05-09-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમારું
કામ છે સ્વયંએ સ્વયં સાથે વાતો કરી પાવન બનવાનું, બીજી આત્માઓંના ચિંતનમાં પોતાનો
સમય વ્યર્થ નહિ કરો”
પ્રશ્ન :-
કઈ વાત
બુદ્ધિમાં આવી ગઈ તો જૂની બધી આદતો છુટી જશે?
ઉત્તર :-
અમે બેહદ બાપનાં
સંતાન છીએ તો વિશ્વના માલિક થયાને, આપણે દેવતા બનવાનું છે - આ વાત બુદ્ધિમાં આવી ગઈ
તો જૂની બધી આદતો તો છુટી જશે. તમે કહો, ન કહો જાતેજ છોડી દેશે. ઉલટું-સુલટું
ખાન-પાન, દારૂ વગેરે જાતેજ છોડી દેશે. કહેશે વાહ! અમારે તો લક્ષ્મી-નારાયણ બનવું
છે. ૨૧ જન્મોનું રાજ્ય-ભાગ્ય મળે છે તો કેમ નહીં પવિત્ર રહીશું!
ઓમ શાંતિ!
બાપ ઘડી-ઘડી
બાળકોનું ધ્યાન દોરાવે છે કે બાપ ની યાદ માં બેઠા છો? બુદ્ધિ બીજી કોઈ તરફ તો નથી
ભાગતી? બાપ ને બોલાવો છો જ એટલે કે બાબા આવીને અમને પાવન બનાવો. પાવન તો જરૂર બનવાનું
છે અને નોલેજ તો તમે કોઈને પણ સમજાવી શકો છો. આ સૃષ્ટિનું ચક્ર કેવીરીતે ફરે છે,
કોઈને પણ તમે સમજાવો તો ઝટ સમજી જશે. ભલે પવિત્ર ન હોય તો પણ નોલેજ તો ભણી જ લેશે
કોઈ મોટી વાત નથી. ૮૪ નું ચક્ર અને દરેક યુગની આટલી આયુ છે, આટલા જન્મ હોય છે. કેટલું
સહજ છે. આનો સંબધ યાદથી નથી, આ તો ભણતર છે. બાપતો યથાર્થ વાત સમજાવે છે. બાકી છે
સતોપ્રધાન બનવાની વાત. તે થશો યાદ થી. જો યાદ નહી કરે તો બહુજ નાનું પદ પામશે. આટલું
ઊંચું પદ પામી નહી શકે એટલા માટે કહે છે અટેન્શન. બુદ્ધિનો યોગ બાપની સાથે રાખો. આને
જ પ્રાચીન યોગ કહેવાય છે. શિક્ષક ની સાથે યોગ તો દરેક નો હોય જ. મૂળ વાત છે યાદ ની.
યાદની યાત્રાથી જ સતોપ્રધાન બનવાનું છે અને સતોપ્રધાન બની પાછું ઘરે જવાનું છે. બાકી
ભણતર તો બિલ્કુલ સહજ છે. કોઈ બાળક પણ સમજી શકે છે. માયાની યુદ્ધ આ યાદમાં જ ચાલે
છે. તમે બાપ ને યાદ કરો છો અને માયા પછી પોતાની તરફ ખેંચીને ભુલાવી દે છે. એવું તો
નહી કહેશો કે મારામાં તો શિવબાબા બેઠા છે, હું શિવ છુ. નહી, હું આત્મા છું,
શિવબાબાને યાદ કરવાના છે. એમ નહી કે મારા અંદર શિવની પ્રવેશતા છે. એવું થઈ ના શકે.
બાપ કહે છે હું કોઈ માં જતો નથી. હું આ રથ પર સવાર થઈને જ આપ બાળકોને સમજાવું છું.
હા, કોઈ નબળી બુદ્ધિના બાળકો છે અને કોઈ સારા જિજ્ઞાસુ આવી જાય છે તો એમની સર્વિસ
અર્થ હું પ્રવેશ કરી દ્રષ્ટિ આપી શકું છું. સદેવ નથી બેસી સકતો. બહુરુપ ધારણ કરી
કોઈનું પણ કલ્યાણ કરી શકુ છુ. બાકી એવું કોઈ નહી કહી શકે કે મારા માં શિવબાબા ની
પ્રવેશતા છે, મને શિવબાબા આ કહે છે. નહીં, શિવબાબા તો બાળકોને જ સમજાવે છે. મૂળ વાત
છે જ પાવન બનવાની, તો પાછા પાવન દુનિયામાં જઈ શકે. ૮૪નું ચક્ર તો બહુ જ સહજ સમજાવે
છે. ચિત્ર સામે લગાડેલા છે. બાપ વગર આટલું જ્ઞાન તો કોઈ આપી ન શકે. આત્માને જ જ્ઞાન
મળે છે. તેને જ જ્ઞાનનું ત્રીજું નેત્ર કહેવાય છે. આત્માને જ સુખ-દુઃખ અનુભવ થાય
છે, તેને આ શરીર છે ને. આત્મા જ દેવતા બને છે. કોઈ વકીલ, કોઈ વ્યાપારી આત્મા જ બને
છે. તો હવે આત્માઓથી બાપ બેસીને વાત કરે છે, પોતાની ઓળખાણ આપે છે. તમે જ્યારે દેવતા
હતા, તો મનુષ્ય જ હતા, પરંતુ પવિત્ર આત્માઓ હતી. હમણા તમે પવિત્ર નથી એટલે દેવતા નથી
કહેવાતા. હવે દેવતા બનવા માટે પવિત્ર જરૂર બનવાનું છે. તેના માટે બાબાને યાદ કરવાના
છે. ઘણી વખત એવું જ કહે છે – બાબા, અમારાથી આ ભૂલ થઈ જે અમે દેહ-અભિમાનમાં આવી ગયા.
બાપ બેસીને બાળકોને સમજાવે છે પાવન જરૂર બનવાનું છે. કોઈ વિકર્મ ન કરો. તમારે
સર્વગુણ સંપન્ન અહિયાં બનવાનું છે. પાવન બનવાથી મુક્તિધામમાં ચાલ્યા જશો. બીજા કોઈ
પ્રશ્ન પૂછવાની વાત છે જ નહીં. તમે સ્વયં થી વાત કરો, બીજી આત્માઓનું ચિંતન ન કરો.
કહે છે લડાઈમાં બે કરોડ મરયા. આટલી આત્માઓ ક્યાં ગઈ? અરે, તે ક્યાંય પણ ગયા, તેનાથી
તમારું શું જાય છે. તમે શા માટે ટાઈમ વેસ્ટ કરો છો? બીજી કોઈ પણ વાત પૂછવાની દરકાર
નથી. તમારું કામ છે પાવન બની પાવન દુનિયાના માલિક બનવું. બીજી વાતોમાં જવાથી મુંજાઈ
જશો. કોઈને પૂરો જવાબ નથી મળતો તો મુંઝાય જાય છે.
બાપ કહે છે મનમનાભવ. દેહ સહિત દેહના બધા સંબંધો છોડો, મારી પાસે જ તમારે આવવાનું
છે. મનુષ્ય મરે છે તો જયારે શમશાન પાસે પહુચે છે તો પગ આ બાજુ અને મુખ શમશાન તરફ કરી
દે છે. તમારું પણ ઘર ઉપર છે ને. ઉપર કોઈ પતિત જઈ નથી શકતા. પાવન બનવા માટે બુદ્ધિનો
યોગ બાપની સાથે લગાવવાનો છે. બાપની પાસે મુક્તિધામમાં જવાનું છે. પતિત છે એટલા માટે
જ બોલાવે છે કે અમને પતિતો ને આવીને પાવન બનાવો, મુક્ત કરો. તો બાપ કહે છે હવે
પવિત્ર બનો. બાપ જે ભાષામાં સમજાવે છે, તે જ ભાષામાં કલ્પ-કલ્પ સમજાવશે. જે ભાષા
આમની હશે, તેમાં જ સમજાવશે ને. આજકાલ હિન્દી બહુજ ચાલે છે, એવું નથી કે ભાષા બદલાઈ
શકે છે. ના, સંસ્કૃત ભાષા વગેરે કોઈ દેવતાઓની તો છે નહીં. હિન્દુ ધર્મની સંસ્કૃત નથી.
હિન્દી જ હોવી જોઈએ. પછી સંસ્કૃત કેમ ઉપાડે છે? તો બાપ સમજાવે છે અહીંયા જ્યારે બેસો
છો તો બાપની યાદ માં જ બેસવાનું છે, બીજી કોઇ વાતમાં તમે જાઓ જ નહીં. આટલા મચ્છર
નીકળે છે, ક્યાં જાય છે? ધરતીકંપમાં ઝુંડ નાં ઝુંડ ઝટ થી મરે છે, આત્માઓ ક્યાં જાય
છે? એમાં તમારુ શું જાય છે. તમને બાપએ શ્રીમત આપી છે કે સ્વયંની ઉન્નતી માટે
પુરુષાર્થ કરો. બીજાના ચિંતનમાં નહી જાઓ. એમ તો અનેક વાતોનું ચિંતન થઈ જશે. બસ, તમે
મને યાદ કરો, જેના માટે બોલાવ્યા છે એ યુક્તિ થી ચાલો. તમારે બાપથી વારસો લેવાનો
છે, બીજી વાતોમાં નથી જવાનું એટલે બાબા ઘડી-ઘડી કહે છે અટેન્શન! ક્યાંય બુદ્ધિ તો
નથી જતી. ભગવાનની શ્રીમત તો માનવી જોઈએ ને. બીજી કોઇ વાતમાં ફાયદો નથી. મુખ્ય વાત
છે પાવન બનવાની. આ પાક્કું યાદ રાખો – આપણા બાબા, બાબા પણ છે, શિક્ષક પણ છે,
પ્રીસેપ્ટર (ગુરુ) પણ છે. આ જરૂર દિલમાં યાદ રાખવાનું છે – બાપ, બાપ પણ છે, અમને
ભણાવે છે, યોગ શીખવાડે છે. શિક્ષક ભણાવે છે તો બુદ્ધિનો યોગ શિક્ષકમાં અને ભણતરમાં
પણ જાય છે. આજ જ બાપ પણ કહે છે, તમે બાપના તો બની જ ગયા છો. બાળકો તો છો જ, ત્યારે
તો અહીંયા બેઠા છો. શિક્ષક થી ભણી રહ્યા છો. ક્યાંય પણ રહેતા બાપના તો છો જ પછી
ભણવામાં અટેન્શન આપવાનું છે. શિવબાબા ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને તમે
સતોપ્રધાન બની જશો. આ નોલેજ બીજા કોઈ આપી ન શકે. મનુષ્ય તો ઘોર અંધકારમાં છે ને.
જ્ઞાન માં જુઓ – કેટલી તાકાત છે. તાકાત ક્યાંથી મળે છે? બાપ થી તાકાત મળે છે જેનાથી
તમે પાવન બનો છો. પછી ભણતર પણ સહજ છે. તે ભણતરમાં તો ઘણા મહિના લાગે છે. અહીંયા તો
૭ દિવસનો કોર્સ છે. એનાથી તમે બધું સમજી જશો પછી તેમાં છે બુદ્ધિ પર આધાર. કોઈ વધારે
સમય લગાવે છે, કોઈ ઓછો. કોઈ તો ૨-૩ દિવસમાં જ સારી રીતે સમજી જાય છે. મુખ્ય વાત છે
બાપ ને યાદ કરવા, પવિત્ર બનવું. તે જ મુશ્કેલી થાય છે. બાકી ભણતર તો એકદમ સહજ છે.
સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. એક દિવસનાં કોર્સમાં પણ બધું સમજી શકો છો. હું આત્મા
છું, બેહદ બાપની સંતાન છુ તો જરૂર આપણે વિશ્વના માલિક થયા. આ બુદ્ધિ માં આવે છે ને.
દેવતા બનવું છે તો દેવી ગુણ પણ ધારણ કરવાના છે, જેમની બુદ્ધિમાં આવી જશે તે ફટથી બધી
આદતો છોડી દેશે. તમે કહો, ન કહો, જાતે જ છોડી દેશે. ઉલટું-સુલટું ખાન-પાન, દારુ
વગેરે પોતે જ છોડી દેશે. કહે છે – વાહ, અમને આ બનવું છે, ૨૧ જન્મોનું રાજ્ય મળે છે
તો કેમ નહીં પવિત્ર રહીશું. ચટકી જવું જોઈએ. મુખ્ય વાત છે યાદ ની યાત્રા. બાકી
૮૪નાં ચક્રનું નોલેજ તો એક સેકન્ડમાં મળી જાય છે. જોવાથી જ સમજી જાય છે. નવું ઝાડ
જરૂર નાનું હશે. હવે તો કેટલું મોટું ઝાડ તમોપ્રધાન બની ગયુ છે. આવતીકાલે ફરી નવું
નાનું ઝાડ બની જશે. તમે જાણો છો - આ જ્ઞાન ક્યારે પણ ક્યાંય મળી નથી જેથી શકતું. આ
ભણતર છે, પહેલી મુખ્ય શિક્ષા પણ મળે છે કે બાપ ને યાદ કરો. બાપ ભણાવે છે, આ નિશ્ચય
કરો. ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું. બીજુ કોઈ મનુષ્ય આવું કહી ન શકે.
શિક્ષક ભણાવે છે તો જરૂર શિક્ષકને યાદ કરશો ને. બેહદનાં બાપ પણ છે, બાપ આપણને
સ્વર્ગના માલિક બનાવે છે. પરંતુ આત્મા કેવી રીતે પવિત્ર બનશે - આ કોઈ પણ બતાવી નથી
શકતા. ભલે સ્વયંને ભગવાન કહે કે કંઇ પણ કહે પરંતુ પાવન બનાવી નથી શકતા. આજકાલ ભગવાન
તો ઘણા થઈ ગયા છે. મનુષ્ય મૂંઝાઈ જાય છે. કહે છે અનેક ધર્મ નીકળે છે, કોને ખબર કયો
સાચો છે. ભલે તમારી પ્રદર્શની કે મ્યુઝિયમ વગેરે નું ઉદઘાટન કરે છે પરંતુ સમજતા કંઈ
પણ નથી. હકીકતમાં ઉદઘાટન થઈ ગયુ છે. પહેલા ફાઉન્ડેશન લાગે છે, પછી જ્યારે મકાન બનીને
તૈયાર થાય છે ત્યારે ઉદઘાટન થાય છે. ફાઉન્ડેશન લગાવવા માટે પણ બોલાવા માં આવે છે.
તો આ પણ બાપ એ સ્થાપના કરી દીધી છે, બાકી નવી દુનિયા નું ઉદઘાટન થઈ જ જવાનું છે, એમાં
કોઈએ ઉદઘાટન કરવાની દરકાર નથી રહેતી. ઉદઘાટન તો સ્વત: જ થઈ જશે. અહિયાં ભણીને પછી
આપણે નવી દુનિયામાં ચાલ્યા જઈશું.
તમે સમજો છો હમણાં આપણે સ્થાપના કરી રહ્યા છે એના માટે જ મહેનત કરવાની હોય છે.
વિનાશ થશે પછી આ દુનિયા જ બદલાઈ જશે. પછી તમે નવી દુનિયામાં રાજ્ય કરવા આવી જશો.
સતયુગની સ્થાપના બાપએ કરી છે, પછી તમે આવશો તો સ્વર્ગ ની રાજધાની મળી જશે. બાકી
ઓપનિંગ સેરેમની કોણ કરશે? બાપ તો સ્વર્ગમાં આવતા જ નથી. આગળ જઈને જોવાનું છે કે
સ્વર્ગમાં શું થાય છે. છેલ્લે શું થાય છે! આગળ ચાલીને સમજશે. આપ બાળકો જાણો છો
પવિત્રતા વગર વિથ ઓનર આપણે સ્વર્ગમાં જઈ નથી શકતા. આટલું પદ પણ મેળવી નથી સકતા એટલા
માટે બાપ કહે છે ખૂબ પુરુષાર્થ કરો. ધંધો વગેરે પણ ભલે કરો પરંતુ વધારે પૈસા શું
કરશો. ખાઈ તો શકશો નહી. તમારા પુત્ર-પૌત્ર વગેરે પણ નહી ખાશે. બધું માટીમાં ભળી જશે
એટલા માટે થોડો સંગ્રહ કરો યુક્તિથી. બાકી તો બધું ત્યાં ટ્રાન્સફર કરી દો. બધા તો
ટ્રાન્સફર નથી કરી શકતા. ગરીબ જલદી ટ્રાન્સફર કરી દે છે. ભક્તિમાર્ગમાં પણ
ટ્રાન્સફર કરે છે બીજા જન્મ માટે. પરંતુ તે છે ઇનડાયરેક્ટ. આ છે ડાયરેક્ટ. પતિત
મનુષ્યોની પતિતો સાથે જ લેણ-દેણ છે. હવે તો બાપ આવ્યા છે, તમારી તો પતિતોથી લેણ-દેણ
છે નહીં. તમે છો બ્રાહ્મણ, બ્રાહ્મણોને જ તમારે મદદ કરવાની છે. જે સ્વયં સર્વિસ કરે
છે એમને તો મદદની દરકાર નથી. અહિયાં ગરીબ સાહૂકાર વગેરે બધા આવે છે. બાકી કરોડપતિ
તો મુશ્કેલ આવશે. બાપ કહે છે હું છુ ગરીબ નિવાઝ. ભારત બહુજ ગરીબ ખંડ છે. બાપ કહે છે
હું આવું પણ ભારતમાં જ છુ, એમાં પણ આ આબૂ સૌથી મોટું તીર્થ છે, જ્યાં બાપ આવીને આખા
વિશ્વની સદ્દગતિ કરે છે. આ છે નર્ક. તમે જાણો છો નર્ક થી ફરી સ્વર્ગ કેવી રીતે થાય
છે. હમણાં તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. બાપ યુક્તિ એવી બતાવે છે પાવન બનવાની, જે
બધાનું કલ્યાણ કરી દે છે. સતયુગ માં કોઈ અકલ્યાણ ની વાત, રડવું, પીટવું વગેરે કાંઈ
પણ નથી હોતું. હમણાં જે બાપની મહિમા છે - જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. હમણાં
તમારી પણ આ મહિમા છે, જે બાપની છે. તમે પણ આનંદ નાં સાગર બનો છો, બહુ બધાને સુખ આપો
છો પછી જયારે તમારી આત્મા સંસ્કાર લઈને નવી દુનિયા માં જશે તો ત્યાં ફરી તમારી મહિમા
બદલાઈ જશે. પછી તમને કહેશે સર્વગુણ સંપન્ન.... હમણાં તમે નર્કમાં બેઠા છો, આને
કહેવાય છે કાંટાઓનું જંગલ. બાપને જ બાગવાન, ખેવૈયા કહેવાય છે. ગાએ પણ છે અમારી નૌકા
પાર કરો કારણ કે દુઃખી છે તો આત્મા પોકારે છે. મહિમા ભલે ગાએ છે પરંતુ સમજતા કંઈ પણ
નથી. જે આવ્યું તે કઈ કહી દે છે. ઊંચે થી ઊંચાં ભગવાનની નિંદા કરતા રહે છે. તમે
કહેશો અમે તો આસ્તિક છીએ. સર્વના સદ્દ્ગતી દાતા જે બાપ છે, એમને અમે જાણી ગયા છીએ.
બાપએ સ્વયં પરિચય આપ્યો છે. તમે ભક્તિ નથી કરતા તો કેટલું હેરાન કરે છે. તેઓ છે
મૈજોરિટી, તમારી છે માઈનોરીટી. જયારે તમારી મૈજોરિટી થઈ જશે, ત્યારે તેમને પણ
આકર્ષણ થશે. બુદ્ધિનું તાળું ખુલી જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર:-
1) સ્વયંની
ઉન્નતિ નું જ ચિંતન કરવાનું છે. બીજી કોઈ પણ વાતમાં નથી જવાનું. ભણતર અને યાદ પર
પૂરું ધ્યાન આપવાનું છે. બુદ્ધિ ભટકાવાની નથી.
2) હમણાં બાપ ડાયરેક્ટર આવ્યા છે એટલા માટે સ્વયંનું બધુંજ યુક્તિથી ટ્રાન્સફર કરી
દેવાનું છે. પતિત આત્માઓથી લેણ-દેણ નથી કરવાની. વિથ ઓનર સ્વર્ગમાં જવા માટે પવિત્ર
જરૂર બનવાનું છે.
વરદાન :-
યોગ દ્વારા
ઉંચી સ્થિતિનો અનુભવ કરવા વાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ:
તમે રાજ્યોગી બાળકો યોગમાં ઉચી સ્થિતિનો અનુભવ કરો છો, હઠયોગી પછી શરીરને ઊંચું
ઉઠાવે છે. તમે ક્યાંય પણ રહેતા, ઉંચી સ્થિતિમાં રહો છો એટલા માટે કહેવાય છે યોગી
ઊંચા રહે છે. તમારા મનની સ્થિતિ નું સ્થાન ઊંચું છે કારણ કે ડબલ લાઈટ બની ગયા છો.
એમ પણ કહેવાય છે કે ફરિશ્તાઓ નાં પગ ધરતી પર નથી હોતા. ફરિશ્તા અર્થાત જેમનાં બુદ્ધિ
રુપી પગ ધરતી પર ન હોય, દેહભાન માં ન હોય. જૂની દુનિયા થી કોઈ લગાવ ન હોય.
સ્લોગન :-
હમણાં દુઆઓ
નાં ખાતાને સંપન્ન બનાવી લો તો તમારા ચિત્રો દ્વારા બધાને અનેક જન્મ દુઆઓ મળતી રહેશે.