25-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - યાદની યાત્રામાં અલબેલા નહીં બનો , યાદથી જ આત્મા પાવન બનશે , બાપ આવ્યા છે બધી આત્માઓની સેવા કરી એમને શુદ્ધ બનાવવાં ”

પ્રશ્ન :-
કઈ સ્મૃતિ બની રહે તો ખાન-પાન શુદ્ધ થઇ જશે?

ઉત્તર :-
જો સ્મૃતિ રહે કે આપણે બાબાની પાસે આવ્યાં છીએં સચખંડ માં જવાનાં માટે કે મનુષ્ય થી દેવતા બનવાનાં માટે તો ખાન-પાન શુદ્ધ થઇ જશે કારણ કે દેવતાઓ ક્યારેય અશુદ્ધ ચીજ નથી ખાતા. જ્યારે આપણે સત્ય બાબાની પાસે આવ્યા છીએં સચખંડ, પાવન દુનિયાનાં માલિક બનવાં તો પતિત (અશુદ્ધ) બની ન શકીએ.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે - બાળકો, તમે જ્યારે અહીંયા બેસો છો તો કોને યાદ કરો છો? પોતાનાં બેહદનાં બાપને. એ ક્યાં છે? એમને બોલાવીએ છીએ ને-હે પતિત-પાવન! આજકાલ સંન્યાસી પણ કહેતા રહે છે પતિત-પાવન સીતારામ અર્થાત્ પતિતો ને પાવન બનાવવા વાળા રામ આવો. આ તો બાળકો સમજે છે પાવન દુનિયા સતયુગ ને, પતિત દુનિયા કળયુગ ને કહેવાય છે. હમણાં તમે ક્યાં બેઠા છો? કળયુગ નાં અંતમાં એટલે બોલાવે છે બાબા આવીને અમને પાવન બનાવો. આપણે કોણ છીએ? આત્મા. આત્માને જ પવિત્ર બનવાનું છે. આત્મા પવિત્ર બને છે તો શરીર પણ પવિત્ર મળે છે. આત્મા પતિત બનવાથી શરીર પણ પતિત મળે છે. આ શરીર તો માટીનું પુતળું છે. આત્મા તો અવિનાશી છે. આત્મા આ ઓર્ગન્સ (અંગો) દ્વારા કહે છે, બોલાવે છે-અમે બહુ જ પતિત બની ગયા છીએ, અમને આવીને પાવન બનાવો. બાપ પાવન બનાવે છે. ૫ વિકારો રુપી રાવણ પતિત બનાવે છે. બાપે હમણાં સ્મૃતિ અપાવી છે-આપણે પાવન હતાં પછી આમ ૮૪ જન્મ લેતાં-લેતાં હમણાં અંતિમ જન્મમાં છીએ. આ જે મનુષ્ય સૃષ્ટિરુપી ઝાડ છે, બાપ કહે છે હું એનું બીજરુપ છું, મને બોલાવે છે-હે પરમપિતા પરમાત્મા, ઓ ગોડફાધર, લિબરેટ મી (મને છોડાવો). દરેક પોતાનાં માટે કહે છે મને છોડાવો પણ અને પંડા બનીને શાંતિધામ ઘરમાં લઈ ચલો. સન્યાસી વગેરે પણ કહે છે સ્થાઈ શાંતિ કેવી રીતે મળે? હવે શાંતિધામ તો છે ઘર. જ્યાંથી આત્માએ પાર્ટ ભજવવા આવે છે. ત્યાં ફક્ત આત્માઓ જ છે શરીર નથી. આત્માઓ નગ્ન અર્થાત્ શરીર વગર રહે છે. નગ્ન નો અર્થ એ નથી કે કપડા પહેર્યા વગર રહેવું. ના, શરીર વગર આત્માઓ નગ્ન (અશરીરી) રહે છે. બાપ કહે છે-બાળકો, આપ આત્માઓ ત્યાં મૂળવતન માં વગર શરીરે રહો છો, એને નિરાકારી દુનિયા કહેવાય છે.

બાળકોને સીડી પર સમજાવાયું છે-કેવી રીતે આપણે સીડી નીચે ઉતરતા આવ્યા છીએ. પુરા ૮૪ જન્મ લાગ્યા છે મેક્સિમમ (વધારેમાં વધારે). પછી કોઈ એક જન્મ પણ લે છે. આત્માઓ ઉપરથી આવતી જ રહે છે. હમણાં બાપ કહે છે હું આવ્યો છું પાવન બનાવવાં. શિવબાબા, બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે. શિવબાબા છે આત્માઓનાં બાપ અને બ્રહ્માને આદિ દેવ કહેવાય છે. આ દાદામાં બાપ કેવી રીતે આવે છે, આ આપ બાળકો જ જાણો છો. મને બોલાવે પણ છે-હે પતિત-પાવન આવો. આત્માઓએ આ શરીર દ્વારા બોલાવ્યા છે. મુખ્ય આત્મા છે ને. આ છે જ દુઃખધામ. અહીંયા કળયુગ માં જુઓ બેઠાં-બેઠાં અચાનક મૃત્યુ થઇ જાય છે, ત્યાં આવી રીતે કોઈ બીમાર જ નથી થતાં. નામ જ છે સ્વર્ગ. કેટલું સરસ નામ છે. કહેવાથી દિલ ખુશ થઈ જાય છે. ક્રિશ્ચયન પણ કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલા પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. અહીંયા ભારતવાસીઓને તો કાંઈ પણ ખબર નથી કારણકે એમણે સુખ બહુજ જોયું છે તો દુઃખ પણ બહુજ જોઈ રહ્યા છે. તમેપ્રધાન બન્યાં છે. ૮૪ જન્મ પણ આમનાં છે. અડધાકલ્પ પછી બીજા ધર્મવાળા આવે છે. હમણાં તમે સમજો છો અડધોકલ્પ દેવી-દેવતાઓ હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. પછી ત્રેતામાં જ્યારે રામ થયાં તો પણ ઇસ્લામી-બૌદ્ધિ નહોતા. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં છે. કહી દે છે દુનિયાની આયુ લાખો વર્ષ છે, એટલે મનુષ્ય મુંજાય છે કે કળયુગ હજી નાનું બાળક છે. તમે હમણાં સમજો છો કળયુગ પૂરું થઈ હવે સતયુગ આવશે એટલે તમે આવ્યાં છો બાપથી સ્વર્ગનો વારસો લેવા. તમે બધાં સ્વર્ગવાસી હતાં. બાપ આવે જ છે સ્વર્ગ સ્થાપન કરવાં. તમે જ સ્વર્ગમાં આવો છો, બાકી બધાં શાંતિધામ ઘરે ચાલ્યા જાય છે. એ છે સ્વીટ હોમ, આત્માઓ ત્યાં નિવાસ કરે છે. પછી અહીંયા આવીને પાર્ટધારી બને છે. શરીર વગર તો આત્મા બોલી પણ ન શકે. ત્યાં શરીર ન હોવાનાં કારણે આત્માઓ શાંતિમાં રહે છે. પછી અડધોકલ્પ છે દેવી-દેવતાઓ, સૂર્યવંશી-ચંદ્રવંશી. પછી દ્વાપર-કળયુગ માં હોય છે મનુષ્ય. દેવતાઓનું રાજ્ય હતું પછી હવે તે ક્યાં ગયાં? કોઈને ખબર નથી. આ નોલેજ હમણાં તમને બાપથી મળે છે. બીજા કોઈ મનુષ્યમાં આ નોલેજ હોતું નથી. બાપ જ આવીને મનુષ્યને આ નોલેજ આપે છે, જેનાથી જ મનુષ્યથી દેવતા બને છે. તમે અહીંયા આવ્યાં જ છો મનુષ્ય થી દેવતા બનવાના માટે. દેવતાઓનું ખાન-પાન અશુદ્ધ નથી હોતું, તેઓ ક્યારેય બીડી વગેરે પીતા નથી. અહીંયા નાં પતિત મનુષ્યની વાત નહી પૂછો - શું-શું ખાય છે! હવે બાપ સમજાવે છે આ ભારત પહેલા સચખંડ હતું. જરુર સાચાં બાપે સ્થાપન કર્યુ હશે. બાપને જ ટ્રુથ (સત્ય) કહેવાય છે. બાપ જ કહે છે હું જ આ ભારતને સચખંડ બનાવું છું. તમે સાચાં દેવતાઓ કેવી રીતે બની શકો છો, તે પણ તમને શીખવાડું છું. કેટલાં બાળકો અહીંયા આવે છે એટલે આ મકાન વગેરે બનાવવાં પડે છે. અંત સુધી પણ બનતાં રહેશે, બહુજ બનશે. મકાન ખરીદી પણ કરે છે. શિવબાબા બ્રહ્મા દ્વારા કાર્ય કરે છે. બ્રહ્મા થઈ ગયા શ્યામ કારણ કે આ બહુજ જન્મોનાં અંતનો જન્મ છે ને. આ પછી ગોરા બનશે. કૃષ્ણનું પણ ચિત્ર ગોરું અને શ્યામ છે ને. મ્યુઝિયમમાં મોટા-મોટા સરસ ચિત્ર છે, જેનાં પર તમે કોઈને સારી રીતે સમજાવી શકો છો. અહીંયા બાબા મ્યુઝિયમ નથી બનાવડાવતા, આને કહેવાય છે ટાવર ઓફ સાઈલેન્સ (શાંતિ નો સ્તંભ). તમે જાણો છો આપણે શાંતિધામ આપણા ઘરે જઈએ છીએ. આપણે ત્યાંનાં રહેવાવાળા છીએ અહીંયા આવી શરીર લઇ પાર્ટ ભજવીએ છીએ. બાળકોને પહેલાં-પહેલાં આ નિશ્ચય હોવો જોઈએ કે આ કોઈ સાધુ-સંત નથી ભણાવતાં. આ (દાદા) તો સિંધનાં રહેવાવાળા હતાં પરંતુ એમનાં માં જે પ્રવેશ કરી બોલે છે-તે છે જ્ઞાન નાં સાગર. એમને કોઈ જાણતું જ નથી. કહે પણ છે ગોડફાધર. પરંતુ કહી દે છે એમનું નામ-રુપ છે જ નહીં. એ નિરાકાર છે, એમનો કોઈ આકાર નથી. પછી કહી દે છે એ સર્વવ્યાપી છે. અરે, પરમાત્મા ક્યાં છે? કહેશે એ સર્વવ્યાપી છે, બધાંની અંદર છે. અરે, દરેકની અંદર આત્મા બેઠી છે, બધાં ભાઈ-ભાઈ છે ને, પછી ઘટ-ઘટમાં પરમાત્મા ક્યાંથી આવ્યાં? એવુ નહીં કહેશે પરમાત્મા પણ છે અને આત્મા પણ છે. પરમાત્મા બાપ ને બોલાવે છે, બાબા આવીને અમને પતિતોને પાવન બનાવો. મને તમે બોલાવો છો આ ધંધો, આ સેવા કરવાં માટે. અમને બધાંને આવીને શુદ્ધ બનાવો. પતિત દુનિયામાં મને નિમંત્રણ આપો છો, કહો છો બાબા અમે પતિત છીએ. બાપ તો પાવન દુનિયા જોતાં જ નથી. પતિત દુનિયામાં જ તમારી સેવા કરવાં માટે આવ્યાં છે. હવે આ રાવણ રાજ્ય વિનાશ થઇ જશે. બાકી તમે જે રાજયોગ શીખો છો ત્યાં જઈને રાજાઓનાં રાજા બનો છો. તમને અગણિત વાર ભણાવ્યું છે પછી ૫ હજાર વર્ષ પછી તમને જ ભણાવશે. સતયુગ-ત્રેતાની રાજધાની હવે સ્થાપન થઈ રહી છે. પહેલા છે બ્રાહ્મણ કુળ. પ્રજાપિતા બ્રહ્મા ગવાય છે ને, જેમને એડમ આદિ દેવ કહે છે. આ કોઈને ખબર નથી. ઘણાં છે જે અહીંયા આવીને સાંભળીને પછી માયાનાં વશ થઈ જાય છે. પુણ્ય આત્મા બનતાં-બનતાં પાપ આત્મા બની જાય છે. માયા બહુજ જબરજસ્ત છે. બધાંને પાપ આત્મા બનાવી દે છે. અહીંયા કોઈ પણ પવિત્ર આત્મા, પુણ્ય આત્મા છે નહિ. પવિત્ર આત્માઓ દેવી-દેવતા જ હતાં, જ્યારે બધાં પતિત બની જાય છે ત્યારે બાપને બોલાવે છે. હમણાં આ છે રાવણ રાજ્ય પતિત દુનિયા, આને કહેવાય છે કાંટાનું જંગલ. સતયુગને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલોનો બગીચો). મુગલ ગાર્ડન માં કેટલાં ફર્સ્ટક્લાસ સારા-સારા ફૂલ હોય છે. અકનાં પણ ફૂલ મળશે પરંતુ એનો અર્થ કોઈપણ સમજતું નથી, શિવનાં ઉપર અક કેમ ચઢાવે છે? આ પણ બાપ બેસી સમજાવે છે. હું જ્યારે ભણાવું છું તો એમાં કોઈ ફર્સ્ટક્લાસ મોતિયાં, કોઈ રતન જ્યોત, કોઈ પછી અકનાં પણ છે. નંબરવાર તો છે ને. તો આને કહેવાય જ છે દુઃખધામ, મૃત્યુલોક. સતયુગ છે અમરલોક. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો તો આ દાદાએ વાંચ્યા છે, બાપ તો શાસ્ત્ર નહીં ભણાવશે. બાપ તો સ્વયં સદ્દગતિ દાતા છે. કહીને ગીતા નો સંદર્ભ લે છે. સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા ભગવાને ગાઈ છે, પરંતુ ભગવાન કોને કહેવાય છે, આ ભારતવાસીઓને ખબર નથી. બાપ કહે છે હું નિષ્કામ સેવા કરું છું, તમને વિશ્વનાં માલિક બનાવું છું, હું નથી બનતો. સ્વર્ગમાં તમે મને યાદ નથી કરતાં. દુઃખ મેં સિમરણ સબ કરે , સુખ મેં કરે ન કોઈ. આને દુઃખ અને સુખ ની રમત કહેવાય છે. સ્વર્ગમાં બીજો કોઈ ધર્મ હોતો જ નથી. તે બધાં આવે જ છે પાછળ થી. તમે જાણો છો હવે આ જૂની દુનિયાનો વિનાશ થઇ જશે, નેચરલ કેલેમીટીજ (કુદરતી આફતો) તોફાન આવશે જોરથી. બધું ખતમ થઇ જશે.

તો બાપ હમણાં આવીને બેસમજદાર થી સમજદાર બનાવે છે. બાપે કેટલી ધન સંપત્તિ આપી હતી, બધી ક્યાં ગઈ? હવે કેટલા ઇનસાલવેન્ટ (દેવાદાર) બની ગયા છે. ભારત જે સોનાની દુનિયા હતી તે હવે શું બની ગઈ છે? હવે ફરી પતિત-પાવન બાપ આવ્યાં છે રાજયોગ શીખવાડી રહ્યાં છે. તે છે હઠયોગ, આ છે રાજ્યોગ. આ રાજ્યોગ બંનેવ માટે છે, તે હઠયોગ ફક્ત પુરુષ જ શીખે છે. હવે બાપ કહે છે પુરુષાર્થ કરો, વિશ્વનાં માલિક બનીને દેખાડો. હવે આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે બાકી થોડો સમય છે, આ લડાઈ અંતિમ લડાઇ છે. આ લડાઈ શુરુ થશે તો રોકાઈ નહિ શકે. આ લડાઈ શુરુ જ ત્યારે થશે જ્યારે તમે કર્માતીત અવસ્થાને પામશો અને સ્વર્ગમાં જવાનાં લાયક બની જશો. બાપ છતાં પણ કહે છે યાદની યાત્રામાં અલબેલા નહીં બનો, આમાં જ માયા વિધ્ન નાખે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા સારી રીતે ભણીને ફર્સ્ટક્લાસ ફૂલ બનવાનું છે, કાંટા નાં આ જંગલને ફૂલોનો બગીચો બનાવવા માં બાપને પૂરી મદદ કરવાની છે.

2. કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરવાં કે સ્વર્ગ માં ઉચ્ચ પદનું અધિકાર પ્રાપ્ત કરવાનાં માટે યાદની યાત્રામાં તત્પર રહેવાનું છે, અલબેલા નથી બનવાનું.

વરદાન :-
એક જ સ્થાન પર રહેતાં અનેક આત્માઓની સેવા કરવાવાળા લાઈટ - માઈટ સંપન્ન ભવ

જેમ લાઈટ હાઉસ એક સ્થાન પર સ્થિત થઈ દૂર-દૂર ની સેવા કરે છે. એવી રીતે તમે બધાં એક સ્થાન પર રહેતાં અનેકોની સેવા અર્થ નિમિત્ત બની શકો છો આમાં ફક્ત લાઈટ-માઈટ થી સંપન્ન બનવાની આવશ્યકતા છે. મન-બુદ્ધિ સદા વ્યર્થ વિચારવાં થી મુકત હોય, મનમનાભવ નાં મંત્રનું સહજ સ્વરુપ હોય - મન્સા શુભ ભાવના, શ્રેષ્ઠ કામના, શ્રેષ્ઠ વૃત્તિ અને શ્રેષ્ઠ વાયબ્રેશન થી સંપન્ન હોય તો આ સેવા સહજ કરી શકો છો. આજ મન્સા સેવા છે.

સ્લોગન :-
હવે આપ બ્રાહ્મણ આત્માઓ માઈટ (શક્તિ) બનો અને બીજી આત્માઓને માઈક (વક્તા) બનાવો.