20-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 24.02.85
બાપદાદા મધુબન
“ સંગમયુગ – સર્વ
શ્રેષ્ઠ પ્રાપ્તિઓ નો યુગ ”
આજે બાપદાદા ચારેય
તરફનાં પ્રાપ્તિ સ્વરુપ વિશેષ આત્માઓને જોઈ રહ્યા હતાં. એક તરફ અનેક આત્માઓ
અલ્પકાળની પ્રાપ્તિ વાળી છે જેમાં પ્રાપ્તિની સાથે-સાથે અપ્રાપ્તિ પણ છે. આજે
પ્રાપ્તિ છે કાલે અપ્રાપ્તિ છે. તો એક તરફ અનેક પ્રાપ્તિ સો અપ્રાપ્તિ સ્વરુપ. બીજી
તરફ બહુ જ થોડા સદાકાળ ની પ્રાપ્તિ સ્વરુપ વિશેષ આત્માઓ. બંને નાં મહાન અંતરને જોઈ
રહ્યા હતાં. બાપદાદા પ્રાપ્તિ સ્વરુપ બાળકોને જોઈને હર્ષિત થઇ રહ્યા હતાં. પ્રાપ્તિ
સ્વરુપ બાળકો કેટલા પદ્માંપદમ ભાગ્યવાન છો. એટલી પ્રાપ્તિ કરી લીધી જે આપ વિશેષ
આત્માઓનાં દરેક કદમ માં પદમ છે. લૌકિકમાં પ્રાપ્તિ સ્વરુપ જીવનમાં વિશેષ ચાર વાતોની
પ્રાપ્તિ આવશ્યક છે. (૧) સુખમય સંબંધ (૨) સ્વભાવ અને સંસ્કાર સદા શીતળ અને સ્નેહી
હોય (૩) સાચી કમાણી ની શ્રેષ્ઠ સંપત્તિ હોય (૪) શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ સંપર્ક હોય.
જો આ ચારેય વાતો પ્રાપ્ત છે તો લૌકિક જીવનમાં પણ સફળતા અને ખુશી છે. પરંતુ લૌકિક
જીવન ની પ્રાપ્તિઓ અલ્પકાળની પ્રાપ્તિઓ છે. આજે સુખમય સંબંધ છે કાલે તે જ સંબંધ
દુઃખમય બની જાય છે. આજે સફળતા છે કાલે નથી. આનાં અંતરમાં આપ પ્રાપ્તિ સ્વરુપ
શ્રેષ્ઠ આત્માઓને આ અલૌકિક શ્રેષ્ઠ જીવનમાં ચારેય વાતો સદા પ્રાપ્ત છે કારણકે
ડાયરેક્ટ સુખદાતા સર્વ પ્રાપ્તિઓ નાં દાતાની સાથે અવિનાશી સંબંધ છે. જે અવિનાશી
સંબંધ ક્યારેય પણ દુઃખ કે દગો દેવાવાળો નથી. વિનાશી સંબંધોમાં વર્તમાન સમયે દુઃખ છે
કે દગો છે. અવિનાશી સંબંધમાં સાચો સ્નેહ છે. સુખ છે. તો સદા સ્નેહ અને સુખનાં સર્વ
સંબંધ બાપથી પ્રાપ્ત છે. એક પણ સંબંધની ખોટ નથી. જે સંબંધ ઈચ્છો તે જ સંબંધથી
પ્રાપ્તિનો અનુભવ કરી લો. જે આત્માને જે સંબંધ પ્રિય છે તે જ સંબંધથી ભગવન પ્રીતની
રીત નિભાવી રહ્યા છે. ભગવાનને સર્વ સંબંધી બનાવી લીધા. આવા શ્રેષ્ઠ સંબંધ આખા કલ્પમાં
પ્રાપ્ત ન થઈ શકે. તો સંબંધ પણ પ્રાપ્ત છે. સાથે-સાથે આ અલૌકિક દિવ્ય જન્મમાં સદા
શ્રેષ્ઠ સ્વભાવ, ઈશ્વરીય સંસ્કાર હોવાનાં કારણે સ્વભાવ સંસ્કાર ક્યારેય દુઃખ નથી
આપતાં. જે બાપદાદાનાં સંસ્કાર તે બાળકોનાં સંસ્કાર, જે બાપદાદાનો સ્વભાવ તે બાળકોનો
સ્વભાવ. સ્વ-ભાવ અર્થાત્ સદા દરેકનાં પ્રત્યે સ્વ અર્થાત્ આત્મા નો ભાવ. સ્વ
શ્રેષ્ઠ ને પણ કહેવાય છે. સ્વ નો ભાવ કે શ્રેષ્ઠ ભાવ આજ સ્વભાવ હોય. સદા મહાદાની,
રહેમદિલ, વિશ્વ કલ્યાણકારી આ બાપનાં સંસ્કાર સો તમારા સંસ્કાર હોય એટલે સ્વભાવ અને
સંસ્કાર સદા ખુશીની પ્રાપ્તિ કરાવે છે. આવી રીતે જ સાચી કમાણી ની સુખમય સંપત્તિ છે.
તો અવિનાશી ખજાનાં કેટલા મળ્યા છે? દરેક ખજાનાંની ખાણિઓનાં માલિક છો. ફક્ત ખજાનાં
નહીં, અખૂટ-અગણિત ખજાનાં મળ્યા છે. જે ખર્ચો, ખાઓ અને વધારતા રહો. જેટલો ખર્ચો કરો
એટલો વધે છે. અનુભવી છો ને. સ્થૂળ સંપત્તિ શા માટે કમાવો છો? દાળ રોટલી સુખથી ખાઈએ.
પરિવાર સુખી થાય. દુનિયામાં નામ સારું થાય! તમે પોતાને જુઓ કેટલાં સુખ અને ખુશીની
દાળ રોટલી મળી રહી છે. જે ગાયન પણ છે દાળ રોટલી ખાઓ ભગવાનનાં ગીત ગાઓ. એવા ગાયન
કરેલી દાળ રોટલી ખાઈ રહ્યા છો. અને બ્રાહ્મણ બાળકોને બાપદાદાની ગેરેંટી (ખાતરી) છે
- બ્રાહ્મણ બાળક દાળ રોટલી થી વંચિત થઈ નહિ શકે. આસક્તિ વાળું ખાવાનું નહીં મળશે
પરંતુ દાળ રોટલી જરુર મળશે. દાળ રોટલી પણ છે, પરિવાર પણ ઠીક છે અને નામ કેટલું
પ્રખ્યાત છે જે આજે છેલ્લા જન્મ સુધી તમે પહોંચી ગયા છો પરંતુ તમારાં જડ ચિત્રોનાં
નામથી અનેક આત્માઓ પોતાનું કાર્ય સિદ્ધ કરી રહી છે. નામ તમારું દેવી-દેવતાઓ નું લે
છે. કાર્ય પોતાનું સિદ્ધ કરે છે. આટલું નામ પ્રખ્યાત છે. એક જન્મ નામ પ્રખ્યાત નથી
થતું, આખું કલ્પ તમારું નામ પ્રખ્યાત છે. તો સુખમય સાચા સંપત્તિવાન છો. બાપનાં
સંપર્કમાં આવવાથી તમારો પણ શ્રેષ્ઠ સંપર્ક બની ગયો છે. તમારો એવો શ્રેષ્ઠ સંપર્ક છે
જે તમારાં જડ ચિત્રોનાં સેકન્ડનાં સંપર્કની પણ તરસી છે. ફક્ત દર્શનનાં સંપર્કનાં પણ
કેટલા તરસ્યા છે! આખી-આખી રાત જાગરણ કરતા રહે છે. ફક્ત સેકન્ડનાં દર્શનનાં સંપર્ક
માટે પુકારતા રહે છે. બૂમો પાડે છે કે ફક્ત સામે જઈએ એનાં માટે કેટલું સહન કરે છે!
છે ચિત્ર અને આવા ચિત્ર ઘરમાં પણ હોય છે છતાં પણ એક સેકન્ડનાં સમ્મુખ સંપર્ક માટે
કેટલા તરસ્યા છે. એક બેહદનાં બાપનાં બનવાનાં કારણે આખા વિશ્વની આત્માઓ થી સંપર્ક થઈ
ગયો. બેહદનાં પરિવારનાં થઈ ગયા. વિશ્વની સર્વ આત્માઓથી સંપર્ક બની ગયો. તો ચારેય
વાતો અવિનાશી પ્રાપ્ત છે એટલે સદા સુખી જીવન છે. પ્રાપ્તિ સ્વરુપ જીવન છે. અપ્રાપ્ત
નથી કોઈ વસ્તુ બ્રાહ્મણોનાં જીવનમાં. આજ તમારું ગીત છે. આવા પ્રાપ્તિ સ્વરુપ છો ને
કે બનવાનું છે? તો સંભળાવ્યું ને આજે પ્રાપ્તિ સ્વરુપ બાળકોને જોઈ રહ્યા હતાં. જે
શ્રેષ્ઠ જીવન માટે દુનિયાવાળા કેટલી મહેનત કરે છે. અને તમે શું કર્યું? મહેનત કરી
કે મહોબ્બત કરી? પ્રેમ-પ્રેમમાં જ બાપને પોતાનાં બનાંવી દીધા. તો દુનિયાવાળા મહેનત
કરે છે અને તમે મહોબ્બતથી પામી લીધા. બાબા કહ્યું અને ખજાનાંની ચાવી મળી. દુનિયાવાળા
ને પૂછો તો શું કહેશે? કમાવવું બહુ મુશ્કેલ છે. આ દુનિયામાં ચાલવું બહુ મુશ્કેલ છે
અને તમે શું કહો છો? કદમ માં પદમ કમાવવાનાં છે. અને ચાલવું કેટલું સહજ છે! ઉડતી કળા
છે તો ચાલવાથી પણ બચી ગયા. આપ કહેશો કે ચાલવાનું શું ઉડવાનું છે. કેટલું અંતર થઈ ગયું!
બાપદાદા આજે વિશ્વનાં બધાં બાળકોને જોઈ રહ્યા હતાં. બધાં પોત-પોતાની પ્રાપ્તિ નાં
લગન માં લાગેલા છે પરંતુ રીઝલ્ટ (પરિણામ) શું છે! બધાં શોધ કરવામાં લાગેલાં છે.
વિજ્ઞાન વાળા જુઓ પોતાની શોધમાં એટલા વ્યસ્ત છે જે બીજું કંઈ નથી સૂઝતું (દેખાતું).
મહાન આત્માઓ જુઓ પ્રભુને પામવાની શોધમાં લાગેલા છે. તેઓ નાનકડા ભ્રમ નાં કારણે
પ્રાપ્તિથી વંચિત છે. આત્મા જ પરમાત્મા છે કે સર્વવ્યાપી પરમાત્મા છે આ ભ્રમ નાં
કારણે શોધમાં જ રહી ગયા. પ્રાપ્તિ થી વંચિત રહી ગયા છે. વિજ્ઞાનવાળા પણ હજી વધારે
આગળ છે વધારે આગળ છે, એમ કરતા-કરતા ચંદ્રમા પર, તારાઓ પર દુનિયા બનાવશું,
શોધતા-શોધતા ખોવાઈ ગયા છે. શાસ્ત્રવાદી જુઓ શાસ્ત્રાર્થ નાં ચક્કરમાં વિસ્તારમાં
ખોવાઈ ગયા છે. શાસ્ત્રાર્થ નું લક્ષ્ય રાખી અર્થ થી વંચિત થઈ ગયા છે. રાજનેતાઓ જુઓ
ખુરશીની ભાગદોડમાં ખોવાયેલા છે. અને દુનિયાની અજાણ આત્માઓ જુઓ વિનાશી પ્રાપ્તિનાં
તણખાનાં સહારાને સાચો સહારો સમજી બેસી ગયા છે. અને તમે શું કર્યું? તે ખોવાયેલા છે
અને તમે પામી લીધું. ગેરસમજ ને મટાવી. તો પ્રાપ્તિ સ્વરુપ થઈ ગયા એટલે સદા પ્રાપ્તિ
સ્વરુપ શ્રેષ્ઠ આત્માઓ છો.
બાપદાદા વિશેષ ડબલ વિદેશી બાળકોને મુબારક દે છે કે વિશ્વમાં અનેક આત્માઓ ની વચ્ચે
આપ શ્રેષ્ઠ આત્માઓની ઓળખનું નેત્ર શક્તિશાળી રહ્યું. જે ઓળખ્યું અને પામ્યું. તો
બાપદાદા ડબલ વિદેશી બાળકોનાં ઓળખનાં નેત્રને જોઈ બાળકોનાં ગુણ ગાઇ રહ્યા છે કે વાહ
બાળકો વાહ. જે દૂરદેશી હોવા છતાં, ભિન્ન ધર્મનાં હોવા છતાં, ભિન્ન રીત-રિવાજનાં હોવા
છતાં પોતાનાં અસલી બાપ ને દૂર હોવા છતાં પણ સમીપથી ઓળખી લીધા. સમીપનાં સંબંધમાં આવી
ગયા. બ્રાહ્મણ જીવનનાં રીત-રિવાજને પોતાની આદિ રીત-રિવાજ સમજી સહજ પોતાનાં જીવનમાં
અપનાવી લીધું છે. આને કહેવાય છે વિશેષ લવલી (પ્રેમાળ) અને લકી (ભાગ્યશાળી) બાળકો.
જેમ બાળકોને વિશેષ ખુશી છે, બાપદાદાને પણ વિશેષ ખુશી છે. બ્રાહ્મણ પરિવારની આત્માઓ
વિશ્વનાં ખૂણે-ખૂણે પહોંચી ગઈ હતી પરંતુ ખૂણે-ખૂણેથી વિખુટી પડેલી શ્રેષ્ઠ આત્માઓ
ફરીથી પોતાનાં પરિવારમાં પહોંચી ગઈ છે. બાપએ શોધ્યા તમે ઓળખ્યા એટલે પ્રાપ્તિનાં
અધિકારી બની ગયા. અચ્છા-
આવા અવિનાશી પ્રાપ્તિ સ્વરુપ બાળકોને, સદા સર્વ સંબંધોનો અનુભવ કરવા વાળા બાળકોને,
સદા અવિનાશી સંપત્તિવાન બાળકોને, સદા બાપ સમાન શ્રેષ્ઠ સંસ્કાર અને સદા સ્વ નાં
ભાવમાં રહેવાવાળા સર્વ પ્રાપ્તિઓનાં ભંડાર સર્વ પ્રાપ્તિઓનાં મહાદાની બાળકોને
બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.
યુગલો ની સાથે
- અવ્યક્ત બાપદાદાની મુલાકાત
પ્રવૃત્તિમાં રહેતા સર્વ બંધનો થી ન્યારા અને બાપનાં પ્યારા છો ને? ફસાયેલા તો નથી?
પિંજરાનાં પક્ષી તો નથી, ઉડતા પક્ષી છો ને. જરા પણ બંધન ફસાવી લે છે. બંધન મુક્ત છો
તો સદા ઉડતા રહેશો. તો કોઈપણ પ્રકારનું બંધન નહીં. ન દેહનું, ન સંબંધનું, ન
પ્રવૃત્તિનું, ન પદાર્થનું. કોઈપણ બંધન ન હોય એને કહેવાય છે "ન્યારા અને પ્યારા".
સ્વતંત્ર સદા ઉડતી કળામાં હશે અને પરતંત્ર થોડું ઉડશે પણ ફરી બંધન તેમને ખેંચી ને
નીચે લઇ આવશે. તો ક્યારેક નીચે, ક્યારેય ઉપર, સમય ચાલ્યો જશે. સદા એકરસ ઉડતી કળાની
અવસ્થા અને ક્યારેક નીચે, ક્યારેક ઉપર આ અવસ્થા, બંનેમાં રાત-દિવસ નું અંતર છે. તમે
કઈ અવસ્થા વાળા છો? સદા નિર્બંધન, સદા સ્વતંત્ર પક્ષી? સદા બાપની સાથે રહેવા વાળા?
કોઈપણ આકર્ષણમાં આકર્ષિત થવા વાળા નહીં. એ જ જીવન પ્રિય છે. જે બાપનાં પ્રિય બને
એમનું જીવન સદા પ્રેમાળ બને છે. ખટ-ખટ વાળું જીવન નહીં. આજે આ થયું, કાલે આ થયું,
નહી. પરંતુ સદા બાપની સાથે રહેવા વાળા, એકરસ સ્થિતિ માં રહેવાવાળા. તે છે મોજ નું
જીવન. મોજમાં નહી હશો તો મુંઝાશો જરુર. આજે આ પ્રોબ્લેમ (સમસ્યા) આવી ગઈ, કાલે બીજી
આવી ગઈ, આ દુઃખધામની વાતો દુઃખધામમાં તો આવશે જ પરંતુ સંગમયુગી બ્રાહ્મણ છે તો દુઃખ
નીચે રહી જશે. દુ:ખધામ થી કિનારો કરી લીધો તો દુઃખ દેખાવા છતાં પણ સ્પર્શ નહીં કરી
શકશે. કળયુગને છોડી દીધું, કિનારો છોડી ચૂક્યા, હવે સંગમયુગ પર પહોંચ્યા તો સંગમ સદા
ઊંચું દેખાડે છે. સંગમયુગી આત્માઓ સદા ઊંચી, નીચે વાળી નહીં. જ્યારે બાપ ઉડાવવા માટે
આવ્યા છે તો ઉડતી કળાથી નીચે આવીયે જ કેમ! નીચે આવવું એટલે ફસાવવું. હવે પાંખો મળી
છે તો ઉડતા રહો, નીચે આવો જ નહીં. અચ્છા?
અધરકુમારો થી
:-
બધાં એકની લગન
માં મગન રહેવાવાળા છો ને? એક બાપ બીજા આપણે, ત્રીજા ન કોઈ. આને કહેવાય છે લગન માં
મગન રહેવાવાળા. હું અને મારા બાબા. એનાં સિવાય બીજા કોઈ મારા છે? મારા બાળકો, મારા
પોત્ર.... એવું તો નથી. "મારા" માં મમતા રહે છે. મારા પણું સમાપ્ત થવું અર્થાત્ મમતા
સમાપ્ત થવી. તો બધી મમતા એટલે મોહ બાપમાં થઈ ગયો. તો બદલાઈ ગયું, શુદ્ધ મોહ થઈ ગયો.
બાપ સદા શુદ્ધ છે તો મોહ બદલાઈને પ્રેમ થઈ ગયો. એક મારા બાબા, આ એક મારા થી બધું
સમાપ્ત થઈ જાય અને એકની યાદ સહજ થઈ જાય એટલે સદા સહજયોગી. હું શ્રેષ્ઠ આત્મા અને
મારા બાબા બસ! શ્રેષ્ઠ આત્મા સમજવાથી શ્રેષ્ઠ કર્મ સ્વતઃ શ્રેષ્ઠ થશે, શ્રેષ્ઠ
આત્માની આગળ માયા આવી ન શકે.
માતાઓ થી :-
માતાઓ સદા બાપની સાથે ખુશીનાં હિંચકામાં ઝૂલવાવાળી છો ને! ગોપ-ગોપીઓ સદા ખુશીમાં
નાચતા કે હીચકામાં ઝૂલતા. તો સદા બાપની સાથે રહેવાવાળા ખુશીમાં નાચે છે. બાપ સાથે
છે તો સર્વ શક્તિઓ પણ સાથે છે. બાપનો સાથ શક્તિશાળી બનાવી દે છે. બાપનાં સાથ વાળા
સદા નિર્મોહી હોય, એમને કોઈનો મોહ સતાવશે નહીં. તો નષ્ટોમોહા છો? કેવી પણ પરિસ્થિતિ
આવે પરંતુ દરેક પરિસ્થિતિમાં "નષ્ટોમોહા". જેટલાં નષ્ટોમોહા હશો એટલાં યાદ અને
સેવામાં આગળ વધતા રહેશો.
મધુબનમાં આવેલાં
સેવાધારીઓથી :-
સેવાનું ખાતું
જમા થઈ ગયું ને. હમણાં પણ મધુબનનાં વાતાવરણમાં શક્તિશાળી સ્થિતિ બનાવવાનો ચાન્સ
મળ્યો અને આગળનાં માટે પણ જમા કર્યું. તો ડબલ પ્રાપ્તિ થઈ ગઈ. યજ્ઞ સેવા અર્થાત્
શ્રેષ્ઠ સેવા, શ્રેષ્ઠ સ્થિતિમાં રહીને કરવાથી પદમગુણા ફળ બની જાય છે. કોઈપણ સેવા
કરો, પહેલા એ જુઓ કે શક્તિશાળી સ્થિતિમાં સ્થિત થઈ સેવાધારી બની સેવા કરી રહ્યા છો?
સાધારણ સેવાધારી નહીં, રુહાની સેવાધારી. રુહાની સેવાધારીની રુહાની ઝલક, રુહાની ફલક
સદા ઈમર્જ રુપમાં હોવી જોઈએ. રોટલી વણતા પણ "સ્વદર્શન ચક્ર" ચાલતું રહે. લૌકિક
નિમિત્ત સ્થૂળ કાર્ય પરંતુ સ્થૂળ સૂક્ષ્મ બંને સાથે-સાથે, હાથે થી સ્થૂળ કામ કરો અને
બુદ્ધિથી મન્સા સેવા કરો તો ડબલ થઇ જશે. હાથ દ્વારા કર્મ કરવા છતાં પણ યાદની શક્તિથી
એક સ્થાન પર રહેતા પણ, બહુ જ સેવા કરી શકો છો. મધુબન તો આમ પણ લાઈટ હાઉસ છે, લાઈટ
હાઉસ એક સ્થાન પર સ્થિત થઈ, ચારેય તરફ સેવા કરે છે. આવા સેવાધારી પોતાની અને બીજાની
બહુ જ શ્રેષ્ઠ પ્રાલબ્ધ બનાવી શકે છે. અચ્છા! ઓમ શાંતિ.
આજે બાપદાદાએ આખી રાત બધાં બાળકોથી મિલન મનાવી અને સવારે ૭ વાગે યાદપ્યાર આપી વિદાય
લીધી, સવારનો ક્લાસ બાપદાદાએ જ કરાવ્યો.
રોજ બાપદાદા દ્વારા મહાવાક્ય સાંભળતા-સાંભળતા મહાન આત્માઓ બની ગયા. તો આજનાં દિવસ
નો તો આજ સાર આખો દિવસ મનનાં સંગીતની સાથે સાંભળજો કે મહાવાક્ય સાંભળવાથી મહાન બન્યા
છીએ. મહાન થી મહાન કર્તવ્ય કરવા માટે સદા નિમિત છીએ. દરેક આત્મા પ્રત્યે મન્સા થી,
વાણી થી, સંપર્ક થી મહાદાની આત્મા છીએ અને સદા મહાનયુગ નું આહ્વાન કરવાવાળા અધિકારી
આત્મા છીએ. આજ યાદ રાખજો. સદા આવી મહાન સ્મૃતિમાં રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓ ને,
સિકીલધા બાળકોને બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. હોવનહાર અને વર્તમાન બાદશાહો
ને બાપનાં નમસ્તે. અચ્છા.
દાન :-
શુદ્ધ અને
સમર્થ સંકલ્પોની શક્તિથી વ્યર્થ વાયબ્રેશન ને સમાપ્ત કરવાવાળા સાચા સેવાધારી ભવ :
કહેવાય છે
સંકલ્પ પણ સૃષ્ટિ બનાવી દે છે. જ્યારે કમજોર અને વ્યર્થ સંકલ્પ કરો છો તો વ્યર્થ
વાયુમંડળ ની સૃષ્ટિ બની જાય છે. સાચા સેવાધારી તે છે જે પોતાનાં શુદ્ધ શક્તિશાળી
સંકલ્પો થી જૂનાં વાયબ્રેશન ને પણ સમાપ્ત કરી દે. જેમ વિજ્ઞાન વાળા શસ્ત્ર થી
શસ્ત્રને ખતમ કરી દે છે, એક વિમાનથી બીજા વિમાનને નીચે પાડી દે છે, એમ તમારા શુદ્ધ
સમર્થ સંકલ્પ નાં વાયબ્રેશન, વ્યર્થ વાયબ્રેશનને સમાપ્ત કરી દે, હવે એવી સેવા કરો.
સ્લોગન :-
વિઘ્નરુપી
સોનાનાં સૂક્ષ્મ દોરાથી મુક્ત બનો, મુક્તિ વર્ષ મનાવો.
આજે મહિનાંનો ત્રીજો
રવિવાર છે, બધાં સંગઠિત રુપમાં સાંજે ૦૬:૩૦થી ૦૭:૩૦ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય યોગમાં
સંમિલિત થઇ, કમ્બાઇન્ડ સ્વરુપની સ્મૃતિમાં રહી પોતાની સૂક્ષ્મ વૃત્તિ દ્વારા
શક્તિશાળી વાયુમંડળ બનાવવાની સેવા કરો.