01-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો – હિયર
નો ઈવિલ....અહીં તમે સત્સંગમાં બેઠા છો, તમારે માયાવી કુસંગમાં નથી જવાનું, કુસંગ
લાગવાથી જ સંશય ના રુપમાં ઘુટકા આવે છે”
પ્રશ્ન :-
આ સમયે કોઈપણ
મનુષ્યને સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) નથી કહી શકતા - કેમ?
ઉત્તર :-
કારણ કે બધા
દેહ-અભિમાની છે. દેહ-અભિમાન વાળા આધ્યાત્મિક કેવી રીતે કહી શકાય. આધ્યાત્મિક પિતા
તો એક જ નિરાકાર બાપ છે જે તમને પણ દેહી-અભિમાની બનવાની શિક્ષા આપે છે. સુપ્રીમ નું
પદ પણ એક બાપને જ આપી શકીએ છે, બાપના સિવાય સુપ્રીમ કોઈને કહી નથી શકાતું.
ઓમ શાંતિ!
બાળકો જ્યારે
અહીં બેસો છો તો જાણો છો બાબા આપણા બાબા પણ છે, શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે.
ત્રણેય ની આવશ્યકતા રહે છે. પહેલા બાપ, પછી ભણાવવા વાળા શિક્ષક અને પછી અંતમાં ગુરુ.
અહીં યાદ પણ એવી રીતે કરવાનાં છે કારણ કે નવી વાત છે ને. બેહદ નાં બાપ પણ છે, બેહદ
એટલે બધાનાં. અહીં જે પણ આવશે કહેશે આ સ્મૃતિ માં લાવો. આમાં કોઈને સંશય હોય તો હાથ
ઉઠાવો. આ વન્ડરફુલ વાત છે ને. જન્મ-જન્માંતર ક્યારે આવું કોઈ મળ્યું હશે જેમને તમે
બાપ, શિક્ષક, સદ્દગુરુ સમજો. એ પણ સુપ્રીમ. બેહદ નાં બાપ, બેહદ નાં શિક્ષક, બેહદ
નાં સદ્દગુરુ. આવું ક્યારેય કોઈ મળ્યું? સિવાય આ પુરુષોત્તમ સંગમયુગ ક્યારેય મળી ન
શકે. આમાં કોઈને સંશય હોય તો હાથ ઉઠાવે. અહીં બધા નિશ્ચય બુદ્ધિ થઈને બેઠા છે.
મુખ્ય છે જ આ ત્રણ. બેહદ નાં બાપ નોલેજ પણ બેહદનું આપે છે. બેહદનું નોલેજ તો આ એક જ
છે. હદનું નોલેજ તો તમે અનેક ભણતા આવ્યા છો. કોઈ વકીલ બને છે, કોઈ સર્જન બને છે
કારણ કે અહીં તો ડોક્ટર, જજ, વકીલ વગેરે બધા જોઈએ ને. ત્યાં તો આવશ્યકતા જ નથી. ત્યાં
દુઃખ ની કોઈ વાત જ નથી. તો હવે બાપ બેસી બેહદનું શિક્ષણ બાળકોને આપે છે. બેહદ નાં
બાપ જ બેહદનું શિક્ષણ આપે છે પછી અડધો કલ્પ કોઈ શિક્ષણ તમારે ભણવાનું નથી હોતું. એક
જ વાર શિક્ષણ મળે છે જે ૨૧ જન્મ માટે ફળીભૂત થાય છે અર્થાત્ તેનું ફળ મળે છે. ત્યાં
તો ડોક્ટર, બેરિસ્ટર, જજ વગેરે હોતા નથી. આ તો નિશ્ચય છે ને. બરાબર આવું છે ને? ત્યાં
દુઃખ હોતું નથી. કર્મભોગ હોતો નથી. બાપ કર્મોની ગતિ બેસીને સમજાવે છે. તેઓ ગીતા
સંભળાવવા વાળા શું આમ સમજાવે છે? બાપ કહે છે હું આપ બાળકોને રાજયોગ શીખવાડું છું.
એમાં તો લખી દીધું છે કૃષ્ણ ભગવાનુવાચ. પરંતુ એ છે દૈવી ગુણ વાળા મનુષ્ય. શિવબાબા
તો કોઈ નામ ધરતા નથી. એમનું બીજું કોઈ નામ નથી. બાપ કહે છે હું આ શરીર ઉધાર લઉં
છું. આ શરીરરુપી મકાન મારું નથી, આ પણ તેમનું મકાન છે. બારીઓ વગેરે બધું છે. તો બાપ
સમજાવે છે હું તમારો બેહદ નો બાપ અર્થાત્ બધી આત્માઓનો બાપ છું, ભણાવું પણ છું
આત્માઓને. આને કહેવાય છે સ્પિરિચ્યુઅલ ફાધર અર્થાત્ રુહાની બાપ બીજા કોઈને પણ રુહાની
બાપ નહીં કહેશો. અહીં આપ બાળકો જાણો છો આ બેહદ નાં બાપ છે. હવે સ્પિરિચ્યુઅલ
કોન્ફરન્સ થઇ રહી છે. હકીકતમાં સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ તો છે જ નહીં. તેઓ તો સાચાં
સ્પિરિચ્યુઅલ છે નહીં. દેહ-અભિમાની છે. બાપ કહે છે – બાળકો, દેહી-અભિમાની ભવ. દેહનું
અભિમાન છોડો. એવું થોડી જ કોઈને કહેશો. સ્પિરિચ્યુઅલ અક્ષર હવે નાખે છે. પહેલા ફક્ત
રિલિજિયસ (ધાર્મિક) કોન્ફરન્સ કહેતા હતા. સ્પિરિચ્યુઅલ નો કોઈ અર્થ નહોતા સમજતા.
સ્પિરિચ્યુઅલ ફાધર અર્થાત્ નિરાકારી ફાધર. તમે આત્માઓ છો સ્પિરિચ્યુઅલ.
સ્પિરિચ્યુઅલ ફાધર આવીને તમને ભણાવે છે. આ સમજ બીજા કોઈ માં હોઈ ન શકે. બાપ પોતે
બેસી બતાવે છે કે હું કોણ છું. ગીતામાં આ નથી. હું તમને બેહદ નું શિક્ષણ આપું છું.
આમાં વકીલ, જજ, સર્જન વગેરેની આવશ્યકતા નથી કારણ કે ત્યાં તો એકદમ સુખ જ સુખ છે.
દુઃખ નું નામ-નિશાન નથી હોતું. અહીં પછી સુખ નું નામ-નિશાન નથી, આને કહેવાય છે
પ્રાય:લોપ. સુખ તો કાગ વિષ્ટા સમાન છે. થોડું જ સુખ છે તો બેહદ સુખનું જ્ઞાન આપી
કેવી રીતે સકે. પહેલાં જ્યારે દેવી-દેવતાઓનું રાજ્ય હતું તો સત્યતા ૧૦૦ ટકા હતી. હવે
તો જૂઠ જ જુઠ છે.
આ છે બેહદનું નોલેજ. તમે જાણો છો આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, જેનું બીજરુપ હું
છું. એમાં ઝાડ નું બધું નોલેજ છે. મનુષ્યોને આ નોલેજ નથી. હું ચૈતન્ય બીજરુપ છું.
મને કહેવાય જ છે જ્ઞાનનાં સાગર. જ્ઞાન થી સેકન્ડમાં ગતિ-સદ્દ્ગતિ થાય છે. હું છું
સર્વ નો બાપ. મને ઓળખવાથી આપ બાળકોને વારસો મળી જાય છે. પરંતુ રાજધાની છે ને.
સ્વર્ગમાં પણ મર્તબા (પદવી) તો નંબરવાર બહુ જ છે. બાપ એક જ ભણતર ભણાવે છે. ભણવાવાળા
તો નંબરવાર જ હોય છે. આમાં પછી બીજા કોઈ ભણતરની આવશ્યકતા નથી રહેતી. ત્યાં કોઈ
બીમાર થતું નથી. પાઈ પૈસાની કમાણી માટે ભણવાનું નથી ભણતા. તમે અહીંથી બેહદ નો વારસો
લઈ જાઓ છો. ત્યાં આ ખબર નહિ પડશે કે આ પદ અમને કોણે અપાવ્યું છે. આ તમે હમણાં સમજો
છો. હદનું નોલેજ તો તમે ભણતા આવ્યા છો. હવે બેહદનું નોલેજ ભણાવવા વાળા ને જોઈ લીધા,
જાણી લીધા. જાણો છો બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે આવીને આપણને ભણાવે છે. સુપ્રીમ
શિક્ષક છે, રાજયોગ શીખવાડે છે. સાચાં સદ્દગુરુ પણ છે. આ છે બેહદ નો રાજ્યોગ. તેઓ
બેરિસ્ટરી, ડોક્ટરી જ શીખવાડશે કારણ કે આ દુનિયા જ દુઃખની છે. તે બધું છે હદ નું
ભણતર, આ છે બેહદ નું ભણતર. બાપ તમને બેહદ નું ભણતર ભણાવે છે. આ પણ જાણો છો આ બાપ,
શિક્ષક, સદ્દગુરુ કલ્પ-કલ્પ આવે છે ફરી આ જ ભણતર ભણાવે છે સતયુગ-ત્રેતા માટે. ફરી
પ્રાય:લોપ થઈ જાય છે. સુખની પ્રાલબ્ધ પૂરી થઈ જાય છે ડ્રામા અનુસાર. આ બેહદ નાં બાપ
બેસી સમજાવે છે, એમને જ પતિત-પાવન કહેવાય છે. કૃષ્ણને ત્વમેવ માતા ચ પિતા અથવા
પતિત-પાવન કહેશું કે? આમનાં પદ અને તેમના પદમાં રાત-દિવસનો ફરક છે. હવે બાપ કહે છે
મને ઓળખવાથી તમે સેકન્ડમાં જીવનમુક્તિ પામી શકો છો. હવે કૃષ્ણ ભગવાન જો હોત તો
કોઈપણ ઝટ ઓળખી લે. કૃષ્ણનો જન્મ કોઈ દિવ્ય અલૌકિક નથી ગવાયો. ફક્ત પવિત્રતાથી થાય
છે. બાપ તો કોઈનાં ગર્ભથી નથી નિકળતા. સમજાવે છે મીઠા-મીઠા રુહાની બાળકો, રુહ જ ભણે
છે. બધા સંસ્કાર સારા કે ખરાબ રુહમાં જ રહે છે. જેમ-જેમ કર્મ કરે છે, એ અનુસાર એને
શરીર મળે છે. કોઈ બહુ જ દુઃખ ભોગવે છે. કોઈ આંધળા, કોઈ બહેરા હોય છે. કહેશે ભુતકાળમાં
આવાં કર્મ કર્યા છે જેનું આ ફળ છે. આત્માનાં કર્મો અનુસાર જ રોગી શરીર વગેરે મળે
છે.
હવે આપ બાળકો જાણો છો - આપણને ભણાવવા વાળા છે ગોડ ફાધર. ગોડ શિક્ષક, ગોડ પ્રીસેપ્ટર
(સદ્દગુરુ) છે. એમને કહેવાય છે ગોડ પરમ આત્મા. આને મળાવી પરમાત્મા કહે છે, સુપ્રીમ
સોલ. બ્રહ્મા ને તો સુપ્રીમ નહીં કહેશું. સુપ્રીમ અર્થાત્ ઊંચેથી ઊંચા, પવિત્ર થી
પવિત્ર. પદ તો દરેક નાં અલગ-અલગ છે. કૃષ્ણનું જે પદ છે એ બીજાને મળી નથી શકતું.
વડાપ્રધાનનું પદ બીજાને થોડી આપશે. બાપનું પણ પદ અલગ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું
પણ અલગ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેવતા છે, શિવ તો પરમાત્મા છે. બંનેને મળાવીને
શિવશંકર કેવી રીતે કહેવાય. બંને અલગ-અલગ છે ને. ન સમજવા ના કારણે શિવ શંકર ને એક કહી
દે છે. નામ પણ એવા રાખી દે છે. આ બધી વાતો બાપ જ આવી ને સમજાવે છે. તમે જાણો છો આ
બાબા પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. દરેક મનુષ્યને બાપ પણ હોય છે, શિક્ષક પણ
હોય છે અને ગુરુ પણ હોય છે. જ્યારે વૃદ્ધ થાય છે તો ગુરુ કરે છે. આજકાલ તો નાનપણમાં
જ ગુરુ કરાવી દે છે, સમજે છે જો ગુરુ નહીં કરશું તો અવજ્ઞા થઈ જશે. પહેલા ૬૦ વર્ષના
પછી ગુરુ કરતા હતા. એ હોય છે વાનપ્રસ્થ અવસ્થા. નિર્વાણ અર્થાત વાણીથી પરે સ્વીટ
શાંતિધામ, જ્યાં જવા માટે અડધો કલ્પ તમે મહેનત કરી છે. પરંતુ ખબર જ નથી તો કોઈ જઈ
નથી શકતા. કોઈને રસ્તો બતાવી કેવી રીતે શકે. એકના સિવાય તો કોઈ રસ્તો બતાવી ન શકે.
બધાની બુદ્ધિ એકસરખી નથી હોતી. કોઈ તો જાણે કથાઓ સાંભળે છે, ફાયદો કંઈ નથી. ઉન્નતિ
કંઈ નથી. તમે હવે બગીચાનાં ફૂલ બનો છો. ફૂલ થી કાંટા બન્યા, હવે ફરી કાંટાથી ફૂલ
બાપ બનાવે છે. તમે જ પૂજ્ય પછી પૂજારી બન્યા. ૮૪ જન્મ લેતા-લેતા સતોપ્રધાન થી
તમોપ્રધાન પતિત બની ગયા. બાપ એ સીડી આખી સમજાવી છે. હવે ફરી પતિત થી પાવન કેવી રીતે
બનો છો, આ કોઈને પણ ખબર નથી. ગાએ પણ છે ને – પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો
પછી પાણીની નદીઓ, સાગર વગેરેને પતિત-પાવન સમજી કેમ જઈને સ્નાન કરો છો. ગંગાને
પતિત-પાવની કહી દે છે. પરંતુ નદીઓ પણ ક્યાંથી નિકળી? સાગરથી જ નિકળે છે ને. આ બધી
સાગરની સંતાન છે તો દરેક વાત સારી રીતે સમજવાની હોય છે.
અહીં તો આપ બાળકો સત્સંગમાં બેઠા છો. બહાર કુસંગમાં જાઓ છો તો તમને બહુજ ઊલટી વાતો
સંભળાવશે. પછી આ આટલી બધી વાતો ભૂલી જશો. તો કુસંગમાં જવાથી ઘુટકા ખાવા લાગી જાઓ
છો, સંશયની ત્યારે ખબર પડે છે. પરંતુ આ વાતો તો ભુલવી નહીં જોઈએ. બાબા આપણા બેહદ
નાં બાબા પણ છે, શિક્ષક પણ છે, પાર પણ લઈ જાય છે, આ નિશ્ચયથી તમે આવ્યા છો. એ બધું
જ છે શારીરિક લૌકિક ભણતર, લૌકિક ભાષાઓ. આ છે અલૌકિક. બાપ કહે છે મારો જન્મ પણ
અલૌકિક છે. હું ઉધાર લઉં છું. જૂની જુત્તી લઉં છું. એ પણ જૂનામાં જૂની, સૌથી જૂની
છે આ જુત્તી. બાપએ જે લીધી છે એને લોંગ બુટ કહે છે. આ કેટલી સહજ વાત છે. આતો કોઈ
ભુલવાની નથી. પરંતુ માયા આટલી સહજ વાતો પણ ભુલાવી દે છે. બાપ, બાપ પણ છે, બેહદ નું
શિક્ષણ દેવાવાળા પણ છે, જે બીજું કોઈ આપી ન શકે. બાબા કહે છે ભલે જઈને જુઓ ક્યાંથી
મળે છે. બધા છે મનુષ્ય. તેઓ તો આ નોલેજ આપી ન શકે. ભગવાન એક જ રથ લે છે, જેને
ભાગ્યશાળી રથ કહેવાય છે, જેમનામાં બાપની પ્રવેશતા થાય છે. પદ્માપદમ ભાગ્યશાળી બનાવવા.
એકદમ નજીક નો દાણો છે. બ્રહ્મા સો વિષ્ણુ બને છે. શિવબાબા એમને પણ બનાવે છે, તમને
પણ આમનાં દ્વારા વિશ્વનાં માલિક બનાવે છે. વિષ્ણુની પુરી સ્થાપન થાય છે, આને કહેવાય
છે રાજયોગ, રાજાઈ સ્થાપન કરવા માટે. હમણાં અહીં સાંભળી તો બધા રહ્યા છે, પરંતુ બાબા
જાણે છે ઘણાનાં કાને થી વહી જાય છે, કોઈ ધારણ કરી બીજાને સંભળાવી શકે છે. એમને
કહેવાય છે મહારથી. સાંભળીને પછી ધારણ કરે છે, બીજાને પણ રુચિથી સમજાવે છે. મહારથી
સમજાવવા વાળા હશે તો ઝટ સમજશે, ઘોડેસવાર થી ઓછુ, પ્યાદા થી એકદમ ઓછુ. આ તો બાપ જાણે
છે કોણ મહારથી છે, કોણ ઘોડેસવાર છે. હવે આમાં મૂંઝાવાની તો વાત જ નથી. પરંતુ બાબા
જોતા રહે છે બાળકો મુંઝાય છે પછી ઝુટકા ખાતા રહે છે. આંખો બંધ કરી બેસે છે. કમાવા
માં ક્યારે ઝુટકા આવે છે શું? ઝુટકા ખાતા રહેશે તો પછી ધારણા કેવી રીતે થશે. બગાસા
થી બાબા સમજી જાય છે આ થાકેલા છે. કમાવા માં ક્યારે થાકતા નથી. બગાસા છે આળસની
નિશાની. કોઈને કોઈ વાતથી ઘુટકા અંદર ખાતા રહેવાવાળાને બગાસા બહુ જ આવે છે. હમણાં તમે
બાપનાં ઘરમાં બેઠા છો, તો પરિવાર પણ છે, શિક્ષક પણ બનો છો, ગુરુ પણ બનો છો રસ્તો
બતાવવા માટે. માસ્ટર ગુરુ કહેવાય છે. તો હવે બાપનો જમણો હાથ બનવું જોઈએ ને. જે ઘણા
લોકોનું કલ્યાણ કરી શકે છે. બધાં ધંધામાં છે નુકસાન, સિવાય ધંધો નર થી નારાયણ બનવાનો.
બધાની કમાણી ખતમ થઈ જાય છે. નર થી નારાયણ બનવાનો ધંધો બાપ જ શીખવાડે છે. તો પછી કયું
ભણતર ભણવું જોઈએ. જેમની પાસે ધન બહુજ છે, એ સમજે છે સ્વર્ગ અહીં જ છે. બાપુ ગાંધીએ
રામરાજ્ય સ્થાપન કર્યુ? અરે, દુનિયા તો આ જૂની તમોપ્રધાન છે ને, વધારે જ દુઃખ વધતું
જાય છે, આને રામરાજય કેવી રીતે કહીશું. મનુષ્ય કેટલા બેસમજ બની ગયા છે. બેસમજને
તમોપ્રધાન કહેવાય છે. સમજદાર હોય છે સતોપ્રધાન. આ ચક્ર ફરતું રહે છે, એમાં કંઈ પણ
બાપને પૂછવાનું નથી રહેતું. બાપ ની ફરજ છે રચતા અને રચનાનું જ્ઞાન આપવાની. એ તો આપતા
રહે છે. મુરલી માં બધું સમજાવતા રહે છે. બધી વાતોનો રિસ્પોન્સ મળી જાય છે. બાકી
પૂછશે શું? બાપના સિવાય કોઈ સમજાવી જ નહીં શકે તો પૂછી પણ કેવી રીતે શકે. આ પણ તમે
બોર્ડ પર લખી શકો છો એવરહેલ્દી (સદા સ્વસ્થ), અવરવેલ્દી (સદા સંપન્ન) ૨૧ જન્મ માટે
બનવું છે તો આવીને સમજો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) બાપ જે
સંભળાવે છે એને સાંભળીને સારી રીતે ધારણ કરવાનું છે. બીજાઓને રુચિ થી સંભળાવવાનું
છે. એક કાન થી સાંભળી બીજા થી નિકાળવાનું નથી. કમાવા નાં સમયે ક્યારે બગાસા નથી
લેવાના.
2) બાબાનો જમણો હાથ બની બહુ બધાનું કલ્યાણ કરવાનું છે. નર થી નારાયણ બનવાનો અને
બનાવવાનો ધંધો કરવાનો છે.
વરદાન :-
ચલન અને
ચહેરાથી પવિત્રતાના શ્રુંગાર ની ઝલક દેખાડવા વાળા શ્રુંગારી મૂર્ત ભવ:
પવિત્રતા
બ્રાહ્મણ જીવનનો શ્રુંગાર છે. દર સમયે પવિત્રતા નાં શ્રુંગાર ની અનુભૂતિ ચહેરા અથવા
ચલનથી બીજાઓને થાય. દ્રષ્ટિમાં, મુખમાં, હાથોમાં, પગમાં સદા પવિત્રતા નો શ્રુંગાર
પ્રત્યક્ષ હોય. દરેક વર્ણન કરે કે આમનાં ફીચર્સ (લક્ષણ) થી પવિત્રતા દેખાઈ આવે છે.
નયનો માં પવિત્રતાની ઝલક છે, ચહેરા પર પવિત્રતા ની મુસ્કુરાહટ છે. બીજી કોઈ વાત એમને
નજર ન આવે - આને જ કહે છે પવિત્રતા નાં શ્રુંગાર થી શ્રુંગારીત મુરત.
સ્લોગન :-
વ્યર્થ
સંબંધ-સંપર્ક પણ ખાતાને ખાલી કરી દે છે એટલે વ્યર્થ ને સમાપ્ત કરો.