31-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમને જે પણ જ્ઞાન મળે છે , તેનાં પર વિચાર સાગર મંથન કરો , જ્ઞાન મંથન થી જ અમૃત નીકળશે ”

પ્રશ્ન :-
૨૧ જન્મોનાં માટે માલામાલ બનવાનું સાધન શું છે?

ઉત્તર :-
જ્ઞાન રત્ન. જેટલાં તમે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ્ઞાન રત્ન ધારણ કરો છો એટલાં માલામાલ બનો છો. હમણા નાં જ્ઞાન રત્ન ત્યાં હીરા-ઝવેરાત બની જાય છે. જ્યારે આત્મા જ્ઞાન રત્ન ધારણ કરે, મુખ થી જ્ઞાન રત્ન નીકાળે, રત્ન જ સાંભળે અને સંભળાવે ત્યારે તેમનાં હર્ષિત ચહેરા થી બાપનું નામ પ્રસિદ્ધ થશે. આસુરી ગુણ નીકળે ત્યારે માલામાલ બનો.

ઓમ શાંતિ!
બાપ બાળકોને જ્ઞાન અને ભક્તિ પર સમજાવે છે. આ તો બાળકો સમજે છે કે સતયુગ માં ભક્તિ નથી હોતી. જ્ઞાન પણ સતયુગ માં નથી મળતું. કૃષ્ણ ન ભક્તિ કરે છે, ન જ્ઞાન ની મુરલી વગાડે છે. મુરલી એટલે જ્ઞાન આપવું. ગાયન છે ને મુરલી માં જાદુ. તો જરુર કોઈ જાદુ હશે ને. ફક્ત મુરલી વગાડવી આ સાધારણ વાત છે. ફકીર લોકો પણ મુરલી વગાડે છે. આમાં તો જ્ઞાન નું જાદુ છે. અજ્ઞાન ને જાદુ નહીં કહેશું. મનુષ્ય સમજે છે કૃષ્ણ મુરલી વગાડતાં હતા, તેમની બહુજ મહિમા કરે છે. બાપ કહે છે કૃષ્ણ તો દેવતા હતાં. મનુષ્ય થી દેવતા, દેવતા થી મનુષ્ય, આ થતું જ રહે છે. દૈવી સૃષ્ટિ પણ હોય છે તો મનુષ્ય સૃષ્ટિ પણ હોય છે. આ જ્ઞાન થી મનુષ્ય થી દેવતા બને છે. જ્યારે સતયુગ છે તો આ જ્ઞાન નો વારસો છે. સતયુગમાં ભક્તિ હોતી નથી. દેવતા જ્યારે મનુષ્ય બને છે ત્યારે ભક્તિ શરુ થાય છે. મનુષ્યને વિકારી, દેવતાઓને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓની સૃષ્ટિને પવિત્ર દુનિયા કહેવાય છે. હવે તમે મનુષ્ય થી દેવતા બની રહ્યા છો. દેવતાઓ માં પછી આ જ્ઞાન હશે નહીં. દેવતાઓ સદ્દગતિ માં છે, જ્ઞાન જોઈએ દુર્ગતિવાળા ને. આ જ્ઞાનથી જ દૈવી ગુણ આવે છે. જ્ઞાન ની ધારણાવાળા ની ચલન દેવતાઈ હોય છે. ઓછી ધારણાવાળા ની ચલન મિક્સ (ભેળસેળ) હોય છે. આસુરી ચલન તો નહી કહેશું. ધારણા નથી તો મારા બાળકો કેવી રીતે કહેવાશો. બાળકો બાપને નથી જાણતા તો બાપ પણ બાળકોને કેવી રીતે જાણશે. કેટલી કાચી-કાચી ગાળો બાપને આપે છે. ભગવાન ને ગાળ આપવી કેટલું ખરાબ છે. પછી જ્યારે તેઓ બ્રાહ્મણ બને તો ગાળ દેવાનું બંધ થઈ જાય છે. તો આ જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવું જોઈએ. વિદ્યાર્થી વિચાર સાગર મંથન કરી જ્ઞાન ને ઉન્નતિમાં લાવે છે. તમને આ જ્ઞાન મળે છે, તેનાં પર પોતાનો વિચાર સાગર મંથન કરવાથી અમૃત નીકળશે. વિચાર સાગર મંથન નહીં હશે તો શું મંથન હશે? આસુરી વિચાર મંથન, જેનાથી કિચડો જ નીકળે છે. હમણાં તમે ઈશ્વરીય વિદ્યાર્થી છો. જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર બાપ ભણાવી રહ્યા છે. દેવતા તો નહીં ભણાવશે. દેવતાઓને ક્યારેય જ્ઞાનનાં સાગર નથી કહેવાતું. બાપ જ જ્ઞાનનાં સાગર છે. તો સ્વયંથી પૂછવું જોઈએ અમારામાં બધાં દૈવી ગુણ છે? જો આસુરી ગુણ છે તો તેને નીકાળી દેવાં જોઈએ ત્યારે જ દેવતા બનશો.

હમણાં તમે છો પુરુષોત્તમ સંગમયુગ પર. પુરુષોત્તમ બની રહ્યા છો તો વાતાવરણ પર બહુ જ સારું હોવું જોઈએ. છી-છી વાતો મુખ થી ન નીકળવી જોઇએ. નહીં તો કહેવાશે ઓછા દરજ્જા નો છે. વાતાવરણ થી ઝટ ખબર પડી જાય છે. મુખ થી વચન જ દુઃખ દેવાવાળા નીકળે છે. આપ બાળકોએ બાપનું નામ પ્રસિદ્ધ કરવાનું છે. સદેવ મુખડું હર્ષિત રહેવું જોઈએ. મુખ થી સદેવ રત્ન જ નીકળે. આ લક્ષ્મી-નારાયણ કેટલા હર્ષિતમુખ છે, તેમની આત્માએ જ્ઞાન રત્ન ધારણ કર્યા હતાં. મુખ થી આ રત્ન નીકાળ્યા હતાં. રત્ન જ સાંભળતા સંભળાવતા હતાં. કેટલી ખુશી રહેવી જોઈએ. હમણાં તમે જે જ્ઞાન રત્ન લો છો તે પછી સાચાં હીરા-ઝવેરાત બની જાય છે. ૯ રત્નો ની માળા કોઈ હીરા-ઝવેરાતની નથી, આ ચૈતન્ય રત્નોની માળા છે. મનુષ્ય લોકો પછી તે રત્ન સમજી વીંટીઓ વગેરે પહેરે છે. જ્ઞાન રત્નોની માળા આ પુરુષોત્તમ સંગમયુગ પર જ બને છે. આ રત્ન જ ૨૧ જન્મોનાં માટે માલામાલ બનાવી દે છે, જેને કોઈ લુટી ન શકે. અહીંયા પહેરો તો ઝટ કોઈ લૂટી લેશે. તો સ્વયંને બહુજ-બહુજ સમજદાર બનાવવાનાં છે. આસુરી ગુણોને નીકાળવાનાં છે. આસુરી ગુણવાળાનો ચહેરો જ એવો થઈ જાય છે. ક્રોધ માં તો લાલ તાંબા જેવાં થઈ જાય છે. કામ વિકારવાળા તો એકદમ કાળા મોઢાવાળા બની જાય છે. કૃષ્ણને પણ કાળા દેખાડે છે ને. વિકારોનાં કારણે જ સુંદર થી શ્યામ બની ગયાં. આપ બાળકોએ દરેક વાતનું વિચાર સાગર મંથન કરવું જોઈએ. આ ભણતર છે બહુ જ ધન પામવાનું. આપ બાળકોનું સાંભળલું છે, ક્વીન (રાણી) વિક્ટોરિયા નો વજીર પહેલા બહુ જ ગરીબ હતો. દીવો પેટાવીને ભણતો હતો. પરંતુ તે ભણતર કોઈ રત્ન થોડી છે. નોલેજ ભણીને પૂરી પોઝિશન (પદ) પામી લે છે. તો ભણતર કામ આવ્યું, ન કે પૈસા. ભણતર જ ધન છે. તે છે હદનું, આ છે બેહદનું ધન. હમણાં તમે સમજો છો બાપ આપણને ભણાવીને વિશ્વનાં માલિક બનાવી દે છે. ત્યાં તો ધન કમાવવાં માટે ભણતર નહી ભણશું. ત્યાં તો હમણાં નાં પુરુષાર્થ થી અકિચાર (અથાહ) ધન મળે છે. ધન અવિનાશી બની જાય છે. દેવતાઓની પાસે બહુજ ધન હતું પછી જ્યારે વામમાર્ગ, રાવણ રાજ્યમાં આવે છે તો પણ કેટલું ધન હતું. કેટલા મંદિર બનાવડાવ્યાં. પછી મુસલમાનો એ લુંટ્યું. કેટલાં ધનવાન હતા. આજકાલ નાં ભણતરથી આટલાં ધનવાન નથી બની શકતા. તો આ ભણતરથી જુઓ મનુષ્ય શું બની જાય છે! ગરીબ થી સાહૂકાર. હમણાં ભારત જુઓ કેટલો ગરીબ છે! નામ નાં સાહૂકાર પણ જે છે, તેમને તો ફુરસત જ નથી. પોતાનાં ધન, પોઝીશન નો કેટલો અહંકાર રહે છે. આમાં અહંકાર વગેરે નષ્ટ થઇ જવો જોઈએ. આપણે આત્મા છીએ, આત્માની પાસે ધન-સંપત્તિ, હીરા-ઝવેરાત વગેરે કાંઈ પણ નથી.

બાપ કહે છે મીઠા બાળકો, દેહ સહિત દેહનાં બધાં સંબંધ છોડો. આત્મા શરીર છોડે છે તો પછી સાહૂકારી વગેરે બધું ખતમ થઇ જાય છે. પછી જ્યારે નવેસર થી ભણે, ધન કમાય ત્યારે ધનવાન બને અથવા તો દાન-પુણ્ય સારું કર્યુ હશે તો સાહૂકારનાં ઘરમાં જન્મ લેશે. કહે છે આ ભૂતકાળનાં કર્મોનું ફળ છે. નોલેજ નું દાન આપ્યું છે કે કોલેજ, ધર્મશાળા વગેરે બનાવી છે, તો તેનું ફળ મળે છે પરંતુ અલ્પકાળનાં માટે. આ દાન-પુણ્ય વગેરે પણ અહીંયા કરાય છે. સતયુગ માં નથી કરાતું. સતયુગ માં સારા જ કર્મ હોય છે, કારણ કે હમણાં નો વારસો મળેલ છે. ત્યાં કોઈ પણ કર્મ વિકર્મ નહીં બનશે કારણ કે રાવણ જ નથી. વિકાર માં જવાથી વિકારી કર્મ બની જાય છે. વિકારથી વિકર્મ બને છે. સ્વર્ગમાં વિકર્મ કોઈ હોતાં નથી. આખો આધાર કર્મો પર છે. આ માયા રાવણ અવગુણી બનાવે છે. બાપ આવીને સર્વગુણ સંપન્ન બનાવે છે. રામવંશી અને રાવણવંશી નું યુદ્ધ ચાલે છે. તમે રામ નાં બાળકો છો, કેટલા સારા-સારા બાળકો માયાથી હાર ખાઈ લે છે. બાબા નામ નથી બતાવતા, છતાં પણ ઉમ્મીદ રાખે છે. અધમ થી અધમ નો ઉદ્ધાર કરવાનો હોય છે. બાપને આખાં વિશ્વનો ઉદ્ધાર કરવાનો છે. રાવણનાં રાજ્યમાં બધાં અધમ ગતિને પામેલાં છે. બાપ તો બચવા અને બચાવવાની યુક્તિઓ રોજ-રોજ સમજાવતાં રહે છે છતાં પણ પડે છે તો અધમ થી અધમ બની જાય છે. તે પછી એટલું ચઢી નથી સકતા. તે અધમપણું અંદર ખાતું રહેશે. જેમ કહો છો અંતકાળ જો…... તેમની બુદ્ધિ માં તે અધમપણું જ યાદ આવતું રહેશે.

તો બાપ બેસી બાળકો ને સમજાવે છે - કલ્પ-કલ્પ તમે જ સાંભળો છો, સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, જાનવર તો નહીં જાણશે ને. તમે જ સાંભળો છો અને સમજો છો. મનુષ્ય તો મનુષ્ય જ છે, આ લક્ષ્મી-નારાયણને પણ નાક- કાન વગેરે બધું છે છતાં પણ મનુષ્ય છે ને. પરંતુ દૈવીગુણ છે એટલે એમને દેવતા કહેવાય છે. આ આવાં દેવતા કેવી રીતે બને છે પછી કેવી રીતે પડે છે, આ ચક્રની તમને જ ખબર છે. જે વિચાર સાગર મંથન કરતા રહેશે, એમને જ ધારણા થશે. જે વિચાર સાગર મંથન નથી કરતાં એમને બુદ્ધુ કહેશું. મુરલી ચલાવવા વાળાનું વિચાર સાગર મંથન ચાલતું રહેશે-આ વિષય પર આ-આ સમજાવવાનું છે. ઉમ્મીદ રખાય છે, હમણાં નહીં સમજે પરંતુ આગળ ચાલીને જરુર સમજશે. ઉમ્મીદ રાખવી એટલે સેવા નો શોખ છે, થાકવાનું નથી. ભલે કોઈ ચઢીને પછી અધમ બન્યું છે, જો આવે છે તો સ્નેહ થી બેસાડશે ને કે કહેશો ચાલ્યા જાઓ! હાલચાલ પૂછવો પડે-આટલાં દિવસ ક્યાં રહ્યાં, કેમ નહીં આવ્યાં? કહેશે ને માયા થી હાર ખાઈ લીધી. સમજે પણ છે જ્ઞાન બહુ જ સરસ છે. સ્મૃતિ તો રહે છે ને. ભક્તિમાં તો હાર જીત પામવાની વાત જ નથી. આ નોલેજ છે, આને ધારણ કરવાનું છે. તમે જ્યાં સુધી બ્રાહ્મણ ન બનો ત્યાં સુધી દેવતા બની નહીં શકો. ક્રિશ્ચિયન, બૌદ્ધિ, પારસી વગેરેમાં બ્રાહ્મણ થોડી હોય છે. બ્રાહ્મણ નાં બાળકો બ્રાહ્મણ હોય છે. આ વાતો હમણાં તમે સમજો છો. તમે જાણો છો અલ્ફને યાદ કરવાનાં છે. અલ્ફને યાદ કરવાથી બે બાદશાહી મળે છે. જ્યારે કોઈ મળે તો બોલો અલ્ફ અલ્લાહને યાદ કરો. અલ્ફ ને જ ઉચ્ચ કહેવાય છે. આંગળી થી અલ્ફ તરફ ઈશારો કરે છે. સીધા જ સીધા અલ્ફ છે. અલ્ફને એક પણ કહેવાય છે. એક જ ભગવાન છે, બાકી બધાં છે બાળકો. બાપને અલ્ફ કહેવાય છે. બાપ જ્ઞાન પણ આપે છે, પોતાનાં બાળક પણ બનાવે છે. તો આપ બાળકોએ કેટલી ખુશીમાં રહેવું જોઈએ. બાબા આપણી કેટલી સેવા કરે છે, વિશ્વનાં માલિક બનાવે છે. પછી સ્વયં તે પવિત્ર દુનિયામાં આવતા પણ નથી. પાવન દુનિયામાં કોઈ એમને બોલાવતું જ નથી. પતિત દુનિયામાં જ બોલાવે છે. પાવન દુનિયામાં આવીને શું કરશે. એમનું નામ જ છે પતિત-પાવન. તો જૂની દુનિયાને પાવન દુનિયા બનાવવી એમની ફરજ છે. બાપનું નામ જ છે શિવ. બાળકોને સાલિગ્રામ કહેવાય છે. બંનેની પૂજા થાય છે. પરંતુ પૂજા કરવાવાળા ને કાંઈ પણ ખબર નથી, બસ એક રીત-રિવાજ બનાવી દીધી છે પૂજાની. દેવીઓનાં પણ ફર્સ્ટ ક્લાસ હીરા-મોતીઓનાં મહેલ વગેરે બનાવે છે, પૂજા કરે છે. તે તો માટીનું લિંગ બનાવ્યું અને તોડ્યું. બનાવવામાં મહેનત નથી લાગતી. દેવીઓને બનાવવામાં મહેનત લાગે છે, એમની (શિવબાબાની) પૂજામાં મહેનત નથી લાગતી. મફત માં મળે છે. પથ્થર પાણીમાં ઘસાઈ-ઘસાઈને ગોળ બની જાય છે. પૂરો અંડાકાર બનાવી દે છે. કહે પણ છે અન્ડાની જેમ આત્મા છે, જે બ્રહ્મ તત્વ માં રહે છે, એટલે એને બ્રહ્માંડ કહેવાય છે. તમે બ્રહ્માંડ નાં અને વિશ્વ નાં પણ માલિક બનો છો.

તો પહેલાં-પહેલાં સમજણ આપવાની છે એક બાપની. શિવને બાબા કહી બધાં યાદ કરે છે. બીજું બ્રહ્માને પણ બાબા કહે છે. પ્રજાપિતા છે તો આખી પ્રજા નાં પિતા થયા ને. ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. આ બધું જ્ઞાન હમણાં આપ બાળકો માં છે. પ્રજાપિતા બ્રહ્મા તો કહે બહુજ છે પરંતુ યથાર્થ રીતે જાણતા કોઈ નથી. બ્રહ્મા કોનાં બાળક છે? તમે કહેશો પરમપિતા પરમાત્મા નાં. શિવબાબા એ એમને એડોપ્ત (દત્તક) કર્યા છે તો આ શરીરધારી થયા ને. ઈશ્વરનાં બધાં બાળકો છે. પછી જ્યારે શરીર મળે છે તો પ્રજાપિતા બ્રહ્માની એડોપ્શન કહે છે. તે એડોપ્શન નથી. શું આત્માઓને પરમપિતા પરમાત્માએ એડોપ્ત કર્યા છે? ના, તમને એડોપ્ત કર્યા છે. હવે તમે છો બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવબાબા એડોપ્ટ નથી કરતાં. બધી આત્માઓ અનાદિ અવિનાશી છે. બધી આત્માઓને પોત-પોતાનું શરીર, પોત-પોતાનો પાર્ટ મળેલ છે, જે ભજવવાનો જ છે. આ પાર્ટ જ અનાદિ અવિનાશી પરંપરા થી ચાલતો આવે છે. તેનો આદિ અંત નથી કહેવાતો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની સાહૂકારી, પોઝિશન વગેરેનો અહંકાર નષ્ટ કરી દેવાનો છે. અવિનાશી જ્ઞાન ધનથી સ્વયંને માલામાલ બનાવાનાં છે. સેવામાં ક્યારેય પણ થાકવાનું નથી.

2. વાતાવરણ ને સારું રાખવાં માટે મુખથી સદેવ રત્ન નીકાળવાનાં છે. દુઃખ દેવાવાળા બોલ ન નીકળે આ ધ્યાન રાખવાનું છે. હર્ષિતમુખ રહેવાનું છે.

વરદાન :-
સદા શ્રેષ્ઠ સમય પ્રમાણે શ્રેષ્ઠ કર્મ કરતાં વાહ - વાહ નાં ગીત ગાવાવાળા ભાગ્યવાન આત્મા ભવ

આ શ્રેષ્ઠ સમય પર સદા શ્રેષ્ઠ કર્મ કરતાં “વાહ-વાહ” નાં ગીત મન થી ગાતા રહો. “વાહ મારું શ્રેષ્ઠ કર્મ કે વાહ શ્રેષ્ઠ કર્મ શિખવાડવા વાળા બાબા”. તો સદા વાહ-વાહ! નાં ગીત ગાઓ. ક્યારેય ભૂલથી પણ દુઃખ નાં દ્રશ્ય જોતાં પણ હાય શબ્દ ન નીકળવો જોઈએ. વાહ ડ્રામા વાહ! અને વાહ બાબા વાહ! જે સ્વપ્નમાં પણ નહોતું તે ભાગ્ય ઘરે બેસીને મળી ગયું. આજ ભાગ્યનાં નશા માં રહો.

સ્લોગન :-
મન-બુદ્ધિ ને શક્તિશાળી બનાવી દો તો કોઈ પણ હલચલ માં અચળ અડોલ રહેશો.