06-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારી
પાસે મનમનાભવ અને મધ્યાજીભવ નાં તીક્ષ્ણ બાણ છે , આ બાણો થી તમે માયા પર વિજય
પ્રાપ્ત કરી શકો છો ”
પ્રશ્ન :-
બાળકોને બાપની
મદદ કયા આધાર પર મળે છે? બાળકો બાપ નો ધન્યવાદ કયા રુપ થી માને છે?
ઉત્તર :-
જે બાળકો જેટલું
બાપને પ્રેમથી યાદ કરશે એટલી બાપની મદદ મળે છે. પ્રેમથી વાતો કરો. પોતાનું કનેક્શન
ઠીક રાખો, શ્રીમત પર ચાલતા રહો તો બાપ મદદ કરતા રહેશે. બાળકો બાપનો ધન્યવાદ માને,
બાબા તમે પરમધામ થી આવી અમને પતિત થી પાવન બનાવો છો, તમારા થી અમને કેટલું સુખ મળે
છે. પ્રેમમાં આંસુ પણ આવી જાય છે.
ઓમ શાંતિ!
બાળકોને સૌથી
પ્રિય છે માઁ અને બાપ. અને માઁ-બાપ ને પછી બાળકો છે બહુ જ પ્રિય. હવે બાપ જેમને
ત્વમેવ માતાશ્ચ પિતા કહે છે. લૌકિક માઁ-બાપ ને તો કોઈ એવું કહી ન શકે. આ મહિમા છે
જરુર, પરંતુ કોની છે - આ કોઈ જાણતું નથી. જો જાણે તો ત્યાં ચાલ્યા જાય અને ઘણાં ને
લઈ જાય. પરંતુ ડ્રામા ની ભાવી જ આવી છે. જ્યારે ડ્રામા પૂરો થાય છે ત્યારે જ આવે
છે. પહેલા ફિલ્મ નાટક હતા, જ્યારે નાટક પુરુ થતું હતું તો બધા કિરદાર સ્ટેજ પર ઉભા
રહી જતા હતા. આ પણ બેહદનું મોટું નાટક છે. આ પણ બધું બાળકોની બુદ્ધિ માં આવવું જોઈએ
- સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ. આ આખી સૃષ્ટિ નું ચક્ર છે. એવું નહીં મૂળવતન,
સુક્ષ્મવતન માં ચક્ર ફરે છે. સૃષ્ટિનું ચક્ર અહીંયા જ ફરે છે.
ગવાય પણ છે એકઓમકાર સતનામ…... આ મહિમા કોની છે? ભલે ગ્રંથમાં પણ શીખ લોકો મહિમા કરે
છે. ગુરુનાનક વાચ... હવે એકઓમકાર આ તો એ એક નિરાકાર પરમાત્માની જ મહિમા છે પરંતુ આ
લોકો પરમાત્માની મહિમાને ભૂલી ગુરુનાનકની મહિમા કરવા લાગે છે. સદ્દગુરુ પણ નાનક ને
સમજી લે છે. હકીકતમાં સૃષ્ટિભર માં મહિમા જે પણ છે તે એકની જ છે બીજા કોઈની મહિમા
છે નહીં. હમણાં જુઓ બ્રહ્મામાં જો બાબા ની પ્રવેશતા ન થાત તો આ કોડીતુલ્ય છે. હવે
તમે કોડીતુલ્ય થી હીરાતુલ્ય બનો છો પરમપિતા પરમાત્મા દ્વારા. હમણાં છે પતિત દુનિયા,
બ્રહ્માની રાત્રી. પતિત દુનિયામાં જ્યારે બાપ આવે છે અને જે એમને ઓળખી લે છે તે એમનાં
પર કુરબાન જાય છે. આજની દુનિયામાં તો બાળકો પણ ધુંધકારી બની પડ્યા છે. દેવતાઓ કેટલા
સારા હતા, હવે તે પુનર્જન્મ લેતા-લેતા તમોપ્રધાન બની ગયા છે. સન્યાસી પણ પહેલા બહુજ
સારા હતા, પવિત્ર હતા. ભારત ને મદદ આપતા હતા. ભારતમાં જો પવિત્રતા ન હોય તો
કામચિત્તા પર બળી જાય. સતયુગમાં કામ કટારી હોતી નથી. આ કળયુગ માં બધાં કામચિત્તા
નાં કાંટા પર બેઠેલા છે. સતયુગમાં તો એવું નહીં કહેશે. ત્યાં આ ઝેર હોતું નથી. કહે
છે ને અમૃત છોડીને વિષ શા માટે ખાઈયે. વિકારી ને જ પતિત કહેવાય છે. આજકાલ મનુષ્ય તો
જુઓ ૧૦-૧૨ બાળકો પેદા કરતા રહે છે. કોઈ કાયદો જ નથી રહ્યો. સતયુગ માં જ્યારે બાળકો
પેદા થાય છે તો પહેલાથી જ સાક્ષાત્કાર થાય છે. શરીર છોડવાનાં પહેલાં પણ સાક્ષાત્કાર
થાય છે કે અમે આ શરીર છોડી, જઈને બાળક બનીશું. અને એક બાળક જ હોય છે, વધારે નહીં.
કાયદા પ્રમાણે ચાલે છે. વૃદ્ધિ તો થવાની છે જરૂર. પરંતુ ત્યાં વિકાર હોતા નથી. ઘણા
પૂછે છે તો ત્યાં જન્મ કેવી રીતે થાય છે? બોલવું જોઈએ ત્યાં યોગબળ થી બધું કામ થાય
છે. યોગબળથી જ આપણે સૃષ્ટિની રાજાઈ લઈએ છીએં. બાહુબળ થી સૃષ્ટિની રાજાઈ નથી મળી શકતી.
બાબા એ સમજાવ્યું છે જો ક્રિશ્ચિયન લોકો પરસ્પર મળી જાય તો આખી સૃષ્ટિનું રાજ્ય લઈ
શકે છે પરંતુ પરસ્પર મળશે નહીં, કાયદો નથી કહેતો, એટલે બે બિલાડી પરસ્પર લડે છે તો
માખણ આપ બાળકો ને મળી જાય છે. કૃષ્ણ નાં મુખમાં માખણ દેખાડ્યું છે. આ સૃષ્ટિ રુપી
માખણ છે.
બેહદનાં બાપ કહે છે આ યોગબળની લડાઈ શાસ્ત્રો માં ગવાયેલ છે, બાહુબળની નહીં. તેમણે
પછી હિંસક લડાઈ શાસ્ત્રોમાં દેખાડી દીધી છે. તેમનાં થી આપણો કોઈ સંબંધ નથી. પાંડવો
કૌરવો ની લડાઈ છે નહીં. આ અનેક ધર્મ ૫ હજાર વર્ષ પહેલાં પણ હતા, જે પરસ્પર લડીને
વિનાશ થયા. પાંડવોએ દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી. આ છે યોગબળ, જેનાંથી સૃષ્ટિ નું
રાજ્ય મળે છે. માયાજીત-જગતજીત બને છે. સતયુગમાં માયા રાવણ હોતી નથી. ત્યાં થોડી
રાવણનું પુતળું બનાવી ને બાળશે. પુતળા (ચિત્ર) કેવા-કેવા બનાવે છે. આવાં કોઈ દૈત્ય
કે અસુર હોતા નથી. આ પણ નથી સમજતાં ૫ વિકાર સ્ત્રીનાં છે અને ૫ વિકાર પુરુષનાં છે.
એને મળાવી ૧૦ માથા વાળો રાવણ બનાવી દે છે. જેમ વિષ્ણુને પણ ૪ ભુજાઓ દે છે. મનુષ્ય
તો આ સાધારણ વાત પણ સમજતા નથી. મોટો રાવણ બનાવીને બાળે છે. મોસ્ટ બિલવેડ (સૌથી
પ્રિય) બાળકો ને હમણાં બેહદનાં બાપ સમજાવે છે. બાપને બાળકો હંમેશા નંબરવાર પ્રિય
હોય છે. કોઈ તો સૌથી પ્રિય પણ છે તો કોઈ ઓછા પ્રિય પણ છે. જેટલા સિકીલધા બાળકો હશે
એટલો વધારે પ્રેમ હશે. અહીંયા પણ જે સર્વિસ (સેવા) પર તત્પર રહે છે, રહેમદિલ રહે
છે, તે પ્રિય લાગે છે. ભક્તિ માર્ગમાં રહેમ માંગે છે ને! ખુદા રહમ કરો. મર્સી ઓન
મી. પરંતુ ડ્રામા ને કોઈ જાણતું નથી. જ્યારે બહુજ તમોપ્રધાન બની જાય છે ત્યારે જ
બાબાનો પ્રોગ્રામ છે આવવાનો. એવું નથી, ઈશ્વર જે ઈચ્છે કરી શકે છે કે જ્યારે ઈચ્છે
ત્યારે આવી શકે છે. જો એવી શક્તિ હોત તો પછી આટલી ગાળો કેમ મળે? વનવાસ કેમ મળે? આ
વાતો બહુજ ગુપ્ત છે. કૃષ્ણ ને તો ગાળો મળી ન શકે. કહે છે ભગવાન આ નથી કરી શકતા!
પરંતુ વિનાશ તો થવાનો જ છે પછી બચાવવાની તો વાત જ નથી. બધાને પાછાં લઈ જવાનાં છે.
સ્થાપના-વિનાશ કરાવે છે તો જરૂર ભગવાન હશે ને. પરમપિતા પરમાત્મા સ્થાપના કરે છે,
શેની? મુખ્ય વાત તમે પૂછો જ આ કે ગીતા નાં ભગવાન કોણ? આખી દુનિયા આમાં મૂંઝાયેલી
છે. તેમણે તો મનુષ્યનું નામ નાખી દીધું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના તો
ભગવાન વગર કોઈ કરી ન શકે. પછી તમે કેવી રીતે કહો છો કૃષ્ણ ગીતા નો ભગવાન છે. વિનાશ
અને સ્થાપના કરાવવી કોનું કામ છે? ગીતા નાં ભગવાનને ભૂલી ગીતાને જ ખંડન કરી દીધી
છે. આ મોટા માં મોટી ભૂલ છે. બીજું પછી જગન્નાથપુરી માં દેવતાઓનાં બહુ જ ગંદા ચિત્ર
બનાવ્યાં છે. સરકાર ની મનાઈ છે ગંદા ચિત્ર રાખવાની. તો આનાં પર સમજાવવું જોઈએ. આ
મંદિરો પર કોઈ ની બુદ્ધિમાં આ વાતો આવતી નથી. આ વાતો બાપ જ બેસી સમજાવે છે.
જુઓ, બાળકીઓં કેટલા પ્રતિજ્ઞા પત્ર પણ લખે છે. લોહી થી પણ લખે. એક કથા પણ છે ને
કૃષ્ણને લોહી નીકળ્યું તો દ્રૌપદીએ પોતાનાં ચીર (કપડાં) ફાડીને બાંધી દીધું. આ
પ્રેમ છે ને. તમારો પ્રેમ છે શિવબાબા ની સાથે. એમનું (બ્રહ્માનું) લોહી નીકળી શકે
છે, એમને દુઃખ થઈ શકે છે પરંતુ શિવબાબા ને ક્યારેય દુઃખ નથી થઈ શકતું કારણ કે એમને
પોતાનું શરીર તો છે નહી. કૃષ્ણને જો કાંઈ લાગે તો દુઃખ થશે ને. તો તેને પછી પરમાત્મા
કેવી રીતે કહી શકાય. બાબા કહે છે હું તો દુઃખ-સુખ થી ન્યારો છું. હા, બાળકોને આવીને
સદા સુખી બનાવું છું. સદાશિવ ગવાય છે. સદાશિવ સુખ દેવાવાળા કહે છે - મારા મીઠા-મીઠા
સિકીલધા બાળકો જે સપૂત છે, જ્ઞાન ધારણ કરી પવિત્ર રહે છે, સાચા યોગી અને જ્ઞાની રહે
છે, તે મને પ્રિય લાગે છે. લોકિક બાપની પાસે પણ કોઈ સારા, કોઈ ખરાબ બાળકો હોય છે.
કોઈ કુળને કલંક લગાડવા વાળા નિકળી જાય છે. બહુજ ગંદા બની જાય છે. અહીંયા પણ એવાં
છે. આશ્ચર્યવત્ બાળક બનન્તી , સુનન્તી , કથન્તી પછી ફારકતી દેવન્તી... એટલે જ
નિશ્ચિય પત્ર લખાવાય છે. તો તે લખાણ પછી સામે અપાશે. લોહી થી પણ લખીને આપે છે. લોહી
થી લખીને પ્રતિજ્ઞા કરે છે. આજકાલ તો કસમ પણ લેવડાવે છે. પરંતુ તે છે ખોટી કસમ.
ઈશ્વરને હાજીર-નાજીર જાણવું અર્થાત્ આ પણ ઈશ્વર છે, હું પણ ઈશ્વર કસમ લઉં છુ. બાપ
કહે છે હમણાં તમે પ્રેકટીકલ માં હાજીર-નાજીર જાણો છો. બાબા આ આંખો રુપી બારીઓથી જોવે
છે. આ પારકું શરીર છે. લોન પર લીધું છે. બાબા ભાડેદાર છે. મકાનને કામમાં લેવાય છે
ને. તો બાબા કહે છે હું આ તન કામમાં લાવું છું. બાબા આ બારીઓ થી જોવે છે.
હાજીર-નાજીર છે. આત્મા જરૂર ઓર્ગેન્સ (અંગો) થી જ કામ લેશે ને. હું આવ્યો છું તો
જરૂર સંભળાવીશ ને. અંગો વાપરે છે તો જરુર ભાડું પણ દેવું પડશે.
આપ બાળકો આ સમયે નર્ક ને સ્વર્ગ બનાવવા વાળા છો. તમે રોશની દેવા વાળા, જાગૃત કરવા
વાળા છો. બીજા તો બધાં કુંભકરણની નિંદ્રામાં સૂતેલાં છે. તમે માતાઓ જાગાડો છો,
સ્વર્ગ નાં માલિક બનાવો છો. આમાં બહુમતિ માતાઓની છે, એટલે વંદે માતરમ કહેવાય છે.
ભીષ્મ પિતામહ વગેરે ને પણ તમે જ બાણ માર્યા છે. મનમનાભવ-મધ્યાજીભવ નું બાણ કેટલું
સહજ છે. આજ બાણો થી તમે માયા પર પણ જીત પામી લો છો. તમારે એક બાપ ની યાદ, એક ની
શ્રીમત પર જ ચાલવાનું છે. બાપ તમને એવાં શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે, જે ૨૧ જન્મ
ક્યારેય કર્મ કૂટવાની દરકાર જ નહીં પડે. તમે એવરહેલ્દી-એવરવેલ્દી બનો છો. અનેકવાર
તમે સ્વર્ગનાં માલિક બન્યાં છો. રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે. તમે બ્રાહ્મણ
કુલ ભૂષણ જ હિરો-હિરોઇન નો પાર્ટ ભજવો છો. ડ્રામામાં સૌથી ઊંચો પાર્ટ આપ બાળકોનો
છે. તો આવાં ઊંચ બનાવવા વાળા બાપની સાથે ખુબજ પ્રેમ જોઈએ. બાબા તમે કમાલ કરો છો. ન
મન, ન ચિત્ત, અમને થોડી ખબર છે, અમે તો નારાયણ હતા. બાબા કહે છે તમે તો નારાયણ અથવા
તો લક્ષ્મી, દેવી-દેવતા હતાં પછી પુનર્જન્મ લેતા-લેતા અસુર બની ગયા છો. હમણાં ફરી
પુરુષાર્થ કરી વારસો પામો. જેટલો જે પુરુષાર્થ કરે છે, સાક્ષાત્કાર થતો રહે છે.
રાજ્યોગ એક બાપએ જ શીખવાડ્યો હતો. સાચો-સાચો સહજ રાજયોગ તો તમે હમણાં શીખવાડી શકો
છો. તમારી ફરજ છે બાપનો પરિચય બધાંને આપવો. બધા નિધન નાં થઈ ગયાં છે. આ વાતો પણ
કલ્પ પહેલાવાળા કોટો માં કોઈ જ સમજશે. બાબા એ સમજાવ્યું છે, આખી દુનિયામાં મહાન
મૂર્ખ જોવા હોય તો અહીંયા જુઓ. બાપ જેમનાથી ૨૧ જન્મનો વારસો મળે, એમને પણ ફારકતી આપી
દે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. હમણાં તમે સ્વયં ઈશ્વરની સંતાન છો. પછી દેવતા,
ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રની સંતાન બનશો. હમણાં આસુરી સંતાન થી ઈશ્વરીય સંતાન બન્યા
છો. બાપ પરમધામ થી આવીને પતિત થી પાવન બનાવે છે તો કેટલો ધન્યવાદ માનવો જોઈએ. ભક્તિ
માર્ગમાં પણ ધન્યવાદ કરતા રહે છે. દુઃખમાં થોડી ધન્યવાદ માનશે. હમણાં તમને કેટલું
સુખ મળે છે તો બહુ જ પ્રેમ હોવો જોઈએ. આપણે બાપ થી પ્રેમથી વાતો કરીશું તો કેમ નહીં
સાંભળે. કનેક્શન છે ને. રાત નાં ઊઠીને બાબાથી વાતો કરવી જોઈએ. બાબા પોતાનો અનુભવ
બતાવતા રહે છે. હું બહુ જ યાદ કરું છું. બાબાની યાદમાં આંસુ પણ આવી જાય છે. આપણે
કેવાં હતા, બાબાએ કેવા બનાવી દીધા છે - તત્વમ. તમે પણ તે બનો છો. યોગમાં રહેવા
વાળાને બાબા મદદ પણ આપે છે. જાતેજ આંખ ખુલી જશે. પલંગ હલી જશે. બાબા અનેકોને ઉઠાડે
છે. બેહદનાં બાપ કેટલો રહેમ કરે છે. તમે અહીંયા કેમ આવ્યા છો? કહે છે બાબા ભવિષ્યમાં
શ્રી નારાયણ ને વરવા ની શિક્ષા પામવા આવ્યા છીએ અથવા લક્ષ્મી ને વરવા માટે આ પરિક્ષા
પાસ કરી રહ્યા છો. કેટલી વન્ડરફુલ સ્કૂલ છે. કેટલી વન્ડરફુલ વાતો છે. મોટા માં મોટી
યુનિવર્સિટી છે. પરંતુ ગોડ્લી યુનિવર્સિટી નામ રાખવા નથી દેતાં. એક દિવસ જરૂર માનશે.
આવતા રહેશે. કહેશે બરાબર કેટલી મોટી યુનિવર્સિટી છે. બાબા તો પોતાનાં નયનો પર બેસાડી
તમને ભણાવે છે. કહે છે તમને સ્વર્ગ માં પહોંચાડી દઈશ. તો આવાં બાબા થી કેટલી વાતો
કરવી જોઈએ. પછી બાબા બહુ જ મદદ કરશે. જેમનું ગળું ઘોટાયેલું છે એમનું તાળું ખોલી
દેશે. રાતનાં યાદ કરવાથી બહુ જ મજા આવશે. બાબા પોતાનો અનુભવ બતાવે છે. હું કેવી વાતો
કરું છું, અમૃતવેલા.
બાપ બાળકોને સમજાવે છે ખબરદાર રહેજો. કુળ ને કલંકિત નહિ કરતાં. ૫ વિકાર દાનમાં દઇ
પછી પાછાં નહીં લેતા. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) બાપ ના
પ્રિય બનવાને માટે રહમદિલ બની સર્વિસ પર તત્પર રહેવાનું છે. સપૂત, આજ્ઞાકારી બની
સાચા યોગી કે જ્ઞાની બનવાનું છે.
૨) અમૃતવેલા ઉઠી બાપ થી બહુજ મીઠી-મીઠી વાતો કરવાની છે, બાપ નો ધન્યવાદ માનવાનો છે.
બાપ ની મદદ નો અનુભવ કરવા માટે મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપને બહુજ પ્રેમ થી યાદ
કરવાનાં છે.
વરદાન :-
જૂનાં દેહ કે
દુનિયાનાં સર્વ આકર્ષણો થી સહજ અને સદા દૂર રહેવા વાળા રાજઋષિ ભવ
રાજઋષિ અર્થાત્ એક
તરફ સર્વ પ્રાપ્તિ નાં અધિકારનો નશો અને બીજી તરફ બેહદનાં વૈરાગ્યનો અલૌકિક નશો.
વર્તમાન સમય આ બંને અભ્યાસને વધારતા ચાલો. વૈરાગ્ય એટલે કિનારો નહીં પરંતુ સર્વ
પ્રાપ્તિ હોવા છતાં પણ હદનું આકર્ષણ મન બુદ્ધિને આકર્ષણમાં ન લાવે. સંકલ્પ માત્ર પણ
અધિનતા ન હોય એમને કહેવાય છે રાજઋષિ અર્થાત બેહદનાં વૈરાગી. આ જૂનું દેહ કે દેહની
જૂની દુનિયા, વ્યક્ત ભાવ, વૈભવો નો ભાવ આ બધાં આકર્ષણો થી સદા અને સહજ દૂર રહેવા
વાળા.
સ્લોગન :-
વિજ્ઞાનનાં
સાધનો ને વાપરો પરંતુ પોતાનાં જીવન નો આધાર નહીં બનાવો.