11-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - મન મ
ના ભવ નાં વશીકરણ મંત્ર થી જ તમે માયા પર જીત પામી શકો છો , આ જ મંત્ર બધા ને યાદ
અપાવો ”
પ્રશ્ન :-
આ બેહદનાં
ડ્રામા માં સૌથી જબરદસ્ત લેબર્સ (નોકર) કોણ-કોણ છે અને કેવી રીતે?
ઉત્તર :-
આ જૂની દુનિયાની સફાઈ કરવા વાળા સૌથી જબરદસ્ત લેબર્સ (નોકર) છે નેચરલ કેલામીટીઝ (કુદરતી
આપદાઓ). ધરતી હલે છે, પૂર આવે છે, સફાઈ થઈ જાય છે. આનાં માટે ભગવાન કોઈને ડાયરેક્શન
નથી આપતા. બાપ કેમ બાળકોને ડીસ્ટ્રોય (ખતમ) કરશે. આ તો ડ્રામામાં પાર્ટ છે. રાવણનું
રાજ્ય છે ને, આને ગોડલી કેલામીટીઝ નહીં કહેશું.
ઓમ શાંતિ!
બાપ જ બાળકો
ને સમજાવે છે - બાળકો, મનમનાભવ. એવું નથી કે બાળકો બેસી બાપને સમજાવી શકે. બાળકો નહીં
કહેશે શિવબાબા, મનમનાભવ. ના. આમ તો ભલે બાળકો પરસ્પર બેસી ચિટ-ચેટ (વાતચીત) કરે છે,
સલાહ નીકાળે છે પરંતુ જે મૂળ મહામંત્ર છે એ તો બાપ જ આપે છે. ગુરુ લોકો મંત્ર આપે
છે. આ રિવાજ ક્યાંથી નીકળ્યો? આ બાપ જે નવી સૃષ્ટિ રચવાવાળા છે, એ જ પહેલા-પહેલા
મંત્ર આપે છે મનમનાભવ. આનું નામ જ છે વશીકરણ મંત્ર અર્થાત્ માયા પર જીત પામવાનો
મંત્ર. આ કોઈ અંદરમાં જપવાનું નથી. આ તો સમજવાનું હોય છે. બાપ અર્થ સહિત સમજાવે છે.
ભલે ગીતામાં છે પરંતુ અર્થ કોઈ નથી સમજતા. આ ગીતા નો એપિસોડ (અધ્યાય) પણ છે. પરંતુ
ફક્ત નામ બદલી કરી દીધું છે. કેટલી મોટી-મોટી પુસ્તક વગેરે ભક્તિમાર્ગમાં બને છે.
હકીકતમાં આ તો ઓરલી (મોઢે) બાપ બેસી બાળકો ને સમજાવે છે. બાપની આત્મામાં જ્ઞાન છે.
બાળકોની પણ આત્મા જ જ્ઞાન ધારણ કરે છે. બાકી ફક્ત સહજ કરી સમજાવવા માટે આ ચિત્ર
વગેરે બનાવવામાં આવે છે. આપ બાળકોની તો બુદ્ધિમાં આ પૂરું નોલેજ છે. તમે જાણો છો
બરાબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો બીજો કોઈ ખંડ ન હતો. પછી થી આ ખંડ વધ્યા છે.
તો તે પણ ચિત્ર એક ખુણામાં રાખી દેવું જોઈએ. જ્યાં તમે દેખાડો છો ભારતમાં એમનું
રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ ન હતા. હમણાં તો કેટલા અસંખ્ય ધર્મ છે પછી આ બધું નહીં
રહેશે. આ છે બાબા નો પ્લાન. તે બિચારાઓ ને કેટલી ચિંતા લાગેલી છે. આપ બાળકો સમજો છો
આ તો બિલકુલ ઠીક છે. લખેલું પણ છે બાપ આવી બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. કોની? નવી
દુનિયાની. જમુનાનો કિનારો આ છે કેપિટલ (રાજધાની) ત્યાં એક જ ધર્મ હોય છે. ઝાડ
બિલકુલ નાનું છે, આ ઝાડ નું જ્ઞાન પણ બાપ જ આપે છે. ચક્રનું જ્ઞાન આપે છે, સતયુગમાં
એક જ ભાષા હોય છે, બીજી કોઈ ભાષા નહીં હશે. તમે સિદ્ધ કરી શકો છો એક જ ભારત હતું,
એક જ રાજ્ય હતું, એક જ ભાષા હતી. પેરેડાઇઝ (વૈકુંઠ) માં સુખ-શાંતિ હતી. દુઃખનું
નામ-નિશાન નહોતું. હેલ્થ, વેલ્થ, હેપીનેસ બધું હતું. ભારત નવું હતું તો આયુ પણ બહુ
જ મોટી હતી કારણ કે પવિત્રતા હતી. પવિત્રતા થી મનુષ્ય તંદુરસ્ત રહે છે. અપવિત્રતા
માં જુઓ મનુષ્ય ની શું હાલત થઈ જાય છે. બેઠા-બેઠા અકાળે મૃત્યુ થઇ જાય છે. જવાન પણ
મરી જાય છે. દુઃખ કેટલુ થાય છે. ત્યાં અકાળે મૃત્યુ થતી નથી. પુરુ આયુષ્ય હોય છે.
પેઢી સુધી અર્થાત બુઢાપા સુધી કોઈ મરતું નથી.
કોઈને પણ સમજાવો તો આ બુદ્ધિ માં બેસાડવાનું છે - બેહદનાં બાપ ને યાદ કરો, તે જ
પતિત-પાવન છે, તે જ સદ્દ્ગતિ દાતા છે. તમારી પાસે એ નકશો પણ હોવો જોઈએ તો સિદ્ધ કરી
સમજાવી શકશો. આજ નો નકશો આ છે, કાલ નો નકશો આ છે. કોઈ તો સારી રીતે સાંભળે પણ છે. આ
પૂરું સમજાવવાનું હોય છે. આ ભારત અવિનાશી ખંડ છે. જ્યારે આ દેવી-દેવતા ધર્મ હતો તો
બીજા કોઈ ધર્મ હતાં નહીં. હમણાં તે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે નહીં. આ
લક્ષ્મી-નારાયણ ક્યાં ગયા, કોઈ બતાવી નહીં શકે. કોઈમાં તાકાત નથી બતાવવાની. આપ બાળકો
સારી રીતે રહસ્યયુક્ત સમજાવી શકો છો. આમાં મૂંઝવાની દરકાર નથી. તમે બધું જ જાણો છો
અને પછી રીપીટ પણ કરી શકો છો. તમે કોઈ થી પણ પૂછી શકો છો - આ ક્યાં ગયા? તમારો
પ્રશ્ન સાંભળી ચકિત થઇ જશે. તમે તો નિશ્ચયથી બતાવો છો, કેવી રીતે આ પણ ૮૪ જન્મ લે
છે. બુદ્ધિમાન તો છે ને. તમે ઝટ કહેશો સતયુગ નવી દુનિયામાં આપણું રાજ્ય હતું. એક જ
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. બીજો કોઈ ધર્મ નહોતો. એવરીથીંગ ન્યુ (બધું જ નવું).
દરેક ચીજ સતોપ્રધાન હોય છે. સોનુ પણ કેટલું અથાહ હોય છે. કેટલું સહજ નીકળતું હશે,
જે પછી ઈંટો, મકાન વગેરે બનતા હશે. ત્યાં તો બધું જ સોનાનું હોય છે. ખાણો બધી નવી
હશે ને. ઇમિટેશન (નકલી) તો નિકાળશે નહીં જ્યારે રિયલ (સાચું) બહુ જ છે. અહીંયા રીયલ
(સાચાં) નું નામ નથી. ઇમિટેશન (નકલી) નું કેટલું જોર છે એટલે કહેવાય છે જુઠ્ઠી માયા,
જૂઠ્ઠી કાયા..... સંપત્તિ પણ જુઠ્ઠી છે. હીરા મોતી એવા-એવા પ્રકારનાં નિકળે છે જે
ખબર પણ નહીં પડી શકે કે સાચા છે કે ખોટા છે? શો (દેખાવ) એટલો હોય છે જે પારખી નથી
શકતા - જૂઠું છે કે સાચું? ત્યાં તો આ જૂઠ્ઠી ચીજો વગેરે હોતી નથી. વિનાશ થાય છે તો
બધું ધરતી માં ચાલ્યું જાય છે. આટલા મોટા-મોટા પથ્થર, હીરા વગેરે મકાનો માં લગાવતા
હશે. તે બધું ક્યાંથી આવ્યું હશે, કોણ કટ કરતું (કાપતું) હશે? ઇન્ડિયા (ભારત) માં
પણ એક્સપર્ટ બહુ જ છે, હોશિયાર થતા જશે. પછી ત્યાં આ હોશિયારી લઈને આવશે ને. તાજ
વગેરે ફક્ત હીરાનાં થોડી બનશે. તે તો બિલકુલ રિફાઇન સાચાં હીરા હોય છે. આ વીજળી,
ટેલિફોન, મોટર વગેરે પહેલા કંઈ નહોતું. બાબા ની આ લાઈફ (જીવન) નાં અંદર શું-શું
નિકળ્યું છે! ૧૦૦ વર્ષ થયા છે જે આ બધું નિકળ્યું છે. ત્યાં તો બહુજ એક્સપર્ટ હોય
છે. હજી સુધી શીખતા રહે છે. હોશિયાર થતા રહે છે. આ પણ બાળકોને સાક્ષાત્કાર કરાવાય
છે. ત્યાં હેલિકોપ્ટર પણ ફુલપ્રૂફ હોય છે. બાળકો પણ બહુજ સતોપ્રધાન શુરુડ બુદ્ધિવાળા
હોય છે. આગળ થોડા ચાલો, તમને બધાજ સાક્ષાત્કાર થતાં રહેશે. જેમ પોતાનાં દેશની નજીક
આવે છે તો ઝાડ દેખાય છે ને. અંદર માં ખુશી થતી રહે છે હવે ઘર આવ્યું કે આવ્યું. હમણાં
આવીને પહોંચ્યા છીએ. પાછળ થી તમને પણ એવા સાક્ષાત્કાર થતા રહેશે. બાળકો સમજે છે
મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા છે. એ છે જ સુપ્રીમ (સર્વોચ્ચ) આત્મા. એમને બધાં
યાદ પણ કરે છે. ભક્તિમાર્ગમાં તમે પણ યાદ કરતા હતા ને પરમાત્માને. પરંતુ એ ખબર નહોતી
કે એ નાનાં છે કે મોટા છે. ગાએ પણ છે ચમકે છે અજબ સિતારો ભ્રકુટી નાં વચમાં....તો
જરુર બિન્દી જેવો હશે ને. એમને જ કહેવાય છે સુપ્રીમ આત્મા એટલે પરમાત્મા. એમનામાં
ખૂબીઓ તો બધી જ છે ને. જ્ઞાન નાં સાગર છે, શુ જ્ઞાન સંભળાવશે. એ તો જ્યારે સંભળાવે
ત્યારે તો ખબર પડે ને. તમે પણ પહેલાં જાણતા હતા કે, ફક્ત ભક્તિ જ જાણતા હતા. હવે તો
સમજો છો વન્ડર છે, આત્મા ને પણ આ આંખોથી જોઈ નથી શકાતી તો બાપને પણ ભૂલી જાય છે.
ડ્રામા માં પાર્ટ જ એવો છે જેમને વિશ્વનાં માલિક બનાવે છે એનું નામ નાખી દે છે અને
બનાવવા વાળા નું નામ ગુમ કરી દે છે. કૃષ્ણને ત્રિલોકીનાથ, વૈકુંઠનાથ કહી દીધું છે
અર્થ કંઈ પણ નથી સમજતા. ફક્ત મહિમા આપી દે છે. ભક્તિમાર્ગમાં અનેક વાતો બેસી બનાવી
છે. કહે છે ભગવાન માં એટલી તાકાત છે, એ હજારો સૂર્યથી તેજ છે, બધાંને ભસ્મ કરી શકે
છે. આવી-આવી વાતો બનાવી દીધી છે. બાપ કહે છે હું બાળકોને બાળીશ કેમ! આતો થઇ ન શકે.
બાળકોને બાપ ડીસ્ટ્રોય કરશે શું? ના, આ તો ડ્રામા માં પાર્ટ છે. જૂની દુનિયા ખતમ
થવાની છે. જૂની દુનિયાનાં વિનાશ નાં માટે આ નેચરલ કેલામીટીઝ બધાં લેબર્સ છે. કેટલા
જબરદસ્ત લેબર્સ (નોકર) છે. એવું નથી કે એમને બાપનું ડાયરેક્શન છે કે વિનાશ કરો. ના,
તોફાન લાગશે, ફેમન (અકાળ) થાય છે. ભગવાન કહે છે કે, આ કરો? ક્યારેય નહીં. આ તો
ડ્રામા માં પાર્ટ છે. બાપ નથી કહેતા બોમ્બ બનાવો. આ બધી રાવણની મત કહેશે. આ
બન્યો-બનાવેલ ડ્રામા છે. રાવણ નું રાજ્ય છે તો આસુરી બુદ્ધિ બની જાય છે. કેટલા મરે
છે. અંતમાં બધુ બાળી દેશે. આ બન્યો-બનાવેલ ખેલ છે, જે રિપીટ થાય છે. બાકી એવું નથી
કે શંકરનાં આંખ ખોલવાથી વિનાશ થઇ જાય છે, આને ગોડલી કેલામીટીઝ પણ નહીં કેહશું. આ
નેચરલ (કુદરતી) જ છે.
હવે બાપ આપ બાળકોને શ્રીમત આપી રહ્યા છે. કોઈને દુઃખ વગેરે દેવાની વાત જ નથી. બાપ
તો છે જ સુખનો રસ્તો બતાવવા વાળા. ડ્રામા પ્લાન અનુસાર મકાન જૂનું થતું જ જશે. બાપ
પણ કહે છે આ આખી દુનિયા જૂની થઈ ગઈ છે. આ ખલાસ થવી જોઈએ. પરસ્પર લડે જુઓ કેવા છે!
આસુરી બુદ્ધિ છે ને. જ્યારે ઈશ્વરીય બુદ્ધિ છે તો કોઈ પણ મારવા વગેરેની વાત નથી.
બાપ કહે છે હું તો બધાંનો બાપ છું. મારો બધાં પર પ્રેમ છે. બાબા જુએ અહીંયા છે, પછી
અનન્ય બાળકો તરફ જ નજર જાય છે, જે બાપ ને બહુ જ પ્રેમથી યાદ કરે છે. સર્વિસ (સેવા)
પણ કરે છે. અહીંયા બેઠા બાપની નજર સર્વિસએબુલ (સેવાધારી) બાળકો તરફ ચાલી જાય છે.
ક્યારેક દહેરાદૂન, ક્યારેક મેરઠ, ક્યારેક દિલ્હી.... જે બાળકો મને યાદ કરે છે હું
પણ એમને યાદ કરું છું. જે મને નથી પણ યાદ કરતા તો પણ હું બધાંને યાદ કરું છું કારણકે
મારે તો બધાંને લઈ જવાનાં છે ને. હા, જે મારા દ્વારા સૃષ્ટિ ચક્રનાં નોલેજને સમજે
છે નંબરવાર તેઓ પછી ઉચ્ચ પદ પામશે. આ બેહદ ની વાતો છે. તે શિક્ષક વગેરે હોય છે હદનાં.
આ છે બેહદનાં. તો બાળકોનાં અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ. બાપ કહે છે બધાંનો પાર્ટ
એક જેવો ન હોઈ શકે, આમનો તો પાર્ટ હતો. પરંતુ ફોલો કરવાવાળા કોટોમાં કોઈ નિકળે. કહે
છે - બાબા, હું ૭ દિવસનું બાળક છું, એક દિવસનું બાળક છું. તો પુગરે (નાનાં) થયા ને.
તો બાપ દરેક વાત સમજાવતા રહે છે. નદી પણ બરાબર પાર કરી આવ્યા હતા. બાબા નાં આવવાથી
જ જ્ઞાન શરુ થયું છે. એમની કેટલી મહિમા છે. એ ગીતાનાં અધ્યાય તો તમે જન્મ-જન્માંતર
કેટલી વાર વાંચ્યા હશે. ફર્ક જુઓ કેટલો છે. ક્યાં કૃષ્ણ ભગવાનુવાચ, ક્યાં શિવ
પરમાત્મા વાચ. રાત-દિવસનો ફર્ક છે. તમારી બુદ્ધિ માં હવે છે અમે સચખંડમાં હતા, સુખ
પણ બહુ જ જોયું. ૩/૪ સુખ જુઓ છો. બાપએ ડ્રામા સુખ નાં માટે બનાવ્યો છે. ન કે દુઃખનાં
માટે. આ તો પાછળથી તમને દુઃખ મળ્યું છે. લડાઈ તો આટલી જલ્દી લાગી ન શકે. તમને બહુ જ
સુખ મળે છે. અડધું-અડધું હોય તો પણ એટલી મજા ન રહે. સાડા ત્રણ હજાર વર્ષ તો કોઈ
લડાઈ નથી. બીમારી વગેરે નથી. અહીંયા તો જુઓ બીમારી પાછળ બીમારી લાગેલી છે. સતયુગમાં
થોડી આવા કીડા વગેરે હશે જે અનાજ ખાઇ જશે એટલે તેનું નામ જ છે સ્વર્ગ. તો વર્લ્ડનો
નકશો પણ તમારે દેખાડવો જોઈએ ત્યારે સમજી શકશે. હકીકતમાં ભારત આ હતું, બીજો કોઈ ધર્મ
હતો નહીં. પછી નંબરવાર ધર્મ સ્થાપન કરવાવાળા આવે છે. હવે આપ બાળકોને વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રાફી ની ખબર છે. તમારા સિવાય બાકી બધાં તો કહી દેશે નેતી-નેતી, અમે
બાપને નથી જાણતા. કહી દે છે એમનું કોઈ નામ, રુપ, દેશ, કાળ છે નહીં. નામ રુપ નથી તો
પછી કોઈ દેશ પણ ન હોઈ શકે. કંઈ પણ સમજતા નથી. હવે બાપ સ્વયંનો યથાર્થ પરિચય આપ
બાળકોને આપે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા અપાર
ખુશીમાં રહેવા માટે બેહદનાં બાપ જે બેહદની વાતો સંભળાવે છે તેનું સિમરણ કરવાનું છે
અને બાપને ફોલો (અનુકરણ) કરતા જવાનું છે.
2. સદા તંદુરસ્ત રહેવા માટે ‘પવિત્રતા’ ને અપનાવાની છે. પવિત્રતા નાં આધાર થી હેલ્થ,
વેલ્થ અને હેપીનેસ નો વારસો બાપથી લેવાનો છે.
વરદાન :-
શક્તિશાળી યાદ
દ્વારા સેકન્ડ માં પદમોની કમાણી જમા કરવા વાળા પદ્મા પદમ ભાગ્યશાળી ભવ :
તમારી યાદ એટલી
શક્તિશાળી હોય જે એક સેકન્ડની યાદથી પદ્મોની કમાણી જમા થઈ જાય. જેમનાં દરેક કદમ માં
પદમ હોય તો કેટલા પદમ જમા થઈ જશે એટલે કહેવાય છે પદ્માપદમ ભાગ્યશાળી. જ્યારે કોઈની
સારી કમાણી થાય છે તો તેમનાં ચહેરાની ફલક જ અલગ થઈ જાય છે. તો તમારી શકલ થી પણ
પદ્મોની કમાણી નો નશો દેખાય આવે. એવો રુહાની નશો, રુહાની ખુશી હોય, જેથી અનુભવ કરે
કે આ ન્યારા લોકો છે.
સ્લોગન :-
ડ્રામા માં બધુ
સારું જ થવાનું છે, આ સ્મૃતિથી બેફિકર બાદશાહ બનો.