01-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સ્વયં
પર પુરી નજર રાખો , કોઈ પણ બેકાયદેસર ચલન નહીં ચાલતા , શ્રીમત નું ઉલ્લંધન કરવાથી
નીચે પડી જશો ”
પ્રશ્ન :-
દમાપદમપતિ બનવા
માટે કઈ ખબરદારી જોઈએ?
ઉત્તર :-
સદેવ ધ્યાન રાખો - જેવું કર્મ આપણે કરશું આપણને જોઈ બીજા પણ કરવા લાગશે. કોઈપણ વાતમાં
મિથ્યા અહંકાર ના આવે. મુરલીમાં ક્યારેય પણ ગેરહાજરી ન થાય. મનસા-વાચા-કર્મણા
સ્વયંની સંભાળ રાખો. આ આંખો દગો ન આપે તો પદમોની કમાણી જમા કરી શકશો. એના માટે
અન્તર્મુખી થઈને બાપને યાદ કરો અને વિકર્મો થી બચીને રહો.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
બાપ એ સમજાવ્યું છે, અહીંયા આપ બાળકોને આ વિચાર થી જરુર બેસવાનું હોય છે, આ બાબા પણ
છે, શિક્ષક અને સદ્દગુરુ પણ છે. અને આ પણ અનુભવ કરો છો - બાબા ને યાદ કરતા-કરતા
પવિત્ર બની, પવિત્ર ધામમાં જઈને પહોંચશું. બાપ એ સમજાવ્યું છે કે પવિત્ર ધામ થી જ
તમે નીચે ઊતરો છો. એનું નામ જ છે પવિત્ર ધામ. સતોપ્રધાન થી પછી સતો, રજો, તમો...હમણાં
તમે સમજો છો કે આપણે નીચે ઉતર્યા છીએ અર્થાત વૈશ્યાલય માં છીએ. ભલે તમે સંગમયુગ પર
છો, પરંતુ જ્ઞાનથી તમે જાણો છો કે આપણે કિનારો કર્યો છે ફરી પણ છો આપણે શિવ બાબા ની
યાદ માં રહીએ છીએ તો શિવાલય દૂર નથી. શિવબાબા ને યાદ નથી કરતા તો શિવાલય બહુ દૂર
છે. સજાઓ ખાવી પડે છે તો બહુ દૂર થઈ જાય છે. તો બાપ બાળકોને કોઈ વધારે તકલીફ નથી
આપતા. એક તો વારંવાર કહે છે મનસા-વાચા-કર્મણા પવિત્ર બનવાનું છે. આ આંખો પણ બહુ જ
દગો દે છે, આનાથી બહુ જ સંભાળીને ચાલવાનું હોય છે. બાપ એ સમજાવ્યું છે કે ધ્યાન અને
યોગ બિલકુલ અલગ છે. યોગ અર્થાત યાદ. આંખો ખુલ્લી હોય તો પણ તમે યાદ કરી શકો છો.
ધ્યાનને કંઈ યોગ નથી કહેવાતું. ભોગ પણ લઈ જાઓ છો તો ડાયરેક્શન અનુસાર જ જવાનું છે.
આમાં માયા પણ બહુ જ આવે છે. માયા એવી છે જે એકદમ નાકમાં દમ કરી દે છે. જેમ બાપ
બળવાન છે, તેમ માયા પણ બહુ જ બળવાન છે. એટલી બળવાન છે જે આખી દુનિયાને વૈશ્યાલયમાં
ધકેલી દીધી છે એટલે આમાં બહુ જ ખબરદારી રાખવાની હોય છે. બાપની કાયદા અનુસાર યાદ
જોઈએ. બેકાયદે કોઈ કામ કર્યું તો એકદમ પાડી દે છે. ધ્યાન વગેરેની ક્યારેય કોઈ ઈચ્છા
નથી રાખવાની. ઈચ્છા માત્રમ્ અવિદ્યા...બાપ તમારી બધી મનોકામનાઓ વગર માંગે પુરી કરી
દે છે, જો બાપ ની આજ્ઞા પર ચાલો તો. જો બાપની આજ્ઞા ન માની ઊલટો રસ્તો લીધો તો બની
શકે છે સ્વર્ગ ના બદલે નરકમાં જ જઈ ને પડશો. ગાયન પણ છે ગજને ગ્રાહ એ ખાધો. અનેકોને
ને જ્ઞાન આપવા વાળા, ભોગ લગાવવા વાળા આજે છે ક્યાં, કારણકે બેકાયદાસર ચલન નાં કારણે
પુરા માયાવી બની જાય છે. દેવતા બનતા-બનતા અસુર બની જાય છે. બાપ જાણે છે કે બહુ જ
સારા પુરુષાર્થી જે દેવતા બનવાવાળા હતાં તે અસુર બની અસુરોની સાથે રહે છે. ટ્રેટર (દગાબાજ)
થઈ જાય છે. બાપ નાં બની ને પછી માયાના બની જાય, તેને ટ્રેટર કહેવાય છે. સ્વયં ઉપર
નજર રાખવાની હોય છે. શ્રીમત નું ઉલ્લંધન કર્યું તો આ પડ્યા. ખબર પણ નહીં પડે. બાપ
તો બાળકોને સાવધાન કરે છે કે એવી ચલન ન ચાલો જે રસાતાળ માં પહોંચી જાઓ.
કાલે પણ બાબા એ સમજાવ્યું - ઘણા ગોપ છે આપસ માં કમિટીઓ (સભા) વગેરે બનાવે છે, જે
કંઈ કરે છે, શ્રીમત ના આધાર વગર કરે છે તો કુસેવા કરે છે. વગર શ્રીમત કરશો તો પડતાં
જ જશો. બાબા એ શરુઆતમાં કમિટી બનાવી હતી તો માતાઓની બનાવી હતી કારણકે કળશ તો માતાઓને
જ મળે છે. વંદે માતરમ ગાયેલું છે ને. સમજો ગોપ લોકો કમિટી બનાવે છે તો વંદે ગોપ તો
ગાયન છે નહિ. શ્રીમત પર નથી તો માયાની જાળમાં ફસાઈ જાય છે. બાબા એ માતાઓની કમિટી
બનાવી, તેમના હવાલે બધું જ કરી દીધું. પુરુષ વધારે કરીને દેવાળું મારે છે, સ્ત્રીઓ
નહીં. તો બાપ પણ કળશ માતાઓ ઉપર રાખે છે. આ જ્ઞાન માર્ગમાં માતાઓ પણ દેવાળું મારી શકે
છે. પદમાપદમ ભાગ્યશાળી જે બનવા વાળા છે, તે માયાથી હાર ખાઈને દેવાળું મારી શકે છે.
આમાં સ્ત્રી-પુરુષ બંને દેવાળું મારી શકે છે અને મારે પણ છે. કેટલા હાર ખાઈને ચાલ્યા
ગયા એટલે દેવાળું મારી દીધું ને. બાપ સમજાવે છે ભારતવાસીઓએ તો પુરુ દેવાળું માર્યું
છે. માયા કેટલી જબરદસ્ત છે. જે સમજી નથી શકતા અમે શું હતા, ક્યાંથી એકદમ નીચે આવીને
પડ્યા છે. અહીંયા પણ ઊંચા ચઢતા-ચઢતા પછી શ્રીમત ને ભૂલી સ્વયંની મત પર ચાલે છે તો
દેવાળું મારી દે છે. તે લોકો તો દેવાળું મારી ૫-૭ વર્ષ પછી ઉભા થઈ જાય છે. અહીંયા
તો ૮૪ જન્મોનું દેવાળું મારે છે. ઊંચ પદ પામી ન શકે. દેવાળું મારતા જ રહે છે. બાબાની
પાસે ફોટો હોત તો બતાવત. તમે કહેશો બાબા તો બિલ્કુલ ઠીક કહે છે. આ કેટલા મોટા મહારથી
હતા, અનેકોને ઉઠાવતા હતા. આજે છે નહીં. દેવાળા માં છે. બાબા ઘડી-ઘડી બાળકોને સાવધાન
કરતા રહે છે. સ્વયંની મત પર કમિટીઓ વગેરે બનાવવી આમાં કંઈ રાખ્યું નથી. આપસ માં
મળીને જરમુઈ જગમુઈ કરવાનું, આ આવું કરતા હતા, ફલાણા પણ આવું કરતા હતા... આખો દિવસ આ
જ કરતા રહે છે. બાપ થી બુદ્ધિયોગ લગાવવાથી સતોપ્રધાન બનશો. બાપ ના બની અને બાપ થી
યોગ નહીં તો ઘડી-ઘડી પડતાં જ રહેશો. કનેક્શન જ તુટી જાય છે. લિંક તૂટી જાય તો
ગભરાવવું ન જોઈએ. માયા અમને આટલું હેરાન કેમ કરે છે. કોશિશ કરી બાપની સાથે લિંક
જોડવી જોઈએ. નહીં તો બેટરી ચાર્જ કેવી રીતે થશે. વિકર્મ થવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ
જાય છે. શરુઆતમાં કેટલા ટોળા નાં ટોળા બાબા નાં આવીને બન્યા. ભઠ્ઠીમાં આવ્યા પછી આજે
ક્યાં છે. પડી ગયા કારણકે જૂની દુનિયા યાદ આવી. હમણાં બાપ કહે છે હું તમને બેહદ નું
વૈરાગ્ય અપાવું છું, આ જૂની દુનિયા થી દિલ નહિ લગાવો. દિલ સ્વર્ગ થી લગાવવાનું છે.
જો આવા લક્ષ્મી-નારાયણ બનવું છે તો મહેનત કરવી પડે. બુદ્ધિયોગ એક બાપની સાથે હોવો
જોઈએ. જૂની દુનિયાથી વૈરાગ્ય. સુખધામ અને શાંતિધામ ને યાદ કરો. જેટલું થઈ શકે ઉઠતાં,
બેસતાં, ચાલતાં, ફરતાં બાપ ને યાદ કરો. આ તો બિલકુલ સહજ છે. તમે અહીંયા આવ્યા જ છો
નર થી નારાયણ બનવા માટે. બધાને કહેવાનું છે કે હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું
છે કારણકે રિટર્ન જર્ની થાય છે. વિશ્વ ની હિસ્ટ્રી-જોગ્રાફી (ઈતિહાસ-ભૂગોળ) એટલે
નરક થી સ્વર્ગ, ફરી સ્વર્ગથી નર્ક. આ ચક્ર ફરતું જ રહે છે.
બાપ એ કહ્યું છે અહીંયા સ્વદર્શન ચક્રધારી થઈને બેસો. એ જ યાદ માં રહો કે આપણે કેટલી
વખત ચક્ર લગાવ્યું છે. હવે ફરીથી આપણે દેવતા બની રહ્યા છે. દુનિયામાં કોઈ પણ આ
રહસ્ય ને નથી સમજતા. આ જ્ઞાન દેવતાઓને છે નહીં. તે તો છે જ પવિત્ર. તેમનામાં જ્ઞાન
જ નથી જે શંખ વગાડે. તેઓ પવિત્ર છે, તેમને આ નિશાની આપવાની દરકાર નથી. નિશાની ત્યારે
હોય છે જ્યારે બંને સાથે હોય છે. તમને પણ નિશાની નથી કારણ કે તમે આજે દેવતા
બનતા-બનતા કાલે અસુર બની જાઓ છો. બાપ દેવતા બનાવે, માયા અસુર બનાવી દે છે. બાપ જયારે
સમજાવે છે ત્યારે ખબર પડે છે કે સાચે જ આપણી અવસ્થા નીચે પડી ગઈ છે. કેટલા બિચારા
શિવબાબા નાં ખજાના માં જમા કરાવે પછી માંગીને અસુર બની જાય છે. આમાં યોગની જ બધી કમી
છે. યોગથી જ પવિત્ર બનવાનું છે. બોલાવો પણ છો બાબા આવો, અમને પતિત થી પાવન બનાવો,
જેથી અમે સ્વર્ગમાં જઈ શકીએ. યાદ ની યાત્રા છે જ પાવન બની ઉચ્ચ પદ પામવા માટે. જે
મરી જાય છે પછી પણ જે કંઈ સાંભળ્યું છે તો શિવાલયમાં આવશે જરુર. પદ ભલે કેવું પણ મળે.
એક વખત યાદ કરશે તો સ્વર્ગમાં આવશે જરુર. બાકી ઊંચું પદ પામી ન શકે. સ્વર્ગ નું નામ
સાંભળી ખુશ થવું જોઈએ. નાપાસ થઈ ને પાઈ-પૈસાનું પદ પામી લીધું, એમાં ખુશ નથી થઇ
જવાનું. ફીલિંગ તો આવે છે ને - હું નોકર છું. પાછળથી તમને બધા સાક્ષાત્કાર થશે કે
અમે શું બનીશું, અમારાથી કયું વિકર્મ થયું છે, જેનાથી આવી હાલત થઈ છે. હું મહારાણી
કેમ નહિ બનું. કદમ-કદમ પર ખબરદારી થી ચાલવાથી તમે પદમમાપદમપતિ બની શકો છો. મંદિરોમાં
દેવતાઓને પદમની નિશાની દેખાડે છે. હોદ્દા માં ફરક પડી જાય છે. આજની રાજાઈ નો કેટલો
દબદબો રહે છે! છે તો અલ્પકાળ નો. સદાકાળ ના રાજા તો બની ન શકે. તો હવે બાપ કહે છે -
તમારે લક્ષ્મી-નારાયણ બનવાનું છે તો પુરુષાર્થ પણ એવો જોઈએ. કેટલું આપણે બધાનું
કલ્યાણ કરીએ છીએ? અન્તર્મુખ થઈ કેટલો સમય બાબા ની યાદ માં રહીએ છીએ? હવે આપણે જઈ
રહ્યા છીએ આપણા સ્વીટ હોમ (શાંતિધામ) માં. પછી આવીશું સુખધામ માં. આ બધું જ્ઞાનનું
મંથન અંદર ચાલતું રહે. બાપ માં જ્ઞાન અને યોગ બંને છે. તમારામાં પણ હોવું જોઈએ. જાણો
છો આપણને શિવબાબા ભણાવે છે તો જ્ઞાન પણ થયું અને યાદ પણ થઇ. જ્ઞાન અને યોગ બંને
સાથે-સાથે ચાલે છે. એવું નહીં, યોગમાં બેસો, બાબા ને યાદ કરતા રહો અને જ્ઞાન ભૂલી
જાય. બાપ યોગ શીખવાડે છે તો જ્ઞાન ભૂલી જાય છે કે? બધું જ્ઞાન એમનામાં રહે છે. આપ
બાળકોમાં પણ જ્ઞાન હોવું જોઈએ. ભણવું જોઇએ. જેવા કર્મ હું કરીશ મને જોઈને બીજા પણ
કરશે. હું મુરલી નહીં વાંચું તો બીજા પણ નહીં વાંચે. ખોટો અહંકાર આવી જાય છે તો માયા
ઝટ વાર કરી દે છે. કદમ-કદમ બાપ થી શ્રીમત લેતા રહેવાનું છે. નહીં તો કોઈને કોઈ
વિકર્મો બની જાય છે. ઘણા બાળકો ભૂલો કરી બાપને નથી બતાવતા તો સ્વયંનો સત્યાનાશ કરી
લે છે. ગફલત થવાથી માયા થપ્પડ લગાવી દેશે. વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવી દે
છે. અહંકારમાં આવવાથી માયા બહુ જ વિકર્મો કરાવે છે. બાબાએ એવું થોડી કહ્યું છે,
એવી-એવી પુરુષોની કમિટીઓ બનાવો. કમિટીમાં એક-બે સમજુ બુદ્ધિશાળી બહેનો જરુર હોવી
જોઈએ. જેમની મત પર કામ થાય. કળશ તો લક્ષ્મી પર રાખવામાં આવે છે ને. ગાયન પણ છે,
અમૃત પીવડાવતા હતા પછી ક્યાક યજ્ઞ માં વિઘ્ન નાખતા હતા. અનેક પ્રકારના વિઘ્ન નાખવા
વાળા છે. આખો દિવસ આજ જરમુઈ જગમુઈ ની વાતો કરતા રહે છે. આ બહુ જ ખરાબ છે. કોઈ પણ
વાત હોય તો બાપને રિપોર્ટ (જાણ) કરવો જોઈએ. સુધારવા વાળા તો એક જ બાપ છે. તમે
સ્વયંના હાથ માં લો (કાયદો) નહીં ઉઠાવો. તમે બાપ ની યાદ માં રહો. સર્વને બાપ નો
પરિચય આપતા રહો ત્યારે આવા બની શકશો. માયા બહુ જ કડક છે. કોઈને નથી છોડતી. સદેવ
બાપને સમાચાર લખવા જોઈએ. ડાયરેક્શન લેતા રહેવું જોઈએ. આમ તો ડાયરેક્શન સદેવ મળતા રહે
છે. એમ તો બાળકો સમજે છે બાબાએ તો સ્વયં જ આ વાત પર સમજાવી દીધું, બાબા તો અંતર્યામી
છે. બાબા કહે છે ના, હું તો જ્ઞાન ભણાવું છું. આમાં અંતર્યામી ની વાત જ નથી. હાં, એ
હું જાણું છું કે આ બધા મારા બાળકો છે. દરેક શરીરની અંદર મારા બાળકો છે. બાકી એવું
નથી કે બાપ બધાની અંદર વિરાજમાન છે. મનુષ્ય તો ઊંધું સમજી લે છે. બાપ કહે છે હું
જાણું છું કે બધા તખ્ત પર આત્મા વિરાજમાન છે. આ તો કેટલી સહજ વાત છે. બધી ચૈતન્ય
આત્મા ઓ પોત-પોતાના તખ્ત પર બેઠી છે છતાં પણ પરમાત્માને સર્વવ્યાપી કહી દે છે. આ છે
એક જ ભૂલ. આના કારણે જ ભારત આટલું નીચે પડી ગયુ છે. બાપ કહે છે તમે મારી બહુ જ
ગ્લાનિ કરી છે. વિશ્વના માલિક બનાવવા વાળા ને તમે ગાળો આપી છે. એટલે બાપ કહે છે યદા
યદા હી... બહારવાળા આ સર્વવ્યાપી નું જ્ઞાન ભારતવાસીઓ થી શીખે છે. જેમ ભારતવાસી
તેમનાથી હુનર (કળા) શીખે છે તેઓ પછી ઊંધું સીખે છે. તમારે તો એક બાપ ને યાદ કરવાનું
છે અને બાપ નો પરિચય પણ બધાને આપવાનો છે. તમે છો આંધળાઓ ની લાઠી. લાઠી થી રસ્તો
બતાઓ છો ને. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ની
આજ્ઞા અનુસાર દરેક કાર્ય કરવાનું છે. ક્યારે પણ શ્રીમત નું ઉલ્લંઘન ના થાય ત્યારે જ
સર્વ મનોકામનાઓ વગર માંગે પૂરી થશે. ધ્યાન દીદાર ની ઈચ્છા નથી રાખવાની, ઈચ્છા
માત્રમ અવિદ્યા બનવાનું છે.
2. પરસ્પર મળીને જરમુઈ જગમુઈ (એકબીજાનું પરચિંતન) નથી કરવાનું. અંતરમુખી થઇ સ્વયંની
તપાસ કરવાની છે કે અમે બાબા ની યાદ માં કેટલો સમય રહીએ છીએ, જ્ઞાનનું મંથન અંદર ચાલે
છે?
વરદાન :-
બિંદુ રુ પમાં
સ્થિત રહી બીજાઓને પણ ડ્રામા નાં બિંદુની સ્મૃતિ અપાવવા વાળા વિઘ્ન - વિનાશક ભવ :
જે બાળકો કોઈપણ વાતમાં
પ્રશ્ન નથી કરતાં, સદા બિંદુ રુપમાં સ્થિત રહીને દરેક કાર્યમાં બીજાઓને પણ ડ્રામાનાં
બિંદુ ની સ્મૃતિ અપાવે છે - તેમને જ વિઘ્ન-વિનાશક કહેવાય છે. તે બીજાઓને પણ સમર્થ
બનાવી સફળતાની મંજિલ ની સમીપ લઇ આવે છે. તેઓ હદની સફળતાની પ્રાપ્તિ ને જોઈ ને ખુશ
નથી થતા પરંતુ બેહદ નાં સફળતામૂર્ત હોય છે. સદા એકરસ, એક શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત
રહે છે. તેઓ સ્વયં ની સફળતાની સ્વ-સ્થિતિ થી અસફળતાને પણ પરિવર્તન કરી દે છે
સ્લોગન :-
દુવાઓ લો,
દુવાઓ દો તો બહુ જલ્દી માયાજીત બની જશો.