29-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  27.03.85    બાપદાદા મધુબન


“ કર્માતીત અવસ્થા ”
 


આજ બાપદાદા ચારેય તરફનાં બાળકોને વિશેષ જોવા માટે ચક્કર લગાવવા ગયાં. જેમ ભક્તિમાર્ગ માં તમે બધાંએ અનેકવાર પરિક્રમા લગાવી. તો બાપદાદાએ પણ આજે ચારેય તરફનાં સાચાં બ્રાહ્મણોનાં સ્થાનોની પરિક્રમા લગાવી. બધાં બાળકોનાં સ્થાન પણ જોયાં અને સ્થિતિ પણ જોઈ. સ્થાન ભિન્ન-ભિન્ન વિધિપૂર્વક સજાવેલા હતાં. કોઈ સ્થૂળ સાધનોથી આકર્ષણ કરવાવાળા હતાં, કોઈ તપસ્યાનાં વાયબ્રેશન થી આકર્ષણ કરવાવાળા હતાં. કોઈ ત્યાગ અને શ્રેષ્ઠ ભાગ્ય અર્થાત્ સાદગી અને શ્રેષ્ઠતાં એવાં વાયુમંડળ થી આકર્ષણ કરવાવાળા હતાં. કોઈ-કોઈ સાધારણ સ્વરુપમાં પણ દેખાતાં હતાં. બધાં ઈશ્વરીય યાદ નાં સ્થાન ભિન્ન-ભિન્ન રુપમાં જોયાં. સ્થિતિ શું જોઈ? આમાં પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં બ્રાહ્મણ બાળકોની સ્થિતિ જોઈ. સમય પ્રમાણે બાળકોની તૈયારી ક્યાં સુધી છે, આ જોવાં માટે બ્રહ્મા બાપ ગયા હતાં. બ્રહ્મા બાપ બોલ્યા - બાળકો સર્વ બંધનોથી બંધનમુક્ત, યોગયુક્ત, જીવનમુક્ત એવરરેડી (સદા તૈયાર) છે. ફક્ત સમય નો ઇંતજાર છે. એવા તૈયાર છે? ઇંતજામ થઈ ગયો છે ફક્ત સમયનો ઇંતજાર છે? બાપદાદાની રુહ-રિહાન ચાલી. શિવ બાપ બોલ્યા ચક્કર લગાવીને જોયું તો બંધનમુક્ત ક્યાં સુધી બન્યા છે! યોગયુક્ત ક્યાં સુધી બન્યા છે? કારણકે બંધનમુક્ત આત્મા જ જીવનમુક્તનો અનુભવ કરી શકે છે. કોઈપણ હદનો સહારો નહીં અર્થાત્ બંધનોથી કિનારો છે. જો કોઈપણ પ્રકારનો નાનો-મોટો સ્થૂળ અથવા સૂક્ષ્મ મન્સા થી અથવા કર્મ થી હદ નો કોઈપણ સહારો છે તો બંધનોથી કિનારો નથી થઈ શકતો. તો આ દેખાડવા માટે બ્રહ્મા બાપને આજે વિશેષ ફરવા લઈ ગયાં. શું જોયું?

મેજોરીટી (મોટા ભાગે) મોટા-મોટા બંધનોથી મુક્ત છે. જે સ્પષ્ટ દેખાય એવા બંધન છે અથવા દોરીઓ છે તેનાથી તો કિનારો કરી લીધો છે. પરંતુ હમણાં કોઈ-કોઈ એવાં અતિ સૂક્ષ્મ બંધન અથવા દોરીઓ રહેલી છે જેને મહીન બુદ્ધિનાં સિવાય જોઈ અથવા જાણી પણ નથી શકતાં. જેમ આજકાલનાં વિજ્ઞાનવાળા સૂક્ષ્મ વસ્તુઓને શક્તિશાળી કાંચ દ્વારા જોઈ શકે છે. સાધારણ રીત થી નથી જોઈ શકતાં. એવી રીતે સૂક્ષ્મ પરખવાની શક્તિ દ્વારા તે સૂક્ષ્મ બંધનોને જોઈ શકે અથવા મહીન બુદ્ધિ દ્વારા જાણી શકાય છે. જો ઉપર-ઉપરનાં રુપ થી જોયું તો ન જોવાનાં અથવા જાણવાનાં કારણે તે પોતાંને બંધનમુક્ત જ સમજતાં રહે છે. બ્રહ્મા બાપએ આવાં સૂક્ષ્મ આધાર તપાસ કર્યા. સૌથી વધારે આધાર બે પ્રકારનાં જોયા:-

એક અતિ સૂક્ષ્મ સ્વરુપ કોઈને કોઈ સેવાનાં સાથીનો સૂક્ષ્મ આધાર જોયો, એમાં પણ અનેક પ્રકાર જોયા. સેવાનાં સહયોગી હોવાનાં કારણે, સેવામાં વૃદ્ધિ કરવાનાં નિમિત્ત બનેલાં હોવાનાં કારણે અથવા વિશેષ કોઇ વિશેષતા, વિશેષ ગુણ હોવાનાં કારણે, વિશેષ કોઇ સંસ્કાર મળવાનાં કારણે અથવા સમય પ્રતિ સમયે કોઈ અધિક મદદ આપવાનાં કારણે, આવાં કારણો થી, રુપ સેવાનાં સાથી છે, સહયોગી છે પરંતુ વિશેષ ઝુકાવ હોવાનાં કારણે સૂક્ષ્મ લગાવનું રુપ બનતું જાય છે. આનું પરિણામ શું થાય છે? એ ભૂલી જાય છે કે આ બાપની દેન છે. સમજે છે આ ખુબ સારા સહયોગી છે, સારી વિશેષતા સ્વરુપ છે, ગુણવાન છે. પરંતુ સમય પ્રતિ સમય બાપએ એવાં સારા બનાવ્યાં છે, આ ભૂલી જાય છે. સંકલ્પ માત્ર પણ કોઈ આત્માની તરફ બુદ્ધિનો તે ઝુકાવ છે તો તે ઝુકાવ આધાર બની જાય છે. તો સાકાર રુપમાં સહયોગી હોવાનાં કારણે સમય પર બાપનાં બદલે પહેલાં તે યાદ આવશે. બે-ચાર મિનિટ પણ જો સ્થૂળ આધાર સ્મૃતિમાં આવ્યો તો બાપનો સહારો તે સમયે યાદ હશે? બીજી વાત જો બે-ચાર મિનિટનાં માટે પણ યાદની યાત્રાની લીંક તુટી ગઈ તો તૂટ્યા બાદ જોડવાની ફરી મહેનત કરવી પડશે કારણકે નિરંતરમાં અંતરમાં પડી ગયું ને! દિલમાં દિલારામ નાં બદલે બીજા કોઈની તરફ કોઈ પણ કારણ થી દિલ નો ઝુકાવ થાય છે, આમનાં થી વાત કરવી સારું લાગે છે, આમની સાથે બેસવું સારું લાગે છે. “આમનાં થી જ’’ શબ્દ એટલે દાળમાં કાળું છે. “આમનાં થી જ’’ નો ખ્યાલ આવવો એટલે હીનતા આવી. એમ તો બધાં સારા લાગે છે પરંતુ આમનાં થી વધારે સારું લાગે છે! સર્વથી રુહાની સ્નેહ રાખવો, બોલવું અથવા સેવામાં સહયોગ લેવો અથવા આપવો તે બીજી વાત છે.વિશેષતા જુઓ, ગુણ જુઓ પરંતુ આમનાં જ આ ગુણ બહુજ સારા છે, આ ‘જ’ વચમાં નહી લાવો. આ ‘જ’ ગડબડ કરે છે, આને જ લગાવ કહેવાય છે. પછી ભલે બહારનું રુપ સેવા હોય, જ્ઞાન હોય, યોગ હોય, પરંતુ જ્યારે આમનાં થી ‘જ’ યોગ કરવાનો છે, આમનો જ યોગ સારો છે! આ ‘જ’ શબ્દ ન આવવો જોઈએ. આ જ સેવામાં સહયોગી થઈ શકે છે. આ જ સાથી જોઈએ….. તો સમજયા લગાવની નિશાની શું છે! એટલે આ ‘જ’ નિકાળી દો. બધાં સારા છે. વિશેષતા જુઓ. સહયોગી બનો પણ, બનાવો પણ પરંતુ પહેલા થોડું હોય છે પછી વધતાં-વધતાં વિકરાળ રુપ થઈ જાય છે. પછી પોતેજ એમાંથી નીકળવા ઈચ્છે તો નીકળી નથી સકતાં કારણકે પાકો દોરો થઈ જાય છે. પહેલાં બહું સૂક્ષ્મ હોય પછી પાક્કો થઇ જાય છે તો તૂટવો મુશ્કેલ થઈ જાય છે. સહારો એક બાપ છે. કોઈ મનુષ્ય આત્મા સહારો નથી. બાપ કોઈને પણ સહયોગી નિમિત્ત બનાવે છે પરંતુ બનાવવા વાળા ને નહિ ભુલો. બાપએ બનાવ્યાં છે. બાપ વચમાં આવવાથી જ્યાં બાપ હશે ત્યાં પાપ નહીં! બાપ વચ્ચેથી નીકળી જાય તો પાપ થાય છે. તો એક વાત છે આ આધાર ની.

બીજી વાત-કોઈને કોઈ સાકાર સાધનો ને આધાર બનાવ્યો છે. સાધન છે તો સેવા છે. સાધનમાં થોડું નીચે ઉપર થયું તો સેવા પણ નીચે ઉપર થઈ. સાધનોને કાર્યમાં લગાવવાં તે અલગ વાત છે. પરંતુ સાધનો નાં વશ થઈ સેવા કરવી આ છે સાધનોને સહારો બનાવવો. સાધન સેવાની વૃદ્ધિનાં માટે છે એટલે તે સાધનોને તેજ પ્રમાણે કાર્યમાં લાવો, સાધનો ને આધાર નહીં બનાવો. આધાર એક બાપ છે, સાધન તો વિનાશી છે. વિનાશી સાધનોને આધાર બનાવવો અર્થાત્ જેમ સાધન વિનાશી છે તેમ સ્થિતિ પણ ક્યારેક બહું ઊંચી ક્યારેક વચ્ચેની, ક્યારેક નીચેની બદલતી રહેશે. અવિનાશી એકરસ સ્થિતિ નહીં રહેશે. તો બીજી વાત-વિનાશી સાધનોનો સહારો, આધાર નહીં સમજો. આ નિમિત્ત માત્ર છે. સેવાનાં પ્રતિ છે. સેવા અર્થ કાર્યમાં લગાવ્યાં અને ન્યારા. સાધનોનાં આકર્ષણમાં મન આકર્ષિત ન થવું જોઈએ. તો આ બે પ્રકારનાં સહારા સૂક્ષ્મ રુપમાં આધાર બનેલાં જોયાં. જ્યારે કર્માતીત અવસ્થા થવાની છે તો દરેક વ્યક્તિ, વસ્તુ, કર્મનાં બંધન થી અતીત થવું, ન્યારા થવું આને જ કર્માતીત અવસ્થા કહે છે. કર્માતીત એટલે કર્મથી ન્યારા થઈ જવું નહીં. કર્મનાં બંધનો થી ન્યારા. ન્યારા બનીને કર્મ કરવું અર્થાત્ કર્મ થી ન્યારા. કર્માતીત અવસ્થા અર્થાત્ બંધનમુક્ત, યોગયુક્ત, જીવનમુક્ત અવસ્થા!

અને વિશેષ વાત એ જોઈ કે સમય પ્રતિ સમય પરખવાની શક્તિમાં ઘણાં બાળકો કમજોર થઈ જાય છે. પારખી નથી શકતાં એટલે દગો ખાઈ લે છે. પારખવાની શક્તિ કમજોર થવાનું કારણ છે બુદ્ધિની લગન એકાગ્ર નથી. જ્યાં એકાગ્રતા છે ત્યાં પારખવાની શક્તિ સ્વત:જ વધે છે. એકાગ્રતા અર્થાત્ એક બાપની સાથે સદા લગનમાં મગન રહેવું. એકાગ્રતાની નિશાની સદા ઉડતી કળાની અનુભૂતિ ની એકરસ સ્થિતિ હશે. એકરસ નો અર્થ એ નથી કે તેજ ગતિ હોય તો એકરસ છે. એકરસ અર્થાત્ સદા ઉડતી કળાની મહેસુસતા રહે, આમાં એકરસ. જે કાલે હતી તેનાથી આજે ટકાવારીમાં વૃદ્ધિ નો અનુભવ કરે. આને કહેવાય છે ઉડતી કળા. તો સ્વ ઉન્નતિ નાં માટે, સેવાની ઉન્નતિ નાં માટે પારખવાની શક્તિ ખુબજ આવશ્યક છે. પારખવાની શક્તિ કમજોર હોવાનાં કારણે પોતાની કમજોરી ને કમજોરી નથી સમજતાં.વધારે જ પોતાની કમજોરી ને છુંપાડવા માટે સિદ્ધ કરશે અથવા જિદ્દ કરશે. આ બે વાતો છુંપાડવાનું વિશેષ સાધન છે. અંદરમાં ક્યારેક મહેસૂસ પણ થશે પરંતુ પછી પણ પૂરી પારખવાની શક્તિ ન હોવાનાં કારણે પોતાને સદા સાચાં અને હોશિયાર સિદ્ધ કરશે. સમજ્યાં! કર્માતીત તો બનવું છે ને. નંબર તો લેવો છે ને એટલે તપાસ કરો. સારી રીતથી-યોગયુક્ત બની પારખવાની શક્તિ ધારણ કરો. એકાગ્ર બુદ્ધિ બનીને પછી તપાસ કરો. તો જે પણ સૂક્ષ્મ કમી હશે તે સ્પષ્ટ રુપમાં દેખાશે. એવું ન થાય જે સ્વયં સમજો હું બહું જ રાઈટ (સાચી), બહુંજ સરસ રીતે ચાલી રહી છું. કર્માતીત હું જ બનીશ અને જ્યારે સમય આવે તો આ સૂક્ષ્મ બંધન ઉડવા ન દે. પોતાની તરફ ખેંચી લે. પછી સમય પર શું કરશો? બાંધેલો વ્યક્તિ જો ઉડવા માંગે તો ઉડશે કે નીચે આવી જશે! તો આ સૂક્ષ્મ બંધન સમય પર નંબર લેવામાં કે સાથે ચાલવામાં કે એવરરેડી બનવામાં બંધન ન બની જાય એટલા માટે બ્રહ્મા બાપ તપાસ કરી રહ્યા હતાં. જેમને આ સહારો સમજે છે તે સહારો નથી પરંતુ તે રોયલ દોરી છે. જેમ સોનાનાં હરણનું ઉદાહરણ છે ને. સીતાં ને ક્યાં લઈ ગયું! તો સોનાનું હરણ આ બંધન છે, તેને સોનુ સમજવું એટલે પોતાનાં શ્રેષ્ઠ ભાગ્યને ખોવું. સોનુ નથી ખોવું છે. રામને ખોયાં, અશોક વાટિકાને ખોઈ.

બ્રહ્મા બાપને બાળકોથી વિશેષ પ્રેમ છે એટલે બ્રહ્મા બાપ સદા બાળકોને પોતાનાં સમાન એવરરેડી બંધનમુક્ત જોવા ઇચ્છતાં હતાં. બંધનમુક્તનાં જ દ્રશ્ય જોયાં ને! કેટલામાં એવરરેડી થયાં! કોઈનાં બંધનમાં બંધાયાં! કોઈ યાદ આવ્યું કે ફલાણી ક્યાં છે! ફલાણી સેવાની સાથી છે. યાદ આવ્યું? તો અવરરેડીનો પાર્ટ કર્માતીત સ્ટેજ નો પાર્ટ જોયો ને! જેટલો બાળકોથી અતિ પ્રેમ રહ્યો એટલાં જ પ્યારા અને ન્યારા જોયા ને! બુલાવો આવ્યો અને ગયાં. નહીં તો સૌથી વધારે બાળકોથી પ્રેમ બ્રહ્માનો રહ્યો ને! જેટલાં પ્યારા તેટલાં ન્યારા. કિનારો કરવાનું જોઈ લીધું ને. કોઈપણ વસ્તુ અથવા ભોજન જ્યારે તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે ને! તો સમ્પૂર્ણ થવું અર્થાત્ કિનારો છોડવો. કિનારો છોડવો એટલે કિનારે થઈ ગયાં. સહારો એક જ અવિનાશી સહારો છે. ન વ્યક્તિ ને, ન વૈભવ અથવા વસ્તુ ને સહારો બનાવો. આને જ કહે છે-કર્માતીત. છુંપાવો ક્યારેય નહીં. છુપાડવાથી વધારે વૃદ્ધિને પામતાં જાય છે. વાત મોટી નથી હોતી. પરંતુ જેટલું છુપાડે છે એટલી વાતને મોટી કરે છે. જેટલું સ્વયંને સાચાં સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે એટલી વાતને વધારે છે. જેટલી જિદ્દ કરે છે એટલી વાત વધારે છે એટલે વાતને મોટી ન કરી નાનાં રુપથી જ સમાપ્ત કરો. તો સહજ થશે અને ખુશી થશે. આ વાત થઈ, આ પણ પાર કરી, આમાં પણ વિજયી બન્યાં તો ખુશી થશે. સમજ્યાં! વિદેશી કર્માતીત અવસ્થા ને પામવાં વાળા ઉમંગ ઉત્સાહ વાળા છે ને! તો ડબલ વિદેશી બાળકોને બ્રહ્મા બાપ વિશેષ સૂક્ષ્મ પાલના આપી રહ્યા છે. આ પ્રેમની પાલના છે શિક્ષા સાવધાની નથી. સમજ્યા! કારણકે બ્રહ્મા બાપએ આપ બાળકોને વિશેષ આહવાન થી જન્મ આપ્યો. બ્રહ્માનાં સંકલ્પ થી તમે જન્મ્યા છો. કહે છે ને - બ્રહ્માએ સંકલ્પ થી સૃષ્ટિ રચી. બ્રહ્માનાં સંકલ્પથી આ બ્રાહ્મણોની આટલી સૃષ્ટિ રચાઈ ગઈ ને. તો બ્રહ્માનાં સંકલ્પ થી આહવાન થી રચેલી વિશેષ આત્માઓ છો. લાડકા થઈ ગયા ને. બ્રહ્મા બાપ સમજે છે કે આ ફાસ્ટ (તીવ્ર) પુરુષાર્થ કરી ફર્સ્ટ (પ્રથમ) આવવાનાં ઉમંગ-ઉત્સાહ વાળા છે. વિદેશી બાળકો ની વિશેષતાઓ થી વિશેષ શ્રુંગાર કરવાની વાતો ચાલી રહી છે. પ્રશ્ન પણ કરશે, પછી સમજશે પણ જલ્દી, વિશેષ સમજદાર છો એટલે બાપ પોતાનાં સમાન સર્વ બંધનો થી ન્યારા અને પ્યારા બનવાં માટે ઈશારો આપી રહ્યા છે. એવું નથી કે જે સામે છે તેમને બતાવી રહ્યા છે, બધાં બાળકોને બતાવી રહ્યા છે. બાપનાં આગળ સદા સર્વ બ્રાહ્મણ બાળકો ભલે દેશનાં કે ભલે વિદેશનાં બધાં છે. અચ્છા-આજે રુહ-રુહાન કરી રહ્યા છે. સંભળાવ્યુ ને - પાછલાં વર્ષ થી આ વર્ષનું રીઝલ્ટ ઘણું સારું છે. આનાંથી સિદ્ધ છે વૃદ્ધિને પામવા વાળા છે. ઉડતી કળામાં જવાવાળી આત્માઓ છો. જે યોગ્ય દેખાય છે તેમને સંપૂર્ણ યોગી બનવાનો ઈશારો દેવામાં આવે છે. અચ્છા!

સદા કર્મબંધન મુક્ત, યોગયુક્ત આત્માઓને સદા એક બાપને સહારો બનાવવાં વાળા બાળકોને, સદા સૂક્ષ્મ કમજોરીઓથી પણ કિનારો કરવાવાળા બાળકોને, સદા એકાગ્રતા દ્વારા પારખવા નાં શક્તિશાળી બાળકોને, સદા વ્યક્તિ અથવા વસ્તુનાં વિનાશી સહારા થી કિનારો કરવાવાળા બાળકોને એવાં બાપ સમાન જીવનમુક્ત કર્માતીત સ્થિતિ માં સ્થિત રહેવાવાળા વિશેષ બાળકોને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે!

નિર્મલશાંતા દાદી થી : સદા બાપ ની સાથે રહેવા વાળા તો છે જ. જે આદિ થી બાપની સંગ-સંગ ચાલી રહ્યા છે, તેમનો સદા સાથ નો અનુભવ ક્યારેય પણ ઓછો થઈ નથી શકતો. બાળપણ નો વાયદો છે. તો સદા સાથ છે અને સદા સાથે ચાલશે. તો સદા સાથ નો વાયદો કહો અથવા વરદાન કહો, મળેલ છે. છતાં પણ જેમ બાપ પ્રીતની રીત નિભાવવાં અવ્યક્ત થી વ્યક્ત રુપમાં આવે છે તેમ બાળકો પણ પ્રીતની રીત નિભાવવાં માટે પહોંચી જાય છે. એવું છે ને! સંકલ્પ માં તો શું પરંતુ સ્વપ્નમાં પણ, જેને સબકોન્સીયસ (અવચેતન મન) કહે છે…. તે સ્થિતિમાં પણ બાપ નો સાથ ક્યારેય છૂટી નથી શકતો. એટલો પાક્કો સંબંધ જોડાયેલો છે. કેટલાં જન્મોનો સંબંધ છે. પુરા કલ્પનો છે. સંબંધ આ જન્મનાં હિસાબ થી પૂરો કલ્પ જ રહેશે. આ તો અંતિમ જન્મમાં કોઈ-કોઈ બાળકો સેવાનાં માટે ક્યાંક-ક્યાંક વિખરાઈ ગયા છે. જેમ આ લોકો વિદેશમાં પહોંચી ગયાં, તમે લોકો સિંધમાં પહોંચી ગયાં. કોઈ ક્યાં પહોંચ્યા, કોઈ ક્યાં પહોંચ્યા. જો આ વિદેશમાં ન પહોંચતાં તો આટલા સેન્ટર કેવી રીતે ખુલત. અચ્છા સદા સાથે રહેવા વાળી, સાથનો વાયદો નિભાવવા વાળી પરદાદી છો! બાપદાદા બાળકોની સેવાનો ઉમંગ-ઉત્સાહ જોઈ ખુશ થાય છે. વરદાની આત્માઓ બન્યાં છો. હમણાં થી જુઓ ભીડ લાગવાની શરુ થઈ ગઈ છે. જયારે વધારે વૃદ્ધિ થશે તો કેટલી ભીડ હશે. આ વરદાની રુપની વિશેષતા ની નીંવ પડી રહી છે. જ્યારે ભીડ થઈ જાય પછી શું કરશો. વરદાન આપશો, દ્રષ્ટિ આપશો. અહીંયા થી જ ચૈતન્ય મૂર્તિઓ પ્રસિદ્ધ થશે. જેમ શરુમાં તમને લોકોને બધાં દેવીઓ-દેવીઓ કહેતાં હતાં... અંતમાં પણ ઓળખીને દેવીઓ-દેવીઓ કરશે. ‘જય દેવી, જય દેવી’ અહીંયાંથી જ શરુ થઇ જશે. અચ્છા!

વરદાન :-
ઈશ્વરીય વિધાન ને સમજી વિધિ થી સિદ્ધિ પ્રાપ્ત કરવાં વાળા ફર્સ્ટ ડિવિઝન ( પ્રથમ વર્ગ ) નાં અધિકારી ભવ

એક કદમ ની હિંમત તો પદમ કદમોની મદદ - ડ્રામામાં આ વિધાનની વિધિ નોંધાયેલી છે. જો આ વિધિ, વિધાનમાં ન હોત તો બધાં વિશ્વનાં પહેલા રાજા બની જાત. નંબરવાર બનવાનું વિધાન આ વિધિનાં કારણે જ બને છે. તો જેટલું ઈચ્છો હિંમત રાખો અને મદદ લો. ભલે સમર્પિત છો, ભલે પ્રવૃત્તિ વાળા છો - અધિકાર સમાન છે પરંતુ વિધિ થી સિદ્ધિ છે. આ ઈશ્વરીય વિધાનને સમજી અલબેલાપન ની લીલાને સમાપ્ત કરો તો પહેલા વર્ગનો અધિકાર મળી જશે.

સ્લોગન :-
સંકલ્પ નાં ખજાના નાં પ્રતિ ઈકોનોમી (કરકસર) નાં અવતાર બનો.