27-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર છો , તમારે અહીંયા રહેતા નવી દુનિયાને યાદ કરવાની છે
અને આત્માને પાવન બનાવવાની છે ”
પ્રશ્ન :-
બાપએ તમને એવી
કઈ સમજ આપી છે જેનાથી બુદ્ધિનું તાળું ખૂલી ગયું?
ઉત્તર :-
બાપએ આ બેહદ
અનાદિ ડ્રામાની એવી સમજ આપી છે, જેનાથી બુદ્ધિ પર જે ગોદરેજનું તાળું લાગ્યું હતું
તે ખુલી ગયું. પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની ગયાં. બાપએ સમજ આપી છે કે આ ડ્રામામાં
દરેક એક્ટર નો પોત-પોતાનો અનાદિ પાર્ટ છે, જેઓ કલ્પ પહેલા જેટલું ભણ્યા છે, તે હમણાં
પણ ભણશે. પુરુષાર્થ કરી પોતાનો વારસો લેશે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ રુહાની બાપ બેસી શીખવાડે છે. જ્યારથી બાપ બન્યાં છે ત્યારથી શિક્ષક પણ છે,
ત્યારથી જ પછી સદ્દગુરુનાં રુપમાં શિક્ષણ આપી રહ્યા છે. આ તો બાળકો સમજે જ છે જેમ
કે એ બાપ, શિક્ષક, ગુરુ છે તો નાનાં બાળક તો નથી ને. ઊંચે થી ઊંચા, મોટા થી મોટા
છે. બાપ જાણે છે આ બધાં મારા બાળકો છે. ડ્રામા પ્લાન અનુસાર પોકાર્યા પણ છે કે આવીને
અમને પાવન દુનિયામાં લઈ ચલો. પરંતુ સમજતા કાંઈ નથી. હવે તમે સમજો છો પાવન દુનિયા
સતયુગને, પતિત દુનિયા કળયુગને કહેવાય છે. કહે પણ છે આવીને અમને રાવણની જેલથી મુક્ત
કરી દુઃખોથી છોડાવીને પોતાનાં શાંતિધામ-સુખધામમાં લઈ ચાલો. નામ બંનેવ સારા છે.
મુક્તિ-જીવનમુક્તિ અથવા શાંતિધામ-સુખધામ. સિવાય આપ બાળકોનાં બીજા કોઈની બુદ્ધિમાં
નથી કે શાંતિધામ ક્યાં, સુખધામ ક્યાં હોય છે? બિલ્કુલ જ બેસમજ છે. તમારુ લક્ષ-હેતુ
જ સમજદાર બનવાનું છે. બેસમજુઓ માટે લક્ષ-હેતુ હોય છે કે આવાં સમજદાર બનવાનું છે.
બધાને શીખવાડવાનું છે-આ છે લક્ષ-હેતુ, મનુષ્ય થી દેવતા બનવું. આ છે જ મનુષ્યોની
સૃષ્ટિ, તે છે દેવતાઓની સૃષ્ટિ. સતયુગમાં છે દેવતાઓની સૃષ્ટિ, તો જરુર મનુષ્યોની
સૃષ્ટિ કળયુગમાં હશે. હવે મનુષ્યથી દેવતા બનવાનું છે તો જરુર પુરુષોત્તમ સંગમયુગ પણ
હશે. તે છે દેવતાઓ, આ છે મનુષ્ય. દેવતાઓ છે સમજદાર. બાપએ જ આવાં સમજદાર બનાવ્યાં
છે. બાપ જે વિશ્વનાં માલિક છે, ભલે માલિક બનતાં નથી પરંતુ ગવાય તો છે ને. બેહદનાં
બાપ, બેહદનું સુખ આપવાવાળા છે. બેહદનું સુખ હોય છે જ નવી દુનિયામાં અને બેહદનું
દુઃખ હોય છે જૂની દુનિયામાં. દેવતાઓનાં ચિત્ર પણ તમારી સામે છે. તેમનું ગાયન પણ છે.
આજકાલ તો ૫ ભૂતોને પણ પૂજતાં રહે છે.
હમણાં બાપ તમને સમજાવે છે તમે છો પુરષોત્તમ સંગમયુગ પર. તમારા માં પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર જાણે છે-અમારો એક પગ સ્વર્ગમાં, એક પગ નર્કમાં છે. રહીએ તો અહીંયા
છીએં પરંતુ બુદ્ધિ નવી દુનિયામાં છે અને જે નવી દુનિયામાં લઈ જાય છે એમને યાદ કરવાનાં
છે. બાપની યાદથી જ તમે પવિત્ર બનો છો. આ શિવબાબા બેસી સમજાવે છે. શિવજયંતી મનાવે તો
જરુર છે, પરંતુ શિવબાબા ક્યારે આવ્યાં, શું આવીને કર્યુ, એ કંઈ પણ ખબર નથી.
શિવરાત્રી મનાવે છે અને કૃષ્ણની જયંતી મનાવે છે, તે જ અક્ષર જે કૃષ્ણનાં માટે કહે
છે તે શિવબાબાનાં માટે તો નહીં કહેશે એટલા માટે એમની પછી શિવરાત્રી કહે છે. અર્થ
કાંઈ નથી સમજતા. આપ બાળકોને તો અર્થ સમજાવાય જાય છે. અથાહ દુઃખ છે કળયુગનાં અંતમાં,
પછી અથાહ સુખ હોય છે સતયુગમાં. આ આપ બાળકોને હમણાં જ્ઞાન મળ્યું છે. તમે
આદિ-મધ્ય-અંત ને જાણો છો. જેઓ કલ્પ પહેલા ભણ્યા છે તેજ હમણાં ભણશે, જેમણે જે
પુરુષાર્થ કર્યો હશે તેજ કરવા લાગશે અને એવું જ પદ પણ પામશે. તમારી બુદ્ધિમાં પુરુ
ચક્ર છે. તમે જ ઊંચે થી ઊંચું પદ પામો છો પછી તમે ઉતરો પણ એમ જ છો. બાપએ સમજાવ્યું
છે આ જે પણ મનુષ્યની આત્માઓ છે, માળા છે ને, બધી નંબરવાર આવે છે. દરેક એક્ટરને
પોત-પોતાનો પાર્ટ મળેલો છે - કયા સમયે કોને કયો પાર્ટ ભજવવાનો છે. આ અનાદિ
બન્યો-બનાવેલ ડ્રામા છે જે બાપ બેસી સમજાવે છે. હવે જે તમને બાપ સમજાવે છે તે પોતાનાં
ભાઈઓને સમજાવવાનું છે. તમારી બુદ્ધિમાં છે કે દર ૫ હજાર વર્ષ પછી બાપ આવીને આપણને
સમજાવે છે, આપણે પછી ભાઈઓને સમજાવીએ છે. ભાઈ-ભાઈ આત્માનાં સંબંધમાં છે. બાપ કહે છે
આ સમયે તમે સ્વયંને અશરીરી આત્મા સમજો. આત્માએ જ પોતાના બાપને યાદ કરવાનાં છે -
પાવન બનવાનાં માટે. આત્મા પવિત્ર બને છે તો પછી શરીર પણ પવિત્ર મળે છે. આત્મા
અપવિત્ર તો ઘરેણું પણ અપવિત્ર. નંબરવાર તો હોય જ છે. ફિચર્સ (ચહેરો), એક્ટિવિટી (ચલન)
એક ન મળે બીજાથી. નંબરવાર બધાં પોત-પોતાનો પાર્ટ ભજવે છે, ફરક નથી પડી શકતો. નાટકમાં
તેજ દ્રશ્ય જોશો જે કાલે જોયું હશે. તે ફરી થશે ને. આ પછી બેહદનો અને કાલ નો ડ્રામા
છે. કાલે તમને સમજાવ્યું હતું. તમે રાજાઈ લીધી પછી રાજાઈ ગુમાવી. આજે ફરી સમજી રહ્યા
છો રાજાઈ લેવા માટે. આજે ભારત જુનું નર્ક છે, કાલે નવું સ્વર્ગ હશે. તમારી બુદ્ધિમાં
છે-હવે આપણે નવી દુનિયામાં જઈ રહ્યા છે. શ્રીમત પર શ્રેષ્ઠ બની રહ્યા છીએં. શ્રેષ્ઠ
જરુર શ્રેષ્ઠ સૃષ્ટિ પર રહેશે. આ લક્ષ્મી-નારાયણ શ્રેષ્ઠ છે તો શ્રેષ્ઠ સ્વર્ગ માં
રહે છે. જે ભ્રષ્ટ છે તે નર્કમાં રહે છે. આ રહસ્ય તમે હમણાં સમજો છો. આ બેહદનાં
ડ્રામાને જ્યારે કોઈ સારી રીતે સમજે, ત્યારે બુદ્ધિમાં બેસે. શિવરાત્રી પણ મનાવે છે
પરંતુ જાણતા કંઈ પણ નથી. તો હવે આપ બાળકોને રિફ્રેશ કરવાનાં હોય છે. તમે પછી બીજાને
પણ રિફ્રેશ કરો છો. હમણાં તમને જ્ઞાન મળી રહ્યું છે પછી સદ્દગતિને પામી લેશો. બાપ
કહે છે હું સ્વર્ગમાં નથી આવતો, મારો પાર્ટ જ છે પતિત દુનિયાને બદલી પાવન દુનિયા
બનાવવાનો. ત્યાં તો તમારી પાસે કારુનનો ખજાનો હોય છે. અહીંયા તો કંગાળ છે એટલે બાપને
બોલાવે છે આવીને બેહદનો વારસો આપો. કલ્પ-કલ્પ બેહદનો વારસો મળે છે પછી કંગાળ પણ થઇ
જાય છે. ચિત્રો પર સમજાવો ત્યારે સમજી શકે. પહેલા નંબરમાં લક્ષ્મી-નારાયણ પછી ૮૪
જન્મ લેતા મનુષ્ય બની ગયાં. આ જ્ઞાન હમણાં આપ બાળકોને મળ્યું છે. તમે જાણો છો આજ થી
૫ હજાર વર્ષ પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જેને વૈકુંઠ, પેરેડાઇઝ, દૈવી
દુનિયા પણ કહે છે. હમણાં તો નહીં કહશે. હમણાં તો આસુરી દુનિયા છે. આસુરી દુનિયાનાં
અંત, દૈવી દુનિયાનાં આદિનો હવે છે સંગમ. આ વાતો હવે તમે સમજો છો, બીજા કોઈનાં મુખથી
સાંભળી ન શકો. બાપ જ આવીને આમનું મુખ લે છે. મુખ કોનું લેશે, સમજતા નથી. બાપની સવારી
કોના પર થશે? જેમ તમારી આત્માની આ શરીર પર સવારી છે ને. શિવબાબા ને પોતાની સવારી તો
છે નહીં, તો એમને મુખ જરુર જોઈએ. નહિ તો રાજ્યોગ કેવી રીતે શીખવાડે? પ્રેરણાથી તો
નહીં શીખશે. તો આ બધી વાતો દિલમાં નોંધ કરવાની છે. પરમાત્માની પણ બુદ્ધિમાં બધુ
નોલેજ છે ને. તમારી પણ બુદ્ધિમાં આ બેસવું જોઈએ. આ નોલેજ બુદ્ધિથી ધારણ કરવાનું છે.
કહેવાય પણ છે તમારી બુદ્ધિ ઠીક છે ને? બુદ્ધિ આત્મા માં રહે છે. આત્મા જ બુદ્ધિથી
સમજી રહી છે. તમારી પથ્થર બુદ્ધિ કોણે બનાવી? હમણાં સમજો છો રાવણે આપણી બુદ્ધિ કેવી
બનાવી દીધી છે. કાલે તમે ડ્રામાને નહોતા જાણતાં,બુદ્ધિને એકદમ ગોદરેજ નું તાળું
લાગેલું હતું. ‘ગોડ’ (ગોદરેજ શબ્દ નાં પહેલા બે અક્ષર) અક્ષર તો આવે છે ને. બાપ જે
બુદ્ધિ આપે છે તે બદલાઈ ને પથ્થરબુદ્ધિ થઈ જાય છે. પછી બાપ આવીને તાળું ખોલે છે.
સતયુગમાં છે જ પારસબુદ્ધિ. બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. નંબરવાર બધાની બુદ્ધિ
ખુલે છે. પછી એક-બીજાની પાછળ આવતા રહે છે. ઉપરમાં તો કોઈ રહી ન શકે. પતિત ત્યાં રહી
ન શકે. બાપ પાવન બનાવીને પાવન દુનિયામાં લઈ જાય છે. ત્યાં બધી પાવન આત્માઓ રહે છે.
તે છે નિરાકારી સૃષ્ટિ.
આપ બાળકોને હમણાં બધી ખબર પડી છે એટલે પોતાનું ઘર પણ જેમ ખુબ નજીક દેખાય છે. તમારો
ઘરથી ખુબ પ્રેમ છે. તમારા જેવો પ્રેમ તો કોઈનો છે નહિ. તમારા માં પણ નંબરવાર છે,
જેમનો બાપની સાથે પ્રેમ છે, તેમનો ઘરની સાથે પણ પ્રેમ છે. મુરબ્બી બાળકો હોય છે ને.
તમે સમજો છો અહીં જે સારી રીતે પુરુષાર્થ કરી મુરબ્બી બાળક બનશે તેજ ઉચ્ચ પદ પામશે.
નાનાં અથવા મોટા શરીર નાં ઉપર નથી. જ્ઞાન અને યોગમાં જે મસ્ત છે, તે મોટા છે. ઘણાં
નાનાં-નાનાં બાળકો પણ જ્ઞાન-યોગમાં હોશિયાર છે તો મોટાને ભણાવે છે. નહીં તો કાયદો
છે મોટા નાનાં ને ભણાવે છે. આજકાલ તો મીડગેડ પણ થઈ જાય છે. આમ તો બધી આત્માઓ મીડગેડ
છે. આત્મા બિંદુ છે, તેનું શું વજન કરાય. તારો છે. મનુષ્ય લોકો તારાનું નામ સાંભળીને
ઉપરમાં જોશે. તમે તારાનું નામ સાંભળીને પોતાને જુઓ છો. ધરતીનાં તારાઓ તમે છો. તે છે
આકાશનાં જે જડ છે, તમે ચૈતન્ય છો. તેમના માં તો ફેરબદલ કંઈ નથી થતું, તમે તો ૮૪
જન્મ લો છો, કેટલો મોટો પાર્ટ ભજવો છો. પાર્ટ ભજવતાં-ભજવતાં ચમક ઓછી થઈ જાય છે,
બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. પછી બાપ આવીને ભિન્ન-ભિન્ન પ્રકારથી સમજાવે છે કારણકે
તમારી આત્મા ઉજાઇ ગઈ છે. તાકાત જે ભરી હતી તે ખલાસ થઈ ગઈ છે. હવે ફરી બાપ દ્વારા
તાકાત ભરો છો. તમે પોતાની બેટરી ચાર્જ કરી રહ્યા છો. આમાં માયા પણ બહુંજ વિઘ્ન નાખે
છે બેટરી ચાર્જ કરવા નથી દેતી. તમે ચૈતન્ય બેટરીઓ છો. જાણો છો બાપની સાથે યોગ
લગાવવાથી આપણે સતોપ્રધાન બનીશું. હમણાં તમોપ્રધાન બન્યા છે. તે હદનાં ભણતર અને આ
બેહદનાં ભણતર માં બહું ફરક છે. કેવી રીતે નંબરવાર બધી આત્માઓ ઉપર જાય છે પછી પોતાનાં
સમય પર પાર્ટ ભજવવા આવવાનું છે. બધાને પોતાનો અવિનાશી પાર્ટ મળેલો છે. તમે આ ૮૪ નો
પાર્ટ કેટલી વાર ભજવ્યો હશે! તમારી બેટરી કેટલીવાર ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ છે!
જ્યારે જાણો છો આપણી બેટરી ડિસ્ચાર્જ છે તો ચાર્જ કરવામાં વાર કેમ કરવી જોઈએ? પરંતુ
માયા બેટરી ચાર્જ કરવા નથી દેતી. માયા બેટરી ચાર્જ કરવાનું તમને ભુલાવી દે છે.
ઘડી-ઘડી બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. કોશિશ કરો છો બાપને યાદ કરવાની પરંતુ કરી નથી
શકતા. તમારામાં જે બેટરી ચાર્જ કરી સતોપ્રધાન સુધી નજીક આવે છે, તેમને પણ
ક્યારેક-ક્યારેક માયા ગફલત કરાવી બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. આ છેલ્લે સુધી થતું
રહેશે. પછી જ્યારે લડાઈ નો અંત થાય છે તો બધું ખતમ થઈ જાય છે પછી જેની જેટલી બેટરી
ચાર્જ થઇ હશે તે પ્રમાણે પદ પામશે. બધી આત્માઓ બાપનાં બાળકો છે, બાપ જ આવીને બધાંની
બેટરી ચાર્જ કરાવે છે. ખેલ કેવો વન્ડરફુલ બનેલ છે. બાપની સાથે યોગ લગાવવાથી ઘડી-ઘડી
હટી જાય છે તો કેટલું નુકસાન થાય છે. ન હટે એનાં માટે પુરુષાર્થ કરાવાય છે.
પુરુષાર્થ કરતાં-કરતાં જ્યારે સમાપ્તિ થાય છે તો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તમારો
પાર્ટ પૂરો થાય છે. જેમ કલ્પ-કલ્પ થાય છે. આત્માઓની માળા બનતી રહે છે.
આપ બાળકો જાણો છો રુદ્રાક્ષની માળા છે, વિષ્ણુની પણ માળા છે. પહેલા નંબરમાં તો એમની
માળા રાખશે ને. બાપ દૈવી દુનિયા રચે છે ને. જેમ રુદ્ર માળા છે, તેમ રુંડ માળા છે.
બ્રાહ્મણોની માળા હમણા નહિ બની સકે. અદલી-બદલી થતી રહેશે. ફાઇનલ ત્યારે થશે જ્યારે
રુદ્ર માળા બનશે. આ બ્રાહ્મણોની પણ માળા છે પરંતુ આ સમય નથી બની શકતી. હકીકતમાં
પ્રજાપિતા બ્રહ્મા નાં બધા સંતાન છે. શિવબાબાનાં સંતાનની પણ માળા છે, વિષ્ણુની પણ
માળા કહેશું. તમે બ્રાહ્મણ બનો છો તો બ્રહ્માની અને શિવની પણ માળા જોઈએ. આ બધું
જ્ઞાન તમારી બુદ્ધિમાં નંબરવાર છે. સાંભળે તો બધાં છે પરંતુ કોઈનું તે સમયે જ કાનોથી
નીકળી જાય છે, સાંભળતા જ નથી. કોઈ તો ભણતાં જ નથી, તેમને ખબર જ નથી - ભગવાન ભણાવવાં
આવ્યાં છે. ભણતા જ નથી, આ ભણતર તો કેટલી ખુશી થી ભણવું જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદની
યાત્રાથી આત્મારુપી બેટરીને ચાર્જ કરી સતોપ્રધાન સુધી પહોંચવાનું છે. એવી કોઈ ગફલત
નથી કરવાની, જેથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય.
2. મુરબ્બી બાળક બનવાનાં માટે બાપની સાથે-સાથે ઘરથી પણ પ્રેમ રાખવાનો છે. જ્ઞાન અને
યોગમાં મસ્ત બનવાનું છે. બાપ જે સમજાવે છે તે પોતાનાં ભાઈઓને પણ સમજાવવાનું છે.
વરદાન :-
સેવામાં રહેતા
સંપૂર્ણતાની સમીપતા ની અનુભૂતિ કરવાવાળા બ્રહ્મા બાપ સમાન ઉદાહરણ મૂર્ત ભવ
જેમ બ્રહ્મા બાપ
સેવામાં રહેતાં, સમાચાર સાંભળતાં એકાંતવાસી બની જતા હતાં. એક કલાકનાં સમાચારને ૫
મિનિટ માં સાર સમજી બાળકોને ખુશ કરીને, પોતાની અંતર્મુખી એકાંતવાસી સ્થિતિ નો અનુભવ
કરાવી દેતા હતાં. એમ ફોલો ફાધર (બાપનું અનુકરણ) કરો. બ્રહ્મા બાપએ ક્યારેય નથી કહ્યું
કે હું ખુબજ વ્યસ્ત છું પરંતુ બાળકોની આગળ ઉદાહરણ બન્યાં. એમ સમય પ્રમાણ હમણાં આ
અભ્યાસની આવશ્યકતા છે. દિલની લગન હોય તો સમય નીકળી આવશે અને અનેકોનાં માટે ઉદાહરણ
બની જશો.
સ્લોગન :-
દરેક
કર્મમાં-કર્મ અને યોગનો અનુભવ થવો જ કર્મયોગ છે.