04-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે છો
ધરતીના ચૈતન્ય તારાઓ, તમારે આખા વિશ્વને પ્રકાશ આપવાનો છે”
પ્રશ્ન :-
શિવબાબા આપ
બાળકોની કાયાને કંચન કેવી રીતે બનાવે છે?
ઉત્તર :-
બ્રહ્મા માં
નાં દ્વારા તમને જ્ઞાન દૂધ પીવડાવી તમારી કાયા કંચન કરી દે છે, એટલે એમની મહિમામાં
ગવાય છે, ત્વમેવ માતાશ્ચ પિતા.... હમણાં તમે બ્રહ્મા માં નાં દ્વારા જ્ઞાન દૂધ પી
રહ્યા છો, જેનાથી તમારા બધા પાપ કપાઈ જશે. કંચન બની જશો.
ઓમ શાંતિ!
રૂહાની બાપ
બેસી સમજાવે છે જેમ આકાશમાં તારાઓ છે તેમ આપ બાળકો માટે પણ ગવાય છે – આ ધરતી નાં
તારાઓ છે. તે પણ નક્ષત્ર દેવતા કહેવાય છે. હવે તે કોઈ દેવતા તો છે નહીં. તો તમે
એમનાથી મહાન બળવાન છો કારણ કે તમે તારાઓ આખા વિશ્વને રોશન કરો છો. તમે જ દેવતા
બનવાના છો. તમારું જ ઉત્થાન અને પતન થાય છે. એ તો ફક્ત માંડવા ને પ્રકાશ આપે છે,
તેમને કોઈ દેવતા નહીં કહેશે. તમે દેવતા બની રહ્યા છો. તમે આખા વિશ્વને રોશન કરવાવાળા
છો. હમણાં આખા વિશ્વ પર ઘોર અંધારું છે. પતિત બની પડ્યા છે. હમણા બાપ આપ મીઠા-મીઠા
બાળકોને દેવતા બનાવવા આવે છે. મનુષ્ય લોકો તો બધાને દેવતા સમજી લે છે. સૂર્યને પણ
દેવતા કહી દે છે. ક્યાંક-ક્યાંક સૂર્યનો ઝંડો પણ લગાડે છે. પોતાને સુર્યવંશી પણ કહે
છે. હકીકતમાં તમે સૂર્યવંશી છો ને. તો બાપ બેસીને આપ બાળકો ને સમજાવે છે. ભારતમાં જ
ઘોર અંધારું થયું છે. હવે ભારતમાં જ અજવાળું જોઈએ. બાપ આપ બાળકોને જ્ઞાન અંજન આપી
રહ્યા છે. તમે અજ્ઞાન નિદ્રામાં સૂતા હતા, બાપ આવીને ફરીથી જગાડે છે. કહે છે
ડ્રામાનાં પ્લાન અનુસાર કલ્પ-કલ્પ નાં પુરષોત્તમ સંગમયુગમાં ફરીથી આવું છું. આ
પુરુષોત્તમ સંગમયુગ કોઈપણ શાસ્ત્ર માં છે નહીં. આ યુગ ને હવે તમે બાળકો જ જાણો છો,
જ્યારે તમે તારાઓ ફરી દેવતા બનો છો. તમને જ કહેશે નક્ષત્ર દેવતાયે નમઃ. હવે તમે
પુજારી થી પૂજ્ય બનો છો. ત્યાં તમે પૂજ્ય બની જાઓ છો, આ પણ સમજવાનું છે ને. આને
રુહાની ભણતર કહેવાય છે, આમાં ક્યારેય કોઈ ની લડાઈ નથી થતી. શિક્ષક સાધારણ રીતે ભણાવે
છે અને બાળકો પણ સાધારણ રીતે ભણે છે. આમાં ક્યારેય કોઈ લડાઈની વાત જ નથી. આ એમ થોડી
કહે છે કે હું ભગવાન છું. તમે બાળકો પણ જાણો છો ભણાવવા વાળા નિરાકાર શિવબાબા છે.
એમને પોતાનું શરીર નથી. કહે છે હું રથ નો આધાર લઉં છું. ભાગીરથ પણ કેમ કહે છે?
કારણકે બહુ જ બહુ જ ભાગ્યશાળી રથ છે. એ જ પછી વિશ્વના માલિક બને છે, તો ભાગીરથ થયાને.
તો બધાનો અર્થ સમજવવો જોઈએ ને. આ છે સૌથી ઊંચું ભણતર. દુનિયામાં તો જૂઠ જ જૂઠ છે
ને. કહેવત પણ છે ને - સત્યની નાવ ડોલે.. આજકાલ તો અનેક પ્રકારના ભગવાન નીકળી પડ્યા
છે. પોતાને તો છોડો પરંતુ ઠીક્કર-ભિત્તર ને પણ ભગવાન કહી દે છે. ભગવાન ને કેટલા
ભટકાવી દીધા છે. બાપ બેસીને સમજાવે છે, જેમ લૌકિક બાપ પણ બાળકો ને સમજાવે છે, પરંતુ
એ એવા નથી હોતા જે બાપ પણ હોય, શિક્ષક પણ હોય, અને એ જ ગુરુ પણ હોય. પહેલા બાપ ની
પાસે જન્મ લે છે, પછી થોડા મોટા થાય તો શિક્ષક જોઈએ ભણાવવા માટે. પછી ૬૦ વર્ષના પછી
ગુરુ જોઈએ. આ તો એક જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. કહે છે હું આપ આત્મા નો બાપ છું.
ભણે પણ આત્મા છે. આત્મા ને આત્મા કહેવાય છે. બાકી શરીરોના અનેક નામ છે. વિચાર કરો -
આ છે બેહદ નું નાટક. બની બનાવી બની રહી.. કોઈ નવી વાત નથી. આ અનાદિ બન્યો બનાવેલ
ડ્રામા છે જે ફરતો રહે છે. પાર્ટધારી આત્માઓ છે. આત્મા ક્યાં રહે છે? કહેશે અમે
અમારા ઘર પરમધામમાં રહેવાવાળા છીએ પછી અમે અહીં આવીએ છીએ બેહદ નો પાર્ટ ભજવવા. બાપ
તો સદેવ ત્યાં જ રહે છે. તેઓ પુનર્જન્મમાં નથી આવતા. હવે તમને રચતા બાપ, સ્વયંનો અને
રચનાનો સાર સંભળાવે છે. તમને કહે છે સ્વદર્શન ચક્રધારી બાળકો. આનો અર્થ પણ કોઈ બીજા
સમજી ન શકે કારણકે એ તો સમજે છે સ્વદર્શન ચક્રધારી વિષ્ણુ છે, આ પછી મનુષ્યોને કેમ
કહે છે. આ તમે જાણો છો. શુદ્ર હતા તો પણ મનુષ્ય જ હતા, હવે બ્રાહ્મણ બન્યા છે તો પણ
મનુષ્ય જ છે, પછી દેવતા બનશે તો પણ મનુષ્ય જ રહેશે, પરંતુ ચરિત્ર બદલાય છે. રાવણ આવે
છે તો તમારું ચરિત્ર કેટલું બગડી જાય છે. સતયુગમાં આ વિકાર હોતા જ નથી.
હવે બાપ આપ બાળકોને અમરકથા સંભળાવી રહ્યા છે. ભક્તિમાર્ગમાં તમે કેટલી કથાઓ સાંભળી
હશે. કહે છે અમરનાથએ પાર્વતી ને કથા સંભળાવી. હવે એમને તો શંકર સંભળાવશે ને. શિવ
કેવી રીતે સંભળાવશે. કેટલા અસંખ્ય મનુષ્ય જાય છે સાંભળવા માટે. આ ભક્તિમાર્ગની વાતો
બાપ બેસી સમજાવે છે. બાપ એવું નથી કહેતા - ભક્તિ કંઈ ખરાબ છે. ના, આતો ડ્રામા છે
અનાદિ છે, તે સમજાવાય છે. હવે બાપ કહે છે એક તો સ્વયંને આત્મા સમજો. મૂળ વાત જ આ
છે. ભગવાનુવાચ – મનમનાભવ. આનો અર્થ શું છે? એ બાપ બેસી મુખથી સંભળાવે છે તો આ ગૌમુખ
છે. આ પણ સમજાવ્યું છે ત્વમેવ માતાશ્ચ પિતા... આને જ કહેવાય છે. તો આ માતા દ્વારા
તમને બધા ને એડોપ્ટ કર્યા છે. શિવબાબા કહે છે આ મુખ દ્વારા આપ બાળકોને જ્ઞાન દૂધ
પીવડાવવું છું તો તમારા જે પાપ છે એ બધા ભસ્મ થઈને તમારી આત્મા કંચન બને છે. તો કાયા
પણ કંચન મળે છે. આત્માઓ બિલકુલ પવિત્ર કંચન બની જાય છે પછી ધીરે-ધીરે સીડી ઉતરે છે.
હવે તમે સમજી ગયા છો આપણે આત્માઓ પણ કંચન હતી, શરીર પણ કંચન હતું પછી ડ્રામા અનુસાર
આપણે ૮૪ ચક્રમાં આવ્યા છીએ. હવે કંચન નથી. હમણાં તો ૯ કેરેટ કહીશું, ફક્ત થોડા ટકા
રહ્યા છે. એકદમ પ્રાય:લોપ નહીં કહેવાય. કંઈ ને કંઈ શાંતિ રહે છે. બાપ એ આ નિશાની પણ
બતાવી છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર છે નંબરવન. હવે તમારી બુદ્ધિમાં આખું ચક્ર આવી
ગયું છે. બાપનો પરિચય પણ આવી ગયો છે. ભલે હમણાં તમારી આત્મા પૂરી કંચન નથી બની પરંતુ
બાપનો પરિચય તો બુદ્ધિ માં છે ને. કંચન થવાની યુક્તિ બતાવે છે. આત્મામાં જે ખાદ પડી
છે એ નીકળે કેવી રીતે? એના માટે યાદ ની યાત્રા છે. આને કહેવાય છે યુદ્ધનું મેદાન.
તમે દરેક સ્વતંત્ર યુદ્ધનાં મેદાનમાં સિપાહી છો. હવે દરેક જેટલું ઈચ્છે એટલો
પુરુષાર્થ કરે. પુરુષાર્થ કરવો તો વિદ્યાર્થી નું કામ છે. ક્યાંય પણ જાઓ, એક-બે ને
સાવધાન કરતા રહો – મનમનાભવ. શિવબાબા યાદ છે? એક-બે ને એ જ ઈશારો આપવાનો છે. બાપનું
ભણતર ઈશારો છે ત્યારે તો બાપ કહે છે એક સેકન્ડ માં કાયા કંચન થઈ જાય છે. વિશ્વના
માલિક બનાવી દઉં છું. બાપના બાળકો બન્યા તો વિશ્વના માલિક બની ગયા. પછી વિશ્વમાં છે
બાદશાહી. એમાં ઉચ્ચ પદ પામવું – આ છે પુરુષાર્થ કરવો. બાકી સેકન્ડમાં જીવનમુક્તિ.
સત્ય તો છે ને. પુરુષાર્થ કરવો દરેકના ઉપર છે. તમે બાપ ને યાદ કરતા રહો તો આત્મા
એકદમ પવિત્ર થઈ જશે. સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયાના માલિક બની જઈશુ. કેટલી વાર
તમે તમોપ્રધાન થી ફરી સતોપ્રધાન બન્યા છો! આ ચક્ર ફરતું રહે છે. આનો ક્યારેય અંત નથી
થતો. બાપ કેટલું સારી રીતે બેસીને સમજાવે છે. કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. આપ
બાળકો મને છી-છી દુનિયામાં નિમંત્રણ આપો છો. શું નિમંત્રણ આપો છો? કહો છો અમે જે
પતિત બની ગયા છીએ, તમે આવીને પાવન બનાવો. વાહ તમારુ નિમંત્રણ! કહો છો અમને
શાંતિધામ-સુખધામ માં લઈ ચાલો તો તમારો વફાદાર સેવક છું. આ પણ ડ્રામા નો ખેલ છે. તમે
સમજો છો - અમે કલ્પ કલ્પ એ જ ભણીએ છીએ, પાર્ટ ભજવીએ છે. આત્મા જ પાર્ટ ભજવે છે.
અહીંયા બેસીને પણ બાપ આત્માઓને જુએ છે. તારાઓને જુએ છે. કેટલી નાની આત્મા છે. જેમકે
તારાઓની ઝીલ-મિલ રહે. કોઈ તારા બહુ જ ચમકતા હોય છે, કોઈ હલ્કા. કોઈ ચંદ્રમાના નજીક
હોય છે. તમે પણ યોગબળથી સારી રીતે પવિત્ર બનો છો તો ચમકો છો. બાબા પણ કહે છે બાળકોમાં
જે બહુજ સારા નક્ષત્ર છે, એને ફૂલ આપો. બાળકો પણ એક-બે ને જાણો તો છો ને. બરાબર કોઈ
બહુ જ આગળ હોય છે, કોઈ બહુ જ ઢીલા હોય છે. તે તારાઓને દેવતા ન કહી શકાય. તમે પણ છો
મનુષ્ય પરંતુ તમારી આત્માને બાપ પવિત્ર બનાવી વિશ્વના માલિક બનાવે છે. કેટલી શક્તિ
બાપ વારસામાં આપે છે. સર્વ શક્તિમાન બાપ છે ને. બાપ કહે છે હું આપ બાળકોને એટલી
શક્તિ આપું છું. ગાએ પણ છે ને - શિવબાબા તમે તો અમને બેસી ને ભણાવીને મનુષ્યથી દેવતા
બનાવો છો. વાહ! આવું તો કોઈ નથી બનાવતું. ભણતર આવકનું સાધન છે ને. આખું આકાશ, ધરતી
વગેરે બધું આપણું થઈ જાય છે. કોઈ છીનવી ન શકે. એને કહેવાય છે અડોળ રાજ્ય. કોઈ પણ
ખંડન કરી ન શકે. કોઈ બાળી ન શકે. તો આવા બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને. દરેકે
પોતાનો પુરુષાર્થ કરવાનો છે.
બાળકો મ્યુઝિયમ વગેરે બનાવે છે - આ ચિત્ર વગેરે દ્વારા હમજીન્સ ને સમજાવો. બાપ
માર્ગદર્શન આપતા રહે છે - જે ચિત્ર જોઈએ ભલે બનાવો. બુદ્ધિ તો બધાની કામ કરે છે.
મનુષ્યના કલ્યાણ માટે જ આ બનાવાય છે. તમે જાણો છો સેન્ટરમાં ક્યારેક કોઈ આવે છે, હવે
એવી કઈ યુક્તિ રચીએ, જે જાતે જ લોકો આવે મીઠાઈ લેવા. કોઈની સારી મીઠાઈ હોય છે તો
એડવર્ટાઇઝ થઈ જાય છે. બધા એક-બીજાને કહેશે ફલાણી દુકાન પર જાઓ. આ તો બહુજ સારામાં
સારી નંબરવન મીઠાઈ છે. આવી મીઠાઈ કોઈ આપી ન શકે. એક જોઈને જાય છે, તો બીજાને પણ
સંભળાવે છે. વિચાર તો ચાલે છે આખું ભારત કેવી રીતે સ્વર્ણિમયુગ આવી જાય, એના માટે
કેટલું સમજાવે છે પરંતુ પથ્થરબુદ્ધિ છે, મહેનત તો લાગશે ને. શિકાર કરવાનું પણ શીખવું
પડે છે ને. પહેલા-પહેલા નાનો શિકાર શીખાય છે. મોટા શિકાર માટે તો તાકત જોઈએ ને.
કેટલા મોટા-મોટા વિદ્વાન-પંડિત છે. વેદ-શાસ્ત્ર વગેરે ભણેલા છે, પોતાને કેટલી મોટી
સત્તા સમજે છે. બનારસમાં કેટલા એમને મોટા-મોટા નામ મળે છે. ત્યારે બાબાએ સમજાવ્યું
હતું પહેલા-પહેલા તો બનારસમાં સેવાનો ઘેરાવ નાખો. મોટાઓ નો અવાજ નીકળે ત્યારે કોઈ
સાંભળે. નાનાઓ ની વાત તો કોઈ સાંભળે નહી. શેરોને સમજાવવાનું છે જે પોતાને શાસ્ત્રોના
અધિકારી સમજે છે. કેટલા મોટા-મોટા નામ આપે છે. શિવબાબાના પણ આટલા નામ નથી.
ભક્તિમાર્ગનું રાજ્ય છે ને પછી થાય છે જ્ઞાનમાર્ગ નું રાજ્ય. જ્ઞાનમાર્ગમાં ભક્તિ
હોતી નથી. ભક્તિમાં પછી જ્ઞાન બિલ્કુલ હોતું નથી. તો આ બાપ સમજાવે છે, બાપ જોવે પણ
એમ જ છે, આ તારાઓ બેઠા છે. દેહનું ભાન છોડી દેવાનું છે. જેમ ઉપર તારાઓની ઝીલ-મિલ
હોય છે, એમ અહિયાં પણ ઝીલ-મિલ છે. કોઈ-કોઈ બહુ જ ચમકતા પ્રકાશ વાળા બની ગયા છે. આ
છે ધરતીના તારાઓ જેમને જ દેવતા કહેવાય છે. આ કેટલો મોટો બેહદ નો માંડવો છે. બાપ
સમજાવે છે તે છે હદ ની રાત અને દિવસ. આ છે પછી અડધાકલ્પ ની રાત, અડધાકલ્પનો દિવસ,
બેહદ નો. દિવસમાં સુખ જ સુખ છે. ક્યાંય પણ ધક્કા ખાવાની દરકાર નથી. જ્ઞાન માં છે
સુખ, ભક્તિ માં છે દુઃખ. સતયુગમાં દુઃખનું નામ નથી. ત્યાં કાળ હોતો નથી. તમે કાળ પર
જીત પામો છો. મૃત્યુ નું નામ નથી હોતું. એ છે અમરલોક. તમે જાણો છો બાપ આપણને અમરકથા
સંભળાવી રહ્યા છે અમરલોક માટે. હવે આપ મીઠા-મીઠા બાળકોને ઉપરથી લઈને આખું ચક્ર
બુદ્ધિ માં છે. જાણો છો આપણું આત્માઓનું ઘર છે બ્રહ્મલોક. ત્યાંથી અહીંયા આવીયે છીએ
નંબરવાર પાર્ટ ભજવવા. અસંખ્ય આત્માઓ છે, એક-એક ને થોડી બેસીને બતાવશે. ટૂંકમાં બતાવે
છે. કેટલી ડાળ-ડાળીઓ છે. નીકળતા-નીકળતા ઝાડ વૃદ્ધિને પામે છે. બહુજ છે જેમને પોતાના
ધર્મની પણ ખબર નથી. બાપ આવીને સમજાવે છે તમે અસલ દેવી-દેવતા ધર્મના છો પરંતુ હવે
ધર્મભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયા છો.
હવે આપ બાળકોની બુદ્ધિ માં છે કે આપણે ખરેખર શાંતિધામ નાં રહેવાવાળા છીએ પછી આવીએ
છીએ પાર્ટ ભજવવા. આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું, એમની ડિનાયસ્ટી હતી. ફરી હવે
સંગમયુગ પર ઊભા છે. બાપએ બતાવ્યું છે તમે સૂર્યવંશી હતા, પછી ચંદ્રવંશી બન્યા. બાકી
વચમાં તો છે બાયપ્લોટ. આ ખેલ છે બેહદ નો. આ કેટલું નાનું ઝાડ છે. બ્રાહ્મણોનો કુળ
છે. પછી કેટલો મોટો થઈ જશે, બધાને જોઇ મળી પણ નહીં શકાય. જ્યાં-ત્યાં ઘેરાવ નાખતા
જાય છે. બાપ કહે છે દિલ્હી પર, બનારસ પર ઘેરાવ નાખો. ફરી કહે છે આખી દુનિયા પર તમે
ઘેરાવ નાખવા વાળા છો. તમે યોગબળથી આખી દુનિયા પર એક રાજ્યની સ્થાપના કરો છો, કેટલી
ખુશી થાય છે. કોઈ ક્યાં, કોઈ ક્યાં જતા હોય છે. હમણાં તમારી કોઈ વાત નથી સાંભળતું.
જ્યારે મોટા-મોટા આવશે, સમાચારમાં આવશે, ત્યારે સમજશે. હમણાં નાના-નાના શિકાર થાય
છે. મોટા-મોટા સાહૂકાર લોકો તો સમજે છે સ્વર્ગ અમારા માટે અહીં જ છે. ગરીબ જ આવીને
વારસો લે છે. કહે છે - બાબા મારા તો તમે જ બીજુ ન કોઈ, પરંતુ જ્યારે મોહ મમત્વ આખી
દુનિયાથી તૂટે તો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) આત્માને
કંચન બનાવવા માટે એક-બે ને સાવધાન કરવાના છે. મનમનાભવ નો ઈશારો આપવાનો છે. યોગબળ થી
પવિત્ર બની ચમકદાર તારા બનવાનું છે.
2) આ બેહદનાં બન્યા બનાવ્યા નાટકને સારી રીતે સમજીને સ્વદર્શન ચક્રધારી બનવાનું છે.
જ્ઞાન અંજન આપીને મનુષ્યોને અજ્ઞાનના ઘોર અંધકાર થી નીકાળવાના છે.
વરદાન :-
પોતાના
પ્રેક્ટીકલ જીવનના પ્રુફ દ્વારા શાંતિ ની શક્તિ નો અવાજ ફેલાવવા વાળા વિશેષ સેવાધારી
ભવ:
દરેકને શાંતિ ની શક્તિનો અનુભવ કરાવવો - આ વિશેષ સેવા છે. જેમ વિજ્ઞાનની શક્તિ
નામીગ્રામી છે તેમ શાંતિની શક્તિ નામીગ્રામી થઈ જાય. બધાના મુખ થી અવાજ નીકળે કે
શાંતિની શક્તિ, વિજ્ઞાન થી પણ ઉંચી છે. એ દિવસ પણ આવવાના છે. શાંતિની શક્તિની
પ્રત્યક્ષતા અર્થાત બાપની પ્રત્યક્ષતા. શાંતિની શક્તિનું પ્રેક્ટીકલ પ્રુફ છે, તમારા
બધાનું જીવન. દરેક ચાલતા-ફરતા શાંતિના મોડલ દેખાઈ આવે તો વિજ્ઞાનવાળા ઓની નજર પણ
શાંતિ વાળાઓ પર જશે. એવી સેવા કરો ત્યારે કહેવાશે વિશેષ સેવાધારી .
સ્લોગન :-
સેવા અને
સ્થિતિનું બેલેન્સ રાખો તો સર્વની બ્લેસિંગ મળતી રહેશે.