12-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - બાપની
એક નજર મળવાથી આખા વિશ્વનાં મનુષ્ય માત્ર નિહાલ થઈ જાય છે, એટલે કહેવાય છે નજર થી
નિહાલ.”
પ્રશ્ન :-
આપ બાળકોનાં
દિલમાં ખુશીનાં નગારા વાગવા જોઈએ - શા માટે?
ઉત્તર :-
કારણ કે તમે
જાણો છો - બાબા આવ્યા છે બધાંને સાથે લઇ જવા. હવે આપણે આપણા બાપની સાથે ઘરે જઈશું.
હાહાકાર નાં પછી જયજયકાર થવાનો છે. બાપની એક નજરથી આખા વિશ્વને મુક્તિ-જીવનમુક્તિ
નો વારસો મળવાનો છે. આખું વિશ્વ નિહાલ થઇ જશે.
ઓમ શાંતિ!
રુહાની શિવબાબા
બેસી પોતાનાં રુહાની બાળકોને સમજાવે છે. આ તો જાણો છો કે ત્રીજું નેત્ર પણ હોય છે.
બાપ જાણે છે આખી દુનિયાની જે પણ આત્માઓ છે, બધાંને હું વારસો આપવા આવ્યો છું. બાપનાં
દિલમાં તો વારસો જ યાદ હશે. લૌકિક બાપનાં દિલમાં પણ વારસો જ યાદ હશે. બાળકોને વારસો
આપશે. બાળક નથી હોતું તો મૂંઝાય છે, કોને આપીએ. પછી એડોપ્ટ (દત્તક) લઈ લે છે. અહીં
તો બાપ બેઠા છે, એમની તો આખી દુનિયાની જે પણ આત્માઓ છે, બધાં તરફ નજર જાય છે. જાણે
છે બધાંને મારે વારસો આપવાનો છે. ભલે બેઠા અહીં છે પરંતુ નજર આખા વિશ્વ પર અને આખા
વિશ્વનાં મનુષ્ય માત્ર પર છે કારણ કે આખા વિશ્વને જ નિહાલ કરવાનું હોય છે. બાપ
સમજાવે છે આ છે પુરુષોત્તમ સંગમયુગ. તમે જાણો છો બાબા આવેલા છે બધાંને શાંતિધામ,
સુખધામ લઈ જવા. બધાં નિહાલ થઈ જવાનાં છે. ડ્રામાનાં પ્લાન અનુસાર કલ્પ-કલ્પ નિહાલ
થઈ જશે. બાપ બધાં બાળકોને યાદ કરે છે. નજર તો જાય છે ને. બધાં નહીં ભણશે. ડ્રામા
પ્લાન અનુસાર બધાંએ પાછા જવાનું છે કારણકે નાટક પૂરું થાય છે. થોડું આગળ ચાલશે તો
પોતે પણ સમજી જશે હવે વિનાશ થાય છે. હવે નવી દુનિયા ની સ્થાપના થવાની છે કારણ કે
આત્મા તો છતાં પણ ચૈતન્ય છે ને. તો બુદ્ધિમાં આવી જશે - બાપ આવેલા છે. પેરેડાઇઝ (વૈકુંઠ)
સ્થાપન થશે અને આપણે શાંતિધામમાં ચાલ્યા જઈશું. બધાંની ગતિ થશે ને. બાકી તમારી
સદ્દ્ગતિ થશે. હમણાં બાબા આવેલા છે. આપણે સ્વર્ગમાં જઈશું. જયજયકાર થઈ જશે. હમણાં
તો બહુ જ હાહાકાર છે. ક્યાંક અકાળ પડી રહ્યો છે, ક્યાંક લડાઈ ચાલી રહી છે, ક્યાંક
ભૂકંપ થાય છે. હજારો મરતા રહે છે. મોત તો થવાનું જ છે. સતયુગમાં આ વાતો હોતી નથી.
બાપ જાણે છે હવે હું આવું છું ફરી આખા વિશ્વમાં જયજયકાર થઇ જશે. હું ભારતમાં જ જઈશ.
આખા વિશ્વમાં ભારત જેમ કે ગામ છે. બાબા માટે તો ગામ થયું. બહુ જ થોડા મનુષ્ય હશે.
સતયુગમાં આખું વિશ્વ જાણે એક નાનકડું ગામ હતું. હવે તો કેટલી વૃદ્ધિ થઈ ગઈ છે. બાપની
બુદ્ધિમાં તો બધું છે ને. હવે આ શરીર દ્વારા બાળકોને સમજાવી રહ્યા છે. તમારો
પુરુષાર્થ એજ ચાલે છે જે કલ્પ-કલ્પ ચાલ્યો છે. બાપ પણ કલ્પવૃક્ષનાં બીજરુપ છે. આ
છે. કોર્પોરિયલ (સાકારી) ઝાડ. ઉપર માં છે ઇનકોર્પોરિયલ (નિરાકારી) ઝાડ. તમે જાણો છો
આ કેવી રીતે બનેલું છે. આ સમજ બીજા કોઈ મનુષ્યમાં નથી. બેસમજ અને સમજદાર માં ફર્ક
જુઓ. ક્યાં સમજદાર સ્વર્ગમાં રાજ્ય કરતા હતા, એને કહેવાય જ છે સચખંડ, હેવિન (સ્વર્ગ).
હવે આપ બાળકોને અંદરમાં બહુ જ ખુશી થવી જોઈએ. બાબા આવેલાં છે, આ જૂની દુનિયા તો
જરુર બદલાશે. જેટલો-જેટલો જે પુરુષાર્થ કરશે, એટલું પદ પામશે. બાપ તો ભણાવી રહ્યા
છે. આ તમારી સ્કુલ તો બહુ જ વૃદ્ધિને પામતી રહેશે. બહુજ બધાં થઈ જશે. બધાંની સ્કૂલ
એક સાથે થોડી હશે. આટલા રહેશે ક્યાં. આપ બાળકોને યાદ છે - હવે આપણે જઈએ છે સુખધામ.
જેમ કોઈ પણ વિલાયતમાં જાય છે તો ૮-૧૦ વર્ષ જઈને રહે છે ને. પછી આવે છે ભારતમાં.
ભારત તો ગરીબ છે. વિદેશવાળા ને અહિયાં સુખ નહીં મળે. આમ તો આપ બાળકોને પણ અહીં સુખ
નથી. તમે જાણો છો આપણે બહુ જ ઊંચું ભણતર ભણી રહ્યા છીએ, જેનાંથી આપણે સ્વર્ગનાં
માલિક દેવતા બનીએ છીએ. ત્યાં કેટલું સુખ હશે. એ સુખને બધાં યાદ કરે છે. આ ગામ (કળયુગ)
તો યાદ પણ ન આવી શકે, આમાં તો અથાહ દુઃખ છે. આ રાવણ રાજ્ય, પતિત દુનિયામાં આજે
અપરંપાર દુઃખ છે કાલે ફરી અપરંપાર સુખ હશે. આપણે યોગબળ થી અથાહ સુખવાળી દુનિયા
સ્થાપન કરી રહ્યા છીએ. આ રાજયોગ છે ને. બાપ પોતે કહે છે હું તમને રાજાઓનાં રાજા
બનાવું છું. તો આવા બનાવવાવાળા શિક્ષકને યાદ કરવા જોઈએ ને. શિક્ષક વગર બેરિસ્ટર,
એન્જિનિયર વગેરે થોડી બની શકાય છે. આ પછી છે નવી વાત. આત્માઓને યોગ લગાડવાનો છે
પરમાત્મા બાપની સાથે, જેમનાંથી જ બહુ સમય અલગ રહ્યા છીએ. બહુકાળ શું? એ પણ બાપ પોતે
જ સમજાવતા રહે છે. મનુષ્ય તો લાખો વર્ષ આયુ કહી દે છે. બાપ કહે છે – ના, આ તો દર ૫
હજાર વર્ષ પછી તમે જે પહેલા-પહેલા વિખૂટા થયા છો એ જ આવીને બાપ થી મળે છે. તમારે જ
પુરુષાર્થ કરવાનો છે. મીઠા-મીઠા બાળકોને કોઈ તકલીફ નથી દેતા, ફક્ત કહે છે સ્વયંને
આત્મા સમજો. જીવ આત્મા છે ને. આત્મા અવિનાશી છે. જીવ વિનાશી છે. આત્મા એક શરીર છોડી
બીજુ લે છે, આત્મા ક્યારેય જૂની નથી થતી. વન્ડર છે ને. ભણાવવા વાળા પણ વન્ડરફુલ,
ભણતર પણ વન્ડરફુલ છે. કોઈને પણ યાદ નથી, ભૂલી જાય છે. આગળનાં જન્મમાં શું ભણતા હતા,
કોઈને યાદ છે શું? આ જન્મમાં તમે ભણો છો, રિજલ્ટ (પરિણામ) નવી દુનિયામાં મળે છે. આ
ફક્ત આપ બાળકોને ખબર છે. આ યાદ રહેવું જોઈએ - હમણાં આ પુરુષોત્તમ સંગમયુગ છે, આપણે
નવી દુનિયામાં જવાનાં છીએ. આ યાદ રહે તો પણ તમને બાપની યાદ રહેશે. યાદ માટે બાપ
અનેક ઉપાય બતાવે છે. બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. ત્રણે રુપમાં યાદ કરો.
કેટલી યુક્તિઓ આપતા રહે છે યાદ કરવાની. પરંતુ માયા ભુલાવી દે છે. બાપ જે નવી દુનિયા
સ્થાપન કરે છે, બાપએ જ બતાવ્યું છે આ પુરુષોત્તમ સંગમયુગ છે, આ યાદ કરો છતાં પણ યાદ
કેમ નથી કરતા કરી શકતા! યુક્તિઓ બતાવે છે યાદની. પછી સાથે-સાથે કહે પણ છે માયા બહુ
જ દુશ્તર છે. ઘડી-ઘડી તમને ભૂલાવશે અને દેહ-અભિમાની બનાવી દેશે એટલે જેટલું બની શકે
યાદ કરતા રહો. ઉઠતા-બેસતા, ચાલતા-ફરતા દેહનાં બદલે સ્વયંને દેહી સમજો. આ છે મહેનત.
નોલેજ તો બહુજ સહજ છે. બધાં બાળકો કહે છે યાદ રહેતી નથી. તમે બાપ ને યાદ કરો છો,
માયા પછી પોતાની તરફ ખેંચી લે છે. આનાં પર જ આ ખેલ બનેલો છે. તમે પણ સમજો છો અમારો
બુદ્ધિયોગ જે બાપની સાથે અને ભણવાનાં વિષયમાં હોવો જોઈએ, એ નથી, ભૂલી જઈએ છે. પરંતુ
તમારે ભૂલવું ન જોઈએ. હકીકતમાં આ ચિત્રોની પણ દરકાર નથી. પરંતુ ભણાવતા સમયે કંઇક તો
આગળ જોઈએ ને. કેટલા ચિત્ર બનતા રહે છે. પાંડવ ગવર્મેન્ટનાં પ્લાન જુઓ કેવા છે. એ
ગવર્મેન્ટનાં પણ પ્લાન છે. તમે સમજો છો નવી દુનિયામાં ફક્ત ભારત જ હતું, બહુજ નાનું
હતું. આખું ભારત વિશ્વનું માલિક હતું. એવરીથિંગ ન્યુ (બધું જ નવું) હોય છે. દુનિયા
તો એક જ છે. એક્ટર્સ પણ એ જ છે, ચક્ર ફરતું જાય છે. તમે ગણતરી કરશો, આટલી સેકન્ડ,
આટલા કલાક, દિવસ, વર્ષ પુરા થયા પછી ચક્ર ફરતું રહેશે. આજકાલ કરતા-કરતા ૫ હજાર વર્ષ
પૂરા થઈ ગયા છે. બધાં દ્રશ્યો, ખેલ-પાલ થતા આવે છે. કેટલુ મોટું બેહદનું ઝાડ છે.
ઝાડનાં પત્તા તો ગણી ન શકાય. આ ઝાડ છે. એનું ફાઉન્ડેશન (પાયો) દેવી-દેવતા ધર્મ છે,
પછી આ ત્રણ ધર્મ મુખ્ય નિકળેલા છે. બાકી ઝાડનાં પત્તા તો કેટલા અસંખ્ય છે. કોઇની
તાકાત નથી જે ગણતરી કરી શકે. આ સમયે બધાં ધર્મોનાં ઝાડ વૃદ્ધિને પામી ચૂક્યા છે. આ
બેહદનું મોટું ઝાડ છે. આ બધાં ધર્મ પછી નહીં રહેશે. હમણાં આખું ઝાડ ઉભું છે, બાકી
ફાઉન્ડેશન છે નહીં. બનેન ટ્રી (વડનું ઝાડ) નું ઉદાહરણ એકદમ એક્યુરેટ (બરાબર) છે. આ
એક જ વન્ડરફુલ ઝાડ છે, બાપએ ઉદાહરણ પણ ડ્રામામાં આ રાખ્યું છે સમજાવવા માટે.
ફાઉન્ડેશન છે નહીં. તો આ સમજની વાત છે. બાપ એ તમને કેટલા સમજદાર બનાવ્યા છે. હવે
દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં. બાકી કંઈક નિશાનીઓ છે - લોટમાં જાણે મીઠું. પ્રાય:
આ નિશાનીઓ બાકી રહી છે. તો બાળકોની બુદ્ધિમાં આ બધું જ્ઞાન આવવું જોઈએ. બાપની પણ
બુદ્ધિ માં નોલેજ છે ને. તમને પણ બધું નોલેજ આપી આપ સમાન બનાવી રહ્યા છે. બાપ
બીજરુપ છે અને આ ઊલટું ઝાડ છે. આ મોટો બેહદનો ડ્રામા છે. હવે તમારી બુદ્ધિ ઉપર ચાલી
ગઈ છે. તમે બાપને અને રચનાંને જાણી લીધું છે. ભલે શાસ્ત્રોમાં છે ઋષિ-મુનિ કેવી રીતે
જાણશે. એક પણ જાણતા હોત તો પરંપરા ચાલે. દરકાર જ નથી. જ્યારે સદ્દ્ગતિ થઈ જાય છે,
વચમાં કોઈ પણ પાછાં નથી જઈ શકતા. નાટક પૂરું થાય ત્યાં સુધી બધાં એક્ટર્સ અહીં જ
હોય છે, જ્યાં સુધી બાપ અહીં છે, જ્યારે ત્યાં બિલકુલ ખાલી થઈ જાય છે ત્યારે તો
શિવબાબા ની બારાત (જાન) જશે. પહેલાથી તો નહીં જઈને બેસશે. તો બધું જ્ઞાન બેસીને આપે
છે. આ દુનિયાનું ચક્ર કેવી રીતે રિપીટ થાય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ.. પછી
સંગમ હોય છે. ગાયન છે પરંતુ સંગમયુગ ક્યારે હોય છે, એ કોઈને ખબર નથી. આપ બાળકો સમજી
ગયા છો – ૪ યુગ છે. આ છે લીપયુગ, આને મિડગેટ (વચલો દરવાજો) કહેવાય છે. કૃષ્ણને પણ
મિડગેટ દેખાડે છે. તો આ છે નોલેજ. નોલેજ ને તોડી-ફોડીને ભક્તિમાં શું બનાવી દીધું
છે. જ્ઞાનનું બધું સૂત મુંઝાયેલું છે. એમને સમજાવવા વાળા તો એક જ બાપ છે. પ્રાચીન
રાજયોગ શીખવાડવા માટે વિદેશમાં જાય છે. એ તો આ જ છે ને. પ્રાચીન અર્થાત પહેલું. સહજ
રાજયોગ શીખવાડવા બાપ આવ્યા છે. એટલું અટેન્શન રહે છે. તમે પણ અટેન્શન રાખો છો કે
સ્વર્ગ સ્થાપન થઈ જાય. આત્માને યાદ તો આવે છે ને. બાપ કહે છે. આ નોલેજ જે હું હમણાં
તમને આપું છું પછી હું જ આવીને આપીશ. આ નવી દુનિયા માટે નવું જ્ઞાન છે. આ જ્ઞાન
બુદ્ધિ માં રહેવાથી ખુશી બહુ જ થાય છે. બાકી થોડો સમય છે. હવે જવાનું છે. એક તરફ
ખુશી હોય છે, બીજી તરફ પછી દુઃખ પણ થાય છે. અરે, આવા મીઠા બાબા આપણને પછી કલ્પ બાદ
જોવા મળશે. બાપ જ બાળકોને આટલું સુખ આપે છે ને. બાપ આવે જ છે – શાંતિધામ-સુખધામ માં
લઈ જવા. તમે શાંતિધામ-સુખધામ ને યાદ કરો તો બાપ પણ યાદ આવશે. આ દુઃખધામ ને ભૂલી જાઓ.
બેહદનાં બાપ બેહદની વાત સંભળાવે છે. જૂની દુનિયાથી તમારું મમત્વ નિકળતું જશે તો ખુશી
પણ થશે. તમે રિટર્ન માં પાછા સુખધામ માં જાઓ છો. સતોપ્રધાન બનતા જશો. કલ્પ-કલ્પ જે
બન્યા છે એ જ બનશે અને એમને જ ખુશી થશે પછી જૂનું શરીર છોડી દેશે. પછી નવું શરીર
લઈને સતોપ્રધાન દુનિયામાં આવશે. આ નોલેજ ખલાસ થઈ જશે. વાત તો બહુ જ સહજ છે. રાતનાં
સૂતા સમયે આમ-આમ સિમરણ કરો તો પણ ખુશી રહેશે. અમે આ બની રહ્યા છે. આખા દિવસમાં અમે
કોઇ શેતાની તો નથી કરી? ૫ વિકારોમાં થી કોઈ વિકારે અમને સતાવ્યા તો નથી? લોભ તો નથી
આવ્યો? પોતાનાં ઉપર તપાસ રાખવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) યોગબળ થી
અથાહ સુખો વાળી દુનિયા સ્થાપન કરવાની છે. આ દુઃખની જૂની દુનિયાને ભૂલી જવાનું છે.
ખુશી રહે કે અમે સચખંડ નાં માલિક બની રહ્યા છે.
2) રોજ સ્વયંની તપાસ કરવાની છે કે આખા દિવસમાં કોઈ વિકારે સતાવ્યા તો નથી? કોઇ આસુરી
કામ તો નથી કર્યું? લોભનાં વશ તો નથી થયા?
વરદાન :-
સદા એક બાપનાં
સ્નેહમાં સમાયેલી સહયોગી સો સહજયોગી આત્મા ભવ:
જે બાળકોનો બાપ થી અતિ
સ્નેહ છે, એ સ્નેહી આત્મા સદા બાપનાં શ્રેષ્ઠ કાર્યમાં સહયોગી હશે અને જે જેટલા
સહયોગી એટલા સહજયોગી બની જાય છે. બાપનાં સ્નેહ માં સમાયેલી સહયોગી આત્મા ક્યારેય
માયાની સહયોગી નથી થઈ શકતી. એમનાં દરેક સંકલ્પમાં બાબા અને સેવા રહે એટલે નિંદ્રા
પણ કરશે તો એમાં પણ બહુ આરામ મળશે, શાંતિ અને શક્તિ મળશે. નિંદ્રા, નિંદ્રા નહીં હશે,
જાણે કમાણી કરી ખુશીમાં સુતા છે, એટલું પરિવર્તન થઇ જાય છે.
સ્લોગન :-
પ્રેમ નાં આંસૂ
દિલની ડબ્બીમાં મોતી બની જાય છે.