03-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - આ રહસ્ય બધાને સંભળાવો કે આબૂ સૌથી મોટું તીર્થ છે, સ્વયં ભગવાને અહીંથી બધાની સદ્દ્ગતી કરી છે”

પ્રશ્ન :-
કઈ એક વાત મનુષ્ય જો સમજી જાય તો અહીંયા ભીડ થઈ જશે?

ઉત્તર :-
મુખ્ય વાત સમજી લે કે બાપએ જે રાજયોગ શીખવાડ્યો હતો, તે હવે ફરીથી શીખવાડી રહ્યા છે, તે સર્વવ્યાપી નથી. બાપ આ સમયે આબૂમાં આવી વિશ્વમાં શાંતિ સ્થાપન કરી રહ્યા છે, તેમનું જડ યાદગાર દેલવાડા મંદિર પણ છે. આદિદેવ અહીં ચૈતન્યમાં બેઠા છે, આ ચૈતન્ય દેલવાડા મંદિર છે, આ વાત સમજી લે તો આબૂની મહિમા થઈ જાય અને અહીં ભીડ લાગી જાય. આબૂ નું નામ પ્રખ્યાત થઈ જાય તો અહીંયા બહુ જ આવશે.

ઓમ શાંતિ!
ાળકોને યોગ શીખવાડ્યો. બીજી બધી જગ્યાએ બધા પોતે જ શીખે છે, શિખવાડવા વાળા બાપ નથી હોતા. એકબીજાને પોતે જ શીખવાડે છે. અહીં તો બાપ બેસીને શીખવાડે છે બાળકોને. રાત દિવસ નો ફરક છે. ત્યાં તો બહુ જ મિત્ર-સંબંધી વગેરે યાદ આવતા રહે છે, એટલુ યાદ નથી કરી શકતા એટલે દેહી-અભિમાની બહુ મુશ્કેલ બનાય છે અહીં તો દેહી-અભિમાની તમારે બહુ જલદી બનવું જોઈએ. પરંતુ ઘણાં છે જેમને કંઈ પણ ખબર નથી. શિવબાબા આપણી સર્વિસ કરી રહ્યા છે, આપણને કહે છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. જે બાપ આમનામાં વિરાજમાન છે, અહીંયા વિરાજમાન છે એમને યાદ કરવું પડે. બહુ જ બાળકો છે જેમને આ નિશ્ચય જ નથી કે શિવબાબા બ્રહ્મા તન દ્વારા અમને શીખવાડે છે, જેમ બીજા લોકો કહે છે, અમે કેવી રીતે નિશ્ચય કરીયે, એવી રીતે અહીં પણ છે. જો પૂરો નિશ્ચય હોય તો બહુ પ્રેમથી બાપ ને યાદ કરતા-કરતા પોતાનામાં બળ ભરીને, બહુ જ સર્વિસ કરે કારણ કે આખા વિશ્વને પાવન બનાવવાનું છે ને. યોગમાં પણ કમી છે તો જ્ઞાનમાં પણ કમી છે સાંભળે તો છે પણ ધારણા નથી થતી. ધારણા જો હોય તો પછી બીજાને પણ ધારણા કરાવે. બાપએ સમજાવ્યું હતું તે લોકો કોન્ફરન્સ વગેરે કરતા રહે છે, વિશ્વમાં શાંતિ ઈચ્છે છે પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી, કેવી રીતે થઇ હતી, તે કંઈ પણ નથી જાણતા. કયા પ્રકારની શાંતિ હતી, તે જ ઈચ્છો છો ને. આ તો આપ બાળકો જ જાણો છો વિશ્વમાં સુખ-શાંતિની સ્થાપના હવે થઈ રહી છે. બાપ આવેલા છે. કેવુ આ દેલવાડા મંદિર છે આદિદેવ પણ છે, અને ઉપરમાં વિશ્વમાં શાંતિ નું દ્રશ્ય પણ છે. ક્યાંય પણ કોન્ફરન્સ વગેરેમાં તમને બોલાવે છે તો તમે પૂછો - વિશ્વમાં શાંતિ કયા પ્રકારની જોઈએ? આ લક્ષ્મી-નારાયણના રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી. તે તો દેલવાડા મંદિરમાં આખું યાદગાર છે વિશ્વમાં શાંતિનું સેમ્પલ તો જોઈએ ને. લક્ષ્મીનારાયણ ના ચિત્રથી પણ સમજતા નથી. પથ્થર બુદ્ધિ છે ને. તો તેઓને કહેવું જોઈએ કે અમે બતાવી બતાવી શકીએ છીએ વિશ્વમાં શાંતિ નું સેમ્પલ એક તો આ લક્ષ્મી-નારાયણ છે અને પછી તેમની રાજધાની પણ જોવા ઇચ્છો છો તો તે પણ દેલવાડા મંદિરમાં જઈને જુઓ. મોડલ દેખાડવું જોઈએ ને, તે જઈને આબૂમાં જોવો. મંદિર બનાવવા વાળા પોતે નથી જાણતા, જેમણે જ બેસીને આ યાદગાર બનાવ્યું છે, જેમનું દેલવાડા મંદિર નામ રાખી દીધું છે. આદિદેવને પણ બેસાડ્યા છે, ઉપર સ્વર્ગ પણ દેખાડ્યું છે. જેમ તે જડ છે એમ તમે છો ચૈતન્ય. આનું ચૈતન્ય દેલવાડા નામ રાખી શકાય છે પરંતુ ખબર નહિ કેટલી ભીડ થઈ જાય. મનુષ્ય જ મૂંઝાઇ જાય આ પછી શું છે. સમજાવવા બહુ મહેનત લાગે છે. ઘણાં બાળકો પણ નથી સમજતા. ભલે બાજુમાં, નજીક માં બેઠા છે - સમજતા કંઈ પણ નથી. પ્રદર્શનીમાં અનેક પ્રકારના મનુષ્ય જાય છે, ઘણા મઠ-પંથ છે, વૈષ્ણવ ધર્મવાળા પણ છે. વૈષ્ણવ ધર્મનો અર્થ જ નથી સમજતા. કૃષ્ણની રાજધાની ક્યાં છે, જાણતા જ નથી. કૃષ્ણની રાજધાની ને પણ સ્વર્ગ, વૈકુંઠ કહેવાય છે.

બાબાએ કહ્યું હતું જ્યાંથી નિમંત્રણ આવે, ત્યાં જઈને તમે સમજાવો - વિશ્વમાં શાંતિ ક્યારે હતી? આ આબૂ સૌથી ઊંચેથી ઊંચું તીર્થ છે કારણકે અહીંયા બાપ વિશ્વની સદ્દ્ગતી કરી રહ્યા છે, આબૂ પહાડ પર તેમનું સેમ્પલ જોવું હોય તો જઇને દેલવાડા મંદિર જુઓ. વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન કરી હતી - એનું સેમ્પલ છે. સાંભળીને બહુ જ ખુશ થશે. જૈન લોકો પણ ખુશ થશે. તમે કહેશો આ પ્રજાપિતા બ્રહ્મા અમારા બાપ છે આદિદેવ. તમે સમજાવો છો છતાં પણ સમજતા નથી. કહે છે બ્રહ્માકુમારીઓ ખબર નહી શું કહે છે. તો હવે આપ બાળકોએ આબૂની બહુ જ ઉંચી મહિમા કરીને સમજાવવું જોઈએ. આબૂ છે મોટામાં મોટું તીર્થ. મુંબઈમાં પણ સમજાવી શકો છો - આબૂ પર્વત મોટામાં મોટું તીર્થ છે કારણકે પરમપિતા પરમાત્માએ આબૂમાં આવીને સ્વર્ગની સ્થાપના કરી છે. કેવી રીતે સ્વર્ગની રચના રચી છે - તે સ્વર્ગનું અને આદિદેવ નું મોડલ બધુ આબૂ માં જ છે જેને કોઈ પણ મનુષ્ય સમજતું નથી. આપણે હવે જાણીએ છીએ, તમે નથી જાણતા એટલે અમે તમને સમજાવીએ છીએ. પહેલા તો તમે પૂછો કે વિશ્વમાં શાંતિ કયા પ્રકારે ઈચ્છો છો, ક્યારેય જોઈ છે? વિશ્વમાં શાંતિ તો એમના (લક્ષ્મી-નારાયણના) રાજ્યમાં હતી. એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, તેમની ડિનાયસ્ટી નું રાજ્ય હતું. ચાલો તો એમની રાજધાની નું મોડલ આબૂમાં તમને દેખાડીએ. આ તો છે જ જૂની પતિત દુનિયા. નવી દુનિયા તો નહીં કહેશો ને. નવી દુનિયા નું મોડલ તો અહીંયા છે, નવી દુનિયા હવે સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો એટલે બતાવો છો. બધા નથી જાણતા, નથી બતાવતા, નથી સમજમાં પણ આવતું. વાત છે બહુજ સહજ. ઉપરમાં સ્વર્ગ ની રાજધાની ઉભી છે, નીચે આદિદેવ બેઠા છે જેમને એડમ પણ કહે છે. તે છે ગ્રેટ-ગ્રેટ ગ્રૈંડ ફાધર. આવી તમે મહિમા સંભળાવશો તો સાંભળીને ખુશ થશે. છે પણ બરાબર એક્યુરેટ, કહો તમે કૃષ્ણની મહિમા કરો છો પરંતુ તમે જાણતા તો કંઈ જ નથી. કૃષ્ણ તો વૈકુંઠનાં મહારાજા, વિશ્વના માલિક હતા. એનું તમે મોડલ જોવા ઇચ્છતા હોવ તો ચાલો આબૂમાં, તમને વૈકુંઠ નું મોડલ બતાવશું. કેવીરીતે પુરુષોત્તમ સંગમયુગ પર રાજ્યોગ શીખે છે, જેનાંથી ફરી વિશ્વના માલિક બને છે, તે પણ મોડલ દેખાડો. સંગમયુગ ની તપસ્યા પણ દેખાડો. પ્રેક્ટીકલ જે થયું હતું તેનું યાદગાર દેખાડો. શિવબાબા જેમણે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્થાપન કર્યું, તેમનું પણ ચિત્ર છે, અંબા નું પણ ચિત્ર છે. અંબા ને કોઈ ૧૦-૨૦ ભુજાઓ નથી. ભુજાઓ તો બે જ હોય છે. તમે આવો તો તમને દેખાડીએ. વૈકુંઠ પણ આબૂમાં દેખાડીયે. આબૂ માં જ બાપએ આવીને આખા વિશ્વને હેવેન (સ્વર્ગ) બનાવ્યું છે. સદ્દ્ગતી આપી છે. આબૂ સૌથી મોટું તીર્થ છે, બધા ધર્મ વાળાની સદ્દ્ગતી કરવાવાળા એક જ બાપ છે, એમનું યાદગાર ચાલો તમને આબૂમાં દેખાડીએ. આબૂની તો તમે બહુ જ મહિમા કરી શકો છો. તમને બધા યાદગાર દેખાડીએ. ક્રિશ્ચન લોકો પણ જાણવા ઈચ્છે છે - પ્રાચીન ભારતનો રાજયોગ કોણે શીખવાડયો, શું ચીજ હતી? બોલો, ચાલો આબૂમાં દેખાડીએ. વૈકુંઠ પણ એકદમ એક્યુરેટ બનાવ્યું છે ઉપર. તમે એવું નથી બનાવી શકતા. તો આ સારી રીતે બતાવવાનું છે. ટુરિસ્ટ (યાત્રીઓ) ધક્કા ખાય છે, તે પણ આવી ને સમજે. તમારું આબૂનું નામ પ્રખ્યાત થઈ ગયું તો બહુ જ આવશે. આબૂ બહુ પ્રસિદ્ધ થઈ જશે. જ્યારે કોઈ પૂછે છે કે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? સંમેલન વગેરેમાં નિમંત્રણ આપે છે તો પૂછવું જોઈએ - વિશ્વમાં શાંતિ ક્યારે હતી, તે જાણો છો? વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી - ચાલો અમે સમજાવીએ, મોડલ્સ વગેરે બધા દેખાડીએ. આવું મોડલ બીજે ક્યાંય પણ નથી. આબૂ જ સૌથી ઊંચેથી ઊંચું તીર્થ છે, જ્યાં બાપએ આવીને વિશ્વમાં શાંતિ, સર્વની સદ્દ્ગતી કરી છે. આ વાતો બીજું કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર છે, ભલે મોટા મહારથી, મ્યુઝિયમ વગેરે સંભાળવા વાળા છે, પરંતુ ઠીક રીતે કોઈને સમજાવે છે કે નહીં, બાબા તપાસ તો કરે છે ને. બાબા બધુ સમજે છે, જે પણ જ્યાં પણ છે, એમને સમજે છે. કોણ-કોણ પુરુષાર્થ કરે છે, શુ પદ પામશે? આ સમયે જો મરી પડ્યા તો કંઈ પણ પદ પામી નહીં શકે. યાદની યાત્રા ની મહેનત તે સમજી નહીં શકે. બાપ રોજ-રોજ નવી વાતો સમજાવે છે, આમ-આમ સમજાવી ને લઇ આવો. અહીંયા તો યાદગાર કાયમ છે.
બાપ કહે છે હું પણ અહીંયા છું, આદિદેવ પણ અહીંયા છે, વૈકુંઠ પણ અહીંયા છે. આબૂની બહુ જ ભારે મહિમા થઈ જશે. આબૂ ખબર નથી શું થઈ જશે. જેમ જુઓ કુરુક્ષેત્ર ને સારું બનાવવા માટે કરોડો રૂપિયા ઉડાવતા રહે છે કેટલા અસંખ્ય મનુષ્ય જઈને ત્યાં ભેગા થાય છે, એટલી ખરાબ દુર્ગંધ આવે છે, વાત નહીં પૂછો. કેટલી ભીડ થાય છે. સમાચાર આવ્યા હતા કે ભજન મંડળી ની એક બસ નદીમાં ડૂબી ગઈ. આ બધું દુ:ખ છે ને. અકાળે મૃત્યુ થતી રહે છે. ત્યાં તો આવું કંઈ થતું જ નથી, આ બધી વાતો તમે સમજાવી શકો છો. વાતચીત કરવા વાળા બહુ સેન્સિબલ (સમજુ) જોઈએ. બાપ જ્ઞાનનો પંપ કરી રહ્યા છે, બુદ્ધિમાં બેસાડી રહ્યા છે. દુનિયા થોડી આ વાતોને સમજે છે. તેઓ સમજે છે નવી દુનિયાની સફર કરવા જાય છે. બાપ કહે છે આ દુનિયા હવે જૂની ગઈ કે ગઈ. તેઓ તો કહે છે ૪૦ હજાર વર્ષ બાકી છે. તમે તો બતાવો છો કે આખુ કલ્પ જ ૫ હજાર વર્ષનું છે. જૂની દુનિયા નું મોત સામે ઊભું છે. આને કહેવાય છે ઘોર અંધીયારું. કુંભકરણની નિંદ્રામાં સુતા પડ્યા છે. કુંભકરણ અડધો કલ્પ સૂતો હતો, અડધો કલ્પ જાગતો હતો. તમે કુંભકરણ હતા. આ ખેલ ખૂબ વન્ડરફુલ છે. આ વાતો ને બધાજ થોડી સમજી શકે છે. કોઈ તો એમ જ ભાવના માં આવી જાય છે. સાંભળે છે આ બધા જઈ રહ્યા છે, તો ચાલી પડે છે. એમને જણાવીએ છીએ અમે શિવબાબાની પાસે જઈએ છે, શિવબાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. એ બેહદનાં બાપને યાદ કરવાથી બેહદ નો વારસો મળે છે, બસ. તો તેઓ પણ કહી દે છે, શિવબાબા અમે તમારા બાળકો છીએ, તમારાથી વારસો જરૂર લઈશું. બસ, બેડો પાર છે. ભાવનાનું ભાડું જુઓ કેટલું મળે છે. ભક્તિમાર્ગમાં તો છે અલ્પકાળનું સુખ. અહીંયા આપ બાળકો જાણો છો બેહદનાં બાપથી બેહદનો વારસો મળે છે. તે તો છે ભાવનાનું, અલ્પકાળનાં સુખનું ભાડું. અહીંયા તમને મળે છે ૨૧ જન્મો માટે ભાવનાનું ભાડું. બાકી સાક્ષાત્કાર વગેરેમાં કંઈ છે નહીં. કોઈ કહે છે સાક્ષાત્કાર થાય, ત્યારે બાબા સમજી જાય છે કંઈ પણ સમજ્યા નથી. સાક્ષાત્કાર કરવો છે તો જઈને નૌધા ભક્તિ કરો. એનાથી કંઈ મળતું નથી. જઈને બીજા જન્મમાં કંઈક સારું બનશો. સારા ભક્ત હશો તો સારો જન્મ મળશે. આ તો વાત જ ન્યારી છે. આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ છે જ દુનિયા બદલવા વાળા. યાદગાર ઉભું છે ને. બહુ જ જૂનું મંદિર છે. કંઈક તૂટે ફૂટે તો ફરી સમારકામ કરાવતા રહે છે. પરંતુ તે શોભા તો ઓછી થઈ જ જાય છે. આ તો બધી વિનાશી ચીજો છે. તો બાપ સમજાવે છે – બાળકો, એક તો પોતાના કલ્યાણ માટે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ભણતરની વાત છે. બાકી આ જે મથુરામાં મધુબન, કુંજગલી, વગેરે બનાવ્યું છે, તે કંઈ પણ છે નહીં. ન કોઈ ગોપ-ગોપીઓનો ખેલ છે. આ સમજાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એક-એક મુદ્દા સારી રીતે બેસી ને સમજાવો. કોન્ફરન્સ વગેરેમાં પણ જોઈએ યોગવાળા. તલવાર માં ધાર નહીં હોય, તો કોઈને તીર લાગશે નહીં. ત્યારે બાપ પણ કહે છે હજી વાર છે. હમણાં માની લે કે પરમાત્મા સર્વવ્યાપી નથી તો ભીડ લાગી જાય. પરંતુ હજી સમય નથી. એક વાત મુખ્ય સમજી જાય કે રાજ્યોગ બાપએ શીખવાડ્યો હતો, જે આ સમયે શીખવાડી રહ્યા છે. એમના બદલે નામ તેમનું નાખી દીધું છે જે હમણાં શ્યામ છે. કેટલી મોટી ભૂલ છે. એનાથી જ તમારો બેડો ડૂબી ગયો છે.
હવે બાપ સમજાવે છે - આપણું ભણતર આવક નું સાધન છે, સ્વયં બાપ મનુષ્યને દેવતા બનાવવા માટે ભણાવવા આવે છે, આમાં પવિત્ર પણ જરૂર બનવાનું છે, દૈવીગુણ પણ ધારણ કરવાના છે. નંબરવાર તો હોય જ છે. જે પણ સેન્ટર (સેવાકેન્દ્ર) છે બધા નંબર વાર છે. આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. માસીનું ઘર થોડું છે. બોલો, સ્વર્ગ કહેવાય છે સતયુગને. પરંતુ ત્યાનું રાજ્ય કેવી રીતે ચાલે છે, દેવતાઓનો સમૂહ જોવો હોય તો ચાલો આબૂ. બીજી કોઈ એવી જગ્યા છે નહી જ્યાં આવી રીતે રાજધાની દેખાડી હોય. ભલે અજમેરમાં સ્વર્ગનું મોડલ છે પરંતુ એ બીજી વાત છે. અહીં તો આદિદેવ પણ છે ને. સતયુગ કોણે અને કેવી રીતે સ્થાપન કર્યું, આ તો એક્યુરેટ યાદગાર છે. હમણાં આપણે ચૈતન્ય દેલવાડા નામ લખી ન શકીએ. જ્યારે મનુષ્ય પોતે સમજી જશે તો પોતે જ કહેશે કે તમે લખો. હમણાં નહીં. હમણાં તો જુઓ થોડી વાતમાં શું કરી નાખે છે. ક્રોધી બહુજ હોય છે, દેહ-અભિમાન છે ને. દેહી-અભિમાની તો કોઈ હોઈ ન શકે સિવાય આપ બાળકોના. પુરુષાર્થ કરવાનો છે. એવું નથી કે જે નસીબમાં હશે. પુરુષાર્થી એવું નહીં કહેશે. તેઓ તો પુરુષાર્થ કરતા રહેશે પછી જ્યારે નાપાસ થાય છે ત્યારે કહે છે ભાગ્યમાં જે હતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) દેહી-અભિમાની બનવાનો પુરે-પુરો પુરુષાર્થ કરવાનો છે. એવું ક્યારેય નહીં વિચારતા કે જે નસીબમાં હશે. સેન્સિબલ (સમજુ) બનવાનું છે.

2) જ્ઞાન સાંભળીને એને સ્વરૂપમાં લાવવાનું છે, યાદનું જોહર (બળ) ધારણ કરી પછી સેવા કરવાની છે. બધાને આબૂ મહાતીર્થની મહિમા સંભળાવવાની છે.

વરદાન :-
બાપની સાથે રહેતા-રહેતા એમના સમાન બનવા વાળા સર્વ આકર્ષણોના પ્રભાવથી મુક્ત ભવ:

જ્યાં બાપની યાદ છે અર્થાત બાપ નો સાથ છે ત્યાં બોડી કોન્સિયસ (શરીરનું ભાન) ની ઉત્પત્તિ થઇ નથી શકતી. બાપની સાથે કે પાસે રહેવાવાળા દુનિયાના વિકારી વાયબ્રેશન અથવા આકર્ષણના પ્રભાવથી દૂર થઇ જાય છે. એવી રીતે સાથે રહેવાવાળા, સાથે રહેતા-રહેતા બાપ સમાન બની જાય છે. જેમ બાપ ઊંચે થી ઊંચા છે એવી રીતે બાળકોની સ્થિતિ પણ ઊંચી બની જાય છે. નીચેની કોઈ પણ વાતો એમના ઉપર પોતાનો પ્રભાવ નાખી નથી શકતી.

સ્લોગન :-
મન અને બુદ્ધિ કંટ્રોલમાં હોય તો અશરીરી બનવું સહજ થઈ જશે.