14-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - તમે બાપ ની પાસે આવો છો રિફ્રેશ થવા , બાપ નાં મળવાથી ભક્તિમાર્ગનો બધો થાક દૂર થઈ જાય છે ”

પ્રશ્ન :-
આપ બાળકોને બાબા કઈ વિધિ થી રિફ્રેશ કરે છે?

ઉત્તર :-
૧. બાબા જ્ઞાન સંભળાવી-સંભળાવીને તમને રિફ્રેશ કરી દે છે. ૨. યાદથી પણ આપ બાળકો રિફ્રેશ થઈ જાઓ છો. હકીકતમાં સતયુગ છે સાચી વિશ્રામ પુરી. ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી, જેને પ્રાપ્ત કરવાનાં માટે પરિશ્રમ કરવો પડે. ૩. શિવબાબા નાં ખોળામાં આવતાં જ આપ બાળકોને વિશ્રામ મળી જાય છે. બધો થાક દૂર થઈ જાય છે.

ઓમ શાંતિ!
બાપ બેસીને સમજાવે છે, સાથે આ દાદા પણ સમજે છે કારણકે બાપ આ દાદા દ્વારા બેસી સમજાવે છે. જેમ તમે સમજો છો, તેમ આ દાદા પણ સમજે છે. દાદાને ભગવાન નથી કહેવાતું, આ છે ભગવાનુવાચ. બાપ શું સમજાવે છે? દેહી-અભિમાની ભવ કારણકે સ્વયંને આત્મા સમજ્યા વગર પરમપિતા પરમાત્માને યાદ કરી ન શકાય. આ સમયે તો બધીજ આત્માઓ પતિત છે. પતિત ને જ મનુષ્ય કહેવાય છે, પાવનને દેવતા કહેવાય છે. આ બહુંજ સહજ સમજવાની અને સમજાવવાની વાતો છે. મનુષ્ય જ પોકારે છે - હેં પતિતો ને પાવન બનાવવાવાળા આવો. દેવી-દેવતાઓ આવું ક્યારેય નહીં કહેશે. પતિત-પાવન બાપ પતિતો નાં બોલાવવા પર આવે છે. આત્માઓને પાવન બનાવીને પછી નવી પાવન દુનિયા પણ સ્થાપન કરે છે. આત્મા જ બાપ ને પોકારે છે. શરીર તો નહી પોકારશે. પારલૌકિક બાપ જે સદા પાવન છે, એમને જ બધાં યાદ કરે છે. આ છે જૂની દુનિયા. બાપ નવી પાવન દુનિયા બનાવે છે. ઘણાં તો એવા પણ છે જે કહે છે અમને તો અહીંયા જ અપાર સુખ છે, ધન સંપત્તિ ખુબજ છે. તેઓ સમજે છે અમારા માટે સ્વર્ગ આ જ છે. તેઓ તમારી વાતો કેવી રીતે માનશે? કળયુગી દુનિયાને સ્વર્ગ સમજવું - આ પણ બેસમજી છે. કેટલી જડ્જડીભુત અવસ્થા થઈ ગઈ છે. તો પણ મનુષ્ય કહે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ. બાળકો નથી સમજાવતાં તો બાપ કહેશે ને - તમે શું પથ્થર બુદ્ધિ છો? બીજાને નથી સમજાવી શકતાં? જ્યારે સ્વયં પારસ બુદ્ધિ બને ત્યારે તો બીજાઓને પણ બનાવે. પુરુષાર્થ સારો કરવો જોઈએ, આમાં શરમની વાત નથી. પરંતુ મનુષ્યોની બુદ્ધિમાં અડધાકલ્પ ની જે ઉંધી મતો ભરેલી છે તે કંઈ જલ્દી ભૂલતા નથી. જ્યાં સુધી બાપને યથાર્થ રીતે નથી ઓળખ્યાં ત્યાં સુધી તે તાકાત આવી નથી શકતી. બાપ કહે છે આ વેદો-શાસ્ત્રો વગેરેથી મનુષ્ય થોડા પણ સુધરતાં નથી. દિન-પ્રતિદિન વધારેજ બગડતા જાય છે. સતોપ્રધાન થી તમોપ્રધાન જ બન્યા છે. આ કોઈની પણ બુદ્ધિમાં નથી કે આપણે જ સતોપ્રધાન દેવી-દેવતા હતા, કેવી રીતે નીચે પડ્યા છીએં. કોઈને જરા પણ ખબર નથી અને પછી ૮૪ જન્મો ને બદલે ૮૪ લાખ જન્મ કહી દીધાં છે તો પછી ખબર પણ કેવી રીતે પડે. બાપ વગર જ્ઞાનનો પ્રકાશ દેવા વાળા કોઈ નથી. બધાં એક-બીજા ની પાછળ દર-દર ધક્કા ખાતા રહે છે. નીચે પડતાં-પડતાં પટ પર પડી ગયા છે, બધી તાકાત ખતમ થઈ ગઈ છે. બુદ્ધિમાં પણ તાકાત નથી જે બાપને યથાર્થ જાણી શકે. બાપ જ આવી ને બધાની બુદ્ધિનું તાળું ખોલે છે. તો કેટલા રિફ્રેશ થાવ છો. બાપની પાસે બાળકો રિફ્રેશ થવા આવે છે. ઘરમાં વિશ્રામ મળે છે ને. બાપનાં મળવાથી ભક્તિમાર્ગની બધો થાક દૂર થઈ જાય છે. સતયુગને પણ વિશ્રામપુરી કહેવાય છે. ત્યાં તમને કેટલો વિશ્રામ મળે છે. કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેનાં માટે પરિશ્રમ કરવો પડે. અહીંયા રિફ્રેશ બાપ પણ કરે છે તો આ દાદા પણ કરે છે. શિવબાબા નાં ખોળામાં આવતાં કેટલો વિશ્રામ મળે છે. વિશ્રામ એટલે શાંત. મનુષ્ય પણ થાકીને વિશ્રામી થઈ જાય છે. કોઈ ક્યાં, કોઈ ક્યાં વિશ્રામ નાં માટે જાય છે ને. પરંતુ તે વિશ્રામ માં રીફ્રેશમેન્ટ નથી. અહીંયા તો બાપ તમને કેટલું જ્ઞાન સંભળાવીને રિફ્રેશ કરે છે. બાપની યાદથી પણ કેટલા રિફ્રેશ થાઓ અને તમોપ્રધાન થી સતોપ્રધાન બનતા જાઓ છો. સતોપ્રધાન બનવાને માટે અહીંયા બાપની પાસે આવો છો. બાપ કહે છે મીઠા-મીઠા બાળકો, બાપ ને યાદ કરો. બાપએ સમજાવ્યુ છે કે આખા સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, સર્વ આત્માઓને વિશ્રામ કેવી રીતે અને ક્યાં મળે છે. આપ બાળકોની ફરજ છે - બધાંને બાપનો સંદેશ આપો. બાપ કહે છે મને યાદ કરો તો આ વારસા નાં તમે માલિક બની જશો. બાપ આ સંગમયુગ પર નવી સ્વર્ગ ની દુનિયા રચે છે. જ્યાં તમે જઈને માલિક બનો છો. પછી દ્વાપરમાં માયા રાવણ દ્વારા તમને શ્રાપ મળે છે, તો પવિત્રતા, સુખ, શાંતિ, ધન વગેરે બધું ખતમ થઇ જાય છે. કેવી રીતે ધીરે-ધીરે ખતમ થાય છે તે પણ બાપએ સમજાવ્યું છે. દુઃખધામ માં કોઈ વિશ્રામ થોડી હોય છે. સુખધામ માં વિશ્રામ જ વિશ્રામ છે. મનુષ્યને ભક્તિ કેટલી થકાવે છે. જન્મ-જન્માંતર ભક્તિથી કેટલા થાકી જાય છે. કેવા એકદમ કંગાળ બની ગયા છો, આ બધું રહસ્ય બાપ બેસી સમજાવે છે. નવાં-નવાં આવે છે તો તેમને કેટલું સમજાવવાનું હોય છે. દરેક વાત પર મનુષ્ય કેટલું વિચારે છે. સમજે છે ક્યાંક જાદુ ન થઈ જાય. અરે, તમે જ કહો છો ભગવાન જાદુગર છે. તો બાપ કહે છે હાઁ, હું બરાબર જાદુગર છું. પરંતુ તે જાદુ નહીં, જેમાં મનુષ્ય ઘેટા-બકરા બની જાય. આ બુદ્ધિથી સમજાય છે, આ તો જેમ રીઢ-બકરીઓ જેવાં છે. ગાયન પણ તો છે સૂરમંડળ નાં રાગ થી…. આ સમયે તો જેમ મનુષ્ય ઘેટા-બકરાઓ છે. આ વાતો બધી અહીંયાની છે. આ સમયનું જ ગાયન છે. કલ્પનાં અંત ને પણ મનુષ્ય સમજી નથી શકતા. ચંડિકા નો કેટલો મોટો મેળો લાગે છે. તે કોણ હતી? કહે છે તે એક દેવી હતી. આવું નામ તો ત્યાં કોઈ હોતું જ નથી. સતયુગમાં કેટલા સુંદર નામ હોય છે. સતયુગી સંપ્રદાયને શ્રેષ્ઠાચારી કહેવાય છે. કળયુગી સંપ્રદાયને તો કેટલું છી-છી ટાઇટલ આપે છે. હમણાં નાં મનુષ્યને શ્રેષ્ઠ નહીં કહેવાશે. દેવતાઓને શ્રેષ્ઠ કહેવાય છે. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કિયે, કરત લાગી ન વાર. મનુષ્ય થી દેવતા, દેવતા થી મનુષ્ય કેવી રીતે બને છે, આ રહસ્ય બાપએ તમને સમજાવ્યું છે. તેને ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા), આને હ્યુમન વર્લ્ડ (મનુષ્યોની દુનિયા) કહેવાય છે. દિવસને અજવાળું, રાત્રિને અંધારું કહેવાય છે. જ્ઞાન છે અજવાળું, ભક્તિ છે અંધકાર. અજ્ઞાન નિંદ્રા કહેવાય છે ને. તમે પણ સમજો છો કે આગળ આપણે કાંઈ પણ નહોતા જાણતા તો નેતી-નેતી કહેતા હતા અર્થાત્ અમે નથી જાણતા. હમણાં તમે સમજો છો - આપણે પણ તો પહેલાં નાસ્તિક હતા. બેહદનાં બાપને નહોતા જાણતા. એ છે અસલી અવિનાશી બાબા. એમને સર્વ આત્માઓ નાં બાપ કહેવાય છે. આપ બાળકો જાણો છો - હમણાં આપણે એ બેહદનાં બાપનાં બન્યા છીએં. બાપ બાળકોને ગુપ્ત જ્ઞાન આપે છે. આ જ્ઞાન મનુષ્યોની પાસે ક્યાંયથી મળી ન શકે. આત્મા પણ ગુપ્ત છે, ગુપ્ત જ્ઞાન આત્મા ધારણ કરે છે. આત્મા જ મુખ દ્વારા જ્ઞાન સંભળાવે છે. આત્મા જ ગુપ્ત બાપને ગુપ્ત યાદ કરે છે.

બાબા કહે છે હેં બાળકો, દેહ-અભિમાની નહીં બનો. દેહ અભિમાન થી આત્માની તાકાત ખતમ થઇ જાય છે. આત્મ-અભિમાની બનવાથી આત્મા માં તાકાત જમા થાય છે. બાપ કહે છે ડ્રામા નાં રહસ્ય ને સારી રીતે સમજીને ચાલવાનું છે. આ અવિનાશી ડ્રામા નાં રહસ્ય ને જે સારી રીતે જાણે છે, તે સદા હર્ષિત રહે છે. આ સમયે મનુષ્ય ઉપર જવાની કેટલી કોશિશ કરે છે, સમજે છે ઉપરમાં દુનિયા છે. શાસ્ત્રોમાં સાંભળેલું છે ઉપરમાં દુનિયા છે તો ત્યાં જઈને જોવે. ત્યાં દુનિયા વસાવવાની કોશિશ કરે છે. દુનિયા તો બહુજ વસાવી છે ને. ભારતમાં ફક્ત એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો બીજો કોઈ ખંડ વગેરે નહોતો. પછી કેટલું વસાવ્યુ છે. તમે વિચાર કરો ભારત નાં કેટલા થોડા ટુકડામાં દેવતાઓ હોય છે. જમુનાનાં કિનારા પર જ પરીસ્તાન (સ્વર્ગ) હતું જ્યાં આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતા. કેટલી સુંદર શોભાયમાન, સતોપ્રધાન દુનિયા હતી. કુદરતી સૌંદર્ય હતું. આત્મામાં જ બધો ચમત્કાર રહે છે. બાળકોને દેખાડ્યું હતું શ્રીકૃષ્ણનો જન્મ કેવી રીતે થાય છે. આખા ઓરડામાં જેમ પ્રકાશ થઈ જાય છે. તો બાપ બેસીને બાળકોને સમજાવે છે, હમણાં તમે પરીસ્તાનમાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. બાકી એવું નથી - તળાવમાં ડૂબકી લગાડવાથી પરીઓ બની જશે. આ બધાં જુઠ્ઠા નામ રાખી દીધા છે. લાખો વર્ષ કહી દેવાથી બિલકુલ જ બધું ભૂલી ગયા છે. હમણાં તમે અભુલ બની રહ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. વિચાર કરાય છે-આટલી નાની એવી આત્મા કેટલો મોટો પાર્ટ શરીરથી ભજવે છે, પછી શરીરથી આત્મા નિકળી જાય છે તો શરીરનો જુઓ શું હાલ થઈ જાય છે. આત્મા જ પાર્ટ ભજવે છે. કેટલી મોટી વિચારની વાત છે. આખી દુનિયાનાં એક્ટર્સ (આત્માઓ) પોતાની એક્ટ (કર્મ) અનુસાર જ પાર્ટ ભજવે છે. કંઈ પણ ફરક નથી પડી શકતો. હૂબહૂ બધી એક્ટ ફરીથી રીપીટ થઈ રહી છે. આમાં સંશય કરી નથી શકતા. દરેકની બુદ્ધિમાં ફરક પડી શકે છે કારણ કે આત્મા તો મન-બુદ્ધિ સહિત છે ને. બાળકોને ખબર છે કે અમારે સ્કોલરશીપ લેવાની છે તો દિલમાં અંદર ખુશી થાય છે. અહીંયા પણ અંદર આવવાથી લક્ષ-હેતુ સામે જુએ છે તો ખુશી તો જરૂર થશે. હમણાં તમે જાણો છો આપણે આ (દેવી-દેવતા) બનવાને માટે અહીંયા ભણીએ છીએ. એવી કોઈ સ્કૂલ નથી જ્યાં બીજા જન્મ નાં લક્ષ-હેતુ ને જોઈ શકે. તમે જુઓ છો કે આપણે લક્ષ્મી-નારાયણ જેવા બની રહ્યા છીએ. હમણાં આપણે સંગમયુગ પર છીએં જે ભવિષ્ય માં આમનાં જેવા લક્ષ્મી-નારાયણ બનવાનું ભણતર ભણી રહ્યા છીએ. કેટલુ ગુપ્ત ભણતર છે. લક્ષ-હેતુ ને જોઈ કેટલી ખુશી થવી જોઈએ. ખુશીનો પારાવાર નથી. સ્કૂલ અથવા પાઠશાળા હોય તો આવી. છે કેટલી ગુપ્ત, પરંતુ જબરજસ્ત પાઠશાળા છે. જેટલુ મોટું ભણતર એટલી જ ફેસીલીટી (સુવિધાઓ) રહે છે. પરંતુ અહીંયાં તો તમે પટ પર બેસી ભણો છો. આત્માને ભણવાનું હોય છે પછી ભલે પટ પર બેસે, ભલે તખ્ત પર, પરંતુ ખુશીથી ખગ્ગિયા મારતા રહો કે આ ભણતર પાસ કર્યા પછી જઈને આ બનીશું. હમણાં આપ બાળકોને બાપએ આવીને પોતાનો પરિચય આપ્યો છે કે હું આમનામાં કેવી રીતે પ્રવેશ કરી તમને ભણાવું છું. બાપ દેવતાઓને તો નહીં ભણાવશે. દેવતાઓને આ જ્ઞાન ક્યાં. મનુષ્ય તો મુંઝાય છે શું દેવતાઓમાં જ્ઞાન નથી. દેવતાઓ જ આ જ્ઞાનથી દેવતા બને છે. દેવતા બન્યા પછી જ્ઞાનની શું દરકાર છે. લૌકિક ભણતરથી બૅરિસ્ટર બની ગયા, કમાવામાં લાગી ગયા પછી બૅરિસ્ટર ભણશે શું? અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) અવિનાશી ડ્રામાનાં રહસ્યને યથાર્થ સમજી હર્ષિત રહેવાનું છે. આ ડ્રામામાં દરેક એક્ટર નો પાર્ટ પોત-પોતાનો છે, જે હૂબહૂ ભજવી રહ્યા છે.

૨) એમ ઓબ્જેક્ટ (લક્ષ-હેતુ) ને સામે રાખી ખુશીમાં ખગ્ગિયા મારવાની છે. બુદ્ધિમાં રહે આપણે આ ભણતર થી આવાં લક્ષ્મી-નારાયણ બનીશું

વરદાન :-
બ્રાહ્મણ જીવનમાં દરેક સેકન્ડ સુખમય સ્થિતિનો અનુભવ કરવાવાળા સંપૂર્ણ પવિત્ર આત્મા ભવ

પવિત્રતાને જ સુખ-શાંતિની જનની કહેવાય છે. કોઈ પણ પ્રકારની અપવિત્રતા દુઃખ અશાંતિ નો અનુભવ કરાવે છે. બ્રાહ્મણ જીવન અર્થાત્ દરેક સેકન્ડ સુખમય સ્થિતિમાં રહેવા વાળા. ભલે દુઃખ નાં દ્રશ્યો પણ હોય પરંતુ જ્યાં પવિત્રતાની શક્તિ છે ત્યાં દુઃખનો અનુભવ ન થઈ શકે. પવિત્ર આત્માઓ માસ્ટર સુખ કર્તા બની દુઃખને રુહાની સુખનાં વાયુમંડળમાં પરિવર્તન કરી દે છે.

સ્લોગન :-
સાધનો નો પ્રયોગ કરતા સાધના ને વધારવી એજ બેહદની વૈરાગ્ય વૃતિ છે.