08-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  23.01.85    બાપદાદા મધુબન



“ દિવ્ય જન્મ ની ગીફ્ટ – દિવ્ય નેત્ર ”

 


આજે ત્રિકાળદર્શી બાપ એમનાં ત્રિકાળદર્શી, ત્રિનેત્રી બાળકોને જોઈ રહ્યા છે. બાપદાદા, દિવ્ય બુદ્ધિ અને દિવ્ય નેત્ર જેને ત્રીજું નેત્ર પણ કહે છે, તે નેત્ર ક્યાં સુધી સ્પષ્ટ અને શક્તિશાળી છે, દરેક બાળક નાં દિવ્ય નેત્રની શક્તિ ની પરસંટેજ (ટકાવારી) જોઈ રહ્યા છે. બાપદાદા એ બધાં ને ૧૦૦ ટકા શક્તિશાળી દિવ્ય નેત્ર જન્મ ની ગિફ્ટ આપી છે. બાપદાદાએ નંબરવાર શક્તિશાળી નેત્ર નથી આપ્યું પરંતુ આ દિવ્ય નેત્ર ને દરેક બાળકે પોત-પોતાના કાયદા પ્રમાણ, પરહેજ પ્રમાણ, ધ્યાન આપ્યા પ્રમાણ પ્રેક્ટીકલ કાર્યમાં લગાવ્યું છે એટલે દિવ્ય નેત્ર ની શક્તિ કોઈ ની સંપૂર્ણ શક્તિશાળી છે, કોઈ ની શક્તિ પરસંટેજ માં રહી ગઈ છે. બાપદાદા દ્વારા આ ત્રીજું નેત્ર, દિવ્ય નેત્ર મળ્યું છે, જેમ કે આજકાલ વિજ્ઞાનનું સાધન દૂરબીન છે જે દૂરની વસ્તુને સમીપ અને સ્પષ્ટ અનુભવ કરાવે છે, તેમ આ દિવ્ય નેત્ર પણ દૂરબીનનું કામ કરે છે. સેકન્ડ માં પરમધામ, કેટલુ દુર છે! જેનું માઈલ્સ (અંતર) માપી નથી શકતા, પરમધામ દૂર દેશ કેટલું સમીપ અને સ્પષ્ટ દેખાય છે. વિજ્ઞાનના સાધન આ સાકાર સૃષ્ટિનાં સૂર્ય, ચંદ્ર, તારા સુધી જોઈ શકે છે. પરંતુ આ દિવ્ય નેત્ર ત્રણે લોકોને, ત્રણે કાળ ને જોઈ શકે છે. આ દિવ્ય નેત્ર ને અનુભવ નું નેત્ર પણ કહે છે. અનુભવ ની આંખ, જે આંખ દ્વારા ૫૦૦૦ વર્ષની વાત એટલી સ્પષ્ટ જોવો છો, જેમ કે કાલની વાત હોય. ક્યાં ૫૦૦૦ વર્ષ અને ક્યાં કાલ! તો દૂરની વાત સમીપ અને સ્પષ્ટ જોવો છો ને. અનુભવ કરો છો કાલે હું પૂજ્ય દેવ આત્મા હતી અને કાલે ફરી બનીશ. આજે બ્રાહ્મણ, કાલે દેવતા. તો આજ અને કાલ ની વાત સહજ થઈ ગઈ ને. શક્તિશાળી નેત્રવાળા બાળકો સ્વયંને ડબલ તાજધારી સજાવેલા સ્વરૂપમાં સદા સામે સ્પષ્ટ જોતા રહે છે. જેમ સ્થૂળ વસ્ત્ર સજાવેલા સામે દેખાય છે અને સમજો છો હમણાં ને હમણાં ધારણ કર્યા કે કર્યા. એમ આ દેવતાઈ શરીરરૂપી વસ્ત્ર સામે જોઈ રહ્યા છો ને. બસ કાલે ધારણ કરવાના જ છે. જોઈ શકો છો ને. હમણાં તૈયાર થઈ રહ્યા છે કે સામે તૈયાર થયેલા દેખાઈ રહ્યા છે? જેમ બ્રહ્મા બાપ ને જોયા, પોતાનું ભવિષ્ય વસ્ત્ર શ્રીકૃષ્ણ સ્વરૂપ સદા સામે સ્પષ્ટ રહ્યું. એમ તમને બધાં ને પણ શક્તિશાળી નેત્રથી સ્પષ્ટ અને સામે દેખાય છે? હમણાં-હમણાં ફરિશ્તા, હમણાં-હમણાં ફરિશ્તા સો દેવતા. નશો પણ છે અને સાક્ષાત દેવતા બનવાનો દિવ્ય નેત્ર દ્વારા સાક્ષાત્કાર પણ છે. તો આવુ શક્તિશાળી નેત્ર છે? કે કંઈક જોવાની શક્તિ ઓછી થઈ ગઈ છે? જેમ સ્થૂળ નેત્રની શક્તિ ઓછી થઇ જાય છે તો સ્પષ્ટ ચીજ પણ જાણે પડદાની અંદર કે વાદળો ની વચ્ચે દેખાય છે. એમ તમારે પણ દેવતા બનવાનું તો છે, બન્યા તો હતા, પરંતુ શું હતા, કેવા હતા, આ “તા” નાં પડદા ની અંદર તો નથી દેખાતું. સ્પષ્ટ છે? નિશ્ચય નો પડદો અને સ્મૃતિ નાં મણકા બંને શક્તિશાળી છે ને. કે મણકા ઠીક છે અને પડદો કમજોર છે. એક પણ કમજોર રહ્યું તો સ્પષ્ટ નહીં થશે. તો ચેક કરો કે ચેક કરાવો કે ક્યાંક નેત્રની શક્તિ ઓછી તો નથી થઈને. જો જન્મથી શ્રીમત રુપી પરહેજ કરતા આવ્યા છો તો નેત્ર સદા શક્તિશાળી છે. શ્રીમત ના પરહેજ માં ખોટ છે ત્યારે શક્તિ પણ ઓછી છે. પછી શ્રીમત ની દુઆ કહો, દવા કહો, પરહેજ કહો, તે કરો તો પછી શક્તિશાળી બની જશો. તો આ નેત્ર છે દિવ્ય દૂરબીન.

આ નેત્ર શક્તિશાળી યંત્ર પણ છે. જેના દ્વારા જે જેવું છે, આત્મિક રૂપ ને, આત્મા ની વિશેષતા ને સહજ અને સ્પષ્ટ જોઈ શકો છો. શરીરની અંદર વિરાજમાન ગુપ્ત આત્માને એવી રીતે જોઈ શકો છો, જેમ સ્થૂળ નેત્ર દ્વારા સ્થૂળ શરીરને જોવો છો. એમ સ્પષ્ટ આત્મા દેખાય છે ને, કે શરીર દેખાય છે? દિવ્ય નેત્ર દ્વારા દિવ્ય સૂક્ષ્મ આત્મા જ દેખાશે. અને દરેક આત્મા ની વિશેષતા જ દેખાશે. જેમ નેત્ર દિવ્ય છે તો વિશેષતા અર્થાત આ ગુણ પણ દિવ્ય છે. અવગુણ કમજોરી છે. કમજોર નેત્ર કમજોરીને જોવે છે. જેમ સ્થૂળ નેત્ર કમજોર હોય છે તો કાળા-કાળા ડાઘ દેખાય છે. એમ કમજોર નેત્ર અવગુણનાં કાળાપણ ને જોવે છે. બાપદાદાએ કમજોર નેત્ર નથી આપ્યા. સ્વયંએ જ કમજોર બનાવ્યા છે. હકીકતમાં આ શક્તિશાળી યંત્ર રૂપી નેત્ર હરતાં-ફરતાં નેચરલ રુપમાં સદા આત્મિક રુપને જ જોવે છે. મહેનત નથી કરવી પડતી કે આ શરીર છે, કે આત્મા છે. આ છે કે, તે છે. આ કમજોર નેત્ર ની નિશાની છે જેમ વિજ્ઞાન વાળા શક્તિશાળી કાચ દ્વારા બધા જીવાણુઓને સ્પષ્ટ જોઇ શકે છે. તેમ આ શક્તિશાળી દિવ્ય નેત્ર માયા ના અતિસૂક્ષ્મ સ્વરૂપને સ્પષ્ટ જોઇ શકે છે એટલે જીવાણુઓને વધવા નથી દેતા, સમાપ્ત કરી દે છે. કોઈ પણ માયાની બીમારી ને પહેલાથી જ જાણી ને સમાપ્ત કરી, સદા નિરોગી રહે છે.

આવું શક્તિશાળી દિવ્ય નેત્ર છે. આ દિવ્ય નેત્ર દિવ્ય ટી.વી. પણ છે. આજકાલ ટી.વી. બધાને સારું લાગે છે ને. આને ટી.વી. કહો કે દૂરદર્શન કહો આમાં સ્વયંના સ્વર્ગના સર્વ જન્મોને અર્થાત સ્વયંના ૨૧ જન્મોની દિવ્ય ફિલ્મ જોઈ શકો છો. પોતાના રાજ્યના સુંદર દ્રશ્ય જોઈ શકો છો. દરેક જન્મ ની આત્મ કહાની ને જોઈ શકો છો. પોતાના તાજ, તખ્ત, રાજ્ય-ભાગ્ય ને જોઈ શકો છો. દિવ્ય દર્શન કહો કે દૂરદર્શન કહો. દિવ્ય દર્શન નું નેત્ર શક્તિશાળી છે ને? જ્યારે ફ્રી હોવ તો આ ફિલ્મ જુઓ, આજકાલ નાં ડાન્સ નહીં જોતા, તે ડેન્જર ડાન્સ છે. ફરિશ્તાઓનો ડાન્સ દેવતાઓનો ડાન્સ જોવો. સ્મૃતિની સ્વીચ (બટન) તો ઠીક છે ને. જો સ્વીચ ઠીક નહીં હોય તો ચાલુ કરવાથી પણ કાંઈ નહીં દેખાય. સમજ્યા - આ નેત્ર કેટલું શ્રેષ્ઠ છે. આજકાલ મેજોરીટી કોઈપણ ચીઝ ની શોધ કરે છે તો લક્ષ્ય રાખે છે કે એક વસ્તુ ભિન્ન-ભિન્ન કાર્યમાં આવે. એમ આ દિવ્ય નેત્ર અનેક કાર્ય સિદ્ધ કરવાવાળા છે. બાપદાદા બાળકોની કમજોરીની ક્યારેક-ક્યારેક કમ્પલેન સાંભળીને એ જ કહે છે, દિવ્ય બુદ્ધિ મળી, દિવ્ય નેત્ર મળ્યા, આને વિધિપૂર્વક સદા વાપરતા રહો તો ન વિચારવાની ફુર્સત, ન જોવાની ફુર્સત રહેશે. ન બીજું વિચારશે, ન જોશે. તો કોઈપણ કમ્પલેન રહી નથી શકતી. વિચારવું અને જોવું આ બંને વિશેષ આધાર છે કમ્પલીટ (સંપૂર્ણ) બનવાના કે કમ્પલેન (ફરિયાદ) કરવાના. જોવા છતાં, સાંભળવા છતાં, સદા દિવ્ય વિચારો, જેવા વિચાર તેવા આચાર હોય છે એટલે આ બન્ને દિવ્ય પ્રાપ્તિઓને સદા સાથે રાખો. સહજ છે ને. છો સમર્થ પરંતુ શું બની જાઓ છો? જ્યારે સ્થાપના થઈ તો નાના-નાના બાળકો ડાયલોગ કરતા હતા ભોળા ભાઈ ના. તો છે સમર્થ પરંતુ ભોળા ભાઈ બની જાય છે. તો ભોળા ભાઈ નહીં બનો. સદા સમર્થ બનો અને બીજાને પણ સમર્થ બનાવો. સમજ્યા – અચ્છા.

સદા દિવ્ય બુદ્ધિ અને દિવ્ય નેત્ર ને કાર્યમાં લગાવવા વાળા, સદા દિવ્ય બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ મનન, દિવ્ય નેત્ર દ્વારા દિવ્ય દ્રશ્ય જોવામાં મગન રહેવાવાળા, સદા સ્વયંના ભવિષ્ય દેવ સ્વરૂપ ને સ્પષ્ટ અનુભવ કરવાવાળા, સદા આજ અને કાલ એટલું સમીપ અનુભવ કરવાવાળા, આવા શક્તિશાળી દિવ્ય નેત્ર વાળા ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!

પર્સનલ મુલાકાત

૧. સહ જ યોગી બનવાની વિધિ - બધાં સહજયોગી આત્માઓ છો ને. બધા બાપનાં સર્વ સંબંધના સ્નેહ માં સમાયેલા. સર્વ સંબંધોનો સ્નેહ જ સહજ કરી દે છે. જ્યાં સ્નેહનો સંબંધ છે, ત્યાં સહજ છે. અને જે સહજ છે, તે નિરંતર છે. તો આવી સહજયોગી આત્મા બાપના સર્વ સ્નેહી સંબંધ ની અનુભૂતિ કરો છો? ઉધ્ધવ સમાન છો કે ગોપીઓના સમાન? ઉધ્ધવ ફક્ત જ્ઞાનનું વર્ણન કરતા રહ્યો. ગોપ-ગોપીઓ પ્રભુ પ્રેમનો અનુભવ કરવાવાળી. તો સર્વ સંબંધોનો અનુભવ – આ છે વિશેષતા. આ સંગમયુગમાં આ વિશેષ અનુભવ કરવો એ જ વરદાન પ્રાપ્ત કરવું છે. જ્ઞાન સાંભળવું, સંભળાવવું અલગ વાત છે. સંબંધ નિભાવવો, સંબંધની શક્તિથી નિરંતર લગન માં મગન રહેવું, તે અલગ વાત છે. તો સદા સર્વ સંબંધોનો આધાર પર સહયોગી ભવ. આ અનુભવને વધારતા ચાલો. આ મગન અવસ્થા ગોપ-ગોપીઓની વિશેષ છે. લગન લગાડવી અલગ ચીજ છે, પરંતુ લગન માં મગન રહેવું - આ શ્રેષ્ઠ અનુભવ છે.

૨. ઊંચી સ્થિતિ વિઘ્નો નાં પ્રભાવથી પરે છે - ક્યારે કોઇપણ વિઘ્નનાં પ્રભાવમાં તો નથી આવતા? ઊંચી સ્થિતિ હશે તો ઉંચી સ્થિતિવાળા વિઘ્નોના પ્રભાવથી પરે થઈ જાય છે. જેમ અંતરિક્ષમાં જાય છે તો ઊંચા જાય છે, ધરતીના પ્રભાવથી પરે થઈ જાય છે. એ કોઈપણ વિઘ્નો ના પ્રભાવથી સદા સેફ રહે છે. કોઈપણ પ્રકારની મહેનત નો અનુભવ તેમને કરવો પડે - જે પ્રેમમાં નથી રહેતા. તો સર્વ સંબંધોનાં સ્નેહની અનુભૂતિમાં રહો. સ્નેહ છે પરંતુ તેને ઈમર્જ કરો. ફક્ત અમૃતવેલા યાદ કર્યું પછી કાર્યમાં વ્યસ્ત થઈ ગયા તો મર્જ થઈ જાય છે. ઈમર્જ રુપ માં રાખો તો સદા શક્તિશાળી રહેશો.

વિશેષ પસંદ કરેલા અવ્યક્ત મહાવાક્ય

સર્વના પ્રતિ શુભચિંતક બનો. જે સર્વનાં શુભચિંતક છે તેમને સર્વનો સહયોગ સ્વત: પ્રાપ્ત થાય છે. શુભ-ચિંતક ભાવના, બીજાના મનમાં સહયોગની ભાવના સહજ અને સ્વત: ઉત્પન્ન કરે છે. સ્નેહ જ સહયોગી બનાવી દે છે. તો સદા શુભ-ચિંતન થી સંપન્ન રહો, શુભ-ચિંતક બની સર્વને સ્નેહી, સહયોગી બનાવો. જેટલુ જે આવશ્યકતા ના સમયે સહયોગી બને છે – ચાહે જીવનમાં, ચાહે સેવામાં.... તેમને ડ્રામા અનુસાર વિશેષ બળ મળે છે. સ્વયંનો પુરુષાર્થ તો છે જ પરંતુ એક્સ્ટ્રા બળ મળે છે. સેવાની યોજનામાં જેટલા સંપર્કમાં સમીપ લાવો, તેટલુ સેવા નું પ્રત્યક્ષ રીઝલ્ટ દેખાશે. સંદેશ આપવાની સેવા તો કરતા આવ્યા છો, કરતા રહેજો પરંતુ વિશેષ આ વર્ષ ફક્ત સંદેશ નથી આપવાનો, સહયોગી બનાવવાના છે અર્થાત્ સંપર્ક માં સમીપ લાવવાના છે. ફક્ત એક કલાક માટે કે ફોર્મ ભરાવાના સમય સુધી સહયોગી નથી બનાવવાના પરંતુ સહયોગ દ્વારા તેમને સમીપ સંપર્ક, સંબંધમાં લાવવાના છે.

કોઈપણ સેવા કરો છો તો લક્ષ્ય આ જ રાખવાનું છે કે એવા સહયોગી બને જે તમે સ્વયં “માઈટ” બની જાઓ અને તેઓ “માઈક” બની જાય. તો સેવાનું લક્ષ્ય “માઈક” તૈયાર કરવાનું છે જે અનુભવના આધાર થી તમારા તથા બાપના જ્ઞાનને પ્રત્યક્ષ કરે. જેમનો પ્રભાવ સ્વત: જ બીજાના ઉપર સહજ પડતો હોય, એવા માઈક તૈયાર કરો. લક્ષ્ય રાખો કે સ્વયંની એનર્જી લગાવાને બદલે બીજાની એનર્જી ઈશ્વરીય કાર્યમાં લગાવો. કોઈ પણ વર્ગના સહયોગી ક્ષેત્ર દરેક નાના-મોટા દેશ માં મળી શકે છે. વર્તમાન સમયે એવી કંઈક સંસ્થાઓ છે, જેમની પાસે એનર્જી છે, પરંતુ તેને વાપરવાની વિધિ નથી આવડતી. તેમને એવું કોઈ નજરમાં નથી આવતું. તેઓ બહુ જ પ્રેમથી તમને સહયોગ આપશે, સમીપ આવશે. અને તમારી ૯ લાખ પ્રજામાં પણ વૃદ્ધિ થઈ જશે. કોઈ વારિસ પણ નીકળશે, કોઈ પ્રજા નીકળશે. હમણાં સુધી જેમને સહયોગી બનાવ્યા છે, તેમને વારિસ બનાવો. એક તરફ વારિસ બનાવો, બીજી તરફ માઇક બનાવો. વિશ્વ-કલ્યાણકારી બનો. જેમ સહયોગ ની નિશાની હાથમાં હાથ મળાવીને દેખાડે છે ને. તો સદા બાપના સહયોગી બનવું - આ છે સદા હાથ માં હાથ અને સદા બુદ્ધિથી સાથે રહેવું.

કોઈ પણ કાર્ય કરો તો સ્વયં કરવામાં પણ મોટા દિલથી અને બીજાને સહયોગી બનાવવામાં પણ મોટા દિલવાળા બનો. ક્યારે પણ સ્વયં પ્રતિ અથવા સહયોગી આત્માઓનાં પ્રતિ, સાથીઓ પ્રતિ સંકુચિત દિલ નહીં રાખો. મોટું દિલ રાખવાથી - જેમ ગાયન છે કે માટી પણ સોનુ થઈ જાય છે - કમજોર સાથી પણ શક્તિશાળી સાથી બની જાય છે, અસંભવ સફળતા સંભવ થઇ જાય છે. કોઈ એવી આત્માઓ હોય છે જે સીધા સહજયોગી નથી બનતા પરંતુ સહયોગ લેતા જાઓ, સહયોગી બનાવતા જાઓ. તો સહયોગમાં આગળ વધતા-વધતા સહયોગ તેમને યોગી બનાવી દેશે. તો સહયોગી આત્માઓ ને હવે સ્ટેજ પર લાવો, તેમનો સહયોગ સફળ કરો.

વરદાન :-
ધરણી , નાડી અને સમયને જોઈ સત્ય જ્ઞાન ને પ્રત્યક્ષ કરવાવાળા નોલેજફુલ ભવ :

બાપનું આ નવું જ્ઞાન, સત્ય જ્ઞાન છે, આ નવા જ્ઞાનથી જ નવી દુનિયા સ્થાપન થાય છે, આ ઓથોરિટી અને નશો સ્વરૂપ માં ઈમર્જ હોય પરંતુ એનો અર્થ એ નથી કે આવતાં જ કોઈને નવા જ્ઞાન ની નવી વાતો સંભળાવીને મૂંઝવી દો. ધરણી, નાડી અને સમય બધું જોઈ ને જ્ઞાન આપો - આ નોલેજફુલ ની નિશાની છે. આત્માની ઈચ્છા જુઓ, નાડી જુઓ, ધરણી બનાવો પરંતુ અંદર સત્યતાના નિર્ભયપણા ની શક્તિ જરૂર હોય, ત્યારે સત્ય જ્ઞાનને પ્રત્યક્ષ કરી શકશો.

સ્લોગન :-
મારુ કહેવું એટલે નાની વાતને મોટી બનાવવી, તમારું કહેવું એટલે પહાડ જેવી વાતને રુઈ (કપાસ) બનાવી દેવું.