07-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સદા
ખુશીમાં રહો તો યાદની યાત્રા સહજ થઈ જશે , યાદથી જ ૨૧ જન્મો માટે પુણ્ય આત્મા બનશો
”
પ્રશ્ન :-
તમારા સૌથી
સારા સર્વન્ટ (સેવક) અથવા ગુલામ કોણ છે.?
ઉત્તર :-
નેચરલ
કેલામીટીઝ (કુદરતી આપદાઓ) અથવા સાયન્સની ઇન્વેન્શન (વિજ્ઞાનની શોધ), જેનાંથી આખા
વિશ્વનો કિચડો સાફ થાય છે. આ તમારા સૌથી સારા સર્વન્ટ અથવા ગુલામ છે જે સફાઇમાં મદદગાર બને છે. આખી પ્રકૃતિ તમારા અધિકારમાં રહે છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો શું કરી રહ્યા છો? યુદ્ધનાં મેદાનમાં ઊભા છો. ઉભા તો નથી, તમે તો બેઠા
છો ને. તમારી સેના કેટલી સારી છે. આને કહેવાય છે રુહાની બાપની રુહાની સેના. રુહાની
બાપની સાથે યોગ લગાવીને રાવણ પર જીત પામવાનો કેટલો સહજ પુરુષાર્થ કરાવો છો. તમને
કહેવાય છે ગુપ્ત વોરિયર્સ (યોદ્ધા), ગુપ્ત મહાવીર. પાંચ વિકાર પર તમે વિજય પ્રાપ્ત
કરો છો, તેમાં પણ પહેલા છે દેહ-અભિમાન. બાપ વિશ્વ પર જીત પામવા અને વિશ્વમાં શાંતિ
સ્થાપન કરવા માટે કેટલી સહજ યુક્તિ બતાવે છે. આપ બાળકો વગર બીજું કોઈ નથી જાણતું.
તમે વિશ્વમાં શાંતિનું રાજય સ્થાપન કરી રહ્યા છો. ત્યાં અશાંતિ, દુઃખ, રોગનું
નામ-નિશાન નથી હોતું. આ ભણતર તમને નવી દુનિયાનાં માલિક બનાવે છે. બાપ કહે છે –
મીઠા-મીઠા બાળકો, કામ પર જીત પામવાથી તમે ૨૧ જન્મોનાં માટે જગતજીત બનો છો. આ તો
બહુજ સહજ છે. તમે છો શિવબાબાની રુહાની સેના. રામની વાત નથી, કૃષ્ણની પણ વાત નથી.
રામ કહેવાય છે પરમપિતા પરમાત્માને. બાકી તેઓ જે રામની સેના વગેરે દેખાડે છે તે બધું
છે ખોટું. ગાયન પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટ્યા, અજ્ઞાન અંધકાર વિનાશ. કળયુગ ઘોર અંધકાર
છે. કેટલા લડાઈ-ઝઘડા, મારામારી છે. સતયુગમાં આ હોતું નથી. તમે સ્વયંનું રાજ્ય જુઓ
કેવી રીતે સ્થાપન કરો છો. કોઈપણ હાથ-પગ આમાં નથી ચલાવતા, આમાં દેહનું ભાન તોડવાનું
છે. ઘરમાં રહો છો તો પણ પહેલા આ યાદ કરો - હું આત્મા છું, દેહ નથી. તમે આત્માઓ જ ૮૪
જન્મ ભોગવો છો. હમણાં તમારો આ અંતિમ જન્મ છે. જૂની દુનિયા ખતમ થવાની છે. આને કહેવાય
છે પુરુષોત્તમ સંગમયુગ નો લીપ યુગ. ચોટી નાની હોય છેને. બ્રાહ્મણોની ચોટી પ્રખ્યાત
છે. બાપ કેટલું સહજ સમજાવે છે. તમે દર પાંચ હજાર વર્ષ પછી આવીને બાપથી આ ભણો છો,
રાજાઈ પ્રાપ્ત કરવા માટે. લક્ષ-હેતુ પણ સામે છે - શિવબાબા અમારે આ બનવાનું છે. હા,
બાળકો કેમ નહીં. ફક્ત દેહ-અભિમાન છોડી સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો પાપ
કપાઈ જાય. તમે જાણો છો આ જન્મમાં પાવન બનવાથી આપણે ૨૧ જન્મ પુણ્ય આત્મા બનીએ છીએ પછી
ઊતરવાનું શરુ થાય છે. આ પણ જાણો છો આપણું જ ૮૪નું ચક્ર છે. આખી દુનિયા તો નહીં આવે.
૮૪નાં ચક્રવાળા અને આ ધર્મવાળા જ આવશે. સતયુગ અને ત્રેતા સ્થાપન બાપ જ સ્થાપન કરે
છે. જે હવે કરી રહ્યા છે પછી દ્વાપર-કળયુગ રાવણની સ્થાપના છે. રાવણનું ચિત્ર પણ
છે ને. ઉપરમાં ગધેડાનું શીશ છે. વિકારી ટટ્ટૂ બની જાય છે. તમે સમજો પણ છો - અમે શું
હતા! આ છે જ પાપ આત્માઓની દુનિયા. પાપ આત્માઓની દુનિયામાં કરોડો મનુષ્ય છે. પુણ્ય
આત્માઓની દુનિયામાં હોય છે ૯ લાખ શરુમાં. તમે હમણાં આખા વિશ્વનાં માલિક બનો છો. આ
લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતા ને. સ્વર્ગની બાદશાહી તો જરુર બાપ જ આપશે. બાપ
કહે છે હું તમને વિશ્વની બાદશાહી આપવા આવ્યો છું. હવે પાવન જરુર બનવું પડે. સો પણ આ
અંતિમ જન્મ મૃત્યુલોકમાં પવિત્ર બનો. આ જૂની દુનિયાનો વિનાશ સામે તૈયાર છે. બોમ્બ,
વગેરે બધું એવું તૈયાર કરી રહ્યા છે જે ત્યાં ઘરે બેઠા ખલાસ કરી દેશે. કહે પણ છે ઘરે
બેઠા જૂની દુનિયાનો વિનાશ કરી દઈશું. આ બોમ્બ, વગેરે ઘરે બેસીને એવી રીતે છોડશે જે
આખી દુનિયાને ખતમ કરશે. આપ બાળકો ઘરે બેસી યોગબળ થી વિશ્વનાં માલિક બની જાઓ છો. તમે
શાંતિ સ્થાપન કરી રહ્યા છો યોગ બળથી. તેઓ સાયન્સ (વિજ્ઞાન) નાં બળથી આખી દુનિયા
ખલાસ કરી દેશે. તે તમારા સર્વન્ટ (સેવક) છે. તમારી સર્વિસ કરી રહ્યા છે. જૂની દુનિયા
ખતમ કરી દે છે. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) વગેરે આ બધાં તમારા ગુલામ બને છે.
આખી પ્રકૃતિ તમારી ગુલામ બની જાય છે. ફક્ત તમે બાપથી યોગ લગાવો છો. તો આપ બાળકોને
અંદરમાં બહુ જ ખુશી હોવી જોઇએ. આવા બિલવેડ (પ્રિય) બાપને કેટલું યાદ કરવું જોઈએ. આ
ભારત આખુ શિવાલય હતું. સતયુગમાં સંપૂર્ણ નિર્વિકારી, અહીંયા છે વિકારી. હવે તમને
સ્મૃતિ આવી છે - બરાબર બાપ એ અમને કહ્યું છે હિયર નો ઈવિલ.. ગંદી વાત નહીં સાંભળો.
મુખથી બોલો પણ નહીં. બાપ સમજાવે છે તમે કેટલા (ડર્ટી) ગંદા બની ગયા છો. તમારી પાસે
તો અથાહ ધન હતું. તમે સ્વર્ગનાં માલિક હતા. હમણાં તમે સ્વર્ગને બદલે નર્કનાં માલિક બની ગયા છો. આ પણ ડ્રામા બનેલો છે. દર પાંચ હજાર વર્ષ બાદ આપ બાળકોને હું
રૌરવ નર્ક થી નિકાળી સ્વર્ગમાં લઈ જાઉં છું. રુહાની બાળકો શું તમે મારી વાત નહીં
માનશો? પરમાત્મા કહે છે તમે પવિત્ર દુનિયાનાં માલિક બનો તો શું નહીં બનશો?
વિનાશ તો જરુર થશે. આ યોગબળથી જ તમારા જન્મ-જન્માંતરનાં પાપ કપાશે. બાકી
જન્મ-જન્માંતરનાં પાપ કપાવામાં સમય લાગે છે. બાળકો શરુઆતથી આવ્યા છે, ૧૦ ટકા પણ યોગ
નથી લાગતો એટલે પાપ કપાતા નથી. નવા-નવા બાળકો ઝટ યોગી બની જાય છે તો કપાઈ જાય છે અને
સર્વિસ કરવા લાગી જાય છે. આપ બાળકો સમજો છો. હવે આપણે પાછા જવાનું છે. બાપ આવ્યા છે
લઈ જવા. પાપ-આત્માઓ તો શાંતિધામ-સુખધામમાં જઈ ન શકે. તે તો રહે છે દુઃખધામમાં એટલે
હવે બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જાય. અરે બાળકો, ગુલ-ગુલ (ફૂલ) બની
જાઓ. દૈવી કુળને કલંક નહિ લગાવો. તમે વિકારી બનવાનાં કારણે કેટલા દુઃખી થઈ ગયા છો.
આ પણ ડ્રામા નો ખેલ બનેલો છે. પવિત્ર નહી બનશો તો પવિત્ર દુનિયા સ્વર્ગમાં નહીં
આવશો. ભારત સ્વર્ગ હતું, કૃષ્ણ પુરીમાં હતા, હમણાં નર્કવાસી છીએ. તો આપ બાળકોએ તો
ખુશીથી વિકારોને છોડવા જોઈએ. વિષ પીવાનું ફટ થી છોડવાનું છે. વિષ પીતા-પીતા તમે
વૈકુંઠમાં થોડી જઈ શકશો. હવે આ બનવા માટે તમારે પવિત્ર બનવાનું છે. તમે સમજાવી શકો
છો તેમણે આ રાજાઈ કેવી રીતે પ્રાપ્ત કરી છે? રાજયોગથી. આ ભણતર છે ને. જેમ બેરિસ્ટર
યોગ, સર્જન યોગ હોય છે. સર્જનથી યોગ તો સર્જન બનશે. આ છે ભગવાનુવાચ. રથમાં કેવી રીતે
પ્રવેશ કરે છે? કહે છે બહુ જન્મોનાં અંતમાં હું આમનામાં બેસી આપ બાળકોને નોલેજ આપું
છું. જાણું છું આ વિશ્વનાં માલિક પવિત્ર હતા. હવે પતિત કંગાળ બન્યા છે ફરી પહેલા
નંબરમાં એઓ જશે. આમનાંમાં જ પ્રવેશ કરી બાળકોને નોલેજ આપે છે. બેહદનાં બાપ કહે છે –
બાળકો, પવિત્ર બનો તો તમે સદા સુખી બનશો. સતયુગ છે અમરલોક, દ્વાપર કળયુગ છે
મૃત્યુલોક. કેટલું સારી રીતે બાળકો ને સમજાવે છે. અહિયાં દેહી-અભિમાની બને છે પછી
દેહ-અભિમાનમાં આવીને માયાથી હાર ખાઈ લે છે. માયાનો એક જ તોપ એવો લાગે છે જે એકદમ
ગટરમાં પડી જાય છે. બાપ કહે છે આ ગટર છે. આ કોઈ સુખ થોડી છે. સ્વર્ગ તો પછી શું! આ
દેવતાઓની રહેણી-કરણી જુઓ કેવી છે. નામ જ છે સ્વર્ગ. તમને સ્વર્ગનાં માલિક બનાવે છે
તો પણ કહે છે અમે વિષ જરુર પીશું! તો સ્વર્ગમાં આવી નહીં શકશે. સજા પણ બહુ જ ખાશે.
આપ બાળકોની માયાથી યુદ્ધ છે. દેહ-અભિમાન માં આવીને બહુ જ છી-છી કામ કરે છે. સમજે છે
અમને કોઈ જુએ થોડી છે. ક્રોધ-લોભ તો પ્રાઈવેટ (ખાનગી) નથી હોતો. કામમાં પ્રાઇવસી (ખાનગી)
ચાલે છે. કાળુ મોઢું કરે છે. કાળું મોઢું કરતા-કરતા તમે ગોરા થી સાવરા (શ્યામ) બની
જાઓ છો તો આખી દુનિયા તમારી પાછળ આવી ગઈ. આવી પતિત દુનિયાને બદલવાની જરુર છે. બાપ
કહે છે - તમને શરમ નથી આવતી, એક જન્મ માટે પવિત્ર નથી બનતા.
ભગવાનુવાચ – કામ મહાશત્રુ છે. હકીકતમાં તમે સ્વર્ગવાસી હતા તો બહુ જ ધનવાન હતા. વાત
નહીં પૂછો. બાળકો કહે છે બાબા અમારા શહેરમાં ચલો. શું કાંટાનાં જંગલમાં વાંદરાઓને
જોવા ચાલું! આપ બાળકોએ ડ્રામા અનુસાર સર્વિસ કરવાની જ છે. ગવાય છે ફાધર શોઝ સન.
બાળકોએ જ જઈને બધાંનું કલ્યાણ કરવાનું છે. બાળકોને સમજાવે છે - આ ભૂલો નહીં - આપણે
યુદ્ધનાં મેદાનમાં છીએ. તમારી યુદ્ધ છે ૫ વિકારોથી. આ જ્ઞાન માર્ગ બિલકુલ અલગ છે.
બાપ કહે છે હું તમને સ્વર્ગનાં માલિક બનાવું છું ૨૧ જન્મોના માટે, પછી તમને નર્કવાસી
કોણ બનાવે છે? રાવણ. ફર્ક તો જુઓ છો ને. જન્મ-જન્માંતર તમે ભક્તિમાર્ગમાં ગુરુ કર્યા,
મળ્યું કંઈ પણ નહીં. આને કહેવાય છે સદ્દગુરુ. સિક્ખ લોકો કહે છે ને - સદ્દગુરુ
અકાળમૂર્ત. એમને ક્યારેય કોઈ કાળ ખાતો નથી. એ સદ્દગુરુ તો કાળોના કાળ છે. બાપ કહે
છે હું તમને બધાં બાળકોને કાળનાં પંજા થી છોડાવવા આવ્યો છું. સતયુગમાં પછી કાળ આવતો
જ નથી, તેને અમરલોક કહેવાય છે. હમણાં તમે શ્રીમત પર અમરલોક સતયુગનાં માલિક બની
રહ્યા છો. તમારી લડાઈ જુઓ કેવી છે. આખી દુનિયા એક-બીજાથી લડતી-ઝઘડતી રહે છે. તમારી
પછી છે રાવણ ૫ વિકારો ની સાથે યુદ્ધ. તેનાં પર જીત પામો છો. આ છે અંતિમ જન્મ.
બાપ કહે છે હું ગરીબ નિવાજ છુ. અહીંયા આવે જ ગરીબ છે. સાહૂકારોની તો તકદીરમાં જ નથી.
ધનનાં નશામાં જ મગરુર રહે છે. આ બધું ખતમ થઈ જવાનું છે. બાકી થોડો સમય છે. ડ્રામાનો પ્લાન છે ને. આ આટલા બોમ્બ વગેરે બનાવ્યા છે, એ કામમાં જરુર આવવાના છે. પહેલાં
તો લડાઈ બાણોથી, તલવારથી, બંદૂકો વગેરેથી થતી હતી. હવે તો બોમ્બ એવી ચીજ નિકળી છે
જે ઘરે બેઠા જ ખલાસ કરી દેશે. આ ચીજો કોઈ રાખવા માટે થોડી બનાવી છે. ક્યાં સુધી
રાખશે. બાપ આવ્યા છે તો વિનાશ પણ જરુર થવાનો છે. ડ્રામાનું ચક્ર ફરતું રહે છે, તમારી
રાજાઈ સ્થાપન થવાની છે. આ લક્ષ્મી-નારાયણ ક્યારેય લડાઈ નથી કરતા. ભલે શાસ્ત્રોમાં
દેખાડ્યું છે - અસુરો અને દેવતાઓની લડાઈ થઇ પરંતુ તે સતયુગનાં, આ અસુર કળયુગનાં.
બંને મળશે કેવી રીતે જે લડાઇ થાય. હમણાં તમે સમજો છો અમે ૫ વિકારોથી યુદ્ધ કરી
રહ્યા છે. તેનાં પર જીત પામીને સંપૂર્ણ નિર્વિકારી બની નિર્વિકારી દુનિયાનાં માલિક
બની જઈશું. ઉઠતા-બેસતા બાપને યાદ કરવાનાં છે. દૈવી ગુણ ધારણ કરવાનાં છે. આ બન્યો
બનાવેલો ડ્રામા છે. કોઈ કોઈનાં નસીબમાં જ નથી. યોગબળ હશે ત્યારે જ વિકર્મ વિનાશ થાય.
સંપૂર્ણ બને ત્યારે તો સંપૂર્ણ દુનિયામાં આવી શકે. બાપ પણ શંખધ્વનિ કરતા રહે છે.
તેમણે પછી ભક્તિમાર્ગમાં શંખ અને તુતારી વગેરે બેસી બનાવ્યા છે. બાપ તો આ મુખ દ્વારા
સમજાવે છે. આ ભણતર છે રાજયોગનું. બહુજ સહજ ભણતર છે. બાપને યાદ કરો અને રાજાઈ ને
યાદ કરો. બેહદનાં બાપને ઓળખો અને રાજાઈ લો. આ દુનિયા ને ભૂલી જાઓ. તમે બેહદનાં
સંન્યાસી છો. જાણો છો જૂની દુનિયા આખી ખતમ થવાની છે. લક્ષ્મી-નારાયણનાં રાજ્યમાં
એકલું ભારત જ હતું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
દૈવી કુળને કલંક નથી લગાડવાનો. ગુલ-ગુલ બનવાનું છે. અનેક આત્માઓનાં કલ્યાણની સર્વિસ
(સેવા) કરી બાપનો શો (પ્રત્યક્ષ) કરવાનો છે.
2. સંપૂર્ણ નિર્વિકારી બનવા માટે ગંદી વાતો ન સાંભળવાની છે, ન મુખથી બોલવાની છે.
હિયર નો ઈવિલ, ટોક નો ઈવિલ.....દેહ-અભિમાન ને વશ થઈ કોઈ છી-છી કામ નથી કરવાનું.
વરદાન :-
વૈરાગ્ય વૃત્તિ
દ્વારા આ અસાર સંસારથી લગાવ મુક્ત રહેવાવાળા સાચા રાજ ઋષિ ભવ :
રાજઋષિ અર્થાત રાજ્ય
હોવા છતાં પણ બેહદનાં વૈરાગી, દેહ અને દેહની જૂની દુનિયામાં જરા પણ લગાવ નહીં કારણકે
જાણે છે આ જૂની દુનિયા છે જ અસાર સંસાર, આમાં કોઈ સાર નથી. અસાર સંસારમાં
બ્રાહ્મણોનો શ્રેષ્ઠ સંસાર મળી ગયો એટલે એ સંસારથી બેહદનો વૈરાગ્ય અર્થાત્ કોઈપણ
લગાવ નહીં. જ્યારે કોઈમાં પણ લગાવ અથવા ઝુકાવ ન થાય ત્યારે કહેવાશે રાજઋષિ અથવા
તપસ્વી.
સ્લોગન :-
યુક્તિ યુક્ત
બોલ એ છે જે મધુર અને શુભ ભાવના સંપન્ન છે.