08-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સાચાં
બાપની સાથે સાચાં બનો, સચ્ચાઈનો ચાર્ટ રાખો, જ્ઞાન નો અહંકાર છોડી યાદમાં રહેવાનો
પૂરે - પૂરો પુરુષાર્થ કરો ”
પ્રશ્ન :-
મહાવીર બાળકોની
મુખ્ય નિશાની કઈ હશે?
ઉત્તર :-
મહાવીર બાળકો
એ જેમની બુદ્ધિમાં નિરંતર બાપની યાદ હોય. મહાવીર એટલે શક્તિમાન. મહાવીર એ જેમને
નિરંતર ખુશી છે, જે આત્મ-અભિમાની છે, જરા પણ દેહ અહંકાર નથી. એવા મહાવીર બાળકોની
બુદ્ધિમાં રહે છે કે અમે આત્મા છીએ, બાબા અમને ભણાવી રહ્યા છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને પૂછે છે - સ્વયંને રુહ અથવા આત્મા સમજી બેઠા છો? કારણ કે બાપ જાણે
છે આ કંઈક ડીફીકલ્ટ (મુશ્કેલ) છે, આમાં જ મહેનત છે. જે આત્મ-અભિમાની થઈને બેઠાં છે
એમને જ મહાવીર કહેવાય છે. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાં - એમને મહાવીર કહેવાય
છે. હંમેશા સ્વયંથી પૂછતા રહો કે અમે આત્મ-અભિમાની છીએ? યાદથી જ મહાવીર બનો છો, એટલે
સુપ્રીમ (સર્વોચ્ચ) બનો છો. બીજા જે પણ ધર્મવાળા આવે છે તે એટલા સુપ્રીમ (સર્વોચ્ચ)
નથી બનતા. તેઓ તો આવે પણ મોડેથી છે. તમે નંબરવાર સુપ્રીમ બનો છો. સુપ્રીમ અર્થાત્
શક્તિમાન અથવા મહાવીર. તો અંદરમાં એ ખુશી હોવી જોઈએ કે અમે આત્મા છીએ. આપણી સર્વ
આત્માઓનાં બાપ આપણને ભણાવે છે. એ પણ બાપ જાણે છે કોઈ પોતાનો ચાર્ટ ૨૫ ટકા દેખાડે
છે, કોઈ ૧૦૦ ટકા દેખાડે છે. કોઈ કહે છે ૨૪ કલાકમાં અડધો કલાક યાદ રહે છે તો કેટલા
ટકા થઈ? પોતાની બહુજ સંભાળ રાખવાની છે. ધીરે-ધીરે મહાવીર બનવાનું છે. ફટથી નથી બની
શકતા, મહેનત છે. તે જે બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની છે, એવું નહીં સમજો તેઓ પોતાને કોઈ
આત્મા સમજે છે. તેઓ તો બ્રહ્મ ઘરને પરમાત્મા સમજે છે અને સ્વયંને કહે છે અહમ
બ્રહ્મસ્મિ. હવે ઘરથી થોડો યોગ લગાવવાનો હોય છે. હવે તમે બાળકો સ્વયંને આત્મા સમજો
છો. આ પોતાનો ચાર્ટ જોવાનો છે - ૨૪ કલાકમાં કેટલો સમય સ્વયંને આત્મા સમજીએ છે? હમણાં
આપ બાળકો જાણો છો આપણે ઈશ્વરીય સર્વિસ પર છીએ, ઓન ગોડલી સર્વિસ (ઈશ્વરીય સેવા પર).
આજ બધાંને બતાવવાનું છે કે બાપ ફક્ત કહે છે મનમનાભવ અર્થાત્ સ્વયંને આત્મા સમજી મને
યાદ કરો. આ છે તમારી સર્વિસ. જેટલી તમે સર્વિસ કરશો એટલું ફળ પણ મળશે. આ વાતો સારી
રીતે સમજવાની છે. સારા-સારા મહારથી બાળકો પણ આ વાતને પૂરી સમજતા નથી. આમાં બહુ જ
મહેનત છે. મહેનત વગર ફળ થોડી મળી શકે
છે
બાબા જુએ છે કોઈ ચાર્ટ બનાવીને મોકલી દે છે, કોઈથી તો ચાર્ટ લખવાનું પહોંચતું જ નથી.
જ્ઞાનનો અહંકાર છે. યાદમાં બેસવાની મહેનત પહોંચતી જ નથી. બાપ સમજાવે છે મૂળ વાત
છે યાદની. સ્વયં પર નજર રાખવાની છે કે અમારો ચાર્ટ કેવો રહે છે? એ નોંધ કરવાની છે.
ઘણાં કહે છે ચાર્ટ લખવાની ફુરસદ નથી. મૂળ વાત તો બાપ કહે છે સ્વયંને આત્મા સમજી
અલ્ફને યાદ કરો. અહીં જેટલો સમય બેસો છો તો વચ-વચમાં પોતાનાં દિલને પૂછો કે અમે
કેટલો સમય યાદમાં બેઠા? અહીં જ્યારે બેસો છો તો તમારે યાદમાં જ રહેવાનું છે અને
ચક્ર ફરાવો તો પણ વાંધો નથી. આપણે બાબાની પાસે જરુર જવાનું છે. પવિત્ર સતોપ્રધાન
થઈને જવાનું છે. આ વાતને સારી રીતે સમજવાની છે. કોઈ તો ફટથી ભૂલી જાય છે. સાચો-સાચો
ચાર્ટ પોતાનો બતાવતા નથી. એવા બહુ જ મહારથી છે. સાચું તો ક્યારેય નહી બતાવે. અડધો
કલ્પ જૂઠી દુનિયા ચાલી છે તો જૂઠું જાણે કે અંદર જામી ગયું છે. આમાં પણ જે સાધારણ
છે તે તો ઝટ ચાર્ટ લખશે. બાપ કહે છે તમે પાપોને ભસ્મ કરી પાવન બનશો, યાદની યાત્રાથી.
ફક્ત જ્ઞાનથી તો પાવન નહીં બનશો. બાકી ફાયદો શું. પોકારો છો પણ પાવન બનવા માટે. એનાં
માટે જોઈએ યાદ. દરેકે સચ્ચાઈથી પોતાનો ચાર્ટ બતાવવો જોઈએ. અહીં તમે પોણો કલાક બેઠાં
છો તો જોવાનું છે પોણા કલાકમાં અમે કેટલો સમય સ્વયંને આત્મા સમજી બાપની યાદ માં હતા?
ઘણાં ને તો સાચું બતાવવામાં લજ્જા (શરમ) આવે છે. બાપને સાચું નથી બતાવતા. તેઓ
સમાચાર આપશે આ સર્વિસ કરી, આટલા ને સમજાવ્યું, આ કર્યું. પરંતુ યાદની યાત્રાનો
ચાર્ટ નથી લખતાં. બાપ કહે છે યાદની યાત્રામાં ન રહેવાનાં કારણે તમારું કોઈને તીર
નથી લાગતું. જ્ઞાન તલવારમાં બળ નથી ભરાતું. જ્ઞાન તો સંભળાવો છો, બાકી યોગનુ તીર
લાગી જાય - તે બહુ મુશ્કેલ છે. બાબા તો કહે છે પોણા કલાકમાં ૫ મિનિટ પણ યાદની
યાત્રામાં નહી બેસતાં હશે. સમજતા નથી કે કેવી રીતે સ્વયંને આત્મા સમજે અને બાપને
યાદ કરે. ઘણા તો કહે છે અમે નિરંતર યાદમાં રહીએ છીએ. બાબા કહે છે આ અવસ્થા હમણાં
હોઈ ન શકે. જો નિરંતર યાદ કરે પછી તો કર્માતીત અવસ્થા આવી જાય, જ્ઞાનની પરાકાષ્ઠા
થઈ જાય. થોડું જ કોઈને સમજાવવાથી બહુ જ તીર લાગી જાય. મહેનત છે ને. વિશ્વનાં માલિક
કોઈ એમ જ થોડી બની જશે. માયા તમારી બુદ્ધિનો યોગ ક્યાં ક્યાંથી લઇ જશે. મિત્ર-સંબંધી
વગેરે યાદ આવતા રહેશે. કોઈને વિદેશ જવાનું હશે તો બધાં મિત્ર-સંબંધી, સ્ટીમર,
એરોપ્લેન વગેરે જ યાદ આવતા રહેશે. વિદેશ જવાની જે પ્રેક્ટીકલ ઈચ્છા છે તે ખેંચે છે.
બુદ્ધિનો યોગ બિલકુલ તૂટી જાય છે. બીજા કોઈ તરફ બુદ્ધિ ન જાય, આમાં બહુ જ મહેનતની
વાત છે. ફક્ત એક બાપની જ યાદ રહે. આ દેહ પણ યાદ ન આવે. આ અવસ્થા તમારી અંતમાં થશે.
દિન-પ્રતિદિન જેટલી યાદની યાત્રાને વધારતા રહો, એમાં તમારું જ કલ્યાણ છે. જેટલા
યાદમાં રહેશો તેટલી તમારી કમાણી થશે. જો શરીર છૂટી ગયું પછી આ કમાણી તો કરી નહીં શકો.
જઈને નાનાં બાળક બનશો. તો કમાણી શું કરી શકશે. ભલે આત્મા આ સંસ્કાર લઈ જશે પરંતુ
શિક્ષક તો જોઈએને જે ફરી સ્મૃતિ દેવડાવે. બાપ પણ સ્મૃતિ અપાવે છે ને. બાપને યાદ કરો
- આ સિવાય તમારા બીજા કોઈને ખબર નથી કે બાપની યાદથી જ પાવન બનશો. તેઓ તો ગંગાસ્નાનને જ ઉચ્ચ માને છે. એટલે ગંગાસ્નાન જ કરતા રહે છે. બાબા તો આ બધી વાતોનાં અનુભવી છે
ને. એમણે તો બહુ જ ગુરુ કર્યા છે. તેઓ સ્નાન કરવા જાય છે પાણીમાં. અહીં તમારું
સ્નાન થાય છે યાદની યાત્રાથી. સિવાય બાપની યાદ તમારી આત્મા પાવન બની જ ન શકે. એનું
નામ જ છે યોગ અર્થાત્ યાદની યાત્રા. જ્ઞાનને સ્નાન નહી સમજતા. યોગનું સ્નાન છે.
જ્ઞાન ભણતર છે, યોગનું સ્નાન છે, જેમાં પાપ કપાય છે. જ્ઞાન અને યોગ બે ચીજો છે.
યાદથી જ જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થાય છે. બાપ કહે છે આ યાદની યાત્રાથી જ તમે પાવન
બની સતોપ્રધાન બની જશો. બાપ બહુ જ સારી રીતે સમજાવે છે – મીઠા-મીઠા બાળકો, આ વાતોને
સારી રીતે સમજો. આ ભૂલો નહીં. યાદની યાત્રાથી જ જન્મ-જન્માંતરનાં પાપ કપાશે, બાકી
જ્ઞાન તો છે કમાણી. યાદ અને ભણતર બંને અલગ ચીજ છે. જ્ઞાન અને વિજ્ઞાન - જ્ઞાન એટલે
ભણતર, વિજ્ઞાન એટલે યોગ અથવા યાદ. કોને ઊંચ રાખશો – જ્ઞાન કે યોગ? યાદની યાત્રા બહુ
જ લાંબી છે. એમાં જ મહેનત છે. સ્વર્ગમાં બધાં જ જશે. સતયુગ છે સ્વર્ગ, ત્રેતા છે
સેમી સ્વર્ગ. ત્યાં તો આ ભણતર અનુસાર જઈને વિરાજમાન થઇશું. બાકી મુખ્ય છે યોગની વાત.
પ્રદર્શની કે મ્યુઝિયમ વગેરેમાં પણ તમે જ્ઞાન સમજાવો છો. યોગ થોડી સમજાવી શકશો.
ફક્ત એટલું કહેશો સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાકી જ્ઞાન તો બહુ જ આપો છો.
બાપ કહે છે પહેલી-પહેલી વાત જ આ બતાવો કે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આ
જ્ઞાન દેવા માટે જ તમે આટલા ચિત્ર વગેરે બનાવો છો. યોગનાં માટે કોઈ ચિત્રની દરકાર
નથી. ચિત્ર બધાં જ્ઞાનને સમજાવવા માટે બનાવાયા છે. સ્વયંને આત્મા સમજવાથી દેહનો
અહંકાર બિલકુલ તૂટી જાય છે. જ્ઞાનમાં તો જરુર મુખ જોઈએ વર્ણન કરવા માટે. યોગની તો
એક જ વાત છે - સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે. ભણતરમાં તો શરીરની આવશ્યકતા
છે. શરીર વગર કેમ ભણશે કે ભણાવશે.
પતિત-પાવન બાપ છે તો એમની સાથે યોગ લગાવવો પડે ને. પરંતુ કોઈ જાણતા નથી. બાપ સ્વયં
આવીને શીખવાડે છે, મનુષ્ય-મનુષ્યને ક્યારેય શીખવાડી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરો,
આને કહેવાય છે પરમાત્માનું જ્ઞાન. પરમાત્મા જ જ્ઞાનનાં સાગર છે. આ બહુ જ સમજવાની
વાતો છે. બધાંને એ જ કહો કે બેહદનાં બાપ ને યાદ કરો. એ બાપ નવી દુનિયા સ્થાપન કરે
છે. તેઓ સમજતા જ નથી કે નવી દુનિયા સ્થાપન થવાની છે, જે ભગવાનને યાદ કરે. ધ્યાનમાં
પણ નથી તો ખ્યાલ કરે જ કેમ. આ પણ તમે જાણો છો. પરમપિતા પરમાત્મા શિવ ભગવાન એક જ છે.
કહે પણ છે બ્રહ્મ દેવતાય નમઃ પછી છેલ્લે કહે છે શિવ પરમાત્માય નમઃ. એ બાપ છે જ
ઊંચેથી ઉંચા. પરંતુ એ શું છે, એ પણ નથી સમજતા. જો પથ્થર-ઠીક્કરમાં છે પછી નમઃ શા
માટે. અર્થ રહિત બોલતા રહે છે. અહીં તો તમારે અવાજથી પરે જવાનું છે અર્થાત્
નિર્વાણધામ, શાંતિધામ માં જવાનું છે. શાંતિધામ, સુખધામ કહેવાય છે. તે છે સ્વર્ગધામ.
નર્કને ધામ નહીં કહેશે. અક્ષર બહુ જ સહજ છે. ક્રાઈસ્ટ નો ધર્મ ક્યાં સુધી ચાલશે? એ
પણ તે લોકોને કંઈ ખબર નથી. કહે પણ છે ક્રાઈસ્ટનાં ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ)
હતું અર્થાત્ દેવી-દેવતાઓનું રાજ્ય હતું પછી ૨ હજાર વર્ષ ક્રિશ્ચનનું થયું, હવે ફરી
દેવતા ધર્મ હોવો જોઈએ ને. મનુષ્યની બુદ્ધિ કંઈ કામ નથી કરતી. ડ્રામાનાં રહસ્યને ન
જાણવાના કારણે કેટલા પ્લાન (યોજનાં) બનાવતા રહે છે. આ વાતો મોટી અવસ્થાવાળી વૃદ્ધ
માતાઓ તો સમજી ન શકે. બાપ સમજાવે છે હમણાં તમારી બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે. વાણીથી
પરે જવાનું છે. તે ભલે કહે છે નિર્વાણધામ ગયા પરંતુ જતું કોઈ નથી. પુનર્જન્મ ફરી પણ
લે છે જરુર. પાછું કોઈ પણ જતું નથી. વાનપ્રસ્થ માં જવા માટે ગુરુ નો સંગ કરે છે.
બહુજ વાનપ્રસ્થ આશ્રમ છે. માતાઓ પણ બહુ જ છે. ત્યાં પણ તમે સર્વિસ કરી શકો છો.
વાનપ્રસ્થ નો અર્થ શું છે, તમને બાપ બેસીને સમજાવે છે. હમણાં તમે બધાં વાનપ્રસ્થી
છો. આખી દુનિયા વાનપ્રસ્થી છે. જે પણ મનુષ્ય માત્ર જુઓ છો બધાં વાનપ્રસ્થી છે.
સર્વનાં સદ્દ્ગતિ દાતા એક જ સદ્દગુરુ છે. બધાંએ જવાનું જ છે. જે સારી રીતે
પુરુષાર્થ કરે છે તે પોતાનું ઉંચ પદ પામે છે. આને કહેવાય જ છે - કયામતનો સમય. કયામત
ના અર્થને પણ તે લોકો સમજતા નથી. આપ બાળકોમાં પણ નંબરવાર સમજે છે. બહુ જ ઊંચી મંઝિલ
છે. બધાંએ સમજવાનું છે - હવે આપણે ઘરે જવાનું છે જરુર. આત્માઓએ વાણીથી પરે જવાનું
છે ફરી પાર્ટ રીપીટ કરશે. પરંતુ બાપ ને યાદ કરતા-કરતા જશે તો ઉંચ પદ પામશે. દૈવી
ગુણ પણ ધારણ કરવાનાં છે. કોઈ ગંદા કામ, ચોરી વગેરે ન કરવું જોઈએ. તમે પુણ્ય આત્મા
બનશો જ યોગથી, જ્ઞાનથી નહીં. આત્મા પવિત્ર જોઈએ. શાંતિધામ માં પવિત્ર આત્માઓ જ જઈ
શકે છે. બધી આત્માઓ ત્યાં રહે છે. હમણાં આવતી રહે છે. હવે બાકી જે પણ હશે તે અહીં
આવતી રહેશે.
આપ બાળકોએ યાદની યાત્રામાં જ બહુ રહેવાનું છે. અહીં તમને મદદ સારી મળશે. એક-બીજાનું
બળ મળે છે ને. આપ થોડા બાળકોની જ તાકાત કામ કરે છે. ગોવર્ધન પહાડ દેખાડે છે ને,
આંગળી પર ઉઠાવ્યો. તમે ગોપ-ગોપીઓ છો ને. સતયુગી દેવી-દેવતાઓને ગોપ-ગોપીઓ નહીં
કહેવાય. આંગળી તમે આપો છો. આઇરન એજ (કળયુગ) ને ગોલ્ડન એજ (સ્વર્ગ) કે નર્ક ને
સ્વર્ગ બનાવવા માટે તમે એક બાપની સાથે બુદ્ધિનો યોગ લગાવો છો. યોગથી જ પવિત્ર બનવાનું
છે. આ વાતોને ભુલવાની નથી. આ તાકાત તમને અહીં મળે છે. બહાર તો આસુરી મનુષ્ય નો સંગ
રહે છે. ત્યાં યાદમાં રહેવાનું બહુ મુશ્કેલ છે. આટલા અડોળ ત્યાં તમે રહી નહી શકો.
સંગઠન જોઈએ ને. અહીં બધાં એક રસ ભેગાં બેસે છે તો મદદ મળશે. અહીંયા ધંધો વગેરે કંઈ
પણ નથી રહેતું. બુદ્ધિ ક્યાં જશે! બહાર રહેવાથી ધંધો, ઘર વગેરે ખેંચશે જરુર. અહીંયા
તો કંઈ છે નહીં. અહીંયા નું વાયુમંડળ સારું શુદ્ધ રહે છે. ડ્રામા અનુસાર કેટલા દૂર
પહાડી પર આવીને તમે બેઠા છો. યાદગાર પણ સામે એક્યુરેટ ઊભો છે. ઉપરમાં સ્વર્ગ
દેખાડ્યું છે. નહીં તો ક્યાં બનાંવે. તો બાબા કહે છે અહીં આવીને બેસો છો તો પોતાની
તપાસ રાખો - અમે બાપની યાદમાં બેસીયે છીએ? સ્વદર્શન ચક્ર પણ ફરતું રહે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
યાદનાં ચાર્ટ પર પૂરી નજર રાખવાની છે, જોવાનું છે અમે બાપને કેટલો સમય યાદ કરીએ છીએ.
યાદનાં સમયે બુદ્ધિ ક્યાં-ક્યાં ભટકે છે?
2. આ કયામતનાં સમયમાં વાણીથી પરે જવાનો પુરુષાર્થ કરવાનો છે. બાપની યાદની સાથે
દૈવીગુણ પણ જરુર ધારણ કરવાનાં છે. કોઈ ગંદુ કામ ચોરી વગેરે નથી કરવાનું.
વરદાન :-
સદા સર્વ
પ્રાપ્તિઓથી ભરપૂર રહેવાવાળા હર્ષિત મુખ, હર્ષિતચિત્ત ભવ :
જ્યારે પણ કોઈ દેવી
કે દેવતાની મૂર્તિ બનાવે છે તો એમાં ચહેરો સદા હર્ષિત દેખાડે છે. તો તમારા આ સમયનાં
હર્ષિતમુખ રહેવાનાં યાદગાર ચિત્રોમાં પણ દેખાડે છે. હર્ષિતમુખ અર્થાત્ સદા સર્વ
પ્રાપ્તિઓથી ભરપૂર. જે ભરપૂર હોય છે તે જ હર્ષિત રહી શકે છે. જો કોઈપણ અપ્રાપ્તિ હશે
તો હર્ષિત નહીં રહેશે. કોઈ કેટલા પણ હર્ષિત રહેવાની કોશિશ કરે, બહારથી હસશે પરંતુ
દિલથી નહીં. તમે તો દિલથી મુસ્કુરાઓ છો કારણકે સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર હર્ષિતચિત્ત
છો.
સ્લોગન :-
પાસ વિથ ઓનર
બનવું છે તો દરેક ખજાનાંનું જમાનું ખાતું ભરપૂર હોય.