07-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પાવન બનવાનું ભણતર બધાં ભણતર થી સહજ છે , આને બાળકો , જુવાન , ઘરડા બધાં ભણી શકે છે
, ફક્ત ૮૪ જન્મો ને જાણવાનાં છે ”
પ્રશ્ન :-
દરેક નાનાં
અથવા મોટા ને કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) જરુર કરવાની છે.
ઉત્તર :-
દરેકએ મુરલી
ચલાવવાની પ્રેક્ટિસ જરુર કરવી જોઈએ કારણ કે તમે મુરલીધરનાં બાળકો છો. જો મુરલી નથી
ચલાવતાં તો ઊંચ પદ નહી પામી શકો. કોઈને પણ સંભળાવતા રહો તો મુખ ખુલી જશે. તમારે
દરેકને બાપ સમાન શિક્ષક જરુર બનવાનું છે. જે ભણો છો તે પણ ભણાવવાનું છે. નાનાં
બાળકોને પણ આ ભણતર ભણવાનો હક છે. તે પણ બેહદનાં બાપનાં વારસાને લેવાનાં અધિકારી છે.
ઓમ શાંતિ!
હમણાં આવે છે શિવબાબા ની જયંતી. એના પર કેવી રીતે સમજાવવું જોઈએ? બાપએ તમને સમજાવ્યું
છે તેમ તમારે પછી બીજાને સમજાવવાનું છે. એવું તો નથી, બાબા જેમ તમને ભણાવે છે એવી
રીતે બાબા એ જ બધાંને ભણાવવાનું છે. શિવબાબા એ તમને ભણાવ્યાં છે, જાણો છો આ શરીર
દ્વારા ભણાવ્યાં છે. બરાબર આપણે શિવબાબા ની જયંતી મનાવીએ છીએ. આપણે નામ પણ શિવનું
લઈએ છીએ, એ તો છે જ નિરાકાર. એમને શિવ કહેવાય છે. તે લોકો કહે છે શિવ તો જન્મ-મરણ
રહિત છે. એમની પછી જયંતી કેવી રીતે હશે? આ તો તમે જાણો છો કેવી રીતે નંબરવાર મનાવતા
આવે છે. મનાવતા જ રહેશે. તો તેમને સમજાવવા પડે. બાપ આવીને આ તનનો આધાર લે છે. મુખ
તો જરુર જોઈએ, એટલે ગૌમુખ ની મહિમા છે. આ રહસ્ય થોડું પેચીદું છે. શિવબાબા નાં
કર્તવ્ય ને સમજવાનું છે. આપણા બેહદનાં બાપ આવેલાં છે, એમનાંથી જ આપણને બેહદનો વારસો
મળે છે. બરાબર ભારતને બેહદનો વારસો હતો બીજા કોઈને હોતો નથી. ભારતને જ સચખંડ કહેવાય
છે અને બાપને પણ સત્ય કહેવાય છે. તો આ વાતો સમજાવી પડે છે પછી કોઈ ને જલ્દી સમજમાં
નથી આવતી. કોઈ ઝટ સમજી જાય છે. આ યોગ અને ભણતર બંને ખસી જવા વાળી વસ્તુ છે. એમાં પણ
યોગ વધારે ખસી જાય છે. નોલેજ તો બુદ્ધિમાં રહે જ છે બાકી યાદ જ ઘડી-ઘડી ભૂલે છે.
નોલેજ તો તમારી બુદ્ધિમાં છે જ કે આપણે કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ, જેમને આ નોલેજ
છે તેજ બુદ્ધિથી સમજી શકે છે કે જે પહેલા-પહેલા નંબરમાં આવે છે તેજ ૮૪ જન્મ લેશે.
પહેલા ઉંચે થી ઊંચા લક્ષ્મી-નારાયણ ને કહેશું. નર થી નારાયણ બનવાની કથા પણ
નામીગ્રામી છે. પૂર્ણિમા પર બહું જગ્યાએ સત્યનારાયણની કથા ચાલે છે. હવે તમે જાણો છો
આપણે સાચે જ બાબા દ્વારા નર થી નારાયણ બનવાનું ભણતર ભણીએ છીએ. આ છે પાવન બનવાનું
ભણતર, અને છે પણ બધાં ભણતરથી બિલકુલ સહજ. ૮૪ જન્મોનાં ચક્ર ને જાણવાનું છે અને પછી
આ ભણતર બધાંને માટે એક જ છે. ઘરડા, બાળકો, જવાન જે પણ હોય બધાં માટે એક જ ભણતર છે.
નાનાં બાળકોને પણ હક છે. જો માતા-પિતા તેમને થોડું-થોડું શીખવાડતા રહે તો સમય તો ઘણો
પડ્યો છે. બાળકોને પણ આ શિખવાડાય છે કે શિવબાબા ને યાદ કરો. આત્મા અને શરીર બંને
નાં બાપ અલગ-અલગ છે. આત્મા બાળક પણ નિરાકારી છે તો બાપ પણ નિરાકારી છે. આ પણ આપ
બાળકોની બુદ્ધિમાં છે એ નિરાકાર શિવબાબા આપણા બાપ છે, કેટલા નાનાં (સુક્ષ્મ) છે. આ
સારી રીતે યાદ રાખવાનું છે. ભૂલવું ન જોઈએ. આપણે આત્મા પણ બિંદુની જેમ નાની છીએ. એવું
નથી, ઉપર જઈશું તો મોટી દેખાશે, નીચે નાની થઇ જશે. નાં, તે તો છે બિંદુ. ઉપર જશો તો
તમને જાણે જોવામાં પણ નહીં આવશે. બિંદુ છે ને. બિંદુ શું જોવામાં આવશે. આ વાતો પર
બાળકોએ સારી રીતે વિચાર પણ કરવાનો છે. આપણે આત્મા ઉપરથી આવ્યાં છીએ, શરીર થી પાર્ટ
ભજવવા. આત્મા ઘટતી-વધતી નથી. ઓર્ગન્સ (અંગો) પહેલા નાનાં, પછી થી મોટા થાય છે.
હમણાં જેમ તમે સમજ્યા છો તેમ ફરી બીજાઓને સમજાવવાનું છે. આ તો જરુર છે નંબરવાર જે
જેટલું ભણ્યાં છે એટલું જ ભણાવે છે, બધાંએ શિક્ષક પણ જરુર બનવાનું છે. શિખવાડવા માટે.
બાપમાં તો નોલેજ છે, એ આટલી નાની પરમ આત્મા છે, સદેવ પરમધામ માં રહે છે. અહીંયાં એક
જ વાર સંગમ પર આવે છે. બાપ ને પોકારે પણ ત્યારે છે જ્યારે ખુબજ દુઃખી થાય છે. કહે
છે આવીને અમને સુખી બનાવો. બાળકો હવે જાણે છે આપણે પોકારતા રહીએ છીએં - બાબા, આવીને
અમને પતિત દુનિયાથી નવી સતયુગી સુખી પાવન દુનિયામાં લઈ ચાલો અથવા ત્યાં જવાનો રસ્તો
બતાવો. એ પણ જ્યારે સ્વયં આવે ત્યારે તો રસ્તો બતાવે. એ આવશે ત્યારે જયારે દુનિયાને
બદલવાની હશે. આ બહુંજ સરળ વાતો છે, નોંધ કરવાની છે. બાબાએ આજે આ સમજાવ્યું છે, અમે
પણ એવી રીતે સમજાવીયે. આવી પ્રેક્ટિસ કરતા-કરતા મુખ ખુલી જશે. તમે મુરલીધર નાં બાળકો
છો, તમારે મુરલીધર જરુર બનવાનું છે. જ્યારે બીજાઓનું કલ્યાણ કરશો ત્યારે તો નવી
દુનિયામાં ઊંચ પદ પામશો. તે ભણતર તો છે અહિયાં માટે. આ છે ભવિષ્ય નવી દુનિયાને માટે.
ત્યાં તો સદેવ સુખ જ સુખ છે. ત્યાં ૫ વિકાર હેરાન કરવાવાળા હોતા જ નથી. અહિયાં રાવણ
રાજ્ય અર્થાત્ પારકા રાજ્યમાં આપણે છીએ. તમે જ પહેલાં પોતાનાં રાજ્યમાં હતા. તમે
કહેશો નવી દુનિયા, પછી ભારત ને જ જૂની દુનિયા કહેવાય છે. ગાયન પણ છે નવી દુનિયામાં
ભારત….. એવું નહીં કહેશે કે નવી દુનિયામાં ઈસ્લામી, બૌદ્ધિ. ના. હમણાં તમારી
બુદ્ધિમાં છે. બાપ આવીને આપણને બાળકોને જગાડે છે. ડ્રામા માં પાર્ટ જ એમનો એવો છે.
ભારતને જ આવીને સ્વર્ગ બનાવે છે. ભારત જ પહેલો દેશ છે. ભારત પહેલાં દેશ ને જ સ્વર્ગ
કહેવાય છે. ભારતની આયુ પણ મર્યાદિત છે. લાખો વર્ષ કહેવું આ તો અમર્યાદિત થઈ જાય છે.
લાખો વર્ષની કોઈ વાત સ્મૃતિમાં આવી જ ન શકે. નવું ભારત હતું હવે જૂનું ભારત જ કહેશે.
ભારત જ નવી દુનિયા હશે. તમે જાણો છો આપણે હમણાં નવી દુનિયાનાં માલિક બની રહ્યા છીએં.
બાપએ સલાહ આપી છે મને યાદ કરો તો તમારી આત્મા નવી પ્યોર (પવિત્ર) બની જશે પછી શરીર
પણ નવું મળશે. આત્મા અને શરીર બંને સતોપ્રધાન બને છે. તમને રાજ્ય મળે જ છે સુખ નાં
માટે. આ પણ ડ્રામા અનાદિ બનેલો છે. નવી દુનિયામાં સુખ અને શાંતિ છે. ત્યાં કોઈ
તોફાન વગેરે નથી થતાં. બેહદ ની શાંતિમાં બધાં શાંત થઇ જાય છે. અહીંયા છે અશાંતિ તો
બધાં અશાંત છે. સતયુગ માં બધાં શાંત હોય છે. વન્ડરફુલ વાતો છે ને. આ અનાદિ
બન્યો-બનાવેલ ખેલ છે. આ છે બેહદની વાતો. તેઓ હદની બેરિસ્ટરી, એન્જિનિયરિંગ વગેરે ભણે
છે. હમણાં તમારી બુદ્ધિમાં બેહદનું નોલેજ છે. એકજ વાર બાપ આવીને બેહદનાં ડ્રામાનું
રહસ્ય સમજાવે છે. પહેલા તો આ નામ પણ નહોતું સાંભળ્યું કે બેહદ નો ડ્રામા કેવી રીતે
ચાલે છે. હમણા સમજો છો સતયુગ-ત્રેતા જરુર તે પસાર થઈ ગયા, તેમાં તેમનું રાજ્ય હતું.
ત્રેતામાં રામરાજ્ય હતું પછી બીજા-બીજા ધર્મ આવ્યા છે. ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન…..બધાં
ધર્મોની પૂરી ખબર છે. આ બધાં ૨૫૦૦ વર્ષ નાં અંદર આવ્યા છે. તેમાં ૧૨૫૦ વર્ષ કળયુગ
છે. બધો હિસાબ છે ને. એવું તો નથી, સૃષ્ટિ ની આયુ જ ૨૫૦૦ વર્ષ છે. ના. ભલે, પછી બીજા
કોણ હતા, વિચાર કરાય છે.તેમની પહેલાં બરાબર દેવી-દેવતાં…..તે પણ હતાં તો મનુષ્ય જ.
પરંતુ દૈવી ગુણોવાળા હતાં. સૂર્યવંશી-ચંદ્રવંશી ૨૫૦૦ વર્ષમાં. બાકી અડધામાં તે બધાં
હતાં. આનાથી વધારે નો તો કોઈ હિસાબ-કિતાબ નિકળી ન સકે. આખું, પોણું, અડધું, પા. ચાર
ભાગ છે. કાયદેસર ટુકડા-ટુકડા કરશે ને. અડધા માં તો આ છે. કહે પણ છે સતયુગમાં
સૂર્યવંશી રાજ્ય, ત્રેતામાં ચંદ્રવંશી રામરાજ્ય - આ તમે સિદ્ધ કરી બતાવો છો. તો
જરુર સૌથી મોટી આયુ તેમની હશે, જે પહેલા-પહેલા સતયુગમાં આવે છે. કલ્પ જ ૫૦૦૦ વર્ષનું
છે. તે લોકો ૮૪ લાખ યોનીયો કહી દે છે તો કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દે છે. કોઈ
માને પણ નહીં. આટલી મોટી દુનિયા હોઈ પણ ન શકે. તો બાપ બેસી સમજાવે છે - તે બધું છે
અજ્ઞાન અને આ છે જ્ઞાન. જ્ઞાન ક્યાંથી આવ્યું - આ પણ કોઈને ખબર જ નથી. જ્ઞાન નાં
સાગર તો એક જ બાપ છે, તેજ જ્ઞાન આપે છે મુખથી. કહે છે ગૌમુખ. આ ગૌમાતા થી તમને
બધાંને દત્તક લે છે. આ થોડીક વાતો સમજાવવા માં તો બહુંજ સહજ છે. એક દિવસ સમજાવીને
પછી છોડી દેશો તો બુદ્ધિ પછી બીજી-બીજી વાતોમાં લાગી જશે. સ્કૂલમાં એક દિવસ ભણાય છે
કે નિયમિત ભણવાનું હોય છે! નોલેજ એક દિવસમાં ન સમજી શકાય. બેહદનાં બાપ આપણને ભણાવે
છે તો જરુર બેહદનું ભણતર હશે. બેહદનું રાજ્ય આપે છે. ભારતમાં બેહદનું રાજ્ય હતું
ને. આ લક્ષ્મી-નારાયણ બેહદનું રાજ્ય કરતા હતાં. કોઈને આ વાતો સ્વપ્નમાં પણ નથી, જે
પૂછે કે તેમણે રાજ્ય કેવી રીતે લીધું? તેમનાંમાં પવિત્રતા વધારે હતી, યોગી છે ને
એટલે આયુ પણ લાંબી હોય છે. આપણે જ યોગી હતાં. પછી ૮૪ જન્મ લઈ ભોગી પણ જરુર બનવાનું
છે. મનુષ્ય નથી જાણતા કે આ પણ જરુર પુનર્જન્મમાં આવ્યા હશે. આમને ભગવાન-ભગવતી નથી
કહેવાતું. આમની પહેલા તો કોઈ છે નહીં જેમણે ૮૪ જન્મ લીધા હોય. પહેલા-પહેલા જે
સતયુગમાં રાજ્ય કરે છે તેજ ૮૪ જન્મ લે છે પછી નંબરવાર નીચે આવે છે. અમે આત્મા થી
દેવતા બનીશું પછી આપણે ક્ષત્રિય... ડિગ્રી ઓછી થશે. ગવાય પણ છે પૂજ્ય થી પુજારી.
સતોપ્રધાન થી પછી તમોપ્રધાન બને છે. એવી રીતે પુનર્જન્મ લેતા-લેતા નીચે ચાલ્યા જશે.
આ કેટલું સહજ છે. પરંતુ માયા એવી છે જે બધી વાતો ભુલાવી દે છે. આ બધાં મુદ્દાઓ ભેગા
કરી પુસ્તક વગેરે બનાવે, પરંતુ તે તો કંઈ રહેશે નહીં. આ અલ્પકાલીન છે. બાપએ કોઈ ગીતા
નથી સંભળાવી. બાપ તો જેમ હમણાં સમજાવી રહ્યા છે, એમ સમજાવ્યું હતું. આ વેદ-શાસ્ત્ર
વગેરે બધાં પછી બને છે. આ બધું જે છે, વિનાશ થશે તો આ બધું બળી જશે. સતયુગ-ત્રેતા
માં કોઈ પુસ્તક હોતાં નથી પછી ભક્તિમાર્ગમાં બને છે. કેટલી ચીજો બને છે. રાવણને પણ
બનાવે છે પરંતુ બેસમજી થી. કંઈ પણ બતાવી નથી શકતા. બાપ સમજાવે છે આ દર વર્ષે બનાવે
છે અને બાળે છે, જરુર આ મોટો દુશ્મન છે. પરંતુ દુશ્મન કેમ છે, આ કોઈ નથી જાણતું.
તેઓ સમજે છે સીતા ને ચોરીને લઈ ગયા એટલે કદાચ દુશ્મન છે. રામની સીતાને ચોરીને લઈ
જાય તો મોટો ડાકુ થયો ને! ક્યારે ચોરી કરી! ત્રેતામાં કહો કે ત્રેતાનાં અંતમાં. આ
વાતો પર પણ વિચાર કરાય છે. ક્યારે ચોરી થવી જોઈએ! કયા રામની સીતા ચોરાઈ? રામ-સીતા
ની પણ રાજધાની ચાલી છે કે? એક જ રામ-સીતા ચાલ્યાં આવ્યા છે શું? આ તો શાસ્ત્રોમાં
જેમ એક વાર્તા લખેલી છે. વિચાર કરાય છે - કઈ સીતા? ૧૨ નંબર હોય છે ને રામ-સીતા. તો
કઈ સીતાને ચોરી? જરુર અંતની હશે. આ જે કહે છે કે રામની સીતા ચોરાઈ ગઈ. હવે રામનાં
રાજ્યમાં આખો સમય એક નું જ રાજ્ય તો નહી હશે. જરુર દૈવીવંશ હશે. તો કયા નંબરની સીતા
ચોરાઈ? આ બધી બહુંજ સમજવાની વાતો છે. આપ બાળકો બહુંજ શીતળતાથી કોઈને પણ આ બધાં
રહસ્ય સમજાવી શકો છો.
બાપ સમજાવે છે ભક્તિમાર્ગમાં મનુષ્ય કેટલાં ધક્કા ખાતા-ખાતા દુઃખી થઈ ગયા છે. જ્યારે
અતિ દુઃખી થાય છે ત્યારે રડવા માંડે છે - બાબા આ દુ:ખ થી છોડાવો. રાવણ તો કોઈ ચીજ
નથી ને. જો છે તો પોતાનાં રાજાને પછી દર વર્ષે મારો કેમ છો! રાવણની જરુર સ્ત્રી પણ
હશે. મંદોદરી દેખાડે છે. મંદોદરી નું પૂતળું બનાવીને બાળે, એવું ક્યારેય જોયું નથી.
તો બાપ બેસી ને સમજાવે છે આ છે જ જુઠ્ઠી માયા, જુઠ્ઠી કાયા…..હમણાં તમે જુઠ્ઠા
મનુષ્ય થી સાચા દેવતા બનવા બેઠા છો. ફર્ક તો થયો ને! ત્યાં તો સદેવ સાચું બોલશો. તે
છે સચખંડ. આ છે જુઠ્ઠખંડ. તો જુઠ્ઠું જ બોલતા રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) જ્ઞાન સાગર
બાપ જે રોજ બેહદનું ભણતર ભણાવે છે, તેનાં પર વિચાર સાગર મંથન કરવાનું છે. જે ભણ્યા
છો તે બીજાઓને પણ જરુર ભણાવવાનું છે.
૨) આ બેહદ નો ડ્રામા કેવી રીતે ચાલે છે, આ આ અનાદિ બન્યો-બનાવેલ વન્ડરફુલ ડ્રામા
છે. આ રહસ્ય ને સારી રીતે સમજી ને પછી સમજાવવાનું છે.
વરદાન :-
પોતાની
સૂક્ષ્મ શક્તિયો પર વિજયી બનવાવાળા રાજઋષિ , સ્વરાજ્ય અધિકારી આત્મા ભવ
કર્મેન્દ્રિયજીત બનવું
તો સહજ છે પરંતુ-મન-બુદ્ધિ સંસ્કાર - આ સૂક્ષ્મ શક્તિઓ પર વિજયી બનવું - આ સૂક્ષ્મ
અભ્યાસ છે. જે સમયે જે સંકલ્પ, જે સંસ્કાર ઈમર્જ કરવા ઈચ્છો તેજ સંકલ્પ, તેજ
સંસ્કાર સહજ અપનાવી શકો - આને કહેવાય છે સુક્ષ્મ શક્તિયો પર વિજય અર્થાત્ રાજઋષિ
સ્થિતિ. જો સંકલ્પ શક્તિને આદેશ કરો કે હમણાં-હમણાં એકાગ્રચિત થઈ જાઓ, તો રાજા નો
આદેશ તેજ સમયે તે પ્રકારે માનવો આ છે - રાજ્ય અધિકારીની નિશાની. આજ અભ્યાસ થી અંતિમ
પેપરમાં પાસ થશો.
સ્લોગન :-
સેવાઓથી જે
દુવાઓ મળે છે તેજ સૌથી મોટામાં મોટી દેણ છે.