27-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
સર્વ આત્માઓને કર્મબંધન થી સૈલવેજ (મુક્ત) કરવાવાળી સૈલવેશન આર્મી (સેના) છો, તમારે
કર્મબંધન માં નથી ફસાવાનું”
પ્રશ્ન :-
કયો અભ્યાસ
કરતાં રહો તો આત્મા બહુ-બહુજ શક્તિશાળી બની જશે?
ઉત્તર :-
જ્યારે પણ સમય
મળે ત્યારે શરીર થી ડીટેચ (અલગ) થવાનો અભ્યાસ કરો. અલગ થવાથી આત્મા માં શક્તિ પાછી
આવશે, તેમાં બળ ભરાશે. તમે અન્ડર-ગ્રાઉન્ડ (ગુપ્ત) મિલેટ્રી છો, તમને માર્ગદર્શન મળે
છે એટેન્શન પ્લીજ (સાવધાન) અર્થાત્ એક બાપ ની યાદ માં રહો, અશરીરી થઈ જાઓ.
ઓમ શાંતિ!
ઓમ શાંતિ નો
અર્થ તો બાપ એ સારી રીતે સમજાવ્યો છે. જ્યાં મિલેટ્રી ઉભી હોય છે તેઓ પછી કહે છે
અટેન્શન, તે લોકોનું અટેન્શન એટલે સાઈલેન્સ (શાંતિ). અહીંયા પણ તમને બાપ કહે છે
અટેન્શન અર્થાત્ એક બાપની યાદ માં રહો. મુખથી બોલવાનું હોય છે, નહીં તો હકીકતમાં
બોલવાથી પણ દૂર જવું જોઈએ. અટેન્શન, બાપ ની યાદ માં છો? બાપનું માર્ગદર્શન અથવા
શ્રીમત મળી છે, તમે આત્માને પણ ઓળખી છે, બાપને પણ ઓળખ્યા છે તો બાપ ને યાદ કર્યા
વગર તમે વિક્રમાજીત અર્થાત્ સતોપ્રધાન પવિત્ર નથી બની શકતા. મૂળ વાત જ આ છે, બાપ કહે
છે મીઠા-મીઠા લાડકા બાળકો! સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ છે બધી આ સમયની
વાતો, જે પછી તેઓ બીજી તરફ લઈ ગયા છે. તે પણ મિલેટ્રી છે, તમે પણ મિલેટ્રી છો.
ગુપ્ત મિલેટ્રી પણ હોય છે ને. છુપાઇ જાય છે. તમે પણ ગુપ્ત છો. તમે પણ છુપાઈ જાઓ છો
અર્થાત્ બાપની યાદ માં લીન થઇ જાઓ છો. આને કહેવાય છે ગુપ્ત. કોઈ ઓળખી ન શકે કારણ કે
તમે ગુપ્ત છો ને. તમારી યાદ ની યાત્રા ગુપ્ત છે, ફક્ત બાપ કહે છે મને યાદ કરો કારણકે
બાપ જાણે છે યાદથી આ બિચારાઓ નું કલ્યાણ થશે. હવે તમને બિચારા કહેશે ને. સ્વર્ગમાં
બિચારા હોતા નથી. બિચારા એમને કહેવાય છે જે ક્યાંક બંધનમાં ફસાયેલા રહે છે. આ પણ તમે
સમજો છો, બાપ એ સમજાવ્યું છે - તમને લાઈટહાઉસ પણ કહેવાય છે. બાપને પણ લાઈટહાઉસ
કહેવાય છે. બાપ ઘડી-ઘડી સમજાવે છે એક આંખમાં શાંતિધામ, બીજી આંખમાં સુખધામ રાખો. તમે
જાણે લાઇટહાઉસ છો. ઉઠતા, બેસતા, ચાલતા તમે લાઈટ થઈને રહો. બધાંને સુખધામ-શાંતિધામ
નો રસ્તો બતાવતા રહો. આ દુ:ખધામ માં બધાની નાવ અટકી પડી છે ત્યારે તો કહો છો ને નાવ
મારી પાર લગાવો. હેં માંઝી (નાવિક). બધાંની નાવ ફસાઈ પડી છે, તેને મુક્ત કોણ કરે?
તેઓ કોઈ સેલ્વેશન આર્મી (મુક્તિસેના) તો છે નહીં. એમ જ નામ રાખી દીધું છે. હકીકતમાં
સેલ્વેશન આર્મી તો તમે છો જે દરેકને સેલ્વેજ (મુક્ત) કરો છો. બધાં ૫ વિકારોની જંજીરો
માં અટકી પડ્યા છે, એટલે કહે છે અમને લિબ્રેટ કરો, સેલ્વેજ કરો. તો બાપ કહે છે કે આ
યાદની યાત્રા થી તમે પાર થઈ જશો. હમણાં તો બધાં ફસાયેલા છે. બાપને બાગવાન પણ કહેવાય
છે. આ સમયની જ બધી વાતો છે. તમારે ફૂલ બનવાનું છે, હમણાં તો બધાં કાંટા છે કારણ કે
હિંસક છે. હવે અહિંસક બનવાનું છે. પાવન બનવાનું છે. જે ધર્મ સ્થાપન કરવા આવે છે, તે
તો પવિત્ર આત્માઓ જ આવે છે. તેઓ તો અપવિત્ર હોઈ ન શકે. પહેલા-પહેલાં જ્યારે આવે છે
તો પવિત્ર હોવાનાં કારણે તેમની આત્મા કે શરીર ને દુઃખ મળી ન શકે કારણ કે તેમનાં પર
કોઈ પાપ છે નહીં. આપણે જ્યારે પવિત્ર છીએ તો પાપ નથી થતું તો બીજાનું પણ નથી થતું.
દરેક વાત પર વિચાર કરવાનો હોય છે. ત્યાંથી આત્માઓ આવે છે ધર્મ સ્થાપન કરવા. જેમની
પછી ડિનાયસ્ટી (વંશજ) પણ ચાલે છે. શીખ ધર્મની પણ ડિનાયસ્ટી છે. સંન્યાસીઓની
ડિનાયસ્ટી થોડી ચાલે છે, રાજાઓ થોડી બન્યાં છે. સિક્ખ ધર્મમાં મહારાજા વગેરે છે, તો
તે જ્યારે આવે છે સ્થાપના કરવા તો તે નવી આત્મા આવે છે. ક્રાઈસ્ટે આવીને ક્રિશ્ચન
ધર્મ સ્થાપન કર્યો, બુદ્ધે બૌદ્ધિ, ઇબ્રાહિમે ઇસ્લામ – બધાં નાં નામથી રાશિ મળે છે.
દેવી-દેવતા ધર્મ નું નામ નથી મળતું. નિરાકાર બાપ જ આવીને દેવી-દેવતા ધર્મની સ્થાપના
કરે છે. તે દેહધારી નથી. બીજા જે ધર્મસ્થાપક છે તેમને દેહનું નામ છે. આ તો દેહધારી
નથી. ડિનાયસ્ટી નવી દુનિયામાં ચાલે છે. તો બાપ કહે છે – બાળકો, સ્વયંને રુહાની
મિલેટ્રી જરૂર સમજો. તે મિલેટ્રી નાં કમાન્ડર વગેરે આવે છે, કહે છે અટેન્શન, તો ઝટ
ઉભા થઈ જાય છે. હવે તેઓ તો દરેક પોત-પોતાનાં ગુરુને યાદ કરશે અથવા શાંતિમાં રહેશે.
પરંતુ તે જુઠી શાંતિ થઈ જાય છે. તમે જાણો છો આપણે આત્મા છીએ, આપણો ધર્મ જ શાંતિ છે.
પછી યાદ કોને કરવાનાં છે. હમણાં તમને જ્ઞાન મળે છે. જ્ઞાન સહિત યાદમાં રહેવાથી પાપ
કપાય છે. આ જ્ઞાન બીજા કોઈને છે નહી. મનુષ્ય આ થોડી સમજે છે - આપણે આત્મા શાંત
સ્વરૂપ છીએ. આપણે શરીરથી અલગ થઈને બેસવાનું છે. અહીં તમને તે બળ મળે છે જેનાથી તમે
સ્વયંને આત્મા સમજી બાપની યાદ માં બેસી શકો છો. બાપ સમજાવે છે - કેવી રીતે સ્વયંને
આત્મા સમજી અલગ થઈને બેસો. તમે જાણો છો આપણે આત્માઓ એ હવે પાછું જવાનું છે. આપણે
ત્યાંના રહેવાવાળા છીએ. આટલા દિવસ ઘરને ભૂલી ગયા હતા, બીજું કોઈ થોડી સમજે છે - આપણે
ઘરે જવાનું છે. પતિત આત્મા તો પાછી જઈ ન શકે. ન કોઈ આવું સમજાવવા વાળું છે કે કોને
યાદ કરો. બાપ સમજાવે છે - યાદ એકને જ કરવાનાં છે. બીજા કોઈને યાદ કરવાથી શું ફાયદો!
સમજો, ભક્તિમાર્ગમાં શિવ-શિવ કહેતા રહે છે, ખબર તો કોઈને છે નહીં કે એનાથી શું થશે.
શિવને યાદ કરવાથી પાપ કપાઈ જશે - આ કોઈને પણ ખબર નથી. અવાજ સંભળાશે. તે તો જરૂર
અવાજ થશે જ. આ બધી વાતો થી કોઈ ફાયદો નથી. બાબા તો આ બધાં ગુરુઓ થી અનુભવી છે ને.
બાપ એ કહ્યું છે ને - હેં અર્જુન, આ બધાને છોડ. સદ્દગુરુ મળ્યા તો આ બધાની દરકાર નથી.
સદ્દગુરુ તારે છે. બાપ કહે છે - હું તમને આસુરી સંસારથી પાર લઈ જાઉં છું. વિષય
સાગરથી પાર જવાનું છે. આ બધી વાતો સમજાવાની છે. માંઝી (નાવિક) તો આમ નાવ ચલાવવા વાળો
હોય છે પરંતુ સમજાવવા માટે આ નામ પડી ગયું છે. એમને કહેવાય છે - પ્રાણેશ્વર બાબા
અર્થાત્ પ્રાણો નું દાન દેવા વાળા બાબા, એ અમર બનાવી દે છે. પ્રાણ આત્માને કહેવાય
છે. આત્મા નીકળી જાય છે તો કહે છે પ્રાણ નીકળી ગયા. પછી શરીરને રાખવા પણ નથી દેતા.
આત્મા છે તો શરીર પણ તંદુરસ્ત છે. આત્મા વગર તો શરીર માં વાસ આવી જાય છે. પછી તેને
રાખીને શું કરશો. જાનવર પણ આવું નહીં કરે. ફક્ત એક વાંદરો છે, તેનું બાળક મરી જાય
છે, વાસ આવે છે તો પણ તે મરેલા શરીરને છોડશે નહીં, લટકાવીને જ રહેશે. તે તો જાનવર
છે, તમે તો મનુષ્ય છો ને. શરીર છોડ્યું તો કહેશે જલ્દી આમને બહાર કાઢો. મનુષ્ય કહેશે
સ્વર્ગ પધાર્યા. જ્યારે અર્થી ને ઉઠાવે છે તો પહેલા પગ સ્મશાન તરફ કરે છે. પછી
જ્યારે ત્યાં અંદર ઘૂસે છે, પૂજા વગેરે કરી સમજે છે હવે આ સ્વર્ગ જઈ રહ્યા છે તો
તેને ફરાવીને મુખ સ્મશાન તરફ કરી દે છે. તમે કૃષ્ણને પણ એક્યુરેટ દેખાડયા છે, નર્કને
લાત મારી રહ્યા છે. કૃષ્ણનું આ શરીર તો છે નહીં, એમનું નામ રુપ તો બદલાય છે. કેટલી
વાતો બાપ સમજાવીને પછી કહે છે – મનમનાભવ.
અહીંયા આવીને જ્યારે બેસો છો તો અટેન્શન. બુદ્ધિ બાપમાં લાગી રહે. તમારુ આ અટેન્શન
સદા માટે છે. જ્યાં સુધી જીવતા છીએ, બાપને યાદ કરવાનાં છે. યાદથી જ જન્મ-જન્માંતરનાં
પાપ કપાય છે. યાદ જ નહીં કરશો તો પાપ પણ નહીં કપાશે. બાપ ને યાદ કરવાનાં છે, યાદમાં
આંખો ક્યારેય બંધ નથી કરવાની. સન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ-કોઈ તો
સ્ત્રીનું મુખ પણ નથી જોતા. પટ્ટી બાંધીને બેસે છે. તમે જ્યારે અહીં બેસો છો તો રચતા
અને રચના નાં આદિ-મધ્ય-અંત નું સ્વદર્શન ચક્ર ફરાવવું જોઈએ. તમે લાઈટ હાઉસ છો ને. આ
છે દુઃખધામ, એક આંખમાં દુઃખધામ, બીજી આંખમાં સુખધામ. ઉઠતા-બેસતા સ્વયંને લાઈટ હાઉસ
સમજો. બાબા ભિન્ન-ભિન્ન ઉદાહરણ થી બતાવે છે. તમે સ્વયંની પણ સંભાળ કરો છો. લાઈટ
હાઉસ બનવાથી સ્વયંનું કલ્યાણ કરો છો. બાપને યાદ જરૂર કરવાના છે, જ્યારે કોઈ રસ્તા
માં મળે તો તેમને બતાવવાનું છે. ઓળખાણ વાળા પણ બહુ મળે છે, તેઓ તો એક-બીજાને
રામ-રામ કરે છે, તેમને કહો તમને ખબર છે આ દુઃખધામ છે, એ છે શાંતિધામ અને સુખધામ. તમે
શાંતિધામ-સુખધામ માં ચાલવા ઇચ્છો છો? આ ૩ ચિત્ર કોઈને સમજાવવા બહુ જ સહજ છે. તમને
ઈશારો આપે છે. લાઈટ હાઉસ પણ ઈશારો આપે છે. આ નાવ છે જે રાવણની જેલમાં લટકી પડી છે.
મનુષ્ય, મનુષ્યને મુક્ત કરી નથી શકતા. તે તો બધી છે બનાવટી હદની વાતો. આ છે બેહદની
વાત. સોશિયલ સોસાયટીની સેવા પણ તે નથી. હકીકતમાં સાચી સેવા આ છે - બધાનો બેડો પાર
કરવાનો છે. તમારી બુદ્ધિ માં છે મનુષ્યની શું સેવા કરીએ.
પહેલા તો કહેવાનું છે તમે ગુરુ કરો છો – મુક્તિધામ માં જવા માટે, બાપથી મળવા માટે.
પરંતુ કોઈ મળતું નથી. મળવાનો રસ્તો બાપ જ બતાવે છે. તે સમજે છે - આ શાસ્ત્ર વગેરે
વાંચવાથી ભગવાન મળે છે, આશ્વાસન પર રહેવાથી પછી છેલ્લે કોઈને કોઈ રુપમાં મળશે.
ક્યારે મળશે – આ બાપ એ તમને બધું જ સમજાવ્યું છે. તમે ચિત્રમાં દેખાડ્યું છે એકને
યાદ કરવાનાં છે. જે પણ ધર્મ સ્થાપક છે તે પણ આ જ ઈશારો આપે છે કારણ કે તમે શિક્ષણ
આપ્યું છે તો તેઓ પણ આમ ઈશારા આપે છે. સાહેબને જપો, એ બાપ છે સદ્દગુરુ. બાકી તો
અનેક પ્રકારનું શિક્ષણ આપવા વાળા છે. તેમને કહેવાય છે ગુરુ. અશરીરી બનવાનું શિક્ષણ
કોઇ જાણતું નથી. તમે કહેશો શિવબાબા ને યાદ કરો. તે લોકો શિવના મંદિરમાં જાય છે તો
હંમેશા શિવને બાબા કહેવાની આદત પડેલી છે બીજા કોઈને બાબા નથી કહેતા, પરંતુ તે
નિરાકાર તો નથી ને. શરીરધારી છે. શિવ તો છે નિરાકાર, સાચાં બાબા, એ તો બધાનાં બાબા
થયા. બધી આત્માઓ અશરીરી છે. આપ બાળકો જયારે અહીંયા બેસો છો તો આ જ ધૂનમાં બેસો. તમે
જાણો છો આપણે કેવા ફસાયેલા હતા. હવે બાબા એ આવીને રસ્તો બતાવ્યો છે, બાકી બધા
ફસાયેલા છે, છૂટતા નથી. સજાઓ ખાઈને પછી બધા છૂટી જશે. આપ બાળકોને સમજાવતા રહે છે,
મોચરા (સજાઓ) ખાઈને થોડી માની (રોટલી) લેવાની છે. સજા બહુ જ થાય છે તો પદ ભ્રષ્ટ થઇ
જાય છે, માની (રોટલી) ઓછી મળે છે! થોડો મોચરો (સજા) તો માની (રોટલી) સારી મળશે. આ
છે કાંટા નું જંગલ. એક-બીજાને કાંટા લગાડતા રહે છે. સ્વર્ગ ને કહેવાય છે - ગાર્ડન
ઓફ અલ્લાહ (ભગવાનનો બગીચો). ક્રિશ્ચન લોકો પણ કહે છે - પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. કોઈ
સમયે સાક્ષાત્કાર પણ કરી શકે છે, બની શકે છે અહીંનાં જે ધર્મ વાળા હશે તે પછી આપણા
ધર્મ માં આવી શકે છે. બાકી ફક્ત જોયું તો એમાં શું થશે! જોવાથી કોઈ જઈ નથી શકતું.
જયારે બાપને ઓળખે અને નોલેજ લે. બધા તો આવી ન શકે. દેવતાઓ તો ત્યાં બહુ જ થોડા હોય
છે. હમણાં આટલા હિન્દુ છે, અસલમાં દેવતાઓ હતા ને. પરંતુ તે હતા પાવન, આ છે પતિત.
પતિતને દેવતા કહેવું શોભતું નથી. આ એક જ ધર્મ છે, જેને ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ
કહેવાય છે. આદિ સનાતન હિંદુ ધર્મ કહી દે છે. દેવતા ધર્મની કોલમ (ખાનું) જ નથી રાખતા.
આપણે સૌ બાળકોનાં, મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ છે, જે તમને શું થી શું બનાવી દે
છે. તમે સમજાવી શકો છો કે બાપ કેવી રીતે આવે છે, જ્યારે દેવતાઓનાં પગ પણ જૂની
તમોપ્રધાન સૃષ્ટિ પર નથી આવતા તો પછી બાપ કેવી રીતે આવશે? બાપ તો છે નિરાકાર. એમને
તો પોતાના પગ છે નહીં એટલા માટે આમનામાં પ્રવેશ કરે છે.
હમણાં આપ બાળકો ઈશ્વરીય દુનિયા માં બેઠા છો, તેઓ બધાં છે આસુરી દુનિયામાં. આ બહુ જ
નાનો સંગમયુગ છે. તમે સમજો છો આપણે ન દૈવી સંસારમાં છીએ, ન આસુરી સંસારમાં છીએ. આપણે
ઇશ્વરીય સંસારમાં છીએ. બાપ આવ્યા છે આપણને ઘરે લઇ જવા માટે. બાપ કહે છે એ મારુ ઘર
છે. તમારા ખાતિર હું મારું ઘર છોડીને આવ્યો છું. ભારત સુખધામ બની જાય છે તો પછી હું
થોડી આવું છું. હું વિશ્વ નો માલિક નથી બનતો, તમે બનો છો. આપણે બ્રહ્માંડનાં માલિક
છીએ. બ્રહ્માંડમાં બધાં આવે છે. હમણાં ત્યાં માલિક બની બેઠાં છે, જેમને આવવાનું બાકી
છે, પરંતુ તે આવીને વિશ્વનાં માલિક નથી બનતા. સમજાવે તો બહુ જ છે. કોઈ વિદ્યાર્થી
બહુ સારું હોય છે તો સ્કોલરશીપ લઈ લે છે. વન્ડર છે અહીંયા કહે પણ છે અમે પવિત્ર બનશું
પછી જઈને પતિત બની જાય છે. આવા-આવાં કાચ્ચા ને નહીં લઈ આવો. બ્રાહ્મણી નું કામ છે
તપાસ કરીને લાવવાનું. તમે જાણો છો કે આત્મા જ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે, તેને
અવિનાશી પાર્ટ મળેલો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) લાઈટ હાઉસ
બની બધાને શાંતિધામ, સુખધામ નો માર્ગ બતાવવાનો છે. બધાની નાવ ને દુઃખધામ થી
નિકાળવાની સેવા કરવાની છે. સ્વયંનું પણ કલ્યાણ કરવાનું છે.
2) સ્વયંની શાંત
સ્વરૂપ સ્થિતિમાં સ્થિત થઈ શરીર થી અલગ થવાનો અભ્યાસ કરવાનો છે, યાદમાં આંખો ખોલીને
બેસવાનું છે, બુદ્ધિ થી રચતા અને રચના નું સિમરણ કરવાનું છે.
વરદાન :-
આ અલૌકિક
જીવનમાં સંબંધની શક્તિથી અવિનાશી સ્નેહ અને સહયોગ પ્રાપ્ત કરવાવાળી શ્રેષ્ઠ આત્મા
ભવ:
આ અલૌકિક જીવનમાં
સંબંધની શક્તિ આપ બાળકોને ડબલ રૂપમાં પ્રાપ્ત છે. એક બાપ દ્વારા સર્વ સંબંધ, બીજો
દેવી પરિવાર દ્વારા સંબંધ. આ સંબંધથી સદા નિ:સ્વાર્થ સ્નેહ અને સહયોગ સદા પ્રાપ્ત
થતો રહે છે. તો તમારી પાસે સંબંધની પણ શક્તિ છે. આવી શ્રેષ્ઠ અલૌકિક જીવનવાળી શક્તિ
સંપન્ન વરદાની આત્માઓ છો એટલે અરજી કરવાવાળા નહીં, સદા રાજી રહેવાવાળા બનો.
સ્લોગન :-
કોઈ પણ પ્લાન
વિદેહી, સાક્ષી બની વિચારો અને સેકન્ડમાં પ્લેન સ્થિતિ બનાવતા જાઓ.