14-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો -
સર્વશક્તિમાન્ બાપ આવ્યા છે તમને શક્તિ આપવા, જેટલું યાદમાં રહેશો એટલી શક્તિ મળતી
રહેશે”
પ્રશ્ન :-
આ ડ્રામા સૌથી
સારા માં સારો પાર્ટ આપ બાળકોનો છે - કેવી રીતે?
ઉત્તર :-
આપ બાળકો જ
બેહદનાં બાપના બનો છો. ભગવાન શિક્ષક બનીને તમને જ ભણાવે છે તો ભાગ્યશાળી થયા ને.
વિશ્વનાં માલિક તમારા મહેમાન બનીને આવ્યા છે, એ તમારા સહયોગથી વિશ્વનું કલ્યાણ કરે
છે. આપ બાળકોએ બોલાવ્યા અને બાપ આવ્યા, આ છે બે હાથની તાળી. હમણાં બાપથી આપ બાળકોને
આખાં વિશ્વ પર રાજ્ય કરવાની શક્તિ મળે છે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો રુહાની બાપની સામે બેઠા છે. શિક્ષકનાં સામે પણ બેઠા છે અને એ પણ જાણે
છે આ બાબા ગુરુનાં રુપમાં આવ્યા છે આપણને બાળકોને લઈ જવા. બાપ પણ કહે છે - હે રુહાની
બાળકો, હું આવ્યો છું તમને અહીંથી લઈ જવા. આ જૂની દુનિયા બની ગઈ છે અને આ પણ જાણો
છો કે આ દુનિયા છી-છી છે. આપ બાળકો પણ છી-છી બની ગયા છો. સ્વયં જ પોતે કહો છો
પતિત-પાવન બાબા આવીને અમને પતિતો ને આ દુઃખધામ થી શાંતિધામ માં લઈ જાઓ. હમણાં તમે
અહીંયા બેઠા રહો છો તો આ દિલમાં આવવું જોઈએ. બાપ પણ કહે છે હું તમારા બોલાવા પર,
નિમંત્રણ પર આવ્યો છું. બાપ યાદ દેવડાવે છે બરાબર તમે બોલાવતા હતા ને આવો. હવે તમને
સ્મૃતિ આવી છે અમે બોલાવ્યા છે. હવે બાબા આવેલાં છે ડ્રામા અનુસાર પહેલા ની જેમ. તે
લોકો પ્લાન (યોજનાં) બનાવે છે ને. આ પણ શિવબાબા નો પ્લાન છે. આ સમયે બધાનાં
પોત-પોતાનાં પ્લાન છે ને. ૫ વર્ષનો પ્લાન બનાવે છે, તેમાં આ-આ કરશું, વાતો જુઓ કેવી
આવીને મળે છે. પહેલા આ પ્લાન વગેરે નહોતા બનાવતા, હવે પ્લાન બનાવતા રહે છે. આપ બાળકો
જાણો છો આપણા બાબા નો પ્લાન આ છે. ડ્રામાનાં પ્લાન અનુસાર ૫ હજાર વર્ષ પહેલા મેં આ
પ્લાન બનાવ્યો હતો. તમે મીઠા-મીઠા બાળકો જે અહીંયા બહુ જ દુઃખી થયા છો, વૈશ્યાલય
માં પડ્યા છો, હવે હું આવ્યો છું તમને શિવાલયમાં લઈ જવા. એ શાંતિધામ છે નિરાકારી
શિવાલય અને સુખધામ છે સાકારી શિવાલય. તો આ સમયે બાપ આપ બાળકોને રિફ્રેશ કરી રહ્યા
છે. તમે બાપની સમ્મુખ બેઠા છો ને. બુદ્ધિમાં નિશ્ચય તો છે બાબા આવેલાં છે. “બાબા”
અક્ષર બહુ જ મીઠો છે. આ પણ જાણો છો આપણે આત્માઓ એ બાપના બાળકો છીએ પછી પાર્ટ ભજવવા
માટે આ બાબા નાં બનીએ છીએ. કેટલો સમય તમને લૌકિક બાબા ઓ મળ્યા છે? સતયુગ થી લઈને
સુખ અને દુઃખ નો પાર્ટ ભજવ્યો છે. હવે તમે જાણો છો અમારો દુઃખનો પાર્ટ પૂરો થાય છે,
સુખનો પાર્ટ પણ પૂરો ૨૧ જન્મ ભજવ્યો છે. પછી અડધો કલ્પ દુઃખનો પાર્ટ ભજવ્યો. બાબા એ
તમને સ્મૃતિ દેવડાવી છે, બાબા પૂછે છે બરાબર એવુ છે ને. હવે ફરી તમારે અડધો કલ્પ
સુખનો પાર્ટ ભજવવાનો છે. આ જ્ઞાનથી તમારી આત્મા ભરપૂર રહે છે પછી ખાલી થઈ જાય છે.
ફરી બાપ ભરપૂર કરે છે, તમારા ગળામાં વિજય માળા પડી છે. ગળામાં જ્ઞાનની માળા છે.
બરાબર આપણે ચક્ર લગાવતા રહીએ છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ ફરી આવીયે છીએ આ
સ્વીટ સંગમ પર. આને સ્વીટ કહેશું. શાંતિધામ કોઈ સ્વીટ નથી. સૌથી સ્વીટ છે
પુરુષોત્તમ કલ્યાણકારી સંગમયુગ. ડ્રામામાં તમારો પણ સારામાં સારો પાર્ટ છે. તમે
કેટલા (લકી) ભાગ્યશાળી છો. બેહદનાં બાપનાં તમે બનો છો. એ આવીને આપ બાળકોને ભણાવે
છે. કેટલું ઊંચું, કેટલું સહજ ભણતર છે. કેટલા તમે ધનવાન બનો છો, આમાં કોઈ મહેનત નથી
કરવી પડતી. ડોક્ટર, એન્જિનિયર વગેરે કેટલી મહેનત કરે છે, તમને તો વારસો મળે છે,
બાપની કમાણી પર બાળકો નો હક હોય છે ને. તમે આ ભણીને ૨૧ જન્મોની સાચી કમાણી કરો છો.
ત્યાં તમને કોઈ (ઘાટો) નુકસાન નથી પડતું જે બાપ ને યાદ કરવા પડે, એને જ અજપાજાપ
કહેવાય છે. તમે જાણો છો બાબા આવેલા છે. બાપ પણ કહે છે હું આવ્યો છું, બંને હાથની
તાળી વાગશે ને. બાપ કહે છે મને યાદ કરો તો જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થઈ જાય. ૫
વિકારો રુપી રાવણએ તમને પાપ આત્મા બનાવ્યા છે ફરી પુણ્ય આત્મા પણ બનવાનું છે, આ
બુદ્ધિ માં આવવું જોઈએ. આપણે બાપની યાદ થી પવિત્ર બનીને પછી ઘરે જઈશું, બાપની સાથે.
ફરી આ ભણતરથી આપણને માઈટ (શક્તિ) મળે છે. દેવી-દેવતા ધર્મ માટે કહેવાય છે રિલીજન ઈઝ
માઈટ (ધર્મ એજ શક્તિ છે). બાપ તો છે સર્વશક્તિમાન્. તો બાબાથી આપણને વિશ્વમાં શાંતિ
સ્થાપન કરવાની તાકાત મળે છે. આ બાદશાહી આપણાથી કોઈ છીનવી ન શકે. એટલી તાકાત મળે છે.
રાજાઓનાં હાથમાં જુઓ કેટલી તાકાત આવી જાય છે. કેટલા એમનાંથી ડરે છે. એક રાજાની કેટલી
પ્રજા, લશ્કર વગેરે હોય છે પરંતુ તે છે અલ્પકાળ ની તાકાત. આ પછી છે ૨૧ જન્મોની
તાકાત. હવે તમે જાણો છો આપણને સર્વશક્તિમાન્ બાપથી તાકાત મળે છે વિશ્વ પર રાજ્ય
કરવાની. પ્રેમ તો રહે છે ને. દેવતાઓ પ્રેકટીકલમાં નથી તો પણ કેટલો પ્રેમ હોય છે.
જ્યારે સમ્મુખ હશે તો પ્રજાનો કેટલો પ્રેમ હશે. યાદની યાત્રાથી આ બધી તમે તાકાત લઈ
રહ્યા છો. આ વાતો ભૂલો નહીં. યાદ કરતા-કરતા તમે બહુ જ તાકાતવાળા બની જાઓ છો.
સર્વશક્તિમાન્ બીજા કોઈને નથી કહેવાતું. બધાંને શક્તિ મળે છે, આ સમયે કોઈનાં માં
શક્તિ નથી, બધાં તમોપ્રધાન છે. પછી બધી આત્માઓને એકથી જ શક્તિ મળી જાય છે પછી પોતાની
રાજધાનીમાં આવીને પોત-પોતાનો પાર્ટ ભજવે છે. પોતાનો હિસાબ-કિતાબ કરી ફરી એવી રીતે જ
નંબરવાર શક્તિમાન બને છે. પહેલા નંબરમાં છે આ દેવતાઓમાં શક્તિ. આ લક્ષ્મી-નારાયણ
બરાબર આખા વિશ્વનાં માલિક હતા ને. તમારી બુદ્ધિમાં આખી સૃષ્ટિનું ચક્ર છે. જેમ તમારી
આત્મામાં આ નોલેજ છે, તેમ બાબાની આત્મામાં પણ બધું નોલેજ છે. હમણાં તમને જ્ઞાન આપી
રહ્યા છે. ડ્રામામાં પાર્ટ ભરેલો છે જે રીપીટ (પુનરાવર્તન) થતો રહે છે. ફરી આ પાર્ટ
૫ હજાર વર્ષ પછી રિપીટ (પુનરાવર્તન) થશે. આ પણ આપ બાળકો જાણો છો. તમે સતયુગમાં
રાજ્ય કરો છો તો બાપ રીટાયર્ડ લાઈફ (નિવૃત્તિ) માં રહે છે પછી ક્યારે સ્ટેજ પર આવે
છે? જ્યારે તમે દુઃખી થાઓ છો. તમે જાણો છો એમની અંદર પૂરો રેકોર્ડ ભરેલો છે. કેટલી
નાની આત્મા છે, એમાં કેટલી સમજ હોય છે. બાપ આવીને કેટલી સમજ આપે છે. પછી ત્યાં
સતયુગમાં આ બધું ભૂલી જાઓ છો. સતયુગમાં તમને આ નોલેજ હોતું નથી. ત્યાં તમે સુખ
ભોગવતા રહો છો. આ પણ હવે તમે સમજો છો, સતયુગમાં આપણે દેવતા બની સુખ ભોગવીએ છીએ. હમણાં
આપણે બ્રાહ્મણ છીએ. ફરી દેવતા બની રહ્યા છીએ. આ જ્ઞાન બુદ્ધિ માં સારી રીતે ધારણ
કરવાનું છે. કોઈને સમજાવવામાં ખુશી થાય છે ને. તમે જેમ કે પ્રાણ દાન આપો છો. કહે છે
ને કાળ આવીને બધાંને લઈ જાય છે. કાળ વગેરે કોઈ છે નહીં. આતો બન્યો-બનાવેલ ડ્રામા
છે. આત્મા કહે છે હું એક શરીર છોડી ચાલી જાઉં છું ફરી બીજું શરીર લઉં છું. મને કોઈ
કાળ નથી ખાતો. આત્માને ફીલિંગ આવે છે. આત્મા જ્યારે ગર્ભમાં રહે છે તો સાક્ષાત્કાર
કરી દુઃખ ભોગવે છે. અંદર સજા ભોગવે છે એટલે એને કહેવાય છે ગર્ભ જેલ. કેટલો આ
વન્ડરફુલ ડ્રામા બનેલો છે. ગર્ભ જેલમાં સજાઓ ખાઈ પોતાનો સાક્ષાત્કાર કરતા રહે છે.
સજા કેમ મળી? સાક્ષાત્કાર તો કરાવશે ને – આ-આ બેકાયદેસર કામ કર્યું છે, આમને દુઃખ
દીધું છે. ત્યાં બધાં સાક્ષાત્કાર થાય છે પછી પણ બહાર આવીને પાપ આત્મા બની જાય છે.
બધાં પાપ ભસ્મ કેવી રીતે થશે? એ તો બાળકોને સમજાવ્યું છે - આ યાદની યાત્રાથી અને
સ્વદર્શન ચક્ર ફરાવવાથી તમારા પાપ કપાય છે. બાપ કહે પણ છે – મીઠા-મીઠા સ્વદર્શન
ચક્રધારી બાળકો, તમે ૮૪નું આ સ્વદર્શનચક્ર ફરાવશો તો તમારા જન્મ-જન્માંતરનાં પાપ
કપાઈ જશે. ચક્રને પણ યાદ કરવાનું છે, કોણે આ જ્ઞાન આપ્યું, એમને પણ યાદ કરવાનાં છે.
બાબા આપણને સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યા છે. બનાવે તો છે પરંતુ પછી રોજ-રોજ નવા
આવે છે તો તેમને તો રીફ્રેશ કરવાનાં હોય છે. તમને બધુ જ્ઞાન મળ્યું છે, હમણાં તમે
જાણો છો આપણે અહીંયા આવ્યા છીએ પાર્ટ ભજવવા. ૮૪ નું ચક્ર લગાવ્યું, હવે ફરી પાછું
જવાનું છે. આમ ચક્ર ફરાવતા રહો છો? બાપ જાણે છે બાળકો બહુ જ ભૂલી જાય છે. ચક્ર
ફરાવવામાં કોઈ તકલીફ નથી, ફુરસદ તો બહુ જ મળે છે. અંતમાં તમારી આ સ્વદર્શન ચક્રધારી
ની અવસ્થા રહેશે. તમારે એવું બનવાનું છે. સન્યાસી લોકો તો આ શિક્ષણ આપી નહીં શકે.
સ્વદર્શન ચક્રને સ્વયં ગુરુ લોકો જ જાણતા નથી. તેઓ તો ફક્ત કહેશે ચલો ગંગાજી પર.
કેટલા સ્નાન કરે છે! વધારે સ્નાન કરવાથી ગુરુઓની આવક થાય છે. ઘડી-ઘડી યાત્રા પર જાય
છે. હવે તે યાત્રા અને આ યાત્રા માં ફર્ક જુઓ કેટલો છે. આ યાત્રા તે બધી યાત્રાઓ
છોડાવી દે છે. આ યાત્રા કેટલી સહજ છે. ચક્ર પણ ફરાવો. ગીત પણ છે ને - ચારેય તરફ
લગાવ્યા ફેરા તો પણ હરદમ દૂર રહ્યાં. બેહદનાં બાપથી દૂર રહ્યા. આ તમને મહેસૂસતા આવે
છે. તે લોકો આ અર્થ ને નથી જાણતા. હવે તમે જાણો છો બહુ જ ફેરા લગાવતા રહ્યા. હવે આ
ફેરાથી તમે છૂટી ગયા છો. ફેરા લગાવતા કોઈ નજીક નથી આવતા બહુ જ દૂર થતાં ગયા. હવે
ડ્રામા પ્લાન અનુસાર બાપને જ આવવું પડે છે, બધાંને સાથે લઇ જવા. બાપ કહે છે મારી મત
પર તમારે ચાલવાનું જ છે, પવિત્ર બનવાનું છે. આ દુનિયાને જોવા છતાં નથી જોવાની. જ્યાં
સુધી નવું મકાન બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી જૂનાંમાં રહેવું પડે છે. બાપ સંગમ પર
જ આવે છે વારસો દેવા. બેહદનાં બાપ નો છે બેહદનો વારસો. બાળકો જાણે છે બાપનો વારસો
અમારો છે. એ ખુશીમાં રહે છે. પોતાની કમાણી પણ કરે છે અને બાપનો વારસો પણ મળે છે.
તમને તો વારસો જ મળે છે. ત્યાં તમને ખબર નહીં પડે સ્વર્ગ નો વારસો અમને કેવી રીતે
મળ્યો. ત્યાં તો તમારુ જીવન બહુ જ સુખી રહે છે કારણ કે તમે બાપને યાદ કરી માઈટ (શક્તિ)
લો છો. શક્તિ લો છો. પાપ કાપવાવાળા પતિત-પાવન એક જ બાપ છે. બાપ ને યાદ કરવા અને
સ્વદર્શન ચક્ર ફરાવવાથી જ તમારા પાપ કપાય છે. આ સારી રીતે નોંધ કરો. આ જ સમજાવવું
બસ છે. આગળ જઈ તમારે ટિક-ટિક નહીં કરવી પડશે. એક ઈશારો જ બસ છે. બેહદનાં બાપ ને યાદ
કરો તો તમારા પાપ કપાઈ જશે. તમે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાં આવો છો. આ તો
યાદ છે ને. બીજા કોઈની પણ બુદ્ધિમાં આ વાત નથી આવતી. અહિયાં તમે આવો છો, બુદ્ધિમાં
છે આપણે જઈએ છીએ બાપદાદાની પાસે. એમનાંથી નવી દુનિયા સ્વર્ગનો વારસો લેવા. બાપ કહે
છે સ્વદર્શન ચક્રધારી બનવાથી તમારા વિકર્મ વિનાશ થઇ જશે. હવે જે તમારું જીવન હીરા
જેવું બનાવે છે એને જુઓ. આ પણ તમે સમજો છો - આમાં જોવાની કોઈ વાત નથી. આ તમે દિવ્ય
દ્રષ્ટિ દ્વારા જાણો છો. આત્મા જ ભણે છે આ શરીર દ્વારા - આ જ્ઞાન હમણાં મળ્યું છે.
આપણે જે કર્મ કરીએ છીએ, આત્મા જ શરીર લઈને કર્મ કરે છે. બાબા ને પણ ભણાવવાનું છે,
એમનું નામ તો સદેવ શિવ જ છે. શરીરનાં નામ બદલાય છે. આ શરીર તો આપણું નથી, આ એની
મિલકત છે. શરીર આત્માની મિલકત હોય છે, જેનાંથી પાર્ટ ભજવે છે. આ તો બિલકુલ સહજ સમજની
વાત છે. આત્મા તો બધામાં છે, બધાનાં શરીરનાં નામ અલગ-અલગ પડે છે. આ પછી છે પરમ આત્મા,
સુપ્રીમ આત્મા. ઊંચેથી ઉંચા છે. હવે તમે સમજો છો ભગવાન તો એક છે ક્રિયેટર. બાકી બધાં
છે રચનાં પાર્ટ ભજવવા વાળા. આ પણ જાણી ગયા છો કેવી રીતે આત્માઓ આવે છે, પહેલા-પહેલા
આદિ સનાતન દેવી-દેવતા ધર્મની આત્મા હોય છે, થોડી. પછી પાછળથી લાયક બને છે પહેલા આવવા
માટે. આ સૃષ્ટિ ચક્ર ની જેમ કે માળા છે જે ફરતી રહે છે. માળાને તમે ફરાવો છો તો બધાં
દાણાનું ચક્ર ફરે છે ને. સતયુગ માં ભક્તિ જરા પણ નથી હોતી. બાપએ સમજાવ્યું છે - હે
આત્માઓ, મામેકમ્ યાદ કરો. તમારે ઘરે જરુર જવાનું છે, વિનાશ સામે ઊભો છે. યાદથી જ
પાપ કપાશે અને પછી સજાઓ ખાવાથી પણ છૂટી જશો. પદ પણ સારું મળશે. નહીં તો સજાઓ બહુ જ
ખાવી પડશે. હું આપ બાળકોની પાસે કેટલો સારો મહેમાન છું. હું આખા વિશ્વને ચેન્જ (પરિવર્તન)
કરું છું, જૂનાં વિશ્વને નવું બનાવી દઉં છું. તમે પણ જાણો છો બાબા કલ્પ-કલ્પ આવીને
વિશ્વ ને ચેન્જ (પરિવર્તન) કરી જૂનાં વિશ્વને નવું બનાવી દે છે. આ વિશ્વ નવાં થી
જૂનું, જૂનાં થી નવું થાય છે ને. તમે આ સમયે ચક્ર ફરાવતા રહો છો. બાપની બુદ્ધિ માં
જ્ઞાન છે, વર્ણન કરે છે તમારી બુદ્ધિમાં પણ છે ચક્ર કેવી રીતે ફરે છે. તમે જાણો છો
બાબા આવેલાં છે, એમની શ્રીમત પર આપણે પાવન બનીએ છીએ. યાદથી જ પાવન બનતા જઈશું, પછી
ઉંચ પદ પામશું. પુરુષાર્થ પણ કરાવવો જરુરી છે. પુરુષાર્થ કરાવવા માટે કેટલા ચિત્ર
વગેરે બનાવે છે. જે આવે છે એમને તમે ૮૪નાં ચક્ર પર સમજાવો છો. બાપને યાદ કરવાથી તમે
પતિત થી પાવન બની જશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) જ્ઞાન ને
બુદ્ધિમાં સારી રીતે ધારણ કરી અનેક આત્માઓને પ્રાણ દાન આપવાનું છે, સ્વદર્શન
ચક્રધારી બનવાનું છે.
2) આ સ્વીટ (મીઠા) સંગમ પર પોતાની કમાણી ની સાથે-સાથે બાપની શ્રીમત પર ચાલી પૂરો
વારસો લેવાનો છે. પોતાની લાઈફ (જીવન) સદા સુખી બનાવવાની છે.
વરદાન :-
સંગઠનમાં રહેતા,
સૌનાં સ્નેહી બનતાં બુદ્ધિનો સહારો એક બાપને બનાવવાવાળા કર્મયોગી ભવ:
કોઈ કોઈ બાળકો સંગઠનમાં
સ્નેહી બનવાને બદલે ન્યારા બની જાય છે. ડરે છે કે ક્યાંય ફસાઈ ન જઈએ, આનાંથી તો દૂર
રહેવું ઠીક છે. પરંતુ નહીં, ૨૧ જન્મ પરિવારમાં રહેવાનું છે, જો ડરીને કિનારો કરશે
તો આ પણ કર્મ-સંન્યાસીનાં સંસ્કાર થયા. કર્મયોગી બનવાનું છે, કર્મસંન્યાસી નહીં.
સંગઠનમાં રહો, સૌનાં સ્નેહી બનો પરંતુ બુદ્ધિ નો સહારો એક બાપ હોય, બીજું ન કોઈ.
બુદ્ધિને કોઈ આત્માનો સાથ, ગુણ કે કોઈ વિશેષતા આકર્ષિત ન કરે, ત્યારે કહેવાશે
કર્મયોગી પવિત્ર આત્મા.
સ્લોગન :-
બાપદાદાનાં
રાઈટ હેન્ડ બનો, લેફ્ટ હેન્ડ નહીં.