27-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાબા
ની દ્રષ્ટિ હદ અને બેહદ થી પણ પાર જાય છે , તમારે પણ હદ ( સતયુગ ), બેહદ ( કળયુગ )
થી પાર જવાનું છે .”
પ્રશ્ન :-
ઊંચેથી ઊંચા
જ્ઞાન રત્નોની ધારણા કયા બાળકોની સારી થાય છે?
ઉત્તર :-
જેમનો
બુદ્ધિયોગ એક બાપની સાથે છે, પવિત્ર બન્યાં છે, તેમને આ રત્નોની ધારણા સારી થશે. આ
જ્ઞાનના માટે શુદ્ધ વાસણ જોઈએ. ઉલ્ટા-સંકલ્પ પણ બંધ થઈ જવા જોઈએ. બાપની સાથે યોગ
લગાવતા-લગાવતા વાસણ સોનુ બને ત્યારે રત્ન રહી શકે.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો ને રુહાની બાપ બેસી રોજ-રોજ સમજાવે છે. આતો સમજાવ્યું છે બાળકોને -
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય નું આ સૃષ્ટિ ચક્ર બનેલું છે. બુદ્ધિમાં આ જ્ઞાન રહેવું
જોઈએ. આપ બાળકોએ હદ અને બેહદથી પાર જવાનું છે. બાપ તો હદ અને બેહદ થી પાર છે. તેનો
પણ અર્થ સમજવો જોઈએ ને. રુહાની બાપ બેસી સમજાવે છે. તે પણ વિષય સમજાવવાનો છે કે
જ્ઞાન, ભક્તિ પછી છે વૈરાગ્ય. જ્ઞાન ને કહેવાય છે દિવસ, જ્યારે નવી દુનિયા હોય છે.
એમાં આ ભક્તિ અજ્ઞાન છે નહીં. તે છે હદ ની દુનિયા કારણકે ત્યાં બહુ જ થોડા હોય છે.
પછી ધીમે-ધીમે વૃદ્ધિ થાય છે. અડધા સમય પછી ભક્તિ શરુ થાય છે. ત્યાં સંન્યાસ ધર્મ
હોતો જ નથી. સન્યાસ અથવા ત્યાગ હોતો નથી. પછી પાછળથી સૃષ્ટિની વૃદ્ધિ થાય છે. ઉપરથી
આત્માઓ આવતી જાય છે. અહીંયા વૃદ્ધિ થતી રહે છે. હદથી શરુ થાય છે, બેહદ માં જાય છે.
બાપ ની તો હદ અને બેહદ થી પાર દૃષ્ટી જાય છે. જાણે છે હદ માં કેટલા થોડા બાળકો હોય
છે પછી રાવણ રાજ્યમાં કેટલી વૃદ્ધિ થઈ જાય છે. હવે તમારે હદ અને બેહદ થી પણ પાર
જવાનું છે. સતયુગમાં કેટલી નાની દુનિયા છે. ત્યાં સન્યાસ અથવા વૈરાગ્ય વગેરે હોતો
નથી. પછી દ્વાપર થી લઈને બીજા બધા ધર્મ શરુ થાય છે. સન્યાસ ધર્મ પણ હોય છે જે ઘરબાર
નો સન્યાસ કરે છે. બધાયે જાણવું તો જોઈએ ને. તેમને કહેવાય છે હઠયોગ અને હદ નો
સન્યાસ. ફક્ત ઘરબાર છોડી જંગલમાં જાય છે. દ્વાપર થી ભક્તિ શરુ થાય છે. જ્ઞાન તો હોતું
જ નથી. જ્ઞાન એટલે સતયુગ-ત્રેતા સુખ. ભક્તિ એટલે અજ્ઞાન અને દુઃખ. આ સારી રીતે
સમજવાનું હોય છે પછી દુઃખ અને સુખ થી પાર જવાનું છે. હદ બેહદ થી પાર. મનુષ્ય તપાસ
કરે છે ને. ક્યાં સુધી સમુદ્ર છે, આકાશ છે. બહુ જ કોશિશ કરે છે પરંતુ અંત પામી નથી
શકતા. વિમાનમાં જાય છે. તેમાં પણ એટલું તેલ જોઈએ ને જેથી પછી પાછા પણ આવી શકે. બહુ
જ દૂર સુધી જાય છે પરંતુ બેહદ માં જઈ નથી શકતા. હદ સુધી જ જશે. તમે તો હદ, બેહદ થી
પાર જાઓ છો. હવે તમે સમજી શકો છો પહેલા નવી દુનિયા માં હદ છે. બહુ જ થોડા મનુષ્ય
હોય છે. તેને સતયુગ કહેવાય છે. આપ બાળકો ને રચનાનાં આદિ, મધ્ય, અંત નું નોલેજ હોવું
જોઈએ ને. આ નોલેજ બીજા કોઈમાં છે નહીં. તમને સમજાવવા વાળા બાપ છે જે બાપ હદ અને
બેહદ થી પાર છે બીજું કોઈ સમજાવી ન સકે. રચનાનાં આદિ-મધ્ય-અન્ત નું રહસ્ય સમજાવે છે
પછી કહે છે આનાથી પાર જાઓ. ત્યાં તો કઈપણ રહેતું નથી. કેટલું પણ દૂર જાએ છે, આકાશ જ
આકાશ છે. આને કહેવાય છે હદ બેહદ થી પાર. કોઈ અંત નથી પામી શકતા. કહેવાશે બેઅંત.
બેઅંત કહેવું તો સહજ છે પરંતુ અંતનો અર્થ સમજવો જોઈએ. હમણાં તમને બાપ સમજ આપે છે.
બાપ કહે છે હું હદ ને પણ જાણું છું, બેહદ ને પણ જાણું છું. ફલાણા-ફલાણા ધર્મ ફલાણા-
ફલાણા સમયે સ્થાપન થયા છે! દૃષ્ટી જાય છે સતયુગ ની હદ તરફ. પછી કળિયુગના બેહદ ની
તરફ. પછી આપણે પાર ચાલ્યા જઈશું. જ્યાં કશું નથી. સૂર્ય ચંદ્ર થી પણ ઉપર આપણે જઈએ
છીએ, જ્યાં આપણું શાંતિધામ, સ્વીટ હોમ છે. આમ તો સતયુગ પણ સ્વીટ હોમ છે. ત્યાં શાંતિ
પણ છે તો રાજ્ય-ભાગ્ય સુખ પણ છે - બંને જ છે. ઘરે જશો તો ત્યાં ફક્ત શાંતિ હશે.
સુખનું નામ નહીં લેશો. હમણાં તમે શાંતિ પણ સ્થાપન કરી રહ્યા છો. અને સુખ-શાંતિ પણ
સ્થાપન કરી રહ્યા છો. ત્યાં તો શાંતિ પણ છે, સુખનું રાજ્ય પણ છે. મૂળ વતનમાં તો
સુખની વાત નથી.
અડધો કલ્પ તમારું રાજ્ય ચાલે છે પછી અડધા કલ્પ પછી રાવણનું રાજ્ય આવે છે. અશાંતિ છે
જ ૫ વિકારોથી. ૨૫૦૦ વર્ષ તમે રાજ્ય કરો છો ફરી ૨૫૦૦ પછી રાવણનું રાજ્ય હોય છે. તેમણે
તો લાખો વર્ષ લખી દીધા છે. એકદમ જેમકે બુદ્ધુ બનાવી દીધા છે. પાંચ હજાર વર્ષના
કલ્પને લાખો વર્ષ કહી દેવું બુદ્ધુપણ કહેશું ને. જરાપણ સભ્યતા નથી. દેવતાઓમાં કેટલી
દેવી સભ્યતા હતી. તે હવે અસભ્યતા થઈ પડી છે. કશું નથી જાણતા. આસુરી ગુણ આવી ગયા છે.
પહેલા તમે પણ કશું નહોતા જાણતા. કામ કટારી ચલાવી આદિ-મધ્ય-અંત દુઃખી બનાવી દે છે
એટલે તેમને કહેવાય જ છે રાવણ સંપ્રદાય. દેખાડ્યું છે રામે વાનરો ની સેના લીધી. હવે
રામચંદ્ર ત્રેતાના, ત્યાં પછી વાનર ક્યાંથી આવે અને પછી કહે રામની સીતા ચોરાઈ ગઈ.
આવી વાતો ત્યાં હોતી જ નથી. જીવ, જનાવર વગેરે ૮૪ લાખ યોનીઓ જેટલી અહીંયા છે એટલી
સતયુગ-ત્રેતા માં થોડી હશે. આ બધો બેહદ નો ડ્રામા બાપ બેસી સમજાવે છે. બાળકોએ બહુ
દૂરંદેશી બનવાનું છે. પહેલા તમને કંઈ પણ ખબર ન હતી. મનુષ્ય થઈ અને નાટકને નથી જાણતા.
હમણા તમે સમજો છો સૌથી મોટું કોણ છે? ઊંચે થી ઊંચા ભગવાન. શ્લોક પણ ગાએ છે ઊંચું
તારું નામ…. હવે તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ નંબરવાર છે.
બાપ હદ અને બેહદ નાં બન્ને રહસ્ય સમજાવે છે. એનાથી પાર કંઈપણ છે નહીં. તે છે તમારું
રહેવાનું સ્થાન. જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. જેમ તમે અહીંયા આકાશ તત્વોમાં બેસ્યા
છો. આમાં કંઈ જોવામાં આવે છે કે? રેડિયોમાં કહે છે આકાશવાણી. હવે આ આકાશ તો બેઅંત
છે. અંત પામી નથી શકતું. તો આકાશવાણી કહેવાથી મનુષ્ય શું સમજશે. આજે મુખ છે તે છે
પોલાર. મુખથી વાણી (અવાજ) નીકળે છે. આ તો સાધારણ વાત છે. મુખથી અવાજ નીકળવો જેને
આકાશવાણી કહેવાય છે. બાપને પણ આકાશ દ્વારા વાણી ચલાવવી પડે. આપ બાળકોને પોતાનું પણ
રહસ્ય બધુ બતાવ્યું છે. તમને નિશ્ચય થાય છે. છે તો બહુ સહજ. જેવી રીતે આપણે આત્મા
છીએ તેવી રીતે બાપ પણ પરમાત્મા છે. ઉંચે થી ઊંચ આત્મા છે ને. બધાને પોત -પોતાનો
પાર્ટ મળ્યો છે. સૌથી ઊંચામાં ઊંચો ભગવાન પછી પ્રવૃત્તિ માર્ગ ના યુગલ મેરુ. પછી
નંબર વાર માળા જુઓ કેટલી થોડી છે પછી સૃષ્ટિ વધતા-વધતાં કેટલી મોટી થઈ જાય છે. કેટલા
કરોડ દાણાં અર્થાત આત્માઓની માળા છે. આ બધું છે ભણતર. બાપ જે સમજાવે છે તેને સારી
રીતે બુદ્ધિ માં ધારણ કરો. ઝાડનો વિસ્તાર તો તમે સાંભળતા રહો છો. બીજ ઉપર માં છે. આ
વેરાઈટી ઝાડ છે. આની આયુ કેટલી છે. ઝાડ વૃદ્ધિને પામતું રહે છે તો આખો દિવસ બુદ્ધિમાં
આ જ રહે. આ સૃષ્ટિ રુપી કલ્પવૃક્ષની આયુ બિલકુલ એક્યુરેટ છે. ૫ હજાર વર્ષથી એક
સેકન્ડનો પણ ફરક ન પડી શકે. આપ બાળકોની બુદ્ધિમાં હવે કેટલું જ્ઞાન છે, જે સારા
મજબૂત છે. મજબૂત ત્યારે થશે જ્યારે પવિત્ર હોય. આ જ્ઞાન ની ધારણા કરવા માટે સોનાનું
વાસણ જોઈએ. પછી એવું સહજ થઇ જશે જેવી રીતે બાબા માટે સહજ છે. પછી તમને પણ કહેશે
માસ્ટર નોલેજફૂલ. પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર માળા ના દાણા બની જશો. આવી-આવી વાતો
બાબા વગર કોઈ સમજાવી ન શકે. આ આત્મા પણ સમજાવી રહી છે. બાપ પણ આ તન દ્વારા જ સમજાવે
છે, ના કે દેવતાઓના શરીર દ્વારા. બાપ એક જ વાર આવીને ગુરુ બને છે તો પણ બાપએ જ
પાર્ટ ભજવવાનો છે. ૫ હજાર વર્ષ પછી આવી પાર્ટ ભજવશે.
બાપ સમજાવે છે ઉંચે થી ઊંચો હું છું. પછી છે મેરુ. જે આદિ માં મહારાજા-મહારાણી છે,
પછી આવીને અંતમાં આદિ દેવ, આદિ દેવી બનશે. આ બધું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. તમે
ક્યાંય પણ સમજાવો તો અચંબો ખાસે. આ તો ઠીક બતાવે છે. મનુષ્ય સૃષ્ટિના બીજરુપ જ
નોલેજફૂલ છે. એમના વગર બીજું કોઈ નોલેજ આપી ન શકે. આ બધી વાતો ધારણ કરવાની છે પરંતુ
બાળકોને ધારણા થતી નથી. છે અતિ સહજ. કોઈ મુશ્કેલી નથી. એક તો યાદ ની યાત્રા જોઈએ આમા,
જે પછી પવિત્ર વાસણમાં રત્ન રહી શકે. આ ઊંચ થી ઊંચ રત્ન છે. બાબા તો ઝવેરી હતા. બહુ
સરસ હીરા માણેક વગેરે આવતા હતા તો ચાંદીની ડબ્બીમાં કાપુસ વગેરેમાં સારી રીતે મુકતા
હતા. જેથી કોઈ જુએ તો કહેશે આ તો બહુ જ ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે. આ પણ આવી રીતે છે.
સારી વસ્તુઓ સારા વાસણમાં શોભે છે. તમારા કાન સાંભળે છે. એમાં ધારણા થાય છે. પવિત્ર
હશે, બુદ્ધિયોગ બાપથી હશે તો ધારણા સારી થશે. અથવા તો બધુ નીકળી જશે. આત્મા પણ છે
કેટલી નાની. એમાં કેટલું જ્ઞાન ભરેલું છે. કેટલું સરસ શુદ્ધ વાસણ જોઈએ. કોઈ સંકલ્પ
પણ ન ઉપડે. ઉલ્ટા-સુલ્ટા સંકલ્પ બધું બંધ થઈ જવું જોઈએ. બધી તરફથી બુદ્ધિયોગ
હટાવવાનો છે. મારી સાથે યોગ લગાવતા-લગાવતા વાસણ સોનું બનાવી દો જેથી રત્ન રહી શકે.
પછી બીજાને દાન કરતા રહેશો. ભારત ને મહાદાની મનાય છે, તેઓ ધન દાન તો ખુબ કરે છે.
પરંતુ આ છે અવિનાશી જ્ઞાન રત્નનું દાન. દેહ સહીત જે કાંઈ છે તે બધું છોડી એકની સાથે
બુદ્ધિ નો યોગ રહે. અમે તો બાપના છીએ, એમાં જ મહેનત લાગે છે. લક્ષ્ય-હેતુ તો બાપ
બતાવી દે છે. પુરુષાર્થ કરવો બાળકો નું કામ છે. હમણાં જ આટલું ઊંચ પદ પામી શકશો.
કોઈપણ ઉલ્ટા-સુલ્ટા સંકલ્પ કે વિકલ્પ ના આવે. બાપ જ નોલેજના સાગર, હદ બેહદ થી પાર
છે. બધું બેસી સમજાવે છે. તમે સમજો છો બાબા અમને જુએ છે પરંતુ હું તો હદ-બેહદ થી
પાર ઉપર જતો રહું છું. હું રહેવાવાળો પણ ત્યાંનો છું. તમે પણ હદ બેહદથી પાર જતા રહો.
સંકલ્પ-વિકલ્પ કંઈ પણ ન આવે. આમાં મહેનત જોઈએ. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન
બનવાનું છે. હથ કાર ડે , દિલ યાર ડે . ગૃહસ્થી તો બહુ જ છે. ગૃહસ્થી જેટલું ઉઠાવે
છે એટલુ ઘરમાં રહેવા વાળા બાળકો નહીં. સેન્ટર ચલાવવા વાળા, મુરલી ચલાવવા વાળા પણ
નપાસ થઈ જાય છે અને ભણવાવાળા ઊંચા જતા રહે છે. આગળ તમને બધુ ખબર પડતું જશે. બાબા
બિલ્કુલ ઠીક બતાવે છે. અમને જે ભણાવતા હતા તેમને માયા ખાઈ ગઈ. મહારથીને માયા એકદમ
હપ કરી ગઈ. છે નહીં. માયાવી ટ્રેટર (દગાબાજ) બની જાય છે. વિલાયતમાં પણ ટ્રેટર બને
છે ને. ક્યાં-ક્યાં જઈને શરણ લે છે. જે પાવરફૂલ હોય છે તેની તરફ ચાલ્યા જાય છે. આ
સમયે તો મૃત્યુ સામે છે ને તો બહુ જ તાકાત વાળા પાસે જશે હવે તમે સમજો છો બાપ જ
શક્તિશાળી છે. બાપ છે સર્વશક્તિમાન. આપણને શીખવાડતા-શીખવાડતા આખા વિશ્વના માલિક
બનાવી દે છે. ત્યાં બધું જ મળી જાય છે. કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી હોતી, જેની
પ્રાપ્તિના માટે આપણે પુરુષાર્થ કરીએ. ત્યાં કોઈ એવી ચીજ હોતી નથી જે તમારી પાસે ન
હોય. તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર પદ પામે છે. બાપ વગર આવી વાત કોઈ નથી જાણતું.
બધા છે પૂજારી. ભલે મોટા-મોટા શંકરાચાર્ય વગેરે છે, બાબા તેમની મહિમા પણ સંભળાવે
છે. પહેલા પવિત્રતાની તાકાતથી ભારતને બહુ જ થમાંવવાના નિમિત્ત બને છે. તે પણ જ્યારે
સતોપ્રધાન હોય છે. હમણાં તો તમોપ્રધાન છે. તેમનામાં શું તાકાત હોય છે. હમણાં તમે જે
પુજારી હતા જે પછી પૂજ્ય બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. હમણાં તમારી બુદ્ધિ માં બધું
જ્ઞાન છે. બુદ્ધિમાં ધારણા રહે અને તમે સમજાવતા રહો. બાપને પણ યાદ કરો. બાપ જ આખા
ઝાડ નું રહસ્ય સમજાવે છે. બાળકોએ મીઠા પણ એવા બનવાનું છે. યુદ્ધ છે ને. માયાના
તોફાન પણ બહુજ આવે છે. બધુ સહન કરવું પડે છે. બાપની યાદ માં રહેવાથી તોફાન બધા
ચાલ્યા જશે. હાતમતાઈ ખેલ બતાવે છે ને. મુહલરો નાખી દે છે, માયા ચાલી જાય છે. મુહલરો
કાઢવાથી જ માયા આવી જાય છે. છુઈમુઈ હોય છે ને. હાથ લગાવો તો મુરજાઇ જાય છે. માયા બહુ
જ હોશિયાર છે, આટલું ઊંચું ભણતર ભણતા-ભણતા બેઠા-બેઠા નીચે પાડી દે છે એટલે બાપ
સમજાવતાં રહે છે પોતાને ભાઈ-ભાઈ સમજો તો પછી હદ બેહદ થી પાર ચાલ્યા જશો. શરીર જ નથી
તો પછી દૃષ્ટી ક્યાં જશે. આટલી મહેનત કરવાની છે, સાંભળીને ફાં નથી થઇ જવાનું.
કલ્પ-કલ્પ તમારો પુરુષાર્થ ચાલે છે અને તમે પોતાનું ભાગ્ય પામો છો. બાપ કહે છે ભણેલું
બધું ભૂલી જાઓ. બાકી જે ક્યારેય નથી ભણ્યા તે સાંભળો અને યાદ કરો. તેને કહેવાય છે
ભક્તિમાર્ગ. તમે રાજઋષિ છો ને. જટાઓ ખુલ્લી હોય અને મુરલી સંભળાવો. સાધુ-સંતો વગેરે
જે સંભળાવે છે તે બધી છે મનુષ્યની મુરલી. સતયુગ-ત્રેતામાં તો જ્ઞાનની મુરલીની દરકાર
જ નથી. ત્યાં ન જ્ઞાનની, ન ભક્તિ ની દરકાર છે. આ જ્ઞાન તમને મળે છે આ સંગમયુગ પર અને
બાપ જ આપવાવાળા છે. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) બુદ્ધિ માં
જ્ઞાન રત્નોને ધારણ કરી દાન કરવાનું છે. હદ બેહદ થી પાર એવી સ્થિતિમાં રહેવાનું છે
જે ક્યારેય પણ ઉલ્ટા-સુલ્ટા સંકલ્પ કે વિકલ્પ ન આવે. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, આ જ
સ્મૃતિ રહે.
2) માયાનાં તોફાનોથી બચવા માટે મુખમાં બાપની યાદ નો મુહલરો નાખી દેવાનો છે બધું સહન
કરવાનું છે. છુઈમુઈ નથી બનવાનું. માયાથી હાર નથી ખાવાની.
વરદાન :-
સર્વ સત્તાઓને
સહયોગી બનાવી પ્રત્યક્ષતાનો પડદો ખોલવા વાળા સાચ્ચા સેવાધારી ભવ !
પ્રત્યક્ષતાનો પડદો
ત્યારે ખુલશે જ્યારે બધી સત્તાવાળા મળીને કહેશે કે શ્રેષ્ઠ સત્તા, ઈશ્વરીય સત્તા,
આધ્યાત્મિક સત્તા છે તો આજ એક પરમાત્મ સત્તા છે. બધા એક સ્ટેજ પર ભેગા થઇ એવું
સ્નેહ મિલન કરે. આની માટે બધાને સ્નેહ નાં સૂત્રમાં બાંધી સમીપ લાઓ, સહયોગી બનાવો.
આ સ્નેહ જ ચુંબક બનશે જેથી બધા એકસાથે સંગઠન રુપ માં બાપની સ્ટેજ પર પહોંચશે. તો હવે
અંતિમ પ્રત્યક્ષતાના હીરો પાર્ટ માં નિમિત્ત બનવાની સેવા કરો ત્યારે કહેવાશે સાચ્ચા
સેવાધારી.
સ્લોગન :-
સેવા દ્વારા
સર્વ ની દુવાઓ પ્રાપ્ત કરવી - આ આગળ વધવાની લિફ્ટ છે.