30-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યા છે આપ બાળકોને ભક્તિ તું આત્મા થી જ્ઞાની તું આત્મા બનાવવા , પતિત થી પાવન
બનાવવા ”
પ્રશ્ન :-
જ્ઞાનવાન બાળકો
ક્યાં ચિંતન માં સદા રહે છે?
ઉત્તર :-
હું અવિનાશી
આત્મા છું, આ શરીર વિનાશી છે. મેં ૮૪ શરીર ધારણ કર્યા છે. હવે આ અંતિમ જન્મ છે.
આત્મા ક્યારેય નાની-મોટી નથી થતી. શરીર જ નાનું મોટું થાય છે. આ આંખો શરીરમાં છે
પરંતુ આનાથી જોવાવાળી હું આત્મા છું. બાબા આત્માઓ ને જ જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે
છે. એ પણ જ્યાં સુધી શરીર નો આધાર ન લે ત્યાં સુધી ભણાવી નથી સકતા. આવું ચિંતન
જ્ઞાનવાન બાળકો સદા કરે છે.
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું?
આત્મા એ. અવિનાશી આત્માએ કહ્યું શરીર દ્વારા. શરીર અને આત્મામાં કેટલો ફર્ક છે.
શરીર ૫ તત્વનું આટલું મોટુ પુતળું બની જાય છે. ભલે નાનું પણ છે તો પણ આત્મા થી તો
જરૂર મોટું છે. પહેલા તો એકદમ નાનું પિંડ (શરીર) હોય છે, જ્યારે થોડું મોટું થાય છે
ત્યારે આત્મા પ્રવેશ કરે છે. મોટું થતા-થતા પછી આટલું મોટું થઈ જાય છે. આત્મા તો
ચૈતન્ય છે ને. જ્યાં સુધી આત્મા પ્રવેશ ન કરે ત્યાં સુધી શરીર કોઈ કામનું નથી રહેતું.
કેટલો ફર્ક છે. બોલવા, ચાલવા વાળી પણ આત્મા જ છે. તે આટલી નાનકડી બિન્દી જ છે. તે
ક્યારેય નાની-મોટી નથી થતી. વિનાશ ને નથી પામતી. હવે આ પરમ આત્મા બાપએ સમજાવ્યું છે
કે હું અવિનાશી છું અને આ શરીર વિનાશી છે. એનામાં હું પ્રવેશ કરી પાર્ટ ભજવું છું.
આ વાતો તમે હવે ચિંતનમાં લાવો છો. પહેલા તો ન આત્માને જાણતા હતા, ન પરમાત્મા ને
જાણતા હતા ફક્ત કહેવા માત્ર કહેતા હતા હે પરમપિતા પરમાત્મા. આત્મા પણ સમજતા હતા
પરંતુ પછી કોઈએ કહ્યું તમે પરમાત્મા છો. આ કોણે બતાવ્યું? આ ભક્તિ માર્ગ નાં ગુરુઓં
અને શાસ્ત્રોએ. સતયુગમાં તો કોઈ બતાવશે નહીં. હવે બાપ એ સમજાવ્યું છે તમે મારા બાળકો
છો. આત્મા નેચરલ (કુદરતી) છે શરીર અનનેચરલ માટીનું બનેલું છે. જ્યારે આત્મા છે તો
બોલે ચાલે છે. હવે આપ બાળકો જાણો છો આપણને આત્માઓને બાપ આવી ને સમજાવે છે. નિરાકાર
શિવબાબા આ સંગમયુગ પર જ આ શરીર દ્વારા આવીને સંભળાવે છે. આ આત્મા તો શરીરમાં રહે જ
છે. હવે બાપ જ્ઞાન ચક્ષુ આપે છે. આત્મા માં જ્ઞાન નથી તો અજ્ઞાન ચક્ષુ છે. બાપ આવે
છે તો આત્મા ને જ્ઞાન ચક્ષુ મળે છે. આત્મા જ બધુ કરે છે. આત્મા કર્મ કરે છે શરીર
દ્વારા. હમણાં તમે સમજો છો બાપ એ આ શરીર ધારણ કર્યું છે. પોતાનું પણ રહસ્ય બતાવે
છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય પણ બતાવે છે. આખા નાટકનું પણ નોલેજ આપે છે.
પહેલા તમને કાંઈ પણ ખબર ન હતી. હા, નાટક જરૂર છે. સૃષ્ટિ નું ચક્ર ફરે છે. પરંતુ
કેવી રીતે ફરે છે એ કોઈ નથી જાણતું. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન
હમણાં તમને મળે છે. બાકી તો બધી છે ભક્તિ. બાપ જ આવીને તમને જ્ઞાની તું આત્મા બનાવે
છે. પહેલા તમે ભક્તિ તું આત્મા હતા. તમે આત્મા ભક્તિ કરતા હતા. હમણાં તમે આત્મા
જ્ઞાન સાંભળો છો. ભક્તિ ને કહેવાય છે અંધારું. એવું નહીં કહેશું ભક્તિથી ભગવાન મળે
છે. બાપ એ સમજાવ્યું છે ભક્તિનો પણ પાર્ટ છે, જ્ઞાન નો પણ પાર્ટ છે. તમે જાણો છો
આપણે ભક્તિ કરતા હતાં તો કોઈ સુખ નહોતું. ભક્તિ કરતા ધક્કા ખાતા રહેતા હતા. બાપ ને
શોધતા હતા. હવે સમજો છો યજ્ઞ, તપ, દાન, પુણ્ય વગેરે જે કંઈ કરતાં હતાં, શોધતા-શોધતા
ધક્કા ખાતા-ખાતા હેરાન થઈ જાય છે. તમોપ્રધાન બની જાય છે કારણકે ઉતરવાનું હોય છે ને.
ખોટું કામ કરવું છી-છી થવાનું હોય છે. પતિત પણ બની ગયા. એવું નથી કે પાવન થવાને માટે
ભક્તિ કરતા હતા. ભગવાન થી પાવન બન્યા વગર આપણે પાવન દુનિયામાં જઈ નહી શકશું. એવું
નથી કે પાવન બન્યા વગર ભગવાન થી નથી મળી સકતા. ભગવાન ને તો કહો છો આવીને પાવન બનાવો.
પતિત જ ભગવાન થી મળે છે પાવન બનવાને માટે. પાવન થી તો ભગવાન મળતાં નથી. સતયુગ માં
થોડા આ લક્ષ્મી-નારાયણ થી ભગવાન મળે છે. ભગવાન આવીને તમને પતિતો ને પાવન બનાવે છે
અને તમે આ શરીર છોડી દો છો. પાવન તો આ તમોપ્રધાન પતિત સૃષ્ટિ માં રહી ન શકે. બાપ
તમને પાવન બનાવીને ગુમ થઈ જાય છે, એમનો પાર્ટ જ ડ્રામા માં વન્ડરફુલ છે. જેમ આત્મા
જોવામાં આવતી નથી. ભલે સાક્ષાત્કાર થાય છે તો પણ સમજી ન શકે. બીજાને તો બધાને સમજી
શકો છો આ ફલાણા છે, આ ફલાણા છે. યાદ કરો છો. ઇચ્છો છો ફલાણાનો ચેતન્ય માં
સાક્ષાત્કાર થાય બીજો તો કોઈ મતલબ નથી. અચ્છા, ચેતન્ય માં જુઓ છો પછી શું?
સાક્ષાત્કાર થયા પછી તો ગુમ થઈ જશે. અલ્પકાળ ક્ષણભંગુર સુખની આશા પૂરી થશે. એને
કહેવાય છે અલ્પકાળ ક્ષણભંગુર સુખ. સાક્ષાત્કાર ની ઇચ્છા હતી એ મળ્યું. બસ અહીંયા તો
મૂળ વાત છે પતિત થી પાવન બનવાની. પાવન બનશો તો દેવતા બની જશો અર્થાત સ્વર્ગમાં
ચાલ્યા જશો.
શાસ્ત્રો માં તો કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. સમજે છે કે કળયુગમાં હજું ૪૦
હજાર વર્ષ પડયા છે. બાબા તો સમજાવે છે આખું કલ્પ ૫ હજાર વર્ષ નું છે. તો મનુષ્ય
અંધકારમાં છે ને. એને કહેવાય છે ઘોર અંધકાર. જ્ઞાન કોઈ માં છે નહીં. તે બધી છે ભક્તિ.
રાવણ જ્યાર થી આવે છે તો ભક્તિ પણ એની સાથે છે અને જ્યારે બાપ આવે છે તો એમની સાથે
જ્ઞાન છે. બાપ થી એક જ વાર જ્ઞાનનો વારસો મળે છે. ઘડી-ઘડી નથી મળી શકતો. ત્યાં તો
તમે કોઈને જ્ઞાન દેતા નથી. દરકાર જ નથી. જ્ઞાન એમને મળે છે જે અજ્ઞાન માં છે. બાપ
ને કોઈ પણ જાણતું જ નથી. બાપ ને ગાળો દીધા વગર કોઈ વાત જ નથી કરતા. આ પણ આપ બાળકો
હવે સમજો છો. તમે કહો છો ઈશ્વર સર્વવ્યાપી નથી, તે આપણે સૌ આત્માઓના બાપ છે અને તેઓ
કહે છે કે ના, પરમાત્મા ઠીક્કર-ભીતર માં છે. આપ બાળકોએ સારી રીતે સમજ્યું છે - ભક્તિ
બિલકુલ અલગ ચીજ છે, એમાં જરા પણ જ્ઞાન નથી હોતું. સમય જ આખો બદલાઈ જાય છે. ભગવાન
નું પણ નામ બદલાઈ જાય છે પછી મનુષ્યો નું પણ નામ બદલાઈ જાય છે. પહેલા કહેવાય છે
દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તે દૈવી ગુણવાળા મનુષ્ય છે અને આ છે આસુરી ગુણો
વાળા મનુષ્ય. બિલકુલ છી-છી છે. ગુરૂ નાનકે પણ કહ્યું છે અશંખ ચોર….. મનુષ્ય કોઈ એવું
કહે તો એમને ઝટ કહેશું તમે આ શું ગાળ દો છો. પરંતુ બાપ કહે છે આ બધું આસુરી
સંપ્રદાય છે. તમને ક્લીયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. તે રાવણ સંપ્રદાય, તે રામ
સંપ્રદાય. ગાંધીજી પણ કહેતા હતા અમને રામરાજ્ય જોઈએ છે. રામરાજ્ય માં બધા નિર્વિકારી
છે, રાવણ રાજ્ય માં છે બધા વિકારી. આનું નામ જ છે વેશ્યાલય. રૌરવ નર્ક છે ને. આ સમય
નાં મનુષ્ય વિષય વૈતરણી નદી માં પડ્યા છે. મનુષ્ય, જાનવર વગેરે બધા એક સમાન છે.
મનુષ્ય ની કોઈ પણ મહિમા નથી. ૫ વિકારો પર આપ બાળકો જીત પામી મનુષ્ય થી દેવતા પદ પામો
છો, બાકી બધાં ખતમ થઇ જાય છે. દેવતાઓ સતયુગમાં રહેતા હતા. હમણા આ કળયુગમાં અસુર રહે
છે. અસુરો ની નિશાની કઈ છે? ૫ વિકાર. દેવતાઓ ને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી અને
અસુરો ને કહેવાય છે સંપૂર્ણ વિકારી. તેઓ છે ૧૬ કળા સંપૂર્ણ અને અહીંયા કળાહીન. બધાની
કળા કાયા ચટ થઈ ગઈ છે. હવે આ બાપ બાળકો ને બેસી સમજાવે છે. બાપ આવે પણ છે જૂની આસુરી
દુનિયા ને પરિવર્તન કરવા. રાવણ રાજ્ય વેશ્યાલય ને શિવાલય બનાવે છે. તેમને તો અહીંયા
જ નામ રાખી દીધું ત્રિમૂર્તિ હાઉસ, ત્રિમૂર્તિ માર્ગ...પહેલા થોડા આ નામ હતાં. હવે
હોવું શું જોઈએ? આ આખી દુનિયા કોની છે? પરમાત્મા ની છે ને. પરમાત્મા ની દુનિયા છે
જે અડધો કલ્પ પવિત્ર, અડધો કલ્પ અપવિત્ર રહે છે. ક્રિયેટર (રચયિતા) તો બાપ ને
કહેવાય છે ને. તો એમની જ આ દુનિયા થઈ ને. બાપ સમજાવે છે હું જ માલિક છું. હું
બીજરૂપ, ચૈતન્ય, જ્ઞાન નો સાગર છું. મારા માં બધું જ્ઞાન છે બીજા કોઈ માં નથી. તમે
સમજી શકો છો આ સૃષ્ટિ ચક્ર નાં આદિ, મધ્ય, અંત નું નોલેજ બાપ માં જ છે. બાકી તો બધા
છે ગપોડા. મુખ્ય ગપોડા બહુ જ ખરાબ છે, જેના માટે બાપ ફરિયાદ કરે છે. તમે મને
ઠીક્કર-ભીતર કુતરા બિલાડી માં સમજી બેઠા છો. તમારી શું દુર્દશા થઈ ગઈ છે.
નવી દુનિયાનાં મનુષ્યો અને જૂની દુનિયાનાં મનુષ્યો માં રાત દિવસ નો ફરક છે. અડધા
કલ્પ થી લઈને અપવિત્ર મનુષ્ય, પવિત્ર દેવતાઓને ને માથું નમાવે છે. આ પણ બાળકોને
સમજાવ્યું છે પહેલા-પહેલા પૂજા થાય છે શિવ બાબા ની. જે શિવબાબા જ તમને પૂજારી થી
પૂજ્ય બનાવે છે. રાવણ તમને પૂજ્ય થી પૂજારી બનાવે છે. પછી બાપ ડ્રામા પ્લાન અનુસાર
તમને પૂજ્ય બનાવે છે. રાવણ વગેરે આ બધા નામ તો છે ને. દશેરા જ્યારે મનાવે છે તો
કેટલા મનુષ્યોને બહાર થી બોલાવે છે. પરંતુ અર્થ કાંઈ નથી સમજતા. દેવતાઓ ની કેટલી
નિંદા કરે છે. આવી વાતો તો બિલકુલ છે નહીં. જેમ કહે છે ઈશ્વર નામ-રૂપ થી ન્યારા છે
અર્થાત્ નથી. એમ આ જે કાંઈ રમત વગેરે બનાવે છે તે કાંઈ પણ છે નહીં. આ બધી છે
મનુષ્યોની બુદ્ધિ. મનુષ્ય મત ને આસુરી મત કહેવાય છે. યથા રાજા-રાણી તથા પ્રજા. બધા
એવા બની જાય છે. આને કહેવાય જ છે ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). બધા એકબીજાને ગાળો
આપતા રહે છે. તો બાપ સમજાવે છે - બાળકો, જ્યારે બેસો છો તો સ્વયંને આત્મા સમજી બાપ
ને યાદ કરો. તમે અજ્ઞાન માં હતા તો પરમાત્મા ને ઉપર માં સમજતા હતા. હમણાં તો જાણો
છો બાપ અહીંયા આવેલાં છે તો તમે ઉપર માં નથી સમજતા તમે બાપ ને અહીંયા બોલાવ્યા છે,
આ શરીર માં. તમે જ્યારે પોત-પોતાનાં સેન્ટર પર બેસો છો તો સમજો છો શિવબાબા મધુબન
માં તેમના (બ્રહ્મા) તનમાં છે. ભક્તિ માર્ગ માં તો પરમાત્મા ને ઉપર જ માનતા હતા. હે
ભગવાન….. હવે તમે બાપ ને ક્યાં યાદ કરો છો? શું બેસી ને કરો છો? તમે જાણો છો
બ્રહ્માનાં તનમાં છે તો જરૂર અહિયાં યાદ કરવા પડશે. ઉપર માં તો છે નહીં. અહીંયા
આવેલાં છે - પુરુષોત્તમ સંગમયુગ પર. બાપ કહે છે તમને આટલા ઊંચા બનાવવા હું અહીંયા
આવ્યો છું. આપ બાળકો અહીં યાદ કરશો. ભક્ત ઉપર માં યાદ કરશે. તમે ભલે વિદેશ માં હશો
તો પણ કહેશો બ્રહ્મા નાં તનમાં શિવાબાબા છે. તન તો જરૂર જોઈએ ને. ક્યાંય પણ તમે બેઠા
હશો તો જરૂર અહીંયા યાદ કરશો. બ્રહ્માનાં તનમાં જ યાદ કરવા પડે. ઘણાં બુદ્ધિહીન
બ્રહ્મા ને નથી માનતા. બાબા એવું નથી કહેતા બ્રહ્મા ને યાદ ન કરો. બ્રહ્મા વગર
શિવબાબા કેવી રીતે યાદ આવશે. બાપ કહે છે હું આ તનમાં છું. આમના માં મને યાદ કરો એટલે
તમે બાપ અને દાદા બંને ને યાદ કરો છો. બુદ્ધિ માં આ જ્ઞાન છે, તેમની પોતાની આત્મા
છે. શિવબાબા ને તો પોતાનું શરીર નથી. બાપ એ કહ્યું છે હું આ પ્રકૃતિ નો આધાર લઉં
છું. બાપ બેસી આખા બ્રહ્માંડ અને સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત નું રહસ્ય સમજાવે છે અને
બીજું કોઈ બ્રહ્માંડ ને જાણતું જ નથી. બ્રહ્મ જેમાં હું અને તમે રહો છો, સુપ્રીમ
બાપ, સુપ્રીમ આત્માઓ રહેવાવાળી તે બ્રહ્મલોક શાંતિધામ ની છે. શાંતિધામ બહુ જ મીઠું
નામ છે. આ બધી વાતો તમારી બુદ્ધિ માં છે. આપણે અસલ માં રહેવાવાળા બ્રહ્મ મહતત્વ નાં
છીએં, જેને નિર્વાણધામ, વાનપ્રસ્થ કહેવાય છે. આ વાતો હમણાં તમારી બુદ્ધિ માં છે,
જ્યારે ભક્તિ છે તો જ્ઞાન નો અક્ષર નથી. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ જયારે
પરિવર્તન થાય છે. જૂની દુનિયામાં અસુર રહે છે, નવી દુનિયામાં દેવતાઓ રહે છે તો તેમને
પરિવર્તન કરવા માટે બાપએ આવવું પડે છે. સતયુગ માં તમને કાંઈ પણ ખબર નહીં રહેશે. હમણાં
તમે કળયુગ માં છો તો પણ કાંઈ ખબર નથી. જ્યારે નવી દુનિયામાં હશો તો પણ આ જૂની
દુનિયાની કાંઈ પણ ખબર નહીં હશે. હમણાં જૂની દુનિયામાં છો તો નવી ની ખબર નથી. નવી
દુનિયા ક્યારેય હતી, ખબર નથી. તેઓ તો લાખો વર્ષ કહી દે છે. આપ બાળકો જાણો છો બાપ આ
સંગમયુગ પર જ કલ્પ-કલ્પ આવે છે, આવીને આ વેરાઈટી (વિવિધ) ઝાડ નું રહસ્ય સમજાવે છે
અને આ ચક્ર કેવી રીતે ફરે છે તે પણ આપ બાળકો ને સમજાવે છે. તમારો ધંધો જ છે આ
સમજાવવાનો. હવે એક-એક ને સમજાવવા માં તો બહુ જ સમય લાગી જાય એટલે હવે તમે અનેકોને
સમજાવો છો. ઘણાં સમજે છે. આ મીઠી-મીઠી વાતો પછી અનેકોને સમજાવવાની છે. તમે પ્રદર્શની
વગેરે માં સમજાવો છો ને હવે શિવજયંતી પર બહુજ સારી રીતે અનેકોને બોલાવીને સમજાવવાનું
છે. રમત (નાટક) ની ડયુરેશન કેટલી છે. તમે તો એક્યુરેટ બતાવશો. આ ટોપિકસ (મુદ્દાઓ)
થયા. આપણે પણ આ સમજાવશું. તમને બાપ સમજાવે છે ને - જેનાથી તમે દેવતા બની જાઓ છો.
જેમ તમે સમજી ને દેવતા બનો છો તો બીજા ને પણ બનાવો છો. બાપ એ આપણને આ સમજાવ્યું છે.
આપણે કોઈને ગ્લાનિ વગેરે નથી કરતા. આપણે બતાવીએ છીએ જ્ઞાન ને સદ્દગતિ માર્ગ કહેવાય
છે, એક સદ્દગુરુ જ છે પાર કરવા વાળા. આવાં-આવાં મુખ્ય પોઇન્ટ (મુદ્દાઓ) નિકાળીને
સમજાવો. આ બધું જ્ઞાન બાપ નાં સિવાય કોઈ આપી નથી શકતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) પૂજારી થી
પૂજ્ય બનવા ને માટે સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. જ્ઞાનવાન બની સ્વયં ને સ્વયં જ
પરિવર્તન કરવાનું છે. અલ્પકાળ સુખ ની પાછળ નથી જવાનું.
2) બાપ અને અને દાદા બંનેવ ને યાદ કરવાનાં છે. બ્રહ્મા વગર શિવબાબા યાદ આવી ન શકે.
ભક્તિ માં ઉપર યાદ કર્યા, હમણાં બ્રહ્મા તનમાં આવ્યા છે તો બંનેવ યાદ આવવા જોઈએ.
વરદાન :-
હદ ની કામનાઓ
થી મુક્ત રહી સર્વ પ્રશ્નો થી પાર રહેવાવાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ
જે બાળકો હદ ની
કામનાઓ થી મુક્ત રહે છે એમના ચહેરા પર પ્રસન્નતા ની ઝલક દેખાય છે. પ્રસન્નચિત્ત કોઈ
પણ વાતમાં પ્રશ્ન-ચિત્ત નથી થતાં. તેઓ સદા નિઃસ્વાર્થી અને સદા બધાંને નિર્દોષ
અનુભવ કરશે, કોઈ બીજા નાં ઉપર દોષ નહી રાખશે. ભલે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, ભલે
કોઈ આત્મા હિસાબ-કિતાબ ચૂકતું કરવાવાળી સામનો કરવા આવતી રહે, ભલે શરીર નો કર્મભોગ
સામનો કરવા આવતો રહે પરંતુ સંતુષ્ટતા નાં કારણે તેઓ સદા પ્રસન્નચિત્ત રહેશે.
સ્લોગન :-
વ્યર્થની તપાસ
અટેન્શન થી કરો, અલબેલા રુપ માં નહીં.