13-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  21.02.85    બાપદાદા મધુબન



“શીતળતા ની શક્તિ”


 


આજે જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા પોતાનાં લકી (ભાગ્યશાળી) અને લવલી (પ્રિય) તારાઓને જોઈ રહ્યા છે. આ રુહાની તારામંડળ આખા કલ્પમાં કોઈ જોઈ નથી શકતું. તમે રુહાની તારાઓ અને જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા આ અતિ ન્યારા અને પ્યારા તારામંડળ ને જુઓ છો. આ રુહાની તારામંડળ ને સાઈન્સ (વિજ્ઞાન) ની શક્તિ નથી જોઈ શકતી. સાઈલેન્સ (શાંતિ) ની શક્તિવાળા આ તારામંડળ ને જોઈ શકે છે, જાણી શકે છે. તો આજે તારામંડળ ની યાત્રા કરતા ભિન્ન-ભિન્ન તારાઓને જોઈને બાપદાદા હર્ષિત થઈ રહ્યા છે. કેવાં દરેક - તારા જ્ઞાન સૂર્ય દ્વારા સત્યતાની લાઈટ (પ્રકાશ) માઈટ (શક્તિ) લઈ બાપ સમાન સત્યતાની શક્તિ સંપન્ન સત્ય સ્વરુપ બન્યા છે. અને જ્ઞાન ચંદ્રમા દ્વારા શીતળતાની શક્તિ ધારણ કરી ચંદ્રમા સમાન શીતળ સ્વરુપ બન્યા છે. આ બંને શક્તિઓ સત્યતા અને શીતળતા સદા સહજ સફળતાને પ્રાપ્ત કરાવે છે. એક તરફ સત્યતાની શક્તિનો ઊંચો નશો બીજી તરફ જેટલો ઊંચો નશો એટલી જ શીતળતા નાં આધાર થી કેવા પણ ઉલ્ટા નશામાં અથવા ક્રોધિત આત્માને પણ શીતળ બનાવવા વાળા. કેવાં પણ અહંકારનાં નશામાં, હું કરવાવાળા હોય પરંતુ શીતળતાની શક્તિથી હું, હું ની બદલે બાબા-બાબા કહેવા લાગી જાય. સત્યતા ને પણ શીતળતાની શક્તિ થી સિદ્ધ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નહીં તો સિવાય શીતળતાની શક્તિ થી સત્યતા ને સિદ્ધ કરવાનાં લક્ષ્યથી કરે સિદ્ધ છે પરંતુ અજ્ઞાની સિદ્ધ ને જિદ્દ સમજી લે છે એટલે સત્યતા અને શીતળતા બંને શક્તિઓ સમાન અને સાથે જોઇએ કારણ કે આજનાં વિશ્વનાં દરેક માનવ કોઈને કોઈ અગ્નિમાં બળી રહ્યા છે. આવી અગ્નિમાં બળી રહેલી આત્માને પહેલાં શીતળતાની શક્તિથી અગ્નિને શીતળ કરો ત્યારે શીતળતાનાં આધાર થી સત્યતાને જાણી શકશે.
શીતળતાની શક્તિ અર્થાત્ આત્મિક સ્નેહ ની શક્તિ. ચંદ્રમા માઁ સ્નેહની શીતળતાથી કેવાં પણ બગડેલા બાળકોને બદલી દે છે. તો સ્નેહ અર્થાત શીતળતાની શક્તિ કોઈ પણ અગ્નિમાં બળી રહેલી આત્માને શીતળ બનાવી સત્યતાને ધારણ કરવાને યોગ્ય બનાવી દે છે. પહેલા ચંદ્રમાની શીતળતા થી યોગ્ય બને પછી જ્ઞાન સૂર્યનાં સત્યતાની શક્તિથી યોગી બની જાય છે! તો જ્ઞાન ચંદ્રમાની શીતળતા ની શક્તિ બાપની આગળ જવાનાં યોગ્ય બનાવી દે છે. યોગ્ય નથી તો યોગી પણ નથી બની શકતા. તો સત્યતા જાણવા પહેલા શીતળ થાઓ. સત્યતાને ધારણ કરવાની શક્તિ જોઈએ. તો શીતળતાની શક્તિ વાળી આત્મા સ્વયં પણ સંકલ્પોની ગતિમાં, બોલમાં, સંપર્કમાં દરેક પરિસ્થિતિ માં શીતળ હશે. સંકલ્પ ની ગતિ તીવ્ર હોવાનાં કારણે વેસ્ટ પણ બહુ થાય અને કંટ્રોલ કરવામાં પણ સમય જાય છે. જ્યારે ઈચ્છો ત્યારે કંટ્રોલ કરવું અથવા પરિવર્તન કરવું એમાં સમય અને શક્તિ વધારે લગાવવી પડે છે. યથાર્થ ગતિથી ચાલવા વાળા અર્થાત શીતળતાની શક્તિ સ્વરુપ રહેવાવાળા વ્યર્થ થી બચી જાય છે. એકસીડન્ટ (અકસ્માત) થી બચી જાય છે. આ કેમ, કઈ રીતે, આમ નહીં તેમ આ વ્યર્થ તીવ્ર ગતિ થી છૂટી જાય છે. જેમ વૃક્ષ નો છાંયડો કોઈ પણ પ્રવાસીને આરામ દેવાવાળો છે, સહયોગી છે. એમ જ શીતળતાની શક્તિવાળા અન્ય આત્માઓને પણ પોતાનાં શીતળતા નાં છાંયડા થી સદા સહયોગનો આરામ આપે છે. દરેકને આકર્ષણ થશે કે આ આત્માની પાસે જઈએ બે ઘડી માં પણ શીતળતા નાં છાંયડા માં શીતળતાનું સુખ, આનંદ લઈએ. જેમ ચારે બાજુ બહુ જ આકરો તડકો હોય તો છાંયડા નું સ્થાન શોધશો ને. તેમ આત્માઓની નજર અથવા આકર્ષણ એવી આત્માઓની તરફ જાય છે. હમણાં વિશ્વમાં બીજા પણ વિકારોની આગ તેજ થવાની છે - જેમ આગ લાગવા પર મનુષ્ય બૂમો પાડે છે ને. શીતળતા નો સહારો શોધે છે. તેમ આ મનુષ્ય આત્માઓ આપ શીતળ આત્માઓની પાસે તડપતી આવશે. થોડા શીતળતા નાં છાંટા પણ લગાવો. એમ બૂમો પાડશે. એક તરફ વિનાશની આગ, બીજી તરફ વિકારોની આગ, ત્રીજી તરફ દેહ અને દેહનાં સંબંધ, પદાર્થના લગાવ ની આગ, ચોથી તરફ પશ્ચાતાપની આગ. ચારે તરફ આગ જ આગ દેખાશે. તો આવા સમય પર આપ શીતળતાની શક્તિ વાળી શીતળાઓ ની પાસે દોડતા-દોડતા આવશે. સેકન્ડ માટે પણ શીતળ કરો. આવાં સમય પર આટલી શીતળતાની શક્તિ સ્વયંમાં જમા હોય જેથી ચારે તરફની આગની સ્વયંને સેક ન લાગી જાય. ચારે તરફની આગ બુઝાવવા વાળા શીતળતા નું વરદાન દેવાવાળા શીતળા બની જાઓ. જો જરાપણ ચારે પ્રકારની આગ માંથી કોઈ નો પણ અંશમાત્ર રહ્યો હશે તો ચારે તરફ ની આગ અંશમાત્ર રહેલી આગને પકડી લેશે. જેમ આગ આગને પકડી લે છે ને. તો આ તપાસ કરો.
વિનાશ જ્વાળા ની અગ્નિથી બચવાનું સાધન - નિર્ભયતા ની શક્તિ છે. નિર્ભયતા વિનાશ જ્વાળાનાં પ્રભાવથી ડગમગ નહીં કરશે. હલચલ માં નહીં લાવશે. નિર્ભયતાનાં આધારથી વિનાશ જ્વાળામાં ભયભીત આત્માઓને શીતળતા ની શક્તિ આપશે. આત્મા ભયની અગ્નિથી બચી શીતળતા નાં કારણે ખુશીમાં નાચશે. વિનાશને જોતાં પણ સ્થાપના નાં દ્રશ્ય જોશે. તેમનાં નયનોમાં એક આંખમાં મુક્તિ-સ્વીટ હોમ, બીજી આંખમાં જીવનમુક્તિ અર્થાત્ સ્વર્ગ સમાયેલું હશે. તેમને સ્વયં નું ઘર, સ્વયં નું રાજ્ય જ દેખાશે. લોકો બૂમો પાડશે હાય ગયા, હાય મર્યા અને તમે કહેશો આપણા મીઠા ઘરમાં, આપણા મીઠા રાજ્યમાં ગયા. નથીંગ ન્યુ. આ ઘૂઘરું પહેરસો. આપણું ઘર, આપણું રાજ્ય આ ખુશીમાં નાચતા-ગાતા સાથે ચાલશો. તેઓ બૂમો પાડશે અને તમે સાથે ચાલશો. સાંભળવામાં જ બધાને ખુશી થઈ રહી છે તો તે સમયે કેટલી ખુશી માં હશો! તો ચારે આગ થી શીતળ થઈ ગયા છો ને? સંભળાવ્યું ને - વિનાશ જ્વાળા થી બચવાનું સાધન છે નિર્ભયતા. એમ જ વિકારોની આગ નાં અંશમાત્ર થી બચવાનું સાધન છે - સ્વયંનાં આદિ-અનાદિ વંશને યાદ કરો. અનાદિ બાપનો વંશ સંપૂર્ણ સતોપ્રધાન આત્મા છું. આદિ વંશ દેવ આત્મા છું. દેવ આત્મા ૧૬ એ કળા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી છે. તો અનાદિ, આદિ વંશ ને યાદ કરો તો વિકારોનાં અંશ પણ સમાપ્ત થઈ જશે.
એમ જ ત્રીજું દેહ, દેહનાં સંબંધ અને પદાર્થની મમતા ની આગ. આ અગ્નિ થી બચવાનું સાધન છે બાપ ને જ સંસાર બનાવો. બાપ જ સંસાર છે તો બીજું બધું અસાર થઈ જશે. પરંતુ કરો શું છો તે હવે ફરી બીજા દિવસે સંભળાવશે. બાપ જ સંસાર છે તે યાદ છે તો ન દેહ, ન સંબંધ, ન પદાર્થ રહેશે. બધું સમાપ્ત.
ચોથી વાત – પશ્ચાતાપ ની આગ - આનું સહજ સાધન છે સર્વ પ્રાપ્તિ સ્વરુપ બનવું. અપ્રાપ્તિ પશ્ચાતાપ કરાવે છે. પ્રાપ્તિ પશ્ચાતાપ ને દૂર કરે છે. હવે દરેક પ્રાપ્તિને સામે રાખી તપાસ કરો. કોઈપણ પ્રાપ્તિને અનુભવ કરવામાં રહી તો નથી ગયા. પ્રાપ્તિઓ ની લીસ્ટ તો છે ને. અપ્રાપ્તિ સમાપ્ત અર્થાત્ પશ્ચાતાપ સમાપ્ત. હવે આ ચારેય વાતોને તપાસ કરો ત્યારે જ શીતળતા સ્વરુપ બની જશો. બીજાઓની તપત ને બુઝાવવાવાળા શીતળ યોગી અથવા શીતળા દેવી બની જશો. તો સમજ્યા શીતળતા ની શક્તિ શું છે. સત્યતાની શક્તિનું સંભળાવ્યું પણ છે. આગળ પણ સંભળાવશે. તો સાંભળ્યું તારામંડળ માં શું જોયું. વિસ્તાર પછી સંભળાવશે. અચ્છા-
આવા સદા ચંદ્રમાં સમાન શીતળતાની શક્તિ સ્વરુપ બાળકોને, સત્યતાની શક્તિથી સતયુગ લાવવાં વાળા બાળકોને, સદા શીતળતાનાં છાંયડા થી સર્વનાં દિલ ને આરામ દેવાવાળા બાળકોને, સદા ચારેય તરફની અગ્નિમાં સલામત રહેવાવાળા શીતળ યોગી શીતળા દેવી બાળકો ને જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વિદેશી ટીચર્સ ભાઈ બહેનો થી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત :- આ કયું ગ્રુપ છે? (રાઈટ હેન્ડ સેવાધારીઓનું). આજે બાપદાદા એમનાં ફ્રેન્ડસ (મિત્રો) ને મળવા આવ્યા છે. ફ્રેન્ડસ નો સંબંધ રમણીક છે. જેમ બાપ સદા બાળકોનાં સ્નેહમાં સમાયેલા છે, તેમ બાળકો પણ બાપનાં સ્નેહ માં સમાયેલા છે. તો આ લવલીન ગ્રુપ છે. ખાતા-પીતા, ચાલતા ક્યાં લીન રહો છો? લવ (પ્રેમ) માં જ રહો છો ને. આ લવલીન રહેવાની સ્થિતિ સદા દરેક વાતમાં સહજ બાપ સમાન બનાવી દે છે કારણકે બાપનાં લવ માં લીન છો તો સંગનો રંગ લાગશે ને. મહેનત અથવા મુશ્કેલથી છૂટવાનું સહજ સાધન છે લવલીન રહેવું. આ લવલીન અવસ્થા લકી (ભાગ્યશાળી) છે, આની અંદર માયા નથી આવી શકતી. તો બાપદાદાનાં અતિ સ્નેહી, સમીપ, સમાન ગ્રુપ છો. આપનાં સંકલ્પ અને બાપનાં સંકલ્પ માં અંતર નથી. એવા સમીપ છો ને? ત્યારે તો બાપ સમાન વિશ્વ કલ્યાણકારી બની શકો છો. જે બાપનાં સંકલ્પ એ બાળકોનાં. જે બાપનાં બોલ એ બાળકોનાં. તો દરેક કર્મ તમારા શું બની જશે? (અરીસો) તો દરેક કર્મ એવો અરીસો હોય જેમાં બાપ દેખાય. એવું ગ્રુપ છો ને. જેમ કોઈ અરીસા હોય છે, દુનિયામાં પણ આવા અરીસા બનાવે છે જેમાં મોટા થી નાનું ,નાનાં થી મોટું દેખાય છે. તો તમારા દરેક કર્મ રુપી દર્પણ શું દેખાડશે? ડબલ (બે) દેખાય - આપ અને બાપ. આપ માં બાપ દેખાય. જેમ બ્રહ્મા બાપમાં સદા ડબલ દેખાતું હતું ને. એમ તમારા દરેક માં સદા બાપ દેખાય તો ડબલ દેખાયું ને. એવો અરીસો છો? સેવાધારી વિશેષ કઈ સેવાનાં નિમિત છો! બાપને પ્રત્યક્ષ કરવાની જ વિશેષ સેવા છે. તો સ્વયંનાં દરેક કર્મ, બોલ, સંકલ્પ દ્વારા બાપને પ્રત્યક્ષ કરો. આજ કાર્યમાં સદા રહો છો ને! ક્યારે પણ કોઈ આત્મા જો આત્માને જોવે છે કે આ બહુ સરસ બોલે છે, આ બહુ સરસ સેવા કરે છે, આ બહુ સરસ દ્રષ્ટી આપે છે. તો આ પણ બાપને નથી જોયા આત્માને જ જોયા. આ પણ ખોટું થઈ જાય છે. તમને જોઇને મુખથી એ જ નીકળે “બાબા”! ત્યારે કહેવાશે પાવરફુલ દર્પણ છો. એકલી આત્મા ન દેખાય, બાપ દેખાય. આને કહેવાય છે યથાર્થ સેવાધારી. સમજ્યા! જેટલું તમારા દરેક સંકલ્પમાં, બોલમાં, બાબા-બાબા હશે તેટલું બીજાને તમારાથી બાબા દેખાશે. જેમ કે આજકાલનાં સાઈન્સ (વિજ્ઞાન) નાં સાધન થી આગળ જ પહેલી વસ્તુ દેખાડે છે તે ગુમ થઇ જાય છે અને બીજી દેખાય છે. તેમ તમારી સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ તમને જોતા પણ તમને ગુમ કરી દે. બાપ ને પ્રત્યક્ષ કરી દે. એવી શક્તિશાળી સેવા થાય. બાપ થી સંબંધ જોડવાથી આત્માઓ સદા શક્તિશાળી બની જાય છે. જો આત્માથી સંબંધ જોડાઈ જાય તો સદા માટે શક્તિશાળી નથી બની શકતા. સમજ્યા. સેવાધારીઓ ની વિશેષ સેવા શું છે? તમારા દ્વારા બાપ દેખાય. તમને જુએ અને બાબા-બાબા નાં ગીત ગાવાનાં શરુ કરી દે. આવી સેવા કરો છો ને! અચ્છા-
બધાં અમૃતવેલા દિલખુશ મિઠાઈ ખાઓ છો? સેવાધારી આત્માઓ રોજ દિલખુશ મીઠાઈ ખાશે તો બીજાને પણ ખવડાવશે. પછી તમારી પાસે દિલશિકસ્ત ની વાતો નહીં આવે. જિજ્ઞાસુ આવી વાતો નહીં લઈને આવે. નહીં તો એમાં પણ સમય આપવો પડે છે ને. પછી સમય બચી જશે. અને આ સમયમાં અનેક બીજાઓને દિલખુશ મીઠાઈ ખવડાવતા રહેશો. અચ્છા-
તમે બધાં સદા ખુશ રહો છો? ક્યારેય કોઈ સેવાધારી રડતાં તો નથી. મનમાં પણ રડવું આવે છે ફક્ત આંખો થી નહીં. તો રડવા વાળા તો નથી ને! અચ્છા ફરિયાદ કરવા વાળા છો? બાપની આગળ ફરિયાદ કરો છો? આવું મારાથી કેમ થયું! મારો જ આવો પાર્ટ કેમ છે! મારા જ સંસ્કાર આવાં કેમ છે! મને જ આવા જિજ્ઞાસુ કેમ મળ્યાં છે અથવા મને જ આવો દેશ કેમ મળ્યો છે! આવી ફરિયાદ કરવાવાળા તો નથી? ફરિયાદ એટલે ભક્તિનો અંશ. કેવું પણ હોય પરંતુ પરિવર્તન કરવું આ સેવાધારીઓ નું વિશેષ કર્તવ્ય છે. ચાહે દેશ છે, ચાહે જિજ્ઞાસુ છે, ચાહે સ્વયંનાં સંસ્કાર છે, ચાહે સાથી છે, ફરિયાદ ની બદલે પરિવર્તન કરવાનાં કાર્યમાં લગાવો. સેવાધારી ક્યારે પણ બીજાની કમજોરીને ન જુઓ. જો બીજાની કમજોરીને જોઈ તો સ્વયં પણ કમજોર થઈ જશો એટલે સદા દરેકની વિશેષતાને જુઓ. વિશેષતાને ધારણ કરો. વિશેષતાનું જ વર્ણન કરો. આજ સેવાધારી નું વિશેષ ઉડતી કળાનું સાધન છે. સમજ્યા! બીજું શું કરે છે સેવાધારી? પ્લાન (યોજના) બહુ જ સરસ-સરસ બનાવે છે. ઉમંગ-ઉત્સાહ પણ સારો છે. બાપ અને સેવાથી સ્નેહ પણ સારો છે. હવે આગળ શું કરવાનું છે?
હમણાં વિશ્વમાં વિશેષ બે સત્તાઓ છે. ૧.રાજ્યસત્તા ૨.ધર્મ સત્તા. ધર્મ નેતાઓ અને રાજ્ય નેતાઓ. બીજા વ્યવસાય વાળા પણ અલગ-અલગ છે પરંતુ સત્તા આ બંનેની સાથે છે. તો હમણા આ બંને સત્તાઓને એવા સ્પષ્ટ અનુભવ થાય કે ધર્મ સત્તા પણ હવે સત્તાહીન થઈ ગઈ છે અને રાજ્યસત્તા વાળા પણ અનુભવ કરે કે અમારામાં નામ રાજ્ય સત્તા છે પરંતુ સત્તા નથી. કેવી રીતે અનુભવ કરાવો - એનું સાધન શું છે? જે પણ રાજનેતાઓ અથવા ધર્મ નેતાઓ છે તેમને “પવિત્રતા અને એકતા” આનો અનુભવ કરાવો. આની ખોટનાં કારણે બંને સત્તાઓ કમજોર છે. તો પવિત્રતા શું છે, એકતા શું છે એનાં પર તેમને સ્પષ્ટ સમજણ મળવાથી તેઓ સ્વયં જ સમજશે અમે કમજોર છીએ અને આ શક્તિશાળી છે. આનાં માટે વિશેષ મનન કરો. ધર્મસત્તા ને ધર્મસત્તા હીન બનાવવાની વિશેષ રીત છે - પવિત્રતાને સિદ્ધ કરવી. અને રાજ્ય સત્તા વાળા ની આગળ એકતાને સિદ્ધ કરવી. આ મુદ્દા પર મનન કરો. પ્લાન બનાંવો અને તેમનાં સુધી પહોંચાડો. આ બંનેય શક્તિઓને સિદ્ધ કરી તો ઈશ્વરીય સત્તા નો ઝંડો બહુ જ સહજ લહેરાશે. હમણાં આ બંનેની તરફ વિશેષ એટેન્શન જોઈએ. અંદર તો સમજે છે પરંતુ હમણાં બહારનું અભિમાન છે. જેમ-જેમ પવિત્રતા અને એકતા ની શક્તિથી તેમની સમીપ સંપર્કમાં આવતા રહેશે તેમ-તેમ તેઓ સ્વયં જ સ્વયંનું વર્ણન કરવા લાગશે. સમજ્યા! જ્યારે બંને સત્તાઓ ને કમજોર સિદ્ધ કરો ત્યારે પ્રત્યક્ષ થાય. અચ્છા!
બાકી તો સેવાધારી ગ્રુપ છે જ સદા સંતુષ્ટ. સ્વયં થી, સાથીઓ થી, સેવાથી સર્વ પ્રકારથી સંતુષ્ટ યોગી. આ સંતુષ્ટતાનું સર્ટિફિકેટ લીધું છે ને. બાપદાદા, નિમિત દાદી, દીદીઓ બધાં તમને સર્ટિફિકેટ આપે કે હા આ સંતુષ્ટ યોગી છે. ચાલતા ફરતા પણ સર્ટિફિકેટ મળે છે. અચ્છા, ક્યારે મૂડ ઓફ તો નથી કરતા? ક્યારેય સેવાથી થાકી મૂડ ઓફ તો નથી થતું? શું કરવાનું છે, આટલી કેમ પડી છે? એમ તો નથી.
તો હમણાં આ બધી વાતો સ્વયંમાં તપાસ કરજો. જો કોઈ છે તો ચેન્જ કરી લેવું કારણ કે સેવાધારી અર્થાત સ્ટેજ પર દરેક કર્મ કરવાવાળા. સ્ટેજ પર સદા શ્રેષ્ઠ અને યુક્તિયુક્ત દરેક કદમ ઉપાડવાનાં હોય છે. એવું ક્યારેય પણ નથી સમજવાનું કે હું ફલાણા દેશમાં સેન્ટર પર બેઠી છું. પરંતુ વિશ્વની સ્ટેજ પર બેઠી છું. આ સ્મૃતિમાં રહેવાથી દરેક કર્મ સ્વત: જ શ્રેષ્ઠ થશે. તમને ફોલો (અનુકરણ) કરવા વાળા પણ બહુ જ છે, એટલે સદા તમે બાપને ફોલો કરશો તો તમને ફોલો કરવાવાળા પણ બાપને ફોલો કરશે. તો ઇનડાયરેક્ટ (પરોક્ષ) ફોલો ફાધર થઈ જશે કારણ કે તમારું દરેક કર્મ ફોલો ફાધર છે એટલે આ સદા સ્મૃતિ રાખજો. અચ્છા - મહોબ્બત નાં કારણે મહેનતથી પરે છો.

વરદાન :-
એક બાપને કમ્પેનિયન (સાથી) બનાવવા અથવા એમની કંપની (સાથ) માં રહેવાવાળા સંપૂર્ણ પવિત્ર આત્મા ભવ:

સંપૂર્ણ પવિત્ર આત્મા એ છે જેનાં સંકલ્પ અને સ્વપ્નમાં પણ બ્રહ્મચર્યની ધારણા હોય, જે દરેક કદમમાં બ્રહ્મા બાપનાં આચરણ પર ચાલવા વાળા હોય. પવિત્રતાનો અર્થ છે - સદા બાપને કમ્પેનિયન (સાથી) બનાવવા અને બાપની કંપની (સાથ) માં રહેવું. સંગઠનની કંપની, પરિવારનાં સ્નેહની મર્યાદા અલગ ચીજ છે, પરંતુ બાપને કારણે જ આ સંગઠનનાં સ્નેહ ની કંપની છે, બાપ ન હોત તો પરિવાર ક્યાંથી આવત. બાપ બીજ છે, બીજને ક્યારે નથી ભૂલવાનું.

સ્લોગન :-
કોઈનાં પ્રભાવમાં પ્રભાવિત થવા વાળા નહીં, જ્ઞાનનો પ્રભાવ નાખવા વાળા બનો.