12-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારે
હવે શિક્ષક બની બધા ને મન વશી કરણ મંત્ર સંભળા વ વાનું છે , આ આપ સર્વ બાળકોની
ડ્યુટી ( જવાબદારી ) છે. ”
પ્રશ્ન :-
બાબા કયા
બાળકોનું કંઈ પણ સ્વીકાર નથી કરતા?
ઉત્તર :-
જેમને અહંકાર છે હું આટલું આપું છું, હું આટલી મદદ કરી શકું છું, બાબા એમનું કંઈ પણ
સ્વીકાર નથી કરતા. બાબા કહે મારા હાથમાં ચાવી છે. ઈચ્છું તો હું કોઈને ગરીબ બનાવું,
ચાહે કોઈને સાહૂકાર બનાવું. આ પણ ડ્રામામાં રહસ્ય છે. જેમને આજે પોતાની સાહૂકારી નો
ઘમંડ છે તેઓ કાલે ગરીબ બની જાય અને ગરીબ બાળકો બાપનાં કાર્યમાં પોતાની પાઈ-પાઈ સફળ
કરી સાહૂકાર બની જાય છે.
ઓમ શાંતિ!
આ તો રુહાની
બાળકો જાણે છે કે બાપ આવ્યા છે આપણને નવી દુનિયાનો વારસો આપવા. આ તો બાળકોને પાક્કું
છે ને કે જેટલું આપણે બાપને યાદ કરશું એટલા પવિત્ર બનશું. જેટલા આપણે સારા શિક્ષક
બનશું એટલું ઉંચ પદ પામશું. બાપ તમને શિક્ષક નાં રુપમાં ભણવવા નું શીખવાડે છે. તમારે
પછી બીજાને શીખવાડવાનું છે. તમે ભણાવવા વાળા શિક્ષક જરુર બનો છો બાકી તમે કોઈનાં
ગુરુ નથી બની શકતા, ફક્ત શિક્ષક બની શકો છો. ગુરુ તો એક સદ્દગુરુ જ છે જે શીખવાડે
છે. સર્વનાં સદ્દગુરુ એક જ છે. એ શિક્ષક બનાવે છે. તમે બધાંને શીખવાડી રસ્તો બતાવતા
રહો છો મનમનાભવ નો. બાપ એ તમારા પર આ ડ્યુટી (જવાબદારી) રાખી છે કે મને યાદ કરો અને
પછી શિક્ષક પણ બનો. તમે કોઈને બાપ નો પરિચય આપો છો તો તેમની પણ ફરજ છે બાપ ને યાદ
કરવાની. શિક્ષક નાં રુપમાં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન આપવું પડે છે. બાપ ને જરુર યાદ
કરવા પડે. બાપની યાદ થી જ પાપ ખતમ થઇ જવાનાં છે. બાળકો જાણે છે આપણે પાપ આત્મા છીએં,
એટલે બાપ બધાંને કહે છે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમારા પાપ ખતમ થઇ જશે.
બાપ જ પતિત-પાવન છે. યુક્તિ બતાવે છે - મીઠા બાળકો, તમારી આત્મા પતિત બની છે, જેનાં
કારણે શરીર પણ પતિત બન્યું છે. પહેલા તમે પવિત્ર હતા, હવે તમે અપવિત્ર બન્યા છો. હવે
પતિત થી પાવન બનવાની યુક્તિ તો બહુ જ સહજ સમજાવે છે. બાપ ને યાદ કરો તો તમે પવિત્ર
બની જશો. ઊઠતા, બેસતાં, ચાલતા બાપ ને યાદ કરો. તે લોકો ગંગાસ્નાન કરે છે તો ગંગા ને
યાદ કરે છે. સમજે છે તે પતિત-પાવની છે. ગંગા ને યાદ કરવાથી પાવન બની જવાનું છે.
પરંતુ બાપ કહે છે કોઈ પણ પાવન બની નથી શકતા. પાણીથી કેવી રીતે પાવન બનશે. બાપ કહે
છે હું પતિત-પાવન છું. હેં બાળકો, દેહ સહિત દેહનાં બધાં ધર્મ છોડી મને યાદ કરવાથી
તમે પાવન બની ફરી પોતાનાં ઘરે મુક્તિધામ પહોંચી જશો. આખો કલ્પ ઘરને ભૂલ્યા છો. બાપ
ને આખો કલ્પ કોઈ જાણતા જ નથી. એક જ વાર બાપ પોતે આવીને પોતાનો પરિચય આપે છે - આ મુખ
દ્વારા. આ મુખ ની કેટલી મહિમા છે. ગૌમુખ કહે છે ને. તે ગાય તો પશુ છે, આ તો છે
મનુષ્ય ની વાત.
તમે જાણો છો આ મોટી માતા છે. જે માતા દ્વારા શિવબાબા તમને બધાંને એડોપ્ટ (દત્તક) કરે
છે. તમે હવે બાબા-બાબા કહેવા લાગ્યા છો. બાપ પણ કહે છે આ યાદની યાત્રાથી તમારા પાપ
કપાવાનાં છે. બાળકોને બાપ યાદ આવી જાય છે ને. એમનો ચહેરો વગેરે દિલ માં બેસી જાય
છે. આપ બાળકો જાણો છો જેમ આપણે આત્મા છીએં એમ એ પરમ આત્મા છે. ચહેરામાં બીજો કોઈ
ફરક નથી. શરીરનાં સંબંધમાં તો ફીચર્સ વગેરે અલગ છે, બાકી આત્મા તો એક જેવી જ છે.
જેમ આપણી આત્મા એમ બાપ પણ પરમ આત્મા છે. આપ બાળકો જાણો છો - બાપ પરમધામમાં રહે છે,
આપણે પણ પરમધામમાં રહીએ છીએં. બાપની આત્મા અને આપણી આત્મામાં બીજો કોઈ ફર્ક છે નહીં.
એ પણ બિંદી છે, આપણે પણ બિંદી છીએં. આ જ્ઞાન બીજા કોઈને છે નહીં. તમને જ બાપ એ
બતાવ્યું છે. બાપ નાં માટે પણ શું-શું કહી દે છે. સર્વવ્યાપી છે, પથ્થર-ઠીક્કરમાં
છે, જેને જે આવડે છે તે કહી દે છે. ડ્રામા પ્લાન અનુસાર ભક્તિમાર્ગમાં બાપ નાં નામ,
રુપ, દેશ, કાળ ને ભૂલી જાય છે. તમે પણ ભૂલી જાઓ છો. આત્મા પોતાનાં બાપને ભૂલી જાય
છે. બાળક બાપ ને ભૂલી જાય છે તો બાકી શું જાણશે. નિધન થઈ ગયા. ધની ને યાદ જ નથી કરતા.
ધની નાં પાર્ટને જ નથી જાણતા. સ્વયં ને પણ ભૂલી જાય છે. તમે સારી રીતે જાણો છો -
બરાબર આપણે ભૂલી ગયા હતા. આપણે પહેલા આવા દેવી-દેવતા હતા, હવે જાનવર થી પણ બદતર થઈ
ગયા છીએં. મુખ્ય તો આપણે આપણી આત્માને પણ ભૂલેલા છીએં. હવે રિયલાઇઝ કોણ કરાવે. કોઈ
પણ જીવ આત્માને આ ખબર નહી હોય કે આપણે આત્મા શું છીએં, કેવી રીતે આખો પાર્ટ ભજવીએ
છીએં? આપણે બધાં ભાઈ-ભાઈ છીએં - આ જ્ઞાન બીજા કોઈમાં નથી. આ સમયે આખી સૃષ્ટિ જ
તમોપ્રધાન બની ચૂકી છે. જ્ઞાન નથી. તમારામાં હવે જ્ઞાન છે, બુદ્ધિ માં આવ્યું આપણે
આત્મા આટલા સમય થી પોતાનાં બાપની ગ્લાનિ કરતા આવ્યા છીએં. ગ્લાનિ કરવાથી બાપ થી દુર
થતાં જાય છે. સીડી નીચે ઉતરતા ગયા છે ડ્રામા પ્લાન અનુસાર. મૂળ વાત થઈ જાય છે બાપ
ને યાદ કરવાની. બાપ બીજી કોઈ તકલીફ નથી દેતા. બાળકોને ફક્ત બાપ ને યાદ કરવાની તકલીફ
છે. બાપ ક્યારેય બાળકોને કોઈ તકલીફ આપી શકે છે શું! લો (કાયદો) નથી કહેતો. બાપ કહે
છે. હું કોઈપણ તકલીફ નથી આપતો. કંઈ પણ પ્રશ્ન વગેરે પૂછે છે, કહું છું આ વાતોમાં
સમય વેસ્ટ (વ્યર્થ) કેમ કરો છો? બાપને યાદ કરો. હું આવ્યો જ છું તમને લઇ જવા, એટલે
આપ બાળકોએ યાદની યાત્રાથી પાવન બનવાનું છે. બસ હું જ પતિત-પાવન બાપ છું. બાપ યુક્તિ
બતાવે છે - ક્યાંય પણ જાઓ બાપ ને યાદ કરવાનાં છે. ૮૪ નાં ચક્રનું રહસ્ય પણ બાપએ
સમજાવી દીધું છે. હવે પોતાની તપાસ કરવાની છે - ક્યાં સુધી આપણે બાપ ને યાદ કરીએ છીએં.
બસ બીજા કોઈ તરફનાં વિચાર નથી કરવાનાં. આ તો બહુ જ સહેલું છે. બાપ ને યાદ કરવાનાં
છે. બાળક થોડું મોટું થાય છે તો ઓટોમેટિકલી (આપોઆપ) મા-બાપને યાદ કરવા લાગી જાય છે.
તમે પણ સમજો આપણે આત્મા બાપ નાં બાળક છીએં, યાદ કેમ કરવા પડે છે! કારણકે આપણા ઉપર
જે પાપ ચઢેલા છે, તે આ યાદથી જ ખતમ થશે. એટલે ગાયન પણ છે એક સેકન્ડમાં જીવનમુક્તિ.
જીવનમુક્તિ નો આધાર ભણતર પર છે અને મુક્તિ નો આધાર યાદ પર છે. જેટલું તમે બાપને યાદ
કરશો અને ભણતર પર ધ્યાન દેશો તો ઊંચ નંબર માં પદ પામશો. ધંધો વગેરે તો ભલે કરતા રહો,
બાબા કોઈ મનાઈ નથી કરતા. ધંધો વગેરે જે તમે કરો છો - તે પણ દિવસ-રાત યાદ રહે છે ને.
તો હવે બાપ રુહાની ધંધો આપે છે - સ્વયંને આત્મા સમજી મને યાદ કરો અને ૮૪ નાં ચક્રને
યાદ કરો. મને યાદ કરવાથી જ તમે સતોપ્રધાન બનશો. આ પણ સમજો છો, હવે જૂનું શરીર છે પછી
નવું શરીર મળશે. પોતાની પાસે બુદ્ધિ માં તંત રાખવાનું છે, જેનાથી બહુ જ ફાયદો થવાનો
છે. જેમ સ્કૂલમાં વિષય તો ઘણા હોય છે તો પણ અંગ્રેજી પર માર્ક સારા હોય છે કારણ કે
અંગ્રેજી છે મુખ્ય ભાષા. તેમનું પહેલા રાજ્ય હતું એટલે તે વધારે ચાલે છે. હમણાં પણ
ભારતવાસી કર્જદાર છે. ભલે કોઈ કેટલા પણ ધનવાન છે પરંતુ બુદ્ધિ માં આ તો છે ને કે
આપણા રાજ્યનાં જે મુખ્ય છે, તે કર્જદારછે. એટલે આપણે ભારતવાસી કર્જદાર છીએં. પ્રજા
જરુર કહેશે ને અમે કર્જદાર છીએં. આ પણ સમજ જોઈએ ને. જ્યારે તમે રાજાઈ સ્થાપન કરી
રહ્યા છો. તમે જાણો છો આપણે સૌ આ બધાં કર્જાથી છૂટીને સોલ્વન્ટ બનીએ છીએં પછી અડધો
કલ્પ આપણે કોઈથી પણ કર્જો ઉપાડવાનાં નથી. કર્જદાર પતિત દુનિયાનાં માલિક છે. હમણાં
આપણે કર્જદાર પણ છીએં, પતિત દુનિયાનાં માલિક પણ છીએં. આપણું ભારત આવું છે - ગાઓ છો
ને.
આપ બાળકો જાણો છો આપણે બહુ જ સાહૂકાર હતાં. પરીઝાદા,પરીઝાદિયા હતા. આ યાદ રહે છે.
આપણે એવા વિશ્વનાં માલિક હતાં. હવે બિલકુલ કર્જદાર અને પતિત બની ગયા છીએ. આ ખેલનું
રીઝલ્ટ બાપ બતાવી રહ્યા છે. રીઝલ્ટ (પરિણામ) શું આવ્યું છે. આપ બાળકોને સ્મૃતિ આવી
છે. સતયુગમાં આપણે કેટલા સાહૂકાર હતા, કોણે તમને સાહૂકાર બનાવ્યા. બાળકો કહેશે -
બાબા તમે અમને કેટલા સાહૂકાર બનાવ્યા હતા. એક બાપ જ સાહૂકાર બનાવવા વાળા છે. દુનિયા
આ વાતોને નથી જાણતી. લાખો વર્ષ કહી દેવાથી બધું ભૂલી ગયા છે, કંઈ નથી જાણતા. તમે હવે
બધું જાણી ગયા છો. આપણે પદ્માપદમ સાહૂકાર હતા. બહુ જ પવિત્ર હતા, બહુ જ સુખી હતા.
ત્યાં જૂઠ, પાપ વગેરે કંઈ હોતું નથી. આખા વિશ્વ પર તમારી જીત હતી. ગાયન પણ છે
શિવબાબા તમે જે આપો છો તે બીજા કોઈ આપી નથી શકતા. કોઈની તાકાત નથી જે અડધા કલ્પ નું
સુખ આપી શકે. બાપ કહે છે ભક્તિમાર્ગમાં પણ તમને બહુ જ સુખ, અથાહ ધન રહે છે. કેટલા
હીરા ઝવેરાત હતા જે પછી પાછળ વાળાનાં હાથમાં આવે છે. હવે તો તે વસ્તુ જ જોવામાં નથી
આવતી. તમે ફર્ક જુઓ છો ને. તમે જ પૂજ્ય દેવી-દેવતા હતા પછી તમે જ પૂજારી બન્યા છો.
પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી. બાપ કોઈ પૂજારી નથી બનતા પરંતુ પૂજારી દુનિયામાં તો
આવે છે ને. બાપ તો એવરપૂજ્ય (સદાપૂજ્ય) છે. એ ક્યારેય પૂજારી થતા નથી, એમનો ધંધો છે
તમને પૂજારી થી પૂજ્ય બનાવવાનો. રાવણ નું કામ છે તમને પૂજારી બનાવવાનું. આ દુનિયામાં
કોઈને ખબર નથી. તમે પણ ભૂલી જાઓ છો. રોજ-રોજ બાપ સમજાવતા રહે છે. બાપ નાં હાથમાં છે
- કોઈને ઇચ્છે તો સાહૂકાર બનાવે, ઈચ્છે તો ગરીબ બનાવે. બાપ કહે છે જે સાહૂકાર છે
તેમને ગરીબ જરુર બનવાનું છે, બનશે જ. તેમનો પાર્ટ આવો છે. તે ક્યારે રહી નહી શકે.
ધનવાન ને અહંકાર પણ બહુ જ રહે છે ને - હું ફલાણો છું, આ-આ અમારુ છે. ઘમંડ તોડવા માટે
બાબા કહે છે - આ જ્યારે આવશે આપવા માટે તો બાબા કહેશે દરકાર (આવશ્યકતા) નથી. આ
પોતાની પાસે રાખો. જ્યારે જરુરત હશે તો પછી લઈ લેશે કારણ કે જુએ છે - કામનું નથી,
પોતાનો ઘમંડ છે. તો આ બધું બાબા નાં હાથ માં છે ને - લેવું કે ન લેવું. બાબા પૈસા
શું કરશે, જરુરત નથી. આ તો આપ બાળકો માટે મકાન બની રહ્યા છે, આવીને બાબા ને મળીને જ
જવાનું છે. સદેવ તો રહેવાનું નથી. પૈસાની શું જરુર રહેશે. કોઈ લશ્કર કે તોપ વગેરે
તો નથી જોઈતા. તમે વિશ્વનાં માલિક બનો છો. હમણાં યુદ્ધનાં મેદાનમાં છો, તમે બીજું
કંઈ પણ નથી કરતા સિવાય બાપને યાદ કરવાનાં. બાપએ ફરમાન કર્યુ છે મને યાદ કરો તો આટલી
શક્તિ મળશે. આ તમારો ધર્મ બહુ જ સુખ દેવાવાળો છે. બાપ છે સર્વ શક્તિમાન. તમે એમનાં
બનો છો બધો આધાર યાદ ની યાત્રા પર છે. અહીં તમે સાંભળો છો પછી એના પર મંથન ચાલે છે.
જેમ ગાય ખાવાનું ખાઈને પછી વાગોળે છે, મુખ ચાલતું જ રહે છે. આપ બાળકોને પણ કહે છે
જ્ઞાનની વાતો પર ખૂબ વિચાર કરો. બાબા થી અમે શું પૂછીએં. બાપ તો કહે છે મનમનાભવ,
જેનાથી જ તમે સતોપ્રધાન બનો છો. આ લક્ષ-હેતુ સામે છે.
તમે જાણો છો - સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સમ્પન્ન બનવાનું છે. આ ઓટોમેટિકલી અંદર માં
આવવું જોઈએ. કોઈની ગ્લાનિ કે પાપ કર્મ વગેરે કંઈ પણ ન થાય. કોઈ પણ તમારે ઉલ્ટા કર્મ
ન કરવા જોઈએ. નંબરવન છે આ દેવી-દેવતાઓ. પુરુષાર્થ થી ઊંચું પદ પામ્યું છે ને. તેમનાં
માટે ગવાય છે અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. કોઈને મારવું આ હિંસા થઇ ને. બાપ સમજાવે
છે તો પછી બાળકોએ અંતર્મુખ થઈ પોતાને જોવાનું છે - આપણે કેવા બન્યા છીએં? બાબાને
આપણે યાદ કરીએ છીએં? કેટલો સમય આપણે યાદ કરીએ છીએં? એટલું દિલ લાગી જાય જે આ યાદ
ક્યારેય ભૂલાય જ નહીં. હવે બેહદનાં બાપ કહે છે આપ આત્માઓ મારી સંતાન છો. એ પણ તમે
અનાદિ સંતાન છો. તે જે આશિક-માશૂક હોય છે તેમની છે શારીરિક યાદ. જેમ સાક્ષાત્કાર
થાય છે પછી ગુમ થઈ જાય છે એમ તે પણ સામે આવી જાય છે. એ ખુશીમાં જ ખાતા-પીતા યાદ કરતા
રહે છે. તમારી આ યાદમાં તો બહુ જ બળ છે. એક બાપ ને જ યાદ કરતા રહેશો. અને તમને પછી
પોતાનું ભવિષ્ય યાદ આવશે. વિનાશનો સાક્ષાત્કાર પણ થશે. આગળ જતાં જલ્દી-જલ્દી વિનાશ
નાં સાક્ષાત્કાર થશે. પછી તમે કહી શકશો કે હવે વિનાશ થવાનો જ છે. બાપ ને યાદ કરો.
બાબા એ આ બધું છોડી દીધું ને. કંઈ પણ અંતમાં યાદ ન આવે. હવે તો આપણે પોતાની
રાજધાનીમાં ચાલ્યા. નવી દુનિયામાં જરુર જવાનું છે. યોગબળ થી બધાં પાપોને ભસ્મ કરવાનાં
છે, આમાં જ બહુ મહેનત કરવાની છે. ઘડી-ઘડી બાપ ને ભૂલી જાય છે કારણકે આ બહુ જ મહીંન
(સુક્ષ્મ) ચીજ છે. ઉદાહરણ જે આપે છે સાપ નું, ભ્રમરી નું, એ બધું આ સમયનું છે.
ભ્રમરી કમાલ કરે છે ને. તેનાથી તમારી કમાલ વધારે છે. બાબા લખે છે ને - જ્ઞાનની
ભૂઁ-ભૂઁ કરતા રહો. છેલ્લે જાગી જશે. જશે ક્યાં. તમારી પાસે જ આવતા જશે. વૃદ્ધિ થતી
જશે. તમારો નામાચાર થતો જશે. હમણાં તો તમે થોડા છો ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાનનું
ખૂબ વિચાર સાગર મંથન કરવાનું છે. જે સાંભળ્યું છે એને વાગોળવાનું છે. અંતર્મુખ થઈ
જોવાનું છે કે બાપ થી એવું દિલ લાગી ગયું છે જે એ ક્યારેય ભૂલાય નહીં.
2. કોઈ પણ પ્રશ્ન વગેરે પૂછવામાં પોતાનો સમય વ્યર્થ ન કરી યાદની યાત્રાથી સ્વયંને
પાવન બનાવવાનું છે. અંત સમયમાં એક બાપની યાદનાં સિવાય બીજો કોઈ પણ વિચાર ન આવે - આ
અભ્યાસ હમણાંથી જ કરવાનો છે.
વરદાન :-
જ્ઞાન સૂર્ય ,
જ્ઞાન ચંદ્રમાની સાથે સાથી બની રાત ને દિવસ બ ના વવા વાળા રુ હાની જ્ઞાન તારા ઓ ભવ
:
જેમ તે તારાઓ રાતમાં
પ્રગટ થાય છે એમ તમે રુહાની જ્ઞાન તારાઓ, ચમકતા તારાઓ પણ બ્રહ્માની રાત માં પ્રગટ
થાઓ છો. તે તારાઓ રાત ને દિવસ નથી બનાવતા પરંતુ તમે જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમાની
સાથે સાથી બની રાત ને દિવસ બનાવો છો. તે આકાશનાં તારાઓ છે, તમે ધરતીનાં તારાઓ છો,
તે પ્રકૃતિની સત્તા છે તમે પરમાત્મ તારાઓ છો. જેમ પ્રકૃતિનાં તારામંડળ માં અનેક
પ્રકારનાં તારાઓ ચમકતા જોવામાં આવે છે, એમ તમે પરમાત્મ તારામંડળ માં ચમકતા રુહાની
તારાઓ છો.
સ્લોગન :-
સેવા નો ચાંસ
(તક) મળવો અર્થાત્ દુવાઓ થી ઝોળી ભરવી.