18-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હદ
નાં સંસારની વાહયાત (ફાલતું) વાતોમાં પોતાનો સમય વેસ્ટ ( ખોટી ) નથી કરવાનો , બુદ્ધિ
માં સદા રોયલ ખ્યાલાત ચાલતા રહે ”
પ્રશ્ન :-
કયા બાળકો
બાપનાં દરેક ડાયરેક્શન ને અમલમાં લાવી શકે છે?
ઉત્તર :-
જે અંતર્મુખી છે, પોતાનો શો (દેખાડો) નથી, રુહાની નશામાં રહે છે, તે જ બાપ નાં દરેક
ડાયરેક્શન ને અમલ માં લાવી શકે છે. તમને મિથ્યા અહંકાર ક્યારેય નહીં આવવો જોઈએ.
અંદર ની બહુ જ સફાઈ હોય. આત્મા બહુ જ સારી હોય, એક બાપથી સાચો લવ (પ્રેમ) હોય.
ક્યારેય લૂન-પાણી અર્થાત ખારાપણનાં સંસ્કાર ન હોય, ત્યારે બાપનું દરેક ડાયરેક્શન
અમલમાં આવશે.
ઓમ શાંતિ!
બાળકો ફક્ત
યાદની યાત્રામાં જ નથી બેઠાં. બાળકોને આ ફખુર (નશો) છે કે અમે શ્રીમત પર પોતાનું
પરિસ્તાન સ્થાપન કરી રહ્યા છીએ. એટલો ઉમંગ, ખુશી રહેવી જોઈએ. કિચડપટ્ટી વગેરેની બધી
વાહ્યાત વાતો નિકળી જવી જોઈએ. બેહદનાં બાપને જોતા જ ઉલ્લાસમાં આવવું જોઈએ.
જેટલું-જેટલું તમે યાદની યાત્રામાં રહેશો એટલી ઇમ્પ્રૂવમેન્ટ (સુધારણા) આવતી જશે.
બાપ કહે છે બાળકો નાં માટે રુહાની યુનિવર્સિટી હોવી જોઈએ. તમારી છે જ વર્લ્ડ
સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી (આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય). તો તે યુનિવર્સિટી ક્યાં છે?
યુનિવર્સિટી ખાસ સ્થાપન કરાય છે. તેની સાથે બહુ જ રોયલ હોસ્ટેલ જોઈએ. તમારા કેટલા
રોયલ ખ્યાલાત હોવા જોઈએ. બાપને તો રાત-દિવસ એ જ ખ્યાલાત રહે છે - કેવી રીતે બાળકોને
ભણાવીને ઊંચ પરીક્ષામાં પાસ કરાવે? જેનાથી પછી આ વિશ્વનાં માલિક બનવાનાં છે. અસલમાં
તમારી આત્મા શુદ્ધ સતોપ્રધાન હતી તો શરીર પણ કેટલું સતોપ્રધાન સુંદર હતું. રાજાઈ પણ
કેટલી ઊંચી હતી. તમારો હદનાં સંસારની કિચડપટ્ટી ની વાતોમાં સમય બહુ જ વેસ્ટ થાય છે.
આપ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની અંદર કિચડપટ્ટી નાં ખ્યાલાત પણ ન હોવા જોઈએ. કમિટીઓ (સમિતિ)
વગેરે તો બહુ જ સારી-સારી બનાવો છો. પરંતુ યોગબળ છે નહીં. ગપોડા બહુ જ મારે છે - અમે
આ કરશું, આ કરશું. માયા પણ કહે છે અમે આમને નાક કાન થી પકડશું. બાપની સાથે લવ (પ્રેમ)
જ નથી. કહેવાય છે ને - નર ચાહત કુછ ઔર....... તો માયા પણ કંઈ કરવા નથી દેતી. માયા
બહુ જ ઠગવા વાળી છે, કાન જ કાપી લે છે. બાપ કેટલા બાળકો ને ઉંચ બનાવે છે, ડાયરેક્શન
દે છે - આ-આ કરો. બહુ જ રોયલ-રોયલ બાળકીઓ (કન્યાઓ) મોકલી દે છે. કોઈ-કોઈ કહે છે બાબા
અમે ટ્રેનિંગ માટે જઈએ? તો બાબા કહે છે બાળકો, પહેલા તમે સ્વયંની ખામીઓને નિકાળો.
સ્વયંને જુઓ અમારા માં કેટલા અવગુણ છે? સારા-સારા મહારથીઓને પણ માયા એકદમ લૂન-પાણી
કરી દે છે. એવા ખારા બાળકો છે જે બાપ ને ક્યારેય યાદ પણ નથી કરતા. જ્ઞાનનો 'ગ' પણ
નથી જાણતા. બહારનો શો (દેખાવ) બહુ જ છે. આમાં તો બહુ જ અંતર્મુખ રહેવું જોઈએ, પરંતુ
ઘણા ની તો એવી ચલન હોય છે જેમ અભણ જટ લોકો હોય છે, થોડા પણ પૈસા છે તો તેનો નશો ચઢી
જાય છે. એ નથી સમજતા કે અરે, અમે તો કંગાળ છીએ. માયા સમજવા નથી દેતી. માયા બહુ જ
જબરદસ્ત છે. બાબા થોડી મહિમા કરે છે તો તેમાં બહુ જ ખુશ થઇ જાય છે.
બાબા ને રાત-દિવસ એ જ ખ્યાલાત ચાલે છે કે યુનિવર્સિટી બહુ જ ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ,
જ્યાં બાળકો સારી રીતે ભણે. તમે જાણો છો આપણે સ્વર્ગમાં જઈએ છીએ તો ખુશી નો પારો
ચઢ્યો રહેવો જોઈએ ને. અહીંયા બાબા અલગ-અલગ ડોઝ આપે છે. નશો ચઢાવે છે. કોઈનું દેવાળુ
નીકળ્યું હોય, તેમને દારુ પીવડાવી દો તો સમજશે અમે બાદશાહ છીએ. પછી નશો પૂરો થવાથી
એવા નાં એવા બની જાય છે. હવે આ તો છે રુહાની નશો. તમે જાણો છો બેહદ નાં બાપ શિક્ષક
બની આપણને ભણાવે છે અને ડાયરેક્શન દે છે - આમ-આમ કરો. કોઈ-કોઈ સમયમાં કોઈને મિથ્યા
અહંકાર પણ આવી જાય છે. માયા છે ને. એવી વાતો બનાવે છે જે વાત નહીં પૂછો. બાબા સમજે
છે આ ચાલી નહિ શકે. અંદરની બહુ જ સફાઈ જોઈએ. આત્મા બહુ જ સારી જોઈએ. તમારાં
લવ-મેરેજ થયા છે ને. લવ મેરેજ માં કેટલો પ્રેમ હોય છે, આતો પતિઓ નાં પતિ છે. તે પણ
કેટલાનાં લવમેરેજ થાય છે. એક નાં થોડી થાય છે. બધાં કહે છે અમારી તો શિવબાબા ની સાથે
સગાઈ થઈ ગઈ. અમે તો સ્વર્ગમાં જઈને બેશસું. ખુશીની વાત છે ને. અંદરમાં આવવું જોઈએ
ને બાબા આપણને કેટલું શ્રુંગાર કરે છે. શિવબાબા શ્રુંગાર કરે છે આમનાં દ્વારા. તમારી
બુદ્ધિમાં છે કે અમે બાપને યાદ કરતા-કરતા સતોપ્રધાન બની જઈશું. આ નોલેજ ને બીજું
કોઈ જાણતું જ નથી. આમાં બહુ જ નશો રહે છે. હમણાં હજી એટલો નશો ચઢતો નથી. થવાનો છે
જરુર. ગાયન પણ છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ થી પૂછો. હમણાં તમારી આત્માઓ કેટલી
છી-છી છે. જેમ બહુ જ છી-છી કિચડ માં બેઠી છે. તેમને બાપ આવીને ચેંજ (પરિવર્તન) કરે
છે, રિજ્યુવનેટ (કાયાકલ્પ) કરે છે. મનુષ્ય ગ્લાન્સ (નજર) ચેંજ કરાવે છે તો કેટલી
ખુશી થાય છે. તમને તો હવે બાપ મળ્યા તો બેડો જ પાર છે. સમજો છો અમે બેહદનાં બાપનાં
બન્યા છે તો પોતાને કેટલા જલ્દી સુધારવા જોઈએ. રાત-દિવસ એ જ ખુશી, એ જ ચિંતન રહે -
તમને માર્શલ જુઓ કોણ મળેલા છે! રાત-દિવસ આ જ ખ્યાલાત માં રહેવાનું હોય છે. જે-જે
સારી રીતે સમજે છે, ઓળખે છે, તેઓ તો જાણે ઉડવા લાગી જાય છે.
આપ બાળકો હમણાં સંગમ પર છો. બાકી તે બધાં તો ગંદકી માં પડ્યા છે. જેમકે કિચડા નાં
કિનારે ઝુંપડીઓ લગાવીને ગંદામાં બેઠા રહે છે ને. કેટલી ઝુગ્ગીઓ (શરીરો) બનેલી રહે
છે. આ પછી છે બેહદની વાત. હવે તેમાંથી નિકળવાની શિવબાબા તમને બહુ જ સહજ યુક્તિ બતાવે
છે. મીઠા-મીઠા બાળકો આપ જાણો છો ને આ સમયે તમારી આત્મા અને શરીર બંને જ પતિત છે. હવે
તમે નિકળી આવ્યા છો. જે-જે નિકળીને આવ્યા છે તેમનામાં જ્ઞાન ની પરાકાષ્ઠા છે ને.
તમને બાપ મળ્યા છે તો પછી શું! આ નશો જ્યારે ચઢે ત્યારે તમે કોઈ ને સમજાવી શકો. બાપ
આવેલા છે. બાપ આપણી આત્માને પવિત્ર બનાવી દે છે. આત્મા પવિત્ર બનવાથી પછી શરીર પણ
ફર્સ્ટ ક્લાસ મળે છે. હમણાં તમારી આત્મા ક્યાં બેઠી છે? આ ઝુગ્ગી (શરીર) માં બેઠેલી
છે. તમોપ્રધાન દુનિયા છે ને. કિચડા નાં કિનારા પર આવીને બેઠા છે ને. વિચાર કરો આપણે
ક્યાં થી નીકળ્યા છીએ. બાપએ ગંદા નાળામાંથી નિકાળ્યા છે. હવે આપણી આત્મા સ્વચ્છ બની
જશે. રહેવાવાળા પણ ફર્સ્ટ ક્લાસ મહેલ બનાવશે. આપણી આત્મા નો બાપ શ્રુંગાર કરી
સ્વર્ગમાં લઈ જઈ રહ્યા છે. અંદરમાં આવાં-આવાં ખ્યાલાત બાળકોને આવવા જોઈએ. બાપ કેટલો
નશો ચઢાવે છે. તમે એટલા ઊંચા હતા પછી ઊતરતાં-ઊતરતાં આવીને નીચે પડ્યા છો. શિવાલયમાં
હતા તો આત્મા કેટલી શુદ્ધ હતી. તો પછી પરસ્પર મળીને જલ્દી-જલ્દી શિવાલયમાં જવાનો
ઉપાય કરવો જોઈએ.
બાબા ને તો વન્ડર લાગે છે - બાળકોમાં એ દિમાગ નથી! બાબા આપણને ક્યાંથી નિકાળે છે!
પાંડવ ગવર્મેન્ટ સ્થાપન કરવા વાળા બાપ છે. ભારત જે હેવેન (સ્વર્ગ) હતું તે હવે હેલ
(નર્ક) છે. આત્માની વાત છે. આત્મા પર જ તરસ પડે છે. એકદમ તમોપ્રધાન દુનિયામાં આવીને
આત્મા બેઠી છે એટલે બાપને યાદ કરે છે - બાબા, અમને ત્યાં લઈ જાઓ. અહીંયા બેઠા પણ
તમારે આ ખ્યાલાત ચલાવવા જોઈએ એટલે બાબા કહે છે બાળકો નાં માટે ફર્સ્ટ ક્લાસ
યુનિવર્સિટી બનાવો. કલ્પ કલ્પ બને છે. તમારા ખ્યાલાત બહુ જ આલીશાન હોવા જોઈએ. હમણાં
તે નશો નથી ચઢેલો. નશો હોય તો ખબર નહીં શું કરીને દેખાડે. બાળકો યુનિવર્સિટી નો
અર્થ નથી સમજતા. તે રોયલ્ટી નાં નશા માં નથી રહેતા. માયા દબાવીને બેસી છે. બાબા
સમજાવે છે બાળકો પોતાનો ઉલટો નશો નહીં ચઢાવો. દરેક પોત-પોતાની ક્વોલીફીકેશન (યોગ્યતા)
જુઓ. અમે કેવી રીતે ભણીએ છીએ, શું મદદ કરીએ છે, ફક્ત વાતોનાં વડા નથી ખાવાનાં. જે
કહો છો તે કરવાનું છે. ગપોડા નહીં કે આ કરશું, આ કરશું. આજે આ કરશું, કાલે મોત આવ્યું
ખતમ થઇ જશે. સતયુગમાં તો એવું નહીં કહેશે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી.
કાળ આવી નથી શકતો. તે છે જ સુખધામ. સુખધામ માં કાળને આવવાનો હુકમ નથી. રાવણરાજ્ય અને
રામરાજ્ય નાં પણ અર્થ ને સમજવાનું છે. હમણાં તમારી લડાઈ છે જ રાવણ થી. દેહ-અભિમાન
પણ કમાલ કરે છે, જે બિલકુલ પતિત બનાવી દે છે. દેહી-અભિમાની થવાથી આત્મા શુદ્ધ બની
જાય છે. તમે સમજો છો ને ત્યાં આપણા કેવા મહેલ બનશે. હમણાં તમે તો સંગમ પર આવી ગયા
છો. નંબરવાર સુધરી રહ્યા છો, લાયક બની રહ્યા છો. તમારી આત્મા પતિત હોવાનાં કારણે
શરીર પણ પતિત મળ્યાં છે. હવે હું આવ્યો છું તમને સ્વર્ગવાસી બનાવવા. યાદની સાથે દૈવી
ગુણ પણ જોઈએ. માસીનું ઘર થોડું છે. સમજે છે કે બાબા આવ્યા છે અમને નર થી નારાયણ
બનાવવા પરંતુ માયાનો બહુ જ ગુપ્ત મુકાબલો છે. તમારી લડાઈ છે જ ગુપ્ત એટલે તમને
અનનોન-વોરિયર્સ કહેવાય છે. અનનોન-વોરિયર્સ બીજા કોઈ હોતા જ નથી. તમારું જ નામ છે
વોરિયર્સ. બીજા તો બધાનાં નામ રજીસ્ટર માં છે જ. આપ અનનોન-વોરિયર્સ ની નિશાની તેમણે
પકડી છે. તમે કેટલા ગુપ્ત છો, કોઈને ખબર નથી. તમે વિશ્વ પર વિજય પામી રહ્યા છો
માયાને વશ કરવા માટે. તમે બાપ ને યાદ કરો છો તો પણ માયા ભુલાવી દે છે. કલ્પ- કલ્પ
તમે પોતાનું રાજ્ય સ્થાપન કરી લો છો. તો અનનોન-વોરિયર્સ તમે છો જે ફક્ત બાપ ને યાદ
કરે છે. આમાં હાથ-પગ કંઈ નથી ચલાવતા. યાદનાં માટે યુક્તિઓ પણ બાબા બહુ જ બતાવે છે.
ચાલતા-ફરતા તમે યાદની યાત્રા કરો, ભણવાનું પણ કરો. હવે તમે સમજો છો આપણે શું હતા,
શું બની ગયા છીએ. હવે ફરી બાબા આપણને શું બનાવે છે. કેટલી સહજ યુક્તિ બતાવે છે.
ક્યાંય પણ રહેતા યાદ કરો તો જંક (કાટ) ઉતરી જાય. કલ્પ-કલ્પ આ યુક્તિ આપતા રહે છે.
સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો તો સતોપ્રધાન બનશો, બીજું કોઈ પણ બંધન નથી.
બાથરુમ માં જાઓ તો પણ સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો તો આત્માનો મેલ ઉતરી જાય.
આત્માને કોઈ તિલક નથી લગાડવાનું હોતું, આ બધી તો ભક્તિમાર્ગની નિશાની છે. આ
જ્ઞાનમાર્ગમાં કોઈ દરકાર નથી, પાઈ નો ખર્ચો નથી. ઘરે બેઠા યાદ કરતા રહો. કેટલું સહજ
છે. એ બાબા આપણા બાપ પણ છે, શિક્ષક અને ગુરુ પણ છે.
પહેલા બાપની યાદ પછી શિક્ષકની પછી ગુરુની, કાયદો એવું કહે છે. શિક્ષક ને તો જરુર
યાદ કરશે તેમનાં થી ભણતરનો વારસો મળે છે પછી વાનપ્રસ્થ અવસ્થામાં ગુરુ મળે છે. આ
બાપ તો બધું હોલસેલમાં આપી દે છે. તમને ૨૧ જન્મનાં માટે રાજાઈ હોલસેલમાં આપી દે છે.
લગ્નમાં કન્યાને દહેજ ગુપ્ત દે છે ને. શો કરવાની દરકાર નથી. કહેવાય છે ગુપ્ત દાન.
શિવબાબા પણ ગુપ્ત છે ને, આમાં અહંકારની કોઈ વાત નથી. કોઈ-કોઈને અહંકાર રહે છે કે બધાં
જુએ. આ છે બધું ગુપ્ત. બાપ તમને વિશ્વની બાદશાહી દહેજ માં આપે છે. કેટલો ગુપ્ત તમારો
શ્રુંગાર થઈ રહ્યો છે. કેટલું મોટું દહેજ મળે છે. બાપ કેવી રીતે યુક્તિથી આપે છે,
કોઈને ખબર નથી પડતી. અહીંયા તમે બેગર (ગરીબ) છો, બીજા જન્મમાં ગોલ્ડન સ્પૂન ઇન માઉથ
(સોનાની ચમચી મુખમાં) હશે. તમે ગોલ્ડન દુનિયા માં જાઓ છો ને. ત્યાં બધું જ સોનાનું
હશે. સાહૂકારો નાં મહેલો માં સરસ જડત હશે. ફરક તો જરુર રહેશે. આ પણ હવે તમે સમજો છો
- માયા બધાંને ઉલટા લટકાવી દે છે. હવે બાપ આવ્યા છે તો બાળકોમાં કેટલો હોંસલો (હિમ્મત)
હોવો જોઈએ. પરંતુ માયા ભુલાવી દે છે - બાપનું ડાયરેક્શન છે કે બ્રહ્માનું? ભાઈનું
છે કે બાપનું? આમાં બહુ જ મુંઝાય છે. બાપ કહે છે સારું કે ખરાબ હોય - તમે બાપનું
ડાયરેક્શન જ સમજો. એનાં પર ચાલવું પડે. આમની કોઈ ભૂલ પણ થઇ જશે તો અભુલ કરાવી દેશે.
તેમનામાં તાકાત તો છે ને. તમે જુઓ છો આ કેવી રીતે ચાલે છે, એમનાં માથા પર કોણ બેઠું
છે. એકદમ બાજુમાં બેઠા છે. ગુરુ લોકો બાજુમાં બેસાડી શીખવાડે છે ને. તો પણ મહેનત
આમને કરવાની હોય છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવામાં પુરુષાર્થ કરવો પડે છે.
બાપ કહે છે મને યાદ કરી ભોજન બનાવો. શિવબાબા ની યાદનું ભોજન બીજા કોઈને મળી ન શકે.
હમણાં નાં ભોજનનું જ ગાયન છે. તે બ્રાહ્મણ લોકો ભલે સ્તુતિ ગાય છે પરંતુ અર્થ કંઈ
નથી સમજતા. જે મહિમા કરે છે, સમજતા કાંઈ નથી. એટલું સમજાય છે કે આ રિલિજિયસ
માઈન્ડેડ (ધાર્મિક મનોવૃત્તિ) છે કારણ કે પુજારી છે. ત્યાં તો રિલિજિયસ માઈન્ડેડ ની
વાત જ નથી, ત્યાં ભક્તિ હોતી નથી. આ પણ કોઈને ખબર નથી - ભક્તિ શું ચીજ હોય છે. કહેતા
હતા જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. કેટલા ફર્સ્ટ ક્લાસ અક્ષર છે. જ્ઞાન દિવસ, ભક્તિ રાત.
પછી રાતથી વૈરાગ્ય તો દિવસ માં જાય છે. કેટલું સ્પષ્ટ છે. હવે તમે સમજી ગયા છો તો
તમને ધક્કા નથી ખાવા પડતા.
બાપ કહે છે મને યાદ કરો, હું તમને વિશ્વ નો માલિક બનાવું છું. હું તમારો બેહદનો બાપ
છું, સૃષ્ટિનું ચક્ર જાણવું પણ કેટલું સહજ છે. બીજ અને ઝાડ ને યાદ કરો. હમણાં કળયુગ
નો અંત છે ફરી સતયુગ આવવાનું છે. હમણાં તમે સંગમયુગ પર ગુલ-ગુલ બનો છો. આત્મા
સતોપ્રધાન બની જશે તો રહેવાનો પણ સતોપ્રધાન મહેલ મળશે. દુનિયા જ નવી બની જાય છે. તો
બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ફખુર (નશો)
રહે કે આપણે શ્રીમત પર પોતાનું પરિસ્તાન સ્થાપન કરી રહ્યા છીએં. વાહ્યાત કિચડપટ્ટી
ની વાતોને છોડી બહુ જ ઉલ્લાસમાં રહેવાનું છે.
2. પોતાનાં ખ્યાલાત બહુ જ આલીશાન રાખવાનાં છે. બહુ જ સારી રોયલ યુનિવર્સિટી અને
હોસ્ટેલ ખોલવાનો પ્રબંધ કરવાનો છે. બાપનાં ગુપ્ત મદદગાર બનવાનું છે, પોતાનો શો (દેખાડો)
નથી કરવાનો.
વરદાન :-
જ્ઞાન સંપન્ન
દાતા બની સર્વ આત્માઓ નાં પ્રતિ શુભચિંતક બન વાવાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ :
શુભ-ચિંતક બનવાનો
વિશેષ આધાર શુભ ચિંતન છે. જે વ્યર્થ ચિંતન અથવા પરચિંતન કરે છે તેઓ શુભચિંતક નથી બની
શકતા. શુભચિંતક મણિયો ની પાસે શુભ-ચિંતન નો શક્તિશાળી ખજાનો સદા ભરપૂર હશે. ભરપૂરતા
નાં કારણે જ બીજાઓનાં પ્રતિ શુભચિંતક બની શકે છે. શુભચિંતક અર્થાત સર્વ જ્ઞાનરત્નો
થી ભરપૂર, એવા જ્ઞાન સંપન્ન દાતા જ ચાલતા-ફરતા દરેકની સેવા કરતાં શ્રેષ્ઠ સેવાધારી
બની જાય છે.
સ્લોગન :-
વિશ્વ રાજ્ય
અધિકારી બનવું છે તો વિશ્વ પરિવર્તન નાં કાર્યમાં નિમિત્ત બનો.