09-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો બ્રાહ્મણ છે ચોટી અને શુદ્ર જે પગ જ્યારે શુદ્ર થી બ્રાહ્મણ બનો ત્યારે દેવતા બની શકશો ”

પ્રશ્ન :-
તમારી શુભભાવના કઈ છે, જેનો પણ મનુષ્ય વિરોધ કરે છે?

ઉત્તર :-
તમારી શુભભાવના છે કે આ જૂની દુનિયા ખતમ થઇ નવી દુનિયા સ્થાપન થઈ જાય, એના માટે તમે કહો છો કે આ જૂની દુનિયા હવે વિનાશ થઈ કે થઈ. એનો પણ મનુષ્ય વિરોધ કરે છે.

પ્રશ્ન :-
આ ઇન્દ્રપ્રસ્થ નો મુખ્ય કાયદો શું છે?

ઉત્તર :-
કોઈપણ પતિત શુદ્રને આ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં નથી લાવી શકાતું. જો કોઈ લઈ આવે છે તો એમની ઉપર પણ પાપ લાગી જાય છે.


ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ બેસીને સમજાવે છે. રૂહાની બાળકો જાણે છે અમે પોતાના માટે પોતાનું દેવી રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ કારણકે તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો, તમે જાણો છો. પરંતુ માયા તમને પણ ભુલાવી દે છે. તમે દેવતા બનવા ઈચ્છો છો, તો માયા તમને બ્રાહ્મણ થી શુદ્ર બનાવી દે છે. શિવબાબા ને યાદ ન કરવાથી બ્રાહ્મણ, શૂદ્ર બની જાય છે. બાળકોને એ ખબર છે કે અમે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છે. જ્યારે રાજ્ય સ્થાપન થઈ જશે પછી આ જૂની સૃષ્ટિ નહીં રહેશે. બધાને આ વિશ્વ થી શાંતિધામ માં મોકલી દે છે. આ છે તમારી ભાવના. પરંતુ તમે જે કહો છો આ દુનિયા ખતમ થઈ જશે તો જરૂર લોકો વિરોધ કરશે ને. કહેશે કે બ્રહ્માકુમારીઓ આ પાછું શું કહે છે. વિનાશ, વિનાશ જ કહેતી રહે છે. તમે જાણો છો આ વિનાશમાં જ ખાસ ભારત અને આમ દુનિયા ની ભલાઈ છે. આ વાત દુનિયા વાળા નથી જાણતા. વિનાશ થશે તો બધા ચાલ્યા જશે મુક્તિધામ. હમણાં તમે ઇશ્વરીય સંપ્રદાયના બન્યા છો. પહેલા આસુરી સંપ્રદાયના હતા. તમને ઈશ્વર પોતે જ કહે છે મામેકમ યાદ કરો. આ તો બાપ જાણે છે સદેવ યાદમાં કોઈ રહી ન શકે. સદેવ યાદ રહે તો વિકર્મ વિનાશ થઇ જાય પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. હમણાં તો બધાં પુરુષાર્થી છે. જે બ્રાહ્મણ બનશે, તે દેવતા બનશે. બ્રાહ્મણો પછી છે દેવતાઓ. બાપએ સમજાવ્યું છે બ્રાહ્મણ છે ચોટી. જેમ બાળકો બાજોલી રમે છે - પહેલા આવે છે માથા ની ચોટી. બ્રાહ્મણોને હંમેશા ચોટી હોય છે. તમે છો બ્રાહ્મણ. પહેલા શુદ્ર અર્થાત પગ હતા. હવે બન્યા છો બ્રાહ્મણ ચોટી પછી દેવતા બનશો. દેવતા કહેવાય છે મુખને, ક્ષત્રિય ભુજાઓને, વૈશ્ય પેટને, શૂદ્ર પગને. શૂદ્ર અર્થાત ક્ષુદ્ર બુદ્ધિ, તુચ્છ બુદ્ધિ. તુચ્છ બુદ્ધિ એમને કહેવાય છે જે બાપને નથી જાણતા અને જે બાપની ગ્લાનિ કરતા રહે છે. ત્યારે બાપ કહે છે જ્યારે-જ્યારે ભારતમાં ગ્લાનિ થાય છે, હું આવું છું. જે ભારતવાસી છે બાપ એમનાથી જ વાત કરે છે. યદા યદા હી ધર્મસ્ય.. બાપ આવે પણ છે ભારત માં. બીજી કોઈ જગ્યાએ આવતા જ નથી. ભારત જ અવિનાશી ખંડ છે. બાપ પણ અવિનાશી છે. તે ક્યારેય જન્મ-મરણ માં નથી આવતા. બાપ અવિનાશી આત્માઓને જ બેસીને સંભળાવે છે. આ શરીર તો છે વિનાશી. હવે તમે શરીરનું ભાન છોડીને સ્વયંને આત્મા સમજવા લાગ્યા છો. બાપે સમજાવ્યું હતું કે હોળી ઉપર કોકી બનાવે છે તો કોકી બધી બળી જાય છે, દોરો નથી બળતો. આત્મા ક્યારેય વિનાશ નથી થતી. આના ઉપર જ ઉદાહરણ છે. આ કોઈપણ મનુષ્ય માત્રને ખબર નથી કે આત્મા અવિનાશી છે. તેઓ તો કહી દે છે આત્મા નિર્લેપ છે. બાપ કહે છે – ના, આત્મા જ સારા કે ખરાબ કર્મ કરે છે, આ શરીર દ્વારા. એક શરીર છોડીને ફરી બીજુ લે છે અને કર્મ ભોગવે છે, તો તે હિસાબ-કિતાબ લઈ આવે છે ને. એટલે આસુરી દુનિયામાં મનુષ્ય અપાર દુઃખ ભોગવે છે. આયુષ્ય પણ ઓછું હોય છે પરંતુ મનુષ્ય આ દુઃખને પણ સુખ સમજી બેસે છે. તમે બાળકો કેટલું કહો છો નિર્વિકારી બનો છતાં પણ કહે છે વિષ વગર અમે રહી નથી શકતા કારણકે શૂદ્ર સંપ્રદાય છે ને. ક્ષુદ્ર બુદ્ધિ છે. તમે બન્યા છો બ્રાહ્મણ ચોટી. ચોટી તો સૌથી ઊંચી છે. દેવતાઓથી પણ ઊંચ છે. તમે આ સમયે દેવતાઓથી પણ ઊંચા છો કારણકે બાપની સાથે છો. બાપ આ સમયે તમને ભણાવે છે. બાપ વફાદાર સેવક બન્યા છે ને. બાપ બાળકોના વફાદાર સેવક હોય છે ને. બાળકોને જન્મ આપી, સંભાળીને, ભણાવીને પછી મોટા કરી જ્યારે બુઢ્ઢા થાય છે તો આખી મિલકત બાળકોને આપીને પોતે ગુરુ કરીને કિનારે જઈને બેસે છે. વાનપ્રસ્થી બની જાય છે. મુક્તિધામ જવા માટે ગુરુ કરે છે. પરંતુ તેઓ મુક્તિધામમાં તો જઈ ન શકે. તો મા-બાપ બાળકોની સંભાળ કરે છે. સમજો મા બીમાર પડે છે, બાળકો છી કરી દે છે તો બાપને ઉઠાવવી પડે છે ને. તો મા-બાપ બાળકોના સેવક થયા ને. આખી મિલકત બાળકોને આપી દે છે. બેહદ ના બાપ પણ કહે છે હું જ્યારે આવું છું તો કોઈ નાના બાળકોની પાસે નથી આવતો. તમે તો મોટા છો ને. તમને બેસીને શિક્ષણ આપે છે. તમે શિવબાબા નાં બાળકો બનો છો તો બી.કે. કહેવાઓ છો. એની પહેલા શૂદ્રકુમાર-કુમારી હતા, વૈશ્યાલય માં હતા. હવે તમે વૈશ્યાલય માં રહેવાવાળા નથી. અહીં કોઈ વિકારી રહી ન શકે. હુકમ નથી. તમે છો બી.કે. આ સ્થાન છે જ બી.કે. ને રહેવા માટે. કોઈ-કોઈ બહુ અનાડી બાળકો છે જે આ સમજતા નથી કે શૂદ્ર કહેવાય છે પતિત વિકારમાં જવાવાળા ને, તેઓને અહીં રહેવાનો હુકમ નથી, આવી ન શકે. ઇન્દ્ર સભા ની વાત છે ને. ઇન્દ્ર સભા તો આ છે, જ્યાં જ્ઞાન વર્ષા થાય છે. કોઇ બી.કે. એ અપવિત્રને છુપાવીને સભામાં બેસાડયા તો બંને ને શ્રાપ મળી જાય છે કે પથ્થર બની જાઓ. સાચું-સાચું આ ઇન્દ્રપ્રસ્થ છે ને. આ કોઈ શૂદ્ર કુમાર-કુમારી નો સત્સંગ નથી. પવિત્ર હોય છે દેવતાઓ, પતિત હોય છે શુદ્ર. પતિતો ને બાપ આવીને પાવન દેવતા બનાવે છે. હવે તમે પતિતથી પાવન બની રહ્યા છો. તો આ થઈ ગઈ ઇન્દ્રસભા. જો વગર પૂછે કોઈ વિકારી ને લઈ આવે છે તો બહુ જ સજા મળી જાય છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. અહીં પારસ બુદ્ધિ બની રહ્યા છો ને. તો તેમને જે લઈ આવે છે, તેમણે પણ શ્રાપ મળી જાય છે. તમે વિકારીઓને છુપાવીને શા માટે લઇ આવ્યા? ઇન્દ્ર (બાપ) થી પૂછ્યું પણ નહીં. તો કેટલી સજા મળે છે. આ છે ગુપ્ત વાતો. હવે તમે દેવતા બની રહ્યા છો. બહુ જ કડક કાયદા છે. અવસ્થા જ પડી જાય છે. એકદમ પથ્થર બુદ્ધિ બની પડે છે. છે પણ પથ્થર બુદ્ધિ. પારસ બુદ્ધિ બનવાનો પુરુષાર્થ જ નથી કરતા. આ ગુપ્ત વાતો છે જે તમે બાળકો જ સમજી શકો છો. અહીં બી.કે. રહે છે, તેઓને દેવતા અર્થાત પથ્થરબુદ્ધિથી પારસબુદ્ધિ બાપ બનાવી રહ્યા છે.

બાપ મીઠા-મીઠા બાળકો ને સમજાવે છે - કોઈ પણ કાયદો ન તોડો. નહી તો તેમને ૫ ભૂત પકડી લેશે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર - આ પાંચ મોટા-મોટા ભૂત છે, અડધા કલ્પના. તમે અહીંયા ભૂતોને ભગાવવા આવ્યા છો. આત્મા જે શુદ્ધ, પવિત્ર હતી, તે અપવિત્ર, અશુદ્ધ, દુઃખી, રોગી બની ગઈ છે. આ દુનિયામાં અથાહ દુ:ખ છે. બાપ આવીને જ્ઞાન વર્ષા કરે છે. આપ બાળકો દ્વારા જ કરે છે. તમારા માટે સ્વર્ગ રચે છે. તમે જે યોગબળથી દેવતા બનો છો. બાપ સ્વયં નથી બનતા. બાપ તો છે સેવક. શિક્ષક પણ વિદ્યાર્થી ના સેવક હોય છે. સેવા કરી ભણાવે છે. શિક્ષક કહે છે અમે તમારા બહુ જ વફાદાર સેવક છીએ. કોઈને વકીલ, એન્જિનિયર, વગેરે બનાવે છે તો સેવક થયા ને. તેમ જ ગુરૂ લોકો પણ રસ્તો બતાવે છે. સેવક બની મુક્તિધામમાં લઈ જવાની સેવા કરે છે. પરંતુ આજકાલ તો ગુરુ કોઈ લઈ નથી જઇ શકતા કારણ કે તેઓ પણ પતિત છે. એક જ સદ્દગુરુ સદા પવિત્ર છે, બાકી ગુરુ લોકો પણ બધા પતિત છે. આ દુનિયા જ આખી પતિત છે. પાવન દુનિયા કહેવાય છે સતયુગને, પતિત દુનિયા કહેવાય છે કળયુગને. સતયુગને જ પૂરું સ્વર્ગ કહેશું. ત્રેતામાં બે કળા ઓછી થઈ જાય છે. આ વાતો આપ બાળકો જ સમજી અને ધારણ કરો છો. દુનિયાના મનુષ્ય તો કાંઈ નથી જાણતા. એવું પણ નથી, આખી દુનિયા સ્વર્ગમાં જશે. જે કલ્પ પહેલા હતા, તે ભારતવાસી ફરી આવશે અને સતયુગ-ત્રેતા માં દેવતા બનશે. તેઓ ફરી દ્વાપરથી પોતાને હિન્દુ કહેશે. આમ તો હિન્દુ ધર્મમાં હજી સુધી પણ જે આત્મા ઉપરથી ઉતરે છે, તેઓ પણ પોતાને હિન્દુ કહે છે પરંતુ તે તો દેવતા નહી બનશે અને ન સ્વર્ગમાં આવશે. તેઓ ફરી પણ દ્વાપરના પછી પોતાના સમય પર ઉતરશે અને પોતાને હિન્દુ કહેશે. દેવતા તો તમે જ બનો છો, જેમનો આદિથી અંત સુધી પાર્ટ છે. આ ડ્રામા મોટી યુક્તિ છે. ઘણાંની બુદ્ધિમાં નથી બેસતું તો ઉચ્ચ પદ પણ નથી પામી શકતા.

આ છે સત્યનારાયણની કથા. તેઓ તો જુઠ્ઠી કથા સંભળાવે છે, તેનાથી કોઈ લક્ષ્મી કે નારાયણ બનાય થોડી છે. અહીં તમે પ્રેક્ટીકલ માં બનો છો, કળયુગમાં છે જ બધું જૂઠું. જૂઠી માયા.. રાવણનુ રાજ્ય છે જ જૂઠું. સચખંડ બાપ બનાવે છે. આ પણ તમે બ્રાહ્મણ બાળકો જાણો છો, એ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર કારણકે ભણતર છે, કોઈ બહુ થોડું ભણે છે તો નાપાસ થઈ જાય છે. આ તો એક જ વાર ભણવાનું થઇ શકે છે. પછી તો ભણવું મુશ્કેલ થઈ જશે. શરૂઆતમાં જે ભણીને શરીર છોડીને ગયા છે તો સંસ્કાર તે લઈને ગયા છે. પાછા આવીને ભણતા હશે. નામ-રુપ તો બદલાઈ જાય છે. આત્માને જ પૂરો ૮૪ નો પાર્ટ મળેલો છે, જે ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, કાળ માં પાર્ટ ભજવે છે. આટલી નાની આત્મા એને કેટલું મોટું શરીર મળે છે. આત્મા તો બધામાં હોય છે ને. આટલી નાની આત્મા આટલા નાના મચ્છર માં પણ છે. આ બધી બહુ જ સૂક્ષ્મ સમજવાની વાતો છે. જે બાળકો આ સારી રીતે સમજે છે તે જ માળા નાં દાણા બને છે. બાકી તો જઈને પાઈ પૈસાનું પદ પામશે. હમણાં તમારો આ ફૂલો નો બગીચો બની રહ્યો છે. પહેલા તમે કાંટા હતા. બાપ કહે છે કામ વિકારનો કાંટો બહુ જ ખરાબ છે. આ આદિ-મધ્ય અને અંત દુ:ખ આપે છે. દુઃખનું મૂળ કારણ જ છે કામ. કામને જીતવાથી જ જગતજીત બનશે, એમાં જ ઘણા બધા ને મુશ્કેલીઓ અનુભવ થાય છે. બહુ જ મુશ્કેલ થી પવિત્ર બને છે. જે કલ્પ પહેલા બન્યા હતા તે જ બનશે. સમજી શકાય છે કોણ પુરુષાર્થ કરી ઊંચા માં ઊંચાં દેવતા બનશે. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બને છે ને. નવી દુનિયામાં સ્ત્રી-પુરુષ બંને પાવન હતા. હવે પતિત છે. પાવન હતા તો સતોપ્રધાન હતા. હમણાં તમો પ્રધાન બની ગયા છે. અહીંયા બંને જણે પુરુષાર્થ કરવાનો છે. આ જ્ઞાન સંન્યાસી આપી નથી શકતા. તે ધર્મ જ અલગ છે, નિવૃત્તિ માર્ગ નો. અહીં ભગવાન તો સ્ત્રી-પુરુષ બંનેને ભણાવે છે. બંનેને કહે છે હવે શૂદ્ર થી બ્રાહ્મણ બનીને ફરી લક્ષ્મી-નારાયણ બનવાનું છે. બધા તો નહીં બનશે. લક્ષ્મી-નારાયણ ની પણ રાજધાની હોય છે. એમણે રાજ્ય કેવી રીતે લીધું - આ કોઈ નથી જાણતું. સતયુગમાં આમનું રાજ્ય હતું, એ પણ સમજે છે પરંતુ સતયુગને પાછા લાખો વર્ષ કહી દીધા છે તો આ અજ્ઞાનતા થઈ ને. બાપ કહે છે આ છે જ કાંટા નું જંગલ. તે છે ફૂલોનો બગીચો. અહીં આવ્યાની પહેલા તમે અસુર હતા. હવે તમે અસુર થી દેવતા બની રહ્યા છો. કોણ બનાવે છે? બેહદ ના બાપ. દેવતાઓનું રાજ્ય હતું તો બીજું કોઈ હતું નહીં. આ પણ તમે સમજો છો. જે નથી સમજી શકતા, એમને જ પતિત કહેવાય છે. આ છે બ્રહ્માકુમાર-કુમારીઓ ની સભા. જો કોઈ શૈતાનીનું કાર્ય કરે છે તો પોતાને શ્રાપિત કરી દે છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. સોનાની બુદ્ધિ નર થી નારાયણ બનવા વાળા તો છે નહીં – પ્રૂફ મળી જાય છે. થર્ડ ગ્રેડ દાસ-દાસીઓ જઈને બનશે. હમણાં પણ રાજાઓની પાસે દાસ-દાસીઓ છે. આપણ ગાયન છે – કિનકી દબી રહેગી ધૂલ મેં.. આગના ગોળા પણ આવશે તો ઝેર નાં ગોળા પણ આવશે. મોત તો આવવાની છે જરૂર. એવી-એવી ચીજો તૈયાર કરી રહ્યા છે જે કોઈ મનુષ્ય ની કે હથિયારો વગેરે ની દરકાર જ નહીં રહેશે. ત્યાંથી બેઠા-બેઠા એવી રીતે બોમ્બ છોડશે, એની હવા એવી ફેલાશે જે ઝટ ખલાસ કરી દેશે. આટલા કરોડો મનુષ્યનો વિનાશ થવાનો છે, નાની વાત છે કે! સતયુગ માં કેટલા થોડા હોય છે. બાકી બધા ચાલ્યા જશે શાંતિધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. સુખધામ માં છે સ્વર્ગ, દુઃખધામમાં છે આ નર્ક. આ ચક્ર ફરતું રહે છે. પતિત બની જવાથી દુઃખધામ બની જાય છે ફરી બાપ સુખધામ માં લઇ જાય છે. પરમપિતા પરમાત્મા હમણાં સર્વ ની સદ્દગતિ કરી રહ્યા છે તો ખુશી હોવી જોઈએ ને. મનુષ્ય ડરે છે, એ નથી સમજતા મોતથી જ ગતિ- સદ્દગતિ થવાની છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ફૂલોના બગીચામાં ચાલવા માટે અંદર જે કામ-ક્રોધના કાંટા છે, એને નીકાળી દેવાના છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જેનાથી શ્રાપ મળી જાય.

2. સચખંડના માલિક બનવા માટે સત્યનારાયણ ની સત્ય કથા સાંભળવી અને સંભળાવવાની છે. આ જુઠ ખંડથી કિનારો કરી લેવાનો છે.

વરદાન :-
સ્વ- દર્શન ચક્ર દ્વારા માયાના બધા ચક્રોને સમાપ્ત કરવા વાળા માયાજી ત ભવ :

સ્વયં, સ્વયંને જાણવું અર્થાત સ્વ નું દર્શન થવુ અને ચક્રનું જ્ઞાન જાણવું અર્થાત સ્વદર્શન ચક્રધારી બનવું. જ્યારે સ્વદર્શન ચક્રધારી બનો છો તો અનેક માયાના ચક્ર સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. દેહભાન નું ચક્ર, સંબંધ નું ચક્ર, સમસ્યાઓ નું ચક્ર... માયા નાં અનેક ચક્ર છે. ૬૩ જન્મ આ અનેક ચક્રોમાં ફસાતા રહ્યા, હવે સ્વદર્શન ચક્રધારી બનવાથી માયાજીત બની ગયા. સ્વદર્શન ચક્રધારી બનવુ અર્થાત જ્ઞાન યોગની પાંખો થી ઉડતી કળામાં જવું.

સ્લોગન :-
વિદેહી સ્થિતિમાં રહો તો પરિસ્થિતિઓ સહજ પાર થઈ જશે.