26-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - તમે બાપની પાસે આવ્યા છો સ્વયં નું ચરિત્ર સુધારવા, તમારે હમણાં દૈવી ચરિત્ર બનાવવાનું છે”

પ્રશ્ન :-
આપ બાળકોને આંખો બંધ કરીને બેસવાની મનાઈ કેમ કરાય છે?

ઉત્તર :-
કારણકે નજરથી નિહાલ કરવાવાળા બાપ તમારા સમ્મુખ છે. જો આંખો બંધ હશે તો નિહાલ કેવી રીતે થશો. સ્કૂલમાં આંખો બંધ કરીને નથી બેસતા. આંખો બંધ હશે તો સુસ્તી આવશે. આપ બાળકો તો સ્કૂલમાં ભણવાનું ભણી રહ્યા છો. આ કમાણીનું સાધન છે. લાખો પદમો ની કમાણી થઈ રહી છે, કમાણી માં સુસ્તી, ઉદાસી ન આવી શકે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ બાપ સમજાવે છે. આ તો બાળકો જાણે છે કે રુહાની બાપ પરમધામ થી આવીને અમને ભણાવી રહ્યા છે શું ભણાવી રહ્યા છે? બાપની સાથે આત્માને યોગ લગાડવાનું શીખવાડે છે જેને યાદ ની યાત્રા કહેવાય છે. એ પણ બતાવ્યું છે બાપ ને યાદ કરતા-કરતા મીઠા રુહાની બાળકો તમે પવિત્ર બની પોતાનાં શાંતિધામ માં પહોંચી જશો. કેટલી સહજ સમજણ છે. સ્વયંને આત્મા સમજો અને પોતાનાં પ્રીતમ બેહદ નાં બાપ ને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતરના પાપ જે છે, તે ભસ્મ થતા જશે. આને જ યોગ અગ્નિ કહેવાય છે. આ ભારતનો પ્રાચીન રાજયોગ છે, જે બાપ જ દર ૫ હજાર વર્ષ પછી આવી ને શીખવાડે છે. બેહદ નાં બાપ જ ભારતમાં, આ સાધારણ તનમાં આવીને આપ બાળકોને સમજાવે છે. આ યાદથી જ તમારા જન્મ-જન્માંતરના પાપ કપાઈ જશે કારણ કે બાપ પતિત-પાવન છે અને સર્વશક્તિમાન છે. તમારી આત્માની બેટરી હમણાં તમોપ્રધાન બની ગઈ છે. જે સતોપ્રધાન હતી તેને ફરીથી સતોપ્રધાન કેવી રીતે બનાવાય, જેથી તમે સતોપ્રધાન દુનિયામાં જઈ શકો અથવા શાંતિધામ ઘરમાં જઈ શકો. બાળકોએ આ બહુ જ સારી રીતે યાદ રાખવાનું છે. બાપ બાળકોને આ ડોઝ (દવા) આપે છે. આ યાદ ની યાત્રા ઉઠતા-બેસતા, ચાલતા-ફરતા તમે કરી શકો છો. જેટલું બની સકે ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહેવાનું છે. બાપને પણ યાદ કરવાના છે અને સાથે-સાથે દૈવી ગુણ પણ ધારણ કરવાના છે કારણ કે દુનિયાવાળા નાં તો આસુરી ચરિત્ર છે. આપ બાળકો અહીં આવ્યા છો દૈવી ચરિત્ર બનાવવા. આ લક્ષ્મી-નારાયણના ચરિત્ર બહુજ મીઠા હતા. ભક્તિમાર્ગમાં તેમની મહિમા ગાયેલી છે. ભક્તિમાર્ગ ક્યારથી શરુ થાય છે, એ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજ્યા છો અને રાવણ રાજય ક્યારથી શરુ થયું, આ પણ હવે સમજ્યા છો. આપ બાળકોએ આ બધું નોલેજ બુદ્ધિમાં રાખવાનું છે. જ્યારે જાણો છો આપણે જ્ઞાન સાગર રુહાની બાપનાં બાળકો છીએ, હવે રુહાની બાપ આપણને ભણાવવા આવ્યા છે. એ પણ જાણો છો આ કોઈ સાધારણ બાપ નથી. આ છે રુહાની બાપ, જે આપણને ભણાવવા આવ્યા છે. એમનું નિવાસ સ્થાન સદેવ બ્રહ્મલોકમાં છે. લૌકિક બાપ તો બધાના અહીંયા છે. આ બાળકોએ સારી રીતે નિશ્ચયમાં રાખવાનું છે - આપણને આત્માઓ ને ભણાવવા વાળા પરમપિતા પરમાત્મા છે, જે બેહદનાં બાપ છે. ભક્તિમાર્ગમાં લૌકિક બાપ હોવા છતાં પણ પરમપિતા પરમાત્મા ને બોલાવે છે. એમનું એક જ નામ યથાર્થ શિવ છે. બાપ સ્વયં જ સમજાવે છે – મીઠા-મીઠા બાળકો, મારું નામ એક જ શિવ છે. ભલે અનેક નામ, અનેક મંદિર બનાવ્યા છે પરંતુ તે બધી છે ભક્તિમાર્ગની સામગ્રી. યથાર્થ નામ મારું એક જ શિવ છે. આપ બાળકોને આત્મા જ કહે છે, સાલિગ્રામ કહે તો પણ વાંધો નથી. અનેકાનેક સાલિગ્રામ છે. શિવ એક જ છે. એ છે બેહદનાં બાપ, બાકી બધા છે બાળકો. આના પહેલા તમે હદનાં બાળકો, હદનાં બાપની પાસે રહેતા હતા. જ્ઞાન તો હતું નહીં. બાકી અનેક પ્રકારની ભક્તિ કરતાં રહેતા હતા. આનાં પહેલા અડધો કલ્પ ભક્તિ કરી છે, દ્વાપરથી લઇને ભક્તિ શરુ થાય છે. રાવણરાજ્ય પણ શરુ થયું છે. આ છે બહુજ સહજ વાત. પરંતુ એટલી સહજ વાત પણ કોઈ મુશ્કેલ થી સમજે છે. રાવણ રાજય ક્યારથી શરુ થાય છે, એ પણ કોઈ નથી જાણતું. તમે મીઠા બાળકો જાણો છો – બાપ જ જ્ઞાન નાં સાગર છે. જે એમની પાસે છે તે આવીને બાળકોને આપે છે. શાસ્ત્ર તો છે ભક્તિમાર્ગનાં.
હમણાં તમે સમજી ગયા છો – જ્ઞાન, ભક્તિ અને પછી છે વૈરાગ્ય. આ ૩ મુખ્ય છે. સંન્યાસી લોકો પણ જાણે છે – જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. પરતું સંન્યાસીઓનો છે પોતાનો હદ નો વૈરાગ્ય. તેઓ બેહદનો વૈરાગ્ય શીખવાડી ન શકે. બે પ્રકાર નાં વૈરાગ્ય છે - એક છે હદ નો, બીજો છે બેહદનો. તે છે હઠયોગી સંન્યાસીઓ નો વૈરાગ્ય. આ છે બેહદ નો. તમારો છે રાજયોગ, તેઓ ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે તો તેમનું નામ જ પડી જાય છે સન્યાસી. હઠયોગી ઘરબાર છોડે છે પવિત્ર રહેવા માટે. આ પણ સારું છે. બાપ કહે છે - ભારત તો બહુ જ પવિત્ર હતું. આટલો પવિત્ર ખંડ બીજો કોઈ હતો નહીં. ભારતની તો બહુ જ ઉંચી મહિમા છે જે ભારતવાસી સ્વયં નથી જાણતા. બાપને ભૂલવાના કારણે બધું જ ભૂલી જાય છે અર્થાત્ નાસ્તિક, નિધન ના બની જાય છે. સતયુગ માં કેટલી સુખ-શાંતિ હતી. હમણાં કેટલું દુઃખ-અશાંતિ છે! મૂળવતન તો છે જ શાંતિધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. આત્માઓ ઘરેથી અહીંયા આવે છે બેહદ નો પાર્ટ ભજવવા. હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે બેહદ નાં બાપ આવે છે નવી દુનિયામાં લઈ જવા માટે. બાપ આવીને ઉત્તમ થી ઉત્તમ બનાવે છે. ઉંચેથી ઉંચા ભગવાન કહેવાય છે. પરંતુ એ કોણ છે, કોને કહેવાય છે, એ કંઈ પણ સમજતા નથી. એક મોટું લિંગ રાખી દીધું છે. સમજે છે આ નિરાકાર પરમાત્મા છે. આપણા આત્માઓના તે બાપ છે - આ પણ નથી સમજતા, ફક્ત પૂજા કરે છે. હંમેશા શિવબાબા કહે છે, રુદ્ર બાબા અથવા બબુલનાથ બાબા નહી કહેશે. તમે લખો પણ છો શિવબાબા યાદ છે? વારસો યાદ છે? આ સુવિચાર ઘર-ઘરમાં લગાડવા જોઈએ - શિવબાબા ને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે કારણ કે પતિત-પાવન એક જ બાપ છે. આ પતિત દુનિયામાં તો એક પણ પવિત્ર થઇ નથી શકતા. પાવન દુનિયામાં પછી એક પણ પતિત નથી હોતા. શાસ્ત્રોમાં તો બધી જગ્યાએ પતિત લખી દીધું છે. ત્રેતામાં પણ કહે છે રાવણ હતો, સીતા ચોરાઈ ગઈ. કૃષ્ણની સાથે કંસ, જરાસંધી, હિરણ્યકશ્યપ વગેરે દેખાડે છે. કૃષ્ણ પર કલંક લગાવી દીધા છે. હવે સતયુગમાં આ તો બધાં હોઈ ન શકે. કેટલા જૂઠા કલંક લગાડયા છે. બાપ પર પણ, તો દેવતાઓ પર પણ કલંક લગાડયા છે. બધાંની ગ્લાનિ કરતા રહે છે. તો હવે બાપ કહે છે આ યાદ ની યાત્રા છે આત્માને પવિત્ર બનાવવાની. પાવન બની પછી પાવન દુનિયા માં જવાનું છે. બાપ પછી ૮૪ નું ચક્ર પણ સમજાવે છે. હવે તમારો આ અંતિમ જન્મ છે ફરી ઘરે જવાનું છે. ઘરમાં શરીર તો નહીં જાય. બધી આત્માઓ જવાની છે એટલે મીઠા-મીઠા રુહાની બાળકો, સ્વયંને આત્મા સમજી બેસો, દેહ નહીં સમજો. બીજા સત્સંગોમાં તો તમે દેહ-અભિમાની થઈ બેસો છો. અહીંયા બાપ કહે છે દેહી-અભિમાની થઈને બેસો. જેમ મારા માં આ સંસ્કાર છે, હું જ્ઞાન નો સાગર છુ, આપ બાળકોએ પણ આવું બનવાનું છે. બેહદ નાં બાપ અને હદ નાં બાપ નો ભેદ પણ બતાવે છે. બેહદ નાં બાપ બેસીને તમને બધું જ્ઞાન સમજાવે છે. પહેલા નહોતા જાણતા. હવે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, તેનું આદિ-મધ્ય-અંત અને ચક્રની આયુ કેટલી છે, બધુ બતાવે છે. ભક્તિમાર્ગમાં તો કલ્પની આયુ લાખો વર્ષ સંભળાવીને ઘોર અંધકારમાં નાખી દીધા છે. નીચે જ ઉતારતા આવ્યા છે. કહે પણ છે ને જેટલી આપણે ભક્તિ કરશું તેટલા બાપ ને નીચે ખેચસું. બાપ આવીને આપણને પાવન બનાવશે. બાપને ખેંચે છે કારણકે પતિત છે, બહુ જ દુઃખી બની જાય છે. પછી કહે છે અમે બાપને બોલાવીએ છીએ. બાપ પણ જુએ છે એકદમ દુઃખી તમોપ્રધાન બની ગયા છે, ૫ હજાર વર્ષ પુરા થયા છે, ત્યારે ફરી આવે છે. આ ભણતર કંઈ આ જૂની દુનિયા માટે નથી. તમારી આત્મા ધારણ કરી સાથે લઈ જશે. જેમ હું જ્ઞાનનો સાગર છું, તમે પણ જ્ઞાનની નદીઓ છો. આ નોલેજ કોઈ આ દુનિયા માટે નથી. આ તો છી-છી દુનિયા, છી-છી શરીર છે, આને તો છોડવાનું છે. શરીર તો અહીંયા પવિત્ર થઇ નથી શકતું. હું આત્માઓ નો બાપ છું. આત્માઓને જ પવિત્ર બનાવવા આવ્યો છું. આ વાતોને મનુષ્ય તો કંઈ પણ સમજી નથી શકતું, એકદમ જ પથ્થરબુદ્ધિ, પતિત છે એટલે ગાએ છે પતિત-પાવન... આત્મા જ પતિત બની છે. આત્મા જ બધું કરે છે. ભક્તિ પણ આત્મા કરે છે, શરીર પણ આત્મા ધારણ કરે છે.
હવે બાપ કહે છે હું આપ આત્માઓને લઈ જવા આવ્યો છું. હું બેહદ નો બાપ, આપ આત્માઓનાં બોલાવા પર આવ્યો છું. તમે કેટલું પોકાર્યું છે. હમણાં સુધી પણ બોલાવતા રહો છો - હે પતિત-પાવન, ઓ ગોડફાધર, આવીને આ જૂની દુનિયાનાં દુઃખોથી, રાવણ થી લિબ્રેટ (મુક્ત) કરો તો અમે બધા ઘરે ચાલ્યા જઈએ. બીજા તો કોઈને ખબર જ નથી - આપણું ઘર ક્યાં છે, ઘરમાં કેવી રીતે, ક્યારે જઈશું. મુક્તિમાં જવા માટે કેટલું માથું મારે છે, કેટલા ગુરુ કરે છે. જન્મ-જન્માંતર માથું મારતા આવ્યા છે. તે ગુરુ લોકો જીવનમુક્તિનું સુખ તો જાણતા જ નથી. તેઓ ઈચ્છે છે મુક્તિ. કહે પણ છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? સન્યાસીઓ પણ મુક્તિ ને જ જાણે છે. જીવનમુક્તિ ને તો જાણતા જ નથી. પરંતુ મુક્તિ-જીવનમુક્તિ બંનેનો વારસો બાપ જ આપે છે. તમે જયારે જીવનમુક્તિમાં રહો છો તો બાકી બધાં મુક્તિ માં ચાલ્યા જાય છે. હમણાં આપ બાળકો નોલેજ લઇ રહ્યા છો, આ બનવા માટે. તમે જ સૌથી વધારે સુખ જોયું છે પછી સૌથી વધારે દુ:ખ પણ તમે જોયું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા તમે જ પછી ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ થઈ ગયા છો. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા હતા, આ લક્ષ્મી-નારાયણ પવિત્ર પ્રવૃત્તિ માર્ગના છે. ઘરબાર છોડવું આ તો સંન્યાસીઓનો ધર્મ છે. સન્યાસી પણ પહેલા સારા હતા. તમે પણ પહેલા બહુ જ સારા હતા, હવે તમોપ્રધાન બન્યા છો. બાપ કહે છે આ ડ્રામા નો ખેલ છે. બાપ સમજાવે છે - આ ભણતર છે જ નવી દુનિયા માટે. પતિત શરીર, પતિત દુનિયામાં ડ્રામા અનુસાર ફરી ૫ હજાર વર્ષ પછી આવવું પડે છે. ન કલ્પ લાખો વર્ષનું છે, ન હું સર્વવ્યાપી છું. આ તો તમે મારી ગ્લાનિ કરતા આવ્યા છો. હું તો પણ તમારા પર કેટલો ઉપકાર કરું છું. જેટલી શિવબાબા ની ગ્લાનિ કરી છે, તેટલી બીજા કોઈની નથી કરી. જે બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે તેમના માટે તમે કહેતા રહો છો સર્વવ્યાપી છે. જ્યારે ગ્લાનિ ની પણ હદ થઈ જાય છે, ત્યારે ફરી હું આવીને ઉપકાર કરું છું. આ છે પુરુષોત્તમ સંગમયુગ, કલ્યાણકારી યુગ. જ્યારે તમને પવિત્ર બનાવવા આવું છું. કેટલી સહજ યુક્તિ પાવન બનાવવાની બતાવે છે. તમે ભક્તિમાર્ગમાં બહુ જ ધક્કા ખાધા છે, તળાવમાં પણ સ્નાન કરવા જતા હતા. સમજતા હતા આનાથી પાવન બની જઈશું. હવે ક્યાં તે પાણી અને ક્યાં પતિત-પાવન બાપ. તે બધું છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. મનુષ્ય કેટલા ઘોર અંધકારમાં છે. કુંભકરણ ની નિંદ્રામાં સુતેલા છે. આ તો તમે જાણો છો - ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તિ. હમણાં તમારી નંબરવાર પુરુષાર્થ અનુસાર પ્રીતબુદ્ધિ છે. પૂરી નથી, કારણકે માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. આ છે ૫ વિકારોની લડાઈ. ૫ વિકારોને રાવણ કહેવાય છે. રાવણ પર ગધેડાનું શીશ દેખાડે છે.
બાબાએ આ પણ સમજાવ્યું છે - સ્કૂલમાં ક્યારે આંખો બંધ કરી નથી બેસવાનું હોતું. તે તો ભક્તિમાર્ગમાં ભગવાનને યાદ કરવાની વિદ્યા આપે છે કે આંખો બંધ કરીને બેસવું. અહીંયા તો બાપ કહે છે આ સ્કુલ છે. સાંભળ્યું પણ છે નજરથી નિહાલ.... કહે છે આ જાદુગર છે. અરે એ તો ગાયન પણ છે. દેવતાઓ પણ નજરથી નિહાલ થયા છે. નજરથી મનુષ્યને દેવતા બનાવવાવાળા જાદુગર થયા ને. બાપ બેસીને બેટરી ચાર્જ કરે અને બાળકો આખો બંધ કરીને બેસે તો શું કહેશું! સ્કૂલમાં આખો બંધ કરી નથી બેસતા. નહી તો સુસ્તી આવે છે. ભણતર તો છે કમાણી નું સાધન. લાખો પદમો ની કમાણી છે. કમાણીમાં ક્યારે આળસ નહિ લાવો. અહિયાં આત્માઓને સુધારવાની છે. આ લક્ષ્ય-હેતુ સામે છે. તેમની રાજધાની જોવી હોય તો જાઓ દેલવાડામાં. તે છે જડ, આ છે ચૈતન્ય દેલવાડા મંદિર. દેવતાઓ પણ છે, સ્વર્ગ પણ છે. સર્વનાં સદ્દ્ગતિ દાતા આબૂમાં જ આવે છે, એટલે જ મોટામાં મોટું તીર્થ આબુ છે. જે પણ ધર્મસ્થાપક અથવા ગુરુ લોકો છે, બધાંની સદ્દ્ગતિ બાપ અહીં આવીને કરે છે. આ સૌથી મોટું તીર્થ છે, પરંતુ ગુપ્ત છે. આને કોઈ જાણતું નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1) જે સંસ્કાર બાપમાં છે, તે જ સંસ્કાર ધારણ કરવાનાં છે. બાપ સમાન જ્ઞાનનાં સાગર બનવાનું છે. દેહી-અભિમાની થઈને રહેવાનો અભ્યાસ કરવાનો છે.

2) આત્મારુપી બેટરી ને સતોપ્રધાન બનાવવા માટે ચાલતાં-ફરતાં યાદ ની યાત્રા માં રહેવાનું છે. દૈવી ચરિત્ર ધારણ કરવાના છે. બહુ-બહુ મીઠા બનવાનું છે.

વરદાન :-
જ્ઞાન ધન દ્વારા પ્રકૃતિ નાં બધાં સાધન પ્રાપ્ત કરવાવાળા પદમાં-પદમપતિ ભવ:

જ્ઞાન ધન સ્થૂળ ધનની પ્રાપ્તિ સ્વત: કરાવે છે. જ્યાં જ્ઞાન ધન છે ત્યાં પ્રકૃતિ સ્વત: દાસી બની જાય છે. જ્ઞાન ધનથી પ્રકૃતિ નાં બધા સાધન સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે એટલે જ્ઞાન ધન બધા ધનનો રાજા છે. જ્યાં રાજા છે ત્યાં સર્વ પદાર્થ સ્વત: પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન ધન જ પદમા-પદમપતિ બનાવવા વાળું છે, પરમાર્થ અને વ્યવહારને સ્વતઃ સિદ્ધ કરે છે. જ્ઞાન ધન માં એટલી શક્તિ છે જે અનેક જન્મો નાં માટે રાજાઓના રાજા બનાવી દે છે.

સ્લોગન :-
“કલ્પ-કલ્પ નો વિજયી છું” – આ રુહાની નશો ઈમર્જ હશે તો માયાજીત બની જશો.