01-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 21.01.85
બાપદાદા મધુબન
“ઈશ્વરીય
જન્મદિવસની ગોલ્ડન ગીફ્ટ – દિવ્ય બુદ્ધિ”
આજે વિશ્વ રચતા બાપ
પોતાના જહાન નાં નૂર, નૂરે જહાન બાળકોને જોઈ રહ્યા છે. આપ શ્રેષ્ઠ આત્માઓ જહાનનાં
નૂર છો અર્થાત જહાન ની રોશની છો. જેમ સ્થૂળ નૂર નથી, તો જહાન નથી કારણકે નૂર અર્થાત
રોશની. રોશની નથી તો અંધકારના કારણે જહાન નથી. તો તમે નૂર નથી તો દુનિયામાં રોશની
નથી. તમે છો તો રોશની ના કારણે જહાન છે. તો બાપદાદા આવા જહાનના નૂર બાળકોને જોઈ
રહ્યા છે. આવાં બાળકોની મહિમા સદા ગવાય અને પૂજાય છે. આવા બાળકો જ વિશ્વના
રાજ્ય-ભાગ્ય ના અધિકારી બને છે. બાપદાદા દરેક બ્રાહ્મણ બાળકને જન્મ લેતા જ વિશેષ
દિવ્ય જન્મદિવસની દિવ્ય બે સૌગાત આપે છે. દુનિયામાં મનુષ્ય આત્માઓ, મનુષ્ય આત્માને
ગીફ્ટ આપે છે પરંતુ બ્રાહ્મણ બાળકોને સ્વયં બાપ દિવ્ય સૌગાત આ સંગમયુગ પર આપે છે.
શું આપે છે? એક દિવ્ય બુદ્ધિ અને બીજું દિવ્ય નેત્ર અર્થાત્ રૂહાની નૂર. આ બંને
ગિફ્ટ દરેક બ્રાહ્મણ બાળકને જન્મદિવસની ગીફ્ટ છે. આ બંને ગિફ્ટ ને સદા સાથે રાખતા
એના દ્વારા સફળતા સ્વરૂપ રહો છો. દિવ્ય બુદ્ધિ જ દરેક બાળકને દિવ્ય જ્ઞાન, દિવ્ય
યાદ, દિવ્ય ધારણા સ્વરૂપ બનાવે છે. દિવ્ય બુદ્ધિ જ ધારણા કરવાની વિશેષ ગિફ્ટ છે. તો
દિવ્ય બુદ્ધિ સદા છે અર્થાત્ ધારણા સ્વરૂપ છે. દિવ્ય બુદ્ધિ માં અર્થાત સતોપ્રધાન
ગોલ્ડન બુદ્ધિ માં જરા પણ રજો, તમો નો પ્રભાવ પડે છે તો ધારણા સ્વરૂપ ને બદલે માયાના
પ્રભાવમાં આવી જાય છે એટલે દરેક સહજ વાત પણ મુશ્કિલ અનુભવ કરે છે. સહજ ગિફ્ટના રૂપમાં
પ્રાપ્ત થયેલી દિવ્ય બુદ્ધિ કમજોર હોવાને કારણે મહેનત અનુભવ કરે છે. જ્યારે પણ
મુશ્કિલ કે મહેનત નો અનુભવ કરો છો તો અવશ્ય દિવ્ય બુદ્ધિ કોઈ માયા ના રૂપથી
પ્રભાવિત છે ત્યારે એવો અનુભવ થાય છે. દિવ્ય બુદ્ધિ દ્વારા સેકન્ડમાં બાપદાદાની
શ્રીમત ધારણ કરી, સદા સમર્થ સદા અચળ, સદા માસ્ટર સર્વશક્તિવાન સ્થિતિનો અનુભવ કરે
છે. શ્રીમત અર્થાત શ્રેષ્ઠ બનવાવાળી મત. તેઓં ક્યારે મુશ્કિલ અનુભવ નથી કરી સકતા.
શ્રીમત સદા સહજ ઉડાવવા વાળી મત છે. પરંતુ ધારણ કરવાની દિવ્ય બુદ્ધિ જરૂર જોઈએ. તો
ચેક કરો - પોતાના જન્મની સૌગાત સદા સાથે છે? ક્યારેક માયા પોતાના બનાવીને દિવ્ય
બુદ્ધિની ગિફ્ટ છીનવી તો નથી લેતી? ક્યારેક માયાના પ્રભાવથી ભોળા તો નથી બની જતાં
જે પરમાત્મ ગિફ્ટ પણ ગુમાવી દો. માયાને પણ ઈશ્વરીય ગિફ્ટ ને પોતાની બનાવાની ચતુરાઈ
આવડે છે. તો સ્વયં ચતુર બની જાય અને તમને ભોળા બનાવી દે છે એટલે ભોળાનાથ બાપના ભોળા
બાળકો ભલે બનો પરંતુ માયાથી ભોળા નહી બનો. માયા થી ભોળા બનવું અર્થાત ભૂલવા વાળા
બનવું. ઈશ્વરીય દિવ્ય બુદ્ધિ ની ગિફ્ટ સદા છત્રછાયા છે અને માયા પોતાની છાયા નાખી
દે છે. છત્ર ઉડી જાય છે, છાયા રહી જાય છે એટલે સદા ચેક કરો - બાપ ની ગિફ્ટ કાયમ છે?
દિવ્ય બુદ્ધિ ની નિશાની ગિફ્ટ, લિફ્ટ નું કાર્ય કરે છે. જે શ્રેષ્ઠ સંકલ્પ રુપી
સ્વીચ ચાલુ કરી તેજ સ્થિતિ માં સેકન્ડમાં સ્થિત થયા. જો દિવ્ય બુદ્ધિ ની વચ્ચે
માયાની છાયા છે તો આ ગીફ્ટ ની લિફ્ટ કાર્ય નહીં કરશે. જેમ સ્થૂળ લિફ્ટ પણ ખરાબ થઈ
જાય છે તો શું હાલત થાય છે? ન ઉપર, ન નીચે વચ્ચે લટકી જઈએ. શાન ના બદલે પરેશાન થઈ
જઈએ. કેટલી પણ સ્વિચ ઓન કરશો પરંતુ લક્ષ્ય પર પહોંચવાની પ્રાપ્તિ નહીં કરી શકીએ. તો
આ ગીફ્ટ ની લિફ્ટ ખરાબ કરી દો છો એટલે મહેનત રૂપી સીડી ચઢવી પડે છે. પછી શું કહો
છો? હિંમત રૂપી પગ ચાલી નથી શકતા. તો સહજ ને મુશ્કિલ કોણે બનાવ્યું અને કેવી રીતે
બનાવ્યું? પોતે પોતાને જ અલબેલા બનાવ્યા. માયાની છાયામાં આવી ગયા એટલે સેકન્ડની સહજ
વાતને બહુ જ સમયની મહેનત અનુભવ કરો છો. દિવ્ય બુદ્ધિની ગિફ્ટ અલૌકિક વિમાન છે. જે
દિવ્ય વિમાન દ્વારા સેકન્ડમાં સ્વીચ ઓન કરવાથી જ્યાં ઇચ્છો ત્યાં પહોંચી શકો છો.
સ્વીચ છે સંકલ્પ. સાયન્સ વાળા તો એક લોક નું ભ્રમણ કરી શકે. તમે ત્રણે લોકોનું
ભ્રમણ કરી શકો છો. સેકન્ડમાં વિશ્વ કલ્યાણકારી સ્વરૂપ બની આખા વિશ્વને લાઈટ અને
માઈટ આપી શકો છો. ફક્ત દિવ્ય બુદ્ધિના વિમાન દ્વારા ઊંચી સ્થિતિ સ્થિત થઈ જાઓ. જેમ
એમણે વિમાન દ્વારા હિમાલયની ઉપર રાખ નાખી, નદીમાં રાખ નાખી, શા માટે? ચારે બાજુ માં
ફેલાવવા માટે ને. એમણે તો રાખ નાખી, તમે દિવ્ય બુદ્ધિ રૂપી વિમાન દ્વારા સૌથી ઊંચી
ચોટી ની સ્થિતિમાં સ્થિત થઈ વિશ્વની સર્વ આત્માઓં પ્રતિ લાઈટ અને માઈટ ની શુભ ભાવના
અને શ્રેષ્ઠ કામના નાં સહયોગની લહેર ફેલાવો. વિમાન તો શક્તિશાળી છે ને? ફક્ત ઉપયોગ
કરતા આવડવું જોઈએ.
બાપદાદાની રિફાઇન (શુદ્ધ) શ્રેષ્ઠ મતનું સાધન જોઈએ. જેમ આજકાલ રિફાઇન થી પણ ડબલ
રિફાઇન ચાલે છે ને. તો બાપદાદાનું આ ડબલ રિફાઇન સાધન છે. જરા પણ મન-મત, પરમત નો
કીચડો છે તો શું થશે? ઊંચે જશો કે નીચે? તો આ ચેક કરો - દિવ્ય બુદ્ધિ રુપી વિમાનમાં
સદા ડબલ રિફાઇન સાધન છે? વચ્ચે કોઈ કીચડો તો નથી આવી જતો? નહીં તો આ વિમાન સદા
સુખદાયી છે. જેમ સતયુગમાં ક્યારે પણ કોઈ અકસ્માત થઈ નથી સકતા કારણ કે તમારા શ્રેષ્ઠ
કર્મોની શ્રેષ્ઠ પ્રાલબ્ધ છે. એવા કોઈ કર્મ હોતા નથી જે કર્મના ભોગના હિસાબથી આ
દુઃખ ભોગવવું પડે. એવાં સંગમયુગી ગોડલી ગિફ્ટ દિવ્ય બુદ્ધિ સદા સર્વ પ્રકારનાં દુઃખ
અને દગાથી મુક્ત છે. દિવ્ય બુદ્ધિવાળા ક્યારે પણ ધોખામાં આવી નથી શકતા, દુઃખની
અનુભૂતિ કરી નથી શકતા.સદા સેફ (સલામત) છે. આપત્તિઓથી મુક્ત છે એટલે આ ગોડલી ગિફ્ટનાં
મહત્વને જાણી આ ગિફ્ટને સદા સાથે રાખો. સમજ્યા, આ ગિફ્ટનું મહત્વ? ગિફ્ટ બધાને મળી
છે કે કોઈની રહી ગઈ છે? મળી તો બધાને છે ને. ફક્ત સંભાળતા આવડે છે કે નહીં તે તમારી
ઉપર છે. સદા અમૃતવેલાએ ચેક કરો - જરા પણ ખોટ હોય તો અમૃતવેલાએ ઠીક કરી દેવાથી આખો
દિવસ શક્તિશાળી રહેશે. જો સ્વયં ઠીક નથી કરી સકતા તો ઠીક કરાવો. પરંતુ અમૃતવેલાએ જ
ઠીક કરી દો. અચ્છા – દિવ્ય દ્રષ્ટિ ની વાત પછી સંભળાવશું. દિવ્ય દ્રષ્ટિ કહો, દિવ્ય
નેત્ર કહો, રૂહાની નૂર કહો, વાત એક જ છે. આ સમયે તો દિવ્ય બુદ્ધિની આ ગિફ્ટ બધાની
પાસે છે ને. સોનાનું પાત્ર (વાસણ) છો ને. આ જ દિવ્ય બુદ્ધિ છે. મધુબનમાં બધા દિવ્ય
બુદ્ધિ રૂપી સંપૂર્ણ સોનાનું પાત્ર લઈને આવ્યા છો ને. સાચા સોના માં ચાંદી કે તાંબુ
મિક્સ તો નથી ને. સતોપ્રધાન અર્થાત સંપૂર્ણ સોનુ, એમને જ દિવ્ય બુદ્ધિ કહેવાય છે.
અચ્છા - જે પણ બાજુથી આવ્યા છો, બધી બાજુથી જ્ઞાન નદીઓ આવી સાગરમાં સમાઈ. નદી અને
સાગર નો મેળો છે. મહાન મેળો મનાવવા આવ્યા છો ને. મિલન મેળો મનાવવા આવ્યા છો. બાપદાદા
પણ સર્વ જ્ઞાન નદીઓને જોઈ હર્ષિત થાય છે કે, કેવા ઉમંગ-ઉત્સાહથી, ક્યાં-ક્યાંથી
મિલન મેળા માં પહોંચી ગયા છે. અચ્છા!
સદા દિવ્ય બુદ્ધિની ગોલ્ડન ગિફ્ટને કાર્યમાં લાવવા વાળા, સદા બાપ સમાન ચતુર સુજાન
બની માયાની ચતુરાઈને જાણવાવાળા, સદા બાપની છત્રછાયા માં રહી માયાની છાયા થી દૂર
રહેવા વાળા, સદા જ્ઞાન સાગર થી મધુર મિલન મેળો મનાવવા વાળા, દરેક મુશ્કિલ ને સહજ
બનાવવા વાળા, વિશ્વ કલ્યાણકારી, શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત રહેવા વાળા, શ્રેષ્ઠ
આત્માઓને બાપદાદાના યાદ પ્યાર અને નમસ્તે.
પર્સનલ
મુલાકાત
૧. દ્રષ્ટિ બદલવાથી સૃષ્ટિ બદલાઈ ગઈ છે ને! દ્રષ્ટિ શ્રેષ્ઠ થઈ ગઈ તો સૃષ્ટિ પણ
શ્રેષ્ઠ થઈ ગઈ! હવે સૃષ્ટિ જ બાપ છે. બાપ માં સૃષ્ટિ સમાયેલી છે. એવો જ અનુભવ થાય
છે ને! જ્યાં પણ જોવો, સાંભળો તો બાપ પણ સાથે અનુભવ થાય છે ને! આવાં સ્નેહી આખા
વિશ્વમાં કોઈ હોઈ નથી સકતા જે દર સેકન્ડ, દર સંકલ્પમાં સાથ નિભાવે. લૌકિક માં કોઈ
કેટલા પણ સ્નેહી હોય પરંતુ છતાં પણ સદા સાથ નથી આપી શકતા. આતો સ્વપ્નમાં પણ સાથ આપે
છે. આવો સાથ નિભાવવા વાળા સાથી મળ્યા છે, એટલે સૃષ્ટિ બદલાઈ ગઈ. હવે લૌકિકમાં પણ
અલૌકિક નો અનુભવ કરો છો ને! લૌકિક માં જે પણ સંબંધ જોવો તો સાચો સંબંધ સ્વત:
સ્મૃતિમાં આવે છે એનાથી તે આત્માઓને પણ શક્તિ મળી જાય છે. જ્યારે બાપ સદા સાથે છે
તો બેફિકર બાદશાહ છો. ઠીક થશે કે નહીં આ પણ વિચારવાની જરૂરિયાત નથી રહેતી. જ્યારે
બાપ સાથે છે તો બધું ઠીક જ ઠીક છે. તો સાથ નો અનુભવ કરતાં ઉડતા ચાલો. વિચારવાનું પણ
બાપનું કામ છે, આપણું કામ છે સાથમાં મગન રહેવું, એટલે કમજોર વિચાર પણ સમાપ્ત. સદા
બેફિકર બાદશાહ રહો, હમણાં પણ બાદશાહ અને સદા માટે બાદશાહ.
૨. સદા પોતાને સફળતાના સિતારા સમજો અને બીજી આત્માઓને પણ સફળતાની ચાવી આપતા રહો. આ
સેવાથી બધી આત્માઓ ખુશ થઈને તમને દિલથી આશીર્વાદ આપશે. બાપ અને સર્વ ના આશીર્વાદ જ
આગળ વધારે છે.
વિશેષ પસંદ
કરેલા અવ્યક્ત મહાવાક્ય – સહયોગી બનો અને સહયોગી બનાવો
જેમ પ્રજા રાજાની સહયોગી, સ્નેહી હોય છે, એમ પહેલાં તમારી આ સર્વ કર્મેન્દ્રિયો,
વિશેષ શક્તિઓ સદા સ્નેહી, સહયોગી રહેશે ત્યારે એમનો પ્રભાવ સાકારમાં તમારા સેવાના
સાથીઓ કે લૌકિક સંબંધો, સાથીઓ પર પડશે. જ્યારે સ્વયં પોતાની સર્વ કર્મેન્દ્રિયો ને
ઓર્ડર માં રાખશો ત્યારે તમારા બીજા બધા સાથી તમારા કાર્યમાં સહયોગી બનશે. જેમનાથી
સ્નેહ હોય છે તેના દરેક કાર્યમાં સહયોગી જરૂર બનીએ છીએ. અતિ સ્નેહી આત્માની નિશાની
સદા બાપના શ્રેષ્ઠ કાર્યમાં સહયોગી હશે. જેટલા- જેટલા સહયોગી એટલા સહજયોગી. તો
દિવસ-રાત આ જ લગન રહે - બાબા અને સેવા, એના સિવાય કંઈ છે જ નહીં. તે માયાનાં સહયોગી
થઇ નથી શકતા, માયાથી કિનારો થઈ જાય છે
સ્વયંને કોઈ કેટલા પણ અલગ રસ્તાવાળા માને પરંતુ ઈશ્વરીય સ્નેહ સહયોગી બનાવી
‘પરસ્પરમાં એક થઈ’ આગળ વધવાના સૂત્રમાં બાંધી દે છે. સ્નેહ પહેલા સહયોગી બનાવે છે,
સહયોગી બનાવતા-બનાવતા સ્વત: જ સમય પર સહજયોગી બનાવી દે છે. ઈશ્વરીય સ્નેહ પરિવર્તન
નું ફાઉન્ડેશન છે અથવા જીવન-પરિવર્તન નાં બીજ-સ્વરૂપ છે. જે આત્માઓ માં ઈશ્વરીય
સ્નેહની અનુભૂતિનું બીજ પડી જાય છે, તો આ બીજ સહયોગી બનવાનું વૃક્ષ સ્વત: જ પેદા
કરતું રહેશે અને સમય પર સહજયોગી બનવાનું ફળ જોવા મળશે કારણકે પરિવર્તનનું બીજ ફળ
જરૂર દેખાડે છે. બધાના મન ની શુભ ભાવના અને શુભકામના નો સહયોગ કોઈપણ કાર્યમાં સફળતા
અપાવી દે છે કારણકે આ શુભ ભાવના, શુભકામના નો કિલ્લો આત્માઓને પરિવર્તન કરી દે છે.
વાયુમંડળ નો કિલ્લો સર્વનાં સહયોગથી જ બને છે. ઈશ્વરીય સ્નેહ નું સૂત્ર એક હોય તો
અનેક્તા ના વિચાર હોવા છતાં પણ સહયોગી બનવાના વિચારો ઉત્પન્ન થઈ જાય છે. હવે સર્વ
સત્તાઓ ને સહયોગી બનાવો. બની પણ રહ્યા છે પરંતુ હજી પણ સમીપ, સહયોગી બનાવતા રહો
કારણ કે હવે પ્રત્યક્ષતાનો સમય સમીપ આવી રહ્યો છે. પહેલા તમે તેઓને સહયોગી બનાવવાની
મહેનત કરતા હતા પરંતુ હવે તેઓ સ્વયં સહયોગી બનવાની ઓફર કરી રહ્યા છે અને આગળ પણ કરતા
રહેશે.
સમય પ્રતિ સમયે સેવા ની રૂપરેખા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. હવે તમારે લોકોએ
વધારે કહેવું નહીં પડે પરંતુ તેઓ સ્વયં કહેશે કે આ કાર્ય શ્રેષ્ઠ છે, એટલે આપણે પણ
સહયોગી બનવું જ જોઈએ. જે સાચી દિલથી, સ્નેહથી સહયોગ આપે છે, એ પદમગુણા બાપથી સહયોગ
લેવાનાં અધિકારી બને છે. બાપ પુરો જ સહયોગ નો હિસાબ ચૂકતું કરે છે. મોટા કાર્યને પણ
સહજ કરવાનું ચિત્ર પર્વત ને આંગળી આપતા બતાવ્યું છે, આ સહયોગની નિશાની છે. તો દરેક
સહયોગી બનીને સામે આવે, સમય પર સહયોગી બને - હવે તેની આવશ્યકતા છે. એનાં માટે
શક્તિશાળી બાણ લગાડવું પડશે. શક્તિશાળી બાણ તે હોય છે જેમાં સર્વ આત્માઓના સહયોગની
ભાવના હોય, ખુશીની ભાવના હોય, સદભાવના હોય. અચ્છા - ઓમ શાંતિ.
વરદાન :-
સ્નેહ અને
નવીનતાની ઓથોરિટી થી સમર્પિત કરાવવા વાળી મહાન આત્મા ભવ:
જે પણ સંપર્ક
માં આવે છે તેમને એવા સંબંધ માં લઇ આવો જે સંબંધ માં આવતા-આવતા સમર્પણ બુદ્ધિ થઈ
જાય અને કહે કે જે બાપએ કહ્યું છે તે સત્ય છે, એને કહેવાય છે સમર્પણ બુદ્ધિ. પછી
તેમના પ્રશ્ન સમાપ્ત થઈ જશે. ફક્ત એવું ન કહે કે એમનું જ્ઞાન સારું છે. પરંતુ આ નવું
જ્ઞાન છે જે નવી દુનિયા લાવશે - આ અવાજ થશે ત્યારે કુંભકરણ જાગશે. તો નવીનતાની
મહાનતા દ્વારા સ્નેહ અને ઓથોરિટીના બેલેન્સ થી એવા સમર્પિત કરાવો ત્યારે કહેવાશે
માઈક તૈયાર થયા.
સ્લોગન :-
એક પરમાત્માના
પ્રિય બનો તો વિશ્વના પ્રિય બની જશે જશો.