31-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો - બાપ ખેવૈયા (નાવિક) બની આવ્યા છે તમારા બધાંની નાવ ને વિષય સાગર થી નિકાળી ક્ષીર સાગરમાં લઈ જવા, હવે તમારે આ પારથી પેલી પાર જવાનું છે.”

પ્રશ્ન :-
આપ બાળકો દરેક નો પાર્ટ જોવા છતાં કોઈની પણ નિંદા નથી કરી શકતાં – કેમ?

ઉત્તર :-
કારણકે તમે જાણો છો આ અનાદિ બન્યો-બનાવેલ ડ્રામા છે. આમાં દરેક એક્ટર પોત-પોતાંનો પાર્ટ ભજવી રહ્યા છે. કોઈનો પણ કોઈ દોષ નથી. આ ભક્તિમાર્ગ પણ ફરીથી પસાર થવાનો છે, આમાં જરા પણ ચેન્જ (પરિવર્તન) નથી થઈ શકતું.

પ્રશ્ન :-
કયા બે શબ્દોમાં આખા ચક્રનું જ્ઞાન સમાયેલું છે.

ઉત્તર :-
આજ અને કાલ. કાલે આપણે સતયુગમાં હતાં, આજ ૮૪ જન્મો નું ચક્ર લગાવી નર્કમાં પહોંચ્યા, કાલે ફરી સ્વર્ગમાં જઈશું.

ઓમ શાંતિ!
હમણાં બાળકો સામે બેઠા છે, જ્યાંથી આવે છે ત્યાં પોતાનાં સેન્ટર (સેવાકેન્દ્ર) પર જ્યારે રહે છે તો ત્યાં એવું નહીં સમજશે કે અમે ઊંચેથી ઊંચા બાબાનાં સમ્મુખ બેઠા છીએ. એ અમારા શિક્ષક પણ છે, એ જ અમારી નાવ ને પાર લગાડવા વાળા છે, જેમને જ ગુરુ કહે છે. અહીંયા તમે સમજો છો અમે સમ્મુખ બેઠા છીએ, અમને આ વિષય સાગર થી નિકાળી ક્ષીર સાગરમાં લઈ જાય છે. પાર લઈ જવાવાળા બાપ પણ સમ્મુખ બેઠા છે, એ એક જ શિવ બાપની આત્મા છે, જેમને જ સુપ્રીમ અથવા ઊંચેથી ઊંચા ભગવાન કહેવાય છે. હવે આપ બાળકો સમજો છો આપણે ઊંચેથી ઊંચા ભગવાન શિવબાબાની સામે બેઠા છીએ. તે આમનાંમાં (બ્રહ્મા તનમાં) બેઠા છે, એ તમને પાર પણ પહોંચાડે છે. એમને રથ પણ જરુર જોઈએ ને. નહીં તો શ્રીમત કેવી રીતે આપે. હવે આપ બાળકોને નિશ્ચય છે - બાબા આપણા બાબા પણ છે, શિક્ષક પણ છે, પાર લઈ જવાવાળા પણ છે. હવે આપણે આત્માઓ આપણા ઘરે શાંતિધામમાં જવાવાળી છીએ. એ બાબા આપણને રસ્તો બતાવી રહ્યા છે. ત્યાં સેન્ટર પર બેસવું અને અહીંયા સમ્મુખ બેસવામાં રાત-દિવસનો ફરક છે. ત્યાં એવું નહીં સમજશો કે આપણે સમ્મુખ બેઠા છીએ. અહીંયા આ અનુભવ થાય છે. હમણાં આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. પુરુષાર્થ કરાવાવાળાને ખુશી રહેશે. હવે આપણે પાવન બનીને ઘરે જઈ રહ્યા છીએ. જેમ નાટકનાં એક્ટર્સ હોય છે તો સમજે છે હવે નાટક પૂરું થયું. હવે બાપ આવ્યા છે આપણને આત્માઓને લઈ જવા. આ પણ સમજાવે છે તમે ઘરે કેવી રીતે જઈ શકો છો, એ બાપ પણ છે, નાવ ને પાર કરવાવાળા નાવિક પણ છે. તે લોકો ભલે ગાએ છે પરંતુ સમજતાં કંઈ પણ નથી કે નાવ કોને કહેવાય છે, શું એ શરીરને લઈ જશે? હમણાં આપ બાળકો જાણો છો આપણી આત્માને પાર લઈ જાય છે. હમણાં આત્મા આ શરીરની સાથે વૈશ્યાલયમાં વિષય વૈતરણી નદીમાં પડી છે. આપણે અસલી રહેવાવાળા શાંતિધામનાં હતાં, આપણને પાર લઈ જવાવાળા અર્થાત ઘરે લઈ જવાવાળા બાપ મળ્યા છે. તમારી રાજધાની હતી જે માયા રાવણે આખી છીનવી લીધી છે. તે રાજધાની ફરી જરુર લેવાની છે. બેહદનાં બાપ કહે છે - બાળકો, હવે આપણા ઘરને યાદ કરો. ત્યાં જઈને ફરી ક્ષીરસાગરમાં આવવાનું છે. અહીંયા છે. વિષનો સાગર, ત્યાં છે ક્ષીરનો સાગર અને મૂળ વતન છે શાંતિનો સાગર. ત્રણેય ધામ છે. આ તો છે દુઃખધામ. બાપ સમજાવે છે - મીઠા-મીઠા બાળકો, સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. કહેવાવાળા કોણ છે, કોનાં દ્વારા કહે છે? આખો દિવસ 'મીઠા-મીઠા બાળકો' કહેતાં રહે છે. હમણાં આત્મા પતિત છે, જેનાં કારણે પછી શરીર પણ એવું મળશે. હવે તમે સમજો છો આપણે પાક્કા-પાક્કા સોનાનાં ઘરેણા હતાં, પછી ખાદ પડતાં-પડતાં જુઠ્ઠા બની ગયા છો. હવે તે જૂઠું કેવી રીતે નિકળે, એટલે આ યાદની યાત્રા ની ભઠ્ઠી છે. અગ્નિ માં સોનું પાક્કું થાય છે ને. બાપ વારં-વાર સમજાવે છે, આ સમજણ જે તમને આપું છું, દરેક કલ્પ આપતો આવ્યો છું. મારો પાર્ટ છે ફરી ૫ હજાર વર્ષ પછી આવીને કહું છું કે બાળકો પાવન બનો. સતયુગમાં પણ તમારી આત્મા પાવન હતી, શાંતિધામમાં પણ પાવન આત્મા રહે છે. એ તો છે આપણું ઘર. કેટલું સ્વીટ ઘર છે. જ્યાં જવા માટે મનુષ્ય કેટલા માથા મારે છે. બાપ સમજાવે છે હવે બધાએ જવાનું છે, પછી પાર્ટ ભજવવા માટે આવવાનું છે. આ તો બાળકોએ સમજયું છે. બાળકો જ્યારે દુઃખી થાય છે તો કહે છે - હેં ભગવાન, અમને તમારી પાસે બોલાવો. અમને અહિયાં દુઃખમાં કેમ છોડ્યા છે. જાણે છે બાપ પરમધામમાં રહે છે. તો કહે છે - હેં ભગવાન, અમને પરમધામમાં બોલાવો. સતયુગમાં એવું નહીં કહેશે. ત્યાં તો સુખ જ સુખ છે. અહીંયા અનેક દુઃખ છે, ત્યારે પોકારે છે - હેં ભગવાન! આત્માને યાદ રહે છે. પરંતુ ભગવાનને જાણતાં બિલકુલ નથી. હવે આપ બાળકોને બાપ નો પરિચય મળ્યો છે. બાપ રહે જ છે પરમધામમાં. ઘરને જ યાદ કરે છે. એવું ક્યારેય નહીં કેહશે રાજધાનીમાં બોલાવો. રાજધાનીનાં માટે ક્યારેય નહીં કહેશે. બાપ તો રાજધાનીમાં રહેતાં પણ નથી. એ રહે જ છે શાંતિધામમાં. બધાં શાંતિ માંગે છે. પરમધામમાં ભગવાનની પાસે તો જરુર શાંતિ જ હશે જેને મુક્તિધામ કહેવાય છે. એ છે આત્માઓનું રહેવાનું સ્થાન, જ્યાંથી આત્માઓ આવે છે. સતયુગ ને ઘર નથી કહેવાતું, તે છે રાજધાની. હમણાં તમે ક્યાં-ક્યાંથી આવો છો. અહીંયા આવી સમ્મુખ બેઠા છો. બાપ 'બાળકો-બાળકો' કહીને વાત કરે છે. બાપનાં રુપમાં 'બાળકો-બાળકો' પણ કહે છે, પછી શિક્ષક બની સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતનું રહસ્ય અથવા હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવે છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. આપ બાળકો જાણો છો મૂળવતન છે આપણી આત્માઓનું ઘર. સૂક્ષ્મવતન તો છે જ દિવ્ય દ્રષ્ટિની વાત. બાકી સતયુગ, ત્રેતાં, દ્વાપર, કળયુગ તો અહીંયા જ હોય છે. પાર્ટ પણ તમે અહીં ભજવો છો. સૂક્ષ્મવતન નો કોઇ પાર્ટ નથી. આ સાક્ષાત્કારની વાત છે. કાલ અને આજ, આ તો સારી રીતે બુદ્ધિમાં હોવું જોઈએ. કાલે આપણે સતયુગમાં હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આજે નર્કમાં આવી ગયા છીએ. બાપને બોલાવે પણ નર્કમાં છે. સતયુગમાં તો અથાહ સુખ છે, તો કોઈ બોલાવતાં જ નથી. અહીંયા તમે શરીરમાં છો ત્યારે વાત કરો છો. બાપ પણ કહે છે હું જાનીજાનનહાર છું અર્થાત સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતને જાણું છું. પરંતુ સંભળાવું કેવી રીતે! વિચારવાની વાત છે ને એટલે લખેલું છે - બાપ રથ લે છે. કહે છે મારો જન્મ તમારા જેમ સદ્રશ્ય નથી. હું આમાં પ્રવેશ કરું છું. રથનો પણ પરિચય આપે છે. આ આત્મા પણ નામ-રુપ ધારણ કરતાં-કરતાં તમોપ્રધાન બની છે. આ સમયે બધાં છોકરા છે,બાપને જાણતાં નથી. બધાં છોકરા અને છોકરીઓ થઈ ગયા. પરસ્પરમાં લડે છે તો કહે છે ને - છોકરા-છોકરીઓ લડો કેમ છો! તો બાપ કહે છે મને તો બધાં ભૂલી ગયા છે. આત્મા જ કહે છે છોકરા-છોકરીઓ. લૌકિક બાપ પણ એવું કહે છે, બેહદનાં બાપ પણ કહે છે છોકરા-છોકરીઓ આ હાલત કેમ થઇ છે? કોઈ ધણી ધોરી છે? તમને બેહદનાં બાપ જે સ્વર્ગનાં માલિક બનાવે છે, જેમને તમે અડધા કલ્પથી પોકારતાં આવ્યા છો, એમનાં માટે કહો છો ઠિક્કર-ભિત્તરમાં છે. બાપ હવે સમ્મુખ બેસીને સમજાવે છે. હમણાં આપ બાળકો સમજો અમે બાબાની પાસે આવ્યા છીએ. આ બાબા જ અમને ભણાવે છે. અમારી નાવ પાર કરે છે કારણ કે નાવ બહુજ જૂની થઇ ગઇ છે. તો કહે છે આને પાર લગાવો પછી અમને નવી આપો. જૂની નાવ ખતરનાક હોય છે. ક્યાંક રસ્તા માં તૂટી પડે, અકસ્માત થઈ જાય. તમે કહો છો અમારી નાવ જૂની થઇ ગઇ છે, હવે નવી આપો. આને વસ્ત્ર પણ કહે છે, નાવ પણ કહે છે. બાળકો કહે બાબા અમને તો આવાં (લક્ષ્મી-નારાયણ) વસ્ત્ર જોઈએ. બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો, સ્વર્ગવાસી બનવા ઈચ્છો છો? દર ૫ હજાર વર્ષ પછી તમારા આ કપડા જૂનાં થાય છે પછી નવાં આપું છું. આ છે આસુરી શરીર. આત્મા પણ આસુરી છે. મનુષ્ય ગરીબ હશે તો કપડાં પણ ગરીબીનાં પહેરશે. સાહૂકાર હશે તો કપડાં પણ સાહૂકારીનાં પહેરશે. આ વાતો હમણાં તમે જાણો છો. અહીંયા તમને નશો ચઢે છે અમે કોની સામે બેઠા છીએ. સેન્ટર પર બેસો છો તો ત્યાં તમને આ ભાસના નહિ આવશે. અહીંયા સમ્મુખ હોવાથી ખુશી થાય છે કારણ કે બાપ ડાયરેક્ટ બેસી સમજાવે છે. ત્યાં કોઈ સમજાવશે તો બુદ્ધિયોગ ક્યાં-ક્યાં ભાગતો રહેશે. કહે છે ને - ગોરખધંધામાં ફસાયેલા રહે છે. ફુરસદ ક્યાં મળે છે. હું તમને સમજાવી રહ્યો છું. તમે પણ સમજો છો - બાબા આ મુખ દ્વારા અમને સમજાવે છે. આ મુખની પણ કેટલી મહિમા છે. ગૌમુખ થી અમૃત પીવા માટે ક્યાં-ક્યાં જઈને ધક્કા ખાય છે. કેટલી મહેનતથી જાય છે. મનુષ્ય સમજતાં જ નથી આ ગૌમુખ શું છે? કેટલા મોટા સમજદાર મનુષ્ય ત્યાં જાય છે, આમાં ફાયદો શું? વધારે જ સમય ખોટી થાય છે. બાબા કહે છે આ સૂર્યાસ્ત વગેરેમાં શું જોવાનું. ફાયદો તો આમાં કંઈ નથી. ફાયદો થાય છે ભણવામાં. ગીતામાં ભણવાનું છે ને. ગીતા કોઈપણ હઠયોગ વગેરેની વાત નથી. એમાં તો રાજ્યોગ છે. તમે આવો પણ છો રાજાઈ લેવા માટે. તમે જાણો છો આ આસુરી દુનિયામાં તો કેટલા લડાઈ-ઝઘડા વગેરે છે. એ બાબા તો આપણને યોગબળથી પાવન બનાવી વિશ્વનાં માલિક બનાવી દે છે. દેવીઓને હથિયાર દઈ દીધા છે પરંતુ હકીકતમાં આમાં હથિયાર વગેરે ની કોઈ વાત છે નહીં. કાળી (મહાકાળી) ને જુઓ કેટલી ભયાનક બનાવી છે. આ બધું પોત-પોતાનાં મનની ભ્રાંતિઓથી બેસી બનાવ્યું છે. દેવીઓ કોઈ આવી ૪-૮ ભુજાઓવાળી થોડી હશે. આ બધો ભક્તિમાર્ગ છે. સો બાપ સમજાવે છે - આ એક બેહદનું નાટક છે. આમાં કોઈની નિંદા વગેરેની વાત નથી. અનાદિ ડ્રામા બનેલો છે. આમાં ફર્ક કંઈ પણ પડતો નથી. જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આ બાપ સમજાવે છે. ભક્તિમાર્ગ થી છતાં પણ તમારે પસાર થવું પડશે. આવી રીતે જ તમે ૮૪નું ચક્ર લગાવતાં-લગાવતાં નીચે આવશો. આ અનાદિ બન્યો-બનાવેલ બહુજ સરસ નાટક છે જે બાપ સમજાવે છે. આ ડ્રામાનાં રહસ્યને સમજવાથી તમે વિશ્વનાં માલિક બની જાઓ છો. વન્ડર છે ને! ભક્તિ કેવી રીતે ચાલે છે, જ્ઞાન કેવી રીતે ચાલે છે, આ ખેલ અનાદિ બનેલો છે. આમાં કંઈ પણ ચેન્જ (પરિવર્તન) નથી થઈ શકતું. તેઓ તો કહી દે છે બ્રહ્મ માં લીન થઈ ગયા, જ્યોતિ જ્યોત સમાઈ, આ સંકલ્પની દુનિયા છે, જેને જે આવડે છે તે કહેતાં રહે છે. આતો બન્યો-બનાવેલ ખેલ છે. મનુષ્ય બાઇસ્કોપ જોઈને આવે છે. શું તેને સંકલ્પનો ખેલ કહેશો? બાપ બેસી સમજાવે છે - બાળકો, આ બેહદનુ નાટક છે જે હૂબહૂ રિપીટ થશે. બાપ જ આવીને આ નોલેજ આપે છે કારણ કે એ નોલેજફુલ છે. મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે, ચૈતન્ય છે, એમને જ બધું નોલેજ છે. મનુષ્યોએ તો લાખો વર્ષ આયુ દેખાડી દીધી છે. બાપ કહે છે આટલી આયુ થોડી હોઈ શકે છે. બાઇસ્કોપ લાખો વર્ષનો હોય તો કોઈની બુદ્ધિમાં નહીં બેસે. તમે તો બધું વર્ણન કરો છો. લાખો વર્ષની વાત કેવી રીતે વર્ણન કરશે. તો તે બધું છે ભક્તિમાર્ગ. તમે જ ભક્તિમાર્ગનો પાર્ટ ભજવ્યો. આવું-આવું દુઃખ ભોગવતાં-ભોગવતાં હવે અંતમાં આવી ગયા છો. આખું ઝાડ જડજડીભૂત અવસ્થાને પામ્યું છે. હવે ત્યાં જવાનું છે. સ્વયંને હલકા કરી દો. આમને પણ હલ્કું કરી દીધું ને. તો બધાં બંધન તૂટી જાય. નહીં તો બાળકો, ધન, કારખાનાં, ગ્રાહક, રાજા, રજવાડા વગેરે યાદ આવતું રહેશે. ધંધો જ છોડી દીધો તો પછી યાદ કેમ આવશે. અહીંયા તો બધું જ ભૂલવાનું છે. આને ભૂલી પોતાનાં ઘર અને રાજધાનીને યાદ કરવાની છે. શાંતિધામ અને સુખધામને યાદ કરવાનાં છે. શાંતિધામ થી ફરી આપણે અહીંયા આવવું પડે. બાપ કહે છે મને યાદ કરો, એને જ યોગ અગ્નિ કહેવાય છે. આ રાજયોગ છે ને. તમે રાજઋષિ છો. ઋષિ પવિત્ર ને કહેવાય છે. તમે પવિત્ર બનો છો રાજાઈ માટે. બાપ જ તમને બધું સત્ય બતાવે છે. તમે પણ સમજો છો આ નાટક છે. બધાં એક્ટર્સ અહીંયા જરુર હોવા જોઈએ. પછી બાપ બધાંને લઈ જશે. આ ઈશ્વરની બારાત (જાન) છે ને. ત્યાં બાપ અને બાળકો રહે છે ફરી અહીં આવે છે પાર્ટ ભજવવા. બાપ તો સદૈવ ત્યાં રહે છે. મને યાદ જ દુઃખમાં કરે છે. ત્યાં પછી હું શું કરીશ. તમને શાંતિધામ, સુખધામમાં મોકલ્યા બાકી શું જોઈએ! તમે સુખધામમાં હતાં બાકી બધી આત્માઓ શાંતિધામમાં હતી પછી નંબરવાર આવતાં ગયા. નાટક આવીને પૂરું થયું. બાપ કહે છે - બાળકો, હવે ગફલત નહીં કરો. પાવન તો જરુર બનવાનું છે. બાપ કહે છે આ એ જ ડ્રામા અનુસાર પાર્ટ ચાલી રહ્યો છે. તમારા માટે ડ્રામા અનુસાર હું કલ્પ-કલ્પ આવું છું. નવી દુનિયામાં હવે ચાલવું છે ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) હવે આ ઝાડ જૂનું જડજડીભૂત થઈ ગયું છે, આત્માએ ફરી ઘરે જવાનું છે એટલે સ્વયંને બધાં બંધનોથી મુક્ત કરી હલકા બનાવી લેવાનું છે. અહીંયા નું બધુંજ બુદ્ધિથી ભૂલી જવાનું છે.

2) અનાદિ ડ્રામાને બુદ્ધિમાં રાખી કોઈ પણ પાર્ટધારી ની નિંદા નથી કરવાની. ડ્રામાનાં રહસ્ય ને સમજી વિશ્વનાં માલિક બનવાનું છે.

વરદાન :-
બુદ્ધિનાં સાથ અને સહયોગનાં હાથ દ્વારા મોજ નો અનુભવ કરવા વાળા ખુસનશીબ આત્મા ભવ:

જેમ સહયોગ ની નિશાની હાથમાં હાથ દેખાડે છે. એવી રીતે બાપનાં સદા સહયોગી બનવું - આ છે હાથમાં હાથ અને સદા બુદ્ધિથી સાથે રહેવું અર્થાત મનની લગન એક માં હોય. સદા એ જ સ્મૃતિ રહે કે ગોડલી ગાર્ડન (ઈશ્વરીય બગીચા) માં હાથમાં હાથ આપી સાથે-સાથે ચાલી રહ્યા છીએ. આનાંથી સદા મનોરંજનમાં રહેશો, સદા ખુશ અને સંપન્ન રહેશો. આવી ખુસનશીબ આત્માઓ સદા મોજ નો અનુભવ કરતી રહેશે.

સ્લોગન :-
દુઆઓ નું ખાતું જમા કરવાનું સાધન છે - સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું.