29-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો – ઉઠતાં-બેસતાં બુદ્ધિમાં જ્ઞાન ઊછળતું રહે તો અપાર ખુશીમાં રહેશો”

પ્રશ્ન :-
આપ બાળકોએ કોના સંગથી બહુ-બહુ જ સંભાળ કરવાની છે?

ઉત્તર :-
જેની બુદ્ધિમાં બાપની યાદ નથી રહેતી, બુદ્ધિ અહીંયા-ત્યાં ભટકતી રહે છે, તેમનાં સંગથી તમારે સંભાળ કરવાની છે. તેમનાં અંગથી અંગ પણ ન લાગવું જોઈએ કારણકે યાદમાં ન રહેવાવાળા વાયુમંડળ ને ખરાબ કરે છે.

પ્રશ્ન :-
મનુષ્યોને પશ્ચાતાપ્ ક્યારે થશે?

ઉત્તર :-
જ્યારે તેમને ખબર પડશે કે આમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે તો તેમનો ચહેરો ફીકો પડી જશે અને પશ્ચાતાપ્ કરશે કે અમે ગફલત કરી, ભણવાનું ન ભણ્યા.

ઓમ શાંતિ!
હવે રુહાની યાત્રાને તો બાળકો સારી રીતે સમજે છે. કોઈ પણ હઠયોગની યાત્રા હોતી નથી. આ છે યાદ. યાદ માટે કોઈ પણ તકલીફની વાત નથી. બાપને યાદ કરવું - એમાં કોઈ તકલીફ નથી. આ ક્લાસ છે એટલે ફક્ત કાયદેસર બેસવાનું હોય છે. તમે બાપનાં બાળકો બન્યા છો, બાળકોની પાલના (ઉછેર) થઈ રહી છે. કઈ પાલના? અવિનાશી જ્ઞાન રત્નોનાં ખજાનાં મળી રહ્યા છે. બાપને યાદ કરવામાં કોઈ તકલીફ નથી. ફક્ત માયા બુદ્ધિનો યોગ તોડી દે છે. બાકી, બેસો ભલે કેવી રીતે પણ, એનાંથી કોઈ યાદ નો સંબંધ નથી. ઘણાં બાળકો હઠયોગથી ૩-૪ કલાક બેસે છે. આખી રાત પણ બેસી જાય છે. પહેલા તમારી તો હતી ભઠ્ઠી, તે વાત બીજી હતી, ત્યાં તમને ધંધાધોરી તો હતું નહીં એટલે આ શીખવાડતાં હતાં. હવે બાપ કહે છે તમે ગૃહસ્થ વ્યવહારમાં રહો. ધંધાધોરી પણ ભલે કરો. કંઈ પણ કામકાજ કરતાં બાપને યાદ કરવાનાં છે. એવું પણ નથી કે હમણાં નિરંતર તમે યાદ કરી શકો છો. ના. આ અવસ્થામાં સમય લાગે છે. હમણાં નિરંતર યાદ રહી જાય પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. બાપ સમજાવે છે - બાળકો, ડ્રામાનાં પ્લાન અનુસાર હવે બાકી થોડો સમય છે. બધો હિસાબ પણ બુદ્ધિમાં રહે છે. કહે છે. ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલા ભારત જ હતું. તેને સ્વર્ગ કહેવાતું હતું. હવે તેમનાં ૨ હજાર વર્ષ પુરા થાય છે, ૫૦૦૦ વર્ષનો હિસાબ થઇ જાય છે.
જોવા માં આવે છે તમારું નામ બધું વિદેશથી જ નિકળશે કારણ કે તેમની બુદ્ધિ તો પણ ભારતવાસીઓથી હોશિયાર છે. ભારતથી પીસ (શાંતિ) પણ તેઓ માંગે છે. ભારતવાસીઓએ જ લાખો વર્ષ કહીને અને સર્વવ્યાપીનું જ્ઞાન દઈને બુદ્ધિ બગાડી દીધી છે. તમોપ્રધાન બની ગયા છે. તેઓ એટલાં તમોપ્રધાન નથી બન્યા, તેમની બુદ્ધિ તો બહુ જ હોશિયાર છે. તેમનો જ્યારે અવાજ નિકળશે ત્યારે ભારતવાસી જાગશે કારણકે ભારતવાસી એકદમ ઘોર નિદ્રામાં સૂતેલા છે. તેઓ થોડા સૂતેલા છે. તેમનાંથી અવાજ સારો નિકળશે, વિદેશથી આવ્યા પણ હતાં કે અમને કોઈ બતાવે - શાંતિ કેવી રીતે થઈ શકે છે? કારણ કે બાપ પણ ભારતમાં જ આવે છે. આ વાત આપ બાળકો જ બતાવી શકો છો - દુનિયામાં ફરીથી એ પીસ (શાંતિ) ક્યારે અને કેવી રીતે થશે? આપ બાળકો તો જાણો છો બરાબર પેરેડાઈઝ (વૈકુંઠ) અથવા હેવિન હતું. નવી દુનિયામાં ભારત પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. આ બીજું કોઈ પણ નથી જાણતું. મનુષ્યની બુદ્ધિમાં આ વાત જ બેસી ગઈ છે કે ઈશ્વર સર્વવ્યાપી છે અને કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. સૌથી વધારે પથ્થર બુદ્ધિ આ ભારતવાસી જ બને છે. આ ગીતા શાસ્ત્ર વગેરે બધું છે ભક્તિમાર્ગનું. ફરી પણ આ બધું આમ જ બનશે. ભલે ડ્રામાને જાણે છે છતાં પણ બાપ તો પુરુષાર્થ કરાવે છે. આપ બાળકો જાણો છો વિનાશ તો જરુર થશે. બાપ આવ્યા જ છે નવી દુનિયાની સ્થાપના કરવા. આ તો ખુશીની વાત છે ને. જ્યારે કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો અંદરમાં ખુશી થાય છે ને. આપણે આ બધું પાસ કરી આ (દેવતા) જઈને બનશું. બધો ભણતર પર આધાર છે. આપ બાળકો જાણો છો બરાબર બાપ આપણને ભણાવીને આ બનાવે છે. બરાબર પેરેડાઇઝ હેવિન હતું. મનુષ્ય તો બિચારા બિલકુલ જ મૂંઝાયેલા છે. બેહદનાં બાપ પાસે જે જ્ઞાન છે એ આપ બાળકોને આપી રહ્યા છે. બાપની તમે મહિમા કરો છો - બાબા નોલેજફુલ (જ્ઞાનથી ભરપૂર) છે પછી બ્લિસફુલ (આનંદથી ભરપૂર) પણ છે, ખજાનો પણ તેમની પાસે ફુલ (ભરપૂર) છે. તમને આટલા સાહૂકાર કોણ બનાવે છે? અહીં તમે કેમ આવ્યા છો? વારસો પામવા. જો કોઈની તંદુરસ્તી સારી છે પરંતુ ધન નથી તો ધન વગર શું થશે! વૈકુંઠમાં તો તમારી પાસે ધન રહે છે. અહીંયા જે-જે સાહૂકાર છે, તેમને નશો રહે છે અમારી પાસે આટલું ધન છે, આ-આ કારખાનાં વગેરે છે. શરીર છોડ્યુ ખલાસ. તમે તો જાણો છો આપણને બાબા ૨૧ જન્મો માટે આટલો ખજાનો આપી દે છે. બાપ પોતે તો ખજાનાનાં માલિક નથી બનતાં. આપ બાળકોને માલિક બનાવે છે. આ પણ તમે જાણો છો વિશ્વમાં શાંતિ તો સિવાય ગોડફાધરનાં કોઈ સ્થાપન કરી ન શકે. સૌથી ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે - આ ત્રિમૂર્તિ ગોળાનું. આ ચક્રમાં જ બધું જ્ઞાન ભરેલું છે. તમારી એવી કોઈ વન્ડરફુલ ચીજ હશે ત્યારે એ સમજશે આમાં જરુર કંઈક રહસ્ય છે. બાળકો કોઈ-કોઈ નાનાં-નાનાં રમકડા બનાવે છે, તે બાબાને પસંદ નથી આવતાં. બાબા તો કહે છે મોટા ચિત્ર લગાડો જે દૂરથી કોઈ વાંચીને સમજી શકે. મનુષ્ય અટેન્શન (ધ્યાન) મોટી ચીજ પર જ દેશે. આમાં ક્લિયર (સ્પષ્ટ) દેખાડ્યું છે, એક તરફ છે કળયુગ, બીજી તરફ છે સતયુગ. મોટા-મોટા ચિત્ર હશે તો મનુષ્યનું અટેન્શન ખેંચાશે. યાત્રાળુ પણ જોશે. સમજશે પણ સારી રીતે. આ પણ જાણે છે ક્રાઈસ્ટથી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું. બહાર તો આવું નથી જાણતાં. ૫ હજાર વર્ષનો હિસાબ તમે ક્લિયર (સ્પષ્ટ) સમજાવો છો તો આ આટલું મોટું બનાંવવું જોઈએ જે દૂરથી જોઈ શકે અને અક્ષર પણ વાંચે, જેનાંથી સમજે કે દુનિયાનો અંત તો બરાબર છે. બોમ્બ તો તૈયાર થતાં રહે છે. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. તમે વિનાશનું નામ સાંભળો છો તો અંદરમાં ખુશી બહુ જ થવી જોઈએ. પરંતુ જ્ઞાન જ નહીં હોય તો ખુશ પણ થઈ ન શકે. બાપ કહે છે દેહ સહિત બધુંજ છોડી સ્વયંને આત્મા સમજો, પોતાંની આત્માનો યોગ મુજ બાપની સાથે લગાવો. આ છે મહેનતની વાત. પાવન બનીને જ પાવન દુનિયામાં આવવાનું છે. તમે સમજો છો આપણે જ બાદશાહી લઈએ છીએ, પછી ગુમાવીએ છીએ. આ તો બહુજ સહજ છે. ઊઠતાં, બેસતાં, ચાલતાં અંદરમાં ટપકવું જોઈએ, જેમ બાબાની પાસે જ્ઞાન છે ને. બાપ આવ્યા જ છે ભણાવીને દેવતા બનાવવા. તો આટલી અથાહ ખુશી બાળકોમાં રહેવી જોઈએ ને. સ્વયંથી પૂછો એટલી અથાહ ખુશી છે? બાપને એટલા યાદ કરીએ છીએ? ચક્રનું પણ બધું જ્ઞાન બુદ્ધિમાં છે, તો એટલી ખુશી રહેવી જોઈએ. બાપ કહે છે મને યાદ કરો અને બિલકુલ ખુશીમાં રહો. તમને ભણાવવા વાળા જુઓ કોણ છે! જ્યારે બધાંને ખબર પડશે તો બધાંનો ચહેરો ફીકો થઈ જશે. પરંતુ હમણાં એમને સમજવામાં થોડીવાર છે. હમણાં દેવતાં ધર્મનાં એટલા મેમ્બર્સ તો બન્યા નથી. આખી રાજાઈ સ્થાપન થઈ નથી. કેટલા બધાં મનુષ્યને બાપનો પૈગામ (સમાચાર) દેવાનો છે! બેહદનાં બાપ ફરીથી આપણને સ્વર્ગની બાદશાહી આપી રહ્યા છે. તમે પણ એ બાપને યાદ કરો. બેહદનાં બાપ તો જરુર બેહદનું સુખ દેશે ને. બાળકોનાં અંદરમાં તો અથાહ જ્ઞાનની ખુશી હોવી જોઈએ અને જેટલા બાપને યાદ કરતાં રહેશો તો આત્મા પવિત્ર બનતી જશે. ડ્રામાનાં પ્લાન અનુસાર આપ બાળકો જેટલી સેવા કરી પ્રજા બનાવો છો તો જેમનું કલ્યાણ થાય છે તેમનાં પછી આશીર્વાદ પણ મળી જાય છે. ગરીબોની સેવા કરો છો. નિમંત્રણ આપતાં રહો. ટ્રેનમાં પણ તમે બહુજ સેવા કરી શકો છો. આટલા નાનાં બેજમાં કેટલું જ્ઞાન ભરેલું છે. આખા ભણતરનો સાર આમાં છે. બેજ તો બહુજ સારા-સારા ઘણાં બધાં બનાવવા જોઈએ જે કોઈને સૌગાત પણ આપી શકીએ. કોઈને પણ સમજાવવું તો બહુ જ સહજ છે. ફક્ત શિવબાબા ને યાદ કરો. શિવબાબાથી જ વારસો મળે છે તો બાપ અને બાપનો વારસો સ્વર્ગની બાદશાહી, કૃષ્ણપુરી ને યાદ કરો. મનુષ્યની મત તો કેટલી મુંઝાયેલી છે. કંઈ પણ સમજતાં નથી. વિકાર માટે કેટલુ હેરાન કરે છે. કામ (વિકાર) ની પાછળ કેટલા મરે છે. કોઈ વાત જ સમજતાં નથી. બધાંની બુદ્ધિ બિલકુલ ચટ થઇ ગઇ છે, બાપ ને જાણતાં જ નથી. આ પણ ડ્રામામાં નોંધ છે. બધાંની માનસિક શક્તિ ખલાસ થઈ ગઈ છે. બાપ કહે છે - બાળકો, તમે પવિત્ર બનો તો આવાં સ્વર્ગનાં માલિક બની જશો, પરંતુ સમજતાં જ નથી. આત્માની તાકાત બધી નિકળી ગઈ છે. કેટલું સમજાવે છે તો પણ પુરુષાર્થ કરવો અને કરાવવાનો છે. પુરુષાર્થમાં થાકવાનું નથી. હાર્ટ ફેઇલ પણ નથી કરવાનું. આટલી મહેનત કરી, ભાષણથી એક પણ ન નીકળ્યું. પરંતુ તમે જે સંભળાવ્યું, તે જેણે પણ સાંભળ્યું એનાં પર છાપ તો લાગી ગઈ. અંતમાં બધાં જાણશે જરુર. તમારા બી.કે. ની અથાહ મહિમા નિકળવાની છે. પરંતુ એક્ટિવિટી (પ્રવૃત્તિ) જુએ છે તો જેમકે એકદમ બેસમજી ની. કોઈ રીગાર્ડ (સમ્માન) જ નથી, પૂરી ઓળખ નથી. બુદ્ધિ બહાર ભટકતી રહે છે. બાપને યાદ કરે તો મદદ પણ મળે. બાપને યાદ કરતાં નથી તો એ પતિત છે. તમે બનો છો પાવન. જે બાપને યાદ નથી કરતાં તો એમની બુદ્ધિ જરુર ક્યાંય ને ક્યાંય ભટકતી રહે છે. તો તેમની સાથે અંગથી અંગ ન મળવું જોઈએ કારણકે યાદમાં ન રહેવાનાં કારણે તેઓ વાયુમંડળને ખરાબ કરી દે છે. પવિત્ર અને અપવિત્ર, સાથે હોઈ ન શકે એટલે બાપ જૂની સૃષ્ટિને ખલાસ કરી દે છે. દિન-પ્રતિદિન કાયદા પણ કડક નિકળતાં જશે. બાપને યાદ નથી કરતાં તો ફાયદાને બદલે વધારે જ નુકસાન કરે છે. પવિત્રતાંનો બધો આધાર યાદ પર છે. એક જગ્યાએ બેસવાની વાત નથી. અહીં સાથે બેસવાથી તો અલગ-અલગ પહાડી પર જઈને બેસવું એ સારું છે. જે યાદ નથી કરતાં તે છે પતિત. તેમનો તો સંગ પણ ન કરવો જોઈએ. ચલનથી પણ ખબર પડે છે. યાદ વગર પાવન તો બની ન શકે. દરેકનાં ઉપર પાપોનો બોજો તો બહુજ છે - જન્મ-જન્માંતરનો. તે વગર યાદની યાત્રાએ નિકળે કેવી રીતે. તે પતિત જ છે. બાપ કહે છે હું આપ બાળકો માટે આખી પતિત દુનિયાને ખલાસ કરી દઉં છું. તેમનો સંગ પણ ન હોય. પરંતુ એટલી પણ બુદ્ધિ નથી કે કોની સાથે જ સંગ કરવો જોઈએ. તમારો પ્રેમ પાવનનો પાવનની સાથે હોવો જોઈએ. આ પણ બુદ્ધિ જોઈએ ને. મીઠા બાપ અને મીઠી રાજધાનીનાં સિવાય બીજું કોઈ યાદ ન આવે. આટલું બધું ત્યાગ કરવું કંઈ માસીનું ઘર નથી. બાપને તો બાળકો પર અથાહ પ્રેમ છે. બાળકો પાવન બની જાઓ તો તમે પાવન દુનિયાનાં માલિક બની જશો. હું તમારા માટે પાવન દુનિયાની સ્થાપના કરી રહ્યો છું. આ પતિત દુનિયાને બિલકુલ ખલાસ કરાવી દે છે. અહી આ પતિત દુનિયામાં દરેક ચીજ તમને દુઃખ દે છે. આયુ પણ ઓછી થતી જાય છે, આને કહેવાય છે વર્થ નોટ અ પેની. કોડી અને હીરામાં ફરક તો હોય છે ને. તો આપ બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. ગવાય પણ છે સચ તો બિઠો નચ. તમે સતયુગમાં ખુશીમાં ડાન્સ કરો છો. અહીંની કોઈપણ વસ્તુથી દિલ નથી લગાડવાની. આને તો જોતાં પણ જોવાની નથી, આંખો ખુલ્લી હોવા છતાં પણ જેમકે નિંદ્રા હોય, પરંતુ એ હિંમત, એ અવસ્થા જોઈએ. આ તો નિશ્ચય છે કે જૂની દુનિયા હશે જ નહીં. આટલો ખુશીનો પારો ચઢેલો હોવો જોઈએ. ચુટલી ભરવી જોઇએ - અરે, આપણે શિવબાબા ને યાદ કરશું તો વિશ્વની બાદશાહી મળશે. હઠયોગથી પણ બેસવાનું નથી. ખાતાં-પીતાં, કામ કરતાં, બાપને યાદ કરો. આ પણ જાણો છો રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ થોડી કેહશે દાસી બનો. બાપતો કહેશે પુરુષાર્થ કરો પાવન બનવાનો. બાપ પાવન બનાવવાનો પુરુષાર્થ કરાવે છે તમે પાછા પતિત બનો છો, કેટલા ખોટા પાપ કરો છો. હંમેશા શિવબાબા ને યાદ કરો તો પાપ બધાં સ્વાહા થઈ જાય. આ બાબાનો યજ્ઞ છે ને. બહુ મોટો યજ્ઞ છે. તે લોકો યજ્ઞ રચે છે - લાખો રુપિયા ખર્ચ કરે છે. અહીં તો તમે જાણો છો આખી દુનિયા આમાં સ્વાહા થઈ જવાની છે. બહારથી અવાજ થશે, ભારતમાં પણ ફેલાશે. એક તો બાપની સાથે બુદ્ધિનો યોગ હોય તો પાપ કપાશે અને પછી ઉંચ પદ પણ મળે. બાપની તો ફરજ છે બાળકોને પુરુષાર્થ કરાવવાની. લૌકિક બાપતો બાળકોની સેવા કરે છે, સેવા લે પણ છે. આ બાપ તો કહે છે હું આપ બાળકોને ૨૧ જન્મોનો વારસો આપું છું, તો આવાં બાપને યાદ જરુર કરવાનાં છે, જેનાંથી પાપ કપાઈ જાય. બાકી પાણીથી થોડી પાપ કપાય છે. પાણી તો જ્યાં-ત્યાં છે. વિદેશમાં પણ નદીઓ છે તો શું અહીંની નદીઓ પાવન બનાવવા વાળી, વિદેશની નદીઓ પતિત બનાવવા વાળી છે શું? કંઈ પણ મનુષ્યોમાં સમજ નથી. બાપને તો તરત પડે છે ને. બાપ સમજાવે છે - બાળકો, ગફલત નહીં કરો. બાપ આટલાં ગુલ-ગુલ બનાવે છે તો મહેનત કરવી જોઈએ ને. પોતાનાં પર રહેમ કરવાનો છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) અહીંયાની કોઈ પણ વસ્તુમાં દિલ નથી લગાવવાનું. જોવા છતાં પણ નથી જોવાનું. આંખો ખુલ્લી હોવા છતાં પણ જેમ નિંદ્રાનો નશો રહે છે, એમ ખુશીનો નશો ચઢેલો હોય.

2) બધો આધાર પવિત્રતા પર છે, એટલે સંભાળ કરવાની છે કે પતિતના અંગથી અંગ ન મળે. મીઠા બાપ અને મીઠી રાજધાનીનાં સિવાય બીજું કોઈ યાદ ન આવે.

વરદાન :-
સેવા દ્વારા મેવા પ્રાપ્ત કરવા વાળા સર્વ હદની ઇચ્છાઓથી પરે સદા સંપન્ન અને સમાન ભવ:

સેવાનો અર્થ છે મેવા આપવા વાળી. જો કોઈ સેવા અસંતુષ્ટ બનાવે તો એ સેવા, સેવા નથી. એવી સેવા ભલે છોડી દો પરંતુ સંતુષ્ટતા નહીં છોડો. જેમ શરીરની તૃપ્તિ વાળા હંમેશા સંતુષ્ટ રહે છે એમ મનની તૃપ્તિ વાળા પણ સંતુષ્ટ હશે. સંતુષ્ટતા તૃપ્તિની નિશાની છે. તૃપ્ત આત્મામાં કોઇપણ હદની ઈચ્છા, માન, શાન, સૈલવેશન, સાધનની ભૂખ નહીં હશે. તેઓ હદની સર્વ ઈચ્છાઓથી પરે સદા સંપન્ન અને સમાન હશે.

સ્લોગન :-
સાચા દિલથી નિ:સ્વાર્થ સેવામાં આગળ વધવું અર્થાત્ પુણ્યનું ખાતું જમા થવું.