02-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - વિનાશ
નાં પહેલા બધાંને બાપ નો પરિચય આપવાનો છે, ધારણા કરી બીજાઓને સમજાવો ત્યારે ઊંચું
પદ મળી શકશે”
પ્રશ્ન :-
રાજયોગી
વિદ્યાર્થીઓને બાપનું ડાયરેક્શન (માર્ગદર્શન) શું છે?
ઉત્તર :-
તમને
ડાયરેક્શન છે એક બાપનાં બનીને પછી બીજાઓથી દિલ નથી લગાડવાનું. પ્રતિજ્ઞા કરી પછી
પતિત નથી બનવાનું. તમે એવા સંપૂર્ણ પાવન બની જાઓ જે બાપ અને શિક્ષક ની યાદ સ્વત:
નિરંતર બની રહે. એક બાપથી જ પ્રેમ કરો, એમને જ યાદ કરો તો તમને બહુજ તાકાત મળતી
રહેશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ બેસીને સમજાવે છે. સમજાવે ત્યારે છે જ્યારે આ શરીર છે. સમ્મુખ જ
સમજાવવાનું હોય છે. જે સમ્મુખ સમજાવાય છે તે પછી લેખન નાં દ્વારા બધાંની પાસે જાય
છે. તમે અહીંયા આવો છો સમ્મુખ સાંભળવા માટે. બેહદનાં બાપ આત્માઓને સંભળાવે છે. આત્મા
જ સાંભળે છે. બધું આત્મા જ કરે છે - આ શરીર દ્વારા એટલે પહેલા-પહેલા સ્વયંને આત્મા
જરુર સમજવાનું છે. ગાયન છે આત્માઓ-પરમાત્મા અલગ રહ્યા બહુકાળ….. સૌથી પહેલા-પહેલા
બાપ થી કોણ છૂટા પડીને આવે છે અહિયાં પાર્ટ ભજવવા? તમને પૂછશે કેટલો સમય તમે બાપ થી
અલગ રહ્યા છો? તો તમે કહેશો ૫ હજાર વર્ષ. પૂરો હિસાબ છે ને. આ તો આપ બાળકોને ખબર છે
કેવી રીતે નંબરવાર આવે છે. બાપ જે ઉપરમાં હતા એ પણ હમણાં નીચે આવી ગયા છે - તમારાં
બધાંની બેટરી ચાર્જ કરવા. હમણાં બાપને યાદ કરવાનાં છે. હમણાં તો બાપ સમ્મુખ છે ને.
ભક્તિમાર્ગ માં તો બાપનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ની ખબર જ નથી. નામ, રુપ, દેશ, કાળ ને
જાણતા જ નથી. તમને તો નામ, રુપ, દેશ, કાળ ની બધી ખબર છે. તમે જાણો છો આ રથ દ્વારા
બાપ આપણને બધાં રહસ્ય સમજાવે છે. રચતા અને રચના નાં આદિ, મધ્ય, અંત નું રહસ્ય સમજાવે
છે. આ કેટલું સુક્ષ્મ છે. આ મનુષ્ય સૃષ્ટિરુપી ઝાડ નું બીજરુપ બાપ જ છે. એ અહીંયા
આવે જરુર છે. નવી દુનિયા સ્થાપન કરવી એમનું જ કામ છે. એવું નથી ત્યાં બેઠાં સ્થાપના
કરે છે. આપ બાળકો જાણો છો બાબા આ તન દ્વારા આપણને સમ્મુખ સમજાવી રહ્યા છે. આ પણ
બાપનું પ્રેમ કરવું થયું ને. બીજા કોઈને પણ એમની બાયોગ્રાફી (જીવનકહાની) ની ખબર નથી.
ગીતા છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું શાસ્ત્ર. આ પણ તમે જાણો છો - આ જ્ઞાન નાં પછી
છે વિનાશ. વિનાશ જરુર થવાનો છે. બીજા જે પણ ધર્મ સ્થાપક આવે છે, તેમનાં આવવા પર
વિનાશ નથી થતો. વિનાશ નો સમય જ આ છે, એટલે તમને જે જ્ઞાન મળે છે તે પછી ખલાસ થઇ જાય
છે. આપ બાળકોની બુદ્ધિમાં આ બધી વાતો છે. તમે રચતા અને રચનાને જાણી ગયા છો. છે બન્ને
અનાદિ જે ચાલતા આવે છે. બાપનો પાર્ટ જ સંગમ પર આવવાનો. ભક્તિ અડધો કલ્પ ચાલે છે,
જ્ઞાન નથી ચાલતું. જ્ઞાનનો વારસો અડધા કલ્પને માટે મળે છે. જ્ઞાન તો એક જ વાર ફક્ત
સંગમ પર મળે છે. આ ક્લાસ તમારો એક જ વાર ચાલે છે. આ વાતો સારી રીતે સમજી પછી બીજાને
સમજાવવાની પણ છે. પદ નો બધો આધાર છે સેવા કરવા પર. તમે જાણો છો પુરુષાર્થ કરી હવે
નવી દુનિયામાં જવાનું છે. ધારણા કરી અને બીજાઓ ને સમજાવવું - આનાં પર જ તમારું પદ
છે. વિનાશ થવાનાં પહેલા બધાંને બાપ નો પરિચય આપવાનો છે અને રચનાનાં આદિ, મધ્ય, અંત
નો પરિચય આપવાનો છે. તમે પણ બાપ ને યાદ કરો છો કે જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જાય.
જ્યાં સુધી બાપ ભણાવતા રહે છે, યાદ જરુર કરવાનું છે. ભણવાની સાથે યોગ તો રહેશે ને.
શિક્ષક ભણાવે છે તો તેમની સાથે યોગ રહે છે. યોગ વગર ભણશે કેવી રીતે? યોગ અર્થાત
ભણાવવા વાળાની યાદ. આ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. ત્રણેય રુપમાં પુરા
યાદ કરવા પડે છે. આ સદ્દગુરુ તમને એક જ વાર મળે છે. જ્ઞાન થી સદ્દગતિ મળી, બસ પછી
ગુરુ નો રિવાજ જ ખત્મ. બાપ, શિક્ષક નો રીવાજ ચાલે છે, ગુરુ નો રીવાજ ખત્મ થઈ જાય
છે. સદ્દગતિ મળી ગઈ ને. નિર્વાણધામમાં તમે પ્રેકટીકલમાં જાઓ છો પછી પોતાનાં સમય પર
પાર્ટ ભજવવા આવશો. મુક્તિ-જીવનમુક્તિ બંને તમને મળી જાય છે. મુક્તિ પણ જરુર મળે છે.
થોડાં સમય માટે ઘરે જઈને રહેશો. અહિયાં તો શરીર થી ભજવવો પડે છે. છેલ્લે બધાં
પાર્ટધારી આવી જશે. નાટક જ્યારે પૂરું થાય છે તો બધાં એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે.
હમણાં પણ બધાં એક્ટર્સ સ્ટેજ પર આવીને ભેગા થયા છે. કેટલું ઘમસાન છે. સતયુગ આદિમાં
આટલું ઘમસાન ન હતું. હમણાં તો કેટલી અશાંતિ છે. તો હવે જેમ બાપને સૃષ્ટિ ચક્ર નું
નોલેજ છે તો બાળકોને પણ નોલેજ છે. બીજ ને નોલેજ છે ને - આપણું ઝાડ કેવી રીતે
વૃદ્ધિને પામીને પછી ખતમ થાય છે. હમણાં તમે બેઠા છો નવી દુનિયા ની કલમ લગાવવા અથવા
આદિ સનાતન દેવી-દેવતા ધર્મની કલમ લગાવવા. તમને ખબર છે આ લક્ષ્મી-નારાયણએ રાજ્ય કેવી
રીતે પામ્યું? તમે જાણો છો આપણે હવે નવી દુનિયાનાં પ્રિન્સ (રાજકુમાર) બનશું. તે
દુનિયામાં રહેવા વાળા બધાં પોતાને માલિક જ કહેશે ને. જેમ હમણાં પણ બધાં કહે છે ભારત
મારો દેશ છે. તમે સમજો છો હમણાં આપણે સંગમ પર ઊભા છીએ, શિવાલયમાં જવા વાળા છીએં. બસ,
હમણાં ગયા કે ગયા. આપણે જઈને શિવાલયનાં માલિક બનશું. તમારો લક્ષ-હેતુ જ આ છે. યથા
રાજા રાણી તથા પ્રજા, બધાં શિવાલય નાં માલિક બની જાય છે. બાકી રાજધાની માં
ભિન્ન-ભિન્ન પદ તો હોય જ છે. ત્યાં વજીર તો કોઈ હોતું જ નથી. વજીર ત્યારે હોય છે
જ્યારે પતિત બને છે. લક્ષ્મી-નારાયણ અથવા રામ-સીતા નાં વજીર નહિ સાંભળ્યું હશે કારણ
કે તેઓ સ્વયં સતોપ્રધાન પાવન બુદ્ધિવાળા છે. પછી જ્યારે પતિત બને છે ત્યારે
રાજા-રાણી એક વજીર રાખે છે સલાહ લેવાને માટે. હમણાં તો જુઓ અનેકાનેક વજીર છે.
આપ બાળકો જાણો છો આ બહુંજ મજાનો ખેલ છે. ખેલ હમેશા મજાનો જ હોય છે. સુખ પણ હોય છે,
દુઃખ પણ હોય છે. આ બેહદનાં ખેલ ને આપ બાળકો જ જાણો છો. આમાં રોવા-પીટવા વગેરેની વાત
જ નથી. ગાએ પણ છે બીતીસોબીતીદેખો….બની-બનાઈબનરહી. આ નાટક તમારી બુદ્ધિમાં છે. આપણે
આમનાં એક્ટર્સ છીએં. આપણા ૮૪ જન્મો નો પાર્ટ એક્યુરેટ અવિનાશી છે. જે જે જન્મમાં જે
એક્ટ કરતા આવ્યા છે તેજ કરતા રહેશે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને આજ કહ્યું હતું
કે સ્વયંને આત્મા સમજો. ગીતામાં પણ અક્ષર છે. તમે જાણો છો બરાબર આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ જ્યારે સ્થાપન થયો હતો તો બાપએ કહ્યું હતું દેહનાં બધાં ધર્મ છોડી
સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. મનમનાભવ નો અર્થ તો બાપ એ સારી રીતે
સમજાવેલ છે. ભાષા પણ આજ છે. અહીંયા જુઓ કેટલી બધી ભાષાઓ છે. ભાષાઓ પર પણ કેટલાં
હંગામા છે. ભાષા વગર તો કામ ચાલી ન શકે. એવી-એવી ભાષાઓ શીખીને આવે છે જે માતૃભાષા
ખલાસ થઇ જાય છે. જે વધારે ભાષાઓ શીખે છે તેમને ઇનામ મળે છે. જેટલા ધર્મ, તેટલી
ભાષાઓ હશે. ત્યાં તો તમે જાણો છો આપણી જ રાજાઈ હશે. ભાષા પણ એક હશે. અહીંયા તો ૧૦૦
માઈલ પર એક ભાષા છે. ત્યાં તો એક જ ભાષા હોય છે. આ બધી વાતો બાપ બેસી ને સમજાવે છે
તો એ બાપને જ યાદ કરતાં રહો. શિવબાબા સમજાવે છે બ્રહ્મા દ્વારા. રથ તો જરુર જોઈએ
ને. શિવબાબા આપણા બાપ છે. બાબા કહે છે મારા તો બેહદનાં બાળકો છે. બાબા આમનાં દ્વારા
ભણાવે છે ને. શિક્ષકને ક્યારેય ગળે થોડી લગાવાય છે. બાપ તો તમને ભણાવવાં આવ્યાં છે.
રાજયોગ શીખવાડે છે. તો શિક્ષક થયા ને. તમે વિદ્યાર્થી છો. વિધાર્થી ક્યારેય શિક્ષક
ને ગળે મળે છે કે? એક બાપનાં બનીને પછી બીજાઓથી દિલ નથી લગાડવાનું.
બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું ને. તમે શરીરધારી, હું અશરીરી ઉપરમાં
રહેવા વાળો. કહો છો - બાબા ,પાવન બનાવવા આવો તો તમે પતિત છો ને? પછી મને ગળે કેવી
રીતે લાગી શકો? પ્રતિજ્ઞા કરી પછી પતિત બની જાય છે. જ્યારે એકદમ પાવન બની જશો, અંતમાં
પછી યાદમાં જ રહેશો, શિક્ષક ને, ગુરુ ને યાદ કરતા રહેશો. હમણાં તો છી-છી બની પડી
જાય છે, વધારે જ સોગુણા દંડ પડી જાય છે. આ તો વચમાં દલાલ નાં રુપમાં મળ્યા છે, તેમને
યાદ કરવાનાં છે. બાબા કહે છે હું પણ એમનો મુરબ્બી બાળક છું. પછી હું ક્યાં ગળે લાગી
શકું છું! તમે છતાં પણ આ શરીર દ્વારા મળો છો. હું એમને કેવી રીતે ગળે મળું? બાપ તો
કહે છે - બાળકો, તમે એક બાપ ને જ યાદ કરો, પ્રેમ કરો. યાદ થી શક્તિ બહુંજ મળે છે.
બાપ સર્વશક્તિમાન છે. બાપ થી જ તમને આટલી શક્તિ મળે છે. તમે કેટલા બળવાન બનો છો.
તમારી રાજધાની પર કોઈ જીત પહેરી ન શકે. રાવણ રાજ્ય જ ખત્મ થઈ જાય છે. દુઃખ દેવાવાળું
કોઈ રહેતું જ નથી. તેને સુખધામ કહેવાય છે. રાવણ આખા વિશ્વમાં બધાંને દુઃખ દેવાવાળો
છે. જાનવર પણ દુઃખી થાય છે. ત્યાં તો જાનવર પણ એક-બીજાથી પ્રેમ થી રહે છે. અહીંયા
તો પ્રેમ છે જ નહીં.
આપ બાળકો જાણો છો આ ડ્રામા કેવી રીતે ફરે છે. આનાં આદિ, મધ્ય, અંત નું રહસ્ય બાપ જ
સમજાવે છે. કોઈ સારી રીતે ભણે છે, કોઈ ઓછું ભણે છે. ભણે તો બધાં છે ને. આખી દુનિયા
પણ ભણશે અર્થાત્ બાપને યાદ કરશે. બાપ ને યાદ કરવાં - આ પણ ભણતર છે ને. એ બાપ ને બધાં
યાદ કરે છે, એ સર્વનાં સદ્દગતિ દાતા, સર્વને સુખ આપવા વાળા છે. કહે પણ છે આવીને
પાવન બનાવો તો જરુર પતિત થયા. એ તો આવે જ છે વિકારીઓને નિર્વિકારી બનાવવા. પુકારે
પણ છે કે હેં અલ્લાહ, આવીને અમને પાવન બનાવો. એમનો આજ ધંધો છે, એટલે બોલાવે છે.
તમારી ભાષા પણ કરેક્ટ (બરાબર) હોવી જોઈએ. તે લોકો કહે છે અલ્લાહ, તેઓ કહે છે ગોડ.
ગોડફાધર પણ કહે છે. પાછળ વાળાની બુદ્ધિ તો પણ સારી રહે છે. એટલું દુઃખ નથી ઉઠાવતા.
તો હવે તમે સમ્મુખ બેઠા છો, શું કરો છો? બાબાને આ ભ્રકુટીમાં જુઓ છો. બાબા પછી તમારી
ભ્રકુટીમાં જુએ છે. જેમનામાં હું પ્રવેશ કરું છું, તેમને જોઈ શકું છું? તે તો બાજુમાં
બેઠાં છે, આ બહુંજ સમજવાની વાત છે. હું આમની બાજુમાં બેઠેલો છું. આ પણ સમજે છે, મારી
બાજુમાં બેઠા છે. તમે કહેશો અમે સામે બંનેને જોઈએ છીએ. બાપ અને દાદા બંને આત્માઓને
જુઓ છો. તમારામાં જ્ઞાન છે - બાપદાદા કોને કહે છે? આત્મા સામે બેઠી છે. ભક્તિમાર્ગમાં
તો આંખો બંધ કરીને બેસીને સાંભળે છે. ભણવાનું કંઈ આમ થોડી થાય છે. શિક્ષક ને તો જોવાં
પડે ને. આ તો બાપ પણ છે, શિક્ષક પણ છે તો સામે જોવાનું હોય છે. સામે બેસો અને આંખો
બંધ હોય, ઝુટકા ખાતા રહો, એવું ભણતર તો હોતું નથી. વિધાર્થી શિક્ષકને જરુર જોતા
રહેશે. નહી તો શિક્ષક કહેશે આ તો ઝુટકા ખાતા રહે છે. આ કોઈ ભાંગ પી ને આવ્યાં છે.
તમારી બુદ્ધિમાં છે બાબા આ તનમાં છે. હું બાબાને જોવું છું. બાપ સમજાવે છે આ ક્લાસ
સાધારણ નથી - જે કોઈ આંખો બંધ કરીને બેસે. સ્કૂલમાં ક્યારેય કોઈ આંખો બંધ કરીને બેસે
છે કે? બીજા સત્સંગોને સ્કુલ નથી કહેવાતું. ભલે ગીતા બેસીને સંભળાવે છે પરંતુ તેને
સ્કુલ નથી કહેવાતું. તેઓ કોઈ બાપ થોડી છે જેને જોવો. કોઈ-કોઈ શિવનાં ભક્ત હોય છે તો
શિવને જ યાદ કરે છે, કાન થી કથા સાંભળતાં રહે. શિવની ભક્તિ કરવાવાળા ને શિવને જ યાદ
કરવા પડે. કોઈ પણ સત્સંગ માં પ્રશ્ન-ઉત્તર વગેરે નથી હોતું. અહીંયા હોય છે. અહીંયા
તમારી આવક બહુંજ છે. આવકમાં ક્યારેય બગાસા નથી આવી શકતાં. ધન મળે છે ને તો ખુશી થાય
છે. બગાસા, દુઃખની નિશાની છે. બીમાર હશે અથવા દેવાળું નીકળ્યું હશે તો બગાસા આવતાં
રહેશે. પૈસા મળતા રહેશે તો ક્યારેય બગાસા નહિ આવશે. બાબા વ્યાપારી પણ છે. રાતનાં
સ્ટીમર આવતાં હતાં તો રાતમાં જાગવું પડતું હતું. કોઈ-કોઈ બેગમ રાતનાં આવે છે તો
ફક્ત સ્ત્રીને માટે જ ખુલ્લા રહે છે. બાબા પણ કહે છે પ્રદર્શની વગેરે માં સ્ત્રીઓ
માટે ખાસ દિવસ રાખો તો બહુંજ આવશે. પર્દેનશીન (પડદા ની પાછળ રહેવાવાળા) પણ આવશે.
બહુજ પર્દેનશીન રહે છે. મોટર માં પણ પડદા રહે છે. અહીંયા તો આત્માની વાત છે. જ્ઞાન
મળી ગયું તો પડદો પણ ખુલી જશે. સતયુગમાં પડદા વગેરે હોતા નથી. આ તો પ્રવૃત્તિ માર્ગ
નું જ્ઞાન છે ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર :-
1) આ ખેલ બહુજ
મજા નો બનેલો છે, આમાં સુખ અને દુઃખનો પાર્ટ નોંધાયેલો છે એટલે રોવા-પીટવા ની વાત
નથી. બુદ્ધિમાં રહે બની-બનાઈ બન રહી. વીતેલાં નું ચિંતન નથી કરવાનું.
2) આ સાધારણ ક્લાસ નથી, આમાં આંખો બંધ કરીને નથી બેસવાનું. શિક્ષકને સામે જોવાના
છે. બગાસા વગેરે નથી લેવાનાં. બગાસા દુઃખની નિશાની છે.
વરદાન :-
પ્રસન્નતા ની
રુહાની પર્સનાલિટી દ્વારા સર્વને અધિકારી બનાવવા વાળા ગાયન અને પૂજન યોગ્ય ભવ
જે સર્વની
સંતુષ્ટતાનું સર્ટીફીકેટ લે છે તે સદા પ્રસન્ન રહે છે, અને આજ પ્રસન્નતાની રુહાની
પર્સનાલિટી ને કારણે નામીગ્રામી અર્થાત્ ગાયન અને પૂજન યોગ્ય બની જાય છે. આપ
શુભચિંતક, પ્રસન્નચિત્ત રહેવાવાળી આત્માઓ દ્વારા જે સર્વને ખુશીની, સહારાની, હિંમતની
પાંખો ની, ઉમંગ-ઉત્સાહ ની પ્રાપ્તિ થાય છે - આ પ્રાપ્તિ કોઈને અધિકારી બનાવી દે છે,
કોઈ ભક્ત બની જાય છે.
સ્લોગન :-
બાપ થી વરદાન
પ્રાપ્ત કરવાનું સહજ સાધન છે - દિલ નો સ્નેહ.