19-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો – દેહી-અભિમાની બનવાની પ્રેક્ટિસ (અભ્યાસ) કરો , આ અભ્યાસથી જ તમે પુણ્ય આત્મા બની શકશો”

પ્રશ્ન :-
કયા એક નોલેજનાં કારણે આપ બાળકો સદા હર્ષિત રહો છો?

ઉત્તર :-
તમને નોલેજ મળ્યું છે કે આ નાટક બહુ જ વન્ડરફુલ બનેલું છે, આમાં દરેક એક્ટરનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. બધાં પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. આ કારણથી તમે સદા હર્ષિત રહો છો.

પ્રશ્ન :-
કયું એક હુનર (કળા) બાપ ની પાસે જ છે બીજાની પાસે નથી?

ઉત્તર :-
દેહી-અભિમાની બનાવવાની કળા એક બાપની પાસે છે કારણકે એ સ્વયં જ સદા દેહી છે, સુપ્રીમ (સર્વોચ્ચ) છે. આ કળા કોઈ પણ મનુષ્યને આવડી ન શકે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો અર્થાત્ આત્માઓ પ્રતિ બાપ બેસીને સમજાવે છે. સ્વયંને આત્મા તો સમજવાનું છે ને. બાપએ બાળકોને સમજાવ્યું છે પહેલા-પહેલા આ પ્રેક્ટિસ કરો કે હું આત્મા છું, ન કે શરીર. જ્યારે સ્વયંને આત્મા સમજશો ત્યારે જ પરમપિતાને યાદ કરશો. સ્વયંને આત્મા નહીં સમજશો તો પછી જરુર લૌકિક સંબંધી, ધંધો વગેરે યાદ આવતું રહેશે એટલે પહેલા-પહેલા તો આ પ્રેક્ટિસ હોવી જોઈએ કે હું આત્મા છું તો પછી રુહાની બાપની યાદ રહેશે. બાપ આ શિક્ષણ આપે છે કે સ્વયંને દેહ ન સમજો. આ જ્ઞાન બાપ એક જ વખત આખા કલ્પમાં આપે છે. ફરી પાંચ હજાર વર્ષ પછી આ સમજણ મળશે. સ્વયંને આત્મા સમજશો તો બાપ પણ યાદ આવશે. અડધો કલ્પ તમે સ્વયંને દેહ સમજ્યા છો. હવે સ્વયંને આત્મા સમજવાનું છે. જેમ તમે આત્મા છો, હું પણ આત્મા જ છું. પરંતુ સુપ્રીમ (સર્વોચ્ચ) છું. હું છું જ આત્મા તો મને કોઈ દેહ યાદ આવતું જ નથી. આ દાદા તો શરીરધારી છે ને. એ બાપ છે નિરાકાર. આ પ્રજાપિતા બ્રહ્મા તો સાકારી થઈ ગયા. શિવબાબા નું અસલી નામ છે શિવ. એ છે જ આત્મા, ફક્ત તે ઊંચેથી ઊંચા અર્થાત્ સુપ્રીમ આત્મા છે ફક્ત આ સમયે જ આવીને આ શરીરમાં પ્રવેશ કરે છે. એ ક્યારેય દેહ-અભિમાની હોઈ ન શકે. દેહ-અભિમાની સાકારી મનુષ્ય હોય છે, એ તો છે જ નિરાકાર. એમને આવીને આ પ્રેક્ટિસ કરાવવાની છે. કહે છે તમે સ્વયંને આત્મા સમજો. હું આત્મા છું, આત્મા છું - આ પાઠ બેસીને ભણો. હું આત્મા શિવબાબા નો બાળક છું. દરેક વાતની પ્રેક્ટિસ જોઈએ ને. બાપ કોઈ નવી વાત નથી સમજાવતા. તમે જ્યારે સ્વયંને આત્મા પાક્કું-પાક્કું સમજશો ત્યારે બાપ પણ પાક્કા યાદ રહેશે. દેહ-અભિમાન હશે તો બાપ ને યાદ કરી નહી શકશે. અડધો કલ્પ તમને દેહ નો અહંકાર રહે છે. હમણાં તમને શીખવાડું છું કે સ્વયંને આત્મા સમજો. સતયુગમાં આવું કોઈ શીખવાડતું નથી કે સ્વયંને આત્મા સમજો. શરીર પર નામ તો પડે જ છે. નહીં તો એક-બીજાને બોલાવે કેવી રીતે. અહીંયા તમે બાપથી જે વારસો પામ્યો છે તે જ પ્રાલબ્ધ પામો છો. બાકી બોલાવશે તો નામથી ને. કૃષ્ણ પણ શરીરનું નામ છે ને. નામ વગર તો કારોબાર વગેરે ચાલી ન શકે. એમ નહીં કે ત્યાં આ કહેશો કે સ્વયંને આત્મા સમજો. ત્યાં તો આત્મ-અભિમાની રહો જ છો. આ પ્રેક્ટિસ તમને હમણાં કરાવાય છે કારણકે પાપ બહુ ચઢેલા છે. ધીમે-ધીમે થોડા-થોડા પાપ ચઢતાં-ચઢતાં હવે ફુલ પાપ આત્મા બની ગયા છો. અડધા કલ્પ માટે જે કંઈ કર્યું તે ખલાસ પણ થશે ને. ધીરે-ધીરે ઓછું થતું જાય છે. સતયુગમાં તમે સતોપ્રધાન છો, ત્રેતામાં સતો બની જાઓ છો. વારસો પણ હમણાં મળે છે. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાથી જ વારસો મળે છે. આ દેહી-અભિમાની બનવાનું શિક્ષણ બાપ હમણાં આપે છે. સતયુગમાં આ શિક્ષણ નથી મળતું. પોત-પોતાનાં નામ પર જ ચાલે છે. અહીંયા તમારે દરેકને યાદનાં બળથી પાપ આત્મા થી પુણ્ય આત્મા બનવાનું છે. સતયુગમાં આ શિક્ષણની દરકાર જ નથી. ન તમે આ શિક્ષણ ત્યાં લઈ જાઓ છો. ત્યાં ન આ જ્ઞાન, ન યોગ લઈ જાઓ છો. તમારે પતિત થી પાવન હમણાં જ બનવાનું છે. પછી ધીમે-ધીમે કળા ઓછી થાય છે. જેમ ચંદ્રમાની કળા ઓછી થતા-થતાં લકીર રહી જાય છે. તો આમાં મૂંઝાશો નહીં. કંઈપણ ન સમજો તો પૂછો.

પહેલાં તો આ પાકો નિશ્ચય કરો કે અમે આત્મા છીએ. તમારી આત્મા જ હમણાં તમોપ્રધાન બની છે. પહેલા સતોપ્રધાન હતી પછી દિન-પ્રતિદિન કળા ઓછી થતી જાય છે. હું આત્મા છું - આ પાક્કું ન હોવાથી તમે બાપને ભૂલો છો. પહેલા-પહેલા મૂળ વાત જ આ છે. આત્મ-અભિમાની બનવાથી જ બાપ યાદ આવશે તો વારસો પણ યાદ આવશે. વારસો યાદ આવશે તો પવિત્ર પણ રહેશો. દૈવી ગુણ પણ રહેશે. લક્ષ્ય-હેતુ તો સામે છે ને. આ છે ગોડલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય). ભગવાન ભણાવે છે. દેહી-અભિમાની પણ તે જ બનાવી શકે છે બીજું કોઈ પણ આ હુનર (કળા) જાણતું જ નથી. એક બાપ જ શીખવાડે છે. આ દાદા પણ પુરુષાર્થ કરે છે. બાપ તો ક્યારેય દેહ લેતા જ નથી, જે એમને દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવો પડે. એ તો ફક્ત આજ સમયે આવે છે તમને દેહી-અભિમાની બનાવવા. આ કહેવત છે જેનાં માથા પર મામલો, તેને ઊંઘ કેમ આવે... બહુજ ધંધા વગેરે ટૂ મચ (અતિશય) હોય છે તો ફુરસદ નથી મળતી અને જેમને ફુરસત છે તેઓ આવે છે. બાબા ની સામે પુરુષાર્થ કરવા. કોઈ નવા પણ આવે છે. સમજે છે નોલેજ તો બહુ સરસ છે. ગીતામાં પણ આ અક્ષર છે - મુજ બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાંશ થઈ જાય. તો બાપ આ સમજાવે છે. બાપ કોઈને દોષ નથી દેતા. આ તો જાણો છો તમારે પાવન થી પતિત બનવાનું જ છે અને મારે આવીને પતિત થી પાવન બનાવવાનાં છે. આ બન્યો-બનાવેલ ડ્રામા છે, આમાં કોઈની નિંદા ની વાત નથી. આપ બાળકો હમણાં જ્ઞાનને સારી રીતે જાણો છો બીજા તો કોઈ પણ ઈશ્વરને જાણતા જ નથી એટલે નિધનનાં નાસ્તિક કહેવાય છે. હમણાં બાપ આપ બાળકોને કેટલા સમજદાર બનાવે છે. શિક્ષક રુપમાં શિક્ષણ આપે છે. કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર ચાલે છે, આ શિક્ષણ મળવાથી તમે પણ સુધરો છો. ભારત જે શિવાલય હતું સો હવે વૈશ્યાલય છે ને. આમાં ગ્લાનિ ની તો વાત જ નથી. આ ખેલ છે, જે બાપ સમજાવે છે. તમે દેવતાથી અસુર કેવી રીતે બન્યાં છો, એવું નથી કહેતા કેમ બન્યા? બાપ આવ્યા જ છે બાળકોને સ્વયં નો પરિચય આપવા અને સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, આ નોલેજ આપે છે. મનુષ્ય જ જાણશે ને. હમણાં તમે જાણીને ફરી દેવતા બનો છો. આ ભણતર છે મનુષ્યથી દેવતા બનવાનું, જે બાપ જ બેસી ને ભણાવે છે. અહીંયા તો બધાં મનુષ્ય જ મનુષ્ય છે. દેવતા તો આ સૃષ્ટિ પર આવી ન શકે જે શિક્ષક બનીને ભણાવે. ભણાવવા વાળા બાપ જુઓ કેવી રીતે ભણાવવા આવે છે. ગાયન પણ છે પરમપિતા પરમાત્મા કોઈ રથ લે છે, આ પૂરું નથી લખતા કે કયો રથ લે છે. ત્રિમૂર્તિ નું રહસ્ય પણ કોઈ સમજતું નથી. પરમપિતા અર્થાત્ પરમ આત્મા. એ જે છે તો એમનો પરિચય તો આપશે ને. અહંકારની વાત નથી. ન સમજવાના કારણે કહે છે એમનામાં અહંકાર છે. આ બ્રહ્મા તો કહેતા નથી કે હું પરમાત્મા છું. એ તો સમજની વાત છે, આતો બાપનાં મહાવાક્ય છે - સર્વ આત્માઓનાં બાપ એક છે. આમને દાદા કહેવાય છે. આ ભાગ્યશાળી રથ છે ને. નામ પણ બ્રહ્મા રાખેલું છે. કારણ કે બ્રાહ્મણ જોઈએ ને. આદિદેવ પ્રજાપિતા બ્રહ્મા છે. પ્રજાનાં પિતા છે, હવે પ્રજા કઈ છે? પ્રજાપિતા બ્રહ્મા શરીરધારી છે તો એડોપ્ટ (દત્તક) કર્યા ને. બાળકોને શિવબાબા સમજાવે છે હું એડોપ્ટ નથી કરતો. તમે બધી જ આત્માઓ સદૈવ મારા બાળકો છો જ. તમને બનાવતો નથી. હું તો આપ આત્માઓનો અનાદિ બાપ છું. બાપ કેટલું સરસ રીતે સમજાવે છે છતાં પણ કહે છે સ્વયંને આત્મા સમજો. તમે આખી જૂની દુનિયાનો સન્યાસ કરો છો. બુદ્ધિથી જાણો છો બધાં પાછા જશે આ દુનિયાથી. એવું નથી, સન્યાસ કરી જંગલમાં જવાનું છે. આખી દુનિયાનો સન્યાસ કરી આપણે સ્વયંનાં ઘરે ચાલ્યા જઈશું, એટલે કોઈ પણ ચીજ યાદ ન આવે સિવાય એક બાપનાં. ૬૦ વર્ષની આયુ થઈ તો પછી વાણીથી પરે વાનપ્રસ્થમાં જવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આ વાનપ્રસ્થ ની વાત છે હમણાં ની. ભક્તિમાર્ગમાં તો વાનપ્રસ્થ ની કોઈને ખબર જ નથી. વાનપ્રસ્થ નો અર્થ નથી બતાવી શકતા. વાણીથી પરે મૂળવતન ને કહેવાશે. ત્યાં બધી આત્માઓ નિવાસ કરે છે તો બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે, બધાંએ જવાનું છે ઘરે.

શાસ્ત્રોમાં દેખાડે છે આત્મા ભ્રકુટી ની મધ્ય ચમકતો તારો છે. ઘણાં સમજે છે આત્મા અંગુષ્ઠ જેવી છે. અંગુષ્ઠ સમજીને જ યાદ કરે છે. સ્ટાર (તારા) ને યાદ કેવી રીતે કરે? પૂજા કેવી રીતે કરે? તો બાપ સમજાવે છે તમે દેહ-અભિમાનમાં જ્યારે આવો છો તો પૂજારી બની જાઓ છો. ભક્તિનો સમય શરુ થાય છે, એને ભક્તિ કલ્ટ (સંપ્રદાય) કહેવાય છે. જ્ઞાન કલ્ટ અલગ છે. જ્ઞાન અને ભક્તિ ભેગાં ન હોઈ શકે. દિવસ અને રાત ભેગાં ન થઈ શકે. દિવસ સુખને કહેવાય છે અને રાત દુ:ખ અર્થાત્ ભક્તિને કહેવાય છે. કહે છે પ્રજાપિતા બ્રહ્માનો દિવસ અને ફરી રાત. તો પ્રજા અને બ્રહ્મા બંને ભેગાં હશે ને. તમે સમજો છો આપણે બ્રાહ્મણ જ અડધો કલ્પ સુખ ભોગવીએ છીએ પછી અડધો કલ્પ દુ:ખ. આ બુદ્ધિથી સમજવાની વાત છે. આ પણ જાણો છો બધાં બાપ ને યાદ નથી કરી શકતા તો પણ બાપ સ્વયં સમજાવતા રહે છે સ્વયંને આત્મા સમજો અને મને યાદ કરો તો તમે પાવન બની જશો. આ પૈગામ (સમાચાર) બધાંને પહોંચાડવાનો છે. સર્વિસ કરવાની છે. જે સર્વિસ જ નથી કરતા તો તે ફૂલ ન થયા. બાગવાન બગીચામાં આવશે તો એમને ફૂલ જ સામે જોઈએ, જે સર્વિસએબુલ છે તે અનેકોનું કલ્યાણ કરે છે. જેમને દેહ-અભિમાન છે તે સ્વયં પણ સમજશે અમે ફૂલ તો નથી. બાબા ની સામે સરસ-સરસ ફૂલ બેઠા છે. બાપની તેમનાં પર નજર જશે. ડાન્સ (નૃત્ય) પણ સારું ચાલશે. (નૃત્ય કરતી છોકરી નું ઉદાહરણ) સ્કૂલમાં પણ શિક્ષક તો જાણે છે ને - કોણ નંબરવન, કોણ નંબર બે, ત્રણ માં છે. બાપનું પણ ધ્યાન સર્વિસ કરવા વાળા તરફ જ જશે. દિલ પર પણ તે ચઢશે. ડિસસર્વિસ કરવા વાળા થોડી દિલ પર ચઢશે. બાપ પહેલા-પહેલા મુખ્ય વાત સમજાવે છે સ્વયંને આત્મા નિશ્ચય કરો ત્યારે બાપની યાદ રહેશે. દેહ-અભિમાન હશે તો બાપની યાદ રહેશે નહીં. લૌકિક સંબંધીઓ તરફ, ધંધા દોરી તરફ બુદ્ધિ ચાલી જશે. દેહી-અભિમાની હોવાથી પારલૌકિક બાપ જ યાદ આવશે. બાપને તો બહુ જ પ્રેમથી યાદ કરવા જોઈએ. સ્વયંને આત્મા સમજવું - આમાં મહેનત છે. એકાંત જોઈએ. ૭ દિવસની ભઠ્ઠીનો કોર્સ બહુ જ કડક (સખત) છે. કોઇની યાદ ન આવે. કોઈને પત્ર પણ ન લખી શકાય. આ ભઠ્ઠી તમારી શરુમાં હતી. અહીંયા તો બધાંને રાખી ન શકાય એટલે કહેવાય છે ઘરમાં રહીને પ્રેક્ટિસ કરો. ભક્ત લોકો પણ ભક્તિ માટે અલગ કોઠી બનાવી દે છે. અંદર કોઠી માં બેસીને માળા સિમરણ કરે છે, તો આ યાદની યાત્રામાં પણ એકાંત જોઈએ. એક બાપને જ યાદ કરવાનાં છે. આમાં કંઈ જીભ ચલાવવાની પણ વાત નથી. આ યાદનાં અભ્યાસમાં ફુરસદ જોઈએ.

તમે જાણો છો લૌકિક બાપ છે હદનાં ક્રિએટર (રચયિતા), આ છે બેહદનાં. પ્રજાપિતા બ્રહ્મા તો બેહદનાં થયા ને. બાળકોને એડોપ્ટ કરે છે. શિવબાબા એડોપ્ટ નથી કરતા. એમનાં તો બાળકો સદૈવ છીએ જ. તમે કહેશો શિવબાબાનાં અમે બાળકો આત્મા અનાદિ છીએ જ. બ્રહ્માએ તેમને એડોપ્ટ કર્યા છે. દરેક વાત સારી રીતે સમજવાની છે. બાપ રોજ-રોજ બાળકોને સમજાવે છે, કહે છે કે બાબાની યાદ નથી રહેતી. બાપ કહે છે આમાં થોડો સમય નીકાળવો જોઈએ. કોઈ-કોઈ એવા હોય છે જે બિલકુલ સમય આપી નથી શકતા. બુદ્ધિમાં કામ બહુ જ રહે છે. પછી યાદ ની યાત્રા કેમ થાય. બાપ સમજાવે છે મૂળ વાત જ આ છે - સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો તમે પાવન બની જશો. હું આત્મા છું, શિવબાબા નો બાળક છું - આ મનમનાભવ થયું ને. આમાં મહેનત જોઈએ. આશીર્વાદ ની વાત નથી. આ તો ભણતર છે આમાં કૃપા અથવા આશીર્વાદ ન ચાલે. હું ક્યારેય તમારા ઉપર હાથ રાખું છું શું! તમે જાણો છો બેહદનાં બાપથી આપણે વારસો લઈ રહ્યા છીએ. અમર ભવ, આયુશ્વાન ભવ. આમાં બધું આવી જાય છે. તમે ફુલ એજ (પૂરી આયુ) પામો છો. ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નથી થતી. આ વારસો કોઈ સાધુ-સંત વગેરે આપી નથી શકતા. તેઓ કહે છે પુત્રવાન ભવ.. તો મનુષ્ય સમજે છે તેમની કૃપાથી બાળક થયું છે. બસ જેમને બાળક નથી થતું તો તે જઈને એમનાં શિષ્ય બને છે. જ્ઞાન તો એક જ વાર મળે છે. આ છે અવ્યભિચારી જ્ઞાન, જેનો અડધો કલ્પ પ્રાલબ્ધ ચાલે છે. પછી છે અજ્ઞાન. ભક્તિને અજ્ઞાન કહેવાય છે. દરેક વાત કેટલી સરસ રીતે સમજાવાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે એટલે બુદ્ધિથી બધું જ સન્યાસ કરી એક બાપ ની યાદમાં રહેવાનું છે. એકાંતમાં બેસી અભ્યાસ કરવાનો છે - હું આત્મા છું.... આત્મા છું.

2. સર્વિસએબુલ ફૂલ બનવાનું છે. દેહ-અભિમાન વશ એવુ કોઈ કર્મ નથી કરવાનું જેથી ડિસસર્વિસ થઈ જાય. ઘણાં ના કલ્યાણનાં નિમિત્ત બનવાનું છે. થોડો સમય યાદ માટે અવશ્ય કાઢવાનો છે.

વરદાન :-
પવિત્રતાનાં વરદાનને નિજી સંસ્કાર બનાવી પવિત્ર જીવન બનાવવા વાળા મહેનત મુક્ત ભવ:

ઘણા બાળકો ને પવિત્રતામાં મહેનત લાગે છે, એથી સિદ્ધ છે વરદાતા બાપથી જન્મનું વરદાન નથી લીધું. વરદાનમાં મહેનત નથી હોતી. દરેક બ્રાહ્મણ આત્માને જન્મ નું પહેલું વરદાન છે “પવિત્ર ભવ, યોગી ભવ.” જેમ જન્મનાં સંસ્કાર બહુ જ પાક્કા હોય છે, તો પવિત્રતા બ્રાહ્મણ જન્મનાં આદિ સંસ્કાર, નિજી સંસ્કાર છે. આ જ સ્મૃતિથી પવિત્ર જીવન બનાવો. મહેનત થી મુક્ત બનો.

સ્લોગન :-
ટ્રસ્ટી એ છે જેમનામાં સેવાની શુદ્ધ ભાવના છે.