18-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારે
કોઇપણ પતિત દેહધારીઓ થી પ્રેમ નથી રાખવાનો કારણ કે તમે પાવન દુનિયામાં જઈ રહ્યા છો,
એક બાપથી પ્રેમ કરવાનો છે”
પ્રશ્ન :-
આપ બાળકોએ કઈ
વસ્તુથી હેરાન નથી થવાનું અને કેમ?
ઉત્તર :-
તમારે આ જૂના
શરીરથી જરા પણ હેરાન નથી થવાનું કારણ કે આ શરીર બહું-બહું જ મુલ્યવાન છે. આત્મા આ
શરીર માં બેસી બાપ ને યાદ કરીને બહુ મોટી લોટરી લઈ રહી છે. બાપ ની યાદ માં રહેશો તો
ખુશી નો ખોરાક મળતો રહેશે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો, હમણાં દૂર દેશનાં રહેવાવાળા પછી દૂર દેશનાં (પેસેન્જર) યાત્રીઓ છો.
આપણે આત્માઓ છીએ અને હવે બહુ જ દૂર દેશ જવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ ફક્ત આપ
બાળકો જ જાણો છો કે આપણે આત્માઓ દૂર દેશની રહેવાવાળી છીએ અને દૂર દેશમાં રહેવાવાળા
બાપને પણ બોલાવીએ છીએ કે આવી ને અમને પણ ત્યાં દૂર દેશમાં લઈ જાઓ. હવે દૂર દેશમાં
રહેવા વાળા બાપ બાળકો ને ત્યાં લઈ જાય છે. તમે રુહાની પેસેન્જર (યાત્રી) છો કારણ કે
આ શરીરની સાથે છો ને. રુહ જ યાત્રા કરશે. શરીર તો અહીંયા જ છોડી દેશે. બાકી રુહ જ
યાત્રા કરશે. રુહ ક્યાં જશે? પોતાની રુહાની દુનિયામાં. આ છે શરીરો ની દુનિયા, તે છે
રુહાની દુનિયા. બાળકોને બાપએ સમજાવ્યું છે કે હવે ઘરે પાછું જવાનું છે, જ્યાંથી
પાર્ટ ભજવવા અહીં આવ્યા છો. આ બહુ જ મોટો માંડવો અથવા સ્ટેજ છે. સ્ટેજ પર અભિનય કરી
પાર્ટ ભજવીને ફરી બધાએ પાછું જવાનું છે. નાટક જ્યારે પૂરું થશે ત્યારે તો જશો ને.
હમણા તમે અહીંયા બેઠા છો, તમારો બુદ્ધિયોગ ઘર અને રાજધાનીમાં છે. આ તો પાકું-પાકું
યાદ કરી લો કારણકે આ તો ગાયન છે અંત મતી સો ગતિ. હમણાં અહી તમે ભણી રહ્યા છો, જાણો
છો ભગવાન શિવબાબા અમને ભણાવે છે. ભગવાન તો સિવાય આ પુરુષોત્તમ સંગમયુગના ક્યારે પણ
ભણાવશે નહીં. આખા ૫ હજાર વર્ષ માં નિરાકાર ભગવાન બાપ એક જ વખત આવીને ભણાવે છે. આ તો
તમને પાકો નિશ્ચય છે. ભણતર પણ કેટલું સહજ છે, હવે ઘરે જવાનું છે. તે ઘરથી તો આખી
દુનિયાને પ્રેમ છે. મુક્તિધામમાં જવાનું તો બધા જ ઈચ્છે છે પરંતુ તેનો પણ અર્થ નથી
સમજતા. મનુષ્યની બુદ્ધિ આ સમયે કેવી છે અને તમારી બુદ્ધિ હમણાં કેવી બની છે, કેટલું
અંતર છે. તમારી છે સ્વચ્છ બુદ્ધિ, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આખા વિશ્વ નાં
આદિ-મધ્ય-અંત નુ નોલેજ તમને સારી રીતે છે. તમારા દિલમાં છે કે અમારે હમણાં
પુરુષાર્થ કરી નર થી નારાયણ જરૂર બનવાનું છે. અહીંયા થી તો પહેલા પોતાના ઘરે જશો
ને. તો ખુશી થી જવાનું છે. જેમ સતયુગમાં દેવતાઓ ખુશીથી એક શરીર છોડી બીજું લે છે,
તેમ આ જૂનાં શરીરને પણ ખુશીથી છોડવાનું છે. આનાથી હેરાન નથી થવાનું કારણ કે આ બહુ જ
કિમતી શરીર છે. આ શરીર દ્વારા જ આત્મા ને બાપ થી લોટરી મળે છે. આપણે જ્યાં સુધી
પવિત્ર નથી બન્યા ત્યાં સુધી ઘરે જઇ નહીં શકીએ. બાપ ને યાદ કરતા રહેશો ત્યારે જ તે
યોગબળથી પાપોનો બોજો ઉતરશે. નહીં તો બહુજ સજા ખાવી પડશે. પવિત્ર તો જરૂર બનવાનું
છે. લૌકિક સંબંધમાં પણ બાળકો કોઈ ગંદા પતિત કામ કરે છે તો બાપ ગુસ્સામાં આવીને
લાકડીથી પણ મારી દે છે કારણકે ગેરકાયદેસર પતિત બને છે. કોઈની સાથે પણ ગેરકાયદેસર
પ્રેમ રાખે છે તો પણ મા-બાપને ગમતું નથી. આ બેહદનાં બાપ કહે છે આપ બાળકોને અહીંયા
તો રહેવાનું નથી. હવે તમારે જવાનું છે નવી દુનિયામાં. ત્યાં વિકારી પતિત કોઈ હોતું
નથી. એક જ પતિત-પાવન બાપ આવીને આવાં પાવન તમને બનાવે છે. બાપ સ્વયં કહે છે મારો
જન્મ દિવ્ય અને અલૌકિક છે, અને કોઈ પણ આત્મા મારા સમાન શરીરમાં પ્રવેશ નથી કરી સકતી.
ભલે ધર્મસ્થાપક જે આવે છે તેમની આત્મા પણ પ્રવેશ કરે છે પરંતુ તે વાત જ અલગ છે. હું
તો આવું જ છું સર્વને પાછા લઈ જવા માટે. તેઓ તો ઉપરથી ઉતરે છે નીચે સ્વયંનો પાર્ટ
ભજવવા. હું તો બધાને લઈ જાઉં છું પછી કહે છે કે તમે કેવી રીતે પહેલા-પહેલા નવી
દુનિયામાં ઉતરશો. તે નવી દુનિયા સતયુગમાં બગલા કોઈ પણ હોતા નથી. બાપ તો આવે છે આ
બગલાઓની વચમાં. પછી તમને હંસ બનાવે છે. હવે તમે હંસ બનો છો, મોતી જ વીણો છો. સતયુગમાં
તમને આ રત્ન નહીં મળે. અહીંયા તમને જ્ઞાન રત્ન વીણીને પછી હંસ બનો છો. બગલા થી તમે
હંસ કેવી રીતે બનો છો, એ બાપ બેસીને સમજાવે છે. હમણાં તમને હંસ બનાવે છે. દેવતાઓને
હંસ, અસુરોને બગલા કહેવાય છે. હમણાં તમે કાદવ છોડાવી મોતી વિણાવો છો.
તમને જ પદ્માંપદમ ભાગ્યશાળી કહેવાય છે. તમારા પગમાં છાપ લાગે છે પદમ ની. શિવબાબા ને
તો પગ છે નહીં જે પદમ થઈ શકે. તેઓ તો તમને પદ્માંપદમ ભાગ્યશાળી બનાવે છે. બાપ કહે
છે હું તમને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યો છું. આ બધી વાત સારી રીતે સમજવાની છે.
મનુષ્ય એ તો સમજે છે ને સ્વર્ગ હતું. પરંતુ ક્યારે હતું પછી પાછું કેવી રીતે થશે,
તે ખબર નથી. આપ બાળકો હવે અજવાળામાં આવ્યા છો. તેઓ છે બધાં અંધકારમાં. આ
લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક ક્યારે, કેવી રીતે બન્યા એ ખબર જ નથી. ૫ હજાર વર્ષની
વાત છે. બાપ બેસીને સમજાવે છે જેમાં તમે આવો છો પાર્ટ ભજવવા, તેમ હું પણ આવું છું.
તમે નિમંત્રણ આપીને બોલાવો છો - હે બાબા, અમને પતિતો ને આવીને પાવન બનાવો. બીજા
કોઈને પણ આવી રીતે ક્યારેય નહીં કહેશે, પોતાના ધર્મસ્થાપક ને પણ આવી રીતે નહીં કહેશે
કે આવીને બધાને પાવન બનાવો. ક્રાઇસ્ટ અથવા બુદ્ધને થોડી પતિત-પાવન કહેશું. ગુરુ તે
જે સદ્દગતિ કરે. તેઓ તો આવે છે, એમની પાછળ બધાને નીચે ઉતરવાનું છે. અહીંયા થી પાછા
જવાનો રસ્તો બતાવવાવાળા, સર્વના સદ્દગતિ કરવાવાળા અકાળમૂર્ત એક જ બાપ છે. વાસ્તવ
માં સદ્દગુરુ અક્ષર જ સાચો છે. તમારા બધાથી સાચો અક્ષર તો પછી શીખ લોકો બોલે છે.
મોટા-મોટા અવાજથી કહે છે - સદ્દગુરુ અકાલ. બહુ જોરથી ધુન લગાડે છે, સતગુરુ
અકાલમૂર્ત કહે છે. મૂર્ત જ ન હોય તો તે પછી સદ્દગુરુ કેવી રીતે બનશે, સદ્દગતિ કેવી
રીતે આપશે? તે સદ્દગુરુ સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે - હું તમારી જેમ જન્મ નથી
લેતો. બીજા તો બધા શરીરધારી બેસીને સંભળાવે છે. તમને અશરીરી રુહાની બાપ બેસીને
સમજાવે છે. રાત-દિવસ નું અંતર છે. આ સમયે મનુષ્ય જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે
કારણ કે રાવણની મત પર છે ને. દરેક માં ૫ વિકાર છે. હમણાં રાવણ રાજ્ય છે, આ વાતો
વિસ્તારમાં બાપ બેસીને સમજાવે છે. નહીં તો આખી દુનિયાનાં ચક્રની ખબર કેવી રીતે પડે.
આ ચક્ર કેવી રીતે ફરે છે, ખબર પડવી જોઈએ ને. આ પણ તમે નથી કહેતા કે બાબા સમજાવો.
પોતે જ બાપ સમજાવતા રહે છે. તમારે એક પણ પ્રશ્ન પૂછવાનો નથી રહેતો. ભગવાન તો બાપ
છે. બાપનું કામ છે, બધું જ પોતે સંભળાવે, પોતે જ બધું કરનાર. બાળકોને સ્કૂલમાં બાપ
પોતે જ બેસાડે છે. નોકરી પર લગાડે છે પછી તેમને કહે છે ૬૦ વર્ષ પછી આ બધું છોડી
ભગવાન નાં ભજન કરજો. વેદ-શાસ્ત્ર, વગેરે વાંચવા, પૂજા કરવી. તમે અડધો કલ્પ પૂજારી
બની પછી અડધા કલ્પ માટે પૂજ્ય બનો છો. પવિત્ર કેવી રીતે બનો એના માટે કેટલું સહજ
સમજાવવામાં આવે છે. પછી ભક્તિ સાવજ છૂટી જાય છે. તેઓ બધા ભક્તિ કરી રહ્યા છે, તમે
જ્ઞાન લઈ રહ્યા છો. તેઓ રાતમાં છે, તમે દિવસમાં જાઓ છો. અર્થાત સ્વર્ગમાં. ગીતામાં
લખેલું છે મનમનાભવ, આ અક્ષર તો પ્રખ્યાત છે. ગીતા વાંચવા વાળા સમજી શકે છે, બહુ જ
સહજ લખેલું છે. આખું જીવન ગીતા વાંચતા આવ્યા છે, કંઈ પણ નથી સમજતા. હવે એ જ ગીતાના
ભગવાન બેસીને શીખવાડે છે તો પતિત થી પાવન બની જઈએ છે. હવે આપણે ભગવાનથી ગીતા
સાંભળીએ છીએ પછી બીજાને સંભળાવીએ છીએ, પાવન બનીએ છીએ.
બાપનાં મહાવાક્ય છે ને - આ છે જ સહજ રાજયોગ. મનુષ્ય કેટલા અંધશ્રદ્ધા માં ડૂબેલા
છે, તમારી તો વાત જ નથી સાંભળતા. ડ્રામા અનુસાર તેમની પણ જ્યારે તકદીર ખુલશે ત્યારે
જ આવી સકે, તમારી પાસે. તમારા જેવી તકદીર બીજા કોઈ ધર્મ વાળાની નથી હોતી. બાપ એ
સમજાવ્યું છે આ તમારો દેવી-દેવતા ધર્મ બહુ જ સુખ આપવાવાળો છે. તમે પણ સમજો છો - બાપ
બરાબર કહે છે. શાસ્ત્રોમાં તો ત્યાં પણ કંસ-રાવણ વગેરે દેખાડે છે. ત્યાંના સુખની તો
કોઈને પણ ખબર જ નથી. ભલે દેવતાઓને પૂજે છે પરંતુ બુદ્ધિ માં કાંઈ નથી બેસતું. હવે
બાપ કહે છે – બાળકો, મને યાદ કરો છો? આવું ક્યારેય સાંભળ્યું છે કે બાપ બાળકોને કહે
કે તમે મને યાદ કરો. લૌકિક બાપ ક્યારે આવો યાદ કરાવવાનો પુરુષાર્થ કરાવે છે કે? આ
બેહદ નાં બાપ બેસીને સમજાવે છે. તમે આખા વિશ્વનાં આદિ-મધ્ય-અંતને જાણીને ચક્રવર્તી
રાજા બની જશો. પહેલા તમે જશો ઘરે. પછી આવવાનું છે પાર્ટધારી બની ને. હમણાં કોઈને
ખબર પણ નહી પડે કે આ નવી આત્મા છે કે જૂની આત્મા છે. નવી આત્માઓનું નામ જરૂર થાય
છે. હમણાં પણ જોવો કોઈ-કોઈ નું કેટલું નામ થાય છે. મનુષ્ય બહુજ આવી જાય છે.
બેઠા-બેઠા અનાયાસ જ આવી જાય છે. તો તે પ્રભાવ પડે છે. બાબા પણ આમનામાં અનાયાસ જ આવે
છે તો પ્રભાવ પડે છે. તે પણ નવી આત્માઓ આવે છે તો જૂના પર પ્રભાવ પડે છે. ડાળ-ડાળીઓ
નીકળતી જાય છે તો તેમની મહિમા થાય છે. કોઈને ખબર નથી રહેતી કે તેમનું નામ કેમ
પ્રસિદ્ધ છે? નવી આત્મા હોવાથી તેમનામાં આકર્ષણ હોય છે. હવે તો જુઓ કેટલા બધા જુઠ્ઠા
ભગવાન બની ગયા છે, એટલે ગાયન છે સત્યની નાવ હાલસે-ડોલસે છે પણ ડૂબતી નથી. તોફાન પણ
ઘણા આવે છે કારણકે ભગવાન નાવિક (ખેવૈયા) છે ને. બાળકો પણ હલે છે, નાવ ને પણ તોફાન
બહુ લાગે છે. બીજા સત્સંગમાં તો ઘણા જાય છે પરંતુ ત્યાં ક્યારેય તોફાન વગેરેની વાત
નથી આવતી. અહીંયા અબળાઓ પર કેટલા અત્યાચાર થાય છે પરંતુ તો પણ સ્થાપના તો થવાની છે.
બાપ બેસીને સમજાવે છે - હે આત્માઓ, તમે કેટલા જંગલી કાંટા બની ગયા છો, બીજાને કાંટા
લગાવો છો તો તમને પણ કાંટા લાગે છે. જવાબ તો દરેક વાત નો મળે છે. ત્યાં દુઃખ ની
છી-છી વાતો કોઈ હોતી નથી એટલે તેને કહેવાય જ છે સ્વર્ગ. મનુષ્ય સ્વર્ગ અને નર્ક કહે
છે પરંતુ સમજતા નથી. કહે છે ફલાણા સ્વર્ગ માં ગયા, આ કહેવું પણ હકીકતમાં ખોટું છે.
નિરાકારી દુનિયા ને કોઈ સ્વર્ગ થોડી કહેવાય છે. તે છે મુક્તિધામ. આ લોકો પછી કહે છે
સ્વર્ગમાં ગયા.
હવે તમે જાણો છો - આ મુક્તિધામ આત્માઓનું ઘર છે. જેમ અહિયાં ઘર હોય છે. ભક્તિમાર્ગમાં
જે બહુ જ ધનવાન હોય છે, તો કેટલા ઊંચા મંદિર બનાવે છે. શિવનાં મંદિર જુઓ કેવા
બનાવેલા છે. લક્ષ્મી-નારાયણનાં મંદિર બનાવે છે તો સાચા દાગીના વગેરે કેટલા હોય છે.
અઢળક ધન હોય છે. હમણાં તો ખોટું થઈ ગયું છે. તમે પણ પહેલા કેટલા સાચા દાગીના પહેરતા
હતા. હમણાં તો ગવર્મેન્ટ ના ડર થી સાચું છુપાડી ખોટું પહેરતા રહે છે. ત્યાં તો છે
સાચું જ સાચું. ખોટું કંઈ પણ હોતું નથી. અહીંયા સાચું હોવા છતાં પણ છુપાવીને રાખી
દે છે. દિન-પ્રતિદિન સોનુ મોંઘું થતું રહે છે. ત્યાં તો છે જ સ્વર્ગ. તમને બધું જ
નવું મળશે. નવી દુનિયામાં બધું જ નવું, અથાહ ધન હતું. હમણાં તો જુઓ દરેક વસ્તુ કેટલી
મોંઘી થઈ ગઈ છે. હવે આપ બાળકોને મૂળવતન થી લઈને બધા જ રહસ્ય સમજાવ્યા છે. મૂળવતન
નું રહસ્ય બાપ વગર કોણ સમજાવશે. તમારે પણ પછી શિક્ષક બનવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં
પણ ભલે રહો. કમળ ફૂલ સમાન પવિત્ર રહો. બીજાને પણ આપ સમાન બનાવશો તો બહુ જ ઊંચું પદ
પામી સકો છો. અહીંયા રહેવાવાળા થી પણ તેઓ ઊંચું પદ પામી સકે છે. નંબરવાર તો છે જ.
બહાર રહેતા પણ વિજય માળામાં પરોવાઈ શકો છો. સપ્તાહ નો કોર્સ કરી પછી ભલે વિદેશમાં
જાય, ક્યાંય પણ જાય. આખી દુનિયાને પણ સમાચાર મળવાના છે. બાપ આવ્યા છે. ફક્ત કહે છે
મામેકમ યાદ કરો. એ બાપ જ લિબ્રેટર છે, ગાઈડ છે. ત્યાં તમે જશો તો સમાચારમાં પણ બહુ
જ નામ થઈ જશે. બીજાને પણ આ બહુજ સહજ વાત લાગશે - આત્મા અને શરીર બે વસ્તુ છે. આત્મા
માં જ મન-બુદ્ધિ છે, શરીર તો જડ છે. પાર્ટધારી આત્મા બને છે. વિશેષતા વાળી વસ્તુ
આત્મા છે તો હવે બાપ ને યાદ કરવાના છે. અહીંયા રહેવાવાળા એટલું યાદ નથી કરતા, જેટલું
બહારવાળા કરે છે. જે બહુ જ યાદ કરે છે અને આપ સમાન બનાવતા રહે છે, કાંટાને ફૂલ
બનાવતા રહે છે, તે ઉચ્ચ પદ પામે છે. તમે સમજો છો પહેલા અમે પણ કાંટા હતા. હવે બાપએ
કાયદો નીકાળ્યો છે – કામ મહાશત્રુ છે, એના પર જીત પામવાથી તમે જગતજીત બની જશો. પરંતુ
લિખિત થી કોઈ સમજે થોડી છે. હવે બાપએ સમજાવ્યું છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) સદા જ્ઞાન
રત્ન વિણવા વાળા હંસ બનવાનું છે, મોતી જ વીણવાના છે. કાદવને છોડી દેવાનું છે. દરેક
કદમ માં પદમો ની કમાણી જમા કરી પદ્માંપદમ ભાગ્યશાળી બનવાનું છે.
2) ઊંચુ પદ પામવા માટે શિક્ષક બનીને બહુ બધાની સેવા કરવાની છે. કમળ ફૂલ સમાન પવિત્ર
રહી આપ સમાન બનાવવાના છે. કાંટાને ફુલ બનાવવાના છે.
વરદાન :-
સહજ યોગ ની
સાધના દ્વારા સાધનો પર વિજય પ્રાપ્ત કરવાવાળા પ્રયોગી આત્મા ભવ:
સાધનો હોવા છતાં,
સાધનોને પ્રયોગમાં લાવતા યોગની સ્થિતિ ડગમગ ન થાય. યોગી બની પ્રયોગ કરવો એને કહેવાય
છે ન્યારા. હોવા છતાં નિમિત્ત માત્ર, અનાસક્ત રુપથી પ્રયોગ કરો. જો ઈચ્છા હશે તો તે
ઇચ્છા સારા બનવા નહીં દે. મહેનત કરવામાં જ સમય વીતી જશે. તે સમયે તમે સાધનામાં
રહેવાનો પ્રયત્ન કરશો અને સાધન પોતાની તરફ આકર્ષિત કરશે એટલે પ્રયોગી આત્મા બની સહજ
યોગની સાધના દ્વારા સાધનોની ઉપર અર્થાત પ્રકૃતિ પર વિજયી બનો.
સ્લોગન :-
મારાપણ નાં
અનેક સંબંધોને સમાપ્ત કરવા જ ફરિશ્તા બનવું છે.