06-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારે
બાપ સમાન ખુદાઈ ખિદમતગાર ( ઈશ્વરીય સેવાધારી ) બનવાનું છે , સંગમ પર બાપ આવે છે આપ
બાળકોની ખિદમત ( સેવા ) કરવા”
પ્રશ્ન :-
આ પુરુષોત્તમ
સંગમયુગ જ સૌથી સુહાવનો અને કલ્યાણકારી છે. કેવી રીતે ?
ઉત્તર :-
આ સમયે આપ
બાળકો સ્ત્રી અને પુરુષ બન્ને જ ઉત્તમ બનો છો. આ સંગમયુગ છે જ કળયુગ અંત અને સતયુગ
આદિ નાં વચ્ચેનો સમય. આ સમયે જ બાપ આપ બાળકો માટે ઈશ્વરીય યુનિવર્સિટી ખોલે છે, જ્યાં
તમે મનુષ્યથી દેવતા બનો છો. આવી યુનિવર્સિટી આખા કલ્પમાં ક્યારેય નથી હોતી. આ સમયે
જ બધા ની સદ્દગતિ થાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને બેસીને સમજાવે છે. અહીંયા બેઠા-બેઠા એક તો તમે બાપને યાદ કરો છો
કારણકે તે પતિત-પાવન છે, તેમને યાદ કરવાથી જ પાવન સતોપ્રધાન બનવાનું તમારુ લક્ષ્ય
છે. એવું નથી, સતો સુધી લક્ષ્ય છે. સતોપ્રધાન બનવાનું છે એટલે બાપને પણ જરૂર યાદ
કરવાના છે પછી સ્વીટ હોમ ને પણ યાદ કરવાનું છે કારણકે ત્યાં જવાનું છે પછી
માલ-મિલકત પણ જોઈએ એટલે પોતાના સ્વર્ગધામને પણ યાદ કરવાનું છે કારણકે આ પ્રાપ્તિ
થાય છે. બાળકો જાણે છે અમે બાપના બાળકો બન્યા છીએ, બરાબર બાપથી શિક્ષા લઈને અમે
સ્વર્ગમાં જઈશું - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાકી જે પણ જીવની આત્માઓ છે તે
શાંતિધામ માં ચાલી જશે. ઘરે તો જરૂર જવાનું છે. બાળકોને આ પણ ખબર પડી, હમણાં છે
રાવણ રાજ્ય. આની તુલનામાં સતયુગને પછી નામ અપાય છે રામ રાજ્ય. બે કળા ઓછી થઈ જાય
છે. એમને સૂર્યવંશી, એમને ચંદ્રવંશી કહેવાય છે. જેમ ક્રિશ્ચનની ડિનાયસ્ટી (વંશ) એક
જ ચાલે છે, એમ આ પણ છે એક જ ડિનાયસ્ટી. પરંતુ એમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી છે. આ
વાતો કોઈપણ શાસ્ત્રમાં નથી. બાપ બેસીને સમજાવે છે, જેને જ જ્ઞાન અથવા નોલેજ કહેવાય
છે. સ્વર્ગ સ્થાપન થઈ ગયું પછી નોલેજની દરકાર નથી. આ નોલેજ બાળકોને પુરુષોત્તમ
સંગમયુગ પર જ શીખવાડમાં આવે છે. તમારા સેન્ટર પર કે મ્યુઝિયમમાં બહુ મોટા-મોટા
અક્ષરોમાં જરૂર લખેલું હોય કે બહેનો અને ભાઈઓ આ પુરુષોત્તમ સંગમ યુગ છે, જે એક જ
વાર આવે છે. પુરુષોત્તમ સંગમયુગ નો અર્થ પણ નથી સમજતા તો આ પણ લખવાનું છે - કળયુગ
અંત અને સતયુગ આદિનો સંગમ. તો સંગમયુગ સૌથી સુહાવનો, કલ્યાણકારી થઈ જાય છે. બાપ પણ
કહે છે હું પુરુષોત્તમ સંગમયુગ પર જ આવું છું. સંગમયુગ નો અર્થ પણ સમજાવ્યો છે.
વેશ્યાલય નો અંત શિવાલયનો આદિ - આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. અહીં બધા છે
વિકારી, ત્યાં બધા છે નિર્વિકારી. તો જરૂર ઉત્તમ તો નિર્વિકારીને કહેશુ ને. પુરુષ
અને સ્ત્રી બન્ને ઉત્તમ બને છે. એટલે નામ જ છે પુરુષોત્તમ. આ વાતોની બાપ અને આપ
બાળકોના સિવાય કોઈને ખબર નથી કે આ સંગમયુગ છે. કોઈના ખ્યાલમાં નથી આવતું કે
પુરુષોત્તમ સંગમયુગ ક્યારે હોય છે. હમણાં બાપ આવ્યા છે, તે છે મનુષ્ય સૃષ્ટિનાં
બીજરૂપ. તેમની જ આટલી મહિમા છે, તે જ્ઞાનના સાગર, આનંદ ના સાગર, પતિત-પાવન છે.
જ્ઞાનથી સદ્દગતિ કરે છે. એવું તમે ક્યારે નહીં કેહેશો કે ભક્તિથી સદ્દગતિ. જ્ઞાનથી
સદ્દગતિ થાય છે અને સદ્દગતિ છે જ સતયુગમાં. તો જરૂર કળયુગનાં અંત અને સતયુગ આદિ ના
સંગમ પર આવશે. કેટલુ સ્પષ્ટ કરી બાપ સમજાવે છે. નવા પણ આવે છે, હુબહુ જેમ કલ્પ-કલ્પ
આવ્યા છે, આવતા રહે છે. રાજધાની આવી રીતે જ સ્થાપન થવાની છે. આપ બાળકોને ખબર છે -
અમે ખુદાઈ ખિદમતગાર સાચા-સાચા છીએ. એક ને થોડી જ ભણાવશે. એક ભણે છે પછી એમના દ્વારા
તમે ભણીને બીજાને ભણાવો છો એટલે અહીંયા આ મોટી યુનિવર્સિટી ખોલવી પડે છે. આખી
દુનિયામાં બીજી કોઈ યુનિવર્સિટી છે જ નહી. ન કોઈ દુનિયામાં જાણે છે કે ઈશ્વરીય
યુનિવર્સિટી પણ હોય છે. હવે આપ બાળકો જાણો છો - ગીતા નાં ભગવાન શિવ આવીને આ
યુનિવર્સિટી ખોલે છે. નવી દુનિયાના માલિક દેવી-દેવતા બનાવે છે. આ સમયે આત્મા જે
તમોપ્રધાન બની ગઈ છે, તેમને જ સતોપ્રધાન બનવાનું છે. આ સમયે બધું તમોપ્રધાન છે ને.
ભલે કેટલા કુમાર પણ પવિત્ર રહે છે, કુમારીઓ પણ પવિત્ર રહે છે, સન્યાસી પણ પવિત્ર રહે
છે પરંતુ આજકાલ તે પવિત્રતા નથી. પહેલા-પહેલા જ્યારે આત્માઓ આવે છે, તે પવિત્ર હોય
છે. પછી અપવિત્ર બની જાય છે કારણ કે તમે જાણો છો સતોપ્રધાન, સતો, રજો, તમો થી બધાએ
પસાર થવાનું હોય છે. અંતમાં બધા તમોપ્રધાન બની જાય છે. હવે બાપ સન્મુખ બેસીને સમજાવે
છે – આ ઝાડ તમોપ્રધાન જડજડીભૂત અવસ્થાને પામેલું છે, જૂનું થઈ ગયું છે તો જરૂર એનો
વિનાશ થવો જોઇએ. આ છે વિવિધ ધર્મો નું ઝાડ, એટલે કહેવાય છે વિરાટ લીલા. કેટલું મોટું
બેહદનું ઝાડ છે. તે તો જડ ઝાડ હોય છે, જે બીજ નાખો તે ઝાડ નીકળે છે. આ પછી છે વિવિધ
ધર્મોનું, વિવિધ ચિત્ર. છે બધા મનુષ્ય, પરંતુ તેમાં વિવિધતા બહુજ છે, એટલે વિરાટ
લીલા કહેવાય છે. બધા ધર્મ કેવી રીતે નંબરવાર આવે છે, એ પણ તમે જાણો છો. બધાને જવાનું
છે, પછી આવવાનું છે. આ ડ્રામા બનેલો છે. છે પણ કુદરતી ડ્રામા. કુદરત આ છે જે આટલી
નાની આત્મા અથવા પરમાત્મામાં કેટલો પાર્ટ ભરેલો છે. પરમ – આત્મા ને મળાવી ને
પરમાત્મા કહેવાય છે. તમે તેમને બાબા કહો છો કારણ કે બધી આત્માઓના સુપ્રીમ બાપ છે
ને. બાળકો જાણે છે આત્મા જ પૂરો પાર્ટ ભજવે છે. મનુષ્ય આ નથી જાણતા. એતો કહી દે છે
- આત્મા નિર્લેપ છે. વાસ્તવમાં આ અક્ષર ખોટા છે. આ પણ મોટા-મોટા અક્ષરોમાં લખી દેવું
જોઈએ - આત્મા નિર્લેપ નથી. આત્મા જ જેમ-જેમ સારા કે ખરાબ કર્મ કરે છે તો એવું તે ફળ
પામે છે. ખરાબ સંસ્કારોથી પતિત બની જાય છે, ત્યારે તો દેવતાઓની આગળ જઈ તેમની મહિમા
ગાએ છે. હવે તમને ૮૪ જન્મોની જાણ થઈ ગઈ છે, બીજા કોઈ પણ મનુષ્ય નથી જાણતા. તમે તેમને
૮૪ જન્મ સિદ્ધ કરી બતાવો છો તો કહે છે - શું શાસ્ત્ર બધા જ જુઠ્ઠા છે? કારણકે
સાંભળ્યું છે મનુષ્ય ૮૪ લાખ યોનિયો લે છે. હવે બાપ બેસીને સમજાવે છે વાસ્તવમાં સર્વ
શાસ્ત્રમઈ શિરોમણી છે જ ગીતા. બાપ હવે આપણને રાજયોગ શીખવાડે છે જે ૫ હજાર વર્ષ પહેલા
શીખવાડ્યો હતો.
તમે જાણો છો કે આપણે પવિત્ર હતા, પવિત્ર ગૃહસ્થ ધર્મ હતો. હવે આને ધર્મ નહીં કહેશું.
અધર્મી બની ગયા છે અર્થાત વિકારી બની ગયા છે. આ ખેલને તમે બાળકો સમજી ગયાં છો. આ
બેહદનો ડ્રામા છે જે દરેક ૫ હજાર વર્ષ પછી રીપીટ થતો રહે છે. લાખો વર્ષની વાત તો
કોઈ સમજી પણ નહીં શકે. આ તો જેમ કાલની વાત છે. તમે શિવાલયમાં હતા, આજ વેશ્યાલયમાં
છો પાછા કાલે શિવાલયમાં હશો. સતયુગને કહેવાય છે શિવાલય, ત્રેતા ને સેમી કહેવાય છે.
આટલા વર્ષ ત્યાં રહેશું. પુનર્જન્મમાં તો આવવાનું જ છે. આને કહેવાય છે રાવણ રાજ્ય.
તમે અડધોકલ્પ પતિત બન્યા, હવે બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન
પવિત્ર બનો. કુમાર અને કુમારીઓ તો છે જ પવિત્ર. તેમને પછી સમજાવાય છે - આવાં
ગૃહસ્થમાં જવાનું નથી જે ફરી પવિત્ર બનવાનો પુરુષાર્થ કરવો પડે. ભગવાનુવાચ છે કે
પાવન બનો, તો બેહદ ના બાપ નું માનવું પડે ને. તમે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ
સમાન રહી શકો છો. પછી બાળકોને પતિત બનવાની આદત શા માટે નાખો છો. જ્યાંરે કે બાપ ૨૧
જન્મોના માટે પતિત થવાથી બચાવે છે. આમાં લોકલાજ કુળની મર્યાદા પણ છોડવી પડે. આ છે
બેહદની વાત. બેચલર્સ (કુમાર) તો બધા ધર્મો માં બહુ જ હોય છે પરંતુ સલામતી થી રહેવું
જરા મુશ્કેલ હોય છે, છતા પણ રાવણ રાજ્યમાં રહે છે ને. વિદેશમાં પણ એવા બહુ જ મનુષ્ય
લગ્ન નથી કરતા, પછી પાછળથી કરી લે છે કમપેનીયનશીપ (સાથ) માટે. કુદ્રષ્ટિ થી નથી કરતા.
આવાં પણ દુનિયામાં બહુ જ હોય છે. પૂરી સંભાળ કરે છે, પછી જ્યારે મરે છે તો કંઇક એમને
આપીને જાય છે. કંઇક ધર્મ માટે મૂકી જાય છે. ટ્રસ્ટ બનાવીને જાય છે. વિદેશમાં પણ
મોટા-મોટા ટ્રસ્ટ હોય છે જે પછી અહીં પણ મદદ કરે છે. અહીં એવા ટ્રસ્ટ નથી હોતા જે
વિદેશમાં પણ મદદ કરે. અહીં તો ગરીબ લોકો છે, શું મદદ કરશે! તો તેમની પાસે પૈસા બહુ
છે. ભારત તો ગરીબ છે ને. ભારતવાસીઓની શું હાલત છે! ભારત કેટલુ સિરતાજ હતું, ગઈકાલ
ની વાત છે. પોતે પણ કહે છે કે ૩ હજાર વર્ષ પહેલા વૈકુંઠ હતું. બાપ જ બનાવે છે. તમે
જાણો છો કે બાપ કેવી રીતે ઉપરથી નીચે આવે છે - પતિતો ને પાવન બનાવવા. તે છે જ જ્ઞાન
નાં સાગર, પતિત-પાવન, સર્વના સદ્દગતિ દાતા અર્થાત્ બધા ને પાવન બનાવવા વાળા. આપ
બાળકો જાણો છો મારી મહિમા તો બધા ગાએ છે. હું અહિયાં પતિત દુનિયામાં જ આવું છું
તેમને પાવન બનાવવા. તમે પાવન બની જાઓ છો તો પછી પહેલા-પહેલા પાવન દુનિયામાં આવો છો.
બહુ જ સુખ માણો છો પછી રાવણ રાજ્યમાં નીચે પડો છો. ભલે ગાએ તો છે પરમપિતા પરમાત્મા
જ્ઞાન ના સાગર, શાંતિના સાગર, પતિત-પાવન છે. પરંતુ પાવન બનાવવા માટે ક્યારે આવશે -
આ કોઈ પણ જાણતું જ નથી. બાપ કહે છે તમે મારી મહિમાં કરો છો ને. હવે હું આવ્યો છું
તમને પોતાનો પરિચય આપી રહ્યો છું. હું દર ૫ હજાર વર્ષ પછી આ પુરુષોત્તમ સંગમયુગ પર
આવું છું, કેવી રીતે આવું છું, તે પણ સમજાવું છું. ચિત્ર પણ છે. બ્રહ્મા કોઈ
સુક્ષ્મવતન માં નથી હોતા. બ્રહ્મા અહી છે, અને બ્રાહ્મણ પણ અહીં છે, જેમને
ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવાય છે, જેમનો પછી વંશજ બને છે. મનુષ્ય સૃષ્ટિનો વંશજ
તો પ્રજાપિતા બ્રહ્માથી જ ચાલે છે ને. પ્રજાપિતા છે તો જરૂર એમની પ્રજા હશે. કુખ
વશાવલી તો હોઈ ન શકે, જરૂર એડોપ્ટેડ હશે. ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર છે તો જરૂર
એડોપ્ટ કર્યા હશે. તમે બધા એડોપ્તેડ બાળકો છો. હવે તમે બ્રાહ્મણ બન્યા છો પછી ફરી
તમારે દેવતા બનવાનું છે. શુદ્રથી બ્રાહ્મણ પછી બ્રાહ્મણથી દેવતા, આ બાજોલી નો ખેલ
છે. વિરાટ રૂપનું પણ ચિત્ર છે ને. ત્યાંથી બધાએ અહી આવવાનું છે જરૂર. જ્યારે બધા આવી
જાય છે પછી ક્રિએટર (રચયિતા) પણ આવે છે. તે ક્રિએટર, ડાયરેક્ટર છે, એક્ટ (કર્મ) પણ
કરે છે. બાપ કહે છે - હેં આત્માઓ તમે મને જાણો છો. તમે આત્માઓ મારા બધા બાળકો છો
ને. તમે પહેલા સતયુગમાં શરીરધારી બની કેટલો સરસ સુખનો પાર્ટ ભજવ્યો ફરી ૮૪ જન્મ પછી
તમે કેટલા દુઃખમાં આવી ગયા છો. ડ્રામામાં ક્રીએટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર હોય છે
ને. આ છે બેહદનો ડ્રામા. બેહદ ડ્રામાને કોઈપણ જાણતું નથી. ભક્તિમાર્ગમાં એવી-એવી
વાતો બતાવે છે જે મનુષ્યની બુદ્ધિ માં એ જ બેસી ગઈ છે.
હવે બાપ કહે છે – મીઠા-મીઠા બાળકો, આ બધા ભક્તિમાર્ગના શાસ્ત્ર છે. ભક્તિમાર્ગની ઘણી
સામગ્રી છે, જેમ બીજની સામગ્રી ઝાડ છે, આટલા નાના બીજ થી ઝાડ કેટલું અથાહ ફેલાઈ જાય
છે. ભક્તિનો પણ આટલો વિસ્તાર છે. જ્ઞાન તો બીજ છે, એમાં કોઈ પણ સામગ્રીની આવશ્યકતા
નથી રહેતી. બાપ કહે છે સ્વયંને આત્મા સમજી અને બાપ ને યાદ કરો, બીજા કોઈ વ્રત, નિયમ
નથી. એ બધુ બંધ થઈ જાય છે. તમને સદ્દગતિ મળી જશે પછી કોઇ વાતની આવશ્યકતા નથી. તમે જ
બહુ ભક્તિ કરી છે. તેનું ફળ તમને આપવા માટે આવ્યો છું. દેવતાઓ શિવાલયમાં હતા ને,
ત્યારે તો મંદિરમાં જઈને તેમની મહિમા ગાએ છે. હવે બાપ સમજાવે છે – મીઠા-મીઠા બાળકો,
મેં ૫ હજાર વર્ષ પહેલા પણ તમને સમજાવ્યું હતું કે સ્વયંને આત્મા સમજો. દેહના સર્વ
સંબંધ છોડી મુજ એક બાપ ને યાદ કરો તો આ યોગ અગ્નિથી તમારા પાપ ભસ્મ થઇ જશે. બાપ જે
કંઈ હમણાં સમજાવે છે, કલ્પ-કલ્પ સમજાવતા આવ્યા છે. ગીતામાં પણ કોઈ-કોઈ અક્ષર સરસ
છે. મનમનાભવ અર્થાત્ મને યાદ કરો. શિવબાબા કહે છે હું અહીં આવ્યો છું. કોના તન માં
આવું છું, એ પણ બતાવું છું. બ્રહ્મા દ્વારા બધા વેદો-શાસ્ત્રોનો સાર તમને સંભળાવું
છું. ચિત્ર પણ દેખાડે છે પરંતુ અર્થ નથી સમજતા. હવે તમે સમજો છો - શિવબાબા કેવી રીતે
બ્રહ્મા તન દ્વારા બધા શાસ્ત્ર વગેરે નો સાર સંભળાવે છે. ૮૪ જન્મોનાં ડ્રામાનું
રહસ્ય પણ તમને સમજાવે છે. એમનાં જ બહુ જન્મોનાં અંતમાં આવું છું. એ જ ફરી પહેલા
નંબરના પ્રિન્સ બને છે ફરી ૮૪ જન્મોમાં આવે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1. આ રાવણ
રાજ્યમાં રહેતા પતિત લોકલાજ કુળની મર્યાદાને છોડી બેહદ બાપ ની વાત માનવાની છે,
ગૃહસ્થ વ્યવહારમાં કમળ ફૂલ સમાન રહેવાનું છે.
2. આ વિવિધ વિરાટ લીલા
ને સારી રીતે સમજવાનું છે, આમાં પાર્ટ ભજવવા વાળી આત્મા નિર્લેપ નથી, સારા-ખરાબ
કર્મ કરી અને તેનું ફળ પામે છે, આ રહસ્યને સમજીને શ્રેષ્ઠ કર્મ કરવાના છે.
વરદાન :-
રુહાની ઓથોરિટી
ની સાથે નિરંહકારી બની સત્ય જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વરુપ દેખાડવા વાળા સાચાં સેવાધારી
ભવ.
જેમ વૃક્ષમાં જ્યારે સંપૂર્ણ ફળની ઓથોરિટી આવી જાય છે ત્યારે વૃક્ષ ઝુકી જાય છે
અર્થાત્ નિર્માણ બનવાની સેવા કરે છે. એમ રુહાની ઓથોરિટી વાળા બાળકો જેટલી મોટી
ઓથોરિટી એટલા નિર્માણ અને સર્વનાં સ્નેહી હશે. અલ્પકાળની ઓથોરિટી વાળા અહંકારી હોય
છે પરંતુ સત્યતા ની ઓથોરિટી વાળા, ઓથોરિટી ની સાથે નિરંહકારી હોય છે – આ જ સત્ય
જ્ઞાન નું પ્રત્યક્ષ સ્વરૂપ છે. સાચાં સેવાધારીની વૃત્તિમાં જેટલી ઓથોરિટી હશે,
તેમની વાણીમાં ને એટલો જ સ્નેહ અને નમ્રતા હશે.
સ્લોગન :-
વગર ત્યાગે
ભાગ્ય નથી મળતું.