11-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - બેહદની
અપાર ખુશીનો અનુભવ કરવા માટે દરેક પળ બાબાની સાથે રહો”
પ્રશ્ન :-
બાપથી કયા
બાળકોને બહુ-બહુ જ તાકાત મળે છે?
ઉત્તર :-
જેમને નિશ્ચય
છે કે અમે બેહદ વિશ્વનું પરિવર્તન કરવાવાળા છીએ, અમારે બેહદ વિશ્વનાં માલિક બનવાનું
છે. અમને ભણાવવાવાળા સ્વયં વિશ્વનાં માલિક બાપ છે. એવા બાળકોને બહુ જ તાકાત મળે
છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોને કે આત્માઓને રુહાની બાપ પરમપિતા પરમાત્મા બેસીને ભણાવે છે અને સમજાવે
છે કારણકે બાળકો જ પાવન બનીને સ્વર્ગનાં માલિક બનવાનાં છે ફરીથી. આખા વિશ્વનાં બાપ
તો એક જ છે. આ બાળકોને નિશ્ચય હોય છે. આખા વિશ્વનાં બાપ, બધી આત્માઓનાં બાપ આપ
બાળકોને ભણાવી રહ્યા છે. આટલું દિમાગમાં બેસે છે? કારણકે દિમાગ છે તમોપ્રધાન,
લોખંડનું વાસણ, આઈરન એજ (કળયુગ). દિમાગ આત્મામાં હોય છે. તો આટલું દિમાગમાં બેસે
છે? આટલી તાકાત મળે છે સમજવાની કે બરાબર બેહદનાં બાપ આપણને ભણાવી રહ્યા છે આપણે
બેહદ વિશ્વને પલટાવીએ છે. આ સમયે બેહદ સૃષ્ટિને દોજખ (નર્ક) કહેવાય છે. આપ જાણો છો
કે સમજો છો ગરીબ દોજખમાં છે બાકી સન્યાસી, સાહૂકાર, મોટા પદ વાળા બહિશ્ત (સ્વર્ગ)
માં છે? બાપ સમજાવે છે આ સમયે જે પણ મનુષ્ય માત્ર છે બધાં દોજખ માં છે. આ બધી
સમજવાની વાતો છે કે આત્મા કેટલી નાની છે. આટલી નાની આત્મામાં બધું નોલેજ રહેતું નથી
કે ભુલાવી દો છો? વિશ્વની સર્વ આત્માઓનાં બાપ તમારી સમ્મુખ બેસી તમને ભણાવી રહ્યા
છે. આખો દિવસ બુદ્ધિમાં આ યાદ રહે છે કે બરાબર બાબા અમારી સાથે અહીંયા છે? કેટલો
સમય બેસે છે? કલાક, અડધો કલાક કે આખો દિવસ? આ દિમાગમાં રાખવાની પણ તાકાત જોઈએ.
ઈશ્વર પરમપિતા પરમાત્મા તમને ભણાવે છે. બહાર જ્યારે પોતાનાં ઘરમાં રહો છો તો ત્યાં
સાથે નથી. અહીંયા વાસ્તવમાં તમારી સાથે છે. જેમ કોઇનાં પતિ બહાર છે, પત્ની અહીંયા
છે તો એમ થોડું કહેશે કે અમારી સાથે છે. બેહદનાં બાપ તો એક જ છે. બાપ બધામાં તો નથી
ને. બાપ જરુર એક જગ્યાએ બેસતા હશે. તો આ દિમાગમાં આવે છે કે બેહદનાં બાપ આપણને નવી
દુનિયાનાં માલિક બનાવવા માટે લાયક બનાવી રહ્યા છે? દિલમાં એટલું પોતાને લાયક સમજો
છો કે અમે આખા વિશ્વનાં માલિક બનવાનાં છીએ? આમાં તો બહુ જ ખુશીની વાત છે. આનાથી
વધારે ખુશીનો ખજાનો તો કોઈને મળતો નથી. હવે તમને ખબર પડી છે આ બનવાનાં છીએ. આ
દેવતાઓ ક્યાંનાં માલિક છે, આ પણ સમજો છો. ભારતમાં જ દેવતાઓ થઈને ગયા છે. આ તો આખા
વિશ્વનાં માલિક બનવાનાં છીએ. આટલું દિમાગમાં છે? એ ચલન છે? એ વાતચીત કરવાની ઢંગ છે,
એ દિમાગ છે? કોઈ વાતમાં ઝટ ગુસ્સો કરી દીધો, કોઈને નુકસાન પહોંચાડ્યું, કોઈની ગ્લાનિ
કરી દીધી, એવી ચલન તો નથી ચાલતા? સતયુગમાં આ ક્યારેય કોઈની ગ્લાનિ થોડી કરે છે. ત્યાં
ગ્લાનિનાં છી-છી ખ્યાલવાળા હશે જ નહીં. બાપ બાળકોને કેટલા જોરથી ઉપાડે છે. તમે બાપને યાદ કરો તો પાપ કપાઈ જશે. તમે હાથ ઉઠાવો છો પરંતુ તમારી એવી ચલન છે? બાપ બેસી
ભણાવે છે, આ દિમાગમાં જોરથી બેસે છે? બાબા જાણે છે ઘણાંનો નશો સોડાવોટર થઈ જાય છે.
બધાંને એટલી ખુશીનો પારો નથી ચઢતો. જ્યારે બુદ્ધિમાં બેસે ત્યારે નશો ચઢે. વિશ્વનાં
માલિક બનાવવા માટે બાપ જ ભણાવે છે.
અહીંયા તો બધાં છે પતિત, રાવણ સંપ્રદાય. કથા છે ને - રામે વાનરોની સેનાં લીધી. પછી
આ-આ કર્યું. હવે તમે જાણો છો બાબા રાવણ પર જીત પહેરાવી લક્ષ્મી-નારાયણ બનાવે છે.
અહીંયા આપ બાળકોથી કોઈ પૂછે છે, તમે ફટથી કહેશો અમને ભગવાન ભણાવે છે. ભગવાનુવાચ,
જેમ શિક્ષક કહેશે અમે તેમને બેરિસ્ટર અથવા ફલાણા બનાવીએ છીએ. નિશ્ચયથી ભણાવે છે અને
તે બની જાય છે. ભણાવાવાળા પણ નંબરવાર હોય છે ને. પછી પદ પણ નંબરવાર પામે છે, આ પણ
ભણતર છે. બાબા લક્ષ-હેતુ સામે દેખાડી રહ્યા છે. તમે સમજો છો આ ભણતરથી અમે આ બનશું.
ખુશીની વાત છે ને. આઈ.સી.એસ. ભણવાવાળા પણ સમજશે - અમે આ ભણીને પછી આ કરશું, ઘર
બનાવશું, આવું કરશું. બુદ્ધિમાં ચાલે છે. અહીંયા પછી આપ બાળકોને બાપ બેસીને ભણાવે
છે. બધાંએ ભણવાનું છે, પવિત્ર બનવાનું છે. બાપથી પ્રતિજ્ઞા કરવાની છે કે અમે કોઈ પણ
અપવિત્ર કર્મ નહીં કરશું. બાપ કહે છે જો કોઈ ઉલટુ કામ કરી લીધું તો કરેલી કમાણી ચટ
થઈ જશે. આ મૃત્યુલોક જૂની દુનિયા છે. આપણે ભણીએ છીએ નવી દુનિયા માટે. આ જૂની દુનિયા
તો ખતમ થઈ જવાની છે. સરકમસ્ટાંશ (પરિસ્થિતિઓ) પણ એવી છે. બાપ આપણને ભણાવે જ છે
અમરલોક માટે. આખી દુનિયાનું ચક્ર બાપ સમજાવે છે. હાથમાં કોઈ પણ પુસ્તક નથી, ઓરલી (મોઢે)
બાપ સમજાવે છે. પહેલી-પહેલી વાત બાપ સમજાવે છે - સ્વયંને આત્મા નિશ્ચય કરો. આત્મા,
ભગવાન બાપનું બાળક છે. પરમપિતા પરમાત્મા પરમધામમાં રહે છે. આપણે આત્માઓ પણ ત્યાં
રહીએ છીએ. પછી ત્યાંથી નંબરવાર અહીં આવીયે-જઈએ છે પાર્ટ ભજવવા માટે. આ મોટું બેહદનું
સ્ટેજ છે. આ સ્ટેજ પર પહેલા એક્ટર્સ (અભિનેતા) પાર્ટ ભજવવા ભારતમાં, નવી દુનિયામાં
આવે છે. આ એમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) છે. તમે એમની મહિમા પણ ગાઓ છો. શું તેમને મલ્ટી
મિલેનિયર કહેશો? તે લોકોની પાસે તો અગણિત અથાહ ધન રહે છે. બાપ તો એવું કહેશે ને - આ
લોકો, કારણ કે બાપ તો બેહદનાં છે. આ પણ ડ્રામા બનેલો છે. તો જેમ શિવબાબાએ આમને આવા
સાહૂકાર બનાંવ્યા તો ભક્તિમાર્ગમાં ફરી એમનું (શિવનું) મંદિર બનાવે છે પૂજા માટે.
પહેલા-પહેલા એમની પૂજા કરે છે જેમણે પૂજ્ય બનાવ્યા. બાપ રોજ-રોજ સમજાવે તો બહુ જ
છે, નશો ચઢાવવા માટે. પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર જે સમજે છે, તે સર્વિસમાં (સેવામાં)
લાગ્યા રહે છે તો તાજા રહે છે. નહીં તો વાસી થઈ જાય છે. બાળકો જાણે છે બરાબર આ
ભારતમાં રાજ્ય કરતા હતા તો બીજો કોઈ ધર્મ ન હતો. ડીટીજ્મ જ હતું. પછી બીજા-બીજા
ધર્મ આવે છે. હમણાં તમે સમજો છો આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. સ્કુલમાં
લક્ષ્ય-હેતુ તો જોઈએ ને. સતયુગ આદિમાં આ રાજ્ય કરતા હતા પછી ૮૪નાં ચક્રમાં આવે છે.
બાળકો જાણે છે આ છે બેહદનું ભણતર. જન્મ-જન્માંતર તો હદનું ભણતર ભણતા આવ્યા છો, આમાં
બહુ જ પાક્કો નિશ્ચય જોઈએ. આખી સૃષ્ટિને પલટાવવા વાળા, રિજ્યુવનેટ (કાયા કલ્પ)
કરવાવાળા, અર્થાત નર્કને સ્વર્ગ બનાવવા વાળા બાપ આપણને ભણાવી રહ્યા છે. એટલું જરુર
છે મુક્તિધામ તો બધાં જઈ શકે છે. સ્વર્ગમાં તો બધાં નહીં આવશે. આ હવે તમે જાણો છો
આપણને બાપ વિષય સાગર વેશ્યાલય થી નિકાળે છે. હમણાં બરાબર વેશ્યાલય છે. ક્યારથી શરુ
થાય છે, આ પણ તમે જાણી ગયા છો. ૨૫૦૦ વર્ષ થયા જ્યારે આ રાવણ રાજ્ય શરુ થયું છે.
ભક્તિ શરુ થઈ છે. તે સમયે દેવી-દેવતા ધર્મવાળા જ છે, તેઓ વામમાર્ગ માં આવી ગયા.
ભક્તિનાં માટે જ મંદિર બનાવે છે. સોમનાથનું મંદિર કેટલું મોટું બનાવેલ છે. હિસ્ટ્રી
(ઇતિહાસ) તો સાંભળી છે. મંદિરમાં શું હતું! તો એ સમયે કેટલા ધનવાન હશો! ફક્ત એક
મંદિર તો નહીં હોય ને. હિસ્ટ્રીમાં એકનું નામ લખ્યું છે. મંદિર તો ઘણાં રાજાઓ બનાવે
છે. એક-બીજાને જોઈને પૂજા તો બધાં કરશે ને. અસંખ્ય મંદિર હશે. ફક્ત એકને તો નહીં
લુંટ્યું હોય. બીજા પણ મંદિર આજુ-બાજુ હશે. ત્યાં ગામડાઓ કઈ દૂર-દૂર નથી હોતા.
એક-બીજાની નજીક જ હોય છે કારણ કે ત્યાં ટ્રેન વગેરે તો નહીં હોય ને. બહુજ નજીક
એક-બીજાની રહેતા હશે ધીમે-ધીમે સૃષ્ટિ ફેલાતી જાય છે.
હમણાં આપ બાળકો ભણી રહ્યા છો. મોટેથી મોટા બાપ તમને ભણાવે છે. આ તો નશો હોવો જોઈએ
ને. ઘરમાં ક્યારેય રોવા-કૂટવાનું નથી. અહીંયા તમારે દૈવી ગુણ ધારણ કરવાનાં છે. આ
પુરુષોત્તમ સંગમયુગમાં આપ બાળકોને ભણાવામાં આવે છે. આ છે વચ્ચેનો સમય જ્યારે તમે
ચેન્જ (પરિવર્તન) થાઓ છો. જૂની દુનિયાથી નવી દુનિયામાં જવાનું છે. હમણાં તમે
પુરુષોત્તમ સંગમયુગ પર ભણી રહ્યા છો. ભગવાન તમને ભણાવે છે. આખી દુનિયાને પલટાવે છે.
જૂની દુનિયાને નવી બનાવી દે છે, જે નવી દુનિયાનાં ફરી તમારે માલિક બનવાનું છે. બાપ
બંધાયેલ છે તમને યુક્તિ બતાવવા માટે. તો પછી આપ બાળકોએ પણ એનાં પર અમલ કરવાનો છે. આ
તો સમજો છો અમે અહીંયાનાં રહેવાવાળા નથી. તમે આ થોડી જાણતા હતા કે અમારી રાજધાની હતી.
હમણાં બાપએ સમજાવ્યું છે - રાવણનાં રાજ્યમાં તમે બહુજ દુઃખી છો. આને કહેવાય જ છે
વિકારી દુનિયા. આ દેવતાઓ છે સંપૂર્ણ નિર્વિકારી. પોતાને વિકારી કહે છે. હવે આ રાવણ
રાજય ક્યારથી શરુ થયું, શું થયું જરા પણ કોઈને ખબર નથી. બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન
છે. પારસબુદ્ધિ સતયુગમાં હતા, તો વિશ્વનાં માલિક હતા, અથાહ સુખી હતા. એનું નામ જ છે
સુખધામ. અહીંયા તો અથાહ દુઃખ છે. સુખની દુનિયા અને દુઃખની દુનિયા કેવી રીતે છે - એ
પણ બાપ સમજાવે છે. સુખ કેટલો સમય, દુઃખ કેટલો સમય ચાલે છે, મનુષ્ય તો કંઈ નથી જાણતા.
તમારામાં પણ નંબરવાર સમજતા રહે છે. સમજાવવાવાળા તો છે બેહદનાં બાપ. કૃષ્ણને બેહદનાં
બાપ થોડી કહેશું. દિલથી લાગતું જ નથી. પરંતુ કોને બાપ કહે - કંઈ પણ સમજતા નથી.
ભગવાન સમજાવે છે. મારી ગ્લાનિ કરે છે, હું તમને દેવતા બનાંવું છું, મારી કેટલી
ગ્લાનિ કરી છે, પછી દેવતાઓની પણ ગ્લાનિ કરી દીધી છે, આટલા મૂઢમતી મનુષ્ય બની પડ્યા
છે. કહે છે ભજ ગોવિંદ... બાપ કહે છે - હેં મૂઢમતી, ગોવિંદ-ગોવિંદ, રામ-રામ કહેતા
બુદ્ધિમાં કંઈ આવતું નથી કે કોને ભજો છો. પથ્થરબુદ્ધિને મૂઢમતી જ કહેશે. બાપ કહે છે
હવે હું તમને વિશ્વનાં માલિક બનાવું છું. બાપ સર્વનાં સદ્દ્ગતિ દાતા છે.
બાપ સમજાવે છે તમે પોતાનાં પરિવાર, વગેરેમાં કેટલા ફસાયેલા છો! ભગવાન જે કહે છે તે
તો બુદ્ધિમાં લાવવું જોઇએ પરંતુ આસુરી મત થી ઘેરાયેલા છે તો ઈશ્વરીય મત પર ચાલે કેવી
રીતે! ગોવિંદ કોણ છે, શું ચીજ છે, તે પણ જાણતા નથી. બાપ સમજાવે છે તમે કહેશો બાબા
તમે અનેકવાર અમને સમજાવ્યું છે. આ પણ ડ્રામામાં નોંધ છે, બાબા અમે ફરીથી તમારાથી આ
વારસો લઇ રહ્યા છે. અમે નરથી નારાયણ જરુર બનશું. સ્ટુડેન્ટ (વિદ્યાર્થીને) ને
ભણતરનો નશો જરુર રહે છે, અમે આ બનશું. નિશ્ચય રહે છે. હવે બાપ કહે છે તમારે સર્વગુણ
સંપન્ન બનવાનું છે. કોઈથી ક્રોધ વગેરે નથી કરવાનો. દેવતાઓમાં ૫ વિકાર હોતા નથી.
શ્રીમત પર ચાલવું જોઈએ. શ્રીમત પહેલા-પહેલા કહે છે સ્વયંને આત્મા સમજો. તમે આત્મા
પરમધામથી અહીંયા આવ્યા છો પાર્ટ ભજવવા, આ તમારું શરીર વિનાશી છે. આત્મા તો અવિનાશી
છે. તો તમે સ્વયંને આત્મા સમજો - હું આત્મા પરમધામથી અહીંયા આવી છું પાર્ટ ભજવવા.
હમણાં અહીંયા દુઃખી થાઓ છો ત્યારે કહો છો મુક્તિધામમાં જઈએ. પરંતુ તમને પાવન કોણ
બનાવે? બોલાવો પણ એકને જ છો, તો એ બાપ આવીને કહે છે - મારા મીઠા-મીઠા બાળકો સ્વયંને
આત્મા સમજો, દેહ નહીં સમજો. હું આત્માઓને બેસીને સમજાવું છું. આત્માઓ જ બોલાવે છે -
હેં પતિત-પાવન આવીને પાવન બનાવો. ભારતમાં જ પાવન હતા. હવે ફરી બોલાવો છો – પતિતથી
પાવન બનાવીને સુખધામ માં લઈ જાઓ. કૃષ્ણની સાથે તમારી પ્રીત તો છે. કૃષ્ણનાં માટે
સૌથી વધારે વ્રત, નેમ વગેરે કુમારીઓ, માતાઓ રાખે છે. નિર્જળ રહે છે. કૃષ્ણપુરી
અર્થાત સતયુગમાં જઈએ. પરંતુ જ્ઞાન નથી એટલે બહુ જ હઠ, વગેરે કરે છે. તમે પણ આટલું
કરો છો, કોઈને સંભળાવવા માટે નહીં, સ્વયં કૃષ્ણપુરીમાં જવા માટે. તમને કોઈ રોકતું
નથી. તે લોકો ગવર્મેન્ટ (સરકાર) નાં આગળ ફાસ્ટ (ઉપવાસ) વગેરે રાખે છે, હઠ કરે છે -
હેરાન કરવા માટે. તમારે કોઇની પાસે જીદ કરીને નથી બેસવાનું. ન કોઈએ તમને શીખવાડ્યું
છે.
શ્રીકૃષ્ણ તો છે સતયુગનાં ફર્સ્ટ પ્રિન્સ (રાજકુમાર). પરંતુ આ કોઈને પણ ખબર નથી પડતી.
કૃષ્ણને તેઓ દ્વાપરમાં લઈ ગયા છે. બાપ સમજાવે છે – મીઠા-મીઠા બાળકો, ભક્તિ અને
જ્ઞાન બે ચીજો અલગ છે. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. કોની? બ્રહ્માની રાત અને દિવસ.
પરંતુ એનો અર્થ નથી સમજતા ગુરુ, ન એમનાં ચેલા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય નું રહસ્ય
બાપએ આપ બાળકોને સમજાવ્યું છે. જ્ઞાન દિવસ, ભક્તિ રાત અને એનાં પછી છે વૈરાગ્ય. તેઓ
જાણતા નથી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અક્ષર એક્યુરેટ છે, પરંતુ અર્થ નથી જાણતા. હવે આપ
બાળકો સમજી ગયા છો, જ્ઞાન બાપ આપે છે તો એનાંથી દિવસ થઈ જાય છે. ભક્તિ શરુ થાય તો
રાત કહેવાય છે કારણ કે ધક્કા ખાવા પડે છે. બ્રહ્માની રાત સો બ્રાહ્મણોની રાત, પછી
હોય છે દિવસ. જ્ઞાનથી દિવસ, ભક્તિથી રાત. રાતમાં તમે વનવાસમાં બેઠા છો પછી દિવસમાં
તમે કેટલા ધનવાન બની જાઓ છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
સ્વયંનાં દિલથી
પૂછવાનું છે :-
1) બાપથી આટલો જે ખુશીનો ખજાનો મળે છે એ દિમાગમાં બેસે છે?
2) બાબા આપણને વિશ્વનાં માલિક બનાવવા આવ્યા છે તો એવી ચલન છે? વાતચીત કરવાનો ઢંગ એવો
છે? ક્યારેય કોઈની ગ્લાનિ તો નથી કરતા?
3) બાપથી પ્રતિજ્ઞા કર્યા પછી કોઈ અપવિત્ર કર્મ તો નથી થતું?
વરદાન :-
વીતેલાં ને
શ્રેષ્ઠ વિધિથી વીતેલું કરી યાદગાર સ્વરુપ બનાવવાવાળા પાસ વિથ ઓનર ભવ:
“પાસ્ટ ઇજ પાસ્ટ” તો
થવાનું જ છે. સમય અને દ્રશ્ય બધું પસાર થઈ જશે પરંતુ પાસ વિથ ઓનર બનીને દરેક સંકલ્પ
અથવા સમયને પસાર કરો અર્થાત્ વીતેલા ને એવી શ્રેષ્ઠ વિધિથી વીતેલું કરો, જે વીતેલાને સ્મૃતિમાં લાવતાં જ વાહ, વાહ નાં બોલ દિલથી નિકળે. અન્ય આત્માઓ તમારી વીતેલી
સ્ટોરીથી પાઠ શીખે. તમારુ વીતેલું, યાદગાર-સ્વરુપ બની જાય તો કીર્તન અર્થાત્ કીર્તિ
ગાતા રહેશે.
સ્લોગન :-
સ્વ કલ્યાણનો
શ્રેષ્ઠ પ્લાન (યોજના) બનાવો ત્યારે વિશ્વ સેવામાં સકાશ મળશે.