14-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - જ્યારે
તમે નંબરવાર સતોપ્રધાન બનશો ત્યારે આ કુદરતી આપદાઓ કે વિનાશ નો ફોર્સ વધશે અને આ
જૂની દુનિયા સમાપ્ત થશે.”
પ્રશ્ન :-
કયો પુરુષાર્થ
કરવા વાળાને બાપનો પૂરો વારસો પ્રાપ્ત થાય છે?
ઉત્તર :-
૧.પૂરો વારસો
લેવો છે તો પહેલા બાપને પોતાના વારિસ બનાવો અર્થાત્ જે કંઈ તમારી પાસે છે, એ બધું
બાપ પર બલિહાર કરો. બાપને પોતાના બાળક બનાવી લો તો પૂરા વારસાનાં અધિકારી બની જશો.
૨. સંપૂર્ણ પવિત્ર બનો ત્યારે પૂરો વારસો મળશે. સંપૂર્ણ પવિત્ર નથી તો મોચરા (સજા)
ખાઈને થોડી જ માની (રોટલી) મળી જશે.
ઓમ શાંતિ!
બાળકોને ફક્ત
એક ની યાદમાં નથી બેસવાનું. ત્રણ ની યાદમાં બેસવાનું છે. ભલે એક જ છે પરંતુ તમે જાણો
છો એ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. આપણને બધાને પાછા લઈ જવા આવ્યા છે,
આ નવી વાત તમે જ સમજો છો. બાળકો જાણે છે તેઓ જે ભક્તિ શીખવાડે છે, શાસ્ત્ર સંભળાવે
છે, એ બધા છે મનુષ્ય. આમને તો મનુષ્ય નહીં કહેશે ને? આતો છે નિરાકાર, નિરાકાર
આત્માઓને બેસી ભણાવે છે. આત્મા શરીર દ્વારા સાંભળે છે. આ જ્ઞાન બુદ્ધિ માં હોવું
જોઈએ. હમણાં તમે બેહદનાં બાપ ની યાદ માં બેઠા છો. બેહદનાં બાપ એ કહ્યું છે - રુહાની
બાળકો, મને યાદ કરો તો પાપ કપાઈ જશે. અહીં શાસ્ત્ર વગેરેની કોઈ વાત નથી. જાણો છો
બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે. કેટલા સરસ શિક્ષક છે, ઊંચેથી ઊંચા, તો પદ પણ
ઊંચેથી ઊંચુ પ્રાપ્ત કરાવે છે. જ્યારે તમે સતોપ્રધાન બની જશો નંબરવાર પુરુષાર્થ
અનુસાર ત્યારે પછી લડાઇ થશે. કુદરતી આફતો પણ આવશે. યાદ પણ જરૂર કરવાનું છે. બુદ્ધિમાં
બધુ જ્ઞાન પણ હોવું જોઈએ. ફક્ત એક જ વાર પુરુષોત્તમ સંગમયુગ પર બાપ આવી ને સમજાવે
છે, નવી દુનિયા માટે. નાના બાળકો પણ બાપને યાદ કરે છે. તમે તો સમજદાર છો, જાણો છો
બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને બાપથી ઉંચ પદ પામશું. એ પણ જાણો છો આ
લક્ષ્મી-નારાયણએ નવી દુનિયામાં જે પદ પ્રાપ્ત કર્યું છે એ શિવબાબા થી પ્રાપ્ત કર્યું
છે. આ લક્ષ્મી-નારાયણ જ પછી ૮૪ નું ચક્ર લગાવી હવે બ્રહ્મા-સરસ્વતી બન્યા છે. આ જ
પછી લક્ષ્મી-નારાયણ બનશે. હમણાં પુરુષાર્થ કરી રહ્યા છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય, અંત
નું તમને જ્ઞાન છે. હવે તમે અંધશ્રદ્ધાથી દેવતાઓની આગળ માથું નહી ઝુકાવશો. દેવતાઓની
આગળ મનુષ્ય જઈને પોતાને પતિત સિદ્ધ કરે છે. કહે છે આપ સર્વગુણ સંપન્ન છો, અમે પાપી
વિકારી છીએ, કોઈ ગુણ નથી. તમે જેમની મહિમા ગાતા, હવે તમે સ્વયં બની રહ્યા છો. કહે
છે – બાબા, આ શાસ્ત્ર વગેરે ક્યારથી વાંચવાનું શરૂ થયું છે? બાપ કહે છે જ્યારથી
રાવણ રાજય શરૂ થયું છે. આ બધી છે ભક્તિમાર્ગની સામગ્રી. તમે જ્યારે અહીં બેસો છો તો
બુદ્ધિમાં બધું જ્ઞાન ધારણ થવું જોઈએ. આ સંસ્કાર આત્મા લઈ જશે. ભક્તિના સંસ્કાર નથી
જવાના. ભક્તિના સંસ્કાર વાળા જૂની દુનિયામાં મનુષ્યની પાસે જ જન્મ લેશે. આ પણ જરૂર
છે. તમારી બુદ્ધિ માં આ જ્ઞાનનું ચક્ર ચાલવું જોઇએ. સાથે-સાથે બાબા ને પણ યાદ કરવાના
છે. બાબા આપણા બાપ પણ છે. બાપ ને યાદ કર્યા તો વિકર્મ વિનાશ થશે. બાપ આપણા શિક્ષક
પણ છે તો ભણતર બુદ્ધિ માં આવશે અને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં છે જેનાથી તમે
ચક્રવર્તી રાજા બનશો. (યાદ ની યાત્રા ચાલી રહી છે)
ઓમ શાંતિ. ભક્તિ અને જ્ઞાન. બાપ ને કહેવાય છે જ્ઞાનના સાગર. એમને ભક્તિની બધી ખબર
છે - ભક્તિ ક્યારે શરૂ થઈ, ક્યારે પૂરી થશે. મનુષ્યને એ ખબર નથી. બાપ જ આવી ને
સમજાવે છે. સતયુગમાં તમે દેવી-દેવતા વિશ્વનાં માલિક હતા. ત્યાં ભક્તિ નું નામ નથી.
એક પણ મંદિર નહોતું. બધા દેવી-દેવતા જ હતાં. પાછળથી જ્યારે અડધી દુનિયા જૂની થાય છે
એટલે ૨૫૦૦ વર્ષ પૂરા થાય છે અથવા ત્રેતા અને દ્વાપર નો સંગમ હોય છે ત્યારે રાવણ આવે
છે. સંગમ તો જરૂર જોઈએ. ત્રેતા અને દ્વાપરના સંગમ પર રાવણ આવે છે જ્યારે દેવી-દેવતા
વામમાર્ગ માં પડે છે. આ સિવાય તમારા કોઈ નથી જાણતું. બાપ પણ આવે છે કળયુગ અંત અને
સતયુગ આદિ ના સંગમ પર અને રાવણ આવે છે ત્રેતા અને દ્વાપરના સંગમ પર. હવે એ સંગમ ને
કલ્યાણકારી નહીં કહેશો એને તો અકલ્યાણકારી જ કહેશો. બાપનું જ નામ કલ્યાણકારી છે.
દ્વાપરથી અકલ્યાણકારી યુગ શરુ થાય છે. બાપ તો છે ચૈતન્ય બીજરૂપ. એમને આખા ઝાડ નું
જ્ઞાન છે. તે બીજ પણ જો ચૈતન્ય હોય તો સમજાવે - મારાથી આ ઝાડ આમ નીકળે છે. પરંતુ જડ
હોવાના કારણે બતાવી નથી શકતું. આપણે સમજી શકીએ છીએ કે બીજ નાખવાથી પહેલા ઝાડ નાનુ
નીકળે છે. પછી મોટું થઈ ફળ દેવાનું શરૂ કરે છે. પરંતુ ચૈતન્ય જ બધું બતાવી શકે છે.
દુનિયામાં તો આજકાલ મનુષ્ય શું-શું કરતા રહે છે. શોધ કરતા રહે છે. ચંદ્રમા પર જવાની
કોશિશ કરે છે. આ બધી વાતો હવે તમે સાંભળી રહ્યા છો. ચંદ્રમા તરફ કેટલા ઊંચા લાખો
માઈલ સુધી ચાલ્યા જાય છે, તપાસ કરવા માટે કે જોઇએ ચંદ્રમા શું ચીજ છે? સમુદ્રમાં
કેટલા દુર સુધી જાય છે, તપાસ કરે છે, પરંતુ અંત પામી નથી શકતા, પાણી જ પાણી છે.
વિમાનમાં ઉપર જાય છે, એમને પેટ્રોલ એટલું નાખવાનું છે જે પછી પાછા પણ આવી શકે. આકાશ
બેહદ છે ને, સાગર પણ બેહદ છે. જેમ આ બેહદનાં જ્ઞાન સાગર છે, એ છે પાણીના બેહદ ના
સાગર. આકાશ તત્વ પણ બેહદ છે. ધરતી પણ બેહદ છે, ચાલતા જાઓ. સાગરનાં નીચે પછી ધરતી
છે. પહાડો કોના પર ઉભા છે? ધરતી પર. પછી ધરતી ને ખોદીયે છે તો પહાડ નીકળી આવે, એનાં
નીચે પછી પાણી પણ નીકળી આવે છે. સાગર પણ ધરતી પર છે. એનો કોઇ અંત નથી પામી શકતા કે
ક્યાં સુધી પાણી છે, ક્યાં સુધી ધરતી છે? પરમપિતા પરમાત્મા જે બેહદના બાપ છે, એમના
માટે બેઅંત નહીં કહેશો. મનુષ્ય ભલે કહે છે ઇશ્વર બેઅંત છે, માયા પણ બેઅંત છે. પરંતુ
તમે સમજો છો ઈશ્વર તો બેઅંત હોઈ જ ન શકે. બાકી આકાશ બેઅંત છે. આ પાંચ તત્વ છે, આકાશ,
વાયુ.... આ પાંચ તત્વ તમોપ્રધાન બની જાય છે. આત્મા જ તમોપ્રધાન બને છે પછી બાપ આવીને
સતોપ્રધાન બનાવે છે. કેટલી નાની આત્મા છે, ૮૪ જન્મ ભોગવે છે. આ ચક્ર ફરતું જ રહે
છે. આ અનાદિ નાટક છે, આનો અંત નથી થતો. આ પરંપરા થી ચાલતું આવે છે. ક્યારથી શરૂ થયું
– એમ કહીયે તો પછી અંત પણ હોય. બાકી આ વાત સમજાવવાની છે - ક્યારથી નવી દુનિયા શરૂ
થાય છે. પછી જૂની દુનિયા થાય છે. આ ૫ હજાર વર્ષ નું ચક્ર છે જે પણ ફરતું જ રહે છે.
હવે તમે જાણો છો, બાકી એમને તો ગપોડા મારી દીધા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે સતયુગ
ની આયુ આટલા લાખો વર્ષ છે. તો મનુષ્ય સાંભળી-સાંભળી એને જ સાચું સમજી લે છે. આ ખબર
જ નથી પડતી - ભગવાન ક્યારે આવીને પોતાનો પરિચય દેશે? ન જાણવાના કારણે કહી દે છે
કળયુગની આયુ ૪૦ હજાર વર્ષ હજી બાકી છે. જ્યાં સુધી તમે ન સમજાવો. હવે તમે નિમિત્ત
છો સમજાવવા માટે કે કલ્પ ૫ હજાર વર્ષનું છે, ન કે લાખો વર્ષનું છે.
ભક્તિમાર્ગની કેટલી સામગ્રી છે, મનુષ્યને પૈસા હોય છે તો પછી ખર્ચા કરે છે. બાપ કહે
છે હું તમને કેટલા પૈસા દઈ ને જાઉં છું! બેહદ નાં બાપ તો જરૂર બેહદ નો વારસો આપશે.
એનાથી સુખ પણ મળે છે, આયુ પણ લાંબી હોય છે. બાપ બાળકોને કહે છે - મારા લાડકા બાળકો,
આયુશ્વાન ભવ. ત્યાં તમારી આયુ ૧૫૦ વર્ષ રહે છે, ક્યારેય કાળ નથી ખાઈ શકતો. બાપ વર (વરદાન)
દે છે, તમને આયુશ્વાન બનાવે છે. તમે અમર બનશો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નહી થાય.
ત્યાં તમે બહુ જ સુખી રહો છો એટલે કહેવાય છે સુખધામ. આયુ પણ લાંબી હોય છે, ધન પણ બહુ
જ મળે છે, સુખી પણ બહુ જ રહો છો. કંગાલ થી સિરતાજ બની જાઓ છો. તમારી બુદ્ધિ માં છે
- બાપ આવે છે દેવી-દેવતા ધર્મની સ્થાપના કરવા. તે તો જરૂર નાનું ઝાડ હશે. ત્યાં છે
જ એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા. એને જ કહેવાય છે વિશ્વમાં શાંતિ. આખા વિશ્વમાં આપણે
જ પાર્ટધારી છીએ. એ દુનિયા નથી જાણતી. જો જાણતી હોય તો બતાવે ક્યારથી આપણે પાર્ટ
ભજવતા આવ્યા છીએ? હવે આપ બાળકોને બાપ સમજાવી રહ્યા છે. ગીતમાં પણ છે ને - બાબા થી
જે મળે છે, તે બીજા કોઈથી નથી મળતું. આખી પૃથ્વી, આકાશ, આખા વિશ્વ રાજધાની આપી દે
છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વના માલિક હતા પછી જે રાજાઓ વગેરે હોય છે એ ભારતના હતા.
ગાયન પણ છે જે બાબા આપે છે, એ બીજા કોઈ આપી ન શકે. બાપ જ આવીને પ્રાપ્તિ કરાવે છે.
તો આ બધું જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ જે કોઈને પણ સમજાવી શકો. એટલું સમજવાનું
છે. હવે સમજાવી કોણ શકે છે? જે બંધનમુક્ત છે. બાબાની પાસે જ્યારે કોઈ આવે છે તો બાબા
પૂછે છે - કેટલા બાળકો છે? તો કહે છે ૫ બાળકો પોતાના છે અને છઠ્ઠું બાળક શિવબાબા છે
તો જરૂર સૌથી મોટો બાળક થયો ને. શિવબાબાના બની ગયા તો પછી શિવબાબા પોતાનાં બાળક
બનાવી, વિશ્વના માલિક બનાવી દે છે. બાળક વારિસ થઈ જાય છે. આ લક્ષ્મી-નારાયણ શિવબાબા
ના પુરા વારિસ છે. આગળ નાં જન્મમાં શિવબાબા ને બધું આપી દીધું. તો વારસો જરૂર
બાળકોને મળવો જોઈએ. બાબાએ કહ્યું - મને વારીસ બનાવો પછી બીજું કોઈ નહીં. કહે છે -
બાબા આ બધું આપનું છે, આપનું એ પછી અમારું છે. તમે અમને આખા વિશ્વની બાદશાહીનો વારસો
આપો છો કારણ કે તમારી પાસે જે કંઈ હતું એ આપી દીધું. ડ્રામામાં નોંધ છે ને. અર્જુનને
વિનાશ પણ દેખાડ્યો, તો ચતુર્ભુજ પણ દેખાડયા. અર્જુન કોઈ બીજું તો નથી, એમને
સાક્ષાત્કાર થયો. જુઓ, રાજાઈ મળે છે તો કે કેમ નહીં શિવબાબા ને વારિસ બનાવું. એ પછી
આપણને વારિસ બનાવે છે. આ સોદો તો બહુ જ સરસ છે. ક્યારેય કોઈને કંઈ પૂછ્યું નહીં.
ગુપ્ત બધુ જ દઈ દીધું. આને કહેવાય છે ગુપ્ત દાન. કોઈને શું ખબર, એમને શું થઈ ગયું.
કોઈ એ સમજયુ એમને વૈરાગ્ય આવ્યો, કદાચ સન્યાસી બની ગયા. તો આ બાળકો પણ કહે છે ૫
બાળકો તો અમારા છે, બાકી એક બાળક અમે આમને બનાવશું. એમણે પણ બધું બાબાની આગળ રાખી
દીધું, જેનાથી બહુ બધાની સેવા થાય. બાબાને જોઈને બધા ને વિચાર આવ્યો, બધા ઘરબાર છોડી
ભાગી આવ્યા. ત્યાંથી જ હંગામા શરૂ થયા. ઘરબાર છોડવાની બધાએ હિંમત દેખાડી. શાસ્ત્રોમાં
પણ લખ્યું છે - ભટ્ટી બની હતી કારણ કે એમને એકાંત જરૂર જોઈએ. સિવાય બાપના બીજું કોઈ
યાદ ન રહે. મિત્રો-સંબંધીઓ વગેરેની પણ યાદ ન રહે કારણ આત્મા જે પતિત બની છે એને
પાવન જરૂર બનાવવાની છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહીને પવિત્ર બનો. આમાં જ
મુસીબત આવે છે. કહેતા હતા આ સ્ત્રી-પુરુષનાં વચમાં ઝઘડા કરાવવા વાળું જ્ઞાન છે કારણ
કે એક પવિત્ર, બને બીજું ન બને તો મારામારી થઇ પડે. આ બધા એ માર ખાધો છે કારણ કે
અચાનક નવી વાત થઇ ને. બધા આશ્ચર્ય ખાવા લાગ્યા, આ શું થયું જો આટલા બધા ભાગે છે.
મનુષ્યમાં સમજ તો નથી. એટલું કહેતા હતા કોઈ તાકાત છે! આવું તો ક્યારેય થયું નથી જે
પોતાનું ઘરબાર છોડીને ભાગે. ડ્રામામાં આ બધા ચરિત્ર શિવબાબા નાં છે. કોઈ ખાલી હાથ
ભાગ્યા, આપણ ખેલ છે. ઘર-બાર વગેરે બધું છોડી ભાગ્યાં, કંઈ પણ યાદ નહીં રહ્યું. બાકી
ફક્ત શરીર છે, જેનાથી કામ કરવાનું છે. આત્માને પણ યાદ ની યાત્રા થી પવિત્ર બનાવવાની
છે, ત્યારે જ પવિત્ર આત્માઓ પાછી જઈ શકે છે. સ્વર્ગમાં અપવિત્ર આત્મા તો જઈ ન શકે.
કાયદો નથી. મુક્તિધામમાં પવિત્ર જ જોઈએ. પવિત્ર બનવામાં જ કેટલા વિઘ્નો પડે છે.
પહેલા કોઈ સત્સંગ વગેરે માં જવા માટે રુકાવટ થોડી થતી હતી. ક્યાંય પણ ચાલ્યા જતા હતા.
અહીંયા પવિત્રતાના કારણે વિઘ્ન પડે છે. આ તો સમજો છો - પવિત્ર બન્યા વગર પાછા ઘરે
જઈ ન શકીએ. ધર્મરાજ દ્વારા મોચરા (સજાઓ) ખાવી પડશે. પછી થોડી માની (રોટલી) મળશે.
મોચરા (સજા) નહીં ખાઓ તો પદ પણ સારું મળશે. આ સમજ ની વાત છે. બાપ કહે છે - મીઠા
બાળકો, તમારે મારી પાસે આવવાનું છે. આ જૂનું શરીર છોડી પવિત્ર આત્મા બની આવવાનું
છે. પછી જ્યારે ૫ તત્વ સતોપ્રધાન નવા થઈ જશે, ત્યારે તમને શરીર નવું સતોપ્રધાન મળશે.
બધુ ઉથલ-પાથલ થઇ નવું બની જશે. જેમ બાબા આમનામાં આવી બેસે છે, એમ આત્મા વગર કોઈ
તકલીફ ગર્ભ મહેલમાં જઈને બેસશે. પછી જ્યારે સમય થાય છે તો બહાર આવી જાય છે તો જેમ
વીજળી ચમકી જાય છે કારણ આત્મા પવિત્ર છે. આ બધું ડ્રામા માં નોંધ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) આત્મા ને
પાવન બનાવવા માટે એકાંતની ભઠ્ઠી માં રહેવાનું છે. એક બાપના સિવાય બીજું કોઈ પણ
મિત્ર-સંબંધી યાદ ન આવે.
2) બુદ્ધિમાં બધું જ્ઞાન રાખી, બંધનમુક્ત બની બીજાની સેવા કરવાની છે. બાપથી સાચો
સોદો કરવાનો છે. જેમ બાપએ બધું જ ગુપ્ત કર્યું, એમ ગુપ્તદાન કરવાનું છે.
વરદાન :-
નિમિત્ત અને
નિર્માણ ભાવથી સેવા કરવા વાળા શ્રેષ્ઠ સફળતા મૂર્ત ભવ:
સેવાધારી
અર્થાત સદા બાપ સમાન નિમિત્ત બનવું અને નિર્માણ રહેવાવાળા. નિર્માણતા જ શ્રેષ્ઠ
સફળતાનું સાધન છે. કોઈ પણ સેવામાં સફળતા પ્રાપ્ત કરવા માટે નમ્રતા ભાવ અને નિમિત્ત
ભાવ ધારણ કરો, એનાથી સેવામાં સદા મોજનો અનુભવ કરશો. સેવામાં ક્યારેય થાક નહીં લાગે.
કોઈપણ સેવા મળે પરંતુ આ બે વિશેષતાઓથી સફળતાને મેળવી સફળતા સ્વરૂપ બની જશો.
સ્લોગન :-
સેકન્ડમાં
વિદેહી બનવાનો અભ્યાસ હોય તો સૂર્યવંશી માં આવી જશો.