22-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 30.01.85
બાપદાદા મધુબન
“ માયાજીત અને પ્રકૃતિજીત
જ સ્વરાજ્ય-અધિકારી ”
આજે ચારે તરફનાં
રાજ્ય અધિકારી બાળકોની રાજય દરબાર જોઈ રહ્યા છે. ચારે તરફ સિકીલધા, સ્નેહી બેહદ નાં
સેવાધારી અનન્ય બાળકો છે. આવાં બાળકો હમણાં પણ સ્વરાજ્ય અધિકારી રાજ્ય દરબારમાં
ઉપસ્થિત છે. બાપદાદા આવાં યોગ્ય બાળકોને, સદાના યોગી બાળકોને અતિ નિર્માણ, ઉચ્ચ
સ્વમાન એવા બાળકોને જોઈ હર્ષિત થાય છે. સ્વરાજ્ય દરબાર આખા કલ્પમાં અલૌકિક, સર્વ
દરબાર થી ન્યારી અને અતિ પ્યારી છે. દરેક સ્વરાજ્ય અધિકારી વિશ્વનાં રાજ્યનાં
ફાઉન્ડેશન નવાં વિશ્વનાં નિર્માતા છે. દરેક સ્વરાજ્ય અધિકારી તેજસ્વી દિવ્ય તિલકધારી
સર્વ વિશેષતાઓથી ચમકતા અમૂલ્ય મણીઓં થી સજેલા તાજધારી છે. સર્વ દિવ્ય ગુણોની માળા
ધારણ કરેલ, સંપૂર્ણ પવિત્રતાની લાઈટનો તાજ ધારણ કરેલ, શ્રેષ્ઠ સ્થિતિનાં સ્વ
સિંહાસન પર ઉપસ્થિત છે. આવાં સજ્યા-સજાવેલા રાજ્ય અધિકારી દરબારમાં ઉપસ્થિત છે. આવી
રાજય દરબાર બાપદાદા ની સામે ઉપસ્થિત છે. દરેક સ્વરાજ્ય અધિકારીની આગળ કેટલા
દાસ-દાસીઓ છે? પ્રકૃતિ જીત અને વિકારો જીત. વિકાર પણ ૫ છે, પ્રકૃતિનાં તત્વો પણ
પાંચ છે. તો પ્રકૃતિ જ દાસી બની ગઈ છે ને. દુશ્મન સેવાધારી બની ગયા છે. આવાં રુહાની
ફખુર (નશા) માં રહેવાવાળા વિકારોને પણ પરિવર્તિત કરી કામ વિકારને શુભકામના, શ્રેષ્ઠ
કામના નાં સ્વરૂપમાં બદલી સેવામાં લગાવવા વાળા, આવાં દુશ્મનને સેવાધારી બનાવવા વાળા,
પ્રકૃતિનાં કોઈ પણ તત્વની તરફ વશીભૂત નથી થતાં. પરંતુ દરેક તત્વનાં તમોગુણી રુપ ને
સતોપ્રધાન સ્વરુપ બનાવી લે છે. કળયુગમાં આ તત્વો દગો અને દુઃખ દે છે. સંગમયુગ માં
પરિવર્તન થાય છે. રુપ બદલાય છે. સતયુગમાં આ પાંચ તત્વો દેવતાઓનાં સુખનાં સાધન બની
જાય છે. આ સૂર્ય તમારું ભોજન તૈયાર કરશે તો ભંડારી બની જશે ને. આ વાયુ (હવા) તમારો
નેચરલ (કુદરતી) પંખો બની જશે. તમારા મનોરંજનનું સાધન બની જશે. પવન લાગશે વૃક્ષ હલસે
અને તે ડાળ-ડાળીઓ એવી રીતે ઝુલસે, જે એમનાં હલવાથી ભિન્ન-ભિન્ન સાજ઼ (સંગીત નાં સુર)
સ્વત:જ વાગતા રહેશે. તો મનોરંજનનું સાધન બની ગયુ ને. આ આકાશ તમારા બધા માટે રાજયપથ
બની જશે. વિમાન ક્યાં ચલાવશો? આ આકાશ જ તમારો પથ બની જશે. આટલો મોટો હાઇવે બીજે
ક્યાંય છે? વિદેશમાં છે? કેટલા પણ માઈલ બનાવે પરંતુ આકાશનાં પથ થી તો નાનો જ છે ને.
આટલો મોટો રસ્તો કોઈ છે? અમેરિકામાં છે? અને વગર એકસીડન્ટ (અકસ્માત) નો રસ્તો હશે.
ભલે આઠ વર્ષનો બાળક પણ ચલાવે તો પણ પડશે નહીં. તો સમજ્યા! આ જળ અત્તર-ફૂલ નું કાર્ય
કરશે. જેમ જડી-બુટ્ટીઓના કારણે ગંગાજળ હમણાં પણ બીજા જળથી પવિત્ર છે. એવી રીતે
સુગંધિત જડી-બુટ્ટીઓ હોવાનાં કારણે જળમાં નેચરલ (કુદરતી) સુગંધ હશે. જેમ અહિયાં દૂધ
શક્તિ આપે છે એમ ત્યાંનું જળ જ શક્તિશાળી હશે, સ્વચ્છ હશે એટલે કહેવાય છે દૂધની
નદીઓ વહે છે. બધા હમણાં થી ખુશ થઈ ગયા ને! એવી રીતે જ આ પૃથ્વી એવા શ્રેષ્ઠ ફળ આપશે
જે જેવા પણ ભિન્ન-ભિન્ન સ્વાદના ઇચ્છો તે સ્વાદ નાં ફળ તમારા સમક્ષ હાજર થશે. આ મીઠું
નહીં હોય, સાકર પણ નહીં હશે. જેમ હમણાં ખટાશ માટે ટામેટા છે, તો બન્યા બનાવેલા છે
ને. ખટાશ આવી જાય છે ને. એમ જે તમને સ્વાદ જોઈએ એના ફળ હશે. રસ નાખો અને સ્વાદ આવી
જશે. તો આ પૃથ્વી એક તો શ્રેષ્ઠ ફળ, શ્રેષ્ઠ અનાજ આપવાની સેવા કરશે. બીજું નેચરલ
સીન સીનરિયા (કુદરતી દ્રશ્ય) જેને કુદરત કહે છે તો કુદરતી દ્રશ્યો, પહાડ પણ હશે. આવાં
સીધા પહાડ નહીં હોય. કુદરતી સૌંદર્ય ભિન્ન-ભિન્ન રુપનાં પહાડ હશે. કોઈ પક્ષી નાં
રુપમાં, કોઈ પુષ્પો નાં રુપમાં. આવી કુદરતી બનાવટ હશે. ફક્ત નિમિત માત્ર થોડો હાથ
લગાવવો પડશે. આવી રીતે આ ૫ તત્વ સેવાધારી બની જશે. પરંતુ કોના બનશે? સ્વરાજય અધિકારી
આત્માઓનાં સેવાધારી બનશે. તો હવે સ્વયંને જુઓ ૫ વિકાર દુશ્મન થી બદલાઈ સેવાધારી
બન્યા છે? ત્યારે જ સ્વરાજ્ય અધિકારી કહેવાશો. ક્રોધ અગ્નિ, યોગ અગ્નિમાં બદલાઈ જાય.
એમ જ લોભ વિકાર, લોભ અર્થાત્ ઈચ્છા. હદની ઈચ્છા બદલાઈને શુભઈચ્છા થઈ જાય કે હું સદા
દરેક સંકલ્પથી, બોલથી, કર્મથી નિસ્વાર્થ બેહદ સેવાધારી બની જાઉં. હું બાપ સમાન બની
જાઉં - આવી શુભ ઈચ્છા અર્થાત્ લોભનું પરિવર્તન સ્વરુપ. દુશ્મનનાં બદલે સેવાના
કાર્યમાં લગાવો. મોહ તો બધાને બહુ જ છે ને. બાપદાદામાં તો મોહ છે ને. એક સેકન્ડ પણ
દૂર ન થાય – આ મોહ થયો ને! પરંતુ આ મોહ સેવા કરાવે છે. જે પણ તમારા નયનોમાં જુએ તો
નયનોમાં સમાયેલા બાપને જુએ. જે પણ બોલશો મુખ દ્વારા બાપનાં અમૂલ્ય બોલ સંભળાવશો. તો
મોહ વિકાર પણ સેવામાં લાગી ગયો ને. બદલાઈ ગયો ને. એવી રીતે જ અહંકાર. દેહ-અભિમાન થી
દેહી-અભિમાની બની ગયા. શુભ અહંકાર અર્થાત્ હું આત્મા વિશેષ આત્મા બની ગઈ. પદ્માંપદમ
ભાગ્યશાળી બની ગઈ. બેફિકર બાદશાહ બની ગઈ. આ શુભ અહંકાર અર્થાત્ ઈશ્વરીય નશો સેવા
નાં નિમિત્ત બની જાય છે. તો એવી રીતે પાંચ વિકાર બદલાઈ સેવાનાં સાધન બની જાય તો
દુશ્મન થી સેવાધારી થઈ ગયા ને! તો એવી રીતે તપાસ કરો માયાજીત પ્રકૃતિજીત ક્યાં સુધી
બન્યા છો? રાજા ત્યારે બનશો જ્યારે પહેલાં દાસ-દાસીઓ તૈયાર થશે. જે સ્વયં દાસ નાં
અધીન હશે તે રાજ્ય અધિકારી કેવી રીતે બનશે.
આજે ભારતનાં બાળકોના મેળા નો પ્રોગ્રામ પ્રમાણે છેલ્લો દિવસ છે. તો મેળાનાં અંતિમ
ટુબ્બી (ઘડી) છે. એનું મહત્વ હોય છે. આ મહત્વના દિવસે જેમ તે મેળામાં જાય છે તો સમજે
છે - જે પણ પાપ છે તે ભસ્મ કરી ખતમ કરીને જઈએ છે. તો બધાએ ૫ વિકારોને સદાના માટે
સમાપ્ત કરવાનો સંકલ્પ કરવો, એ જ અંતિમ ટુબ્બી નું મહત્વ છે. તો બધાએ પરિવર્તન કરવાનો
દ્રઢ સંકલ્પ કર્યો? છોડવાના નથી પરંતુ બદલવાના છે. જો દુશ્મન તમારા સેવાધારી બની
જાય તો દુશ્મન પસંદ છે કે સેવાધારી પસંદ છે? તો આજના દિવસે તપાસ કરો અને પરિવર્તન
કરો ત્યારે છે મિલન મેળાનું મહત્વ. સમજ્યા શું કરવાનું છે? એવું નહીં વિચારતા ચાર
તો ઠીક છે બાકી એક ચાલી જશે. પરંતુ એક ચાર ને પણ પાછા લઈ આવશે. એમનો પણ પરસ્પર માં
સાથ છે એટલા માટે રાવણના શીશ સાથે-સાથે બતાવે છે. તો દશેરા મનાવીને જવાનું છે. ૫
પ્રકૃતિનાં તત્વ જીત અને ૫ વિકાર જીત, દસ થઇ ગયા ને. તો વિજયા દશમી મનાવીને જજો.
ખતમ કરી બાળીને રાખ સાથે નહી લઈ જતા. રાખ પણ લઈ જશો તો ફરીથી આવી જશે. ભૂત બનીને આવી
જશે એટલે તે પણ જ્ઞાન સાગર માં સમાપ્ત કરીને જજો. અચ્છા-
એવાં સદા સ્વરાજ્ય અધિકારી, અલૌકિક તિલકધારી, તાજધારી પ્રકૃતિને દાસી બનાવવા વાળા,
૫ દુશ્મનોને સેવાધારી બનાવવા વાળા, સદા બેફિકર બાદશાહ રુહાની ફખુરમાં રહેવા વાળા
બાદશાહ આવાં બાપ સમાન સદાના વિજયી બાળકોને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.
કુમારીઓથી
અવ્યક્ત બાપદાદાની મુલાકાત
૧. બધા સ્વયંને શ્રેષ્ઠ કુમારીઓ અનુભવ કરો છો? સાધારણ કુમારીઓ તો નોકરીની ટોકરી
ઉઠાવે અથવા તો દાસી બની જાય છે. પરંતુ શ્રેષ્ઠ કુમારીઓ વિશ્વ કલ્યાણકારી બની જાય
છે. એવી શ્રેષ્ઠ કુમારીઓ છો ને. જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય શું છે? સંગદોષ કે સંબંધનાં
બંધન થી મુક્ત થવું આ લક્ષ્ય છે ને. બંધનમાં બંધાવા વાળી નહી. શું કરું બંધન છે,
શું કરું નોકરી કરવી પડે છે એમને કહેવાય છે બંધન વાળી. તો ન સંબંધનું બંધન, ન નોકરી
ટોકરીનું બંધન. બંને બંધનથી ન્યારા તે જ બાપના પ્યારા બને છે. એવી નિર્બંધન છો?
બંનેવ જીવન સામે છે. સાધારણ કુમારીઓ નું ભવિષ્ય અને વિશેષ કુમારીઓ નું ભવિષ્ય બંને
સામે છે. તો બંનેને જોઈ સ્વયં જ જજ કરી શકો છો. જેમ કહેશો એમ કરશું એ નહીં. પોતાનો
ફૈસલો સ્વયં જજ બનીને કરો. શ્રીમત તો છે વિશ્વ કલ્યાણકારી બનો. તે તો ઠીક પરંતુ
શ્રીમત ની સાથે-સાથે પોતાના મનનાં ઉમંગ થી જે આગળ વધે છે તે સદા સહજ આગળ વધે છે. જો
કોઈનાં કહેવાથી કે થોડી પણ શરમના કારણે બીજા શું કહેશે, નહીં બનીશ તો બધા મને આવી
રીતે જોશે કે આ કમજોર છે. એવીરીતે જો કોઈ નાં દબાણથી બનો પણ છો તો પરીક્ષાઓને પાસ
કરવામાં મહેનત લાગે છે. અને સ્વયંના ઉમંગ વાળાને કેટલી પણ મોટી પરિસ્થિતિ આવે તો
સહજ અનુભવ થાય છે કારણ કે મન નો ઉમંગ છે ને. સ્વયંનો ઉમંગ-ઉત્સાહ પાંખો બની જાય છે.
કેટલા પણ પહાડ હોય પરંતુ ઊડવા વાળા પક્ષી સહજ પાર કરી લેશે અને ચાલવા વાળા કે ચઢવા
વાળા કેટલી મુશ્કેલ થી કેટલા સમયમાં પાર કરશે. તો આ મનનો ઉમંગ પાંખ છે, આ પાંખોથી
ઉડવા વાળા ને સદા સહજ થાય છે. સમજ્યા. તો શ્રેષ્ઠ મત છે વિશ્વ કલ્યાણકારી બનો પરંતુ
છતાં પણ સ્વયં પોતાના જજ બની પોતાના જીવનનો ફૈસલો કરો. બાપ એ તો ફૈસલો આપી દીધો છે,
તે નવી વાત નથી. હવે સ્વયંનો ફૈસલો કરો તો સદા સફળ રહેશો. સમજદાર તે જે સોચી-સમજી
ને દરેક પગલું ઉપાડશે. વિચારતા જ નહીં રહે પરંતુ વિચાર્યું - સમજયું અને કર્યું ,એમને
કહેવાય છે સમજદાર. સંગમયુગ પર કુમારી બનવું આ પહેલું ભાગ્ય છે. આ ભાગ્ય તો ડ્રામા
અનુસાર મળેલું છે. હવે ભાગ્યમાં ભાગ્ય બનાવતા જાઓ. આ જ ભાગ્યને કાર્યમાં લગાવ્યું
તો ભાગ્ય વધતું જશે. અને આ જ પહેલા ભાગ્યને ગુમાવ્યું તો સદા નાં સર્વ ભાગ્ય ને
ગુમાવ્યું એટલા માટે ભાગ્યવાન છો. ભાગ્યવાન બની બીજા સેવાધારી નું ભાગ્ય બનાવો.
સમજ્યા!
સેવાધારી (ટીચર્સ)
બહેનો થી :-
સેવાધારી
અર્થાત્ સદા સેવાનાં મોજ માં રહેવા વાળા. સદા સ્વયંને મોજની જીવનમાં અનુભવ કરવા વાળા.
સેવાધારી જીવન એટલે મોજો ની જીવન. તો આવી રીતે સદા યાદ અને સેવાની મોજમાં રહેવાવાળા
છો ને! યાદ ની પણ મોજ છે અને સેવા ની પણ મોજ છે. જીવન પણ મોજ ની, યુગ પણ મોજો નો.
જે સદા મોજમાં રહેવાવાળા છે એમને જોઈને બીજા પણ પોતાના જીવનમાં મોજ નો અનુભવ કરે
છે. કેટલા પણ કોઈ મૂંઝાયેલા આવે પરંતુ જે સ્વયં મોજમાં રહે તે બીજાને પણ મુંઝથી
છોડાવી મોજમાં લઈ આવશે. એવા સેવાધારી જે મોજમાં રહે છે તે સદા તન-મનથી તંદુરસ્ત રહે
છે. મોજમાં રહેવાવાળા સદા ઉડતા રહે કારણકે ખુશી રહે છે. આમ પણ કહેવાય છે આ તો ખુશીમાં
નાચતાં રહે છે. ચાલી રહ્યા છે, નહીં. નાચી રહ્યા છે. નાચવું એટલે ઊંચું ઉઠવું. ઊંચાં
પગ હશે ત્યારે તો નાચશે ને! તો મોજમાં રહેવાવાળા અર્થાત્ ખુશીમાં રહેવાવાળા.
સેવાધારી બનવું અર્થાત્ વરદાતા થી વિશેષ વરદાન લેવું. સેવાધારી ને વિશેષ વરદાન છે,
એક સ્વયં નું અટેન્શન (ધ્યાન) બીજુ વરદાન, ડબલ લિફ્ટ છે. સેવાધારી બનવું અર્થાત્ સદા
મુક્ત આત્મા બનવું, જીવનમુક્ત અનુભવ કરવો.
૨. સદા સેવાધારી સફળતા સ્વરૂપ છો? સફળતા જન્મસિદ્ધ અધિકાર છે. અધિકાર સદા સહજ મળે
છે. મહેનત નથી લાગતી. તો અધિકાર ના રુપમાં સફળતા અનુભવ કરવા વાળા છો. સફળતા થઈ પડી
છે આ નિશ્ચય અને નશો રહે. સફળતા મળશે કે નહીં એવા સંકલ્પ તો નથી ચાલતા? જ્યારે
અધિકાર છે તો અધિકારી ને અધિકાર ન મળે આ થઇ ન શકે. નિશ્ચય છે તો વિજય થઈ પડી છે.
સેવાધારી ની આ જ પરિભાષા છે. જે પરિભાષા છે તેજ પ્રેક્ટિકલ છે. સેવાધારી અર્થાત્
સહજ સફળતાનો અનુભવ કરવાવાળા.
વિદાય નાં સમયે
:-
(બધાંએ ગીત
ગાયું – અભી ના જાઓ છોડ કે...)બાપદાદા જેટલા પ્રેમનાં સાગર છે એટલા ન્યારા પણ છે.
સ્નેહના બોલ બોલે આ તો સંગમયુગ ની મોજો છે. મોજ તો ભલે મનાવો, ખાઓ, પીવો, નાચો પરંતુ
નિરંતર. જેમ હમણાં સ્નેહમાં સમાયેલા છો એવી રીતે સમાયેલા રહો. બાપદાદા દરેક બાળકો
નાં દિલ નાં ગીતો તો સાંભળતા જ રહે છે. આજે મુખનાં ગીત સાંભળી લીધા. બાપદાદા શબ્દ
નથી જોતા, ધૂન નથી જોતા, દિલનો અવાજ સાંભળે છે. હમણાં તો સદા સાથે છો, ચાહે સાકારમાં,
ચાહે અવ્યક્ત રુપમાં, સદા સાથે છો. હવે વિયોગના દિવસો સમાપ્ત થઈ ગયા. હવે સંગમયુગ
પૂરો જ મિલન મેળો છે. ફક્ત મેળામાં ભિન્ન-ભિન્ન દૃશ્ય બદલાય છે. ક્યારેક વ્યક્ત,
ક્યારેક અવ્યક્ત. અચ્છા - ગુડ મોર્નિંગ.
વરદાન :-
આત્મિક શક્તિના
આધાર પર તનની શક્તિનો અનુભવ કરવાવાળા સદા સ્વસ્થ ભવ :
આ અલૌકિક
જીવનમાં આત્મા અને પ્રકૃતિ બંનેની તંદુરસ્તી આવશ્યક છે. જ્યારે આત્મા સ્વસ્થ છે તો
શરીર નો હિસાબ-કિતાબ કે તનનો રોગ શૂળી થી કાંટો બનવાના કારણે, સ્વ-સ્થિતિનાં કારણે
સ્વસ્થ અનુભવ કરો છો. એમનાં મુખ પર, ચહેરા પર બીમારી કે કષ્ટનાં ચિન્હ નથી રહેતા.
કર્મભોગ નાં વર્ણનને બદલે કર્મયોગની સ્થિતિનું વર્ણન કરે છે. તેઓ પરિવર્તનની શક્તિથી
કષ્ટને સંતુષ્ટતા માં પરિવર્તન કરી સંતુષ્ટ રહે છે અને સંતુષ્ટતા ની લહેર ફેલાવે
છે.
સ્લોગન :-
દિલથી, શરીરથી,
પરસ્પર પ્રેમથી સેવા કરો તો સફળતા નિશ્ચિત મળશે.