30-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠ બાળકો - બધો
આધાર યાદ પર છે , યાદથી જ તમે મીઠા બની જશો , આ યાદમાં જ માયાનું યુદ્ધ ચાલે છે ”
પ્રશ્ન :-
આ ડ્રામામાં
કયુ રહસ્ય બહુજ વિચાર કરવાનાં યોગ્ય છે? જેને તમે બાળકો જ જાણો છો?
ઉત્તર :-
તમે જાણો છો
કે ડ્રામામાં એક પાર્ટ બે વખત ચાલી ન શકે. આખી દુનિયામાં જે પણ પાર્ટ ભજવાય છે તે
એક-બીજાથી નવો. તમે વિચાર કરો છો કે સતયુગ થી લઈને હમણાં સુધી કેવી રીતે દિવસ બદલાઈ
જાય છે. બધી એક્ટિવિટી (પ્રવૃત્તિ) બદલાઈ જાય છે. આત્મામાં ૫ હજાર વર્ષની એક્ટિવિટી
નો રેકોર્ડ ભરેલો છે, જે ક્યારેય બદલાઈ નથી શકતો. આ નાનકડી વાત તમારા બાળકોની સિવાય
બીજા કોઈની બુદ્ધિમાં નથી આવી શકતી.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને પૂછે છે - મીઠા-મીઠા બાળકો, તમે પોતાનાં ભવિષ્યનું પુરુષોત્તમ મુખ,
પુરુષોત્તમ પહેરવેશ જુઓ છો? આ પુરુષોત્તમ સંગમયુગ છે ને. તમે અનુભવ કરો છો કે આપણે
ફરી નવી દુનિયા સતયુગમાં આમની વંશાવલીમાં જઈશું, જેને સુખધામ કહેવાય છે. ત્યાંનાં
માટે જ તમે હમણાં પુરુષોત્તમ બની રહ્યા છો. બેઠાં-બેઠાં આ વિચાર આવવો જોઈએ.
વિદ્યાર્થી જ્યારે ભણે છે તો તેમની બુદ્ધિમાં આ જરુર રહે છે-કાલે અમે આ બનીશું. એમ
તમે પણ જ્યારે અહીંયા બેસો છો તો પણ જાણો છો કે અમે વિષ્ણુની રાજધાનીમાં જઈશું.
તમારી બુદ્ધિ હવે અલૌકિક છે. બીજા કોઈ મનુષ્યની બુદ્ધિ માં આ વાતો રમણ નહીં કરતી હશે.
આ કોઈ સાધારણ સત્સંગ નથી. અહીંયા બેઠાં છો, સમજો છો સત બાબા જેમને શિવ કહે છે આપણે
તેમનાં સંગમાં બેઠાં છીએ. શિવબાબા જ રચયિતા છે, તે જ આ રચના નાં આદિ-મધ્ય-અંત ને
જાણે છે. તે જ આ નોલેજ આપે છે. જેમ ગઈ કાલની વાત સંભળાવે છે. અહીંયા બેઠા છો, આ તો
યાદ હશે ને - અમે આવ્યા છીએ રિઝ્યુવનેટ (પુન:શક્તિ સંચાર કરવાં) થવા અર્થાત્ આ શરીર
બદલી દૈવી શરીર લેવા. આત્મા કહે છે અમારું આ તમોપ્રધાન જુનું શરીર છે. આને બદલીને
આવું શરીર લેવાનું છે. કેટલું સહજ લક્ષ-હેતુ છે. ભણાવવાવાળા શિક્ષક જરુર ભણવાવાળા
વિદ્યાર્થીઓથી હોશિયાર હશે ને. ભણાવે છે, સારા કર્મ પણ શીખવાડે છે. હમણાં તમે સમજો
છો અમને ઊંચે થી ઊંચા ભગવાન ભણાવે છે તો જરુર દેવી-દેવતા જ બનાવશે. આ ભણતર છે જ નવી
દુનિયાને માટે. બીજા કોઈને નવી દુનિયાની જરા પણ ખબર નથી. આ લક્ષ્મી-નારાયણ નવી
દુનિયાનાં માલિક હતાં. દેવી-દેવતાઓ પણ તો નંબરવાર હશે ને. બધાં એક જેવા તો હોય પણ ન
શકે કારણકે રાજધાની છે ને. આ ખ્યાલાત તમારાં ચાલતા રહેવા જોઈએ. આપણે આત્મા હમણાં
પતિત થી પાવન બનવાનાં માટે પાવન બાપને યાદ કરીએ છીએ. આત્મા યાદ કરે છે પોતાનાં
સ્વીટ બાપને. બાપ પોતે કહે છે તમે મને યાદ કરશો તો પાવન સતોપ્રધાન બની જશો. બધો
આધાર યાદ ની યાત્રા પર છે. બાપ જરુર પૂછશે-બાળકો, મને કેટલો સમય યાદ કરો છો? યાદની
યાત્રામાં જ માયાનું યુદ્ધ ચાલે છે. તમે યુદ્ધ પણ સમજો છો. આ યાત્રા નથી પરંતુ જેમ
કે લડાઈ છે, આમાં જ બહુજ ખબરદાર રહેવાનું છે. નોલેજમાં માયાનાં તોફાન વગેરેની વાત
નથી. બાળકો કહે પણ છે બાબા અમે તમને યાદ કરીએ છીએ, પરંતુ માયાનું એક જ તોફાન નીચે
પાડી દે છે. નંબરવન તોફાન છે દેહ-અભિમાનનું. પછી છે કામ, ક્રોધ, લોભ, મોહ નું. બાળકો
કહે છે બાબા અમે ખુબ કોશિશ કરીએ છીએ યાદમાં રહેવાની, કોઈ વિઘ્ન ન આવે પરંતુ તો પણ
તોફાન આવી જાય છે. આજે ક્રોધનું, ક્યારેક લોભનું તોફાન આવ્યું. બાબા આજે અમારી
અવસ્થા ખુબ સારી રહી, કોઈ પણ તોફાન આખો દિવસ નથી આવ્યું. બહુજ ખુશી રહી. બાપને ખુબ
પ્રેમથી યાદ કર્યા. સ્નેહનાં આંસુ પણ આવતાં રહ્યા.બાપની યાદથી જ બહુજ મીઠા બની જશો.
એ પણ સમજે છે અમે માયાથી હાર ખાતાં-ખાતાં ક્યાં સુધી આવીને પહોંચ્યા છીએ. આ કોઈ સમજે
થોડી છે. મનુષ્ય તો લાખો વર્ષ કહી દે છે અથવા પરંપરા કહી દે. તમે કહેશો આપણે ફરીથી
હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએં. આ નોલેજ બાપ જ આવીને આપે છે. વિચિત્ર બાપ જ
વિચિત્ર નોલેજ આપે છે. વિચિત્ર નિરાકાર ને કહેવાય છે. નિરાકાર કેવી રીતે આ નોલેજ આપે
છે. બાપ પોતે સમજાવે છે હું કેવી રીતે આ તનમાં આવું છું. તો પણ મનુષ્ય મુંઝાય છે.
શું એક આજ તનમાં આવશે! પરંતુ ડ્રામામાં આ જ તન નિમિત્ત બને છે. જરા પણ પરિવર્તન થઇ
નથી શકતું. આ વાતો તમે જ સમજી ને બીજાઓને સમજાવો છો. આત્મા જ ભણે છે. આત્મા જ
શીખે-શીખવાડે છે. આત્મા બહુજ મુલ્યવાન છે. આત્મા અવિનાશી છે, ફક્ત શરીર ખતમ થાય છે.
આપણે આત્માઓ સ્વયંનાં પરમપિતા પરમાત્મા થી રચતા અને રચનાનું આદિ-મધ્ય-અંતનું ૮૪
જન્મોનું નોલેજ લઇ રહ્યા છીએ. નોલેજ કોણ લે છે? આપણે આત્મા. આપ આત્માઓએ જ નોલેજફુલ
બાપ થી મૂળવતન, સૂક્ષ્મવતન માં જવાનું છે. મનુષ્યોને ખબર જ નથી કે આપણે સ્વયંને
આત્મા સમજવાનું છે. મનુષ્ય તો પોતાને શરીર સમજી ઉલ્ટા લટકી પડયાં છે. ગાયન છે આત્મા
સત્ત, ચિત્ત, આનંદ સ્વરુપ છે. પરમાત્માની સૌથી વધારે મહિમા છે. એક બાપની કેટલી મહિમા
છે. તે જ દુઃખહર્તા, સુખકર્તા છે. મચ્છર વગેરેની તો આટલી મહિમા નહીં કરશે કે તે
દુ:ખહર્તા, સુખકર્તા, જ્ઞાનનાં સાગર છે. ના, આ છે બાપની મહિમા. આપ બાળકો પણ માસ્ટર
દુખહર્તા, સુખકર્તા છો. આપ બાળકોને પણ આ જ્ઞાન નહોતું, જેમ કે બાળક બુદ્ધિ હતાં.
બાળકોમાં જ્ઞાન નથી હોતું અને કોઈ અવગુણ પણ નથી હોતાં, એટલા માટે તેમને મહાત્મા
કહેવાય છે કારણ કે પવિત્ર છે. જેટલું નાનું બાળક એટલું નંબરવન ફૂલ. બિલ્કુલ જ જેમકે
કર્માતીત અવસ્થા છે. કર્મ-અકર્મ-વિકર્મને કંઈ પણ નથી જાણતાં, એટલે તે ફૂલ છે. બધાંને
કશિશ (આકર્ષિત) કરતાં રહે છે. જેમ એક બાપ બધાંને કશિશ કરે છે. બાપ આવ્યા જ છે બધાંને
કશિશ કરીને સુંગંધિત ફૂલ બનાવવાં. ઘણાં તો કાંટાનાં કાંટા જ રહી જાય છે. ૫ વિકારોનાં
વશીભૂત થવાવાળા ને કાંટા કહેવાય છે. નંબરવન કાંટો છે દેહ-અભિમાન નો, જેનાથી બીજા
કાંટાઓ નો જન્મ થાય છે. કાંટાનું જંગલ બહુજ દુઃખ આપે છે. જાત-જાતનાં કાંટા જંગલમાં
હોય છે ને એટલે આને દુઃખધામ કહેવાય છે. નવી દુનિયામાં કાંટા નથી હોતા એટલે તેને
સુખધામ કહેવાય છે. શિવબાબા ફૂલોનો બગીચો લગાવે છે, રાવણ કાંટાનું જંગલ લગાવે છે એટલે
રાવણને કાંટાની જાડીઓથી બાળે છે અને બાપ પર ફૂલ ચઢાવે છે. આ વાતોને બાપ જાણે અને
બાળકો જાણે બીજા ન જાણે કોઈ.
આપ બાળકો જાણો છો-ડ્રામામાં એક પાર્ટ બે વખત ચાલી ન શકે. બુદ્ધિમાં છે આખી દુનિયામાં
જે પાર્ટ ભજવાય છે તે એક-બીજા થી નવો. તમે વિચાર કરો સતયુગ થી લઈને હમણાં સુધી કેવી
રીતે દિવસ બદલાઈ જાય છે. બધી એક્ટિવિટી જ બદલાઈ જાય છે. ૫ હજાર વર્ષની એક્ટિવિટી નો
રેકોર્ડ આત્મા માં ભરેલો છે. તે ક્યારેય બદલાઈ ન શકે. દરેક આત્મામાં પોત-પોતાનો
પાર્ટ ભરેલો છે. આ નાનકડી વાત પણ કોઈની બુદ્ધિમાં આવી ન શકે. આ ડ્રામાનાં ભૂત,
વર્તમાન અને ભવિષ્યને તમે જાણો છો. આ સ્કૂલ છે ને. પવિત્ર બની બાપને યાદ કરવાનું
ભણતર બાપ ભણાવે છે. આ વાતો ક્યારેય વિચારી હતી કે બાપ આવીને આમ પતિત થી પાવન બનવાનું
ભણતર ભણાવશે! આ ભણતરથી જ આપણે વિશ્વનાં માલિક બનીશું! ભક્તિમાર્ગ નાં પુસ્તક જ અલગ
છે, તેને ક્યારેય ભણતર નથી કહેવાતું. જ્ઞાનનાં વગર સદ્દગતિ થાય પણ કેવી રીતે? બાપ
વગર જ્ઞાન ક્યાંથી આવે જેનાથી સદ્દગતિ થાય. સદ્દગતિમાં જ્યારે તમે હશો ત્યારે ભક્તિ
કરશો? ના, ત્યાં છે જ અપાર સુખ, પછી ભક્તિ શેનાં માટે કરીએ? આ જ્ઞાન હમણાં જ તમને
મળે છે. બધું જ્ઞાન આત્મામાં રહે છે. આત્માનો કોઈ ધર્મ નથી હોતો. આત્મા જ્યારે શરીર
ધારણ કરે છે પછી કહે છે ફલાણા આ-આ ધર્મના છે. આત્માનો ધર્મ શું છે? એક તો આત્મા
બિંદુ જેવી છે અને શાંત સ્વરુપ છે, શાંતિધામ માં રહે છે.
હમણાં બાપ સમજાવે છે બધાં બાળકોનો બાપ પર હક છે. ઘણાં બાળકો છે જે બીજા-બીજા ધર્મોમાં
રુપાંતર થઈ ગયા છે. તે પછી નીકળી ને પોતાના અસલી ધર્મમાં આવી જશે. જે દેવી-દેવતા
ધર્મ છોડી બીજા ધર્મમાં ગયા છે તે બધાં પત્તા પાછાં આવીને પોતાની જગ્યા પર આવી જશે.
તમારે પહેલાં-પહેલાં તો બાપનો પરિચય આપવાનો છે. આ વાતોમાં જ બધાં મૂંઝાયેલા છે. આપ
બાળકો સમજો છો હમણાં આપણને કોણ ભણાવે છે? બેહદનાં બાપ. કૃષ્ણ તો દેહધારી છે, આમને (બ્રહ્મા
બાબાને) પણ દાદા કહીશું. તમે બધાં ભાઈ-ભાઈ છો ને. પછી છે પદ ઉપર. ભાઈનું શરીર કેવું
છે, બહેનનું શરીર કેવું છે. આત્મા તો એક નાનો તારો છે. આટલું બધું નોલેજ એક નાનકડાં
તારા માં છે. તારો શરીર વગર વાત પણ નથી કરી શકતો. તારા ને પાર્ટ ભજવવાં માટે આટલાં
બધાં ઓર્ગન્સ (અંગો) મળેલા છે. આપ તારાઓ ની દુનિયા જ અલગ છે. આત્મા અહીંયા આવીને પછી
શરીર ધારણ કરે છે. શરીર નાનું-મોટું થાય છે. આત્મા જ પોતાનાં બાપને યાદ કરે છે. તે
પણ જ્યાં સુધી શરીર માં છે. ઘરમાં આત્મા બાપ ને યાદ કરશે? ના. ત્યાં કાંઈ પણ ખબર નથી
પડતી-આપણે ક્યાં છીએ! આત્મા અને પરમાત્મા બંને જ્યારે શરીર માં છે ત્યારે આત્માઓ અને
પરમાત્માનો મેળો કહેવાય છે. ગાયન પણ છે આત્મા અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ…. કેટલો
સમય અલગ રહ્યા? યાદ આવે છે-કેટલો સમય અલગ રહ્યા? સેકન્ડ-સેકન્ડ પસાર થતાં ૫ હજાર
વર્ષ વીતી ગયાં. પછી એક નંબર થી શરુ કરવાનું છે, એક્યુરેટ હિસાબ છે. હમણાં તમને કોઈ
પૂછે આમણે ક્યારે જન્મ લીધો હતો? તો તમે એક્યુરેટ બતાવી શકો છો. શ્રીકૃષ્ણ જ પહેલાં
નંબરમાં જન્મ લે છે. શિવનું તો કંઈ પણ મિનિટ, સેકન્ડ ન નીકાળી શકાય. કૃષ્ણનાં માટે
તિથિ-તારીખ, મિનિટ, સેકન્ડ નીકાળી શકાય છે. મનુષ્યોની ઘડિયાળમાં ફરક પડી શકે છે.
શિવબાબાનાં અવતરણમાં તો બિલ્કુલ ફરક નથી પડી શકતો. ખબર જ નથી પડતી ક્યારે આવ્યા? એવું
પણ નથી, સાક્ષાત્કાર થયો ત્યારે આવ્યાં. ના, અંદાજ લગાવી શકાય છે. મિનિટ-સેકન્ડનો
હિસાબ ન બતાવી શકાય. એમનું અવતરણ પણ અલૌકિક છે, એ આવે જ છે બેહદની રાતનાં સમયે. બાકી
બીજા જે પણ્ અવતરણ વગેરે થાય છે, એમની ખબર પડે છે. આત્મા શરીરમાં પ્રવેશ કરે છે.
નાનું શરીર ધારણ કરે છે પછી ધીમે-ધીમે મોટું થાય છે. શરીરની સાથે આત્મા બહાર આવે
છે. આ બધી વાતોનું વિચાર સાગર મંથન કરી પછી બીજાઓને સમજાવવાનું હોય છે. કેટલા
અસંખ્ય મનુષ્ય છે, એક ન મળે બીજાથી. કેટલો મોટો માંડવો છે. જેમ મોટો હોલ છે, જેમાં
બેહદનું નાટક ચાલે છે.
આપ બાળકો અહીંયા આવો છો નર થી નારાયણ બનવાં માટે. બાપ જે નવી સૃષ્ટિ રચે છે તેમાં
ઉંચુ પદ લેવાનાં માટે. બાકી આ જે જૂની દુનિયા છે તે તો વિનાશ થવાની છે. બાબા દ્વારા
નવી દુનિયાની સ્થાપના થઇ રહી છે. બાબાને પછી પાલના પણ કરવાની છે. જરુર જ્યારે આ
શરીર છોડે ત્યારે પછી સતયુગ માં નવું શરીર લઈને પાલના કરે. તેનાં પહેલા આ જુની
દુનિયાનો વિનાશ પણ થવાનો છે. ભંભોરને આગ લાગશે. અંતમાં આ ભારત જ રહેશે બાકી તો ખલાસ
થઈ જશે. ભારતમાં પણ થોડા બચશે. તમે હમણાં મહેનત કરી રહ્યા છો કે વિનાશનાં પછી સજાઓ
ન ખાઈએ, જો વિકર્મ વિનાશ નહિ થશે તો સજાઓ પણ ખાશે અને પદ પણ નહી મળશે. તમને જયારે
કોઈ પૂછે છે તમે કોની પાસે જાઓ છો? તો બોલો, શિવબાબા ની પાસે, જે બ્રહ્માનાં તનમાં
આવેલાં છે. આ બ્રહ્મા કોઈ શિવ નથી. જેટલું બાપને જાણશો તો બાપની સાથે પ્રેમ પણ રહેશે.
બાબા કહે છે બાળકો તમે બીજા કોઈને પ્રેમ નહીં કરો, બીજા સાથે પ્રેમ તોડી એક સાથે
જોડો. જેમ આશિક માશુક હોય છે ને. આ પણ એવું છે. ૧૦૮ સાચાં આશિક બને છે, તેમાં પણ ૮
સાચાં-સાચાં બને છે. ૮ ની પણ માળા હોય છે ને. ૯ રત્ન ગવાંયેલા છે. ૮ દાણા, ૯ માં
બાબા. મુખ્ય છે ૮ દેવતાઓ, પછી ૧૬,૧૦૮ શહજાદા શહજાદીઓનું કુટુંબ બને છે ત્રેતા અંત
સુધી. બાબા તો હથેળી પર બહિશ્ત દેખાડે છે. આપ બાળકોને નશો છે કે અમે તો સૃષ્ટિનાં
માલિક બનીએ છીએં. બાબાથી એવો સોદો કરવાનો છે. કહે છે કોઈ વિરલો વ્યાપારી આ સોદો કરે.
એવો કોઈ વ્યાપારી થોડી છે. તો બાળકો એવાં ઉમંગમાં રહો અમે જઈએ છે બાબાની પાસે.
ઉપરવાળા બાબા. દુનિયાને ખબર નથી, તે કહેશે કે એ તો અંતમાં આવે છે. હમણાં એ જ કળયુગ
નો અંત છે. તે જ ગીતા, મહાભારતનો સમય છે, એજ યાદવ જે મુશળ નીકાળી રહ્યા છે. તે જ
કૌરવોનું રાજ્ય અને એજ તમે પાંડવ ઊભા છો.
આપ બાળકો હમણાં ઘરે બેઠાં પોતાની કમાણી કરી રહ્યા છો. ભગવાન ઘેર બેઠાં આવેલાં છે
એટલે બાબા કહે છે કે પોતાની કમાણી કરી લો. આ હીરા જેવો જન્મ અમોલક ગાયેલો છે. હવે
આને કોડી માટે ખોવાનો નથી. હવે તમે આ આખી દુનિયાને રામરાજ્ય બનાવો છો. તમને શિવ થી
શક્તિ મળી રહી છે. બાકી આજકાલ ઘણાંની અકાળે મૃત્યું પણ થઈ જાય છે. બાબા બુદ્ધિનું
તાળું ખોલે છે અને માયા બુદ્ધિનું તાળું બંધ કરી દે છે. હમણાં તમને માતાઓને જ જ્ઞાન
નો કળશ મળેલો છે. અબલળાઓને બળ દેવાવાળા એ છે. આ જ જ્ઞાન અમૃત છે. શાસ્ત્રોનાં
જ્ઞાનને કોઇ અમૃત નથી કહેવાતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપની
કશિશ માં રહીને સુગંધિત ફૂલ બનવાનું છે. પોતાનાં સ્વીટ (મીઠા) બાપને યાદ કરી
દેહ-અભિમાન નાં કાંટાને બાળી દેવાનો છે.
2. આ હીરાતુલ્ય જન્મમાં અવિનાશી કમાણી જમા કરવાની છે, કોડીઓ માટે આને ખોવાનું નથી.
એક બાપ થી સાચો પ્રેમ કરવાનો છે, એક નાં સંગ માં રહેવાનું છે.
વરદાન :-
જૂનાં સ્વભાવ
- સંસ્કાર નાં બોજ ને સમાપ્ત કરી ડબલ લાઇટ રહેવાવાળા ફરિશ્તા ભવ
જયારે બાપ નાં બની ગયાં
તો બધો બોજ બાપને આપી દો. જૂનાં સ્વભાવ-સંસ્કાર નો થોડો બોજ પણ રહેલો હશે તો ઉપર થી
નીચે લઈ આવશે. ઉડતી કળા નો અનુભવ કરવા નહીં દેશે એટલે બાપદાદા કહે છે બધું આપી દો.
આ રાવણ ની મિલકત પોતાની પાસે રાખશો તો દુઃખ જ પામશો. ફરિશ્તા અર્થાત્ જરાપણ રાવણની
મિલકત ન હોય. બધાં જૂનાં ખાતા ભસ્મ કરો ત્યારે કહેશું ડબલ લાઈટ ફરિશ્તા.
સ્લોગન :-
નિર્ભય અને
હર્ષિતમુખ થઈ બેહદની રમતને જુઓ તો હલચલ માં નહીં આવશો.