28-12-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
ભણતર જે બાપ ભણાવે છે , આમાં અથાહ કમાણી છે , એટલે ભણતર સારી રીતે ભણતા રહો , લીંક
ક્યારેય ન તૂટે ”
પ્રશ્ન :-
જેઓ વિનાશકાળે
વિપરીત બુદ્ધિ છે, એમને તમારી કઈ વાત પર હસવું આવે છે?
ઉત્તર :-
તમે જ્યારે કહો
છો હમણાં વિનાશકાળ નજીક છે, તો તેમને હસવું આવે છે. તમે જાણો છો બાપ અહીંયા બેઠાં
તો નહીં રહેશે, બાપની ડ્યુટી (ફરજ) છે પાવન બનાવવાની. જ્યારે પાવન બની જશો તો આ જુની
દુનિયા વિનાશ થશે, નવી આવશે. આ લડાઈ છે જ વિનાશનાં માટે. તમે દેવતા બનો છો તો આ
કળયુગી છી-છી સૃષ્ટિ પર આવી ન શકો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને સમજાવે છે. બાળકો સમજે છે અમે બહુજ બેસમજ બની ગયા હતાં. માયા
રાવણે બેસમજ બનાવી દીધા હતાં. આ પણ બાળકો સમજે છે કે બાપને જરુર આવવાનું જ છે,
જ્યારે કે નવી સૃષ્ટિ સ્થાપન થવાની છે. ત્રિમૂર્તિ નું ચિત્ર પણ છે - બ્રહ્મા દ્વારા
સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના, શંકર દ્વારા વિનાશ કારણ કે કરનકરાવનહાર તો બાપ છે
ને. એક જ છે જે કરે છે અને કરાવે છે. પહેલા કોનું નામ આવશે? જે કરે છે પછી જેનાં
દ્વારા કરાવે છે. કરનકરાવનહાર કહેવાય છે ને. બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના
કરાવે છે. આ પણ બાળકો જાણે છે આપણી જે નવી દુનિયા છે, જે આપણે સ્થાપન કરી રહ્યા છીએ,
એનું નામ છે જ દેવી-દેવતાઓની દુનિયા. સતયુગમાં જ દેવી-દેવતા હોય છે. કોઈ બીજાને
દેવી-દેવતા નથી કહેવાતું. ત્યાં મનુષ્ય હોતા નથી. છે જ એક દેવી-દેવતા ધર્મ, બીજો
કોઈ ધર્મ જ નથી. હવે આપ બાળકો સ્મૃતિમાં આવ્યા છો કે બરાબર આપણે દેવી-દેવતા હતાં,
નિશાનિઓં પણ છે. ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્યન વગેરે બધાની પોત-પોતાની નિશાની છે. આપણું
જ્યારે રાજ્ય હતું તો બીજું કોઈ નહતું. હવે પછી બીજા બધાં ધર્મ છે, આપણો દેવતા ધર્મ
છે નહીં. ગીતામાં અક્ષર બહુ જ સારા-સારા છે પરંતુ કોઇ સમજી નથી સકતા. બાપ કહે છે
વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને વિનાશકાળે પ્રીત બુદ્ધિ. વિનાશ તો આ સમયે જ થવાનો છે.
બાપ આવે પણ છે સંગમયુગ પર, જ્યારે પરિવર્તન થાય છે. બાપ આપ બાળકોને બદલીમાં બધું જ
નવું આપે છે. એ સોનાર પણ છે, ધોબી પણ છે, મોટા વ્યાપારી પણ છે. વિરલા જ કોઈ બાપથી
વ્યાપાર કરે. આ વ્યાપારમાં તો અથાહ ફાયદો છે. ભણતરમાં ફાયદો બહુજ હોય છે. મહિમા પણ
કરાય છે કે ભણતર કમાણી છે, તે પણ જન્મ-જન્માંતરનાં માટે કમાણી છે. તો આવું ભણતર સારી
રીતે ભણવું જોઈએ ને અને ભણાવું પણ બહુજ સહજ છું. ફક્ત એક સપ્તાહ સમજી પછી ભલે
ક્યાંય પણ ચાલ્યા જાઓ, તમારી પાસે અભ્યાસ આવતો રહેશે અર્થાત્ મુરલી મળતી રહેશે તો
પછી ક્યારેય લીંક નહીં તૂટશે. આ છે આત્માઓની પરમાત્માની સાથે લીંક. ગીતામાં પણ આ
અક્ષર છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશન્તી, પ્રીત બુદ્ધિ વિજયન્તી. તમે જાણો છો આ
સમયે મનુષ્ય એક-બીજાને કાપતાં-મારતાં રહે છે. તેમનાં જેવો ક્રોધ કે વિકાર બીજો કોઈમાં
હોતો નથી. આ પણ ગાયન છે કે દ્રૌપદીએ પોકાર્યુ. બાપએ સમજાવ્યું છે તમે બધી દ્રૌપદીઓ
છો. ભગવાનુવાચ, બાપ કહે છે-બાળકો, હવે વિકારમાં નહીં જાઓ. હું તમને સ્વર્ગમાં લઈ
ચાલું છું, તમે ફક્ત મુજ બાપને યાદ કરો. હવે વિનાશકાળ છે ને, કોઈનું પણ સાંભળતા નથી,
લડતા જ રહે છે. કેટલુ તેમને કહે છે શાંત રહો, પરંતુ શાંત રહેતાં નથી. પોતાનાં બાળકો
વગેરેથી અલગ થઈ લડાઈનાં મેદાનમાં જાય છે. કેટલાં મનુષ્ય મરતા જ રહે છે. મનુષ્યની
કોઈ વેલ્યુ (મહત્વ) નથી. જો વેલ્યુ છે, મહિમા છે તો આ દેવી-દેવતાઓની. હવે તમે આ
બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. તમારી મહિમા હકીકતમાં આ દેવતાઓથી પણ વધારે છે. તમને
હમણાં બાપ ભણાવી રહ્યા છે. કેટલું ઊંચું ભણતર છે. ભણવાવાળા બહુ જ જન્મોના અંતમાં
બિલ્કુલ જ તમોપ્રધાન છે. હું તો સદેવ સતોપ્રધાન જ છું.
બાપ કહે છે હું આપ બાળકોનો ઓબીડિયન્ટ (વફાદાર) સર્વન્ટ (સેવક) બનીને આવ્યો છું.
વિચાર કરો આપણે કેટલાં છી-છી બની ગયા છીએ. બાપ જ આપણને વાહ-વાહ બનાવે છે. ભગવાન બેસી
મનુષ્યોને ભણાવી કેટલા ઉંચ બનાવે છે. બાપ સ્વયં કહે છે હું બહુજ જન્મોનાં અંતમાં
તમને બધાને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવા આવ્યો છું. હમણાં તમને ભણાવી રહ્યો છું.
બાપ કહે છે મેં તમને સ્વર્ગવાસી બનાવ્યાં પછી તમે નર્કવાસી કેવી રીતે બન્યાં, કોણે
બનાવ્યાં? ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશન્તિ. પ્રીત બુદ્ધિ વિજયન્તી. પછી
જેટલી-જેટલી પ્રીત બુદ્ધિ રહેશે અર્થાત્ બહુજ યાદ કરશે, એટલો તમારો જ ફાયદો છે.
લડાઈનું મેદાન છે ને. કોઈપણ આ નથી જાણતું કે ગીતામાં કયું યુદ્ધ બતાવ્યું છે. તેમણે
તો પછી કૌરવો અને પાંડવોનું યુદ્ધ દેખાડ્યું છે. કૌરવ સંપ્રદાય, પાંડવ સંપ્રદાય પણ
છે પરંતુ યુદ્ધ તો કંઈ છે નહિ. પાંડવ એમને કહેવાય જે બાપને જાણે છે. બાપથી પ્રીત
બુદ્ધિ છે. કૌરવ એમને કહેવાય જે બાપ થી વિપરીત બુદ્ધિ છે. અક્ષર તો બહુ જ સારા-સારા
સમજવાં લાયક છે.
હમણાં છે સંગમયુગ. આપ બાળકો જાણો છો નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બુદ્ધિથી કામ
લેવાનું છે. હમણાં દુનિયા કેટલી મોટી છે. સતયુગમાં કેટલા થોડાં મનુષ્ય હશે. નાનું
ઝાડ હશે ને. તે ઝાડ પછી મોટું થાય છે. મનુષ્ય સૃષ્ટિ રુપી આ ઉલટું ઝાડ કેવું છે, આ
પણ કોઈ સમજતું નથી. આને કલ્પવૃક્ષ કહેવાય છે. વૃક્ષનું નોલેજ પણ જોઈએ ને. બીજા
વૃક્ષોનું નોલેજ તો બહુજ-બહુજ ઇઝી (સહજ) છે, ઝટ બતાવી દેશે. આ વૃક્ષનું નોલેજ પણ એવું
ઇઝી છે પરંતુ આ છે હયુમન (મનુષ્ય) વૃક્ષ. મનુષ્યોને પોતાનાં વૃક્ષની ખબર જ નથી પડતી.
કહે પણ છે ગોડ ઈઝ ક્રીયેટર (ઈશ્વર રચયિતા છે), તો જરુર ચૈતન્ય છે ને. બાપ સત છે,
ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર છે. એમનાં માં કયું જ્ઞાન છે, આ પણ કોઈ નથી સમજતું. બાપ
જ બીજરુપ, ચૈતન્ય છે. એમનાથી જ આખી રચના થાય છે. તો બાપ બેસી સમજાવે છે, મનુષ્યોને
પોતાનાં ઝાડની ખબર નથી, બીજા ઝાડો ને તો સારી રીતે જાણે છે. ઝાડનું બીજ જો ચૈતન્ય
હોત તો બતાવતે ને પરંતુ તે તો છે જડ. તો હવે આપ બાળકો જ રચતા અને રચનાનાં રહસ્ય ને
જાણો છો. આ સત છે, ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર છે. ચૈતન્ય માં તો વાતચીત કરી શકે છે
ને. મનુષ્યનું તન સૌથી ઉંચ અમૂલ્ય ગવાયેલું છે. તેમનું મૂલ્ય કથન નથી કરી શકાતું.
બાપ આવીને આત્માઓને સમજાવે છે.
તમે રુપ પણ છો, વસંત પણ છો. બાપ છે જ્ઞાન નાં સાગર. એમનાં થી તમને રત્ન મળે છે. આ
જ્ઞાન રત્ન છે, જે રત્નોથી તે રત્ન પણ તમને અઢળક મળી જાય છે. લક્ષ્મી-નારાયણની પાસે
જુઓ કેટલા રત્ન છે. હીરા-ઝવેરાતનાં મહેલોમાં રહે છે. નામ જ છે સ્વર્ગ, જેનાં તમે
માલિક બનવાવાનાં છો. કોઇ ગરીબને અચાનક મોટી લોટરી મળે છે તો પાગલ થઈ જાય છે ને. બાપ
પણ કહે છે તમને વિશ્વની બાદશાહી મળે છે તો માયા કેટલો ઓપોઝિશન (વિરોધ) કરે છે. તમને
આગળ જઈએ ખબર પડશે કે માયા કેટલા સારા-સારા બાળકોને પણ હપ કરી લે છે. એકદમ ખાઈ જાય
છે. તમે સર્પને જોયો છે-દેડકાને કેવી રીતે પકડે છે, જેમ ગજ (હાથી) ને ગ્રાહ (મગર)
હપ કરે છે. સર્પ દેડકાને એકદમ આખો ને આખો હપ કરી લે છે. માયા પણ એવી છે, બાળકોને
જીવતે જીવ પકડી એકદમ ખતમ કરી દે છે જે પછી ક્યારેય બાપનું નામ પણ નથી લેતાં. યોગબળની
તાકાત તમારામાં બહુ જ ઓછી છે. આખો આધાર યોગબળ પર છે. જેમ સર્પ દેડકાને હપ કરે છે,
આપ બાળકો પણ આખી બાદશાહી ને હપ કરો છો. આખા વિશ્વની બાદશાહી તમે સેકન્ડમાં લઈ લેશો.
બાપ કેટલી સહજ યુક્તિ બતાવે છે. કોઈ હથિયાર વગેરે નથી. બાપ જ્ઞાન-યોગ નાં
અસ્ત્ર-શસ્ત્ર દે છે. તેમણે પછી સ્થૂળ હથિયાર વગેરે દઈ દીધા છે.
આપ બાળકો આ સમયે કહો છો-અમે શું થી શું બની ગયા હતાંં! જે ઈચ્છો તે કહો, આપણે આવા
હતાં જરુર. ભલે હતાં તો મનુષ્ય જ પરંતુ ગુણ અને અવગુણ તો હોય છે ને. દેવતાઓમાં
દૈવીગુણ છે એટલે તેમની મહિમા ગાએ છે-આપ સર્વગુણ સંપન્ન….. હમ નિર્ગુણ હારે મેં કોઈ
ગુણ નાહી. આ સમયે આખી દુનિયા જ નિર્ગુણ છે અર્થાત્ એક પણ દેવતાઈ ગુણ નથી. બાપ જે
ગુણ શિખવાડવા વાળા છે, એમને જ નથી જાણતા એટલે કહેવાય વિનાશકાળે વિપરીત બુદ્ધિ. હવે
વિનાશ તો થવાનો જ છે સંગમયુગ પર. જ્યારે કે જૂની દુનિયા વિનાશ થાય છે અને નવી દુનિયા
સ્થાપન થાય છે. આને કહેવાય છે વિનાશકાળ. આ છે અંતિમ વિનાશ પછી અડધોકલ્પ કોઈ લડાઈ
વગેરે હોતી જ નથી. મનુષ્યોને કાંઈ પણ ખબર નથી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે તો જરુર
જૂની દુનિયાનો વિનાશ થશે ને. આ જુની દુનિયામાં કેટલી આપદાઓ છે. મરતા જ રહે છે. બાપ
આ સમયની હાલત બતાવે છે. ફર્ક તો બહુજ છે ને. આજ ભારતની આ હાલત છે, કાલે ભારત કેવું
હશે? આજે આ છે, કાલે તમે ક્યાં હશો? તમે જાણો છો પહેલા નવી દુનિયા કેટલી નાની હતી.
ત્યાં તો મહેલો માં કેટલાં હીરા-ઝવેરાત વગેરે હોય છે. ભક્તિમાર્ગ માં પણ તમારા
મંદિર કાંઈ ઓછા થોડી હોય છે. ફક્ત કોઈ એક સોમનાથનું મંદિર થોડુ હશે. એક કોઈ બનાવશે
તો તેમને જોઈ બીજા પણ બનાવશે. એક સોમનાથ મંદિરથી જ કેટલું લુંટ્યું છે. પછી બેસી
પોતાનું યાદગાર બનાવ્યું છે. તો દિવાલોમાં પથ્થર વગેરે લગાડે છે. આ પથ્થરોની શું
વેલ્યુ હશે? આટલાં નાનકડાં હીરાની પણ કેટલી કિંમત છે. બાબા ઝવેરી હતાં, એક રત્તી નો
હીરો હોતો, ૯૦ રુપિયા રત્તી. હવે તો એની કિંમત હજારો રુપિયા છે. મળતા પણ નથી. બહુજ
વેલ્યુ વધી ગઈ છે. આ સમયે વિદેશ વગેરે તરફ ધન ખુબજ છે, પરંતુ સતયુગ ની આગળ આ કાંઈ
પણ નથી.
હવે બાપ કહે છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. તમે કહો છો વિનાશ સમીપ છે તો મનુષ્ય હસે
છે. બાપ કહે છે હું કેટલો સમય બેઠો રહીશ, મને કાંઈ અહીંયા મજા આવે છે શું? હું તો ન
સુખી, ન દુ:ખી થાઉ છું. મારી ઉપર જીમ્મેવારી છે પાવન બનાવવાની. તમે આ હતાં, હવે આ
બની ગયા છો, ફરી તમને આવા ઉંચ બનાવું છું. તમે જાણો છો આપણે ફરી તે બનવાનાં છીએ. હવે
તમને આ સમજ આવી છે, આપણે આ દૈવીઘરાના નાં જેવાં હતાં. રાજાઈ હતી. પછી આવી રીતે આપણી
રાજાઈ ગુમાવી. પછી બીજા-બીજા આવવાં લાગ્યાં. હવે આ ચક્ર પૂરું થાય છે. હવે તમે સમજો
છો લાખો વર્ષની તો વાત જ નથી. આ લડાઈ છે જ વિનાશની, તે તરફ તો બહુજ આરામ થી મરશે.
કોઈ તકલીફ નહીં થશે. હોસ્પિટલ વગેરે જ નહીં હોય. કોણ બેસીને સેવા કરશે અને રડશે.
ત્યાં તો આ રીવાજ જ નથી. તેમની તો મોત સહજ થાય છે. અહીંયા તો દુઃખી થઈને મરે છે
કારણ કે તમે સુખ બહુજ જોયું છે તો દુઃખ પણ તમારે જોવાનું છે. લોહીની નદી અહીંયા જ
વહેશે. તેઓ સમજે છે આ લડાઈ પછી શાંત થઈ જશે પરંતુ શાંત તો થવાની નથી. મિરુઆ મૌત
મલુકા શિકાર. તમે દેવતા બનો છો, પછી કળયુગી છી-છી સૃષ્ટિ પર તો તમે આવી નહી શકો.
ગીતામાં પણ છે ભગવાનુવાચ, વિનાશ પણ જુઓ, સ્થાપના જુઓ. સાક્ષાત્કાર થયો ને! આ
સાક્ષાત્કાર બધું અંતમાં થશે - ફલાણા-ફલાણા આ બને છે પછી તે સમયે રડશે, બહુજ પસ્તાશે,
સજા ખાશે, નસીબ કૂટશે. પરંતુ કરી શું શકશે? આતો ૨૧ જન્મો ની લોટરી છે. સ્મૃતિ તો આવે
છે ને. સાક્ષાત્કાર વગર કોઈને સજા નથી મળી સકતી. ટ્રીબ્યુનલ બેસે છે ને. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં માં
જ્ઞાનરત્ન ધારણ કરી રુપ-વસંત બનવાનું છે. જ્ઞાનરત્નો થી વિશ્વની બાદશાહી ની લોટરી
લેવાની છે.
2. આ વિનાશકાળ માં બાપ થી પ્રીત રાખી એકની જ યાદમાં રહેવાનું છે. એવું કોઈ કર્મ નથી
કરવાનું જે અંત સમયમાં પસ્તાવું પડે કે નસીબ કુટવું પડે.
વરદાન :-
અલબેલાપન કે
અટેન્શન નાં અભિમાનને છોડી બાપની મદદ નાં પાત્ર બનવા વાળા સહજ પુરુષાર્થી ભવ
ઘણાં બાળકો હિંમત
રાખવાનાં બદલે અલબેલાપન નાં કારણે અભિમાન માં આવી જાય છે કે અમે તો સદા પાત્ર છીએ
જ. બાપ અમને મદદ નહીં કરશે તો કોને કરશે! આ અભિમાન નાં કારણે હિંમતની વિધિને ભૂલી
જાય છે. ઘણાં માં પછી સ્વયં પર અટેન્શન આપવાનું પણ અભિમાન રહે છે જે મદદથી વંચિત કરી
દે છે. સમજે છે અમે તો બહુ જ યોગ લગાવી લીધો, જ્ઞાની-યોગી તું આત્મા બની ગયાં,
સેવાની રાજધાની બની ગઈ… આ પ્રકારનાં અભિમાનને છોડી હિંમત નાં આધાર પર મદદ નાં પાત્ર
બનો તો સહજ પુરુષાર્થી બની જશો.
સ્લોગન :-
જે વેસ્ટ (વ્યર્થ)
અને નેગેટિવ (નકારાત્મક) સંકલ્પ ચાલે છે તેને પરિવર્તન કરી વિશ્વ કલ્યાણ નાં કાર્ય
માં લગાવો.