21-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સન
શોઝ ફાધર , મનમત ને છો ડી શ્રીમત પર ચાલો ત્યારે બાપનો શો કરી શકશો ”
પ્રશ્ન :-
કયા બાળકોની
રક્ષા બાપ જરુર કરે જ છે?
ઉત્તર :-
જે બાળકો સાચા છે, તેમની રક્ષા જરુર થાય છે. જો રક્ષા નથી થતી તો અંદરમાં જરુર કંઇક
ને કંઈક જૂઠું હશે. ભણતર છૂટી જવું, સંશય માં આવવું એટલે અંદરમાં કંઈક ને કંઈક જૂઠું
છે. તેમને માયા અંગૂરી મારી દે છે.
પ્રશ્ન :-
કયા બાળકોનાં
માટે માયા ચુંબક છે?
ઉત્તર :-
જે માયાની
સુંદરતાની તરફ આકર્ષિત થઇ જાય છે, તેમનાં માટે માયા ચુંબક છે. શ્રીમત પર ચાલવાવાળા
બાળકો આકર્ષિત નહીં થશે.
ઓમ શાંતિ!
રુહાની વાત
બાપ બેસી રુહાની બાળકોને સમજાવે છે, આતો બાળકોએ નિશ્ચય કર્યો છે રુહાની બાપ આપણને
રુહાની બાળકોને ભણાવે છે. જેનાં માટે જ ગાયન છે - આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ......
મૂળવતન માં અલગ નથી રહેતા. ત્યાં તો બધાં ભેગા રહે છે. અલગ રહે છે તો જરુર આત્માઓ
ત્યાંથી છૂટી પડે છે, આવીને પોત-પોતાનો પાર્ટ ભજવે છે. સતોપ્રધાન થી ઉતરતા-ઉતરતા
તમોપ્રધાન બને છે. બોલાવે છે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. બાપ પણ કહે છે હું
દર ૫ હજાર વર્ષનાં પછી આવું છું. આ સૃષ્ટિનું ચક્ર જ ૫ હજાર વર્ષ છે. પહેલા તમે આ
નહોતા જાણતા. શિવબાબા સમજાવે છે તો જરુર કોઈ તન દ્વારા સમજાવશે. ઉપરથી કોઈ અવાજ તો
નથી કરતા. શક્તિ અથવા પ્રેરણા વગેરેની કોઈ વાત નથી. તમે આત્મા શરીરમાં આવીને
વાર્તાલાપ કરો છો. એમ બાપ પણ કહે છે હું પણ શરીર દ્વારા ડાયરેક્શન આપું છું. પછી
તેનાં પર જે જેટલું ચાલે છે, પોતાનું જ કલ્યાણ કરે છે. શ્રીમત પર ચાલે કે ન ચાલે,
શિક્ષકનું સાંભળે કે ન સાંભળે, પોતાનાં માટે જ કલ્યાણ અથવા અકલ્યાણ કરે છે. નહીં
ભણશે તો જરુર ફેલ (નપાસ) થશે. આ પણ સમજાવતા રહે છે શિવબાબા થી શીખીને પછી બીજાને
શીખવાડવાનું છે. ફાધર શોઝ સન. શરીરનાં ફાધરની વાત નથી. આ છે રુહાની બાપ. આ પણ તમે
સમજો છો જેટલા આપણે શ્રીમત પર ચાલશું એટલો વારસો પામશું. પૂરું ચાલવાવાળા ઉંચ પદ
પામશે. નહીં ચાલવાવાળા ઉંચ પદ નહીં પામશે. બાપ તો કહે છે મને યાદ કરો તો તમારા પાપ
કપાઈ જાય. રાવણ રાજ્યમાં તમારા પર પાપ બહુ ચઢેલા છે. વિકારમાં જવાથી જ પાપ આત્મા બને
છે. પુણ્ય આત્મા અને પાપ આત્મા જરુર હોય છે. પુણ્ય આત્માની આગળ પાપ આત્માઓ જઈને માથું
નમાવે છે. મનુષ્યોને આ ખબર નથી કે દેવતાઓ જે પુણ્ય આત્મા છે, તે જ ફરી પુનર્જન્મમાં
આવતા-આવતા પાપ આત્મા બને છે. તેઓ તો સમજે છે આ સદેવ પુણ્ય આત્મા છે. બાપ સમજાવે છે,
પુનર્જન્મ લેતા-લેતા સતોપ્રધાન થી તમોપ્રધાન સુધી આવે છે. જ્યારે બિલ્કુલ પાપ આત્મા
બની જાય છે તો પછી બાપને બોલાવે છે. જ્યારે પુણ્ય આત્મા છે તો યાદ કરવાની દરકાર નથી
રહેતી. તો આ આપ બાળકો એ સમજાવવાનું છે, સર્વિસ કરવાની છે. બાપ નહીં જઈને બધાંને
સંભળાવશે. બાળકો સર્વિસ કરવા લાયક છે તો બાળકોએ જ જવું જોઈએ. મનુષ્ય તો
દિન-પ્રતિદિન અસુર બનતા જાય છે. ઓળખ ન હોવાનાં કારણે બક્વાસ કરવામાં પણ વાર નથી કરતા.
મનુષ્ય કહે છે ગીતાનાં ભગવાન કૃષ્ણ છે. તમે સમજાવો છો તેઓ તો દેહધારી છે, તેમને
દેવતા કહેવાય છે. કૃષ્ણને બાપ નહીં કહેશું. આ તો બધાં ફાધરને યાદ કરે છે ને.
આત્માઓનાં ફાધર તો બીજા કોઈ હોતા નથી. આ પ્રજાપિતા બ્રહ્મા પણ કહે છે - નિરાકાર
ફાધરને યાદ કરવાનાં છે. આ કોર્પોરીયલ (સાકાર) ફાધર થઈ જાય છે. સમજાવાય તો બહુ જ છે,
કોઈ પૂરું ન સમજી ઉલટા રસ્તો લઈ જંગલમાં જઈને પડે છે. બાપ તો રસ્તો બતાવે છે
સ્વર્ગમાં જવાનો. છતાં પણ જંગલ તરફ ચાલ્યા જાય છે. બાપ સમજાવે છે તમને જંગલ તરફ લઈ
જવાવાળો છે - રાવણ. તમે માયાથી હાર ખાઓ છો. રસ્તો ભૂલી જાઓ છો તો પછી તે જંગલ નાં
કાંટા બની જાઓ છો. તેઓ પછી સ્વર્ગમાં મોડેથી આવશે. અહીંયા તમે આવ્યા જ છો સ્વર્ગમાં
જવાનો પુરુષાર્થ કરવા. ત્રેતાને પણ સ્વર્ગ નહીં કહેશું. ૨૫ ટકા ઓછું થયું ને. તે
નપાસ ગણાય છે. તમે અહીંયા આવ્યા જ છો જૂની દુનિયા છોડી નવી દુનિયા માં જવા. ત્રેતા
ને નવી દુનિયા નહીં કહેવાશે. નપાસ ત્યાં ચાલ્યા જાય છે કારણ કે રસ્તો ઠીક પકડતા નથી.
નીચે-ઉપર થતા રહે છે. તમે અનુભવ કરો છો જે યાદ હોવી જોઇએ તે નથી રહેતી. સ્વર્ગવાસી
જે બને છે તેમને કહેશું સરસ પાસ. ત્રેતા વાળા નપાસ ગણાય છે. તમે નર્કવાસી થી
સ્વર્ગવાસી બનો છો. નહીં તો પછી નપાસ કહેવાય છે. તે ભણતર માં તો ફરી બીજીવાર ભણે
છે. આમાં બીજું વર્ષ ભણવાની તો વાત જ નથી. જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર તે જ
પરીક્ષા પાસ કરે છે જે કલ્પ પહેલા કરી છે. આ ડ્રામા નાં રહસ્યને સારી રીતે સમજવું
જોઈએ. કોઈ સમજે છે અમે ચાલી નથી સકતા. બુઢા છે એમને હાથ પકડીને ચલાવો તો ચાલશે, નહીં
તો પડી જશે. પરંતુ તકદીરમાં નથી તો કેટલું પણ જોર આપશું ફૂલ બનાવવાનું, પરંતુ બનતા
નથી. અક પણ ફૂલ હોય છે. આ તો કાંટા વાગે છે.
બાપ કેટલું સમજાવે છે. કાલે તમે જે શિવની પૂજા કરતા હતા એ આજે તમને ભણાવી રહ્યા છે.
દરેક વાતમાં પુરુષાર્થ માટે જ જોર દેવામાં આવે છે. જોવામાં આવે છે - માયા સારા-સારા
ફૂલો ને નીચે પાડી દે છે. હાડકા તોડી દે છે, જેમને પછી ટ્રેટર કહેવાય છે. જે એક
રાજધાની છોડી બીજા માં ચાલ્યા જાય છે તેમને ટ્રેટર કહેવાય છે. બાપ પણ કહે છે મારા
બનીને પછી માયાનાં બની જાય છે તો તેમને પણ ટ્રેટર કહેવાય છે. તેમની ચલન જ એવી થઈ
જાય છે. હવે બાપ માયાથી છોડાવવા આવ્યા છે. બાળકો કહે છે - માયા બહુજ દુશ્તર છે,
પોતાની તરફ બહુજ ખેંચી લે છે. માયા જેમકે ચુંબક છે. આ સમયે ચુંબક નું રુપ ધરતી છે.
કેટલી સુંદરતા દુનિયામાં વધી ગઈ છે. પહેલા આ બાઈસ્કોપ વગેરે થોડા હતા. આ બધું સો
વર્ષમાં નીકળ્યું છે. બાબા તો અનુભવી છે ને. તો બાળકોએ આ ડ્રામાનાં ગુહ્ય રહસ્યને
સારી રીતે સમજવું જોઈએ, દરેક વાત એક્યુરેટ નોંધાયેલી છે. સો વર્ષમાં આ જેમકે બહિશ્ત
બની ગયું છે, ઓપોઝિશન નાં માટે. તો સમજાય છે - હવે સ્વર્ગ જલ્દી થવાનું છે. વિજ્ઞાન
પણ બહુ જ કામમાં આવે છે. આ તો બહુ જ સુખ દેવાવાળું પણ છે ને. તે સુખ સ્થાઈ થઈ જાય
તેનાં માટે આ જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે. સતયુગનાં સુખ છે જ ભારત નાં ભાગ્યમાં.
તેઓ તો આવે જ પાછળથી છે, જ્યારે ભક્તિ માર્ગ શરુ થાય છે, જ્યારે ભારતવાસી પડે છે
ત્યારે બીજા ધર્મવાળા નંબરવાર આવે છે. ભારત પડતાં-પડતાં એકદમ પટ પર આવી જાય છે. પછી
ચઢવાનું છે. અહીંયા પણ ચઢે છે, પછી પડે છે. કેટલા પડે છે, વાત નહીં પૂછો. કોઈ તો
માનતા જ નથી કે બાબા આપણને ભણાવે છે. સારા-સારા સર્વિસેબુલ જેમની બાપ મહિમા કરે છે
તે પણ માયાનાં પંજામાં આવી જાય છે. કુશ્તી હોય છે ને. માયા પણ એવી રીતે લડે છે.
એકદમ પૂરા નીછે પાડી દે છે. આગળ જઇને આપ બાળકોને ખબર પડતી જશે. માયા એકદમ પુરા
સુવડાવી દે છે. છતાં પણ બાપ કહે છે એકવાર જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં જરુર આવશે.
બાકી પદ તો નહીં પામી શકશે ને. કલ્પ પહેલા જેમણે જે પુરુષાર્થ કર્યો છે કે
પુરુષાર્થ કરતા-કરતા પડ્યા છે, એવી રીતે જ હમણાં પણ પડે અને ચઢે છે. હાર અને જીત
થાય છે ને. આખો આધાર બાળકોની યાદ પર છે. બાળકોને આ અખુટ ખજાનો મળે છે. તે તો કેટલા
લાખોનું દેવાળું મારે છે. કોઈ લાખોનાં ધનવાન બને છે, તે પણ એક જન્મમાં. બીજા જન્મમાં
થોડું આટલું ધન રહેશે. કર્મભોગ પણ બહુ જ છે. ત્યાં સ્વર્ગ માં તો કર્મભોગ ની વાત
હોતી નથી. આ સમયે તમે ૨૧ જન્મોનાં માટે કેટલું જમા કરો છો. જે પુરુષાર્થ કરે છે,
પુરા સ્વર્ગનો વારસો પામે છે. બુદ્ધિ માં રહેવું જોઈએ આપણે બરાબર સ્વર્ગનો વારસો
પામીએ છીએ. આ ખ્યાલ નથી કરવાનો કે ફરી નીચે પડશું. આ સૌથી વધારે નીચે પડ્યા પછી
ચઢવાનું જ છે. ઓટોમેટિકલી પુરુષાર્થ પણ થતો રહે છે. બાપ સમજાવે છે - જુઓ, માયા કેટલી
પ્રબળ છે. મનુષ્ય માં કેટલું અજ્ઞાન ભરાઈ ગયું છે, અજ્ઞાન નાં કારણે બાપને પણ
સર્વવ્યાપી કહી દે છે. ભારત કેટલું ફર્સ્ટ ક્લાસ હતું. તમે સમજો છો આપણે આવા હતા,
હવે ફરી બની રહ્યા છીએ. આ દેવતાઓની કેટલી મહિમા છે, પરંતુ કોઈ જાણતા નથી, આપ બાળકોનાં
સિવાય. તમે જ જાણો છો બેહદનાં બાપ જ્ઞાન સાગર આવીને આપણ ને ભણાવે છે છતાં પણ માયા
અનેકોને સંશય માં લાવી દે છે. જુઠ્ઠ કપટ છોડતા નથી. ત્યારે બાપ કહે છે - સાચો-સાચો
પોતાનો ચાર્ટ લખો. પરંતુ દેહ-અભિમાન નાં કારણે સાચું નથી બતાવતા. તો તે પણ વિકર્મ
બની જાય છે, સાચું બતાવવું જોઈએ ને. નહીં તો બહુજ સજા ખાવી પડે છે. ગર્ભ જેલમાં પણ
બહુ જ સજા મળે છે. કહે છે તોબાં-તોબાં.....અમે ફરી આવું કામ નહીં કરશું. જેમ કોઈને
માર મળે છે તો પણ આવી રીતે માફી માંગે છે. સજા મળવાથી પણ એવું કરે છે. હવે આપ બાળકો
સમજો છો માયાનું રાજ્ય ક્યારથી શરુ થયું છે. પાપ કરતા રહે છે. બાપ જુએ છે - આ એટલા
મીઠા-મીઠા મુલાયમ (નમ્ર) નથી બનતા. બાપ કેટલા મુલાયમ બાળક નાં જેવા થઈ ચાલે છે,
કારણકે ડ્રામા પર ચાલતા રહે છે. કહેશે જે થયું ડ્રામાની ભાવી. સમજાવે પણ છે કે આગળ
પછી આવું ન થાય. આ બાપદાદા બંને એકસાથે છે ને. દાદાની મત પોતાની, ઈશ્વરની પોતાની
છે. સમજવું જોઈએ કે આ મત કોણ આપે છે? આ પણ બાપ તો છે ને. બાપનું તો માનવું જોઈએ.
બાબા તો મોટા બાબા છે ને, એટલે બાબા કહે છે તેમ જ સમજો શિવબાબા સમજાવે છે. નહીં
સમજશો તો પદ પણ નહીં પામશો. ડ્રામાનાં પ્લાન અનુસાર બાપ પણ છે, દાદા પણ છે. બાપની
શ્રીમત મળે છે. માયા એવી છે જે મહાવીર, પહેલવાનો થી પણ કોઈ ને કોઈ ઊલટું કામ કરાવી
દે છે. સમજાય છે આ બાપની મત પર નથી. સ્વયં ફીલ (અનુભવ) પણ કરે છે, હું પોતાની આસુરી
મત પર છું. શ્રીમત આપવાવાળા આવીને ઉપસ્થિત થયા છે. એમની છે ઇશ્વરીય મત. બાપ સ્વયં
કહે છે તેમની જો કોઈ એવી મત મળી પણ ગઈ તો પણ તેમને ઠીક કરવા વાળો હું બેઠો છું. છતાં
પણ મેં રથ લીધો છે ને. મેં રથ લીધો ત્યારે જ તેમને ગાળો આપી છે. નહીં તો ક્યારેય
ગાળો નથી ખાધી. મારા કારણે કેટલી ગાળો ખાય છે. તો તેમની પણ સંભાળ કરવી પડે. બાપ
રક્ષા જરુર કરે છે. જેમ બાળકોની રક્ષા બાપ કરે છે ને. જેટલું સચ્ચાઇ પર ચાલો છો એટલી
રક્ષા થાય છે. જુઠ્ઠ ની રક્ષા નથી થતી. તેમની તો પછી સજા કાયમ થઈ જાય છે. એટલે બાપ
સમજાવે છે - માયા તો એકદમ નાક થી પકડી ખતમ કરી દે છે. બાળકો પોતે ફીલ કરે છે માયા
ખાઈ જાય છે તો પછી ભણતર છોડી દે છે. બાપ કહે છે. ભણવાનું જરુર ભણો. સારુ, ક્યાંય
કોઈનો દોષ છે. આમાં જેટલું જે કરશે, તો ભવિષ્યમાં પામશે કારણકે હવે દુનિયા બદલાઇ રહી
છે. માયા એવી અંગૂરી મારી દે છે જે તે ખુશી નથી રહેતી. પછી ચીસો પાડે છે - બાબા,
ખબર નહીં શું થાય છે. યુદ્ધનાં મેદાનમાં બહુ જ ખબરદાર રહે છે કે ક્યાંય કોઈ અંગૂરી
ન મારી દે. છતાં પણ વધારે તાકાત વાળા હોય છે તો બીજાને પાડી દે છે. પછી બીજા દિવસ
પર રાખે છે. આ માયા ની લડાઈ તો અંત સુધી ચાલતી રહે છે. નીચે-ઉપર થતા રહે છે. ઘણાં
બાળકો સાચું નથી બતાવતા. ઈજ્જત નો બહુજ ડર છે - ખબર નહિ બાબા શું કહેશે. જ્યાં સુધી
સાચું બતાવ્યું નથી ત્યાં સુધી આગળ ચાલી ન શકે. અંદરમાં ખટકતું રહે છે, પછી વૃદ્ધિ
થઈ જાય છે. જાતે જ સાચું ક્યારેય નહીં બતાવશે. ક્યાંક બે છે તો સમજે છે આ બાબાને
સંભળાવશે તો અમે પણ સંભળાવી દઈએ. માયા બહુ જ દુશ્તર છે. સમજાય છે તેમની તકદીરમાં
એટલું ઊંચું પદ નથી તો સર્જન થી છુપાવે છે. છુપાવવા થી બીમારી છૂટશે નહીં. જેટલું
છુપાવશો એટલું નીચે પડતા જ રહેશો. ભૂત તો બધામાં છે ને. જ્યાં સુધી કર્માતીત અવસ્થા
નથી બની, ત્યાં સુધી ક્રિમિનલ આઈ (કુદ્રષ્ટિ) પણ છોડતી નથી. સૌથી મોટો દુશ્મન છે
કામ. ઘણાં પડી જાય છે. બાબા તો વારં-વાર સમજાવે છે શિવબાબા નાં સિવાય કોઈ દેહધારીને
યાદ નથી કરવાનાં. કોઈ તો એવા પાક્કા છે જે ક્યારેય કોઇની યાદ પણ નહીં આવશે. પતિવ્રતા
સ્ત્રી હોય છે ને, તેમની કુબુદ્ધિ નથી હોતી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણને
ભણાવવા વાળા સ્વયં જ્ઞાન નાં સાગર, બેહદનાં બાપ છે, આમાં ક્યારેય સંશય નથી લાવવાનો.
જુઠ્ઠ કપટ છોડી પોતાનો સાચો-સાચો ચાર્ટ રાખવાનો છે. દેહ-અભિમાન માં આવીને ક્યારેય
ટ્રેટર નથી બનવાનું.
2. ડ્રામાને બુદ્ધિમાં રાખી બાપ સમાન બહુજ-બહુજ મીઠા મુલાયમ (નમ્ર) બનીને રહેવાનું
છે. પોતાનો અહંકાર નથી દેખાડવાનો. પોતાની મત છોડી એક બાપની શ્રેષ્ઠ મત પર ચાલવાનું
છે.
વરદાન :-
સાથીને સદા
સાથે રાખી સહયોગ નો અનુભવ કરવા વાળા કમ્બાઈન્ડ રુ પધારી ભવ :
સદા “આપ અને બાપ” એવી
રીતે કમ્બાઈન્ડ રહો જે કોઈ પણ અલગ ન કરી શકે. ક્યારેય પોતાને એકલા નહી સમજો. બાપદાદા
અવિનાશી સાથ નિભાવવા વાળા તમારા બધાનાં સાથી છે. બાબા કહ્યું અને બાબા હાજર છે. આપણે
બાબાનાં, બાબા આપણા. બાબા તમારી દરેક સેવામાં સહયોગ દેવા વાળા છે ફક્ત પોતાનાં
કમ્બાઈન્ડ સ્વરુપનાં રુહાની નશામાં રહો.
સ્લોગન :-
સેવા અને
સ્વ-ઉન્નતી બન્નેનું બેલેન્સ હોય તો સદા સફળતા મળતી રહેશે.