25-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાની
ખા મી ઓ નિકા ળવી છે તો સાચા દિલથી બાપને સંભળાવો , બાપ તમને ખામી ઓ નિ કાળવાની
યુક્તિ બતાવશે ”
પ્રશ્ન :-
બાપની કરંટ (શક્તિ)
કયા બાળકોને મળે છે?
ઉત્તર :-
જે બાળકો ઇમાનદારીથી સર્જનને પોતાની બીમારી સંભળાવી દે છે, બાબા તેમને દૃષ્ટિ આપે.
બાબા ને એવા બાળકો પર બહુ જ તરસ પડે છે. અંદર માં આવે આ બાળકનું આ ભૂત નીકળી જાય.
બાબા તેમને કરંટ (શક્તિ) આપે છે.
ઓમ શાંતિ!
બાપ બાળકોને
પૂછતા રહે છે. દરેક બાળક એ સ્વયંથી પૂછવાનું છે કે બાપથી કંઈ મળ્યું? કઈ-કઈ ચીજમાં
ખોટ છે? દરેક ને પોતાની અંદર જોવાનું છે. જેમ નારદનું ઉદાહરણ છે, તેમને કહ્યું તમે
પોતાનો ચહેરો દર્પણમાં જુઓ - લક્ષ્મીને વરવા લાયક છે? તો બાપ પણ આપ બાળકોને પૂછે છે
- શું સમજો છો, લક્ષ્મીને વરવા લાયક બન્યા છો? જો ના, તો કઈ-કઈ ખામીઓ છે? જેને
નિકાળવા માટે બાળકો પુરુષાર્થ કરે છે. ખામીઓને નિકાળવાનો પુરુષાર્થ કરે છે કે કરતા
જ નથી? કોઈ-કોઈ તો પુરુષાર્થ કરતા રહે છે. નવાં-નવાં બાળકોને આ સમજાવાય છે - પોતાની
અંદરમાં જુઓ કોઈ ખામી તો નથી? કારણકે તમારે બધાંએ સંપૂર્ણ બનવાનું છે. બાપ આવે જ છે
સંપૂર્ણ બનાવવા માટે એટલે લક્ષ-હેતુનું ચિત્ર પણ સામે રાખ્યું છે. પોતાને અંદરથી
પૂછો અમે આમનાં જેવા સંપૂર્ણ બન્યા છીએં? તે શારીરિક વિદ્યા ભણાવવા વાળા શિક્ષક
વગેરે તો આ સમયે બધાં વિકારી છે. આ (લક્ષ્મી-નારાયણ) સંપૂર્ણ નિર્વિકારીઓ નું
ઉદાહરણ છે. અડધો કલ્પ તમે આમની મહિમા કરી છે. તો હવે સ્વયંથી પૂછો - અમારા માં
શું-શું ખામીઓ છે, જેને નિકાળી આપણે પોતાની ઉન્નતિ કરીએ? અને બાપ ને બતાવીએ કે બાબા
આ ખામી છે, જે અમારાથી નિકળતી નથી, કોઈ ઉપાય બતાવો. બીમારી સર્જન દ્વારા જ છૂટી શકે
છે. કોઈ-કોઈ નાયબ સર્જન પણ હોશિયાર હોય છે. ડોક્ટર થી કમ્પાઉન્ડર શીખે છે. હોશિયાર
ડોક્ટર બની જાય છે. તો ઈમાનદારી થી સ્વયં ની તપાસ કરો - મારામાં શું-શું ખામીઓ છે?
જે કારણે હું સમજુ છું - આ પદ પામી નહીં શકું. બાપ તો કહેશે ને - તમે આમનાં જેવા બની
શકો છો. ખામીઓ બતાવે ત્યારે બાબા સલાહ આપે. બીમારીઓ તો બહુ જ છે. અનેકોમાં ખામીઓ
છે. કોઈમાં બહુ જ ક્રોધ છે, લોભ છે.... તેમને જ્ઞાન ની ધારણા નથી થઈ શકતી, જે કોઈને
ધારણા કરાવી શકે. બાપ રોજ બહુ જ સમજાવે છે. હકીકતમાં આટલું સમજાવવાની જરુર જ નથી
દેખાતી. મંત્રનો અર્થ બાપ સમજાવી દે છે. બાપ તો એક જ છે. બેહદનાં બાપને યાદ કરવાનાં
છે અને એમનાંથી આ વારસો પામીને આપણે આવું બનવાનું છે. બીજી સ્કૂલોમાં ૫ વિકારોને
જીતવાની વાત જ નથી હોતી. આ વાત હમણાં જ હોય છે જે બાપ આવી સમજાવે છે. તમારામાં જે
ભૂત છે, જે દુઃખ દે છે, તેનું વર્ણન કરશો તો તેને નિકાળવાની બાપ યુક્તિ બતાવશે. બાબા
આ-આ ભૂત અમને હેરાન કરે છે. ભૂત નિકાળવા વાળાની આગળ વર્ણન કરાય છે ને. તમારામાં કોઈ
તે ભૂત નથી. તમે જાણો છો આ ૫ વિકારો રુપી ભૂત જન્મ-જન્માંતર નાં છે. જોવું જોઈએ
અમારામાં કયા ભૂત છે? તેને નિકાળવા માટે પછી સલાહ લેવી જોઈએ. આંખો પણ બહુ જ દગો દેવા
વાળી છે, એટલે બાપ સમજાવે છે સ્વયંને આત્મા સમજી બીજાને પણ આત્મા સમજવાનો અભ્યાસ કરો.
આ યુક્તિથી તમારી આ બીમારી નિકળી જશે. આપણે બધી આત્માઓ તો આત્મા ભાઈ-ભાઈ થયા. શરીર
તો છે નહીં. આ પણ જાણો છો આપણે આત્માઓ બધાં પાછા જવાવાળા છીએં. તો પોતાને જોવાનું
છે આપણે સર્વગુણ સમ્પન્ન બન્યા છીએં? નહીં તો આપણામાં કયા અવગુણ છે? તો બાપ પણ તે
આત્માને બેસી જુએ છે આનામાં આ ખામી છે તો તેને કરંટ (શક્તિ) આપશે. આ બાળક નું આ
વિઘ્ન નિકળી જાય. જો સર્જનથી જ છુપાવતા રહેશો તો કરી જ શું સકો? તમે પોતાનાં અવગુણ
બતાવતા રહેશો તો બાપ પણ સલાહ આપશે. જેમ તમે આત્માઓ બાપને યાદ કરો છો - બાબા, તમે
કેટલા મીઠા છો! અમને શું થી શુ બનાવી દો છો! બાપને યાદ કરતા રહેશો તો ભૂત ભાગતા
રહેશે. કોઈને કોઈ ભૂત છે જરુર. બાપ સર્જનને બતાવો, બાબા અમને આની યુક્તિ બતાવો. નહીં
તો બહુ જ ઘાટો પડી જશે, સંભળાવવા થી બાપને પણ તરસ પડશે - આ માયાનાં ભૂત આમને હેરાન
કરે છે. ભૂતોને ભગાવવા વાળા તો એક જ બાપ છે. યુક્તિથી ભગાવે છે. સમજાવાય છે - આ ૫
ભૂતોને ભગાવો. તો પણ બધાં ભૂત નથી ભાગતા. કોઈમાં વિશેષ રહે છે, કોઇ માં ઓછા. પરંતુ
છે જરુર. બાપ જુએ છે આમનામાં આ ભૂત છે. દ્રષ્ટિ આપતા સમયે અંદર ચાલે છે ને. આ તો બહુ
જ સારો બાળક છે બીજા તો બધાં આનામાં સારા-સારા ગુણ છે પરંતુ બોલતા કંઈ નથી, કોઈ ને
સમજાવી નથી શકતા. માયા જાણે ગળુ બંધ કરી દીધું છે, એમનું ગળું ખુલી જાય તો બીજાઓની
પણ સેવા કરવા લાગી જાય. બીજા-બીજાની સેવામાં પોતાની સેવા, શિવબાબા ની સેવા નથી કરતા.
શિવબાબા સ્વયં સેવા કરવા આવ્યા છે. કહે છે આ જન્મ-જન્માંતર નાં ભૂતોને ભગાવવાનાં
છે.
બાપ બેસી સમજાવે છે આ પણ જાણો છો ઝાડ ધીરે-ધીરે વૃદ્ધિને પામે છે. પાંદડા ખરતા રહે
છે. માયા વિઘ્ન નાખી દે છે. બેઠા-બેઠા ખ્યાલ બદલી થઈ જાય છે. જેમ સંન્યાસીઓને ઘૃણા
આવે છે તો એકદમ ગુમ થઈ જાય છે. ન કોઈ કારણ, ન કોઇ વાતચીત. કનેક્શન તો બધાંનું બાપની
સાથે છે. બાળકો તો નંબરવાર છે. તેઓ પણ બાપને સાચું બતાવે તો તે ખામીઓ નિકળી શકે છે
અને ઊંચું પદ પામી શકે છે. બાપ જાણે છે ઘણાં ન બતાવવાનાં કારણે પોતાનું બહુ જ
નુકસાન કરે છે. કેટલું પણ સમજાવો પરંતુ તેઓ કામ કરવા લાગી જાય છે. માયા પકડી લે છે.
માયારુપી અજગર છે, બધાંને પેટમાં નાખી બેઠો છે. દલદલ માં ગળા સુધી ફસાઈ ગયા છે. બાપ
કેટલું સમજાવે છે. બીજી કોઈ વાત નથી ફક્ત કહો બે બાપ છે. તો લૌકિક બાપ તો સદેવ મળે
જ છે, સતયુગ માં પણ મળે છે તો કળયુગ માં પણ મળે છે. એવું નથી કે સતયુગ માં પછી
પારલૌકિક બાપ મળે છે. પારલૌકિક બાપ તો એક જ વાર આવે છે. પારલૌકિક બાપ આવીને નર્ક ને
સ્વર્ગ બનાવે છે. એમની ભક્તિમાર્ગમાં કેટલી પૂજા કરે છે. યાદ કરે છે. શિવનાં મંદિર
તો બહુ જ છે. બાળકો કહે છે સેવા નથી. અરે, શિવ નાં મંદિર તો જ્યાં-ત્યાં છે, ત્યાં
જઈને તમે પૂછી શકો છો, આમને કેમ પૂજો છો? આ શરીરધારી તો છે નહીં. આ છે કોણ? કહેશે
પરમાત્મા. આમનાં વગર બીજા કોઈને કહેવાશે નહીં. તો બોલો આ પરમાત્મા બાપ છે ને. એમને
ખુદા પણ કહે છે, અલ્લાહ પણ કહે છે. વધારે કરીને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એમનાંથી
શું મળવાનું છે, એ કંઈ જ ખબર છે? ભારતમાં શિવનું નામ તો બહુ જ લે છે શિવ જયંતી
તહેવાર પણ મનાવે છે. કોઈને પણ સમજાવવું બહુ જ સહજ છે. બાપ ભિન્ન-ભિન્ન પ્રકારથી
સમજાવતા તો બહુજ રહે છે. તમે કોઈની પાસે પણ જઈ શકો છો. પરંતુ બહુ જ શીતળતાથી,
નમ્રતાથી વાત કરવાની છે. તમારું નામ તો ભારતમાં બહુ જ ફેલાયેલું છે. થોડી પણ વાત
કરશો તો ઝટ સમજી જશે - આ બી.કે. છે. ગામડા વગેરે તરફ તો બહુ જ ભોળા છે. તો મંદિરોમાં
જઈને સેવા કરવી બહુ જ સહજ છે. આવો, તો અમે તમને શિવબાબા ની જીવન કહાની સંભળાવીએ. તો
તમે શિવની પૂજા કરો છો. એમનાથી શું માંગો છો? અમે તો તમને એમની પૂરી જીવન કહાની
બતાવી શકીએ છીએં. બીજા દિવસે પછી લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જાઓ. તમારા અંદરમાં
ખુશી રહે છે. બાળકો ઈચ્છે છે ગામડાઓમાં સેવા કરીએ. બધાંની પોત-પોતાની સમજ છે ને.
બાપ કહે છે પહેલા-પહેલા જાઓ શિવબાબા નાં મંદિરમાં. પછી લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં
જઈને પૂછો - આમને આ વારસો કેવી રીતે મળ્યો છે? આવો તો અમે તમને આ દેવી-દેવતાઓનાં ૮૪
જન્મો ની કહાની સંભળાવીએ. ગામડા વાળાઓને જગાડવાનાં છે. તમે જઈ ને પ્રેમથી સમજાવશો.
તમે આત્મા છો, આત્મા જ વાત કરે છે, આ શરીર તો ખતમ થઈ જવાનું છે. હવે આપણે આત્માઓ એ
પાવન બની બાપની પાસે જવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. તો સાંભળવાથી જ તેમને કશિશ
થશે. જેટલા તમે દેહી-અભિમાની થશો એટલી તમારામાં કશિશ આવશે. હમણાં એટલો આ દેહ વગેરેથી,
જૂની દુનિયાથી પૂરો વૈરાગ્ય નથી આવ્યો. આ તો જાણો છો આ જૂનું શરીર છોડવાનું છે, આમાં
શું મમત્વ રાખવાનું છે. શરીર હોવા છતાં શરીરમાં કોઈ મમત્વ ન હોવું જોઈએ. અંદરમાં એજ
લગન રહે - હવે અમે આત્માઓ પાવન બનીને અમારા ઘરે જઈએ. પછી આ પણ દિલ થાય છે - આવા
બાબાને કેવી રીતે છોડીએ? આવા બાબા તો પછી ક્યારેય મળશે નહીં. તો આવા-આવા ખ્યાલ
કરવાથી બાપ પણ યાદ આવશે, ઘર પણ યાદ આવશે. હવે આપણે ઘરે જઈએ છીએં. ૮૪ જન્મ પુરા થયા.
ભલે દિવસમાં પોતાનો ધંધો વગેરે કરો. ગૃહસ્થ વ્યવહારમાં તો રહેવાનું જ છે. તેમાં
રહેતા પણ તમે બુદ્ધિમાં આ રાખો કે આ તો બધું જ ખતમ થઈ જવાનું છે. હવે આપણે પાછા
પોતાનાં ઘરે જવાનું છે. બાપ એ કહ્યું છે - ગૃહસ્થ વ્યવહારમાં પણ જરુર રહેવાનું છે.
નહીં તો ક્યાં જશો? ધંધો વગેરે કરો, બુદ્ધિમાં આ યાદ રહે. આ તો બધું જ વિનાશ થવાનું
છે. પહેલા આપણે ઘરે જઈશું, પછી સુખધામમાં આવશું. જે પણ સમય મળે સ્વયંથી વાતો કરવી
જોઈએ. બહુ જ સમય છે, ૮ કલાક ધંધો વગેરે કરો. ૮ કલાક આરામ પણ કરો. બાકી ૮ કલાક આ બાપ
થી રુહ-રિહાન કરી પછી જઈને રુહાની સર્વિસ કરવાની છે. જેટલો પણ સમય મળે શિવબાબા નાં
મંદિરમાં, લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં જઈને સેવા કરો. મંદિર તો તમને બહુ જ મળશે. તમે
ક્યાંય પણ જશો તો શિવ નાં મંદિર જરુર હશે. આપ બાળકો નાં માટે મુખ્ય છે યાદની યાત્રા.
યાદમાં સારી રીતે રહેશો તો તમે જે પણ માંગો મળી શકે છે. પ્રકૃતિ દાસી બની જાય છે.
તેમનો ચહેરો વગેરે પણ એવો આકર્ષણ વાળો રહે છે, કંઈ પણ માંગવાની દરકાર નથી. સન્યાસીઓ
માં પણ કોઈ-કોઈ પાક્કા રહે છે. બસ એવાં નિશ્ચય થી બેસતા - અમે બ્રહ્મમાં જઈને લીન
થઈશું. આ નિશ્ચયમાં બહુ જ પાક્કા રહે છે. તેમનો અભ્યાસ હોય છે, અમે આ શરીરને છોડી
જઈએ છે. પરંતુ તેઓ તો છે ખોટા રસ્તા પર. બહુ જ મહેનત કરે છે બ્રહ્મમાં લીન થવા માટે.
ભક્તિમાં દિદાર માટે કેટલી મહેનત કરે છે. જીવન પણ દઈ દે છે. આત્મઘાત નથી હોતો,
જીવઘાત હોય છે. આત્મા તો છે જ, તેજ જઈને બીજું જીવન અર્થાત્ શરીર લે છે.
તો આપ બાળકો સેવાનો સારી રીતે શોખ રાખો તો બાપ પણ યાદ આવે. અહીંયા પણ મંદિર વગેરે
બહુ જ છે. તમે યોગ માં પૂરા રહીને કોઈને કંઈ પણ કહેશો, કોઈ વિચાર નહિ આવશે. યોગવાળા
નું તીર પૂરું લાગશે. તમે બહુ જ સર્વિસ કરી શકો છો. કોશિશ કરીને જુઓ, પરંતુ પહેલાં
પોતાનાં અંદર જોવાનું છે - અમારા માં કોઈ માયાનું ભૂત તો નથી? માયા નાં ભૂતવાળા થોડી
સફળ થઈ શકે છે. સેવા તો બહુ જ છે. બાબા તો નથી જઈ શકતા ને કારણ કે બાપ સાથે છે. બાપ
ને આપણે ક્યાં કિચડામાં લઈ જઈએ! કોની સાથે બોલે! બાપ તો બાળકોથી જ બોલવા ઈચ્છે છે.
તો બાળકોએ સેવા કરવાની છે. ગાયન પણ છે સન શોઝ ફાધર. બાપએ તો બાળકોને હોશિયાર બનાવ્યા
ને. સારા-સારા બાળકો છે જેમને સેવાનો શોખ રહે છે. કહે છે અમે ગામડાઓમાં જઇને સેવા
કરીએ. બાબા કહે છે ભલે કરો. ફક્ત ફોલ્ડિંગ ચિત્ર સાથે હોય. ચિત્રો વગર કોઈને સમજાવવું
મુશ્કેલ લાગે છે. રાત દિવસ એ જ ખ્યાલાત રહે છે - બીજાઓ નું જીવન કેવી રીતે બનાવીએ?
અમારામાં જે ખામીઓ છે તે કેવી રીતે નિકાળી, ઉન્નતિને પામીએ. તમને ખુશી પણ થાય છે.
બાબા આ ૮-૯ મહિનાનું બાળક છે. આવા બહુ જ નિકળે છે. જલ્દી જ સેવા નાં લાયક બની જાય
છે. દરેકને એ પણ ખ્યાલ રહે છે અમે અમારા ગામને જગાડીએ, હમજિન્સ ભાઈઓ ની સેવા કરીએ.
શ્રેષ્ઠ કાર્ય ની શરૂઆત પહેલા ઘર થી. સેવાનો શોખ બહુ જ જોઈએ. એક જગ્યાએ રહેવું ન
જોઈએ. ચક્ર લગાવતા રહો. સમય તો બહુ જ થોડો છે ને. કેટલા મોટા-મોટા અખાડા તેમનાં બની
જાય છે. એવી આત્મા આવીને પ્રવેશ કરે છે જે કંઈ ને કંઈ શિક્ષણ બેસી આપે છે તો નામ થઇ
જાય છે. આ તો બેહદનાં બાપ બેસી શિક્ષણ આપે છે કલ્પ પહેલા ની જેમ. આ રુહાની
કલ્પવૃક્ષ વધશે. નિરાકારી ઝાડથી નંબરવાર આત્માઓ આવે છે. શિવબાબા ની મોટી લાંબી માળા
અથવા ઝાડ બનેલું છે. આ બધી વાતોને યાદ કરવાથી પણ બાપ યાદ આવશે. ઉન્નતિ જલદી થશે,
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઓછા માં ઓછા
૮ કલાક બાપ થી રુહરિહાન કરી બહુ જ શીતળતાથી અથવા નમ્રતાથી રુહાની સેવા કરવાની છે.
સેવા માં સફળતા મેળવવા માટે અંદરમાં કોઈપણ માયાનું ભૂત ન હોય.
2. પોતાની જાતથી વાતો કરવાની છે કે આ જે કંઈ આપણે જોઈએ છીએં આ બધું વિનાંશ થવાનું
છે, આપણે આપણા ઘરે જઈશું પછી સુખધામમાં આવશું.
વરદાન :-
વિશ્વમાં
ઈશ્વરીય પરિવાર નાં સ્નેહ નું બી જ વાવવા વાળા વિશ્વ સેવાધારી ભવ :
તમે વિશ્વ સેવાધારી
બાળકો વિશ્વમાં ઈશ્વરીય પરિવારનાં સ્નેહનું બીજ વાવી રહ્યા છો. ભલે કોઈ નાસ્તિક હોય
કે આસ્તિક...... બધાંને અલૌકિક અથવા ઈશ્વરીય સ્નેહની, નિસ્વાર્થ સ્નેહની અનુભૂતિ
કરાવવી જ બીજ વાવવું છે. આ બીજ સહયોગી બનવાનું વૃક્ષ સ્વત:જ પેદા કરે છે અને સમય પર
સહજયોગી બનવાનું ફળ દેખાય છે. ફક્ત કોઈ ફળ જલ્દી નીકળે છે અને કોઈ ફળ સમય પર નીકળે
છે.
સ્લોગન :-
ભાગ્યવિધાતા
બાપને જાણવું, ઓળખવું અને એમનાં ડાયરેક્ટ બાળકો બની જવું આ સૌથી મોટું ભાગ્ય છે.