19-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
બેહદનાં બાપ પાસે આવ્યા છો વિકારી થી નિર્વિકારી બનવા, એટલે તમારામાં કોઈ પણ ભૂત ન
હોવું જોઈએ”
પ્રશ્ન :-
બાપ હમણાં તમને
એવું કયું ભણતર ભણાવે છે જે આખા કલ્પમાં નથી ભણાવવામાં આવતું?
ઉત્તર :-
નવી રાજધાની
સ્થાપન કરવાનું ભણતર, મનુષ્યને રાજાઈ પદ આપવાનું ભણતર આ સમયે સુપ્રીમ બાપ જ ભણાવે
છે. આ નવું ભણતર આખા કલ્પમાં નથી ભણાવવામાં આવતું. આ જ ભણતરથી સતયુગી રાજધાની
સ્થાપન થઈ રહી છે.
ઓમ શાંતિ!
આ તો બાળકો
જાણે છે આપણે આત્મા છીએ, ન કે શરીર. આને કહેવાય છે દેહી-અભિમાની. મનુષ્ય બધા છે
દેહ-અભિમાની. આ છે જ પાપ આત્માઓની દુનિયા અથવા વિકારી દુનિયા. રાવણ રાજ્ય છે. સતયુગ
ભૂતકાળ થઇ ગયું છે. ત્યાં બધા નિર્વિકારી રહેતા હતાં. બાળકો જાણે છે - આપણે જ
પવિત્ર દેવી-દેવતા હતા, જે ૮૪ જન્મો નાં પછી પતિત બન્યા છે. બધા તો ૮૪ જન્મ નથી લેતા.
ભારતવાસી જ દેવી-દેવતા હતા, જેમણે ૮૨, ૮૩, ૮૪ જન્મ લીધા છે. તે જ પતિત બન્યા છે.
ભારત જ અવિનાશી ખંડ કહેવાય છે. જ્યારે ભારતમાં લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું ત્યારે
એને નવી દુનિયા, નવુ ભારત કહેવાતું હતું. હમણાં છે જૂની દુનિયા જૂનું ભારત. તેઓ તો
સંપૂર્ણ નિર્વિકારી હતા, કોઈ વિકાર ન હતા. તે દેવતાઓ જ ૮૪ જન્મ લઈ હવે પતિત બન્યા
છે. કામ નું ભૂત, ક્રોધ નું ભૂત, લોભ નું ભૂત - આ બધા કડા ભૂત છે. એમાં મુખ્ય છે
દેહ-અભિમાન નું ભૂત. રાવણનું રાજ્ય છે ને. આ રાવણ છે ભારતનો અડધા કલ્પનો દુશ્મન,
જ્યારે મનુષ્ય માં ૫ વિકાર પ્રવેશ કરે છે. તે દેવતાઓમાં આ ભૂત નથી હોતા. પછી
પુનર્જન્મ લેતા-લેતા તેમની આત્મા પણ વિકારો માં આવી જાય છે. તમે જાણો છો આપણે જ્યારે
દેવી-દેવતા હતા તો કોઈપણ વિકારનું ભૂત ન હતું. સતયુગ-ત્રેતા ને કહેવાય જ છે રામ
રાજ્ય, દ્વાપર-કળયુગને કહેવાય છે રાવણ રાજ્ય. અહીંયા દરેક નર-નારી માં ૫ વિકાર છે.
દ્વાપર થી કળયુગ સુધી ૫ વિકાર ચાલે છે. હવે તમે પુરષોત્તમ સંગમયુગ પર બેઠા છો.
બેહદનાં બાપની પાસે આવ્યા છો વિકારી થી નિર્વિકારી બનવા માટે. નિર્વિકારી બની, જો
કોઈ વિકારમાં પડે છે તો બાબા લખે છે તમે કાળું મોઢું કર્યું, હવે ગોરા થવું મુશ્કેલ
છે. પાંચમા માળેથી નીચે પડવા જેવું છે. હાડકા તૂટી જાય છે. ગીતામાં પણ છે ભગવાનુવાચ
- કામ મહાશત્રુ છે. ભારતનું વાસ્તવિક ધર્મશાસ્ત્ર છે જ ગીતા. દરેક ધર્મનું એક જ
શાસ્ત્ર છે. ભારતવાસીઓના તો અસંખ્ય શાસ્ત્ર છે. એને કહેવાય છે ભક્તિ. નવી દુનિયા
સતોપ્રધાન સ્વર્ણિમ યુગ છે, ત્યાં કોઈ લડાઈ-ઝઘડા ન હતા. લાંબુ આયુષ્ય હતું, સદા
સ્વસ્થ-સંપન્ન હતા. તમને સ્મૃતિ આવી અમે દેવતાઓ બહુ જ સુખી હતા. ત્યાં અકાળે મૃત્યુ
થતી નથી. કાળ નો ડર રહેતો નથી. ત્યાં હેલ્થ-વેલ્થ હેપીનેસ બધું હોય છે. નર્ક માં
ખુશી હોતી નથી. કંઈક ને કઈક શરીરમાં રોગ ચાલુ રહે છે. આ છે અપાર દુઃખોની દુનિયા. તે
છે અપાર સુખોની દુનિયા. બેહદનાં બાપ દુઃખોની દુનિયા થોડી રચશે. બાપ એ તો સુખની
દુનિયા રચી. ફરી રાવણ રાજ્ય આવ્યું તો તેનાથી દુઃખ-અશાંતિ મળી. સતયુગ છે સુખધામ,
કળયુગ છે દુઃખધામ. વિકારમાં જવું એટલે એક-બીજા પર કામ કટારી ચલાવી. મનુષ્ય કહે છે આ
તો ભગવાનની રચના છે ને. પરંતુ નહી, ભગવાન ની રચના નથી, આ રાવણ ની રચના છે. ભગવાને
તો સ્વર્ગ રચ્યું. ત્યાં કામ કટારી હોતી નથી. એવું નથી દુઃખ-સુખ ભગવાન આપે છે. અરે,
ભગવાન બેહદનાં બાપ બાળકોને દુઃખ કેવીરીતે આપશે. તેઓ તો કહે છે હું સુખ નો વારસો આપું
છું ફરી અડધા કલ્પના બાદ રાવણ શ્રાપિત કરે છે. સતયુગમાં તો અથાહ સુખ હતાં, માલામાલ
હતા. એક જ સોમનાથના મંદિરમાં કેટલા હીરા-ઝવેરાત હતા. ભારત કેટલું સંપન્ન હતું. હમણાં
તો કંગાલ છે. સતયુગમાં ૧૦૦% સંપન્ન, કળયુગમાં ૧૦૦% કંગાલ - આ ખેલ બનેલો છે. હમણાં
છે કળયુગ, ખાદ પડતાં-પડતાં એકદમ તમોપ્રધાન બની ગયા છે. કેટલું દુઃખ છે. આ એરોપ્લેન
(વિમાન) વગેરે પણ ૧૦૦ વર્ષમાં બન્યા છે. એને કહેવાય છે માયાનો પંપ. તો મનુષ્ય સમજે
છે વિજ્ઞાન એ તો સ્વર્ગ બનાવી દીધું છે. પરંતુ આ છે રાવણ નું સ્વર્ગ. કળયુગમાં માયા
નો પંપ જોઈને તમારી પાસે મુશ્કેલથી આવે છે. સમજે છે અમારા પાસે તો મહેલ, મોટરો વગેરે
છે. બાપ કહે છે સ્વર્ગ તો સતયુગને કહેવાય છે, જ્યારે આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું.
હવે આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય થોડી છે. હવે કળિયુગના પછી ફરી એમનું રાજ્ય આવશે.
પહેલા ભારત બહુ નાનું હતું. નવી દુનિયામાં હોય જ છે ૯ લાખ દેવતાઓ. બસ. પાછળથી વૃદ્ધિ
થતી રહે છે. આખી સૃષ્ટિ વૃદ્ધિને પામે છે ને. પહેલા-પહેલા ફક્ત દેવી-દેવતા હતા. તો
બેહદનાં બાપ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી બેસીને સમજાવે છે. બાપ વગર બીજું કોઈ બતાવી
ન શકે. એમને કહેવાય છે નોલેજફુલ ગોડફાધર. બધી આત્માઓના પિતા. આત્માઓ બધી ભાઈ-ભાઈ
છે, પછી ભાઈ અને બહેન બને છે. તમે બધા છો એક પ્રજાપિતા બ્રહ્માનાં અડોપ્ટેડ બાળકો.
બધી આત્માઓ એમની સંતાન તો છે જ. એમને કહેવાય છે પરમપિતા, એમનું નામ છે શિવ. બસ. બાપ
સમજાવે છે - મારું નામ એક જ શિવ છે. પછી ભક્તિમાર્ગમાં મનુષ્યોએ બહુ જ મંદિર બનાવ્યા
છે તો બહુજ નામ રાખી દીધા છે. ભક્તિ ની સામગ્રી કેટલી વધારે છે. તેને ભણતર નહીં
કહેવાય. તેમાં લક્ષ હેતુ કઈપણ નથી. છે જ નીચે ઉતરવાનું. નીચે ઊતરતાં-ઊતરતાં
તમોપ્રધાન બની જાય છે ફરી સતોપ્રધાન બનવાનું છે બધાએ. તમે સતોપ્રધાન બનીને સ્વર્ગમાં
આવશો, બાકી બધા સતોપ્રધાન બની શાંતિધામમાં રહેશે. આ સારી રીતે યાદ કરો. બાબા કહે છે
તમે મને બોલાવ્યો છે – બાબા, અમને પતિતોને આવીને પાવન બનાવો તો હવે હું આખી દુનિયાને
પાવન બનાવવા આવ્યો છું. મનુષ્ય સમજે છે ગંગા સ્નાન કરવાથી પાવન બની જઈશું. ગંગાને
પતિત-પાવની સમજે છે. કૂવામાંથી પાણી નીકળ્યું, તેને પણ ગંગાનું પાણી સમજી સ્નાન કરે
છે. ગુપ્ત ગંગા સમજે છે. તીર્થયાત્રા પર કે કોઈ પહાડ પર જશે, તો તેને પણ ગુપ્ત ગંગા
કહે છે. આને કહેવાય છે અસત્ય. ભગવાનને કહેવાય છે સત્ય. બાકી રાવણ રાજ્યમાં બધા છે
ખોટું બોલવાવાળા. ગોડફાધર જ સત્ય ખંડ સ્થાપન કરે છે. ત્યાં ખોટાની વાત નથી હોતી.
દેવતાઓને ભોગ પણ શુદ્ધ લગાવે છે. હમણાં તો છે જ આસુરી રાજ્ય, સતયુગ-ત્રેતામાં છે
ઈશ્વરીય રાજ્ય. જે હવે સ્થાપન થઈ રહ્યું છે. ઈશ્વર જ આવીને બધાને પાવન બનાવે છે.
દેવતાઓમાં કોઈ વિકાર હોતા નથી. યથા રાજા-રાણી તથા પ્રજા બધા પવિત્ર હોય છે. અહિયાં
બધા છે પાપી, કામી, ક્રોધી. નવી દુનિયાને સ્વર્ગ અને આને નર્ક કહેવાય છે. નર્ક ને
સ્વર્ગ બાપના સિવાય કોઈ બનાવી ન શકે. અહીં બધા છે નર્કવાસી પતિત. સતયુગમાં છે પાવન.
ત્યાં એવી રીતે નહીં કહે કે અમે પતિત થી પાવન બનવા માટે સ્નાન કરવા જઈએ છે.
આ વિવિધ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડ છે. બીજરુપ છે ભગવાન. તે જ રચના રચે છે. પહેલા-પહેલા
રચે છે દેવી-દેવતાઓને. પછી વૃદ્ધિ થતા-થતા આટલા ધર્મ થઈ જાય છે. પહેલા એક ધર્મ, એક
રાજ્ય હતું. સુખ જ સુખ હતું. મનુષ્ય ઇચ્છે પણ છે વિશ્વમાં શાંતિ થાય. તે હવે તમે
સ્થાપન કરી રહ્યા છો. બાકી બધાં ખતમ થઇ જશે. બાકી થોડા રહેશે. આ ચક્ર ફરતું રહે છે.
હમણાં છે કળયુગ અંત અને સતયુગ આદિનો પુરુષોત્તમ સંગમયુગ. આને કહેવાય છે કલ્યાણકારી
પુરુષોત્તમ સંગમયુગ. કળયુગના પછી સતયુગ સ્થાપન થઈ રહ્યો છે. તમે સંગમ પર ભણો છો એનું
ફળ સતયુગમાં મળશે. અહીં જેટલા પવિત્ર બનશો અને ભણશો એટલું ઉંચ પદ પામશો. આવું ભણતર
ક્યાંય હોતું નથી. તમને આ ભણતરનું સુખ નવી દુનિયામાં મળશે. જો કોઈ પણ ભૂત હશે તો એક
તો સજા ખાવી પડશે બીજું, પછી ત્યાં નીચુ પદ પામશે. જે સંપૂર્ણ બની બીજાને પણ ભણાવશે
તો ઉચ્ચ પદ પણ પામશે. કેટલા સેવાકેન્દ્ર છે, લાખો સેવાકેન્દ્ર થઈ જશે. આખા વિશ્વમાં
સેવાકેદ્રોં ખુલી જશે. પાપ આત્માથી પુણ્ય આત્મા બનવાનું જ છે. તમારો લક્ષ-હેતુ પણ
છે. ભણવવાવાળા એક શિવબાબા છે. તે છે જ્ઞાનના સાગર, સુખના સાગર. બાપ જ આવીને ભણાવે
છે. આ નથી ભણાવતા, એમના દ્વારા તે ભણાવે છે. આમને ગવાય છે ભગવાનનો રથ, ભાગ્યશાળી રથ.
તમને કેટલા પદ્માંપદમ ભાગ્યશાળી બનાવે છે. તમે બહુ જ સાહૂકાર બનો છો. ક્યારે પણ
બીમાર નથી પડતા. હેલ્થ-વેલ્થ, હેપીનેસ બધુ મળી જાય છે. અહીંયા ભલે ધન છે, પરંતુ
બીમારીઓ વગેરે છે. તેવી ખુશી રહી ન શકે. કંઈક ને કંઈક દુઃખ રહે છે. તેનું તો નામ જ
છે સુખધામ, સ્વર્ગ, પેરેડાઇઝ. આ લક્ષ્મી-નારાયણને આ રાજ્ય કોણે આપ્યું? આ કોઈ પણ નથી
જાણતા. એ ભારતમાં રહેતા હતા. વિશ્વનાં માલિક હતા. કોઇ ભાગલા વગેરે ન હતાં. હમણાં તો
કેટલા ભાગલા છે. રાવણ રાજ્ય છે. કેટલા ટુકડા-ટુકડા થઈ ગયા છે. લડતા રહે છે. ત્યાં
તો આખા ભારતમાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. ત્યા વઝીર, વગેરે હોતા નથી. અહીં તો
વઝીર જુઓ કેટલા છે કારણકે બેઅક્લ છે. તો વઝીર પણ એવા જ તમોપ્રધાન પતિત છે. પતિતને
પતિત મળે, કરી-કરી લાંબા હાથ.... કંગાળ બનતાં જાય છે, કર્જો ઉઠાવતા જાય છે. સતયુગમાં
તો અનાજ, ફળ વગેરે બહુ જ સ્વાદિષ્ટ હોય છે. તમે ત્યાં જઈને બધો અનુભવ કરીને આવો છો.
સુક્ષ્મવતનમાં પણ જાઓ છો, તો સ્વર્ગમાં પણ જાઓ છો. બાપ કહે છે સૃષ્ટિચક્ર કેવી રીતે
ફરે છે. પહેલા ભારતમાં એક જ દેવી-દેવતા ધર્મ હતો. બીજો કોઈ ધર્મ ન હતો. પછી જ
દ્વાપરમાં રાવણ રાજય શરૂ થાય છે. હમણાં છે વિકારી દુનિયા પછી તમે પવિત્ર બની
નિર્વિકારી દેવતા બનો છો. આ સ્કુલ છે. ભગવાનુવાચ હું આપ બાળકોને રાજયોગ શીખવાડું
છું. તમે ભવિષ્યમાં આ બનશો. રાજાઈ નું ભણતર બીજે ક્યાંય નથી મળતું. બાપ જ ભણાવીને
નવી દુનિયાની રાજધાની આપે છે. સુપ્રીમ ફાધર, ટીચર, સદગુરુ એક જ શિવ બાબા છે. બાબા
એટલે જરૂર વારસો મળવો જોઈએ. ભગવાન જરૂર સ્વર્ગનો વારસો જ આપશે. રાવણ જેને દર વર્ષે
બાળીયે છીએ, આ છે ભારત નો નંબરવન દુશ્મન. રાવણએ કેવા અસુર બનાવી દીધા છે. એનું
રાજ્ય ૨૫૦૦ વર્ષ ચાલે છે. તમને બાપ કહે છે હું તમને સુખધામ નો માલિક બનાવું છું.
રાવણ તમને દુઃખધામમાં લઇ જાય છે. તમારું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. અચાનક અકાળે
મૃત્યુ થઈ જાય છે. અનેક બીમારીઓ થતી રહે છે. ત્યાં આવી કોઈ વાત નથી હોતી. નામ જ છે
સ્વર્ગ. હમણાં પોતાને હિન્દુ કહે છે કારણકે પતિત છે. તો દેવતા કહેવાને લાયક નથી.
બાપ આ રથ દ્વારા બેસીને સમજાવે છે, તેમની બાજુમાં આવીને બેસે છે તમને ભણાવવા. તો આ
પણ ભણે છે. આપણે બધા વિદ્યાર્થી છીએ. એક બાપ જ શિક્ષક છે. હમણાં બાપ ભણાવે છે. ફરી
આવીને ૫૦૦૦ વર્ષ પછી ભણાવશે. આ જ્ઞાન, આ ભણતર પછી લુપ્ત થઈ જશે. ભણીને તમે દેવતા
બન્યાં, ૨૫૦૦ વર્ષ સુખ નો વારસો લીધો પછી છે દુઃખ, રાવણ નો શ્રાપ. હમણાં ભારત બહુ જ
દુઃખી છે. આ છે દુઃખધામ. પુકારે પણ છે ને – પતિત-પાવન આવો, આવીને પાવન બનાવો. હવે
તમારામાં કોઈ પણ વિકાર ન હોવા જોઈએ, પરંતુ અડધા કલ્પ ની બીમારી કોઈ જલ્દી થોડી જ
નીકળે છે. તે ભણતરમાં પણ જે સારી રીતે નથી ભણતા તે નાપાસ થાય છે. જે પાસ વિથ ઓનર
થાય છે, તે તો સ્કોલરશિપ લે છે. તમારામાં પણ જે સારી રીતે પવિત્ર બની અને બીજાને
બનાવે છે, તો આ ઇનામ લે છે. માળા હોય છે ૮ ની. તે છે પાસ વિથ ઓનર. પછી ૧૦૮ ની માળા
પણ હોય છે, તે માળા નું પણ સિમરણ થાય છે. મનુષ્ય આનું રહસ્ય થોડી સમજે છે. માળામાં
ઉપર છે ફૂલ પછી હોય છે બે દાણા મેરુ. સ્ત્રી અને પુરુષ બંને પવિત્ર બને છે. આ
પવિત્ર હતા ને. સ્વર્ગવાસી કહેવાતા હતા. આ જ આત્મા ફરી પુનર્જન્મ લેતા-લેતા હવે
પતિત બની ગઈ છે. પછી અહીંથી પવિત્ર બની પાવન દુનિયામાં જશે. દુનિયા ની
હિસ્ટ્રી-જોગ્રાફીનું પુનરાવર્તન થાય છે ને. વિકારી રાજાઓ નિર્વિકારી રાજાઓના મંદિર
વગેરે બનાવીને એમને પૂજે છે. તે જ પછી પૂજ્ય થી પૂજારી બની જાય છે. વિકારી બનવાથી
પછી તે લાઈટનો તાજ પણ નથી રહેતો. આ ખેલ બનેલો છે. આ છે બેહદનો વન્ડરફુલ ડ્રામા.
પહેલા એક જ ધર્મ હોય છે, જેને રામરાજ્ય કહેવાય છે પછી બીજા-બીજા ધર્મ વાળા આવે છે.
આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરતું રહે છે તે તો એક બાપ જ સમજાવી શકે છે. ભગવાન તો
એક જ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) સ્વયં
ભગવાન શિક્ષક બનીને ભણાવે છે એટલે સારી રીતે ભણવાનું છે. સ્કોલરશિપ લેવા માટે
પવિત્ર બનીને બીજાને પવિત્ર બનાવવાની સેવા કરવાની છે.
2) અંદર માં કામ, ક્રોધ વગેરે જે પણ ભૂત પ્રવેશ છે, તેને નીકાળવાના છે. લક્ષ-હેતુ
ને સામે રાખીને પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
મહેસૂસતા શક્તિ
દ્વારા જૂનાં સ્વભાવ, સંસ્કારથી ન્યારા બનવા વાળા માયા જીત ભવ:
આ જૂનાં દેહના
સ્વભાવ અને સંસ્કાર બહુ જ કડક છે માયા જીત બનવામાં બહુજ વિઘ્નરુપ બને છે.
સ્વભાવ-સંસ્કાર રુપી સાંપ ખતમ પણ થઈ જાય છે પરંતુ નિશાન રહી જાય છે જે સમય આવે
ત્યારે વારં-વાર દગો દે છે. ઘણીવાર માયા નાં એટલા વશીભૂત થઈ જાય છે જે ખોટા ને ખોટું
પણ નથી સમજતા. પરવશ થઈ જાય છે એટલે તપાસ કરો અને મહેસૂસતા શક્તિ દ્વારા જૂનાં
છુપાયેલા સ્વભાવ સંસ્કારથી ન્યારા બનો ત્યારે માયા જીત બનશો.
સ્લોગન :-
વિદેહીપન નો
અભ્યાસ કરો – આ જ અભ્યાસ અચાનક નાં પેપરમાં પાસ કરાવશે.