02-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારી
બધાની પરસ્પર એક મત છે, તમે સ્વયંને આત્મા સમજી એક બાપ ને યાદ કરો છો તો બધા ભૂત
ભાગી જાય છે”
પ્રશ્ન :-
પદ્માપદમ
ભાગ્યશાળી બનવાનો મુખ્ય આધાર શું છે?
ઉત્તર :-
જે બાબા
સંભળાવે છે, એ એક-એક વાતને ધારણ કરવાંવાળા જ પદ્માપદમ ભાગ્યશાળી બને છે. જજ કરો બાબા
શું કહે છે અને રાવણ સંપ્રદાય વાળા શું કહે છે! બાપ જે નોલેજ આપે છે તેને બુદ્ધિમાં
રાખવું, સ્વદર્શન ચક્રધારી બનવું જ પદ્માપદમ ભાગ્યશાળી બનવું છે. આ નોલેજ થી જ તમે
ગુણવાન બની જાઓ છો.
ઓમ શાંતિ!
રુહાની બાપ,
અંગ્રેજીમાં કહેવાય છે સ્પિરિચ્યુઅલ ફાધર. સતયુગમાં જ્યારે તમે જશો તો ત્યાં
અંગ્રેજી વગેરે બીજી કોઈ ભાષા તો હોતી નથી. તમે જાણો છો સતયુગમાં આપણું રાજ્ય હોય
છે, ત્યાં આપણી જે ભાષા હશે તે જ ચાલશે. પછી તે ભાષા બદલાતી જાય છે. હમણાં તો
અનેકાનેક ભાષાઓ છે. જેવાં-જેવાં રાજા તેવી-તેવી તેમની ભાષા ચાલે છે. હવે આ તો બધાં
બાળકો જાણે છે, બધા સેવાકેન્દ્ર પર પણ જે બાળકો છે તેમની છે એક મત. સ્વયંને આત્મા
સમજવાનું છે અને એક બાપને યાદ કરવાના છે જેથી ભૂત બધા ભાગી જાય. બાપ છે પતિત-પાવન.
પાંચ ભૂતોની તો બધા માં પ્રવેશતા છે. આત્મામાં જ ભૂતોની પ્રવેશતા હોય છે પછી આ ભૂતો
અથવા વિકારોનું નામ પણ આપવામાં આવે છે દેહ-અભિમાન, કામ, ક્રોધ, વગેરે. એવું નથી કે
સર્વવ્યાપી કોઈ ઈશ્વર છે. ક્યારે પણ કોઈ કહે કે ઈશ્વર સર્વવ્યાપી છે તો કહો
સર્વવ્યાપી આત્માઓ છે અને આત્માઓમાં ૫ વિકાર સર્વવ્યાપી છે. બાકી એવું નથી કે
પરમાત્મા સર્વમાં વિરાજમાન છે. પરમાત્મા માં પછી ૫ ભૂતોની પ્રવેશતા કેવી રીતે હોય!
એક-એક વાતને સારી રીતે ધારણ કરવાથી તમે પદ્માપદમ ભાગ્યશાળી બનો છો. દુનિયા વાળા
રાવણ સંપ્રદાય શું કહે છે અને બાપ શું કહે છે, હવે જજ કરો. દરેકનાં શરીરમાં આત્મા
છે. એ આત્મામાં ૫ વિકાર પ્રવેશ છે. શરીરમાં નહીં, આત્મામાં ૫ વિકાર અથવા ભૂત પ્રવેશ
થાય છે. સતયુગમાં આ ૫ ભૂત નથી. નામ જ છે ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા). આ છે ડેવિલ
વર્લ્ડ (આસુરી દુનિયા). ડેવિલ કહેવાય છે અસુરને. કેટલુ દિવસ અને રાત નું અંતર છે.
હમણાં તમે પરિવર્તન થાઓ છો. ત્યાં તમારામાં કોઈ પણ વિકાર, કોઈ અવગુણ નથી રહેતાં.
તમારામાં સંપૂર્ણ ગુણ હોય છે. તમે ૧૬ કળા સંપૂર્ણ બનો છો. પહેલા હતા પછી ફરી નીચે
ઉતરો છો. આ ચક્રની પણ હવે ખબર પડી છે. ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે. આપણી આત્મા ને
સ્વ નું દર્શન થયું છે અર્થાત્ આ ચક્ર નું નોલેજ મળ્યું છે. ઉઠતા, બેસતા, ચાલતા,
તમારે આ નોલેજ બુદ્ધિમાં રાખવાનું છે. બાપ નોલેજ ભણાવે છે. આ રુહાની નોલેજ બાપ
ભારતમાં જ આવીને આપે છે. કહે છે ને - આપણું ભારત. હકીકતમાં હિન્દુસ્તાન કહેવું ખોટું
છે. તમે જાણો છો ભારત જ્યારે સ્વર્ગ હતું તો એકલું આપણું જ રાજ્ય હતું બીજો કોઈ
ધર્મ ન હતો. નવી દુનિયા હતી. નવી દિલ્હી કહે છે ને. દિલ્હી નું નામ અસલ દિલ્હી ન હતું,
પરિસ્તાન કહેતા હતા. હમણાં તો નવી દિલ્હી અને જૂની દિલ્હી કહે છે પછી ન જૂની, ન નવી
દિલ્હી હશે. પરિસ્તાન કહેવાશે. દિલ્હીને કેપિટલ (રાજધાની) કહે છે. આ
લક્ષ્મી-નારાયણનું રાજ્ય હશે, બીજું કોઈ પણ નહીં હોય, આપણું જ રાજ્ય હશે. હમણાં તો
રાજ્ય જ નથી એટલે કહે છે અમારો ભારત દેશ છે. રાજાઓ તો છે નહીં. આપ બાળકોની બુદ્ધિમાં
બધું જ્ઞાન ચક્ર લગાવે છે. બરાબર પહેલા-પહેલા આ વિશ્વમાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું
બીજું કોઈ રાજ્ય નહોતું. જમુના નો કિનારો હતો, તેને પરિસ્તાન કહેવાતું હતું.
દેવતાઓની કેપિટલ (રાજધાની) દિલ્હી જ રહે છે તો બધાએ ને ખેંચ થાય છે. સૌથી મોટી પણ
છે. એકદમ સેન્ટર (મધ્ય) માં છે.
મીઠા-મીઠા બાળકો જાણે છે પાપ તો જરુર થયા છે, પાપ આત્મા બની ગયા છીએ. સતયુગમાં હોય
છે પુણ્ય આત્માઓ. બાપ જ આવીને પાવન બનાવે છે જેમની તમે શિવજયંતી પણ મનાવો છો. હવે
જયંતી અક્ષર તો બધાને લાગે છે એટલા માટે પછી શિવરાત્રી કહે છે. રાત્રી નો અર્થ તો
તમારા સિવાય બીજું કોઈ સમજી ન શકે. સારા-સારા વિદ્વાન વગેરે કોઈ પણ નથી જાણતા કે
શિવરાત્રી શું છે તો મનાવે શું! બાપ એ સમજાવ્યું છે રાત્રી નો અર્થ શું છે? આ જે ૫
હજાર વર્ષનું ચક્ર છે એમાં સુખ અને દુઃખનો ખેલ છે, સુખને કહેવાય છે દિવસ, દુઃખને
કહેવાય છે રાત. તો દિવસ ને રાત નાં વચમાં આવે છે સંગમ. અડધો કલ્પ છે અજવાળું, અડધો
કલ્પ છે અંધકાર. ભક્તિમાં તો બહુ જ ટીક-ટીક ચાલે છે. આ છે સેકન્ડ ની વાત. એકદમ સહજ
છે, સહજયોગ. તમારે પહેલા જવાનું છે મુક્તિધામ. પછી તમે જીવનમુક્તિ અને જીવનબંધમાં
કેટલો સમય રહ્યાં છો. આ તો આપ બાળકોને યાદ છે છતાં પણ ઘડી-ઘડી ભૂલી જાઓ છો. બાપ
સમજાવે છે યોગ અક્ષર છે ઠીક પરંતુ તેમનો છે શારીરિક યોગ. આ છે આત્માઓનો પરમાત્માની
સાથે યોગ. સંન્યાસી લોકો અનેક પ્રકારનાં હઠયોગ વગેરે શીખવાડે છે તો મનુષ્ય મૂંઝાય
છે. આપ બાળકોના બાપ પણ છે, તો શિક્ષક પણ છે, તો એમનાથી યોગ લગાડવો જોઈએ ને. શિક્ષક
થી ભણવાનું હોય છે. બાળક જન્મ લે છે તો પહેલા બાપથી યોગ હોય છે પછી પાંચ વર્ષ પછી
શિક્ષક થી યોગ લગાડવો પડે છે પછી વાનપ્રસ્થ અવસ્થામાં ગુરુથી યોગ લગાડવો પડે છે.
ત્રણ મુખ્ય યાદ રહે છે. તે તો અલગ-અલગ હોય છે. અહીંયા આ એક જ વાર બાપ આવી ને બાપ પણ
બને છે, શિક્ષક પણ બને છે. વન્ડરફુલ છે ને. આવા બાપને તો જરુર યાદ કરવા જોઈએ.
જન્મ-જન્માંતર ત્રણેયને અલગ-અલગ યાદ કરતાં આવ્યા છો. સતયુગમાં પણ બાપથી યોગ હોય છે
પછી શિક્ષક સાથે હોય છે. ભણવા તો જાઓ છો ને. બાકી ગુરુની ત્યાં આવશ્યકતા નથી રહેતી
કારણ કે બધા સદ્દ્ગતિમાં છે. આ બધી વાતો યાદ કરવામાં શું તકલીફ છે! એકદમ સહજ છે. આને
કહેવાય છે સહજયોગ. પરંતુ આ છે અનકોમન (અસાધારણ). બાપ કહે છે હું આ ટેમ્પરરી ઉધાર લઉં
છું, તે પણ કેટલા થોડા સમય માટે લઉં છું. ૬૦ વર્ષમાં વાનપ્રસ્થ અવસ્થા હોય છે.
કહેવાય છે સાઠ તો લગી લાઠ. આ સમયે બધાને લાઠી લાગેલી છે. બધાં વાનપ્રસ્થ,
નિર્વાણધામ માં જશે. તે છે સ્વીટ હોમ, સ્વીટેસ્ટ હોમ. એનાં માટે તો કેટલી અથવા ભક્તિ
કરી છે. હવે ચક્ર ફરીને આવ્યા છો. મનુષ્યને આ કંઈ પણ ખબર નથી, એમ જ ગપ્પા મારે છે
કે લાખો વર્ષનું ચક્ર છે. લાખો વર્ષની વાત હોય તો પછી આરામ મળી ન શકે. આરામ મળવો જ
મુશ્કેલ થઈ જાય. તમને આરામ મળે છે, એને કહેવાય છે શાંતિધામ, નિરાકારી દુનિયા. આ છે
સ્થૂળ સ્વીટ હોમ, એ છે મૂળ સ્વીટ હોમ. આત્મા એકદમ નાનું રોકેટ છે, આંનાથી ઝડપી
ભાગવાવાળું કંઈ હોતું નથી. આ તો બધાથી તેજ છે. એક સેકન્ડમાં શરીર છૂટ્યું અને આ ભાગી,
બીજું શરીર તો તૈયાર જ હોય છે. ડ્રામા અનુસાર પુરા સમય પર તેને જવાનું જ છે. ડ્રામા
કેટલો એક્યુરેટ છે. આમાં કોઈ ઇનએક્યુરેસી છે નહીં. આ તમે જાણો છો. બાપ પણ ડ્રામા
અનુસાર બિલકુલ એક્યુરેટ સમય પર આવે છે. એક સેકન્ડનો પણ ફરક નથી પડી શકતો. ખબર કેવી
રીતે પડે છે કે આમનામાં બાપ ભગવાન છે. જ્યારે નોલેજ આપે છે, બાળકોને બેસી સમજાવે
છે. શિવરાત્રિ પણ મનાવે છે ને. હું શિવ ક્યારે, કેવી રીતે આવું છું, તે તમને ખબર નથી.
શિવરાત્રિ, કૃષ્ણરાત્રિ મનાવે છે. રામની નથી મનાવતા કારણકે ફરક પડી જાય છે ને.
શિવરાત્રિ ની સાથે કૃષ્ણની પણ રાત્રિ મનાવી લે છે. પરંતુ જાણતા કંઈ પણ નથી. અહિયાં
છે જ આસુરી રાવણ રાજ્ય. આ સમજવાની વાતો છે. આતો છે બાબા, બુઢ્ઢા ને બાબા કહેશે. નાનાં
બાળકને બાબા થોડી કહેવાય. કોઈ-કોઈ પ્રેમથી પણ બાળકને બાબા કહી દે છે. તો તેઓએ પણ
કૃષ્ણને પ્રેમથી કહી દીધું છે. બાબા તો ત્યારે કહેવાય છે જ્યારે મોટા થાય અને પછી
બાળકો પેદા કરે છે. કૃષ્ણ સ્વયં જ રાજકુમાર છે, તેમને બાળકો ક્યાંથી આવે. બાપ કહે જ
છે હું વૃદ્ધનાં તનમાં આવું છું. શાસ્ત્રોમાં પણ છે પરંતુ શાસ્ત્રોની બધી વાતો
એક્યુરેટ નથી હોતી, કોઈ-કોઈ વાત ઠીક છે. બ્રહ્માની આયુ એટલે પ્રજાપિતા બ્રહ્મા ની
આયુ કહેવાશે. તે તો જરુર આ સમયે હશે. બ્રહ્માની આયુ મૃત્યુલોકમાં પૂરી થશે. આ કોઈ
અમરલોક નથી. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. આ સિવાય આપ બાળકોના બીજા કોઈની
બુદ્ધિમાં ન હોઈ શકે.
બાપ બેસીને બતાવે છે – મીઠા-મીઠા બાળકો, તમે સ્વયંના જન્મોને નથી જાણતા, હું બતાવું
છું કે તમે ૮૪ જન્મ લો છો. કેવી રીતે? એ પણ તમને ખબર પડી ગઈ છે. દરેક યુગની આયુ
૧૨૫૦ વર્ષ છે અને આટલા-આટલા જન્મ લીધા છે. ૮૪ જન્મો નો હિસાબ છે ને. ૮૪ લાખનો તો
હિસાબ હોઈ ન શકે. આને કહેવાય છે ૮૪ નું ચક્ર, ૮૪ લાખની તો વાત જ યાદ ન આવે. અહીંયા
કેટલું અપરંપાર દુઃખ છે. કેવા દુઃખ દેવાવાળા બાળકો પેદા થઈ રહ્યા છે. આને કહેવાય છે
ઘોર નર્ક, બિલકુલ છી-છી દુનિયા છે. આપ બાળકો જાણો છો હવે આપણે નવી દુનિયામાં જવાની
તૈયારી કરી રહ્યા છીએ. પાપ કપાઈ જાય તો આપણે પુણ્યાત્મા બની જઈએ. હવે કોઈ પાપ નથી
કરવાનું. એક-બે પર કામ કટારી ચલાવવી - આ આદિ-મધ્ય-અંત દુઃખ દેવું છે. હવે આ રાવણ
રાજ્ય પૂરું થાય છે. હમણાં છે કળયુગ નો અંત. આ મહાભારી લડાઈ છે અંતિમ. પછી કોઈ લડાઈ
વગેરે હશે જ નહીં. ત્યાં કોઈ પણ યજ્ઞ રચાતા નથી. જ્યારે યજ્ઞ રચે છે તો એમાં હવન કરે
છે. બાળકો પોતાની જૂની સામગ્રી બધી સ્વાહા કરી દે છે. હવે બાપએ સમજાવ્યું છે આ છે
રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર શિવને કહેવાય છે. રુદ્ર માળા કહે છે ને. નિવૃત્તિ માર્ગ
વાળાને પ્રવૃત્તિ માર્ગનાં રીતિ-રીવાજ ની કંઈપણ ખબર નથી. તેઓ તો ઘરબાર છોડી જંગલમાં
ચાલ્યા જાય છે. નામ જ પડ્યું છે સંન્યાસ. કોનો સંન્યાસ? ઘરબાર નો. ખાલી હાથે નીકળે
છે. પહેલા તો ગુરુ લોકો બહુ જ પરીક્ષા લે છે, કામ કરાવે છે. પહેલા ભિક્ષામાં ફક્ત
લોટ લેતા હતા, રાંધેલું નહોતા લેતા. તેમને તો જંગલમાં જ રહેવાનું છે, ત્યાં
કંદ-મૂળ-ફળ મળે છે. આ પણ ગાયન છે, જ્યારે સતોપ્રધાન સંન્યાસી હોય છે ત્યારે આ ખાય
છે. હમણાં ની તો વાત નહીં પૂછો, શું-શું કરતા રહે છે. આનું નામ જ છે વિશશ વર્લ્ડ (વિકારી
દુનિયા). તે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). તો સ્વયંને વિશશ (વિકારી) સમજવું
જોઈએ ને. બાપ કહે છે સતયુગને કહેવાય છે શિવાલય, નિર્વિકારી દુનિયા. અહીંયા તો બધાં
છે પતિત મનુષ્ય એટલે દેવી-દેવતાને બદલે નામ જ હિન્દુ રાખી દીધું છે. બાપ તો બધી વાતો
સમજાવતા રહે છે. તમે અસલમાં છો જ બેહદ બાપ નાં બાળકો. એ તો તમને ૨૧ જન્મોનો વારસો
આપે છે. તો બાપ મીઠા-મીઠા બાળકો ને સમજાવે છે – જન્મ-જન્માંતરનાં પાપ તમારા માથા પર
છે. પાપોથી મુક્ત થવા માટે જ તમે બોલાવો છો. સાધુ-સંત વગેરે બધા પોકારે છે - હેં
પતિત-પાવન. અર્થ કંઈ નથી સમજતા, એમ જ ગાતા રહે છે, તાળી વગાડતા રહે છે. તેમને કોઈ
પૂછે - પરમાત્માથી યોગ કેવી રીતે લગાવીએ, તેમને કેવી રીતે મળીએ તો કહી દેશે
સર્વવ્યાપી છે. શું આ જ રસ્તો બતાવે છે! કહી દે છે વેદ-શાસ્ત્ર વાંચવાથી ભગવાન મળશે.
પરંતુ બાપ કહે છે - હું દર ૫ હજાર વર્ષ પછી ડ્રામા પ્લાન અનુસાર આવું છું. આ
ડ્રામાનું રહસ્ય સિવાય બાપનાં બીજું કોઈ નથી જાણતું. લાખો વર્ષનો ડ્રામા તો હોઈ ન
શકે. હવે બાપ સમજાવે છે આ ૫ હજાર વર્ષની વાત છે. કલ્પ પહેલા પણ બાબાએ કહ્યું હતું
કે મનમનાભવ. આ છે મહામંત્ર. માયા પર જીત પામવાનો મંત્ર છે. બાપ જ બેસીને અર્થ સમજાવે
છે. બીજા કોઈ અર્થ નથી સમજાવતા. ગવાય પણ છે ને કે સર્વના સદ્દ્ગતિ દાતા એક બાપ. કોઈ
મનુષ્ય તો હોઈ ન શકે. દેવતાઓની પણ વાત નથી. ત્યાં તો સુખ જ સુખ છે, ત્યાં કોઈ ભક્તિ
નથી કરતા. ભક્તિ કરાય છે ભગવાન ને મળવા માટે. સતયુગમાં ભક્તિ હોતી નથી કારણ કે ૨૧
જન્મોનો વારસો મળેલો છે. ત્યારે ગવાય પણ છે દુઃખમાં સિમરણ... અહીંયા તો અથાહ દુઃખ
છે. ઘડી-ઘડી કહે છે ભગવાન રહમ કરો. આ કળયુગી દુઃખી દુનિયા સદેવ નથી રહેતી.
સતયુગ-ત્રેતા ભૂતકાળ થઇ ગયું, ફરી થશે. લાખો વર્ષની તો વાત પણ યાદ નથી રહી શકતી. હવે
બાપ તો બધું જ નોલેજ આપે છે, સ્વયંનો પણ પરિચય આપે છે અને રચનાં નાં આદિ-મધ્ય-અંત
નું રહસ્ય પણ સમજાવે છે. ૫ હજાર વર્ષની વાત છે. આપ બાળકોના ધ્યાનમાં આવી ગયું છે.
હમણાં તો પારકા રાજ્યમાં છો. તમારું સ્વયંનું રાજ્ય હતું. અહીંયા તો લડાઈથી પોતાનું
રાજ્ય લે છે, હથિયારો થી, મારામારી થી પોતાનું રાજ્ય લે છે. આપ બાળકો તો યોગબળ થી
સ્વયં નું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો. તમને સતોપ્રધાન દુનિયા જોઈએ. જૂની દુનિયા ખતમ
થઈ, નવી દુનિયા બને છે, આને કહેવાય છે કળયુગી જૂની દુનિયા. સતયુગ છે નવી દુનિયા. આ
પણ કોઈને ખબર નથી. સંન્યાસી કહી દે છે આ તમારી કલ્પના છે. અહીંયા જ સતયુગ છે, અહીંયા
જ કળયુગ છે. હવે બાપ બેસીને સમજાવે છે એક પણ એવા નથી જે બાપને જાણતા હોય. જો કોઈ
જાણતા હોત તો પરિચય આપે. સતયુગ-ત્રેતા શું ચીજ છે, કોઈને સમજમાં થોડી આવે છે. આપ
બાળકો બાપ સારી રીતે સમજાવતા રહે છે. બાપ જ બધું જાણે છે, જાની જાનનહાર અર્થાત્
નોલેજફુલ છે. મનુષ્ય સૃષ્ટિનાં બીજરૂપ છે. જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર છે. એમનાથી જ
આપણને વારસો મળવાનો છે. બાપ નોલેજ માં આપ સમાન બનાવે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) આ પાપોથી
મુક્ત થવાનો સમય છે એટલે હમણાં કોઈપણ પાપ નથી કરવાનાં. જૂની બધી સામગ્રી આ રુદ્ર
યજ્ઞમાં સ્વાહા કરવાની છે.
2) હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે એટલે બાપ, શિક્ષક ની સાથે-સાથે સદ્દગુરુને પણ યાદ
કરવાના છે. સ્વીટ હોમ માં જવા માટે આત્માને સતોપ્રધાન (પાવન) બનાવવાની છે.
વરદાન :-
સમય ને શિક્ષક
બનાવવાની બદલે બાપને શિક્ષક બનાવવા વાળા માસ્ટર રચયિતા ભવ:
ઘણા બાળકોને
સેવાનો ઉમંગ છે પરંતુ વૈરાગ્ય વૃત્તિનું અટેન્શન નથી, એમાં અલબેલા પણ છે. ચાલશે...
થાય છે... થઈ જશે... સમય આવશે તો ઠીક થઈ જશે... આવું વિચારવું અર્થાત્ સમયને સ્વયંનો
શિક્ષક બનાવવો. બાળકો બાપને પણ દિલાસો આપે છે - ચિંતા નહીં કરો, સમય પર ઠીક થઇ જશે,
કરી લઈશું. આગળ વધી જઈશું. પરંતુ તમે માસ્ટર રચયિતા છો, સમય તમારી રચના છે. રચના
માસ્ટર રચયિતા ની શિક્ષક બને આ શોભે નહીં.
સ્લોગન :-
બાપની પાલના
નું રિટર્ન છે – સ્વ ને અને સર્વ ને પરિવર્તન કરવામાં સહયોગી બનવું.