16-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમે છો ત્રિમૂર્તિ બાપ નાં બાળકો , તમને પોતા નાં ત્રણ કર્તવ્ય યાદ રહે – સ્થાપ ના , વિ ના શ અને પાલ ના ”

પ્રશ્ન :-
દેહ-અભિમાન ની આકરી બીમારી લાગવાથી કયું-કયું નુકસાન થાય છે.

ઉત્તર :-
૧. દેહ-અભિમાન વાળાની અંદર ઈર્ષા હોય છે, ઈર્ષા નાં કારણે આપસ માં લૂન-પાણી થતા રહે, પ્રેમથી સેવા નથી કરી શકતા. અંદર જ અંદર બળતા રહે છે. ૨. બેપરવાહ રહે છે. માયા તેમને બહુ જ દગો આપતી રહે છે. પુરુષાર્થ કરતા-કરતા ફા થઈ જાય છે, જેનાં કારણે ભણતર જ છૂટી જાય છે. ૩. દેહ-અભિમાન નાં કારણે દિલ સાફ નથી, દિલ સાફ ન હોવાનાં કારણે બાપ નાં દિલ પર નથી ચઢતા. ૪. મૂડ ઓફ કરી દે છે. તેમનો ચહેરો જ બદલાઈ જાય છે.

ઓમ શાંતિ!
ફક્ત બાપને જ યાદ કરો છો કે બીજું પણ કંઈ યાદ આવે છે? બાળકો ને સ્થાપના, વિનાશ અને પાલના - ત્રણેય ની યાદ હોવી જોઈએ કારણકે સાથે-સાથે ભેગું ચાલે છે ને. જેમ કોઇ બેરિસ્ટરી ભણે છે તો તેમને ખબર છે હું બેરિસ્ટર બનીશ, વકીલાત કરીશ. બેરિસ્ટરી ની પાલના પણ કરશે ને. જે પણ ભણશે તેમનું લક્ષ્ય તો આગળ રહેશે. તમે જાણો છો. આપણે હમણાં કન્સ્ટ્રકશન (સ્થાપના) કરી રહ્યા છીએં. પવિત્ર નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છીએં, આમાં યોગ બહુ જ જરુરી છે. યોગ થી જ આપણી આત્મા જે પતિત બની ગઈ છે, તે પાવન બનશે. તો આપણે પવિત્ર બની ફરી પવિત્ર દુનિયામાં જઈને રાજ્ય કરશું, આ બુદ્ધિ માં આવવું જોઈએ. બધી પરીક્ષામાં સૌથી મોટી પરીક્ષા અથવા બધાં ભણતરથી ઊંચું ભણતર આ છે. ભણતર તો અનેક પ્રકારનાં છે ને. તેઓ તો બધાં મનુષ્ય, મનુષ્યને ભણાવે છે અને તે ભણતર આ દુનિયા નાં માટે છે. ભણીને પછી તેનું ફળ અહીંયા જ પામશે. આપ બાળકો જાણો છો આ બેહદ નાં ભણતર નું ફળ આપણને નવી દુનિયામાં મળવાનું છે. તે નવી દુનિયા કોઈ દૂર નથી. હમણાં સંગમયુગ છે. નવી દુનિયામાં જ આપણે રાજ્ય કરવાનું છે. અહીંયા બેઠા છો તો પણ બુદ્ધિ માં આ યાદ કરવાનું છે. બાપની યાદ થી જ આત્મા પવિત્ર બનશે. પછી આ પણ યાદ રાખવાનું છે કે આપણે પવિત્ર બનશું પછી આ ઈમપ્યોર (અપવિત્ર) દુનિયાનો વિનાશ પણ જરુર થશે. બધાં તો પવિત્ર નહીં બનશે. તમે બહુ જ થોડા છો જેમના માં તાકાત છે. તમારામાં પણ નંબરવાર તાકાત અનુસાર જ સૂર્યવંશી ચંદ્રવંશી બને છે ને. તાકાત તો દરેક વાતમાં જોઈએ. આ છે ઇશ્વરીય માઈટ (શક્તિ), આને યોગબળ ની માઈટ (શક્તિ) કહેવાય છે. બાકી બધી છે શારીરિક માઈટ. આ છે રુહાની માઈટ. બાપ કલ્પ-કલ્પ કહે છે - હેં બાળકો, મામેકમ યાદ કરો. સર્વશક્તિમાન બાપ ને યાદ કરો. એ તો એક જ બાપ છે એમને યાદ કરવાથી આત્મા પવિત્ર બનશે. આ બહુ જ સારી વાતો છે - ધારણ કરવાની, જેમને આ નિશ્ચય જ નથી કે અમે ૮૪ જન્મ લીધા છે, તેમની બુદ્ધિ માં આ વાતો બેસશે નહીં. જે સતોપ્રધાન દુનિયામાં આવ્યા હતા, તેજ હવે તમોપ્રધાન માં આવ્યા છે. તેઓ જ આવીને જલ્દી નિશ્ચય બુદ્ધિ બનશે. જો કંઈ પણ નથી સમજતા તો પૂછવું જોઈએ. પૂરી રીતે સમજે તો બાપને પણ યાદ કરે. સમજશે નહીં તો યાદ પણ નહીં કરી શકશે. આ તો સીધી વાત છે. આપણે આત્માઓ જે સતોપ્રધાન હતાં તેજ ફરી તમોપ્રધાન બન્યાં છે, જેમને આ સંશય હશે કે કેવી રીતે સમજીએ અમે ૮૪ જન્મ લઈએ છીએં અથવા બાપથી કલ્પ પહેલા પણ વારસો લીધો છે, તેઓ તો ભણવામાં પૂરું ધ્યાન જ નહીં આપે. સમજાય છે કે તેમની તકદીર માં નથી. તો કલ્પ પહેલા પણ નથી સમજ્યા એટલે યાદ કરી નહી શકે. આ છે જ ભવિષ્ય માટે ભણતર. નથી ભણતા તો સમજાઈ જાય છે કલ્પ-કલ્પ નથી ભણતા અથવા થોડા માર્ક્સ (ટકા) થી પાસ થયા હતા. સ્કૂલમાં બહુ જ ફેલ (નપાસ) પણ થાય છે. પાસ પણ નંબરવાર જ થાય છે. આ પણ ભણતર છે, આમાં નંબરવાર પાસ થશે. જે હોશિયાર છે તેઓ તો ભણીને પછી ભણાવતા રહેશે. બાપ કહે છે હું આપ બાળકોનો સર્વન્ટ (સેવક) છું. બાળકો પણ કહે છે કે અમે પણ સર્વન્ટ છીએં. દરેક ભાઈ-બહેન નું કલ્યાણ કરવાનું છે. બાપ આપણું કલ્યાણ કરે છે, આપણે પછી બીજાઓનું કલ્યાણ કરવાનું છે. બધાંને આ પણ સમજાવવાનું છે, બાપને યાદ કરો તો પાપ કપાઈ જાય. જેટલો-જેટલો જે અનેકોને પૈગામ (સંદેશ) પહોંચાડે છે, તેમને મોટા પેગંબર કહેવાશે. તેમને જ મહારથી અથવા ઘોડેસવાર કહેવાય છે. પ્યાદા પછી પ્રજામાં ચાલ્યા જાય છે. આમાં પણ બાળકો સમજે છે કોણ-કોણ સાહૂકાર બની શકશે. આ જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ. આપ બાળકો જે સર્વિસ માટે નિમિત્ત બનેલા છો, સર્વિસ માટે જ જીવન આપેલું છે તો પદ પણ એવું પામશો. તેમને કોઈ ની પરવાહ નથી રહેતી. મનુષ્ય પોતાનાં હાથ-પગ વાળા છે ને. બાંધી તો ન શકાય. પોતાને સ્વતંત્ર રાખી શકે છે. એવા કેમ બંધનમાં ફસાવું? કેમ નહીં બાપથી અમૃત લઈને અમૃત નું જ દાન કરુ. હું કોઈ રીઢ-બકરી થોડી છું જે કોઈ અમને બાંધે. શરુ માં આપ બાળકોએ કેવી રીતે સ્વયંને છોડાવ્યા, રડિયા મારી, હાય-હાય કરી બેસી ગયા. તમે કહેશો અમને શું પરવાહ છે, અમારે તો સ્વર્ગની સ્થાપના કરવાની છે કે આ કામ બેસીને કરવાનું છે. તે મસ્તી ચઢી જાય છે, જેને મૌલાઈ મસ્તી કહેવાય છે. આપણે મૌલા નાં મસ્તાના છીએં. તમે જાણો છો મૌલા થી આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે. મૌલા આપણને ભણાવી રહ્યા છે ને. નામ તો તેમનાં બહુ જ છે પરંતુ કોઈ નામ બહુ જ મીઠા છે. હમણાં આપણે મૌલાઈ મસ્ત બન્યાં છીએં. બાપ ડાયરેક્શન તો બહુ જ સરળ આપે છે. બુદ્ધિ પણ સમજે છે - બરાબર અમે બાપને યાદ કરતા-કરતા સતોપ્રધાન બની જઈશું અને વિશ્વનાં માલિક પણ બનશું. આજ તાત (લગન) લાગેલી છે. બાપને હરઘડી યાદ કરવા જોઈએ. સામે બેઠા છે ને. અહીંયા થી બહાર નીકળ્યા અને ભૂલી જશે. અહીંયા જેટલો નશો ચઢે છે તેટલો બહારમાં નથી રહેતો, ભૂલી જાય છે. તમારે ભૂલવું ન જોઈએ. પરંતુ તકદીરમાં નથી તો અહીયા બેઠાં પણ ભૂલી જાય છે.

બાળકો માટે મ્યુઝિયમ માં અને ગામ-ગામ માં સર્વિસ કરવા માટે પ્રબંધ થઇ રહ્યાં છે. જેટલો પણ સમય મળ્યો છે, બાપ તો કહે છે જલ્દી-જલ્દી કરો. પરંતુ ડ્રામામાં જલ્દી થઈ નથી શકતી. બાપ તો કહે છે એવું મશીન હોય જે હાથ નાખીએ અને ચીજ તૈયાર થઈ જાય. આ પણ બાપ સમજાવતા રહે છે - સારા-સારા બાળકોને માયા નાક અને કાન થી સારી રીતે પકડે છે. જે સ્વયંને મહાવીર સમજે છે તેમને જ માયાનાં બહુ જ તોફાન આવે છે પછી તેઓ કોઈની પણ પરવાહ નથી કરતા. છૂપાવી લે છે. આંતરિક દિલ સાચી નથી. સાચી દિલવાળા જ સ્કોલરશીપ પામે છે. શૈતાની દિલ ચાલી ન શકે. શૈતાની દિલ થી પોતાનો જ બેડો ડુબાડી દે છે. બધાંને શિવબાબા થી કામ છે. આ તો તમે સાક્ષાત્કાર કરો છો. બ્રહ્માને પણ બનાવવા વાળા શિવબાબા છે. શિવબાબા ને યાદ કરીએ ત્યારે આવા બનીએ. બાબા સમજે છે માયા બહુ જ જબરદસ્ત છે. જેમ ઉંદર કરડે છે તો ખબર પણ નથી પડતી, માયા પણ એવી મસ્ત ઉંદરડી છે. મહારથીઓ એ જ ખબરદાર રહેવાનું છે. તેઓ સ્વયં સમજતા નથી કે અમને માયાએ નીચે પાડી દીધા છે. લૂન-પાણી બનાવી દીધા છે. સમજવું જોઈએ લૂન-પાણી થવાથી આપણે બાપની સર્વિસ કરી નહીં શકીએ. અંદર જ બળતા રહેશે. દેહ-અભિમાન છે ત્યારે બળે છે. તે અવસ્થા તો છે નહીં. યાદનું જોહર (બળ) ભરાતું નથી, એટલે બહુ જ ખબરદાર રહેવું જોઈએ. માયા બહુ જ હોશિયાર છે, જ્યારે તમે યુદ્ધનાં મેદાન પર છો તો માયા પણ છોડતી નથી. અડધું-પોણું તો ખતમ કરી દે છે, કોઈને ખબર પણ નથી પડતી. કેવા સારા-સારા, નવાં-નવાં પણ ભણવાનું બંધ કરી ઘરમાં બેસી જાય છે. સારા-સારા નામીગ્રામી પર પણ માયાનો વાર થાય છે. સમજવાં છતાં પણ બેપરવાહ થઇ જાય છે. થોડી વાતમાં ઝટ લૂન-પાણી થઇ જાય છે. બાપ સમજાવે છે દેહ-અભિમાન નાં કારણે જ લૂન-પાણી થાય છે. સ્વયંને દગો દે છે. બાપ કહેશે આ પણ ડ્રામા. જે કઈ જુએ છે કલ્પ પહેલા ની જેમ ડ્રામા ચાલતો રહે છે. નીચે-ઉપર અવસ્થા થતી રહે છે. ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક બહુ જ સારી સર્વિસ કરી ખુશખબરી લખે છે. નીચે-ઉપર થતું રહે છે. ક્યારેક હાર, ક્યારેક જીત. પાંડવો ની માયાથી ક્યારેક હાર, ક્યારેક જીત થાય છે. સારા-સારા મહારથી પણ હલી જાય છે, ઘણાં મરી પણ જાય છે એટલે જ્યાં પણ રહો બાપને યાદ કરતા રહો અને સર્વિસ કરતા રહો. તમે નિમિત્ત બનેલા છો સર્વિસ માટે. તમે લડાઈ નાં મેદાનમાં છો ને. જે બહારવાળા ઘર ગૃહસ્થ વ્યવહારમાં રહે છે, અહીંયા વાળાથી પણ બહુ જ આગળ જઈ શકે છે. માયાની સાથે પૂરું યુદ્ધ ચાલતું રહે છે. સેકન્ડ પછી સેકન્ડ તમારો કલ્પ પહેલાની જેમ પાર્ટ ચાલતો આવ્યો છે. તમે કહેશો આટલો સમય પસાર થઈ ગયો, શું-શું થયું છે, તે પણ બુદ્ધિ માં છે. બધું જ્ઞાન બુદ્ધિ માં છે. જેમ બાપમાં જ્ઞાન છે, આ દાદામાં પણ આવવું જોઈએ. બાબા બોલે છે તો જરુર દાદા પણ બોલતા હશે. તમે પણ જાણો છો કોણ-કોણ સારા દિલ સાફ છે. દિલ સાફવાળા જ દિલ પર ચઢે છે. તેમનામાં લૂન-પાણી નો સ્વભાવ નથી રહેતો, સદેવ હર્ષિત રહે છે. તેમનો મૂડ ક્યારેય ફરશે નહીં. અહીંયા તો ઘણાનાં મૂડ ફરી જાય છે. વાત નહીં પૂછો. આ સમયે બધાં કહે પણ છે અમે પતિત છીએં. હમણાં પતિત-પાવન બાપને બોલાવ્યા છે કે આવીને પાવન બનાવો. બાપ કહે છે - બાળકો, મને યાદ કરતા રહો તો તમારા કપડા સાફ થાય. મારી શ્રીમત પર ચાલો. શ્રીમત પર ન ચાલવા વાળાનાં કપડા સાફ નથી થતા. આત્મા શુદ્ધ થતી જ નથી. બાપ તો દિવસ-રાત આનાં પર જ જોર આપે છે - સ્વયંને આત્મા સમજો. દેહ-અભિમાન માં આવવાથી જ તમે ઘુટકા ખાઓ (મૂંઝાઓ) છો. જેટલા-જેટલા ઉપર ચઢતાં જાઓ છો, ખુશનુમ: થતા જાઓ છો અને હર્ષિતમુખ રહો છે. બાબા જાણે છે સારા-સારા ફર્સ્ટ ક્લાસ બાળકો છે પરંતુ અંદર ની હાલત જુઓ તો ગળી રહ્યા છે. દેહ-અભિમાન ની આગ જાણે ગળાવી રહી છે. સમજતા નથી આ બીમારી પછી ક્યાંથી આવી. બાપ કહે છે દેહ-અભિમાન થી આ બીમારી આવે છે. દેહી-અભિમાની ને ક્યારેય બીમારી નહીં લાગશે. બહુ જ અંદર માં બળતા રહે છે. બાપ તો કહે છે - બાળકો, દેહી-અભિમાની ભવ. પૂછે છે આ રોગ કેમ લાગ્યો છે? બાપ કહે છે આ દેહ-અભિમાન ની બીમારી એવી છે, વાત નહીં પૂછો. કોઈને આ બીમારી લાગે છે તો એકદમ ચિચડ થઈને લાગે છે (ચિપકી જાય છે), છોડતી જ નથી. શ્રીમત પર ન ચાલી પોતાનાં દેહ-અભિમાન માં ચાલે છે તો ઘા બહુ જોરથી વાગે છે. બાબાની પાસે તો બધાં સમાચાર આવે છે. માયા કેવી રીતે એકદમ નાક થી પકડી પાડી દે છે. બુદ્ધિ બિલકુલ મારી નાખે છે. સંશય બુદ્ધિ બની જાય છે. ભગવાન ને બોલાવે છે કે આવીને અમને પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનાવો અને પછી તેમની પણ વિરુદ્ધ થઈ જાય છે, તો શું ગતિ થશે! એકદમ નીચે પડીને પથ્થર બુદ્ધિ બની જાય છે. બાળકોને અહીંયા બેઠા આ ખુશી રહેવી જોઈએ, સ્ટૂડન્ટ લાઇફ ઇઝ ધ બેસ્ટ આ છે. બાપ કહે છે આનાંથી બીજું કોઈ ભણતર ઊંચું છે શું? ધ બેસ્ટ તો આ છે, ૨૧ જન્મો નું ફળ આપે છે, તો આવા ભણતરમાં કેટલુ અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. કોઈ તો બિલકુલ અટેન્શન નથી આપતા. માયા નાક-કાન એકદમ કાપી દે છે. બાપ સ્વયં કહે છે અડધો કલ્પ તેમનું રાજ્ય ચાલે છે તો એવાં પકડી લે છે જે વાત નહીં પૂછો, એટલે બહુ જ ખબરદાર રહો. એક-બીજાને સાવધાન કરતા રહો. શિવબાબા ને યાદ કરો નહીં તો માયા કાન નાક કાપી દેશે. પછી કોઈ કામના નહીં રહેશે. ઘણા સમજે પણ છે કે અમે લક્ષ્મી-નારાયણ નું પદ પામીએ, ઇમ્પોસિબલ (અસંભવ) છે. થાકીને ફા થઈ જાય છે. માયા થી હાર ખાઈને એકદમ કિચડા માં જઈને પડે છે. જુઓ, આપણી બુદ્ધિ બગડે છે તો સમજવું જોઈએ માયાએ નાક થી પકડી છે. યાદની યાત્રામાં બહુ જ બળ છે. બહુ જ ખુશી ભરેલી છે. કહે પણ છે ખુશી જેવો ખોરાક નથી. દુકાનમાં ગ્રાહક આવતા રહે છે, કમાણી થતી રહે છે તો ક્યારેય તેમને થકાવટ નહિ થશે. ભૂખ નહીં મરશે. બહુ જ ખુશી માં રહે છે. તમને તો અથાહ (બેશુમાર) ધન મળે છે. તમને તો બહુ જ ખુશી રહેવી જોઈએ. જોવું જોઈએ - અમારી ચલન દૈવી છે કે આસુરી છે? સમય બહુ જ થોડો છે. અકાળે મૃત્યુ ની પણ જેમ રેસ છે. એક્સિડન્ટ (અકસ્માત) વગેરે જુઓ કેટલા થતા રહે છે. તમોપ્રધાન બુદ્ધિ થતા જાય છે. વરસાદ જોરથી પડશે, તેને પણ કુદરતી એકસીડન્ટ (અકસ્માત) કહેશું. મોત સામે આવ્યું કે આવ્યું. સમજે પણ છે એટોમિક બોમ્બ ની લડાઈ છેડાશે. એવાં-એવાં ખોફનાક કામ કરે છે, હેરાન કરી દે છે તો પછી લડાઈ પણ છેડાશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મૌલાઈ મસ્તીમાં રહીને સ્વયંને સ્વતંત્ર બનાવાનાં છે. કોઈ પણ બંધનમાં નથી બંધાવાનું. માયા ઉંદરથી બહુ-બહુ જ સંભાળ કરવાની છે, ખબરદાર રહેવાનું છે. દિલમાં ક્યારેય પણ શૈતાની વિચાર ન આવે.

2. બાપ દ્વારા જે બેશુમાર ધન (જ્ઞાનનું) મળે છે, તેની ખુશીમાં રહેવાનું છે. આ કમાણીમાં ક્યારેય પણ સંશય બુદ્ધિ બની થાકવાનું નથી. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન એજ ઉત્તમ જીવન છે) એટલે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન દેવાનું છે.

વરદાન :-
સર્વ પ્રાપ્તિઓ નાં ખજા ના નાં સ્મૃતિ સ્વ રુ પ બની કાર્યમાં લગાવવા વાળા સદા સંતુષ્ટ આત્મા ભવ :

સંગમયુગ નું વિશેષ વરદાન સંતુષ્ટતા છે અને સંતુષ્ટતા નું બીજ સર્વ પ્રાપ્તિઓ છે. અસંતુષ્ટતા નું બીજ સ્થૂળ અથવા સૂક્ષ્મ અપ્રાપ્તિ છે. બ્રાહ્મણો નું ગાયન છે, અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ બ્રાહ્મણો નાં ખજાના માં. બધાં બાળકો ને એક દ્વારા એક જેવા અખૂટ ખજાન મળે છે. ફક્ત તે પ્રાપ્ત થયેલ ખજાના ને દરેક સમયે કાર્યમાં લગાવો અર્થાત્ સ્મૃતિ સ્વરુપ બનો. બેહદની પ્રાપ્તિઓ ને હદમાં પરિવર્તન નહીં કરો તો સદા સંતુષ્ટ રહેશો.

સ્લોગન :-
જ્યાં નિશ્ચય છે ત્યાં વિજય ની તકદીરની લકીર (રેખા) મસ્તક પર છે જ.