22-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  24.03.85    બાપદાદા મધુબન


“ હમણાં નહીં તો ક્યારેય નહીં ”
 


આજે લવફુલ અને લોફુલ બાપદાદા બધાં બાળકોનાં ખાતા ને જોઈ રહ્યા હતાં. દરેકનું જમા નું ખાતું કેટલું છે. બ્રાહ્મણ બનવું અર્થાત ખાતું જમા કરવું કારણ કે આ એક જન્મનાં જમા કરેલ ખાતાનાં પ્રમાણે ૨૧ જન્મ પ્રાલબ્ધ પામતા રહેશો. ન ફક્ત ૨૧ જન્મ પ્રાલબ્ધ પ્રાપ્ત કરશો પરંતુ જેટલા પૂજ્ય બનો છો અર્થાત્ રાજ્ય પદનાં અધિકારી બનો છો, એ જ હિસાબ અનુસાર અડધોકલ્પ ભક્તિમાર્ગ માં પૂજા પણ રાજ્ય ભાગ્યનાં અધિકાર નાં હિસાબ થી થાય છે. રાજ્યપદ શ્રેષ્ઠ છે તો પૂજ્ય સ્વરુપ પણ એટલું જ શ્રેષ્ઠ હોય છે. એટલી સંખ્યા માં પ્રજા પણ બને છે. પ્રજા પોતાનાં રાજ્ય અધિકારી વિશ્વ મહારાજન કે રાજન ને માતા-પિતા નાં રુપથી પ્રેમ કરે છે. એટલી જ ભક્ત આત્માઓ પણ એવી રીતે જ તે શ્રેષ્ઠ આત્માને કે રાજ્ય અધિકારી મહાન આત્માને પોતાનાં પ્રિય ઈષ્ટ સમજી પૂજા કરે છે. જે અષ્ટ બને છે તે ઈષ્ટ પણ એટલાં જ મહાન બને છે. આ હિસાબ પ્રમાણે આજ બ્રાહ્મણ જીવનમાં રાજ્યપદ અને પૂજ્યપદ પામો છો. અડધોકલ્પ રાજ્યપદ વાળા બનો છો અને અડધોકલ્પ પૂજ્યપદ ને પ્રાપ્ત કરો છો. તો આ જન્મ કે જીવન કે યુગ, આખાં કલ્પનાં ખાતાને જમા કરવાનો યુગ કે જીવન છે એટલે તમારાં બધાનું એક સ્લોગન બનેલું છે, યાદ છે? હમણાં નહીં તો ક્યારેય નહીં. આ આજ સમયનાં આજ જીવનનાં માટે જ ગવાયેલું છે. બ્રાહ્મણો નાં માટે પણ આ સ્લોગન છે તો અજ્ઞાની આત્માઓનાં માટે પણ સુજાગ કરવાનું આ સ્લોગન છે. જો બ્રાહ્મણ આત્માઓ દરેક શ્રેષ્ઠ કર્મ કરવાનાં પહેલા શ્રેષ્ઠ સંકલ્પ કરતાં આ સ્લોગન સદા યાદ રાખે કે હમણાં નહીં તો ક્યારેય નહીં, તો શું થશે? સદા દરેક શ્રેષ્ઠ કાર્યમાં તીવ્ર બની આગળ વધશો. સાથે-સાથે આ સ્લોગન સદા ઉમંગ-ઉત્સાહ અપાવવા વાળું છે. રુહાની જાગૃતિ સ્વતઃ આવી જાય છે. અચ્છા પછી કરી લઈશું, જોઈ લઈશું. કરવાનું તો છે જ. ચાલવાનું તો છે જ. બનવાનું પણ છે જ. આ સાધારણ પુરુષાર્થનાં સંકલ્પ સ્વતઃ જ સમાપ્ત થઈ જાય છે કારણ કે સ્મૃતિ આવી ગઈ કે હમણાં નહીં તો ક્યારેય નહીં. જે કરવું છે તે હમણાં કરી લો. આને કહેવાય છે-તીવ્ર પુરુષાર્થ.

સમય બદલાવાથી ક્યારેક શુભ સંકલ્પ પણ બદલાઈ જાય છે. શુભ કાર્ય જે ઉમંગથી કરવાનું વિચાર્યુ તે પણ બદલાઈ જાય છે એટલે બ્રહ્મા બાપની નંબરવનમાં જવાની વિશેષતા શું જોઈ? ક્યારેય નહીં, પરંતુ હમણાં કરવાનું છે. તુરંત દાન મહાપુણ્ય કહેવાય છે. જો તુરંત દાન નથી કર્યુ, વિચાર્યુ, સમય લગાવ્યો, પ્લાન બનાવ્યો પછી પ્રેકટીકલ માં લાવ્યાં તો તેને તુરંત દાન નહીં કહેવાશે. તુરંત દાન અને દાન માં અંતર છે. તુરંત દાન મહાદાન છે. મહાદાન નું ફળ મહાન હોય છે કારણ કે જ્યાં સુધી સંકલ્પ ને પ્રેક્ટીકલ કરવામાં વિચારે છે અચ્છા કરું, કરીશ, હમણાં નહીં, થોડા સમય પછી કરીશ. હમણાં આટલું કરી લઉં છું, આ વિચારવું અને કરવું આની વચ્ચે જે સમય લાગી જાય છે એમાં માયાને તક મળી જાય છે. બાપદાદા બાળકોનાં ખાતામાં ઘણીવાર જુએ છે કે વિચારવાં અને કરવાનાં વચ્ચેમાં જે સમય લાગે છે, તે સમય માં માયા આવી જાય છે તો વાત પણ બદલાઈ જાય છે. સમજો ક્યારેક તન થી, મન થી વિચારે છે આ કરશું પરંતુ સમય લાગવાથી જે ૧૦૦ ટકા વિચારે છે, કરવાના સમયે તે બદલાઈ જાય છે. સમય લાગવાથી માયાનો પ્રભાવ હોવાનાં કારણે સમજો ૮ ઘંટા લગાવવા વાળા ૬ કલાક લગાવશે. ૨ કલાક કપાઈ જશે. પરિસ્થિતિ જ એવી બની જશે. આ પ્રકારે ધન માં વિચારશે ૧૦૦ કરવાં છે અને કરશે ૫૦ આટલો પણ ફરક પડી જાય છે કારણકે વચ્ચે માયાને માર્જીન (તક) મળી જાય છે. પછી અનેક સંકલ્પ આવે છે. અચ્છા ૫૦ હમણાં કરી લઈએ, ૫૦ પછી કરી લઈશું. છે તો બાપનું જ. પરંતુ તન-મન-ધન બધાનું જે તુરંત દાન તે મહાપુણ્ય હોય છે. જોયું છે ને - બલિ પણ ચઢાવે છે તો મહાપ્રસાદ તેજ હોય જે તુરંત હોય. એક ધકથી ઝાટકું બને છે એને “મહાપ્રસાદ” કહેવાય છે. જે બલિ માં ચિલ્લાવતાં-ચિલ્લાવતાં, વિચારતાં-વિચારતાં રહી જાય છે તે મહાપ્રસાદ નથી. જેમ તેઓ બકરીને બલિ ચઢાવે છે, તે બહુજ ચિલ્લાવે (ચીસો પાડે) છે. અહીંયા શું કરે છે? વિચારે છે, આવું કરીએ કે ન કરીએ. આ થયું વિચારવું. ચિલ્લાવવા વાળાને ક્યારેય પણ મહાપ્રસાદ નાં રુપમાં સ્વીકાર નથી કરતાં. એવી રીતે જ અહીંયા પણ તુરંત દાન મહાપુણ્ય...આ જે ગાયન છે તે આ સમયનું છે અર્થાત્ વિચાર્યુ અને કરવાનું તરત હોય. વિચારતાં-વિચારતાં રહી ન જાય. ઘણીવાર એવો અનુભવ પણ સંભળાવે છે. વિચાર્યુ તો મેં પણ આજ હતું પરંતુ એમણે કરી લીધું, મેં ન કર્યુ. તો જે કરી લે છે તે પામી લે છે. જે વિચારતાં-વિચારતાં રહી જાય, તે વિચારતાં-વિચારતાં ત્રેતાયુગ સુધી પહોંચી જાય છે. વિચારતાં-વિચારતાં રહી જાય છે. આજ વ્યર્થ સંકલ્પ છે જે તુરંત નથી કર્યુ. શુભકાર્ય શુભસંકલ્પ માટે ગાયન છે “તુરંત દાન મહાપુણ્ય”. ક્યારેક-ક્યારેક કોઈ બાળકો બહુજ રમત દેખાડે છે. વ્યર્થ સંકલ્પ એટલાં ફોર્સ થી આવે જે કંટ્રોલ નથી કરી શકતા. પછી તે સમયે કહે, શું કરીએ થઈ ગયું ને. રોકી નથી શકતા, જે આવ્યું તે કરી લીધું, પરંતુ વ્યર્થ નાં માટે કંટ્રોલિંગ પાવર જોઈએ. એક સમર્થ સંકલ્પનું ફળ પદમગુણા મળે છે. એવીરીતે જે રીતે એક વ્યર્થ સંકલ્પનો હિસાબ-કિતાબ - ઉદાસ થવું, દિલશિકસ્ત થવું કે ખુશી ગાયબ થવી કે સમજણ ન પડવી કે હું કોણ છું, સ્વયંને પણ નથી સમજી શકતા - આ પણ એકનું અનેક ગુણાનાં હિસાબનો અનુભવ થાય છે. પછી વિચારે છે કે હતું તો કાંઈ નહીં. ખબર નહીં કેમ ખુશી ગુમ થઈ ગઈ. વાત તો મોટી નહોતી પરંતુ ઘણાં દિવસ થઈ ગયા છે, ખુશી ઓછી થઈ ગઈ છે. ખબર નહીં કેમ એકલાપણું સારું લાગે છે! ક્યાંક ચાલ્યા જઈએ, પરંતુ જશો ક્યાં? એકલા અર્થાત્ બાપનાં સાથ વગર, એકલા તો નથી જવાનું ને. આમ ભલે એકલા થઈ જાઓ પરંતુ બાપનાં સાથ થી એકલા ક્યારેય નહીં થતાં. જો બાપનાં સાથથી એકલા થયા,વૈરાગી, ઉદાસી આ તો બીજો મઠ છે. બ્રાહ્મણ જીવન નથી. કમ્બાઈન્ડ (સાથે) છો ને. સંગમયુગ કમ્બાઈન્ડ રહેવાનો યુગ છે. આવી વન્ડરફુલ જોડી તો આખા કલ્પમાં નહીં મળશે. ભલે લક્ષ્મી-નારાયણ પણ બની જાઓ પરંતુ આવી જોડી તો નહીં બનશે ને એટલે સંગમયુગ જે કમ્બાઈન્ડ રુપ છે, એ એક સેકન્ડ પણ અલગ ન થઈ સકે. અલગ થયાં અને ગયાં. અનુભવ છે ને આવો! પછી શું કરતાં? ક્યારેક સાગરનાં કિનારે ચાલ્યા જતાં, ક્યારેક અગાશી પર, ક્યારેક પર્વતો પર ચાલ્યા જતાં. મનન કરવાં માટે જાઓ તે અલગ વાત છે. પરંતુ બાપનાં વગર એકલા નથી જવાનું. જ્યાં પણ જાઓ સાથે જાઓ. આ બ્રાહ્મણ જીવનનો વાયદો છે. જન્મ થી જ આ વાયદો કર્યો છે ને. સાથે રહીશું, સાથે ચાલશું. એવું નહીં જંગલમાં કે સાગરમાં ચાલ્યા જવાનું છે. ના. સાથે રહેવાનું છે, સાથે ચાલવાનું છે. આ વાયદો પાક્કો છે ને બધાનો. દ્રઢ સંકલ્પવાળા સદા સફળતાને પામે છે. દ્રઢતા સફળતાની ચાવી છે. તો આ વાયદો પણ દ્રઢ પાક્કો કર્યો છે ને. જ્યાં દ્રઢતા સદા છે ત્યાં સફળતા સદા છે. દ્રઢતા ઓછી તો સફળતા પણ ઓછી.

બ્રહ્મા બાપની વિશેષતા શું જોઈ! આજ જોઈ ને તુરંત દાન... ક્યારેય વિચાર્યુ કે શું થશે? પહેલા વિચારુ પછી કરું, નહીં. તુરંત દાન મહાપુણ્ય નાં કારણે નંબરવન મહાન આત્મા બન્યાં એટલે જુઓ નંબરવન મહાન આત્મા બનવાનાં કારણે કૃષ્ણનાં રુપમાં નંબરવન પૂજા થઈ રહી છે. એક જ આ મહાન આત્મા છે જેમની બાળ રુપમાં પણ પૂજા છે. બાળ રુપ પણ જોયું છે ને. અને યુવા રુપમાં રાધા-કૃષ્ણ નાં રુપમાં પણ પૂજા છે, અને ત્રીજુ ગોપ-ગોપીઓ નાં રુપમાં પણ ગાયન પૂજન છે. ચોથું - લક્ષ્મી-નારાયણ નાં રુપમાં. આ એક જ મહાન આત્મા છે જેમની ભિન્ન-ભિન્ન આયુષ્ય નાં રુપમાં, ભિન્ન-ભિન્ન ચરિત્ર નાં રુપમાં ગાયન અને પૂજન છે. રાધા નું ગાયન છે પરંતુ રાધા ને બાળ રુપમાં ક્યારેય હિંચકે નહિ ઝુલાવશે. કૃષ્ણને ઝુલાવે છે. પ્રેમ કૃષ્ણને કરે છે. રાધાનું સાથ નાં કારણે નામ જરુર છે. છતાં પણ નંબર બે અને એક માં ફરક તો હશે ને. તો નંબરવન બનવાનું કારણ શું બન્યું? મહાપુણ્ય. મહાન પુણ્ય આત્મા સો મહાન પૂજ્ય આત્મા બની ગઈ. પહેલા પણ સંભળાવ્યું હતું ને, તમારાં લોકોની પૂજામાં પણ અંતર હશે. કોઈ દેવી-દેવતાઓની પૂજા વિધિપૂર્વક થાય છે અને કોઈની આમ કામચલાઉ પણ થાય છે. આમનો તો પછી બહુજ વિસ્તાર છે. પૂજાનો પણ બહુ જ વિસ્તાર છે. પરંતુ આજે તો બધાનું જમાનું ખાતું જોઈ રહ્યા હતાં. જ્ઞાન નો ખજાનો, શક્તિઓ નો ખજાનો, શ્રેષ્ઠ સંકલ્પોનો ખજાનો ક્યાં સુધી જમા કર્યો છે અને સમયનો ખજાનો ક્યાં સુધી જમા કર્યો છે. આ ચારેય ખજાનાં ક્યાં સુધી જમા કર્યા છે. આ ખાતું જોઈ રહ્યા હતાં. તો હવે આ ચારેય વાતોનું ખાતુ સ્વયંનું તપાસ કરજો. પછી બાપદાદા પણ સંભળાવશે કે પરિણામ શું જોયું અને દરેક ખજાનાંને જમા કરવાનો, પ્રાપ્તિનો શું સંબંધ છે અને કેવી રીતે જમા કરવાનું છે, આ બધી વાતો પર પછી સંભળાવશે. સમજ્યાં-

સમય તો હદ નો છે ને. આવે પણ હદમાં છે, પોતાનું શરીર પણ નથી. લોન લીધેલું શરીર અને છે પણ અલ્પકાલિન પાર્ટ નું શરીર, એટલે સમયને પણ જોવો પડે છે. બાપદાદાને પણ દરેક બાળકોથી મળવામાં, દરેક બાળકોની મીઠી મીઠી રુહાની ખુશ્બુ લેવામાં મજા આવે છે. બાપદાદા તો દરેક બાળકો નાં ત્રણેય કાળને જાણે છે ને. અને બાળકો ફક્ત સ્વયંનાં વર્તમાન ને વધારે જાણે છે એટલે ક્યારેક કેવાં, ક્યારેક કેવાં થઈ જાય છે. પરંતુ બાપદાદા ત્રણેય કાળોને જાણવાનાં કારણે તેજ દૃષ્ટિથી જુએ છે કે આ કલ્પ પહેલાવાળા હકદાર છે. અધિકારી છે. હમણાં ફક્ત થોડા કંઈક હલચલમાં છે પરંતુ હમણાં-હમણાં હલચલ, હમણાં-હમણાં અચલ થઈ જ જવાનું છે. ભવિષ્ય શ્રેષ્ઠ જુએ છે એટલે વર્તમાન ને જોતાં પણ નથી જોતા. તો દરેક બાળકની વિશેષતા ને જુએ છે. એવું કોઈ છે જેમાં કોઈ પણ વિશેષતા ન હોય! પહેલી વિશેષતા તો એજ છે જે અહીંયાં પહોંચ્યા છો. બીજું કાંઈ પણ ન હોય છતાં પણ સમ્મુખ મળવાનું આ ભાગ્ય ઓછું નથી. આ તો વિશેષતા છે ને. આ વિશેષ આત્માઓની સભા છે એટલે વિશેષ આત્માઓની વિશેષતા ને બાપદાદા જોઈ હર્ષિત થાય છે. અચ્છા!

સદા તુરંત દાન મહાપુણ્ય નાં શ્રેષ્ઠ સંકલ્પવાળા, સદા ક્યારે ને હમણાં માં પરિવર્તન કરવાવાળા, સદા સમય નાં વરદાનને જાણી વરદાનો થી ઝોલી ભરવાવાળા, સદા બ્રહ્મા બાપને ફોલો (અનુકરણ) કરી બ્રહ્મા બાપની સાથે શ્રેષ્ઠ રાજ્ય અધિકારી અને શ્રેષ્ઠ પદ અધિકારી બનવાવાળા, સદા બાપની સાથે કમ્બાઈન્ડ રહેવાવાળા, એવા સદા નાં સાથી બાળકોને, સદા સાથ નિભાવવા વાળા બાળકોને બાપદાદાના યાદ પ્યાર અને નમસ્તે.

બધાં બાળકોને વિદાય નાં સમયે યાદ - પ્યાર દેતાં
બાપદાદા ચારેય તરફનાં બધાં બાળકોને યાદ-પ્યાર મોકલી રહ્યા છે. દરેક સ્થાન નાં સ્નેહી બાળકો, સ્નેહ થી સેવામાં પણ આગળ વધી રહ્યા છે અને સ્નેહ સદા આગળ વધારતો રહેશે. સ્નેહથી સેવા કરો છો એટલે જેમની સેવા કરો છો તે પણ બાપનાં સ્નેહી બની જાય છે. બધાં બાળકોને સેવા ની મુબારક પણ છે અને મહેનત નહીં પરંતુ મહોબ્બત ની મુબારક છે કારણ કે નામ મહેનત છે પરંતુ છે મહોબ્બત એટલે જો યાદમાં રહીને સેવા કરે છે તે પોતાનું વર્તમાન અને ભવિષ્ય જમા કરે છે એટલે હમણાં પણ સેવાની ખુશી મળે છે અને ભવિષ્ય માં પણ જમા થાય છે. સેવા નથી કરી પરંતુ અવિનાશી બેંકમાં પોતાનું ખાતું જમા કર્યુ. થોડીક જ સેવા અને સદાકાળ નાં માટે ખાતું જમા થઈ જાય. તો તે સેવા શું થઈ? જમા થયુ ને! એટલે બધાં બાળકોને બાપદાદા યાદપ્યાર મોકલી રહ્યા છે. દરેક પોતાને સમર્થ આત્મા સમજી આગળ વધો તો સમર્થ આત્માઓની સફળતા સદા છે જ. દરેક પોત-પોતાનાં નામથી વિશેષ યાદપ્યાર સ્વીકાર કરજો. (દિલ્હી પાંડવ ભવનમાં ટેલેક્સ લાગ્યો છે) દિલ્હી નિવાસી પાંડવ ભવન નાં બધાં બાળકોને વિશેષ સેવાની મુબારક. કારણ કે આ સાધન પણ સેવાનાં માટે જ બન્યાં છે. સાધન ની મુબારક નહિ, સેવાની મુબારક. સદા આ સાધનો દ્વારા બેહદની સેવા અવિનાશી કરતાં રહેશો. ખુશી-ખુશી થી વિશ્વમાં આ સાધન દ્વારા બાપનો સંદેશ પહોંચાડતા રહેશો એટલે બાપદાદા જોઈ રહ્યા છે કે બાળકોને સેવાનો ઉમંગ-ઉત્સાહ ખુશી કેટલી છે. આ ખુશી થી સદા આગળ વધતા રહેજો. પાંડવ ભવન નાં માટે બધાં વિદેશી ખુશીનું સર્ટિફિકેટ આપે છે આને કહેવાય છે બાપ સમાન મહેમાન-નવાઝી માં સદા આગળ રહેવું. જેમ બ્રહ્મા બાપએ કેટલી મહેમાન-નવાઝી કરીને દેખાડી. તો મહેમાન-નવાઝી માં અનુકરણ કરવાવાળા બાપનો શો (પ્રત્યક્ષ) કરે છે. બાપનું નામ પ્રત્યક્ષ કરે છે એટલે બાપદાદા બધાનાં તરફથી યાદપ્યાર આપી રહ્યા છે.

અમૃતવેલા ૬ વાગે બાપદાદાએ ફરીથી મુરલી ચલાવી તથા યાદપ્યાર આપ્યાં - ૨૫ - ૩ - ૮૫
આજ નાં દિવસે સદા સ્વયંને ડબલ લાઈટ સમજી ઉડતી કળાનો અનુભવ કરતા રહેજો. કર્મયોગીનો પાર્ટ ભજવતા પણ કર્મ અને યોગનું સંતુલન તપાસ કરજો કે કર્મ અને યાદ અર્થાત્ યોગ બંનેવ શક્તિશાળી રહ્યાં? જો કર્મ શક્તિશાળી રહ્યું અને યાદ ઓછી રહી તો સંતુલન નથી. અને યાદ શક્તિશાળી રહી અને કર્મ શક્તિશાળી નથી તો પણ સંતુલન નથી. તો કર્મ અને યાદનું સંતુલન રાખતા રહેજો. આખો દિવસ આજ શ્રેષ્ઠ સ્થિતિમાં રહેવાથી પોતાની કર્માતીત અવસ્થા સમીપ આવવાનો અનુભવ કરશો. આખો દિવસ કર્માતીત સ્થિતિ કે અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ સ્થિતિમાં ચાલતા-ફરતા રહેજો. અને નીચેની સ્થિતિમાં નહીં આવતાં. આજે નીચે નહીં આવતાં, ઉપર જ રહેજો. જો કોઈ કમજોરી થી નીચે આવી પણ જાય તો એક-બીજાને સ્મૃતિ દેવડાવી સમર્થ બનાવી બધાં ઊંચી સ્થિતિનો અનુભવ કરજો. આ આજ નાં ભણતરનું હોમવર્ક (ઘરકામ) છે. હોમવર્ક વધારે છે, ભણતર ઓછું છે.

આમ સદા બાપનું અનુકરણ કરવાવાળા, સદા બાપ સમાન બનવાનાં લક્ષ્યને ધારણ કરી આગળ વધવા વાળા, ઉડતી કળા નાં અનુભવી બાળકોને બાપદાદા ના દિલ વ જાન, સિક વ પ્રેમથી યાદપ્યાર અને ગુડમોર્નિંગ.

વરદાન :-
મધુરતા દ્વારા બાપ ની સમીપતા નો સાક્ષાત્કાર કરાવવા વાળા મહાન આત્મા ભવ .

જે બાળકોનાં સંકલ્પ માં પણ મધુરતા, બોલ માં પણ મધુરતા અને કર્મ માં પણ મધુરતા છે તેજ બાપ નાં સમીપ છે એટલે બાપ પણ તેમને રોજ કહે છે મીઠા-મીઠા બાળકો અને બાળકો પણ રિસ્પોન્સ (પ્રતિભાવ) આપે છે - મીઠા-મીઠા બાબા. તો આ રોજ નાં મધુર બોલ મધુરતા સંપન્ન બનાવી દે છે. આવી રીતે મધુરતાને પ્રત્યક્ષ કરવાવાળી શ્રેષ્ઠ આત્માઓ જ મહાન છે. મધુરતા જ મહાનતા છે. મધુરતા નથી તો મહાનતા નો અનુભવ નથી થતો.

સ્લોગન :-
કોઈપણ કાર્ય ડબલ લાઈટ બનીને કરો તો મનોરંજન નો અનુભવ કરશો.