16-10-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો આત્માથી
વિકારોનો કીચડો નીકાળી શુદ્ધ ફૂલ બનો . બાપની યાદથી જ બધો કીચડો નીકળશે ”
પ્રશ્ન :-
પવિત્ર બનવા
વાળા બાળકએ કઈ એક વાત માં બાપને ફોલો કરવાનું છે?
ઉત્તર :-
જેમ બાપ પરમ
પવિત્ર છે, જે ક્યારેય અપવિત્ર કીચડાવાળા ની સાથે ભળતા નથી, બહુ બહુ સેક્રેડ (પવિત્ર)
છે. એવા આપ પવિત્ર બનવા વાળા બાળકો બાપ ને ફોલો કરો. સી નો ઇવિલ (ખરાબ ન જુઓ)
ઓમ શાંતિ !
બાપ બેસીને
બાળકોને સમજાવે છે. છે તો આ બંને બાપ. એક ને રુહાની, બીજાને શારીરિક બાપ કહેશે.
શરીર તો બંનેનું એક જ છે તો જાણે કે બંને બાપ સમજાવે છે. ભલે એક સમજાવે છે, બીજા
સમજે છે તો પણ કહેશે બંને સમજાવે છે. આ જે આટલી નાની આત્મા છે તેનાં પર કેટલો મેલ
ચઢેલો છે. મેલ ચઢવાથી કેટલું નુકસાન થઈ જાય છે. આ ફાયદો અને નુકસાન ત્યારે જોવામાં
આવે છે જ્યારે શરીરની સાથે છે. તમે જાણો છો આપણે આત્મા જ્યારે પવિત્ર બનશું ત્યારે
લક્ષ્મી-નારાયણ જેવુ પવિત્ર શરીર મળશે. હમણાં આત્મા પર કેટલો મેલ ચઢેલો છે. જ્યારે
મધ નીકાળે છે તો તેને ગાળે છે. તો કેટલો મેલ નીકળે છે પછી મધ શુદ્ધ થઇ જાય છે. આત્મા
પણ બહુ જ મેલી થઈ જાય છે. આત્મા જ કંચન હતી, એકદમ પવિત્ર હતી. શરીર કેટલું સુંદર હતું.
આ લક્ષ્મી-નારાયણનાં શરીર જુઓ કેટલા સુંદર છે. મનુષ્ય તો શરીરને જ પૂજે છે ને. આત્મા
ની તરફ નથી જોતા. આત્માની તો ઓળખ પણ નથી. પહેલા આત્મા સુંદર હતી, શરીર પણ સુંદર મળે
છે. તમે પણ હમણાં આ બનવા ઈચ્છો છો. તો આત્મા કેટલી શુદ્ધ હોવી જોઈએ. આત્માને જ
તમોપ્રધાન કહેવાય છે કારણ કે તેનામાં ભરપૂર કીચડો છે. તો એક તો દેહ-અભિમાન નો કીચડો,
પછી કામ-ક્રોધ નો કીચડો. કીચડો નીકાળવા માટે ગાળવું પડે છે ને. ગાળવાથી રંગ જ બદલાઈ
જાય છે. તમે સારી રીતે બેસી ને વિચાર કરશો તો અનુભવ થશે બહુ જ કીચડો ભરેલો છે. આત્મા
માં રાવણની પ્રવેશતા છે. હમણાં બાપ ની યાદ માં રહેવાથી કિચડો નીકળે છે. આમાં પણ સમય
લાગે છે. બાપ સમજાવે છે દેહ-અભિમાન હોવાનાં કારણે વિકારોનો કેટલો કીચડો છે. ક્રોધ
નો કીચડો પણ કંઈ ઓછો નથી. ક્રોધી અંદરથી જાણે બળતો રહે છે. કોઈને કોઈ વાત પર દિલ
બળતું રહે છે. ચહેરો પણ તાંબા જેવો રહે છે. હવે તમે સમજો છો આપણી આત્મા બળેલી છે.
આત્મા માં કેટલો મેલ છે - હવે ખબર પડી છે. આ વાતો સમજવા વાળા બહુ જ થોડા છે, આમાં
તો ફર્સ્ટ ક્લાસ ફૂલ જોઈએ ને. હમણાં તો બહુ જ ખામીઓ છે. તમારે તો બધી ખામીઓ કાઢીને
બિલકુલ પવિત્ર બનવાનું છે ને. આ લક્ષ્મી-નારાયણ કેટલા પવિત્ર છે. હકીકતમાં તેમને
હાથ લગાડવાનો પણ હુકમ નથી. પતિત જઈને આટલા પવિત્ર દેવતાઓને હાથ લગાવી ન શકે. હાથ
લગાડવાનાં લાયક પણ નથી. શિવને તો હાથ લગાડી નથી શકતા. તે છે જ નિરાકાર, તેમને તો
હાથ લાગી જ નથી શકતા. એ તો બહુ જ પવિત્ર છે. ભલે એમની પ્રતિમા મોટી રાખી દીધી છે
કારણકે આટલી નાની બિંદી એને તો કોઈ હાથ ન લગાવી શકે. આત્મા શરીરમાં પ્રવેશ કરે છે
તો શરીર મોટું થાય છે.આત્મા તો મોટી-નાની નથી હોતી. આ તો છે જ કીચડા ની દુનિયા.
આત્મામાં કેટલો કીચડો છે. શિવ બાબા બહુજ (સેક્રેડ) પવિત્ર છે. બહુજ પવિત્ર છે.
અહીંયા તો બધાંને એક સમાન બનાવી દે છે. એક-બીજાને કહી પણ દે છે તમે તો જાનવર છો.
સતયુગમાં આવી ભાષા હોતી નથી. હમણાં તમે અનુભવ કરો છો અમારી આત્મામાં બહુજ મેલ ચઢેલો
છે. આત્મા લાયક જ નથી જે બાપ ને યાદ કરે. ના-લાયક સમજી માયા પણ એકદમ તેમને હટાવી દે
છે.
બાપ કેટલા સેક્રેડ (પવિત્ર) છે. આપણે આત્માઓ પણ શું હતા ને શુ બની જઈએ છે. હવે બાપ
સમજાવે છે તમે મને બોલાવ્યો છે જ આત્મા ને શુદ્ધ બનાવવા માટે. બહુજ કીચડો ભરેલો છે.
બગીચામાં કંઈ બધાં જ ફર્સ્ટ ક્લાસ નથી હોતા. નંબરવાર છે. બાપ બાગવાન છે. આત્મા કેટલી
પવિત્ર બને છે પછી કેટલી મેલી એકદમ કાંટો બની જાય છે. આત્મામાં જ દેહ-અભિમાનનું,
કામ, ક્રોધ નો કીચડો ભરાય છે. ક્રોધ પણ મનુષ્યમાં કેટલો છે. તમે પવિત્ર બની જશો તો
પછી કોઈની શકલ જોવાની પણ દિલ નહીં થાય. ખરાબ નહી જુઓ. અપવિત્ર ને જોવાનાં જ નથી.
આત્મા પવિત્ર બની પવિત્ર નવું શરીર લે છે તો પછી કીચડો જોતી જ નથી. કીચડાની દુનિયા
જ ખતમ થઇ જાય છે. બાપ સમજાવે છે તમે દેહ-અભિમાનમાં આવીને કેટલા કીચડા જેવા બની ગયા
છો. પતિત બની ગયા છો. બાળકો બોલાવે પણ છે - બાબા અમારામાં ક્રોધનું ભૂત છે. બાબા અમે
તમારી પાસે આવ્યા છીએ, પવિત્ર બનવા. જાણો છો બાપ તો છે જ એવર પ્યોર (સદાપવિત્ર). આવા
હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) ને સર્વવ્યાપી કહીને કેટલુ ડીફેમ (બદનામ) કરે છે.
સ્વયં પર પણ બહુજ નફરત આવે છે - અમે શું હતા, ફરી શું થી શું બની જઈએ છીએ. આ વાતો
આપ બાળકો જ સમજો છો બીજા કોઈપણ સત્સંગ અથવા યુનિવર્સિટી વગેરેમાં ક્યાંય પણ આવું
લક્ષ-હેતુ કોઈ સમજાવી ન શકે. હમણાં તમે બાળકો જાણો છો આપણી આત્મા માં કેવો કીચડો
ભરાતો ગયો છે. ૨ કળા ઓછી થઈ, પછી ૪ કળા ઓછી થઈ. કીચડો ભરાતો ગયો એટલા માટે કહેવાય
છે જ તમોપ્રધાન. કોઈ લોભમાં, કોઈ મોહમાં બળી મરે છે. આ અવસ્થામાં જ બળી-બળીને મરી
જાય છે. હવે આપ બાળકોએ તો શિવબાબા ની યાદ માં જ શરીર છોડવાનું છે, જે શિવબાબા આવા
બનાવે છે. આ લક્ષ્મી-નારાયણને આવા બાપએ જ બનાવ્યા ને. તો પોતાની કેટલી ખબરદારી રાખવી
જોઈએ. તોફાન તો ઘણાં આવશે. તોફાન માયાનાં જ આવે છે, બીજા કોઈ તોફાન નથી. જેમ
શાસ્ત્રોમાં વાર્તા લખી દીધી છે હનુમાન વગેરેની. કહે છે ભગવાને શાસ્ત્ર બનાવ્યા છે.
ભગવાન તો બધાં વેદ-શાસ્ત્રોનો સાર સંભળાવે છે. ભગવાને તો સદ્દ્ગતિ કરી દીધી, એમને
શાસ્ત્રો બનાવાની શું દરકાર. હવે બાપ કહે છે હિયર નો ઈવિલ. આ શાસ્ત્રો વગેરેથી તમે
ઊંચા નથી બની શકતા. હું તો આ બધાંથી અલગ છું. કોઈપણ ઓળખતું નથી. બાપ શું છે, કોઈને
ખબર નથી. બાપ જાણે છે કોણ-કોણ મારી સર્વિસ કરે છે અર્થાત્ કલ્યાણકારી બની બીજાઓનું
પણ કલ્યાણ કરે છે, તેઓ જ દિલ પર ચઢે છે. કોઈ તો એવા પણ છે જેમને સર્વિસ ની ખબર જ નથી.
આપ બાળકોને જ્ઞાન તો મળ્યું છે કે સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. ભલે આત્મા
શુદ્ધ બને છે, શરીર તો છતાં પણ આ પતિત છે ને. આત્મા શુદ્ધ થતી જાય છે તેમની
એક્ટિવિટીમાં (પ્રવૃત્તિ) રાત-દિવસનો ફરક રહે છે. ચલનથી પણ ખબર પડે છે. નામ કોઈનું
નથી લેવાતું, જો નામ લે તો કદાચ વધારે જ બદતર થઈ જાય. હમણાં તમે ફર્ક જોઈ શકો છો -
તમે શું હતા, શું બનવાનાં છો! તો શ્રીમત પર ચાલવું જોઈએ ને. અંદર ગંદકી જે ભરેલી છે
તેને કાઢવાની છે. લૌકિક સંબંધમાં પણ કોઈ-કોઈ બહુજ ગંદા બાળકો હોય છે તો તેમનાંથી
બાપ પણ હેરાન થઈ જાય છે. કહે છે આવા બાળક તો ન હોય તો સારું હતું. ફૂલોનાં બગીચા ની
સુગંધ હોય છે. પરંતુ ડ્રામા અનુસાર કીચડો પણ છે. અક ને તો બિલકુલ જોવાનો પણ દિલ નથી
થતું. પરંતુ બગીચામાં જવાથી નજર તો બધાં પર પડશે ને. આત્મા કહેશે આ ફલાણું ફૂલ છે.
સુગંધ પણ સારા ફૂલોની લેશે ને. બાપ પણ જુએ છે આંમની આત્મા કેટલી યાદ ની યાત્રા માં
રહે છે, કેટલી પવિત્ર બની છે અને બીજાને પણ આપ સમાન બનાવે છે. જ્ઞાન સાંભળાવે છે!
મૂળ વાત જ છે મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો તો પવિત્ર ફૂલ બનો. આ લક્ષ્મી-નારાયણ
કેટલા પવિત્ર ફૂલ હતા. તેમનાંથી પણ શિવબાબા બહુજ સેક્રેડ (પવિત્ર) છે. મનુષ્યને થોડી
ખબર છે કે આ લક્ષ્મી-નારાયણને પણ આવા શિવબાબાએ જ બનાવ્યા છે. તમે જાણો છો આ
પુરુષાર્થ થી આ બને છે. રામ એ ઓછો પુરુષાર્થ કર્યો તો ચંદ્રવંશી બન્યા. બાપ સમજાવે
તો ઘણું છે. એક તો યાદ ની યાત્રા માં રહેવાનું છે, જેનાંથી ગંધ નીકળે, આત્મા પવિત્ર
બને. તમારી પાસે મ્યુઝિયમ વગેરે માં ઘણા આવે છે. બાળકોએ સર્વિસનો બહુજ શોખ રાખવાનો
છે. સર્વિસને છોડી ક્યારે ઊંઘ નથી કરવાની હોતી. સર્વિસ પર બહુજ એક્યુરેટ રહેવું
જોઈએ. મ્યુઝિયમમાં પણ તમે લોકો આરામનો સમય છોડો છો. ગળુ થાકી જાય છે, ભોજન વગેરે પણ
ખાવાનું છે પરંતુ અંદર માં દિવસ-રાત ઊછળ આવવી જોઈએ. કોઈ આવે તો તેમને રસ્તો બતાવીએ.
ભોજનનાં સમયે કોઈ આવી જાય તો પહેલાં તેમને અટેન્ડ કરી પછી ભોજન ખાવું જોઈએ. આવી
સર્વિસ વાળા છો. કોઈ-કોઈને બહુજ દેહ-અભિમાન આવી જાય છે, આરામ-પસંદ, નવાબ બની જાય
છે. બાપ એ સમજણ તો આપવી પડે ને. આ નવાબી છોડો. પછી બાપ સાક્ષાત્કાર પણ કરાવશે -
સ્વયંનું પદ જુઓ. દેહ-અભિમાનની કુહાડી સ્વયં જ પોતાનાં પગ પર લગાડે છે. ઘણા બાળકો
તો બાબા થી પણ રીસ કરે છે. અરે, આ તો શિવબાબા નો રથ છે, તેમની સંભાળ કરવી પડે છે.
અહીંયા તો એવા છે જે ઘણી દવાઓ લેતા રહે છે, ડોક્ટરની દવા કરતા રહે છે. ભલે બાબા કહે
છે શરીર તંદુરસ્ત રાખવાનું છે પરંતુ સ્વયંની અવસ્થાને પણ જોવાની છે ને. તમે બાબા ની
યાદ માં રહીને ખાઓ તો ક્યારે કોઈ વસ્તુ નુકસાન નહીં કરશે. યાદથી તાકાત ભરાઈ જશે.
ભોજન બહુજ શુદ્ધ થઇ જશે. પરંતુ તે અવસ્થા છે નહીં. બાબા તો કહે છે બ્રાહ્મણોનું
બનાવેલું ભોજન ઉત્તમ થી ઉત્તમ છે પરંતુ તે જ્યારે યાદ માં રહીને બનાવે. યાદ માં
રહીને બનાવવાથી તેમને પણ ફાયદો, ખાવા વાળા ને પણ ફાયદો થશે.
અક પણ બહુ છે ને. આ બિચારા શું પદ પામશે. બાપને તો દયા આવે છે. પરંતુ દાસ-દાસી
બનવાની પણ નોંધ છે, એમાં ખુશ ન થવું જોઈએ. વિચાર પણ નથી કરતા - અમારે આવા બનવાનું
છે. દાસ-દાસી બનવા કરતા સાહૂકાર બને તો સારું છે. દાસ-દાસી રાખી શકશે. બાપ તો કહે
છે નિરંતર મુજ એક ને યાદ કરો, સિમર-સિમર સુખ પામો. ભક્તોએ પછી સિમરણ કરી માળા બેસીને
બનાવી છે. તે ભક્તોનું કામ છે. બાપ તો ફક્ત કહે છે સ્વયંને આત્મા સમજો, બાપ ને યાદ
કરો. બસ. બાકી કોઈ જપ ન કરો, ન માળા ફેરવો. બાપ ને જાણવાનાં છે, એમને યાદ કરવાનાં
છે. મુખથી બાબા-બાબા પણ કહેવાનું થોડી છે. તમે જાણો છો એ આપણા આત્માઓનાં બેહદ નાં
બાપ છે, એમને યાદ કરવાથી આપણે સતોપ્રધાન બની જઇશું અર્થાત આત્મા કંચન બની જશે. કેટલું
સહજ છે. પરંતુ યુદ્ધનું મેદાન છે ને. તમારી છે જ માયા ની સાથે લડાઈ. તે ઘડી-ઘડી
તમારો બુદ્ધિયોગ તોડે છે. જેટલા-જેટલા વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે એટલું પદ હોય છે.
સિવાય એક નાં બીજા કોઈની પણ યાદ ન આવે. કલ્પ પહેલા પણ આવા નીકળ્યાં છે જે વિજય માળા
નાં દાણા બને છે. તમે જે બ્રાહ્મણ કુળનાં છો, બ્રાહ્મણોની રુન્ડ માળા બને છે, જેમને
બહુજ ગુપ્ત મહેનત કરી છે. જ્ઞાન પણ ગુપ્ત છે ને. બાપ તો દરેકને સારી રીતે જાણે છે.
સારા-સારા નંબરવન જેમને મહારથી સમજતા હતા, તે આજે છે નહીં. દેહ-અભિમાન બહુજ છે.
બાપની યાદ રહી ન શકે. માયા બહુજ જોર થી થપ્પડ મારે છે. બહુ થોડા છે જેમની માળા બની
શકશે. તો બાપ છતા પણ બાળકો ને સમજાવે છે - સ્વયંને જોતા રહો અમે કેટલા પવિત્ર દેવતા
હતા પછી અમે શું થી શું, કીચડો બની ગયા છીએ. હવે શિવબાબા મળ્યા છે તો એમની મત પર
ચાલવું જોઈએ ને. કોઈપણ દેહધારી ને યાદ નથી કરવાનાં. કોઈની પણ યાદ ન આવે. ચિત્ર પણ
કોઇનાં નથી રાખવાનાં. એક શિવબાબા ની જ યાદ રહે. શિવબાબા ને શરીર તો છે નહીં. આ પણ
ટેમ્પરરી ઉધાર લે છે. તમને આવા દેવી-દેવતા લક્ષ્મી-નારાયણ બનાવવા માટે કેટલી મહેનત
કરે છે. બાપ કહે છે તમે મને પતિત દુનિયામાં બોલાવો છો. તમને પાવન બનાવું છું પછી તમે
પાવન દુનિયામાં મને બોલાવતા જ નથી. ત્યાં આવી ને શું કરશે! એમની સર્વિસ જ પાવન
બનાવવાની છે. બાપ જાણે છે કે એકદમ બળીને કાળા કોલસા બની ગયા છે. બાપ આવ્યા છે તમને
ગોરા બનાવવા. અચ્છા !
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે
મુખ્ય સાર :-
1. સેવા માં
બહુ એક્યુરેટ રહેવાનું છે. દિવસ-રાત સર્વિસ ની ઉછળ આવતી રહે. સર્વિસ (સેવા) ને છોડી
ક્યારે પણ આરામ નથી કરવાનો. બાપ સમાન કલ્યાણકારી બનવાનું છે.
2. એકની યાદથી પ્રીત બુદ્ધિ બની અંદર નો કીચડો નીકાળી દેવાનો છે. ખુશ્બુદાર ફૂલ
બનવાનું છે. આ કીચડાની દુનિયાથી દિલ નથી લગાડવાનું.
વરદાન :-
‘ પહેલા આપ ’
નાં મંત્ર દ્વારા સર્વનું સ્વમાન પ્રાપ્ત કરવાવાળા નિર્માણ સો મહાન ભવ :
આજ મહામંત્ર
સદા યાદ રહે કે ‘નિર્માણ જ સર્વથી મહાન છે.’. ‘પહેલા આપ’ કરવું જ સર્વ નું સન્માન
પ્રાપ્ત કરવાનો આધાર છે. મહાન બનવાનો આ મંત્ર વરદાન રુપમાં સદા સાથે રાખજો. વરદાનોથી
જ ઉછરતા, ઉડતા મંઝિલ પર પહોંચજો. મહેનત ત્યારે કરો છો જ્યારે વરદાન ને કાર્યમાં નથી
લગાડતા. જો વરદાનો થી ઉછરતા રહો, વરદાનો ને કાર્યમાં લગાવતા રહો તો મહેનત સમાપ્ત થઈ
જશે. સદા સફળતા અને સંતુષ્ટતા નો અનુભવ કરતા રહેશો.
સ્લોગન :-
ચહેરા દ્વારા
સેવા કરવા માટે સ્વયંનાં મુસ્કુરાતા રમણીક અને ગંભીર સ્વરુપ ને ઇમર્જ (આવાહન) કરો.