22-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો રાવણ નો કાયદો છે આસુરી મત , જૂઠું બોલવું , બાપનો કાયદો છે શ્રીમત , સાચું બોલવું ”

પ્રશ્ન :-
કઈ વાતોનો વિચાર કરી બાળકોએ આશ્ચર્ય ખાવું જોઈએ?

ઉત્તર :-
૧. કેવું આ બેહદનું વન્ડરફુલ નાટક છે. જે ફીચર્સ, જે એક્ટ સેકન્ડ બાઇ સેકન્ડ પાસ થઈ તે ફરી હૂબહૂ પુનરાવર્તન થશે. કેટલું આશ્ચર્ય છે, જે એકનાં ફીચર્સ ન મળે બીજાથી. ૨. કેવી રીતે બેહદનાં બાપ આવીને આખા વિશ્વની સદ્દ્ગતિ કરે છે, ભણાવે છે, આ પણ વન્ડર છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ શિવ બેસીને પોતાનાં રુહાની બાળકોને સાલીગ્રામોને સમજાવી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે? સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે અને આ સમજાવવા વાળા એક જ બાપ છે બીજી તો જે પણ આત્માઓ અથવા સાલીગ્રામ છે બધાનાં શરીરનું નામ છે. બાકી એક જ પરમ આત્મા છે, જેમને શરીર નથી. એ પરમ આત્માનું નામ છે શિવ. એમને જ પતિત-પાવન પરમાત્મા કહેવાય છે. એ જ આપ બાળકોને આખા વિશ્વનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવી રહ્યા છે. પાર્ટ ભજવવા માટે તો બધાં અહીં આવે છે. આ પણ સમજાવ્યું છે વિષ્ણુનાં બે રુપ છે. શંકરનો તો કોઈ પાર્ટ છે નહીં. આ બધું બાપ બેસી સમજાવે છે. બાપ ક્યારે આવે છે? જ્યારે નવી સૃષ્ટિની સ્થાપનાં અને જૂનીનો વિનાશ થવાનો છે. બાળકો જાણે છે નવી દુનિયામાં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે. એ તો સિવાય પરમપિતા પરમાત્માને બીજું કોઈ કરી નથી શકતું. એ જ એક પરમ આત્મા છે જેમને પરમાત્મા કહેવાય છે. એમનું નામ છે શિવ. એમનાં શરીરનું નામ નથી પડતું. બીજા જે પણ છે બધાનાં શરીરનું નામ પડે છે. એ પણ સમજો છો મુખ્ય-મુખ્ય જે છે એ તો બધાં આવી ગયાં છે. ડ્રામાનું ચક્ર ફરતા-ફરતા હવે અંત આવીને ઉભો છે. અંતમાં બાપ જ જોઈએ. એમની જયન્તી પણ મનાવે છે. શિવજયન્તી પણ આ સમયે મનાવે છે જ્યારે દુનિયા બદલાવાની છે. ઘોર અંધારાથી ઘોર રોશની (અજવાળું) થાય છે અર્થાત્ દુઃખધામ થી સુખધામ થવાનું છે. બાળકો જાણે છે પરમપિતા પરમાત્મા શિવ એક જ વાર પુરુષોત્તમ સંગમયુગ પર આવે છે, જૂની દુનિયાનો વિનાશ, નવી દુનિયાની સ્થાપના કરવા. પહેલા નવી દુનિયાની સ્થાપના, પછી જૂની દુનિયાનો વિનાશ થાય છે. બાળકો સમજે છે ભણીને આપણે હોશિયાર થવાનું છે અને દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. આસુરી ગુણને પલટવાનાં છે. દૈવી ગુણો અને આસુરી ગુણોનું વર્ણન ચાર્ટમાં દેખાડવાનું હોય છે. સ્વયંને જોવાનું છે અમે કોઈને હેરાન તો નથી કરતા? જૂઠું તો નથી બોલતા? શ્રીમતની વિરુદ્ધ તો નથી ચાલતા? જૂઠું બોલવું, કોઈને દુઃખ દેવું, હેરાન કરવું - આ છે રાવણનો કાયદો અને એ છે રામનો કાયદો. શ્રીમત અને આસુરી મતનું ગાયન પણ છે. અડધો કલ્પ ચાલે છે આસુરી મત, જેનાથી મનુષ્ય અસુર, દુઃખી, રોગી બની જાય છે. પાંચ વિકાર પ્રવેશ થઈ જાય છે. બાપ આવીને શ્રીમત આપે છે. બાળકો જાણે છે શ્રીમતથી આપણને દૈવી ગુણ મળે છે. આસુરી ગુણોને બદલવાનાં છે. જો આસુરી ગુણ રહી જશે તો પદ ઓછું થઈ જશે. જન્મ-જન્માંતરનાં પાપોનો બોજો જે માથા પર છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર હલ્કો થઇ જશે. આ પણ સમજો છો કે હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ. બાપ દ્વારા હમણાં દૈવીગુણ ધારણ કરી નવી દુનિયાનાં માલિક બનીએ છીએ. તો સિદ્ધ થાય છે જૂની દુનિયા જરુર ખલાસ થવાની જ છે. નવી દુનિયાની સ્થાપના બ્રહ્માકુમાર, કુમારીઓ દ્વારા થવાની છે. આ પણ પાક્કો નિશ્ચય છે એટલે સર્વિસ પર લાગેલા છે. કોઈને કોઈનું કલ્યાણ કરવાની મહેનત કરતા રહે છે.

તમે જાણો છો આપણા ભાઈ-બહેન કેટલી સેવા કરે છે. બધાને બાપનો પરિચય આપતા રહે છે. બાપ આવ્યા છે જરુર પહેલા-પહેલા થોડા ને જ મળશે. પછી વૃદ્ધિ થતી રહેશે. એક બ્રહ્મા દ્વારા કેટલા બ્રહ્માકુમાર બને છે. બ્રાહ્મણ કુળ તો જરુર જોઈએ ને. તમે જાણો છો આપણે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ, શિવબાબા નાં બાળકો, બધાં ભાઈ-ભાઈ છે. અસલમાં ભાઈ-ભાઈ છે પછી પ્રજાપિતા બ્રહ્માનાં બનવાથી ભાઈ-બહેન બને છે. પછી દેવતા કુળમાં જશો તો સંબંધની વૃદ્ધિ થતી જશે. આ સમયે બ્રહ્માનાં બાળકો અને બાળકીઓ છે તો એક જ કુળ થયું, આને ડિનાયસ્ટી (દેવીવંશ) નહીં કહેશું. રાજાઈ ન કૌરવોની, ન પાંડવોની. ડિનાયસ્ટી (દેવીવંશ) ત્યારે હોય છે, જ્યારે રાજા-રાણી નંબરવાર ગાદી પર બેસે છે. હમણાં તો છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય. શરુ થી લઈને પવિત્ર ડિનાયસ્ટી અને અપવિત્ર ડિનાયસ્ટી ચાલી આવે છે. પવિત્ર ડિનાયસ્ટી દેવતાઓની જ ચાલી છે. બાળકો જાણે છે ૫ હજાર વર્ષ પહેલાં હેવિન (સ્વર્ગ) હતું તો પવિત્ર ડિનાયસ્ટી હતી. તેમનાં ચિત્ર પણ છે, મંદિર કેટલા આલીશાન બનેલા છે. બીજા કોઈનાં મંદિર નથી. આ દેવતાઓનાં જ બહુ મંદિર છે.

બાળકોને સમજાવ્યું છે કે બીજા બધાનાં શરીરનાં નામ બદલાય છે. આમનું જ નામ શિવ ચાલી આવ્યું છે. શિવ ભગવાનુવાચ, કોઈપણ દેહધારી ને ભગવાન ન કહી શકાય. બાપ વગર બીજા કોઈ બાપનો પરીચય આપી ન શકે કારણ કે તેઓ તો બાપને જાણતા જ નથી. અહીંયા પણ બહુ જ છે જેમની બુદ્ધિમાં નથી આવતું - બાપને કેવી રીતે યાદ કરીએ. મુંઝાય છે. આટલું નાનું બિંદુ એને કેવી રીતે યાદ કરીએ. શરીર તો મોટું છે, તેને જ યાદ કરતા રહે છે. આપણ ગાયન છે ભ્રકુટીનાં મધ્ય ચમકે છે તારો અર્થાત્ આત્મા તારાની જેમ છે. આત્માને સાલીગ્રામ કહેવાય છે. શિવલિંગની પણ મોટા રુપમાં પૂજા થાય છે. જેમ આત્માને જોઈ નથી શકતા, શિવબાબા પણ કોઈને જોવામાં તો આવી ન શકે. ભક્તિમાર્ગમાં બિંદુની પૂજા કેવી રીતે કરે કારણ કે પહેલા-પહેલા શિવબાબા ની અવ્યભિચારી પૂજા શરુ થાય છે ને. તો પૂજા માટે જરુર મોટી ચીજ જોઈએ. સાલીગ્રામ પણ મોટા અંડાકાર બનાવે છે. એક તરફ અંગુષ્ઠ ની જેમ પણ કહે છે અને પછી તારો પણ કહે છે. હવે તમારે એક વાત પર સ્થિત રહેવાનું છે. અડધો કલ્પ મોટી ચીજની પૂજા કરી છે. હવે ફરી બિંદુ સમજવું એમાં મહેનત પણ છે, જોઈ નથી શકતા. આ બુદ્ધિથી જાણી શકાય છે. શરીરમાં આત્મા પ્રવેશ કરે છે જે પછી નિકળે છે, કોઈ જોઈ તો નથી સકતા. મોટી ચીજ હોય તો જોવામાં પણ આવે. બાપ પણ એવું બિંદુ છે પરંતુ એ જ્ઞાનનાં સાગર છે, બીજા કોઈને જ્ઞાનનાં સાગર નહીં કહેશું. શાસ્ત્ર તો છે ભક્તિમાર્ગનાં. આટલા બધાં વેદ-શાસ્ત્ર વગેરે કોણે બનાવ્યા? કહે છે વ્યાસે બનાવ્યા. ક્રાઈસ્ટની આત્માએ કોઈ શાસ્ત્ર બનાવ્યા નથી. આતો પછી મનુષ્ય બેસી બનાવે છે. જ્ઞાન તો તેમનામાં છે નહીં. જ્ઞાન સાગર છે જ એક બાપ. શાસ્ત્રોમાં જ્ઞાનની, સદ્દ્ગતિની વાત છે નહીં. દરેક ધર્મવાળા પોત-પોતાનાં ધર્મ સ્થાપક ને યાદ કરે છે. દેહધારી ને યાદ કરે છે.

ક્રાઈસ્ટનું પણ ચિત્ર છે ને. બધાનાં ચિત્ર છે. શિવબાબા તો છે જ પરમ આત્મા. હમણાં તમે સમજો છો આત્માઓ બધી છે બ્રધર્સ (ભાઈ-ભાઈ). બ્રધર્સ માં જ્ઞાન હોઈ ન શકે, જે કોઈને જ્ઞાન આપી અને સદ્દ્ગતિ કરે. સદ્દ્ગતિ કરવાવાળા છે જ એક બાપ. આ સમયે બ્રધર્સ પણ છે અને બાપ પણ છે. બાપ આવીને આખા વિશ્વની આત્માઓને સદ્દ્ગતિ આપે છે. વિશ્વનાં સદ્દ્ગતિ દાતા છે જ એક. શ્રી શ્રી ૧૦૮ જગતગુરુ કહો અથવા વિશ્વનાં ગુરુ કહો, વાત એક જ છે. હમણાં તો છે જ આસુરી રાજ્ય. સંગમ પર જ બાપ આવીને આ બધી વાતો સમજાવે છે.

તમે જાણો છો બરાબર હવે નવી દુનિયાની સ્થાપના થઇ રહી છે અને જૂની દુનિયાનો વિનાશ થાય છે. આ પણ સમજાવ્યું છે પતિત-પાવન એક જ નિરાકાર બાપ છે. કોઈ દેહધારી પતિત-પાવન હોઈ ન શકે. પતિત-પાવન પરમાત્મા જ છે. જો પતિત-પાવન સીતારામ પણ કહે તો પણ બાપએ સમજાવ્યું છે ભક્તિનું ફળ દેવા ભગવાન આવે છે. તો બધી જ સીતાઓ થઈ બ્રાઈડ્સ અને બ્રાઈડ્ગ્રુમ એક રામ, જે બધાંને સદ્દ્ગતિ દેવાવાળા છે. આ બધી વાતો બાપ જ બેસી સમજાવે છે. ડ્રામા અનુસાર તમે જ ફરી ૫ હજાર વર્ષ પછી આ વાતો સાંભળશો. હમણાં તમે બધાં ભણી રહ્યા છો. સ્કૂલમાં કેટલા અસંખ્ય ભણે છે. આ બધો ડ્રામા બનેલો છે. જે સમયે જે ભણે છે, જે એક્ટ ચાલે છે તેજ એક્ટ ફરી કલ્પ બાદ હૂબહૂ થશે, હૂબહૂ ૫ હજાર વર્ષ પછી ફરી ભણશે. આ અનાદિ ડ્રામા બનેલો છે. જે પણ જોવો છો સેકેન્ડ બાઈ સેકન્ડ નવી ચીજ દેખાશે. ચક્ર ફરતું રહેશે. નવી-નવી વાતો તમે જોતા રહેશો. હવે તમે જાણો છો આ ૫ હજાર વર્ષનો ડ્રામા છે જે ચાલતો રહે છે. આની ડીટેલ (વિસ્તાર) તો બહુ જ છે. મુખ્ય-મુખ્ય વાત સમજાવાય છે. જેમ કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે, બાપ સમજાવે છે હું સર્વવ્યાપી નથી. બાપ આવીને સ્વયંનો અને રચનાંનાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપે છે. તમે હવે જાણો છો બાપ કલ્પ-કલ્પ આવે છે આપણને વારસો આપવા. આ પણ ગાયન છે બ્રહ્મા દ્વારા સ્થાપના. આમાં સમજણ બહુ જ સરસ છે. વિરાટ રુપ નો પણ અર્થ જરુર હશે ને. પરંતુ સિવાય બાપનાં ક્યારેય કોઈ સમજાવી ન શકે. ચિત્ર તો બહુ જ છે પરંતુ એકની પણ સમજણ કોઈની પાસે છે નહીં. ઊંચેથી ઊંચા શિવબાબા છે, એમનું પણ ચિત્ર છે પરંતુ જાણતા કોઈ નથી. અચ્છા પછી સૂક્ષ્મવતન છે એને છોડી દો, એની દરકાર જ નથી. હિસ્ટ્રી-જોગ્રાફી (ઈતિહાસ-ભૂગોળ) અહીંયાની સમજાવાની હોય છે ત્યાં તો છે સાક્ષાત્કારની વાત. જેમ અહિયાં આમનામાં બાપ બેસી સમજાવે છે એમ સૂક્ષ્મવતન માં કર્માતીત શરીરમાં બેસી આમને મળે છે અથવા બોલે છે. બાકી ત્યાંતો વર્લ્ડની (દુનિયાની) હિસ્ટ્રી-જોગ્રાફી છે નહીં. હિસ્ટ્રી-જોગ્રાફી અહીંયાની છે. બાળકોની બુદ્ધિમાં બેસેલું છે સતયુગમાં દેવી-દેવતા હતાં, જેને ૫ હજાર વર્ષ પુરા થયા. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કેવી રીતે થઈ - આ પણ કોઈ જાણતું નથી. બીજા ધર્મોની સ્થાપનાનાં વિશે બધાં જાણે છે. પુસ્તક વગેરે પણ છે. લાખો વર્ષની તો વાત જ ન થઈ શકે. આ તો બિલકુલ ખોટું છે પરંતુ મનુષ્યોની બુદ્ધિ કંઈ કામ નથી કરતી. દરેક વાત બાપ સમજાવે છે - મીઠા-મીઠા બાળકો, સારી રીતે ધારણ કરો. મુખ્ય વાત છે બાપની યાદ. આ યાદની જ દોડ છે. રેસ થાય છે ને. કોઈ એકલા-એકલા દોડે છે. કોઈ જોડીની સાથે બાંધી પછી દોડે છે. અહીંયા જે જોડી છે તે સાથે દોડ લગાવવાની પ્રેક્ટિસ કરે છે. વિચારે છે સતયુગમાં પણ આવી રીતે સાથે જોડી બની જાય. ભલે નામ-રુપ તો બદલાઈ જાય છે, તે જ શરીર થોડું મળે છે. શરીર તો બદલાતું રહે છે. સમજે છે આત્મા એક શરીર છોડી બીજું લે છે. ફીચર્સ તો બીજા હશે. પરંતુ બાળકોને વન્ડર લાગવું જોઈએ જે ફીચર્સ, જે એક્ટ, સેકન્ડ બાઈ સેકન્ડ પસાર થઈ તે ફરી હૂબહૂ ૫૦૦૦ વર્ષ પછી રિપીટ થવાની છે. કેટલું વન્ડરફુલ આ નાટક છે, બીજું તો કોઈ સમજાવી ન શકે. તમે જાણો છો આપણે બધાં પુરુષાર્થ કરીએ છીએ. નંબરવાર તો બનશું જ. બધાં તો કૃષ્ણ નહીં બનશે. ફીચર્સ બધાંનાં ડિફરન્ટ (અલગ) હશે. કેટલું મોટું વન્ડરફુલ નાટક છે. એકનાં ફીચર્સ ન મળે બીજાથી. એ જ હૂબહૂ ખેલ રિપીટ થાય છે. આ બધો વિચાર કરી આશ્ચર્ય ખાવું જોઈએ. કેવી રીતે બેહદનાં બાપ આવીને ભણાવે છે. જન્મ-જન્માંતર તો ભક્તિમાર્ગનાં શાસ્ત્ર વગેરે ભણતા આવ્યા, સાધુઓની કથા વગેરે પણ સાંભળી. હવે બાપ કહે છે ભક્તિનો સમય પૂરો થયો. હવે ભક્તોને ભગવાન દ્વારા ફળ મળે છે. એ નથી જાણતા ભગવાન ક્યારે કયા રુપમાં આવશે? ક્યારેક કહે છે શાસ્ત્ર વાંચવાથી ભગવાન મળશે? ક્યારેક કહે છે અહીં આવશે. શાસ્ત્રોથી જો કામ થઈ જાત તો પછી બાપ ને શા માટે આવવું પડે. શાસ્ત્ર વાંચવાથી જ ભગવાન મળી જાય તો બાકી ભગવાન આવીને શું કરશે. અડધો કલ્પ તમે આ શાસ્ત્ર વાંચતા-વાંચતા તમોપ્રધાન જ બનતા આવ્યા છો. તો બાળકોને સૃષ્ટિનું ચક્ર પણ સમજાવતા રહે છે અને દૈવી ચલન પણ જોઈએ. એક તો કોઈને દુઃખ નથી દેવાનું. એવું નથી, કોઈને વિષ જોઈએ છે, તે નથી આપતાં તો આ કંઈ દુઃખ દીધું છે. એવું તો બાપ કહેતા નથી. કોઈ એવા પણ બુદ્ધુ નિકળે છે જે કહે છે બાબા કહે છે ને - કોઈને દુઃખ નથી દેવાનું. હવે આ વિષ માંગે છે તો એમને દેવું જોઈએ, નહી તો આ પણ કોઈને દુઃખ દેવાનું થયું ને. આવું સમજવા વાળા મૂઢમતી પણ છે. બાપ તો કહે છે "પવિત્ર જરુર બનવાનું છે". આસુરી ચલન અને દૈવી ચલન ની પણ સમજ જોઈએ. મનુષ્ય તો આ પણ નથી સમજતા, તેઓ તો કહી દે છે આત્મા નિર્લેપ છે. કંઈ પણ કરો, કંઇ પણ ખાઓ-પીવો, વિકારમાં જાઓ, કંઈ વાંધો નથી. એવું પણ શીખવાડે છે. કેટલા ને પકડીને લઇ આવે છે. બહાર પણ વેજિટેરિયન (શાકાહારી) બહુ રહે છે. જરુર સારું છે ત્યારે તો વેજિટેરિયન (શાકાહારી) બને છે. બધીજ જાતીઓમાં વૈષ્ણવ હોય છે. છી-છી ચીજ નથી ખાતા. માઇનોરીટી (થોડા) હોય છે. તમે પણ માઈનોરીટી છો. આ સમયે તમે કેટલા થોડા છો. ધીમે-ધીમે વૃદ્ધિ થતી જશે. બાળકોને આ જ શિક્ષણ મળતું રહે છે - દૈવીગુણ ધારણ કરો. છી-છી વસ્તુ એવી કોઈનાં હાથની બનાવેલી ન ખાવી જોઈએ.અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં ચાર્ટ માં જોવાનું છે – (૧) અમે શ્રીમતનાં વિરુદ્ધ તો નથી ચાલતા? (૨) જૂઠું તો નથી બોલતા? (૩)કોઈને હેરાન તો નથી કરતા? દેવી ગુણ ધારણ કર્યા છે?

2. ભણવાની સાથે-સાથે દૈવી ચલન ધારણ કરવાની છે. “પવિત્ર જરુર બનવાનું છે”. કોઈ પણ છી-છી વસ્તુઓ નથી ખાવાની. પુરા વૈષ્ણવ બનવાનું છે. રેસ (દોડ) કરવાની છે..

વરદાન :-
સેવા દ્વારા ખુશી , શક્તિ અને સર્વ નાં આશીર્વાદ પ્રાપ્ત કરવાવાળા પુણ્ય આત્મા ભવ:

સેવાનું પ્રત્યક્ષ ફળ - ખુશી અને શક્તિ મળે છે. સેવા કરતાં આત્માઓને બાપનાં વારસાનાં અધિકારી બનાવી દેવા – આ પુણ્યનું કામ છે. જે પુણ્ય કરે છે એને આશીર્વાદ જરુર મળે છે. બધી આત્માઓનાં દિલમાં ખુશીનાં સંકલ્પ ઉત્પન્ન થાય, તે શુભ સંકલ્પ આશીર્વાદ બની જાય છે અને ભવિષ્ય પણ જમા થઈ જાય છે એટલે સદા સ્વયંને સેવાધારી સમજી સેવાનું અવિનાશી ફળ ખુશી અને શક્તિ સદા લેતા રહો.

સ્લોગન :-
મન્સા-વાચાની શક્તિથી વિઘ્નનો પડદો હટાવી દો તો અંદર કલ્યાણ નું દ્રશ્ય દેખાશે.