13-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપની
શ્રીમત પર ચાલવું જ બાપ નો રીગાર્ડ (સમ્માન) રાખ વું છે. મન મત પર ચાલવાવાળા
ડિસરીગાર્ડ (અપમાન) કરે છે. ”
પ્રશ્ન :-
ગૃહસ્થ
વ્યવહારમાં રહેવાવાળા ને કઈ એક વાત માટે બાબા મનાઈ નથી કરતા પરંતુ એક ડાયરેક્શન આપે
છે - તે કયું?
ઉત્તર :-
બાબા કહે – બાળકો, તમે ભલે બધાંનાં કનેક્શન (સંપર્ક) માં આવો, કોઈ પણ નોકરી વગેરે
કરો, સંપર્કમાં આવવું પડે છે, રંગીન કપડા પહેરવા પડે છે તો પહેરો, બાબા ની મનાઈ નથી.
બાબા તો ફક્ત ડાયરેક્શન આપે છે – બાળકો, દેહ સહિત દેહનાં બધાં સંબંધોથી મમત્વ નિકાળી
મને યાદ કરો.
ઓમ શાંતિ!
શિવ બાબા
બેસીને બાળકોને સમજાવે છે અર્થાત આપ સમાન બનાવવાનો પુરુષાર્થ કરાવે છે. જેમ હું
જ્ઞાન નો સાગર છું તેમ બાળકો પણ બને. આ તો મીઠા બાળકો જાણે છે બધાં એક સમાન નહીં
બનશે. પુરુષાર્થ તો દરેક ને પોત-પોતાનો કરવાનો હોય છે. સ્કૂલમાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
તો બહુ ભણે છે પરંતુ બધાં એક સમાન પાસ વિથ ઓનર્સ નથી થતા. તો પણ શિક્ષક પુરુષાર્થ
કરાવે છે. આપ બાળકો પણ પુરુષાર્થ કરો છો. બાપ પૂછે છે તમે શું બનશો? બધાં કહેશે અમે
આવ્યા જ છીએ નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવા. આ તો ઠીક છે પરંતુ સ્વયંની
એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ જુઓ ને. બાપ પણ ઊંચેથી ઊંચા છે. શિક્ષક પણ છે, ગુરુ પણ
છે. આ બાપને કોઈ જાણતું નથી. આપ બાળકો જાણો છો શિવબાબા આપણા બાબા પણ છે, શિક્ષક પણ
છે, સદ્દગુરુ પણ છે. પરંતુ એ જેવા છે તેવા એમને જાણવા પણ મુશ્કેલ છે. બાપને જાણશો
તો શિક્ષક પણું ભૂલી જવાશે, પછી ગુરુ પણું ભૂલી જવાશે. રીગાર્ડ (સમ્માન) પણ બાપનો
બાળકોએ રાખવાનો હોય છે. રીગાર્ડ કોને કહેવાય છે? બાપ જે ભણાવે છે તે સારી રીતે ભણે
છે એટલે રિગાર્ડ રાખે છે. બાપ તો બહુ જ મીઠા છે. અંદર માં બહુ જ ખુશી નો પારો ચઢેલો
રહેવો જોઈએ. અપાર ખુશી રહેવી જોઈએ. દરેક સ્વયં થી પૂછે - અમને આવી ખુશી છે? એક સમાન
બધાં તો રહી નથી શકતા. ભણતર માં પણ વાસ્ટ ડિફરન્સ (બહુજ અંતર) છે. તે સ્કૂલોમાં પણ
કેટલો ફરક રહે છે. તે તો કોમન (સાધારણ) શિક્ષક ભણાવે છે, આ તો છે અનકોમન (અસાધારણ).
આવા શિક્ષક કોઈ હોતા જ નથી. કોઈને આ ખબર જ નથી કે નિરાકાર ફાધર (પિતા) શિક્ષક પણ બને
છે. ભલે શ્રી કૃષ્ણનું નામ આપ્યું છે પરંતુ તેઓને ખબર જ નથી કે એ ફાધર કેવી રીતે
હોઈ શકે. કૃષ્ણ તો દેવતા છે ને. આમ તો કૃષ્ણ નામ પણ અનેકોનું છે. પરંતુ કૃષ્ણ
કહેવાથી જ શ્રીકૃષ્ણ સામે આવી જશે. તે તો દેહધારી છે ને. તમે જાણો છો આ શરીર એમનું
નથી. સ્વયં કહે છે - મેં લોન (ઉધાર) લીધું છે. આ પહેલા પણ મનુષ્ય હતા, હમણાં પણ
મનુષ્ય છે. આ ભગવાન નથી. એ તો એક જ નિરાકાર છે. હવે આપ બાળકો ને કેટલા રહસ્ય સમજાવે
છે. પરંતુ છતાં પણ અંતે બાપ સમજવું, શિક્ષક સમજવું, આ હમણાં થઈ નથી શકતું, ઘડી-ઘડી
ભુલી જશે. દેહધારી તરફ બુદ્ધિ ચાલી જાય છે. અંતે બાપ, બાપ, શિક્ષક, સદ્દગુરુ છે - આ
નિશ્ચય, બુદ્ધિ માં હમણાં નથી. હમણાં તો ભૂલી જાય છે. સ્ટુડન્ટસ (વિદ્યાર્થી)
ક્યારેય શિક્ષકને ભૂલશે કે! હોસ્ટેલ માં જે રહે છે તે તો ક્યારેય નહીં ભૂલશે. જે
સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહે છે તેમને તો પાકું હશે ને. અહીંયા તો તે પણ પાક્કો નિશ્ચય
નથી. નંબરવાર પુરુષાર્થ અનુસાર હોસ્ટેલ માં બેઠા છે તો જરુર સ્ટુડન્ટસ છે પરંતુ આ
પાક્કો નિશ્ચય નથી, જાણે છે બધાં પોત-પોતાનાં પુરુષાર્થ અનુસાર પદ લઇ રહ્યા છે. તે
ભણતર માં તો છતાં પણ કોઈ બૅરીસ્ટર બને છે, એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે. અહીંયા
તો તમે વિશ્વનાં માલિક બની રહ્યા છો. તો આવા સ્ટુડન્ટ ની બુદ્ધિ કેવી હોવી જોઈએ.
ચલન, વાર્તાલાપ, કેવું સારું હોવું જોઈએ.
બાપ સમજાવે છે - બાળકો, તમારે ક્યારેય રડવાનું નથી. તમે વિશ્વનાં માલિક બનો છો,
યાહુસેન ન મચાવવું જોઈયે.યાહુસેન મચાવવું - આ છે હાઈએસ્ટ રડવું. બાપ તો કહે છે જિન
રોયા તિન ખોયા...... વિશ્વ ની ઊંચેથી ઊંચી બાદશાહી ખોઈ બેસે છે. કહે તો છે અમે નર
થી નારાયણ બનવા આવ્યા છીએ પરંતુ ચલન ક્યાં! નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાં
પુરુષાર્થ કરી રહ્યા છે. કોઈ તો સરસ રીતે પાસ થઈ સ્કોલરશિપ લઈ લે છે, કોઈ નપાસ થઈ
જાય છે. નંબરવાર તો હોય જ છે. તમારા માં પણ કોઈ તો ભણે છે, કોઈ ભણતા પણ નથી. જેમ
ગામડા વાળા ને ભણવાનું ગમતું નથી. ઘાસ કાપવા માટે કહો તો ખુશીથી જશે. તેમાં
સ્વતંત્ર જીવન સમજે છે. ભણવામાં બંધન સમજે છે, એવા પણ બહુ જ હોય છે. સાહૂકારો માં
જમીનદાર લોકો પણ ઓછા નથી હોતા. પોતાને સ્વતંત્ર બહુજ ખુશી માં સમજે છે. નોકરી નામ
તો નથી ને. ઓફિસ વગેરેમાં તો મનુષ્ય નોકરી કરે છે ને. હમણાં આપ બાળકોને બાપ ભણાવે
છે વિશ્વનાં માલિક બનાવવા. નોકરી માટે નથી ભણાવતા. તમે તો આ ભણતરથી વિશ્વનાં માલિક
બનવા વાળા છો ને. બહુ જ ઊંચું ભણતર થયું. તમે તો વિશ્વ નાં માલિક બિલકુલ સ્વતંત્ર
બની જાઓ છો. વાત કેટલી સરળ છે. એક જ ભણતર છે જેનાંથી તમે આટલા ઊંચા મહારાજા-મહારાણી
બનો છો સો પણ પવિત્ર. તમે તો કહો છો કોઈ પણ ધર્મ વાળા હોય, આવીને ભણે. સમજશે આ ભણતર
તો બહુ જ ઊંચું છે. વિશ્વનાં માલિક બનો છો, આ તો બાપ ભણાવે છે. તમારી હવે બુદ્ધિ
કેટલી વિશાળ બની છે. હદની બુદ્ધિથી બેહદની બુદ્ધિ માં આવ્યા છો નંબરવાર પુરુષાર્થ
અનુસાર. કેટલી ખુશી રહે છે - આપણે બધાં બીજાને વિશ્વનાં માલિક બનાવીએ. હકીકતમાં
નોકરી તો ભલે ત્યાં પણ હોય છે, દાસ-દાસીઓ, નોકર વગેરે તો જોઈએ ને. ભણ્યા ની સામે
અભણ ભરી ઢોસે એટલે બાપ કહે છે સારી રીતે ભણો તો તમે આ બની શકો છો. કહે પણ છે અમે આ
બનશું. પરંતુ ભણશો નહીં તો શું બનશો. નથી ભણતા તો પછી બાપને એટલાં રીગાર્ડ થી યાદ
નથી કરતા. બાપ કહે છે જેટલું તમે યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે. બાળકો કહે છે
બાબા જેમ તમે ચલાવો, બાપ પણ મત આમનાં દ્વારા જ આપશે ને. પરંતુ તેમની મત પણ લેતા નથી,
છતાં પણ જૂની સડેલી મનુષ્ય મત પર જ ચાલે છે. જુએ પણ છે શિવબાબા આ રથ દ્વારા મત આપે
છે છતાં પણ સ્વયંની મત પર ચાલે છે. જેને પાઈ-પૈસા ની કોડી જેવી મત કહેવાય, તેનાં પર
ચાલે છે. રાવણની મત પર ચાલતા-ચાલતા આ સમયે કોડી જેવા બની ગયા છે. હવે રામ શિવબાબા
મત આપે છે. નિશ્ચય માં જ વિજય છે, આમાં ક્યારેય નુકસાન નહીં થશે. નુકસાન ને પણ બાપ
ફાયદા માં બદલી દેશે. પરંતુ નિશ્ચય બુદ્ધિવાળાને. સંશય બુદ્ધિવાળા અંદર ઘુટકા (મૂંઝાતા)
ખાતા રહેશે. નિશ્ચય બુદ્ધિ વાળા ને ક્યારેય ઘુટકા, ક્યારેય ઘાટો પડી નથી શકતો. બાબા
સ્વયં ગેરેન્ટી કરે છે - શ્રીમત પર ચાલવાથી ક્યારેય અકલ્યાણ થઇ નથી શકતું. મનુષ્ય
મતને દેહધારીની મત કહેવાય છે. અહીંયા તો છે જ મનુષ્ય મત. ગવાય પણ છે મનુષ્ય મત,
ઈશ્વરીય મત અને દૈવી મત. હવે તમને ઈશ્વરીય મત મળી છે, જેનાથી તમે મનુષ્ય થી દેવતા
બનો છો. પછી ત્યાં તો સ્વર્ગમાં તમે સુખ જ પામો છો. કોઈ દુઃખની વાત નથી. તે પણ
સ્થાઈ સુખ થઈ જાય છે. આ સમયે તમારે ફીલિંગ માં લાવવાનું હોય છે, ભવિષ્યની ફીલિંગ આવે
છે.
હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ, જયારે શ્રીમત મળે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ,
કલ્પ નાં સંગમયુગ પર આવું છું, એમને તમે જાણો છો. એમની મત પર તમે ચાલો છો. બાપ કહે
છે - બાળકો, ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો, કોણ કહે છે તમે કપડા વગેરે બદલી કરો. ભલે
કંઈ પણ પહેરો. અનેકો નાં કનેક્શન (સંપર્ક) માં આવવું પડે છે. રંગીન કપડાં માટે કોઈ
મનાંઈ નથી કરતા. કોઈ પણ કપડાં પહેરો, એનાથી કોઈ તાલુક નથી. બાપ કહે છે દેહ સહિત દેહ
નાં બધાં સંબંધ છોડો. બાકી પહેરો બધુજ. ફક્ત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો, આ
પાક્કો નિશ્ચય કરો. આ પણ જાણો છો આત્મા જ પતિત અને પાવન બને છે, મહાત્માને પણ મહાન
આત્મા કહેશે, મહાન પરમાત્મા નહીં કહેશે. કહેવું પણ શોભતું નથી. કેટલા સરસ મુદ્દાઓ
છે સમજવાના. સદ્દગુરુ સર્વને સદ્દ્ગતિ દેવાવાળા તો એક જ બાપ છે. ત્યાં ક્યારેય અકાળે
મૃત્યુ થતું નથી. હમણાં આપ બાળકો સમજો છો બાબા આપણને ફરી થી આવા દેવતા બનાવે છે.
પહેલા આ બુદ્ધિ માં ન હતું. કલ્પની આયુ કેટલી છે, એ પણ નહોતા જાણતા. હવે તો બધી
સ્મૃતિ આવી છે. આ પણ બાળકો સમજે છે આત્માને જ પાપ આત્મા, પુણ્ય આત્મા કહેવાય છે.
પાપ પરમાત્મા ક્યારેય નથી કહેવાતું. પછી કોઈ કહે પરમાત્મા સર્વવ્યાપી છે તો પણ કેટલી
બેસમજી છે. આ બાપ જ બેસી ને સમજાવે છે. હવે તમે જાણો છો ૫ હજાર વર્ષનાં પછી પાપ
આત્માઓ ને પુણ્ય આત્મા બાપ જ આવીને બનાવે છે. એક ને નહીં, બધાં બાળકોને બનાવે છે.
બાપ કહે છે આપ બાળકોને બનાવવા વાળો હું જ બેહદનો બાપ છું. જરુર બાળકોને બેહદનું સુખ
આપીશ. સતયુગમાં હોય જ છે પવિત્ર આત્માઓ. રાવણ પર જીત પામવાથી જ તમે પુણ્ય આત્મા બની
જાઓ છો. તમે ફીલ કરો છો, માયા કેટલા વિઘ્ન નાખે છે. એકદમ નાકમાં દમ કરી દે છે. તમે
સમજો છો માયાથી યુદ્ધ કેવી રીતે ચાલે છે. તેમણે પછી કૌરવો અને પાંડવો નું યુદ્ધ,
લશ્કર વગેરે શું-શું દેખાડ્યું છે. આ યુદ્ધની કોઈને પણ ખબર નથી. આ છે ગુપ્ત. આને તમે
જ જાણો છો. માયા થી આપણે આત્માઓ એ યુદ્ધ કરવાનું છે. બાપ કહે છે સૌથી મોટો તમારો
દુશ્મન છે જ કામ. યોગબળ થી તમે આનાં પર વિજય પામો છો. યોગબળ નો અર્થ પણ કોઈ નથી
સમજતા. જે સતોપ્રધાન હતા તેજ તમોપ્રધાન બન્યા છે. બાપ સ્વયં કહે છે બહુ જ જન્મોનાં
અંતમાં હું આમનામાં પ્રવેશ કરું છું. તે જ તમોપ્રધાન બન્યા છે, તત્વમ. બાબા એક ને
થોડી કહેશે. નંબરવાર બધાંને કહે છે. નંબરવાર કોણ-કોણ છે, અહીંયા તમને ખબર પડી છે.
આગળ જઈને તમને બહુ જ ખબર પડશે. માળા નો તમને સાક્ષાત્કાર કરાવશે. સ્કૂલમાં જ્યારે
ટ્રાન્સફર થાય છે તો બધું ખબર પડી જાય છે ને. રીઝલ્ટ (પરિણામ) આખું નિકળી આવે છે.
બાબાએ બાળકીને પૂછ્યું - તમારાં પરીક્ષા નાં પેપર ક્યાંથી આવે છે? બોલી લંડન થી. હવે
તમારા પેપર ક્યાંથી નિકળશે? ઉપરથી. તમારા પેપર ઉપરથી આવશે. બધું સાક્ષાત્કાર કરશે.
કેવું વન્ડરફુલ ભણતર છે. કોણ ભણાવે છે, કોઈને ખબર નથી. કૃષ્ણ ભગવાનુવાચ કહી દે છે.
ભણવામાં બધાં નંબરવાર છે. તો ખુશી પણ નંબરવાર હશે. આ જે ગાયન છે અતીન્દ્રિય સુખ
ગોપ-ગોપીઓ થી પૂછો - આ અંતની વાત છે. બાપ એ સમજાવ્યું છે, ભલે બાબા જાણે છે - આ
બાળકો ક્યારેય પડવાનાં નથી પરંતુ છતાં પણ ખબર નહીં શું થાય છે. ભણવાનું જ નથી ભણતા,
તકદીર માં નથી. થોડું પણ તેમને કહેવામાં આવે કે જઈને સ્વયં નું ઘર વસાવો તે દુનિયામાં,
તો ઝટ ચાલ્યા જશે. ક્યાં થી નીકળી ક્યાં ચાલ્યા જાય છે. તેમની ચલન, બોલવું, કરવું જ
એવું હોય છે. સમજે છે અમને જો આટલું મળે તો અમે જઈને અલગ રહીએ. ચલનથી સમજી જવાય છે.
આનો મતલબ નિશ્ચય નથી, લાચારી થી બેઠા છે. ઘણા છે જે જ્ઞાન નો 'ગ' પણ નથી જાણતા.
ક્યારેય બેસતા પણ નથી. માયા ભણવા નથી દેતી. એવા બધાં સેન્ટર પર છે. ક્યારેય ભણવા
આવતા નથી. વન્ડર છે ને. કેટલું ઊંચું ભણતર છે. ભગવાન ભણાવે છે. બાબા કહે આ કામ નહીં
કરો, માનશે જ નહીં. જરુર ઉલટું કામ કરીને દેખાડશે. રાજધાની સ્થાપન થઈ રહી છે, તેમાં
તો દરેક પ્રકારનાં જોઈએ ને. ઉપરથી લઈને નીચે સુધી બધાં બને છે. પદ માં ફર્ક તો રહે
છે ને. અહીંયા પણ નંબરવાર પદ છે. ફક્ત ફર્ક શું છે? ત્યાં આયુ મોટી અને સુખ હોય છે.
અહીંયા આયુ નાની અને દુઃખ છે. બાળકોની બુદ્ધિ માં આ વન્ડરફુલ વાતો છે. કેવો આ ડ્રામા
બનેલો છે. ફરી કલ્પ-કલ્પ આપણે તે જ પાર્ટ ભજવશું. કલ્પ-કલ્પ ભજવતા રહીએ છીએ. આટલી
નાની-સી આત્મા માં કેટલો પાર્ટ ભરેલો છે. તે જ ફિચર્સ, તે જ એક્ટિવિટી.... આ
સૃષ્ટિનું ચક્ર ફરતું જ રહે છે. બની બનાઈ બન રહી...... આ ચક્ર ફરી પણ રિપીટ થશે.
સતોપ્રધાન, સતો, રજો, તમો માં આવશે. આમાં મૂંઝાવાની વાત નથી. અચ્છા, સ્વયંને આત્મા
સમજો છો? આત્મા નાં બાપ શિવબાબા છે આ તો સમજો છો ને. જે સતોપ્રધાન બને છે તેજ ફરી
તમોપ્રધાન બને છે ફરી બાપ ને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. આ તો સારું છે ને. બસ
અહિયાં સુધી સ્પષ્ટ કરવું જોઈએ. બોલો, બેહદનાં બાપ આ સ્વર્ગ નો વારસો આપે છે. એ જ
પતિત-પાવન છે. બાપ નોલેજ આપે છે, આમાં શાસ્ત્ર વગેરેની તો વાત જ નથી. શાસ્ત્ર શરુમાં
ક્યાંથી આવશે. આ તો જ્યારે બહુ બધાં થઈ જાય છે ત્યારે પછી બેસીને શાસ્ત્ર બનાવે છે.
સતયુગમાં શાસ્ત્ર હોતા નથી. પરંપરા તો કોઈ ચીજ હોતી નથી. નામ રુપ તો બદલાઈ જશે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
યાહુસેન નથી મચાવવાનું. બુદ્ધિ માં રહે આપણે વિશ્વનાં માલિક બનવા વાળા છીએ, આપણી
ચલન, વાર્તાલાપ બહુ જ સારું હોવું જોઈએ. ક્યારેય પણ રડવાનું નથી.
2. નિશ્ચય બુદ્ધિ બની એક બાપની મત પર ચાલતા રહેવાનું છે, ક્યારેય મૂંઝાવું અથવા
ઘુટકા નથી ખાવાના. નિશ્ચયમાં જ વિજય છે, એટલે પોતાની પાઈ-પૈસાની મત નથી ચલાવવાની.
વરદાન :-
સ્વયં નાં
પુરુષાર્થની વિધિમાં સ્વયંની પ્રગતિ નો અનુભવ કરવાવાળા સફળતા નાં સિતારા ભવ :
જે સ્વયં નાં
પુરુષાર્થ ની વિધિ માં સ્વયંની ની પ્રગતિ અથવા સફળતાનો અનુભવ કરે છે, તેજ સફળતા નાં
સિતારા છે, તેમનાં સંકલ્પ માં સ્વયંનાં પુરુષાર્થ પ્રતિ ક્યારેય ‘ખબર નહી થશે કે નહીં
થશે’, કરી શકશું કે નહીં કરી શકીએ - આ અસફળતાનો અંશ માત્ર પણ નહીં હશે. સ્વયં પ્રતિ
સફળતા અધિકાર નાં રુપમાં અનુભવ કરશે, તેમને સહજ અને સ્વત: સફળતા મળતી રહે છે.
સ્લોગન :-
સુખ સ્વરુપ
બનીને સુખ આપો તો પુરુષાર્થમાં દુવાઓ એડ (વધતી) થઈ જશે.