09-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપ તમને જે જ્ઞાન ભણાવે છે, એમાં રિદ્ધિ-સિદ્ધિની વાત નથી, ભણવામાં કોઈ છું મંત્રથી કામ નથી ચાલતું ”

પ્રશ્ન :-
દેવતાઓને અક્કલમંદ (બુદ્ધિશાળી) કહેશું, મનુષ્યોને નહીં - શા માટે?

ઉત્તર :-
કારણકે દેવતાઓ છે સર્વગુણ સંપન્ન અને મનુષ્યમાં કોઈ પણ ગુણ નથી. દેવતાઓ અક્કલમંદ છે ત્યારે તો મનુષ્ય એમની પૂજા કરે છે. એમની બેટરી ચાર્જ છે એટલે એમને વર્થ પાઉન્ડ (મુલ્યવાન) કહેવાય છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે, વર્થ પેની (ઓછુ મૂલ્ય) બની જાય છે ત્યારે કહેવાશે બેઅક્કલ.

ઓમ શાંતિ!
બાપએ બાળકોને સમજાવ્યું છે કે આ પાઠશાળા છે. આ ભણતર છે. આ ભણતરથી આ પદ પ્રાપ્ત થાય છે, આને સ્કૂલ કે યુનિવર્સિટી સમજવું જોઈએ. અહીં દૂર-દૂરથી ભણવા માટે આવે છે. શું ભણવા આવે છે? આ લક્ષ્ય-હેતુ બુદ્ધિમાં છે. આપણે ભણતર ભણવા માટે આવીએ છીએ, ભણાવવાવાળાને શિક્ષક કહેવાય છે. ભગવાનુવાચ છે પણ ગીતા. બીજી કોઈ વાત નથી. ગીતા બનાવવા વાળાનું પુસ્તક છે, પરંતુ પુસ્તક વગેરે કંઈ ભણાવતા નથી. ગીતા કોઈ હાથમાં નથી. આ તો ભગવાનુવાચ છે. મનુષ્યને ભગવાન નથી કહેવાતું. ભગવાન ઊંચેથી ઊંચા છે એક. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન – આ છે આખું યુનિવર્સ (વિશ્વ). ખેલ કોઈ સૂક્ષ્મવતન કે મૂળવતનમાં નથી ચાલતો, નાટક અહીં જ ચાલે છે. ૮૪નું ચક્ર પણ અહીં છે. આને જ કહેવાય છે ૮૪નાં ચક્રનું નાટક. આ બન્યો-બનાવેલ ખેલ છે. આ બહુ સમજવાની વાતો છે કારણકે ઊંચેથી ઊંચા ભગવાન એમની તમને મત મળે છે. બીજી તો કોઈ વસ્તુ છે નહીં. એકને જ કહેવાય છે સર્વશક્તિમાન્, વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી (વિશ્વ ની સર્વશક્તિવાન સત્તા). ઓથોરિટી નો પણ અર્થ પોતે સમજાવે છે. આ મનુષ્ય નથી સમજતા કારણ કે એ બધાં છે તમોપ્રધાન, આને કહેવાય જ છે કળયુગ. એવું નથી કે કોઈનાં માટે કળયુગ છે, કોઈનાં માટે સતયુગ છે, કોઈનાં માટે ત્રેતા છે, ના, જ્યારે હમણાં છે જ નર્ક તો કોઈ પણ મનુષ્ય એવું ન કહી શકે કે અમારા માટે સ્વર્ગ છે કારણ કે અમારી પાસે ધન-સંપત્તિ બહુ જ છે. આ થઈ જ નથી શકતું. આ તો બન્યો-બનાવેલ ખેલ છે. સતયુગ પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું, આ સમયે તો હોઈ પણ ન શકે. આ બધી સમજવાની વાતો છે. બાપ બેસી બધી વાતો સમજાવે છે. સતયુગમાં એમનું રાજ્ય હતું. ભારતવાસી એ સમયે સતયુગી કહેવાતા હતા. હમણાં જરુર કળયુગી કહેવાશે. સતયુગી હતા તો એને સ્વર્ગ કહેવાતું હતું. એવું નહીં કે નર્કને પણ સ્વર્ગ કહેશો. મનુષ્યની તો પોત-પોતાની મત છે. ધનનું સુખ છે તો પોતાને સ્વર્ગમાં સમજે છે. મારી પાસે તો બહુ જ સંપત્તિ છે એટલે હું સ્વર્ગમાં છું. પરંતુ વિવેક કહે છે કે નથી. આ તો છે જ નર્ક. ભલે કોઈની પાસે ૧૦-૨૦ લાખ હોય પરંતુ આ છે જ રોગી દુનિયા. સતયુગને કહીશું નિરોગી દુનિયા. દુનિયા આ જ છે. સતયુગમાં આને યોગી દુનિયા કહેશું, કળયુગને ભોગી દુનિયા કહેવાય છે. ત્યાં છે યોગી કારણકે વિકારનો ભોગ-વિલાસ નથી હોતો. તો આ સ્કૂલ છે આમાં શક્તિની વાત નથી. શિક્ષક શક્તિ દેખાડે છે કે ? લક્ષ-હેતુ રહે છે, અમે ફલાણા બનશું. તમે આ ભણતરથી મનુષ્ય થી દેવતા બનો છો. એવું નથી કે કોઈ જાદુ, છૂ મંત્ર અથવા રિદ્ધિ-સિદ્ધિની વાત છે. આ તો સ્કૂલ છે. સ્કૂલમાં રિદ્ધિ-સિદ્ધિની વાત હોય છે કે ? ભણીને કોઈ ડોક્ટર, કોઈ બૈરીસ્ટર બને છે. આ લક્ષ્મી-નારાયણ પણ મનુષ્ય હતા, પરંતુ પવિત્ર હતા એટલે એમને દેવી-દેવતા કહેવાય છે. પવિત્ર જરુર બનવાનું છે. આ છે જ પતિત જૂની દુનિયા.

મનુષ્ય તુ સમજે છે જૂની દુનિયા થવામાં લાખો વર્ષ પડયા છે. કળયુગ પછી જ સતયુગ આવશે. હમણાં તમે છો સંગમ પર. આ સંગમ ની કોઈને પણ ખબર નથી. સતયુગને લાખો વર્ષ દઈ દે છે. આ વાતો બાપ આવીને સમજાવે છે. એમને કહેવાય છે સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા). આત્માઓનાં બાપ ને બાબા કહીશું. બીજું કોઈ નામ હોતું નથી. બાબાનું નામ છે શિવ. શિવનાં મંદિરમાં પણ જાય છે. પરમાત્મા શિવને નિરાકાર જ કહેવાય છે. એમને મનુષ્ય શરીર નથી. તમે આત્માઓ અહીં પાર્ટ ભજવવા આવો છો ત્યારે તમને મનુષ્ય શરીર મળે છે. એ છે શિવ, તમે છો સાલિગ્રામ. શિવ અને સાલિગ્રામો ની પૂજા પણ થાય છે કારણ કે ચૈતન્યમાં થઈને ગયા છે. કંઈક કરીને ગયા છે ત્યારે એમનો નામાચાર ગવાય છે અથવા પૂજાય છે. આગળ જન્મની તો કોઈને ખબર નથી. આ જન્મમાં તો ગાયન કરે છે, દેવી-દેવતાઓને પૂજે છે. આ જન્મમાં તો બહુ જ લીડર્સ પણ બની ગયા છે. જે સારા-સારા સાધુ-સંત વગેરે થઈને ગયા છે, એમનો સ્ટેમ્પ પણ બનાવે છે નામાચાર માટે. અહીં પછી સૌથી વધારે નામ કોનું ગવાય છે? સૌથી મોટામાં મોટું કોણ છે? ઊંચેથી ઉંચા તો એક ભગવાન જ છે. એ છે નિરાકાર અને એમની મહિમા બિલકુલ અલગ છે. દેવતાઓની મહિમા અલગ છે, મનુષ્યની મહિમા અલગ છે. મનુષ્યોને દેવતા ન કહી શકાય. દેવતાઓમાં સર્વગુણ હતાં, લક્ષ્મી-નારાયણ થઈને ગયા છે ને. એ પવિત્ર હતા, વિશ્વનાં માલિક હતા, એમની પૂજા પણ કરે છે, કારણ કે પવિત્ર પૂજ્ય છે, અપવિત્રને પૂજ્ય નહીં કહેશું, અપવિત્ર સદેવ પવિત્રને પૂજે છે. કન્યા પવિત્ર છે તો પૂજાય છે, પતિત બને છે તો બધાને પગે પડવું પડે છે. આ સમયે બધા જ છે પતિત, સતયુગમાં બધા પાવન હતા. એ છે જ પવિત્ર દુનિયા. કળયુગ છે પતિત દુનિયા ત્યારે જ પતિત-પાવન બાપ ને બોલાવે છે. જ્યારે પવિત્ર છે ત્યારે નથી બોલાવતા. બાપ પોતે કહે છે મને સુખમાં કોઈ પણ યાદ નથી કરતા. ભારતની જ વાત છે. બાપ આવે જ ભારતમાં છે. ભારત જ આ સમયે પતિત બને છે, ભારત જ પાવન હતું. પાવન દેવતાઓને જોવા હોય તો જઈને મંદિરમાં જુઓ. દેવતાઓ બધા છે પાવન, એમાં જે મુખ્ય-મુખ્ય હેડ છે એમને મંદિરોમાં દેખાડે છે. આ લક્ષ્મી-નારાયણનાં રાજ્યમાં બધાં પાવન હતા, યથા રાજા-રાણી તથા પ્રજા, આ સમયે બધા પતિત છે. બધાં પુકારતા રહે છે - હે પતિત-પાવન આવો. સન્યાસી ક્યારેય કૃષ્ણને ભગવાન કે બ્રહ્મ નહીં માનશે. તેઓ સમજે છે ભગવાન તો નિરાકાર છે, એમનું ચિત્ર પણ નિરાકાર તરીકે જ પૂજાય છે. એમનું એક્યુરેટ નામ શિવ છે. તમે આત્મા જ્યારે અહીં આવી શરીર ધારણ કરો છો તો તમારું નામ રાખવામાં આવે છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આત્મા એક શરીર છોડી બીજું જઈને લે છે. ૮૪ જન્મ તો જોઈએ ને. ૮૪ લાખ નથી હોતા. તો બાપ સમજાવે છે આજ દુનિયા સતયુગમાં નવી હતી, રાઈટિયસ (સત્ય) હતી. આજ દુનિયા પછી અનરાઈટિયસ (અસત્ય) બની જાય છે. એ છે સચખંડ, બધા સાચું બોલવા વાળા હોય છે. ભારતને સચખંડ કહેવાય છે. જૂઠખંડ જ પછી સચખંડ બને છે. સાચાં બાપ જ આવીને સચખંડ બનાવે છે. એમને સાચાં પાતશાહ, ટ્રુથ (સત્ય) કહેવાય છે, આ છે જ જૂઠખંડ. મનુષ્ય જે કહે છે એ છે જૂઠ. સેન્સીબુલ (સમજદાર) બુદ્ધિ છે દેવતાઓની, એમને મનુષ્ય પૂજે છે. અક્કલમંદ અને બેઅક્કલ કહેવાય છે. અક્કલમંદ કોણ બનાવે છે પછી બેઅક્કલ કોણ બનાવે છે? એ પણ બાપ બતાવે છે. અક્કલમંદ સર્વગુણ સંપન્ન બનાવવા વાળા છે બાપ. એ સ્વયં આવીને પોતાનો પરિચય દે છે. જેમ તમે આત્મા છો પછી અહીં શરીરમાં પ્રવેશ કરી પાર્ટ ભજવો છો. હું પણ એક જ વાર આમનાંમાં પ્રવેશ કરું છું. તમે જાણો છો એ છે જ એક. એમને જ સર્વશક્તિમાન્ કહેવાય છે. બીજા કોઈ મનુષ્ય નથી જેમને આપણે સર્વશક્તિમાન્ કહીએ. લક્ષ્મી-નારાયણને પણ નહીં કહી શકીએ કારણ કે એમને પણ શક્તિ દેવાવાળા કોઈ છે. પતિત મનુષ્યમાં શક્તિ હોઈ ન શકે. આત્મામાં જે શક્તિ રહે છે એ પછી ધીરે-ધીરે ડિગ્રેડ (ઘટતી) થતી જાય છે અર્થાત્ આત્માં જે સતોપ્રધાન શકતી હતી એ તમોપ્રધાન શક્તિ થઈ જાય છે. જેમ મોટરનું તેલ ખલાસ થવાથી મોટર ઊભી રહી જાય છે. આ બેટરી ઘડી-ઘડી ડિસ્ચાર્જ નથી થતી, એને પૂરો સમય મળેલો છે. કળયુગ અંતમાં બેટરી ઠંડી પડી જાય છે. પહેલા જે સતોપ્રધાન વિશ્વનાં માલિક હતા, હવે તમોપ્રધાન છે તો તાકાત ઓછી થઈ ગઈ છે. શક્તિ નથી રહી. વર્થ નોટ પેની બની જાય છે. ભારતમાં દેવી-દેવતા ધર્મ હતો તો વર્થ પાઉન્ડ હતા. રિલીજન ઈજ માઈટ (ધર્મ એ જ શક્તિ) કહેવાય છે. દેવતા ધર્મમાં તાકાત છે. વિશ્વનાં માલિક છે. શું તાકાત હતી? કોઈ લડવાની વગેરેની તાકાત ન હતી. તાકાત મળે છે સર્વશક્તિમાન્ બાપથી. તાકાત શું ચીજ છે?

બાપ સમજાવે છે – મીઠા-મીઠા બાળકો, તમારી આત્મા સતોપ્રધાન હતી, હવે તમોપ્રધાન છે. વિશ્વનાં માલિકનાં બદલે વિશ્વનાં ગુલામ બની ગયા છો. બાપ સમજાવે છે - આ ૫ વિકારરુપી રાવણ તમારી બધી તાકાત છીનવી લે છે એટલે ભારતવાસી કંગાળ બની પડ્યા છે. એવું નહીં સમજો સાઈન્સ વાળા (વિજ્ઞાનવાળા) માં બહુ જ તાકાત છે, એ તાકાત નથી. આ રુહાની તાકાત છે. જે સર્વશક્તિમાન્ બાપથી યોગ લગાડવાથી મળે છે. સાઈન્સ (વિજ્ઞાન) અને સાઈલેન્સ (શાંતિ) ની આ સમયે જેમકે લડાઈ છે. તમે શાંતિમાં જાઓ છો, એનું તમને બળ મળી રહ્યું છે. શાંતિનું બળ લઈને તમે શાંતિધામમાં ચાલ્યા જશો. બાપને યાદ કરી સ્વયંને શરીરથી ડિટૈચ (અલગ) કરી દો છો. ભક્તિમાર્ગમાં ભગવાનની પાસે જવા માટે તમે બહુ જ માથા માર્યા છે. પરંતુ સર્વવ્યાપી કહેવાનાં કારણે રસ્તો મળતો જ નથી. તમોપ્રધાન બની ગયા છે. તો આ ભણતર છે, ભણતર ને શક્તિ નહીં કહેશું. બાપ કહે છે પહેલાં તો પવિત્ર બનો અને પછી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે એનું નોલેજ સમજો. નોલેજફુલ તો બાપ જ છે, એમાં શક્તિની વાત નથી. બાળકોને આ ખબર નથી કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, તમે એક્ટર પાર્ટધારી છો ને. આ બેહદનો ડ્રામા છે. પહેલા મનુષ્યનાં નાટક ચાલતા હતા, એમાં અદલી-બદલી થઈ સકતી હતી. હવે તો બાઈસકોપ બન્યાં છે. બાપને પણ બાઈસકોપ નું ઉદાહરણ આપી સમજાવવાનું સહજ થાય છે. એ નાનાં બાઈસકોપ, આ છે મોટો. નાટકમાં એક્ટર્સ વગેરેને બદલી કરી શકીએ છે. આતો અનાદિ ડ્રામા છે. એક જ વાર જે શૂટ થયું છે એ પછી બદલાય નથી શકતું. આ આખી દુનિયા બેહદનો બાઈસકોપ છે. શક્તિની કોઈ વાત જ નથી. અંબાને શક્તિ કહે છે, પરંતુ છતાં પણ નામ તો છે. એમને અંબા કેમ કહે છે? શું કરીને ગઈ છે? હવે તમે સમજો છો કે ઊંચથી ઊંચ છે અંબા અને લક્ષ્મી. અંબા જ પછી લક્ષ્મી બને છે. આ પણ આપ બાળકો જ સમજો છો. તમે નોલેજફુલ પણ બનો છો અને તમને પવિત્રતા પણ શીખવાડે છે. એ પવિત્રતા અડધો કલ્પ ચાલે છે. ફરી બાપ જ આવીને પવિત્રતાનો રસ્તો બતાવે છે. એમને બોલાવે જ આ સમય માટે છે કે આવીને રસ્તો બતાવો અને પછી ગાઈડ (માર્ગદર્શક) પણ બનો. એ છે પરમ આત્મા, સુપ્રીમ (સર્વોચ્ચ) નાં ભણતરથી આત્મા સુપ્રીમ (સર્વોચ્ચ) બને છે. સુપ્રીમ પવિત્રને કહેવાય છે. હમણાં તો પતિત છો, બાપ તો સદા પાવન છે. ફર્ક છે ને. એ સદા પાવન જ જયારે આવીને વારસો આપે અને શીખવાડે. આમનામાં પોતે આવીને બતાવે છે કે હું તમારો બાપ છું. મને રથ જરુર જોઈએ, નહીં તો આત્મા બોલે કેવી રીતે. રથ પણ પ્રખ્યાત છે. ગાએ છે ભાગ્યશાળી રથ. તો ભાગ્યશાળી રથ છે મનુષ્યનો, ઘોડા-ગાડ ની વાત નથી. મનુષ્યનો જ રથ જોઈએ. જે મનુષ્યને બેસી સમજાવે. એમણે પછી ઘોડા-ગાડી દેખાડી દીધા છે. ભાગ્યશાળી રથ મનુષ્યને કહેવાય છે. અહીંયા તો કોઈ-કોઈ પશુઓની પણ બહુ જ સારી સેવા થાય છે, જે મનુષ્યની પણ નથી થતી. કૂતરાને કેટલો પ્રેમ કરે છે. ઘોડાને, ગાયને પણ પ્રેમ કરે છે. કુતરાઓનું પ્રદર્શન લાગે છે. આ બધા ત્યાં હોતા નથી. લક્ષ્મી-નારાયણ કુતરા પાળતા હશે શું?

હવે આપ બાળકો જાણો છો કે આ સમયનાં મનુષ્ય બધાં તમોપ્રધાન બુદ્ધિ છે, એમને સતોપ્રધાન બનાવવાનાં છે. ત્યાં તો ઘોડા વગેરે એવા નહીં હોય જે મનુષ્ય એમની સેવા કરે. તો બાપ સમજાવે છે - તમારી હાલત જુઓ શું થઈ ગઈ છે. રાવણે આ હાલત કરી દીધી છે, આ તમારો દુશ્મન છે. પરંતુ તમને ખબર નથી કે આ દુશ્મનનો જન્મ ક્યારે થાય છે. શિવનાં જન્મની પણ ખબર નથી તો રાવણનાં જન્મની પણ ખબર નથી. બાપ બતાવે છે ત્રેતાનાં અંત અને દ્વાપરનાં આદિમાં રાવણ આવે છે. એને ૧૦ શીશ કેમ દીધા છે? દર વર્ષે કેમ બાળે છે? આ પણ કોઈ જાણતું નથી. હવે તમે મનુષ્યથી દેવતા બનવા માટે ભણો છો, જે ભણતા નથી એ દેવતા બની ન શકે. એ પછી આવશે ત્યારે, જ્યારે રાવણ રાજ્ય શરુ થશે. હવે તમે જાણો છો આપણે દેવતા ધર્મનાં હતા હવે ફરી સેપલિંગ (કલમ) લાગી રહ્યું છે. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી તમને આવીને આવી રીતે ભણાવું છું. આ સમયે આખી સૃષ્ટિનું ઝાડ જૂનું છે. નવું જ્યારે હતું તો એક જ દેવતા ધર્મ હતો પછી ધીરે-ધીરે નીચે ઊતરે છે. બાપ તમને ૮૪ જન્મોનો હિસાબ બતાવે છે. કારણકે બાપ નોલેજફુલ છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાઇલેન્સ (શાંતિ) નું બળ જમા કરવાનું છે. શાંતિનાં બળથી શાંતિની દુનિયામાં જવાનું છે. બાપની યાદથી તાકાત લઈને ગુલામીથી છૂટવાનું છે, માલિક બનવાનું છે.

2. સુપ્રીમનું (સર્વોચ્ચ)નું ભણતર ભણી આત્માને સુપ્રીમ બનાવવાની છે. પવિત્રતાનાં જ રસ્તા પર ચાલી પવિત્ર બની બીજાને બનાવવાનાં છે. ગાઈડ (માર્ગદર્શક) બનવાનું છે.

વરદાન :-
વિઘ્નકારી આત્માને શિક્ષક સમજી એમનાં થી પાઠ ભણવાવાળા અનુભવી -મૂર્ત ભવ :

જે આત્માઓ વિઘ્ન નાખવાનાં નિમિત્ત બને છે એમને વિઘ્નકારી આત્મા નહીં જુઓ, એમને સદા પાઠ ભણાવવા વાળી, આગળ વધારવા વાળી, નિમિત્ત આત્મા સમજો. અનુભવી બનાવવાવાળા શિક્ષક સમજો. જ્યારે કહો છો નિંદા કરવાવાળા મિત્ર છે, તો વિઘ્નોને પાસ કરાવી અનુભવી બનાવવા વાળા શિક્ષક થયા એટલે વિઘ્નકારી આત્માને એ દ્રષ્ટિથી જોવાને બદલે સદા માટે વિઘ્નોથી પાર કરાવવાને નિમિત્ત, અચળ બનાવવાને નિમિત્ત સમજો, એનાંથી વધારે જ અનુભવની ઓથોરિટી વધતી જશે.

સ્લોગન :-
કમ્પ્લેન (ફરિયાદ) ની ફાઈલ ખતમ કરી ફાઈન અને રિફાઇન બનો.