23-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
સંગમયુગ તકદીરવાન બનવાનો યુગ છે , આમાં તમે જેટલો ઈચ્છો એટલો સ્વયંનાં ભાગ્યનો
સિતારો ચમકાવી શકો છો ”
પ્રશ્ન :-
સ્વયં નાં
પુરુષાર્થને તીવ્ર કરવાનું સહજ સાધન શું છે?
ઉત્તર :-
ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરતા ચાલો તો પુરુષાર્થ તીવ્ર થઇ જશે. બાપને જ જુઓ, મધર
(માતા) તો ગુપ્ત છે. ફોલો ફાધર કરવાથી બાપ સમાન ઊંચ બનશો એટલે એક્યુરેટ ફોલો કરતા
રહો.
પ્રશ્ન :-
બાપ કયા
બાળકોને બુદ્ધુ સમજે છે?
ઉત્તર :-
જેમને બાપને
મળવાની પણ ખુશી નથી - તે બુદ્ધુ થયા ને. એવા બાપ જે વિશ્વનાં માલિક બનાવે છે તેમનાં
બાળક બન્યા પછી પણ ખુશી ન રહે તો બુદ્ધુ જ કહેવાશે ને.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા આપ
બાળકો છો ભાગ્યશાળી તારાઓ. તમે જાણો છો આપણે શાંતિધામ ને પણ યાદ કરીએ છીએ, બાપને પણ
યાદ કરીએ છીએ. બાપ ને યાદ કરવાથી આપણે પવિત્ર બનીને ઘરે જઈશું. અહીંયા બેઠાં આ
ખ્યાલ કરો છો ને. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા. જીવનમુક્તિ ને તો કોઈ જાણતા જ નથી.
તે બધાં પુરુષાર્થ કરે છે મુક્તિને માટે, પરંતુ મુક્તિનો અર્થ નથી સમજતા. કોઈ કહે
છે અમે બ્રહ્મ માં લીન થઇ જઈએ પછી આવીએ જ નહીં. તેમને આ ખબર જ નથી કે આપણે આ ચક્રમાં
જરુર આવવાનું છે. હવે આપ બાળકો આ વાતો ને સમજો છો. આપ બાળકોને ખબર છે આપણે સ્વદર્શન
ચક્રધારી ભાગ્યશાળી તારાઓ છીએ. ભાગ્યશાળી કહેવાય છે તકદીરવાન ને. હવે આપ બાળકોને
તકદીરવાન બાપ જ બનાવે છે. જેવા બાપ તેવા બાળકો હોય છે. કોઈ બાપ સાહૂકાર હોય, કોઈ
બાપ ગરીબ પણ હોય છે. આપ બાળકો જાણો છો આપણને તો બેહદનાં બાપ મળ્યા છે, જે જેટલા
ભાગ્યશાળી બનવા ઈચ્છે તે બની શકે છે, જેટલાં સાહૂકાર બનવા જે ઇચ્છે બની શકે છે. બાપ
કહે છે જે ઇચ્છો તે પુરુષાર્થ થી લો. બધો આધાર પુરુષાર્થ પર છે. પુરુષાર્થ કરી જેટલું
ઊંચું પદ લેવું હોય લઈ શકો છો. ઊંચે થી ઊંચું પદ છે આ લક્ષ્મી-નારાયણ. યાદનો ચાર્ટ
પણ જરુર રાખવાનો છે. કારણ કે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું જ છે. બુદ્ધુ
બનીને એમ જ નથી બેસવાનું. બાપ એ સમજાવ્યું છે જૂની દુનિયા હવે નવી થવાની છે. બાપ આવે
જ છે નવી સતોપ્રધાન દુનિયામાં લઈ જવાં. એ છે બેહદનાં બાપ, બેહદ સુખ આપવા વાળા.
સમજાવે છે સતોપ્રધાન બનવાથી જ તમે બેહદનું સુખ પામી શકશો. સતો બનશો તો ઓછું સુખ. રજો
બનશો તો તેનાથી ઓછું સુખ. હિસાબ બધો બાપ બતાવી દે છે. અથાહ ધન તમને મળે છે, અથાહ
સુખ મળે છે. બેહદનાં બાપથી વારસો પામવા માટે બીજો કોઈ ઉપાય નથી, સિવાય યાદનાં. જેટલું
બાપને યાદ કરશો, યાદ થી આપોઆપ દૈવી ગુણ પણ આવશે. સતોપ્રધાન બનવું હોય તો દૈવી ગુણ
પણ જરુર જોઈએ. સ્વયંની તપાસ સ્વયં જ કરવાની છે. જેટલું ઊંચું પદ લેવા ઇચ્છો તો લઈ
શકો છો, સ્વયંનાં પુરુષાર્થ થી. ભણવાવાળા શિક્ષક તો બેઠેલા છે. બાપ કહે છે
કલ્પ-કલ્પ તમને આમ જ સમજાવું છું. અક્ષર જ બે છે મનમનાભવ, મધ્યાજીભવ. બેહદનાં બાપ
ને ઓળખી જાઓ છો. એ બેહદનાં બાપ જ બેહદની નોલેજ આપવાવાળા છે. પતિત થી પાવન બનવાનો
માર્ગ પણ બેહદનાં બાપ જ સમજાવે છે. તો બાપ જે સમજાવે છે તે કોઈ નવી વાત નથી. ગીતામાં
પણ લખેલું છે લોટ માં મીઠાં જેટલું છે. સ્વયંને આત્મા સમજો. દેહનાં બધાં ધર્મ ભૂલી
જાઓ. તમે શરુમાં અશરીરી હતા, હમણાં અનેક મિત્ર-સંબંધીઓ નાં બંધનમાં આવ્યાં છો. બધાં
છે તમોપ્રધાન હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમે જાણો છો તમોપ્રધાન થી ફરી આપણે
સતોપ્રધાન બનીએ છીએ પછી મિત્ર-સંબંધી વગેરે બધાં પવિત્ર બનશે. જેટલા જે કલ્પ પહેલા
સતોપ્રધાન બન્યા છે, એટલા જ ફરી બનશે. તેમનો પુરુષાર્થ જ એવો હશે. હવે ફોલો કોને
કરવા જોઈએ. ગાયન છે ફોલો ફાધર. જેમ આ બાપ ને યાદ કરે છે, પુરુષાર્થ કરે છે, એમને
ફોલો કરો. પુરુષાર્થ કરાવવાવાળા તો બાપ છે. એ તો પુરુષાર્થ કરતા નથી, એ પુરુષાર્થ
કરાવે છે. પછી કહે છે મીઠા-મીઠા બાળકો ફોલો ફાધર. ગુપ્ત મધર-ફાધર છે ને. મધર ગુપ્ત
છે, ફાધર તો જોવામાં આવે છે. આ સારી રીતે સમજવાનું છે. આવું ઊંચું પદ પામવું હોય તો
બાપ ને સારી રીતે યાદ કરો, જેમ આ ફાધર યાદ કરે છે. આ ફાધર જ સૌથી ઉંચ પદ પામે છે. આ
બહુજ ઊંચાં હતા પછી તેમનાં જ ઘણા જન્મોનાં અંત નાં પણ અંતમાં મેં પ્રવેશ કર્યો છે.
આ સારી રીતે યાદ કરો, ભૂલો નહીં. માયા ભુલાવે અનેકોને છે. તમે કહો છો અમે નર થી
નારાયણ બનીએ છીએ, તે પણ બાપ યુક્તિ બતાવે છે. કેવી રીતે તમે બની શકો છો. આ પણ જાણો
છો બધાં તો એક્યુરેટ ફોલો નહીં કરશે. લક્ષ-હેતુ બાપ બતાવે છે - ફોલો ફાધર. હમણાંનું
જ ગાયન છે. બાપ પણ હમણાં આપ બાળકોને જ્ઞાન આપે છે. સંન્યાસીઓનાં અનુયાયી કહેવાય છે
પરંતુ તે તો ખોટું છે ને, અનુકરણ કરતા જ નથી. તે બધાં છે બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની.
તેમને ઈશ્વર જ્ઞાન નથી આપતા, તત્વ અર્થાત્ બ્રહ્મજ્ઞાની કહેવાય છે. પરંતુ તત્વ અથવા
બ્રહ્મ તેમને જ્ઞાન નથી આપતાં, તે બધું છે શાસ્ત્રોનું જ્ઞાન. અહીંયા તમને બાપ
જ્ઞાન આપે છે, જેમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. આ સારી રીતે નોટ કરો. તમે ભૂલી જાઓ
છો, આ દિલની અંદર સારી રીતે ધારણ કરવાની વાત છે. બાપ રોજ-રોજ કહે છે - મીઠા-મીઠા
બાળકો, સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો, હવે પાછા જવાનું છે. પતિત તો જઈ ન
શકશે. પવિત્ર તો યોગબળ થી થવાનું છે અથવા પછી સજાઓ ખાઈને જશો. બધાંનો હિસાબ-કિતાબ
ચૂકતું જરુર થવાનો છે. બાપ એ સમજાવ્યું છે તમે આત્માઓ અસલ પરમધામ નાં રહેવાવાળા છો
પછી અહીંયા સુખ અને દુઃખનો પાર્ટ ભજવ્યો છે. સુખ નો પાર્ટ છે રામરાજ્ય અને દુઃખ નો
પાર્ટ છે રાવણ રાજ્ય માં. રામરાજ્ય સ્વર્ગને કહેવાય છે, ત્યાં કમ્પલીટ (સંપૂર્ણ)
સુખ છે. ગાએ પણ છે સ્વર્ગવાસી અને નર્કવાસી. તો આ સારી રીતે ધારણ કરવાનું છે.
જેટલા-જેટલા તમોપ્રધાન થી સતોપ્રધાન બનતા જશો, એટલી અંદરમાં તમને ખુશી પણ થશે.
જ્યારે રજોમાં, દ્વાપરમાં હતા તો પણ તમને ખુશી હતી. તમે આટલા દુઃખી વિકારી ન હતા.
અહીંયા તો હમણાં કેટલા વિકારી દુઃખી છો. તમે તમારાં મોટાઓને જુઓ, કેટલા વિકારી,
શરાબી છે. દારુ બહુજ ખરાબ ચીજ છે. સતયુગ માં તો છે જ શુદ્ધ આત્માઓ પછી નીચે
ઊતરતાં-ઊતરતાં બિલકુલ છી-છી થઈ જાય છે એટલા માટે આને રૌરવ નર્ક કહેવાય છે. દારુ એવી
ચીજ છે જે ઝઘડો, મારામારી, નુકસાન કરવામાં વાર નથી કરતી. આ સમયે મનુષ્ય ની બુદ્ધિ
જેમકે ભ્રષ્ટ થઈ ગઈ છે. માયા બહુજ દુશ્તર છે. બાપ સર્વ શક્તિમાન છે, સુખ દેવાવાળા.
તે પછી માયા બહુજ દુઃખ દેવાવાળી છે. કળયુગ માં મનુષ્યની હાલત શું થઈ જાય છે, એકદમ
જડજડીભૂત. કાંઈ પણ સમજતા નથી, જેમ કે પથ્થરબુદ્ધિ. આ પણ ડ્રામા છે ને. કોઈની તકદીરમાં
નથી તો પછી એવી બુદ્ધિ બની જાય છે. બાપ જ્ઞાન તો બહુ સહજ આપે છે. બાળકો-બાળકો કહી
સમજાવતાં રહે છે. માતાઓ પણ કહે છે અમને ૫ લૌકિક બાળકો છે અને એક છે પારલૌકિક બાળક.
જે અમને સુખધામ માં લઈ જવાં આવ્યાં છે. બાપ પણ સમજે છે તો બાળક પણ સમજે છે. જાદુગર
થયા ને. બાપ જાદુગર તો બાળકો પણ જાદુગર બની જાય છે. કહે છે બાબા અમારા બાળક પણ છે.
તો બાપ ને ફોલો કરી એવા બનવું જોઈએ. સ્વર્ગમાં તેમનું રાજ્ય હતું ને. શાસ્ત્રોમાં આ
વાતો છે નહીં. આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્રોની પણ ડ્રામામાં નોંધ છે. ફરી પણ થશે. આ પણ
બાપ સમજાવે છે ભણવાવાળા શિક્ષક તો જોઈએ ને. પુસ્તક થોડી શિક્ષક બની શકે. તો પછી
શિક્ષક ની દરકાર ન રહે. આ પુસ્તક વગેરે સતયુગ માં હોતું નથી.
બાપ સમજાવે છે તમે આત્માને તો સમજો છો ને. આત્માઓનાં બાપ પણ જરુર છે. જ્યારે કોઈ આવે
છે તો બધાં કહે છે હિન્દુ મુસ્લિમ ભાઈ-ભાઈ, અર્થ કઈ નથી સમજતાં. ભાઈ-ભાઈ નો અર્થ
સમજાવો જોઈએ ને. જરુર તેમનાં બાપ પણ હશે. આટલી પાઈ-પૈસા ની સમજણ પણ નથી રહી.
ભગવાનુવાચ આ બહુજ જન્મોનાં અંતનો જન્મ છે. અર્થ કેટલો સ્પષ્ટ છે. કોઈ ગ્લાનિ નથી
કરતા. બાપ તો રસ્તો બતાવે છે. નંબરવન થી લાસ્ટ. ગોરા થી શ્યામ બને છે. તમે પણ સમજો
છો - અમે ગોરા હતા ફરી આવા બનશું. બાપને યાદ કરવાથી જ આ બનશું. આ છે રાવણ રાજ્ય.
રામ રાજ્ય ને કહેવાય છે શિવાલય. સીતા નાં રામ, તેમને તો ત્રેતામાં રાજ્ય કર્યું છે,
આમાં પણ સમજણ ની વાત છે. બે કળા ઓછી કહેવાય છે. સતયુગ છે ઉંચ, તેને યાદ કરે છે.
ત્રેતા અને દ્વાપર ને એટલું યાદ નથી કરતા. સતયુગ છે નવી દુનિયા અને કળયુગ છે જૂની
દુનિયા. ૧૦૦ ટકા સુખ અને ૧૦૦ ટકા દુઃખ. તે ત્રેતા અને દ્વાપર છે સેમી એટલા માટે
મુખ્ય સતયુગ અને કળયુગ ગવાય છે. બાપ સતયુગ સ્થાપન કરી રહ્યા છે. હવે તમારું કામ છે
પુરુષાર્થ કરવાનું. સતયુગ નિવાસી બનશો કે ત્રેતા નિવાસી બનશો? દ્વાપરમાં ફરી નીચે
ઉતરો છો. તો પણ છો તો દેવી-દેવતા ધર્મનાં. પરંતુ પતિત હોવાનાં કારણે સ્વયંને
દેવી-દેવતા કહી નથી શકતા. તો બાપ મીઠા-મીઠા બાળકોને રોજ-રોજ સમજાવે છે. મુખ્ય વાત
છે જ મનમનાભવ ની. તમે જે નંબરવન બનો છો. ૮૪ નું ચક્ર લગાવીને છેલ્લે આવો છો. ફરી
નંબરવન માં જાઓ છો તો હવે બેહદનાં બાપને યાદ કરવાનાં છે. એ છે બેહદનાં બાપ.
પુરુષોત્તમ સંગમયુગ પર જ બેહદનાં બાપ આવીને ૨૧ પેઢી સ્વર્ગનું સુખ તમને આપે છે. પેઢી
જ્યારે પૂરી થાય છે ત્યારે તમે જાતેજ શરીર છોડો છો. યોગબળ છે ને. કાયદો જ આવો રચેલો
છે, આને કહેવાય છે યોગબળ. ત્યાં જ્ઞાનની વાત નથી રહેતી. આપોઆપ તમે વૃધ્ધ થાઓ છો.
ત્યાં કોઈ બીમારી વગેરે હોતી નથી. લંગડા કે વાંકા ચુકા નથી હોતા. સદા સ્વસ્થ રહો
છો. ત્યાં દુઃખનું નામ-નિશાન નથી રહેતું. પછી થોડી-થોડી કળા ઓછી થાય છે. હવે બાળકોએ
પુરુષાર્થ કરવાનો છે, બેહદનાં બાપ થી ઉંચ વારસો પામવાનો. પાસ વિથ ઓનર થવું જોઈએ ને.
બધાં તો ઉંચ પદ નથી પામી શકતા. જે સર્વિસ જ નથી કરતા તે શું પદ પામશે. મ્યુઝિયમ માં
બાળકો કેટલી સેવા કરે છે, વગર બોલાવે લોકો આવી જાય છે. આને વિહંગ માર્ગ ની સર્વિસ
કહેવાય છે. ખબર નહી, આનાથી પણ બીજી કોઈ વિહંગ માર્ગ ની સર્વિસ નીકળે. બે-ચાર મુખ્ય
ચિત્ર જરુર સાથે હોય. મોટા-મોટા ત્રિમૂર્તિ, ઝાડ, ગોળો, સીડી - આ તો દરેક જગ્યાએ
બહુજ મોટા-મોટા હોય. જયારે બાળકો હોશિયાર થશે ત્યારે તો સર્વિસ થશે ને. સર્વિસ તો
થવાની જ છે. ગામડામાં પણ સર્વિસ કરવાની છે. માતાઓ ભલે ભણેલી-ગણેલી નથી પરંતુ બાપ નો
પરિચય આપવો તો બહુજ સહજ છે. પહેલા સ્ત્રીઓ ભણતી નહોતી. મુસલમાનો નાં રાજ્યમાં એક
આંખ ખોલીને બહાર નીકળતી હતી. આ બાબા બહુજ અનુભવી છે. બાપ કહે છે હું આ બધું નથી
જાણતો. હું તો ઉપર માં રહું છું. આ બધી વાતો આ બ્રહ્મા તમને સંભળાવે છે. આ અનુભવી
છે, હું તો મનમનાભવ ની વાતો જ સંભળાવું છું અને સૃષ્ટિ ચક્રનું રહસ્ય સમજાવું છું,
જે આ નથી જાણતા. આ પોતાનો અનુભવ અલગ સમજાવે છે, હું આ વાતોમાં નથી જતો. મારો પાર્ટ
છે ફક્ત તમને રસ્તો બતાવવા નો. હું બાપ, શિક્ષક, ગુરુ છું. શિક્ષક બની તમને ભણાવું
છું, બાકી આમાં કૃપા વગેરેની કોઈ વાત નથી. ભણાવું છું પછી સાથે લઈ જવાનો છું. આ
ભણતર થી જ સદ્દ્ગતિ થાય છે. હું આવ્યો જ છું તમને લઈ જવા. શિવની જાન ગવાયેલી છે.
શંકર ની જાન નથી હોતી. શિવની જાન છે, બધી આત્માઓ વરરાજા ની પાછળ જાય છે ને. આ બધી
છે ભક્તિઓ, હું છું ભગવાન. તમે મને બોલાવ્યો જ છે પાવન બનાવીને સાથે લઈ જવા. તો હું
તમને બાળકોને સાથે લઈ જ જઈશ. હિસાબ-કિતાબ ચૂકતું કરાવીને લઈ જ જવાનો છું.
બાપ ઘડી-ઘડી કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો વારસો પણ જરુર યાદ પડશે. વિશ્વની
બાદશાહી મળે છે ને. તેનાં માટે પુરુષાર્થ પણ એવો કરવાનો છે. આપ બાળકોને કોઈ તકલીફ
નથી આપતો. જાણું છું તમે બહુજ દુઃખ જોયા છે. હવે તમને કોઈ તકલીફ નથી આપતો.
ભક્તિમાર્ગ માં આયુ પણ નાની હોય છે. અકાળે મૃત્યુ થઇ જાય છે, કેટલું યા હુસૈન (હાય-હાય)
કરે છે. કેટલું દુઃખ ઉઠાવે છે. મગજ જ ખરાબ થઈ જાય છે. હવે બાપ કહે છે ફક્ત મને યાદ
કરતા રહો. સ્વર્ગનાં માલિક બનવું હોય તો દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. પુરુષાર્થ
હંમેશા ઉંચા બનવાનો કરાય છે - અમે લક્ષ્મી-નારાયણ બનીએ. બાપ કહે છે હું
સૂર્યવંશી-ચંદ્રવંશી, બંને ધર્મની સ્થાપના કરું છું. તેઓ નપાસ થાય છે એટલે ક્ષત્રિય
કહેવાય છે. યુદ્ધનું મેદાન છે ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુખધામ નાં
વારસાનો પૂરો અધિકાર લેવા માટે સંગમ પર રુહાની જાદુગર બની બાપને પણ પોતાના બાળક
બનાવી લેવાનાં છે. પૂરે-પૂરું બલિહાર જવાનું છે.
2. સ્વદર્શન ચક્રધારી બની સ્વયંને ભાગ્યશાળી તારાઓ બનાવવાનાં છે. વિહંગ માર્ગની
સેવાનાં નિમિત્ત બની ઉંચ પદ લેવાનું છે. ગામ-ગામમાં સેવા કરવાની છે. સાથે-સાથે યાદનો
ચાર્ટ પણ જરૂર રાખવાનો છે.
વરદાન :-
દેહ અને દેહની
દુનિયાની સ્મૃતિ થી ઉંચા રહેવાવાળા સર્વ બંધનો થી મુક્ત ફરિશ્તા ભવ:
જેમનો કોઇ પણ દેહ અને
દેહધારીઓ થી સંબંધ અર્થાત મન નો લગાવ નથી એ જ ફરિશ્તા છે. ફરિશ્તાઓ નાં પગ સદા જ
ધરણી થી ઉંચા રહે છે. ધરણી થી ઉંચા અર્થાત દેહ-ભાન ની સ્મૃતિ થી ઊંચાં. જે દેહ અને
દેહની દુનિયાની સ્મૃતિ થી ઊંચા રહે છે તે જ સર્વ બંધનોથી મુક્ત ફરિશ્તા બને છે. એવા
ફરિશ્તા જ ડબલ લાઈટ સ્થિતિનો અનુભવ કરે છે.
સ્લોગન :-
વાણીની સાથે
ચલન અને ચહેરા થી બાપ સમાન ગુણ દેખાય ત્યારે પ્રત્યક્ષતા થશે.