30-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો એક બાપ
ની યાદ માં રહેવું જ અવ્યભિચારી યાદ છે, આ યાદ થી તમારા પાપ કપાય શકે છે”
પ્રશ્ન :-
બાપ જે સમજાવે
છે તેને કોઈ સહજ માની લે છે, કોઈ મુશ્કેલ સમજે છે - આનું કારણ શું છે.
ઉત્તર :-
જે બાળકોએ બહુ સમય ભક્તિ કરી છે અડધા કલ્પથી જૂનાં ભક્ત છે, તેઓ બાપની દરેક વાત સહજ
માની લે છે કારણ કે તેમને ભક્તિનું ફળ મળે છે. જે જૂનાં ભક્ત નથી તેમને દરેક વાત
સમજવામાં મુશ્કેલી લાગે છે. બીજા ધર્મ વાળા તો આ જ્ઞાન ને સમજી પણ નથી શકતા.
ઓમ શાંતિ!
મીઠા મીઠા
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે આપ બાળકો બધા શું કરી રહ્યા છો? તમારી
છે અવ્યભિચારી યાદ. એક હોય છે વ્યભિચારી યાદ, બીજી હોય છે અવ્યભિચારી યાદ. તમારી
બધાની છે અવ્યભિચારી યાદ. કોની યાદ છે? એક બાપની. બાપને યાદ કરતાં-કરતાં પાપ કપાઈ
જશે અને તમે ત્યાં પહોંચી જશો. પાવન બની ને પછી નવી દુનિયામાં જવાનું છે. આત્માઓએ
જવાનું છે. આત્મા જ આ ઓર્ગન (અંગો) દ્વારા બધા કર્મ કરે છે ને. તો બાપ કહે છે સ્વયં
ને આત્મા સમજી બાપ ને યાદ કરો. મનુષ્ય તો અનેકાનેક ને યાદ કરતા રહે છે. ભક્તિમાર્ગમાં
તમારે યાદ કરવાનું છે એક ને. ભક્તિ પણ પહેલા-પહેલા તમે ઊંચેથી ઊંચા શિવબાબા ની જ કરી
હતી. તેને કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. તે જ સર્વને સદ્દગતિ આપવાવાળા રચયિતા બાપ
છે. એમનાથી બાળકોને બેહદ નો વારસો મળે છે. ભાઈ-ભાઈ થી વારસો નથી મળતો. વારસો હંમેશા
બાપથી બાળકોને મળે છે. થોડો ઘણો કન્યાઓને મળે છે. તે તો પછી જઈને હાફ પાર્ટનર (અર્ધી
ભાગીદાર) બને છે. અહીંયા તો તમે બધી આત્માઓ છો. બધી આત્માનાં બાપ એક છે. બધાને બાપથી
વારસો લેવાનો હક છે. તમે છો ભાઈ-ભાઈ, ભલે શરીર સ્ત્રી-પુરુષનું છે. આત્મા બધી
ભાઈ-ભાઈ છે. તેઓ તો ફક્ત કહેવા માત્ર કહી દે છે હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ. અર્થ નથી
સમજતા. તમે હમણાં અર્થ સમજો છો. ભાઈ-ભાઈ એટલે બધી આત્માઓ એક બાપનાં બાળકો છે પછી
પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન છે. હમણાં તમે જાણો છો આ દુનિયાથી બધાએ પાછા
જવાનું છે. જે પણ મનુષ્ય માત્ર છે, બધા નો પાર્ટ હવે પૂરો થાય છે. પછી બાપ આવીને
જૂની દુનિયાથી નવી દુનિયામાં લઈ જાય છે, પાર લઈ જાય છે. ગાએ પણ છે - ખિવૈયા પાર
લગાવો અર્થાત સુખધામ માં લઈ જાઓ. આ જૂની દુનિયા બદલાઈ ને પછી નવી દુનિયા જરુર બનવાની
છે. મૂળ વતન થી લઈને આખી દુનિયાનો નકશો તમારી બુદ્ધિમાં છે. આપણે આત્માઓ બધી સ્વીટ
ધામ (શાંતિધામ) ની નિવાસી છીએ. આ તો બુદ્ધિમાં યાદ છે ને. આપણે બધા જ્યારે સતયુગી
નવી દુનિયામાં છીએ તો બાકી બધી આત્માઓ શાંતિધામ માં રહે છે. આત્મા તો ક્યારે વિનાશ
નથી થતી. આત્મા માં અવિનાશી પાર્ટ ભરેલો છે. તે ક્યારેય પણ વિનાશ નથી થઈ શકતો. જો આ
એન્જિનિયર છે પછી ૫ હજાર વર્ષ પછી હૂબહૂ આવો જ એન્જિનિયર બનશે. આજ નામ, રુપ, દેશ,
કાળ રહેશે. આ બધી વાતો બાપ જ આવી ને સમજાવે છે. આ અનાદિ અવિનાશી ડ્રામા છે. આ
ડ્રામાની આયુ ૫ હજાર વર્ષ છે. સેકન્ડ પણ ઓછી વધારે નથી થઈ શકતી. આ અનાદિ બન્યો-
બનાવેલો ડ્રામા છે. બધાને પાર્ટ મળેલો છે. દેહી-અભિમાની થઈ, સાક્ષી થઈ ને ખેલને
જોવાનું છે. બાપને તો દેહ છે નહીં. એ તો નોલેજફુલ છે, બીજરુપ છે. બાકી આત્માઓ જે
ઉપર નિરાકારી દુનિયામાં રહે છે તે ફરી આવે છે નંબરવાર પાર્ટ ભજવવા. પહેલા-પહેલા
નંબર શરુ થાય છે દેવતાઓનો. પહેલા નંબરની જ ડિનાયસ્ટી (વંશ) નાં ચિત્ર છે પછી
ચંદ્રવંશી ડિનાયસ્ટી ના પણ ચિત્ર છે. સૌથી ઊંચું છે સૂર્યવંશી લક્ષ્મી-નારાયણનું
રાજ્ય, તેમનું રાજ્ય ક્યારે કેવી રીતે સ્થાપન થયું - કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા.
સતયુગ ની આયુ જ લાખો વર્ષ લખી દીધી છે. કોઈની પણ જીવન કહાની ને નથી જાણતા. આ
લક્ષ્મી-નારાયણની જીવન કહાની ને જાણવું જોઈએ. વગર જાણે માથું ઝૂકાવવું અથવા મહિમા
કરવી આ તો ખોટું છે. બાપ બેસીને મુખ્ય મુખ્ય જે છે તેમની જીવન કહાની સંભળાવે છે.
હમણાં તમે જાણો છો - કેવી રીતે તેમની રાજધાની ચાલે છે. સતયુગમાં શ્રીકૃષ્ણ હતા ને.
હવે તે કૃષ્ણપુરી ફરીથી સ્થાપન થઈ રહી છે. કૃષ્ણ તો છે સ્વર્ગનાં પ્રિન્સ (રાજકુમાર).
લક્ષ્મી-નારાયણ ની રાજધાની કેવી રીતે સ્થાપન થઇ - આ બધું તમે સમજો છો.
નંબરવાર માળા પણ બનાવે છે. ફલાણા-ફલાણા માળા નાં દાણા બનશે. પરંતુ ચાલતા- ચાલતા પછી
હાર પણ ખાઈ લે છે. માયા હરાવી દે છે. જ્યાં સુધી સેના માં છે, કહેવાશે આ કમાંડર છે,
આ ફલાણા છે. પછી મરી પડે છે. અહીયા મરવું અર્થાત અવસ્થા ઓછી થવી, માયાથી હારવું.
ખતમ થઇ જાય છે. આશ્ચર્યવંત, સુનન્તી, કથન્તી, ભાગન્તી...ફારકતી દેવન્તી થઈ જાય છે.
મરજીવા બને છે, બાપ નાં બને છે પછી રામરાજ્ય થી રાવણ રાજ્યમાં ચાલ્યા જાય છે. આના
પર જ પછી યુદ્ધ દેખાડ્યું છે - કૌરવ અને પાંડવોનું. પછી અસુરો અને દેવતાઓનું પણ
યુદ્ધ દેખાડ્યુ છે. એક યુદ્ધ દેખાડો ને. બે કેમ? બાપ સમજાવે છે અહીંયા ની જ વાત છે.
લડાઈ તો હિંસા થઈ જાય, આ તો છે જ અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. તમે હમણાં ડબલ
અહિંસક બનો છો. તમારી છે જ યોગબળની વાત. હથિયાર વગેરેથી તમે કોઈને કંઈ કરતા નથી. તે
તાકાત તો ખ્રિસ્તીઓ માં પણ ઘણી છે. રશિયા અને અમેરિકા બે ભાઈ છે. આ બંનેની છે
હરિફાઈ, બોમ્બ્સ વગેરે બનાવવાની. બંને એક-બીજાથી તાકાતવાળા છે. એટલી તાકાત છે, જો
બંને પરસ્પર માં મળી જાય તો આખા વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ કાયદો નથી જે
બાહુબળથી કોઈ વિશ્વ પર રાજય પામી શકે. વાર્તાઓ પણ દેખાડે છે - બે બિલાડી પરસ્પર લડી,
માખણ વચમાં ત્રીજો ખાઈ ગયો. આ બધી વાતો હવે બાપ સમજાવે છે. આ થોડી કંઈ જાણતા હતા. આ
ચિત્ર વગેરે પણ બાપએ જ દિવ્ય દૃષ્ટિથી બનાવડાવ્યા છે અને હવે સમજાવી રહ્યા છે, તેઓ
પરસ્પર માં લડે છે. આખા વિશ્વની બાદશાહી તમે લઈ લો છો. તે બંને છે બહુ જ પાવરફૂલ (શક્તિશાળી).
જ્યાં-ત્યાં આપસ માં લડાવી દે છે. પછી મદદ દેતા રહે છે કારણ કે તેમનો પણ વ્યાપાર છે
જબરદસ્ત. સો જ્યારે બિલાડી આપસ માં લડે ત્યારે તો બારુદ વગેરે કામ આવે. જ્યાં-ત્યાં
બે ને લડાવી દે છે. આ હિન્દુસ્તાન-પાકિસ્તાન પહેલા અલગ હતું શું. બંને ભેગા હતા, આ
બધું ડ્રામા માં નોંધ છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો - યોગબળ થી વિશ્વના
માલિક બનીએ. તેઓ આપસ માં લડે છે, માખણ વચ્ચે તમે ખાઈ લો છો. માખણ અર્થાત વિશ્વની
બાદશાહી તમને મળે છે અને બહુ જ સરળ રીતે મળે છે. બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો,
પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બની પવિત્ર દુનિયામાં ચાલવાનું છે. તેને કહેવાય છે
વાઈસલેસ વલ્ડ. સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. દરેક ચીજ સતોપ્રધાન, સતો, રજો, તમો માં
જરુર આવે છે. બાપ સમજાવે છે-તમારામાં આ બુદ્ધિ ન હતી કારણ કે શાસ્ત્રો માં લાખો
વર્ષ કહી દીધા છે. ભક્તિ છે જ અજ્ઞાન અંધારું. આ પણ પહેલા તમને ખબર થોડી હતી. હવે
સમજો છો તેઓ કહી દે છે કળયુગ હમણાં ૪૦ હજાર વર્ષ હજી ચાલશે. અચ્છા, ૪૦ હજાર વર્ષ
પુરા થઇ પછી શું થશે? કોઈને પણ આ ખબર નથી એટલે કહેવાય છે અજ્ઞાન નિદ્રામાં સૂતેલા
છે. ભક્તિ છે અજ્ઞાન. જ્ઞાન આપવાવાળા તો એક જ બાપ જ્ઞાનના સાગર છે. તમે છો જ્ઞાન
નદીઓ. બાપ આવીને આપ બાળકોને અર્થાત આત્માઓને ભણાવે છે. તે બાપ પણ છે, શિક્ષક પણ છે,
સદ્દગુરુ પણ છે. બીજા કોઈ પણ આમ નહીં કહે, આ અમારા બાપ, શિક્ષક, ગુરુ છે. આતો છે
બેહદની વાત. બેહદ ના બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. સ્વયં બેસી ને સમજાવે છે હું તમારો
સુપ્રીમ બાપ છું, તમે બધા મારા બાળકો છો. તમે પણ કહો છો - બાબા, તમે એ જ છો. બાપ પણ
કહે છે તમે કલ્પ- કલ્પ મળો છો. તો એ છે પરમ આત્મા, સુપ્રીમ. એ આવીને બાળકોને બધી
વાતો સમજાવે છે. કળયુગ ની આયુ ૪૦ હજાર વર્ષ હજુ કહેવું બિલકુલ ગપોડા છે. ૫ હજાર
વર્ષમાં બધું આવી જાય છે. બાપ જે સમજાવે છે તમે માનો છો, સમજો છો. એવું નથી કે તમે
નથી માનતા. જો ન માનતા તો અહીંયા ન આવતા. આ ધર્મના નથી તો પછી માનતા નથી. બાપ એ
સમજાવ્યું છે બધો આધાર ભક્તિ પર છે. જેમણે બહુ જ ભક્તિ કરી છે તો ભક્તિનું ફળ તેમને
તો મળવું જોઇએ. તેમને જ બાપથી બેહદ નો વારસો મળે છે. તમે જાણો છો હમ સો દેવતા
વિશ્વના માલિક બનીએ છીએ. બાકી થોડા દિવસ છે. આ જૂની દુનિયાનો વિનાશ તો દેખાડ્યો છે,
અને બીજા કોઈ શાસ્ત્ર માં આવી વાત છે નહીં. એક ગીતા જ છે ભારતનું ધર્મ શાસ્ત્ર.
દરેકએ સ્વયંનું ધર્મશાસ્ત્ર વાંચવું જોઈએ, અને એ ધર્મ જેના દ્વારા સ્થાપન થયો તેમને
પણ જાણવા જોઈએ. જેમ ક્રિશ્ચન, ક્રાઈસ્ટ ને જાણે છે, તેમને જ માને છે, પુજે છે. તમે
આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છો તો દેવતાઓને જ પૂજો છો. પરંતુ આજકાલ સ્વયંને હિન્દુ
ધર્મના કહી દે છે.
આપ બાળકો હવે રાજયોગ શીખી રહ્યા છો. તમે રાજઋષિ છો. તેઓ હઠયોગ ઋષિ. રાત-દિવસનો ફરક
છે. તેઓનો તો સન્યાસ છે કાચો, હદનો. ફક્ત ઘરબાર છોડવાનો. તમારો સન્યાસ અથવા વૈરાગ્ય
છે આખી જૂની દુનિયાને છોડવાનો. પહેલા-પહેલા સ્વયંના ઘર સ્વીટ હોમ માં જઈને પછી નવી
દુનિયા સતયુગમાં આવશો. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે.
હમણાં તો આ પતિત જૂની દુનિયા છે. આ સમજવાની વાતો છે. બાપ દ્વારા ભણો છો. આ તો જરુર
સત્ય છે ને. આમાં નિશ્ચય ન હોવાની તો વાત જ નથી. આ નોલેજ બાપ જ ભણાવે છે. એ બાપ
શિક્ષક પણ છે, સાચા સદ્દગુરુ પણ છે, સાથે લઈ જવાવાળા. એ ગુરુ લોકો તો અડધા પર છોડીને
ચાલ્યા જાય છે. એક ગુરુ ગયા તો બીજા ગુરુ કરશે. તેમના ચેલાને ગાદી પર બેસાડશે. અહિયાં
તો છે બાપ અને બાળકોની વાત. તે પછી છે ગુરુ અને ચેલા નાં વારસા નો હક. વારસો તો
બાપનો જ જોઈએ ને. શિવબાબા આવે જ છે ભારત માં. શિવરાત્રી અને કૃષ્ણની રાત્રી મનાવે
છે ને. શિવની જન્મપત્રી તો છે નહીં. સંભળાવે કેવી રીતે? એમની તિથિ- તારીખ તો હોતી
નથી. કૃષ્ણ જે પહેલા નંબર વાળા છે તેમની દેખાડે છે. દિવાળી મનાવવી તો દુનિયાનાં
મનુષ્ય નું કામ છે. આપ બાળકો માટે થોડી દિવાળી છે. આપણું નવું વર્ષ, નવી દુનિયા
સતયુગ ને કહેવાય છે. હમણાં તમે નવી દુનિયા માટે ભણી રહ્યા છો. હમણાં તમે છો
પુરુષોત્તમ સંગમ યુગ પર. તે કુંભના મેળામાં કેટલા બધા મનુષ્ય જાય છે. તે હોય છે
પાણીની નદીઓ પર મેળો. કેટલા બધા મેળા લાગે છે. તેમની પણ અંદર ઘણી પંચાયત હોય છે.
ક્યારેક-ક્યારેક તો તેમના આપસમાં જ મોટા ઝઘડા થઈ જાય છે કારણ કે દેહ-અભિમાની છે ને.
અહીંયા તો ઝઘડા વગેરેની વાત જ નથી. બાપ ફક્ત કહે છે - મીઠા-મીઠા લાડકા બાળકો, મને
યાદ કરો. તમારી આત્મા જે સતોપ્રધાન થી તમોપ્રધાન બની છે, ખાદ પડી છે ને, તે યોગ
અગ્નિથી જ નિકળશે. સોની લોકો જાણે છે, બાપ ને જ પતિત-પાવન કહેવાય છે. બાપ સુપ્રીમ
સોની થયા. બધાની ખાધ નીકાળીને સાચું સોનુ બનાવી દે છે. સોનું અગ્નિમાં નાખવામાં આવે
છે. આ છે યોગ અર્થાત્ યાદની અગ્નિ કારણકે યાદથી જ પાપ ભસ્મ થાય છે. તમોપ્રધાન થી
સતોપ્રધાન યાદની યાત્રાથી જ બનવાનું છે. બધા તો સતોપ્રધાન નહીં બને. કલ્પ પહેલા ની
જેમજ પુરુષાર્થ કરશે. પરમ આત્મા નો પણ ડ્રામામાં પાર્ટ નોંધાયેલો છે, જે નોંધ છે તે
થતી રહે છે. બદલી નથી શકાતું, રીલ ફરતી જ રહે છે. બાપ કહે છે આગળ જઈ તમને
ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવશું. પહેલા-પહેલા તો આ નિશ્ચિય કરવાનો છે - એ છે બધી જ
આત્માઓના બાપ. તેમને યાદ કરવાના છે. મનમનાભવ નો પણ અર્થ આ છે. બાકી કૃષ્ણ ભગવાનુવાચ
તો છે જ નહીં. સમજો કૃષ્ણ હોય તો બધા તેમની પાસે ચાલ્યા જાય. બધા ઓળખી લે. તો એમ
કેમ કહે છે કે મને કોટોમાં કોઈ જાણે છે. આતો બાપ સમજાવે છે એટલે મનુષ્યને સમજવામાં
તકલીફ થાય છે. પહેલા પણ આવું થયું હતું. મેં જ આવીને દેવી-દેવતા ધર્મની સ્થાપન કરી
હતી, પછી આ શાસ્ત્ર વગેરે બધું લુપ્ત્ થઈ જાય છે પછી પાછા પોતાના સમય પર
ભક્તિમાર્ગના શાસ્ત્ર વગેરે બધું નીકળશે. સતયુગમાં એક પણ શાસ્ત્ર નથી હોતા. ભક્તિ
નું નામ નિશાન નથી. હમણા તો ભક્તિનું રાજ્ય છે. બધામાં મોટા થી મોટા છે શ્રી શ્રી
૧૦૮ જગતગુરુ કહેવાવાવાળા. આજકાલ તો ૧૦૦૮ પણ કહી દે છે. હકીકતમાં આ માળા છે અહીંયા
ની. માળા જ્યારે ફેરવે છે તો જાણે છે ફૂલ નિરાકાર છે, પછી છે મેરુ. બ્રહ્મા-સરસ્વતી
યુગલ દાણા કારણકે પ્રવૃત્તિ માર્ગ છે ને. પ્રવૃત્તિ માર્ગ વાળા નિવૃત્તિ માર્ગવાળા
ને ગુરુ કરશે તો શું આપશે? હઠયોગ શીખવો પડે. તે તો અનેક પ્રકારના હઠયોગ છે, રાજયોગ
છે જ એક પ્રકારનો. યાદ ની યાત્રા છે જ એક, જેને રાજયોગ કહેવાય છે. બાકી બીજું બધું
છે હઠયોગ શરીરની તંદુરસ્તી માટે, આ રાજયોગ બાપ જ શીખવાડે છે. આત્મા છે ફર્સ્ટ અને
પછી છે શરીર. તમે પછી સ્વયંને આત્મા ને બદલે શરીર સમજી ઉલ્ટા થઈ પડ્યા છો. હવે
સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) આ અનાદિ
અવિનાશી બન્યો-બનાવેલ ડ્રામામાં દરેક નાં પાર્ટ ને દેહી-અભિમાની બની, સાક્ષી થઈને
જોવાનો છે. સ્વયંના સ્વીટ હોમ અને સ્વીટ રાજધાનીને યાદ કરવાની છે, આ જૂની દુનિયાને
બુદ્ધિથી ભૂલી જવાનું છે.
2) માયાથી હારવાનું નથી. યાદની અગ્નિથી પાપોનો નાશ કરી આત્માને પાવન બનાવવાનો
પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
હદ નાં
નાઝ-નખરા થી નીકળી રુહાની નાઝ માં રહેવાવાળા પ્રીત બુદ્ધિ ભવ:
ઘણા બાળકો હદનાં
સ્વભાવ, સંસ્કાર નાં નાઝ-નખરા બહુ કરે છે. જ્યાં મારો સ્વભાવ, મારા સંસ્કાર આ શબ્દ
આવે છે ત્યાં આવાં નાઝ-નખરા શરુ થઈ જાય છે. આ ‘મારું’ શબ્દ જ ફેરા માં લાવે છે.
પરંતુ જે બાપથી ભિન્ન છે તે મારું છે જ નહીં. મારો સ્વભાવ બાપનાં સ્વભાવથી ભિન્ન થઈ
નથી શકતો, એટલે હદનાં નાઝ-નખરા થી નીકળી રુહાની નાઝ માં રહો. પ્રીત બુદ્ધિ બની
મહોબ્બત ની પ્રીત નાં નખરા ભલે કરો.
સ્લોગન :-
બાપ થી, સેવાથી
અને પરિવારથી મહોબ્બત છે તો મહેનત થી છુટી જશો.