17-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - બાપની યાદની સાથે - સાથે જ્ઞાન ધન થી સંપન્ન બનો , બુદ્ધિ માં આખું જ્ઞાન ફરતું રહે ત્યારે અપાર ખુશી રહેશે , સૃષ્ટિ ચક્ર નાં જ્ઞાનથી તમે ચક્રવર્તી રાજા બનશો ”

પ્રશ્ન :-
કયા બાળકો (મનુષ્યોં) ની પ્રીત બાપથી ન હોઈ શકે?

ઉત્તર :-
જે રૌરવ નર્કમાં રહેવાવાળા વિકારોથી પ્રીત કરે છે, એવા મનુષ્યોં ની પ્રીત બાપથી ન હોઈ શકે. આપ બાળકોએ બાપ ને ઓળખ્યા છે એટલે તમારી બાપ થી પ્રીત છે.

પ્રશ્ન :-
કોને સતયુગમાં આવવાનો હુકમ જ નથી?

ઉત્તર :-
બાપ પણ સતયુગમાં આવવાનાં નથી તો ત્યાં કાળ પણ ન આવી શકે. જેમ રાવણને સતયુગમાં આવવાનો હુકમ નથી, એવી રીતે બાબા કહે છે બાળકો, મને પણ સતયુગમાં આવવાનો હુકમ નથી. બાબા તો તમને સુખધામનાં લાયક બનાવી ઘરે ચાલ્યા જાય છે, એમને પણ લિમિટ (મર્યાદા) મળેલી છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ બેસી રુહાની બાળકો ને સમજાવે છે. રુહાની બાળકો યાદની યાત્રામાં બેસેલા છો? અંદરમાં આ જ્ઞાન છે ને કે આપણે આત્માઓ યાદ ની યાત્રા પર છીએં. યાત્રા અક્ષર તો જરુર દિલ માં આવવો જોઈએ. જેમ તેઓ યાત્રા કરે છે હરિદ્વાર, અમરનાથ જવાની. યાત્રા પુરી કરી ફરી પાછા આવે છે. અહીંયા પછી આપ બાળકોની બુદ્ધિમાં છે કે આપણે જઈએ છીએં શાંતિધામ. બાપએ આવીને હાથ પકડ્યો છે. હાથ પકડીને પાર લઈ જવાનું હોય છે ને. કહે પણ છે હાથ પકડી લો કારણ કે વિષય સાગરમાં પડ્યા છે. હવે તમે શિવબાબા ને યાદ કરો અને ઘર ને યાદ કરો. અંદરમાં એ આવવું જોઈએ કે અમે જઈ રહ્યા છીએં. આમાં મુખથી કંઈ બોલવાનું પણ નથી. અંદરમાં ફક્ત યાદ રહે - બાબા આવેલા છે લઈ જવા માટે. યાદ ની યાત્રા પર જરુર રહેવાનું છે. આ યાદની યાત્રાથી જ તમારા પાપ કપાય છે, ત્યારે જ ફરી તે મંજિલ પર પહોંચશો. કેટલું સ્પષ્ટ બાપ સમજાવે છે. જેમ નાનાં બાળકોને ભણાવવામાં આવે છે ને. સદૈવ બુદ્ધિમાં હોય કે અમે બાબા ને યાદ કરતા જઈ રહ્યા છીએં. બાપનું કામ જ છે પાવન બનાવીને પાવન દુનિયામાં લઈ જવું. બાળકોને લઈ જાય છે. આત્માએ જ યાત્રા કરવાની છે. આપણે આત્માઓએ બાપ ને યાદ કરી ઘરે જવાનું છે. ઘરે પહોંચશું પછી બાપનું કામ પૂરું થયું. બાપ આવે જ છે પતિતથી પાવન બનાવી ઘરે લઈ જવા. ભણતર તો અહીંયા જ ભણીએ છીએં. ભલે હરો-ફરો, કોઈપણ કામ-કાજ કરો, બુદ્ધિમાં આ યાદ રહે. યોગ અક્ષરમાં યાત્રા સિદ્ધ નથી થતી. યોગ સન્યાસીઓનો છે. તે તો બધી છે મનુષ્યની મત. અડધો કલ્પ તમે મનુષ્ય મત પર ચાલ્યાં છો. અડધો કલ્પ દૈવી મત પર ચાલ્યાં હતાં. હમણાં તમને મળે છે ઇશ્વરીય મત.

યોગ અક્ષર નહીં કહો, યાદ ની યાત્રા કહો. આત્માને આ યાત્રા કરવાની છે. તે હોય છે શારીરિક યાત્રા, શરીરની સાથે જાય છે. આમાં તો શરીરનું કામ જ નથી. આત્મા જાણે છે, આપણું આત્માઓનું એ સ્વીટ ઘર છે. બાપ આપણને શિક્ષણ આપી રહ્યા છે, જેનાંથી આપણે પાવન બનશું, યાદ કરતા-કરતા તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ છે યાત્રા. આપણે બાપની યાદ માં બેસીએ છીએં કારણ કે બાબાની પાસે જ ઘરે જવાનું છે. બાપ આવે જ છે પાવન બનાવવા. સો તો પાવન દુનિયામાં જવાનું જ છે. બાપ પાવન બનાવે છે, ફરી નંબરવાર પુરુષાર્થ અનુસાર તમે પાવન દુનિયામાં જશો. આ જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ. આપણે યાદ ની યાત્રા પર છીએં. આપણે આ મૃત્યુલોકમાં ફરીથી નથી આવવાનું. બાબાનું કામ છે આપણને ઘર સુધી પહોંચાડવાનું. બાબા રસ્તો બતાવી દે છે હમણાં તમે તો મૃત્યુલોકમાં છો પછી અમરલોક નવી દુનિયામાં હશો. બાપ લાયક બનાવીને જ છોડે છે. સુખધામમાં બાપ નહીં લઈ જાય. એમની લિમિટ થઈ જાય છે ઘર સુધી પહોંચાડવાની. આ આખું જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ. ફક્ત બાપને યાદ નથી કરવાનાં, સાથે જ્ઞાન પણ જોઈએ. જ્ઞાનથી તમે ધન કમાઓ છો ને. આ સૃષ્ટિ ચક્રનાં નોલેજથી તમે ચક્રવર્તી રાજા બનો છો. બુદ્ધિમાં આ જ્ઞાન છે, આમાં ચક્ર લગાવ્યું છે. ફરી આપણે ઘરે જઈશું, ફરી નવેસરથી ચક્ર શરુ થશે. આ આખું જ્ઞાન બુદ્ધિમાં રહે ત્યારે ખુશીનો પારો ચઢે. બાપને પણ યાદ કરવાનાં છે, શાંતિધામ, સુખધામ ને પણ યાદ કરવાનું છે. ૮૪નું ચક્ર જો યાદ નહીં કરશો તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો. ફક્ત એક ને યાદ કરવું તો સન્યાસીઓ નું કામ છે કારણકે તેઓ એમને જાણતા નથી. બ્રહ્મને જ યાદ કરે છે. બાપ તો સારી રીતે બાળકોને સમજાવે છે. યાદ કરતા-કરતા જ તમારા પાપ કપાઈ જવાનાં છે. પહેલા તો ઘરે જવાનું છે, આ છે રુહાની યાત્રા. ગાયન પણ છે ચારેય તરફ લગાવ્યા ફેરા, તો પણ હંમેશાં દૂર રહ્યાં અર્થાત્ બાપથી દૂર રહ્યાં. જે બાપથી બેહદ નો વારસો મળવાનો છે એમને તો જાણતા જ નથી. કેટલા ચક્ર લગાવ્યા છે. દરેક વર્ષ પણ કોઈ યાત્રા કરે છે. પૈસા બહુ જ હોય છે તો યાત્રા નો શોખ રહે છે. આ તો તમારી છે રુહાની યાત્રા. તમારા માટે નવી દુનિયા બની જશે પછી તો નવી દુનિયામાં જ આવવાનાં છો, જેને અમરલોક કહેવાય છે. ત્યાં કાળ હોતો નથી જે કોઈને લઈ જાય. કાળને હુકમ જ નથી નવી દુનિયામાં આવવાનો. રાવણની તો આ જૂની દુનિયા છે ને. તમે બોલાવો પણ અહીંયા છો. બાપ કહે છે હું જૂની દુનિયામાં જૂનાં શરીરમાં આવું છું. મને પણ નવી દુનિયામાં આવવાનો હુકમ નથી. હું તો પતિતો ને જ પાવન બનાવવા આવું છું. તમે પાવન બની પછી બીજાને પણ પાવન બનાવો છો. સન્યાસી તો ભાગી જાય છે. એકદમ ખોવાઈ જાય છે. ખબર જ નથી પડતી, ક્યાં ચાલ્યા ગયા કારણ કે તેઓ ડ્રેસ જ બદલી દે છે. જેમ એક્ટર્સ રુપ બદલે છે. ક્યારેક પુરુષ થી સ્ત્રી બની જાય છે, ક્યારેક સ્ત્રી થી પુરુષ બની જાય છે. આ પણ રુપ બદલે છે. સતયુગમાં થોડી આવી વાતો હશે.

બાપ કહે છે હું આવું છું નવી દુનિયા બનાવવા. અડધું કલ્પ આપ બાળકો રાજ્ય કરો છો ફરી ડ્રામા પ્લાન અનુસાર દ્વાપર શરુ થાય છે, દેવતાઓમાં વામમાર્ગમાં ચાલ્યા જાય છે, એમનાં બહુ જ ગંદા ચિત્રો પણ જગન્નાથપુરીમાં છે. જગન્નાથનું મંદિર છે. આમ તો એમની રાજધાની હતી જે પોતે વિશ્વનાં માલિક હતા. તેઓ પછી મંદિરમાં જઈને બંધ થયા, એમને કાળા દેખાડે છે. આ જગન્નાથનાં મંદિર પર તમે બહુ જ સમજાવી શકો છો. બીજા કોઈ તેનો અર્થ સમજાવી નહીં શકે. દેવતા જ પૂજ્ય થી પૂજારી બને છે. તે લોકો તો દરેક વાતમાં ભગવાનનાં માટે કહી દે છે આપેહી પૂજ્ય, આપેહી પૂજારી. આપ જ સુખ આપો છો, આપ જ દુઃખ આપો છો. બાપ કહે છે હું તો કોઈને દુઃખ દેતો જ નથી. આ તો સમજ ની વાત છે. બાળક જન્મે તો ખુશી થશે, બાળક મરશે તો રોવા લાગશે. કહેશે ભગવાને દુઃખ દીધું. અરે, આ અલ્પકાળ નું સુખ-દુઃખ તમને રાવણ રાજ્યમાં જ મળે છે. મારા રાજ્યમાં દુ:ખની વાત નથી હોતી. સતયુગને કહેવાય છે અમરલોક, આનું નામ જ છે મૃત્યુલોક. અકાળે મરી જાય છે. ત્યાં તો બહુ જ ખુશીઓ મનાવે છે, આયુષ્ય પણ લાંબુ હોય છે. મોટામાં મોટી આયુ ૧૫૦ વર્ષની હોય છે. અહીંયા પણ ક્યારેક-ક્યારેક કોઈની હોય છે પરંતુ અહીંયા તો સ્વર્ગ નથી ને. કોઈ શરીરની બહુ જ સંભાળ રાખે છે તો આયુ મોટી પણ થઈ જાય છે પછી બાળકો પણ કેટલા થઈ જાય છે. પરિવાર વધતો જાય છે, વૃદ્ધિ જલ્દી થાય છે. જેમ ઝાડની ડાળ-ડાળીઓ નિકળે છે - ૫૦ ડાળી અને એનાંથી બીજી ૫૦ નિકળશે, કેટલી વૃદ્ધિને પામે છે. અહીં પણ એવું છે એટલે આનું ઉદાહરણ વડનાં ઝાડ થી આપે છે. આખું ઝાડ ઊભું છે, ફાઉન્ડેશન (પાયો) છે નહી. અહીંયા પણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં. કોઈને ખબર જ નથી દેવતાઓ ક્યારે હતા, તેઓ તો લાખો વર્ષ કહી દે છે. પહેલા તમે ક્યારેય ખ્યાલ પણ નહોતા કરતાં. બાપ જ આવીને આ બધી વાતો સમજાવે છે. તમે હવે બાપને પણ જાણી ગયા છો અને આખા ડ્રામાનાં આદિ-મધ્ય-અંત, સમયગાળો વગેરે બધું જ જાણી ગયા છો. નવી દુનિયા થી જૂની, જૂની થી નવી કઈ રીતે બને છે, આ કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો યાદની યાત્રામાં બેસો છો. આ યાત્રા તો તમારી નિત્ય ચાલવાની છે. હરો-ફરો પરંતુ યાદ ની યાત્રા માં રહો. આ છે રુહાની યાત્રા. તમે જાણો છો ભક્તિમાર્ગમાં આપણે પણ આ યાત્રાઓ પર જતાં હતા. બહુ જ વાર યાત્રા કરી હશે, જે પાક્કા ભક્ત હશે. બાબા એ સમજાવ્યું છે એક શિવની ભક્તિ કરવી, એ છે અવ્યભિચારી ભક્તિ. પછી દેવતાઓની થાય છે, પછી ૫ તત્વો ની ભક્તિ કરે છે. દેવતાઓની ભક્તિ છતાં પણ સારી છે કારણકે એમનું શરીર તો પણ સતોપ્રધાન છે, મનુષ્યનું શરીર તો પતિત છે ને. તેઓ તો પાવન છે પછી દ્વાપર થી લઈને બધાં પતિત બની ગયાં છે. નીચે ઉતરતા આવે છે. સીડી નું ચિત્ર તમારા માટે બહુ જ સારું છે સમજવા માટે. જિન્ન ની પણ વાર્તા પણ બતાવે છે ને. આ બધાં દ્રષ્ટાંત વગેરે આ સમયનાં જ છે. બધાં તમારા ઉપર જ બનેલા છે. ભ્રમરીનું ઉદાહરણ પણ તમારું છે જે કીડાને આપ સમાન બ્રાહ્મણ બનાવે છે. અહીંયાનાં જ આ બધાં દ્રષ્ટાંતો છે.

આપ બાળકો પહેલા શારીરિક યાત્રા કરતા હતા. હવે ફરી બાપ દ્વારા રુહાની યાત્રા શીખો છો. આ તો ભણતર છે ને. ભક્તિમાં જુઓ શું-શું કરે છે. બધાંની આગળ માથા નમાવતા રહે છે, એકનાં પણ કર્તવ્યને નથી જાણતા. હિસાબ કરાય છે ને. સૌથી વધારે જન્મ કોણ લે છે પછી ઓછા થતા જાય છે. આ જ્ઞાન પણ હમણાં તમને મળે છે. તમે સમજો છો બરાબર સ્વર્ગ હતું. ભારતવાસી તો એટલાં પથ્થર બુદ્ધિ બન્યાં છે, એમને પૂછો સ્વર્ગ ક્યારે હતું તો લાખો વર્ષ કહી દેશે. હવે આપ બાળકો જાણો છો આપણે વિશ્વનાં માલિક હતા, કેટલા સુખી હતા હવે ફરી આપણે બેગર ટુ પ્રિન્સ (ગરીબથી રાજા) બનવાનું છે. દુનિયા નવાં થી જૂની થાય છે ને. તો બાપ કહે છે - મહેનત કરો. આ પણ જાણો છો માયા ઘડી-ઘડી ભુલાવી દે છે.

બાપ સમજાવે છે બુદ્ધિમાં સદૈવ આ યાદ રાખો આપણે જઈ રહ્યા છીએં, આપણું આ જૂની દુનિયાથી લંગર ઊઠી ગયું છે. નાવ પાર જવાની છે. ગાએ છે ને નાવ અમારી પાર લઈ જાઓ. ક્યારે પાર જવાની છે, તે જાણતા નથી. તો મુખ્ય છે યાદની યાત્રા. બાપની સાથે વારસો પણ યાદ આવવો જોઈએ. બાળકો બાલિક (પુખ્ત વય) થાય છે તો બાપનો વારસો જ બુદ્ધિમાં રહે છે. તમે તો મોટા છો જ. આત્મા ઝટ જાણી લે છે, આ વાત તો બરાબર છે. બેહદનાં બાપનો વારસો છે જ સ્વર્ગ. બાબા સ્વર્ગની સ્થાપના કરે છે તો બાપની શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ કહે છે પવિત્ર જરુર બનવાનું છે. પવિત્રતાનાં કારણે જ ઝઘડા થાય છે. તેઓ તો બિલકુલ જ જાણે રૌરવ નર્કમાં પડ્યા છે. વધારે જ વધારે વિકારોમાં પડતાં જાય છે એટલે બાપથી પ્રીત રાખી નથી શકતાં. વિનાંશકાળે વિપરીત બુદ્ધિ છે ને. બાપ આવે જ છે પ્રીત બુદ્ધિ બનાંવવા. બહુ જ છે જેમની રિંચક (જરા) પણ પ્રીત બુદ્ધિ નથી. ક્યારેય બાપને યાદ પણ નથી કરતાં. શિવબાબા ને જાણતા જ નથી, માનતા જ નથી. માયાનું પુરુ ગ્રહણ લાગેલું છે. યાદની યાત્રા બિલકુલ જ નથી. બાપ મહેનત તો કરાવે છે. આ પણ જાણો છો સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની અહીંયા સ્થાપન થઈ રહી છે. સતયુગ-ત્રેતા માં કોઈપણ ધર્મ સ્થાપન થતા નથી. રામ કોઈ ધર્મ સ્થાપન નથી કરતા. આ તો સ્થાપન કરવાવાળા બાપ દ્વારા આવાં બને છે. બીજા ધર્મ સ્થાપક અને બાપનાં ધર્મ સ્થાપન માં રાત-દિવસનો ફર્ક છે. બાપ આવે જ છે સંગમ પર જ્યારે દુનિયા બદલવાની છે. બાપ કહે છે કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું, એમને પછી યુગે-યુગે અક્ષર ખોટો લખી દીધો છે. અડધો કલ્પ ભક્તિમાર્ગ પણ ચાલવાનો જ છે. તો બાપ કહે છે બાળકો આ વાતોને ભૂલો નહીં. આપ કહો છો બાબા અમે તમને ભૂલી જઈએ છીએં. અરે, બાપને તો જાનવર પણ નથી ભુલતા. તમે કેમ ભૂલો છો? સ્વયંને આત્મા નથી સમજતા! દેહ-અભિમાની બનવાથી જ તમે બાપ ને ભૂલો છો. હવે જેમ બાપ સમજાવે છે, તેમ આપ બાળકોએ પણ ટેવ (આદત) રાખવી જોઈએ. ભપકા થી વાત કરવી જોઈએ. એવું નહીં કે મોટા વ્યક્તિની આગળ તમે ફંક થઈ જાઓ. તમે કુમારીઓ જ મોટા-મોટા વિદ્વાન, પંડિતોની આગળ જાઓ છો તો તમારે નિડર થઈ સમજાવવાનું છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિમાં સદૈવ યાદ રહે કે આપણે જઈ રહ્યા છીએં, આપણી નાવનું લંગર આ જૂની દુનિયાથી ઉઠી ગયું છે. આપણે છીએં રુહાની યાત્રા પર. આ જ યાત્રા કરવાની અને કરાવવાની છે.

2. કોઈપણ મોટા વ્યક્તિની સામે નિર્ભયતા (ભપકા) થી વાત કરવાની છે, ફંક નથી થવાનું. દેહી-અભિમાની બનીને સમજાવવાની આદત પાડવાની છે.

વરદાન :-
સદા હલકા બની બાપ નાં નયનો માં સમા વા વાળા સહજયોગી ભવ :

સંગમયુગ પર જે ખુશીઓની ખાણ મળે છે તે બીજા કોઈ યુગમાં નથી મળી શકતી. આ સમયે બાપ અને બાળકોનું મિલન છે, વારસો છે, વરદાન છે. વારસો અથવા વરદાન બંનેમાં મહેનત નથી હોતી એટલે તમારું ટાઈટલ જ છે સહજયોગી. બાપદાદા બાળકોની મહેનત જોઈ નથી શકતા, કહે છે બાળકો પોતાનાં બધાં બોજ બાપ ને આપી સ્વયં હલ્કા થઇ જાઓ. એટલા હલ્કા બનો જે બાપ તમને નયનો પર બેસાડી ને સાથે લઈ જાય. બાપથી સ્નેહ ની નિશાની છે – સદા હલ્કા બની બાપની નજરો માં સમાઈ જવું.

સ્લોગન :-
નેગેટીવ (નકારાત્મક) વિચારવાનો રસ્તો બંધ કરી દો તો સફળતા સ્વરુપ બની જશો.