11-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પુરષોત્તમ સંગમયુગ ટ્રાન્સફર થવાનો યુગ છે , હવે તમારે કનિષ્ટ થી ઉત્તમ પુરુષ બનવાનું
છે .”
પ્રશ્ન :-
બાપની
સાથે-સાથે કયા બાળકોની પણ મહિમા ગવાય છે?
ઉત્તર :-
જે શિક્ષક બની
અનેકોનું કલ્યાણ કરવાનાં નિમિત્ત બને છે, તેમની મહિમા પણ બાપની સાથે- સાથે ગવાય છે.
કરન-કરાવનહાર બાબા બાળકોથી અનેકોનું કલ્યાણ કરાવે છે તો બાળકોની પણ મહિમા થઈ જાય
છે. કહે છે - બાબા, ફલાણા એ અમારા પર દયા કરી, જે અમે શું થી શું બની ગયા! શિક્ષક
બન્યા વગર આશીર્વાદ મળી ન શકે .
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોથી પૂછે છે. સમજાવે પણ છે પછી પૂછે પણ છે. હવે બાપને બાળકોએ જાણ્યા છે.
ભલે કોઈ સર્વવ્યાપી પણ કહે છે પરંતુ તેનાં પહેલા બાપને ઓળખવા તો જોઈએ ને - બાપ કોણ
છે? ઓળખ્યાં પછી કહેવું જોઈએ, બાપનું નિવાસ સ્થાન ક્યાં છે? બાપને જાણતા જ નથી તો
તેમના નિવાસ સ્થાન ની ખબર કેવી રીતે પડે? કહી દે છે એ તો નામ-રુપથી ન્યારા છે, એટલે
છે નહિ. તો જે ચીજ છેજ નહીં એમનાં રહેવાનાં સ્થાનનો પણ કેવી રીતે વિચાર કરી શકાય? આ
હમણાં આપ બાળકો જાણો છો. બાપએ પહેલા-પહેલા તો પોતાનો પરિચય આપ્યો છે, પછી રહેવાનું
સ્થાન સમજાવાય છે. બાપ કહે છે હું તમને આ રથ દ્વારા પરિચય આપવા આવ્યો છું. હું તમારા
બધાંનો બાપ છું, જેમને પરમપિતા કહેવાય છે. આત્માને પણ કોઈ નથી જાણતું. બાપનું નામ,
રુપ, દેશ, કાળ નથી તો બાળકોનું પછી ક્યાંથી આવે? બાપ જ નામ-રુપ થી ન્યારા છે તો
બાળકો પછી ક્યાંથી આવે? બાળકો છે તો જરુર બાપ પણ છે. સિદ્ધ થાય છે એ નામ-રુપ થી
ન્યારા નથી. બાળકોનું પણ નામ-રુપ છે. ભલે કેટલું પણ સૂક્ષ્મ હોય. આકાશ સૂક્ષ્મ છે
તો પણ નામ તો છે ને આકાશ. જેમ આ પોલાર સૂક્ષ્મ છે, એમ બાપ પણ બહુ જ સૂક્ષ્મ છે.
બાળકો વર્ણન કરે છે વંડરફુલ તારો છે, જે આમનામાં પ્રવેશ કરે છે, જેને આત્મા કહે છે.
બાપ તો રહે જ છે પરમધામ માં, એ રહેવાનું સ્થાન છે. ઉપર નજર જાય છે ને. ઉપર આંગળીનો
ઇશારો કરી યાદ કરે છે.તો જરુર જેમને યાદ કરે છે, કોઈ વસ્તુ હશે. પરમપિતા પરમાત્મા
કહે તો છે ને. તો પણ નામ-રુપથી ન્યારા કહેવું - આને અજ્ઞાન કહેવાય છે. બાપને જાણવું,
આને જ્ઞાન કહેવાય છે. આ પણ તમે સમજો છો આપણે પહેલા અજ્ઞાની હતાં. બાપને પણ નહોતા
જાણતા, સ્વયં ને પણ નહોતા જાણતા. હવે સમજો છો આપણે આત્મા છીએં, ન કે શરીર. આત્માને
અવિનાશી કહેવાય છે તો જરુર કોઈ ચીજ છે ને. અવિનાશી કોઈ નામ નથી. અવિનાશી અર્થાત્ જે
વિનાશને નથી પામતી. તો જરુર કોઈ વસ્તુ છે. બાળકોને સારી રીતે સમજાવ્યું છે,
મીઠા-મીઠા બાળકો, જેમને બાળકો-બાળકો કહે છે એ આત્માઓ અવિનાશી છે. આ આત્માઓના બાપ
પરમપિતા પરમાત્મા બેસી સમજાવે છે. આ ખેલ એક જ વાર થાય છે જયારે બાપ આવીને બાળકો ને
પોતાનો પરિચય આપે છે. હું પણ પાર્ટધારી છું. કેવી રીતે પાર્ટ ભજવું છું, એ પણ તમારી
બુદ્ધિમાં છે. જૂની અર્થાત્ પતિત આત્માને નવી પાવન બનાવે છે તો પછી શરીર પણ તમારુ
ત્યાં ગુલ-ગુલ હોય છે. આ તો બુદ્ધિમાં છે ને.
હમણાં તમે બાબા-બાબા કહો છો, આ પાર્ટ ચાલી રહ્યો છે ને. આત્મા કહે છે બાબા આવેલાં
છે - આપણને બાળકોને શાંતિધામ ઘરે લઈ જવા માટે. શાંતિધામ પછી છે જ સુખધામ. શાંતિધામ
પછી દુઃખધામ હોઈ ન શકે. નવી દુનિયામાં સુખ જ કહેવાય છે. આ દેવી-દેવતાઓ જો ચૈતન્ય
હોય અને એમને કોઈ પૂછે તમે ક્યાંના રહેવાવાળા છો, તો કહેશે અમે સ્વર્ગ નાં રહેવાવાળા
છીએં. હવે આ જડ મૂર્તિ તો નથી કહી શકતી. તમે તો કહી શકો છો ને, આપણે અસલ સ્વર્ગ માં
રહેવાવાળા દેવી-દેવતાઓ હતાં પછી ૮૪ નું ચક્ર લગાવી હવે સંગમ પર આવ્યા છીએં. આ
ટ્રાન્સફર થવાનો પુરુષોત્તમ સંગમયુગ છે. બાળકો જાણે છે આપણે બહુજ ઉત્તમ પુરુષ બનીએ
છીએં. આપણે દર ૫ હજાર વર્ષ પછી સતોપ્રધાન બનીએ છીએં. સતોપ્રધાન પણ નંબરવાર કહીશું.
તો બધો પાર્ટ આત્માને મળેલો છે. એવું નહિ કહીશું કે મનુષ્યને પાર્ટ મળેલો છે. અહમ
આત્માને પાર્ટ મળેલો છે. હું આત્મા ૮૪ જન્મ લઉં છું. આપણે આત્મા વારિસ છીએં, વારિસ
હમેંશા પુરુષ હોય છે, સ્ત્રી નહિ. તો હવે આપ બાળકોએ આ પાક્કું સમજવાનું છે આપણે
સર્વ આત્માઓ પુરુષ છીએં. બધાંને બેહદનાં બાપથી વારસો મળે છે. હદનાં લૌકિક બાપથી
ફક્ત દીકરાને વારસો મળે છે, દીકરીને નહીં. એવું પણ નથી,આત્મા સદેવ સ્ત્રી બને છે.
બાપ સમજાવે છે તમે આત્મા ક્યારેક પુરુષનું, ક્યારેક સ્ત્રીનું શરીર લો છો. આ સમય તમે
બધા પુરુષ છો. બધી આત્માઓને એક બાપથી વારસો મળે છે. બધા બાળકો જ બાળકો છે. બધાનાં
બાપ એક છે. બાપ પણ કહે છે - હેં બાળકો, તમે બધી આત્માઓ પુરુષ છો. મારાં રુહાની બાળકો
છો. પછી પાર્ટ ભજવવા માટે પુરુષ-સ્ત્રી બંને જોઈએ. ત્યારે તો મનુષ્ય સૃષ્ટિની વૃદ્ધિ
થાય. આ વાતો ને તમારા સિવાય કોઈ પણ નથી જાણતું. ભલે કહે તો છે અમે બધા બ્રધર્સ (ભાઈઓ)
છીએં પરંતુ સમજતા નથી.
હવે તમે કહો છો બાબા તમારા થી અમે અનેક વાર વારસો લીધો છે. આત્માને આ પાકું થઈ જાય
છે. આત્મા બાપને જરૂર યાદ કરે છે - ઓ બાબા રહેમ કરો. બાબા હવે તમે આવો, અમે બધાં
તમારા બાળકો બનીશું. દેહ સહિત દેહનાં બધાં સંબંધ છોડી અમે આત્મા તમને જ યાદ કરીશું.
બાપએ સમજાવ્યું છે સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. બાપથી આપણે વારસો કેવી
રીતે પામીએ છે, દર ૫ હજાર વર્ષ પછી આપણે આ દેવતા કેવી રીતે બનીએ છીએં, આ પણ જાણવું
જોઈએ ને. સ્વર્ગનો વારસો કોનાંથી મળે છે, આ હવે તમે સમજો છો. બાપ તો સ્વર્ગવાસી નથી,
બાળકોને બનાવે છે. પોતે તો નર્કમાં જ આવે છે, તમે બાપને બોલાવો પણ નર્કમાં છો, જયારે
તમે તમોપ્રધાન બનો છો. આ તમોપ્રધાન દુનિયા છે ને. સતોપ્રધાન દુનિયા હતી, ૫ હજાર
વર્ષ પહેલા એમનું રાજય હતું. આ વાતોને, આ ભણતરને હવે તમે જ જાણો છો. આ છે મનુષ્ય થી
દેવતા બનવાનું ભણતર. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર…. બાળક બન્યા અને વારિસ
બન્યા,બાપ કહે છે તમે બધી આત્માઓ મારા બાળકો છો. તમને વારસો આપુ છું. તમે ભાઈ-ભાઈ
છો, રહેવાનું સ્થાન મૂળવતન અથવા નિર્વાણધામ છે, જેને નિરાકારી દુનિયા પણ કહે છે. બધી
આત્માઓ ત્યાં રહે છે. આ સૂર્ય ચંદ્ર થી પણ પેલી પાર તે તમારુ મીઠું શાંત ઘર છે પરંતુ
ત્યાં બેસી તો નથી જવાનું. બેસીને શું કરશો. એ તો જાણે જડ અવસ્થા થઈ ગઈ. આત્મા
જ્યારે પાર્ટ ભજવે ત્યારે જ ચૈતન્ય કહેવાય. છે ચૈતન્ય પરંતુ પાર્ટ ન ભજવે તો જડ થઈ
ને. તમે અહીં ઊભા રહી જાઓ, હાથ-પગ ન ચલાવો તો જેમ જડ થયા. ત્યાં તો કુદરતી શાંતિ રહે
છે, આત્માઓ જેમ કે જડ છે. પાર્ટ કંઈ પણ નથી ભજવતી. શોભા તો પાર્ટ માં છે ને.
શાંતિધામ માં શું શોભા હશે? આત્માઓ સુખ-દુઃખની ભાસના થી પરે રહે છે. કોઈ પાર્ટ જ નથી
ભજવતી તો ત્યાં રહેવાથી શું ફાયદો? પહેલા-પહેલા સુખનો પાર્ટ ભજવવાનો છે. દરેકને
પહેલાથી જ પાર્ટ મળેલો છે. કોઈ કહે છે અમને તો મોક્ષ જોઇએ. પરપોટા પાણી માં મળી ગયા
બસ, આત્મા જેમકે છે નહીં. કોઈ પણ પાર્ટ ન ભજવે તો જેમ જડ કહીશું. ચૈતન્ય હોવા છતાં
જડ થઈને પડ્યાં રહે તો શું ફાયદો? પાર્ટ તો બધાંને ભજવવાનો જ છે. મુખ્ય હીરો-હીરોઈન
નો પાર્ટ કહેવાય છે. આપ બાળકોને હીરો-હીરોઈન નું ટાયટલ મળે છે. આત્મા અહીં પાર્ટ
ભજવે છે. પહેલા સુખનું રાજય કરે છે પછી રાવણનાં દુઃખનાં રાજ્યમાં જાય છે. હવે બાપ
કહે છે આપ બાળકો બધાંને આ સમાચાર આપો. શિક્ષક બની બીજાને સમજાવો. જે શિક્ષક નથી બનતા
એમનું પદ ઓછું થશે. શિક્ષક બન્યા વગર કોઈને આશીર્વાદ કેવી રીતે મળશે? કોઈ ને પૈસા
આપશું તો એમને ખુશી થશે ને. અંદર સમજે છે બી.કે. અમારા ઉપર બહુંજ દયા કરે છે, જે
અમને શું થી શું બનાવી દે છે! આમ તો મહિમા એક બાપની જ કરે છે - વાહ બાબા, તમે આ
બાળકો દ્વારા અમારું કેટલુ કલ્યાણ કરો છો! કોઈ દ્વારા તો થાય છે ને. બાપ
કરનકરાવનહાર છે, તમારા દ્વારા કરાવે છે. તમારું કલ્યાણ થાય છે. તો તમે પછી બીજાઓ ને
કલમ લગાડો છો. જેમ-જેમ જે સેવા કરે છે, એટલું ઊંચું પદ પામે છે. રાજા બનવું છે તો
પ્રજા પણ બનાવવાની છે. પછી જે સારા નંબરમાં આવે છે એ પણ રાજા બને છે. માળા બને છે
ને. સ્વયં થી પૂછવું જોઈએ અમે માળા માં કયો નંબર બનીશું? ૯ રત્ન મુખ્ય છે ને. વચ્ચમાં
છે હીરો બનાવવા વાળા. હીરાને વચમાં રાખે છે. માળા માં ઉપર ફૂલ પણ છે ને. અંતમાં તમને
ખબર પડશે - કયા મુખ્ય દાણા બને છે, જે દૈવીવંશ માં આવશે. પાછળ થી તમને બધાં
સાક્ષાત્કાર થશે જરુર. જોશો, કેવી રીતે આ બધાં સજાઓ ખાય છે. શરુમાં દિવ્ય દ્રષ્ટિમાં
તમે સૂક્ષ્મવતન માં જોતા હતા. આ પણ ગુપ્ત છે. આત્મા સજાઓ ક્યાં ખાય છે - આ પણ ડ્રામા
માં પાર્ટ છે. ગર્ભ જેલમાં સજાઓ મળે છે. જેલમાં ધર્મરાજ ને જુએ છે પછી કહે છે બહાર
નિકાળો. બીમારીઓ વગેરે થાય છે, એ પણ કર્મનો હિસાબ છે ને. આ બધી સમજવાની વાતો છે.
બાપ તો જ જરુર સાચુ જ સંભળાવશે ને .હવે તમે સાચાં બનો છો. સાચાં એમને કહેવાય છે જે
બાપ થી બહુ જ તાકત લે છે.
તમે વિશ્વનાં માલિક બનો છો ને. કેટલી તાકાત રહે છે. હંગામા વગેરે ની કોઈ વાત નથી.
તાકાત ઓછી છે તો કેટલાં હંગામા થઈ જાય છે. આપ બાળકોને તાકાત મળે છે - અડધાકલ્પ માટે.
તો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. એક જેવી તાકત નથી પામી શકતાં, ન એક જેવું પદ પામી
શકે છે. આ પણ પહેલાથી નોંધ છે. ડ્રામામાં અનાદિ નોંધ છે. કોઈ પાછળથી આવે છે, એક-બે
જન્મ લીધા અને શરીર છોડ્યુ. જેમ દિવાળી પર મચ્છર હોય છે, રાતનાં જન્મ લે છે, સવારનાં
મરી જાય છે. એ તો અગણિત હોય છે. મનુષ્યની તો પણ ગણતરી થાય છે. પહેલા-પહેલા જે
આત્માઓ આવે છે એમની આયુ કેટલી મોટી હોય છે! આપ બાળકોને ખુશી થવી જોઈએ - અમે બહુજ
મોટી આયુ વાળા બનશું. તમે પૂરો પાર્ટ ભજવો છો. બાપ તમને જ સમજાવે છે, તમે કેવી રીતે
પૂરો પાર્ટ ભજવો છો. ભણતર અનુસાર ઉપરથી આવો છો પાર્ટ ભજવવા. તમારુ આ ભણતર છે જ નવી
દુનિયાનાં માટે. બાપ કહે છે અનેક વાર તમને ભણાવું છું. આ ભણતર અવિનાશી થઈ જાય છે.
અડધો કલ્પ તમે પ્રાલબ્ધ પામો છો. તે વિનાશી ભણતર થી સુખ પણ અલ્પકાળ માટે મળે છે.
હમણાં કોઈ બેરિસ્ટર બને છે પછી કલ્પ બાદ બેરિસ્ટર બનશે. આ પણ તમે જાણો છો - જે પણ
બધાંનો પાર્ટ છે, એજ પાર્ટ કલ્પ-કલ્પ ભજતો રહેશે. દેવતા હોય કે શુદ્ર હોય, દરેકનો
પાર્ટ એજ ભજવાય છે, જે કલ્પ-કલ્પ ભજવાય છે. એમાં કોઈ પણ ફર્ક નથી થઈ શકતો. દરેક
પોતાનો પાર્ટ ભજવતા રહે છે. આ બધો બન્યો-બનાવેલ ખેલ છે. પૂછે છે પુરુષાર્થ મોટો કે
પ્રાલબ્ધ મોટી? હવે પુરુષાર્થ વગર તો પ્રાલબ્ધ મળતી નથી. પુરુષાર્થ થી પ્રાલબ્ધ મળે
છે ડ્રામા અનુસાર. તો બધો બોજ ડ્રામા પર આવી જાય છે. પુરુષાર્થ કોઈ કરે છે, કોઈ નથી
કરતું. આવે પણ છે તો પણ પુરુષાર્થ નથી કરતા તો પ્રાલબ્ધ નથી મળતી. આખી દુનિયામાં જે
પણ એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે, બધું બન્યો-બનાવેલ ડ્રામા છે. આત્મામાં પહેલાં થી જ
પાર્ટ નોંધાયેલો છે આદિ થી અંત સુધી. જેમ તમારી આત્મામાં ૮૪ નો પાર્ટ છે, હીરો પણ
બને છે, તો કોડી જેવી પણ બને છે. આ બધી વાતો તમે હવે સાંભળો છો. સ્કૂલમાં જો કોઈ
નપાસ થઈ જાય છે તો કહેશે આ બુદ્ધિહીન છે. ધારણા નથી થતી, આને કહેવાય છે વેરાઈટી ઝાડ,
વેરાઈટી ફીચર્સ. આ વેરાઈટી ઝાડનું જ્ઞાન બાપ જ સમજાવે છે. કલ્પવૃક્ષ પર પણ સમજાવે
છે. વડના ઝાડનું દ્રષ્ટાંત પણ આના પર છે. તેની શાખાઓ બહુ જ ફેલાય છે.
બાળકો સમજે છે આપણી આત્મા અવિનાશી છે, શરીર તો વિનાશ થઈ જશે. આત્મા જ ધારણા કરે છે,
આત્મા ૮૪ જન્મ લે છે, શરીર તો બદલાતા જાય છે. આત્મા એ જ છે, આત્મા જ ભિન્ન-ભિન્ન
શરીર લઇ પાર્ટ ભજવે છે. આ નવી વાત છે ને. આપ બાળકો ને પણ હવે આ સમજ મળી છે. કલ્પ
પહેલાં પણ આવું સમજ્યા હતા. બાપ આવે પણ છે ભારતમાં. તમને બધાંને પૈગામ (સંદેશ) આપતા
રહો છો, કોઈ પણ એવું નહી રહેશે જેમને સંદેશ ન મળે. સંદેશ સાંભળવો બધાંનો હક છે. પછી
બાપથી વારસો પણ લેશે. કંઈક તો સાંભળશે ને તો પણ બાપ નાં બાળકો છે ને. બાપ સમજાવે છે
- હું આપ આત્માઓનો બાપ છું. મારા દ્વારા આ રચના નાં આદિ- મધ્ય- અંત ને જાણવાથી તમે
આ પદ પામો છો. બાકી બધાં મુક્તિમાં ચાલ્યાં જાય છે. બાપતો બધાંની સદ્દગતિ કરે છે.
ગાએ છે અહો બાબા, તારી લીલા…... શું લીલા? કેવી લીલા? આ જૂની દુનિયાને બદલવા ની લીલા
છે. ખબર હોવી જોઈએ ને. મનુષ્ય જ જાણશે ને. બાપ આપ બાળકોને જ આવીને બધી વાતો સમજાવે
છે. બાપ નોલેજફુલ છે. તમને પણ નોલેજફુલ બનાવે છે. નંબરવાર તમે બનો છો. સ્કોલરશીપ
લેવાવાળા નોલેજફુલ કહેવાશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) સદા એજ
સ્મૃતિમાં રહેવાનું છે કે આપણે આત્મા પુરુષ છીએં, આપણે બાપથી પૂરો વારસો લેવાનો છે.
મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે.
૨) આખી દુનિયામાં જે પણ એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે, આ બધો બન્યો-બનાવેલ ડ્રામા છે,
આમાં પુરુષાર્થ અને પ્રાલબ્ધ બંનેની નોંધ છે. પુરુષાર્થ નાં વગર પ્રાલબ્ધ નથી મળી
સકતી, આ વાતને સારી રીતે સમજવાની છે.
વરદાન :-
પવિત્રતા ની
ગુહ્યતા ને જાણી સુખ - શાંતિ સંપન્ન બનવાવાળી મહાન આત્મા ભવ .
પવિત્રતાની શક્તિ ની
મહાનતા ને જાણી પવિત્ર અર્થાત્ પૂજ્ય દેવ આત્માઓ હમણાં થી જ બનો. એવું નહિ કે અંત
માં બની જઈશું. આ લાંબા સમય થી જમા કરેલી શક્તિ અંત માં કામ આવશે. પવિત્ર બનવું કોઈ
સાધારણ વાત નથી. બ્રહ્મચારી રહે છે, પવિત્ર બની ગયાં છે…...પરંતુ પવિત્રતા જનની છે,
ભલે સંકલ્પથી, ભલે વૃતિ થી, વાયુમંડળ થી, વાણી થી, સંપર્ક થી સુખ-શાંતિ ની જનની બનજો
- આને કહેવાય છે મહાન આત્મા.
સ્લોગન :-
ઊંચી સ્થિતિ
માં સ્થિત થઈ સર્વ આત્માઓ ને રહેમ ની દ્રષ્ટિ દો, વાયબ્રેશન ફેલાવો.