30-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“મીઠા બાળકો – સદા શ્રીમત પર ચાલવું – એ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે, શ્રીમત પર ચાલવાથી આત્માનો દિપક જાગી જાય છે”

પ્રશ્ન :-
પૂરે-પૂરો પુરુષાર્થ કોણ કરી શકે છે? ઊંચો પુરુષાર્થ કયો છે?

ઉત્તર :-
પૂરો પુરુષાર્થ એ જ કરી શકે જેમનું અટેન્શન (ધ્યાન) કે બુદ્ધિયોગ એકમાં છે. સૌથી ઊંચો પુરુષાર્થ છે બાપ પર પૂરે-પૂરુ કુર્બાન (બલિહાર) જવું. કુર્બાન જવાવાળા બાળકો બાપ ને બહુ જ પ્રિય લાગે છે.

પ્રશ્ન :-
સાચી-સાચી દિવાળી મનાવવા માટે બેહદ નાં બાપ કઈ સલાહ આપે છે?

ઉત્તર :-
બાળકો, બેહદની પવિત્રતાને ધારણ કરો. જ્યારે અહીં બેહદ પવિત્ર બનશો, એવો ઊંચો પુરુષાર્થ કરશો, ત્યારે લક્ષ્મી-નારાયણ નાં રાજ્યમાં જઈ શકશો અર્થાત્ સાચી-સાચી દિવાળી કે કોરોનેશન ડે મનાવી શકશો.

ઓમ શાંતિ!
બાળકો હમણાં અહીં બેસીને શું કરી રહ્યા છે? ચાલતા ફરતા અથવા અહીં બેઠા-બેઠા જન્મ-જન્માંતરના જે પાપ માથા પર છે, એ પાપોને યાદ ની યાત્રા થી વિનાશ કરે છે. આ તો આત્મા જાણે છે, આપણે જેટલા બાપને યાદ કરશું એટલા પાપ કપાતા જશે. બાપ એ તો સારી રીતે સમજાવ્યું છે - ભલે અહીં બેઠા છો તો પણ જે શ્રીમત પર ચાલવા વાળા છે, એમને તો બાપ ની સલાહ સારી જ લાગશે. બેહદ બાપની સલાહ મળે છે, બેહદ પવિત્ર બનવાનું છે. તમે અહીં આવ્યા છો બેહદ પવિત્ર બનવા માટે, તે બનશો જ યાદ ની યાત્રા થી. કોઈ તો બિલકુલ યાદ કરી નથી સકતા, કોઈ સમજે છે અમે યાદની યાત્રાથી પોતાનાં પાપ કાપી રહ્યા છીએ, ભલા પોતાનું કલ્યાણ કરી રહ્યા છે. બહાર વાળા તો આ વાતોને જાણતા નથી. તમને જ બાપ મળ્યા છે, તમે રહો છો જ બાપની પાસે. જાણો છો હવે આપણે ઈશ્વરીય સંતાન બન્યા છીએ, પહેલાં આસુરી સંતાન હતા. હવે આપણો સંગ ઈશ્વરીય સંતાનો સાથે છે. ગાયન પણ છે ને - સંગ તારે કુસંગ ડૂબોડે. બાળકોને ઘડી-ઘડી આ ભૂલાય જાય છે કે અમે ઈશ્વરીય સંતાન છીએ તો અમારે ઈશ્વરીય મત પર જ ચાલવું જોઈએ, ન કે પોતાની મનમત પર. મનમત મનુષ્ય મત ને કહેવાય છે. મનુષ્ય મત આસુરી જ હોય છે. જે બાળકો પોતાનું કલ્યાણ ઇચ્છે છે એ બાપ ને સારી રીતે યાદ કરતા રહે છે, સતોપ્રધાન બનવા માટે. સતોપ્રધાનની મહિમા પણ થાય છે. બરાબર જાણે છે અમે સુખધામ નાં માલિક બનીએ છીએ નંબરવાર. જેટલા-જેટલા શ્રીમત પર ચાલે છે એટલું ઉંચ પદ પામે છે, જેટલું પોતાની મત પર ચાલશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. સ્વયંનું કલ્યાણ કરવા માટે બાપનું ડાયરેક્શન તો મળતું જ રહે છે. બાપ એ સમજાવ્યું છે આ પણ પુરુષાર્થ છે, જે જેટલું યાદ કરે છે તો તેમનું પણ પાપ કપાય છે. યાદ ની યાત્રા વગર તો પવિત્ર બની નહીં શકાય. ઉઠતા, બેસતા, ચાલતા, આજ આશ રાખવાની છે. આપ બાળકોને કેટલા વર્ષોથી શિક્ષણ મળે છે તો પણ સમજો છો અમે બહુ જ દૂર છીએ. એટલું બાપને યાદ નથી કરી શકતા. સતોપ્રધાન બનવામાં તો બહુ જ સમય લાગી જશે. આનાં વચમાં શરીર છૂટી જાય તો કલ્પ-કલ્પાંતર માટે ઓછું પદ થઈ જશે. ઈશ્વરનાં બન્યા છો, તો એમનાંથી પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બુદ્ધિ એક તરફ જ રહેવી જોઈએ. તમને હવે શ્રીમત મળે છે. એ છે ઊંચેથી ઉંચા ભગવાન. એમની મત પર નહીં ચાલશો તો બહુ જ ધોખો ખાશો. ચાલો છો કે નહીં એ તો તમે જાણો અને શિવબાબા જાણે. તમને પુરુષાર્થ કરાવવા વાળા એ શિવબાબા છે. દેહધારી બધા પુરુષાર્થ કરે છે. આ પણ દેહધારી છે, એમને શિવબાબા પુરુષાર્થ કરાવે છે. બાળકોએ જ પુરુષાર્થ કરવાનો છે. મૂળ વાત છે પતિતોને પાવન બનાવવાની. આમ દુનિયામાં પાવન તો બહુ જ હોય છે. સન્યાસી પણ પવિત્ર રહે છે. તેઓ તો એક જન્મ માટે પાવન બને છે. એવા બહુ જ છે જે આ જન્મમાં બાળ-બ્રહ્મચારી રહે છે. એ કોઈ દુનિયાને મદદ નથી આપી શકતા પવિત્રતાની. મદદ ત્યારે થાય જ્યારે શ્રીમત પર પાવન બને અને દુનિયાને પાવન બનાવે.
હમણાં તમને શ્રીમત મળી રહી છે. જન્મ-જન્માંતર તો તમે આસુરી મત પર ચાલ્યા છો. હવે તમે જાણો છો સુખધામ ની સ્થાપના થઈ રહી છે. જેટલું આપણે શ્રીમત પર પુરુષાર્થ કરશું એટલું જ ઉંચ પદ પામશું. આ બ્રહ્માની મત નથી. આ તો પુરુષાર્થી છે. એમનો પુરુષાર્થ જરૂર એટલો ઉચ્ચ છે ત્યારે તો લક્ષ્મી-નારાયણ બને છે. તો બાળકોએ આ ફોલો (અનુકરણ) કરવાનું છે. શ્રીમત પર ચાલવું પડે, મનમત પર નહીં. સ્વયંની આત્માની જ્યોતિને જગાડવાની છે. હમણાં દિવાળી આવે છે, સતયુગમાં દિવાળી હોતી નથી. ફક્ત કોરોનેશન (રાજ્યાભિષેક) છે. બાકી આત્માઓ તો સતોપ્રધાન બની જાય છે. આ જે દિવાળી મનાવે છે, એ છે જુઠ્ઠી. બહારનાં દીપક જગાડે છે, ત્યાં તો ઘર-ઘરમાં દીપ જાગેલા છે અર્થાત્ બધાંની આત્મા સતોપ્રધાન રહે છે. ૨૧ જન્મ માટે જ્ઞાન ઘૃત પડી જાય છે. પછી ધીરે-ધીરે ઓછી થતા-થતા આ સમયે જ્યોતિ ઉજાઇ (ઘટી) જાય છે - આખી દુનિયાની. એમાં પણ ખાસ ભારતવાસી આમ દુનિયા. હમણાં પાપ આત્માઓ તો બધાં છે, બધાનો કયામતનો સમય છે, બધાંએ હિસાબ-કિતાબ ચૂકતું કરવાનાં છે. હવે આપ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે ઊંચેથી ઊંચું પદ પામવાનો, શ્રીમત પર ચાલવાથી જ પામશો. રાવણરાજ્ય માં તો શિવબાબા ની બહુ જ અવજ્ઞા કરી છે. હવે પણ એમનાં ફરમાન (આદેશ) પર નહિ ચાલશો તો બહુ જ ધોખા ખાશો. એમને જ બોલાવ્યા છે કે આવીને અમને પાવન બનાવો. તો હવે સ્વયંનું કલ્યાણ કરવા માટે શિવબાબા ની શ્રીમત પર ચાલવું પડે. નહીં તો બહુ જ અકલ્યાણ થઈ જશે. મીઠા-મીઠા બાળકો આ પણ જાણો છો – શિવબાબા ની યાદ વગર અમે સંપૂર્ણ પાવન બની નહીં શકીએ. તમને આટલા વર્ષ થયા છે તો પણ જ્ઞાનની ધારણા કેમ નથી થતી. સોનાનાં વાસણમાં જ ધારણા થશે. નવા-નવા બાળકો કેટલા સર્વિસેબુલ થઈ જાય છે. અંતર જુઓ કેટલું છે. જૂનાં-જૂનાં બાળકો એટલી યાદની યાત્રામાં નથી રહેતા, જેટલું નવા રહે છે. કોઈ સારા શિવબાબા નાં લાડકા બાળકો આવે છે, કેટલી સેવા કરે છે. જેમ કે શિવબાબા ની પાછળ આત્માને કુર્બાન કરી દીધી છે. કુર્બાન કરવાથી પછી સેવા પણ કેટલી કરે છે. કેટલા પ્રિય મીઠા લાગે છે. બાપને મદદ કરે જ છે યાદની યાત્રામાં રહેવાથી. બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બનશો. બોલાવ્યા જ છે કે મને આવીને પાવન બનાવો તો હવે બાપ કહે છે મને યાદ કરતા રહો. દેહનાં સંબંધ બધાં ત્યાગ કરવા પડે. મિત્ર-સંબંધીઓ વગેરેની પણ યાદ ન રહે, સિવાય એક બાપની, ત્યારે જ ઉંચ પદ પામી શકશો. યાદ નહીં કરશે તો ઉંચ પદ પામી નહીં શકશે. આ બાપદાદા પણ સમજી શકે છે. આપ બાળકો પણ જાણો છો. નવાં-નવાં આવે છે, સમજે છે દિન-પ્રતિદિન સુધરતા જાય છે. શ્રીમત પર ચાલવાથી જ સુધરે છે. ક્રોધ પર પણ પુરુષાર્થ કરતા-કરતા જીતી જાય છે. તો બાપ પણ સમજાવે છે, ખામીઓને નિકાળતા રહો. ક્રોધ પણ બહુ ખરાબ છે. પોતાના અંદરને પણ બાળે છે, બીજાને પણ બાળે છે. એ પણ નિકાળવો જોઈએ. બાળકો બાપની શ્રીમત પર નથી ચાલતા તો પદ ઓછું થઈ જાય છે, જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર નો ઘાટો થઈ જાય છે.
આપ બાળકો જાણો છો કે એ છે શારીરિક ભણતર, આ છે રુહાની ભણતર, જે રુહાની બાપ ભણાવે છે. દરેક પ્રકારની સંભાળ પણ થતી રહે છે. કોઈ વિકારી અહીં અંદર (મધુબન) માં આવી ન શકે. બીમારી વગેરેમાં વિકારી મિત્ર-સંબંધી આવે, એ તો સારું નથી. પસંદ પણ આપણે ન કરીએ. નહીં તો અંતકાળે એ મિત્ર-સંબંધી જ યાદ આવશે. પછી એ ઉંચ પદ પામી નહીં શકશે. બાપ તો પુરુષાર્થ કરાવે છે, કોઈની પણ યાદ ન આવે. એવું નહીં અમે બીમાર છીએ એટલે મિત્ર-સંબંધી વગેરે આવે જોવા માટે. નહીં, એમને બોલાવવા, કાયદો નથી. કાયદેસર ચાલવાથી જ સદ્દ્ગતી થાય છે. નહીં તો મફત પોતાને નુકસાન પહોંચાડે છે. પરંતુ તમોપ્રધાન બુદ્ધિ આ સમજતા નથી. ઈશ્વર સલાહ આપે છે તો પણ સુધરતા નથી. બહુ ખબરદારી થી ચાલવું જોઈએ. આ છે હોલીએસ્ટ ઓફ હોલી (પવિત્રમાં પવિત્ર) સ્થાન. પતિત રહી ન શકે. મિત્ર-સંબંધી વગેરે યાદ હશે તો મરતાં સમયે જરૂર યાદ આવશે. દેહ-અભિમાનમાં આવવાથી સ્વયંને જ નુકસાન પહોંચાડે છે. સજાના નિમિત્ત બની પડે છે. શ્રીમત પર ન ચાલવાથી બહુ જ દુર્ગતિ થઈ જાય છે. સર્વિસ લાયક બની ન શકે. કેટલું પણ માથું મારે પરંતુ સર્વિસ લાયક બની ન શકે. અવજ્ઞા કરી તો પથ્થરબુદ્ધિ બની જાય છે. ઉપર ચડવાને બદલે નીચે પડી જાય છે. બાપ તો કહેશે બાળકોએ આજ્ઞાકારી બનવું જોઈએ. નહીં તો પદ ભ્રષ્ટ થઈ પડશે. લૌકિક બાપની પાસે પણ ૪-૫ બાળકો હોય છે, પરંતુ એમાં જે આજ્ઞાકારી હોય છે એ જ બાળક પ્રિય લાગે છે. જે આજ્ઞાકારી નથી એ તો દુઃખ જ દેશે. હમણાં આપ બાળકોને બંને બાપ બહુ જ મોટા મળ્યા છે, એમની અવજ્ઞા નથી કરવાની. અવજ્ઞા કરશો તો જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર બહુ જ ઓછું પદ પામશો. પુરુષાર્થ એવો કરવાનો છે જે અંતમાં એક જ શિવબાબા યાદ આવે. બાપ કહે છે હું જાણી શકું છું - દરેક શું પુરુષાર્થ કરે છે. કોઈ તો બહુ જ થોડું યાદ કરે છે, બાકી તો પોતાનાં મિત્ર-સંબંધીઓને જ યાદ કરતા રહે છે. તેઓ એટલા ખુશીમાં નથી રહી શકતા. ઊંચુ પદ પામી ન શકે.
તમારો તો રોજ સદગુરુવાર છે. બૃહસ્પતિના દિવસે કોલેજમાં બેસે છે. એ છે શારીરિક વિદ્યા. આ તો છે રુહાની વિદ્યા. તમે જાણો છો શિવબાબા આપણા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. તો એમના ડાયરેક્શન પર ચાલવું જોઈએ, ત્યારે જ ઉંચ પામી શકશો. જે પુરુષાર્થી છે, એમના અંદર બહુ જ ખુશી રહે છે. વાત નહીં પૂછો. ખુશી છે તો બીજાઓને પણ ખુશ કરવાનો પુરુષાર્થ કરે છે. બાળકીઓ જુઓ કેટલી મહેનત કરતી રહે છે - દિવસ-રાત કારણ કે આ વન્ડરફુલ જ્ઞાન છે ને. બાપદાદાને તરસ પડે છે કે ઘણા બાળકો બેસમજથી કેટલું નુકસાન પામે છે. દેહ-અભિમાન માં આવીને અંદર માં બહુ બળે છે. ક્રોધમાં મનુષ્ય તાંબા જેવા લાલ થઈ જાય છે. ક્રોધ મનુષ્યને બાળે છે, કામ કાળા બનાવી દે છે. મોહ અથવા લોભ માં એટલા બળતા નથી. ક્રોધમાં બળે છે. ક્રોધનું ભૂત બહુ બધામાં છે. કેટલું લડે છે. લડવાથી પોતાનું જ નુકસાન કરી લે છે. નિરાકાર સાકાર બંનેની અવજ્ઞા કરે છે. બાપ સમજે છે આ તો કપૂત છે. મહેનત કરશે તો ઉંચ પદ પામશે. તો પોતાના કલ્યાણ માટે સર્વ સંબંધ ભુલાવી દેવાના છે. સિવાય એક બાપના, કોઈને પણ યાદ નથી કરવાના. ઘરમાં રહેતાં સંબંધીઓને જોવા છતાં શિવબાબા ને યાદ કરવાના છે. તમે છો સંગમયુગ પર, હવે સ્વયંનાં નવા ઘરને, શાંતિધામ ને યાદ કરો.
આ તો બેહદનું ભણતર છે ને. બાપ શિક્ષણ આપે છે એમાં બાળકોનો જ ફાયદો છે. ઘણાં બાળકો પોતાની બેઢંગ ચલન થી મફત પોતાને જ નુકસાન પહોંચાડે છે. પુરુષાર્થ કરે છે વિશ્વની બાદશાહી લેવા માટે પરંતુ માયા બિલ્લી કાન કાપી લે છે. જન્મ લીધો છે, કહે છે અમે આ પદ પામશું પરંતુ માયા બિલ્લી લેવા નથી દેતી, તો પદ ભ્રષ્ટ થઇ જાય છે. માયા બહુ જોરથી વાર કરી દે છે. તમે અહીં આવો છો રાજ્ય લેવા માટે. પરંતુ માયા હેરાન કરે છે. બાપને તરસ પડે છે બિચારા ઉંચ પદ પામે તો સારું છે. મારી નિંદા કરાવવા વાળા ન બને. સદ્દગુરુ નાં નિંદક ઠોર ન પાયે, કોની નિંદા? શિવબાબાની. આવી ચલન ન ચાલવી જોઈએ જે બાપ ની નિંદા થાય, આમાં અહંકારની વાત નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાના યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1) સ્વયંના કલ્યાણ માટે દેહનાં સર્વ સંબંધ ભુલાવી દેવાનાં છે, એમનાથી પ્રીત નથી રાખવાની. ઈશ્વરની જ મત પર ચાલવાનું છે, પોતાની મત પર નહીં. કુસંગથી બચવાનું છે, ઈશ્વરીય સંગ માં રહેવાનું છે.

2) ક્રોધ બહુ જ ખરાબ છે, એ સ્વયંને જ બાળે છે, ક્રોધના વશ થઈને અવજ્ઞા નથી કરવાની. ખુશ રહેવાનું છે અને સૌને ખુશ કરવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
દિલની મહેસૂસતા થી દિલારામ નાં આશીર્વાદ પ્રાપ્ત કરવાવાળા સ્વ પરિવર્તક ભવ:

સ્વને પરિવર્તન કરવા માટે બે વાતો ની મહેસૂસતા સાચા દિલથી જોઈએ ૧) પોતાની કમજોરીની મહેસૂસતા ૨) જે પરિસ્થિતિ કે વ્યક્તિ નિમિત્ત બને છે એમની ઇચ્છા અને એમના મનની ભાવનાની મહેસૂસતા. પરિસ્થિતિ નાં પેપરનાં કારણ ને જાણી સ્વયંનાં પાસ થવાની શ્રેષ્ઠ સ્વરુપ ની મહેસૂસતા થાય કે સ્વસ્થિતિ શ્રેષ્ઠ છે પરિસ્થિતિ પેપર છે - આ મહેસૂસતા સહજ પરિવર્તન કરાવી લેશે અને સાચા દિલથી મહેસુસ કર્યું તો દિલારામ નાં આશીર્વાદ પ્રાપ્ત થશે.

સ્લોગન :-
વારિસ એ છે જે એવેરરેડી બની દરેક કાર્યમાં જી હજૂર હાજીર કહે છે.