19-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
એક બાપ થી જ સાંભળવાનું છે , અને સાંભળીને બીજા ઓ ને સંભળાવવાનું છે. ”
પ્રશ્ન :-
બાપ એ આપ
બાળકોને કઈ સમજ આપી છે, જે બીજાઓને સંભળાવવાની છે?
ઉત્તર :-
બાબા એ તમને સમજ આપી કે તમે આત્માઓ બધાં ભાઈ-ભાઈ છો. તમારે એક બાપની યાદમાં રહેવાનું
છે. આજ વાત તમે બધાંને સંભળાવો કારણ કે તમારે આખા વિશ્વનાં ભાઈઓનું કલ્યાણ કરવાનું
છે. તમે જ આ સેવા નાં નિમિત્ત છો.
ઓમ શાંતિ!
ઓમ શાંતિ વધારે
કરીને કેમ કહેવાય છે? આ છે પરિચય આપવો - આત્માનો પરિચય આત્મા જ આપે છે. વાતચીત આત્મા
જ કરે છે શરીર દ્વારા. આત્મા વગર તો શરીર કંઈ કરી ન શકે. તો આત્મા પોતાનો પરિચય આપે
છે. આપણે આત્મા છીએ પરમપિતા પરમાત્મા નાં સંતાન છીએ. તેઓ તો કહી દે છે અહમ આત્મા સો
પરમાત્મા. આપ બાળકો ને આ બધી વાતો સમજાવાય છે. બાપ તો બાળકો-બાળકો જ કહેશે છે ને.
રુહાની બાપ કહે છે - હેં રુહાની બાળકો, આ ઓર્ગન્સ (અંગો) દ્વારા તમે સમજો છો. બાપ
સમજાવે છે પહેલા-પહેલા છે જ્ઞાન પછી જે ભક્તિ. એવું નથી કે પહેલા ભક્તિ, પાછળ જ્ઞાન
છે. પહેલા છે જ્ઞાન દિવસ, ભક્તિ છે રાત. પછી પાછળ દિવસ ક્યારે આવે? જ્યારે ભક્તિનો
વૈરાગ્ય થાય. તમારી બુદ્ધિ માં આ રહેવું જોઈએ. જ્ઞાન અને વિજ્ઞાન છે ને. હમણાં તમે
જ્ઞાનનું ભણતર ભણી રહ્યા છો. પછી સતયુગ-ત્રેતા માં તમને જ્ઞાનની પ્રાલબ્ધ મળે છે.
જ્ઞાન બાબા હમણાં આપે છે જેની પ્રાલબ્ધ પછી સતયુગમાં હશે. આ સમજવાની વાતો છે ને.
હમણાં બાપ તમને જ્ઞાન આપી રહ્યા છે. તમે જાણો છો પછી આપણે જ્ઞાનથી પરે વિજ્ઞાન
પોતાનાં ઘરે શાંતિધામ માં જઈશું. તેને ન જ્ઞાન, ન ભક્તિ કહેશે. એને કહેવાય છે
વિજ્ઞાન. જ્ઞાનથી પરે શાંતિધામ ચાલ્યા જાય છે. આ બધું જ્ઞાન બુદ્ધિ માં રાખવાનું
છે. બાપ જ્ઞાન આપે છે - ક્યાંનાં માટે? ભવિષ્ય નવી દુનિયાનાં માટે આપે છે. નવી
દુનિયામાં જઈશું તો પહેલા પોતાનાં ઘરે જરુર જઈશું. મુક્તિધામ માં જવાનું છે. જ્યાંની
આત્માઓ રહેવાસી છે, ત્યાં તો જરુર જશે ને. આ નવી-નવી વાતો તમે જ સાંભળો છો બીજું
કોઈ સમજી નથી શકતું. તમે સમજો છો આપણે આત્માઓ સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) ફાધર નાં
સ્પ્રિચ્યુઅલ બાળક છીએ. રુહાની બાળકોને જરુર રુહાની બાપ જોઈએ. રુહાની બાપ અને રુહાની
બાળકો. રુહાની બાળકો નાં એક જ રુહાની બાપ છે. એ આવીને જ્ઞાન આપે છે. બાપ કેવી રીતે
આવે છે - એ પણ સમજાવ્યું છે. બાપ કહે છે મારે પણ પ્રકૃતિ ધારણ કરવી પડે છે. હમણાં
તમારે બાપથી સાંભળવાનું જ સાંભળવાનું છે. સિવાય બાપ નાં બીજા કોઈ થી સાંભળવાનું નથી.
બાળકો સાંભળી પછી બીજા ભાઈઓને સંભળાવે છે. કંઈ ને કંઈ સંભળાવે જરુર છે. સ્વયંને
આત્મા સમજો, બાપ ને યાદ કરો કારણકે એ જ પતિત-પાવન છે. બુદ્ધિ ત્યાં ચાલી જાય છે.
બાળકોનાં સમજાવવાથી સમજી જાય છે કારણ કે પહેલા બેસમજ હતા. ભક્તિમાર્ગમાં બેસમજણ થી
રાવણનાં પંજામાં આવવાથી શું કરે છે! કેવા છી-છી બની જાય છે! દારુ પીવાથી શું બની
જાય છે? દારુ ગંદકીને વધારે જ ફેલાવે છે. હવે આપ બાળકોની બુદ્ધિ માં છે કે બેહદનાં
બાપથી અમારે વારસો લેવાનો છે. કલ્પ-કલ્પ લેતા આવ્યા છીએ એટલે દૈવીગુણ પણ જરુર ધારણ
કરવાનાં છે. કૃષ્ણનાં દૈવી ગુણો ની કેટલી મહિમા છે. વૈકુંઠ નાં માલિક કેટલા મીઠા
છે. હવે કૃષ્ણ ની ડિનાયસ્ટી (વંશ) નહીં કહેશું. ડિનાયસ્ટી વિષ્ણુ અથવા
લક્ષ્મી-નારાયણની કહેશે. હમણાં આપ બાળકોને ખબર છે બાપ જ સતયુગી રાજાઈ ની ડિનાયસ્ટી
સ્થાપન કરે છે. આ ચિત્ર વગેરે ભલે ન પણ હોય તો પણ સમજાવી શકો છો. મંદિર તો બહુ જ
બનતા રહે છે, જેમાં જ્ઞાન છે એ બીજાઓનો કલ્યાણ કરવા, આપ સમાન બનાવવા દોડતા રહેશે.
સ્વયંને જોવાનું છે અમે કેટલા ને જ્ઞાન સંભળાવ્યું છે! કોઈ-કોઈને ઝટ જ્ઞાનનું તીર
લાગી જાય છે. ભીષ્મ-પિતામહ વગેરે એ પણ કહ્યું છે ને - અમને કુમારીઓ એ જ્ઞાન બાણ
માર્યા. આ બધાં પવિત્ર કુમાર-કુમારીઓ છે અર્થાત બાળકો છે. તમે બધાં બાળકો છો એટલે
કહો છો અમે બ્રહ્માનાં બાળકો કુમાર-કુમારીઓ ભાઈ-બહેન છીએ. આ પવિત્ર સંબંધ હોય છે. એ
પણ એડોપ્ટેડ ચિલ્ડ્રન (બાળકો) છીએં. બાપ એ એડોપ્ટ કર્યા છે. શિવબાબા એ એડોપ્ટ કર્યા
છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા. હકીકતમાં એડોપ્ટ અક્ષર પણ નહીં કહેશે. શિવબાબા નાં
બાળકો તો છે જ. બધાં મને બોલાવે છે શિવબાબા, શિવબાબા આવો. પરંતુ સમજ કંઈ નથી. બધી
આત્માઓ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. તો શિવબાબા પણ જરુર શરીર દ્વારા પાર્ટ ભજવશે
ને. શિવબાબા પાર્ટ ન ભજવે તો પછી કોઈ કામનાં ન રહ્યા. કિંમત જ ન થાય. એમની કિંમત જ
ત્યારે થાય છે જ્યારે આખી દુનિયાને સદ્દ્ગતિમાં પહોંચાડે છે ત્યારે એમની મહિમા
ભક્તિમાર્ગમાં ગાએ છે. સદ્દ્ગતિ થઈ જાય છે પછી તો બાપને યાદ કરવાની દરકાર જ નથી
રહેતી. ફક્ત ગોડફાધર કહે છે તો પછી શિક્ષક ગુમ થઈ જાય. કહેવા માત્ર રહી જાય કે
પરમપિતા પરમાત્મા પાવન બનાવવા વાળા છે. એ સદ્દ્ગતિ કરવાવાળા પણ નહીં કહેશું. ભલે
ગાયન માં આવે છે - સર્વનાં સદ્દ્ગતિ દાતા એક છે. પરંતુ વગર અર્થ કહી દે છે. હવે તમે
જે કંઈ કહો છો એ અર્થ સહિત. સમજો છો ભક્તિ ની રાત અલગ છે, જ્ઞાન દિવસ અલગ છે. દિવસ
નો પણ સમય હોય છે. ભક્તિનો પણ સમય હોય છે. આ બેહદની વાત છે. આપ બાળકોને જ્ઞાન મળ્યું
છે બેહદનું. અડધો કલ્પ છે દિવસ, અડધો કલ્પ છે રાત. બાપ કહે છે હું પણ આવું છું રાત
ને દિવસ બનાવવા.
તમે જાણો છો અડધો કલ્પ છે રાવણ નું રાજ્ય, તેમાં અનેક પ્રકારનાં દુઃખ છે પછી બાપ નવી
દુનિયા સ્થાપન કરે છે તો એમાં સુખ જ સુખ મળે છે. કહેવાય પણ છે આ સુખ અને દુઃખની રમત
છે. સુખ એટલે રામ, દુઃખ એટલે રાવણ. રાવણ પર જીત પામો છો તો પછી રામરાજ્ય આવે છે, પછી
અડધા કલ્પ બાદ રાવણ, રામરાજ્ય પર જીત પહેરી રાજ્ય કરે છે. તમે હવે માયા પર જીત પામો
છો. અક્ષર એ અક્ષર તમે અર્થ સહિત કહો છો. આ તમારી છે ઇશ્વરીય ભાષા. આ કોઇ સમજશે થોડી.
ઈશ્વર કેવી રીતે વાત કરે છે. તમે જાણો છો આ ગોડફાધર ની ભાષા છે કારણ કે ગોડફાધર
નોલેજફુલ છે. ગવાય પણ છે એ જ્ઞાન નાં સાગર નોલેજફુલ છે તો જરુર કોઈને તો નોલેજ આપશે
ને. હવે તમે સમજો છો કેવી રીતે બાબા નોલેજ આપે છે. પોતાની પણ ઓળખ આપે છે અને સૃષ્ટિ
ચક્રનું પણ જ્ઞાન આપે છે. જે જ્ઞાન લેવાથી આપણે ચક્રવર્તી રાજા બનીએ છીએ. સ્વદર્શન
ચક્ર છે ને. યાદ કરવાથી આપણા પાપ કપાતા જાય છે. આ છે તમારું અહિંસક ચક્ર યાદનું. તે
ચક્ર છે હિંસક, માથું કાપવાનું. તે અજ્ઞાની મનુષ્ય એકબીજા નાં માથા કાપતા રહે છે.
તમે આ સ્વદર્શન ચક્રને જાણવાથી બાદશાહી પામો છો. કામ મહાશત્રુ છે, જેનાંથી આદિ,
મધ્ય, અંત દુઃખ મળે છે. તે છે દુઃખનું ચક્ર. તમને બાપ આ ચક્રનું જ્ઞાન સમજાવે છે.
સ્વદર્શન ચક્રધારી બનાવી દે છે. શાસ્ત્રોમાં તો કેટલી કથાઓ બનાવી દીધી છે. તમારે હવે
એ બધું ભૂલવું પડે છે. ફક્ત એક બાપ ને યાદ કરવાના છે કારણ કે બાપથી જ સ્વર્ગ નો
વારસો લઈશું. બાપને યાદ કરવાનાં છે અને વારસો લેવાનો છે. કેટલું સહજ છે. બેહદનાં
બાપ નવી દુનિયા સ્થાપન કરે છે તો વારસો લેવા માટે જ યાદ કરો છો. આ છે મનમનાભવ,
મધ્યાજી ભવ. બાપ અને વારસાને યાદ કરતાં, બાળકોને ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ.
આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ. બાપ સ્વર્ગની સ્થાપના કરે છે. આપણે માલિક હતા, ફરી
જરુર હશું. પછી તમે જ નર્કવાસી થયા છો. સતોપ્રધાન હતા, હવે તમોપ્રધાન બન્યા છો.
ભક્તિમાર્ગમાં પણ આપણે જ આવ્યા છીએ. ઓલરાઉન્ડ ચક્ર લગાવ્યું છે. આપણે જ ભારતવાસી
સૂર્યવંશી હતા પછી ચંદ્રવંશી, વૈશ્ય વંશી..... બની નીચે પડ્યા છીએ. આપણે ભારતવાસી
દેવી-દેવતા હતા પછી આપણે જ નીચે પડ્યા છીએ. તમને હવે બધું ખબર પડે છે. વામમાર્ગ માં
જાય છે તો કેટલા છી-છી બની જાય છે. મંદિરમાં પણ એવાં છી-છી ચિત્ર બનાવેલા છે. પહેલા
ઘડિયાળ પણ એવા ચિત્રોવાળી બનાવતા હતા. હવે તમે સમજો છો આપણે કેટલા ગુલ-ગુલ હતા પછી
આપણે જ પુનર્જન્મ લેતા-લેતા કેટલા છી-છી બનીએ છીએ. આ સતયુગ નાં માલિક હતા તો દૈવી
ગુણો વાળા મનુષ્ય હતા. હવે આસુરી ગુણોવાળા બન્યા છે બીજો કોઈ ફરક નથી. પૂંછવાળા કે
સૂંઢવાળા મનુષ્ય હોતા નથી. દેવતાઓની ફક્ત આ નિશાનીઓ છે. બાકી તો સ્વર્ગ પ્રાય:લોપ
થઈ ગયું છે ફક્ત આ ચિત્ર નિશાની છે. ચંદ્રવંશી ઓની પણ નિશાની છે. હવે તમે માયા પર
જીત પામવા માટે યુદ્ધ કરો છો. યુદ્ધ કરતા-કરતા નપાસ થઈ જાય છે તો તેની નિશાની તીર
કમાન (ધનુષબાણ) છે. ભારતવાસી હકીકતમાં છે જ દેવી-દેવતા પરિવાર નાં. નહીં તો કયા
પરિવાર નાં ગણાય. પરંતુ ભારતવાસીઓને પોતાનાં પરિવાર ની ખબર ન હોવાનાં કારણે હિન્દુ
કહી દે છે. નહીં તો હકીકતમાં તમારો છે જ એક પરિવાર. ભારતમાં છે બધાં દેવતા પરિવાર
નાં, જે બેહદનાં બાપ સ્થાપન કરે છે. શાસ્ત્ર પણ ભારતનું એક જ છે. ડીટી ડિનાયસ્ટી ની
સ્થાપના થાય છે, પછી તેમાં ભિન્ન-ભિન્ન શાખાઓ થઈ જાય છે. બાપ સ્થાપન કરે છે
દેવી-દેવતા ધર્મ. મુખ્ય છે ૪ ધર્મ. ફાઉન્ડેશન (પાયો) દેવી-દેવતા ધર્મનો જ છે. રહેવા
વાળા બધાં મુક્તિધામનાં છે. પછી તમે પોતાનાં દેવતાઓ ની શાખાઓમાં ચાલ્યા જશો. ભારતની
સીમા એક જ છે બીજા કોઇ ધર્મની નથી. આ છે અસલ દેવતા ધર્મનાં. પછી તેમનાથી બીજા ધર્મ
નીકળે છે ડ્રામાનાં પ્લાન અનુસાર. ભારતનો અસલ ધર્મ છે જ દેવતાઈ, જે સ્થાપન કરવા વાળા
પણ છે બાપ. પછી નવાં-નવાં પત્તા નિકળે છે. આ આખું ઈશ્વરીય ઝાડ છે. બાપ કહે છે હું આ
ઝાડનું બીજરુપ છું. આ ફાઉન્ડેશન છે પછી એમાંથી (ટ્યુબ) શાખા નીકળે છે. મુખ્ય વાત છે
જ આપણે બધી આત્માઓ ભાઈ-ભાઈ છીએ. બધી આત્માઓનાં બાપ એક જ છે, બધાં એમને યાદ કરે છે.
હવે બાપ કહે છે આ આંખોથી તમે જે કંઈ જુઓ છો તેને ભૂલી જવાનું છે. આ છે બેહદનો
વૈરાગ્ય, તેમનો છે હદનો. ફક્ત ઘરબાર થી વૈરાગ્ય આવી જાય છે. તમને તો આ આખી જૂની
દુનિયાથી વૈરાગ્ય છે. ભક્તિનો પછી છે વૈરાગ્ય જૂની દુનિયાનો. પછી આપણે નવી દુનિયામાં
જઈશું વાયા શાંતિધામ. બાપ પણ કહે છે આ જૂની દુનિયા ભસ્મ થવાની છે. આ જૂની દુનિયાથી
હવે દિલ નથી લગાડવાનું. રહેવાનું તો અહીંયા જ છે, જ્યાં સુધી લાયક બની જાઓ.
હિસાબ-કિતાબ બધું ચૂકતું કરવાનું છે.
તમે અડધા કલ્પ માટે સુખ જમા કરો છો. એનું નામ જ છે શાંતિધામ, સુખધામ. પહેલાં સુખ
હોય છે, પછી દુઃખ. બાપ એ સમજાવ્યું છે, જે પણ નવી-નવી આત્માઓ ઉપર થી આવે છે, જેમ
ક્રાઈસ્ટની આત્મા આવી, તેમને પહેલાં દુઃખ નથી હોતું. ખેલ છે જ પહેલાં સુખ, પછી દુઃખ.
નવા-નવા જે આવે છે તે છે સતોપ્રધાન. જેમ તમારા સુખનો અંદાજ વધારે છે, તેમ બધાંનો
દુઃખનો અંદાજ વધારે છે. આ બધું બુદ્ધિથી કામ લેવાય છે. બાપ આત્માઓને બેસી સમજાવી
રહ્યા છે. તે પછી બીજી આત્માઓ ને સમજાવે છે. બાપ કહે છે મેં આ શરીર ધારણ કર્યું છે.
બહુ જ જન્મોનાં અંતમાં અર્થાત તમોપ્રધાન શરીરમાં હું પ્રવેશ કરું છું. પછી તેમને જ
પહેલા નંબર માં જવાનું છે. પહેલું તે છેલ્લું, છેલ્લું તે પહેલું. આ પણ સમજાવવું પડે.
પહેલા નાં પાછળ પછી કોણ? મમ્મા. તેમનો પાર્ટ હોવો જોઈએ. તેમને ઘણા બધાંને શિક્ષણ
આપ્યું છે. પછી આપ બાળકોમાં નંબરવાર છે જે અનેકોને શિક્ષણ આપે છે, ભણાવે છે. પછી તે
ભણવાવાળા પણ એવી કોશિશ કરે છે જે તમારાથી પણ ઊંચાં ચાલ્યા જાય. બહુ જ સેન્ટર્સ પર
એવા છે જે ભણાવવા વાળા શિક્ષક થી આગળ ચાલ્યા જાય છે. એક-એકને જોવાય છે. બધાંની ચલનથી
ખબર તો પડે છે ને. કોઈ-કોઈને તો માયા એવા નાક થી પકડી લે છે જે એકદમ ખલાસ કરી દે
છે. વિકારમાં પડી જાય છે. આગળ ચાલીને તમે અનેકો નું સાંભળતા રહેશો. વન્ડર ખાશો, આ
તો અમને જ્ઞાન આપતા હતા, પછી આ કેવી રીતે ચાલ્યા ગયા. અમને કહેતા હતા પવિત્ર બનો અને
પોતે પછી છી-છી બની ગયા. સમજશે તો જરુર ને. બહુ જ છી-છી બની જાય છે. બાબા એ કહ્યું
છે મોટા-મોટા સારા મહારથીઓને પણ માયા જોરથી ફટકારશે. જેમ તમે માયાને ફટકારીને જીત
પહેરો છો, માયા પણ એમ કરશે. બાપએ કેટલા સારા-સારા ફર્સ્ટ ક્લાસ, રમણીક નામ પણ રાખ્યાં.
પરંતુ અહો માયા, આશ્ચર્યવત સુનન્તી, કથન્તી, પછી ભાગન્તી..... ગિરન્તી થઈ ગયા. માયા
કેટલી જબરદસ્ત છે એટલે બાળકો એ બહુ જ ખબરદાર રહેવાનું છે. યુદ્ધનું મેદાન છે ને.
માયાની સાથે તમારું કેટલું મોટું યુદ્ધ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અહીં જ બધાં
હિસાબ-કિતાબ ચૂકતું કરી અડધા કલ્પ માટે સુખ જમા કરવાનું છે. આ જૂની દુનિયાથી હવે
દિલ નથી લગાડવાનું. આ આંખોથી જે કંઈ દેખાય છે, એને ભૂલી જવાનું છે.
2. માયા બહુ જ જબરદસ્ત છે, તેનાથી ખબરદાર રહેવાનું છે. ભણવામાં ગૈલપ કરી આગળ જવાનું
છે. એક બાપથી જ સાંભળવાનું અને એમનાંથી સાંભળેલું બીજાઓને સંભળાવવાનું છે
વરદાન :-
સદા એકરસ મૂડ
દ્વારા સર્વ આત્માઓને સુખ - શાંતિ - પ્રેમ ની અંચલી દેવાવાળા મહાદાની ભવ :
આપ બાળકો નો મૂડ સદા
ખુશી નો એકરસ રહે, ક્યારેક મૂડ ઓફ, ક્યારેક મૂડ બહુ જ ખુશ..... એવું નહીં. સદા
મહાદાની બનવા વાળાનો મૂડ ક્યારેય બદલાતો નથી. દેવતા બનવા વાળા એટલે દેવા વાળા. તમને
કોઈ કંઈ પણ આપે પરંતુ તમે મહાદાની બાળકો બધાંને સુખની અંચલી, શાંતિની અંચલી, પ્રેમની
અંચલી આપો. તનની સેવાની સાથે મનથી એવી સેવામાં બીઝી (વ્યસ્ત) રહો તો ડબલ પુણ્ય જમા
થઈ જશે.
સ્લોગન :-
તમારી
વિશેષતાઓ પ્રભુ પ્રસાદ છે, એને ફક્ત સ્વયં પ્રતિ ઉપયોગ નહીં કરો, વહેંચો અને વધારો.