17-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપ જે રોજ - રોજ ભણાવે છે , આ ભણતર માં ક્યારેય ગેરહાજર નથી રહેવાનું , આ ભણતર થી જ અંદરનો સંશય દૂર થાય છે ’’

પ્રશ્ન :-
બાપના દિલને જીતવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
બાપનાં દિલને જીતવું છે તો જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી બાપ થી કંઈ પણ છુપાવો નહીં. પોતાનાં ચરિત્ર પર પૂરે-પૂરું ધ્યાન આપો. જો કોઈ પાપ કર્મ થઈ જાય છે તો અવિનાશી સર્જનને સંભળાવો તો હલ્કા થઇ જશો. બાપ જે શિક્ષા આપે છે એજ એમની દયા, કૃપા અથવા આશીર્વાદ છે. તો બાપથી દયા અથવા કૃપા માંગવાની બદલે સ્વયં પર કૃપા કરો. એવો પુરુષાર્થ કરી બાપનાં દિલને જીતી લો.

ઓમ શાંતિ!
હવે રુહાની બાળકો આ તો જાણે છે કે નવી દુનિયામાં સુખ છે, જૂની દુનિયામાં દુઃખ છે. દુઃખ માં બધાં દુઃખ માં આવી જાય છે અને સુખ માં બધાં સુખ માં આવી જાય છે. સુખ ની દુનિયામાં દુઃખ નું નામ-નિશાન નથી પછી જ્યાં દુઃખ હશે ત્યાં સુખ નું નામ-નિશાન નથી. જ્યાં પાપ છે ત્યાં પુણ્ય નું નામ-નિશાન નથી, જ્યાં પુણ્ય છે ત્યાં પાપ નું નામ-નિશાન નથી. એ કઈ જગ્યા છે? એક છે સતયુગ, બીજુ છે કળયુગ. આતો બાળકો ની બુદ્ધિમાં જરુર હશે જ. હવે દુઃખનો સમય પૂરો થાય છે અને સતયુગનાં માટે તૈયારી થઈ રહી છે. આપણે હવે આ પતિત છી-છી દુનિયાથી પેલી પાર સતયુગ અર્થાત રામરાજ્ય માં જઈ રહ્યા છીએં. નવી દુનિયામાં છે સુખ, જૂની દુનિયામાં છે દુઃખ. એવું નથી, જે સુખ આપે છે એજ દુઃખ પણ આપે છે. ના, સુખ બાપ આપે છે, દુઃખ માયા રાવણ આપે છે. તે દુશ્મનની એફીજી(પુતળું) દર વર્ષે બાળીએ છીએ. દુઃખ આપવાવાળા ને હંમેશા બાળવામાં આવે છે. બાળકો જાણે છે જ્યારે તેનું રાજ્ય પૂરું થાય છે તો પછી હંમેશા માટે ખલાસ થઈ જાય છે. ૫ વિકાર જ બધાંને આદિ-મધ્ય-અંત દુઃખ આપતા આવ્યા છે. તમે અહીં બેઠાં છો તો પણ તમારી બુદ્ધિમાં એજ રહે કે અમે બાબાની પાસે જઈએ. રાવણને તો તમે બાપ નહીં કહેશો. ક્યારેય સાંભળ્યું છે - રાવણ ને પરમપિતા પરમાત્મા કોઈ કહેતું હોય? ક્યારેય પણ નહીં. ઘણાં સમજે છે લંકામાં રાવણ હતો. બાપ કહે આ આખી દુનિયા જ લંકા છે. કહે છે વાસ્કોડિગામા એ ચક્ર લગાવ્યું, સ્ટીમર કે હોડી દ્વારા. જે સમયે તેણે ચક્ર લગાવ્યું એ સમયે વિમાન વગેરે નહોતું. ટ્રેન પણ વરાળ પર ચાલતી હતી. વીજળી અલગ ચીજ છે. હવે બાપ કહે છે દુનિયા તો એક જ છે. નવી થી જૂની, જૂની થી નવી બને છે. એવું નથી કહેવાનું હોતું કે સ્થાપના, પાલના, વિનાશ. ના, પહેલા સ્થાપના, પછી વિનાશ, પછી પાલના, આ સાચાં અક્ષર છે. પછીથી રાવણ ની પાલના શરુ થાય છે. તે જુઠ્ઠી વિકારી પતિત બનવાની પાલના છે, જેનાંથી બધાં દુ:ખી થાય છે. બાપ તો ક્યારેય કોઈને દુ:ખ નથી દેતા. અહિયાં તો તમોપ્રધાન બનવાને કારણે બાપને જ સર્વવ્યાપી કહી દે છે. જુઓ, શું બની ગયાં છે! આ તો આપ બાળકોને ચાલતા-ફરતા બુદ્ધિમાં રહેવું જોઈએ. છે તો બહુ જ સહજ. ફક્ત અલ્ફ ની વાત છે. મુસલમાન લોકો પણ કહે છે ઉઠી અલ્લાહ ને યાદ કરો. સ્વયં પણ સવારે ઊઠે છે. તેઓ કહે છે અલ્લાહ અથવા ખુદાને યાદ કરો. તમે કહેશો બાપને યાદ કરો. બાબા અક્ષર બહુ જ મીઠો છે. અલ્લાહ કહેવાથી વારસો યાદ નહીં આવશે. બાબા કહેવાથી વારસો યાદ આવી જાય છે. મુસલમાન લોકો બાપ નથી કહેતા. તેઓ પછી અલ્લાહ મિયાં કહે છે. મિયાં-બીબી. આ બધા અક્ષર ભારતમાં છે. પરમપિતા પરમાત્મા કહેવાથી જ શિવલિંગ યાદ આવી જશે. યુરોપ વાસી લોકો ગોડફાધર કહે છે. ભારતમાં તો પથ્થર-ભિત્તર ને પણ ભગવાન સમજી લે છે. શિવલિંગ પણ પથ્થર નું હોય છે. સમજે છે આ પથ્થરમાં ભગવાન બેઠા છે. ભગવાનને યાદ કરશે તો પથ્થર જ સામે આવી જાય છે. પથ્થર ને ભગવાન સમજી પૂજે છે. પથ્થર ક્યાંથી આવે છે? પર્વતોનાં ઝરણાથી પડતા-પડતા ગોળ લિસા બની જાય છે. પછી કેવા કુદરતી નિશાન પણ બની જાય છે. દેવી-દેવતાઓની મૂર્તિ એવી નથી હોતી. પથ્થર કાપી-કાપીને કાન, મુખ, નાક, આંખ વગેરે-વગેરે કેટલું સુંદર બનાવે છે. બહુ જ ખર્ચો કરે છે. શિવ બાબા ની મૂર્તિ પર કોઈ ખર્ચા વગેરેની વાત નથી. હમણાં આપ બાળકો સમજો છો આપણે સો દેવી-દેવતા ચૈતન્યમાં સ્વયં બની રહ્યા છીએ. ચૈતન્યમાં હશે ત્યારે પૂજા વગેરે નહીં થશે. જ્યારે પથ્થર બુદ્ધિ બને છે ત્યારે પથ્થરની પૂજા કરે છે. ચૈતન્ય છે તો પૂજ્ય છે પછી પૂજારી બની જાય છે. ત્યાં ન કોઈ પૂજારી હોય છે, ન કોઈ પથ્થરની મૂર્તિ હોય છે. દરકાર જ નથી. જે ચૈતન્ય હતા તેમની નિશાની યાદગાર નાં માટે પથ્થરોની રાખે છે. હવે આ દેવતાઓની કહાની ની તમને ખબર પડી ગઈ છે કે આ દેવતાઓની જીવન કહાની શું હતી? ફરીથી તેજ પુનરાવર્તન થાય છે. પહેલા આ જ્ઞાન ચક્ષુ નહોતા તો જાણે પથ્થર બુદ્ધિ હતા. હવે બાપ દ્વારા જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાન એક જ છે પરંતુ ઉપાડવા વાળા નંબરવાર છે.

તમારી રુદ્રમાળા પણ આ ધારણા અનુસાર જ બને છે. એક છે રુદ્ર માળા, બીજી છે રુંડમાળા. એક છે ભાઈઓની, બીજી છે ભાઈઓ અને બહેનોની. આ તો બુદ્ધિમાં આવે છે આપણે આત્માઓ બહુ જ નાનાં-નાનાં બિંદુ ની જેમ છીએ. ગાયન પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ તારો. હવે તમે સમજો છો આપણે આત્મા ચૈતન્ય છીએ. એક નાનાં તારાની જેમ છીએ. પછી જ્યારે ગર્ભ માં આવે છે તો પહેલા કેટલું નાનું પિંડ હોય છે. પછી કેટલુ મોટું થઈ જાય છે. તે જ આત્મા પોતાનાં શરીર દ્વારા અવિનાશી પાર્ટ ભજવતી રહે છે. આ શરીર ને જ પછી બધા યાદ કરવા લાગી જાય છે. આ શરીર જ સારુ-ખરાબ હોવાનાં કારણે બધાંને આકર્ષિત કરે છે. સતયુગમાં એવું નહીં કહેશે કે આત્મ-અભિમાની બનો, સ્વયંને આત્મા સમજો. આ જ્ઞાન તમને હમણાં જ મળે છે કારણકે તમે જાણો છો હમણાં આત્મા પતિત બની ગઈ છે. પતિત હોવાના કારણે જે કામ કરે છે તે બધું ઊલટું થઈ જાય છે. બાપ સુલટુ કામ કરાવે છે, માયા ઊલટું કામ કરાવે છે. સૌથી ઉલટું કામ છે બાપને સર્વવ્યાપી કહેવું. આત્મા જે પાર્ટ ભજવે છે તે અવિનાશી છે. તેને બાળી નથી શકાતો, તેની તો પૂજા થાય છે. શરીરને બાળવામાં આવે છે. આત્મા જ્યારે શરીર છોડે છે તો શરીરને બાળે છે. આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આત્મા વગર શરીર બે-ચાર દિવસ પણ નથી રાખી શકતા. ઘણા તો પછી શરીરમાં દવાઓ વગેરે લગાવી ને રાખે પણ છે. પરંતુ ફાયદો શું? ક્રિશ્ચનનાં એક સેંટ જેવીયર છે, કહે છે તેમનું શરીર હજી પણ રાખેલું છે. તેમનું પણ જેમ કે મંદિર બનેલું છે. કોઈને દેખાડતા નથી ફક્ત તેમના પગ દેખાડે છે. કહે છે કોઈ પગે પડે છે તો બીમાર નથી થતા. પગે પડવા થી બીમારીથી હલ્કા થઇ જાય છે તો સમજે છે તેમની કૃપા. બાપ કહે છે ભાવના નું ભાડું મળી જાય છે. નિશ્ચય બુદ્ધિ હોવાથી કંઈક ફાયદો થાય છે. બાકી આમ તો ટોળાંને ટોળાં ત્યાં જાય, મેળો લાગી જાય. બાપ પણ અહીંયા આવ્યા છે તો પણ તેટલા અસંખ્ય નથી થતા. અસંખ્ય થવાની જગ્યા પણ નથી. જ્યારે અસંખ્ય થવાનો સમય આવે છે તો વિનાશ થઈ જાય છે. આ પણ ડ્રામા બનેલો છે. આનો આદિ અથવા અંત નથી. હા, ઝાડ ની જડજડીભૂત અવસ્થા થાય છે અર્થાત તમોપ્રધાન બની જાય છે ત્યારે આ ઝાડ પરિવર્તન થાય છે. કેટલુ બેહદ નું મોટું ઝાડ છે. પહેલા તે આવશે જેમને પહેલા નંબર માં જવાનું છે. નંબરવાર આવશે ને? બધાં સૂર્યવંશી તો ભેગા નહી આવશે. ચંદ્રવંશી પણ બધાં ભેગા નથી આવતા. નંબરવાર માળા અનુસાર જ આવશે. પાર્ટધારી બધાં એકસાથે કેવી રીતે આવશે. ખેલ જ બગડી જાય. આ ખેલ બહુ જ સચોટ બનેલો છે, આમાં કોઈ પરિવર્તન થઇ નથી શકતું.

મીઠા-મીઠા બાળકો જ્યારે અહીંયા બેસો છો તો બુદ્ધિમાં આજ યાદ રહેવું જોઈએ. બીજા સત્સંગો માં તો બીજી બીજી વાતો બુદ્ધિમાં આવે છે. આ તો એક જ ભણતર છે, જેમાં તમારી કમાણી થાય છે. તે શાસ્ત્રો વગેરેને વાંચવાથી કમાણી નથી થતી. હા, કંઈક ને કંઈક ગુણ સારા હોય છે. ગ્રંથ વાંચવા બેસે છે તો એવું નથી બધા નિર્વિકારી થાય છે. બાપ કહે આ દુનિયામાં બધાં ભ્રષ્ટાચાર થી પેદા થાય છે.આપ બાળકોથી ઘણા પૂછે છે ત્યાં જન્મ કેવી રીતે થશે? બોલો, ત્યાં તો ૫ વિકાર જ નથી, યોગબળ થી બાળકો પેદા થાય છે. પહેલા જ સાક્ષાત્કાર થાય છે કે બાળક આવવાનું છે. ત્યાં વિકારની વાત નથી. અહીંયા તો બાળકોને પણ માયા પાડી દે છે. કોઈ કોઈ તો બાપને આવીને સંભળાવે પણ છે. સંભળાવશે નહીં તો સો ગુણા દંડ પડી જશે. બાપ તો બધાં બાળકોને કહે છે કે કોઈ પણ પાપકર્મ થઈ જાય છે તો બાપને ઝટ બતાવવું જોઈએ. બાપ અવિનાશી વૈદ છે. સર્જનને સંભળાવવા થી તમે હલ્કા થઇ જશો. જ્યાં સુધી સંગમ યુગ છે ત્યાં સુધી બાપ થી કંઈ પણ છુપાવવાનું નથી. કોઈ છુપાવે છે તો બાપનાં દિલને જીતી નથી શકતા. બધો આધાર પુરુષાર્થ પર છે. સ્કૂલમાં આવશે જ નહીં તો ચરિત્ર કેવી રીતે સુધરશે? આ સમયે બધાનાં ચરિત્ર ખરાબ છે. વિકાર જ પહેલા નંબર નું ખરાબ ચરિત્ર છે એટલે બાપ કહે છે - બાળકો, કામ વિકાર તમારો મહાશત્રુ છે. પહેલા પણ આ ગીતાનું જ્ઞાન સાંભળ્યું હતું તો આ બધી વાતો સમજમાં નહોતી આવી. હવે બાપ ડાયરેક્ટ ગીતા સંભળાવે છે. હમણાં બાપ એ આપ બાળકોને બુદ્ધિ આપી છે, તો ભક્તિ નું નામ સાંભળતા હસવું આવે છે કે શું-શું કરતા હતાં! હમણાં તો બાપ શિક્ષા આપે છે, આમાં દયા, કૃપા અથવા આશીર્વાદ ની વાત હોતી નથી. સ્વયં પર જ દયા, કૃપા અથવા આશીર્વાદ કરવાનાં છે. બાપ તો દરેક બાળકને પુરુષાર્થ કરાવે છે. કોઈ તો પુરુષાર્થ કરી બાપનાં દિલને જીતી લે, કોઈ તો પુરુષાર્થ કરતા-કરતા મરી પણ જાય છે. બાપ તો દરેક બાળકને એક જેવું જ ભણાવે છે તો પણ કોઈક સમયે એવી વાતો નીકળે છે જે જુનો સંશય પણ ઉડી જાય છે, પછી ઉભા થઈ જાય છે એટલે બાબા નાં ભણતર માં ક્યારેય ગેરહાજરી ન કરવી જોઈએ. મુખ્ય છે બાપ ની યાદ. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. કોઈ કંઈ છી-છી બોલે તો સાંભળ્યું-નસાંભળ્યું કરી દેવું જોઈએ. હિયર નો ઇવિલ…. ઉચ્ચ પદ પામવું છે તો માન-અપમાન, દુઃખ-સુખ, હાર-જીત બધુ સહન જરૂર કરવાનું છે. બાપ કેટલીક યુક્તિઓ બતાવે છે. તો પણ બાળકો બાપનું પણ સાંભળ્યું-નસાંભળ્યું કરી દે છે તો તે શું પદ પામશે? બાપ કહે છે જ્યાં સુધી અશરીરી નથી બન્યા ત્યાં સુધી માયા નો કંઈકને કંઈક માર લાગતો રહેશે. બાપનું કહેવું નથી માનતા તો બાપનો ડિસરીગાર્ડ (અપમાન) કરે છે. છતાં પણ બાપ કહે છે બાળકો, સદા જીવતા જાગતા રહો અને બાપ ને યાદ કરી ઊંચ પદ પામો. અચ્છા!

મીઠા-મીઠા સીકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) કોઈપણ ઉલ્ટી-સુલ્ટી વાતો કરે તો સાંભળ્યું-નસાંભળ્યું કરી દેવાનું છે. હિયર નો ઇવિલ…. દુઃખ-સુખ, માન-અપમાન બધું જ સહન કરવાનું છે.

૨) બાપ જે સંભળાવે છે તેને ક્યારેય સાંભળ્યું-નસાંભળ્યું કરી બાપનું અપમાન નથી કરવાનું. માયાના મારથી બચવાને માટે અશરીરી રહેવાનો અભ્યાસ જરૂર કરવાનો છે.

વરદાન :-
હદની રોયલ ઇચ્છાઓથી મુક્ત રહી સેવા કરવાવાળા નિ : સ્વાર્થ સેવાધારી ભવ

જેમ બ્રહ્મા બાપ એ કર્મના બંધનથી મુક્ત, ન્યારા બનવાનું પ્રમાણ આપ્યું. સિવાય સેવાનાં સ્નેહનાં બીજું કોઈ બંધન નહીં. સેવામાં જે હદની રોયલ ઇચ્છાઓ હોય છે તે પણ હિસાબ-કિતાબ નાં બંધનમાં બાંધે છે, સાચાં સેવાધારી આ હિસાબ-કિતાબ થી પણ મુક્ત રહે છે જેમ દેહનું બંધન દેહનાં સંબંધનું બંધન છે, એમ સેવામાં સ્વાર્થ - આ પણ બંધન છે. આ બંધન થી અથવા રોયલ હિસાબ-કિતાબ થી પણ મુક્ત નિ:સ્વાર્થ સેવાધારી બનો.

સ્લોગન :-
વાયદા ને ફાઇલમાં નહીં રાખો, ફાઇનલ બનીને દેખાડો.