10-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  પદાદા મધુબન


“ મીઠા બાળકો - સર્વશક્તિમાન્ બાપ થી બુદ્ધિયોગ લગાડવાથી શક્તિ મળશે , યાદથી જ આત્મા રૂપી બેટરી ચાર્જ થાય છે , આત્મા પવિત્ર સતોપ્રધાન બની જાય છે ”

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો કયો પુરુષાર્થ કરો છો જેની પ્રાલબ્ધમાં દેવતા પદ મળે છે?

ઉત્તર :-
સંગમ પર આપણે શીતળ બનવાનો પુરુષાર્થ કરીએ છીએં. શીતળ અર્થાત્ પવિત્ર બનવાથી આપણે દેવતા બની જઈએ છે. જ્યાં સુઘી શીતળ ન બનીએ ત્યાં સુધી દેવતા પણ બની ન શકાય. સંગમ પર શીતળ દેવીઓ બની બધાં પર જ્ઞાનનાં ઠંડા છાંટા નાખી બધાંને શીતળ કરવાનાં છે. બધાંની તપત બુઝાવવાની છે. સ્વયં પણ શીતળ બનવાનું છે અને બધાંને પણ બનાવવાનાં છે.

ઓમ શાંતિ !
બાળકોને પહેલા-પહેલા એક જ વાત સમજવાની છે કે આપણે બધાં ભાઈ-ભાઈ છીએં અને શિવબાબા બધાનાં બાપ છે. એમને સર્વશક્તિમાન્ કહેવાય છે. તમારામાં સર્વશક્તિયો હતી. તમે આખા વિશ્વ પર રાજ્ય કરતા હતા. ભારતમાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું, તમે જ પવિત્ર દેવી-દેવતા હતા. તમારા કુળ કે ડિનાયસ્ટી (વંશ) માં બધાં નિર્વિકારી હતા. કોણ નિર્વિકારી હતા? આત્માઓ. હમણાં ફરીથી તમે નિર્વિકારી બની રહ્યા છો. સર્વશક્તિમાન બાપની યાદથી શક્તિ લઈ રહ્યા છો. બાપએ સમજાવ્યું છે આત્મા જ ૮૪નો પાર્ટ ભજવે છે. આત્મામાં જ સતોપ્રધાનતા ની તાકાત હતી, તે પછી દિન-પ્રતિદિન ઓછી થતી જાય છે. સતોપ્રધાન થી તમોપ્રધાન તો બનવાનું જ છે. જેમ બેટરી ની તાકાત ઓછી થતી જાય છે તો મોટર ઉભી રહી જાય છે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આત્માની બેટરી પૂરી ડિસ્ચાર્જ નથી થતી, કંઈક ને કંઈક તાકાત રહે છે. જેમ કોઈ મરે છે તો દિવો પ્રગટાવે છે, એમાં ઘી નાખતાં જ રહે છે કે ક્યાંક જ્યોતિ બુજાઈ ન જાય. હમણા આપ બાળકો સમજો છો તમારી આત્મામાં પૂરી શક્તિ હતી, હવે નથી. હમણાં ફરી તમે સર્વશક્તિમાન બાપથી પોતાનો બુદ્ધિયોગ લગાડો છો, સ્વયંમાં શક્તિ ભરો છો કારણકે શક્તિ ઓછી થઈ ગઈ છે. શક્તિ એકદમ ખતમ થઈ જાય તો શરીર જ ન રહે. આત્મા બાપને યાદ કરતા-કરતા એકદમ પ્યોર (પવિત્ર) થઈ જાય છે. સતયુગમાં તમારી બેટરી પૂરી ચાર્જ રહે છે. પછી ધીરે-ધીરે કળા અર્થાત બેટરી ઓછી થતી જાય છે. કળયુગ અંત સુધી આત્માની તાકાત એકદમ થોડી રહી જાય છે. જેમ કે તાકાતનું દેવાળું નીકળી જાય છે. બાપને યાદ કરવાથી આત્મા ફરીથી ભરપૂર થઈ જાય છે. તો હવે બાપ સમજાવે છે એકને જ યાદ કરવાનાં છે. ઊંચે થી ઊંચા છે ભગવંત. બાકી બધી છે રચના. રચનાને રચનાથી હદનો વારસો મળે છે. ક્રિએટર (રચયિતા) તો એક જ બેહદનાં બાપ છે. બાકી બધાં છે હદના. બેહદનાં બાપને યાદ કરવાથી બેહદનો વારસો મળે છે. તો બાળકોએ દિલમાં સમજવું જોઈએ કે બાબા આપણા માટે સ્વર્ગ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે. ડ્રામા પ્લાન અનુસાર સ્વર્ગ ની સ્થાપના થઇ રહી છે, જેમાં આપ બાળકો જ આવીને રાજ્ય કરો છો. હું તો સદા પવિત્ર છું. હું ક્યારેય ગર્ભ થી જન્મ નથી લેતો, ન દેવી દેવતાઓની જેમ જન્મ લઉં છું. ફક્ત આપ બાળકોને સ્વર્ગની બાદશાહી આપવાં માટે જ્યારે આ (બાબા) ૬૦ વર્ષની વાનપ્રસ્થ અવસ્થામાં હોય છે ત્યારે એમનાં તનમાં હું પ્રવેશ કરું છું. આજ ફરી નંબરવન તમોપ્રધાન થી નંબરવન સતોપ્રધાન બને છે. ઊંચે થી ઊંચા છે ભગવાન. પછી છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર-સૂક્ષ્મવતન વાસી. આ બ્રહ્મા, વિષ્ણુ, શંકર ક્યાંથી આવ્યા? આ ફક્ત સાક્ષાત્કાર થાય છે. સૂક્ષ્મવતન વચ્ચે નું છે ને. જ્યાં સ્થૂળ શરીર નથી. સૂક્ષ્મ શરીર ફક્ત દિવ્ય દ્રષ્ટીથી જોવાય છે. બ્રહ્મા તો છે સફેદ વસ્ત્રધારી. તે વિષ્ણુ છે હીરા જવેરાત થી સજ્યા-સજેલા. પછી શંકરનાં ગળામાં નાગ વગેરે દેખાડે છે. આવા શંકર વગેરે કોઈ હોઈ ન શકે. દેખાડે છે અમરનાથ પર શંકરએ પાર્વતીને અમર કથા સંભળાવી. હવે પછી સૂક્ષ્મવતનમાં તો મનુષ્ય સૃષ્ટિ છે નહીં. તો કથા ત્યાં કેવી રીતે સંભળાવશે? બાકી સૂક્ષ્મવતનનો ફક્ત સાક્ષાત્કાર થાય છે. જે બિલકુલ પવિત્ર થઇ જાય છે એમનો સાક્ષાત્કાર થાય છે. આજ ફરી સતયુગમાં જઈને સ્વર્ગનાં માલિક બને છે. તો બુદ્ધિમાં આવવું જોઈએ કે આમણે પછી આ રાજ્ય-ભાગ્ય કેવી રીતે પામ્યું? લડાઈ વગેરે તો કાંઈ હોતી નથી. દેવતાઓ હિંસા કેવી રીતે કરશે? હમણાં તમે બાપને યાદ કરી રાજાઈ લો છો, કોઈ માને કે ન માને. ગીતામાં પણ છે દેહ સહિત દેહનાં બધાં ધર્મોને ભૂલી મામેકમ્ યાદ કરો. બાપને તો દેહ જ નથી, જેમાં મમત્વ હોય. બાપ કહે છે - થોડા સમય માટે આ શરીરની લોન (ઉધાર) લઉં છું. નહીં તો હું નોલેજ કેવી રીતે આપું? હું આ ઝાડનું ચેતન્ય બીજરૂપ છું. આ ઝાડની નોલેજ મારી જ પાસે છે. આ સૃષ્ટિની આયુ કેટલી છે? કેવી રીતે ઉત્પત્તિ, પાલના, વિનાશ થાય છે? મનુષ્ય ને કાંઈ ખબર નથી. તે ભણે છે હદનું ભણતર. બાપ તો બેહદનું ભણતર ભણાવીને બાળકોને વિશ્વનાં માલિક બનાવે છે.

ભગવાન ક્યારેય દેહધારી મનુષ્યને નથી કહેવાતાં. તેઓને (બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને) પણ પોતાનું સૂક્ષ્મ દેહ છે એટલે એમને પણ ભગવાન નહીં કહેશું. આ શરીર તો આ દાદાની આત્માનું તખ્ત છે. અકાળ તખ્ત છે ને. હમણા આ અકાળમૂર્ત બાપનું તખ્ત છે. અમૃતસરમાં પણ અકાળતખ્ત છે. મોટા-મોટા જે હોય છે, ત્યાં અકાળતખ્ત પર જઈને બેસે છે. હમણાં બાપ સમજાવે છે આ બધી આત્માઓનું અકાળતખ્ત છે. આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે, ત્યારે તો કહે છે આ કર્મોનું ફળ છે. બધી આત્માઓ નાં બાપ એક જ છે. બાબા કોઈ શાસ્ત્ર વગેરે વાંચીને નથી સમજાવતા. આ વાતો પણ શાસ્ત્રો વગેરે માં નથી, ત્યારે તો લોકો ચિડાય છે, કહે છે આ લોકો શાસ્ત્રોને નથી માનતા. સાધુ-સંત વગેરે ગંગામાં જઈને સ્નાન કરે છે તો શું પાવન બની ગયા? પાછાં તો કોઈ જઈ નથી સકતા. બધા અંતમાં જશે. જેમ મકોડાનું ઝુંડ કે માખીઓનું ઝુંડ જાય છે. માખીઓમાં પણ રાણી હોય છે, એની પાછળ બધી જાય છે, બાપ પણ જશે તો એમની પાછળ બધી આત્માઓ પણ જશે. મૂળવતન માં પણ જેમ બધી આત્માઓનું ઝુંડ છે. અહીંયા પછી છે બધાં મનુષ્યોનું ઝુંડ. તો આ ઝુંડ પણ એક દિવસ ભાગવાનું છે. બાપ આવીને બધી આત્માઓને લઈ જાય છે. શિવની બારાત ગવાયેલી છે. બાળકો કહો કે બાળકીયો કહો. બાપ આવીને બાળકોને યાદની યાત્રા શીખવાડે છે. પવિત્ર બન્યા વગર આત્મા ઘરે પાછી જઇ નથી સકતી. જ્યારે પવિત્ર બની જશે તો પહેલા શાંતિધામમાં જશે પછી ત્યાંથી ધીરે-ધીરે આવતી રહે છે, વૃદ્ધિ થતી રહે છે. રાજધાની બનવાની છે ને. બધાં ભેગા નથી આવતા. ઝાડ ધીરે-ધીરે વૃદ્ધિને પામે છે ને. પહેલા-પહેલા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે જે બાપ સ્થાપન કરે છે. બ્રાહ્મણ પણ પહેલા-પહેલા તેજ બને છે જેમને દેવતા બનવાનું છે. પ્રજાપિતા બ્રહ્મા તો છે ને. પ્રજામાં પણ ભાઈ-બહેન થઈ જાય છે. બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ તો અહીંયા અસંખ્ય બને છે. જરૂર નિશ્ચયબુદ્ધિ હશે ત્યારે તો આટલા વધુ માર્ક લે છે. તમારામાં જે પાક્કા છે તે ત્યાં પહેલા આવે છે, કાચાં વાળા પાછળમાં જ આવશે. મૂળવતનમાં બધી આત્માઓ રહે છે પછી નીચે આવે છે તો વૃદ્ધિ થતી જાય છે. શરીર વગર આત્મા કેવી રીતે પાર્ટ ભજવશે? આ પાર્ટધારીઓની દુનિયા છે જે ચારેય યુગોમાં ફરતી રહે છે. સતયુગ માં આપણે સો દેવતા હતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીએ છીએં. હમણા આ છે પુરૂષોત્તમ સંગમયુગ. આ યુગ હમણાં જ બને છે જ્યારે કે બાપ આવે છે. આ હમણાં બેહદનું નોલેજ બેહદનાં બાપ જ આપે છે. શિવબાબાને પોતાનાં શરીર નું કોઈ નામ નથી. આ શરીર તો આ દાદાનું છે. બાબા એ થોડા સમયનાં માટે આ લોન લીધું છે. બાપ કહે છે મને તમારા થી વાત કરવા માટે મુખ તો જોઈએ ને. મુખ ન હોય તો બાપ બાળકો થી વાત પણ ન કરી શકે. પછી બેહદનું નોલેજ પણ આ મુખ થી સંભળાવું છું, એટલે આને ગૌમુખ પણ કહેવાય છે. પહાડો થી પાણી તો ક્યાંય પણ નિકળી શકે છે. પછી અહીંયા ગૌમુખ બનાવી દીધું છે, એમાંથી પાણી આવે છે. એને પછી ગંગાજળ સમજી પીવે છે. તે પાણીનું પછી કેટલું મહત્વ રાખે છે. આ દુનિયામાં છે બધું ખોટું. સાચું તો એક બાપ જ સંભળાવે છે. પછી તે જુઠ્ઠા મનુષ્ય આ બાપનાં નોલેજને જુઠ્ઠું સમજી લે છે. ભારતમાં જયારે સતયુગ હતું એને સચખંડ કહેવાતું હતું. પછી ભારત જ જૂનું બને છે તો દરેક વાત, દરેક ચીજ જુઠ્ઠી થાય છે. કેટલો ફરક થઈ જાય છે. બાપ કહે છે તમે મારી કેટલી ગ્લાની કરો છો. સર્વવ્યાપી કહી કેટલી ઇનસલ્ટ (અપમાન) કરી છે. શિવબાબા ને બોલાવે જ છે કે આ જૂની દુનિયા થી લઈ ચલો. બાપ કહે છે મારા બધાં બાળકો કામ ચિતા પર ચઢીને કંગાળ બની ગયા છે. બાપ બાળકોને કહે છે તમે તો સ્વર્ગ નાં માલિક હતા ને. સ્મૃતિ આવે છે? બાળકોને જ સમજાવે છે, આખી દુનિયાને તો નહી સમજાવશે. બાળકો જ બાપને સમજે છે. દુનિયા આ વાતને શું જાણે!

સૌથી મોટો કાંટો છે કામ નો. નામ જ છે પતિત દુનિયા. સતયુગ છે ૧૦૦ ટકા પવિત્ર દુનિયા. મનુષ્ય જ, પવિત્ર દેવતાઓની આગળ જઈને નમન કરે છે. ભલે બહુ જ ભક્ત છે જે વેજિટેરિયન (શાકાહારી) છે, પરંતુ એવું નથી કે વિકારમાં નથી જતા. એમ તો બહુ જ બાળ બ્રહ્મચારી પણ રહે છે. નાનપણ થી ક્યારેય છી-છી ખાવાનું વગેરે નથી ખાતા. સન્યાસી પણ કહે છે નિર્વિકારી બનો. ધરબાર નો સન્યાસ કરે છે પછી બીજા જન્મમાં પણ કોઈ ગૃહસ્થી પાસે જન્મ લઇ પછી ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે. પરંતુ શું પતિત થી પાવન બની શકે છે? નહીં. પતિત-પાવન બાપની શ્રીમત વગર કોઈ પતિત થી પાવન બની નથી સકતા. ભક્તિ છે ઉતરતી કળાનો માર્ગ. તો પછી પાવન કેવી રીતે બનશે? પાવન બને તો ઘરે જાય, સ્વર્ગ માં આવી જાય. સતયુગી દેવી-દેવતાઓ ક્યારેય ઘરબાર છોડે છે શું? તેમનો છે હદનો સન્યાસ, તમારો છે બેહદનો સન્યાસ. આખી દુનિયા, મિત્ર-સંબંધી વગેરે બધાનો સંન્યાસ. તમારા માટે હમણાં સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તમારી બુદ્ધિ સ્વર્ગ તરફ છે. મનુષ્ય તો નર્કમાં જ લટકી પડ્યા છે. આપ બાળકો પછી બાપની યાદમાં લટકી પડ્યા છો.

તમને શીતળ દેવીઓ બનાવવાં માટે જ્ઞાન ચિતા પર બેસાડાય છે. શીતળ અક્ષર નું વિરોધી છે તપત. તમારું નામ જ છે શીતળાદેવી. એક તો નહિ હશે ને. જરૂર બહુજ હશે, જેમણે ભારત ને શીતળ બનાવ્યું છે. આ સમયે બધા કામ ચિતા પર બળી રહ્યા છે. તમારું નામ અહીંયા શીતળા દેવીઓ છે. તમે શીતળ કરવા વાળી, ઠંડા છાંટા નાખવાવાળી દેવીઓ છો. છાંટા નાખવા જાય છે ને. આ છે જ્ઞાન નાં છાંટા, જે આત્મા નાં ઉપર નખાય છે. આત્મા પવિત્ર બનવાથી શીતળ બની જાય છે. આ સમયે આખી દુનિયા કામ ચિતા પર ચઢી કાળી થઈ ગયી છે. હવે કળશ મળે છે આપ બાળકોને. કળશ થી તમે સ્વયં પણ શીતળ બનો છો અને બીજા ને પણ બનાવો છો. આ પણ શીતળ બન્યાં છે ને. બંને ભેગાં છે. ઘરબાર છોડવાની તો વાત જ નથી, પરંતુ ગૌશાળા બની હશે તો જરૂર કોઈએ ઘરબાર છોડયુ હશે. શેના માટે? જ્ઞાનચિતા પર બેસી શીતળ બનવાનાં માટે. જ્યારે તમે અહીંયા શીતળ બનશો ત્યારે જ તમે દેવતા બની શકો છો. હવે આપ બાળકોનો બુદ્ધિયોગ જૂનાં ઘરની તરફ ન જવો જોઈએ. બાપની સાથે બુદ્ધિ લટકી રહે કારણ કે તમારે બધાએ બાપની પાસે ઘરે જવાનું છે. બાપ કહે છે-મીઠા બાળકો, હું પંડો બનીને આવ્યો છું, તમને લઈ જવા. આ શિવશક્તિ પાંડવ સેના છે. તમે છો શિવ થી શક્તિ લેવા વાળી, એ છે સર્વશક્તિમાન્. મનુષ્ય તો સમજે છે-પરમાત્મા મરેલા ને જીવિત કરી શકે છે. પરંતુ બાપ કહે છે-લાડલા બાળકો, આ ડ્રામામાં દરેક ને અનાદિ પાર્ટ મળેલો છે. હું પણ ક્રિયેટર, ડાયરેક્ટર, પ્રિન્સિપલ એક્ટર છું. ડ્રામાનાં પાર્ટ ને હું કાંઈ પણ પરિવર્તન નથી કરી સકતો. મનુષ્ય સમજે છે પાંદડું-પાંદડું પણ પરમાત્મા નાં હુકમ થી હલે છે પરંતુ પરમાત્મા તો સ્વયં કહે છે હું પણ ડ્રામાને અધીન છું, એના બંધનમાં બંધાયેલો છું. એવું નથી કે મારા હુકમ થી પાંદડા હલશે. સર્વવ્યાપીનાં જ્ઞાને ભારતવાસીઓને બિલકુલ કંગાળ બનાવી દીધા છે. બાપનાં જ્ઞાનથી ભારત ફરી સિરતાજ બને છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

1) સૂર્યવંશીમાં પહેલા-પહેલા આવવાં માટે નિશ્ચયબુદ્ધિ બની પુરા માર્ક લેવાના છે. પાકકા બ્રાહ્મણ બનવાનું છે. બેહદનું નોલેજ સ્મૃતિમાં રાખવાનું છે.

2) જ્ઞાન ચિતા પર બેસી શીતળ અર્થાત પવિત્ર બનવાનું છે. જ્ઞાન અને યોગ થી કામ ની તપત સમાપ્ત કરવાની છે. બુદ્ધિયોગ સદા એક બાપની તરફ લટકેલો રહે.

વરદાન :-
ચમત્કાર દેખાડવાને બદલે અવિનાશી ભાગ્ય નો ચમકતો તારો બનાવવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ

આજકાલ જે અલ્પકાળ ની સિદ્ધિ વાળા છે તે અંતમાં ઉપર આવવાનાં કારણે સતોપ્રધાન સ્ટેજ નાં પ્રમાણે પવિત્રતા નાં ફળસ્વરૂપ અલ્પકાળ નાં ચમત્કાર દેખાડે છે પરંતુ તે સિદ્ધિ સદાકાળ નથી રહેતી કારણ કે થોડા સમયમાં જ સતો રજો તમો ત્રણેય સ્ટેજ થી પસાર કરે છે. તમે પવિત્ર આત્માઓ સદા સિદ્ધિ સ્વરૂપ છો, ચમત્કાર દેખાડવાને બદલે ચમકતી જ્યોતિ સ્વરૂપ બનાવવાં વાળા છો. અવિનાશી ભાગ્ય નો ચમકતો તારો બનવા વાળા છો, એટલે બધાં તમારી પાસે જ અંજલી લેવા આવશે.

સ્લોગન :-
બેહદની વૈરાગ્ય વૃત્તિ નું વાયુમંડળ હોય તો સહયોગી સહજ યોગી બની જશે.