06-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો સ્વયંની
તપાસ કરો કે કેટલો સમય બાપ ની સ્મૃતિ રહે છે , કારણકે સ્મૃતિમાં છે ફાયદો , વિસ્મૃતિ
માં છે નુકશાન ”
પ્રશ્ન :-
આ પાપ આત્માઓ
ની દુનિયામાં કઈ વાત બિલ્કુલ અસંભવ છે અને કેમ?
ઉત્તર :-
અહીં કોઈ કહે અમે પુણ્ય આત્મા છીએ, આ બિલ્કુલ અસંભવ છે કારણ કે દુનિયા જ કળયુગી
તમોપ્રધાન છે. મનુષ્ય જેને પુણ્યનું કામ સમજે છે એ પણ પાપ થઈ જાય છે કારણ કે દરેક
કર્મ વિકારોનાં વશ થઈ કરે છે.
ઓમ શાંતિ!
આ તો બાળકો
સમજતાં હશે આપણે હવે બ્રહ્માનાં બાળકો-બ્રહ્માકુમારીઓ છીએ. પછી થઈએ છીએ દેવી-દેવતા.
આ તો તમે જ સમજો છો, બીજા કોઈ નથી સમજતાં. તમે જાણો છો આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ
બેહદનું ભણતર ભણી રહ્યા છીએ. ૮૪ જન્મોનું ભણતર પણ ભણીએ, સૃષ્ટિ ચક્રનું ભણતર પણ
ભણીએ. પછી તમને આ શિક્ષણ મળે છે કે પવિત્ર બનવાનું છે. અહીંયા બેઠા આપ બાળકો બાપને
યાદ તો જરુર કરો છો પાવન બનવા માટે. પોતાનાં દિલને પૂછો, સાચે-સાચે અમે બાપની યાદમાં
બેઠા હતાં કે માયા રાવણ બુદ્ધિને બીજી તરફ લઈ ગઈ. બાપ એ કહ્યું છે મામેકમ્ યાદ કરો
તો પાપ કપાય. હવે સ્વયંથી પૂછવાનું છે અમે બાબાની યાદમાં રહ્યા કે બુદ્ધિ ક્યાંય
ચાલી ગઈ? સ્મૃતિ રહેવી જોઈએ - કેટલો સમય આપણે બાબાની યાદમાં રહ્યા? કેટલો સમય આપણી
બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ? પોતાંની અવસ્થાને જુઓ. જેટલો સમય બાપને યાદ કરશો, એનાથી જ
પાવન બનશો. જમા અને બાદ નું પણ પોતામેલ રાખવાનું છે. આદત હશે તો યાદ પણ રહેશે. લખતાં
રહેશો. ડાયરી તો બધાનાં પાકીટમાં રહે જ છે. જે પણ વ્યાપાર વાળા હોય છે, એમની છે હદની
ડાયરી. તમારી છે બેહદની ડાયરી. તો તમારે પોતાંનો ચાર્ટ નોટ કરવાનો છે. બાપનું ફરમાન
છે - ધંધો વગેરે બધું કરો પરંતુ થોડો સમય કાઢી મને યાદ કરો. સ્વયંનાં પોતામેલ ને
જોઈ ફાયદો વધારતાં જાઓ. નુક્શાન ન કરો. તમારું યુદ્ધ તો છે ને. સેકન્ડમાં ફાયદો,
સેકન્ડમાં નુકસાન. ઝટ ખબર પડે છે, આપણે ફાયદો કર્યો કે નુકસાન? તમે વ્યાપારી છો ને.
કોઈ વિરલા આ વ્યાપાર કરે છે. સ્મૃતિ થી છે ફાયદો, વિસ્મૃતિ થી છે નુકસાન. આ પોતાની
તપાસ કરવાની છે, જેમને ઉંચ પદ પામવું છે તેમને તો ઈચ્છા રહે છે - જોઈએ, અમે કેટલો
સમય વિસ્મૃતિમાં રહ્યા? આ તો આપ બાળકો જાણો છો આપણે બધી આત્માઓનાં બાપ પતિત-પાવન
છે. આપણે અસલમાં આત્માઓ છીએ. પોતાનાં ઘરેથી અહીં આવ્યા છીએ, આ શરીર લઇ પાર્ટ ભજવીએ
છીએ. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. સંસ્કાર પણ આત્મામાં રહે છે. બાબા પૂછે છે
- હેં આત્મા યાદ કરો, આ જન્મમાં નાનપણમાં કોઈ ઊલટું કામ તો નથી કર્યું ને? યાદ કરો.
૩-૪ વર્ષથી લઈ યાદ તો રહે છે, અમે નાનપણ કેવું વિતાવ્યું છે, શું-શું કર્યું છે?
કોઈ પણ વાતે દિલ અંદર ખાતી તો નથી ને? યાદ કરો. સતયુગમાં પાપ કર્મ હોતાં જ નથી તો
પૂછવાની વાત નથી રહેતી. અહીં તો પાપ થાય જ છે. મનુષ્ય જેમને પુણ્યનું કામ સમજે છે એ
પણ પાપ જ છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. તમારી લેણ-દેણ પણ છે પાપ આત્માઓથી. પુણ્ય
આત્મા અહીં છે જ નહીં. પુણ્ય આત્માઓની દુનિયામાં પછી એક પણ પાપ આત્મા નથી. પાપ
આત્માઓની દુનિયામાં એક પણ પુણ્ય આત્મા ન હોઈ શકે. જે ગુરુઓનાં ચરણોમાં પડે છે એ પણ
કોઈ પુણ્ય આત્મા નથી. આ તો છે જ કળયુગ એ પણ તમોપ્રધાન. તો આમાં કોઇપણ પુણ્ય આત્મા
હોવું જ અસંભવ છે. પુણ્ય આત્મા બનવા માટે જ બાપને બોલાવે છે કે આવીને અમને પાવન
આત્મા બનાવો. એવું નથી, કોઈ બહુ જ દાન-પુણ્ય વગેરે કરે છે, ધર્મશાળા વગેરે બનાવે છે
તો એ કોઈ પુણ્ય આત્મા છે. ના, લગ્ન વગેરે માટે હોલ બનાવે છે આ કોઈ પુણ્ય થોડી છે. આ
સમજવાની વાત છે. આ છે રાવણ રાજ્ય, પાપ આત્માઓની આસુરી દુનિયા. આ વાતોને સિવાય તમારા
બીજું કોઈ નથી જાણતું. રાવણ ભલે છે પરંતુ તેને ઓળખે થોડી છે. શિવનું ચિત્ર પણ છે
પરંતુ ઓળખતાં નથી. મોટા-મોટા શિવલિંગ વગેરે બનાવે છે, તો પણ કહી દે નામ-રુપ થી
ન્યારા છે, સર્વવ્યાપી એટલે બાપએ કહ્યું છે યદા યદાહિ.... ભારતમાં જ શિવબાબાની
ગ્લાનિ થાય છે. જે બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે, તમે મનુષ્ય મત પર ચાલી એમની
કેટલી ગ્લાનિ કરો છો. મનુષ્ય મત અને ઈશ્વરીય મતની પુસ્તક પણ છે ને. આ તો તમે જાણો
છો અને સમજાવો છો અમે શ્રીમત પર દેવતા બનીએ છીએં. રાવણ મત પર પછી આ આસુરી મનુષ્ય બની
જાય છે. મનુષ્ય મતને આસુરી મત કહેવાય છે. આસુરી કર્તવ્ય જ કરતાં રહે છે. મૂળ વાત
ઈશ્વરને સર્વવ્યાપી કહી દીધા. કચ્છ અવતાર, મચ્છ અવતાર..... તો કેટલા આસુરી છી-છી બની
ગયા છે. તમારી આત્મા કચ્છ-મચ્છ અવતાર નથી લેતી, મનુષ્ય તનમાં જ આવે છે. હવે તમે સમજો
છો આપણે કોઈ કચ્છ-મચ્છ થોડા બનીએ છીએ, ૮૪ લાખ યોની થોડી લઈએ છીએ. હવે તમને બાપની
શ્રીમત મળે છે - બાળકો, તમે ૮૪ જન્મ લો છો. ૮૪ અને ૮૪ લાખનાં શું પર્સન્ટેજ (ટકા)
કહેશો! જૂઠું તો પૂરું જૂઠું, સાચાંની રત્તી નથી. આનો પણ અર્થ સમજાવવો જોઈએ. ભારતનો
હાલ જુઓ શું છે. ભારત સચખંડ હતું, જેને સ્વર્ગ જ કહેવાતું હતું. અડધો કલ્પ છે
રામરાજ્ય, અડધો કલ્પ છે રાવણ રાજ્ય. રાવણ રાજ્યને આસુરી સંપ્રદાય કહેશે. કેટલો કડક
અક્ષર છે. અડધો કલ્પ દેવતાઓનું રાજ્ય ચાલે છે. બાપ એ સમજાવ્યું છે લક્ષ્મી-નારાયણ
ધી ફર્સ્ટ, ધી સેકન્ડ, ધી થર્ડ કહેવાય છે. જેમ એડવર્ડ ફર્સ્ટ, સેકન્ડ હોય છે ને.
પહેલી પેઢી, પછી બીજી પેઢી આવી રીતે ચાલે છે. તમારુ પણ પહેલાં હોય છે સૂર્યવંશી
રાજ્ય પછી ચંદ્રવંશી. બાપએ આવીને ડ્રામાનું રહસ્ય પણ સારી રીતે સમજાવ્યું છે. તમારા
શાસ્ત્રોમાં આ બધી વાતો ન હતી. કોઈ-કોઈ શાસ્ત્રોમાં થોડી રેખાઓ લગાડેલી છે પરંતુ તે
સમયે જેમણે પુસ્તક બનાવ્યા છે એમણે કંઈ સમજ્યું નથી.
બાબા પણ જ્યારે બનારસ ગયા હતાં એ સમયે આ દુનિયા સારી નહોતી લાગતી, ત્યાં બધી દિવાલો
પર રેખાઓ બેસી લગાડતાં હતાં. બાપ આ બધું કરાવતાં હતાં પરંતુ અમે (બ્રહ્મા બાબા) તો
એ સમયે બાળક હતાં ને. પૂરું સમજમાં નહોતું આવતું. બસ કોઈ છે જે અમારાથી આ કરાવે છે.
વિનાશ જોયો તો અંદરમાં ખુશી પણ હતી. રાતનાં સૂતાં હતાં તો પણ જાણે ઉડતાં રહેતાં હતાં
પરંતુ કંઇ સમજમાં નહોતું આવતું. આમ-આમ રેખાઓ ખેંચતા રહેતાં હતાં. કોઈ તાકાત છે જેમણે
પ્રવેશ કર્યો છે. અમે વન્ડર ખાતાં હતાં. પહેલા તો ધંધો વગેરે કરતાં હતાં પછી શું થયું,
કોઈને જોતાં હતાં અને ઝટ ધ્યાનમાં ચાલ્યા જતાં હતાં. કહેતાં હતાં આ શું થાય છે જેમને
જોવે છે એમની આંખો બંધ થઈ જાય છે. પૂછતાં હતાં શું જોયું તો કહેતાં હતાં વૈકુંઠ જોયું,
કૃષ્ણ જોયા. આ પણ બધી સમજવાની વાતો થઈ ને એટલે બધુંજ છોડીને બનારસ ચાલ્યા ગયા સમજવા
માટે. આખો દિવસ બેસી રહેતાં હતાં. પેન્સિલ અને દિવાલ બીજો કોઈ ધંધો જ નહી. બાળક હતાં
ને. તો આમ-આમ જ્યારે જોયું તો સમજ્યા હવે આ કંઈ કરવાનું નથી. ધંધો વગેરે છોડવો પડશે.
ખુશીથી આ ગદાઈ છોડવાની છે. રાવણ રાજ્ય છે ને. રાવણ પર ગધેડાનું શીશ દેખાડે છે ને,
તો ખ્યાલ આવ્યો આ રાજાઈ નથી, ગદાઈ છે. ગધેડો ઘડી-ઘડી માટીમાં આળોટી ધોબીનાં કપડા બધા
ખરાબ કરી દે છે. બાપ પણ કહે છે તમે શું હતાં, હવે તમારી શું અવસ્થા થઈ ગઈ છે. આ બાપ
જ બેસી સમજાવે છે અને આ દાદા પણ સમજાવે છે. બંનેનું ચાલતું રહે છે. જ્ઞાનમાં જે સારી
રીતે સમજાવે છે એ હોશિયાર કહેવાશે. નંબરવાર તો છે ને. આપ બાળકો પણ સમજાવો છો, આ
રાજધાની સ્થાપન થઈ રહી છે. જરુર નંબરવાર પદ પામશે. આત્મા જ પોતાનો પાર્ટ કલ્પ-કલ્પ
ભજવે છે. બધા એક સમાન જ્ઞાન નહી ઉઠાવશે. આ સ્થાપના જ વન્ડરફુલ છે. બીજું કોઈ સ્થાપના
નું જ્ઞાન થોડી આપે છે. સમજો શીક્ખ ધર્મની સ્થાપના થઈ. શુદ્ધ આત્માએ પ્રવેશ કર્યો,
થોડા સમય પછી શીક્ખ ધર્મની સ્થાપના થઇ. તેમનાં હેડ કોણ? ગુરુનાનક. તેમણે આવીને જપ
સાહેબ બનાવ્યું. પહેલા તો નવી આત્મા જ હશે કારણ કે પવિત્ર આત્મા હોય છે. પવિત્રને
મહાન આત્મા કહે છે. સુપ્રીમ તો એક બાપને કહેવાય છે. તેઓ પણ ધર્મ સ્થાપના કરે છે તો
મહાન કહેવાશે. પરંતુ નંબરવાર પાછળ-પાછળ આવે છે. ૫૦૦ વર્ષ પહેલા એક આત્મા આવી, આવીને
શીક્ખ ધર્મ સ્થાપન કર્યો, એ સમયે ગ્રંથ ક્યાંથી આવશે. જરુર સુખમણી જપ સાહેબ વગેરે
પછી બનાવ્યા હશે ને! શું શિક્ષણ આપે છે. ઉમંગ આવે છે તો બાપની બેસી મહિમા કરે છે.
બાકી આ પુસ્તક વગેરે તો પછી બને છે. જ્યારે ઘણા હોય. વાંચવાવાળા પણ જોઈએ ને. બધાનાં
શાસ્ત્ર પાછળથી બન્યા હશે. જ્યારે ભક્તિ માર્ગ શરુ થાય ત્યારે શાસ્ત્ર વાંચે. જ્ઞાન
જોઈએ ને. પહેલા સતોપ્રધાન હશે પછી સતો, રજો, તમો માં આવે છે. જ્યારે બહુ જ વૃદ્ધિ
થાય ત્યારે મહિમા થાય અને શાસ્ત્ર વગેરે બને. નહી તો વૃદ્ધિ કોણ કરે. ફોલોઅર્સ (અનુયાયીઓ)
બન્યાં ને. શીક્ખ ધર્મની આત્માઓ આવે જે આવીને અનુકરણ કરે. આમાં ઘણો સમય જોઈએ. નવી
આત્મા જે આવે છે તેમને દુઃખ તો હોઈ ન શકે. લો (કાયદો) નથી કહેતો. આત્માં સતોપ્રધાન
થી સતો, રજો, તમો માં આવે ત્યારે દુઃખ થાય. લો (કાયદો) પણ છે ને! અહીંયા છે મિક્સઅપ
(મિશ્રણ) રાવણ સંપ્રદાય પણ છે, તો રામ સંપ્રદાય પણ છે. હમણાં તો સંપૂર્ણ બન્યા નથી.
સંપૂર્ણ બનશે તો પછી શરીર છોડી દેશે. કર્માતીત અવસ્થા વાળાને કોઈ દુઃખ હોઈ ન શકે.
તે આ છી-છી દુનિયામાં રહી ન શકે. તેઓ ચાલ્યા જશે બાકી જે રહેશે એ કર્માતીત નહીં
બન્યા હશે. બધાં તો એક-સાથે કર્માતીત થઇ ન શકે. ભલે વિનાશ થાય છે તો પણ થોડાક બચશે.
પ્રલય નથી થતી. ગાએ પણ છે રામ ગયો, રાવણ ગયો.... રાવણનો બહુ જ પરિવાર હતો. આપણો
પરિવાર તો થોડો છે. તે કેટલા અસંખ્ય ધર્મ છે. હકીકતમાં સૌથી મોટો આપણો પરિવાર હોવો
જોઈએ કારણ કે દેવી-દેવતાં ધર્મ સૌથી પહેલા છે. હવે તો બધું મિશ્રણ થયું છે તો
ક્રિશ્ચન બહુજ બની ગયા છે. જ્યાં મનુષ્ય સુખ જુએ છે, પોઝીશન (પદ) જુએ છે તો એ ધર્મનાં
બની જાય છે. જ્યારે-જ્યારે પોપ આવે છે તો બહુજ ક્રિશ્ચન બને છે. પછી વૃદ્ધિ પણ ઘણી
થાય છે. સતયુગમાં તો છે જ એક બાળક, એક બાળકી. બીજા કોઇ ધર્મની આવી વૃદ્ધિ નથી થતી.
હવે જુઓ સૌથી ક્રિશ્ચન હોશિયાર છે. જે બહુજ બાળકો પેદા કરે છે એમને ઇનામ મળે છે
કારણ કે તેમને તો મનુષ્ય જોઈએ ને. જે મિલેટ્રી લશ્કર કામમાં આવશે. છે તો બધા
ક્રિશ્ચન. રશિયા, અમેરિકા બધાં ક્રિશ્ચન છે, એક વાર્તા છે બે વાંદરા લડ્યા માખણ
બિલાડી ખાઈ ગઈ. આ પણ ડ્રામા બનેલો છે. પહેલાં તો હિંદુ, મુસલમાન એક-સાથે રહેતાં હતાં.
જ્યારે અલગ થયા ત્યારે પાકિસ્તાનની નવી રાજધાની ઊભી થઈ ગઈ. આ પણ ડ્રામા બનેલો છે.
બે લડશે તો બારુદ લેશે, ધંધો થશે. ઊંચેથી ઊંચા તેમનો આ ધંધો છે. પરંતુ ડ્રામામાં
વિજય ની ભાવી તમારી છે. ૧૦૦ ટકા સરટેન (નિશ્ચિત) છે, તમને કોઈ પણ જીતી નથી શકતું.
બાકી બધું ખતમ થઇ જશે. તમે જાણો છો નવી દુનિયામાં આપણું રાજ્ય હશે, જેનાં માટે જ તમે
ભણો છો. લાયક બનો છો. તમે લાયક હતાં હવે ન લાયક બની ગયા છો ફરી લાયક બનવાનું છે.
ગાએ પણ છે - પતિત-પાવન આવો. પરંતુ અર્થ થોડી સમજે છે. આ છે જ આખું જંગલ. હવે બાપ
આવ્યા છે, આવીને કાંટા નાં જંગલને ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો) બનાવે છે. એ છે
ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા). આ છે ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). આખી મનુષ્ય સૃષ્ટીનું
રહસ્ય સમજાવ્યું છે. તમે હવે સમજો છો આપણે પોતાનાં ધર્મને ભૂલી ધર્મ ભ્રષ્ટ થઈ ગયા
છીએ. તો બધા કર્મ વિકર્મ જ થાય છે. કર્મ, વિકર્મ, અકર્મ ની ગતિ બાબા તમને સમજાવીને
ગયા હતાં. તમે સમજો છો બરાબર કાલે આપણે આવા હતાં પાછા આજે આપણે આ બનીયે છીએ. નજીક
છે ને. બાબા કહે છે કાલે તમને દેવતા બનાવ્યા હતાં. રાજ્ય-ભાગ્ય આપ્યું હતું પછી બધું
ક્યાં ગયું? તમને સ્મૃતિ આવી છે - ભક્તિમાર્ગમાં આપણે કેટલું ધન ગુમાવ્યું છે. કાલની
વાત છે ને. બાપ તો આવીને હથેળી પર બહિશ્ત (સ્વર્ગ) આપે છે. આ જ્ઞાન બુદ્ધિમાં રહેવું
જોઈએ. બાબાએ આ પણ સમજાવ્યું છે આ આંખો કેટલી દગો દે છે, ક્રિમિનલ (અપવિત્ર) આંખો ને
જ્ઞાનથી સિવિલ (પવિત્ર) બનાવવાની છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
બેહદની ડાયરીમાં ચાર્ટ નોટ કરવાનો છે. અમે યાદમાં રહીને કેટલો ફાયદો વધાર્યો?
નુકસાન તો નથી પડ્યું? યાદનાં સમયે બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ?
2. આ જન્મમાં નાનપણથી આપણાથી કયા-કયા ઉલ્ટા કર્મ કે પાપ થયા છે, એ નોટ કરવાનું છે.
જે વાતમાં દિલ ખાય છે એને બાપને સંભળાવી હલકા થઇ જવાનું છે. હવે કોઈ પણ પાપનું કામ
નથી કરવાનું.
વરદાન :-
સારા પર
પ્રભાવિત થવાને બદલે તેને સ્વયંમાં ધારણ કરવાવાળા પરમાત્મ સ્નેહી ભવ :
જો પરમાત્મા સ્નેહી
બનવું છે તો બોડીકોન્સીયસ (દેહ-અભિમાન) ની રુકાવટ ને ચેક કરો. ઘણા બાળકો કહે છે આ
બહુ સારા કે સારી છે. એટલે થોડો રહેમ આવે છે....કોઈનો કોઈનાં શરીરથી લગાવ હોય તો
કોઈનો કોઈનાં ગુણોથી કે વિશેષતાઓથી. પરંતુ એ વિશેષતા કે ગુણ આપવાવાળા કોણ? કોઈ સારા
છે તો સારા ને ધારણ ભલે કરો પરંતુ સારા થી પ્રભાવિત નહીં થઈ જાઓ. ન્યારા અને બાપ
નાં પ્યારા બનો. એવા પ્યારા અર્થાત પરમાત્મ સ્નેહી બાળકો સદા સેફ (સલામત) રહે છે.
સ્લોગન :-
શાંતિની શક્તિ
ઈમર્જ કરો તો સેવાની ગતિ ફાસ્ટ થઈ જશે.