15-09-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  28.01.85    બાપદાદા મધુબન




“ વિશ્વ સેવા નું સહજ સાધન મન્સા સેવા ”

 


જે સર્વ શક્તિવાન બાપ સ્વયંની શક્તિ સેના, પાંડવ સેના, રુહાની સેના ને જોઈ રહ્યા છે. સેનાનાં મહાવીર સ્વયંની રુહાની શક્તિથી ક્યાં સુધી વિજયી બન્યા છે. વિશેષ ત્રણ શક્તિઓ ને જોઈ રહ્યા છે. દરેક મહાવીર આત્માની મન્સા શક્તિ ક્યાં સુધી સ્વ પરિવર્તન પ્રતિ અને વિશ્વ સેવા પ્રતિ ધારણ થઈ છે? એમ જ વાચા શક્તિ, કર્મણા શક્તિ અર્થાત્ શ્રેષ્ઠ કર્મ ની શક્તિ ક્યાં સુધી જમા કરી છે? વિજયી રત્ન બનવા માટે આ ત્રણેવ શક્તિઓ આવશ્યક છે. ત્રણેવમાંથી એક શક્તિ પણ ઓછી છે તો વર્તમાન પ્રાપ્તિ અને પ્રાલબ્ધ ઓછી થઈ જાય છે. વિજયી રત્ન અર્થાત્ ત્રણેય શક્તિઓથી સંપન્ન. વિશ્વ સેવાધારી સો વિશ્વ રાજ્ય અધિકારી બનવાનો આધાર આ ત્રણેય શક્તિઓ ની સંપન્નતા છે. સેવાધારી બનવું અને વિશ્વ સેવાધારી બનવું, વિશ્વ રાજન બનવું અથવા સતયુગી રાજન બનવું એમાં પણ અંતર છે. સેવાધારી અનેક છે, વિશ્વ સેવાધારી કોઈ-કોઈ છે. સેવાધારી અર્થાત્ ત્રણેય શક્તિઓની નંબરવાર યથાશક્તિ ધારણા. વિશ્વ સેવાધારી અર્થાત્ ત્રણે શક્તિઓની સંપન્નતા. આજ દરેકની ત્રણેય શક્તિઓની ટકાવારી જોઈ રહ્યા હતાં.

સર્વશ્રેષ્ઠ મન્સા શક્તિ દ્વારા ભલે કોઈ પણ આત્મા સન્મુખ હોય, સમીપ હોય અથવા કેટલી પણ દૂર હોય – સેકન્ડમાં એ આત્માને પ્રાપ્તિની શક્તિનો અનુભવ કરાવી શકો છે. મન્સા શક્તિ કોઈપણ આત્માની માનસિક હલચલ વાળી સ્થિતિને પણ અચળ બનાવી સકે છે. માનસિક શક્તિ અર્થાત્ શુભ ભાવના, શ્રેષ્ઠ કામના આ શ્રેષ્ઠ ભાવના દ્વારા કોઈ પણ આત્મા ને, સંશય બુદ્ધિને ભાવનાત્મક બુદ્ધિ બનાવી શકો છો. આ શ્રેષ્ઠ ભાવનાથી કોઈપણ આત્માનો વ્યર્થ ભાવ પરિવર્તન કરી સમર્થ ભાવ બનાવી શકો છો. શ્રેષ્ઠ ભાવ દ્વારા કોઈ પણ આત્માનાં સ્વભાવને પણ બદલી શકો છો. શ્રેષ્ઠ ભાવનાની શક્તિ દ્વારા આત્માને ભાવનાનાં ફળ ની અનુભૂતિ કરાવી શકો છો. શ્રેષ્ઠ ભાવના દ્વારા ભગવાનના સમીપ લાવી શકો છો. શ્રેષ્ઠ ભાવના કોઈ પણ આત્માનાં ભાગ્યની રેખા બદલી સકે છે. શ્રેષ્ઠ ભાવના હિમ્મતહીન આત્માને હિમ્મતવાન બનાવી દે છે. આવી શ્રેષ્ઠ ભાવના ની વિધિ પ્રમાણે મન્સા સેવા કોઈપણ આત્માની કરી શકો છો. મન્સા સેવા વર્તમાન સમય પ્રમાણે અતિ આવશ્યક છે. પરંતુ મન્સા સેવા તે જ કરી શકે છે જેમની સ્વયંની મન્સા અર્થાત્ સંકલ્પ સદા સર્વ પ્રતિ શ્રેષ્ઠ હોય, નિસ્વાર્થ હોય. પર-ઉપકાર ની સદા ભાવના હોય. અપકારી પર પણ ઉપકાર ની શ્રેષ્ઠ ભાવના હોય. સદા દાતાપન ની ભાવના હોય. સદા સ્વ પરિવર્તન, સ્વનાં શ્રેષ્ઠ કર્મ દ્વારા બીજાને શ્રેષ્ઠ કર્મની પ્રેરણા આપવા વાળા હોય. આ પણ કરે, ત્યારે હું કરીશ, કઈક આ કરે કંઈક હું કરું, અથવા થોડું તો એ પણ કરે, આ ભાવનાથી પણ પરે. કોઈ નથી પણ કરી શકતા, તો પણ રહેમની ભાવના, સદા સહયોગની ભાવના, હિમ્મત વધારવાની ભાવના હોય. આને કહેવાય છે મન્સા સેવાધારી. મન્સા સેવા એક સ્થાન પર સ્થિત રહીને પણ ચારેબાજુ ની સેવા કરી શકો છો. વાચા અને કર્મ નાં માટે તો જવું પડે. મન્સા સેવા ક્યાંય પણ બેસીને કરી શકો છો.

મન્સા સેવા – રૂહાની વાયરલેસ સેટ છે. જેના દ્વારા દૂરનાં સંબંધ સમીપ બનાવી શકો છો. દૂર બેઠા કોઈ પણ આત્માને બાપના બનવાનો ઉમંગ-ઉત્સાહ પેદા કરવાનો સંદેશ આપી શકો છો. જે તે આત્મા અનુભવ કરશે કે મને કોઈ મહાન શક્તિ બોલાવી રહી છે. કોઈ અનમોલ પ્રેરણા મને પ્રેરી રહી છે. જેમ કોઈ ને સન્મુખ સંદેશ આપીને ઉમંગ-ઉત્સાહ માં લાવો છો. એમ મન્સા શક્તિ દ્વારા પણ તે આત્મા એવો જ અનુભવ કરશે જેમ કોઈ સન્મુખ બોલી રહ્યું છે. દૂર હોવા છતાં પણ સન્મુખ નો અનુભવ કરશે. વિશ્વ સેવાધારી બનવાનું સહજ સાધન જ મન્સા સેવા છે. જેમ વિજ્ઞાન વાળા આ સાકાર સૃષ્ટિથી, પૃથ્વીથી ઉપર અંતરીક્ષ યાન દ્વારા પોતાના કાર્યને શક્તિશાળી બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સ્થૂળ થી સૂક્ષ્મ માં જઈ રહ્યા છે. કેમ? સૂક્ષ્મ શક્તિશાળી હોય છે. મન્સા શક્તિ પણ અંતર્મુખી યાન છે . જેના દ્વારા જ્યાં પણ ઇચ્છો, જેટલું જલ્દી ઈચ્છો પહોંચી શકો છો. જેમ વિજ્ઞાન દ્વારા પૃથ્વીના આકર્ષણથી પરે જવા વાળા સ્વત: લાઈટ (હલકા) બની જાય છે. એમ મન્સા શક્તિશાળી આત્મા ડબલ લાઈટ સ્વરૂપ સદા અનુભવ કરે છે. જેમકે અંતરીક્ષ યાન વાળા ઉંચા હોવાના કારણે આખી પૃથ્વીનાં જ્યાના પણ ચિત્ર દોરવા ઈચ્છે, દોરી શકે છે, એમ શાંતિની શક્તિથી અંતર્મુખી યાન દ્વારા, મન્સા શક્તિ દ્વારા કોઈ પણ આત્મા ને ચરિત્રવાન બનાવવાની, શ્રેષ્ઠ આત્મા બનાવવાની પ્રેરણા આપી શકો છો. વિજ્ઞાન વાળા તો દરેક વસ્તુ પર સમય અને સંપત્તિ ખૂબ જ લગાવે છે. પરંતુ આપ વગર ખર્ચે થોડા સમયમાં ઘણી સેવા કરી શકો છો. જેમ આજકાલ ક્યાંક-ક્યાંક ફ્લાઈંગ સાસર (ઉડન તસ્તરી - આકાશ માં ઉડતી અજ્ઞાત વસ્તુ) જુઓ છો. સાંભળો છો ને – સમાચાર. તે પણ ફક્ત લાઈટ જ જોવામાં આવે છે. એમ તમને મન્સા સેવાધારી આત્માઓને આગળ જઈ અનુભવ કરશે કે લાઈટ નું બિંદુ આવ્યું, વિચિત્ર અનુભવ કરાવી ને ગયું. આ કોણ હતું? ક્યાંથી આવ્યું? શું આપીને ગયું, આવી ચર્ચા વધતી જશે. જેમ આકાશમાં તારાઓ તરફ બધાની નજર જાય છે, એમ ધરતીના તારાઓ દિવ્યજ્યોતિ ચારેબાજુ અનુભવ કરશે. એવી શક્તિ મન્સા સેવાધારીઓની છે. સમજ્યા? મહાનતા તો ઘણી બધી છે પરંતુ આજે આટલું જ સંભળાવે છે. મન્સા સેવા ને હવે તીવ્ર કરો ત્યારે ૯ લાખ તૈયાર થશે. હમણાં ગોલ્ડન જુબલી સુધી કેટલી સંખ્યા બની છે? સતયુગની ડાયમંડ જુબલી સુધી નવ લાખ તો જોઈએ ને. નહીં તો વિશ્વ રાજન કોના પર રાજ્ય કરશે? નવ લાખ તારા ગવાય છે ને. તારા રુપી આત્માનો અનુભવ કરશે, ત્યારે નવ લાખ તારા ગવાશે એટલે હવે તારા નો અનુભવ કરાવો. અચ્છા! ચારેબાજુથી આવેલા બાળકોને મધુબન નિવાસી બનવાની મુબારક છે અથવા મિલન મેળાની મુબારક છે. આ જ અવિનાશી અનુભવની મુબારક સદા સાથે રાખજો. સમજ્યા.

સદા મહાવીર બની મન્સા શક્તિની મહાનતા થી શ્રેષ્ઠ સેવા કરવા વાળા, સદા શ્રેષ્ઠ ભાવના અને શ્રેષ્ઠ કામના ની વિધિ થી બેહદની સેવા ની સિદ્ધિ પામવા વાળા, સ્વયંની ઊંચી સ્થિતિ દ્વારા ચારે બાજુની આત્માઓને શ્રેષ્ઠ પ્રેરણા આપવાવાળા વિશ્વ સેવાધારી, સદા સ્વયં ની શુભ ભાવના દ્વારા અન્ય આત્માઓને પણ ભાવનાનું ફળ દેવાવાળા, એવાં વિશ્વ કલ્યાણકારી, પર-ઉપકારી, વિશ્વ સેવાધારી બાળકોને બાપદાદાના યાદ-પ્યાર અને નમસ્તે.

કુમારો પ્રતિ વિશેષ અવ્યક્ત બાપદાદા નાં મધુર મહાવાક્ય
કુમાર, બ્રહ્માકુમાર તો બની ગયા, પરંતુ બ્રહ્માકુમાર બન્યા પછી શું બનવાનું છે? શક્તિશાળી કુમાર. જ્યાં સુધી શક્તિશાળી નથી બન્યા તો વિજયી નથી બની શકતા. શક્તિશાળી કુમાર સદા નોલેજફુલ અને પાવરફૂલ આત્મા હશે. નોલેજફુલ અર્થાત્ રચતાંને પણ જાણવા વાળા, રચનાને પણ જાણવા વાળા અને માયાનાં ભિન્ન-ભિન્ન રૂપોને પણ જાણવાવાળા. એવા નોલેજફુલ પાવરફુલ સદા વિજયી છે. નોલેજ જીવનમાં ધારણ કરવું અર્થાત્ નોલેજ ને શસ્ત્ર બનાવી દેવું. શસ્ત્રધારી શક્તિશાળી હશે ને. આજે મિલેટ્રી વાળા શક્તિશાળી કયા આધારથી હોય છે? શસ્ત્ર છે, બંદૂક છે તો નિર્ભય થઈ જાય છે. તો નોલેજફુલ જે હશે, તે પાવરફુલ જરૂર હશે. તો માયાનું પણ પૂરું નોલેજ છે. શું થશે, કેમ થશે, ખબર નથી પડી, માયા કેવી રીતે આવી, આ તો નોલેજફુલ ન થયા. નોલેજફુલ આત્મા પહેલાથી જ જાણે છે. જેમ સમજદાર જે હોય છે તે બીમારીને પહેલા જ જાણી લે છે. તાવ આવવાનો હોય તો પહેલેથી જ સમજશે કે કંઈક થઈ રહ્યું છે, પહેલેથી જ દવા લઈને સ્વયંને ઠીક કરી દેશે અને સ્વસ્થ થઈ જશે. બેસમજને તાવ આવી પણ જશે તો ચાલતા-ફરતા રહેશે અને તાવ વધતો જશે. એમ જ માયા આવે છે પરંતુ આવવાની પહેલા સમજી લેવું અને તેને દૂરથી જ ભગાવી દેજો. તો આવાં સમજદાર શક્તિશાળી કુમાર છો ને! સદા વિજયી છોને! કે તમને પણ માયા આવે અને ભગાવવામાં સમય લાગે છે. શક્તિ ને જોઈને દૂરથી જ દુશ્મન ભાગી જાય છે. જો આવી જાય પછી તેને ભગાવો તો સમય ખોટી અને કમજોરી ની આદત પડી જાય છે. કોઈ વારં-વાર બીમાર થાય તો કમજોર થઈ જાય છે ને! અથવા વારં-વાર ભણવામાં નાપાસ થાય તો કહેવાય આ ભણવામાં કમજોર છે. એમ માયા વારં-વાર આવે અને વાર કરતી રહે તો હાર ખાવાની આદત થઈ જશે અને વારં-વાર હાર ખાવાથી કમજોર થઇ જશો એટલે શક્તિશાળી બનો. આવી શક્તિશાળી આત્મા સદા પ્રાપ્તિનો અનુભવ કરે છે, યુદ્ધમાં પોતાનો સમય નથી બગાડતી. વિજયી ની ખુશી મનાવે છે. તો ક્યારેય કોઈ વાતમાં કમજોરી ન હોય. કુમાર બુદ્ધિ સાલિમ છે. અધર કુમાર બનવાથી બુદ્ધિ વેચાઈ જાય છે. કુમારોને એક જ કામ છે, પોતાનું જ જીવન છે. તેઓને તો કેટલી જવાબદારી હોય છે. તમે જવાબદારીથી સ્વતંત્ર છો, જે સ્વતંત્ર હશે તે આગળ વધશે. બોજ વાળા ધીરે-ધીરે ચાલશે. સ્વતંત્ર હલકા હશે અને ઝડપી ચાલશે. તો ઝડપી ગતિ વાળા છો, એકરસ છો? સદા તીવ્ર અર્થાત્ એકરસ. એવું પણ નહીં ૬ મહિના વીતી ગયા, જેવા હતા તેવા જ ચાલી રહ્યા છે, આને પણ તીવ્રગતિ નહીં કહેવાય. તીવ્રગતિ વાળા આજે જે છે કાલે એનાથી આગળ, પરમ દિવસે એનાથી આગળ, એને જ કહેવાય છે – ‘તીવ્રગતિ વાળા’. તો સદા સ્વયંને શક્તિશાળી કુમાર સમજો. બ્રહ્માકુમાર બની ગયા બસ આ ખુશી માં રહ્યા, શક્તિશાળી નહીં બન્યાં, તો વિજયી નહીં બની શકો. બ્રહ્માકુમાર બનવું બહુ સારું છે પરંતુ શક્તિશાળી બ્રહ્માકુમાર સદા સમીપ હોય છે. હમણાંના સમીપ વાળા રાજ્યમાં પણ સમીપ હશે. હમણાં ની સ્થિતિ માં સમીપતા નથી તો રાજ્યમાં પણ સમીપતા નથી. હમણાં ની પ્રાપ્તિ સદાની પ્રાલબ્ધ બનાવી દે છે એટલે સદા શક્તિશાળી. એવા શક્તિશાળી જ વિશ્વ-કલ્યાણકારી બની શકે છે. કુમારોમાં શક્તિ તો છે જ, ચાહે શારીરિક શક્તિ, ચાહે આત્માની. પરંતુ વિશ્વ-કલ્યાણના પ્રતિ શક્તિ છે કે શ્રેષ્ઠ વિશ્વને વિનાશકારી બનાવવાનાં કાર્યમાં લગાવવાની શક્તિ છે? તો કલ્યાણકારી કુમાર છો ને! અકલ્યાણ કરવાવાળા નહીં. સંકલ્પ માં પણ સદા સર્વના પ્રતિ કલ્યાણની ભાવના હોય. સ્વપ્નમાં પણ કલ્યાણની ભાવના હોય, આને કહેવાય છે - શ્રેષ્ઠ શક્તિશાળી. કુમાર શક્તિ દ્વારા જે વિચારે તે કરી શકે છે. જે તેજ સંકલ્પ અને કર્મ, બંને સાથે-સાથે હોય. એવું નહીં સંકલ્પ આજે કર્યો, કર્મ પાછળથી. સંકલ્પ અને કર્મ એક હોય અને સાથે-સાથે હોય. એવી શક્તિ છો. એવી શક્તિવાળા જ અનેક આત્માઓનું કલ્યાણ કરી શકે છે. તો સદા સેવામાં સફળ બનવા વાળા છો કે ખિટ-ખિટ કરવા વાળા છો? મન માં, કર્મ માં, પરસ્પર માં, બધામાં ઠીક. કોઈમાં પણ ખિટ-ખિટ ન હોય. સદા સ્વયંને વિશ્વ-કલ્યાણકારી કુમાર સમજો તો જે પણ કર્મ કરશો તેમાં કલ્યાણની ભાવના સમાઈ હશે. અચ્છા!

વિદાયના સમયે અમૃતવે લા એ બધા બાળકોને યાદ પ્યાર આપી
દરેક કાર્ય મંગળ થાય. દરેક કાર્ય સફળ થાય. તેની બધા બાળકોને મુબારક. આમ તો દરેક દિવસ સંગમયુગ નો શુભ છે, શ્રેષ્ઠ છે, ઉમંગ ઉત્સાહ દેવડાવા વાળો છે એટલે દરેક દિવસ નું મહત્વ પોતાનું છે. આજના દિવસ દરેક સંકલ્પ પણ મંગલમય હોય અર્થાત્ શુભચિંતક રુપવાળા હોય. કોઈના પ્રતિ મંગળ કામના અર્થાત્ શુભકામના કરવાવાળા સંકલ્પ હોય. દરેક સંકલ્પ મંગલમ અર્થાત્ ખુશી દેવડાવા વાળા હોય. તો આજના દિવસનો આ મહત્વ સંકલ્પ, બોલ અને કર્મ ત્રણેય માં વિશેષ સ્મૃતિ રાખજો. અને આ સ્મૃતિ રાખવી જ દરેક સેકન્ડ બાપદાદાની યાદ-પ્યાર સ્વીકાર કરવા બરાબર છે. તો ફક્ત હમણાં યાદ-પ્યાર નથી આપી રહ્યા પરંતુ પ્રેક્ટીકલ કરવું અર્થાત્ યાદ-પ્યાર લેવો. આખો દિવસ આજે યાદ-પ્યાર લેતા રહેજો અર્થાત્ યાદમાં રહી દરેક સંકલ્પ, બોલ દ્વારા પ્રેમની લહેરમાં લહેરાતા રહેજો. અચ્છા - બધાને વિશેષ યાદ ગુડમોર્નિંગ!

સંમેલનનાં પ્રતિ અવ્યક્ત બાપદાદા નો વિશેષ સંદેશ
બાપદાદા બોલ્યા, બાળકો સંમેલન કરી રહ્યા છે. સંમેલન નો અર્થ છે સમ-મિલન. તો જે સંમેલનમાં આવવા વાળા છે તેમને બાપ સમાન નહીં તો સ્વયં સમાન નિશ્ચય બુદ્ધિ તો અવશ્ય બનાવજો. જે પણ આવે કંઈક બનીને જાય ફક્ત બોલીને ન જાય. આ દાતા નું ઘર છે. તો આવવા વાળા એ ન સમજે છે કે અમે આમને મદદ કરવા આવ્યા છીએ અથવા આમને સહયોગ દેવા આવ્યા છીએ. પરંતુ તેઓ સમજે કે આ સ્થાન લેવાનું સ્થાન છે, દેવાનું નથી. અહીંયા દરેક નાના મોટા જેમને પણ મળે, જે તે સમયે અહીંયા હોય, તેમને એ સંકલ્પ કરવાનો છે કે દ્રષ્ટિ થી, વાયુમંડળ થી, સંપર્ક-સંબંધ થી “માસ્ટર દાતા” બનીને રહેવાનું છે. બધાને કંઈક ને કંઈક આપીને જ મોકલવાના છે. આ દરેકનું લક્ષ્ય હોય, આવવા વાળા ને રિગાર્ડ તો આપવાનો જ છે, પરંતુ બધાને રિગાર્ડ એક બાપમાં બેસાડવાનો છે. બાબા કહી રહ્યા હતા - મારા આટલા બધા લાઈટ હાઉસ બાળકો ચારેબાજુથી મન્સા સેવા દ્વારા લાઈટ આપશે તો સફળતા થયેલી જ છે. તે એક લાઈટ હાઉસ કેટલા ને રસ્તો દેખાડે - આપ લાઈટહાઉસ, માઈટહાઉસ બાળકો તો બહુજ કમાલ કરી શકો છો. અચ્છા!

વરદાન :-
ઈશ્વરીય સેવાના બંધન દ્વારા સમીપ સંબંધ માં આવવા વા ળા રોયલ ફેમિલી નાં અધિકારી ભવ :

ઈશ્વરીય સેવાનું બંધન નજીક સંબંધમાં લાવવા વાળું છે. જેટલી જે સેવા કરે છે એટલી સેવાનું ફળ સમીપ સંબંધમાં આવે છે. અહીંયા નાં સેવાધારી ત્યાંની રોયલ ફેમિલી નાં અધિકારી બનશે. જેટલી અહીંયા હાર્ડ સેવા કરે છે તેટલું ત્યાં આરામથી સિંહાસન પર બેસશે અને અહીંયા જે આરામ કરે છે તે ત્યાં કામ કરશે. એક-એક સેકન્ડ નો એક-એક કામનો હિસાબ-કિતાબ બાપ ની પાસે છે.

સ્લોગન :-
સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન નાં વાઈબ્રેશન તીવ્રગતિ થી ફેલાવો.
 


આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, બધા સંગઠિત રુપમાં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય યોગમાં સંમિલિત થઈને સ્વયંનાં નિરાકારી સ્વરુપમાં સ્થિત થઈ, પરમધામ ની ઉંચી સ્થિતિનો અનુભવ કરો. સ્વીટ સાઈલેન્સ માં બેસીને સર્વને શાંતિની શક્તિ ની સકાશ આપવાની સેવા કરો.