26-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
બુદ્ધિને રિફાઇન ( શુદ્ધ) બ ના વ વી છે તો એક બા પ ની યાદમાં રહો , યાદથી જ આત્મા
સ્વચ્છ બનતી જશે ”
પ્રશ્ન :-
વર્તમાન સમય
મનુષ્ય પોતાનો સમય અને પૈસા નો દુર્વ્યય કેવી રીતે કરી રહ્યા છે?
ઉત્તર :-
જ્યારે કોઈ શરીર છોડે છે તો તેમની પાછળ કેટલાં પૈસા વગેરે ખર્ચ કરતા રહે છે. જ્યારે
શરીર છોડીને ચાલી ચાલ્યા ગયા તો તેમની કોઈ કિંમત તો રહી નહીં, એટલે તેમની પાછળ જે
કંઈ કરે છે એમાં પોતાનો સમય અને પૈસા વેસ્ટ (દુર્વ્યય) કરે છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે, આ પણ આમ જ કહે છે ને, પછી બાપ છે અથવા દાદા છે.
દાદા પણ કહેશે રુહાની બાપ આપ બાળકોને આ જ્ઞાન સંભળાવે છે - પાસ્ટ (ભૂતકાળ),
પ્રેજન્ટ (વર્તમાન કાળ), ફ્યુચર (ભવિષ્ય કાળ) નું. હકીકતમાં સતયુગ થી લઈને ત્રેતા
અંત સુધી શું થયું છે, એ છે મુખ્ય વાત. બાકી દ્વાપર-કળયુગમાં કોણ-કોણ આવ્યા, શું થયું,
તેની હિસ્ટ્રી-જોગ્રાફી (ઇતિહાસ-ભૂગોળ) તો બહુજ છે. સતયુગ-ત્રેતાની કોઈ
હિસ્ટ્રી-જોગ્રાફી છે નહીં બીજા તો બધાંની હિસ્ટ્રી-જોગ્રાફી છે, બાકી દેવી-દેવતાઓને
લાખો વર્ષ પહેલા લઈ ગયા છે. આ છે બેહદની બેસમજી. તમે પણ બેહદની બેસમજી માં હતા. હવે
થોડું-થોડું સમજી રહ્યા છો. કોઈ તો હમણાં પણ કંઈ સમજતા નથી. ઘણું બધું સમજવાનું છે.
બાપએ આબૂની મહિમા પર સમજાવ્યું છે, એનાં પર વિચાર કરવો જોઈએ. તમારી બુદ્ધિમાં આવવું
જોઈએ તમે અહીં બેઠા છો. તમારું યાદગાર દેલવાડા મંદિર ક્યારે બન્યું છે, કેટલા વર્ષ
પછી બન્યું છે. કહે છે. ૧૨૫૦ વર્ષ થયા છે તો બાકી કેટલા વર્ષ રહ્યા? ૩૭૫૦ વર્ષ રહ્યા.
તો તેમણે પણ હમણાંનો યાદગાર અને વૈકુંઠનું યાદગાર બનાવ્યું છે. મંદિરોની પણ
કોમ્પિટિશન (હરીફાઈ) હોય છે ને. એક-બીજાથી સારું બનાવશે. હવે તો પૈસા જ ક્યાં છે જે
બનાવે. પૈસા તો ઘણા હતા, તો સોમનાથનું મંદિર કેટલું મોટું બનાવ્યું છે. હવે તો બનાવી
ન શકે. ભલે આગરા વગેરેમાં બનાવતા રહે છે પરંતુ તે બધું છે ફાલતું. મનુષ્ય તો
અંધારામાં છે ને. જ્યાં સુધી બનાવે ત્યાં સુધી વિનાશ પણ આવી જશે. આ વાતો કોઈ પણ નથી
જાણતા. તોડે છે અને બનાવતા રહે છે. પૈસા મફતમાં આવતા રહે છે, બધુંજ વેસ્ટ થતું રહે
છે. વેસ્ટ ઓફ ટાઈમ (સમય નો દુર્વ્યય), વેસ્ટ ઓફ મની (પૈસા નો દુર્વ્યય), વેસ્ટ ઓફ
એનર્જી (શક્તિ નો દુર્વ્યય). કોઈ મરે છે તો કેટલો સમય ગુમાવે છે. આપણે કંઈ પણ નથી
કરતા. આત્મા તો ચાલી ગઈ, બાકી ચામડી શું કામની. સાપ ચામડી છોડી દે છે, એની કોઈ
કિંમત છે શું? કંઈ પણ નહીં. ભક્તિમાર્ગમાં ચામડીની વેલ્યુ છે. જડ ચિત્ર ની કેટલી
પૂજા કરે છે. પરંતુ આ ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા. કંઈ પણ ખબર નથી. આને કહેવાય
છે ભૂત પૂજા. પાંચ તત્વોની પૂજા કરે છે. જો આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગમાં રાજ્ય કરતા
હતા, અચ્છા ૧૫૦ વર્ષ આયુ પૂરી થઈ, શરીર છોડી દીધું, બસ. શરીર તો કંઈ કામનું ન રહ્યું.
તેની ત્યાં શું કિંમત હશે. આત્મા ચાલી ગઈ શરીર ચંડાળ નાં હાથમાં દઈ દીધું, તે
રીત-રિવાજ પ્રમાણે બાળી દેશે. એવું નથી તેમની માટીને લઈને ઉડાવશે નામ કરવા માટે.
કંઇ પણ નહીં. અહીં તો કેટલું કરે છે. બ્રાહ્મણ જમાડે છે, આ કરે છે. ત્યાં કંઈ હોતું
નથી. ચામડી તો કોઈ કામની નથી રહી. ચામડીને તો બાળી દે છે. બાકી ચિત્ર રહે છે. એ પણ
એક્યુરેટ ચિત્ર મળી ન શકે. આદિદેવ ની પથ્થરની મૂર્તિ એક્યુરેટ થોડી છે. પૂજા જ્યારે
શરુ કરી છે ત્યારનાં પથ્થરની છે. અસલ માં જે હતું તે તો બળીને ખતમ થઈ ગયું ને. પછી
ભક્તિમાર્ગમાં આ નીકળ્યા છે. આ વાતો પર પણ વિચાર તો ચાલે છે ને. આબૂ ની મહિમા ને
સારી રીતે સિદ્ધ કરવાની છે. તમે પણ અહીં બેઠા છો. અહીં જ બાપ આખા વિશ્વને નર્કથી
સ્વર્ગ બનાવી રહ્યા છે તો આ જ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ થયું. હવે એટલી ભાવના નથી
ફક્ત એક શિવમાં ભાવના છે, ક્યાંય પણ જાઓ શિવનું મંદિર જરુર હશે. અમરનાથમાં પણ શિવનું
જ છે. કહે છે શંકરે પાર્વતીજી ને કથા સંભળાવી. ત્યાં તો કથાની વાત જ નથી. મનુષ્યને
કંઈ પણ સમજ નથી. હવે તમને સમજ આવી છે, પહેલા ખબર હતી શું.
હમણાં બાબા આબૂ ની કેટલી મહિમા કરે છે. સર્વ તીર્થોમાં આ મહાન તીર્થ છે. બાબા સમજાવે
તો બહુજ છે, પરંતુ જ્યારે અનન્ય બાળકોની બુદ્ધિમાં બેસે, હમણાં તો દેહ-અભિમાન બહુ જ
છે. જ્ઞાન તો બહુ જ વધારે જોઈએ. રિફાઈનનેસ (શુદ્ધતા) બહુ આવવાની છે. હમણાં તો યોગ
બહુ જ મુશ્કેલ કોઈનો લાગે છે. યોગની સાથે પછી જ્ઞાન પણ જોઈએ. એવું નથી ફક્ત યોગમાં
રહેવાનું છે. યોગમાં જ્ઞાન જરુર જોઈએ. દિલ્હીમાં જ્ઞાન-વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે,
પરંતુ એનો અર્થ શું છે, આ સમજે થોડી છે. જ્ઞાન-વિજ્ઞાન તો સેકન્ડનું છે. શાંતિધામ,
સુખધામ. પરંતુ મનુષ્યોમાં જરા પણ બુદ્ધિ નથી. અર્થ થોડી સમજે છે. ચિન્મિયાનંદ વગેરે
કેટલા મોટા-મોટા સન્યાસી વગેરે છે, ગીતા સંભળાવે છે, કેટલા તેમનાં અસંખ્ય ફોલોઅર્સ
(અનુયાયી) છે. સૌથી મોટા જગતનાં ગુરુ તો એક જ બાપ છે. બાપ અને શિક્ષક થી મોટા ગુરુ
હોય છે. સ્ત્રી ક્યારેય બીજો પતિ નહિ કરશે તો ગુરુ પણ બીજા ન કરવા જોઈએ. એક ગુરુ
કર્યા, તેઓ ને જ સદ્દ્ગતિ કરવાની છે પછી બીજા ગુરુ શા માટે? સદ્દગુરુ તો એક જ બાપ
છે. સર્વની સદ્દ્ગતિ કરવાવાળા છે. પરંતુ આ વાતોને ઘણા છે જે બિલકુલ સમજતા નથી. બાપ
એ સમજાવ્યું છે આ રાજધાની સ્થાપન થઈ રહી છે તો નંબરવાર હશે ને. કોઈ તો રિંચક (અંશમાત્ર)
પણ સમજી નથી શકતા. ડ્રામામાં પાર્ટ એવો છે. શિક્ષક તો સમજી શકે છે. જે શરીર દ્વારા
સમજાવે છે તેમને પણ તો ખબર પડતી હશે. યહ તો ગુડ જાને , ગુડ કિ ગોથરી જાને. ગુડ (ગોળ)
શિવબાબા ને કહેવાય છે, એ બધાંની અવસ્થાને જાણે છે. દરેકનાં ભણતરથી સમજી શકે છે -
કોણ કેવું ભણે છે. કેટલી સર્વિસ (સેવા) કરે છે. કેટલું બાબાની સેવા માં જીવન સફળ કરે
છે. એવું નથી આ બ્રહ્માએ ઘર છોડ્યું છે એટલે લક્ષ્મી-નારાયણ બને છે. મહેનત કરે છે
ને. આ જ્ઞાન બહુ જ ઊંચું છે. કોઈ જો બાપની અવજ્ઞા કરે છે તો એકદમ પથ્થર બની જાય છે.
બાબા એ સમજાવ્યું હતું - આ ઇન્દ્રસભા છે. શિવબાબા જ્ઞાન વર્ષા કરે છે. એમની અવજ્ઞા
કરી તો શાસ્ત્રોમાં લખેલું છે પથ્થરબુદ્ધિ થઈ ગયા એટલે બાબા બધાંને લખતા રહે છે.
સાથે સંભાળીને કોઇને લઇ આવો. એવું નહીં વિકારી અપવિત્ર અહિયાં આવીને બેસે. નહીં તો
પછી લઈ આવવાવાળી બ્રાહ્મણી (ટીચર બેન) પર દોષ ચઢી જાય. એવાં કોઇને લઇ નથી આવવાનું.
મોટી રેસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે. બહુ જ ઊંચેથી ઊંચા બાપ છે. તમને વિશ્વની
બાદશાહી આપે છે તો એમનો કેટલો રીગાર્ડ (માન) રાખવો જોઈએ. ઘણાને મિત્ર-સંબંધીઓ વગેરે
યાદ આવે છે, બાપની યાદ છે જ નહીં. અંદર જ ઘુટકા ખાતા રહે છે. બાપ સમજાવે છે - આ છે
આસુરી દુનિયા. હવે દૈવી દુનિયા બને છે, આપણો લક્ષ-હેતુ આ છે. આ લક્ષ્મી-નારાયણ
બનવાનું છે. જે પણ ચિત્ર છે, બધાંની બાયોગ્રાફી (જીવનકહાની) ને તમે જાણો છો.
મનુષ્યોને સમજાવવા માટે કેટલી મહેનત કરાય છે. તમે પણ સમજતા હશો, આ કંઈક સારા
બુદ્ધિવાન છે. આ તો કંઈ નથી સમજતા. આપ બાળકોમાં જેને જેટલું જ્ઞાન ઉપાડયું છે, એ
પ્રમાણે જ સેવા કરી રહ્યા છે. મુખ્ય વાત છે જ ગીતાનાં ભગવાનની. સૂર્યવંશી
દેવી-દેવતાઓનું આ એક જ શાસ્ત્ર છે. અલગ-અલગ નથી. બ્રાહ્મણોનું પણ અલગ નથી. આ બહુજ
સમજવાની વાતો છે. આ જ્ઞાનમાર્ગમાં પણ ચાલતા-ચાલતા જો વિકારમાં પડી ગયા, તો જ્ઞાન વહી
જશે. બહુજ સારા-સારા જઈને વિકારી બન્યા તો પથ્થરબુદ્ધિ થઈ ગયા. એમાં બહુજ સમજ જોઈએ.
બાપ તો સમજાવે છે એને વાગોળવું જોઈએ. અહીં તો તમને બહુજ સહજ છે, કોઈ ગોરખધંધા,
હંગામા વગેરે નથી. બહાર રહેવાથી ધંધા વગેરેની કેટલી ચિંતા રહે છે. માયા બહુજ તોફાનમાં
લાવે છે. અહીં તો કોઈ ગોરખધંધા નથી. એકાંત છે. બાપ તો પણ બાળકોને પુરુષાર્થ કરાવતા
રહે છે. આ બાબા પણ પુરુષાર્થી છે. પુરુષાર્થ કરાવવા વાળા તો બાપ છે. આમાં વિચાર
સાગર મંથન કરવું પડે છે. અહીં તો આપ બાળકોની સાથે બેઠા છે. જે પૂરી આંગળી આપે છે
તેમને જ સર્વિસેબુલ (સેવાધારી) કહેશે. બાકી ઘુટકા ખાવાવાળા તો નુકસાન કરે છે અને
વધારે જ ડિસસર્વિસ કરે છે, વિઘ્ન નાખે છે. આ તો જાણો છો - મહારાજા મહારાણી બનશે તો
તેમનાં દાસ-દાસીઓ પણ જોઈએ. તે પણ અહીંથી જ આવશે. બધો આધાર ભણતર પર છે. આ શરીરને પણ
ખુશીથી છોડવાનું છે, દુઃખની વાત નથી. પુરુષાર્થ માટે સમય તો મળેલો છે. જ્ઞાન
સેકન્ડનું છે, બુદ્ધિમાં છે શિવબાબા થી વારસો મળે છે. થોડું પણ જ્ઞાન સાંભળ્યું,
શિવબાબા ને યાદ કર્યા તો પણ આવી શકે છે. પ્રજા તો બહુજ બનવાની છે આપણી રાજધાની
સૂર્યવંશી-ચંદ્રવંશી અહીં સ્થાપન થઈ રહી છે. બાપનાં બનીને જો ગ્લાનિ કરે છે તો બહુજ
બોજો ચઢે છે. એકદમ જાણે રસાતાળમાં ચાલ્યા જાય છે. બાબા એ સમજાવ્યું છે જે પોતાની
પૂજા બેસી કરાવે છે તે પૂજ્ય કેવી રીતે કહેવાશે. સર્વનાં સદ્દ્ગતિ દાતા, કલ્યાણ
કરવાવાળા તો એક જ બાપ છે. મનુષ્ય તો શાંતિનો પણ અર્થ નથી સમજતા. હઠયોગથી પ્રાણાયામ
વગેરે ચઢાવવું, તેને જ શાંતિ સમજે છે. તેમાં પણ બહુજ મહેનત લાગે છે, કોઈનું બ્રેન (મગજ)
ખરાબ થઈ જાય છે. પ્રાપ્તિ કંઈ પણ નથી. એ છે અલ્પકાળ ની શાંતિ. જેમ સુખને અલ્પકાળ
કાગ વિષ્ટા સમાન કહે છે તેમ આ શાંતિ પણ કાગ વિષ્ટા સમાન છે. તે છે જ અલ્પકાળ માટે.
બાપ તો ૨૧જન્મો માટે તમને સુખ-શાંતિ બંને આપે છે. કોઈ તો શાંતિધામ માં છેલ્લે સુધી
રહેતા હશે. જેમનો પાર્ટ છે, તે આટલું સુખ થોડી જોઈ શકશે. ત્યાં પણ નંબરવાર મર્તબા (પદ)
હશે ને. ભલે દાસ-દાસીઓ હશે પરંતુ અંદર થોડી આવી શકશે. કૃષ્ણને પણ જોઈ ન શકે. બધાંનાં
અલગ-અલગ મહેલ હશે ને. કોઈ સમય હશે જોવાનો. જેમ જુઓ પોપ આવે છે તેમનાં દર્શન કરવા
માટે કેટલા લોકો જાય છે. એવાં ઘણાં નિકળશે, જેમનો બહુજ પ્રભાવ હશે. લાખો મનુષ્ય જશે
દર્શન કરવા માટે. અહીં શિવબાબાનાં દર્શન કેવી રીતે થશે? આ તો સમજવાની વાત છે.
હવે દુનિયાને કેવી રીતે ખબર પડે કે આ સૌથી ઉંચું તીર્થ છે. દેલવાડા જેવું મંદિર
કદાચ આસપાસ બીજું પણ હોય, એ પણ જઈને જોવું જોઈએ. કેવીરીતે બનાવેલુ છે. તેમને જ્ઞાન
આપવાની પણ જરુર નથી. તેઓ પછી તમને જ્ઞાન આપવા લાગી જશે. સલાહ આપે છે ને - આ કરવું
જોઈએ, આ કરવું જોઈએ. એ તો જાણતા નથી કે આમને ભણાવવા વાળા કોણ છે. એક-એકને સમજાવવામાં
મહેનત લાગે છે. તેનાં પર વાર્તાઓ પણ છે. કહેતા હતાં વાઘ આવ્યો, વાઘ આવ્યો.. તમે પણ
કહો છો મોત આવ્યું કે આવ્યું તો તેઓ વિશ્વાસ નથી કરતા. સમજે છે હજી તો ૪૦ હજાર વર્ષ
પડયા છે, મોત ક્યાંથી આવશે. પરંતુ મોત આવવાનું તો જરુર છે, બધાંને લઈ જશે. ત્યાં
કોઈ પણ કિચડો હોતો નથી. અહીંની ગાય અને ત્યાંની ગાય માં પણ કેટલો ફરક છે. કૃષ્ણ થોડી
ગાયો ચરાવતા હતા. તેમની પાસે તો દૂધ હેલિકોપ્ટરમાં આવતું હશે. આ કિચ્ચડપટ્ટી દૂર
રહેતી હશે. સામેનાં ઘરમાં થોડી કિચડો રહેશે. ત્યાં તો અપરમઅપાર સુખ છે, જેનાં માટે
પૂરો પુરુષાર્થ કરવાનો છે. કેટલા સારા-સારા બાળકો સેન્ટરથી આવે છે. બાબા જોઈને કેટલા
ખુશ થાય છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ફૂલ નિકળે છે. ફૂલ જે છે એ પોતાને પણ ફૂલ સમજે
છે. દિલ્હીમાં પણ બાળકો કેટલી સેવા કરે છે રાત-દિવસ. જ્ઞાન પણ કેટલું ઊંચું છે.
પહેલા તો કંઈ પણ નહોતા જાણતા. હવે કેટલી મહેનત કરવી પડે છે. બાબાની પાસે તો બધાં
સમાચાર આવે છે. કોઈનાં સંભળાવે છે, કોઈનાં નથી સંભળાવતા કારણકે ટ્રેટર (દગાબાજ) પણ
બહુજ હોય છે. બહુજ ફર્સ્ટ ક્લાસ પણ ટ્રેટર બની જાય છે. થર્ડક્લાસ પણ ટ્રેટર છે. થોડું
જ્ઞાન મળે તો સમજે છે અમે શિવ બાબાનાં પણ બાબા બની ગયા. ઓળખ તો છે નહીં કે કોણ
નોલેજ આપે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિશ્વની
બાદશાહી દેવા વાળા બાપનો બહુ-બહુ જ રીગાર્ડ (સમ્માન) રાખવાનો છે. બાપની સેવામાં
પોતાનું જીવન સફળ કરવાનું છે, ભણતર પર પૂરે-પૂરું ધ્યાન દેવાનું છે.
2. બાપ થી જે જ્ઞાન મળે છે એનાં પર વિચાર સાગર મંથન કરવાનું છે. ક્યારે પણ વિઘ્નરુપ
નથી બનવાનું. ડિસ-સર્વિસ (કુસેવા) નથી કરવાની. અહંકારમાં નથી આવવાનું.
વરદાન :-
નિરાકાર અને
સાકાર બંન્ને રુ પોની યાદગાર ને વિધિપૂર્વક મ ના વવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ :
દીપમાળા (દિવાળી)
અવિનાશી અનેક પ્રગટાવેલા દીવા ની યાદગાર છે. તમે ચમકતી આત્માઓ દીવા ની વાટ ની જેમ
દેખાઓ છો એટલે ચમકતી આત્માઓ દિવ્ય જ્યોતિ ની યાદગાર સ્થૂળ દીવા ની જ્યોતમાં દેખાડી
છે તો એક તરફ નિરાકારી આત્માનાં રુપનો યાદગાર છે, બીજી તરફ તમારા જ ભવિષ્ય સાકાર
દિવ્ય સ્વરુપ લક્ષ્મીનાં રુપમાં યાદગાર છે. આજ દીપમાળા દેવ પદ પ્રાપ્ત કરે છે. તો
તમે શ્રેષ્ઠ આત્માઓ પોતાનો યાદગાર સ્વયં જ મનાવી રહ્યા છો.
સ્લોગન :-
નેગેટીવ (નકારાત્મક)
ને પોઝિટિવ (સકારાત્મક) માં ચેંજ (પરિવર્તન) કરવાં માટે સ્વયંની ભાવનાઓને શુભ અને
બેહદની બનાવો.