23-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
જેટલું - જેટલું બાપને પ્રેમથી યાદ કરશો એટ લાં આશીર્વાદ મળશે , પા પ કપાતા જશે ”
પ્રશ્ન :-
બાપ બાળકોને
કયા ધર્મમાં ટકવાની મત આપે છે?
ઉત્તર :-
બાબા કહે છે બાળકો - તમે પોતાનાં વિચિત્રતા નાં ધર્મમાં ટકો, ચિત્રનાં ધર્મમાં નહીં.
જેમ બાપ વિદેહી, વિચિત્ર છે એમ બાળકો પણ વિચિત્ર છે પછી અહીં ચિત્ર (શરીર) માં આવે
છે. હવે બાપ બાળકોને કહે છે બાળકો વિચિત્ર બનો, પોતાનાં સ્વધર્મમાં ટકો.
દેહ-અભિમાનમાં નહીં આવો.
પ્રશ્ન :-
ભગવાન પણ
ડ્રામા અનુસાર કઈ વાત માટે બંધાયમાન છે?
ઉત્તર :-
ડ્રામા અનુસાર
બાળકોને પતિત થી પાવન બનાવવા માટે ભગવાન પણ બંધાયમાન છે. એમને આવવાનું જ છે
પુરુષોત્તમ સંગમયુગ પર.
ઓમ શાંતિ!
બાપ બેસી
રુહાની બાળકોને સમજાવે છે જ્યારે ઓમ્ શાંતિ કહેવાય છે તો પોતાની આત્માનાં સ્વધર્મનો
પરિચય આપવામાં આવે છે. તો જરુર બાપ પણ જાતેજ યાદ આવે છે કારણ કે યાદ તો દરેક મનુષ્ય
ભગવાનને જ કરે છે. ફક્ત ભગવાનનો પૂરો પરિચય નથી. ભગવાન સ્વયંનો અને આત્માનો પરિચય
આપવા માટે જ આવે છે. પતિત-પાવન કહેવાય જ છે ભગવાનને. પતિતથી પાવન બનાવવા માટે ભગવાન
પણ ડ્રામા અનુસાર બંધાયમાન છે. એમને પણ આવવાનું છે પુરુષોત્તમ સંગમયુગ પર. સંગમયુગની
સમજણ પણ આપે છે. જૂની દુનિયા અને નવી દુનિયાનાં વચમાં જ બાપ આવે છે. જૂની દુનિયાને
મૃત્યુલોક, નવી દુનિયાને અમરલોક કહેવાય છે. આ પણ તમે સમજો છો, મૃત્યુલોકમાં આયુ ઓછી
હોય છે. અકાળે મૃત્યુ થતી રહે છે. તે પછી છે અમરલોક, જ્યાં અકાળે મૃત્યુ નથી થતી
કારણ કે પવિત્ર છે. અપવિત્રતાથી વ્યભિચારી બને છે અને આયુ પણ ઓછી હોય છે. બળ પણ ઓછું
થઈ જાય છે. સતયુગમાં પવિત્ર હોવાનાં કારણે અવ્યભિચારી છે. બળ પણ વધારે હોય છે. બળ
વગર રાજાઈ કેવી રીતે પ્રાપ્ત કરી? જરુર બાપથી એમને આશીર્વાદ લીધા હશે. બાપ છે
સર્વશક્તિમાન્. આશીર્વાદ કેવી રીતે લીધા હશે? બાપ કહે છે મને યાદ કરો. તો જેમણે
વધારે યાદ કર્યા હશે એમણે જ આશીર્વાદ લીધા હશે. આશીર્વાદ કોઈ માંગવાની ચીજ નથી. આ
તો મહેનત કરવાની ચીજ છે. જેટલું વધારે યાદ કરશું એટલાં વધારે આશીર્વાદ મળશે અર્થાત્
ઉંચ પદ મળશે. યાદ જ નહીં કરશો તો આશીર્વાદ પણ નહીં મળશે. લૌકિક બાપ બાળકોને ક્યારેય
એવું નથી કહેતા કે મને યાદ કરો. એ નાનપણ થી જાતે જ મમ્મા-બાબા કરતા રહે છે. અંગો
નાનાં છે. મોટા બાળકો ક્યારેય એવું બાબા-બાબા, મમ્મા-મમ્મા નહીં કહેશે. તેમની
બુદ્ધિમાં રહે છે - આ અમારા મા-બાપ છે, જેમનાંથી આ વારસો મળવાનો છે. કહેવાની કે યાદ
કરવાની વાત નથી રહેતી. અહીં તો બાપ કહે છે મને અને વારસાને યાદ કરો. હદનાં સંબંધને
છોડી હવે બેહદનાં સંબંધ ને યાદ કરવાનાં છે. બધાં મનુષ્ય ઇચ્છે છે અમારી ગતિ થાય. ગતિ
કહેવાય છે મુક્તિધામ ને. સદ્દ્ગતિ કહેવાય છે પછી ફરીથી સુખધામ માં આવવાને. કોઈપણ
પહેલા આવશે તો જરુર સુખ જ પામશે. બાપ સુખ માટે જ આવે છે. જરુર કોઈ વાત મુશ્કેલ છે
એટલે આને ઊંચ ભણતર કહેવાય છે. જેટલું ઊંચું ભણતર એટલી મુશ્કેલી પણ હશે. બધાં તો પાસ
કરી ન શકે. મોટામાં મોટી પરીક્ષા બહુ જ થોડા વિદ્યાર્થી પાસ કરે છે કારણ કે મોટી
પરીક્ષા પાસ કરવાથી પછી સરકારને પગાર પણ બહુ જ દેવો પડે ને. ઘણાં વિદ્યાર્થી મોટી
પરીક્ષા પાસ કરીને પણ આમ જ બેઠા રહે છે. સરકારની પાસે એટલા પૈસા નથી જે વધારે પગાર
દે. અહીં તો બાપ કહે છે જેટલું ઊંચું ભણશો એટલું ઊંચું પદ પામશો. એવું પણ નથી બધાજ
રાજાઓ કે સાહૂકાર બનશે. બધાં આધાર ભણતર પર છે. ભક્તિને ભણતર નથી કહેવાતું. આતો છે
રુહાની જ્ઞાન જે રુહાની બાપ ભણાવે છે. કેટલું ઊંચું ભણતર છે. બાળકોને મુશ્કેલ લાગે
છે કારણ કે બાપને યાદ નથી કરતા તો ચરિત્ર પણ સુધરતાં નથી. જે સારી રીતે યાદ કરે છે
તેમનું ચરિત્ર પણ સારું થતું જાય છે. બહુ-બહુજ મીઠા સર્વિસેબુલ (સેવાધારી) બનતા જાય
છે. ચરિત્ર સારા નથી તો કોઈને પસંદ પણ નથી આવતાં. જે નપાસ થાય છે તે જરુર ચરિત્રમાં
રોલા (ઢીલા) છે. શ્રી લક્ષ્મી-નારાયણનાં ચરિત્ર બહુ જ સારા છે. રામ ને બે કળા ઓછી
કહેશું. ભારત રાવણ રાજ્યમાં જૂઠ ખંડ થઈ જાય છે. સચખંડમાં તો જરા પણ જુઠ્ઠું હોઈ ન
શકે. રાવણ રાજ્યમાં છે જૂઠું જ જૂઠું. જૂઠા મનુષ્યને દેવી ગુણોવાળા કહી ન શકાય. આ
બેહદની વાત છે. હવે બાપ કહે છે આવી જૂઠી વાતો કોઈની ન સાંભળો, ન સંભળાવો. એક ઇશ્વરની
મતને જ લીગલ (યથાર્થ) મત કહેવાય છે. મનુષ્ય મતને ઈલીગલ (અયથાર્થ) કહેવાય છે. લીગલ
મતથી તમે ઊંચા બનો છો. પરંતુ બધાં નથી ચાલી શકતા તો ઈલીગલ બની જાય છે. ઘણાં બાપની
સાથે પ્રતિજ્ઞા પણ કરે છે - બાબા આટલા વર્ષ અમે ઈલીગલ કાર્ય કર્યા છે, હવે નહીં કરશું.
સૌથી ઈલીગલ કામ છે વિકારનું ભૂત. દેહ-અભિમાનનું ભૂત તો બધાંમાં છે જ. માયાવી પુરુષમાં
દેહ-અભિમાન જ હોય છે. બાપ તો છે જ વિદેહી, વિચિત્ર. તો બાળકો પણ વિચિત્ર છે. આ સમજની
વાત છે. આપણે આત્મા વિચિત્ર છીએ પછી અહીં ચિત્ર (શરીર) માં આવીએ છીએ. હવે બાપ ફરી
કહે છે વિચિત્ર બનો. સ્વયંનાં સ્વધર્મ માં ટકો. ચિત્રનાં ધર્મમાં નહીં ટકો.
વિચિત્રતા નાં ધર્મમાં ટકો. દેહ-અભિમાનમાં ન આવો. બાપ કેટલું સમજાવે છે - આમાં યાદની
બહુજ જરુરત છે. બાપ કહે છે સ્વયંને આત્મા સમજી મને યાદ કરો તો તમે સતોપ્રધાન,
પવિત્ર બનશો. અપવિત્રતા માં જવાથી બહુ જ દંડ મળી જાય છે. બાપના બનવાનાં પછી જો કોઈ
ભૂલ થાય છે તો પછી ગાયન છે સદ્દગુરુ કા નિંદક ઠોર ન પાયે. જો તમે મારી મત પર ચાલી
પવિત્ર નહીં બનશો તો સો ગુણા દંડ ભોગવવો પડશે. વિવેક ચલાવવાનો છે. જો આપણે યાદ નથી
કરી સકતા તો ઉંચ પદ પણ નહીં પામી શકીએ. પુરુષાર્થ માટે સમય પણ આપે છે. તમને કહે છે
શું સબૂત છે? બોલો, જે તનમાં આવે છે તે પ્રજાપિતા બ્રહ્મા તો મનુષ્ય છે ને. મનુષ્યનું
નામ શરીર પર પડે છે. શિવબાબા તો ન મનુષ્ય છે, ન દેવતા છે. એમને સુપ્રીમ આત્મા
કહેવાય છે. એ તો પતિત કે પાવન નથી થતા, એ સમજાવે છે મને યાદ કરવાથી તમારા પાપ કપાઈ
જશે. બાપ જ બેસી સમજાવે છે તમે સતોપ્રધાન હતા, હવે તમોપ્રધાન બન્યા છો. ફરી
સતોપ્રધાન બનવા માટે મને યાદ કરો. આ દેવતાઓનું ભણતર જુઓ કેવું છે અને તેમનાંથી રહેમ
માંગવા વાળા ને પણ જુઓ, વન્ડર લાગે છે - આપણે શું હતા! પછી ૮૪ જન્મોમાં કેટલા નીચે
પડી એકદમ ચટ થઈ ગયા છીએ.
બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો, તમે દૈવી ઘરાનાનાં (વંશ) નાં હતા. હવે પોતાની ચાલને
જુઓ આ (દેવી-દેવતા) બની શકો છો? એવું નથી બધાં લક્ષ્મી-નારાયણ બનશે. તો પછી આખો
ફૂલોનો બગીચો થઈ જાય. શિવબાબા ને ફક્ત ગુલાબનાં ફૂલ જ ચઢાંવે, પરંતુ નહીં અકનાં ફૂલ
પણ ચઢાંવે છે. બાપનાં બાળકો કોઈ ફૂલ પણ બને છે, કોઈ અક પણ બને છે. પાસ-નાપાસ તો થાય
જ છે. પોતે પણ સમજે છે કે અમે રાજા તો બની નહીં શકીએ. આપ સમાન જ નથી બનાવતા,
સાહૂકાર કેવી રીતે, કોણ બનશે એ તો બાપ જાણે. આગળ ચાલીને આપ બાળકો પણ સમજી જશો કે આ
ફલાણા બાપનાં કેવા મદદગાર છે. કલ્પ-કલ્પ જેમણે જે કંઈ કર્યું છે એ જ કરશે. એમાં
ફર્ક નથી પડી સકતો. બાપ પોઇન્ટ તો આપતા રહે છે. આમ-આમ બાપને યાદ કરવાનાં છે અને
ટ્રાન્સફર (અર્પણ) પણ કરવાનું છે. ભક્તિમાર્ગમાં તમે ઈશ્વર અર્થ કરો છો. પરંતુ
ઈશ્વરને જાણતા નથી. એટલું સમજો છો ઊંચેથી ઊંચા ભગવાન છે. એવું નથી કે ઊંચેથી ઊંચાં
નામ રુપવાળા છે. એ તો છે જ નિરાકાર. પછી ઊંચેથી ઊંચા સાકાર અહિયાં હોય છે. બ્રહ્મા,
વિષ્ણુ, શંકર ને દેવતા કહેવાય છે. બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, પછી કહે
છે શિવ પરમાત્માયે નમઃ. તો પરમાત્મા મોટા થયા છે ને. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને
પરમાત્મા નહીં કહેશો. મુખથી કહે પણ છે, શિવ પરમાત્માયે નમઃ તો જરુર પરમાત્મા એક થયા
ને. દેવતાઓને નમન કરે છે. મનુષ્ય લોકમાં મનુષ્યને મનુષ્ય કહેશે. તેમને પછી
પરમાત્માયે નમઃ કહેવું - આ તો પૂરું અજ્ઞાન છે. બધાંની બુદ્ધિમાં એ છે કે ઈશ્વર
સર્વવ્યાપી છે. હવે આપ બાળકો સમજો છો ભગવાન તો એક છે, એમને જ પતિત-પાવન કહેવાય છે.
બધાં ને પાવન બનાવવા આ ભગવાનનું જ કામ છે. જગત નાં ગુરુ કોઈ મનુષ્ય હોઈ ન શકે. ગુરુ
પાવન હોય છે ને. અહીં તો બધાં છે વિકારથી પેદા થવા વાળા. જ્ઞાનને અમૃત કહેવાય છે.
ભક્તિને અમૃત નથી કહેવાતું. ભક્તિમાર્ગમાં ભક્તિ જ ચાલે છે. બધાં મનુષ્ય ભક્તિમાં
છે. જ્ઞાન સાગર, જગતનાં ગુરુ એકને કહેવાય છે. હવે તમે જાણો છો બાપ શું આવીને કરે
છે. તત્વોને પણ પવિત્ર બનાવે છે. ડ્રામામાં એમનો પાર્ટ છે. બાપ નિમિત્ત બને છે
સર્વનાં સદ્દ્ગતિ દાતા છે. હવે આ સમજાવે કેવી રીતે. આવે તો બહુજ છે. ઉદ્ઘાટન કરવા
આવે છે તો તાર (પોસ્ટ) આપવામાં આવે છે કે હોવનહાર વિનાશનાં પહેલા બેહદનાં બાપને
જાણીને એમનાંથી જ વારસો લો. આ છે રુહાની બાપ. જે પણ મનુષ્ય માત્ર છે બધાં ફાધર (પિતા)
કહે છે. રચયિતા છે તો જરુર રચનાંને વારસો મળશે. બેહદનાં બાપને કોઈ પણ જાણતા નથી.
બાપ ને ભુલવું - આ પણ ડ્રામામાં નોંધ છે. બેહદનાં બાપ ઊંચેથી ઊંચા છે, એ કોઈ હદનો
વારસો તો નહીં દેશે ને. લૌકિક બાપ હોવા છતાં બેહદનાં બાપને બધાં યાદ કરે છે. સતયુગમાં
એમને કોઈ યાદ નથી કરતાં કારણ કે બેહદ સુખનો વારસો મળેલો છે. હવે તમે બાપને યાદ કરો
છો. આત્મા જ યાદ કરે છે પછી આત્માઓ પોતાને અને પોતાનાં બાપને, ડ્રામાને ભૂલી જાય
છે. માયા નો પડછાયો પડી જાય છે. સતોપ્રધાન બુદ્ધિ પાછી તમોપ્રધાન બુદ્ધિ જરુર થવાની
છે. સ્મૃતિમાં આવે છે, નવી દુનિયામાં દેવી-દેવતાઓ સતોપ્રધાન હતા, આ કોઈ પણ નથી જાણતા.
દુનિયા જ સતોપ્રધાન, ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) બને છે. તેને કહેવાય છે નવી દુનિયા. આ
છે આયરન એજ વર્લ્ડ (લોહયુગ). આ બધી વાતો બાપ જ આવીને બાળકોને સમજાવે છે. કલ્પ-કલ્પ
જે વારસો તમે લો છો, પુરુષાર્થ અનુસાર એ જ મળવાનું છે. તમને પણ હવે ખબર પડી છે આપણે
આ હતા પછી આમ નીચે આવી ગયા છીએ. બાપ જ બતાવે છે કે આમ-આમ થશે. કોઈ કહે છે કોશિશ બહુ
જ કરીએ છીએ પરંતુ યાદ રહેતી નથી. આમાં બાપ અથવા શિક્ષક શું કરે, કોઈ ભણશે નહીં તો
શિક્ષક શું કરે. શિક્ષક આશીર્વાદ કરે પછી બધાં પાસ થઈ જાય. ભણવાનો ફર્ક તો બહુ જ રહે
છે. આ છે બિલકુલ નવું ભણતર. અહીં તમારી પાસે વધારે કરી ગરીબ દુઃખી જ આવશે, સાહૂકાર
નહી આવશે. દુઃખી છે ત્યારે આવે છે. સાહૂકાર સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ.
તકદીર માં નથી, જેમની તકદીરમાં છે, એમને ઝટ નિશ્ચય બેસી જાય છે. નિશ્ચય અને સંશય
માં વાર નથી લાગતી. માયા ઝટ ભૂલાવી દે છે. સમય તો લાગે છે ને. આમાં મૂંઝાવાની દરકાર
નથી. સ્વયં પર રહેમ કરવાનો છે. શ્રીમત તો મળતી રહે છે. કેટલું સહજ બાપ કહે છે ફક્ત
સ્વયંને આત્મા સમજી મને યાદ કરો.
તમે જાણો છો આ છે જ મૃત્યુલોક, એ છે અમરલોક. ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. ક્લાસમાં
વિદ્યાર્થી નંબરવાર બેસે છે ને. આ પણ સ્કુલ છે ને. બ્રાહ્મણીને પૂછાય છે તમારી પાસે
નંબરવાર હોશિયાર બાળકો કયા છે? જે સારું ભણે છે, તે જમણી બાજુમાં હોવા જોઈએ. જમણી
બાજુનું મહત્વ હોય છે ને. પૂજા વગેરે પણ જમણા હાથેથી કરાય છે. બાળકો વિચાર કરતા રહે
- સતયુગમાં શું હશે. સતયુગ યાદ આવશે તો સત બાબા પણ યાદ આવશે. બાબા આપણને સતયુગનાં
માલિક બનાવે છે. ત્યાં એ ખબર નથી કે આપણને આ બાદશાહી કેવી રીતે મળી છે. એટલે બાબા
કહે છે આ લક્ષ્મી-નારાયણમાં પણ આ જ્ઞાન નથી. બાપ દરેક વાત સારી રીતે સમજાવતા રહે છે
જે કલ્પ પહેલા વાળા સમજ્યા છે એ જ જરુર સમજશે. તો પણ પુરુષાર્થ કરવો પડે છે ને. બાપ
આવે જ છે ભણાવવા. આ ભણતર છે, આમાં બહુ જ સમજ જોઈએ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ રુહાની
ભણતર બહુ જ ઊંચું અને ડીફીકલ્ટ (મુશ્કેલ) છે, આમાં પાસ થવા માટે બાપની યાદથી
આશીર્વાદ લેવાનાં છે. પોતાનું કેરેક્ટર્સ (ચરિત્ર) સુધારવાનું છે.
2. હવે કોઇપણ ઈલીગલ (અયથાર્થ) કાર્ય નથી કરવાનું. વિચિત્ર બની પોતાનાં સ્વધર્મમાં
ટકવાનું છે અને વિચિત્ર બાપની લીગલ (યથાર્થ) મત પર ચાલવાનું છે.
વરદાન :-
પરમાત્મ
પ્રેમમાં લીન થવાવાળા અથવા મિલનમાં મગ્ન થવાવાળા સાચા સ્નેહી ભવ
સ્નેહ ની નિશાની ગવાય
છે – કે બે હોવા છતાં બે ન રહે પરંતુ મળીને એક થઈ જાય, આને જ સમાઈ જવું કહે છે.
ભક્તોએ આ જ સ્નેહની સ્થિતિને સમાઈ જવું કે લીન થઈ જવું કહી દીધું છે. પ્રેમમાં લીન
થવું - આ સ્થિતિ છે પરંતુ સ્થિતિનાં બદલે એમણે આત્માનાં અસ્તિત્વને સદા માટે સમાપ્ત
થવું સમજી લીધું છે. આપ બાળકો જ્યારે બાપનાં કે રુહાની માશૂકનાં મિલન માં મગ્ન થઈ
જાઓ છો તો સમાન બની જાઓ છો.
સ્લોગન :-
અંતર્મુખી એ
છે જે વ્યર્થ સંકલ્પો થી મનનું મૌન રાખે છે.