27-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  27.02.85    બાપદાદા મધુબન



“ શિવશક્તિ પાંડવ સેનાની વિશેષતાઓ ”
 


જે બાપદાદા અમૃતવેલા થી વિશેષ સમ્મુખ આવેલા દૂરદેશમાં રહેવાવાળા, દિલથી સમીપ રહેવાવાળા ડબલ વિદેશી બાળકોને જોઈ રહ્યા હતા. બાપ અને દાદાની પરસ્પરમાં આજે મીઠી રુહ-રુહાન ચાલી રહી હતી. કઈ વાત પર? બ્રહ્મા બાપ વિશેષ ડબલ વિદેશી બાળકોને જોઈ હર્ષિત થઈને બોલ્યા કે કમાલ છે બાળકોની જે આટલા દુર દેશવાસી હોવા છતાં પણ સદા સ્નેહથી એક જ લગનમાં રહેતા કે બધાંને કોઈ પણ રીતથી બાપદાદાનો સંદેશ જરુર પહોંચાડીએ. એનાં માટે ઘણા બાળકો ડબલ કાર્ય કરવા છતાં લૌકિક અને અલૌકિકમાં ડબલ બીઝી (વ્યસ્ત) હોવા છતાં પણ સ્વયંનાં આરામને પણ ન જોતા રાત દિવસ એ જ લગનમાં લાગેલા છે. સ્વયંનાં ખાવા-પીવાની પણ પરવા ન કરતા સેવાની ધુનમાં લાગેલા રહે છે. જે પ્યોરીટી (પવિત્રતા) ની વાતને અનનેચરલ (અસાધારણ) જીવન સમજતા રહ્યાં, તેજ પવિત્રતાને અપનાવવા માટે, અપવિત્રતાનો ત્યાગ કરવા માટે હિંમતથી, દૃઢ સંકલ્પથી, બાપનાં સ્નેહથી, યાદની યાત્રા દ્વારા શાંતિની પ્રાપ્તિનાં આધારથી, ભણતર અને પરિવારનાં સંગનાં આધારથી સ્વયંનાં જીવનમાં ધારણ કરી લીધી છે. જેને મુશ્કેલ સમજતા હતા તે સહજ કરી લીધું છે. બ્રહ્મા બાપ વિશેષ પાંડવ સેનાને જોઈને બાળકોની મહિમા ગાઈ રહ્યા હતા. કઈ વાત ની? દરેક નાં દિલમાં છે કે પવિત્રતા જ યોગી બનવાનું પહેલું સાધન છે. પવિત્રતા જ બાપનાં સ્નેહનો અનુભવ કરવાનું સાધન છે, પવિત્રતા જ સેવામાં સફળતાનો આધાર છે. આ શુભ સંકલ્પ દરેકનાં દિલમાં પાક્કો છે. અને પાંડવોની કમાલ એ છે જે શક્તિયોને આગળ રાખતા પણ સ્વયંને આગળ વધારવાનાં ઉમંગ-ઉત્સાહ માં ચાલી રહ્યા છે. પાંડવોનાં તીવ્ર પુરુષાર્થ કરવાની રફતાર (ગતિ), સારી ઉન્નતીને પામવા વાળી દેખાઈ રહી છે. મેજોરીટી આ રફતારથી આગળ વધતા જઈ રહ્યા છે.

શિવ બાપ બોલ્યા - પાંડવોએ પોતાનો વિશેષ રીગાર્ડ આપવાનો રેકોર્ડ સારો દેખાડ્યો છે. સાથે-સાથે હસવાની વાત પણ કહી. વચમાં-વચમાં સંસ્કારોની રમત પણ રમી લે છે. પરંતુ છતાં પણ ઉન્નતિનાં ઉમંગનાં કારણે બાપથી અતિ સ્નેહ હોવાનાં કારણે સમજે છે સ્નેહની પાછળ આ પરિવર્તન જ બાપને પ્રિય છે એટલે બલિહાર થઈ જાય છે. બાપ જે કહેશે, જે ઇચ્છે છે. એ જ કરશું. આ સંકલ્પથી સ્વયં સ્વયંને પરિવર્તન કરી લે છે. મહોબ્બત ની પાછળ મહેનત, મહેનત નથી લાગતી. સ્નેહની માટે સહન કરવું, સહન કરવું નથી લાગતું એટલે તો પણ બાબા-બાબા કહીને આગળ વધતા જઈ રહ્યા છે. આ જન્મનાં શરીરનાં સંસ્કાર પુરુષત્વ અર્થાત હદનાં રચતાંપણ નાં હોવા છતાં પણ સ્વયંનું પરિવર્તન સારું કર્યું છે. રચતાં બાપને સામે રાખવાનાં કારણે નિરહંકારી અને નમ્રતા ભાવ આ ધારણાનું લક્ષ્ય અને લક્ષણ સારું ધારણ કર્યું છે અને કરી રહ્યા છે. દુનિયાનાં વાતાવરણની વચ્ચે સંપર્કમાં આવવા છતાં પણ યાદની લગનની છત્રછાયા હોવાનાં કારણે સેફ (સલામત) રહેવાનું પ્રમાણ સારું આપી રહ્યા છે. સાંભળ્યું - પાંડવોની વાતો. બાપદાદા આજે માશૂકનાં બદલે આશિક થઈ ગયા છે એટલે જોઈ-જોઈને હર્ષિત થઇ રહ્યા છે. બંનેનો બાળકોથી વિશેષ સ્નેહ તો છે ને. તો આજે અમૃતવેલા થી બાળકોની વિશેષતાઓની અથવા ગુણોની માળા સિમરણ કરી. તમે લોકોએ ૬૩ જન્મો માં માળાઓ સિમરણ કરી અને બાપ રિટર્નમાં (વળતરમાં) હમણાં માળા સિમરણ કરી રિસ્પોન્સ (પ્રતિઉત્તર) દઈ દે છે.

અચ્છા શક્તિઓની કઈ માળા સિમરણ કરી? શક્તિસેનાની સૌથી વધારે વિશેષતા એ છે - સ્નેહની પાછળ દરેક સમયે એક બાપમાં લવલીન રહેવાની, સર્વ સંબંધોનાં અનુભવોમાં સારી લગનથી આગળ વધી રહી છે. એક આંખમાં બાપ, બીજી આંખમાં સેવા બંને નયનોમાં સદા આ જ સમાયેલું છે. વિશેષ પરિવર્તન એ છે જે સ્વયંનાં અલબેલા પણ, નાજુક પણનો ત્યાગ કર્યો છે. હિંમતવાળી શક્તિ સ્વરુપ બની છે. બાપદાદા આજે વિશેષ નાની-નાની ઉંમરવાળી શક્તિઓને જોઈ રહ્યા હતા. આ યુવા અવસ્થામાં અનેક પ્રકારનાં અલ્પકાળનાં આકર્ષણને છોડી એક જ બાપનાં આકર્ષણમાં સારાં ઉમંગ-ઉત્સાહથી ચાલી રહ્યા છે. સંસારને અસાર સંસાર અનુભવ કરી બાપને સંસાર બનાવી દીધા છે. સ્વયંનાં તન-મન-ધનને બાપ અને સેવામાં લગાડવાથી પ્રાપ્તિનો અનુભવ કરી આગળ ઉડતી કળામાં જઈ રહ્યા છે. સેવાની જવાબદારી નો તાજ ધારણ સારો કર્યો છે. થકાવટ ક્યારેક-ક્યારેક મહેસૂસ કરવા છતાં, બુદ્ધિ પર ક્યારેક-ક્યારેક બોજ અનુભવ કરતા હોવા છતાં બાપને ફોલો (અનુકરણ) કરવાનું જ છે, બાપને પ્રત્યક્ષ કરવાનાં જ છે આ દ્રઢતાથી આ બધી વાતોને સમાપ્ત કરી ફરી પણ સફળતાને પામી રહી છે એટલે બાપદાદા જ્યારે બાળકોની મહોબ્બત ને જોવે છે તો વારં-વાર આજ વરદાન આપે છે - "હિંમત બચ્ચે મદદે બાપ". સફળતા આપનો જન્મ સિદ્ધ અધિકાર છે જ. બાપનો સાથ હોવાથી દરેક પરિસ્થિતિ એવી રીતે પાર કરી લે છે જેમ માખણમાંથી વાળ. સફળતા બાળકોનાં ગળાની માળા છે. સફળતાની માળા આપ બાળકોનું સ્વાગત કરવા વાળી છે. તો બાળકોનો ત્યાગ, તપસ્યા અને સેવા પર બાપદાદા પણ કુરબાન (બલિહાર) જાય છે. સ્નેહનાં કારણે કોઈપણ મુશ્કેલી અનુભવ નથી કરતા. એવું છે ને! જ્યાં સ્નેહ છે, સ્નેહની દુનિયામાં અથવા બાપનાં સંસારમાં બાપની ભાષામાં મુશ્કેલ શબ્દ છે જ નહીં. શક્તિસેના ની વિશેષતા છે મુશ્કેલને સહજ કરવું. દરેકનાં દિલમાં એ જ ઉમંગ છે કે સૌથી વધારે અને જલ્દીથી જલ્દી સંદેશ દેવાનાં નિમિત્ત બની બાપની આગળ રુહાની ગુલાબનો ગુલદસ્તો લાવીએ. જેમ બાપએ આપણને બનાવ્યા છે તેમ આપણે બીજાને બનાવીને બાપની આગળ લાવીએ. શક્તિસેના એક-બીજાનાં સહયોગથી સંગઠિત રુપમાં ભારત થી પણ કોઈ વિશેષ નવીનતા વિદેશમાં કરવાનાં શુભ ઉમંગમાં છે. જ્યાં સંકલ્પ છે ત્યાં સફળતા અવશ્ય છે. શક્તિસેના દરેક સ્વયંનાં ભિન્ન-ભિન્ન સ્થાનો પર વૃદ્ધિ અને સિદ્ધિને પ્રાપ્ત કરવામાં સફળ થઈ રહી છે અને થતી રહેશે. તો બંનેનાં સ્નેહને જોઈ સેવાનાં ઉમંગને જોઈ બાપદાદા હર્ષિત થઈ રહ્યા છે. એક-એક ગુણ કેટલા ગાયન કરે પરંતુ વતનમાં એક-એક બાળકોનાં ગુણ બાપદાદા વર્ણન કરી રહ્યા હતા. દેશવાળા વિચારતા-વિચારતા ઘણા રહી જશે પરંતુ વિદેશવાળા ઓળખીને અધિકારી બની ગયા છે. તેઓ જોતા રહી જશે, તમે બાપની સાથે ઘરે પહોંચી જશો. તેઓ બૂમો પાડશે અને તમે વરદાનોની દ્રષ્ટિથી છતાં પણ કંઈ ને કંઈ અંચલી દેતા રહેશો.

તો સાંભળ્યું આજે વિશેષ બાપદાદાએ શું કર્યુ? આખા સંગઠનને જોઈ બાપદાદા ભાગ્યવાન બાળકોનાં ભાગ્ય બનાવવાની મહિમા ગાઈ રહ્યા હતા. દૂરવાળા નજીકનાં થઈ ગયા અને નજીક આબૂમાં રહેવાવાળા કેટલા દુર થઈ ગયા છે! પાસે રહેતા પણ દૂર છે. અને તમે દૂર રહેતા પણ પાસે છો. તે જોવાવાળા અને તમે દિલતખ્ત પર સદા રહેવાવાળા. કેટલા સ્નેહથી મધુબન આવવાનું સાધન બનાવે છે. દર મહિને આ જ ગીત ગાએ છે - બાપથી મળવાનું છે, જવાનું છે. જમા કરવાનું છે. તો આ લગન પણ માયાજીત બનવાનું સાધન બની જાય છે. જો સહજ ટિકિટ મળી જાય તો આટલી લગન માં વિઘ્ન વધારે પડે. પરંતુ ટીપે ટીપે તળાવ કરે છે એટલે ટીપે-ટીપે જમા કરવામાં બાપની યાદ સમાયેલી હોય છે એટલે આ પણ ડ્રામામાં જે થાય છે, કલ્યાણકારી છે. જો વધારે પૈસા મળી જાય તો પછી માયા આવી જાય પછી સેવા ભૂલી જવાશે એટલે ધનવાન, બાપનાં અધિકારી બાળકો નથી બનતા.

કમાયું અને જમા કર્યુ. સ્વયંની સાચી કમાણીને જમા કરવી એમાં જ બળ છે. સાચી કમાણીનું ધન બાપનાં કાર્યમાં સફળ થઇ રહ્યું છે. જો એમ જ ધન આવી જાય તો તન નહીં લાગશે. અને તન નહીં લાગશે તો મન પણ નીચે ઉપર થશે એટલે તન-મન-ધન ત્રણેય લાગી રહ્યાં છે એટલે સંગમયુગ પર કમાયા અને ઈશ્વરીય બેંકમાં જમા કર્યુ, આ જીવન જ નંબરવન જીવન છે. કમાયા અને લૌકિક વિનાશી બેંકોમાં જમા કર્યુ તો તે સફળ નથી થતું. કમાયા અને અવિનાશી બેંકમાં જમા કર્યુ તો એકનું પદમગુણા બને છે. ૨૧ જન્મોનાં માટે જમા થઈ જાય છે. દિલથી કરેલું દિલારામની પાસે પહોંચે છે. જો કોઈ દેખાવની રીતેથી કરશે તો દેખાડો કરવામાં જ ખતમ થઇ જાય છે. દિલારામ સુધી નથી પહોચતું એટલે તમે દિલથી કરવાવાળા સારા છો. દિલથી બે કરવાવાળા પણ પદ્માપદમ પતિ બની જાય છે અને દેખાડા થી હજાર કરવાવાળા પણ પદ્માપદમ પતિ નથી બનતા. દિલ ની કમાણી, સ્નેહની કમાણી સાચી કમાણી છે. કમાવો શેનાં માટે છો? સેવાનાં માટે ન કે સ્વયંનાં આરામ માટે? તો આ છે સાચી દિલની કમાણી. જે એક પણ પદમગુણા બની જાય છે. જો સ્વયંનાં આરામ માટે કમાવો અથવા જમા કરો છો તો અહિયાં ભલે આરામ કરશો પરંતુ ત્યાં બીજાને આરામ આપવા માટે નિમિત્ત બનશો! દાસ-દાસીઓ શું કરશે! રોયલ ફેમિલીને આરામ આપવા માટે હશે ને! અહીંયાનાં આરામથી ત્યાં આરામ આપવા માટે નિમિત્ત બનવું પડે એટલે જ મહોબ્બતથી સાચી દિલથી કમાવો છો, સેવામાં લગાવો છો તે જ સફળ કરી રહ્યા છો. અનેક આત્માઓની દુઆઓ લઇ રહ્યા છો. જેમનાં નિમિત્ત બનો છો તેઓ જ ફરી તમારાં ભક્ત બની તમારી પૂજા કરશે કારણ કે તમે તે આત્માઓનાં પ્રતિ સેવા કરી તો સેવાનું રિટર્ન (વળતર) તેઓ તમારા જડ ચિત્રોની સેવા કરશે! પૂજા કરશે! ૬૩ જન્મ સેવાનું રિટર્ન (વળતર) તમને દેતા રહેશે. બાકી તો મળશે જ પરંતુ તે આત્માઓથી પણ મળશે. જેમને સંદેશો આપો છો અને અધિકારી નથી બનતા તો તેઓ આ રુપમાં રીટર્ન આપશે. જે અધિકારી બને છે તેઓ તો તમારા સંબંધમાં આવી જાય છે. કોઈ સંબંધમાં આવી જાય છે. કોઈ ભક્ત બની જાય છે. કોઈ પ્રજા બની જાય છે. વેરાઈટી (વિવિધ) પ્રકારનું રીઝલ્ટ (પરિણામ) નિકળે છે. સમજ્યા! લોકો પણ પૂછે છે ને કે તમે સેવાની પાછળ કેમ પડી ગયા છો. ખાઓ પીઓ મોજ કરો. શું મળે છે જે આટલું દિવસ-રાત સેવાની પાછળ પડો છો. પછી તમે શું કહો છો? જે અમને મળ્યું છે તે અનુભવ કરીને જુઓ. અનુભવી જ જાણે આ સુખને. આ ગીત ગાઓ છો ને! અચ્છા.

સદા સ્નેહમાં સમાયેલા, સદા ત્યાગને ભાગ્ય અનુભવ કરવાવાળા, સદા એકનું પદમગુણા બનાવવા વાળા, સદા બાપદાદાને ફોલો (અનુકરણ) કરવાવાળા, બાપને સંસાર અનુભવ કરવાવાળા આવાં દિલતખ્તનશીન બાળકોને દિલારામ બાપનાં યાદ-પ્યાર અને નમસ્તે.

વિદેશી ભાઈ-બહેનો થી પર્સનલ (વ્યક્તિગત) મુલાકાત
(૧) સ્વયંને ભાગ્યવાન આત્માઓ સમજો છો? આટલું ભાગ્ય તો બનાવ્યું જે ભાગ્યવિધાતાનાં સ્થાન પર પહોંચી ગયા. સમજો છો આ કયું સ્થાન છે? શાંતિનાં સ્થાન પર પહોંચવું પણ ભાગ્ય છે. તો આ પણ ભાગ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો ખુલ્યો. ડ્રામા અનુસાર ભાગ્ય પ્રાપ્ત કરવાનાં સ્થાને પહોંચી ગયા. ભાગ્યની રેખા અહીંયા જ ખેંચાય છે. તો સ્વયંનું શ્રેષ્ઠ ભાગ્ય બનાવી લીધું. હવે ફક્ત થોડો સમય આપો. સમય પણ છે અને સંગ પણ કરી શકો છો. બીજી કોઈ મુશ્કેલની વાત તો છે નહીં. જો મુશ્કેલી હોત તો તેના માટે થોડું વિચારાય છે. સહજ છે તો કરો. આનાથી જે પણ જીવનમાં અલ્પકાળની આશાઓ અથવા ઇચ્છાઓ છે તે બધી અવિનાશી પ્રાપ્તિમાં પૂરી થઈ જશે. આ અલ્પકાળની ઈચ્છાઓની પાછળ જવું એવું છે જેમ આપણા પડછાયાની પાછળ જવું. જેટલું પડછાયાની પાછળ જશો તેટલો તે આગળ વધતો જાય છે, પામી નથી શકતા. પરંતુ તમે આગળ વધતા જાઓ તો તે સ્વયં જ પાછળ-પાછળ આવશે. તો આવા અવિનાશી પ્રાપ્તિની તરફ જવાવાળા ની પાછળ વિનાશી વાતો બધી પૂરી થઈ જાય છે. સમજ્યા! સર્વ પ્રાપ્તિનું સાધન આ જ છે. થોડા સમયનો ત્યાગ સદાકાળ નું ભાગ્ય બનાવે છે. તો આ જ લક્ષ્ય ને સમજતા આગળ વધતા ચાલો. આમાં બહુ જ ખુશીનો ખજાનો મળશે. જીવનમાં સૌથી મોટામાં મોટો ખજાનો ખુશી છે. જો ખુશી નથી તો જીવન નથી. તો અવિનાશી ખુશીનો ખજાનો પ્રાપ્ત કરી શકો છો.

(૨) બાપદાદા બાળકોનો સદા આગળ વધવાનો ઉમંગ-ઉત્સાહ જુએ છે. બાળકોનો ઉમંગ બાપદાદાની પાસે પહોંચે છે. બાળકોની અંદર છે કે વિશ્વનાં વી.વી.આઈ.પી. બાપની સામે લઈ જઈએ - આ ઉમંગ પણ સાકારમાં આવતો જશે કારણ કે નિ:સ્વાર્થ સેવાનું ફળ જરુર મળે છે. સેવા જ સ્વની સ્ટેજ (સ્થિતિ) બનાવી દે છે એટલે આ ક્યારેય નહીં વિચારતા કે સર્વિસ (સેવા) આટલી મોટી છે, મારી સ્ટેજ તો આવી છે નહીં. પરંતુ સર્વિસ તમારી સ્ટેજ બનાવી દેશે. બીજાની સર્વિસ સ્વ-ઉન્નતિનું સાધન છે. સર્વિસ આપોઆપ જ શક્તિશાળી અવસ્થા બનાવતી રહેશે. બાપની મદદ મળે છે ને. બાપની મદદ મળતાં-મળતાં તે શક્તિ વધતા-વધતા તે સ્ટેજ પણ થઇ જશે. સમજ્યા! એટલે એ ક્યારેય નહીં વિચારો કે આટલી સર્વિસ હું કેવી રીતે કરીશ, મારી સ્ટેજ એવી છે. નહી. કરતા જાઓ. બાપદાદાનું વરદાન છે આગળ વધવાનું જ છે. સેવાનું મીઠું બંધન પણ આગળ વધવાનું સાધન છે. જે દિલથી અને અનુભવની ઓથોરિટીથી બોલે છે તેમનો અવાજ દિલ સુધી પહોંચે છે. અનુભવની ઓથોરિટીનાં બોલ બીજાને અનુભવ કરવાની પ્રેરણા આપે છે. સેવામાં આગળ વધતાં-વધતાં જે પેપર આવે છે તે પણ આગળ વધારવાનું જ સાધન છે કારણ કે બુદ્ધિ ચાલે છે, યાદમાં રહેવાનું વિશેષ અટેન્શન (ધ્યાન) રહે છે. તો આ પણ વિશેષ લિફ્ટ બની જાય છે. બુદ્ધિમાં સદા રહે કે આપણે વાતાવરણને કેવી રીતે શક્તિશાળી બનાવીએ. કેટલું પણ મોટું રુપ લઈને વિઘ્ન આવે પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓનો એમાં ફાયદો જ છે. તે મોટું રુપ પણ યાદની શક્તિથી નાનું થઈ જાય છે. તે જેમ કાગળનો વાઘ.અચ્છા!

દાન :-
દીપમાળા (દિવાળી) પર યથાર્થ વિધિથી સ્વયં નાં દેવી પદનું આવાહન કરવાવાળા પૂજ્ય આત્મા ભવ :

દિવાળી પર પહેલા લોકો વિધિપૂર્વક દીવા પ્રગટાવતા હતા, દીવો બુઝાઈ ન જાય એ ધ્યાન રાખતા હતા, ઘી નાખતા હતા, વિધિપૂર્વક આહવાનનાં અભ્યાસમાં રહેતા હતા. હવે તો દીવાની જગ્યાએ બલ્બ લગાડે છે. દિવાળી નથી મનાવતા હવે તો મનોરંજન થઈ ગયું છે. આહવાન ની વિધિ અથવા સાધના સમાપ્ત થઈ ગઈ છે. સ્નેહ સમાપ્ત થઈ ફક્ત સ્વાર્થ રહી ગયો છે એટલે યથાર્થ દાતા રુપધારી લક્ષ્મી કોઈની પાસે આવતી નથી. પરંતુ તમે બધા યથાર્થ વિધિથી સ્વયંના દેવી પદનું આહવાન કરો છો એટલે સ્વયં પૂજ્ય દેવી-દેવતા બની જાઓ છો.

સ્લોગન :-
સદા બેહદની વૃત્તિ, દ્રષ્ટિ અને સ્થિતિ હોય ત્યારે વિશ્વ કલ્યાણનું કાર્ય સંપન્ન થશે.