03-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
આ ગીતો સંજીવની બૂટી છે , એને વગાડવા થી મુરજાવાનું નીકળી જશે ”
પ્રશ્ન :-
અવસ્થા બગડવાનું
કારણ શું છે? કઈ યુક્તિથી અવસ્થા બહુ જ સારી રહી શકે છે?
ઉત્તર :-
૧.જ્ઞાનનો
ડાન્સ નથી કરતા, ઝરમુઈ ઝગમુઈ માં પોતાનો સમય ગુમાવી દે છે એટલે અવસ્થા બગડી જાય છે.
૨. બીજાને દુઃખ આપે છે તો પણ તેની અસર અવસ્થા પર આવે છે. અવસ્થા સારી ત્યારે રહેશે
જ્યારે મીઠા થઇને ચાલશું. યાદ પર પૂરું એટેન્શન (ધ્યાન) હશે. રાતનાં સૂતાં પહેલા ઓછા
માં ઓછું અડધો કલાક યાદ માં બેસી પછી સવારે ઊઠીને યાદ કરો તો અવસ્થા સારી રહેશે.
ગીત :-
કોન આયા મેરે
મન કે દ્વારે…..
ઓમ શાંતિ!
આ ગીતો પણ
બાબાએ બનાવડાવેલ છે બાળકોના માટે. આનો અર્થ પણ બાળકો નાં સિવાય કોઈ જાણી નથી શકતું.
બાબા એ ઘણીવાર સમજાવ્યું છે કે આવા સારા-સારા ગીતો ઘરમાં રહેવા જોઈએ પછી કાંઈ
મુરજાવાનું આવે છે તો ગીતો વગાડવાથી બુદ્ધિ માં ઝટ અર્થ આવશે તો મુરજાવાનું નીકળી
જશે. આ ગીતો પણ સંજીવની બૂટી છે. બાબા ડાયરેક્શન તો આપે છે પરંતુ કોઈ અમલ માં લાવે.
હવે આ ગીત માં કોણ કહે છે કે અમારા તમારા બધાનાં દિલ માં કોણ આવ્યાં છે! જે આવીને
જ્ઞાન ડાન્સ કરે છે. કહે છે ગોપિકાઓ કૃષ્ણને નાચ નચાવતી હતી, આ તો છે નહીં. હવે બાબા
કહે છે - હેં સાલિગ્રામ બાળકો. બધાને કહે છે ને. સ્કૂલ એટલે સ્કૂલ, જ્યાં ભણવાનું
હોય છે, આ પણ સ્કૂલ છે. આપ બાળકો જાણો છો આપણા દિલમાં કોની યાદ આવે છે! બીજા કોઈ પણ
મનુષ્ય માત્ર ની બુદ્ધિ માં આ વાતો નથી. આ એક જ સમય છે જ્યારે આપ બાળકોને એમની યાદ
રહે છે બીજા કોઈ એમને યાદ નથી કરતા. બાપ કહે છે તમે રોજ મને યાદ કરો તો ધારણા બહુ જ
સારી થશે. જેમ હું ડાયરેક્શન આપું છું તેમ તમે યાદ કરતા નથી. માયા તમને યાદ કરવા નથી
દેતી. મારા કહેવા મુજબ તમે બહુ જ ઓછું ચાલો છો અને માયા નાં કહેવા પર બહુજ ચાલો છો.
કેટલીવાર કહ્યું છે - રાત નાં જ્યારે સુવો છો તો અડધો કલાક બાબાની યાદમાં બેસી જવું
જોઈએ. ભલે સ્ત્રી-પુરુષ છો, સાથે બેસો કે અલગ-અલગ બેસો. બુદ્ધિ માં એક બાપની જ યાદ
રહે. પરંતુ કોઈ વિરલા જ યાદ કરે છે. માયા ભુલાવી દે છે. ફરમાન પર નહિ ચાલશો તો પદ
કેવી રીતે પામી શકશો. બાબા ને બહુજ યાદ કરવાના છે. શિવબાબા તમે જ આત્માઓના બાપ છો.
બધાને તમારાથી જ વારસો મળવાનો છે. જે પુરુષાર્થ નથી કરતા તેમને પણ વારસો મળશે,
બ્રહ્માંડ નાં માલિક તો બધા બનશે. બધી આત્માઓ નિર્વાણધામ માં આવશે ડ્રામા અનુસાર.
ભલે કાંઈ પણ ન કરે. અડધો કલ્પ ભલે ભક્તિ કરે છે પરંતુ પાછાં કોઈ જઇ નથી સકતા, જ્યાં
સુધી હું ગાઈડ બનીને ન આવું. કોઈ એ રસ્તો જોયો જ નથી. જો જોયો હોય તો તેમની પાછળ બધા
મચ્છરો ની જેમ જાય. મૂળવતન શું છે - આ પણ કોઈ જાણતું નથી. તમે જાણો છો આ
બન્યો-બનાવેલ ડ્રામા છે, આને જ રીપીટ કરવાનો છે. હવે દિવસ માં તો કર્મયોગી બની ધંધા
માં લાગવાનું છે. ખાવાનું બનાવવું વગેરે બધું કર્મ કરવાનું છે, હકીકતમાં કર્મ
સંન્યાસ કહેવું પણ ખોટું છે. કર્મ વગર તો કોઈ રહી ન શકે. કર્મ સંન્યાસી ખોટું નામ
રાખી દીધું છે. તો દિવસ માં ભલે ધંધા વગેરે કરો, રાત માં અને સવારે-સવારે બાપ ને
સારી રીતે યાદ કરો. જેમને હમણાં અપનાવ્યા છે, તેમને યાદ કરશો તો મદદ પણ મળશે. નહીં
તો નહીં મળશે. સાહૂકારને તો બાપ નાં બનવામાં હૃદય વિદીર્ણ થાય છે તો પછી પદ પણ નહીં
મળશે. આ યાદ કરવું તો બહુ જ સહજ છે. તે આપણા બાપ, શિક્ષક, ગુરુ છે. આપણને આખું
રહસ્ય બતાવ્યું છે - આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે. બાપને
યાદ કરવાના છે અને પછી સ્વદર્શન ચક્ર ફરાવવાનું છે. બધાને પાછાં લઈ જવા વાળા તો બાપ
જ છે. આવાં-આવાં ખ્યાલાત માં રહેવું જોઈએ. રાતનાં સૂતાં સમયે પણ આ નોલેજ ફરતી રહે.
સવાર નાં ઉઠતાં પણ આ નોલેજ યાદ રહે. હમ સો બ્રાહ્મણ થી દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય,
શૂદ્ર બનીશું. ફરી બાબા આવશે ફરી આપણે શુદ્ર થી બ્રાહ્મણ બનીશું. બાબા ત્રિમૂર્તિ,
ત્રિકાલદર્શી, ત્રિનેત્રી પણ છે. આપણી બુદ્ધિ ખોલી દે છે. ત્રીજું નેત્ર પણ જ્ઞાન
નું મળે છે. આવાં બાપ તો કોઈ હોઈ ન શકે. બાપ રચના રચે છે તો માતા પણ થઈ ગયાં. જગત
અંબા ને નિમિત્ત બનાવે છે. બાપ આ તનમાં આવીને બ્રહ્મારુપ થી રમે-કુદે પણ છે. ફરવા
પણ જાય છે. આપણે બાબા ને યાદ તો કરીએ છીએ ને! તમે જાણો છો એમના રથમાં આવે છે. તમે
કહેશો બાપદાદા અમારી સાથે રમે છે. રમત માં પણ બાબા પુરુષાર્થ કરાવે છે યાદ કરવાનો.
બાબા કહે છે હું આમનાં દ્વારા રમી રહ્યો છું. ચેતન્ય તો છે ને. તો આવા ખ્યાલ રાખવા
જોઈએ. આવા બાપની ઉપર બલિ પણ ચઢવાનું છે. ભક્તિ માર્ગ માં તમે ગાતા આવ્યા છો વારી
જાઉં…... હવે બાપ કહે છે મને આ એક જન્મ પોતાનો વારિસ બનાવો તો હું ૨૧ જન્મો નાં માટે
રાજ્ય-ભાગ્ય દઈશ. હવે આ ફરમાન આપુ તો તે ડાયરેક્શન પર ચાલવાનું છે. તેઓ પણ જેવું
જોશે એવું ડાયરેક્શન દેશે. ડાયરેક્શન પર ચાલવાથી મમત્વ નિકળી જશે, પરંતુ ડરે છે.
બાબા કહે છે તમે બલિ નથી ચઢતાં તો હું વારસો કેવી રીતે આપીશ. તમારા પૈસા કોઈ લઈ થોડી
જાય છે. કહેશે, સારુ તમારા પૈસા છે, લિટરેચર (પુસ્તકો) માં લગાવી દો. ટ્રસ્ટી છે
ને. બાબા સલાહ દેતા રહેશે. બાબા નું બધું જ બાળકો નાં માટે છે. બાળકોથી કંઈ લેતા નથી.
યુક્તિથી સમજાવી દે છે ફક્ત મમત્વ નિકળી જાય. મોહ પણ બહુજ કડક છે.(વાંદરા નું
ઉદાહરણ) બાબા કહે છે તમે વાંદરાની જેમ એમની પાછળ મોહ કેમ રાખો છો. પછી ઘર-ઘર માં
મંદિર કેવી રીતે બનશે. હું તમને વાંદરાપણ થી છોડાવી મંદિર લાયક બનાવું છું. તમે આ
કિચડપટ્ટી માં મમત્વ કેમ રાખો છો. બાબા ફક્ત મત આપશે - કેવી રીતે સંભાળો. તો પણ
બુદ્ધિ માં નથી બેસતું. આ બધું બુદ્ધિ નું કામ છે.
બાબા સલાહ આપે છે અમૃતવેલા પણ કેવી રીતે બાબા થી વાતો કરો. બાબા, આપ બેહદ નાં બાપ,
શિક્ષક છો. તમે જ બેહદનાં વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી બતાવી શકો છો. લક્ષ્મી-નારાયણ
નાં ૮૪ જન્મો ની કહાની દુનિયા માં કોઈ નથી જાણતું. જગત અંબા ને માતા-માતા પણ કહે
છે. તે કોણ છે? સતયુગ માં તો હોઈ ન શકે. ત્યાંનાં તો મહારાણી-મહારાજા તો
લક્ષ્મી-નારાયણ છે. તેમને પોતાના બાળકો છે જે તખ્ત (ગાદી) પર બેસશે. આપણે કેવી રીતે
તેમના બાળકો બનીશું જે તખ્ત પર બેસશું. હમણાં આપણે જાણીએ છીએ આ જગત અંબા બ્રાહ્મણી
છે, બ્રહ્માની પુત્રી સરસ્વતી. મનુષ્ય થોડી આ રહસ્ય જાણે છે. રાત નાં બાબા ની યાદમાં
બેસવાનો નિયમ રાખો તો બહુ જ સારું છે. નિયમ બનાવશો તો તમને ખુશીનો પારો ચઢેલો રહેશે
પછી બીજા કોઈ કષ્ટ નહીં થશે. કહેશે એક બાપ નાં બાળકો આપણે ભાઇ-બહેન છીએં. પછી ગંદી
દ્રષ્ટિ રાખવી ક્રિમિનલ એસાલ્ટ (પાપકર્મ) થઈ જશે. નશો પણ સતો, રજો, તમોગુણી હોય છે
ને. તમોગુણી નશો ચઢ્યો તો મરી પડશો. આ તો નિયમ બનાવી લો - થોડો પણ સમય બાબાને યાદ
કરી બાબાની સર્વિસ (સેવા) પર જાઓ. પછી માયાનાં તોફાન નહીં આવશે. તે નશો દિવસ ભર
ચાલશે અને અવસ્થા પણ બહુ જ રિફાઈન (શુદ્ધ) થઇ જશે. યોગમાં પણ લાઈન ક્લિયર (સ્પષ્ટ)
થઈ જશે. આવાં-આવાં રિકોર્ડ પણ બહુ જ સરસ છે, ગીતો સાંભળતા રહેશો તો નાચવાનું શરૂ કરી
દેશો, રિફ્રેશ થઈ જશો. બે, ચાર, પાંચ ગીતો બહુ જ સરસ છે. ગરીબ પણ બાબાની આ સર્વિસ
માં લાગી જાય તો તેમને મહેલ મળી શકે છે. શિવબાબા ના ભંડારા થી બધુ મળી શકે છે.
સર્વિસેબુલ (સેવાધારી) ને બાબા કેમ નહીં આપશે. શિવબાબા નો ભંડારો ભરપૂર જ છે.
(ગીત) આ છે જ્ઞાન ડાન્સ. બાપ આવીને જ્ઞાન ડાન્સ કરાવે છે ગોપ-ગોપીઓ ને. ક્યાંય પણ
બેઠા છો બાબા ને યાદ કરતા રહો તો અવસ્થા બહુજ સરસ રહેશે. જેમ બાબા જ્ઞાન અને યોગ ના
નશા માં રહે છે આપ બાળકો ને પણ શીખવાડે છે. તો ખુશી નો નશો રહેશે. નહીં તો
ઝરમુઈ-ઝગમુઈ માં રહેવાથી પછી અવસ્થા જ બગડી જાય છે. સવાર નાં ઉઠવું તો બહુજ સારું
છે. બાબાની યાદ માં બેસી બાબાથી મીઠી-મીઠી વાતો કરવી જોઈએ. ભાષણ કરવાવાળા એ તો
વિચાર સાગર મંથન કરવું પડે. આજે આ પોઈન્ટ્સ પર સમજાવશું, આવી રીતે સમજાવશું. બાબા
ને ઘણાં બાળકો કહે છે અમે નોકરી છોડીએ? પરંતુ બાબા કહે છે પહેલા સર્વિસનું સબૂત તો
આપો. બાબા એ યાદની યુક્તિ બહુ સારી બતાવી છે. પરંતુ કોટો માં કોઈ નિકળશે જેમને આ
આદત પડશે. કોઈ ને મુશ્કેલ યાદ રહે છે. આપ કુમારીઓનું નામ તો પ્રખ્યાત છે. કુમારી ને
બધા પગે પડે છે. તમે ૨૧ જન્મો નાં માટે ભારત ને સ્વરાજ્ય અપાવો છો. તમારા યાદગાર
મંદિર પણ છે. બ્રહ્માકુમાર-કુમારીઓનું નામ પણ પ્રખ્યાત થઇ ગયું છે ને. કુમારી તે જે
૨૧ કુળ નો ઉદ્ધાર કરે. તો તેનો અર્થ પણ સમજવો પડે. આપ બાળકો જાણો છો આ ૫ હજાર વર્ષ
ની રીલ છે, જે કંઈ પસાર થયું છે તે ડ્રામા. ભૂલ થઈ ડ્રામા. પછી આગળ નાં માટે પોતાનું
રજિસ્ટર ઠીક કરી દેવું જોઈએ. પછી રજીસ્ટર ખરાબ ન થવું જોઈએ. બહુ જ મોટી મહેનત છે
ત્યારે આટલું ઊંચ પદ મળશે. બાબા નાં બની ગયા તો પછી બાબા વારસો પણ આપશે. સોતેલા ને
થોડી વારસો આપશે. મદદ આપવી તો ફરજ છે. સેન્સિબુલ (સમજદાર) જે છે તે દરેક વાતમાં મદદ
કરે છે. બાપ જુઓ કેટલી મદદ કરે છે. હિમ્મતે મર્દા તો મદદે ખુદા. માયા પર જીત પામવામાં
પણ તાકાત જોઈએ. એક રુહાની બાપ ને યાદ કરવાના છે, બીજા સંગ તોડી એક સંગ જોડવાનો છે.
બાબા છે જ્ઞાન નાં સાગર. એ કહે છે હું આમનામાં પ્રવેશ કરું છું, બોલું છું. બીજા તો
કોઈ આવું કહી ન શકે કે હું બાપ, શિક્ષક, ગુરુ છું. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને રચવા
વાળો છું. આ વાતો ને હમણાં આપ બાળકો જ સમજી શકો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) જૂની
કિચડપટ્ટી માં મમત્વ નથી રાખવાનું, બાપ નાં ડાયરેક્શન પર ચાલી પોતાનું મમત્વ
નિકાળવાનું છે. ટ્રસ્ટી બનીને રહેવાનું છે.
2) આ અંતિમ જન્મમાં ભગવાનને પોતાના વારીસ બનાવી એમનાં પર બલિ ચઢવાનું છે, ત્યારે ૨૧
જન્મો નું રાજ્ય ભાગ્ય મળશે. બાપ ને યાદ કરી સર્વિસ (સેવા) કરવાની છે, નશા માં
રહેવાનું છે, રજીસ્ટર ક્યારેય ખરાબ ન થાય આ ધ્યાન દેવાનું છે.
વરદાન :-
પરમાત્મા લગન
થી સ્વયં ને કે વિશ્વ ને નિર્વિઘ્ન બનાવવા વાળા તપસ્વીમુર્ત ભવ
એક પરમાત્મા લગન માં
રહેવું જ તપસ્યા છે. આ તપસ્યાનું બળ જ સ્વયંને અને વિશ્વને સદાનાં માટે નિર્વિઘ્ન
બનાવી શકે છે. નિર્વિઘ્ને રહેવું અને નિર્વિઘ્ન બનાવવાં જ તમારી સાચી સેવા છે, જે
અનેક પ્રકારના વિધ્નોથી સર્વ આત્માઓને મુક્ત કરી દે છે. આવાં સેવાધારી બાળકો તપસ્યા
નાં આધાર પર બાપ થી જીવનમુક્તિ નું વરદાન લઈ બીજાને અપાવવામાં નિમિત્ત બની જાય છે.
સ્લોગન :-
વિખરાયેલા
સ્નેહને સમેટી એક બાપથી સ્નેહ રાખો તો મહેનત થી છૂટી જશો.