03-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.03.85
બાપદાદા મધુબન
“ વર્તમાન ઈશ્વરીય
જન્મ - અમૂલ્ય જન્મ ”
આજે રત્નાગર બાપ
પોતાનાં અમૂલ્ય રત્નોને જોઈ રહ્યા છે. આ અલૌકિક અમૂલ્ય રત્નો ની દરબાર છે. એક-એક
રત્ન અમૂલ્ય છે. આ વર્તમાન સમયનાં વિશ્વની બધી મિલકત અથવા વિશ્વનાં બધા ખજાનાં ભેગા
કરો અને એનાં અંતરમાં એક ઈશ્વરીય રત્ન અનેક ગુણા અમૂલ્ય છે. આપ એક રત્નનાં આગળ
વિશ્વનાં બધા ખજાનાં કંઈ પણ નથી. એટલા અમૂલ્ય રત્ન છો. આ અમૂલ્ય રત્ન સિવાય આ સંગમ
યુગ નાં આખા કલ્પમાં નહીં મળી શકે. સતયુગી-દેવ-આત્માનો પાર્ટ આ સંગમયુગી ઈશ્વરીય
અમૂલ્ય રત્ન બનવાના પાર્ટ ની આગળ બીજો નંબર થઈ જાય છે. હવે તમે ઈશ્વરીય સંતાન છો,
સતયુગમાં દેવી સંતાન હશો. જેમ ઈશ્વર નું સૌથી શ્રેષ્ઠ નામ છે, મહિમા છે, જન્મ છે,
કર્મ છે, એમ ઈશ્વરીય રત્નોનું અથવા ઈશ્વરીય સંતાન આત્માઓનું મૂલ્ય સર્વશ્રેષ્ઠ છે.
આ શ્રેષ્ઠ મહિમા નું અથવા શ્રેષ્ઠ મૂલ્ય નું યાદગાર હમણાં પણ ૯ રત્નો નાં રુપમાં
ગવાય અને પૂજાય છે. ૯ રત્નો ને ભિન્ન-ભિન્ન વિઘ્ન-વિનાશક રત્ન ગવાય છે. જેવું વિઘ્ન
એવી વિશેષતા વાળું રત્ન વીંટી બનાવી પહેરે છે અથવા લોકેટ માં નાખે છે અથવા કોઈપણ
રુપમાં એ રત્નને ઘરમાં રાખે છે. હમણાં છેલ્લા જન્મ સુધી પણ વિઘ્નવિનાશક રુપમાં
પોતાનું યાદગાર જોઈ રહ્યા છો. નંબરવાર જરુર છે પરંતુ નંબરવાર હોવા છતાં પણ અમૂલ્ય
અને વિઘ્નવિનાશક બધાં છે. આજે પણ શ્રેષ્ઠ સ્વરુપથી આપ રત્નોનું આત્માઓ સ્વમાન રાખે
છે. બહુ પ્રેમથી, સ્વચ્છતાથી સંભાળીને રાખે છે કારણકે તમે બધા જે પણ છો ભલે પોતાને
એટલા યોગ્ય નહીં પણ સમજતા હોવ પરંતુ બાપએ આપ આત્માઓને યોગ્ય સમજી પોતાનાં બનાવ્યા
છે. સ્વીકાર કર્યા "તમે મારા હું તમારો". જે આત્માની ઉપર બાપની નજર પડી, એ પ્રભુની
નજરનાં કારણે અમૂલ્ય બની જ જાય છે. પરમાત્મા દ્રષ્ટિનાં કારણે ઈશ્વરીય સૃષ્ટિની,
ઈશ્વર સંસારની શ્રેષ્ઠ આત્મા બની જ જાય છે. પારસનાથ નાં સંબંધમાં આવ્યા તો પારસનો
રંગ લાગી જ જાય છે એટલે પરમાત્મા પ્રેમ ની દ્રષ્ટિ મળવાથી આખા કલ્પ ચાહે દેવતાઓનાં
રુપમાં, ચાહે અડધો કલ્પ જડ ચિત્રોનાં રુપમાં અથવા ભિન્ન-ભિન્ન યાદગારનાં રુપમાં જેમ
રત્નોનાં રુપમાં પણ તમારું યાદગાર છે. સિતારો (તારાઓ) નાં રુપમાં પણ તમારું યાદગાર
છે. જે પણ રુપમાં યાદગાર છે, આખા કલ્પ સર્વનાં પ્રિય રહ્યા છો કારણકે અવિનાશી
પ્રેમનાં સાગરનાં પ્રેમ ની નજર આખા કલ્પ માટે પ્રેમનાં અધિકારી બનાવી દે છે. એટલે
ભક્ત લોકો અડધી ઘડી એક ઘડી ની દ્રષ્ટિ માટે તડપે છે કે નજરથી નિહાલ થઈ જઈએ એટલે આ
સમયનાં પ્રેમની નજર અવિનાશી પ્રેમનાં યોગ્ય બનાવી દે છે. અવિનાશી પ્રાપ્તિ સ્વતઃ જ
થઈ જાય છે. પ્રેમથી યાદ કરે, પ્રેમથી રાખે. પ્રેમથી જુએ.
બીજી વાત - સ્વચ્છતા અર્થાત પવિત્રતા. તમે આ સમયે બાપ દ્વારા પવિત્રતા નો જન્મસિદ્ધ
અધિકાર પ્રાપ્ત કરો છો. પવિત્રતા અથવા સ્વચ્છતા પોતાનો સ્વધર્મ જાણો છો - એટલે
પવિત્રતાને અપનાવવાનાં કારણે જ્યાં તમારું યાદગાર હશે ત્યાં પવિત્રતા અથવા સ્વચ્છતા
હમણાં પણ યાદગાર રુપમાં ચાલી રહી છે. અને અડધો કલ્પ તો છે જ પવિત્ર પાલના, પવિત્ર
દુનિયા. તો અડધો કલ્પ પવિત્રતાથી પેદા થશે, પવિત્રતાથી ઉછેર થશે અને અડધો કલ્પ
પવિત્રતાથી પૂજાય છે.
ત્રીજી વાત - બહુ જ દિલથી, શ્રેષ્ઠ સમજ, અમૂલ્ય સમજ સાંભળે છે. કારણ કે આ સમયે સ્વયં
ભગવાન માત-પિતાનાં રુપથી આપ બાળકોને સંભાળે છે અર્થાત પાલના કરે છે. તો અવિનાશી
પાલના થવાનાં કારણે, અવિનાશી સ્નેહનાં સાથે સંભાળવાનાં કારણે આખું કલ્પ બહુ જ
રોયલ્ટી થી, સ્નેહથી, રિગાર્ડ(સમ્માન) થી સંભાળ થાય છે. આવો પ્રેમ, સ્વચ્છતા,
પવિત્રતા અને સ્નેહથી સંભાળવાના અવિનાશી પાત્ર બની જાઓ છો. તો સમજ્યા કેટલા અમૂલ્ય
છો? દરેક રત્નનું કેટલું મુલ્ય છે! તો આજે રત્નાગર બાપ દરેક રત્નનાં મૂલ્યને જોઈ
રહ્યા હતા. આખી દુનિયાની અક્ષોણી આત્માઓ એક તરફ છે પરંતુ તમે ૫ પાંડવ અક્ષોણી થી
શક્તિશાળી છો. અક્ષોણી તમારી આગળ એકનાં બરાબર પણ નથી, એટલા શક્તિશાળી છો. તો કેટલા
મૂલ્યવાન થઈ ગયા! એટલા મૂલ્ય ને જાણો છો? કે ક્યારેક-ક્યારેક પોતાને ભૂલી જાઓ છો.
જ્યારે પોતાને જ ભૂલી જાઓ છો તો હેરાન થાઓ છો. પોતાને નહિ ભુલો. હંમેશા પોતાને
અમૂલ્ય સમજીને ચાલો. પરંતુ નાની એવી ભૂલ નહીં કરતા. અમૂલ્ય છો પરંતુ બાપનાં સાથનાં
કારણે અમૂલ્ય છો. બાપને ભૂલીને ફક્ત પોતાને સમજશો તો પણ ખોટું થઈ જશે. બનાવવા વાળા
ને નહિ ભુલો. બની ગયા પરંતુ બનાવવા વાળા ની સાથે બન્યા છો. આ છે સમજવાની વિધિ. જો
વિધિ ને ભૂલી જશો તો સમજ, બેસમજ નાં રુપમાં બદલાઈ જશે. પછી હું-પણ આવી જાય છે. વિધિ
ને ભૂલવા થી સિદ્ધિ નો અનુભવ નથી થતો, એટલે વિધિપૂર્વક પોતાને મૂલ્યવાન જાણી વિશ્વનાં
પૂર્વજ બની જાઓ. હેરાન પણ નહીં થાઓ કે હું તો કંઈ નથી. ન એ વિચારો કે હું કંઈ નથી.
ન એ વિચારો કે હું જ બધું છું. બંને ખોટું છે. હું છું પરંતુ બનાવવા વાળા એ બનાવ્યા
છે. બાપ ને કાઢી નાખો છો તો પાપ થઈ જાય છે. બાપ છે તો પાપ નથી. જ્યાં બાપનું નામ છે
ત્યાં પાપ નું નામ નિશાન નથી. અને જ્યાં પાપ છે ત્યાં બાપ નું નામોનિશાન નથી. તો
સમજ્યા પોતાના મૂલ્ય ને.
ભગવાનની દ્રષ્ટિનાં પાત્ર બન્યા છો, સાધારણ વાત નથી. પાલનાનાં પાત્ર બન્યા છો.
અવિનાશી પવિત્રતાનાં જન્મસિદ્ધ અધિકાર નાં અધિકારી બન્યા છો. એટલે જન્મસિદ્ધ અધિકાર
ક્યારે મુશ્કેલ નથી હોતો. સહજ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સ્વયં અનુભવી છો કે જે
અધિકારી બાળકો છે એમને પવિત્રતા મુશ્કેલ નથી લાગતી. જેમને પવિત્રતા મુશ્કેલ લાગે
તેઓ ડગમગ વધારે થાય છે. પવિત્રતા સ્વધર્મ છે, જન્મસિદ્ધ અધિકાર છે તો સદા સહજ લાગશે.
દુનિયા વાળા પણ દૂર ભાગે છે તે શેના માટે? પવિત્રતા મુશ્કેલ લાગે છે. જે અધિકારી
આત્માઓ નથી એમને મુશ્કેલ જ લાગશે. અધિકારી આત્મા આવતાં જ દ્રઢ સંકલ્પ કરે કે
પવિત્રતા બાપ નો અધિકાર છે, એટલે પવિત્ર બનવાનું જ છે. દિલને પવિત્રતા સદા આકર્ષિત
કરતી રહેશે. જો ચાલતા-ચાલતા ક્યાંય માયા પરીક્ષા લેવા આવે પણ છે, સંકલ્પનાં રુપમાં,
સ્વપ્નનાં રુપમાં તો અધિકારી આત્મા નોલેજ હોવાનાં કારણે ગભરાશે નહીં. પરંતુ નોલેજની
શક્તિથી સંકલ્પને પરિવર્તિત કરી દેશે. એક સંકલ્પ નાં પાછળ અનેક સંકલ્પ પેદા નહીં
કરશે. અંશ ને વંશ નાં રુપમાં નહી લાવશે. શું થયું, આ થયું... આ છે વંશ. સંભળાવ્યું
છે ને શું થી કેમ લગાવી દે છે. આ વંશ પેદા કરી દે છે. આવ્યો અને સદા માટે ગયો. પેપર
લેવાનાં માટે આવ્યો, પાસ થઈ ગયા સમાપ્ત. માયા કેમ આવી, ક્યાંથી આવી. અહીંથી આવી
ત્યાંથી આવી. આવી નહોતી જોઈતી. કેમ આવી ગઈ, આ વંશ ન થવો જોઈએ. અચ્છા આવી પણ ગઈ તો
તમે બેસાડો નહીં. ભગાવો! આવું કેમ... એવું વિચારશો તો બેસી જશે. આવી આગળ વધારવા માટે,
પેપર લેવા માટે. ક્લાસ ને આગળ વધારવા માટે અનુભવી બનાવવા માટે આવી! કેમ આવી, એમ આવી,
તેમ આવી આ નહીં વિચારો. પછી વિચારો છો શું માયાનું આવું રુપ હોય છે. લાલ છે, લીલું
છે, પીળું છે. આ વિસ્તારમાં ચાલ્યા જાય છે. આમાં નહિ જાઓ. ગભરાઓ કેમ છો, પાર કરી
લો. પાસ વીથ ઓનર બની જાઓ. નોલેજની શક્તિ છે, શસ્ત્ર છે. માસ્ટર સર્વશક્તિમાન છો,
ત્રિકાળદર્શી છો, ત્રિવેણી છો. શું ખોટ છે! જલ્દી માં ગભરાવો નહીં. કીડી પણ આવી જાય
તો ગભરાઈ જાઓ છો. વધારે વિચારો છો. વિચારવું અર્થાત માયાને મહેમાની આપવી. પછી એ ઘર
બનાવી દેશે. જેમ રસ્તે ચાલતા કોઈ ગંદી વસ્તુ દેખાય પણ જાય તો શું કરશો! ઉભા રહીને
વિચારશો કે આ કોણે ફેંક્યુ, કેમ-શું થયું! થવું ન જોઈએ, આ વિચારશો કે કિનારો કરી
ચાલ્યા જશો. વધારે વ્યર્થ સંકલ્પનાં વંશ ને પેદા થવા ન દો. અંશના રુપમાં જ સમાપ્ત
કરી દો. પહેલા સેકન્ડ ની વાત હોય છે પછી એને કલાકોમાં, દિવસોમાં, મહિનામાં વધારી દો
છો. અને જો એક મહિના પછી પૂછશે કે શું થયું હતું તો વાત સેકન્ડની હશે, એટલે ગભરાવો
નહીં. ગહેરાઇ માં જાઓ - જ્ઞાનની ગહેરાઇ માં જાઓ. વાતોની ગહેરાઇ માં નહિ જાઓ. બાપદાદા
આટલા શ્રેષ્ઠ મૂલ્યવાન રત્નો ને નાનાં-નાનાં માટીનાં કણોથી રમતા જોવે તો વિચારે છે
આ રત્ન, રત્નોથી રમવાવાળા માટીનાં કણોથી રમી રહ્યા છે. રત્ન છો રત્નોથી રમો.
બાપદાદા એ કેટલા લાડ-પ્યાર થી ઉછેર્યા છે પછી માટીનાં કણ કેવી રીતે જોઇ શકશે. પછી
મેલા થઈને કહો છો - હવે સાફ કરો, સાફ કરો. ગભરાઈ પણ જાઓ છો. હવે શું કરું, કેવી રીતે
કરું. માટી થી રમો જ કેમ છો. એ પણ કણ જે ધરતીમાં પડી રહેવા વાળા. તો સદા પોતાનાં
મૂલ્ય ને જાણો. અચ્છા!
આવા આખા કલ્પ નાં મૂલ્યવાન આત્માઓને, પ્રભુ પ્રેમ નાં પાત્ર આત્માઓને, પ્રભુ પાલના
નાં પાત્ર આત્માઓને, પવિત્રતાનાં જન્મ-સિધ્ધ અધિકાર નાં અધિકારી આત્માઓને, સદા બાપ
અને હું આ વિધિથી સિદ્ધિને પામવા વાળી આત્માઓને, સદા અમૂલ્ય રત્ન બની રત્નોથી
રમવાવાળા રોયલ (શ્રેષ્ઠ) બાળકોને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ થી -
૧- સદા બાપનાં નયનોમાં સમાયેલી આત્મા સ્વયંને અનુભવ કરો છો? નયનોમાં કોણ સમાય છે?
જે બહુ જ હલ્કા બિંદુ છે. તો હંમેશા છો જ બિંદુ અને બિંદુ બની બાપનાં નયનોમાં
સામાવવાવાળા. બાપદાદા તમારા નયનોમાં સમાયેલા છે અને તમે બધાં બાપદાદાનાં નયનોમાં
સમાયેલા છો. જ્યારે નયનોમાં છે જ બાપદાદા તો બીજું કંઈ દેખાશે નહીં. તો સદા એ
સ્મૃતિથી ડબલ લાઈટ રહો કે હું છું જ બિંદુ. બિંદુમાં કોઈ બોજ નથી. આ સ્મૃતિ સ્વરુપ
સદા આગળ વધારતી રહેશે. આંખોમાં વચમાં જુઓ તો બિંદુ જ છે. બિંદુ જ જુઓ છો. બિંદુ ન
હોય તો આંખ હોવા છતાં પણ જોઈ નહીં શકો. તો સદા આ જ સ્વરુપને સ્મૃતિમાં રાખી ઉડતી કળા
નો અનુભવ કરો. બાપદાદા બાળકોનાં વર્તમાન અને ભવિષ્યનાં ભાગ્યને જોઈ હર્ષિત છે,
વર્તમાન કલમ છે ભવિષ્યની તકદીર બનાવવાની. વર્તમાનને શ્રેષ્ઠ બનાવવાનું સાધન છે -
મોટાઓનાં ઈશારા ને સદા સ્વીકાર કરી સ્વયંને પરિવર્તન કરી લેવું. એ જ વિશેષ ગુણ થી
વર્તમાન અને ભવિષ્ય તકદીર શ્રેષ્ઠ બની જશે.
૨- બધાનાં મસ્તક પર ભાગ્ય નો સિતારો ચમકી રહ્યો છે ને! સદા ચમકે છે? ક્યારેક ઝબુકતો
તો નથી ને? અખંડ જ્યોતિ બાપની સાથે તમે પણ અખંડ જ્યોતિ સદા જાગવાવાળા સિતારા બની ગયા.
એવો અનુભવ કરો છો. ક્યારેક વાયુ હલાવતો નથી દિપક અથવા સિતારાને? જ્યાં બાપ ની યાદ
છે એ અવિનાશી જગમગાતા સિતારાઓ છે. ઝબુકતા નહીં. લાઈટ પણ જ્યારે ઝબુકે છે તો બંધ કરી
દઈએ છે, કોઈને સારી નથી લાગતી. તો આ પણ સદા જગમગાતા સિતારા. સદા જ્ઞાન સૂર્ય બાપથી
પ્રકાશ લઈ બીજાઓને પણ પ્રકાશ દેવા વાળા. સેવાનો ઉમંગ-ઉત્સાહ કાયમ રહે છે. બધા
શ્રેષ્ઠ આત્માઓ છો, શ્રેષ્ઠ બાપની શ્રેષ્ઠ આત્માઓ છો.
યાદની શક્તિથી સફળતા સહજ પ્રાપ્ત થાય છે. જેટલી યાદ અને સેવા સાથે-સાથે રહે છે તો
યાદ અને સેવાનું સંતુલન સદાની સફળતાનાં આશીર્વાદ સ્વતઃ પ્રાપ્ત કરાવે છે. એટલે સદા
શક્તિશાળી યાદ સ્વરુપનું વાતાવરણ બનવાથી શક્તિશાળી આત્માઓનું આહવાન થાય છે અને સફળતા
મળે છે. નિમિત્ત લૌકિક કાર્ય છે પરંતુ લગન બાપ અને સેવામાં છે. લૌકિક પણ સેવા પ્રતિ
છે. પોતાનાં લગાવથી નથી કરતા, માર્ગદર્શન પ્રમાણે કરે છે. એટલે બાપનાં સ્નેહ નો હાથ
આવા બાળકોની સાથે છે. સદા ખુશીમાં ગાવો, નાચો આજ સેવાનું સાધન છે. તમારી ખુશીને જોઈ
બીજા ખુશ થઇ જશે તો એ જ સેવા થઈ જશે. બાપદાદા બાળકોને સદા કહે છે - જેટલા મહાદાની
બનશો એટલો ખજાનો વધતો જશે. મહાદાની બનો અને ખજાનાંને વધારો. મહાદાની બની ખુબ દાન કરો.
આ દેવું જ લેવું છે. જે સારી વસ્તુ મળે છે એ આપ્યા વગર રહી નથી શકાતું.
સદા પોતાનાં ભાગ્યને જોઈ હર્ષિત રહો. કેટલું મોટું ભાગ્ય મળ્યું છે, ઘરે બેઠા ભગવાન
મળી જાય આનાંથી મોટું ભાગ્ય બીજું શું હશે! આજ ભાગ્યને સ્મૃતિમાં રાખી હર્ષિત રહો.
તો દુઃખ અને અશાંતિ સદા નાં માટે સમાપ્ત થઈ જશે. સુખ સ્વરુપ, શાંત સ્વરુપ બની જશો.
જેનું ભાગ્ય સ્વયં ભગવાન બનાવે એ કેટલા શ્રેષ્ઠ થયા. તો સદા પોતાનામાં નવો ઉમંગ, નવો
ઉત્સાહ અનુભવ કરી આગળ વધતા જાઓ કારણકે સંગમયુગ પર દરેક દિવસનો નવો ઉમંગ, નવો ઉત્સાહ
છે.
જેમ ચાલી રહ્યા છો, નાં. સદા નવો ઉમંગ, નવો ઉત્સાહ સદા આગળ વધારે છે. બધા દિવસ જ નવા
છે. સદા સ્વયંમાં કે સેવામાં કોઈને કોઈ નવીનતા જરુર જોઈએ જેટલા પોતાને ઉમંગ-ઉત્સાહ
માં રાખશો એટલી નવી-નવી ટચિંગ થતી રહેશે. સ્વયં કોઈ બીજી વાતોમાં વ્યસ્ત રહો તો નવી
ટચિંગ પણ નહીં થાય. મનન કરો તો નવો ઉમંગ રહેશે.
બાંધેલીઓને
યાદ પ્યાર આપતા -
બાંધેલીઓની યાદ તો સદા બાપની પાસે પહોંચે છે અને બાપદાદા બધી બાંધેલીઓને એ જ કહે છે
કે યોગ અર્થાત યાદની લગનને અગ્નિ રુપ બનાવો. જ્યારે લગન અગ્નિ રુપ બની જાય છે તો
અગ્નિમાં બધુ ભસ્મ થઇ જાય છે. તો આ બંધન પણ લગન ની અગ્નિમાં સમાપ્ત થઈ જશે અને
સ્વતંત્ર આત્મા બની જે સંકલ્પ કરો તેની સિદ્ધિને પ્રાપ્ત કરશો. સ્નેહી છો, સ્નેહની
યાદ પહોંચે છે. સ્નેહનાં વળતર માં સ્નેહ મળે છે. પરંતુ હવે યાદને શક્તિશાળી અગ્નિ
રુપ બનાવો. પછી એ દિવસ આવી જશે જે સમ્મુખ પહોંચી જશો.
દાન :-
સદા રુ હાની
સ્થિતિમાં રહી બીજા ની પણ રુ હને જોવા વાળા રુહે ગુલાબ ભવ :
રુહે ગુલાબ
અર્થાત જેમાં સદા રુહાની સુગંધ હોય. રુહાની સુગંધવાળા જ્યાં પણ જોશે, જેને પણ જોશે
તો રુહ ને જોશે, શરીરને નહીં. તો સ્વયં પણ સદા રુહાની સ્થિતિમાં રહો અને બીજાઓની પણ
રુહ ને જુઓ. જેમ બાપ ઉંચે થી ઊંચા છે, એમ એમનો બગીચો પણ ઊંચેથી ઊંચો છે, જે બગીચાનાં
વિશેષ શ્રુંગાર રુહે ગુલાબ આપ બાળકો છો. તમારી રુહાની સુગંધ અનેક આત્માઓનું કલ્યાણ
કરવાવાળી છે.
સ્લોગન :-
મર્યાદા તોડીને
કોઈને સુખ આપ્યું તો એ પણ દુઃખનાં ખાતામાં જમા થઈ જશે.