05-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનાં
લક્ષ્ય અને લક્ષ્ય - દાતા બાપ ને યાદ કરો તો દૈવીગુણ આવી જશે , કોઈને દુઃખ આપવું ,
ગ્લાનિ કરવી , આ બધાં આસુરી લક્ષણ છે ”
પ્રશ્ન :-
બાપનો આપ બાળકો
થી બહુંજ ઊંચો પ્રેમ છે, એની નિશાની શું છે?
ઉત્તર :-
બાપની જે
મીઠી-મીઠી શિક્ષાઓ મળે છે, આ શિક્ષાઓ આપવી જ એમના ઊંચા પ્રેમની નિશાની છે. બાપની
પહેલી શિક્ષા છે - મીઠા બાળકો, શ્રીમત વગર કોઈ ઉલટું-સુલટુ કામ ન કરવું. ૨. તમે
વિદ્યાર્થી છો તમારે પોતાનાં હાથમાં ક્યારે પણ કાયદો નથી ઉઠાવવાનો. તમે પોતાના મુખથી
સદેવ રત્ન નિકાળો, પથ્થર નહીં.
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે. હવે આમને (લક્ષ્મી-નારાયણને) તો સારી રીતે જુઓ છો. આ છે એમ-ઓબ્જેક્ટ
(લક્ષ-હેતુ) અર્થાત્ તમે આ કુળનાં હતા. કેટલો રાત-દિવસનો ફર્ક છે એટલે ઘડી-ઘડી એમને
જોવાના છે. આપણે આવું બનવાનું છે. આમની મહિમા તો સારી રીતે જાણો છો. આ પાકીટમાં
રાખવાથી જ ખુશી રહેશે. અંદર માં દુવિધા જે રહે છે, તે ન રહેવી જોઈએ, તેને
દેહ-અભિમાન કહેવાય છે. દેહી-અભિમાની થઇ આ લક્ષ્મી-નારાયણને જોશો તો સમજશો અમે આવા
બની રહ્યા છીએં, તો જરૂર એમને જોવા પડે. બાપ સમજાવે છે તમારે આવું બનવાનું છે.
મધ્યાજી ભવ, આમને જુઓ, યાદ કરો. દષ્ટાંત બતાવે છે ને - તેણે વિચાર્યુ હું ભેંસ છું
તો તે પોતાને ભેંસ જ સમજવા લાગ્યો. તમે જાણો છો આ આપણું એમ-ઓબ્જેક્ટ છે. આ બનવાનું
છે. કેવી રીતે બનીશું? બાપની યાદથી. દરેક સ્વયંથી પૂછે - બરોબર અમે તેમને જોઈ બાપ
ને યાદ કરી રહ્યા છીએ? આ તો સમજો છો કે બાબા આપણને દેવતા બનાવે છે. જેટલું થઇ શકે
યાદ કરવું જોઈએ. એ તો બાપ કહે છે કે નિરંતર યાદ રહી નથી શકતી. પરંતુ પુરુષાર્થ
કરવાનો છે. ભલે ગૃહસ્થ વ્યવહાર નું કાર્ય કરતા આમને (લક્ષ્મી-નારાયણને) યાદ કરશો તો
બાપ જરૂર યાદ આવશે. બાપ ને યાદ કરશો તો આ જરૂર યાદ આવશે. આપણે આવા બનવાનું છે. આજ
આખો દિવસ ધુન લાગી રહે. તો પછી એક-બીજાની ગ્લાનિ ક્યારેય નહીં કરશો. આ આવાં છે,
ફલાણા આવાં છે….. જે આ વાતો માં લાગી જાય છે તે ઊંચ પદ પામી નહીં શકશે. એવા જ રહી
જાય છે. કેટલું સહજ કરીને સમજાવાય છે. આમને યાદ કરો, બાપ ને યાદ કરો તો તમે આ બની જ
જશો. અહીંયા તો તમે સામે બેઠાં છો, બધાનાં ઘર માં આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જરૂર
હોવું જોઈએ. કેટલું એક્યુરેટ ચિત્ર છે. આમને યાદ કરશો તો બાબા યાદ આવશે. આખો દિવસ
બીજી વાતો ને બદલે આજ સંભળાવતા રહો. ફલાણા આવા છે, આવા છે…... કોઈની નિંદા કરવી -
આને દુવિધા કહેવાય છે. તમારે પોતાની દૈવી બુદ્ધિ બનાવવાની છે. કોઈને દુઃખ દેવું,
ગ્લાનિ કરવી, ચંચળતા કરવી - આ સ્વભાવ ન હોવો જોઈએ. આમાં તો અડધોકલ્પ રહ્યા છો. હમણાં
આપ બાળકોને કેટલી મીઠી શિક્ષા મળે છે, આનાથી ઊંચો પ્રેમ બીજો કોઈ હોતો નથી. કોઈ પણ
ઉલટું-સુલટુ કામ શ્રીમત વગર ન કરવું જોઈએ. બાપ ધ્યાન માટે પણ માર્ગદર્શન આપે છે
ફક્ત ભોગ લગાવીને આવો. બાબા એ તો કહેતા નથી કે વૈકુંઠમાં જાઓ, રાસ-વિલાસ વગેરે કરો.
બીજી જગ્યાએ ગયા તો સમજો માયાની પ્રવેશતા થઈ. માયાનું નંબરવન કર્તવ્ય છે પતિત
બનાવવાનું. બેકાયદેસર ચલનથી નુકશાન બહુંજ થાય છે. બની શકે છે પછી કઠોર સજાઓ પણ ખાવી
પડે, જો પોતાને સંભાળશો નહીં તો. બાપની સાથે-સાથે ધર્મરાજ પણ છે. તેમની પાસે બેહદનો
હિસાબ-કિતાબ રહે છે. રાવણની જેલમાં કેટલા વર્ષ સજાઓ ખાધી છે. આ દુનિયામાં કેટલું
અપાર દુઃખ છે. હમણાં બાપ કહે છે બીજી બધી વાતો ભૂલી એક બાપને યાદ કરો અને બધી
દુવિધાઓ અંદરથી નિકાળી દો. વિકારમાં કોણ લઈ જાય છે? માયાના ભૂત. તમારુ એમ ઓબ્જેક્ટ
છે જ આ. રાજ્યોગ છે ને. બાપ ને યાદ કરવાથી આ વારસો મળશે. તો આ ધંધામાં લાગી જવું
જોઈએ. કિચડો બધો અંદરથી નિકાળી દેવો જોઈએ. માયાની પરાકાષ્ઠા પણ બહુંજ કડક છે. પરંતુ
તેને ઉડાવતા રહેવાનું છે. જેટલું થઈ શકે યાદની યાત્રામાં રહેવાનું છે. હમણાં તો
નિરંતર યાદ રહી ન શકે. છેવટે નિરંતર સુધી પણ આવશો ત્યારે જ ઊંચ પદ પામશો. જો અંદર
દુવિધા, ખરાબ વિચાર હશે તો ઊંચ પદ પણ મળી નહિ શકે. માયાના વશ થઈને જ હાર ખાય છે.
બાપ સમજાવે છે - બાળકો, ગંદા કામ થી હાર નહીં ખાઓ. નિંદા વગેરે કરતાં તો તમારી ખુબજ
ખરાબ ગતિ થઈ ગઈ છે. હવે સદ્દગતિ થાય છે તો ખરાબ કર્મ નહીં કરો. બાબા જુએ છે માયાએ
ગળા સુધી હપ કરી દીધા છે. ખબર પણ નથી પડતી. પોતે સમજે છે કે અમે બહુજ સારા ચાલી
રહ્યા છીએં, પરંતુ નહિ. બાપ સમજાવે છે - મન્સા, વાચા, કર્મણા મુખથી રત્ન જ નિકળવા
જોઈએ. ગંદી વાતો કરવી પથ્થર છે. હમણાં તમે પથ્થર થી પારસ બનો છો તો મુખથી ક્યારેય
પથ્થર નહીં નિકળવા જોઈએ. બાબાએ તો સમજાવવું પડે છે. બાપનો હક છે બાળકોને સમજાવવાનો.
એવું તો નથી, ભાઈ-ભાઈ ને સાવધાની આપશે. શિક્ષકનું કામ છે શિક્ષણ દેવાનું. એ કંઈ પણ
કહી કઈ શકે છે. વિદ્યાર્થીએ હાથ માં કાયદો નથી લેવાનો. તમે વિદ્યાર્થી છો ને. બાપ
સમજાવી શકે છે, બાકી બાળકોને તો બાપનું ડાયરેક્શન છે એક બાપને યાદ કરો. તમારી તકદીર
હવે ખુલી છે. શ્રીમત પર ન ચાલવાથી તમારી તકદીર બગડી પડશે પછી બહુ જ પસ્તાવું પડશે.
બાપની શ્રીમત પર ન ચાલવાથી એક તો સજાઓ ખાવી પડે, બીજુ પદ પણ ભ્રષ્ટ. જન્મ જન્માંતર,
કલ્પ-કલ્પાંતર ની બાજી છે. બાપ આવીને ભણાવે છે તો બુદ્ધિમાં રહેવું જોઈએ - બાબા આપણા
શિક્ષક છે, જેમનાથી આ નવું જ્ઞાન મળે છે કે સ્વયંને આત્મા સમજો. આત્માઓ અને પરમાત્મા
નો મેળો કહેવાય છે ને. પ હજાર વર્ષ પછી મળશે, એમાં જેટલો વારસો લેવા ઇચ્છો લઇ શકો
છો. નહિ તો બહુજ-બહુજ પસ્તાશો, રડશો. બધો સાક્ષાત્કાર થઇ જશે. સ્કૂલમાં બાળકો
ટ્રાન્સફર થાય છે તો છેલ્લે બેસવા વાળાને બધા જુએ છે. અહી પણ ટ્રાન્સફર થાય છે. તમે
જાણો છો અહીં શરીર છોડીને પછી સતયુગમાં જઈ પ્રિન્સની (રાજકુમાર) કોલેજમાં ભાષા શિખશે.
ત્યાંની ભાષા તો બધાંને ભણવી પડે છે, માતૃભાષા. ઘણામાં પૂરું જ્ઞાન નથી પછી ભણતા પણ
નથી નિયમિત. એક-બે વાર ગેરહાજર થયા તો આદત પડી જાય છે ગેરહાજર રહેવાની. સંગ છે
માયાનાં મુરીદો નો. શિવબાબાનાં મુરીદ થોડાક છે. બાકી બધાં છે માયાનાં મુરીદ. તમે
શિવબાબાનાં મુરીદ બનો છો તો, માયા સહન નથી કરી શકતી, એટલે સંભાળ ખુબજ કરવી જોઈએ.
છી-છી ગંદા મનુષ્યો થી ખુબ સંભાળ રાખવાની છે. હંસ અને બગલા છે ને. બાબાએ રાતના પણ
શિક્ષા આપી છે, આખો દિવસ કોઈને કોઈની નિંદા કરવી, પરચિંતન કરવું, આને કોઈ દૈવીગુણ
નથી કહેવાતાં. દેવતાઓ આવાં કામ નથી કરતા. બાપ કહે છે બાપ અને વારસા ને યાદ કરો તો
પણ નિંદા કરતા રહે છે. નિંદા તો જન્મ-જન્માંતર કરતા આવ્યા છો. દુવિધા અંદર રહે જ
છે. આ પણ અંદર મારામારી છે. મફત પોતાનું ખૂન કરે છે. અનેકોનો ઘાટો કરે છે. ફલાણા એવા
છે, એમાં તમારું શું જાય છે. બધાંનો સહાયક એક બાપ છે. હવે તો શ્રીમત પર ચાલવાનું
છે. મનુષ્ય મત તો બહુ ગંદા બનાવી દે છે. એક-બે ની ગ્લાનિ કરતાં રહે છે. ગ્લાનિ કરવી
આ છે માયાનું ભૂત. આ છે જ પતિત દુનિયા. તમે સમજો છો કે આપણે હમણાં પતિત થી પાવન બની
રહ્યા છીએ. તો આ બહુ ખામીયો છે. સમજાવાય છે આજ થી પોતાનાં કાન પકડવા જોઈએ - ક્યારેય
આવું કર્મ નહીં કરશું. કંઈ પણ જો જુઓ છો તો બાબાને રિપોર્ટ કરવો જોઈએ. તમારું શું
જાય છે! તમે એક-બીજાની ગ્લાનિ કેમ કરો છો! બાપ સાંભળે તો બધું જ છે ને. બાપએ કાન અને
આંખોની લોન (ઉધાર) લીધી છે ને. બાપ પણ જોવે છે તો આ દાદા પણ જોવે છે. ચલન, વાતાવરણ
તો કોઈ-કોઈનું બિલકુલ જ બેકાયદે ચાલે છે. જેમના બાપ નથી હોતા, એમનો છોકરો કહેવાય
છે. તે પોતાનાં બાપને પણ નથી જાણતા, યાદ પણ નથી કરતા. સુધારવાનાં બદલે વધારે જ બગડે
છે, એટલે પોતાનું જ પદ ગુમાવે છે. શ્રીમત પર નથી ચાલતા તો છોકરા છે. મા-બાપ ની
શ્રીમત પર નથી ચાલતા. ત્વમેવ માતાશ્ચ પિતા…... બંધુ વગેરે પણ બને છે.
પરંતુ ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર જ નથી તો માતા પછી ક્યાંથી હશે, આટલી પણ બુદ્ધિ નથી.
માયા બુદ્ધિ એકદમ ફેરવી નાખે છે. બેહદનાં બાપની આજ્ઞા નથી માનતા તો દંડ પડી જાય છે.
જરા પણ સદ્દગતિ નથી થતી. બાપ જોવે છે તો કહેશે ને - આમની શું ખરાબ ગતિ થશે. આ તો
ટાંગર, અકનાં ફૂલ છે. જેને કોઇ પણ પસંદ નથી કરતાં. તો સુધરવું જોઈએ ને. નહીં તો પદ
ભ્રષ્ટ થઈ ગઈ જશે. જન્મ-જન્માંતર માટે ઘાટો પડી જશે. પરંતુ દેહ-અભિમાનીઓ ની બુદ્ધિમાં
બેસતું જ નથી. આત્મ-અભિમાની જ બાપને પ્રેમ કરી શકે છે. બલિહાર જવું કંઈ માસીનું ઘર
નથી. મોટા-મોટા માણસો બલિહાર તો થઈ ન શકે. તેઓ બલિહાર થવાનો અર્થ પણ નથી સમજતા.
હૃદય વિદીર્ણ થાય છે. ઘણાં બંધનમુક્ત પણ છે. બાળક વગેરે કંઈ પણ નથી. કહે છે બાબા તમે
જ અમારા સર્વસ્વ છો. એવું મુખ થી કહે છે પરતું સાચું નથી. બાપથી પણ જુઠ્ઠું બોલી દે
છે. બલિહારી થયા તો પોતાનું મમત્વ નિકાળી દેવું જોઈએ. હવે તો અંત છે તો શ્રીમત પર
ચાલવું જોઈએ. મિલકત વગેરેથી પણ મમત્વ નિકળી જાય. ઘણાં છે એવા બંધનમુક્ત. શિવબાબા ને
પોતાનાં બનાવ્યા છે, દત્તક લે છે ને. આ આપણા બાપ, શિક્ષક, સતગુરુ છે. આપણે એમને
પોતાનાં બનાવીએ છીએ, એમની પૂરી મિલકત લેવા. જે બાળકો બની ગયા છે તેઓ કુળમાં જરૂર આવે
છે. પરંતુ પછી એમાં પદ કેટલા છે. કેટલાં દાસ- દાસીઓ છે. એક-બીજા પર હુકમ ચલાવે છે.
દાસીઓ માં પણ નંબરવાર બને છે. રોયલ પરિવારમાં બહારનાં દાસ-દાસીઓ તો નહીં આવશે ને.
જે બાપનાં બન્યાં છે, તેમને બનવાનું છે. એવા-એવા બાળકો છે જેમનામાં પાઈ પૈસાની પણ
અક્કલ નથી.
બાબા એવું તો કહેતાં નથી કે મમ્મા ને યાદ કરો અથવા મારા રથ ને યાદ કરો. બાપ કહે છે
મામેકમ યાદ કરો. દેહનાં બધા બંધન છોડી સ્વયંને આત્મા સમજો. બાપ સમજાવે છે કે પ્રીત
રાખવી છે તો એક થી રાખો ત્યારે બેડો પાર થશે. બાપનાં ડાયરેક્શન પર ચાલો. મોહજીત
રાજાની કથા પણ છે ને! પહેલા નંબરમાં છે બાળકો, બાળક તો મિલ્કતના માલિક બનશે. સ્ત્રી
તો અડધી ભાગીદાર છે, બાળક તો પુરા માલિક બની જાય છે. તો બુદ્ધિ એ તરફ જાય છે, બાબા
ને પુરા માલિક બનાવશો તો આ બધું તમને આપી દેશે. લેણ-દેણ ની વાત જ નથી. આ તો સમજ ની
વાત છે. ભલે તમે સાંભળો છો પછી બીજા દિવસે બધું ભૂલાય જાય છે. બુદ્ધિમાં રહેશે તો
બીજાને પણ સમજાવી શકશો. બાપને યાદ કરવાથી તમે સ્વર્ગનાં માલિક બનશો. આ તો બહુ જ સહજ
છે, મુખ ચલાવતા રહો. લક્ષ-હેતુ બતાવતા રહો. વિશાળ બુદ્ધિ તો ઝટ સમજશે. અંત માં આ
ચિત્ર વગેરે જ કામ આવશે. આમાં બધું જ્ઞાન ભરેલું છે. લક્ષ્મી-નારાયણ અને
રાધા-કૃષ્ણનો પરસ્પર શું સંબંધ છે? આ કોઈ નથી જાણતું. લક્ષ્મી-નારાયણ તો જરૂર પહેલા
રાજકુમાર-કુમારી હશે. બેગર ટુ પ્રિન્સ છે ને! બેગર થી રાજા નથી કહેવાતું. રાજકુમાર
નાં પછી જ રાજા બને છે. આ તો બહુજ સહજ છે પરંતુ માયા કોઈને પકડી લે છે, કોઈની નિંદા
કરવી, ગ્લાનિ કરવી - આ તો અનેકોની આદત છે. બીજું તો કોઈ કામ છે જ નહીં. બાપને
ક્યારેય યાદ નહિ કરશે. એક-બીજા ની ગ્લાનિ નો ધંધો જ કરે છે. આ છે માયાનો પાઠ. બાપનો
પાઠ તો બિલકુલ સીધો છે. અંતમાં આ સંન્યાસી વગેરે જાગશે, કહેશે કે જ્ઞાન છે તો આ
બી.કે. માં છે. કુમાર-કુમારીઓ તો પવિત્ર હોય છે. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો છે.
આપણામાં કોઇ ખરાબ વિચાર પણ ન આવવા જોઈએ. અનેકોને હમણાં પણ ખરાબ વિચાર આવે છે, પછી
તેની સજા પણ બહુ જ કઠોર હશે. બાપ સમજાવે તો બહુજ છે. જો કોઇ ચાલ તમારી પછી ખરાબ જોઈ
તો અહીં રહી નહીં શકો. થોડી સજા પણ દેવી પડે છે, તમે લાયક નથી. બાપ ને ઠગો છો. તમે
બાપને યાદ કરી નહી શકો. અવસ્થા બધી ઉતરી જાય છે. અવસ્થા ઉતરવી એજ સજા છે. શ્રીમત પર
ન ચાલવાથી પોતાનું પદ ભ્રષ્ટ કરી દે છે. બાપનાં ડાયરેક્શન પર ન ચાલવાથી વધારે જ
ભૂતની પ્રવેશતા થાય છે. બાબાને તો ક્યારેક-ક્યારેક વિચાર આવે છે, કદાચ બહુજ કઠોર
સજાઓ હમણાં થી જ શરૂ ન થઈ જાય. સજાઓ પણ બહુ જ ગુપ્ત હોય છે ને. કદાચ કઠોર પીડા ન આવે.
બહુ જ નીચે પડે છે, સજા ખાય છે. બાપ તો બધું ઈશારામાં સમજાવતાં રહે છે. પોતાની
તકદીરને લકીર બહુંજ લગાવે છે એટલે બાપ ખબરદાર કરતાં રહે છે, હવે ગફલત કરવાનો સમય નથી,
પોતાને સુધારો. અંત ઘડી આવવામાં કોઈ વાર નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) કોઈ પણ
બેકાયદેસર શ્રીમત નાં વિરુદ્ધ ચલન નથી ચાલવાની. સ્વયંને સ્વયં જ સુધારવાનાં છે.
છી-છી ગંદા મનુષ્ય થી પોતાની સંભાળ કરવાની છે
૨) બંધનમુક્ત છો તો પૂરે-પૂરા બલિહાર થવાનું છે. પોતાનું મમત્વ નિકાળી દેવાનું છે.
ક્યારેય પણ કોઈની કોઇની નિંદા અથવા પરચિંતન નથી કરવાનું. ગંદા ખરાબ વિચારો થી
સ્વયંને મુક્ત રાખવાનાં છે.
વરદાન :-
સ્વરાજ્ય
અધિકાર નાં નશા અને નિશ્ચય થી સદા શક્તિશાળી બનવા વાળા સહજયોગી , નિરંતરયોગી ભવ
સ્વરાજ્ય અધિકારી
અર્થાત્ દરેક કર્મેન્દ્રિય પર પોતાનું રાજ્ય. ક્યારેય સંકલ્પમાં પણ કર્મેન્દ્રિયો
દગો ન દે. ક્યારેક થોડું પણ દેહ-અભિમાન આવ્યું તો જોશ અથવા ક્રોધ સહજ આવી જાય છે,
પરંતુ જે સ્વરાજ્ય અધિકારી છે તે સદા નિરંહકારી, સદા જ નિર્માણ બની સેવા કરે છે એટલે
હું સ્વરાજ્ય અધિકારી આત્મા છું - આ નશા અને નિશ્ચય થી શક્તિશાળી બની માયાજીત થી
જગતજીત બનો તો સહજયોગી, નિરંતરયોગી બની જશો.
સ્લોગન :-
લાઈટ હાઉસ બની
મન-બુદ્ધિ થી લાઈટ (પ્રકાશ) ફેલાવવા માં વ્યસ્ત રહો તો કોઈ વાતમાં ભય નહિ લાગશે.