21-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - આત્મા રુપી બેટરી ને જ્ઞાન અને યોગ થી ભરપૂર કરી સતોપ્રધાન બનવાની છે , પાણીનાં સ્નાન થી નહીં ”

પ્રશ્ન :-
 સમયે બધી મનુષ્ય આત્માઓને ભટકાવવા વાળો કોણ છે? તે ભટકાવે કેમ છે?

ઉત્તર :-
બધાંને ભટકાવવા વાળો રાવણ છે કારણકે તે પોતે પણ ભટકે છે. તેને પોતાનું કોઈ ઘર નથી. રાવણ ને કોઈ બાબા નહીં કહેશે. બાપ તો પરમધામ ઘરે થી આવે છે પોતાનાં બાળકોને ઠેકાણું આપવાં. હવે તમને ઘરની ખબર પડી ગઈ એટલે તમે ભટકતા નથી. તમે કહો છો અમે બાપ થી પહેલાં-પહેલાં જુદા થયા હવે ફરી પહેલાં-પહેલાં ઘરે જઈશું.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકો અહીંયા બેસીને સમજે છે, આમનાં માં જે શિવબાબા આવ્યા છે, કેમ પણ કરીને આપણને સાથે ઘરે જરુર લઈ જશે. એ આત્માઓનું ઘર છે ને. તો બાળકોને જરુર ખુશી થતી હશે, બેહદનાં બાપ આવીને આપણને ગુલ-ગુલ બનાવે છે. કોઈ કપડાં વગેરે નથી પહેરાવતાં. આને કહેવાય છે યોગબળ, યાદનું બળ. જેટલો શિક્ષકનું રુતબો છે એટલો બીજો બાળકોને પણ રુતબો અપાવે છે. ભણતર થી વિદ્યાર્થી જાણે છે કે અમે આ બનશું. તમે પણ સમજો છો આપણાં બાબા શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. આ છે નવી વાત. આપણાં બાબા શિક્ષક છે, એમને આપણે યાદ કરીએ છીએ. આપણને ભણાવી આ બનાવી રહ્યા છે. આપણાં બેહદનાં બાબા આવેલાં છે- આપણને પાછાં ઘરે લઈ જવાં. રાવણનું કોઈ ઘર નથી હોતું, ઘર રામનું હોય છે. શિવબાબા ક્યાં રહે છે? તમે ઝટ કહેશો પરમધામમાં. રાવણને તો બાબા નહીં કહેશે. રાવણ ક્યાં રહે છે? ખબર નથી. એવું નહીં કહેશું કે રાવણ પરમધામ માં રહે છે. ના, તેનું જેમ કે ઠેકાણું જ નથી. ભટકતો રહે છે, તમને પણ ભટકાવે છે. તમે રાવણ ને યાદ કરો છો શું? ના. કેટલું તમને ભટકાવે છે. શાસ્ત્ર વાંચો, ભક્તિ કરો, આ કરો. બાપ કહે છે આને કહેવાય છે ભક્તિમાર્ગ, રાવણ રાજ્ય. ગાંધીજી પણ કહેતા હતાં રામરાજ્ય જોઈએ છે. આ રથમાં આપણાં શિવબાબા આવેલાં છે. મોટા બાબા છે ને. એ આત્માઓથી બાળકો-બાળકો કહી વાત કરે છે. હમણાં તમારી બુદ્ધિમાં છે રુહાની બાપ અને રુહાની બાપની બુદ્ધિમાં છે આપ રુહાની બાળકો કારણકે આપણું કનેક્શન છે જ મૂળવતન થી. આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ….. ત્યાં તો આત્માઓ બાપની સાથે ભેગી રહે છે. પછી અલગ થાય છે પોત-પોતાનો પાર્ટ ભજવવાં. લાંબાકાળ નો હિસાબ જોઈએ ને. તે બાપ બેસીને બતાવે છે. તમે હમણાં ભણતર ભણી રહ્યા છો. તમારા માં પણ નંબરવાર છે જે સારી રીતે ભણે છે. તેજ પહેલાં-પહેલાં મારાથી જુદા થયા છે. તેજ પછી મને બહુજ યાદ કરશે તો ફરી પહેલાં-પહેલાં આવી જશે.

બાપ બાળકોને બેસી આખા સૃષ્ટિ ચક્રનું ગુહ્ય રહસ્ય સમજાવે છે, જે બીજું કોઈ પણ નથી જાણતું. ગુહય પણ કહેવાય, ગુહ્યતમ પણ કહેવાય છે. આ તમે જાણો છો બાપ કોઈ ઉપરથી બેસીને નથી સમજાવતાં, અહીં આવીને સમજાવે છે-હું આ કલ્પવૃક્ષનું બીજરુપ છું. આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડને કલ્પવૃક્ષ કહેવાય છે. દુનિયાનાં મનુષ્ય તો બિલ્કુલ કંઈ નથી જાણતા. કુંભકરણની નિંદ્રામાં સૂતેલાં છે પછી બાપ આવીને જગાડે છે. હમણાં આપ બાળકોને જગાડ્યા છે બીજા બધાં સુતેલા પડ્યા છે. તમે પણ કુંભકરણની આસુરી નિંદ્રામાં સૂતેલાં હતા. બાપે આવીને જગાડયા છે, બાળકો જાગો. તમે ગાફિલ (અલબેલા) થઈ સૂતેલા પડ્યા છો, આને કહેવાય છે અજ્ઞાન નિંદ્રા. તે નિંદ્રા તો બધાં કરે છે. સતયુગ માં પણ કરે છે. હમણાં બધાં છે અજ્ઞાનની નિંદ્રામાં. બાપ આવીને જ્ઞાન આપીને બધાને જગાડે છે. હવે તમે બાળકો જાગ્યા છો, જાણો છો બાબા આવેલાં છે, આપણને લઈ જશે. હમણાં તો ન આ શરીર કામનું રહ્યું છે, ન આત્મા, બંને પતિત બની ગયાં છે, એકદમ મુલમ્મા (સોનાની પરત) નું છે. ૯ કેરેટ કહે અર્થાત્ બહુજ થોડું સોનુ, સાચું સોનુ ૨૪ કેરેટનું હોય છે. હવે બાપ આપ બાળકોને ૨૪ કેરેટમાં લઈ જવા ઈચ્છે છે. તમારી આત્માને સાચી-સાચી ગોલ્ડન એજેડ (સતોપ્રધાન) બનાવે છે. ભારતને સોનાની ચીડિયા (દુનિયા) કહેતા હતાં. હમણાં તો લોખંડની, ઠીક્કર-ભિત્તર ની ચીડિયા કહેશું. છે તો ચૈતન્ય ને. આ સમજવાની વાતો છે. જેમ આત્માને સમજો છો તેમ બાપને પણ સમજી શકો છો. કહે પણ છે ચમકે છે તારો. ખુબજ નાનો તારો છે. ડોક્ટરો વગેરે એ ઘણી કોશિશ કરી છે જોવાની પરંતુ દિવ્ય દ્રષ્ટિ વગર જોઇ નથી શકાતું. બહુજ સૂક્ષ્મ છે. કોઈ કહે છે આંખો થી આત્મા નીકળી ગઈ, કોઈ કહે છે મુખ થી નીકળી ગઈ. આત્મા નીકળીને જાય ક્યાં છે? બીજા તનમાં જઈને પ્રવેશ કરે છે. હવે તમારી આત્મા ઉપર ચાલી જશે શાંતિધામ. આ પાક્કી ખબર છે બાપ આવીને અમને ઘરે લઈ જશે. એક તરફ છે કળયુગ બીજી તરફ છે સતયુગ. હમણાં આપણે સંગમ પર ઊભા છીએ. વન્ડર છે. અહીંયા કરોડો મનુષ્ય છે અને સતયુગ માં ફક્ત ૯ લાખ! બાકી બધાનું શું થયું? વિનાશ થઈ જાય છે. બાપ આવે જ છે નવી દુનિયાની સ્થાપના કરવાં. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે. પછી પાલના પણ થાય છે બે રુપમાં. એવું તો નથી ચાર ભુજાવાળા કોઈ મનુષ્ય હશે. પછી તો શોભા જ નથી. બાળકોને પણ સમજાવી દે છે-ચતુર્ભૂજ છે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણનું કમબાઇન્ડ (એકત્ર) રુપ. શ્રી અર્થાત શ્રેષ્ઠ. ત્રેતામાં બે કળા ઓછી થઈ જાય છે. તો બાળકોને આ જે નોલેજ હમણાં મળે છે એની સ્મૃતિમાં રહેવાનું છે. મુખ્ય છે જ બે અક્ષર, બાપ ને યાદ કરો. બીજા કોઈની સમજમાં નહી આવશે. બાપ જ પતિત-પાવન સર્વ શક્તિમાન્ છે. ગાએ પણ છે બાબા, તમે અમને આખું આકાશ ધરતી બધું જ આપી દીધું. એવી કોઈ ચીજ નથી જે ન આપી હોય. આખા વિશ્વનું રાજ્ય આપી દીધું છે.

તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક હતાં. પછી ડ્રામાનું ચક્ર ફરે છે. સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ પણ જાણો છો વિકારી થી નિર્વિકારી, નિર્વિકારી થી વિકારી, આ ૮૪ જન્મોનો પાર્ટ અગણિત વાર ભજવ્યો છે. તેની ગણતરી ન કરી શકાય. આદમશુમારી (જનસંખ્યા) ભલે ગણતરી કરી લે છે. બાકી આ જે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન, સતોપ્રધાન થી તમોપ્રધાન બનો છો, એનો હિસાબ નિકાળી નથી શકતા કે કેટલીવાર બન્યા છો. બાબા કહે છે ૫ હજાર વર્ષનું આ ચક્ર છે. આ ઠીક છે. લાખો વર્ષની વાત તો યાદ પણ ન રહી શકે. હમણાં તમારા માં ગુણોની ધારણા થાય છે. જ્ઞાનનું ત્રીજુ નેત્ર મળી જાય છે. આ આંખોથી તમે જૂની દુનિયાને જુઓ છો. ત્રીજું નેત્ર જે મળે છે, તેનાથી નવી દુનિયાને જોવાની છે. આ દુનિયા તો કોઈ કામની નથી. જૂની દુનિયા છે. નવી અને જૂની દુનિયામાં ફરક જુઓ કેટલો છે. તમે જાણો છો આપણે જ નવી દુનિયાનાં માલિક હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આ બન્યા છીએ. આ સારી રીતે યાદ રાખવું જોઈએ અને પછી બીજાઓને પણ સમજાવવાનું છે-કેવી રીતે આપણે આ બનીએ છીએ? બ્રહ્મા સો વિષ્ણુ, પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે. બ્રહ્મા અને વિષ્ણુમાં ફરક જુઓ છો ને. વિષ્ણુ કેવાં સજ્યા-સજેલાં બેઠા છે અને બ્રહ્મા કેવાં સાધારણ બેઠા છે. તમે જાણો છો આ બ્રહ્મા, તે વિષ્ણુ બનવાનાં છે. આ કોઈને સમજાવવું પણ બહું સહજ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નો પરસ્પર શું સંબંધ છે? તમે જાણો છો આ વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે. આજ વિષ્ણુ દેવતા થી પછી આ મનુષ્ય બ્રહ્મા બને છે. તે વિષ્ણુ સતયુગનાં છે, બ્રહ્મા અહીંયાનાં છે. બાપએ સમજાવ્યું છે બ્રહ્માથી વિષ્ણુ બને સેકન્ડમાં, પછી વિષ્ણુને બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. તતત્વમ. કેવલ એક બ્રહ્માં જ તો નથી બનતાં ને! આ વાતો સિવાય બાપનાં બીજું કોઈ સમજાવી ન શકે. અહીંયા કોઈ મનુષ્ય ગુરુની વાત નથી. આમનાં પણ ગુરુ શિવબાબા, તમારાં બ્રાહ્મણોનાં પણ ગુરુ શિવબાબા છે. તેમને સદ્દગુરુ કહેવાય છે. તો બાળકોએ શિવબાબા ને જ યાદ કરવાનાં છે. કોઈને પણ આ સમજાવવું તો બહુંજ સહજ છે-શિવબાબા ને યાદ કરો. શિવબાબા સ્વર્ગ નવી દુનિયા રચે છે. ઊંચે થી ઊંચા ભગવાન્ શિવ છે. એ આપણાં, આત્માઓનાં બાબા છે. તો ભગવાન્ બાળકોને કહે છે મુજ બાપ ને યાદ કરો. યાદ કરવું કેટલું સહજ છે. બાળકનો જન્મ થાય છે અને ઝટ માં-માં તેનાં મુખથી જાતેજ નીકળે છે. માં-બાપનાં સિવાય બીજા કોઈ પાસે નહિ જશે. માં મરી જાય છે, તે પછી બીજી વાત છે. પહેલા છે માં અને બાપ પછી પાછળ બીજા મિત્ર-સંબંધી વગેરે હોય છે. તેમાં પણ જોડી-જોડી હશે. કાકા-કાકી બે છે ને. કુમારી હશે પછી મોટી થતાં જ કોઈ કાકી કહેશે, કોઈ મામી કહેશે.

હવે તમને બાપ સમજાવે છે તમે બધાં ભાઈ-ભાઈ છો. બસ, બીજા બધાં સંબંધ કેન્સલ કરે છે. ભાઈ-ભાઈ સમજશે તો એક બાપ ને યાદ કરશે. બાપ પણ કહે છે-બાળકો, મુજ એક બાપ ને યાદ કરો. કેટલાં મોટા બેહદનાં બાપ છે. એ મોટા બાબા તમને બેહદનો વારસો આપવા આવ્યા છે. ઘડી-ઘડી કહે છે મનમનાભવ. સ્વયં ને આત્મા સમજી બાપને યાદ કરો, આ વાત ભૂલો નહીં. દેહ-અભિમાન માં આવવાથી જ ભૂલી જાઓ છો. પહેલાં-પહેલાં તો સ્વયંને આત્મા સમજવાનું છે-આપણે આત્મા સાલિગ્રામ છીએ અને એક બાપ ને જ યાદ કરવાનાં છે. બાપએ સમજાવ્યું છે હું પતિત-પાવન છું, મને યાદ કરવાથી તમારી બેટરી જે ખાલી થઈ ગઈ છે તે ભરપૂર થઇ જશે, તમે સતોપ્રધાન બની જશો. પાણીની ગંગામાં તો જન્મ-જન્માંતર ગોતા ખાધાં છે પરંતુ પાવન બની ન શક્યા. પાણી કેવી રીતે પતિત-પાવન હોઈ શકે? જ્ઞાનથી જ સદ્દગતિ થાય છે. આ સમયે છે જ પાપ આત્માઓની જુઠ્ઠી દુનિયા. લેણ-દેણ પણ પાપ આત્માઓથી જ થાય છે? મન્સા-વાચા-કર્મણા પાપ આત્મા જ બને છે. હમણાં આપ બાળકોને સમજ મળી છે. તમે કહો છો અમે આ લક્ષ્મી-નારાયણ બનવાનાં માટે પુરુષાર્થ કરીએ છીએ. હમણાં તમારી ભક્તિ કરવાનું બંધ છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. આ (દેવતાઓ) સદ્દગતિ માં છે ને. બાપએ સમજાવ્યું છે આ બહુજ જન્મોનાં અંતમાં છે. બાપ કેટલું સહજ સમજાવે છે. આપ બાળકો કેટલી મહેનત કરો છો. કલ્પ-કલ્પ કરો છો. જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવાની છે. કહે છે ને ભગવાન જાદુગર છે, રત્નાગર છે, સૌદાગર છે. જાદુગર તો છે ને. જૂની દુનિયાને નર્ક થી બદલી સ્વર્ગ બનાવી દે છે. કેટલું જાદુ છે હવે તમે સ્વર્ગનાં રહેવાસી બની રહ્યા છો. જાણો છો હમણાં આપણે નર્કનાં રહેવાસી છીએ. નર્ક અને સ્વર્ગ અલગ છે. ૫ હજાર વર્ષનું ચક્ર છે. લાખો વર્ષની તો વાત જ નથી. આ વાતો ભુલવી ન જોઈએ. ભગવાનુવાચ છે ને-કોઈ જરુર છે જે પુનર્જન્મ રહિત છે. કૃષ્ણને તો શરીર છે. શિવ ને છે નહિ. એમને મુખ તો જરુર જોઈએ. તમને સંભળાવવા માટે આવીને ભણાવે છે ને. ડ્રામા અનુસાર બધું નોલેજ જ એમની પાસે છે. એ આખા કલ્પમાં એક જ વાર આવે છે દુઃખધામ ને સુખધામ બનાવવાં. સુખ-શાંતિ નો વારસો જરુર બાપ થી મળ્યો છે ત્યારે તો મનુષ્ય ઈચ્છે છે ને, બાપ ને યાદ કરે છે.

બાપ જ્ઞાન જુઓ કેવું સહજ રીતે આપે છે. અહીંયા બેઠાં પણ બાપને યાદ કરો, બાજોલી યાદ કરો તો પણ મનમનાભવ જ છે. બાપ જ આ બધું જ્ઞાન આપવાવાળા છે. તમે કહેશો અમે બેહદનાં બાપની પાસે જઈએ છીએ. બાપ આપણને શાંતિધામ-સુખધામ લઈ જવાનો રસ્તો બતાવે છે. અહીંયા બેઠાં ઘરને યાદ કરવાનું છે. સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાનાં છે, ઘરને યાદ કરવાનું છે અને નવી દુનિયાને યાદ કરવાની છે. આ જુની દુનિયા તો ખતમ થવાની જ છે. આગળ ચાલીને તમે વૈકુંઠને પણ ખુબજ યાદ કરશો. ઘડી-ઘડી વૈકુંઠમાં જતા રહેશો. શરુમાં બાળકીઓ ઘડી-ઘડી સાથે બેસી વૈકુંઠમાં ચાલી જતી હતી. આ જોઈને મોટા-મોટા ઘરવાળા પોતાનાં બાળકોને મોકલી દેતા હતાં. નામ જ રાખ્યું હતું ઓમ નિવાસ. કેટલા અસંખ્ય બાળકો આવ્યા પછી હંગામા થયાં. બાળકોને ભણાવતા હતાં. પોતે જ ધ્યાનમાં ચાલ્યા જતા હતાં. હમણાં આ ધ્યાન-દીદાર નો પાર્ટ બંધ કરી દીધો છે. અહીંયા પણ કબ્રિસ્તાન બનાવી દેતા હતાં. બધાંને સુવડાવી દેતા હતાં, કહેતાં હતાં હવે શિવબાબા ને યાદ કરો, ધ્યાન માં ચાલ્યા જતા હતાં. હવે આપ બાળકો પણ જાદુગર છો. કોઈને પણ જોશો અને તે ઝટ ધ્યાન માં ચાલ્યા જશે. આ જાદુ કેટલું સરસ છે. નૌધા ભક્તિમાં તો જ્યારે એકદમ પ્રાણ આપવા તૈયાર થાય છે ત્યારે તેમને દીદાર થાય છે. અહીંયા તો બાપ સ્વયં આવ્યા છે, આપ બાળકોને ભણાવીને ઊંચ પદ પ્રાપ્ત કરાવે છે. આગળ ચાલીને આપ બાળકો બહુજ સાક્ષાત્કાર કરતા રહેશો. બાપ થી હમણાં પણ કોઈ પૂછે તો બતાવી સકે છે કોણ ગુલાબ નું ફૂલ છે, કોણ ચંપા નું ફૂલ છે, કોણ ટગર છે? ટુહ (કળી) પણ હોય છે ને. (ટગર, ટુહ આ બધાં વિવિધ ફૂલોનાં નામ છે) અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહનાં સર્વ સંબંધ રદ કરી આત્મા ભાઈ-ભાઈ છે, આ નિશ્ચય કરવાનો છે અને બાપ ને યાદ કરી પુરા વારસાનાં અધિકારી બનવાનું છે.

2. હવે પાપ આત્માઓથી લેણ-દેણ નથી કરવાની. અજ્ઞાન નિંદ્રાથી બધાંને જગાડવાનાં છે, શાંતિધામ-સુખધામ જવાનો રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
કમળ પુષ્પ નું સિમ્બલ ( ચિન્હ ) બુદ્ધિમાં રાખી , પોતાને સેમ્પલ ( ઉદાહરણ ) સમજવા વાળા ન્યારા અને પ્યારા ભવ

પ્રવૃત્તિ માં રહેવાવાળાનું સિમ્બલ છે “કમળ પુષ્પ.’’ તો કમળ બનો અને અમલ કરો. જો અમલ નથી કરતાં તો કમળ નથી બની શકતા. તો કમળ પુષ્પનું સિમ્બલ બુદ્ધિમાં રાખી સ્વયંને સેમ્પલ સમજીને ચાલો. સેવા કરતાં ન્યારા અને પ્યારા બનો. ફક્ત પ્યારા નહિ બનતાં પરંતુ ન્યારા બની પ્યારા બનજો કારણકે પ્રેમ ક્યારેક લગાવનાં રુપમાં બદલાઈ જાય છે, એટલે કોઈ પણ સેવા કરતાં ન્યારા અને પ્યારા બનો.

સ્લોગન :-
સ્નેહની છત્રછાયા નાં અંદર માયા આવી ન સકે.