20-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જો
શિવબાબા ની કદર છે તો એમની શ્રીમત પર ચાલતા રહો , શ્રીમત પર ચાલવું એટલે બાપની કદર
કરવી ”
પ્રશ્ન :-
બાળકો બાપ થી
પણ મોટા જાદુગર છે - કેવી રીતે?
ઉત્તર :-
ઊંચેથી ઊંચા બાપને પોતાનાં બાળક બનાવી દેવા, તન-મન-ધન થી બાપને વારીસ બનાવીને વારી
જવું - આ બાળકોની જાદુગરી છે. જે હમણાં ભગવાનને વારીસ બનાવે છે તે ૨૧ જન્મો નાં માટે
વારસા નાં અધિકારી બની જાય છે.
પ્રશ્ન :-
ટ્રીબ્યુનલ કયા
બાળકોનાં માટે બેસે છે?
ઉત્તર :-
જે દાન કરેલી ચીજને પાછી લેવાનો સંકલ્પ કરે, માયાનાં વશ થઈ ડિસસર્વિસ (કુસેવા) કરે
છે તેમનાં માટે ટ્રીબ્યુનલ બેસે છે.
ઓમ શાંતિ!
રુહાની
વિચિત્ર બાપ બેસી વિચિત્ર બાળકોને સમજાવે છે અર્થાત દૂરદેશ નાં રહેવાવાળા જેમને
પરમપિતા પરમાત્મા કહેવાય છે. બહુ-બહુજ દૂરદેશ થી આવીને આ શરીર દ્વારા તમને ભણાવે
છે. હવે જે ભણે છે તે ભણાવવા વાળા ની સાથે યોગ તો ઓટોમેટિકલી (આપોઆપ) રાખે છે. કહેવું
નથી પડતું કે હેં બાળકો, શિક્ષકથી યોગ રાખો અથવા તેમને યાદ કરો. ના, અહીંયા બાપ કહે
છે - હેં રુહાની બાળકો, આ તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે, એમની સાથે
યોગ રાખો અર્થાત બાપ ને યાદ કરો. આ છે વિચિત્ર બાબા. તમે ઘડી-ઘડી એમને ભૂલી જાઓ છો
એટલા માટે કહેવું પડે છે. ભણાવવા વાળાને યાદ કરવાથી તમારા પાપ ભસ્મ થઈ જશે. આ લો (કાયદો)
નથી કહેતો, જે શિક્ષક કહે મને જુઓ, આમાં તો મોટો ફાયદો છે. બાપ કહે છે ફક્ત મને યાદ
કરો. આ યાદનાં બળથી જ તમારા પાપ કપાવાનાં છે, આને કહેવાય છે યાદની યાત્રા. હવે
રુહાની વિચિત્ર બાપ બાળકોને જુએ છે. બાળકો પણ સ્વયંને આત્મા સમજી વિચિત્ર બાપ ને
યાદ કરે છે. તમે તો ઘડી-ઘડી શરીરમાં આવો છો. હું તો આખો કલ્પ શરીરમાં આવતો નથી હું
બસ સંગમયુગ પર જ બહુજ દૂર દેશથી આવું છું - આપ બાળકોને ભણાવવા. આ સારી રીતે યાદ
કરવાનું છે. બાબા આપણા બાપ, શિક્ષક અને સદ્દગુરુ છે. વિચિત્ર છે. તેમને પોતાનું
શરીર નથી, પછી આવે કેવી રીતે છે? કહે છે મારે પ્રકૃતિનો, મુખ નો આધાર લેવો પડે છે.
હું તો વિચિત્ર છું. તમે બધાં ચિત્રવાળા છો. મને રથ તો જરુર જોઈએ ને ઘોડા ગાડીમાં
તો નહી આવીશ ને. બાપ કહે છે હું તનમાં પ્રવેશ કરું છું, જે નંબરવન છે ફરી તેજ
નંબરલાસ્ટ બને છે. જે સતોપ્રધાન હતા તેજ તમોપ્રધાન બને છે. તો તેમને જ ફરી
સતોપ્રધાન બનાવવા માટે બાપ ભણાવે છે. સમજાવે છે આ રાવણ રાજ્યમાં ૫ વિકારો પર જીત
પામીને જગતજીત આપ બાળકોએ બનવાનું છે. બાળકો એ યાદ રાખવાનું છે કે આપણને વિચિત્ર બાપ
ભણાવે છે. બાપ ને યાદ નહીં કરો તો પાપ ભસ્મ કેવી રીતે થશે. આ વાતો પણ હમણાં સંગમયુગ
પર જ સાંભળો છો. એકવાર જે કંઈ થાય છે ફરી કલ્પ બાદ તેજ રિપીટ થશે. કેટલી સારી સમજણ
છે, આમાં બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ. આ કોઈ સાધુ-સંત વગેરેનો સત્સંગ નથી. એમને બાપ પણ
કહો છો, તો બાળક પણ કહો છો. તમે જાણો છો આ આપણા બાપ પણ છે, બાળક પણ છે. આપણે બધું જ
આ બાળકને વારસો આપીને અને બાપથી ૨૧ જન્મોનાં માટે વારસો લઈએ છીએ. કિચડપટ્ટી બધું
આપીને બાપથી આપણે વિશ્વની બાદશાહી લઈએ છીએ. કહે છે બાબા અમે ભક્તિમાર્ગમાં કહ્યું
હતું કે જ્યારે તમે આવશો તો અમે તમારા પર તન-મન-ધન સહિત વારી જઈશું. લૌકિક બાપ પણ
બાળકો પર વારી જાય છે ને. તો અહીંયા તમને આ કેવા વિચિત્ર બાપ મળ્યા છે, એમને યાદ કરો
તો તમારા પાપ ભસ્મ થશે અને પોતાનાં ઘરે ચાલ્યા જશો. કેટલી લાંબી મુસાફરી છે. બાપ આવે
જુઓ ક્યાં છે! જૂનાં રાવણ રાજ્યમાં. કહે છે મારી તકદીરમાં પાવન શરીર મળવાનું છે નહીં.
પતિતો ને પાવન બનાવવા કેવી રીતે આવું. મારે પતિત દુનિયામાં જ આવીને બધાને પાવન
બનાવવા પડે છે. તો આવા શિક્ષક ની કદર પણ રાખવી જોઈએ ને. બહુજ છે જે કદર જાણતા જ નથી.
આ પણ ડ્રામા માં થવાનું જ છે. રાજધાની માં તો બધાં જોઈએ ને નંબરવાર. તો બધાં
પ્રકારનાં અહીયાં જ બને છે. ઓછું પદ પામવા વાળા નો આ હાલ થશે. ન ભણશે, ન બાપની યાદમાં
રહેશે. આ બહુ જ વિચિત્ર બાપ છે ને, એમની ચલન પણ અલૌકિક છે. એમનો પાર્ટ બીજા કોઈને
મળી ન શકે. આ બાપ આવીને તમને કેટલું ઊંચું ભણતર ભણાવે છે, તો એમની કદર પણ રાખવી
જોઈએ. એમની શ્રીમત પર ચાલવું જોઈએ. પરંતુ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. માયા એટલી
જબરદસ્ત છે જે સારા-સારા બાળકોને પાડી દે છે. બાપ કેટલા ધનવાન બનાવે છે પરંતુ માયા
એકદમ માથું ફેરવી દે છે. માયાથી બચવું હોય તો બાપને જરુર યાદ કરવા પડે. બહુ જ સારા
બાળકો છે જે બાપનાં બનીને પછી માયાનાં બની જાય છે, વાત નહીં પૂછો, પાક્કા ટ્રેટર (દગાબાજ)
બની જાય છે. માયા એકદમ નાક થી પકડી લે છે. અક્ષર પણ છે ને - ગજને ગ્રાહએ ખાધો. પરંતુ
તેનો અર્થ કોઈ નથી સમજતા. બાપ દરેક વાત સારી રીતે સમજાવે છે. ઘણા બાળકો સમજે પણ છે
પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈને તો જરા પણ ધારણા નથી થતી. બહુ જ ઊંચું ભણતર
છે ને. તો તેની ધારણા કરી નથી શકતા. બાપ કહેશે તેમની તકદીરમાં રાજ્ય-ભાગ્ય નથી. કોઈ
અક નાં ફૂલ છે, કોઈ સુગંધિત ફૂલ છે. વેરાઈટી બગીચો છે ને. એવા પણ તો જોઈએ ને.
રાજધાની માં તમને નોકર-ચાકર પણ મળશે. નહીં તો નોકર-ચાકર કેવી રીતે મળશે. રાજાઈ તો
અહીંયા જ બને છે. નોકર, ચાકર, ચંડાળ વગેરે બધાં મળશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે.
વન્ડર છે. બાપ તમને આટલા ઊંચ બનાવે છે તો આવાં બાપને યાદ કરતા પ્રેમનાં આંસૂ વહેવા
જોઈએ.
તમે માળાનાં દાણા બનો છો ને. કહે છે બાબા તમે કેટલા વિચિત્ર છો. કેવી રીતે આવીને
અમને પતિતો ને તમે પાવન બનાવવા માટે ભણાવો છો. ભક્તિમાર્ગમાં ભલે શિવની પૂજા કરે છે
પરંતુ સમજે થોડી છે કે આ પતિત-પાવન છે છતાં પણ પુકારતા રહે છે - હેં પતિત-પાવન આવો,
આવીને અમને ગુલ-ગુલ દેવી-દેવતા બનાવો. બાળકોનાં ફરમાન ને બાપ માને છે અને જ્યારે આવે
છે તો કહે છે - બાળકો, પવિત્ર બનો. આનાં પર જ હંગામા થાય છે. બાપ વન્ડરફુલ છે ને.
બાળકોને કહે છે મને યાદ કરો તો પાપ કપાય. બાપ જાણે છે આપણે આત્માઓ થી વાત કરીએ છીએ.
બધું આત્મા જ કરે છે, વિકર્મ આત્મા જ કરે છે. આત્મા જ શરીર દ્વારા ભોગવે છે. તમારા
માટે તો ટ્રીબ્યુનલ બેસશે. ખાસ તે બાળકો માટે જે સર્વિસ લાયક બનીને પછી ટ્રેટર બની
જાય છે. આ તો બાપ જ જાણે છે, કેવી રીતે માયા હપ કરી લે છે. બાબા અમે હાર ખાઈ લીધી,
કાળું મોઢું કરી લીધું..... હવે ક્ષમા કરો. હમણાં પડ્યાં અને માયાનાં બન્યા પછી
ક્ષમા શેની. તેમને તો પછી બહુજ-બહુજ મહેનત કરવી પડે. ઘણાં છે જે માયાથી હારી જાય
છે. બાપ કહે છે - અહીંયા બાપ પાસે દાન આપીને જાઓ પછી પાછું નહીં લેતા. નહીં તો ખલાસ
થઈ જશે. હરિશ્ચંદ્ર નું ઉદાહરણ છે ને. દાન આપીને પછી બહુજ ખબરદાર રહેવાનું છે. પાછું
લઈ લીધું તો સો-ગણો દંડ પડી જાય છે. પછી બહુ જ હલકું પદ પામશે. બાળકો જાણે છે આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. બીજા જે ધર્મ સ્થાપન કરે છે તેમની પહેલા રાજાઈ નથી ચાલતી.
રાજાઈ તો ત્યારે હોય જ્યારે ૫૦-૬૦ કરોડ હોય, ત્યારે લશ્કર બને. શરુમાં તો આવે જ છે
એક-બે, પછી વૃદ્ધિને પામે છે. તમે જાણો છો ક્રાઈસ્ટ પણ કોઇ વેષમાં આવશે. બેગરરુપ
માં પહેલા નંબરવાળા ફરી જરુર લાસ્ટ નંબરમાં હશે. ક્રિશ્ચન લોકો ઝટ કહેશે બરાબર
ક્રાઈસ્ટ આ સમયે બેગર રુપમાં છે. સમજે છે પુનર્જન્મ તો લેવાનો જ છે. તમોપ્રધાન તો
જરુર દરેકને બનવાનું છે. આ સમયે આખી દુનિયા તમોપ્રધાન જડ-જડીભૂત છે. આ જૂની દુનિયા
નો વિનાશ જરુર થવાનો છે. ક્રિશ્ચન લોકો પણ કહેશે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં
હેવેન (સ્વર્ગ) હતું પછી જરુર હવે થશે. પરંતુ આ વાતો સમજાવે કોણ. બાપ કહે છે હમણાં
તે અવસ્થા બાળકોની ક્યાં છે. ઘડી-ઘડી લખે છે અમે યોગમાં નથી રહી શકતા. બાળકોની
એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજી જાય છે. બાબાને સમાચાર આપવાથી પણ ડરે છે. બાપ તો
બાળકોને કેટલો પ્રેમ કરે છે. પ્રેમથી નમસ્તે કરે છે. બાળકોમાં તો અહંકાર રહે છે.
સારા-સારા બાળકોને માયા ભુલાવી દે છે. બાબા સમજી શકે છે, કહે છે હું નોલેજફુલ છું.
જાની-જાનનહાર નો મતલબ એ નથી કે હું બધાંનાં મનને જાણું છું. હું આવ્યો છું જ ભણાવવા
નહી કે રીડ કરવા (જાણવા). હું કોઈને રીડ નથી કરતો, તો આ સાકાર (બ્રહ્મા) પણ રીડ નથી
કરતા. એમને બધું કંઈ ભુલવાનું છે. રીડ પછી શું કરશે. તમે અહીંયા આવો જ છો ભણવા.
ભક્તિમાર્ગ જ અલગ છે. આ પણ પડવાનો ઉપાય જોઈએ ને. આ વાતો થી જ તમે પડો છો. આ ડ્રામા
નો ખેલ બનેલો છે. ભક્તિમાર્ગનાં શાસ્ત્ર વાંચતા-વાંચતા તમે નીચે ઉતરતા તમોપ્રધાન બનો
છો. હમણાં તમારે આ છી-છી દુનિયામાં બિલકુલ રહેવાનું નથી. કલયુગ થી પછી સતયુગ આવવાનું
છે. હમણાં છે આ સંગમયુગ. આ બધી વાતો ધારણ કરવાની છે. બાપ જ સમજાવે છે બાકી તો આખી
દુનિયાની બુદ્ધિ પર ગોદરેજ નું તાળું લાગેલું છે. તમે સમજો છો આ દૈવીગુણ વાળા હતા
તેજ ફરી આસુરી ગુણવાળા બને છે. બાપ સમજાવે છે હવે ભક્તિમાર્ગની વાતો બધી ભૂલી જાઓ.
હવે હું જે સંભળાવું છું, તે સાંભળો, હિયરનો ઈવિલ...... હવે મુજ એકથી સાંભળો. હમણાં
હું તમને તારવા આવ્યો છું.
તમે છો ઈશ્વરીય સંપ્રદાય. પ્રજાપિતા બ્રહ્માનાં મુખકમળ થી તમે પેદા થાઓ છો ને, આટલા
બધાં એડોપ્ટેડ (દત્તક) બાળકો છો. તેમને આદિદેવ કહેવાય છે. મહાવીર પણ કહે છે. આપ
બાળકો મહાવીર છો ને - જે યોગબળ થી માયા પર જીત પામો છો. બાપ ને કહેવાય છે જ્ઞાન નાં
સાગર. જ્ઞાન સાગર બાપ તમને અવિનાશી જ્ઞાન રત્નોની થાળીઓ ભરીને આપે છે. તમને માલામાલ
બનાવે છે. જે જ્ઞાન ધારણ કરે છે તે ઉચ્ચ પદ પામે છે, જે ધારણા નથી કરતા તે જરુર ઓછું
પદ પામશે. બાપથી તમે કારુન નો ખજાનો પામો છો. અલ્લાહ અવલદિન ની પણ કથા છે ને. તમે
જાણો છો ત્યાં આપણને કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી. ૨૧ જન્મોનાં માટે વારસો બાપ આપી
દે છે. બેહદનાં બાપ બેહદનો વારસો આપે છે. હદનો વારસો મળવા છતાં પણ બેહદનાં બાપને
યાદ જરુર કરે છે - હેં પરમાત્મા રહેમ કરો, કૃપા કરો. આ કોઈને ખબર થોડી છે, એ શું
આપવાવાળા છે. હમણાં તમે સમજો છો બાબા તો આપણ ને વિશ્વનાં માલિક બનાવે છે. ચિત્રોમાં
પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, બ્રહ્મા સામે બેઠા છે સાધારણ. સ્થાપના કરશે તો જરુર
તેમને જ બનાવશે ને. બાપ કેટલું સરસ રીતે સમજાવે છે. તમે પૂરું સમજાવી નથી શકતા.
ભક્તિમાર્ગમાં શંકરની આગળ જઈને કહે છે - ભરી દો ઝોળી. આત્મા કહે છે અમે કંગાળ છીએ.
અમારી ઝોળી ભરો, અમને આવા બનાવો. હમણાં તમે ઝોળી ભરવા માટે આવ્યા છો. કહે છે અમે તો
નર થી નારાયણ બનવા ઈચ્છીએ છીએ. આ ભણતર જ નર થી નારાયણ બનવાનું છે. જૂની દુનિયામાં
આવવાનું દિલ કોનું થશે! પરંતુ નવી દુનિયામાં તો બધાં નહિ આવશે. કોઈ ૨૫ ટકા જૂની
દુનિયા માં આવશે કોઈ ખોટ તો પડશે ને. થોડો પણ કોઈને મેસેજ આપતા રહેશે તો તમે
સ્વર્ગનાં માલિક જરુર બનશે. હમણાં નર્કનાં માલિક પણ બધાં છે ને. રાજા, રાણી, પ્રજા
બધાં માલિક છે. ત્યાં હતા ડબલ સિરતાજ. હમણાં તે નથી. આજકાલ તો ધર્મ વગેરે ને કોઈ
માનતું નથી. દેવી-દેવતા ધર્મ જ ખતમ થઈ ગયો છે. ગવાય પણ છે રિલીજન ઈઝ માઈટ (ધર્મમાં
શક્તિ છે), ધર્મને ન માનવાનાં કારણે તાકાત નથી રહી. બાપ સમજાવે છે - મીઠા-મીઠા બાળકો,
તમે જ પૂજ્ય થી પૂજારી બનો છો. ૮૪ જન્મ લો છો ને. હમ સો બ્રાહ્મણ, સો દેવતા પછી સો
ક્ષત્રિય....... બુદ્ધિમાં આ બધું ચક્ર આવે છે ને. આ ૮૪નું ચક્ર આપણે લગાવતા જ રહીએ
છીએ હવે ફરી પાછું ઘરે જવાનું છે. પતિત કોઈ જઈ ન શકે. આત્મા જ પતિત અથવા પાવન બને
છે. સોનામાં ખાદ પડે છે. દાગીના માં નથી પડતી, આ છે જ્ઞાન અગ્નિ જેનાથી બધી ખાદ
નિકળી તમે પાકું સોનું બની જશો પછી દાગીના પણ તમને સારા મળશે. હમણાં આત્મા પતિત છે
તો પાવન ની આગળ નમન કરે છે. કરે તો બધું જ કંઈ આત્મા છે ને. હવે બાપ સમજાવે છે -
બાળકો, ફક્ત મામેકમ યાદ કરો તો બેડો પાર થઇ જશે. પવિત્ર બની પવિત્ર દુનિયામાં ચાલ્યા
જશો. હવે જે જેટલો પુરુષાર્થ કરશે. બધાંને આ પરિચય આપતા રહો. તે છે હદનાં બાપ, આ છે
બેહદનાં બાપ. સંગમ પર જ બાપ આવે છે સ્વર્ગનો વારસો આપવા. તો આવા બાપ ને યાદ કરવા પડે
ને. શિક્ષકને ક્યારે વિદ્યાર્થી ભૂલે છે શું! પરંતુ અહીંયા માયા ભુલાવતી રહેશે. બહુ
જ ખબરદાર રહેવાનું છે. યુદ્ધનું મેદાન છે ને. બાપ કહે છે હવે વિકારમાં નહીં જાઓ,
ગંદા નહીં બનો. હવે તો સ્વર્ગમાં ચાલવાનું છે. પવિત્ર બનીને જ પવિત્ર નવી દુનિયાનાં
માલિક બનશો. તમને વિશ્વની બાદશાહી આપું છું. ઓછી વાત છે શું. ફક્ત આ એક જન્મ પવિત્ર
બનો. હવે પવિત્ર નહીં બનશો તો નીચે પડી જશો. ટેમ્પટેશન (આકર્ષણ) બહુ જ છે. કામ પર
જીત પામવાથી તમે જગત નાં માલિક બનશો. તમે ચોખ્ખું કહી શકો છો પરમપિતા પરમાત્મા જ
જગતગુરુ છે જે આખા જગત ને સદ્દ્ગતિ દે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન રત્નો થી બુદ્ધિ રુપી ઝોળી ભરીને માલામાલ બનવાનું છે. કોઈ પણ પ્રકાર નો
અહંકાર નથી દેખાડવાનો.
2. સર્વિસ લાયક બનીને પછી ક્યારેય ટ્રેટર (દગાબાજ) બની ડિસસર્વિસ નથી કરવાની. દાન
દીધા પછી બહુજ ખબરદાર રહેવાનું છે, ક્યારેય પાછું લેવાનો ખ્યાલ ન આવે.
વરદાન :-
બ્રાહ્મણ
જીવનમાં એક વ્રતા નાં પાઠ દ્વારા રુ હાની રોય લ્ટી માં રહેવાવાળા સંપૂર્ણ પવિત્ર ભવ
:
આ બ્રાહ્મણ જીવનમાં
એકવ્રતા નો પાઠ પાક્કો કરી પ્યોરીટી ની રોયલ્ટી ને ધારણ કરી લો તો આખા કલ્પમાં
રુહાની રોયલ્ટી ચાલતી રહેશે. તમારી રુહાની રોયલ્ટી અને પ્યોરીટી ની ચમક પરમધામ માં
સર્વ આત્માઓ માં શ્રેષ્ઠ છે. આદિ કાળ દેવતા સ્વરુપમાં પણ આ પર્સનાલિટી વિશેષ રહી
છે, પછી મધ્યકાળમાં પણ તમારા ચિત્રોની વિધિપૂર્વક પૂજા થાય છે. આ સંગમયુગ પર
બ્રાહ્મણ જીવનનો આધાર પ્યોરીટી ની રોયલ્ટી છે એટલે જ્યાં સુધી બ્રાહ્મણ જીવનમાં
જીવવાનું છે ત્યાં સુધી સંપૂર્ણ પવિત્ર રહેવાનું જ છે.
સ્લોગન :-
તમે સહનશીલતા
નાં દેવ અને દેવી બનો તો ગાળો દેવાવાળા પણ ગળે લગાવશે.