09-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો- તમે
જેટલો સમય બાપની યાદમાં રહેશો તેટલો સમય કમાણી જ કમાણી છે, યાદથી જ તમે બાપના સમીપ
આવતાં જશો”
પ્રશ્ન :-
જે બાળકો યાદમાં
નથી રહી સકતા, એમને કઈ વાત માં લજ્જા આવે છે?
ઉત્તર :-
પોતાનો ચાર્ટ
રાખવામાં એમને લજ્જા આવે. સમજે છે સાચું લખશું તો બાબા શું કહેશે. પરંતુ બાળકોનું
કલ્યાણ એમાં જ છે કે સાચો-સાચો ચાર્ટ લખતા રહો. ચાર્ટ લખવામાં બહુ જ ફાયદો છે. બાબા
કહે છે – બાળકો, એમાં લજ્જા નહીં કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી બાળકોને સમજાવે છે. હવે આપ બાળકો ૧૫ મિનિટ પહેલા આવીને અહિયાં બાપની યાદમાં
બેસો છો. હવે અહિયાં બીજુ તો કોઈ કામ છે નહી. બાપની યાદ માં જ આવીને બેસો છો. ભક્તિ
માર્ગમાં તો બાપનો પરિચય છે નહી. અહિયાં બાપનો પરિચય મળ્યો છે અને બાપ કહે છે
મામેક્મ યાદ કરો. હું તો બધાં બાળકો નો બાપ છું. બાપને યાદ કરવાથી વારસો તો આપોઆપ
યાદ આવવો જોઈએ. નાના બાળક તો નથી ને. ભલે લખો છો અમે ૫ મહિના કે ૨ મહિનાના છીએ પરતું
તમારી કર્મેન્દ્રિયોં તો મોટી છે. તો રુહાની બાપ સમજાવે છે, અહિયાં બાપ અને વારસા
ની યાદમાં બેસવાનું છે. જાણો છો કે આપણે નર થી નારાયણ બનવાનાં પુરુષાર્થમાં તત્પર
છીએ અથવા સ્વર્ગમાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો આ બાળકોએ નોંધ કરવી જોઈએ
– અમે અહીં બેઠા-બેઠા કેટલો સમય યાદ કર્યા? લખવાથી બાપ સમજી જશે. એવું નથી કે બાપને
ખબર પડે છે - દરેક કેટલો સમય યાદમાં રહે છે? તે તો દરેક પોતાનો ચાર્ટથી સમજી શકે છે
- બાપની યાદ હતી કે બુદ્ધિ કયાય બીજી તરફ ચાલી ગઈ? એ પણ બુદ્ધિમાં છે હવે બાબા આવશે
તો આ પણ યાદ થઈ ને. કેટલો સમય યાદ કર્યા, એ ચાર્ટમાં સાચુ લખશે. જુઠું લખવાથી તો
વધારે જ સો ગુણા પાપ ચઢશે, વધારે જ નુકસાન થઇ જશે એટલે સાચું લખવાનું છે - જેટલું
યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થશે. અને એ પણ જાણો છો આપણે નજદીક આવતા જઈએ છે. અંતમાં
જયારે યાદ પૂરી થઈ થશે તો આપણે ફરી બાબાની પાસે જતા રહેશું. પછી કોઈ તો ઝટ નવી
દુનિયામાં આવીને પાર્ટ ભજવશે, કોઈ ત્યાં જ બેઠા રહેશે. ત્યાં કોઈ સંકલ્પ તો આવશે નહી.
એ છે જ મુક્તિધામ, દુ:ખ-સુખથી ન્યારું. સુખધામમાં જવા માટે હવે તમે પુરુષાર્થ કરો
છો. જેટલું તમે યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થશે. યાદનો ચાર્ટ રાખવાથી જ્ઞાનની ધારણા
પણ સારી થશે. ચાર્ટ રાખવામાં તો ફાયદો જ છે. બાબા જાણે છે યાદમાં ન રહેવાને કારણે
લખવામાં લજ્જા આવે છે. બાબા શું કહશે, મુરલીમાં સંભળાવી દેશે. બાપ કહે છે એમાં
લજ્જાની શું વાત છે. દિલમાં દરેક સમજી શકે છે - આપણે યાદ કરીએ છીએ કે નહીં?
કલ્યાણકારી બાપ તો સમજાવે છે, નોંધ કરશો તો કલ્યાણ થશે. જ્યાં સુધી બાબા આવે, એટલો
સમય જે બેઠા એમાં યાદ નો ચાર્ટ કેટલો રહ્યો? ફર્ક જોવો જોઇએ. પ્રિય ચીજને તો બહુ જ
યાદ કરાય છે. કુમાર-કુમારીની સગાઈ થાય છે તો દિલમાં એક-બે ની યાદ બેસી જાય છે. પછી
લગ્ન થવાથી પાક્કી થઈ જાય છે. વગર જોઈ સમજી જાય છે - અમારી સગાઈ થઈ છે. હવે આપ બાળકો
જાણો છો કે શિવબાબા આપણા બેહદના બાપ છે. ભલે જોયા નથી પરંતુ બુદ્ધિથી સમજી શકો છો,
એ બાપ જો નામ-રુપથી ન્યારા છે તો પછી પૂજા કોની કરો છો? યાદ કેમ કરો છો? નામ-રુપથી
ન્યારી બેઅંત તો કોઈ વસ્તુ હોતી નથી. જરૂર વસ્તુ જોયા પછી ત્યારે વર્ણન થાય છે.
આકાશને પણ જોવો છો ને. બેઅંત કહી ન શકાય. ભક્તિમાર્ગમાં ભગવાનને યાદ કરો છો - ‘હેં
ભગવાન’ તો બેઅંત થોડી કહેશું. ‘હેં ભગવાન’ કહેવાથી ઝટ એમની યાદ આવે છે તો જરૂર કોઈ
વસ્તુ છે. આત્માને પણ ઓળખી શકાય છે, જોઈ નથી શકતા.
બધી આત્માઓનો એક જ બાપ હોય છે, એમને પણ જાણી શકાય છે. આપ બાળકો જાણો છો - બાપ આવીને
ભણાવે પણ છે. પહેલા એ ખબર ન હતી કે ભણાવે પણ છે. કૃષ્ણનું નામ નાખી દીધું છે.
કૃષ્ણને તો આ આંખો થી જોવામાં આવે છે. એમના માટે તો બેઅંત, નામ-રૂપથી ન્યારા કહી ન
શકીએ. કૃષ્ણ તો ક્યારેય કહેશે નહી - મામેકમ યાદ કરો. એ તો સન્મુખ છે. તેમને બાબા પણ
નહી કહેશું. માતાઓં તો કૃષ્ણને બાળક સમજી ખોળામાં બેસાડે છે. જન્માષ્ટમી પર નાના
કૃષ્ણને હિંડોળશે. શું સદેવ નાનો જ છે! પછી રાસ વિલાસ પણ કરે છે. તો જરૂર થોડા મોટા
થયા પછી એનાથી મોટા થયા અથવા શું થયું, ક્યાં ગયા, કોઈને પણ ખબર નથી. સદેવ નાનું
શરીર તો નહીં હશે ને. કંઈ પણ વિચાર કરતા નથી. આ પૂજા વગેરેનો રીવાજ ચાલ્યો આવે છે.
જ્ઞાન તો કોઈનામાં છે નહી. દેખાડે છે કૃષ્ણએ કંસપુરીમાં જન્મ લીધો. હવે કંસપુરીની
તો વાત જ નથી. કોઈનો પણ વિચાર નથી ચાલતો. ભક્ત લોકો તો કહેશે કે કૃષ્ણ હાજરા હજૂર
છે પછી તેમને સ્નાન પણ કરાવે છે, ખવડાવે પણ છે. હવે એ ખાતા તો નથી. રાખે છે મૂર્તિના
સામે અને પોતે ખાઈ લે છે. આ પણ ભક્તિમાર્ગ થયો ને. શ્રીનાથજી પર કેટલો ભોગ લગાડે
છે, તે તો ખાતા નથી, પોતે ખાઈ જાય છે. દેવીઓની પૂજામાં પણ એમ જ કરે છે. પોતે જ
દેવીઓ બનાવે છે, એમની પૂજા વગેરે કરી પછી ડૂબાડી દે છે. ઘરેણા વગેરે ઉતારી ડુબાડે
છે પછી ત્યાં તો ઘણાં હોય છે, જેના જે હાથમાં આવ્યું તે ઉઠાવી લે છે. દેવીઓની જ
વધારે પૂજા થાય છે. લક્ષ્મી અને દુર્ગા બંનેની મૂર્તિઓ બનાવે છે. મોટી મમ્મા પણ અહીં
બેસી છે ને, જેને બ્રહ્મપુત્રા પણ કહે છે. સમજશે ને કે આ જન્મ અને ભવિષ્યના રુપની
પૂજા કરી રહ્યા છે. કેટલો વન્ડરફુલ ડ્રામા છે. આવી-આવી વાતો શાસ્ત્રમાં આવી ન શકે.
આ છે પ્રેક્ટીકલ એક્ટિવિટી (વાસ્તવિક વાતો). આપ બાળકોને હવે જ્ઞાન છે.સમજો છો સૌથી
વધારે ચિત્ર બનાવ્યા છે આત્મઓનાં. જ્યારે રુદ્ર યજ્ઞ રચે છે ત્યારે લાખો સાલીગ્રામ
બનાવે છે. દેવીઓના ક્યારેય લાખો ચિત્ર નહી બનાવશે. તે તો જેટલા પૂજારી હશે, એટલી
દેવીઓ બનાવતા હશે. એ તો એક જ સમય પર લાખો સાલિગ્રામ બનાવે છે. એમનો કોઈ નક્કી દિવસ
નથી હોતો. કોઈ મુહર્ત વગેરે નથી હોતા. જેમ દેવીઓની પૂજા નક્કી કરેલ સમય પર થાય છે.
શેઠ લોકોને તો જ્યારે વિચાર આવશે કે રુદ્ર કે સાલિગ્રામ રચીએ તો બ્રાહ્મણ બોલાવશે.
રુદ્ર કહેવાય છે એક બાપને પછી એમની સાથે અસંખ્ય સાલિગ્રામ બનાવે છે. એ શેઠ લોકો કહે
છે આટલા સાલિગ્રામ બનાવો. એમની તિથિ-તારીખ કોઈ મુક્કરર નથી હોતી. એવું પણ નથી કે
શિવ જયંતી પર જ રુદ્ર પૂજા કરે છે. ના, વધારે કરીને શુભ દિવસ બૃહસ્પતિ (ગુરુવાર) નો
જ રાખે છે. દિવાળીમાં લક્ષ્મીનું ચિત્ર થાળીમાં રાખી તેની પૂજા કરે છે. પછી રાખી દે
છે. તે છે મહાલક્ષ્મી, યુગલ છે ને. મનુષ્ય આ વાતોને જાણતા નથી. લક્ષ્મીને પૈસા
ક્યાંથી મળશે? યુગલ તો જોઈએ ને. તો આ (લક્ષ્મી-નારાયણ) યુગલ છે. નામ પછી મહાલક્ષ્મી
રાખી દે છે. દેવીઓ ક્યારે હતી, મહાલક્ષ્મી ક્યારે થઈ ને ગઈ? આ બધી વાતો મનુષ્ય નથી
જાણતા. તમને હવે બાપ બેસી સમજાવે છે. તમારામાં પણ બધાંને એક રસ ધારણા નથી હોતી. બાબા
આટલું બધું સમજાવ્યા પછી પણ કહે શિવબાબા યાદ છે? વારસો યાદ છે? મૂળ વાત છે આ.
ભક્તિમાર્ગમાં કેટલા પૈસા વેસ્ટ કરે છે. અહીંયા તમારી પાઈ પણ વેસ્ટ નથી થતી. તમે
સર્વિસ કરો છો સોલ્વેન્ટ બનવા માટે. ભક્તિમાર્ગમાં તો બહુ જ પૈસા ખર્ચ કરે છે,
ઇન્સોલ્વેન્ટ બની ગયા છે. બધું માટીમાં ભળી જાય છે. કેટલો ફર્ક છે! આ સમયે જે કઈ કરે
છે એ ઈશ્વરીય સર્વિસમાં શિવબાબાને આપે છે. શિવબાબા તો ખાતા નથી, ખાઓ તમે છો. તમે
બ્રાહ્મણ વચમાં ટ્રસ્ટી છો. બ્રહ્માને નથી આપતાં. તમે શિવબાબાને આપો છો. કહે છે -
બાબા, તમારી માટે ધોતી-કમીઝ લાવ્યા છે. બાબા કહે છે - આમને દેવાથી તમારું કઈ પણ જમા
નથી થતું. જમા ત્યારે થાય છે જયારે તમે શિવબાબાને યાદ કરી એમને આપો છો. પછી એ તો
સમજો છો બ્રાહ્મણ શિવબાબાનાં ખજાનાથી ઉછરે છે. બાબાને પૂછવાની આવશ્યકતા નથી કે શું
મોકલું? આ તો લેશે નહી. તમારું જમા જ નહી થાય, જો બ્રહ્માને યાદ કર્યા તો. બ્રહ્માએ
તો લેવાનું છે શિવબાબાનાં ખજાનાથી. તો શિવબાબા જ યાદ આવશે. તમારી ચીજ કેમ લે. બી.કે.
ને આપવું પણ ખોટું છે. બાબાએ સમજાવ્યુ છે તમે કોઈ થી પણ ચીજ લઈ પહેરશો તો એમની યાદ
આવતી રહેશે. કોઈ હલકી ચીજ છે તો એની વાત નથી. સારી ચીજ તો વધારે જ યાદ અપાવશે -
ફલાણાએ આપી છે. એમનું કઈ જમાં તો થતું નથી. તો ખોટ ગયી ને. શિવબાબા કહે છે મામેકમ
યાદ કરો. મને કપડાં વગેરેની આવશ્યકતા નથી. કપડા વગેરે બાળકોને જોઈએ. તેઓ શિવબાબાનાં
ખજાનાંથી પહેરશે. મને તો પોતાનું શરીર છે નહીં. આ તો શિવબાબા નાં ખજાનાથી લેવાનાં
હકદાર છે. રાજાઈના પણ હકદાર છે. બાપના ઘરમાં જ બાળકો ખાય-પીવે છે ને. તમે પણ સર્વિસ
કરી, કમાણી કરતા રહો છો. જેટલી સર્વિસ વધારે એટલી વધારે કમાણી થશે. ખાશે, પીશે
શિવબાબા ના ભંડારાથી. એમને નહીં દેશો તો જમા જ નહી થશે. શિવબાબાને જ આપવાનું હોય
છે. બાબા, તમારાથી ભવિષ્ય ૨૧ જન્મ માટે પદ્માપદ્મપતિ બનીશું. પૈસા તો ખતમ થઈ જશે
એટલે સમર્થને આપણે આપી દઈએ છીએ. બાપ સમર્થ છે ને. ૨૧ જન્મો માટે તેઓ આપે છે.
ઇનડાયરેક્ટ પણ ઈશ્વર અર્થ આપે છે. ઇનડાયરેક્ટમાં એટલા સમર્થ નથી. હવે તો બહુ જ
સમર્થ છે કારણકે સન્મુખ છે. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરીટી આ સમય માટે છે.
ઈશ્વર અર્થ કંઈ દાન-પુણ્ય કરે છે તો અલ્પકાલ માટે કઈક મળી જાય છે. અહિયાં તો બાપ
તમને સમજાવે છે - હું સમ્મુખ છું. હું જ આપવા વાળો છું. આમણે પણ શિવબાબાને બધું આપી
આખા વિશ્વની બાદશાહી લઇ લીધી ને. આ પણ જાણો છો - આ વ્યક્તનો જ અવ્યક્ત રુપમાં
સાક્ષાત્કાર થાય છે. આમનામાં શિવબાબા આવીને બાળકોથી વાત કરે છે. ક્યારે પણ એ ખ્યાલ
ન કરવો જોઈએ - આપણે મનુષ્યથી લઈએ. બોલો, શિવબાબાનાં ભંડારામાં મોકલી દો, તેમને
દેવાથી તો કંઈ નહી મળે, વધુ જ ખોટ (ઘાટો) પડી જશે. ગરીબ હશે, ૩-૪ રૂપિયાની કોઈ ચીજ
તમને આપશે. એનાથી તો શિવબાબાના ભંડારામાં નાખશે તો પદમ થઈ જશે. પોતાને નુકસાન (ઘાટા)
માં થોડી નાખવાના છે. પૂજા વધારે કરીને દેવીઓની જ થાય છે કારણકે તમે દેવીયો જ ખાસ
નિમિત્ત બનો છો જ્ઞાન આપવામાં. ભલે ગોપ પણ સમજાવે છે પરંતુ વધારે કરીને તો માતાઓ જ
બ્રાહ્મણી બની રસ્તો બતાવે છે એટલે દેવીઓના નામ વધારે છે. દેવીઓની બહુ જ પૂજા થાય
છે. આ પણ આપ બાળકો સમજો છો અડધો કલ્પ આપણે પૂજ્ય હતા. પહેલા હતા સંપૂર્ણ પૂજ્ય, પછી
થોડાંક ઓછા પૂજ્ય કારણકે બે કળા ઓછી થઈ જાય છે. રામની ડિનાયસ્ટી (વંશજ) કહેશું
ત્રેતામાં. તેઓ તો લાખો વર્ષની વાત કહી દે છે, તો તેનો કોઈ હિસાબ નથી થઈ શકતો.
ભક્તિમાર્ગ વાળાની બુદ્ધિમાં અને તમારી બુદ્ધિમાં કેટલો રાત-દિવસનો ફરક છે. તમે છો
ઈશ્વરીય બુદ્ધિ, એ છે રાવણની બુદ્ધિ. તમારી બુદ્ધિમાં છે કે આ આખુ ચક્ર જ ૫ હજાર
વર્ષનું છે, જે ફરતું રહે છે. જે રાતમાં છે તેઓ કહે છે લાખો વર્ષ, જે દિવસમાં છે
તેઓ કહે છે ૫ હજાર વર્ષ. અડધાકલ્પ ભક્તિમાર્ગમાં તમે અસત્ય વાતો સાંભળી છે. સતયુગમાં
એવી વાતો હોતી જ નથી. ત્યાં તો વારસો મળે છે. હવે તમને ડાયરેક્ટ મત મળે છે.
શ્રીમદ્દ ભગવત ગીતા છે ને. બીજા કોઈ શાસ્ત્ર પર શ્રીમદ્ નામ છે નહીં. દર ૫ હજાર
વર્ષ બાદ આ પુરુષોત્તમ સંગમયુગ, ગીતાનો યુગ આવે છે. લાખો વર્ષની તો વાત હોઈ ન શકે.
ક્યારેય પણ કોઈ આવે તો લઈ જાઓ સંગમ પર. બેહદનાં બાપએ રચયિતા અર્થાત સ્વયંનો અને
રચનાનો આખો પરિચય આપ્યો છે. છતાં પણ કહે છે – અચ્છા, બાપને યાદ કરો, બીજી કોઈ ધારણા
નથી કરી સકતા તો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. પવિત્ર તો બનવાનું જ છે. બાપથી
વારસો લો છો તો દેવીગુણ પણ ધારણ કરવાનાં છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ
મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) ૨૧ જન્મો માટે પદ્મોની કમાણી જમા કરવા માટે ડાયરેક્ટ ઈશ્વરીય સેવામાં બધું સફળ
કરવાનું છે. ટ્રસ્ટી બની શિવબાબાનાં નામ પર સેવા કરવાની છે.
2) યાદમાં જેટલો સમય બેસો, એટલો સમય બુદ્ધિ કયાં-કયાં ગઈ - આ તપાસ કરવાની છે. પોતાનો
સાચો-સાચો પોતામેલ રાખવાનો છે. નર થી નારાયણ બનવા માટે બાપ અને વારસા ની યાદ માં
રહેવાનું છે.
વરદાન :-
અવિનાશી
પ્રાપ્તિઓની સ્મૃતિ થી પોતાના શ્રેષ્ઠ ભાગ્યની ખુશીમાં રહેવાવાળા ઇચ્છા માત્રમ
અવિદ્યા ભવ:
જેમનો બાપ જ
ભાગ્યવિધાતા છે એમનું ભાગ્ય કેવું હશે! સદા એ જ ખુશી રહે કે ભાગ્ય તો અમારો
જન્મસિદ્ધ અધિકાર છે. ”વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય અને ભાગ્ય વિધાતા બાપ” આ જ ગીત ગાઈ
ખુશીમાં ઉડતા રહો. આવો અવિનાશી ખજાનો મળ્યો છે જે એક જન્મ સાથે રહેશે, કોઈ છીનવી નહિ
શકે, લુટી નહી શકે. કેટલુ મોટું ભાગ્ય છે જેમાં કોઈ ઇચ્છા નહીં, મન ની ખુશી મળી ગઈ
તો બધી પ્રાપ્તિઓ થઈ ગઈ. કોઈ અપ્રાપ્ત વસ્તુ છે જ નહિ એટલે ઇચ્છા માત્રમ અવિદ્યા બની
ગયા.
સ્લોગન :-
વિકર્મ કરવાનો
સમય વીતી ગયો, હવે વ્યર્થ સંકલ્પ, બોલ પણ બહુ જ દગો આપે છે.