03-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - તમે માત - પિતા નાં સમ્મુખ આવ્યા છો , અપાર સુખ પામવા , બાપ તમને ઘ નેરા દુઃખોથી નીકાળી ઘ નેરા સુ ખોમાં લઈ જાય છે ”

પ્રશ્ન :-
એક બાપ જ રિજર્વ (પુનર્જન્મ રહિત) માં રહે છે, પુનર્જન્મ નથી લેતા - શા માટે?

ઉત્તર :-
કારણકે કોઈ તો તમને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવા વાળા જોઈએ. જો બાપ પણ પુનર્જન્મમાં આવે તો તમને કાળા થી ગોરા કોણ બનાવે એટલે બાપ રિજર્વ માં રહે છે.

પ્રશ્ન :-
દેવતાઓ સદા સુખી કેમ છે?

ઉત્તર :-
કારણકે પવિત્ર છે, પવિત્રતા નાં કારણે એમની ચલન સુધરેલી છે. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ-શાંતિ છે. મુખ્ય છે પવિત્રતા.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા સિકીલધા બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવે છે. એ બાપ પણ છે, માત-પિતા પણ છે. તમે ગાતા હતા ને - તુમ માત - પિતા હમ બા લ ક તેરે... બધા પુકારતા રહે છે. કોને પુકારે છે? પરમપિતા પરમાત્મા ને. બીજું એમને સમજમાં નથી આવતું કે એમની કૃપાથી સુખ ઘનેરા કયા અને ક્યારે મળ્યા? સુખ ઘનેરા કોને કહેવાય છે તે પણ નથી સમજતા. હમણાં તમે અહીં સામે બેઠા છો, જાણો છો અહીં કેટલા દુઃખ ઘનેરા છે. આ છે દુઃખધામ. તે છે સુખધામ. કોઈની બુદ્ધિમાં નથી આવતું કે આપણે ૨૧ જનમ સ્વર્ગમાં બહુ જ સુખી રહીએ છીએ. તમને પણ પહેલા આ અનુભવ નહોતો. હવે તમે સમજો છો આપણે તે પરમપિતા પરમાત્મા, માતા-પિતાની સામે બેઠાં છીએ. જાણો છો આપણે ૨૧ જન્મોનાં માટે સ્વર્ગની બાદશાહી પ્રાપ્ત કરવા માટે જ અહીં આવ્યા છીએ. બાપને પણ જાણી લીધા અને બાપ દ્વારા આખા સૃષ્ટિ ચક્રને પણ સમજી લીધું છે. આપણે પહેલા ઘનેરા સુખ માં હતા પછી દુઃખ માં આવ્યા, આં પણ નંબરવાર દરેકની બુદ્ધિમાં રહે છે. વિદ્યાર્થીને તો યાદ રહેવું જોઈએ પરંતુ બાબા જુએ છે ઘડી-ઘડી ભૂલી જાય છે એટલે પછી મુરઝાઈ જાય છે. છુઈ-મુઈ (લજામણી) અવસ્થા થઈ જાય છે. માયા વાર કરી લે છે. તે જે ખુશી હોવી જોઈએ, તે નથી રહેતી. નંબરવાર પદ તો છે ને. સ્વર્ગમાં તો જાય છે પરંતુ ત્યાં પણ રાજા થી લઈને રંક સુધી રહે છે ને. એ ગરીબ પ્રજા, તે સાહૂકાર પ્રજા. સ્વર્ગમાં પણ એવું છે તો નર્કમાં પણ એવું છે. ઊંચ અને નીચ. હમણાં આપ બાળકો જાણો છો આપણે પુરુષાર્થ કરીએ છીએ - સુખ ઘનેરા પામવા માટે. આ લક્ષ્મી-નારાયણને સૌથી વધારે સુખ ઘનેરા છે ને. મુખ્ય છે પવિત્રતા ની વાત. પવિત્રતા વગર પીસ (શાંતિ) અને પ્રોસપર્ટી (સમૃદ્ધિ) મળી નથી સકતી. આમાં ચલન બહુ સારી જોઈએ. મનુષ્યની ચલન સુધરે છે પવિત્રતાથી. પવિત્ર છે તો એમને દેવતા કહેવાય છે. તમે અહીં આવ્યા છો દેવતા બનવા માટે. દેવતાઓ સદા સુખી હતા. મનુષ્ય કોઈ સદા સુખી હોઈ ન શકે. સુખ હોય જ છે દેવતાઓને. આ દેવતાઓની જ તમે પૂજા કરતા હતા ને કારણ કે પવિત્ર હતા. આખો ખેલ છે પવિત્રતા પર. વિઘ્ન પણ આમાં જ પડે છે. ઈચ્છે છે દુનિયામાં શાંતિ થાય. બાબા કહે છે સિવાય પવિત્રતાને શાંતિ ક્યારે થઈ ન શકે. પહેલા-પહેલા મુખ્ય છે જ પવિત્રતા ની વાત. પવિત્રતાથી જ સુધરેલી ચલન થાય છે. પતિત થવાથી પછી ચલન બગડે છે. સમજવું જોઈએ હવે આપણે ફરીથી દેવતા બનવાનું છે તો પવિત્રતા જરુર જોઈએ. દેવતાઓ પવિત્ર છે ત્યારે તો અપવિત્ર મનુષ્ય એમની આગળ માથુ નમાવે છે. મુખ્ય વાત છે પવિત્રતાની. પુકારે પણ એમ છે, હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે કામ મહાશત્રુ છે, આના પર જીત પામો. આના પર જીત પામવાથી જ તમે પવિત્ર બનશો. તમે જ્યારે પવિત્ર સતોપ્રધાન હતા તો શાંતિ હતી, સુખ પણ હતું. આપ બાળકોને હવે યાદ આવ્યું છે, કાલ ની તો વાત છે. તમે પવિત્ર હતા તો અથાહ સુખ-શાંતિ બધું હતું. હવે ફરી તમારે આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે, આમાં પહેલી મુખ્ય વાત છે સંપૂર્ણ નિર્વિકારી બનવાનું. આતો ગાયન છે, આ છે જ્ઞાન યજ્ઞ, આમાં વિઘ્ન તો જરુર પડશે. પવિત્રતાની ઉપર કેટલુ હેરાન કરે છે. આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય પણ ગાયેલું છે. તમારી બુદ્ધિમાં છે સતયુગમાં આ દેવતા હતા. ભલે ચહેરો તો મનુષ્યનો છે પરંતુ તેમને દેવતા કહેવાય છે. ત્યાં છે સંપૂર્ણ સતોપ્રધાન. કોઈપણ ખામી ત્યાં હોતી નથી. દરેક ચીજ પરફેક્ટ (સંપૂર્ણ) હોય છે. બાપ પરફેક્ટ છે તો બાળકોને પણ પરફેક્ટ બનાવે છે. યોગબળથી તમે કેટલા પવિત્ર, બ્યુટીફુલ (સુંદર) બનો છો. આ મુસાફિર તો સદા ગોરા છે, જે તમને શ્યામ થી આવીને સુંદર બનાવે છે. ત્યાં નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) હોય છે. સુંદર બનાવવાની આવશ્યકતા નથી રહેતી. સતોપ્રધાન હોય જ છે સુંદર. તેઓ ફરી તમોપ્રધાન થવાથી કાળા બની જાય છે. નામ જ છે શ્યામ અને સુંદર. કૃષ્ણને શ્યામ અને સુંદર કેમ કહે છે? એનો અર્થ ક્યારેય કોઈ બતાવી ન શકે, સિવાય બાપના. ભગવાન બાપ જે વાતો સંભળાવે છે તે બીજા કોઈ મનુષ્ય સંભળાવી નહી શકે. ચિત્રોમાં સ્વદર્શન ચક્ર દેવતાઓને આપી દીધું છે. બાપ સમજાવે છે – મીઠા-મીઠા બાળકો, સ્વદર્શન ચક્રની તો દેવતાઓને આવશ્યકતા નથી. તેઓ શું કરશે શંખ વગેરે ને. સ્વદર્શન ચક્રધારી તમે બ્રાહ્મણ બાળકો છો. શંખધ્વનિ પણ તમારે કરવાની છે. તમે જાણો છો હવે વિશ્વમાં કેવી રીતે શાંતિ સ્થાપન થઈ રહી છે. સાથે ચલન પણ સારી જોઈએ. ભક્તિમાર્ગમાં પણ તમે દેવતાઓની આગળ જઈને પોતાની ચલનનું વર્ણન કરો છો ને. પરંતુ દેવતાઓ કોઈ તમારી ચલનને સુધારતા નથી. સુધારવા વાળા બીજા છે. એ શિવબાબા તો છે નિરાકાર. એમની આગળ એમ નહીં કહેશું કે આપ સર્વ ગુણ સંપન્ન છો... શિવની મહિમા જ અલગ છે. દેવતાઓની મહિમા ગાએ છે. પરંતુ અમે આવા કેવી રીતે બનીએ. આત્મા જ પવિત્ર અને અપવિત્ર બને છે ને. હમણાં તમારી આત્મા પવિત્ર બની રહી છે. જ્યારે આત્મા સંપૂર્ણ બની જશે તો પછી આ શરીર પતિત નહીં રહેશે ફરી જઈને પાવન શરીર લેશે. અહીં તો પાવન શરીર હોઈ ન શકે. પાવન શરીર ત્યારે હશે જ્યારે પ્રકૃતિ પણ સતોપ્રધાન હશે. નવી દુનિયામાં દરેક ચીજ સતોપ્રધાન હોય છે. હમણાં પાંચ તત્વ તમોપ્રધાન છે એટલે કેટલો ઉપદ્રવ થતો રહે છે. કેવી રીતે મનુષ્ય મરતા રહે છે. તીર્થયાત્રા પર જાય છે, કોઈ એકસીડન્ટ (અકસ્માત) થયું મરી જાય છે. જળ, પૃથ્વી વગેરે કેટલું નુકસાન કરે છે. આ બધાં તત્વ તમને મદદ કરે છે. વિનાશમાં અચાનક પુર આવી જાય, તોફાન આવે છે – આ છે કુદરતી આપદાઓ. તે બોમ્બ વગેરે બને છે, એ પણ ડ્રામા માં નુંધ છે. એને ઈશ્વરીય આપદાઓ નહીં કહેવાય. તે તો મનુષ્યનાં બનાવેલ છે. ભૂકંપ વગેરે કોઈ મનુષ્યનાં બનાવેલ નથી. આ આપદાઓ બધી પરસ્પર મળે છે, પૃથ્વીથી હળવાશ થાય છે. તમે જાણો છો કેવી રીતે બાબા આપણને એકદમ હલ્કા બનાવીને સાથે લઈ જાય છે નવી દુનિયા માં. માથું હલ્કું થવાથી પછી ચુસ્ત થઈ જાય છે ને. તમને બાબા એકદમ હલ્કા કરી દે છે. બધાં દુઃખ દૂર થઈ જાય છે. હમણાં તમારા બધાનું માથું બહુ જ ભારે છે પછી બધાં હલ્કા, શાંત, સુખી થઈ જશે. જે, જે ધર્મ વાળા છે, બધાને ખુશી થવી જોઈએ, બાબા આવ્યા છે, બધાંની સદ્દ્ગતિ કરવા. જ્યારે પૂરી સ્થાપના થઈ જાય છે ત્યારે પછી બધા ધર્મ વિનાશ થઈ જાય છે. પહેલા તમારી બુદ્ધિમાં આ ખ્યાલ પણ નહોતો. હવે સમજો, ગાયન પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. બાકી અનેક ધર્મ બધાં વિનાશ. આ કર્તવ્ય એક બાપ જ કરે છે, બીજા કોઈ કરી ન શકે. સિવાય એક શિવ બાબાના. આવો અલૌકિક જન્મ અને અલૌકિક કર્તવ્ય કોઈનું હોઈ ન શકે. બાપ છે ઊંચેથી ઊંચા. તો એમનું કર્તવ્ય પણ બહુ જ ઊંચું છે. કરનકરાવનહાર છે ને. તમે નોલેજ સંભળાવો છો બાપ આવેલા છે, આ સૃષ્ટિ થી પાપ આત્માનો બોજ ઉતારવા માટે. આતો ગાયન પણ છે ને - બાપ આવે છે એક ધર્મની સ્થાપના અને અનેક ધર્મો નો વિનાશ કરવા. તમને હવે કેટલા ઊંચ મહાત્મા બનાવી રહ્યા છે. મહાત્મા દેવતા વગર કોઈ હોતા નથી. અહીંયા તો અનેકોને મહાત્મા કહેતા રહે છે. પરંતુ મહાત્મા કહેવાય છે મહાન આત્માને. રામરાજ્ય કહેવાય જ છે સ્વર્ગ ને. ત્યાં રાવણ રાજ્ય જ નથી, તો વિકારનો સવાલ પણ નથી ઉઠી શકતો એટલે એમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી. જેટલા સંપૂર્ણ બનશો એટલુ બહુજ સમય સુખ પામશો. અપૂર્ણ તો એટલું સુખ પામી ન શકે. સ્કૂલમાં પણ કોઈ સંપૂર્ણ, કોઈ અપૂર્ણ હોય છે. ફરક દેખાઈ પડે છે. ડોક્ટર એટલે ડોક્ટર. પરંતુ કોઈ નો પગાર બહુ જ ઓછો, કોઈનો બહુ જ વધારે. તેવી જ રીતે દેવતાઓ તો દેવતાઓ હોય છે પરંતુ પદવીનો ફરક કેટલો પડી જાય છે. બાપ આવીને તમને ઉંચ ભણતર ભણાવે છે. કૃષ્ણ ને ક્યારેય ભગવાન નહીં કહી શકાય. કૃષ્ણને જ કહે છે શ્યામ સુંદર. શ્યામ કૃષ્ણ પણ દેખાડે છે. કૃષ્ણ શ્યામ થોડા જ હોય છે. નામ રુપ તો બદલાઈ જાય છે ને. સો પણ આત્મા શ્યામ બને છે, ભિન્ન નામ, રુપ, દેશ, કાળ. હવે તમને સમજાવાય છે, તમે સમજો છો બરાબર અમે શરુ થી લઈને કેવી રીતે પાર્ટ માં આવ્યા છીએ. પહેલા દેવતા હતા પછી દેવતાથી અસુર બન્યા. બાપએ ૮૪ જન્મનું રહસ્ય પણ સમજાવ્યું છે, જેની બીજા કોઈને ખબર નથી. બાપ જ આવીને બધાં રહસ્ય સમજાવે છે. બાપ કહે છે - મારા લાડકા બાળકો, તમે મારી સાથે ઘરમાં રહેતા હતા ને. તમે ભાઈ-ભાઈ હતાં ને. બધી આત્માઓ હતી, શરીર નહોતું. બાપ હતા અને તમે ભાઈ-ભાઈ હતા. બીજો કોઈ સંબંધ નહોતો. બાપ તો પુનર્જન્મ માં આવતા નથી. એ તો ડ્રામા અનુસાર રિઝર્વ રહે છે. એમનો પાર્ટ જ એવો છે. તમે કેટલો સમય પુકાર્યા છે, એ પણ બાપએ બતાવ્યું છે. એવું નથી દ્વાપરથી પુકારવાનું શરુ કર્યું છે. ના, બહુ જ સમયના પછી તમે પોકારવાનું શરુ કર્યું છે. તમને તો બાપ સુખી બનાવે છે, અર્થાત્ સુખનો વારસો બાપ આપી રહ્યા છે. તમે પણ કહો છો બાબા અમે તમારી પાસે કલ્પ-કલ્પ અનેકવાર આવ્યા છીએ. આ ચક્ર ચાલતું જ રહે છે. દર ૫ હજાર વર્ષ પછી બાબા તમને મળીયે છે અને વારસો પામીએ છીએ. જે પણ બધા દેહધારી છે બધાં સ્ટુડન્ટ્સ (વિધાર્થી) છે, ભણાવવા વાળા છે વિદેહી. આ એમનો દેહ નથી. પોતે વિદેહી છે, અહીં આવીને દેહ ધારણ કરે છે. દેહ વગર બાળકોને ભણાવે કેવી રીતે. બધી રુહોનાં એ બાપ છે. ભક્તિમાર્ગમાં બધા એમને પોકારે છે, બરાબર રુદ્ર માળા ફેરવે છે. ઉપર માં છે ફૂલ અને યુગલ મેરુ. તેઓ તો એક જેવા જ છે. ફૂલને કેમ નમસ્કાર કરે છે, એ પણ હમણાં તમને ખબર પડી છે માળા કોની ફેરવે છે. દેવતાઓની માળા ફેરવે છે કે તમારી ફેરવે છે? માળા દેવતાઓની છે કે તમારી છે? દેવતાઓની નહીં કહેશે. આ બ્રાહ્મણ જ છે જેમને બાપ બેસીને ભણાવે છે. બ્રાહ્મણથી ફરી તમે દેવતા બની જાઓ છો. હમણાં ભણો છો પછી ત્યાં જઈને દેવતા પદ પામો છો. માળા આપ બ્રાહ્મણોની છે, જે તમે બાપ દ્વારા ભણીને, મહેનત કરી ફરી દેવતા બની જાઓ છો. બલિહારી ભણાવવા વાળાની. બાપએ બાળકોની કેટલી સેવા કરી છે. ત્યાં તો કોઈ બાપને યાદ પણ નથી કરતાં. ભક્તિમાર્ગમાં તમે માળા ફેરવતા હતા. હવે એ ફૂલ આવીને તમને પણ ફૂલ બનાવે છે અર્થાત્ પોતાની માળા નાં દાણા બનાવે છે. તો ગુલ-ગુલ બનો છો ને. આત્માનું જ્ઞાન પણ હમણાં તમને મળે છે. આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. તમારી જ મહિમા છે. તમે બ્રાહ્મણ બેસી આપ સમાન બ્રાહ્મણ બનાવી પછી દેવી-દેવતા બનાવો છો. દેવતાઓ સ્વર્ગમાં રહે છે. તમે જ્યારે દેવતા બની જાઓ છો ત્યાં તમને પાસ્ટ (ભૂતકાળ), પ્રેઝન્ટ (વર્તમાન), ફ્યુચર (ભવિષ્ય) નું નોલેજ નહીં હોય.

હમણાં આપ બ્રાહ્મણ બાળકોને જ પાસ્ટ (ભૂતકાળ), પ્રેઝન્ટ (વર્તમાન), ફ્યુચર (ભવિષ્ય) નું જ્ઞાન મળે છે બીજા કોઈને પણ જ્ઞાન નથી મળતું. તમે બહુ-બહુ જ ભાગ્યશાળી છો. પરંતુ માયા ફરી ભુલાવી દે છે. તમને કોઈ આ બાબા નથી ભણાવતા. આ તો મનુષ્ય છે, આ પણ ભણી રહ્યા છે. આ તો સૌથી લાસ્ટ (છેલ્લાં) માં હતાં. સૌથી નંબરવન પતિત એ જ ફરી નંબરવન પાવન બને છે. કેટલા સુખી થાય છે. લક્ષ્ય-હેતુ સામે ઉભા છે. બાપ તમને કેટલા ઊંચ બનાવે છે. આયુશ્વાન ભવ, પુત્રવાન ભવ.. આ પણ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે હું આશીર્વાદ આપું તો પછી બધાને આપતો રહું. હું તો આપ બાળકોને ભણાવવા આવું છું. ભણતર થી તમને બધાં આશીર્વાદ મળી જાય છે.અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ પરફેક્ટ (સંપૂર્ણ) છે - એમ સ્વયંને પરફેક્ટ બનાવવાનું છે. પવિત્રતાને ધારણ કરી પોતાની ચલન સુધારવાની છે, સાચી સુખ-શાંતિનો અનુભવ કરવાનો છે.

2. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બુદ્ધિ માં રાખી બ્રાહ્મણ સો દેવતા બનાવવાની સેવા કરવાની છે. પોતાનાં ઉંચ ભાગ્યને ક્યારેય ભૂલવાનું નથી.

વરદાન :-
સાધનોની પ્રવૃત્તિમાં રહી કમળફૂલ સમાન ન્યારા અને પ્યારા રહેવાવાળા બેહદ નાં વૈરાગી ભવ :

સાધનો મળ્યા છે તો એને બહુ દિલથી વાપરો, આ સાધન છે જ આપણા માટે. પરંતુ સાધનાને મર્જ નહીં કરો. પુરુ બેલેન્સ (સંતુલન) હોય. સાધન ખરાબ નથી, સાધન તો તમારા કર્મનું, યોગનું ફળ છે. પરંતુ સાધનની પ્રવૃત્તિમાં રહેતા કમળ પુષ્પ સમાન ન્યારા અને બાપનાં પ્યારા બનો. વાપરવા છતાં એનાં પ્રભાવ માં નહીં આવો. સાધનોમાં બેહદની વૈરાગ્ય વૃત્તિ મર્જ ન હોય. પહેલા સ્વયંમાં એને ઈમર્જ કરો પછી વિશ્વમાં વાયુમંડળ ફેલાવો.

સ્લોગન :-
પરેશાન ને પોતાની શાનમાં સ્થિત કરી દેવું એ જ સૌથી સારી સેવા છે.