તો તે વાત નથી. આ
છે પારલૌકિક ભણતર. અહીંયા તો એવું નહીં કહેશું. આ પહેલા બહુજ સારું ભણી ને આવ્યા છે
ત્યારે સારું ભણે છે. નહિ. તે પરીક્ષા માં તો ટ્રાન્સફર થાય છે તો શિક્ષક સમજશે એમને
ભણવામાં માં મહેનત કરી છે, ત્યારે આગળ નંબર લીધો છે. અહીંયા તો છે જ નવું ભણતર, જે
પહેલાથી કોઇ ભણેલા નથી. નવું ભણતર છે, નવા ભણાવવાવાળા છે. બધા નવાં છે. નવાં ને
ભણાવે છે. તેમાં જે સારી રીતે ભણે છે તો કહેશે આ સારા પુરુષાર્થી છે. આ છે નવી
દુનિયાને માટે નવું નોલેજ બીજું કોઈ ભણાવવા વાળું તો છે નહીં. જેટલું-જેટલું જે
ધ્યાન આપે છે તેટલાં ઊંચ નંબરમાં જાય છે. કોઈ તો બહુજ મીઠા આજ્ઞાકારી હોય છે. જોવાથી
જ ખબર પડે છે, આ ભણાવવા વાળા બહુંજ સારા છે, આમનાં માં કોઈ અવગુણ નથી. ચલન થી, વાત
કરવાથી ખબર પડી જાય છે. બાબા પૂછે પણ બધાને છે - આ કેવું ભણાવે છે, આમનામાં કોઇ ખામી
તો નથી. એવા બહુજ કહે છે અમને પૂછ્યા વગર સમાચાર ક્યારે નહીં આપવા. કોઈ સારું ભણાવે
છે, કોઈ શુરુડ બુદ્ધિ નથી હોતા. માયા નો વાર ઘણો થાય છે. આ બાપ જાણે છે, માયા તેમને
દગો બહુજ આપે છે. ભલે ૧૦ વર્ષ પણ ભણાવ્યું છે પરંતુ માયા એવી જબરદસ્ત છે -
દેહ-અહંકાર આવ્યો અને આ ફસાયા. બાપ સમજાવે છે જે પણ પહેલવાન છે, તેમના પર માયા નો
માર લાગે છે. માયા પણ બળવાન થી બળવાન થઈને લડે છે. તમે સમજતા હશો બાબાએ જેમનામાં
પ્રવેશ કર્યો છે આ નંબરવન છે. પછી નંબરવાર તો ઘણા છે ને. બાબા મિસાલ એક-બે ની આપે
છે. હોય તો નંબરવાર બહુજ છે. જેમ દિલ્હીમાં ગીતા બાળકી બહુજ હોશિયાર છે. છે બાળકી
બહુ મીઠી. બાબા હંમેશા કહે છે ગીતા તો સાચી ગીતા છે. મનુષ્ય તે ગીતા વાંચે છે પરંતુ
એ નથી સમજતા કે ભગવાન એ કેવી રીતે રાજ્યોગ શીખવાડીને રાજાઓના રાજા બનાવ્યા હતા.
બરોબર સતયુગ હતું તો એક જ ધર્મ હતો, કાલની વાત છે. બાપ કહે છે કાલે તમને આટલા
સાહૂકાર બનાવીને ગયો. તમે પદ્માપદમ ભાગ્યશાળી હતા, હવે તમે શું બની ગયા છો. તમે
અનુભવ કરો છો ને. તે ગીતા સંભળાવવા વાળાથી કોઈને અનુભવ થાય છે શું, જરા પણ નથી સમજતા.
ઊંચેથી ઊંચી શ્રીમત ભાગવત ગીતા જ ગવાય છે. તેઓ તો ગીતા પુસ્તક બેસી વાંચે અથવા
સંભળાવે છે. બાપ તો પુસ્તક નથી વાંચતા. ફર્ક તો છે ને. તેમની યાદની યાત્રા તો છે જ
નહીં. તે તો નીચે ઉતરતા જ રહે છે. સર્વવ્યાપી નાં જ્ઞાન થી બધા જુઓ કેવા બની ગયા
છે. તમે જાણો છો કલ્પ-કલ્પ આવું જ થશે. બાપ કહે છે તમને શીખવાડી વિષય સાગરથી પાર કરી
દઉં છું. કેટલો ફર્ક છે. શાસ્ત્ર વાંચવું તો ભક્તિમાર્ગ થયો ને. બાપ કહે છે આ
વાંચવાથી મારાથી કોઈ નથી મળતું. તેઓ સમજે છે કોઈ પણ તરફ જાઓ પહોંચવાનું તો બધાએ એક
જ જગ્યાએ છે. ક્યારેક કહે છે ભગવાન કોઈને કોઈ રુપમાં આવીને ભણાવશે. જ્યારે બાપને
આવીને ભણાવાનું છે તો પછી તમે શું ભણાવો છો? બાપ સમજાવે છે ગીતામાં લોટમાં મીઠા
જેટલાં કોઈ સાચાં અક્ષર છે, જેમાં તમે પકડી શકો છો. સતયુગમાં તો કોઈપણ શાસ્ત્ર વગેરે
હોતાં જ નથી. આ છે જ ભક્તિમાર્ગના શાસ્ત્ર. એવું નહીં કહેશું કે આ અનાદિ છે. શરૂ થી
ચાલતા આવે છે. નહીં. અનાદિ નો અર્થ નથી સમજતા. બાપ સમજાવે છે આ તો ડ્રામા અનાદિ
બરાબર છે. તમને બાપ રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે હમણાં તમને શીખવાડું છું પછી ગુમ
થઈ જાઉં છું. તમે કહેશો અમારું રાજ્ય અનાદિ હતું. રાજ્ય તેજ છે, ફક્ત પાવન થી બદલાઈ
પતિત બનવાથી નામ બદલાઈ જાય છે. દેવતા ને બદલે હિંદુ કહેવાય છે. છે તો આદિ સનાતન
દેવી-દેવતા ધર્મનાં. જેમ બીજા સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે, તમે પણ એવી
રીતે ઉતરો છો. રજો માં આવો છો તો અપવિત્રતાને કારણે દેવતા ને બદલે હિંદુ કહેવાય છે.
નહીં તો હિન્દુ હિન્દુસ્તાન નું નામ છે. તમે અસલમાં તો દેવી-દેવતા હતા ને. દેવતાઓ
સદેવ પાવન હોય છે. હમણાં તો મનુષ્ય પતિત બની ગયા છે. તો નામ પણ હિન્દુ રાખી દીધું
છે. પૂછો હિંદુ ધર્મ ક્યારે, કોણે રચ્યો? તો બતાવી નહીં શકે. આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ હતો, જેને પેરેડાઇઝ (વૈકુંઠ) વગેરે બહુજ સારા-સારા નામ આપે છે. જે વીતી ગયું
છે તે ફરી પાછું પુનરાવર્તન થવાનું છે. આ સમયે તમે શરૂ થી લઈને અંત સુધી બધું જાણો
છો. જાણતા જશો તો જીવતા રહેશો. ઘણાં તો મરી પણ જાય છે. બાપ ના બને છે તો માયાની
યુદ્ધ ચાલે છે. યુદ્ધ થવાથી ટ્રેટર (દગાબાજ) બની જાય છે. રાવણ નાં હતા, રામ નાં
બન્યા. ફરી રાવણ, રામ નાં બાળકો પર જીત પહેરી પોતાની તરફ લઈ જાય છે. કોઈ બીમાર થઈ
જાય છે. પછી ન ત્યાંનાં રહે, ન અહિયાં નાં રહે. ન ખુશી છે, ન રંજ. વચમાં પડ્યા રહે
છે. તમારી પાસે પણ બહુજ છે જે વચમાં છે. બાપનાં પણ પુરા નથી બનતા, રાવણનાં પણ પુરા
નથી બનતા. હમણાં તમે છો પુરુષોત્તમ સંગમયુગ પર. ઉત્તમ પુરુષ બનવાને માટે પુરુષાર્થ
કરી રહ્યા છો. આ બહુજ સમજાવવાની વાતો છે. બાબા પૂછે છે હાથ તો ઘણા બાળકો ઉઠાવે છે.
પરંતુ સમજાય જાય છે - બુદ્ધિ નથી. ભલે બાબા કહે છે શુભ બોલો. કહે છે તો બધાં છે -
અમે નર થી નારાયણ બનીશું. કથા જ નર થી નારાયણ બનવાની છે. અજ્ઞાન કાળ માં પણ સત્ય
નારાયણ ની કથા સાંભળે છે ને. ત્યાં તો કોઈ પૂછી ન શકે. આ તો બાપ જ પૂછે છે. તમે શું
સમજો છો - આટલી હિંમત છે? તમારે પાવન પણ જરૂર બનવાનું છે. કોઈ આવે છે તો પુછાય કે આ
જન્મ માં કોઈ પાપ કર્મ તો નથી કર્યા? જન્મ-જન્માંતરનાં પાપી તો છો જ. આ જન્મનાં પાપ
બતાવી દો તો હળવા થઈ જશો. નહીં તો દિલ અંદર ખાતું રહેશે. સાચું બતાવવાથી હળવા થશો.
ઘણાં બાળકો સાચું નથી બતાવતા તો માયા એકદમ જોરથી મુક્કો મારી દે છે. તમારી બહુજ આકરી
બોક્સિંગ છે. તે બોક્સિંગમાં તો શરીરને માર લાગે છે, આમાં બુદ્ધિને બહુજ માર લાગે
છે. આ બાબા પણ જાણે છે. આ બ્રહ્મા કહે છે હું બહુજ જન્મો નાં અંતનો છું. સૌથી પાવન
હતો, હમણાં સૌથી પતિત છું. ફરી પાવન બનું છું. એવું તો નથી કહેતા કે હું મહાત્મા
છું. બાપ પણ ખાતરી આપે છે, આ સૌથી વધારે પતિત છે. બાપ કહે છે હું પારકા દેશ, પારકા
શરીર માં આવું છું. આમનાં બહુજ જન્મો નાં અંતમાં હું આમનાં માં પ્રવેશ કરું છું,
જેમણે પુરા ૮૪ જન્મ લીધા છે. હવે આ પણ પાવન બનવાનો પુરુષાર્થ કરે છે, ખબરદાર પણ બહુ
જ રહેવાનું હોય છે. બાપ તો જાણે છે ને. આ બાબા નો બાળક બહુજ નજીક છે. આ તો બાપ થી
છૂટો ક્યારેય થઇ જ ન શકે. ખ્યાલ પણ ન આવી સકે કે છોડીને જાઉં. એકદમ મારા બાજુમાં
બેઠો છે. મારા તો બાબા છે ને. મારા ઘરમાં બેઠા છે. બાબા જાણે છે હસી-મજાક પણ કરે
છે. બાબા આજે મને સ્નાન તો કરાવો, ભોજન તો ખવડાવો. હું નાનો બાળક છું, અનેક પ્રકારથી
બાબા ને યાદ કરું છું. આપ બાળકોને સમજાવું છું - આમ-આમ યાદ કરો. બાબા તમે તો બહું
મીઠા છો. એકદમ અમને વિશ્વનાં માલિક બનાવી દો છો. આ વાત બીજા કોઈની બુદ્ધિ માં હોઈ ન
શકે. બાપ બધાંને રિફ્રેશ કરતા રહે છે. બધાં પુરુષાર્થ તો કરે છે, પરંતુ ચલન પણ એવી
હોય ને, ભૂલ થઈ જાય તો ઝટ લખવું જોઈએ - બાબા અમારાથી આ ભૂલ થઇ જાય છે. કોઈ-કોઈ લખે
પણ છે - બાબા અમારાથી આ ભૂલ થઈ માફ કરજો. મારા બાળક બનીને પછી ભૂલ કરવાથી સો ગુણી
વૃદ્ધિ થઈ જાય છે. માયા થી હારે છે તો ફરી તેવાં નાં તેવાં બની જાય છે. બહુજ હારે
છે. આ મોટી બોક્સિંગ છે. રામ અને રાવણ ની લડાઈ છે. દેખાડે પણ છે વાનરની સેના લીધી.
આ બધી બાળકોની રમત બનેલી છે. જેમ નાનાં બાળક બેસમજ હોય છે ને. બાપ પણ કહે છે આ તો
તેમની પાઇ-પૈસાની બુદ્ધિ છે. કહે છે દરેક ઈશ્વરનું રુપ છે. તો દરેક ઇશ્વર બનીને રચના
પણ કરે છે, પાલના કરે છે ફરી વિનાશ પણ કરી દે છે. હવે ઈશ્વર કોઈ નો વિનાશ થોડી કરે
છે. આ તો કેટલી અજ્ઞાનતા છે એટલે કહેવાય છે ગુડીયોની પૂજા કરતા રહે છે. વન્ડર છે.
મનુષ્યની બુદ્ધિ કેવી થઈ જાય છે. કેટલા ખર્ચા કરે છે. બાબા ફરિયાદ કરે છે - હું તમને
આટલા મોટા બનાવીને ગયો, તમે શું કર્યું! તમે પણ જાણો છો આપણે તો દેવતા હતા પછી ચક્ર
લગાવીએ છીએ, હમણાં આપણે બ્રાહ્મણ બન્યા છીએં. ફરી આપણે દેવતા….. બનીશું. આ તો
બુદ્ધિમાં બેસેલું છે ને. અહીંયા બેસો છો તો બુદ્ધિમાં આ નોલેજ રહેવું જોઈએ. બાપ પણ
નોલેજફૂલ છે ને. રહે ભલે શાંતિધામમાં છે તો પણ તેમને નોલેજફુલ કહેવાય છે. તમારી પણ
આત્મામાં બધું નોલેજ રહે છે ને. કહે છે આ જ્ઞાનથી તો અમારી આંખ ખૂલી ગઈ છે. બાપ તમને
જ્ઞાનનાં ચક્ષુ આપે છે. આત્માને સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંતની ખબર પડી ગઈ છે. ચક્ર
ફરતું રહે છે. બ્રાહ્મણોને જ સ્વદર્શન ચક્ર મળે છે. દેવતાઓને ભણાવવા વાળું કોઈ હોતું
નથી. તેમને શિક્ષા ની દરકાર નથી. ભણવાનું તો તમારે છે જે ફરી તમે દેવતા બનો છો. હવે
બાપ બેસી આ નવી-નવી વાતો સમજાવે છે. આ નવું ભણતર ભણીને તમે ઊંચા બનો છો. પહેલાં થી
છેલ્લાં. છેલ્લાં થી પહેલાં. આ ભણતર છે ને. હમણાં તમે સમજો છો બાબા દરેક કલ્પ આવીને
પતિત થી પાવન બનાવે છે, પછી આ નોલેજ ખતમ થઈ જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) બહું-બહુંજ
આજ્ઞાકારી, મીઠા થઈને ચાલવાનું છે. દેહ-અહંકાર માં નથી આવવાનું. બાપ નાં બાળક બનીને
પછી કોઈ પણ ભૂલ નથી કરવાની. માયા ની બોક્સિંગ માં બહું-બહુંજ ખબરદાર રહેવાનું છે.
2) સ્વયંનાં વચનો માં તાકાત ભરવા માટે આત્મ-અભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે.
સ્મૃતિ રહે - બાપનું શીખવાડેલું આપણે સંભળાવી રહ્યા છીએ તો તેમાં બળ ભરાશે.
વરદાન :-
અપવિત્રતાનો
અંશ - આળસ્ય અને અલબેલાપણ નો ત્યાગ કરવાવાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ :
દિનચર્યા નાં કોઈ પણ
કર્મ માં નીચે ઉપર થવું, આળસ્ય માં આવવું અથવા અલબેલા થવું - આ વિકાર નો અંશ છે,
જેનો પ્રભાવ પૂજનીય બનવા પર પડે છે. જો તમે અમૃતવેલા સ્વયં ને જાગૃત સ્થિતિમાં
અનુભવ નથી કરતા, મજબૂરીથી અથવા સુસ્તીથી બેસો છો તો પૂજારી પણ મજબૂરી અથવા સુસ્તીથી
પૂજા કરશે. તો આળસ્ય અથવા અલબેલાપણ નો પણ ત્યાગ કરી દો ત્યારે સંપૂર્ણ નિર્વિકારી
બની શકશો.
સ્લોગન :-
સેવા ભલે કરો
પરંતુ વ્યર્થ ખર્ચ નહીં કરો.