18-10-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - આદેશ કરો કે , હે ભૂતો તમે અમારી પાસે આવી ન હી શકો, તમે એમને ડ રા વો તો તે ભાગી જશે ”

પ્રશ્ન :-
ઈશ્વરીય નશામાં રહેવાવાળા બાળકોનાં જીવનની શોભા કઈ છે?

ઉત્તર :-
સર્વિસ (સેવા) જ એમનાં જીવનની શોભા છે. જ્યારે નશો છે કે અમને ઈશ્વરીય લોટરી મળી છે તો સેવાનો શોખ હોવો જોઈએ. પરંતુ તીર ત્યારે લાગશે જ્યારે અંદર કોઈ પણ ભૂત નહી હશે.

પ્રશ્ન :-
શિવબાબા નાં બાળકો કહેવડાવવાનાં હકદાર કોણ છે?

ઉત્તર :-
જેમને નિશ્ચય છે કે ભગવાન અમારા બાપ છે. અમે એવા ઊંચેથી ઊંચા બાપનાં બાળકો છીએં, એવા નશામાં રહેવાવાળા લાયક બાળકો જ શિવબાબા નાં બાળકો કહેવાનાં હકદાર છે. જો ચરિત્ર ઠીક નથી, ચલન રોયલ્ટી ની નથી તો શિવબાબા નાં બાળકો નથી કહી શકાતા.

ઓમ શાંતિ!
શિવ બાબા યાદ છે? સ્વર્ગની બાદશાહી યાદ છે? અહીં જ્યારે બેસો છો તો દિમાગ માં આવવું જોઈએ - આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ અને નિત્ય બાપને યાદ કરીએ છીએ. યાદ કર્યા વગર આપણે વારસો લઇ ન શકીએ. શેનો વારસો? પવિત્રતાનો. તો એનાં માટે એવો પુરુષાર્થ કરવો જોઈએ. ક્યારેય પણ કોઈ વિકારની વાત આપણી પાસે આવી ન શકે, ફક્ત વિકારની જ વાત નથી. એક ભૂત નહીં પરંતુ કોઇ પણ ભૂત આવી ન શકે. એવું શુદ્ધ અહંકાર રહેવો જોઈએ. બહુ જ ઊંચેથી ઊંચાં ભગવાનનાં આપણે બાળકો પણ ઊંચેથી ઊંચા થયા ને. વાતચીત, ચલન કેવી રોયલ હોવી જોઈએ. બાપ ચલનથી સમજે છે આ તો બિલકુલ જ વર્થ નોટ પેની (કોડી તુલ્ય) છે. મારા બાળક કહેવાને પણ હકદાર નથી. લૌકિક બાપને પણ ન લાયક બાળકને જોઇ અંદરમાં એવું થાય છે. આ પણ બાપ છે. બાળકો જાણે છે બાપ અમને શિક્ષણ આપી રહ્યા છે પરંતુ કોઇ-કોઈ એવા છે જે બિલકુલ સમજતા નથી. બેહદનાં બાપ આપણને સમજાવી રહ્યા છે એ નિશ્ચય નથી, નશો નથી. આપ બાળકોની બુદ્ધિ કેટલી ઉંચી હોવી જોઈએ. આપણે કેટલા ઊંચ બાપનાં બાળક છીએ. બાપ કેટલું સમજાવે છે. અંદરમાં વિચારો આપણે કેટલા ઊંચેથી ઊંચાં બાપનાં બાળકો છીએ, આપણું ચરિત્ર કેટલું ઊંચું હોવું જોઈએ. જે આ દેવી-દેવતાઓની મહિમા છે, એ આપણી હોવી જોઈએ. પ્રજાની થોડી મહિમા છે. એક લક્ષ્મી-નારાયણને જ દેખાડયા છે. તો બાળકોએ કેટલી સારી સેવા કરવી જોઈએ. આ લક્ષ્મી-નારાયણ બંનેવે આ સેવા કરી છે ને. બુદ્ધિ કેટલી ઊંચી જોઈએ. કોઈ બાળકોમાં તો કંઈ ફર્ક જ નથી. માયાથી હાર ખાઈ લે છે તો વધારે જ બગડી જાય છે. નહીં તો અંદરમાં કેટલો નશો રહેવો જોઈએ. આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ. બાપ કહે છે બધાને મારો પરિચય આપતા રહો. સર્વિસથી જ શોભા પામશો, ત્યારે જ બાપનાં દિલ પર ચઢશો. બાળક એ જે બાપનાં દિલ પર ચઢેલા હોય. બાપનો બાળકો પર કેટલો પ્રેમ હોય છે. બાળકોને માથા પર ચઢાવે છે. એટલો મોહ હોય છે પરંતુ એ તો છે હદનો માયાવી મોહ. આ તો છે બેહદનો. એવા કોઈ બાપ હશે જે બાળકને જોઈ ખુશ ન થાય. મા-બાપને તો અથાહ ખુશી હોય છે. અહીંયા જ્યારે બેસો છો તો સમજવું જોઈએ કે બાબા આપણને ભણાવે છે. બાબા આપણા ઓબીડિયન્ટ ટીચર (વફાદાર શિક્ષક) છે. બેહદનાં બાપએ જરુર કોઈ સેવા કરી હશે ત્યારે તો ગાયન છે ને. કેટલી વન્ડરફુલ વાત છે. કેટલી એમની મહિમા કરાય છે. અહીં બેઠાં છો તો બુદ્ધિમાં નશો રહેવો જોઈએ. સંન્યાસી તો છે જ નિવૃત્તિ માર્ગવાળા. એમનો ધર્મ જ અલગ છે. આ પણ હવે બાપ સમજાવે છે. તમે થોડી જાણતા હતા સન્યાસ માર્ગને. તમે તો ગૃહસ્થ આશ્રમમાં રહેતા ભક્તિ વગેરે કરતા હતા, તમને પછી જ્ઞાન મળે છે. એમને તો જ્ઞાન મળવાનું છે નહીં. તમે કેટલું ઊંચું ભણો છો અને બેઠા કેટલા સાધારણ છો, નીચે. દેલવાડા મંદિરમાં પણ તમે નીચે તપસ્યામાં બેઠા છો, ઉપરમાં વૈકુંઠ ઊભું છે. ઉપર વૈકુંઠને જોઈએ મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપર જ હોય છે.

તો આપ બાળકોનાં અંદરમાં આ બધી વાતો આવી જોઇએ કે આ સ્કૂલ છે. આપણે ભણી રહ્યા છીએ. ક્યાંય ચક્ર લગાડવા જાઓ છો તો પણ બુદ્ધિમાં આવાં વિચાર ચાલે તો બહુજ મજા આવશે. બેહદનાં બાપને તો દુનિયાનાં કોઈ નથી જાણતું. બાપનાં બાળક બની અને બાપની બાયોગ્રાફી (જીવનચરિત્ર) ને ન જાણે, એવા ભુટ્ટૂ ક્યારેય જોયા. ન જાણવાનાં કારણે કહી દે છે સર્વવ્યાપી છે. ભગવાનને જ કહી દે છે આપેહી પૂજ્ય, આપેહી પૂજારી. આપ બાળકોને અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ - આપણે કેટલા ઊંચા પૂજ્ય હતા. પછી આપણે જ પૂજારી બન્યા છીએ. જે શિવબાબા તમને આટલા ઊંચા બનાવે છે પછી ડ્રામા અનુસાર તમે જ એમની પૂજા શરુ કરો છો. આ વાતોને દુનિયા થોડી જાણે છે ભક્તિ ક્યારે શરુ થાય છે. બાપ આપ બાળકોને રોજ-રોજ સમજાવતા રહે છે, અહીં બેઠા છો તો અંદરમાં ખુશી થવી જોઈએ ને. આપણને કોણ ભણાવે છે! ભગવાન આવીને ભણાવે છે - આ તો ક્યારેય સાંભળ્યું પણ નહીં હશે. તેઓ તો સમજે છે ગીતાનાં ભગવાન કૃષ્ણ છે તો કૃષ્ણ જ ભણાવતા હશે. અચ્છા, કૃષ્ણ પણ સમજો તો પણ કેટલી ઊંચી અવસ્થા હોવી જોઈએ. એક પુસ્તક પણ છે મનુષ્ય મત અને ઈશ્વરીય મતનું. દેવતાઓને તો મત લેવાની દરકાર જ નથી. મનુષ્ય ઇચ્છે છે ઈશ્વરની મત. દેવતાઓને તો મત આગળ નાં જન્મમાં મળી હતી જેનાંથી ઉંચ પદ પામ્યા. હવે આપ બાળકોને શ્રીમત મળી રહી છે શ્રેષ્ઠ બનવા માટે. ઈશ્વરીય મત અને મનુષ્ય મત માં કેટલો ફર્ક છે. મનુષ્ય મત શું કહે છે, ઈશ્વરીય મત શું કહે છે. તો જરુર ઈશ્વરીય મત પર ચાલવું પડે. કોઈને મળવા જાઓ છો તો કંઈ પણ લઈ નથી જતા. યાદ નથી રહેતું કોઈને શું સોગાત આપવી જોઈએ. આ મનુષ્ય મત અને ઈશ્વરીય મત નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બહુ જ જરુરી છે. તમે મનુષ્ય હતા તો આસુરી મત હતી અને હવે ઈશ્વરીય મત મળે છે. એમાં કેટલો ફર્ક છે. આ શાસ્ત્ર વગેરે બધું મનુષ્યનું જ બનાવેલું છે. બાપ કોઈ શાસ્ત્ર વાંચી આવે છે શું? બાપ કહે છે હું કોઈ બાપ નો બાળક છું શું? હું કોઈ ગુરુનો શિષ્ય છું શું? જેમનાંથી શીખ્યો છું? તો આ પણ બધી વાતો સમજાવવી જોઈએ. ભલે આ જાણો છો કે વાનરબુદ્ધિ છે પરંતુ મંદિર લાયક બનવા વાળા પણ છે ને. એવાં ઘણા મનુષ્ય મત પર ચાલે છે પછી તમે સમજાવો છો કે અમે ઈશ્વરીય મત થી શુ બનીએ છીએ, એ અમને ભણાવે છે. ભગવાનુવાચ - અમે એમનાંથી ભણવા જઈએ છીએ. અમે રોજ એક કલાક, પોણો કલાક જઈએ છે. ક્લાસમાં વધારે સમય પણ લેવો ન જોઈએ. યાદની યાત્રા તો ચાલતા-ફરતા થઈ શકે છે. જ્ઞાન અને યોગ બંને બહુ જ સહજ છે. અલ્ફ નો છે જ એક અક્ષર. ભક્તિમાર્ગનાં તો ઘણા શાસ્ત્ર છે, ભેગા કરો તો આખું ઘર શાસ્ત્રોથી ભરાઈ જાય. કેટલો આનાં પર ખર્ચો થયો હશે. હવે બાપ તો બહુ જ સહજ બતાવે છે, ફક્ત બાપને યાદ કરો. તો બાપનો વારસો છે જ સ્વર્ગની બાદશાહી. તમે વિશ્વનાં માલિક હતા ને. ભારત સ્વર્ગ હતું ને. શું તમે ભૂલી ગયા છો? આ પણ ડ્રામા ની ભાવી કહેવાય છે. હવે બાપ આવેલા છે. દર ૫ હજાર વર્ષ પછી આવે છે ભણાવવા. બેહદનાં બાપનો વારસો જરુર સ્વર્ગ નવી દુનિયાનો હશે ને. આ તો બિલકુલ સરળ વાત છે. લાખો વર્ષ કહી દેવાથી બુદ્ધિને જાણે તાળું લાગી જાય છે. તાળું ખુલતું જ નથી. એવું તાળું લાગેલું છે જે આટલી સહજ વાત પણ સમજતા નથી. બાપ સમજાવે છે એક જ વાત બસ. વધારે કંઈ પણ ભણાવવું ન જોઈએ. અહીં તમે એક સેકન્ડમાં કોઈને પણ સ્વર્ગવાસી બનાવી શકો છો. પરંતુ આ સ્કૂલ છે એટલે તમારું ભણતર ચાલતું રહે છે. જ્ઞાન સાગર બાપ તમને જ્ઞાન તો એટલું આપે છે જે સાગરને શાહી બનાવો, આખા જંગલને કલમ બનાવો તો પણ અંત ન થઈ શકે. જ્ઞાનને ધારણ કરતા કેટલો સમય થયો છે. ભક્તિને તો અડધો કલ્પ થયો છે. જ્ઞાન તો તમને એક જ જન્મમાં મળે છે. બાપ તમને ભણાવી રહ્યા છે નવી દુનિયા માટે. એ શારીરિક સ્કૂલમાં તો તમે કેટલો સમય પણ ભણો છો. ૫ વર્ષથી લઈને ૨૦-૨૨ વર્ષ સુધી ભણતા રહો છો. કમાણી થોડી અને ખર્ચો બહુ જ કરશો તો નુકસાન થઇ જશે ને.

બાપ કેટલા સોલ્વન્ટ બનાવે છે, પછી ઇનસોલ્વન્ટ (દેવાળિયા) બની જાઓ છો. હમણાં ભારતની હાલત જુઓ શું છે. ઉમંગ થી સમજાવવું જોઈએ. માતાઓએ ઊભા થવું જોઈએ. તમારું જ ગાયન છે વંદે માતરમ. ધરતીને વંદે માતરમ નથી કહેવાતુ. વંદે માતરમ મનુષ્યને કરાય છે. બાળકો જે બંધનમુક્ત છે એ જ આ સેવા કરે છે. એ પણ કલ્પ પહેલા બંધનમુક્ત થયા હતા, એમ થતા રહે છે. અબળાઓ પર કેટલા અત્યાચાર થાય છે. જાણે છે અમને બાપ મળ્યા છે, તો સમજે છે બસ હવે બાપની સેવા કરવી છે. બંધન છે, એવું કહેવા વાળા રીઢ બકરીઓ છે. ગવર્મેન્ટ ક્યારે કહી ન શકે તમે ઈશ્વરીય સેવા ન કરો. વાત કરવાની હિંમત જોઈએ ને. જેમનામાં જ્ઞાન છે એ તો એટલામાં સહજ બંધનમુક્ત થઈ શકે છે. જજને પણ સમજાવી શકો છો - અમે રુહાની સેવા કરવા ઇચ્છીએ છીએ. રુહાની બાપ અમને ભણાવી રહ્યા છે. ક્રિશ્ચન લોકો પણ કહે છે લિબ્રેટ કરો, ગાઈડ (માર્ગદર્શક) બનો. ભારતવાસીઓ થી તો પણ એમની સમજ સારી છે. આપ બાળકો માં જે સારા સમજદાર છે એમને સેવાનો બહુ જ શોખ રહે છે. સમજે છે ઈશ્વરીય સેવાથી બહુ જ લોટરી મળે છે. ઘણાં તો લોટરી વગેરે સમજતા જ નથી. ત્યાં પણ જઈને દાસ-દાસીઓ બનશે. દિલમાં સમજે છે સારુ, દાસી પણ ચાલશે, ચંડાળ પણ ચાલશે. સ્વર્ગ માં તો હશું ને! એમની ચલન પણ એવી જોવામાં આવે છે. તમે સમજો છો બેહદનાં બાપ આપણને સમજાવી રહ્યા છે. આ દાદા પણ સમજાવે છે, બાપ આમનાં દ્વારા બાળકોને ભણાવી રહ્યા છે. કોઈ તો આટલું પણ સમજતા નથી. અહીંથી બહાર નીકળ્યા ખલાસ. અહીં બેસી પણ જાણે કઈ સમજતા નથી. બુદ્ધિ બહાર ભટકતી ધક્કા ખાતી રહે છે. એક પણ ભૂત નીકળતું નથી. ભણાવવાવાળા કોણ અને બનો છો શું! સાહૂકારોનાં પણ દાસ-દાસીઓ બનશે ને. હમણાં પણ સાહૂકારોની પાસે કેટલા નોકર-ચાકર રહે છે. સેવા પર તો એકદમ ઉડવું જોઈએ. આપ બાળકો શાંતિ સ્થાપન અર્થ નિમિત્ત બનો છો, વિશ્વમાં સુખ-શાંતિ સ્થાપન કરી રહ્યા છો. પ્રેકટીકલમાં તમે જાણો છો અમે શ્રીમત પર સ્થાપન કરી રહ્યા છીએ, એમાં અશાંતિ કોઈ હોવી ન જોઈએ. બાબાએ અહીં પણ ઘણા એવા સારા-સારા ઘર જોયેલા છે. એક ઘરમાં છ-સાત વહુઓ ભેગી કેટલા પ્રેમથી રહે છે, બિલકુલ શાંતિ હોય છે. કહેતા હતા - અમારી પાસે તો સ્વર્ગ છે. કોઈ ની ખિટ-ખિટ ની વાત નથી. બધાં આજ્ઞાકારી છે, એ સમયે બાબાનાં પણ સન્યાસી વિચારો હતા. દુનિયાથી વૈરાગ્ય રહેતો હતો. હવે તો આ છે બેહદનો વૈરાગ્ય. કંઈ પણ યાદ ન રહે. બાબા તો નામ બધાં ભૂલી જાય છે. બાળકો કહે છે બાબા તમે અમને યાદ કરો છો? બાબા કહે છે મારે તો બધાંને ભૂલવાનું છે. ન ભૂલો, ન યાદ કરો. બેહદનું વૈરાગ્ય છે ને. બધાંને ભૂલવાનું છે. આપણે અહીંનાં રહેવાવાળા થોડી છીએ. બાપ આવેલા છે - આપણો સ્વર્ગનો વારસો આપવા. બેહદનાં બાપ કહે છે મને યાદ કરો તો તમે વિશ્વનાં માલિક બની જશો. આ બેજ બહુ જ સારો છે સમજાવવા માટે. કોઈ માંગે તો બોલો સમજીને લો. આ બેજ ને સમજવાથી તમને વિશ્વની બાદશાહી મળી શકે છે. શિવબાબા આ બ્રહ્મા દ્વારા ડાયરેક્શન આપે છે મને યાદ કરો તો તમે આ બનશો. ગીતા વાળા જે છે એ સારી રીતે સમજી લેશે. જે દેવતા ધર્મનાં હશે. કોઈ-કોઈ પ્રશ્ન પૂછે છે - દેવતાઓ ઉતરે કેમ છે? અરે, આ ચક્ર ફરતું રહે છે. પુનર્જન્મ લેતા-લેતા નીચે તો ઉતરશે ને! ચક્ર તો ફરવાનું જ છે. દરેકનાં દિલમાં આ આવે જરુર છે અમે સેવા કેમ નથી કરી શકતા. જરુર મારામાં કોઇ ખામી છે. માયાનાં ભૂતોએ નાક થી પકડ્યા છે.

હવે આપ બાળકો સમજો છો આપણે હવે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવીને રાજ્ય કરશું. તમે મુસાફિર છો ને. દૂર દેશ થી અહીં આવીને પાર્ટ ભજવો છો. હવે તમારી બુદ્ધિમાં છે આપણે અમરલોક જવાનું છે. આ મૃત્યુલોક ખલાસ થઈ જવાનો છે. બાપ સમજાવે તો બહુ જ છે. સારી રીતે ધારણ કરવાનું છે. આને પછી વાગોળતા રહેવું જોઈએ. એ પણ બાપએ સમજાવ્યું છે કર્મભોગ ની બીમારી ઉથલ (બહાર) ખાશે. માયા સતાવશે પરંતુ મૂંઝાવું ન જોઈએ. થોડું કંઈક થાય છે તો હેરાન થઈ જાય છે. બીમારીમાં મનુષ્ય બહુજ ભગવાનને વધારે યાદ કરે છે. બંગાળમાં જ્યારે કોઈ બહુ જ બીમાર થાય છે તો તેમને કહે છે રામ બોલો....રામ બોલો... જુએ છે હવે મરવા પર છે તો ગંગા પર લઈ જઈ હરિ બોલ, હરિ બોલ કરે છે પછી એમને લઈ આવી બાળવાની શું દરકાર છે. ગંગામાં અંદર નાખી દો ને. કચ્છ-મચ્છ વગેરેનાં શિકાર થઇ જશે. કામમાં આવી જશે. પારસી લોકો રાખી દે છે તો એ હાડકાઓ પણ કામમાં આવે છે. બાપ કહે છે તમે બીજી બધી વાતો ભૂલી મને યાદ કરો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બંધનમુક્ત બની ભારતની સાચી સેવા કરવાની છે. ફલક (ઉમંગ) થી સમજાવવાનું છે કે અમને રુહાની બાપ ભણાવી રહ્યા છે, અમે રુહાની સેવા પર છીએ. ઈશ્વરીય સેવાની ઉછળ આવતી રહે.

2. કર્મભોગની બીમારી કે માયાનાં તોફાનોમાં મૂંઝાવાનું કે હેરાન નથી થવાનું. બાપએ જે જ્ઞાન આપ્યું છે એને વાગોળતા બાપ ની યાદમાં હર્ષિત રહેવાનું છે.

વરદાન :-
સર્વ સંબંધોની અનુભૂતિની સાથે પ્રાપ્તિની ખુશીનો અનુભવ કરવા વાળા તૃપ્ત આત્મા ભવ :

જે સાચા આશિક છે તે દરેક પરિસ્થિતિમાં, દરેક કર્મ માં સદા પ્રાપ્તિની ખુશીમાં રહે છે. ઘણા બાળકો અનુભૂતિ કરે છે કે હા એ મારા બાપ છે, સાજન છે, બાળક છે..... પરંતુ પ્રાપ્તિ જેટલી ઈચ્છે છે એટલી નથી થતી. તો અનુભૂતિની સાથે સર્વ સંબંધો દ્વારા પ્રાપ્તિની મહેસુસતા થાય. એવી પ્રાપ્તિ અને અનુભૂતિ કરવાવાળા સદા તૃપ્ત રહે છે. એમને કોઇપણ ચીજ ની અપ્રાપ્તિ નથી લાગતી. જ્યાં પ્રાપ્તિ છે ત્યાં તૃપ્તિ જરુર છે.

સ્લોગન :-
નિમિત્ત બનો તો સેવાની સફળતા નો શેયર (હિસ્સો) મળી જશે.