23-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - કદમ - કદમ શ્રીમત પર ચાલવું એજ હાઈએસ્ટ ( સૌથી ઉંચો ) ચાર્ટ છે . જે બાળકોને શ્રીમત નો રીગાર્ડ ( સમ્માન ) છે તે મુરલી જરુર વાંચશે ”

પ્રશ્ન :-
આપ ઈશ્વરનાં બાળકો થી કયો પ્રશ્ન કોઈ પણ પૂછી નથી શકતાં?

ઉત્તર :-
આપ બાળકોથી આ કોઈ પણ નહીં પૂછી સકે કે તમે રાજી ખુશી છો? કારણકે તમે કહો છો અમે સદેવ રાજી છીએ. પરવા હતી પાર બ્રહ્મમાં રહેવાવાળા બાપની, તે મળી ગયાં બીજી કઈ વાતની પરવા કરવાની, તમે ભલે બીમાર હોવ તો પણ કહેશો અમે રાજી ખુશી છીએ. ઈશ્વરનાં બાળકોને કોઈ વાતની પરવા નથી. બાપ જ્યારે જુએ છે આમનાં પર માયાનો વાર થયો છે તો પૂછે છે - બાળકો, રાજી ખુશી છો?

ઓમ શાંતિ!
બાપ સમજાવે છે બાળકોની બુદ્ધિમાં આ જરુર હશે કે બાબા બાપ પણ છે, શિક્ષક અને સુપ્રીમ ગુરુ પણ છે. આ યાદમાં જરુર હશે. આ યાદ ક્યારેય કોઈ શીખવાડી ન સકે. કલ્પ-કલ્પ બાપ જ આવીને શીખવાડે છે. એ જ્ઞાન સાગર પતિત-પાવન છે. આ હમણાં સમજાવાય છે જ્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર દિવ્ય બુદ્ધિ મળી છે. બાળકો ભલે સમજાતાં તો હશે પરંતુ બાપને જ ભૂલી જાય છે તો શિક્ષક-ગુરુ પછી કેવી રીતે યાદ આવશે. માયા બહુંજ પ્રબળ છે જે બાપનાં ત્રણેય રુપને જ ભુલાવી દે છે. કહે છે અમે હાર ખાઈ ગયાંં. આમ તો કદમ-કદમ માં પદમ છે પરંતુ હાર ખાવાથી પદમ કેમ થશે? દેવતાઓને જ પદમની નિશાની આપે છે. આ ઈશ્વર નું ભણતર છે. આવું મનુષ્યનું ભણતર ક્યારેય હોઈ ન શકે. ભલે દેવતાઓની મહિમા કરાય છે તો પણ ઉંચે થી ઊંચા એક બાપ છે. બાકી તેમની મહિમા શું છે. આજે ગધાઈ, કાલે રાજાઈ. હમણાં તમે પુરુષાર્થ કરી આ બની રહ્યા છો. જાણો છો આ પુરુષાર્થ માં નપાસ ઘણાં થાય છે. જ્ઞાન તો ખુબ સહજ છે તો પણ આટલા થોડા પાસ થાય છે. કેમ? માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. બાપ કહે છે પોતાનો ચાર્ટ રાખો પરંતુ લખી નથી શકતા. ક્યાં સુધી બેસી લખે. જો લખે પણ છે તો પણ ક્યારેક ઉપર, ક્યારેક નીચે. હાઈએસ્ટ (સૌથી ઉંચો) ચાર્ટ તેમનો હોય છે જે કદમ-કદમ શ્રીમત પર ચાલે છે. બાપ તો સમજશે આ બિચારાઓને શરમ આવતી હશે. નહીં તો શ્રીમત અમલમાં લાવવી જોઈએ. ૧-૨ ટકા મુશ્કેલ લખે છે. શ્રીમત નો એટલો રીગાર્ડ નથી. મુરલી મળે છે તો પણ નથી વાંચતા. તેમને દિલમાં લાગતું તો જરુર હશે - બાબા કહે તો છે સાચું, અમે મુરલી નથી વાંચતા તો બીજાઓને શું શીખવાડીશું.

બાપ તો કહે છે મને યાદ કરો તો સ્વર્ગનાં માલિક બનો, આમાં બાપ પણ આવી ગયાં, ભણાવવાવાળા પણ આવી ગયાં. સદ્દગતિ દાતા પણ આવી ગયાં. થોડા-થોડા અક્ષરમાં બધું જ્ઞાન આવી જાય છે. અહીંયા તમે આવો જ છો આનું રિવાઇઝ (પુનરાવર્તન) કરવાં. ભલે બાપ પણ એજ સમજાવે છે કારણ કે તમે સ્વયં કહો છો અમે ભૂલી જઈએ છીએ એટલા માટે અહીંયા આવીએ છીએ રિવાઇઝ કરવાં. ભલે કોઈ કરે પણ છે તો પણ રિવાઇઝ નથી થતું. તકદીરમાં નથી તો તદબીર પણ શું કરે. તદબીર કરાવવા વાળા તો એક જ બાપ છે. આમાં કોઈની પાસે ખાતરી પણ નથી થઈ શકતી. તે ભણતરમાં તો એક્સ્ટ્રા ભણાવવા માટે શિક્ષક ને બોલાવે છે. આ તો તકદીર બનાવવા માટે બધાંને એકરસ ભણાવે છે. એક-એક ને અલગ-અલગ ક્યાં સુધી ભણાવશે - કેટલાં અસંખ્ય બાળકો છે! તે ભણતરમાં કોઈ મોટા માણસ નાં બાળકો હોય છે, ઓફર (માંગણી) કરે છે તો તેમને એક્સ્ટ્રા પણ ભણાવે છે. શિક્ષક જાણે છે કે આ ડલ (કમજોર) છે, એટલે ભણાવીને તેમને સ્કોલરશીપ લાયક બનાવે છે. આ શિક્ષક એવું નથી કરતાં. આ તો બધાંને એક જેવું ભણાવે છે. એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે શિક્ષક કોઈ કૃપા કરે છે. ભલે આમ તો પૈસા પણ લે છે, ખાસ સમય આપીને ભણાવે છે, જેથી તેઓ વધારે ભણીને હોશિયાર થાય છે. આ બાપ તો બધાંને એક જ મહામંત્ર આપે છે મનમનાભવ. બસ. બાપ જ એક પતિત-પાવન છે, એમની જ યાદથી આપણે પાવન બનશું. તે આપ બાળકોનાં હાથમાં છે, જેટલું યાદ કરશો તેટલાં પાવન બનશો. બધો આધાર દરેકનાં પુરુષાર્થ પર છે. તે તો તીર્થો પર યાત્રાઓ કરવાં જાય છે. એક-બીજાને જોઈને પણ જાય છે. આપ બાળકોએ પણ ખુબજ યાત્રાઓ કરી છે પછી શું થયું. નીચે જ પડતાં આવ્યાં છો. યાત્રા શા માટે છે, એનાથી શું મળશે! કંઈ પણ ખબર નહોતી. હમણાં તમારી છે યાદ ની યાત્રા. અક્ષર જ એક છે - મનમનાભવ. આ યાત્રા તમારી અનાદિ છે. તેઓ પણ કહે છે અમે આ યાત્રા અનાદિ કાળથી કરતાં આવ્યા છીએ. હવે તમે જ્ઞાન સહિત કહો છો કે આપણે કલ્પ-કલ્પ આ યાત્રા કરીએ છીએ. આ યાત્રા સ્વયં બાપ આવીને શીખવાડે છે. તે યાત્રાઓ માં કેટલા ધક્કા ખાય છે. કેટલો ઘોંઘાટ થાય છે. આ યાત્રા છે ડેડ સાઇલેન્સ (મૌન) ની. એક બાપને જ યાદ કરવાનાં છે, એનાથી જ પાવન બનવાનું છે. તમને બાપે આ સાચી-સાચી રુહાની યાત્રા શીખવાડી છે. તે યાત્રાઓ તો તમે જન્મ-જન્માંતર કરતા જ રહ્યા, તો પણ ગાએ છે - ચારેય તરફ લગાવ્યા ફેરા…….. ભગવાન થી તો દૂર જ રહ્યાં. યાત્રાથી આવીને ફરી વિકારો માં પડે છે તો શું ફાયદો. હમણાં આપ બાળકો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમ યુગ, જ્યારે બાપ આવ્યા છે. એક દિવસ બધાં જાણી જશે કે બાપ આવેલાં છે. ભગવાન છેવટે મળશે કેવી રીતે? આ તો કોઈ પણ નથી જાણતું. કોઈ તો સમજે છે કુતરા-બિલાડી માં મળશે. શું આ બધામાં ભગવાન મળશે? કેટલું જુઠ્ઠું છે. જૂઠું જ ખાવાનું, જૂઠું જ પીવાનું, જુઠ્ઠી રાત વિતાવવી એટલે આ છે જ જુઠ્ઠખંડ. સચખંડ સ્વર્ગને કહેવાય છે. ભારત જ સ્વર્ગ હતું. સ્વર્ગમાં બધાં ભારતવાસી હતાં, આજે તેજ ભારતવાસી નર્કમાં છે. આ તો આપ મીઠા-મીઠા બાળકો જાણો છો આપણે બાપથી શ્રીમત લઈને ભારતને ફરીથી સ્વર્ગ બનાવી રહ્યા છીએ. તે સમયે ભારતમાં બીજું કોઈ હોતું જ નથી. આખું વિશ્વ પવિત્ર બની જાય છે. હમણાં તો કેટલાં બધાં ધર્મ છે. બાપ આખા ઝાડનું નોલેજ સંભળાવે છે. તમને ફરીથી સ્મૃતિ અપાવે છે. તમે દેવતા હતાં પછી વૈશ્ય, શુદ્ર બન્યાં. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. આ અક્ષર ક્યારેય કોઈ સન્યાસી, ઉદાસી, વિદ્વાન દ્વારા સાંભળ્યા છે? આ હમ સો નો અર્થ બાપ કેટલું સહજ કરીને સંભળાવે છે. હમ સો એટલે હું આત્મા, આપણે આત્મા આવી-આવી રીતે ચક્ર લગાવીએ છીએ. તેઓ તો કહી દે છે. આપણે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આપણે આત્મા. એક પણ નથી જેમને હમ સો નાં અર્થની ખબર હોય. બાપ કહે છે આ જે હમ સો નો મંત્ર છે સદા બુદ્ધિમાં યાદ રહેવો જોઈએ. નહીં તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો. તેઓ તો ૮૪નો અર્થ પણ નથી સમજતાં. ભારતનું જ ઉત્થાન અને પતન ગાયેલું છે. સતોપ્રધાન, સતો, રજો, તમો. સૂર્યવંશી, ચંદ્રવંશી……

હમણાં આપ બાળકોને બધીજ ખબર પડી ગઈ છે. એક બાપ બીજરુપ ને જ જ્ઞાનનાં સાગર કહેવાય છે. એ આ સૃષ્ટિ ચક્રમાં નથી આવતાં. એવું નથી કે આપણે આત્માથી પરમાત્મા બની જઈએ છે. ના, બાપ આપસમાન નોલેજફુલ બનાવે છે. આપસમાન ગોડ (ભગવાન) નથી બનાવતા, આ વાતોને સારી રીતે સમજવું જોઈએ ત્યારે જ બુદ્ધિમાં ચક્ર ચાલી શકે છે. તમે બુદ્ધિથી સમજી શકો છો આપણે કેવી રીતે ૮૪નાં ચક્રમાં આવીએ છીએ. આમાં સમય, વર્ણ, વંશાવલી બધું આવી જાય છે. આ નોલેજ થી જ ઊંચેથી ઊંચા બનીએ છીએં. નોલેજ હશે તો બીજાઓને પણ આપશો. તે સ્કૂલોમાં જ્યારે પરીક્ષા હોય છે તો પેપર વગેરે ભરાવે છે. પેપર વિલાયત થી આવે છે. જે વિલાયતમાં ભણતા હશે, તેમનાં માં પણ કોઈ મોટા એજ્યુકેશન મિનિસ્ટર (શિક્ષણ મંત્રી) હશે તો તપાસ કરતા હશે. અહીંયા તમારા પેપરને કોણ તપાસ કરશે? તમે સ્વયં જ કરશો. સ્વયં જે ઈચ્છો સો બનો. ભણીને જે પદ બાપથી ઈચ્છો તે લઈ લો જેટલું બાપને યાદ કરશો, બીજાની સેવા કરશો, એટલું જ ફળ મળશે. તેમને સેવા કરવાની ફિકર રહેશે કે રાજધાની સ્થાપન થઈ રહી છે તો પ્રજા પણ તો જોઈએ ને. ત્યાં વજીર વગેરેની દરકાર નથી રહેતી. અહીંયા તો જ્યારે અક્કલ ઓછી હોય છે ત્યારે વજીર ની દરકાર હોય છે. અહીંયા બાપની પાસે પણ સલાહ લેવા આવે છે - બાબા પૈસા છે શું કરીએ? ધંધો કેવીરીતે કરીએ? બાપ કહે છે આ દુનિયાનાં ધંધા વગેરેની વાત અહીંયા નહિ લાવો. હાં, કોઈ દિલશિકસ્ત થઈ જાય તો થોડું-ઘણું આશ્વાશન આપવાં માટે બતાવી દે છે. પરંતુ આ મારો કોઈ ધંધો નથી. મારો ધંધો છે તમને પતિત થી પાવન બનાવીને વિશ્વનાં માલિક બનાવવાનો. તમારે બાપથી શ્રીમત સદા લેતાં રહેવાનું છે.હમણાં તો બધાંની છે આસુરી મત. ત્યાં તો સુખધામ છે. ત્યાં ક્યારેય એવું નહીં પૂછશે કે રાજી ખુશી છો? તબિયત ઠીક છે? આ અક્ષર અહીંયા જ પુછાય છે. ત્યાં આ અક્ષર હોતાં જ નથી. દુઃખધામ નાં કોઈ અક્ષર જ નથી. પરંતુ બાપ જાણે છે બાળકોમાં માયાની પ્રવેશતા થવાનાં કારણે બાપ પૂછી શકે છે કે ઠીક-ઠાક રાજી ખુશી છો? મનુષ્ય અહીંયાનાં અક્ષરને તો સમજી ન શકે. કોઈ મનુષ્ય પૂછે તો કહી શકો છો કે અમે ઈશ્વરનાં બાળકો છીએ, અમને કેમ રાજી-ખુશી પૂછો છો? પરવા હતી પાર બ્રહ્મમાં રહેવા વાળા બાપની, હવે એ મળી ગયાં, હવે શું પરવા. આ હંમેશા યાદ રહેવું જોઈએ. આપણે કોનાં બાળકો છીએ-આ પણ બુદ્ધિ માં જ્ઞાન છે. જ્યારે આપણે પાવન બની જઈશું પછી લડાઈ શરુ થશે. તમને પૂછશે જરુર. તમે કહેશો અમે તો સદેવ રાજી છીએ. બીમાર પણ છો તો પણ રાજી છો. બાબાની યાદમાં છો તો સ્વર્ગ થી પણ અહીંયા વધારે રાજી છો. જ્યારે સ્વર્ગની બાદશાહી આપવાવાળા બાપ મળ્યાં છે. આપણને કેટલાં લાયક બનાવે છે. પછી આપણને શું પરવા છે! ઈશ્વરનાં બાળકોને કઈ ચીજ ની પરવા. ત્યાં દેવતાઓને પણ પરવા નથી. દેવતાઓની ઉપર છે ઈશ્વર. તો ઈશ્વરનાં બાળકોને શું પરવા હોઈ શકે છે. બાબા આપણને ભણાવી રહ્યા છે. બાબા આપણાં શિક્ષક, સદ્દગુરુ છે. બાબા આપણાં ઉપર તાજ રાખે છે. આને ઇંગલિશ માં કહે છે ક્રાઉન પ્રિન્સ. બાપ નો તાજ બાળક પહેરશે. તમે સમજી શકો છો સતયુગમાં સુખ જ સુખ છે. પ્રેકટીકલ માં તે સુખ ત્યારે પામશો જ્યારે ત્યાં જશો. તે તો તમે જ જાણો. સતયુગ માં શું હશે, આ શરીર છોડી આપણે ક્યાં જઈશું. હમણાં તમને પ્રેકટીકલ માં બાપ ભણાવી રહ્યા છે. તમે જાણો છો સાચે-સાચે આપણે સ્વર્ગમાં જઈએ છીએ. તેઓ, જે કહે છે ફલાણા સ્વર્ગમાં ગયાં પરંતુ તેમને ખબર નથી સ્વર્ગ અને નર્ક કોને કહેવાય છે. કલ્પની આયુ જ લાખો વર્ષ લખી દીધી છે. જન્મ-જન્માંતર આ જ્ઞાન સાંભળતા-સાંભળતા નીચે ઉતરતા આવ્યા. હમણાં તમારી બુદ્ધિમાં છે કે આપણે ક્યાંથી ક્યાં આવીને પડ્યા છીએ. સતયુગ થી જ ઉતરતા આવ્યા છીએ. હમણાં આપણે આ પુરુષોત્તમ સંગમયુગ પર પહોંચ્યા છીએ. કલ્પ-કલ્પ બાપ આવે છે ભણાવવા. બાપની પાસે તમે રહો છો ને. આજ આપણાં સાચાં-સાચાં સદ્દગુરુ છે, જે મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. જેમ આ બાબા પણ શીખે છે, એમ તેમને જોઈ આપ બાળકો પણ શીખો છો. કદમ-કદમ પર સાવધાની રાખવાની હોય છે. મનસા-વાચા-કર્મણા બહુજ શુદ્ધ રહેવાનું છે. અંદરમાં કોઈ પણ ગંદકી ન હોવી જોઈએ. બાપને ઘડી-ઘડી બાળકો ભૂલી જાય છે. બાપને ભુલવાથી બાપની શિક્ષા પણ ભૂલી જાય છે. આપણે વિદ્યાર્થી છીએ, આ પણ ભૂલી જાય છે. છે બહુજ સહજ. બાપની યાદમાં જ કરામત છે. આવી કરામત બીજા કોઈ પણ બાપ શીખવાડી ન શકે. આ કરામત થી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બને છે.

આપ બાળકો જાણો છો શિવ બાબાએ બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી છે, જે ધર્મ સતયુગ અને ત્રેતા અડધોકલ્પ ચાલે છે. પછી બીજા ધર્મવાળા પછીથી વૃદ્ધિને પામે છે. જેમ ક્રાઈસ્ટ આવ્યાં, પહેલા તો ખુબ થોડા હતાં. જ્યારે બહુજ થઇ જાય ત્યારે રાજાઈ કરી શકે. ક્રિશ્ચન ધર્મ હમણાં સુધી છે. વૃદ્ધિ થતી રહે છે. તેઓ જાણે છે કે ક્રાઈસ્ટ દ્વારા અમે ક્રિશ્ચન બન્યાં છીએ. આજ થી ૨ હજાર વર્ષ પહેલાં ક્રાઈસ્ટ આવ્યા હતાં. હવે વૃદ્ધિ થઈ રહી છે. ક્રિશ્ચન કહેશે અમે ક્રાઈસ્ટ નાં છીએં. પહેલાં એક ક્રાઈસ્ટ આવ્યાં, પછી તેમનો ધર્મ સ્થાપન થાય છે, વૃદ્ધિ થતી જાય છે. એક થી બે, બે થી ચાર….. પછી આમ વૃદ્ધિ થતી જાય છે. હમણાં જુઓ ક્રિશ્ચનનું ઝાડ કેટલું થઈ ગયું છે. ફાઉન્ડેશન છે દેવી-દેવતા વંશ, એટલે બ્રહ્માને ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે. પરંતુ ભારતવાસીઓને આ ભુલાય ગયું છે કે અમે પરમપિતા પરમાત્મા શિવનાં ડાયરેક્ટ બાળકો છીએ.

ક્રિશ્ચન પણ સમજે છે આદિ દેવ થઈને ગયાં છે, જેમની આ મનુષ્ય વંશાવલી છે. બાકી તે માનશે તો પોતાનાં ક્રાઈસ્ટ ને જ, ક્રાઈસ્ટ ને, બુદ્ધ ને પિતા સમજે છે. સીજરો છે ને. જેમ ક્રાઈસ્ટનું યાદગાર ક્રિશ્ચન દેશમાં છે. એમ આપ બાળકોએ અહીયાં તપસ્યા કરી છે ત્યારે તમારું પણ યાદગાર અહીંયા (આબૂમાં) છે.

અચ્છા મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧)ડેડ સાઈલેન્સ (મૌન) ની સાચી-સાચી રુહાની યાત્રા કરવાની છે. હમ સો નો મંત્ર સદા યાદ રાખવાનો છે, ત્યારે ચક્રવર્તી રાજા બનશો.

૨)મનસા-વાચા-કર્મણા બહુજ શુદ્ધ રહેવાનું છે. અંદર કોઈપણ ગંદકી ન હોય. કદમ-કદમ પર સાવધાની રાખવાની છે. શ્રીમત નો રીગાર્ડ રાખવાનો છે.

વરદાન :-
“ બાબા ” શબ્દ ની ચાવી થી સર્વ ખજાનાં પ્રાપ્ત કરવા વાળી ભાગ્યવાન આત્મા ભવ

ભલે બીજા કંઈ પણ જ્ઞાન નાં વિસ્તારને જાણી નથી શકતા અથવા સંભળાવી નથી શકતા પરંતુ એક શબ્દ “બાબા” દિલથી માન્યો અને દિલથી બીજાને સંભળાવ્યો તો વિશેષ આત્મા બની ગયાં, દુનિયાની આગળ મહાન આત્માનાં સ્વરુપમાં ગાયન યોગ્ય બની ગયાં કારણ કે એક “બાબા” શબ્દ સર્વ ખજાનાંની અથવા ભાગ્યની ચાવી છે. ચાવી લગાવવાની વિધિ છે દિલથી જાણવું અને માનવું. દિલથી કહો બાબા તો ખજાનાં સદા હાજર છે.

સ્લોગન :-
બાપદાદા થી સ્નેહ છે તો સ્નેહમાં જુનાં જહાન (સંસાર) ને કુરબાન કરી દો.