15-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - સદ્દગુરુ ની પહેલી - પહેલી શ્રીમત છે દેહી - અભિમાની બનો , દેહ- અભિમાન છો ડી દો ”

પ્રશ્ન :-
આ સમયે આપ બાળકો કોઈપણ ઇચ્છા કે ચાહના નથી રાખી શકતા - કેમ?

ઉત્તર :-
કારણ કે તમે બધાં વાનપ્રસ્થી છો. તમે જાણો છો આ આંખોથી જે કંઈ જોઈએ છીએ તે વિનાશ થવાનું છે. હવે તમને કંઈ પણ નથી જોઈતું, બિલકુલ બેગર (ગરીબ) બનવાનું છે. જો એવી કોઈ ઊંચી ચીજ પહેરશો તો ખેંચશે, પછી દેહ-અભિમાનમાં ફસાતા રહેશો. આમાં જ મહેનત છે. જ્યારે મહેનત કરી પૂરા દેહી-અભિમાની બનો ત્યારે વિશ્વની બાદશાહી મળશે.

ઓમ શાંતિ!
આ ૧૫ મિનિટ કે અડધો કલાક બાળકો બેઠાં છે, બાબા પણ ૧૫ મિનિટ બેસાડે છે કે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આ શિક્ષણ એક જ વાર મળે છે પછી ક્યારેય નહીં મળશે. સતયુગમાં આવું નહીં કહેશે કે આત્મ-અભિમાની થઈ બેસો. આ એક જ સદ્દગુરુ કહે છે, એમનાં માટે કહેવાય છે એક સદ્દગુરુ તારે, બાકી બધાં ડૂબાડે. અહીં બાપ તમને દેહી-અભિમાની બનાવે છે. પોતે પણ દેહી છે ને. સમજાવવા માટે કહે છે હું આપ બધી આત્માઓનો બાપ છું, એમને તો દેહી બની બાપને યાદ નથી કરવાનાં. યાદ પણ એ જ કરશે જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની (ભાતિ) જેવા હશે. જેવા તો બહુ જ હોય છે ને, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ વાત બહુજ સમજવાની અને સમજાવવાની છે. પરમપિતા પરમાત્મા તમારા બધાનાં બાપ પણ છે, અને પછી નોલેજફુલ પણ છે. આત્મા માં જ નોલેજ રહે છે ને. તમારી આત્મા સંસ્કાર લઇ જાય છે. બાપ માં તો પહેલાથી જ સંસ્કાર છે. એ બાપ છે, આ તો બધાં જાણે પણ છે. પછી બીજી એમનામાં ખૂબી છે, જે એમનામાં ઓરીજનલ નોલેજ છે. બીજરુપ છે. જેમ બાપ તમને બેસી સમજાવે છે, તમારે પછી બીજાઓને સમજાવવાનું છે. બાપ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે પછી એ સત્ત છે, ચેતન્ય છે, નોલેજફુલ છે, એમને આ આખા ઝાડ નું નોલેજ છે. બીજા કોઈને પણ આ ઝાડનું નોલેજ છે નહીં. એનું બીજ છે બાપ, જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. જેમ કેરીનું ઝાડ છે તો એનાં રચયિતા બીજ ને કહેશું ને. એ જાણે બાપ થઈ ગયા પરંતુ તે તો જડ છે. જો ચૈતન્ય હોત તો તેને ખબર હોત ને - મારાથી ઝાડ આખું કેવી રીતે નીકળે છે. પરંતુ એ જડ છે, તેનું બીજ નીચે ઉગાડવામાં આવે છે. આ તો છે ચૈતન્ય બીજરુપ. આ ઉપર રહે છે. તમે પણ માસ્ટર બીજરુપ બનો છો. બાપ થી તમને નોલેજ મળે છે. એ છે ઊંચેથી ઉંચા. પદ પણ તમે ઊંચું પામો છો. સ્વર્ગમાં પણ ઊંચ પદ જોઈએ ને. આ મનુષ્ય નથી સમજતા. સ્વર્ગમાં દેવી-દેવતાઓની રાજધાની છે. રાજધાનીમાં રાજા, રાણી, પ્રજા, ગરીબ, સાહૂકાર વગેરે આ બધાં કેવી રીતે બન્યા હશે. હવે તમે જાણો છો, આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કેવી રીતે થઈ રહી છે, કોણ કરે છે? ભગવાન. બાપ ફરી કહે છે – બાળકો, જે કંઈ થાય છે ડ્રામાનાં પ્લાન અનુસાર. બધાં ડ્રામાનાં વશ છે. બાપ પણ કહે છે હું ડ્રામાનાં વશ છું. મને પણ પાર્ટ મળેલો છે. એ જ પાર્ટ ભજવું છું. એ છે સુપ્રીમ આત્મા. એમને સુપ્રીમ ફાધર (સર્વોચ્ચ પિતા) કહેવાય છે, બીજા તો બધાંને કહેવાય છે બ્રધર (ભાઈ). બીજા કોઈને ફાધર, શિક્ષક, ગુરુ નથી કહેવાતું. એ બધાનાં સુપ્રીમ બાપ પણ છે, શિક્ષક, સદ્દગુરુ પણ છે. આ વાતો ભૂલવી ન જોઈએ. પરંતુ બાળકો ભૂલી જાય છે કારણ કે નંબરવાર પુરુષાર્થ અનુસાર રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક જેવો પુરુષાર્થ કરે છે એ ઝટ સ્થૂળમાં પણ ખબર પડી જાય છે - આ બાપને યાદ કરે છે કે નહીં? દેહી અભિમાની બન્યા છે કે નહીં? આ જ્ઞાનમાં તીખા છે, એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજાય છે. બાપ કોઈને કંઈ ડાયરેક્ટ કહેતા નથી. ફંક (નારાજ) ન થઈ જાય. અફસોસમાં ન પડી જાય કે આ બાબા એ શું કહ્યું, અને બધાં શું કહેશે! બાપ બતાવી શકે છે – ફલાણા-ફલાણા કેવી સર્વિસ કરે છે. બધો સેવા પર આધાર છે. બાપ પણ આવીને સેવા કરે છે ને. બાળકોએ જ બાપને યાદ કરવાનાં છે. યાદ નો વિષય જ ડિફિકલ્ટ (મુશ્કેલ) છે. બાપ યોગ અને જ્ઞાન શીખવાડે છે. જ્ઞાન તો બહુ જ સહજ છે. બાકી યાદમાં જ નાપાસ થાય છે. દેહ-અભિમાન આવી જાય છે. પછી આ જોઈએ, આ સારી વસ્તુ જોઈએ. એવા-એવા વિચારો આવે છે.

બાપ કહે છે અહીં તો તમે વનવાસમાં છો ને. તમારે તો હવે વાનપ્રસ્થમાં જવાનું છે. પછી કોઈ પણ એવી ચીજ ન પહેરી શકાય. તમે વનવાસમાં છો ને. જો એવી કોઈ દુનિયાની ચીજ હશે તો ખેંચશે. શરીર પર ખેંચશે. ઘડી-ઘડી દેહ-અભિમાનમાં લઈ આવે છે. આમાં છે મહેનત. મહેનત વગર વિશ્વની બાદશાહી થોડી મળી શકે છે. મહેનત પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ-કલ્પ કરતા આવ્યા છો, કરતા રહો છો. રીઝલ્ટ (પરિણામ) પ્રત્યક્ષ થતું જશે. સ્કૂલમાં પણ નંબરવાર ટ્રાન્સફર થાય છે. શિક્ષક સમજી જાય છે ફલાણાએ સારી મહેનત કરી છે. એમને ભણવાનો શોખ છે. ફીલિંગ આવે છે. આમાં તો એક ક્લાસ થી ટ્રાન્સફર થઇ બીજામાં પછી ત્રીજામાં આવી જાય છે. અહીંયા તો એક જ વાર ભણવાનું છે. આગળ જતાં જેટલા તમે નજીક આવતા જશો એટલે બધી ખબર પડતી જશે. આ બહુ જ મહેનત કરવાની છે. જરુર ઊંચુ પદ પામશો. આ તો જાણો છો, કોઈ રાજા રાણી બને છે, કોઈ શું બને છે. કોઈ શું બને છે. પ્રજા પણ તો બહુ જ બને છે. બધું પ્રવૃત્તિથી ખબર પડે છે. આ દેહ અભિમાનમાં કેટલા રહે છે. એમનો કેટલો પ્રેમ છે બાપથી. બાપની સાથે જ પ્રેમ જોઈએ ને, ભાઈ-ભાઈ નો નહીં, ભાઈઓનાં પ્રેમથી કંઈ મળતું નથી. વારસો બધાંને એક બાપથી મળે છે. બાપ કહે છે, બાળકો સ્વયંને આત્મા સમજી મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. મૂળ વાત જ આ છે. યાદથી તાકાત આવશે. દિન-પ્રતિદિન બેટરી ભરાતી જશે કારણ કે જ્ઞાનની ધારણા થતી જાય છે ને. તીર લાગતું જાય છે. દિન-પ્રતિદિન તમારી ઉન્નતિ નંબરવાર પુરુષાર્થ અનુસાર થઈ રહી છે. આ એક જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. જે દેહી અભિમાની બનવાની શિક્ષા આપે છે. બીજા કોઈ આપી ન શકે. બીજા તો બધાં છે દેહ અભિમાની. આત્મ અભિમાનનું જ્ઞાન કોઈને મળતું જ નથી. કોઈ મનુષ્ય બાપ, શિક્ષક, ગુરુ હોઈ ન શકે દરેક પોત પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. તમે સાક્ષી થઈને જુઓ છો. આખું નાંટક તમારે સાક્ષી થઈ જોવાનું છે. એક્ટ પણ કરવાની છે. બાપ ક્રિએટર, ડાયરેક્ટર, એક્ટર છે. શિવબાબા આવીને એકટ કરે છે. બધાંનાં બાપ છે ને. બાળકો અથવા બાળકીઓ બધાંને આવીને વારસો આપે છે. એક બાપ છે. બાકી બધાં છે આત્માઓ ભાઈ-ભાઈ. વારસો તો એક બાપ થી જ મળે છે. આ દુનિયાની તો કોઈ વસ્તુ બુદ્ધિમા યાદ નથી આવતી. બાપ કહે છે, જે કંઈ જુઓ છો, તે બધું વિનાશી છે. હવે તો તમારે ઘરે જવાનું છે. એ લોકો બ્રહ્મને યાદ કરે છે અર્થાત ઘરને યાદ કરે છે. સમજે છે, બ્રહ્મ માં લીન થઈ જઈશું. આને કહેવાય છે અજ્ઞાન. મનુષ્ય મુક્તિ જીવનમુક્તિ માટે જે કંઈ કહે છે એ ખોટું. જે કંઈ યુક્તિ રચે છે, બધું છે ખોટું. સાચો રસ્તો તે એક જ બાપ બતાડે છે. બાપ કહે છે. હું તમને રાજાઓનાં રાજા બનાંવું છું ડ્રામા પ્લાન અનુસાર. કોઈ કહે છે અમારી બુદ્ધિમા નથી બેસતું, બાબા અમારું મોઢું ખોલો. કૃપા કરો. બાપ કહે છે. આમાં બાબા ને તો કંઈ કરવાની વાત જ નથી. મુખ્ય વાત છે તમારે ડાયરેક્શન પર ચાલવાનું. બાપથી જ સાચું માર્ગદર્શન મળે છે. બાકી બધાં મનુષ્યનું છે ખોટું માર્ગદર્શન. કારણકે બધાંમાં પાંચ વિકાર છે ને. નીચે ઊતરતાં ઊતરતાં ખોટા બનતા જાય છે. શું-શું રિધ્ધી સિદ્ધિ વગેરે કરતા રહે છે. એમાં સુખ નથી. તમે જાણો છો આ બધું અલ્પ સમય નું સુખ છે. આને કહેવાય છે કાગ વિષ્ટા સમાન સુખ. સીડીનું ચિત્ર બહુ જ સારી રીતે સમજાવવાનું છે. અને ઝાડ પર પણ સમજાવવાનું છે. કોઈપણ ધર્મ વાળા ને તમે દેખાડી શકો છો. તમારો ધર્મ સ્થાપન કરવા વાળા ફલાણા ફલાણા સમય પર આવે છે. ક્રાઈસ્ટ ફલાણા સમયે આવશે. જે બીજા બીજા ધર્મો માં રૂપાંતર થઈ ગયા છે એમને આ ધર્મ જ સારો લાગશે. ઝડપથી નીકળી આવશે. બાકી કોઈને સારું નહીં લાગશે તો એ પુરુષાર્થ જ કેવી રીતે કરશે. મનુષ્ય મનુષ્યને ફાંસી પર ચઢાવે છે. તમારે તો એક બાપ ની જ યાદ માં રહેવાનું છે. આ બહુ મીઠી ફાંસી છે. આત્માની બુદ્ધિનો યોગ છે બાપની તરફ. આત્માને કહેવાય છે, બાપ ને યાદ કરો. આ યાદ ની ફાંસી છે. પિતા તો ઉપર રહે છે ને. તમે જાણો છો આપણે આત્મા છીએ, આપણે બાપને જ યાદ કરવાનાં છે. આ શરીર તો અહીં જ છોડી દેવાનું છે. તમને આ બધું જ્ઞાન છે. તમે અહીં બેસી શું કરો છો. વાણીથી પરે જવા માટે પુરુષાર્થ કરો છો. બાપ કહે છે બધાંને મારી પાસે આવવાનું છે. તો કાળો નાં કાળ થઈ ગયા ને. એ કાળ તો એક ને લઈ જાય છે. એ પણ કાળ કોઈ છે નહીં જે લઈ જાય. આતો ડ્રામામાં બધું નોંધ છે. આત્મા પોતે જ સમય પર ચાલી જાય છે. આ બાપ તો બધી આત્માઓને લઈ જાય છે. તો હવે તમારા બધાંનો બુદ્ધિયોગ છે પોતાનાં ઘરે જવા માટે. શરીર છોડવા ને મરવું કહેવાય છે. શરીર ખતમ થઈ ગયું આત્મા ચાલી ગઈ. બાપ ને બોલાવો પણ એટલે છો કે બાબા આવીને અમને આ સૃષ્ટિ થી લઇ જાવ. અહીં અમને રહેવું નથી. પ્લાન અનુસાર હવે પાછું જવાનું છે. કહે છે. બાબા અહીં અપાર દુઃખ છે. હવે અહીં રહેવું નથી. આ બહુ જ છી-છી દુનિયા છે. મરવાનું પણ જરુર છે. બધાંની વાનપ્રસ્થ વ્યવસ્થા છે. હવે વાણીથી પરે જવાનું છે. તમને કોઈ કાળ નહીં ખાશે. તમે ખુશીથી જાઓ છો. શાસ્ત્ર વગેરે જે પણ છે એ બધું ભક્તિ માર્ગનું છે. આ પછી પણ હશે ડ્રામાની આ ખૂબ ગજબની વાત છે. આ ટેપ, આ ઘડીયાળ જે કંઈક આ સમયે જોવો છે બધું ફરી હશે. એમાં મૂંઝવાની કોઈ વાત જ નથી. વિશ્વ નાં ઈતિહાસ-ભૂગોળ નાં પુનરાવર્તન નો અર્થ જ છે હુબહુ પુનરાવર્તન. હવે તમે જાણો છો અમે ફરીથી જે દેવી-દેવતા બની રહ્યા છે. એ જ ફરી બનશું. એમાં જરા પણ ફર્ક નહીં પડી શકે. આ બધી સમજવાની વાતો છે.

તમે જાણો છો આ બેહદ નાં બાપ પણ છે, શિક્ષક-સદ્દગુરુ પણ છે. એવું કોઈ મનુષ્ય થઈ ન શકે. એમને તમે બાબા કહો છો. પ્રજાપિતા બ્રહ્મા કહો છો. આ પણ કહે છે. મારાથી તમને વારસો નહીં મળશે. બાપુ ગાંધીજી પણ પ્રજાપિતા નહોતા ને. બાપ કહે છે. આ વાતોમાં તમે મૂંઝાશો નહિ. બોલો અમે બ્રહ્માને ભગવાન કે દેવતા આદિ કહેતા જ નથી. બાપે બતાવ્યું છે બહુ જ જન્મોનાં અંતમાં, વાનપ્રસ્થ અવસ્થામાં હું એમનાં માં પ્રવેશ કરું છું આખા વિશ્વને પાવન બનાવવા માટે. ઝાડમાં પણ દેખાડો, જુઓ એકદમ પાછળમાં ઉભા છે. હવે તો બધાં તમોપ્રધાન જડજડીભુત અવસ્થામાં છે ને. આ પણ તમોપ્રધાન માં ઉભા છે. એ જ ફિચર્સ છે. એમાં બાપ પ્રવેશ કરી એમનું નામ બ્રહ્મા રાખે છે. નહીં તો તમે બતાવો બ્રહ્મા નામ ક્યાંથી આવ્યું? આ છે પતિત, એ છે પાવન. એ પાવન દેવતા જ પછી ૮૪ જન્મ લઇ પતિત મનુષ્ય બને છે. આ મનુષ્યથી દેવતા બનવાવાળા છે. મનુષ્યને દેવતા બનાવવા - આ બાપ નું જ કામ છે. આ બધી જ બહુ વન્ડરફૂલ (ગજબ) સમજવાની વાતો છે. આ, એ બને છે સેકન્ડમાં. પછી એ ૮૪ જનમ લઈ આ બને છે. એમાં બાપ પ્રવેશ કરી બેસી ભણાવે છે. તમે પણ ભણો છો. એમનાં પણ ઘરાનાં (વંસજ) છે ને. લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણનાં મંદિર પણ છે. પરંતુ આ કોઈને પણ ખબર નથી. રાધે કૃષ્ણ પહેલા રાજકુમાર-રાજકુમારી હતા જે પછી લક્ષ્મી-નાંરાયણ બને છે. આ બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનશે. પ્રિન્સ થી બેગર બને છે. કેટલી સહજ વાત છે. ૮૪ જન્મની કહાની આ બંને ચિત્રોમાં છે. આ એ બને છે. યુગલ છે એટલે ચારભુજા આપે છે. પ્રવૃત્તિ માર્ગ છે ને. એક સદ્દગુરુ જ તમને પાર લઈ જાય છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. પછી દેવી ગુણ પણ જોઈએ. સ્ત્રી માટે પતિ ને પૂછો અથવા સ્ત્રી થી પતિ માટે પૂછો, તો ઝટ બતાવશે એમાં આ કમજોરીઓ છે. એ વાતમાં આ હેરાન કરે છે. અથવા તો કહેશે અમે બંને ઠીક ચાલીએ છીએ. કોઈ કોઈને હેરાન નથી કરતુ. બંને એકબીજાનાં મદદગાર સાથી થઇ ને ચાલે છે. કોઈ એક-બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે. બાપ કહે છે. આમાં સ્વભાવને સારી રીતે બદલવો પડે છે. તે બધો છે આસુરી સ્વભાવ. દેવતાઓનો હોય જ છે દેવી સ્વભાવ. આ બધું તમે જાણો છો. અસુરો અને દેવતાઓની યુદ્ધ લાગી નથી. જૂની દુનિયા અને નવી દુનિયાવાળા પરસ્પર મળી કેવી રીતે શકે. બાપ કહે છે ભૂતકાળની વાતો જે થઈને ગઈ છે એને બેસીને લખી છે. એને કહાનીઓ (વાર્તા) કહેશો. તહેવાર વગેરે બધું અહીંનું છે. દ્વાપરથી લઈને મનાંવે છે. સતયુગમાં નથી મનાવતા. આ બધી બુદ્ધિથી સમજવાની વાતો છે. દેહ અભિમાનનાં કારણે બાળકો ઘણાં પોઇન્ટ ભૂલી જાય છે. જ્ઞાન તો સહજ છે. ૭ દિવસમાં બધું જ્ઞાન ધારણ કરી શકે છે. પહેલા અટેન્શન જોઈએ યાદની યાત્રા પર. અચ્છા !

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ બેહદ નાંટકમાં એક્ટ કરવા છતાં આખા નાંટકને સાક્ષી થઈને જોવાનું છે. આમાં મુંઝવાનું નથી આ દુનિયાની કોઈપણ વસ્તુ જોવા છતાં બુદ્ધિમાં યાદ ન આવે.

2. પોતાનાં આસુરી સ્વભાવ ને બદલી દૈવી સ્વભાવ ધારણ કરવાનો છે. એકબીજાને મદદગાર થઈને ચાલવાનું છે. કોઈને હેરાન નથી કરવાના.

વરદાન :-
દિલમાં એક દીલારામ ને સમાવી એકથી બધાં સંબંધોની અનુભૂતિ કરવા વાળા સંતુષ્ ટ આત્મા ભવ :

જ્ઞાન ને સમાવવાનું સ્થાન બુદ્ધિ છે. પરંતુ માશૂકને સમાવવાનું સ્થાન દિલ છે. કોઈ-કોઈ આશિક બુદ્ધિ વધારે ચલાવે છે. પરંતુ બાપદાદા સાચા દિલવાળા પર રાજી છે. એટલે દિલનો અનુભવ દિલ જાણે, દિલારામ જાણે. જે દિલથી સેવા કરે અથવા યાદ કરે છે, એમને મહેનત ઓછી અને સંતુષ્ટતા વધારે મળે છે. દિલવાળા હંમેશા સંતુષ્ટતા નાં ગીત ગાય છે. એમને સમય પ્રમાણ એકથી બધાં સંબંધોની અનુભૂતિ થાય છે.

સ્લોગન :-
અમૃતવેલા પ્લેન (સાફ) બુદ્ધિ થઈને બેસો તો સેવાની નવી વિધિઓ ટચ (સ્પર્શ) થશે