21-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારું
ભણતર સોર્સ ઓફ ઇનકમ (કમાણીનું સાધન) છે, આ ભણતરથી ૨૧ જન્મ માટે કમાણીનો પ્રબંધ થઇ
જાય છે”
પ્રશ્ન :-
મુક્તિધામમાં
જવું કમાણી છે કે નુકસાન?
ઉત્તર :-
ભક્તો માટે આ
પણ કમાણી છે કારણ કે અડધા કલ્પ થી શાંતિ-શાંતિ માંગતા આવ્યા છે. બહુ જ મહેનત પછી પણ
શાંતિ ન મળી. હવે બાપ દ્વારા શાંતિ મળે છે અર્થાત્ મુક્તિધામમાં જાય છે તો આ પણ અડધા
કલ્પની મહેનતનું ફળ થયું એટલે આને પણ કમાણી કહેશું, નુકસાન નહીં. આપ બાળકો તો
જીવનમુક્તિ માં જવાનો પુરુષાર્થ કરો છો. તમારી બુદ્ધિમાં હવે આખી દુનિયાની
હિસ્ટ્રી-જોગ્રાફી નાચી રહી છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોને રુહાની બાપએ આ તો સમજાવ્યું છે કે રુહ જ બધું સમજે છે. આ સમયે આપ
બાળકોને રુહાની દુનિયામાં બાપ લઈ જાય છે. તેને કહેવાય છે રુહાની દૈવી દુનિયા, આને
કહેવાય છે શરીરો ની દુનિયા, મનુષ્યો ની દુનિયા. બાળકો સમજે છે દૈવી દુનિયા હતી, એ
દૈવી મનુષ્યોની પવિત્ર દુનિયા હતી. હવે મનુષ્ય અપવિત્ર છે એટલે તે દેવતાઓનું ગાયન
પૂજન કરે છે. આ સ્મૃતિ છે કે બરાબર પહેલા ઝાડમાં એક જ ધર્મ હશે. વિરાટ રૂપ માં ઝાડ
પર પણ સમજાવવાનું છે. આ ઝાડ નું બીજ રુપ ઉપર માં છે. ઝાડ નું બીજ છે બાપ, પછી જેવું
બીજ તેવું ફળ અર્થાત્ પત્તા નીકળે છે. આ પણ વન્ડર છે ને. કેટલી નાની ચીજ કેટલા ફળ
આપે છે. કેટલું એનું રુપ બદલાતું જાય છે. આ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડને કોઈ નથી જાણતું,
આને કહેવાય છે કલ્પવૃક્ષ, આનું બસ ગીતામાં જ વર્ણન છે. બધા જાણે છે ગીતા જ નંબરવન
ધર્મનું શાસ્ત્ર છે. શાસ્ત્ર પણ નંબરવાર હોય છે ને. કેવી રીતે નંબરવાર ધર્મો ની
સ્થાપના થાય છે, આ પણ ફક્ત તમે જ સમજો છો, બીજા કોઈમાં પણ આ જ્ઞાન હોતું નથી. તમારી
બુદ્ધિમાં છે પહેલા-પહેલા કયા ધર્મનું ઝાડ હોય છે, પછી એમાં બીજા ધર્મોની વૃદ્ધિ
કેવી રીતે થાય છે. આને કહેવાય છે વિરાટ નાટક. બાળકોની બુદ્ધિમાં આખું ઝાડ છે. ઝાડ
ની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, મુખ્ય વાત છે આ. દેવી-દેવતાઓનું ઝાડ હમણાં છે નહીં
બીજી બધી ડાળ-ડાળિયો ઉભી છે. બાકી આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં.
આ પણ ગાયન છે – એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે, બાકી બીજા બધા ધર્મ
વિનાશ થઈ જાય છે. હવે તમે જાણો છો કેટલું નાનું એવુ જ દૈવી ઝાડ હશે. પછી બીજા બધા
આટલા ધર્મ હશે જ નહીં. ઝાડ પહેલા નાનું હોય છે પછી મોટું થતું જાય છે. વધતા-વધતા હવે
કેટલું મોટું થઈ ગયું છે. હવે આની આયુ પૂરી થાય છે, આનાથી બનેન ટ્રી (વડ વૃક્ષ) નું
ઉદાહરણ બહુ જ સારું સમજાવે છે. આ પણ ગીતાનું જ્ઞાન છે જે બાપ તમને સન્મુખ બેસી
સંભળાવે છે, જેનાથી તમે રાજાઓના રાજા બનો છો. પછી ભક્તિમાર્ગમાં આ ગીતા શાસ્ત્ર
વગેરે બનશે. આ અનાદિ ડ્રામા બનેલો છે. પછી પણ આમ જ થશે. પછી જે-જે ધર્મ સ્થાપન થશે
એમનું પોતાનું શાસ્ત્ર હશે. શીખ ધર્મ નું પોતાનું શાસ્ત્ર, ક્રિશ્ચન અને બૌદ્ધો નું
પોતાનું શાસ્ત્ર હશે. હવે તમારી બુદ્ધિ માં આખા વિશ્વની હિસ્ટ્રી-જોગ્રાફી નાચી રહી
છે. બુદ્ધિ જ્ઞાન ડાન્સ કરી રહી છે. તમે આખા ઝાડને જાણી ગયા છો. ક્યારે-ક્યારે ધર્મ
આવે છે, કેવી રીતે વૃદ્ધિને પામે છે. પછી આપણો એક ધર્મ સ્થાપન થાય છે, બાકી ખલાસ થઈ
જાય છે. ગાયન છે ને - જ્ઞાન સૂર્ય પ્રગટયા.... હવે એકદમ અંધારું છે ને. કેટલા
અસંખ્ય મનુષ્ય છે, પછી આ આટલા બધા હશે જ નહીં. એ લક્ષ્મી-નારાયણનાં રાજ્યમાં આ હતા
નહીં. પછી એક ધર્મ સ્થાપન થવાનો જ છે. આ નોલેજ બાપ જ આવીને સંભળાવે છે. આપ બાળકો
કમાણી માટે કેટલું નોલેજ આવીને ભણો છો. બાપ શિક્ષક બનીને આવે છે તો અડધો કલ્પ તમારી
કમાણી નો પ્રબંધ થઇ જાય છે. તમે બહુ જ ધનવાન બની જાઓ છો. તમે જાણો છો હમણાં આપણે ભણી
રહ્યા છે. આ છે અવિનાશી જ્ઞાન રત્નોનું ભણતર. ભક્તિને અવિનાશી જ્ઞાન રત્ન નહીં કહેશું.
ભક્તિમાં મનુષ્ય જે કંઈ ભણે છે એનાથી નુકસાન જ થાય છે. રત્ન નથી બનતા. જ્ઞાન રત્નોના
સાગર એક બાપને જ કહેવાય છે. બાકી એ છે ભક્તિ. એમાં કોઈ પણ લક્ષ્ય-હેતુ છે નહીં.
કમાણી છે નહીં. કમાણી માટે તો સ્કૂલમાં ભણે છે. પછી ભક્તિ કરવા માટે ગુરુની પાસે
જાય છે. કોઈ જવાનીમાં ગુરુ કરે છે. કોઈ બુઢાપામાં ગુરુ કરે છે. કોઈ નાનપણમાં જ
સન્યાસ લઇ લે છે. કુંભના મેળા પર કેટલા બધા આવે છે. સતયુગમાં તો આ કંઈ પણ નહીં હશે.
આપ બાળકોની સ્મૃતિમાં બધી વાતો આવી ગઈ છે. રચતા અને રચના આદિ-મધ્ય-અંતને તમે જાણી
ગયા છો. તેમણે તો કલ્પ આયુ જ મોટી કરી દીધી છે. ઈશ્વર સર્વવ્યાપી કહી દીધું છે.
જ્ઞાનની ખબર નથી. બાપ આવીને અજ્ઞાન નિંદ્રા થી સુજાગ કરે છે. હવે તમને જ્ઞાનની ધારણા
થતી જાય છે. બેટરી ભરાતી જાય છે. જ્ઞાનથી છે કમાણી, ભક્તિથી છે નુકશાન. સમય પર
જ્યારે નુકસાનનો સમય પૂરો થાય છે તો પછી બાપ કમાણી કરાવવા આવે છે. મુક્તિ માં જવું
- એ પણ કમાણી છે. શાંતિ તો બધા માંગતા રહે છે. શાંતિદેવા કહેવાથી બુદ્ધિ બાપ તરફ
ચાલી જાય છે. કહે છે - વિશ્વમાં શાંતિ થાય, પરંતુ કેવી રીતે થશે - આ કોઈને પણ ખબર
નથી. શાંતિધામ, સુખધામ અલગ હોય છે - એ પણ નથી જાણતા. જે પહેલા નંબર માં છે, એમને પણ
કંઈ ખબર ન હતી. હવે તમને બધું જ નોલેજ છે. તમે જાણો છો - આપણે આ કર્મ-ક્ષેત્ર પર
કર્મ નો પાર્ટ ભજવવા આવ્યા છે. ક્યાં થી આવ્યા છીયે? બ્રહ્મલોક થી. નિરાકારી
દુનિયાથી આવ્યા છે આ સાકારી દુનિયામાં પાર્ટ ભજવવા. આપણે આત્મા બીજી જગ્યાનાં રહેવા
વાળા છીએ. અહીં આ ૫ તત્વોનું શરીર રહે છે. શરીર છે ત્યારે આપણે બોલી શકીએ છે. આપણે
ચૈતન્ય પાર્ટધારી છીએ. હવે તમે એમ નહીં કહેશો કે આ ડ્રામાનાં આદિ-મધ્ય-અંત અમે નથી
જાણતા. પહેલા નહોતા જાણતા. સ્વયંનાં બાપને, સ્વયંનાં ઘરને, સ્વયંનાં સ્વરુપને
યથાર્થ રીતે ન જાણતા હતાં. હવે જાણીએ છીએ આત્મા કેવી રીતે પાર્ટ ભજવતી રહે છે.
સ્મૃતિ આવી છે. પહેલા સ્મૃતિ ન હતી.
તમે જાણો છો સાચા બાપ જ સાચું સંભળાવે છે, જેનાથી આપણે સચખંડ નાં માલિક બની જઈએ છે.
સત્યના ઉપર પણ સુખમણી (ગ્રંથ) માં છે. સત કહેવાય છે સચખંડ ને. દેવતાઓ બધા સાચું
બોલવા વાળા હોય છે. સત્ય શીખડાવા વાળા છે બાપ. એમની મહિમા જુઓ કેટલી છે. ગાયેલી
મહિમા તમને કામમાં આવે છે. શિવબાબા ની મહિમા કરે છે. એ જ ઝાડના આદિ-મધ્ય-અંતને જાણે
છે. સત્ય બાપ સંભળાવે છે તો આપ બાળકો સાચાં બની જાઓ છો. સચખંડ પણ બની જાય છે. ભારત
સચખંડ હતો. નંબરવન ઊંચેથી ઊંચું તીર્થ પણ આ છે કારણકે સર્વની સદ્દગતિ કરવાવાળા બાપ
ભારતમાં જ આવે છે. એક ધર્મની સ્થાપના થાય છે, બાકી બધાનો વિનાશ થઈ જાય છે. બાપએ
સમજાવ્યું છે - સૂક્ષ્મવતનમાં કંઈ છે નહીં. આ બધા સાક્ષાત્કાર થાય છે. ભક્તિમાર્ગમાં
પણ સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર ન થાત તો આટલા મંદિર વગેરે કેવી રીતે બન્યાં
હોત! પૂજા કેમ થતી. સાક્ષાત્કાર કરે છે, અનુભવ કરે છે આ ચૈતન્ય હતા. બાપ સમજાવે છે
- ભક્તિમાર્ગમાં જે કંઈ મંદિર વગેરે બને છે, જે તમે સાંભળ્યું જોયું છે, એ બધું
રિપીટ (ફરી) થશે. ચક્ર ફરતું જ રહે છે. જ્ઞાન અને ભક્તિ નો ખેલ બનેલો છે. હંમેશા કહે
છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. પરંતુ વિસ્તારમાં કંઈ નથી જાણતા. બાપ બેસી સમજાવે છે -
જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. વૈરાગ્ય છે રાતનો. પછી દિવસ થાય છે. ભક્તિ માં છે
દુઃખ એટલે એનો વૈરાગ્ય. સુખનો તો વૈરાગ્ય નહીં કહેશું. સન્યાસ વગેરે પણ દુઃખ ના
કારણે લે છે. સમજે છે પવિત્રતા માં સુખ છે એટલે સ્ત્રીનો ત્યાગ કરી ચાલ્યા જાય છે.
આજકાલ તો ધનવાન પણ બની ગયા છે કારણ કે સંપત્તિ વગર તો સુખ મળી ન શકે. માયા વાર કરી
જંગલથી પછી શહેરમાં લઈ આવે છે. વિવેકાનંદ અને રામકૃષ્ણ પણ બે મોટા સંન્યાસી થઈ ગયા
છે. સન્યાસ ની તાકાત રામકૃષ્ણમાં હતી. બાકી ભક્તિનું સમજાવવું, કરવું એ વિવેકાનંદનું
હતું. બંનેની પુસ્તકો છે. પુસ્તક જ્યારે લખે છે તો એકાગ્રચિત્ત થઈ બેસીને લખે છે.
રામકૃષ્ણ જ્યારે પોતાની બાયોગ્રાફી (જીવન કહાની) બેસી લખતા હતા તો શિષ્યને પણ કહેતા
તમે દૂર જઈને બેસો. હતા બહુ જ હોશિયાર, કડા સંન્યાસી, નામ પણ બહુ જ છે. બાપ એમ નથી
કહેતા કે સ્ત્રીને માતા કહો. બાપ તો કહે છે એમને પણ આત્મા સમજો. આત્માઓ તો બધી
ભાઈ-ભાઈ છે. સંન્યાસીઓની વાત અલગ છે, એમને સ્ત્રીને માતા સમજ્યા. માતા ની બેસીને
પ્રસંશા કરી છે. આ જ્ઞાનનો રસ્તો છે વૈરાગ્યની વાત અલગ છે. વૈરાગ્ય માં આવી સ્ત્રીને
માતા સમજ્યા. માતા અક્ષરમાં વિકારી દ્રષ્ટિ નહીં થશે. બહેનમાં પણ વિકારી દ્રષ્ટિ જઈ
શકે છે, માતા માં ક્યારેય ખરાબ વિચાર નહીં જશે. બાપની પુત્રી માં પણ વિકારી દ્રષ્ટિ
જઈ શકે છે, માતા માં ક્યારેય નહીં જશે. સંન્યાસી સ્ત્રીને માતા સમજવા લાગ્યા. એમના
માટે એમ નહીં કહીએ કે દુનિયા કેવી રીતે ચાલશે, પેદાઈશ કેવી રીતે થશે? એ તો એકને
વૈરાગ્ય આવ્યો, માતા કહી દીધું. એમની મહિમા જુઓ કેટલી છે. અહીં બહેન-ભાઈ કહેવાથી પણ
ઘણાની ની દ્રષ્ટિ જાય છે એટલે બાબા કહે છે – ભાઈ-ભાઈ સમજો. આ છે જ્ઞાનની વાત. એ છે
એકની વાત, અહીં તો પ્રજાપિતા બ્રહ્માની સંતાન અસંખ્ય ભાઇ-બહેન છે ને. બાપ બેસી બધી
વાતો સમજાવે છે. આમણે તો શાસ્ત્ર વગેરે વાંચેલા છે. એ ધર્મ જ અલગ છે નિવૃત્તિ માર્ગ
નો, ફક્ત પુરુષો માટે છે. એ છે હદનો વૈરાગ્ય, તમને તો આખી બેહદની દુનિયાથી વૈરાગ્ય
છે. સંગમ પર જ બાપ આવીને તમને બેહદની વાતો સમજાવે છે. હવે આ જૂની દુનિયાથી વૈરાગ્ય
કરવાનો છે. આ બહુ જ પતિત છી-છી દુનિયા છે. અહીં શરીર પાવન થઈ ન શકે. આત્માને નવું
શરીર સતયુગમાં જ મળી શકે છે. ભલે અહીં આત્મા પવિત્ર બને છે પરંતુ શરીર છતાં પણ
અપવિત્ર રહે છે, જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય. સોનામાં ખાદ પડે છે તો દાગીના પણ
ખાદ વાળા બને છે, ખાદ નીકળી જાય તો દાગીના પણ સાચા બનશે. આ લક્ષ્મી-નારાયણ ની આત્મા
અને શરીર બંને સતોપ્રધાન છે. તમારી આત્મા અને શરીર બંને જ તમોપ્રધાન કાળા છે. આત્મા
કામ ચિતા પર બેસી કાળી બની ગઈ છે. બાપ કહે છે પછી હું આવીને કાળા થી ગોરા બનાવું
છું. આ જ્ઞાનની બધી વાત છે. બાકી પાણી વગેરેની વાત નથી. બધા કામ ચિતા પર બેસી પતિત
બની પડ્યા છે એટલે રાખડી બંધાવામાં આવે છે કે પાવન બનવાની પ્રતિજ્ઞા કરો.
બાપ કહે છે હું આત્માઓથી વાત કરું છું. હું આત્માઓનો બાપ છું, જેમને તમે યાદ કરતા
આવ્યા છો - બાબા આવો, અમને સુખધામ માં લઈ જાઓ. દુઃખ હરો, કળયુગમાં હોય છે અપાર દુઃખ.
બાપ સમજાવે છે તમે કામ ચિતા પર બેસી કાળા તમોપ્રધાન થઈ ગયા છો. હવે હું આવ્યો છું -
કામ ચિતાથી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવા માટે. હવે પવિત્ર બની સ્વર્ગમાં જવાનું છે.
બાપ ને યાદ કરવાના છે. બાપ કશિશ (આકર્ષિત) કરે છે. બાબા ની પાસે યુગલો આવે છે - એકને
કશિશ થાય છે, બીજાને નથી થતી. પુરુષે ફટથી કહી દીધું - અમે આ અંતિમ જન્મમાં પવિત્ર
રહેશું, કામ ચિતા પર નહીં ચઢશું. એવું નહીં કે નિશ્ચય થઈ ગયો. નિશ્ચય જો હોત તો
બેહદ બાપ ને પત્ર લખતા, કનેક્શન માં રહેતા. સાંભળ્યું છે પવિત્ર રહે છે, પોતાના ધંધા
વગેરેમાં જ મસ્ત રહે છે. બાપની યાદ જ ક્યાં છે. આવા બાપને તો બહુ જ યાદ કરવા જોઈએ.
સ્ત્રી-પુરુષનો પરસ્પરમાં કેટલો પ્રેમ હોય છે, પતિને કેટલું યાદ કરે છે. બેહદના
બાપને તો સૌથી વધારે યાદ કરવા જોઈએ. ગાયન પણ છે ને - પ્રેમ કરો ચાહે ઠુકરાઓ, હમ હાથ
કભી નહિ છોડેંગે. એવું નથી, અહીં આવીને રહેવાનું છે, એ તો સન્યાસ થઈ ગયો. ઘરબાર છોડી
અહીં આવી રહે. તમને તો કહેવાય છે, ગૃહસ્થ વ્યવહારમાં રહી પવિત્ર બનો. આ પહેલા તો
ભઠ્ઠી બનવાની હતી, જેનાથી આટલા તૈયાર થઈ નીકળે છે, એમનું પણ બહુ જ સારું વૃત્તાંત
છે. જે બાપના બનીને અંદર (યજ્ઞ) માં રહીને રુહાની સેવા નથી કરતાં તેઓ જઈને
દાસ-દાસીઓ બને છે પછી પાછળથી નંબરવાર પુરુષાર્થ અનુસાર તાજ મળી જાય છે. એમનો પણ કુળ
હોય છે, પ્રજામાં નથી આવી શકતા. કોઈ બહારના આવી અંદરવાળા નથી બની સકતા. વલ્લભાચારી
બહારવાળાને ક્યારેય અંદર આવવા નથી દેતા. આ બધી સમજવાની વાતો છે. જ્ઞાન છે સેકન્ડનું,
પછી બાપને જ્ઞાન નાં સાગર કેમ કહેવાય છે? સમજાવતા જ રહે છે છેલ્લે સુધી સમજાવતા જ
રહેશે. જ્યારે રાજધાની સ્થાપન થઈ જશે, તમે કર્માતીત અવસ્થામાં આવી જશો પછી જ્ઞાન
પૂરું થઈ જશે. છે સેકન્ડની વાત. પરંતુ ફરી સમજાવવું પડે છે. હદનાં બાપથી હદનો વારસો,
બેહદનાં બાપ વિશ્વનાં માલિક બનાવી દે છે. તમે સુખધામમાં જશો તો બાકી બધા શાંતિધામમાં
ચાલ્યા જશે. ત્યાં તો છે સુખ જ સુખ. આ તો ખાતરી છે - બાપ આવ્યા છે. આપણે નવી
દુનિયાનાં માલિક બની રહ્યા છે - રાજયોગના અભ્યાસથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) આ પતિત
છી-છી દુનિયાથી બેહદનો વૈરાગ્ય રાખી આત્માને પાવન બનાવવાનો પૂરે-પૂરો પુરુષાર્થ
કરવાનો છે. એક બાપની જ કશિશ (આકર્ષણ) માં રહેવાનું છે.
2) જ્ઞાનની ધારણાથી સ્વયંની બેટરી ભરવાની છે. જ્ઞાન રત્નોથી સ્વયંને ધનવાન બનાવવાનાં
છે. હમણાં કમાણી નો સમય છે એટલે નુકસાન થી બચવાનું છે.
વરદાન :-
બાપ અને વરદાતા
આ ડબલ સંબંધથી ડબલ પ્રાપ્તિ કરવા વાળા સદા શક્તિશાળી આત્મા ભવ:
સર્વ શક્તિઓ
બાપનો વારસો અને વરદાતા નું વરદાન છે. બાપ અને વરદાતા - આ ડબલ સંબંધથી દરેક બાળકને
આ શ્રેષ્ઠ પ્રાપ્તિ જન્મ થી જ હોય છે. જન્મથી જ બાપ બાળક સો સર્વ શક્તિઓના માલિક
બનાવી દે છે. સાથે-સાથે વરદાતા નાં સંબંધ થી જન્મ થતાં જ માસ્ટર સર્વશક્તિમાન બનાવી
“સર્વ શક્તિ ભવ” નું વરદાન દઈ દે છે. તો એક દ્વારા આ ડબલ અધિકાર મળવાથી સદા
શક્તિશાળી બની જાઓ છે.
સ્લોગન :-
દેહ અને દેહની
સાથે જૂના સ્વભાવ, સંસ્કાર અને કમજોરીઓ થી ન્યારા થવું જ વિદેહી બનવું છે.