16-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સ્વયં
ની બેટરી ચાર્જ કરવાનો વિચાર કરો , સ્વયં નો સમય પરચિંતનમાં વ્યર્થ નહીં કરો , અપની
ઘોટ તો નશા ચઢે ”
પ્રશ્ન :-
જ્ઞાન એક
સેકન્ડ નું હોવા છતાં પણ બાપ ને આટલું વિસ્તારમાં સમજાવાની કે આટલો સમય આપવાની
આવશ્યકતા શા માટે?
ઉત્તર :-
કારણ કે જ્ઞાન
આપ્યા પછી બાળકોમાં સુધાર થયો છે કે નહીં, એ પણ બાપ જુએ છે અને ફરી સુધારવા માટે
જ્ઞાન આપતા જ રહે છે. આખા બીજ અને ઝાડ નું જ્ઞાન આપે છે, જેના કારણે એમને જ્ઞાન
સાગર કહેવાય છે. જો એક સેકન્ડનો મંત્ર આપીને ચાલ્યા જાય તો જ્ઞાન સાગર નું ટાઈટલ પણ
ન મળે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. ભક્તિમાર્ગમાં પરમપિતા પરમાત્મા શિવ ને અહીંયા જ
પૂજે છે. ભલે બુદ્ધિમાં છે કે એ થઈને ગયા છે. જ્યાં પણ લિંગ જુએ છે તો તેમની પૂજા
કરે છે. એ તો સમજે છે શિવ પરમધામમાં રહેવાવાળા છે, આવીને ગયા છે, એટલે એમની યાદગાર
બનાવીને પૂજે છે. જે સમયે યાદ કરે છે ત્યારે બુદ્ધિમાં જરૂર આવે છે કે નિરાકાર છે,
જે પરમધામમાં રહેવાવાળા છે, એમને શિવ કહી પૂજે છે. મંદિરમાં જઈને માથું નમાવે છે,
એમનાં પર દૂધ, ફળ, ફૂલ, જળ વગેરે ચઢાવે છે. પરંતુ તે તો જડ છે. જડની ભક્તિ જ કરે
છે. હવે તમે જાણો છો - એ છે ચૈતન્ય, એમનું નિવાસ સ્થાન પરમધામ છે. તે લોકો જ્યારે
પૂજા કરે છે તો બુદ્ધિમાં રહે છે કે પરમધામ નિવાસી છે, આવીને ગયા છે ત્યારે આ ચિત્ર
બનાવવામાં આવ્યાં છે, જેમની પૂજા થાય છે. એ ચિત્ર કોઈ શિવ નથી, એમની પ્રતિમા છે. એવી
રીતે જ દેવતાઓને પણ પૂજે છે, જડ ચિત્ર છે, ચૈતન્ય નથી. પરંતુ એ ચૈતન્ય જે હતાં, તે
ક્યાં ગયા, એ નથી સમજતા. જરૂર પુનર્જન્મ લઈ નીચે આવ્યા હશે. હમણાં આપ બાળકોને જ્ઞાન
મળી રહ્યું છે. સમજો છો જે પણ પૂજ્ય દેવતા હતાં, તે પુનર્જન્મ લેતા આવ્યા છે. આત્મા
તે જ છે, આત્માનું નામ નથી બદલાતું. બાકી શરીર નું નામ બદલાય છે. એ આત્મા કોઈ ને
કોઈ શરીરમાં છે. પુનર્જન્મ તો લેવાનો જ છે. તમે પૂજો છો તેમને, જે પહેલા-પહેલા
શરીરવાળા હતાં (સતયુગી લક્ષ્મી-નારાયણ ને પૂજો છો) આ સમયે તમારો વિચાર ચાલે છે, જે
નોલેજ બાપ આપે છે. તમે સમજો છો કે જે ચિત્રની પૂજા કરાય છે તે પહેલા નંબરવાળા છે. આ
લક્ષ્મી-નારાયણ ચૈતન્ય હતાં. અહીં જ ભારતમાં હતાં, હમણાં નથી. મનુષ્ય એ નથી સમજતા
કે તે પુનર્જન્મ લેતા-લેતા ભિન્ન નામ-રૂપ લેતા ૮૪ જન્મોનો પાર્ટ ભજવતા રહે છે. આ
કોઈના ખ્યાલમાં પણ નથી આવતું. સતયુગમાં હતાં તો જરૂર, પરંતુ હમણાં નથી. આ પણ કોઈને
સમજ નથી આવતી. હવે તમે જાણો છો - ડ્રામાનાં પ્લાન અનુસાર ફરી ચૈતન્ય માં આવશે જરુર.
મનુષ્યોની બુદ્ધિમાં એ ખ્યાલ જ નથી આવતો. બાકી એટલું જરૂર સમજે છે કે આ હતાં. હવે
તેમનાં જડ ચિત્ર છે, પરંતુ તે ચૈતન્ય ક્યાં ચાલ્યા ગયા - એ કોઈની બુદ્ધિમાં નથી આવતું.
મનુષ્ય તો ૮૪ લાખ પુનર્જન્મ કહી દે છે, આં પણ આપ બાળકો ને ખબર પડી છે ૮૪ જન્મ જ લે
છે, ન કે ૮૪ લાખ. હવે રામચંદ્ર ની પૂજા કરે છે, તેમને એ પણ ખબર નથી કે રામ ક્યાં ગયા.
તમે જાણો છો કે શ્રીરામની આત્મા તો જરૂર પુનર્જન્મ લેતી રહેતી હશે. અહીંયા પરીક્ષામાં
નાપાસ થાય છે. પરંતુ કોઈને કોઈ રુપમાં હશે તો જરૂર ને. અહીંયા જ પુરુષાર્થ કરતા રહે
છે. એટલું નામ પ્રસિદ્ધ છે રામનું, તો જરૂર આવશે, એમને નોલેજ લેવું પડશે. હમણાં કંઈ
ખબર નથી પડતી, તો એ વાતને છોડી દેવી પડે છે. આ વાતોમાં જવાથી પણ ટાઈમ વેસ્ટ થાય છે,
એનાં કરતાં તો કેમ નહિ સ્વયંનો સમય સફળ કરીએ. સ્વયંની ઉન્નતિ માટે બેટરી ચાર્જ કરીએ.
બીજી વાતોનું ચિંતન તો પરચિંતન થઈ ગયું. હમણાં તો સ્વયંનું ચિંતન કરવાનું છે. આપણે
બાપ ને યાદ કરીએ. તેઓ પણ જરૂર ભણતા હશે. પોતાની બેટરી ચાર્જ કરતા હશે. પરંતુ તમારે
સ્વયં ની કરવાની છે. કહેવાય છે – “અપની ઘોટ તો નશા ચઢે.”
બાપએ કહ્યું છે - જ્યારે તમે સતોપ્રધાન હતાં તો તમારું બહુ જ ઊંચું પદ હતું. હવે ફરી
પુરુષાર્થ કરો, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. લક્ષ્ય છે ને. આ ચિંતન કરતાં-કરતાં
સતોપ્રધાન બનશો. નારાયણનું જ સિમરણ કરવાથી આપણે નારાયણ બનીશું. અંતકાળમાં જે નારાયણ
સિમરે.. તમારે બાપ ને યાદ કરવાના છે, જેનાથી પાપ કપાય. પછી નારાયણ બનાય. આ નર થી
નારાયણ બનવાની સૌથી ઊંચી યુક્તિ છે. એક નારાયણ તો નહીં બનશે ને. આ તો આખી ડિનાયસ્ટી
બને છે. બાપ સૌથી ઊંચો પુરુષાર્થ કરાવશે. આ પણ છે જ રાજયોગ નું નોલેજ, એ પણ આખા
વિશ્વનાં માલિક બનવાનું છે. જેટલો પુરુષાર્થ કરશો એટલો જરૂર ફાયદો છે. એક તો સ્વયંને
આત્મા જરૂર નિશ્ચય કરો. કોઈ-કોઈ લખે પણ એવી રીતે છે - ફલાણી આત્મા તમને યાદ કરે છે.
આત્મા શરીર દ્વારા લખે છે. આત્માનું કનેક્શન છે શિવબાબા ની સાથે. હું આત્મા ફલાણા
શરીરનાં નામ-રુપ વાળી છું. એ તો જરૂર બતાવવું પડે ને કારણકે આત્માના શરીર પર જ
ભિન્ન-ભિન્ન નામ પડે છે. હું આત્મા તમારો બાળક છું, મુજ આત્મા નાં શરીર નું નામ
ફલાણું છે. આત્માનું નામ તો ક્યારેય બદલાતું નથી. હું આત્મા ફલાણા શરીરવાળી છું.
શરીરનું નામ તો જરૂર જોઈએ. નહીં તો કારોબાર ચાલી ન શકે. અહીં બાપ કહે છે હું પણ આ
બ્રહ્માનાં તનમાં આવું છું ટેમ્પરરી (અલ્પ સમય), તેમની આત્માને પણ સમજાવે છે હું આ
શરીરથી તમને ભણાવવા આવ્યો છું. આ મારું શરીર નથી. મેં તેમના માં પ્રવેશ કર્યો છે.
પછી ચાલ્યો જઈશ આપણા ધામમાં. હું આવ્યો જ છું આપ બાળકો ને આ મંત્ર આપવા. એવું નથી
કે મંત્ર આપીને ચાલ્યો જાઉં છું. ના, બાળકોને જોવા પણ પડે છે કે ક્યાં સુધી સુધાર
થયો છે. પછી સુધારવાનું શિક્ષણ આપતા રહે છે. સેકન્ડમાં જ્ઞાન આપીને ચાલ્યા જાય તો
પછી જ્ઞાનના સાગર પણ ન કહેવાય. કેટલો સમય થયો છે, તમને સમજાવતા જ રહે છે. ઝાડની,
ભક્તિમાર્ગની બધી વાતો સમજવાની વિસ્તારમાં છે. વિસ્તારમાં સમજાવે છે. હોલસેલ એટલે
મનમનાભવ. પરંતુ એવું કહીને ચાલ્યા તો નહિ જશે. પાલના (દેખ-રેખ) પણ કરવી પડે. ઘણાં
બાળકો બાપ ને યાદ કરતાં-કરતાં પછી ગુમ થઈ જાય છે. ફલાણી આત્મા જેનું નામ ફલાણું હતું,
બહુ સારું ભણતા હતા - સ્મૃતિ તો આવશે ને. જુના-જુના બાળકો કેટલા સારા હતા, એમને
માયાએ હપ કરી લીધા. શરુ માં કેટલા આવ્યા. ફટ થી આવીને બાપ નો ખોળો લીધો. ભટ્ઠી બની.
એમાં બધાએ પોતાનું ભાગ્ય અજમાવ્યું પછી ભાગ્ય અજમાવતા-અજમાવતા માયાએ એકદમ ઉડાવી દીધા.
રહી ન થઈ શક્યા. ફરી ૫ હજાર વર્ષ પછી પણ આવું જ થશે. કેટલા ચાલ્યા ગયા, અડધું ઝાડ
તો જરૂર ગયું. ભલે ઝાડ વૃદ્ધિને પામ્યું છે પરંતુ જુના ચાલ્યા ગયા, સમજી શકાય છે -
એમનામાંથી કોઈ ફરી આવશે જરૂર ભણવા. સ્મૃતિ આવશે કે અમે બાપથી ભણતા હતા અને બીજા બધા
હમણાં સુધી પણ ભણતા રહે છે. અમે હાર ખાધી. ફરી મેદાનમાં આવશે. બાબા આવવા દેશે, પછી
પણ ભલે આવીને પુરુષાર્થ કરે. કંઈક ને કંઈક સારું પદ મળી જશે.
બાપ સ્મૃતિ અપાવે છે – મીઠા-મીઠા બાળકો, મામેકમ યાદ કરો તો પાપ કપાઈ જશે. હવે કેવી
રીતે યાદ કરો છો, શું એ સમજો છો કે બાબા પરમધામમાં છે? ના. બાબા તો અહીંયા રથ માં
બેઠા છે. આ રથની બધાને ખબર પડતી જાય છે. આ છે ભાગ્યશાળી રથ. એમનામાં આવ્યાં છે.
ભક્તિમાર્ગમાં હતાં તો એમને પરમધામમાં યાદ કરતા હતા પરંતુ તે નહોતા જાણતા કે યાદથી
શું થશે. હમણાં આપ બાળકોને બાપ સ્વયં આ રથમાં બેસી શ્રીમત આપે છે, એટલા માટે આપ
બાળકો સમજો છો બાબા અહીં આ મૃત્યુલોકમાં પુરુષોત્તમ સંગમયુગ પર છે. તમે જાણો છો,
આપણે બ્રહ્માને યાદ નથી કરવાના. બાપ કહે છે મામેકમ યાદ કરો, હું રથમાં રહીને તમને આ
નોલેજ આપી રહ્યો છું. સ્વયં ની પણ ઓળખાણ આપું છું, હું અહીંયા છું. પહેલા તો તમે
સમજતા હતા પરમધામમાં રહેવાવાળા છે. આવીને ગયા છે પરંતુ ક્યારે, એ ખબર ન હતી. આવીને
તો બધા ગયા છે ને. જેમના પણ ચિત્ર છે, હમણાં તે ક્યાં છે, તે કોઈને ખબર નથી. જે જાય
છે તે ફરી પોતાના સમય પર આવે છે. ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવતા રહે છે. સ્વર્ગમાં તો કોઈ
જતું નથી. બાપએ સમજાવ્યું છે સ્વર્ગમાં જવા માટે તો પુરુષાર્થ કરવાનો હોય છે અને
જૂની દુનિયાનો અંત, નવી દુનિયાની આદિ જોઈએ, જેને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. આ
જ્ઞાન હમણાં તમને છે. મનુષ્ય કંઈ નથી જાણતા. સમજે પણ છે શરીર બળી જાય છે, બાકી આત્મા
ચાલી જાય છે. હમણાં કળિયુગ છે તો જરૂર જન્મ કળિયુગમાં જ લેશે. સતયુગ માં હતા તો
જન્મ પણ સતયુગ માં લેતા હતા. આ પણ જાણો છો આત્માઓનો પૂરો સ્ટોક (જથ્થો) નિરાકારી
દુનિયામાં હોય છે. આ તો બુદ્ધિ માં બેઠું છે ને. ફરી ત્યાંથી આવે છે, અહીં શરીર
ધારણ કરી જીવ આત્મા બની જાય છે. બધાએ અહીં આવીને જીવ આત્મા બનવાનું છે. પછી નંબરવાર
પાછું જવાનું છે. બધાને તો નહીં લઈ જાય, નહીં તો પ્રલય થઈ જાય. દેખાડે છે કે પ્રલય
થઈ ગઈ, પરિણામ કાંઈ નથી દેખાડતા. તમે તો જાણો છો આ દુનિયા ક્યારેય ખાલી નથી થઈ શકતી.
ગાયન છે રામ ગયો, રાવણ ગયો, જેમનો બહુ પરિવાર છે. આખી દુનિયામાં રાવણ સંપ્રદાય છે
ને. રામ સંપ્રદાય તો બહુ થોડો છે. રામ નો સંપ્રદાય છે જ સતયુગ-ત્રેતામાં. બહુ જ ફરક
રહે છે. પાછળથી પછી બીજી ડાળ-ડાળીઓ નીકળે છે. હવે તમે બીજ અને ઝાડને પણ જાણો છો.
બાપ બધું જ જાણે છે, ત્યારે તો સંભળાવતા રહે છે એટલે એમને જ્ઞાન સાગર કહેવાય છે, એક
જ વાત જો હોત તો પછી કોઈ શાસ્ત્ર વગેરે પણ બની ન શકે. ઝાડ નો વિસ્તાર પણ સમજાવતા રહે
છે. મૂળ વાત નંબરવન સબ્જેક્ટ (વિષય) છે બાપ ને યાદ કરવું. એમાં જ મહેનત છે. આના પર
જ આખો મદાર છે. બાકી ઝાડને તો તમે જાણી ગયા છો. દુનિયામાં આ વાતોને કોઈપણ નથી જાણતું.
તમે બધા ધર્મ વાળાની તિથિ-તારીખ વગેરે બધું બતાવો છો. અડધા-કલ્પમાં આ બધાં આવી જાય
છે. બાકી છે સૂર્યવંશી અને ચંદ્રવંશી. એમના માટે વધારે યુગ તો નહીં હોય ને. છે જ બે
યુગ. ત્યાં મનુષ્ય પણ થોડા છે. ૮૪ લાખ જન્મ તો હોઈ પણ ન શકે. મનુષ્ય ના સમજની બહાર
થઈ જાય છે એટલે ફરી બાપ આવીને સમજ આપે છે. બાપ જે રચયિતા છે, તે જ રચતા અને રચનાનાં
આદિ-મધ્ય અને અંત નું નોલેજ બેસીને આપે છે. ભારતવાસી તો બિલકુલ કંઈ નથી જાણતા. બધાને
પૂજતા રહે છે, મુસલમાનોને, પારસી વગેરેને, જે આવ્યા એમને પૂજવા લાગી જાય છે કારણ કે
પોતાના ધર્મ અને ધર્મ-સ્થાપક ને ભૂલી ગયા છે. બીજા તો બધા પોત-પોતાના ધર્મને જાણે
છે, બધાને ખબર છે ફલાણો ધર્મ ક્યારે, કોણે સ્થાપન કર્યો. બાકી સતયુગ-ત્રેતા ની
હિસ્ટ્રી-જોગ્રાફી ની કોઈને પણ ખબર નથી. ચિત્ર પણ જુએ છે શિવબાબા નું આ રુપ છે. તે
જ ઊંચેથી ઊંચા બાપ છે. તો યાદ પણ એમને કરવાના છે. અહીં પછી બધાથી વધારે પૂજા કરે છે
કૃષ્ણની કારણકે નેક્સ્ટ (આગામી) માં છે ને. પ્રેમ પણ એમને કરે છે, તો ગીતાના ભગવાન
પણ એમને સમજી લીધા છે. સંભળાવવા વાળા જોઈએ ત્યારે તો એમનાથી વારસો મળે. બાપ જ
સંભળાવે છે નવી દુનિયા ની સ્થાપના અને જુની દુનિયાનો વિનાશ કરવા વાળા બીજા કોઈ હોઈ
ન શકે સિવાય એક બાપના. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા
પાલના - આ પણ લખે છે. અહીંયા માટે જ છે. પરંતુ સમજ કંઈ પણ નથી.
તમે જાણો છો તે છે નિરાકારી સૃષ્ટિ. આ છે સાકારી સૃષ્ટિ. સૃષ્ટિ તો આ જ છે, અહીં જ
રામરાજ્ય અને રાવણ રાજ્ય હોય છે. મહિમા બધી અહીંયા ની છે. બાકી સૂક્ષ્મવતન નો તો
ફક્ત સાક્ષાત્કાર થાય છે. મૂળવતન માં તો આત્માઓ રહે છે પછી અહીં આવીને પાર્ટ ભજવે
છે. બાકી સૂક્ષ્મવતનમાં શું છે, આ ચિત્ર બનાવી દીધું છે, જેના પર બાપ સમજાવે છે. આપ
બાળકોને આવા સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બનવાનું છે. ફરિશ્તા હાડ-માંસ વગરના હોય છે.
કહે છે ને - દધીચિ ઋષિએ હાડકાં ઓ પણ આપી દીધા. બાકી શંકર નું ગાયન તો ક્યાં છે નહીં.
બ્રહ્મા-વિષ્ણુ નું મંદિર છે. શંકર નું કંઈ છે નહીં. તો એમને લગાવી દીધા છે વિનાશ
માટે. બાકી આમ કોઈ આંખ ખોલવાથી વિનાશ કરતા નથી. દેવતાઓ પછી હિંસાનું કામ કેવી રીતે
કરે. ન તેઓ કરે છે, ન બાબા એવું માર્ગદર્શન આપે છે. માર્ગદર્શન આપવાવાળા પર પણ આવી
જાય ને. કહેવાવાળા જ ફસાઈ જાય છે. તેઓ તો શિવ-શંકર ને ભેગા કરી દે છે. હવે બાપ પણ
કહે છે મને યાદ કરો, મામેકમ યાદ કરો. એવું તો નથી કહેતા શિવ-શંકર ને યાદ કરો.
પતિત-પાવન એક ને જ કહે છે. ભગવાન અર્થ સહિત બેસીને સમજાવે છે, આ કોઈ જાણતા નથી તો
ચિત્ર જોઈને મુંઝાય પડે છે. અર્થ તો જરૂર બતાવવો પડે ને. સમજાવવામાં સમય લાગે છે.
કોટો માં કોઈ વિરલા નીકળે છે. હું જે છું, જેવો છું, કોટો માં કોઈ જ મને ઓળખી શકે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1. કોઈ પણ
વાતનાં ચિંતનમાં પોતાનો સમય નથી ગુમાવવાનો. સ્વયંની મસ્તીમાં રહેવાનું છે. સ્વયં
પ્રતિ ચિંતન કરી આત્માને સતોપ્રધાન બનાવવાની છે.
2. નર થી નારાયણ બનવા
માટે અંતકાળ માં એક બાપની જ યાદ રહે. આ સૌથી ઉંચી યુક્તિને સામે રાખીને પુરુષાર્થ
કરવાનો છે - હું આત્મા છું. આ શરીરને ભૂલી જવાનું છે.
વરદાન :-
દેહ -ભાન થી
ન્યારા બની પરમાત્મ પ્રેમ નો અનુભવ કરવા વાળા કમળ આસન ધારી ભવ :
કમળ આસન
બ્રાહ્મણ આત્માઓની શ્રેષ્ઠ સ્થિતિ ની નિશાની છે. એવી કમળ આસનધારી આત્માઓ આ દેહભાન
થી સ્વતઃ ન્યારી રહે છે. તેમને શરીરનું ભાન પોતાની તરફ આકર્ષિત નથી કરતું. જેમ
બ્રહ્મા બાપને હરતા-ફરતા ફરિશ્તા રુપ કે દેવતા રુપમાં સદા સ્મૃતિમાં રહ્યું. એમ
નેચરલ દેહી-અભિમાની સ્થિતિ સદા રહે એને કહેવાય છે દેહ-ભાન થી ન્યારા. એવી રીતે
દેહ-ભાન થી ન્યારા રહેવાવાળા જ પરમાત્મા પ્રિય બની જાય છે.
સ્લોગન :-
તમારી
વિશેષતાઓ કે ગુણ પ્રભુ પ્રસાદ છે, તેમને પોતાની માનવું એ જ દેહ-અભિમાન છે.