08-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.03.85
બાપદાદા મધુબન
આજે દિલવાળા બાપ
પોતાના સ્નેહી દિલતખ્તનશીન બાળકોથી દિલની રુહ-રુહાન કરવા આવ્યા છે દિલવાળા પોતાના
સાચા દિલવાળાઓ થી દિલની લેન-દેન કરવા, દિલ નો હાલ-ચાલ સાંભળવા માટે આવ્યા છે. રુહાની
બાપ રુહોથી રુહ-રુહાન કરે છે. આ રુહો ની રુહ-રુહાન ફક્ત આ સમયે જ અનુભવ કરી શકો છો.
આપ રુહોમાં એટલી સ્નેહની શક્તિ છે જે રુહોના રચયિતા બાપને રુહ-રુહાન માટે નિર્વાણ
થી વાણીમાં લઈ આવો છો. આવી શ્રેષ્ઠ રુહ છો જે બંધનમુક્ત બાપને પણ સ્નેહના બંધનમાં
બાંધી દો છો. દુનિયા વાળા બંધનથી છોડાવવાવાળા કહીને પોકારે છે અને આવા બંધનમુક્ત
બાપ, બાળકોના સ્નેહના બંધનમાં સદા બંધાયેલા છે. બાંધવામાં હોશિયાર છો. જ્યારે પણ
યાદ કરો છો તો બાપ હાજર છે ને, હજૂર હાજર છે. તો આજે વિશેષ ડબલ વિદેશી બાળકોથી
રુહ-રુહાન કરવા આવ્યા છે. હમણાં સિઝનમાં આ વિશેષ વારો પણ ડબલ વિદેશીઓનો છે. અધિક
કરીને ડબલ વિદેશીઓ જ આવ્યા છે. મધુવન નિવાસી તો છે જ મધુવન ના શ્રેષ્ઠ સ્થાન નિવાસી.
એક જ સ્થાન પર બેસીને વિશ્વ ની ભિન્ન આત્માઓનો મિલન મેળો જોવા વાળા છે. જે આવે છે
તે જાય છે પરંતુ મધુવન નિવાસી તો સદા રહે છે!
આજે ડબલ વિદેશી બાળકોને પૂછી રહ્યા છે કે બધા સંતુષ્ટ મણિઓ બની બાપદાદાનાં તાજમાં
ચમકી રહ્યા છો? બધા સંતુષ્ટ મણિઓ છો? સદા સંતુષ્ટ છો? ક્યારે સ્વયં થી અસંતુષ્ટ અથવા
ક્યારે બ્રાહ્મણ આત્માઓથી અસંતુષ્ટ અથવા ક્યારે પોતાના સંસ્કારો થી અસંતુષ્ટ અથવા
ક્યારે વાયુંમંડળ ના પ્રભાવ થી અસંતુષ્ટ તો નથી થતા ને! સદા બધી વાતોથી સંતુષ્ટ છો?
ક્યારેય સંતુષ્ટ ક્યારે અસંતુષ્ટ ને સંતુષ્ટ મણી કહેશો? આપ સર્વ એ કહ્યું ને કે અમે
સંતુષ્ટ મણી છીએ. પછી એવું તો નહીં કહો કે અમે તો સંતુષ્ટ છીએ પરંતુ બીજા અસંતુષ્ટ
કરે છે. કંઇ પણ થઈ જાય પરંતુ જે સંતુષ્ટ આત્માઓ છે તે ક્યારે પણ પોતાની સંતુષ્ટતા
ની વિશેષતા ને છોડી નથી સકતી. સંતુષ્ટતા બ્રાહ્મણ જીવનનો વિશેષ ગુણ કહો અથવા ખજાનો
કહો અથવા વિશેષ જીવનનો શ્રુંગાર છે. જેમ કોઈ પ્રિય વસ્તુ હોય છે, તો પ્રિય વસ્તુને
ક્યારે છોડતા નથી. સંતુષ્ટતા વિશેષતા છે. સંતુષ્ટતા બ્રાહ્મણ જીવનનાં વિશેષ
પરિવર્તનનું દર્પણ છે. સાધારણ જીવન અને બ્રાહ્મણ જીવન. સાધારણ જીવન અર્થાત્ ક્યારેક
સંતુષ્ટ ક્યારે અસંતુષ્ટ. બ્રાહ્મણ જીવન માં સંતુષ્ટતા ની વિશેષતાને જોઈ અજ્ઞાની પણ
પ્રભાવિત થાય છે આ પરિવર્તન અનેક આત્માઓનું પરિવર્તન કરવાનાં નિમિત્ત બની જાય છે.
બધાંનાં મુખથી એજ નિકળે છે કે આ સદા સંતુષ્ટ અર્થાત્ ખુશ રહે છે જ્યાં સંતુષ્ટતા છે
ત્યાં ખુશી જરૂર છે. અસંતુષ્ટતા ખુશીને ગાયબ કરે છે. આજ બ્રાહ્મણ જીવનની મહિમા છે.
સદા સંતુષ્ટતા નથી તો સાધારણ જીવન છે. સંતુષ્ટતા સફળતા નો સહજ આધાર છે. સંતુષ્ટતા
સર્વ બ્રાહ્મણ પરિવારનાં સ્નેહી બનાવવામાં શ્રેષ્ઠ સાધન છે. જે સંતુષ્ટ રહેશે તેમનાં
પ્રતિ સ્વત: જ સર્વનો સ્નેહ રહેશે. સંતુષ્ટ આત્માને સદા બધાં સ્વયં જ સમીપ લાવવાનો
અથવા દરેક શ્રેષ્ઠ કાર્યમાં સહયોગી બનાવવાનો પ્રયત્ન કરશે. તેમને મહેનત નહીં કરવી
પડશે કે અમને સમીપ લાવો. અમને સહયોગી બનાવો અથવા મને વિશેષ આત્માઓની લિસ્ટમાં લાવો.
વિચારવું પણ નહીં પડે. કહેવું પણ નહીં પડે. સંતુષ્ટતાની વિશેષતા સ્વયં જ દરેક
કાર્યમાં ગોલ્ડન ચાન્સલર બનાવી દે છે. સ્વત: કાર્ય અર્થ નિમિત્ત બનેલી આત્માઓને
સંતુષ્ટ આત્માનાં પ્રતિ સંકલ્પ આવશે જ અને તક મળતી જ રહેશે. સંતુષ્ટતા સર્વનાં
સ્વભાવ સંસ્કાર ને મળાવવા વાળી હોય છે. સંતુષ્ટ આત્મા ક્યારેય કોઈનાં પણ સ્વભાવ
સંસ્કાર થી ઘભરાવા વાળી નથી હોતી. એવી સંતુષ્ટ આત્માઓ બની છો ને. જેમ ભગવાન તમારી
પાસે આવ્યા, તમે નથી ગયા. ભાગ્ય સ્વયં તમારી પાસે આવ્યું. ઘરે બેઠા ભગવાન મળ્યા,
ભાગ્ય મળ્યું. ઘરે બેઠા સર્વ ખજાનાની ચાવી મળી. જ્યારે ઈચ્છો, જે ઈચ્છો, ખજાના તમારા
છે કારણ કે અધિકારી બની ગયા છો ને. તો આમ સર્વનાં સમીપ આવવાની, સેવામાં સમીપ આવવાની
તક પણ સ્વતઃ જ મળે છે. વિશેષતા સ્વયં જ આગળ વધારે છે. જે સદા સંતુષ્ટ રહે છે તેમનાથી
સર્વનો સ્વતઃ જ દિલનો પ્રેમ હોય છે. બહાર નો પ્રેમ નહીં. એક હોય છે કોઈને રાજી
કરવાનાં માટે બહાર થી પ્રેમ કરવો. એક હોય છે દિલનો પ્રેમ. નારાજ ન થાય એના માટે પણ
પ્રેમ કરવો પડે છે. પરંતુ તે પ્રેમને સદા લેવાનું પાત્ર નથી બનતા. સંતુષ્ટ આત્માને
સદા સર્વનાં દિલનો પ્રેમ મળે છે. ભલે કોઈ નવું હોય કે જુનું હોય, કોઈ કોઈને પરિચય
નાં રુપથી જાણતા હોય કે ન જાણતા હોય પરંતુ સંતુષ્ટતા તે આત્માની ઓળખાણ અપાવે છે.
દરેક નું દિલ થશે આમનાં થી વાત કરીયે, એમની સાથે બેસીએ. તો એવાં સંતુષ્ટ છો? પાક્કા
છો ને! એવું તો નથી કહેતાં - બની રહ્યા છીએં. ના! બની ગયા છીએ.
સંતુષ્ટ આત્માઓ સદા માયાજીત છે જ. આ માયાજીત વાળાની સભા છે ને. માયાથી ઘભરાવવા વાળા
તો નથી ને. માયા આવે કોની પાસે છે? બધાંની પાસે આવે તો છે ને! એવું કોઈ છે જે કહે
માયા આવતી જ નથી. આવે બધાંની પાસે છે પરંતુ કોઈ ઘભરાય છે, કોઈ ઓળખી લે છે એટલે
સંભાળી લે છે. મર્યાદાની રેખાની અંદર રહેવા વાળા બાપનાં આજ્ઞાકારી બાળકો માયાને દૂર
થી જ ઓળખી લે છે. ઓળખવા માં વાર કરે છે, અથવા ભૂલ કરે છે ત્યારે માયા થી ઘભરાઈ જાય
છે. જેમ યાદગારમાં વાર્તા સાંભળી છે - સીતાએ દગો કેમ ખાધો? કારણકે ઓળખી નહીં. માયાનાં
સ્વરુપને ન ઓળખવાનાં કારણે દગો ખાધો. જો ઓળખી લેત કે આ બ્રાહ્મણ નથી, ભિખારી નથી,
રાવણ છે તો શોકવાટિકા નો આટલો અનુભવ ન કરવો પડત. પરંતુ ઓળખવામાં વાર થઈ ત્યારે દગો
ખાધો અને દગા નાં કારણે દુઃખ ઉઠાવવું પડ્યું. યોગી થી વિયોગી બની ગઈ. સદા સાથે
રહેવાથી દૂર થઈ ગઈ. પ્રાપ્તિ સ્વરુપ આત્મા થી પોકારવાવાળી આત્મા બની ગઈ. કારણ? ઓળખ
ઓછી. માયાનાં રુપને ઓળખવાની શક્તિ ઓછી હોવાને કારણે માયાને ભગાવાને બદલે સ્વયં
ઘભરાઈ જાય છે. ઓળખ ઓછી કેમ હોય છે, સમય પર ઓળખ નથી થતી, પાછળથી કેમ થાય. એનું કારણ?
કારણ કે સદા બાપની શ્રેષ્ઠ મત પર નથી ચાલતા. કોઈ સમયે યાદ કરે છે, કોઈ સમયે નહિ.
કોઈ સમયે ઉમંગ-ઉત્સાહ માં રહે છે, કોઈ સમયે નથી રહેતા. જે સદાની આજ્ઞા નો ઉલ્લંઘન
કરે અર્થાત્ આજ્ઞા ની રેખાની અંદર ન રહેવાને કારણે માયા સમય પર દગો આપી દે છે.
માયામાં પરખવાની શક્તિ ખુબજ છે. માયા જુએ છે કે આ સમયે આ કમજોર છે. તો આ પ્રકારની
કમજોરી દ્વારા આમને પોતાના બનાવી શકાય છે. માયાનો આવવાનો રસ્તો છે જ કમજોરી. થોડો
પણ રસ્તો મળ્યો તો ઝટ પહોંચી જાય છે. જેમ આજકાલ ડાકુ શું કરે છે! દરવાજા ભલે બંધ
હોય પરંતુ વેન્ટિલેટર થી પણ આવી જાય છે. થોડો પણ સંકલ્પ માત્ર પણ કમજોર થયો અર્થાત્
માયાને રસ્તો આપવો છે એટલે માયાજીત બનવાનું ખુબજ સહજ સાધન છે, સદા બાપની સાથે રહો.
સાથે રહેવું અર્થાત્ સ્વત: મર્યાદાઓની રેખાની અંદર રહેવું. એક-એક વિકારની પાછળ વિજયી
બનવાની મહેનત કરવાથી છૂટી જશો. સાથે રહો તો સ્વત: જ જેવા બાપ એવા આપ. સંગનો રંગ
સ્વત: જ લાગી જશે. બીજ ને છોડી એકલી શાખાઓને કાપવાની મહેનત નહીં કરો. આજે કામજીત બની
ગયાં, કાલે ક્રોધજીત બની ગયાં, નહિ. છો જ સદા વિજયી. જ્યારે બીજરુપ દ્વારા બીજને
ખતમ કરી દેશો તો વારં-વાર મહેનત કરવા થી સ્વત: જ છૂટી જશો. ફક્ત બીજરુપ ને સાથે રાખો.
પછી આ માયા નું બીજ એવું ભસ્મ થઈ જશે જે ફરી ક્યારેય પણ એ બીજ થી અંશ પણ નહીં નિકળી
સકે. આમ પણ આગમાં બળેલા બીજ થી ક્યારેય ફળ નથી નિકળી શકતું.
તો સાથે રહો, સંતુષ્ટ રહો તો માયા શું કરશે! સરન્ડર થઇ જશે. માયાને સરન્ડર કરતા નથી
આવડતું? જો સ્વયં સરન્ડર છો તો માયા એમની આગળ સરન્ડર છે જ. તો માયાને સરન્ડર કરી છે
કે હમણાં તૈયારી કરી રહ્યા છો? શું હાલ-ચાલ છે? જેમ પોતાનાં સરન્ડર થવાની સેરીમની (સમારોહ)
મનાવો છો તેમ માયાને સરન્ડર કરવાની સેરીમની મનાવી લીધી છે કે મનાવવાની છે? હોલી થઈ
ગયા એટલે સેરીમની થઈ ગઈ, બળી ગયું. પછી ત્યાં જઈને એવાં પત્રો તો નહી લખશો કે શું
કરીએ, માયા આવી ગઈ. ખુશખબરી નાં પત્ર લખશો ને. કેટલી સરન્ડર સેરીમની મનાવી છે, અમારી
તો થઈ ગઈ પરંતુ બીજી આત્માઓ દ્વારા પણ માયાને સરન્ડર કરાવી. આવા સમાચાર લખશો ને!
અચ્છા-
જેટલા ઉમંગ-ઉત્સાહથી આવ્યા છો એટલાં જ બાપદાદા પણ સદા બાળકોને આવાં ઉમંગ-ઉત્સાહથી
સંતુષ્ટ આત્માનાં રુપમાં જોવા ઈચ્છે છે. લગન તો છે જ. લગનની નિશાની છે - જે આટલાં
દૂર થી સમીપ પહોંચી ગયા છો. દિવસ રાત લગન થી દિવસ ગણતાં-ગણતાં અહીંયા પહોંચી ગયા.
લગન નહોત તો પહોંચવું મુશ્કેલ હતું. લગન છે એમાં તો પાસ છો. પાસ સર્ટિફિકેટ મળી ગયું
ને. દરેક વિષય માં પાસ. તો પણ બાપદાદા બાળકોને આફરીન (શાબાશી) દે છે કારણકે ઓળખવાની
નજર તેજ છે. દૂર રહેતાં પણ બાપ ને ઓળખી લીધા. સાથે અર્થાત્ દેશમાં રહેવાવાળા નથી
ઓળખી સકતા. પરંતુ તમે લોકો દુર બેઠા પણ ઓળખી ગયાં. ઓળખીને બાપને પોતાના બનાવ્યાં
અથવા બાપનાં બન્યા. તેના માટે બાપદાદા વિશેષ આફરીન આપે છે. તો જેમ ઓળખવામાં આગળ ગયા
તેમ માયાજીત બનવામાં પણ નંબરવન બની સદા બાપની આફરીન લેવાનાં યોગ્ય અવશ્ય બનશો. જેથી
બાપદાદા કોઈ પણ માયાથી ઘભરાવા વાળી આત્માઓને તમારી પાસે મોકલે કે આ બાળકોથી જઈને
માયાજીત બનવાનો અનુભવ પૂછો. એવું ઉદાહરણ બનીને દેખાડો. જેમ મોહજીત પરિવાર પ્રસિદ્ધ
છે તેમ માયાજીત સેન્ટર પ્રસિદ્ધ છો! આ એવું સેન્ટર છે જ્યાં માયાનો ક્યારેય વાર નથી
થતો. આવું અલગ વાત છે અને વાર કરવું અલગ વાત છે. તો એમાં પણ નંબર લેવાવાળા છો ને.
આમાં નંબરવન કોણ બનશે? લન્ડન, ઓસ્ટ્રેલિયા બનશે કે અમેરિકા બનશે? પેરીસ બનશે, જર્મન
બનશે, બ્રાઝિલ બનશે, કોણ બનશે? જે પણ બને. બાપદાદા એવા ચૈતન્ય મ્યુઝિયમ જાહેર કરશે.
જેમ આબૂનું મ્યુઝિયમ નંબરવન કહે છે. સેવામાં પણ તો સજાવટ માં પણ. એવું માયાજીત
બાળકોનું ચૈતન્ય મ્યુઝિયમ હોય. હિંમત છે ને? તેના માટે હવે કેટલો સમય જોઈએ છે?
ગોલ્ડન જુબલી માં પણ તેમને ઇનામ આપશે જે પહેલા જ કંઈક કરીને દેખાડશે ને. લાસ્ટ સો
ફાસ્ટ થઈ દેખાડો. ભારત વાળા પણ રેસ કરો. પરંતુ તમે એમનાથી પણ આગળ જાઓ. બાપદાદા
બધાંને આગળ જવાની તક આપી રહ્યા છે. ૮ નંબરમાં આવી જાઓ. આઠને જ ઈનામ મળશે. એવું નથી
ફક્ત એકને મળશે. એ તો નથી વિચારતા - લન્ડન અને ઓસ્ટ્રેલિયા તો જૂનાં છે, અમે તો હમણાં
નવાં-નવાં છીએ. સૌથી નાનું નવું કયું સેન્ટર છે? સૌથી નાનાં જે હોય છે તે બધાંને
પ્રિય હોય છે. આમ પણ નાનાં ને કહેવાય છે, મોટા તો મોટા છે પરંતુ નાનાં બાપ સમાન છે.
બધાં કરી શકો છો. કોઈ મોટી વાત નથી. ગ્રીસ, ટેમ્પા, રોમ આ નાનાં છે. આ તો ખુબજ
ઉમંગમાં રહેવાવાળા છે. ટેમ્પા શું કરશે? ટેમ્પલ (મંદિર) બનાવશે? તે રમણીક બાળકી આવી
હતી ને - તેમને કહ્યું હતું કે ટેમ્પા ને ટેમ્પલ બનાવો. જે પણ ટેમ્પા માં આવે તો
દરેક ચૈતન્ય મૂર્તિને જોઈ હર્ષિત થાય. તમે શક્તિશાળી તૈયાર થઈ જાઓ. ફક્ત તમે રાજા
તૈયાર થઈ જાઓ પછી પ્રજા ઝડપી બનશે. રોયલ ફેમિલી બનવામાં સમય લાગે છે. આ રોયલ ફેમિલી,
રાજધાની બની રહી છે પછી પ્રજા તો અઢળક આવી જશે. એટલી આવશે જે તમે જોઈ-જોઈને હેરાન
થઈ જશો. કહેશો બાબા હવે બસ કરો પરંતુ પહેલાં રાજ્ય અધિકારી તખ્તનશીન તો બની જાય ને.
તાજધારી, તિલકધારી બની જાય ત્યારે તો પ્રજા પણ જી હજૂર કહેશે. તાજધારી હશે નહીં તો
પ્રજા કેવી રીતે માનશે કે આ રાજા છે. રોયલ ફેમિલી બનવામાં સમય લાગે છે. તમે સારા
સમય પર પહોંચ્યા છો જે રોયલ ફેમિલીમાં આવવાનાં અધિકારી છો. હવે પ્રજાનો સમય આવવાનો
છે. રાજા બનવાની નિશાની જાણો છો ને. હમણાં થી સ્વરાજ્ય અધિકારી વિશ્વ રાજ્ય અધિકારી
બની જાઓ. હમણાંથી રાજ્ય અધિકારી બનવા વાળાઓની સમીપ અને સહયોગી બનવાવાળા ત્યાં પણ
સમીપ અને રાજ્ય ચલાવવામાં સહયોગી બનશે. હમણાં સેવામાં સહયોગી પછી રાજ્ય ચલાવવામાં
સહયોગી. તો હમણાંથી ચેક કરો. રાજા છો કે ક્યારેક રાજા ક્યારેક પ્રજા બની જાઓ છો!
ક્યારેક અધીન ક્યારેક અધિકારી. સદાનાં રાજા છો? તો કેટલા તમે ભાગ્યશાળી છો? એ નહિ
વિચારતાં અમે તો પાછળથી આવ્યા છીએ. તે પાછળ આવવાં વાળાને વિચારવું પડશે. તમે સારા
સમય પર પહોંચી ગયા છો એટલે ભાગ્યશાળી છો. એ નહિ વિચારતાં અમે પાછળ થી આવ્યાં છીએ
રાજા બની શકીશું કે નહિ! રોયલ ફેમિલીમાં આવી શકશું કે નહિ! સદા આ વિચારો અમે નહીં
આવીશું તો કોણ આવશે? આવવાનું જ છે, ખબર નહિ આ કરી શકશું કે નહિ. ખબર નહીં, આ થશે કે
શું…. નહીં. ખબર છે કે અમે દરેક કલ્પ કર્યુ છે, કરી રહ્યા છીએં અને સદા કરીશું.
સમજ્યા!
ક્યારેય એ નહીં વિચારો અમે વિદેશી છીએં, આ દેશી છે. આ ઇન્ડિયન છે, અમે ફોરેનર છીએ.
અમારી રીત પોતાની, તેમની પોતાની. આ તો ફક્ત પરિચયને માટે ડબલ વિદેશી કહે છે. જેમ
અહીંયા પણ કહે છે આ કર્ણાટક વાળા છે, આ યુ.પી.વાળા છે. છો તો બ્રાહ્મણ ને. ભલે
ઇન્ડિયન છો, ભલે વિદેશી છો, બધાં બ્રાહ્મણ છે. અમે વિદેશી છીએ, આ વિચારવું જ ખોટું
છે. નવો જન્મ નથી લીધો કે શું? જુનો જન્મ તો વિદેશ માં હતો. નવો જન્મ તો બ્રહ્માનાં
ખોળામાં થયો ને. આ ફક્ત પરિચય માટે કહેવાય છે. પરંતુ સંસ્કાર માં કે સમજવા માં
ક્યારેય પણ અંતર નહિ સમજતાં. બ્રાહ્મણ વંશનાં છો ને! અમેરિકા, આફ્રિકા વંશનાં તો નથી
ને. બધાંનો પરિચય શું આપશો. શિવવંશી બ્રહ્માકુમાર કુમારીઓ. એકજ વંશ થઈ ગયો ને.
ક્યારેય પણ બોલવામાં ફર્ક નહીં રાખો. ઇન્ડિયન આવું કરે, વિદેશી આવું કરે, ના. આપણે
એક છીએં. બાપ એક છે. રસ્તો એક છે. રીત-રિવાજ એક છે. સ્વભાવ સંસ્કાર એક છે. પછી દેશી
અને વિદેશી અંતર ક્યાંથી આવ્યું? પોતાને વિદેશી કહેવાથી દૂર થઈ જશો. આપણે બ્રહ્મા
વંશી બધાં બ્રાહ્મણ છીએ. અમે વિદેશી છીએં, અમે ગુજરાતી છીએં…..એટલે આ થાય છે. ના,
બધાં એક બાપનાં છો. આજ તો વિશેષતા છે જે ભિન્ન-ભિન્ન સંસ્કાર મળીને એક થઈ ગયા છે.
ભિન્ન-ભિન્ન ધર્મ, ભિન્ન-ભિન્ન જાતિ-ભાંતિ બધું સમાપ્ત થઈ ગયું. એક નાં થઈ ગયા
અર્થાત્ એક થઈ ગયા. સમજ્યા! અચ્છા.
સદા સંતુષ્ટતા ની વિશેષતા વાળી વિશેષ આત્માઓને, સદા સંતુષ્ટતા દ્વારા સેવામાં સફળતા
પામવાવાળા બાળકો ને, સદા રાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને,
સદા નિશ્ચય દ્વારા દરેક કાર્યમાં નંબરવન બનવાવાળા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર
અને નમસ્તે.
વરદાન :-
સાધનો ને
નિર્લેપ અથવા ન્યારા બની કાર્યમાં લગાવવા વાળા બેહદ નાં વૈરાગી ભવ
બેહદ નાં વૈરાગી
અર્થાત્ કોઈમાં પણ લગાવ નહીં, સદા બાપનાં પ્રિય. આ પ્રિયપણ જ ન્યારા બનાવે છે. બાપનાં
પ્યારા નહિ તો ન્યારા પણ નથી બની શકતા, લગાવ માં આવી જશે. જે બાપનાં પ્યારા છે તે
સર્વ આકર્ષણો થી પરે અર્થાત્ ન્યારા હશે - આને જ કહેવાય છે નિર્લેપ સ્થિતિ. કોઈ પણ
હદના આકર્ષણો નાં લેપ માં આવવા વાળા નહિ. રચના અથવા સાધનો ને નિર્લેપ થઈને કાર્યમાં
લાવે - આવાં બેહદ નાં વૈરાગી જ રાજઋષિ છે.
સ્લોગન :-
દિલ ની
સચ્ચાઈ-સફાઈ હોય તો સાહેબ રાજી થઇ જશે.