24-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાબા આવ્યા છે આપ બાળકોને દુઃખધામનો સન્યાસ કરાવવા , આ છે બેહદ નો સન્યાસ ”

પ્રશ્ન :-
તે સંન્યાસીઓનાં સન્યાસમાં અને તમારા સંન્યાસ માં મુખ્ય અંતર કયું છે.

ઉત્તર :-
તે સન્યાસી ઘરબાર છોડીને જંગલમાં જાય પરંતુ તમે ઘરબાર છોડીને જંગલમાં નથી જતા. ઘરમાં રહેવાં છતાં આખી દુનિયાને કાંટાનું જંગલ સમજો છો. તમે બુદ્ધિથી આખી દુનિયાનો સન્યાસ કરો છો.

ઓમ શાંતિ!
રુહાની બાપ બેસીને રુહાની બાળકોને રોજ-રોજ સમજાવે છે કારણકે અડધા કલ્પનાં બેસમજ છે ને. તો રોજ-રોજ સમજાવવું પડે છે. પહેલાં-પહેલાં તો મનુષ્યને શાંતિ જોઈએ. આત્માઓ બધી અસલમાં રહેવાવાળી પણ શાંતિધામની છે. બાપ તો છે જ સદૈવ શાંતિનાં સાગર. હમણાં તમે શાંતિનો વારસો પ્રાપ્ત કરી રહ્યા છો. કહે છે ને શાંતિ દેવા અર્થાત્ અમને આ સૃષ્ટિથી સ્વયંનાં ઘરે શાંતિધામ માં લઈ જાઓ અથવા શાંતિનો વારસો આપો. દેવતાઓની આગળ અથવા શિવબાબાની આગળ આવું જઈને કહે છે કે શાંતિ આપો કારણ કે શિવબાબા છે શાંતિનાં સાગર. હમણાં તમે શિવબાબા થી શાંતિનો વારસો લઈ રહ્યા છો. બાપને યાદ કરતા-કરતા તમારે શાંતિધામ માં જવાનું છે જરુર. નહી યાદ કરશો તો પણ જશો જરુર. યાદ એટલા માટે કરો છો કે પાપોનો બોજો જે માથા પર છે તે ખતમ થઈ જાય. શાંતિ અને સુખ મળે છે એક બાપથી, કારણકે તે સુખ અને શાંતિનાં સાગર છે. તે ચીજ જ મુખ્ય છે. શાંતિને મુક્તિ પણ કહેવાય છે અને પછી જીવનમુક્તિ અને જીવનબંધ પણ છે. હમણાં તમે જીવનબંધ થી જીવનમુક્ત થઈ રહ્યા છો. સતયુગમાં કોઈ બંધન નથી હોતું. ગવાય પણ છે સહજ જીવનમુક્તિ અથવા સહજ ગતિ-સદ્દ્ગતિ. હવે બંનેનો અર્થ આપ બાળકોએ સમજ્યો છે. ગતિ કહેવાય છે શાંતિધામ ને, સદ્દ્ગતિ કહેવાય છે સુખધામ ને. સુખધામ, શાંતિધામ પછી આ છે દુઃખધામ. તમે અહીંયા બેઠા છો, બાપ કહે છે - બાળકો, શાંતિધામ ઘર ને યાદ કરો. આત્માઓને સ્વયંનું ઘર ભુલાયેલું છે. બાપ આવીને યાદ અપાવે છે. સમજાવે છે હેં રુહાની બાળકો તમે ઘરે જઈ નથી શકતા જ્યાં સુધી મને યાદ નહીં કરશો. યાદથી તમારા પાપ ભસ્મ થઈ જશે. આત્મા પવિત્ર બની પછી સ્વયંનાં ઘરે જશે. આપ બાળકો જાણો છો આ અપવિત્ર દુનિયા છે. એક પણ પવિત્ર મનુષ્ય નથી. પવિત્ર દુનિયાને સતયુગ, અપવિત્ર દુનિયાને કળયુગ કહેવાય છે. રામરાજ્ય અને રાવણરાજ્ય. રાવણરાજ્ય થી અપવિત્ર દુનિયા સ્થાપન થાય છે. આ બન્યો-બનાવેલ ખેલ છે ને. આ બેહદનાં બાપ સમજાવે છે, એને જ સત્ય કહેવાય છે. સત્ય વાતો તમે સંગમ પર જ સાંભળો છો પછી તમે સતયુગમાં જાઓ છો. દ્વાપર થી ફરી રાવણરાજ્ય શરુ થાય છે. રાવણ અર્થાત અસુર થયો, અસુર ક્યારેય સત્ય નથી બોલી શકતા એટલે તેને કહેવાય છે જૂઠી માયા, જૂઠી કાયા. આત્મા પણ જૂઠી છે તો શરીર પણ જૂઠું છે. આત્મા માં સંસ્કાર ભરાય છે ને. ચાર ધાતુઓ છે ને - સોનું-ચાંદી-તાંબું-લોખંડ.. બધી ખાદ નીકળી જાય છે. બાકી સાચું સોનુ તમે બનો છો આ યોગબળથી. તમે જ્યારે સતયુગમાં છો તો સાચું સોનુ જ છો. પછી ચાંદી પડે છે તો ચંદ્રવંશી કહેવાય છે. પછી તાંબાની, લોખંડની ખાદ પડે છે દ્વાપર-કળયુગમાં. પછી યોગથી તમારામાં જે ચાંદી, તાંબુ, લોહાની જે ખાદ પડી છે તે નિકળી જાય છે. પહેલા તમે બધી આત્માઓ શાંતિધામ માં છો પછી પહેલા-પહેલા આવો છો સતયુગમાં, તો તેને કહેવાય છે ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ). તમે સાચું સોનુ છો. યોગબળથી બધી ખાદ નિકળીને પછી સાચું સોનુ બચે છે. શાંતિધામ ને ગોલ્ડન એજ નથી કહેવાતું. ગોલ્ડન એજ, સિલ્વર એજ, કોપર એજ અહીંયા કહેવાય છે. શાંતિધામ માં તો શાંતિ છે. આત્મા જ્યારે શરીર લે છે ત્યારે ગોલ્ડન એજ કહેવાય છે પછી સૃષ્ટિ જ ગોલ્ડન એજ બની જાય છે. સતોપ્રધાન ૫ તત્વોથી શરીર બને છે. આત્મા સતોપ્રધાન છે તો શરીર પણ સતોપ્રધાન છે. પછી પાછળથી આઈરન એજ શરીર મળે છે કારણ કે આત્મા માં ખાદ પડે છે. તો ગોલ્ડન એજ, સિલ્વર એજ આ સૃષ્ટિને કહેવાય છે.

તો હવે બાળકોએ શું કરવાનું છે? પહેલા-પહેલા શાંતિધામ જવાનું છે એટલે બાપને યાદ કરવાનાં છે ત્યારે જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આમાં સમય એટલો જ લાગે છે, જેટલો સમય બાપ અહિયાં રહે છે. એ ગોલ્ડન એજ માં પાર્ટ લેતા જ નથી. તો આત્માને જયારે શરીર મળે છે ત્યારે કહેવાય છે ગોલ્ડન એજ જીવાત્મા છે. એમ નહી કહેવાય ગોલ્ડન એજ આત્મા. નહી, ગોલ્ડન એજ જીવાત્મા પછી સિલ્વર એજ જીવાત્મા થાય છે. તો અહીંયા તમે બેઠા છો, તમને શાંતિ પણ છે તો સુખ પણ પ્રાપ્ત થાય છે. તો શું કરવું જોઈએ? દુઃખધામનો સન્યાસ. આને કહેવાય છે બેહદનો સન્યાસ. તે સંન્યાસીઓનો છે હદનો સન્યાસ, ઘરબાર છોડી જંગલમાં જાય છે. તેમને એ ખબર નથી કે આખી સૃષ્ટિ જ જંગલ છે. આ કાંટાનું જંગલ છે. આ છે કાંટાની દુનિયા, તે છે ફૂલોની દુનિયા. તેઓ ભલે સન્યાસ કરે છે પરંતુ તો પણ કાંટાની દુનિયામાં, જંગલમાં શહેરથી દૂર-દૂર જઈને રહે છે. તેમનો છે નિવૃત્તિ માર્ગ, તમારો છે પ્રવૃત્તિ માર્ગ. તમે પવિત્ર જોડી હતા. હમણાં અપવિત્ર બન્યા છો. તેને ગૃહસ્થ આશ્રમ પણ કહે છે. સન્યાસી તો આવે જ પાછળથી છે. ઈસ્લામી, બૌદ્ધી પણ પાછળથી આવે છે. ક્રિશ્ચન થી કંઈક પહેલા આવે છે. તો આ ઝાડને પણ યાદ કરવાનું છે, ચક્ર પણ યાદ કરવાનું છે. બાપ કલ્પ-કલ્પ આવીને વૃક્ષનું નોલેજ આપે છે કારણ કે સ્વયં બીજરુપ છે, સત્ય છે, ચૈતન્ય છે એટલે કલ્પ-કલ્પ આવીને કલ્પવૃક્ષ નું બધું જ રહસ્ય સમજાવે છે. તમે આત્મા છો પરંતુ તમને જ્ઞાન સાગર, સુખનાં સાગર, શાંતિનાં સાગર નથી કહેવાતા. આ મહિમા એક જ બાપની છે જે તમને આવા બનાવે છે. બાપની મહિમા સદૈવ માટે છે. સદૈવ એ પવિત્ર છે અને નિરાકાર છે. ફક્ત થોડા સમય માટે આવે છે પાવન બનાવવા. સર્વવ્યાપીની તો વાત જ નથી. તમે જાણો છો બાપ સદૈવ ત્યાં જ રહે છે. ભક્તિમાર્ગમાં સદૈવ એમને જ યાદ કરે છે. સતયુગમાં તો યાદ કરવાની દરકાર નથી રહેતી. રાવણ રાજ્યમાં તમારી બૂમો શરુ થાય છે, એ આવીને સુખ-શાંતિ આપે છે. તો પછી જરુર અશાંતિમાં એમની યાદ આવે છે. બાપ સમજાવે છે દર પાંચ હજાર વર્ષ પછી હું આવું છું. અડધો કલ્પ છે સુખ, અડધો કલ્પ છે દુઃખ. અડધા કલ્પ પછી જ રાવણરાજ્ય શરુ થાય છે. આમાં પહેલો નંબર મૂળ છે દેહ-અભિમાન. તેનાં પછી જ બીજા-બીજા વિકાર આવે છે. હવે બાપ સમજાવે છે સ્વયંને આત્મા સમજો, દેહી-અભિમાની બનો. આત્માની પણ ઓળખ જોઈએ. મનુષ્ય તો ફક્ત કહે છે આત્મા ભ્રકુટીની મધ્ય ચમકે છે. હવે તમે સમજો છો તે છે અકાળમૂર્ત, તે અકાળમૂર્ત આત્માનું તખ્ત આ શરીર છે. આત્મા બેસે પણ ભ્રકુટીમાં છે. અકાળમૂર્ત નું આ તખ્ત છે, બધાં ચૈતન્ય અકાળતખ્ત છે. તે અકાળતખ્ત નથી જે અમૃતસરમાં લાકડાનો બનાવેલો છે. બાપ એ સમજાવ્યું છે જે પણ મનુષ્ય માત્ર છે, બધાંને પોત-પોતાનું અકાળતખ્ત છે. આત્મા આવીને અહીં વિરાજમાન થાય છે. સતયુગ હોય કે કળયુગ હોય, આત્માનું તખ્ત છે જ આ મનુષ્ય શરીર. તો કેટલા અકાળતખ્ત છે. જે પણ મનુષ્ય માત્ર છે અકાળ આત્માઓનું તખ્ત છે. આત્મા એક તખ્ત છોડી બીજું લે છે. પહેલા નાનું તખ્ત હોય છે પછી મોટું થાય છે. આ શરીરરુપી તખ્ત નાનું-મોટું થાય છે, તો લાકડાનું તખ્ત જેને સિક્ખ લોકો આ અકાળતખ્ત કહે છે, તે તો નાનું-મોટું નથી થતું. આ કોઈને પણ ખબર નથી કે બધાં મનુષ્ય માત્ર નું અકાળતખ્ત આ ભ્રકુટી છે. આત્મા અકાળ છે, ક્યારેય વિનાશ નથી થતી. આત્માને તખ્ત ભિન્ન-ભિન્ન મળે છે. સતયુગમાં તમને બહુ જ ફર્સ્ટ ક્લાસ તખ્ત મળે છે, તેને કહેશે ગોલ્ડન એજ તખ્ત. પછી તે આત્માને સિલ્વર, કોપર, આઈરન એજ તખ્ત મળે છે. ફરી ગોલ્ડન એજ તખ્ત જોઈએ તો જરુર પવિત્ર બનવું પડે એટલે બાપ કહે છે મામેક્મ્ યાદ કરો તો તમારી ખાદ નીકળતી જશે. ફરી તમને આવું દૈવી તખ્ત મળશે. હમણાં બ્રાહ્મણ કુળનું તખ્ત છે. પુરુષોત્તમ સંગમયુગનું તખ્ત પછી મુજ આત્માને આ દેવતાઈ તખ્ત મળશે. આ વાતો દુનિયાનાં મનુષ્ય નથી જાણતા. દેહ-અભિમાનમાં આવ્યા પછી એક-બીજાને દુઃખ દેતા રહે છે, એટલે આને દુઃખધામ કહેવાય છે. હવે બાપ બાળકોને સમજાવે છે શાંતિધામ ને યાદ કરો, જે તમારું અસલી નિવાસ સ્થાન છે. સુખધામ ને યાદ કરો આને ભૂલતા જાઓ, આનાથી વૈરાગ્ય. એવું પણ નથી સંન્યાસીઓની જેમ ઘરબાર છોડવાનું છે. બાપ સમજાવે છે તે એક તરફ સારો છે, બીજી તરફ ખરાબ છે. તમારો તો સારો જ છે. તેમનો હઠયોગ સારો પણ છે, ખરાબ પણ છે કારણ કે દેવતાઓ જ્યારે વામમાર્ગમાં જાય છે તો ભારતને થમાવવા માટે પવિત્રતા જરુર જોઈએ. તો એમાં પણ મદદ કરે છે. ભારત જ અવિનાશી ખંડ છે. બાપને પણ આવવાનું અહીંયા હોય છે. તો જ્યાં બેહદનાં બાપ આવે છે તે સૌથી મોટું તીર્થ થઈ ગયું ને. સર્વની સદગતિ બાપ જ આવીને કરે છે, એટલે ભારત જ ઊંચેથી ઊંચો દેશ છે.

મૂળ વાત બાપ સમજાવે છે - બાળકો, યાદની યાત્રામાં રહો. ગીતામાં પણ મનમનાભવ અક્ષર છે પરંતુ બાપ કંઈ સંસ્કૃત તો નહી બતાવે ને. બાપ મનમનાભવ નો અર્થ બતાવે છે. દેહનાં બધાં ધર્મ છોડી સ્વયંને આત્મા નિશ્ચય કરો. આત્મા અવિનાશી છે, તે ક્યારે નાની-મોટી નથી થતી. અનાદિ-અવિનાશી પાર્ટ ભરેલો છે. ડ્રામા બનેલો છે. પાછળ થી જે આત્માઓ આવે છે તેમનો બહુજ થોડો પાર્ટ છે. બાકીનો સમય શાંતિધામ માં રહે છે. સ્વર્ગમાં તો આવી ન શકે. પાછળથી આવવાવાળા ત્યાં જ થોડું સુખ, ત્યાં જ થોડું દુઃખ પામે છે. જેમ દિવાળી પર મચ્છર કેટલા ઢગલાં નિકળે છે, સવારે ઉઠીને જુઓ તો બધાં મચ્છર મરી ગયાં હશે. તો મનુષ્યનું પણ આવું જ છે પાછળથી આવવાવાળા ની શું કિંમત રહેશે. જેમકે જાનવર જેવા થયા. તો બાપ સમજાવે છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાનાં થી મોટું, મોટા થી નાનું કેવી રીતે થાય છે. સતયુગ માં કેટલા થોડા મનુષ્ય, કળયુગમાં કેટલી વૃદ્ધિ થઈ ઝાડ મોટું થઈ જાય છે. મુખ્ય વાત બાપએ ઈશારો આપ્યો છે - ગૃહસ્થ વ્યવહારમાં રહેતા મામેક્મ યાદ કરો. ૮ કલાક યાદમાં રહેવાનો અભ્યાસ કરો. યાદ કરતા-કરતા છેલ્લે પવિત્ર બનીને બાપની પાસે ચાલ્યા જશો તો સ્કોલરશીપ પણ મળશે. પાપ જો રહી જશે તો ફરી જન્મ લેવો પડશે. સજાઓ ખાય છે પછી પદ પણ ઓછું થઈ જશે. હિસાબ-કિતાબ ચૂકતું તો બધાંએ કરવાનો છે. જે પણ મનુષ્ય માત્ર છે હમણાં સુધી પણ જન્મ લેતા રહે છે. આ સમયે જોશો ભારતવાસીઓ થી ક્રિશ્ચન ની સંખ્યા વધારે છે તે પાછા સેન્સિબુલ (સમજદાર) પણ છે. ભારતવાસી તો ૧૦૦ ટકા સેન્સિબુલ (સમજદાર) હતા, સો હવે ફરી નોનસેન્સિબુલ (બેસમજ) બની ગયા છે કારણ કે ૧૦૦ ટકા સુખ પામે છે તો ૧૦૦ ટકા દુઃખ પણ પામે છે. તેઓ તો આવે જ પાછળથી છે.

બાપએ સમજાવ્યું છે ક્રિશ્ચન ડિનાયસ્ટી નું કૃષ્ણ ડિનાયસ્ટી થી કનેક્શન છે. ક્રિશ્ચનએ રાજ્ય છીનવ્યું ફરી ક્રિશ્ચન ડિનાયસ્ટી થી જ રાજ્ય મળવાનું છે. આ સમયે ક્રિશ્ચનનું જોર છે. તેમને ભારતથી જ મદદ મળે છે. હમણાં ભારત ભૂખે મરે છે તો રિટર્ન સર્વિસ (વળતર) થઈ રહી છે. અહીંયા થી બહુજ ધન, બહુજ હીરા-ઝવેરાત વગેરે ત્યાં લઈ ગયા છે. બહુજ ધનવાન બન્યા છે તો હવે ફરી ધન પહોંચાડતા રહે છે. તેમને મળવાનું તો છે નહીં. તો હવે આપ બાળકોને તો કોઈ ઓળખતા નથી. જો ઓળખે તો આવીને સલાહ લે. તમે છો ઈશ્વરીય સંપ્રદાય, જે ઈશ્વરની સલાહ પર ચાલે છે. તેઓ જ ફરી ઈશ્વરીય સંપ્રદાય થી દૈવી સંપ્રદાય બનશે. પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સંપ્રદાય બનશે. હમણાં હમ સો બ્રાહ્મણ પછી હમ સો દેવતા, હમ સો ક્ષત્રિય. હમ સો નો અર્થ જુઓ કેટલો સરસ છે. આ બાજોલી ની રમત છે જેને સમજવું બહુ જ સહજ છે. પરંતુ માયા ભુલાવી દે છે ફરી દૈવી ગુણો થી આસુરી ગુણો માં લઈ આવે છે. અપવિત્ર બનવું આસુરી ગુણ છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્કોલરશીપ લેવા માટે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા ઓછામાં ઓછા ૮ કલાક બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. યાદનાં અભ્યાસથી જ પાપ કપાશે અને ગોલ્ડન એજ (સ્વર્ણિમ) તખ્ત મળશે.

2. આ દુઃખધામ થી બેહદનો વૈરાગ્ય કરી આપણા અસલી નિવાસ સ્થાન શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે. દેહ-અભિમાનમાં આવીને કોઈને દુઃખ નથી આપવાનું.

વરદાન :-
રુ હાની માશૂક નાં આકર્ષણમાં આકર્ષિત થઈ મહેનત થી મુક્ત થવાવાળા રુ હાની આશિક ભવ :

માશૂક પોતાનાં ખોવાયેલા આશિકો ને જોઈને ખુશ થાય છે. રુહાની આકર્ષણથી આકર્ષિત થઈ પોતાનાં સાચાં માશૂકને જાણી લીધા, પામી લીધા, યથાર્થ સ્થાન પર પહોંચી ગયા. જ્યારે આવી આશિક આત્માઓ આ મહોબ્બત ની રેખા ની અંદર પહોંચે છે તો અનેક પ્રકારની મહેનત થી છૂટી જાય છે કારણકે અહીંયા જ્ઞાન સાગરનાં સ્નેહ ની લહેરો, શક્તિ ની લહેરો.... સદા માટે રિફ્રેશ કરી દે છે. આ મનોરંજનનું વિશેષ સ્થાન, મળવાનું સ્થાન આપ આશિકોનાં માટે માશૂક એ બનાવ્યું છે.

સ્લોગન :-
એકાંતવાસી બનવાની સાથે-સાથે એકનામી અને ઇકોનોમી વાળા બનો.