13-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - યાદની મહેનત તમારે બધાએ કરવાની છે, તમે સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો હું તમને બધા પાપોથી મુક્ત કરી દઈશ.”

પ્રશ્ન :-
સર્વની સદ્દગતિ નું સ્થાન કયું છે, જેના મહત્વનું આખી દુનિયાને ખબર પડશે?

ઉત્તર :-
આબૂ ભૂમિ છે સર્વની સદ્દગતિ નું સ્થાન. તમે બ્રહ્માકુમારીજ્ ના સામે બ્રેકેટમાં (કૌંસ) લખી શકો છો આ સર્વોત્તમ તીર્થ સ્થાન છે. આખી દુનિયાની સદ્દગતિ અહીંથી થવાની છે. સર્વનાં સદ્દગતિ દાતા બાપ અને આદમ (બ્રહ્મા) અહીંયા બેસીને બધાની સદ્દગતિ કરે છે. આદમ અર્થાત આદમી, એ દેવતા નથી. એને ભગવાન પણ ન કહી શકાય.

ઓમ શાંતિ!
બે વાર ઓમ શાંતિ કારણકે એક છે બાપની, બીજી છે દાદાની. બંને ની આત્મા છે ને. તે છે પરમ આત્મા, આ છે આત્મા. તેઓ પણ લક્ષ્ય બતાવે છે કે આપણે પરમધામ નાં રહેવાસી છીએ, બંને એવું કહે છે. બાપ પણ કહે છે ઓમ શાંતિ, આ પણ કહે છે ઓમ શાંતિ. બાળકો પણ કહે છે ઓમ શાંતિ અર્થાત આપણે આત્મા શાંતિધામની નિવાસી છીએ. અહીં અલગ-અલગ થઈને બેસવાનું છે. અંગ થી અંગ ન મળવું જોઈએ કારણકે દરેકની અવસ્થામાં, યોગમાં રાત-દિવસનો ફરક છે. કોઈ બહુ જ સરસ યાદ કરે છે, કોઈ બિલકુલ યાદ નથી કરતા. તો જે બિલકુલ યાદ નથી કરતા - એ છે પાપ આત્મા, તમોપ્રધાન અને જે યાદ કરે છે એ થઈ ગયા પુણ્ય આત્મા, સતોપ્રધાન. બહુ જ અંતર થઈ ગયું ને. ઘરમાં ભલે સાથે રહીએ છીએ પરંતુ અંતર તો પડે છે ને એટલે જ તો ભાગવતમાં આસુરી નામ ગવાયા છે. આ સમયની જ વાત છે. બાપ બેસી બાળકો ને સમજાવે છે – આ છે ઈશ્વરીય ચરિત્ર, જે ભક્તિમાર્ગમાં ગવાય છે. સતયુગમાં તો કંઈ પણ યાદ નહીં રહેશે, બધા ભૂલી જશે. બાપ હમણાં જ શિક્ષા આપે છે. સતયુગમાં તો આ બિલકુલ ભૂલી જઈએ છીએ, પછી દ્વાપરમાં શાસ્ત્ર વગેરે બનાવે છે અને કોશિશ કરે છે રાજયોગ શીખવાડવાની. પરંતુ રાજયોગ તો શીખવાડી ન શકે. એ તો બાપ જ્યારે સન્મુખ આવે છે ત્યારે જ આવીને શીખવાડે છે. તમે જાણો છો કેવી રીતે બાપ રાજયોગ શીખવાડે છે. ફરી ૫ હજાર વર્ષ બાદ આવીને આમ જ કહેશે – મીઠા-મીઠા રૂહાની બાળકો, આવું ક્યારે પણ કોઈ મનુષ્ય, મનુષ્યને કહી ન શકે. ન દેવતાઓ, દેવતાઓને કહી શકે. એક રુહાની બાપ જ રુહાની બાળકોને કહે છે – એક વાર પાર્ટ ભજવ્યો પછી ૫ હજાર વર્ષના બાદ પાર્ટ ભજવશો કારણકે પછી તમે સીડી ઉતરો છો ને. તમારી બુદ્ધિ માં હવે આદિ-મધ્ય-અંત નું રહસ્ય છે. જાણો છો એ છે શાંતિધામ અથવા પરમધામ. આપણે આત્માઓ ભિન્ન-ભિન્ન ધર્મની બધી નંબરવાર ત્યાં રહીયે છીએ, નિરાકારી દુનિયામાં. જેમ તારા જુઓ છો ને - કેવા ઉભા છે, કશું જોવામાં નથી આવતું. ઉપરમાં કોઈ ચીજ નથી. બ્રહ્મ તત્વ છે. અહીંયા તમે ધરતી પર ઉભા છો, આ છે કર્મ ક્ષેત્ર. અહીં આવીને શરીર લઈ ને કર્મ કરીએ છીએ. બાપએ સમજાવ્યું છે તમે જ્યારે મારાથી વારસો પામો છો તો ૨૧ જન્મ તમારા કર્મ અકર્મ થઈ જાય છે કારણકે ત્યાં રાવણ રાજય જ નથી હોતું. એ છે ઈશ્વરીય રાજ્ય જે હવે ઈશ્વર સ્થાપન કરી રહ્યા છે. બાળકોને સમજાવતા રહે છે - શિવબાબા ને યાદ કરો તો સ્વર્ગના માલિક બનો. સ્વર્ગ શિવબાબાએ સ્થાપન કર્યું ને. તો શિવબાબાને અને સુખધામ ને યાદ કરો. પહેલા-પહેલા શાંતિધામને યાદ કરો તો ચક્ર પણ યાદ આવશે. બાળકો ભૂલી જાય છે, એટલે ઘડી-ઘડી યાદ કરાવવું પડે છે. હેં મીઠા-મીઠા બાળકો, સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થાય. પ્રતિજ્ઞા કરે છે તમે યાદ કરશો તો પાપોથી મુક્ત કરીશ. બાપ જ પતિત-પાવન સર્વશક્તિમાન ઓથોરિટી (સત્તા) છે, એમને વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી કહેવાય છે. તે આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. વેદો-શાસ્ત્રો વગેરે બધાને જાણે છે ત્યારે તો કહે છે આમાં કોઈ સાર નથી. ગીતામાં પણ કોઈ સાર નથી. ભલે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે મા-બાપ, બાકી બધા છે બાળકો. જેમ પહેલા-પહેલા પ્રજાપિતા બ્રહ્મા છે, બાકી બધા બાળકો છે. પ્રજાપિતા બ્રહ્મા ને આદમ કહે છે. આદમ એટલે આદમી. મનુષ્ય છે ને, તો એમને દેવતા નહીં કહેશું. એડમ ને આદમ કહે છે. ભક્ત લોકો બ્રહ્મા એડમને દેવતા કહી દે છે. બાપ બેસીને સમજાવે છે એડમ અર્થાત્ આદમી. ન દેવતા છે, ન ભગવાન છે. લક્ષ્મી-નારાયણ છે દેવતા. ડીટીજ્મ છે પેરેડાઇઝ માં (દેવી ધર્મ છે વૈકુંઠ માં). નવી દુનિયા છે ને. એ છે વન્ડર ઓફ ધ વર્લ્ડ (દુનિયા ની અજાયબી). બાકી તો તે બધાં છે માયાનાં વન્ડર. દ્વાપરના પછી માયાના વન્ડર હોય છે. ઈશ્વરીય વન્ડર છે – હેવિન, સ્વર્ગ જે બાપ જ સ્થાપન કરે છે. હમણાં સ્થાપન થઈ રહ્યું છે. આ જે દેલવાડા મંદિર છે, એનાં મુલ્ય ની કોઈને પણ ખબર નથી. મનુષ્ય યાત્રા કરવા જાય છે, તો સૌથી સારું તીર્થસ્થાન આ છે. તમે લખો છો ને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય, આબૂ પર્વત. તો બ્રેકેટમાં આ પણ લખવું જોઈએ – (સર્વોત્તમ તીર્થસ્થાન) કારણકે તમે જાણો છો સર્વ ની સદ્દગતિ અહીંથી થાય છે. આ કોઈ જાણતા નથી. જેમ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે એમ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ આબૂ છે. તો મનુષ્ય વાંચશે, ધ્યાન જશે. આખા દુનિયાનાં તીર્થોમાં આ છે સૌથી મોટું તીર્થ, જ્યાં બાપ બેસી બધાની સદ્દગતિ કરે છે. તીર્થ તો બહુ જ થઈ ગયા છે. ગાંધીની સમાધિને પણ તીર્થ સમજે છે. બધા જઈને ત્યાં ફૂલ વગેરે ચઢાવે છે, એમને કંઈ ખબર નથી. આપ બાળકો જાણો છો ને - તો તમને અહીં બેસી દિલ અંદર બહુ ખુશ થવું જોઈએ. અમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. હવે બાપ કહે છે - સ્વયંને આત્મા સમજી મને યાદ કરો. ભણતર પણ બહુ જ સહજ છે. કંઈપણ ખર્ચો નથી લાગતો. તમારી મમ્માને એક પાઇનો ખર્ચો લાગ્યો? વગર કોડી ખર્ચે ભણીને કેટલી હોશિયાર નંબરવન બની ગઈ. રાજયોગિન બની ગઈ ને. મમ્મા જેવી કોઈ પણ નથી નીકળી.
જુઓ, આત્માઓને જ બાપ બેસીને ભણાવે છે. આત્માઓને જ રાજ્ય મળે છે, આત્માએ જ રાજ્ય ગુમાવ્યું છે. આટલી નાની એવી આત્મા કેટલું કામ કરે છે. ખરાબ માં ખરાબ કામ છે વિકારમાં જવું. આત્મા ૮૪ જન્મો નો પાર્ટ ભજવે છે. નાની-એવી આત્મામાં કેટલી તાકાત છે! આખા વિશ્વ પર રાજ્ય કરે છે. આ દેવતાઓની આત્મામાં કેટલી તાકાત છે. દરેક ધર્મમાં પોત-પોતાની તાકાત હોય છે ને. ક્રિશ્ચન ધર્મમાં કેટલી તાકાત છે. આત્મામાં તાકાત છે જે શરીર દ્વારા કર્મ કરે છે. આત્મા જ અહીં આવીને આ કર્મ ક્ષેત્ર પર કર્મ કરે છે. ત્યાં ખરાબ કર્તવ્ય હોતા નથી. આત્મા વિકારી માર્ગમાં જાય જ ત્યારે છે જ્યારે રાવણ રાજય હોય છે. મનુષ્ય તો કહી દે છે વિકાર સદૈવ છે જ. તમે સમજાવી શકો છો ત્યાં રાવણ રાજય જ નથી તો વિકાર હોઈ કેવી રીતે શકે. ત્યાં છે જ યોગબળ. ભારતનો રાજયોગ પ્રખ્યાત છે. બહુ જ શીખવા ઈચ્છે છે પરંતુ જ્યારે તમે શીખવાડો. બીજા તો કોઈ શીખવાડી ન શકે. જેમ મહર્ષિ હતા, કેટલી મહેનત કરતા હતા યોગ શીખવાડવા માટે. પરંતુ દુનિયા થોડી જાણે કે આ હઠયોગી રાજ્યોગ કેવી રીતે શીખવાડશે. છે ચિન્મયાનંદ પાસે કેટલા જાય છે, એકવાર એ કહી દે કે સાચે ભારતનો પ્રાચીન રાજયોગ સિવાય બી.કે. કોઈ સમજાવી નહીં શકે તો બસ. પરંતુ એવો કાયદો નથી, જે હમણાં આ અવાજ થાય. બધા થોડી જ સમજશે. બહુ મહેનત છે, મહિમા પણ થશે પાછળથી, કહે છે ને – અહો પ્રભુ, અહો શિવબાબા તમારી લીલા. હવે તમે સમજો છો તમારા સિવાય બાપને સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક, સુપ્રીમ સદ્દગુરુ બીજુ કોઈ સમજતું નથી. અહીં પણ બહુ જ છે, જેમને ચાલતાં-ચાલતાં માયા હેરાન કરી દે છે તો બિલકુલ બેસમજ બની જાય છે. ઉંચી મંજિલ છે. યુદ્ધનું મેદાન છે, આમાં માયા વિઘ્ન બહુ જ નાખે છે. તે લોકો વિનાશનાં માટે તૈયારી કરી રહ્યા છે. તમે અહીં ૫ વિકારોને જીતવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે વિજયના માટે, તે વિનાશના માટે પુરુષાર્થ કરી રહ્યા છે. બંને કામ એકસાથે થશે ને. હમણાં સમય બાકી છે. આપણું રાજ્ય થોડી સ્થાપન થયું છે. રાજાઓ, પ્રજા હમણા બધા બનવાનાં છે. તમે અડધા કલ્પ માટે બાપથી વારસો લો છો. બાકી મોક્ષ તો કોઈને મળતો નથી. એ લોકો ભલે કહે છે ફલાણાએ મોક્ષ ને પામ્યો, મરણ પછી એમને થોડી ખબર છે કે ક્યાં ગયા. એમ જ ગપ્પા મારતા રહે છે.
તમે જાણો છો કે શરીર છોડે છે એ પછી બીજું શરીર જરૂર લેશે. મોક્ષ પામી ન શકે. એવું નથી કે બુદબુદા (પરપોટા) પાણીમાં લીન થઈ જાય છે. બાપ કહે છે - આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિમાર્ગની સામગ્રી છે. તમે બાળકો સન્મુખ સાંભળો છો. ગરમ-ગરમ હલવો ખાઓ છો. સૌથી વધારે ગરમ હલવો કોણ ખાય છે? (બ્રહ્મા) આ તો એકદમ એમની બાજુમાં બેઠા છે. ઝટ સાંભળે છે અને ધારણ કરે છે પછી આ જ ઉચ્ચ પદ પામે છે. સૂક્ષ્મવતનમાં, વૈકુંઠમાં એમના જ સાક્ષાત્કાર કરીયે છે. અહીં પણ એમને જ જોઈએ છે આ આંખોથી. બાપ ભણાવે છે તો બધાને. બાકી છે યાદની મહેનત. યાદમાં રહેવું જેમ તમને ડિફિકલ્ટ (મુશ્કેલી) લાગે છે, એમ આમને પણ. આમાં કોઈ કૃપાની વાત નથી. બાપ કહે છે મેં ઉધાર લીધું છે, એનો હિસાબ-કિતાબ દઈ દઈશ. બાકી યાદનો પુરુષાર્થ તો એમણે પણ કરવાનો છે. સમજુ પણ છુ - બાજુમાં બેઠા છે. બાપ ને હું યાદ કરું છું છતાં પણ ભૂલી જાઉં છું. સૌથી વધારે મહેનત આમને કરવી પડે છે. યુદ્ધનાં મેદાનમાં જે મહારથી પહેલવાન હોય છે, જેમ હનુમાનનું ઉદાહરણ છે, તો તેમની જ માયા એ પરીક્ષા લીધી કારણ કે તે મહાવીર હતા. જેટલા વધારે પહેલવાન એટલી વધારે માયા પરીક્ષા લે છે. તોફાન વધારે આવે છે. બાળકો લખે છે – બાબા અમને આં-આં થાય છે. બાબા કહે છે આં તો બધું થશે. બાબા રોજ સમજાવે છે – ખબરદાર રહેજો. લખે છે – બાબા, માયા બહુ જ તોફાન લાવે છે. કોઈ-કોઈ દેહ-અભિમાની હોય છે તો બાબાને બતાવતા નથી. તમે હવે બહુ જ અક્કલમંદ (બુદ્ધિવાન) બનો છો. આત્મા પવિત્ર હોવાથી પછી શરીર પણ પવિત્ર મળે છે. આત્મા કેટલી ચમત્કારી થઈ જાય છે. પહેલા તો ગરીબ જ (જ્ઞાન) ઉપાડે છે. બાપ પણ ગરીબ નિવાઝ ગવાય છે. બાકી તો એ લોકો પાછળથી આવશે. તમે સમજો છો જ્યાં સુધી ભાઈ-બહેન નથી બન્યા તો ભાઈ-ભાઈ કેવી રીતે બનશે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન તો ભાઈ-બહેન થયા ને. પછી બાપ સમજાવે છે ભાઈ-ભાઈ સમજો. આ છે પાછળ નો સંબંધ પછી ઉપર પણ ભાઈઓ ને જઈને મળશે. ફરી સતયુગમાં નવા સંબંધ શરૂ થશે. ત્યાં સાળા, કાકા, મામા વગેરે બહુ સંબંધ નથી હોતા. સંબંધ બહુ જ સરળ હોય છે. પછી વધતા જાય છે. હવે તો બાપ કહે છે ભાઈ-બહેન પણ નહીં, ભાઈ-ભાઈ સમજવાનું છે. નામ-રુપ થી પણ નીકળી જવાનું છે. બાપ ભાઈઓ (આત્માઓ) ને ભણાવે છે. પ્રજાપિતા બ્રહ્મા છે ત્યારે ભાઈ-બહેન છે ને. કૃષ્ણ તો પોતે જ બાળક છે. એ કેવી રીતે ભાઈ-ભાઈ બનાવશે. ગીતામાં પણ આ વાતો નથી. આ છે એકદમ ન્યારું જ્ઞાન. ડ્રામામાં બધું નોંધ છે. એક સેકન્ડ નો પાર્ટ ન મળે બીજી સેકન્ડથી. કેટલા મહિના, કેટલા કલાક, કેટલા દિવસ પસાર થવાના છે, ફરી ૫ હજાર વર્ષ પછી એમજ પસાર થશે. ઓછી બુદ્ધિ વાળા તો એટલી ધારણા કરી ન શકે એટલે બાપ કહે છે આ તો બહુ જ સહજ છે - સ્વયંને આત્મા સમજો, બેહદનાં બાપ ને યાદ કરો. જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે. બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે સંગમ છે. તમે જ દેવી-દેવતા હતા. આ જાણો છો જ્યારે એમનું રાજ્ય હતું ત્યારે બીજો કોઈ ધર્મ ન હતો. હવે તો એમનું રાજ્ય છે નહીં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) હવે પાછળ નો સમય છે, પાછું ઘરે જવાનું છે એટલે પોતાની બુદ્ધિ નામ-રુપથી કાઢી નાખવાની છે. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ - આ અભ્યાસ કરવાનો છે. દેહ અભિમાનમાં નથી આવવાનું.

2) દરેક ની અવસ્થા અને યોગમાં રાત-દિવસનો ફરક છે એટલે અલગ-અલગ થઈને બેસવાનું છે. અંગ, અંગ થી ન મળે. પુણ્ય આત્મા બનવા માટે યાદની મહેનત કરવાની છે.

વરદાન :-
યાદ અને સેવાનાં બેલેન્સ દ્વારા બાપ ની મદદ નો અનુભવ કરવા વાળા બ્લેસિંગ ના પાત્ર આત્મા ભવ:

જ્યાં યાદ અને સેવાનું બેલેન્સ અર્થાત સમાનતા છે ત્યાં બાપની વિશેષ મદદ અનુભવ થાય છે. આ મદદ જ આશીર્વાદ છે કારણકે બાપદાદા અન્ય આત્માઓ ની જેમ આશીર્વાદ નથી આપતા. બાપ તો છે જ અશરીરી, તો બાપદાદાનાં આશીર્વાદ છે સહજ, સ્વતઃ મદદ મળવી જેથી જે અસંભવ વાત છે એ સંભવ થઈ જાય. આ જ મદદ અર્થાત આશીર્વાદ છે. એવાં આશીર્વાદની પાત્ર આત્માઓ છો જેનાં એક કદમ માં પદમોની કમાણી જમા થઈ જાય છે.

સ્લોગન :-
સકાશ દેવા માટે અવિનાશી સુખ, શાંતિ અને સાચા પ્રેમનો સ્ટોક જમા કરો.